________________
વિચાર એ આવે છે કે આવા ગંભીર ગ્રન્થના વિવેચનનું અન્ય અધિક્ત વિદ્વાન પાસે સંશોધન કરાવવાની આવશ્યક્તા એમને કેમ ભાસી નહીં હોય? શું ‘મારા કરેલા વિવેચનમાં ક્ષતિ હોય જ નહીં...' એવી અથવા ‘મારા વિવેચનનું સંશોધન કરી શકે એવા કોઈ વિદ્વાન વર્તમાનમાં છે જ નહીં.' આવી કોઈ માન્યતા હશે? એ જે હોય તે પણ જો આવી જ કોઈ માન્યતા હોય તો એ જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમની આવારક બને જ, ને તેથી અનેક ક્ષતિઓની પ્રયોજક પણ બને જ એ સ્પષ્ટ છે.
મારા વિવેચનની સાથે સાથે, જ્યાં જ્યાં એમની ગંભીર ક્ષતિઓ જણાયેલી છે ત્યાં ત્યાં એની સમીક્ષા કરી છે. કેટલીક સામાન્ય ક્ષતિઓને હું સ્પર્યો નથી. ‘આપણને જે ઉચિત અર્થ લાગે તેનું આપણે નિરૂપણ કરવું... પણ બીજાના વિવેચનની સમીક્ષામાં ન પડવું.' આવી માન્યતા પણ કેટલાક ભાવુકો ધરાવતા હોય છે. તેમ છતાં મેં અનેક સ્થળોએ એમના વિવેચનની સમીક્ષા કરી છે એની પાછળ શ્રીસંઘને, એ વિવેચનની પ્રકાશિકા સંસ્થાને અને એ વિવેચનના વિવેચકને કંઈક સાવધાની આપવાની ઇચ્છા છે. એ પ્રકાશક સંસ્થાએ પ્રકાશકીયમાં, શાસ્ત્રીય પદાર્થોનાં રહસ્યોનું આશરે ૧૦૦૦ જેટલા ગ્રન્થોને આધારે નય-નિક્ષેપ, નિશ્ચય-વ્યવહાર સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્વક વિશ્લેષણ કરવાનો પોતાનો મનોરથ વ્યક્ત કર્યો છે. એટલે જો આ વિવેચક પંડિત પર જ મુખ્ય મદાર રાખીને એ વિશ્લેષણ કરવાનું હોય તો એ વિશ્લેષણ વર્તમાન પેઢીને અને ભાવી પેઢીને ઘણું નુકશાનકારક બનવાની સંભાવના છે એવો એ પ્રકાશક સંસ્થાને ખ્યાલ આવે, તથા, આવા વિશ્લેષણોને માન્ય કરવા કે કેમ? એનો શ્રીસંઘને પણ વિચાર કરવાનો ખ્યાલ આવે, તથા, એ વિવેચક વિદ્વાનને પણ આવું વિશ્લેષણ કરવાનો પોતાનો અધિકાર કેટલો? પોતાનો ક્ષયોપશમ કેટલો? વગેરે વિચાર કરવાનું મન થાય.
જેઓનો એવો વિશેષ ક્ષયોપશમ નથી એવા અધ્યેતાઓને આ સમીક્ષા વિક્ષેપ રૂપન બને માટે એ ટીપ્પણ તરીકે લીધી છે. અસ્તુ.
યોગના સ્થાન-ઊર્ણ વગેરે પાંચ ભેદો, ઇચ્છા-પ્રવૃત્તિ વગેરે ચાર ભેદો,
IX
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org