SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત્ જે ભૌતિક વસ્તુ કે અવસ્થા ઇચ્છિત છે તેના કારણ તરીકે જ સદનુષ્ઠાનની રુચિ હોય એ ન ચાલે. ‘આમોક્ષ લાવી આપનાર અનુષ્ઠાન છે. આવી પ્રતીતિના કારણે કે સ્વરૂપતઃ જ, (સદનુકાનનું ગુણશ્રેષ્ઠ એવા પ્રભુના ગુણોનું ઉત્કીર્તન વગેરે રૂપ સુંદર સ્વરૂપ હોવાથી) સદનુષ્ઠાનપ્રત્યે અનુરાગ પ્રગટેએ અહીંસદનુણાનરાગતરીકે અભિપ્રેત (૨) મુક્ષ્યવેગ - મુક્તિઅષ પણ એક બહુ મોટો ગુણ છે. તીવ્રભવાભિમ્બંગ એ પણ મુક્તિષનું જ એક સ્વરૂપ છે. જ્યાં કશું ખાવાપીવાનું નહીં... ઇન્દ્રિયોના કોઇ વિષય નહીં... આવા મોક્ષને કરવાનો શું? એના કરતાં આપણો સંસાર સો દરજે સારો, જ્યાં કંઇક સુખ તો મળે છે..'' આવા બધા વિચારો-વચનો તો વ્યક્તપણે મુક્તિદ્વેષ રૂપ છે જ. અભવ્ય જીવ પણ જિનવચનના બળે રાગ-દ્વેષ એ પાપબંધનોને એના દ્વારા દુર્ગતિનાં કારણ છે એવું જાણે છે ત્યારે એ ઇન્દ્રિયોના વિષયો વગેરેમાં રાગ-દ્વેષ ન થાય એની કાળજીવાળો બને છે. જો કે અંદર યોગ્યતારૂપે તો તીવ્રભવાભિધ્વંગ બેસેલો જ હોય છે, પણ બહારથી રાગ-દ્વેષ મોળા પડેલા હોય છે. તેમજ ઉપર કહ્યા મુજબના વ્યક્ત મુક્તિષને પણ પાપના કારણ તરીકે દેખવાથી એને પણ એ પ્રયત્નપૂર્વક દૂર કરે છે. આ રીતે એ પણ મુક્તિઅદ્દેષ કેળવે છે ને સાથે સાથે નિરતિચાર સંયમ પાળે છે જે એને નવમા ગ્રેવેયક સુધી લઈ જાય છે. છતાં એનું આ સંયમપાલન તહેતુ અનુષ્ઠાન રૂપ પણ બનતું નથી, એનું કારણ એ છે કે એનો આ મુક્તિઅદ્વેષ સદનુષાનરાગનું કારણ બની શકતો નથી. અને તે પણ એટલા માટે કે એણે જે મુક્તિઅદ્વેષ કેળવ્યો છે તે દુર્ગતિવારણના ઉપાયરૂપે પ્રયત્નપૂર્વક કેળવ્યો છે. જીવમાં કર્મબંધની જે અનાદિકાલીન યોગ્યતા છે તે પ્રતિપુલાવર્ત કંઈક ને કંઇક હૃાસ પામતી હોય છે. જીવ જ્યારે ચરમાવર્તમાં પ્રવેશ કરે છે ત્યારે આ હાસ વિશેષ નોંધપાત્ર બને છે. એના પ્રભાવે જીવમાં એક વિશેષ પ્રકારની યોગ્યતા પેદા થાય છે. એના કારણે સદુપદેશ મળવા પર કે સ્વયંચિન્તન કરવા પર સંસાર ઉપાધિરૂપ ભાસે છે, મોક્ષ અવસ્થાનો આંશિક પ્રતીતિપૂર્વક સ્વીકાર થવાથી એનો કંઈક પણ અનુરાગ પ્રગટે છે. કદાચ ઉપદેશાદિ દ્વારા મોક્ષની પિછાણ ન મળી હોય ને તેથી એનો અનુરાગ પ્રગટો ન હોય તો પણ તીવ્રભવાભિધ્વંગ રૂપ મુક્તિદ્વેષ સહજ રીતે (158) યોગવિંશિકા...૧૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy