________________
એ તત્તત્ત્વ જાણવું. ગાથામાં ‘તુ કાર ‘એવી કારના અર્થમાં (=જકારના અર્થમાં) છે. અર્થાત્ આવો તત્તત્ત્વગ યોગ જ અપર = અનાલંબન યોગ છે.
વિવેચનઃ (૧) સૂક્ષ્મઆલંબન એટલે ઇષઆલંબન. તેથી અલવણા યવાગૂન્યાયે એ જ અનાલંબનયોગ છે એમ તાત્પર્ય સમજવું.
(૨) કેવલજ્ઞાનાદિસ્વભાવવાળા સિદ્ધાત્મા છદ્મસ્થના ધ્યાનનો વિષય બની શકે છે. પણ સ્વરૂપે દર્શનનો વિષય બની શક્તા નથી. એટલે કે એક વસ્તુને જોઈને પછી એના ધ્યાનમાં જેમ ચઢી શકાય એ રીતે સિદ્ધાત્માના ધ્યાનમાં ચઢી શકાતું નથી. માટે એ વિષયભાવાતીત છે. તેથી એ અવિષય છે. માટે અનાલંબન છે. એટલે તેના ધ્યાન સ્વરૂપ યોગ પણ અનાલંબન કહેવાય છે.
(૩) જિનપ્રતિમાનું ધ્યાનકે સમવસરણમાં રહેલા પરમાત્માનું અદ્ભુતરૂપપ્રાતિહાર્યવગેરેનું માનસકલ્પનામાં ઉપસ્થિત કરીને કરાતું ધ્યાન.... આ બધું સાલંબન ધ્યાન છે.
अत्रारूपितत्त्वस्य स्फुटविषयत्वाभावादनालम्बनत्वमुक्तं, अधिकृतग्रन्थगाथायाञ्च विषयतामात्रेण तस्यालम्बनत्वमनूद्यापि तद्विषययोगस्येषदालम्बनत्वादनालम्बनत्वमेव प्रासाधीति फलतो न कश्चिद्विशेष इति स्मर्तव्यम्।
વૃત્તિઅર્થ: અહીં અરૂપીતત્ત્વસ્પષ્ટ વિષયભૂતન હોવાથી એને અનાલંબન કહ્યું છે. અધિકૃતગ્રન્થગાથામાં વિષયતામાત્ર હોવાના કારણે તેને (=અરૂપી તત્ત્વને) આલંબન તરીકે કહીને પણ, તક્રિયક યોગ ઇષદાલંબનવાળો હોવાથી અનાલંબન તરીકે સિદ્ધ કર્યો... એટલે ફળતઃ કોઈ ભેદ નથી એ જાણવું.
વિવેચનઃ (૧) અહીં = ષોડશકગ્રન્થના આ અધિકારમાં. અધિકૃતગ્રન્થગાથામાં = યોગવિંશિકાગ્રન્થની ૧૯મી ગાથામાં. આ બન્ને ગ્રન્થોના નિરૂપણમાં ઉપરછલ્લો ફેરફાર દેખાતો હોવા છતાં ફળતઃ કશો ફેરફાર નથી. એ જણાવવા માટે પ્રસ્તુત અધિકાર છે. ષોડશકજીમાં અરૂપી તત્ત્વ વિષયભાવથી પર છે. અર્થાત્ વિષયભૂત જ નથી. એટલે કે અવિષય (=અનાલંબન) છે, ને તેથી તેના સંબંધી યોગ અનાલંબનયોગ છે એમ નિરૂપણ કર્યું છે. યોગવિંશિકામાં સિદ્ધાત્માના કેવલજ્ઞાનાદિગુણોને વિષયરૂપે - આલંબનરૂપે જણાવ્યા છે. પણ એ અત્યંત અલ્પ અરૂપીની બે રીતે અનાલંબનતા
243)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org