________________
(બાહ્યરીતે ભૌતિકફળાશંસા દેખાતી હોવા છતાં) અમૃતાનુષ્ઠાન જ બને છે, તદ્ધતુઅનુષ્ઠાન નહીં, એ જાણવું બત્રીશીમાં ઉપાધ્યાયજી મહારાજે, આલોક-પરલોક ઉભય સંબંધી કળાપેક્ષા હોય તો જેની તીવ્રતા હોય તે મુજબ અનુષ્ઠાનનો વિષ કે ગરમાં સમાવેશ કરવો એમ જણાવ્યું છે. એમ પ્રસ્તુતમાં ભૌતિકફળાભિલાષા અને મોક્ષાભિલાષા અંગે જાણવું. અર્થાત્ ભૌતિફળાભિલાષા તીવ્ર હોય તો તહેતુ અને મોક્ષાભિલાષા તીવ્ર હોય તો અમૃત. એટલે જ તદ્ધતુ અનુષ્ઠાન માટે મુક્તિઅદ્વેષ કે મુક્તિનો ઈષદ્રાગ કહ્યો છે. પણ મુક્તિનો તીવ્ર રાગ (તીવ્ર અભિલાષા ઝળહળતો સંવેગ) નથી કહ્યો. કારણ કે એ જો હોય તો એની જ પ્રબળતા રહેવાથી ભૌતિકઅપેક્ષા હોવા છતાં અનુષ્ઠાન ‘તતું રહેતું નથી, પણ અમૃત બની જાય છે. પણ જેને બાધ્યકક્ષાની એવી પણ ભૌતિકફળાપેક્ષા, મોક્ષાભિલાષાની અપેક્ષાએ પ્રબળ હોય છે એનું અનુષ્ઠાન તદ્ધતુ બને છે એ જાણવું ટૂંકમાં માત્ર મોક્ષાભિલાષા કે નિર્બળભૌતિકફળાભિલાષાથી મિશ્રિત પ્રબળ મોક્ષાભિલાષા - અમૃતાનુષ્ઠાન. બાધ્ય એવી પ્રબળ ભૌતિક અપેક્ષા - તહેતુઅનુષ્ઠાન. અબાધ્ય એવી પારલૌકિકભૌતિક અપેક્ષા - ગરાનુષ્ઠાન. અબાધ્ય એવી ઇહલૌકિક ભૌતિક અપેક્ષા - વિષાનુષ્ઠાન. ફળાદિ અંગે પ્રણિધાન શૂન્યતા
- અનનુષ્ઠાન. (વૃત્તિમાં મુત્યુનુસારણ છપાયું છે ત્યાં મુત્યનુરોળ પાઠ ઉચિત લાગે છે.) जिनोदितमिति त्वाहुर्भावसारमदः पुनः।
संवेगगर्भमत्यन्तममृतं मुनिपुङ्गवाः॥ १६० ॥ 'जिनोदितमित्येव भावसारं = श्रद्धाप्रधानं अदः = अनुष्ठानं संवेगगर्भ = मोक्षाभिलाषसहितं अत्यन्तं = अतीव अमरणहेतुत्वादमृतसंज्ञमाहुः मुनिपुङ्गवाः = गौतमादिमहामुनयः।
વૃત્તિઅર્થ (યોગબિન્દુના ૧૬ ૦મા શ્લોકનો અર્થ ) “અહો ! મારા ભગવાને આ અનુષ્ઠાન કહ્યું છે... આવી જવલંત શ્રદ્ધાની પ્રધાનતાવાળું અને અત્યન્ત સંગગર્ભિત એવા આને (=અનુષ્ઠાનને) મુનિપુંગવો ‘અમૃત કહે છે. (એ શ્લોકની
160 )
ગિવિંશિકા...૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org