________________
चारित्रिण एव । सकृद्बन्धकादीनां तु स्थानादिकमशुद्धपरिणामत्वाद् निश्चयतो व्यवहारतश्च ન યોગઃ, વિન્ટુ યોમાસ કૃત્યવધેયમ્। 3A
सकृदावर्तनादीनामतात्त्विक उदाहृतः ।
प्रत्यपायफल' प्रायस्तथा वेषादिमात्रतः ॥ योगबिन्दु ३७० ॥ सकृद्= एकवार - मावर्तन्ते=उत्कृष्टां स्थितिं बध्नन्ति ये ते सकृद्बन्धकाः, आदिशब्दाद् द्विरावर्तनादिग्रहः, अतात्त्विकः=व्यवहारतो निश्चयतश्चातत्त्वरूपः ॥ ३ ॥
વૃત્તિઅર્થ : નિશ્ચય-વ્યવહારમાન્ય તે આ વાત યોગબિન્દુમાં આ પ્રમાણે કહી છે – યોગબિન્દુના એ ૩૬ ૯મા શ્લોકનો અર્થ - અપુનર્બન્ધકને આ અધ્યાત્મ ને ભાવનારૂપયોગ વ્યવહારથી તાત્ત્વિક હોય છે. નિશ્ચયનયે (આ અધ્યાત્મ ને ભાવનાયોગ) ઉત્તરના જીવોને = ઉપરના ગુણઠાણે રહેલાને = ચારિત્રીને તાત્ત્વિક હોય છે. ( આ શ્લોકગત કેટલાક વિશેષ શબ્દોના અર્થઃ) અપુનર્બન્ધકના ઉપલક્ષણથી અવિરત સમ્યગ્દષ્ટિ જીવો લેવાના છે. તેઓને પણ વ્યવહારથી તાત્ત્વિક યોગ હોય છે. આમાં કારણમાં કાર્યત્વનો ઉપચાર એ વ્યવહાર જાણવો. કારણ પણ ચિત્ કાર્યસ્વરૂપ હોવાથી આ યોગ તાત્ત્વિક છે. ઉપચારનો પરિહાર એ નિશ્ચય છે. એને આશ્રીને ઉત્તરગુણસ્થાનવર્તી ચારિત્રીને જ તાત્ત્વિક યોગ છે. ( યોગબિન્દુનો શ્લોકાર્થ પૂરો). સમૃદ્ધન્ધક વગેરે જીવોના સ્થાનાદિ, તેઓના પરિણામ અશુદ્ધ હોવાથી, નિશ્ચયથી કે વ્યવહારથી (કોઇ પણ રીતે) ‘યોગ’ રૂપ નથી. પણ યોગાભાસ છે, એ જાણવું. આ વાત, યોગબિન્દુમાં આ રીતે કહી જ છે - (યોગબિન્દુના ૩૭૦ મા શ્લોકનો અર્થ-) સફ઼ઠાવર્તનાદિ જીવોમાં માત્ર વેષાદિ હોવાથી (-બાહ્ય પ્રવૃત્તિદેખાવ) હોવાથી તેઓના સ્થાનાદિ અતાત્ત્વિક કહેવાયા છે ને પ્રાયઃ પ્રત્યપાયફલક હોય છે. (યોગબિન્દુના આ શ્લોકના કેટલાક શબ્દોના વિશેષાર્થઃ) સમૃદ્ = એકવાર જેઓ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાના છે તે સમૃદ્ભવર્તન = સમૃદ્બન્ધક જીવો. અહીં આદિ શબ્દથી દ્વિરાવર્તન વગેરે જીવો લેવાના છે. (જેઓ ભવિષ્યમા હવે માત્ર બે જ વાર ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાના છે તે દ્વિરાવર્તન = દ્વિર્બન્ધજીવો. એ જ રીતે ત્રિરાવર્તન વગેરે જીવો જાણવા.) આ બધા જીવોના સ્થાનાદિ વ્યવહારથી અને નિશ્ચયથી બન્ને રીતે અતાત્ત્વિક હોય છે.
વિવેચન - (૧) જારળસ્થાપિ - અપુનર્બન્ધકાદિના સ્થાનાદિ, યોગના
83
સફ઼બંધકાદિને યોગાભાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org