________________
વગેરે. તો આ વાતોચા માટેચાની પત્તીની કશી જરૂર નથી. એફેંકી દેવી જોઇએ.. વગેરે જણાવવા માટે નથી હોતી.. પણ સાકરની આવશ્યક્તા જણાવવા માટે જ હોય છે, કારણકે જેમ સાકર વિના ચા નથી બની શક્તી એમ પત્તી વિના પણ બની શક્તી નથી જ. આવું જ વ્યવહાર અને નિશ્ચય.. ક્યિા અને ભાવ.. અનુષ્ઠાન અને આશય.. અનુષ્ઠાન અને વિધિ.. વગેરે અંગે જાણવું જોઇએ. અસ્તુ..
હવે પ્રસ્તુતમાં આવીએ...
જ્યારે ભૌતિક અપેક્ષા કરતાં જિનોક્ત’ એવી સદ્ભક્તિ-સદનુષ્ઠાનરાગવગેરે પ્રબળ હોય છે ત્યારે એ પ્રબળ ભક્તિ વગેરે જ ભૌતિક અપેક્ષાને ક્ષીણ કરતાં રહે છે અને તેથી એ અપેક્ષા બાધ્યફળાપેક્ષા કહેવાય છે. આવી બાધ્યકળાપેક્ષાવાળું અનુષ્ઠાન કરવામાં આવે તો એના પરિણામે સદ્ભક્તિ વગેરે વધે છે અને ભૌતિકઅપેક્ષા ઘસાય છે. અને તેથી સચ્ચિત્તનું મારણ થતું નથી. માટે એ વિષાનુષ્ઠાનરૂપ બનતું નથી, કિન્તુ તદ્દહેતુઅનુષ્ઠાન બને છે.
પણ જ્યારે ભૌતિક અપેક્ષા જ અનુષ્ઠાન પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિ વગેરે કરતાં પ્રબળ હોય છે ત્યારે શ્રદ્ધા વગેરે, એ પ્રબળ અપેક્ષાને ક્ષીણ કરી શકતા નથી. અને તેથી એવી અપેક્ષાને અબાધ્યફળાપેક્ષા કહેવાય છે. આવી અપેક્ષાવાળા જીવને ભૌતિક ચીજની જ મુખ્યતા હોય છે, અનુષ્ઠાન સાથે વિશેષ લેવા-દેવા હોતી નથી. એટલેઇચ્છિતચીજની પ્રાપ્તિ થઈ જવા પર ‘ગરજ સરીને વૈદરી’ ન્યાયે એ અનુષ્ઠાનને તિલાંજલી આપી દે છે. કર્મોની પ્રબળતા હોય, ને શ્રદ્ધા તો એની નિર્બળ છે જ. એના કારણે ઇચ્છિતચીજની અને પ્રાપ્તિ ન થાય તો પણ એ અનુષ્ઠાનને હે.... આનો તો કોઈ પ્રભાવ જ નથી...' વગેરે અશ્રદ્ધાપૂર્ણ વચનો બોલી તિલાંજલી આપી દે છે. આમાં સચ્ચિત્તનું મારણ છે, ને તેથી આ વિષાનુષ્ઠાન છે. બાધ્યફળાપેક્ષાવાળાજીવને ઇચ્છિત ચીજ કરતાં પણ અનુષ્ઠાનનું જ મહત્ત્વ-આકર્ષણ વધારે હોય છે, એટલે ચીજની પ્રાપ્તિ થાય કે ન થાય... એ અનુષ્ઠાનને છોડતો નથી. માટે સચ્ચિત્તનું મારણ નથી, માટે વિષાનુષ્ઠાન નથી.
બીજી રીતે કહીએ તો જેને અનુષ્ઠાન સ્વરૂપતઃ જ ગમી ગયું છે એ જીવ, ઇચ્છિત વસ્તુ મળે કે ન મળે.... અનુષ્ઠાનને છોડવાનો નથી. તેનું અનુષ્ઠાન તતુઅનુષ્ઠાન છે. જેને અનુષ્ઠાનનું આકર્ષણ, ઇચ્છિતવસ્તુના કારણ તરીકે જ છે (અર્થાત્ (152)
યોગવિંશિકા.....૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org