SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નઃ આગળ પૂર્ણાંક ૨૦૬ પર આ પ્રશ્નનો મને ભાસતો ઉત્તર- એવું હેડિંગ મારીને તમે કહ્યું છે કે – 'તેઓના (વિધિરસિકજીવોના) દિલના કોઈ પણ ખૂણે અવિધિ પ્રત્યે કૂણી લાગણીને રહી જાય... ને અવિધિને ટાળી વિધિજાળવણીની ચાનક લાગે... એ માટે સતત પ્રયત્ન થયા કરે..' આવો જ્ઞાની પુરુષોનો અભિપ્રાય પ્રતીત થાય છે. નહીતર, તમારો અવિધિદોષ પણ નિરનુબંધ છે. તમારું અવિધિયુક્ત અનુષ્ઠાન પણ ફળતઃ વિધિરૂપ જ છે' વગેરે જ વાતો જો તેઓને કરવામાં આવે તો, ન અવિધિનો એટલો ભય પેદા થાય કેન વિધિ જાળવવાની એવી આતુરતા જાગે. (તમે આવું જ કહ્યું છે) એ જ વાતને ભૌતિક અપેક્ષા માટે પણ લાગુ પાડવી જોઇએ. એટલે કે “બાધ્યફળાપેક્ષાવાળા પ્રજ્ઞાપનીય જીવને દિલના કોઈ પણ ખૂણે ભૌતિક અપેક્ષા પ્રત્યે કૂણી લાગણીને રહી જાય.. ને અપેક્ષાટાળીને નિરપેક્ષ બનવાની ચાનક લાગે.. એ માટે સતત પ્રયત્ન થયા કરે..” આવો જ્ઞાની પુરુષોનો અભિપ્રાય વિષાનુષ્ઠાન વગેરેની પ્રરૂપણામાં પ્રતીત થાય છે. નહીંતર, ‘તમારો અપેક્ષાદોષ પણ નિનુબંધ છે. તમારું અપેક્ષાવાળું અનુષ્ઠાન પણ ફળતઃ નિરપેક્ષ અનુષ્ઠાન રૂપ જ છે' વગેરે જ વાતો જે તેઓને કરવામાં આવે તો, ન અપેક્ષાનો એટલો ભય પેદા થાય કેન નિરપેક્ષ (નિરભિળંગ) અનુષ્ઠાનની એટલી આતુરતા જાગે... 'આ આવાતોને ભૌતિક અપેક્ષા અંગે પણ લગાવવી જોઇએ ને? અને તો પછી ભૌતિક અપેક્ષાવાળા અનુષ્ઠાનને વિષાનુષ્ઠાન રૂપે ભંડો વગેરે કહેવાનો જ જોરદાર પ્રચાર કરવો જોઇએ ને.. અને તો પછી તમે આવા પ્રચારનો વિરોધ શા માટે કરો છો? અને ભૌતિક અપેક્ષાનો ભય જેના કારણે એટલો તીવ્રન બને એવું, ભૌતિકઅપેક્ષાવાળું અનુષ્ઠાન પણત,અનુષ્ઠાન બની શકે છે... લાભક્ત છે. આવું નિરૂપણ શા માટે કરો છો? ઉત્તર: તમારી વાત સાચી છે. અવિધિને લાગુ પડતી વાતો અપેક્ષાને પણ લાગુ પડે જ છે. વિધિરસિકજીવનું અવિધિવાળું અનુષ્ઠાન પણ લાભક્ત બને છે [આગળ પણ કહેશે કે ‘ા જા હવિજ જયણા સા સા સે ણિજરા હોઈ જેટલી જેટલી જયણા (વિધિ વગેરે) જાળવે એટલી એટલી એને નિર્જરા થાય છે આ હકીક્તને નજરમાં રાખી ઉપદેશક ગુરુ પણ અવિધિનું સમર્થન થાય એવો ઉપદેશ આપવાનું ચાલુ ન કરી દે કે વિધિપાલનની વાતો ઢીલી ઢીલી કરવા ન માંડે એ માટે અનેક વાતો અહીં ગ્રન્થકારે કહેલી છે. જેમકે અવિધિ વ્યવસ્થાપનમાં ગુરુને પણ દોષ લાગે છે, સ્વયં મૃત અને મારિત બે સરખા નથી... અવિધિની આશંસા-અનુમોદનાના કારણે કુલયોગી અધિકારી છે. 2િ1) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy