________________
આલંબન હોવાથી અલ્પતાનો અભાવ તરીકે ઉલ્લેખ કર્યો છે, અને તેથી તદ્વિષયક્યોગને અનાલંબનયોગ કહ્યો છે. આમ ત્યાં પણ અનાલંબનત્વની જ સિદ્ધિ કરી છે. માટે કોઇ ભેદ નથી એ યાદ રાખવું.
અનાલંબનયોગમાં અનાલંબનપણાની સંગતિ અલ્પાર્થક નઞ લઇને કરી દેખાડી. અભાવાર્થક નગ્ને લઇને એ કરવી હોય તો નીચે મુજબ થઇ શકે એમ લાગે છે.
અસંગાનુષ્ઠાનમાં અયોગ્ય વેળા-વિધિ વગેરે હેયનો પરિહાર અને યોગ્ય વેળા-વિધિ વગેરે ઉપાદેયનું આચરણ કોઇ વિશેષપ્રયત્નથી (હેયવિષયદ્વેષજન્ય કે ઉપાદેયવિષયકરાગજન્ય પ્રયત્નથી) નથી હોતું પણ સ્વાભાવિક જ હોય છે. અને તેથી જ એ જિનવચનવિષયકસંગથી પણ મુક્ત હોય છે. અર્થાત્ અનુષ્ઠાન શરુ થાય, એટલે ‘ભગવાને આ પ્રમાણે કહ્યું છે, માટે આમ કરવાનું ને આમ નહીં કરવાનું આ રીતે જિનવચનોનું આલંબન લેવાતું ન હોવા છતાં, એવો સ્વભાવ ઘડાઈ ગયો હોવાના કારણે, હેય-ઉપાદેયના હાન-ઉપાદાન જિનવચનાનુસાર જ થયા કરે છે. આમ, વિધિવિષયક કે વિધિપ્રતિપાદકવચનવિષયક સંગથી (રાગથી) મુક્ત હોવાના કારણે એ અસંગ અનુષ્ઠાન કહેવાય છે. અહીં એ ધ્યાનમાં રાખવું કે જિનવચનોની ઉપસ્થિતિ એ સંગ નથી, પણ સ્વાભાવિકપણું છોડી તદનુસાર વર્તવાની વૃત્તિ એ સંગ છે. વચનાનુષ્ઠાનમાં આ હોય છે. અસંગાનુષ્ઠાનમાં એવી વૃત્તિ નથી, પણ સ્વાભાવિક પ્રવૃત્તિ છે. માટે એ અસંગ જ કહેવાય છે, પણ જિનવચનાનુસાર હોવા છતાં વચનઅનુષ્ઠાન નથી કહેવાતું. એમ પ્રસ્તુતમાં જાણવું.
-
અનાલંબનયોગકાળે કેવલજ્ઞાનાદિગુણોમાં ઉપયોગનું અવસ્થાન (સ્થિરતા) હોવા છતાં એમાં, કેવલજ્ઞાનાદિગુણોને આલંબન તરીકે રાખવાની કોઇ અપેક્ષા હોતી નથી, ‘કેવલજ્ઞાનાદિ અંગે જ ચિંતન કરું – મારા ઉપયોગને સ્થિર રાખું-બીજો કોઇ ઉપયોગ આવવા ન દઉં...' આવી બધી કોઇ અપેક્ષા હોતી નથી, પણ સાહજિક રીતે જ તેવું ચિંતન ચાલે છે – તેવા સ્વભાવના કારણે જ ઉપયોગની એમાં સ્થિરતા રહે છે. એટલે, આ સ્થિર ઉપયોગના, કેવલજ્ઞાનાદિ ગુણો વિષયભૂત હોવા છતાં આલંબન તરીકે અપેક્ષિત ન હોવાના કારણે આલંબનભૂત હોતા નથી, અને તેથી એ અનાલંબન કહેવાય છે. વળી આમાં, વિષયભૂત કેવલજ્ઞાનાદિ ગુણો અંગે કોઇ સંગ – આસક્તિપ્રતિબદ્ધતા નથી, માટે એ અસંગાનુષ્ઠાન પણ છે જ.
244
Jain Education International
For Private & Personal Use Only
યોગવિંશિકા...૧૯
www.jainenbrary.org