________________
वर्णलक्षणः । अर्थ:- शब्दाभिधेयव्यवसाय: । आलम्बनं = बाह्यप्रतिमादिविषयध्यानम् । एते चत्वारो भेदाः, रहितः = रूपिद्रव्यालम्बनरहितो निर्विकल्पचिन्मात्रसमाधिरूप इत्येवं C:-યોગ: પદ્યવિધ: તન્ત્ર-યોપ્રધાનશાસ્ત્રે પ્રતિપાવિત કૃતિ શેષ:। ૩ Ø
स्थानोर्णार्थालम्बनतदन्ययोगपरिभावने सम्यक् ।
परतत्त्वयोजनमलं योगाभ्यास इति 'समयविदः // ( षोड. १३-४२)
વૃત્તિઅર્થ : ‘જેના વડે સ્થિર થવાય તે સ્થાન’ સકલ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ કાયોત્સર્ગ, પર્યાંકબન્ધ, પદ્માસન વગેરે ચોક્કસ પ્રકારના આસન એ સ્થાનયોગ છે. ઊર્ણ-શબ્દ. તે તે ક્રિયા દરમ્યાન બોલાતા સૂત્રોના વર્ણ એ ઊર્ણયોગ (શબ્દયોગ) છે. તે તે શબ્દોથી અભિધેય પદાર્થોનો નિશ્ચયાત્મક-જ્ઞાનમય ઉપયોગ એ અર્થયોગ છે. બાહ્ય પ્રતિમા વગેરે વિષયક ધ્યાન એ આલંબનયોગ છે. આ યોગના ચાર ભેદો છે. (તથા) રહિત=રૂપી દ્રવ્યને આલંબન તરીકે રાખ્યા વિના પ્રવર્તતો નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિરૂપ યોગ એ આલંબનરહિત - અનાલંબનયોગ છે. આમ આ યોગ પાંચ પ્રકારનો હોવો યોગપ્રધાનશાસ્ત્રોમાં પ્રતિપાદિત છે. પોડાકજી (૧૩૪)માં કહ્યું છે કે - સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને તદન્ય (=આલંબનભિન્ન=) અનાલંબન યોગ... એમ પાંચ પ્રકારના યોગનું સમ્યક્ પરિભાવન' એ પર (-પરમશ્રેષ્ઠ) તત્ત્વ જે મોક્ષ તેનો યોગ કરાવી આપનાર છે. અને એ યોગાભ્યાસસ્વરૂપ છે એમ 'યોગશાસ્ત્રના જાણકાર વિદ્વાનો કહે છે.
૪
વિવેચન : મન, વચન અને કાયામાં સામાન્યથી કાયાનું નિયત્રણ સરળ છે. એટલે સૌ પ્રથમ સ્થાનયોગ કહ્યો. એ પછી વચનનું નિયત્રણ સહેલું છે. માટે ઊર્ણયોગ. છેવટે મનને સીધી અસર કરનારા અર્થયોગ વગેરે. એમાં પણ સૂત્ર બોલાતું હોય, એટલે એના અર્થમાં ચિત્તને પરોવી રાખવું કંઇક સરળ હોવાથી પહેલાં અર્થયોગ... બાહ્ય પ્રતિમાવગેરે આલંબન સૂત્ર સાથે સંલગ્ન ન હોવાથી એમાં ઉપયોગ કંઈક કઠિન હોવા છતાં રૂપી દ્રવ્યના આલંબનવાળો હોઇ કંઇક સરળ પણ છે જ. જ્યારે અનાલંબન યોગમાં રૂપીદ્રવ્યનું પણ આલંબન ન હોઇ એ વધારે સાધનાસાધ્ય છે, તેથી એને સૌથી છેલ્લે કહ્યો છે.
જીવને મોક્ષમાર્ગ પર આગળ વધારવા માટે પણ આ પાંચની સામાન્યતયા આ જ ક્રમે વર્ધમાન અસરકારકતા છે, માટે પણ આ ક્રમ જાણવો.
58
Jain Education International
For Private & Personal Use Only
યોગવિંશિકા...૨
www.jainelibrary.org