SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પણ ચારે ઉત્પન્ન થાય છે. પણ ઇચ્છાયોગથી જેવી અનુકંપાજેવો નિર્વેદવગેરે ઉત્પન્ન થાય તેના કરતાં પ્રવૃત્તિયોગથી ઉત્પન્ન થનાર અનુકંપા નિર્વેદ વગેરે વિશિષ્ટ કક્ષાના હોય.. ને સ્થિર - સિદ્ધિયોગથી ઉત્પન્ન થનાર તે ઓર-ઓર વિશિષ્ટ કક્ષાના હોય. આવું માનવાથી, “સમ્યક્ત હોવા છતાં જ્યાં સુધી કમશઃ પ્રવૃત્તિ-સ્થિરને સિદ્ધિયોગ ન આવે ત્યાં સુધી ક્રમશઃ નિર્વેદ, સંવેગને શમન હોય આવું માનવાની જે જરૂર પડતી હતી તે હવે રહેતી નથી, કારણકે સામાન્યકક્ષાના નિર્વેદ વગેરે તો ઇચ્છાયોગથી પણ પેદા થઈ જ જાય છે. એટલે હવે ઇચ્છાયોગના પણ કાર્યભેદે ચાર ભેદથશે. અનુકંપાજનક ઇચ્છાયોગ અલગ ને નિર્વેદજનક ઇચ્છયોગ અલગ... એમ સમજનક ને સમજનક ઇચ્છાયોગ અલગ-અલગ... આ જ રીતે પ્રવૃત્તિયોગ વગેરે ત્રણેના અનુકંપાજનક પ્રવૃત્તિયોગ... વગેરે ચાર-ચાર ભેદ જાણવા. એટલે સ્થાનાદિ પાંચ * ઇચ્છાયોગાદિ ક x અનુકંપાજનક વગેરે ૪ = ૮૦ ભેદ થઈ જશે. તથા આવો અર્થ કરવામાં, આઠમી ગાથાની વૃત્તિમાં વ્યવહારને છારિયો પ્રવૃત્તેિરેવાનુપાત્રિમાસિદ્ધ अनुकम्पादिसामान्य इच्छायोगादिसामान्यस्य तद्विशेषे च तद्विशेषस्य हेतुत्वमित्येव ન્યાદ્ધિનું આવી જે પંક્તિ છે એનો અર્થ આ રીતે કરવો. વ્યવહારથી ઇચ્છા વગેરે (કોઈપણ) યોગની પ્રવૃત્તિથી અનુકંપા વગેરે ભાવો ઉત્પન્ન થાય છે. ને તેથી, સમ્યકત્વના ગુણ (લિંગ) તરીકે અનુકંપાદિ ચારે સમાન છે, ને એમ યોગ તરીકે ઇચ્છાવગેરે ચારે સમાન છે. એટલે સમ્યકત્વના ગુણ પ્રત્યે (અનુકંપાદિ સામાન્ય પ્રત્યે) યોગ (ઇચ્છાયોગાદિ સામાન્ય) કારણ છે આવો અર્થ થાય. વળી, અનુકંપા પ્રત્યે મુખ્યતયા ઇચ્છાયોગ હેતુ છે, પછી પ્રવૃત્તિ વગેરે યોગ આવતા એ ઉત્તરોત્તર વિશદ થતી જાય, પણ મુખ્યતયા ઇચ્છાયોગથી જ પ્રગટ થાય. માટે અનુકંપાવિશેષ પ્રત્યે ઇચ્છાયોગ સ્વરૂપ યોગવિશેષ હેતુ છે એમ કહેવાય. ઇચ્છાયોગથી નિર્વેદ સામાન્યક્ષાનો પ્રગટ થાય. પણ પછી પ્રવૃત્તિયોગ આવે એટલે મુખ્યતયા નિર્વેદ ઉત્પન્ન થઈ જ જાય. પછી સ્થિર ને સિદ્ધિ યોગ આવતા એ દઢ-દઢતર બને, પણ મુખ્યતયા એ પ્રવૃત્તિયોગથી પેદા થઈ ગયો હોય, એટલે નિર્વેદ પ્રત્યે પ્રવૃત્તિયોગ સ્વરૂપ યોગવિશેષ હેતુ કહેવાય. આ જ રીતે સંવેગ અને શમ પ્રત્યે ક્રમશઃ સ્થિર ને સિદ્ધિ સ્વરૂપ યોગવિશેષ હેતુ છે, ઇચ્છાદિયોગ સામાન્યરૂપે હેતુ છે. આમ, ક્રમશઃ ઇચ્છાયોગાદિ આવે છે ને કમશઃ મુખ્યરૂપે અનુકંપાદિ ઉત્પન્ન થાય છે, એને નજરમાં લઇને પશ્ચાનુપૂર્ચેવે તામઝમ: એમ કહ્યું છે, એવું પણ સમજવું પડે. ચૈિત્યવંદનમાં યોજના) (13) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy