________________
' तथा ' इति प्रकारान्तरसमुच्चये । 'सदनुष्ठानत्वेन योगपरिणामकृतपुण्यानुबन्धिपुण्यनिक्षेपाद्विशुद्धचित्तसंस्काररूपया प्रशान्तवाहितया सहितस्य चैत्यवन्दनादेः स्वातन्त्र्येणैव मोक्षहेतुत्वादिति भावः । प्रकारभेदोऽयं नयभेदकृत इति न कश्चिद्दोषः ૫૬૭||
વૃત્તિઅર્થ : `‘તથા’ શબ્દ બીજા પ્રકારનો સમુચ્ચય કરવા માટે છે. યોગપરિણામથી કરાયેલા પુણ્યાનુબન્ધી પુણ્યનો સંચય થવાથી વિશુદ્ધ ચિત્તસંસ્કાર રૂપ પ્રશાન્તવાહિતાથી યુક્ત ચૈત્યવન્દન સદનુષ્ઠાનરૂપ બનતું હોવાના કારણે સ્વતન્ત્રપણે જ મોક્ષનું કારણ (છે, અને આમ મોક્ષનું કારણ બનતું) હોવાથી (હિતકર છે) એમ રહસ્ય જાણવું. નયભેદના કારણે આ પ્રકારભેદ છે, માટે કોઇ દોષ નથી.
વિવેચન : (૧) ચૈત્યવન્દન અનુષ્ઠાન શા માટે હિતકર બને છે એનું નિરૂપણ ચાલી રહ્યું છે. એમાં એક વાત એ બતાવી કે એ મોક્ષનું પ્રયોજક છે માટે હિતકર બને છે. હવે બીજી રીતે એની હિતકરતા બતાવવા માટે તથા એવો શબ્દ વાપર્યો છે. (ચૈત્યવન્દન સદનુષ્ઠાન છે. માટે મોક્ષનું સ્વતન્ત્ર કારણ હોવાથી હિતકર છે, આ પ્રકારાન્તર જાણવો. )
(૨) ષોડશક (૧૦-૧)માં ઉચિતક્રમથી પુણ્યાનુબંધી પુણ્યનો નિક્ષેપ કહ્યો છે. તેથી જણાય છે કે પ્રસ્તુતમાં પ્રણિધાનપૂર્વક યથાક્રમ સ્થાનાદિ જાળવવાનો પરિણામ એ યોગપરિણામ છે. આ પરિણામ ત્રૈકાલિક હોય છે. અર્થાત્ ચૈત્યવન્દનાદિકાળે, એની પૂર્વે અને પશ્ચાત્ . ત્રણે કાળમાં યથાયોગ્ય હોય છે. આમાં સ્થાનાદિ જાળવવાનો પરિણામ એ શુભક્રિયાપરિણામસ્વરૂપ હોવાથી પુણ્યજનક છે. વળી એ શુભપ્રણિધાનથી યુક્ત છે, માટે એ પુણ્ય પુણ્યાનુબંધી બને છે. શુભક્રિયાપરિણામથી કર્મપુદ્ગલમાં સંસ્કાર પડે છે (પુણ્યત્વ સર્જાય છે) અને વિશુદ્ધ પ્રણિધાનથી આત્મામાં સંસ્કારો પડે છે. આત્મામાં પડેલા આ સંસ્કારો એ જ વિશુદ્ધ ચિત્તસંસ્કાર છે. એ ક્ષયોપરામરૂપ છે. એટલે એના પ્રભાવે આત્મામાં આ સંસ્કારથી વિપરીત આવેગ રૂપ કોઇ વિક્ષેપ ઊભા થતા નથી, ને તેથી આ આત્માની શાંતપ્રશાંત અવસ્થા હોય છે. આ પ્રશાંતવાહિતા છે, અને એ ઉક્ત વિશુદ્ધચિત્તસંસ્કારરૂપ છે. યોગપરિણામવૈકાલિક હોવાથી આ પ્રાંતવાહિતા અવસ્થિત હોય છે. અને તેથી જે ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન થાય તે પ્રશાંતવાહિતાથી સહિત જ થાય છે. માટે એ
યોગવિંશિકા...૧૭
222
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org