________________
વગેરે સમ્યક્ત્વના કાર્યભૂત છે’ આવી પ્રવચનપ્રસિદ્ધ વાતનો કોઇ વિરોધ થતો નથી એ જાણવું.
वस्तुतः केवलसम्यक्त्वलाभेऽपि व्यवहारेणेच्छादियोगप्रवृत्तेरेवानुकम्पादिभावसिद्धेः अनुकम्पादिसामान्ये इच्छायोगादिसामान्यस्य तद्विशेषे च तद्विशेषस्य हेतुत्वमित्येव न्यायसिद्धम्।
વૃત્તિઅર્થ : વસ્તુતઃ કેવલ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હોય તો પણ વ્યવહારથી ઇચ્છાયોગ વગેરેની પ્રવૃત્તિથી જ અનુકંપા વગેરે ભાવો પેદા થતા હોવાથી સામાન્ય પ્રકારના અનુકંપાદિભાવો પ્રત્યે સામાન્યપ્રકારના ઇચ્છાયોગાદિ કારણ છે ને વિશેષ પ્રકારના તે-અનુકંપાદિભાવો પ્રત્યે વિશેષપ્રકારના તે = ઇચ્છાયોગાદિ કારણ છે, આવું માનવું એ ન્યાયસિદ્ધ = યુક્તિસંગત છે.
વિવેચન : પૂર્વે જે કહ્યું એનો અર્થ એવો થયો કે સામાન્ય પ્રકારના અનુકંપા વગેરે પ્રત્યે સમ્યક્ત્વ કારણ છે ને વિશેષપ્રકારના અનુકંપા વગેરે પ્રત્યે ઇચ્છાયોગાદિ કારણ છે. અર્થાત્ બન્ને પ્રત્યેના કારણો અલગ-અલગ થયા... એટલે આવું ન થાય એ માટે વૃત્તિકારે વસ્તુત: વગેરે કહ્યું છે.
સમ્યક્ત્વના લિંગ તરીકે આસ્તિક્ય, અનુકંપા વગેરે પાંચ પ્રસિદ્ધ છે. એમાંથી આસ્તિક્ય તો સમ્યક્ત્વની પ્રાપ્તિની સાથે જ પેદા થઈ જાય છે. કારણકે એ પણ જો ન હોય તો સમ્યક્ત્વ શું ? આ એક બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ જાય. તે પણ એટલા માટે કે અહીં આસ્તિક્ય એટલે માત્ર આત્મા-પુણ્ય-પાપ-પરલોકની શ્રદ્ધા જ નથી, કારણકે એ તો અભવ્યાદિને પણ સંભવિત છે, પણ, મોક્ષ છે - મોક્ષના ઉપાયો છે... અહીં સુધીના છએ સ્થાનોની અસ્થિમજ્જા જેવી શ્રદ્ધા એ આસ્તિક્ય છે.... ને આવી શ્રદ્ધા વિના તો સમ્યક્ત્વ સંભવિત જ નથી. માટે સમ્યક્ત્વપ્રાપ્તિથી જ આસ્તિક્ય તો હોય જ છે.
અહીં કેવલસમ્યક્ત્વલાભેઽપિ...જે જણાવ્યું છે એમાં કેવલ દેશિવરતિસર્વવિરતિથી રહિત, માત્ર સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હોય ત્યારે પણ... એટલે એ વખતે નિશ્ચયથી ઇચ્છાદિ યોગો તો હોતા નથી. છતાં વ્યવહારથી ઇચ્છાયોગ વગેરે હોય છે ને એનાથી જ સમ્યક્ત્વીને પણ અનુકંપાદિ પ્રાપ્ત થઈ જાય છે. અર્થાત્ વ્યવહારથી ઇચ્છાયોગ એ અવિરતસમ્યગ્દષ્ટિમાં જે અનુકંપા જોવા મળે તેવી સામાન્યપ્રકારની
108
(યોગવિંશિકા....૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org