________________
ભિક્ષાટનાદિ પ્રવૃત્તિ ઉચિત હોય તે કરાવ્યા કરે છે, જેમકે કેવલીની વિહાર-દેશનાદિ પ્રવૃત્તિને એમનું યથાખ્યાત ચારિત્ર કરાવે છે તેમના માટે ક્ષપકશ્રેણિની ઉચ્ચભૂમિકાએ થતી સામર્થ્યયોગકાલીન આ અનવરત પ્રવૃત્તિ દિક્ષાજન્ય હોતી નથી, પણ સહજ હોય છે, અને તેથી અસંગા જ છે.
[શંકા- મોક્ષે જવેર સર્વત્ર નિ:સ્પૃહો નિત્તમ: (મોક્ષમાં અને સંસારમાં.... સર્વત્ર મુનિસત્તમ રૂહા-ઈચ્છા-રાગ વિનાનો હોય છે.) આ ભૂમિકાવાળાને મોક્ષની પણ ઇચ્છા નથી. તો પરતત્ત્વદર્શનની ઈચ્છા શી રીતે હોય? અને એ હોય તો સર્વત્ર નિસ્પૃહતા શી રીતે કહેવાય?
સમાધાન-મોક્ષે મવે... આવાક્યને સ્પૃહા-ઇચ્છા-રાગનો અભાવ જણાવે છે તે પ્રવૃત્તિજનક ઇચ્છા-રાગનો અભાવ જાણવો. રાગમાત્રનો નહીં, કારણકે હજુ વીતરાગતા આવી ન હોવાથી પ્રવૃત્તિજનનમાં અસમર્થ એવો કંઇક રાગ તો માનવો જ પડે છે. દ્વિતીયાપૂર્વકરણભાવી સામર્થ્યયોગકાળે પ્રર્વતતી દિક્ષા પણ આવા જ મંદરાચસ્વરૂપ હોવાથી નિસ્પૃહતાની બાધક નથી. અથવા એ માત્ર ફાનાકાંક્ષારૂપ હોવાથી અભિધ્વગાત્મક નથી એમ માનવું... અથવા... મરવાની અણી પર હોય તો પણ ઇચ્છાદર્શનો અમૂર્વી વગેરે પ્રયોગ થાય છે. અહીં અમૂષનો મરવાની ઇચ્છા એવો અર્થનથી, પણ મરવાની તૈયારી’ એવો અર્થ છે, એમ પ્રસ્તુતમાં પણ ઇચ્છાનો જણાવનાર પ્રત્યય કે ઇચ્છા' એવો શબ્દ રાગાત્મક ઇચ્છાને જણાવનાર નથી, પણ ‘પરતત્ત્વદર્શન થવાની તૈયારી છે. એવા અર્થને જણાવે છે, એવું માનવું જોઇએ. (જેવું ધ્યાનાન્તરિકા ધ્યાનમોચન થશે કે તરત પરતત્ત્વદર્શન થતું હોવાથી એ થવાની તૈયારી તો છે જ.) બહુશ્રુતોને આનો સમ્યફ નિર્ણય કરવા વિનંતી.]
(૪) અહીંયોગવિંશિકાની વૃત્તિમાં નિકનવરતપ્રવૃત્તા યા પરતત્વનેચ્છા એમને કહ્યું છે એનો સીધો અર્થ - સંગરહિતપણે નિરંતર પ્રવર્તેલીજે પરતત્ત્વદર્શનની ઇચ્છા.... એવો છે. અર્થાત્ સંગરહિતતા અને નિરંતરપ્રવૃત્તિ આ બન્ને ઇચ્છાના વિશેષણ તરીકે જણાય છે. ષોડશકજીમાં મસશસ્યાક્યા નો અર્થ સંગરહિતની નિરંતરપ્રવૃત્તિથી પરિપૂર્ણા (દિદક્ષા) એમ છે, અર્થાત્ સંગરહિતતા અને નિરંતરતા પ્રવૃત્તિના વિશેષણ છે, છતાં આ બેમાં કશો વિશેષ અર્થભેદ નથી એ જાણવું.. નિજાનવરતપ્રવૃત્તા નો અર્થ નિસ્સ-અનવરતપ્રવૃત્તિવાળી એવો કરવાથી બન્નેના 2િ48)
યોગવિંશિકા...૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org