________________
છતાં જીવ જલ્દીથી ધ્યાનમાં ચઢી શકતો નથી. માટે આલંબન પૂરું પાડવા રૂપે અરૂપી પદાર્થો બહુ મંદ છે. અને તેથી ‘અત્યંત અલ્પ હોય તો અભાવ જ કહેવાય’ એવા ન્યાયે આલંબનશૂન્યતા કહેવાય છે ને માટે આને અનાલંબન (=આલંબન વિનાનો) યોગ કહેવાય છે.
'सुहुमो आलंबणो नामत्ति क्वचित्पाठः, तत्रापि सूक्ष्मालम्बनो नामैष योग:, ततोऽनालम्बन एवेति भाव उन्नेयः । उक्तञ्चात्राधिकारे चतुर्दशषोडशके ग्रन्थकृतैवसालम्बनो निरालम्बनश्च योगः परो द्विधा ज्ञेयः । जिनरूपध्यानं खल्वाद्यस्तत्तत्त्वगस्त्वपरः ॥ १ ॥
सहालम्बनेन = चक्षुरादिज्ञानविषयेण प्रतिमादिना वर्तत इति सालम्बनः । 'आलम्बनात् = विषयभावापत्तिरूपान्निष्क्रान्तो निरालम्बनः, यो हि छद्मस्थेन ध्यायते, न च स्वरूपेण दृश्यते तद्विषयो निरालम्बन इति यावत् । रेजिनरूपस्य = समवसरणस्थस्य ध्यानं खलु आद्यः = સાતમ્નનો યોઃ । તથૈવ = નિનસ્ય તત્ત્વ - વતનીવપ્રવેશसंघातरूपं केवलज्ञानादिस्वभावं तस्मिन् गच्छतीति तत्तत्त्वगः, 'तुः' एवार्थे अपरः =
अनालम्बनः ।
વૃત્તિઅર્થ : 'યોગવિંશિકાની કોઇક પ્રતમાં ‘સુમો આતંવળો નામ' એવો પ્રસ્તુત ગાથાના ચોથા પાઠ તરીકે પાઠ મળે છે. ત્યાં પણ સૂક્ષ્મઆલંબનવાળો આ યોગ છે. તેથી આ અનાલંબન યોગ જ છે તેમ અર્થ કરવો. યોગના આ અધિકારમાં ચૌદમા ષોડશકમાં ગ્રન્થકારે જ કહ્યું છે કે - મુખ્યયોગ સાલંબન અને નિરાલંબન એમ બે પ્રકારે છે. જિનરૂપનું ધ્યાન એ પ્રથમ અને તેના તત્ત્વમાં પહોંચનારો બીજો યોગ છે. (આ ગાથાની વૃત્તિનો અર્થ –) ચક્ષુવગેરેથી જન્ય જ્ઞાનના વિષયભૂત પ્રતિમા વગેરે ‘આલંબન’ છે. આવા આલંબનની સાથે જે પ્રવર્તે તે સાલંબનયોગ. વિષયભાવને પામવું (=વિષય બનવું) એ આલંબન કહેવાય. આવા આલંબનભૂત વિષયભાવથી નિષ્પ્રાન્ત થઈ ગયેલો = વિષયપણાથી પર થઈ ગયેલો યોગ એ નિરાલંબન. જેનું છદ્મસ્થ જીવ ધ્યાન કરે છે, પણ દર્શન નથી કરી શકતો તેવા વિષયવાળો યોગ એ નિરાલંબનયોગ, એમ અર્થ જાણવો. સમવસરણમાં રહેલા જિનેશ્વરદેવનારૂપનું ધ્યાન એ આદ્ય = સાલંબનયોગ છે. તેના જ = જિનના જ તત્ત્વ સુધી પહોંચનારો યોગ એ તત્તત્ત્વગ, એમાં, કેવલજ્ઞાનાદિસ્વભાવવાળા કેવલજીવપ્રદેશોનો સંઘાત = સમુદાય
242
યોગવિંશિકા...૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org