SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ભાસે એ વિષય પ્રતિભાસજ્ઞાન છે. આમિથ્યાદષ્ટિજીવોને હોય છે. ઉપસ્થિત પદાર્થના હેયત્વાદિ પણ ભાસે ખરા. છતાં, એ મુજબના ત્યાગ વગેરે ન થાય એ આત્મપરિણતિમતુ જ્ઞાન છે. આ અવિરત સમ્યગ્દષ્ટિજીવોને હોય છે. જ્યારે હયત્વેન બોધ થાય ને એનો ત્યાગ પણ થાય... આવો બોધ તત્ત્વસંવેદન કહેવાય છે. એ ચારિત્રીજીવોને હોય છે. આશય એ છે કે વિષય-કષાયાદિ અંગે આ વજર્ય છે એવું સંવેદન એ વર્ધતા પરિણામ છે. એનું હું આ વિષયાદિ વજું એવું સંવેદન એ વર્જના પરિણામ છે. વર્ષના પરિણામ એ તત્ત્વસંવેદન છે. ને આ પરિણામ જેને છે એ વિષયાદિને વર્જવાનો જ છે. આ વર્જવાની ક્રિયા એ ચારિત્ર છે. માટે આ પરિણામ ચારિત્રીને જ હોય છે. વર્ષના પરિણામ ન હોય, પણ માત્ર વર્ધતા પરિણામ હોય એ આત્મપરિણતિમતું જ્ઞાન છે. અને વર્યતાપરિણામ પણ ન હોય એવો બોધ એ વિષયપ્રતિભાસરાન છે. સમ્યન-જ્ઞાન-વારિત્રાળ મોક્ષમાર્ગ અર્થાત્ (દર્શન-) જ્ઞાન અને ચારિત્ર સમુદિત હોય તો મોક્ષમાર્ગ રૂપ છે, મોક્ષના કારણભૂત છે.... વળી ચારિત્રની હાજરીમાં જે જ્ઞાન હોય તે ઉપર જણાવ્યા મુજબ તત્ત્વસંવેદન છે. માટે અહીં મોક્ષના કારણ તરીકે ચારિત્ર અને તત્ત્વસંવેદનકહ્યા છે. વળી, ચારિત્રએ મોક્ષનું અનંતર કારણ હોવાથી જ્ઞાન કરતાં અભ્યહિંત છે. તેથી અહીં ‘તત્ત્વસંવેદનચારિત્ર' એમ દ્વન્દ્રસમાસનો ઉલ્લેખ ન કરતાં ચારિત્રતત્ત્વસંવેદન’ એમ ઉલ્લેખ છે. ચારિત્રીના સ્થાનાદિ જ મોક્ષકારણભૂત ચારિત્ર-તત્ત્વસંવેદનમાં અન્તભૂત થાય છે, અપુનર્બન્ધ-કાદિને તો ચારિત્રકે તત્ત્વસંવેદન એ બેમાંથી એકેય સંભવિત ન હોવાથી એનો ધર્મવ્યાપાર (એના સ્થાનાદિ, ચારિત્ર-તત્ત્વસંવેદનસ્વરૂપબનતા નથી. અર્થાત્ આ બેમાં અન્તભૂત થતા નથી. માટે ચારિત્રીના સ્થાનાદિ જ યોગ” છે, અન્યના નહીં, એમ નિશ્ચયનય કહે છે. અપુનર્બન્ધક તથા અવિરત સમ્યત્વીના સ્થાનાદિ આ ચારિત્ર-તત્ત્વસંવેદનના બીજરૂપ હોવાથી યોગબીજ છે, એમ નિશ્ચયનય કહે છે. વ્યવહારનય તો આ યોગબીજને પણ ઉપચારથી યોગ રૂપે સ્વીકારે છે. માટે એના મતે અપુનર્બન્ધક વગેરે બધા યોગના સ્વામી છે. तदिदमुक्तं - अपुनर्बन्धकस्यायं व्यवहारेण तात्त्विकः । अध्यात्मभावनारूपो निश्चयेनोत्तरस्य तु ॥ योगबिन्दु - ३६९ ॥ अपुनर्बन्धकस्य उपलक्षणात्सम्यग्दृष्टेश्च व्यवहारेण कारणे कार्यत्वोपचारेण तात्त्विकः, कारणस्यापि कथञ्चित्कार्यत्वात्। निश्चयेन उपचारपरिहारेण उत्तरस्य तु= યોગવિંશિકા.૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy