________________
અર્થાત્ ‘તેઓ કરે તેમ આપણે પણ કરીશું’ આવી બુદ્ધિ જો ઘડવામાં આવે તો શાસ્ત્રનિરપેક્ષ વર્તનને પ્રમાણ તરીકે સ્વીકારાતું હોવાથી આ બુદ્ધિ શાસ્ત્રનિરપેક્ષ છે. અને તેથી આવી બુદ્ધિ એ લોકસંજ્ઞા છે. આવી શાસ્ત્રનિરપેક્ષમતિ-લોકસંજ્ઞા કેમ ત્યાજ્ય છે એ આગળ દર્શાવશે. જેમ શાસ્ત્રનિરપેક્ષબુદ્ધિ ત્યાજ્ય છે એમ શાસ્ત્રવચનોનો માત્ર શબ્દાર્થ પકડનારી બુદ્ધિ પણ ત્યાજ્ય જ છે, કારણકે એ પણ શાસ્ત્રવચનોનો રહસ્યાર્થ આપતી ન હોવાથી હિત-અહિતનો વિવેક કરવામાં અસમર્થ હોય છે. આવો યથાર્થ વિવેક એ સિદ્ધાન્તનો- શાસ્ત્રવચનોનો સમ્યગ્ રહસ્યાર્થ છે. શાસ્ત્રવચનોના સૂક્ષ્મ અર્થ સુધી અસ્ખલિત રીતે પહોંચનારી બુદ્ધિ એ અતિનિપુણબુદ્ધિ છે. એના દ્વારા ઉક્ત યથાર્થ વિવેકસ્વરૂપ યથાર્થ રહસ્યાર્થ પામી શકાય છે. આ વિવેકને સદા હૃદયમાં ધારી રાખવો જોઇએ જેથી તે તે અવસરે શું કર્તવ્ય છે ને શું અર્તવ્ય એ જણાયા જ કરે. આ વિવેક વિધિને ઉપાદેય ને અવિધિને હેય જણાવે છે. માટે પંડિત પુરુષે પોતાની અતિનિપુણબુદ્ધિ દ્વારા* સાધુસમયસદ્ધાવ ધારી વિધિપૂર્વક ચૈત્યવન્દનાદિમાં પ્રવર્તવું જોઇએ... એ વાત નિશ્ચિત થઈ.
साधुसमयसद्भावश्चायम्
लोकमालम्ब्य कर्तव्यं कृतं बहुभिरेव चेत् ।
तदा मिथ्यादृशां धर्मो न त्याज्यः स्यात्कदाचन ॥ १ ॥ ज्ञानसार २३-४॥ स्तोका आर्या अनार्येभ्यः स्तोका जैनाश्च तेष्वपि ।
सुश्राद्धास्तेष्वपि स्तोकाः स्तोकास्तेष्वपि सत्क्रियाः ॥ २॥
श्रेयोऽर्थिनो हि भूयांसो लोके लोकोत्तरे च न ।
સ્તોના હિરત્નવનિ: સ્તોાથ સ્વાત્મશો (સા) થા: ॥ ૩॥ જ્ઞાન.૨૩/૬॥
વૃત્તિઅર્થ : (અતિનિપુણબુદ્ધિથી નિર્ણીત થતો) સાધુ સમયસતાવ આ છે- લોકોનું આલંબન લઇને ઘણાઓ વડે જે કરાયું હોય તેને જ જો કર્તવ્ય તરીકે સ્વીકારવાનું હોય તો મિથ્યાદષ્ટિઓનો ધર્મ ક્યારેય ત્યાજ્ય બને નહીં. (કારણકે મિથ્યાદષ્ટિઓ હંમેશા ઘણા હોય છે. અને તેઓની પ્રવૃત્તિ હંમેશા શાસ્ત્રનિરપેક્ષ હોય છે, તેમજ આત્માનું અહિત કરનાર હોય છે. એટલે લોક કરે તે પ્રમાણ’ નો અર્થ
*અતિનિપુણબુદ્ધિ એ મુખ્યતયા સિદ્ધાન્તના સમ્યગ્ રહસ્યને ધારવાનું (એનો નિશ્ચય કરવાનું) સાધન છે, વિધિપ્રવર્તનનું નહીં એ જાણવું.
સાધુ સમય સદ્ભાવ
Jain Education International
For Private & Personal Use Only
191
www.jainelibrary.org