SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સોપાધિક છે), અને અનુષ્ઠાન કરતાં કરતાં પણ એની સ્વરૂપ સુંદરતાનું આકર્ષણ પેદા થતું નથી એ જીવ ઇચ્છિત વસ્તુ મળે કે ન મળે. બન્ને વિકલ્પમાં અનુષ્ઠાનને છોડી જ દેવાનો છે. માટે એવું અનુષ્ઠાન વિષાનુષ્ઠાન છે. (૨) લઘુત્વનું આપાદન એ અનુષ્ઠાનને વિપાનુષ્ઠાન બનાવનાર બીજો હેતુ છે. નિરાશસભાવે કરાતું અનુષ્ઠાન મોક્ષાત્મક મહાન ફળ આપવામાં સમર્થ હતું. પાછળથી એના બદલામાં ભૌતિક ચીજ માગી લેવામાં આવે તો મહાનું અનુષ્ઠાનની લઘુતા કરી કહેવાય. અને તેથી અનુષ્ઠાન વિષાનુષ્ઠાન બને છે. આમાં પણ માગવામાં આવતી ભૌતિચીજની ઇચ્છાની પ્રબળતા-અપ્રબળતા પોતાનો ભાગ ભજવે છે એ જાણવું. શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કે શ્રી યશોવિજયજી ઉપાધ્યાય... બેમાંથી એક પણ ગ્રન્થકારે વિષાનુષ્ઠાન કે ગરાનુષ્ઠાનની ઓળખ આપ્યા પછી એનું દષ્ટાન્ત આપ્યું નથી. સ્ત્રીરત્ન માગી લેનાર સંભૂતિમુનિના અનુષ્ઠાનનો પણ એ રીતે ઉલ્લેખ ક્યું નથી. વિષાનુષ્ઠાન ને ગરાનુષ્ઠાન તો ત્યાજ્ય છે. અગ્યાર અંગના ધારક એવા પણ શ્રી ચિત્રમુનિએ સંભૂતિમુનિને અનશન છોડવાનું તો જણાવ્યું જ નથી. એટલે સંભૂતિમુનિના અનુષ્ઠાનને પણ ‘ગરાનુષ્ઠાન કહેવું કે કેમ? એ એક પ્રશ્ન થઈ પડે છે. વળી, એમના અનુષ્ઠાનનો જો વિષ-ગરમાં સમાવેશ ન થાય તો કોનો સમાવેશ થાય? તથા શ્રી યોગબિન્દુગ્રન્થમાં એવા કેટલાંય વિધાનો છે જેના પરથી અનેક વિદ્વાનો આવો અભિપ્રાય પણ ધરાવે છે કે - “અનુષ્ઠાનના વિષાનુષ્ઠાન-ગરાનુષ્ઠાન વગેરે ભેદોક્નભેદે છે. અને તેથી વિષ-ગર આ બે અનુષ્કાનો માત્ર અચરમાવર્તવતજીવોને જ હોય... ચરમાવર્તવતજીવોને તો ઘણુંખરું તતુઅનુષ્ઠાન હોય છે, અનાભોગ હોય ત્યારે અનુષ્ઠાન હોય છે, અને કવચિત્ ભાવોલ્લાસ વધતાં અમૃતઅનુષ્ઠાન હોય છે, પણ વિષ કે ગર તો હોતા નથી...' આ અભિપ્રાયાનુસારે પણ સંભૂતિમુનિને ગરાનુષ્ઠાન માની શકાતું નથી.... વળી આ અભિપ્રાયાનુસારે ચરમાવર્તવનિ તો વિષ-ગર સંભવિત નથી. અને અચરમાવર્તવર્તન સચ્ચિત્ત હોય? જો એને સચ્ચિત્ત જ ન હોય તો એનું મારણ પણ શી રીતે સંભવે? ને એન સંભવે તો એને પણ, વિષ-ગર અસંભવિત રહેશે. તો વિષ-ગર કોને હોય? કોના માટે આ નિરૂપણ છે? વગેરે અનેક પ્રશ્નો ઊભા થાય છે. અલબત્ અચરમાવર્તવર્તન પણ શ્રુત સામાયિક (શ્રુતના બળે પ્રાપ્ત થયેલી કષાય ( લધુત્વનું આપાદન (153) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy