SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ એને હોતો નથી. એ જ રીતે વ્યક્તકક્ષાનો કે અવ્યક્ત મુક્તિદ્વેષ પણ એને હોતો નથી. આ, રખે ને મુક્તિષના કારણે મારી દુર્ગતિ થઈ જાય... કે સદ્ગતિ અટકી જાય... આવી કલ્પનાથી પ્રયત્નપૂર્વક દ્વેષને ટાળવાથી થયેલા મુક્તિઅદ્વેષ સ્વરૂપ નથી. પણ વિના ઉપાધિ સહજ પ્રગટેલો મુક્તિ અષ છે. એ સદનુષ્ઠાનરાગને પ્રગટાવવામાં સમર્થ હોય છે. અને તેથી આવા મુક્તિ અપ સદનુષ્ઠાનના રાગનો હેતુ બને છે. અને તેથી અનુષ્ઠાન તસ્કેતુ બને છે. અભવ્યજીવને આવો લાભ નથી મળી શકતો એમાં એક કારણ એ છે કે એનો ક્યારેય ચરમાવર્તમાં પ્રવેશ થતો નથી. અને તેથી કર્મબંધયોગ્યતા વગેરેમાં નોંધપાત્ર હાસથવાનો લાભ એને મળતો નથી. એના કારણે અંદરની યોગ્યતાથી એને મુક્તિઅદ્વેષ પ્રગટતો નથી... એટલે એણે દુર્ગતિવારણના કારણરૂપે મુક્તિઅષનો પ્રયાસ કરવો પડે છે. અંદર યોગ્યતા પ્રગટ્યા વગર માત્ર બાહ્ય પ્રયાસથી કેળવેલો આવો મુક્તિઅદ્દેષ સદનુષ્ઠાન રાગને જન્માવી શકતો નથી, ને તેથી અભવ્યનું અનુષ્ઠાન તદ્ધતુઅનુષ્ઠાન' બનતું નથી. ઉપર ચરમાવર્તવર્તી જીવને જેવા કહ્યા એવા મુક્તિઅષકે ઇષમુક્તિરાગ વિના અસોપાધિક એવો સદનુષ્ઠાનરાગ પ્રગટતો નથી. એટલે જેને અસોપાધિક એવો સઠનુષ્ઠાન રાગ અનુષ્ઠાનમાં ભેળવ્યો છે અને મુક્તિનો અષકે ઇષદ્રાગ હોય જ એ નિશ્ચિત છે. એટલે આ મુક્તિના અષ કે ઇષદ્રાગ સ્વરૂપ શુભભાવનો અંશ એના અનુષ્ઠાનમાં ભળેલો જ હોય છે. માટે એ તતુઅનુષ્ઠાન બને છે. શુભભાવાંશનો યોગ હોવા છતાં વિધિવગેરેનું પરિપૂર્ણપાલન, અત્યન્ત સંવેગવગેરેન હોવાથી આ અનુષ્ઠાન અમૃતઅનુષ્ઠાન બનતું નથી. તેમ છતાં એ અમૃતઅનુષ્ઠાનનો શ્રેષ્ઠ = અવધ્ય હેતુ તો બને જ છે, એમ યોગના જ્ઞાતાઓ કહે છે. તે માટે જ એ તદ્ધતુ અનુષ્ઠાન કહેવાય છે. અનુષ્ઠાનમાં બાધ્યકક્ષાની ભૌતિક ફળાપેક્ષા, અવિધિ વગેરે ભળે તો એ અમૃતાનુષ્ઠાન ન બનતાં તદ્ધતુઅનુષ્ઠાન બને છે. શ્રીપાળકુંવર જેવા વિશિષ્ટ ભૂમિકા પામેલા જીવોને ક્યારેક વ્યક્ત રૂપે ભૌતિફળાશંસા દેખાતી હોય તો પણ એમનો સંગ ઝળહળતો હોવાના કારણે એમનો મોક્ષાભિલાષ અક્ષત રહ્યો હોય છે. તીવ્રતામાં ભૌતિકફળાપેક્ષા કરતાં મોક્ષાભિલાષા જ ચઢિયાતી હોય છે. વળી, ભૌતિકફળાપેક્ષા કામચલાઉ-પ્રાસંગિક હોય છે, જ્યારે મોક્ષાભિલાષા સતત બેસેલી હોય છે. અને તેથી એમનું અનુષ્ઠાન ( પાંચ અનુષ્ઠાનો) (159) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy