SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ शेषत्यागेन करोति यच्च तत्प्रीत्यनुष्ठानम् ॥ षोड. १०-३॥ વૃત્તિઅર્થ : જે અનુષ્ઠાનમાં પ્રયત્નાતિશય હોય, પરમ પ્રીતિ ઉત્પન્ન થાય, અને રોષ ત્યાગ પૂર્વક જે કરાય તે પ્રીતિ અનુષ્ઠાન છે. ષોડશકજીમાં કહ્યું છે કે - જેમાં પરમ આદર હોય, કર્તાની હિતનો ઉદય કરનારી પ્રીતિ હોય તથા કર્તા શેષ કાર્યોના ત્યાગ પૂર્વક જે અનુષ્ઠાન કરતો હોય તે પ્રીતિઅનુષ્ઠાન છે. વિવેચન : જેનો આદર હોય તે કાર્ય ચીવટથી થાય જ. એટલે વિશેષ આદર હોય તો તો પૂછવાનું જ શું ? તેથી ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન પ્રત્યે પરમ આદર ધરાવનારને પ્રયત્નાતિશય આવે જ. માટે, ષોડશજીમાં પરમ આદર જે કહ્યો છે તેને જ અહીં વૃત્તિકારે ‘પ્રયત્નાતિશય’ શબ્દ દ્વારા જણાવ્યો છે એ જાણવું. વળી આ આદર જ અનુષ્ઠાન કરતી વેળા પ્રીતિ-આનંદ-હર્ષ પેદા કરે છે. અનુષ્ઠાન કરતાં કરતાં જેમ વધુ ને વધુ પ્રીતિ અનુભવાય. યાવત્ રોમાંચ ખડા થઈ જાય. તેમ તેમ અનુષ્ઠાતાનું વધુ ને વધુ આત્મહિત થાય છે. એટલે, હિતનો ઉદય છે જેનાથી એવી પ્રીતિ... એ ‘હિતોદયા’ (પ્રીતિ)... એ રીતે પ્રીતિને અહીં હિતોયા કહી છે. વળી અનુષ્ઠાન કરતાં કરતાં અપૂર્વ આહ્લાદ અનુભવાય છે. એટલે એ કરતી વેળા અન્ય કશું કરવાનું મન થાય જ નહીં. કારણકે અધિકૃત પ્રવૃત્તિમાં રસ ન આવે એનું જ મન અન્ય કાર્ય તરફ ખેંચાતું હોય છે. તથા, જેમાં વધારે આનંદ આવે એ કાર્ય કરવાનું સહજ દિલ બન્યું રહે. એટલે વિવક્ષિત અનુષ્ઠાનનો જ પરમ આનંદ હોવાથી અન્યકાર્યનો ત્યાગ કરીને પણ અનુષ્ઠાન જ કરવાનું બને છે. સંસારનો ત્રાસ ને મોક્ષની તાલાવેલી... આ બન્ને જેટલા જોરદાર ને પછી એના ઉપાય તરીકે ચૈત્યવન્દનાદિની જેવી તીવ્રશ્રદ્ધા... એને અનુસરીને ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન પ્રત્યે આદર-ગૌરવ પેદા થાય છે. આ આદરને અનુસરીને અનુષ્ઠાન આચરવાનો ચઢિયાતો પ્રયત્ન થાય છે... તેમ જ અનુષ્ઠાન કરતી વેળા પ્રીતિ અનુભવાય છે. ને પ્રીતિના કારણે અન્યકાર્યનો ત્યાગ થાય છે. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે સામાન્યથી કોઇ પણ વર્ણન જ્યારે કરવામાં આવતું હોય છે ત્યારે આદર્શનું-શ્રેષ્ઠનું કરવામાં આવતું હોય છે. જેમકે જૈન સાધુ કેવા હોય ? તેનું વર્ણન કરવાનું હોય ત્યારે – બેંતાલીરા દોષ રહિત ભિક્ષા, નિત્ય એકાસણા, ચાઉક્કાલ સ્વાધ્યાય... અત્યંત ક્ષમાશીલ... પરીષહોના વિજેતા... વગેરે જ વર્ણન કરાતું હોય છે. પણ એનો મતલબ એવો નથી હોતો કે આમાં થોડું ઓછું યોગવિંશિકા ૧૮ 226 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy