________________
અર્થને જણાવનારો છે. તેથી ‘યાવત્પરમિતિ’ એ પ્રમાણે અન્વય જાણવો. એટલે એનો અર્થ આવો થશે - પર = પ્રકૃષ્ટ ધર્મસ્થાન સંપ્રાપ્ત થાય ત્યાં સુધી.
વિવેચનઃ હવે પાંચમાં વિનિયોગ આશયનું નિરૂપણ કરવામાં આવે છે. સામાન્ય જોડાણ એ યોગ છે, અત્યંત જોડાણ એ નિયોગ છે અને વિશિષ્ટ પ્રકારનું અત્યન્ત જોડાણ એ વિનિયોગ છે.
એવામાહાન્સવાળી વ્યક્તિના સાન્નિધ્યમાં આવવાથી કે એવા વાતાવરણમાં આવવાથી હિંસક વગેરે જીવો પણ તત્કાળ પૂરતા અહિંસક વગેરે બને તો તેમાં અહિંસા વગેરેનો યોગ થયો કહેવાય. આ વિનિયોગ નથી, કારણકે સાન્નિધ્ય ખસી ગયા બાદ આ અહિંસકપણું વગેરે ટકવાની શક્યતા નથી.
પણ જો એ સાન્નિધ્ય – એ વાતાવરણ છૂટી ગયા બાદ પણ અહિંસકપણું વગેરે ચાલુ રહે એ રીતે જોડાણ થયું હોય તો એ નિયોગ કહેવાય.
અહિંસા – તપ વગેરે બાહ્યધર્મમાં થયેલું આ અત્યન્ત જોડાણ (નિયોગ) જો ભાવધર્મનું ઉત્પાદક કારણ બને... જોડાનાર સામાજીવને એવો વિશિષ્ટ ક્ષયોપશમ કરાવી આપે... તો એ જોડાણ વિનિયોગ કહેવાય છે. વિનિયોજક જીવ સિદ્ધિ અને વિનિયોગ આશય પામેલા છે. અને વિનિયોજ્ય જીવયોગાવંચક છે. એટલે વિનિયુક્ત થયેલો ધર્મ અવશ્ય વિશિષ્ટ ક્ષયોપશમનો જનક બને જ છે... આટલા અંશે એ વિનિયોજ્ય જીવમાં પણ અવધ્ય છે.
સમવસરણમાં વાઘ – સાપ વગેરે જે અહિંસક બને છે, તે અહિંસાનો વિનિયોગ નથી, પણ માત્ર ધર્મનું માહાભ્ય-પ્રભાવ છે.
સિદ્ધિ આશયમાં રહેલ કૃપા, ઉપકાર અને વિનય વિનિયોગ કરાવે છે અને આ વિનિયોગ વધારે પ્રબળ ક્ષયોપશમને પ્રકટ કરે છે.
| વિનિયોગ કરનારમાં મુખ્યતયા દ્રવ્ય-ભાવ ઉભય ધર્મ હોય છે. એમાંથી ભાવધર્મના (ક્ષયોપશમના) કારણભૂતદ્રવ્યધર્મમાં અન્યને એ જોડે (કે જે દ્રવ્યધર્મના પ્રભાવે એ સામી વ્યક્તિને પણ ભવિષ્યમાં ભાવધર્મની પ્રાપ્તિ થાય) અને વિનિયોગ કહેવાય છે.
પ્રિકૃષ્ટધર્મપ્રાપ્તિનાં કારણો
(49)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org