________________
કૃષ્ણલેશ્યામાં પણ (જઘન્યતરફ) સમાવિષ્ટ હોવો જણાવાયો છે. એમ, સામાયિક, છેદોપસ્થાપનીય તથા પરિહારવિશુદ્ધિને ચારિત્રના અલગ-અલગ પ્રકારતરીકે વર્ણવ્યા હોવા છતાં, (પરસ્પર વિજાતીય દર્શાવ્યા હોવા છતાં) ત્રણે છ-સાતમે ગુણઠાણે હોય છે. તેમજ આ ત્રણનાં ક્ષયોપશમો (સંયમસ્થાનો) સામાયિક વગેરે કોઇ એક ચારિત્રમાં જ સમાવેશ પામે છે એમ ન જણાવતાં અનેકમાં સમાવેશ પામે છે એમ કહેવાયું છે. અર્થાત્ સ્વરૂપની દષ્ટિએ (વ્યવહારથી) આ ત્રણ પરસ્પર વિજાતીય હોવા છતાં ક્ષયોપશમની દષ્ટિએ પરસ્પર અમુક રીતે આક્રાંત પણ છે. આવું જો ઇચ્છાયોગ વગેરેમાં પણ સંભવિત હોય તો, ‘‘બાહ્ય સ્વરૂપની દષ્ટિએ (વ્યવહારથી) ઇચ્છાયોગ વગેરે પરસ્પર વિજાતીય છે, અને ક્ષયોપરામની દૃષ્ટિએ અમુક કક્ષાએ પરસ્પર આક્રાન્ત હોય છે.’’ એમ જાણવું. અર્થાત્ ઇચ્છાયોગના ઉત્કૃષ્ટ તરફના કેટલાક ક્ષયોપશમો પ્રવૃત્તિયોગના જઘન્ય તરફના સ્થાનોમાં પણ સમાવિષ્ટ જાણવા. એમ જ આગળ પણ જાણવું. તત્ત્વ કેવલિગમ્યમ્.
પૂર્વે આપણે જોઈ ગયા કે ક્ષપકશ્રેણિ માંડનારને પણ અંગવેલ્ય હોય તો પ્રવૃત્તિયોગ વગેરે આવી શક્તા નથી. એટલે એવું પણ માનવું પડે કે પ્રવૃત્તિ, સ્થિર ને સિદ્ધિ યોગમાં ક્ષયોપશમના જે અસંખ્યભેદો સમાવિષ્ટ છે એમાંના એકેયને જીવ સ્પર્શે નહીં, ને ક્ષાયિકભાવ પામી જાય આવું બનવું અશક્ય નથી. અલબત્, જેમ માત્ર ત્રસકાયની વિરતિના પરિણામ રૂપ દેશવિરતિના પરિણામનો સ્પર્શ ન હોવા છતાં, એનું જે કાર્ય છે ત્રસકાયની અહિંસા, એ સર્વવિરતિમાં સમાવિષ્ટ જ હોય છે... અથવા જેમ મનઃ પર્યવજ્ઞાનને પામ્યા વિના કેવલજ્ઞાન પામનારને પણ, મનઃ પર્યવજ્ઞાનના શેયનું પણ જ્ઞાન તો હોય જ છે, એમ પ્રસ્તુતમાં પણ સંભવિત છે. તત્ત્વ કેવલિગમ્યમ્.
(૨) ‘આ આ જ પ્રમાણે છે’ આવી પ્રતિપત્તિને અહીં શ્રદ્ધા તરીકે જણાવી છે. આ પ્રતિપત્તિના બે અંશ છે. ‘‘ઉપેયભૂત મોક્ષને (અહિંસાદિ ધર્મસ્થાનને) સાધવા માટે અત્યારે (=સ્થાનાદિના અવસરે) આ સ્થાનાદિ યોગ જ ઉપાય છે’’ આવી શ્રદ્ધા, અને ‘આ સ્થાનાદિ આ રીતે જ (=શાસ્ત્રમાં જે રીતે કહેલ હોય તે રીતે જ) થાય’ આવી શ્રદ્ધા. વળી, આ શ્રદ્ધાને ‘પ્રતિપત્તિ’ કહી છે. અર્થાત્ આવી પોતાની આંતરિક પ્રતીતિ જોઇએ... અંદરનો અવાજ... અંદરથી આત્મા જ એ બોલતો
શ્રદ્ધાદિનું સ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
101
www.jainelibrary.org