SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાપ્તવ્યરૂપે અહિંસા વગેરેનો નિરપાધિક સંકલ્પ જાગ્યો હોય તો એ પણ પ્રણિધાનઆશયરૂપ બને જ છે એ જાણવું. ‘અહિંસા કેળવીશ તો સ્વર્ગાદિ મળશે આવું વ્યક્તપણે કે સંસ્કારરૂપે બેસેલું હોય એ ઉપાધિ છે. આવી કોઇ પૌગલિક ઇચ્છા બેસેલી ન હોય, માત્ર અહિંસા ગમી ગઈ છે... હિતકર લાગી ગઈ છે... ને તેથી સાધવી છે. આવો અહિંસા-ક્ષમા વગેરેનો સંકલ્પ એ નિરુપાધિક સંકલ્પ કહેવાય. એ પણ પ્રણિધાન આયરૂપ બને છે. એ જ રીતે પ્રમાદ-કોધ... વગેરે દોષ રૂપે પ્રતીત થઈ ગયા છે. પરિહાર્ય ભાસ્યા છે અને તેથી એના પરિહારનો નિરુપાધિક સંકલ્પ થયો હોય તો એ પણ પ્રણિધાન આશયરૂપ બને જ છે એ જાણવું આજ રીતે અહિંસાના કારણભૂત આચારો-ભાવનાઓ વગેરેનોનેક્રોધાદિના કારણભૂત પ્રવૃત્તિઓના ને વિચારણાઓના ત્યાગ વગેરેનો નિરુપાધિક સંકલ્પ, એ પણ પ્રણિધાન આશય બને છે. ટૂંકમાં, મોક્ષ, ક્ષાયિકભાવો, ક્ષાયોપથમિકભાવો, એ લાયોપથમિકભાવોના કારણભૂત સદ્ આચારો ને સભાવનાઓ, (ક્રોધાદિ) ઔદયિકભાવોનો નિરોધ, ઔદયિકભાવોના કારણભૂત અસઆચારોનો ને અસહ્ન ભાવનાઓનો ત્યાગ... આ બધાનો નિરુપાધિક સંકલ્પ પ્રણિધાનઆશય રૂપ બને છે. અર્થાત્ મારે મોક્ષ જોઇએ જ એવા સંકલ્પની જેમ ‘મારે આત્મસ્વભાવભૂત ક્ષમાં જોઇએ જ'... “મારે સમ્યગ્રજ્ઞાનોપાર્જન કરવું જ છે...” “મારે ચાઉક્કાલ સ્વાધ્યાય કરવાનો જ..” “મારે સઝાયસમો તવો હત્યિ...' વગેરે ભાવનાઓ ભાવવાની જ... “મારે ક્રોધાદિને અટકાવવાના જ..” “મારે ક્રોધાદિના નિમિત્તોથી દૂર રહેવાનું જ..” “મારે ક્રોધાદિનનુક્શાનોની ભાવનાઓથી ભાવિત થવાનું જ.. આવા બધા સંકલ્પો પણ પ્રણિધાનનું કામ કરે જ છે. અહિંસાદિનો આ કોઇ પણ નિરપાધિક સંકલ્પ પ્રણિધાનનું કામ એટલા માટે કરે છે કે એ પણ ફળતઃ મોક્ષસંકલ્પરૂપ છે. તે પણ એટલા માટે કે, “અહિંસા ક્ષમા વગેરે શા માટે કેળવવા છે? તો કે મોક્ષ માટે.’ આવા મોક્ષસંકલ્પમૂલક અહિંસાદિનો સંકલ્પ જેમ મોક્ષાત્મક ફળ સુધી પહોંચાડે છે તેમ અહિંસાદિનો નિરુપાધિક સંકલ્પ પણ ત્યાં સુધી પહોંચાડે જ છે. ‘ઉપલાધોરણમાં જવા માટે આ નીચલા ધોરણમાં ભણું છું એવો ખ્યાલ ન હોય તો પણ, ‘મારે બરાબર ભણવું છે. હોંશિયાર બનવું છે. આવા સંકલ્પથી ભણનારો ઉપલાધોરણમાં જાય જ છે, એમ આ જાણવું. ( 14 ) યોગવિંશિકા...૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy