________________
सूत्रक्रियाया विनाश:, स एष तीर्थोच्छेदः ।
ગાથાર્થ : અહીં, તીર્થનો ઉચ્છેદ વગેરે પણ આલંબન નથી, કારણકે આ રીતે અસમંજસ કરવાથી સૂત્રક્રિયાનો જે નાશ થાય છે એ જ તે = તીર્થોચ્છેદ છે.
વૃત્તિઅર્થ : અહીં = અવિધિઅનુષ્ઠાન કરવામાં 'તીર્થોચ્છેદ વગેરે પણ આલંબન નથી. અર્થાત ‘તીર્થનો ઉચ્છેદ ન થઈ જાય એ માટે અવિધિ અનુષ્ઠાન પણ કર્તવ્ય છે’ આવો બચાવ પણ યોગ્ય નથી, કારણ કે આવા બહાના હેઠળ અવિધિ અનુષ્ઠાન કરવામાં જ શાસ્ત્રવિહિત ક્રિયાને અન્યથા કરવારૂપ અસમંજસતાના કારણે અશુદ્ધપરંપરા પ્રવર્ત્તવાથી સૂત્રોક્તયિાનો તો વિનારા જ થઈ જાય છે, અને આ જ તો તીર્થોચ્છેદ છે.
વિવેચન : (૧) ‘તીર્થોચ્છેદાદિ’ શબ્દમાં આદિ પદથી પૂર્વપક્ષી એ પણ કહેવા માગે છે કે ભલે અવિધિથી કરે છે, પણ કરે છે તો ચૈત્યવન્દન... એટલે એટલો કાળ એ પાપ ક્રિયાથી બચી ધર્મક્રિયા તો કરશે... તેથી પાપબંધથી બચી પુણ્યબંધ તો એને થશે... માટે પણ અવિધિથી પણ ચૈત્યવન્દન થતું હોય તો કરવું... ‘આદિ’ પદથી મળતા આવા બધા આલંબનોને પણ ગ્રન્થકાર તીર્થોચ્છેદના આલંબનની જેમ અમાન્ય કરે છે, કારણકે સૂત્રોક્ત ક્રિયાની અશુદ્ધ પરંપરા ચલાવવી એ પણ કાંઇ જેવું તેવું દુષ્કૃત નથી.
(૨) અવિ શબ્દથી, ન્હાયા એટલું પુણ્ય... ન મામા કરતાં કાણો મામો સારો... આવા બધા ન્યાયે જેટલું કરશે એટલો તો લાભ થશે. આવું કારણ આપીને કોઇ અવિધિ અનુષ્ઠાનને કર્તવ્ય માને તો ગ્રન્થકાર કહે છે કે, આવા કારણે તો અવિધિ અનુષ્ઠાન માન્ય નથી, પણ તીર્થોચ્છેદાદિ કારણે પણ એ માન્ય નથી... અલબત્ આ વાત ઉત્સર્ગના વર્ણનરૂપ છે. વિધિ પ્રત્યેની ઉપેક્ષા કે સૂગના કારણે નહીં, પણ પુષ્ટ આલંબનરૂપ કહી શકાય એવી પરિસ્થિતિવશાત્ શાસ્ત્રોક્ત વિધિ કરતાં જે અન્યથા પ્રવૃત્તિ થાય (કે જે અપવાદ કહેવાય છે) તે અંગે તીર્થોચ્છેદાદિકોષ આપી શકાતા નથી, અને ત્યાં તો ‘ન મામા કરતાં કાણો મામો સારો’ વગેરે ન્યાય લાગુ પડે જ છે. ‘અવિધિથી કરવા કરતાં ન કરવું સારું” આવું બોલવું નહીં, એ પ્રમાણે અન્યત્ર જે નિષેધ કરાયો છે તે આવા અપવાદને નજરમાં રાખીને કરાયો છે. થોડુંક સત્ત્વ-અપ્રમાદ ફોરવવામાં આવે તો વિધિપ્રવૃત્તિ શક્ય હોય એવા કાળને આશ્રીને પ્રસ્તુત ઉત્સર્ગનું
176
યોગવિંશિકા....૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org