SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ અને એ ઉચિત પણ છે. વધારે પડતી અનુકૂળતાઓ-સુખદ પરિસ્થિતિઓ સાધનામાં અલના પેદા કરે જ છે. એટલે જ યુગલિકકાળમાં અને દેવલોકમાં આરાધના હોતી નથી. ભારે વૈભવની વચમાં રહેલો શ્રીમંત પણ આરાધના કરે એવી શક્યતા ઓછી હોય છે. વિઘ્નરૂપ બનનાર આ બાહ્ય પરિસ્થિતિઓનું દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એમ ચાર પ્રકારોમાં વર્ગીકરણ કરી શકાય છે એ જાણવું. કડવી તુંબડીરૂપ પ્રતિકૂળદ્રવ્યાત્મક વિઘ્ન સામે ધર્મરુચિ અણગારનો જ્યને રત્નકંબલરૂપ અનુકૂળદ્રવ્ય સામે શિવભૂતિ પરાજિત. ક્ષેત્રાત્મક જઘન્યવિપ્ન સામે મેઘકુમારમુનિ પહેલાં પરાજિત, પછી વિજ્ય. કેવલજ્ઞાની, અવધિજ્ઞાની, ૧૪ પૂર્વધર વગેરેના અભાવવાળો અને અધર્મીને ત્યાં જાહોજલાલી-ધર્મને ત્યાં તકલીફ આવી વિષમતાવાળો. આ પંચમકાળ એ કાળાત્મક જઘન્યવિપ્ન સમાન છે. આમાં પણ શ્રદ્ધા ટકાવી રાખે તે વિજેતા...નેશંકાશીલ બની શ્રદ્ધા ગુમાવી દેતે પરાજિત.ભાવાત્મક વિપ્ન (સખત ગરમી) સામે અરણિક મુનિ પરાજિત, ચંડરુદ્રાચાર્યના શિષ્ય વિજેતા. કાંટા આવે કંકર આવે ધોમધખતી રેતી આવે, અંતરને અજવાળે વીરા પંથ તારો કાઢે જા... આમાં અંતરનું અજવાળું એટલે પ્રણિધાન-વિજ્ઞજય આશય કેળવેલું ચિત્ત. तथा तस्यैव ज्वरेण भृशमभिभूतस्य निराकुलगमनेच्छोरपि तत्कर्तुमशक्नुवतः कण्टकविघ्नादधिको यथा ज्वरविघ्नस्तजयश्च विशिष्टगमनप्रवृत्तिहेतुस्तथेहापि ज्वरकल्पा शारीरा एव रोगा *विशिष्टधर्मस्थानाराधनप्रतिबन्धकत्वाद् विघ्नाः, तदपाकरणञ्च 'हियाहारा मियाहारा... (पिण्डनियुक्ति-६४८) इत्यादिसूत्रोक्तरीत्या तत्कारणानासेवनेन, 'न मत्स्वरूपस्यैते परीषहा लेशतोऽपि बाधकाः, किन्तु देहमात्रस्यैव' इति भावनाविशेषण वा *सम्यग्धर्माराधनाय समर्थमिति ज्वरविघ्नजयसमो मध्यमो द्वितीयो विघ्नजयः। વૃત્તિઅર્થ તથા નિરાકુલ ગમન કરવાની ઇચ્છાવાળો હોવા છતાં, અત્યન્ત વરપીડિત હોવાના કારણે તેને નિરાકુલગમનને ન કરી શકનારા તે પથિકને જ કંટકવિબ કરતાં પણ વધારે મોટું જવરવિપ્ન આવે છે, ને એ વિM પર વિજયે એ *આ વિશિષ્ટ’ અને ‘સમ્યગુ શબ્દધર્મસ્થાનકે ધર્મના વિશેષણ નથી, પણ આરાધનાના વિશેષણ છે. અર્થાત્ ધર્મસ્થાનની વિશિષ્ટ આરાધના, ધર્મની સમ્યગુ આરાધના એવો અર્થ છે, વિશિષ્ટ ધર્મસ્થાનની કે સમ્યગુધર્મની આરાધના એવો નહીં. (34) યોગવિંશિકા....૧) 34 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy