SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ વિઘ્નજય આશય કેળવવા માટે પરિકર્મસંપન્નતા, શ્રદ્ધાતિરેક અને સત્ત્વાતિરેક આવશ્યક હોય છે. અભ્યાસ દ્વારા શરીર અને મનને ખડતલ બનાવવા કે જેથી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ શરીર ખમી શકે-ને મન સ્વસ્થ રહી શકે... આરાધના ચાલુ રાખી શકાય. નહીંતર ક્યાં તો આરાધના છોડવી પડે ને ક્યાં તો શરીર છોડવું પડે એવી નોબત આવે છે. આ જ કારણથી શ્રી તત્ત્વાર્થસૂત્રમાં પરીષહો સહેવાના પ્રયોજન તરીકે કર્મનિર્જરા પણ પછી મૂકી, પહેલું પ્રયોજન માર્ગાચ્યવન મૂક્યું. (માર્ગાચ્યવનનિર્જરાર્થ પરિસોઢવ્યાઃ પરીષહાઃ) આ પરિકર્મસંપન્નતા છે. ‘પ્રતિક્રમણ ઊભા ઊભા જ કરવું જોઇએ.’ આવી શ્રદ્ધા પ્રબળ હોય તો જ થોડી થોડી વિષમપરિસ્થિતિમાં પણ આરાધના ચાલુ રાખી ઉત્તરોત્તર વધારે વિષમ પરિસ્થિતિ પર પણ વિજય મેળવવો શક્ય બને છે. માટે શ્રદ્ધાતિરેક પણ આવશ્યક છે. શ્રદ્ધાતિરેક હોય, પણ સત્ત્વાતિરેક ન હોય તો પ્રતિકૂળ પરિસ્થિતિ નિર્માણ થતાં જ મનમાં ઘણી ઇચ્છા હોવા છતાં, નિઃસત્ત્વતાના કારણે આરાધના છૂટી જાય છે. જ્યારે સત્ત્વશીલ વ્યક્તિ તો સહન કરીને પણ આરાધના ચાલુ રાખો જે એની સહનશક્તિને ઉત્તરોત્તર વધારી વિઘ્નજય વધારતી જાય છે. તેથી, વિઘ્નજય માટે સત્ત્વ પણ આવશ્યક છે. હવે જઘન્યવિઘ્નજયઆશયની વાત કરીએ. મોક્ષમાર્ગમાં પ્રસ્થિત થયેલા સાધકને શીત-ઉષ્ણ વગેરે જે પરીષહો આવે છે તે કંટક સમાન જઘન્યવિઘ્ન છે, ને સાધકની સાધનાની ગતિને સ્ખલિત કરે છે. આ વિઘ્નોને દૂર કરવામાં આવે તો પૂર્વવત્ અસ્ખલિત ગતિ થઇ શકે છે. માર્ગમાં આવતા કાંટા એ / ચાર હોય તો દૂર કરી શકાય. પણ પુષ્કળ કાંટા જ્યાં ત્યાં વેરાયેલા હોય તો એને વીણી વીણીને દૂર કરવા બેસવું એ જ ગતિમાં મોટી સ્ખલના કરનારું બની જાય. એને દૂર કરવા શક્ય નથી હોતા. પણ એ વખતે મુસાફર મજબૂત જોડાં પહેરી લે... (અર્થાત્ પોતે એવો બની જાય કે જેથી કાંટાની પોતાને કે પોતાની ગતિને કશી અસર ન રહે) તો અસ્ખલિત ગતિ થવા માડે છે. એટલે કે વિઘ્નને (કાંટાને) તો દૂર ન કરી શકાયા... પણ એનું વિઘ્નપણું (=વિઘ્નત્વ) દૂર કરી દેવામાં આવ્યું. 32 Jain Education International For Private & Personal Use Only યોગવિંશિકા.૧ www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy