Book Title: Panchvastukgranth Part 1
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust
Catalog link: https://jainqq.org/explore/001650/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ હલુ થઇ પ્રતિદિન ક્રિયા DIENOS વડી દીક્ષા દીક્ષા આચાર્ય પદવી સંલેખના : ભાવાનુવાદકારક આચાર્યશ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજ Page #2 -------------------------------------------------------------------------- ________________ સામગ્રી prefe ॥ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ । ।। શ્રી દાન-પ્રેમ-રામચન્દ્ર-હીરસૂરિગુરુભ્યો નમઃ । ऐं नमः Sirosin શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ પુષ્પ - ૨૫ पञ्चवस्तुकग्रन्थः ગુજરાતી ભાવાનુવાદ : ભાગ – ૧ . Jain Education Internatio நடுவே • સટીક મૂલગ્રંથકાર યાકિનીમહત્તરાધર્મપુત્ર મહાન શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા • ભાવાનુવાદકાર · સિદ્ધાંતમહોદધિ સ્વ. પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મ. ના પટ્ટાલંકર પરમગીતાર્થ સ્વ. પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજયહીરસૂરીશ્વરજી મ. ના શિષ્યરત્ન - પરાર્થપરાયણ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજયલલિતશેખરસૂરીશ્વરજી મ. ના વિનેય આચાર્યદેવ શ્રી રાજશેખરસૂરિ મહારાજ સંપૂર્ણ આર્થિક સહકાર શ્રી મનફરા જૈન સંઘ : કચ્છ J પ્રકાશક અરિહંત આરાધક ટ્રસ્ટ C/o. હિંદુસ્તાન મિલ સ્ટોર્સ ૪૮૧, ગની એપાર્ટમેન્ટ, મુંબઈ-આગ્રા રોડ, ભિવંડી - ૪૨૧ ૩૦૫. બીજી આવૃત્તિ • નકલ : ૫૦૦ ૦ મૂલ્ય : રૂ ૩૦૦.૦૦ (ભાગ : ૧ + ૨) • સૂચના આપુસ્તક જ્ઞાનદ્રવ્યમાંથીછપાવ્યું હોવાથી ગૃહસ્થે મૂલ્ય ચૂકવ્યા વિના આ પુસ્તકની માલિકી કરવી નહીં. વાંચવા માટે આ પુસ્તકનો ઉપયોગ કરવો હોય તો યોગ્ય નકરો જ્ઞાનભંડાર ખાતે આપવો જરૂરી જાણવો. ડિ • મુદ્રક . Tejas Pated : Ahmedabad. • Ph. : (079) 6601045 Лао Page #3 -------------------------------------------------------------------------- ________________ 332S 6 / મોક્ષફલદાયક દેવાધિદેવ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | અનુમોદનીય યાકિની મહત્તરાસુનુ ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજનો ઉપકાર જૈનશાસન કોઈ કાળે ભૂલી શકશે નહીં... સમગ્ર જીવનકાળ દરમિયાન અગાધ શ્રુત સમુદ્રના અંતસ્તલ સુધી પહોંચીને જૈનશાસનને ૧૪૪૪ ગ્રંથરત્નોની ભેટ ધરનારી એ મહામહિમ વિભૂતિએ રચેલા ગ્રંથોમાંના પ્રસ્તુત પંચવસ્તુક ગ્રન્થ....... જેમાં શ્રમણજીવનના જન્મથી કાળધર્મ સુધીની સમગ્ર ચર્યાનો જિનાજ્ઞાગર્ભિત ચિતાર રજૂ કરીને જિનાજ્ઞાનિષ્ઠ શ્રમણ્યને સુરેખ કર્યું છે... જમાનાના નામે... પડતા કાળના નબળા આલંબનોને નામે... વર્તમાનમાં શ્રામય જ્યારે શિથિલ થવા માંડ્યું છે ત્યારે... અતિ આવશ્યકતા છે આવા ગ્રંથરત્નોના વ્યાપક અધ્યયનની... શ્રમણજીવનની મર્યાદા ઓળંગી જવાય તેવા કુલ્યા ફાલેલા પ્રવૃત્તિધર્મથી વિમુખ બની નવદીક્ષિત શ્રમણ શ્રમણી ભગવંતો જો આવા ગ્રંથરત્નોમાં અવગાહ્યા રહે તો ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના જ એ વચનો હા ! અહાહા કહે હુંતા ! જઇ ન હુંતો જિણાગમો, જિનાગમો જ જો અમને મળ્યા ન હોત તો ખરેખર અમે અનાથ હોત ! સાર્થક બની જાય. એ મહાપુરુષના વચનોને અંતસ્થ કરી માત્ર આઠ વર્ષના દીક્ષા પર્યાયે “પએસ બંધો' જેવા વિદ્ધભોગ્ય ગ્રંથ ઉપર ટીકા રચીને વિદ્વદ્ સભાના શણગાર બનેલા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજાની જિનાજ્ઞામર્મજ્ઞ પરિકર્મિત પ્રજ્ઞાથી અનુવાદ પામીને બીજી વખત પ્રકાશિત થતા આ ગ્રંથરત્નને શ્રમણ શ્રમણી ભગવંતોના કરકમલે પહોંચાડવાનું પ્રશસ્ય કાર્ય શ્રી મનફરા જૈન સંઘ, કચ્છના જ્ઞાનનિધિએ કર્યું છે. - પૂજ્યશ્રી દ્વારા લેખિત – સંપાદિત - અનુવાદિત ગ્રંથરત્નોને ચતુર્વિધ શ્રી સંઘના ચરણે સમર્પિત કરવા કટિબદ્ધ શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ, ભીવંડી શ્રી મનફરા જૈન સંઘના સુકૃતની ભૂરિ ભૂચિ અનુમોદના કરે છે. લિ. શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટનું ટ્રસ્ટીગણ . ation Intömekiona Pernal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંત મહોદધિ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમ-હીરસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય-પ્રશિષ્ય વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખર સૂરીશ્વરજી મહારાજા વાત્સલ્યના મીઠા ઝરણા જેવું આપનું અંતર... અધ્યયન-અધ્યાપનને ઝંખતી આપની દૃષ્ટિ... વર્ધમાન તપ આયંબિલથી દિપતી આપની દેહયષ્ટિ... અત્યંત મિલનસાર આપનો સ્વભાવ... આબાલવૃદ્ધ સર્વના આકર્ષણનું ધામ બન્યો છે... એક વખત પરિચયમાં આવ્યા પછી હૈયું વારંવાર આપના સાન્નિધ્યને ઝંખી રહ્યું છે... ગુણ ગરિમ ઓ ગુરુદેવ ! ચારિત્રના નીરથી અમારો ભવસંતાપ શમાવી દો ! Education Inter અત્યંતર તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખર સૂરીશ્વરજી મહારાજા અગાધ શ્રુતરાશિના અંતઃસ્તલ સુધી પહોંચીને અત્યંત ગહન અને ગંભીર અર્થોને જિનાજ્ઞા સાપેક્ષ, બાલભોગ્ય, સરળ, સચોટ અને રસાળ શૈલી દ્વારા તંદુરસ્ત સાહિત્યના સર્જનને વરેલી આપની પ્રજ્ઞા ચતુર્વિધ શ્રી સંઘનું યોગક્ષેમ કરી રહી છે. THE જિનાજ્ઞારત ‘સૂરિ પ્રેમ’ના જિનાજ્ઞા મર્મજ્ઞ શ્રમણ શ્રેષ્ઠોમાંનાં એક ઓ ગુરુદેવ ! અધ્યાત્મના જગતમાં વિચરવું છે સન્માર્ગ દર્શક બની 451 અમારા જીવનનો પંથ SIPH પ્રજ્વલિત બનાવી દો ! પૂ.આ. શ્રી લલિત-રાજશેખર સૂરીશ્વર પ્રવ્રજ્યા અર્ધશતાબ્દિ મહોત્સવ સમિતિના કોટી કોટી વંદન. 1 વિ.સં. ૨૦૬૦, માગસર સુદ ૩ SS SS sonal નહ ૧ | earn long, Page #5 -------------------------------------------------------------------------- ________________ અનુવાટકનું તથા (પ્રથમ આવૃત્તિમાંથી) મુદ્રિત પંચવસ્તકની પ્રતમાં કોઈ કોઈ સ્થળે ગાથા અને ટીકાના પાઠમાં વિસંગતિ જોવામાં આવે છે. આથી જ આવા સ્થળે મુદ્રિત પંચવસ્તકની પ્રતમાં ટીકાના આધારે મૂળગાથામાં જે પાઠ સંગત હોય તેનો કાઉંસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દા.ત. ૧૦૬ નંબરની ગાથામાં “સાહીને વા’ એવો પાઠ છે. એ પાઠના આધારે ટીકામાં “સ્વાધીને વા' એવો પાઠ હોવો જોઈએ. પણ અહીં ટીકામાં “સ્વાધીનત્વી” એવો પાઠ છે. ટીકાના સ્વાધીનત્વા એ પાઠના આધારે મૂળગાથામાં સાહીત્તા એવો પાઠ હોવો જોઈએ. આથી મુદ્રિત પ્રતમાં ત્યાં કાઉંસમાં સાહીત્તા એવો પાઠ મૂકવામાં આવ્યો છે. આવી વિસંગતિ દૂર કરવા અને મુદ્રિત પ્રતમાં ટીકામાં કોઈ કોઈ સ્થળે રહેલી અશુદ્ધિને દૂર કરવા મેં હસ્તલિખિત પ્રતો મંગાવી. તેમાં એક પ્રત પૂ.આ.શ્રી ભદ્રંકરસૂરિ મ. દ્વારા અમદાવાદ ડહેલાના ઉપાશ્રયની મળી. એક પ્રત મુનિશ્રી મુનિચંદ્રવિજયજી દ્વારા ખંભાત આ. વિજયનેમિસૂરિ જ્ઞાનશાળાની મળી. એક પ્રત પાટણ શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની મળી. - આ ત્રણ પ્રતોમાં અમદાવાદ ડહેલાના ઉપાશ્રયની પ્રત મૂળ ગાથા વિના સંક્ષિપ્તવૃત્તિ રૂપ હોવાના કારણે ઉપયોગી બની નથી. બીજી બે પ્રતો કોઈ કોઈ સ્થળે ઉપયોગી બની છે. વિસંગતિવાળા કેટલાક સ્થળોમાં આ બંને હસ્તલિખિત પ્રતોના અને મુદ્રિત પ્રતના પાઠો સમાન છે. આથી કેટલાક સ્થળોમાં ગાથા અને ટીકાના પાઠની વિસંગતિ દૂર થઈ શકી નથી. ટીકાની અશુદ્ધિઓમાં હસ્તલિખિત પ્રત વગેરેના આધારે જે સ્થળે શુદ્ધ પાઠ મળ્યો તે સ્થળે મેં સુધારો કર્યો છે. જ્યાં હસ્તલિખિત પ્રત આદિના આધારે શુદ્ધ પાઠ ન મળ્યો ત્યાં સંભવિત શુદ્ધ પાઠ કાઉંસમાં મૂક્યો છે. દા.ત. ૧૮૫મી ગાથામાં પ્રાયશ્યિ એવા પાઠના સ્થાને સંભવિત “પપ્રેતી’ એવો પાઠ કાઉંસમાં મૂક્યો છે. મુદ્રિતપ્રતમાં રહેલી કોઈ કોઈ અશુદ્ધિ આ પુસ્તકના મુદ્રિત ફર્માઓના વાંચન વખતે ખ્યાલમાં આવવાથી શુદ્ધિપત્રકમાં જણાવી છે. મુદ્રિત પ્રતના ઉપોદ્દાતના શુદ્ધાનાં પ્રતીનાં તુ સંભવ પર્વ” એ ઉલ્લેખ મુજબ પંચવસ્તુક ગ્રંથની શુદ્ધપ્રતો મળવી એ દુઃશક્ય છે. આ ભાવાનુવાદમાં જ્યાં જ્યાં વિશેષ સ્પષ્ટીકરણની જરૂર લાગી ત્યાં ત્યાં મેં મારા ક્ષયોપશમ મુજબ સ્પષ્ટીકરણ કર્યું છે. ક્યાંક ચાલુ લખાણમાં કાઉંસમાં તો ક્યાંક ટિપ્પણમાં સ્પષ્ટીકરણ કર્યું છે. તથા તે તે વિષય બીજા કયા સ્થળે આવે છે તેનો નિર્દેશ પણ તે તે સ્થળે કર્યો છે. આથી જિજ્ઞાસુઓને તે સ્થળો જોવાની ઈચ્છા થશે તો ઘણી સહેલાઈથી જોઈ શકાશે. ભાવ બરોબર સમજાય એ માટે મેં કાળજી રાખી છે. આમ છતાં આવા રહસ્યપૂર્ણ ગ્રંથોને પૂર્ણરૂપે સમજાવવા મારો ક્ષયોપશમ ઓછો પડે એ સહજ છે. આથી વિદ્વાનોને આમાં અનેક સ્થળે ત્રુટિઓ દેખાય એ સંભવિત છે. ક્યાંક ગ્રંથના ભાવને સ્પષ્ટ કરવામાં નિષ્ફળ બન્યો હોઉં, અને ક્યાંક ખોટો અર્થ લખાઈ ગયો હોય એ પણ સંભવિત છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ જે પદાર્થો સરળ હોય તે પદાર્થો અનુવાદ વિના પણ સમજી શકાય છે. આથી જે પદાર્થો કઠીન હોય તે પદાર્થોને સરળ ભાષામાં સમજાવી શકનાર જ ભાવાનુવાદકાર સફળ બને છે. આમાં હું કેટલો સફળ બન્યો છું એનો જવાબ હું આપું એના કરતાં વિદ્વાન વાચકો આપે એ જ યોગ્ય ગણાય. આ ભાવાનુવાદની પ્રેસકોપીનું લખાણ વર્ધમાન આયંબિલ તપની સો ઓળી પૂર્ણ કરનાર પૂ.આ.શ્રી ભદ્રંકરસૂરિ મહારાજાએ (વિ.સં. ૨૦૪૨માં) તપાસી આપી છે. તથા તેઓશ્રીએ ધર્મસંગ્રહ ગુજરાતી ભાષાંતરમાં કરેલી ટિપ્પણીઓમાંથી કોઈ કોઈ ટિપ્પણીઓ તેઓશ્રીની અનુજ્ઞાપૂર્વક આ ગ્રંથમાં લેવામાં આવી છે. જ્યાં તેઓશ્રીની ટિપ્પણી લીધી છે ત્યાં કાઉંસમાં ધ. સં. ભાષાં. એવો ઉલ્લેખ કર્યો છે. વિશુદ્ધ સંયમી પૂ.આ.શ્રી જયઘોષસૂરિ મહારાજાએ કેટલાક પ્રશ્નોના ઉત્તરો પાઠવ્યા છે. મારા પરાર્થ પરાયણ પૂ. ગુરુદેવશ્રીએ અનુવાદની પ્રેસકોપી તૈયાર કરી આપી છે અને પૂર સંશોધનમાં સહયોગ આપ્યો છે. સંવેગમતિ મુનિશ્રી સંવેગરતિવિજયજીએ ઘણી મહેનત કરીને મૂળ ગાથાઓની અકારાદિ અનુક્રમણિકા તૈયાર કરી આપી છે. આ બધા મહાત્માઓનો ઉપકાર ચિરકાલ સ્મૃતિપથમાં આવ્યા વિના નહિ રહે. - આ ભાવાનુવાદમાં ગ્રંથકારના આશયથી અને જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ જે કંઈ લખાયું હોય તે બદલ ત્રિવિધ ત્રિવિધ ક્ષમા પ્રાર્થ છું. lucation Intern al a & Personal Page #7 -------------------------------------------------------------------------- ________________ [ ૬ ] સાધુત્વથી સંલેખના સુધીનો સાધના-માર્ગ દર્શાવતો પ્રકાશ-સ્તંભ શ્રી પંચવસ્તુક ગ્રંથ પૂ. પંન્યાસપ્રવર (વર્તમાનમાં આચાર્ય) શ્રી પૂર્ણચન્દ્રવિજયજી ગણિવર. (પ્રથમ આવૃત્તિમાંથી) જૈન શાસનમાં થઈ ગયેલા શ્રુતપ્રભાવકોમાં, યાકિની મહત્તરાસુનુ પૂ. આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા એક અદ્વિતીય સ્થાન-માન શોભાવતા ગ્રંથકાર તરીકે સુપ્રસિદ્ધ છે. ૧૪૪૪ ગ્રંથોના રચિયતા તરીકે એઓશ્રીના નામ-કામ ઈતિહાસનાં પાને ઠેરઠેર ઉપલબ્ધ છે. એમાંનો જ આ એક મહાગ્રંથ છે : શ્રી પદ્મવસ્તુ પ્રગ્ન્ય । જે આજે ગુજરાતી વિવેચન સાથે પ્રથમવાર જ પ્રકાશિત થઈ રહ્યો છે. આ ગ્રંથરત્નના પ્રકાશનનો લાભ લેવા દ્વારા ભિવંડીના હા.વી.ઓ.શ્વે.મૂ.ત. જૈન સંઘે (- પ્રમુખ મનસુખ મેઘજી દોઢિયા) જ્ઞાનખાતાનો જે સદુપયોગ કર્યો છે, એ અનુકરણીય છે. પ્રત્યેક સંધ છેવટે જ્ઞાનખાતામાંથીય આવી-આવી પ્રાચીન-કૃતિઓના પ્રકાશનનો લાભ લેવા કટિબદ્ધ બને તો આપણું ઘણું બધું શ્રુત-સાહિત્ય પુનરુદ્ધાર પામી શકે ! આ ગ્રંથના વિષયનો ગ્રંથ-નામ પરથી જ ખ્યાલ આવી જાય છે. પાંચ વસ્તુઓને વિષય બનાવીને વિવેચન કરનારો ગ્રંથ એટલે પંચવસ્તુક ગ્રંથ ! આમાં વર્ણવેલી પાંચ વસ્તુઓ ખૂબ જ મનનીય અને મહત્ત્વની છે. મોક્ષમાર્ગની સાધનામાં ચારિત્ર એક અનિવાર્ય-આવશ્યકતા છે અને આ ગ્રંથમાં દીક્ષાથી પ્રારંભીને સંલેખના સુધીની પાંચ વસ્તુઓ પર જ વિવેચન થયું છે, એથી સાધક માટે આનું વાંચન-મનન અત્યંત આવશ્યક બની રહે છે. પંચવસ્તુક ગ્રંથમાં વર્ણિત પાંચ વસ્તુઓનો નામનિર્દેશ આ મુજબ : ૧. પ્રવજ્યાવિધાનવસ્તુ, ૨. પ્રતિદિનક્રિયાવસ્તુ, ૩. ઉપસ્થાપનાવસ્તુ, ૪. અનુજ્ઞાવસ્તુ, ૫. સંલેખનાવસ્તુ. આ પાંચનો સામાન્ય સહેલો અર્થ એવો થઈ શકે કે, દીક્ષા, સાધુ-ક્રિયા, વડીદીક્ષા, પદપ્રદાન અને અંતિમ-આરાધના ! આ પાંચ વસ્તુઓ આગળ-પાછળના અનેક પદાર્થોની વિવેચનાપૂર્વક આ ગ્રંથનો વિષય છે. ખંડન-મંડન, સત્યનું સમર્થન, દાખલા-દલીલો સાથે અસત્યનું ઉન્મૂલન, પક્ષપ્રતિપક્ષની સ્થાપના, થોડાક જ અક્ષરોથી નિર્મિત પદો-શ્લોકોની અર્થ-ગંભીરતા ઈત્યાદિ ઢગલાબંધ વિશેષતાઓથી ભરપૂર આ ગ્રંથરત્નમાં અનુવાદિત પદાર્થોની થોડીક ઝાંખી નીચે મુજબ છે પ્રવ્રજ્યાવસ્તુ- આ વસ્તુના વિવેચનમાં પ્રવ્રજ્યા એટલે શું ? મોક્ષ તરફનું ગમન એ પ્રવ્રજયા. એના દ્રવ્ય-સ્થાપનાદિ ચાર નિક્ષેપા. પ્રવ્રજ્યાના પર્યાયવાચી શબ્દો. ગુરુમાં જરૂરી ગુણો. શિષ્યને હિતશિક્ષા ન આપવાથી થતા નુકશાનો. દીક્ષિત થવા ઉપસ્થિત થનાર મુમુક્ષુમાં આવશ્યક ૧૬ ગુણો. આ અંગેના ઉત્સર્ગ-અપવાદ. દીક્ષાની દુષ્કરતા. દીક્ષા માટે યોગ્ય-અયોગ્ય વય. બાલદીક્ષાનું સૈદ્ધાંતિક અને તાર્કિક દૃષ્ટિએ સચોટ-સમર્થન. સંયમની અનુમતિ મેળવવા માટે માત-પિતાને Page #8 -------------------------------------------------------------------------- ________________ [ ૭] સમજાવવાની શાસ્ત્રીય પદ્ધતિ. અનુજ્ઞા-સંમતિ ન મળે તોય માત-પિતાનો ત્યાગ કરીને સ્વીકારાતા સંયમ ધર્મની સ્વપરોપકારકતા. દીક્ષા-દાન માટેના શુભાશુભ નક્ષત્ર-તિથિ આદિ સ્વરૂપ કાળવિચાર. પ્રશ્ન, કથા અને પરીક્ષાથી મુમુક્ષુની યોગ્યતાનો નિર્ણય. દીક્ષા-વિધિ. હિતશિક્ષા-પ્રદાન. આવા અનેક વિષયો પ્રથમ વસ્તુના વિવેચનમાં વર્ણવાયા છે. જે દીક્ષા-બાલદીક્ષા આદિના વિષયને ખૂબ જ સ્પષ્ટ રીતે સમજવા ઉપયોગી થાય એવા છે. દીક્ષા-વિષયક જે કુતર્કો આજના કાળમાં ફાલી-ફુલી રહ્યા છે, એ તમામના સચોટ અને સજ્જડ જવાબો પ્રથમ-વસ્તુના આ વિવેચનમાંથી જ જડી આવતાં ગ્રંથકાર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાની યુક્તિ-કુશળતા ઉપર એવો અહોભાવ જાગ્યા વિના ન જ રહે કે, આજના કુતર્કોને વર્ષો પૂર્વે સજ્જડ જવાબ આપનારા ભાવિદષ્ટા આ મહાપુરુષ કેવી અપૂર્વ બુદ્ધિ પ્રતિભાના બેતાજ બાદશાહ હશે ! પ્રતિદિન ક્રિયાવસ્તુ પ્રતિલેખનાદિ ક્રિયાઓ દ્વારા સાધુતાની સફળતા. પ્રતિલેખનાદિ પ્રતિદિન કરવા યોગ્ય ૧૧ ક્રિયાઓ. પ્રતિલેખનાદિની શાસ્ત્રીય-વિધિ. ભિક્ષાવિધિ. સાધુના આહાર-પાણીની ગુપ્તતા. અંડિલભૂમિની શુદ્ધાશુદ્ધતા. કાઉસ્સગ્ગ તથા પચ્ચક્ખાણનો વિચાર. આગમના અધ્યયન-કાળની વિચારણા. આગમના અધ્યયન માટે જરૂરી યોગની વિધિ. આવા અનેક વિષયોની વિસ્તૃત અને અત્યંત સૂક્ષ્મ વિચારણા બીજી વસ્તુની વિવેચનામાં કરવામાં આવી છે. આનું બરાબર અધ્યયન કરવામાં આવે, તો સાધુના આંતર-બાહ્ય જીવનની કેટલી બધી તલસ્પર્શી કાળજી શાસ્ત્રકારોએ લીધી છે ! એનો ખ્યાલ આવતાં જ આપણું મસ્તક આવા શાસ્ત્રોના મૂળસ્રોત સમા તારક તીર્થકર ભગવંતોને નમ્યા વિના ન રહે ! ઉપસ્થાપનાવસ્તુ- ઉપસ્થાપના-વ્રતસ્થાપના-વડી દીક્ષા એટલે દીક્ષિતની વ્રતમાં સ્થાપના. વ્રતસ્થાપનની યોગ્યતાનો વિચાર. મહાવ્રત-નિરૂપણ. ગુરુકુલવાસ દ્વારા ગુણનો લાભ. ગુરુકુલવાસ અને ગચ્છવાસની સંલગ્નતા. વસતિના ગુણ દોષ. ભિક્ષામાં ટાળવા યોગ્ય આધાકર્માદિ દોષો. ઉપધિ-ઉપકરણની સંખ્યા અને સ્વરૂપ, તપના બાહ્યાભ્યતર ભેદ. આ રીતની ત્રીજી વસ્તુની વિચારણા મુખ્યત્વે વડીદીક્ષા અને વડીદીક્ષા-વિષયક અનેક પદાર્થોના ઊંડા અવલોકનથી સમૃદ્ધ છે. અનુયોગ-ગણાનુજ્ઞાવસ્તુ-અનુયોગ-ગણાનુજ્ઞા એટલે યોગ્ય શિષ્યની આચાર્યપદપરસ્થાપના. અયોગ્યને પદ ઉપર સ્થાપવાથી અને યોગ્યને પદ ઉપર નહિ સ્થાપવાથી પણ ઉદ્ભવતા દોષો. ગણાનુજ્ઞા. કાલગ્રહણની વિધિ. આચાર્યપદ સ્થાપના અંગેની વિધિની મહત્તા. ગીતાર્થતાનું સ્વરૂપ. આમ, ચોથી વસ્તુના સ્વરૂપદર્શનમાં આચાર્યપદ સ્થાપના અંગે ખૂબ જ મહત્ત્વનું માર્ગદર્શન કરાવવામાં આવ્યું છે. આ વિભાગના સ્તવપરિજ્ઞા' નામક પેટા-વિભાગમાં જિનમૂર્તિજિનમંદિરના નિર્માણની વિધિ, પ્રતિષ્ઠા કઈ રીતે કરવી ? પ્રભુપૂજાની વિધિ, પૂજામાં પુષ્પાદિપૂજાની હિંસા હિંસા કેમ ન ગણાય ? ઈત્યાદિ ઘણી જ મહત્ત્વની બાબતો પર શાસ્ત્રીય પ્રકાશ પાથરવામાં આવ્યો છે, જે ખૂબ જ મનનીય છે. પ્રાંતે નૂતનાચાર્યને અને ગચ્છને અપાતી હિતશિક્ષાનું સ્વરૂપ તો અત્યંત માર્મિક અને મનનીય છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ [ ૮ ] સંખનાવસ્તુ- કાયા અને કષાયાદિને કૃશ કરનારી તમામ તપ ક્રિયા સંલેખના શબ્દથી ઓળખાય એવી હોવા છતાં પ્રસ્તુતમાં જીવનના અંતકાળે થતી તપ ક્રિયાને “સંલેખના” શબ્દથી ઓળખવાની સ્પષ્ટતા સાથે પ્રારંભાતા આ વિભાગમાં જિનકલ્પાદિ વિભાગો, પરિકર્મ, તપ, શ્રત બલની ભાવના, દશવિધ સામાચારી, સંલેખના ભાવના, આત્મહત્યાથી સંલેખનાનું જુદાપણું. સંખનાનું ફળ-દર્શન, ઈત્યાદિ અનેક વિષયો પર સુંદર પ્રકાશ પાથરવામાં આવ્યો છે. સંલેખના કોણ સ્વીકારી શકે ? એનામાં કેટલી યોગ્યતા હોવી જોઈએ? સંલેખના સ્વીકારનારે કઈ કઈ બાબતો અંગે સાવધાન રહેવું જોઈએ ? અસાવધાની આવી જતાં કેટલું નુકશાન થાય ? વગેરે મહત્ત્વના મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપતા આ વિભાગની પૂર્ણતા સાથે “પંચવસ્તુક ગ્રંથ' સમાપ્ત થાય છે. મૂળ ગ્રંથનો આટલો પરિચય આપ્યા બાદ પ્રસ્તુત ગુજરાતી ભાવાનુવાદ, ભાવાનુવાદ શૈલી અને ભાવાનુવાદકારશ્રીનો થોડો પરિચય મેળવીએ : પંચ વસ્તુક ગ્રંથ' વર્ષો પૂર્વે મૂળ અને ટીકા માત્ર મુદ્રિત થયો હતો. હાલ એ અપ્રાપ્ય છે અને જ્ઞાનભંડારોમાં પ્રાપ્ય એની નકલો જર્જરિત થઈ જવા પામી હોવાથી એનું પુનઃમુદ્રણ વર્ષોથી જ આવશ્યક તો હતું જ. આવી પરિસ્થિતિમાં વિશેષ આનંદની વાત એ બની રહે છે કે, આજે પંચવસ્તુક ગ્રંથ ગુજરાતી ભાવાનુવાદ સાથે પ્રકાશિત બની રહ્યો છે. આ ભાવાનુવાદની વિશેષતા એ છે કે, ગ્રંથ અને સ્વોપજ્ઞ-ટીકાનો અર્થ બેસાડવામાં અને રહસ્યાર્થ સમજવામાંય આ ભાવાનુવાદ ઉપકારી બને, એ રીતે લખાયું છે. આ વિવેચનમાં જેમ બિનજરૂરી લંબાણ નથી, એમ જરૂરી લંબાણને કોઈ જગાએ ટૂંકાવવામાંય નથી આવ્યું. ટીકાની સાથે સાથે આગળ વધતો ભાવાનુવાદ જાણે પંચવડુક ગ્રંથ રૂપ નદીના બે કિનારાની જેમ ખળખળ નાદે આગળ વધતો જોવાય છે. ટીકાનો કોઈ અક્ષર આમાં છોડી દેવામાં નથી આવ્યો, છતાં આ ભાવાનુવાદને માત્ર શબ્દાર્થ ન ગણી શકાય. ભાવાનુવાદ શૈલીની સુગમતા અને પદાર્થોને સ્પષ્ટ કરવાની વિદ્વત્તા- આ બેનો ખ્યાલ તો આ ગ્રંથના અભ્યાસી વાચકને જ આવી શકે. આમ છતાં એમ કહેવામાં અતિશયોક્તિ નથી લાગતી કે સંસ્કૃતનો અનભ્યાસી પણ આ ગુજરાતી-વિવેચનની સહાયથી મૂળ-ગ્રંથના પદાર્થોને સહેલાઈથી સમજી શકવામાં સફળ બન્યા વિના નહિ જ રહે ! ટીકાના કેટલાક પદાર્થો અન્ય ગ્રંથોના આધારે વધારે પરિફુટ બનાવીને ટિપ્પણી તરીકે આ ભાવાનુવાદમાં મૂકવામાં આવ્યા છે, જે ભાવાનુવાદની ઉપયોગિતામાં ઠીક ઠીક ઉમેરો કરી જાય એવા છે. વિવેચનકાર પૂ. આચાર્યદેવ શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજનો સાચો પરિચય તો આ અનુવાદ જ આપી શકે ! છતાં ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે, સરસ્વતી, સંયમ-સાધના અને સમતાની ત્રિવેણી એટલે જ પૂજ્ય વિવેચનકારશ્રી ! સમજવું હજી સહેલું છે. સમજેલું સમજાવવું ય હજી કઠિન નથી. પણ સમજેલાને લખવા દ્વારા સમજાવવું એ તો ભીષ્મ સાધના માંગી લે, એવી એક સિદ્ધિ છે ! આ અર્થમાં પૂ. ભાવાનુવાદકારશ્રીને આવી સિદ્ધિ જાણે સ્વયંવરા બનીને વરી હોય, એમ એમના દ્વારા અનુવાદિત અનેક ગ્રંથો જોતા લાગ્યા વિના નથી રહેતું ! Page #10 -------------------------------------------------------------------------- ________________ [ ? ] પૂ. આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા તથા પૂ. ઉપાધ્યાયજી ભગવાન શ્રી યશોવિજયજી ગણિવર જેવા દિગ્ગજતાર્કિકોના ગ્રંથો ઉપર ભાવાનુવાદ લખી શકનારા પૂ.આ.શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજ સરળ-શૈલીનું બાલબોધક સાહિત્ય પણ સુંદર રીતે સર્જી શકે છે, એની પ્રતીતિ કરાવવા “માતા પિતાની સેવા' આદિ પુસ્તકો આગળ કરી શકાય. હજી થોડા જ સમય પૂર્વે પૂજ્યશ્રી દ્વારા અનુવાદિત ‘શ્રી ગુરુતત્ત્વ વિનિશ્ચય'' જેવા તાત્ત્વિક-યૌક્તિક ગ્રંથનું બે દળદાર વિભાગમાં પ્રકાશન થવા પામ્યું અને આજે ‘શ્રી પંચવસ્તુક’ નામનો દળદાર ગ્રંથ પ્રકાશિત થઈને વિદ્વાન વાચકોના કરકમળમાં શોભી રહ્યો છે. નરમ ગરમ તબિયતમાં પણ પૂજયશ્રીની અવિરત ચાલુ રહેતી જ્ઞાન-સાધનાનો જ આ પુણ્ય-પ્રભાવ છે. આ સિવાય તત્ત્વાર્થ વિવેચન, જ્ઞાનસાર, વીતરાગસ્તોત્ર, અષ્ટક પ્રકરણ, આદિ ગ્રંથો પરના પૂજ્યશ્રીના ભાવાનુવાદો ચતુર્વિધ સંઘમાં ખૂબ જ ઉપયોગી-ઉપકારી બની રહ્યા છે. સિદ્ધાંતમહોદધિ ચારિત્રચક્રવર્તી પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના જીવનમાંથી સંયમના, સંઘસ્થવિર વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના વ્યક્તિત્વમાંથી સિદ્ધાંત-રક્ષાની ખુમારીના, અને દાદાગુરુદેવ નિસ્પૃહ-શિરોમણિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજાની આજીવન સમર્પણભાવ દ્વારા ચારિત્રનિષ્ઠાના મળેલા વારસાને દીપાવતા પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરાજશેખરસૂરીશ્વરજી મહારાજ પ્રશાંતમૂર્તિ પરમ તપસ્વી પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધરરત્ન છે કે, જેઓશ્રીએ થોડા જ સમય પૂર્વે હસ્તગિરિતીર્થમાં પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં વર્ધમાન તપની ૧૦૦ ઓળી પૂર્ણ કરેલ છે. પૂ. ભાવાનુવાદકારશ્રીના પૂ. પંન્યાસપ્રવર (વર્તમાનમાં આચાર્ય) શ્રી વીરશેખરવિજયજી ગણિવર્ય જેવા વિદ્વાન પ્રથમ શિષ્યરત્ન છે કે, જેઓ હજા૨ો શ્લોક પ્રમાણ કર્મસાહિત્ય વિષયક પ્રાકૃત ગાથાઓ તથા સંસ્કૃત ટીકાઓના સર્જક છે. આવી અદ્ભુત ત્રિવેણીના તીરે, આવા ઉપયોગી ગ્રંથાનુવાદો સર્જાતા રહે, અને તાત્ત્વિક ગ્રંથોના ચિંતન મનનના પ્રવાહનું સર્જન કરવા ઉપરાંત એ પ્રવાહને વેગવંત રાખવામાંય એ ગ્રંથાનુવાદો પોતાનો ફાળો નોંધાવતા રહે, એ જ એકની એક કલ્યાણ કામના સાથે આ ગ્રંથમાં વિશદ રીતે શ્રી ભવવિરહાચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા દ્વારા વર્ણિત પાંચે પાંચ વસ્તુઓ સાચેસાચ આપણા જીવનમાં વણાતી રહે, એ જ અપેક્ષા. આસો સુદ : ૧ વીર સં. ૨૫૧૫ તા. ૩૦-૯-૮૯ પં. પૂર્ણચન્દ્રવિજયગણી (વર્તમાનમાં આચાર્ય) મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રય મુંબઈ - ૪ Page #11 -------------------------------------------------------------------------- ________________ [૨૦] આ ગ્રંથની થોડીક વિશિષ્ટ વાનગીઓ ગુરુ કેવા આશયથી શિષ્યને દીક્ષા આપે ? ગુરુએ મારા શિષ્ય પરિવારની વૃદ્ધિ થશે, અથવા પાણી આદિ લાવવામાં કામ લાગશે એવાં આલોકનાં કાર્યોની અપેક્ષાથી રહિત બનીને, શિષ્યના આત્માના અનુગ્રહ માટે અને પોતાના કર્મક્ષય માટે સમ્યગૂ વિધિપૂર્વક દીક્ષા આપવી જોઈએ. (ગાથા ૧૪) ગુરુ પ્રત્યે ભક્તિ-બહુમાનની અતિ આવશ્યકતા ચારિત્રમાં શ્રદ્ધા અને સ્થિરતા ગુરુ પ્રત્યે ભક્તિ અને બહુમાન થવાથી જ થાય છે, તે વિના નહિ. ભક્તિ એટલે વિનય આદિ બાહ્ય પ્રવૃત્તિ. બહુમાન એટલે આંતરિક અનુરાગ. (ગાથા ૧૫) ગુરુનો પ્રભાવ-પધરાગ (માણેક) વગેરે રત્નો કાંતિ આદિ ગુણોથી યુક્ત હોવા છતાં ઝવેરીના પ્રભાવથી તેનામાં કાંતિ વગેરે ગુણોની વૃદ્ધિ થાય છે, તેમ મોક્ષ માટે યોગ્ય પણ સુશિષ્યો ગુરુના પ્રભાવથી વિશેષ યોગ્ય બને છે. (ગાથા ૧૭). ગુરુની જવાબદારી- પૂર્વના પ્રમાદના અભ્યાસથી દક્ષામાં ભૂલ કોની ન થાય ? અર્થાત્ છદ્મસ્થ માત્રની ભૂલ થાય. કારણ કે પ્રમાદ અનાદિકાળથી અભ્યસ્ત (= રૂઢ થઈ ગયેલો) હોવાથી ભૂલ એકાએક દૂર ન થઈ શકે. આથી શાસ્ત્રોક્ત વિધિથી શિષ્યોના દોષોને દૂર કરવામાં ગુરુપણું સફલ બને છે. કારણ કે ગુરુપણું ગુણોથી છે, પદ વગેરેથી નહિ. શિષ્યોના દોષોને દૂર કરનારા પોતાના ગુણોથી તે પરમાર્થથી ગુરુ બને છે. (ગાથા ૧૮) બાલદીક્ષા શાસ્ત્રસંમત છે- કર્મના ક્ષયોપશમ ભાવથી થનારા ચારિત્રની (= ચારિત્રના પરિણામની) સાથે બાલ્યાવસ્થા શું વિરોધી છે ? જેથી બાળકો દીક્ષા માટે અયોગ્ય છે એવો અસઆગ્રહ રાખવામાં આવે છે. (બાલ્યવયમાં પણ કર્મક્ષયોપશમ થાય તો ચારિત્રના પરિણામ થાય) આથી “બાળકો દીક્ષા માટે અયોગ્ય છે” એવો આગ્રહ ન રાખવો જોઈએ. (ગાથા પ૭) વિષયસંગનો અનુભવ કરનારાઓથી વિષયસંગના અનુભવથી રહિત બાલકો દીક્ષા માટે અધિક યોગ્ય છે. (ગાથા ૬૬) આચરણા પ્રમાણ છે. ગીતાર્થો કોઈ કારણસર માસ કલ્પ વિહારનો ત્યાગ વગેરેની જેમ અલ્પ દોષવાળું અને ઘણા ગુણવાળું જે કંઈ આચરે તેને જિનમતાનુસારી સર્વ સાધુઓએ પ્રમાણ જ માનવું જોઈએ. કારણ કે શાસ્ત્રમાં ઉત્સર્ગ અને અપવાદ બંને કહ્યા છે. જિનેશ્વરોએ કશા ય માટે એકાંતવિધાન કે એકાંતનિષેધ કર્યો નથી. તેમની આજ્ઞા એટલી જ છે કે કાર્યપ્રસંગે સત્યસરળ બનવું જોઈએ. દંભ કરીને ખોટું આલંબન ન લેવું જોઈએ. (ગાથા ૨૭૯-૨૮૦) ભાવનાનું મહત્ત્વ- રાગાદિ દોષોથી પ્રતિપક્ષભૂત (= વિરુદ્ધ) વૈરાગ્યભાવના વગેરે વિશુદ્ધ ભાવના એકાગ્રચિત્તે (સતત) ભાવવાથી રાગાદિ દોષોનો અવશ્ય ક્ષય થાય. (ગાથા ૩૬૪) ચારિત્રની પ્રધાનતા- પરમાર્થથી ચારિત્ર સારભૂત છે, દર્શન-જ્ઞાન તો ચારિત્રના અંગ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ [૨૨] મોક્ષાર્થીએ સારને મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ.. પહેલાં જ્ઞાન થાય, પછી દર્શન થાય, ત્યારબાદ ચારિત્ર આવે. (ગાથા ૪૮૭) એકના ભાવની બીજા ઉપર અસર થાય- આચાર્ય વગેરે ગુરુએ પણ શુદ્ધક્રિયા રૂપ ચરણયોગમાં રહીને ઉપયોગપૂર્વક વિશુદ્ધભાવથી સૂત્ર આપવું.કારણ કે પ્રાયઃ શુભભાવથી શુભભાવ પેદા થાય છે. લોકમાં પણ શુભભાવથી ભાવિત વક્તાથી શુભભાવ પેદા થાય એ સિદ્ધાંત સિદ્ધ છે. (ગાથા પ૯૯). કુગચ્છનો ત્યાગ કરવો જોઈએ- સાધુએ જે ગચ્છમાં વિનયાદિ ગુણો દેખાતા ન હોય, અને સારણા વગેરે થતું ન હોય તેવા ગચ્છનો સૂત્રોક્ત વિધિથી ત્યાગ કરવો જોઈએ. કારણ કે શિષ્ય, ધર્મબંધુ (ગુરુબંધુ) કે એક ગણમાં રહેલ સાધુ સુગતિમાં ન લઈ જાય, કિંતુ ગચ્છમાં રહેલ વિશુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્ર સુગતિનો માર્ગ છે. (ગાથા ૭૦૦-૭૦૧) સાધુઓ કેવી વસતિમાં રહે?- જયાં સ્ત્રીઓનાં સ્થાન અને રૂપ ન દેખાય, શબ્દો ન સંભળાય, તથા સ્ત્રીઓ પણ પુરુષોનાં સ્થાન અને રૂપ ન જોઈ શકે અને શબ્દો ન સાંભળી શકે તેવી વસતિમાં સાધુ રહે. સ્ત્રીઓ જયાં બેસીને ગુપ્ત વાતો કરે તથા સૂવું-બેસવું વગેરે શરીરકાર્યો વગેરે કરે તે તેઓનું સ્થાન છે. જયાં સ્થાન હોય ત્યાં નિયમ રૂપ દેખાય, સ્થાન દૂર હોય તો કદાચ શબ્દ ન પણ સંભળાય, પણ રૂપ અવશ્ય દેખાય. આથી સ્થાન દેખાય તેવી વસતિનો ત્યાગ કરવો જોઈએ. (ગાથા ૭૨૦-૭૨ ૧) વાચના પ્રદાનનું મહત્ત્વ- ગુરુ કફ આદિની તકલીફવાળા હોય તો તેમના માટે એક શ્લેખ માટે અને એક લઘુનીતિ માટે એમ બે કુંડી યોગ્ય સ્થળે મૂકવી. આનો ભાવાર્થ એ છે કે- ગુરુ કફ આદિની તકલીફવાળા હોય તો પણ સદા વાચના કરે. (ગાથા ૧૦૦૩) અયોગ્યને આચાર્યપદ આપનાર પાપી છે- જે ગણધર (= આચાય) શબ્દને ગૌતમસ્વામી આદિ મહાપુરુષોએ ધારણ કર્યો છે, તે ગણધર શબ્દને જાણવા છતાં અયોગ્યમાં સ્થાપે છે, અર્થાત્ અયોગ્યને આચાર્ય બનાવે છે તે મહાપાપી મૂઢ છે. (ગાથા ૧૩૧૯) નિર્ગુણ હોવા છતાં આચાર્યપદ લેનાર પાપી છે- કાલોચિત ગુણોથી રહિત હોવા છતાં જે ગણધર શબ્દને પોતાનામાં મૂકાવે છે, અર્થાત્ આચાર્યપદ લે છે, અને લીધેલા પણ આચાર્યપદને જે વિશુદ્ધભાવથી સ્વશક્તિ મુજબ પાળે નહિ, તે પણ મહાપાપી છે. (ગાથા ૧૩૨૦) Page #13 -------------------------------------------------------------------------- ________________ [[૨] પંચવટુક ગ્રંથનો વિષયાનુક્રમ ગાથા વિષય ગાથા વિષય • ૧ મંગલ અને અનુબંધ ચતુષ્ટય. • ૩૦-૩૧ દીક્ષા આપવાની યોગ્યતામાં • ૨ પાંચ વસ્તુઓ અને તેના ક્રમનો હેતુ. | અપવાદ. • ૩ તત્ત્વથી વસ્તુઓ પાંચ જ છે. • ૩૨ થી ૩૯ દીક્ષા લેવાને લાયક શિષ્યના ૧૫ ગુણો. ૧ પ્રવ્રજ્યાવિધાન • ૪૦ દીક્ષા દુષ્કર કેમ છે ? • ૪ પ્રવ્રજયા વિધાનના પાંચ દ્વારો. • ૪૧ થી ૪૩ ભવાભિનંદીને જિનવચનથી • ૫ પ્રવ્રયાનો તાત્ત્વિક અર્થ. પણ લાભ ન થાય. • ૬ પ્રવ્રજ્યાના નામ વગેરે ચાર પ્રકાર. ૪૪ થી ૪૮ ગુણહીનને દીક્ષા આપવાથી • ૭ આરંભ-પરિગ્રહનું સ્વરૂપ. સ્વ-પરનું અહિત થાય. • ૮ ભાવથી આરંભાદિના ત્યાગમાં | • ૪૯ જિનચિકિત્સાથી કોઈ જીવ અસાધ્ય આરંભાદિની પ્રવૃત્તિ હોય તો પણ એ ત્યાગ | નથી. સાચો છે. • ૫૦ કેટલી ઉંમરે દીક્ષા આપી શકાય ? • ૯ પ્રવ્રજયાના પર્યાયવાચી શબ્દો. • ૫૧ આઠથી ઓછી વયમાં દીક્ષા આપવાથી • ૧૦ થી ૧૩ દીક્ષા આપવાને લાયક ગુરુના ! થતા દોષો. ૧૯ ગુણો. • પર થી ૭૨ બાળદીક્ષાના વિરોધમાં પૂર્વપક્ષ • ૧૪ ગુરુએ કયા આશયથી દીક્ષા આપવી. | અને ઉત્તરપક્ષ. • ૧૫-૧૬ ગુણવાન ગુરુથી થતા લાભો. • ૭૩ વૃદ્ધની દીક્ષામાં અપવાદ. • ૧૭ લાયક શિષ્ય ગુરુપ્રભાવથી વિશેષ • ૭૪ થી ૭૮ ગૃહસ્થાશ્રમની પ્રધાનતા વિષે લાયક બને. પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ. • ૧૮-૧૯ શિષ્યના દોષોને દૂર કરવામાં ૭૯ થી ૯૦સ્વજનના ત્યાગથી પાપ લાગવા ગુરુપણું સફલ બને. વિષે પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ. • ૨૦ થી ૨૨ શિષ્યને હિતમાં ન જોડવાથી ! • ૯૦ સ્વજનત્યાગનો વિધિ. ગુરુને લાગતા દોષો. • ૯૧ થી ૯૬ સ્વજન-ધનાદિથી યુક્ત જ • ૨૩ થી ૨૬ શિષ્યને હિતમાં જોડવાથી થતા | દીક્ષાને યોગ્ય છે એ વિષે પૂર્વપક્ષ અને લાભો. ઉત્તરપક્ષ. • ૨૭ શિષ્યો પ્રતિષિદ્ધ આચરણ કરે તો પણ | - ૯૭ થી ૧૦૦ અવિવેકથી કરેલો ત્યાગ અનુવર્તક ગુરુ નિર્દોષ છે. નિષ્ફળ છે. • ૨૮ શિષ્યના અપરાધથી ગુરુને પાપ કેમ | • ૧૦૧ શબ્દભેદથી દોષ ન મટે. લાગે ? | • ૧૦૨ - ૧૦૩ જિનપૂજાના ઉપદેશમાં અને Page #14 -------------------------------------------------------------------------- ________________ નિવનિ 15 ગાથા વિષય ગાથા વિષય મંદિરમાં જાળાં વગેરેને દૂર કરવામાં સાધુને | • ૧૮૮ આસક્તિ એ ચિત્તસંલેશવાળું દુઃખ દોષ ન લાગે. • ૧૦૪-૫ અવિવેકનો ત્યાગ એ ઉત્તમ ત્યાગ | • ૧૮૯-૯૦ પાપાનુબંધી પુણ્ય પરમાર્થથી છે. પાપ છે. • ૧૦૬ દશ વૈ. ની ને ય જો એ ગાથાનો | • ૧૯૩-૯૪ પુણ્યનું સ્વરૂપ. ભાવાર્થ. • ૧૯૫-૯૬ વિષયવિરાગ મહાસુખરૂપ છે. • ૧૦૭ સ્વજનાદિ વિષે રહેલો રાગ દુષ્ટ છે. | • ૧૯૭-૧૯૮ મુક્તિનું સુખ ઈચ્છાની • ૧૦૮ બાહ્ય સ્વજનાદિ અને અવિવેક એ | ટે છે. બંનેના ત્યાગથી યુક્તને થતો લાભ. • ૧૯૯ મુક્તિની ઈચ્છા ઈચ્છામારાના • ૧૦૯ થી ૧૧૪ દીક્ષાને યોગ્ય ક્ષેત્ર અને | અભાવનું કારણ છે. કાળ. • ૨૦૦-૧ ભગવતીમાં જણાવેલ સાધુના • ૧૧૫ થી ૧૨૨ પ્રશ્ન-કથન-પરીક્ષા. સુખની વૃદ્ધિ. • ૧૨૩ સૂત્રપ્રદાનનો વિધિ. • ૨૦૨ ગૃહવાસનો ત્યાગ પુણ્યોદયથી થાય. • ૧૨૪ થી ૧૫૪ દીક્ષા પ્રદાનનો વિધિ. • ૨૦૩-૨૦૪ સાધુને વેદના પુણ્યોદયથી થાય • ૧૩૨-૧૩૩ રજોહરણ શબ્દનો અર્થ. | છે. • ૧૩૪ થી ૧૩૭ રજોહરણ સંયમયોગોનું | • ૨૦૫ સંયમનાં ઉપકરણો સંકલેશાદિનું કારણ કારણ નથી એ વિષે પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ. | નથી. • ૧૫૫ થી ૧૬૩ દીક્ષિતને આપવાનો ઉપદેશ. | • ૨૦૬-૭ ગૃહવાસનો ત્યાગ પુણ્યોદયથી • ૧૬૪ થી ૧૭૫ દીક્ષા સંબંધી વિધિની | થાય છે. નિરર્થકતા વિષે પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ. | • ૨૦૮ સાધુઓ આશ્રય વિનાના નથી. • ૧૭૬ શિષ્ય કંઈ અનુચિત કરે તો પણ | • ૨૦૯-૧૨ સાધુને થતાં કો સુખરૂપ છે, શુભભાવવાળા ગુરુને દોષ ન લાગે. દુ:ખરૂપ નથી. • ૧૭૭-૭૮દીક્ષાવિધિન કરવાથી થતા દોષો. • ૨૧૩-૧૪ સાધુએ તપ કેવો કરવો જોઈએ? • ૧૭૯ ભરતચક્રી આદિને ક્રિયા વિના | • ૨૧૫-૧૬ ભાવ સાધુ પાપોદયવાળા નહોય. કેવલજ્ઞાન થવાનું કારણ. • ૨૧૭-૨૦ દ્રવ્ય સાધુ પાપોદયવાળા હોય. • ૧૮૦ થી ૨૦૦ દીક્ષા લેનારાઓ ઘરવાસનો | • ૨૨૧-૨૨૪ અભયદાનથી અન્ય કોઈ શ્રેષ્ઠ ત્યાગ પાપોદયથી કરે છે એ વિષે પૂર્વપક્ષ પરોપકાર નથી. અને ઉત્તરપક્ષ. • ૨૨૫ ગૃહસ્થો સંપૂર્ણ અભયદાન ન કરી • ૧૮૫ પુણ્ય-પાપની વ્યાખ્યા. શકે. • ૧૮૭ અભિલાષાથી રહિતને સંલેશ ન | • ૨૨૬-૨૭ શિષ્યને તપથી દુઃખી કરતા થાય. | ગુરુને દોષ ન લાગે. Page #15 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪] ગાથા વિષય ગાથા વિષય ૨ પ્રતિદિન ક્રિયા • ૩૧૩ થી ૩૧૬ વસતિપ્રવેશ પછીનો વિધિ. • ૨૨૯ ક્રિયાથી દીક્ષા ની સફલતા. • ૩૧૭ થી ૩૩૬ ભિક્ષામાં લાગેલા દોષોની • ૨૩૦ પ્રતિદિન ક્રિયાના દશદ્વારો. આલોચના કરવાનો વિધિ. • ૨૩૧ થી ૨૪૪ પડિલેહણનો વિધિ. | • ૩૩૭ થી ૩૪૦ ગુરુને આહાર-પાણી • ૨૪પ થી ૨૫૪ પડિલેહણના દોષો. બતાવવાનો વિધિ. • ૨૫૫થી ૨૫૯ સવારની પડિલેહણાનો કાળ. | • ૩૪૧ ભિક્ષાની આલોચના કરતાં અને • ૨૬૦-૨૬૧ પડિલેહણમાં પુરુષ અને વસ્ત્રનો | ભિક્ષા લેતાં લાગેલા દોષોની શુદ્ધિ માટે ક્રમ. કાયોત્સર્ગ. • ૨૬૩ થી ૨૬૬ વસતિને પ્રમાર્જવાનો વિધિ. | • ૩૪૨ એક મુહૂર્ત સુધી સ્વાધ્યાયનું વિધાન. • ૨૬૭-૨૬૮ સવારે પાત્રપડિલેહણનો કાળ. | • ૩૪૩ માંડલીભોજી માટે ભોજનનો વિધિ. • ૨૬૯ થી ૨૭૭ પાત્રપડિલેહણનો વિધિ. | • ૩૪૪-૪૫ એકલોજી નિમંત્રણપૂર્વક • ૨૭૯ અલ્પદોષ-અધિક લાભવાળું ભોજન કરે. જિનાજ્ઞાનુસારી આચરણ પ્રમાણ છે. • ૩૪૬ બીજાઓ ન લે તો પણ નિમંત્રણથી • ૨૮૦ સરળ બનવું-દંભ ન કરવો એવી | લાભ જ થાય. જિનાજ્ઞા. • ૩૪૭ દંભથી નિમંત્રણ કરવાથી લાભ ન • ૨૮૧ જે અનુષ્ઠાનથી રાગાદિ દોષોની હાનિ થાય. થાય અને પૂર્વે બાંધેલા કર્મો ખપે તે અનુષ્ઠાન | • ૩૪૮-૯-૫૦ વિધિ-ભક્તિ રહિત દાન મોક્ષનો ઉપાય છે. મોક્ષનું કારણ ન બને, જીર્ણ-અભિનવ શેઠનું • ૨૮૨ થી ૨૮૫ પડિલીધેલા વસ્ત્ર-પાત્રને | દૃષ્ટાંત. મૂકવાનો વિધિ. • ૩૫૧-૨ ગોચરી ગયેલાઓ ન આવે ત્યાં • ૨૮૬ થી ૨૯૬ ગોચરી જતાં પહેલાં કરણીય સુધી માંડલીભોજી સ્વાધ્યાય કરે. વિધિ. • ૩૫૩-૪ પોતે જ પોતાને શિખામણ આપે. • ૨૯૭ ભિક્ષાટનનો અનંતર-પરંપર ઉદ્દેશ. • ૩૫૫ નવકાર ગણી, ગુરુની રજા લઈને • ૨૯૮ થી ૩૦૫ દ્રવ્યાદિ ચાર પ્રકારના અભિગ્રહો. • ૩૫૬ થી ૩૬૧ ભોજન કરવાનો વિધિ. • ૩૦૬-૩૦૭ અભિગ્રહો આત્મશુદ્ધિના હેતુ | • ૩૬૨-૩ ઈંગાલ-ધૂમ દોષનું વર્ણન. છે. • ૩૬૪ વૈરાગ્યાદિથી રાગાદિનો અવશ્ય ક્ષય • ૩૦૯-૩૧૦ આહારમાંથી માખી વગેરેને | થાય. કાઢવાનો વિધિ. • ૩૬૫-૬-૭ ભોજન કરવાનાં છ કારણો. • ૩૧૧-૩૧૨ ભિક્ષા લાવીને વસતિમાં| - ૩૬૮ કારણે ભોજન કરે તો પણ વિગઈવાળો પ્રવેશવાનો વિધિ. આહારનલે, અને પ્રમાણોપેત જ આહાર લે. - ભોજન કરે. Page #16 -------------------------------------------------------------------------- ________________ • · ૩૭૦ વિગઈ દુર્ગતિમાં લઈ જાય છે. ૩૭૧ થી ૩૮૦ દશ વિગઈઓનું સ્વરૂપ. ૩૮૧ લેપકૃત દ્રવ્યો. ૩૮૨ નિવિઆતાં પણ દ્રવ્યો કેવો સાધુ વાપરી શકે ? • ૩૮૩-૪ વિગઈઓ વાપરવાથી મોહોદય થાય. • ૩૮૫-૬ નિષ્કારણ વિગઈનો નિષેધ છે, સકારણ નહિ. • • ૩૮૭ કેટલો આહાર પ્રમાણયુક્ત છે ? ૩૮૮-૯-૯૦ પાત્રાં ધોવાનો વિધિ. ૩૯૧ સાધુઓ ભોજન ગુપ્ત કેમ કરે છે ? ૩૯૨ ભોજન પછી તિવિહારનું પચ્ચક્ખાણ શા માટે ? • · • • · • [ o ] ગાથા વિષય ૩૬૯ રૂપાદિ માટે ભોજન કરવાથી તીવ્રકર્મ બંધ. ૩૯૩ થી ૩૯૭ અકાલ સંજ્ઞા અને કાલ સંજ્ઞાએ સ્થંડિલ ભૂમિએ જવાનો વિધિ. • ૩૯૮ રસ્તામાં કેવી રીતે ચાલે ? ૩૯૮ ડગલ લેવાનો વિધિ. ૩૯૯ થી ૪૨૪ સ્થંડિલ ભૂમિના દશ ગુણો, ૧૦૨૪ ભાંગા, નિષિદ્ધભાંગાવાળી સ્થંડિલભૂમિમાં જવાથી થતા દોષો વગેરે. • ૪૨૫ થી ૪૨૯ મલવિસર્જન સંબંધી વિધિ. • ૪૩૦ થી ૪૩૩ પહેલા ભાંગાવાળી સ્થંડિલભૂમિ ન મળે તો કેવી ભૂમિમાં જવું ? • ૪૩૪ સ્થંડિલભૂમિથી આવીને પડિલેહણને વાર હોય તો સ્વાધ્યાય કરે. ૦ ૪૩૫ થી ૪૩૮ ભક્તાર્થી-અભક્તાર્થીને આશ્રયીને પડિલેહણના વિધિમાં ભેદ. ૪૩૯ પડિલેહણ પછીનું કર્તવ્ય. . ગાથા વિષય · ૪૪૦ સૂર્યાસ્ત પહેલાનું કર્તવ્ય. ૦ ૪૪૧-૨ સ્થંડિલના ૨૪ સ્થાનો. ૪૪૩-૪ ગીતાર્થ સાધુ ઘોષણા કરે. ૦ ૪૪૫ થી ૪૯૦ પ્રતિક્રમણનો વિધિ. ૦૪૪૭ માંડલીમાં જ પ્રતિક્રમણ કરવું જોઈએ. ૪૫૦ ગુરુ બે વાર અને સાધુઓ એકવાર દૈવસિક અતિચારો ચિંતવે. · • ૪૫૭ વંદન કરવાનાં કારણો. • ૪૬૧ થી ૪૬૪ આલોચનાથી થતા લાભો. • ૪૬૫ ગુરુએ આપેલું પ્રાયશ્ચિત પૂરું કરવું. · ૪૬૬ થી ૪૭૧ પ્રતિક્રમણ સૂત્ર કેવી રીતે બોલે વગેરે. ૦૪૭૨ આચાર્ય પોતાનાથી મોટાને ખમાવે એ વિષે મતાંત૨. · ૪૭૩-૪ કેટલા સાધુઓને ખમાવવા ૪૭૫ આચરણ કલ્પની પ્રવૃત્તિનું કારણ. ૪૭૬ આચરણાનું લક્ષણ. • • ૪૭૭ આલોચના આદિ પ્રસંગે રત્નાધિકો નાના પણ આચાર્યને વાંદે, પ્રતિક્રમણમાં આચાર્ય રત્નાધિકોને વાંદે. ૪૫૨ સાધુઓ કેવા બનીને અતિચારો ચિંતવે ? · • ૪૭૮ થી ૪૮૮ ત્યાર પછીનો પ્રતિક્રમણનો વિધિ. ૪૮૯ પ્રતિક્રમણમાં છેલ્લા વાંદણાનો હેતુ. ૪૯૦-૧ પ્રતિક્રમણ કર્યા પછી બધા સાધુઓ થોડી વાર ગુરુની પાસે બેશે. • ૪૯૪થી ૫૦૪ સવારના પ્રતિક્રમણનોવિધિ. ૫૦૫ તપના પ્રત્યાખ્યાનમાં બીજાને આહાર આપવાનો અને ભોજનની પ્રેરણાનો નિષેધ નથી. · • Page #17 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬ ] જોઈએ. ગાથા વિષય ગાથા વિષય ૫૦૬ થી ૫૧૧ પ્રત્યાખ્યાનમાં આગારો. | • ૫૪૦ થી ૫૪૬ વેયાવચ્ચનો વિધિ અને ૫૧૨-૧૩-૧૪ પચ્ચકખાણમાં આગારો મહિમા. રાખવાનું કારણ. • ૫૪૭ થી પ૫૦પચ્ચકખાણની સ્પર્શનાદિ છે • ૫૧૫ પ્રમાદીને દીક્ષા કેમ હોય ? | શુદ્ધિઓ. ૫૧૭ થી પર૭ તપના પચ્ચકખાણની જેમ | • ૫પર પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી ત્રણ સ્તુતિ, દીક્ષાની પ્રતિજ્ઞામાં આગારો કેમ નથી? | દેવવંદન અને બહુવેલના આદેશો માગે. ૫૧૯ દીક્ષામાં “જીવનપર્યંત' એમ | • પપ૩ બહુવેલના આદેશો માગવાનું કારણ. કાળમર્યાદાનો હેતુ. • પપ૪ દૈનિક ક્રિયાઓ કરતાં વચ્ચે સમય • પર૧ મહાવીર પ્રભુએ ખેડૂતને દીક્ષા કેમ | મળી જાય ત્યારે પણ સ્વાધ્યાય કરે. આપી ? • પપપ થી પ૬૬ સ્વાધ્યાયથી થતા લાભો. • પ૨૨ તપનાં પ્રત્યાખ્યાનો સમભાવની વૃદ્ધિ | • પ૬૭ થી પ૬૯ સ્વાધ્યાય વિધિથી કરવો માટે છે. • પ૨૩-૪-૫ આગારો સમભાવના બાધક | • ૫૭૦ થી ૬૦૮ સૂત્રપ્રદાનનો વિધિ. નથી. • પ૭૧ થી ૫૮૦ યોગ્યને જ સૂત્રદાન કરવું. • પ૨૬ તિવિહારના પચ્ચકખાણમાં | • ૫૮૧ થી ૫૮૮ કાલક્રમથી સૂત્રદાન કરવું. સામાયિકનો ભંગ થતો નથી. • ૫૮૯ જે સૂત્રને ભણવા જે તપ કહ્યો હોય • પર૭ સામાયિકમાં પતનનો સંભવ હોવા | તે જ તપથી સૂત્રદાન કરવું. છતાં અપવાદો (= આગારો) કેમ નહિ? | • ૫૯૦થી ૫૯૩ અવિધિથી આજ્ઞાભંગ વગેરે પ૨૮-૯-૩૦ સાધુને તિવિહારનું પચ્ચખાણ | દોષો લાગે. સંગત છે અને ગાઢ કારણે દુવિહાર પણ થઈ | • પ૯૪ થી ૫૯૭ સૂત્રદાનમાં અવિધિથી શકે. નુકશાન, વિધિથી લાભ. • પ૩૧ પચ્ચક્ખાણ ઉપયોગપૂર્વક કરવું | • ૫૯૯ શુદ્ધભાવથી શુદ્ધભાવ ઉત્પન્ન થાય. જોઈએ. • ૬૦૦ થી ૬૦૫ અનાભોગથી અગુરુમાં • ૫૩૨ “જિનેશ્વરોએ આ કરવાનું કહ્યું છે” | ગુરુના પરિણામ શુદ્ધ છે. એમ ભગવાન ઉપર બહુમાનપૂર્વક | • ૬૦૬-૭ મોહના કારણે અગુરુમાં ગુરુના પચ્ચકખાણ કરવું જોઈએ. પરિણામ અશુદ્ધ છે. • પ૩૩ થી ૫૩૭ બીજાને અશનાદિ આપવાથી | • ૬૦૮ દેવ-સાધુનું બાહ્યશ-જીવન દેવપચ્ચકખાણનો ભંગ ન થાય. સાધુને યોગ્ય હોય તો તેમનામાં થતા દેવ• પ૩૮ બીજાને આહાર-પાણી આપવાનો | સાધુના પરિણામ શુદ્ધ છે. વિધિ. | • ગાથાઓનો અકારાદિ અનુક્રમ. • પ૩૯ “યથાસમાધિ' એમ શા માટે કહ્યું? | Page #18 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭] ગાથા વિષય ગાથા વિષય ૩ ઉપસ્થાપના ૬૭૫-૬-૭ પરિણતને જ માંડલીમાં • ૬૧૦ પ્રતિદિન ક્રિયા પછી ઉપસ્થાપના | ભેળવવો. કહેવાનો હેતુ. • ૬૭૮ થી ૬૮૮ “ગુરુ' વગેરે અગિયાર • ૬૧૧ વ્રતસ્થાપનાનાં દ્વારો. સ્થાનોમાં પ્રયત્ન કરવાનો ઉપદેશ અને • ૬૧૨ કર્મનું મૂળ અવિરતિ છે. ધનના દષ્ટાંતથી અગિયાર સ્થાનોની ઘટના. • ૬૧૩-૪-૫ વ્રતસ્થાપનાને યોગ્ય જીવનું | - ૬૮૯ થી ૬૯૫ ગુરુકુલવાસદ્ધાર. વર્ણન. • ૬૯૬ થી ૭૦૫ ગચ્છવાસ દ્વાર. • ૬૧૬ થી ૬૨૦ વ્રતસ્થાપના ક્યારે કરવી? | • ૭૦૫ વસતિની સફલતા મર્યાદાના પાલનથી • ૬ ૨ ૧ થી ૬૨૩ પિતા-પુત્રાદિની થાય. ઉપસ્થાપનામાં મર્યાદા અને વિધિ. • ૭૦૬ થી ૭૨૯ વસતિ દ્વાર. • ૬૨૪-૬૨૭ અપ્રજ્ઞાપનીયમાં પણ સામાયિક | • ૭૨૦થી ૭૨૯ સ્ત્રી પ્રતિબદ્ધ વગેરે પ્રકારની હોય. વસતિમાં રહેવાથી થતા દોષો. • ૬ ૨૮ સામાયિક જવા-આવાવના | • ૭૩૦ થી ૭૩૭ સંસર્ગદ્વાર. સ્વભાવવાળું છે. • ૭૩૦ સાધુએ પાસત્થા આદિની સાથે સંબંધ • ૬ ૨૯ સમ્યક્ત્વાદિના આકર્ષો. ન રાખવો, સુસાધુની સાથે સંબંધ રાખવો. • ૬૩૦-૧ સામાયિક રહિત પણ શિષ્ય | • ૭૩૪-૫ દ્રવ્યોના ભાવુક-અભાવુક એ બે અત્યાજય છે. પ્રકાર, • ૬૩૨ થી ૬૩૬ પિતા-પુત્રાદિની વડી દીક્ષા માં | • ૭૩૭ પાસત્થા આદિના સંસર્ગથી લાગતા વૃદ્ધપરંપરા. દોષો. ૬૩૭ છકાય અને વ્રતોને સમજાવ્યા વિના | • ૭૩૮ થી ૭૬૬ ભક્ત દ્વાર-ગોચરીના ૪૨ અને પરિણતિની પરીક્ષા કર્યા વિના વડી દીક્ષા | દોષો. ન આપવી. • ૭૬૭ માંડલીના પાંચ દોષો. • ૬૩૮ થી ૬૪૯ પૃથ્વીકાયાદિમાં જીવત્વની | • ૭૬૮ આહારનું પ્રમાણ, અંગાર-ધૂમનો સિદ્ધિ. અર્થ વગેરે. • ૬૫૦ થી ૬૫૪ છ વ્રતો (મૂલગુણો)નું | • ૭૬૯ થી ૮૩૯ ઉપકરણ દ્વાર. વર્ણન. • ૭૬૯ રાગ ન થાય અને લોકમાં નિંદા ન • ૬૫૫ થી ૬૬૨ છ વ્રતોના અતિચારો. થાય તેવા પ્રમાણોપેત વસ્ત્રો રાખવા. • ૬૬૨ દિવસે લાવી દિવસે ખાવામાં અતિચાર | • ૭૭૧ થી ૭૯૧ જિનકલ્પી આદિના ઉપધિની કેમ ? સંખ્યા. • ૬૬૩ થી ૬૬૬ નવદીક્ષિતની પરીક્ષા. | • ૭૯૨ થી ૮૩૨ ઉપકરણોનું માપ અને • ૬૬૭ થી ૬૭૪ વડીદીક્ષાનો વિધિ. પ્રયોજન. Page #19 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] ગાથા વિષય ગાથા વિષય • ૮૩૩ સંઘાતિમ-અસંઘાતિમ ઉપાધિ. • ૮૭૮-૯ અનિત્ય ભાવના-વિષયોની • ૮૩૪ થી ૮૩૭ ઔપગ્રહિક ઉપધિનું વર્ણન. | ભયંકરતા. • ૮૩૮ ઔધિક-ઔપગ્રહિકનું લક્ષણ, | • ૮૮૦ થી ૮૮૮ સ્ત્રીસંબંધી વિવિધ ભાવના. પ્રયોજન. • ૮૮૯ ભાવનાથી થતા લાભો. • ૮૪૦ થી ૮૬૪ તપદ્વાર. • ૮૯૦-૧-૨ જેના વિષે રાગાદિ થાય તેનાથી • ૮૪૧-૨-૩ તપની ઉપાદેયતા પ્રતિપક્ષનું ચિંતન કરવું. ઉપયોગિતા. • ૮૯૩ સ્ત્રીસંબંધી ઉપદેશ વિશેષથી આપવાનું • ૮૪૪ તપનું સ્વરૂપ. કારણ. • ૮૪૫-૬ બાહ્ય-અત્યંતર તપના ભેદો. | • ૮૯૪ પ્રતિપક્ષના ચિંતનથી થતા લાભો. • ૮૪૭ થી ૮૫ર તપને ન માનનારનો • ૮૯૫ થી ૯૦૧ વિહારદ્વાર. પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ. • ૮૯૭ મોહજય માટે નૂતન દીક્ષિતે અવશ્ય • ૮૫૩ તપ કેવો કરવો જોઈએ ? વિહાર કરવો જોઈએ. • ૮૫૪-૫૫ તપથી જિનાજ્ઞાની આરાધના | • ૮૯૮ કારણે નિત્યવાસની અનુજ્ઞા. દ્વારા શુભભાવ. • ૮૯૯ કારણે નિત્યવાસીએ સ્થાન વગેરેનું • ૮૫૬ થી ૮૫૯ તપ દુઃખનું કારણ નથી, | પરિવર્તન કરવું જોઈએ. કર્મવિપાકનું ફલ પણ નથી. • ૯૦૦મોહોદયવાળાએ અવશ્ય વિહાર કરવો • ૮૬૦-૧ કર્મવિપાક પણ મોક્ષનું કારણ બને. | જોઈએ. • ૮૬૨ કેવા જીવો ચારિત્રને ન સ્વીકારે. | • ૯૦૨ થી ૯૦૭ યતિકથાદ્વાર. • ૮૬૩ કેવા જીવો ચારિત્રને સ્વીકારે. • ૯૦૩-૪-૫ પૂર્વસાધુઓના ચરિત્રો કહેવા • ૮૬૫ થી ૮૭૪ વિચારદ્વાર. અને તેમના ચારિત્રની અનુમોદના કરવી. • ૮૬૫ શ્રુતાદિ ત્રણમાં ભાવનાજ્ઞાનની | • ૯૦૬-૭ યતિકથા કરવાથી થતા લાભો. મુખ્યતા. • ૯૦૮ ગુરુસેવા વગેરે ૧૧ સ્થાનોમાં પ્રયત્ન ૮૬૬-૭-૮ બ્રાહ્મી વગેરેને નાના અતિચારનું કરવાથી થતા લાભો. મોટું ફળ કેમ મળ્યું? ૯૧૦ ઉપસ્થાપનાની વિધિથી પ્રાયઃ • ૮૬૯ થી ૮૭૧ અતિચારને ખપાવવાનો છેદોપસ્થાપનીયના પરિણામ થાય છે. ઉપાય. ૯૧૧ અનેકને ગુરુસેવાદિથી ચારિત્રના • ૮૭૨-૩ અતિચારના અપ્રતિકારથી થતા પરિણામ થયા છે. દોષો. • ૯૧૨ થી ૯૩૦ ચારિત્ર જ મોક્ષનું મુખ્ય • ૮૭૫ થી ૮૯૪ ભાવનાદ્વાર. સાધન છે. • ૮૭૫-૬ ભાવનાનું મહત્ત્વ. • ૯૧૩-૧૪ ચારિત્ર વિના જ્ઞાન-દર્શન ન • ૮૭૭ ભાવના ક્યાં ભાવવી ? હોય. Page #20 -------------------------------------------------------------------------- ________________ ગાથા વિષય * ૯૧૫ થી ૯૨૦ સમ્યગ્દર્શનની પ્રધાનતા વિષે પ્રશ્નોત્તરી. • ૯૧૯-૨૦ કેટલી કર્મ સ્થિતિ ઘટે ત્યારે સમ્યક્ત્વ વગેરેની પ્રાપ્તિ થાય ? • ૯૨૧ ચારિત્ર વિના મોક્ષ નહિ એ કથન ‘ભાવચારિત્રની’ અપેક્ષાએ છે. [ o o ] • ૯૨૨-૩ અનેક જન્મો સુધી ધર્મનો અભ્યાસ કર્યા પછી ચરમશરીરની પ્રાપ્તિ થાય. • ૯૨૪-૫ મરુદેવીમાતાનું દૃષ્ટાંત આશ્ચર્યરૂપ છે. ૯૨૬-૭ દશ આશ્ચર્યો. · · ૯૨૮ દશ આશ્ચર્યો ઉપલક્ષણ છે. ૯૨૯ બધાની મુક્તિ મરુદેવી માતાની જેમ કેમ થતી નથી ? ૪ અનુયોગાનુજ્ઞા ૯૩૨ અનુયોગની અનુજ્ઞાને યોગ્ય કોણ ? • ૯૩૩ અયોગ્યને અનુયોગાનુજ્ઞા કરવાથી થતા દોષો. • ૯૩૪ થી ૯૪૫ મૃષાવાદ વગેરે ચાર દ્વ્રારોનું વર્ણન. • ૯૪૭-૮-૯ કેવો જીવ સિદ્ધાંતનો વિનાશક બને ? • ૯૫૧ થી ૯૭૧ અનુયોગની અનુજ્ઞાનો (= વાચનાચાર્ય પદપ્રદાનનો) વિધિ. • ૯૬૪ નૂતન આચાર્ય ગુરુના આસન ઉપર બેસે, પછી ગુરુ સાધુઓ સહિત નૂતન આચાર્યને વંદન કરે. • ૯૬૫ નૂતન આચાર્ય ગુરુના આસન ઉપર જ બેસીને વ્યાખ્યાન આપે. • ૯૬૬ નૂતન આચાર્ય ગુરુના આસન ઉપર કેમ બેસે ? ગુરુ નૂતન આચાર્યને પહેલાં જ વંદન કેમ કરે ? ગાથા વિષય • ૯૬૭ થી ૯૭૦ ગુરુ નૂતનસૂરિને હિતશિક્ષા આપે. ૯૭૩ કેવા શિષ્યો અર્થવાચનાને યોગ્ય છે ? ૯૭૪-૫-૬ યોગ્યને વાચના આપવાથી થતા લાભો. • ૯૭૭ સૂત્ર ભણનાર જ તેના અર્થને સમજવા માટે લાયક છે. • ૯૭૮ છેદસૂત્રો પરિણતને જ ભણાવવા, પરિણતની વ્યાખ્યા. ૦ • • • ૯૮૦થી ૯૮૪ અતિપરિણત-અપરિણતોને છેદસૂત્રો ભણાવવાથી થતા દોષો. ૯૮૫ યોગ્ય ઉપસંપન્ન સાધુઓને પણ સૂત્રોક્ત વિધિથી વાચના આપે. ૯૮૬ થી ૯૯૦ ઉપસંપદાનો વિધિ. ૯૯૧ થી ૯૯૪ યુક્તિગ્રાહ્ય પદાર્થોને યુક્તિથી અને આજ્ઞાગ્રાહ્ય પદાર્થોને આજ્ઞાથી ન સમજાવનાર વિરાધક છે. • • • ૯૭૯ પરિણતને છેદસૂત્રો ભણાવવાથી થતા લાભો. ૦ ૯૯૫-૬ વ્યાખ્યાન કરવાની પદ્ધતિ. • ૯૯૮ પડતા કાળમાં પણ વિપરીત વ્યાખ્યાન કરવાથી દોષ લાગે. ૯૯૯ આજ્ઞાપાલન મંત્રસમાન છે; · ૧૦૦૧ થી ૧૦૦૭ વાચનાનો વિધિ. • ૧૦૦૨ વાચના સ્થળે સ્થાપનાજી પધરાવવા જોઈએ. ૧૦૦૩ કફ આદિની તકલીફવાળા પણ ગુરુએ સદા વાચના કરવી જોઈએ. • ૧૦૦૪ વાચના સાંભળનારા બધાએ સાથે જ વાચનાચાર્યને વંદન કરવું જોઈએ. ૧૦૦૫ કાયોત્સર્ગ પૂર્ણ થયા પછી બધાએ વાચનાચાર્યને વંદન કરવું એ વિષે મતાંતર. • Page #21 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦] ગાથા વિષય ગાથા વિષય • ૧૦૨૬-૭ વાચનાશ્રવણનો વિધિ. ૧૦૮૩-૪ આત્મા સ્વરૂપથી સત્ છે, • ૧૦૦૮ વિધિપૂર્વક શ્રવણનું ફલ. પરરૂપથી અસત્ છે. • ૧૦૦૯ રત્નાધિક પણ વાચનાદાતાને વંદન | • ૧૦૮૫-૬ આત્મા નિત્યાનિત્ય છે. કરે. ૧૦૮૭-૮ એકાંત ભેદમાં કે એકાંત અભેદમાં • ૧૦૧૦ થી ૧૦૨૦ રત્નાધિક વાચનાચાર્યને કાર્યોત્પત્તિ ન ઘટે. વંદન કરે એ વિષે પ્રશ્નોત્તરી વગેરે. ૧૦૮૯-૧૦૯૪ નિત્યાનિત્ય આત્મામાં જ • ૧૦૨૧ થી ૧૦૨૬ કષ-છેદ-તાપનું સ્વરૂપ | કર્મબંધ વગેરે ઘટી શકે. વગેરે. • ૧૦૯૫ થી ૧૧૦૫ જીવ-શરીરમાં ભેદાભેદ • ૧૦૨૭ મોક્ષબીજને પામેલા જીવનમાં સુખો ન્યાયથી યુક્ત કેમ છે ? | • ૧૧૦૬-૭ બંધ પ્રવાહથી અનાદિ છે. • ૧૦૨૮-૯ સમ્યક્ત્વ મોક્ષનું બીજ છે, • ૧૧૦૮-૯ મોક્ષની સિદ્ધિ. સમ્યક્ત્વનું સ્વરૂપ. સમ્યકત્વથી થતા લાભો. • ૧૦૩૦-૧સમ્યકત્વ ધૃતધર્મથી થાય, નિર્દોષ સવપરિજ્ઞા પુરુષનું વચન જ આગમ. • ૧૧૧૦ સ્તવપરિજ્ઞાનો અર્થ. • ૧૦૩૨ થી ૧૦૪૫ શ્રતધર્મથી સમ્યક્ત્વ | • ૧૧૧૧ દ્રવ્ય-ભાવસ્તવની વ્યાખ્યા. થાય એવા નિયમ વિષે પ્રશ્નોત્તરી. • ૧૧૧૨ ભૂમિશુદ્ધિ વગેરે દ્વારો. • ૧૦૪૬ થી ૧૦૬૨ સ્વભાવવાદ, કર્મવાદ, • ૧૧૧૩ થી ૧૧૧૬ ભૂમિશુદ્ધિદ્વાર. પાંચ કારણ, ભવ્યત્વની વિચિત્રતા. • ૧૧૧૭ થી ૧૧૨૦ દલશુદ્ધિદ્વાર. • ૧૦૬૩ દ્રવ્ય-ભાવ સમ્યક્ત્વ. • ૧૧૨૧ થી ૧૧૨૪ ભૂતકાનતિસંધાનદ્વાર. • ૧૦૬૪-૫-૬ દ્રવ્યથી ભાવ સમ્યકત્વમાં | • ૧૧૨૫ થી ૧૧૨૮ સ્વાશયવૃદ્ધિકાર. શ્રદ્ધા અનંતગણી હોય, ભાવસમ્યક્ત્વ જ | • ૧૧૨૯ મંદિર નિર્માણમાં ગરમ પાણીનો પ્રશમાદિ લિંગજનક છે અને તેનાથી જ ! ઉપયોગ. આધ્યાત્મિક પ્રગતિનો પ્રારંભ થાય છે. • ૧૧૩૦-૧ જિનબિંબ કરાવવાનો વિધિ. • ૧૦૬૭ શ્રુતધર્મની પરીક્ષાથી ચારિત્રધર્મની | • ૧૧૩૨-૩ જિનબિંબ પ્રતિષ્ઠા વિધિ. પરીક્ષા થઈ જાય. • ૧૧૩૪ પ્રતિષ્ઠા પછી સંઘપૂજા કરવી. • ૧૦૬૮ થી ૧૦૭૧ કષથી શુદ્ધાશુદ્ધ અને | • ૧૧૩૪ થી ૧૧૩૮ સંઘની મહત્તાનું વર્ણન. દૃષ્ટાંતો. • ૧૧૩૯ થી ૧૧૪૨ જિનબિંબ પૂજાનો ૧૦૭૨ થી ૧૦૭૯ છેદથી શુદ્ધાશુદ્ધ અને વિધિ. દષ્ટાંતો. • ૧૧૪૩ આ જિનોક્ત અનુષ્ઠાન છે એવા ૧૦૮૦ થી ૧૦૮૨ તાપથી શુદ્ધાશુદ્ધ અને | ભાવથી કરનારાઓને જ એ અનુષ્ઠાન ચારિત્રનું કારણ બને. દૃષ્ટાંતો. Page #22 -------------------------------------------------------------------------- ________________ ગાથા વિષય - ૧૧૪૪-૫ સ્વચ્છંદપણે કરાતાં જિનભવનાદિ અનુષ્ઠાનો દ્રવ્યસ્તવ પણ બનતાં નથી. ૧૧૪૬ જિનસંબંધી અનુષ્ઠાન દ્રવ્યસ્તવ છે એ વિષે પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ, ૧૧૪૭ ઔચિત્યથી રહિત અનુષ્ઠાન દ્રવ્યસ્તવ બનતું નથી. ૧૧૪૮ અપ્રધાન દ્રવ્યસ્તવથી મળતું સુખ તુચ્છ છે. ૧૧૪૯ થી ૧૧૫૫ જિનભવન નિર્માણ વગેરે અનુષ્ઠાનો ભાવસ્તવ કેમ નહિ ? · ૧૧૫૬ દ્રવ્યસ્તવ-ભાવસ્તવનું ફલ. ૧૧૫૭ જિનબિંબની પ્રતિષ્ઠાના ભાવનું ફળ, નિરવદ્ય સ્થાપન એટલે શું ? ૧૧૫૮ સાધુદર્શનની ભાવનાનું ફળ. ૧૧૫૯ પ્રતિબોધની ભાવનાનું ફળ. ૧૧૬૦ સંયમ ભાવસ્તવ કેમ છે ? • ૧૧૬૧ ભાવ સાધુ જ સંયમને પાળી શકે. • ૧૧૬૨ થી ૧૧૬૯ અઢારહજાર શીલાંગો. - ૧૧૭૦-૧-૨ બધાં શીલાંગો અખંડ એક સ્વરૂપ છે. ૧૧૭૩ શીલની અખંડતા આંતરિક પરિણામની અપેક્ષાએ છે. • ૧૧૭૪-૫-૬ આજ્ઞાથી હિંસાદિમાં પ્રવૃત્ત અપ્રવૃત્ત છે. ૧૧૭૭ ભાવ વિના હિંસાદિમાં થતી પ્રવૃત્તિ વિરતિભાવને ખંડિત કરતી નથી. • • · · · · · · · [૨] ૧૧૭૮ સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરનારના પ્રજ્ઞાપનીય-અપ્રજ્ઞાપનીય એવા બે ભેદ. * ૧૧૭૯ થી ૧૧૮ ૨ ગીતાર્થ-ગીતાર્થમિશ્રવિહાર. • ૧૧૮૩-૪ ૧૮૦૦૦માંથી એક પણ શીલાંગ ન્યૂન ન હોય. • · • ગાથા વિષય ૧૧૮૫ થી ૧૧૮૯ કેવો જીવ શીલાંગોને પાળી શકે ? • ૧૧૯૨ સુવર્ણના ગુણો. • ૧૧૯૩-૪-૫ સાધુમાં સુવર્ણના ગુણોની ૧૧૯૦-૧ અનુમાન પ્રમાણથી ભાવસાધુનો નિર્ણય. ઘટના. • ૧૧૯૬ કષાદિથી શુદ્ધ સોનામાં ઉક્ત ગુણો હોય. • • • ૧૧૯૭ સાધુમાં કપાદિની ઘટના. ૧૧૯૮ થી ૧૨૦૧ સાધુના ગુણોથી રહિત સાધુ સાધુ નથી. ૧૨૦૨-૩ ગુણરહિત સાધુનું વર્ણન. ૧૨૦૪ પ્રતિદિનક્રિયાદિ ગુણોથી ભાવસાધુ બને. • • ૧૨૦૬ સ્થિર શુભચિંતાનું ફળ. ૧૨૦૭ નિશ્ચય-વ્યવહારથી ચારિત્રની આરાધનાની વ્યાખ્યા. ૧૨૦૮ સાત-આઠ ભવથી મુક્તિ. ૧૨૦૯ થી ૧૨૨૭ બંને સ્તવ પરસ્પર સંકળાયેલા છે. • ૧૨૧૦ થી ૧૨૨૧ સાધુને પણ દ્રવ્યસ્તવ હોય. • ૧૨૨૨-૩-૪ સાધુને સાક્ષાત્ દ્રવ્યસ્તવ ન હોય. • - ૧૨૨૫-૬-૭ આવશ્યક સૂત્રના પાઠની સમજુતી. ૧૨૨૮ થી ૧૨૭૦હિંસા-અહિંસાનું સ્વરૂપ. ૧૨૨૮ થી ૧૨૪૬ વેદવિહિત હિંસા નિર્દોષ છે એ વિષે પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ. • • ૧૨૪૭ થી ૧૨૫૨ જિનભવન નિર્માણ આદિમાં થતી હિંસા યુક્ત છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨] ગાથા વિષય ગાથા વિષય • ૧૨૫૩ વૈદિક હિંસા તેવી નથી. ૪ ગણાનુજ્ઞા • ૧૨૫૪ વેદવિહિત હિંસામાં ભૌતિક ફલના | • ૧૩૧૫-૬ ગણાનુજ્ઞાને યોગ્યનું વર્ણન. ઉદેશથી પ્રવૃત્તિ થાય છે. • ૧૩૧૭ પ્રવર્તિનીપદને યોગ્યનું વર્ણન. • ૧૨૫૫-૬ વૈદિક આગમોનો પરસ્પર વિરોધ. | • ૧૩૧૮-૯-૨૦ અયોગ્યને આચાર્યપદ • ૧૨૫૭ જિનભવનનિર્માણાદિમાં જેમની આપનાર અને અયોગ્ય લેનાર મહાપાપી છે. હિંસા થાય તેમને હિંસાના કારણે સુખ મળે • ૧૩૨૧-૨ અયોગ્યને પ્રવર્તિનીપદ આપનાર છે એમ જૈનો માનતા નથી, | અયોગ્ય લેનાર મહાપાપી છે. જિનનિર્માણાદિથી મળતું સુખ “પરિણામે ! • ૧૩૨૩-૪ અયોગ્યને પદ આપવામાં થતા ભયંકર છે” એમ જૈનો માનતા નથી. | દોષો. ૧૨૫૮ ઉભયલોકથી વિરુદ્ધ એવા વચનથી ! • ૧૩૨૬ સ્વલિબ્ધિને યોગ્યનું વર્ણન. પ્રવૃત્તિ કરનારનો શુભભાવ અતાત્ત્વિક છે. • ૧૩૨૭ અલબ્લિકનો વિહારવિધિ. • ૧૨૫૯-૬૦ જીવભેદથી પાપભેદ જૈનોને • ૧૩૨૮ થી ૧૩૩૧ સમાપ્ત-અસમાપ્ત કલ્પ. માન્ય છે. ૧૩૩૨-૩-૪ સાધ્વી સંબંધી સ્વલબ્ધિનું • ૧૨૬૧ થી ૧૨૬૫ યતનાથી થતા લાભો. વર્ણન. - ૧૨૬૬ થી ૧૨૬૯ આદિનાથ ભગવાને • ૧૩૩૫ જાતસમાપ્ત કલ્પમાં સાધ્વીઓની આપેલું શિલ્પકપા આદિનું શિક્ષણ નિર્દોષ | સંખ્યા દશ અને ચૌદ. • ૧૩૩૬ થી ૧૩૪૬ આચાર્ય પદ પ્રદાનનો ૧૨૭૦ જિનપૂજાદિની હિંસા અહિંસા છે. વિધિ. ૧૨૭૧ થી ૧૨૭૬ જિનપૂજા સંબંધી • ૧૩૪૭ થી ૧૩પ૩ નૂતન આચાર્યને પ્રશ્નોત્તરી. હિતશિક્ષા. • ૧૨૭૭ સર્વજ્ઞવચનનો નિર્ણય શાના | • ૧૩૫૪ થી ૧૩૫૭ ગચ્છને હિતશિક્ષા. આધારે ? ૧૩૫૮ ગુરુકુલવાસથી થતા લાભો. ૧૨૭૮ થી ૧૩૦૦ વેદવચનની | ૧૩૫૯ સાધ્વીઓને હિતશિક્ષા. અપ્રામાણિકતા વિષે વિવિધ દલીલો. • ૧૩૬૦-૧ સ્વલબ્ધિકને હિતશિક્ષા. ૧૩૦૨ થી ૧૩૦૫ કયો સ્તવ કોને યોગ્ય | ૧૩૬૨ નૂતન આચાર્ય ત્રણ પ્રદક્ષિણા છે ? આપીને ગુરુને વંદન કરે. • ૧૩૦૬ આરંભત્યાગથી થતી દ્રવ્યસ્તવહાનિમાં દોષ નથી. પ સંલેખના • ૧૩૦૭-૮-૯ દાનાદિના ક્રમમાં હતુ. | • ૧૩૬૬-૭ સંલેખનાની વ્યાખ્યા. • ૧૩૧૦ દાનાદિમાં દ્રવ્ય-ભાવસ્તવનો | • ૧૩૬૮ અભ્યદ્યત વિહાર-મરણનો સ્વીકાર વિભાગ. ક્યારે ? Page #24 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩] ગાથા વિષય ગાથા વિષય • ૧૩૭૧ અભ્યત વિહાર સંબંધી દશ દ્વારો. • ૧૪૭૯-૮૦ એક શેરીમાં એક જિનકલ્પી • ૧૩૭૨ થી ૧૩૭૫ અવ્યવચ્છિત્તિ મન દ્વાર. | ભિક્ષાટન કરે. • ૧૩૭૬ અભ્યઘત વિહાર-મરણના પ્રકારો. • ૧૪૮૧ શ્રુતાતિશયથી શેરીના વિભાગને • ૧૩૭૭ અભ્યઘત વિહાર ક્યારે અને શા | જાણી શકે. માટે સ્વીકારે ? • ૧૪૮૨ થી ૧૫૨૨ ક્ષેત્ર વગેરે ૨૦ ધારોથી • ૧૩૭૮ થી ૧૩૮૧ પાંચ તુલનાદ્વાર. જિનકલ્પીનું વર્ણન. • ૧૩૮૨ થી ૧૩૮૫ ઉપકરણદ્વાર. ૧૫૨૩થી ૧૫૨૬ પરિહાર વિશુદ્ધિ કલ્પનું • ૧૩૮૬ થી ૧૩૮૯ પરિકર્મઢાર. વર્ણન. • ૧૩૯૦ થી ૧૩૯૩ તપભાવનાદ્વાર. ૧૫૨૭ થી ૧૫૩૬ ક્ષેત્ર વગેરે ૨૦ દ્વારોથી • ૧૩૯૪ થી ૧૩૯૭ સત્ત્વભાવનોદ્વાર. - પરિહાર વિશુદ્ધિકોનું વર્ણન. • ૧૩૯૮ થી ૧૪૦૧ શ્રુતભાવનાદ્વાર. • ૧૫૩૭ થી ૧૫પર યથાસંદિકોનું વર્ણન. • ૧૪૦૨ થી ૧૪૦૫ એકત્વભાવનોદ્વાર. ૧૫૫૫ થી ૧૫૭૧ અભ્યત વિહાર અને • ૧૪૦૬ થી ૧૪૦૯ બલભાવનાદ્વાર. સ્થવિર વિહાર એ બેમાં કોની પ્રધાનતા? એ • ૧૪૧૨ આહારની સાત અને વસ્ત્રની ચાર વિષે ચર્ચા, પોતપોતાના વિષયમાં બંને એષણા. પ્રધાન છે એવો અંતિમ નિષ્કર્ષ. • ૧૪૧૩ જિનકલ્પીના બે પ્રકાર. ૧૫૭૨ અભ્યધત મરણના ત્રણ પ્રકાર. • ૧૪૧૪ થી ૧૪૧૭ વડવૃક્ષદ્વાર. • ૧પ૭૩ થી ૧૫૭૬ સંખનાનો વિધિ. • ૧૪૧૮ થી ૧૪૨૦ ત્રીજા પ્રહરમાં કલ્પને | • ૧૫૭૬ કોટિસહિત શબ્દનો અર્થ. સ્વીકારે વગેરે. ૧૫૭૭ થી ૧૫૮૨ વિધિ મુજબ સંલેખના • ૧૪૨૧-૨ દશ પ્રકારની સામાચારી. ન કરવામાં દોષ. • ૧૪૨૩-૪-૫ જિનકલ્પિક સામાચારી. ૧૫૮૩ થી ૧૫૯૨ સંલેખના આપઘાતરૂપ • ૧૪૨૬ થી ૧૪૫૮ જિનકલ્પીની મર્યાદા | છે એ વિષે પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ. સંબંધી શ્રુત વગેરે ૨૭ કારોનું વર્ણન. • ૧૫૯૩ કષાયોની પણ સંલેખના કરે. • ૧૪૫૯ થી ૧૪૭૫ જિનકલ્પીને છ ભાગ | • ૧૫૯૪ થી ૧૬૦૩ અંતિમ કાળે ભાવવાની કરીને ભિક્ષાટન શા માટે ? તેનું વિસ્તૃત | પારમાર્થિક ભાવનાઓ. સ્પષ્ટીકરણ. • ૧૬૦૪ અંતિમકાળે સૂક્ષ્મ પદાર્થોને વિચારે. ૧૪૭૬ ગચ્છવાસી સાધુ દોષ ન દેખાય તો ૧૬૦૫ અકરણનિયમ. કારણે દરરોજ એક શેરીમાં ભિક્ષાટન કરી | • ૧૬૦૬-૭ અનુબંધદ્દાસ. શકે. • ૧૬૦૮ પ્રતિપક્ષભાવથી અતિચારોનો ત્યાગ કરે. ૧૪૭૮ એકવસતિમાં ઉત્કૃષ્ટથી સાત | • ૧૬૦૯ થી ૧૬ ૧૨ ભાવના ભાવવાથી થતા જિનકલ્પીઓ રહે અને પરસ્પર ન બોલે. | લાભો. Page #25 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪] વિષય ગાથા વિષય ગાથા • ૧૬૧૩ થી ૧૬૧૬ સંલેખના પૂર્ણ થયા પછી | • ૧૬૭૭ અનશનીને અસમાધિ ન થાય તેની પાદપોપગમન અનશનના સ્વીકારનો વિધિ. કાળજી રાખવી જોઈએ. • ૧૬ ૧૭ થી ૧૬૨૦ પાદપોપગમન • ૧૬૭૮-૯-૮૦ સમાધિ માટે શારીરિક અનશનનું સ્વરૂપ વગેરે. ક્રિયાઓ બીજા પાસે કરાવે તો પણ આરાધક. • ૧૬૨૧ થી ૧૬૨૫ ઇંગિની મરણનો વિધિ | • ૧૬૮૧-૨ સંવિગ્નપાક્ષિકની આંતરિક વગેરે. સ્થિતિ. • ૧૬૨૬ ભક્તપરિજ્ઞામાં પણ દોષોની | • ૧૬૮૩ થી ૧૬૮૮ સંયમથી તદ્દન નિરપેક્ષ આલોચના કરે. સંફિલષ્ટ ચિત્તવાળા જીવનું વર્ણન. • ૧૬૨૭ અનશની સંફિલષ્ટ ભાવનાઓનો | • ૧૬૮૯ થી ૧૬૯૨ અનશન સંબંધી વિશેષ ત્યાગ કરે. વર્ણન, • ૧૬૨૮ કાંદર્પ આદિ સંફિલષ્ટ ભાવનાઓ. | • ૧૬૯૩ થી ૧૬૯૭ આરાધનાના ત્રણ • ૧૬૨૯ સંફિલષ્ટ ભાવનાવાળો ક્યાં ઉત્પન્ન પ્રકાર. • ૧૬૯૮ થી ૧૭00 આરાધનાના લાભો. • ૧૬૩૦ થી ૧૬૬૦ કાંદર્પ આદિ પ્રત્યેક | • ૧૭૦૧ થી ૧૭૦૪ પાંચ વસ્તુઓની ભાવનાના પેટા ભેદોનું વર્ણન. આરાધનાનું અને વિરાધનાનું ફળ. • ૧૬૬૧ અશુભ ભાવનાઓનું ફળ. • ૧૭૦૫ થી ૧૭૦૮ આગમ પરતંત્રતાની • ૧૬૬૨ અશુભ ભાવનાઓના ત્યાગથી પ્રધાનતા. લાભ. • ૧૭૦૯ ધર્મ માટે અનધિકારીનું વર્ણન. • ૧૬૬૩ થી ૧૬૬૮ કંદર્પાદિભાવનાવાળામાં | • ૧૭૧૦ વર્તમાનમાં પણ આગમાનુસારિણી વ્યવહારથી ચારિત્ર હોય, નિશ્ચયથી ન હોય. ક્રિયા દેખાય છે. • ૧૬૭૦-૧-૨ ભક્તપરિજ્ઞાનો વિધિ. ૧૭૧૧ ક્રિયા શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કરવી • ૧૬૭૩ અનશની મૈત્રી આદિ ભાવનાઓ જોઈએ. ભાવે. • ૧૭૧૨ શાસ્ત્રના સ્વીકારથી થતો લાભ. • ૧૬૭૪-૫-૬ શરીરસમાધિ માટે યત્ન કરવો | • ૧૭૧૩ ગ્રંથરચનાનો હેતુ. જોઈએ. • ૧૭૧૪ ગાથાઓનું પરિમાણ. થાય ? Page #26 -------------------------------------------------------------------------- ________________ ॥ धरणेन्द्रपद्मावतीसंपूजिताय ॐ ह्रीँ श्री श्री शंखेश्वर पार्श्वनाथाय नमः ॥ ॥ श्रीदान-प्रेम-रामचन्द्र-हीरसूरिगुरुभ्यो नमः ॥ ऐं नमः याकिनीमहत्तराधर्मपुत्रसुगृहीतनामधेयश्रीहरिभद्रसूरिविरचितः स्वोपज्ञशिष्यहिताव्याख्यासमेतः । श्रीपञ्चवस्तुकग्रन्थः । प्रथमो विभागः ॐ नमः श्रीसर्वज्ञाय । प्रणिपत्य जिनं वीरं, नृसुरासुरपूजितम् । व्याख्या शिष्यहिता पञ्च-वस्तुकस्य विधीयते ॥१॥ इह हि पञ्चवस्तुकाख्यं प्रकरणमारब्धुकाम आचार्यः शिष्टसमयप्रतिपालनाय विघ्नविनायकोपशान्तये प्रयोजनादिप्रतिपादनार्थं चादावेवेदं गाथासूत्रमुपन्यस्तवान् णमिऊण वद्धमाणं, सम्मं मणवयणकायजोगेहिं । संघं च पंचवत्थुग-महक्कम कित्तइस्सामि ॥ १ ॥ वृत्तिः- तत्र शिष्टानामयं समयः, यदुत- 'शिष्टाः क्वचिदिष्टे वस्तुनि प्रवर्तमानाः सन्त इष्टदेवतानमस्कारपूर्वकं प्रवर्तन्ते' इति, अयमपि आचार्यो नहि न शिष्ट इत्यतः तत्समयपरिपालनाय, तथा श्रेयांसि बहुविघ्नानि भवन्तीति, उक्तं च'श्रेयांसि बहुविघ्नानि भवन्ति महतामपि । अश्रेयसि प्रवृत्तानां क्वापि यान्ति विनायकाः ॥१॥' इदं च प्रकरणं सम्यग्ज्ञानहेतुत्वाच्छ्रेयोभूतम्, अतो मा भूद् विघ्न इति विघ्नविनायकोपशान्तये 'नमिऊण वद्धमाणं सम्मं मणवयणकायजोगेहिं संघं च' इत्यनेनेष्टदेवतास्तवमाह, प्रेक्षापूर्वकारिणश्च प्रयोजनादिशून्ये न प्रवर्त्तन्ते इति, उक्तं चसर्वस्यैव हि शास्त्रस्य कर्मणो वाऽपि कस्यचित् । यावत्प्रयोजनं नोक्तं तावत् तत्केन गृह्यते ॥१॥ इत्यादि, अतः प्रयोजनादिप्रतिपादनार्थं च 'पंचवत्थुगमहक्कम कित्तइस्सामि' इत्येतदाह, प्रकरणार्थकथनकालोपस्थितपरसम्भाव्यमानानुपन्यासहेतुनिराकरणार्थं वा; तथाहि-पञ्चवस्तुकाख्यं प्रकरणमारभ्यत इत्युक्ते सम्भावयत्येवं वादी पर :-नारब्धव्यमेवेदं प्रकरणं, प्रयोजनरहितत्वात्, उन्मत्तकविरुतवत् । तथा निरभिधेयत्वात्, काकदन्तपरीक्षावत् । तथाऽसम्बन्धत्वात्, दशदाडिमानीत्यादि वाक्यवत् । अतोऽमीषां हेतूनामसिद्धतोद्विभावयिषयेत्येतदाह- 'पंचवत्थुगमहक्कम Page #27 -------------------------------------------------------------------------- ________________ [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते कित्तइस्सामि' । एष तावद् गाथाप्रस्ताव: समुदायार्थश्च || अधुनाऽवयवार्थोऽभिधीयते-नत्वा प्रणम्य, कं? इत्याह- वर्द्धमानं-वर्तमानतीर्थाधिपति तीर्थकरं, तस्य हि भगवत एतन्नाम, यथोक्तं‘મમાપિ નંતિ વૈદ્ધમા' રૂત્યા, ઋથે “નવા” ત્યત બાદ- “સનોવાલાયો:'सम्यगिति प्रवचनोक्तेन विधिना, मनोवाक्काययोगैमनोवाक्कायव्यापारैः, अनेनैवंभूतमेव भाववन्दनं भवतीत्ये-तदाह च, मनोवाक्काययोगैरसम्यगपि नमनं भवतीति सम्यग्ग्रहणं; आह-एवमपि सम्यगित्येत-देवास्तु, अलं मनोवाक्काययोगग्रहणेन, सम्यग्नमनस्य तदव्यभिचारित्वात्, नैतदेवम्, एकपद-व्यभिचारेऽपि “अब्द्रव्यं पृथिवीद्रव्यम्" इत्यादौ विशेषणविशेष्यभावदर्शनादिति । न केवलं वर्धमानं नत्वा, किन्तु सङ्ख च-सम्यग्दर्शनादिसमन्वितप्राणिगणं च नत्वा, किम् ? इत्याहपञ्चवस्तुकं यथाक्रमं कीर्तयिष्यामि, प्रव्रज्याविधानादीनि पञ्चवस्तूनि यस्मिन् प्रकरणे तत्पञ्चवस्तु, पञ्चवस्त्वेव पञ्चवस्तुकं ग्रन्थं, यथाक्रममिति यो यः क्रमो यथाक्रमः यथापरिपाटि, कीर्तयिष्यामिસંશદ્યષ્યામિ | તિ ગાથાર્થ: I ? / ટીકાકારનું મંગલાચરણ મનુષ્ય, સુર અને અસુરોથી પૂજાયેલા શ્રી વીર જિનને પ્રણામ કરીને પંચવસ્તુક ગ્રંથની “શિષ્યહિતા” નામની વ્યાખ્યા (ટીકા) કરું છું. ગ્રંથકારનું મંગલ અહીં પંચવસ્તુક નામના પ્રકરણની (ગ્રંથની) રચનાનો પ્રારંભ કરવાની ઇચ્છાવાળા આચાર્ય (શ્રી હરિભદ્રસૂરિ) મહારાજે શિષ્ટાચારના પાલન માટે અને વિઘ્નસમૂહની શાંતિ માટે મંગલ તથા પ્રયોજન આદિ (ત્રણ)ને જણાવવા માટે પહેલી ગાથા આ પ્રમાણે કહી છે– વર્તમાન તીર્થાધિપતિ શ્રી વર્ધમાનસ્વામીને અને શ્રી સંઘને મન-વચન-કાયાથી સમ્ય નમસ્કાર કરીને પંચવસ્તુક નામના ગ્રંથને ક્રમશઃ કહીશ. ગ્રંથના પ્રારંભમાં મંગલ, પ્રયોજન, અભિધેય અને સંબંધ એ ચાર અનુબંધનો નિર્દેશ કરવો જોઈએ. તેમાં શિષ્ટાચારના પાલન માટે અને વિપ્નના નાશ માટે (ભાવ) મંગલ કરવું જોઈએ. “કોઈ ઇષ્ટ કાર્ય કરવું હોય ત્યારે ઈષ્ટદેવને નમસ્કાર કરીને તે કાર્યનો પ્રારંભ કરવો.” એવો શિષ્ટ પુરુષોનો આચાર છે. આ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ) મહારાજ પણ શિષ્ટ પુરુષ છે. તેથી મંગલ કરવું જોઈએ. તથા કલ્યાણકારી કાર્યોમાં ઘણાં વિઘ્નોનો સંભવ છે. કહ્યું છે કે – “મોટાઓને પણ કલ્યાણકારી કાર્યોમાં ઘણાં વિઘ્નો આવે છે. અકલ્યાણકારી કાર્યોમાં વિનો ક્યાંય ભાગી જાય છે.” આ ગ્રંથ સમ્યજ્ઞાનનો હેતુ હોવાથી કલ્યાણકારી છે. આથી વિપ્નસમૂહના નાશ માટે પણ મંગલ કરવું જોઈએ. અહીં “મઝા વર્તમાનું સમ્મ મેળવવાનો સંઘ " એ પદોથી ઈષ્ટ દેવતાની સ્તુતિ રૂપ ભાવમંગલ કર્યું છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [ રૂ પ્રયોજન-અભિધેય-સંબંધ- વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનાર બુદ્ધિમાન પુરુષો પ્રયોજન વગેરેથી રહિત કાર્યમાં પ્રવૃત્તિ કરતા નથી. કહ્યું છે કે- “કોઈ પણ શાસ્ત્રમાં કે કાર્યમાં જ્યાં સુધી કોઈ પ્રયોજન (= શાસ્ત્ર રચવાનો કે કાર્ય કરવાનો હેતુ) જણાવવામાં ન આવે ત્યાં સુધી તેને કોણ સ્વીકારે ? તેમાં કોણ પ્રવૃત્તિ કરે ? અર્થાત્ બુદ્ધિમાન કોઈ તેમાં પ્રવૃત્તિ ન કરે.” આથી પ્રયોજન વગેરે પણ જણાવવું જોઈએ. = અહીં ‘‘પંચવત્થામહલમં જિત્તફસ્લામિ'' એ પદોથી પ્રયોજન (= ગ્રંથ૨ચનાનું કારણ) વગેરે જણાવ્યું છે. અથવા (પ્રયોજનાદિ ન જણાવાય તો) ગ્રંથરચના ન કરવા માટે વાદી રજૂ કરી શકે તેવી દલીલો પંચવસ્તુક પ્રકરણની રચનાના પ્રારંભકાળે ગ્રંથકારને યાદ આવી. આથી એ દલીલોને દૂર કરવા “પંચવત્થામહ્તમં વિત્તફસ્લામિ'' એ પદો કહ્યાં છે. ગ્રંથની રચના ન કરવા માટે વાદીથી રજુ કરી શકાતી દલીલો આ પ્રમાણે છે (પહેલી દલીલ-) પંચવસ્તુક નામનું પ્રકરણ (ગ્રંથ) શરૂ કરવામાં આવે છે એમ કહેતાં વાદી કહે કે- આ ગ્રંથનો પ્રારંભ ન કરવો જોઈએ. કારણ કે આ ગ્રંથ ઉન્મત્ત (ગાંડા) કવિના વચનની જેમ પ્રયોજનથી (= ગ્રંથ રચવાના હેતુથી) રહિત છે, અર્થાત્ જેમ ગાંડા કવિના વચનમાં કોઈ પ્રયોજન હોતું નથી, (ગાંડો કવિ પ્રયોજન વિના ગમે તેમ બોલે,) તેમ આ તમારા ગ્રંથમાં કોઈ પ્રયોજન નથી. (બીજી દલીલ-) આ ગ્રંથમાં અભિધેય (= ગ્રંથમાં શું કહેવાનું છે તે) જણાવ્યું ન હોવાથી પણ કાગડાના દાંતની પરીક્ષાની જેમ આ ગ્રંથની રચના ન કરવી જોઈએ, અર્થાત્ જેમ કાગડાને દાંત જ ન હોવાથી તેની પરીક્ષા કોઈ કરતું નથી, તેમ આ ગ્રંથ અભિધેય વિનાનો હોવાથી તેને કોઈ વાંચે નહિ, એથી તેની રચના ન કરવી જોઈએ. (ત્રીજી દલીલ-) આ ગ્રંથમાં ‘દશ દાડમ’ વગેરે શબ્દોની જેમ કોઈ સંબંધ ન હોવાથી પણ આ ગ્રંથની રચના ન કરવી જોઈએ, અર્થાત્ જેમ કોઈ પુરુષ કોઈ જાતના આગળ-પાછળના સંબંધ વિના ‘દશ દાડમ’ વગેરે શબ્દો બોલે તો સાંભળનાર પુરુષ તે શબ્દો તરફ લક્ષ ન આપે, તેમ આ ગ્રંથમાં કોઈ સંબંધ ન હોવાથી તેને કોઈ વાંચે નહિ. એથી તેની રચના ન કરવી જોઈએ. ગ્રંથની રચના ન કરવા માટે રજુ કરી શકાતી વાદીની આ દલીલોને અસિદ્ધ (= ખોટી) કરવા માટે ‘‘પંચવત્થામહલમંત્તિસામિ'' એમ કહ્યું છે. [આમાં પાંચ વસ્તુઓ અભિધેય છે. ભવ્યજીવોને પાંચ વસ્તુઓનો બોધ થાય એ પ્રયોજન છે. સાધન-સાધ્ય રૂપ સંબંધ છે. તે આ પ્રમાણેપાંચ વસ્તુઓનો બોધ એ સાધ્ય (કાર્ય) છે, પ્રસ્તુત ગ્રંથ તેનું (સાધ્યનું) સાધન છે. પ્રયોજન વિગેરેનું વિશેષ વર્ણન ગ્રંથાંતરમાંથી જાણી લેવું.] “વર્ધમાન સ્વામીને નમસ્કાર કરીને’ એમ જે કહ્યું તેમાં ‘વર્ધમાન’ એ વર્તમાન તીર્થાધિપતિનું Page #29 -------------------------------------------------------------------------- ________________ [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते નામ છે. કહ્યું છે કે – “મમ્મfપડÍતિ વમળે" (કલ્પસૂત્ર પાંચમું વ્યાખ્યાન) “વર્ધમાન એવું નામ માતા-પિતાએ પાડેલું છે. સમ્યમ્ નમસ્કાર કરીને, અહીં સમ્યગુ એટલે શાસ્ત્રોક્ત વિધિથી, મન, વચન અને કાયા એ ત્રણે યોગોથી કરેલું જ વંદન ભાવવંદન થાય છે, એ જણાવવા અહીં “-વૈયા–ાયનોરં એ પદનો ઉલ્લેખ કર્યો છે. પ્રશ્ન- મન-વચન-કાયાથી વંદન કરવાથી ભાવવંદન થાય છે. તો સભ્ય પદનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. ઉત્તર-મન-વચન-કાયાથી કરેલું વંદન સમ્ય = શાસ્ત્રોક્ત વિધિવાળું) ન પણ હોય, માટે મન-વચન-કાયાથી થતું વંદન પણ સભ્ય થવું જોઈએ એ જણાવવા સM પદનો ઉલ્લેખ કર્યો છે. પ્રશ્ન- તો પછી કેવલ સંય પદનો ઉલ્લેખ ભલે થાય, પણ “મન-વચન-કાય-નાëિ' એ પદનો ઉલ્લેખ જરૂરી નથી. કારણ કે સમ્યમ્ વંદનમાં મન-વચન-કાયાનો યોગ હોય જ છે. મનવચન-કાયાના યોગ વિના સમ્યમ્ વંદન થતું નથી. ઉત્તર- દ્રવ્ય, પૃથિવીદ્રવ્ય ઈત્યાદિ સ્થળે એક પદના વ્યભિચારમાં (= સાહચર્યના અભાવમાં) પણ વિશેષણ-વિશેષ્યભાવ જોવામાં આવે છે. ભાવાર્થ- જ્યાં વિશેષણ-વિશેષ્યભાવ હોય ત્યાં કોઈ વખત બંને પદનો વ્યભિચાર હોય, તો કોઈ વખત એકપદનો વ્યભિચાર હોય. નૌત્તત્વનં અહીં બંને પદનો વ્યભિચાર છે. કેમકે નીલ ઉત્પલ જ હોય એવો નિયમ નથી, બીજી વસ્તુ પણ નીલ હોય. તેવી રીતે ઉત્પલ નીલ જ હોય એવો નિયમ નથી, રક્ત વગેરે પણ હોય. અત્રે એ સ્થળે એક પદનો વ્યભિચાર છે. પાણી અવશ્ય દ્રવ્ય હોય. એથી આ પદ દ્રવ્ય પદનો વ્યભિચારી નથી. પણ દ્રવ્ય પાણી જ ન હોય, પૃથ્વી વગેરે પણ દ્રવ્યો છે. આથી અહીં દ્રવ્ય પદ અપૂ પદનો વ્યભિચારી છે. એ જ રીતે પૃથિવી દ્રવ્ય એ સ્થળે પણ પાણી વગેરે પણ દ્રવ્યો હોવાથી દ્રવ્ય પદ પૃથિવી પદનો વ્યભિચારી છે. જેમ અહીં એક પદમાં જ વ્યભિચાર હોવા છતાં વિશેષણ-વિશેષ્યભાવ છે, એમ મન, વચન અને કાયા એ ત્રણ યોગોમાંથી કોઈ એક યોગ ન હોય તો પણ નમસ્કાર સમ્યગુ થાય એમ કોઈ માની લે એ સંભવ છે. આથી ત્રણે યોગો હોય તો જ નમસ્કાર સમ્યગુ બને છે, એક પણ યોગનો અભાવ હોય તો નમસ્કાર સમ્યગૂ બનતો નથી, એ જણાવવા માટે મન-વ-ઋાય-નાહિં એ પદનો ઉલ્લેખ કર્યો છે. “સંધને નમસ્કાર કરીને એમ જે કહ્યું તેમાં સંઘ એટલે સમ્યગદર્શનાદિ ગુણોથી યુક્ત જીવોનો સમુદાય. પ્રશ્ન- આ ગ્રંથનું પંચવસ્તુક એવું નામ કેમ રાખવામાં આવ્યું છે ? ઉત્તર- આ ગ્રંથમાં પ્રવ્રયાવિધિ વગેરે પાંચ વસ્તુઓનું (= વિષયોનું) વર્ણન છે માટે તેનું પંચવસ્તુક એવું નામ રાખવામાં આવ્યું છે. [૧] Page #30 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] अधिकृतानि पञ्चवस्तून्युपदर्शयन्नाह पव्वज्जाए विहाणं, पइदिणकिरिया वसु ठवणा य । अणुओगगणाणुण्णा, संलेहण मो इइ पंच ॥ २ ॥ वृत्ति:- 'प्रव्रज्याया:' वक्ष्यमाणलक्षणाया: 'विधानम्' इति विधि:, तथा 'प्रतिदिनक्रिया' इति, प्रतिदिनं - प्रत्यहं क्रिया- चेष्टा प्रतिदिनक्रिया, प्रव्रजितानामेव चक्रवालसामाचारीति भावः । तथा 'व्रतेषु स्थापना च' इति, "हिंसाऽनृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतय: व्रतानि" तेषु स्थापनासामायिकसंयतस्योपस्थापनेत्यर्थः । ननु व्रतानां स्थापनेति युक्तम्, तत्र तेषामारोप्यमाणत्वात्; उच्यते, सामान्येन व्रतानामनादित्वात् तेषु व्रतेषु तस्योपस्थाप्यमानत्वात् इत्थमप्यदोष एव । तथा 'अनुयोगगणानुज्ञा' इति अनुयोजनमनुयोगः, सूत्रस्य निजेनाभिधेयेन सम्बन्धनं व्याख्यानमित्यर्थः, गणस्तु गच्छोऽभिधीयते, अनुयोगश्च गणश्चानुयोगगणौ तयोरनुज्ञा प्रवचनोक्तेन विधिना स्वातन्त्र्यानुज्ञानमिति । 'संलेखना' चेति संलिख्यते शरीरकषायादि यया तपः क्रियया सा संलेखना, यद्यपि सर्वैव तपःक्रियेयं, तथाऽप्यत्र चरमकालभाविनी विशिष्टैव संलेखनोच्यत इति, 'मो' इति पूरणार्थो निपातः, 'इति पञ्च' इति, एवमनेनैव क्रमेण पञ्चवस्तूनि; तथाहि - प्रव्रज्याविधाने सति सामायिकसंयतो भवति, संयतस्य प्रतिदिनक्रिया, क्रियावतश्च व्रतेषु स्थापना, व्रतस्थस्य चानुयोगगणानुज्ञे सम्भवतश्चरमकाले च संलेखना । इति गाथार्थः ॥ २ ॥ પ્રસ્તુત પાંચ વસ્તુઓને જણાવે છે— [ ५ દીક્ષાવિધિ, પ્રતિદિનક્રિયા, વ્રતસ્થાપના, અનુયોગગણાનુજ્ઞા અને સંલેખના એ પાંચ વસ્તુઓનું અહીં વર્ણન કરવામાં આવશે. દીક્ષાવિધિ એટલે દીક્ષા કોણ આપી શકે ? કોને આપવી ? કેવી રીતે આપવી વગેરે દીક્ષાસંબંધી વિધિ. પ્રતિદિનક્રિયા એટલે ચક્રવાલ સામાચારી, અર્થાત્ દરરોજના સાધુઓના આચારો. વ્રતસ્થાપના એટલે વ્રતોમાં સાધુની સ્થાપના કરવી, અર્થાત્ સાધુઓને પાંચ મહાવ્રતોનું प्रधान ४२. हिंसा, कुठ, योरी, अब्रह्म जने परिग्रह से पांय पायोनो ( प्रतिज्ञापूर्व ४) त्याग वो से पांय प्रतो ( = महाव्रतो) छे. પ્રશ્ન- ‘વ્રતોમાં સાધુની સ્થાપના કરવી’ એમ નહિ, કિંતુ ‘સાધુમાં વ્રતોની સ્થાપના કરવી’ એમ કહેવું જોઈએ. કારણ કે વ્રતોમાં સાધુનું આરોપણ થતું નથી, કિંતુ સાધુમાં વ્રતોનું આરોપણ કરવામાં આવે છે. ઉત્તર- સામાન્યથી વ્રતો અનાદિકાળથી રહેલાં છે, અનાદિકાળથી રહેલાં એ વ્રતોમાં સાધુની સ્થાપના કરવામાં આવે છે, અર્થાત્ વ્રતોમાં સાધુનું આરોપણ કરવામાં આવે છે. આથી “વ્રતોમાં સાધુની સ્થાપના કરવી” એમ કહેવામાં પણ વાંધો નથી. Page #31 -------------------------------------------------------------------------- ________________ [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અનુયોગગણાનુજ્ઞા = અનુયોગ એટલે સૂત્રનો તેના અભિધેયની (= અર્થની) સાથે સંબંધ કરવો, અર્થાત્ સૂત્રોના અર્થનું વ્યાખ્યાન કરવું. ગણ એટલે સાધુઓનો ગચ્છ (= સમુદાય). શાસ્ત્રોક્ત વિધિથી અનુયોગની અને ગણની અનુજ્ઞા = અનુમતિ આપવી તે અનુયોગગણાનુજ્ઞા. (ભાવાર્થ- બીજાઓને સૂત્રોના અર્થની વાચના આપવાની = સૂત્રોના અર્થને સમજાવવાની અનુમતિ આપવી તે અનુયોગ અનુજ્ઞા. સાધુગણના નાયક બનાવીને સાધુગણના પાલનની અનુમતિ આપવી, એટલે કે સાધુઓને સંભાળવાની જવાબદારી સોંપવી તે ગણાનુજ્ઞા.) સંલેખના એટલે જેનાથી કષાયો અને શરીર ઘસાય = ક્ષીણ બને તેવી પક્રિયા. જો કે બધી જ તપક્રિયા સંલેખના છે, તો પણ અહીં મરણ સમયે કરાતી વિશિષ્ટ તપક્રિયાને સંલેખના કહેવામાં આવે છે. ક્રમનો હેતુ પ્રશ્ન- આ પાંચ વસ્તુઓના અહીં કહેલા પહેલાં દીક્ષાવિધિ પછી પ્રતિદિન ક્રિયા... એવા) ક્રમમાં કોઈ હેતુ છે? ઉત્તર- હા, ઉક્ત ક્રમથી જ પાંચ વસ્તુઓ બને છે. તે આ પ્રમાણે- પહેલાં દીક્ષાની વિધિ થાય છે. દીક્ષાની વિધિથી દીક્ષિત બનેલ તે સામાયિક સંયત (= સામાયિકમાં રહેલ સાધુ) બને છે. પછી તેને દરરોજ સાધુસામાચારીનું પાલન કરવાનું હોય છે. પછી પ્રતિદિન સાધુસામાચારીનું પાલન કરનારા સાધુની વ્રતમાં સ્થાપના કરવામાં આવે છે. પછી વ્રતમાં રહેલા (= સિદ્ધ થયેલા) સાધુને અનુયોગની અને ગણની અનુજ્ઞા (= અનુમતિ) આપવામાં આવે છે. પછી અંતિમ સમયે (યોગ્યતા પ્રમાણે) સંલેખના કરવાની હોય છે. આમ દીક્ષાવિધિ વગેરે આ પાંચ વસ્તુઓ ક્રમથી બને છે. માટે અહીં દીક્ષાવિધિ વગેરેનો ક્રમથી નિર્દેશ કર્યો છે. [૨] साम्प्रतममीषामेव वस्तुत्वप्रतिपादनार्थमाह एए चेव य वत्थू, वसंति एएसु नाणमाईया । जं परमगुणा सेसाणि, हेउफलभावओ हुंति ॥ ३ ॥ वृत्तिः- 'एतान्येव' प्रव्रज्याविधानादीनि शिष्याचार्यादिजीवद्रव्याश्रयत्वात् तत्त्वतस्तद्रूपत्वाद् वस्तुनि, एतेष्वेव भावशब्दार्थोपपत्तेः, तथा चाह-वसन्ति एतेषु' प्रव्रज्याविधानादिषु 'ज्ञानादयः' ज्ञानदर्शनचारित्रलक्षणाः, 'यत्' यस्मात् 'परमगुणाः' प्रधानगुणाः; एवमप्येतान्येवेत्यवधारणमयुक्तम्, अविरतसम्यग्दृष्ट्यादिविधानादीनां विशिष्टस्वर्गगमनसुकुलप्रत्यायातिपुनर्बोधिलाभादीनामपि च वस्तुत्वात्, इत्येतदाशङ्कयाह- 'शेषाणि' अविरतसम्यग्दृष्ट्यादिविधानादीनि 'हेतुफलभावतोभवन्ति' अविरतसम्यग्दृष्ट्यादीनि हेतुभावत: कारणभावेन, विशिष्टस्वर्गगमनादीनि तु फलभावतः कार्यभावेन वस्तुनि भवन्ति; तथाहि-अविरतसम्यग्दृष्ट्यादिविधानादीनां कार्याणि प्रव्रज्याविधानादीनि, Page #32 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] अतो वस्तुकारणत्वात् तेषामपि वस्तुत्वमेव । विशिष्टस्वर्गगमनादीनि तु प्रव्रज्याविधानादिकार्याणि, अतो वस्तुकार्यत्वादमीषामपि वस्तुता, परिस्थूरव्यवहारनयदर्शनतः । तत्त्वतस्त्वधिकृतानामेव વસ્તુત્વમ્ । રૂતિ ગાથાર્થ: || ૩ || હવે ઉક્ત પાંચ વિષયો ‘વસ્તુ' કેમ છે તે જણાવે છે— પ્રશ્ન- જેમ ‘ઘટ' વગેરે વસ્તુ છે તેવી રીતે દીક્ષાવિધિ વગેરે વસ્તુ નથી, વસ્તુમાં રહેનાર ધર્મો (= ગુણો) છે. તો પછી અહીં આ પાંચનો વસ્તુ તરીકે ઉલ્લેખ કેમ કર્યો ? ઉત્તર- દીક્ષાવિધિ વગેરે ધર્મો (= ગુણો) શિષ્ય, આચાર્ય વગેરે જીવ દ્રવ્યમાં (જીવ રૂપ વસ્તુમાં) રહેલા હોવાથી પરમાર્થથી વસ્તુરૂપ છે. (કારણ કે વસ્તુ અને પર્યાયો કથંચિત્ અભિન્ન છે = એકરૂપ છે.) તથા આ પાંચમાં જ વસ્તુશબ્દનો ભાવાર્થ ઘટે છે. તે આ પ્રમાણે- જેમાં જ્ઞાનદર્શન-ચારિત્રરૂપ ગુણો રહે તે વસ્તુ. જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણ મુખ્ય ગુણો છે. દીક્ષાવિધિ વગેરેમાં જ્ઞાનાદિ મુખ્ય ગુણો રહેલા છે. આમ શબ્દના ભાવાર્થ પ્રમાણે પણ આ પાંચ જ વસ્તુઓ છે. પ્રશ્ન- આ પાંચ વસ્તુઓ છે તે બરાબર છે. પણ આ પાંચ જ વસ્તુ છે એમ નિશ્ચયરૂપે જકારપૂર્વક ન કહેવું જોઈએ. કારણ કે આ પાંચ સિવાય અન્ય પણ સમ્યગ્ દર્શનવિધિ (= સમ્યગ્દર્શનના આરોપણની વિધિ) વગેરે તથા વિશિષ્ટસ્વર્ગની પ્રાપ્તિ, સુકુલમાં જન્મ, બોધિલાભ વગેરે બીજી પણ વસ્તુઓ છે. ઉત્તર- સમ્યગ્દર્શનવિધિ આદિ કારણભાવથી અને વિશિષ્ટસ્વર્ગની પ્રાપ્તિ આદિ ફલભાવથી વસ્તુ બને છે, તે આ પ્રમાણે સમ્યગ્દર્શનવિધિ વગેરેથી દીક્ષાની ભાવના થાય છે. પછી તેનાથી દીક્ષાની વિધિ વગેરે થાય છે. આમ સમ્યગ્દર્શનવિધિ વગેરે દીક્ષાવિધિ વગેરે વસ્તુનું કારણ છે. (કારણમાં કાર્યના ઉપચારથી કારણનો પણ કાર્ય તરીકે વ્યવહાર થાય છે. જેમ કે ઘી પ્રાણને ટકાવવાનું કારણ હોવાથી “ઘી એ પ્રાણ છે” એમ બોલાય છે.) સમ્યગ્દર્શનવિધિ વગેરે વસ્તુ દીક્ષાવિધિ વગેરે વસ્તુનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી સમ્યગ્દર્શનવિધિ વગેરે પણ વસ્તુ છે. દીક્ષાવિધિ વગેરેથી વિશિષ્ટ સ્વર્ગની પ્રાપ્તિ વગેરે ફલ મળે છે. આથી વિશિષ્ટ-સ્વર્ગપ્રાપ્તિ વગેરે દીક્ષાવિધિ વગેરેનું કાર્ય છે. (કાર્યમાં કારણના ઉપચારથી કાર્યનો પણ કારણ તરીકે વ્યવહાર થાય છે. જેમકે સાધુજીવનનું ફળ (= કાર્ય) મોક્ષ છે તો મોક્ષને સાધુજીવન કહી શકાય.) દીક્ષાવિધિ વગેરેનું ફળ વિશિષ્ટસ્વર્ગાદિપ્રાપ્તિ વગેરે હોવાથી કાર્યમાં કારણના ઉપચારથી વિશિષ્ટસ્વર્ગાદિની પ્રાપ્તિ વગેરે પણ વસ્તુ છે. આમ સમ્યગ્દર્શનવિધિ વગેરે વસ્તુનું કારણ હોવાથી અને વિશિષ્ટસ્વર્ગપ્રાપ્તિ વગેરે વસ્તુનું કાર્ય હોવાથી ઉપચારથી (= સ્થૂલ વ્યવહારનયની અપેક્ષાએ) વસ્તુ છે, તત્ત્વથી નહિ. તત્ત્વથી તો પ્રસ્તુત દીક્ષાવિધિ વગેરે પાંચ જ વસ્તુ છે. [૩] Page #33 -------------------------------------------------------------------------- ________________ ८ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પ્રવજ્યા વિધાન आद्यद्वारावयवार्थाभिधित्सयैवाह पव्वज्ज पढमदारं, सा केणं केसि कम्मि व कहं वा । दायव्वत्ति निरुच्चइ, समासओ आणुपुव्वीए ॥४॥ दारं ॥ वृत्तिः- 'प्रव्रज्या' वक्ष्यमाणशब्दार्था 'प्रथमद्वारम्' इह प्रकरणे प्रथमोऽधिकार :, 'सा' नामादिभेदभिन्ना निरुच्यते, तथा 'केन' इति किंविशिष्टेन गुरुणा दातव्यैतन्निरुच्यते, तथा 'केभ्य' इति किंविशिष्टेभ्यः शिष्येभ्यो दातव्येति, तथा 'कस्मिन्' इति कस्मिन् 'वा' क्षेत्रादौ, 'कथं वा' इति केन वा प्रश्नादिप्रकारेण 'दातव्या इति' न्यसनीया, 'निरुच्यते' निराधिक्येन प्रकटार्थतामङ्गीकृत्योच्यते निरुच्यते, 'समासतः' इति सक्षेपेण, न पूर्वाचार्यैरिव विस्तरेणेति 'आनुपूर्व्या' इति आनुपूर्व्या परिपाट्या क्रमेणोच्यते । इति गाथार्थः ॥ ४ ॥ દીક્ષાવિધિ’ એ પહેલા દ્વારના વિભાગાર્થને (= પેટા દ્વારોને) કહેવાની ઈચ્છાથી કહે છે सा पंयवस्तु २९मा दीक्षा (= क्षाविधि) में प्रथम मधि२ (= द्वार) छे. ते द्वारन। सा, केन, केभ्यः, कस्मिन् भने कथं से (पांय) पेट द्वारा छे. सही मश: पांय द्वारोनो स्पष्ट अर्थ કહેવામાં આવશે, પણ સંક્ષેપથી કહેવામાં આવશે, પૂર્વાચાર્યોની જેમ વિસ્તારથી નહિ. सा से वार नामा होथी भिन्न होक्षानु स्व३५ ४ावाशे. केन मे द्वारमा उवा गुरु हीक्षा मापी शर्ड ? सेवाम मावशे. केभ्यः मेद्वारमा हावा शिष्यने मा५वी ? मेनु वनि वामां सावशे. कस्मिन् मेवारभ वा क्षेत्रमा वीक्षा सा५वी ? ते ४५॥वामा मावशे. कथं से वारभां 34 विधिथी दीक्षा मा५वी ? ते वामां आवशे. [४] तत्र 'तत्त्वभेदपर्यायैर्व्याख्या' इति न्यायमङ्गीकृत्य तत्त्वतः प्रव्रज्यां प्रतिपादयन्नाह पव्वयणं पव्वज्जा, पावाओ सुद्धचरणजोगेसु । इअ मुक्खं पइ वयणं, कारणकज्जोवयाराओ ॥ ५ ॥ वृत्तिः- 'प्रव्रजनं प्रव्रज्या' प्र इति प्रकर्षेण व्रजनं प्रव्रजनं, कुतः क्वेत्यत आह-'पापाच्छुद्धचरणयोगेषु' इह पापशब्देन पापहेतवो गृहस्थानुष्ठानविशेषा उच्यन्ते, कारणे कार्योपचारात्, यथा"दधित्रपुषी प्रत्यक्षो ज्वर" इति, शुद्धचरणयोगास्तु संयतव्यापारा मुखवस्त्रिकादिप्रत्युपेक्षणादय उच्यन्ते, 'इय' एवं मोक्षप्रतिव्रजनं' प्रव्रज्या कथमित्याह-'कारणेकार्योपचारात्'कारणे शुद्धचरणयोगलक्षणे मोक्षाख्यकार्योपचारात्, यथा- "आयुर्घतम्" इत्यायुषः कारणत्वाद् घृतमेवायुः, इत्थं मोक्षकारणत्वात् शुद्धचरणयोगा एव मोक्ष इति, ततश्च मोक्षं प्रति प्रव्रजनं प्रव्रज्या । इति गाथार्थः ॥ ५ ॥ કોઈ પણ વસ્તુની વ્યાખ્યા 'તત્ત્વ, ભેદ અને પર્યાયથી થાય એ ન્યાય હોવાથી હવે તત્ત્વથી દીક્ષાનું પ્રતિપાદન छ૧. તત્ત્વ એટલે અસાધારણ ધર્મ. જે ધર્મ વિવક્ષિત વસ્તુને છોડીને અન્યમાં ન રહે, તે વિવક્ષિત વસ્તુનો અસાધારણ ધર્મ છે, જેમકે Page #34 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] | [ પ્રકર્ષ રીતે જવું એ પ્રવ્રજયા. ક્યાંથી ક્યાં જવું? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે પાપોથી મુક્ત બનીને શુદ્ધ ચારિત્રના યોગોમાં (અનુષ્ઠાનોમાં) જવું. અહીં પાપ શબ્દથી (જીવહિંસાદિ) પાપનાં કારણ એવાં ગૃહસ્થનાં કાર્યો સમજવાં. “દહીં-કાકડીના ભક્ષણથી વર આવે છે. દહીં-કાકડીનું ભક્ષણ જવરનું કારણ હોવાથી દહીં-કાકડી પ્રત્યક્ષ જવર છે” એમ કહેવાય છે. જેમ દહીં-કાકડી જવાનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી દહીં-કાકડીને જવર કહેવામાં આવે છે, તેમ અહીં ગૃહસ્થોનાં કાર્યો પાપનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી ગૃહસ્થોનાં કાર્યોને પાપ કહેવામાં આવે છે. પ્રશ્ન- શુદ્ધ ચારિત્રયોગોમાં જવું એ પ્રધ્વજયા છે એમ કહ્યું તો તે યોગો કયા છે? ઉત્તર-મુહપત્તિનું પડિલેહણ વગેરે શુદ્ધ ચારિત્રયોગો છે. આનો ભાવ એ થયો કે મોક્ષ તરફ જવું એ પ્રવ્રજયા છે. પ્રશ્ન- પ્રવ્રયા શબ્દના અર્થમાં પહેલાં “શુદ્ધ ચરણયોગોમાં જવું” એમ કહ્યું, હવે “મોક્ષ તરફ જવું” એમ કહ્યું, આમ ભિન્ન ભિન્ન કેમ કહ્યું ? ઉત્તર- શુદ્ધ ચરણયોગોમાં જવું અને મોક્ષ તરફ જવું એ બંને પ્રકારના કથનનો અર્થ એક જ છે. તે આ પ્રમાણે- શુદ્ધ ચરણયોગોથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એથી શુદ્ધ ચારિત્રયોગો મોક્ષનું કારણ છે. જેમ ઘી આયુષ્યનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને “ઘી જ આયુષ્ય છે” એમ બોલાય છે, તેમ શુદ્ધ ચારિત્રયોગો મોક્ષનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી શુદ્ધ ચારિત્રયોગો જ મોક્ષ છે. આથી મોક્ષ તરફ જવું તે પ્રવ્રજયા, એ કથન પણ બરાબર છે. [૫] एष तावत् प्रव्रज्यातत्त्वार्थोऽधुना भेदत एनां व्याचिख्यासुराह नामाइ चउब्भेआ एसा, दव्वम्मि चरगमाईणं । भावेण जिणमयम्मि उ, आरंभपरिग्गहच्चाओ ॥ ६ ॥ वृत्तिः- 'नामादिचतुर्भेदा एषा' इयं च प्रव्रज्या नामादिचतुर्भेदा भवति; तद्यथा-नामप्रव्रज्या स्थापना-द्रव्य-भावप्रव्रज्या चेति, तत्र नामस्थापने क्षुण्णत्वादनादृत्य नोआगमत एव ज्ञशरीरभव्यशरीरव्यतिरिक्तां द्रव्यप्रव्रज्यामाह- 'द्रव्ये चरकादीनां' द्रव्य इति द्वारपरामर्शः, द्रव्यप्रव्रज्या चरकादीनांचरकपरिव्राजकभिक्षुभौतादीनां, द्रव्यशब्दश्चेहाप्रधानवाचको न तु भूतभविष्यद्भाव-योग्यतावाचक इति । नोआगमत एव भावप्रव्रज्यामाह-'भावेन' इति भावतः परमार्थतः, जिनमत एव' रागादिजेतृत्वाज्जिनः, तन्मत एव वीतरागशासन एवेत्यर्थः । 'आरम्भपरिग्रहत्यागः' वक्ष्यमाणारम्भपरिग्रहव नं जिनशासन एव, अन्यशासनेष्वारम्भपरिग्रहस्वरूपानवगमात् सम्यक् त्यागासंभवः । इति गाथार्थः ॥ ६ ॥ જીવનો જ્ઞાન ધર્મ જીવને છોડીને બીજી કોઈ વસ્તુમાં ન હોવાથી જ્ઞાન ધર્મ જીવન અસાધારણ ધર્મ છે. તે અસાધારણ ધર્મરૂપ તત્વ અન્ય વસ્તુનો ભેદ જણાવનાર હોવાથી તેનું વ્યાખ્યાન કરવું જરૂરી - ઉપયોગી છે.. તત્વમાં સાક્ષાતુ વ્યાપ્યધર્મવાળા જે જે હોય તે તે તેના ભેદો છે. જેના અભાવમાં જે ન રહે તે તેનો વ્યાપ્યધર્મ કહેવાય. જેમ કે જ્ઞાન જીવના અભાવમાં (અજીવમાં) ન રહે, માટે જ્ઞાન જીવનો વ્યાપ્યધર્મ છે. એ વ્યાપ્યધર્મ જેમાં જેમાં હોય તે તે બધા તે વસ્તુના ભેદો છે. જેમકે- એકેંદ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરિંદ્રિય, પંચેદ્રિય એ બધામાં જ્ઞાન છે. માટે એ બધા જીવભેદો છે. અને ન્યૂન-અધિક સંખ્યાનો વ્યવચ્છેદ કરવા (= સંખ્યાનું નિયમન કરવા) તે ભેદોનું વ્યાખ્યાન કરવામાં આવે છે. પર્યાયો એટલે તત્ત્વના અભેદને કહેનાર વિવિધ શબ્દો, અર્થાત્ સમાન અર્થબોધક વિવિધ શબ્દો તે સર્વ પર્યાયો છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૦] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આ પ્રવ્રયાનો તાત્વિક અર્થ કહ્યો. હવે ભેદથી (પ્રકારોથી) પ્રવ્રજ્યાનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે આ દીક્ષા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે કહી છે. તેમાં નામ અને સ્થાપનાનો અર્થ સરળ છે. આથી નોઆગમથી જ જ્ઞશરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય પ્રવ્રયાને જણાવવા કહે છે કે- ચરક, પરિવ્રાજક, ભિક્ષુ અને ભૌત વગેરેમાં દ્રવ્ય દીક્ષા હોય છે. અહીં દ્રવ્ય શબ્દ અપ્રધાન દ્રવ્યરૂપ અર્થનો વાચક સમજવો, ભૂતકાળના ભાવનો અને ભવિષ્યના ભાવની યોગ્યતાનો (પ્રધાન દ્રવ્યરૂપ અર્થનો) વાચક નહિ સમજવો. (કારણ કે ચરક આદિની દીક્ષા ભાવદીક્ષા બનવાની યોગ્યતાથી રહિત છે.) ભાવ દીક્ષા પરમાર્થથી જિનશાસનમાં જ છે. કારણ કે (આરંભ અને પરિગ્રહના યથાર્થ ત્યાગથી જ ભાવદીક્ષા થાય.) આરંભ અને પરિગ્રહનો (યથાર્થ) ત્યાગ જિનશાસનમાં જ છે. જિનશાસન સિવાયના શાસનમાં (= ધર્મોમાં) આરંભ અને પરિગ્રહના સ્વરૂપનું જ્ઞાન નથી. આથી તેઓમાં આરંભ-પરિગ્રહનો યથાર્થ ત્યાગ ન થઈ શકે. [૬] आरम्भपरिग्रहस्वरूपप्रतिपादनायाह पुढवाइसु आरंभो, परिग्गहो धम्मसाहणं मुत्तुं । मुच्छा य तत्थ बज्झो, इयरो मिच्छत्तमाईओ ॥ ७ ॥ ૧. દ્રવ્ય પ્રવ્રજ્યા આગમથી અને નોઆગમથી એમ બે પ્રકારે છે. પ્રવ્રયાપદના અર્થનો જ્ઞાતા હોય, પણ તેમાં ઉપયોગથી રહિત હોય તે જીવ આગમથીદ્રવ્યપ્રવ્રજ્યા છે. અહીં આગમ એટલે તે તે શબ્દના અર્થનું જ્ઞાન. કારણમાં કાર્યના ઉપચારથી અર્થના કારણભૂત (અર્થના જ્ઞાનવાળો) આત્મા પણ આગમ કહેવાય. એટલે પ્રવ્રજ્યા પદાર્થનો જ્ઞાતા આત્મા આગમથી પ્રવજ્યા છે. પણ જો તે પ્રવજ્યાપદના અર્થમાં ઉપયોગવાળો ન હોય તો આગમથી દ્રવ્ય પ્રવજ્યા છે. કારણ કે મનુષથોન દ્રવ્યમ્ = ઉપયોગનો અભાવ એ દ્રવ્ય છે. નોઆગમથી દ્રવ્ય પ્રવજ્યા જ્ઞશરીર, ભવ્યશરીર અને તદુવ્યતિરિક્ત એમ ત્રણ પ્રકારે છે. તેમાં જ્ઞશરીર પ્રવ્રયા એટલે પ્રવજયા પદાર્થના જ્ઞાતાનું જીવરહિત શરીર. અહીંનો એટલે સર્વથા અભાવ, જ્ઞાનનો સર્વથા અભાવ તેનોઆગમ. અહીંદ્રવ્યશબ્દ કારણ અર્થમાં છે. જ્ઞશરીર ભૂતકાળમાં પ્રવ્રજયા પદાર્થના જ્ઞાનનું કારણ હતું. જ્ઞશરીરમાં વર્તમાનમાં પ્રવજ્યા પદાર્થના જ્ઞાનનો સર્વથા અભાવ છે, અને ભૂતકાળમાં તેનું (પ્રવ્રજયા પદાર્થના જ્ઞાનનું) કારણ હતું. માટે જ્ઞશરીર નોઆગમથી દ્રવ્ય પ્રવજ્યા છે. ભવ્ય શરીર એટલે જે હમણાં પ્રવ્રજયા પદાર્થને જાણતો નથી, પણ ભવિષ્યમાં જાણશે, તેનું સચેતન શરીર તેમાં હમણાં પ્રવ્રજ્યા પદાર્થના જ્ઞાનનો અભાવ હોવાથી અને ભવિષ્યમાં તેનું કારણ હોવાથી ભવ્ય શરીર નોઆગમથી દ્રવ્ય પ્રવ્રજયા છે. તવ્યતિરિક્ત એટલે જ્ઞશરીર-ભવ્ય શરીરથતિરિક્ત. જ્ઞશરીર-ભવ્યશરીરવ્યતિરિક્ત એટલે જ્ઞશરીર અને ભવ્ય શરીર એ બે સિવાય. ચરકાદિની દીક્ષા નોઆગમથી જ્ઞશરીર-ભથશરીર વ્યતિરિક્ત દ્રવ્ય દીક્ષા છે. ભાવપ્રવ્રયાઆગમથી અને નોઆગમથી એમ બે પ્રકારે છે. પ્રવ્રયાપદાર્થનો જ્ઞાતા અને તેમાં ઉપયોગવાળો આત્મા આગમથી ભાવપ્રવ્રયા છે. કારણ કે (૩૫થોને બાવનક્ષેપ:) ઉપયોગ એ ભાવ નિક્ષેપ છે. નોઆગમથી ભાવપ્રવ્રજયા જૈનશાસનમાં ચારિત્રના પર્યાયવાળા સાધુઓને હોય છે. જૈનશાસનની દીક્ષા જ્ઞાન સહિત ક્રિયારૂપ હોવાથી એકલા જ્ઞાનરૂપ નથી, માટે નોઆગમથી ભાવદીક્ષા છે. અહીં નો શબ્દ દેશ = આંશિક અર્થમાં છે. ૨. જે વસ્તુ ભૂતકાળમાં ભાવરૂપ હતી, પણ હમણાં ભાવરૂપ નથી, તે વસ્તુ ભૂતકાળની પોતાની ભાવ અવસ્થાની અપેક્ષાએ દ્રવ્ય કહેવાય. જેમ કે ઘડાનાં ઠીકરાં દ્રવ્ય ઘટ છે. કારણ કે તે ઠીકરાંઓની ભૂતકાળમાં ભાવઘટ અવસ્થા હતી. આ ભૂતકાળની અપેક્ષાએ વિચાર્યું. હવે ભવિષ્યકાળની અપેક્ષાએ વિચારીએ. જે દ્રવ્યમાં ભાવરૂપે બનવાની યોગ્યતા હોય અને એથી તે ભવિષ્યમાં ભાવરૂપ બને તે પ્રધાન દ્રવ્ય છે. જે દ્રવ્યમાં ભાવરૂપે બનવાની યોગ્યતા ન હોય અને એથી તે ભવિષ્યમાં ભાવરૂપે ન બને તે અપ્રધાનદ્રવ્ય છે. જેમ કે- જે મૃતપિંડમાં શટરૂપે બનવાની યોગ્યતા છે તે મૃત્પિડ પ્રધાન દ્રવ્યઘટ છે. જે મૃત્પિડમાં ઘટરૂપે બનવાની યોગ્યતા નથી તે મૃત્પિડ અપ્રધાન દ્રવ્યઘટ છે. પ્રસ્તુતમાં જે દ્રવ્ય દીક્ષા ભાવદીક્ષાની યોગ્યતાવાળી હોય (અને એથી નિમિત્ત મળતાં ભાવદીક્ષા બની જાય) તે પ્રધાન દ્રવ્ય દીક્ષા છે. જે દ્રવ્ય દીક્ષા ભાવદીક્ષાની યોગ્યતાથી રહિત હોય (અને એથી ભાવદીક્ષા ન બને) તે અપ્રધાન દ્રવ્ય દીક્ષા છે. ચરક આદિની દ્રવ્ય દીક્ષા ભાવદીક્ષાની યોગ્યતાથી રહિત છે. જૈનશાસનની જ દ્રવ્ય દીક્ષા ભાવદીક્ષાની યોગ્યતાવાળી હોય છે, આથી અહીં કહ્યું કે, “અહીં દ્રવ્યશબ્દ પ્રધાનદ્રવ્યરૂપે અર્થનો વાચક સમજવો...” Page #36 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम्] [ ૨૨ वृत्तिः- 'पृथिव्यादिषु' कायेषु विषयभूतेषु 'आरम्भ' इत्यारम्भणमारम्भः सङ्घट्टनादिरूपः, परिग्रहणं 'परिग्रहः', असौ द्विविधः बाह्योऽभ्यन्तरश्च, तत्र 'धर्मसाधनं' मुखवस्त्रिकादि 'मुक्त्वा ' बाह्य इति सम्बन्धः, अन्यपरिग्रहणमिति गम्यते, 'मूर्छा च तत्र' धर्मोपकरणे 'बाह्य' एव परिग्रह इति । इतरस्त्वान्तरपरिग्रहो मिथ्यात्वादिरेव, आदिशब्दादविरतिदुष्टयोगा गृह्यन्ते, परिगृह्यते तेन #ારણભૂતન Mor નીવઃ ! રૂતિ ગાથાર્થ: |૭ હવે આરંભ અને પરિગ્રહનું સ્વરૂપ જણાવે છે– પૃથ્વીકાય આદિ જીવોનું સંઘટ્ટન (સ્પર્શ) કરવું વગેરે પ્રવૃત્તિ આરંભ છે. (કારણ કે સંઘટ્ટન આદિથી તે જીવોને પીડા થાય છે. પૃથ્વીકાયાદિ જીવોને દુઃખ થાય તેવી કોઈ પણ પ્રવૃત્તિ આરંભ છે.) પરિગ્રહ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે છે. ધર્મસાધનો (= ધર્મોપકરણો) સિવાય જે કંઈ લેવું-રાખવું એ પરિગ્રહ છે, અને ધર્મોપકરણમાં પણ મૂર્છા એ પણ બાહ્ય જ પરિગ્રહ છે. (ધપકરણમાં મૂચ્છ એ બાહ્ય પદાર્થ સંબંધી મૂછ હોવાથી બાહ્ય પરિગ્રહ છે.) મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભ (મન-વચન-કાયાના) યોગો એ આંતર પરિગ્રહ છે. જેનાથી જીવ પકડાય તે પરિગ્રહ, મિથ્યાત્વ વગેરે વિભાવથી જીવ કર્મથી પકડાય છે, અર્થાત્ મિથ્યાત્વ વગેરે કારણોથી જીવને કર્મો પકડે છે, માટે મિથ્યાત્વ વગેરે આંતર પરિગ્રહ છે. [૭]. त्यागशब्दार्थं व्याचिख्यासुराह चाओ इमेसि सम्मं, मणवयकाएहिं अप्पवित्तीओ । एसा खलु पव्वज्जा, मुक्खफला होइ निअमेणं ॥ ८ ॥ वृत्तिः- 'त्यागः' प्रोज्झनम् 'अनयोः' आरम्भपरिग्रहयोः 'सम्यक्' प्रवचनोक्तेन विधिना 'मनोवाक्कायैः' त्रिभिरपि 'अप्रवृत्तिः' एव आरम्भे परिग्रहे च मनसा वाचा कायेनाप्रवर्तनमिति भावः । 'एषा खलु' इति एषैव 'प्रव्रज्या' यथोक्तस्वरूपा 'मोक्षफला भवति' इति, मोक्षः फलं यस्याः सा मोक्षफला भवति नियमेन' अवश्यंतया, भावमन्तरेणारम्भादौ मनोप्रवृत्त्यसम्भवात् । इति गाथार्थः ॥ ८ ॥ ત્યાગ શબ્દનો અર્થ કહે છે– આરંભ-પરિગ્રહનો જિનશાસ્ત્રોક્ત વિધિથી મન-વચન-કાયાથી ત્યાગ કરવો, અર્થાતુ મનવચન-કાયાથી આરંભ-પરિગ્રહની પ્રવૃત્તિનો ત્યાગ કરવો એ દીક્ષા છે. આવી જ દીક્ષા અવશ્ય મોક્ષફળ આપનારી બને છે. પ્રશ્ન- (ભાવમન્તરેગારMાત) આરંભ આદિના ત્યાગમાં પણ આરંભાદિની પ્રવૃત્તિ દેખાતી હોય છે. તો એનો ત્યાગ સાચો કે ખોટો? ઉત્તર- ભાવથી કરાતા આરંભાદિના ત્યાગમાં ક્યારેક દેખાતી આરંભાદિની પ્રવૃત્તિ માત્ર વાચિક અને કાયિક હોય છે, માનસિક નહીં. કારણ કે ભાવથી આરંભ આદિનો ત્યાગી Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આરંભાદિની પ્રવૃત્તિ આરંભાદિના ભાવ વિના જ કરે છે. ભાવ વિના થતી આરંભાદિની પ્રવૃત્તિ વાસ્તવિક મનાતી નથી. આથી ભાવથી આરંભાદિના ત્યાગમાં આરંભાદિની વાચિક-કાયિક પ્રવૃત્તિ દેખાતી હોય તો પણ એનો ત્યાગ સાચો છે. [૮] उक्ता प्रव्रज्या भेदतः, अधुनैतत्पर्यायानाह - पव्वज्जा निक्खमणं, समया चाओ तहेव वेरगं । धम्मचरणं अहिंसा, दिक्खा एगट्टियाइं तु ॥ ९ ॥ વૃત્તિ:- ‘પ્રવ્રખ્યા’નિરૂપિતશદ્વાર્થી,‘નિમાં' દ્રવ્યમાવસŞાત્, ‘સમતા’- સર્વપ્વિાનિøg ‘ત્યાગ' વાામ્યન્તરપઅિહસ્ય ‘તથૈવ વૈરાગ્યું' વિષયેષુ, ‘ધર્મચરળ' ક્ષાત્સ્યાદ્યાસેવનમ્, ‘અહિંસા’-પ્રાળિયાતવર્ગનમ્, ‘રીક્ષા'-સર્વસત્ત્વામયપ્રવાનેન ભાવસત્ર, ‘ાથિાનિ તુ' તાનિ प्रव्रज्याया एकार्थिकानि, तुर्विशेषणार्थः, शब्दनयाभिप्रायेण । समभिरूढनयाभिप्रायेण तु नानार्थान्येव, भिन्नप्रवृत्तिनिमित्तत्वात् सर्वशब्दानाम् । इति गाथार्थः ॥ ९ ॥ ભેદથી પ્રવ્રજ્યાનું વર્ણન કર્યું, હવે પ્રવ્રજ્યાના પર્યાયો (= એક અર્થવાળા શબ્દો) કહે છે— ‘“પ્રવ્રજ્યા, નિષ્ક્રમણ, સમતા, ત્યાગ, વૈરાગ્ય, ધર્મચરણ, અહિંસા, દીક્ષા’’– આ બધા શબ્દો એકાર્થક (= પ્રવ્રજ્યાના પર્યાયવાચી) છે. શબ્દનયના અભિપ્રાયથી આ સમજવું. સમભિરૂઢ નયના અભિપ્રાયથી તો આ શબ્દો ભિન્ન અર્થવાળા છે. કારણ કે સર્વ શબ્દોનું પ્રવૃત્તિનિમિત્ત ભિન્ન છે. પ્રવ્રજ્યાના પર્યાયવાચી દરેક શબ્દ ઉપરથી નીકળતો અર્થ આ પ્રમાણે છે— પ્રવ્રજ્યા શબ્દનો અર્થ પૂર્વે કહ્યો છે. (તે આ પ્રમાણે પ્રવ્રજ્યા- વિશેષ રીતે જવું, અર્થાત્ પાપયોગોમાંથી શુદ્ધ ચરણયોગોમાં જવું તે પ્રવ્રજ્યા.) નિષ્ક્રમણ- નિષ્ક્રમણ એટલે નીકળવું. દ્રવ્ય-ભાવસંગમાંથી નીકળી જવું (દ્રવ્ય-ભાવ સંગનો ત્યાગ કરવો) તે નિષ્ક્રમણ, સમતા- ઇષ્ટ-અનિષ્ટ પ્રસંગોમાં કે વસ્તુઓમાં સમભાવ રાખવો તે સમતા. ત્યાગ- બાહ્ય-અત્યંતર પરિગ્રહને છોડવો તે ત્યાગ. વૈરાગ્ય- વિષયોમાં રાગ ન કરવો તે વિરાગભાવ. ધર્મચરણ- ક્ષમા આદિ દશ પ્રકારના ધર્મનું સેવન (પાલન) કરવું તે ધર્મચરણ. અહિંસા- જીવઘાતનો ત્યાગ કરવો તે અહિંસા. ૧. પ્રવૃત્તનિમિત્તે = પ્રવૃત્તિનિમિત્તમ,પ્રવૃત્તિનું નિમિત્ત એટલે શબ્દની બોધશક્તિનું નિમિત્ત. શબ્દ (= સાંપ્રત) નય પર્યાયવાચી શબ્દોમાં અર્થભેદ સ્વીકારતો નથી. જ્યારે સમભિરૂઢ નય પર્યાયવાચી શબ્દોમાં પણ વ્યુત્પત્તિભેદથી અર્થભેદ માને છે. જેમકે-શબ્દનય નૃપ, ભૂપ, રાજા વગેરે શબ્દોનો એક અર્થ માને છે. પણ સમભિરૂઢનય એ દરેક શબ્દનો અર્થ ભિન્ન ભિન્ન માને છે. જે માણસોનું રક્ષણ કરે તે નૃપ, જે પૃથ્વીનું પાલન કરે તે ભૂપ, જે રાજચિહ્નોથી શોભે તે રાજા, Page #38 -------------------------------------------------------------------------- ________________ [ १३ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] દીક્ષા- ભાવદાનશાલા તે દીક્ષા. કારણ કે દીક્ષામાં સર્વજીવોને અભયદાન આપવામાં આવે छ. [८] सेति व्याख्यातम्, अधुना केनेत्येतद् व्याख्यायते, तत्र योग्येन गुरुणा, स चेत्थंभूत इत्याहपव्वज्जाजोग्गगुणेहिं, संगओ विहिपवण्णपव्वज्जो । सेविअगुरुकुलवासो, सययं अक्खलिअसीलो अ ॥ १० ॥ वृत्तिः - प्रव्रज्यायोग्यस्य प्राणिनो गुणाः 'प्रव्रज्यायोग्यगुणा' आर्यदेशोत्पन्नादयो वक्ष्यमाणाः; तथाऽन्यत्राप्युक्तम् "अथ प्रव्रज्याऽर्ह: - आर्यदेशोत्पन्नः १ विशिष्टजातिकुलान्वितः २ क्षीणप्रायकर्म्ममलः ३ तत एव विमलबुद्धिः ४ दुर्लभं मानुष्यं जन्म मरणनिमित्तं सम्पदश्चपलाः विषया दुःखहेतवः संयोगे वियोगः प्रतिक्षणं मरणं दारुणो विपाक इत्यवगतसंसारनैर्गुण्यः ५ तत एव तद्विरक्तः ६ प्रतनुकषायोऽल्पहास्यादिः ७-८ कृतज्ञो ९ विनीतः १० प्रागपि राजाऽमात्यपौरजनबहुमत: ११ अद्रोहकारी १२ कल्याणाङ्गः १३ श्राद्धः १४ स्थिरः १५ समुपसम्पन्नश्चेति १६”, एभिः 'सङ्गतो' युक्तः समेतः सन् किं ? इत्याह- 'विधिप्रपन्नप्रव्रज्यो' विधिना वक्ष्यमाणलक्षणेन प्रपन्नाऽङ्गीकृता प्रव्रज्या येन स तथाविधः, तथा 'सेवितगुरुकुलवासः' समुपासितगुरुकुल इत्यर्थः, 'सततं' सर्वकालं प्रव्रज्याप्रतिपत्तेरारभ्य 'अस्खलितशीलश्च' अखण्डितशीलश्च, चशब्दात् परद्रोहविरतिभावश्च इति गाथार्थः ॥ १० ॥ માઁ એ દ્વારનું વ્યાખ્યાન કર્યું. હવે ન એ દ્વારનું વ્યાખ્યાન કરવામાં આવે છે. તેમાં યોગ્ય ગુરુએ દીક્ષા આપવી જોઈએ, આથી યોગ્ય ગુરુ કેવા હોય એ જણાવે છે— (૧) પ્રવ્રજ્યાને યોગ્ય જીવના હવે કહેવાશે તે ગુણોથી જે યુક્ત હોય, (૨) હવે કહેવાશે તે વિધિથી જેણે દીક્ષા સ્વીકારી હોય, (૩) જેણે ગુરુકુલવાસનું સેવન કર્યું હોય, (૪) જેણે ગુરુકુલની (= ગુરુ વગેરે સાધુઓની) સુંદર ઉપાસના કરી હોય, (૫) જેણે પ્રવ્રજ્યાના પ્રારંભથી સદા ग्यास्त्रिनुं षंडन (= विराधना) न र्यु होय, (६) ४ परद्रोहनी भावनाथी रहित होय, [१०] सम्मं अहीअसुत्तो, तत्तो विमलयरबोहजोगाओ । तत्तण्णू उवसंतो, पवयणवच्छलजुत्तो अ ॥ ११ ॥ वृत्ति:- 'सम्यग् ' - यथोक्तयोगविधानेन ' अधीतसूत्र: ' गृहीतसूत्र: 'ततो विमलतरबोधयोगात्' इति ततः सूत्राध्ययनाद् यः शुद्धतरावगमस्तत्सम्बन्धादित्यर्थः । किमित्याह 'तत्त्वज्ञः ' ૧. પ્રવ્રજ્યાને યોગ્ય જીવના ગુણો આ ગ્રંથમાં બત્રીસમી વગેરે ગાથાઓમાં જણાવશે. પ્રસ્તુત દશમા શ્લોકની ટીકામાં અન્ય ગ્રંથમાં જણાવેલા સોળ ગુણો જણાવ્યા છે. તે ગુણો આગળ બત્રીસમી વગેરે ગાથાઓમાં આવવાના હોવાથી તે સોળ ગુણોનો દશમા શ્લોકની ટીકાના આ અનુવાદમાં ઉલ્લેખ કર્યો નથી. ૨. ચારિત્રનું ખંડન આંશિક અને સંપૂર્ણ (- સર્વથા) એમ બે પ્રકારે થાય. તેમાં અહીં ‘સંપૂર્ણ ચારિત્રનું ખંડન ન કર્યું હોય' એવો અર્થ સમજવો. કારણ કે આંશિક ખંડન = અતિચાર પણ બિલકુલ ન થાય એ અસંભવ છે. એટલે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એ ચારમાંથી અનાચારના અર્થમાં ખંડન શબ્દનો પ્રયોગ સમજવો, અથવા કોઈ મોટી ગંભીર વિરાધના ન કરી હોય એવો અર્થ સમજવો. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वस्तुतत्त्ववेदी 'उपशान्तः ' क्रोधविपाकावगमेन 'प्रवचनवात्सल्ययुक्तश्च'- प्रवचनमिह सङ्घः सूत्रं વા, તત્સતનાવયુò: । તિ ગાથાર્થ: || || (૭) શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે યોગ કરવા પૂર્વક જેણે સૂત્રોનો અભ્યાસ કર્યો હોય, (૮) તેથી જ (= શાસ્ત્રોક્ત યોગપૂર્વક કરેલા સૂત્રાભ્યાસથી થયેલા અત્યંત શુદ્ધબોધથી) જે અતિશય નિર્મલ (સ્પષ્ટ) બોધવાળો હોય (૯) જે તત્ત્વજ્ઞ હોય, અર્થાત્ પરમાર્થનો જાણકાર હોય, (૧૦) ક્રોધના વિપાકોને જાણવાથી જે ઉપશાંત હોય, (૧૧) જે સૂત્રરૂપ કે સંધરૂપ પ્રવચન પ્રત્યે વાત્સલ્ય ભાવવાળો હોય, [૧૧] सत्तहिअरओ अ तहा, आएओ अणुवत्तगो अ गंभीरो । अविसाई परलोए, उवसमलद्धीइकलिओ अ ॥ १२ ॥ वृत्ति:- 'सत्त्वहितरतश्च' सामान्येनैव जीवहिते सक्तश्च ' तथा ' न केवलमित्थंविधः किन्तु 'आदेयोऽनुवर्त्तकश्च गम्भीरः ' तत्रादेयो नाम ग्राह्यवाक्यः, अनुवर्त्तकश्च-भावानुकूल्येन सम्यक्पालकः गम्भीरो - विपुलचित्तः 'अविषादी परलोके न परिषहाद्यभिद्रुतः कायसंरक्षणादौ दैन्यमुपयाति, 'उपशमलब्ध्यादिकलितश्च' उपशमलब्ध्यु१पकरणलब्धि र स्थिरहस्तलब्धि३युक्तश्च । કૃતિ થાર્થઃ ॥ ૨॥ (૧૨) જે સામાન્યથી જ (એટલે કે કોઈ જાતના ભેદભાવ વિના) સર્વ જીવોના હિતમાં ઉદ્યમી હોય, (૧૩) બીજાઓ સ્વીકારી લે તેવું (= માનનીય) વચન જેનું હોય, (૧૪) જે શિષ્યના સ્વભાવને અનુકૂલ બનીને (શિષ્યના આત્માનું) સારી રીતે રક્ષણ કરનાર હોય, (૧૫) જે ગંભીર ૧. બોધ નિર્મળ છતાં કષાયાદિની ઉત્કટતા હોય તો ઉલટો એ બોધ તેના કષાયોની વૃદ્ધિનું નિમિત્ત બને, શિષ્યોની ક્ષતિઓને સમજવાની સાથે સહન કરવાની, સુધારવાની અને ઉપેક્ષા કરવાની પણ શક્તિ જોઈએ. અન્યથા નુકશાન (કષાયાદિ) થવાનો સંભવ છે. માટે ઉપશમભાવને પામેલો જે મૈત્રી-પ્રમોદ-કરુણા અને ઉપેક્ષા ભાવનાઓથી વિભૂષિત હોય તે શિષ્યાદિનું હિત કરી શકે. (ધ. સં. ભાષાં.) ૨. સંઘવાત્સલ્ય વિના સંઘનાં કાર્યો થઈ શકતાં નથી કે ચતુર્વિધ સંઘમાં ધર્મનો આદર વધારી શકાતો નથી. વાત્સલ્યમાં સામાના દોષોને સહન કરવાની તાકાત હોય છે, અને જેને (શિષ્યાદિને) સુધારવો હોય તેનામાં દોષો તો હોય જ ! અન્યથા સુધારવાનું શું ? એ કારણે એના દૂષણોને સહવાપૂર્વક હૃદય મીઠું બનાવવું જોઈએ, તે વાત્સલ્યભાવ વિના શક્ય નથી. માતા-પિતા જેવું હૃદય હોય તે ગુરુ સંઘનો કે શિષ્યાદિનો ઉપકાર કરી શકે. (ધ. સં. ભાષાં.) ૩. એકલા ધર્મ પ્રત્યે જ વાત્સલ્ય ગુણ જ બસ નથી, પ્રતિપક્ષે અધર્મી-પાપી જીવો પ્રત્યે પણ કરુણા અને હિતબુદ્ધિ જોઈએ. તો જ હિતબુદ્ધિથી અયોગ્ય જીવો પ્રત્યે ઉપેક્ષા કરી શકાય, અથવા જે જેવી યોગ્યતા પામેલો હોય તેનો તેટલા પ્રમાણમાં સદ્ભાવ કેળવી શકાય. જો આ ગુણ ન હોય તો ધર્મના પાયા રૂપ મૈત્રીભાવના જ પ્રગટવી શક્ય નથી અને મૈત્રીભાવ વિનાનો કોઈ સારો પણ ભાવ આત્મોપકારક બની શકતો નથી. માટે નેતા (ગુરુ) બનનારમાં આ ગુણની આવશ્યકતા છે. ૪. શિષ્યાદિ આશ્રિતવર્ગને અનુકૂળ બનીને સન્માર્ગે વાળવો એ સરળ માર્ગ છે. કારણ કે પ્રતિકૂળતાને સહવાની શક્તિ પ્રાયઃ સામાન્ય જીવોમાં ઓછી હોય છે. માટે તેવા જીવોને યોગ્ય બનાવવા માટે અનુકૂળ બની સદ્ભાવ પ્રગટ કરાવવો આવશ્યક છે, એમ કરવાથી સદ્દભાવના બળે એ દુષ્કર આજ્ઞા પણ પાળવા શક્તિમાન થાય છે. પ્રતિકૂળ બનીને સત્તાના જોરે એકવાર આજ્ઞા પળાવી શકાય છે. પણ પ્રાયઃ તેથી અસદ્ભાવ પ્રગટવાનો સંભવ હોઈ આખરે શિષ્ય આજ્ઞા વિમુખ બને, માટે ગુરુ અનુવર્તક જોઈએ. આની પણ મર્યાદા જોઈએ, અનુકૂળતાનો દુરુપયોગ થવાનો પણ સંભવ છે, માટે તેવા પ્રસંગે લાભહાનિને વિચારી લાભ થાય તેમ વર્તવું જોઈએ. હૃદય મીઠું જોઈએ. આંખ અવસરે લાલ પણ કરવી પડે તો તે અયોગ્ય નથી. (ધ. સં. ભાષાં.) ૫. છીછરા (તુચ્છ) હૃદયવાળો છુપાવવા યોગ્ય ભાવોને છૂપાવી શકે નહિ, એથી શિષ્યાદિ વર્ગ પોતાના દૂષણો તેમને જણાવી શકે નહિ, અગર જણાવે તો તે જાહેર થવાથી તેની હલકાઈ થાય, ઈત્યાદિ કારણે પણ ગુરુ ગંભીર જોઈએ. અનાદિ મોહાધીન જીવો Page #40 -------------------------------------------------------------------------- ________________ [ * पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] એટલે કે વિશાળ ચિત્તવાળો હોય, (અર્થાત્ રાગ-દ્વેષ આદિના પ્રસંગે પણ જેના રાગ-દ્વેષ બહાર દેખાય નહિ, તથા કોઈના દોષો બીજાને કહે નહિ,) (૧૬) પરિષહ આદિથી પરાભવ પામવા છતાં શરી૨ રક્ષણ આદિ માટે જે દીનતા ન કરે, (૧૭) ઉપશમ લબ્ધિ, ઉપકરણ લબ્ધિ અને સ્થિરહસ્ત લબ્ધિ એ ત્રણ લબ્ધિથી યુક્ત હોય, [૧૨] तह पवयणत्थवत्ता, सगुरुअणुन्नायगुरुपओ चेव । આરિસો ગુરૂ વસ્તુ, મળિો રાગાહિĚિ ॥ ૩ ॥ वृत्ति:- 'तथा प्रवचनार्थवक्ता' - सूत्रार्थवक्तेत्यर्थः, 'स्वगुर्वनुज्ञातगुरुपदश्चैव' असत तस्मिन् दिगाचार्यादिना स्थापितगुरुपद इत्यर्थः, 'ईदृशो गुरुः' खलुशब्दोऽवधारणार्थः, ईदृश एव, कालदोषादन्यतरगुणरहितोऽपि बहुतरगुणयुक्त इति वा विशेषणार्थः, 'भणितो रागादिरहितै: ' પ્રતિપાતો વીતરાઔ: । તિ ગાથાર્થ: ॥ ૩ ॥ (૧૮) સૂત્રાર્થનો વ્યાખ્યાતા હોય, અર્થાત્ શિષ્યાદિને સૂત્ર અને અર્થની વાચના વગેરે આપતો હોય, (૧૯) જેને પોતાના ગુરુએ (= ગચ્છનાયકે) ગુરુપદે સ્થાપિત કર્યો હોય, સ્વગુરુના અભાવે દિગાચાર્યે (= ગચ્છાચાર્યે) જેને 'ગુરુપદે સ્થાપ્યો હોય, આવા જ ગુરુને વીતરાગ ભગવંતોએ દીક્ષા આપવા માટે લાયક કહ્યો છે. કાલદોષથી સર્વગુણ સંપન્ન ન હોય, કેટલાક ગુણોથી રહિત હોય, પણ ઘણા (મુખ્ય) ગુણોથી યુક્ત હોય તો તે પણ દીક્ષા આપવાને લાયક છે. [૧૩] एआरिसेण गुरुणा सम्मं परिसाइकज्जरहिएणं । पव्वज्जा दायव्वा, तयणुग्गहनिज्जराहेउं ॥ १४ 11 પોતાના આંતર દૂષણોને ટાળી આત્મશુદ્ધિ માટે તો ગુરુનો આશ્રય કરે, છતાં, જો એવાં દૂષણો ગુરુને જણાવી શકે નહિ તો આત્મશુદ્ધિ શી રીતે થાય ? વળી તે જણાવેલા દોષો ગુપ્ત ન રહે તો તે સાધુ પ્રત્યે બીજાઓને સદ્ભાવ-પૂજ્યભાવ વગેરે પણ શી રીતે પ્રગટે ? અને પરસ્પરના સદ્ભાવ વિના આરાધક શી રીતે થાય ? પોતે પણ શુભાશુભ પ્રસંગે હર્ષ-શોકને વશ થાય તો આરાધક શી રીતે બને ? માટે ગુરુપદને યોગ્ય સન્માનાદિ મળવા છતાં કે તેની જવાબદારીને અંગે વિષમ પ્રસંગ આવવા છતાં હર્ષ-વિષાદ ન થાય તેવી ગંભીરતા ગુરુમાં આવશ્યક છે. (ધ. સં. ભાષાં.) ૧. વિષમ પ્રસંગે સત્ત્વના અભાવે વિષાદ થવાથી કાર્ય પણ બગડે. ગુરુપદ અતિ જવાબદારીવાળું સ્થાન છે. આથી શાસનસેવાનાં કે શિષ્યાદિને સંભાળવાનાં આકરાં પણ કાર્યો ગુરુને કરવાનો પ્રસંગ આવે જ. તેવા પ્રસંગે દીનતાને નહિ કરતાં સત્ત્વને કેળવી તે પ્રસંગોને પાર પાડવાનો ઉત્સાહ અને બળ ગુરુમાં જોઈએ. (ધ. સં. ભાષાં.) ૨. ઉપશમલબ્ધિ એટલે બીજાને શાંત કરવાનું સામર્થ્ય. ઉપકરણલબ્ધિ એટલે સંયમમાં ઉપકારક વસ્ત્ર-પાત્ર આદિ વસ્તુને મેળવવાની શક્તિ. સ્થિર-હસ્તલબ્ધિ એટલે બીજાઓને વ્રતપાલનાદિમાં સ્થિર કરવાની શક્તિ. ૩. ગુરુ સૂત્ર અને અર્થોના જાણકાર ઉપરાંત ભણાવવાની શક્તિ અને ઉત્સાહવાળા જોઈએ, અન્યથા શિષ્યો અજ્ઞાન રહે અને સંયમનું ભાવપાલન કરી શકે નહિ, જે ગુરુઓ પોતે તથાવિધ જ્ઞાન મેળવવા છતાં યોગ્ય શિષ્યોને પણ પ્રમાદના કારણે ભણાવતા નથી તે વરદત્તના જીવની જેમ જ્ઞાનાવરણીય કર્મો ઉપાર્જન કરી સંસારમાં ભમે છે. બાહ્ય કે અત્યંતર જે જે ગુણ કે વસ્તુ પ્રાપ્ત થાય તે તે બીજા યોગ્ય આત્માઓને આપી ઉપકાર કરવાથી જ સફળ થાય છે. અન્યથા અન્યભવે તે ગુણની પ્રાપ્તિ થતી નથી. વળી દાનધર્મની સાધના માટે સાધુને ‘જ્ઞાનદાન' એ જ એક સાધન છે. શિષ્ય યોગ્ય છતાં તેને દાન ન કરે તો બાકીની આરાધના નિષ્ફળ જાય. એમ સ્વહિતાર્થે પણ ગુરુએ યોગ્ય શિષ્યોને જ્ઞાનદાન કરવું જોઈએ, અયોગ્યને નહિ જ કરવું જોઈએ. (ધ. સં. ભાષાં.) ૪. ‘ગુરુએ ગુરુપદે સ્થાપેલો' એનો અર્થ એ છે કે ગુરુપદને લાયક બનેલો. અન્યથા મહત્ત્વાકાંક્ષાથી સ્વયં ગુરુ બનેલો દ્રવ્યથી ગુણોવાળો હોવા છતાં ભાવથી ગુરુની લાયકાત વિનાનો ગણાય છે. એવા સ્વચ્છંદચારીની નિશ્રામાં શિષ્યોનું હિત સધાતું નથી. તાત્પર્ય કે તેના ગુરુએ તેને ગુરુપદ માટે યોગ્ય માની તેના શિષ્યો બનાવ્યા હોય. (ધ. સં. ભાષાં.) Page #41 -------------------------------------------------------------------------- ________________ [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- 'ईदृशेन गुरुणा' एवंविधेनाचार्येण 'सम्यग्' अविपरीतेन विधिना 'पर्षदादिकार्यरहितेन' सम्पूर्णा मे पर्षद् भविष्यति पानकादिवाहको वेत्याद्यैहिककार्यनिरपेक्षेण 'प्रव्रज्या दातव्या' दीक्षा विधेया, किं तङ्गीकृत्य ? इत्यत्राह-'तदनुग्रहनिर्जराहेतोः' इति विनेयानुग्रहार्थं कर्मक्षयार्थं च । इति गाथार्थः ॥ १४ ॥ (આવા ગુરુએ કયા આશયથી શિષ્યને દીક્ષા આપવી જોઈએ તે જણાવે છે...) આવા ગુરુએ મારા શિષ્ય પરિવારની વૃદ્ધિ થશે અથવા પાણી આદિ લાવવામાં કામ લાગશે એવા આલોકનાં કાર્યોની અપેક્ષાથી રહિત બનીને, શિષ્યના આત્માના અનુગ્રહ માટે અને પોતાના કર્મક્ષય માટે સમ્યગૂ વિધિ પૂર્વક દીક્ષા આપવી જોઈએ. [૧૪] ईदृशि गुरौ गुणमाह भत्तिबहुमाण सद्धा, थिरया चरणम्मि होइ सेहाणं । एआरिसम्मि निअमा, गुरुम्मि गुणरयणजलहिम्मि ॥१५॥ वृत्तिः- 'भक्तिबहुमानौ' इति भक्तिर्बाह्यविनयरूपा बहुमानो भावप्रतिबन्धः एतौ भवतः शिक्षकाणामभिनवप्रव्रजितानामिति योगः, क्वेत्याह- 'ईदृशि' एवंभूते 'गुरौ' आचार्ये 'नियमात्' नियमेन पुनरपि स एव विशिष्यते-'गुणरत्नजलधौ' गुणरत्नसमुद्र इति । ततः 'श्रद्धा स्थिरता' च 'चरणे भवति' इति; तथाहि-गुरुभक्तिबहुमानभावत एव चारित्रे श्रद्धा स्थैर्यं च भवति, नान्यथा । इति गाथार्थः ॥ १५ ॥ હવે આવા ગુથી થતા લાભને જણાવે છે– આવા ગુણોરૂપી રત્નોના સાગર ગુરુનો યોગ થતાં નૂતન દીક્ષિત શિષ્યોને ગુરુ પ્રત્યે અવશ્ય ભક્તિ અને બહુમાન પ્રગટે છે. અને તેથી (= ગુરુ પ્રત્યે ભક્તિ-બહુમાનથી) ચારિત્રમાં શ્રદ્ધા અને સ્થિરતા થાય છે. કારણ કે ચારિત્રમાં શ્રદ્ધા અને સ્થિરતા ગુરુ પ્રત્યે ભક્તિ અને બહુમાનભાવ થવાથી જ થાય છે, તે વિના નહિ. ભક્તિ એટલે વિનય આદિ બાહ્ય પ્રવૃત્તિ. બહુમાન એટલે मांतरि अनुराग. [१५] गुणान्तरमाह__ अणुवत्तगो अ एसो, हवइ दढं जाणई जओ सत्ते । चित्ते चित्तसहावे, अणुवत्ते तह उवायं च ॥ १६ ॥ वृत्तिः- 'अनुवर्त्तकश्च एषो' ऽनन्तरोदितो गुरुर्भवति, 'दृढं' अत्यर्थं, कुत इत्याह"जानाति यतः सत्त्वान्' प्राणिनः 'चित्रान्' अनेकरूपान् 'चित्रस्वभावान्' नानास्वभावान् 'अनुवान्' इत्यनुवर्तनीयान् ‘तथोपायं च' अनुवर्त्तनोपायं च जानाति । इति गाथार्थः ॥ १६ ॥ Page #42 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] આવા ગુરુથી થતા બીજા લાભને જણાવે છે— ઉપર્યુક્ત ગુણોથી યુક્ત ગુરુ અત્યંત અનુવર્તના કરે છે=શિષ્યોના સ્વભાવને અનુકૂળ બનીને તેમને હિતમાં જોડવાનો પ્રયત્ન કરે છે. કારણ કે તે શિષ્યોના ભિન્ન ભિન્ન વિચિત્ર સ્વભાવોને જાણી શકે છે, તથા કોને કેવી રીતે હિતમાં જોડવો ? એમ હિતના ઉપાયોને પણ જાણી શકે છે. [૧૬] अनुवर्त्तनागुणमाह [ ૨૭ अणुवत्तणाए सेहा, पायं पावंति जोग्गयं परमं । रयणंपि गुणुक्करिसं, उवेइ सोहम्मणगुणेण ॥ १७ ॥ વૃત્તિ:- ‘અનુવર્તનયા’-રળભૂતયા‘શિક્ષા:’‘પ્રાયો' વાસ્તુત્યેનાંgi વિહાય 'प्राप्नुवन्ति योग्यताम्' अपवर्गं प्रति 'परमां' प्रधानां, स्यादेतत् योग्य एव प्रव्रज्यार्ह इति किं गुरुणेत्येतदाशङ्कयाह-'रत्नमपि' पद्मरागादि' गुणोत्कर्षं' कान्त्यादिगुणप्रकर्षम्' उपैति सोहम्मणगुणेण' रत्नशोधकप्रभावेण वैकटिकप्रभावेणेत्यर्थः । एवं सुशिष्या अपि गुरुप्रभावेण । इति गाथार्थः ॥ १७ ॥ અનુવર્તનાથી થતા લાભને કહે છે— ગુરુની અનુવર્તનાથી શિષ્યો પ્રાયઃ મોક્ષ માટે પરમ (= વિશેષ) યોગ્ય બને છે, અર્થાત્ મોક્ષમાર્ગની વિશેષ આરાધના કરનારા બને છે. પ્રશ્ન- યોગ્ય શિષ્યને દીક્ષા આપવાની છે. દીક્ષાને યોગ્ય શિષ્ય મોક્ષને યોગ્ય જ હોય=સ્વયમેવ મોક્ષમાર્ગની આરાધના કરનારો હોય, તો ગુરુની શી વિશેષતા ? ઉત્તર- પદ્મરાગ (માણેક) વગેરે રત્નો કાંતિ આદિ ગુણોથી યુક્ત હોવા છતાં ઝવેરીના પ્રભાવથી તેનામાં કાંતિ વગેરે ગુણોની વૃદ્ધિ થાય છે, તે રીતે મોક્ષ માટે યોગ્ય પણ સુશિષ્યો ગુરુના પ્રભાવથી વિશેષ યોગ્ય બને છે. પ્રશ્ન- ગુરુની અનુવર્તનાથી શિષ્યો પ્રાયઃ મોક્ષ માટે પરમ યોગ્ય બને છે, એમ જે કહ્યું તેમાં ‘પ્રાયઃ’ કેમ કહ્યું ? ઉત્તર- કોરડું મગ જેવા (અયોગ્ય) કોઈ શિષ્ય ઉપર ગુરુના પ્રભાવની અસર ન પણ થાય, એ જણાવવા અહીં ‘પ્રાયઃ' કહ્યું છે. [૧૭] વિષ્ણુ एत्थ य पमायखलिया, पुव्वब्भासेण कस्स व न हुंति । जो ते वणेइ सम्मं, गुरुत्तणं तस्स सफलति ॥ १८ ॥ वृत्ति:- 'अत्र च' प्रव्रज्याविधाने 'प्रमादस्खलितानि' इति प्रमादात् सकाशाद् दुश्चेष्टितानि 'पूर्वाभ्यासेन कस्य वा न भवन्ति', अनादिभवाभ्यस्तो हि प्रमादः न झटित्येव त्यक्तुं पार्यते । ૧. દુ:લા સત્ત્વમ્ કૃત્યપિ પા:। Page #43 -------------------------------------------------------------------------- ________________ १८ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'यस्तानि' स्खलितानि 'अपनयति सम्यक्' प्रवचनोक्तेन विधिना 'गुरुत्वं तस्य सफलं' गुणगुरुत्वेन । इति गाथार्थः ॥ १८ ॥ वणी પૂર્વના પ્રમાદના અભ્યાસથી દીક્ષામાં ભૂલ કોની ન થાય ? અર્થાત્ છબસ્થમાત્રની ભૂલ થાય. કારણ કે પ્રમાદ અનાદિકાળથી અભ્યસ્ત (રૂઢ થઈ ગયેલો) હોવાથી એકાએક દૂર ન થઈ શકે. આથી શાસ્ત્રોક્ત વિધિથી શિષ્યોના દોષોને દૂર કરવામાં ગુરુપણું સફળ બને છે. કારણ કે ગુરુપણું ગુણોથી છે, પદ વગેરેથી નહિ. શિષ્યોના દોષોને દૂર કરનારા પોતાના ગુણોથી તે ५२भार्थथा गुरु बने छे. [१८] एतदेव लौकिकोदाहरणेन स्पष्टयति को णाम सारहीणं, स होज्ज जो भद्दवाइणो दमए । दुवे वि अ जो आसे, दमेइ तं आसियं बिंति ॥ १९ ॥ वृत्तिः- 'को नाम सारथीनां स भवेत् यो भद्रवाजिनः' शोभनाश्वान् ‘दमयेत्', न कश्चिदसौ असारथिरेवेत्यर्थः । 'दुष्टानपि तु योऽश्वान् दमयति' शोभनान् करोति, 'तं सारथिं ब्रुवते' लौकिकाः । पाठान्तरे वा, 'तमाश्विकं ब्रुवते' । इति गाथार्थः ॥ १९ ॥ ઉક્ત વિષયને જ લૌકિક ઉદાહરણથી સ્પષ્ટ કરે છે– જે ભદ્ર (= સરળ-શાંત) અશ્વોનું દમન કરે તે સારથિ કેવી રીતે કહેવાય? પરમાર્થથી તે સારથિ જ નથી. જે દુષ્ટ અશ્વોને દ=સરળ બનાવે તેને (સમા) લોકો સારથિ કહે છે. [૧] शिष्याननुपालनेन गुरोर्दोषमाह जो आयरेण पढमं, पव्वावेऊण नाणुपालेइ । सेहे सुत्तविहीए, सो पवयणपच्चणीओ त्ति ॥ २० ॥ वृत्तिः- 'यो' गुरुः ‘आदरेण'-बहुमानेन 'प्रथमं प्रव्रज्यां ग्राहयित्वा' पश्चात् 'नानुपालयति शिष्यकान् सूत्रविधिना', स किमित्याह-'स प्रवचनप्रत्यनीकः' शासनप्रत्यनीकः । इति गाथार्थः ॥ २० ॥ एतदेवाह अविकोविअपरमत्था, विरुद्धमिह परभवे अ सेवंता । जं पावंति अणत्थं, सो खलु तप्पच्चओ सव्वो ॥ २१ ॥ वृत्तिः- 'अविकोपितपरमार्थाः' अविज्ञापितसमयसद्भावात् 'विरुद्धं सेवमाना' इति योगः, 'इह परभवे च यं प्राप्नुवन्त्यनर्थं स खलु तत्प्रत्ययः सर्वः' अननुवर्तकगुरुनिमित्तः । Page #44 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] इति गाथार्थः ॥ २१ ॥ जिणसासणस्सवण्णो, मिअंकधवलस्स जो अ ते दठ्ठे । पावं समायरंतो, जायइ तप्पच्चओ सो वि ॥ २२ ॥ वृत्ति:- 'जिनशासनस्यावर्णो' अश्लाघा 'मृगाङ्कधवलस्य' चन्द्रधवलस्य 'यश्च तान् दृष्ट्वा पापं समाचरत:' सेवमानान् 'जायते' जनितो भवति । 'तत्प्रत्ययो ऽसावपि' अननुवर्त्तकगुरुनिमित्तोऽसावपि । इति गाथार्थः ॥ २२ ॥ શિષ્યનું પાલન ન કરનાર (= શિષ્યને હિતમાં ન જોડનાર) ગુરુને લાગતા દોષોને જણાવે છે– જે ગુરુ પહેલાં આદરથી (= પ્રેમ દેખાડીને) શિષ્યોને દીક્ષા આપે છે, અને પછી શાસ્ત્રોક્ત વિધિથી તેમનું પાલન કરતો નથી તે શાસનનો શત્રુ છે. [૨૦] ગુરુના ન ભણાવવાથી શાસ્ત્રોના સારને ન જાણનારા શિષ્યો શાસ્ત્રવિરુદ્ધ આચરણ કરે, અને એથી આ ભવમાં અને પરભવમાં જે અનર્થ પામે તે બધું અનુવર્તના ન કરનાર ગુરુના નિમિત્તે જાણવું, અર્થાત્ એ અનર્થો અનુવર્તના ન કરનાર ગુરુના કારણે થયેલા જાણવા. (એથી એનું પાપ ગુરુને પણ લાગે.) [૨૧] તથા શિષ્યોના પાપાચરણને જોઈને ચંદ્ર જેવા નિર્મલ (= નિષ્કલંક) શાસનની જે ટીકા-નિંદા થાય તે પણ અનુવર્તના ન કરનાર ગુરુના કારણે થયેલી જાણવી. [૨૨] अनुवर्त्तकस्य तु गुणमाह जो पुण अणुवत्तेई, गाहइ निप्फायई अ विहिणा उ । सो ते अन्ने, अप्पाणयं च पावेइ परमपयं ॥ २३ ॥ [ १९ वृत्ति:- 'यः पुनरनुवर्त्तते' स्वभावानुकूल्येन हिते योजयति ' ग्राहयति' क्रियां' निष्पादयति च' ज्ञानक्रियाभ्यां 'विधिना' आगमोक्तेन 'स' गुरु: 'तान्' शिष्यान् 'अन्यान्' प्राणिनः 'आत्मानं च प्रापयति परमपदं' नयति मोक्षम् । इति गाथार्थः ॥ २३ ॥ અનુવર્તના કરનારને તો લાભ થાય એ કહે છે– જે આગમોક્ત વિધિથી અનુવર્તના કરે છે = સ્વભાવને અનુકૂલ બનીને હિતમાં જોડે છે, डियाजो (= अनुष्ठानो) समभवे छे, अने ज्ञान-प्रियासंपन्न जनावे छे, ते गुरु शिष्योंने, अन्य જીવોને અને પોતાને પણ મોક્ષ પમાડે છે. [૨૩] एतदेव दर्शयति णाणाइलाभओ खलु, दोसा हीयंति वड्डुई चरणं । इअ अब्भासाइसया, सीसाणं होइ परमपयं ॥ २४ ॥ वृत्ति:- 'ज्ञानादिलाभतः खलु' अनुवर्त्त्यमाना हि शिष्याः स्थिरा भवन्ति । ततो ज्ञानदर्शने लभन्ते, ततो लाभात्, खलु शब्दोऽवधारणे, तत एव 'दोषा' रागादयो 'हीयन्ते' त्यज्यन्ते क्षीयन्ते Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वा । ततो 'वर्द्धते चरणं' चारित्रं, 'इय' एवं 'अभ्यासातिशयात्' अभ्यासातिशयेन तत्रान्यत्र वा जन्मनि कर्मक्षयभावात् 'शिष्याणां भवति परमपदं' मोक्षाख्यम् । इति गाथार्थः ॥ २४ ॥ ઉપર્યુક્ત વિષયને જ સવિશેષ જણાવે છે ગુરુથી અનુવર્તના કરાતા (= હિતમાં જોડાતા) શિષ્યો ચારિત્રમાં સ્થિર થાય છે, તેથી જ્ઞાનદર્શનને પામે છે, કારણ કે ચારિત્રમાં સ્થિર થવાથી (વિશેષ) જ્ઞાન-શ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનશ્રદ્ધાની (વિશેષ) પ્રાપ્તિ થવાથી રાગાદિ દોષો ક્ષીણ બને છે. રાગાદિ દોષોની ક્ષીણતાથી ચારિત્રની વૃદ્ધિ થાય છે. એ રીતે ઉત્તરોત્તર (જ્ઞાનાદિનો) વિશિષ્ટ અભ્યાસ થાય છે, અને એનાથી આ ભવમાં કે ભવાંતરમાં સર્વ કર્મનો ક્ષય થતાં શિષ્યો મોક્ષરૂપ પરમપદને પામે છે. [૨૪] एआरिसा इहं खलु, अण्णेसिं सासणम्मि अणुरायो । बीअं सवणपवित्ती, संताणे तेसु वि जहुत्तं ॥ २५ ॥ वृत्तिः- तान् ज्ञानादियुतान् दृष्ट्वा 'ईदृशा' ज्ञानादियुक्ता 'इहं खलु' इहैव जिनशासने इति, 'अन्येषां' गुणपक्षपातिनां 'शासने अनुरागो' भवति, भावत एव शोभनं भव्यमिदं शासनमिति 'बीज' इत्येतदेव सम्यक्त्वापवर्गबीजं, केषाञ्चित्त्वनुरागातिशयात् 'श्रवणप्रवृत्तिः' अहो शोभनमेतदिति श्रृण्वन्त्येवापरेऽङ्गीकुर्वन्ति च 'सन्ताने' इत्येवं कुशलसन्तानप्रवृत्तिः 'तेषामपि' अन्येषां सन्तानिनां 'यथोक्तं'-विज्ञानादिगुणलाभतः परमपदमेव । इति गाथार्थः ॥ २५ ॥ શિષ્યોને જ્ઞાનાદિથી યુક્ત જોઈને ગુણપક્ષપાતી જીવોને જૈનશાસન ઉપર અનુરાગ થાય છે. અહો ! આ જૈનશાસન સુંદર છે-ઉત્તમ છે'' એ પ્રમાણે ભાવથી શાસન પ્રત્યે થતો અનુરાગ સમ્યક્ત્વનું અને મોક્ષનું બીજ છે. કેટલાક જીવો શાસન પ્રત્યે અતિશય અનુરાગ થવાથી “અહો ! આ શાસન ઉત્તમ છે” એમ વિચારીને જિનવાણીનું શ્રવણ કરે છે, જયારે કેટલાક જીવો એનાથી પણ આગળ વધીને શાસનનો સ્વીકાર કરે છે. (= સમ્યકત્વ કે ચારિત્રનો સ્વીકાર કરે છે.) આ પ્રમાણે શાસનમાં નવા નવા જીવો જોડાવાથી શાસનની શુભ પરંપરા ચાલે છે. એ પરંપરામાં આવેલા જીવો પણ વિશિષ્ટ જ્ઞાનાદિની પ્રાપ્તિ કરીને મોક્ષપદને જ પામે છે. [૨૫]. इय कुसलपक्खहेऊ, सपरुवयारम्मि निच्चमुज्जुत्तो । सफलीकयगुरुसद्दो, साहेइ जहिच्छिअं कज्जं ॥ २६ ॥ वृत्तिः- 'इय' एवं कुशलपक्षहेतुः' पुण्यपक्षकारणं स्वपरोपकारे नित्योद्युक्तो' नित्योद्यत: 'सफलीकृतगुरुशब्दो' गुणगुरुत्वेन साधयति यथेप्सितं कार्यं' परमपदम् । इति गाथार्थः ।। २६ ।। આ પ્રમાણે શિષ્યોના પુણ્યનું કારણ બનનારા અને સ્વ-પરના ઉપકારમાં નિત્ય ઉદ્યમવાળા ગુરુ ગુરુશબ્દને સાર્થક કરે છે. કારણ કે ગુણોથી ગુરુપણું છે, ગુરુપદથી નહિ. આવા ગુરુ પરમપદને સાધે છે પામે છે. [૨૬] Page #46 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] विपर्ययमाह विहिणाणुवत्ति पुण, कहिंचि सेवंति जइवि पडिसिद्धं । आणाकारित्ति गुरू, न दोसवं होइ सो तहवि ॥ २७ ॥ वृत्ति:- 'विधिनानुवर्त्तिताः पुनः कथञ्चित् कर्म्मपरिणामत: 'सेवन्ते यद्यपि प्रतिषिद्धं' सूत्रे 'आज्ञाकारीति गुरुर्न दोषवान् भवत्यसौ तथापि' भगवदाज्ञानुवर्त्तनासम्पादनात् । इति गाथार्थः ॥ २७ ॥ શિષ્યો પ્રતિષિદ્ધ આચરણ કરે તો પણ અનુવર્તક ગુરુ નિર્દોષ છે એ જણાવે છે— શિષ્યોનું વિધિપૂર્વક અનુવર્તન કરવા છતાં જો તેવી કર્મપરિણતિથી શિષ્યો શાસ્ત્રોમાં જેનો નિષેધ કર્યો હોય તેવું આચરણ કરે, તો પણ ગુરુ દોષિત ન બને. કારણ કે ગુરુએ ભગવાનની આજ્ઞા પ્રમાણે અનુવર્તના કરી છે. [૨૭] आहण्णसेवणाए, गुरुस्स पावंति नायबज्झमिणं । [ २१ आणाभंगाउ तयं, न य सो अण्णम्मि कह बज्झं ॥ २८ ॥ वृत्ति:- 'आह' पर :- 'अन्यसेवनया' अ (न) नुवर्त्तितशिष्यापराधसेवनया 'गुरोः पापमिति न्यायबाह्यमिदं', ततश्च स खलु तत्प्रत्ययः सर्व इत्याद्ययुक्तमित्यत्रोत्तरमाह-'आज्ञाभङ्गात् तद्’ भगवदाज्ञाभङ्गेन पापं, 'न चासावन्यस्मिन्' किन्तु गुरोरेव 'कथं बाह्यं' ? नैव न्यायबाह्यम् । इति गाथार्थः ॥ २८ ॥ (શિષ્યના અપરાધથી ગુરુને પાપ કેમ લાગે એનું સમાધાન કરે છે—) પ્રશ્ન- અનુવર્તના ન કરાયેલા શિષ્યના અપરાધથી ગુરુને પાપ લાગે એ તો અન્યાય છે. આથી પૂર્વે “ગુરુ શિષ્યોની અનુવર્તના ન કરે તો શિષ્યો જે વિરુદ્ધ આચરણ કરે તે બધું ગુરુના કારણે જાણવું' વગેરે જે કહ્યું તે અયુક્ત છે. ઉત્તર- શિષ્યોની અનુવર્તના ન કરનાર ગુરુ જિનાજ્ઞાનો ભંગ કરે છે. ગુરુને આ જિનાજ્ઞાના ભંગથી પાપ લાગે છે. મુખ્યતયા જિનાજ્ઞાભંગ ગુરુએ કર્યો છે, બીજાએ નહિ. આથી પૂર્વોક્ત કથન युक्तियुक्त छे. [२८] तम्हाणुवत्तियव्वा, सेहा गुरुणा उ सो अ गुणजुत्तो । अणुवत्तणासमत्थो, जत्तो एआरिसेणेव ॥ २९ ॥ वृत्ति:- यस्मादेवं 'तस्मादनुवर्त्तितव्याः शिष्या गुरुणैव स च गुणयुक्तः' सन् ‘अनुवर्त्तनासमर्थो, यत् यस्मात् तत् तस्मात् 'ईदृशेनैव' गुरुणा प्रव्रज्या दातव्या । इति गाथार्थः ॥ २९ ॥ આથી ગુરુએ અવશ્ય શિષ્યોની અનુવર્તના કરવી જોઈએ. ગુણયુક્ત જ ગુરુ અનુવર્તના કરી શકે. આથી પૂર્વોક્ત ગુણસંપન્ન ગુરુએ (જ) દીક્ષા આપવી જોઈએ. [૨૯] Page #47 -------------------------------------------------------------------------- ________________ २२ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अपवादमाह कालपरिहाणिदोसा, इत्तो एक्काइगुणविहीणेणं । अन्नेण वि पव्वज्जा, दायव्वा सीलवंतेण ॥ ३० ॥ वृत्तिः- 'कालपरिहाणिदोषात् अतो'ऽनन्तरोदितगुणगणोपेताद् गुरोः 'एकादिगुणविहीनेनान्येनापि प्रव्रज्या दातव्या, शीलवता' शीलयुक्तेन । इति गाथार्थः ॥ ३० ॥ હવે (દીક્ષા આપવાની યોગ્યતામાં) અપવાદ જણાવે છે– કાલહાનિ (અવસર્પિણી) રૂપ દોષના પ્રભાવે હમણાં વર્ણવેલા ગુણસમૂહથી પરિપૂર્ણ ગુરુના અભાવે એકાદિ ગુણોથી રહિત પણ ચારિત્રયુક્ત ગુરુએ દીક્ષા આપવી. [૩૦] विशेषतः कालोचितं गुरुमाह गीतत्थो कडजोगी, चारित्ती तहय गाहणाकुसलो । अणुवत्तगो विसाई, बीओ पव्वावणायरिओ ॥ ३१ ॥ वृत्तिः- 'गीतार्थो' गृहीतसूत्रार्थः 'कृतयोगी' कृतसाधुव्यापार : 'चारित्री' शीलवान् 'तथा च ग्राहणाकुशलः' क्रियाकलापशिक्षणानिपुणः 'अनुवर्तकः' स्वभावानुवर्तकः = स्वभावानुकूल्येन प्रतिजागरक: ‘अविषादी' भावापत्सु 'द्वितीयः' अपवादिकः 'प्रव्राजनाचार्यः' प्रव्रज्याप्रयच्छको गुरुः । इति गाथार्थः ॥ ३१ ॥ હવે કાલને અનુરૂપ ગુરુનું સ્વરૂપ વિશેષથી કહે છે જે ગીતાર્થ, કૃતયોગી, ચારિત્રી, ગ્રાહણાકુશલ, અનુવર્તક અને અવિષાદી હોય તે પણ અપવાદથી દીક્ષા આપવાને લાયક છે. ગીતાર્થ સૂત્ર અને અર્થનો જાણકાર. કૃતયોગી સાધુના આચારોનું પાલન કરનાર, ચારિત્રીશીલવંત. ગ્રાહણાકુશલ=શિષ્યોને ક્રિયાઓ-આચારો સમજાવવામાં અને પાલન કરાવવામાં કુશળ.અનુવર્તક શિષ્યોના સ્વભાવને અનુકૂળ બનીને તેમના यारित्रनी २६-वृद्धि ४२ ना२. विषाही=(अ५मानवगैरे) मा मापत्तिमा पेन पामना२.[३१] ___ केनेति व्याख्यातम्, अधुना केभ्य इति व्याख्यायते, केभ्यः प्रव्रज्या दातव्या ? के पुनस्तदर्हाः ? इत्येतदाह पव्वज्जाए अरिहा, आरियदेसम्मि जे समुप्पन्ना । जाइकुलेहिं विसुद्धा, तह खीणप्यायकम्ममला ॥ ३२ ॥ वृत्तिः- 'प्रव्रज्याया अर्हा' योग्याः क ? इत्याह-'आर्यदेशे ये समुत्पन्ना' अर्द्धषड्विंशतिजनपदेष्वित्यर्थः १ । 'जातिकुलाभ्यां विशिष्टाः' मातृसमुत्था जाति:, पितृसमुत्थं कुलं २ । 'तथा क्षीणप्रायकर्ममला' अल्पकर्माणः ३ । इति गाथार्थः ॥ ३२ ॥ Page #48 -------------------------------------------------------------------------- ________________ - पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [२३ तत्तो अ विमलबुद्धी, दुल्लहमणुअत्तणं भवसमुद्दे । जम्मो मरणनिमित्तं, चवलाओ संपयाओ अ ॥ ३३ ॥ वृत्तिः- 'ततश्च' कर्मक्षयात् 'विमलबुद्धयः' ४ । विमलबुद्धित्वादेव च 'दुर्लभं मनुजत्वं भवसमुद्रे' संसारसमुद्रे तथा 'जन्ममरणनिमित्तं चपलाः सम्पदश्च' इति गाथार्थः ॥ ३३ ॥ विसया य दुक्खहेऊ, संजोगे निअमओ विओगुत्ति । पइसमयमेव मरणं, एत्थ विवागो अ अइरुद्दो ॥ ३४ ॥ वृत्तिः-'विषयाश्च दुःखहेतवः' तथा संयोगे' सति नियमतो वियोगइति'। प्रतिसमयमेव मरणम्' आवीचिमाश्रित्य 'अत्र विपाकश्चातिरौद्रः' परभवे । इति गाथार्थः ।। ३४ ।। एवं पयईए च्चिअ, अवगयसंसारनिग्गुणसहावा । तत्तो अ तव्विरत्ता, पयणुकसायाप्पहासा य ॥ ३५ ॥ वृत्तिः- ‘एवं प्रकृत्यैव' स्वभावेनैव 'अवगतसंसारनिर्गुणस्वभावाः' ५ । 'ततश्च' ('तद्विरक्ताः ') नैगुण्यावगमात् संसारविरक्ताः ६ । 'प्रतनुकषायाः अल्पहास्याश्च' ७-८ । हास्यग्रहणं रत्याधुपलक्षणम् । इति गाथार्थः ॥ ३५ ॥ सुकयण्णुआ विणीआ, रायाईणमविरुद्धकारी य । कल्लाणंगा सद्धा, थिरा तहा समुवसंपण्णा ॥ ३६ ॥ वृत्तिः- 'सुकृतज्ञा ९ विनीताः १० राजादीनामविरुद्धकारिणश्च' ११ । आदिशब्दाद् अमात्यादिपरिग्रहः १२ 'कल्याणाङ्गाः १३ श्राद्धाः १४ स्थिराः १५ । तथा समुपसम्पन्नाः' १६ इति गाथार्थः ।। ३६ ॥ 'केन' में वारजें व्याप्यान यु. वे 'केभ्यः', मेद्वार- व्याण्यान ३ छे. तेभा औनेहीक्षा ५वी ? અર્થાત્ કેવા જીવો દીક્ષાને લાયક છે એ કહે છે(૧) આર્યદેશમાં જન્મેલ- સાડા પચીસ પૈકી કોઈ આદિશમાં જેનો જન્મ થયો હોય, (૨) જાતિ-કુલથી વિશુદ્ધ- માતૃપક્ષ તે જાતિ, પિતૃપક્ષ તે કુલ. માતાની જાતિ અને પિતાનું કુલ मे बने ४ना विशिष्ट (= विशुद्ध) डोय, લઘુકર્મી- જેનો કર્મમલ લગભગ ઘણો) ક્ષીણ થઈ ગયો હોય, અર્થાત ચારિત્રમાં વિઘ્ન કરનારાં સંક્લિષ્ટ કમ ઘણાં ખપી ગયાં હોય. [૩૨] (3) ૧. મૂળ ગ્રંથમાં બહુવચનનો પ્રયોગ હોવા છતાં અનુવાદમાં એક વચનનો પ્રયોગ કર્યો છે. ૨. જેનાં ક્લિષ્ટકર્મો ક્ષીણ ન થયા હોય તે જીવ કોઈ કારણથી દીક્ષા લે તો પણ તેને સહસ્રમલ વગેરેની જેમ અનર્થ થવાનો પણ સંભવ છે. તથા તેને પ્રાયઃ મોક્ષરાગ ન થયો હોય, સંસાર અસાર ન લાગ્યો હોય, એથી દીક્ષા સંસારસુખ માટે લે તેવું પણ સંભવિત છે. સંસારસુખ માટે લીધેલી દીક્ષાથી પ્રાયઃ લાભ ન થાય અને પરિણામે દુઃખવૃદ્ધિ થાય એ પણ સુસંભવિત છે. (ધ. સં. ભાષાં.) Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते (૪) વિમલબુદ્ધિ- કર્મક્ષય થવાથી જેની બુદ્ધિ નિર્મલ (=આત્મકલ્યાણના જ ધ્યેયવાળી) હોય, (૫) સંસારની અસારતાને જાણનાર- નિર્મલબુદ્ધિ હોવાથી જ, સંસારરૂપ સમુદ્રમાં મનુષ્યભવ દુર્લભ છે, જન્મ એ મરણનું કારણ છે, સંપત્તિઓ ચપલ-અનિત્ય છે, [૩૩] વિષયો (= વિષયસુખો) દુઃખનું કારણ છે, જેનો સંયોગ થાય તેનો અવશ્ય વિયોગ થાય છે, અર્થાત્ સંયોગ વિયોગનું કારણ છે, પ્રતિસમય આયુષ્ય ઘટવા રૂપ મૃત્યુ થયા કરે છે, પરભવમાં કર્મોનો વિપાક (ફલ) અત્યંત ભયંકર આવે છે. [૩૪] આ રીતે સ્વાભાવિકપણે જ જેણે સંસારનો અસારતા રૂપ સ્વભાવ જાણ્યો હોય, (અર્થાત્ નિર્મલબુદ્ધિ હોવાથી ઉક્ત રીતે સંસાર અસાર છે એમ જેના ચિત્તમાં સમજાઈ ગયું હોય, કારણ કે જેના ચિત્તમાં સંસારની આવી અસારતા ન સમજાણી હોય તેની વિષયતૃષ્ણા અટકતી નથી.) (૬) સંસારથી વિરક્ત- સંસારની અસારતા જાણવાથી જ જે સંસારથી વિરક્ત હોય, (કારણ કે જે વિરક્ત ન બન્યો હોય તેને મધુબિંદુના સ્વાદમાં આસક્ત પુરુષની જેમ સંસારના સુખો દુષ્યાજ્ય બને.) (૭) પ્રતનુકષાય- જેના કષાયો અત્યંત મંદ હોય, (૮) અલ્પહાસ્ય- જેનામાં હાસ્ય અલ્પ હોય, હાસ્યના ઉપલક્ષણથી રતિ આદિ નોકષાયોના વિકારો જેનામાં અલ્પ હોય, (કારણ કે બહુ હાસ્ય વગેરે અનર્થદંડ રૂપ છે, અને ગૃહસ્થોને પણ તેનો નિષેધ છે.) [૩૫] (૯) સુકૃતજ્ઞ- પોતાના ઉપર બીજાઓએ કરેલા ઉપકારને જાણનારો હોય, (અર્થાત્ બીજાઓએ પોતાના ઉપર કરેલા ઉપકારને યાદ રાખીને ઉપકારનો બદલો વાળવાની ભાવનાવાળો હોય, કારણ કે જે ઉપકારીઓના ઉપકારને સમજતો નથી=યાદ રાખતો નથી તે સામાન્ય લોકમાં પણ અતિ અધમ મનાય છે.) (૧૦) વિનીત- જે માતા-પિતા આદિ વડિલોનો વિનય કરતો હોય, (કારણ કે વિનય ધર્મનું મૂળ છે.) (૧૧) રાજાદિનો અવિરોધી- રાજા, મંત્રી વગેરે (બલવાન-મોટા) માણસોની વિરુદ્ધ કાર્ય કરનાર ન હોય, અર્થાત્ રાજા વગેરે જેના વિરોધી ન હોય, (રાજા વગેરેના વિરોધીને દીક્ષા આપવાથી અનર્થ થવાનો સંભવ છે.) (૧૨) કલ્યાણાંગ- ખોડ-ખાપણથી રહિત અને પાંચ ઇંદ્રિયોથી પરિપૂર્ણ શરીરવાળો હોય, (કારણ કે ખોડ-ખાપણવાળો અને ઇંદ્રિયવિકલ હોય તો અજ્ઞાન લોકમાં જૈનશાસનની નિંદા થવાનો સંભવ રહે, અને પોતે પણ જયણા વગેરે ન પાળી શકે.) (૧૩) શ્રદ્ધાલુ- જિનવચન ઉપર શ્રદ્ધાવાળો હોય, (કારણ કે શ્રદ્ધા વિના ચારિત્ર સમ્યગ્ બનતું નથી.) (૧૪) સ્થિર- સ્થિરચિત્તવાળો હોય, (કારણ કે અસ્થિરચિત્તવાળો પોતે સ્વીકારેલા સંયમ, તપ, અભિગ્રહ વગેરેને છોડી દે એ સુસંભવ છે.) Page #50 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [ ૨૬ (૧૫) સમુપસંપન- સારી રીતે એટલે કે સંપૂર્ણ સમર્પણ ભાવથી, ઉપસંપન્ન=દીક્ષા લેવા આવ્યો હોય. આવા જીવો દીક્ષાને યોગ્ય છે. [૩૬]. उत्सर्गत एवंभूता एव, अपवादतस्त्वाह___ कालपरिहाणिदोसा, एत्तो एक्कादिगुणविहीणावि । ને વહુગુણસંપના, તે ગુપ હૃતિ નાવ્યા રૂ૭ वृत्तिः- 'कालपरिहाणिदोषात् अतो'-ऽनन्तरादिगुणगणान्वितेभ्यः, 'एकादिगुणविहीना अपि ये बहुगुणसम्पन्नास्ते योग्या भवन्ति ज्ञातव्याः', प्रव्रज्यायाः । इति गाथार्थः ॥ ३७ ।। ઉત્સર્ગથી આવા જ જીવો દીક્ષાને યોગ્ય છે. અપવાદથી તો ન્યૂનગુણવાળા પણ જીવો દીક્ષાને યોગ્ય છે એ કહે છે કાલની હાનિરૂપ દોષના પ્રભાવે ઉપર્યુક્ત ગુણોમાંથી એક, બે વગેરે ગુણો ઓછા હોય, છતાં જેઓ બહુગુણસંપન્ન હોય, એટલે કે મોટાભાગના ગુણો જેઓમાં હોય, તે જીવો દીક્ષાને યોગ્ય છે. [૩૭] न उ मणुअमाइएहिं, धम्मेहिं जुएत्ति एत्तिएणेव । પાવે મુસંપના, ગુણપરિસહ નેvi ૨૮ वृत्ति:- 'न तुमनुजादिभिर्धभैर्युक्ता इत्येतावतैव' योग्या इति, आदिशब्दादार्यदेशोत्पन्नग्रहः, fમેન્થિમ્ ? ત્રાદિ-પ્રો' વાદુચેન “TUપન્ના: સન્તઃ “TUર્ષથી યેન', ગુગપ્રઝર્વેશ પ્રવૃત્તિન સાધનીય: ત ગાથાર્થ: / રૂ૮ || પ્રશ્ન- દીક્ષાની યોગ્યતા માટે મનુષ્યભવ અને આર્યદેશમાં જન્મ આટલું બસ છે. ઘણા ગુણોની શી જરૂર છે? ઉત્તર- પ્રાયઃ ગુણસંપન્ન જીવો અધિક ગુણોને સાધે છે મેળવે છે. દીક્ષિતે અધિક ગુણો સાધવા=મેળવવા જોઈએ. [૩૮]. निगमयन्नाह एवंविहाण देया, पव्वज्जा भवविरत्तचित्ताणं । अच्चंतदुक्करा जं, थिरं च आलंबणमिमेसिं ॥ ३९ ॥ ૧. જે પોતાના જીવનની કે આરાધનાની સઘળી જવાબદારી ગુર્નાદિકને સોંપે નહિ તે ગુરુઆજ્ઞાનું પાલન કરી શકે નહિ, પરંતુ પોતાની બુદ્ધિમાં જેટલું ગ્રાહ્ય લાગે તેટલું સ્વીકારી બીજી ફેંકી દે. વાત એમ પણ છે કે જે (પૂર્ણપણે) સોંપાય નહિ તેનો સ્વીકાર પણ ગુરુ શી રીતે કરી શકે? કોઈ પણ કાર્યમાં બે વિરુદ્ધ વિચારધારાઓથી અથડામણ થાય, એથી શિષ્ય સમર્પિત ન હોય તો ગુરુની અને શિષ્યની વચ્ચે પરસ્પર અથડામણ ઉભી થવા સંભવ રહે અથવા અયોગ્ય સમજી શિષ્યની ઉપેક્ષા કરવાનો પ્રસંગ આવે. સર્વ નાના મોટા કાર્યોમાં ગુરુની બુદ્ધિને આગળ રાખીને એને આધીન વર્તે, દોરે તેમ દોરાય, તે દીક્ષાનું પાલન કરી શકે. માટે દીક્ષિતે સર્વ વિષયમાં ગુરુને સમર્પિત રહેવું જોઈએ. (ધ. સં. ભાષાં.) ૨. અહીં દીક્ષાને યોગ્ય જીવના પંદર ગુણો જણાવ્યા છે, જ્યારે ધર્મસંગ્રહ વગેરેમાં આ પંદર ઉપરાંત અદ્રોહ ગુણ પણ કહ્યો છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्ति:- 'एवंविधेभ्यो' बहुगुणसम्पन्नेभ्यो 'देया' दातव्या 'प्रव्रज्या' दीक्षा 'भवविरक्तचित्तेभ्यः' - संसारविरक्तचित्तेभ्यः किमित्यत्राह - 'अत्यन्तदुष्करा यत्' यस्मात् 'स्थिरं चालम्बनममीषां' भवविरक्तचित्तानाममी सदा वैराग्यभावेन कुर्वन्ति । इति गाथार्थ: ॥ ३९ ॥ २६ ] હવે પ્રસ્તુત વિષયનો ઉપસંહાર કરે છે— બહુગુણસંપન્ન અને સંસાર પ્રત્યે વૈરાગ્યવાળા જીવોને દીક્ષા આપવી જોઈએ. કારણ કે દીક્ષાનું પાલન અત્યંત દુષ્કર છે. અત્યંત દુષ્કર દીક્ષાના પાલન માટે સ્થિર આલંબન જોઈએ. સંસાર પ્રત્યે વૈરાગ્યવાળાઓને વૈરાગ્ય સ્થિર આલંબન છે. સંસાર પ્રત્યે વૈરાગી જીવો વૈરાગ્યભાવથી દીક્ષાનું पालन ४२ छे. [३८] दुष्करत्वनिबन्धनमाह अइगुरुओ मोहतरू, अणाइभवभावणाविअयमूलो । दुक्खं उम्मूलिज्जइ, अच्वंतं अप्पमत्तेहिं ॥ ४० 11 L वृत्ति:- 'अतिगुरु : ' अतिरौद्रः 'मोहतरुः ' मोहस्तरुरिवाशुभपुष्पफलदानभावेन. मोहतरुः 'अनादिभवभावनाविततमूलः '- अनादिमत्यो याः संसारभावना विषयस्पृहाद्यास्ताभिर्व्याप्तमूलः, यतश्चैवमतो 'दुःखमुन्मूल्यते' अपनीयते 'अत्यन्तमप्रमत्तैः' इति गाथार्थः ॥ ४० ॥ संसारविरत्ताण य, होइ तओ न उण तयभिनंदीणं । जिणवयपि न पायं, तेसिं गुणसाहगं होइ ॥ ४१ ॥ वृत्ति:- 'संसारविरक्तानां च भवति तक' इत्यसावप्रमादः, 'न पुनः तदभिनन्दिनां', जिनवचनाद् भविष्यतीति चेत्; एतदाशङ्कयाह - 'जिवनचनमपि' आस्तां तावदन्यत् 'न प्रायस्तेषां ' संसाराभिनन्दिनां ‘गुणसाधकं भवति' शुभनिर्वर्त्तकं भवति । इति गाथार्थः ॥ ४१ ॥ દીક્ષા દુષ્કર કેમ છે એ જણાવે છે—– મોહરૂપ વૃક્ષ અત્યંત ભયંકર છે. જેમ વૃક્ષ પુષ્પો અને ફળો આપે છે, તેમ મોહ અશુભ પુષ્પો અને ફળો આપે છે. માટે અહીં મોહને વૃક્ષની ઉપમા આપી છે. આ મોહ રૂપ વૃક્ષનાં મૂળિયાં સંસાર વધારનારી વિષયોની આકાંક્ષા વગેરે અશુભ ભાવનાઓથી વ્યાપ્ત છે. આથી અત્યંત અપ્રમત્ત જીવો પણ બહુજ મુશ્કેલીથી તેના મૂળિયાં ઉખેડી શકે છે. [૪૦] અપ્રમાદ સંસાર પ્રત્યે વૈરાગ્યવાળા જીવોને હોય, નહિ કે ભવાભિનંદી (= સંસાર પ્રત્યે ગાઢ રાગી) જીવોને. પ્રશ્ન- ભવાભિનંદી જીવોને જિનવચનથી અપ્રમાદ ન થાય ? ઉત્તર- ભવાભિનંદી જીવોને જિનવચન પણ પ્રાયઃ લાભ કરનારું બનતું નથી. [૪૧] Page #52 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [२७ किमित्यत आह गुरुकम्माणं जम्हा, किलिट्ठचित्ताण तस्स भावत्थो । नो परिणमेइ सम्मं, कुंकुमरागोव्व मलिणम्मि ॥ ४२ ॥ वृत्तिः- 'गुरुकर्मणां' प्रचुरकर्मणां 'यस्मात् क्लिष्टचित्तानां' मलिनचित्तानां 'तस्य' जिनवचनस्य 'भावार्थो'ऽविपरीतार्थो 'न परिणमति' न प्रतिभासते 'सम्यग्' अविपरीतः, दृष्टान्तमाह- 'कुङ्कुमराग इव मलिने' वाससीति गम्यते, न चापरिणतोऽसावप्रमादप्रसाधकः । इति गाथार्थः ॥ ४२ ॥ किञ्च विट्ठाण सूअरो जह, उवएसेण वि न तीरए धरिउं । संसारसूअरो इअ, अविरत्तमणो अकज्जम्मि ॥ ४३ ॥ वृत्तिः- 'विष्ठायां' पुरीषलक्षणायां शूकरः' पशुविशेषः यथा उपदेशेनापि' निवारणालक्षणेन, अपिशब्दात् प्राय: क्रिययापि 'न शक्यते धर्तुं', किन्तु बलात्प्रवर्तते, एवं 'संसारशूकरः' प्राणी 'इति' एवम् 'अविरक्तमनाः' संसार एवेति गम्यते 'अकार्य' इत्यनासेवनीये न शक्यते धर्तुम् । इति गाथार्थः ॥ ४३ ॥ ता धन्नाणं गीओ, उवाहिसुद्धाण देइ पव्वज्जं । आयपरपरिच्चाओ, विवज्जए मा हविज्जत्ति ॥ ४४ ॥ वृत्तिः- यस्मादेवं तस्माद्धन्येभ्यः' पुण्यभाग्भ्यो 'गीत' इति गीतार्थः, 'उपाधिशुद्धेभ्यः' आर्यदेशसमुत्पन्नादिविशेषणशुद्धेभ्यो 'ददाति प्रव्रज्यां' प्रयच्छति दीक्षाम्, 'आत्मपरपरित्यागो विपर्यये मा भूदिति'; तथाहि-अधन्येभ्योऽनुपाधिशुद्धेभ्यः प्रव्रज्यादाने आत्मपरपरित्यागो नियमत एव । इति गाथार्थः ॥ ४४ ॥ ભવાભિનંદીને જિનવચનથી લાભ ન થવાનું કારણ કહે છે– જેમ મલિનવસ્ત્રમાં કેશરનો રંગ પરિણમતો નથી=ચઢતો નથી, તેમ બહુકર્મવાળા અને મલિનચિત્તવાળા જીવોને જિનવચનનો સાચો અર્થ યથાર્થપણે પરિણમતો (= સમજાતો) નથી. [૪૨] જેમ ભૂંડ ઉપદેશથી અને પ્રયત્નથી પણ વિષ્ઠાથી દૂર કરી શકાતો નથી, ભૂંડ બલાત્કારે વિષ્ઠામાં પ્રવર્તે છે=મોઢું નાખે છે, તેમ સંસારથી અવિરક્ત સંસારી જીવરૂપ ભૂંડ અકાર્યથી દૂર કરી શકાતો નથી. (ટીકાના પ્રાયઃ શબ્દનો ભાવાર્થ આ પ્રમાણે છે- ઉપદેશથી તો બિલકુલ રોકી શકાતો નથી. ક્રિયાથી=પ્રયત્નથી પણ પ્રાયઃ રોકી શકાતો નથી. પ્રાયઃ એટલા માટે કહ્યું કે કદાચ કોઈ ભૂંડને બાંધીને રોકી શકે.) [૪૩] આથી ગીતાર્થ “આર્યદેશમાં જન્મ” વગેરે ગુણોથી યુક્ત હોય એવા પુણ્યશાલીઓને દીક્ષા આપે. જેથી સ્વ-પરનું અહિત ન થાય. વિપરીત કરવામાં એટલે કે ગુણહીન Page #53 -------------------------------------------------------------------------- ________________ २८] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते એવા પુણ્યહીનોને દીક્ષા આપવામાં અવશ્ય સ્વ-પરનું અહિત થાય. [૪૪] एतदेव भावयति अविणीओ न य सिक्खइ, सिक्खं पडिसिद्धसेवणं कुणइ । सिक्खावणेण तस्स हु, सइ अप्पा होइ परिचत्तो ॥ ४५ ॥ वृत्तिः- 'अविनीत' इति, सह्यधन्यः प्रव्रजितः प्रकृत्यैवाविनीतो भवति, 'न च शिक्षति शिक्षा' ग्रहणासेवनारूपां, 'प्रतिषिद्धसेवनं करोति' अविहितानुष्ठाने च प्रवर्तते ('शिक्षापनेन') प्रतीत(?प्रतीप)शिक्षणेन 'तस्य' इत्थंभूतस्य 'सदा' सर्वकालम् 'आत्मा भवति परित्यक्तः' अविषयप्रवृत्तेः । इति गाथार्थः ॥ ४५ ॥ तस्स वि य अट्टज्झाणं, सद्धाभावम्मि उभयलोगेहिं । जीविअमहलं किरियाणाएणं तस्स चाओत्ति ॥ ४६ ॥ वृत्तिः- 'तस्यापि च' अधन्यस्याशिक्षायां प्रवर्त्तमानस्य 'आर्तध्यानम्' इत्यार्त्तध्यानं भवति । किमित्यत आह- 'श्रद्धाभावे' सति, श्राद्धस्य हि तथाप्रवर्त्तमानस्य सुखं, नेतरस्य, ततश्च 'उभयलोकयोः' इह लोके परलोके च 'जीवितमफलं' तस्य, इह लोके तावद्भिक्षाटनादियोगात्, परलोके च कर्मबन्धात्, ‘क्रियाज्ञातेन' इति वैद्यकियोदाहरणेन 'तस्य त्याग इति' अनेन प्रकारेण परपरित्यागः । इति गाथार्थः ॥ ४६ ॥ આ જ વિષયને વિચારે છે– દીક્ષિત બનેલો અધન્ય સ્વભાવથી જ અવિનીત હોય, આથી ગ્રહણ અને આસેવન રૂપ શિક્ષા લે નહિ, અને પ્રતિષિદ્ધ આચરણ કરે. આવાને શિક્ષણ પ્રતિકૂળ બને છે. આથી આવાને શિક્ષણ આપનારે સદા પોતાના આત્માનો ત્યાગ કર્યો પોતાના આત્માનું અહિત કર્યું સમજવું. કારણ કે તેવાને શિક્ષણ આપવું એ અયોગ્ય પ્રવૃત્તિ છે. [૪૫] તથા શિક્ષા ન લેનાર અધન્યને (ચારિત્રપાલનમાં) આર્તધ્યાન થાય. કારણ કે તેને જિનવચનમાં શ્રદ્ધા ન હોય. જેને જિનવચનમાં શ્રદ્ધા હોય તે ગ્રહણ અને આસેવનરૂપ શિક્ષા લે, એથી તેને (ચારિત્રપાલનમાં) સુખ થાય. જયારે અશ્રદ્ધાળુને સુખ ન થાય= કંટાળો આવે. તેથી તેના આ લોક અને પરલોક એ બંને નિષ્ફળ થાય, ભિક્ષા માટે ફરવું વગેરે (કચ્છ)થી આ લોક નિષ્ફળ થાય, અને કર્મબંધ થવાથી પરલોક નિષ્ફળ થાય. આથી આવા જીવોનો વૈદ્યચિકિત્સાના દૃષ્ટાંતથી ત્યાગ કરવો જોઈએ, અર્થાતુ આવા જીવોને दीक्षा न मापवी. होऽमे. [४६] क्रियाज्ञातमाह जह लोअम्मि वि विज्जो, असज्झवाहीण कुणइ जो किरियं । सो अप्पाणं तह वाहिए अ पाडेइ केसम्मि ॥ ४७ ॥ Page #54 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [२९ वृत्तिः- 'यथा लोकेऽपि वैद्य असाध्यव्याधीनाम्' आतुराणां 'करोति यः क्रियां, स आत्मानं तथा व्याधितांश्च पातयति क्लेशे', व्याध्यपगमाभावात् । इति गाथार्थः ॥ ४७ ॥ तह चेव धम्मविज्जो, एत्थ असज्झाण जो उ पव्वज्जं । भावकिरिअं पउंजइ, तस्सवि उवमा इमा चेव ॥ ४८ ॥ वृत्तिः- 'तथैव धर्मवैद्य' आचार्यः 'अत्र' अधिकारे 'असाध्यानां' कर्मव्याधिमाश्रित्य 'यस्तु प्रव्रज्यां भावक्रियां प्रयुक्ते' कर्मरोगनाशनाय 'तस्यापि' धर्मवैद्यस्य 'उपमा इयमेव', आत्मानं तांश्च क्लेशे पातयति । इति गाथार्थः ॥ ४८ ॥ ચિકિત્સાનું દૃષ્ટાંત કહે છે જેમ લોકમાં પણ વૈદ્ય અસાધ્ય વ્યાધિવાળા રોગીઓની ચિકિત્સા કરે તો રોગ દૂર ન થવાથી પોતાને અને રોગીઓને ક્લેશમાં પાડે છે, તેમ પ્રસ્તુતમાં અસાધ્ય કર્મવ્યાધિવાળાઓના કર્મરોગનો નાશ કરવા પ્રવ્રયા રૂપ ભાવચિકિત્સા કરનાર ધર્મવૈદ્ય આચાર્ય પણ પોતાને તથા તેમને ક્લેશમાં पाउ छे. [४७-४८] चोदक आह-जिनक्रियाया असाध्या नाम न सन्ति, सत्यमित्याह जिणकिरिआए असज्झा,ण इत्थ लोगम्मि केइ विज्जंति । जे तप्पओगजोगा, ते सज्झा एस परमत्थो ॥ ४९ ॥ वृत्ति:- जिनानां सम्बन्धिनी क्रिया तत्प्रणेतृत्वेन 'जिनक्रिया' तस्या 'असाध्या' अचिकित्स्याः 'नात्र लोके' प्राणिलोके केचन' प्राणिनो 'विद्यन्ते' । किन्तु 'ये तत्प्रयोगायोग्या' जिनक्रियायामनुचिता: 'तेऽसाध्याः' कर्मव्याधिमाश्रित्य, 'एष परमार्थः' इदमत्र हृदयम् । इति गाथार्थः ॥ ४९ ॥ - જિનચિકિત્સાથી કોઈ જીવો અસાધ્ય નથી એ વિષે કહે છે અલબત્ત, જિન ચિકિત્સાથી આ લોકમાં કોઈ જીવો અસાધ્ય નથી, (અર્થાત જિનચિકિત્સા સર્વજીવોનો કર્મરોગ દૂર કરી શકવા સમર્થ છે) પણ જે જીવો જિનચિકિત્સા કરવા લાયક ન હોય તે જીવો કર્મવ્યાધિની અપેક્ષાએ અસાધ્ય છે, એવો અહીં તાત્પર્યાર્થ છે. (આનો અર્થ એ થયો કે જિનચિકિત્સામાં ખામી નથી, કિંતુ જીવોમાં ખામી છે. દૂધ પુષ્ટિકારક હોવા છતાં નબળા આંતરડાવાળાને દૂધથી પુષ્ટિ ન થાય તો તેમાં દૂધની ખામી ન ગણાય, કિંતુ શરીરની-આંતરડાની भाभी गय.) [४८] एएसि वयपमाणं, अट्ठसमाउत्ति वीअरागेहिं । भणियं जहन्नयं खलु, उक्कोसं अणवगल्लोत्ति ॥ ५० ॥ वृत्तिः- “एतेषां' प्रव्रज्यायोग्यानां 'वयःप्रमाणं' शरीरावस्थाप्रमाणम् 'अष्टौ समा इति' Page #55 -------------------------------------------------------------------------- ________________ ३० ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अष्टवर्षाणि 'वीतरागैः' जिनैः ‘भणितं' प्रतिपादितं, 'जघन्यकं खलु' सर्वस्तोकमेतदेव द्रव्यलिङ्गप्रतिपत्तेरिति, उत्कृष्टं' वयःप्रमाणं अनवगल्लइति' अनत्यन्तवृद्धः । इति गाथार्थः ॥ ५० ॥ (वे 2क्षी भरे ही आपी शय ते ४॥वे छे-) જિનેશ્વરોએ પ્રવ્રયાયોગ્ય જીવોનું દ્રવ્યલિંગ (સાધુવેષ) ધારણ કરવા માટે વયપ્રમાણ જઘન્યથી (= ઓછામાં ઓછું) આઠ વર્ષનું, અને ઉત્કૃષ્ટથી (= વધારેમાં વધારે) અત્યંત વૃદ્ધ ન थाय त्यां सुधार्नु युं छे. [५०] अधः को दोष ? इति चेत्; उच्यते तदहो परिभवखित्तं, ण चरणभावो वि पायमेएसिं । आहच्चभावकहगं, सुत्तं पुण होइ नायव्वं ॥ ५१ ॥ वृत्तिः- 'तदधः परिभवक्षेत्रम्' इत्यष्टभ्यो वर्षेभ्य आरादसौ परिभवभाजनं भवति 'न चरणपरिणामो (भावो)ऽपि' न चारित्रपरिणामोऽपि 'प्रायो' बाहुल्येन 'एतेषां' तदधोवर्तिनां बालानामिति; आह-एवं सति सूत्रविरोधः, 'छम्मासियं छसु जयं' इत्यादि श्रवणान्नैव चरणपरिणाममन्तरेण भावतः षट्सु यतो भवतीति । अत्रोत्तरमाह-'आहत्यभावकथकं' कादाचित्कभावसूचकं 'सूत्रं पुनः' षाण्मासिकम् इत्यादि 'भवति ज्ञातव्यम्', तच्च प्रायोग्रहणेन व्युदस्तमेव, न सूत्रविरोधः । इति गाथार्थः ॥ ५१ ॥ આઠ વર્ષથી ઓછી ઉંમરવાળાને દીક્ષા આપવામાં દોષો જણાવે છે– આઠ વર્ષથી ઓછી ઉંમરવાળાને દીક્ષા આપવામાં દીક્ષિત પરાભવનું પાત્ર બને છે. તથા આઠ વર્ષોથી ઓછી ઉંમરવાળા બાળકોને પ્રાયઃ ચારિત્રના પરિણામ પણ થાય નહિ. પ્રશ્ન- આમ કહેવાથી તો સૂત્રની સાથે વિરોધ આવે છે. કારણ કે શાસ્ત્રમાં “છ માસની વયવાળા શ્રી વજસ્વામી છકાયમાં યતનાવાળા હતા” ઇત્યાદિ વાંચવામાં આવે છે. ચારિત્રના પરિણામ વિના ભાવથી છકાયમાં તનાવાળા ન જ થાય. ઉત્તર- ઉક્ત વચન ક્યારેક બનતા ભાવનું સૂચક છે. અહીં પ્રાયઃ શબ્દના ઉલ્લેખથી એ વિરોધ દૂર કર્યો છે. આથી અહીં સૂત્રવિરોધ નથી. [૫૧] पराभिप्रायमाह केइ भणंति बाला, किल एए वयजुआवि जे भणिया । खुड्डगभावाउ च्चिय, न हुंति चरणस्स जुग्गुत्ति ॥५२ ॥ वृत्तिः- 'केचन भणन्ति' तन्त्रान्तरीयास्त्रैवेद्यवृद्धादयो 'बालाः किल एते' के इत्याह 'वयोयुक्ता अपि ये भणिता' अष्टवर्षा अपि ये उक्ताः, यतश्चैवमतः 'क्षुलकभावादेव' बालत्वादेव किमित्याह-'न सम्भवन्ति चरणस्य योग्या' इति न चारित्रोचिताः । इति गाथार्थः ॥ ५२ ॥ Page #56 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [३१ अन्ने उ भुत्तभोगाणमेव पव्वज्जमणहमिच्छंति । संभावणिज्जदोसा, वयम्मि जं खुड्डगा होंति ॥ ५३ ॥ वृत्तिः- ‘अन्ये तु' त्रैवेद्यवृद्धाः 'भुक्तभोगानामेव' अतीतयौवनानां 'प्रव्रज्यामनवद्यां' अपापा इच्छन्ति प्रतिपद्यन्ते, किमित्यत्राह-'सम्भावनीयदोषाः' सम्भाव्यमानविषयासेवनापराधा वयसि यौवने 'यद्' यस्मात् क्षुल्लका भवन्ति', सम्भवी च दोषः परिहर्त्तव्यो यतिभिः । इति गाथार्थः ॥ ५३ ॥ विण्णाय विसयसंगा, सुहं च किल ते तओणुपालंति । कोउअनिअत्तभावा, पव्वज्जमसंकणिज्जा य ॥ ५४ ॥ वृत्तिः- 'विज्ञातविषयसङ्गाः' अनुभूतविषयसङ्गाः सन्तः 'सुखं च किल ते' अतीतवयसः, 'ततो' विज्ञातविषयसङ्गत्वात् कारणात् 'अनुपालयन्ति' 'प्रव्रज्याम्' इति योगः, कस्माद्धेतोरित्यत्राह- 'कौतुकनिवृत्तभावा' इति कृत्वा, "निमित्तकारणहेतुषु सर्वासां प्रायो दर्शनम्' इति वचनात्, विषयालम्बनकौतुकनिवृत्तभावत्वादित्यर्थः, गुणान्तरमाह- 'अशङ्कनीयाश्च' इति, अतिक्रान्तवयसः सर्वप्रयोजनेष्वेवाशङ्कनीयाश्च भवन्ति । इति गाथार्थः ॥ ५४ !! અન્યનો અભિપ્રાય જણાવે છે– કોઈક નૈવેદ્ય (= ત્રણ વેદોને જાણનાર કે ભણનાર) વૃદ્ધો વગેરે અન્ય સિદ્ધાંતકારો કહે છે કે- આઠ વર્ષની ઉંમરવાળા પણ દીક્ષાને યોગ્ય કહ્યા, પણ તેઓ હજી બાલક છે, તેઓ બાળક હોવાથી જ ચારિત્રને યોગ્ય નથી. [૫૨] વળી બીજા નૈવેદ્ય વૃદ્ધો તો કહે છે કે- જેઓનું યૌવન વીતી ગયું છે તેવા ભક્તભોગીઓની દીક્ષા નિષ્પાપ (= નિર્દોષ) છે. કારણ કે નાની વયવાળા સાધુઓ યૌવન વયમાં વિષયસેવન (અબ્રહ્મસેવન) રૂ૫ અપરાધ કરે એ સંભવિત છે. સાધુઓએ સંભવિત પણ દોષનો ત્યાગ કરવો જોઈએ. [૫૩] યૌવનમાંથી પસાર થઈ ગયેલા ભુક્તભોગી મનુષ્યોએ વિષયસંગનો (= વિષયસંગજનિત સુખનો) અનુભવ કર્યો હોવાથી વિષયસંગથી પરિચિત હોય છે, અને એથી વિષયસંગ સંબંધી કૌતુકથી રહિત હોય છે. આથી તેઓ સુખપૂર્વક દીક્ષાનું પાલન કરે છે અને સર્વકાર્યોમાં તેમના ઉપર બીજાઓને (બ્રહ્મચર્ય પાલન સંબંધી) શંકા રહેતી નથી. प्रश्न- कौतुकनिवृत्तभावाः मे प्रथमा विमति छे. ॥२९सर्थमा प्रथमा विमति नसावे. તો અહીં કારણ અર્થ કેમ કર્યો? ઉત્તર- નિમિત્ત, કારણ અને હેતુ એ અર્થમાં પ્રાયઃ કરીને સર્વ વિભક્તિઓનો પ્રયોગ થાય છે એવું વચન હોવાથી અહીં પ્રથમા વિભક્તિ કારણ અર્થમાં છે. [૫૪]. किञ्च धम्मत्थकाममोक्खा, पुरिसत्था जं चयारि लोगम्मि । एए अ सेविअव्वा, निअनिअकालम्मि सव्वे वि ॥ ५५ ॥ वृत्तिः- 'धर्मार्थकाममोक्षाः पुरुषार्थाः यद्' यस्मात् 'चत्वारो लोके', तत्राहिंसादिलक्षणो Page #57 -------------------------------------------------------------------------- ________________ ३२ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते धर्मः, हिरण्यादिरर्थः, इच्छामदनलक्षणः कामः, अनाबाधो मोक्षः, 'ऐते' चत्वारः पुरुषार्थाः 'सेवितव्याः' 'निजनिजकाले' आत्मीयात्मीयकाले 'सर्वेऽपि', अन्यथा अक्षीणकामनिबन्धनकर्मणस्तत्परित्यागे दोषोपपत्तेः इति गाथार्थः ॥ ५५ ॥ वणी અતીત યૌવનવયમાં દીક્ષા આપવાનું બીજું કારણ એ છે કે-લોકમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થો છે. તે સર્વ પુરુષાર્થો પોતપોતાના કાળે આચરવા જોઈએ. કામપુરુષાર્થના કાળે કામનું સેવન ન કરવામાં આવે તો કામના કારણભૂત ભોગકર્મોનો ક્ષય ન થવાથી કામનો ત્યાગ કરવામાં દોષો ઉત્પન્ન થાય. भसि वगैरे. अर्थ=सुपए बगैरे. आम=४७पूर्व महानु सेवन. भोक्ष यां કોઈ પણ પ્રકારની પીડા નથી તેવું સ્થાન. [૫૫] गुणान्तरमाह तहऽभुत्तभोगदोसा, कोउगकामगहपत्थणाईआ । एएवि होंति विजढा, जोग्गाहिगयाण तो दिक्खा ।। ५६ ॥ वृत्तिः- 'तथा अभुक्तभोगदोषा' इति न भुक्ता भोगा यैस्ते अभुक्तभोगास्तदोषाः 'कौतुककामग्रहप्रार्थनादयः' तत्र कौतुकं सुरतविषयमौत्सुक्यं, कामग्रहः तदनासेवनोद्रेकाद्विभ्रमः, प्रार्थना योषिदभ्यर्थना, आदिशब्दाद् बलाद् ग्रहणादिपरिग्रहः, 'एतेऽपि भवन्ति विजढाः' परित्यक्ता अतिक्रान्तवयोभिः प्रव्रज्यां प्रतिपद्यमानैरिति 'योग्याधिकृतानाम्' अतिक्रान्तवयसामेव 'तत्' तस्मात् 'दीक्षा' प्रव्रज्या, इतरे त्वयोग्या एवोक्तदोषोपपत्तेः । इति गाथार्थः ।। ५६ ॥ અતીતવયમાં દીક્ષા આપવાથી થતા બીજા લાભો જણાવે છે– બાલવયવાળા અભુક્તભોગીને દીક્ષામાં કૌતુક, કામપ્રહ, પ્રાર્થના વગેરે દોષો સંભવિત છે, જ્યારે યૌવનને વટાવી ગયેલા ભુક્તભોગીને આ દોષો થતા નથી. આથી યૌવનને વટાવી ગયેલા જ મનુષ્યો દીક્ષાને યોગ્ય છે. બાલવયવાળાઓ ઉપર્યુક્ત દોષોના કારણે અયોગ્ય જ છે. કૌતુક એટલે મૈથુનસંબંધી ઉત્સુકતા. કામાગ્રહ એટલે કામને તદ્દન ન સેવવાથી ઉત્પન્ન થતો ચિત્તવિભ્રમ. પ્રાર્થના એટલે સ્ત્રી પાસે વિષયસેવન માટે માગણી. આદિ શબ્દથી બલાત્કારે સ્ત્રી સાથે विषयसेवन २. वगेरे सम४. [५६] एषः पूर्वपक्षः, अत्रोत्तरमाह भण्णइ खुड्डुगभावो, कम्मखओवसमभावपभवेणं । चरणेण किं विरुज्झइ ?, जेणमजोग्गत्ति सग्गाहो ॥५७॥ वृत्ति:-'भण्यते'ऽत्र प्रतिवचनं-'क्षुल्लकभावो' बालभावः, कर्मक्षयोपशमभावप्रभवेन' कर्मक्षयोपशमभावात् प्रभव-उत्पादो यस्य तेनेत्थम्भूतेन 'चरणेन' सहार्थे तृतीयेति सह "किं Page #58 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [३३ विरुध्यते ? येनायोग्या:' क्षुल्लका 'इत्यसद्ग्राहः', न विरुध्यते । इति गाथार्थः ॥ ५७ ॥ બાલદીક્ષાવિરોધનો આ પૂર્વપક્ષ કહ્યો, હવે ઉત્તરપક્ષ કહે છે– બાલ્યાવસ્થામાં દીક્ષા આપવા માટે વાદીએ કરેલી દલીલોનો હવે જવાબ આપવામાં આવે છે(૧) કર્મના ક્ષયોપશમ ભાવથી થનારા ચારિત્રની (ચારિત્રના પરિણામની) સાથે બાલભાવ (બાલ્યાવસ્થા) શું વિરોધી છે? જેથી બાળકો દીક્ષા માટે અયોગ્ય છે એવો અસ આગ્રહ રાખવામાં આવે છે; અર્થાત્ કર્મયોપશમથી થતા ચારિત્રની સાથે બાલભાવ વિરુદ્ધ નથી, (બાલ્યવયમાં પણ કર્મક્ષયોપશમ થાય તો ચારિત્રના પરિણામ થાય.) આથી બાળકો દીક્ષા માટે અયોગ્ય છે એવો ખોટો આગ્રહ રાખવો જોઈએ. આમાં બાવનમી ગાથામાં વાદીએ કરેલી દલીલનું નિરાકરણ કર્યું.) [૫૭] एतदेव स्पष्टयन्नाह तक्कम्मखओवसमो, चित्तनिबंधणसमुब्भवो भणिओ । न उ वयनिबंधणोच्चिय, तम्हा एआणमविरोहो ॥५८ ॥ वृत्तिः- 'तत्कर्मक्षयोपशमः' चारित्रमोहनीयकर्मक्षयोपशम: 'चित्रनिबन्धनसमुद्भवो' नानाप्रकारकारणादुत्पादो यस्य स तथाविधो 'भणितः' उक्तोऽर्हदादिभिः 'न तु वयोनिबन्धन एव' न विशिष्टशरीरावस्थाकारण एष, यस्मादेवं तस्मादेतयोः' वयश्चरणपरिणामयोः 'अविरोधो'ऽबाधा । इति गाथार्थः ॥ ५८ ॥ ઉપર્યુક્ત વિષયને જ વિશેષ સ્પષ્ટ કરે છે– ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ વિવિધ કારણથી ઉત્પન્ન થાય છે, વિશિષ્ટ શારીરિક અવસ્થા (વય) જ તેનું કારણ નથી, એમ અરિહંત વગેરે મહાપુરુષોએ કહ્યું છે. આથી વય અને यारित्र५२मनो विशेष नथी. [५८] इत्थं चैतदङ्गीकर्तव्यमिति दर्शयति गयजोव्वणा वि पुरिसा, बालुव्व समायरंति कम्माणि । दोग्गइनिबंधणाई, जोव्वणवंता वि ण य केइ ॥५९ ॥ वृत्तिः- 'गतयौवना' अतिक्रान्तवयसोऽपि 'पुरुषाः बाला इव' यौवनोन्मत्ता इव 'समाचरन्ति' आसेवन्ते 'कर्माणि' क्रियारूपाणि, किंविशिष्टानि ? इत्याह-'दुर्गतिनिबन्धनानि' कुगतिकारणानि 'यौवनवन्तोऽपि' यौवनसमन्विता अपि 'न च केचन' समाचरन्ति तथाविधानि कर्माणि, ततो व्यभिचारि यौवनम् । इति गाथार्थः ।। ५९ ॥ ततश्च जोव्वणमविवेगो च्चिअ, विन्नेओ भावओ उ तयभावो । जोव्वणविगमो सो उण, जिणेहिं न कया वि पडिसिद्धो॥६० ॥ वृत्तिः- 'यौवनमविवेक एव विज्ञेयः, भावतस्तु' परमार्थत एप 'तदभाव' Page #59 -------------------------------------------------------------------------- ________________ ३४ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अविवेकाभावो 'यौवनविगमः', 'स पुनः' अविवेकाभावो 'जिनैर्न कदाचित् प्रतिषिद्धः' सदैव सम्भवात् । इति गाथार्थः ॥ ६० ॥ વય અને ચારિત્રપરિણામમાં વિરોધ ન હોવાથી આ (હવેની ગાથામાં કહેવાશે તે) સ્વીકારવું જોઈએ એમ ४शावे छे યૌવનને વટાવી ચૂકેલા પણ પુરુષો યૌવનથી ઉન્મત્ત બનેલાઓની જેમ દુર્ગતિનું કારણ હોય તેવાં કામો (= આચરણ) કરે છે, કેટલાક પુરુષો યુવાન બનવા છતાં તેવાં કર્મો (= આચરણ) કરતા નથી. આથી યૌવનમાં દોષો થાય જ એવો નિયમ નથી. [૫૯] આથી પરમાર્થથી તો અવિવેક से ४ यौवन छे, जने अविवेऽनो अभाव (= विवे3) मे ४ यौवननो अंत (= वृद्धत्व) छे खेम જાણવું અને જિનેશ્વરોએ અવિવેકાભાવનો (= વિવેકનો) ક્યારેય (= અમુક ઉંમરમાં ન થાય એમ) निषेध र्यो नथी. अरए| } अविवेऽनो अभाव (= विवे5) श्रे पए। भरमां थ शडे छे. [१०] अत्राह जड़ एवं तो कम्हा, वयम्मि निअमो कओ उनणु भणियं ! तदहो परिहवखित्ताइ कारणं बहुविहं पुव्वं ॥ ६१ ॥ वृत्ति:- ‘यद्येवं' यौवनं व्यभिचारि, 'ततः कस्माद्वयसि नियमः कृत एव' ? अष्टौ समा इत्येवंभूतः, अत्रोत्तरमाह - ' ननु भणितम्' अत्र 'तदधः परिभवक्षेत्रादिकारणं बहुविधम्' अनेकप्रकारं 'पूर्वम्' । इति गाथार्थः ॥ ६१ ॥ અહીં પ્રશ્નોત્તરી કરે છે– પ્રશ્ન- જો યૌવનમાં દોષો થાય જ એવો નિયમ નથી તો આઠ વર્ષની વયવાળો દીક્ષાને યોગ્ય છે એવો નિયમ કેમ કર્યો ? (અર્થાત્ આઠ વર્ષથી નાની ઉંમરવાળાને દીક્ષાનો નિષેધ કેમ કર્યો ?) ઉત્તર- આઠ વર્ષથી નાની વયવાળો દીક્ષિત પરાભવનું પાત્ર બને છે વગેરે અનેક કારણોથી ઉક્ત नियम छे. या विगतं पूर्वे (प०मी गाथामा) व छे. [१] पूर्वपक्षमुल्लिङ्गय व्यभिचारयन्नाह संभावणिज्जदोसा, वयम्मि खुड्डुत्ति जं पि तं भणिअं । तंपि न अहं जम्हा, सुभुत्तभोगाण वि समं तं ॥ ६२ ॥ वृत्ति:- 'सम्भावनीयदोषा वयसि क्षुल्लका इति यद् भणितं ' पूर्वं ' तदपि' तद् भणितमपि 'नानघं' न शोभनं, कुत ? इत्याह- ' यस्मात् सुभुक्तभोगानामपि' अतीतवयसां ऋषिश्रृङ्गपितृप्रभृतीनां 'समं' तुल्यं 'तत्' सम्भावनीयदोषत्वमिति गाथार्थः ॥ ६२ ॥ किञ्च कम्माण रायभूअं, वेअंतं जाव मोहणिज्जं तु । संभावणिज्जदोसा, चिट्ठइ ता चरमदेहा वि ॥ ६३ ॥ Page #60 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम्] [३५ वृत्तिः- 'कर्मणां राजभूतं' अशुभतया प्रधानमित्यर्थः, ओघत एव मिथ्यात्वादेरारभ्य 'वेदान्तं यावन्मोहनीयं तु तिष्ठति' (इति) योगः, तुर्विशेषणार्थः, किं विशिनष्टि ?स्वप्रक्रियामाश्रित्यैवं, तन्त्रान्तरं त्वाश्रित्य भवाभिनन्दिनी अविद्या परिगृह्यते, 'सम्भावनीयदोषाः तावत् चरमदेहा अपि' पश्चिमशरीरा अपि, तिष्ठन्तु तावदन्यः । इति गाथार्थः ॥ ६३ ॥ પૂર્વ પક્ષનો ઉલ્લેખ કરીને તેમાં દોષ કહે છે (૨) નાની ઉંમરવાળાઓમાં (દીક્ષાથી) દોષોનો સંભવ છે એમ જે (પ૩મી ગાથામાં) કહ્યું તે પણ બરોબર નથી. કારણ કે જેમણે સારી રીતે (= ઘણા પ્રમાણમાં) ભોગો ભોગવ્યા છે તેવા મોટી ઉંમરના પુરુષોમાં પણ દોષોનો સંભવ છે. ઋષ્યશૃંગના પિતા (=વભાંડક નામના મુનિ) વગેરે આમાં દષ્ટાંત રૂપ છે. [૬૨] વળી સર્વકમથી અધિક અશુભ હોવાથી કમમાં રાજાસમાન મોહનીય કર્મ મિથ્યાત્વ ગુણસ્થાનકથી આરંભી વેદનો ક્ષય થાય ત્યાં સુધી (નવમા ગુણસ્થાનક સુધી) રહે छ. माथी बीमो तो दूर रहो, यरमशरीरी वोमा ५ घोषोनी संभावना छे. [3] यतश्चैवम् तम्हा न दिक्खिअव्वा, केइ अणिअट्टिबायरादारा । ते न य दिक्खाविअला, पायं जं विसममेअंति (? तो)॥६४ ॥ वृत्तिः- यस्मादेवं 'तस्मान्न दीक्षितव्या'-न प्रव्राजनीयाः 'केचिद् अनिवृत्तिबादरेभ्य आरात्'-क्षपक-श्रेणिप्रक्रमे यावदनिवृत्तिबादरा न संजातास्तावन दीक्षितव्या इति स्वप्रक्रियानुसारेण, तन्त्रान्तरपरिभाषया त्वानन्दशक्त्यनुबोधेनावाप्ताणिमादिभावेभ्य आरादिति, 'ते च'-अनिवृत्तिबादराः अवाप्ताणिमादिभावा वा 'न दीक्षाविकलाः'-न प्रव्रज्याशून्या: 'प्रायः' तत्रान्यत्र वा जन्मनि द्रव्यदीक्षामप्याश्रित्य, मरुदेवीकल्पाश्चर्यभावव्यवच्छेदार्थं प्रायोग्रहणम्, एतच्च तन्त्रान्तरेऽपि स्वपरिभाषया गीयत एव 'अत्यन्तमनवाप्तकल्याणोऽपि कल्याणं प्राप्त' इति वचनात्, 'यद्'यस्मादेवं 'विषममेतत् ततः'-तस्माद् विषमं सङ्कटमेतत्, किमुक्तं भवति ?-दीक्षाव्यतिरेकेण विशिष्टगुणा न भवन्ति तद्व्यतिरेकेण च न दीक्षेतीतरेतराश्रयविरोधः । इति गाथार्थः ॥ ६४ ॥ આથી ક્ષપકશ્રેણીમાં આરૂઢ થઈને અનિવૃત્તિ બાદર ગુણસ્થાનને પામે નહિ તે પહેલાં કોઈને દીક્ષા ન આપવી જોઈએ. આ વર્ણન જૈનપ્રક્રિયા અનુસારે છે. જૈનેતર સિદ્ધાંતની પરિભાષા પ્રમાણે તો આનંદશક્તિના અનુબોધથી (= નિર્વિચાર સમાધિમાં થતા આનંદના અનુભવથી) પ્રાપ્ત થનારા અણિમાદિભાવોને પામે નહિ તે પહેલાં કોઈને દીક્ષા ન આપવી જોઈએ. અનિવૃત્તિ બાદર ગુણસ્થાનને પામેલા કે અણિમાદિભાવોને પામેલા જીવો પ્રાયઃ દીક્ષાથી રહિત ન હોય, આ ભવમાં ૧. જૈન પ્રક્રિયાની અપેક્ષાએ અહીં મોહનીય કર્મ કહ્યું છે. જૈનેતર સિદ્ધાંતની અપેક્ષાએ મોહનીયના સ્થાને ભવામિનદિની (= ભવમાં આનંદ કરાવનારી) અવિધા સમજવી. અર્થાત જેન જેને મોહનીય કહે છે તેને જૈનેતરો અવિદ્યા કહે છે. ૨. વેદનો ક્ષય થયા પછી પણ દશમા ગુણસ્થાને લોભ મોહનીય હોવા છતાં એક જ અને અત્યંત સૂકમ હોવાથી તેની વિવક્ષા કરી નથી એમ સમજાય છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કે પરભવમાં તેમણે દ્રવ્યદીક્ષા (=સાધુવેષ) સ્વીકારી હોય. મરુદેવી માતા જેવા આશ્ચર્યકારી બનાવોને અપવાદ રૂપ સમજવા. તેથી જ અહીં “પ્રાયઃ” શબ્દનો ઉલ્લેખ કર્યો છે. આ વાત જૈનેતરગ્રંથોમાં પોતાની પરિભાષાથી કહેવામાં આવી જ છે. કારણ કે “જે પહેલાં ક્યારેય કલ્યાણને પામ્યો નથી તે પણ કલ્યાણને પામ્યો” એવું વચન તેમના ગ્રંથોમાં છે. આથી આ બિના વિષમ છે, આ એક સંકટ છે, અર્થાત્ દીક્ષા વિના વિશિષ્ટ ગુણો ન પ્રગટે, અને વિશિષ્ટ ગુણો પ્રગટ્યા વિના દીક્ષા ન થાય, આમ ઈતરેતરાશ્રય રૂપ વિરોધ આવે છે. [૬૪] 'अन्यदुच्चार्य समतां दर्शयन्नाह विण्णायविसयसंगा, जमुत्तमिच्चाइ तंपि णणु तुल्लं । अण्णायविसयसंगा वि, तग्गुणा केइ जं हुंति ॥ ६५ ॥ वृत्तिः- 'विज्ञातविषयसङ्गा यदुक्तमित्यादि' पूर्वपक्षवादिना तदपि 'ननु तुल्यं' मत्पक्षेऽपि, कथमित्याह-'अज्ञातविषयसङ्गा अपि तद्गुणाः'-विज्ञातविषयसङ्गगुणाः 'केचन' પ્રાિનો “યત્'-યાત્ “મવત્તિ' | રૂતિ યથાર્થ: I || હવે પૂર્વપક્ષમાં પૂર્વે કહેલી બીજી યુક્તિ અહીં કહીને તેનું સમાધાન કહે છે– (૩) વળી વાદીએ “ભક્તભોગી પુરુષો વિષયસંગનો અનુભવ કર્યો હોવાથી વિષયસંગથી પરિચિત હોય છે, અને એથી વિષયસંગ સંબંધી કૌતુકથી રહિત હોય છે” વગેરે પૂર્વે (૫૪મી ગાથામાં) જે કહ્યું તે અમારા (બાલદીક્ષાના) પક્ષમાં પણ સમાન છે. કારણ કે વિષયસંગના અનુભવથી રહિત પણ કેટલાક (બાલદીક્ષિત) જીવો વિષયસંગના અનુભવવાળા જીવોના જેવા ગુણવાળા હોય છે. ભાવાર્થ- જેમ ભક્તભોગી દીક્ષિત વિષયસંગ સંબંધી કૌતુકથી રહિત હોવાથી સુખપૂર્વક દીક્ષાનું પાલન કરે છે, તેમ કેટલાક બાલદીક્ષિતો પણ યૌવનવયમાં આવવા છતાં વિષયસંગ સંબંધી કૌતુકથી રહિત હોય છે, અને એથી સુખપૂર્વક દીક્ષાનું પાલન કરે છે. તથા જેમ ભક્તભોગી દીક્ષિતો ઉપર બીજાઓને બ્રહ્મચર્ય પાલન સંબંધી શંકા રહેતી નથી, તેમ કેટલાક બાલદીક્ષિતો ઉપર પણ બીજાઓને બ્રહ્મચર્ય પાલન સંબંધી શંકા રહેતી નથી. [૬૫] स्वपक्षोयचयमाह अब्भासजणिअपसरा, पायं कामा य तब्भवब्भासो । असुहपवित्तिणिमित्तो, तेसिं नो सुंदरतरा ते ॥ ६६ ॥ વૃત્તિ - “અબ્બાસનિતપ્રસાઃ'-માસેવહૂતવેદ “પ્રાય: IT'-વદિત્યેન HI एवंविधा वर्तन्ते, 'तद्भवाभ्यासः अशुभप्रवृत्तिनिमित्तस्तेषां' न विद्यते, अन्यभवाभ्यासस्तु मन्त्राग विप्रकृष्ट इति, 'सुन्दरतरास्ते'-शोभनतरास्ते अज्ञातविषयसङ्गाः । इति गाथार्थः ॥ ६६ ॥ Page #62 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम्] [३७ સ્વપક્ષની પુષ્ટિ કરે છે– કામ પ્રાયઃ તેનું સેવન કરવાથી વધે છે. આ ભવમાં થયેલો તેનો (કામસેવનનો) અભ્યાસ અશુભ પ્રવૃત્તિનું કારણ છે. બાલ્યવયમાં દીક્ષિત થયેલાઓને તેનો આ ભવમાં અભ્યાસ થયો હતો નથી. જો કે અન્યભવમાં તેનો અભ્યાસ થયો હોય છે. તો પણ તે થોડો દૂર છે = વચ્ચે અમુક કાળનું અંતર પડે છે. આથી વિષયસંગનો અનુભવ કરનારાઓથી વિષયસંગના અનુભવથી રહિત पास ही भाटे अघि योग्य छे. [१६] परोपन्यस्तमुपपत्त्यन्तरमुच्चार्य परिहरन्नाह धम्मत्थकाममोक्खा, जमुत्तमिच्चाइ तुच्छमेअं तु । ___ संसारकारणं जं, पयईए अत्थकामाओ ॥ ६७ ॥ वृत्तिः- 'धर्मार्थकाममोक्षा यदुक्तमित्यादि' पूर्वपक्षवादिना 'तुच्छमेतदपि', असारमित्यर्थः, कुत इत्याह-'संसारकारणंयत्' यस्मात् प्रकृत्या'-स्वभावेन अर्थकामौ', ताभ्यां बन्धात्। इति गाथार्थः ॥६७ ।। હવે વાદીએ રજુ કરેલી બીજી યુક્તિને કહીને તેનું ખંડન કરે છે– (४) पूर्वे (५५भी थामi) "धर्म, अर्थ, म भने भोक्ष मेम या पुरुषार्थो छ” त्यहि જે કહ્યું તે પણ અસાર=તત્ત્વરહિત છે. કારણ કે અર્થ અને કામથી કર્મબંધ થતો હોવાથી તે બે स्वमाथी ४ संसारगें ॥२९॥ छे. [१७] ततः किमिति चेदुच्यते असुहो अ महापावो, संसारो तप्परिक्खयणिमित्तं । बुद्धिमया पुरिसेणं, सुद्धो धम्मो अ कायव्वो ॥ ६८ ॥ वृत्तिः- 'अशुभश्च महापापः संसारस्तत्परिक्षयनिमित्तं' संसारपरिक्षयनिमित्तं 'बुद्धिमता पुरुषेण शुद्धो धर्मस्तु कर्त्तव्यः', शुद्ध एव चारित्रधर्मः स्वप्रक्रियया, अप्रवृत्तिरूपस्तु तन्त्रान्तरानुसारेण । इति गाथार्थः ॥ ६८ ॥ अन्नं च जीविअं जं, विज्जुलयाडोवचंचलमसारं । पिअजणसंबंधोऽवि अ, सया तओ धम्ममाराहे ॥ ६९ ॥ वृत्तिः- 'अन्यच्च जीवितं यत्'-यस्माद् ‘विद्युल्लताटोपचञ्चलं' स्थितितः 'असारं' स्वरूपतः, 'प्रियजनसम्बन्धोऽपि च' एवम्भूत एव, यतश्चैवं 'सदा ततो धर्ममाराधयेत्'-धर्मा कुर्यात् । इति गाथार्थः ॥ ६९ ॥ किञ्च मोक्खोऽवि तत्फलं चिअ, नेओ परमत्थओ तयत्थंपि । धम्मो च्चिअकायव्वो, जिणभणिओ अप्पमत्तेणं ॥७० ।। Page #63 -------------------------------------------------------------------------- ________________ વસાહ ૩૮ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- 'मोक्षश्च तत्फलमेव'-धर्मफलमेव ज्ञेयः परमार्थतः', यतश्चैवमतः तदर्थमपि'मोक्षार्थमपि धर्म एव कर्त्तव्यः', 'जिनभणित:' चारित्रधर्मः, अप्रमत्तेन' । इति गाथार्थः ।।७० ।। અર્થ-કામ સંસારનું કારણ હોવાથી શું કરવું જોઈએ તે કહે છે– સંસાર (દુઃખનું કારણ હોવાથી) અશુભ છે, અને (મહાપાપનું કારણ હોવાથી) મહાપાપ છે. આથી બુદ્ધિશાળી પુરુષે સંસારના સંપૂર્ણ ક્ષય માટે શુદ્ધ ધર્મ કરવો જોઈએ. ચારિત્રધર્મ શુદ્ધ જ છે. જૈન પ્રક્રિયા પ્રમાણે ચારિત્રધર્મ અને જૈનેતર સિદ્ધાંત પ્રમાણે અપ્રવૃત્તિરૂપ ધર્મ શુદ્ધ જ છે. (અર્થાત્ જૈનો જેને ચારિત્ર કહે છે તેને અન્યસિદ્ધાંતી અપ્રવૃત્તિ કહે છે.) [૬૮] વળી જીવન વિજળીના ચમકારાની જેમ ચંચલ અને અસાર છે, અર્થાત્ સંસાર સ્થિતિની દૃષ્ટિએ અનિત્ય છે, અને સ્વરૂપની દષ્ટિએ અસાર છે. પ્રિયજનોનો સંબંધ પણ તેવો જ=અનિત્ય અને અસાર છે. આથી સદા ધર્મ કરવો જોઈએ. [૬૯] વળી મોક્ષ પણ પરમાર્થથી ધર્મનું જ ફલ છે, અર્થાત્ મોક્ષ ધર્મથી જ થાય. આથી મોક્ષ માટે પણ અપ્રમત્ત બનીને જિનોક્ત ચારિત્રધર્મ જ કરવો જોઈએ. [૭૦] अन्यदप्युच्चार्य तिरस्कुर्वन्नाह तहऽभुत्तभोगदोसा, इच्चाइ जमुत्तमुत्तिमित्तमिदं । इयरेसिं उ दुट्ठयरा, सइमाईया जओ दोसा ॥ ७१ ॥ वृत्तिः- 'तथा अभुक्तभोगदोषा इत्यादि यदुक्तं' पूर्वपक्षवादिना 'उक्तिमात्रमिदं'वचनमात्रमिदमित्यर्थः, किमित्यत आह-'इतरेषां तु'-भुक्तभोगानां 'दुष्टतराः स्मृत्यादयो यतो તોષા:' I fત થાર્થ: II ૭૬ | વાદીએ કહેલું બીજું પણ કહીને તેનું ખંડન કરે છે– (૫) વળી વાદીએ પૂર્વે (પદમી ગાથામાં) “અભુક્તભોગીને કૌતુક વગેરે દોષો થાય છે” ઈત્યાદિ જે કહ્યું તે પણ વચનમાત્ર છે, અર્થાત્ તેમાં કોઈ વજુદ નથી. કારણ કે ભુક્તભોગીને પણ (કૌતુક વગેરેથી પણ) અધિક દુષ્ટ એવા સ્મૃતિ વગેરે દોષોનો સંભવ છે જ. [૭૧] स्वपक्षोपचयमाह इयरेसिं बालभावप्पभिई जिणवयणभाविअमईणं । अणभिण्णाण य पायं, विसएसुन हुंति ते दोसा ॥७२॥ વૃત્તિ - “ફતરેષ'-મુમોનાં “વત્નિમવિભૂતિ-વત્યિારણ્ય “નિનવનभावितमतीनां' सतां वैराग्यसम्भवात् 'अनभिज्ञानां च विषयसुखस्य प्रायो न भवन्ति ते તોષા:'-શ્રૌતુક ! રૂતિ થાર્થ ૭૨ સ્વપક્ષની પુષ્ટિ કરે છેબાલ્યકાળથી જ જિનવચનથી ભાવિતમતિવાળા અને વિષયસુખથી અપરિચિત એવા Page #64 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [३९ અભુક્તભોગીઓને કૌતુક વગેરે દોષો પ્રાયઃ થતા નથી. કારણ કે તેઓ વૈરાગ્યવાળા હોય છે. [૭૨] उपसंहरन्नाह तम्हा उ सिद्धमेअं, जहण्णओ भणियवयजुआ जोग्गा । उक्कोस अणवगल्लो, भयणा संथारसामण्णे ॥ ७३ ॥ वृत्तिः- यस्मादेवं 'तस्मात्सिद्धमेतत्-जघन्यतो भणितवयोयुक्ताः'-अष्टवर्षा 'योग्या' प्रव्रज्यायाः, 'उत्कृष्टतोऽनवकल्पो' योग्यः, अवकल्पमधिकृत्याह-'भजना संस्तारकश्रामण्ये' कदाचिद् भावितमतिर-वकल्पोऽपि संस्तारकः श्रमणः क्रियते । इति गाथार्थः ।। ७३ । । હવે ઉપસંહાર કરે છે આથી એ સિદ્ધ થયું કે જઘન્યથી આઠ વર્ષની વયવાળા અને ઉત્કૃષ્ટથી અત્યંતવૃદ્ધ ન હોય તે દીક્ષાને યોગ્ય છે. વૃદ્ધની દીક્ષામાં અપવાદ પણ છે. જો કોઈ ભાવિતમતિ જીવ અત્યંતવૃદ્ધ હોય તો પણ જો તે દીક્ષા લીધા પછી સંથારો કરે=વિધિપૂર્વક અનશન સ્વીકારે તો તેને દીક્ષા આપી શકાય. [૭૩] अण्णे गिहासमं चिय, बिंति पहाणंति मंदबुद्धीया । ___ जं उवजीवंति तयं, नियमा सव्वेऽवि आसमिणो ॥७४ ॥ वृत्तिः- 'अन्ये' वादिनो 'गृहाश्रममेव' गृहस्थत्वमेव 'ब्रुवते प्रधानमिति'-अभिदधति श्लाघ्यतरमिति 'मन्दबुद्धयः'-अल्पमतय इति, उपपत्तिं चाभिदधति-'यद्' यस्मात् 'उपजीवन्ति तकं'-गृहस्थं अनलाभादिना नियमात्' नियमेन सर्वेऽप्याश्रमिणो'-लिङ्गिनः । इति गाथार्थः ।।७४ ॥ અલ્પમતિ બીજા વાદીઓ કહે છે કે- ગૃહાશ્રમ જ પ્રધાન છે, અર્થાત્ દીક્ષા કરતાં ગૃહસ્થપણું જ અધિક પ્રશંસનીય છે. આ વિષે તેઓ યુક્તિ કહે છે કે બધાય સાધુઓ અન્નલાભ આદિથી ગૃહસ્થ ઉપર આધાર રાખે છે, અર્થાત્ ગૃહસ્થ પાસેથી અન્ન વગેરે મેળવીને ગૃહસ્થના આધારે જીવે છે. [૭૪]. अत्रोत्तरमाह उपजीवणाकयं जइ, पाहण्णं तो तओ पहाणयरा । हलकरिसगपुढवाई, जं उवजीवंति ते तेऽवि ॥ ७५ ॥ वृत्तिः- 'उपजीवनाकृतं यदि प्राधान्यं' उपजीव्यं प्रधानमुपजीवकस्त्वप्रधानमित्याश्रीयते 'तो' इति तत:-तस्मात् 'तत' इति गृहाश्रमात् 'प्रधानतराः' श्लाघ्यतराः 'हलकर्षकपृथिव्यादयः' पदार्था इति, आदिशब्दाज्जलपरिग्रहः, किमित्यत्राह-'यद्' यस्मात् 'उपजीवन्ति' तेभ्यो धान्यलाभेन 'तान्' हलादीन् 'तेऽपि' गृहस्था अपि । इति गाथार्थः ॥ ७५ ॥ વાદીને ઉત્તર આપે છેજો આધારના કારણે પ્રધાનતા હોય, એટલે કે આધાર આપનાર પ્રધાન છે અને આધાર Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते લેનાર અપ્રધાન છે એમ માનવામાં આવે, તો ગૃહાશ્રમ કરતાં હળ, ખેડૂત, પૃથ્વી, પાણી વગેરે પદાર્થો અધિક પ્રધાન=પ્રશંસનીય બને. કારણ કે ગૃહસ્થોને ધાન્યની પ્રાપ્તિ હળ આદિ સાધનથી થતી હોવાથી ગૃહસ્થો પણ હળ આદિના આધારે જીવે છે. [૩૫] सिअ णो ते उवगारं, करेमु एतेसिं धम्मनिरयाणं । एवं मन्नंति तओ, कह पाहण्णं हवइ तेसिं ? ॥ ७६ ॥ वृत्तिः- ‘स्यात्' इत्याशङ्कायाम्, अथैवं मन्यसे-'नो ते' हलादय एवं मन्यन्त इति योगः, मन्यन्ते-जानन्ति, कथं न मन्यन्त ? इत्याह-'उपकारं कुम्ों' धान्यप्रदानेन 'एतेषां धर्मनिरतानां' गृहस्थानामिति, 'यतश्चैवं ततः कथं प्राधान्यं भवति तेषां'-हलादीनामिति ?, नैव प्राधान्यं तथा मननाभावात् इति गाथार्थः ॥ ७६ ॥ [સંભાવના કરીને વાદીની માન્યતા કહે છે–] કદાચ તું એમ માને કે ધાન્ય આપીને અમે ધર્મમાં તત્પર ગૃહસ્થો ઉપર ઉપકાર કરીએ છીએ એમ હળ વગેરે પદાર્થો જાણતા નથી તેથી તેમની પ્રધાનતા કેવી રીતે હોય? અર્થાત્ જ્ઞાન ન હોવાથી હળ વગેરેની પ્રધાનતા નથી. [૬] अत्रोत्तरमाह- . તે વેવ તેëત્રિ , શિરિયા પુનિ, ર્વિતત્વ (? ~)? I णाणाइविरहिआ अह, इअ तेसिं होइ पाहण्णं ॥ ७७ ॥ વૃત્તિ - “તે વિ' હત્નીઃ “તે' પૃદM: “ધ ક્રિય' પ્રધાન, જરનૈવ, यतस्तेभ्यो धान्यादिलाभतस्ते उपजीव्यन्ते गृहस्थैः, अतो 'मुनितेन' ज्ञातेन 'किमत्र' ? क्रियाया एव प्राधान्ये सति, 'ज्ञानादिविरहिताः अथ' ते-हलादय इति मन्यसे, एतदाशङ्कयाह-'इति' एवं જોષ' જ્ઞાનારીનાં “મતિ પ્રાચ', પનીર્થત્વસ્ત્ર રૂતિ થાર્થ: ૭૭ | આનો ઉત્તર આપે છે– હળ વગેરે ક્રિયાથી કરણથી જ ગૃહસ્થો કરતાં પ્રધાન છે. કારણ કે હળ વગેરેથી ધાન્યની પ્રાપ્તિ થાય છે. આથી ગૃહસ્થો હળ વગેરેના આધારે જીવે છે. ક્રિયાની કરણની જ પ્રધાનતા હોવાથી અહીં જ્ઞાનથી શું? અર્થાત્ જ્ઞાનની પ્રધાનતા નથી, કિંતુ ક્રિયાની પ્રધાનતા છે. એથી તે “જ્ઞાન ન હોવાથી હળ વગેરેની પ્રધાનતા નથી” એમ જે કહ્યું તે અસત્ય છે. જો જ્ઞાનની પ્રધાનતા હોય તો જેનામાં જ્ઞાન ન હોય તેની અપ્રધાનતા થાય. જ્ઞાનની પ્રધાનતા નથી, માટે જ્ઞાનાભાવથી અપ્રધાનતા પણ નથી. છતાં જો હળ વગેરે પદાર્થો જ્ઞાનાદિરહિત હોવાથી અપ્રધાન છે એમ તું ૧. મત્રાનુવાદોનાક્ષા: સંભાળ ૨. સાથhત વરમ્ (સિ. હે. શ. ૨-૨-૨૪) ક્રિયામાં (ફલમાં) અત્યંત ઉપકારી હોય તે કરણ એવી રઇr શબ્દની વ્યાખ્યા છે. હળ, પૃથ્વી, પાણી વગેરે વિના ધાન્ય ઉગે નહિ. આથી હળ વગેરે ધાન્યની પ્રાપ્તિમાં અત્યંત ઉપકારી હોવાથી કરણ છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [४१ માનતો હોય તો તારા મત પ્રમાણે પ્રધાનતા જ્ઞાનાદિની થઈ, ઉપજીવ્યની (= આધાર આપનારની) नरि. [७७] ततः किमिति चेत् उच्यते ताणि य जईण जम्हा, हुंति विसुद्धाणि तेण तेसिं तु । तं जुत्तं आरंभो अ, होइ जं पावहेउत्ति ॥ ७८ ॥ वृत्तिः- 'तानि च' ज्ञानादीनि 'यतीनां' प्रव्रजितानां 'यस्माद् भवन्ति विशुद्धानि' निर्मलानि 'तेन' हेतुना तेषामेव' यतीनां 'तत्' प्राधान्यं 'युक्तम्, आरम्भश्च भवति यद्' यस्मात् 'पापहेतुः, इति' अतोऽपि तन्निवृत्तत्वात् तेषामेव प्राधान्यं युक्तम् । इति गाथार्थः ।। ७८ ।। જ્ઞાનાદિની પ્રધાનતા થવાથી શું યોગ્ય છે તે જણાવે છે– તે જ્ઞાનાદિ સાધુઓને નિર્મલ હોય છે, આથી સાધુઓની પ્રધાનતા યોગ્ય છે. તથા આરંભ પાપનું કારણ છે. સાધુઓ આરંભથી નિવૃત્ત થયેલા છે. આથી પણ તેમની પ્રધાનતા યોગ્ય छ. [७८] अण्णे सयणविरहिआ, इमीएँ जोग्गत्ति एत्थ मण्णंति । सो पालणीयगो किल, तच्चाए होइ पावं तु ॥ ७९ ॥ वृत्तिः- 'अन्ये' वादिनः 'स्वजनविरहिताः' भ्रात्रादिबन्धुवर्जिताः 'अस्याः' प्रव्रज्याया 'योग्या' इति एवं 'अत्र' लोके 'मन्यन्ते', कया युक्त्येति तां युक्तिं उपन्यस्यति-'स' स्वजनः 'पालनीयो' रक्षणीयः, "किल तत्त्यागे'-स्वजनत्यागे 'भवति पापमेव' इति गाथार्थः ॥ ७९ ॥ सोगं अक्कंदण विलवणं च जं दुक्खिओ तओ कुणइ । सेवइ जं च अकज्जं, तेण विणा तस्स सो दोसो ॥८० ॥ वृत्तिः- 'शोकमाक्रन्दनं विलपनं च', चशब्दादन्यच्च ताडनादि, 'यद् दुःखितः तक' इत्यसौ स्वजन: 'करोति सेवते यच्चाकार्य' शीलखण्डनादि 'तेन विना', तेनेति-पालकेन प्रव्रज्याभिमुखेन, 'तस्यासौ दोष' इति यः स्वजनं विहाय प्रव्रज्यां प्रतिपद्यते इति गाथार्थः ।। ८० ॥ (पूर्व५५ छ-) બીજા વાદીઓ માને છે કે બંધુ આદિ સ્વજનોથી રહિત પુરુષ દીક્ષાને યોગ્ય છે. કારણ કે સ્વજનનું પાલન કરવું જોઈએ. સ્વજનના ત્યાગથી પાપ થાય છે. [૯] કારણ કે દીક્ષા માટે તૈયાર થયેલ પાલક જીવ સ્વજનોને છોડીને દીક્ષા લે તો દુઃખી થયેલા સ્વજનો શોક, આક્રંદન, વિલાપ, તાડન વગેરે જે કરે, અને શીલખંડન આદિ જે અકાર્ય કરે તે બધા દોષો સ્વજનોને છોડીને દીક્ષા सेना२। पाने वागे. [८०] Page #67 -------------------------------------------------------------------------- ________________ ४२ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते एष पूर्वपक्षः, अत्रोत्तरमाह इअ पाणवहाईआ, ण पावहेउत्ति अह मयं तेऽवि । णणु तस्स पालणे तह, ण होंति ते ? चिंतणीअमिणं ॥८१ ॥ वृत्तिः- 'इति' एवं स्वजनत्यागाद् दोषे सति प्राणवधाद्या न पापहेतव इति', आदिशब्दात् मृषावादादिपरिग्रहः, स्वजनत्यागादेव पापभावादित्यभिप्रायः । 'अथ मतं-तेऽपि-प्राणवधादयः पापहेतव एव, एतदाशङ्कयाह-'ननु तस्य'-स्वजनस्य ‘पालने तथा' इत्यारम्भयोगेन 'न भवन्ति ते' प्राणवधादयः ?, 'चिन्तनीयमिदं' चिन्त्यमेतद्, भवन्त्येव । इति गाथार्थः ॥ ८१ ।। આ પૂર્વપક્ષ કહ્યો, હવે ઉત્તરપક્ષ કહે છે– સ્વજનત્યાગથી સ્વજનો પ્રાણવધ, મૃષાવાદ વગેરે જે જે અકાર્ય કરે તેનું પાપ દીક્ષા લેનારને ન લાગે. કારણ કે તેણે સ્વજનનો ત્યાગ કર્યો છે. (સ્વજનનો ત્યાગ કર્યો હોવાથી એનો સ્વજન સાથેનો સંબંધ તૂટી ગયો છે. જેની સાથે સંબંધ તૂટી જાય તેણે કરેલાં પાપો સંબંધ તોડનારને ન લાગે.) છતાં તમારો એવો આગ્રહ છે કે સ્વજને કરેલાં પાપો દીક્ષા લેનારા પાલકને લાગે તો પ્રશ્ન છે કે સ્વજનોનું પાલન કરવામાં થતા આરંભથી પ્રાણવધ વગેરે પાપો ન થાય ? અવશ્ય થાય. मा परोप२ वियार. [८१] एतदेव प्रकटयन्नाह आरंभमंतरेणं, ण पालणं तस्स संभवइ जेणं । तंमि अ पाणवहाई, नियमेण हवंति पयडमिणं ॥ ८२ ॥ __वृत्तिः- 'आरम्भमन्तरेण न पालनं तस्य'-स्वजनस्य 'सम्भवति, येन तस्मिंश्च'-आरम्भे 'प्राणवधाद्या नियमेन भवन्ति, प्रकटमिदं' लोकेऽपि । इति गाथार्थः । ८२ ॥ સ્વજનોના પાલનથી પ્રાણવધાદિ પાપો થાય એ જણાવે છે– આરંભ વિના સ્વજનોનું પાલન ન થાય. આરંભમાં પ્રાણવધ વગેરે પાપો અવશ્ય થાય. मा त सोमi ५९! 'प्रसिद्ध छ. [८२] अण्णं च तस्स चाओ, पाणवहाई व गुरुतरा होज्जा ? । जइ ताव तस्स चाओ, को एत्थ विसेसहेउत्ति ? ।। ८३ ॥ वृत्तिः- 'अन्यच्च-तस्य' स्वजनस्य 'त्यागः प्राणवधादयो वा' पापचिन्तायां 'गुरुतरा भवेयुरिति विकल्पो, किं चात इत्याह-'यदि तावत् तस्य'-स्वजनस्य 'त्यागो' गुरुतर इत्यत्राह"कोऽत्र विशेषहेतु रिति, यतोऽयमेव इति गाथार्थः ॥ ८३ ।।। ૧. આ બાબત લોકમાં પણ પ્રસિદ્ધ છે, તો પછી લોકોત્તર જૈનશાસનમાં પ્રસિદ્ધ કેમ ન હોય, અવશ્ય હોય એમ પણ શબ્દનો અર્થ છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [४३ પાપની વિચારણામાં એક તરફ સ્વજનત્યાગ અને બીજી તરફ પ્રાણવધાદિ મહાન પાપો એ બે વિકલ્પો છે. કદાચ તું એમ કહે કે આ બે વિકલ્પમાં સ્વજનત્યાગ અધિક પાપરૂપ છે તો અમે पूछी छीमे मां (= स्व४नत्याग सघि ५८५३५ छ मेमi) विशेष हेतु शो छ ? [८३] अह तस्सेव उ पीडा, किं णो अण्णेसि पालणे तस्स ? । अह ते पराइ सोऽवि हु, सतत्तचिंताइ एमेव ॥ ८४ ॥ वृत्तिः- 'अथ'इत्यथैवं मन्यसे तस्यैव तु'स्वजनस्य पीडा' विशेषहेतुरिति, अत्रोत्तरमाह'किं नो अन्येषां' सत्त्वानां 'पालने तस्य' पीडा ?, पीडैवेति भावः । 'अथ ते परादय' इतिअपरे आदिशब्दादेकेन्द्रियादयश्च, अत्रोत्तरम्-'असावपि' स्वजनः 'स्वतत्त्वचिन्तायां' परमार्थचिन्तायां 'एवमेव'-परादिरेव, अनित्यत्वात् संयोगस्य । इति गाथार्थः ॥ ८४ ॥ આમાં સ્વજનોને પીડા થાય એ વિશેષ હેતુ છે એમ હું માનતો હોય તો અમે તને પૂછીએ છીએ કે સ્વજનોના પાલનમાં બીજા જીવોને પીડા ન થાય ? પીડા થાય જ. પ્રશ્ન-સ્વજનપીડામાં અને અન્યજીવપીડામાં ભેદ છે. તેમાં એક ભેદ એ છે કે બીજા જીવો તો પર છેઃસ્વજન નથી. તથા બીજો ફરક એ છે કે સ્વજનો પંચેદ્રિય છે. જ્યારે બીજા જીવો એકેંદ્રિય વગેરે છે. (પચંદ્રિય જીવોની પીડાથી એકેંદ્રિય વગેરે જીવોની પીડામાં ઓછું પાપ લાગે.) ઉત્તરપરમાર્થથી વિચારવામાં આવે તો સ્વજન પણ પરજન છે સ્વજન નથી. કારણ કે સંયોગ અનિત્ય छ. (संयोगथी थतो संबंध मतात्वि छ.) [८४] पक्षान्तरमाह सिअ तेण कयं कम्म, एसो नो पालगोत्ति किं ण भवे? । ता नूणमण्णपालगजोग्गं चिअ तं कयं तेण ॥ ८५ ॥ वृत्तिः- 'स्याद्' इत्यथैवं मन्यसे 'तेन' स्वजनेन 'कृतं कर्म'-अदृष्टं, किंफलमित्याह'एष' प्रविव्रजिषुः 'नः' अस्माकं पालक इत्ये 'वंफलम्, अत्रोत्तरं-'किं न भवति' ?, कर्मण: स्वफलदानात्, न च भवति, 'तन्नूनम्'-अवश्यम् 'अन्यः पालक' इत्येत दुचितमेव तत्'कर्म 'कृतं तेन' स्वजनेन । इति गाथार्थः ॥ ८५ ॥ किञ्च बहुपीडाए अ कहं, थेवसुहं पंडिआणमिटुंति ? । जलकट्ठाइगयाण य, बहूण घाओ तदच्चाए ॥ ८६ ॥ वृत्तिः- 'बहुपीडायां च' अनेकजलाधुपमर्दने च 'कथं स्तोकसुखं' स्तोकानां स्वजनानां स्तोकं वा स्वल्पकालभावेन सुखं स्तोकसुखं 'पण्डितानामिष्टमिति' ?, बहुपीडामाह'जलकाष्ठादिगतानां च' प्राणिनामिति गम्यते 'बहूनां घातः तदत्यागे'-स्वजनात्यागे, Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ] [ आरम्भमन्तरेण तत्परिपालनाऽभावात् । इति गाथार्थः ॥ ८६ ॥ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते एवंविहा उ अह ते, सिट्ठत्ति न तत्थ होइ दोसो उ । इअ सिट्ठिवायपक्खे, तच्चाए णणु कहं दोसो ? ॥ ८७ ॥ વૃત્તિ:- ‘વંવિધા વ’-તથામરધર્માળ: ‘અથ તે’-ગળાષ્ઠાવિાતા: પ્રાપ્તિન: ‘કૃષ્ણ इति न तत्र' स्वजनभरणार्थं तज्जिघांसने ‘મતિ ોષસ્તુ’, અન્નોત્તરમા-‘કૃતિ' વં 'सृष्टिवादपक्षेऽ'ङ्गीक्रियमाणे 'तत्त्यागे' स्वजनत्यागे 'ननु कथं दोष: ' ?, नैव दोष इति, यतोऽसौ स्वजनस्तथाविध एव सृष्टः येन त्यज्यते इति गाथार्थः ॥ ८७ ॥ આ વિષયમાં બીજો પક્ષ કહે છે— પ્રશ્ન- સ્વજનોએ કરેલું કર્મ ‘દીક્ષા લેવાની ભાવનાવાળો પુરુષ અમારો પાલક છે” એવા ફળવાળું છે. (આથી દીક્ષા લેવાની ભાવનાવાળો પુરુષ દીક્ષા ન લે તો જ એ કર્મનું ફળ એમને મળે.) ઉત્તર- સ્વજનોએ કરેલું કર્મ ‘દીક્ષાની ભાવનાવાળા પુરુષ સિવાય બીજો કોઈ અમારો પાલક છે” એવા ફળવાળું કેમ ન હોય ? અર્થાત્ દીક્ષાની ભાવનાવાળો પુરુષ દીક્ષા લે તો તેના સિવાય બીજો કોઈ અમારો પાલક છે એવા જ ફળવાળું કર્મ સ્વજનોએ કરેલું છે. [૮૫] વળી અનેક અપ્કાય આદિ જીવોને દુઃખ આપીને થોડાક સ્વજનોને સુખ આપવું એ શું પંડિતોને ગમે ? ન જ ગમે. સ્વજનોનો ત્યાગ ન કરવામાં (= પાળવામાં) પાણી, કાષ્ઠ વગેરેમાં રહેલા ઘણા જીવોનો નાશ થાય. કારણ કે આરંભ વિના સ્વજનોનું પાલન ન થઈ શકે. [૮૬] પ્રશ્ન- પાણી, કાષ્ઠ આદિમાં રહેલા જીવો આવી રીતે જ મરવા માટે સર્જાયેલા છે. તેથી સ્વજનોના પાલન માટે તેમની હિંસા કરવામાં દોષ નથી. ઉત્તર- તો અમે પણ કહીએ છીએ કે સ્વજનો પણ દીક્ષાની ભાવનાવાળા પુરુષથી છોડી દેવાય તેવા સર્જાયેલા છે. આથી સ્વજનોનો ત્યાગ કરવામાં કેવી રીતે દોષ લાગે ? ન લાગે. [૮૭] यतश्चैतदित्थं न घटते तो पाणवहाईआ, गुरुतरया पावहेउणो नेआ । सयणस्स पालणंमि अ, नियमा एइति भणियमिणं ॥ ८८ ॥ वृत्ति:- यस्मादेवं 'तस्मात्प्राणिवधाद्या गुरुतराः पापहेतवो ज्ञेयाः' स्वजनत्यागात् सकाशात्, ततः किमिति चेत् उच्यते- 'स्वजनस्य पालने च नियमादेते' - प्राणिवधाद्या 'इति भणितमिदं' पूर्वमिति गाथार्थः ॥ ८८ ॥ પ્રાણિવધ વગેરે પાપોથી સ્વજનત્યાગમાં અધિક પાપ છે એ વાત આ પ્રમાણે ઘટતી નથી, ૧. અહીં ‘વતÊતથિં ન હસ્તે' એ અવતરણિકાનો અનુવાદ વાક્યરચના સરલ બને એ માટે અલગ ન કરતાં શ્લોકના અનુવાદ ભેગો જ કર્યો છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम्] [ ૪૯ માટે સ્વજનત્યાગથી પ્રાણિવધ વગેરે અધિક પાપહેતુ છે, અને સ્વજનોના પાલનમાં અવશ્ય પ્રાણિવધ વગેરે દોષો થાય છે. આ વાત પૂર્વે (૮૨મી ગાથામાં) કહી છે. (આથી આત્મહિત માટે સ્વજનત્યાગ હિતકર છે, અહિતકર નથી.) [૮૮]. अत्राह एवंपि पावहेऊ, अप्पयरो णवर तस्स चाउत्ति । सो कह ण होइ तस्सा, धम्मत्थं उज्जयमइस्स ? ॥ ८९ ॥ वृत्तिः- 'एवमपि पापहेतुरेव अल्पतरो नवरं तस्य'-स्वजनस्य 'त्याग इति स' पापहेतुः ર્થ ન મતિ તી' પ્રવિત્રનો: “થપ્પર્થમુદ્યતઃ ' ?, પવન્ધવ રૂતિ યથાર્થ: I ૮૨ II વાદી પ્રશ્ન કરે છે– એ પ્રમાણે પણ, એટલે કે પ્રાણિવધ વગેરે અધિક પાપહેતુ છે એમ માનવામાં પણ, સ્વજનત્યાગ પાપહેતુ છે જ, હા, અલ્પ પાપહેતુ છે, પણ પાપહતુ તો છે જ. આથી ધર્મ માટે ઉઘતમતિવાળા તે મુમુક્ષુને સ્વજનત્યાગ પાપનું કારણ કેમ ન થાય? થાય જ. [૪૯]. अत्रोत्तरमाह अब्भुवगमेण भणिअं, ण उविहिचाओऽवि तस्स हेउत्ति । सोगाइंमिवि तेसिं, मरणे व विसुद्धचित्तस्स ॥ ९० ॥ वृत्तिः- 'अभ्युपगमेन भणितं' अन्यच्च तस्य त्याग (८३) इत्यादौ, 'न तु विधित्यागोऽपि' स्वजनस्येति गम्यते 'तस्य हेतुरिति', तस्येति-पापस्य न हेतुः, विधित्यागस्तु कथनादिना अन्यत्र निर्ममस्य, 'शोकादावपि तेषां'-स्वजनानां, 'मरण इव विशुद्धचित्तस्य' रागादिरहितस्य मरण इवेति च सिद्धः परस्य दृष्टान्तः, अन्यथा तत्रापि स्वजनशोकादिभ्यः પાપપ્રલર રૂતિ થાર્થ: | ૨૦ || પ્રશ્નનો ઉત્તર આપે છે સ્વજનત્યાગ અલ્પ પાપહેતુ છે એનો અમે ગાથા ૮૩માં સ્વીકાર કર્યો છે. પણ એટલું ખ્યાલ રાખવું કે અવિધિથી કરેલો સ્વજનત્યાગ પાપહેતુ છે, વિધિથી કરેલો સ્વજનત્યાગ પાપહેતુ નથી. જો એમ ન માનવામાં આવે તો રાગાદિથી રહિત પુરુષનું મરણ થતાં સ્વજનો શોક વગેરે જે કરે. તેનું પણ પાપ મરનારને લાગે. રાગાદિથી રહિત પુરુષનું મરણ થતાં સ્વજનો શોક વગેરે જે કરે તેનું પાપ મરનારને ન લાગે એમ તો તમે પણ માનો જ છો. એટલે જેમ રાગાદિથી રહિત પુરુષનું મરણ થતાં સ્વજનાદિના શોક વગેરેનું પાપ મરનારને ન લાગે, તેમ વિધિથી દીક્ષા લેનારને સ્વજનાદિના શોક વગેરેનું પાપ ન લાગે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते સ્વજનત્યાગનો વિધિ આ પ્રમાણે છે— મુમુક્ષુએ માતા-પિતા વગેરેને પણ સંસારની અસારતા વગેરે સમજાવીને પ્રતિબોધ પમાડવો=દીક્ષાની ભાવનાવાળા કરવા. પછી તેમની સાથે દીક્ષા લેવી. માતા-પિતા કર્મની વિચિત્રતાથી પ્રતિબોધ ન પામ્યા હોય તો પ્રતિબોધ પમાડવો. તે આ રીતે- હે માતા-પિતા ! (૧) ઉભયલોકના ફલવાળું જીવન પ્રશંસનીય છે. (૨) તથા સામુદાયિકરૂપે કરેલાં શુભ કાર્યો સમુદાયરૂપે ફળે છે. (૩) આપણા બધાનો ભવપરંપરાથી દીર્ઘકાળનો વિયોગ થશે. (૪) સામુદાયિક રૂપે શુભ કાર્યો ન કરવામાં આવે તો આપણી આ પ્રવૃત્તિ એક વૃક્ષ ઉપર રહેનારા પક્ષીઓની તુલ્ય થાય. (૫) મૃત્યુને આવતું રોકી શકાતું નથી, અને આયુષ્ય અલ્પ હોવાથી મૃત્યુ અત્યંત નજીક છે. (૬) સમુદ્રમાં પડેલ રત્નની જેમ મનુષ્યભવ દુર્લભ છે. (૭) મનુષ્યભવ સિવાય પૃથ્વીકાયાદિના બીજા ઘણા ભવો છે. પણ તે ભવો બહુ દુઃખવાળા, મોહરૂપ અંધકારવાળા અને પાપના અનુબંધવાળા હોવાથી ચારિત્ર ધર્મ માટે અયોગ્ય છે. (૮) ભવરૂપ સમુદ્રના પારને પામવા વહાણ સમાન આ મનુષ્યભવ ચારિત્ર માટે યોગ્ય છે. સંવરથી જેના જીવહિંસા વગેરે છિદ્રો પૂરાઈ ગયા છે, જ્ઞાન જેનો સુકાની છે, તપરૂપ પવન જેને સહાયક છે, તેવા મનુષ્યભવ રૂપ વહાણનો ચારિત્રધર્મરૂપ સ્વકાર્યમાં ઉપયોગ કરવો જોઈએ. (૯) મનુષ્યભવરૂપ આ અવસર દુર્લભ છે, અને સિદ્ધિસાધક ધર્મનું સાધન હોવાથી અનુપમ છે. (૧૦) સિદ્ધિ (= મોક્ષ) જ સર્વ જીવોને આદરવા લાયક છે. કારણ કે સિદ્ધિમાં જન્મ, જરા, મરણ, ઇષ્ટવિયોગ, અનિષ્ટસંયોગ, ક્ષુધા, તૃષા કે બીજાં પણ ઠંડી-ગરમી વગેરે દુઃખો નથી. સિદ્ધિમાં જીવો સર્વથા પરતંત્રતાથી રહિત બને છે. સિદ્ધિમાં જીવો અશુભરાગાદિથી રહિત, શાંત, શિવ અને અવ્યાબાધ હોય છે. [શક્તિથી ક્રોધાદિ ન હોવાથી શાંત, કોઈ ઉપદ્રવ ન હોવાથી શિવ અને કોઈ ક્રિયા ન હોવાથી અવ્યાબાધ છે.] (૧૧) સંસાર સિદ્ધિથી વિપરીત છે, આથી જ અસ્થિર સ્વભાવવાળો છે. આ સંસારમાં સુખી પણ દુઃખી બને છે, વિદ્યમાન પણ (મૃત્યુથી) અવિદ્યમાન બને છે, બધી જંજાળ સ્વપ્નતુલ્ય છે. (૧૨) આથી સંસારના રાગથી સર્યું. (૧૩) મારા ઉપર અનુગ્રહ કરો. (૧૪) આ સંસારનો નાશ કરવા તમે પ્રયત્ન કરો. (૧૫) હું પણ તમારી અનુમતિથી સંસારનો નાશ કરું. (૧૬) હું જન્મમરણથી કંટાળી ગયો છું. (૧૭) માતા-પિતા આદિ ગુરુઓના પ્રભાવથી સંસારનાશરૂપ મારું વાંછિત સિદ્ધ થશે. (૧૮) આ પ્રમાણે ભાઈ વગેરે બીજાઓને પણ ઉચિત રીતે પ્રતિબોધ પમાડવો. (૧૯) પછી માતા-પિતાદિની સાથે ચારિત્રધર્મનું પાલન કરવું. (૨૦) સદા આ લોક-પરલોકની આશંસાથી રહિત બનીને ઉચિત કર્તવ્યનું પાલન કરવું. (૨૧) આ પ્રમાણે વીતરાગનું વચન છે. તેવા કર્મપરિણામના કારણે માતા-પિતાદિ પ્રતિબોધ ન પામે તો સ્વશક્તિ અને સ્વબુદ્ધિ પ્રમાણે બેઠી આવક અને બીજા ઉપાયોથી શુદ્ધ નિર્વાહનું સાધન કરી આપવું. કારણ કે આ કૃતજ્ઞતા ૧. પ્રસ્તુત ગાથામાં સ્વજનત્યાગનો વિધિ ‘વિધિસ્યા સ્તુ ધનાવિના અન્યત્ર નિર્મમણ્ય'' એમ તદ્દન ટુંકમાં કહ્યો છે. આથી અનુવાદમાં પંચસૂત્ર અને ધર્મબિંદુ ગ્રંથના આધારે વિશેષ વર્ણન કર્યું છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [ ૪૭ છે, લોકમાં શાસનપ્રભાવનાનું કારણ એવી કરુણા છે. ત્યારબાદ માતા-પિતાની રજા મેળવીને ચારિત્રધર્મનો સ્વીકાર કરવો. આ પ્રમાણે નિર્વાહનું સાધન કરવા છતાં અનુજ્ઞા ન આપે તો અંદરથી કપટભાવ વિના પણ બહારથી માયાવી બનવું. કારણ કે આ પ્રમાણે ધર્મની આરાધના જ સર્વ જીવોને હિતકર છે. માયાથી દુષ્ટ સ્વપ્ન વગેરે કહેવું, એટલે કે ગધેડા-ઊંટ-પાડા વગેરે ઉપર બેઠેલો હતો વગેરે અનિષ્ટસૂચક દશ્ય મેં સ્વપ્નમાં જોયું. તથા મેં મારી બે આંખોની મધ્યનો ભાગ જોયો, દેવીઓનું ટોળું જોયું વગેરે મનુષ્યથી ન દેખી શકાય તેવું વિપરીત દેખાણું, ઈત્યાદિ કપટથી (હવે મારું આયુષ્ય અલ્પ છે વગેરે) માતા-પિતાને જણાવવું. વળી પ્રકૃતિ વિપરીત કરવી, અર્થાત્ બહારથી મરણનાં ચિહ્નો બતાવવાં. આ બધું કરવાથી “હવે આનું મરણ નજીકમાં છે' એમ સમજીને માતા-પિતા વગેરે રજા આપે. છતાં રજા ન આપે તો જ્યોતિષીઓ દ્વારા “આવી અમુક ચેષ્ટાઓ થાય ત્યારે મરણ નજીકમાં થાય'' એમ વિપરીત ચેષ્ટાઓનાં ફળો જણાવવાં. આ રીતે કરાતી માયા એ વાસ્તવિક માયા નથી. કારણ કે એમાં શુભાશય છે, એમાં સ્વ-૫૨ ઉભયના હિતનો આશય છે. આમ બધું કરવા છતાં કોઈ પણ રીતે રજા ન આપે તો તે માતા-પિતાદિનો “અસ્થાને રહેલા ગ્લાનને ઔષધ લેવા જવા માટે છોડવાના' દૃષ્ટાંતથી ત્યાગ કરવો. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે- માતા-પિતા પ્રત્યે રાગવાળો કોઈ પુરુષ કોઈ (યાત્રાદિ કરાવવાના) કારણસર માતા-પિતા સાથે જંગલમાં ગયો હોય, ત્યાં માતા-પિતાને અવશ્ય મરણ નિપજાવનાર મહાન રોગ થાય, તે રોગ તે પુરુષથી દૂર કરી શકાય તેવો ન હોય, કિંતુ ઔષધિથી કદાચ દૂર થાય તેવો હોય, આ વખતે તે પુરુષ માતા-પિતા પ્રત્યેના રાગથી ઔષધ વિના માતા-પિતા અવશ્ય જીવી શકે તેમ નથી, ઔષધથી કદાચ બચી જાય, થોડો કાળ ઔષધ વિના પણ જીવી શકે તેમ છે એમ વિચારીને, ભોજન-આચ્છાદન આદિની સારી રીતે વ્યવસ્થા કરીને, માતા-પિતાના રોગનું ઔષધ લેવા જવા માટે અને પોતાની આજીવિકા (= ભોજનાદિ) નિમિત્તે માતા-પિતાનો ત્યાગ કરનાર પણ પુરુષ સારો છે. કારણ કે ફરી સંયોગ થવાનો (ઔષધાદિ લઈને આવવાનું) હોવાથી ૫૨માર્થથી આ ત્યાગ ત્યાગ નથી, કિંતુ ત્યાગ ન કરે તે જ ત્યાગ છે. કારણ કે (દવા વિના) મૃત્યુ થવાથી (કાયમી) વિયોગ થાય. પંડિતો ક્રિયા કરતાં ફલને પ્રધાન માને છે. ધીર પુરુષો નિપુણ બુદ્ધિથી ફલને જુએ છે. તે પુરુષ ઔષધ મેળવીને માતા-પિતાને જીવાડે એવો સંભવ હોવાથી આ પ્રમાણે ત્યાગ કરવો એ પુરુષને ઉચિત છે. (દીક્ષા પ્રસંગે પણ) આ પ્રમાણે માતા-પિતા પ્રત્યે ધર્મના રાગવાળો શુક્લપાક્ષિક (= જેનો સંસારકાળ અલ્પ છે તેવો) મહાપુરુષ માતા-પિતા સાથે સંસારરૂપ જંગલમાં આવ્યો છે, ત્યાં માતાપિતાને સંસારરૂપ જંગલમાં નિયમા વિનાશ કરનાર, બોધિબીજ આદિથી રહિત અને સામાન્ય પુરુષથી દૂર ન કરી શકાય તેવો, મરણાદિ વિપાકવાળો કર્મરૂપ રોગ થાય અને કદાચ સમ્યક્ત્વાદિરૂપ ઔષધિથી એ રોગ દૂર થાય તેવો હોય, આ વખતે ધર્મરાગથી તે મહાપુરુષ સમ્યક્ત્વાદિ ઔષધ Page #73 -------------------------------------------------------------------------- ________________ ४८ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते વિના માતા-પિતાદિ અવશ્ય વિનાશ પામશે, સમ્યક્ત્વાદિ ઔષધથી કદાચ બચી જાય, વ્યવહારથી થોડો કાળ જીવી શકે તેવા છે. આમ વિચારીને માતા-પિતાને સંતોષ થાય તે રીતે તેમની આ લોકની ચિંતા કરીને (= જીવનનિર્વાહનું સાધન કરીને) વિશિષ્ટ ગુરુ આદિનો યોગ કરવા દ્વારા માતાપિતાના રોગના નિવારક સમ્યત્વાદિરૂપ ઔષધ માટે અને યોગ્ય કૃત્ય કરવાના હેતુથી (સંયમરૂપ) સ્વવૃત્તિ માટે સંયમનો સ્વીકાર કરીને માતા-પિતાનો ત્યાગ કરનાર પણ સિદ્ધિ પ્રાપ્તિની અપેક્ષાએ (= ५२॥मे) सारो छ. આવો (માતા-પિતાનો) ત્યાગ હિતકારી હોવાથી અત્યાગરૂપ છે અને અત્યાગ જ અહિતકર હોવાથી ત્યાગરૂપ છે. પરમાર્થથી અહીં પંડિતો તાત્ત્વિક ફળને જ પ્રધાન માને છે. [0]. अण्णे भणंति धन्ना, सयणाइजुआ उ होति जोगत्ति । संतस्स परिच्चागा, जम्हा ते चाइणो हुंति ॥ ९१ ॥ वृत्तिः- ‘अन्ये' वादिनो 'भणन्ति' अभिदधति-'धन्याः' पुण्यभाज: 'स्वजनादियुक्ता एव' स्वजनहिरण्यादिसमन्विता एव भवन्ति योग्याः' प्रव्रज्याया 'इति' गम्यते, उपपत्तिमाह'सतो' विद्यमानस्य 'परित्यागात्' स्वजनादेः, 'यस्मात्' कारणात् 'ते'-स्वजनादियुक्ताः 'त्यागिनो भवन्ति', त्यागिनां च प्रव्रज्येष्यते इति गाथार्थः ॥ ९१ ।। બીજા વાદીઓ કહે છે કે જે પુણ્યશાલીઓ સ્વજન, સુવર્ણ આદિથી યુક્ત હોય તે દીક્ષાને માટે યોગ્ય છે. કારણ કે ત્યાગી તે છે કે “જે (સુખસામગ્રી) વિદ્યમાન (મળેલી) હોય તેનો ત્યાગ કરે.” આથી જેઓ સ્વજનાદિથી યુક્ત હોય તે ત્યાગી બની શકે અને શાસ્ત્રકારોને ત્યાગીઓની Elan (भान्य) छ. [८१] जे पुण तप्परिहीणा, जाया दिव्वाओ चेव भिक्खागा । तह तुच्छभावओ च्चिअ, कहण्णु ते होति गंभीरा ॥ ९२ ॥ वृत्तिः- 'ये पुनस्तत्परिहीना जाता दैवादेव' कर्मपरिणामादेव 'भिक्षाकाः' भिक्षाभोजनाः, ततश्च 'तथा' तेन प्रकारेण 'तुच्छभावत्वादेव' असारचित्तत्वादेव 'कथं नु ते भवन्ति गम्भीराः' ?, नैव ते भवन्ति गम्भीरा:- नैव ते भवन्त्युदारचित्ताः, अनुदारचित्ताश्चायोग्या इति गाथार्थः ॥ ९२ ॥ किञ्च मज्जंति अ ते पायं, अहिअयरं पाविऊण पज्जायं । लोगंमि अ उवघाओ, भोगाभावा ण चाईणो ॥ ९३ ।। वृत्ति:- 'माद्यन्ति च' मदं गच्छन्ति च 'ते' अगम्भीराः 'प्रायो' बाहुल्येन 'अधिकतरम्' इहलोक एव शोभनतरं प्राप्य पर्यायम्' आसाद्यावस्थाविशेषम्, अधिकश्चेहलोकेऽपि Page #74 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [ ૪૬ तथाविधगृहस्थपर्यायात् प्रव्रज्यापर्यायः, 'लोके चोपघातः' क्षुद्रप्रव्रज्याप्रदानेन, तथा 'भोगाभावात्' कारणान्न 'त्यागिनश्च' तेऽगम्भीराः, त्यागिनश्च प्रव्रज्योक्ता “से हु चाइत्ति યુવતી"ત્યાદ્રિવનાત્ રૂતિ ગાથાર્થઃ || ૧૩ | જેઓ સ્વજનાદિથી રહિત છે તેઓ તેમના ભાગ્યથી જ ભિક્ષા માગીને ભોજન (= જીવનનિર્વાહ) કરનારા હોય છે, એથી તેઓ તે તે રીતે તુચ્છચિત્તવાળા હોય છે. તુચ્છ ચિત્તવાળા હોવાથી જ તેઓ ગંભીર=ઉદાર ચિત્તવાળા ન હોય. અનુદાર ચિત્તવાળા દીક્ષાને માટે અયોગ્ય છે. [૨] વળી ગંભીરતાથી રહિત હોવાથી તેઓ આ લોકમાં જ સારી=સુખી અવસ્થાને પામીને પ્રાયઃ અભિમાન કરે. પરલોકમાં તો ઠીક, આ લોકમાં પણ ગૃહસ્થોની તેવી (ચિતા આદિ અનેક દુઃખોથી ભરેલી) અવસ્થાની અપેક્ષાએ સાધુઓની અવસ્થા સારી=સુખી હોય છે. (કારણ કે રજોહરણના પ્રભાવથી સાધુઓને અનેક અનુકૂળતાઓ મળે છે. પોતાની આજીવિકાની કોઈ ચિંતા હોતી નથી, અને અનેક અનુકૂળતાઓ કે માન-સન્માન વગેરે મળે છે. આથી માત્ર આ લોકના બાહ્યસુખની દષ્ટિએ વિચારવામાં આવે તો પણ ગૃહસ્થથી સાધુને વધારે સુખ હોય છે. તુચ્છ જીવ આ સુખને પચાવી ન શકે. એથી અભિમાન કરે એ સહજ છે.) તથા સુદ્રને દીક્ષા આપવાથી લોકમાં (દીક્ષિત, દીક્ષાદાતા વગેરેનો) ઉપઘાત = નિંદા થાય. તથા ભોગ ન મળેલા હોવાથી તેવા અગંભીર પુરુષો દીક્ષા લેવા છતાં ત્યાગી મનાતા નથી. કારણ કે “જે મળેલા પણ મનોહર અને પ્રિય ભોગોને પીઠ કરે છે = છોડે છે, અને સ્વાધીન ભોગોનો ત્યાગ કરે છે, તે “ત્યાગી' કહેવાય છે” એવું શાસ્ત્રવચન છે. [૩] एष पूर्वपक्षः, अत्रोत्तरमाह एयंपि न जुत्तिखमं, विण्णेअं मुद्धविम्हयकरं तु । __ अविवेगपरिच्चाया, चाई जं निच्छयनयस्स ॥ ९४ ॥ वृत्तिः- 'एतदपि न युक्तिक्षम विज्ञेयं'-न युक्तिसमर्थं ज्ञातव्यं यदुक्तं पूर्वपक्षवादिना, 'मुग्धविस्मयकरं तु' मन्दमतिचेतोहारि त्वेतत् कथमित्याह- 'अविवेकपरित्यागाद्' भावतोऽज्ञानपरित्यागेन 'त्यागी यद्'-यस्मात् 'निश्चयनयस्य' अभिप्रेत इति गाथार्थः ॥ ९४ ।। આ પૂર્વપક્ષ કહ્યો, હવે ઉત્તરપક્ષ કહે છે– પૂર્વપક્ષવાદીએ કહેલી આ વાત પણ યુક્તિસમર્થ નથી યુક્તિયુક્ત નથી. હા, આ વાત મંદ મતિ જીવોના ચિત્તનું આકર્ષણ જરૂર કરે, તેમને ગમી જાય, પણ યુક્તિયુક્ત નથી. કારણ કે નિશ્ચયનયના મતે અવિવેકના = અજ્ઞાનતાના ત્યાગથી ત્યાગી અભિપ્રેત છે, અર્થાત્ જે અજ્ઞાનતાનો ત્યાગ કરે છે તે પરમાર્થથી ત્યાગી બને છે, એમ નિશ્ચયનય માને છે. [૪] ૧, તે તે રીતે એટલે સુખમાં ગર્વ કરવો, વડિલોને માન ન આપવું વગેરે રીતે. ૨. જેમ સ્વજનત્યાગ પાપહેતુ છે એ વાત યુક્તિયુક્ત નથી, તેમ સ્વજનાદિથી યુક્ત જ દીક્ષાને યોગ્ય છે એ વાત પણ યુક્તિયુક્ત નથી, એમ “પણ” શબ્દનો સંબંધ છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ५० ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते किमित्येतदेवमत आह संसारहेउभूओ, पवत्तगो एस पावपक्खंमि । एअंमि अपरिचत्ते, किं कीरइ बज्झचाएणं ? ॥ १५ ॥ वृत्तिः- 'संसारहेतुभूतः' संसारकारणभूतः 'प्रवर्तक एष':- अविवेकः 'पापपक्षे' अकुशलव्यापारे, यतश्चैवमत एतस्मिन्' अविवेके 'अपरित्यक्ते किं क्रियते बाह्यत्यागेन'स्वजनादित्यागेन ? इति गाथार्थः ॥ ९५ ।। किञ्च पालेइ साहुकिरिअं, सो सम्मं तंमि चेव चत्तंमि । तब्भावंमि अ विहलो, इअरस्स कओऽवि चाओत्ति ॥ ९६ ॥ वृत्तिः- 'पालयति साधुक्रियां' यतिसामाचारी 'स' प्रव्रजितः 'सम्यग्' अविपरीतेन मार्गेण 'तस्मिन्नेव'-अविवेके 'त्यक्त' इति, 'तद्भावे च' अविवेकसत्तायां च सत्यां 'विफलः' परलोक-मङ्गीकृत्य 'इतरस्य' स्वजनादेः 'कृतोऽपि त्यागः', अविवेकात् इति गाथार्थः ।। ९६ ॥ અવિવેકના ત્યાગથી ત્યાગી કેમ બને છે તે જણાવે છે આ અવિવેક સંસારનું કારણ છે અને અશુભ પ્રવૃત્તિમાં પ્રવર્તાવે છે. આથી અવિવેકનો ત્યાગ કર્યા વિના બાહ્ય સ્વજનાદિના ત્યાગથી શું કરી શકાય ? અર્થાત્ અવિવેકનો ત્યાગ કર્યા વિના માત્ર સ્વજનાદિના ત્યાગથી આધ્યાત્મિક લાભ ન મેળવી શકાય. [૫] વળી અવિવેકનો ત્યાગ થતાં તે સાધુસામાચારીને બરોબર પાળે. અવિવેક વિદ્યમાન હોય તો પરલોકને સ્વીકારીને (= પરલોક છે એમ માનીને પરલોકને સુધારવા) સ્વજનાદિનો કરેલો ત્યાગ પણ અવિવેકના २४) निष्६८ छे. [४] एतदेव दर्शयति दीसंति अ केइ इहं, सइ तंमी बज्झचायजुत्ताऽवि । तुच्छपवित्ती अफलं, दुहावि जीवं करेमाणा ॥ ९७ ॥ वृत्तिः- 'दृश्यन्ते च केचिदत्र'-लोके 'सति तस्मिन्'-अविवेके 'बाह्यत्यागयुक्ता अपि' स्वजनादित्यागसमन्विता अपि 'तुच्छप्रवृत्त्या' अविवेकात् तथाविधारम्भाद्यसारप्रवृत्त्या 'अफलं द्विधापि' इहलोकपरलोकापेक्षया 'जीवितं कुर्वन्तः' सन्तः इति गाथार्थः ॥ ९७ ॥ આ જ વિષયને બતાવે છે અવિવેકની વિદ્યમાનતામાં સ્વજનાદિના ત્યાગીઓ પણ અવિવેકથી તેવા પ્રકારની આરંભ વગેરે અસાર (= પાપવાળી) પ્રવૃત્તિ કરીને આ લોક અને પરલોક એ બંનેની અપેક્ષાએ જીવનને નિષ્ફળ કરતા કેટલાક આ લોકમાં પ્રત્યક્ષ દેખાય છે. [૭] Page #76 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] તથા વ चइऊण घरावासं, आरंभपरिग्गहेसु वट्टंति । जं सन्नाभेएणं, एअं अविवेगसामत्थं ॥ ९८ II वृत्ति:- ' त्यक्त्वाऽपि गृहवासं' प्रव्रज्याङ्गीकरणेन 'आरम्भपरिग्रहयोः ' उक्तलक्षणयोः ‘વર્ત્તત્તે યંત્’-યસ્માત્ ‘સંજ્ઞામેવેન' રેવાદ્યર્થીડયમિત્યેવં શમેવેન, ‘તર્’સ્થંભૂતમ્ ‘અવિવસામર્થ્યમ્' અજ્ઞાનત્તિ: તિ ગાથાર્થઃ || ૬૮ || તથા આ અજ્ઞાનનો પ્રભાવ છે કે જેથી અવિવેકીઓ પ્રવ્રજ્યાનો સ્વીકાર કરવા દ્વારા ગૃહવાસને છોડીને પણ શબ્દભેદથી આરંભ અને પરિગ્રહમાં પ્રવૃત્તિ કરે છે. [ પ્રશ્ન- અવિવેકીઓ શબ્દભેદથી આરંભ-પરિગ્રહમાં પ્રવૃત્તિ કેવી રીતે કરે છે ? ઉત્તર- ધન પોતાની પાસે (= પોતાની માલિકીનું) રાખે અને બીજાઓને કહે કે આ ધન દેવભક્તિ વગેરે માટે છે. અહીં ધન પોતાની પાસે હોવાથી પરિગ્રહ જ છે. આમ છતાં તે પોતાનો બચાવ કરવા આ ધન દેવાદિની ભક્તિ માટે છે ઇત્યાદિ કહે. આમાં “ધન પોતાનું છે” એમ ન કહેતાં ‘દેવભક્તિ વગેરે માટે છે' એમ કહે છે. એમ કહેવું તે માત્ર શબ્દભેદ છે, તત્ત્વભેદ નથી. તત્ત્વથી તો ધન તેનું પોતાનું જ છે. એમ તે શબ્દભેદથી પરિગ્રહમાં પ્રવૃત્તિ કરે છે. [૮] एतदेव दृष्टान्तद्वारेणाह मंसनिवित्ति काउं, सेवइ दंतिक्कयंति धणिभेआ । इअ चइऊणारंभं, परववएसा कुणइ बालो ॥ ९९ ॥ वृत्ति:- 'मांसनिवृत्तिं कृत्वा' कश्चिदविवेकात् 'सेवते दन्तिक्ककमिति ध्वनिभेदात्'शब्दभेदात् 'इय' एवं 'त्यक्त्वाऽऽरम्भम्' "एकग्रहणे तज्जातीयग्रहणम्" इति न्यायात् परिग्रहं ૨ ‘પરવ્યપદેશાવ્’ વેવારિત્ર્યપરેશેન ‘વોતિ વાનઃ' અશઃ તિ ગાથાર્થઃ || ૧૨ || આ વિષયને દૃષ્ટાંત દ્વારા કહે છે કોઈ અવિવેકી માંસનિવૃત્તિ (= માંસનો ત્યાગ) કરીને શબ્દભેદથી માંસનું સેવન કરે છે. તથા અજ્ઞાનજીવ આરંભ-પરિગ્રહનો ત્યાગ કરીને દેવાદિના બહાનાથી આરંભ-પરિગ્રહ કરે છે. (ભાવાર્થ- વૈદિક ધર્મના અનુયાયીઓ કેટલાક માંસનો ત્યાગ કરવા છતાં યજ્ઞમાં દેવ માટે તૈયાર કરેલ (દેવને ધરેલ) માંસ ખાવામાં વાંધો નથી ઈત્યાદિ કહે છે. આ તો દેવનું (દેવને ધરેલ) માંસ છે માટે ખાવામાં વાંધો નથી એમ કહીને માંસ ખાય છે. આમ “આ દેવનું (દેવને ધરેલ) માંસ છે” એમ શબ્દનો ફેરફાર કરીને માંસ ખાય છે. એ લોકો માને છે કે- (૧) વૈદિક મંત્રોથી પ્રોક્ષણ નામના સંસ્કારથી યુક્ત માંસનું ભક્ષણ કરવું જોઈએ. (૨) બ્રાહ્મણોની ઈચ્છાથી (એક વાર) માંસ ખાવું જોઈએ. (૩) શ્રાદ્ધ અને મધુપર્કમાં વિધિપૂર્વક જોડાયેલા મનુષ્યે અવશ્ય માંસભક્ષણ - Page #77 -------------------------------------------------------------------------- ________________ ५२ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કરવું જોઈએ. (૪) માંસભક્ષણ વિના પ્રાણનું રક્ષણ થઈ શકે તેમ ન હોય તેવા સંજોગોમાં પણ માંસભક્ષણ કરવું જોઈએ. હારિભદ્રીય અષ્ટક ૧૮ ગાથા ૫ તથા મનુસ્મૃતિ અધ્યાય ૫ શ્લોક ૨૭) તથા અજ્ઞાન જીવ આરંભ-પરિગ્રહનો ત્યાગ કરીને દેવાદિના બહાનાથી આરંભ-પરિગ્રહ કરે છે. મૂળગાથામાં કેવલ આરંભ શબ્દનો ઉલ્લેખ હોવા છતાં “એકના ઉલ્લેખથી તેની જાતિના બીજાને પણ ઉલ્લેખ થઈ જાય છે” એ ન્યાયથી પરિગ્રહનો પણ ઉલ્લેખ સમજી લેવો. [૯] किमित्येतदैवमित्यत आह पयईए सावज्जं, संतं जं सव्वहा विरुद्धं तु । धणिभेअंमिवि महुरगसीअलिगाइव्व लोगम्मि ।। १०० ॥ वृत्तिः- 'प्रकृत्या' स्वभावेन 'सावा' सपापं 'सद्' भवत् ‘यत्' यस्मात् ‘सर्वथा' सर्वैः प्रकारैः विरुद्धमेव'दुष्टमेव ध्वनिभेदेऽपि'शब्दभेदेऽपि सति, किंवदित्याह-'मधुरकशीतलिकादिवल्लोक' इति, नहि विषं मधुरकमित्युक्तं न व्यापादयति स्फोटिका वा शीतलिकेत्युक्ता न दुनोतीति गाथार्थः ।। १०० ॥ શબ્દભેદથી દોષ મટી જતો નથી એમ કહે છે– જે સ્વભાવથી પાપયુક્ત છે તે શબ્દભેદ થવા છતાં કોઈ પણ રીતે પાપયુક્ત જ છે. વિષ મધુર છે એમ વિષને મધુર કહેવા છતાં વિષ માટે જ છે. ફોડલીને આ શીતલા છે એમ ફોડલીને શીતલ (631) डेव। छत उदी पी मापे ४ छपणे ४ छ. मेम मांस वगेरेने '२ हेक्समधी छ' ઈત્યાદિ કહેવા છતાં માંસ વગેરેના ભક્ષણથી પાપ લાગે જ છે. [૧00] अत्राह ता कीस अणुमओ सो, उवएसाइंमि कूवनाएणं । गिहिजोगो उ जइस्स उ, साविक्खस्सा परट्ठाए ।। १०१ ॥ वृत्तिः- यद्येवं 'तत्किमित्यनुमतोऽसौ'-आरम्भः, क्वेत्याह-'उपदेशादाविति उपदेशे श्रावकाणाम्, आदिशब्दात् क्वचिदात्मनाऽपि लूताद्यपनयनमायतन इति ? अनोत्तरमाह'कूपज्ञातेन' प्रवचन प्रसिद्धकूपोदाहरणेन 'गृहियोग्यस्तु' श्रावकयोग्यस्तु, श्रावकयोग्य एवेति मध्यस्थस्य शास्त्रार्थकथने नानुमतिः 'यतेस्तु' प्रव्रजितस्य 'सापेक्षस्य' गच्छवासिनः 'परार्थं' सत्त्वार्हगुणमाश्रित्य, निरीहस्य यतनया विहितानुष्ठानत्वात् नानुमतिरिति गाथार्थः ॥ १०१ ॥ આ વિષયમાં પ્રશ્નોત્તરી કરે છે– પ્રશ્ન- તો પછી સાધુઓ આરંભની અનુમતિ કેમ આપે છે? સાધુઓ શ્રાવકોને જિનપૂજા, જિનમંદિરનિર્માણ વગેરેનો ઉપદેશ આપે છે, તથા સાધુઓ ક્યારેક જાતે પણ મંદિરમાં કરોળિયાના જાળા વગેરેને દૂર કરે છે. આ કાર્યો આરંભ વિના ન થાય. માટે આમાં આરંભની અનુમતિ રહેલી છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम्] [ ૧૨ ઉત્તર- જિનપૂજા વગેરે ધર્મ શ્રાવક્યોગ્ય જ છે. સાધુયોગ્ય નથી. શ્રાવકને જિનપૂજા વગેરે ધર્મથી કૂવાના દૃષ્ટાંતથી લાભ થાય છે. કૂિવો ખોદવામાં શરીર કાદવથી ખરડાઈ જાય છે, કપડાં મેલાં થાય છે, શ્રમ-સુધા-તૃષા વગેરેનું દુઃખ વેઠવું પડે છે, પણ કૂવો ખોદાયા પછી તેમાંથી પાણી નીકળતાં તૃષા આદિ દૂર થવાથી સ્વ-પરને લાભ થાય છે. જેમ કૂવો ખોદવામાં પ્રારંભમાં નુકશાન હોવા છતાં પરિણામે લાભ થવાથી કૂવો ખોદવાની પ્રવૃત્તિ લાભકારી બને છે, તેમ જિનપૂજા માટે સ્નાનાદિ કરવામાં પ્રારંભમાં (સ્વરૂપ) હિંસા રૂપ સામાન્ય દોષ લાગવા છતાં પછી પૂજાથી થયેલા શુભભાવો દ્વારા વિશિષ્ટ અશુભ કર્મોની નિર્જરા અને પુણ્યબંધ થતો હોવાથી પરિણામે લાભ (= સર્વથા અહિંસક) થવાથી સ્નાનાદિની પ્રવૃત્તિ લાભકારી છે.] સાધુ મધ્યસ્થ બનીને શ્રાવકોને શાસ્ત્રનો અર્થ સમજાવે છે. શાસ્ત્રનો અર્થ સમજાવવામાં આરંભની અનુમતિ થતી નથી. ગચ્છવાસી સાધુ (સર્વાનુમશ્રિત્યક) તે તે જીવોની યોગ્યતા પ્રમાણે લાભ થાય એ માટે શાસ્ત્રનો અર્થ સમજાવે (કે કવચિત્ જાતે પણ મંદિરમાં કરોળિયાનાં જાળાં વગેરે દૂર કરે) તેમાં સાધુને આરંભની અનુમતિ થતી નથી. કારણ કે નિઃસ્પૃહ સાધુને યત્નાપૂર્વક આ [= જિનપૂજાદિનો ઉપદેશ અને (સકારણ) જાળાં દૂર કરવા વગેરે કરવાનું કહ્યું છે. [૧૦૧] तथा चाह अण्णाभावे जयणाएँ मग्गणासो हविज्ज मा तेणं । पुव्वकयायणाइसु, ईसिं गुणसंभवे इहरा ॥ १०२ ॥ वृत्तिः- 'अन्याभावे' श्रावकाद्यभावे 'यतनया' आगमोक्तया क्रियया, 'मार्गनाशः' तीर्थनाशो'मा भूदि'त्यर्थः, तेन' कारणेन पूर्वकृतायतनादिषु' महति सन्निवेशे सच्चरितलोकाकुले अर्धपतितायतनादिषु 'ईषद्गुणसम्भवे' च कस्यचित्प्रतिपत्त्यादिस्तोकगुणसम्भवे च सति તકુમું, ‘તરથા' ગાથા | ૨૦૨ // તે પ્રમાણે જ કહે છે– આજુ-બાજુ સારા લોકો હોય તેવા મોટા સ્થાનમાં પૂર્વે કરેલું મંદિર પડવા જેવું થઈ ગયું હોય, શ્રાવક વગેરે કોઈ ન હોય અને કોઈને પૂજા આદિથી લાભ થવાની સંભાવના હોય, તો તીર્થનો વિનાશ ન થાય એટલા માટે સાધુને જે કંઈ કરવું યોગ્ય જણાય તે આગમોક્ત વિધિથી કરવાની છૂટ છે. [૧૦૨] चेइअकुलगणसंघे, आयरिआणं च पवयणसुए अ । सव्वेसुवि तेण कयं, तवसंजममुज्जमंतेण ॥ १०३ ॥ वृत्तिः- "चैत्यकुलगणसङ्ग्रेषु" चैत्यानि-अर्हत्प्रतिमाः, कुलं-चान्द्रादि, परस्परसापेक्षानेककुलसमुदायो गणः, बालिका(श्राविका)पर्यन्तः सङ्घ, तथा 'आचार्याणां' प्रसिद्धतत्त्वानां 'प्रवचनश्रुतयोश्च' प्रवचनम्-अर्थः, श्रुतं तु सूत्रमेव, एतेषु सर्वेष्वपि तेन' साधुना कृतं यत्कर्त्तव्यं, Page #79 -------------------------------------------------------------------------- ________________ ५४ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते केन ? इत्याह-'तपःसंयमयोरुद्यच्छता' तपसि संयमे चोद्यमं कुर्वतेति गाथार्थः ॥ १०३ ।। આવું કંઈ કારણ ન હોય તો તપ અને સંયમ એ બેમાં ઉદ્યમ કરતા સાધુએ (પરમાર્થથી) ચૈત્ય, કુલ, ગુણ, સંઘ, આચાર્ય, પ્રવચન અને શ્રુત એ બધા વિષે જે કરવા જેવું છે તે કરી લીધું છે, અર્થાત્ સાધુઓ માટે તપ અને સંયમ એ બે મુખ્ય છે. येत्य=निप्रतिमा. दुस-यांद्र वगेरे. २=५२५५२ सापेक्ष भने पुगोनो समुदाय. संघसाधु, साध्वी, श्री45, श्रावि से या२ ५२नो संघ. मायायन २१३५ प्रसिद्ध छे. प्रवयन सूत्रनो मर्थ.. श्रुतमात्र भूण सूत्र. [१०३] एत्थ यऽविवेगचागा, पवत्तई जेण ता तओ पवरो । तस्सेव फलं एसो, जो सम्म बज्झचाउत्ति ॥ १०४ ॥ वृत्तिः- 'अत्र च' तपआदौ 'अविवेकत्यागात् प्रवर्त्तते येन' कारणेन 'तस्मात्' असौ-अविवेकत्याग: 'प्रवरः, तस्यैव'अविवेकत्यागस्य ‘फलमेष यः सम्यग्बाह्यत्याग इति' गाथार्थः ॥ १०४ ।। જીવ તપ આદિમાં પ્રવૃત્તિ અવિવેકના ત્યાગથી કરે છે, માટે અવિવેકનો ત્યાગ એ ઉત્તમ ત્યાગ छ भने ४ सभ्य (=विधिपूर्व) मा त्या ४३ छे, ते भविवेना त्यानुं ४ ३८४ छे. [१०४] यतश्चैवम् ता थेवमिअं कज्जं, सयणाइजुओ नवत्ति सइ तम्मि । एत्तो चेव य दोसा, ण हुंति सेसा धुवं तस्स ॥ १०५ ॥ वृत्तिः- 'तत्' तस्मात् 'स्तोकमिदं कार्यं स्वजनादियुक्तो नवेति सति तस्मिन्' अविवेकत्यागे, 'अत एव च' अविवेकत्यागाद् ‘दोषा न भवन्ति शेषा ध्रुवं तस्य' अगम्भीरमदादयः इति गाथार्थः ॥ १०५ ॥ આથી અવિવેકનો ત્યાગ થતાં સ્વજનાદિથી યુક્ત છે કે નહિ એ કાર્ય થોડું છે, અર્થાત એ વાત સામાન્ય છે, અને અવિવેકના ત્યાગથી જ અગંભીરતા, મદ વગેરે શેષ દોષો પણ તેમનામાં अवश्य डोत नथी. [१०५] यद्येवं तर्हि सूत्र उक्तम्-"जे य कन्ते पिए" इत्यादौ यत् "से हु चाइत्ति वुच्चति" त्ति तत्कथं नीयते ? इति चेतसि निधायाह सुत्तं पुण ववहारे, साहीणे वा (साहीणत्ता) तवाइभावेणं । __ हू अविसद्दत्थम्मी, अन्नोऽवि तओ हवइ चाई ॥ १०६ ॥ वृत्ति:- ‘सूत्रं पुनः' “से हु चाइत्ती" त्यादि 'व्यवहारनयविषयं', व्यवहारतस्तावदेवं 'स्वाधीनत्वात्, तपआदिभावेन' तपसा-अनिदानेन आदिशब्दात् कोटित्रयोद्यमपरित्यागेन च, Page #80 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [ ૧૬ દુ:' સૂત્રો: ‘પિશાર્થે', સોડ’ ચો તો મવતિ ત્યાતિ પથાર્થ: ૨૦૬ છે. જો આમ છે તો પછી (દશવૈકાલિક સૂત્રમાં રે ૪ વાને એ ગાથામાં “જે મળેલા પણ મનોહર અને પ્રિય ભોગોને પીઠ કરે છે–છોડે છે, અને સ્વાધીન ભોગોનો ત્યાગ કરે છે તે ત્યાગી કહેવાય છે” એમ જે કહ્યું છે તે કેવી રીતે ઘટી શકે? એવી વાદીની શંકાને ચિત્તમાં રાખીને ગ્રંથકાર કહે છે જે મળેલા પણ મનોહર અને પ્રિય ભોગોને પીઠ કરે છે ઈત્યાદિ કથન વ્યવહાર નયની અપેક્ષાએ છે. વ્યવહારનય સ્વાધીન પદાર્થોને જે છોડે છે તે ત્યાગી છે એમ માને છે. “સે ૪ વાર વૃક્વ' એ સ્થળે દુ અવ્યયનો “પણ' એવો શબ્દાર્થ છે. એટલે એ સૂત્રનો “તે જ ત્યાગી છે” એવો અર્થ નથી, કિંતુ “તે પણ ત્યાગી છે” એવો અર્થ છે. આથી જેમ સ્વાધીન પદાર્થોને છોડનાર ત્યાગી છે તેમ ભોગોથી રહિત હોવા છતાં જે ભાવથી દીક્ષા લે છે તે પણ ત્યાગી છે. કારણ કે તે નિદાનરહિત તપ આદિ કરે છે, અને ત્રિકોટી દોષનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરે છે. (હણવું, હણાવવું અને હણતાની અનુમોદના કરવી એ હનન ત્રિકોટિછે, ખરીદવું, ખરીદાવવું અને ખરીદતાની અનુમોદના કરવી એ ક્રયણ ત્રિકોટિ છે, પકાવવું પકાવડાવવું અને પકાવતાની અનુમોદના કરવી એ પચન ત્રિકોટિ છે.) [૧૦૬] . को वा कस्स न सयणो ?, किंवा केणं न पाविआ भोगा? । संतेसुवि पडिबंधो, दुट्ठोत्ति तओ चएअव्वो ॥ १०७ ॥ वृत्तिः- 'को वा कस्य न स्वजनः किं वा केन न प्राप्ता भोगाः' अनादौ संसार इति, तथा 'सत्स्वपि' स्वजनादिषु 'प्रतिबन्धो दुष्ट इत्यसौ त्यक्तव्यः', असत्स्वपि तत्सम्भवात् इति થાર્થઃ || ૧૦૭ | અનાદિ સંસારમાં કોણ કોનો સ્વજન થયો નથી? અર્થાત્ દરેક જીવ દરેક જીવનો સ્વજન (અનંતવાર) થયો છે. કોનાથી ભોગો પ્રાપ્ત કરાયા નથી? અર્થાત્ દરેક જીવ (અનંતવાર) ભોગો પ્રાપ્ત કર્યા છે. તથા સ્વજનાદિ હોય તો પણ તેમના વિષે રહેલો રાગ દુષ્ટ છે. (સ્વજનાદિ દુષ્ટ નથી.) આથી સ્વજનાદિ સંબંધી રાગનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે સ્વજનાદિ ન હોય તો પણ તેમના વિષે રાગ-આસક્તિ હોય એ સંભવિત છે. (માટે સ્વજનાદિ છે કે નહિ એ મહત્ત્વની વાત નથી, સ્વજનાદિ વિષે આસક્તિ છે કે નહિ એ મહત્ત્વની વાત છે.) [૧૦૭] उभययुक्तानां तु गुणमाह धण्णा य उभयजुत्ता, धम्मपवित्तीइ हुँति अन्नेसि । जं कारणमिह पायं, केसिंचि कयं पसंगणं ॥ १०८ ॥ લિતિ રા યં છે. वृत्तिः- 'धन्याश्चोभययुक्ता'-बाह्यत्यागाविवेकत्यागद्वयसम्पन्नाः, किमित्यत आह'धर्मप्रवृत्तेर्भवन्ति अन्येषां' प्राणिनां 'यद्' यस्मात् 'कारणमिह प्रायेण केषाञ्चिद्' અન્વેષામિતિ “ક્ત પ્રસન' તિ થાર્થ / ૧૦૮ / Page #81 -------------------------------------------------------------------------- ________________ ५६ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ઉભયયુક્ત મુમુક્ષુઓની વિશેષતા કહે છે— બાહ્યત્યાગ અને અવિવેકત્યાગ એ બંનેથી યુક્ત મુમુક્ષુઓને ધન્ય છે. કારણ કે તેઓ કોઈક અન્ય જીવોની ધર્મપ્રવૃત્તિનું કારણ બને છે. (જેમકે-આમને મળ્યું હતું છતાં બધું છોડી દીધું. આપણને તો શું મળ્યું છે ? કંઈ નથી મળ્યું, તો આપણે શા માટે તપ-ત્યાગ વગેરે ધર્મ ન કરીએ ? ઈત્યાદિ વિચારીને કેટલાક ભદ્રિક જીવો ધર્મ કરવા માંડે એ પ્રત્યક્ષ જોવામાં આવે છે.) હવે આ પ્રકરણની विशेष यर्याथी सर्यु. [१०८ ] केभ्य इति व्याख्यातम्, इदानीं कस्मिन्निति व्याख्यायते, कस्मिन् क्षेत्रादौ प्रव्रज्या दातव्येत्येतदाह ओसरणे जिणभवणे, उच्छुवणे खीररुक्खवडे । गंभीरसाणा, एमाइपसत्थखित्तम्मि ॥ १०९ 11 वृत्ति:- 'समवसरणे' भगवदध्यासिते क्षेत्रे वृत्ते, तदभावे वा 'जिनभवने' अर्हदायतने 'इक्षुवने' प्रतीते' क्षीरवृक्षवनखण्डे' अश्वत्थादिवृक्षसमूहे' 'गम्भीरसानुनादे' महाभोगप्रतिशब्दवति 'एवमादौ प्रशस्ते क्षेत्रे', आदिशब्दात् प्रदक्षिणावर्त्तजलपरिग्रह इति गाथार्थः ॥ १०९ ॥ दिज्ज ण उ भग्गझामिअसुसाणसुण्णामण्णुणगेहेसु । छारंगारकयारामे ज्झाईदव्वदुट्ठे वा 11 ११० 11 वृत्ति:- एवम्भूते क्षेत्रे 'दद्यात्, न तु भग्नध्यामितश्मशानशून्यामनोज्ञगृहेषु' दद्यात्, ध्यामितं-दग्धं, तथा ‘क्षाराङ्गारावकरामेध्यादिद्रव्यदुष्टे वा' क्षेत्रे न दद्यात्, आदिशब्दोऽमेध्यस्वभेदप्रख्यापक इति गाथार्थः ॥ ११० ॥ केभ्यः से द्वारनुं वर्शन यु. हवे कस्मिन् द्वारनुं वर्शन उरवामां आवे छे. तेमां या क्षेत्र वगेरेमां दीक्षा आपवी (खने न आपवी) से ४सावे छे સમવસરણમાં એટલે કે (કાયોત્સર્ગ, દેશના, ચાતુર્માસ વગેરે દ્વારા) ભગવાનથી પવિત્ર થયેલ प्रसिद्ध भूमिमां, तेना जलावे निमंहिरमां, शेरडीनी वाडीमां, भ्यां वड-चींपणा वगेरे (दूधाणां) વૃક્ષોનો સમૂહ હોય તેવા સ્થળે, પડઘો (=શબ્દનો પ્રતિશબ્દ) થતો હોય તેવા સ્થળે, કે પાણી પ્રદક્ષિણા આપતું હોય તેવા જળાશયની પાસે દીક્ષા આપવી. ભાંગેલા, બળેલા, શ્મશાન, શૂન્ય કે અમનોહર સ્થાનમાં, તથા ક્ષાર, અંગારા, કચરો, વિષ્ઠા વગેરે દ્રવ્યોથી અનિષ્ટ ક્ષેત્રમાં, આ સિવાય બીજાં પણ તેવાં અપવિત્ર દ્રવ્યોથી ખરાબ થયેલા ક્ષેત્રમાં દીક્ષા ન આપવી જોઈએ. [૧૦૯-૧૧૦] व्यतिरेकप्राधान्यतः कालमधिकृत्याह चाउसिं पण्णरसिं च वज्जए अट्ठमिं च नवमिं च । " छट्टि च चउत्थि बारसिं च सेसासु दिज्जाहि ॥ १११ ॥ Page #82 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [५७ वृत्तिः- 'चतुर्दशी पञ्चदशी च' वर्जयेत्, 'अष्टमी च नवमीं च षष्ठीं च चतुर्थी द्वादशी च, शेषासु' तिथिषु 'दद्यात्', अन्यासु दोषरहितास्विति गाथार्थः ॥ १११ ।। હવે કાલને આશ્રયીને વ્યતિરેકની (=કેવા કાળમાં દીક્ષા ન આપવી એની) પ્રધાનતાથી કહે છે शुभ-कृष्ण ने पक्षनी यौहश, सभास-पूनम, माम, नोम, ७४, योथ भने पारस, આ તિથિઓમાં દીક્ષા ન આપવી. આ સિવાયની પણ જે તિથિઓ દોષરહિત હોય તેમાં દીક્ષા भा५वी. [१११] नक्षत्राण्यधिकृत्याह तिसु उत्तरासु तह रोहिणीसु कुज्जा उ सेहनिक्खमणं । गणिवायए अणुण्णा, महव्वयाणं च आरुहणा ॥११२ ॥ वृत्तिः- 'तिसृषु उत्तरासु' आषाढादिलक्षणासु तथा रोहिणीषु कुर्यात् शिष्यकनिष्क्रमणं', दद्यात् प्रव्रज्यामित्यर्थः, तथा 'गणिवाचकयोरनुज्ञा' एतेष्वेव क्रियते, 'महाव्रतानां चारोपणेति' गाथार्थः ॥ ११२ ॥ હવે નક્ષત્રને આશ્રયીને કહે છે– 7 उत्त२॥ सने रोBिell (sस्त, अनुराधा, रेवती, श्रव, भूग, शतभिषा, पूर्वाभाद्र५६, પુષ્ય, પુનર્વસુ, અશ્વિની, સ્વાતિ) નક્ષત્રમાં શિષ્યને દીક્ષા આપવી, ગણીપદ અને વાચકપદની અનુજ્ઞા કરવી અને મહાવ્રતોનું આરોપણ કરવું. [૧૧૨] वर्ण्यनक्षत्राण्याह संझागयं १ रविगयं २, विड्डेरं ३ सग्गहं ४ विलंबिं च ५। राहुगयं ६ गहभिन्नं ७, च वज्जए सत्त नक्खत्ते ॥११३ ॥ वृत्तिः- 'सन्ध्यागतं १ रविगतं २ विड्वेरं ३ सग्रहं ४ विलंबि ५ च राहुगतं ६ ग्रहभिनं ७ च वर्जयेत् सप्त नक्षत्राणि', 'अत्थमणे संझागय रविगय जहियं ठिओ उ आइच्चो । विड्डेरमवद्दारिय सग्गह कूरग्गहहयं तु ॥ १ ॥ आइच्चपिट्ठओ जं विलंबि राहूहयं तु जहिँ गहणं ।। मज्झेणं जस्स गहो गच्छइ तं होइ गहभिन्नं ॥ २ ॥ संझागयम्मि कलहो १ आइच्चगते य होइ णिव्वाणि २ । विड्डेरे परविजओ ३ सगहम्मि य विग्गहो होई ४ ॥ ३ ॥ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते दोसो अभंगयत्तं होइ कुभत्तं विलंबिनक्खत्ते ५ । राहुहयम्मि य मरणं ६ गहभिन्ने सोणिउग्गालो ७ ॥ ४ ॥ રૂતિ થાર્થઃ || ૧૨૩ હવે વર્ય નક્ષત્રો કહે છે– સંધ્યાગત, રવિગત, વિક્વેર, સગ્રહ, વિલંબી, રાહુગત અને ગ્રહભિન્ન એ સાત નક્ષત્રોમાં દીક્ષા ન આપવી. સંધ્યાગત સૂર્યાસ્ત વખતે રહેલું, સૂર્ય નક્ષત્રથી ચૌદમું કે પંદરમું નક્ષત્ર. રવિગત=સૂર્યગ્રહમાં રહેલું. વિક્વેર વક્રીગ્રહથી ભોગવાતું. સગ્રહ=જૂરગ્રહથી ભોગવાતું. વિલંબી સૂર્યથી નજીકના કાળમાં ભોગવાઈ ગયેલું. રાહુગત=ગ્રહણવાળું. ગ્રહભિન્ન=પ્રહથી ભેદાયેલું. (આ દુષ્ય નક્ષત્રોનું ફળ આ પ્રમાણે છે-) સંધ્યાગત નક્ષત્રમાં દીક્ષા વગેરે કરવાથી કલહ થાય. રવિગતમાં કાર્ય અટકી જાય સફલતા ન મળે. વિરમાં સામાનો વિજય થાય. સંગ્રહમાં યુદ્ધ-કલહ થાય. વિલંબમાં પરિભ્રમણરૂપ દોષ થાય, અથવા ખરાબ ભોજન મળે. રાહુગતમાં મરણ થાય. ગ્રહભિન્નમાં લોહીની ઊલટી થાય. [૧૧૩] उपसंहरन्नाह एसा जिणाणमाणा, खित्ताईआ य कम्मणो हुंति । उदयाइकारणं जं तम्हा एएसु जइअव्वं ॥ ११४ ॥ જૈમિત્તિકા કર્યા છે. वृत्तिः- 'एषा जिनानामाज्ञा' यदुतोक्तलक्षणेष्वेव क्षेत्रादिषु दातव्येति, 'क्षेत्रादयश्च कर्मणो भवन्ति उदयादिकारणं यद्' यस्मात्, यत उक्तम्"उदयक्खयक्खओवसमोवसमा जं च कम्मुणो भणिया । दव्वं खित्तं कालं भवं च भावं च संपप्प ॥ १ ॥ यस्मादेवं 'तस्मात् एतेषु' क्षेत्रादिषु 'यतितव्यं'-शुद्धेषु यत्नः कार्य इति गाथार्थः ॥ ११४ ॥ હવે ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે ઉક્ત લક્ષણવાળા ક્ષેત્ર વગેરેમાં દીક્ષા આપવી એવી જિનેશ્વરોની આજ્ઞા છે. કારણ કે ક્ષેત્ર વગેરે કર્મના ઉદય વગેરેમાં કારણ છે. કહ્યું છે કે- “દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ-ભવને આશ્રયીને કર્મોના ઉદય-ક્ષય-ક્ષયોપશમ-ઉપશમો થાય છે.” આથી શુદ્ધ ક્ષેત્રાદિમાં પ્રયત્ન કરવો જોઈએ=દીક્ષા વગેરે શુભ કાર્ય કરવું જોઈએ. [૧૪] कस्मिन्निति व्याख्यातम्, इदानीं 'कथं वे'ति व्याख्यायते, कथं-केन प्रकारेण दातव्येति, एतदाह Page #84 -------------------------------------------------------------------------- ________________ (४) पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [५९ पुच्छ कहणा परिच्छा, सामाइअमाइसुत्तदाणं च । चिइवंदणाइआइ विहीए सम्मं पयच्छिज्जा ॥ ११५ ॥ वृत्ति:- 'प्रश्नः' प्रव्रज्याभिमुखताविषयः 'कथनं' कथा साधुक्रियायाः, 'परीक्षा' सावद्यपरिहारेण, 'सामायिकादिसूत्रदानं च' विशुद्धालापकेन, तत 'श्चैत्यवन्दनादिविधिना' वक्ष्यमाणलक्षणेन 'सम्यग्' असम्भ्रान्तः सन् प्रयच्छेत्-प्रव्रज्यां दद्यादिति गाथासमुदायार्थः ॥ ११५ ॥ कस्मिन् मे द्वारनुं व्याण्यान , वे कथं वा भेदारनुं व्याप्यान २वामां आवे छे. तेभावी शते દીક્ષા આપવી એ કહે છે(१) प्रश्न- दीक्षा सेवा भावेलाने प्रश्न ४२वो, (२) थन- साधुन। मायावा , (3) परीक्षा- सावधन (=५1५111) त्यागया तनी परीक्षा ४२वी, (अथात् वनस्पतिवाणो भाग આવે ત્યારે વનસ્પતિ ઉપર ચાલે છે કે વનસ્પતિ વિનાના માર્ગે ચાલે છે? વગેરેનું નિરીક્ષણ કરવા દ્વારા તેની યોગ્યતાની પરીક્ષા કરવી.) સૂત્રપ્રદાન- વિશુદ્ધ ઉચ્ચારપૂર્વક સામાયિક વગેરે સૂત્રો આપવાં, પછી હવે (૧૨૫મી વગેરે ગાથામાં) કહેવાશે તે ચૈત્યવંદનાદિરૂપ વિધિથી 'એકાગ્રચિત્તે દીક્ષા આપવી. [૧૧૫] अवयवार्थं तु ग्रन्थकार एवाह धम्मकहाअक्खित्तं, पव्वज्जाअभिमुहंति पुच्छिज्जा । को कत्थ तुमं सुंदर!, पव्वयसि च किंनिमित्तंति ॥११६ ॥ वृत्तिः- 'धर्मकथाद्याक्षिप्त'मिति धर्मकथया अनुष्ठानेन वा आवर्जितं 'प्रव्रज्याभिमुखं' तु सन्तं 'पृच्छेत्', कथमित्याह-'कः कुत्र त्वं सुन्दर' !- कस्त्वं कुत्र वा त्वमायुष्मन् !, 'प्रव्रजसि वा किंनिमित्त मिति' गाथार्थः ।। ११६ ।। પ્રશ્ન વગેરે દ્વારનો અર્થ તો ગ્રંથકાર પોતે જ કહે છે ધર્મકથા સાંભળીને કે ઉત્તમ આચારો જોઈને આકર્ષિત થવાથી દીક્ષા લેવા આવેલા જીવને પૂછવું કે તે આયખાન્ ! તું કોણ છે ? તું ક્યાં રહે છે? તું કયા કારણે દીક્ષા લેવા તૈયાર થયો छ ? [११६] स खल्वाह कुलपुत्तो तगराए, असुहभवक्खयनिमित्तमेवेह । __पव्वामि अहं भंते !, इइ गेज्झो भयण सेसेसु ॥ ११७ ॥ १. १५४भी गाथानी मां असम्भ्रान्तः अनन्यचित्त: मेवो ५.आथी सही अमम्भ्रान्तः सन् पहनो अर्थ 'मेडायिते' એવો કર્યો છે. આ અર્થ બરોબર ઘટે છે. કારણ કે ચિત્તની એકાગ્રતા વિના વિધિ બરોબર થઈ શકે નહિ. Page #85 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्ति:- 'कुलपुत्रोऽहं 'तगरायां' नगर्यामित्येतद् ब्राह्मणमथुराद्युपलक्षणं वेदितव्यमिति, 'अशुभभवक्षयनिमित्तमेवेह' भवन्त्यस्मिन् कर्म्मवशवर्त्तिनः प्राणिन इति भवः-संसारः तत्परिक्षयनिमित्तमित्यर्थः, 'प्रव्रजामि अहं भदन्त इति', एवं ब्रुवन् 'ग्राह्यः, भजना शेषेषु'अकुलपुत्रान्यनिमित्तादिषु, इयं च भजना विशिष्टसूत्रानुसारतो द्रष्टव्या, उक्तं च " जे जहिं दुर्गाछिया खलु पव्वावणवसहिभत्तपाणेसु । ६० ] जिणवणे पडिकुट्ठा वज्जेयव्वा पयत्तेणं ॥ १ ॥ " इत्यादीति गाथार्थः ॥ ११७ ॥ મુમુક્ષુ આનો જવાબ આપે છે— हे भगवंत ! हुं सपुत्र धुं (= अय्य समां ४न्मेसो छं), हुं तगरा (वगेरे (उत्तम) नगरीमां રહું છું, અશુભ ભવના ક્ષય માટે દીક્ષા લેવા તૈયાર થયો છું, આ પ્રમાણે કહે તો તેને દીક્ષા આપવી. બાકીનાઓમાં ભજના છે, એટલે કે જેઓ ઉચ્ચકુળ આદિથી શુદ્ધ ન ગણાય તેઓને દીક્ષા આપવાની ना पाए। उहेवी खा ल४ना ( = विल्प) विशिष्ट (निशीथ वगेरे) सूत्रमा आधारे भरावी. धुं છે કે- “જે દેશ વગેરેમાં જેઓ પ્રવ્રજ્યા, વસતિ અને ભક્તપાનને આશ્રયીને નિંધ હોય તે દેશ વગેરેમાં તેમનો ત્યાગ કરવો, અર્થાત્ જે દેશ વગેરેમાં જે જીવો દીક્ષા માટે નિંદ્ય ગણાતા હોય તે દેશ વગેરેમાં તેમને દીક્ષા ન આપવી, જે દેશ વગેરેમાં જેમનું સ્થાન નિંદ્ય ગણાતું હોય તે દેશ વગેરેમાં તેમના સ્થાનમાં ન રહેવું, જે દેશ વગેરેમાં જેમનાં ઘરો ભિક્ષા માટે નિંઘ ગણાતાં હોય તેમનાં ઘરોમાં मिक्षा भाटे न ४.” અહીં કુલપુત્રના ઉપલક્ષણથી બ્રાહ્મણ વગેરે (ઉચ્ચ) કુળો પણ સમજવાં. તગરાનગરીના ઉપલક્ષણથી મથુરા વગેરે (આર્ય) ક્ષેત્રો પણ સમજવાં. કર્મવશ બનેલા જીવો જેમાં પેદા થાય = ४न्मे ते लव. [११७] प्रश्न इति व्याख्यातं कथामधिकृत्याह साहिज्जा दुरणुचरं, कापुरिसाणं सुसाहुचरिअंति । आरंभनियत्ताण य, इहपरभविए सुहविवागे ॥ ११८ ॥ वृत्ति:- 'साधयेत्' कथयेत् 'दुरनुचरां कापुरुषाणां' क्षुद्रसत्त्वानां 'सुसाधु (चरित्रं'साधु) क्रियामिति, तथा 'आरम्भनिवृत्तानां च इहपारभविकान् शुभविपाकान्' - प्रशस्तसुखदेवलोकगमनादीनि इति गाथार्थः ॥ ११८ ॥ जह चेव उ मोक्खफला, आणा आराहिआ जिणिदाणं । संसारदुक्खफलया, तह चेव विराहिआ होइ ॥ ११९ ॥ Page #86 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [ ६१ वृत्ति:- 'यथैव तु मोक्षफला' भवतीति योग:, 'आज्ञा आराधिता' - अखण्डिता सती 'जिनेन्द्राणां' सम्बन्धिनीति, 'संसारदुःखफलदा तथैव च विराधिता' - खण्डिता ' भवतीति' गाथार्थः ॥ ११९ ॥ किञ्च जह वाहिओ अ किरियं पवज्जिउं सेवई अपत्थं तु । अपवण्णगाउ अहियं, सिग्धं च स पावइ विणासं ॥ १२० ॥ ? वृत्ति:- 'यथा व्याधितस्तु'- कुष्ठादिग्रस्तः 'क्रियां प्रतिपत्तुं (? प्रतिपद्य) ' चिकित्सामाश्रित्य 'सेवते अपथ्यं तु', स किमित्याह - ' अप्रपन्नात्' सकाशाद् 'अधिकं शीघ्रं च स प्राप्नोति विनाशम्', अपथ्यसेवनप्रकटितव्याधिवृद्धेरिति गाथार्थः ॥ १२० ॥ एमेव भावकिरिअं पवज्जिउं कम्मवाहिखयहेऊ । पच्छा अपत्थसेवी, अहियं कम्मं समज्जिइ ॥ १२१ ॥ वृत्ति: - 'एवमेव भावक्रियां' - प्रव्रज्यां 'प्रतिपत्तुं (? प्रतिपद्य) किमर्थमित्याह-'कर्म्मव्याधिक्षयहेतोः, पश्चादपथ्यसेवी' - प्रव्रज्याविरुद्धकारी 'अधिकं कर्म्म समर्जयति', भगवदाज्ञाविलोपनेन कूराशयत्वादिति गाथार्थः ॥ १२१ ॥ પ્રશ્ન એ દ્વારનું વ્યાખ્યાન કર્યું. હવે ‘કથા’ દ્વારને આશ્રયીને કહે છે— દીક્ષા લેવા આવેલાને કહેવું કે- કાયર પુરુષોને સુસાધુઓના આચારો પાળવા કઠીન છે, (આમ છતાં) આરંભનો ત્યાગ કરનારાઓને દીક્ષાથી આ ભવમાં પ્રશસ્ત સુખનો અને પરભવમાં દેવલોકનો લાભ થાય છે. [૧૧૮] તથા જેમ સારી રીતે પાળેલી જિનેશ્વરોની આજ્ઞા મોક્ષ રૂપ ફળ खाये छे, तेम विराधेसी (= पंडित रेली) विनाज्ञा संसार हु: ३५ इज खाये छे. [११८] वणी જેમ કોઢ આદિ રોગવાળો પુરુષ રોગની ચિકિત્સા કરાવે, પણ અપથ્યનું સેવન કરે તો ચિકિત્સા નહિ કરાવનાર કરતાં તેનો રોગ વધી જાય અને એના કારણે તેનું જલદી મૃત્યુ થાય. [૧૨૦] તેમ જે જીવ કર્મ રૂપ વ્યાધિના નાશ માટે દીક્ષા રૂપી ચિકિત્સાનો સ્વીકાર કરીને તેનાથી વિરુદ્ધ વર્તન રૂપ અપથ્યનું સેવન કરે તે જીવ પૂર્વે કરતાં અધિક કર્મ બાંધે. કારણ કે ભગવાનની આજ્ઞાનો ભંગ કરવાના કારણે તેનો આશય ક્રૂર છે. આ બધું દીક્ષા લેવા આવનારને સમજાવવું. [૧૨૧] कथेति व्याख्याता, परीक्षामाह अब्भुवगपि संतं, पुणो परिक्खिज्ज पवयणविहीए । छम्मासं जाऽऽसज्ज व, पत्तं अद्धाएँ अप्पबहु ॥ १२२ ॥ वृत्ति:- 'अभ्युपगतमपि सन्तं पुनः परीक्षेत प्रवचनविधिना' - स्वचर्याप्रदर्शनादिना, कियन्तं कालं यावदित्याह - ' षण्मासं यावदासाद्य वा पात्रमद्धायाः अल्पबहुत्वम्', अद्धासपरिणामके पात्रविशेषे अल्पतर इतरस्मिन् बहुतरोऽपीति गाथार्थः ॥ १२२ ॥ कालः, Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કથા’ એ તારાનું વ્યાખ્યાન કર્યું, હવે ‘પરીક્ષા દ્વારને કહે છે– (પ્રશ્ન અને કથાથી યોગ્ય છે એમ જાણીને) તેનો સ્વીકાર કરવા છતાં સાધુના આચારો જણાવવા વગેરે વિધિથી (તેનામાં શ્રદ્ધા, પાપભય વગેરે ગુણો છે કે નહિ તેની ચોક્કસાઈ કરવા) તેની છ મહિના સુધી પરીક્ષા કરવી. આ મુદત સામાન્યથી છે. જીવવિશેષને આશ્રયીને તો વધારેઓછો પણ પરીક્ષાકાળ સમજવો, અર્થાત્ પરિણત જીવને આશ્રયીને અલ્પ અને અપરિણત જીવને આશ્રયીને વધારે પણ પરીક્ષાકાળ જાણવો. [૧૨૨] परीक्षेति व्याख्यातं, साम्प्रतं सामायिकादिसूत्रमाह सोभणदिणंमि विहिणा, दिज्जा आलावगेण सुविसुद्धं । सामाइआइसुत्तं पत्तं, नाऊण जं जोग्गं ॥ १२३ ॥ वृत्तिः- 'शोभनदिने' विशिष्टनक्षत्रादियुक्ते विधिना' चैत्यवन्दननमस्कारपाठनपुरस्सरादिना 'दद्यात् आलापकेन', न तु प्रथममेव पट्टिकालिखनेन, 'सुविशुद्ध' स्पष्टं 'सामायिकादिसूत्र' प्रतिक्रमणेर्यापथिकादीत्यर्थः, 'पात्रं ज्ञात्वा यद्योग्य' तद् दद्यात्, न व्यत्ययेनेति गाथार्थः ॥ १२३ ।। પરીક્ષા દ્વારનું વ્યાખ્યાન કર્યું, હવે “સૂત્રપ્રદાન દ્વારનું વ્યાખ્યાન કરે છે– વિશિષ્ટ નક્ષત્રાદિથી યુક્ત હોય તેવા શુભ દિવસે તેની યોગ્યતા પ્રમાણે સામાયિક (કરેમિ ભંતે), પ્રતિક્રમણ (પગામ સજ્જાએ) અને ઈર્યાપથિક (ઈરિયાવહી) વગેરે સૂત્રોનો મુખથી અત્યંત શુદ્ધ પાઠ આપવો, પહેલાંથી જ પાટી ઉપર લખીને ન આપવું. આ સૂત્રપ્રદાન વિધિપૂર્વક એટલે કે ચૈત્યવંદન (નમુસ્કુર્ણ), નમસ્કાર (નવકાર) વગેરે ભણાવવા પૂર્વક કરવું. (અર્થાત્ જો તેને ચૈત્યવંદન, નવકાર વગેરે સૂત્રો ન આવડતાં હોય તો પહેલાં એ શિખવાડીને પછી કરેમિભંતે વગેરે સૂત્રો શિખવાડવાં). [૧૨૩] उक्तं सूत्रदानं, शेषविधिमाह तत्तो अ जहाविहवं, पूअं स करिज्ज वीयरागाणं । साहूण य उवउत्तो, एअं च विहिं गुरू कुणइ ॥ १२४ ॥ वृत्तिः- 'ततश्च' तदुत्तरकालं 'यथाविभवं' यो यस्य विभवः, विभवानुरूपमित्यर्थः, पूजां सः' प्रविव्रजिषुः 'कुर्यात् वीतरागाणां'-जिनानां माल्यादिना 'साधूनां' वस्त्रादिना, 'उपयुक्तः' सनिति, एनंच' वक्ष्यमाणलक्षणं विधिं गुरुः'-आचार्यः करोति', सूत्रस्य त्रिकालगोचरत्वप्रदर्शनार्थं વર્તમાનનિર્દેશ કૃતિ ગાથાર્થ: I ૨૨૪ / સૂત્રદાન અંગે કહ્યું, હવે બાકીનો વિધિ કહે છે– સામાયિકાદિ સૂત્રો ભણ્યા પછી મુમુક્ષુ પોતાના વૈભવ પ્રમાણે પુષ્પાદિથી જિનપૂજા અને વસ્ત્રાદિથી સાધુભક્તિ ઉપયોગપૂર્વક કરે, અને દીક્ષાદાતા ગુરુ હવે કહેવાશે તે વિધિ કરે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [ ६३ પ્રશ્ન- અહીં ‘વિધિ કરે' એમ વિધ્યર્થનો નિર્દેશ કરવાને બદલે ‘કરે છે’ એમ વર્તમાનકાલનો નિર્દેશ કેમ કર્યો ? ઉત્તર- સૂત્ર (=ગાથા વગેરે રૂપ સૂત્ર) ત્રિકાળ વિષયક છે, અર્થાત્ સૂત્રમાં કરેલું વિધાન ત્રણે કાળ માટે છે, જે વિધિ હમણાં છે, તે જ વિધિ ભૂતકાળમાં હતી અને ભવિષ્યકાળમાં રહેશે, એ જણાવવા વર્તમાનકાળનો નિર્દેશ કર્યો છે. [૧૨૪] चिइवंदणरयहरणं, अट्ठा सामाइयस्स उस्सग्गो । सामाइयतिगकड्डूण, पयाहिणं चेव तिक्खुत्तो ॥ १२५ ॥ दारं ॥ वृत्ति:- 'चैत्यवन्दनं' करोति' रजोहरणम्' अर्पयति' अष्टा' गृह्णाति, 'सामायिकस्योत्सर्ग' इति-कायोत्सर्गं च करोति, 'सामायिकत्रयाकर्षण' मिति - तिस्रो वारा: सामायिकं पठति, 'प्रदक्षिणां चैव त्रिकृत्वः '- तिस्रो वाराः शिष्यं कारयतीति गाथासमुदायार्थः ॥ १२५ ॥ ચૈત્યવંદન કરે, રજોહરણ આપે, મુઠ્ઠિઓ ગ્રહણ કરે, (અર્થાત્ ત્રણ મુદ્ઘિઓથી= ચપટીઓથી લોચ કરે,) સામાયિકનો કાયોત્સર્ગ કરે, ત્રણ વાર સામાયિકસૂત્ર બોલે, શિષ્યને ત્રણ પ્રદક્ષિણા उरावे. गाथानो या समुहायार्थ (सामान्यथी अर्थ ) छे. [१२५ ] अवयवार्थं त्वाह सेहमिह वामपासे, ठवित्तु तो चेइए पवंदंति । साहूहिं समं गुरवो, थुइवुड्डी अप्पणा चेव ॥ १२६ ॥ वृत्ति:- 'शिष्यकमिह' प्रव्रज्याभिमुखं 'वामपार्श्वे स्थापयित्वा ततश्चैत्यानि'अर्हत्प्रतिमालक्षणानि 'प्रवन्दन्ते साधुभिः समं गुरवः', 'स्तुतिवृद्धिरात्मना' एवेति - आचार्यो एव छन्द:पाठाभ्यां प्रवर्द्धमानाः स्तुतीर्ददतीति गाथार्थः ॥ १२६ ॥ અવયવાર્થ (=વિશેષ અર્થ) તો ગ્રંથકાર પોતે કહે છે, તેમાં પ્રથમ ચૈત્યવંદન દ્વાર કહે છે— અહીં (=ચૈત્યવંદનની વિધિમાં) શિષ્યને ડાબી બાજુ રાખીને ગુરુ સાધુઓની સાથે निप्रतिमा३५ यैत्योने वंधन अरे (उरावे), तेमां छंह (उय्यार ) अने पाठ (अक्षरो ) से अंनेथी उमशः વધતી એવી સ્તુતિઓ દીક્ષાદાતા આચાર્ય પોતે જ બોલે. [૧૨૬] वन्दनविधिमाह पुरओ उ ठंति गुरवो, सेसावि जहक्कमं तु सा । अक्खलिआइ कमेणं, विवज्जए होइ अविही उ ॥ १२७ ॥ वृत्ति: पुरत एव तिष्ठन्ति गुरवः ' - आचार्याः 'शेषा अपि' सामान्यसाधवः 'यथाक्रममेव' ज्येष्ठार्यतामङ्गीकृत्य स्वस्थाने तिष्ठन्ति तत्र 'अस्खलितादि' न स्खलितं न Page #89 -------------------------------------------------------------------------- ________________ ६४ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते मिलितमित्यादि ‘क्रमेण' परिपाट्या सूत्रमुच्चारयन्तीति गम्यते, 'विपर्यये' स्थानमुच्चारणं 'वा' प्रति 'भवति अविधिरेव' वन्दन इति गाथार्थः ॥ १२७ ।। વંદનનો વિધિ કહે છે– સૌથી આગળ ગુરુ (આચાર્ય) બેસે. બીજા સાધુઓ પણ મોટાના ક્રમ પ્રમાણે પોતાના સ્થાને બેસે. પછી ક્રમશઃ અલિતાદિ દોષોથી રહિત સૂત્રો બોલે. આનાથી વિપરીત બેસવાથી કે સૂત્રો पोसवाथी वहनमा अविधि थाय. [१२७] एतदेवाह खलियमिलियवाइद्धं, हीणं अच्चक्खराइदोसजुअं । वंदंताणं नेआऽसामायारित्ति सुत्ताणा ॥ १२८ ॥ दारं ॥ वृत्तिः- 'स्खलितम्' उपलाकुलायां भूमौ लाङ्गलवत्, 'मिलितं' विसदृशधान्यमेलकवत्, 'व्याविद्धं' विपर्यस्तरत्नमालावत्, 'हीनं' न्यूनं, 'अत्यक्षरादिदोषयुक्तमिति', अत्यक्षरम् अधिकाक्षरं, आदिशब्दादप्रतिपूर्णादिग्रहः, इत्थं 'वन्दमानानां ज्ञेया असामाचारी'-अस्थितिरिति 'सूत्राज्ञा' आगमार्थ एवंभूत इति गाथार्थः ॥ १२८ ॥ આ જ વિષયને કહે છે– અલિત એટલે જેમ પથ્થરવાળી ભૂમિમાં હળ ખચકાય તેમ ખચકાતાં ખચકાતાં સૂત્રો બોલવાં. મિલિત એટલે જેમ જુદી જુદી જાતના ધાન્યકણો ભેગા થઈ જાય તેમ ઉતાવળથી ભિન્ન ભિન્ન પદો એકી સાથે બોલવાં. (અર્થાત્ સંપદા પ્રમાણે ન બોલવું.) વ્યાવિદ્ધ એટલે ઉલટી પહેરેલી રત્નમાળાની જેમ ઉલટાં પદો બોલવાં. હીન એટલે પદો વગેરે રહી જાય તે રીતે ન્યૂન બોલવું. અત્યક્ષર એટલે અધિક અક્ષરો બોલવા. અપ્રતિપૂર્ણ એટલે અનુસ્વાર વગેરે દબાઈ જાય તેમ બોલવું. અપ્રતિપૂર્ણઘોષ એટલે ઉદાત્ત, અનુદાત્ત વગેરે જેવા ઉચ્ચારથી બોલવાનું હોય તેવા ઉચ્ચારથી ન બોલવું. અકંઠોષ્ઠ વિપ્રમુક્ત એટલે બાળકની જેમ અસ્પષ્ટ સૂત્રો બોલવાં. અગુરુવચનોપગત એટલે બોલવાનાં સૂત્રો ગુરુ પાસેથી શીખેલાં ન હોય. આ દોષો લાગે તેમ સૂત્રો બોલીને વંદન કરવાથી વંદન કરનારાઓને सविषिोष थाय मेवी शखाशा छे. [१२८] व्याख्यातं चैत्यवन्दनद्वारम्, अधुना रजोहरणद्वारं व्याचिख्यासुराह___वंदिय पुणुट्ठिआणं, गुरूण तो वंदणं समं दाउं । सेहो भणइ इच्छाकारेणं पव्वयावेह ॥ १२९ ॥ वृत्तिः- 'वन्दित्वा' द्वितीयप्रणिपातदण्डकावसानवन्दनेन पुनरुत्थितेभ्यः'प्रणिपातानिषण्णोत्थानेन 'गुरुभ्यः' आचार्येभ्य: 'ततः' तदनन्तरं 'वन्दनं समं'-देवाद्यभिमुखमेव 'दत्त्वा शिक्षको भणति', किमिति तदाह-'इच्छाकारेण प्रव्राजयत', अस्मानिति गम्यते एवेति गाथार्थः ।। १२९ ॥ Page #90 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [६५ इच्छामोत्ति भणित्ता, उद्धेउं कड्डिऊणं मंगलयं । अप्पेइ रओहरणं, जिणपन्नत्तं गुरू लिंगं ॥ १३० ॥ वृत्तिः- 'इच्छाम इति भणित्वा' विशुद्धवचसा उत्थातुम् (? 'उत्थाय') ऊर्द्धस्थानेन आकृष्य मङ्गलकं' पठित्वा पञ्चनमस्कारम् 'अर्पयति रजोहरणं जिनप्रज्ञप्तं गुरुर्लिङ्गमिति' गाथार्थः ।। १३० ॥ ચૈત્યવંદન દ્વાર કહ્યું, હવે “રજોહરણ' દ્વારનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે ત્યારબાદ ગુરુ બીજા નમુત્થણું સૂત્ર સુધી દેવવંદન કરીને ઊભા રહે = અટકે ત્યારે શિષ્ય हे वगैरेनी समक्ष ४ गुरुने वहन शने ४ "इच्छाकारेण पव्वयावेह-डे भगवंत ! मापनी 59थी भने हामा पो." [१२८] पछी शुरु विशुद्ध वीथी "इच्छामो= (ही मावाने) ઈચ્છીએ છીએ.” એમ કહીને ઊભા થઈને પંચનમસ્કાર ગણીને, જિનો (સાધુતાનું) લિંગ २४२९५ मापे. [१30] लिङ्गदान एव विधिमाह पुव्वाभिमुहो उत्तरमुहो व देज्जाऽहवा पडिच्छिज्जा ॥ जाए जिणादओ वा, दिसाएँ जिणचेइआई वा ॥ १३१॥ वृत्तिः- 'पूर्वाभिमुख उत्तराभिमुखो वा दद्याद्' गुरुः 'अथवा प्रतीच्छेत्' शिष्यः, 'यस्यां जिनादयो वा दिशि', जिना:- मनःपर्यायज्ञानिनः अवधिसम्पन्नाश्चतुर्दशपूर्वधरा नवपूर्वधराश्च, 'जिनचैत्यानिवा' यस्यां दिशि आसन्नानि, तदभिमुखो दद्यात् अथवा प्रतीच्छेदिति गाथार्थः ॥ १३१ ॥ રજોહરણ આપવાનો જ વિધિ કહે છે– પૂર્વ દિશા કે ઉત્તર દિશાની સન્મુખ રહીને, અથવા જિન (= મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, દશપૂર્વી કે નવપૂર્વ) જે દિશામાં વિચરતા હોય, અથવા જે દિશામાં શ્રી જિનેશ્વરનું ચૈત્ય (=તીથી નજીકમાં હોય, તે દિશાની સન્મુખ રહીને, ગુરુ રજોહરણ આપે, અથવા શિષ્ય ઉક્ત દિશાની સન્મુખ રહીને રજોહરણ લે. [૧૩૧] रजोहरणं लिङ्गमुक्तम्, साम्प्रतं तच्छब्दार्थमाह हरड़ रयं जीवाणं, बज्झं अब्भंतरं च जं तेणं । रयहरणंति पवुच्चइ, कारणकज्जोवयाराओ ॥ १३२ ॥ वृत्तिः- 'हरति' अपनयति 'रजो जीवानां बाह्यं'-पृथिवीरजःप्रभृति 'अभ्यन्तरं च'बध्यमानकर्मरूपं 'यद्'-यस्मात् 'तेन' कारणेन 'रजोहरणमिति प्रोच्यते', रजो हरतीति रजोहरणम्, अभ्यन्तररजोहरण(णाभाव)माशक्याह-'कारणे कार्योपचारात्', संयमयोगो रजोहरस्तत्कारणं चेदमिति गाथार्थः ॥ १३२ ॥ ૧. અહીં ચૈત્યવંદન એટલે વર્તમાનમાં જેને મધ્યમ દેવવંદન કહે છે તે સમજવું. તેમાં બે એટલે કે બે વાર નમુત્યુક્યું સૂત્ર આવે. Page #91 -------------------------------------------------------------------------- ________________ [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते રજોહરણપ્રદાનનો વિધિ કહ્યો, હવે રજોહરણ શબ્દનો અર્થ કહે છે રજ=ધૂળને દૂર કરે તે રજોહરણ. આ રજોહરણ સાધુતાનું લિંગ છે. રજોહરણ ધૂળ વગેરે બાહ્ય રજને અને જીવોને બંધાતા કર્મરૂપ અત્યંતર રજને દૂર કરે છે માટે તે રજોહરણ કહેવાય છે. પ્રશ્ન- કર્મરૂપ રજને સંયમયોગો દૂર કરે છે, પણ લિંગ નહિ. ઉત્તર- સાક્ષાત્ તો સંયમયોગો જ કર્મરૂપ રજને દૂર કરે છે, પણ લિંગ સંયમયોગોનું કારણ છે. આથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને (જેમ પ્રાણનું કારણ બનનારા ઘીને પણ પ્રાણ કહેવામાં આવે છે તેમ) સંયમયોગોનું કારણ બનનારા લિંગને પણ રજોહરણ કહેવામાં આવે છે. [૧૩૨] एतदेव प्रकटयति संजमजोगा एत्थं, रयहरणा तेसि कारणं जेणं । रयहरणं उवयारो, भण्णइ तेणं रओ कम्मं ॥ १३३ ॥ वृत्तिः- 'संयमयोगाः' प्रत्युपेक्षितप्रमृष्टभूभागस्थानादिव्यापाराः अत्र' अधिकारे रजोहरणाः', बध्यमानकर्महरा इत्यर्थः, 'तेषां' संयमयोगानां 'कारणं येन' कारणेन 'रजोहरणमित्युपचार : तेन हेतुनेति, रजःस्वरूपमाह-'भण्यते रजः कर्म' बध्यमानकमिति गाथार्थः ॥ १३३ ॥ આ જ વિષયને સ્પષ્ટ કરે છે– પ્રસ્તુતમાં જોયેલી-પ્રમાર્જેલી ભૂમિમાં બેસવું વગેરે ક્રિયારૂપ સંયમયોગો જ રજોહરણ છે, અર્થાત્ તે સંયમયોગો બંધાતા કર્મરૂપ રજને દૂર કરે છે. લિંગ સંયમયોગોનું કારણ હોવાથી લિંગ માટે “રજોહરણ' એવો શબ્દપ્રયોગ ઉપચાર છે. અહીં બંધાતાં કર્મોને રજ (ધૂળ) કહેવાય છે. [૧૩૩] केई भणंति मूढा, संजमजोगाण कारणं नेवं । रयहरणंति पमज्जणमाईहुवधायभावाओ ॥ १३४ ॥ વૃત્તિ - “વન અપત્તિ પૂઢાઃ'- વિશ્વવિશેષ: [18] “સંયોજન उक्तलक्षणानां 'कारणं नैव' वक्ष्यमाणेन प्रकारेण 'रजोहरणमिति', यथा न कारणं तथाऽऽह'प्रमार्जनादिभिः प्रमार्जनेन' संसर्जनेन च 'उपघातभावात्' प्राणिनामिति गाथार्थः ॥ १३४ ॥ (હવે પૂર્વપક્ષ કહે છે...) કોઈ મૂઢ લોકો ( દિગંબરો) કહે છે કે રજોહરણ સંયમયોગોનું કારણ નથી. તેનાં કારણો આ પ્રમાણે છે- રજોહરણથી પ્રમાર્જન કરવાથી અને ધૂળ આદિના સંસર્ગથી જીવોનો ઉપઘાત થાય છે. [૧૩૪] एतदेवाह मूइंगलिआईणं, विणाससंताणभोगविरहाई । रयदरिथज्जणसंसज्जणाइणा होइ उवघाओ ॥ १३५ ॥ Page #92 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [ ૬૭ वृत्तिः- प्रमार्जने सति 'मूइंगलिकादीनां' पिपीलिकामत्कोटप्रभृतीनां विनाशसन्तानभोग्यविरहादयो' भवन्तीति वाक्यशेषः, रजोहरणसंस्पर्शनादल्पकायानां विनाशः, एवं सन्तान:प्रबन्धगमनं भोग्यं-सिक्थादि एतद्विरहस्तु भवत्येवेत्युपघातः, तथा 'रजोदरीस्थगनसंसर्जनादिना भवत्युपघात' इति च, सम्भवति च प्रमार्जने सति रजसा दरिस्थगनं तत्संसर्जने च सत्त्वोपघात રૂતિ ગાથાર્થ: || રૂપ જીવોનો ઉપઘાત થાય છે એ વિગત કહે છે– રજોહરણથી પ્રમાર્જન કરતાં રજોહરણના સ્પર્શથી લઘુકાયવાળા કીડી, મકોડા વગેરે જીવોનો વિનાશ થાય, કરોળીયાનાં જાળાં વગેરેનો નાશ થાય, કીડી વગેરેને સ્વભોગ્ય અનાજના દાણા વગેરેનો વિયોગ થાય જ, આમ જીવોનો ઉપઘાત થાય. તથા રજોહરણથી પ્રમાર્જન કરતા ધૂળથી (જીવોને રહેવાના) દર ઢંકાઈ જાય, અને ધૂળના સંબંધથી જીવોનો ઉપઘાત પણ થાય. [૧૩૫] एष पूर्वपक्षः, अत्रोत्तरमाह___ पडिलेहिउँ पमज्जणमुवघाओ कह नु तत्थ होज्जा उ ? । अपमज्जिउं च दोसा, वच्चादागाढवोसिरणे ॥ १३६ ॥ वृत्तिः- 'प्रत्युपेक्ष्य' चक्षुषा पिपीलिकाद्यनुपलब्धौ सत्याम्, उपलब्धावपि प्रयोजनविशेषे यतनया 'प्रमार्जनं' सूत्र उक्तम्, यतश्चैवमत 'उपघातः कथं नु तत्र भवेत् ?, नैव भवतीत्यर्थः, सत्त्वानुपलब्धौ किमर्थं प्रमार्जनमिति चेत् उच्यते-सूत्रोक्ततथाविधसत्त्वसंरक्षणार्थम्, उपलब्धावपि प्रयोजनान्तरे तु, 'अप्रमार्जने तु दोषः', तथा चाह-अपमृज्य च दोषाः वर्चआदावागाढव्युत्सर्गे', आदिशब्दान्निश्येकाङ्गुलिकादिपरिग्रह इति गाथार्थः ॥ १३६ ॥ આ પૂર્વપક્ષ કહ્યો, હવે આનો ઉત્તર આપે છે– પ્રથમ આંખથી જોઈને કીડી વગેરે ન હોય તો (યતનાથી) પ્રમાર્જન કરવામાં આવે છે, કીડી વગેરે હોય તો પણ કારણવિશેષથી યતનાપૂર્વક પ્રમાર્જન કરવાનું સૂત્રમાં કહ્યું છે, આ રીતે યતનાથી પ્રમાર્જન કરવામાં ઉપઘાત કેવી રીતે થાય ? ન જ થાય. પ્રશ્ન- જીવોની રક્ષા માટે પ્રમાર્જન કરવાનું છે. તો પછી જીવો ન હોય તો પ્રમાર્જન શા માટે કરવું જોઈએ? ઉત્તર- સૂત્રમાં કહેલા તેવા પ્રકારના (આંખોથી ન દેખાય તેવા) જીવોના સંરક્ષણ માટે જીવો ન હોય ( ન દેખાય) તો પણ પ્રમાર્જન કરવું જોઈએ. ૧. જ્યાં કીડી વગેરે જેવો દેખાય તે સ્થાનનો ઉપયોગ મુખ્યતયા કરવાનો નથી, એથી ત્યાં પ્રમાર્જનનો અવકાશ જ નથી. આમ છતાં કીડી વગેરે હોય તેવા સ્થાનનો કારણસર ઉપયોગ કરવો પડે તો પ્રમાર્જન કરીને ઉપયોગ કરવાનો છે. આથી અહીં “કીડી વગેરે હોય તો પણ કારણવિશેષથી યતનાપૂર્વક પ્રમાર્જન કરવાનું સૂત્રમાં કહ્યું છે.” એમ જણાવ્યું છે, Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते જીવો હોય તો પણ અન્ય કારણવિશેષથી પ્રમાર્જન કરવાનું કહ્યું છે. પ્રમાર્જન ન કરવામાં આવે તો આગાઢ કારણે ઝાડો વગેરે પાઠવવામાં અને રાતે પેશાબ વગેરે પરઠવવામાં દોષો લાગે. [૧૩૬] अप्रमार्जनदोषानाह आयपरपरिच्चाओ, दुहावि सत्थस्सऽकोसलं नूणं । __ संसज्जणाइदोसा, देहे इव न विहिणा हुंति ॥१३७ ॥ दारं ॥ वृत्तिः- यो हि कथञ्चित्पुरीषोत्सर्गमङ्गीकृत्यासहिष्णुः संसक्तं च स्थण्डिलं तेन दयालुना स तत्र न कार्यः कार्यो वेति द्वयी गतिः, किञ्चातः ?, उभयथाऽपि दोषः, तथा चाह'आत्मपरपरित्यागः' अकरणे आत्मपरित्यागः, करणे परपरित्याग इति, किश्चात इत्याह-'द्विधाऽपि शासितुः'-त्वदभिमततीर्थङ्करस्य अकौशलंनूनम्'-अवश्यं, कुशलस्य चाकुशलतापादने आशातनेति, दोषान्तरपरिजिहीर्षयाऽऽह-'संसर्जनादिदोषाः' पूर्वपक्षवाद्यभिहिता 'विधिना' परिभोगे 'न भवन्ति देह इव' शरीर इव, अविधिना त्वसमञ्जसाहारस्य देहेऽपि भवन्त्येवेति गाथार्थः ॥ १३७ ॥ પ્રમાર્જન ન કરવાથી થતા દોષો કહે છે– કોઈ સાધુ ઝાડો રોકવા અસમર્થ હોય અને ચંડિલ (=ઝાડો કરવાની ભૂમિ) જીવોથી સંસક્ત હોય તો સાધુએ ઝાડો કરવો કે ન કરવો એમ બે વિકલ્પ છે. બંને વિકલ્પોમાં દોષ છે. જો ઝાડો રોકે (=ન કરે) તો આત્માનો ત્યાગ થાય સાધુ પોતે બિમાર પડે, યાવત્ પ્રાણનાશ પણ થાય, અને ઝાડો ન રોકે (=કરે) તો જીવોનો ત્યાગ થાય=જીવો નાશ પામે. આમ બંને રીતે તે માનેલા (=દિગંબરે માનેલા) તીર્થંકરની કુશલતામાં ચોક્કસ ખામી સિદ્ધ થાય છે. કુશલને અકુશલ ઠરાવવામાં આશાતના છે. (આ પ્રમાણે વાદીએ બતાવેલા રજોહરણથી પ્રમાર્જન કરવાથી જીવોનો ઉપઘાત થાય એ દોષને દૂર કર્યો, હવે સંસર્ગથી જીવોનો ઉપઘાત થાય એ) બીજા દોષને દૂર કરવાની ઈચ્છાથી ગ્રંથકાર કહે છે- વિધિથી રજોહરણનો ઉપયોગ કરવામાં (પ્રમાર્જન આદિ કરવામાં) પૂર્વપક્ષવાદીએ કહેલા સંસર્ગ આદિ દોષો થતા નથી. કોની જેમ? શરીરની જેમ. જેમ શરીરનો વિધિપૂર્વક ઉપયોગ કરવાથી દોષો થતા નથી, તેમ રજોહરણનો પણ વિધિપૂર્વક ઉપયોગ કરવાથી દોષો થતા નથી. હા, અવિધિથી રજોહરણનો ઉપયોગ કરવામાં આવે તો જરૂર દોષો લાગે, પણ એમ તો અવિધિથી અયોગ્ય (=દોષ લાગે તેવો) આહાર લેનારને શરીરથી (=શરીરના કારણે) પણ દોષો લાગે જ. (આથી જેમ શરીર સંયમોપકારી હોવાથી રાખવામાં (ધારણ કરવામાં) આવે છે, તેમ રજોહરણ પણ સંયમોપકારી હોવાથી રાખવું જોઈએ.) [૧૩૭] रजोहरणमिति व्याख्यातम्, अष्टा इति व्याचिख्यासुराह अह वंदिउं पुणो सो, भणइ गुरुं परमभत्तिसंजुत्ते । इच्छाकारेणऽम्हे, मुंडावेहत्ति सपणामं ॥ १३८ ॥ Page #94 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [६९ वृत्ति:-'अथ'अनन्तरं 'वन्दित्वा पुनरसौ'-शिष्यकः भणतिगुरुम्'-आचार्यं 'परमभक्तिसंयुक्तः' सन्, किमित्याह-'इच्छाकारेणास्मान् मुण्डयतेति सप्रणाम' भणतीति गाथार्थः ।। १३८ ।। इच्छामोत्ति भणित्ता, मंगलगं कड्डिऊण तिक्खुत्तो । गिण्हइ गुरु उवउत्तो, अट्ठा से तिन्नि अच्छिन्ना ॥१३९ ॥ दारं॥ वृत्तिः- ‘इच्छाम इति भणित्वा' गुरु: 'मङ्गलकमाकृष्य'-पठित्वा 'त्रिकृत्वे'ति तिस्रो वारा इत्यर्थः, 'गृह्णाति गुरुरुपयुक्तः अष्टाः'-स्तोककेशग्रहणस्वरूपाः ('से'-तस्य) 'तिस्रः अच्छिन्नाः'-अस्खलिता इति गाथार्थः ॥ १३९ ।। રજોહરણ દ્વારનું વ્યાખ્યાન કર્યું, હવે “અષ્ટા' દ્વારનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે ५छी शिष्य गुरु प्रत्ये ५२ममस्तिवंत ने गुरुने बहन रीने "इच्छाकारेण अम्हे मुंडावेह हे भगवंत ! मापनी छाथी भारु मुंडन रो" मेम (अविनत) प्रम ४२4। पूर्व 53. [१3८] गुरु "इच्छामो अभी (तारुं मुंडन ४२41) छीमे छीमे" मेम. डीने पार પંચનમસ્કાર બોલીને ઉપયોગપૂર્વક અટક્યા વિના મુમુક્ષુના વાળની ત્રણ અષ્ટા (=મુઠી) લે=કેશ ઉંચે, અર્થાત્ થોડા થોડા કેશની ત્રણ ચપટીઓ લઈને કેશ લુંચે. [૧૩૯] अष्टा इति व्याख्यातम्, अधुना सामायिकस्योत्सर्ग इति व्याख्यानयनाह वंदित्तु पुणो सेहो, इच्छाकारेण समइअं मित्ति । आरोवेहत्ति भणइ, संविग्गो नवरमायरियं ॥ १४० ॥ वृत्तिः- 'वन्दित्वा पुन'स्तदुत्तरकालं 'शिष्यकः-इच्छाकारेण सामायिकं ममेत्यारोपयतेति भणति संविग्नः' सन्, 'नवरमाचार्यमिति' गाथार्थः ॥ १४० ॥ इच्छामोत्ति भणित्ता, सोऽवि अ सामइअरोवणनिमित्तं । सेहेण समं सुत्तं, कड्डित्ता कुणइ उस्सग्गं ॥ १४१ ॥ वृत्ति:- 'इच्छाम इति भणित्वा सोऽपि च'-गुरुः 'सामायिकारोपणनिमित्तं शिष्यकेण सार्द्ध सूत्रं'-सामायिकारोपणनिमित्तं करेमि काउस्सग्गं अन्नत्थ ऊससिएणमित्यादि 'पठित्वा करोति कायोत्सर्ग'मिति गाथार्थः ॥ १४१ ॥ અા દ્વારનું વ્યાખ્યાન કર્યું, હવે “સામાયિકના કાયોત્સર્ગનું” વ્યાખ્યાન કરે છે– ५छी शिष्य संवा बनाने मायाने (=रुने) पंहन रीने "इच्छाकारेण मम सामाइयं आरोवेह मरावंत ! मापनी छाथी भारतमा सामायिन मारो५९४२." सेम 53. गुरु "इच्छामोभे (ताराम सामायितुं मारो५९४२41) छीमे छीमे" मेम 5. पछी सामायिनुं मारो५५५ ४२वा माटे सामाइअ आरोवणनिमित्तं करेमि काउस्सग्गं अन्नत्थ ऊससिएणं वगेरे સૂત્ર બોલીને ગુરુ-શિષ્ય બંને (સાગરવર ગંભીરા સુધી લોગસ્સનો) કાઉસ્સગ્ન કરે. [૧૪૦-૧૪૧] Page #95 -------------------------------------------------------------------------- ________________ ७० ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते पुनश्च लोगस्सुज्जोअगरं, चिन्तिय उस्सारए असंभन्ते । नवकारेणं तप्पुव्वगं च वारे तओ तिण्णि ॥ १४२ ॥ वृत्ति:- तत्र'लोकस्योद्योतकरंचिन्तयित्वा उत्सारयति' संयमयोगं तदनन्तरभाविकियासेवनेन 'असम्भ्रान्तः' सन् 'नमस्कारेण'-"नमो अरहंताण" मित्यनेन, कायोत्सर्ग इति व्याख्यातं, साम्प्रतं सामायिकत्रयपाठ इति प्रतिपादयन्नाह-'तत्पूर्वकं च'-नमस्कारपूर्वकं च 'वारास्ततस्तिस्त्रः' इति गाथार्थः ॥ १४२ ॥ किमित्याह सामाइअमिह कड्डइ, सीसो अणुकड्डई तहा चेव । अप्पाणं कयकिच्चं, मन्नंतो सुद्धपरिणामो ॥१४३ ॥ दारं ॥ वृत्तिः- 'सामायिकमिहपठति' गुरुः शिष्यकोऽप्यनुपठतितथैव'गुरुविधिना, किंविशिष्टः सन्नित्याह-'आत्मानं कृतकृत्यं' निष्ठितार्थं 'मन्यमानः शुद्धपरिणाम' इति गाथार्थः ।। १४३ ।। કાઉસ્સગ્ગમાં લોગસ્સ સૂત્રનું ચિંતન કરીને ‘નમો અરિહંતાણં' પદ બોલીને અસંભ્રાંતપણે 51 स॥ पारे. (संयमयोगं तदनन्तरभाविक्रियासेवनेन मे ५४नो भाव प्रभारी छ- २॥ पानी सागण उत्सारयति ५16 छे. उत्सारयति नो भावार्थ 'पारे छ' शेवो छ. उस पारेछ मेटले છોડી દે છે. તો પ્રશ્ન થાય કે કાઉસ્સગ્ગ પણ એક પ્રકારનો સંયમયોગ છે, તો એને શા માટે છોડી દે છે ? એના ઉત્તરમાં તનત્તમવિયિાસેવન એમ કહ્યું છે, અર્થાત્ કાઉસ્સગ્ન પછી થનારી બીજી ક્રિયા કરવાની હોવાથી કાઉસ્સગ્નરૂપ સંયમયોગને પારે છેઃછોડી દે છે.) કાયોત્સર્ગનું વ્યાખ્યાન કર્યું. હવે સામાયિત્રીપાઠ એ વિષે જણાવે છે. ગુરુ નવકાર મંત્ર પૂર્વક ત્રણ વાર સામાયિક સૂત્ર બોલેઃઉચ્ચરાવે. આ વખતે શુદ્ધ પરિણામથી ભાવિત અને (સામાયિક ઉચ્ચરવાથી) પોતાને કૃતકૃત્ય માનતો શિષ્ય પણ ગુરુ બોલે તેમ તેઓની સાથે સામાયિક સૂત્રને મનમાં बोटो. [१४२-१४3] सामायिकत्रयपाठ इति प्रतिपादितम्, इदानी प्रदक्षिणां चैवेत्यादि प्रतिपादयन्नाह__ तत्तो अ गुरू वासे, गिहिअ लोगुत्तमाण पाएसुं । देइ अ तओ कमेणं, सव्वेसिं साहुमाईणं ॥ १४४ ॥ वृत्तिः- 'ततश्च' तदनन्तरं 'गुरुर्वासान् गृहीत्वा' आचार्यमन्त्रेण अभिमन्त्र्य अनाचार्यस्तु पञ्चनमस्कारेण 'लोकोत्तमानां' जिनानां 'पद्भयां' ददाति, मन्त्रनमस्कारपूर्वकमेव, ‘ददाति च ततः'-तदनन्तरं 'क्रमेण' यथाज्येष्ठार्यतालक्षणेन 'सर्वेभ्यो' यथासनिहितेभ्यः 'साध्वादिभ्यः', आदिशब्दाच्छ्रावकादिपरिग्रह इति गाथार्थः ॥ १४४ ।। Page #96 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [७१ સામાયિકત્રપાઠીનું પ્રતિપાદન કર્યું. હવે પ્રદક્ષિણા'નું પ્રતિપાદન કરે છે– ત્યારબાદ ગુરુ વાસ (=સુગંધી ચૂર્ણ) લઈને પોતે આચાર્ય હોય તો સૂરિમંત્રથી અને આચાર્ય ન હોય તો પંચનમસ્કારમંત્રથી મંત્રીને તે વાસ નમસ્કારમંત્ર ગણીને જિનેશ્વરના ચરણોને આપે ચરણોમાં મૂકે, અર્થાત્ વાસથી જિનેશ્વરના ચરણોની પૂજા કરે, પછી મોટાના ક્રમથી ત્યાં નજીક રહેલા સાધુઓને અને શ્રાવકો વગેરેને તે વાસ આપે. [૧૪] तो वंदणगं पच्छा, सेहं तु दवावए ठिओ संतो । वंदित्ता भणइ तओ, संदिस्सह किं भणामोत्ति ॥१४५ ॥ वृत्तिः- "ततो वन्दनं पश्चात्'-लोकोत्तमादिवासप्रदानोत्तरकालं 'शिष्यकं तु दापयति, स्थितः सन्' ऊर्ध्वस्थानेन 'वन्दित्वा भणति ततः' तदनन्तरं तकः' असौ शैक्षकः, किमित्याह'संदिशत किं भणामी' त्येतदिति गाथार्थः ॥ १४५ ।। । वंदित्तु पवेयअह भणइ गुरू वंदिउं तओ सेहो । अद्धावणयसरीरो, उवउत्तो अह इमं भणइ ॥ १४६ ॥ वृत्तिः- 'वन्दित्वा प्रवेदय'-कथयेति 'भणति गुरुः, वन्दित्वा ततः' तदनन्तरं 'शिष्यकः अर्द्धावनतशरीर :सन्नुपयुक्तोऽथ'-अनन्तरम् इदं'-वक्ष्यमाणलक्षणं भणतीति' गाथार्थः ।। १४६ ॥ किं तदित्याह तुब्भेहिं सामाइअमारोविअमिच्छमो उ अणुसट्टि । वासे सेहस्स तओ, सिरंमि दितो गुरू आह ॥ १४७ ॥ णित्थारगपारगो गुरुगुणेहिं वड्डाहि वंदिउं सेहो । तुब्भं पवेइअं संदिसह साहूणं पवेएमि ॥ १४८ ॥ वृत्तिः- 'युष्माभिः सामायिकं ममारोपितं'-न्यस्तं 'इच्छाम' एवा नुशास्ति'सामायिकारोपणलक्षणाम्, एवमुक्ते सति 'वासान् शिष्यकस्य ततः शिरसि ददद् गुरुराह' ॥ १४७ ॥ किमाह ? इति, उच्यते-'णित्थारे'त्यादि, निस्तारगपारग इति, निस्तारकः प्रतिज्ञायाः पारगः सामान्यसाधुगुणानाम्, एवंभूतः सन् 'गुरुगुणैः' प्रकृष्टैर्ज्ञानादिभिर्वर्द्धस्वे'ति-वृद्धि गच्छत (? गच्छ), इच्छापुरस्सरं 'वन्दित्वा शिष्यकः', आहेति योगः, किं तदिति ?-'तुभ्यं प्रवेदितं'ज्ञापितं 'सन्दिशत' यूयं 'साधूनां प्रवेदयामि'-ज्ञापयामि एतद् । इति गाथाद्वयार्थः ॥ १४८ ।। अन्ने उ इत्थ वासे, देंति जिणाईण तत्थ एस गुणो ॥ सम्मं गुरूवि नित्थारगाइ तप्पुव्वगं भणइ ॥ १४९ ॥ वृत्तिः- 'अन्येतु' आचार्य अत्रान्तरे वासान् ददति जिनादीनां', न चैवमपि कश्चिद् दोषः, Page #97 -------------------------------------------------------------------------- ________________ ७२ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते किन्तु तत्र' प्रागुक्ते स्थाने दीयमानेऽ 'प्येष गुणः सम्यग्' - द्रव्यपरिच्छेदपूर्वकं' गुरुरपि निस्तारकादि'आशीर्वादरूपं निर्वचनवाक्यं 'तत्पूर्वकं' - वासप्रदानपूर्वकं भणतीति' गाथार्थः ॥ १४९ ॥ आह य गुरू पवेअह, वंदिअ सेहो तओ नमोक्कारं । अक्खलिअं कडुंतो, पयाहिणं कुणइ उवउत्तो ॥ १५० ॥ वृत्ति: - 'आहच गुरु: '- शिष्येणानन्तरोदिते उक्ते सति भणति च गुरु: 'प्रवेदय वन्दित्वा, शिष्यकस्ततः'- तदनन्तरं 'नमस्कारमस्खलितं पठन् प्रदक्षिणां करोत्युपयुक्तः', एकेनैव नमस्कारेणेति गाथार्थः ॥ १५० ॥ अत्रान्तरे आयरियाई सव्वे, सीसे सेहस्स दिंति तो वासे ॥ दारं ॥ एवं तु तिन्निवारा, एगो उ पुणोऽवि उस्सग्गं ॥ १५१ ॥ वृत्ति: - ' आचार्यादयः सर्वे' यथासन्निहिताः 'शिरसि शिष्यकस्य ददति ततो वासान्', वदित्वादित आरभ्य इच्छाकारेण सामायिकं मे आरोपयत इत्यादि स्तिस्त्रो वारा' इति, व्याख्यातं चरमद्वारम्, एके त्वाचार्या: 'पुनरपि कायोत्सर्गं' कारयन्ति आचरणया, तत्राप्यदोष एव, नवरं द्वारगाथाया (१२५) मित्थं पाठान्तरं द्रष्टव्यम् 'पयाहिणं चेव उस्सग्गो' त्ति गाथार्थः ॥ १५१ ॥ જિનેશ્વર વગેરેને વાસ આપ્યા પછી ગુરુ પોતે ઊંચા સ્થાને બેસી રહે અને શિષ્યને વંદન उरावे (=वांहा जपावे) वंधन उरीने शिष्य हे } "संदिसह किं भणामि = साप खाज्ञा आपो } हुं आपने हुऽऽ 5हुं?” [१४५ ] पछी गुरु हे "वंदित्तु पवेयह =वंधन अरीने उहे.” पछी शिष्य अर्धं शरीर नमावीने भेाश्रयित्ते गुरुने उहे - [१४६] "तुब्भेहिं सामाइयं आरोवियं, इच्छामो अणुसट्ठि= खाये (या उरीने) भारामां सामायिनुं आरोप र्यु हवे हुं सामायिक संबंधी અનુશાસ્તિને ઈચ્છું છું=આપ મને હિતોપદેશ આપો એમ ઈચ્છું છું.” પછી ગુરુ શિષ્યને મસ્તકે वासक्षेप नाजीने उडे (= आशीर्वाद आपे ) } [१४७ ] " णित्थारगपारगो गुरुगुणेहिं वुड्ढाहि=तुं પ્રતિજ્ઞાના અને સાધુઓના સર્વસાધારણ ગુણોના પારને પામ અને એ રીતે તું ઉત્કૃષ્ટ જ્ઞાનાદિ ગુણોથી વૃદ્ધિ પામ, અર્થાત્ પ્રતિજ્ઞા અને સાધુગુણોનું બરોબર પાલન ક૨વા દ્વારા ઉત્કૃષ્ટ જ્ઞાનાદિ ગુણો મેળવીને તું મોક્ષમાર્ગમાં આગળ વધ.” પછી શિષ્ય (રૂ ં હું તેમ ઈચ્છું છું એમ) ઈચ્છા जताववा पूर्व वंधन अरीने गुरुने उहे } "तुब्भं पवेइअं संदिसह साहूणं पवेएमि= आपने ४ए॥प्युं, હવે આપ આજ્ઞા આપો કે હું આ (=મેં સામાયિક ઉચ્ચર્યું છે એ) સાધુઓને જણાવું ?” [૧૪૮] અન્ય આચાર્યો આટલો વિધિ થયા પછી જિનેશ્વર વગેરેને વાસ આપે છે. આમ કરવામાં પણ કોઈ દોષ નથી. આની પહેલાં (૧૪૪મી ગાથામાં જણાવ્યા પ્રમાણે) વાસ આપવામાં પણ લાભ छे. खानी पहेलां वास (क्षेप) आपवामां से साल छे डे-गुरु पए। वास (क्षेप) नाजवा पूर्व, सम्य=}वण द्रव्यथी नहि पत्र भावथी, 'नित्थारगपारगो' इत्याहि आशीर्वाह वयन हे छे. [१४८ ] Page #98 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [ ૭૩ પછી ગુરુ શિષ્યને કહે કે- “ગઢવંતિ=વંદન કરીને સાધુઓને જણાવ.” પછી શિષ્ય સ્થિરચિત્તે નમસ્કાર મંત્રને અસ્મલિત ગણતો ગણતો (જિનેશ્વરને) પ્રદક્ષિણા આપે, એક જ નમસ્કારમંત્રથી પ્રદક્ષિણા આપે, અર્થાત પ્રદક્ષિણા આપવામાં એક જ નમસ્કારમંત્ર ગણે. [૧૫] આ વખતે નજીકમાં રહેલા આચાર્ય વગેરે બધા નવદીક્ષિતના મસ્તકે વાસ(પ) નાખે. આ રીતે “વૃત્તિ' પદથી (૧૪૦મી ગાથાથી) આરંભીને “છાજાળ સામયિ ને મારોપત' વગેરે બધો વિધિ ત્રણ વાર કરે. કોઈ આચાર્યો તો સ્વગચ્છની આચારણા મુજબ પ્રદક્ષિણા આપ્યા પછી પણ કાઉસ્સગ્ન કરાવે છે. તેમાં પણ કોઈ જ દોષ નથી. પણ દ્વારગાથા (૧૨૫)માં પથહિ વેવ તિવવૃત્તો એ પાઠનાં સ્થાને હાં રેવું ૩ષ્ણનો એવો પાઠ સમજવો. [૧૫૧] आयंबिले अनियमो, आइण्णं जेसिमावलीए उ । ते कारविंति नियमा, सेसाणवि नत्थि दोसा उ ॥ १५२ ॥ वृत्तिः- 'आचामाम्ले अनियमः' प्रवेदने, कदाचित्क्रियते कदाचिनेति, एतदेवाह-'आचरितं येषामावलिकयैव' आचार्याणां 'ते कारयन्ति नियमात्', अन्ये तु कारयन्त्यपि, ‘शेषाणामपि' ये न कारयन्ति तेषां 'नास्त्येव दोषः', सामान्येन आचाम्लाकरणे वा नास्त्येव दोष इति गाथार्थः ॥ १५२ ॥ '(દીક્ષાના દિવસે) પવેયણામાં આયંબિલ કરવું જ જોઈએ એવો નિયમ નથી. ક્યારેક (=કોઈ નવદીક્ષિત) આયંબિલ કરે અને ક્યારેક ( કોઈ નવદીક્ષિત) આયંબિલ ન કરે. જે આચાર્યોની પૂર્વપરંપરાથી આયંબિલ કરાવવાની આચરણા છે તે અવશ્ય આયંબિલ કરાવે છે. બીજા આચાર્યો તો આયંબિલ કરાવે કે ન પણ કરાવે. જેઓ આયંબિલ કરાવતા નથી તેમને પણ કોઈ દોષ નથી જ. નલ્થિ ડોસી ૩ એ પદોનો બીજી રીતે અર્થ એમ પણ થાય કે સામાન્યથી એટલે કે આચાર્યોના મત વિના સામાન્યથી પણ આયંબિલ ન કરાવવામાં દોષ નથી. [૧૫૨] लोगुत्तमाण पच्छा, निवडइ चलणेसु तह निसण्णस्स । आयरियस्स य सम्मं, अण्णेसिं चेव साहूणं ॥ १५३ ॥ वृत्तिः- 'लोकोत्तमानां पश्चाद्'-उक्तोत्तरकालं 'निपतति चरणयोः, वन्दनं करोतीत्यर्थः, "तथा निषण्णस्य'-उपविष्टस्या चार्यस्य च सम्यगिति'-भावसारम् 'अन्येषां चैव साधूनां' નિપતિ વરાયશિતિ નાથાર્થ: | શરૂ I वंदंति अज्जियाओ, विहिणा सड्ढा य साविआओ य । आयरियस्स समीवंमि उवविसइ तओ असंभंतो ॥१५४॥ वृत्तिः- ततस्तं प्रव्रजितं 'वन्दन्ते आर्यिकाः' 'पुरुषोत्तमो धर्म' इति कृत्वा, कथमित्याह ૧. અહીં ટીકાના પ્રવેલે શબ્દથી વર્તમાનમાં આપણે જેને “પયણું” કહીએ છીએ તે સમજાય છે. પવેયણાની ક્રિયામાં પાલી તપ કરશું (કે પાલી પારણું કરશુંએમ જે બોલવામાં આવે છે તે મુખ્ય પ્રવેદન છે એમ જણાય છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ७४ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'विधिना'-प्रवचनोक्तेन, किं ता एव ?, नेत्याह-'श्रावकाश्च श्राविकाच' वन्दन्ते, 'आचार्यसमीपे चोपविशति ततः'- तदुत्तरकालं, किंविशिष्टः सन्नित्याह-'असम्भ्रान्तः'अनन्यचित्त इति गाथार्थः ॥ १५४ ॥ ततश्च भवजलहिपोअभूअं, आयरिओ तह कहेइ से धम्मं । जह संसारविरत्तो, अन्नोऽवि पवज्जए दिक्खं ।। १५५ ॥ वृत्तिः- 'भवजलधिपोतभूतं'-संसारसमुद्रबोहित्थकल्पम् 'आचार्यस्तथा कथयति से' तस्य-प्रव्रजितस्य 'धर्मं यथा' संवेगातिशयात् 'संसारविरक्तः' सन् 'अन्योऽपि' तत्पर्षदन्तर्वर्ती सत्त्वः 'प्रपद्यते दीक्षां'-प्रव्रज्यामिति गाथार्थः ॥ १५५ ॥ પછી ચૈત્યવંદન કરે. પછી બેઠેલા આચાર્યને અને બીજા સાધુઓને પણ ભાવપૂર્વક વંદન કરે. [૧૫] પછી દીક્ષિત બનેલા તેને ધર્મમાં પુરુષની પ્રધાનતા હોવાથી સાધ્વીઓ શાસ્ત્રોક્ત વિધિથી વંદન કરે. શ્રાવક-શ્રાવિકાઓ પણ તેને વંદન કરે. પછી તે એકાગ્રચિત્તે આચાર્યની પાસે બેસે. [૧૫૪] પછી આચાર્ય તેને સંસારરૂપ સમુદ્રને તરવા માટે વહાણ સમાન ધર્મનો ઉપદેશ આપે. ધર્મોપદેશ એવી રીતે આપે કે જેથી ત્યાં રહેલા બીજાઓ પણ અતિશય સંવેગ થવાથી સંસારથી वि२त पनीने हाक्षानो स्वी31२ ४३. [१५५] कथं कथयतीत्यत्राह भूतेसु जंगमत्तं, तेसुऽवि पंचिंदिअत्तमुक्कोसं । तेसुवि अ माणुसत्तं, माणुस्से आरिओ देसो ॥ १५६ ॥ देसे कुलं पहाणं, कुले पहाणे अ जाइमुक्कोसा । तीएऽवि रूवसमिद्धी, रूवे अ बलं पहाणयरं ॥ १५७ ॥ होइ बलेऽवि अ जी, जीएऽवि पहायणं तु विण्णाणं । विण्णाणे सम्मत्तं, सम्मत्ते सीलसंपत्ती ॥ १५८ ॥ सीले खाइअभावो, खाइअभावेऽवि केवलं नाणं । केवल्ले पडिपुन्ने, पत्ते परमक्खरो मोक्खो ॥ १५९ ॥ पण्णरसंगो एसो, समासओ मोक्खसाहणोवाओ । एत्थ बहुं पत्तं ते, थेवं संपावियव्वंति ॥ १६० ॥ ता तह कायव्वं ते, जह तं पावेसि थेवकालेणं । सीलस्स नत्थऽसज्झं, जयंमि तं पाविअं तुमए ।। १६१ ।। Page #100 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [७५ लखूण सीलमेअं, चिंतामणिकप्पपायवऽब्भहिअं । इह परलोए अ तहा, सुहावहं परममुणिचरिअं ॥ १६२ ॥ एअंमि अप्पमाओ, कायव्वो सइ जिर्णिदपन्नत्ते । भावेअव्वं च तहा, विरसं संसारणेगुण्णं ॥ १६३ ॥ वृत्तिः-'भूतेषु'-प्राणिषु जङ्गमत्वं' द्वीन्द्रियादित्वं, तेष्वपि'-जङ्गमेषु पञ्चेन्द्रियत्वमुत्कृष्टं'प्रधानं, 'तेष्वपि'-पञ्चेन्द्रियेषु 'मानुषत्व'मुत्कृष्टमिति वर्त्तते, 'मनुजत्वे आर्यो देश' उत्कृष्ट इति गाथार्थः ॥ १५६ ॥ 'देशे' आर्ये 'कुलं प्रधानमु'ग्रादि, 'कुले प्रधाने च जातिरुत्कृष्टा' मातृसमुत्था, 'तस्यामपि' जातौ 'रूपसमृद्धिरुत्कृष्टा', सकलाङ्गनिष्पत्तिरित्यर्थः, 'रूपे च' सति 'बलं प्रधानतरं', सामर्थ्यमिति गाथार्थः ॥ १५७ ॥ भवति बलेऽपि च जीवितं', प्रधानमिति योगः, 'जीवितेऽपि प्रधानतरं विज्ञानं, विज्ञाने सम्यक्त्वं', क्रिया पूर्ववत्, 'सम्यक्त्वे शीलसम्प्राप्तिः' प्रधानतरेति गाथार्थः ॥ १५८ ॥ 'शीले क्षायिकभावः' प्रधानः, क्षायिकभावे च केवलं ज्ञानं', प्रतिपक्षयोजना सर्वत्र कार्येति, 'कैवल्ये प्रतिपूर्णे प्राप्ते परमाक्षरो मोक्ष' इति गाथार्थः ॥ १५९ ॥ 'पञ्चदशाङ्गः'-पञ्चदशभेदः 'एष:'- अनन्तरोदितः 'समासतः'सक्षेपेण 'मोक्षसाधनोपायः'-सिद्धिसाधनमार्गः, 'अत्र'-मोक्षसाधनोपाये ‘बहु प्राप्तं त्वया', शीलं यावदित्यर्थः, 'स्तोकं सम्प्राप्तव्यं', क्षायिकभावकेवलज्ञानद्वयमिति गाथार्थः ॥ १६० ।। 'तत्तथा कर्त्तव्यं त्वया यथा तत्'-शेषं प्राप्नोषि स्तोककालेन', किमित्यत आह-'शीलस्य नास्त्यसाध्यं जगति,तत्प्राप्तत्वया',प्रव्रज्या प्रतिपन्नेति गाथार्थः ।।१६१॥ लब्ध्वाशीलमेतत्', किंविशिष्टमित्याह'चिन्तामणिकल्पपादपाभ्यधिकं', निर्वाणहेतुत्वेन, एतदेवाह-'इहलोके-परलोकेचतथासुखावहं परममुनिभिश्चरितम्'-आसेवितमिति गाथार्थः ।। १६२।। एतस्मिन्'-शीले अप्रमादो'-यत्नातिशयः 'कर्तव्यः सदा'-सर्वकालं 'जिनेन्द्रप्रज्ञप्ते' तीर्थकरप्रणीते, अप्रमादोपायमेवाह-'भावयितव्यं च तथा'-शुभान्तःकरणेन 'विरसं संसारनैर्गुण्यं' वैराग्यसाधनमिति गाथार्थः ॥ १६३ ।। કેવો ધમપદેશ આપે તે કહે છે જીવોમાં જંગમપણું=બેઇંદ્રિય વગેરે ત્રસપણું પ્રધાન (શ્રેષ્ઠ) છે. જંગમપણામાં પંચેદ્રિયપણું પ્રધાન છે. પંચેંદ્રિયપણામાં મનુષ્યપણું પ્રધાન છે. મનુષ્યપણામાં આર્યદિશ પ્રધાન છે. [૧૫૬] આર્યદિશમાં उहि (उथ्य) इस प्रथानछे. सभा (उय्य) ति प्रधान छे.तिभा ५९ ३५ (पो3-4iguथी २रित संपूर्ण शरी२) प्रधान छ. ३५मा बल प्रधान छ. जसमा वन (हायु) प्रधान छे. [१५७] જીવનમાં વિજ્ઞાન (=વિશિષ્ટ બુદ્ધિ) પ્રધાન છે. વિજ્ઞાનમાં સમ્યકત્વ પ્રધાન છે. સમ્યકત્વમાં શીલ (=ચારિત્રપ્રાપ્તિ) પ્રધાન છે.[૧૫૮] શીલમાં ક્ષાયિકભાવપ્રધાન છે. ક્ષાયિક ભાવમાં કેવલજ્ઞાન પ્રધાન छ. संपूर्ण अवसाननी प्रालित भोक्ष थाय छे. (प्रतिपक्षयोजना सर्वत्र कार्या=) विषयने 612 રીતે પણ વિચારવો. જેમકે-ક્ષાયિકભાવ વિનાનું શીલ, શીલ વિનાનું સમ્યકત્વ, સમ્યકત્વ વિનાનું વિજ્ઞાન, એમ ઉત્તર ઉત્તરના અભાવે પૂર્વ પૂર્વભાવો નિષ્ફલ કે ઉલટા હાનિકારક પણ બને. [૧૫] Page #101 -------------------------------------------------------------------------- ________________ ७६ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते સંક્ષેપથી (=સામાન્યથી) આ પંદર ભેદો મોક્ષસાધનાનો ઉપાય છે. આ ઉપાયમાંથી તે ઘણું (=शील सुधार्नु) भेगवी दीधुंछ, तारे थोडं ४ (=यिभाव भने सशान में ले ४) મેળવવાનું છે. [૧૬] તેથી તારે તેવું કરવું જોઈએ કે જેથી બાકીનું થોડા જ કાળમાં તું મેળવી श. यात्रिने (=यारित्रथी) ४तम असाध्य नथी. ते यारित्र तें मेणवीसीधुंछ. [१६१] આ ચારિત્ર મોક્ષનું કારણ હોવાથી ચિંતામણી અને કલ્પવૃક્ષથી પણ શ્રેષ્ઠ છે, આ ચારિત્ર આ લોક અને પરલોકમાં સુખ આપનારું છે, ઉત્તમ મુનિઓએ એનું પાલન કર્યું છે. [૧૬] જિનેશ્વરોએ કહેલા આવા ચારિત્રને પામીને એના પાલનમાં સદા અતિશય ઉદ્યમ કરવો જોઈએ. ચારિત્રમાં અતિશય ઉદ્યમ થાય એ માટે શુભ અંતઃકરણથી સારહીન સંસારની અસારતા વિચારવી જોઈએ. संसारनी सातार्नु यिंतन वैशयनो उपाय छे. [१६] आह विरइपरिणामो, पव्वज्जा भावओ जिणाएसो । __ जंता तह जइअव्वं, जह सो होइत्ति किमणेणं? ॥१६४ ॥ वृत्तिः- 'आह' परः, किमाह ?, 'विरतिपरिणामः'-सकलसावद्ययोगविनिवृत्तिरूपः 'प्रव्रज्या भावतः'-परमार्थतो 'जिनादेशः'-अर्हद्वचनमित्थं व्यवस्थितमिति, 'यत्'-यस्मादेवं 'तत्'-तस्मा 'त्तथा यतितव्यं'-तथा प्रयत्नः कार्य: 'यथाऽसौ'-विरतिपरिणामो 'भवतीति', 'किमन्येन'-चैत्यवन्दनादि-क्रियाकलापेन ? इति गाथार्थः ॥ १६४ ॥ અહીં વાદી કહે છે કે-પરમાર્થથી સર્વસાવઘયોગોથી નિવૃત્તિ રૂ૫ વિરતિના જે પરિણામ એ દીક્ષા છે એવું જિનવચન છે. માટે વિરતિના પરિણામ પ્રગટાવવા (આંતરિક) ઉદ્યમ કરવો જોઈએ, ચૈત્યવંદનાદિ ક્રિયાઓ કરવાની જરૂર નથી. [૧૪] पर एव स्वपक्षं समर्थयन्नाह सुव्वइ अ एअवइअरविरहेणऽवि स इह भरहमाईणं । तयभावंमि अभावो, जं भणिओ केवलस्स सुए ॥१६५ ॥ __ वृत्तिः- 'श्रूयते च एतद्व्यतिकरविरहेणापि'-चैत्यवन्दनादिसम्बन्धमन्तरेणापि 'सः' विरतिपरिणामः इह'-जिनशासने भरतादीनां' महापुरुषाणामिति,कथमितिचेत्, उच्यते, तदभावे'विरतिपरिणामाभावे भावतः ‘अभावः'-असम्भवः, 'यत्'-यस्माद् 'भणित:'-उक्तः केवलस्य श्रुते'-प्रवचन इति गाथार्थः ॥ १६५ ।। संपाडिएऽवि अ तहा, इमंमि सो होइ नस्थि एअंपि । अंगारमद्दगाई, जेण पवज्जंतऽभव्वावि ॥ १६६ ॥ वृत्तिः- 'सम्पादितेऽपि च तथा अस्मिन्'-चैत्यवन्दनादौ व्यतिकरे सति 'सः'विरतिपरिणामो 'भवति नास्त्येतद्' अत्राप्यनियम एवेति, एतदेवाह-'अङ्गारमर्दकादयो येन' कारणेन प्रतिपद्यन्ते' अधिकृतव्यतिकरम् अभव्या अपि, आसतां तावदन्य इति गाथार्थः ।। १६६ ॥ Page #102 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] વાદી જ સ્વપક્ષનું સમર્થન કરે છે— જૈન શાસનમાં (=શાસ્ત્રમાં) સંભળાય છે કે શ્રીભરત ચક્રી વગેરે મહાપુરુષોને ક્રિયા વિના જ વિરતિપરિણામ પ્રગટ્યા હતા. નહિ તો તેઓને કેવલજ્ઞાન કેમ થાય ? કારણકે શાસ્ત્રમાં વિરતિપરિણામ વિના કેવલજ્ઞાન ન થાય, એમ કહ્યું છે. [૧૬૫] બીજી વાત- ચૈત્યવંદનાદિ ક્રિયાઓ કરવા છતાં વિરતિપરિણામ થાય જ એવો પણ નિયમ નથી. અંગારમઈકસૂરિ વગેરે અભવ્યો પણ દીક્ષાની આ વિધિ કરે છે. છતાં તેઓને વિરતિપરિણામ થતો નથી. [૧૬૬] किञ्च तच्चैत्यवन्दनादिविधिना सामायिकारोपणं सति वा विरतिपरिणामे क्रियेतासति वा ? उभयथापि दोषमाह सइ तंमि इमं विहलं, असइ मुसावायमो गुरुस्सावि । तम्हा न जुत्तमेअं पव्वज्जाए विहाणं तु ॥ १६७ ॥ वृत्ति:- 'सति तस्मिन् ' - विरितपरिणामे 'इदं' - चैत्यवन्दनादिविधिना सामायिकारोपणं 'विफलं ', भावत एव तस्य विद्यमानत्वादन्ययताविव, 'असति' - अविद्यमाने विरतिपरिणामे साायिकारोपणं कुर्वतः 'मृषावाद' एव 'गुरोरपि', असदध्यारोपणाद्, अपिशब्दाच्छिष्यस्यापि, अयताविव अप्रतिपत्ते:, यस्मादेवं 'तस्मान्न युक्तमेतत्' - चैत्यवन्दनादिविधिना सामायिकारोपणरूपं ‘પ્રવ્રન્યાયા વિધાનમ્', ડ્વમુમયથાપિ રોપવર્ગનાવિતિ ગાથાર્થ: ॥ ૨૬૭ || વળી- અમે પૂછીએ છીએ કે ચૈત્યવંદનાદિ વિધિથી સામાયિકનું આરોપણ કરવામાં આવે છે તે વિરતિના પરિણામપૂર્વક કરવામાં આવે છે કે વિરતિપરિણામ થયા વિના કરવામાં આવે છે ? બંને રીતે દોષ છે, એ અહીં કહે છે [ ૭૭ વિરતિપરિણામ થયો હોય તો ચૈત્યવંદનાદિ વિધિથી સામાયિકનું આરોપણ કરવું નિરર્થક છે. કારણ કે જે ફલ માટે ચૈત્યવંદનાદિ વિધિથી સામાયિકનું આરોપણ કરવાનું છે તે વિરતિપરિણામ રૂપ ફલ તે સાધુમાં અન્ય સાધુની જેમ રહેલું છે. હવે જો વિરતિપરિણામ થયા વિના સામાયિકનું આરોપણ કરવામાં આવે તો ખોટું આરોપણ કરવાના કારણે ગુરુ-શિષ્ય બંનેને મૃષાવાદ જ થાય. દીક્ષા ન લેનાર અસાધુમાં (=ગૃહસ્થમાં) સામાયિકનું આરોપણ કરવાથી જેમ મૃષાવાદ થાય તેમ અહીં પણ મૃષાવાદ થાય. માટે ચૈત્યવંદનાદિ વિધિથી સામાયિકનું આરોપણ રૂપ દીક્ષાવિધિ અયુક્ત છે. કારણકે વિરતિપરિણામ થયો હોય કે ન થયો હોય એ બંને રીતે તેમાં દોષ જોવામાં આવે છે. [૧૬૭] एष पूर्वपक्ष:, अत्रोत्तरमाह सच्चं खु जिणाएसो, विरईपरिणामो उ पव्वज्जा । एसो उ तस्सुवाओ, पायं ता कीरड़ इमं तु ॥ १६८ ॥ वृत्ति:- 'सत्यमेव जिनादेशो' - जिनवचनमित्थंभूतमेव यदुत 'विरतिपरिणाम एव प्रव्रज्या', नात्रान्यथाभाव:, तथाऽप्यधिकृतविधानमवन्ध्यमेवेति एतदेवाह - 'एष पुन:' Page #103 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते चैत्यवन्दनादिविधिना सामायिकारोपणव्यतिकर: 'तस्य' - विरतिपरिणामस्य' उपायो' - हेतु: 'प्रायो'बाहुल्येन 'तद्’- तस्मात् 'क्रियत एवेदं' - चैत्यवन्दनादि प्रव्रज्याविधानमिति गाथार्थ: ।। १६८ ।। આ પૂર્વપક્ષ કહ્યો. હવે ઉત્તર પક્ષ કહે છે પરમાર્થથી વિરતિપરિણામ જ દીક્ષા છે એવું જ જિનવચન છે એ તમારું કથન તદ્દન સત્ય છે. આમાં કોઈ ફેરફાર નથી. તો પણ પ્રસ્તુત દીક્ષાવિધિ સફલ જ છે. કારણ કે ચૈત્યવંદનાદિ વિધિથી સામાયિકના આરોપણનો પ્રસંગ વિરતિપરિણામનો ઉપાય છે, તેનાથી પ્રાયઃ વિરતિપરિણામ થાય છે. માટે આ ચૈત્યવંદનાદિ પ્રવ્રજ્યાવિધિ કરવો જ જોઈએ. [૧૬૮] उपायतामाह ७८ ] जिणपण्णत्तं लिंगं, एसो उ विही इमस्स गहणंमि । पत्तो मएत्ति सम्मं चिंतेंतस्सा तओ होइ ॥ १६९ ॥ " वृत्ति: - 'जिनप्रज्ञप्तं लिङ्गं'- तीर्थकरप्रणीतमेतत् साधुचिह्नं रजोहरणमिति, 'एष च' - - चैत्यवन्दनादिलक्षणों' विधिरस्य' - लिङ्गस्य ग्रहणे' - अङ्गीकरणे प्राप्तो मया' ऽत्यन्तदुराप इत्येवं ('सम्मं'सभ्यञ्) ‘चिन्तयतः’ सतः शुभभावत्वाद् ' असौ ' - विरतिपरिणामो 'भवतीति' गाथार्थः ॥ १६९ ॥ દીક્ષાવિધિ વિરતિપરિણામનો હેતુ કેવી રીતે બને છે તે જણાવે છે— દીક્ષાર્થી દીક્ષાવિધિ કરતાં વિચારે કે રજોહરણ રૂપ આ સાધુલિંગ તીર્થંકરોએ બતાવ્યું છે. તેના સ્વીકારનો આ ચૈત્યવંદનાદિ રૂપ વિધિ છે. અત્યંત દુર્લભ આ વિધિ મને (મહાભાગ્યથી) પ્રાપ્ત થયો છે. આ પ્રમાણે શુભવિચારણા કરતા એવા તેને શુભ ભાવ થવાથી વિરતિપરિણામ થાય छे. [१६८ ] कथं गम्यत इति चेत् ? उच्यते लक्खिज्जइ कज्जेणं, जम्हा तं पाविऊण सप्पुरिसा । नो सेवंति अकज्जं, दीसइ थेवंपि पाएणं ॥ १७० ॥ वृत्ति:- 'लक्ष्यते' - गम्यते 'कार्येणासौ' विरतिपरिणामः, कथमित्याह - 'यस्मात् तं'चैत्यवन्दनपुरस्सरं सामायिकारोपणविधि 'सम्प्राप्य सत्पुरुषाः ' - महासत्त्वाः प्रव्रजिता वयमिति 'न सेवन्ते अकार्यं' - परलोकविरुद्धं किञ्चित्,' दृश्यते' एतत्-प्रत्यक्षेणैवोपलभ्यते एतत् स्तोकमप्य' कार्यं 'प्रायशो ' - बाहुल्येन न सेवन्ते, अतो विरतिपरिणामसामर्थ्यमेतदिति गाथार्थः ॥ १७० ॥ જીવમાં વિરતિપરિણામ થયો છે એ કેવી રીતે જાણી શકાય તે જણાવે છે— દીક્ષાવિધિથી દીક્ષિત બનેલામાં વિરતિપરિણામના કાર્યથી વિરતિપરિણામ જાણી શકાય છે. તે આ પ્રમાણે- મહાસાત્ત્વિક પુરુષો ચૈત્યવંદનાદિ પૂર્વક સામાયિક આરોપણની વિધિ કરીને “અમે હવે સાધુ બન્યા છીએ” એમ વિચારીને પરલોકવિરુદ્ધ કંઈ કરતા નથી. વિધિથી દીક્ષિત બનેલા Page #104 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [७९ મહાસાત્ત્વિકો થોડું પણ અકાર્ય પ્રાયઃ કરતા નથી એ પ્રત્યક્ષ જ જોવામાં આવે છે. આ તાકાત વિરતિપરિણામમાં છે, અર્થાત્ વિરતિપરિણામ વિના આ કાર્ય ન થઈ શકે. (વિરતિપરિણામનું આ કાર્ય દેખાવાથી વિરતિપરિણામ છે એમ નિર્ણય કરી શકાય છે.) [૧૭૦]. साम्प्रतं यदुक्तं 'श्रूयते चैतद्व्यतिकरविरहेणापि स इह भरतादीना' मित्येतत्परिजिहीर्षुराह आहच्चभावकहणं, न य पायं जुज्जए इहं काउं । ववहारनिच्छया जं, दोनिवि सुत्ते समा भणिया ॥१७१ ।। वृत्तिः- 'कादाचित्कभावकथनं'-भरतादिलक्षणं 'न च प्रायो युज्यते इह'-विचारे 'कर्तुं', किमित्यत आह 'व्यवहारनिश्चयौ यतो' नयौ 'द्वावपि सूत्रे समौ भणितौ'-प्रतिपादितो, भगवद्भरिति गाथार्थः ।। १७१ ॥ વાદીએ પૂર્વે (૧૬૫મી ગાથામાં) “સંભળાય છે કે ભરતચક્રી વગેરેને ક્રિયા વિના જ વિરતિપરિણામ પ્રગટ્યો હતો” એમ જે કહ્યું હતું, તેનો ઉત્તર આપે છે– પ્રસ્તુત વિચારણામાં ક્યારેક બનતા ભરતાદિના દૃષ્ટાંતોનું કથન કરવું એ પ્રાયઃ યોગ્ય નથી. કારણ કે ભગવાને સૂત્રમાં નિશ્ચય-વ્યવહાર એ બંને નયોને સમાન કહ્યા છે. આથી વ્યવહારની વાત ચાલતી હોય ત્યારે વચ્ચે નિશ્ચયની વાત લાવીને વ્યવહારને નિરર્થક બનાવવાનો પ્રયત્ન કરવો में अनुथित छे.) [१७१] एतदेवाह जइ जिणमयं पवज्जह, ता मा ववहारणिच्छए मुअह । ववहारणउच्छेए, तित्थुच्छेओ जओऽवस्सं ॥ १७२ ॥ वृत्तिः- 'यदि जिनमतं प्रपद्यध्वं' यूयं 'ततो मा व्यवहारनिश्चयौ मुञ्चत'-मा हासिष्ठाः, किमित्यत्र आह-'व्यवहारनयोच्छेदे तीर्थोच्छेदो यतोऽवश्यम्', अतो व्यवहारतोऽपि प्रव्रजितः प्रव्रजित एव । इति गाथार्थः ।। १७२ ॥ આ જ વિષયને કહે છે જો તમે જિનમતને સ્વીકારો છો (માનો છો) તો વ્યવહાર-નિશ્ચય એ બંનેને ન મૂકો. કારણ કે વ્યવહારના ઉચ્છેદથી અવશ્ય તીર્થનો (શાસનનો) ઉચ્છેદ થાય. આથી વ્યવહારથી પણ દીક્ષિત थयेलो हीक्षित ४ छे. [१७२] एतदेव समर्थयति ववहारपवत्तीइवि, सुहपरिणामो तओ अ कम्मस्स । नियमेणमुवसमाई, णिच्छयणयसम्मयं तत्तो ॥ १७३ ॥ वृत्तिः- 'व्यवहारप्रवृत्त्याऽपि'-चैत्यवन्दनादिविधिना प्रव्रजितोऽहमित्यादिलक्षणया Page #105 -------------------------------------------------------------------------- ________________ ८० ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'शुभपरिणामो' भवति, ततश्च' शुभपरिणामात् 'कर्मणः'-ज्ञानावरणीयादेः 'नियमेनोपशमादयो' भवन्ति, आदिशब्दात् क्षयक्षयोपशमादिपरिग्रहः, 'निश्चयनयसम्मतं तत' इति ततः-उपशमादेविरतिपरिणामो भवतीति गाथार्थः ॥ १७३ ॥ આ જ વિષયનું સમર્થન કરે છે વ્યવહારથી પણ ચૈત્યવંદનાદિ વિધિ કરનારને તે વિધિથી “હું દીક્ષિત થયો છું” વગેરે શુભ પરિણામ પ્રગટે છે. તે શુભ પરિણામથી નિશ્ચયનયને સંમત જ્ઞાનાવરણીયાદિ કર્મોના ઉપશમ-ક્ષયક્ષયોપશમ વગેરે થાય છે. તેનાથી વિરતિપરિણામ થાય છે. [૧૭૩] यच्चोक्तं 'सति तस्मिन्निदं विफल' मित्यादि, तनिराकरणार्थमाह होतेऽवि तम्मि विहलं, न खलु इमं होइ एत्थऽणुट्ठाणं । सेसाणुट्ठाणंपिव, आणाआराहणाए उ ॥ १७४ ॥ वृत्तिः- 'भवत्यपि तस्मिन्'-विरतिपरिणामे 'विफलं न खल्विति'-नैव 'इदं'चैत्यवन्दनादि 'भवति अत्र' प्रक्रमेऽ'नुष्ठानं', किन्तु सफलमेव, 'शेषानुष्ठानमिव'-उपधिप्रत्युपेक्षणादिवत्,कुत इत्याह-'आज्ञा-ऽऽराधनात एव'-तीर्थकरोपदेशानुपालनादेव, भगवदुपदेशश्चायमिति गाथार्थः ॥ १७४ ।। હવે પૂર્વે (ગાથા ૧૬૭માં) “વિરતિપરિણામ હોય તો સામાયિકનું આરોપણ કરવું નિરર્થક છે.” વગેરે જે કહ્યું હતું, તેનો ઉત્તર આપે છે– વિરતિપરિણામ થયો હોય તો પણ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનો નિષ્ફળ થતાં જ નથી, કિંતુ ઉપધિપ્રતિલેખના આદિ અન્ય અનુષ્ઠાનોની જેમ સફળ જ થાય છે. કારણ કે તેનાથી જિનાજ્ઞાનું પાલન થાય છે. અર્થાત્ જિનાજ્ઞાનું પાલન થવાના કારણે જ ચૈત્યવંદનાદિ ક્રિયા સફળ છે. ચૈત્યવંદનાદિ વિધિ પૂર્વક દીક્ષા આપવી અને લેવી એવી જિનાજ્ઞા છે. [૧૭] द्वितीयं पक्षमधिकृत्याह असइ मुसावाओऽवि अ, ईसिपि न जायए तहा गुरुणो। विहिकारगस्स आणाआराहणभावओ चेव ॥ १७५ ॥ वृत्तिः- 'असति' विरतिपरिणामे 'मृषावादोऽपि च ईषदपि'-मनागपि न जायते गुरो:'उक्तलक्षणस्य, किंविशिष्टस्येत्यत्राह-'विधिकारकस्य' सूत्राज्ञासम्पादकस्येति, कुत इत्याह'आज्ञाराधनभावत एव' भगवदाज्ञासम्पादनादेवेति गाथार्थः ॥ १७५ ॥ હવે (વિરતિપરિણામ ન થયો હોય એ) બીજા પક્ષને આશ્રયીને કહે છે– વિરતિપરિણામ ન થયો હોય તો પણ વિધિકારક (=સૂત્રાજ્ઞાનું પાલન કરનાર) ગુરુને મૃષાવાદ પણ જરા પણ થતો નથી. કારણ કે તેમણે જિનાજ્ઞાનું પાલન કર્યું છે, અર્થાત્ જિનાજ્ઞાનું પાલન કરવાના કારણે જ વિધિકારકને મૃષાવાદ થતો નથી. [૧૭૫] Page #106 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [८१ विधिप्रव्राजने गुणानाह होति गुणा निअमेणं, आसंसाईहिँ विप्पमुक्कस्स । परिणामविसुद्धीओ, अजुत्तकारिमिवि तयंमि ॥ १७६ ॥ वृत्तिः- 'भवन्ति गुणा नियमेन' कर्मक्षयादयो विधिप्रव्राजने सति ‘आशंसादिभिर्विप्रमुक्तस्य' गुरोः, आदिशब्दात् सम्पूर्णपर्षदादिपरिग्रहः, कुतो भवन्ति ?, 'परिणामविशुद्धेः'सांसारिकदुःखेभ्यो मुच्यतामयमित्यध्यवसायाद्, 'अयुक्तकारिण्यपि' कुतश्चित्कर्मोदयात् तस्मिन्' शिष्ये इति गाथार्थः ॥ १७६ ॥ વિધિથી દીક્ષા આપવામાં ગુરુને થતા લાભો જણાવે છે વિધિથી દીક્ષા આપવામાં ગુરુને અવશ્ય કર્મક્ષય વગેરે લાભો થાય છે. કારણ કે ગુરુમાં “આ જીવ સાંસારિક દુઃખોથી મુક્ત થાઓ” એવા પરહિતાશય રૂપ શુભ અધ્યવસાય હોય છે. આવો શુભ અધ્યવસાય તો જ થઈ શકે કે જો ગુરુ આશંસાદિ દોષોથી તદ્દન રહિત હોય. આથીજ ગુરુ “દીક્ષા આપવાથી આ આહાર-પાણી વગેરે લાવવાનું કામ કરશે વગેરે આશંસાથી અને મારા પરિવારની વૃદ્ધિ થશે” ઈત્યાદિ (અહંભાવ રૂ૫) અશુભ ભાવથી રહિત હોવા જોઈએ. કોઈ કારણે તેવા કર્મોદયથી તે શિષ્ય કંઈ અનુચિત કરે તો પણ આવા ગુરુને તો ઉક્ત શુભ અધ્યવસાયથી કર્મક્ષય વગેરે લાભ જ થાય. [૧૭]. तम्हा उ जुत्तमेअं, पव्वज्जाए विहाणकरणं तु । गुणभावओ अकरणे, तित्थुच्छेआइआ दोसा ॥ १७७ ॥ __ वृत्तिः- यस्मादेवं 'तस्मात्तु युक्तमेतद्'-अनन्तरोदितं 'प्रव्रज्याया विधानकरणं तु'चैत्यवन्दनादि, कुत इत्याह-'गुणभावतः' उक्तन्यायात् कर्मक्षयादिगुणभावाद्, 'अकरणे' प्रस्तुतविधानस्य 'तीर्थोच्छेदादयो दोषाः'-तीर्थोच्छेदः सत्त्वेषु न चानुकम्पेति गाथार्थः ॥ १७७ ।। ઉક્ત રીતે કર્મક્ષય વગેરે લાભ થતો હોવાથી ઉક્ત ચૈત્યવંદનાદિ દીક્ષાવિધિનું પાલન જ યુક્ત छ (=४३री छ). 3सटुं, होक्षाविधि न ४२वाथी तीर्थनो (शासननो) , वोमा अनुपानो (5२५॥नो) अमाव वगेरे भने होपो थाय. [१७७] एतदेव भावयति छउमत्थो परिणाम, सम्मं नो मुणइ ताण देइ तओ । न य अइसओ अ तीए, विणा कहं धम्मचरणं तु ? ॥ १७८ ॥ वृत्तिः- "छद्मस्थसत्त्वः परिणामं' विनेयसम्बन्धिनं 'न सम्यग्मनुते'-न जानाति, 'ततो न ददात्यसौ' दीक्षा परिणामादर्शनेन, ततोऽतिशयी दास्यतीति चेत् अत्राह-'न चातिशयोऽपि'-अवध्यादिः तया भावतो दीक्षया विनैव, अत: 'कथं धर्मचरणमिति' सामान्येनैव धर्माचरणाभाव इति गाथार्थः ॥ १७८ ॥ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આ જ વિષયની વિચારણા કરે છે– પ્રશ્ન- છમસ્થજીવ શિષ્યના પરિણામને જોઈ ન શકે, આથી તે (છબસ્થ) દક્ષા ન આપે, કિંતુ વિશિષ્ટ જ્ઞાની દીક્ષા આપે, એથી ઉક્ત દોષો ન થાય. ઉત્તર- અવધિજ્ઞાન આદિ વિશિષ્ટજ્ઞાન ભાવથી દીક્ષા વિના ન જ થાય. (પહેલાં દીક્ષા પછી વિશિષ્ટજ્ઞાન.) તમે છદ્મસ્થ ગુરુને દીક્ષા આપવાની ના પાડો છો. એથી તો મૂળથીજ દીક્ષાનો અભાવ થાય. (દીક્ષાનો અભાવ થાય એટલે વિશિષ્ટજ્ઞાનનો પણ અભાવ થાય. વિશિષ્ટ જ્ઞાનનો અભાવ થતાં દીક્ષાનો પણ અભાવ થાય.) [૧૭૮] यच्चात्र भरताद्युदाहरणमुक्तं तदङ्गीकृत्याह आहच्चभावकहणं, तंपिहु तप्पुव्वयं जिणा बिंति । तयभावे ण य जुत्तं, तयंपि एसो विही तेणं ॥ १७९ ॥ वृत्तिः- 'कादाचित्कभावकथनं' भरतादीनामतिशयादिरूपं यत् 'तदपि तत्पूर्वकं'जन्मान्तराभ्यस्तप्रव्रज्याविधानपूर्वकं जिना ब्रुवते, तदभावे च'-जन्मान्तराभ्यस्तप्रव्रज्याविधानाभावे 'न च युक्तं तदपि' कादाचित्कभावकथनं, यत एवं मेष विधि:'-अनन्तरोदितः प्रव्रज्यायाः 'ततो' ચાવ્ય ત ગાથાર્થ: | ૨૭૨ / હવે વાદીએ કહેલા ભરતચક્રી આદિના દાંતને આશ્રયીને કહે છે– ભરતચક્રી વગેરેને બાહ્ય ક્રિયા વિના જ કેવલજ્ઞાન વગેરે થયું હતું એમ કહેવું પણ બરોબર નથી. કારણ કે તેમને પૂર્વ જન્મમાં દીક્ષાવિધિનો અભ્યાસ થયેલો હતો એમ જિનેશ્વરોએ કહ્યું છે. ભરતચક્રી વગેરેને થયેલ કેવલજ્ઞાન વગેરે પૂર્વજન્મમાં દીક્ષાવિધિના અભ્યાસ વિના ન ઘટી શકે. આથી અનંતરોક્ત દીક્ષાવિધિ યોગ્ય છે=જરૂરી છે. [૧૭૯] अण्णे अगारवासं, पावाउ परिच्चयंति इइ बिंति । सीओदगाइभोगं, अदिन्नदाणत्ति न करिति ॥ १८० ॥ वृत्तिः- 'अन्ये' वादिन 'इति ब्रुवत' इति सम्बन्धः, किमित्याह-'अगारवासं'-गृहवासं 'पापात् परित्यजन्ति', पापोदयेन तत्परित्यागबुद्धिरुत्पद्यत इति भावः, तथा 'शीतोदकादिभोगम्', आदिशब्दाद् विकृत्यादिपरिग्रहः, अदत्तदाना इति न कुर्वन्ति', पापोदयेनैव तत्परिहारबुद्धिरुत्पद्यत રૂતિ ગાથાર્થઃ || ૧૮૦ || અહીં કોઈ વાદી કહે છે કે દીક્ષા લેનારાઓ ઘરવાસનો ત્યાગ પાપોદયથી કરે છે, અર્થાત તેમને તેવો પાપોદય થવાથી ઘરવાસને છોડવાની બુદ્ધિ થાય છે. તથા ભવાંતરમાં દાન ન કર્યું ૧. લૌકિક વ્યવહારમાં પણ ક્રિયા અને પરિણામનો સંબંધ પ્રત્યક્ષ દેખાય છે. જેમકે લગ્નની ક્રિયા થતાં જ યુવતિ પોતાને હું અમુકની પત્ની છું' એમ માને છે. લગ્ન-સગપણ પહેલાં યુવતિમાં આ ભાવ નથી હોતો. અત્યારસુધી પોતાને સાધારણ માનવી ગણતો કોઈ પુરુષ પ્રધાનપદના સોગંદની વિધિ કર્યા પછી પોતાને ‘હું પ્રધાન છું' એમ માને છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [ ८३ હોવાથી હમણાં શીતલ જળ, ઘી-દૂધ આદિનો ભોગ કરતા નથી, અર્થાત્ પાપોદય થવાથી જ તેમને શીતલ જલ આદિ (પુણ્યથી મળતી સુખસામગ્રીને) છોડવાની બુદ્ધિ થાય છે. [૧૮૦] एतदेव समर्थयति बहुदुक्खसंविदत्तो नासइ अत्थो जहा अभव्वाणं । इअ पुन्नेहि विपत्तो अगारवासोऽवि पावाणं ॥ १८९ ॥ वृत्ति:- 'बहुदुःखसंविढत्तो 'ऽपि - बहुदुःखसमज्जित: सन् ' नश्यत्यर्थो यथाऽभव्यानाम्'अपुण्यवतां 'इति' एवं 'पुण्यैरपि प्राप्तोऽगारवासोऽपि पापानां ' नश्यति, क्षुद्रपुण्योपात्तत्वादिति गाथार्थः ॥ १८१ ॥ चत्तंमि घरावासे, ओआसविवज्जिओ पिवासत्तो । खुहिओ अ परिअडतो, कहं न पावस्स विसउत्ति ? ॥ १८२ ॥ वृत्ति:- ' त्यक्ते गृहावासे', प्रव्रजितः सन्नित्यर्थः, 'अवकाशविवर्जितः '-आश्रयरहितः 'पिपासार्त्तः '- तृट्परीत: 'क्षुधितश्च पर्यटन् कथं न पापस्य विषय इति', पापोदयेन सर्वमेतद्भवतीति गाथार्थः ॥ १८२ ॥ तथा चाह सुहझाणाओ धम्मो, सव्वविहीणस्स तं कओ तस्स ? | अपि जस्स निच्चं, नत्थि उवद्वंभहेउत्ति ॥ १८३ ॥ वृत्ति:- 'शुभध्यानात् ' - धर्म्मध्यानादे धर्म्म' इति सर्वतन्त्रप्रसिद्धिः, 'सर्वविहीनस्य'सर्वोपकरण-रहितस्य'तत्' शुभध्यानं' कुतस्तस्य' - प्रव्रजितस्य ?, ' अन्नमपि' - भोजनमपि, आस्तां शीतत्राणादि, 'यस्य नित्यं' - सदा उचितकाले 'नास्ति उपष्टम्भहेतुः ' शुभध्यानाश्रयस्य कायस्येति गाथार्थः ॥ १८३ ॥ तम्हा गिहासमरतो, संतुट्ठमणो अणाउलो धीमं । परहिअकरणिक्करई, धम्मं साहेइ मज्झत्थो ॥ १८४ ॥ वृत्ति:- यस्मादेवं 'तस्मात् गृहाश्रमरत: ' सन् 'सन्तुष्टमनाः', न तु लोभाभिभूतः 'अनाकुलो' न तु सदा गृहकर्त्तव्यतामूढः, 'धीमान्' - बुद्धिमान् तत्त्वज्ञः 'परिहितकरणैकरतिः' न त्वात्मम्भरिः 'धर्म्यं साधयति मध्यस्थो' न तु क्वचिद् रक्तो द्विष्टो वेति गाथार्थः ॥ १८४ ॥ વાદી આ જ વિષયનું સમર્થન કરે છે— જેમ પુણ્યહીન પુરુષોનું ઘણા કષ્ટથી મેળવેલું ધન પણ વિના ભોગવે ચાલ્યું જાય, તેમ પુણ્યથી મળેલો ઘરવાસ પણ દીક્ષા લેનારાઓના પાપોદયથી વિના ભોગવે જતો રહે છે. તેમણે ક્ષુદ્ર (હલકા) પુણ્યથી ઘરવાસ મેળવ્યો હતો. અન્યથા આ રીતે જતો ન રહે. [૧૮૧] દીક્ષા લઈને ઘ૨વાસ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते છોડવાથી આશ્રય વિનાના અને સુધા-તૃષાથી પીડિત બનીને ઘેર ઘેર ભટકતા સાધુ પાપોદયવાળા કેમ ન હોય ? અર્થાત્ એને આ બધું પાપોદયથી થાય છે. [૧૮૨) ધર્મધ્યાન આદિ શુભધ્યાનથી ધર્મ થાય છે એમ (જૈન-જૈનેતર) સર્વશાસ્ત્રમાં (નિર્વિવાદ) નિશ્ચિત છે. શુભધ્યાનનો આશ્રય કાયા છે, અર્થાત્ કાયાથી (કાયાની સહાયથી) શુભ ધ્યાન કરી શકાય છે. કાયા અન્ન વગેરેથી ટકે છે. સર્વ ઉપકરણોથી રહિત સાધુની પાસે ઉચિત કાલે જરૂરી અન્ન પણ હોતું નથી, તો પછી ઠંડી વગેરથી શરીરનું રક્ષણ કરવા કામળી વગેરે સાધનો ક્યાંથી હોય ? શરીરરક્ષણની સામગ્રી ન હોવાથી શરીરરક્ષણ ન થાય, શરીરરક્ષણ વિના શરીરના આશ્રયે થતું શુભધ્યાન ક્યાંથી થાય ? આમ અન્નાદિથી રહિત સાધુને શુભધ્યાન ન હોવાથી ધર્મ ન હોય. [૧૮૩] માટે ગૃહસ્થનાં કાર્યોમાં તત્પર, સંતોષી, ગૃહકર્તવ્યોમાં વિવેકી, તત્ત્વવેદી, પરહિત કરવામાં જ પ્રીતિવાળો (=અસ્વાર્થી) અને મધ્યસ્થ (=રાગ-દ્વેષથી રહિત) પુરુષ ધર્મ સાધી શકે છે. [૧૮૪] एष पूर्वपक्षः, अत्रोत्तरमाह किं पावस्स सरूवं ?, किं वा पुनस्स ? संकिलिटुं जं । वेइज्जइ तेणेव य, तं पावं पुण्णमिअरंति ॥ १८५ ॥ वृत्तिः- 'पापात्परित्यजन्ति पुण्योपात्तं गृहाश्रम'मिति परमतम्, आचार्यस्त्वाह-'किं पापस्य स्वरूपं ?, किं वा पुण्यस्येति'-अभिप्रायस्य (? अभिप्रेतस्य) पुण्यपापयोर्यथा सम्यग्लक्षणं तथा कुशलानुबन्धिनः पुण्यात् परित्यजन्ति गृहवासमित्येतच्च वक्ष्यति, परस्तु तयोः स्वरूपमाहસંવિના'-પતિને “યત્' સ્વરૂપો ‘વે' -અનુભૂયતે “નૈવ-સ ત્સંગેનૈવ “તત્પાપં, पुण्यमितरदिति'-यदसक्लिष्टमसङ्क्लेशेनैव च वेद्यते इति गाथार्थः ॥ १८५ ॥ આ પૂર્વ પક્ષ કહ્યો, હવે ઉત્તરપક્ષ કહે છે દીક્ષા લેનારાઓ પુણ્યથી મેળવેલા ગૃહવાસને પાપના ઉદયથી છોડે છે એમ બીજાઓનો મત છે. આના ઉત્તરમાં આચાર્ય મહારાજ “પુણ્ય-પાપના યથાર્થ લક્ષણ પ્રમાણે પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી ગ્રહવાસને છોડે છે” એમ આગળ (ગાથા ૨૦૬માં) કહેશે. પણ એ પહેલાં આચાર્ય મહારાજ વાદીને પૂછે છે કે ઈષ્ટ પુણ્ય-પાપનું લક્ષણ શું છે? આના ઉત્તરમાં વાદી કહે છે- જે સ્વરૂપથી સંક્લિષ્ટ હોય અને સંક્લેશથી જ અનુભવાય તે પાપ, અને જે સ્વરૂપથી સંક્લિષ્ટ ન હોય સંક્લેશ વિના જ અનુભવાય તે પુણ્ય. (અર્થાત્ પુણ્ય-પાપ બાહ્ય સુખ-દુઃખના આધારે નથી, કિંતુ ચિત્તસંક્લેશના આધારે છે. બાહ્ય દુઃખ હોય પણ ચિત્તસંક્લેશ ન હોય તો એ પુણ્ય છે, બાહ્ય સુખ હોય, પણ સાથે ચિત્તસંક્લેશ હોય તો એ પાપ છે.) [૧૮૫] एवमनयोः स्वरूप उक्ते सत्याह जइ एवं किं गिहिणो, अत्थोवायाणपालणाईसु । વિના સંક્ષિતિજ્ઞા ?, વિતી તસ્વયંતિ ? ૨૮૬ / Page #110 -------------------------------------------------------------------------- ________________ [८५ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] वृत्तिः- 'यद्येवं' पुण्यपापयोः स्वरूपं यथाऽभ्यधायि भवता नन्वेवं 'किं गृहिणः अर्थोपादानपालनादिषु' सत्सु आर्तध्यानाद्, आदिशब्दानाशादिपरिग्रहः, 'वेदना नसक्लिष्टा?' सक्लिष्टैवेत्यभिप्रायः, 'किं वा तस्याः'-सक्लिष्टाया: वेदनायाः ‘स्वरूपं' यदेषाऽपि सक्लिष्टा न भवतीति गाथार्थः ॥ १८६ ॥ વાદીએ પુણ્ય-પાપનું સ્વરૂપ કહ્યું, એટલે હવે આચાર્ય કહે છે જો પુણ્ય-પાપનું સ્વરૂપ તમે કહ્યું તેવું છે તો ગૃહસ્થોને ધન મેળવવામાં, મેળવેલા ધનનું રક્ષણ કરવામાં અને ધનનો વિયોગ વગેરેમાં થતું દુઃખ સંક્લિષ્ટ (ચિત્તસંક્લેશવાળું) નથી ? સંક્લિષ્ટ જ છે. (કારણ કે ગૃહસ્થને એમાં ચિત્તસંક્લેશ થાય જ છે.) જો તમારા મતે આ દુઃખ પણ સંક્લિષ્ટ ન હોય તો સંક્લિષ્ટ દુઃખનું સ્વરૂપ શું છે તે તમે કહો. [૧૮૬] पराभिप्रायमाशङ्कय परिहरनाह गेहाईणमभावे, जा तं रूवं इमीइ अह इटुं । ___ जुज्जइ अ तयभिसंगे, तदभावे सव्वहाऽजुत्तं ॥ १८७ ॥ वृत्तिः- 'गेहादीनां'-गृहधनादीनाम् 'अभावे या' वेदना 'तद्रूपमस्याः'-सक्लिष्टायाः वेदनाया: 'अथेष्टम्'-अभ्युपगतं भवता, एतदाशङ्कयाह-'युज्यते' एतद्रूपं तस्याः 'तदभिष्वङ्गे' गेहादिष्वभिलाषे सति, 'तदभावे' अभिष्वङ्गाभावे 'सर्वथा'-एकान्तेना युक्तं' तद्रूपमस्याः, निरभिष्वङ्गस्य सङ्क्लेशायोगादिति गाथार्थः ।। १८७ ॥ વાદી બોલે તે પૂર્વે જ વાદીના અભિપ્રાયની કલ્પના કરીને આચાર્ય તેનો ઉત્તર આપે છે ઘર, ધન વગેરે ન હોય તેથી જે દુઃખ થાય તે દુ:ખ સંક્લિષ્ટ છે એમ તમે માનતા હો તો અમે કહીએ છીએ કે ઘર, ધન વગેરેની અભિલાષા હોય તો ઘર, ધન વગેરેના અભાવથી સંક્લિષ્ટ (=સંક્લેશવાળું) દુ:ખ થાય. આથી ઘર, ધન વગેરેની અભિલાષા ન હોય તો તેના અભાવથી સંક્લિષ્ટ ६:५ न थाय. ॥२९॥ 3 अभिलाषा हितने संऽसे न थाय. [१८७] एतदेव समर्थयति जो एत्थ अभिस्संगो, संतासंतेसु पावहेउत्ति । अट्टज्झाणविअप्पो, स इमीए संगओ रूवं ॥ १८८ ॥ वृत्तिः- 'योऽत्र'-लोके ऽभिष्वङ्गो'-मूर्च्छलक्षणः 'सदसत्सु' गेहादिषु 'पापहेतुरिति'पापकारणम्'आर्तध्यानविकल्प:'-अशुभध्यानभेदोऽभिष्वङ्गः 'स' खलु अस्याः'-सक्लिष्टाया वेदनायाः 'सङ्गतो रूपम्'-उचितस्वरूपमिति गाथार्थः ॥ १८८ ॥ આ જ વિષયનું સમર્થન કરે છે– મળેલી કે ન મળેલી ઘર વગેરે વસ્તુઓમાં જે મૂછ (આસક્તિ) થાય તે પાપનું કારણ છે, " Page #111 -------------------------------------------------------------------------- ________________ ८६ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અને તે (મૂછ) અશુભધ્યાનનો આર્તધ્યાનરૂપ એક ભેદ છે. આ મૂછ સંક્લિષ્ટ દુઃખનું ઉચિત સ્વરૂપ છે, અર્થાત્ મૂછ એ સંક્લિષ્ટ (ચિત્તસંક્લેશવાળું) દુઃખ છે એવું સંક્લિષ્ટ દુઃખનું સ્વરૂપ બરોબર छ. [१८८] ततः किमित्याह एसो अ जायइ दढं, संतेसुवि अकुसलाणुबंधाओ । पुण्णाओ ता तंपि हु, नेअं परमत्थओ पावं ॥ १८९ ॥ वृत्तिः- 'एष च'-अभिष्वङ्ग : 'जायते दृढम्'-अत्यर्थं 'सत्स्वपि' गेहादिष्विति गम्यते, कुत इत्याह-'अकुशलानुबन्धिनो'-मिथ्यानुष्ठानोपात्तात् 'पुण्याद्', यस्मादेवं तत्'-तस्मात्तदपि'अकुशलानुबन्धि पुण्यं 'ज्ञेयं परमार्थतः पापं', सङ्क्लेशहेतुत्वादिति गाथार्थः ॥ १८९ ॥ સંક્લિષ્ટ દુઃખ એ મૂછ સ્વરૂપ હોવાથી શું થયું તે જણાવે છે– મળેલી પણ ઘર વગેરે વસ્તુઓમાં મિથ્યા અનુષ્ઠાનોથી બાંધેલ પાપાનુબંધી પુણ્યથી અતિશય મૂછ (આસક્તિ) પાપ છે, માટે પાપાનુબંધી પુણ્ય પણ પરમાર્થથી પાપ છે. કારણ કે તે यित्तसंसेशन ॥२९॥ छे. [१८८] तथा च कइया सिज्झइ दुग्गं, को वामो मज्झ वट्टए कह वा । जायं इमंति चिंता, पावा पावस्स य निदाणं ॥ १९० ॥ वृत्ति:- ‘कदा सिध्यति दुर्गं'-बलदेवपुरादि, 'को वाम:'-प्रतिकूलो मे' नरपति वर्तते, कथं वा जातमिदम्'-अस्य वामत्वं इति-एवंभूता 'चिन्ता पापा' सक्लिष्टार्तध्यानत्वात् 'पापस्य च निदानं'-कारणम्, आर्तध्यानत्वादेवेति गाथार्थः ॥ १९० ॥ પાપાનુબંધી પુણ્ય પાપ કેવી રીતે છે તે કહે છે– આ કિલ્લો ક્યારે જીતાશે? કયો રાજા અને પ્રતિકૂળ છે? અમુક વ્યક્તિ તરફથી આ પ્રતિકૂળતા કેમ આવી? આવી ચિંતા સંક્લિષ્ટ આર્તધ્યાનરૂપ હોવાથી પાપ છે, અને સંક્લિષ્ટ આર્તધ્યાનરૂપ होवाथी ४ पापन १२९॥ ५९॥ छे. [१८०] इअ चिंताविसघारिअदेहो विसएऽवि सेवइ न जीवो । चिट्ठउ अ ताव धम्मोऽसंतेसुवि भावणा एवं ॥ १९१ ॥ वृत्तिः- 'इति'-एवं चिन्ताविषघारितदेहो'-व्याप्तशरीर: सन् विषयानपिसेवतेनजीवः', तथा आकुलत्वात्, 'तिष्ठतु च तावद्धर्मो' विशिष्टाप्रमादसाध्यः, 'असत्स्वपि' गेहादिष्विति गम्यते अभिष्वङ्गे सति 'भावना एव'मिति-अशुभचिन्ता धर्मविराधिनी पापादेवेति गाथार्थः ।। १९१ ॥ Page #112 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [८७ આ પ્રમાણે જેનું શરીર ચિંતારૂપ વિષથી ઘેરાયેલું છે તે જીવ વ્યાકુલતાના કારણે વિષયોને પણ ભોગવી શકતો નથી, તો પછી વિશિષ્ટ અપ્રમાદથી કરી શકાય તેવો ધર્મ કેવી રીતે કરી શકે ? ઘર વગેરે વસ્તુઓ ન હોય તો પણ તેમાં જો આસક્તિ થાય તો આવી અશુભ ચિંતા થાય. આ અશુભ ચિંતા પાપના ઉદયથી જ થાય છે અને ધર્મનો ભંગ કરે છે. [૧૯૧] __ एतदेवाह दीणो जणपरिभूओ, असमत्थो उअरभरणमित्तेऽवि । चित्तेण पावकारी, तहवि हु पावप्फलं एअं ॥ १९२ ॥ वृत्तिः- 'दीन:'-कृपणः 'जनपरिभूतो'-लोकगर्हितः 'असमर्थः उदरभरणमात्रेऽपि'आत्मम्भरिपि न भवति 'चित्तेन पापकारी, तथापि तु'-एवंभूतोऽपि सन् असदिच्छया पापचित्त इत्यर्थः 'पापफल-मेतदिति' जन्मान्तरकृतस्य कार्य भाविनश्च कारणमिति गाथार्थः ।। १९२ ।। વસ્તુઓ ન હોય તો પણ મૂર્છાથી અશુભ ચિંતા થાય એ કહે છે મૂછવાળો જીવ ગરીબ હોય, લોકોથી પરાભવ પામતો હોય, પોતાનું પેટ પણ પૂરી શકતો ન હોય, તો પણ મનથી પાપ કરે છે, અર્થાત જે નથી મળ્યું તેને મેળવવાની ઈચ્છાથી ચિત્તમાં પાપના વિચારો કરે છે. આ પૂર્વભવમાં કરેલા પાપનું ફળ છે અને ભવિષ્યના અશુભ ફળનું કારણ छ. [१८२] यद्येवं किंविशिष्टं तर्हि पुण्यमिति ?, अत्राह संतेसुवि भोगेसुं, नाभिस्संगो दढं अणुट्ठाणं । अत्थि अपरलोगंमिवि, पुन्नं कुसलाणुबंधिमिणं ॥१९३ ॥ वृत्तिः- इह यदुदयात् 'सत्स्वपि भोगेषु'-शब्दादिषु 'नाभिष्वङ्गो, दृढम्'-अत्यर्थम्'अनुष्ठानं अस्ति च परलोकेऽपि' दानध्यानादि, 'पुण्यं कुशलानुबन्धीदं', जन्मान्तरेऽपि कुशल-कारणत्वादिति गाथार्थः ॥ १९३ ॥ परिसुद्धं पुण एअं, भवविडविनिबंधणेसु विसएसुं । जायइ विरागहेऊ, धम्मज्झाणस्स य निमित्तं ॥ १९४ ॥ __वृत्तिः- 'परिशुद्ध पुनरेतद्'-अभ्यासवशेन कुशलानुबन्धि पुण्यं, 'भवविटपिनिबन्धनेषु विषयेषु' संसारवृक्षबीजभूतेष्वित्यर्थः, 'जायते विरागहेतुः'-वैराग्यकारणं, 'धर्मध्यानस्य च निमित्तं', महापुण्यवतां महापुरुषाणां तथोपलब्धेरिति गाथार्थः ॥ १९४ ॥ જો પાપનું આવું સ્વરૂપ છે તો પુણ્યનું સ્વરૂપ કેવું છે? એ પ્રશ્નનો ઉત્તર આપે છે– જેના ઉદયથી મળેલા પણ શબ્દાદિ ભોગોમાં અતિશય રાગ ન થાય અને પરલોકમાં હિતકર Page #113 -------------------------------------------------------------------------- ________________ - - - ८८ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते દાન, ધ્યાન વગેરે ધાર્મિક અનુષ્ઠાનો કરી શકાય તે પુણ્યાનુબંધી પુણ્ય છે. કારણ કે એ પુણ્યથી ભવાંતરમાં પણ કુશળ થાય છે. [૧૯૩] રાગની મંદતાનો અભ્યાસ થતાં પુણ્યાનુબંધી પુણ્ય સંસારરૂપ વૃક્ષના બીજરૂપ વિષયો પ્રત્યે વૈરાગ્યનું કારણ બને છે, અને ધર્મધ્યાનનું નિમિત્ત બને છે. મહાપુણ્યશાળી મહાપુરુષોમાં આ પ્રમાણે જોવામાં આવે છે. [૧૯૪] एतच्च विषयविरागादि महत्सुखमित्याह जं विसयविरत्ताणं, सुक्खं सज्झाणभाविअमईणं । तं मुणइ मुणिवरो च्चिअ, अणुहवओ न उण अन्नोऽवि ॥१९५ ॥ वृत्तिः- 'यद्विषयविरक्तानाम्'-असदिच्छारहितानां 'सौख्यं सद्ध्यानभावितमतीनां' च-धर्मध्यानादि-भावितचित्तानां 'तत् मनुते'-जानाति 'मुनिवर एव'-साधुरेव 'अनुभवतः'अनुभवनेन, 'न पुनरन्योऽपि' असाधुः, तथाऽनुभवाभावादिति गाथार्थः ॥ १९५ ।। આ વિષયવિરાગ વગેરે મહાસુખ છે એમ કહે છે વિષયોથી વિરક્ત અને શુભધ્યાનાદિથી ભાવિત ચિત્તવાળા જીવોને જે સુખ થાય છે તેને અનુભવથી સાધુ જ જાણી શકે છે, સાધુ સિવાય અન્ય નહિ, કારણ કે સાધુ સિવાય અન્યને તેવા सुमनो अनुभव यतो नथी. [१८५] एतदेव समर्थयति कंखिज्जइ जो अत्थो, संपत्तीए न तं सुहं तस्स । इच्छाविणिवित्तीए, जं खलु बुद्धप्पवाओऽअं ॥ १९६ ।। वृत्तिः- 'काक्ष्यते'-अभिलष्यते 'योऽर्थः'-स्त्र्यादिः 'सम्पत्त्या'-सम्प्राप्त्या 'न तत्सुखं तस्य'-अर्थस्य ‘इच्छाविनिवृत्त्या'ऽत्र 'यत्खलु' सुखं 'बुद्धप्रवादोऽयम्'आप्तप्रवादोऽयमिति गाथार्थः ।। १९६ ।। આ જ વિષયનું સમર્થન કરે છે– સ્ત્રી વગેરે જે વસ્તુની ઈચ્છા થાય તે વસ્તુની પ્રાપ્તિથી અર્થાત્ ઈચ્છાપૂર્વકની વસ્તુપ્રાપ્તિથી તેવું સુખ નથી થતું, જેવું સુખ ઈચ્છાની નિવૃત્તિથી થાય છે, એમ આપ્તપુરુષો કહે છે. ભાવાર્થ- ઈચ્છાપૂર્વકની વસ્તુપ્રાપ્તિથી થતા સુખની અપેક્ષાએ ઈચ્છાનિવૃત્તિથી થતું સુખ सत्यंत विशेष छे. [१८६] मुत्तीए वभिचारो, तं णो जं सा जिणेहिं पन्नत्ता । इच्छाविणिवित्तीए, चेव फलं पगरिसं पत्तं ॥ १९७ ॥ वृत्तिः- 'मुक्त्या व्यभिचारः', तत्काङ्क्षणे तत्प्राप्त्यैव सुखभावाद्, एतदाशङ्कयाह-'तत् न, यद्'-यस्माद् 'असौ'-मुक्ति जिनैः प्रज्ञप्ता'-तीर्थकरैरुक्ता ‘इच्छाविनिवृत्तेरेव फलं', न पुनरिच्छापूर्वकमिति, 'प्रकर्षप्राप्तं'-सामायिकसंयतादेरारभ्योत्कर्षेण निष्ठां प्राप्तमिति गाथार्थः ।। १९७ ।। Page #114 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [८९ ગ્નિ जस्सिच्छाए जायइ, संपत्ती तं पडुच्चिमं भणिअं । मुत्ती पुण तदभावे, जमणिच्छा केवली भणिया ॥१९८ ॥ વૃત્તિ - “વાર્થી “છા' પ્રવૃત્તિનિમિત્તપૂતયા “ના '-અર્થ विलयादिकं प्रतीत्येदं भणितं' 'काझ्यत' इत्यादि, 'मुक्तिः पुनस्तदभावे'-इच्छाऽभावे जायते, कुत इत्याह-'यद्'-यस्माद् 'अनिच्छाः केवलिनो भणिताः', 'अमनस्काः केवलिन' इति વનતિ થાર્થઃ || ૧૧૮ // પ્રશ્ન- આ રીતે તો મુક્તિપ્રાપ્તિનું સુખ મુક્તિની ઈચ્છાથી થતું હોવાથી મુક્તિમાં વિશિષ્ટ સુખનો અભાવ નહિ થાય ? ઉત્તર- ના, કારણ કે મુક્તિ ઈચ્છાનિવૃત્તિનું ફલ છે, અર્થાત ઈચ્છાથી નહિ, કિંતુ ઈચ્છાની નિવૃત્તિથી મુક્તિ થાય છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. ઈચ્છાનિવૃત્તિના ફલનો (=ઈચ્છાનિવૃત્તિથી થતા સુખનો) પ્રારંભ સામાયિક ચારિત્રાથી થાય છે અને મુક્તિમાં તે પૂર્ણ બને છે. [૧૯૭] વળી અહીં “ઈચ્છાપૂર્વકની વસ્તુપ્રાપ્તિથી” એમ જે કહ્યું છે તે સ્ત્રી વગેરે ભૌતિક વસ્તુઓની અપેક્ષાએ કહ્યું છે. (મુક્તિઆદિની અપેક્ષાએ નથી કહ્યું.) મુક્તિ ઈચ્છા(માત્ર)ના અભાવથી થાય છે. કારણ કે (કેવલીઓ મુક્તિ પામે છે, અને) ગમન: વેર્નાનિ:=“કેવળીઓ મનરહિત હોય છે.” એવા શાસ્ત્રવચનથી કેવળીઓ ઈચ્છારહિત હોય છે. [૧૯૮] एवं तर्हि प्रथममपि प्रव्रज्यादौ तदिच्छाऽशोभना प्राप्नोतीत्येतदाशङ्कयाह पढमपि जा इहेच्छा, साऽवि पसत्थत्ति नो पडिक्कुटा । सा चेव तहा हेऊ, जायइ जमणिच्छभावस्स ।। १९९ ।। वृत्तिः- 'प्रथममपि'-प्रव्रज्यादिकाले 'या इहेच्छा' मुक्तिविषया 'सापि' तस्यामवस्थायां પ્રશસ્તેતિ'વૃત્વનો પ્રતિવૃષ્ટ'-ને પ્રતિષિા, મિત્યત નાદ-“ી તથા'-તે પ્રશ્નારેसामायिकसंयताद्यनुष्ठानरूपेणाभ्यस्यमाना 'हेतुर्जायते यद्'-यस्माद् 'अनिच्छभावस्य'વસ્તિત્વતિ થાર્થઃ || ૧૨૬ / જો ઈચ્છાના અભાવથી મુક્તિ થાય છે, તો દીક્ષા આદિ કાળે પણ મુક્તિની ઈચ્છા ઉચિત નથી એ શંકાનું સમાધાન કરે છે– પ્રશ્ન- જો ઈચ્છાના અભાવથી મુક્તિ થાય છે તો દીક્ષા આદિના કાળે મુક્તિની ઈચ્છા પ્રશસ્ત છે એમ માનીને દીક્ષા આદિના કાળે પણ તેનો નિષેધ ન કર્યો એનું શું કારણ? ઉત્તર- સામાયિકચારિત્રી વગેરે સાધુના અનુષ્ઠાનોના સેવનથી વધતી જતી તે મુક્તિની ઈચ્છા જ, અર્થાત્ ઈચ્છાને તજવાની ઈચ્છા જ, આખરે ઈચ્છામાત્રના અભાવનું ( કેવળીપણાનું) કારણ બને છે. [૧૯૯]. Page #115 -------------------------------------------------------------------------- ________________ ९० ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते इतश्च प्रव्रजितस्यैव सुखमित्यावेदयन्नाह भणिअं च परममुणिहिं ( महासमणो), मासाइदुवालसप्परीआए। वणमायणुत्तराणं, विइवयई तेअलेसंति ॥ २०० ॥ वृत्तिः- 'भणितं च परममुनिभिः', किमित्यत्राह-'महाश्रमणो'-महातपस्वी 'मासादिद्वादशपर्याय' इति मासमादिकं कृत्वा द्वादशमासपर्याय इत्यर्थः, व्यन्तराद्यनुत्तराणामिति'व्यन्तरादीनामनु-त्तरोपपातिकपर्यन्तानां 'व्यतिक्रामति तेजोलेश्यां'-सुखप्रभावलक्षणामनुक्रमेणेति, गौतमपृष्टेन यथोक्तं भगवता- “जे इमे अज्जत्ताए समणा निग्गंथा विहरंति एए णं कस्स तेयलेस्सं वीईवयंति ?, मासपरियाए समणे निग्गंथे वाणमंतराणं देवाणं तेयलेस्सं वीईवयंति, एवं दुमासपरियाए असुरिंदवज्जियाणं भवणवासियाणं देवाणं, तिमासपरियाए असुरकुमारिंदाणं, चउमासपरियाए गहगणनक्खत्ततारारूवाणं जोइसियाणं देवाणं, पंचमासपरियाए चंदिमसूरियाणं जोतिसिंदाणं जोइसराईणं तेयलेस्सं, छम्मासपरियाए सोहम्मीसाणाणं देवाणं, सत्तमासपरियाए सणंकुमारमाहिंदाणं देवाणं, अट्ठमासपरियाए बंभलंतगाणं देवाणं, नवमासपरियाए महासुक्कसहस्साराणं देवाणं, दसमासपरियाए आणयपाणयआरणच्चुयाणं देवाणं, एक्कारसमासपरियाए गेविज्जगाणं देवाणं, बारसमासपरियाए समणे निग्गंथे अणुत्तरोववाइयाणं देवाणं तेयलेस्सं वीतीवयइ, तेण परं सुक्के सुक्काभिजाती भवित्ता तओ पच्छा सिज्झई जाव अंतं करेइ" || इति गाथार्थः ।। २०० ।। હવે દીક્ષિતને જ (વાસ્તવિક) સુખ હોય છે એ જણાવે છે– શ્રી જિનેશ્વરોએ કહ્યું છે કે એક માસથી વધતાં અનુક્રમે બારમાસના ચારિત્ર-પર્યાયવાળા મહાતપસ્વી સાધુની સુખપ્રભાવરૂપ તેજોવેશ્યા ક્રમશઃ વાણવ્યંતર દેવોથી આરંભી અનુત્તરદેવોની તેજોવેશ્યાથી (=સુખથી) પણ વધી જાય છે, અર્થાત્ બારમાસના પર્યાયવાળો સાધુ અનુત્તરદેવોથી પણ અધિક સુખી બને છે. આ વિષે (ભગવતી સૂત્ર શ.૧૪ ૧.૯માં) શ્રી ગૌતમસ્વામીનો પ્રશ્ન અને શ્રી મહાવીરસ્વામીનો ઉત્તર આ પ્રમાણે છે હે ભગવંત ! હમણાં જે શ્રમણ નિગ્રંથો વિચરી રહ્યા છે, તે કોની તેજોલેશ્યાને ઓળંગી જાય છે ? હે ગૌતમ ! એક માસના દીક્ષાપર્યાયવાળા શ્રમણ નિર્ગથો વાણવ્યંતર દેવોની તેજલેશ્યાને સુખને ઓળંગી જાય છે. એમ વધતાં વધતાં બારમાસના દીક્ષાપર્યાયવાળા શ્રમણનિર્ગથી અનુત્તરોપપાતિક દેવોની તેજોવેશ્યાને સુખને ઓળંગી જાય છે. ત્યારબાદ અધિક અધિક શુદ્ધ પરિણામવાળા થઈ સિદ્ધ થાય છે, વાવ, સર્વ દુઃખોનો અંત કરે છે. ભગવતીસૂત્રમાં જણાવેલ સુખવૃદ્ધિ દીક્ષા પર્યાય કયા દેવોથી અધિક સુખ ૧ માસ વાણવ્યંતર ૨ માસ ભવનપતિ (અસુરકુમાર સિવાય) Page #116 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] ૩ માસ અસુરકુમાર ૪ માસ ગ્રહ-નક્ષત્ર-તારા ૫ માસ સૂર્ય-ચંદ્ર ૬ થી ૧૦ માસ ક્રમશઃ ૧-૨, ૩-૪, ૫-૬, ૭-૮, ૯ થી ૧૨ વૈ. દે. ૧૧-૧૨ માસ ક્રમશઃ રૈવેયક, પ અનુત્તરવાસી દેવો (ભગવતીની ટીકામાં તેજોવેશ્યા વગેરે શબ્દોનો અર્થ આ પ્રમાણે છે- તેજોલેશ્યાનો ઉલ્લેખ પ્રશસ્તલેશ્યાના ઉપલક્ષણરૂપ હોવાથી તેજોવેશ્યા એટલે પ્રશસ્તલેશ્યા. પ્રશસ્તલેશ્યા સુખાસિકાનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી તેજોવેશ્યા એટલે સુખાસિકા. સુખાસિકા એટલે સુખી અવસ્થા. શુક્લ એટલે શુદ્ધપરિણામવાળો. અભિજાત એટલે શ્રેષ્ઠ. શુક્લોમાં અભિજાતકશ્રેષ્ઠ તે શુક્લાભિજાત. આત્મા જેમ જેમ વિશુદ્ધપરિણામવાળો બને તેમ તેમ સુખી બને. આથી શુક્લ એટલે સુખી. શુક્લાભિજાત એટલે પરમ સુખી.) [૨00]. एतदेवाह तेण परं से सुक्के, सुक्कभिजाई तहा य होऊणं । पच्छा सिज्झइ भयवं, पावइ सव्वुत्तमं ठाणं ॥ २०१ ॥ वृत्तिः- 'तेन' इति द्वादशभ्यो मासेभ्यः ऊर्ध्वम्' अप्रतिपतितचरणपरिणामः सन् ‘असौ शुक्लः' कर्मणा 'शुक्लाभिजात्यः' आशयेन, 'तथा च भूत्वा' समग्रप्रशमसुखसमन्वितः ‘पश्चात् सिद्ध्यति भगवान्' एकान्तनिष्ठितार्थो भवति, 'प्राप्नोति सर्वोत्तमं स्थानं'-परमपदलक्षणमिति गाथार्थः ॥ २०१ ।। આ જ વિષયને કહે છે બાર માસ પછી અખંડ ચારિત્રપરિણામી તે સાધુ કમમેલ દૂર થવાથી નિર્મળ અને આશયથી વિશુદ્ધ થવાથી પરમ નિર્મળ બને છે. પછી સંપૂર્ણ પ્રશમ સુખને અનુભવતો અને ઐશ્વર્યાદિ ગુણસંપન્ન બનેલ તે સાધુ સર્વથા કૃતકૃત્ય થાય છે, અને મોક્ષરૂપ સર્વોત્તમ સ્થાનને પામે છે. [૨૦૧] प्रकृतयोजनां कुर्वन्नाह लेसा य सुप्पसत्था, जायइ सुहियस्स चेव सिद्धमिणं । इअ सुहनिबंधणं चिअ, पावं कह पंडिओ भणइ ? ॥२०२ ॥ वृत्तिः- 'लेश्या च सुप्रशस्ता जायते सुखितस्यैव' नेतरस्येति 'सिद्धमिदं' विपश्चिताम्, ‘તિ'-વં યુનિવચનમેવ' રવાસરિત્યા “પાપં થં પveતો'–વિપત્િમતિ' ?, अतोऽयुक्तमुक्तम्-'अगारवासं पावाओ परिच्चयन्ती'ति गाथार्थः ॥ २०२ ॥ Page #117 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते હવે મૂળ વિષયની સાથે આની ઘટના કરે છે— સુપ્રશસ્ત લેશ્યા સુખીને જ થાય છે, દુ:ખીને નહિ, એમ વિદ્વાનોને નિશ્ચિત છે, તો આ પ્રમાણે સુખનાજ કારણભૂત ગૃહવાસત્યાગને વિદ્વાન માણસ પાપ કેવી રીતે કહે ? ન કહે. આથી “દીક્ષા લેનારાઓ પાપના ઉદયથી ગૃહવાસને છોડે છે” એમ જે કહ્યું તે અસંગત છે. [૨૦૨] तम्हा निरभिस्संगा, धम्मज्झाणंमि मुणिअतत्ताणं । तह कम्मक्खयहेडं, विअणा पुन्नाउ निद्दिट्ठा ॥ २०३ ॥ ૧૨ ] वृत्ति:- 'तस्मान्निरभिवष्वङ्गा'- सर्वत्राशंसाविप्रमुक्ता 'धर्म्मध्याने' तथा आह्लाद स ‘જ્ઞાતતત્ત્વાનાં’-મોહહિતાનાં ‘તથા’-તેન પ્રજારેળાન્યાનુપાવાનલક્ષળેન ‘વર્મક્ષયહેતુ: વેવના’तथाविधात्मपरिणामरूपानपायिनी 'पुण्यान्निर्दिष्टा', तत्त्वतः पुण्यफलमेवंविधेति गाथार्थः ॥ २०३ ॥ न य एसा संजायइ, अगारवासंमि अपरिचत्तंमि । नाभिस्संगेण विणा, जम्हा परिपालणं तस्स ॥ २०४ ॥ વૃત્તિ:- ‘ન ચૈષા'-વેવના ઉત્તલક્ષળા ‘સન્નાયતે અરવાસે'-ગૃહવાલે‘પરિત્ય’ भावत:, किमिति ? 'नाभिष्वङ्गेण विना यस्मात् प्रतिपालनं तस्य' - अगारवासस्य, न च तस्मिन् તીય મવતીતિ, વિરોધાવિતિ ગાથાર્થ: || ૨૦૪ || માટે મોહરહિત સાધુઓને સર્વત્ર (બધી વસ્તુઓમાં) આશંસાથી રહિત અને આહ્લાદક ધર્મધ્યાન થવાથી તે પ્રકારે કર્મક્ષયનું કારણ એવી વેદના પરમાર્થથી પુણ્યોદયથી થાય છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. વિવેચન- ગૃહસ્થોને વેદના સહન કરવામાં ધનાદિની આશંસા હોય છે. જ્યારે સાધુઓને વેદના સહન કરવામાં કોઈ આશંસા હોતી નથી. માટે અહીં તેઓની વેદનાને સર્વત્ર આશંસાથી રહિત કહી છે. વેદના તે પ્રકારે કર્મક્ષયનું કારણ છે. અહીં તે પ્રકારે એટલે નવાં (અશુભ) કર્મો ન બંધાય તે રીતે કર્મક્ષયનું કારણ છે. આનાથી એ સૂચિત કર્યું છે કે સાધુઓ સમતાથી વેદના સહન કરે છે, જેથી નવાં (અશુભ) કર્મો બંધાતાં નથી. ટીકામાં વેદનાનું તાવિધાત્મપરિખામરૂપાનાયિની એવું વિશેષણ છે. એનો અર્થ એ છે કે વેદના આત્માના વિશુદ્ધ પરિણામોનો નાશ કરતી નથી. વેદનામાં આત્માના વિશુદ્ધ પરિણામોનો નાશ ન થાય, નવાં (અશુભ) કર્મો ન બંધાય, પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા થાયઆ બધું તો જ બને કે જો આત્મા શુભધ્યાનમાં રહે. માટે અહીં ‘આહ્લાદક ધર્મધ્યાન થવાથી' એમ કહ્યું. ટીકામાં તથા આતા એમ ‘તથા’ શબ્દનો પ્રયોગ છે. તથા એટલે તે રીતે, તે રીતે એટલે પરિણામે પણ દુ:ખદાયી ન બને તે રીતે. વિષયોનો ઉપભોગ પણ આહ્લાદક છે. પણ તે ઉપભોગ પરિણામે દુઃખાવહ છે. જ્યારે ધર્મધ્યાન પરિણામે પણ સુખાવહ છે. સાર- મોહરહિત સાધુઓ કોઈ જાતની દુન્યવી આશંસા વિના વેદના સહન કરે છે. વેદનામાં તેમને અસમાધિ ન થાય, તેથી નવાં કર્મો ન બંધાય, અને પૂર્વ બદ્ધ કર્મોનો ક્ષય થાય. તથા વેદનામાં Page #118 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [ ૧૩ પણ આનંદ આવે. આથીજ વેદનામાં પણ આલ્હાદક ધર્મધ્યાન હોય. એથી એ વેદના તેમના વિશુદ્ધ આત્મપરિણામોનો નાશ કરી શકે નહિ. માટે આવા સાધુઓને વેદના પરમાર્થથી પુણ્યથી હોય. આવી વેદના પરમાર્થથી પુણ્યનું ફલ છે. અલબત્ત, કોઈ પણ વેદના પાપના ઉદયથી જ આવે. પણ અહીં સાધુઓને વેદનાથી આધ્યાત્મિક હિત થતું હોવાથી પરમાર્થદષ્ટિએ આવી વેદના પુણ્યોદયથી હોય. [૨૦૩]. આવી વેદના ગૃહવાસનો ત્યાગ કર્યા વિના પરમાર્થથી ન હોય. કારણ કે ગૃહવાસનું પાલન આશંસા વિના ન થાય. જ્યાં આશંસા હોય ત્યાં આવી વેદના ન હોય. આશંસા અને આવી વેદના એ બેનો વિરોધ છે. [૨૦૪]. एतदेवाह आरंभपरिग्गहओ, दोसा न य धम्मसाहणे ते उ । તુચ્છત્તા વંથા, કેદારફતર્ક તું ૨૦૫ , वृत्तिः- 'आरम्भपरिग्रहतो दोषा'- सङ्क्लेशादयः, अगारवासे चावश्यं तावारम्भपरिग्रहाविति, अत्रान्तरे लब्धावसरः परः क्षपणकः कदाचिदेवं ब्रूयात्-उपकरणग्रहणेऽपि तुल्यमेतत्, इत्याशङ्कयाह न च धर्मसाधने'-वस्त्रपात्रादौ त एव दोषाः, कुतः ?-'तुच्छत्वाद्'-असारत्वात्तस्य तथा 'अप्रतिबन्धात्'-प्रतिबन्धाभावाद्, 'देहाहारादितुल्यत्वात्', स्वल्पा भवन्तोऽपि दोषाः संमूर्च्छनजादयो देहाहारादितुल्यत्वात् बहुगुणा एवेति गाथार्थः ।। २०५ ।। આ જ વિષયને કહે છે– આરંભ-પરિગ્રહથી સંક્લેશ વગેરે દોષો થાય છે. ગૃહવાસમાં આરંભ-પરિગ્રહ અવશ્ય હોય. અહીં વચ્ચે અવસર પામીને દિગંબર સાધુ કદાચ એમ કહે છે, સંયમનાં વસ્ત્રપાત્ર વગેરે ઉપકરણો રાખવામાં પણ આ જ (=સંક્લેશ વગેરે) દોષો થાય, આવી આશંકા કરીને અહીં કહે છે કે- સંયમનાં ઉપકરણો રાખવામાં આ જ દોષો ન થાય. કારણ કે સંયમનાં ઉપકરણો (અલ્પ, જીર્ણ અને મલિન હોવાથી) અસાર હોય છે. તથા દેહ અને આહાર વગેરેની જેમ એ ઉપકરણો ઉપર સાધુઓને મૂછ હોતી નથી. જેમ સંયમની સાધના માટે જ દેહરક્ષણ અને આહાર કરે છે, તેમસંયમનાં ઉપકરણો પણ સંયમની સાધના માટે જ રાખે છે. સંયમનાં ઉપકરણો રાખવામાં સંમૂર્ણિમજીવોની ઉત્પત્તિ વગેરે થોડા દોષો થતા હોવા છતાં દેહ-આહાર વગેરેની જેમ સંયમની સાધનામાં ઉપયોગી બનતાં હોવાથી બહુ લાભ જ થાય છે. [૨૦૫ तम्हा अगारवासं, पुनाओ परिच्चयंति धीमंता । सीओदगाइभोगं,विवागकडुअंति न करिति ॥ २०६ ॥ वृत्तिः- यस्मादेवं 'तस्मादगारवासं' निगडबन्धवत् 'पुण्यात् परित्यजन्ति धृतिमन्तः', Page #119 -------------------------------------------------------------------------- ________________ ९४ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते परित्यक्ते तस्मिन् सुखभावात्, 'शीतोदकादिभोगं' विषानभोगव द्विपाककटुकमिति'कृत्वा 'न कुर्वन्ति' तपस्विन इति गाथार्थः ॥ २०६ ॥ માટેધીરપુરુષો ગૃહવાસને બેડીનાબંધનની જેમ પુણ્યોદયથીછોડે છે, નહિ કે પાપોદયથી. ગૃહવાસ છોડી દેતાં આધ્યાત્મિક સુખનો અનુભવ થાય છે. (સુખ માટે) શીતલજળ આદિનો ભોગ વિષ-મિશ્રિત અન્નના ભક્ષણની જેમ પરિણામે કટુફળ આપનાર હોવાથી તપસ્વીઓ તે ભોગ કરતા નથી. [૨૬] एतदेव समर्थयति केइ अविज्जागहिआ, हिंसाईहि सुहं पसाहंति । नो अन्ने ण य एए, पडुच्च जुत्ता अपुण्णत्ति ॥ २०७ ।। वृत्तिः- 'केचित्' प्राणिनो ऽविद्यागृहीताः'-अज्ञानेनाभिभूताः 'हिंसादिभिः' करणभूतैः आदिशब्दाद-नृतसम्भाषणादिपरिग्रहः, सुखं'-विषयोपभोगलक्षणं प्रसाधयन्त्यात्मनः उपभोगतया, 'नान्य' इति-न पुनरन्ये प्रसाधयन्ति, अपि तु तेन विनैव तिष्ठन्ति, 'न च त' एवंभूता विवेकिनः सुखभोगरहिता अपि (ए)तान्-हिंसादिभिः सुखप्रसाधकान् 'प्रतीत्य'-आश्रित्य 'युक्ता अपुण्या इति', तेषां हि विपाकदारुणे प्रवृत्तत्वात्, परस्यापि सिद्धमेतदिति गाथार्थः ॥ २०७ ॥ ઉક્ત વિષયનું જ સમર્થન કરે છે– અજ્ઞાની જીવો હિંસા, અસત્ય આદિ પાપો કરીને (શબ્દાદિ) વિષયોનો ઉપભોગ કરે છે, પણ જ્ઞાની જીવો તેવા વિષયોનો ઉપભોગ કરતા નથી=વિષયોપભોગનો ત્યાગ કરે છે. આવા તે વિવેકીઓ સુખભોગથી રહિત છે તો પણ તેમને હિંસાદિથી સુખભોગ કરનારા જીવોની અપેક્ષાએ પુણ્યરહિત કહેવા તે યુક્ત નથી. કારણ કે તે અજ્ઞાની જીવો પરિણામે દુઃખ વધે તેવી પ્રવૃત્તિ કરે છે. આ (=हिंसाBिथी परि॥ दुः५ वधे मे) सिद्धांत ५२ने पाहीने ५९संमत छे. [२०७] एतेन 'बहुदुःखे'त्याद्यपि परिहतं, गृहवासस्य वस्तुतोऽनर्थत्वाद्, इदानीं 'त्यक्ते गृहवास' इत्यादि परिहरनाह चइऊणऽगारवासं, चरित्तिणो तस्स पालणाहेउं । जं जं कुणंति चिटुं, सुत्ता सा सा जिणाणुमया ॥ २०८ ॥ वृत्तिः- 'त्यक्त्वाऽगारवासं' द्रव्यतो भावतश्व 'चारित्रिणः' सन्तः तस्य'-चारित्रस्य 'पालनाहेतोः'-पालननिमित्तं 'यां यां कुर्वन्ति चेष्टां' देवकुलवासादिलक्षणां 'सूत्राद्'आगमानुसारेण 'सा सा जिनानुमता', गुर्वनुमतपालनं च सुखायैवेति गाथार्थः ॥ २०८ ॥ किञ्च अवगासो आयच्चिय, जो वा सो वत्ति मुणिअतत्ताणं । निअकारिओ उमज्झं, इमोत्ति दुक्खस्सुवायाणं ।। २०९॥ Page #120 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [ ૬૫ वृत्तिः- 'अवकाशो'ऽपि तत्त्वतः आत्मैवजोवा सोवत्ति' यो वा स वा ज्ञाततत्त्वाना'देवकुलादिः, 'स्वकारितस्तु ममायमिति' जीवस्वाभाव्यात् 'दुःखस्योपादानमिति' गाथार्थः ॥ २०९ ॥ આનાથી વાદીએ પૂર્વે (ગાથા ૧૮૧માં) “દીક્ષા લેનારાઓનો ઘરવાસ પાપોદયથી વિના ભોગવે જતો રહે છે” એમ જે કહ્યું હતું તેનું નિરાકરણ કર્યું. કારણ કે ગૃહવાસ પરમાર્થથી નિરર્થક છે. હવે વાદીએ પૂર્વે (ગાથા ૧૮૨માં) “ઘરવાસ છોડવાથી આશ્રય વિનાના” વગેરે જે કહ્યું હતું તેનું નિરાકરણ કરે છે– ગૃહવાસનો દ્રવ્યથી અને ભાવથી ત્યાગ કરીને સંયમી બનેલાઓ સંયમના પાલન માટે આગમાનુસાર દેવમંદિરમાં નિવાસ વગેરે જે જે પ્રવૃત્તિ કરે છે તે બધી પ્રવૃત્તિ જિનસંમત છે અને જિનસંમતનું પાલન સુખ માટે જ થાય. [૨૮] વળી તત્ત્વજ્ઞાનીઓ માટે આશ્રય પણ દેવમંદિર વગેરે જે કંઈ હોય તે આત્મા જ છે, અર્થાત્ તત્ત્વજ્ઞાનીઓ દેવમંદિર વગેરેમાં રહેવાથી બાહ્યદષ્ટિએ દેવમંદિર વગેરે આશ્રય હોવા છતાં આત્મામાં જ રમણતા કરતા હોવાથી પરમાર્થથી તો આત્મામાં જ રહે છે, એથી આત્મા જ તેમનો આશ્રય છે. સાધુઓ બીજાઓએ પોતાના માટે બનાવેલા આશ્રમમાં રહે છે, પણ જાતે આશ્રય બનાવતા નથી. જો જાતે આશ્રય બનાવે તો જીવના તેવા સ્વભાવથી “આ આશ્રય મારો છે એમ મમત્વભાવ થતાં દુઃખનું કારણ બને. (આનાથી સાધુઓ તત્ત્વથી આશ્રયરહિત નથી એ જણાવ્યું.) [૨૦] तवसो अ पिवासाई, संतोऽवि न दुक्खरूवगा णेआ । जं ते खयस्स हेऊ, निट्ठिा कम्मवाहिस्स ॥ २१० ॥ वृत्तिः- 'तपसश्च पिपासादयः सन्तोऽपि' भिक्षाटनादौ 'न दुःखरूपा ज्ञेयाः', किमित्यत्राह-'यद्'-यस्मात् 'ते'-पिपासादयः क्षयस्य हेतवो निर्दिष्टा' भगवद्भिः कर्मव्याधे'रिति પથાર્થ: || ૨૨૦ || તપસ્વીઓને ભિક્ષાભ્રમણ વગેરેમાં તૃષા વગેરે કષ્ટો થતાં હોવા છતાં પરમાર્થથી તે દુઃખ રૂપ નથી, કારણ કે તે કષ્ટો તેઓને કર્મવ્યાધિના વિનાશનું કારણ છે, એમ જિનેશ્વરોએ કહ્યું છે. [૨૧]. તથાઠુિં वाहिस्स य खयहेऊ, सेविज्जंता कुणंति धिइमेव । कडुगाईवि जणस्सा, ईसिं दंसिंतगाऽऽरोग्गं ॥ २११ ॥ वृत्तिः- 'व्याधेरपि'-कुष्ठादेः 'क्षयहेतवः सेव्यमानाः कुर्वन्ति धृतिमेव कटुकादयोऽपि जनस्य ईषद् दर्शयन्त आरोग्यम्', अनुभवसिद्धमेतदिति गाथार्थः ॥ २११ ॥ આ વિષયને દાંતથી જણાવે છે– કોઢ વગેરે રોગનો નાશ કરવા સેવન કરાતાં જે ઔષધો કંઈક આરોગ્ય દેખાડે છે તે ઔષધો કડવા (વગેરે) હોય તો પણ ધૃતિ=સુખ જ આપે છે. આ અનુભવસિદ્ધ છે. [૧૧] Page #121 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते एष दृष्टान्तः, अयमर्थोपनयः इअ एएऽवि अ मुणिणो, कुणंति धिइमेव सुद्धभावस्स । गुरुआणासंपाडणचरणाइसयं निदंसिंता ॥ २१२ ॥ વૃત્તિઃ- “ફય'પર્વ “ડીપ ચ'-હ્યુ “મુનેઃ ર્વત્તિ ધૃતિવ', ને તુ યુવું, 'शुद्धभावस्य'-रागादिविरहितस्य, किं दर्शयन्त इत्याह-'गुर्वाज्ञासम्पादनेन' य‘श्चरणातिशय:'-- संसारासारतापरिणत्या शुभाध्यवसायादिस्तदतिशयं 'निदर्शयन्तः' सन्त इति गाथार्थः ।। २१२ ॥ આ દષ્ટાંતના અર્થનો ઉપનય આ પ્રમાણે છે એ પ્રમાણે શુભ અધ્યવસાય વગેરેની વૃદ્ધિને દેખાડતા આ સુધા વગેરે કષ્ટો પણ રાગાદિથી વિશેષ રહિત મુનિને ધૃતિ=સુખ જ આપે છે, નહિ કે દુઃખ. જિનાજ્ઞાના પાલનથી સાધુઓના આત્મામાં સંસારની અસારતા પરિણત (8ઓતપ્રોત) થઈ જાય છે, અને એથી આત્મામાં શુભ અધ્યવસાય આદિની વૃદ્ધિ થાય છે. વળી ક્ષુધા વગેરે કષ્ટો સહન કરવાં એવી જિનાજ્ઞા છે. આથી સુધા વગેરે કષ્ટો સહન કરવાથી જિનાજ્ઞાનું પાલન થાય છે, અને એથી સંસારની અસારતાની પરિણતિ દ્વારા સુધાદિ કષ્ટો શુભ અધ્યવસાય વગેરેની વૃદ્ધિ કરે છે. [૧] ण य तेऽवि होति पायं, अविअप्पं धम्मसाहणमइस्सा । न य एगतेणं चिअ, ते कायव्वा जओ भणियं ॥ २१३ ॥ वृत्तिः- 'न च तेऽपि भवन्ति प्रायः' क्षुदादयः 'अविकल्पं'-मातृस्थानविरहेण ધર્મસાધનમ:' પ્રવૃતિસ્થ, ધર્મપ્રમાવાવ, “ર ચૈન્નેનૈવ તે'-મુદ્રાય: “ વ્યા' मोहोपशमादिव्यतिरेकेण, 'यतो भणितमिति' गाथार्थः ॥ २१३ ॥ નિર્દભપણે ધર્મ જ સાધવાની બુદ્ધિવાળા સાધુને ધર્મના પ્રભાવથી જ પ્રાયઃ સુધા વગેરે કષ્ટો થતાં નથી તથા મોહશાંતિ વગેરે કારણો વિના ક્ષુધા વગેરે કષ્ટો સહન કરવા જ જોઈએ એવો એકાંત પણ નથી. કારણ કે શાસ્ત્રમાં નીચે પ્રમાણે (૨૧૪મી ગાથામાં કહેવાશે તે પ્રમાણે) કહ્યું છે. [૧૩] किं तदित्याह सो हु तवो कायव्वो, जेण मणो मंगुलं न चिंतेइ । जेण न इंदिअहाणी, जेण य जोगा ण हायंति ॥ २१४ ॥ ૧. નીચેનાં છ કારણોથી સાધુ આહાર ન કરેeતપ કરે. आयंके उवसग्गे, तितिक्खया बंभचेरगुत्तीसु । દિવા તદઉં, જીવથડ્રાણ છે પિં. નિ. ગા. ૬૬૬ રોગ=તાવ વગેરે રોગને દૂર કરવા માટે, ઉપસર્ગઃરાજા વગેરે ઉપસર્ગ કરે ત્યારે ઉપસર્ગ સહન કરવા માટે, બ્રહ્મચર્ય=બ્રહ્મચર્યના પાલન માટે (પ્રબળ વેદોદય થાય ત્યારે તપથી વેદોદયને શમાવવા માટે), જીવદયા=વપદ આદિમાં ભિક્ષા માટે જવાથી જીવહિંસા થાય, આથી જીવહિંસાને રોકવા માટે, તપઋતપ કરવાનો ઉલ્લાસ થાય તો તપ કરવા માટે, શરીરત્યાગ=અંતકાળે વિધિપૂર્વક શરીરનો ત્યાગ કરવા માટે, આ છે કારણોથી સાધુ આહાર ન કરે. Page #122 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [९७ वृत्तिः- 'तद्धि तपः कर्त्तव्यम्'-अनशनादि 'येन मनो मङ्गुलम्'-असुदरं 'न चिन्तयति', शुभाध्यवसायनिमित्तत्वात्कर्मक्षयस्य, तथा येन नेन्द्रियहानिः', तदभावे प्रत्युपेक्षणाद्यभावात्, 'येन च योगा:'-चक्रवालसामाचार्यन्तर्गता व्यापारा 'न हीयन्त' इति गाथार्थः ॥ २१४ ॥ શાસ્ત્રમાં શું કહ્યું છે તે કહે છે– જે તપથી મન અશુભ ન ચિંતવે, ઇંદ્રિયો ક્ષીણ ન થાય અને યોગોની હાનિ ન થાય તે જ અનશનાદિ તપ કરવો જોઈએ. કારણ કે કર્મક્ષય શુભ અધ્યવસાયોથી થાય. (કોરા તપથી સકામનિર્જરા ન થાય. મન અશુભ ચિંતવે તો શુભ અધ્યવસાયો ન રહે.) ઇંદ્રિયો ક્ષીણ થાય તો પ્રતિલેખના વગેરે ક્રિયા ન થઈ શકે, યોગો એટલે ચક્રવાલ સામાચારીની અંતર્ગત વ્યાપારો. [૧૪] देहेऽवि अपडिबद्धो, जो सो गहणं करेइ अनस्स । विहिआणुटाणमिणंति, कह तओ पावविसओत्ति ॥ २१५ ॥ वृत्तिः- 'देहेऽप्यप्रतिबद्धो यो' विक्ात् 'स ग्रहणं करोत्यनस्य'-ओदनादे'विहितानुष्ठानमिति', न तु लोभाद्, यतश्चैवमतः 'कथमसौ पापविषयः ?, एतेन ‘कथं न पापविषय' इत्येतत् प्रत्युक्तमिति गाथार्थः ॥ २१५ ।। किञ्च तत्थवि अ धम्मझाणं न य, आसंसा तओ अ सुहमेव । सव्वमिअमणुट्ठाणं, सुहावहं होइ विन्नेअं ॥ २१६ ॥ वृत्तिः- 'तत्रापि च'-अन्नग्रहणादौ 'धर्मध्यानं' सूत्राज्ञासम्पादनात्, 'न चाशंसा' सर्वत्रैवाभिष्वङ्गनिवृत्तेः, यतश्चैवं 'ततश्च सुखमेव', तत्रापि सर्वं-वस्त्रपात्रादि 'इय'-एवमुक्तेन न्यायेन सूत्राज्ञासम्पादनादिना 'अनुष्ठानं' साधुसम्बन्धि 'सुखावहं भवति विज्ञेयमिति' गाथार्थः ॥ २१६ ॥ જે સાધુ (આત્મા અને શરીર ભિન્ન છે એવા) વિવેકથી શરીરમાં પણ મૂર્છાથી રહિત છે અને લોભથી નહિ પણ આ અનુષ્ઠાન જિનેશ્વરોએ કહ્યું છે એમ વિચારીને આહાર લે છે તે સાધુ પાપોદયવાળો કેવી રીતે હોય ? અર્થાતુ ન હોય. આનાથી વાદીએ પૂર્વે (ગાથા ૧૮૨માં) “સાધુ પાપોદયવાળો કેમ ન હોય ?” એમ જે કહ્યું હતું તેનો પ્રત્યુત્તર આપ્યો છે. [૧૫] વળી ભિક્ષાપરિભ્રમણ આદિમાં પણ શાસ્ત્રાજ્ઞાનું પાલન કરવાથી તેમને ધર્મધ્યાન હોય તથા કોઈ જાતની આશંસા ન હોય, કારણ કે કોઈ જ વસ્તુમાં રાગ રહ્યો નથી. આથી તેમને સુખ જ હોય. એ જ રીતે, એટલે કે શાસ્ત્રાજ્ઞાનું પાલન કરવાથી અને આશંસા ન હોવાથી વસ્ત્ર-પાત્રાદિગ્રહણ વગેરે સાધુ સંબંધી સર્વ અનુષ્ઠાનો સુખાવહ જ થાય છે. [૧૬] १. हे 24वानिहाय माहार सेवानुहिनेवरोभे छे. अहो जिणेहिं असावज्जा... Page #123 -------------------------------------------------------------------------- ________________ ९८ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते एवं भावयतः सूत्रोक्ता चेष्टा सुखदैव, तदन्यस्य तु दुःखदेति सिद्धसाध्यता, तथा चाह चारित्तविहीणस्सा, अभिसंगपरस्सा कलुसभावस्स । अण्णाणिणो अजा पुण, सा पडिसिद्धा जिणवरेहिं ॥ २१७ ॥ वत्तिः- 'चारित्रविहीनस्य'-द्रव्यप्रव्रजितस्य 'अभिष्वङ्गपरस्य' भिक्षादावेव 'कलुषभावस्य'-द्वेषात्मकस्य 'अज्ञानिनश्च'-मूर्खस्य 'या' भिक्षाटनादिचेष्टा 'सा प्रतिकुष्टा जिनवरैः', प्रत्युत बन्धनिबन्धनमसाविति गाथार्थः ॥ २१७ ॥ तथा च भिक्खं अडंति आरंभसंगया अपरिसुद्धपरिणामा । दीणा संसारफलं, पावाओ जुत्तमेअं तु ॥ २१८ ॥ वृत्तिः- 'भिक्षामटन्ति' उदरभरणार्थं 'आरम्भसङ्गताः' तथा षड्जीवनिकायोपमर्दनप्रवृत्त्या 'अपरिशुद्धपरिणामाः'-उक्तानुष्ठानगम्यमहामोहादिरञ्जिताः 'दीनाः'-अल्पसत्त्वा: 'संसारफलां' भिक्षां, न तु सुयतिवद्दातृग्रहीत्रोरपवर्गफलां, 'पापाद् युक्तमेतदिति'. एतदित्थंभूतमकुशलानुबन्धिनां पापेन भवतीति न्याय्यमेतदिति गाथार्थः ॥ २१८ ।। આ પ્રમાણે ભાવસાધુની શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ તે સુખ આપનારી જ છે. દ્રવ્યસાધુની પ્રવૃત્તિ તો દુઃખ આપનારી છે તે સ્વતઃ સિદ્ધ જ છે એ કહે છે– અજ્ઞાની, દ્વેષથી લુષિત અને ભિક્ષા વગેરેમાં આશંસાવાળા દ્રવ્યસાધુની ભિક્ષાભ્રમણ આદિ પ્રવૃત્તિ સુખ આપનારી નથી, બલ્ક કર્મબંધનું કારણ છે, એથી એવી ભિક્ષાનો જિનેશ્વરોએ નિષેધ કર્યો છે.[૧૧૭]દ્રવ્યસાધુઓ પોતાનું પેટ ભરવા માટે ભિક્ષાપરિભ્રમણ કરે છે, છ જવનિકાયની વિરાધના કરતાં કરતાં ભિક્ષાપરિભ્રમણ કરે છે. અશુદ્ધ પરિણામવાળા એટલે કે મહામોહથી રંગાયેલા (ઓતપ્રોત થયેલા) હોય છે, અલ્પસત્ત્વવાળા હોય છે. તેમની ભિક્ષા સંસારફલવાળી છે. સુસાધુની ભિક્ષા આપનાર લેનાર બંને માટે મોક્ષફલવાળી બને છે. દ્રવ્યસાધુની ભિક્ષા આવી બનતી નથી. આવી સ્થિતિ પાપાનુબંધવાળા જીવોને પાપોદયથી થાય છે એમ માનવું એ ન્યાયયુક્ત છે. [૧૧૮] कस्य पुनः कर्मणः फलमिदमित्याह ईसि काउण सुहं, निवाडिआ जेहिँ दुक्खगहणमि । मायाएं केइ पाणी, तेसिं एआरिसं होई ॥ २१९ ॥ वृत्तिः- 'ईषत्कृत्वा सुखं'-गलप्रव्रजिताविधिपरिपालनादिना 'निपातिता यैर्दुःखगहने'૧. અવતરણિકાના સિદ્ધાર્થ શબ્દનો અર્થ આ પ્રમાણે છે. સિદ્ધને સાબિત કરવું તે સિદ્ધ-સાળતા. “ભાવ સાધુની પ્રવૃત્તિ સુખદ છે” એમ સિદ્ધ થવાથી દ્રવ્ય સાધુની પ્રવૃત્તિ દુઃખદ છે એ સ્વતઃ સિદ્ધ થાય છે. આથી દ્રવ્યસાધુની પ્રવૃત્તિ દુ:ખદ છે એ સિદ્ધસાધ્યતા छ स्वत: सिद्धने साबित २वानुं थाय छे. Page #124 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [૨૨ दुःखसङ्कटे 'मायया केचित् प्राणिन' ऋजव'स्तेषां'-सत्त्वाना ईदृशं भवति'-ईदृक्फलदायि पापं भवतीति गाथार्थः ॥ २१९ ।। तथा च चइऊण घरावासं, तस्स फलं चेव मोहपरतंता । ण गिही ण य पव्वइआ, संसारपयड्डगा भणिआ॥२२०॥ वृत्ति:- 'त्यक्त्वा गृहवासं' दीक्षाभ्युपगमेन, 'तस्य फलं चैव'-गृहवासत्यागस्य फलं प्रव्रज्या तां च त्यक्त्वा, विरुद्धासेवनेन, मोहपरतन्त्राः' सन्तो 'न गृहिणः' प्रकटवृत्त्या तस्य त्यागात् 'न च प्रव्रजिता' विहितानुष्ठानाकरणात्, त एवंभूताः 'संसारपयड्डग 'त्ति संसाराकर्षकाः दीर्घसंसारिण इत्यर्थः, 'भणिता'स्तीर्थकरगणधरैरिति गाथार्थः ॥ २२० ।। આવી સ્થિતિ કયા કર્મનું ફળ છે એ કહે છે– સુખની લાલચથી દીક્ષા લેવી, દીક્ષાનું અવિધિથી પાલન કરવું, અર્થાત્ પ્રતિક્રમણાદિ ક્રિયાઓ બરોબર ન કરવી, ગોચરીના દોષો તરફ લક્ષ ન આપવું, મનગમતાં આહાર-પાણી અને વસ્ત્રો વગેરે લેવું, શરીરને જરાય કષ્ટ ન આપવું અને એશ-આરામ કરવો, વગેરે રીતે થોડું સુખ ભોગવે અને પોતે સાધુ ન હોવા છતાં સુસાધુ હોવાનો દંભ કરીને ભોળા લોકોને પોતાના ભક્ત બનાવે, ભોળા લોકોને ધર્મના બહાને અધર્મ કરાવે, આ રીતે સરળ-ભોળા લોકોને દુઃખમાં પાડે, આમ થોડું સુખ ભોગવીને ( થોડું સુખ ભોગવવા) સરળ-ભોળા કેટલાક જીવોને દુઃખમાં પાડનારને આવું (૨૧૮મી ગાથામાં જણાવ્યું તેવું) ફલ આપે તેવા પાપકર્મનો બંધ થાય. [૧૯] જે જીવો ગૃહવાસનો ત્યાગ કરીને દીક્ષા લીધા પછી મહાધીન બનીને દીક્ષાથી વિરુદ્ધ વર્તન કરવાથી ગૃહવાસત્યાગના ફલને એટલે કે દીક્ષાને (ભાવથી) છોડી દે છે, (બાહ્યથી સાધુવેશ રાખેલ હોવાથી દ્રવ્યથી નથી છોડતા, પણ ભાવથી છોડી દે છે,) તેઓ નથી તો ગૃહસ્થ અને નથી તો સાધુ. બાહ્યથી ગૃહવાસનો ત્યાગ કર્યો હોવાથી ગૃહસ્થ નથી. શાસ્ત્રોક્ત અનુષ્ઠાનો ન કરવાથી સાધુ નથી. તીર્થકરોએ અને ગણધરોએ આવા જીવોને પોતાનો સંસાર વધારનારા અર્થાત્ દીર્ધસંસારી કહ્યા છે. [૨૨]. उपसंहरन्नाह एएणं चिअ सेसं, जं भणिअं तंपि सव्वमक्खित्तं । सुहझाणाइअभावा, अगारवासंमि विण्णेअं ॥ २२१ ॥ वृत्तिः- “एतेनैव' अनन्तरोदितेन 'शेषमपि' 'शुभध्यानाद्धर्म' इत्यादि 'यद् भणितं तदपि सर्वमाक्षिप्तम्'-आगृहीतं विज्ञेयमिति' योगः, कुत इत्याह-'शुभध्यानाद्यभावात् अगारवास' इति, न ह्यगारवासे उक्तवत् 'कदा सिद्धयति दुर्ग'मित्यादिना शुभध्यानादिसम्भव इति गाथार्थः ॥ २२१ ॥ હવે ઉપસંહાર કરે છેહમણાં ઉપર જે કહ્યું એનાથી જ વાદીના બાકીના આક્ષેપોનું પણ અર્થાત્ વાદીએ પૂર્વે (ગાથા Page #125 -------------------------------------------------------------------------- ________________ १०० ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ૧૮૩માં) “શુભ ધ્યાનથી ધર્મ થાય' વગેરે જે કહ્યું તે બધાનું પણ નિરાકરણ કર્યું સમજવું. કારણ કે ગૃહવાસમાં શુભધ્યાન વગેરે ન હોય, કિલ્લો ક્યારે જીતાશે ઈત્યાદિ પૂર્વે (ગાથા ૧૯૦માં) કહ્યું તેમ ગૃહવાસમાં શુભધ્યાનાદિનો અસંભવ છે. [૨૨૧] यच्चोक्तं 'परहितकरणैकरति रित्यत्राह मुत्तूण अभयकरणं, परोवयारोऽवि नत्थि अण्णोत्ति । दंडिगितेणगणायं, न य गिहवासे अविगलं तं ॥ २२२ ॥ वृत्ति:- 'मुक्त्वाऽभयकरणमि'हलोकपरलोकयो: 'परोपकारोऽपि नास्त्यन्य'इति, अत्र दृष्टान्तमाह-'दण्डिकीस्तेनकज्ञातमत्र' द्रष्टव्यं, 'न च गृहवासेऽविकलं तद्'-अभयकरणमिति गाथार्थः ॥ २२२ ॥ પૂર્વે વાદીએ (ગાથા ૧૮૪માં) પરહિત કરવામાં જ પ્રીતિવાળો ગૃહસ્થ એમ જે કહ્યું એ વિષે અહીં કહે છે– આ લોક અને પરલોકમાં અભયદાનને છોડીને બીજો કોઈ શ્રેષ્ઠ પરોપકાર નથી. આ વિષે રાણી-ચોરનું દષ્ટાંત છે. ગૃહવાસમાં સંપૂર્ણ અભયદાન ન થઈ શકે. [૨૨૨] यच्चोक्तं 'परहितकरणैकरति' रित्यत्र दण्डिकीस्तेनोदाहरणमेवाह तेणस्स वज्झनयणं, विदाणग रायपत्तपासणया । निवविनवणं कुणिमो, उवयारं किंपि एअस्स ॥ २२३ ॥ रायाणुण्णा ण्हवणग, विलेवणं भूसणं सुहाहारं । अभयं च कयं ताहि, किं लटुं ? पुच्छिए अभयं ॥ २२४॥ वृत्तिः- अनयोरर्थः कथानकेनैवोच्यते-वसंतउरे नयरे जियसत्तू राया, पियपत्तीहिं सद्धि निज्जूहगगओ चिट्ठइ, इओ य तेणगो वज्झो निज्जइ, सो य मच्चूभएणं विद्दाणगो रायपत्तीहिं दिट्ठो, कारुणिगाहिं विणत्तो राया-महाराय ! कुणिमो एयस्स एयावत्थागयस्स किंपि उवगारंति, राइणाऽणुण्णायं, तओ एगीए मिल्लावेऊण एयंपि ताव पावउति चंपगतिल्लाइणा अब्भंगावेऊण ण्हविओ परिहाविओ विलित्तो य दससाहस्सीएणं परिव्वएणं, अण्णाए भूसिऊणाहारादिणा भुंजाविओ अट्ठारसवि खंडप्पगारे वीससाहस्सिएणं परिव्वएणं, अण्णाए भणियं-महाराय ! णत्थि मे विहवो जेण एयस्स उवगरेमि, राइणा भणियं-मए ठिए विहवते किं तुज्झ नत्थि? देह जं रोयतित्ति, तीए भणियंजइ एवं ता अभयं एयस्स, इयरीहिं भणियं-मोग्गडा एसा, तीए भणियं-जं मए दिन्नं तं न तुझेहि, एत्थ एसो पमाणं, पुच्छिओ तेणगो-भण किमेत्थ लटुंति?, तेण भणियं-सेसं ण याणामि, अभयदाणे मे चेयणा समुप्पण्णत्ति । अत्तोऽभयकरणमेव परोपकार इति गाथाद्वयार्थः ॥ २२३-२२४ ।। २४ी-यो२नु दृष्टांत ४४४ छ વસંતપુર નગરમાં જિતશત્રુ નામે રાજા હતો. એક વાર તે રાજા પોતાની પ્રિય પત્નીઓની સાથે ઝરૂખામાં બેઠો હતો. આ તરફ રસ્તામાં એક ચોર મારી નાંખવા માટે લઈ જવાતો હતો. Page #126 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [ ૨૦૨ મૃત્યુભયથી શોકાતુર બનેલા તેને રાણીઓએ જોયો. કરુણાદ્રિ રાણીઓએ રાજાને વિનંતી કરી છે મહારાજ ! આવી અવસ્થા પામેલા આ ચોર ઉપર અમે કંઈક ઉપકાર કરીએ. રાજાએ રાણીઓને તેમ કરવાની રજા આપી. આથી એક રાણીએ ચોરને રાજપુરુષો પાસેથી છોડાવીને પોતાના નિવાસમાં તેડાવ્યો. પછી સુખ આપવાની ઈચ્છાથી તેને ચંપકતેલ આદિથી અત્યંગ કરીને નવડાવ્યો. પછી વિલેપન કરીને સુંદર વસ્ત્રો પહેરાવ્યાં. દસ હજાર રૂપિયા ખર્ચીને આ રીતે તેનો સત્કાર કર્યો. બીજી રાણીએ તેને આભૂષણોથી શણગારીને અઢાર જાતના પકવાન્ન ખવડાવ્યા. વીસ હજાર રૂપિયા ખર્ચાને આ રીતે તેની ભક્તિ કરી. ત્રીજી રાણીએ રાજાને કહ્યું : મહારાજ ! મારી પાસે વૈભવ નથી, જેથી હું તેની ભક્તિ કરું. અર્થાત્ વૈભવ વિના ભક્તિ કેવી રીતે કરું? રાજાએ કહ્યું: વૈભવવાળો હું બેઠો હોઉં તો તારી પાસે શું નથી? અર્થાત્ બધું જ છે. તારી જે ઈચ્છા હોય તે તેને આપ. રાણીએ કહ્યું: જો એમ હોય તો હું એને અભયદાન આપું છું. આ જાણીને બીજી રાણીઓએ કહ્યું અભયદાન આપનારી રાણી અણસમજા છે. ત્રીજી રાણીએ તેમને કહ્યું: મેં જે આપ્યું છે તે તમે નથી આપ્યું. તમારે ખાતરી કરવી હોય તો ચોરને જ તમે પૂછી જુઓ. બીજી રાણીઓએ ચોરને પૂછ્યું: અમારા ત્રણમાંથી કોણે તેને સારું (=અધિક) આપ્યું તે કહે. ચોરે કહ્યું: બે રાણીઓએ મને શું આપ્યું તેની જ મને ખબર નથી. કારણ કે હું તે વખતે ભાનમાં જ ન હતો. ત્રીજી રાણીએ મને અભયદાન આપ્યું એથી મારામાં ચેતના આવી. આથી અભયદાન એ જ શ્રેષ્ઠ પરોપકાર છે. [૨૨૩-૨૨૪] गृहिणस्त्वेतदविकलं न भवतीत्याह गिहिणो पुण संपज्जइ, भोअणमित्तंपि निअमओ चेव । छज्जीवकायघाएण ता तओ कह णु लट्ठोत्ति ? ॥२२५ ।। वृत्तिः- 'गृहिणः पुनः सम्पद्यते भोजनमात्रमपि', आस्तां तावदन्यद् भोगादि, 'नियमत વ', નેત્યા-પીવાય તેન', યતદૈવં “તતઃ'- તત્ મણી'-Jહાશ્રમ: ‘અર્થ નુ નષ્ટ ?, નૈવ શોમન રૂતિ થાર્થ: II રરપ II ગૃહસ્થો સંપૂર્ણ અભયદાન ન કરી શકે, એ જણાવે છે– ગૃહસ્થોને તો માત્ર ભોજન પણ અવશ્ય છ જીવનિકાયના ઘાતથી તૈયાર થાય છે, તો પછી બીજા ભોગો માટે તો શું કહેવું? આથી ગૃહવાસ કેવી રીતે સારો ગણાય? ન જ ગણાય. [૨૫] अनेन वादस्थानान्तरमपि परिहतं द्रष्टव्यमित्येतदाह गुरुणोऽवि कह न दोसो, तवाइदुक्खं तहा करितस्स । सीसाणमेवमाइवि, पडिसिद्धं चेव एएणं ॥ २२६ ॥ वृत्तिः- 'गुरोरपि'-प्रव्रजकस्य 'कथं न दोषः तपआदिना दुःखं तथा'-तेन प्रकारेणानशनादिना 'कुर्वतः ?, केषामित्याह-'शिष्याणाम्, एवमाद्यपि' कुचोद्यम्, आदिशब्दात् स्वजनवियोगादिपरिग्रहः, 'प्रतिषिद्धमेव एतेन'-अनन्तरोदितेन ग्रन्थेनेति गाथार्थः ॥ २२६ ॥ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આનાથી વાદીના બીજા આક્ષેપોનું પણ નિરાકરણ થઈ ગયું જાણવું એમ કહે છે હમણાં ઉપર જે કહ્યું એનાથી શિષ્યોને અનશન વગેરે તપથી દુઃખી કરતા ગુરુને પણ દોષ કેમ ન લાગે ? શિષ્યોને સ્વજનાદિનો વિયોગ કરાવવાથી ગુરુને દોષ કેમ ન લાગે ? આ અને આવા બીજા પણ વાદીના કુતર્કોનું નિરાકરણ કર્યું જાણવું. [૨૬]. कथमित्याह परमत्थओ न दुक्खं, भावंमिऽवि तं सुहस्स हेउंत्ति । जह कुसलविज्जकिरिआ, एवं एअंपि नायव्वं ॥ २२७ ॥ ‘તિ વાર ગયું ' वृत्तिः- 'परमार्थतो न दुःखं' तप इत्युक्तं, भावेऽपि' दुःखस्य 'तत्'-तथा दुःखं 'सुखस्य हेतुरिति', निर्वृतिसाधकत्वेन, अत्र दृष्टान्तमाह-'यथा कुशलवैद्यक्रिया' दुःखदाऽप्यातुरस्य न वैद्यदोषाय, ‘एवमेतदपि'-सांसारिकदुःखमोचकं तपोऽनुष्ठानं 'ज्ञातव्यमिति' गाथार्थः ।। २२७ ।। કેવી રીતે નિરાકરણ કર્યું તે જણાવે છે– પરમાર્થથી તપ દુઃખ નથી. તપમાં (બાહ્ય) દુઃખ થતું હોવા છતાં તે દુઃખ મોક્ષસાધક હોવાથી સુખનું કારણ છે. જેમ કુશલ વૈદ્યની રોગપ્રતીકારની) ક્રિયા રોગીને દુઃખ આપતી હોવા છતાં તેમાં વૈદ્યનો દોષ નથી, તેમ સાંસારિક દુઃખથી છોડાવનાર તમરૂપ અનુષ્ઠાન પણ તેવું જાણવું, અર્થાત શિષ્યને તપથી દુઃખ થાય તો પણ તેમાં ગુરુને દોષ ન લાગે. (ટીકામાં રહેલા ‘તથા' શબ્દનો અર્થ આ પ્રમાણે છે. તથા એટલે તે રીતે. તે રીતે એટલે સમાધિથી સહન કરાય તે રીતે, અસમાધિથી સહન કરાય તો સુખનું કારણ ન બને.) [૨૨૭]. 'कथं वे'ति व्याख्यातं, मूलद्वारगाथायां च प्रथमं द्वारम्, अत एवाह पव्वज्जाएँ विहाणं, एमेअं वण्णिअं समासेणं । एत्तो पइदिणकिरियं, साहूणं चेव वोच्छामि ॥ २२८ ॥ वृत्तिः- 'प्रव्रज्याया विधानमिति'-विधिविधानम् ‘एवं एतद्' उक्तन्यायाच्च 'वर्णितं समासेन'-सक्षेपेण । द्वितीयद्वारसम्बन्धायाह-'अत'-ऊर्ध्वं प्रतिदिनक्रियां'-प्रत्युपेक्षणादिरूपां ‘સાધૂનામેવ' સર્વાબ્ધિની “વફ્ટ' રૂતિ યથાર્થ: ૨૨૮ // प्रव्रज्याविधानद्वारं समाप्तम् ॥ કર્થ વા એ દ્વારનું વ્યાખ્યાન કર્યું. મૂલ દ્વારગાથાની અપેક્ષાએ પહેલા દ્વારનું વ્યાખ્યાન કર્યું. આથી જ કહે છે– આ પ્રમાણે ઉક્ત ન્યાયથી આ પ્રવ્રયાવિધાન (દ્વાર)નું સંક્ષેપથી વર્ણન કર્યું. હવે સાધુ સંબંધી પડિલેહણ આદિ પ્રતિદિન (=દરરોજ કરવાની) ક્રિયાને કહીશ. [૨૮]. પહેલું પ્રવ્રજ્યાવિધાન દ્વારા પૂર્ણ થયું. ૧. ચોથી ગાથામાં “પ્રવજ્યાવિધાનતારમાં ક્રમશઃ સા વગેરે પાંચ પેટાધારોનો સંક્ષેપથી સ્પષ્ટ અર્થ કહેવામાં આવશે” એમ જે નિર્દેશ કર્યો છે એ ન્યાયથી. Page #128 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१०३ ૨. પ્રતિદિનક્રિયા દ્વાર प्रव्रज्याविधानानन्तरं किमर्थं प्रतिदिनक्रियेति ?, उच्यते पव्वइअगो जओ इह, पइदिणकिरियं करेइ जो नियमा। सम्म सुत्तविहीए, सफला तस्सेव पव्वज्जा ॥ २२९ ॥ वृत्तिः- 'प्रव्रजितको यतो'-यस्माद् ‘इह'-लोके शासने वा 'प्रतिदिनक्रियां'चक्रवालसामाचारी 'करोति यो नियमाद्' अप्रमादेन 'सम्यक् सूत्रोक्तेन विधिना' उपयोगपूर्वकं 'सफला तस्यैव'-इत्थंभूतस्य प्रव्रज्या, नान्यस्येति, अतः प्रव्रज्याविधानानन्तरं प्रतिदिनक्रियेति गाथार्थः ॥ २२९ ॥ પ્રવ્રજ્યાવિધિ પછી પ્રતિદિનક્રિયાનું વર્ણન કેમ છે એ પ્રશ્નનો ઉત્તર આપે છે– આ શાસનમાં દીક્ષિત બનેલો જે સાધુ નિયમા સદા અપ્રમત્ત બનીને સૂત્રોક્ત વિધિથી ઉપયોગપૂર્વક બરોબર પ્રતિદિનક્રિયા-ચક્રવાલ સામાચારી કરે છે, તેની જ પ્રવજ્યા સફલ બને છે, અન્યની નહિ. આથી પ્રવ્રજયાવિધિ પછી પ્રતિદિનક્રિયાનું વર્ણન છે. [૨૯] सा चेयम्पडिलेहणा १ पमज्जण, २ भिक्खि ३ रिआ ४ ऽऽलोअ ५. भुंजणा ६ चेव । पत्तगधुवण७विआरा,८ थंडिल ९मावस्सगाईआ१०॥२३०॥मूलदारगाहा ॥ वृत्तिः- 'प्रत्युपेक्षणा' उपधेः, 'प्रमार्जनं' वसतेः, 'भिक्षा'-विधिना पिण्डानयनम्, 'ईर्या'-तत्सूत्रोच्चारणपुरस्सरं कायोत्सर्गः, 'आलोचनं'-पिण्डादिनिवेदनं, ‘भोजनं चैवे' ति प्रतीतं, 'पात्रकधावनम्'-अलाब्वादिप्रक्षालनं, 'विचारो'-बहिर्भूमेर्गमनं, 'स्थण्डिलं'-परानुपरोधी प्रासुको भूभागः, आवश्यकं'-प्रतिक्रमणम्, आदिशब्दात् कालग्रहणादिपरिग्रह इति द्वितीयवस्तुद्वारगाथासमुदायार्थः । अवयवार्थं तु वक्ष्यति ।। २३० ॥ તે પ્રતિદિનક્રિયા આ પ્રમાણે છે (१) प्रतिलेपना, (२) अमाईना, (3) मिक्षा, (४) या, (५) मालोयन, (६) मोन, (७) पात्रप्रक्षालन, (८) वियार, (C) स्थंडिल, (१०) आवश्य, (११) सय वगेरे પ્રતિદિનક્રિયા છે. પ્રતિલેખના=ઉપધિનું પ્રતિલેખન કરવું. પ્રમાર્જના=વસતિનું પ્રમાર્જન કરવું. ભિક્ષા વિધિપૂર્વક આહાર લાવવો. ઈર્યા ઈરિયાવહિ સૂત્ર બોલવાપૂર્વક કાઉસ્સગ્ગ કરવો. આલોચન લાવેલા આહાર આદિનું (ગુરુને) નિવેદન કરવું. ભોજનનો અર્થ પ્રસિદ્ધ છે. પાત્રપ્રક્ષાલન=તુંબડું વગેરે ભોજનનાં પાત્રો ધોવાં. વિચાર=(વડી નીતિ માટે) ગામ વગેરેની બહારની ભૂમિમાં જવું. સ્પંડિલ બીજા જીવોને પીડા ન થાય તેવી જીવરહિત ભૂમિ. આવશ્યક–પ્રતિક્રમણ. આદિ શબ્દથી કાલગ્રહણ વગેરે જાણવું. બીજી પ્રતિદિનક્રિયા રૂપ વસ્તુની Page #129 -------------------------------------------------------------------------- ________________ १०४ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પ્રરૂપણા સંબંધી દ્વારગાથાનો આ પ્રમાણે સામુદાયિક (સંક્ષેપથી) અર્થ છે. અવયવાર્થ (=પ્રત્યેક द्वारनी विशे५ २५थ) वे शे. [२३०] तथा चाद्यद्वारावयवार्थाभिधित्सयाऽऽह उवगरणगोअरा पुण, इत्थं पडिलेहणा मुणेअव्वा । अप्पडिलेहिअ दोसा, विण्णेया पाणिघायाई ।। २३१ ॥ वृत्तिः- संयमप्रवृत्तस्योपकरोती 'त्युपकरणं'-वस्त्रादि ‘तद्गोचरा'-तद्विषया 'पुनरत्र'प्रक्रमे 'प्रत्युपेक्षणा'-वक्ष्यमाणलक्षणा 'मुणितव्या'-मन्तव्या, ज्ञातव्येत्यर्थः, 'अप्रत्युपेक्षित' उपकरणे 'दोषा विज्ञेयाः', के ? इत्याह-'प्राणिघातादयः', आदिशब्दात्परितापनादिपरिग्रह इति गाथार्थः ॥ २३१ ॥ १. प्रतिसेना द्वार પ્રથમ ધારનો વિશેષ અર્થ કહેવાની ઈચ્છાથી કહે છે પ્રસ્તુતમાં વસ્ત્ર આદિ ઉપકરણોની પ્રતિલેખના આ રીતે (હવે કહીશું તે રીતે) સમજવી. ઉપકરણોની પ્રતિલેખના ન કરે તો જીવોનો ઘાત, પરિતાપ વગેરે દોષો લાગે. સંયમમાં પ્રવૃત્ત થયેલાને ઉપકારક બને તે ઉપકરણ, પ્રતિલેખના શબ્દનો અર્થ હવે કહીશું. [૩૧] तत्र उवगरण वत्थपत्ते, वत्थे पडिलेहणं तु वुच्छामि । पुव्वण्हे अवरण्हे, मुहपत्तिअमाइपडिलेहा ॥ २३२ ॥ वृत्तिः- 'उपकरणमधिकृत्य प्रत्युपेक्षणा वस्त्रपात्रे'-वस्त्रपात्रविषया, तत्र प्रव्रज्याग्रहणकाले प्रथममेव यथाजातरजोहरणादिभावात् 'वस्त्रैषणा पात्रैषणे'ति च सूत्रक्रमप्रामाण्याद् 'वस्त्रविषयां प्रत्युपेक्षणां'-विशिष्टक्रियारूपां तावद्वक्ष्ये', तत्क्रममाह-'पूर्वाह्ने'-प्रत्यूषसि अपराह्ने'-चरमपौरुष्यां 'मुखवस्त्रिकाद्या'-मुखवस्त्रिकामादौ कृत्वा 'प्रत्युपेक्षणा' प्रवर्तत ति गाथार्थः । अत्र च वृद्धसम्प्रदाय:-काए आणुपुव्वीए वत्था पडिलेहेअव्वा ? मुहपोत्ती पुव्वं, ताहे कायं रयहरणं चोलपट्टयं, ताहे गुरुस्स उवट्ठाइ, ताहे गिलाणस्स सेहस्स, ताहे अप्पणोच्चए कप्पे विटिया, ताहे उत्तरपट्टयं, संथारपट्टयं, जं च गुरुनिउत्तं'ति ।। २३२ ॥ ઉપકરણની પ્રતિલેખના વસ્ત્રની અને પાત્રની એમ બે પ્રકારે છે. તેમાં પ્રથમ વસ્ત્રની પ્રતિલેખના કહીશ. પ્રશ્ન- પ્રથમ વસ્ત્રની પ્રતિલેખના કહેવાનું શું કારણ ? ઉત્તર- દીક્ષા લેતી વખતે પહેલાં જ યથાજાત મુદ્રામાં રહેલા સાધુને રજોહરણ વગેરે વસ્ત્ર Page #130 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] | [ ૧૦૫ હોય છે, (અર્થાત્ પ્રથમ વસ્ત્ર હોય છે, પછી પાત્ર હોય,) તથા વસ્ત્રપUTI પàri એ પ્રમાણે (આચારાંગ) સૂત્રમાં જણાવેલ ક્રમ પ્રામાણિક હોવાથી અહીં પ્રથમ વઐષણા કહેવામાં આવશે. વસ્ત્રપ્રતિલેખનાનો ક્રમ આ પ્રમાણે છે. સવારે અને ચોથી પોરિસીમાં પહેલાં મુહપત્તિની પ્રતિલેખના કરીને પછી બાકીનાં વસ્ત્રોની પ્રતિલેખના કરવામાં આવે છે. અહીં વૃદ્ધસંપ્રદાય આ પ્રમાણે છે પ્રશ્ન- કયા ક્રમથી વસ્ત્રોની પ્રતિલેખના કરવી. ઉત્તર- પહેલાં મુહપત્તિની પ્રતિલેખના કરવી, પછી કાયા, રજોહરણ અને ચોલપટ્ટાની પ્રતિલેખના કરવી, પછી ક્રમશઃ ગુરુ, ગ્લાન અને શૈક્ષકનાં વસ્ત્રોની પ્રતિલેખના કરે, પછી પોતાના કપડાં, વિટિયો, ઉત્તરપટ્ટો અને સંથારાની પ્રતિલેખના કરે, પછી ગુરુનિયુક્ત વસ્ત્રોની, અર્થાત્ સમુદાય માટે સર્વ સામાન્ય રખાયેલાં વસ્ત્રોની પડિલેહણા કરે.” [૨૩૨] तत्पुनरनेन विधिना वस्त्रं प्रत्युपेक्षितव्यमित्येतदाह उर्दू थिरं अतुरिअं, सव्वं ता वत्थ पुव्वपडिलेहे । तोबीअंपप्फोडे,तइअंचपुणोपमज्जिज्जा॥२३३॥ पडिदारगाहा ॥ वृत्तिः- 'ऊर्ध्वं' वस्त्रोर्ध्वकायोपेिक्षया सम्यक् 'स्थिरं' घनग्रहणेन 'अत्वरितम्'-अद्भुतं वक्ष्यमाणलक्षणेन विधिना 'सर्वं तावद् वस्त्रम्' आरत: परतश्च 'पूर्वं'-प्रथमं 'प्रत्युपेक्षेत'-चक्षुषा निरीक्षेत, ततः'-तदनन्तरं 'द्वितीय'मिदं कुर्यात्, यदुत परिशुद्धं सत् 'प्रस्फोटयेत्' वक्ष्यमाणेन विधिना, 'तृतीयं च पुनरिदं' कुर्यात् यदुत 'प्रमार्जयेत्' वक्ष्यमाणेनैव विधिनेति गाथासमुदायार्थः ॥ २३३ ॥ વસ્ત્રની પ્રતિલેખનાનો વિધિ જણાવે છે(૧) ઊર્ધ્વ- વસ્ત્રોદ્ધ અને કાયોર્ધ્વ એમ બે પ્રકારે ઊર્ધ્વ છે. તેમાં વસ્ત્રોદ્ઘ એટલે વસ્ત્ર જમીનને કે શરીર વગેરેને ન સ્પર્શે તે રીતે અદ્ધર રાખીને, અને કાયોર્ધ્વ એટલે ઉભડક પગે બેસીને, પ્રતિલેખના કરવી. (૨) સ્થિર- વસ્ત્ર પડી ન જાય તેમ મજબુત પકડીને પ્રતિલેખના કરવી. (૩) અત્વરિત- હવે કહેવાશે તે રીતે ધીમે ધીમે પ્રતિલેખના કરવી. (૪) સબૈ તા વલ્થ પુત્ર દે- (પહેલીવાર) સંપૂર્ણ વસ્ત્રની આગળથી અને પાછળથી પ્રતિલેખના કરવી, અર્થાત્ પહેલાં દષ્ટિથી વસ્ત્રને એક બાજાથી સંપૂર્ણ જોઈને તેનું પાસુ ફેરવીને બીજી બાજુથી સંપૂર્ણ જોવું. (૫) તો વી૩ વખોડે- પછી જોવાથી શુદ્ધ થયેલ વસ્ત્રનું બીજી વાર હવે કહેવાશે તે વિધિથી પ્રસ્ફોટન કરવું. (૬) તરું ર પુજે મન- પછી ત્રીજી વાર હવે કહેવાશે તે વિધિથી વસ્ત્રનું પ્રમાર્જન કરવું. આ પ્રમાણે ગાથાનો સામુદાયિક (સંક્ષેપથી) અર્થ છે. [૨૩૩] Page #131 -------------------------------------------------------------------------- ________________ १०६ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते व्यासार्थं त्वाह वत्थे काउटुंमि अ, परवयण ठिओ गहाय दसिअंते । तं न भवइ उक्कुडुओ, तिरिअं पेहे जह विलित्तो ॥ २३४ ॥ वृत्तिः- 'वस्त्र' इति वस्त्रोद्ये 'कार्योर्चे च' निरूप्यमाणे 'परवचन 'मिति चोदक आह'स्थितो गृहीत्वा दशान्त' इति स्थितः ऊर्ध्वस्थानेन इत्यनेन कायोर्ध्वस्वरूपं गृहीत्वा दशापर्यन्त इत्यनेन तु वस्त्रोर्ध्वस्वरूपमाह, अत्रोत्तरम्-'तन्न भवति'-यदेतदुक्तं परेण एतदित्थं न, किमत्र तत्त्वमित्याह-'तिर्यक् प्रेक्षेत'-प्रत्युपेक्षेत, अनेन वस्त्रोर्ध्वमाह, 'उत्कुटुको यथा विलिप्त:'समारब्धश्चन्दनादिनेति अनेन तु कायोवं, तिर्यग्व्यस्थितं वस्त्र भूमावलोलयन् विलिप्त इव कायेनगात्रसंस्पर्शमकुर्वन्निति गाथार्थः ॥ २३४ ।। હવે વિસ્તારથી અર્થ કહે છે खोल भने योवनी प्र३५९॥ रीत्यारे प्रश्न प्रश्न यो 3 ठिओ गहाय दसिअंते = ઊભો ઊભો પ્રતિલેખના કરે એ કાયોર્વ છે અને વસ્ત્રને દશીઓના છેડેથી પકડીને પડિલેહણ કરે એ વસ્ત્રોદ્ઘ છે. આનો ઉત્તર આ પ્રમાણે છે- પ્રશ્નકારે કહ્યું તે બરોબર નથી. કારણ કે કુંડુ ઉતરિ पेहे = उडु (3भ3 ५) सीने प्रतिसपना ४२ मे यो छ भने पखने तिर्छ પહોળું કરીને પ્રતિલેખના કરે એ વસ્ત્રોદ્ઘ છે. જેમ શરીરે ચંદનાદિનું વિલેપન કર્યું હોય ત્યારે વિલેપનના રક્ષણ માટે પરસ્પર અંગોનો સ્પર્શ ન થાય તેમ બેસે, તે રીતે અહીં પણ પરસ્પર અંગોને સ્પર્શ ન થાય તેમ ઉભડક પગે બેસીને વસ્ત્રને તિછું પહોળું કરીને વસ્ત્ર ભૂમિને ન અડે તે રીતે प्रतिसपना ४२. [२४] व्याख्यातमूर्ध्वद्वारम्, अधुना स्थिरद्वारं' व्याचिख्यासुराह अंगुट्ठअंगुलीहिं, धित्तुं वत्थं तिभागबुद्धीए । तत्तो अ असंभंतो, थिरंति थिरचक्खुवावारं ॥ २३५ ॥ वृत्तिः- 'अङ्गुष्ठाङ्गुलीभ्यां' करणभूताभ्यां 'गृहीत्वा वस्त्रं' प्रत्युपेक्षणीयं 'त्रिभागबुद्ध्येति'-बुद्ध्या परिकल्प्य त्रिभागे, 'ततश्च'-तदनन्तरं 'असम्भ्रान्तः'-अनाकुलः सन्, 'स्थिरमिति' द्वारपरामर्शः, अस्यार्थः 'स्थिरचक्षुर्व्यापारं' च प्रत्युपेक्षेतेति गाथार्थः ॥ २३५ ।। ઊર્ધ્વ ધારની વ્યાખ્યા કરી, હવે સ્થિર' દ્વારની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે– હાથના અંગુઠા અને આંગળીઓથી વસ્ત્રને પકડીને વસ્ત્રના ત્રણ ભાગ કલ્પીને એકાગ્રચિત્તે ચક્ષુને સ્થિર રાખીને જુવે. (વસ્ત્રના ત્રણ ભાગ કલ્પીને પહેલાં વસ્ત્રના એક ભાગને જોવો, પછી બીજા ભાગને જોવો, પછી ત્રીજા ભાગને જોવો એમ ત્રણ ભાગમાં પૂર્ણ વસ્ત્ર જોઈ લેવું.) [૨૩૫ Page #132 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] गतं स्थिरद्वारं, साम्प्रतमत्वरितद्वारमधिकृत्याह परिवत्तिअं च सम्मं, अतुरिअमिइ अदुयं पयत्तेणं । वाउजयणानिमित्तं, इहरा तक्खोभमाईआ ॥ २३६ ॥ दारं ॥ वृत्ति:- 'परावर्त्तितं च सम्यग् ' द्वितीयपार्श्वेन, 'अत्वरितमिति' द्वारसंस्पर्शः, किमुक्तं भवति ? 'अद्भुतं प्रयत्नेन' परावर्त्तितं प्रत्युपेक्षेत, किमर्थमित्याह-'वायुयतनानिमित्तं'वायुसंरक्षणाय, 'इतरथा' द्रुतपरावर्त्तनेन 'तत्क्षोभादयो' दोषा इति गाथार्थः ॥ २३६ ॥ स्थिर द्वार धुं. हवे 'अत्वरित' द्वारने आश्रयीने उहे छे વસ્ત્રનું બીજું પાસું વાયુકાયની રક્ષા માટે ધીમે ધીમે ફેરવીને પ્રતિલેખના કરવી, અન્યથા वायुयोल (वायुअयने झोल थाय) वगेरे घोषो लागे. [२३] उक्तमत्वरितद्वारं सर्वं तावदिति द्वारमभिधातुमाह इअ दोसुं पासेसुं, दंसणओ सव्वगहणभावेणं । सव्वंति निरवसेसं, ता पढमं चक्खुणा पेहे ॥ २३७ ॥ दारं ॥ वृत्तिः - 'इति'- एवं' द्वयोरपि पार्श्वयो 'र्वस्त्रस्य दर्शनात् सर्वग्रहणभावेन' हेतुना' सर्वमितिनिरवशेषं' वस्त्रं 'तावत् प्रथमं चक्षुषा प्रत्युपेक्षेत', एष द्वारसंस्पर्श इति गाथार्थः ॥ २३७ ॥ [ १०७ અત્વરિત દ્વાર કહ્યું, હવે સર્વ દ્વારને કહેવા માટે કહે છે— પહેલાં આ રીતે વસ્ત્રને બંને બાજુ સંપૂર્ણ જોઈને વસ્રની ચક્ષુથી પ્રતિલેખના કરે. (પછી પ્રસ્ફોટન અને પ્રમાર્જન કરે એ હવે પછી કહે છે.) [૨૩૭] अधिकृतद्वारगाथार्धं व्याख्यातं, शेषार्द्धप्रथमद्वारमाह अद्दंसणंमि अ तहा, मुइंगलिआइआण जीवाणं । तो बीअं पप्फोडे, इहरा संकामणं विहिणा ॥ २३८ ॥ वृत्ति:- 'अदर्शने च' सति 'तथा मूइंगलिकादीनां' पिपीलिकादीनां 'जीवानां ततो द्वितीयं प्रस्फोटयेत्' इति द्वारसंस्पर्शः, 'इतरथा' दर्शने सति तेषां 'सङ्क्रमणं विधिना' कुर्यादिति गाथार्थः ॥ २३८ ॥ પ્રસ્તુત (૨૩૩મી) દ્વારગાથાના પૂર્વાર્ધનું વ્યાખ્યાન કર્યું. હવે ઉત્તરાર્ધના પ્રથમ દ્વારને કહે છે— (પહેલી વાર ઉક્ત રીતે કરેલ દષ્ટિપડિલેહણથી) કીડી વગેરે જીવો જોવામાં ન આવે તો બીજી વાર પ્રસ્ફોટન કરે. જો જીવો જોવામાં આવે તો તેમને કિલામણા વગેરે ન થાય તે રીતે વિધિપૂર્વક उतारीने जीभ स्थणे भूरे. [२३८ ] Page #133 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते कथं प्रस्फोटयेदित्यत्र प्रतिद्वारगाथामाह अणच्चाविअमवलिअमणाणुबंधिं अमोसलिं चेव । छप्पुरिमं नवखोडं, पाणी पाणिपमज्जणं ॥२३९ ॥पडिदारगाहा ॥ वृत्तिः- 'अनर्तितं' वस्त्रात्मानर्तनेन 'अवलितं' वस्त्रात्मावलनेनैव 'अननुबन्धि'अनिरन्तरं अमोषलि' चैव, तिर्यग्घट्टनादिरहितं चेत्यर्थः, षट्पूर्व'-ट्तिर्यक्कृतवस्त्रप्रस्फोटनोपेतं 'नव-प्रस्फोटनं'-करतलगतप्रमार्जनान्तरितत्रिकत्रिकनवप्रस्फोटनवत् 'पाणौ प्राणिप्रमार्जनं'हस्ते प्राणिविशोधनमिति गाथार्थः ॥ २३९ ।। કેવી રીતે પ્રસ્ફોટન કરે એ જણાવવા પેટા દ્વાર ગાથા કહે છે(૧) અનર્તિત-પડિલેહણ કરતાં વસ્ત્ર અને આત્માને નચાવવો નહિ. (આત્માને ન ચાવવો એટલે આત્માને પ્રતિલેખનાક્રિયામાં સ્થિર-એકાગ્ર રાખવો.) અવલિત- પડિલેહણ કરતાં વસ્ત્ર અને શરીરને વળેલું ન રાખવું. (૩) અનનુબંધિ- અનુબંધ એટલે નિરંતર, પ્રતિલેખના નિરંતર ન કરવી, અર્થાત પ્રતિલેખનામાં પ્રસ્ફોટન-આસ્ફોટન-પ્રમાર્જન વગેરે સતત ન કરતાં આંતરે આંતરે તેને કરવાના વિધિ પ્રમાણે કરવા. (૪) અમોસલિ- મોસલી એટલે સાંબેલું. સાંબેલાની જેમ વસ્ત્ર ઉપર, નીચે કે તિહુઁ સ્પર્શે નહિ તેમ પ્રતિલેખના કરવી. (૫) છપૂર્વ (પુરિમ)- વસ્ત્રનું પોતાની સામેનું એક પડખું દૃષ્ટિથી સંપૂર્ણ જોઈને પહેલી વાર ત્રણ પુરિમ કરવા, બીજુ પડખું બદલીને તેને સંપૂર્ણ જોઈને બીજી વાર ત્રણ પુરિમ કરવા એમ બે વખતના મળીને છ પુરિમ એટલે કે છ વાર 'પ્રસ્ફોટન કરવું. નવઅખોડા- પડિલેહણમાં હાથની ઉપર નવ અખોડા કરવા અને તેમ કરીને પાણી પપ્પમનí=હાથ ઉપર કુંથુઆ વગેરે જીવોઉતર્યા હોય તેનું નવવાર પ્રમાર્જન કરવું.[૨૩] अवयवार्थं त्वाह वत्थे अप्पाणंमि अ, चउह अणच्चाविअं अवलिअं च । अणुबंधि निरंतरया, तिरिउड्वऽहघट्टणा मुसली ॥ २४० ॥ વૃત્તિઃ- “વ'-વસ્ત્રવિષયમત્મિનિ-માત્મવિષયે ૨', વસ્ત્રમાત્માનં વધચેત્યર્થ, ૧. પ્રસ્ફોટન એટલે વસ્ત્રને એક એક બાજા જોઈને ત્રણ ત્રણ વાર નચાવવું, તે પછી વધુટક કરીને (વસ્ત્રને આંગળીઓ વચ્ચે દબાવીને પકડીને) હથેળીની કોણી તરફ લઈ જતાં ત્રણ વાર ત્રણ ત્રણ વખત નચાવવું તે “નવ આસ્ફોટક અને તેની વચ્ચે વચ્ચે વસ્ત્રને કોણીથી હથેળી તરફ લઈ જતાં વસ્ત્ર વડે હાથની (કુંથુઆ આદિની રક્ષા માટે) પ્રમાર્જના કરાય તે પણ ત્રણ વાર ત્રણ ત્રણ કરાતી હોવાથી ‘નવ પ્રમાર્જના' કહેવાય છે. આ આસ્ફોટક અને પ્રમાર્જના એકબીજાના આંતરે ત્રણ વખત ત્રણ ત્રણ વાર કરાતાં હોવાથી કુલ નવ આસ્ફોટક અને નવ પ્રમાર્જન થાય છે. (ધ. સં. ભાષાં.). Page #134 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૧૦૧ 'चतुर्द्धा' भङ्गसम्भव इति वाक्यशेषः, वस्त्रं नर्तयति आत्मानं च, इत्थं वस्त्रं वलितमात्मा चेत्यादि, अनोभयमाश्रित्य 'अनर्त्तितमवलितं च' गृह्यते, 'अनुबन्धि' किमुच्यत इत्याह-'निरन्तरता'नैरन्तर्यप्रत्युपेक्षणमिति भावः, 'तिर्यगूर्ध्वमधोघट्टनान्मोषलिः' || २४० ॥ तिरि उड्ड अहे मुसली, घट्टण कुड्डे अ माल भूमीए । एअंतु मोसलीए, फुडमेवं लक्खणं भणिअं ॥ २४१ ॥ વૃત્તિ - “તિર્થ' ક્યા “á' માતા “ઘ' ભૂખ્યા “પટ્ટન' -તમતિ નાથાર્થ | ૨૪? || छप्पुरिमा तिरिअकए, नव खोडा तिन्नि तिन्नि अंतरिआ । ते उण विआणियव्वा, हत्थंमि पमज्जणतिएणं ॥२४२ ।। वृत्तिः- 'षट्पूर्वाः', पूर्वा इति प्रथमाः क्रियाविशेषाः, 'तिर्यकृत' इति च-तिर्यकृते वस्त्रे उभयतो निरीक्षणविधिना क्रियन्ते, 'नव प्रस्फोटास्त्रयस्त्रयोऽन्तरिता'-व्यवहिताः, क्व पुनस्त इत्याह-'ते पुनर्विज्ञातव्याः हस्ते'-आधारे, केनान्तरिताः ? 'प्रमार्जनत्रिकेण'-सुप्रसिद्धप्रमार्जनत्रितयेनेति गाथार्थः ॥ २४२ ॥ હવે ઉપર્યુક્ત દરેક દ્વારનો અર્થ કહે છે– અનર્તિત પદની વસ્ત્ર અને આત્માને આશ્રયીને ચતુર્ભગી થાય, તે આ પ્રમાણે(૧) વસ્ત્ર અને આત્મા એ બંનેને નચાવે. (૨) વસ્ત્રને ન નચાવે, આત્માને નચાવે. (૩) વસ્ત્રને નચાવે, આત્માને ન નચાવે. (૪) વસ્ત્ર અને આત્મા એ બંનેને ન નચાવે. આમાં બંને ન નચાવવા રૂપ છેલ્લો ભાંગી શુદ્ધ છે. એ જ રીતે “અવલિત' પદની પણ વસ્ત્ર અને શરીરને આશ્રયીને ચતુર્ભગી છે. તેમાં વસ્ત્ર અને શરીર એ બંનેને ન વાળવા રૂપ છેલ્લો ભાંગો શુદ્ધ છે. અનુબંધી (? અનુબંધ) એટલે નિરંતરતા. નિરંતર પડિલેહણા કરવી તે અનુબંધિ દોષ છે. તિથ્થુ, ઊંચે અને નીચે વસ્ત્રનો સંઘટ્ટ કરવો તે મોસલિ. તિર્ફે ભીંત વગેરેની સાથે, ઊંચે માળિયા વગેરેની સાથે, નીચે ભૂમિ વગેરેની સાથે વસ્ત્રનો સંઘટ્ટ કરવો તે મોસલિ દોષ છે, એમ મોસલિનું લક્ષણ સ્પષ્ટ જ કહ્યું છે. [૨૪૦-૨૪૧] પૂર્વો (પુરિમ) એટલે પહેલાં કરવાની વિશિષ્ટ ક્રિયાઓ. આ પૂર્વે વસ્ત્રને તિહુઁ કર્યા પછી બંને બાજુ જોવાપૂર્વક કરાય છે. નવ આસ્ફોટન ત્રણ ત્રણ આંતરે કરાય છે. તે ક્યાં કરાય છે? હાથ ઉપર. કોના આંતરે કરાય છે ? સુપ્રસિદ્ધ ત્રણ ત્રણ પ્રમાર્જનાના આંતરે. [૨૪૨]. Page #135 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ऊर्ध्वमित्यादिमूलद्वारगाथायाः अधिकृतप्रतिद्वारगाथायाश्च चरमद्वारव्याचिख्यासयाऽऽहतइअं पमज्जणमिणं, तव्वण्णऽद्दिस्ससत्तरखट्ठा । तक्खणपमज्जिआए, तब्भूमीए अभोगाओ ॥ २४३ ॥ वृत्ति:- 'तृतीयं प्रमार्जनमिति' द्वारपरामर्शः, इदं' तद्वर्ण' (हस्तवर्ण)' अदृश्यसत्त्वरक्षार्थमिति फलं, सम्भवमाश्रित्यात्र समययुक्तिः, 'तत्क्षणप्रमार्जिताया' एव पूर्व ' तद्भूमेः '-प्रत्युपेक्षणपृथिव्याः 'अभोगाद्', भूयः प्रत्युपेक्षणादिविरहेणेति । ['आगमे एवं भण्यते " यदुत यस्यां प्रत्युपेक्षणा क्रियते सा यद्यपि प्रत्युपेक्षणतः पूर्वं प्रमार्जिता तहावि पडिलेहणं काउं पुणो जाव न पमज्जिया ताव न भोत्तव्वा, एसा आगमियजुत्ती, न उण प्रमाणमङ्गीक्रियते । " ] इति गाथार्थः ॥ २४३ ॥ ११० ] હવે મૂલાર ગાથા (૨૩૩મી)ના અને પ્રસ્તુત (૨૩૯મી) પેટા દ્વારગાથાના છેલ્લા દ્વારનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાથી કહે છે.— ત્રીજીવાર પ્રમાર્જન દ્વારનો અર્થ આ પ્રમાણે છે- આ (ત્રીજીવાર) પ્રમાર્જન હાથના જેવા વર્ણવાળા હોવાથી ન દેખી શકાય તેવા જીવોના રક્ષણ માટે કરવામાં આવે છે. અર્થાત્ આસ્ફોટન કરતાં હાથ ઉપર જીવો ઉતર્યા હોય તો તેમની રક્ષા થાય એવી સંભાવનાથી આ પ્રમાર્જન સફલ છે. અહીં શાસ્રયુક્તિ એ છે કે- જે ભૂમિમાં રહીને વસ્ત્રોની પ્રતિલેખના કરાય છે તે ભૂમિનું વસ્ત્રનું પડિલેહણ કરતાં પહેલાં પ્રમાર્જન કર્યું હોવા છતાં પડિલેહણ કરી લીધા પછી ફરી તે ભૂમિનું પ્રમાર્જન नथाय त्यां सुधी ते लूमिनो उपयोग थ शडतो न होवाथी या प्रमार्थना दुराय छे. (न उण प्रमाण मङ्गीक्रियते = ) प्रभार्थना भाटे के हेतु (शास्त्रयुक्ति) भाव्यो ते प्रामाणिक तरी स्वीद्वारातो नथी. [२४३] विहिपाहण्णेणेवं भणिउं पडिलेहणं अओ उड्डुं । एअं चेवाह गुरू, पडिसेहपहाणओ नवरं ॥ २४४ ॥ वृत्ति:- 'विधिप्राधान्यनैवम्' - ऊर्ध्वादिप्रकारेण भणितुम् (? ' भणित्वा') - अभिधाय 'प्रत्युपेक्षणां' प्रकान्तां 'अत ऊर्ध्वमेनामेव'- प्रत्युपेक्षणा' माह-गुरु : '-निर्युक्तिकारः 'प्रतिषेधप्राधान्येन' प्रकारान्तरेण 'नवरं', विधिप्रतिषेधविषयत्वाद्धर्म्मस्येति गाथार्थः ॥ २४४ ॥ आरभडा सम्मद्दा, वज्जेयव्वा अठाणठवणा य । पप्फोडणा चउत्थी, विक्खित्ता वेइआ छट्ठी ॥ २४५ ॥ पडिदारगाहा ॥ वृत्ति:- 'आरभडा' प्रत्युपेक्षणेति अविधिक्रिया, तथा 'सम्मर्दा' - वक्ष्यमाणलक्षणा 'वर्जयितव्या, अस्थानस्थापना च' - वक्ष्यमाणरूपा 'प्रस्फोटना चतुर्थी'-वक्ष्यमाणलक्षणा 'विक्षिप्ता' - पञ्चमी वक्ष्यमाणलक्षणैव 'वेदिका षष्ठी' वक्ष्यमाणस्वरूपैवेति गाथार्थः ॥ २४५ ॥ ૧. [ ] આવા કાઉંસમાં મુદ્રિત પાઠ કોઈ પ્રતમાં છે અને કોઈ પ્રતમાં નથી. Page #136 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૨૨ પ્રતિલેખનાને આ પ્રમાણે “ઊર્ધ્વ આદિ દ્વારો વડે વિધિની પ્રધાનતાથી કહી, અર્થાત્ પ્રતિલેખનામાં શું શું કરવું જોઈએ ?=પ્રતિલેખના કેવી રીતે કરવી જોઈએ ? એમ કહ્યું. હવે આ જ પ્રતિલેખનાને નિયુક્તિકારપ્રતિષેધની પ્રધાનતાથી (નીચેની ગાથાઓમાં) કહે છે, અર્થાત્ પ્રતિલેખનામાં શું શું ન કરવું જોઈએ?=પ્રતિલેખના કેવી રીતે ન કરવી જોઈએ? એમ કહે છે. પ્રશ્ન- વિધિ કહેવાથી નિષેધ કહેવાઈ જાય છે, “આમ કરવું” એમ કહેવાથી “તે સિવાય ન કરવું” એમ કહેવાઈ જાય છે. તો વિધિથી પ્રતિલેખના કહ્યા પછી નિષેધથી પ્રતિલેખના કહેવાની જરૂર નથી. ઉત્તર- ધર્મમાં વિધિ-નિષેધ બને છે, અર્થાત્ ધર્મ માત્ર આમ કરવું જોઈએ ઇત્યાદિ) વિધિ રૂપ નથી, કિંતુ (આમ ન કરવું જોઈએ ઈત્યાદિ) નિષેધ રૂપ પણ છે. ધર્મ વિધિ-નિષેધ ઉભય સ્વરૂપ હોવાથી અહીં વિધિથી પ્રતિલેખના જણાવીને હવે નિષેધથી પ્રતિલેખના જણાવે છે. [૨૪] આરભડા, સંમર્દા, અસ્થાનસ્થાપના, પ્રસ્ફોટના, વિક્ષિપ્તા અને વેદિકા એ છ પ્રકારની પ્રતિલેખના અવિધિક્રિયા છે, અર્થાત્ આ છ પ્રતિલેખનાના દોષો છે. [૪૫] अवयवार्थं त्वाह वितहकरणंमि तुरिअं, अण्णं अण्णं व गिण्ह आरभडा । दारं । अंतो उहोज्ज कोणा, णिसिअण तत्थेव सम्मदा ॥२४६ ॥दारं ॥ वृत्तिः- 'वितथकरणे' वा- प्रस्फोटनाद्यन्यथासेवने वा आरभटा, 'त्वरितं' वा- द्रुतं वा सर्वमारभमाणस्य, 'अन्यद'र्द्धप्रत्युपेक्षितमेव मुक्त्वा कल्पं 'अन्यद्वा गृह्णतः आरभडेति', वाशब्दो विकल्पार्थत्वात् सर्वत्राभिसम्बध्यते आरभडाशब्दश्च, सम्मस्वरूपमाह-'अन्तस्तु भवेयुः कोणाः' वस्त्रस्य, तुर्विशेषणार्थः, किं विशिनष्टि ?, तानन्विषतो वस्त्रं संमईयतः सम्म, 'निषदनं तत्रैव' વ-પ્રયુક્ષિતષ્ટિવાયાં “સખËતિ' પથાર્થ: II રદ્દ | આરભડા વગેરે પ્રત્યેક દોષનો અર્થ કહે છે– વિતથ કરવું, અર્થાત્ પ્રસ્ફોટન વગેરે જે રીતે કરવું જોઈએ તેનાથી બીજી રીતે કરવું તે આરભડા. અથવા આરભડા એટલે બધું ઉતાવળે ઉતાવળે કરવું, અર્થાત્ એક વસ્ત્ર અધું જ પડિલીધેલું (પૂરું જોયા વિના જ) મૂકીને બીજું વસ્ત્ર લેવું. હવે સંમર્દી કહે છે- વસ્ત્રના છેડા અંદર હોય=અંદર વળેલા હોય તેને શોધવા માટે વસ્ત્રને ગંદળે, એ રીતે વસ્ત્રનું સંમર્દન કરવું ( મસળવું) તે સંમદ. અથવા પડિલીધેલી ઉપાધિ ઉપર બેસીને પડિલેહણ કરવું તે સંમર્દા. [૨૪૬] ગુરુ૩૫ મહાપ, (ર) પોલ મુવિ જેવા(વા) विक्खित्ते तुक्खेवो, वेइअपणगं च छद्दोसा ॥ २४७ ॥ ૧. આ ગાથા ઓઘનિયુક્તિ ઉપર રચાયેલા ભાષ્યની છે, અર્થાત્ આ ગાથા ઓઘનિર્યુક્તિના ભાષ્યકારની છે. ત્યાર પછીની ગાથા કે જેમાં આરભડા વગેરે દોષોનું વર્ણન છે, તે ગાથા નિયુક્તિકારની છે. આથી આ ગાથામાં “નિર્યુક્તિકાર કહે છે એ બરોબર છે. આ ભાષ્યગાથા હવે પછીની નિયુક્તિગાથાની અવતરણિકારૂપે છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ११२ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्ति:- 'गुर्ववग्रहादि अस्थानं' प्रत्युपेक्षितोपधेर्निक्षेप इति, 'प्रस्फोटनैव' भवति 'रेणुगुण्डिते' चैवेति, रेणुगुण्डितमेवायतनया प्रस्फोटयतः, 'विक्षिप्तेत्युत्क्षेपः ' 'सूचनात्सूत्र' मिति न्यायात् प्रत्युपेक्ष्य विविधैः प्रकारैः क्षिपत इत्यर्थः, 'वेदिकापञ्चकं' चोर्ध्ववेदिकादि, 'षड्दोषा' प्रत्युपेक्षणा इति गाथार्थः ॥ २४७ ॥ ગુરુનું અવગ્રહ વગેરે શિષ્યનું અસ્થાન છે. પડિલીધેલી ઉપધિ ગુરુનો અવગ્રહ વગેરે અસ્થાને મૂકવી તે અસ્થાનસ્થાપના. ધૂળવાળા વસ્ત્રનું અયતનાથી પ્રસ્ફોટન કરવું, અર્થાત્ ધૂળ કાઢવા ગૃહસ્થની જેમ વસ્ત્રને ઝાટકવું તે પ્રસ્ફોટના. પડિલેહણ કરીને વસ્ત્ર ગમે ત્યાં મૂકવું-ફેંકવું તે વિક્ષિપ્તા. વેદિકાના ઊર્ધ્વવેદિકા વગેરે પાંચ પ્રકાર છે. આરભડા વગેરે છ પ્રતિલેખનાના દોષો છે. [૨૪૭] अयं च वृद्धसम्प्रदायः उडुमहो एगत्तो, उभओ अंतो अ वेइआपणगं । जाणूणमुवरि हिट्ठा, एगंतर दोण्ह बीअं तु ॥ २४८ ॥ वृत्ति:- 'उड्ढ'वेतिया 'अहो 'वेतिया 'एगत्तो 'वेइया, 'दुह' वेइया 'अंतो 'वेइया, उड्ढवे या 'उवरिं जण्णुयाणं' हत्थे काऊण पडिलेहेइ ? अहोवेइया 'अहो' जण्णुयाणं २ एगओवेइया 'एग 'जण्णुय' मंतरेडं' ३ 'दुहओ' वेइया 'दोऽवि' ४ अंतोवेइया अंतो जण्णुयाणंति ५ ।। २४८ || (वेहिना पांथ प्रहारो विषे) वृद्धसंप्रहाय आछे ઊર્ધ્વવેદિકા, અધોવેદિકા, એકતોવેદિકા, દ્વિધાવેદિકા અને અંતોવેદિકા એમ પાંચ પ્રકારે વેદિકા છે. ઢીંચણો ઉપર હાથ (કોણી) રાખીને પ્રતિલેખના કરવી તે ઊર્ધ્વવેદિકા. ઢીંચણોની નીચે (બે સાથળો વચ્ચે) હાથ રાખવા તે અધોવેદિકા. એક ઢીંચણના આંતરે બે હાથ રાખવા તે એકતોવેદિકા. બે હાથની વચ્ચે બે ઢીંચણ રાખવા તે દ્વિધાવેદિકા. બે ઢીંચણોની વચ્ચે (ખોળામાં) બે ભુજાઓ રાખવી તે અંતોવેદિકા. [૨૪૮] प्रत्युपेक्षणादोषानेवाह पसिढिल पलंब लोला, एगामोसा अणेगरूवधुणा । कुणइ पमाणि पमायं, संकिअगणणोपगं कुज्जा ॥ २४९ ॥ दारं ।। वृत्ति:- 'प्रश्लथम् ' - अघनग्रहणात्, 'प्रलम्बम्'- एकान्तग्रहणेन, 'लोलनं ' भूमिकरयोरवज्ञया, 'एकामर्षः ' आकर्षणादौ, 'अनेकरूपधूननं' त्रिसङ्ख्योल्लङ्घनादौ, 'करोति प्रमादमिति योग:, क्वेत्याह-‘प्रमाणे’-प्रस्फोटनादिसम्बन्धिनि, ततः 'शङ्को 'पजायते, तद्विनिवृत्त्यर्थं 'गणनोपगं कुर्यात्'-प्रत्युपेक्षणं गणनां कुर्वन् कुर्यादित्यर्थः, अन्ये तु काक्वा व्याचक्षते - प्रमादतः शङ्काभावे सति गणनोपगं भवति, ततः प्रमादमेव न कुर्यादिति गाथासमुदायार्थः ॥ २४९ ॥ Page #138 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૨૩ બીજા પણ પ્રતિલેખનાના દોષો કહે છે– પ્રશ્લથ એટલે વસ્ત્રને મજબૂત ન પકડવું. પ્રલંબ એટલે વસ્ત્ર લટકે તે રીતે એક છેડેથી પકડવું. લોલન એટલે વસ્ત્રને અવજ્ઞાથી ભૂમિ ઉપર કે હાથમાં હલાવવું વિઝોળવું. એકામર્ષ એટલે વસ્ત્રને પહોળું કરવું હોય વગેરે પ્રસંગે એક હાથથી પકડે. (આમર્ષ સ્પર્શ, અર્થાત્ પકડવું) અનેકરૂપધૂનન એટલે (પુરિમ વગેરેની) ત્રણ વગેરે સંખ્યાથી અધિકવાર વસ્ત્રને હલાવવું. પ્રમાણપ્રમાદ એટલે પ્રસ્ફોટન વગેરેની સંખ્યાના પ્રમાણમાં પ્રમાદ કરવો, અર્થાત્ પ્રસ્ફોટન વગેરેની આટલા થયા એમ ઉપયોગપૂર્વક ગણના ન કરવી. કિરણોપvi jન્ના = ચોક્કસ ગણના ન કરવાથી પ્રસ્ફોટન પૂરા થયા કે અધૂરા? ઈત્યાદિ શંકા થાય. આવી શંકા ન થાય માટે ચોક્કસ ગણના કરવાપૂર્વક પ્રતિલેખના કરવી જોઈએ. બીજાઓ સંધિનો વગેરે પદોનો અર્થ આ પ્રમાણે કરે છે- પ્રમાદથી શંકા થતાં (પાછળથી) ગણના કરે. આવું ન બને એ માટે પ્રમાદ જ ન કરવો જોઈએ. ગાથાનો આ સામાન્ય અર્થ કહ્યો. [૨૪૯]. अवयवार्थं त्वाह पसिढिलमघणं अणिरायगं व विसमगह लंब कोणे वा । दारं । भूमिकरलोलणया, कड्डणगहणेक्कआमोसा ॥ २५० ॥ दारं ॥ વૃત્તિ - “પ્રશ્નથી નિતિ પ્રવેશધનપ્રહ મનિરીતિં વા'પ્રશ્નથમતરિતfમત્વર્થ, प्रलम्बमाह-'विषमग्रहे लम्बमि'ति भवति, मध्य इति गम्यते, 'कोणे वा'-पर्यन्ते वा लम्बं भवति अपरान्तग्रहणेन, अन्ये तु अनिरायतमपि प्रलम्बभेदमेवाभिदधति, लोलनमाह-'भूमिकरयोर्लोलनम् आकर्षणग्रहणयोरेकामर्ष' इति, आकर्षणे-सामान्येन वेण्टिकायाः ग्रहणेऽङ्गुलित्रयग्राह्यमेकया गृह्णत इति, तथाऽत्र वृद्धसम्प्रदायः-"एगामोसा मज्झे चित्तूण वत्थं घसंतो णेति दोहिवि पासेहिं जाव गिण्हणा, अहवा तिहिं अंगुलीहिं घित्तव्वं तं एक्काओ चेव गिण्हइ"त्ति गाथार्थः ॥ २५० ॥ હવે (ઉક્ત ગાથાનો બે ગાથાઓથી) વિશેષ અર્થ કહે છે પ્રશ્લથ એટલે વસ્ત્રને મજબૂત ન પકડવું, અથવા વસ્ત્રને સંપૂર્ણ પહોળું કર્યા વિના પકડવું. પ્રલંબ એટલે વસ્ત્રને વાંકું પકડવાથી મધ્યમાં લાંબુ થાય, અથવા એક છેડેથી પકડવાથી છેડે લાંબુ થાય. બીજાઓ તો વસ્ત્રને સંપૂર્ણ પહોળું કર્યા વિના પકડવું એને પ્રલંબનો જ ભેદ કહે છે. લોલન એટલે વસ્ત્રને ભૂમિ ઉપર કે હાથમાં હલાવવું. આકર્ષણમાં=વસ્ત્રને પહોળું કરવામાં અને લેવામાં એક આકર્ષ સ્પર્શ કરે, અર્થાત્ એક હાથથી પકડે, અથવા ત્રણ આંગળીથી પકડવાને બદલે એક (કે બે) આંગળીથી પકડે તે એકામર્ષ. અહીં વૃદ્ધસંપ્રદાય આ પ્રમાણે છે- એકામર્ષ એટલે વસ્ત્રને ૧. ટીકામાં માર્યા એમ આકર્ષણ શબ્દ છે. આકર્ષણ શબ્દનો શબ્દાર્થ તો ખેંચવું-તાણવું થાય. પડિલેહણમાં કંઈ ખેંચવાનું કે તાણવાનું હોતું નથી. આથી મેં આકર્ષણ એટલે પહોળું કરવું એવો ભાવાર્થ કર્યો છે. ૨. અહીં ટીકામાં “ગાઈને સચેત દિવાલા:"પદોનો અર્થ આ પ્રમાણે છે. સામાન્યતયા વિંટિયાને અંગુઠો અને તેની પાસેની ત્રણ આંગળીથી પકડવો જોઈએ, તેના બદલે એક આંગળી ભરાવીને પકડે. (આનો વિશેષ અર્થ બહુશ્રુતો પાસેથી જાણી લેવો.) Page #139 -------------------------------------------------------------------------- ________________ ११४] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते મધ્યમાંથી પકડ્યા પછી યાવત્ બે બાજુથી પકડે ત્યાં સુધી ઘસતાં ઘસતો લઈ જાય, અથવા (અંગુઠા સાથે બીજી) ત્રણ આંગળીથી પકડવાને બદલે એક (કે બે) આંગળીથી પકડે.” [૨૫]. धुणणा तिण्ह परेणं, बहूणि वा घेत्तु एगओ धुणइ । खोडणपमज्जणासुं, संकिय गणणं करि पमाई ।। २५१ ।। वृत्तिः- 'धुननं त्रयाणां' वाराणां 'परेण' कुर्वतः, 'बहूनि वा' वस्त्राणि 'गृहीत्वा एकतो धुनाति'=युगपद् धुनातीति, 'प्रस्फोटनप्रमार्जनासु च' प्रस्फोटनेषु-उक्तलक्षणेष्वेव प्रमार्जनेषु च-उक्तलक्षणेष्वेव 'शङ्कित इति शङ्कायां सत्यां 'गणनां कुर्यात्प्रमादी', भावार्थो निदर्शित एवेति गाथार्थः ॥ २५१ ॥ (પુરિમ વગેરેમાં) ત્રણથી અધિક હલાવવું તે અનેક કંપન, અથવા ઘણાં વસ્ત્રોને ભેગાં પકડી એકી સાથે હલાવવું (=પુરિમ વગેરે કરવું) તે અનેક કંપન. પ્રસ્ફોટન અને પ્રમાર્જન વગેરેમાં પ્રમાદી સાધુ આટલા પ્રસ્ફોટન થયા કે નહિ ઈત્યાદિ શંકા થતાં ફરીથી ગણતરી કરે તે શંકિતગણનોપગ छ. सानो भावार्थ तो पूर्वे (२४८भी थामi) बतायो ४ छे. [२५१] न चोर्ध्वादिविधाने सत्यनेकधा दोषवर्णनमनर्थकमित्येतदाह उड्डाइविहाणंमिवि, अणेगहा दोसवण्णणं एअं । परिसुद्धमणुट्ठाणं, फलयंति निदरिसणपरं तु ॥ २५२ ॥ वृत्तिः- 'ऊर्ध्वादिविधाने सत्यपि' 'उड्ढं' थिर'मित्यादिना, 'यदनेकधा दोषवर्णनमेतत्' प्रत्युपेक्षणायां 'अणच्चाविय'मित्यादिना यदुक्तम् एतत् किमित्याह-'परिशुद्धमनुष्ठानं'-निरतिचारमेव 'फलदमिति निदर्शनपरम्', अन्यथा प्रक्रान्तफलाभावादिति गाथार्थः ॥ २५२ ॥ ઊર્ધ્વ આદિ દોષોને કહેવા છતાં ફરી અનેક રીતે દોષોનું વર્ણન નિરર્થક નથી એ કહે છે ૨૩૩મી વગેરે ગાથાઓથી “ઊર્ધ્વ આદિ દોષોને જણાવવા છતાં ફરી ૨૩મી વગેરે ગાથાઓથી અનેક રીતે દોષોનું વર્ણન “અતિચાર રહિત જ અનુષ્ઠાન ફલ આપે છે” એ જણાવવા માટે કર્યું છે. અન્યથા, એટલે કે અતિચારવાળું પણ અનુષ્ઠાન મોક્ષફલ આપે એવું સિદ્ધ થાય તો, પ્રસ્તુત દોષવર્ણનનો કોઈ અર્થ જ નથી. [૨પ૨] तथा चाह नियुक्तिकार: अणुणाइरित्तपडिलेहा, अविवच्चासा अ अट्ठ भंगाओ । पढमं पयं पसत्थं, सेसाणि उ अप्पसत्थाणि ॥ २५३ ॥ वृत्तिः- ‘अन्यूना' प्रस्फोटनादिभिः 'अनतिरिक्ता' एभिरेव प्रत्युपेक्षणा-निरीक्षणादिक्रिया वेण्टिकाबन्धावसाना उपलक्षणत्वात् प्रत्युपेक्षणशब्दस्य, अविपर्यासाच'-अविद्यमानपुरुषादिविपर्यासा चेति त्रीणि पदानि, एतेषु चाष्टौ भङ्गा भवन्ति, तथा चाह-'अष्टौ भङ्गा' इत्यष्टौ भङ्गकपदानि भवन्ति, Page #140 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૨૬ अत्र 'प्रथमं पदम्'-आद्यभङ्गरूपं यदुपन्यस्तमेव एतत् 'प्रशस्तं'-मुक्त्यविरोधि, शेषाणि तु'-सप्त पदानि विपर्यासादिदोषवन्ति 'अप्रशस्तानि', न मुक्तिसाधकानीति गाथासमुदायार्थः ।। २५३ ।। આ જ વિષયને ઓઘનિર્યુક્તિના કર્તા (શ્રી ભદ્રબાહુ સ્વામી) કહે છે– પ્રતિલેખના અન્યૂન-અનતિરિક્ત અને અવિપર્યાસ કરવી જોઈએ. અહીં પ્રતિલેખના શબ્દના ઉપલક્ષણથી પ્રતિલેખનાના પ્રારંભથી માંડી વિટિયો બાંધવા સુધીની બધી નિરીક્ષણાદિની ક્રિયાઓ અન્યૂન-અનતિરિક્ત અને અવિપર્યાસ કરવી જોઈએ, એમ સમજવું. અન્યૂનઅનતિરિક્ત પ્રસ્ફોટન વગેરે ન્યૂન કે અધિક ન હોય તેવી. અવિપર્યાસ=વસ્ત્રના અને બાળ-વૃદ્ધ આદિના ક્રમનું ઉલ્લંઘન ન થાય તેવી. અન્યૂન-અનતિરિક્ત અને અવિપર્યાસ એ ત્રણે પદોની અષ્ટભંગી થાય. તેમાં પહેલો ભાગો કે જેનો મૂળગાથામાં ઉલ્લેખ કર્યો છે, તે પ્રશસ્ત=મોક્ષનો અવિરોધી છે. બાકીના સાત ભાંગી વિપર્યાસાદિ દોષવાળા હોવાથી અપ્રશસ્ત છે=મુક્તિસાધક નથી. ગાથાને આ સંક્ષેપથી અર્થ કહ્યો. [૨પ૩]. अवयवार्थं त्वाह नो ऊणा नऽइरित्ता, अविवच्चासा उ पढमओ सुद्धो । सेसा हुंति असुद्धा, उवरिल्ला सत्त जे भंगा ॥ २५४ ॥ વૃત્તિ - “ ચૂના નાતિરિ વિહા રા' પ્રત્યુવેતિ તે, “પ્રથમ: શુદ્ધ' इति अयं प्रथमभङ्गः शोभन इति, 'शेषाः भवन्त्यशुद्धाः-उपरितनाः सप्त ये भङ्गकाः', ન્યૂનત્વાતિ નાથાર્થ: / રપ૪ || હવે (ઉક્ત ગાથાનો) અવયવાર્થ (=વિશેષથી અર્થ) કહે છે અન્યૂન, અનતિરિક્ત અને અવિપર્યાસ પ્રતિલેખના રૂપ પ્રથમ ભાંગો શુદ્ધ છે. શેષ સાત ભાંગા અપૂર્ણ હોવાથી અશુદ્ધ છે. (સાત ભાંગા આ પ્રમાણે છે- અન્યૂન-અતિરિક્ત-અવિપર્યાસ, ન્યૂન-અનતિરિક્ત-અવિપર્યાસ, ન્યૂન-અતિરિક્ત-અવિપર્યાસ, અન્યૂન-અનતિરિક્ત-વિપર્યાસ, *અન્યૂન-અતિરિક્ત-વિપર્યાસ, ન્યૂન-અનતિરિક્ત-વિપર્યાસ, ન્યૂન-અતિરિક્ત-વિપર્યાસ.) [૨૫૪] यैयूँनत्वमधिकत्वं वेति तानाह खोडणपमज्जवेलासु चेव ऊणाहिआ मुणेअव्वा । __ चोदगः-कुक्कुडअरुणपगासं, परोप्परं पाणिपडिलेहा ॥ २५५ ॥ वृत्तिः- 'प्रस्फोटनप्रमार्जनवेलास्वेव न्यूनाधिका मन्तव्या' प्रत्युपेक्षणा, प्रस्फोटनैः प्रमार्जनैः कालेन चेति भावः, तत्र प्रस्फोटनादिभिन्यूनाधिकत्वं ज्ञायत एव, कालं त्वङ्गीकृत्य ૧. આનાથી એ સમજી શકાય છે કે પૂર્વે સાધુઓ પડિલેહણ કર્યા પછી બધી ઉપધિનો વિટિયો બાંધીને પાસે રાખતા. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'कुक्कुटअरुण' मित्यादिना गाथार्द्धन ‘एते तु अणाएसा' इत्यनेन च गाथासूत्रेणाह, अत्र च वृद्धसम्प्रदाय:- "कालेण ऊणा जो पडिलेहणाकालो तत्तो ऊणं पडिलेहेइ, तत्थ भण्णइ-को पडिलेहणाकालो? ताहे एगो भणति-जाहे 'कुक्कुडो' वासति पडिक्कमित्ता पडिलेहिज्जउ, तो पट्ठवेत्ता अज्झाइज्जउ १, अण्णो भणति-'अरुणे' उट्ठिए २, अण्णो-जाहे पगासं' जायं ३, अण्णो-पडिस्सए जाहे 'परोप्परं' पव्वइयगा दिस्संति ४, अण्णे भणंति-जाहे 'हत्थे रेहाओ दिस्संति' ५ ॥ २५५ ॥ एतेषां विभ्रमनिमित्तमाह देवसिया पडिलेहा, जं चरिमाएत्ति विब्भमो एसो । ડવિલિસા, તāથાતિ તો સેસી રદ્દ | वृत्तिः- 'दैवसिकप्रत्युपेक्षणा' वस्त्रादे र्यस्माच्चरमायां' तदन्वेव स्वाध्याय इति तस्माद् ‘વિપ્રમgs:', પ્રાન્તિરિત્યર્થ, વ ?- દાશિન:' વોચ, “તત્રાWારકિતિત્વ, તતઃ શેષા' નાફેશા તિ પથાર્થ છે રવદ્ II જે કારણોથી ન્યૂનતા કે અધિકતા થાય તે કારણો જણાવે છે– પ્રસ્ફોટનથી, પ્રમાર્જનથી અને કાલથી ન્યૂન કે અધિક પ્રતિલેખના જાણવી. તેમાં પ્રસ્ફોટન આદિથી ન્યૂન-અધિક પ્રતિલેખના સમજાય જ છે, અર્થાત્ નવથી ન્યૂન કે અધિક પ્રસ્ફોટન કે પ્રમાર્જન કરવું તે પ્રસ્ફોટનાદિથી ન્યૂન-અધિક પ્રતિલેખના છે. કાલને આશ્રયીને ન્યૂનાધિકતા પ્રસ્તુત ગાથાના કુંડમા ઈત્યાદિ ઉત્તરાર્ધથી અને W૩માણસા એ (૨૫૭મી) ગાથાથી જણાવેલ છે. અહીં વૃદ્ધપરંપરા આ પ્રમાણે છે- “પ્રતિલેખનાના કાલથી=સમયથી વહેલી પ્રતિલેખના કરે તે કાલથી ધૂન પ્રતિલેખના છે. અહીં શિષ્ય પૂછે છે કે પ્રતિલેખનાનો કાલ કયો છે? આના ઉત્તરમાં 'કોઈ (આચાય) કહે છે કે જ્યારે કુકડો બોલે ત્યારે પ્રતિક્રમણ કરીને પ્રતિલેખના કરવી, પછી સઝાય પઠવીને (કરીને) અધ્યયન કરે, વળી બીજા કહે છે કે-અરુણોદય થાય ત્યારે, વળી બીજા કહે છે કે-જ્યારે પ્રકાશ થાય (=પ્રભા ફાટે) ત્યારે, વળી બીજા કહે છે કે-ઉપાશ્રયમાં જ્યારે સાધુઓનું મુખ એક બીજાને દેખાય ત્યારે, "વળી બીજાઓ તો કહે છે કે જ્યારે હાથની રેખાઓ દેખાય ત્યારે પ્રતિલેખના કરવી.” [૨૫૫]. એમને (=કુર્કીટાદેશી આચાર્યને) આ વિષયમાં ભ્રમ કેમ થયો તે જણાવે છે વસ્ત્રાદિની દૈવસિક પ્રતિલેખના ચોથા પ્રહરના પ્રારંભમાં કહી છે, ત્યાર બાદ તુરત સ્વાધ્યાય કહ્યો છે. આથી રાત્રિની પ્રતિલેખના પણ રાત્રિના ચોથા પ્રહરમાં પ્રારંભમાં કરવી જોઈએ એવો ભ્રમ કુકટદિશી (=કુકડો બોલે ત્યારે પ્રતિલેખના કરવાનું કહેનાર) આચાર્યને થઈ ગયો, એથી કુકડો બોલે ત્યારે પ્રતિલેખના કરવાનું કહ્યું. અન્યથા આમ ન કહે. કારણ કે તે વખતે (કુકડો બોલે ત્યારે) અંધકાર હોય છે. અંધકારમાં પડિલેહણ કરવાનું આચાર્ય કેવી રીતે કહે ? ન કહે. ઉક્ત રીતે ભ્રમ થવાથી આમ કહ્યું છે. બાકીના વિકલ્પો પણ અનાદેશો એટલે કે અનાદેય છે. [૨૫] Page #142 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [११७ इह च वृद्धसम्प्रदाय: एए उ अणाएसा, अंधारे उग्गएऽवि हु ण दीसे । मुहरयणिसिज्जचोले, कप्पतिअ दुपट्ट थुइ सूरो ॥ २५७ ॥ वृत्तिः- एवं आयरिया भणंति-'सव्वेऽवि एए सच्छंदा, अंधकारे' पडिस्सए हत्थरेहाओ सूरे 'उग्गएऽवि न दीसंति', इमो पडिलेहणाकालो-आवस्सए कए तिहिं थुतीहिं दिण्णियाहिं जहा पडिलेहणकालो भवति तहा आवस्सयं कायव्वं, इमेहि य दसहिं पडिलेहिएहिं जहा सूरो उढेइ, "मुहपोत्तिय रयहरणं, दोन्नि निसिज्जा उ चोलपट्टो य । संथारुत्तरपट्टो, तिन्नि उ कप्पा मुणेयव्वा ॥ १ ॥" केई भणंति-एक्कारसमो दंडगो, एसो कालो, ततो जं ऊणं वा अइरित्तं वा कुणइ तं कालाओ ऊणातिरितं" ।। २५७ ॥ અહીં વૃદ્ધપરંપરા આ પ્રમાણે છે “(સિદ્ધાંતવાદી) આચાર્ય કહે છે કે આ બધા અનાદેશો છે, એટલે કે પોતાની મતિથી કલ્પલા આદેશો છે. કારણ કે અંધકારવાળા ઉપાશ્રયમાં સૂર્ય ઉગવા છતાં હાથની રેખાઓ ન દેખાય. માટે પ્રતિલેખનાનો (ખરો) સમય એ છે કે આવશ્યક (પ્રતિક્રમણ) કરીને ત્રણ સ્તુતિઓ કહ્યા પછી તુરત પ્રતિલેખનાનો સમય થાય તે રીતે આવશ્યક કરવું, અને દશ વસ્તુની પ્રતિલેખના પૂર્ણ થતાં સૂર્ય ઉગે તે સમયે પ્રતિલેખના શરૂ કરવી. તે દશ વસ્તુઓ આ છે- મુહપત્તિ, રજોહરણ, બે નિષદ્યા (નિષેથિયું અને ઓઘારિયું), ચોલપટ્ટો, સંથારો, ઉત્તરપટ્ટો અને ત્રણ કપડા. કોઈ કહે છે કે દંડસહિત અગિયાર વસ્તુઓની પ્રતિલેખના સમજવી. આ (દશ કે અગિયાર વસ્તુની પડિલેહણ પૂર્ણ થતાં સૂર્યોદય થાય એ) પ્રતિલેખનાનો કાળ છે. આ કાલથી વહેલી કે મોડી કરવામાં આવતી પ્રતિલેખના यथा न्यूनाति छ." [२५७] अत्रैव व्यतिकरे युक्तिमाह जीवदयट्ठा पेहा, एसो कालो इमीएं ता णेओ । आवस्सयथुइअंते, दसपेहा उट्ठए सूरो ॥ २५८ ॥ वृत्तिः- 'जीवदयार्थ' जीवदयानिमित्तं 'प्रत्युपेक्षणा' यस्माद् ‘एष कालोऽस्याः'प्रत्युपेक्षणायाः तस्मात् ज्ञेयः, आवश्यकस्तुत्यन्ते', प्रतिक्रमणान्ते इत्यर्थः, 'दश प्रत्युपेक्षेति दशसु वस्त्रेषु प्रत्युपेक्षितेषु सत्सु यथा 'उत्तिष्ठति सूर्यः' आदित्य इति गाथार्थः ।।.२५८ ।। अत्र वृद्धसम्प्रदाय एवम्-“एत्थ ऊणाइरित्तया जत्तेण परिहरियव्वा, एवं चेव इत्थ फलसिद्धी,सव्वण्णुवयणमेयं, ૧. રાઈ પ્રતિક્રમણમાં છેલ્લે કરાતા દેવવંદનમાં બોલાતી ચોથી થોય આવશ્યકચૂર્ણિ, ચૈત્યવંદન મહાભાષ્ય, સંઘાચારભાષ્ય વગેરે ગ્રંથોના આધારે આચરણા રૂપ છે. માટે અહીં “ત્રણસ્તુતિ કહ્યા પછી” એમ જણાવ્યું છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ११८ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वितहकरणं विराहणा, न उण इट्ठफलजोगो, नहि अणुवाया उवेयं पाविज्ज, अकालचारिकरिसगादयो एत्थ निदरिसणं, विवज्जओ चेव एवं हवतित्ति जयणाए सव्वत्थ आणापहाणेण होयव्वंति सपरिकरः 'खोडणे'त्यादि( २५५-२५६) गाथाद्वयार्थः ।। २५८ ।। પ્રતિલેખનાના આ કાલ વિષે યુક્તિ કહે છે પ્રતિલેખના જીવદયા માટે કહી છે. તેથી એનો (ખરો) કાળ એ સમજવો કે આવશ્યક અને ત્રણ સ્તુતિઓ પછી પ્રતિલેખના શરૂ કરતાં દેશની પ્રતિલેખના પૂર્ણ થતાં સૂર્યોદય થાય. અહીં વૃદ્ધપરંપરા આ પ્રમાણે છે- “પડિલેહણમાં ન્યૂનતાતિરિક્તતાનો યત્નપૂર્વક ન્યાગ કરવો એમ કરવાથી જ અહીં (ક્રિયામાં) ફલસિદ્ધિ થાય એવું સર્વજ્ઞવચન છે. વિપરીતપણે કરવાથી વિરાધના થાય, અને ઈષ્ટફળની પ્રાપ્તિ ન થાય. વિપરીત ઉપાયો ઉપેયને ફલને પામે. આ વિષે અકાળે ખેતી કરનારા ખેડૂતો વગેરે દષ્ટાંત રૂપ છે. વિપરીત કરવાથી જ આમ (ત્રફલની અપ્રાપ્તિ) थाय छे. भाटे सर्वत्र (=धा यामोमi) निशाने प्रधान नावीने यतनापूर्व प्रवृत्ति ४२वी." खोडण त्याहि (२५५-२५६) थानो विवेयनसहित अर्थ यो. [२५८] अनादेशानामुपन्यासप्रयोजनमाह एए उ अणादेसा, एत्थ असंबद्धभासगंपि गुरू । असढं तु पण्णविज्जत्तिखावणट्ठा विणिद्दिवा ॥ २५९ ॥ वृत्तिः- एतेच'-कुक्कुटादयः अनादेशा:अत्र'-शास्त्रे विनिर्दिष्टा इति योगः, किमर्थमित्यत्राह'असम्बद्धभाषकमपि' शिष्यमशठं त्विति योग: अशठमेव 'गुरुः'-आचार्य: 'प्रज्ञापयेत्' तत्त्वप्ररूपणया 'इति'-एवं ख्यापनार्थं'-ज्ञापनार्थं 'विनिर्दिष्टा' इति गाथार्थः ।। २५९ ।। અનાદેશોનો ઉલ્લેખ કરવાનું પ્રયોજન કહે છે અસંબદ્ધભાષી પણ શિષ્ય જો અશઠ (સરળ) હોય તો, તેને ગુરુ તત્ત્વનો ઉપદેશ આપે તત્ત્વો સમજાવે, એમ જણાવવા માટે અહીં કુર્કટ વગેરે વિકલ્પો અનાદેશો (=ખોટા મતો) હોવા છતાં કહ્યા छे. [२५८] अविपर्यासमाह गुरुपच्चक्खाणिगिलाणसेहमाईण पेहणं पुट्वि । तो अप्पणो पुव्वमहाकडाइं इअरे दुवे पच्छा ॥ २६० ॥ वृत्तिः- 'गुरुप्रत्याख्यानिग्लानशिक्षकादीनां 'प्रेक्षण'मिति प्रत्युपेक्षणं 'पूर्वम्' आदौ, अयं पुरुषाविपर्यासः, प्रथमं गुरुो:-आचार्यस्य सम्बन्धी उपधिराभिग्रहिकसाध्वभावे सर्वैः प्रत्युपेक्षितव्यः तदनु प्रत्याख्यानिन:-क्षपकस्य, तदनु ग्लानस्य, तदनु शिष्यकस्य-अभिनवप्रव्रजितस्य, आदिशब्दाद् व्यापृतवैयावृत्त्यकरादिपरिग्रहः, 'तत आत्मन' इति । उपकरणाविपर्यासमाह-'पूर्वं Page #144 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૨૬ यथाकृतानि' वस्त्रादीनि संयमोपकारकत्वात्, तथाकरणे तत्र बहुमानाद्, 'इतरे द्वे' उपकरणजातेअल्पपरिकर्मबहुपरिकर्मरूपे 'पश्चात्' तदुत्तरकालं प्रत्युपेक्षेतेति गाथार्थः ॥ २६० ॥ હવે અવિપર્યાસને કહે છે જો અભિગ્રહધારી સાધુ ન હોય તો બધા સાધુઓએ પહેલાં ગુરુની (=આચાર્યની) ઉપધિ પડિલેહવી, પછી ક્રમશઃ તપસ્વી, ગ્લાન, નવદીક્ષિત, વૈયાવચ્ચ વગેરે કાર્યમાં રોકાયેલા વેયાવચ્ચી સાધુ વગેરેની ઉપધિપડિલેહવી, પછી પોતાની ઉપધિ પડિલેહવી. આ પુરુષની અપેક્ષાએ અવિપર્યાસ (=અવિપરીત) ક્રમ છે. ઉપકરણનો અવિપર્યાસ ક્રમ આ પ્રમાણે છે- પહેલાં યથાકૃત 'વસ્ત્રાદિની પ્રતિલેખના કરવી. કારણ કે યથાકૃત વસ્ત્રાદિ સંયમમાં (અધિક) ઉપકારી છે. પહેલાં તેની પ્રતિલેખના કરવાથી યથાકૃત વસ્ત્રાદિ ઉપર બહુમાન થાય છે. (યથાકૃત વસ્ત્રાદિ બહુમાનને પાત્ર છે.) પછી ક્રમશઃ અલ્પપરિકર્મ અને બહુપરિકર્મ એ બે પ્રકારના વસ્ત્રાદિની પ્રતિલેખના કરવી. [૬૦] इदानीमर्थतो गतमपि विपर्यासं विशेषाभिधानार्थमाह पुरिसुवहिविवच्चासो, सागरिअ करिज्ज उवहिवच्चासं । आपुच्छित्ताण गुरुं, पडुच्च माणेतरे वितहं ॥ २६१ ॥ वृत्तिः- 'पुरुषोपधिविपर्यास' इति पुरुषविपर्यासो-गुरुं विहाय प्रत्याख्यानिन इत्यादिरूपः, उपधिविपर्यासस्तु प्रथमं बहुपरिकादेः तदनु यथाकृतस्य उपलक्षणत्वाच्चैतस्य पूर्वाह्ने प्रथम भाजनानां तदनु वस्त्राणां अपराह्ने विपर्ययः, एष विपर्यासः, अयं च न कर्त्तव्य इति, अपवादमाह'सागारिके' उपधौ तथा अनुचिते 'कुर्यादुपधिविपर्यासं', मा भूत् तत्र बहुमान इतरस्य वा सङ्क्लेश इति, एवं गुरोराभिग्राहिके सति 'आपृच्छ्यैव गुरुम्' आभिग्राहिकसम्पदा प्रभवति सति गुरौ 'इतर' इत्यन्येषां प्रत्याख्यानिप्रभृतीनां प्रत्युपेक्षेत, अन्यथा वितथ' मिति वितथं प्रत्युपेक्षणं મવતીતિ ગાથાર્થ: ૫ ર૬૨ || વિપર્યાસનો અર્થ જણાઈ ગયો હોવા છતાં વિશેષ કહેવા માટે વિપર્યાસનું વર્ણન કરે છે– ગુરુની ઉપધિનું પડિલેહણ કર્યા વિના તપસ્વીની ઉપધિનું પડિલેહણ કરવું” વગેરે પુરુષસંબંધી વિપર્યાપ્ત છે. પહેલાં બહુપરિકર્મ વગેરે ઉપધિનું અને પછી યથાકૃતનું પડિલેહણ કરવું એ ઉપધિવિપર્યાસ છે. આના ઉપલક્ષણથી સવારે પહેલાં પાત્રાની પછી વસ્ત્રની, અને સાંજે પહેલા વસ્ત્રની પછી પાત્રાની પડિલેહણા કરવી એ પણ ઉપધિવિપર્યાસ છે. આ વિપર્યાસ ન કરવો જોઈએ. ૧. ગૃહસ્થ પાસેથી મેળવ્યા પછી જે વસ્ત્રાદિમાં ફાડવું, સાંધવું વગેરે પરિકર્મ ન કરવું પડે, જેવું હોય તેવું જ ઉપયોગમાં લઈ શકાય તે યથાકૃત કહેવાય. ગૃહસ્થ પાસેથી મેળવ્યા પછી જે વસ્ત્ર ફાડવું, સાંધવું વગેરે થોડું પરિકર્મ કર્યા પછી ઉપયોગમાં લઈ શકાય તે અલ્પપરિકર્મ અને બહુ પરિકર્મ કર્યા પછી ઉપયોગમાં લઈ શકાય તે બહુપરિકર્મ કહેવાય, સાધુઓએ મુખ્યતયા યથાકૃત વસ્ત્રો વહોરવા જોઈએ. કારણ કે પરિકર્મવાળાં વસ્ત્રો વહોરવાથી પરિકર્મ કરવામાં સંયમવિરાધના, આત્મવિરાધના, સ્વાધ્યાય પલિમંથ (સ્વાધ્યાયહાનિ) વગેરે દોષો લાગે. યથાકૃત વસ્ત્રો ન મળે તો અલ્પપરિકર્મ વસ્ત્રો લઈ શકાય. અલ્પપરિકર્મ ન મળે તો છેવટે બહુપરિકર્મ વસ્ત્રો પણ લઈ શકાય. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આમાં અપવાદ આ પ્રમાણે છે- પ્રતિલેખનાના સમયે ચોર વગેરે કોઈ ગૃહસ્થ આવેલ હોય અને તેના દેખતાં યથોક્ત ક્રમથી ઉપધિનું પડિલેહણ કરવું યોગ્ય ન જણાય તો ઉપધિવિપર્યાસ કરે. કારણ કે સારી કિંમતી વસ્તુ કોઈ તેવા ગૃહસ્થને જોવામાં આવે તો કદાચ ચોરી જાય, અથવા પોતાને તેવી ન મળવાથી સંક્લેશ પણ થાય. કોઈ ગુરુભક્ત હોય તો પોતાના ગુરુની હલકી સામાન્ય કિંમતની વસ્તુ દેખીને પણ સંક્લેશ થાય. માટે ઉપધિવિપર્યાસ કરે. ગુરુની ઉપધિનું પડિલેહણ મારે કરવું એવા અભિગ્રહધારીઓ ગુરુની ઉપધિનું પડિલેહણ કરનારા હોય ત્યારે ગુરુને પૂછીને તપસ્વી આદિ અન્યની પ્રતિલેખના કરે. આવા કોઈ કારણ વિના જ ક્રમ ન સાચવે તો વિપર્યાસ(વિપરીત) પ્રતિલેખના થાય. [૨૬૧] उपसंहरन्नाह अप्पडिलेहिय दोसा, आणाई अविहिणावि ते चेव । तम्हा उ सिक्खिअव्वा, पडिलेहा सेविअव्वा य ॥ २६२ ।। दारं ॥ वृत्तिः- 'अप्रत्युपेक्षिते' उपधाविति गम्यते 'दोषाः' आज्ञादयः- 'आज्ञाऽनवस्थादयः, अविधिनाऽपि' प्रत्युपेक्षिते 'त एव' दोषा इति, यस्मादेवं 'तस्माच्छिक्षितव्या प्रत्युपेक्षणेति', तदुपलक्षिता प्रमार्जनादिक्रिया, 'सेवितव्या च' यथाऽऽगममिति गाथार्थः ॥ २६२ ।। હવે ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે– ઉપધિની પ્રતિલેખના ન કરવાથી આજ્ઞાભંગ, અનવસ્થા (છકાય વિરાધના, મિથ્યાત્વ) વગેરે દોષો લાગે, અને અવિધિથી પ્રતિલેખના કરવાથી પણ તે જ દોષો લાગે. આથી પ્રતિલેખના શીખવીજાણવી જોઈએ અને આગમમાં કહ્યા મુજબ કરવી જોઈએ. પ્રતિલેખનાના ઉપલક્ષણથી પ્રમાર્જનાદિ ક્રિયા પણ શીખવી-જાણવી જોઈએ અને આગમમાં કહ્યા મુજબ કરવી જોઈએ. [૨૬૨] प्रतिद्वारगाथायां प्रत्युपेक्षणेति व्याख्यातमाद्यद्वारम्, अधुना द्वितीयद्वारमाह पडिलेहिऊण उवहि, गोसंमि पमज्जणा उ वसहीए । अवरण्हे पुण पढमं, पमज्जणा पच्छ पडिलेहा ॥ २६३ ॥ वृत्तिः- 'प्रत्युपेक्ष्योपधिं'-मुखवस्त्रिकादिलक्षणं 'गोसे' प्रत्यूषसि तदनु 'प्रमाजना तु वसतेरिति, अपराह्ने पुनः प्रथमं प्रमाजना' वसतेः प्रथमं प्रमार्जना 'पश्चात्प्रत्युपेक्षणोप'धेरिति થાર્થ: તે રદ્દર | તત્ર वसही पमज्जियव्वा, वक्खेवविवज्जिएण गीएण । . उवउत्तेण विवक्खे, नायव्वो होइ अविही उ ॥ २६४ ।। ૧. વસ્ત્રને આંખથી જોવું તે પ્રતિલેખના અને રજોહરણથી પૂંજવું તે પ્રમાર્જન, એમ પ્રતિલેખન અને પ્રમાર્જનમાં ભેદ છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१२१ वृत्तिः- 'वसतिः'- यतिनिवासलक्षणा 'प्रमार्जयितव्या'-प्रमाटव्या, किंविशिष्टेनेत्याह'व्याक्षेपविवर्जितेन'-अनन्यव्यापारेण 'गीतार्थेन'-सूत्रार्थविदा 'उपयुक्तेन' मनसा 'विपक्षे' व्याक्षेपादौ 'ज्ञातव्या भवत्यविधिरेव' प्रमार्जनेऽपीति गाथार्थः ।। २६४ ॥ सइ पम्हलेण मिउणा, चोप्पडमाइरहिएण जुत्तेणं । अव्विद्धदंडगेणं, दंडगपुच्छेण नऽन्नेणं ॥ २६५ ॥ वृत्तिः- 'सदा' सर्वकालं 'पक्ष्मलेन' पक्ष्मवता 'मृदुना' अकठिनेन 'चोप्पडमादिरहितेन' स्नेहमलक्लेदरहितेन 'युक्तेन' प्रमाणोपेतेन 'अविद्धदण्डकेन' विधिग्रन्थिबन्धेनेत्यर्थः, 'दण्डकप्रमार्जनेन'-संयतलोकप्रसिद्धेन 'नान्येन'-कचवरशोधनादिनेति गाथार्थः ॥ २६५ ।। ૨. પ્રમાર્જના દ્વારા મૂલદ્વાર (૨૩૦મી) ગાથાના પહેલા પ્રત્યુપેક્ષણા' દ્વારનું વ્યાખ્યાન કર્યું. હવે બીજા (પ્રમાર્જના) દ્વારનું વર્ણન કરે છે. સવારમાં પહેલાં મુહપત્તિ વગેરે ઉપધિની પ્રતિલેખના કરવી. પછી વસતિની પ્રાર્થના કરવી = કાજો લેવો. સાંજના પહેલાં વસતિની પ્રાર્થના કરવી, પછી ઉપધિની પ્રતિલેખના કરવી. [૨૬૩] વસતિ વ્યાક્ષેપથી રહિત બનીને=અન્ય-વ્યાપારોને છોડીને એકાગ્રચિત્તે ગીતાર્થ સાધુએ પ્રમાર્જવી. વ્યાપ આદિથી પ્રમાર્જન કરવા છતાં અવિધિ જ થાય. વસતિ=સાધુઓનું નિવાસસ્થાન. ગીતાર્થ સૂત્રાર્થનો જાણકાર. [૨૬] હંમેશાં નરમ દરિયોવાળા, કોમળ, ચીકાશ-મેલ-ભીનાશથી રહિત, પ્રમાણપત અને વિધિપૂર્વક ગાંઠો વાળીને દંડ સાથે બાંધેલી દશીઓવાળા દંડાસણથી 'વસતિ प्रभावी, साव२९. माहिथा नहि. [२६५] अप्रमार्जने दोषानाह अपमज्जणंमि दोसा, जणगरहा पाणिघाय मइलणया । पायपमज्जणउवही, धुवणाधुवर्णमि दोसा उ ।। २६६ ॥ वृत्तिः- 'अप्रमार्जने दोषाः' वसतेरिति गम्यते, के ? इत्याह-'जनगाँ' लोकनिन्दा, 'प्राणिघातो' रेणुसंसक्ततया, 'मालिन्यं पादाप्रमाजनादुपघेः' रेण्वाकान्तोपविशनेन, 'धावनाधावनयोर्दोषा एव' कायात्मविराधनादय इति गाथार्थः ।। २६६ ॥ વસતિનું પ્રમાર્જન ન કરવામાં દોષો કહે છે– વસતિનું પ્રમાર્જનન કરવાથી લોકનિંદા, પ્રાણિઘાત અને મલિનતા (વગેરે) દોષો લાગે છે. (આ વસતિનું પ્રમાર્જન કર્યા પછી ભેગા થયેલા કાજાનું–કચરાનું બરોબર નિરીક્ષણ કરવું જોઈએ. નિરીક્ષણ કરતાં જુ વગેરે જેવો દેખાય તો તેમને સુરક્ષિત સ્થાનમાં મૂકવા જોઈએ. જેમકે જુ હોય તો મલિન વસ્ત્રમાં મૂકવી જોઈએ, માંકડ હોય તો લાકડામાં મૂકવા જોઈએ. મરેલા જીવોની સંખ્યા ગણીને તે પ્રમાણે આલોચના કરવી જોઈએ. પછી એ કાજાને સુપડીમાં લઈને છાયામાં લોકોના પગ ન પડે તેવા સ્થળે) પરઠવવો જોઈએ. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते સાધુઓ તદન એદી છે, જેથી પોતાને રહેવાના સ્થાનની શુદ્ધિ પણ કરતા નથી વગેરે લોકનિંદા થાય.) જીવો ધૂળના સંસર્ગથી (દબાઈ જાય વગેરે કારણે) મૃત્યુ પામે, એથી પ્રાણઘાત દોષ લાગે. પગ ધૂળથી ખરડાય. ધૂળથી ખરડાયેલા પગને પંજ્યા વિના બેસવાથી ઉપધિ મલિન થાય. મલિન ઉપધિને ધુએ તો અને ન ધુવે તો પણ છકાયવિરાધના અને આત્મવિરાધના વગેરે દોષો લાગે જ. [૨૬૬] प्रतिद्वारगाथायां प्रमार्जनेति व्याख्यातं, साम्प्रतं पात्रकाण्यधिकृत्य प्रत्युपेक्षणामेवाह चरिमाएँ पोरिसीए, पत्ताए भायणाण पडिलेहा । सा पुण इमेण विहिणा, पन्नत्ता वीयरागेहिं ॥ २६७ ॥ __ वृत्तिः- 'चरिमायां पौरुष्यां प्राप्तायां', चतुर्भागावशेषे प्रहर इत्यर्थः, 'भाजनानां प्रत्युपेक्षणा' क्रियते 'सा पुनरनेन'-वक्ष्यमाणलक्षणेन 'विधिना प्रज्ञप्ता 'वीतरागैः' तीर्थकरगणધતિ થઈ ર૬૭ / મૂલદ્વાર (૨૩૦મી) ગાથાના પ્રમાર્જના' દ્વારનું વ્યાખ્યાન કર્યું. હવે પાત્રાને આશ્રયીને પ્રતિલેખનાને જ કહે છે– "ચરિમ પોરિસી પૂર્ણ થતાં, અર્થાત પહેલા પ્રહરનો ચોથો ભાગ બાકી હોય ત્યારે, પાત્રાની પ્રતિલેખના કરવી. તીર્થકર અને ગણધરોએ તે પ્રતિલેખના આ (હવે કહેવાશે તે) વિધિથી કરવાની કહી છે. [૨૬] तत्र चरिमायां विधिनैव प्रत्युपेक्षणा कर्त्तव्या, यत आह तीआणागयकरणे, आणाई अविहिणाऽवि ते चेव । तम्हा विहीऍ पेहा, कायव्वा होइ पत्ताणं ॥ २६८ ॥ वृत्तिः- 'अतीतानागतकरणे' अतिक्रान्तायां चरिमायां अप्राप्तायां वा प्रत्युपेक्षणाकरणे आज्ञादयः' आज्ञाऽनवस्थादयो दोषाः, 'अविधिनाऽपि' प्रत्युपेक्षणाकरणे ‘त एवाज्ञा'दय इति, यस्मादेवं 'तस्माच्च'रमायामेव 'विधिना' वक्ष्यमाणस्वरूपेण 'प्रत्युपेक्षणा' वक्ष्यमाणैव 'कर्तव्या भवति पात्रयोः', पुनः स्वाध्यायसंश्रये आचार्यप्रणामं कृत्वा तदभावे चाभिवन्द्योत्थायैवेति गाथार्थः ।। २६८ ॥ ચરિમપોરિસીમાં વિધિથી જ પ્રતિલેખના કરવી, તેનું કારણ જણાવે છે– ચરિમ પોરિસી વીતી ગયા પછી અથવા પૂર્ણ થયા પહેલાં પ્રતિલેખના કરવામાં આજ્ઞાભંગ, અનવસ્થા વગેરે દોષો થાય. અવિધિથી પ્રતિલેખના કરવામાં પણ તે જ દોષો લાગે. આથી પોરિસી પૂર્ણ થતાં જ પ્રતિલેખના કરવી. પુનઃ સ્વાધ્યાયનો સમય થતાં આચાર્ય ભગવંતને પ્રણામ કરીને અને તેઓના અભાવે ઊભા થઈને માનસિક વંદન કરીને સ્વાધ્યાય કરે. પાત્રપ્રતિલેખનાનો વિધિ અને તેનું સ્વરૂપ હવે કહેવાશે. [૨૬૮] ૧. દિવસના પ્રારંભના પોણા પ્રહરની “ચરિમ’ પોરિસી એવી સંજ્ઞા છે. જાઓ નિશીથ ઉ. ૨ ગાથા ૧૪૨૬ની ચૂર્ણિ. Page #148 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] प्रत्युपेक्षणाविधिमाह भाणस्स पास बिट्टो, पढमं सोआइएहिं काऊणं । उवओगं तल्लेसो, पच्छा पडिलेहए एवं ॥ २६९ ॥ वृत्ति:- 'भाजनस्य पार्श्व उपविष्ट' इत्यत्र मात्रकाद् वितस्त्यन्तरं व्यवस्थापितस्य मूलभाजनस्य आसन्ने उपविष्टः 'प्रथमं' मुखवस्त्रिकां प्रत्युपेक्ष्य 'श्रोत्रादिभिः कृत्वोपयोग 'मिति, अत्र पश्चानुपूर्व्या श्रोत्रग्रहणं सर्वेन्द्रियोपयोगख्यापनार्थं, तथा च वृद्धसम्प्रदाय:- पढमं चक्खुणा उवउज्जर, जाहे बाहिं न दिट्टं भवति ततो सोएणं अंतो अतिगयं हविज्जा, ततो घाणेण किक्किसिंघणं वा, जत्थ गंधो तत्थ रसो, फासे उवरि पडलाण हत्थं दिज्जा, एवं श्रोत्रादिभिः कृत्वोपयोगं 'तल्लेश्यः' सन्तद्भावपरिणत इत्यर्थ:, 'पश्चात्' तदुत्तरकालं 'प्रत्युपेक्षेत' भाजन' मेवं' - वक्ष्यमाणेन प्रकारेणेति ગાથાર્થઃ ॥ ૨૬૬ || પાત્રપ્રતિલેખનાનો વિધિ કહે છે— માત્રકથી એક વેંતના આંતરે મૂકેલ મૂલપાત્રાંની પાસે બેઠેલો સાધુ પહેલાં મુહપત્તિનું પડિલેહણ કરે, પછી શ્રોત્ર વગેરે ઇંદ્રિયોથી ઉપયોગ મૂકે, પછી તેમાં જ એકાગ્ર થઈને હવે કહેવાશે તે રીતે પાત્રાંની પડિલેહણા કરે. [૧૨૩ પ્રશ્ન- અહીં મૂળગાથામાં ‘સોઆäિ' એ સ્થળે શ્રોત્રંદ્રિય સિવાય બીજી કોઈ ઈંદ્રિયનો (સાક્ષાત્) ઉલ્લેખ ન કરતાં પશ્ચાનુપૂર્વીથી શ્રોત્રંદ્રિયનો (સાક્ષાત્) ઉલ્લેખ કેમ કર્યો ? ઉત્તર- સર્વ (પાંચેય) ઈંદ્રિયોથી ઉપયોગ મૂકવાનું જણાવવા પશ્ચાનુપૂર્વીથી શ્રોત્રંદ્રિયનો (સાક્ષાત્) ઉલ્લેખ કર્યો છે. ઈંદ્રિયોનો ઉપયોગ મૂકવામાં વૃદ્ધપરંપરા આ પ્રમાણે છે- “પહેલાં ચક્ષુથી ઉપયોગ મૂકે=જીએ. (જો પાત્રાની ઝોળીની બહાર જીવો દેખાય તો જયણાપૂર્વક દૂર મૂકે.) આંખથી બહાર જીવો ન દેખાય તો પછી અંદરના જીવોને જાણવા માટે શ્રોત્રથી ઉપયોગ મૂકે. (અવાજથી ભમરો-ભમરી આદિ જીવો હોય તો જાણી શકાય.) પછી નાસિકાથી લોહી (વગેરે)ને સૂંથે. (કોઈ જીવ ચગદાઈને મરી ગયો હોય તો લોહીની ગંધથી ખ્યાલ આવી જાય.) જ્યાં ગંધ હોય ત્યાં રસ હોય. (માટે ગંધ જાણવાનો પ્રયત્ન કરતાં ગંધના પુદ્ગલો ઉચ્છ્વાસ વગેરેથી હોઠને લાગે. જિલ્લાથી હોઠને સ્પર્શીને તે પુદ્ગલોના રસને જાણે. આમ રસથી પણ કોઈ જીવ મરી ગયો કે ચગદાઈ ગયો હોય તો જાણી શકાય.) સ્પર્શથી જાણવા પડલા ઉપર હાથ મૂકે. (જેથી જો ઉંદરડી વગેરે હોય તો તેના નિઃશ્વાસનો વાયુ શરીરે લાગવાથી ખબર પડી જાય.)” [૬૯] तथा चाह मुहणंतएण गोच्छं, गोच्छगलइअंगुली उ पडलाई । उक्कुडुओ भाणवत्थे, पलिमंथाईसु तं न भवे ॥ २७० ॥ Page #149 -------------------------------------------------------------------------- ________________ १२४ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- 'मुखानन्तकेने' ति मुखवस्त्रिकया 'गोच्छकं'-पात्रोपकरणविशेषं प्रत्युपेक्षेत्, ततोऽगुलिगृहीतगोच्छकस्तु पटलानि' पात्रोपकरणविशेषलक्षणानि, 'उत्कुटुको भाजनवस्त्राणि' पटलानि प्रत्युपेक्षेत इति केचित्, 'पलिमन्थादेस्तन्न भवति'-तन्न भवेत्, अनादेशोऽयं, परिश्रमदोषादित्यर्थः, तथा च वृद्धवादः-पडिलेहणा पुव्ववन्निया धीराणं, केई भणंति-पडलाइं उक्कुडुओ पडिलेहेइ, अम्हं पुण नत्थि, अम्हं विनिविट्ठो, पलिमंथाईदोसा इति गाथार्थः ॥ २७० ॥ પાત્રોની પ્રતિલેખના કેવી રીતે કરવી એ જણાવે છે– પહેલાં મુહપત્તિથી ગુચ્છાની પ્રતિલેખના કરે. પછી ગુચ્છાને આંગળીઓમાં રાખીને પડલાઓની પ્રતિલેખના કરે. અહીં કોઈ આચાર્યો કહે છે કે ઉત્કટુક (=ઉભડક પગે) બેસીને પડલાઓ પડિલેહવા. પણ તે બરોબર નથી. કારણ કે એમાં પરિશ્રમ થાય. અહીં વૃદ્ધમત આ પ્રમાણે છે- “પૂર્વે કહેલી પ્રતિલેખના ધીરોની છે, અર્થાતુ ધીરપુરુષો તેનું પાલન કરી શકે. કોઈ આચાર્ય કહે છે- પડલા ઉત્કટુક બેસીને પડિલેહે. પણ અમારા ગચ્છમાં તેમ થતું નથી. અમારા ગચ્છમાં સાધુ આસને બેસીને પડલા પડિલેહે છે. કારણ કે ઉસ્કુટુક બેસીને ५डिवाथी पलिभंथ वो षो दागे." [२७०] ततश्च चउ कोण भाणकोणे, पमज्ज पाएसरीएँ तिउणंति । भाणस्स पुष्फगं तो, इमेहिं कज्जेहिं पडिलेहे ॥ २७१ ॥ वृत्तिः- तदनन्तरं 'चतुरो'ऽपि पात्रबन्ध कोणान्' प्रमाष्टि,तदनु 'भाजनकोणं', यत्र आदी तद्ग्रहण-मिति तांश्चैवं प्रमाष्टि, 'प्रमृज्य पात्रकेसर्येति', तत स्त्रिंगुणं' तु भाजनमन्तर्बहिश्च, 'भाजनस्य पुष्पकं' नाभिप्रदेशं 'तत एभिः कार्यैः'-वक्ष्यमाणलक्षणैः ‘प्रत्युपेक्षेत' विधिनेति गाथाक्षरार्थः । भावार्थस्तु वृद्धसम्प्रदायादवसेयः, स चायम् ____ "जाहे पडलाणि पडिलेहियाणि हवंति ताहे पायकेसरियं पडिलेहित्ता गोच्छगं वामेण हत्थेणं अणामिगाए गिण्हइ, ताहे पायकेसरियाए चत्तारि पत्ताबंधकोणे पमज्जित्ता भायणं सव्वतो समंता पडिलेहेइ, ताहे उवओगं वच्चइ पंचहि, पच्छा मुहणंतएणं अन्तो तिण्णि वारे पमज्जइ, बाहिपि तिणि वारे पमज्जित्ता जाव हेट्ठा पत्तो ताहे वामेणं हत्थेणं गिण्हइ चउहि अंगुलेहिं भूमिमपावंतं, ताहे पुप्फयं पलोएति" [ २७१] ૧. અહીં પલિમંથનો અર્થ પરિશ્રમ કર્યો છે. જ્યારે તેનો પ્રચલિત અર્થ હાનિ કે વિનાશ છે, અને તે વધારે સંગત છે. ધર્મસંગ્રહમાં સ્વાધ્યાયની હાનિ ન થાય માટે પડલાની પ્રતિલેખના આસન ઉપર બેસીને કરે એમ જણાવ્યું છે. ત્યાં પ્રશ્નોત્તરી આ પ્રમાણે છેવસ્ત્રનું પડિલેહણ ઉત્કર્ક (ઉભડક પગે) બેસીને કરવાનું વિધાન છે, તો પાત્રાનાં ગુચ્છા વગેરે વસ્ત્રોનું પડિલેહણ પણ ઉલ્લુટુક બેસીને જ કરવું જોઈએ. ઉત્તર- તમે કહ્યું તે બરોબર નથી. તેમ કરવાથી તો સૂત્ર-અર્થનો પલિમંથ (હાનિ) થાય. કારણ કે સાધુ પહેલાં આસને બેસે, પછી પાત્રાના વસ્ત્રોના પડિલેહણ માટે ઉત્સુક બેસે, ફરી પાત્રોના પડિલેહણ માટે આસને બે. આમ વાર લગાડતા સાધુને સૂત્રાર્થના પલિમંથ થાય. આથી આસન ઉપર બેસીને જ પાત્રોની અને તેનાં વસ્ત્રોની પ્રતિલેખના કરવી. Page #150 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१२५ ત્યારબાદ (પાત્રને વીંટવાના વસ્ત્રને (=રજસ્ત્રાણને) પાત્રમાંથી લઈને) પાત્રકેસરિકાથી ઝોળીના ચારે ખૂણાનું (ખૂણાઓને પાત્રની ઉપર જ ભેગા રાખીને) પ્રમાર્જન કરે. ત્યારબાદ પાત્રકેસરિકાથી પાત્રના કાંઠાને ( કિનારીને) પ્રમાર્શે. કારણ કે પહેલાં પાત્રને ત્યાંથી પકડવાનું છે. પછી (પાત્ર કેસરિકાથી જો ત્રણ વાર અંદર અને ત્રણ વાર બહાર પાત્રાનું પડિલેહણ કરે. ત્યારબાદ પાત્રના તળિયાનું બહારના નીચેના મધ્યભાગનું) હવે કહેવાશે તે કાર્યોથી (=કારણોથી) વિધિપૂર્વક પડિલેહણ કરે. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ છે. આનો ભાવાર્થ વૃદ્ધપરંપરાથી જાણવો. વૃદ્ધપરંપરા આ પ્રમાણે છે “પડલાઓનું પડિલેહણ કર્યા પછી પાત્રકેસરિકા પડિલેહે. પછી ગુચ્છાને ડાબા હાથની અનામિકા આંગળીથી પકડે. પછી પાત્રકેસરિકાથી ઝોળીના ચાર ખૂણાઓનું પ્રમાર્જન કરે. પછી અંદર-બહાર વગેરે બધી તરફથી પાત્રને પડિલેહે, તેમાં પહેલાં પાંચ ઈંદ્રિયોથી ઉપયોગ મૂકે, પછી મુહપત્તિથી અંદરથી ત્રણ વાર અને બહારથી પણ ત્રણ વાર પાત્રને પ્રમાર્જ. પછી ભૂમિથી ચાર આંગળ અદ્ધર રહે તે રીતે ડાબા હાથથી પાત્રને પકડીને તેના તળિયાનું નિરીક્ષણ કરે.” [૨૭૧] વિનિમિત્તમ્ ?, fમ: કારરિત્યાદ मूसगरयउक्केरे, घणसंताणए इअ । उदए मट्टिया चेव, एमेआ पडिवत्तिओ ॥ २७२ ॥ वृत्तिः- 'मूषकरजउत्करः घनसन्तानकश्च उदकं मृच्चैव, एवमेताः प्रतिपत्तयः' कायापत्तिस्थानानीति श्लोकसमुदायार्थः ।। २७२ ।। હવે કયાં કારણોથી પાત્રના તળિયાનું નિરીક્ષણ કરે તે કહે છે– મૂષક રજઉત્કર, ઘનસંતાન, પાણી અને માટી-આ જીવોને પાત્રમાં આવવાનાં સ્થાનો છે. આ શ્લોકનો સામાન્ય અર્થ છે. (મૂષક રજઉત્કર- કદાચ ઉંદરે જમીનમાં કરેલા બીલની સચિત્ત ધૂળ પાત્રના તળિયે લાગી હોય. ઘનસંતાન- કરોળિયાએ તંતુની જાળ કરી હોય. પાણી- નીચેની જમીન ભીની હોવાથી તેમાંથી ફૂટેલું (ભેજનું) પાણી લાગેલું હોય. માટી- નીચેની જમીન ભીની હોવાથી ભૂમિને ભેદીને (સચિત્ત) માટી લાગી હોય.) [૨૭૨] अवयवार्थं त्वाह नवगनिवेसे दूराओ, उक्किरो मूसएहिं उक्किण्णो । निद्धमही हरतणुओ, ठाणं भित्तूण पविसिज्जा ॥ २७३ ॥ વૃત્તિઃ- “નવનિ' પ્રમાવિતિ તે “સૂરસ્' પીરાત્ “:' વિરંથિवीरजोलक्षणः 'मूषकैरुत्कीर्णो' भवेद्, व्याख्यातं रजोद्वारम्, अधुना घनसन्तानद्वारमुल्लङ्घयैकेन्द्रियसाम्यादुदक-द्वारमाह-'स्निग्धमह्यां' क्वचिदनूपदेशे हरतनुस्थापनं'पात्रस्थापन भित्त्वा प्रविशेत्', स्थापनग्रहणं पात्रबन्धाधुपलक्षणं, स उर्ध्वगामी उदकबिन्दुहरतनुरभिधीयत इति गाथार्थः ॥ २७३ ।। Page #151 -------------------------------------------------------------------------- ________________ १२६ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते હવે ઉક્ત શ્લોકનો વિશેષ અર્થ કહે છે રજ- જે ગામ વગેરેમાં સાધુઓ રહ્યા હોય તે જો નવું વસ્યું હોય, તો ત્યાં પાત્રની બાજુમાં સચિત્ત જમીનની ઉંડાણમાંથી ઉંદરો બિલ કરે, એથી ત્યાં ધૂળનો ઢગલો થાય, એ ધૂળ પાત્રને લાગે. રજોદ્વારનું વ્યાખ્યાન કર્યું. હવે ક્રમ પ્રમાણે ઘનસંતાન દ્વાર આવતું હોવા છતાં એકેન્દ્રિયની समानताथी 665 वा२४ छ-ओमनू५ (मपि पावा) देशमा ३२तनु' (= 665 लिओ) ગુચ્છાને અને ઝોળી વગેરેને ભેદીને પાત્રમાં પેસે. જમીનમાંથી ઉપર જનાર ઉદકબિંદુઓને “હરતનું उपाय छे. [२७] मृद्वारमाह कोत्थलगारी घरगं, घणसंताणाइया य लग्गिज्जा । ___ उक्केरं सट्ठाणे, हरतणु चिट्ठिज्ज जा सुक्को ॥ २७४ ॥ वृत्तिः- 'कोत्थलकारी गृहक'मिति, वनकारिकाए घरं कयं, आणित्ता किमिए छुहइ । द्वारं ॥ इदानीं त्रससाम्याद् घनसन्तानद्वारमाह-'घनसन्तानादयो वा लगेयुः', घणसंताणओ णाम कोलियओ, सो पुण पात्रे वा भायणे वा लगेज्जा, अत्र यतनाविधेयमाह-'उक्केर स्वस्थान' इति, 'जाहे सचित्तरओ भवति ताहे तस्स चेव उवरि पमज्ज्जेइ, 'हरतनौ तिष्ठेद् यावच्छुष्क' इति, 'जत्थ हरतणुओ भवति तत्थ ताव अच्छिज्जइ जाव विद्धत्थो ति गाथार्थः ।। २७४ ॥ મૃત્તિકા દ્વારને કહે છે– કોત્થલકારી નામના જંતુવિશેષે (=ભ્રમરીએ) માટીનું ઘર (પાત્રના તળિયામાં) બનાવ્યું હોય અને તેમાં કૃમિઓ (=ઈયળો) લાવીને મૂક્યા હોય. મૃદ્ધાર પૂર્ણ થયું. હવે ત્રસની સમાનતાથી ઘનસંતાન દ્વારને કહે છે- ઘનસંતાન એટલે કરોળિયો. કરોળિયો (કે તેના જાળા) પાત્રમાં હોય. અહીં યતના કેવી રીતે કરવી તે કહે છે- જો સચિત્ત રજ હોય તો રજના ઢગલા ઉપર જ (પાત્રના તળિયાની) પ્રાર્થના કરે. હરતનુ હોય તો સ્વયં સુકાઈ ન જાય ત્યાં સુધી પ્રમાર્જન ન કરે. કહ્યું छ - "श्री रतनुहोय तो स्वयं सुम(न)ीय त्या सुधा रोयतिलेपना न ३." [२७४] इअरेसु पोरिसितिगं, संचिक्खावित्तु तत्तिअं छिंदे ।। सव्वं वाऽवि विगिंचे, पोराणं मट्टि खिप्पं ॥ २७५ ॥ वृत्तिः- 'इतरेषु' घनसन्तानादिषु 'पौरुषीत्रयं संस्थाप्य' अन्याभावे सति कार्ये 'तावन्मात्रं छिन्द्याद्', असति कार्ये 'सर्वं वापि 'विगिंचे'त्ति जह्यात्, परित्यजेदित्यर्थः, 'पुराणमृदं क्षिप्रं' परित्यजेदिति वर्तते, पुराणमृद्ग्रहणात् कोत्थलकारीमृदो व्यवच्छेदः, तस्यां हि विध्वंसादिरेव विधिः, तथा च वृद्धव्याख्या-"मट्टिया जाव विद्धत्था, जइ महानगरे तत्थ अवणिज्जइ" त्ति गाथार्थः ।। २७५ ॥ १. अनुगता आपो यस्मिन् स अनूपो देश: मां सर्वत्रधपाणी खोयतेवो शि. श्री सिद्ध भव्या २१ना अनोर्देशे उप (3॥२।११०) એ સૂત્રથી મન્ નો ૩ આદેશ થયો છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [૨૨૭ કરોળિયો કે કોડ્થલિકાનું ઘર વગેરે હોય તો ત્રણ પ્રહર સુધી પાત્રને એમ જ રહેવા દેવું, જો ત્યાં સુધી પણ તે સ્વયં દૂર ન થાય તથા બીજું સાધન ન હોય અને આવશ્યક કાર્ય હોય તો ગુચ્છા વગેરેના જેટલા ભાગમાં તે લાગેલું હોય, તેટલો ભાગ કાપીને તેને પરઠવી દેવો. પણ જો તેના બદલે બીજું સાધન હોય, તો તેને (જેમાં કરોળિયો વગેરે હોય તેને) સંપૂર્ણ પરઠવી દેવું. જો માટી જુની=અચિત્ત હોય તો પાત્રપ્રતિલેખનાના સમયે જ તેને દૂર કરવી. અહીં જીની (=અચિત્ત) માટીનો ઉલ્લેખ કર્યો હોવાથી કોન્થલકારી જીવની માટી માટે આ વિધિ ન સમજવો. કોત્થલકારી જીવની માટી માટે પૂર્વોક્ત “સ્વયં(ન)સુકાઈ જાય” ઈત્યાદિ જ વિધિ છે. આમાં વૃદ્ધવ્યાખ્યા આ પ્રમાણે છે- ‘(કોત્થલક જીવે બનાવેલા ઘરની) માટી સ્વયં સુકાઈ (ન) જાય ત્યાં સુધી પ્રતિલેખના ન કરે. (હવે જો સ્વયં ન સુકાય અને આવશ્યક કાર્ય હોય તો) જો સચિત્ત માટીનો મોટો ઢગલો હોય તો તેમાં તે સચિત્ત માટી દૂર કરે.” [૨૭૫] भायण पमज्जिऊणं, बाहिं अंतो अ एत्थ पप्फोडे । વેડ્ પુળ તિત્રિ વારા, ચડશુનમિત્તે પડળમયા ॥ ૨૭૬ ॥ वृत्ति:- 'भाजनं प्रमृज्य बहिरन्तश्च प्रस्फोटयेत्', अस्य भावार्थो वृद्धसम्प्रदायादेवावसेयः, स चायम्-“पच्छा पमज्जिय पुप्फयं तिन्नि वारे, पच्छा तिन्नि परिवाडीओ पडिलेहेइ, पच्छा करयले काऊणमण्णाओवि तिण्णि परिवाडीओ पमज्जिज्जइ, तओ पप्फोडेइ" "केचन पुनस्त्रीन् वारानिति', "केसिंचि आएसो एक्का परिवाडी पमज्जित्ता पच्छा पप्फोडिज्जइ, एवं तिन्नि वारे, अम्हं पुण एगवारं पप्फोडिज्जइ, तं च णातीव उच्चं पडिलेहिज्जइ पमज्जिज्जइ वा, किंतु 'चउरंगुलमित्तं 'ति, अन्नह पडणादिया दोसा" तथा चाह - चतुरङ्गुलं तत्रान्तरं भवति, 'पतनभयात्' नाधिकमिति, तथा 'जइ उउबद्धं ताहे धारेइ, रयत्ताणंपि संवलित्ता धारेति, इयरंमि વિન્નિ મળિસ્તર, રૂતિ ગાથાર્થઃ ॥ ૨૭૬ // (હવે પાત્ર કેવી રીતે પડિલેહવું તે કહે છે—) પાત્રનું (પાત્રકેસરિકાથી) બહારથી અને અંદરથી પ્રમાર્જન કરીને તેના તળિયાનું પ્રસ્ફોટન કરે. આનો ભાવાર્થ વૃદ્ધસંપ્રદાયથી જ જાણવો. તે આ પ્રમાણે છે- “પછી ત્રણ વાર પુષ્પકનું (=પાત્રના બહારના નીચેના મધ્યભાગનું) પ્રમાર્જન કરે. પછી ત્રણ વાર પડિલેહણ કરે. પછી પાત્રને હાથમાં લઈ બીજી વાર પણ ત્રણ વખત પ્રમાર્જન કરે. પછી (પાત્રને ઉંધું રાખીને એક જ વાર તળિયાનું) પ્રસ્ફોટન કરે. કેટલાક આચાર્યો ત્રણવાર પ્રસ્ફોટન કરવાનું કહે છે. કેટલાક આચાર્યોનો મત છે કે પહેલાં એક વાર પ્રમાર્જે પછી એકવાર પ્રસ્ફોટન કરે. આ પ્રમાણે ક્રમશઃ પ્રમાર્જન-પ્રસ્ફોટન ત્રણ વાર કરે. પણ અમારા ગચ્છમાં તો એક વાર પ્રસ્ફોટન કરાય છે. ડિલેહણ-પ્રમાર્જન કરતાં પાત્રને જમીનથી બહુ અદ્ધર ન રાખવું, ચાર આંગળ જેટલું જ અદ્ધર રાખવું.” એ પ્રમાણે જ મૂળ ગ્રંથકાર કહે છે Page #153 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवाद પડિલેહણ-પ્રમાર્જન કરતી વખતે પાત્રને પડી જવાના ભયથી (પડીને ફૂટી ન જાય એ માટે) જમીનથી ચાર આંગળ અદ્ધર રાખવું, તેનાથી વધારે અદ્ધર ન રાખવું. (પાત્ર પડિલેહણ) કરીને ક્યાં મૂકવાં એ અંગે કહ્યું છે કે-) “ઋતુબદ્ધકાળમાં (શિયાળા-ઉનાળામાં) પાત્રને દૂર ન મૂકતાં પાસે રાખે, રજસ્રાણને પણ વાળીને પાસે રાખે. ચોમાસામાં પાત્રને રાખવાનો વિધિ હવે કહેવાશે.’’ [૨૭૬] ૨૨૮ ] दाहिणकरेण कोणं, धेत्तुत्ताणेण वाममणिबंधे । खोडेज्ज तिनि वारे, तिन्नि तले तिन्नि भूमीए ॥ २७७ ॥ वृत्ति:- ('दक्षिणेन करेणो 'त्तानेन पात्रस्य 'कोणं' - कर्णं 'गृहीत्वा' पात्रमवाङ्मुखं कृत्वा 'वामहस्तस्य मणिबन्धे त्रीन् वारान् प्रस्फोटयति', तत' स्त्रीन्' वारान् 'हस्ततले, त्रीन्' वारान् ‘ભૂમિાયા'મિતિ) ॥ ૨૭૭ ॥ ત્રણ વાર પ્રસ્ફોટન કેવી રીતે કરે તે કહે છે— ચત્તા (?) જમણા હાથથી પાત્રને કાંઠેથી (કિનારીથી) પકડીને ઉંધું કરીને ડાબા હાથના મણિબંધ ઉપર ત્રણ વાર (ધીમેથી) પ્રસ્ફોટન કરે=અથડાવે, પછી ત્રણવાર હાથના તળિયા ઉપર પ્રસ્ફોટન કરે, પછી ત્રણ વાર જમીન ઉપર પ્રસ્ફોટન કરે. [૨૭૭] साम्प्रतं न पात्राणां भूमौ स्थापनं क्रियते, तद्वत्सर्वमेव न कर्त्तव्यमित्याशङ्कानिवृत्त्यर्थमाहकालपरिहाणिदोसा, सिक्कगबंधेऽऽवि विलइए संतो । સો વ વિદ્દો સમ્મ, જાયજો અપ્પમત્તેનં ॥ ૨૭૮ ॥ वृत्ति:- 'कालपरिहाणिदोषाद्' दुष्षमालक्षणकालपरिहाण्यपराधेन 'सिक्कगबंधेऽपि' पात्र इति गम्यते ' विलगिते सति', कीलकादौ प्रमादभङ्गभयेन, 'एष एव विधिर 'नन्तरोदितः 'सम्यग् ' अन्यूनातिरिक्तः 'कर्त्तव्यः अप्रमत्तेन', न स्थापनत्यागवत् सर्वत्याग एव कार्यः, तस्य પૂર્વાચાર્યયેવારિતત્વાવિતિ ગાથાર્થઃ ॥ ૨૭૮ ॥ હમણાં પાત્રાંને ભૂમિ ઉપર રાખવામાં આવતાં નથી, એથી જેમ પાત્રાંને ભૂમિ ઉપર રાખવાનો વિધિ હોવા છતાં હમણાં તે કરવામાં આવતો નથી, તેમ પાત્ર સંબંધી બીજો પણ બધો જ વિધિ ન કરવો એવી શંકાને દૂર કરવા કહે છે— દુષ્યમા રૂપ હીનકાલના દોષથી પાત્રને સિક્કા વગેરે ઉપર ઊંચે રાખવામાં આવે છે. પાત્રાં ૧. આ સાક્ષીપાઠ ખરેખર તો ૨૮૨મી ગાથામાં સમુચિત ગણાય, અહીં કેમ મૂકાયો એ વિચારણીય છે. ૨. આ ગાથા મુદ્રિત પ્રતમાં અશુદ્ધ છપાણી હતી. આથી મેં બૃહત્કાલ્પની ૬૬૬મી ગાથાના આધારે તેને સુધારી છે. તથા મુદ્રિત પ્રતમાં એના ઉપર ટીકા નથી. મુદ્રિત પ્રતના સંપાદકે ગાથાના આધારે કાઉંસમાં ટીકા લખી છે. આથી મેં આ મુદ્રણમાં એ ગાથાની બૃહત્કલ્પની ટીકા અક્ષરશઃ કાઉંસમાં લીધી છે, અને એના આધારે અનુવાદ ક્યો છે. બૃહત્કલ્પમાં આ ગાથા ગૃહસ્થને ત્યાંથી પાત્રાં લાવવાના (વહોરવાના) અધિકારમાં છે. પાત્રને વહોરતાં પહેલાં આ રીતે પ્રસ્ફોટન કરવાથી જો તેમાં જીવો હોય તો ખ્યાલમાં આવી જાય. પ્રસ્ફોટન કરતાં પાત્રમાં જીવો દેખાય તો ન વહોરે, ન દેખાય તો વહોરે. Page #154 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१२९ જમીન ઉપર મૂકવામાં આવે તો, પ્રમાદથી અથડાતાં ભાંગી જવાના ભયથી કીલકઃખીંટી વગેરેમાં ઊંચે ભરાવે છે. આમ છતાં પ્રમાદ છોડીને હમણાં કહ્યો તે જ બધો વિધિ બરોબર કરવો જોઈએ. ભૂમિ ઉપર સ્થાપન (મૂકવા) રૂપ એક વિધિના ત્યાગની જેમ બધા વિધિનો ત્યાગ ન કરવો. કારણ કે આ બધો વિધિ પૂર્વાચાર્યોએ આચરેલો છે. [૨૭૮]. एतदेव समर्थयति अवलंबिऊण कज्जं जं, किंचि समायरंति गीयत्था । थेवावराहबहुगुण, सव्वेसिं तं पमाणं तु ॥ २७९ ॥ वृत्तिः- 'अवलम्ब्य'-आश्रित्य कार्य यत्किञ्चिदाचरन्ति'-सेवन्ते 'गीतार्थाः' आगमविदः 'स्तोकापराधं बहुगुणं' मासकल्पाविहारवत् 'सर्वेषां' जिनमतानुसारिणां 'तत् प्रमाणमेव', उत्सर्गापवादरूपत्वादागमस्येति गाथार्थः ॥ २७९ ॥ _ण य किंचि अणुन्नायं, पडिसिद्धं वावि जिणवरिंदेहिं । तित्थगराणं आणा, कज्जे सच्चेण होअव्वं ॥ २८० ॥ वृत्तिः- 'न च किञ्चिदनुज्ञातम्', एकान्तेन 'प्रतिषिद्धं वाऽपि जिनवरेन्द्रैः'- भगवद्भिः, किन्तु 'तीर्थङ्कराणामाज्ञा' इयं यदुत 'कार्ये सत्येन भवितव्यं', न मातृस्थानतो यत्किञ्चिदवलम्बनीयमिति गाथार्थः ॥ २८० ।। પૂર્વાચાર્યોથી આચરિતનું આચરણ કરવું જોઈએ એ વિષયનું સમર્થન કરે છે– ગીતાર્થો કોઈ કારણસર માસકલ્પ વિહારનો ત્યાગ વગેરેની જેમ અલ્પ દોષવાળું અને ઘણા ગુણવાળું જે કંઈ આચરે તેને જિનમતાનુસારી સર્વ સાધુઓએ પ્રમાણ જ માનવું જોઈએ. કારણ કે શાસ્ત્રમાં ઉત્સર્ગ અને અપવાદ એ બંને કહ્યા છે. [૨૭૯] જિનેશ્વરોએ કશા ય માટે એકાંત વિધાન કે એકાંત નિષેધ કર્યો નથી. તેમની આજ્ઞા એટલી જ છે કે કાર્યપ્રસંગે સત્ય-સરળ બનવું જોઈએ, દંભ કરીને ખોટું આલંબન ન લેવું જોઈએ. [૨૮] किमित्येतदेवमित्याह दोसा जेण निरुज्झंति, जेण खिज्जंति पव्वकम्माई । सो सो मोक्खोवाओ, रोगावस्थासु समणं व ॥ २८१ ॥ वृत्तिः- 'दोषा' रागादयो 'येन निरुध्यन्ते' अनुष्ठानविशेषेण 'येन क्षीयन्ते पूर्वकर्माणि' शेषाणि ज्ञानावरणादीनि 'स सः' अनुष्ठानविशेषो 'मोक्षोपायः' । दृष्टान्तमाह-रोगावस्थासु शमनमिव' औषधानुष्ठानमिवेति, उक्तं च भिषग्वरशास्त्रे-"उत्पद्यते हि साऽवस्था, देशकालामयान् प्रति । यस्यामकार्यं कार्यं स्यात्, कर्मकार्यं च वर्जयेद् ॥ १ ॥" इति गाथार्थः ॥ २८१ ॥ ૧. આના આધારે નિશ્ચિત થાય છે કે પૂ.આ.શ્રી હરિભદ્રસૂરિ મહારાજના સમયમાં પાત્રો સિક્કા ઉપર રાખવામાં આવતાં હતાં. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते જિનેશ્વરોની આવી આજ્ઞા કેમ છે એ કહે છે– જેમ જે ઔષધ કરવાથી રોગ મટે તે ઔષધ રોગનાશનો ઉપાય છેરોગ નાશ માટે તે ઔષધનો ઉપયોગ કરાય છે, તેમ જે અનુષ્ઠાનથી રાગાદિ દોષો ઘટે અને પૂર્વે બાંધેલાં કર્મોનો ક્ષય થાય તે અનુષ્ઠાન મોક્ષનો ઉપાય છે=મોક્ષપ્રાપ્તિ માટે તે ઉપાય કરવો જોઈએ. ઉત્તમવૈદ્યશાસ્ત્રમાં દેશ, કાલ અને રોગને આશ્રયીને તેવી સ્થિતિ સર્જાય છે કે જેમાં ન કરવા જેવું કરવા લાયક બને, અને કરવા જેવું કાર્ય છોડવું પડે.” उक्तमानुषङ्गिकं, प्रकृतमाह विटिअ बंधणधरणे, अगणी तेणे अ दंडिअक्खोहे । उउबद्धधरणबंधण वासासु, अबंधणे ठवणा ॥ २८२ ॥ वृत्तिः- 'विण्टिकाबन्धन'मिति प्रत्युपेक्ष्योपधि कार्य, 'धारणं' च पात्रस्य, 'तं च रयत्ताणंपि संवलित्ता धारिज्जइ न निक्खिप्पइ' किमित्येतदेवमित्याह-'अग्नौ स्तेने दण्डिकक्षोभे च' दोषसम्भवात्, अग्न्यादयश्च प्राय ऋतुबद्धे भवन्ति, न वर्षाकाले, इत्यत आह-'ऋतुबद्धे धारणबन्धने', धारणं पात्रस्य बन्धनं तूपधेः, 'वर्षास्वबन्धनो पधे: ‘स्थापना' च पात्रस्य, अन्ये त्वाहुः--'ठवणा य पुण मत्तयस्से'ति गाथासमुदायार्थः ॥ २८२ ॥ આટલું આનુષંગિક કહ્યું, હવે પ્રસ્તુત કહે છે– ઉપધિનું પડિલેહણ કરીને વિટિયો બાંધવોઃઉપધિ બધી ભેગી વીંટીને બાંધી દેવી. પાત્ર પોતાની પાસે રાખવું. રજસ્ત્રાણ પણ વાળીને પાસે રાખવું, દૂર ન મૂકવું. તેમ ન કરવાથી આગ, ચોર અને રાજ્યના ભય પ્રસંગે દોષો લાગે. (કેવી રીતે દોષો લાગે તે હવે કહેશે.) અગ્નિ વગેરે પ્રાયઃ શેષકાળમાં સંભવે, વર્ષાકાલમાં નહિ. આથી જ ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે કે ઋતુબદ્ધ કાળમાં પાત્રાને પાસે રાખવું અને ઉપધિને બાંધવી. વર્ષાકાલમાં ઉપધિન બાંધવી અને પાત્ર પોતાનાથી દૂર મૂકવું. બીજાઓ તો કહે છે કે (વર્ષાકાલમાં) માત્રક પણ પોતાનાથી દૂર મૂકવું. આ પ્રમાણે ગાથાનો સંક્ષેપથી અર્થ કહ્યો. [૨૮૨] अवयवार्थं त्वाह रयताण भाणधरणं, उउबद्धे निक्खिविज्ज वासासु । अगणी तेणभए वा, रज्जक्खोभे विराहणया ॥ २८३ ॥ वृत्तिः- 'रजस्त्राणभाजनधरणं ऋतुबद्धे' कुर्यात्, 'निक्षिपेद्वर्षासु' भाजनमपि, अधारणे दोषमाह-'अग्नौ स्तेनभये राज्यक्षोभे वा विराधना' संयमात्मनोर्भवतीति गाथार्थः ॥ २८३ ॥ Page #156 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૩૨ હવે વિશેષથી અર્થ કહે છે ઋતુબદ્ધ કાળમાં રજસ્ત્રાણ અને પાત્રને પાસે રાખવાં, વર્ષાકાળમાં (રજસ્ત્રાણ અને) પાત્ર પણ પોતાનાથી દૂર મૂકે. (શષકાળમાં) પાસે નહિ રાખવાથી આગ, ચોર અને રાજયના ભય પ્રસંગે સંયમવિરાધના અને આત્મવિરાધના થાય. [૨૮૩] तथा चाह परिगलमाणो हीरेज्ज, डहणभेआ तहेव छक्काया । गुत्तो अ सयं डज्जे, हीरिज्ज व जं च तेण विणा ॥ २८४ ॥ वृत्तिः- 'परिगलन् हियेतो'पधिरिति गम्यते, 'दहनभेदा वित्युपधिपात्रयोः स्यातां, 'तथैव षट्काया'स्तव्यापृततया सम्भ्रान्तनिर्गमन इति, 'गुप्तो वा' उपध्यर्थं 'स्वयं दह्येत हियेत वा' स्वयमेव, 'यच्च तेन विना' आज्ञाविराधनाऽसंयमादि तच्च प्राप्नोति निक्षिपन्, 'गहिएण पुण पडिग्गहेणं वेंटियं गहाय बाहिरकप्पं उवरिछोढुं ताहे वच्चई' इति गाथार्थः ॥ २८४ ।। વિરાધના કેવી રીતે થાય તે કહે છે– આગ વગેરેના ભયથી ક્ષોભ પામેલ સાધુ ઉતાવળથી છૂટી ઉપધિ ભેગી કરે ત્યારે તેમાંથી કોઈ વસ્ત્ર પડી જાય. પડેલ વસ્ત્રને કોઈ ઉઠાવી જાય, અથવા આગ લાગતાં જલદી લઈ ન શકવાથી ઉપધિ અને પાત્ર બળી જાય કે ફૂટી જાય. પ્રાણ વગેરે બચાવવાના જ લક્ષવાળો હોવાથી સંભ્રાન્ત બનીને નીકળતાં છકાયની વિરાધના થાય. અથવા ઉપધિને બચાવવાના લક્ષવાળો રહે તો પોતે જ આગમાં બળી જાય, અથવા તક જોઈને ચોરો તેને જ ઉઠાવી જાય. તથા ઉપધિ વગેરે વિના જિનાજ્ઞાની વિરાધના, અસંયમ વગેરે દોષો પણ ઉપધિ-પાત્રને દૂર મૂકનારને લાગે. (ઉપધિ અને પાત્ર બાંધેલાં હોય તેથી આગ લાગે ત્યારે) પાત્ર અને વિટિયો લઈને કામળી શરીર પર ઓઢીને શીઘ નીકળી શકે.) [૨૮૪]. वर्षाकाले त्वनिक्षिप्तेऽपि न दोष इत्येतदाह वासासु णत्थि अगणी, णेव अ तेणा उ दंडिआ सत्था । तेण अबंधण ठवणा, एवं पडिलेहणा पाए ॥ २८५ ॥ “પમન્ના' ત્તિ રાજય वृत्तिः- 'वर्षासु नास्त्यग्निः' जलबाहुल्यात्, 'नैव स्तेना अपि', निस्सरणोपायाभावाद्, 'दण्डिकाः स्वस्थाः' बलसामग्यभावेन कारणेन एतदेवं, 'तेनाबन्धनो पधेः 'स्थापना' पात्रस्य, પ્રકૃતનિમિનાયાદ-શવમ્' ૩pપ્રારા પ્રપેક્ષUT પાત્ર' રૂતિ યથાર્થ: | ૨૮૬ // વર્ષાકાળમાં તો દૂર મૂકવામાં પણ દોષ નથી એ જણાવે છે– વર્ષાકાળમાં પાણી બહુ હોય તેથી આગ ન લાગે, બહાર ન નીકળી શકવાથી ચોરો પણ ન Page #157 -------------------------------------------------------------------------- ________________ १३२ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते હોય, સૈન્ય વગેરે સામગ્રી ન હોવાથી રાજાઓ પણ શાંતિથી બેસી રહે. (ઉપદ્રવ ન કરી શકે) આથી વર્ષાકાળમાં ઉપધિ ન બાંધે અને પાત્ર દૂર મૂકે. હવે ગ્રંથકાર પ્રસ્તુત વિષયનો ઉપસંહાર કરવા કહે छ- २॥ प्रभारी पात्रसंबंधी प्रतिसपना छे. [२८५] मूलप्रतिद्वारगाथायां कात्स्न्र्येन व्याख्यातं प्रत्युपेक्षणाद्वारं, साम्प्रतं भिक्षाद्वारव्याचिख्यासुराह कयजोगसमायारा, उवओगं काउ गुरुसमीवंमि । आवसियाए णिती, जोगेण य भिक्खणट्ठाए ॥ २८६ ॥ वृत्ति:- 'कृतयोगसमाचाराः'-कृतकायिकादिव्यापारा इत्यर्थः 'उपयोगं'-कालोचितप्रशस्तव्यापारलक्षणं कृत्वा गुरुसमीपे'-आचार्यसन्निधौ आवश्यिक्या'-साधुक्रियाभिधायिन्या हेतुभूतया 'निर्गच्छन्ति' वसतेरिति गम्यते, 'योगेन च'-यस्य योग इत्येवं वचनलक्षणेन 'भिक्षार्थ'मिति गाथासमुदायार्थः ॥ २८६ ॥ મૂલકારગાથા (૨૩૦)ના પહેલા “પ્રત્યુપેક્ષણા કારનું સંપૂર્ણ વ્યાખ્યાન કર્યું. હવે ત્રીજા ભિક્ષા' દ્વારનું વ્યાખ્યાન કરવાની ઈચ્છવાળા ગ્રંથકાર કહે છે ભિક્ષા જતાં પહેલાં લઘુ-વડીનીતિ વગેરે શારીરિક આવશ્યક કાર્યો કરીને, ગુરુ પાસે કરવાની શુભ ક્રિયા રૂપ ઉપયોગ કરીને, સાધુની ક્રિયાઓને કહેનાર (આવશ્યક એવી સાધુક્રિયા માટે જવાનું छ अभ सूयवना२) आवस्सहि श६ बोलवा पूर्व, जस्स जोगो मेम गुरुने डीने सापुमो मिक्षा માટે વસતિમાંથી બહાર નીકળે. ગાથાનો આ સંક્ષેપથી અર્થ છે. [૨૮] अवयवार्थं त्वाह काइयमाइयजोगं, काउं घित्तूण पत्तए ताहे । डंडं च संजयं तो, गुरुपुरओ ठाउमुवउत्ता ॥ २८७ ॥ संदिसह भणंति गुरुं, उवओग करेमु तेणऽणुण्णाया । उवओगकरावणिअं, करेमि उस्सग्गमिच्चाइ ॥ २८८ ॥ अह कड्डिऊण सुत्तं, अक्खलियाइगुणसंजुअं पच्छा । चिटुंति काउसग्गं, चिंतंति अ तत्थ मंगलगं ॥ २८९ ॥ वृत्तिः- 'कायिकादिव्यापारं कृत्वा गृहीत्वा पात्रे ततः'-प्रतिग्रहमात्रकरूपे 'दण्डकं च संयतम्'-असम्भ्रान्तं 'ततः गुरुपुरतः स्थित्वोपयुक्ताः' सन्तः ॥ २८७ ॥ किमित्याह'संदिसहेति 'भणन्ति गुरुं', किमित्याह-उपयोगं कुर्म' इति, 'तेन'-गुरुणा 'अनुज्ञाताः', ૧, પૂર્વે ૨૬૨મી ગાથા સુધી પ્રત્યુપેક્ષણા દ્વારનું વર્ણન કર્યું. પછી એ દ્વારનું થોડું વર્ણન બાકી રાખીને પ્રસંગવશાત્ ૨૬૩મી ગાથાથી બીજા પ્રમાર્જના દ્વારનું વર્ણન શરૂ કર્યું અને ૨૬૬મી ગાથામાં પૂર્ણ કર્યું. ૨૬ ૭મી ગાથાથી પાત્ર સંબંધી પ્રતિલેખનાનું વર્ણન શરૂ કર્યું. તે વર્ણન અહીં ૨૮૫મી ગાથામાં પૂર્ણ કર્યું. આમ પ્રત્યુપેક્ષણા દ્વારની વચ્ચે પ્રમાર્જના દ્વારનું વર્ણન થઈ ગયું હોવાથી અહીં પ્રત્યુપેક્ષણા દ્વાર પછી ત્રીજા ભિક્ષાત્કારનું વર્ણન શરૂ કર્યું છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१३३ सन्त:, किमित्याह-उपयोगकारणं कुर्मः कायोत्सर्गमित्यादि' ॥ २८८ ।। ततः किमित्याह'अहे'त्यादि, 'अथाकृष्य' अनन्तरं पठित्वा 'सूत्रं' 'उवयोगकरावणियं करेमि काउस्सग्गं अण्णत्थ ऊससिएण' मित्यादि 'अस्खलितादिगुणयुक्तं' अस्खलितममिलितमित्यादि, 'पश्चात्' ततः 'तिष्ठन्ति कार्योत्सर्ग'मिति कायोत्सर्गेण 'सुपां सुप' इति वचनात्, 'चिन्तयति च तत्र' कायोत्सर्गे 'मङ्गलकं' पञ्चनमस्कारमिति गाथात्रयार्थः ॥ २८९ ॥ હવે ઉક્તગાથાનો અર્થ વિસ્તારથી કહે છે– ભિક્ષા માટે જતાં પહેલાં લઘુ-વડીનીતિ વગેરે શારીરિક આવશ્યક કાર્યો કરીને, માત્રક અને પાત્ર એમ બે પાત્રો અને દાંડો લઈને, અવ્યાકુલપણે ગુરુ પાસે ઊભા રહીને, એકાગ્રચિત્તવાળા साधुमो गुरु पासे संदिसह उवओगं करेमो ? = अमने माहेश मापो ! समे उपयोग मे ? मेम साशा भागे. गुरु (करेह मेम) मा मापे. त्यारे साधुओ इच्छं उवओगकरावणिअं करेमि ઝાડ મન્નસ્થ વગેરે સૂરપાઠ અસ્મલિતાદિ ગુણો પૂર્વક બોલે, પછી કાયોત્સર્ગ કરે. કાયોત્સર્ગમાં में नमा२ महामंत्र कितवे. [२८७-२८८-२८८] तप्पुव्वयं जयत्थं, अन्ने उ भणंति धम्मजोगमिणं । गुरुबालवुड्डसिक्खगरेसिंमि न अप्पणो चेव ॥ २९० ॥ वृत्तिः- 'तत्पूर्वकं नमस्कारपूर्वकं यदर्थं तच्च चिन्तयन्ति, सम्यगनालोचित्तग्रहणप्रतिषेधात्, 'अन्ये त्वा'चार्या इत्थ मभिदधति धर्मयोगमेनं', चिन्तयन्तीति वर्त्तते, किंविशिष्टमित्याह'गुरुबालवृद्ध-शैक्षकरेषे'-एतदर्थं निर्व्याजमहं प्रवृत्तो 'नात्मन एवा'र्थमिति गाथार्थः ।। २९० ॥ चिंतित्तु तओ पच्छा, मंगलपुव्वं भणंति विणयणया । संदिसहत्ति गुरू विअ, लाभोत्ति भणाइ उवउत्तो ॥२९१ ॥ वृत्तिः- चिन्तयित्वा ततः पश्वात् 'मङ्कलपूर्व' नमस्कारपूर्वकं भणन्ति विनयनता:अभिदधत्यर्द्धावनताः, किमित्याह-'संदिसते'त्यादि, संदिशत यूयं, गुरुरपि च लाभ इति भणति, कालोचितानुकूलानपायित्वाद्, उपयुक्तो-निमित्ते असम्भ्रान्त इति गाथार्थः ॥ २९१ ।। (316समा तिन विषे मत ४५॥ छ-) કાયોત્સર્ગમાં નમસ્કાર મંત્ર ચિંતવીને આહારાદિ જે લાવવાનું હોય તેનું ચિંતન કરે. કારણ કે પૂર્વે બરોબર વિચાર્યા વના લેવાનો=વહોરવાનો નિષેધ છે. અન્ય આચાર્યો કહે છે-કાયોત્સર્ગમાં હું ગુરુ, બાલ, વૃદ્ધ અને નવદીક્ષિત વગેરે માટે પણ નિષ્કપટપણે પ્રવૃત્ત થયો છું આહાર લેવા માટે જાઉં છું, કેવળ મારા માટે જ નહિ, એવા ધર્મયોગને ચિતવે. [૨૯] પછી કાયોત્સર્ગ પારી, પ્રગટ नम२७।२. मंत्र बोली विनयथी अर्धा नभाने गुरुने ४३ ॐ-संदिसह मा मापो ! पछी १. ही धर्म ग्रंथमां गुरुबालवृद्धशैक्षकैरेषे वो पा छे. Page #159 -------------------------------------------------------------------------- ________________ [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ગુરુ પણ એકાગ્ર ચિત્તે નિમિત્ત જોઈને કહે કે-ત્તા તમને લાભ થાઓ, અર્થાત્ ઉચિત, અનુકૂળ અને અપાયરહિત કાળ હોવાથી તમને આહારનો લાભ થાઓ એમ ગુરુ કહે. [૨૧] कह घेत्तिमोत्ति पच्छा, सविसेसणया भणंति ते सम्म । आह गुरूवि तहत्ति अ, जह गहिअं पुव्वसाहूहि ॥ २९२ ॥ वृत्तिः- तत: 'कथं ग्रहीष्याम' इति-एवं 'पश्चात् सविशेषनताः' सन्तो 'भणन्ति ते' साधवः 'सम्यक्, आह गुरुरपि तथेति', अस्यैव भावार्थमाह-'यथा गृहीतं पूर्वसाधुभिः' इति, अनेन गुरोरसाधु-प्रायोग्यभणनप्रतिषेधमाहेति गाथार्थः ॥ २९२ ॥ आवस्सियाएँ जस्स य, जोगोत्ति भणित्तु ते तओ णिति । निक्कारणे न कप्पइ, साहूणं वसहिनिग्गमणं ॥ २९३ ॥ वृत्तिः- 'आवश्यक्या' उक्तलक्षणया 'यस्य च योग इति भणित्वा ते' साधवः 'ततः'तदनन्तरं 'निर्गच्छन्ति' वसतेः, किमित्येतदेवमित्यत्राह-'निष्कारणे न कल्पते साधूनां वसतेर्निर्गमनं', तत्र दोषसम्भवादिति गाथार्थः ॥ २९३ ॥ तथा गुरुणा अपेसियाणं, गुरुसंदिद्वेण वावि कजंमि । तह चेव कारणमिवि, न कप्पई दोससब्भावा ॥ २९४ ॥ वृत्तिः- 'गुरुणा' आचार्येण 'अप्रेषितानां' सतां 'गुरुसन्दिष्टेन वाऽपि' ज्येष्ठार्यादिना 'कार्ये'-सूक्ष्म-श्रुतचिन्तनिकादौ गुरोः, तथैव कारणेऽपि'-भिक्षाटनादौ न कल्पते' वसतिनिर्गमनं, 'दोषसद्भावात्' स्वातन्त्र्येण मार्गातिक्रमादिति गाथार्थः ॥ २९४ ॥ ___ विशेष नमाने साधुमो गुरुने कह घेत्थिमो=(मासा२) वी शतेल मसभ्य पूछे, १२ ५९४३ -जह गहिअं पुव्वसाहूहि भ पूर्वना साधुमी (निहोष साहार) । तारतम તમે પણ (નિર્દોષ આહાર) ગ્રહણ કરજો. આનાથી એ સૂચવ્યું કે સુગુરુ શિષ્યને કુસાધુના જેવું આચરણ કરવાનું ન કહે. [૨૨] પછી સાધુઓ ગુરુને બાવસિયા, નટ્સ વે નો છે એમ કહીને વસતિમાંથી નીકળે, અર્થાત્ આવશ્યક કાર્ય માટે અમે બહાર જઈએ છીએ અને સંયમોપકારક વસ્ત્ર, પાત્ર, આહાર કે શિપ્યાદિ જે જે વસ્તુ મળશે તેને અમે લઈશું, એમ ગુરુને કહીને (સંમતિ મેળવીને) નીકળે. प्रश्न- आवस्सियाए (मा१श्य आर्य भाटे बा२ ४ छीमे) ओम डेवान | ॥२५॥ ? ઉત્તર- સાધુઓને નિષ્કારણ વસતિમાંથી બહાર જવું કહ્યું નહિ. સાધુઓ નિષ્કારણ વસતિમાંથી બહાર નીકળે તો અનેક દોષો લાગે. (આથી આવશ્યક કાર્ય માટે જઈએ છીએ એ सूयित २५ आवस्सियाए मगर आवस्सहि मेम बोले.) [२८3] तथा १२ पहार भोले नलि, અથવા ગુરુના કહેવાથી વડિલ સાધુએ ગુરુનું સૂક્ષ્મ શ્રુતચિંતન વગેરે કામ સોંપ્યું હોય, તો સાધુઓને Page #160 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१३५ વસતિમાંથી બહાર જવાનું ન કલ્પે. તથા ભિક્ષાટન વગેરે કારણે બહાર જવાનું હોય તો પણ ગુરુને કહ્યા વિના સાધુઓ વસતિમાંથી બહાર ન જઈ શકે. કારણ કે સાધુઓ ગુરુને કહ્યા વિના સ્વેચ્છાથી तेम ४२ तो (मोक्ष) भार्गन संचन थाय. [२८४] जस्स य जोगोत्ति जइ, न भणंति न कप्पई तओ अन्नं । जोग्गंपि वत्थमाई, उवग्गहकरंपि गच्छस्स ॥ २९५ ॥ वृत्तिः- 'यस्य च'-वस्त्रादेः 'योगः'-प्रवचनोक्तेन विधिना सम्बन्धः प्राप्तलक्षण 'इति'एवं यदि 'न भणन्ति', ततः किमित्याह-'न कल्पते ततोऽन्यद्'-वस्त्वन्तरं '(योग्यमपि) वस्त्रादि उपग्रहकरमपि'-उपकारकमपि 'गच्छे' साध्वादिसमुदायरूप इति गाथार्थः ॥ २९५ ।। (जस्स य जोगो मेमन तो थाय ? ते ५ छ-) भिक्षा माटे ४di vei साधुमो गुरुने जस्स य जोगो (=ोत विषियी ४ भणशे તે લઈશું.) એમ ન કહે તો તેમને આહાર સિવાય અન્ય વસ્ત્રાદિ કંઈ પણ વહોરવું કહ્યું નહિ. ભિક્ષામાં યોગ્ય અને ગચ્છને ઉપકારક પણ વસ્ત્રાદિ મળે તો પણ તેમનાથી ન વહોરી શકાય. [૧૯૫] किमेतदेवमित्याह साहूण जओ कप्पो, मोत्तूणं आणपाणमाईणं । कप्पइ न किंचि काउं, घित्तुं वा गुरुअपुच्छाए ॥ २९६ ॥ वृत्तिः- 'साधूनां यतः कल्पो' मर्यादेयं, यदुत-'मुक्त्वा प्राणापानादि' उच्छ्वासनिःश्वासादि, आदिशब्दात् क्षुतादिपरिग्रहः, 'कल्पते न किञ्चित्कर्तुं ग्रहीतुं वा', किं सामान्येन ? नेत्याह'गुर्वनापृच्छया' गुरोरनादेशेनेति गाथार्थः ॥ २९६ ॥ આનું કારણ જણાવે છે કારણ કે સાધુઓની આ મર્યાદા છે કે-ગુરુને પૂછ્યા વિના (= ગુર્વાજ્ઞા વિના) શ્વાસોશ્વાસ, છીંક વગેરે (અપરિહાર્ય કાર્યો સિવાય કંઈ પણ કરવું કે લેવું કહ્યું નહિ. [૨૬] हिंडंति तओ पच्छा, अमुच्छिया एसणाएँ उवउत्ता । दव्वादिभिग्गहजुआ, मोक्खट्ठा सव्वभावेणं ॥ २९७ ॥ वृत्तिः- "हिण्डन्ति' अटन्ति 'ततः पश्चाद्', विधिनिर्गमनानन्तरमित्यर्थः, 'अमूच्छिता' आहारादौ मूर्छामकुर्वन्तः 'एषणायां' ग्रहणविषयायाम् 'उपयुक्ताः' तत्पराः 'द्रव्याद्यभिग्रहयुता' वक्ष्यमाण-द्रव्याद्यभिग्रहोपेताः 'मोक्षार्थं', तदर्थविहितानुष्ठानत्वाद्भिक्षाटनस्य, 'सर्वभावेन' सर्वभावाभिसन्धिना, तद्वैयावृत्त्यादेरपि मोक्षार्थत्वादिति गाथार्थः ॥ २९७ ॥ ઉક્ત વિધિથી વસતિમાંથી નીકળ્યા પછી આહારાદિમાં મૂચ્છથી રહિત અને ગ્રહણ એષણામાં Page #161 -------------------------------------------------------------------------- ________________ [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते જ ઉપયોગવાળા, હવે કહેવાશે તે દ્રવ્યાદિ અભિગ્રહોથી યુક્ત સાધુઓ મોક્ષના ઉદ્દેશથી (અને) સર્વભાવથી ભિક્ષા માટે ફરે. અહીં “મોક્ષના ઉદ્દેશથી' એમ કહીને એ સૂચિત કર્યું છે કે ભિક્ષાટન રૂપ અનુષ્ઠાન મોક્ષ માટે વિહિત છે, અર્થાત્ જિનેશ્વરોએ મોક્ષ મેળવવા માટે ભિક્ષાટન કરવાનું કહ્યું છે, સ્વાદપોષણ આદિ માટે નહિ. પ્રશ્ન- સર્વમાન=સર્વભાવથી એ પદનો શો અર્થ છે? ઉત્તર- સર્વભાવથી એટલે સર્વભાવોના ઉદ્દેશથી (=ભાવનાથી), અર્થાત ભિક્ષા મેળવીને આહારથી દેહનું પોષણ કરીને હું વેયાવચ્ચ વગેરે સર્વભાવોની યોગોની સાધના કરીશ એવા ઉદ્દેશથી સાધુઓ ભિક્ષા માટે ફરે. કારણ કે જેમ ભિક્ષાટન મોક્ષ માટે છે, તેમ સાધુઓની વેયાવચ્ચ વગેરે સર્વભાવો ( યોગો કે અનુષ્ઠાનો) પણ મોક્ષ માટે છે. આનાથી એ સૂચિત કર્યું છે કે ભિક્ષાટનનો પરંપર ઉદ્દેશ મોક્ષ છે, અને અનંતર ઉદ્દેશ વેયાવચ્ચ વગેરે સર્વભાવ છે. શ્લોકમાં મોવરઉર્દી પદથી પરંપર ઉદ્દેશ અને સવ્વપાવેd પદથી અનંતર ઉદ્દેશ જણાવ્યો છે. [૨૯૭] अभिग्रहानाह लेवडमलेवढं वा, अमुगं दव्वं व अज्ज घिच्छामि । अमुगेण व दव्वेणं, अह दव्वाभिग्गहो चेव ॥ २९८ ॥ वृत्तिः- 'लेपवत्' जगादि तन्मिश्रं वा 'अलेपवद्वा' तद्विपरीतम् 'अमुकं द्रव्यं वा' मण्डकादि 'अद्य ग्रहीष्यामि, अमुकेन वा द्रव्येण' दीकुन्तादिना 'अथ' अयं 'द्रव्याभिग्रहो' नाम साध्वाचरणाविशेष इति गाथार्थः ।। २९८ ।। (દ્રવ્યાદિ અભિગ્રહવાળા સાધુ એમ કહ્યું, તેથી હવે સાધુના દ્રવ્યાદિ અભિગ્રહોને વર્ણવે છે, તેમાં પહેલાં) દ્રવ્ય અભિગ્રહો કહે છે આજે હું “લેપવાળા=ચિકાસવાળાં રાબ વગેરે, અથવા લેપમિશ્રિત, અથવા લેપરહિત= રૂક્ષ કઠોળ વગેરે, અથવા ખાખરો વગેરે અમુક જ દ્રવ્યો લઈશ” એવો નિયમ, અથવા “કડછી, ભાલાની અણી વગેરે અમુક જ દ્રવ્યથી વહોરાવે તો લઈશ” એવો નિયમ, એ (વગેરે) દ્રવ્યઅભિગ્રહ છે. [૨૯૮] क्षेत्राभिग्रहमाह अट्ठ उ गोअरभूमी, एलुगविक्खंभमित्तगहणं च । सग्गामपरग्गामे, एवइअ घरा य खित्तंमि ॥ २९९ ॥ वृत्तिः- 'अष्टौ गोचरभूमयो' वक्ष्यमाणलक्षणाः तथा 'एलुकविष्कम्भमात्रग्रहणं च', यथोक्तं "एलुकं विक्खंभइत्ता' तथा 'स्वग्रामपरग्रामयोरेतावन्ति च गृहाणि क्षेत्र' इति क्षेत्रविषयोऽभिग्रह इति गाथार्थः ॥ २९९ ॥ Page #162 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૧૨૭ ક્ષેત્ર અભિગ્રહને કહે છે– હવે કહેવાશે તે ગોચર ભૂમિઓ પ્રમાણે ફરતાં જે મળે તે જ લેવાનો નિયમ, અથવા ઉંબરાની વચ્ચે ઉભા રહીને (ચંદનબાળાએ શ્રી મહાવીરસ્વામીને વહોરાવ્યું હતું તેમ) વહોરાવે તો જ લેવાનો નિયમ, અથવા સ્વગ્રામ કે પરગ્રામમાંથી જે મળે તે જ લેવાનો નિયમ, અથવા અમુક ધારેલા ઘરોમાંથી જે મળે તે જ લેવાનો નિયમ, એ વગેરે) ક્ષેત્રઅભિગ્રહ છે. [૨૯૯] गोचरभूमिप्रतिपादनायाह उज्जुग १ गंतुं पच्चागइआ २ गोमुत्तिआ ३ पयंगविही ४ । पेडा ५ य अद्धपेडा ६, अभितर ७ बाहि संबुक्का ८ ॥३०० ॥ वृत्ति:- 'ऋज्वी गत्वाप्रत्यागतिर्गोमूत्रिका पतङ्गविथि: पेडा चार्द्धपेडा अभ्यन्तरबहिःसंबुक्के ति गाथाक्षरार्थः ॥ भावार्थस्तु वृद्धसम्प्रदायादवसेयः, स चायम्-"उज्जुगा आदिओ चेव हिंडतो उज्जुगं जाति तोंडाउ सन्नियट्टइ, गंतुं पच्चागइयाए तोंडं गंतूण तत्थ गहणं करेति आइओ सन्नियट्टइ, गोमुत्तिया वंकोवलिया, पयंगविही अणियया पयंगुडणसरिसा, पेडा पेलिगा इव चउक्कोणा, अद्धपेडा इमीए चेव अद्धसंठिया घरपरिवाडी, अभितरसंबुक्का बाहिरसंबुक्का य संखणाहिवित्तोवमा, एगीए अंतो आढवति बाहिरओ सनियट्टइ, इयराए विवज्जउ'त्ति ॥ ३०० ॥ ગોચર ભૂમિઓને જણાવે છે ઋજવી, ગ–ાપ્રત્યાગતિ, ગોમૂત્રિકા, પતંગવીથિ, પેટા, અર્ધપટા, અત્યંતરસંબૂકા અને બહિઃશબૂકા એ આઠ ગોચર ભૂમિઓ છે. આ ગાથાનો અક્ષરાર્થ છે. ભાવાર્થ તો વૃદ્ધસંપ્રદાયથી જાણવો. વૃદ્ધસંપ્રદાય આ પ્રમાણે છે- ૧-ઋજવી એટલે સરળ. ઉપાશ્રયમાંથી નીકળેલો સાધુ સીધા માર્ગે એકશ્રેણિમાં રહેલા ઘરોમાં ક્રમશઃ ફરતાં છેલ્લા ઘર સુધી આવે, આટલા ઘરોમાંથી ભિક્ષા ન મળે તો પણ બીજે ક્યાંય ગયા વિના સીધા માર્ગે ઉપાશ્રયમાં પાછો આવે તે ઋજવી. જેમાં ૨ગત્વા=એક શ્રેણિમાં ફરી પ્રત્યાગતિ પાછા ફરતાં બીજી શ્રેણિમાં વહોરો આવે તે ગત્યાપ્રત્યાગતિ. ઋજવીની જેમ એક ગૃહશ્રેણિમાં ફર્યા પછી પાછો ફરતો સાધુ સીધા માર્ગે બીજી ગૃહશ્રેણિમાં છેલ્લા ઘર સુધી ફરીને ઉપાશ્રયમાં આવે તે ગ–ાપ્રત્યાગતિ. ૩-ગોમૂત્રિકા એટલે બળદના જમીન ઉપર પડેલા પેશાબના આકારના જેવી. સામ સામે શ્રેણિમાં રહેલાં ઘરોમાં ડાબી શ્રેણિના ઘરથી જમણી શ્રેણિના ઘરમાં, પુનઃ જમણી શ્રેણિના ઘરથી ડાબી શ્રેણિના ઘરમાં, વળી પુનઃ ડાબી શ્રેણિના ઘરથી જમણી શ્રેણિના ઘરમાં, એમ બંને શ્રેણિઓમાં એક એક ઘર ક્રમશઃ ફરે તે ગોમૂત્રિકા. ૪-જેમાં પતંગની જેમ વીથિ ફરવાનો માર્ગ હોય તે પતંગવીથિ. જેમ પતંગ ઉડી ઉડીને અનિયત ગતિથી ઉડે-ફરે તેમ સાધુ વચ્ચે વચ્ચે ઘરો છોડીને અનિયત ક્રમથી ફરે તે પતંગવીથિ. પ-પેટા એટલે પેટી. પેટી જેવા ચોરસ વિભાગમાં ઘરોને કલ્પીને વચ્ચેના ઘરો છોડી દે અને છેડે રહેલા ઘરોમાં ચારેય દિશામાં સમશ્રેણિએ ફરે તે પેટા. ૬-અર્ધપેટાના આકાર જેવું પરિભ્રમણ જેમાં થાય તે અર્ધપેટા. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ]. [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પેટાની જેમ ઘરોની કલ્પના કરીને ચારને બદલે બે જ દિશામાં રહેલી બે જ ગૃહશ્રેણિમાં ફરે તે અર્ધપેટા. ૭-શબૂક એટલે શંખ. શંખના આવર્તની જેમ ગોળ પરિભ્રમણ જેમાં થાય તે બંધૂકા. જેમકેક્ષેત્રના મધ્યભાગથી ફરવાનું શરૂ કરીને શંખના આવર્તની જેમ ગોળાકારે રહેલાં ઘરોમાં ફરતો સાધુ છેલ્લે ક્ષેત્રની બહાર આવે તે અત્યંતરસંબૂકા. ૮-ક્ષેત્રના બહારના ભાગથી ફરવાનું શરૂ કરીને શંખના આવર્તની જેમ ગોળાકારે ફરતો સાધુ ક્ષેત્રના મધ્યભાગમાં આવે તે બાહ્ય બંધૂકા. [૩૦]. છે ગત્વા પ્રત્યાગતિ | છે ગોમૂત્રિકા | TS TS TSP. છ પેટા આપાએ romin * * *સ પતંગવિધિ પતંગતિથિ છે, જે બાહ્ય શબ્બકા બાલ ૨ ને , અશ્વસ્તર. © શખૂકા = 98 અર્ધ પેટા कालाभिग्रहमाह काले अभिग्गहो पुण, आईमज्झे तहेव अवसाणे । अप्पत्ते सइ काले, आई बिति मज्झ तइअंते ॥ ३०१ ॥ वृत्तिः- 'काल' इति कालविषयोऽभिग्रहः पुनः', किंविशिष्टः इत्याह-'आदौ मध्ये तथैवावसाने' प्रतीतभिक्षावेलायाः, तथा चाह-'अप्राप्ते सति काले'-भिक्षाकालेऽटतः प्रथम इत्यादौ, द्वितीयो मध्य' इति भिक्षाकाल एवाटतः, तृतीयोऽन्त' इतिभिक्षाकालावसान इति गाथार्थः ॥ ३०१ ॥ કાલ અભિગ્રહને કહે છે– આદિમાં, એટલે કે ભિક્ષાકાળ થયા પહેલાં, અથવા મધ્યમાં, એટલે કે ભિક્ષાકાળના સમયે, અથવા અંતે, એટલે કે ભિક્ષાકાળ વીતી ગયા પછી, ભિક્ષા લેવા જવું એવો ભિક્ષા માટે કાળનો નિયમ તે અનુક્રમે પહેલો, બીજો અને ત્રીજો કાલ અભિગ્રહ છે. [૩૦૧] Page #164 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१३९ - - कालत्रयेऽपि गुणदोषानाह दित्तगपडिच्छगाणं, हविज्ज सुहुमंपि मा हु अचिअत्तं । इइ अप्पत्त अईए, पवत्तणं मा इतो मज्झे ॥ ३०२ ।। वृत्तिः- 'ददत्प्रतीच्छकयोः' गृहिभिक्षाचरयो, मा भूत्सूक्ष्ममपि अचियत्तम्' अप्रीतिलक्षणम् 'इति' एतस्माद्धेतोः 'अप्राप्ते, अतीते' च भिक्षाकालेऽटनं न श्रेय इति गम्यते, 'प्रवर्त्तनं च' अधिकरणरूपं ‘मा भूत्, ततो मध्ये' भिक्षाकालमध्येऽटनं श्रेय इति गाथार्थः ॥ ३०२ ॥ એ ત્રણેય કાળમાં થતા ગુણ-દોષો કહે છે– ભિક્ષા આપનાર ગૃહસ્થ અને ભિક્ષા લેનાર યાચકને અલ્પ પણ અપ્રીતિ ન થાય અને પૂર્વકર્મપશ્ચાત્કર્મ વગેરે દોષો ન લાગે એ માટે સાધુએ ગૃહસ્થના ભોજન કાળે ભિક્ષાર્થે જવું જોઈએ. ભિક્ષાકાળની પહેલાં અને ભિક્ષાકાળ વીતી ગયા પછી ભિક્ષા લેવા જવું એ શ્રેયસ્કર નથી. આથી ભિક્ષાકાળના સમયે ભિક્ષા માટે જાય. [૩૦૨]. भावाभिग्रहमाह उक्खित्तमाइचरगा, भावजुआ खलु अभिग्गहो हुंति । गाअंतो अ रुअंतो, जं देइ निसण्णमाई वा ।। ३०३ ॥ वृत्तिः- 'उत्क्षिप्तादिचरा' इति उत्क्षिप्ते भाजनात्पिण्डे चरति-गच्छति यः स उत्क्षिप्तचरः, एवं निक्षिप्ते भाजनादाविति भावनीयं, त एते 'भावयुक्ताः खल्वभिग्रहा' इत्यर्थः, 'गायन् रुदन् वा यद्ददाति निषण्णादिर्वे 'ति तद्ग्राहिण इति गाथार्थः ॥ ३०३ ॥ तथा ओसक्कण अभिसक्कण, परंमुहोऽलंकिओ व इयरोऽवि । भावऽण्णयरेण जुओ, अह भावाभिग्गहो नाम ॥ ३०४ ॥ वृत्ति:- सः 'अपसरन् अभिसरन् पराङ्मुखोऽलङ्कृतः' कटकादिना 'इतरोऽपि' अनलङ्कृतो वाऽपि 'भावेनान्यतरेण युक्तः' समेतो यावान् कश्चिद् 'अथ' अयं 'भावाभिग्रहो नामे 'ति गाथार्थः ॥ ३०४ ॥ ભાવઅભિગ્રહને કહે છે ઉસ્લિમ એટલે કે મૂળ વાસણમાંથી લઈને ચમચા વગેરેમાં ઉપાડ્યું હોય, અથવા નિશ્ચિત એટલે કે મૂળ વાસણમાંથી લઈને જમવાની થાળી વગેરેમાં મૂક્યું હોય તેવું જ લઈશ, અથવા ગાતો, રડતો, બેઠેલો કે ઉભેલો કોઈ આપશે તો જ લઈશ, અથવા પાછો ખસતો, સામે આવતો, વિમુખ થયેલ (અવળા મુખવાળો), આભૂષણોથી અલંકૃત કે આભૂષણોથી રહિત એવો કોઈ આપશે તો स, मावा विविध मामिलो भाव ममि छ. [303-3०४] Page #165 -------------------------------------------------------------------------- ________________ १४० ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अभिग्रहविषयोपदर्शनायाह पुरिसे पडुच्च एए, अभिग्गहा नवरि एत्थ विण्णेआ।। सत्ता विचित्तचित्ता, केई सुज्झंति एमेव ॥ ३०५ ॥ वृत्तिः- 'पुरुषान् प्रतीत्यै 'वंविधक्रियान् विनेयान् 'अभिग्रहाः अत्र' शासने 'नवरं विज्ञेया' इति, किमेतदेवमित्यात्राह-'सत्त्वा विचित्रचित्ताः' विचित्राभिसन्धयः 'केचन शुध्यन्ति' कर्म-मलापेक्षया 'एवमेव' अभिग्रहासेवनेनैवेति गाथार्थः ॥ ३०५ ॥ આ અભિગ્રહો કેવા જીવો માટે કહ્યા છે એ જણાવે છે– જૈનશાસનમાં આ અભિગ્રહો સત્ત્વવંત અને આવાં અનુષ્ઠાનોની રુચિવાળા પુરુષો માટે કહેલાં છે. જીવો ભિન્ન ભિન્ન રુચિવાળા હોય છે. એથી કેટલાક ઉત્તમ જીવો આવા અભિગ્રહોથી જ વિશેષ भनि४२॥ ४रीने शुद्ध थाय छे. [30] अत्राह जो कोई परिकिलेसो, जेसिं केसिाच सुद्धिहेउत्ति । पावइ एवं तम्हा, ण पसत्थाभिग्गहा एए ॥ ३०६ ॥ वृत्तिः- 'यः कश्चित् परिक्लेशो' दारुवहनादिः येषां केषाञ्चित्'-कर्मकरादीनां 'शुद्धिहेतुरिति' कर्ममलमपेक्ष्य प्राप्नोति एवं' गुरुलाघवालोचनशून्याभिग्रहाङ्गीकरणे सति, यस्मादेवं तस्मात् न प्रशस्ता'-न शोभनाः कर्मक्षयनिमित्तं 'अभिग्रहा एते' भवतोपन्यस्ता इति गाथार्थः ।। ३०६ ।। અહીં વાદી પૂર્વપક્ષ કહે છે– લાભ-હાનિનો વિચાર કર્યા વિના જ અભિગ્રહનો સ્વીકાર કરવામાં તો મજૂર વગેરે જે તે જીવને કાઇવહન (લાકડા ઉપાડવા) વગેરે જે તે કષ્ટ શુદ્ધિનો હેતુ થાય, અર્થાત્ જો કષ્ટ સહન કરવાથી કર્મનિર્જરા દ્વારા આત્મશુદ્ધિ થાય એમ માનવામાં આવે તો મજૂર વગેરે “કાઇવહન' વગેરે કષ્ટો સહન કરતા હોવાથી તેમને પણ કર્મનિર્જરાથી આત્મશુદ્ધિ થવી જોઈએ, પણ થતી નથી. માટે કર્મક્ષય નિમિત્તે કહેલા આ અભિગ્રહો યોગ્ય નથી. [૩૬] आचार्य आह सत्थे विहिआ निरवज्ज पयइ मोहाइघायणसमत्था । तित्थगरेहिवि चिण्णा, सुपसत्थाऽभिग्गहा एए ॥ ३०७ ॥ वृत्तिः- 'शास्त्रे विहिताः'-प्रवचने उक्ताः 'निरवद्याश्च' अपापाश्च 'प्रकृत्या मोहादिघातनसमर्थाः' मोहमदापनयनसहा: 'तीर्थकरैरपि' भगवद्भिः 'चीर्णा' इत्याचरिताः, नत्वेवं ये केचन परिक्लेशा इति, अतः 'सुप्रशस्ताः'-अतिशयशोभना 'अभिग्रहा एते अनन्तरोदिताः, विशुद्धिफलदर्शनादिति गाथार्थः ।। ३०७ ॥ Page #166 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१४१ આચાર્ય વાદીને ઉત્તર આપે છે– શાસ્ત્રમાં કહેલા અભિગ્રહો સ્વાભાવિક રીતે જ નિષ્પાપ હોય છે, અને એથી તે મોહ, મદ વગેરે દોષોને દૂર કરવા સમર્થ છે. તથા આ અભિગ્રહો તીર્થકરોએ પણ આચરેલા છે. આથી તમે કહ્યું તેમ જે તે જીવને જે તે કષ્ટ શુદ્ધિનો હેતુ નહિ થાય. (કારણ કે તેવાં કષ્ટો સ્વભાવથી નિષ્પાપ ન હોવાથી અને સમજપૂર્વક સ્વેચ્છાથી સ્વીકારેલાં ન હોવાથી મોહ વગેરે દોષોને દૂર કરવા સમર્થ નથી.) શાસ્ત્રોક્ત આ અભિગ્રહોથી આત્મવિશુદ્ધિ રૂપ ફલ જોવામાં આવતું હોવાથી આ અભિગ્રહો सत्यंत सुं६२ छे योग्य छे. [3०७] अलं प्रसङ्गेन । प्रस्तुतमाह सुत्तभणिएण विहिणा, उवउत्ता हिंडिऊण ते भिक्खं । पच्छा उविंति वसहिं, सामायारि अभिदंता ।। ३०८ ॥ वृत्तिः- 'सूत्रभणितेन विधिना'-शाङ्कतादिपरिहारेण 'उपयुक्ताः' तथा 'हिण्डित्वा'अटित्वा 'ते' साधवः 'भिक्षां' सर्वसम्पत्करी 'पश्चात्' तदुत्तरकालं 'उविति' आगच्छन्ति 'वसति सामाचार' शिष्टसमाचरणलक्षणां 'अभिन्दन्तः' अविराधयन्त इति गाथार्थः ॥ ३०८ ॥ પ્રાસંગિક ચર્ચાથી સર્યું, હવે પ્રસ્તુત વિષય કહે છે– શાસ્ત્રોક્તવિધિથી શંકિતાદિદોષો ટાળવામાં ઉપયોગ રાખીને સર્વસંપન્કરી ભિક્ષા માટે ફર્યા પછી શિષ્ટ પુરુષોના સુંદર આચારો રૂપ સામાચારીની વિરાધના કર્યા વિના સાધુઓ વસતિમાં આવે.[૩૦]. तत्र च तक्कालाणुवलद्धं, मच्छिगकंटगाइअं विगिंचंति । उवलद्धं वावि तया, कहंचि जंणोज्झिअं आसि ॥३०९॥ वृत्तिः- 'तत्कालानुपलब्धं' भिक्षाग्रहणकालादृष्टं 'मक्षिकाकण्टकादि विगिंचंति' पृथकुकुर्वन्ति परित्यजन्तीत्यर्थः, 'उपलब्धं वाऽपि तदा' ग्रहणकाले 'कथञ्चित्' सागारिकादिभयेन 'यन्नोज्झितं'-न परित्यक्तं 'आसीदि ति गाथार्थः ॥ ३०९ ॥ ભિક્ષામાં (= ભાત વગેરેમાં) કોઈ માખી, કાંટો વગેરે હોય, પણ ભિક્ષા લેતી વખતે જોવામાં ન આવ્યું હોય, અથવા ભિક્ષા લેતી વખતે જોવામાં આવ્યું હોય પણ તે વખતે ગૃહસ્થભય આદિ કોઈ કારણસર માખી વગેરેને આહારમાંથી દૂર ન કર્યું હોય, તો ઘરની બહાર આવીને તેને દૂર ४३. [3०८] यत्र तद्विगिञ्चति तदाह सुन्नहर देउले वा, असई अ उवस्सयस्स वा दारे । मच्छिगकंटगमाई, सोहेत्तुमुवस्सयं पविसे ॥ ३१० ॥ Page #167 -------------------------------------------------------------------------- ________________ १४२ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- 'शून्यगृहे देवकुले वाऽसति वा'-अविद्यमाने वा तच्छून्यगृहादौ 'उपाश्रयस्य वा द्वारे मक्षिकाकण्टकाद्यं' वस्तु 'शोधयित्वा' उद्धृत्य उपाश्रयं प्रविशेदिति गाथार्थः ॥ ३१० ॥ આહારમાંથી માખી, કાંટો વગેરે ક્યાં દૂર કરે તે કહે છે શૂન્યઘર, દેવમંદિર વગેરેમાં જઈને ભિક્ષામાં પડેલ માખી, કાંટો વગેરે અયોગ્ય વસ્તુને દૂર કરે. શૂન્યઘર વગેરે ન હોય તો ઉપાશ્રયની બહાર આજુબાજુમાં માખી, કાંટો વગેરે દૂર કરીને ७पाश्रयमा सावे. [3१०] अत्रैव विधिशेषमाह पायपमज्ज निसीहिअ, अंजलि दंडुवहिमोक्खणं विहिणा । सोहिं च करिति तओ, उवउत्ता जायसंवेगा ॥३११ ॥ पडिदारगाहा ॥ वृत्तिः- प्रविशन्तः ‘पादप्रमार्जनं' कुर्वन्ति, तथा 'नषेधिकीम् अञ्जलि'मित्यञ्जलिग्रहं, तथा 'दण्डोपधिमोक्षणं विधिना' वक्ष्यमाणेन 'शुद्धि चा'लोचनया 'कुर्वन्ति, तत उपयुक्ताः' सन्तो 'जातसंवेगा' इति द्वारगाथासमासार्थः ॥ ३११ ॥ ભિક્ષા દ્વારમાં બાકીનો વિધિ કહે છે પ્રવેશતાં ૧ પાદપ્રમાર્જન કરે, ૨ નિસાહિ કહે, ૩ અંજલિ કરે, ૪ વિધિપૂર્વક દંડ-ઉપાધિ મૂકે, ૫ સંવેગવાળા બનીને સ્થિર ચિત્તે આલોચનાથી (= ભિક્ષાદોષોના ચિંતનથી) શુદ્ધિ કરે. ગાથાનો मा संक्षेपथी अर्थ यो. [११] व्यासार्थं तु स्वयमेवाह एवं पडुपण्णे पविसओ उ तिनि उ निसीहिया होति । अग्गद्दारे मज्झे, पवेसणे पायऽसागरिए ॥ ३१२ ॥ दारं ॥ वृत्तिः- "एवं प्रत्युत्पन्ने' सत्याहारे 'प्रविशतः' साधोर्वसतिं 'तिस्त्रो नैषेधिक्यो भवन्ति, अग्रद्वारे मध्ये प्रवेशने' इति च, प्रवेशनं-निजद्वारं, नैषेधिकीति द्वारं, अल्पवक्तव्यतोत्क्रमप्रयोजनं । पादप्रमार्जनद्वारमाह-'पादावसागारिके' प्रमार्जितव्यौ, सम्यग्यतनादिसद्भावादिति गाथार्थः ॥ इह चायं वृद्धसम्प्रदाय: "भिक्खायरियाए नियत्ताणं इमो विही-बाहि ठिया देवकुलियाए वा सुन्नघरे वा भत्तपाणं पडिलेहंति, मा मच्छिया वा कंटओ वा हुज्जा, जं च पाणयं कारणे ओलंबए गहियं तं उग्गहणए छुभित्ता पविसंति, जमसुद्धं तं तत्तो चेव परिझुवित्ता अण्णं गहाय एति, जहिं च संसत्तयं पाणयं गहियं तत्थ भायणे अण्णं पाणयं न घिप्पंति, अह सत्तुगा लद्धा तो तिण्णि वारे पत्ताबंधे पडिलेहिति, जइ तिहिं वाराहि न दिळं सुद्धं, अह दिट्ठा ताहे पुणो तिन्नेव वारा पडिलेहिज्जंति, एवं जाव दीसंति, Page #168 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૪રૂ नियत्ता य बाहिं ताव वसहीए अप्पसागारिए पाए पमज्जंति, ताहे तिन्नि निसीहियाओ करिति अग्गदारे मज्झे पवेसणे य, अण्णे भणंति-तिण्ण वारे निसीहियाओ करिति, पवेसदारे मूले य" ॥ ३१२ ॥ ઉક્ત ગાથાનો વિસ્તારથી અર્થ તો ગ્રંથકાર સ્વયં કહે છે– નિસાહિદ્વાર આ રીતે આહાર મેળવીને ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં સાધુ અગ્રદ્વારે, મધ્ય અને પ્રવેશદ્વારે એમ ત્રણ સ્થળે નિસીહ કહે. પ્રશ્ન- પહેલાં પાદપ્રમાર્જનદ્વાર કહેવાના બદલે નિશીહિદ્વાર કેમ કહ્યું? ઉત્તર- નિશીહિદ્વારમાં અલ્પ કહેવાનું હોવાથી ('સૂચિટાહ ન્યાયથી) ક્રમમાં ફેરફાર કર્યો છે. પાદપ્રમાર્જનદ્વાર કહે છે- ગૃહસ્થની ગેરહાજરીમાં (= ગૃહસ્થ ન જાએ તે રીતે) બે પગો (રજોહરણથી) પ્રમાર્જવા. ગૃહસ્થ ન જુએ એ રીતે પાદપ્રમાર્જન કરવાથી યતના વગેરે બરોબર થઈ શકે. અહીં વૃદ્ધપરંપરા આ પ્રમાણે છે- “ભિક્ષાચાર્યાથી પાછા ફરેલા સાધુઓ માટે આ વિધિ છેકદાચ આહાર-પાણીમાં નાખી, કાંટો વગેરે હોય, આથી ઉપાશ્રયની બહાર દેવમંદિર કે શૂન્યઘરમાં આહાર-પાણીનું નિરીક્ષણ કરે. કોઈ (ગ્લાનાદિ) કારણે પાણી માત્રકમાં લીધું હોય તો પાત્રમાં નાખીને ઉપાશ્રયમાં પ્રવેશ કરે. જે કંઈ અશુદ્ધ (જીવોવાળું) હોય તે ત્યાં જ (શૂન્યઘરાદિમાં) પરઠવીને બીજાં લઈને ઉપાશ્રયમાં પ્રવેશ કરે. જે પાત્રમાં સંસક્ત પાણી લીધું હોય એમાં બીજાં પાણી ન લે. જો ભિક્ષામાં સાથવો મળ્યો હોય તો ઝોળીમાં નાખીને (પહોળો કરીને) ત્રણ વાર જાએ. જો ત્રણ વાર જોયા પછી કોઈ જીવ ન દેખાય તો તે શુદ્ધ છે. જો જીવો દેખાય તો ફરી ત્રણ વાર જુએ. એમ જ્યાં સુધી જીવો દેખાય ત્યાં સુધી જુએ. ભિક્ષાચર્યાથી પાછા ફરેલા સાધુઓ વસતિની બહાર ગૃહસ્થો ન હોય તે સ્થલે પાદપ્રમાર્જન કરે. ત્યાર બાદ અગ્રતારે મધ્યમાં અને પ્રવેશદ્વારે એમ ત્રણ નિસીહિ કરે-કહે. અન્ય આચાર્યો કહે છે કે-પ્રવેશદ્વારે અને ઉપાશ્રયમાં ત્રણ વાર નિસીહિ કરે-કહે.” [૩૧] अञ्जलिद्वारं व्याचिख्यासुराह हत्थुस्सेहो सीसप्पणामणं वाइओ नमुक्कारो । गुरुभायणे पणामो, वायाएँ नमो ण उस्सेहो ॥३१३ ॥ दारं ॥ वृत्ति:- 'हस्तोच्छ्यो ' ललाटे तल्लगनलक्षण: 'शिरःप्रणमन' तदवनामलक्षणं 'वाचिको नमस्कार' इति 'नमः क्षमाश्रमणेभ्य' इत्येवंरूपः, 'गुरुभाजने प्रणाम' एव केवलः, तथा 'वाचा ના' કૃતિ વવશે નમ:, “નો ' રસ્ત, ગુમાનનપતનમાહિતિ પથાર્થ: રૂશરૂ II ૧. લુહારને સોય અને કડાયો એ બે વસ્તુઓ બનાવવાની હોય ત્યારે સોય નાની હોવાથી જલદી બની જાય એથી લુહાર પહેલાં સોય બનાવે, પછી કડાયો બનાવે. તેમ અહીં પણ નિશીહિદ્વાર પહેલાં કહ્યું છે. ૨. અલ્પ શબ્દનો અભાવ અર્થમાં પણ પ્રયોગ થાય છે. જુઓ પ્રસ્તુત ગ્રંથના ૩૩૬મા શ્લોકની ટીકા. Page #169 -------------------------------------------------------------------------- ________________ १४४ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અંજલિદ્વારનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે– જોડેલા હાથ લલાટે લગાડી મસ્તક નમાવી ગુરુને (કાયિક) નમસ્કાર કરે અને नमः क्षमाश्रमणेभ्यः (नमो खमासमणाणं) हीन वाथि नभ७१२ ४३. को पात्र बाई मारे थयुं टोय તો કેવલ મસ્તક નમાવીને વાણીથી નમસ્કાર કરે, પણ અંજલિ ન કરે. કારણ કે અંજલિ કરવામાં मारे पात्र ५४वानो भय २९. [3१३] व्याख्यातमञ्जलिद्वारम्, अधुना दण्डोपधिमोक्षणद्वारं व्याख्यायते, तत्राह उवरि हिट्ठा य पमज्जिऊण लट्टि ठवंति सट्ठाणे । पट्ट उवहिस्सुवरिं, भायण वत्थाणि भाणेसुं ॥ ३१४ ॥ वृत्तिः- 'उपरी'त्यूर्वं 'अधश्च प्रमृज्य' प्रत्युपेक्षणापूर्वकं 'यष्टिं स्थापयन्ति स्वस्थाने' दण्डकस्थान एव, नान्यत्र, 'पट्ट'मिति चोलपट्टकं 'उपधेरुपरि' 'उवही जो हिंडाविओ तं सठाणे ठविंति तस्सुवरं चोलपट्टयं', 'भाजनवस्त्राणि' पात्रबन्धादीनि 'भाजनेष्वेव' पात्रेष्वेव, वृद्धास्तु व्याचक्षते 'रयत्ताणाणि जत्थ भायणाईणि ठविज्जति तत्थेव धरेंति'त्ति गाथार्थः ॥ ३१४ ॥ અંજલિદ્વારનું વ્યાખ્યાન કર્યું. હવે “દંડ-ઉપાધિમોક્ષણ' દ્વારની વ્યાખ્યા કરે છે– દંડ મૂકવાના સ્થાનને ઉપર અને નીચે દષ્ટિથી જોઈને અને રજોહરણથી પ્રમાર્જીને દંડને દંડ મૂકવાના સ્થાને જ મૂકે, અન્ય સ્થળે નહિ. ચોલપટ્ટો 'ઉપધિની ઉપર રાખે. (કહ્યું છે કે-) પછી ભિક્ષાટનમાં સાથે રાખેલી ઉપધિને તેના સ્થાને મૂકે અને તેના ઉપર ચોલપટ્ટો મૂકે. પાત્રનાં ઝોળી વગેરે વસ્ત્રો પાત્રો ઉપર ઢાંકી દે. વૃદ્ધો તો કહે છે કે- રજસ્ત્રાણ જ્યાં પાત્રો મૂકે ત્યાંજ રાખે. [૩૧૪] जइ पुण पासवणं से, हविज्ज तो उग्गहं सपच्छागं । दाउं अन्नस्स सचोलपट्टगो काइअं निसिरे ॥ ३१५ ॥ वृत्तिः- 'यदि पुनः प्रश्रवणं' कायिकारूपं 'से' तस्य साधो भवेत् ततोऽवग्रहमितिप्रतिग्रहकं 'सपच्छागमि'ति-सह पटलै दत्त्वा'-समर्प्य 'अन्यस्मै' साधवे 'सचोलपट्टक' एव सन् 'कायिकां णिसिरित्ति निसृजेद्-व्युत्सृजेदिति गाथार्थः ॥ ३१५ ॥ જો લઘુનીતિની હાજત થાય તો ઝોળી-પાત્રા-પડલાં બીજા સાધુને આપીને ચોલપટ્ટો પહેરેલો २।पाने ४ पेशाब ६३. [3१५] वोसिरिअ काइअंवा, आगंतूण य तओ असंभंतो ॥ दारं । पच्छा य जोगदेसं, पमज्जिउं सुत्तविहिणा उ ॥ ३१६ ॥ ૧. પ્રાચીન સામાચારી પ્રમાણે તે કાળના મુનિઓ ચોલપટ્ટો પાસે થ્થો લઈને બેસતાં, બહાર જતાં કે ગૃહસ્થનું આગમન વગેરે કારણે તે પહેરતાં. જેમ તદ્દન વસ્ત્રરહિત રહે એ અવ્યવહારુ-લોકવિરુદ્ધ છે તેમ વસ્ત્રનો શરીર સુખાકારી માટે ઉપયોગ કરવો તો અસંયમરૂપ छ. (५. सं. भाषi.) Page #170 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१४५ वृत्तिः- 'व्युत्सृज्य' परित्यज्य 'कायिकां च आगत्य च ततः' तदनन्तरं 'असम्भ्रान्तो' विशुद्धः सन् योग्यदेशमिति गम्यते । व्याख्यातं दण्डोपधिमोक्षद्वारम्, अधुना शुद्धिद्वारं व्याचिख्यासयाऽऽह-'पश्चाच्च' गमनानन्तरं योग्यदेशं विशिष्टस्थण्डिलरूपं प्रमृज्य' रजोहरणेन, कथमित्याह-'सूत्रविधिना'-चक्षुःप्रत्युपेक्षणपुरस्सरेणेति गाथार्थः ।। ३१६ ॥ इरिअं पडिक्कमेई, इच्छामिच्चाइ कड्ढई सुत्तं । __ अइआरसोहणट्ठा, कायनिरोहं दढं कुणइ ॥ ३१७ ॥ वृत्तिः- 'इर्या 'मिति ईर्यापथिकां 'प्रतिक्रामति', कथमित्याह-'इच्छामीत्यादि' 'इच्छामि पडिक्कमिउंइरियावहियाए' इत्येवमादि आकर्षति' पठति सूत्रं' गणधराभिहितं अतिचारशोधनार्थं', संयमस्खलितविशुद्धिनिमित्तं 'कायनिरोध'मूर्ध्वस्थानादिना प्रकारेण 'दृढम्' अत्यर्थं करोति' इति गाथार्थः ॥ ३१७ ॥ ५छी विशुद्ध परिवाणो थईने योगस्थाने (= गुरुनी पासे) 14. દંડ-ઉપધિદ્વારનું વ્યાખ્યાન કર્યું. હવે શુદ્ધિવારનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાથી ગ્રંથકાર કહે છેજઈને યોગ્ય સ્થાનને (= કાઉસ્સગ્ન કરવાના નિર્જીવ સ્થાનને) ચક્ષુથી જોઈને અને રજોહરણથી अमान एयरो डेट इच्छामि पडिक्कमिउं इरियावहियाए छत्याहि श्यावर सूत्र ४. પછી ભિક્ષાભ્રમણમાં થયેલ સંયમમાં સ્કૂલના રૂપ અતિચારોની વિશુદ્ધિ માટે સ્થિરતાથી કાઉસ્સગ્ન ४२. [3१६-3१७] तत्रैव विधिमाह चउरंगुलमप्पत्तं, जाणूहिट्ठाऽछिवोवरिं नाभिं । उभओ कोप्परधरिअं, करिज्ज पट्टं च पडलं वा ॥ ३१८ ॥ वृत्तिः- 'चउरंगुलमप्पत्त'ति चतुर्भिरङ्गुलैरप्राप्तं 'जाणुहिट्ठ'त्ति अधोजानुनी तथा 'अछिवोवरिं णाभि'न्ति अस्पृशन्नुपरि नाभिं, चतुभिरेवामुलैरिति, एवं 'उभयोःपार्श्वयोरिति गम्यते, 'कोप्परधरिय'ति कूपराभ्यां धृतं 'करिज्ज पट्टं च पडलं व'त्ति इत्थम्-अनेन विन्यासेन कुर्यात् 'पढें वा' चोलपट्टक पटलानि वा' पात्रनिर्योगान्तर्गतानीति गाथार्थः ॥ ३१८ ॥ पुव्वुद्दिढे ठाणे, ठाउं चउरंगुलंतरं काउं । मुहपोत्ति उज्जुहत्थे, वामंमि अ पायपुंछणयं ॥ ३१९ ॥ वृत्तिः- 'पूर्वोद्दिष्टे स्थाने', योग्यदेश इत्यर्थः, 'स्थातु'मिति स्थित्वा 'चत्वार्यगुलानि' अन्तर 'कृत्वा' अग्रपादयोरिति गभ्यते, 'मुखवस्त्रिका ऋजुहस्त' इति दक्षिणहस्तेऽस्य भवति, 'वामे च' हस्ते ‘पादप्रमार्जनं' रजोहरणमिति गाथार्थः ॥ ३१९ ॥ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કાઉસ્સગ્ગ કેવી રીતે કરવો એ કહે છે– કાઉસ્સગ્નમાં નીચે જાનથી ચાર આંગળ છેટે રહે અને ઉપર નાભિથી ચાર આંગળ છેટે (નીચે) રહે એ રીતે હાથની કોણીઓથી ચોલપટ્ટો કે પડલા ધારી રાખે, તથા જમણા હાથે મુહપત્તિ અને ડાબા હાથે રજોહરણ રાખીને પગના આગળના ભાગમાં (આંગળીના ભાગ આગળ) ચાર આંગલ (અને પાછળ તેથી કંઈક ઓછું) બે પગ વચ્ચે આંતરું રહે તેમ યોગ્ય સ્થાને ઊભો રહીને કાયોત્સર્ગ કરે. [૩૧૮-૩૧૯]. काउस्सग्गंमि ठिओ, चिंते समुदाणिए अईयारे । जा निग्गमप्पवेसो, तत्थ उ दोसे मणे कुज्जा ॥ ३२० ॥ वृत्तिः- स चैवं 'कायोत्सर्गे स्थितः' सन् 'चिन्तयेत् सामुदानिकानतिचारान्', समुदानंभिक्षामीलनं तत्र भवान् पुरःकादीन्, तदवधिमाहुः-'यावन्निर्गमप्रवेशौ', 'जा य पढमभिक्खा लद्धा जा य अवसाणिल्ला' 'तत्र तु दोषान्'-पुरःकादीन् ‘मनसि कुर्यात्', यतो निवेदनीयास्ते મુરરિતિ માથાર્થ: | ૩૨૦ | આ રીતે કાયોત્સર્ગમાં રહેલો સાધુ ભિક્ષા માટે નીકળે ત્યાંથી આરંભી ઉપાશ્રયમાં પ્રવેશ કરે ત્યાં સુધીમાં ભિક્ષામાં લાગેલા પુર:કર્મ વગેરે અતિચારોને ચિતવે. (ક્યારે કયો અતિચાર લાગ્યો એમ યાદ કરે) અને પછી તે દોષોને મનમાં ધારી રાખે. કારણ કે તે દોષોની ગુરુ પાસે આલોચના કરવાની છે – તે દોષો ગુરુને કહેવાના છે. સમુદાન એટલે (જાદા જુદાં ઘરોમાં ફરીને) ભિક્ષા મેળવવી. [૩૨] ते उ पडिसेवणाए, अणुलोमा होति विअडणाए अ । पडिसेवविअडणाए, इत्थं चउरो भवे भंगा ॥ ३२१ ॥ वृत्तिः- 'ते तु' दोषाः 'प्रतिसेवनया' आसेवनारूपया' ऽनुलोमा भवन्ति'-अनुकूला भवन्ति, 'विकटनया' आलोचनया 'च, प्रतिसेवनायां विकटनायां' च पदद्वये 'चत्वारो भङ्गा भवन्ति', तद्यथा-प्रतिसेवनयाऽनुलोमा विकटनया च, तथा प्रतिसेवनया न विकटनायां, तथा न प्रतिसेवनया विकटनायां, तथा न प्रतिसेवनया न विकटनयेति गाथार्थः ॥ ३२१ ॥ અહીં ચિંતનના આસવના અને આલોચના એ બે પદોથી ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે : ૧ આસેવનાથી અનુકૂળ, આલોચનાથી પણ અનુકૂળ. ૨ આસેવનાથી અનુકૂળ, આલોચનાથી અનુકૂળ નહિ. ૩ આસેવનાથી અનુકૂળ નહિ, આલોચનાથી અનુકૂળ. ૪ આસેવનાથી અનુકૂળ નહિ, આલોચનાથી પણ અનુકૂળ નહિ. તેમાં જે ક્રમથી દોષોનું સેવન થયું હોય તે ક્રમથી દોષોને ચિંતવે એ આસવનાથી અનુકૂળ છે. પ્રાયશ્ચિત્તવૃદ્ધિના ક્રમથી દોષો ચિંતવે તે આલોચનાથી અનુકૂળ છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१४७ ભાવાર્થ-પહેલાં નાનો દોષ સેવ્યો હોય, પછી મોટો દોષ સેવ્યો હોય, પછી તેનાથી પણ મોટો દોષ સેવ્યો હોય, એ ક્રમથી જ ચિંતવે તો એ ચિંતન આસવનાથી અનુકૂળ છે. આચિંતન આલોચનાથી પણ અનુકૂળ છે. કારણકે આલોચના પહેલાં નાના દોષની, પછી મોટા દોષની, પછી એનાથી પણ મોટા દોષની એમ પ્રાયશ્ચિત્તવૃદ્ધિના ક્રમથી કરવાની છે. પહેલાં મોટો દોષ સેવ્યો, પછી નાનો દોષ સેવ્યો, ફરી મોટો દોષ સેવ્યો, પછી તેનાથી મોટો દોષ સેવ્યો એ ક્રમથી જ ચિંતવે તો આસવનાથી અનુકૂળ છે. પણ આલોચનાથી અનુકૂળ નથી. કારણ કે આલોચના પહેલાં નાનો, પછી મોટો, પછી એનાથી મોટો એવા ક્રમથી કરાય છે. બીજા ભાંગામાં જણાવ્યા પ્રમાણે દોષો (નાના-મોટાના ક્રમ વિના) સેવ્યા હોય, પણ ચિંતવે આલોચનાના ક્રમથી, તો આ ચિંતન આવનાથી અનુકૂળ નથી, પણ આલોચનાથી અનુકૂળ છે. બીજા ભાગમાં જણાવ્યા પ્રમાણે દોષો સેવ્યા હોય, પણ એ ક્રમથી નચિંતવતાં જેમ યાદ આવે તેમ ચિતવે, એટલે કે પહેલાં નાનો દોષ ચિંતવે, પછી તેનાથી પણ નાનો દોષ ચિંતવે, પછી મોટો દોષ ચિતવે, પછી નાનો દોષ ચિંતવે, એમ અસ્તવ્યસ્ત ચિંતવે, તો આ ચિંતન આસવનાથી અનુકૂળ નથી, આલોચનાથી પણ અનુકૂળ નથી. [૩૨૧] ते चेव तत्थ नवरं, पायच्छित्तंति आह समयण्णू । . जम्हा सइ सुहजोगो, कम्मक्खयकारणं भणिओ ।।३२२ ॥ વૃત્તિઃ- “તે પર્વ નવર' જેવા સામુનિ તિવારશ7માન: સન્ત: ‘તત્ર' कायिकादीर्यापथिकायां 'प्रायश्चित्तमित्येवमाहुः समयज्ञाः' सिद्धान्तविदः, किमिति ? 'यस्मात् सदा' सर्वकालमेव 'शुभयोगः' कुशलव्यापारः 'कर्मक्षयकारणं भणितः' तीर्थकरगणधरैरिति થાર્થ: || ૩૨૨ | લઘુનીતિ આદિની ઈરિયાવહિમાં (= ઈરિયાવહિના કાઉસ્સગ્નમાં) ભિક્ષામાં લાગેલા અતિચારોનું ચિંતન (ભિક્ષાટન આદિમાં લાગેલા દોષોનું) પ્રાયશ્ચિત્ત છે, એમ સિદ્ધાંતના જાણકારો કહે છે. કારણ કે કોઈપણ શુભયોગ સદાય કર્મક્ષયનું કારણ છે એમ તીર્થકરોએ અને ગણધરોએ કહ્યું છે. [૩૨૨] ततः किमित्याह__ सुहजोगो अ अयं जं, चरणाराहणनिमित्तमणुअंपि । मा होज्ज किंचि खलिअं, पेहेइ तओवउत्तोऽवि ॥ ३२३ ॥ वृत्तिः- 'शुभयोगश्च अयं' सामुदानिकातिचारचिन्तनरूपः, कथमित्याह-'यद्' यस्मात् 'चरणाराधननिमित्तम्' अस्खलितचारित्रपालनार्थम् 'अण्वपि' सूक्ष्ममपि 'मा' मा 'भूत् किञ्चित् स्खलितं, प्रेक्षते' पर्यालोचयति 'तत उपयुक्तोऽपि' मिक्षाग्रहणकाल इति गाथार्थः ॥ ३२३ ॥ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते શુભયોગ કર્મક્ષયનું કારણ હોવાથી સાધુ શું કરે છે તે કહે છે ભિક્ષાસંબંધી અતિચારોનું ચિંતન શુભયોગ છે. આથી સાધુ ભિક્ષા લેતી વખતે (દોષો ટાળવામાં) ઉપયોગવાળો હોવા છતાં અમ્મલિત ચારિત્રના પાલન માટે ચારિત્રમાં સૂક્ષ્મ પણ કોઈ અલના ન રહી જાય એ ઉદેશથી ભિક્ષાસંબંધી અતિચારો ચિંતવે છે. [૩૨૩] पक्षान्तरमाह कायनिरोहे वा से, पायच्छित्तमिह जं अणुस्सरणं । तं विहिआणुट्ठाणं, कम्मक्खयकारणं परमं ॥ ३२४ ॥ वृत्तिः- 'कायनिरोधो वा'-ऊर्ध्वस्थानादिलक्षण: 'से' तस्य कायिकाद्युत्सर्गकर्तुः सामान्यागतस्य वा 'प्रायश्चित्तमिह' कायिकादीर्यापथिकायां 'यत्पुनः स्मरणं' सामुदानिकातिचाराणामिति गम्यते 'तद्विहितानुष्ठान'मेव यतीनां, एतच्च 'कर्मक्षयकारणं परम 'मिति गाथार्थः ।। ३२४ ।। બીજો વિકલ્પ કહે છે અથવા ભિક્ષાટનમાં લઘુનીતિ આદિ કરનારનું કે સામાન્યથી (= લઘુનીતિ આદિ કર્યા વિના ભિક્ષાટન કરીને) આવેલાનું લઘુનીતિ આદિની ઈરિયાવધિમાં કેવળ (= લોગસ્સના ચિંતન વિના) કાયોત્સર્ગ જ પ્રાયશ્ચિત્ત છે તથા ભિક્ષાસંબંધી અતિચારોનું ચિંતન એ તો સાધુઓનું વિહિત જ અનુષ્ઠાન છે, અર્થાત્ દોષો લાગ્યા હોય કે ન લાગ્યા હોય, પણ ભિક્ષા લઈ આવ્યા પછી દોષોનું ચિંતન કરવું એવું વિધાન છે. કેમ કે એ કર્મક્ષયનું શ્રેષ્ઠ કારણ છે. [૩૨૪] पराभिप्रायमाशङ्क्य परिहरनाह जइ एवं ता किं पुण, अन्नत्थवि सो न होइ नियमेण । पच्छित्तं होइ च्चिअ, अणिअमओ जं अणुस्सरणे ॥ ३२५ ॥ वृत्ति:- 'यद्येवं' कायनिरोध एव तत्र प्रायश्चित्तं तत्किपुनरन्यत्रापि'-भिक्षाटनादिव्यतिरेकेण कायिकागमनादौ 'असौ'-कायनिरोध एव चतुर्विंशतिस्तवानुस्मरणशून्यो 'न भवति नियमेन' अवश्यंतया 'प्रायश्चित्त 'मिति ? अत्र गुरुराह-'भवत्येव', न च भवति, कुत इत्याह-'अनियम एव यद्' यस्माद् ‘अनुस्मरणे', तथाहि-न चतुर्विंशतिस्तव एव तत्रापि चिन्त्येत, अपि तु यत्किञ्चित्कुशलमिति एतावता च नः प्रयोजनमित्यलं प्रसङ्गेन इति गाथार्थः ॥ ३२५ ॥ બીજાના અભિપ્રાયને મનમાં કલ્પીને તેનું નિરાકરણ કરે છે– જો ભિક્ષાટનમાં લઘુનીતિ આદિની ઈરિયાવહિમાં કેવળ (= લોગસ્સના ચિંતન વિના) કાયોત્સર્ગ જ પ્રાયશ્ચિત્ત છે. તો ભિક્ષાટન આદિ સિવાય પણ લઘુનીતિ આદિની ઈરિયાવધિમાં ચતુર્વિશતિસ્તવ (લોગસ્સ)ના ચિંતન વિના કેવળ કાયોત્સર્ગ જ પ્રાયશ્ચિત્ત ન થાય? અહીં ગુરુ ઉત્તર આપે છે કે થાય જ, અર્થાત્ ભિક્ષાટનાદિ સિવાય પણ લઘુનીતિ આદિની ઈરિયાવહિમાં Page #174 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१४९ ચતુર્વિશતિસ્તવના ચિંતન વિના કેવળ કાયોત્સર્ગ જ પ્રાયશ્ચિત્ત નથી એમ નથી, કારણ કે ભિક્ષાટન સિવાય પણ લઘુનીતિ આદિની ઈરિયાવહિના કાયોત્સર્ગમાં ચતુર્વિશતિસ્તવ જ ચિતવવું એવો નિયમ નથી, કિંતુ કંઈ પણ શુભ ચિંતવવું એવો નિયમ છે. અમારે તો શુભ ચિંતનથી કામ છે. પ્રાસંગિક पनि पू थयु. [२५] चिंतित्तु जोगमखिलं, नवकारेणं तओ उ पारित्ता । पढिऊण थयं ताहे, साहू आलोअए विहिणा ॥ ३२६ ॥ भिक्खिरिअत्ति दारं गयं ॥ वृत्तिः- 'चिन्तयित्वा योगमखिलं'-सामुदानिकं 'नमस्कारेण ततश्च' तदनन्तरं 'पारयित्वा' 'णमो अरिहंताण'मित्यनेन तत: 'पठित्वा 'स्तव'मिति' चतुर्विंशतिस्तवम् । व्याख्यातं शुद्धिद्वारम्, तद्व्या-ख्यानाच्चेर्याद्वारम्, अधुनाऽऽलोचनाद्वारमाह-'ततः' चतुर्विंशतिस्तवपाठानन्तरं गुरुसमीपं गत्वा 'साधुः' भावतश्चारित्रपरिणामापन्न: सन् 'आलोचयेद्' भिक्षानिवेदनं कुर्यात् 'विधिना' प्रवचनोक्तेनेति गाथार्थः ॥ ३२६ ॥ मिक्षा संबंधी सर्व व्यापारन चिंतन शने 'नमो अरिहंताणं' ५४थी योत्सर्ग पारीने ચતુર્વિશતિસ્તવ કહે. શુદ્ધિવારનું વ્યાખ્યાન કર્યું. એના વ્યાખ્યાનથી ઈર્યાદ્વારનું પણ વ્યાખ્યાન કર્યું. હવે ચોથું આલોચના દ્વાર કહે છે ત્યારબાદ ગુરુ પાસે જઈને સાધુ ભાવથી ચારિત્ર પરિણામવાળો થઈને શાસ્ત્રોક્ત વિધિથી भादोयना ४२=गुरुने मिक्षासंबंधी निवेहन ४२. [३२६] तत्र विधिप्रतिषेधरूपत्वात् शास्त्रस्य प्रतिषेधद्वारेणालोचनाविधिमाह वक्खित्त पराहुत्ते, पमत्ते मा कयाइ आलोए । आहारं च करिती, नीहारं वा जइ करेइ ॥३२७ ॥.दारगाहा ॥ वृत्तिः- 'व्याक्षिप्ते' धर्मकथादिना 'पराङ्मुखे' अन्यतोमुखे 'प्रमत्ते' विकथादिना, एवम्भूते गुराविति गम्यते, 'मा कदाचिदालोचयेत्', तद्दोषानवधारणसम्भवाद्, 'आहारं वा कुर्वति' सति, असहिष्ण्वकारकादिदोषसम्भवात्, 'नीहारं वा'-मात्रकादौ पुरीषपरित्यागं वा 'यदि करोति', शङ्काधरण-मरणादिदोषसम्भवादिति गाथार्थः ॥ ३२७ ।। શાસ્ત્રમાં દરેક વિષયમાં વિધિ અને પ્રતિષેધ એ બંને હોય છે. આથી પ્રતિષેધ દ્વારા આલોચનાવિધિ કહે છે૧. ૩૧૧મી પ્રતિદ્વાર ગાથામાં જણાવેલ શુદ્ધિકાર અહીં સમજવું. શુદ્ધિદ્વારનું વર્ણન પૂર્ણ થતાં ૨૩૦મી મૂળગાથાના ભિક્ષા અને ઈર્યા એ બંને દ્વારા પૂર્ણ થયાં. આથી જ અહીં “ઈયદ્વારનું પણ વર્ણન કર્યું” એમ કહ્યું. ૨. ૨૩૦મી મૂલાર ગાથામાં જણાવેલ ઈયદ્વાર અહીં સમજવું. ૩. ૨૩૦મી મૂલાર ગાથામાં જણાવેલ આલોચના દ્વાર સમજવું. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ગુરુ ધર્મકથા વગેરેના કારણે વ્યાક્ષિપ્ત હોય, તેમનું મુખ અવળું હોય, વિકથા વગેરેથી પ્રમાદમાં હોય, ત્યારે આલોચના ન કરવી. કારણ કે આવી સ્થિતિમાં ગુરુ દોષોનું અવધારણ ન કરી શકેઃસ્થિર ચિત્તે સાંભળી ન શકે. ગુરુ આહાર કરતા હોય ત્યારે આલોચના ન કરવી. કારણ કે ગુરુ શારીરિક દષ્ટિએ અસહિષ્ણુ હોય તો આલોચના સાંભળવામાં સમય જતાં આહાર ઠંડો થઈ જાય વગેરે દોષો થવાનો સંભવ છે. ટબ વગેરેમાં વડીનીતિ કરતા હોય ત્યારે આલોચના ન કરવી જોઈએ. કારણ કે સાધુની વિદ્યમાનતાના કારણે ક્ષોભ થવાથી ઝાડો ન ઉતરે, અથવા ઝાડો રોકી રાખે તો રોગ થાય, યાવતું મૃત્યુ પણ થાય, ઈત્યાદિ દોષોનો સંભવ છે. [૩૨૭] उक्तार्थप्रकटनार्थं चाह भाष्यकार: कहणाई वक्खित्ते, विगहाई पमत्त अनओ व मुहे । अंतर अकारगं वा, नीहारे संक मरणं वा ॥ ३२८ ॥ दारं ॥ વૃત્તિ:- 1 વ્યારાતા || ઉક્ત અર્થને સ્પષ્ટ કરવા ઓઘનિયુક્તિના ભાષ્યકાર કહે છે– ગુરુ ધર્મકથા વગેરેથી વ્યાક્ષિપ્ત હોય, બીજા કોઈ તરફ મુખ હોય, વિકથા વગેરેથી પ્રમત્ત હોય ત્યારે આલોચના ન કરે. ગુરુ આહાર કરતા હોય ત્યારે આલોચના ન કરે. કારણ કે આલોચના સાંભળે તેટલો સમય આહાર કરવામાં અંતરાય થાય, અથવા આહાર ઠંડો થાય. ગુરુ નીહાર કરતા હોય ત્યારે પણ આલોચના ન કરે. કારણ કે સાધુથી થયેલ ક્ષોભથી ઝાડો ન ઉતરે, અથવા ઝાડો રોકી રાખે તેથી મરણ પણ થાય. [૩૨૮] अव्वक्खित्तं संतं, उवसंतमुवट्ठियं च नाऊणं । अणुनविउं मेहावी, आलोएज्जा सुसंजए ॥ ३२९ ॥ वृत्तिः- 'अव्याक्षिप्तं सन्तमुपशान्तमुपस्थितं च ज्ञात्वा अनुज्ञाप्य मेधावी आलोचयेत् सुसंयत' इति गाथासमासार्थः ।। ३२९ ॥ આથી બુદ્ધિશાલી સુસાધુ ગુરુને અવ્યાક્ષિપ્ત, ઉપશાંત અને ઉપસ્થિત થયેલા જાણીને પૂછીને આલોચના કરે. ગાથાનો આ સંક્ષેપથી અર્થ છે. [૩૨૯] व्यासार्थमाह कहणाइ अवक्खित्तं, कोहादुवसंत वट्ठियमुवत्तं । संदिसहत्ति अणुण्णं, काऊण विदिन्न आलोए ॥३३० ॥ दारं ।। वृत्तिः- 'धर्मकथादिना अव्याक्षिप्तं'-निर्व्यापारं, 'क्रोधादिनोपशान्तं', तदनासेवनेन, 'उपस्थितम्-उपयुक्तमा'लोचनाश्रवणे, तमित्थभूतं विज्ञाय 'सन्दिशतेत्येवमनुज्ञां कृत्वा वितीर्णे' दत्ते प्रस्ताव इति गम्यते ततः 'आलोचयेत्' निवेदयेदिति गाथार्थः ॥ ३३० ॥ Page #176 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१५१ ઉક્ત ગાથાનો વિસ્તારથી અર્થ કહે છે ગુરુ ધર્મકથા વગેરે વ્યાપારથી રહિત હોવાથી અવ્યાક્ષિત છે, ક્રોધાદિથી રહિત હોવાથી ઉપશાંત છે, અને આલોચના સાંભળવામાં ઉપયોગવાળા હોવાથી ઉપસ્થિત છે, એમ જાણીને “આપ આલોચના કરવાની આજ્ઞા આપો” એમ અનુજ્ઞા મેળવીને, ગુરુની રજા મળતાં આલોચના ७२. [330] तच्चतत्परित्यागतोऽनेन विधिनेत्याह णटुं चलं च भासं, मूअं तह ढड्ढरं च वज्जिज्जा ॥ आलोएज्ज सुविहिओ, हत्थं पत्तं च वावारं ॥ ३३१ ॥ वृत्तिः- 'नृत्यं चलं च'-चलन् 'भाषा मौक्यं तथा ढड्ढरं च वर्जयेत्' एतत्परित्यागतः 'आलोचयेत् सुविहितः हस्तं पात्रं च व्यापारं' चेति गाथार्थः ॥ ३३१ ॥ નીચેના દોષોનો ત્યાગ કરીને વિધિપૂર્વક આલોચના કરે એ જણાવે છે– સુવિહિત સાધુ નૃત્ય, ચલ, ભાષા, મૂક અને ઢઢર-એ દોષોનો ત્યાગ કરીને આલોચના કરે અને વહોરાવનારે કેવા હાથે, કેવા વાસણથી અને કયું કામ કરતાં (કેવી રીતે) વહોરાવ્યું એ બધું . थानो मा संक्षेपथी अर्थ छ. [33१] व्यासार्थस्तु भाष्यादवसेयः, तच्चेदम् करपायभमुहसीसच्छिहोट्ठमाईहिं नच्चिअं नाम । दारं । चलणं हत्थसरीरे, चलणं काएण भावेण ॥ ३३२ ॥ वृत्ति:- 'करपादभूशिरोऽक्ष्योष्ठादिभिर्तितं नाम' आलोचयेत्, करादीनां षण्णां विकारतो न प्रवृत्तः, स्थित्वा धारयतीत्येतन्न कर्त्तव्यं, 'चलनं हस्तशरीरयोः', सविकारमेतदपि न कार्य, 'चलनं कायेन भावेन' च, कायेन परावर्त्तनं भावेन चारुभिक्षादोषगूहनमिति गाथार्थः ॥ ३३२ ।। गारत्थिअभासाओ, य वज्जए मूअ ढड्ढरं च सरं । आलोए वावारं, संसट्ठिअरे य करपत्ते ॥ ३३३ ॥ वृत्तिः- आलोचयन् 'गृहस्थभाषाश्च वर्जयेत्', न केवलं नर्तितायेव, तथा 'मौक्यम्' अव्यक्तभाषणेन मूकभावं, 'ढड्ढरं च स्वरं' महानिर्घोषं वर्जयेत्, एतत्परित्यागेन 'आलोचयेत्, व्यापार संसृष्टासंसृष्ट विषयं 'करपात्रयो रिति गाथार्थः ॥ ३३३ ।। ઉક્ત ગાથાનો વિસ્તારથી અર્થ ઓઘનિર્યુક્તિના ભાષ્યથી જાણવો, તે આ પ્રમાણે છે નૃત્ય એટલે હાથ-પગ, આંખના ભવાં, મસ્તક, આંખ, હોઠ વગેરેથી કુચેષ્ટા કરતો કરતો આલોચના કરે. આમ ન કરવું જોઈએ. સ્થિર રહીને આલોચના કરવી જોઈએ. ચલન એટલે હાથ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કે શરીરને ગમે તેમ હલાવતો હલાવતો આલોચના કરે. આ વિકૃતિરૂપ હોવાથી આ પણ ન કરવું જોઈએ. ચલન કાયાથી અને ભાવથી એમ બે પ્રકારે છે. કાયાને જેમ તેમ ફેરવવી એ કાયાથી ચલન છે. સારી ભિક્ષા અને દોષો છુપાવવા એ ભાવથી ચલન છે. [૩૩૨] આલોચના કરતાં ગૃહસ્થભાષા બોલવી એ ભાષાદોષ છે, તેનો ત્યાગ કરે, સાધુભાષાથી આલોચના કરે. આલોચના કરતાં અવ્યક્ત = ન સમજાય તેમ બોલવું એ મૂકદોષ છે, તેનો ત્યાગ કરે. મોટા અવાજથી આલોચના કરવી એ ઢઢુર દોષ છે, તેનો ત્યાગ કરે. વહોરાવનારનો હાથ પાણીથી ભિનો હતો કે કોરો ? વહોરાવવાનું વાસણ પાણીથી ભિનું હતું કે કોરું ? વહોરાવનાર વ્યક્તિ વહોરાવતાં પહેલાં શું કરતી હતી ? વહોરાવતી વખતે કેવી રીતે વહોરાવ્યું વગેરે ગુરુને કહે. [૩૩૩] एतदेव स्पष्टयति अोसविमुको, गुरुणो गुरुसंमयस्स वाऽऽलोए । हि तु भवे, पढमाया जा भवे चरमा ॥ ३३४ ॥ वृत्ति: - ' एतद्दोषविमुक्त' इति नर्त्तितादिदोषरहितः सन् 'गुरोः ' आचार्यस्य' गुरुसम्मतस्य वा ' ज्येष्ठार्यस्य 'आलोचयेत्', किमित्याह- 'यद्' ओदनादि 'यथा' येन प्रकारेण डोवादिभाजनादिना ‘વૃદ્દીત, તુ‘શબ્દ દ્વારાર્થ:, ગૃહીતમેવ‘ મવેત્', 1પ્રતિષિદ્ધમાનોત્યંત રૂતિ, જ્ત ગરમ્ય ફત્યવધિમાઃ‘પ્રથમાયા: 'મિક્ષાયા કૃતિ ગયતે આરમ્ય‘યાવત્ ભવે જ્વરમા‘પશ્ચિમા' મિક્ષત્તિ માથાર્થઃ ॥ ૩૪ || આ જ વિષયની સ્પષ્ટતા કરે છે— સાધુ નર્તિત (નૃત્ય) વગેરે દોષોનો ત્યાગ કરીને ગુરુને કહે. (ગુરુ પાસે આલોચના ન થઈ શકે ત્યારે) ગુરુને માન્ય અન્ય વડિલને સૌથી પહેલાં વહોર્યું ત્યારથી આરંભી સૌથી છેલ્લે વહોર્યું હોય ત્યાં સુધીમાં જે વસ્તુ જે રીતે લીધી હોય તે બધું કહે. જે વસ્તુ લીધી હોય તેની આલોચના કરવાની હોય, ન લીધી હોય તેની નહિ. આથી અહીં ગૃહીતમેવ = લીધી હોય તેની જ આલોચના કરે એમ જકારનો પ્રયોગ કર્યો છે. [૩૩૪] अपवादमाह काले अपहुप्पंते, उव्वाओ वावि ओहमालोए । वेला गिलाणगस्स व, अइगच्छइ गुरु व उव्वाओ ।। ३३५ ।। वृत्ति:- 'काले अप्रभवति' सति' उव्वाओ वावि 'त्ति श्रान्तो वा भिक्षाटनेनेति' ओहमालोए' सामान्येनालोचयेत्, 'वेला ग्लानस्य वाऽतिगच्छति, गुरुर्वा श्रान्तः' श्रुतचिन्तनिकादिनेति सामान्येनालोचयेत्, यदि शुद्धैव ततः प्रथमपश्चिमे सर्वसाधुप्रायोग्यमित्यादीति गाथार्थः ॥ ३३५ ॥ અપવાદ કહે છે— વધારે સમય ન હોય, અથવા સાધુ ભિક્ષામાં (ઘણું) ફ૨વાથી થાકી ગયો હોય, અથવા ગ્લાનને Page #178 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१५३ ભોજન આપવામાં વિલંબ થતો હોય, અથવા શ્રુતચિંતન આદિ (ઘણું) કરવાથી ગુરુ થાકી ગયા હોય, તો સામાન્યથી = સંક્ષેપથી આલોચના કરે. જો ભિક્ષા શુદ્ધ હોય (= મોટા દોષો ન લાગ્યા હોય) તો પૂર્વકર્મ – પશ્ચાત્કર્મ (આદિ નાના) દોષો લાગ્યા છે, આથી ભિક્ષા સર્વ સાધુઓને પ્રાયોગ્ય છે એમ સામાન્યથી જણાવે. [૩૩૫]. एतदेव भावयति पुरकम्म पच्छकम्मे, अप्पेऽसुद्धे अ ओहमालोए । तुरिअकरणंमि जं से, ण सुज्झई तत्तिअं कहए ॥ ३३६ ॥ वृत्तिः- 'पुरःकर्म पश्चात्कर्मे 'त्येते प्रथमपश्चिमे प्राभृतके गृह्येते, 'अल्पेऽशुद्ध' इत्यत्राल्पशब्दोऽ-भाववचनः, अशुद्धाभावे सति 'सामान्येनालोचयेत्', 'अग्गिलिया पच्छिलिया सेसं साहूण पायोग्गं', 'त्वरितकरणे यत्तन्न शुद्ध्यति', अशनादीति गम्यते, 'तावन्मानं कथयेत्' आलोचयेत्, अन्ये तु व्याचक्षते-पुरःकर्मपश्चात्कर्मग्रहणेन दोषपरिग्रह एव, ततश्चाल्पेऽशुद्ध इति यत्र पुरःकर्मादिदोषा न विद्यन्ते तत्र सामान्येनालोचयेत् 'अग्गिलिया पच्छिलिया साहुपयोगा' शेषं पूर्ववदिति गाथार्थः ॥ ३३६ ॥ આ જ વિષયની વિચારણા કરે છે– જો ભિક્ષા શુદ્ધ હોય (મોટા દોષો ન લાગ્યા હોય) તો પૂર્વકર્મ-પશ્ચાત્કર્મ (વગેરે નાના) દોષો લાગ્યા છે, આ સિવાય અશનાદિ બધું સાધુપ્રાયોગ્ય છે, એમ સામાન્યથી કહે. હવે જો વધારે ઉતાવળ હોય તો જે (મોટા) દોષો લાગ્યા હોય તેને જ કહે. બીજાઓ તો કહે છે કે- પુરકર્મ – પશ્ચાત્કર્મ એ બે દોષના ઉલ્લેખથી (સવ) દોષોનું ગ્રહણ કર્યું જ છે. તેથી પૂર્વ કર્મ-પશ્ચાત્કર્મ વગેરે કોઈ દોષો ન લાગ્યા હોય ત્યારે જ સામાન્યથી આલોચના કરે. શેષ શબ્દોની વ્યાખ્યા પૂર્વવત્ છે. [૩૩૬]. आलोएत्ता सव्वं, सीसं सपडिग्गहं पमज्जित्ता । उड्ढमहे तिरिअंमि , पडिलेहे सव्वओ सव्वं ।। ३३७ ।। वृत्ति:- इत्थमुत्सर्गत: 'आलोच्य सर्व'समुदानं तदुत्तरकालं 'शिरः सप्रतिग्रहं प्रमृज्य' मुखवस्त्रिकया "सीसं किं निमित्तं पमज्जिज्जइ ?, किंचि लग्गं भविज्जा ताहे दाएंतस्स हेट्ठाहुत्तस्स पडिग्गहे पडिज्जा, पडिग्गहो कि पमज्जिज्जइ?, तत्थ उवरिं पाणाणि वा भविज्जा, पच्छा परिग्गहेण णीणिएणं ते पाणजातिया पिलिज्जन्ति" 'ऊर्ध्वमधस्तिर्यगपि च प्रत्युपेक्षेत' निरीक्षेत 'सर्वतः सर्वं' सर्वासु दिक्षु निरवशेषं, 'उड्ढं किंनिमित्तं?, घरकोइलओ वा सउणी वा सण्णं वोसिरिज्जा, उंदरो वा सप्पो वा उवरि लंबिज्जा, एयनिमित्तं, तिरिअं तु मा सुणओ वा मज्जारो वा चेडरूवं वा धावंतं आवडिज्जा, हिट्ठयं मा खीलओ वा विसमदारुयं वा होज्ज'त्ति गाथार्थः ॥ ३३७ ॥ આ પ્રમાણે ઉત્સર્ગથી (= વધારે સમય ન હોય વગેરે અપવાદ ન હોય ત્યારે) ભિક્ષાસંબંધી Page #179 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते સંપૂર્ણ આલોચના કરીને મુહપત્તિથી મસ્તક અને પાત્રનું પ્રમાર્જન કરે, પછી ઊંચે, નીચે અને તિર્લ્ડ સર્વ દિશાઓમાં બરોબર નિરીક્ષણ કરે. પ્રશ્ન- મસ્તકનું પ્રમાર્જન શા માટે કરવામાં આવે છે? ઉત્તર- મસ્તકે (પરસેવો વગેરે) કંઈક લાગ્યું હોય તો મસ્તકથી નમીને ગુરુને પાત્ર બતાવતી વખતે પાત્રમાં પડે. કંઈ લાગેલું હોય તો પ્રમાર્જન કરવાથી દૂર થઈ જાય. પ્રશ્ન- પાત્રનું પ્રમાર્જન શા માટે કરવામાં આવે છે? ઉત્તર- પાત્ર ઉપર જીવો હોય એ સંભવિત છે. જો જીવો હોય તો ઝોળીમાંથી પાત્ર બહાર કાઢતાં (ઝોળી વગેરે સંકોચાવાથી કે હાથસ્પર્શ વગેરેથી) એ જીવો મરી જાય (કે કિલામણા પામે). પાત્રનું પ્રમાર્જન કરવાથી તે જીવો બચી જાય. પ્રશ્ન- ઉપર, નીચે અને તિહુઁ જોવાનું શું કારણ? ઉત્તર- ઉપર ગરોળી કે પક્ષી હોય તો તેની વિઝા પાત્રમાં પડે, અથવા ઉપર ઉંદર કે સર્પ હોય તો પાત્રમાં પડવાનો સંભવ રહે. તિર્લ્ડ શ્વાન, બિલાડો કે નાનો છોકરો દોડીને આવે, (અને પાત્ર ઉપર ઝાપટ મારે) નીચે ખીલો, વિષમ કાઇ વગેરે હોય. (એથી પગે લાગવાનો સંભવ રહે) જોવાથી ઉક્ત બધા ઉપદ્રવો ટાળી શકાય. [૩૩૭]. एतदेव स्पष्टयति उड्ढे घरकोइलाई ( दारं) तिरिअंमज्जारसाणडिंभाई ( दारं)। खीलगदारुगपडणाइरक्खणट्ठा अहो पेहे ॥ ३३८ ॥ दारं ।। वृत्तिः- 'ऊर्ध्वं गृहकोकिलादि', तत्पुरीषादिपातरक्षणार्थं, पाठान्तरं वा उड्ढं पुष्फफलादी, एतदपि मण्डपकादिस्थितानां भवत्येव, ततश्च तत्पातसङ्घट्टनादिरक्षार्थं, 'तिर्यंङ्मार्जारश्वडिम्भादि', तदापातपरिहरणाय, तथा 'कीलकदारुकपतनरक्षार्थं, अधः प्रेक्षेत', क्रिया सर्वत्रानुवर्तत इति માથાર્થ: ૫ રૂ૩૮ || ओणमओ पवडिज्जा, सिरओ पाणा अओ पमज्जिज्जा । ___ एमेव उग्गहंमिवि, मा संकुडणे तसविणासो ॥ ३३९ ॥ वृत्तिः- 'अवनमतः प्रपतेयुः शिरसः प्राणिन' इति, अप्राणिनामप्युपलक्षणमेतत्, 'अतः प्रमार्ज-येद्, एवमेव अवग्रहेऽपि' प्रतिग्रहेऽपि, ‘मा संकोचे' उद्घाट्यमानपात्रबन्धसङ्कोचे, 'त्रसविनाश' इति तल्लग्नत्रसघात इत्यतः प्रमार्जयेदिति गाथार्थः ॥ ३३९ ।। આ જ વિષયને સ્પષ્ટ કરે છે– ઉપર ગરોળી વગેરે હોય તેની વિઝા વગેરે પાત્રમાં ન પડે એ માટે ઉપર નિરીક્ષણ કરે. અથવા ૩ä ઘરોફહ્ના એ પાઠના બદલે હૃપુતાવી એવો પાઠ છે. ત્યાં ઉપર પુષ્પ, ફળ Page #180 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१५५ વગેરે હોય. મંડપ (બગીચા) વગેરેમાં રહેલા સાધુઓને આ પણ બને જ. તેથી પુષ્પ, ફળ વગેરે પાત્રમાં ન પડે અથવા તેનો સંઘટ્ટ ન થાય એ માટે ઉપર નિરીક્ષણ કરે. તિર્લ્ડ બિલાડો, શ્વાન, નાનો છોકરો વગેરે આવે નહિ એટલા માટે નિરીક્ષણ કરે. નીચે ખીલો, કાષ્ઠ વગેરે વાગે નહિ વગેરે કારણે જાએ. [૩૩૮] નમતાં મસ્તકમાંથી જીવો કે બીજાં (પરસેવો, કચરો વગેરે) કંઈ પાત્રમાં ન પડે એ માટે મસ્તકને પુંજે. ઝોળી ખોલતી વખતે ઝોળી સંકોચાવાથી પાત્ર ઉપર રહેલા ત્રસ જીવોનો ઘાત ન થાય એ માટે પાત્રને પણ પુજે. [૩૩૯] गुरोराहारदर्शनविधिमाह काउं पडिग्गहं करयलंमि अद्धं च ओणमित्ताणं । भत्तं वा पाणं वा, पडिदंसिज्जा गुरुसगासे ॥ ३४० ॥ वृत्तिः- 'कृत्वा प्रतिग्रहं करतले', अप्रावृत्तोपघातसंरक्षणार्थं, पृष्ठतोऽवलोकनं कृत्वा, 'अर्द्ध चावनम्य', ततः किमित्याह-'भक्तं वा पानं वा प्रतिदर्शयेद् गुरुसकाशे' आचार्यसमीपे इति गाथार्थः ॥ ३४० ॥ ગુરુને આહાર બતાવવાનો વિધિ કહે છે પાત્રને હાથમાં લઈને, પાત્ર ખુલ્લું હોવાથી શરીરના પાછળના ભાગથી બિલાડી વગેરેથી હાનિ ન થાય (= બિલાડી વગેરે આવીને પાત્રમાં ઝાપટ ન મારે) વગેરે માટે શરીરના પાછળના ભાગમાં शेने, थी नभाने माडा२-५४ी गुरुने बतावे. [3४०] ताहे दुरालोइअ भत्तपाणे एसणमणेसणाए उ । अठुस्सासे अहवा, अणुग्गहाई उ झाएज्जा ॥ ३४१ ॥ वृत्तिः- 'ततः' तदनन्तरं 'दुरालोचितभक्तपानयो निमित्तमिति गम्यते, 'एषणानेषणयोर्वा' अनाभोगनिमित्तमिति गम्यते, 'अष्टावुच्छ्वासान्'-पञ्चनमस्कारमित्यर्थः, ध्यायेतेति योगः 'अथवाऽनुग्रहा-घेव' 'जइ मे अणुग्गहं कुज्जा साहू' इत्यादि 'ध्यायेद्', इयं गोचरचर्येति गाथार्थः ॥ ३४१ ॥ विणएण पट्टवित्ता, सज्झायं कुणइ तो मुहुत्तागं । एवं तु खोभदोसा, परिस्समाई अ होति जढा ॥३४२ ॥आलोअणत्ति दारंगयं ॥ वृत्तिः- उक्तध्यानानन्तरं 'विनयेन' वन्दनादिना 'प्रस्थाप्य स्वाध्यायं करोति, ततो मुहूर्त स्वाध्यायमेव, करोतीति वर्तमाननिर्देशस्तुलादण्डमध्यग्रहणन्यायतः त्रिकालगोचरसूत्रसङ्ग्रहार्थः, स्वाध्यायकरणे गुणमाह-'एवं तु' स्वाध्यायकरणेन 'क्षोभदोषाः' वातादिधातुक्षोभापराधाः' 'परिश्रमादयः' स्वाङ्गिका 'भवन्ति जढा' परित्यक्ता इति गाथार्थः || ३४२ ॥ ત્યારબાદ આહાર-પાણીની આલોચના બરોબર ન થઈ હોય (= નૃત્ય આદિ દોષો લગાડ્યા હોય) અથવા ભિક્ષા લેતાં આ શુદ્ધ છે કે અશુદ્ધ એનો બરાબર ઉપયોગ ન રહ્યો હોય, આથી એની Page #181 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते શુદ્ધિ માટે કાયોત્સર્ગમાં નમસ્કાર મંત્ર ચિંતવે, અથવા મજુદં પુષ્કા 'સાદૂ.. ઈત્યાદિ ચિતવે. - ત્યારબાદ વંદનાદિપૂર્વક (યોગવિધિની જેમ) સઝાય પઠાવીને એક મુહૂર્ત સુધી સ્વાધ્યાય જ કરે. પ્રશ્ન- ‘ ’ એમ વિધ્યર્થનો પ્રયોગ કરવાને બદલે અતિ એવો વર્તમાનકાળનો પ્રયોગ કેમ કર્યો ઉત્તર- ‘તુલાદંડમધ્યગ્રહણ' ન્યાયથી સૂત્રને ત્રણે કાળનો વિષય બનાવવા માટે આમ કર્યું છે. જેમ ત્રાજવાના દંડના મધ્ય ભાગને પકડવાથી આજુબાજુના બે પલ્લા પણ પકડાય છે, તેમ વર્તમાનકાળના પ્રયોગથી ભૂત અને ભવિષ્યકાળનો પણ પ્રયોગ થઈ જાય છે. સૂત્રો કેવળ વર્તમાનકાળનું જ સૂચન કરતા નથી, કિંતુ ત્રણે કાળનું સૂચન કરે છે. જેમ કે – સાધુઓ હમણાં જ આ પ્રમાણે સ્વાધ્યાય કરે છે એમ નહિ, ભૂતકાળમાં સાધુઓ આ રીતે સ્વાધ્યાય કરતા હતા અને ભવિષ્યમાં પણ કરશે. (સ્વાધ્યાય કરવાથી થતો લાભ કહે છે.) ભિક્ષામાં ઘણું ફરવાથી અને ગરમી આદિના કારણે શરીરના વાતાદિ દોષો વિષમ બને. એથી આવીને તુરત ભોજન કરવામાં આવે તો પેટપીડા, ઊલટી, ઝાડા યાવત મરણ પણ થાય. મુહૂર્ત સુધી સ્વાધ્યાય કરવાથી ત્યાં સુધીમાં વાતાદિ દોષો શાંત થઈ જાય= સમ બની જાય. આથી વાતાદિની વિષમતાથી થતા અનર્થો ન થાય, તથા શારીરિક થાક વગેરે પણ દૂર થાય. [૩૪૨] આલોચના દ્વાર પૂર્ણ થયું. दुविहो अ होइ साहू, मंडलिउवजीवओ अ इअरो अ । मंडलिउवजीवंतो, अच्छड़ जा पिंडिआ सव्वे ॥ ३४३ ॥ वृत्तिः- 'द्विविधश्चसावपि साधुः', कतमेन वैविध्येनेत्याह-'मण्डल्युपजीवकश्चेतरश्च'अनुपजीवकश्च, उपजीवको-मण्डलीभोक्ता अनुपजीवकः-कारणतः केवलभोक्ता, तत्र 'मण्डलिमुपजीवन्' मण्डल्युपजीवकः ‘तावत्तिष्ठति' गृहीतसमुदान एव 'यावत्पिण्डिताः सर्वे'-तन्मण्डलिभोक्तार इति गाथार्थः ॥ ३४३ ।। (હવે ર૩૦મી મૂલધાર ગાથામાં જણાવેલ ભોજનહારનું વર્ણન શરૂ કરે છે–) ૧. નફ છે મજુદું જ દૂ એ પદોથી શરૂ થતી ગાથાવાળો કોઈ ગ્રંથ વર્તમાનમાં ઉપલબ્ધ નથી. વર્તમાનમાં દશવૈકાલિકના પાંચમા અધ્યયનના પહેલા ઉદ્દેશાની ૯૪મી ગાથાના ઉત્તરાર્ધના પહેલા ચરણમાં આ પદો જોવા મળે છે. તથા વર્તમાનમાં આના સ્થાને ગો નહિં અનાવના એ ગાથાનું ચિંતન કરાય છે. ૨. નમુAિRUT પરિત્તા, વત્તા નિરંથd 1 સાથે પવિત્તા, વીમેન મુળી | દશવૈકાલિક, અધ્યાય-૫, ઉદ્દેશો-૧ ગાથા-૯૩. ૩. v+ સ્થાપએ સંસ્કૃત પ્રેરક ધાતુ ઉપરથી પ્રાકૃતમાં પદૃવ ધાતુ બને છે. તેનો અર્થ “શરૂ કરવું” એવો છે. પ્રસ્તુતમાં સઝાય પઠાવવી એટલે સ્વાધ્યાયનો પ્રારંભ કરવો એવો શબ્દાર્થ થાય. અહીંએ શબ્દાર્થનપકડતાં સઝાયપઠાવવી એટલે સ્વાધ્યાય કરવા માટે પ્રારંભમાં વસતિ જોવી, સ્વાધ્યાય કરવા ગુરુને નિવેદન કરવું જણાવવું, વંદન કરવું વગેરે વિધિ કરવી એવો અર્થ સમજવો. Page #182 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૧૭ સાધુઓ માંડલીભોજી અને એકલોજી એમ બે પ્રકારના હોય. માંડલીમાં બધાની સાથે ભોજન કરે તે માંડલીભોજી. કોઈ કારણથી એકલો અલગ ભોજન કરે તે એકલભોજી. તેમાં માંડલીભોજી સાધુ માંડલીમાં ભોજન કરનારા બધા સાધુઓ ભેગા ન થાય ત્યાં સુધી લાવેલી ભિક્ષાની રક્ષા કરતો રાહ જુએ. [૩૪૩] इअरो संदिसहत्ति अ, पाहुणखमणे गिलाण सेहे अ । अहरायणि सव्वे, चिअत्तेण निमंतए एवं ॥ ३४४ ॥ વૃત્તિ - “કૃતિ' માણ્ડત્યનુનીવ: “સન્નિતિ વ' ગુમાપૃચ્છ તનાત્ “પ્રાપૂufकक्षपकग्लान-शिष्यकांश्च यथारत्नाधिकं' यथाज्येष्ठार्यतया 'सर्वान्' 'चियत्तेण'त्ति भावतो मनःप्रीत्या निमन्त्रयेत्, एवं' आग्रहत्यागः समानधार्मिकवात्सल्यं च कृतं भवतीति गाथार्थः ॥ ३४४ ॥ એકલોજી સાધુ ગુરુને પૂછીને તેમના કહેવાથી દીક્ષા પર્યાયના ક્રમ પ્રમાણે પ્રાથૂર્ણક, તપસ્વી, ગ્લાન અને નવદીક્ષિત એ બધાને પોતે લાવેલા આહારની “આમાંથી મને લાભ આપો” એમ માનસિક પ્રેમથી ભાવપૂર્વક નિમંત્રણ કરે. આમ કરવાથી આસક્તિનો-સ્વાર્થનો ત્યાગ થાય છે અને સાધર્મિકવાત્સલ્ય થાય છે. [૩૪૪] दिने गुरूहि तेहिं, सेसं भुंजेज्ज गुरुअणुण्णाओ । गुरुणा संदिट्ठो वा, दाउं सेसं तओ भुंजे ॥ ३४५ ॥ वृत्तिः- तत्र यदि प्राघूर्णकादयोऽर्थिनस्तत आगत्य गुरोनिवेदयति, ततश्च गुरुः प्राघूर्णकादिभ्यो ददाति, इत्थं दत्तेगुरुभिः तेभ्यः'प्राघूर्णकादिभ्यः शेषं भुञ्जीत गुर्वनुज्ञातः सन् अथ कथञ्चिदक्षणिको गुरुः ततो 'गुरुणा सन्दिष्टो वा' सन् 'दत्त्वा' प्राघूर्णकादिभ्यः शेषं 'ततो भुञ्जीत', शेषमिति न तेभ्य उद्धरितमेव, कि त्वप्रधानमपि शेषमुच्यते, यथोक्तं-'सेसावसेसं लभउ तवस्सी' इति गाथार्थः ।। ३४५ ।। નિમંત્રણ કર્યા પછી પ્રાથૂર્ણક વગેરે લેવાની ઈચ્છાવાળા હોય તો ગુરુ પાસે આવીને પ્રાપૂર્ણક વગેરે લેવાની ઈચ્છાવાળા છે એમ કહે. પછી ગુરુ પ્રાગૂર્ણક વગેરેને આપે. ગુરુ પ્રાગૂર્ણક વગેરેને આપી દે એટલે શેષ = બાકીનું ગુરુની રજા લઈને પોતે વાપરે. જો ગુરુને સમય ન હોય તો ગુરુની રજાથી પોતે જ પ્રાપૂર્ણક વગેરેને આપે, અને ગુરુની રજા લઈને શેષ = બાકીનું પોતે વાપરે. અહીં શેષ શબ્દનો આપ્યા પછી વધેલું એટલોજ અર્થ નથી, કિંતુ અપ્રધાન (સામાન્ય) પણ શેષ કહેવાય છે. કહ્યું છે કે સેસીવસે નમ: તવસ્સી = “તપસ્વી અપ્રધાન-સામાન્ય વધેલું લે, અર્થાત્ તપસ્વી વધેલો આહાર લે, વધેલો આહાર પણ ઉત્કૃષ્ટ (સારો) ન લે, કિંતુ સાદો લે. [૩૪૫] यदि तु नेच्छति कश्चित् तत्र का वात॑त्याह इच्छिज्ज न इच्छिज्ज व, तहवि अपयओ निमंतए साहू । परिणामविसुद्धीए, उ निज्जरा होअगहिएऽवि ॥ ३४६ ॥ Page #183 -------------------------------------------------------------------------- ________________ १५८ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- 'इच्छेत् नेच्छेद्वा' यद्यप्येवं 'तथापि च प्रयत्नो' यत्नपरः सन् 'निमन्त्रयेत् साधून्' निर्वाण-साधकानेव, किमित्येतदेवमित्याह-यस्मात् 'परिणामविशुद्धयैव' निमन्त्रणकालभाविन्या 'निर्जरा भवत्यगृहीतेऽपी 'ति गाथार्थः ॥ ३४६ ॥ જો કોઈ સાધુ ન લે તો શું થાય એ કહે છે કોઈ સાધુ લે કે ન લે, તો પણ નિવણસાધક જ સાધુઓને આદરપૂર્વક આહારનું નિમંત્રણ કરવું જોઈએ, કારણ કે ન લે તો પણ નિમંત્રણ કરતાં થયેલી પરિણામ-વિશુદ્ધિથી જ નિર્જરા થાય छे. [3४६] व्यतिरेकमाह परिणामविसुद्धीए, विणा उ गहिएऽवि निज्जरा थोवा । तम्हा विहिभत्तीए, छंदिज्ज तहा वि (च) अत्तिज्जा ॥ ३४७ ॥ वृत्तिः- 'परिणामविशुद्धया विना तु गृहीतेऽप्य'शनादौ प्राघूर्णकादिभिः 'निर्जरा स्तोका', न काचिदित्यर्थः, यस्मादेवं 'तस्माद्विधिभक्तिभ्यां छन्दयेत्'-निमन्त्रयेत्, 'तथा च' न लाटपञ्जिकामात्रं कुर्यादिति गाथार्थः ॥ ३४७ ॥ પરિણામવિશુદ્ધિ વિના લાભ ન થાય એ કહે છે– પરિણામશુદ્ધિ વિના તો પ્રાપૂર્ણકાદિ અશન વગેરે લે તો પણ નિર્જરા ન થાય. આથી વિધિ અને ભક્તિપૂર્વક નિમંત્રણ કરવું જોઈએ. પણ લાટપંજિકા જેવું ન કરવું જોઈએ. પંજિકા એટલે ઈચ્છા જેટલું દાન = મુખ માગ્યું દાન. લાટ દેશનું નામ છે. લાટ દેશના માણસો બનાવટ કરવામાં પ્રસિદ્ધ હતા. લાટ દેશના માણસો મારી પાસેથી મોં માગ્યું દાન લઈ જાઓ ઈત્યાદિ બોલે, પણ આપે કંઈ नरि. मेम सही हेाव पूरतुं निमंत्र न २ . [३४७] एतदेवोदाहरणतः स्पष्टयति आहरणं सिट्ठिदुगं, जिणंदपारणगऽदाणदाणेसु । विहिभत्तिभावऽभावा, मोक्खंगंतत्थ विहिभत्ती ॥३४८॥ वृत्तिः- 'उदाहरणमत्र श्रेष्ठिद्वयं' जीर्णश्रेष्ठी अभिनवश्रेष्ठी च, 'जिनेन्द्रपारणकादानदानयो 'रिति, अदाने दाने च 'विधिभक्तिभावाभावात्', एकत्र विधिभक्त्योर्भाव:, अन्यत्राभावः, 'मोक्षाङ्गं तत्र विधिभक्ती', न तद्रहितं दानमपीति गाथार्थः ॥ ३४८ ॥ આ જ વિષયને ઉદાહરણથી સ્પષ્ટ કરે છે આ વિષયમાં જીર્ણશેઠ અને અભિનવ શેઠ એ બેનું દૃષ્ટાંત છે. ભગવાન મહાવીરસ્વામીના પારણામાં જીર્ણશેઠે દાન ન કર્યું અને અભિનવ શેઠે દાન કર્યું; પણ જીર્ણશેઠમાં વિધિ અને ભક્તિ હતી. અભિનવ શેઠમાં તે બંનેનો અભાવ હતો. દાનમાં વિધિ અને ભક્તિ મોક્ષનું કારણ છે. વિધિ Page #184 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] અને ભક્તિ રહિત દાન પણ મોક્ષનું કારણ બનતો નથી. [૩૪૮] एतदेव स्पष्टयति वेसालिवासठाणं, समरे जिणपडिम सिट्ठिपासणया । अइभत्ति पारणदिणे, मणोरहो अन्नहिं पविसे ॥ ३४९ ॥ जा तत्थ दाणधारा, लोए कयपुन्नउत्ति अ पसंसा । केवलिआगम पुच्छण, को पुण्णो ? जिण्णसिट्ठित्ति ॥ युगलं ॥ वृत्तिः- एगया भगवं महावीरे विहरमाणे 'वेसालाए वासावासं ठिए', तत्थ य अणुण्णविय ओग्गहं ‘समरे'त्ति-देवउले पडिमाए ठिए, से य पडिमाए ठिए जिण्णसेट्ठिणा दिट्ठे, तं च दट्ठूण 'अतीव' से 'भत्ती' समुप्पण्णा, अहो ! भगवतो सोमया णिप्पकंपयत्ति, अहिंडणेण विण्णाओ चाउम्मासिगो अभिग्गहो सिट्टिणा, अइक्कंता चत्तारि मासा, पत्तो 'पारणगदिवसो', दिट्ठो य भिक्खागोरं पति चलिओ भगवं समुप्पण्णो सिट्ठिस्स 'मणोरहो' - अहो घण्णो अहं जदि मे भगवं गेहे आहारगहणं करेइ, गओ तुरिओ गेहं अप्प (णो, प) वड्ढमाणसंवेगो य भगवओ आगमणं पलोइउं पवत्तो, भगवंपि अदीणमणो गोयरद्वितीए 'अहिणवसिट्ठिगेहं पविट्ठो', तेणऽविय भगवंतं पासिऊण जहिच्छाए दवावियं कुम्मासादिभोयणं, पत्तविसेसओ समुब्भूयाणि दिव्वाणि, अद्धतेरसहिरण्णकोडीओ निर्वाडिया 'वसुहारा, कयपुण्णोत्ति पसंसिओ लोएहिं' अहिणवसिट्ठी, जिण्णसेट्ठीऽवि भगवओ पारणयं सुणेऊण न पविट्ठो मे भगवं गेहंति अवट्ठियपरिणामो जाओ, गओ य भगवं खित्तंतरं, 'आगओ' य पासावच्चिज्जो 'केवली' तंमि चेव दिवसे वेसाली, मुणिओ य लोगेण, निग्गओ तस्स वंदणवडियाए, वंदिऊण य वसुधारावुत्तंतविम्हिएण लोएण' पुच्छिओ' केवली, भगवं ! इमीए नगरीए अज्ज को पुण्णोत्ति ?' को महंतपुण्णसंभारज्जणेण कयत्थोत्ति ?, भगवया भणियं'जिण्णसेट्ठित्ति', लोगेण भणियं ण भगवओ तेण पारणगं कयं, न य तस्स गेहे वसुहारा निवडिया, ता कहमेयमेवं ?, भगवया भणियं कयं चेव भावेण अविय ईदिसो तस्स कुसलपरिणामो आसि जेण जइ थेववेलाए तित्थगरपारणगवुत्तंतं न सुणतो अओ पवड्ढमाणसंवेययाए सिद्धि पाविऊण केवलंपि पावितो, अविय पार्वितेण सड्ढाइएण निरुवहयं सोक्खं पायं, अओ महंतपुण्णसंभारज्जणेण सो कयत्थोत्ति, पारणगकारगस्स तु अहिणवसिद्विस्स ण तारिसा परिणामो, अतो ण तहा कयत्थो, वसुहारानिवडणं च एगजम्मियं थेवं पओयणंति गाथाद्वयार्थः ॥ ३४९ ॥। ३५० ।। [ १५९ આ જ વિષયને સ્પષ્ટ કરે છે— એકવાર ભગવાન શ્રી મહાવીરસ્વામી વિહાર કરતાં કરતાં વિશાલાનગરીમાં ચોમાસું રહ્યા. ત્યાં અવગ્રહની યાચના કરીને કામદેવના મંદિરમાં કાઉસ્સગ્ગમાં રહ્યા. કાઉસ્સગ્ગમાં રહેલા તેમને જીર્ણશેઠે જોયા. તેમને જોઈને તેને તેમના ઉપર અત્યંત ભક્તિ ઉત્પન્ન થઈ. અહો ! ભગવાનની Page #185 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ] . [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते સૌમ્યતા કેવી છે ! નિષ્ણકંપતા પણ કેવી છે ! સદા કાઉસ્સગ્ગમાં રહેવાથી જીર્ણશેઠે જાણ્યું કે ભગવાનને ચાર માસનો અભિગ્રહ છે = ચાર મહિનાના ઉપવાસ છે. ચાર માસ પૂર્ણ થયા. પારણાનો દિવસ આવ્યો. ભિક્ષા લેવા માટે નીકળેલા ભગવાનને જીર્ણશેઠે રસ્તામાં જોયા. આ વખતે જીર્ણશેઠને મનોરથ થયો કે - અહો ! જો ભગવાન મારા ઘેરથી આહાર વહોરે તો હું ધન્ય બની જાઉં. પછી જલ્દી પોતાના ઘરે ગયો. વધતા સંવેગે ભગવાનના આગમનની રાહ જોવા લાગ્યો. અદીનપણે ગોચરી માટે ફરતા ભગવાને પણ અભિનવશેઠના ઘરમાં પ્રવેશ કર્યો. તેણે પણ ભગવાનને જોઈને (બાફેલા) અડદ વગેરે ભોજન ઈચ્છા પ્રમાણે (દાસી દ્વારા) અપાવ્યું. ભગવાનના માહાત્મ્યથી (પાંચ) દિવ્યો પ્રગટ થયાં. સાડાબાર ક્રોડ સોનામહોરની વૃષ્ટિ થઈ. લોકોએ ખરેખર આ કૃતપુણ્ય (= પુણ્યશાળી) છે એમ અભિનવશેઠની પ્રશંસા કરી. જીર્ણશેઠે પણ ભગવાનને પારણું થઈ ગયું એમ (દુંદુભિના અવાજથી) સાંભળ્યું. આ સાંભળીને ભગવાન મારા ઘરે ન પધાર્યા એવા વિચારથી એના વધી રહેલા આત્મપરિણામ સ્થિર થઈ ગયા. ભગવાન બીજે સ્થળે વિહાર કરી ગયા. તે જ દિવસે પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના કોઈ કેવલી ભગવંત વૈશાલીનગરીમાં પધાર્યા. તેમના આગમનની ખબર પડતાં નગરના લોકો તેમને વંદન કરવા માટે ગયા. વંદન કરીને પૂર્વે થયેલ સુવર્ણવૃષ્ટિથી વિસ્મિત બનેલા લોકોએ કેવલી ભગવંતને પૂછ્યું : હે ભગવંત ! આ નગરીમાં આજે કોણ પુણ્યશાળી બન્યો છે ? કોણ મહાન પુણ્યસમૂહને ઉપાર્જન કરીને કૃતાર્થ બન્યો છે ? કેવલી ભગવંતે કહ્યું : જીર્ણશેઠ પુણ્યશાળી અને કૃતાર્થ બન્યો છે. લોકોએ પૂછ્યું : ભગવાન શ્રી મહાવીરસ્વામીએ તેના ઘરે પારણું કર્યું નથી, અને તેના ઘરે સુવર્ણવૃષ્ટિ પણ થઈ નથી. તો પછી જીર્ણશેઠ પુણ્યશાળી અને કૃતાર્થ કેવી રીતે બન્યો ? કેવલી ભગવાને કહ્યું : તેણે ભાવથી પારણું કરાવ્યું જ છે. વળી તે વખતે તેના એવા શુભ પરિણામ હતા કે જો તેણે તીર્થંકરના પારણાના સમાચાર થોડા મોડા સાંભળ્યા હોત તો અતિશય વધતા સંવેગથી ક્ષપકશ્રેણિ પામીને કેવલજ્ઞાન પણ પ્રાપ્ત કર્યું હોત. વળી પોતે પ્રાપ્ત કરેલ અતિશય શ્રદ્ધાથી (=સમ્યગ્દર્શનથી) તેણે અવિનાશી એવા 'સુખને પ્રાપ્ત કર્યું છે. આથી મહાનપુણ્યસમૂહ ઉપાર્જન કરવાથી જીર્ણશેઠ કૃતાર્થ થયો છે. પારણું કરાવનાર અભિનવશેઠને તેવા પરિણામ ન હતા. આથી તે જીર્ણશેઠની જેમ કૃતાર્થ થયો નથી. તેના ઘરે સુવર્ણવૃષ્ટિ થઈ એ તો આ જન્મનું(જ) થોડું ફલ છે. [૩૪૯-૩૫૦] इअरे उ निअट्ठाणे, गंतूणं धम्ममंगलाईअं । कंति ताव सुत्तं, जा अन्ने संणिअट्टंति ॥ ३५१ ॥ વૃત્તિ:- ‘હતો તુ' મન્યુવનીવા: ‘નિનસ્થાને' ૩પવેશનમાશ્રિત્વ ‘મત્વા’, જિમિત્યાદ‘ધર્મમઙજ્ઞાતિ વષત્તિ' પન્તિ'તાવપૂર્ણ યાવચ્ચે'-સાધવ:‘સન્નિવર્તન' કૃતિ થાર્થ: ॥ રૂશ્ ॥ માંડલીભોજી સાધુ પોતાના આસને બેસીને ગોચરીએ ગયેલા બીજા સાધુઓ આવે ત્યાં સુધી ‘ધો મંત’ વગેરે સૂત્રોનો પાઠ કરે. [૩૫૧] ૧. અહીં સમ્યગ્દર્શનના પ્રભાવથી સમ્યગ્દષ્ટિના અનુભવમાં આવતું આધ્યાત્મિક સુખ સમજવું, અથવા વિનિ ભૂતવડુપવાર એ ન્યાયથી ભવિષ્યમાં અવશ્ય મળનારા મોક્ષસુખની અપેક્ષાએ આની ઘટના થઈ શકે. Page #186 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१६१ धर्ममङ्गलादीत्युक्तं तदाह धम्मं कहण्ण कुज्जं, संजमगाहं च निअमओ सव्वे । एद्दहमित्तं वऽण्णं, सिद्धं जं जंमि तित्थम्मि ॥ ३५२ ॥ वृत्तिः- 'धर्म'मिति धर्ममङ्गलकं 'कहण्ण कुज्जमिति तदनन्तराध्ययनं 'संजमगाहं चेति तृतीयाध्ययनगाथां च 'संजमे सुट्टिअप्पाण'मित्यादिलक्षणां 'नियमतः सर्वे' पठन्ति, 'एतावन्मानं वा अन्यत्' सूत्रं सिद्धं यद्यस्मिस्तीर्थे'-ऋषभादिसम्बन्धिनि तन्नियमतः सर्वेपठन्तीति गाथार्थः ।। ३५२ ।। दिति तओ अणुस४ि, संविग्गा अप्पणा उ जीवस्स । रागद्दोसाभावं, सम्मावायं तु मन्नंता ॥ ३५३ ॥ वृत्तिः- 'ददति ततः' स्वाध्यायानन्तरं 'अनुशास्ति' स्वोपदेशलक्षणां 'संविग्ना' मोक्षाभिलाषिणः सन्त: 'आत्मनैव जीवस्य'-आत्मन एव, किमित्यत्राह-'रागद्वेषाभाव'मिति रागद्वेषाभावविषयं 'सम्यग्वादं मन्यमाना' इति गाथार्थः ॥ ३५३ ॥ धम्मो मंगल माह सूत्र में विशेष छ शालिना पडेला मध्ययननी धम्मो मंगल वगैरे थामी, जी अध्ययननी कहं नु कुज्जा वगेरे ॥थामो,त्री अध्ययननी संजमे सुट्टिअप्पाणं से था- 202मो 418 तो बधासाधुओ અવશ્ય કરે. અથવા જે તીર્થમાં આટલા પ્રમાણવાળું બીજાં જે સૂત્ર પ્રસિદ્ધ (-પ્રચલિત) હોય તે તીર્થમાં તે સૂત્રનો બધા સાધુઓ અવશ્ય પાઠ કરે. [૩૫] સ્વાધ્યાય કર્યા પછી “રાગ-દ્વેષનો ક્ષય કરવો એ જ શાસ્ત્રનો શ્રેષ્ઠ સાર છે” એમ માનનારા સાધુઓ મોક્ષાભિલાષી બનીને પોતે જ પોતાને શિખામણ आपे. [343] अनुशास्तिमाह बायालीसेसणसंकडंमि गहणंमि जीव ! न ह छलिओ । इम्हि जह न छलिज्जसि, भुंजंतो रागदोसेहिं ॥ ३५४ ॥ वृत्तिः- 'द्विचत्वारिंशदेषणासङ्कटे' इति - आकुले 'गहने हे जीव' भिक्षाटनं कुर्वन् 'ना'सि 'छलितः' न व्यंसितोऽसि, 'तदिदानी यथा न छल्यसे भुञ्जानो रागद्वेषाभ्यां' तथाऽनुष्ठेयमिति गाथार्थः ।। ३५४ ॥ કેવી શિખામણ આપે તે કહે છે– હે જીવ! ભિક્ષા લેતી વખતે બેતાળીશ એષણાના દોષોથી દુષ્પવેશ જંગલમાં તું છેતરાયો નથી, (ोषो सेव्या नथी,) तो उi मो४न ४२०i -द्वेषया छतराय नाम तेम तारे ७२. [3५४] रागद्दोसविरहिआ, वणलेवाइउवमाइ भुंजंति । कड्डित्तु नमोक्कारं, विहीए गुरुणा अणुन्नाया ॥ ३५५ ॥ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૨ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते વૃત્તિઃ- તતશ “ રવિહિતા: સન્તઃ “વૃત્તેિપશુપમા'- ‘વૃત્તેિોિપાવ' दित्यादिलक्षणया 'भुञ्जते, कड्ढेत्तु णमोकार'मिति पठित्वा नमस्कारं विधिना' वक्ष्यमाणलक्षणेन भुञ्जते, सन्दिशत पारयाम इत्यभिधाय 'गुरुणाऽनुज्ञाता:' सन्त इति गाथार्थः ॥ ३५५ ।। પછી “આપ આજ્ઞા આપો કે અમે પ્રત્યાખ્યાન પારીએ (Eછોડીએ-પૂર્ણ કરીએ)” એમ ગુરુની આજ્ઞા માગે. ગુરુ આજ્ઞા આપે એટલે રાગ-દ્વેષથી રહિત બનીને, “વ્રણલેપ' વગેરે ઉપમાથી, નમસ્કારમંત્ર ગણીને, હવે કહેવાશે તે વિધિથી ભોજન કરે. વ્રણલેપ વગેરે ઉપમાઓને બતાવતી પ્રશમરતિની ગાથા આ પ્રમાણે છે व्रणलेपाक्षोपाङ्गवदसङ्गयोगभरमात्रयात्रार्थम् । पन्नग इवाभ्यवहरे-दाहारं पुत्रपलवच्च ॥ १३५ ॥ આ ગાળામાં સાધુ આહાર કેટલો કરે? શા માટે કરે ? કેવી રીતે કરે? આ ત્રણ પ્રશ્નોનું ક્રમશઃ સમાધાન કરવામાં આવ્યું છે. (૧) સાધુ વ્રણલેપ જેટલો આહાર કરે. શરીરમાં પડેલા વ્રણમાં (ચાંદામાં) લેપ કેટલો લગાડવાનો હોય? લેપના થપેડા કરવાના હોય? ના. જેટલા લેપથી ત્રણમાંથી રસી નીકળી જાય અને તેમાં રૂઝ આવી જાય તેટલો જ લેપ જોઈએ. તેનાથી અધિક લેપ નકામો છે. તે પ્રમાણે સાધુએ જેટલા આહારથી ક્ષુધા શર્મ-સંયમનો નિર્વાહ થઈ શકે તેટલોજ આહાર લેવો જોઈએ. વણલેપ દાંતની ઘટના બીજી રીતે પણ થઈ શકે. જુદી જુદી વ્યક્તિને જુદી જુદી જાતના ત્રણ હોય છે. કોઈનું વ્રણ લીમડાનું કડવું તેલ ચોપડવાથી જ મટે, કોઈનું ત્રણ જવના લોટની લોપરી લગાડવાથી જ મટે, કોઈનું ત્રણ ઘી આદિ ચિક્કણા પદાર્થોના લેપથી જ મટે, એ પ્રમાણે કોઈ સાધુનું શરીર રૂક્ષ આહારથી અનુકૂળ રહેતું હોય, તો કોઈ સાધુનું શરીર સ્નિગ્ધ આહારથી અનુકૂળ રહેતું હોય. આમ સાધુએ જેવા પ્રકારના આહારથી શરીર અનુકૂળ રહેતું હોય તેવા પ્રકારના આહારની જરૂર પૂરતો ઉપયોગ કરવો જોઈએ અને પ્રતિકૂળ આહારનો ત્યાગ કરવો જોઈએ. આ વિષયમાં બીજું દષ્ટાંત છે અક્ષોપાંગ. જેમ ગાડાના પૈડામાં તેલનું ઉંજણ પૈડું બરાબર ચાલે તેટલું જ જોઈએ, તેમ શરીરને આહાર પણ સંયમનો નિર્વાહ થાય તેટલો જ જોઈએ. સાધુઓએ સંયમના પાલન માટે આહાર લેવો જોઈએ, નહિ કે રસનાને રાજી રાખવા કે શરીરને અલમસ્ત બનાવવા. (૩) સાધુ સર્ષની જેમ આહાર કરે. સર્પ ભક્ષ્યને મુખમાં લઈને ચાવતો નથી, કિંતુ સીધું ગળામાં જ ઉતારી દે છે. એ પ્રમાણે સાધુએ પણ સ્વાદને વધારવા આહારને જમણી દાઢમાંથી ડાબી દાઢમાં અને ડાબી દાઢમાંથી જમણી દાઢમાં ફેરવીને ચાવવો નહિ જોઈએ. આ વિષયમાં ૧. યોગશતક ગાથા-૮૨. Page #188 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૧૬૨ બીજું દૃષ્ટાંત પુત્રમાંસના ભક્ષણનું છે. તેવા પ્રકારના વિકટ સંયોગમાં મૂકાઈ ગયેલા પિતાને મૃતપુત્રના માંસનો આહાર કરવાનો પ્રસંગ આવી પડે તો પુત્રના માંસનું ભક્ષણ કરતાં તેને ટેસ આવે ? નહિ, બલ્કે કચવાતા દિલે કરે. તેમ સાધુએ આહાર વિના ન ચાલે તો જ આહાર કરવો જોઈએ, તે પણ કોઈ પણ જાતની આસક્તિ વિના દુભાતા દિલે. સાધુએ પુત્રમાંસના ભક્ષણની જેમ અનિચ્છાએ જ આહાર કરવો જોઈએ. (સાધુ આહાર કરે છતાં ઉપવાસનું ફળ મળે એમ શાસ્ત્રમાં અમસ્તું નથી કહ્યું ! સાધુ અનિચ્છાએ આહાર કરે એથી વાસ્તવિક દૃષ્ટિએ આહાર કરતો નથી. આથી તે આહાર કરે છતાં ઉપવાસી કહેવાય.) [૩૫૫] विधिमाह निद्धमहुराइ पुव्वि, पित्ताईपसमणट्टया भुंजे । बुद्धिबलवद्धणट्ठा, दुक्खं खु विगिंचिडं निद्धं ॥ ३५६ ॥ वृत्ति:- 'स्निग्धमधुरे' निस्यन्दनपायसादिरूपे ‘પૂર્વમ્' મૌ ‘પિત્તાવિપ્રશમનાર્થ भुञ्जीत', आदिशब्दात् वातादिपरिग्रहः, तदनु अम्लद्रव्यादीनि प्रयोजनान्तरमाह-'बुद्धिबलवर्द्धनार्थं', न हि बुद्धिबलरहितः परलोकसाधनं कर्तुमलमिति, तथा 'दुःखं च परित्यक्तुं', स्थण्डिलेऽपि સત્ત્વ-વ્યાવૃત્તિસમ્ભવાિિત્ત ગાથાર્થ: ।। રૂ૬ || ભોજનનો વિધિ કહે છે— પિત્ત, વાયુ વગેરેના શમન માટે અને બુદ્ધિ-બલ વધારવા માટે પહેલાં સ્નિગ્ધ અને મધુર રસવાળા પ્રવાહી દૂધપાક-ખીર વગેરે દ્રવ્યોનું ભોજન કરે, પછી અમ્લ વગેરે રસવાળાં દ્રવ્યોનું ભોજન કરે. બુદ્ધિ-બલરહિત સાધુ પરલોકની સાધના કરવા સમર્થ ન બને માટે અહીં “બુદ્ધિ-બલ વધારવા’ એમ કહ્યું છે. સ્નિગ્ધ-મધુર દ્રવ્યો પાછળથી વાપરે અને વધી જાય તો પરઠવવું પણ મુશ્કેલ બને. સ્થંડિલમાં (= શુદ્ધભૂમિમાં) પરઠવે તો પણ જીવોનો વિનાશ થાય. આ કારણે પણ સ્નિગ્ધ-મધુર દ્રવ્યોનું ભોજન પહેલાં કરવું જોઈએ. [૩૫૬] अत्रैव विधिविशेषमाह अह होज्ज निद्धमहुराई अप्पपरिकम्मसपरिकम्मेहिं । भोत्तूण निद्धमहुरे, फुसिअ करे मंच हाकडए ॥ ३५७ ॥ वृत्ति:- 'अथ भवेतां स्निग्धमधुरे' - उक्तस्वरूपे 'अल्पपरिकर्म्मसपरिकर्म्मयोः ' पात्रयो તથાઽવ્યય ચાય:, ‘ મુવવા સ્તિ ધમથુરે' પૂર્વમેવ તવનું ‘પૃથ્વા=’ ત્રિર્જોપાન્ કૃત્વા ‘મુંઘડहागडए' त्ति प्रवर्त्तयेद् भोजनक्रियां प्रति यथाकृतानि संयमगौरवख्यापनार्थमेतदिति गाथार्थः ॥ ३५७ ॥ અહીં જ વિશેષ વિધિ કહે છે અલ્પપરિકર્મ અને બહુપરિકર્મ પાત્રોમાં સ્નિગ્ધ-મધુર દ્રવ્યો હોય તો પણ પહેલાં સ્નિગ્ધ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते મધુર દ્રવ્યોનું ભોજન કરે, પછી તે પાત્રોને હાથથી ચીકાશરહિત કરે. ત્યારબાદ યથાકૃત પાત્રો ભોજન માટે મૂકે, અર્થાત્ ત્યારબાદ યથાકૃત પાત્રોમાં રહેલ (સ્નિગ્ધ-મધુર) આહારનું ભોજન કરે. પ્રશ્ન- પહેલાં અલ્પપરિકબહુપરિકર્મ પાત્રોનાં દ્રવ્યોનું ભોજન કર્યા પછી યથાકૃત પાત્રોનાં દ્રવ્યોનું ભોજન કરવાનું શું કારણ? ઉત્તર-અલ્પપરિકર્મ-બહુપરિકર્મ પાત્રોથી યથાકૃત પાત્રો નિર્દોષ છે. એથી સંયમના ગૌરવની પ્રસિદ્ધિ માટે યથાકૃત પાત્રોનાં દ્રવ્યોનું ભોજન પછી કરવાનું કહ્યું છે. [૩૫૭] भोजनग्रहणविधिमाह कुक्कुडिअंडगमित्तं, अहवा खुड्डागलंबणासिस्स ।। लंबणमित्तं गेण्हइ, अविगिअवयणो उ रायणिओ ॥ ३५८ ॥ वृत्तिः- इह ग्रहणकाले 'कुक्कुट्यण्डकमात्रं' कवलमिति गम्यते, 'अथवा क्षुल्लकलम्बनाशिनः पुंसः 'लम्बनमात्रं' कवलमात्रं गृह्णाति अविकृतवदन एव' स्वभावस्थमुखो રભાધિ' જેકાર્યો-ડમર્ચર્થમિતિ નાથાર્થ: || ૩૧૮ गहणे पक्खेवंमि अ, सामायारी पुणो भवे दुविहा । गहणं पायंमि भवे, वयणे पक्खेवणं होइ ॥ ३५९ ॥ વૃત્તિ - “પ્રહ' તસ્વસ્થ “પ્રક્ષેપે ત્ર' વહુને તષિયા ‘સામીવરી', તિત્વિર્થઃ, 'पुनर्भवति द्विविधा, ग्रहणं पात्रे भवेत्', भाजनान्नान्यत्र इत्यर्थः, 'वदने प्रक्षेपो भवति', न तु गृहीत्वाऽन्यत्र पुनर्ल(भ)क्षणार्थमिति गाथार्थः ॥ ३५९ ।। આહારના કોળિયાનું પ્રમાણ કહે છે પાત્રમાંથી આહારનો કોળિયો કુકડીના ઈંડા જેટલો લેવો, અથવા સ્વભાવથી જ નાના કોળિયાથી જમનારના કોળિયા જેટલો લેવો, અથવા મુખ વિકૃત ન બને તેટલો લેવો. [૩૫૮] આમાં ગ્રહણ અને પ્રક્ષેપ એમ બે પ્રકાર છે. કોળિયો પાત્રમાંથી લેવો તે ગ્રહણ, અર્થાત્ પાત્ર સિવાય બીજી કોઈ વસ્તુમાંથી કોળિયાનું ગ્રહણ ન થાય. કોળિયો મુખમાં મૂકવો તે પ્રક્ષેપ. કોળિયાનું ગ્રહણ મુખમાં મૂકવા માટે કરવાનું છે, નહિ કે બીજે ક્યાંય મૂકવા. [૩૫૯] ग्रहणविधिमाह पयरगकडछेएणं, भोत्तव्वं अहव सीहखइएणं । एगेणमणेगेहि अ, वज्जित्ता धूमइंगालं ॥ ३६० ॥ ૧. ટીકાના ભાવો' ચેષ્ટાચમચર્થ૬ એ પદોનો ભાવ એ છે કે રત્નાધિક (રત્નાધિકના ઉપલક્ષણથી બધા સાધુઓ) ઉક્ત રીતે કોળિયો લે, મોટો કોળિયો ન લે, જેથી અન્ય સાધુઓની ભક્તિ થાય. સાધુ ભોજન જેટલું ઓછું લે તેટલું ભોજન અન્ય સાધુઓને મળે, આથી ભક્તિ થાય. (આ પદોનો બીજો કોઈ અર્થ ઘટતો હોય તો ઘટાડવો.) Page #190 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૬૬ वृत्तिः- 'प्रतरककटच्छेदेन भोक्तव्यम्, अथवा सिंहभक्षितेन' तत्र भोक्तव्यमिति, ग्रहणविधिपुरस्सरं प्रक्षेपविधिमाह, 'एकेने'त्थं भोक्तव्यम्, 'अनेकै'स्तु कटकं-कटकवर्ज 'वजयित्वा धूमाङ्गार'मिति वक्ष्यमाणलक्षणं धूममगारं चेति, अत्रायं वृद्धसम्प्रदाय:'कडगच्छेदो नाम जो एगाओ पासाओ समुद्दिसइ ताव जाव उव्वट्टो, पयरेणमेगपयरेणं, सीहक्खइएणं सीहो जत्तो आरभेति तत्तो चेव निट्ठवेति, एवं समुद्दिसियव्वं, एयं पुण एगाणिउ (यस्स) तिसुवि, मंडलियस्स कडओ णत्थि, अरत्तेणं अदुट्टेणं चेति गाथार्थः ॥ ३६० ॥ ગ્રહણવિધિ (= પાત્રમાંથી આહાર કેવી રીતે લેવો એ) કહે છે એકલભોજી સાધુએ પ્રતરછેદ, કટકછેદ કે સિંહભક્ષિત રીતે ભોજન કરવું. માંડલીભોજી સાધુએ કટકછેદ સિવાય બે રીતે ભોજન કરવું. તથા હવે કહેવાશે તે ધૂમ અને અંગારદોષનો ત્યાગ કરીને ભોજન કરવું. અહીં વૃદ્ધપરંપરા આ પ્રમાણે છે- “જે એક બાજાથી ખાવાનું શરૂ કરે તે જ બાજુથી પૂર્ણ થાય ત્યાં સુધી ખાય તે કટકછેદ છે. પહેલાં ઉપરનો પ્રતર (પડ) ખાય, પછી તેની નીચેનો પ્રતર ખાય, પછી તેની નીચેનો પ્રતર ખાય, એમ પ્રતર (પડ) પ્રમાણે ખાય તે પ્રતરછેદ. સિંહ જ્યાંથી ખાવાનું શરૂ કરે ત્યાં જ પૂર્ણ કરે. સિંહની જેમ (જ્યાંથી ખાવાનું શરૂ કર્યું હોય ત્યાં જ પૂર્ણ થાય તે રીતે) ખાવું તે 'સિંહભક્ષિત. આ રીતે ભોજન કરવું. એકલભોજીએ આ ત્રણ રીતે ભોજન કરવું. માંડલીભોજીએ કટકછેદથી ભોજન ન કરવું. રાગ-દ્વેષ કર્યા વિના ભોજન કરવું. [30]. प्रक्षेपसामाचारीमभिधित्सुराह असुरसरं अचबचबं, अ(अमविलंबिअं अपरिसाडिं । मणवयणकायगुत्तो, भुंजइ अह पक्खिवणसोही ॥३६१ ॥ वृत्तिः- 'असुरकसुरं' तथाविधद्रवभोजनवत् 'अचबचबं' तथाविधतीक्ष्णाभ्यवहारवद् 'अद्रुतम्'-अत्वरितम् 'अविलम्बितम्', अमन्थरम् अपरिसाटि' परिसाटीरहितं मनोवाकायगुप्तः' સન્ “મુન્નત અથ પ્રક્ષેપવિધિ'રિતિ (? પ્રક્ષેપશુદ્ધતિ) નાથાર્થ: રૂદ્ર પ્રક્ષેપવિધિ (કોળિયો મોઢામાં કેવી રીતે નાખવો-ચાવવો એ) કહે છે– હવે પ્રપવિધિ આ પ્રમાણે છે તેવું પ્રવાહી ભોજન લેતાં સબડકા (અવાજ) થાય તેમ સબડકા લીધા વિના, તેવાં તીક્ષ્ણ દ્રવ્યો ખાતાં ચબ ચબ અવાજ થાય તેમ ચબચબ અવાજ કર્યા વિના, બહુ ઉતાવળ કર્યા વિના, બહુ વિલંબ કર્યા વિના, કંઈ પણ ઢોળ્યા વિના, મન-વચન-કાયાથી ગુપ્ત બનીને ભોજન કરે. [૩૬૧]. ૧. કટકછેદમાં જેમ જેમ આહાર ખવાય છે તેમ તેમ પાત્રનો થોડો થોડો ભાગ ક્રમશઃ ખાલી થતો જાય છે. પ્રતરછેદમાં પાત્ર ઉપર ઉપરથી ખાલી થતું જાય છે. સિંહભક્ષિતમાં પાત્ર ગોળાકારે ક્રમશઃ ખાલી થતું જાય છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते धूमादि व्याचिख्यासयाऽऽह रागेण सइंगालं, दोसेण सधूमगं मुणेअव्वं । रागद्दोसविरहिआ, भुंजंति जई उ परमत्थो ॥ ३६२ ॥ વૃત્તિઃ- “જોન' મુન્નાનસ્ય “સાકાર, વારલ્પનર્સ ધત્વ, “તે સધૂ ત્તવ્ય', चारित्रेन्धनस्यैव दाहं प्रत्यारब्धत्वाद्, 'रागद्वेषविरहिता भुञ्जन्ते यतय इति परमार्थो' वाक्यભાવાર્થ રૂતિ યથાર્થ: II રૂદ્ર || ધૂમ વગેરે દોષોનું વ્યાખ્યાન કરે છે– રાગથી ખાનારને ઈંગાલદોષ લાગે છે. કારણ કે ચારિત્રરૂપ કાષ્ઠને રાગરૂપ ઈંગાલથી = અંગારાથી બાળી નાખે છે. ષથી ખાનારને ધૂમ દોષ લાગે છે. કારણ કે ચારિત્રરૂપ કાષ્ઠને બાળવાનું શરૂ કરી દીધું છે. (તમાંથી નીકળતા ધૂમાડાથી ચારિત્રરૂપ ચિત્રશાલા કાળી થાય છે. લાકડું બળવા લાગે ત્યારે પહેલાં તેમાંથી ધૂમાડો નીકળે, માટે અહીં બાળવાનું શરૂ કરી દીધું છે એમ જણાવ્યું છે.) આનો પરમાર્થ એ છે કે સાધુઓ રાગ-દ્વેષ વિના ભોજન કરે. [૩૬ ૨] . किमित्येतदेवमित्याह जइभागगया मत्ता, रागाईणं तहा चओ कम्मे । रागाइविहुरयाऽवि हु, पायं वत्थूण विहुरत्ता ॥ ३६३ ॥ વૃત્તિ - “યવિદ્ધા'તા માત્રા' ઉપેક્ષ્ય “રાવીનાં તથા : શનિ ', तत्त्वतस्तन्निबन्धनत्वात् तस्याः, अतस्तद्वैधुर्ये यतितव्यमिति वाक्यार्थः, 'रागादिविधुरतापि प्रायो', न तु नियमेनैव, कथमित्याह-वस्तूनाम्' ओदनादीनां 'विधुरत्वाद्', इत्येतेषु सुन्दरेष्वेवातितरां પત્ન: +ાર્થ રૂતિ ગાથાર્થ: II રૂદ્ર / રાગ-દ્વેષ વિના ભોજન કરવાનું કારણ જણાવે છે રાગ-દ્વેષની માત્રા જેટલી વધારે તેટલોજ કર્મબંધ વધારે થાય. કારણ કે પરમાર્થથી રાગદ્વેષની માત્રા કર્મબંધનું કારણ છે. આથી સાધુઓએ રાગ-દ્વેષ ઓછો થાય તે માટે પ્રયત્ન કરવો જોઈએ. રાગ-દ્વેષની હાનિ પણ પ્રાયઃ ભાત વગેરે વસ્તુની હાનિથી થાય છે, અર્થાત્ વસ્તુ જેમ જેમ સારી તેમ તેમ રાગ વધારે થાય, વસ્તુ જેમ જેમ હલકી તેમ તેમ રાગ ઓછો થાય. માટે સુંદર દ્રવ્યો મળે ત્યારે જ ખાસ કાળજી રાખવી જોઈએ = રાગ ન થાય તેવો અતિશય પ્રયત્ન કરવો જોઈએ. [૩૬૩] . ૧. સાધુએ રાગ ન થાય એ માટે સ્વાદિષ્ટ આહાર અને સુંદર વસ્ત્રો ન લેવાં જોઈએ. કોઈ કારણથી સ્વાદિષ્ટ આહાર કે સુંદર વસ્ત્રો લેવા પડે તો પણ શુભ ભાવનાઓનું ચિંતન કરીને તેમાં રાગ ન થવા દેવો જોઈએ. Page #192 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] प्रायोऽनियमेनेत्युक्तम्, अधुना नियमनिमित्तमाह निअमेण भावणाओ, विवक्खभूआओ सुप्पउत्ताओ । होइ खओ दोसाणं, रागाईणं विसुद्धाओ ॥ ३६४ ॥ वृत्ति:- 'नियमेन' अवश्यंतया 'भावनायाः ' सकाशात्, किंविशिष्टाया इत्याह- 'विपक्ष - भूतायाः' वैराग्यादिरूपाया:, न प्रयोगमात्रादित्याह -'सुप्रयुक्ताया:', किमित्याह-' भवति क्षयो दोषाणां रागादीनां विशुद्धाया' भावनायाः सकाशादिति गाथार्थः ॥ ३६४ ॥ [ १६७ અહીં ‘પ્રાયઃ’ એમ કહ્યું, અર્થાત્ વસ્તુની હીનતાથી રાગાદિની હાનિ થાય જ એવો નિયમ નથી એમ કહ્યું, હવે શાનાથી રાગાદિની હાનિ અવશ્ય થાય એ જણાવે છે— રાગાદિ દોષોથી પ્રતિપક્ષભૂત (= વિરુદ્ધ) વૈરાગ્યભાવના વગેરે વિશુદ્ધ ભાવના એકાગ્રચિત્તે ( सतत ) भाववाथी रागाहि घोषोनो क्षय अवश्य थाय. [३६४] अकारणे न भोक्तव्यमिति भोजनकारणान्याह - वेण वेआवच्चे, इरिअट्ठाए अ संजमट्ठाए । तह पाणवत्तिआए, छट्टं पुण धम्मचिंताए ॥ ३६५ ॥ दारगाहा ॥ वृत्ति:- 'वेदने 'ति वेदनोपशमनाय ' वैयावृत्त्यार्थं ईर्यार्थं वा संयमार्थं' वा 'तथा 'प्राणप्रत्यय 'मिति प्राणनिमित्तं ' षष्ठं पुनः धर्म्मचिन्तया' भुञ्जीतेति गाथार्थः || ३६५ || સાધુએ વિના કારણે ન ખાવું જોઈએ, આથી ભોજનનાં કારણો કહે છે— ક્ષુધાશમન, વેયાવચ્ચ, ઈર્યાસમિતિ, સંયમ, પ્રાણ અને ધર્મચિંતા આ છ કારણોથી સાધુ लोभन १२. [३६५] एतदेव स्पष्टयति दारं ॥ of छुहाए सरिसा, वेअण भुंजिज्ज तप्पसमट्ठा | दारं । छुहिओ वेआवच्चं न तरइ काउं तओ भुंजे ॥ ३६६ ॥ इरिअं च न सोहिज्जा । दारं । पेहाईअं च संजमं काउं । दारं । थामो वा परिहाइ । दारं । गुणणुप्पेहासु अ असत्तो ॥ ३६७ ॥ दारं ॥ न उवण्णाइनिमित्तं एत्तो आलंबणेण वऽण्णेणं । ? तंपि न विगइविमिस्सं, ण पगामं माणजुत्तं तु ॥ ३६८ ॥ वृत्ति:- 'नास्ति क्षुधा' - बुभुक्षया 'सदृशी वेदनेति भुञ्जीत तद्वेदनोपशमाय', तद्भावे आर्तध्यानादिसम्भवात्, तथा 'छुहिओ 'त्ति बुभुक्षितो 'वैयावृत्त्यं न शक्नोति कर्त्तुमित्यतो भुञ्जीत', कर्त्तव्यं च वैयावृत्त्यं, निर्जराहेतुत्वादिति गाथार्थः ॥ ३६६ ॥ 'ईर्या चे ' तीर्यापथिकां च 'न शोधयतीति' भुञ्जीत, 'प्रत्युपेक्षणादिकं वा संयमं कर्त्तुं न शक्नोतीति भुञ्जीत, तथा Page #193 -------------------------------------------------------------------------- ________________ १६८ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'थामो वत्ति प्राणलक्षणः परिभ्रश्यतीति' भुञ्जीत, 'गुणनानुप्रेक्षयोर्वे'ति परावर्तनार्थानुस्मरणयोर्वा 'अशक्त' इत्येभिरालम्बन-र्भुञ्जीत ॥ ३६७ ॥ व्यतिरेकामह-'न उ वे'त्यादि सूचागाथा, 'न तु वर्णादिनिमित्तं' भुञ्जीत, आदिशब्दाबलपरिग्रहः, "एत्तो'त्ति अतो-वेदनादेः 'आलम्बनेन वाऽन्येन' भुञ्जीत, 'तदपि' शुद्धालम्बने 'न विकृतिविमिथ' न क्षीरादिरसोपेतं, 'न प्रकामं'मात्रातिरिक्तं, 'किन्तु मानयुक्तमेव' भुञ्जीतेति गाथार्थः ॥ ३६८ ॥ આ જ વિષયનું સ્પષ્ટીકરણ કરે છે– સુધાસમાન કોઈ વેદના નથી. સુધાની વેદના હોય તો આર્તધ્યાન વગેરે થવાનો સંભવ છે. આથી સુધાની વેદનાને શમાવવા સાધુ ભોજન કરે. ભૂખથી પીડાતો સાધુ વેયાવચ્ચ ન કરી શકે. વૈયાવૃજ્ય નિર્જરાનું (પ્રબળ) કારણ હોવાથી વૈયાવૃત્ય કરવું જોઈએ. આથી વૈયાવૃજ્ય થઈ શકે એ માટે સાધુ ભોજન કરે. ભોજન વિના ઈર્યાસમિતિનું પાલન ન કરી શકે, પ્રતિલેખના વગેરે સંયમનું પાલન ન કરી શકે, પ્રાણનો નાશ થાય, સૂત્રોનું પરાવર્તન (= આવૃત્તિ) અને અર્થનું સ્મરણ (= चिंतन) वगेरे ४२वामन असमर्थ भने, २९ोथी सा५ मो४न ४२. [365-3६७] પણ રૂપ વધે, શરીર પુષ્ટ બને વગેરે માટે ભોજન ન કરે, અથવા ઉપર્યુક્ત સુધાવેદનાદિ સિવાય અન્ય કોઈ કારણથી ભોજન ન કરે. શુદ્ધ-પુષ્ટ આલંબનથી ભોજન કરે તો પણ વિગઈવાળા = દૂધ વગેરે રસથી યુક્ત આહારનું ભોજન ન કરે. પ્રમાણથી અતિરિક્ત પણ ભોજન ન કરે, કિંતુ प्रभोपेत ४ मो४न ४२. [3६८] एतदेव स्पष्टयति जे वण्णाइनिमित्तं, एत्तो आलंबणेण वऽन्नेणं । भुंजंति तेसि बंधो, नेओ तप्पच्चओ तिव्वो ॥ ३६९ ॥ वृत्तिः- 'ये वर्णादिनिमित्तम् अतो'-वेदनादेः 'आलम्बनेन वाऽन्येन भुञ्जते तेषां बन्धो विज्ञेयः तत्प्रत्यय' इत्यशुभवर्णाद्यालम्बनप्रत्ययः 'तीव्र' इति गाथार्थः ॥ ३६९ ॥ આ જ વિષયને સ્પષ્ટ કરે છે– જેઓ રૂપ વગેરે માટે, કે સુધાવેદનાદિ સિવાય અન્ય કારણથી (= સુધાવેદનાદિ કારણ વિના) ભોજન કરે તેમને રૂપાદિ અશુભ આલંબન નિમિત્તે તીવ્ર કર્મબંધ થાય. [૩૬] तदपि न विकृतिविमिश्रमित्युक्तम्, अतो विकृतौ दोषमाह विगई विगइभीओ, विगइगयं जो उ भुंजए साहू । विगई विगयसहावा, विगई विगयं बला णेइ ॥ ३७० ॥ वृत्तिः- “विकृति मित्ति चेतोविकृतिमाश्रित्य 'विगतिभीतो' दुर्गतिभीतः सन, दुष्टाच्चेतसः कुगतिरिति मन्यमान इत्यर्थः, 'विकृतिगत'मित्यत्र चेतोविकृतिहेतुत्वाद् विकृति:-क्षीरादिरूपा Page #194 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ १६९ परि-गृह्यते तद्गतं-तज्जातं गतविकृति वा विकृतिमिश्रं 'यस्तु भुङ्क्ते साधुः', सकिमित्यत्राह'विकृतिः' क्षीरादिलक्षणा 'विकृतिस्वभावा' चेतोविकारस्वभावा, यतश्चैवमतो 'विकृतिः ' प्रयुज्यमाना ' विगतिं बलान्नयति', तत्कारणपोषणादिति गाथार्थः ॥ ३७० ॥ શુદ્ધ આલંબનથી પણ વિગઈવાળું ભોજન ન કરે એમ કહ્યું, આથી વિગઈમાં દોષ કહે છે— ચિત્તને વિકૃત = વિકારવાળું કરે તે વિકૃતિ = વિગઈ. દુર્ગતિથી ભય પામેલો, અર્થાત્ દુચિત્તથી કુગતિ થાય એમ માનતો, જે સાધુ દૂધ વગેરે જે વિગઈને કે દૂધ વગેરે વિગઈથી થયેલ (દૂધપાક વગેરે) વિગઈમિશ્રને, અર્થાત્ નિવિયાતાં દ્રવ્યને ખાય છે, તે સાધુને તે વિગઈ (કે નિવિયાતાં દ્રવ્યો) બલાત્કારે દુર્ગતિમાં લઈ જાય છે. કારણ કે વિગઈનો ચિત્તમાં વિકાર ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે. ચિત્તના વિકારથી દુર્ગતિ થાય છે. આમ વિગઈના ભક્ષણથી દુર્ગતિના કારણને (ચિત્તવિકારને) પોષણ મળવાથી વિગઈ સાધુને બલાત્કારે દુર્ગતિમાં લઈ જાય છે. [૩૭૦] साम्प्रतं विकृतिस्वरूपमाह खीरं दहि नवणीयं, घयं तहा तिल्लमेव गुड मज्जं । महु मंसं चेव तहा, ओगाहिमगं च दसमी तु ॥ ३७१ ॥ गोमहिसुट्टिपसूणं, एलग खीराणि पंच चत्तारि । दहिमाइआइं जम्हा, उट्टीणं ताणि नो हुंति ॥ ३७२ ॥ चत्तारि हुति तिल्ला, तिलअयसिकुसुंभसरिसवाणं च । विगईओ सेसाई, डोलाईणं न विगईओ ॥ ३७३ ॥ दवगुडपिंडगुला दो, मज्जं पुण कट्ठपिट्ठनिप्फन्नं । मच्छिr-पोत्तिअ- भामरभेअं च तिहा महुं होइ ॥ ३७४ ॥ जलथलखहयर मंसं, चम्मं वस सोणिअं तिभेअंपि । आइल्ल तिण्णि चलचल, ओगाहिमगाइ विगईओ ॥ ३७५ ॥ सेसा ण हुंति विगई, अजोगवाहीण ते उ कप्पंति । परिभुजंति न पायं, जं निच्छयओ न नज्जंति ॥ ३७६ ॥ एगेण चेव तवओ, पूरिज्जइ पूअएण जो ताओ । ओविस पुण कप्पड़, निव्विगइ अ लेवडो नवरं ॥ ३७७ ॥ दहिअवयवो उ मंथू, विगई तक्कं न होइ विगईओ । खीरं तु निरावयवं नवणीओगाहिमं चेव ॥ ३७८ ॥ " Page #195 -------------------------------------------------------------------------- ________________ - १७० ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते घयघट्टो पुण विगई, वीसंदणमो अ केइ इच्छंति । तिल्लगुलाण निविगई, सूमालिअखंडमाईणि ॥ ३७९ ॥ मज्ज महुणो ण खोला, मयणा विगईओ पोग्गले पिंडो । रसओ पुण तदवयवो, सो पुण नियमा भवे विगई ॥३८० ॥ वृत्तिः- 'क्षीरं दधि नवनीतं घृतं तथा तैलमेव गुडो मद्यं मधु मांसमेव च तथा उद्ग्राहिमकं च दशमीति' एषा विकृतिसङ्ख्येयेति गाथापदानि ॥ ३७१ ॥ पदार्थं त्वाह-'गोमहिष्युष्ट्रीपशूनां एडकानां' च सम्बन्धीनि 'क्षीराणि पञ्च' विकृतयः, न शेषाणि मानुषीक्षीरादीनि, तथा 'चत्वारि दध्यादीनि' दधिनवनीतघृतानि च चत्वार्येव गवादिसम्बन्धीनि, 'यस्मादुष्ट्रीणां तानि' दध्यादीनि 'न भवन्ति', महुडभावादिति गाथार्थः ॥ ३७२ ॥ 'चत्वारि भवन्ति तैलानि तिलातसीकुसुम्भसर्षपाणां' सम्बन्धीनि 'विकृतयः, शेषाणि डोलादीनां' सम्बन्धीनि 'न विकृतय' इति, डोलानि मधुकफलानीति गाथार्थः ॥ ३७३ । 'द्रवगुडपिण्डगुडौ द्वौ', कक्कबपिण्डवित्यर्थः, 'मद्यं पुनः काष्ठपिष्टनिष्पन्नं' सीधुसुरारूपं, 'माक्षिकपोत्तिकभ्रमरभेदं च त्रिधा मधु भवति' विकृतिरिति गाथार्थः ॥ ३७४ ॥ 'जलस्थलखचरमांसं' चरशब्दः प्रत्येकमभिसम्बध्यते, जलचरस्थलचरखेचरमांसं 'चर्मवसाशोणितं त्रिधैतदपि' विकृतिरिति योगः, तथा 'आद्यत्रयचलचलोद्ग्राहिमकानि च' म्रक्षणभृततवकपक्वानि त्रीण्येव घारिकावटकादीनि 'विकृतिरिति' गाथार्थः ॥ ३७५ ॥ 'शेषाणि' चतुर्थघानादारभ्य 'न भवन्ति विकृतयः अयोगवाहिनां' साधूनाम्' अविशेषतो निर्विकृतिकपरिभोक्तृणां 'तानि कल्पन्ते', न तत्र कश्चिद्दोषः, 'परिभुज्यन्ते न प्रायः' तथाऽप्यनेन कारणेन, 'यत् निश्चयतो न ज्ञायन्ते' कथमेतानि व्यवस्थितानि इति गाथार्थः ।। ३७६ ॥ एकेनैव तवकः पूर्यते पूपकेन यत्ततः'-पूपकात् द्वितीयोऽपि निर्विकृतिकस्य कल्पते, असौ लेवाटको नवरमिति गाथार्थः ॥ ३७७॥ विधिशेषमाह-'दध्यवयवस्तु मस्तु विकृति'वर्तते, तक्रं न भवति विकृति'स्तु, क्षीरंतु निरवयवम्'-एकमेव, नवनीतोद्ग्राहिमके च' निरवयवे इति गाथार्थः ॥ ३७८ ॥ 'घृतघट्टः पुनर्विकृतिः' घृतघट्टो-महियाडुवं, 'विस्यन्दनं च केचिदिच्छन्ति', विस्यन्दनं 'अद्धनिद्दड्ढघयमज्झछूढतंदुलनिप्पण्णं' 'तिलगुडयोरविकृतिः सुकुमारिकाखण्डादीनि' सुकुमारिका-सस्ति-तीया खण्डा आदिशब्दात् सक्करमच्छंडियादीणित्ति गाथार्थः ।। ३७९ ॥ 'मद्यमधुनोर्न खोलमदने विकृती', तथा 'पुद्गले पिण्डो' न विकृतिः, पिंडोत्ति कालिज्जं, 'रसकः पुनस्तदवयवो'-मांसावयवः स पुनर्नियमाद् भवेद्विकृतिरिति गाथार्थः ॥ ३८० ।। હવે વિગઈઓનું સ્વરૂપ કહે છે– ९५, ६, माप, घी, तेल, गोण, रु, भ५, मांस भने सलिम (तणेj ४ ५५वान) એમ વિગઈઓ દશ છે. [૩૭૧] ગાય, ભેંસ, ઉંટડી, ઘેટી અને બકરીનું દૂધ એમ દૂધ વિગઈના પાંચ પ્રકાર છે. મનુષ્યસ્ત્રી વગેરેનું દૂધ વિગઈ નથી, ઊંટડીના દૂધમાંથી દહીં વગેરે ન થતું હોવાથી ४ी, भाम अने घी से विन। (सिवाय) २ ५२ छे. [३७२] तर, मणसी, १. (महुडभावाद्=) CieIf दू५ मे नाण्या पछी थोडीवारमा शाह 45 पान २ तेनुपा ३ is यतुं नथी. Page #196 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૭૨ કુસુંબી (વનસ્પતિ વિશેષ) અને સર્ષ એ ચારનું તેલ, એમ તેલ વિગઈના ચાર પ્રકાર છે. ડોલ વગેરેનું તેલ વિગઈ નથી. ડોલ એટલે મહુડાનું ફલ. [૩૭૩] ગોળ વિગઈના દ્રવ (ઢીલો ગોળ) અને પિંડ (કઠણ ગોળ) એમ બે ભેદ છે. મદિરા વિગઈના કાષ્ઠનિષ્પન્ન અને પિષ્ટનિષ્પન્ન એમ બે પ્રકારો છે. વનસ્પતિ, શેરડી, મહુડો, દ્રાક્ષ વગેરેમાંથી બનતી મદિરા કાઇનિષ્પન્ન છે અને તેને સીધું કહેવામાં આવે છે. પિષ્ટ એટલે લોટ. લોટને કોહવડાવીને બનતી મદિરા પિષ્ટનિષ્પન્ન છે, અને તેને સુરા કહેવામાં આવે છે. મધમાખીઓનું, કુતીયા (તેવા પ્રકારના ઉડતા) જીવોનું અને ભમરીઓનું, એમ મધ વિગઈના ત્રણ પ્રકારો છે. [૩૭૪] જલચર, સ્થલચર અને ખેચર એ ત્રણ પ્રકારના પ્રાણીઓનું માંસ, એમ માંસ વિગઈના ત્રણ પ્રકારો છે. અથવા માંસ વિગઈના માંસ, ચરબી અને લોહી, એમ ત્રણ પ્રકાર છે. તેલ (કે ઘી)થી ભરેલાં તવામાં પહેલાં ત્રણ વાર = ત્રણ ઘાણ સુધી તળેલાં ઘારી, વડા વગેરે દ્રવ્યો અવગાહિમ (પક્વાન્ન કે કડા) વિગઈ છે. [૩૭૫] ચોથા ઘાણ પછી તે દ્રવ્યો વિગઈ રૂપ નથી = નિવિયાતા છે. આથી તે (ચોથા ઘાણ પછીનાં) દ્રવ્યો સર્વ વિગઈઓના પણ ત્યાગી સાધુઓને કહ્યું. સર્વ વિગઈઓના ત્યાગીને તે દ્રવ્યો વાપરવામાં કોઈ દોષ નથી. છતાં તે દ્રવ્યો સર્વ વિગઈઓના ત્યાગમાં પ્રાયઃ વાપરવાની આચરણા નથી. કારણ કે દ્રવ્યો ચોથા ઘાણ પછીના છે કે કેમ તેનો ચોક્કસ નિર્ણય થવો કઠીન છે. (જો ચોથા ઘાણ પછીના છે એવો ચોક્કસ નિર્ણય થાય તો ખપી શકે એમ પ્રવચનસારોદ્ધારમાં જણાવ્યું છે.) [૩૭૬] પુડલો વગેરે એક જ દ્રવ્યથી તાવડી પૂરાઈ જાય તે રીતે તળેલ પુડલો વગેરે દ્રવ્યો પહેલા ઘાણમાં તળેલ હોય તે વિગઈ ગણાય, બીજા વગેરે ઘાણમાં તળેલ હોય તે નિવિઆતું ગણાય અને તે પણ સર્વ વિગઈના ત્યાગીને કલ્પે. તે વિગઈ ન ગણાય, કિંતુ લેપકૃત દ્રવ્ય ગણાય. [૩૭૭ દહીંની તર વિગઈ છે. દહીંની (માખણ કાઢેલી) તક્ર-છાશ વિગઈ નથી. એટલું જ (= અંદર ચોખા વગેરે કંઈ પણ નાખ્યા વિનાનું) દૂધ વિગઈ છે. જેમાં કંઈ પણ નાખ્યું ન હોય તેવું માખણ અને પક્વાન્ન પણ વિગઈ છે. [૩૭૮] ધૃતઘટ્ટ (= ઉકાળેલા ઘીની ઉપર જામેલો મેલ) વિગઈ છે. કેટલાકો વિસ્પન્દનને વિગઈ ગણે છે. વિસ્પંદન એટલે અર્ધા બાળેલા ઘીમાં ચોખા નાખીને બનાવેલ દ્રવ્યવિશેષ. તલની સુકુમારિકા (ઉકાળેલા તેલની ઉપર જામેલ મેલ) અને ગોળની ચાસણી, ખાંડ, શાકર વગેરે વિગઈ નથી. [૩૭] દારુનો ખોલ (ધીની કીટ્ટીની જેવી કીટ્ટી) અને મધનું મીણ વિગઈ નથી. માંસનો પિંડ કે જેને કાલિજ્જ કહેવામાં આવે છે, તે વિગઈ નથી. માંસનો અવયવ કે જેને રસ કહેવામાં આવે છે, તે (ચરબી) અવશ્ય વિગઈ છે. [૩૮૦] प्रासङ्गिकमाह खज्जूरमुद्दियादाडिमाण पिल्लुच्छुचिंचमाईणं । पिंडरसय न विगइओ, नियमा पुण होंति लेवकडा ॥ ३८१ ॥ ૧, નવું તેલ કે નવું ઘી ન ઉમેરવું જોઈએ. નવું તેલ કે ઘી ઉમેરીએ તો ઉમેર્યા પછી પ્રથમના ત્રણ ઘાણનાં દ્રવ્યો વિગઈ ગણાય, અને ચોથા ઘાણથી નિવિઆતાં ગણાય ૨. બુ. ક. . ૧ ગા. ૧૭૦૯ થી ૧૭૧૧. Page #197 -------------------------------------------------------------------------- ________________ १७२ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- 'खर्जूरमुद्रिकादाडिमानामि ति, मृद्रीका-द्राक्षा, तथा 'पिलिक्षचिञ्चादीनामिति, चिंचाओ-अंबिलिकाओ, 'पिण्डरसौ न विकृती' भवतः, 'नियमात्पुनर्भवतः लेपकृतावि'तिलेवडगत्ति गाथार्थः ॥ ३८१ ॥ પ્રાસંગિક બીજું કહે છે ખજુર, દ્રાક્ષ, દાડમ, પીલું અને આંબલી એ દરેકનો પિંડ (ગર્ભ) અને રસ એ બંને વિગઈ नथी, ५॥ २५मृत अवश्य छे. [3८१] एत्थं पुण परिभोगो, निम्विइआणंपि कारणाविक्खो । उक्कोसगदव्वाणं, न तु अविसेसेण विन्नेअं ॥ ३८२ ॥ वृत्तिः- 'अत्र पुनः'-विकृत्यधिकारे 'परिभोगो निर्विकृतिकानामपि'-खण्डादीनां 'कारणापेक्षः', कारणं शरीरासंस्तरणं, 'उत्कृष्टद्रव्याणां' रसाद्यपेक्षयैव, 'न त्वविशेषेण विज्ञेयः' परिभोग इति, एतदुक्तं भवति-'आवण्णनिव्विगइयस्स असहुणो परिभोगो, इंदियजयत्थं निव्विगतियस्स न परिभोगो"त्ति गाथार्थः ॥ ३८२ ॥ ओघतो विकृतिपरिभोगदोषमाह विगई परिणइधम्मो, मोहो जमुदिज्जए उदिण्णे अ । सुठुवि चित्तजयपरो, कहं अकज्जे न वट्टिहिई ? ॥ ३८३ ॥ वृत्तिः- “विकृतिः परिणतिधर्मः', कीदृगित्याह-'मोहो यत् उदीर्यते' ततः किमित्याह'उदीर्णेच' मोहे' सुष्ठवपिचित्तजयपरः' प्राणी कथं अकार्येन वर्त्तिष्यते?' इति गाथार्थः ।। ३८३ ॥ સામાન્યથી વિગઈના પરિભોગથી થતા દોષને કહે છે– પ્રસ્તુતમાં નિવિઆતાં પણ શ્રીખંડ વગેરે ઉત્કૃષ્ટ દ્રવ્યોનો પરિભોગ (= ઉપયોગ) શરીર અશક્ત બને વગેરે વિશેષ કારણે કરવાનો કહ્યો છે, વિશેષ કારણ વિના નહિ; અર્થાત્ જે સાધુ (યોગોદ્ધહન આદિના કારણે) નિર્વિકૃતિક આહાર કરતો હોય, તે અસહુ હોય તો તેને નિવિઆતાં ઉત્કૃષ્ટ દ્રવ્યોનો પરિભોગ કરવાની છૂટ છે. જે સાધુ ઇંદ્રિયજય માટે નિર્વિકૃતિક આહાર કરતો હોય તેને તો નિવિઆતાં પણ ઉત્કૃષ્ટ દ્રવ્યોના પરિભોગનો નિષેધ છે. જે દ્રવ્યો સ્વાદિષ્ટ રસ આદિથી યુક્ત હોય તે ઉત્કૃષ્ટ દ્રવ્યો સમજવાં. [૩૮] વિગઈથી પરિણામે મોહની ઉદીરણા થાય છે. મોહનો ઉદય થતાં ચિત્તજય કરવામાં અત્યંત તત્પર પણ જીવ અકાર્ય કેમ ન કરે ? અર્થાત્ કરેજ. [૩૮૩). दावानलमज्झगओ, को तदुवसमट्ठयाए जलमाई । संतेऽवि न सेविज्जा, मोहानलदीविए उवमा ।। ३८४ ॥ वृत्ति:- 'दावानलमध्यगतः' सन् ‘कस्तदुपशमार्थं जलादीनि सन्त्यपि न सेवेत ?', सर्व एव सेवेत इत्यर्थः, मोहानलदीप्तेऽप्युपमे 'ति, जलादिस्थानीया योषितः सेवेत इति गाथार्थः ।। ३८४ ।। Page #198 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१७३ દાવાનલની વચ્ચે રહેલો કયો પુરુષ દાવાનલને શાંત કરવા જળ વગેરે હોવા છતાં તેનો ઉપયોગ ન કરે? અર્થાત બધા જ પુરુષો તેનો ઉપયોગ કરે. તે રીતે સાધુ મોહ રૂપ અગ્નિ પ્રજવલિત બનતાં તેના શમન માટે સ્ત્રી રૂપ જલ આદિનું સેવન કરે એ સંભવિત છે. માટે સાધુએ વિશેષ કારણ વિના નિવિઆતાં પણ ઉત્કૃષ્ટ દ્રવ્યોનો ઉપયોગ ન કરવો જોઈએ.) [૩૮૪] . अतिप्रसङ्गनिवृत्त्यर्थमाह एत्थ रसलोलुआए, विगई न मुअइ दढोऽवि देहेणं । जो तं पड़ पडिसेहो, दट्ठव्वो न पुण जो कज्जे ॥ ३८५ ।। वृत्तिः- 'अत्र' प्रक्रमे 'रसलोलुपतया' कारणेन 'विकृति न मुञ्चति दृढोऽपि देहेन यस्तं प्रति प्रतिषेधो' विकृते' द्रष्टव्यः, न पुनर्यः कार्ये' न मुञ्चतीति गाथार्थः ॥ ३८५ ॥ 'मतिप्रसंगर्नु निवा२९५ ४३ छ પ્રસ્તુતમાં જે સાધુ શરીરથી બલવાન હોવા છતાં રસલોલુપતાના કારણે વિગઈઓને છોડતો નથી તેને આશ્રયીને વિગઈઓના પરિભોગનો નિષેધ જાણવો, પણ જે સાધુ કારણસર વિગઈઓનો પરિભોગ કરે છે તેના માટે નિષેધ નથી. [૩૮૫]. एतदेवाह अब्भंगेण व सगडं, न तरइ विगई विणाऽवि जो साहू । सो रागदोसरहिओ, मत्ताएँ विहीऍ तं सेवे ॥ ३८६ ॥ वृत्तिः- 'अभ्यङ्गेनेव शकटं न शक्नोति' आत्मानं यापयितुं 'विकृति विना' तु 'यः साधु सः' इत्थंभूतो 'रागद्वेषरहितः' सन् ‘मात्रया विधिना' कायोत्सर्गादिलक्षणेन 'तां सेवेत' इति गाथार्थः ॥ ३८६ ॥ આ જ વિષયને કહે છે– જેમ ગાડું તેલના ઉંજણ વિના ચાલી ન શકે તેમ જે સાધુ વિગઈ વિના શરીરનો નિર્વાહ ન કરી શકે તે સાધુ રાગ-દ્વેષ વિના કાયોત્સર્ગ આદિ વિધિપૂર્વક પ્રમાણોપેત વિગઈ સેવન કરે. [૩૮૬] 'मानयुक्त'मित्युक्तं तदाह पडुपण्णऽणागए वा संजमजोगाण जेण परिहाणी । नवि जायइ तं जाणसु, साहुस्स पमाणमाहारं ॥ ३८७ ॥ । भुंजणत्ति दारं गयं । वृत्तिः- 'प्रत्युत्पन्न' इति वर्तमाने 'अनागते वा' एष्ये 'संयमयोगानां' कुशलव्यापाराणां ૧. અલક્ષ્યમાં પણ લક્ષણ જાય તે અતિપ્રસંગ. ૨. પરિમિત વિગઈ વિસર્જાવણી કરેમિ કાઉ. વગેરે વિધિ કરીને. Page #199 -------------------------------------------------------------------------- ________________ १७४ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'येन परिहाणिर्न जायते', तत्पुट्ठतया क्षुधा वा, 'तं जानीध्वं साधोः प्रमाणमाहार मिति प्रमाणयुक्तमिति गाथार्थः ॥ ३८७ ।। ‘પ્રમાણોપેત એમ (૩૬ ૮મી ગાથામાં) જે કહ્યું એ વિષે કહે છે– જેટલો આહાર લેવાથી વર્તમાનમાં કે ભવિષ્યમાં પ્રતિલેખના વગેરે શુભ યોગોની હાનિ ન थाय, तटसो माहार प्रमायुत वो. (तत्पुट्टतया क्षुधा वा=) अति महारथी पुट्ठ मेटले शरीर અધિક પુષ્ટ (ભારે) થવાથી, અથવા અતિ ઓછો લેવાથી ભૂખને લીધે, શુભયોગોની હાનિ થાય. માટે શુભયોગોની હાનિ ન થાય તેટલો આહાર પ્રમાણયુક્ત જાણવો. मोनार पूर्ण थयु. मूलद्वारगाथायां भोजनद्वारमुक्तम्, अधुना पात्रधावनद्वारव्याचिख्यासयाऽऽह अह भुंजिऊण पच्छा, जोग्गा होऊण पत्तगे ताहे । __ जोग्गे धुवंति बाहिं, सागरिए नवरमंतोऽवि ॥ ३८८ ॥ वृत्तिः- 'अथे'त्युपन्यासार्थे भुक्त्वा पश्चात्'-तदनन्तरं योग्या भूत्वा'-करादिनिरवयवादिना उचिता भूत्वा 'पात्रकाणि ततः' तदनन्तरं 'योग्यानि' निरवयवादिनैव प्रकारेण 'धावन्ति' समयपरि-भाषया त्रेप्यंतीत्यर्थः 'बहिः' मण्डलभूमेरन्यत्र, 'सागारिके' सत्युपघातसंरक्षणार्थं 'नवरमन्तोऽपि' अभ्यन्तरेऽपि धावन्तीति गाथार्थः ॥ ३८८ ॥ મૂલહાર ગાથા (૨૩૦)માં જણાવેલ “ભોજન' દ્વાર કહ્યું, હવે પાત્રધાન દ્વારનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે मो४न ४ा पछी य-भुप वगैरे धो ने पोते योग्य स्व५७ बने. ५छी पात्रांने (योग्यान् धावन्ति=) डानो अंश वगैरे न २ ते रीत स्वच्छ धुवे. पात्रांने घोवानी याने शासपरिभाषा પ્રમાણે “તિષ્પ (==૫) કરે છે” એમ બોલાય છે. પાત્રોને ભોજનમાંડલીના સ્થાનથી બીજા સ્થળે (ઉપાશ્રયના બહારના ભાગમાં) ધુવે. જો બહાર ગૃહસ્થો હોય તો તેનાથી પરાભવ, હલકાઈ વગેરે ન થાય એ માટે અંદર પણ ધુવે. [૩૮૮] केन विधिनेत्याह अच्छदवेणुवउत्ता, निरवयवे दिति तेसु कप्पतिअं । नाऊण व परिभोगं, कप्पं ताहे पवर्द्विति ॥ ३८९ ॥ वृत्तिः- 'अच्छद्रवेण' स्वच्छोदके नोपयुक्ताः' सन्तः, अवयवकल्पयोर्दत्तावधाना इति भावः, 'निरवयव' इति जातावेकवचनं ततश्च निरवयवेषु ‘ददति तेषु' भाजनेषु 'कल्पत्रयं' समयप्रसिद्धं, 'ज्ञात्वा वा परिभोगमा'धाकादेः 'कल्पं ततः प्रवर्द्धयन्ति', सदोषतापरिख्यापनेन गाय॑परिहरणार्थमिति गाथार्थः ॥ ३८९ ॥ Page #200 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] કયા વિધિથી ધ્રુવે એ કહે છે— પાત્રાંને ધોતી વખતે પાત્રાંમાં આહારનો અંશ વગેરે ન રહી જાય અને બરોબર ત્રણ કલ્પ થાય તેનો ઉપયોગ રાખે. (પહેલાં ભોજનના સ્થાને જ પાત્રાંને એકવાર ધોઈ લીધાં હોવાથી) આહા૨ના અંશથી રહિત બનેલા પાત્રાંને ત્રણ કલ્પ કરે = ત્રણ વાર વે. જો આધાકર્મ વગેરે દોષોથી યુક્ત આહાર વાપર્યો હોય તો વધારે વાર પણ વે, જેથી મેં દોષિત આહાર વાપર્યો છે એવી પ્રસિદ્ધિ ५२वाथी (जीभने जजर पाडवाथी) घोषित आहारमा वृद्धि (निःशूता) न थाय. [३८] विधिशेषमाह अंतोनिरवयवि चिअ बिअतिअकप्पेऽवि बाहि जइ पेहो । अवयवमंतजलेणं, तेणेव करिज्जते कप्पे ॥ ३९० ॥ वृत्ति:- 'अन्तः ' - मध्ये 'निरवयव एव', पात्र इति गम्यते, 'द्वितीयतृतीयकल्पेऽपि ' प्रस्तुते 'बहिर्यदि प्रेक्षेत' कथञ्चि दवयवं ' ततो ऽन्तर्जलेन तेनैव' गृहीतेन 'कुर्यात् ' त' त्कल्पाद्' बहि:, न पुनस्तद्भङ्गभया - दन्यत्र गृह्णीयादिति गाथार्थः ॥ ३९० ॥ બાકીનો વિધિ કહે છે [ १७५ આહારના અંશથી રહિત બનેલા પાત્રને બેવાર-ત્રણવાર ધોવા છતાં જો પાત્રની બહાર આહારનો કોઈ અંશ દેખાય તો પાત્રમાં રહેલા ત્રીજી વારના પાણીથી જ બહાર ધુએ, પણ પાત્ર ભાંગવાના ભયથી બીજાં પાણી ન લે, અર્થાત્ પાત્રમાં રહેલા પાણીથી બહાર ધોવાથી કદાચ પાત્ર પડી જાય તો ભાંગી જાય એવા ભયથી બીજું પાણી ન લે. [૩૯૦] यदुक्तं 'योग्यानि धावन्ति बहि' रित्यत्र कश्चिदाह - इत्थं सति तेऽत्र भुञ्जते प्रच्छन्न इत्यापन्नं, तदत्र किं प्रयोजनमिति प्रयोजनमाह पच्छन्ने भोत्तव्वं, जइणा दाणाओ पडिनिअत्तेणं । तुच्छ्गजाइअदाणे, बंधो इहरा पदोसाई ॥ ३९१ ॥ वृत्ति:- 'प्रच्छन्ने' विजने ' भोक्तव्यं', केनेत्याह- 'यतिना' प्रव्रजितेन, किंविशिष्टेनेत्याह‘दानात् प्रतिनिवृत्तेन', पुण्यपापक्षयार्थिना मुमुक्षुणेत्यर्थः, अप्रच्छन्नभोजने दोषमाह-'तुच्छयाचितदाने बन्धः', सम्भवति च केचिद् द्रमका ये प्रव्रजितानपि याचन्ति तत्र चावश्यमनुकम्पयाऽपि ददतः पुण्यबन्ध एव, असावपि च नेष्यते, सौवर्णनिगडकल्पत्वात् तस्य, 'इतरथा प्रद्वेषणादय' इति अदाने तुच्छयाञ्चायां ते एव क्षुद्रजन्तुत्वात् प्रद्वेषमापद्यन्ते, शासनावर्णवादं गृह्णन्ति, तथा च सति संसारे पतन्त्यनर्थं प्राप्नुवन्ति, तदेतद्वस्तुतो निमित्तकारणत्वेन कृतं भवतीति प्रच्छने भोक्तव्यमिति गाथार्थः ॥ ३९१ ॥ ૧. પૂર્વે ભોજનના સ્થાને જ એકવાર પાત્રાંને ધોઈને તે પાણી પી જતા હતા. પછી વધારે સ્વચ્છ કરવા બહાર જઈને પાત્રાં ધોવાનો આચાર હતો. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ]. [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પાત્ર બહાર ધુવે એમ કહ્યું, આથી સાધુઓ ભોજન ગુપ્ત કરે છે એ સિદ્ધ થયું, ભોજન ગુપ્ત કેમ કરે છે ? એવી શંકાને દૂર કરવા ગુપ્ત ભોજનનું કારણ કહે છે ધનાદિના દાનથી નિવૃત્ત થયેલા, અર્થાત્ પુણ્ય અને પાપ એ બંનેનો ક્ષય કરવાની ઈચ્છાવાળા સાધુએ ગુપ્ત (= કોઈ ન દેખે તેમ) ભોજન કરવું જોઈએ. કારણ કે પ્રગટ (= બીજાઓ જુએ તેમ) ભોજન કરવાથી સાધુ પાસે ભોજન જોઈને ભિખારીઓ તેમની પાસે પણ ભોજનની માગણી કરે. આ વખતે જો સાધુઓ દયાથી ભોજન આપે તો તેમને અવશ્ય પુણ્યબંધ જ થાય. સાધુને પુણ્યબંધ પણ ઈષ્ટ નથી. કારણ કે પુણ્યબંધ સુવર્ણની બેડી સમાન છે. હવે જો માગણી કરવા છતાં ન આપે તો ભિખારીઓ ક્ષુદ્ર હોવાથી ફેષ પામે, શાસનની નિંદા-ટીકા કરે. આથી તે ભિખારીઓ સંસારમાં ભમીને અનેક અનર્થો પામે. પ્રગટ ભોજન કરે તો આમાં નિમિત્ત બનવાથી પરમાર્થથી તો આ અનિષ્ટ સાધુઓએ કર્યું ગણાય. માટે સાધુઓએ ભોજન ગુપ્ત કરવું જોઈએ. [૩૯૧] પાત્રધાવનાર પૂર્ણ થયું. मूलद्वारगाथायां पात्रकधावनद्वारं व्याख्यातं, तदनन्तरं यद् विधेयं तद्दर्शयति संवरणं तयणंतरमेक्कासणगेऽवि अप्पमायत्थं । आणाअणुहवसे, आगारनिरोहओ अण्णं ॥ ३९२ ॥ || પત્તાયુવત્તિ વાર મળે છે वृत्तिः- पात्रधावनानन्तरं 'प्रत्याख्यानं विधेयं', यद्यपि प्रागे वैकाशनकं प्रत्याख्यातं तथापि' भुक्त्वा प्रत्याख्यानं ग्राह्यं, 'अप्रमादार्थं', तथा ऽऽज्ञानुभवात् श्रेयः', एतदाकारनिरोधतश्चान्यत्'प्रयोजनं, 'सागारियागारेणं गुरुअब्भुट्ठाणेणं आउंटणपसारेणं पारिट्ठावणियागारेणं' इत्येते प्राक् आकारा गृहीताः तेषां निरोधार्थं पुनरपि प्रत्याख्यानं विधेयमिति ॥ ३९२ ॥ મૂલદ્વારગાથા (૨૩૦)માં જણાવેલ પાત્રધાવનારનું વ્યાખ્યાન કર્યું. હવે પાત્રો ધોયા પછી શું કરવું તે જણાવે છે પાત્રો ધોયા પછી તિવિહારનું પચ્ચકખાણ કરવું. જો કે પહેલાં તિવિહાર એકાસણાનું પચ્ચખાણ કર્યું હોવાથી એકાસણાના પચ્ચકખાણની સાથે તિવિહારનું પણ પચ્ચખાણ કર્યું છે. તો પણ ભોજન કર્યા પછી અપ્રમાદ, જિનાજ્ઞાપાલન અને આગારનિરોધ થાય એ માટે પુનઃ તિવિહારનું પચ્ચકખાણ કરવું જોઈએ. એકાસણાના પચ્ચકખાણમાં સરકારે, ગુરુભુટ્ટાણે, માટપારે અને પરિવારે એ આગારો રાખ્યા હતા. તિવિહારના પચ્ચખાણમાં આ આગારો નથી રખાતા. માટે ભોજન કર્યા પછી આ આગારોનો નિરોધeત્યાગ કરવા તિવિહારનું પચ્ચખાણ કરવું જોઈએ. [૩૯૨). अधुना विचारद्वारमाह कालमकाले सण्णा, कालो तइयाएँ सेसगमकालो । पढमापोरिसि आपुच्छ पाणगमपुप्फि अण्ण दिसिं ॥ ३९३ ॥ Page #202 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१७७ वृत्तिः- 'कालाकालयोः संज्ञा', 'संज्ञे'ति समयपरिभाषया पुरीषोत्सर्गः, स काले अकाले च भवति, तत्र 'कालस्तृतीयायां' पौरुष्यां तस्यां औचित्येन, 'शेषः अकालः', स्वाध्यायादिहानिप्रसङ्गात्, ‘प्रथमायां पौरुष्यां' संज्ञाभावे सत्यापृच्छ्य' शेषसाधून् 'पानकमपुष्पितमन्यस्यां दिशि' ग्राह्यमिति गाथाक्षरार्थः । भावार्थस्तु वृद्धसम्प्रदायादवसेयः, स चायम्-"सण्णा दुविहाकाले अकाले य, तत्थ जा काले सा सुत्तपोरिसिं अत्थपोरिसिं च काऊणं कालस्स पडिक्कमित्ता जायाए वेलाए सा काले, अहवा जा जिमियस्स सा काले, सेसा अकाले, जइ णाम पढमपोरिसीए सण्णा भविज्जा तत्थ को विही?, तत्थ उग्गाहेत्ता पाणयं गिण्हइ, अह ण उग्गाहेइ असामायारी, लोगो विजाणइ जहा एस बाहिरपाणयं गिण्हइ, ताहे ण दिज्ज चउत्थरसिअं, उग्गाहिएण य अण्णो गुणो, कोइ सड्ढो पहाइओ, सद्धाए पुण्णाए साहू दिट्ठो, धुवो लाभोत्ति पडिलाहिज्ज, सोऽवि लाभो भवइ, संकाऽवि ण भवइ, अण्णे जाणंति-जहा पाणगस्स हिंडंति, सो पुण केरिसं पाणगं गिण्हइत्ति ?, अच्छमपुफियम्-अगंध, जाहे ण होज्ज चउत्थरसिअं ताहे तिदंडोदयं गिण्हइ, जाए दिसाए सण्णाभूमी ताए दिसाए न घेत्तव्वं, जइ गिण्हइ असामायारी, उड्डाहो हुज्जा, तम्हा अण्णाए दिसाए पाणयं घेत्तव्वं, तंपि जइ अणाउच्छाए वज्जति असामायारी, तो तेणं परिमियं पाणयं गहियं, ताहे अण्णोऽवि भणेज्ज-अहंपि वज्जामि, जइ परिमिए एक्कस्स दो वच्चंति उड्डाहो, अह ण अण्णं मग्गइ ताहे भावासण्णा भवति, ताहे दोसा, तम्हा आपुच्छित्ता गंतव्वं पाणयस्स, आमंतेयव्वा यअज्जो ! कस्स भे कज्जो सण्णापाणएण ? ताहे जत्तिया भणंति तेसिं परिमाणेण गिण्हइ, जइ दो वच्चंता ता तिण्ह परिमाणेण गिण्हइ, अह बहवे ताहे अपरिमियं गिण्हिज्जा, चित्तूण आगओ बाहिं पडिलेहेत्ता पमज्जित्ता दंडयं ठावित्ता इरियाए पडिक्कमित्ता आलोएत्ता दाएत्ता पुणोऽवि आपुच्छंति वच्चामि बाहिं, आणयइ आमंतेइ, जइ कोइ वच्चइ ताहे तप्पमाणं पाणयं गिण्हइ, जाहे नत्थि अप्पणा एगो ताहे बिउणं गिण्हइ, ताहे एक्कलगोऽवि वच्चइ, तं ओग्गाहिअमण्णस्स दाउण हत्थे दंडयं पमज्जित्ता ताहे गिण्हइ, जइ अणापुच्छाए वच्चइ असामायारी, आवस्सियं न करेइ असामायारी, एवं ता अकालसण्णाए भणिओ विही, जा सा कालओ सा सुत्तत्थाणि करित्ता ततियाए पोरिसिएत्ति", अलं तावत्सामाचार्यन्तरेण ॥ ३९३ ॥ वे 'वियार' द्वार ४ छ મળનું વિસર્જન (= ત્યાગ) કરવું એને શાસ્ત્રની ભાષામાં “સંજ્ઞા' કહેવામાં આવે છે. સંજ્ઞા કાલે અને અકાલે પણ થાય. ત્રીજી પોરિસીમાં થતી સંજ્ઞા કાલસંજ્ઞા છે. કારણ કે તે કાળ ઉચિત છે. બાકીના સમયમાં થતી સંજ્ઞા અકાલસંજ્ઞા છે. કારણ કે તેમાં સ્વાધ્યાય આદિની હાનિ થાય. પહેલી પોરિસીમાં સંજ્ઞા થાય તો બીજા સાધુઓને પૂછીને ગંધ રહિત સ્વચ્છ પાણી સ્થડિલ જવાની દિશાથી અન્ય દિશામાંથી લાવવું. આ ગાથાનો અક્ષરાર્થ છે. ભાવાર્થ તો વૃદ્ધસામાચારીથી જાણવો, અને તે આ પ્રમાણે છે Page #203 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ]. [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते સંજ્ઞાના કાલ અને અકાલ એમ બે પ્રકારો છે. સૂત્ર પરિસિ અને અર્થપોરિસિ કરીને કાલની પડિલેહણા થઈ ગયા પછીના સમયે થતી સંજ્ઞા કાલસંજ્ઞા છે. અથવા ભોજન પછી થતી સંજ્ઞા કાલસંજ્ઞા છે. બાકીના સમયમાં થતી સંજ્ઞા અકાલસંજ્ઞા છે. પ્રશ્ન- જો પહેલી પરિસિમાં સંજ્ઞા થાય તો શો વિધિ છે? ઉત્તર- પહેલી પરિસિમાં સંજ્ઞા થાય તો પાત્રને ઝોળીમાં રાખીને પાણી લાવે. જો પાત્રને ઝોળીમાં રાખ્યા વિના પાણી લાવે તો સામાચારીનો ભંગ થાય. પાત્રને ઝોળીમાં રાખ્યા વિના પાણી લેવા જતાં લોકો એમ સમજે કે સાધુ સ્પંડિત જવા માટે પાણી લે છે, એથી ચતુર્થરસિક=છાશની આશ વગેરેનું પાણી ન આપે. પાત્રને ઝોળીમાં રાખીને વહોરવા જવાથી બીજો લાભ એ થાય કેએક ગામથી બીજા ગામે જતો કોઈ શ્રાવક પૂર્ણશ્રદ્ધાથી સાધુને જુએ, ત્યારે “આ મહાત્માને વહોરાવવાથી મને અવશ્ય લાભ થશે” એમ વિચારીને સાધુને વહોરાવે. તથા પાત્રને ઝોળીમાં રાખવાથી કોઈને અંડિલ જવા માટે પાણી વહોરે છે એવી શંકા પણ ન પડે. બીજાઓ સમજે કે (પીવાના) પાણી માટે ફરે છે. પ્રશ્ન- સાધુ કેવું પાણી લે? ઉત્તર-ગંધરહિત સ્વચ્છ છાશની આશ વગેરેનું પાણી લે. તેવું પામી ન મળે તો ત્રણ ઉકાળાથી ઉકાળેલું પાણી લે. ચંડિલભૂમિમાં જવાની દિશામાંથી પાણી ન લેવું. જો સ્પંડિલભૂમિમાં જવાની દિશામાંથી પાણી લે તો સામાચારીનો ભંગ થાય, તથા આ સાધુઓ આવા (મલિન) પાણીથી શુદ્ધિ કરે છે એવી અપભ્રાજના થાય. માટે સ્પંડિલભૂમિમાં જવાની દિશાથી અન્ય દિશામાંથી પાણી લાવવું. (જેથી લોકોને “સાધુ આવું પાણી વહોરીને સ્પંડિલ ભૂમિએ ગયા” એવી ખબર ન પડે.) તથા અન્ય સાધુઓને પૂછીને પાણી લેવા જવું. જો સાધુઓને પૂછ્યા વિના પાણી લેવા જાય તો સામાચારીનો ભંગ થાય. કારણ કે પૂછડ્યા વિના પોતા માટે થોડું પાણી લઈ આવ્યા. પછી બીજો સાધુ કહે કે હું પણ સ્પંડિલ ભૂમિએ આવું છું. એકને પૂરું થાય તેટલું પાણી લઈને બે સાધુ અંડિલ ભૂમિએ જાય તો ઓછા પાણીથી શુદ્ધિ કરવાથી જોનારા લોકો “આ સાધુ ગંદા છે” વગેરે રીતે શાસનની નિંદા કરે, એથી શાસનની અપભ્રાજના થાય. હવે જો બીજું પાણી લેવા ન જાય અને (ઝાડો રોકે, પણ પછી) તીવ્ર હાજત થાય તો (૪૨૩મી ગાથામાં જણાવેલા) અનેક દોષો થાય. આથી પૂછીને પાણી લેવા જવું. સાધુઓને વિનંતિ કરવી કે હે આર્ય! આપનામાંથી કોને ઈંડિલ જવા માટે પાણીની જરૂર છે? પછી જેટલા સાધુઓ કહે તે પ્રમાણે પાણી લાવે. જો બે સ્પંડિલભૂમિએ જાય તો ત્રણ જેટલું પાણી લાવે. હવે જો ઘણા સ્પંડિલભૂમિએ જાય તો ઘણું પાણી લાવે. પાણી લઈને આવેલ સાધુ ઉપાશ્રયની બહાર બે પગ પૂંજીને, દંડ રાખીને ઈરિયાવહી કરીને પાણીની આલોચના કરીને, ૧. ચોથા રસવાળું = ખાટું. ૨. ચંડિલ જતાં પાત્રને ઝોળી વિના પ્રગટ લઈ જવાનો વિધિ છે અને વહોરવા જતાં પાત્રને ઝોળીમાં રાખીને વહોરવા જવાનો વિધિ છે. ૩. કાવેર માતા = બાવાસા, બાવાસા એટલે તીવ્ર હાજત. (જુઓ ૪૨૩મી ગાથા) Page #204 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१७९ ગુરુને પાણી બતાવીને ફરી પણ ગુરુને પૂછે-કહે કે, હું બહાર (ઈંડિલ) જાઉં છું. બીજા સાધુઓને પણ (પાણી આવી ગયું છે વગેરે) જણાવે અને (અંડિલ આવવા) આમંત્રણ આપે. જો કોઈ આવે તો તે પ્રમાણે પાણી લે. જો કોઈ ન આવે તો પોતાને જોઈએ તેનાથી બમણું પાણી (માત્રકમાં) લઈને એકલો પણ જાય. જતી વખતે પાત્ર અન્યને આપી દે. દંડને પૂજીને હાથમાં લઈને આવસ્સહિ કહેવાપૂર્વક જાય. જો પૂછ્યા વિના જાય કે આવસ્યતિ ન કહે તો સામાચારીનો ભંગ થાય. આ પ્રમાણે અકાલસંજ્ઞાનો વિધિ કહ્યો. જેને કાલે સંજ્ઞા થાય તે સૂત્ર-અર્થનો અભ્યાસ કરીને ત્રીજી પોરિસીમાં ઈંડિલ જાય.” અન્ય (= અન્ય ગ્રંથમાં કહેલ) સામાચારીથી સર્યું. [૩૯૩] एतदेव सूचयत्राह अइरेगगहण उग्गाहिएण आलोइअ पुच्छिउं गच्छे । एसा उ अकालंमी, अणहिंडिअ हिंडिआ काले ॥३९४ ॥ વૃત્તિ - “ગતિવિદિ' વનસ્ય “દિન' માગને “માનોવ્ય' છેઃ “પૃથ્વી' तमन्यांश्च साधून् 'गच्छेत्, एषा पुनरकाले' संज्ञा ‘अहिण्डितहिण्डितयो'स्तु, 'काल' इति कालसंज्ञाविषयविभागो निदर्शित एवेति गाथार्थः ॥ ३९४ ॥ ઉક્ત વિષયનું જ સૂચન કરે છે– ઝોળીમાં પાત્ર રાખીને એકને જોઈએ તેનાથી વધારે પાણી લેવું. પાણી લાવીને ગુરુ પાસે આલોચના કરવી. ગુરુને અને અન્ય સાધુઓને પૂછીને-કહીને અંડિલ જાય. આ અકાલસંજ્ઞા અંગે કહ્યું. ગોચરી જનારા અને ગોચરી નહિ જનારા સાધુઓને આશ્રયીને કાલસંજ્ઞાનો વિધિ (વૃદ્ધસામાચારીના વર્ણનમાં) જણાવ્યો જ છે. [૩૯૪]. उत्कृष्टकालसंज्ञामाह कप्पेऊणं पाए, एकिकस्स उ दुवे पडिग्गहिए । दाउं दो दो गच्छे, तिहट्ट दवं तु चित्तूणं ॥ ३९५ ॥ वृत्तिः- 'कल्पयित्वा' विशोध्य 'पात्राणि एकैकस्य तु' स्वसङ्घाटकप्रतिबद्धस्य 'द्वौ द्वौ प्रतिग्रहको' आत्मीयं तत्सम्बद्धं च 'दत्त्वा', समाध्यमात्रकानियमपरिभोगख्यापनपरमेतत्, 'द्वौ द्वौ गच्छतः द्रवं तु त्रयाणामर्थाय गृहीत्वा' कुरुकुचादिनिमित्तमिति गाथार्थः ॥ ३९५ ॥ ઉત્કૃષ્ટ 'કાલસંજ્ઞા કહે છે– પાત્રોને પણ કલ્પથી ધોઈને પોતપોતાના સંઘાટકને એક પોતાનું અને એક પોતાના સંઘાટકનું એમ બે પાત્રો આપીને શુદ્ધિ આદિ માટે ત્રણને જોઈએ તેટલું પાણી માત્રકમાં લઈને બે બે સાધુઓ અંડિલ જાય. ૧. ત્રીજી પોરિસીમાં પણ ભોજન પહેલાં સ્પંડિલ જાય એની અપેક્ષાએ ભોજન પછી સ્વડિલ જાય એ અધિક શ્રેષ્ઠ છે. કારણ કે મૂળવિધિ ભોજન પછી સ્પંડિલ જવાનો છે. આથી ભોજન પછી થતી સંજ્ઞા ઉત્કૃષ્ટ કાલસંજ્ઞા છે. આથી જ ત્રીજી પોરિસીમાં ભોજન પહેલાં થતી સંજ્ઞા અનુત્કૃષ્ટ કાલ સંજ્ઞા છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ભાવાર્થ- જે જે સંઘાટકવાળા હોય તેમાં તેમાંથી એક સાધુ બેનાં બે પાત્રાને સાચવે, અને બીજો બીજાની (પોતાના સંઘાટક સિવાયના બીજાની) સાથે અંડિલ જાય. તે બધા આવી જાય એટલે જે બાકી રહેલા હોય તે જાય, અને જઈ આવેલાઓ પાત્રાને સાચવે. (અહીં ટીકાના “સમાધ્યમત્રનિયમપરિમોરિધ્યાપનપરત” એ પાઠનો ભાવાર્થ આ પ્રમાણે જણાય છે- (૧) પરસ્પર એક સાધુ પાત્ર સાચવે અને બીજા સ્થડિલ જાય એટલે ઝાડો ન રોકાવાથી સમાધિ સચવાય અથવા પોતાનું પાત્ર સાથે લઈ જાય તો પાત્રને સાચવવાની તકલીફ થાય. બીજાને આપવાથી આ તકલીફ દૂર થવાથી સમાધિ રહે. (૨) “અમાત્રક' એટલે માત્રક વિના ન જાય, અર્થાત્ અંડિલ જાય ત્યારે પાત્ર ન લઈ જાય, પણ માત્રક લઈ જાય. (૩) અનિયમપરિભોગ = ગમે તેટલી સંખ્યામાં પાત્ર-પરિભોગ ન કરવો જોઈએ. એક પોતાનું અને એક પોતાના સંઘાટકનું એમ બે પાત્રો આપીને જાય એમ કહીને એક સાધુએ એક પાત્ર રાખવું એમ સૂચિત કર્યું છે.) [૩૯૫ एतदेव स्पष्टयति कप्पेऊणं पाए, संघाडइलो उ एगु दोण्हंपि । पाए घरेइ बिइओ, वच्चइ एवं तु अण्णसमं ॥ ३९६ ॥ वृत्तिः-'कल्पयित्वा पात्राणिसङ्घाटकवान्एकः' अन्यतरो' द्वयोरपि पात्रे धारयति, द्वितीय'स्तु सङ्घाटकवान् 'व्रजति, एवमन्यसममिति-अन्यसङ्घाटकसत्कसाधुसममिति गाथार्थः ॥ ३९६ ॥ एक्किको संघाडो, तिण्हायमणं तु जत्ति होइ । दवगहणं एवइअं, इमेण विहिणा उ गच्छंति ॥ ३९७ ॥ वृत्तिः- “एकैकः सङ्घाटक' इति, सङ्घाटकत्वं बहिर्भूम्यपेक्षया, 'त्रयाणामाचमनं यावद् भवति द्रवग्रहणमेतावत्' करोतीति वाक्यशेषः, तदनेन विधिना व्रजन्ति', तुशब्दस्यावधारणार्थવાનૈવેતિ થાર્થ છે રૂ૬૭ || આ જ વિષયને સ્પષ્ટ કરે છે– પાત્રોને ત્રણ કલ્પથી ધોઈને સંઘાટકવાળા બેમાંથી કોઈ એક બંનેના પાત્રને સાચવે, અને બીજો અન્ય સંઘાટકના સાધુની સાથે અંડિલ જાય. [૩૯૬] દરેક સંઘાટક ત્રણની શુદ્ધિ થાય તેટલું પાણી લે. અહીં (દરેક સંઘાટક એમ જે કહ્યું તેમાં) સંઘાટક અંડિલભૂમિ જવાની અપેક્ષાએ સમજવો. (ગોચરી જવાની અપેક્ષાએ નહિ.) આ જ વિધિથી સ્પંડિલ જાય. [૩૯૭] अजुअलिया अतुरंता, विगहारहिआ वयंति पढमं तु । निसिइत्तु डगलगहणं, आवडणं वच्चमासज्ज ।। ३९८ ॥ (विआरित्ति दारं गयं) वृत्तिः- 'अजुअलिता' इति समगमनपरिहारेण 'अत्वरमाणाः' असम्भ्रान्ता 'विकथारहिता' ईर्यो-पयुक्ता एव 'व्रजन्ति प्रथम' स्थण्डिलं, तुर्विशेषणार्थः, तदभावेऽन्यत्, तत्र चैषा सामाचारी Page #206 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૧૮૨ 'थंडिलस्स अब्भासे दिसालोअं करिति, किंनिमित्तं ?, परिसोहणत्थं, डगलगाणं च आदाणं करिति, जइ उद्धट्ठिओ गिण्हइ असामायारी, अपमज्जिए वा जइ गिण्हइ, ते पुण डगलगा दुविहा संबद्धा असंबद्धा य, संबद्धा जे भूमीए समं लग्गा, ते जइ गिण्हइ असामायारी, जा य तत्थ विराहणा, जे असम्बद्धा ते तिविहा-उक्कोसा मज्झिमा जहण्णा, उक्कोसा पहाणा मज्झिमा इट्टालादि जहण्णा लेढुगादि, उक्कोसे समे मसिणे य गिण्हइ, ताहे तिन्नि वारे आवडेइ, जो भिन्नवच्चो सो तिण्णि अण्णे दोन्नि, जो अरिसाइतो भगंदलाइतो वा सो न गिण्हइ, कह पुण गिझंति?, संडासयं पमज्जित्ता णिविट्ठो गिण्हति'त्ति, एतदेवाह-'निषद्य' 'उपविश्य डगलगग्रहणं करोति, आपतनं' तेषामेव ભૂમી, “વર્બ સાઇ' પ્રહ તેવામેતિ થાર્થ | રૂ૫૮ (હવે રસ્તામાં કેવી રીતે ચાલે એ કહે છે...) સ્પંડિલભૂમિએ જતાં રસ્તામાં સમશ્રેણિએ ન ચાલે = આગળ-પાછળ ચાલે, ચાલવામાં ઉતાવળ ન કરે, વિકથા ન કરે, ઈર્યાસમિતિનું પાલન કરતાં કરતાં ચાલે. ત્યાં પહોંચ્યા પછી પહેલાં અનાપાત-અસંલોક એ પ્રથમ ભાંગાવાળી અંડિલભૂમિમાં જાય. તે ન મળે તો પછી બીજી ભૂમિમાં જાય, ત્યાં (સ્થડિલભૂમિએ ગયા પછી) આ સામાચારી છે- “સ્પંડિલભૂમિની નજીક દિશાવલોકન કરે. શા માટે ? કોઈ આવતું નથી ને? અથવા કોઈ જોતું નથી ને? એ જોવા માટે. પછી ડગલ (= પથ્થર વગેરેના નાના ટુકડા) લે. પથ્થરને ઊભો રહીને લે તો સામાચારીનો ભંગ થાય, અને વિરાધના થાય. કારણ કે ઊભા ઊભા ડગલ નીચે જીવો છે કે નહિ? તે બરોબર જોઈ શકાય નહિ. ડગલ સંબદ્ધ=ભૂમિમાં ચોંટેલા અને અસંબદ્ધ=ભૂમિ ઉપર પડેલા એમ બે જાતના હોય. જો સંબદ્ધ ડગલ લે તો સામાચારીનો ભંગ થાય અને વિરાધના થાય. (કારણ કે ભૂમિ સાથે લાગેલાચોંટેલા ડગલ નીચે જીવોની વધારે સંભાવના રહે.) અસંબદ્ધ ડગલ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારના હોય. જે સારા હોય તે ઉત્કૃષ્ટ, ઈટાળા વગેરે મધ્યમ અને માટીનાં ઢેફાં વગેરે જઘન્ય ડગલ જાણવા. તેમાંથી સમભાગવાળા (સપાટ) અને લીસા ઉત્કૃષ્ટ ડગલ લે. પછી તેને ત્રણવાર જમીન સાથે (ધીરેથી) અફળાવે-ઠોકે. (જેથી તેમાં કોઈ બારીક જીવો હોય તો ઉતરી જાય.) જેને ઝાડો ઢીલો થતો હોય તે ત્રણ અને બીજા બે ડગલ લે. જેને મસા કે ભગંદર થયા હોય તે ડગલ ન લે. ડગલ કેવી રીતે લે? સંડાસા પૂંજી નીચે બેસીને લે. (જેથી બાજુમાં કે નીચે જીવો બરોબર જોઈ શકાય.)” આ જ વિગત મૂળગાથામાં ઉત્તરાર્ધમાં કહે છે- બેસીને ડગલ લે. તેને જમીન સાથે (ધીરેથી) અફળાવે. ઝાડો જેવો હોય તે પ્રમાણે ડગલ લે. (અર્થાત્ ઝાડો ઢીલો થતો હોય તો વધારે લે. કઠણ થતો હોય તો ઓછા લે.) [૩૯૮] વિચાર દ્વાર પૂર્ણ થયું. Page #207 -------------------------------------------------------------------------- ________________ १८२ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'व्रजन्ति प्रथमं त्वित्युक्तं तच्च स्थण्डिलम्, अतस्तदभिधित्सुराहअणावायमसंलोए, परस्सऽणुवघाइए । समे अज्झसिरे आवि, अचिरकालकयम्मि अ ॥ ३९९ ॥ विच्छिण्णे दूरमोगाढे, णासण्णे बिलवज्जिए । तसपाणबीअरहिए, उच्चाराईणि वोसिरे ॥ ४०० ॥ दो दारगाहाओ !! वृत्ति:- अनापातवत् प्राकृतशैल्या मतुब्लोपाद् अनापातं तत्र, एवमसंलोकवदसंलोकं 'तत्राना - पातेऽसंलोके च', 'परस्ये 'त्युभयत्र सम्बध्यते, तथा' अनुपघातिनि' आत्मोपघातादिरहिते, 'समे' इति वैषम्यवर्जिते, 'अशुषिरे वापि' अपोले चापि, 'अचिरकालकृते च' स्वल्पकालनिविष्ट इति गाथार्थः ॥ ३९९ ॥ ' विस्तीर्णे' महति, 'दूरावगाढे' गम्भीर, 'नासन्ने' नातिसमीपस्थे, आरामादेरिति गम्यते, ‘बिलवज्जिते' दर्यादिरहिते' 'त्रसप्राणिबीजरहिते' स्थावरजङ्गमजन्तुशून्ये, 'उच्चारादीन्' उच्चारप्रश्नवण श्लेष्मादीन् 'व्युत्सृजेत' परित्यजेदिति गाथार्थः ॥ ४०० ॥ પ્રથમભાંગાવાળી સ્થંડિલભૂમિએ જાય એમ કહ્યું, આથી સ્થંડિલભૂમિનું સ્વરૂપ કહે છે— १ जनापात असंलोड, २ अनुपधाती, उसम, ४ अशुषिर, प अथिरालङ्कृत, ६ विस्तीर्श, ૭દૂરાવગાઢ, ૮ અનાસત્ર, ૯ બિલવર્જિત અને ૧૦ત્રસ-પ્રાણ-બીજ રહિત સ્થંડિલભૂમિમાં લઘુનીતિ, વડીનીતિ, શ્લેષ્મ વગેરેનું વિસર્જન કરે. (૧) આપાત એટલે આવવું. સંલોક એટલે જોવું. જેમાં બીજાઓ આવતા ન હોય અને જોતા ન હોય તેવી ભૂમિ અનાપાત-અસંલોક છે. (૨) અનુપધાતી એટલે માર-પીટ આદિ ઉપઘાતથી રહિત. (૩) સમ એટલે ખાડા-ટેકરા વગેરે વિષમતાથી રહિત. (૪) અશુષિર એટલે પોલાણ વિનાની. (૫) અચિરકાલકૃત એટલે નજીકના समयमां शुद्ध (वित्त) रेली. (९) विस्तीर्ण भेटले मोटी-पहोगी. (७) दूरावगाढ खेटले हरना ભાગમાં ઉંડે સુધી અચિત્ત થયેલી. (૮) અનાસન્ન એટલે લોકોપયોગી બગીચા વગેરેથી દૂર હોય તેવી. (९) जिसवति खेटले ६२ वगेरेथी रहित. ( 10 ) त्रस प्राश-जी०४ रहित खेटले त्रस - स्थावर कवोथी रहित. (जा हश द्वारो छे. हरे द्वारनुं ग्रंथकार विस्तारथी वर्शन ४२शे.) [३८८-४००] एक्कं दुतिचउपंचच्छक्कसत्तट्ठनवगदसहिं I संजोगा कायव्वा, भंगसहस्सं चउव्वीसं ॥ ४०१ ॥ वृत्ति: - इह खलु 'एकद्वित्रिचतुःपञ्चषट्सप्ताष्टनवदशभिर'नन्तरोपन्यस्तैर्भेदैः 'संयोगाः कर्त्तव्या:', तत्र च 'भङ्गसहस्त्रं चतुर्विंशत्युत्तरं भवतीति गाथार्थः ॥ ४०१ ॥ (આ દશ પદના એક વગેરે સંયોગથી થતા ભાંગા કહે છે—) उपर्युक्त हश होनो १-२-३-४-५-६-७-८-८-१० साथै संयोग १२वो. जे संयोगधी डुल એક હજાર ને ચોવીસ ભાંગા થાય. [૪૦૧] Page #208 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] एतच्चैवं द्रष्टव्यमित्याह दुगसंजोगे चउरो, तिगऽट्ठ सेसेसु दुगुणदुगुणा उ । भंगाणं परिसंखा, दसहिं सहस्सं चउव्वीसं ॥ ४०२ ॥ वृत्ति:- 'द्विकसंयोगे चत्वारो' भङ्गा भवन्ति, द्वाभ्यां चतुर्भङ्गिकानिष्पत्तेः, ते चैवंअणावातम-संलोअं ४, 'त्रिष्वष्टौ' भवन्ति, त्रिभ्योऽष्टभङ्गिकानिष्पत्तेः, 'शेषेषु' चतुष्प्रभृतिषु 'द्विगुणद्विगुणे' ति द्विगुणद्विगुणा वृद्धिर्भवति, चतुर्भ्यः षोडशभङ्गिकानिष्पत्तेः इत्यादि, एवमेकैकवृद्ध्या 'भङ्गानां परिसङ्ख्या दशभिः ' वस्तुभि 'र्भङ्गसहस्त्रं चतुर्विंशत्युत्तर 'मिति गाथार्थः ॥ ४०२ ॥ તે ભાંગા આ રીતે થાય છે— દ્વિક સંયોગી ૪, ત્રિક સંયોગી ૮, ચતુઃસંયોગી ૧૬, એમ ઉત્તરોત્તર બમણા કરતાં દશ સંયોગી ૧૦૨૪ ભાંગા થાય. [૪૦૨] भङ्गपरिसङ्ख्यापरिज्ञानोपायान्तरमाह [ १८३ अहवा - उभयमुहं रासिदुगं, हिद्विल्लाणंतरेण भय पढमं । लद्धऽहरासिविहत्तं, तस्सुवरिगुणं तु संजोगा ॥ ४०३ ॥ वृत्ति:- 'उभयमुख' मिति स्थापनया दर्शयिष्यामः, 'राशिद्वयम्' एकादिस्थापनासम्पातद्वयं, तत्र 'चाधस्तनानन्तरेण भजेत् प्रथमम्' - उपरितनं, ' लब्धाधोराशिविभक्तेन' अधोराशिना विभक्ते सत्युपरितनराशौ यल्लब्धं तेन 'तस्योपरि' यत् तद् 'गुणितं तत्संयोगा' इति गाथाक्षरार्थः । भावार्थस्तु दर्श्यते, तत्रेयं स्थापना १ १० ४५ १२० २१० २५२ २१० १२० ४५ १० १ २ ३ ४ ५ ६ ७ ८ ९ १० १० ९ ८ ७ ६ ५ ४ ३ २ १ इह चाधस्त्यपर्यन्ते एककः, तस्यानन्तरो द्विक:, तेनोपरितनो दशको भज्यते, तत्र च पञ्च लभ्यन्ते, यतो द्विधा विभक्ताः (दश) पञ्चैव भवन्ति, तेन च पञ्चकेन तस्योपरि यो नवकः स गुण्यते स च पञ्चकेन गुणितः पञ्चचत्वारिंशद् भवन्ति, पुनश्चाधस्त्यानन्तरस्त्रिकः तेन पञ्चचत्वारिंशद्विभज्यन्ते, तत्र पञ्चदश लभ्यन्ते, यतः पञ्चचत्वारिंशत् त्रिधा विभक्ताः पञ्चदशैव भवन्ति, तेन पञ्चदशकेन तस्योपरि योऽष्टकः स गुण्यते, स च तेन गुणिते विंशत्युत्तरं शतं भवति, पुनश्चाधस्त्यानन्तरश्चतुष्कः, तेन विंशत्युत्तरं शतं विभज्यते, तत्र त्रिशल्लभ्यते, यतो विंशत्युत्तरं शतं चतुर्भिर्विभक्तं त्रिंशदेव भवति, तैस्त्रिंशद्भिस्तेभ्य उपरि यः सप्तकः स गुण्यते, स च तैर्गुणित: द्वे शते दशोत्तरे भवतः, पुनश्चाधस्त्यानन्तरः पञ्चकस्तेन दशोत्तरे द्वे शते विभज्येते, तत्र च Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते द्विचत्वारिंशल्लभ्यन्ते, यतो दशोत्तरे द्वे शते पञ्चधा विभक्ते द्विचत्वारिंशदेव भवन्ति, तैश्च तस्योपरि यः षट्कः स गुण्यते, स च तैर्गुणितः द्विपञ्चाशदुत्तरे द्वे शते भवतः, इत्येवं सर्वत्र भावना कार्येति થાર્થઃ || ૪૦રૂ છે. ભાંગાની સંખ્યા જાણવાનો બીજો ઉપાય કહે છે– જેટલા અંકના સંયોગી ભાંગા કાઢવા હોય તેટલા અંકની ક્રમશઃ સંખ્યા ઉભયમુખ' લખવી, એટલે કે ઉપર ડાબીથી જમણી તરફ અને નીચે જમણીથી ડાબી તરફ લખવી. તે આ પ્રમાણેભાંગાની કુલ સંખ્યા- ૧૧૦ ૪૫૧૨૦૨૧૦૨ ૫૨૨૧૦૧૨૦૪૫૧૦ = ૧૦૨૪ મૂળ સંખ્યાસંયોગની સંખ્યા- |૧૦| | | | ૬ | ૫ ૪ ૩ ૨ ૧ પછી નીચેની છેલ્લી સંખ્યાની બાજાની સંખ્યાથી ઉપરની (છેલ્લી સંખ્યાની ઉપરની) સંખ્યાને ભાગવી. તેનો જે જવાબ આવે તે જવાબની સંખ્યાથી તેની જ (જે સંખ્યાથી ભાગાકાર કર્યો હતો તેની જ) ઉપરની સંખ્યાને ગુણવી. ગુણતાં જે જવાબ આવે તેટલા ભાંગા થાય. જેમકે-(૨) નીચેની છેલ્લી સંખ્યા ૧ (એક) છે. તેની બાજુની સંખ્યા બે છે. ઉપરની સંખ્યા દશ છે. બેથી દશને ભાગતાં પાંચ થાય. તે પાંચથી તેની (= બેની) ઉપરની નવ સંખ્યાને ગુણતાં ૪પ થાય. આટલા દ્વિક સંયોગી ભાંગા થયાં. ત્રિક સંયોગી વગેરે ભાંગા નીચે પ્રમાણે છે- (૩) ફરી નીચેની ત્યારપછીની ત્રણ સંખ્યાથી ઉપરની ૪૫ સંખ્યાને ભાગતાં ૧૫ થાય. ૧પથી તેની (= ત્રણની) ઉપરની ૮ સંખ્યાને ગુણતાં ૧૨૦ થાય. (૪) ફરી નીચેની ત્યારપછીની ૪ સંખ્યાથી ઉપરની ૧૨૦ સંખ્યાને ભાગતાં ૩0 થાય. ૩૦થી તેની (ચારની) ઉપરની ૭ સંખ્યાને ગુણતાં ૨૧૦ થાય. (૫) ફરી નીચેની ત્યારપછીની ૫ સંખ્યાથી ઉપરની ૨૧૦ સંખ્યાને ભાગતાં ૪૨ થાય. ૪રથી તેની (= પાંચની) ઉપરની ૬ સંખ્યાને ગુણતાં ૨પર થાય. (ક) ૬ની સંખ્યાથી ર૫ર સંખ્યાને ભાગીને તેનાથી પને ગુણતાં ૨૧૦ થાય. (૭) ૭ની સંખ્યાથી ૨૧૦ સંખ્યાને ભાગીને તેનાથી ૪ને ગુણતાં ૧૨૦ થાય. (૮) ૮ની સંખ્યાથી ૧૨૦ સંખ્યાને ભાગીને તેનાથી ૩ને ગુણતાં ૪૫ થાય. (૯) ૯ની સંખ્યાથી ૪૫ સંખ્યાને ભાગીને તેનાથી રને ગુણતાં ૧૦ થાય. (૧૦) ૧૦ની સંખ્યાથી ૧૦ સંખ્યાને ભાગીને તેનાથી ૧ને ગુણતાં ૧ થાય. આમ ૧ થી ૧૦ સંખ્યાના એકસંયોગી વગેરે કુલ ભાંગા ૧૦૨૪ થાય. [૪૦૩] एककद्व्यादिसंयोगपरिमाणमाह दस पणयाल विसुत्तर, सयं च दो सय दसुत्तरं दो अ । बावण्ण दो दसुत्तर, विसुत्तरं पंचचत्ता य ॥ ४०४ ॥ Page #210 -------------------------------------------------------------------------- ________________ [१८५ - पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] वृत्तिः- अधिकृतगाथायां दर्शिता अपि तत्त्वतः कियन्तो भवन्तीत्याह-एकैकसंयोगाः दश द्विकसंयोगाः पञ्चचत्वारिंशदित्येवमादि भावितार्थमेवेति गाथार्थः ॥ ४०४ ॥ दस एगो अ कमेणं, भंगा एगाइचारणाए उ । सुद्धेण समं मिलिआ, भंगसहस्सं चउव्वीसं ॥ ४०५ ॥ वृत्तिः- भाविताथैव ॥ ४०५ ॥ એકસંયોગી, બ્રિકસંયોગી વગેરે ભાંગાઓનું પરિમાણ કહે છે એકસંયોગી ૧૦, દ્વિકસંયોગી ૪૫, ત્રિકસંયોગી ૧૨૦, ચતુઃસંયોગી ૨૧૦, પંચસંયોગી ૨૫૨, છસંયોગી ર૧૦, સપ્તસંયોગી ૧૨૦, આઠસંયોગી ૪૫, નવસંયોગી ૧૦ અને દશસંયોગી ૧, એમ કુલ ૧૦૨૩ ભાંગા થાય. આ બધા ભાંગા અશુદ્ધ છે. તેમાં શુદ્ધ ભાંગો મેળવતાં ૧૦૨૪ मां थाय. [४०४-४०५] अहवा स्थण्डिलमूलभेदं व्याचिख्यासुराह अणावायमसंलोए, अणावाए चेव होइ संलोए । आवायमसंलोए, आवाए चेव संलोए ॥ ४०६ ॥ वृत्तिः- तत्र अनापातवदसंलोकवच्चेति चतुर्भङ्गिका कण्ठ्या ॥ ४०६ ।। હવે સ્પંડિલભૂમિના પહેલા ભેદનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે पडेटा मेहनअनापत-संतो, मनापात-संतोड, मापात-असंतो ने मापातसंदो मेम या२ मin थाय. [४०६] तत्थावायं दुविहं, सपक्खपरपक्खओ अ नायव्वं । दुविहं होइ सपक्खे, संजय तह संजईणं च ॥ ४०७ ॥ वृत्तिः- 'तत्रापातवद् द्विविधं-स्वपक्षतः परपक्षतश्च ज्ञातव्यं', स्वपक्षापातवत् परपक्षापात-वच्चेत्यर्थः, 'द्विविधं भवति स्वपक्ष' इति स्वपक्षविषयं, 'संयत'स्वपक्षापातवत् 'तथा संयती'-स्वपक्षापातवच्चेति गाथार्थः ॥ ४०७ ॥ संविग्गमसंविग्गा, संविग्ग मणुण्णएअरा चेव । असंविग्गावि य दुविहा, तप्पक्खिअ एअरा चेव ॥ ४०८ ॥दारं ।। वृत्तिः- ते च संयतादयो द्विप्रकारा:-'संविग्ना असंविग्नाश्च', संविग्ना-उद्यतविहारिणः असंविग्ना:-शीतलाः, 'संविग्ना' अपि द्विप्रकारा:-'मनोज्ञा इतरेचैव', मनोज्ञा-एकसामाचारीस्थिता ૧, અહીં અનાપાત-અસંતોક સ્થિડિલભૂમિનું વિશેષણ છે. એટલે અનાપાત એટલે અનાપાતવતી (અનાપાતવાળી) અને અસંલોક એટલે અસંલોકવતી (અસંલોકવાળી) એવો અર્થ સમજવો. પહેલા ભાગમાં આગળ બીજા સ્થળે પણ આ પ્રમાણે સમજી લેવું. Page #211 -------------------------------------------------------------------------- ________________ १८६ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते इति, इतरे तु-अमनोज्ञाः भिन्नसामाचारीस्थिता इति, 'असंविग्ना अपि च द्विविधाः-तत्पाक्षिका' इति' संविग्नपाक्षिकाः 'इतरे चैव' असंविग्नपाक्षिका इति च, ततश्चैतदापातवत् स्थण्डिलमपि तद्व्यपदेशवदवगन्तव्यं, यथा संविग्नस्वपक्षापातवदित्यादीति गाथार्थः ॥ ४०८ ॥ આપાતના સ્વપક્ષપાત અને પરપક્ષઆપાત એમ બે ભેદ છે. સ્વપક્ષઆપાતના સાધુ રૂપ સ્વપક્ષ અને સાધ્વીરૂપ સ્વપક્ષ એમ બે ભેદો છે. સાધુના સંવિગ્ન અને અસંવિગ્ન એમ બે ભેદ છે. ઉદ્યાવિહારી એટલે કે ચારિત્ર પાળવામાં ઉદ્યત સાધુઓ સંવિગ્ન છે. શીતલ એટલે કે ચારિત્ર પાળવામાં શિથિલ સાધુઓ અસંવિગ્ન છે. સંવિગ્ન સાધુના પણ મનોજ્ઞ અને અમનોજ્ઞ એમ બે ભેદો છે. એક સામાચારીવાળા સાધુઓ મનોજ્ઞ છે. ભિન્ન સામાચારીવાળા સાધુઓ અમનોજ્ઞ છે. અસંવિગ્નના પણ સંવિગ્નપાક્ષિક અને અસંવિગ્નપાક્ષિક એમ બે ભેદો છે. આવા સાધુઓ જ્યાં આવતા હોય તે સ્થડિલભૂમિનો પણ “તેમનાવાળી અંડિલભૂમિ” એવો વ્યવહાર થાય. જેમકેસંવિગ્ન-સાધુઓ જે અંડિલભૂમિમાં આવતા હોય તે સ્થડિલભૂમિ પણ “સંવિગ્ન સ્વપક્ષ मापातवाणी' उपाय. [४०७-४०८] उक्तं स्वपक्षापातवत्, परपक्षमधिकृत्याह परपक्खेऽवि अ दुविहं, माणुसतेरिच्छियं च नायव्वं । एकिक्वंपि अ तिविहं, इत्थी पुरिसं नपुंसं च ॥ ४०९ ॥ वृत्तिः- 'परपक्षेऽपि च' परपक्षविषयमपि च 'द्विविधं-मानुषं तैरश्चं च ज्ञातव्यं', मानुषापातवत्तिर्यगापातवच्च, 'एकैकमपि च त्रिविधमे'तयोः, कथमित्याह-'स्त्री पुरुष नपुंसकं चे'ति, उपलक्षणत्वात् स्त्र्यापातवत्पुरुषापातवन्नपुंसकापातवच्चेति गाथार्थः ॥ ४०९ ॥ पुरिसावायं तिविहं, दंडिअ कोडुबिए अ पागइए । ते सोअऽसोअवाई, एमेव णपुंसइत्थीसुं ॥ ४१० ॥ वृत्तिः- 'पुरुषापातवत् त्रिविधं-दण्डिकापातवत् कुडुम्बिकापातवत् प्राकृतापातवच्च, ते' च दण्डिकादयः 'शौचाशौचवादिनो' भवन्ति, एवमेव स्त्रीनपुंसकयोरपि शौचाशौचवादित्वं योज्यम्, एतद्व्यपदेशाच्च स्थण्डिलस्य तथा व्यपदेश इति गाथार्थः ॥ ४१० ॥ एए चेव विभागा, परतित्थीणंपि हुंति मणुआणं । तिरिआणपि विभागं, अओ परं कित्तइस्सामि ॥ ४११ ॥ वृत्तिः- 'एत एव'-अनन्तरोदिताः शौचवाद्यादयो 'विभागा'-भेदाः 'परतीथिकानामपि भवन्ति मनुजानां' कापिलादीनां, 'तिरश्चामपि विभागं' स्थण्डिलप्रतिबद्धमेव 'अतः परं कीर्तयिष्यामि' इति गाथार्थः ॥ ४११ ।। Page #212 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१८७ સ્વપક્ષ આપાતને આશ્રયીને કહ્યું, હવે પરપક્ષ આપાતને આશ્રયીને કહે છે પરપક્ષ આપાતના પણ મનુષ્ય આપાત અને તિર્યંચઆપાત એમ બે ભેદો છે. એ બંને આપાતના સ્ત્રી, પુરુષ અને નપુંસક એમ ત્રણ ભેદ છે. પુરુષ આપાતના દંડિક, કૌટુંબિક અને પ્રાકૃત (સાધારણ) એમ ત્રણ ભેદો છે. ઇંડિક વગેરે ત્રણ ભેદોમાં પ્રત્યેક ભેદના શૌચવાદી અને અશૌચવાદી એમ બે ભેદો છે. એ રીતે સ્ત્રી અને નપુંસકના પણ શૌચવાદી અને અશૌચવાદી એમ બે ભેદો છે. તે તે જીવોના આપાતના = આગમનના ઉપચારથી સ્પંડિલભૂમિનો પણ તે તે રીતે વ્યવહાર થાય. (જેમ કે નપુંસકો આવતા હોય તો અંડિલભૂમિ પણ નપુંસકાપાતવાળી કહેવાય.) આ જ શૌચવાદી વગેરે ભેદો કપિલ વગેરે પરતીર્થિક મનુષ્યોમાં પણ થાય છે. હવે પછી (૪૧૨મી ગાથાથી). અંડિલભૂમિને લગતા જ તિર્યંચોના પણ ભેદો કહીશ. [૪૦૯-૪૧૦-૪૧૧] दित्ताऽदित्ता तिरिआ, जहण्णमुक्कोस मज्झिमो चेव । एमेवित्थिनपुंसा, दुगुंछिअदुगुंछिआ नवरं ॥ ४१२ ॥ वृत्तिः- 'दृप्तादृप्तास्तिर्यञ्चः' दृप्ता-दपिता अदृप्तास्तु-इतरे इति, दुष्टेतर इत्यन्ये, एते च 'जघन्या उत्कृष्टा मध्यमाश्चैव', जघन्या एडकशूकरादयः उत्कृष्टा-हस्तिवृषभादयः मध्यमाश्चउष्ट्रादयः, 'एवमेव स्त्रीनपुसंके' तिर्यक्सम्बन्धिनी वेदितव्ये, 'जुगुप्सिताजुगुप्सिते नवरं', तत्र जुगुप्सिते-एलकखरादिरूपे अजुगुप्सिते-गवादिरूप इति गाथार्थः ॥ ४१२ ।। તિર્યંચના દેખ અને અદમ એમ બે ભેદો છે. દH એટલે લડવાના કે મારવાના સ્વભાવવાળા. અદમ એટલે શાંત. બીજા કોઈ કહે છે કે દમ એટલે ખરાબ, અને અદમ એટલે સારા. એ બંનેના પ્રત્યેકના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદો છે. ઘેટાં-બકરાં-ભૂંડો વગેરે જઘન્ય છે. હાથીબળદ વગેરે ઉત્કૃષ્ટ છે. ઊંટ વગેરે મધ્યમ છે. એ રીતે તિર્યંચના સ્ત્રી અને નપુંસક એ બે ભેદો પણ જાણવા. તે બંનેના પ્રત્યેકના જાગુપ્સિત અને અાગુણિત એમ બે ભેદો છે. ઘેટી-ગધેડી વગેરે જાગુપ્સિત છે, ગાય વગેરે અજુગુણિત છે. [૪૧૨] इत्थं स्थण्डिलमभिधाय गमनविधिमाह गमण मणुन्ने इअरे, वितहायरणंमि होइ अहिगरणं । पउरदवकरण दर्दू, कुसीलसेहाइगमणं तु ॥ ४१३ ॥ दारं ॥ वृत्ति:- 'गमनं मनोज्ञ' इति सपक्षसंयतसंविग्नमनोज्ञापातवतीति भावः, 'इतरस्मिन्निति'अमनोज्ञापातवति, सामाचारीविपर्यासदर्शनेन, 'वितथाचरणमिति शिक्षकाणां मिथो 'भवति अधिकरणम्', इदं तावत् संविग्नापातवति, असंविग्नापेक्षया तु दोषमाह-'प्रचुरद्रवकरणं दृष्ट्वा ૧. દંડિક એટલે કોટવાલ વગેરે રાજપુરુષો. ૨. કૌટુંબિક એટલે ધન આદિથી મોટા ગણાતા મોટા કુટુંબવાળા માણસો. ૩. વારંવાર હાથ-પગ ધુવે, વારંવાર સ્નાન કરે, મલશુદ્ધિ કરવામાં બિનજરૂરી અતિશય પાણી વગેરેનો ઉપયોગ કરે તેવા મનુષ્યો શૌચવાદી છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते कुशीलेषु'-असंविग्नेषु शिक्षकादिगमनं तु' शौचवादिशिक्षकपरीषहपराजितानामेतेऽपि प्रव्रजिता एवेति वरमेत इत्यनुकूलतया गमनमिति गाथार्थः ॥ ४१३ ॥ આ પ્રમાણે અંડિલભૂમિ કહી. હવે (કઈ ભૂમિમાં જવું કઈ ભૂમિમાં ન જવું એમ) જવાનો વિધિ કહે છે– જે અંડિલભૂમિમાં સ્વપક્ષના સંવિગ્ન અને મનોજ્ઞ સાધુઓ આવતા હોય તેમાં જવું, બીજી ભૂમિમાં ન જવું. અમનોજ્ઞ સંવિગ્નના આપાતવાળી ભૂમિમાં જવાથી વિપરીત=ભિન્ન સામાચારી જોઈને નૂતન દીક્ષિત સાધુઓ પરસ્પર એક-બીજાને “તમે ખોટું આચરણ કરો છો” ઈત્યાદિ કહે, તેથી પરસ્પર ઝગડો થાય. અસંવિગ્નના આપાતવાળી ભૂમિમાં જવાથી પરિષહોથી ખિન્ન થયેલા શૌચવાદી, નવદીક્ષિત વગેરે સાધુઓ અસંવિગ્નોને ઘણા પાણીથી શૌચ=શુદ્ધિ કરતા જોઈને વિચારે કે આ પણ દીક્ષિત જ છે. તો આ સારા છે. આમ વિચારીને અસંવિગ્નોની પાસે અનુકૂળતા મળતી હોવાથી તેમની પાસે ચાલ્યા જાય. [૪૧૩] संयत्यापातवति तु न गन्तव्यमेव, परपक्षपुरुषापातवति दोषमाह जत्थऽम्हे वच्चामो, जत्थ य आयरइ नाइवग्गो णो । परिभव कामेमाणा, संकेअगदिन्नगा वावि ॥ ४१४ ॥ वृत्तिः- 'यत्र वयं गच्छामः' पुरीषोत्सर्गाय 'यत्र चाचरति' पुरीषोत्सर्गार्थं ज्ञातिवर्गो नः' स्वजन-वर्गोऽस्माकं एतेऽपि तत्र गच्छन्तीति 'परिभवन्तः' सन्तः तथा 'कामयमानाः' काञ्चित् स्त्रियं 'दत्तसङ्केतका वापि' गच्छन्तीत्यगारिणामध्यवसायो भवतीति गाथार्थः ॥ ४१४ ।। તથા दवअप्पकलुसअसई, अवण्ण पडिसेह विप्परीणामो । સંવમાફ (૩) કોલા, પંડિત્થીનું નવે ર | ૪૨૬ છે. वृत्तिः- 'द्रवे अल्पे' तथा कलुषे असति' वा अवर्ण'इत्यश्लाघा, 'प्रतिषेधः' तद्र्व्यान्यद्रव्ययोः, 'विपरीणामो' विमुखानां, पुरुषापातवद्दोषः, स्त्र्याधापातवद्दोषमाह-'शङ्कादयस्तु दोषाः स्त्रीनपुंसकयोरि'ति, तदापातवतीत्यर्थः, भवेद्यच्च' ताभ्यां सकाशाद् ग्रहणादीति गाथार्थः ।। ४१५ ।। જ્યાં સાધ્વીઓ આવતી હોય ત્યાં તો ન જ જવું. પરપક્ષપુરુષના આપાતવાળી સ્પંડિલભૂમિમાં દોષ કહે છે જે અંડિલભૂમિમાં પરપક્ષના પુરુષો આવતા હોય ત્યાં જવાથી ગૃહસ્થો માને કે જ્યાં અમે મલવિસર્જન માટે જઈએ છીએ અને અમારો સ્વજનવર્ગ (= સ્વજનનો સ્ત્રીવર્ગ) મલવિસર્જન માટે જાય છે ત્યાં આ સાધુઓ પણ જાય છે, આથી તેઓ અમારું અપમાન કરે છે, તથા કોઈ સ્ત્રીને ઈચ્છતા હશે, અથવા કોઈ સ્ત્રી સાથે સંકેત કર્યો હશે, જેથી સ્ત્રીના આપાતવાળી ભૂમિમાં જાય છે, એવી શંકા તેમને થાય. [૪૧૪] તથા (કોઈવાર) પાણી ઓછું હોય, ડહોળું હોય કે (કારણસર) સર્વથા પાણી ન હોય તો શાસનની નિંદા થાય. જોનારા “આ સાધુઓ ગંદા છે” એમ વિચારીને Page #214 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૮૨ પોતાના ઘરની ભિક્ષાનો નિષેધ કરે, અથવા જોનાર કોઈ સત્તાધારી પુરુષ હોય તો બીજાઓના ઘરની ભિક્ષાનો પણ નિષેધ કરાવે. ધર્માભિમુખ બનેલા કોઈના ધર્મના પરિણામનો નાશ થાય. પુરુષની આપાતવાળી ભૂમિમાં આ દોષો થાય. હવે સ્ત્રી-નપુંસકના આપાતવાળી ભૂમિમાં દોષ કહે છે. સ્ત્રી-નપુંસકના આપાતવાળી ભૂમિમાં જવાથી (મૈથુનસંબંધી) શંકા વગેરે દોષો થાય. (સાધુ ઉપર શંકા થાય કે આ સાધુ મૈથુન માટે કોઈને ભરમાવે છે અથવા સ્ત્રી-નપુંસક ઉપર શંકા થાય કે આ મૈથુન માટે સાધુને ઈચ્છે છે, અથવા બંને ઉપર શંકા થાય કે આ બંને પરસ્પર મૈથુન માટે અહીં આવ્યા છે.) તથા સાધુ સ્ત્રી કે નપુંસક સાથે મૈથુન સેવે અને કોઈ ગૃહસ્થ જુએ તો સાધુને પકડે, એથી શાસનની ઘણી હલના થાય. સાધુ પણ પોતાની હીલના થવાથી દીક્ષાત્યાગ કે આપઘાત વગેરે કરે. [૪૧૫] उक्तः पुरुषापातवति दोषः, तिर्यगापातवत्याह आहणणाई दित्ते, गरहिअतिरिएसु संकमाईआ । एमेव य संलोए, तिरिए वज्जित्तु मणुआणं ॥ ४१६ ॥ વૃત્તિ - “મદિનના દસ રૂતિ fપતિર્થપતિવતીતિ માવા, “ર્જિતતિક્ષ' તિएडिकाद्यापातवति 'शङ्कादयो' दोषाः । संलोकवद्दोषानाह-'एवमेव च संलोक' इति तद्वत्येव स्थण्डिल इत्यर्थः, 'तिरश्चो वर्जयित्वा मनुष्याणामिति मनुष्यालोकवतीति गाथार्थः ॥ ४१६ ॥ પુરુષના (? મનુષ્યના) આપાતવાળી ચંડિલ ભૂમિમાં દોષો કહ્યા. હવે તિર્યંચના આપાતવાળી ભૂમિમાં દોષો કહે છે દમ તિર્યંચ આપાતવાળી ભૂમિમાં પશુ શિંગડાથી મારે, મારના કારણે મૂર્છા આવી જાય, યાવત્ મૃત્યુ પણ થાય. ઘેટી વગેરે જાગુપ્સિત તિર્યંચના આપાતવાળી ભૂમિમાં જવાથી બીજાને મૈથુન સંબંધી શંકા થાય, વગેરે દોષો લાગે. જે પ્રમાણે આપાતમાં દોષો કહ્યા, તે જ પ્રમાણે સંલોકમાં પણ તિર્યંચ સિવાય મનુષ્યો વિષે દોષો જાણવા. ભાવાર્થ- તિર્યંચો જાએ તો પૂર્વોક્ત તિર્યંચના આપાતના દોષોમાંથી કોઈ દોષ થતો નથી. મનુષ્યોમાં સ્ત્રી, પુરુષ અને નપુંસકના આપાતમાં પૂર્વે જે દોષો જણાવ્યા તે જ દોષો તેમના સંલોકમાં પણ જાણવા, અર્થાત્ જે સ્થડિલભૂમિમાં સ્ત્રીઓ પુરુષો કે નપુંસકો આવતા હોય તે અંડિલભૂમિમાં જવાથી થતા જે દોષો પૂર્વે જણાવ્યા, તે જ દોષો જે સ્થડિલભૂમિમાં સ્ત્રીઓ, પુરુષો કે નપુંસકો જોઈ શકતા હોય તે સ્થડિલભૂમિમાં જવાથી પણ લાગે. [૪૧૬] एतदेव व्याचष्टे कलुसदवे असई अ व, पुरिसालोए हवंति दोसा उ । पंडित्थीसुऽवि एए, खुद्धे वेउव्वि मुच्छा य ॥ ४१७ ॥ Page #215 -------------------------------------------------------------------------- ________________ १९० ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्ति:- 'कलुषद्रवे' सति 'असति वा' द्रवे 'पुरुषालोक' इति तदालोकवत् स्थण्डिलं परिगृह्यते, 'भवन्ति दोषाः ' पूर्वोक्ता इति, 'स्त्रीनपुंसकयोरप्या 'लोकव' त्येत' एव दोषा इति, 'महति वैक्रिये' इन्द्रिये 'मूर्च्छा च' भवत्यभिलाषातिरेकादिति गाथार्थः ॥ ४१७ ॥ આ જ વિષયને કહે છે પાણી ડહોળું હોય અથવા ન હોય તો પુરુષના સંલોકવાળી સ્થંડિલભૂમિમાં પૂર્વોક્ત (૪૧૪ વગેરે ગાથામાં જણાવેલ) શાસનની નિંદા વગેરે દોષો થાય. સ્ત્રી-નપુંસકના સંલોકવાળી ભૂમિમાં પણ એ જ દોષો લાગે. તથા વાતાદિના કારણે વિકાર પામેલા મોટા પુરુષચિહ્નને જોઈને સ્ત્રી કે નપુંસકને મૈથુનની ઉત્કટ ઈચ્છા થાય, એથી સાધુને ઉપદ્રવ કરે. [૪૧૭] प्रागुपन्यस्तचतुर्भङ्गिकागुणदोषमाह आवायदोस तइए, बिइए संलोअओ भवे दोसा । ते दोऽवि नत्थि पढमे, तहिं गमणं भणिअविहिणा उ । ४१८ ॥ वृत्ति:- ‘आपातदोषास्तृतीये' भङ्ग इति सूत्रक्रमप्रामाण्याद्, 'द्वितीये' भङ्गके 'संलोकतो भवेयुर्दोषाः, तौ द्वावपि न स्तः प्रथमे' भङ्गेऽत 'स्तत्र गमनं', कथमित्याह - ' भणितविधिनै' वेति गाथार्थः ॥ ४१८ ॥ પૂર્વે (ગાથા ૪૦૬માં) કહેલા ચાર ભાંગાના ગુણ-દોષો કહે છે— ત્રીજા ભાંગામાં (આપાતવાળી સ્થંડિલભૂમિમાં) આપાત સંબંધી દોષો થાય. બીજા ભાંગામાં (સંલોકવાળી ભૂમિમાં) સંલોક સંબંધી દોષો થાય. પહેલા ભાંગામાં તે બંને દોષો ન થાય. આથી ઉક્તવિધિથી અનાપાત-અસંલોકવાળી સ્થંડિલભૂમિમાં જાય. પ્રશ્ન- અહીં પહેલાં પ્રથમ ભાંગાનું, પછી બીજા ભાંગાનું એમ ક્રમશઃ વર્ણન કેમ ન કર્યું ? ઉત્તર- (ઓધનિર્યુક્તિ વગેરે) સૂત્રમાં જે ક્રમથી જણાવ્યું છે તે ક્રમથી અમે પણ અહીં જણાવ્યું होवाथी उमश: वर्शन नथी. [ ४१८] उक्तमनापातसंलोकवद्, अधुनोपघातवदाह आयापवयणसंजम, तिविहं उवघाइअं मुणेअव्वं । आरामवच्चअगणी, पिट्टणमसुई अ अन्नत्थ ॥ ४१९ ॥ वृत्ति:- 'आत्मप्रवचनसंयममा' श्रित्य 'त्रिविधमुपघातवत् मन्तव्यं', आत्मोपघातवत्प्रवचनोपघातवत्संयमोपघातवच्च, 'तत्रारामे' आत्मोपघातवत्, तत्स्वामिनः सकाशात् 'पिट्टना 'ताडनेतिकृत्वा, 'वर्च्च' इति वर्चः स्थानं प्रवचनोपघातवद् 'अशुची 'तिकृत्वा जुगुप्सासम्भवाद् 'अग्नि'रित्यङ्गारादिदाहस्थानं संयमोपघातवद्, 'अन्यत्र' अन्यत्र करणे कायोपमर्दादिति गाथार्थः ॥ ४१९ ॥ Page #216 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१९१ अनायात-मसंखोs द्वार ह्यु, ४वे 64zाती' ॥२ ४ छ ઉપઘાતીના આત્મ, પ્રવચન અને સંયમ એમ ત્રણ ભેદ છે. ઉદ્યાન વગેરે આત્મોપઘાતી છે. કારણ કે ઉદ્યાન વગેરેમાં મળવિસર્જન કરવાથી તેનો માલિક (વગેરે કોઈ) સાધુને મારે તેથી આત્મોપઘાત (આત્માનો પોતાનો ઉપઘાત) થાય. વિષ્ઠાનો ઉકરડો પ્રવચનોપઘાતી છે. કારણ કે વિષ્ઠાનો ઉકરડો અશુચિરૂપ હોવાથી લોકમાં જાગુણિત છે. વિષ્ઠાના ઉકરડામાં મતવિસર્જન કરવાથી “આ સાધુઓ ગંદા છે.” એમ શાસનનો ઉપઘાત થાય. અગ્નિસ્થાન સંયમોપઘાતી છે. કારણ કે અગ્નિસ્થાનમાં મળવિસર્જન કરવાથી અગ્નિ સળગાવનારાઓ બીજી જીવાકુળ ભૂમિમાં અગ્નિ સળગાવે. આથી જીવોની હિંસા થવાથી સંયમનો ઉપઘાત થાય. [૧૯] उक्तमुपघातवत्, साम्प्रतं व्यतिरिक्तदोषोपदर्शनद्वारेणैव समाशुषिरे भणति विसम पलोट्टण आया, इअरस्स पलोट्टणंमि छक्काया । झुसिमि विच्चुगाई, उभयक्कमणे तसाईआ ॥ ४२० ॥ वृत्तिः- 'विषमप्रलुठने आत्मेति विषमस्थण्डिलोपविष्टप्रलुठने सत्यात्मा विराध्यते, 'इतरस्य' तु पुरीषादेः 'प्रलुठने' सति 'षट्काया' इति पृथिव्यादयो विराध्यन्ते, तस्मात्सम उपवेष्टव्यं, तथा 'शुषिरे' तृणाद्यवष्टब्धे 'वृश्चिकादय' इति, तेभ्य आत्मोपघातः, 'उभयाक्रमण' इति पुरीषकायिकाभ्यामाक्रमणे 'त्रसादयो' व्यापाद्यन्ते इति 'संयमोपघात इति गाथार्थः ॥ ४२० ।। ઉપઘાતી દ્વાર કહ્યું, હવે “સમ’ અને ‘અશુષિર” એ બે દ્વારોને બંનેના ભિન્ન ભિન્ન દોષો જણાવવાપૂર્વક छ વિષમ ધંડિલભૂમિમાં બેસવાથી સાધુ ગબડી જાય, એથી આત્મવિરાધના થાય, ઝાડો-પેશાબ રેલાવાથી છ કાયની વિરાધના થતાં સંયમવિરાધના થાય. આથી સમભૂમિમાં બેસવું જોઈએ. ઘાસ આદિથી ઢંકાયેલી પોલાણવાળી ભૂમિમાં મતવિસર્જન કરવાથી (નીચે રહેલો) વીંછી, સર્પ આદિ જીવોથી આત્મોપઘાત થાય. વિષ્ઠા-પેશાબના આક્રમણથી નીચે પોલાણમાં રહેલા) ત્ર-સ્થાવર જીવોનો નાશ થવાથી સંયમ વિરાધના થાય. [૪૨] अचिरकालकृतमाह जे जंमि उउम्मि कया, पयावणाईहिं थंडिला ते उ । होंति इअरंमि चिरकया, वासावुत्थे अ बारसगं ॥ ४२१ ॥ वृत्तिः- 'यानि यस्मिन् ऋतौ' हेमन्तादौ 'कृतानि प्रतापनादिभिः' कारणैः 'स्थण्डिलानि तानि भवन्ति' अचिरकालकृतानि, 'इतरस्मिन्' ग्रीष्मादौ ऋतौ चिरकालकृतानि', तन्नैवाचिर-कालकृतानीति भावः, वर्षोषिते' च ('व्युत्थे'त्ति व्युषिते च) ग्रामादौ द्वादशक' 'मिति वर्षद्वादशकं यावदचिरकालकृतानीति गाथार्थः ।। ४२१ ।। Page #217 -------------------------------------------------------------------------- ________________ [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'मथिरसत' द्वार छ જે અંડિલભૂમિઓ જે ઋતુમાં અગ્નિ આદિથી શુદ્ધ-નિર્જીવ કરી હોય તે અંડિલભૂમિઓ તે ઋતુમાં અચિરકાલકૃત છે. જેમકે-હેમંતઋતુમાં શુદ્ધ-નિર્જીવ કરી હોય તો હેમંતઋતુમાં જ અચિરકાલકૃત છે. બીજી ઋતુઓમાં તે સ્પંડિલભૂમિઓ ચિરકાલકૃત બની જાય, અર્થાત્ (સચિત્ત=) અસ્થડિલભૂમિઓ બની જાય. જે સ્થળે એક ચોમાસા સુધી = એક ચોમાસા પૂરતું, ગામ (વગેરે) વસ્યું હોય તે સ્થળ બાર વર્ષ સુધી અચિરકાલકૃત છે, પછી અચંડિલભૂમિ બની જાય. [૪ર૧] विस्तीर्णदूरावगाढे अभिधित्सुराह हत्थाययं समंता, जहन्नमुक्कोस जोअणबिछक्कं । दारं । चउरंगुलप्पमाणं, जहन्नयं दूरमोगाढं ॥ ४२२ ॥ वृत्तिः- 'हस्तायतं' हस्तविस्तीर्ण 'समन्तात्' सर्वतः आयामविष्कम्भाभ्यां 'जघन्यं' स्थण्डिलं, 'उत्कृष्टं योजनद्विषट्कमिति द्वादशयोजनं विस्तीर्णं चक्रवर्त्तिकटकनिवेशादौ, शेषं हि मध्यममिति गम्यते, 'चतुरगुलप्रमाणं जघन्यं दूरावगाढमिति, अत ऊर्ध्वमुत्कृष्टादिविभागः, अत्र च वृद्धसम्प्रदाय:-चउरंगुलोगाढे सण्णा वोसिरिज्जइ, ण काइया इति गाथार्थः ॥ ४२२ ॥ _ विस्ती' अने 'दूराव' मेद्वार ४ छ જે ભૂમિ ચારે દિશામાં એક હાથ સુધી શુદ્ધ-અચિત્ત હોય તે જઘન્ય અંડિલભૂમિ છે, બાર યોજન સુધી શુદ્ધ-અચિત્ત હોય તે ઉત્કૃષ્ટ સ્થડિલભૂમિ છે. જયારે ચક્રવર્તીનું સૈન્ય છાવણી નાખીને રહે ત્યારે ઉત્કૃષ્ટ સ્થડિલભૂમિ હોય. બાકીની (નાની-મોટી) મધ્યમ ચંડિલભૂમિ છે. નીચે ચાર આંગળ સુધી અચિત્ત હોય તે જઘન્ય દૂરાવગાઢ સ્પંડિલભૂમિ છે. આનાથી અધિક આંગળ સુધી અચિત્ત હોય તે ઉત્કૃષ્ટ વગેરે દૂરાવગાઢ સ્પંડિલભૂમિ છે. અહીં વૃદ્ધપરંપરા આ પ્રમાણે છે ચાર આંગળ અવગાઢ (નીચે ચાર આંગળ સુધી અચિત્ત) ભૂમિમાં ઝાડો કરે પણ પેશાબ 1 ४३." [४२२] अधुनाऽऽसण्णमाह दव्वासण्णं भवणाइयाण तहिअं तु संजमायाए । आयापवयणसंजमदोसा पुण भावआसण्णे ॥ ४२३ ॥ दारं ॥ वृत्ति:- आसन्नं द्विविधं-द्रव्यासन्नं भावासन्नं च, तत्र 'द्रव्यासन्नं भवनादीनाम्' आसन्नं, आदि-ग्रहणात् देवकुलादिग्रहः, 'तत्र तु' द्वौ दोषौ-'संयमविराधना आत्मविराधना' च, 'आत्मप्रवचन-संयमदोषाः पुनर्भावासन्न' इति आत्मोपघातादयो दोषा भावासन्न इति । अत्र वृद्धवादः-भावासनं नाम ताव अच्छइ जाव आगाढं जायं, ताहे धाइउं पवत्तो, अण्णेहिं धिज्जाइएहिं दिट्ठो, ताहे ते हसंति, पुरओ आगया वंदंति धम्मं च पुच्छंति, जदि धरेइ ताहे मरइ, अन्तरा वोसिरइ Page #218 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૧૩ ताहे उड्डाहो, चउत्थरसियं वा परिमियं नीयं, अहवा जा सा जतणा तं न करेइ, अंतरा अथंडिले वोसिरिज्जा, एस भावासण्णो, तओ दोसत्ति गाथार्थः ॥ ४२३ ।। હવે ‘આસન્ન' દ્વાર કહે છે : આસન્નના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. ઘર, દેવમંદિર આદિની નજીક મળવિસર્જન કરવું તે દ્રવ્યઆસન્ન છે. દ્રવ્યાસન્નથી સંયમવિરાધના અને આત્મવિરાધના થાય. ઘર-દેવમંદિર વગેરેની નજીક મળવિસર્જન કરવાથી ગૃહસ્થો મળને ત્યાંથી દૂર કરી નાખે અને તે સ્થાનને પાણીથી ધુવે એથી સંયમવિરાધના થાય, અને માર મારે વગેરેથી આત્મવિરાધના થાય. તીવ્ર હાજત થાય ત્યાં સુધી ઉપાશ્રયમાં બેસી રહે=āડિલ ન જાય તે ભાવથી આસન્ન છે. ભાવાસન્નથી આત્મવિરાધના, પ્રવચનવિરાધના અને સંયમવિરાધના થાય. તીવ્ર હાજત થયા પછી જાય તો હાજતને રોકી ન શકવાથી ચંડિલ ભૂમિ સુધી પહોંચી ન શકે, તેથી ઘર વગેરેની પાસે મળવિસર્જન કરે. તેથી શાસનની હીલના થતાં પ્રવચનની વિરાધના થાય, તથા પૂર્વે કહ્યું તેમ આત્મવિરાધના અને સંયમવિરાધના પણ થાય. હવે પરાણે હાજતને રોકે તો રોગ વગેરે થવાથી આત્મવિરાધના થાય. અહીં વૃદ્ધોનો અભિપ્રાય આ પ્રમાણે છે- “ભાવાસન્ન એટલે દૂર ન જઈ શકાય તેવી હાજત થાય ત્યાં સુધી બેસી રહે. પછી દોડવા માંડે. બ્રાહ્મણ વગેરે ગૃહસ્થો તેને દોડતો જતો જોઈને હસે, અને તેની પાસે આવીને વંદન કરીને ધર્મ પૂછે, આ વખતે સાધુ હાજત રોકે તો મરણ પામે (કે રોગનો ભોગ બને), અને વચ્ચે જ મલવિસર્જન કરે તો શાસનની હીલના થાય. અથવા (ઉતાવળના કારણે) છાશની આશવાળું પાણી બહુ ઓછું લે, અથવા (પાણી લાવવા સંબંધી) યતના ન કરે, અસ્પંડિલભૂમિમાં મળવિસર્જન કરે, ભાવાસન્નથી આવા (અનેક) દોષો લાગે.” [૪૨૩] बिलवज्जियमाह हुंति बिले दो दोसा, तसेसु बीएसु वावि ते चेव । संजोगओ अदोसा, मूलगमा होति सविसेसा ॥४२४ ॥दारं॥ वृत्तिः- 'भवतो बिल' इति बिलवति स्थण्डिले 'द्वौ दोषौ', सर्पोदेरात्मविराधना पिपीलिकादिव्यापत्तितः संयमविराधनेति, तथौघतः त्रसेषु'-कृम्यादिषु 'बीजेषु चापि'-शाल्यादिषु आकीर्णे स्थण्डिले 'त एव' दोषाः संयमविराधनादयः 'संयोगतश्च' अन्योऽन्यसंगस्तद्योगेन 'दोषा मूलगमात्' सकाशाद् भवन्ति सविशेषाः', तदन्यसंयोगिसत्कदोषसद्भावादिति गाथार्थः ॥ ४२४ ।। બિલવર્જિત (અને ત્ર-પ્રાણ-બીજ રહિત) દ્વાર કહે છે- બિલવાળી ચંડિલભૂમિમાં ત્યાં રહેલા સર્પાદિના દંશ વગેરેથી આત્મવિરાધના અને કીડી આદિ જીવોના નાશથી સંયમવિરાધના એમ બે દોષો થાય. કૃમિ વગેરે ત્રસ જીવોથી અને ડાંગર વગેરે બીજથી વ્યાપ્ત ભૂમિમાં પણ (સંયમ વિરાધના વગેરે) તે જ દોષો થાય. (જીવોનો નાશ થવાથી સંયમવિરાધના અને કીડી વગેરેના દંશ વગેરેથી આત્મવિરાધના થાય.) Page #219 -------------------------------------------------------------------------- ________________ १९४ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આ પ્રમાણે એકસંયોગી ભાંગાઓથી થતા દોષો કહ્યા. મૂલગમથી-એક સંયોગી (મૂળ) ભાંગાઓથી થતા દોષોથી દ્ધિકસંયોગી, ત્રિકસંયોગી વગેરે ભાંગાઓમાં વિશેષ દોષો લાગે. કારણ 3 अन्य अन्य संयोगोना होषो तेमा मणे छे. [४२४] . परिशुद्ध स्थण्डिले व्युत्सर्गविधिमाह दिसिपवणगामसूरिअछायाए मज्जिऊण तिक्खुत्तो । जस्सोग्गहोत्ति किच्चा, ण वोसिरे आयमिज्जा वा ॥ ४२५ ॥ वृत्तिः- 'दिसिपवणगामसूरिय'त्ति दिक्पवनग्रामसूर्यान् विधिना अपृष्ठतः कृत्वा, 'छायायां' संसक्तग्रहणीति गम्यते, 'प्रमृज्य त्रिकृत्व' इति त्रीन् वारान् स्थण्डिलमिति गम्यत एव, ते 'यस्या-वग्रह इतिकृत्वा, णमिति वाक्यालङ्कारे 'व्युत्सृजेत्' संज्ञामिति प्रक्रमः, 'आचमेद्वा' इत्थमेव स्थण्डिल इति गाथार्थः ॥ ४२५ ।।। હવે શુદ્ધ ઈંડિલભૂમિમાં મલવિસર્જનની વિધિ કહે છે– દિશા, પવન, ગામ અને સૂર્યને પુંઠન થાય તેમ બેસે, સંસક્તસંગ્રહણી હોય, એટલે કે ઝાડામાં कृमि पडत डोय, तो छायाम से, सवार भूभिने पुंछने से, 'अणुजाणह जस्सुगहो' मेम २% માગીને બેસે, પછી મળવિસર્જન કરે, અને પછી ગુદાપ્રક્ષાલન કરે. [૪૨૫] भावार्थं त्वाह उत्तर पुव्वा पुज्जा, जंमाए निसिअरा अहिवडंति । घाणारिसा य पवणे, सूरिअगामे अवण्णो उ॥ ४२६ ॥ वृत्तिः- इह दिचिन्तायां 'उत्तरपूर्वे' दिशौ 'पूज्ये, याम्यायां' दिशि 'निशाचरा अभिपतन्ति' रात्रौ, अतः सदैव न पूर्वां पृष्ठतः कुर्यात्, नापि चोत्तरां, न रात्रौ दक्षिणामिति सम्प्रदायः, उक्तं चान्यैरपि-"उभे मूत्रपुरीषे तु, दिवा कुर्यादुदङ्मुखः रात्रौ दक्षिणतश्चैव, तथाऽस्यायुर्न हीयते ॥ १ ॥" पवनमधिकृत्याह-'घ्राणाऑसि च' चशब्दाल्लोकोपघातश्च, 'पवन' इत्यत: पवनमपि न पृष्ठतः कुर्यात्, ग्रामसूर्यावधिकृत्याह-'ग्रामे सूर्ये' अनयोर्द्वयोरपि पृष्ठिदाने 'अवर्ण' इत्यश्लाघा लोके, अत एतावपि न पृष्ठतः कुर्यादिति गाथार्थः ॥ ४२६ ॥ ઉક્ત ગાથાનો ભાવાર્થ કહે છે– લોકમાં ઉત્તર અને પૂર્વ દિશા પૂજ્ય મનાય છે, તેથી તે દિશામાં પુંઠ કરવાથી લોકમાં અવર્ણવાદ થાય. તેથી દિવસે ઉત્તર-પૂર્વ દિશામાં પુંઠ ન કરે. તથા “રાતે દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશા તરફ નિશાચર (રાત્રિમાં ભટકવાના સ્વભાવવાળા) રાક્ષસો (વગેરે) જાય છે” એવી લોકવાણી હોવાથી તે દિશામાં પુંઠ કરવાથી લોકવિરોધ થાય. આથી રાતે દક્ષિણ દિશામાં પુંઠ ન કરવી એવી પરંપરા છે. બીજાઓએ પણ કહ્યું છે કે- “જે મનુષ્ય ઝાડો અને પેશાબ એ બંને દિવસે ઉત્તર તરફ Page #220 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૧ મોટું રાખીને અને રાતે દક્ષિણ તરફ મોઢું રાખીને કરે તેના આયુષ્યની હાનિ ન થાય=તેનું આયુષ્ય ઘટે નહિ.” પવન તરફ પુંઠ કરવાથી નાકમાં (વિષ્ઠાની ગંધ જવાથી) મસા થાય, અને આ સાધુઓ પૂજા કરે છે એમ લોકો મશ્કરી કરે. માટે પવનને પણ પુંઠન કરે. ગામ અને સૂર્યને પુંઠ કરવાથી લોકમાં ટીકા-નિંદા થાય, માટે ગામ અને સૂર્યને પણ પુંઠ ન કરે. [૪૨૬] छायामधिकृत्याह संसत्तग्गहणी पुण, छायाए निग्गयाइ वोसिरह । छायाऽसइ उण्हंमिवि, वोसिरिअ मुहत्तगं चिट्टे ॥ ४२७ ॥ दारं ॥ वृत्तिः- 'संसक्तग्रहणिः पुनः', पुनःशब्दो विशेषणार्थः, भिन्नवा अप्येक च्छायायां' पुष्पफलप्रदक्षिणादिसम्बन्धिन्यां 'निर्गतायां' तदवग्रहात् 'व्युत्सृजति, छायायामसत्यां उष्णेऽपि' व्युत्सृजतीति वर्तते, किन्तु तत्रायं विधि:-'व्युत्सृज्य मुहूर्तं तिष्ठेत्', यावत्तैर्यथायुष्कं परिपालितનિતિ થાર્થ: ૪ર૭ | છાયાને આશ્રયીને કહે છે– જેના પેટમાં કૃમિ હોય અને ઝાડો ઢીલો થતો હોય તે વૃક્ષ આદિની છાયામાં મળત્યાગ કરે. છાયા ન હોય તો તડકામાં પણ મળત્યાગ કરે. પણ તેમાં આ વિધિ છે- (પોતાના શરીરની છાયા મલ ઉપર પડે તે રીતે બેસીને મળત્યાગ કરે અને) મળત્યાગ કર્યા પછી મલ ઉપર છાયા પડે તે રીતે મુહૂર્ત સુધી (= તે જીવોનું આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધી) ત્યાં ઊભો રહે. [૪૨૭]. 'पमज्जिऊण तिक्खुत्तो' इत्यादि व्याचिख्यासुराह आलोयणमुड्ढमहे, तिरिअं काउं तओ पमज्जिज्जा । पाए उग्गहऽणुण्णा, पमज्जए थंडिलं विहिणा ॥ ४२८ ॥ वृत्तिः- 'अवलोकनमूर्ध्वमधस्तिर्यक् कृत्वा' स्थण्डिलसमीप एवेति गम्यते, ऊर्ध्वं वृक्षस्थपर्वतस्थादिदर्शनार्थमधो गर्तादर्यादिस्थोपलब्धये तिर्यक्षु यद्विश्राम्यदादिसंदर्शनार्थमिति, 'ततः' तदनन्तरमसत्सु सागारिकेषु 'प्रमार्जयेत् पादौ', ततो ऽवग्रहमनुज्ञाप्य प्रमार्जयेत् स्थण्डिलं विधिना' संदंशकप्रमार्जनादिनेति गाथार्थः ॥ ४२८ ।। અથવા જેના મળમાં કૃમિ પડતા હોય છે અને જેને ઝાડો ઢીલો થતો હોય તે વૃક્ષની છાયામાં મળત્યાગ કરે એવો અર્થ પણ થઈ શકે. આ અર્થમાં બે વ્યક્તિ છે. જ્યારે પહેલા અર્થમાં એક જ વ્યક્તિ છે. પેટમાં કૃમિ હોય પણ ઝાડો કઠણ થાય તો ઝાડામાં કૃમિ ન પણ પડે. આથી જેના પેટમાં કૃમિ હોય અને ઝાડો ઢીલો થતો હોય એમ કહ્યું. સામાન્યથી મળમાં કૃમિ ન પડતાં હોય, પણ ઝાડો ઢીલો થતો હોય તો કૃમિ પડવાની સંભાવના રહે. આધી “જેને ઝાડો ઢીલો થતો હોય તે પણ” એમ કહ્યું. ૨. ટીકાના છાયા પુર્ણપનાક્ષાવિધિ એ પદોનો ભાવાર્થ આ પ્રમાણે સંભવે છે- એકછાયા એટલે મુખ્ય છાયા, અર્થાતુ બીજા કોઈ કારણે થયેલી નહિ, પણ વૃક્ષ આદિની પોતાની જ છાયા. પ્રદક્ષિણાદિ એટલે જમણી આદિ તરફ જવું. અથવા પ્રદક્ષિણ એટલે ઘેરાવો. પુષ્પ, ફળ, આદિના ઘેરાવાની છાયા. આ સિવાય અન્ય અર્થ ઘટતો હોય તો ઘટાડવો. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते (૪૨૫મી ગાથાના) પન્ના તિવૃત્તો વગેરે પદોની વ્યાખ્યા કરે છે– બેસતા પહેલાં ઉપર, નીચે અને તિર્લ્ડ એ. વૃક્ષ અને પર્વત ઉપર કોઈ છે કે નહિ ? તે જોવા ઉપર જુએ. ખાડો, બિલ વગેરેમાં જીવો વગેરે છે કે નહિ? તે જોવા નીચે જુએ. વિસામો લેવા માટે કોઈ ક્યાંય બેઠેલ છે કે નહિ વગેરે જોવા માટે તિછું જુએ. આ પ્રમાણે જોયા પછી ગૃહસ્થો ન હોય તો પગનું પ્રમાર્જન કરે. ત્યાર બાદ અણુનાદ ગફુ એમ બોલીને ભૂમિના માલિકની અનુજ્ઞા માગે. ત્યારબાદ સંડાશાનું પ્રમાર્જન આદિ વિધિપૂર્વક ભૂમિનું ત્રણવાર પ્રમાર્જન (નિરીક્ષણ) કરે. [૪૨૮]. ततश्च संज्ञां व्युत्सृजति, तत्र चायं विधि:-- उवगरणं वामे ऊरुंगमि मत्तं च दाहिणे हत्थे । तत्थऽण्णत्थ व पुंछे, तिहिं आयमणं अदूरंमि ।। ४२९ ॥ वृत्तिः- 'उपकरणं वामे ऊरुणि'-दण्डको रजोहरणं च, 'मात्रकं च दक्षिणे करे' भवति, वामे तु डगलकाः, 'तत्रान्यत्र वा पुछेत्', केसिंचि आएसो तत्थेव पुच्छंति, अण्णे भणंतिजइ तत्थेव पुच्छंति हत्थे लेवाडिति, ताहे कहं रयहरणं गिण्हतु?, तओ सण्णाओ ओसरित्ता ताहे पुच्छंति, निल्लेवंति य णातिदूरे णासण्णे, दोण्हवि दोसा भाणियव्वा, निल्लेविउकामो निविसइ, तत्थ तहेव पमज्जित्ता णिसीयइ, पत्ताबंधं मुइत्ता मत्तयं गिण्हइ, दाहिणेण हत्थेण तहेव रयहरणं दंडयं च करेति, तिहिं नावापूरेहिं निल्लेवेइ, तिहिं च आयमइ जइ अप्पसागारिश्र, अह सागारिअं ताहे सव्वं कुरुकुयं करेइ, मत्तयस्स य कप्पं करेति, एस विही, अत एवाह-'त्रिभिर्ना वापूरैः ‘માવનમહૂ’ સ્થfeત્નાિિત ગાથાર્થ છે ૪ર૬ છે. ત્યાર બાદ માલવિસર્જન કરે, તેમાં આ વિધિ છે– દંડ અને રજોહરણ એ બે ઉપકરણો ડાબી સાથળ ઉપર મૂકે, માત્રક જમણા હાથમાં રાખે, ડગલ ડાબા હાથમાં રાખે. જયાં બેઠો હોય ત્યાં જ કે બીજા સ્થળે (ડગલથી) અપાનને લૂછે. (આ અંગે કલ્પચૂર્ણિમાં પાઠ આ પ્રમાણે છે-) “કેટલાકનો ‘ત્યાં જ લુછે' એવો મત છે. વળી બીજાઓ કહે છે કેજો ત્યાં જ લુછે તો હાથ (વિષ્ઠાથી) ખરડાય, તેથી રજોહરણ કેવી રીતે લે? તેથી વિષ્ઠાથી (થોડું) દૂર ખસીને લુછે. બહુ દૂર નહિ અને બહુ નજીક નહિ તે રીતે (પાણીથી) અપાનનું પ્રક્ષાલન કરે. બહુ દૂર કે બહુ નજીક એ બંને રીતે પ્રક્ષાલન કરવામાં દોષો લાગે. પ્રક્ષાલન કરવાની ઈચ્છાવાળો સાધુ જ્યાં બેસે ત્યાં પ્રમાજીને બેસે. ઝોળી રહિત માત્રકને જમણા હાથમાં રાખે, તે જ રીતે દંડ અને રજોહરણને (ડાબી સાથળ ઉપર) મૂકે. ત્રણ ચાગળાં પાણીથી નિર્લેપન (સામાન્ય શુદ્ધિ) કરે, અને ત્રણ ચાગનાં પાણીથી 'આચમન (વિશેષ શુદ્ધિ) કરે. જો ગૃહસ્થો હોય તો અપાનનું અને પગોનું સારી રીતે (સંપૂર્ણ) ૧. નિર્લેપન અને આચમનનો બૃહત્કલ્પ વગેરેમાં એક જ (શુદ્ધિ) અર્થ કર્યો છે. પણ અહીં “faféનાવાપૂનિવનિર્દિ રમકડું" એવો પાઠ હોવાથી અનુવાદમાં નિર્લેપનનો સામાન્ય શુદ્ધિ અને આચમનનો વિશેષ શુદ્ધિ એવો અર્થ કરીને આ પાઠની સંગતિ કરી છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१९७ પ્રક્ષાલન કરે, માત્રકને પણ ધુવે. આ (મલવિસર્જન) વિધિ છે. આથી જ મૂલ ગાથામાં કહે છે કે-જ્યાં બેઠો હોય ત્યાંથી નજીકમાં ખસીને ત્રણ ચાગળા પાણીથી અપાનનું પ્રક્ષાલન કરે. [૪૨૯] अपवादमाह पढमासइ अमणुन्नेअराण गिहिआण वावि आलोए । पत्तेअमत्त कुरुकुअ, दवं च परं गिहत्थेसु ॥ ४३० ॥ वृत्तिः- उपन्यासक्रमप्रामाण्यात् 'प्रथमे' स्थण्डिले-उक्तस्वरूपे 'असति' अविद्यमाने 'अमनोज्ञेतरयोरिति' अमनोज्ञासंविग्नयोरिति, 'गृहिणां वाऽप्यालोकवति' गन्तव्यमिति शेषः, तत्र चायं यतनाविधि:-'प्रत्येकमात्रकाणी 'त्ति प्रत्येकं मात्रकग्रहणं 'कुरुकुचे'त्ति कुरुकुचाकरणं 'द्रवं च प्रचुर'- मिति पानकं प्रभूतं गृह्यते 'गृहस्थेष्विति 'सूचनात्सूत्र'मिति न्यायाद् गृहस्थालोकवति स्थण्डिल इति गाथार्थः ।। ४३० ।। तेण परं पुरिसेणं, असोअवाईण वच्च आवायं । इत्थिनपुंसगलोए, परम्मुहो कुरुकुआ सा उ ॥ ४३१ ॥ __ वृत्ति:- 'तेन पर'मिति तत ऊर्ध्व तदभाव इत्यर्थः, 'पुरुषाणामशौचवादिनां व्रजेदापातवत्' स्थण्डिलमिति, तदनु 'स्त्रीनपुंसकालोकवत्', तत्र चेयं यतना-'पराङ्मुख' उपविशेत्, तथा 'कुरुकुचा सैव' पूर्वोक्तेति गाथार्थः ॥ ४३१ ॥ तेण परं आवायं, परुसेयर सेत्थियाण तिरिआणं । तत्थऽविअ परिहरिज्जा, दुगुंछिए दित्तचित्ते अ॥ ४३२ ॥ वृत्तिः- 'ततः परम् आपात'मित्यापातवत् स्थण्डिलं 'पुरुषतरग्रहणात्' पुरुषापातवत् नपुंसकापातवत्तिर्यगापातवच्च, तदेवाह-'सस्त्रीकाणां तिरश्चा'मिति सस्त्रीकतिर्यगापातवदित्यर्थः, 'तत्रापिच परिहरेत् जुगुप्सितान् दृप्तिचित्तांश्च' तिरश्चः, एतदापातवत् स्थण्डिलमिति गाथार्थः ॥ ४३२ ।। तत्तो इत्थिनपुंसा, तिविहा तत्थवि असोअवाईसु । तहिअंतु सद्दकरणं, आउलगमणं कुरुकुआ या ॥ ४३३ ॥ वृत्तिः-'ततः स्त्रीनपुंसकानि त्रिविधाः' प्राकृतादिभिर्भेदेन, अपवादचिन्तायां चिन्तनीयानीति शेषः, तथा चाह-तत्रापि, अशौचवादिष्वि'ति अशौचवाद्यापातवति स्थण्डिल इत्यर्थः, यतनामाह 'तत्रतुशब्दकरण पूर्वमेव आकुलगमनं' संरम्भगमनं कुरुकुचा च' पूर्ववदिति गाथार्थः ।। ४३३ ॥ मा छ પ્રથમ પ્રકારની (અનાપાત-અસંલોક) ભૂમિ ન મળે તો, અર્થાત્ જેમાં મનોજ્ઞ સંવિગ્ન જ સાધુઓ આવતા હોય તેવી ભૂમિ ન મળે તો, અમનોજ્ઞ સંવિગ્નના આપાતવાળી ભૂમિમાં જાય, Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते તેના અભાવમાં અસંવિગ્નના આપાતવાળી ભૂમિમાં પણ જાય, તેના અભાવમાં ગૃહસ્થો કેવલ જીએ તેવી ભૂમિમાં પણ જાય. ત્યાં યતનાનો વિધિ આ પ્રમાણે છે- દરેક સાધુ અલગ અલગ માત્રક લે-રાખે. અપાન અને પગોનું પ્રક્ષાલન કરે અને (પ્રક્ષાલનમાં) પાણી ઘણું લે. [૪૩] ગૃહસ્થો (કેવલ) જુએ તેવી ભૂમિ ન મળે તો અશૌચવાદી પુરુષોના આપાતવાળી ભૂમિમાં જાય. (તેના અભાવમાં શૌચવાદી પુરુષોના આપાતવાળી ભૂમિમાં જાય.) તેના અભાવમાં સ્ત્રી-નપુંસકોના (માત્ર) સંલોકવાળી ભૂમિમાં જાય. ત્યાં યતના આ પ્રમાણે કરવી- અવળામુખે બેસે, તથા અપાનપ્રક્ષાલન વગેરે અંગે પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. [૪૩૧] સ્ત્રી-નપુંસકોના (કેવલ) સંલોકવાળી ભૂમિના અભાવમાં તિર્યંચો સંબંધી પુરુષ, નપુંસક અને સ્ત્રીના આપાતવાળી ભૂમિમાં જાય. તેમાં પણ જાગુણિત અને દહનો ત્યાગ કરવો, અર્થાત્ જુગુપ્સિત અને દચિત્તના આપાતવાળી ભૂમિમાં ન જવું. (કારણ કે ત્યાં આત્મા અને સંયમનો ઉપધાત થાય.) [૪૩૨] તેના પણ અભાવમાં સ્ત્રીનપુંસકના આપાતવાળી ભૂમિમાં જાય. સ્ત્રી અને નપુંસકના દંડિક, કૌટુંબિક અને સાધારણ એમ ત્રણ ભેદો છે. તેમાં પણ અશૌચવાદી સ્ત્રી-નપુંસકના આપાતવાળી ભૂમિમાં જાય. (તના અભાવમાં શૌચવાદી સ્ત્રી-નપુંસકના આપાતવાળી ભૂમિમાં જાય.) બીજાઓને શંકા ન થાય એ માટે ખાંસી વગેરે અવાજ કરતાં કરતાં અથવા પરસ્પર બોલતાં બોલતાં ચંડિલભૂમિમાં જાય તથા વ્યાકુળપણે ઉતાવળે જાય. (જેથી સ્ત્રી વગેરે સાધુ તરફ દૃષ્ટિ ન કરે, અને લોકોને શંકાનું સ્થાન ન રહે.) અપાનપ્રક્ષાલન વગેરે પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. [૪૩૩] સ્થંડિલદ્વારનું વર્ણન પૂર્ણ થયું. प्रतिद्वारगाथायां व्याख्यातं स्थण्डिलद्वारम्, साम्प्रतमावश्यकाद्याह सण्णाएँ आगओ चरमपोरिसिं जाणिऊण ओगाढं । पडिलेहेइ अपत्तं, नाऊण करेइ सज्झायं ॥ ४३४ ॥ वृत्तिः- 'संज्ञाया आगतः' सन् ‘चरमपौरुषी ज्ञात्वा अवगाढाम्' आगतामित्यर्थः, 'प्रत्युपेक्षते' उपकरणमिति गम्यते, 'अप्राप्तां ज्ञात्वा' चरमां करोति स्वाध्यायमि'ति गाथार्थः । ४३४ ।। पुव्वुद्दिट्ठो अ विही, इहंपि पडिलेहणाएँ सो चेव । जं इत्थं नाणत्तं, तमहं वोच्छं समासेणं ॥ ४३५ ॥ વૃત્તિ - “પૂર્વેદિg વિધિઃ', છબ્યુમિ'નિત્યના ૩fપ પ્રતિજોના સવ' દ્રષ્ટવ્યા, “યત્ર નાનાલ્વ' પિ તવદં વચ્ચે સમાન' સક્ષેપત પતિ ગાથાર્થ: તે જરૂ4 || पडिलेहगा उ दुविहा, भत्तट्ठिअ एअरा उ नायव्वा । दोण्हविअ आइपडिलेहणा उ मुहणंतग सकायं ॥ ४३६ ॥ वृत्तिः- 'प्रतिलेखकाः पुनर्द्विविधाः-भक्तार्थिनो' ये तस्मिनहनि भुञ्जते ‘इतरे तु' Page #224 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૧૬ अभक्तार्थिनो ये न भुञ्जते इति 'ज्ञातव्याः, द्वयोरपि' चानयोः 'आदिप्रतिलेखना पुनर्मुखानन्तकं'-मुखवस्त्रिकां 'स्वकायं'स्वदेहं चाङ्गीकृत्य प्रवर्तत इति गाथार्थः ॥ ४३६ ।। तत्तो अ गुरुपरिण्णागिलाणसेहाण जे अभत्तट्ठी । संदिसह पायमत्तअ, अत्तणो पट्टगं चरिमं ॥ ४३७ ॥ वृत्तिः- 'ततः' तदनन्तरं 'गुरुपरिज्ञाग्लानशिक्षकादीनां' प्रतिलेखनोपधेरिति गम्यते, 'ये अभक्तार्थिनस्त' एव कुर्वन्ति, तदनु 'सन्दिशते 'ति गुरुमापृच्छय 'पात्रमात्रके', तदनु 'आत्मन' उपधिं, तत्रापि 'पट्टकं चरमं', चोलपट्टकमिति गाथार्थः ॥ ४३७ ॥ મૂલદ્વાર ગાથા (૨૩૦)ના સ્પંડિલધારનું વ્યાખ્યાન કર્યું. હવે ‘આવશ્યક' વગેરે દ્વારા કહે છે– યંડિલભૂમિથી આવીને ચોથો પ્રહર શરૂ થઈ ગયો હોય તો ઉપકરણોની પ્રતિલેખના કરે, “અન્યથા સ્વાધ્યાય કરે. [૪૩૪] અહીં પણ પ્રતિલેખનામાં પૂર્વે કહેલો જ વિધિ જાણવો. અહીં જે કંઈપણ વિશેષ છે તે સંક્ષેપથી જ કહીશ. [૩૫] અહીં પ્રતિલેખના કરનારા ભક્તાર્થી તે દિવસે ભોજન કર્યું હોય તે અને અભક્તાર્થી–ઉપવાસી એમ બે પ્રકારના જાણવા. તે બંનેને પ્રારંભની મુહપત્તિ અને સ્વકાય સુધીની પ્રતિલેખનાનો વિધિ સમાન છે. [૪૩] ત્યારબાદ અભક્તાર્થી ગુરુતપસ્વી-ગ્લાન-નવદીક્ષિત આદિની ઉપધિનું પડિલેહણ કરે. ત્યારબાદ સંવિસ૬ = “આપ આજ્ઞા આપો કે હું મારી ઉપધિનું પડિલેહણ કરું.” એમ ગુરુને પૂછીને પોતાની ઉપધિનું પડિલેહણ કરે. ૧. આનાથી સમજી શકાય છે કે સાધુ નકામો ન બેસી રહે. જેમ વેપારી પોતાના અનિવાર્ય શારીરિક-વ્યાવહારિક કામો કર્યા પછી બચેલા સમયમાં વેપારની પ્રવૃત્તિ કરે છે, તેમ સાધુ તે તે સમયે કરવાની ક્રિયા કરીને જે સમય બચે તેમાં સ્વાધ્યાય (આદિ) કરે. આથી જ યતિદિનચર્યામાં કહ્યું છે કે “તે તે સમયે તે તે કાર્ય કરનાર સાધુ વચ્ચે સમય બચે તો સ્વાધ્યાય કરે.” નવરું પડેલું મન નખોદ વાળે. માટે સાધુએ મનને કોઈને કોઈ કાર્યમાં પરોવવું જોઈએ. આ વાત જેને સમજાય તેને જ વાચકવર શ્રી ઉમાસ્વાતિ મહારાજની નિમ્નોક્ત વાણીની મહત્તા સમજાય. पैशाचिकमाख्यानं, श्रुत्वा गोपायनं च कुलवध्वाः । સંવરાત્પ, નિત્તર વ્યાકૃત: શાર્વ: | પ્ર. ૨. ગા. ૧૨૦ છે. પિશાચની વાત અને કુલવધૂના સંરક્ષણનો પ્રસંગ સાંભળીને સાધુએ સંયમની સાધનામાં સતત લીન રહેવું જોઈએ. પિશાચની વાર્તા- કોઈ વણિકે મંત્રના પ્રભાવે એક પિશાચને (રાક્ષસને) વશ કરી લીધો. પિશાચે વણિકને કહ્યું- “હું તારો સેવક છું, પણ તારે મને કંઈને કંઈ કામ આપવું પડશે, નહિ તો હું તને સ્વાહા કરી જઈશ.” વણિકે મહેલ, બાગ, બગીચા આદિ તૈયાર કરાવી લીધા બાદ ઘરની બાજુમાં એક વાંસ ઊભો કરાવીને પિશાચને આજ્ઞા કરી, જ્યાં સુધી હું બીજું કામ ન સોપું ત્યાં સુધી તારે આ વાંસ ઉપર ચડ-ઉતર કર્યા કરવું. આથી વાણિયાના પ્રાણ લેવાનો અવસર આવ્યો જ નહિ, તેમ રાત-દિવસ સંયમના આચારોમાં લીન રહેનાર સાધુને પ્રમાદ આદિ અનાચારો જરા પણ હેરાન કરી શકતા નથી. કુલવધૂ પ્રસંગ- પરદેશ ગયેલો પતિ વર્ષો થવા છતાં ન આવવાથી અકળાયેલી એક યુવતિએ કોઈ રંગીલા યુવાનના પ્રેમમાં પડવાનો વિચાર કર્યો. તેના સસરાને ખબર પડતાં સસરાએ પોતાની સ્ત્રી સાથે ખોટો (= દેખાવનો) અણબનાવ કરીને ઘરનો બધો કારભાર પૂત્રવધૂને સોંપી દીધો. આથી વહેલી સવારથી મોડી રાત સુધી સતત ઘરનાં કામો કરીને લોથપોથ બની જવાથી રાત્રે ઘસઘસાટ ઊંઘી જતી. સવારના વહેલા ઊઠીને ઘરના કામે લાગી જતી. આથી તેની વિષયેચ્છા શમી ગઈ. હવે તેને યુવાન યાદ પણ આવતો ન હતો. આમ, જે સાધુ પોતાના આચારોમાં સતત મશગુલ રહે છે તેને વિષય આદિ દોષો સતાવી શકતા નથી. અહીં ગાથામાં અને ટીકામાં પરિજ્ઞા શબ્દ છે. પરિજ્ઞા એટલે પ્રત્યાખ્યાનપરિજ્ઞા, પ્રત્યાખ્યાનપરિજ્ઞા એટલે ઉપચારથી પ્રત્યાખ્યાનપરિજ્ઞાવાળો-તપસ્વી. કરા વાંસ ઉપર ચડીને પ્રસાદ આપવા છતાં ન આ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते તેમાં પહેલાં (ઝોળી વગેરે પાત્ર સંબંધી ઉપકરણો સહિત) પાત્ર અને માત્રકનું, પછી પોતાની ઉપધિનું અને છેલ્લે ચોલપટ્ટાનું પડિલેહણ કરે. [૪૩૭] पट्टग मत्तग सगउग्गहो अ गुरुमाइआणऽणुण्णवणा । तो सेसभाणवत्थे, पाउंछणगं च भत्तट्ठी ॥ ४३८ ॥ वृत्तिः- 'पट्टगं' चोलपट्टे अणाउत्तपरिसोहणत्थं 'मत्तगं' क्षुल्लभाजनं विसुवावणनिमित्तं 'सगमोग्गहो य' स्वप्रतिग्रहं च जीयं ति कट्ट, 'सुपां सुपो भवन्ती'ति विभक्तिव्यत्ययः, पाठान्तरं वा 'पढें मत्तं सगमोग्गहं च' 'गुर्वादीनां' ततोऽनुज्ञापनेति, ततः शेषो'पकरणं 'भाजनवस्त्राणि 'पादपुञ्छनं च' रजोहरणं च 'भक्तार्थिनः' प्रत्युपेक्षन्त इति गाथार्थः ॥ ४३८ ॥ ભક્તાર્થી સાધુ મુહપત્તિ અને શરીરનું પડિલેહણ કરીને ચોલપટ્ટાનું પડિલેહણ કરે, પછી માત્રક અને પાત્રનું પડિલેહણ કરે, પછી ગુરુ વગેરેની ઉપધિનું પડિલેહણ કરે, પછી ગુરુની અનુજ્ઞા મેળવે, અર્થાત્ પોતાની પડિલેહણા માટે (“ઉપધિ સંદિસાહું? ઉપધિ પડિલેહું? એમ) આદેશ માગે, તે પછી શેષ ઉપકરણો, પાત્રનાં વસ્ત્રો અને છેલ્લે રજોહરણ, એ ક્રમે ભક્તાર્થીઓ પડિલેહણ કરે. પ્રશ્ન-સાંજની પ્રતિલેખનામાં ચોલપટ્ટાનું પડિલેહણ અભક્તાર્થીને છેલ્લું કરવાનું કહ્યું, જ્યારે ભક્તાર્થીને કાયાની પ્રતિલેખના કર્યા પછી કરવાનું કહ્યું. આવું શું કારણ? ઉત્તર- (માઉત્તપરિસોરથિંક) ભક્તાર્થીને ભોજન કરવામાં અનુપયોગથી ચોલપટ્ટામાં આહારનો ડાઘ વગેરે કંઈ રહી ગયું હોય તો જોવા માટે (સાફ કરવા માટે) ભક્તાર્થીને કાયા પછી ચોલપટ્ટાની પડિલેહણા કરવાની કહી છે. પ્રશ્ન- અભક્તાર્થીને પહેલાં પાત્રનું અને પછી માત્રકનું પડિલેહણ કરવાનું કહ્યું, જ્યારે ભક્તાર્થીને પહેલાં માત્રકનું અને પછી પાત્રનું પડિલેહણ કરવાનું કહ્યું, આવું શું કારણ? ઉત્તર-માત્રકને ‘વિસુવાવનિમિત્ત' એટલે વાપરેલું હોવાથી વિશેષતયા 'સુકાવવા માટે પહેલું કરે, પછી સામોદો એટલે પોતાનું પાત્ર કરે, “ની તિ ” એટલે એવી જીત–આચરણા હોવાથી (પહેલાં માત્રક પછી પાત્ર) એ ક્રમથી કરે. [૪૩૮]. जस्स जया पडिलेहा, होइ कया सो तया पढइ साहू । परिअट्टेइ अ पयओ, करेइ वा अण्णवावारं ॥ ४३९ ॥ वृत्तिः- 'यस्य' साधोः 'यदा प्रतिलेखना भवति कृता स तदा पठति साधुः' सूत्रधनत्वात्, 'परावर्त्तयति वा प्रयतो' यत्नपरः, करोति वाऽन्यव्यापारं' साधुसम्बन्धिनमेवेति गाथार्थः ॥ ४३९ ॥ (પડિલેહણ પછીનું કર્તવ્ય જણાવે છે–) જે સાધુને જ્યારે પ્રતિલેખના પૂર્ણ થઈ જાય ત્યારે પ્રયત્નશીલ તે સાધુ (નવું) સૂત્ર ભણે, ૧. માત્રકનું પહેલા પડિલેહણ કરવાથી સુકાયું છે કે ભિનું છે તેનો ખ્યાલ આવી જાય. ભિનું જણાય તો સુકાવી શકાય. Page #226 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ २०१ કારણ કે સાધુને સૂત્ર (= શાસ્ત્ર) એ જ ધન છે, અથવા પૂર્વે ભણેલા સૂત્રનું પરાવર્તન કરે, અથવા साधुसंबंधी ४ अन्य आर्य (= वेयाक्थ्य वगेरे) 3. [४३८] चउभागवसेसाए, चरिमाए पडिकमित्तु कालस्स । उच्चारे पासवणे, ठाणे चउवीसयं पेहे ॥ ४४० ॥ वृत्तिः- 'चतुर्भागावशेषायां चरिमायां', कालवेलायामित्यर्थः, 'प्रतिक्रम्य कालस्य', किमित्याह-'उच्चारे प्रश्रवण इति' उच्चारप्रश्रवणविषयाणि 'स्थानानि' स्थण्डिलाख्यानि 'चतुविंशतिं प्रेक्षेते'ति गाथार्थः ॥ ४४० ॥ (सूर्यास्त पसार्नु तव्य ४५u -) છેલ્લી પોરિસીનો ચોથો ભાગ બાકી હોય ત્યારે કાલનું પ્રતિક્રમણ કરે, પછી ઝાડો-પેશાબ ४२वाना स्थाउस शथी मोजमाता योवीश स्थानोने शुभे-५डिलेडे. [४४०] कथमित्याह अहियासिआ उ अंतो, आसन्ने मज्झ दूर तिन्नि भवे । तिण्णेव अणहियासी, अंतो छच्छच्च बाहिरओ ।। ४४१ ॥ वृत्तिः- 'अतिसहनशीला: अन्तः'-मध्य एव च वसतिपरिकरस्य आसन्ने मध्ये दूरेच तिस्रो भवन्ति', तिस्र ए वानतिसहनशीलाः', इत्येव मन्तः षट्, षट् च बहिरि'ति गाथार्थः ॥ ४४१ ॥ एमेव य पासवणे, बारस चउवीसयं तु पेहित्ता । कालस्स य तिन्नि भवे, अह सूरो अत्थमुवयाई ।। ४४२ ॥ वृत्तिः- 'एवमेव च प्रस्रवण' इति प्रस्रवणविषया 'द्वादश', इत्थं 'चतुर्विंशतिं तु प्रत्युपेक्ष्य' भुवामिति गम्यते, 'कालस्य च तिस्त्रो भवन्ति' प्रत्युपेक्षणीयाः, 'अथा'त्रान्तरे 'सूर्यः अस्तमुपयाती'ति गाथार्थः ॥ ४४२ ॥ ચોવીશ સ્થાનો કેવી રીતે થાય તે જણાવે છે– ઝાડાની હાજત થતાં સુખપૂર્વક જઈ શકાય તેવી સ્થિતિમાં જવા માટે વસતિના આંગણાની અંદર (મધ્યભાગમાં) નજીક, મધ્ય અને દૂર એ ત્રણ સ્થાનો, ઝાડાની હાજત તીવ્ર થતાં દુઃખપૂર્વક જઈ શકાય તેવી સ્થિતિમાં જવા માટે આંગણાની અંદર પાસે) નજીક, મધ્ય અને દૂર એ ત્રણ સ્થાનો, આમ આંગણાની અંદર છ સ્થાનો થયા. આ જ રીતે આંગણાની બહાર પણ છ સ્થાનો છે. તે આ પ્રમાણે- ઝાડાની હાજત થતાં સુખપૂર્વક જઈ શકાય તેવી સ્થિતિમાં જવા માટે આંગણાની બહાર (થોડે દૂર) નજીક, મધ્ય અને દૂર એ ત્રણ સ્થાનો, ઝાડાની હાજત તીવ્ર થતાં દુઃખપૂર્વક જઈ શકાય તેવી સ્થિતિમાં જવા માટે આંગણાની બહાર પાસે) નજીક, મધ્ય અને દૂર એ ત્રણ સ્થાનો. આમ ઝાડાનાં બાર સ્થાનો થયાં. એ જ પ્રમાણે પેશાબનાં પણ બાર સ્થાનો છે. આમ કુલ Page #227 -------------------------------------------------------------------------- ________________ २०२ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ચોવીસ અંડિલ (= રાતે ઝાડો-પેશાબ કરવાનાં સ્થાનો) છે. આ રીતે ચોવીસ ભૂમિઓનું પડિલેહણ કર્યા પછી કાલની ત્રણ ભૂમિઓનું પડિલેહણ કરે. આ સમયે સૂર્યાસ્ત થાય. [૪૪૧-૪૪૨] इत्येव पत्थवंमी, गीओ गच्छंमि घोसणं कुणइ । सज्झायादुवउत्ताण जाणणट्ठा सुसाहूणं ॥ ४४३ ॥ वृत्तिः- 'अत्रैव प्रस्तावे गीत' इति गीतार्थ: 'गच्छे घोषणां करोति स्वाध्यायाधुपयुक्तानां' सतां 'ज्ञापनार्थं सुसाधूनामि'ति गाथार्थः ॥ ४४३ ॥ આ જ અવસરે ગીતાર્થ સાધુ સમુદાયમાં સ્વાધ્યાય આદિમાં એકાગ્ર બનેલા સુસાધુઓને ४॥ववा घोष। ७३. [४४३] कथमित्याह कालो गोअरचरिअं, थंडिल्ला वत्थपत्तपडिलेहा । संभरऊ सो साहू, जस्स व जं किंचि णाउत्तं ॥ ४४४ ॥ । थंडिल्लत्ति दारं गयं । वृत्ति:- ‘कालो गोचरचर्या स्थण्डिलानि वस्त्रपात्रप्रत्युपेक्षणा', साण्युक्तस्वरूपाणि 'संस्मरतु स साधुः, यस्य वा यत् किञ्चिदनुपयुक्तं' पुन: कालोऽत्येतीति गाथार्थः ॥ ४४४ ।। કેવી ઘોષણા કરે એ કહે છે કાલ (ગ્રહણ), ગોચરચર્યા, અંડિલ, વસ્ત્ર-પાત્રપ્રતિલેખના વગેરેમાંથી જે કંઈ અનુપયોગના કારણે જે સાધુને કરવાનું રહી ગયું હોય તેને તે સાધુ યાદ કરે, કેમકે વખત વીતી રહ્યો છે. આ સાંભળીને દરેક સાધુ મારે આજે કંઈ કરવાનું બાકી રહ્યું નથી ને ? એમ વિચારે. વિચારતાં યાદ भावी यतो पाही. २j शस्य आर्य ४३.) [४४४] सम्बन्धमभिधाय आवश्यकविधिमाह जइ पुण निव्वाघाओ, आवासं तो करिति सव्वेऽवि । सड्ढाइकहणवाघाययाए पच्छा गुरू ठंति ॥ ४४५ ॥ वृत्तिः- अत्रान्तरे 'यदि पुनः निर्व्याघातः' प्रकान्तक्रियाविघ्नाभावः 'आवश्यकं' प्रतिक्रमणं 'ततः कुर्वन्ति सर्वेऽपि' सह गुरुणा, 'श्रावकादिकथनव्याघाततया' श्रावकविधिधर्मपदार्थकथनविघ्नभावेन ‘पश्चाद् गुरवस्तिष्ठन्ति' आवश्यक इति गाथार्थः ॥ ४४५ ।। અહીં સુધી આવશ્યક દ્વારનો સંબંધ કહ્યો. હવે આવશ્યકનો=પ્રતિક્રમણનો વિધિ કહે છે આ વખતે (સૂર્યાસ્ત પછી) ગુરુ નિવૃત્ત હોય, એટલે કે ગુરુ શ્રાવકો વગેરેને ધાર્મિક ક્રિયાઓનો કે તત્ત્વોનો ઉપદેશ આપવામાં રોકાયેલા ન હોય, તો બધા સાધુઓ ગુરુની સાથે આવશ્યક (= प्रतिभ९) ४२. ने गुर निवृत्त न होय तो पाथी मावश्य: ४२वान। स्थणे मावे. [४४५] Page #228 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [२०३ सेसा उ जहासत्तिं, आपुच्छित्ताण ठंति सट्ठाणे । __सुत्तत्थसरणहेडं, आयरिअ ठिअंमि देवसि ॥ ४४६ ॥ वृत्तिः- 'शेषास्तु' साधवः 'यथाशक्त्या' यथासामर्थ्य नापृच्छ्य' प्रश्नार्हत्वाद् गुरुमिति गम्यते, "तिष्ठन्ति स्वस्थाने' यथारनाधिकतया, कायोत्सर्गेणेति भावः, किमर्थमित्याह-'सूत्रार्थस्मरणहेतो 'रिति सूत्रानुस्मरणाय, आचार्ये स्थिते' व्याक्षेपोत्तरकालं कायोत्सर्गेण दैवसिक'मिति दिवसेन निष्पन्नमतिचारं चिन्तयन्तीति गाथार्थः ॥ ४४६ ।। બાકીના સાધુઓ ગુરુ પૂછવા યોગ્ય હોવાથી ગુરુને પૂછીને આવશ્યક ભૂમિમાં આવે, અને દીક્ષાપર્યાયના ક્રમે પોતપોતાના સ્થાને સ્વશક્તિ મુજબ કાયોત્સર્ગમાં રહે. કાયોત્સર્ગમાં સૂત્રાર્થનું સ્મરણ કરે. ગુરુ આવે એટલે કાયોત્સર્ગમાં (સૂત્રાર્થનું સ્મરણ બંધ કરીને) દૈવસિક (=દિવસે લાગેલા) અતિચારોનું ચિંતન કરે. (ગુરુને પૂર્વે શ્રાવકોને ધર્મકથન રૂપ વ્યાક્ષેપ હતો. એ વ્યાપેક્ષ દૂર થયા પછી આચાર્ય કાયોત્સર્ગમાં રહે ત્યારે સાધુઓ કાયોત્સર્ગમાં અતિચારોને ચિંતવે. માટે ટીકામાં व्याक्षेपोत्तरकालं अम यु.) [४४६] उत्सर्गापवादमाह जो हुज्ज उ असमत्थो, बालो वुड्ढो व रोगिओ वावि । सो आवस्सयजुत्तो, अच्छिज्जा णिज्जरापेही ॥ ४४७ ॥ वृत्तिः- 'यो भवेदसमर्थः'-अशक्तो बालो वृद्धो वा रोगितो वापिसोऽप्यावश्यकयुक्तः' सन् यथाशक्त्यैव ‘तिष्ठेत् निर्जरापेक्षी' तत्रैवेति गाथार्थः ॥ ४४७ ॥ ઉત્સર્ગનો અપવાદ કહે છે નિર્જરાની ઈચ્છાવાળો અશક્ત, બાલ, વૃદ્ધ કે રોગી પણ સાધુ આવશ્યક ભૂમિમાં જ આવશ્યક (પ્રતિક્રમણ) કરે, પણ પોતાની શક્તિ પ્રમાણે જ કરે, અર્થાત્ શક્તિ ન હોય તો બેસીને ५९५ ४३. [४४७] एत्थ उ कयसामइया, पुव्वं गुरुणो अ तयवसाणंमि । अइआरं चिंतंती, तेणेव समं भणंतऽण्णे ॥ ४४८ ॥ वृत्तिः- 'अत्र पुनः' आवश्यकाधिकारे अयं विधिः, यदुत 'कृतसामायिकाः पूर्वं'कायोत्सर्गावस्थानकाले 'गुरोश्च तदवसाने' सामायिकोच्चारणावसाने, 'अतिचारं चिन्तयन्ति' दैवसिकं 'तेनैव' गुरुणा 'समं'-सार्धं, सामायिकमपि उच्चारयन्तीति 'भणन्ति अन्ये' आचार्यदेशीया इति गाथार्थः ॥ ४४८ ॥ અહીં (= આવશ્યક અધિકારમાં) વિધિ એ છે કે- સાધુઓ કાયોત્સર્ગમાં રહેતી વખતે સામાયિકસૂત્ર બોલી લે, અર્થાત્ સામાયિક સૂત્ર બોલીને કાયોત્સર્ગ કરે, પછી ગુરુ આવીને Page #229 -------------------------------------------------------------------------- ________________ २०४ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते સામાયિકસૂત્ર બોલી લે એટલે ગુરુની જ સાથે સાધુઓ દૈવસિક અતિચારો ચિંતવે. અન્ય આચાર્યદેશીયો (= આચાર્યપદની લાયકાતમાં કંઈક ખામીવાળા આચાર્યો અર્થાત્ આચાર્ય જેવા) કહે છે કે સાધુઓ સામાયિકસૂત્ર પણ ગુરુની જ સાથે કહે. [૪૪૮] ते चैवं भणन्तीत्याह आयरिओ सामइयं, कड्ढइ जाए तहट्टिया तेऽवि । ताहे अणुपेहंती, गुरुणा सह पच्छ देवसिअं ॥ ४४९ ॥ वृत्ति:- 'आचार्य: सामायिकमाकर्षति' - पठति उच्चारयतीत्यर्थः 'यदा तथास्थिताः ' कायोत्सर्गस्थिता एव ‘तेऽपि' साधव: 'तदा अनुप्रेक्षन्ते' चिन्तयन्ते सामायिकमेव 'गुरुणा सह, पश्चाद्दैवसिकं' चिन्तयन्तीति गाथार्थः ॥ ४४९ ॥ जा देवसिअं दुगुणं, चिंतेइ गुरु अहिंडिओ चिट्ठे । बहुवावारा इअरे, एगगुणं ताव चिंतिंति ॥ ४५० ॥ बहु वृत्ति:- 'यावद् दैवसिक द्विगुणां चिन्तयति गुरुरहिण्डित' इतिकृत्वा 'चेष्टां, व्यापारा इतरे' सामान्यसाधवः 'एकगुणां तावच्चिन्तयन्ती 'ति गाथार्थः ॥ ४५० ॥ मुहणंतगपडिलेहणमाईअं तत्थ जे अईआरा । कंटकमग्गुवमाए, धरंति ते णवरि चित्तंमि ॥ ४५१ ॥ वृत्ति: - ' मुखवस्त्रिकाप्रत्युपेक्षणाद्यां' चेष्टां 'तत्र' चेष्टायां 'येऽतिचाराः कण्टकमार्गोपमयो 'पयुक्तस्यापि जाता ' धारयन्ति तान् नवरं चेतसी 'ति गाथार्थः ॥ ४५१ ॥ તે આચાર્યો આ પ્રમાણે કહે છે— જ્યારે આચાર્ય સામાયિકસૂત્ર બોલે ત્યારે તે સાધુઓ પણ કાયોત્સર્ગમાં રહીને જ સામાયિકનું જ ચિંતન કરે મનમાં ધારે, પછી દૈવસિક અતિચારો ચિંતવે. [૪૪૯] ગુરુ દૈવસિક અતિચારો બે વાર ચિંતવે અને સાધુઓ એક વાર ચિંતવે. કારણ કે ગુરુને બહુ પ્રવૃત્તિ ન હોય, જ્યારે સાધુઓને બહુ પ્રવૃત્તિ હોય. (સાધુઓને ગમનાગમનાદિ બહુ પ્રવૃત્તિ હોવાના કારણે વધારે ચિંતવવાનું હોય. એથી ગુરુ બે વાર ચિંતવે તેટલા સમયમાં સાધુઓ એક વાર ચિંતવી શકે.) [૪૫૦] કાંટાવાળા માર્ગમાં ચાલવાની જેમ ઉપયોગવાળા પણ સાધુને અતિચારો લાગે. આથી સાધુઓ મુખવસ્તિકાનું પડિલેહણ વગેરે ક્રિયામાં જે અતિચારો લાગ્યા હોય તેને કાયોત્સર્ગમાં મનમાં ધારે-યાદ રાખે. [૪૫૧] किंविशिष्टाः सन्त इत्याह संवेगसमावण्णा, विसुद्धचित्ता चरित्तपरिणामा । चारित्तसोहणट्ठा, पच्छावि कुणंति ते एअं ॥ ४५२ ॥ Page #230 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम्] [२०५ वृत्तिः- 'संवेगसमापन्ना' मोक्षसुखाभिलाषमेवानुगताः 'विशुद्धचित्ता' रागादिरहितचित्ताः 'चारित्रपरिणामादि'ति चारित्रपरिणामात् कारणात् 'चारित्रशोधनार्थ' चारित्रनिर्मलीकरणाय 'पश्चात्तु' दोषचित्तधारणानन्तरं 'कुर्वन्ति ते' साधवः ‘एतद्'-वक्ष्यमाणमिति गाथार्थः ॥ ४५२ ।। કેવા બનીને અતિચારો ચિંતવે એ કહે છે– સાધુઓ મોક્ષસુખની ઈચ્છાવાળા અને રાગાદિથી રહિત ચિત્તવાળા બનીને ચારિત્રની શુદ્ધિ કરવા માટે અતિચારોને મનમાં ધારે. પ્રશ્ન- સાધુઓ ચારિત્રની શુદ્ધિ શા માટે કરે છે? 6त्तर- (चारित्रपरिणामात् कारणात्=) यात्रिन ५२एम डोवाथी साधुमो यात्रिनी शुद्धि કરે છે. (આનાથી એ સૂચિત કર્યું છે કે ચારિત્રના પરિણામ વિનાનાને ચારિત્રની શુદ્ધિ કરવાનું મન ન થાય.) અતિચારોને મનમાં ધારી લીધા પછી સાધુઓ હવે કહેવાશે તે કરે. [૪૫] नमुक्कार चउव्वीसग, कितिकम्माऽऽलोअणं पडिक्कमणं । किइकम्म दुरालोइअ-दुपडिक्कंते य उस्सग्गा ॥ ४५३ ॥ (सूअगाहा) वृत्ति:- 'नमस्कार'ग्रहणात् 'नमोऽरहताणं'ति भणंति, 'चतुर्विंशति'ग्रहणाल्लोकस्योद्योतकरं पठन्ति, 'कृतिकर्म'ग्रहणाद्वन्दनं कुर्वन्ति, 'आलोचन'ग्रहणादालोचयन्ति, 'प्रतिक्रमण'ग्रहणात्प्रतिक्रामन्ति, तदनु 'कृतिकर्म' कुर्वन्ति, 'दुरालोचितदुष्प्रतिक्रान्त'विषयं 'कायोत्सर्ग च' कुर्वन्ति, सूचागाथासमासार्थः ॥ ४५३ ॥ ___नमो मरितui' से बोले (मोदीने 515२१२२॥ ५॥३), पछी दोस्स'सूत्र 58, पछी વંદન કરે (વાંદણા આપે), પછી (ગુરુ પાસે) આલોચના કરે, પછી પ્રતિક્રમણ કરે, પછી વંદન કરે, પછી દુરાલોચિત-દુષ્પતિક્રાંતનો કાયોત્સર્ગ કરે. વિષયોનું સામાન્ય સૂચન કરતી આ ગાથાનો मा संक्षेपमा मर्थ ऽयो. [४५3] व्यासार्थं त्वाह उस्सग्गसमत्तीए, नवकारेणमह ते उ पारिति । चउवीसगंति दंडं, पच्छा कड्ढंति उवउत्ता ॥ ४५४ ॥ वृत्तिः- अधिकृतोत्सर्गसमाप्तौ' सत्यां नमस्कारेण' 'नमोऽरहंताण'मित्येतावता अथ' अनन्तरं 'ते' साधवः 'पारयन्ति, चतुर्विंशतिरिति दण्डं पश्चात् पठन्त्युपयुक्ताः' सन्त इति गाथार्थः ॥ ४५४ ।। संडंसं पडिलेहिअ, उवविसिअ तओ णवर मुहपोतिं । पडिलेहिउँ पमज्जिय, कायं सव्वेऽवि उवउत्ता ॥ ४५५ ॥ वृत्तिः- 'संदंशं प्रत्युपेक्ष्य' प्रमृज्योपविश्य तत'स्तु 'नवरं मुहपोति' मुखवत्रिकां 'प्रत्युपेक्ष्य प्रमृज्य' च 'कायं सर्वेऽप्युपयुक्ताः' सन्त इति गाथार्थः ॥ ४५५ ॥ Page #231 -------------------------------------------------------------------------- ________________ २०६ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते तत: किमित्याह किइकम्मं वंदणगं, परेण विणएण तो पउंजंति । सव्वप्पगारसुद्धं, जह भणि वीअरागेहिं ॥ ४५६ ॥ वृत्तिः- 'कृतिकर्म वन्दनं परेण विनयेन 'ततः' तदनन्तरं प्रयुञ्जते', कथमित्याह'सर्वप्रकारशुद्धं' उपाधिशुद्धमित्यर्थः, 'यथा भणितं वीतरागैः' अर्हद्भिरिति गाथार्थः ॥ ४५६ ॥ હવે આ ગાથાનો વિસ્તારથી અર્થ તો ગ્રંથકાર સ્વયં કહે છે દેવસિક અતિચારચિંતનનો કાયોત્સર્ગ પૂર્ણ થતાં “નમો અરિહંતાણં' એ પદો બોલીને કાયોત્સર્ગને પારે. પછી ઉપયોગપૂર્વક “લોગસ્સસૂત્ર બોલે. પછી સર્વ સાધુઓ પગના સંડાશાનું પડિલેહણ-પ્રમાર્જન કરવાપૂર્વક બેસીને ઉપયોગપૂર્વક મુહપત્તિનું પડિલેહણ અને કાયાનું પ્રમાર્જન કરે. પછી અત્યંત વિનયથી ગુરુને “અરિહંતોએ જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે” સર્વ વિશેષણોથી शुद्ध (= सर्व होषोथी २हित) वहन = aiel मापे. [४५४-४५५-४५६] प्रसङ्गतो वन्दनस्थानान्याह आलोयण वागरणस्स पुच्छणे पूअणंमि सज्झाए । अवराहे अ गुरूणं, विणओमूलं च वंदणयं ॥ ४५७ ॥ वृत्तिः- 'आलोचनायां' तथा 'व्याकरणस्य प्रश्ने' तथा 'पूजायां' तथा 'स्वाध्याये' तथाऽपराधे च' क्वचिद् 'गुरोविनयमूलं तु वन्दनमिति गाथार्थः ॥ ४५७ ॥ म प्रसंगथी हनन स्थानो (= वहन ४२वानi surya) छ આલોચના (= આલોચના લેવી હોય), ઉત્તર (= પ્રશ્નનો ઉત્તર મેળવવો હોય, અર્થાત્ કંઈ पूछj डोय), पू (= गुरुनी पू० ४२वी सोय), स्वाध्याय (= १२ पासे माjeोय), अ५२।५ (= અપરાધની ક્ષમાયાચના કરવી હોય)- આ કારણોથી વંદન કરવું. ગુરુવંદન વિનયનું મૂલ છે. [४५७] वंदित्तु तओ पच्छा, अद्धावणया जहक्कमेणं तु । उभयकरधरियलिंगो, ते आलोअंति उवउत्ता ॥ ४५८ ॥ वृत्तिः- 'वन्दित्वा ततः पश्चाद‘वनता:' सन्तो 'यथाक्रमेणैव उभयकरधृतलिङ्गा' इति, लिङ्ग-रजोहरणं, 'ते' साधवः 'आलोचयन्ति उपयुक्ता' इति गाथार्थः ॥ ४५८ ॥ किं तदित्याह परिचिंतिएऽइआरे, सुहमेऽवि भवण्णवाउ उव्विग्गा ॥ अह अप्पसुद्धिहेउं, विसुद्धभावा जओ भणियं ॥ ४५९ ॥ Page #232 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૦૭ वृत्तिः- 'परिचिन्तितानतिचारान् सूक्ष्मानपि' पृथिव्यादिसङ्घट्टनादीन्, कथञ्चिदापतितान् बादरानपि, 'भवार्णवादुद्विग्नाः' सन्तः 'अथात्मशुद्धिनिमित्त'मालोचयन्तीति वर्त्तते વિશુદ્ધભાવ:' સન્ત:, “યતો મfunતમદ્ધિતિ પથાર્થ છે. ૪૨ किं तदित्याह विणएण विणयमूलं, गंतूणायरिअपायमूलंमि । जाणाविज्ज सुविहिओ, जह अप्पाणं तह परंपि ॥ ४६० ॥ वृत्तिः- "विनीयतेऽनेन' कर्मेति विनयः-पुनस्तदकरणपरिणामः तेन 'विनयमूलं' संवेगं 'गत्वा' प्राप्य 'आचार्यपादमूले' आचार्यान्तिक एव 'ज्ञापयेत् सुविहितः'-साधुर्यथाऽऽत्मानं तथा परमपि' विस्मृतं समानधाम्मिकमिति गाथार्थः ॥ ४६० ॥ સર્વ સાધુઓ વંદન કર્યા પછી કેડથી નમીને બંને હાથથી રજોહરણ પકડીને ઉપયોગપૂર્વક (દીક્ષાપર્યાયના) ક્રમ પ્રમાણે જ આલોચના કરે. સંસારરૂપ સમુદ્રથી ઉગ પામીને અને વિશુદ્ધભાવવાળા બનીને કાયોત્સર્ગમાં ચિંતવેલા પૃથ્વી સંઘટ્ટ વગેરે સૂક્ષ્મ અને કોઈ પણ રીતે થઈ ગયેલા બાદર પણ અતિચારોની આત્મશુદ્ધિ માટે આલોચના કરે. કારણકે અરિહંતોએ કહ્યું છે કેસાધુ સંવેગ પામીને આચાર્યની (ગુરુની) જ પાસે જઈને ફરી તે દોષ ન કરવાના પરિણામથી અતિચારોને જણાવે. સાધુ જેમ સ્વયં પોતાને = પોતાના દોષોને આચાર્યને જણાવે, તેમ બીજા કોઈ સાધુ આલોચના કરવાનું ભૂલી ગયા હોય તો તેમને પણ જણાવેયાદ કરાવે. [૪૫૮ થી ૪૬૦] आलोचनागुणमाह कयपावोऽवि मणूसो, आलोइअनिदिओ गुरुसगासे । __ होइ अइरेगलहुओ, ओहरिअभरोव्व भारवहो ॥ ४६१ ॥ वृत्तिः- 'कृतपापोऽपि' सन् 'मनुष्य: आलोचितनिन्दितो 'गुरोः सकाशे' आचार्यान्तिक एव भवति अतिरेकलघुः', काङ्गीकृत्य, अपहृतभरइव भारवहः कश्चिदिति गाथार्थः ॥ ४६१ ।। આલોચનાથી થતા લાભને કહે છે જેણે પાપ કર્યું હોય તેવો પણ મનુષ્ય જો (ગીતાર્થ) ગુરુ પાસે (નિર્મળભાવે) આલોચના તથા આત્મનિંદા કરે, તો કર્મોથી અતિશય હલકો થઈ જાય છે. કોની જેમ ? ભાર ઉપાડનાર ભાર ઉતારીને હલકો થાય છે તેમ. ૧. આલોચના કરતાં પહેલાં સંવેગ ઉત્પન્ન કરવા કેવી વિચારણા કરવી જોઈએ એ વિષે આલોચના પંચાશક (ગા. ૪૨ થી ૪૫)માં નીચે મુજબ જણાવ્યું છે. “જીવો શલ્યસહિત મરીને અનાદિ-અનંત સંસારરૂપ અતિશય ગહન જંગલમાં પ્રવેશ કરે છે, અને તેમાં અત્યંત લાંબા કાળ સુધી ભટકે છે. (૪૨) જિનાજ્ઞામાં સારી રીતે રહેલા જીવો આલોચના કરીને તેનાથી સેંકડો ભવોનાં કર્મો ખપાવીને સિદ્ધસ્થાનને પામે છે. (૪૩) યુક્તિયુક્ત આ આલોચના જિનેશ્વરોએ કહી છે. તેથી એ અવશ્ય ભાવારોગ્ય આપનારી છે. મેં આલોચના જાણી તેથી હું ધન્ય છું. (૪૪) આથી હું નિદાન રહિત બનીને ભયંકર ફળ આપનાર સંપૂર્ણ ભાવશલ્યને જ્ઞાનકુંજ ગુરુ સમક્ષ વિધિપૂર્વક પ્રગટ કરીને દૂર કરું.” (૪૫) છે. “જીવો શલ્ય વિકાસ સારી રીતે રહેલા છે. તેથી એ અવશ્ય ભજવશલ્યને જ્ઞાનકુંજ ગુરુ Page #233 -------------------------------------------------------------------------- ________________ २०८ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ભાવાર્થ-જેમ ભાર ઉપાડનાર માણસ ભાર ઉતારવાથી ભારથી હલકો થાય છે, તેમ પાપી પણ મનુષ્ય ગુરુની પાસે પાપની આલોચના અને નિંદા કરીને કર્મથી અતિશય હલકો થઈ જાય છે. [૪૬૧]. कथमेतदेवमिति, अनोपपत्तिमाह दुप्पणिहियजोगेहिं, बज्झइ पावं तु जो उ ते जोगे । सुप्पणिहिए करेई, झिज्जइ तं तस्स सेसंपि ॥ ४६२ ॥ वृत्तिः- 'दुष्प्रणिहितयोगैः' मनोवाक्कायलक्षणै 'बध्यते पापमेव, यस्तु' महासत्त्व 'स्तान् योगान्'-मनःप्रभृतीन् 'सुप्रणिहितान् करोति क्षीयते 'तत्' दुष्प्रणिहितयोगोपात्तं पापं 'तस्य' सुप्रणिहितयोगकर्तुः, 'शेषमपि' भवान्तरोपात्तं क्षीयते प्रणिधानप्रकर्षादिति गाथार्थः ।। ४६२ ।। जो जत्तो उप्पज्जइ, वाही सो वज्जिएण तेणेव । खयमेइ कम्मवाहीवि नवरमेवं मुणेअव्वं ॥ ४६३ ॥ वृत्तिः- 'यो यत उत्पद्यते व्याधि'स्तैलादेः 'स वजितेन तेनैव क्षयमेति, कर्मव्याधिरपि नवरमेवं मन्तव्यो' निदानवर्जनेनेति गाथार्थः ॥ ४६३ ॥ આ વિષે યુક્તિ કહે છે– અશુભ યોગોથી (= મન-વચન-કાયાથી) તો પાપ જ બંધાય. પણ જે મહાસત્ત્વવંત જીવ પોતાના યોગોને શુભ કરે છે, તેનાં અશુદ્ધયોગોથી વર્તમાનમાં અને ભવાંતરમાં પણ બંધાયેલાં પાપોનો વિશુદ્ધભાવોની વૃદ્ધિ થવાથી ક્ષય થાય છે. [૪૬૨] કારણ કે જે રોગ તેલ વગેરે જે કારણોથી ઉત્પન્ન થાય તે રોગ તે જ કારણોનો ત્યાગ કરવાથી નાશ પામે છે. એ જ રીતે કર્મ રૂપ રોગ પણ તેનાં २४ोनो (अशुभ मन-वयन-यानो) त्या ४२वाथी नापामे छे. [४६3] ततश्च उप्पण्णा उप्पण्णा, माया अणुमग्गओ निहंतव्वा । आलोअणनिंदणगरहणाहिं न पुणो अ बीअं च ॥ ४६४ ॥ वृत्तिः- 'उत्पन्नोत्पन्ना माया' अकुशलकर्मोदयेन 'अनुमार्गतो निहन्तव्या' स्वकुशलवीर्येण, कथमित्याह- आलोचननिन्दागर्हाभिः, न पुनश्च द्वितीयं' वारं तदेव कुर्यादिति गाथार्थः ॥ ४६४ ॥ તેથી શું કરવું તે જણાવે છે– અશુભ કર્મના ઉદયથી પાપ થયું ન થયું કે તરત જ શુભ પુરુષાર્થ કરીને આલોચના, નિંદા જો કે માયા શબ્દનો અર્થ દંભ થાય છે. પણ અહીં પાપની આલોચનાનું પ્રકરણ હોવાથી અનુવાદમાં કારણમાં કાર્યના ઉપચારથી ‘પાપ અર્થ કર્યો છે. જો કે દંભ વિના આલોચના કરવી જોઈએ એ દૃષ્ટિએ અહીં માયા શબ્દનો માયા અર્થ પણ ઘટે છે. છતાં ગાથાના બીજા શબ્દોનો અર્થ જોતાં “પાપ” અર્થ વધારે સંગત જણાય છે. અથવા ઉક્ત ગાથાનો અર્થ આ પ્રમાણે છે. પાપની આલોચના માયા વિના કરવી જોઈએ. આથી અશુભ કર્મના ઉદયથી માયા ઉત્પન્ન થઈ ન થઈ કે તરત જ શુભ પુરુષાર્થ કરીને તેનો નાશ કરવો જોઈએ. માયાને દૂર કરીને આલોચના-નિંદા-ગોંથી પાપનો નાશ કરવો જોઈએ, અને ફરી (ભાવથી) તે પાપ ન કરવું જોઈએ. Page #234 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [२०९ અને ગહથી તેનો નાશ કરવો જોઈએ, અને ફરીવાર (ભાવથી) તે પાપ ન કરવું જોઈએ. (આલોચના = ગુરુ સમક્ષ પાપોને પ્રગટ કરવા. નિંદા = આત્મસાક્ષીએ પાપોની નિંદા કરવી. ગઈ = ગુરુ સમક્ષ પાપોની નિંદા કરવી.) [૪૬૪] तस्स य पायच्छित्तं, जं मग्गविऊ गुरू उवइसंति । __ तं तह अणुचरिअव्वं, अणवत्थपसंगभीएणं ॥ ४६५ ॥ __ वृत्तिः- 'तस्य च'आसेवितस्य 'प्रायश्चित्तं यन्मार्गविद्वांसो गुरव उपदिशन्ति' सूत्रानुसारतः 'तत्तथा अनुचरितव्यमनवस्थाप्रसङ्गभीतेन', प्रसङ्गश्च ‘एक्केण कयमकज्ज'मित्यादिना પ્રશ્નાપતિ ગાથાર્થઃ || ૪૬૧ || કરેલા પાપોનું જિનોક્ત મોક્ષમાર્ગના જાણકાર ગુરુ સૂત્રોનુસાર જે પ્રાયશ્ચિત્ત આપે તે પ્રાયશ્ચિત્ત અનવસ્થા ન થાય એ માટે પૂરું કરે. એક સાધુ અકાર્ય કરે તો તેને જોઈને બીજો કરે, બીજાને જોઈને ત્રીજો કરે. આમ અનવસ્થા ચાલે. પ્રાયશ્ચિત્ત પૂર્ણ કરવા અંગે પણ આવી અનવસ્થા ન થાય માટે દરેક સાધુએ ગુરુએ આપેલું પ્રાયશ્ચિત્ત પૂરું કરી આપવું જોઈએ. [૪૬૫ प्रकृतमाह आलोइऊण दोसे, गुरुणो पडिवनपायछित्ताओ । सामाइअपुव्वअं ते, कहिंति तओ पडिक्कमणं ॥ ४६६ ॥ વૃત્તિ - “મનોચ સોપાન સર ' તતઃ “પ્રતિપન્નપ્રાશ્ચત્ત' વ, જિનિત્યEસામાયિપૂર્વવં “તે' સધવ: “પત્તિ' મનુસ્મૃતિ પ્રતિનિતિ થાર્થ: ૪૬૬ | तं पुण पयंपएणं, सुत्तत्थेहिं च धणिअमुवउत्ता । __ दंसमसगाइ काए, अगणिन्ता धिइबलसमेआ ॥ ४६७ ॥ વૃત્તિ - “તપુનઃ'-પ્રતિમi “પર્વ પર' પન્તિ “સૂત્રાર્થ' તત્વતિયોઃ 'अत्यन्तमुपयुक्ताः' भावप्रणिधानेन 'दंशमशकादीन् काये' लगतोऽ'प्यगणयन्तः' सन्तो કૃતિવન નેતા' કૃતિ પથાર્થ: II ક૬૭ || હવે પ્રસ્તુત વિષય કહે છે– ગુરુ સમક્ષ દોષોની આલોચના કરીને ગુરુએ આપેલ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરીને જ સાધુઓ સામાયિક સૂત્ર કહીને પ્રતિક્રમણ (પગામસજ્જાએ) સૂત્ર કહે. સૂત્રનું એક પણ પદ રહી ન જાય તે રીતે દરેક પદ છૂટું છૂટું બોલે. સૂત્ર બોલતાં (કે સાંભળતાં) સૂત્ર અને તેના અર્થમાં અત્યંત ઉપયોગ રાખે. તે વખતે ધૃતિ અને બળથી યુક્ત સાધુઓ ભાવવિશુદ્ધિના કારણે શરીરે મચ્છર વગેરે ચોટે તો પણ ન ગણકારે, અર્થાત્ શરીરે ચોટતા મચ્છર વગેરે ઉપર લક્ષ્ય આપ્યા વિના સૂત્ર અને અર્થમાં જ ઉપયોગ રાખે. [૪૬૬-૪૬૭] ૧. નિ. ગા. ૪૭૪૭, બુ. ક. ગા. ૯૨૮. Page #235 -------------------------------------------------------------------------- ________________ २१० ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते परिकड्डिऊण पच्छा, किइकम्मं काउ नवरि खामति । आयरिआई सव्वे, भावेण सुए तहा भणिअं ॥ ४६८ ॥ वृत्तिः- 'पर्याकृष्य' प्रतिक्रमणं 'पश्चात् कृतिकर्म'-वन्दनं 'कृत्वा नवरं क्षमयन्ति' मर्षयन्ति, कान् ? इत्याह-'आचार्यादीन्', गुणवन्तः 'सर्वे' साधवः 'भावेन' सम्यक्परिणत्या, 'श्रुते तथा भणितमेतदिति गाथार्थः ॥ ४६८ ॥ आयरिअ उवज्झाए, सीसे साहम्मिए कुलगणे अ । जे मे केइ कसाया, सव्वे तिविहेण खामेमि ॥ ४६९ ॥ वृत्तिः- 'आचार्योपाध्याये शिष्ये समानधार्मिके कुले गणे च' तत्परिणामवशात् 'ये मम केचन कषाया' आसन् ‘सर्वास्त्रिविधेन क्षमयामि' तानाचार्यादीनिति गाथार्थः ॥ ४६९ ।। सव्वस्स समणसंघस्स, भगवओ अंजलिं सिरे काउं । __ सव्वं खमावइत्ता, खमामि सव्वस्स अहयंपि ॥ ४७० ॥ वृत्तिः- 'सर्वस्य श्रमणसङ्घस्य भगवतः' सामान्यरूपस्य 'अञ्जलिं शिरसि कृत्वा सर्वं क्षमयित्वा क्षमे सर्वस्य' सङ्घस्य 'अहमपीति' गाथार्थः ॥ ४७० ॥ तथा सव्वस्स जीवरासिस्स, भावओ धम्मनिहिअनिअचित्तो । सव्वं खमावइत्ता, खमामि सव्वस्स अहयंपि ॥ ४७१ ॥ वृत्ति:-'सर्वस्यजीवराशे'महासामान्यरूपस्य भावतः'प्रणिधानेन धर्मनिहितनिजचित्तः' सन् 'सर्वं क्षमयित्वा क्षमे सर्वजीवराशेरहमपी'ति गाथार्थः ॥ ४७१ ।। પ્રતિક્રમણ સૂત્ર કહીને વંદન કરે, પછી ગુણી સર્વ સાધુઓ ભાવથી આચાર્ય વગેરેને ખમાવે. શાસ્ત્રમાં (પન્નામાં) તેમ કરવાનું કહ્યું છે. [૪૬૮] આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક, કુલ અને ગણ પ્રત્યે મેં કષાયના પરિણામથી જે કોઈ કષાયો કર્યા હોય તેની આચાર્યાદિ પાસે ત્રિવિધ (મનવચન-કાયાથી) ક્ષમા યાચું છું. [૪૬] બે હાથથી મસ્તકે અંજલિ કરીને ઐશ્વર્યાદિ ગુણોપેત સર્વ શ્રમણસંઘ પાસે મારા સર્વ અપરાધોની ક્ષમા યાચીને હું પણ સર્વ શ્રમણસંઘને ક્ષમા આપું છું. [૪૭૦] હું સ્વચિત્તને ધર્મમાં સ્થાપિત કરીને સર્વ જીવો પાસે મારા સર્વ અપરાધોની વિશુદ્ધભાવથી ક્ષમા यायाने, हुँ ५९ सर्व वोने. क्षमा आधुं. [४७१] एवंविहपरिणामा, भावेणं तत्थ नवरमायरियं । खामंति सव्वसाहू, जइ जिट्ठो अन्नहा जेटुं ॥ ४७२ ॥ वृत्तिः- ‘एवंविधपरिणामाः' सन्तः 'भावेन' परमार्थे 'तत्र नवरमाचार्य' प्रथम Page #236 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ २११ 'क्षमयन्ति सर्वे साधवः यदि ज्येष्ठोऽसौ पर्यायेण, 'अन्यथा ज्येष्ठे' असति ज्येष्ठमसावपि क्षमयति, विभाषेत्यन्ये, शिष्यकादिश्रद्धाभङ्गनिवारणार्थं कदाचिदाचार्यमेवेति गाथार्थः ॥ ४७२ ॥ आयरिय उवज्झाए, काऊणं सेसगाण कायव्वं । उप्परवाडीकरणे, दोसा सम्मं तहाऽकरणे ॥ ४७३ ॥ वृत्ति:- 'आचार्योपाध्याययोः कृत्वा' क्षमणमिति गम्यते, 'शेषाणां' साधूनां यथारत्त्राधिकतया 'कर्त्तव्यं, उत्परिपाटीकरणे', विपर्ययकरण इत्यर्थः, 'दोषाः ' आज्ञादयः, 'सम्यक् तथा अकरणे' विकलकरणे च दोषा इति गाथार्थः ॥ ४७३ ॥ जा दुरिमोत्ति ता होइ, खामणं तीरिए पडिक्कमणे । आइ पुणति, गुरुस्स दोण्हं च देवसि ॥ ४७४ ॥ वृत्ति: - 'यावत् द्विचरम' इति द्वितीयश्च स चरमश्च क्षमणापेक्षया, 'एतावद् भवति क्षमणं, 'तीरिते प्रतिक्रमणे' पठिते प्रतिक्रमणे इत्यर्थः, 'आचरितं पुनस्त्रयाणां गुरोर्द्वयोश्च' शेषयो दैवसिक' इति गाथार्थः || ४७४ | પરમાર્થથી (દેખાવથી નહિ) આવા પરિણામવાળા બનીને સાધુઓ પહેલાં આચાર્યને ખમાવે, પણ તેમાં જો આચાર્ય દીક્ષાપર્યાયથી બધાથી મોટા હોય તો સર્વ સાધુઓ આચાર્યને ખમાવે. જો આચાર્ય બધાથી મોટા ન હોય તો આચાર્ય પણ પોતાનાથી મોટાને ખમાવે. અન્ય આચાર્યો કહે છે કે આમાં નિયમ નથી. અર્થાત્ આચાર્ય પોતાનાથી મોટાને ખમાવે જ એવો નિયમ નથી. આચાર્ય પ્રત્યે શિષ્ય વગેરેની શ્રદ્ધામાં ખામી ન આવે એ માટે ક્યારેક આચાર્યને જ સાધુઓ ખમાવે. [૪૭૨] આચાર્ય અને ઉપાધ્યાયને ખમાવ્યા પછી બાકીના સાધુઓને રત્નાધિકના ક્રમથી ખમાવવા. વિપરીત કરવાથી, ન કરવાથી કે અપૂર્ણ કરવાથી આજ્ઞાભંગ વગેરે દોષો લાગે. [૪૭૩] (કેટલા સાધુઓને ખમાવવા એ અંગે કહે છે કે) પ્રતિક્રમણસૂત્ર પૂર્ણ થયા પછી બે સાધુ બાકી રહે ત્યાં સુધી સર્વ સાધુઓને (રત્નાધિકના ક્રમથી) ખમાવવા. પણ આચરણા તો દૈવસિક 'આવશ્યકમાં એક ગુરુ અને બીજા બે સાધુ એમ ત્રણને ખમાવવાની છે. [૪૭૪] आचरितकल्पप्रवृत्तिमाह धिइसंघयणाईणं, मेराहाणि च जाणिउं थेरा । सेहअगी अत्थाणं, ठवणा आइण्णकप्पस्स ॥ ४७५ ॥ वृत्ति:- 'धृतिसंहननादीनां ' हानिं' मर्यादाहानिं च ज्ञात्वा स्थविरा ' गीतार्थाः' शिष्यकागीतायो विपरिणामनिवृत्त्यर्थं 'स्थापनां' कुर्वन्तीति स्थापना 'आचरितकल्पस्येति' गाथार्थः ॥ ४७५ || ૧. દૈવસિકના ઉપલક્ષણથી રાત્રિક આવશ્યકમાં પણ ત્રણને ખમાવવાની આચરણા છે. પાક્ષિક આવશ્યકમાં પાંચ અને ચાતુર્માસિકસાંવત્સરિક આવશ્યકમાં સાતને ખમાવવાની આચરણા છે. બૃ. કે. ગા. ૪૪૯૭. Page #237 -------------------------------------------------------------------------- ________________ २१२ ] આચરણાકલ્પની પ્રવૃત્તિ કેમ છે એ કહે છે— ધૃતિ (માનસિક બળ), સંઘયણ (શારીરિક બળ) વગેરેની હાનિ અને શાસ્ત્રોક્ત મર્યાદાની આચારોની હાનિ જાણીને ગીતાર્થો શૈક્ષક અને અગીતાર્થોને વિપરિણામ ન થાય એ માટે વર્તમાનકાલીન સાધુઓને યોગ્ય હોય એવી આચરણા રૂપ કલ્પની સ્થાપના કરે ‘છે. [૪૭૫] अहवा [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवाद असढेण समाइण्णं, जं कत्थइ केणई असावज्जं । न निवारिअमण्णेहि अ, बहुमणुमयमेअमाइण्णं ॥ ४७६ ॥ वृत्ति:- 'अशठेन समाचरितं 'यत्' किञ्चिद् 'क्वचित्' द्रव्यादौ 'केनचित् ' प्रमाणस्थेन 'असावद्यं' प्रकृत्या 'न निवारितम् अन्यैश्च' गीतार्थैश्चारुत्वादेव, इत्थं 'बह्वनुमतमेतदाचरितमि 'ति गाथार्थः ॥ ४७६ ॥ (आयरशानुं लक्ष हे छे -) અશઠ (= રાગ દ્વેષથી રહિત) એવા પ્રામાણિક કોઈ ગીતાર્થે કોઈ તેવા પુષ્ટ કારણે સ્વભાવથી અસાવદ્ય (પાપથી રહિત) એવું જે કંઈ આચરણ કર્યું હોય અને યોગ્ય હોવાથી જ તેનો અન્ય ગીતાર્થોએ નિષેધ ન કર્યો હોય તે આચરણા કહેવાય. આમ આ આચરણા ઘણાઓને સંમત હોય. [૪૭૬] अमुमेवार्थं विशेषेणाह १. . . . ४४८८ वगेरे. = विअडणपच्चक्खाणे, सुए अ रयणाहिआवि उ करिंति । मज्झिल्लेण करेंती, सो चेव य तेसि पकरेइ ॥ ४७७ ॥ वृत्ति:- 'विकटनप्रत्याख्यानयो 'रित्यत्र विकटनम् - आलोचनं प्रत्याख्यानं प्रतीतं, 'श्रुते च' उद्दिश्यमानादौ 'रत्नाधिका अपि तु' ज्येष्ठार्या अपि 'कुर्वन्ति', वन्दनमिति प्रक्रमात् गम्यते, 'मध्यम' इति क्षमण इत्यर्थः, 'न कुर्वन्ति', अपि तु 'स एवा 'चार्य स्तेषां' रत्नाधिकानां 'करोति' वन्दनमिति गाथार्थः ॥ ४७७ ॥ આ જ અર્થને વિશેષથી કહે છે— આલોચના કરવી હોય, પચ્ચક્ખાણ લેવું હોય, શ્રુત ભણવું હોય, ત્યારે રત્નાધિક પણ સાધુઓ દીક્ષાપર્યાયથી નાના પણ આચાર્યને વંદન કરે, પણ આવશ્યકમાં (પ્રતિક્રમણમાં) મધ્યમ ખામણામાં (અભુદ્ઘિઓ ખામવામાં) રત્નાધિકો દીક્ષાપર્યાયથી નાના આચાર્યને વંદન કરતા નથી, કિંતુ આચાર્ય ४ रत्नाधिोने वंधन १२ छे. [४७७] खामित्तु तओ एवं करिति सव्वेऽवि नवरमणवज्जं । रेसम्म दुरालोइअ, दुप्पडिकंतस्स उस्सग्गं ॥ ४७८ ॥ Page #238 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [२१३ वृत्तिः- 'क्षमयित्वा ततः' तदनन्तरं 'एवम्' उक्तेन प्रकारेण 'कुर्वन्ति, सर्वेऽपि' साधवः, 'नवरमनवयं'-सम्यगित्यर्थ, 'रेखे दुरालोचितदुष्प्रतिक्रान्तयोः', तन्निमित्तमिति भावः, 'कायोत्सर्गमि'ति गाथार्थः ॥ ४७८ ।। આ રીતે ખમાવ્યા પછી બધાય સાધુઓ દુરાલોચિત-દુષ્પતિકાંત નિમિત્તે એટલે કે આલોચનાપ્રતિક્રમણ બરોબર ન કર્યા હોય એ નિમિત્તે વિધિપૂર્વક કાયોત્સર્ગ કરે. [૪૭૮] अत्रापि कायोत्सर्गकरणे प्रयोजनमाह जीवो पमायबहुलो, तब्भावणभाविओ अ संसारे । तत्थवि संभाविज्जइ, सुहमो सो तेण उस्सग्गो॥ ४७९ ॥ वृत्ति:- 'जीवः प्रमादबहुल: तद्भावनाभावित एव' प्रमादभावनाभावितस्तु 'संसारे', यतश्चैवमतोऽभ्यासपाटवात् 'तत्रापि' आलोचनादौ 'सम्भाव्यते सूक्ष्मः असौ' प्रमादः ततश्च दोष इति, 'तेन' कारणेन तज्जयाय 'कायोत्सर्ग' इति गाथार्थः ॥ ४७९ ॥ દુરાલોચિત-દુષ્યતિક્રાંતિ નિમિત્તે કાયોત્સર્ગ કરવાનું કારણ કહે છે– સંસારમાં જીવ અધિક પ્રમાદવાળો છે. કારણ કે (અનાદિકાળથી પોપેલા) પ્રમાદભાવથી ભાવિત છે. આમ સતત અભ્યાસના કારણે આલોચના વગેરે કરવામાં પણ સૂક્ષ્મ પ્રમાદ થઈ જાય એ સંભવિત છે. સૂક્ષ્મ પણ પ્રમાદ દોષ છે. આથી સૂક્ષ્મ પ્રમાદને જીતવા-દૂર કરવા માટે દુરાલોચિતहुष्प्रतित निमित्त आयोत्स[ ४२।य छे. [४७८] चोएइ हंदि एवं, उस्सग्गंमिवि स होइ अणवत्था । भण्णइ तज्जयकरणे, का अणवत्था जिए तम्मि? ॥ ४८० ॥ वृत्तिः- 'चोदयति' शिक्षक:-'हन्त' यद्येवं 'कायोत्सर्गेऽपि सः'-सूक्ष्मः प्रमादो 'भवति', ततश्च तत्रापि दोषः, तज्जयायापरकरणं, तत्राप्येष एव वृत्तान्त इति 'अनवस्था', एतदाशङ्याह-'भण्यते' प्रतिवचनं-'तज्जयकरणे' अधिकृतसूक्ष्मप्रमादजयकरणे प्रस्तुते 'काऽनवस्था जिते तस्मिन्' सूक्ष्मप्रमाद इति गाथार्थः ॥ ४८० ॥ तत्थवि अ जो तओवि हु, जीअइ तेणेव ण य सया करणं । सव्वोवि साहुजोगो, जं खलु तप्पच्चणीओत्ति ॥ ४८१ ॥ वृत्ति:- 'तत्रापि च' इतरकायोत्सर्गे 'यः' पूर्वोक्तयुक्त्या पतितः सूक्ष्मः प्रमादः 'तकोऽपि'असावपि 'जीयते' तिरस्क्रियते यदितरेण तदुत्तरकालभाविना कायोत्सर्गेण तत्रापि यः असावपीतरेण, स्यादेतद्, एवं सदा कायोत्सर्गकरणापत्तिरित्याशङ्कयाह-'न च सदा करणं', कायोत्सर्गस्येति गम्यते, कुत इत्याह-'सर्वोऽपि साधुयोगः' सूत्रोक्तः श्रमणव्यापार: यस्मात्, Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते खलुशब्दो विशेषणार्थः, भावप्रधान इत्यर्थः, 'तत्प्रत्यनीक इति सूक्ष्मप्रमादप्रत्यनीकः अत एव भगवदुक्तानुपूर्व्या विहितानुष्ठानवन्तो विनिर्जित्य प्रमादं वीतरागा भवन्ति, इत्थं जेयताया एव तस्य भगवद्भिः ज्ञाततत्त्वा (ज्ञापितत्वात्, अत्र) बहु वक्तव्यम्, इत्यलं प्रसङ्गेन इति गाथार्थः । ४८१ ।। एस चरित्तुस्सग्गो, दसणसुद्धीएँ तइअओ होइ । सुअनाणस्स चउत्थो, सिद्धाण थुई य किइकम्मं ॥ ४८२ ॥ सूचागाहा ॥ વૃત્તિ - “ષ ચારિત્રયો:', તા(થ) “સર્જનશદ્ધિનિમિત્તે તૃતીય મવતિ', प्रारम्भकायोत्सर्गापेक्षया तस्य तृतीयत्वम्, 'श्रुतज्ञानस्य चतुर्थः', एवमेव 'सिद्धेभ्यः स्तुतिश्च' तदनुकृतिकर्म' वन्दनमिति सूचागाथासमासार्थः ॥ ४८२ ॥ (શિષ્યનો પ્રશ્ન કહીને તેનો ઉત્તર આપે છે...) અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે- એમ તો કાયોત્સર્ગમાં પણ સૂક્ષ્મ પ્રમાદ થાય, તેથી તેમાં પણ દોષ લાગે, તેથી તેના જય માટે બીજો કાયોત્સર્ગ કરવો જોઈએ, તેમાં પણ આ જ ઘટના બને. આથી અનવસ્થા થાય. આનો ઉત્તર એ છે કે- સૂક્ષ્મ પ્રમાદ જીતાઈ જતાં પ્રસ્તુત સૂક્ષ્મ પ્રમાદનો જય કરવામાં શી અનવસ્થા થાય? અર્થાત્ ન થાય. [૪૮] કારણ કે બીજા કાયોત્સર્ગમાં પૂર્વોક્તયુક્તિથી જે સૂક્ષ્મ પ્રમાદ થાય, તે પ્રમાદ ત્યારપછી થનારા (ત્રીજા) કાયોત્સર્ગથી જીતાય છે, તેમાં (ત્રીજા કાયોત્સર્ગમાં) પણ જે પ્રમાદ થાય, તે ત્યારપછી થનારા (ચોથા) કાયોત્સર્ગથી જીતાય છે. (ત સા ર =) કદાચ કોઈને એમ થાય કે આ રીતે તો સદા કાયોત્સર્ગ કરવાની આપત્તિ આવે, પણ તેમ નથી. (સદ્ગો વિ...) કારણ કે સાધુના ભાવપ્રધાન (ભાવની પ્રધાનતાવાળા) બધાંય અનુષ્ઠાનો સૂક્ષ્મપ્રમાદના શત્રુ છે. આથી જ ભગવાને કહેલા ક્રમથી શાસ્ત્રોક્ત અનુષ્ઠાન કરનારા સાધુઓ પ્રમાદને જીતીને વીતરાગ બને છે. કારણ કે આ રીતે કરવાથી પ્રમાદ અવશ્ય જીતી શકાય છે, એમ ભગવાને કહ્યું છે. અહીં ઘણું કહેવા જેવું છે. પણ આ વિષય પ્રાસંગિક હોવાથી વધારે કહેવાથી સર્યું. [૪૮૧] આ (= ખમાવ્યા પછી થતો) કાયોત્સર્ગ ચારિત્રકાયોત્સર્ગ છે, અર્થાત ચારિત્રની શુદ્ધિ નિમિત્તે કરાય છે. ત્રીજો કાયોત્સર્ગ દર્શનશુદ્ધિ નિમિત્તે છે. પ્રારંભના (અતિચાર ચિંતનના) કાયોત્સર્ગની અપેક્ષાએ આ કાયોત્સર્ગ ત્રીજો સમજવો. ચોથો કાયોત્સર્ગ શ્રુતજ્ઞાનની શુદ્ધિ માટે કરાય છે. ત્યારબાદ સિદ્ધોની સ્તુતિ અને પછી વંદન કરે. આ પ્રમાણે તારગાથાનો સંક્ષેપથી અર્થ છે. [૪૮] अवयवार्थमाह सामाइअपुव्वगं तं, करिति चारित्तसोहणनिमित्तं । पिअधम्मवज्जभीरू, पण्णासुस्सासगपमाणं ॥ ४८३ ॥ वृत्तिः- 'सामायिकपूर्वकं 'तं' प्रतिक्रमणोत्तरकालभाविनं कायोत्सर्ग 'कुर्वन्ति चारित्रशोधननिमित्तं', किंविशिष्टाः सन्त इत्याह-'प्रियधविद्यभीरवः पञ्चाशदुच्छ्वासप्रमाणमिति માથાર્થ: If ૪૮૩ Page #240 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] ऊसारिऊण विहिणा, सुद्धचरिता थयं पकड्ढित्ता । कडुंति तओ चेइअवंदणदंडं तउस्सग्गं ॥ ४८४ ॥ वृत्ति: - 'उत्सार्य 'विधिना' 'णमोऽरहंताण' मित्यभिधानलक्षणेन 'शुद्धचारित्रा:' सन्तः 'स्तवं' लोकस्योद्योतकररूपं प्रकृष्य, 'पठित्वे 'त्यर्थः, 'कर्षन्ति' पठन्तीत्यर्थः, 'ततः' तदनन्तरं 'चैत्यवन्दनदण्डकं' कर्षन्ति, ततः 'कायोत्सर्गं' कुर्वन्तीति गाथार्थः ॥ ४८४ ॥ किमर्थमित्याह [ २१५ दंसणसुद्धिनिमित्तं करेंति पणवीसगं पमाणेणं । उस्सारिऊण विहिणा, कड्ढति सुअत्थयं ताहे ॥ ४८५ ॥ वृत्ति:- 'दर्शनशुद्धिनिमित्तं कुर्वन्ति पञ्चविंशति' उच्छ्वासं 'प्रमाणेन, उत्सार्य विधिना' पूर्वोक्तेन कर्षन्ति श्रुतस्तवं ततः' 'पुक्खरवरे' त्यादिलक्षणमिति गाथार्थः ॥ ४८५ ॥ सुअनाणस्सुस्सग्गं, करिंति पणवीसगं पमाणेणं । सुत्तइयारविसोहणनिमित्तमह पारिउं विहिणा ॥ ४८६ ॥ वृत्ति:- 'श्रुतज्ञानस्य कायोत्सर्गं कुर्वन्ति पञ्चविंशति' उच्छ्वासमेव ' प्रमाणेन सूत्रातिचारविशोधन - निमित्तम्', 'अथ' अनन्तरं पारयित्वा विधिना पूर्वोक्तेनेति गाथार्थ: ।। ४८६ ।। ઉક્તદ્વાર ગાથાનો વિસ્તારથી અર્થ કહે છે ધર્મપ્રેમી અને પાપભીરુ સાધુઓ પ્રતિક્રમણસૂત્ર પછી સામાયિકસૂત્ર કહેવાપૂર્વક ચારિત્રની શુદ્ધિ નિમિત્તે પચાસ શ્વાસોશ્વાસ (બે લોગસ્સ) પ્રમાણ કાયોત્સર્ગ કરે. (ચારિત્રશુદ્ધિના કાયોત્સર્ગથી) શુદ્ધ ચારિત્રવાળા થયેલા સાધુઓ ‘નમો અરિહંતાણં’ એ પદો બોલીને કાયોત્સર્ગ પારે, પછીચતુર્વિંશતિ સ્તવ (લોગસ્સ) સૂત્ર કહીને ચૈત્યવંદન દંડક (અરિહંત ચેઈયાણું) સૂત્ર કહે. પછી દર્શનશુદ્ધિ નિમિત્તે પચીસ श्वासोश्वास (खेड लोगस्स) प्रमाएा प्रयोत्सर्ग उरे. पूर्वोक्त विधिथी प्रयोत्सर्ग पारे पछी पुक्खर वर ઈત્યાદિ ‘શ્રુતસ્તવ’ સૂત્ર કહીને શ્રુત (જ્ઞાન)ના અતિચારોની વિશુદ્ધિનિમિત્તે પચીસ શ્વાસોશ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે. પછી પૂર્વોક્ત વિધિથી કાયોત્સર્ગ પારે. [૪૮૩ થી ૪૮૬] चरणं सारो दंसणनाणा अंगं तु तस्स निच्छयओ । सारम्मि अ जइअव्वं, सुद्धी पच्छाणुपुव्वीए ॥ ४८७ ॥ वृत्ति:- व्याख्या - कण्ठ्या । (प्रयोत्सर्गना उभमा हेतु ४सावे छे -) પરમાર્થથી ચારિત્ર સારભૂત છે, દર્શન-જ્ઞાન તો ચારિત્રના અંગ છે. મોક્ષાર્થીએ સારને મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. માટે અહીં પશ્ચાનુપૂર્વીથી કાયોત્સર્ગ કરવાનું કહ્યું છે. પહેલાં જ્ઞાન थाय, पछी हर्शन थाय, त्यारजाह यारित्र यावे. भाटे ज्ञान-दर्शन-यारित्र से जानुपूर्वी छे. यारित्रदर्शन-ज्ञान से पश्चानुपूर्वी छे. [४८७ ] Page #241 -------------------------------------------------------------------------- ________________ २१६ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते किमित्याह सुद्धसयलाइआरा, सिद्धाणथयं पढंति तो पच्छा । पुव्वभणिएण विहिणा, किइकम्मं दिति गुरुणो उ॥ ४८८ ॥ वृत्तिः- 'शुद्धसकलातिचाराः सिद्धानां' सम्बन्धिनं 'स्तवं पठन्ति' 'सिद्धाण'मित्यादिलक्षणं, 'ततः पश्चात् पूर्वभणितेन विधिना 'कृतिकर्म' वन्दनं 'ददति, गुरवेऽपि' (गुरोस्तु) आचार्या-यैवेति गाथार्थः ॥ ४८८ ॥ કાયોત્સર્ગ પછી શું કરે તે કહે છે– (योत्स[थी) मना सर्व मतियारी शुद्ध (= नष्ट) 45 या छ मेवा साधुमो सिद्धाणं ઈત્યાદિ સિદ્ધસ્તવ' સૂત્ર કહે. પછી પૂર્વોક્ત વિધિથી ગુરુને જ વંદન કરે = વાંદણા આપે. [૪૮૮] किमर्थमित्येतदाह सुकयं आणतिपिव, लोए काऊण सुकयकिइकम्मा । वडंतिओ थुईओ, गुरुथुइगहणे कए तिण्णि ॥ ४८९ ॥ वृत्ति:- 'सुकृतामाज्ञामिव लोके कृत्वा' कश्चिद्विनीत: 'सुकृतकृतिकर्मा' सन्निवेदयति, एवमेतदपि द्रष्टव्यं, तदनु कायप्रमार्जनोत्तरकालं, 'वर्द्धमानाः स्तुतयो' रूपतः शब्दतश्च, 'गुरुस्तुतिग्रहणे कृते' सति 'तिस्रः' तिस्रो भवन्तीति गाथार्थः ॥ ४८९ ।। मा (छej) वहन । माटे ४३ ? छ જેમ લોકમાં વિનીત કોઈ પુરુષ કોઈએ કરેલી આજ્ઞાને બરોબર કર્યા પછી આજ્ઞા કરનારને બરોબર વંદન કરીને જણાવે છે, તેમ અહીં પણ સમજવું. ભાવાર્થ- રાજા સેવકોને કોઈ કામ કરવાની આજ્ઞા કરે ત્યારે સેવકો રાજાને પ્રણામ કરીને જાય છે, અને આજ્ઞા પ્રમાણે કાર્ય કરીને ફરી પ્રણામપૂર્વક (અમે આપે કહેલું કાર્ય કર્યું છે એમ) જણાવે છે, તેમ સાધુઓ પણ ગુરુવંદનપૂર્વક ચારિત્રાદિની વિશુદ્ધિ કરીને ફરીને ગુરુને વંદન કરીને જણાવે કે-આત્મવિશુદ્ધિ કરનારી આપની (= આવશ્યક કરવાની) આજ્ઞાનું અમે પાલન કર્યું છે. વંદન કર્યા પછી કાયાનું પ્રમાર્જન કરીને બેસીને) સ્વર અને શબ્દ એમ બંનેથી વધતી ત્રણ સ્તુતિઓ કહે. પહેલાં ગુરુ એક સ્તુતિ બોલે, પછી બીજા સાધુઓ ત્રણ સ્તુતિ કહે. [૪૮૯] एतदेवाह थुइमंगलम्मि गुरुणा, उच्चरिए सेसगा थूई बिंति । चिटुंति तओ थेवं, कालं गुरुपायमूलम्मि ॥ ४९० ॥ वृत्तिः- 'स्तुतिमङ्गले गुरुणा' आचार्येण 'उच्चारिते' सति ततः 'शेषाः' साधवः 'स्तुतीः ब्रुवते', ददतीत्यर्थः 'तिष्ठन्ति ततः' प्रतिक्रान्तानन्तरं 'स्तोकं कालम्', क्वेत्याह-'गुरुपादमूले'आचार्यान्तिके इति गाथार्थः ॥ ४९० ॥ Page #242 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] આ જ વિગત કહે છે પહેલાં આચાર્ય એક સ્તુતિ રૂપ મંગલ કહે, પછી બીજા સાધુઓ ત્રણ સ્તુતિ કહે. (પ્રતિક્રમણ પૂર્ણ થયું એના હર્ષ રૂપે આ ત્રણ સ્તુતિઓ બોલાય છે. આ સ્તુતિઓ કાર્યસમાપ્તિ પછીનું મંગલ છે. માટે અહીં ‘સ્તુતિમ તે’ એવો ઉલ્લેખ છે.) પ્રતિક્રમણ કર્યા પછી બધા સાધુઓ ગુરુ પાસે થોડી વાર બેસે છે. [૪૯૦] प्रयोजनमाह पम्हट्टमेरसारण, विणओ उ ण फेडिओ हवइ एवं । आयरणा सुअदेवयमाईणं होइ उस्सग्गो ॥ ४९१ ॥ વૃત્તિ:- તંત્ર ત્તિ ‘વિસ્મૃતમર્યાવાશ્મરનું' મતિ, ‘વિનયશ ન તિો’-નાતીતો ‘મતિ एवं' उपकार्यासेवनेन, एतावत् प्रतिक्रमणं, 'आचरणया श्रुतदेवतादीनां भवति कायोत्सर्गः ', आदिशब्दात् क्षेत्रभवनदेवतापरिग्रह इति गाथार्थः ॥ ४९१ ॥ [ ૨૨૭ પ્રતિક્રમણ કર્યા પછી ગુરુ પાસે બેસવાનું કારણ કહે છે— કદાચ કોઈ સામાચારી ભૂલાઈ ગઈ હોય (કહેવાની રહી ગઈ હોય) તો આચાર્ય ભગવંત કહે. તથા ઉપકારી ગુરુની પગ દબાવવા વગેરે સેવા કરવાથી વિનયનું પણ પાલન થાય, માટે પ્રતિક્રમણ કર્યા પછી બધા સાધુઓ થોડી વાર ગુરુ પાસે બેસે. આટલું પ્રતિક્રમણ છે આટલો પ્રતિક્રમણનો વિધિ છે. શ્રુતદેવતા, ક્ષેત્રદેવતા અને ભવનદેવતાનો કાયોત્સર્ગ આચારણાથી થાય છે. [૪૯૧] चाउम्मासि वरिसे, उस्सग्गो खित्तदेवयाए उ । पक्खि सिज्जसुराए, करिंति चउमासिए वेगे ॥ ४९२ ॥ वृत्ति:- चातुर्मासिके वार्षिके च, प्रतिक्रमण इति गम्यते, कायोत्सर्गः क्षेत्रदेवताया इति, पाक्षिके शय्यासुरायाः भवनदेवताया इत्यर्थः कुर्वन्ति, चातुर्मासिकेऽप्येके मुनय इत्यर्थः ॥ ४९२ ॥ ચાતુર્માસિક અને વાર્ષિક પ્રતિક્રમણમાં ક્ષેત્રદેવતાનો અને પાક્ષિક પ્રતિક્રમણમાં ભવનદેવતાનો કાયોત્સર્ગ કરે છે. કોઈ સાધુઓ ચાતુર્માસિક પ્રતિક્રમણમાં પણ ભવનદેવતાનો કાયોત્સર્ગ કરેછે. [૪૯૨] पाउसिआई सव्वं, विसेससुत्ताओ एत्थ जाणिज्जा । पच्चूसपडिक्कमणं, अहक्कमं कित्तइस्सामि ॥ ४९३ ॥ वृत्ति:- 'प्रादोषिकादि सर्वं' कालग्रहणस्वाध्यायादि 'विशेषसूत्रात्' निशीथाऽऽवश्यका' देवगन्तव्यम्, प्रत्यूषप्रतिक्रमणं यथाक्रमम्' आनुपूर्व्या' कीर्त्तयिष्यामि' अत ऊर्ध्वमिति गाथार्थः ॥ ४९३ ॥ સંધ્યા વગેરેમાં ક૨વાનાં કાલગ્રહણ, સ્વાધ્યાય વગેરે સર્વ અનુષ્ઠાનો નિશીથ, આવશ્યક વગેરે સૂત્રોમાંથી જાણી લેવાં. હવે અમે સવારનું પ્રતિક્રમણ ક્રમશઃ કહીશું. [૪૯૩] Page #243 -------------------------------------------------------------------------- ________________ २१८ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते सामइयं कड्डित्ता, चरित्तसुद्धत्थ पढममेवेह । पणवीसुस्सासं चिअ, धीरा उ करिति उस्सग्गं ।। ४९४ ॥ वृत्तिः- 'सामायिकमाकृष्य' पूर्वक्रमेण 'चारित्रविशुद्धयर्थं प्रथममेवेह पञ्चविंशत्युच्छ्वासमेव' पूर्ववद् ‘धीराः कुर्वन्ति कायोत्सर्गमिति गाथार्थः ॥ ४९४ ॥ उस्सारिऊण विहिणा, सुद्धचरित्ता थयं पकड्डित्ता । दंसणसुद्धिनिमित्तं, करिति पणुवीसउस्सग्गं ॥ ४९५ ॥ वृत्तिः- 'उत्सार्य विधिना'-'नमोऽर्हद्भ्य' इति वचनलक्षणेन 'शुद्धचारित्राः स्तवं'लोकस्योद्योतकरेत्यादिलक्षणं प्रकृष्य दर्शनशुद्धिनिमित्तं कुर्वन्ति पञ्चविंशत्युच्छ्वासमुत्सर्गमिति गाथार्थः ॥ ४९५ ॥ ऊसारिऊण विहिणा, कड्रिंति सुयस्थवं तओ पच्छा । काउस्सग्गमणिययं, इहं करेंती उ उवउत्ता ॥ ४९६ ॥ वृत्तिः- 'उत्सार्य विधिना कर्षन्ति श्रुतस्तवं' 'पुक्खरवरे'त्यादिलक्षणं, 'ततः पश्चात् कायोत्सर्गमनियतमानमिति, अतिचाराणामनियतत्वात्, 'इह' अत्र प्रस्तावे 'कुर्वन्त्युपयुक्ता' इति अत्यन्तोपयुक्ता इति गाथार्थः ॥ ४९६ ॥ ધીર સાધુઓ પૂર્વે દેવસિક પ્રતિક્રમણમાં કહ્યું તે ક્રમે પહેલાં સામાયિક સૂત્ર કહીને પહેલાં જ ચારિત્રની વિશુદ્ધિ નિમિત્તે પચીસ શ્વાસોશ્વાસ પ્રમાણ જ કાયોત્સર્ગ કરે. પછી (ચારિત્રવિશુદ્ધિનો કાયોત્સર્ગ કરવાથી) શુદ્ધચારિત્રવાળા થયેલા સાધુઓ વિધિપૂર્વક કાયોત્સર્ગ પારીને “ચતુર્વિશતિસ્તવ” વગેરે સૂત્રો કહીને દર્શનશુદ્ધિ નિમિત્તે પચીસ શ્વાસોશ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે. વિધિપૂર્વક કાયોત્સર્ગ પારીને ‘શ્રુતસ્તવ' વગેરે સૂત્રો કહીને અતિશય ઉપયોગપૂર્વક (અતિચાર ચિંતન નિમિત્તે) કાયોત્સર્ગ કરે. અતિચારો નિયત ન હોવાથી આ કાયોત્સર્ગનું પ્રમાણ નિયત નથી. [૪૯૪ થી ૪૯૬] __ अत्र यच्चिन्तयति तदाह पाउसिअथुइमाई, अहिगयउस्सग्गचिट्ठपज्जंते । चिंतिति तत्थ सम्मं, अइयारे राइए सब्वे ॥ ४९७ ॥ वृत्ति:- 'प्रादोषिकस्तुतिप्रभृतीनां' प्रादोषिकप्रतिक्रमणान्तस्तुतेरारभ्य अधिकृतकायोत्सर्गचेष्टापर्यन्ते' प्रस्तुतकायोत्सर्गव्यापारावसान इति भावः, अत्रान्तरे 'चिन्तयति, तत्र' क्रियाकलापे 'सम्यग्' उपयोगपूर्वकं अतिचारान्'-स्खलितप्रकारान् ‘रात्रिकान् सर्वान्' सूक्ष्मादिभेदभिन्नानिति गाथार्थः ॥ ४९७ ॥ આ કાયોત્સર્ગમાં જે ચિંતન કરે તે કહે છેસાંજના પ્રતિક્રમણના અંતે બોલાતી ત્રણ સ્તુતિઓથી આરંભી પ્રસ્તુત કાયોત્સર્ગની ક્રિયા સુધીમાં Page #244 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ २१९ લાગેલા સૂક્ષ્મ-બાદ૨ વગેરે સર્વ પ્રકારના રાત્રિક અતિચારોનું ઉપયોગપૂર્વક ચિંતન કરે. [૪૯૭] पश्चादतिचारचिन्तने प्रयोजनमाह निद्दामत्तो न सरइ, अइआरे मा य घट्टणं ऽन्नोऽण्णं । कि अकरणदोसा वा, गोसाई तिण्णि उस्सग्गा ॥ ४९८ ॥ वृत्ति:- 'निद्रामत्तो न स्मरयत्यतिचारान्' सम्यक्, तथा 'मा च घट्टनमन्योऽन्यं'परस्परतः, कृत्यकरणदोषा वा समं स्वकारे (स्युरन्धकारे) अतो गोसे आदौ त्रयः कायोत्सर्गा इति गाथार्थः ॥ ४९८ ॥ દૈવસિક પ્રતિક્રમણમાં અતિચારોનું ચિંતન ચારિત્રશુદ્ધિ વગેરેના કાયોત્સર્ગની પહેલાં છે, જ્યારે રાત્રિક પ્રતિક્રમણમાં અતિચારોનું ચિંતન ચારિત્રશુદ્ધિ વગેરેના કાયોત્સર્ગની પછી કેમ છે તે કહે છે— નિદ્રાથી ઘેરાયેલ સાધુ અતિચારોને બરોબર યાદ ન કરી શકે, તથા અંધારે વંદન કરવામાં સાધુઓને પરસ્પર સંઘટ્ટ થાય, અથવા અંધકારમાં ન દેખાવાથી મંદ ભાવનાવાળા સાધુઓ વંદન ન કરે. આ કારણોથી સવારે પહેલાં ત્રણ કાયોત્સર્ગો છે. (કાયોત્સર્ગો કરવાથી નિદ્રાની અસર દૂર થાય અને વંદન આવે ત્યાં સુધીમાં કંઈક અજવાળું પણ થઈ જાય, માટે સવારે પહેલાં કાઉસ્સગ્ગો છે.) [૪૯૮] तत्रापि तइए निसाइआरं, चिंतइ चरिमे अ किं तवं काहं ? छम्मासा एगदिणाइहाणि जा पोरिसि नमो वा ॥ ४९९ ॥ वृत्ति:- 'तृतीये' कायोत्सर्गे' निशातिचारंचिन्तयति, चरमे' प्रतिक्रमणकालोत्तरकालभाविनि 'किं तपः करिष्यामि ?', चिन्तयतीति वर्त्तते, 'षण्मासादेकदिनादिहान्या' निर्व्याजं शक्तिमाश्रित्य 'यावत् पौरुषीं नमस्कारसहितं वा' चिन्तयतीति गाथार्थ: ।। ४९९ ॥ રાત્રિક પ્રતિક્રમણમાં ત્રીજા કાયોત્સર્ગમાં અતિચારો ચિંતવે અને છેલ્લા (= પ્રતિક્રમણસૂત્ર પછી થતા) કાયોત્સર્ગમાં હું આજે શું તપ કરીશ એમ ચિંતવે. ચિંતનમાં છ માસથી આરંભી ક્રમશઃ એક વગેરે દિવસોને ઘટાડતાં ઘટાડતાં છેલ્લે પોરિસી કે નવકારશીનું પણ પ્રત્યાખ્યાન ચિંતવે મનમાં ધારે. આ ચિંતન કોઈ જાતના દંભ વિના મારામાં આજે કેટલો તપ કરવાની શક્તિ છે એમ પોતાની શક્તિને આશ્રયીને કરવાનું છે. [૪૯] एतदेव व्याचष्टे तइए निसाइआरं, चिंतिअ उस्सारिऊण विहिणा उ । सिद्धत्यं पढित्ता, पडिक्कमंते जहापुवि ॥ ५०० ॥ वृत्ति:- 'तृतीये' कायोत्सर्गे 'निशातिचारं चिन्तयित्वा' तदनन्तरं 'उत्सार्य विधिना' पूर्वोक्तेन 'सिद्ध- स्तवं ' ' सिद्धाण' मित्यादिलक्षणं' पठित्वा प्रतिक्रामन्ति, यथापूर्वं ' पदं पदेनेति गाथार्थः ॥ ५०० ॥ Page #245 -------------------------------------------------------------------------- ________________ २२० ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते सामाइअस्स बहुहा, करणं तप्पुव्वगा समणजोगा । सइसरणाओ अ इमं, पाएण निदरिसणपरं तु ॥ ५०१ ॥ वृत्तिः- उक्तार्था ॥ सा४४ छ ત્રીજા કાયોત્સર્ગમાં રાત્રિક અતિચારો ચિંતવી પૂર્વોક્ત વિધિથી કાયોત્સર્ગ પારી સિદ્ધસ્તવ' કહે. પછી પૂર્વે (ગા. ૪૬૬માં) કહ્યું તેમ એક પણ પદ ન રહી જાય તેમ દરેક પદ છૂટું છૂટું બોલીને प्रतिभा सूत्र 3. [५००] પ્રશ્ન- પ્રતિક્રમણમાં સામાયિક સૂત્રનું ઉચ્ચારણ અનેકવાર કેમ કરવામાં આવે છે? ઉત્તર- સાધુઓના સર્વ અનુષ્ઠાનો સામાયિક (સમભાવ)પૂર્વક છે = સમભાવમાં રહીને કરવાનાં છે. સામાયિકસૂત્રના વારંવાર સ્મરણથી પ્રાયઃ સામાયિક = સમભાવ આવે છે (= સ્થિર રહે છે) એ જણાવવા માટે જ પ્રતિક્રમણમાં સામાયિકસૂત્ર અનેકવાર કહેવામાં આવે છે. [૫૦૧] खामित्तु करिंति तओ, सामाइअपुव्वगं तु उस्सग्गं । तत्थ य चिंतिंति इमं, कत्थ निउत्ता वयं गुरुणा ? ॥५०२ ॥ वृत्तिः- 'क्षमयित्वा' गुरुं कुर्वन्ति ततः सामायिकपूर्वमेव कायोत्सर्ग, तत्र च' कायोत्सर्गे 'चिन्तयत्येतत्- कुत्र नियुक्ता वयं गुरुणा ?', ग्लानप्रतिजागरणादौ इति गाथार्थः ।। ५०२ ॥ जह तस्स न होइच्चिय, हाणी कज्जस्स तह जयंतेवं । छम्मासाइकमेणं, जा सक्कं असढभावाणं ॥ ५०३ ॥ वृत्तिः- 'यथा तस्य न भवत्येव हानिः कार्यस्य' गुर्वादिष्टस्य तथा यतन्ते' उद्यमं कुर्वन्ति, 'एवं षण्मासादिक्रमेण, यावच्छक्यं' पौरुष्यादि 'अशठभावानामि'ति गाथार्थः ॥ ५०३ ॥ तं हियए काउणं, किइकम्मं काउ गुरुसमीवम्मि । गिण्हंति तओ तं चिअ, समगं नवकारमाईअं॥५०४ ॥ वृत्तिः- 'तत्' शक्यं 'हृदये कृत्वा' सम्यक् ‘कृतिकर्म कृत्वा गुरुसमीपे गृह्णन्ति ततः' तदनन्तरं 'तदेव' चिन्तितं 'समक'मिति युगपत् 'नमस्कारसहितादी 'ति गाथार्थः ॥ ५०४ ॥ ગુરુને ખમાવીને સામાયિક સૂત્ર કહીને કાયોત્સર્ગ કરે. કાયોત્સર્ગમાં એ ચિતવે કે-ગુરુએ અમને ગ્લાનસેવા વગેરે કયા કાર્યમાં જોડ્યા છે? આમ ચિંતવીને ગુરુએ જે કામ કરવાનું કહ્યું હોય તે કામને વાંધો ન આવે તે રીતે પ્રયત્ન કરે. તથા દંભરહિત બનીને છ માસ વગેરેના ક્રમથી ચિંતવતાં ચિંતવતાં પોતાની તપ કરવાની શક્તિ હોય ત્યાં સુધી ચિંતવે, વધારે તપ કરવાની શક્તિ ન હોય તો છેલ્લે પોરિટી કે નવકારશી પણ તપ ચિંતવે મનમાં ધારે. શક્ય તપને મનમાં ધારીને (કાયોત્સર્ગપારીને) ગુરુને વંદન કરીને તેમની પાસે તે તપનું બધા સાધુઓ સાથે પચ્ચક્ખાણ લે. [૫૦૦-૫૦૩-૫૦૪] Page #246 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [२२१ कथं गृह्णन्तीत्याह आगारेहि विसुद्धं, उवउत्ता जहविहीएँ जिणदिटुं । सयमेवऽणुपालणि दाणुवएसे जह समाही ॥ ५०५ ॥ वृत्तिः- 'आकारैः' अनाभोगादिभि 'विशुद्धमुपयुक्ताः' सन्तो 'यथा विधिनैव' वक्ष्यमाणेन, 'जिनदृष्ट'मेतत्, 'स्वयमेवानुपालनीयं', न तु प्राणातिपातादिप्रत्याख्यानवत् परतोऽपि, अत एवाह-'दानोपदेशयोर्यथा समाधि'र त्रेति गाथार्थः ॥ ५०५ ॥ પચ્ચકખાણ કેવી રીતે લે એ કહે છે– સાધુઓ ઉપયોગપૂર્વક હવે કહેવાશે તે વિધિથી અનાભોગ વગેરે આગારોથી વિશુદ્ધ એવું छिनोत ५थ्य५५॥१५ से. (सयमेवऽणुपालणि=) मा प्रत्याध्याननु स्वयं ४ पासन ४२वान छ, પ્રાણાતિપાત વગેરેના પ્રત્યાખ્યાનની જેમ બીજા પાસે પાલન કરાવવાનું નથી, અર્થાત્ જેમ પ્રાણાતિપાત વગેરેના પ્રત્યાખ્યાનમાં હું નહિ કરું અને બીજા પાસે નહિ કરાવું ઈત્યાદિ પચ્ચખાણ લેવામાં આવે છે તેમ તપના પ્રત્યાખ્યાનમાં નથી. તપના પ્રત્યાખ્યાનમાં તો હું અમુક આહાર નહિ કરું એમ પોતાનેજ પાલવાનો નિયમ હોય છે. આથી જ તપના પ્રત્યાખ્યાનમાં બીજાઓને આહાર આપવાનો નિષેધ નથી. જેમ બીજાઓને આહાર આપવાનો નિષેધ નથી, તેમ બીજાઓને તમે ભોજન કરો, અમુક ઘરેથી આહાર લઈ આવો વગેરે ઉપદેશ (પ્રેરણા) કરવાનો પણ નિષેધ નથી. પોતાની અનુકૂળતા (= संयोगो) प्रभारी जीने माहानु हान भने माहारनो ७५१२२ (प्रे२५॥) 3री श. [५०५] आकारैरनाभोगादिभिर्विशुद्धमित्युक्तं, तानाह नवकारपोरसीए, पुरिमड्ढेक्कासणेगठाणे अ । आयंबिलऽभत्तढे, चरिमे अअभिग्गहे विगई ॥५०६ ।। दो छच्च सत्त अट्ठ य, सत्तट्ट य पंच छच्च पाणम्मि । चउ पंच अट्ठ नवए, पत्तेअं पिंडए नवए ॥ ५०७ ॥ वृत्तिः- 'नमस्कार' इति उपलक्षणत्वात् नमस्कारसहिते 'पौरुष्यां पुरियाद्धे एकासने एकस्थाने च आयाम्ले अभक्तार्थे चरमे च अभिग्रहेविकृतौ', किं?-यथासङ्ख्यमेते आकाराः द्वौ षट्सप्त अष्टौ च सप्त अष्टौ च पञ्च षट् ( पाने) चतुः पञ्च नवाष्टौ प्रत्येकं, पिण्डके नवक' इति गाथाद्वयाक्षरार्थः । ५०६ ॥ ५०७ ॥ “અનાભોગ વગેરે આગારોથી વિશુદ્ધ” એમ કહ્યું, આથી આગારોને કહે છે– ___ न4.८२२, पोरिसी, पुरिम, भेडास, मेस.8, मालिसा, ७५वास, यरिभ, समियह भने विपना प्रत्याध्यानमा अनुबे, ७, सात, 2406, सात, 216, पांय, यार, या२-पांय सने नव-म18 मारो छे. पिंड (= 5811) विगमा नव मारो छे. पीन। પ્રત્યાખ્યાનમાં છ આગારો છે. બે ગાથાનો આ અક્ષરાર્થ છે. [૫૦૬-૫૦૭] Page #247 -------------------------------------------------------------------------- ________________ २२२ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते भावार्थमाह दो चेव नमुक्कारे, आगारा छच्च पोरिसीए उ । सत्तेव य पुरिमड्ढे, एकासणगम्मि अद्वैव ॥ ५०८ ॥ वृत्तिः- 'द्वावेव नमस्कारे आकारौ', इह नमस्कारग्रहणात् नमस्कारसहितं गृह्यते, तत्र द्वावेवा-कारौ, आकारो हि नाम प्रत्याख्यानापवादहेतुः, इह च सूत्रम्- "सूरे उग्गए नमुक्कारसहिअं पच्चक्खाइ चउव्विहंपि आहारं असणं पाणं खाइमं साइमं अण्णत्थणाभोगेणं सहसागारेणं वोसिरइ" सूत्रार्थः प्रकट एव, आकारार्थस्त्वयम्-आभोगनमाभोगः न आभोगोऽनाभोगः अत्यन्तविस्मृतिरित्यर्थः तेन, अनाभोगं मुक्त्वेत्वर्थः, अथ सहसा करणं सहसाकारः अतिप्रवृत्तयोगानिवर्तनमित्यर्थः, 'षट च पौरुष्यां तु' इह पौरुषीनाम प्रत्याख्यानविशेषः, तस्यां षडाकारा भवन्ति, इह चेदं सूत्रम्-पोरुसिं पच्चक्खाइ सूरे-उग्गए चउव्विहंपि आहारं असणमित्यादि, अन्नत्थणाभोगेणं सहसागारेणं पच्छनकालेणं दिसामोहेणं साहुवयणेणं सव्वसमाहिवत्तियागारेणं वोसिरई" अनाभोगसहसाकारौ पूर्ववत्, प्रच्छनकालादीनां त्विदं स्वरूपम्-"पच्छन्नाओ दिसाओ रएण रेणुना पव्वएण वा अंतरितो सूरो ण दीसइ, पोरुसी पुण्णत्तिकाउं पपारितो, पच्छा णायं ताहे ठाइयव्वं, न भग्गं, जइ भुंजइ तो भग्गं, एवं सव्वेहिऽवि, दिसामोहेण कस्सइ पुरिसस्स कम्हिवि खित्ते दिसामोहो भवइ, सो पुरिमं दिसं न जाणइ, एवं सो दिसामोहेणं अइरुग्गयंपि सूरं दद्रु उसूरीहूयंति भण्णइ, नाए ठाति । 'साहुवयणेणं' साहुणो भणंति- उग्घाडा पोरुसी, ताहे सो पजिमित्तो, पारित्ता मिणइ अण्णो वा मिणति, तेण से भुंजंतस्स कहियं ण पुरती, ताहे ठाइयव्वं । समाही णाम तेण पोरुसी पच्चक्खाया, आसुकारियं च दुक्खं जायं, अण्णस्स वा, ताहे तस्स पसमणनिमित्तं पाराविज्जइ ओसहं वा दिज्जइ, एत्थंतरा णाए तहेव विवेगो । 'सप्तैव तु पुरिमार्द्ध', पुरिमार्द्ध-प्रथमप्रहरद्वयकालावधिप्रत्याख्यानं गृह्यते, तत्र सप्ताकारा भवन्ति, इह चेदं सूत्रम्-'सूरे उग्गए' इत्यादि पूर्वसदृशं, 'मयहरागारेणं'ति विशेषः, अस्य चायमर्थ:- अयं च महान् अयं च महान् अयमनयोरतिशयेन महान् महत्तरः, आक्रियत इत्याकारः, एतदुक्तं भवति-महल्लं पयोयणं, तेण अब्भत्तट्ठो पच्चक्खातो, ताहे आयरिएहिं भण्णइ-अमुगं गामं गंतव्वं, कहेइ जहा मम अज्ज अब्भतट्ठो, जदि ताव समत्थो करेउ जाउ य, ण तरइ अण्णो भत्तट्ठिओ अभत्तट्ठिओ वा जो तरइ सो वच्चउ, णत्थि अण्णो तस्स कज्जस्स समत्थो ताहे तस्स चेव अब्भत्तट्ठियस्स गुरू विसज्जिंति, एरिसस्स तं जेमंतस्स अणभिलासस्स अब्भत्तट्ठियनिज्जरा जा सा से भवइ, एवमादिमयहरागारो । 'एकाशने अष्टावेव', एकाशनं नाम सकृदुपविष्टपुताचालनेन भोजनं, तत्राष्टावाकारा भवन्ति, इह चेदं सूत्रम्, एक्कासणगमित्यादि, ते च अण्णत्थणाभोगेणं १ सहसागारेणं २ सागारिआगारेणं ३ आउंटणपसारणागारेणं ४ गुरुअब्भुट्ठाणेणं ५ पारिट्ठावणियागारेणं ६ मयहरागारेणं ७ सव्वसमाहिवत्तियागारेणं ८ वोसिरति, अणाभोगसहसाकारा तहेव, सागारिअं अद्धसमुद्दिट्ठस्स आगयं, जइ वोलेइ पडिच्छइ, अह थिरं ताहे सज्झायवाघाउत्ति Page #248 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૨૩ उठेउं अण्णत्थ गंतूणं समुद्दिसइ, हत्थं वा पायं वा सीसं वा आउट्टिज्ज वा पसारिज्ज वा ण भज्जइ, अब्भुट्ठाणारिहो आयरितो पाहुणगो वा आगओ अब्भुट्टेयव्वं, तस्स एवं समुट्ठिस्स उट्ठियस्स ण भज्जइ, पाढिावणिया जइ होज्ज कप्पइ, मयहरागारसमाहीओ तहेवत्ति गाथार्थः ॥ ५०८ ॥ ઉક્ત બે ગાથાનો ચાર ગાથાઓથી ભાવાર્થ કહે છે નવકારશીમાં અનાભોગ અને સહસાગાર એ બે આગારો છે. આગાર એટલે પ્રત્યાખ્યાનના અપવાદનું કારણ, અર્થાત્ પ્રત્યાખ્યાનમાં છૂટ. આગારોનો અર્થ આ પ્રમાણે છે- અનાભોગ એટલે અત્યંત વિસ્મરણ. અનાભોગ સિવાય મારે આ પ્રત્યાખ્યાન છે. સહસા (= ઓચિંતુ) કરવું તે સહસાકાર, અર્થાત્ રોકી ન શકાય તેવો બનાવ. પોરિસીમાં નવકારશીના બે તથા પ્રચ્છન્નકાલ, દિસામોહ, સાધુવચન અને સર્વસમાધિપ્રત્યયાકાર એ ચાર એમ છ આગારો છે. પ્રચ્છન્નકાલ વગેરે આગારોનો અર્થ આ પ્રમાણે છે પ્રચ્છન્નકાલ- રજથી, ધૂળથી કે પર્વતથી સૂર્ય ઢંકાઈ જવાથી ન દેખાય ત્યારે પરિસી પૂર્ણ થઈ ગઈ છે એમ માનીને પોરિસીનું પ્રત્યાખ્યાન પારી લીધું. પછી પોરિસીને હજી વાર છે એમ ખબર પડે તો રોકાવું = શેષ ભોજન ન કરવું. જો ભોજન કરે તો પચ્ચકખાણ ભાંગે. આ પ્રમાણે આ બધા આગારોમાં પણ જાણવું. દિસામોહ- કોઈ પુરુષને કોઈ સ્થળે દિશાનો ભ્રમ થઈ જાય, તેથી તે પૂર્વ દિશાને ન જાણી શકે, દિશાભ્રમથી તે તુરત ઉગેલા સૂર્યને જોઈને સૂર્યનો અસ્ત થયો એમ માને. આમ કોઈને દિશાભ્રમ થવાથી પ્રત્યાખ્યાન ન આવ્યું હોવા છતાં આવી ગયું છે એમ માનીને ભોજન કરે તો પ્રત્યાખાનનો ભંગ ન થાય, પણ જાણ થયા પછી ભોજન કરવાનું બંધ કરવું જોઈએ. સાધુવચન- કોઈ સાધુ પાત્રોનું પડિલેહણ કરવાની પોરિસીની અપેક્ષાએ પોરિસી થઈ ગઈ એમ કહે, કોઈ સાધુ સમજે કે પ્રત્યાખ્યાનની પોરિસી થઈ ગઈ છે. એથી તે ત્યારે ભોજન કરવાનું શરૂ કરે. થોડું ભોજન કર્યા પછી “હજી પોરિસી પ્રત્યાખ્યાન પૂર્ણ થયું નથી” એમ પોતે જાણે, અથવા અન્ય કોઈ જાણે અને ભોજન કરનારને કહે કે પોરિટી પૂર્ણ થઈ નથી, તો તે સાધુ ભોજન કરવાનું બંધ કરે. સર્વસમાધિપ્રત્યયાકાર- (આમાં સમાધિ માટે છૂટ છે) કોઈ પોરિસિનું પચ્ચકખાણ કરે, પછી તેને ઓચિંતું મૃત્યુ થાય તેવું દુઃખ (રોગ) થાય, તો તેની શાંતિ માટે પચ્ચખાણ પારી શકાય કે ઔષધ લઈ શકાય, અથવા પોરિસીના પ્રત્યાખ્યાનવાળા અન્યને (= વૈદ્ય વગેરેને) કોઈની અસમાધિ દૂર કરવા જવું પડે ત્યારે પચ્ચખાણના સમય પહેલાં પણ ભોજન વગેરે કરીને જાય તો નિયમભંગ ન થાય, પણ જો ભોજન કરતાં હવે જવાની જરૂર નથી એવા સમાચાર મળે-જાણે તો તે જ વખતે ભોજન કરવાનું બંધ કરી દે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પુરિમઢ- પ્રત્યાખ્યાનમાં સૂર્યોદયથી બે પ્રહર સુધી આહારનો ત્યાગ થાય છે. તેમાં ઉપર્યુક્ત છ અને મહત્તરાકાર એ સાત આગારો છે. મહત્તરાકાર- મહત્તર એટલે અન્યથી મહાન-અધિક. અધિક લાભ માટે જે કરાય તે મહત્તરાકાર. આનો ભાવ એ છે કે- કોઈ સાધુએ ઉપવાસનું પ્રત્યાખ્યાન કર્યું, પછી કોઈ મોટું કાર્ય આવી પડ્યું. આ વખતે આચાર્ય તેને કહે કે તારે આજે અમુક ગામ જવાનું છે. સાધુ કહે કે મારે આજે ઉપવાસ છે. હવે જો તે ઉપવાસી સમર્થ હોય તો ઉપવાસ કરીને પણ જાય. જો તે સમર્થ ન હોય તો બીજો ઉપવાસી કે ભોજન કરનાર જે સમર્થ હોય તે જાય. પણ જો અસમર્થ ઉપવાસી સિવાય બીજો કોઈ તે કાર્ય કરવા સમર્થ ન હોય તો તે ઉપવાસીને જ ગુરુ પારણું કરાવીને મોકલે. આવા સંયોગોમાં ઈચ્છા વિના ખાનાર ઉપવાસીને ઉપવાસમાં જેટલી નિર્જરા થાય તેટલી નિર્જરા થાય. આવાં કારણો માટે મહત્તરાકાર આગાર છે. એકાસન-એટલે ઢેકા ન હાલે તેમ સ્થિર બેસીને એક વાર ભોજન કરવું. તેમાં નવકારશીના બે અને પુરિમઢના છેલ્લા બે તથા સાગારિકાકાર, આકુંચનપ્રસારણ, ગુરુઅભ્યત્થાન અને પારિષ્ઠાપનિકાકાર એ ચાર, એમ કુલ આઠ આગારો છે. સાગારિકાકાર- આમાં સાગારિક અને આકાર એ બે શબ્દો છે. સાગારિક એટલે ગૃહસ્થ. ગૃહસ્થના કારણે જે આગાર કરાય તે સાગરિકાકાર. જેમકે સાધુએ અર્થે ભોજન કર્યું તેટલામાં ત્યાં કોઈ ગૃહસ્થ આવે, જો તે જરા વારમાં જશે એમ લાગે તો ભોજન બંધ કરીને તેના જવાની થોડી રાહ જુએ. પણ જો તે અધિકવાર રોકાવાનો હોય તો રાહ જોવામાં ઘણો વખત જવાથી સ્વાધ્યાયમાં વ્યાઘાત થાય = એટલો સમય સ્વાધ્યાય ઓછો થાય, માટે ત્યાંથી ઉઠીને બીજા સ્થળે જઈને ભોજન પૂર્ણ કરે. આકુંચન-પ્રસારણ- ભોજન કરતાં હાથ-પગને સંકોચે કે પહોળા કરે, અથવા મસ્તક (વગેરે) આમતેમ હલાવે તો પણ પ્રત્યાખ્યાન ન ભાંગે. ગુરુ-અભ્યત્થાન-ઊભા થઈને વિનય કરવા લાયક આચાર્ય કે પ્રાપૂર્ણક આવે તો ભોજન કરતાં કરતાં પણ ઊભો થાય તો તેના પ્રત્યાખ્યાનનો ભંગ ન થાય. પારિષ્ઠાપનિકાકાર- આહાર પરઠવવો પડે તેમ હોય ત્યારે પચ્ચકખાણવાળો પણ સાધુ તે આહાર કરે તો તેના પ્રત્યાખાનનો ભંગ ન થાય. બાકીના આગારોનો અર્થ પૂર્વ મુજબ જ છે. [૫૦૮] सत्तेकट्ठाणस्स उ, अद्वेवायंबिलस्स आगारा । पंच अभत्तट्ठस्स उ, छप्पाणे चरिम चत्तारि ।। ५०९ ॥ वृत्तिः- 'ससैकस्थानस्य तु' एकस्थानं नाम प्रत्याख्यानं, तत्र सप्ताकारा भवन्ति, इहेदं सूत्रम्-‘एगट्ठाण'मित्यादि, एगट्ठाणए जं जहा अंगोवंगं ठविअं तेण तहाठिएण चेव समुद्दिसियव्वं, आगारा से सत्त, आउंटणपसारणा नत्थि, सेसं जहा एक्कासणए । 'अठेवायामाम्लस्याकाराः' Page #250 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम्] [२२५ अणाभोगा० १ सहसा० २ लेवालेवेणं ३ उक्खित्तविवेगेणं ४ गिहत्थसंसट्टेणं ५ पारिद्धावणियागारेणं ६ मयहरागारेणं ७ सव्वसमाहिवत्तियागारेणं ८ वोसिरति, अणाभोगसहसक्कारा तहेव, लेवालेवो वा, जइ भाणे पुव्वं लेवाडगं गहिअं समुद्दिजें संलिहियं च जइ तेण आणेति ण भज्जइ, उक्खित्तविवेगो जइ आयंबिले पडइ विगतिमादि उक्खिवित्ता विकिंचउ, मा णवरि गलउ, अण्णं वा आयंबिलस्स अपाउग्गं जइ उद्धरिउं तीरइ उद्धरिए ण उवहम्मइ, गिहट्ठसंसठेऽवि जइ गिहत्थो डोवलियं भायणं वा लेवालेवाडं कुसणाईहिं तेण ईसित्ति लेवाडादीहि देति ण भज्जइ, जइ रसो आलक्खिज्जइ बहुओ ताहे ण कप्पइ, पारिद्धावणियमयहरगसमाहीओ तहेव । 'पञ्चाभक्तार्थस्य तु', न भक्तार्थोऽभक्तार्थः उपवास इत्यर्थः, तस्य पञ्चाकारा भवन्ति, इदं सूत्रम्-'सूरे उग्गए'इत्यादि, तस्स पंच आगारा-अणाभोग सहसाकार पारिद्धावण मयहर समाहित्ति, जइ तिविहस्स पच्चक्खाइ तो विकिंचणिया कप्पइ, जइ चउव्विहस्स पच्चक्खाइ पाणगं च नत्थि न वट्टइ, जइ पुण पाणगंपि उव्वरियं ताहे से कप्पइ, जइ तिविहस्स पच्चक्खाइ ताहे से पाणगस्स छ आगारा कीरंति-लेवाडेण वा अलेवाडेण वा अच्छेण वा बहलेण वा ससित्थेण वा असित्थेण वा वोसिरइ" प्रकटार्था एते छप्पि । एतेन षड् पान इत्येतदपि व्याख्यातमेव । 'चरमे चत्वार' इत्यत्र चरिमं दुविहं-दिवसचरिमं भवचरिमं च, दिवसचरिमस्स चत्तारि-अण्णत्थअणाभोगा सहस मयहर सव्वसमाहि, भवचरिमंजावज्जीवियं, तस्सवि एए चत्तारित्ति गाथार्थः ।। ५०९ ।। એકઠાણ-પચ્ચકખાણમાં આકુંચન-પ્રસારણ સિવાય એકાસણમાં કહેલા સાત આગારો છે. આમાં ભોજન શરૂ કરતાં પહેલાં જેવી રીતે અંગોપાંગો રાખ્યાં હોય તે જ રીતે છેલ્લે સુધી રાખીને ભોજન કરવું. આયંબિલમાં- નવકારશીના બે અને પુરિમઢના છેલ્લા બે તથા લેપાલેપ, ગૃહસ્થસંસૃષ્ટ, ઉલ્લિતવિવેક, પારિષ્ઠાપનિકાકાર એ ચાર એમ આઠ આગારો છે. લેપાલેપ- પહેલાં પાત્રમાં લેપવાળું (સ્નિગ્ધ) ભોજન લાવીને ભોજન કરે. પછી તે પાત્રને લૂછીને = ઘસીને તેમાં જ આયંબિલનો આહાર લાવે તો (જરા તરા લેપ પાત્રમાં રહી જવા છતાં) પ્રત્યાખ્યાનનો ભંગ ન થાય. ઉસ્લિપ્તવિવેક-આયંબિલના આહાર ઉપર વિગઈ આદિ કંઈ મૂકે કે પડે તો તેને ઉપાડીને અલગ કરે, પણ ખાય નહિ. અથવા આયંબિલમાં ન ખપે તેવું બીજું કંઈ પડ્યું હોય અને તે ઉપાડી શકાય = અલગ કરી શકાય તેમ હોય તો અલગ કરે, અલગ કર્યા પછી તે આહાર વાપરવાથી પચ્ચકખાણનો ભંગ ન થાય. ગૃહસ્થસંસૃષ્ટ-ડોયો કે અન્ય કોઈ વાસણ દૂધ વગેરેથી કંઈક ખરડાયેલ હોય, ત્યારે ગૃહસ્થ “જરાક માત્ર ખરડાયેલ છે” એમ વિચારીને તેનાથી આયંબિલનો આહાર વહોરાવે તો પચ્ચકખાણનો ભંગ ન થાય. પણ જો તેવા આહારમાં વિગઈનો સ્વાદ વધારે જણાય તો તે આહાર આયંબિલમાં ન કલ્પ. Page #251 -------------------------------------------------------------------------- ________________ २२६ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते બાકીના આગારોનો અર્થ પૂર્વ મુજબ જ છે. ઉપવાસમાં નવકારશીના બે અને પુરિમઠના છેલ્લા બે, તથા પારિષ્ઠાપનિકાકાર એ પાંચ આગારો છે. જો તિવિહાર ઉપવાસનું પચ્ચખાણ કરે તો પરઠવવાનો આહાર કહ્યું, ચોવિહાર ઉપવાસનું પચ્ચખાણ કરે તો ન કલ્પ. જો પાણી પણ વધ્યું હોય તો ચોવિહાર ઉપવાસવાળાને પણ પરઠવવાના આહાર-પાણી કલ્પ. તિવિહાર ઉપવાસનું પચ્ચખાણ કરે તો પાણીના છ આગારો રાખે. तेसाप्रमाणे:- "लेवाडेण वा अलेवाडेण वा अच्छेण वा बहुलेण वा ससित्थेण वा असित्थेण वा वोसिरइ" मा ७ मारोनो अर्थ स्पष्ट छे. मानाथी ‘षड् पाने' से पहोर्नु ५४५ व्याध्यान युं. ચરિમના દિવસચરિમ અને ભવચરિમ એમ બે ભેદ છે. દિવસચરિમ અને ભવચરિમમાં અનાભોગ, સહસાકાર, મહત્તરાકાર અને સર્વસમાધિપ્રત્યયાકાર એ ચાર આગારો છે. ભવચરિમ પ્રત્યાખ્યાન છેલ્લે જીવનપર્યત કરવામાં આવે છે. [૫૯] पंच चउरो अभिग्गह, निव्विइए अट्ठ नव य आगारा । अप्पावरणे पंच उ, हवंति सेसेसु चत्तारि ॥ ५१० ॥ वृत्तिः- 'पञ्च चत्वारश्चाभिग्रहे निर्विकृतौ अष्टौ नव वाऽऽकाराः अप्रावरण' इत्यप्रावरणाभिग्रहे 'पञ्चैवा'कारा 'भवन्ति, शेषेषु' अभिग्रहेषु-दण्डकप्रमार्जनादिषु 'चत्वार' इति गाथार्थः, भावार्थस्तु-अभिग्गहेसु अवाउडत्तणं कोइ पच्चक्खाइ तस्स पंच अणाभोगा सहस्सा चोलपट्टगागारा मयहर समाहि, सेसेसु चोलपट्टगागारो णत्थि, निव्विगईए अट्ठ नव य आगारा' इत्युक्तं, अत्र विकृतयः पूर्वोक्ताः ॥ ५१० ॥ અભિગ્રહ પ્રત્યાખ્યાનમાં પાંચ કે ચાર આગારો છે. તેમાં જે સાધુ ખુલ્લા શરીરે રહેવાનો (= ચોલપટ્ટો ન પહેરવાનો) અભિગ્રહ કરે તેને ચોલપટ્ટાચાર અને દિવસચરિમમાં કહેલા ચાર આગાર એ પાંચ આગાર હોય. બાકીના દંડપ્રમાર્જન આદિ અભિગ્રહોમાં ચોલપટ્ટાગાર સિવાય ચાર આગાર હોય. નિવિના પ્રત્યાખ્યાનમાં આઠ કે નવ આગારો છે. અહીં વિગઈઓ પૂર્વે કહેલી सम४वी. [५१०] अधुना प्रकृतमुच्यते-क्वाष्टौ क्व वा नवाकारा ? इति, तत्र णवणीउग्गाहिमए अद्दवदहि पिसिअ घय गुले चेव । नव आगारा तेसिं सेसदवाणं च अद्वैव ॥ ५११ ॥ वृत्ति:- 'नवनीते उद्ग्राहिमके अद्रवदनि', गालित इत्यर्थः, 'पिशिते' मांसे 'घृते गुडे चैव', अद्रवग्रहणं सर्वत्राभिसम्बन्धनीयं, 'नवाकारा अमीषां' विकृतिविशेषाणां भवन्ति, 'शेषाणां द्रवाणां'-विकृतिविशेषाणां अष्टौ एवाकारा भवन्ति, उत्क्षिप्तविवेको न भवतीति गाथार्थः । इह चेदं सूत्रम्-'निव्विगतीयं पच्चक्खाइ' इत्यादि, अण्णत्थ (अणाभोग) १ सहसा २ Page #252 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૨૭ लेवालेव ३ गिहत्थसं? ४ उक्खित्तविवेग ५ पडुच्चमक्खिएणं ६ पारिद्धावणिया ७ मयहर ८ सव्वसमाहिवत्तियागारेणं ९ वोसिरइ, तत्थ अणाभोगसहसाकारा लेवालेवा तहेव दट्ठव्वा, गिहत्थसंसट्ठस्स उ इमो विही-खीरेण जइ कुसणिओ कूरो लब्भइ, तस्स जइ कुंडगस्स ओदणाउ चत्तारि अंगुलाणि दुद्धं ताहे निव्विगइयस्स कप्पइ, पंचमं त्वारद्धं विगतीयं, एवं दहिस्सवि वियडस्सवि, केसुवि विसएसु वियडेण मीसिज्जइ ओदणो ओगाहिमगो वा, फाणियगुलस्स तिल्लघयाण य एएहिं कुसिणिए जइ अंगुलं उवरिं अच्छइ तो वट्टइ, परेण न वट्टइ, महुस्स पोग्गलरसगस्स य अद्धअंगुलेण संसट्ठे होइ, पिंडगुलस्स नवणीयस्स य अ(द्दा)मलमित्तं संसट्ठ, जइवि बहूणि एतप्पमाणाणि कप्पंति, एगंपि वडुं न कप्पइ, उक्खित्तविवेगो जहा आयंबिलये उद्धरिङ तीरइ सेसेसु णत्थि, पडुच्च मक्खियं पुण जइ अंगुलिए गहाय मक्खेइ तिल्लेण वा घएण वा ताहे निव्विगइयस्स कप्पइ, अह धाराए छुभइ मणागंपि न कप्पइ, पारिट्ठावणियागारो उ लेसओ भणिओ एव इति वृद्धसम्प्रदायः, कृतं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमः ॥ ५११ ॥ નિવિના પ્રત્યાખ્યાનમાં આઠ કે નવ આગારો છે. તેમાં કઠિન માખણ, અવગાહિમ (પક્વાન્ન), કપડાથી છાણેલું દહીં, માંસ, ઘી અને ગોળ આ છ વિગઈઓને આશ્રયીને નિવિના પ્રત્યાખ્યાનમાં નવ આગારો છે. અહીં કઠિન શબ્દનો અન્વય માખણ વગેરે દરેક શબ્દ સાથે કરવો. બાકીની ઢીલી વિગઈઓને આશ્રયીને આઠ આગારો છે. કારણ કે ઢીલી વિગઈ વસ્તુ ઉપરથી ઉપાડીને દૂર ન કરી શકાય. નિવિમાં આયંબિલના આઠ અને પ્રતીત્યમ્રક્ષિત એ નવ આગારો છે. તેમાં અનાભોગ વગેરે આગારોનો અર્થ પૂર્વ મુજબ જ જાણવો. ગૃહસ્થસંસ્કૃષ્ટ આગારમાં નિવિના પચ્ચકખાણ માટે વિશેષ આ પ્રમાણે છે દૂધ સાથે મેળવેલ ભાત મળે ત્યારે વાસણમાં દૂધ, ભાતની ઉપર જો ચાર આંગળ તરતું હોય તો વિગઈ ત્યાગવાળાને તે દૂધ કલ્પે, પણ પાંચ આંગળ કે તેનાથી પણ વધારે તરતું હોય તો તે દૂધ વિગઈ બને. એ પ્રમાણે દહીં અને મદ્ય અંગે પણ સમજવું. કોઈક દેશોમાં મદ્યની સાથે ભાત કે પફવાન્ન ભેળવવામાં આવે છે. પ્રવાહી ગોળ, તેલ કે ઘી સાથે ભાત આદિ ભેળવેલ હોય ત્યારે પ્રવાહી ગોળ વગેરે ભાત આદિ ઉપર એક આંગળ સુધી તરે તો કહ્યું, તેનાથી વધારે તરે તો ન કલ્પે- વિગઈ ગણાય. ભાત આદિ વસ્તુ સાથે ભેળવેલ મઘ કે માંસરસ તેના ઉપર અર્ધા આંગળ સુધી તરે તો સંસૃષ્ટ (નિવિયાતું) થાય. અન્ય વસ્તુ સાથે કઠીન ગોળના કે માખણના લીલા આમળા જેવડા નાના ટુકડાઓ મિશ્રિત કરેલા હોય તો તે ટુકડા સંસૃષ્ટ (નિવિયાતા) બને. ઘણા ટુકડાઓ પણ આટલા નાના હોય તો જ કહ્યું. એક પણ મોટો ટુકડો ન કલ્પે. ઉત્સિતવિવેક એ આગાર આયંબિલમાં કહ્યું તેમ જે વિગઈ ઉપાડીને જુદી કરી શકાય તે વિગઈઓને આશ્રયીને છે. બાકીની વિગઈઓને આશ્રયીને નથી. Page #253 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પ્રતીત્યપ્રક્ષિત આગારમાં આંગળીમાં લઈને તેલ કે ઘીથી (કણક વગેરેને) ચોપડે-ઝૂંપે તો નિવિના પચ્ચક્ખાણવાળાને કલ્પે, જો ધા૨ કરીને ચોપડે તો જરા પણ ન કલ્પે. ૨૨૮ ] પારિષ્ઠાપનિકા આગારનું સંક્ષેપથી વર્ણન પૂર્વે કર્યું જ છે. આ બધી વૃદ્ધપરંપરા છે. પ્રાસંગિક વર્ણનથી સર્યું. હવે પ્રસ્તુત વિષયને શરૂ કરીએ છીએ. [૫૧૧] आह-इह आकारा एव किमर्थमित्याह वयभंगे गुरुदोसो, थेवस्सवि पालणा गुणकरी अ । गुरुलाघवं च नेअं, धम्मम्मि अओ उ आगारा ॥ ५१२ ॥ वृत्ति: - ' व्रतभङ्गो गुरुदोषः ' भगवदाज्ञाविराधनात्, 'स्तोकस्यापि पालना' व्रतस्य 'गुणकारिणीच', विशुद्धकुशलपरिणामरूपत्वाद्, 'गुरुलाघवं च विज्ञेयं धर्मे', एकान्तग्रहस्य प्रभूतापરિત્વનાશોમનત્વાત્, ‘યત’ તવેવ મતઃ’-સ્માત્ રળાવું ‘આવારા' કૃતિ થાર્થ: ॥ ૧૨॥ પ્રત્યાખ્યાનમાં આગારો શા માટે છે એ જણાવે છે— નિયમભંગથી અશુભ કર્મબંધ વગેરે મોટા દોષો લાગે છે. કારણ કે તેમાં ભગવાનની આજ્ઞાની વિરાધના છે. જ્યારે નાના પણ નિયમના પાલનથી કર્મનિર્જરા આદિ મહાન લાભ થાય છે. કારણ કે તેમાં વિશુદ્ધ શુભઅધ્યવસાય હોય છે. ધર્મમાં લાભાલાભ જાણવો જોઈએ. અર્થાત્ ધર્મમાં લાભાલાભનો વિચાર કરી જે રીતે અધિક લાભ થાય તેમ કરવું જોઈએ. એકાંત આગ્રહથી ઘણું નુકસાન થતું હોવાથી એકાંત આગ્રહ રાખવો એ અયોગ્ય છે. આથી જ પ્રત્યાખ્યાનમાં આગારો રાખવામાં આવ્યા છે, કે જેથી નિયમભંગ ન થાય. ભાવાર્થ- કોઈને ઉપવાસનું પ્રત્યાખ્યાન કર્યા પછી અચાનક કોઈ રોગ થવાથી અતિશય અસમાધિ થઈ; તેને ઔષધ આદિથી સમાધિ આપવામાં આવે તો ઘણી કર્મનિર્જરા થાય. કારણ કે નિર્જરા સમાધિથી થાય છે. જો ઔષધાદિથી સમાધિ ન આપવામાં આવે તો તે તપથી નિર્જરા અલ્પ થાય, અને અસમાધિને કારણે અશુભ કર્મબંધ વગેરે નુકશાન થાય. એટલે આવા આગાઢ સંયોગોમાં તપથી કર્મનિર્જરારૂપ લાભ માટે સમાધિ જાળવવા ઔષધ આદિનું સેવન કરવું યોગ્ય છે. હવે જો ઉપવાસના પ્રત્યાખ્યાનમાં કોઈ છૂટ જ ન હોય તો ઔષધ આદિનું સેવન ન થઈ શકે, અને કરે તો વ્રતભંગ થાય. આથી આગારો ન હોય તો આવા સંયોગોમાં અસમાધિ કે વ્રતભંગ થાય. બંનેથી અશુભ કર્મબંધ વગેરે નુકસાન થાય. પણ જો આગારો હોય તો ઔષધનું સેવન કરી શકાય. આગારોથી ઔષધનું સેવન કરવા છતાં વ્રતભંગ ન થાય. એટલે આગારોથી સમાધિ જળવાય અને વ્રતભંગ પણ ન થાય એ બંને લાભ થાય. આ રીતે દરેક પ્રત્યાખ્યાન માટે સમજવું. આમ લાભાલાભનો વિચાર કરીને અધિક લાભ થાય તેમ વર્તવું જોઈએ. માટે જ પ્રત્યાખ્યાનમાં આગારો રાખવામાં આવ્યા છે. [૫૧૨] Page #254 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [२२९ एतदेव समर्थयति जहगहिअपालणंमी, अपमाओ सेविओ धुवं होइ । सो तह सेविज्जतो, वड्डइ इअरं विणासेइ ॥ ५१३ ॥ वृत्तिः- 'यथागृहीतपालने' विशुद्धभावतया अप्रमादः सेवितो ध्रुवं भवति' कियानपि, 'स तथा' यथागृहीतपालनेन 'सेव्यमानः' सन्'वर्द्धते, इतरं' प्रमादं विनाशयतीति' गाथार्थः ।। ५१३ ।। अब्भत्थो अपमाओ, तत्तो मा होज्ज कहवि भंगोत्ति । भंगे आणाईआ, तओ अ सव्वे अणत्थत्ति ॥ ५१४ ॥ वृत्तिः- 'अभ्यस्तश्च प्रमादः' संसारे पर्यटता, 'ततः' प्रमादात् 'मा भूत् कथमपि भङ्ग इति', अभ्यासातिशयादित्यर्थः, 'भङ्गे आज्ञादयो' भवन्ति, 'ततश्च'आज्ञादेः 'सर्वेऽनर्थाः' जन्मादय 'इति' गाथार्थः ।। ५१४ ।। આ જ વિષયનું સમર્થન કરે છે– જે પ્રમાણે લીધું હોય તે પ્રમાણે પ્રત્યાખ્યાનનું પાલન કરવામાં વિશુદ્ધભાવ થાય છે, એ વિશુદ્ધભાવથી નિચે થોડા પણ અપ્રમત્તભાવનું સેવન થાય છે. લીધા પ્રમાણે પ્રત્યાખ્યાનના પાલનથી સેવાતો અપ્રમત્તભાવ (ધીમે ધીમે) વધતો રહે છે અને પ્રમાદનો નાશ કરે છે. [૧૩] સંસારમાં ભમતા જીવે પ્રમાદનો (ખૂબ) અભ્યાસ કર્યો છે. પ્રમાદના અતિશય અભ્યાસથી પ્રત્યાખ્યાનનો કોઈ પણ રીતે ભંગ ન થાય એ માટે પ્રત્યાખ્યાનમાં આગારો છે. પ્રત્યાખ્યાનના ભંગથી આજ્ઞાભંગ (અનવસ્થા, મિથ્યાત્વ) વગેરે દોષો લાગે છે. આજ્ઞાભંગ વગેરે દોષોથી જન્મ જન્મથી શરીર, શરીરના કારણે भन भने तेथी शारी२ि४-मानसि. हुमो) वगैरे सर्व मानर्थो थाय छे. [५१४] एवं पमाइणो कह, पव्वज्जा होइ ? चरणपरिणामा । न य तस्सत्ताणंतरमेव पमाओ खयं जाइ ॥ ५१५ ॥ वृत्तिः- ‘एवं प्रमादिनो'-नमस्कारसहिताद्यपरिपालनायुक्तस्य 'कथं प्रव्रज्या भवति ?', ननु तस्य गुर्वप्रमादपरिपालनीया प्रव्रज्यैवायुक्तेति पराभिप्रायमाशङ्कयाह-'चरणपरिणामात्' प्रव्रज्या भवति, 'न च तत्सत्तानन्तरमेव' चरणपरिणामसत्तानन्तरमेव 'प्रमादः क्षयं याति'निर्मूलतो न भवत्येवेति गाथार्थः ॥ ५१५ ॥ (प्रमाहीन ही 3 डीय में शानुं समाधान ४३ छ-) પ્રશ્ન- નવકારશી આદિ જેવા નાના પચ્ચકખાણને પણ આગાર વિના જે ન પાળી શકે તેવા પ્રમાદીને દીક્ષા કેવી રીતે હોય? આવાને અતિશય અપ્રમત્તભાવથી પાળી શકાય તેવી દીક્ષા જ अयोग्य छे. उत्तर- (चरणपरिणामात्=) सेवा पुरुषने ५९॥ यस्त्रिना परिमथी हा होय. Page #255 -------------------------------------------------------------------------- ________________ २३० ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પ્રશ્ન- ચારિત્રના પરિણામવાળાને પ્રમાદ કેમ હોય ? ઉત્તર- ચારિત્રના પરિણામ થયા પછી તરત જ પ્રમાદનો સર્વથા નાશ ન જ થાય. આથી ચારિત્રના પરિણામવાળાને પણ પ્રમાદ હોય. (ચારિત્રના પરિણામ અને પ્રમાદનો તદ્દન વિરોધ नथी.) [५१५] किमित्यत आह जमणाइभवब्भत्थो, तस्सेव खयत्थमुज्जएणेह । जहगहिअपालणेणं, अपमाओ सेविअव्वोत्ति ॥ ५१६ ॥ वृत्तिः- 'यदनादिभवाभ्यस्तो'ऽसौ अतस्तस्यैव'-प्रमादस्य क्षयार्थमुद्यतेनेह यथागृहीतपालनेन' हेतुभूतेन 'अप्रमादो' नियमभावी 'सेवितव्यः' पालनीय 'इति' गाथार्थः ॥ ५१६ ॥ ચારિત્રના પરિણામ થયા પછી પણ પ્રમાદ હોય આથી શું કરવું તે કહે છે– પ્રમાદનો અભ્યાસ અનાદિકાળથી છે. આથી પ્રમાદના જ નાશ માટે તત્પર બનેલા સાધુએ ચારિત્રમાં લીધા પ્રમાણે પ્રત્યાખ્યાનનું પાલન કરવા વડે અવશ્ય થનાર અપ્રમત્તભાવનું સેવન (= २६५५) ४२. [५१६] पराभिप्रायमाह एवं सामइअंपि हु, सागारं निअमओ गहेयव्वं । सइ तम्मि निरागारे, किंवा एएण कज्जंति ? ॥ ५१७ ॥ वृत्तिः- ननु ‘एवं सामायिकमपि साकारं नियमतो ग्रहीतव्यं', तस्यापि प्रत्याख्यानत्वादेव, 'तस्मिन्' महत्तरे ऽनाकारे किंवा अनेन' इत्वरेण नमस्कारसहितादिना साकारेण ? न मूलत एव वा 'कार्यमिति गाथार्थः ॥ ५१७ ॥ વાદીનો અભિપ્રાય કહે છે– જો નવકારશી વગેરે પ્રત્યાખ્યાન આગાર સહિત લેવું જોઈએ તો સામાયિક (=દીક્ષા) પણ આગાર સહિત લેવું જોઈએ. કેમ કે તે પણ પ્રત્યાખ્યાન છે. જો સામાયિક જીવનપર્યત હોવા છતાં તેમાં આગારો નથી તો અલ્પકાલીન નવકારશી આદિ પ્રત્યાખ્યાનો આગાર સહિત શા માટે ? અર્થાત્ તેમાં આગારો ન રાખવા જોઈએ, અથવા મૂળથી જ પ્રત્યાખ્યાન ન કરવું જોઈએ. [૧૧૭]. अथोत्तरमाह समभावेच्चिअ जं तं, जायइ सव्वत्थ आवकहिअं च । तो तत्थ न आगारा, पन्नत्ता वीअरागेहिं ॥ ५१८ ॥ वृत्तिः- 'समभाव एव तत्' सामायिकं 'यस्माद् जायते, सर्वत्र' सर्वेषु पदार्थेषु समभावे, Page #256 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [૨૨૧ 4 તથા ‘યાવથિ ચ' તત્, ‘તત: તંત્ર' સામયિકે ‘નાારા:પ્રજ્ઞતા વીતરાગૈ', તથાવિવરૂપ-ત્યાવિતિ ગાથાર્થ: || ૬૮ હવે ઉત્તર આપે છે સામાયિક શત્રુ-મિત્ર વગેરે બધી વસ્તુઓ વિષે સમભાવ આવે ત્યારે જ હોય છે અને જીવનપર્યંત હોય છે. આ બે કારણોથી તેમાં વીતરાગભગવંતોએ આગારો નથી કહ્યા. ભાવાર્થ- સર્વ સાવધયોગના ત્યાગરૂપ સામાયિકમાં બધા પદાર્થો ઉપર જીવનપર્યંત સમભાવ હોવાથી દરેક પ્રવૃત્તિ સમભાવપૂર્વક થાય છે. આથી કોઈ વખત માંદગી આદિ સંયોગોમાં અપવાદનું સેવન કરવું પડે તો સમભાવપૂર્વક થાય છે. એટલે સામાયિકભંગનો પ્રસંગ જ ન આવતો હોવાથી આગારોની જરૂર જ નથી. જ્યાં ભંગનો પ્રસંગ હોય ત્યાં જ આગાો જોઈએ. બીજી વાત-સર્વ સાવઘયોગના ત્યાગરૂપ સામાયિક બધા પદાર્થો ઉપર જીવનપર્યંત સમભાવના પરિણામ જાગે ત્યારે જ હોઈ શકે. હવે જો સર્વસાવદ્યયોગના પ્રત્યાખ્યાન વખતે વૈરિપ્રતિકાર આદિ પ્રસંગ સિવાય સાવઘયોગોનો ત્યાગ કરું છું, તથા છ માસ સુધી સાવઘયોગોનો ત્યાગ કરું છું... એમ આગારો રાખે તો વૈરી આદિ ઉપર તેને સમભાવ નથી, તથા છ મહિના પછી પણ સમભાવ નથી. આથી સાવઘયોગની વિરતિ કરતી વખતે આગારો રાખવામાં બધા પ્રત્યે અને જીવનપર્યંત સમભાવના પરિણામ થયા નથી એ સિદ્ધ થાય છે. બધા પ્રત્યે અને જીવનપર્યંત સમભાવના પરિણામ વિના સામાયિક હોઈ શકે નહિ. આથી સામાયિકમાં આગારો રાખી શકાય નહિ અને રાખવાની જરૂર પણ નથી. [૫૧૮] एतदेव प्रकटयन्नाह तं खलु निरभिस्संगं, समयाए सव्वभावविसयं तु । कालावहिम्मिवि परं, भंगभया णावहित्तेण ॥ ५१९ ॥ વૃત્તિ:- ‘તત્' સામાયિ‘નિમિષ્ણાં', નિશુંસમેવ, ‘સમતયા' હેતુભૂતયા, 'सर्वभावविषयं तु' सर्वपदार्थविषयमेव निरभिष्वङ्गं, 'कालावधावपि' यावज्जीवनमित्येवंभूते ‘પરં’ નીવનાદ્‘ મડ઼મયાત્, નાવધિત્વન' વર્તતે, અતસ્તત્રાપિ નિમિષ્વમેવેતિ થાર્થઃ ।। બo l! આ જ વિષયને સ્પષ્ટ કરે છે— આ સામાયિક આશંસાથી=અપેક્ષાથી રહિત છે. કારણ કે સમતાથી સર્વભાવોના વિષયવાળું છે. અર્થાત્ સામાયિકમાં બધા પદાર્થો ઉપર સમભાવ છે. જ્યાં સમભાવ હોય ત્યાં આશંસા=અપેક્ષા ન હોય. પ્રશ્ન- સર્વસાવદ્યયોગોનો ત્યાગ સર્વકાળ સુધી થતો નથી. કારણ કે તેમાં નાવઝ્નીવા=જીવનપર્યંત એમ કાળની મર્યાદા છે. આથી તેમાં વર્તમાન જીવન પૂર્ણ થયા પછી હું પાપ કરીશ એવી આશંસા=અપેક્ષા રહેલી છે. જો જીવન પૂર્ણ થયા પછી પણ પાપ કરવાની Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આશંસા ન હોય તો આવી મર્યાદા શા માટે રાખે? આથી સામાયિક આશંસાથી રહિત છે એમ કેમ કહેવાય ? ઉત્તર- સામાયિકમાં જીવનપર્યત એવી જે મર્યાદા રાખવામાં આવે છે તે પછી પાપ કરવાની આશંસાથી નહિ, કિંતુ પ્રતિજ્ઞાભંગના ભયથી રાખવામાં આવે છે. કારણ કે જીવન પૂર્ણ થયા પછી (મોક્ષમાં ન જાય તો) અવશ્ય પાપ થવાનું છે. આથી સામાયિકમાં કાળની મર્યાદા હોવા છતાં તે નિરભિમ્પંગ = આશંસાથી રહિત છે. પ્રશ્ન- ૫૧૮મી ગાથાને આ (૫૧૯મી) ગાથા સાથે શો સંબંધ છે ? ઉત્તર- ૫૧૮મી ગાથામાં કહેલા વિષયનું જ આ ગાળામાં સમર્થન કર્યું છે. ૫૧૮મી ગાથામાં કહેલ “બધા પ્રત્યે સમભાવ થાય તો જ સામાયિક થાય” અને “તે જીવનપર્યત હોય” એ બે વિષયોનું આ ગાથામાં અનુક્રમે પૂર્વાર્ધથી અને ઉત્તરાર્ધથી સમર્થન કર્યું છે. [૫૧] निदर्शनमाह मरणजयज्झवसिअसुहडभावतुल्लमिह हीणनाएणं । अववायाण न विसओ, भावेअव्वं पयत्तेणं ॥५२० ॥ वृत्तिः- 'मरणजयाध्यवसितसुभटभावतुल्यं' मर्त्तव्यं वा जयो वा प्राप्तव्य इति प्रवृत्तसुभटाध्यवसायसदृशं इह' लोके हीनज्ञातेन' तुच्छोदाहरणेन, एकाग्रतामात्रमाश्रित्य, यतश्चैवमतः 'अपवादानाम्' आकारसंज्ञितानां 'न विषयः', तथाविधैकरूपत्वाद्, 'भावयितव्यम्' भावनीयमेतत्प्रयत्नेन', न ह्युपेयविशेषे उपायविशेषतः प्रवर्त्तमान आशङ्कावान् भवतीति गाथार्थः ।। ५२० ॥ દૃષ્ટાંત કહે છે– સામાયિક સુભટભાવ તુલ્ય છે, અર્થાત્ સામાયિકનો સ્વીકાર કરનારમાં યુદ્ધ વખતે સુભટના હૃદયમાં જેવો ભાવ હોય છે તેવો ભાવ હોય છે. યુદ્ધ માટે તૈયાર થયેલા સુભટના હૃદયમાં “મરવું યા જય મેળવવો” એ બે નિર્ણય હોય છે. આવા નિર્ણયવાળા સુભટને યુદ્ધમાં શત્રુનો હલ્લો આવશે તો પાછા હઠી જઈશું, સંતાઈ જઈશું વગેરે છટકબારીના વિચારો આવતા જ નથી. તેમ સાધુને પણ સામાયિકમાં “મરવું યા કર્મરૂપ શત્રુ ઉપર વિજય મેળવવો” એવો નિર્ણય હોય છે, અર્થાત્ મરણના ભોગે પણ સામાયિકનું પાલન કરવું એવો દઢ નિર્ણય હોય છે. સુભટભાવરૂપ દષ્ટાંતથી સામાયિક આગારોનો વિષય નથી, અર્થાત્ સામાયિકમાં આગારો નથી. વિદ્વાનોએ આ વિષયને બરોબર વિચારવો. સુભટભાવનું દષ્ટાંત તુચ્છ છે. પ્રશ્ન- સુભટભાવનું દષ્ટાંત તુચ્છ કેમ છે? ઉત્તર- કારણ કે સુભટભાવથી થતો જય માત્ર એક ભવ પૂરતો જ હોય છે, બાહ્યશત્રુ ઉપર વિજય મેળવવા છતાં તેનું હૃદય રાગાદિ આંતરશત્રુઓથી પરાભૂત હોય છે. સુભટ લડાઈ દ્વારા પરના અપકારમાં તત્પર રહે છે. જયારે સામાયિકવાળા જીવની પ્રવૃત્તિ આ ત્રણેથી વિપરીત હોય Page #258 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૩૨ છે. અર્થાત્ તેનો જ એક ભવ પૂરતો નથી હોતો. તેનું હૃદય આંતરશત્રુઓથી પરાભૂત નથી હોતું. તે પરોપકાર કરવામાં તત્પર રહે છે. આથી સુભટભાવનું દષ્ટાંત તુચ્છ છે. પ્રશ્ન- અહીં આવું તુચ્છ દષ્ટાંત કેમ લીધું ? ઉત્તર- સુભટના અને સાધુના અધ્યવસાયની સમાનતા બતાવવા માટે જ લીધું છે. અર્થાત સુભટને યુદ્ધમાં જેવો ભાવ હોય છે તેવો ભાવ સાધુને સામાયિકમાં હોય છે એ બતાતવા પૂરતું જ એ દષ્ટાંત લીધું છે. [૫૨૦] यत एवेदमित्थं महदत एवाह एत्तोच्चिअ पडिसेहो, दढं अजोगाण वनिओ समए । एअस्स पाइणोऽविअ, बीअंति विही एसऽइसइणा ॥५२१ ॥ वृत्तिः- 'अत एव' महत्त्वात् कारणात् 'प्रतिषेधो'-निषेधो दानं प्रति 'दृढम्' अत्यर्थम् 'अयोग्यानां' क्षुद्रसत्त्वानां वर्णितः समये' सिद्धान्ते 'एतस्य' सामायिकस्य, तथा पातिनोऽपि च' प्रतिपातवतोऽपि चावश्यन्तया 'बीज'मित्यवन्ध्यं मुक्तिबीजमितिकृत्वा 'विधिश्च' दानं प्रति 'अतिशायिना' केवलिनाऽस्य वर्णितः, सिंहजीवाभीरादौ न भङ्गदोषा अत्र, विशेषतः प्रकृत्यैव तद्भावाद्, गुणांशस्याधिकत्वात् मारणात्मकसन्निपाते स्मृतिकार्यौषधदानवदिति गाथार्थः ।। ५२१ ।। આ પ્રમાણે સામાયિક મહાન હોવાથી જ શું કહ્યું છે તે જણાવે છે– સામાયિક એ રીતે મહાન હોવાથી જ શાસ્ત્રોમાં અયોગ્યને સત્ત્વહીન જીવોને સામાયિક આપવાનો નિષેધ કર્યો છે. પ્રશ્ન- સત્વરહિતને સામાયિક આપવાનો નિષેધ છે તો શ્રી મહાવીર ભગવાને ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં જે સિંહને મારી નાખ્યો હતો તે સિંહનો જીવ ખેડૂત દીક્ષા છોડી દેવાનો છે એમ જાણવા છતાં ગૌતમસ્વામીને મોકલીને તે ખેડૂતને દીક્ષા કેમ અપાવી ? ઉત્તર-ભગવાન જેમ દીક્ષા છોડી દેવાનો છે એમ જાણતા હતા, તેમ થોડો સમય પણ દીક્ષાનો સ્વીકાર એના માટે મુક્તિનું બીજ બની જશે, અર્થાત્ થોડો સમય પણ દીક્ષા પાળવાથી ભવિષ્યમાં ચોક્કસ બહુ જલ્દી તેનો ઉદ્ધાર થશે એમ પણ જાણતા હતા. વિશિષ્ટ ઉપકાર થશે એમ જાણીને શ્રી મહાવીર ભગવાને ખેડૂતને દીક્ષા અપાવી હોવાથી તેમાં દોષ નથી, બલ્ક લાભ છે. અલબત્ત, દીક્ષા છોડવાથી નુકશાન થયું. પણ નુકશાન કરતાં લાભ અધિક થયો. જેનું મરણ નજીક છે એવા સન્નિપાત રોગવાળાને મગજ સુધારવા તેવા ઔષધ આપવામાં અધિક લાભ છે, આવો રોગી મરવાનો છે તે વાત નક્કી છે. આથી ઔષધની મહેનત વગેરે આખરે નિરર્થક છે. છતાં જેટલો ૧. આથી જ લલિતવિસ્તરા, શ્રાવકધર્મપ્રકરણ વગેરે ગ્રંથોમાં ધર્મની યોગ્યતા માટે જરૂરી ગુણોમાં સામર્થ્યનો પણ સમાવેશ કર્યો છે. ૨. સમ્યકત્વ મુક્તિનું (અવંધ્ય) બીજ છે. ખેડૂતને થોડો સમય દીક્ષાપાલન દરમિયાન સમ્યકત્વની પ્રાપ્તિ થઈ ગઈ એ મોટો લાભ થયો છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ २३४ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते સમય જીવે તેટલો સમય મગજ થોડું પણ સારું રહે તો લાભ થાય, અહીં નુકશાનથી લાભ અધિક છે. એ પ્રમાણે ખેડૂત દીક્ષા છોડવાનો છે એ નિશ્ચિત હતું, પણ થોડો સમય પાલન કરવાથી નુકસાન કરતાં લાભ ઘણો થશે એમ જાણીને, ભગવાન શ્રી મહાવીરે ખેડૂતને દીક્ષા અપાવી હોવાથી તેમાં घोष नथी. [२१] अत: संतेऽवि अ एअम्मी, ओहेण विसिट्ठयत्थमे अस्स । गणिता, कहं न एएण कज्जंति ? ॥ ५२२ ॥ वृत्ति: - 'सत्यपि चैतस्मिन् ' सामायिके ओघेन' सामान्येन विशिष्टतार्थं ' वैशिष्ट्यनिमित्तम्'एतस्ये 'ति सामायिकस्यैव,' आगमभणिते:' आगमोक्तत्वात् कारणात्,' तथा ' तेन प्रकारेणानुभवसिद्धेन विशिष्टतार्थं 'कथं नैतेन' - इत्वरेण नमस्कारसहितादिना 'कार्यं ?', कार्यमेवेति गाथार्थः ॥ ५२२ ।। આથી સાધુને સામાન્યથી સામાયિક (સમભાવ) હોવા છતાં, સામાયિકની જ વિશેષતા માટે, એટલે કે સમભાવની (કે અપ્રમાદની) જ વૃદ્ધિ માટે નવકારશી આદિ પ્રત્યાખ્યાન કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે. નવકારશી આદિ પ્રત્યાખ્યાનથી સમભાવની (કે અપ્રમાદની) વૃદ્ધિ થાય છે એ સાધુઓને અનુભવસિદ્ધ છે. આમ નવકારશી આદિ પ્રત્યાખ્યાનથી સમભાવની (કે અપ્રમાદની) વૃદ્ધિ થાય છે એ શાસ્ત્રોક્ત હોવા ઉપરાંત અનુભવસિદ્ધ પણ છે. તો સાધુઓએ અલ્પકાલીન નવકારશી આદિ પ્રત્યાખ્યાન કરીને સમભાવની (કે અપ્રમાદની) વૃદ્ધિ શા માટે ન કરવી જોઈએ ? અર્થાત્ કરવી ४ भेजे. [२२] सामायिकबाधकमेतदिति केचित् तदपोहायाह तस्स उ पवेसनिग्गमवारणजोगेसु जह उ अववाया । मूलबाहाइ तहा, नवकाराइंमि आगारा ॥ ५२३ ॥ णय तस्स तेसुवि तहा, णिरभिस्संगो उ होइ परिणामो । पडिआरलिंगसिद्धो, उ निअमओ अन्नहारूवो ॥ ५२४ ॥ णय पढमभाववाघायमो उ एवंपि अविअ तस्सिद्धी । एवं चिअ होइ दढं, इहरा वामोहपायं तु ॥ ५२५ ॥ वृत्ति:- व्याख्या पूर्ववत् ॥ १. इहैतासां व्याख्यानं पूर्वं वचिदनुपलभ्यमानमपि पञ्चाशके पञ्चमे गाथात्रयमेतत्, तद्व्याख्या च तत्रैवं ननु यदि सुभटभावतुल्यत्वात् सामायिके नाकारा भवन्ति तदा सामायिकवतो नमस्कारसहितादावपि ते न युक्ताः, सुभटभावतुल्यभावबाधकत्वात् तेषामित्याशङ्कयाह-' तस्य तु' तस्यैव सुभटस्य प्रवेशश्च सङ्ग्रामे जयार्थिनः प्रवेशनं, निर्गमश्चतत एव जयार्थिन एव निर्गमनं, वारणं च विशिष्टावसरप्राप्तये प्रहरतः स्वबलस्य शत्रोर्वा निवारणं, योगश्च तस्यैव प्रयोगो व्यापारणं प्रवेशनिर्गमवारणयोगाः, प्रवेशनिर्गमवारणान्येव वा योगा:- व्यापारा: प्रवेशनिर्गमवारणयोगाः, अतस्तेषु Page #260 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [२३५ પ્રત્યાખ્યાનના આગારો સમભાવના બાધક છે એમ કોઈક માને છે, તેમની આ માન્યતાનું નિરાકરણ કરવા કહે છે મરવું અથવા વિજય મેળવવો એવા ભાવવાળો પણ સુભટ વિજયની ઈચ્છાથી યુદ્ધમાં પ્રવેશ કરે છે. ક્યારેક તક જોઈને યુદ્ધમાંથી નીકળી પણ જાય છે, પાછો હટી જાય છે, ક્યારેક પોતે લડવાનું બંધ કરે છે, ક્યારેક લડતા શત્રુને રોકે છે... આમ અનેક અપવાદોનું (છટકબારીઓનું) સેવન કરે છે. પણ તે અપવાદો તેની “મરવું યા વિજય મેળવવો” એવી મૂળ પ્રતિજ્ઞાને હાનિ પહોંચાડતા નથી. બસ, તેવી રીતે નવકારશી આદિ પ્રત્યાખ્યાનોના આગારો સુભટભાવ તુલ્ય સામાયિકને હાનિ પહોંચાડતા નથી. (ઉપર્યુક્ત વિષયનું જ સમર્થન કરે છે.) (તસુવિક) અપવાદોમાં પણ (તસ્પs) તેનો (તદાળ. પં.=) તેવા પ્રકારનો નિરાશંસ પરિણામ (fજયHI=) નિયમા (UIીવો=) અન્યથારૂપ (યદો) થતો જ નથી, અર્થાત્ બદલાઈ જતો નથી = આશંસાવાળો બની જતો નથી. કારણ કે (ડિ=) અન્યથારૂપ બનેલો (આશંસાવાળો બનેલો) પરિણામ પ્રતિકારરૂપ ચિહ્નથી જણાય છે. પ્રતીકારરૂપ ચિહ્ન તેનામાં દેખાતું નથી. આ અર્થ સાધુ અને સુભટ બંનેમાં ઘટાવવાનો છે. અપવાદ પદથી સાધુના પક્ષમાં નવકારશી વગેરેના આગારો અને સુભટના પક્ષમાં યુદ્ધમાં પ્રવેશ-નિર્ગમ વગેરે અપવાદો સમજવા. તણી પદ નિરભિમ્પંગ પરિણામનું વિશેષણ છે. તદા એટલે તથા = તેવા પ્રકારનો. સાધુના પક્ષમાં તેવા પ્રકારનો એટલે સમભાવરૂપ, અને સુભટના પક્ષમાં તેવા પ્રકારનો એટલે જીવન નિરપેક્ષતારૂપ. સાધુના પક્ષમાં પ્રતિકાર એટલે પ્રાયશ્ચિત્તનો સ્વીકાર, અને સુભટના પક્ષમાં પ્રતિકાર એટલે શરણની શોધ વગેરે. वैरिनिराकरणोपायभूतेषु सामायिकसिद्धयुपायभूतनमस्कारसहितादिकल्पेषु यथैवापवादा:-आकारास्तत्कारणभजनालक्षणा महत्तराकारादिकल्पा भवन्ति, कथमित्याह-'मूलाबाधया' मूलभूतस्य मर्त्तव्यं जयो वाऽवाप्तव्य इत्येवंलक्षणस्याध्यवसायस्याविचलिततया 'तथा तेनैव प्रकारेण नमस्कारादौ' नमस्कारसहितादौ प्रत्याख्याने 'आकाराः' अपवादा महत्तरादिलक्षणा मूलाबाधया सुभटभावकल्पसामायिकाबाधया भवन्तीति गाथार्थः ॥ ५२३ ।। मूलाबाधामेव स्पष्टयन्नाह-'न च नैव 'तस्य' सामायिकवत: सुभटस्य च 'तेष्वपि' अपवादेष्वपि सत्सु, आस्तामन्यत्र, 'तथा तत्प्रकार इष्टानिष्टार्थतुल्यतारूपो जीवितानपेक्षी च 'निरभिष्वङ्गस्तु' निराशंस एव सन् 'भवति' जायते 'परिणाम:' अध्यवसायोऽन्यथारूपः प्रतिकार:-प्रायश्चित्तप्रतिपत्तिरूप: सुभटपक्षे तु शरणादिरूपः स एव लिंग-चिह्न तेन सिद्धो यः स तथा, तुशब्दः पूरणार्थो, 'नियमाद्' अवश्यंभावेन अन्यथारूप: साभिष्वङ्ग इत्यर्थः, इदमुक्तं भवति-यदि सामायिकवतो महत्तराद्याकारेषु सत्सु साभिष्वङ्गः परिणामोऽभविष्यत्तदा तच्छुद्धये प्रायश्चित्तमकरिष्यत्, न चैवं, ततस्तस्याकारेष्वपि सत्सु निरभिष्वङ्ग एव परिणामः, अत: साधूक्तं मूलाबाधयेति गाथार्थः ॥५२४ ॥अपवादाश्रयणेऽपि न मूलभावबाधा भवतीत्येतदेव सविशेषं दर्शयन्नाह-नव प्रथमभावव्याघात' आद्याध्यवसायबाधा, प्रत्याख्यानपक्षे सामायिकबाधा सुभटपक्षे जयाध्यवसायबाधा, मो इति निपात: पादपूरणे, तुशब्दः पुनरर्थः, तत्सम्बन्धश्च दर्शयिष्यते, 'एवमपि' अनन्तरोक्तापवादाश्रयणेऽपि, 'अपिचे 'त्यभ्युच्चये, 'तत्सिद्धिः' प्रथमभावस्य विशेषतो निष्पत्तिः "एवमेव' अपवादाश्रयण एव 'भवति' जायते दृढम्' अत्यर्थ, आकारवत्प्रत्याख्यानाश्रयणस्य तदुपायत्वात्, रिपुविजये प्रवेशादिभजनाया इवेति, 'इतरथा' पुन:-अपवादवत्प्रत्याख्यानानाश्रयणे पुन: 'व्यामोहप्रायं तु मूढताप्रख्यमेव सामायिक सुभटस्य विजयाध्यवसानं वा भवेद्, उपायत एव तसिद्धेरिति गाथार्थः ॥ ५२५ ॥ ૧. “પ્રતીકારરૂપ ચિહ્ન તેનામાં દેખાતું નથી.” એ અર્થ મૂળમાં નથી. (પંચાશકની) ટીકામાં (ભાવાર્થમાં) જણાવ્યો છે. કારણ કે એટલો અર્થ ન હોય તો વાક્યની સંકલના ન થવાથી અર્થઘટના બરોબર ન થાય. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ભાવાર્થ- સાધુનો સમભાવરૂપ જે નિરાશંસ પરિણામ અને સુભટનો (મરવું યા વિજય મેળવવો એ રીતે) જીવન નિરપેક્ષતારૂપ જે નિરાશંસ પરિણામ તે, અપવાદો હોવા છતાં, અન્યથારૂપ = આશંસાવાળો બની જતો નથી. કારણ કે જો નિરાશંસ પરિણામ આશંસાવાળો બની જતો હોય તો તેની શુદ્ધિ માટે સાધુ પ્રાયશ્ચિત્તના સ્વીકારરૂપ પ્રતીકાર કરે અને સુભટ શરણની શોધ વગેરે રૂપ પ્રતીકાર કરે, પણ તે બંનેમાં તેમ દેખાતું નથી, અર્થાત્ પ્રત્યાખ્યાનમાં આગારો રાખવાને કારણે સાધુને પ્રાયશ્ચિત્ત આવતું નથી. જો આગારોથી આશંસાભાવ થઈ જતો હોય તો શાસ્ત્રમાં તે માટે (= આગારો રાખવાથી થયેલી આશંસા બદલ) પ્રાયશ્ચિત્ત કરવાનું કહ્યું હોત. તથા સુભટ યુદ્ધમાં પ્રવેશ-નિર્ગમ વગેરે કરે છે, પણ શત્રુ વગેરેનું શરણ સ્વીકારતો નથી. જો સુભટમાં અપવાદોથી આશંસા (જીવવાની આશા) થતી હોય તો શત્રુ વગેરેનું શરણું લેવાની શોધ કરે, પણ તેમ છે નહિ. આથી પ્રત્યાખ્યાનમાં આગારો રાખવા છતાં સાધુના સમભાવરૂપ મૂળ ભાવને હાનિ પહોંચતી નથી એ સિદ્ધ થાય છે. અહીં પડિયારતિસિદ્ધો એ પદ અળદારૂનો પદનું વિશેષણ છે. એટલે ગાથાનો અન્વયાર્થ આ પ્રમાણે થાય- તેનો અપવાદોમાં પણ તેવા પ્રકારનો નિરાશંસ પરિણામ નિયમા પ્રતીકારના લક્ષણથી સિદ્ધ (= જણાતો) એવો અન્યથારૂપ (આશંસારૂપ) બનતો નથી. [૫૨૪] (પ્રસ્તુત વિષયનું જ સમર્થન કરે છે-) (i fr =) અપવાદોનો આશ્રય લેવા છતાં (પ. =) પ્રથમ ભાવને = મૂળ ભાવને (સાધુના પક્ષમાં સમભાવને અને સુભટના પક્ષે વિજયના પરિણામને) હાનિ ( ય =) થતી જ નથી. (અવિ ય =) બલ્કે (વં વિય =) અપવાદોનો આશ્રય લેવાથી જ (વ ં સિદ્ધિ હોફ =) તેની મૂળ ભાવની અતિશય સિદ્ધિ થાય છે. (દરા =) અપવાદનો આશ્રય ન લેવામાં (વ. તુ =) સાધુનું સામાયિક અને સુભટની વિજયેચ્છા મૂઢતા તુલ્ય જ છે. કારણ કે ઉપાયથી જ તેની સિદ્ધિ થઈ શકે. આગાર સહિત પ્રત્યાખ્યાનનો સ્વીકાર સમભાવનો ઉપાય છે. યુદ્ધમાં પ્રવેશ-નિર્ગમ એટલે અપવાદોનો સ્વીકાર. પ્રવેશ-નિર્ગમ શત્રુવિજયનો ઉપાય છે. [૫૨૫] न य सामाइअमेअं, बाहइ भेअगहणेऽवि सव्वथ । समभावपवित्तिनिवित्तिभावओ ठाणगमणं व ॥ ५२६ ॥ वृत्ति:- 'न च सामायिकमेतत्' नमस्कारसहितादि 'बाधते' अशनादि भेदग्रहणेऽपि ' સતિ, ત: ?, ‘સર્વત્રા’શના ‘સમમાવેશૈવ પ્રવૃત્તિનિવૃત્તિમાવાત્ સ્થાનનમનવત્', તથાદિस्थाननिवृत्त्या भिक्षाटनादौ गच्छतोऽपि मध्यस्थस्य न सामायिकबाधा, अन्यथा तदभावप्रसङ्गात्, सर्वत्र युगपत्प्रवृत्त्यसम्भवादिति गाथार्थः ॥ ५२६ ॥ પ્રશ્ન- પ્રત્યાખ્યાન કરનાર ચારે આહારનો ત્યાગ કરી દે તો તો બરાબર છે. પણ તિવિહાર આદિથી અમુક જ પ્રકારના આહારનો ત્યાગ કરે તો તેમાં સામાયિકનો ભંગ થાય છે. કારણ કે જેનો ત્યાગ નથી કર્યો તેમાં રાગ છે, અને જેનો ત્યાગ કર્યો છે તેમાં દ્વેષ છે. નહીં તો અમુક નો ત્યાગ અને Page #262 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૩૭ અમુકનો નહિ એમ ભેદ શા માટે? જેના ઉપર રાગ છે તેનો રાગના કારણે ત્યાગ નથી કર્યો અને જેના ઉપર દ્વેષ છે તેનો દ્વેષના કારણે ત્યાગ કર્યો છે. રાગદ્વેષથી સામાયિકનો ભંગ થાય છે. ઉત્તર-પ્રત્યાખ્યાન તિવિહાર આદિ ભેદથી લેવામાં આવે તો પણ સામાયિકને બાધા પહોંચાડતું નથી જ, અર્થાત્ તેવા પ્રત્યાખ્યાનથી સામાયિકનો = સમભાવનો ભંગ થતો નથી. કારણ કે તિવિહાર આદિ પ્રત્યાખ્યાન કરનાર ત્યાગ નહિ કરેલા આહારમાં પ્રવૃત્તિ અને ત્યાગ કરેલા આહારથી નિવૃત્તિ સમભાવપૂર્વક કરે છે. અર્થાત જેનો ત્યાગ નથી કર્યો તેમાં રાગ છે માટે ત્યાગ નથી કર્યો એવું નથી. કિંતુ શાસ્ત્રમાં કહેલા આહાર લેવાના સુધાદિ કારણોથી ત્યાગ નથી કર્યો. તથા જેનો ત્યાગ કર્યો છે તેના ઉપર દ્વેષ છે, માટે ત્યાગ કર્યો છે એવું નથી, પણ શાસ્ત્રમાં જે (રોગ વગેરે) કારણોથી આહાર લેવાનો નિષેધ કર્યો છે તે કારણોથી ત્યાગ કર્યો છે. આથી તિવિહાર આદિ પ્રત્યાખ્યાન કરનારને જેનો ત્યાગ નથી કર્યો તેમાં પ્રવૃત્તિ અને જેનો ત્યાગ કર્યો છે તેનાથી નિવૃત્તિ એ બંને વિષે સમભાવ હોય છે. જેમ સાધુને અમુક સ્થાનને છોડીને બીજા સ્થાને જવામાં છોડેલા સ્થાન પ્રત્યે દ્વેષ નથી અને સ્વીકારેલા સ્થાન પ્રત્યે રાગ નથી, કિંતુ બંને પ્રત્યે સમભાવ છે, તેમ અહીં ત્યાગ કરેલા અને ત્યાગ નહિ કરેલા એ બંને આહાર પ્રત્યે સમભાવ છે. જો બંને પ્રત્યે સમભાવ ન હોય તો સામાયિકનો અભાવ થાય. બધા સ્થળે એકી સાથે પ્રવૃત્તિ ન થઈ શકે, અર્થાત્ ત્યાગ-સ્વીકાર, પ્રવૃત્તિ-નિવૃત્તિ વગેરે એકી સાથે ન થઈ શકે, બેમાંથી કોઈ એક થઈ શકે. એથી સાધુ કોઈ એકનો ત્યાગ અને અન્યનો સ્વીકાર કરે, અથવા કોઈ એકથી નિવૃત્તિ અને કોઈ એકમાં પ્રવૃત્તિ કરે તો સમભાવનો ભંગ થતો નથી. [૨૬] उभयाभावेऽपि कुओऽवि अग्गओ हंदि एरिसो चेव । तक्काले तब्भावो, चित्तखओवसमओ णेओ ॥ ५२७ ॥ વૃત્તિઃ- 1 વ્યારા | (સામાયિકમાં પતનનો સંભવ હોવા છતાં અપવાદો કેમ નહિ તેનું સમાધાન કરે છે...) પ્રશ્ન-સામાયિક સુભટભાવ તુલ્ય હોવા છતાં કાલાંતરે કોઈ જીવના પતનનો સંભવ તો ખરો જ. આથી અપવાદસહિત સામાયિકનો સ્વીકાર કરવો યોગ્ય છે. ઉત્તર- (૩mગોત્ર) કાલાંતરે (સાધુના પક્ષમાં સામાયિક લીધા પછી તેનું પાલન કરતી વખતે. સુભટના પક્ષમાં યુદ્ધ કરતી વખતે) (ગોવિ =) કોઈ કારણથી (સાધુના પક્ષમાં પરીષહ વગેરે पञ्चमपञ्चाशकगतैषाऽपि, तद्व्याख्या चैवं तत्र-ननु यद्यपि सामायिकं सुभटाध्यवसायतुल्यं तथापि कस्यापि प्राणिनः कालान्तरे तस्य प्रतिपातः सम्भवति इत्यतः तदपि सापवादमेव कत्तुं युक्तमत्रोत्तरमाह-'उभये 'त्यादि, 'उभयस्य' (मरणस्य भाववैरिजयस्य च) सुभटदृष्टान्तापेक्षया तु मरणरिपुविजयलक्षणस्य द्वयस्याभावः-असत्ता उभयाभावस्तत्रापि, आस्तां तदभ्रंशे, 'कुतोऽपि' कस्मादपि परिषहानीकभयादेः 'अग्रतः' पुरतः सामायिकप्रतिपत्तेरनन्तरं तत्पालनावसरे सुभटपक्षे तु संग्रामकाल इत्यर्थः, 'हन्दी 'त्युपप्रदर्शने, 'ईदृश एव' मर्त्तव्यं भाववैरिविजयो वा विधेय इत्येवंविध एव, न पुनरपवादाभिमुखस्तद्भाव इति योगः, कदेत्याह-'तत्काले' सामायिकप्रतिपत्तिकाले सुभटपक्षे तु संग्रामाभ्युपगमकाले, कोऽसावित्याह-'तद्भावः सामायिकप्रतिपत्तिपरिणामोऽन्यत्र तु सुभटाध्यवसाय:, कथमेतदेवमित्याह-'चित्रक्षयोपशमतः' कर्मक्षयोपशमवैचित्र्यात् 'ज्ञेयो' ज्ञातव्यः, एवंविधो हि तस्य क्षयोपशमो भवति यतोऽवश्यप्राप्तव्यमनोभङ्गत्वेऽपि साधुसुभटस्यादावुक्त एव भावो भवतीति गाथार्थ: Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અને સુભટના પક્ષમાં શત્રુભય વગેરે કારણથી) (૩૧. =) બંનેનો અભાવ થાય તો પણ = મરણ અને શત્રુજય એ બંને ન થાય તો પણ, અર્થાત્ મરવું યા શત્રુજય કરવો એવા પરિણામનો ભંગ થાય તો પણ, (તધરાતે =) તેનો સ્વીકાર કરવાના સમયે (સાધુના પક્ષમાં સામાયિકનો સ્વીકાર કરતી વખતે અને સુભટના પક્ષમાં યુદ્ધમાં પ્રવેશ કરતી વખતે) (તન્માવો =) તેનો ભાવ (સાધુના પક્ષમાં સામાયિક સ્વીકારરૂપ પરિણામ અને સુભટના પક્ષમાં જયનો અધ્યવસાય) (fો =) આવો જ હોય છે, અર્થાત્ મરવું યા વિજય પ્રાપ્ત કરવો એવો જ હોય છે. કોઈ અપવાદ સ્વીકારવાનો ભાવ હોતો નથી. પ્રશ્ન- જેના પરિણામનો ભંગ અવશ્ય ન થવાનો હોય તેનામાં સ્વીકાર કરતી વખતે આવો ભાવ હોય એ સમજાય છે. પણ જેના પરિણામનો ભંગ અવશ્ય થવાનો છે તેનામાં પણ આવો ભાવ હોય તે સમજાતું નથી ? ઉત્તર- (વિત્ત. ખૈયો =) વિચિત્ર ક્ષયોપશમથી આ જાણવું, અર્થાત્ ક્ષયોપશમ અનેક રીતે થતો હોવાથી આમાં તેવા પ્રકારનો કર્મક્ષયોપશમ જ કારણ છે. સાધુને સામાયિક સ્વીકારતી વખતે અને સુભટને યુદ્ધમાં પ્રવેશ કરતી વખતે કર્મનો ક્ષયોપશમ જ તેવો થાય છે કે જેથી ભવિષ્યમાં જેના પરિણામનો ભંગ થવાનો છે તેને પણ કોઈ પણ જાતના અપવાદની અપેક્ષા વિના મરવું યા વિજય પ્રાપ્ત કરવો એવો અધ્યવસાય થાય છે. જેના પરિણામનો ભંગ થવાનો છે તેને પણ જો તે વખતે (સાધુના પક્ષમાં સામાયિક સ્વીકારતી વખતે અને સુભટના પક્ષમાં યુદ્ધમાં પ્રવેશતી વખતે) આવો ભાવ થાય છે તો જેના પરિણામનો ભંગ થવાનો નથી તેને તો આવો ભાવ અવશ્ય થાય. આથી એ સિદ્ધ થયું કે ભવિષ્યમાં પરિણામનો ભંગ થવાનો હોય કે ન થવાનો હોય, પણ સામાયિક સ્વીકારતી વખતે નિરપવાદ જ સામાયિકના પરિણામ હોય છે. આથી સામાયિકમાં આગારો નથી કહ્યા. સામાયિકમાં આગારો કેમ નથી એ વિષયની ચર્ચા અહીં પૂર્ણ થાય છે. [૫૨૭] अण्णे भांति जइणो, तिविहाहारस्स तं खलु न जुत्तं । સવિડ વં, મેળે હું સા ૩ ? | ૨૮ ॥ वृत्ति:- 'अन्ये भणन्ति' - दिगम्बरादयः 'यतेः' प्रव्रजितस्य ‘ત્રિવિધાહાસ્ય’ अशनादेः‘तद्’इत्वर-प्रत्याख्यानं 'खलु न युक्तं' न साधु, कुत इत्याह 'सर्वविरतेः' कारणाद्, અસ્યા ‘વં પ્રેગ્રહને'-ન્યતરત્સાન ‘થં મા' સર્વવિરતિતિ થાર્થ: ॥ ૧૨૮ ॥ દિગંબરો કહે છે કે- સાધુને તિવિહારનું પ્રત્યાખ્યાન યોગ્ય નથી. કારણ કે સાધુઓને (સન્ન. =) સર્વવિરતિ છે. જો આ પ્રમાણે તિવિહારરૂપ વિશેષ પ્રત્યાખ્યાન સ્વીકારવામાં આવે તો (જ્ન્મ સા ? =) તે સર્વવિરતિ કેમ રહે ? સર્વ આહારનું પ્રત્યાખ્યાન થાય તો સર્વવિરતિ થાય. તિવિહારના પ્રત્યાખ્યાનમાં બધા આહારનો ત્યાગ ન હોવાથી સર્વવિરતિ નથી. [૫૨૮] ૧. સાધુના પક્ષમાં ભાવશત્રુ સમજવા. Page #264 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] अत्र परिहारमाह ry अप्पमायसेवणफलमेअं दंसिअं इहं पुवि । तब्भोगमित्तकरणे, सेसच्चाया तओ अहिओ ।। ५२९ ।। वृत्ति:- 'नन्वप्रमादसेवनाफलमेतत्'- इत्वरप्रत्याख्यानं ' दर्शितमिह पूर्वं, तन्मात्र भोगकरणे ' પાનમાત્રામેવને રૂત્યર્થ: ‘શેષત્યાર્' અશનાવિત્યાર્ ‘અસૌ’ અપ્રમાવો ધિ:', અતો નાયુપ્તમિતિ ગાથાર્થઃ ॥ ૨ ॥ અહીં ઉત્તર કહે છે અલ્પકાલીન પ્રત્યાખ્યાન અપ્રમાદ સેવનના ફળવાળું છે, અર્થાત્ અલ્પકાલીન પ્રત્યાખ્યાનથી સર્વવિરતિમાં અપ્રમાદનું સેવન (= પાલન) થાય છે, આ વિગત પૂર્વે (૫૧૩મી ગાથામાં) જણાવી છે. તેથી તિવિહારના પ્રત્યાખ્યાનમાં (તોત્ત. =) માત્ર પાણીનો જ ઉપયોગ થતો હોવાથી શેષ ત્રણ આહારનો ત્યાગ થવાથી અપ્રમાદ અધિક થાય છે, અર્થાત્ તિવિહારના પ્રત્યાખ્યાનમાં પાણીની જ છૂટ રાખીને બાકીના ત્રણ આહારનો ત્યાગ થતો હોવાથી સર્વવિરતિ સામાયિકથી થયેલા અપ્રમાદથી અધિક અપ્રમાદ થાય છે. એટલે કે સર્વવિરતિરૂપ સામાયિકથી જે અપ્રમાદ થયો છે તેમાં ત્રણ આહારના ત્યાગથી વધારો થાય છે. આમ સર્વવિરતિમાં બાધ ન થતો હોવાથી અને અપ્રમાદમાં વધારો થતો હોવાથી સાધુને પણ તિવિહારનું પ્રત્યાખ્યાન સંગત છે. [૫૨૯] [૨૨૧ एवं कहंचि कज्जे, दुविहस्सवि तं न होइ चिन्तमिअं । सच्चं जइणो नवरं, पाएण न अन्नपरिभोगो ॥ ५३० ॥ વૃત્તિ:- ‘વં’ સૂક્ષ્મશિાયાં ‘થશ્ચિત્ હાર્યે’ જ્ઞાનાવી ‘દ્વિવિધસ્યાપ્યા હારસ્ય ‘તવ્’ ફત્વપ્રત્યારાનું ‘ન મવતિ ?, ચિન્ત્યમિમ્', તવપિ પ્રાત્નોતીત્યર્થ:, તવાશ ચાહ-‘સમિ’પ્યંત તત્, ‘યતે:' પ્રવ્રુનિ-તસ્ય ‘નવાં પ્રાયશો’ વાહુલ્યેન ‘નાન્યપરિમોશો' 7 સ્વાદ્યાસેિવનमतोऽनाचरणेति गाथार्थः || ५३० || (વિશિષ્ટ અવસ્થામાં સાધુથી વિહાર પણ થઈ શકે—) પૂર્વ પક્ષ- (i =) અપ્રમાદવૃદ્ધિનું કારણ હોવાથી તિવિહાર પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરવામાં સૂક્ષ્મ દૃષ્ટિથી જોવામાં આવે તો, માંદગી આદિ કોઈ કાર્યમાં દુવિહારનું પણ પ્રત્યાખ્યાન શું ન થાય ? અર્થાત્ થાય. આથી તિવિહાર પ્રત્યાખ્યાન થઈ શકે એવો તમારો મત વિચારણીય છે. તાત્પર્ય- તિવિહારના પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરવામાં દુવિહાર પ્રત્યાખ્યાનનો પણ સ્વીકાર કરવાની આપત્તિ આવશે. આથી તિવિહાર પ્રત્યાખ્યાન થઈ શકે એવો તમારો મત તમારે વિચારવાની જરૂર છે. ઉત્તર પક્ષ- તમારી વાત સાચી છે. અર્થાત્ તેવા વિશિષ્ટ પ્રસંગે દુવિહાર પ્રત્યાખ્યાન માન્ય છે. પણ સાધુને પ્રાયઃ વિશિષ્ટ માંદગી આદિ સિવાય સ્વાદિમ વગેરે આહારનું ભોજન હોતું નથી. Page #265 -------------------------------------------------------------------------- ________________ - - ૨૪૦ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કારણ કે શાસ્ત્રમાં બતાવેલાં વેદના આદિ છ કારણોથી આહાર કરવાનો છે. એ જ કારણોમાં સ્વાદિમ વગેરે બિલકુલ ઉપયોગી નથી, અર્થાત્ સાધુઓને સામાન્યથી સ્વાદિમ વગેરે આહારનું સેવન ન હોવાથી તેની આચરણા નથી અને તમે કહ્યું તેવા પ્રસંગે સ્વાદિમ આહારની છૂટ હોવાથી દુવિહારનું પ્રત્યાખ્યાન કરવામાં વાંધો નથી. (ગાથામાં યતિશબ્દનો ઉલ્લેખ હોવાથી આ (= ગાઢ કારણે દુવિહાર થઈ શકે એ) નિયમ સાધુને ઉદ્દેશીને છે. શ્રાવક તો (ગાઢ કારણ વિના પણ) દુવિહાર પણ પ્રત્યાખ્યાન કરી શકે.) [૩૦] 'आकारैर्विशुद्ध'मिति व्याख्यातम्, अधुना उपयुक्ता' इत्यादि व्याचिख्यासुराह उवओगो एवं( अं)खलु, एआ विगई नवित्ति जो जोगो। उच्चरणाई उ विही, उट्ठेपि अ कज्जभोगगओ ॥५३१ ॥ वृत्तिः- 'उपयोगः एतत् खलु' नमस्कारसहितादि, ‘एता विकृतयो' भोग्या न वेति 'यो योगो' व्यापारः, 'उच्चारणादिविधिः' व्यक्तोच्चारणनमस्कारपाठगुर्वनुज्ञापनादि, 'ऊर्ध्वमपि च' भोगकाले 'कार्यभोगगत' इति वेदनोपशमादिकार्याय भोगप्राप्त इति गाथार्थः ॥ ५३१ ॥ આગારોથી વિશુદ્ધ એ દ્વારનું વ્યાખ્યાન કર્યું. હવે ઉપયોગપૂર્વક એ દ્વારનું વ્યાખ્યાન કરે છે– ઉપયોગ આ પ્રમાણે છે- મારે આજે નવકારશી આદિ અમુક પ્રત્યાખ્યાન છે એમ જ્ઞાન હોવું, આ વિગઈઓ ખાવાલાયક છે કે નહિ એનો ખ્યાલ રાખવો, પચ્ચકખાણ લેતાં પચ્ચખાણસૂત્રનો સ્પષ્ટ ઉચ્ચાર કરવો, નમસ્કારમંત્ર ગણવાપૂર્વક ભોજન કરવું, ભોજન કરતાં પહેલાં ગુરુને જણાવવું = ગુરુની અનુજ્ઞા લેવી, ભોજન કરવાનાં “ક્ષુધાવેદનાની શાંતિ વગેરે કારણોથી ભોજન કરવું વગેરે ઉપયોગ છે. [૫૩૧] ‘બિનદg'feત વ્યાય जिणदिद्यमेवमेअं, निरभिस्संगं विवेगजुत्तस्स । भावप्पहाणमणहं, जायइ केवलहेउत्ति ॥ ५३२ ॥ वृत्तिः- "जिनदृष्टमेवमेतद्'-उक्तेन प्रकारेण 'निरभिष्वङ्गं' सत् ‘विवेकयुक्तस्य' सतः ભાવપ્રથાન' માવાઈ “નયમ્' મા'રાજેતે વિચહેતુઃ ', શુદ્ધáવરત્નાલિતિ થાર્થ: wવરૂર છે જિનોક્ત એ દ્વાર કહે છે “જિનેશ્વરોએ આ કરવાનું કહ્યું છે એમ જિનેશ્વર ઉપર બહુમાનપૂર્વક પ્રત્યાખ્યાન લેનાર વિવેકી જીવનું પ્રત્યાખ્યાન અભિમ્પંગથી (= ભૌતિક સુખ વગેરેની આશંસાથી) રહિત થયું છતું ભાવની પ્રધાનતાવાળું, નિષ્પા૫ અને કેવલજ્ઞાનનું કારણ બને છે. કારણ કે આવું પ્રત્યાખ્યાન શુદ્ધ સંવર રૂપ છે, અર્થાત્ આવા પ્રત્યાખ્યાનથી આશ્રવ થતો નથી, કેવળ સંવર થાય છે. [૫૩૨] 'स्वयमेवानुपालनीय'मित्येतदधिकृत्याह आह जह जीवघाए, पच्चक्खाए न कारए अन्नं । भंगभयाऽसणदाणे, धुवकारवणत्ति नणु दोसो ॥५३३ ॥ Page #266 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [२४१ वृत्तिः- प्रत्याख्यानाधिकार एवाह पर:, कि माह' ?, 'यथा जीवघाते' प्राणातिपाते 'प्रत्याख्याते' सत्यसौ प्रत्याख्याता 'न कारयत्यन्यमिति-न कारयति जीवघातमन्यं प्राणिनमिति, कुतः?, व्रतभङ्गभयात्'प्रत्याख्यानभङ्गभयादित्यर्थः, अश्यत इत्यशनम्-ओदनादितस्यदानमशनदानं तस्मिन्न शनदाने', अशनशब्दः पानाधुपलक्षणार्थः, ततश्चैतदुक्तं भवति-कृतप्रत्याख्यानस्य सतः अन्यस्मै अशनादिदाने 'ध्रुवं कारावणमिति' अवश्यं भुजिक्रियाकारणम्, अशनादिलाभे सति भोक्तुर्भुजिक्रियासद्भावात्, ततः किमिति चेत्ननु दोषः' प्रत्याख्यानभङ्गो दोष इति गाथार्थः ।।५३३ ।। अतः नो कयपच्चक्खाणो आयरियाईण दिज्ज असणाई । ण य विड्पालणाओ, वेआवच्चं पहाणयरं ॥ ५३४ ।। वृत्तिः- यतश्चैवमतो 'न कृतप्रत्याख्यानः' पुमान् ‘आचार्यादिभ्यः', आदिशब्दादुपाध्यायतपस्विशैक्षकग्लानवृद्धादिपरिग्रहः, दद्यात्' किम् ? अशनादि', स्यादेतत्-ददतो वैयावृत्त्यलाभ इत्यत आह -'न च विरतिपालनाद्वैयावृत्त्यं प्रधानतरम्', अतोऽसत्यपि तल्लाभे किं तेनेति गाथार्थः ।। ५३४ ।। "स्वयं ४ पालन ४२पार्नु छ" में छ અહીં વાદી પૂર્વપક્ષ કહે છે કે- જેમ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરનાર જીવ પ્રત્યાખ્યાનભંગના ભયથી બીજા પાસે પ્રાણાતિપાત કરાવતો નથી, તેમ આહારનું પ્રત્યાખ્યાન કરનાર જીવ બીજાને અશનાદિ આપીને અવશ્ય બીજાના ભોજનનું કારણ બને છે. બીજાને ભોજન કરાવે છે. કારણ કે આહાર આપવાથી લેનાર જીવ ભોજન કરે, આથી પ્રત્યખ્યાનભંગ રૂપ દોષ લાગે. આથી પ્રત્યાખ્યાન કરનાર પુરુષે આચાર્ય ઉપાધ્યાય, તપસ્વી, નૂતન દીક્ષિત, ગ્લાન, વૃદ્ધ આદિને અશનાદિ આહાર ન આપવો જોઈએ. પ્રશ્ન- આચાર્ય આદિને અશનાદિ આપનારને વેયાવચ્ચનો લાભ તો થાય ને ? ઉત્તર- વિરતિના પાલનથી વૈયાવચ્ચ પ્રધાન નથી, અર્થાત્ વિરતિના પાલનની મુખ્યતા છે. આથી પ્રત્યાખ્યાન કરનારને આચાર્યાદિને આહાર આપવાથી વૈયાવચ્ચનો લાભ થતો હોવા છતાં વિરતિનો = પ્રત્યાખ્યાનનો ભંગ થતો હોવાથી એ લાભ ન લેવો જોઈએ. [૫૩૩-પ૩૪] एवं विनेयजनहिताय पराभिप्रायमाशय गुरुराह नो तिविहं तिविहेणं, पच्चक्खइ अण्णदाणकारवणं । सुद्धस्स तओ मुणिणो, ण होइ तब्भंगहेउत्ति ॥५३५ ॥ वृत्तिः- 'न त्रिविधं' करणकारणानुमतिभेदभिन्नं 'त्रिविधेन' मनोवाक्काययोगत्रयेण १. मा ४ गाथा आवश्य: नियुजितमा ५ छ. नीटी ५९ अक्षरसः समान छ. ५९ अतोऽसत्यपि तल्लाभे पाना स्थाने अतः સf ૪ નાખે એવો પાઠ છે. આમાં આવશ્યકનિયુક્તિનો પાઠ સંગત લાગવાથી તેના આધારે પ્રસ્તુત અનુવાદ કર્યો છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ २४२ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते प्रत्याख्याता 'प्रत्याचष्टे, प्रक्रान्तमशनादि, अतोऽनभ्युपगतोपालम्भश्चोदकमतं, यतश्चैवमन्यस्मै दानमशनादेरिति गम्यते तेन हेतुभूतेन कारणं- भुजिक्रियागोचरं मन्यदानकारणं' तत् 'शुद्धस्य' आशंसादिदोषरहितस्य 'तत: ' तस्मात् 'मुनेः' साधो'र्न भवति तद्भङ्गहेतुः ' प्रकान्तप्रत्याख्यानभङ्गहेतु:, तथा अनभ्युपगमादिति गाथार्थः || ५३५ ॥ ગુરુ સ્વયં શિહિત માટે આ પ્રમાણે પરના અભિપ્રાયની કલ્પના (પ્રશ્ન) કરીને હવે તેનો ઉત્તર આપે છે– સાધુ આહારનો ત્યાગ ન ક૨વું-કરાવવું-અનુમોદવું એમ ત્રિવિધ અને મન-વચન-કાયાથી એમ ત્રિવિધ કરતો નથી. આથી વાદીએ જણાવેલ દૂષણનો સ્વીકાર થતો નથી દૂષણ લાગતું નથી. આથી અન્યને અશનાદિ આપવા દ્વારા આહાર કરાવવો એ આશંસારહિત સાધુને પ્રસ્તુત પ્રત્યાખ્યાનના ભંગનું કારણ બનતું નથી. કારણ કે બીજાને આહાર ન કરાવવું એવું પચ્ચક્ખાણ सीधुं नथी. [ 34 ] किञ्च सयमेवऽणुपालणिअं, दाणुवएसा य नेह पडिसिद्धा । तो दिज्ज उवइसिज्ज व, जहा समाहीअ अन्नेसिं ॥ ५३६ ॥ वृत्ति:- 'स्वयमेव ' आत्मनै' वानुपालनीयं' प्रत्याख्यानमित्युक्तं नियुक्तिकारेण, 'दानोपदेशौ च नेह प्रतिषिद्धौ', तत्रात्मनाऽऽनीय दानं, दानश्राद्धकादिकुलाख्यानं तूपदेश इति, यस्मादेवं' तस्मात् दद्यादुपदिशेद्वा, यथासमाधिना' यथासमाधानेन 'अन्येभ्यो' बालादिभ्य इति गाथार्थः || ५३६ ॥ = તથા લેનારે પોતેજ પ્રત્યાખ્યાનનું પાલન કરવાનું છે એમ આવશ્યકનિર્યુક્તિકારે કહ્યું છે, ભોજનના દાન અને ઉપદેશનો નિષેધ નથી કર્યો. પોતે આહાર લાવીને આપવો એ દાન છે, અને દાનરુચિવાળા શ્રાવક વગેરેનાં કુલો કહેવાં એ ઉપદેશ છે. આથી યથાસમાધિ બાલાદિને આહારાદિનું દાન કરે કે આહારાદિનો ઉપદેશ આપે. [૫૩૬] अमुमेवार्थं स्पष्टयन्नाह कयपच्चक्खाणोऽविअ, आयरिअगिलाणबालवुड्डाणं । दिज्जाsसणाइ संते, लाभे कयवीरिआयारो ॥ ५३७ ॥ वृत्ति:- 'कृतप्रत्याख्यानोऽपि च' गृहीतप्रत्याख्यानोऽपि चेत्यर्थः, 'आचार्यग्लानबालवृद्धेभ्यो दद्यादशनादि सति लाभे कृतवीर्याचार' इति गाथार्थः ॥ ५३७ ॥ આ જ અર્થને સ્પષ્ટ કરતા ગ્રંથકાર કહે છે. આથી આહારનું પ્રત્યાખ્યાન કરનાર પણ જો આચાર્ય, ગ્લાન, બાલ અને વૃદ્ધોને પ્રાયોગ્ય આહાર પોતાને મળે તેમ હોય તો ભિક્ષા માટે ફરે અને એ રીતે વીર્યાચારનું પાલન કરીને આચાર્યાદિને अशनाहि खाये. [433] Page #268 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] संविग्गअण्णसंभोइआण दंसिज्ज सड्ढगकुलाणि । अतरतो वा संभोइआण जह वा समाहीए ॥ ५३८ ॥ वृत्ति:- 'संविग्नान्यसम्भोगिकानां' तु 'दर्शयेत् श्रावककुलानि, अतरन् वा' अशक्नुवन् 'सम्भोगिकानामपि दर्शयेत् 'यथासामर्थ्यमि' ति गाथार्थः । एत्थ पुण सामायारी-सयं अभुंजंतो साहूणमाणित्ता भत्तपाणं देज्जा, संतं वीरियं न विगूहियव्वं, अप्पणो संते वीरिए अण्णो नाणावेयव्वो जहा- अज्जो ! अमुकगस्स आउं देहि, तम्हा अप्पणो संतं वीरिए आयरियगिलाणबालवुड्ढपाहुणगादीण गच्छस्स वा सन्नायकुलेहिंतो वा असण्णाएहिं वा लद्धिसंपण्णो आणित्ता दिज्जा वा दवाविज्जा वा परिचिएस वा संवुड्ढीए व ( खडीए) वा दवाविज्जा, उवदिसिज्ज वावि संविग्गअण्णसंभोइयाणं जहा एयाणि दाणकुलाणि सड्ढगकुलाणि वा, अतरंतो संभोइयाणवि दंसिज्ज, न दोसो, अह पाणगस्स सण्णाभूमिं वा गएणं संखडी सुया दिट्ठा वा होज्जा ता साहूणममुत्थ संखडित्ति एवमुवइसिज्जा, जहा समाही णाम दाणे उवएसे वा जहा सामत्थं जइ तरति आणेउं तो देइ अह ण तरइ तो दवावेज्ज वा, उवदिसिज्ज वा, जहा जहा साहूणं अप्पणो वा समाही तहा तहा पयत्तियव्वं "ति, कृतं विस्तरेण ॥ ५३८ ॥ [ २४३ નવા આવેલા સંવિગ્ન ભિન્નસાંભોગિકોને શ્રાવકનાં કુલો બતાવે, અથવા માંદગી આદિના કારણે પોતે આહાર ન લાવી શકે તો સાંભોગિક સાધુઓને પણ યથાશક્તિ શ્રાવકનાં કુલો બતાવે. અહીં સામાચારી આ પ્રમાણે છે- “પોતે આહારનો ત્યાગ કરે તો પણ સાધુઓને ભાત-પાણી લાવીને આપે. છતું વીર્ય ગોપવવું નહિ. પોતાની શક્તિ હોય તો બીજાને આજ્ઞા ન કરવી. જેમ કે- હે આર્ય ! તમે અમુક સાધુને આહાર લાવીને આપો. આથી પોતાની શક્તિ હોય તો આચાર્ય, ગ્લાન, બાલ, વૃદ્ધ અને પ્રાથૂર્ણક આદિને કે ગચ્છને પરિચિત કુલોમાંથી, અથવા લબ્ધિસંપન્ન હોય તો અપરિચિત કુલોમાંથી પણ અશનાદિ લાવીને આપે કે બીજા સાધુ પાસે મંગાવીને અપાવે, પરિચિત કુલોમાંથી કે સંખડીમાંથી અપાવે, અથવા સંવિગ્ન અસાંભોગિકોને ઘરો બતાવે, જેમ કે- આ દાનરુચિવાળાં કુલો છે. આ શ્રાવકનાં કુલો છે. શક્તિ ન હોય તો સાંભોગિકોને પણ ઘરો બતાવે તો દોષ નથી. પાણી લેવા કે સ્થંડિલભૂમિએ ગયો હોય ત્યારે સંખડી સાંભળી હોય કે જોઈ હોય તો ‘અમુક ! સ્થળે સંખડી છે” એમ સાધુઓને બતાવે. યથાસમાધિ એટલે દાન અને ઉપદેશમાં જેવી શક્તિ, એટલે કે શક્તિ હોય તો અશનાદિ લાવીને આપે, જો શક્તિ ન હોય તો અપાવે, અથવા ઘરો બતાવે, અર્થાત્ સાધુઓને કે પોતાને જેમ જેમ સમાધિ રહે તેમ તેમ પ્રયત્ન કરવો.” અહીં વિસ્તારથી સર્યું. [૫૩૮] किमिति यथासमाधिनेत्याह भाविअजिणवयणाणं, ममत्तरहिआण नत्थि उ विसेसो । अप्पाणमि परम्मि अ, तो वज्जे पीडमुभओऽवि ॥ ५३९ ॥ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- 'भावितजिनवचनानां' प्राणिनां 'ममत्वरहितानां' सामायिकवतां 'नास्त्येव विशेषः' भेदः, आत्मनि परेच' तुल्यशीले, 'ततःवर्जयेत्पीडामुभयोरपि'-स्वपरयोरपीति गाथार्थः ।। ५३९ ॥ યથાસમાધિ એમ શા માટે કહ્યું? એ વિષે કહે છે જિનવચનથી ભાવિત અને સમભાવવાળા જીવોને સ્વ અને પરમાં ભેદ હોતો નથી, અર્થાત્ સ્વ અને પર એ બંનેમાં સમાન ભાવવાળા હોય છે, આથી તે સ્વ-પર બંનેની પીડાનો ત્યાગ કરે. [૩૯] इहैव प्रक्रमे वैयावृत्त्यविधिमाह पुरिसं तस्सुवयारं, अवयारं चऽप्पणो अ नाऊणं । ___ कुज्जा वेआवडिअं, आणं काउं निरासंसो ॥ ५४० ॥ वृत्तिः- 'पुरुषम्' आचार्यादि 'तस्योपकारं'-स्वाध्यायवृद्धिसत्त्वोपदेशादि 'अपकारं च' वीर्यसश्लेष्मचर्यादि आत्मन'चोपकारमपकार चज्ञात्वा', उपकारो ज्ञानादेरुपष्टम्भः गुरुजननियोगात् निर्जराव्यत्ययादपकारः, अथवा ग्लानाद्यपेक्षयोपकारापकारौ वाच्यौ, एवं 'कुर्याद्वैयावृत्यम्'अशनदानादि'आज्ञांकृत्वा' आगमप्रामाण्यात्'निराशंसो' विहितानुष्ठानबद्धो वेति गाथार्थः ॥ ५४० ॥ અહીં જ પ્રસંગથી વેયાવચ્ચનો વિધિ કહે છે— પુરુષને જાણીને, પુરુષને થતા ઉપકાર-અપકારને જાણીને, પોતાને થતા ઉપકાર-અપકારને જાણીને, ભૌતિક આશંસા વિના, શાસ્ત્રોક્ત અનુષ્ઠાનમાં તત્પર બનીને, જિનાજ્ઞા પ્રમાણે અશનદાનાદિરૂપ વૈયાવચ્ચ કરે. ભાવાર્થ- પુરુષને જાણીને એટલે જેની વેયાવચ્ચ કરવાની છે તે આચાર્ય છે કે ઉપાધ્યાય? ગ્લાન છે કે અગ્લાન? બાલ છે કે વૃદ્ધ? ઈત્યાદિ જાણીને વેયાવચ્ચ કરે. આ બધું જાણ્યા વિના જેની જે રીતે વેયાવચ્ચ થવી જોઈએ તેની તે રીતે ન થાય. ઉપકાર-અપકારને જાણીને એટલે જેની વેયાવચ્ચ કરવાની છે તેને વૈયાવચ્ચથી થતા સ્વાધ્યાયવૃદ્ધિ, જીવોને ઉપદેશ વગેરે લાભને અને વીર્યહ્રાસ, સળેખમ આદિ નુકસાનને જાણીને. વેયાવચ્ચથી યથાર્થ લાભ મેળવવા આ બધું જાણવું જરૂરી છે. જેમ લાભને જાણવાની જરૂર છે તેમ નુકશાનને પણ જાણવાની જરૂર છે. જેમ કે કોઈ વૃદ્ધ હોય, પણ પોતાનો આહાર લાવવા સમર્થ હોય, આવા વૃદ્ધને દરરોજ વેયાવચ્ચ કરનાર આહાર લાવી આપે તો ફરવાનું બંધ થવાથી જે થોડી શક્તિ હોય તેનો પણ હ્રાસ થઈ જાય, આથી આવા વૃદ્ધ પોતાની શક્તિનો હ્રાસ ન થાય એ માટે જાતે આહાર-પાણી લેવા જવું જોઈએ. આવા વૃદ્ધને વેયાવચ્ચી દરરોજ આહાર લાવી આપે તો તેની શક્તિનો હ્રાસરૂપ અપકાર થાય. એ જ રીતે જુવાન સાધુ વગેરે વિષે પણ જાણવું. અથવા એવો આહાર લાવીને આપે કે જેથી વાપરનારને સળેખમ વગેરે તકલીફ થાય. જેમ જેની વેયાવચ્ચ કરવાની છે તેના લાભ-નુકશાનને જાણવું જોઈએ, તેમ વેયાવચ્ચ કરનારે વેયાવચ્ચેથી પોતાને શો લાભ થાય છે અને શું નુકસાન થાય છે તે પણ જાણવું જોઈએ. વેયાવચ્ચીને Page #270 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ २४५ પોતે બીજાના જ્ઞાનમાં મદદ રૂપ બને ઈત્યાદિ લાભ થાય, તથા વૈયાવચ્ચ કરવાની ભાવના ન હોવા છતાં વિડલોના દબાણથી વૈયાવચ્ચ કરે તો નિર્જરા થવાના બદલે કર્મબંધરૂપ અપકાર થાય. અથવા ઉપકાર અને અપકાર ગ્લાન વગેરેની અપેક્ષાએ જાણવા, અર્થાત્ જેની વેયાવચ્ચ કરવાની છે તેની શારીરિક અવસ્થા કેવી છે, અને પોતાની શારીરિક અવસ્થા કેવી છે તે ઈત્યાદિ જાણીને સ્વ-પરને લાભ થાય તેમ વૈયાવચ્ચ કરે. [૫૪૦] अस्यैव गुणमाह भरणवि पुव्वभवे, वेआवच्चं कयं सुविहिआणं । सो तस्स फलविवागेण आसि भरहाहिवो राया ॥। ५४१ ।। वृत्ति: - ' भरतेनापि च' चक्रवर्त्तिना 'पूर्वभवे' अन्यजन्मनि ' वैयावृत्त्यं कृतं सुविहितानां' साधूनां स तस्य' वैयावृत्त्यस्य 'फलविपाकेन' सातावेदनीयोदयेन 'आसीद् भरताधिपो राजा' चक्रवर्तीति गाथार्थः ॥ ५४१ ॥ भुंजित्तु भरहवासं, सामन्नमणुत्तरं अणुचरित्ता । अट्ठविहकम्ममुक्को, भरहनरिंदो गओ सिद्धिं ॥ ५४२ ॥ वृत्ति:- स च भरत: 'भुक्त्वा भरतवर्षं' षट्खण्डं तदनु ' श्रामण्यमनुत्तरं ' - प्रधानं 'अनुचरित्वा' केवलिविहारेण 'अष्टविधकर्म्ममुक्तः' सन् चरमकाले 'भरतनरेन्द्रो' महात्मा 'गतः सिद्धि' सर्वोत्तमामिति गाथार्थः ॥ ५४२ ॥ વેયાવચ્ચથી થતા લાભને કહે છે– ભરત ચક્રવર્તીના જીવે પણ પૂર્વભવમાં સાધુઓની વેયાવચ્ચ કરી હતી. તે વેયાવચ્ચથી બંધાયેલા શાતાવેદનીયકર્મના ઉદયથી તે જીવ ભરત નામે ચક્રવર્તી થયો. તે ભરત મહારાજા છ ખંડ પ્રમાણ ભરતક્ષેત્રનું આધિપત્ય કર્યા પછી કેવલી અવસ્થામાં શ્રેષ્ઠ ચારિત્રને પાળીને આયુષ્યના अंते सर्वोत्तम सिद्धिगतिमां गया. [ ५४१-५४२] पासंगिअभोगेणं, वेआवच्चमिअ मोक्खफलमेव । आणाआराहणओ, अणुकंपादिव्व विसयंमि ॥ ५४३ ॥ वृत्ति:- 'प्रासङ्गिकभोगेन' हेतुभूतेन 'वैयावृत्त्यम् इय' एवं 'मोक्षफलमेव' पारम्पर्येण, अत्रोपपत्तिः— आज्ञाऽऽराधनात् ' तीर्थकरवचनाराधनाद् 'अनुकम्पादय इव विषये', आदिशब्दाद् अकामनिर्ज्जरादिपरिग्रहः निदर्शनमेतदिति गाथार्थः ॥ ५४३ ॥ વેયાવચ્ચ આ પ્રમાણે આનુષંગિક ભોગદ્વારા પરંપરાએ મોક્ષફળવાળું જ છે. કારણ કે તેમાં જિનાજ્ઞાની આરાધના છે. આમાં અનુકંપા, અકામનિર્જરા વગેરે દષ્ટાંત રૂપ છે. જેમ જિનાજ્ઞા પ્રમાણે અનુકંપા વગેરે કરવાથી તે અનુકંપા વગેરેથી આનુષંગિક ભોગસુખોની પ્રાપ્તિ દ્વારા પરંપરાએ Page #271 -------------------------------------------------------------------------- ________________ २४६ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते મોક્ષફળની પ્રાપ્તિ થાય છે, તેમ જિનાજ્ઞા પ્રમાણે વેયાવચ્ચ કરવાથી તે વેયાવચ્ચથી આનુષંગિક ભોગસુખોની પ્રાપ્તિ દ્વારા પરંપરાએ મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. [૫૪૩] इहैव भावार्थमाह सुहतरुछायाइजुओ, अह मग्गो होइ कस्सय पुरस्स । एक्को अण्णो णेवं, सिवपुरमग्गोऽवि इअणेओ ॥५४४ ॥ वृत्तिः- 'शुभतरुच्छायादियुक्तः', आदिशब्दात्पुष्पफलपरिग्रहः, 'यथा मार्गः' पन्था 'भवति कस्यचित्पुरस्य' वसन्तपुरादेः, 'एक' एवम्भूतः, अन्यो नैवम्भूतः', अपि तु विपर्ययवान्, 'शिवपुर-मार्गोऽप्येवं'-द्विविध एव 'ज्ञेय' इति गाथार्थः ॥ ५४४ ॥ આ વિષયમાં જ ભાવાર્થ કહે છે કોઈક નગરનો માર્ગ સારાં વૃક્ષોની છાયા, પુષ્પ, ફલ વગેરેથી યુક્ત હોય છે, બીજો માર્ગ આનાથી વિપરીત હોય છે, એટલે કે વૃક્ષોની છાયા વગેરેથી રહિત હોય છે, તેમ મોક્ષમાર્ગ પણ मे प्रा२नो 8tuवो. [५४४] विशेषतो द्वैविध्यमाह अणुकंपाविओ पढमो, सुहपरगामीण सो जिणाईणं । तयजत्तगो उ इअरो, सदेव सामण्णसाहूणं ॥ ५४५ ॥ वृत्ति:- 'अनुकम्पावैयावृत्त्यप्राप्तो' मार्गः शिवपुरस्य 'प्रथमः, स' च 'जिनादीनां' ज्ञेयः 'सुखपरगामिनां, तदयत्नतस्तु' अनुकम्पाद्ययत्नेन 'इतरो' मार्गो-द्वितीयः स च 'सदैव सामान्यसाधूनां' ज्ञेयः, आत्मार्थपराणामिति गाथार्थः ॥ ५४५ ॥ વિશેષથી બે પ્રકાર જણાવે છે– અનુકંપા, વેયાવચ્ચ આદિથી પ્રાપ્ત થતો મોક્ષમાર્ગ પહેલા પ્રકારનો છે, અને તે સુખપૂર્વક (સાંસારિક ઉત્તમ સુખો ભોગવવાપૂર્વક) મોક્ષમાં જનારા તીર્થકર વગેરેને હોય છે. અનુકંપા વગેરે ન કરવાથી બીજો માર્ગ પ્રાપ્ત થાય છે, અને તે સદૈવ આત્મસાધનામાં તત્પર સામાન્ય સાધુઓને ४ होय छे. [५४५] उपसंहरन्नाह ता नत्थि एत्थ दोसो, पच्चक्खाएवि निरहिगरणम्मि । गुणभावाओ अ तहा, एवं च इमं हवइ सुद्धं ।। ५४६ ॥ वृत्ति:- यस्मादेवं 'तस्मानास्त्यत्र दोषः' अन्नदानादौ 'प्रत्याख्यातेऽपि' सति, स्वयं 'निरधिकरण' इत्यधिकरणाभावे सति 'गुणभावाच्च तथा' तेन प्रकारेण धर्मकायोपष्टम्भलक्षणेन, Page #272 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [२४७ % 3D 'एवं चे'- त्येवमेवोचितपरप्रतिपत्त्या 'इदं' प्रत्याख्यानं 'भवति शुद्धं', नान्यथा, अथवा 'एवं च' वक्ष्यमाणेन विधिनेति गाथार्थः ॥ ५४६ ॥ ઉપસંહાર કરતા ગ્રન્થકાર કહે છે– વિયાવચ્ચથી આ રીતે લાભ થતો હોવાથી પોતે પ્રત્યાખ્યાન કરવા છતાં બીજાને અન્નનું દાન કરવા આદિમાં દોષ નથી. અન્નદાનથી પાપ લાગતું નથી અને ભોજન કરનારની ધર્મકાયાને ટેકો મળવાથી सामथाय छे. (एवं च इमं हवए सुद्धं =) मारीतेपानी लयित मति २वाथी ४ प्रत्याभ्यान शुद्ध बने छे. अथवा एवं च = वेडेवाशे ते विपिथी, प्रत्ययान शुद्ध बने छ. [५४६] तथा चाह फासिअं पालिअं चेव, सोहिअं तीरिअं तहा । किट्टिअमाराहिअंचेव, जएज्ज एआरिसम्मि अ ॥ ५४७ ॥ दारगाहा ॥ उचिए काले विहिणा, पत्तं जं फासि तयं भणिअं । तह पालिअंतु असई, सम्म उवओगपडिअरियं ॥५४८ ॥ गुरुदाणसेसभोअणसेवणयाए उ सोहिअं जाण । पुण्णेऽवि थेवकालावत्थाणा तीरिअं होइ ॥ ५४९ ॥ भोअणकाले अमुगं, पच्चक्खायंति भुंजि किट्टिअयं । आराहिअं पगारेहिं सम्ममेएहिं निट्ठविअं ॥ ५५० ॥ वृत्तिः- 'स्पृष्टं पालितं चैव शोभितं तीरितं तथा कीर्त्तितमाराधितं चैव', शुद्धं नान्यद्, यत एवमतो 'यतेतैतादृशि' प्रत्याख्यान इति श्लोकसमुदायार्थः ॥ ५४७ ॥ अवयवार्थं त्वाह'उचिते काले' पूर्वाह्लादौ 'विधिना' उच्चारणादिना ‘प्राप्तं यत् प्रत्याख्यानं 'स्पृष्टं तद्भणितं' परमगुरुभिः, तथा पालितं तु तद् भण्यते गृहीतं सदसकृत्सम्यगुपयोगप्रतिजागरितम विस्मृत्येति गाथार्थः ॥ ५४८ ॥ गुरुदत्ताद् अशनादेः शेषभोजनसेवनयैव हेतुभूतया शोभितं जानीहि, तथा पूर्णेऽप्यवधौ स्तोककालावस्थानाद् आत्तकल्याणाधानेन तीरितं भवतीति गाथार्थः ।। ५४९ ॥ भोजनकाले प्राप्ते सत्यमुकं-नमस्कारादि प्रत्याख्यातमिति भोक्ष्ये, कीर्तितमेतत्, तथा आराधितं नाम प्रकारैः सम्यगेभिः अनन्तरोदितैः 'निष्ठापितं' समाप्ति नीतमिति गाथार्थः ।। ५५० ॥ विपि छ સ્પર્શિત, પાલિત, શોષિત, તીરિત, કીર્તિત અને આરાધિત પ્રત્યાખ્યાન શુદ્ધ બને છે. માટે આવું પ્રત્યાખ્યાન થાય એવો પ્રયત્ન કરવો જોઈએ. પ્રત્યાખ્યાન લેવાના સમયે પચ્ચખાણસૂત્રનો Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પાઠ બોલવો વગેરે વિધિથી પ્રત્યાખ્યાન લેવું તે (પ્રત્યાખ્યાનને આત્મા સાથે સ્પર્શવવાથી) ૧. સ્પર્શિત છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. પ્રત્યાખ્યાન લીધા પછી વારંવાર સમ્યગુ ઉપયોગપૂર્વક પૂર્ણ કરવું, અર્થાતુ વારંવાર તેનું સ્મરણ કરીને (= ભૂલ્યા વિના) પૂર્ણ કરવું તે (બરોબર પાળવાથી) ૨. પાલિત છે. ગુરુને આપીને વધેલા જ આહારનું ભોજન કરવાથી (પ્રત્યાખ્યાનને શોભાવવાથી) ૩. શોભિત જાણવું. પ્રત્યાખ્યાનનો સમય પૂર્ણ થયા પછી થોડો સમય વીત્યા બાદ ભોજન કરવાથી (પ્રત્યાખ્યાનને પૂરું કરવાથી) ૪. તીરિત છે. ભોજન સમયે મેં અમુક પચ્ચક્ખાણ કર્યું છે માટે હવે ભોજન કરીશ, એમ કરેલું પ્રત્યાખ્યાન યાદ કરવું તે (પ્રત્યાખ્યાનનું મનમાં કીર્તન-કથન કરવાથી) ૫. કિર્તિત છે. સ્પર્શન આદિ પાંચેય શુદ્ધિઓથી પૂર્ણ કરવું તે (પ્રત્યાખ્યાનની આરાધના થવાથી) ૬. આરાધિત છે. ટીકાના ‘આરત્યાધાન' પદનો અર્થ આ પ્રમાણે છે- માત્તાધાન એટલે લીધેલ કલ્યાણને (= પ્રત્યાખ્યાનને) સંસ્કારિત કરવાથી. પ્રત્યાખ્યાન લીધું તે કલ્યાણ લીધું કહેવાય. પચ્ચક્ખાણનો સમય પૂર્ણ થયા પછી પણ થોડો સમય વીત્યા બાદ ભોજન કરવાથી લીધેલું પ્રત્યાખ્યાન (= લીધેલું કલ્યાણ) સંસ્કારિત બને છે. [૫૪૭ થી પ૫૦]. एअं पच्चक्खाणं, विसुद्धभावस्स होइ जीवस्स । चरणाराहणजोगा, निव्वाणफलं जिणा बिंति ॥५५१॥ वृत्तिः- 'एतत् प्रत्याख्यानम्'-अनन्तरोदितं 'विशुद्धभावस्य' सतो भवति जीवस्या'वश्यं, तथा चरणाराधनयोगात्' कारणात् निर्वाणफलं' मोक्षफलं' जिना ब्रुवते' एवमिति गाथार्थः ।। ५५१ ।। આ પ્રત્યાખ્યાન વિશુદ્ધ ભાવવાળા જીવને હોય છે, અને ચારિત્રની આરાધના થવાથી અવશ્ય મોક્ષફલવાળું બને છે, એમ જિનેશ્વરો કહે છે. [૫૫૧] एवं प्रस्तुतोपयोगि प्रासङ्गिकमभिधाय प्रस्तुतशेषमाह थुइदाणं जह पुट्वि, वंदति तओ अ चेइए सम्मं ।। बहुवेलं च करेंती, पच्छा पेहंति पुञ्छणगं ॥ ५५२ ॥ वृत्तिः- स्तुतिदानं प्रतिक्रमणपर्यन्ते 'यथा पूर्व'मिति यथा प्रादोषिक उक्तं तथैवावसेयं, वन्दन्ते 'ततश्च' तदनन्तरं च चैत्यानि 'सम्यग्'अस्खलितादिप्रकारेण, बहुवेलां च कुर्वन्ति, तदनन्तरं च पश्चात् प्रेक्षन्ते सूत्रविधिना 'पुञ्छनं' रजोहरणमिति गाथार्थः ॥ ५५२ ॥ આ પ્રમાણે પ્રસ્તુત વિષયમાં ઉપયોગી પ્રાસંગિક કહીને બાકી રહેલ પ્રસ્તુત વિષય કહે છે પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી સાંજના પ્રતિક્રમણની વિધિમાં કહ્યું તેમ ત્રણ સ્તુતિ કહે, પછી અસ્મલિતાદિગુણોથી યુક્ત સૂત્રો બોલીને ચૈત્યવંદન (દવવંદન) કરે, પછી “બહુવેલ'ના આદેશો માંગે. પછી સૂત્રોક્ત વિધિથી રજોહરણનું પ્રતિલેખન કરે. [૫૫૨]. Page #274 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [२४९ किमर्थं बहुवेलां कुर्वन्तीत्यत्राह गुरुणाऽणुण्णायाणं, सव्वं चिअ कप्पई उ समणाणं । किच्चंति( पि )जओ काउं, बहुवेलं ते करिति तओ ॥५५३ ।। वत्तिः- 'आचार्येणानुज्ञातानां' सतां 'सर्वमेव कल्पते' कर्तुं 'श्रमणानां, कृत्यमपि' स्वाध्यायादि 'यतः कर्तुं', नान्यथा, 'बहुवेलां ततः कुर्वन्ति' युगपदेव कृत्यसूक्ष्मयोगानुज्ञापनायेति गाथार्थः ।। ५५३ ॥ "मवेदना आहेश भागवानुं प्रयो४न छ સાધુઓથી કરવા લાયક પણ સ્વાધ્યાય વગેરે બધાં જ કાર્યો ગુરુની અનુજ્ઞા મળ્યા બાદ જ કરી શકાય, ગુરુની અનુજ્ઞા મળ્યા વિના ન કરી શકાય. આથી જે કાર્યો વારંવાર થતાં હોય અને એથી વારંવાર અનુજ્ઞા લેવી શક્ય ન હોય તેવાં (શ્વાસોશ્વાસ વગેરે) સૂક્ષ્મ કાર્યોની એકીસાથે અનુજ્ઞા મેળવવા માટે સાધુઓ બહુવેલના આદેશો માગે છે. [૫૫૩] आवश्य5२ पू िथयु. उवहिं च संदिसाविअ, पेहिति जहेव वण्णिअं पुट्वि । विच्चंमि अ सज्झाओ, तस्स गुणा वण्णिआ एए ॥५५४ ॥ वृत्तिः- 'उपधिं च' पूर्वोक्तं 'सन्देश्य' अनुज्ञाप्य गुरुं 'प्रेक्षन्ते यथैव वर्णितं पूर्वं' अत्रैव तथैवेति 'विच्चंमि' अपान्तरले 'च' उक्तक्रियाकलापस्य ‘स्वाध्यायः' यथाक्रमं पर्यायमाश्रित्य, 'तस्य' स्वाध्यायस्य 'गुणा वर्णिता एते' वक्ष्यमाणा इति गाथार्थः ॥ ५५४ ॥ પછી ગુરુની રજા લઈને આ જ ગ્રંથમાં પૂર્વે કહ્યું તે જ પ્રમાણે ઉપધિનું પડિલેહણ કરે. પછી સ્વાધ્યાય કરે. સાધુ દૈનિકચર્યાના ક્રમે સ્વાધ્યાયનો ક્રમ આવે ત્યારે સ્વાધ્યાય કરે અને દૈનિક ક્રિયાઓ કરતાં વચ્ચે સમય મળી જાય ત્યારે પણ સ્વાધ્યાય કરે. સ્વાધ્યાયના લાભો નીચે પ્રમાણે કહ્યા છે.[પ૫૪] आयहिअपरिण्णा भावसंवरो नवनवो अ संवेगो । निक्कंपया तवो निज्जरा य परदेसिअत्तं च ॥ ५५५ ॥ सूचागाहा ॥ वृत्तिः- 'आत्महितपरिज्ञा' स्वाध्यायात, तथा 'भावसंवरः' परमार्थसंवरः तत एव, तथा 'नवनवश्च संवेगो'ऽपूर्वागमेन, तथा 'निष्कम्पता' मार्गे, तथा 'तपः' परं-प्रधानं, तथा 'निजरा च' कर्मणः, तथा 'परदेशिकत्वं च' मार्गस्य स्वाध्यायादेवेति गाथासमुदायार्थः ।। ५५५ ।। (स्वाध्यायथी थता दामो-) આત્મહિતજ્ઞાન, ભાવસંવર (= પરમાર્થથી સંવર), (અપૂર્વજ્ઞાનની પ્રાપ્તિ થવાથી) નવો નવો સંવેગ, મોક્ષ માર્ગમાં નિશ્ચલતા, ઉત્કૃષ્ટ તપ, કર્મ નિર્જરા અને મોક્ષ માર્ગ સંબંધી પરોપદેશ Page #275 -------------------------------------------------------------------------- ________________ २५० ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते સ્વાધ્યાયથી જ થાય છે. ગાથાનો આ સંક્ષેપથી અર્થ છે. (હવે પછી આત્મહિતજ્ઞાન વગેરે દરેક પદનું विशेष पनि वाम मारशे.) [५५५] आयहिअमजाणतो, मुज्झइ मूढो समाययइ कम्मं । कम्मेण तेण जंतू, परीति भवसागरमणंतं ॥ ५५६ ॥ वृत्तिः- 'आत्महितमजानानो' भावतः 'मुह्यति' कृत्येषु, 'मूढः' सन् 'समादत्ते कर्म'ज्ञानावरणीयादि, 'कर्मणा तेन' हेतुभूतेन 'जन्तुः' प्राणी 'परीति' पर्यटति 'भवसागरं संसारसमुद्रम् 'अनन्त'मिति महाप्रमाणमिति गाथार्थः ॥ ५५६ ॥ (૧) આત્મહિતજ્ઞાન- આત્મહિતને ન જાણનાર જીવ કર્તવ્યોમાં શું કરવા જેવું છે અને શું કરવા જેવું નથી એ વિષે) ભાવથી મૂંઝાય છે, અર્થાત હિતમાં અહિતબુદ્ધિ કરે છે અને અહિતમાં હિતબુદ્ધિ કરે છે. મૂઢ થયેલો તે જ્ઞાનાવરણીય આદિ કર્મોને બાંધે છે. તે કર્મોથી જીવ સંસારસાગરમાં અનંતકાલ સુધી પરિભ્રમણ કરે છે. [૫૫] एवं व्यतिरेकमभिधायेहैवान्वयमाह आयहिअं जाणंतो, अहिअनिअत्तीअ हिअपवत्तीए । हवइ जओ सो तम्हा, आयहि आगमेअव्वं ॥ ५५७ ॥ दारं ॥ वृत्तिः- 'आत्महितं जानानः' परमार्थतः 'अहितनिवृत्तौ च' प्राणातिपाताद्यकरणरूपायां 'हितप्रवृत्तौ च' परार्थपरमार्थकरणरूपायां 'भवति यतोऽसौ'- आत्महितज्ञः, यस्मादेवं 'तस्मादात्महितमागन्तव्यं'सूत्रतो ज्ञातव्यमिति गाथार्थः ॥ ५५७ ।। આત્મહિતની અજ્ઞાનતાથી થતા દોષને જણાવીને હવે આત્મહિતના જ્ઞાનથી થતા લાભને જણાવે છે આત્મહિતને જાણનાર જીવ તાત્વિક રીતે હિંસા આદિ અહિતકર કાર્યથી નિવૃત્ત થવાનો અને પરોપકારરૂપ પરમાર્થ કરવાનો પ્રયત્ન કરે છે. આથી જિનાગમથી (= જિનાગમનો અભ્યાસ કરીને) આત્મહિત જાણવું જોઈએ. [૫૭] सज्झायं सेवंतो, पंचिंदिअसंवुडो तिगुत्तो अ । होइ अ एगग्गमणो, विणएण समाहिओ साहू ॥५५८ ॥ वृत्तिः- 'स्वाध्यायं' वाचनादि 'सेवमानः' सन् ‘पञ्चेन्द्रियसंवृतः त्रिगुप्तश्च भवति एकाग्रमना विनयेन' हेतुना 'समाहितः' सन् 'साधुरि ति गाथार्थः ॥ ५५८ ॥ नाणेण सव्वभावा, नज्जंते जे जहिं जिणक्खाया । नाणी चरित्तजुत्तो, भावेणं संवरो होइ ॥ ५५९ ।। दारं ।। ૧. ભાવથી એટલે આધ્યાત્મિક દૃષ્ટિએ. ભૌતિકદૃષ્ટિએ શું કરવા જેવું છે અને શું કરવા જેવું નથી એ તો સ્વાધ્યાય વિના પણ જાણી શકે. પણ આધ્યાત્મિકદષ્ટિએ શું કરવા જેવું છે અને શું કરવા જેવું નથી એનું જ્ઞાન તો સ્વાધ્યાયથી જ થાય. Page #276 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૧૨ વૃત્તિ - “જ્ઞાનેન સર્વમાવા સાન્ત' હિતેતર “જે ચત્રો' પથમિનો ‘કિનારેધ્યાતિ' કૃતિ, तत् सम्यग् जानानो ज्ञपरिज्ञया प्रत्याख्यानपरिज्ञया 'भावेन संवरो भवति', स एवेति गाथार्थः || ધ૧૬ | (૨) ભાવસંવર-વાચનાદિસ્વાધ્યાયને કરતો સાધુ પાંચ ઇંદ્રિયોમાં સંવૃત્ત બને છે, અર્થાત્ ઈષ્ટઅનિષ્ટ વિષયોમાં રાગ-દ્વેષ કરતો નથી, ત્રણ ગુતિઓમાં ગુપ્ત બને છે, અર્થાત્ મન-વચન-કાયાથી અશુભ પ્રવૃત્તિ કરતો નથી, શુભધ્યાનમાં એકાગ્ર બને છે, ગુરુ આદિ પ્રત્યે મસ્તકનમન, અંજલિકરણ વગેરે વિનય કરવા દ્વારા સમાધિવાળો (અથવા સમ્યગુ ઉપયોગવાળો) બને છે. યથાસ્થાન જરૂરી એવા જિનોક્ત હિત-અહિત વગેરે સર્વભાવો જ્ઞાનથી જાણી શકાય છે. જે જિનોઃ ભાવોને જ્ઞપરિજ્ઞાથી જાણે છે તે જ પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ચારિત્ર યુક્ત બનીને પરમાર્થથી સંવર બને છે. પ્રશ્ન- સંવરવાળો બને છે એમ કહેવાને બદલે સંવર બને છે એમ કેમ કહ્યું? ઉત્તર- ગુણ અને ગુણી કંથચિત અભિન્ન-એક જ છે, એ જણાવવા માટે અહીં ગુણ-ગુણીના અભેદની વિવક્ષાથી સંવરવાળાને પણ સંવર કહેલ છે. [૫૫૮-૫૫૯] जह जह सुअमवगाहइ, अइसयरसपसरसंजुअमपुव्वं । तह तह पल्हाइ मुणी, नवनवसंवेगसद्धावं ॥ ५६० ॥ दारं ॥ वृत्ति:- 'यथा यथा श्रुतमवगाहते' ग्रहणपरिचयेन ‘अतिशयरसप्रसर(सं) युक्त' मिति अतिशयेषु सूत्रोक्तेषु यो रसः प्रीतिलक्षणः तत्प्रसरसमन्वित 'मपूर्वमेव प्रत्यहं 'तथा तथा प्रल्हादति' शुभभाव-शैत्येन 'मुनिः' साधुः नवनवसंवेगश्रद्धावान्' प्रत्यग्रप्रत्यग्रश्रद्धायुक्त इति માથાર્થ: I ૬૦ || (૩) નવો નવો સંવેગ- મુનિ દરરોજ જેમ જેમ નવા નવા શ્રુતનું સૂક્ષ્મ જ્ઞાન મેળવે છે, તેમ તેમ શુભ ભાવરૂપ શીતલતાથી આનંદ પામે છે, અને નવા નવા સંવેગથી (વૈરાગ્યથી) ગર્ભિત શ્રદ્ધાવાળો બને છે. શ્રુતના “અતિશયરસપ્રસરસંયુક્ત' એ વિશેષણનો અર્થ આ પ્રમાણે છેઅતિશયો એટલે વિશેષ અર્થો. પ્રસર એટલે અતિશય-ઘણું. શ્રુત વિશેષ અર્થોના અતિશયરસથી યુક્ત છે. [૫૬] नाणाणत्तीअ पुणो, दंसणतवनियमसंजमे ठिच्चा । विहरड़ विसुज्झमाणो, जावज्जीवंपि निक्कंपो ॥ ५६१ ॥ दारं ॥ वृत्तिः- 'ज्ञानज्ञप्त्या पुनः' विशेषणे दर्शनतपोनियमसंयते' इति दर्शनप्रधानस्तपोनियमरूपो य: संयमस्तत्र ‘स्थित्वा विहरति विशुध्यमानः' सन् कर्ममलापेक्षया 'यावज्जीवमपि' जन्माપક્ષય ' નિમ્પ:' સ્થિર ત ગાથાર્થ: તે બદ્દ (૪) નિશ્ચલતા- “જેવી શ્રદ્ધાથી દીક્ષા લે તેવી જ શ્રદ્ધાથી તેને પાળે” (આ. શ્રુ. ૧ અ. ૧ Page #277 -------------------------------------------------------------------------- ________________ २५२ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ઉ. ૩) ઈત્યાદિ શ્રુતજ્ઞાથી સંયમમાં રહીને કર્મમલથી વિશુદ્ધ થતો જાય છે, અને સ્થિર ચિત્તે संयममामा माग धेछ. संयमन। 'दर्शनतपोनियम' में विशेषानो मर्थ मा प्रभारोछे-शननी (= श्रद्धानी) प्रधानताव त५ मने नियम (व्रतो) ३५ संयममi. [५६१] बारसविहम्मिवि तवे, सब्भितरबाहिरे कुसलदिढे । नवि अस्थि नवि अ होही, सज्झायसमं तवोकम्मं ॥ ५६२ ॥ दारं ॥ वृत्तिः- 'द्वादशविधे तपसि', किम्भूत इत्याह-'साभ्यन्तरबार्बी कुशलदृष्टे नाप्यस्ति नापि भविष्यति', नाप्यासीदिति गम्यते, 'स्वाध्यायसमं तपःकर्मेति गाथार्थः ।। ५६२ ॥ (૫) ઉત્કૃષ્ટ તપ- જિનેશ્વરોએ કર્મક્ષયના કારણ તરીકે જોયેલા બારે પ્રકારના બાહ્ય-અત્યંતર તપમાં સ્વાધ્યાય સમાન કોઈ તપ છે નહિ, થશે અને અને થયો પણ નથી. [૫૬૨]. एत्तो च्चिअ उक्कोसा, विनेआ निज्जरावि निअमेणं । . तिगरणसुद्धिपवित्तीउ हंदि तहनाणभावाओ ॥ ५६३ ॥ जं अन्नाणी कम्म, खवेइ बहुआर्हि वासकोडीहिं । तं नाणी तिहिं गुत्तो, खवेइ ऊसासमित्तेणं ॥ ५६४ ॥ दारं ।। वृत्तिः- 'अत एव' स्वाध्यायाद् 'उत्कृष्टा' प्रधाना 'निर्जरापि' कर्ममलविगमलक्षणा 'नियमेन' भवति, कुत इत्याह-'त्रिकरणशुद्धिप्रवृत्तेः' कारणात्, 'हन्दि तथाज्ञानभावात्' विशुद्धज्ञानभावादिति गाथार्थः ।। ५६३ ।। यदज्ञानी कर्म क्षपयति' असंवेगात् बहीभिर्वर्षकोटीभिः तत्तु ज्ञानी तिसृभिर्गुप्तः' सन् गुप्तिभिः 'क्षपयत्युच्छ्वासमात्रेणे'ति गाथार्थः ॥ ५६४ ॥ (૬) નિર્જરા સ્વાધ્યાય સમાન કોઈ તપ નથી એથી જ સ્વાધ્યાયથી ઉત્કૃષ્ટ નિર્જરા પણ અવશ્ય થાય છે. કારણ કે સ્વાધ્યાયથી વિશુદ્ધ જ્ઞાન થાય છે. વિશુદ્ધ જ્ઞાનથી મન-વચન-કાયાની શુદ્ધિ થાય છે. મન-વચન-કાયાની શુદ્ધિથી અવશ્ય ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે. આમ સ્વાધ્યાયથી વિશુદ્ધજ્ઞાન, વિશુદ્ધજ્ઞાનથી મન-વચન-કાયાની શુદ્ધિ અને મન-વચન-કાયાની શુદ્ધિથી ઉત્કૃષ્ટ નિર્જરા. અજ્ઞાની સંવેગથી (વૈરાગ્યથી) રહિત હોવાના કારણે (નરકાદિ ભવોમાં) ઘણાં ક્રોડ વર્ષો સુધી જેટલાં કર્મોની નિર્જરા કરે, તેટલાં કર્મોની નિર્જરા ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત (= મન-વચન-કાયાથી विशुद्ध) शनी ७२७वासमात्रमा छे. [५६3-4६४] आयपरसमुत्तारो, आणावच्छल्लदीवणाभत्ती । होइ परदेसिअत्ते, अव्वोच्छित्ती य तित्थस्स ।। ५६५ ॥ . . एत्तो तित्थयरत्तं सव्वन्नुत्तं च जायइ कमेणं । इअ परमं मोक्खंगं, सज्झाओ होइ णायव्वो ॥ ५६६ ॥ दारं ॥ Page #278 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [२५३ वृत्ति:- 'आत्मपरसमुत्तारः' स्वाध्यायात् शुभयोगेन तथा 'आज्ञावात्सल्यं' तथा 'आज्ञादीपना' तथा 'आज्ञाभक्तिर्भवति, परदेशकत्वे' सति, न केवलमेतद्, 'अव्यवच्छित्तिश्च तीर्थस्य' भवतीति गाथार्थः ।। ५६५ ।। 'अतो' वात्सल्यादेर्गुणगणात् तीर्थकरत्वं उत्सर्गतः सर्वज्ञत्वं वा सामान्येन जायते 'क्रमेण' जन्मजन्माभ्यासेन, 'इय' एवं 'परमं' प्रधानं मोक्षाङ्गं स्वाध्यायो भवति ज्ञातव्य इति गाथार्थः ।। ५६६ ॥ (७) परोपटेश- (आयपरसमुत्तारो) मोलो साधु बी. साधुसोने भावी (3 श्रावडीने ઉપદેશ આપી શકે). આથી તે પોતે અને બીજાઓ પણ સંસારના પારને પામે. તે આ પ્રમાણે- ભણેલો સાધુ બીજા સાધુઓને ભણાવતાં (કે શ્રાવકોને ઉપદેશ આપતાં) જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય કરે અને ભણનારા સાધુઓ જ્ઞાન દ્વારા જલદી અપાર સંસાર રૂપ સમુદ્રને તરી જાય. આ પ્રમાણે કરતો સાધુ (आणा-) तीर्थ६२नी माशानुं पालन छ, (वच्छल्ल-) माना। साधुसो ७५२ वात्सल्यमाप ४३ छ, (दीवणा भत्ती-) हैनशासननी प्रभावना भने मस्ति ४३ छ, भने शासननो प्रवाह यादु राणे છે. આ વાત્સલ્યાદિ ગુણોથી ક્રમે કરીને (= અનેક જન્મો સુધી વાત્સલ્યાદિ ગુણોનો અભ્યાસ થતાં) ઉત્કૃષ્ટથી તીર્થકરપણું પ્રાપ્ત થાય છે, અથવા સામાન્ય કેવલીપણું પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સ્વાધ્યાય મોક્ષનું મુખ્ય કારણ છે એમ જાણવું. [૫૬૫-૫૬૬] एसो य सया विहिणा, कायव्वो होइ अप्पमत्तेणं । इहरा उ एअकरणे, भणिया उम्मायमाईआ ॥ ५६७ ॥ वृत्तिः- 'एषः' स्वाध्यायः 'सदा विधिना' नाविधिना 'कर्त्तव्योऽप्रमत्तेन' सता, 'इतरथा तु' अविधिना पुन रेतत्करणे भणिताः' प्रवचने 'उन्मादादयो' दोषाः इति गाथार्थः ॥ ५६७ ॥ આ સ્વાધ્યાય સદા અપ્રમત્ત બનીને વિધિથી કરવો, અવિધિથી ન કરવો. અવિધિથી સ્વાધ્યાય કરવાથી ઉન્માદ વગેરે દોષો થાય એમ શાસ્ત્રમાં કહ્યું છે. [૬૭] तानेवाह उम्मायं व लभिज्जा, रोगायंकं व पाउणे दीहं । केवलिपन्नत्ताओ, धम्माओ वावि भंसिज्जा ॥ ५६८ ॥ वृत्तिः- 'उन्मादं वा लभेत'-चित्तविभ्रमरूपं, 'रोगातङ्क वा प्राप्नुयात् दीर्घ'क्षयज्वरादि, 'केवलिप्रज्ञप्तात्' पारमार्थिकात् 'धर्माद्वा'-चारित्रादेः 'भ्रश्येत्' विपरीतप्रतिपत्त्येति गाथार्थः ॥ ५६८ ॥ लहुगुरुगुरुतरम्मि अ, अविहिम्मि जहक्कम इमे णेया । उक्कोसगाविहीओ, उक्कोसो धम्मभंसोत्ति ॥ ५६९ ॥ Page #279 -------------------------------------------------------------------------- ________________ २५४ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- "लघुगुरुगुरुतरे' व 'च अविधौ' सूत्रादिविषये 'यथाक्रममेते ज्ञेयाः' उन्मादादयो दोषाः, लघु(अ)विधेः सकाशाल्लघुर्धर्मभ्रंशो गुर्वविधेः सकाशाद् गुरुर्धर्मभ्रंशः, 'उत्कृष्टाविधेः' सकाशात् 'उत्कृष्टो धर्मभ्रंश' एव दोष इति गाथार्थः ।। ५६९ ।। તે દોષો જ કહે છે અવિધિથી સ્વાધ્યાય કરનાર (અથવા સ્વાધ્યાય ન કરનાર) સાધુ ચિત્તવિભ્રમને પામે, અથવા ક્ષય-જવર વગેરે દીર્ઘકાલીન રોગોને કે જલદી પ્રાણ જાય તેવા શૂળ વગેરે રોગને પામે, અથવા કેવલી ભગવંતે કહેલા પારમાર્થિક ચારિત્ર વગેરે ધર્મથી પણ ભ્રષ્ટ થાય, વિપરીત પ્રવૃત્તિ કરે તો ચારિત્રથી ભ્રષ્ટ થાય અને વિપરીત માને તો સમ્યત્વથી ભ્રષ્ટ થાય. અહીં જણાવેલા ઉન્માદ વગેરે દોષો અનુક્રમે જાણવા, તે આ પ્રમાણે- થોડી અવિધિથી થોડો ધર્મભ્રંશ થાય, અધિક અવિધિથી અધિક ધર્મભ્રંશ થાય, ઉત્કૃષ્ટ અવિધિથી ઉત્કૃષ્ટ ધર્મભ્રંશ થાય. [૫૬૮-૫૬૯]. स्वाध्याये सूत्रदानविचारमाह जोग्गाण कालपत्तं सुत्तं देअंति एस एत्थ विही । उवहाणादिविसुद्धं, सम्मं गुरुणावि सुद्धेणं ॥ ५७० ॥ सूचागाहा ॥ वृत्तिः- 'योग्येभ्यः' शिष्येभ्यः 'कालप्राप्तं', नोत्क्रमेण, 'सूत्रं देयमिति', न अन्यथा, 'एषोऽत्र विधिः' सूत्रदाने 'उपधानादिविशुद्धं' उपधानं-तपः आदिशब्दादुद्देशादयः, 'सम्यग्' आज्ञामाश्रित्य 'गुरुणापि शुद्धेन' अस्खलितशीलेनेति गाथासमासार्थः ॥ ५७० ॥ સ્વાધ્યાયના વિષયમાં સૂત્ર આપવાનો વિધિ કહે છે યોગ્ય શિષ્યોને કાલક્રમથી ઉપધાન (= તપ), ઉદેશ, સમુદેશ અને અનુજ્ઞા વગેરેના વિધિથી વિશુદ્ધ અને જિનાજ્ઞાપૂર્વક સૂત્રદાન કરવું. સૂત્રદાન કરનાર ગુરુ પણ શુદ્ધ = અખંડિત ચારિત્રવાળા હોવા જોઈએ. આ અહીં સૂત્રદાનનો વિધિ છે. ગાથાનો આ સંક્ષેપથી અર્થ છે. [૭૦] व्यासार्थं त्वाह सुत्तस्स होंति जोग्गा, जे पव्वज्जाएँ नवरमिह गहणे । पाहन्नदसणत्थं, गुणाहिगतरस्स वा देयं ॥ ५७१ ॥ वृत्तिः- 'सूत्रस्य भवन्ति योग्याः' प्राणिनो 'ये प्रव्रज्यायाः' त एव, 'नवरमिह' गाथायां 'ग्रहणं' योग्यतायाः 'प्राधान्यप्रदर्शनार्थम्', ओघेन 'गुणाधिकस्य वा' प्रव्रजितस्यापि 'देयमि'ति गाथार्थः ॥ ५७१ ।। छलिएण व पव्वज्जाकाले पच्छावि जाणिअमजोरगं । तस्सवि न होइ देअं, सुत्ताइ इमं च सूएइ ॥ ५७२ ॥ वृत्तिः- 'छलितेन वा' कथञ्चि 'त्प्रव्रज्याकाले' गुरुणा ‘पश्चादपि' प्रव्रजितं सन्तं Page #280 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ २५५ 'ज्ञात्वा-ऽयोग्यं' संवासेन 'तस्याप्ये'वंभूतस्य 'न भवति देयं सूत्रादि'सूत्रमर्थश्च, 'इदं वा सूचयतीह' गाथायां योग्यताग्रहणमिति गाथार्थः ॥ ५७२ ।। योग्यनेद्वार વિસ્તારથી અર્થ તો ગ્રંથકાર સ્વયં કહે છેજે જીવો પ્રવ્રજયાને યોગ્ય છે તે જ જીવો સૂત્રને (= સૂત્રદાનને) યોગ્ય છે. પ્રશ્ન- જો જે જીવો પ્રવ્રયાને યોગ્ય છે તે જ જીવો સૂત્રદાનને યોગ્ય છે તો અહીં “યોગ્યને” સૂત્રદાન કરવું એમ કહેવાની જરૂર જ નથી. કારણ કે યોગ્યને જ દીક્ષા આપી હોય અને એથી તે સૂત્રદાનને પણ યોગ્ય હોય જ. ઉત્તર- તમારી વાત સત્ય છે. આમ છતાં અહીં “યોગ્યને” એમ જે કહ્યું તે ભણનારમાં યોગ્યતાની પ્રધાનતા જોઈએ એ સૂચવવા, અથવા દીક્ષિતોમાં પણ જે અધિક ગુણવાળો હોય તેને સૂત્રદાન કરવું એ સૂચવવા, અથવા દીક્ષા આપતી વખતે કોઈ કારણસર છેતરાઈ જવાથી ગુરુએ અયોગ્યને દીક્ષા આપી હોય, દીક્ષા આપ્યા પછી સાથે રહેવાથી આ અયોગ્ય છે એમ જાણવામાં माये, तो तेने ५। सूत्र-मर्थन मा५वा मे सूयवा jछे, मेम guj. [५७१-५७२] एतदेवाह पव्वावियस्सऽवि तहा, सुत्ते मुंडावणाइवि णिसिद्धं । जिणमयपडिकुट्ठस्सा, पुव्वायरिया तहा चाहू ॥ ५७३ ॥ वृत्तिः- 'प्रताजितस्यापि तथा'ऽत्र 'व्यतिकरे मुण्डापनाद्यपि' गुणस्थानं 'निषिद्धं' पूर्वाचार्यैः 'जिनमतप्रतिकृष्टस्य' भगवद्वचननिराकृतस्य, 'पूर्वाचार्याः' भाष्यकारादय 'तथा चाहुः', एतत्संवाद्येवेति गाथार्थः ॥ ५७३ ॥ આ જ વિષયને કહે છે દીક્ષા આપી દીધી હોય તો પણ તે દીક્ષિત શાસ્ત્રથી નિષિદ્ધ હોય, એટલે કે શાસ્ત્રમાં જેને દીક્ષા આપવાનો નિષેપ કર્યો છે તેવો હોય, તો તેને આગળ મુંડાપન વગેરેનો (મુંડન કરવા વગેરેનો) નિષેધ यो छ. माध्य२ वगैरे पूर्वाधार्यो ५५ मा प्रभारी ४ ४ छ. [५७3] जिणवयणे पडिकुटुं, जो पव्वावेइ लोभदोसेणं । चरणट्ठिओ तवस्सी, लोएइ तमेव चारित्ती ॥ ५७४ ॥ वृत्तिः- 'जिनवचने प्रतिकृष्टप्राणिनं यः प्रव्राजयति' कारणमनादृत्य 'लोभदोषेण' ऐहिकेन 'चरणस्थितः तपस्वी', एतत्कुर्वन् 'लोपयति' अपनयति 'तदेव चारित्रमा'त्मीयमिति गाथार्थः ।। ५७४ ।। पव्वाविओ सिअत्ति अ, मुंडावेळ अणायरणजोग्गो । अहवा मुंडाविते, दोसा अणिवारिया पुरिमा ।। ५७५ ॥ Page #281 -------------------------------------------------------------------------- ________________ २५६ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते मुंडाविओ सिअत्ति अ, सिक्खावेउं अणायरणजोग्गो । अहवा सिक्खाविंतो पुरिमपयऽनिवारिआ दोसा ॥ ५७६ ॥ सिक्खाविओ सिअत्ति अ, उवठावेउं अणायरणजोग्गो । अहवा उवठाविंते, पुरिमपयऽनिवारिया दोसा ॥ ५७७ ॥ उवठाविओ सिअत्ति अ, संभुंजित्ता अणायरणजोग्गो । अहवा संभुंजंते, पुरिमपयनिवारिया दोसा ॥ ५७८ ॥ संभुंजिओ सिअत्ति अ, संवासेउं अणायरणजोग्गो । अहवा संवासंते, दोसा अणिवारिआ पुरिमा ॥ ५७९ ॥ वृत्ति:- तथा - 'प्रव्राजितः स्यात्' कथञ्चिदना भोगादिना 'मुण्डयितुमनाचरणयोग्यः'अनासेवनीयः, यस्तं मुण्डयति तस्य मुण्डयतः 'अमुण्डनीयदोषा अनिवारिता' भवन्त्येवेत्यर्थः, 'पूर्वा:' येऽप्रव्राजनीयान् प्रव्राजयतः, एवं सर्वत्र भावनीयमिति गाथार्थः ॥ ५७५ || 'मुण्डितः स्यात्'-कथञ्चिदनाभोगादिना 'शिक्षयितुं' ग्रहणशिक्षादि 'अनाचरणयोग्यः' अनासेवनीयः, 'अथवेति' पूर्वप्रकृतापेक्षः, 'शिक्षयत' स्तमयोग्यं 'पूर्वपद'सम्बन्धिनः 'अनिवारिता दोषाः', इहाप्येवं वा पाठ इति गाथार्थः ॥ ५७६ || 'शिक्षितः स्यात्' कथञ्चिद्, ग्रहणशिक्षादिग्राहित इत्यर्थः, 'उपस्थापयितुं' व्रतेषु 'अनाचरणयोग्य: ' - अनासेवनीयः, 'अथवोपस्थापयतः' तं 'पूर्वपदानिवारिता दोषाः ' पूर्ववदिति गाथार्थः ॥ ५७७ ।। ' उपस्थापितः स्यात्' कथञ्चित् पूर्ववदेव 'सम्भोक्तुमु 'पाध्यायेन 'अनाचरणयोग्यः' यः कश्चित्, 'अथवा संभोजयत' स्तमिति पूर्ववत्, 'पूर्वपदानिवारिता दोषा' एतदप्येवमेवेति गाथार्थः ॥ ५७८ ॥ सम्भुक्तः स्यात् ' - कथञ्चिदुपाध्यायादिना 'संवासयितुं' स्वसमीपे ऽनाचरणयोग्य: ' - अनासेवनीयः यः कश्चित्, तं संवासयत : 'आत्मसन्निधौ 'दोषा अनिवारिता' भवन्त्येवेति भाव:, 'पूर्वाः ' येऽसंवास्यं संवासयत इति गाथार्थः ॥ ५७९ ॥ (નિશીથ આદિના ભાષ્યકારોની સાક્ષીગાથાઓ જણાવે છે—) (૧) જે સાધુ વિશેષકારણ વિના કેવળ વર્તમાનજીવનની આકાંક્ષાઓને વશ બનીને શાસ્ત્રમાં જેને દીક્ષા આપવાનો નિષેધ કર્યો હોય તેવાને દીક્ષા આપે છે તે ચારિત્રમાં રહેલો હોય તો પણ આ કાર્ય કરીને પોતાના ચારિત્રનો લોપ કરે છે. (૨) કદાચ અનુપયોગ આદિથી અયોગ્યને દીક્ષા આપી દીધી હોય (તને દીક્ષા આપીશું એમ તેનો સ્વીકાર કરી લીધો હોય કે રજોહરણાદિ સાધુવેષ આપી દીધો હોય), પછી ખબર પડે કે આ મુંડાપનને અયોગ્ય છે તો તેનું મુંડન ન કરવું. છતાં આચાર્ય લોભ આદિથી મુંડન કરે તો પૂર્વપદના = પ્રવ્રાજનપદના (= તને દીક્ષા આપીશું એમ १. पंडला. जा. १८६ थी १८८, निशीथ ला. गा. ३७४६, पृ. 5. मा. आ. ५१८० थी ५१८४. २. प्रप्राशना, मुंडापना, शिक्षापना, उपस्थापना, संभोशन भने संवासन से छ पो छे. 'मुंडापना' पहथी 'प्रवाशना' यह पहेला होवाथी 'प्रवाशना' पह पूर्वपह छे. Page #282 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [૨૭ સ્વીકાર કરવો કે સાધુવેશ આપવો એ પ્રવ્રાજનપદના) આજ્ઞાભંગ વગેરે જે દોષો છે તે સર્વ દોષો લાગે છે, અર્થાત્ અયોગ્યને દીક્ષા આપવામાં જે દોષો લાગે, તે જ દોષો અયોગ્યને મુંડન કરવામાં પણ લાગે છે. (૩) કદાચ અનુપયોગ આદિથી અયોગ્યનું મુંડન કરી દીધું હોય, પછી ખબર પડે કે આ શિક્ષા આપવાને અયોગ્ય છે, તો તેને પ્રતિલેખના આદિ સાધુના આચારો શિખવાડવા નહિં. છતાં જો લોભાદિથી શિખવાડે તો પૂર્વોક્ત આજ્ઞાભંગ વગેરે દોષો લાગે છે. (૪) સાધુના આચારો શિખવાડી દીધા હોય, પછી ખબર પડે કે આ વડી દીક્ષા આપવાને અયોગ્ય છે, તો તેને વડીદીક્ષા ન આપવી. છતાં લોભાદિથી વડીદીક્ષા આપે તો પૂર્વોક્ત આજ્ઞાભંગ વગેરે દોષો લાગે. (૫) વડીદીક્ષા આપ્યા પછી ‘આ સાથે બેસીને ભોજન કરવા લાયક નથી' એમ ખબર પડે તો તેની સાથે એક માંડલીમાં બેસીને ભોજન ન કરવું. કરે તો પૂર્વોક્ત દોષો લાગે. (૬) તેની સાથે એક માંડલીમાં બેસીને ભોજન કર્યા પછી ‘આ સાથે રાખવાને અયોગ્ય છે' એમ ખબર પડે તો તેને પોતાની પાસે ન રાખવો. રાખે તો પૂર્વોક્ત દોષો લાગે. [૫૭૪ થી ૫૭૯] एमाई पडिसिद्धं, सव्वंचिअ जिणवरेहऽजोग्गस्स । पच्छा विन्नायस्सवि, गुणठाणं विज्जनाएणं ॥ ५८० ॥ दारं ॥ વૃત્તિ:-‘વમતિપ્રતિષિદ્ધ'નિરાત સર્વમેવ બિનવ' માદ્ધિ ‘રોયસ્ય’વિનેયસ્ય, 'पश्चाद्विज्ञातस्याप्य' योग्यतया 'गुणस्थानं' संवासानुयोगदानादि 'वैद्यज्ञातेन', स हि यदैवासाध्यं दोषं जानाति तदैव क्रियातो विरमतीति गाथार्थः ॥ ५८० ॥ પાછળથી પણ અયોગ્ય તરીકે જણાયેલા અયોગ્ય શિષ્યને સંવાસ (સાથે રાખવો) અનુયોગદાન (શિખવાડવું-ભણાવવું) વગેરે બધુંય જિનેશ્વરોએ નિષેધ્યું છે. કોની જેમ ? વૈદ્યની જેમ. વૈદ્ય ‘આ રોગ અસાધ્ય છે' એવું જ્યારે જાણે છે ત્યારે તરત જ ઉપચાર કરવાનું બંધ કરે. [૫૮૦] કાલક્રમહાર कालक्मेण पत्तं, संवच्छरमाइणा उ जं जम्मि । तं तम्मि चेव धीरो, वाएज्जा सो अ कालोऽयं ॥ ५८१ ॥ दारं ॥ વૃત્તિ:- ‘વ્હાલમેળ પ્રાપ્ત' મૌવિત્યેન ‘સંવત્સવિના તુયવ્' આવારાદ્રિ સ્મિત ‘ત્તસ્મિન્નેવ’સંવત્સરાતી ‘ધીરો વાવયેત્’, ન વિપર્યય ર્થાત્, ‘મૈં ચ ાતોડ્યું’-વશ્વમાળ કૃતિ ગાથાર્થ: ॥ ૧૮૨ ॥ વર્ષ વગેરે કાલના ક્રમથી જે કાળમાં જે આચારાંગ વગેરે સૂત્ર ભણવાની યોગ્યતા પ્રાપ્ત થઈ હોય તે જ કાળમાં તે સૂત્ર ધીર ગુરુએ વંચાવવું, વિપરીત ન કરવું. તે કાલ આ (નીચે કહેવાશે તે) છે. [૫૮૧] तिवरिसपरिआगस्स उ, आचारपकप्पनाममज्झयणं । चउवरिसस्स उ सम्मं, सूअगडं नाम अंगंति ॥ ५८२ ॥ Page #283 -------------------------------------------------------------------------- ________________ २५८ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते दसकप्पव्ववहारा, संवच्छरपणगदिक्खिअस्सेव । ठाणं समवाओत्तिअ, अंगेए अट्ठवासस्स ॥ ५८३ ॥ दसवासस्स विआहो, एक्कारसवासयस्स य इमे उ । खुड्डियविमाणमाई, अज्झयणा पंच नायव्वा ।। ५८४ ॥ बारसवासस्स तहा, अरुणुववायाइ पंच अज्झयणा । तेरसवासस्स तहा, उट्ठाणसुआइआ चउरो ॥ ५८५ ॥ चोद्दसवासस्स तहा, आसीविसभावणं जिणा बिंति । पन्नरसवासगस्स य, दिट्ठीविसभावणं तह य ।। ५८६ ॥ सोलसवासाईसु अ, एगुत्तरवड्ढिएसु जहसंखं । चारणभावण महसुविणभावणा तेअगनिसग्गा ॥५८७ ॥ एगूणवीसगस्स उ, दिट्ठीवाओ दुवालसममंगं । संपुण्णवीसवरिसो अणुवाई सव्वसुत्तस्स ॥ ५८८ ॥ वृत्तिः- "त्रिवर्षपर्यायस्यैव' नारत: 'आचारप्रकल्पनाम'-निशीथाभिधानम् 'अध्ययनं' वाच्यत इति क्रिया योजनीया, 'चतुर्वर्षस्य तु सम्यग्' अस्खलितस्य 'सूत्रकृतं नाम अङ्गं' द्वितीयमिति गाथार्थः ।। ५८२ ।। ‘दशाकल्पव्यवहाराः' त्रयोऽपि 'पञ्चसंवत्सरदीक्षितस्यैव, स्थानं समवाय इति' च'अङ्गे' एते द्वे अप्य 'ष्टवर्षस्ये' ति गाथार्थः ।। ५८३ ।। दशवर्षस्यव्याख्ये' ति व्याख्याप्रज्ञप्तिर्भगवती, 'एकादशवार्षिकस्य चामूनी' ति हृदयस्थनिर्देश: 'क्षुल्लिकाविमानादीन्यध्ययनानि' कालयोग्यतामङ्गीकृत्य 'पञ्च ज्ञातव्यानि', तद्यथा-'खुड्डिया विमाणपविभत्ती (महल्लिया विमाणपविभत्ती) अंगचूलिया वग्गचूलिया वियाहचूलिय'त्ति गाथार्थः ॥ ५८४ ॥ 'द्वादशवार्षिकस्य तथा' कालपर्यायेण अरुणोपपातादीनि पञ्चाध्ययनानि', तद्यथा-'अरुणोववाए वरुणोववाए गरुलोववाए वेलंधरोववाए वेसमणोववाए','त्रयोदशवार्षिकस्य तथोत्थानश्रुतादीनि चत्वारि', तद्यथा उट्ठाणसुयं समुट्ठाणसुयं देविंदोववाओ णागपारियावणियाओ'त्ति गाथार्थः ॥ ५८५। 'चतुर्दशवर्षस्य तथा' पर्यायेण 'आशीविषभावनां जिना ब्रुवते', नारतः, 'पञ्चदशवर्षस्य' तु पर्यायेणैव 'दृष्टिविषभावनां तथैव' ब्रुवत इति गाथार्थः ॥ ५८६ ॥ 'षोडशवर्षादिषु च' पर्यायेषु ‘एकोत्तरवर्द्धितेषु यथासङ्ख्यं' यथाक्रमं 'चारणभावना महास्वपनभावना तेजोनिसर्ग' इत्येतानि त्रीणि भवन्तीति गाथार्थः ।। ५८७ । एकोनविंशतिकस्य तु' पर्यायेण 'दृष्टिवादो द्वादशमङ्गमत' एव शेषलाभो ज्ञेय इति, 'सम्पूर्णविंशतिवर्षपर्यायेणानुपाती'-योग्य: ‘सर्वस्य सूत्रस्य' बिन्दुसारादेरिति गाथार्थः ॥ ५८८ ॥ Page #284 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [२५९ ત્રણ વર્ષના દીક્ષાપર્યાયવાળાને જ આચારપ્રકલ્પ નામનું એટલે કે નિશીથ નામનું (= આચારાંગ) અધ્યયન વંચાવાય છે, ચાર વર્ષના પર્યાયવાળાને જ સૂત્રકૃતાંગ, પાંચ વર્ષના પર્યાયવાળાને જ દશાશ્રુતસ્કંધ, કલ્પસૂત્ર અને વ્યવહારસૂત્ર એ ત્રણ, આઠ વર્ષના પર્યાયવાળાને સ્થાનાંગ અને સમવાયાંગ એ બે, દશ વર્ષના પર્યાયવાળાને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી), અગિયાર વર્ષના પર્યાયવાળાને યુલ્લિકા વિમાનપ્રવિભક્તિ, મહતી વિમાનપ્રવિભક્તિ, અંગચૂલિકા, વર્ગચૂલિકા, વિવાહચૂલિકા એ પાંચ, બાર વર્ષના પર્યાયવાળાને અરુણોપપાત, વરુણોપપાત, ગલોપપાત, વેલંધરોપપાત, વેસમણોપપાત એ પાંચ, તેર વર્ષના પર્યાયવાળાને ઉત્થાનકૃત, સમુત્થાનશ્રત, દેવેદ્રોપપાત, નાગપર્યાવલિકા, ચૌદ વર્ષના પર્યાયવાળાને આશીવિષભાવના, પંદર વર્ષના પર્યાયવાળાને જ દષ્ટિવિષભાવના, સોળ, સત્તર અને અઢાર વર્ષના પર્યાયવાળાને અનુક્રમે ચારણભાવના, મહાસ્વપનભાવના અને તેજોનિસર્ગ, ઓગણીસ વર્ષના પર્યાયવાળાને બારમું દષ્ટિવાદ અંગ વંચાવાય છે. આની પછી જ બાકીનું શ્રુત વંચાવી શકાય એમ જાણવું. સંપૂર્ણ વીસ વર્ષનો પર્યાય થતાં બિંદુસાર વગેરે સર્વશ્રુતને યોગ્ય બને છે. [૫૮૨ થી ૫૮૮]. ઉપધાનદાર उवहाणं पुण आयंबिलाइ जं जस्स वनि सुत्ते । तं तेणेव उ देअं, इहरा आणाइआ दोसा ॥ ५८९ ॥ वृत्तिः- 'उपधानं पुनरायामाम्लादि यद् यस्य' अध्ययनादेः 'वर्णितं सूत्र' एव-आगमे 'तद्' अध्ययनादि 'तेनैव तु देयं', नान्येन, 'इतरथा' अन्यथा दाने 'आज्ञादयो दोषा'श्चत्वार इति માથાર્થઃ ૧૮૨ / જે સૂત્રને ભણવા આયંબિલ વગેરે જે તપ કહ્યો છે તેને ઉપધાન કહેવામાં આવે છે. આગમમાં જે અધ્યયન વગેરેને ભણવા જે આયંબિલ વગેરે ઉપધાન = તપ કહ્યો છે, તે અધ્યયન તે જ આયંબિલ વગેરે ઉપધાનથી = તપથી આપવું = ભણાવવું, બીજા (ઓછા) તપથી ન ભણાવવું. બીજા તપથી આપવામાં = ભણાવવામાં આજ્ઞાભંગ વગેરે ચાર દોષો લાગે. [૫૮૯]. एतदेवाह जं केवलिणा भणिअं, केवलनाणेण तत्तओ नाउं । तस्सऽण्णहा विहाणे, आणाभंगो महापावो ॥ ५९० ॥ ___ वृत्तिः- 'यत्केवलिना भणितम्'-उपधानादि 'केवलज्ञानेन तत्त्वतो ज्ञात्वा तस्यान्यथा વિધાને – “આજ્ઞામ' ત્રિ: “મહાપાપ', અવનતિતિ થાર્થ | ૨૦ || આ જ વિષયને કહે છે કેવલી ભગવંતે કેવલજ્ઞાન વડે પરમાર્થથી જાણીને ઉપધાન વગેરે જે કરવાનું કહ્યું છે, તેનાથી બીજી રીતે કરવામાં જિનાજ્ઞાભંગ રૂ૫ મહાપાપ લાગે. કારણ કે ભગવાન પ્રત્યે અશ્રધ્ધા છે. [૫૦]. Page #285 -------------------------------------------------------------------------- ________________ २६० ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते एवमाज्ञादोषः, अनवस्थादोषमाह एगेण कयमकज्जं, करेइ तप्पच्चया पुणो अन्नो । सायाबहुलपरंपर वोच्छेओ संजमतवाणं ॥ ५९१ ॥ वृत्तिः- 'एकेन कृतमकार्य' केनचित्संसाराभिनन्दिना 'करोति तत्प्रत्ययं' तदेव 'पुनरन्यः' संसाराभिनन्द्येव, एवं 'सातबहुलपरम्परया' प्राणिनां 'व्यवच्छेदः संयमतपसोः' शुद्धयोरिति गाथार्थः ॥ ५९१ ॥ આજ્ઞાભંગ દોષ કહ્યો, હવે અનવસ્થા દોષ કહે છે કોઈ એક ભવાભિનંદી જીવ અકાર્ય કરે, તેનું આલંબન લઈને તે જ અકાર્ય બીજો પણ ભવાનિબંદી જ જીવ કરે, આ પ્રમાણે પ્રમાદસ્થાનોને સેવતા સુખશીલ જીવોની પરંપરાથી શુદ્ધ સંયમ અને તપનો વિનાશ થાય. [૫૧] एवमनवस्थादोषो, मिथ्यात्वदोषमाह मिच्छत्तं लोअस्सा, न वयणमेयमिह तत्तओ एवं । वितहासेवण संकाकारणओ अहिगमेअस्स ॥ ५९२ ॥ वृत्तिः- 'मिथ्यात्वं लोकस्य' भवति, कथमित्याह-'न वचनमेतत्'-जैनम् ‘इह'अधिकारे 'तत्त्वतः' परमार्थतः एवम्', अन्यथाऽयमेवं न कुर्यादिति शङ्कया, तथा वितथासेवनया' हेतुभूतया 'शङ्काकारणत्वात्' लोकस्य 'अधिकं' मिथ्यात्व मेतस्य'-वितथकर्तुरिति गाथार्थः ॥ ५९२ ।। આ પ્રમાણે અનવસ્થાદોષ કહ્યો, હવે મિથ્યાત્વ દોષ કહે છે– સાધુનું ખોટું આચરણ જોઈને લોક પણ મિથ્યાત્વ પામે. (લોકોનું મિથ્યાત્વ દઢ બને.) કેમ કે સાધુનું ખોટું આચરણ જોઈને લોકોને શંકા થાય કે પરમાર્થથી જિનેશ્વરનું વચન આ પ્રમાણે નથી, અન્યથા આ સાધુ (જિનાજ્ઞા માનનાર હોવાથી) આ પ્રમાણે ન કરે. ખોટું આચરણ કરનારને પણ અધિક મિથ્યાત્વ (મિથ્યાત્વમોહનીય કર્મનો બંધ) થાય. કારણ કે તે ખોટું આચરણ કરવા દ્વારા લોકોને જિનવચનમાં શંકા થવાનું કારણ બને છે. [૫૯૨] एवं मिथ्यात्वदोषः, विराधनादोषमाह एवं चऽणेगभविया, तिव्वा सपरोवघाइणी नियमा । जायइ जिणपडिकुट्ठा, विराहणा संजमायाए ।। ५९३ ॥ वृत्तिः- “एवं च' आज्ञादेः 'अनेकभविकी' प्रभूतजन्मानुगता 'तीव्रा' रौद्रा 'स्वपरोपघातिनी नियमाद्' एकान्तेन 'जायते' भवति, 'जिनप्रतिकृष्टा विराधना संयमात्मनोः' अकुशलानुबन्धेनेति गाथार्थः ।। ५९३ ॥ Page #286 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम्] [२६१ આ પ્રમાણે મિથ્યાત્વ દોષ કહ્યો, હવે વિરાધના દોષ કહે છે આ પ્રમાણે જિનાજ્ઞાભંગ વગેરેથી અનેક ભવો સુધી ચાલનારી (= ફળ આપનારી) ભયંકર, (=भयं४२३णमापना),निनिषिद्ध मने५-५२नो उपधात ४२नारी संयमविराधनासनेमात्मવિરાધના અવશ્ય થાય છે. કારણ કે જિનાજ્ઞાભંગ વગેરેથી અશુભકર્મનો અનુબંધ થાય છે. [૫૩]. इहैवैदम्पर्यमाह जह चेव उ विहिरहिया, मंताई हंदि णेव सिझंति । होति अ अवयारपरा, तहेव एयंपि विनेअं ॥ ५९४ ॥ वृत्तिः- 'यथैव तु विधिरहिताः', के इत्याह-'मन्त्रादयो, हन्दि नैव सिद्ध्यन्ति', आदिशब्दाद्विद्यादिग्रहः, भवन्ति चापकारपरा' इहैव तथैवैतदपिविज्ञेयं'-सूत्राविधिकरणमिति गाथार्थः ॥ ५९४ ।। ते चेव उ विहिजुत्ता, जह सफला हुंति एत्थ लोअम्मि । तह चेव विहाणाओ, सुत्तं नियमेण परलोए ॥ ५९५ ॥ वृत्तिः- 'त एव तु विधियुक्ता'-मन्त्रादयः 'यथा सफला भवन्ति अत्र लोके', दृश्यत एवैतत्, तथैव विधानाद्धे'तोः 'सूत्रं नियमेन परलोके', विधियुक्तं सफलमिति गाथार्थः ।। ५९५ ।। આ વિષયમાં રહસ્ય જણાવે છે– જેવી રીતે વિધિરહિત મંત્ર, વિદ્યા વગેરે સિદ્ધ થતા નથી, એટલું જ નહિ પણ આ લોકમાં જ અપકાર (અનિષ્ટ) કરે છે, તે જ પ્રમાણે સૂત્રદાનમાં અવિધિ કરવાથી સૂત્રો ફળતાં નથી, એટલું જ નહિ, પણ અશુભફળ આપે છે. તે જ મંત્ર વગેરે વિધિયુક્ત હોય તો આલોકમાં (ઈસ્ટ) ફળ આપે છે એ પ્રત્યક્ષ દેખાય જ છે, તે જ રીતે વિધિપૂર્વક સૂત્રદાન કરવાથી વિધિયુક્ત સૂત્ર પરલોકમાં અવશ્ય (52) ३१ मापे छे. [५८४-५८५] एतदेवाह विहिदाणम्मि जिणाणं, आणा आराहिया धुवं होइ । अण्णेसिं विहिदसणकमेण मग्गस्सऽवत्थाणं ॥ ५९६ ॥ . वृत्तिः- "विधिदाने' सूत्रस्य 'जिनानामाज्ञाऽऽराधिता ध्रुवं भवति', सम्यक् प्रवृत्तेः, तथा'ऽन्येषां' प्राणिनां विधिदर्शनक्रमेण मार्गस्यावस्थानम्', उन्मार्गदर्शनाभावादिति गाथार्थः ।। ५९६ ॥ सम्मं जहुत्तकरणे, अन्नेसिं अप्पणो अ सुपसत्थं । आराहणाऽऽययफला, एवं सइ संजमायाणं ।। ५९७ ।। वृत्तिः- 'सम्यक्त्वं' भवति 'यथोक्तकरणे' सत्य न्येषां'-तद्रष्ट्रणां 'आत्मनश्च, सुप्रशस्तमिति सम्यक्त्वविशेषणं 'आराधना आयतफला', आयतो-मोक्षः, “एवं सति' विधिकरणे 'संयमात्मनोरिति गाथार्थः ।। ५९७ ॥ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આ જ વિષય કહે છે વિધિપૂર્વક સૂત્રદાન કરવાથી અવશ્ય જિનાજ્ઞાની આરાધના થાય છે, કારણ કે સમ્યફ પ્રવૃત્તિ થાય છે, (સમ્યક પ્રવૃત્તિ કરવાથી જિનાજ્ઞાની આરાધના થાય.) તથા કોઈ એક વિધિથી કરે તે જોઈને બીજો પણ વિધિથી કરે, તેને જોઈને ત્રીજો પણ વિધિથી કરે. એમબીજા જીવોની વિધિદર્શનની પરંપરા ચાલવાથી (શુદ્ધ) માર્ગટકે છે. કારણ કે જીવોને ઉન્માર્ગ (= ખોટો માર્ગ) જોવા મળતો નથી. વિધિપૂર્વક કરવાથી વિધિ જોનાર બીજા જીવોને અને પોતાને પણ સુપ્રશસ્ત સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. (થયેલું સમ્યકત્વ વધારે વિશુદ્ધ અને દઢ બને છે.) તથાવિધિપૂર્વક કરવાથી મોક્ષફલ આપનારી સંયમારાધના અને આત્મારાધના થાય છે. [૫૯૬-૧૯૭]. तं पुण विचित्तमित्थं, भणियं जं जम्मि जम्मि अंगाओ। तं जोगविहाणाओ, विसेसओ एत्थ णायव्वं ॥ ५९८ ॥ दारं ।। वृत्ति:- 'तत्पुनः' उपधानं 'विचित्रम् अत्र' प्रवचने 'भणितं यद् यस्मिन् यस्मिन् अङ्गादौ' अङ्गश्रुतस्कन्धाध्ययनेषु 'तत् योगविधानाद्' ग्रन्थात् 'विशेषतः अत्र' अधिकारे 'ज्ञातવ્યકતિ | ધ૧૮ | તે તપ શાસ્ત્રમાં ભિન્ન ભિન્ન કહ્યો છે. જે જે અંગ, શ્રુત, સ્કંધ અને અધ્યયનમાં જે જે તપ કહ્યો હોય તે તે અહીં યોગવિધિના ગ્રંથને જોઈને વિશેષથી જાણી લેવો. [૫૯૮] શુદ્ધગુરુ દ્વાર गुरुणावि चरणजोए, ठिएण देअं विसुद्धभावेणं । भावा भावपसूई, पायं लोगेऽवि सिद्धमिअं ।। ५९९ ।। दारं ।। वृत्तिः- 'गुरुणाऽपि' आचार्यादिना 'चरणयोगे स्थितेन' शुद्धव्यापाररूपे, 'देयं' एतत्सूत्रं 'विशुद्धभावेन' उपयुक्तेन, किमित्येतदेवमित्याह-'भावाद्भावप्रसूतिः' शुभाच्छुभस्य, 'प्रायो लोकेऽपि सिद्धमिदं'-भाविताद्वक्तुर्भावप्रतिपत्तिरिति गाथार्थः ।। ५९९ ॥ આચાર્ય વગેરે ગુરુએ પણ શુદ્ધ ક્રિયારૂપ ચરણયોગમાં રહીને ઉપયોગપૂર્વક વિશુદ્ધભાવથી સૂત્ર આપવું. કારણ કે પ્રાયઃ શુભભાવથી શુભભાવ પેદા થાય છે. લોકમાં પણ શુભભાવથી ભાવિત વક્તાથી શુભભાવ પેદા થાય છે એ સિદ્ધાંત સિદ્ધ છે. [૫૯]. बज्झचरणाउ नेअं, विसुद्धभावत्तणं विसुद्धाओ । बज्झे सइ आणाओ, इअराभावेवि न उ दोसो ॥६०० ॥ वृत्ति:- 'बाह्यचरणात्' सकाशात् 'ज्ञेयं विशुद्धभावत्वम्' आन्तरं चरणरूपं, 'विशुद्धाद् આપણા શુભ કે અશુભ ભાવની બીજી વ્યક્તિ ઉપર અસર થાય છે. પણ તેમાં નિયમ એ છે કે, આપણો ભાવ પ્રબળ હોવો જોઈએ, સામાન્ય ભાવની પ્રાયઃ અસર ન થાય. તથા સામી વ્યક્તિમાં પણ આપણા ભાવને ઝીલવાની યોગ્યતા હોવી જોઈએ. આ બંનેનો યોગ થાય તો આપણા શુભ કે અશુભ ભાવની બીજી વ્યક્તિ ઉપર અસર થાય. ભાવો ચેપી રોગ જેવા છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૬૩ बाह्यचरणात्, न ह्यान्तरेऽसति यथोदिते बाह्ये यत्नः, शिष्यमधिकृत्याह - 'बाह्ये सति' चरणे' आज्ञात: ારણાત્ ‘કૃતરામાવેઽપ’ અન્તરવાળામાવેઽપિ ‘તુ ન ોષઃ’, છદ્મસ્થસ્થતિ થાર્થ: II ૬૦૦ || વિશુદ્ધ બાહ્ય ચારિત્રથી આંતરિક ચારિત્રરૂપ વિશુદ્ધભાવ જાણી શકાય છે. કારણ કે આંતરિક વિશુદ્ધ ચારિત્ર વિના યશોક્ત બાહ્ય ચારિત્રમાં પ્રયત્ન ન થાય. પ્રશ્ન- ક્યારેક આંતરિક વિશુદ્ધ ચારિત્ર વિના પણ દંભથી બાહ્ય ચારિત્ર વિશુદ્ધ હોય એવું ન બને ? ઉત્તર- ગુરુનું આંતરિક ચારિત્ર વિશુદ્ધ ન હોય તો પણ બાહ્ય ચારિત્ર વિશુદ્ધ હોય તો જિનાજ્ઞા પ્રમાણે વર્તવાથી છદ્મસ્થ શિષ્યને દોષ ન લાગે. (છદ્મસ્થ અંતરના પરિણામને જોઈ ન શકે, આથી જિનેશ્વરોએ ગુરુના બાહ્ય ચારિત્રની વિશુદ્ધિ જોઈને તેનો ગુરુ તરીકે સ્વીકાર કરવો એમ કહ્યું છે. આથી ગુરુની બાહ્ય ચારિત્રની વિશુદ્ધિ જોઈને ગુરુને સ્વીકારનાર શિષ્ય જિનાજ્ઞા પ્રમાણે વર્તે છે. આથી ગુરુમાં આંતરિક ચારિત્ર વિશુદ્ધ ન હોય તો પણ બાહ્ય ચારિત્ર વિશુદ્ધ હોય તો શિષ્યને દોષ ન લાગે.)[૬૦૦] तथा चाह सीसस्स हवइ एत्थं, परिणामविसुद्धिओ गुणो चेव । सविसओ एसोचिअ सत्थो सव्वत्थ भणियमिणं ॥ ६०१ ॥ વૃત્તિ:- ‘શિષ્યસ્ય મવત્વત્ર', 1 ટોષ તિ યોગઃ, અપિ તુ ‘પરિણામવિશુદ્ધેઃ' બારાવ્ ‘મુળ વ’ શિષ્યસ્ય, ‘સ્વવિષયો' હવુાલમ્બન ‘ષ વ' રામ: ‘શસ્ત: ' શોમન: ‘સર્વત્ર’ વસ્તુનિ, ‘ગિતમિવું' વક્ષ્યમાનું, માવતિ ગાથાર્થ: || ૬૦૨ || આપણે ક્રોધમાં હોઈએ ત્યારે આપણી આજુ-બાજુમાં અશુભ પરમાણુઓ ફેલાય છે. એ પરમાણુઓની ઝપટમાં જે આવી જાય તેનું મન પણ અશુભ બની જાય. તે રીતે આપણે ક્ષમાથી ભાવિત હોઈએ ત્યારે આપણી આજુબાજુ શુભ પરમાણુઓ ફેલાય છે. એ પરમાણુઓની ઝપટમાં આવી જનારનું મન પણ શુભ બની જાય. ક્યારેક આપણા સારા-નરસા વિચારોની તત્કાળ અન્ય વ્યક્તિ ઉપર અસર થાય છે. આથી જ લોકમાં કહેવાય છે કે “જેવો ભાવ તેવો પડઘો.” એક મણ વજન લઈને એક માજી રસ્તામાં બેઠાં હતાં. એક માણસ ઊંટ ઉપર બેસીને નીકળ્યો. એણે શરાબ પીધો હતો. માજીએ કહ્યું : દીકરા તું કયા ગામ જાય છે ? પેલાએ કહ્યું : આ ગામ આવે છે એ નહિ, તે પછીના ગામે. માજીએ વિનંતી કરી : ઊંટ ખાલી છે. તું એકલો જ બેઠો છે. હું વૃદ્ધ છું, અને ગરીબ છું. આટલું વજન ઊંટ પર નાખી દે. ગામના ઝાંપે પોટલું મૂકી દેજે. હું ચાલતી ચાલતી આવું છું. મારા ગરીબનું કોઈ કાંઈ લેશે નહિ. પછી હું લઈ જઈશ. પેલાએ કહ્યુ : આ કંઈ ભાડૂતી ઊંટ નથી, સવારીનો ઊંટ છે. નશામાં હતો એટલે માજીની વાત ઉડાડી મૂકી, અને જતો રહ્યો. બે ગાઉ ગયો ત્યાં નશો ઉતરી ગયો. એને અક્કલ આવી ઃ આટલી મોટી ઉંમરના માજી અને આ વૃદ્ધાવસ્થાએ આટલા તડકામાં એક મણ વજન ઉંચકીને જાય છે. નક્કી એ પોટલામાં કાંઈ કિંમતી વસ્તુ હોવી જોઈએ. મેં મૂર્ખાએ ભૂલ કરી. ઊંટ ઉપર પોટલું મૂકી લઈને નીકળી ગયો હોત તો માજી મને ક્યાં પકડત ? પોટલામાં ઓછામાં ઓછો બસો રૂપિયાનો માલ તો હશે જ. નશાએ મને સમજ પાડી નહિ. પછી વિચાર આવ્યો : હજી ક્યાં બગડી ગયું છે. લાવ પાછો જાઉં. એ ઊંટ લઈને પાછો ફર્યો. માફ કરજો, માજી, જરાં પીધું હતું એટલે ખ્યાલ ન રહ્યો. બાકી હું તો તમારો દીકરો કહેવાઉં. લાવો પોટલું હું લઈ જાઉં. પેલાએ નરમાશથી કહ્યું. આ સાંભળી ડોશીએ કહ્યું : “હવે નહિ આપું,’” પેલાએ સવાલ કર્યો : ‘“કેમ ?’’ માજીએ જવાબ આપ્યો : “તને જે કહી ગયો એ પાછો મને ય આવીને કહી ગયો. તને જેણે કહ્યું કે તું લઈ આવ એ મને પણ કહી ગયો કે હવે આપીશ નહિ. એ તો જેવો ભાવ એવો પડઘો સામે પડ્યો.” Page #289 -------------------------------------------------------------------------- ________________ २६४ ] તે પ્રમાણે જ કહે છે અહીં શિષ્યને દોષ લાગતો નથી, બલ્કે પરિણામવિશુદ્ધિના કારણે લાભ જ થાય છે. સર્વત્ર શુભ આલંબનથી થયેલ આત્માના પરિણામ જ ઉત્તમ છે (= ફલ આપનાર છે). પૂજ્યોએ (श्री भद्रषाडुस्वामीखे) खा (नीयेनी गाथामां सेवाशे ते) ह्युं छे. [६०१ ] किं तदित्याह [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते परमरहस्समिसीणं, समत्तगणिपिडगहत्थसाराणं । परिणामिअं पमाणं, निच्छ्यमवलंबमाणाणं ॥ ६०२ ॥ वृत्ति:- 'परमरहस्यं' धर्मगुह्यं 'ऋषीणामे' तत् 'समस्तगणिपिटकाभ्यस्तसाराणां', विदितागमत्तत्त्वानामित्यर्थः, यदुत 'पारिणामिकं प्रमाणं' धर्म्ममार्गे 'निश्चयमवलम्बमानानां', शेषं व्यभिचारीति गाथार्थः ॥ ६०२ ॥ પૂજ્યોએ શું કહ્યું છે, એ કહે છે– સંપૂર્ણ આગમોનો સાર જાણનારા અને નિશ્ચયનયનું આલંબન લેનારા સુવિહિતોનું “ધર્મમાર્ગમાં ચિત્તના શુદ્ધ અને અશુદ્ધ પરિણામ પ્રમાણ છે’' એવું પરમ તત્ત્વ છે, અર્થાત્ આગમના સારને જાણનારા સુવિહિતો નિશ્ચયનયની દૃષ્ટિએ ચિત્તના શુદ્ધ અને અશુદ્ધ પરિણામને પ્રમાણરૂપ માને છે, બાહ્ય ક્રિયાઓ જ નહિ. કારણ કે બાહ્ય ક્રિયાઓ ફલ આપવામાં અનિશ્ચિત છે – શુભાશુભ બાહ્ય ક્રિયાઓથી ફળ મળે જ એવો નિયમ નથી. [૬૦૨] एतदेवाह अंगारमद्दगस्सवि, सीसा सुअसंपयं जओ पत्ता । परिणामविसेसाओ, तम्हा एसो इहं पवरो ॥ ६०३ ॥ वृत्ति:- 'अङ्गारमर्द्दकस्याप्य' भव्याचार्यस्य 'शिष्याः श्रुतसम्पदं यतः प्राप्ताः ' भावरूपामेव 'परिणामविशेषात् ' छद्मस्थनिरूपणया शुद्धादित्यर्थः, 'तस्मादेष:'- परिणाम: 'इह' परलोकमार्गे 'प्रवर' इति गाथार्थ: ।। ६०३ ॥ આ જ વિષયને કહે છે કારણ કે અભવ્ય અંગારમર્દકસૂરિના પણ શિષ્યો છદ્મસ્થની દૃષ્ટિએ શુદ્ધ પરિણામથી ભાવશ્રુતસંપત્તિને પામ્યા. આથી પરલોકના માર્ગમાં પરિણામ શ્રેષ્ઠ છે. (= ફલ આપનાર છે.) [ ६०3] यथा विधिस्तमाह एसो पुण रागाईहऽ बाहिओ विसयसंपयट्टो उ I सुमाणाभोगाओ, ईसिं विगलोऽवि सुद्धोत्ति ॥ ६०४ ॥ Page #290 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૬૬ વૃત્તિ - “ પુનઃ'-પરિણામે “મિરવાતિઃ' સન્ વિષયસંપ્રવૃત્તશ, વિષયામી, 'सूक्ष्मानाभोगात्' सकाशाद् 'ईषद्विकलोऽपि'-विषयान्यथात्वादिना, 'शुद्ध इति' गाथार्थः ।। ६०४ ॥ પરિણામ વિષે જેવો વિધિ છે તે પ્રમાણે પરિણામનું વર્ણન કરે છે– આ (આરાધ્ય) ગુરુ છે એવા પરિણામ રાગાદિથી અબાધિત હોય, અર્થાત્ વ્યક્તિરાગ આદિના કારણે થયેલા ન હોય, તથા અવિષયમાં નહિ, કિંતુ વિષયમાં પ્રવૃત્તિ હોય, અર્થાત્ અયોગ્ય ગુરમાં નહિ, કિંતુ યોગ્ય ગુરુમાં આ ગુરુ છે એવા પરિણામ થયા હોય, તો તે પરિણામ શુદ્ધ છે. તથા સૂક્ષ્મતાથી ન જાણી શકવાના કારણે અયોગ્ય ગુરુમાં ગુરુના પરિણામ થઈ જાય તો તે પરિણામ પણ શુદ્ધ છે. [૬૦૪] एतदेव समर्थयन्नाह___छउमत्थो परमत्थं, विसयगयं सव्वहा न याणाई । सेअममिच्छत्ताओ, इमस्स मग्गाणुसारित्तं ॥ ६०५ ॥ वृत्तिः- 'छद्मस्थः परमार्थ' याथात्म्यं 'विषयगतं सर्वथा न जानाति', तच्चेष्टाव्यभिचारात्, 'श्रेयः अमिथ्यात्वाद्'-आस्तिक्येन 'अस्य' छद्मस्थस्य 'मार्गानुसारित्वम्' आगमपारतन्त्र्यमिति પથાર્થ છે૬૦% | આ જ વિષયનું સમર્થન કરે છે–. છબસ્થ જીવ વિષયનું = ગુરુનું સાચું સ્વરૂપ સર્વથા ન જાણી શકે, કારણ કે તેની બાહ્યચેષ્ટા અને અંતરનો મેળ ન હોય એવું બને, અર્થાત્ બાહ્યચેષ્ટા સારી હોય, અને અંતર સારું ન હોય એવું બને, છતાં છદ્મસ્થ જીવ વિષયની = ગુરુની બાહ્યચેષ્ટા સારી હોય અને એથી તે બાહ્યચેષ્ટાના આધારે તેના ઉપર શ્રદ્ધા રાખે તો તેનામાં આગમનું પાતંત્ર્ય છે (આગમને અનુસરે છે,) અને તેથી તેનું કલ્યાણ થાય. [૬૦૫] व्यतिरेकमाह जो पुण अविसयगामी, मोहा सविअप्पनिम्मिओ सुद्धो। उवले व कंचणगओ, सो तम्मि असुद्धओ भणिओ ॥ ६०६ ॥ वृत्तिः-'यःपुनरविषयगामी परिणामों मोहात्स्वविकल्पनिम्मितःशद्धो',नवस्तुस्थित्या, 'उपल इव काञ्चनगतः' धत्तूरकादिदोषात् ‘स तत्राशुद्धो भणितः' तत्त्वज्ञैरिति गाथार्थः ।। ६०६ ॥ ઉક્તથી વિપરીત કહે છે પણ મોહના (= તત્ત્વરુચિના અભાવના) કારણે, વસ્તુસ્થિતિથી નહિ, કિંતુ પોતાની મતિકલ્પનાથી પરિણામ થયા હોય તો તે પરિણામને તત્ત્વજ્ઞોએ અશુદ્ધ કહ્યા છે, અર્થાત્ જેણે ધંતૂરો Page #291 -------------------------------------------------------------------------- ________________ २६६ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પીધો હોય તેને બધું પીળું દેખાય એથી તે પથ્થરને પણ સોના તરીકે જુએ, તેમ મોહના કારણે અગુરુમાં પણ ગુરુની બુદ્ધિ થાય તો પણ તે પરિણામ અશુદ્ધ છે. [૬૦૬]. अत्रैवोपचयमाह मोत्तूणुक्कडदोसं, साहम्माभावओ नहि कयाइ । हवइ अतत्ते तत्तं, इइ परिणामो पसिद्धमिणं ॥ ६०७ ॥ वृत्तिः-'मुक्त्वोत्कटदोष'प्राणिनं साधाभावात्'कारणात् नहिकदाचित्', किमित्याह'भवत्यतत्त्वेतत्त्वम्, इति'-एवम्भूतः 'परिणामः, प्रसिद्धमिदं लोके इति गाथार्थः ।। ६०७ ॥ देवयजइमाईसुवि, एसो एमेव होइ दट्ठव्वो । विसयाविसयविभागा, बुहेहिँ मइनिउणबुद्धीए ॥६०८ ॥ वृत्तिः- 'देवतायत्यादिष्वप्येषः'-परिणाम "एवमेव भवति द्रष्टव्यः, विषयाविषयविभागात्' लिङ्गशुद्ध्या, 'बुधैर्मतिनिपुणदृष्ट्या', इति गाथार्थः ॥ ६०८ ॥ આ વિષયમાં જ વિશેષ કહે છે– અતત્ત્વ અને તત્ત્વમાં સમાનતા ન હોય, (અર્થાત્ અતત્ત્વ અને તત્ત્વનો ભેદ સામાન્યથી ખ્યાલમાં આવી જાય.) આથી ઉત્કટ (અજ્ઞાનતા, દૃષ્ટિરાગ વગેરે) દોષવાળા જીવને છોડીને બીજા કોઈ (મધ્યસ્થ) જીવને અતત્ત્વમાં તત્ત્વના પરિણામ ન થાય, અર્થાત્ નકલી વસ્તુમાં આ અસલી વસ્તુ છે એવા પરિણામ ન થાય, આ બિના લોકમાં પ્રસિદ્ધ છે. (ઉત્કટ મોહવાળા જીવને જ અગુરુમાં गुरुनी बुद्धि थाय, जीने नहि.) [६०७] विद्वानोमे व भने साधु साह विषे ५५ बुद्धिपूर्व સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈને બાહ્ય લિંગશુદ્ધિથી વિષય અને અવિષયનો વિભાગ કરીને આ પ્રમાણે જ આ પરિણામ જાણવા, અર્થાત્ દેવ અને સાધુનું આંતરિક જીવન જાણવું કઠિન છે, આથી તેમનું બાહ્યજીવન અને બાહ્યવેશ દેવને અને ગુરુને યોગ્ય હોય તો તેમને ઉદ્દેશીને થતા “આ દેવ છે, આ સાધુ છે” એવા પરિણામ શુદ્ધ જાણવા, પણ તેમના બાહ્યજીવન અને બાહ્યવેશને સૂક્ષ્મબુદ્ધિથી वानो प्रयत्न तो ४२वो ४ मे. [६०८] उपसंहरन्नाह एसा पइदिणकिरिआ, समणाणं वनिआ समासेणं । अहुणा वएसु ठवणं, अहाविहिं कित्तइस्सामि ॥ ६०९ ॥ वृत्तिः- 'एषा प्रतिदिनक्रिया' चक्रवालसामाचारी 'श्रमणानां वर्णिता समासेन', सङ्क्षिप्तरुचिसत्त्वानुग्रहाय सक्षेपेणेत्यर्थः, पञ्चवस्तुके द्वितीयं वस्तु व्याख्यातम् ॥ अथ तृतीयं व्याचिख्यासयाऽऽह-'अधुना व्रतेषु स्थापनां यथाविधिं' यथान्यायं 'कीर्तयिष्यामीति' गाथार्थः ॥ ६०९ ॥ Page #292 -------------------------------------------------------------------------- ________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૬૭ ઉપસંહાર કરે છે– સાધુઓની આ પ્રતિદિનક્રિયા (= ચક્રવાલ સામાચારી) સંક્ષેપરુચિ જીવોના અનુગ્રહ માટે સંક્ષેપથી કહી. પંચવસ્તુક પ્રકરણમાં બીજી વસ્તુનું વ્યાખ્યાન કર્યું. હવે ત્રીજી વસ્તુનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાથી કહે છે. હવે વ્રતોમાં સ્થાપનાને (વડીદીક્ષાને) વિધિ પ્રમાણે કહીશ. [૬૯]. િિમતિ ?, વેવાદ पइदिणकिरियाइ इहं, सम्मं आसेविआएँ संतीए । वयठवणाए धन्ना, उर्विति जं जोग्गयं सेहा ॥६१०॥ द्वितीयं द्वारंसमाप्तम् ॥ वृत्ति:- 'प्रतिदिनक्रियया इह सम्यगासेवितया सत्या', किमित्याह-व्रतस्थापनायाः धन्याः'पुण्यभाजनाः उपयान्ति यद्' यस्मात् कारणाद्'योग्यतां शिक्षका' इति गाथार्थः ।। ६१० ।। इति प्रतिदिनक्रियानामकं द्वितीयं वस्तु । પ્રતિદિનક્રિયા કહ્યા પછી વ્રતસ્થાપના કહેવાનું શું કારણ છે? એ કહે છે પુણ્યશાલી નવદીક્ષિતો પ્રતિદિનક્રિયાનું સમ્યગુ પાલન કર્યા પછી વ્રતસ્થાપનાને યોગ્ય બને છે માટે અહીં પ્રતિદિનક્રિયાના વર્ણન પછી વ્રતસ્થાપનાનું વર્ણન છે. [૬૧૦] પ્રતિદિનક્રિયા નામની બીજી વસ્તુનું વર્ણન પૂર્ણ થયું. Page #293 -------------------------------------------------------------------------- ________________ २६८ ] [पञ्चवस्तुके अ गाथाङ्क: १३६४ १३६५ ९३७ ९३४ ५४५ २५३ १३७३ १६४९ ९०५ ११०७ ६७६ १६ पञ्चवस्तुकमूलगाथाऽकाराद्यनुक्रमः गाथाद्यचरणम् गाथाङ्कः । गाथाद्यचरणम् अणुओग-गणाणुण्णा अइगुरुओ मोहतरू ४० अणुओग-गणाणुण्णा अइपरिणामग ९८० अणुओगी लोगाणं अइरेगगहण ३९४ अणुओगो वक्खाणं अइसइणो अ १४८१ अणुकंपाविओ पढमो अइसंकिलेस अणुणाइरित्त पडिलेहअकरितो अ ण ११०४ अणुपालिओ उ दीहो अकसिणपवत्तयाणं १२२४ अणुबद्धवुग्गहो अकहित्ता कायवए ६३७ अणुमोएमो तेसिं अक्खग संथारो वा ८३७ अणुभूअवत्तमाणो अक्खंडं गुणठाणं १६६५ अणुवट्ठविअं सेहं अग्गाहारे बहुगा १२३७ अणुवत्तगो अ एसो अग्गित्ति साऽगिणी १४४६ अणुवत्तणाएँ सेहा अग्गी मा एआओ १२५५ अण्णाणवाहिगहिआ अच्चुग्गपरमसंता ८८७ अण्णाभावे जयणाएँ अच्चंतमप्पमाओऽवि १५६२ अण्णे अगारवासं अच्चंतिअसुहहेऊ १५६० अण्णे उ कसाईया अच्छदवेणुवउत्ता अण्णे गिहासमं अजुअलिआ अतरंता ३९८ अण्णे परत्थविरहा अज्जाओऽगीआणं १५६९ अण्णे भणंति जइणो अट्ठ उ गोअरभूमि २९९ अण्णे भणंति धन्ना अड्ढाइज्जा हत्था ८०६ अण्णे सयणविरहिआ अणच्चाविअमवलिअ २३९ अण्णेसिपिअ एवं अणसणमूणोअरिया ८४५ अण्णोण्णाविक्खाए अणावायमसंलोए अ ४०६ अण्णं च तस्स चाओ अणावायमसंलोए व ३९९ अण्णंपिव अप्पाण अणिआओ वसहीओ १४६४ अण्णं वा अभिओगं अणिआओ वसहीओ १४७१ अतरंत बालवुड्ढा अणिसिटें सामन्नं ७५१ । अतिलोभा परिअडड १७ १३५० १०२ १८० १२०३ ३८९ ७४ १५५६ ५२८ ९१ ७९ ९०७ ८३ १६९० १४४४ ८११ ७५९ Page #294 -------------------------------------------------------------------------- ________________ मूलगाथाऽकाराद्यनुक्रमः] [२६९ गाथाङ्क: १२२ ३८६ ९५६ १४३६ ८६३ १२०५ १४५४ २०९ २७९ ९८४ ५३ ७६५ २१ गाथाद्यचरणम् अत्तट्ठकडं दाउं अत्थम्मि रागभावे अस्थि जओ ण य एसा अथ वंदिऊण देवे अद्दिस्सकत्तिगं असणम्मि अ तओ अद्धोरुगोऽवि ते अन्ने उ इत्थ वासे अन्ने उ पढमगं अन्ने उ भुत्तभोगाण अत्रं च जीविअंजं अपरिणयं दव्वं अपरिवडिअसुहचिंता अप्पडिबद्धो अ सया अप्पडिलेहिअ दोसा अप्पत्तणो पायं अप्पत्ते अकहित्ता अप्पबहुत्तालोअण अप्पमजणंमि दोसा अप्परिणयपरिवारं अप्पविरिअस्स पढमो अप्पा च होति एसा अप्पाहारस्स ण अप्पुव्वं णाहिज्जइ अब्भत्था सुहजोगा अब्भत्थो अपमाओ अब्भासजणिअपसरा अभितरं तु पायं अब्भुज्जयमरणं अब्भुज्जयमेगयरं अब्भुवगमिआ गाथाङ्क: गाथाद्यचरणम् ७१५ अब्भुवगमेण ८९१ अब्भुवगर्यवि १२५६ अब्भंगेण व सगडं १६१५ अभिमंतिऊण अक्खे १२८१ अममत्ताऽपरिक्कम्मा २३८ अलमित्थ पसंगेणं ८२७ अलमित्थ पसंगणं १४९ अल्लेवं पयईए १६८७ अवगासो आयच्चिअ अवलंबिऊण कज्जं अविअ तओ चिअ अविकोविअपरमत्था १२०६ अविणिच्छिओ ण सम्म ८९५ अविणीओ न य सिक्खइ २६२ अविरतिमूलं कम्म ९४१ अविसहणा तुरिय ६१५ अव्वक्खित्तं संतं १५२० अव्वोच्छित्तीमण२६६ असइ मुसावाओ ९८७ असढेण समाइण्णं १३०२ असणाइभेअभिन्नस्सा १२६१ असदारंभाण तहा १३९२ असुरसरं अचबचबं १४९५ असुहतरंडुत्तरण १५९० असुहो अ महापावो ५१४ अस्सामित्तं पूआ अस्सीलो अ ण जायइ ८६४ अह उग्गहणंतग १५७२ अह एअद्दोसभया १५५७ अह कड्ढिऊण सुत्तं १४३३ । अह तस्सेव उ पीडा ९४९ ४५ ६१२ १६४० ३२९ १३७१ १७५ ४७६ ६५४ .८८२ ३६१ ११५४ ६८ ९९० १३०९ ८२५ १०५८ २८९ ८४ Page #295 -------------------------------------------------------------------------- ________________ २७० ] [पञ्चवस्तुके गाथाङ्क: गाथाङ्क: १२४२ १२४३ १२३० १०५६ १२३५ ३८८ ९९१ १०११ १३८ १५६५ ४०३ ९०१ १७११ ५०५ १५०० १३८४ ९९४ ११७६ २८५ १४६० १४२० ९८२ १३७ गाथाद्यचरणम् अह तं ण एत्थ रूढं अह तं वेअगं खलु अह तेसिं परिणामे अह देसणाइ णेवं अह पाढोऽभिमउच्चिअ अह भुंजिऊण पच्छा अह वक्खाणेअव्वं अह वयपरिआएहिं अह वंदिउं पुणो अहवाऽऽणाभंगाओ अहवा उभयमुहं अहवा वत्थुसहावो अहवा वि चक्कवाले अह सत्तमम्मि दिअहे अह समयविहाणेणं अह सुत्तभावणं अह होज्ज निद्धमहुराई अहिआसिया उ अंतो अहिकंखंतेहिं सुभासिआई अहिगणिवित्तीवि इहं अहिगय णाउस्सग्ग अहिगयरं गुणठाणं अहिगयसत्थपरिण्णा अंगारमद्दगस्सवि अंगीकयसाफल्लं अंगुट्ठअंगुलीहिं अंतो निअसणी अंतो निरवयवि अंबस्स य निंबस्स १४२५ १४६९ १३६३ गाथाद्यचरणम् आ आईओच्चिअ पडिबंधआगमपरतंतेहि आगारेहिं विसुद्ध आचेलक्कुद्देसिअ आणा इत्थ पमाणं आणागिज्झो अत्थो आणापरतंतो सो आरभडा सम्मदा आभिग्गहिए सद्धा आभोएउं खेत्तं आमे घडे निहत्तं आयपरपरिच्चाओ आयपरसमुत्तारो आयरिअ-उवज्झाए आयरिअ-उवज्झाए आयरिअसिद्धसेणेण आयरिए अ गिलाणे आयरिओ सामइयं आयरियनिसिज्जाए आररियाई सव्वे आयहिअपरिण्णा आयहिअमजाणतो आयहिअं जाणतो आयंको जरमाई आयंबिले अनियमो आयाणे निक्खेवे आयापवयणसंजम आयारवत्थु तइअं आरंभच्चाएणं आरंभपरिग्गहओ ३५७ ४४१ १००७ १२७५ ६६७ १४९२ ६१३ ५६५ ४७३ ४६९ १०४८ ८२० ४४९ ९६६ १५१ ५५५ ६०३ ६९२ २३५ ८२८ ३९० ७३६ ५५६ ५५७ १४३२ १५२ ८१५ ४१९ .१४२९ १३०६ २०५ Page #296 -------------------------------------------------------------------------- ________________ मूलगाथाऽकाराद्यनुक्रमः ] गाथाद्यचरणम् आरंभमंतरेणं आरंभवओ य इमा आराहगो अ जीवो आराहगो अ जीवो आराहिऊण एवं आलोइऊण दोसे आलोएत्ता सव्वं आलोयणमुड्ढमहे आलोयणवागरणस्स आवण्णस्स मणेणऽवि आवस्सिअं निसीहिअ आवस्सियाए जस्स य आसायणा वि नेवं आवस्सि णिसीहि-मिछा आवायदोस तइए आहऽण सेवाए आहऽ प्पवहणिमित्तं आह गुरु खमासमणाणं आहच्च भावकरणं आहच्च भावकहणं आह जह जीवघाए आह ण चरणविरुद्धा आहणणाई दित्ते आह ओऽवि ण नियमा आह न णु तेसि दीसइ आह य गुरु पवेअह आहरणं सिट्टिदुगं आह विरइपरिणामो आहाकम्मुद्देसिय आहार- उवहि-सिज्जासु आहाराओ अणलो गाथाङ्क: ८२ १२५१ १६९८ १२०८ १६९९ ४६६ ३३७ ४२८ ४५७ १५१५ १४२४ २९३ १०१३ १४२३ ४१८ २८ १५८३ १३४० १७९ १७१ ५३३ १६६३ ४१६ १०३२ ६४४ १५० ३४८ १६४ ७४१ १६५१ ६४७ गाथाद्यचरणम् आहेवं परिच्चत्तो आहे हिंसा वि इअ अणिअयवित्ति इअ अणुओगाण्णुणा इअ अप्पणो थिरत्तं इअ आगमजुत्तिहि इअ एएऽवि अ मुणिणो इअ एगत्तसमेओ इअ कयकिच्चेहिंतो इअ चरणमेव परमं इअ चिंताविसघारिअ इअ तवणिम्माओ इअ दंसणऽप्पमाया इअ दिट्ठेट्ठविरुद्धं इअ दोसुं पासेसुं इअ निक्कलंकमग्गा इअ परिकम्मिअभावो इअ पंचवत्थुगमिणं इअ पाणाइवहाई इअ मणुआइभवकयं इअ मोहविसं घायइ इअरम्मि कसाईआ इअरं तु जिण्णभावा इअरा उ अभिणिवेसा इअरेऽवाऽऽणाउच्चिअ इअरे उनिअट्ठा इअरेसु पोरिसितिगं इअरोऽवि ठिओ संतो इअरो संदिसहत्ति [ २७१ गाथाङ्क: १०४६ १२२८ १४७५ १३१४ ९०६ १३११ २१२ १४०६ १२७४ ९३० १९१ १३९४ ९१८ १२६८ २३७ . ६९३ १३९० १७१३ ८१ १०९३ ११९३ ११९७ १५०२ ११७९ १४७६ ३५१ २७५ ९५७ ३४४ Page #297 -------------------------------------------------------------------------- ________________ २७२ ] गाथाद्यचरणम् इक्किक्कं ताव तवं इच्छं वेआवडिअं इच्छाकारेणऽम्हं इच्छामिच्छ तहकार इच्छामोत्ति भणित्ता इच्छामोत्ति भणित्ता इच्छामोति भणित्ता इच्छिज्ज न इच्छिज्ज इणमन्नं तु पमाणं इह तु सुआयत्तो इत्थं च दाणधम्मो इत्थेव पत्थवंमी इय कुसलपक्खहेऊ इय जोऽपण्णवणिज्जो इय दव्वलिंगमित्तं इय भाविअपरमत्थो इय मद्दवाइजोगा इयरेसि कारणेणं इयरेसि बालभाव इय सव्वेणऽवि सम्म इरिअं च न सोहिज्जा इरिअं पडिक्कमे इहरा अणत्थगं इरा उ मुसावाओ इहरा उ रिणं परमं इह छेवट्टम्मि इरा परमगुरूणं इह सत्तामित्ताइ इंगिणिमरणं विहिणा इंगिणिमरणविहाणं इंदिअ - कसाय - जोगा गाथाङ्क: १३९१ १५९९ १३३७ १४२२ १३० १३९ १४१ ३४६ ७९३ १३६१ १३१० ४४३ २६ ६२४ ९४५ १४०४ ११६७ ८९८ ७२ १७१६ ३६७ ३१७ १२२१ ९३३ ९६९ १६७५ १३५६ १०८४ १६२२ १६२३ १३८७ गाथाद्यचरणम् इंदियजोगेहिं तहा इंदीवरम्मि दीवो ईसि अवणयगत्ता ईसि काऊण सुहं उउबद्धे वासासु उ उमा समईआ उक्कोसओ चउद्धा उक्कोस तीसमासे उक्कोस पुव्वकोडी उक्कोसो अट्ठविहो उक्खित्तमाइ चरगा उत उगाहिम अज्जं उचिए काले एसा उचिए काले विहिणा चियाद्वाणाओ उच्चाराइ अथंडिलउच्चारे पासवणे उ उज्जुग गंतुं पच्चागइआ उत्तु सपरिवारो उट्ठेति निसिज्जाओ उड्ढमहो गत्तो उड्ढाइविहाणंमिवि उड्ढं घरकोइलाई उड्ढं थिरं अतुरिअं उत्तममिअं पयं उत्तरपुव्वा पुज्जा उदउलाइ परिच्छा उदिट्ठकडं भुंजइ [ पञ्चवस्तुके गाथाङ्क: १३८८ १२८७ ६७२ २१९ १३३० ७१३ ७८५ ७९४ १५३९ ७८८ ३०३ ७८३ १४६७ १५९२ ५४८ ११४९ ६६४ १४३५ ३०० १३६२ ९६४ २४८ २५२ ३३८ २३३ १३४७ ४२६ ६६८ १२०२ Page #298 -------------------------------------------------------------------------- ________________ मूलगाथाऽकाराद्यनुक्रमः] [२७३ - गाथाद्यचरणम् उस्सारिऊण विहिणा उस्सासाओ पाणू उस्सुत्ता पुण बाहइ ऊणत्तं ण कयाइ ऊसारिऊण विहिणा ऊसारिऊण विहिणा गाथाङ्क: ४९५ १३९९ ११७८ ११८४ ४९६ ४८४ गाथाद्यचरणम् उद्देसिय साहुमाई उप्पण्णा उप्पण्णा उप्पायण संपायण उभयकडोभयभोगा उभयाभावेऽवि कुओ उम्मग्गदेसओ मग्गउम्मायं व लभिज्जा उवएसं पुण विअरइ उवओगो एवं खलु उवगरणगोअरा उवगरणवत्थपत्ते उवगरणं उवगारे उवगरणंपि धरिज्जा उवगरणं वामे उरुगंमि उवगरणं सुद्धेसणउवगाराभावेऽवि हु उवजीवणाकयं जइ उवठाविओ सिअत्ति उवरिं हिट्ठा य पमज्जिऊण उवविसइ गुरुसमीवे उववूहिऊण सेसे उवसग्ग-गब्भहरणं उवसमसेढीए खलु उवसंपण्णाण जहा उवसंपयाय कप्पो उवहाणं पुण आयंबिलाइ उवहिं च संदिसावि उव्वत्तइ परिअत्तइ उव्वत्तइ परिअत्तइ उस्सग्ग समत्तीए उस्सप्पिणिए दोसुं गाथाङ्क: ७४४ ४६४ ७५३ १०९६ ५२७ १६५५ ५६८ १५१२ ५३१ २३१ २३२ १३८५ ७६९ ४२९ १३८२ १२७३ ७५ ५७८ ३१४ ९६२ १६१४ ९२६ १४९८ ९८५ एअ गुणविप्पमुक्कं एअघोसविमुक्को एअमिहमुत्तमं सुअं एअम्मि पूइअम्मी एअस्स उ संपाडणएअस्स एस णेओ एअस्स पहावेणं एअस्सवि पडिसेहो एअस्स हेउभावो एआण विसेसेणं एआरिसा इहं खलु एआरिसेण गुरुणा एआसु थेवथेवं एए उ अणाएसा एए उ अणादेसा एए चेव उ तेरस एए चेव दुवालस एए चेव य वत्थू एए चेव विभागा एएण उ रहिआइं एएण जो विसुद्धो एएण जंति केई एएण न बाहिज्जइ १३१८ ३३४ १११० ११३७ १२२० १४९४ १५९७ ९०० ९१७ १६६९ २५ १४ १३९६ २५७ २५९ ७८१ ७७९ ९८६ ५८९ ५५४ १६२५ १६७२ ४५४ १४८७ ४११ ९१३ १०८१ ८५६ १०७३ Page #299 -------------------------------------------------------------------------- ________________ २७४ ] [पञ्चवस्तुके ६८५ गाथाद्यचरणम् एएण सो कमेणं एएणं चिअ सेसं एएणं नाएणं एएणं बाहिज्जइ एएसि पभावेणं एएसिमंतरे वा एएसि वयपमाणं एएसिं सत्त वीही एएहिं जो न सुद्धो एएहितो अण्णे एअं अणुभवसिद्धं एअं एगंतेणं एअं खलु णाणत्तं एअं च उत्तमं खलु एअं च एत्थ एवं एअं च भावसाहू एअं पच्चक्खाणं एअंपि गुरुविहाराओ एअंपि न जुत्तिखमं एअं भूमिमपत्तं एअंमि अप्पमाओ एक्कं दुतिचउपंचएक्किक्कपडिग्गहगा एकिक्को संघाडो एक्को वाऽऽयपएसो एगत्तभावणं एगत्तभावणाए एगंता निच्चोऽवि एगंतेण उ निच्चो एगाए वसहीए एगिदिआइ अह ते १५३७ गाथाङ्क: गाथाद्यचरणम् १३९७ एगिदिआइभेओ २२१ एगिदियाइकाया ६४१ एगूणवीसगस्स १०७७ एगेण कयमकज्जं एगेण चेव तवओ ६३० एगो अ एस भयवं ५७ एगो आया संजोगिअ १४८० एत्तो अ इमं एवं १०२४ एत्तो उवओगाओ १२२३ एत्तोच्चिअ उक्कोसा ८५५ एत्तोच्चिअ णिदिट्ठो १०५३ एत्तोच्चिअ णिदिट्ठो एत्तोच्चिअ निदोसं ९१२ एत्तोच्चिअ पडिसेहो ११७३ एत्तो तित्थयरतं ११६१ एत्थ इमं विण्णेअं ५५१ एत्थ उ कयसामइया एत्थ उ जणवयणाओ १२३३ एत्थ उ वयाहिगारा ६१९ एत्थ उ सव्वे थाणा १६३ एत्थ य अवंचिए ण ४०१ एत्थ याविवेगचागा १५४९ एत्थ य आहारो ३९७ एत्थ य पमायखलिया ११७१ एत्थ य सट्ठा णेआ १४०२ एत्थ य सामायारी १४०५ एत्थ रसलोलुआए १०८६ एत्थ वि मूलं णेअं १०९४ एत्थ सरीरेण कडं १४७८ एत्थं च वितहकरणं १२३२ | एत्थंपि ता सहावो गाथाङ्क: १२५९ ६३८ ५८८ ५९१ ३७७ १४३४ १४०३ १५६६ १४०० ५६३ ११९० १३०७ १२६६ ५२१ ५६६ ११७० ४४८ १०१७ ८९३ १६०२ १०२६ १०४ १६८९ ८९७ १८ ७१८ १४२१ ३८५ १७०६ १०९७ ९९९ १०५२ Page #300 -------------------------------------------------------------------------- ________________ मूलगाथाऽकाराद्यनुक्रमः ] गाथाद्यचरणम् एत्थं पुण परिभोगो S एत्थाऽणुजाणणविही एमाइ भाववाओ माई पडिसिद्धं एमेव भावकिरिय एमेव भाववित्तं एमेव य पासवणे एमेव य मज्झिमया एमेव य विष्णेयं एयम्मि गोअराई एयं पि न जुत्तिखमं एयाओ भावणाओ एयाओ विसेसेणं एयाणि गारवट्ठा याणि पंचवत्थू याणि पंचवत्थू याणि पंचवत्थू एयाणि पंचवत्थू एव णिवित्ति पहाणा एव पत्ताणं पहु एव पवित्तिणिसद्दो एव पहाणो एसो एवं अपरिवडिए एवं उववूहेउं एवं करंतेहि इमं एवं कहंचि कज्जे एवं गुरुकुलवासो एवं चणेगभविया एवं च कुसलजोगे एवं च घडइ एवं एवं च वयणमित्ता गाथाङ्क: ३८२ १३३६ ११०९ ५८० १२१ ६८४ ४४२ ६१८ ६९८ १५१० ९४ १६६१ १६६२ १६४८ १७०१ १७०२ १७०३ १७०४ १२७० ८७० १३२१ १५५८ ९२० ९७१ १७१२ ५३७ ६९४ ५९३ १५०६ ८६८ १२४० गाथाद्यचरणम् एवं चिअ देहवहं एवं चिअ भावथए एवं चिअ मज्झत्थो एवं चिअ वयिणीणं एवं चेव पमाणं एवं जीवेण कडं एवं फल एवं तत्तं नाउं एवं तु ते अडंता एवं दंसणमेव उ एवं दिट्ठतगुणा एवं नो कहिआगम एवं पडुपणे पविसओ एवं पत्तोऽयं खलु एवं पमाइणो कह एवं पयईए चि एवं परोप्परं मोह एवं पवट्टमाणस एवं पि पावहेऊ एवं बायालीसं एवं मणेण वइमाइ एवं वसु ठेवणा एवं वसाई एवं विआरणाए एवंविहपरिणामा एवंविहमणंपि एवंविहा उ अह ते एवंविहाण देया एवंविहो उ अप्पा एवं सामइअं पिह एस चरित्तुस्सग्गो [ २७५ गाथाङ्क: ११०१ ११४४ ११७५ १३५९ ७९५ १०९९ १४४१ १५६७ १४७७ ९१६ ११९५ १२८८ ३१२ १०४१ ५१५ ३५ ७२७ ८७५ ८९ ७६६ ११६९ ९३१ ७०५ ८७४ ४७२ १३१३ ८७ ३९ १०८९ ५१७ ४८२ Page #301 -------------------------------------------------------------------------- ________________ २७६ ] [पञ्चवस्तुके - गाथाङ्क: गाथाद्यचरणम् एसण गवेसणऽण्णे एसा जिणाणमाणा एसा पइदिणकिरिआ एसा य होइ नियमा एसा सामायारी एसेव गमो णिअमा एसेव बोहिलाभो एसेह थयपरिण्णा एसो अ जायइ दढं एसोऽवि समं गुरुणा एसो अ विहारोवि हु एसो अ होइ तिविहो एसो उ उत्तमो जं एसो उण से कप्पो एसो पुण रागाईह एसो पुण सम्मत्ताइएसो य सया विहिणा एसो पुण सव्वेसिं १९० १२१६ १११७ ११५५ ८१२ ३९५ ३९६ ८२४ १०५५ ७६३ ७४५ गाथाङ्कः | गाथाद्यचरणम् ७६१ ११४ कइया सिज्झइ दुग्गं ६०९ कज्जं इच्छंतेणं १२६४ कट्ठाई विदलं १४८२ कडुगोसहाइजोगा १५२३ कप्पा आयपमाणा १६१२ कप्पेऊणं पाए १३१२ कप्पेऊणं पाए १८९ कमढपमाणं उदर१३२७ कम्माइ तस्स भावत्तणंपि १३६९ कम्माइ संकिइ तयं १६९३ कम्माणरायभूअं १०२५ कम्मावयवसमेअं १४७४ कम्मुद्देसियचरिम ६०४ कयजोगसमायारा १६९७ कयपच्चक्खाणो कयपावोऽवि मणूसो ७८४ कयमित्थ पसंगेणं कयमित्थ पसंगेणं कयमित्थ पसंगेणं ७८३ कयमित्थ पसंगेणं ३३९ करणाइ तिण्णि जोगा १५८० करपायभमुहसीस १४२७ कलुसदवे असई १४४० कल्लाणाणि अ इहइं ३०४ कहकहकहस्स हसणं १०९ कहणाइ अवक्खितं १२१३ कहणाई वक्खित्ते १४४८ कह घेत्थिमोत्ति पच्छा ८३८ कह पुण होज्जा कम्म १३६७ । कहिऊणं कायवए ५६७ ओ ओकच्छिअ वेकच्छि ओणमओपडिवज्जा ओवक्कमणं एवं ओवासे तणफलए ओवासोऽवि हु एत्थं ओसक्कण अभिसक्कण ओसरणे जिणभवणे ओसरणे बलिमाइ ओहाणं अम्हाण वि ओहेण जस्स गहणं ओहेणं सव्वच्चिअ ७५२ २८६ ५३७ ४६१ १३०१ १५५३ १५७१ १६७० ११६४ ३३२ ४१७ १०२७ १६३१ ३३० ३२८ २९२ १४५९ ६६३ . Page #302 -------------------------------------------------------------------------- ________________ मूलगाथाऽकाराद्यनुक्रमः] [२७७ D गाथाङ्क: १४७० १३७४ १६६८ १२३६ १८५ ९३६ ८४२ १२४६ ३५८ ११७ ८६२ २०७ १३३३ ३० १५५५ गाथाद्यचरणम् कंखिज्जइ जो अत्थो कंदप्पदेवकिब्बिस कंदप्पाईवाओ न कंदप्पे कुक्कुइए काइयमाइयजोगं काउस्सग्गंमि ठिओ काउं पडिग्गहं करयलंभि कायनिरोहे वासे कायव्वं च मइमया काया वया य ते कारणमालंबणमो कारवणेऽवि अतस्सिह कालक्कमेण पत्तं कालपरिहाणिदोसा कालपरिहाणिदोसा कालपरिहाणि दोसा कालमकाले सण्णा कालाइक्कत उवट्ठावणा काले अपहुप्पंते काले अभिग्गहो पुण कालोऽवि वितहकरणे कालो गोअरचरिअं कालोचिअ गुणरहिआ जा कालोचिअ गुणरहिओ जो कालो चिअ तयभावे कालो चिअ सुत्तत्थे कालो सहाव निअई किइकम्मं वंदणगं कि अनेण तओ च्चिअ किं एत्तो कट्ठयरं कि काहामि अहण्णा गाथाङ्क: गाथाद्यचरणम् १९६ किं णागयऽत्थ तइआ १६२८ किं णु विहारेण १६६७ किं तु असंखिज्जाई १६३० कि तेसिं दंसणेण २८७ कि पावस्स सरूवं ३२० कि पि अहअंपि ३४० किं पुण अवसेसेहि ३२४ किं पुण विसिट्ठगं ८४० कुक्कुडिअंडगमित्तं १६३७ कुलपुत्तो तगराए १५१७ कुसलासयहेऊओ ११२१ केइ अविज्जा गहिआ ५८१ केइ ण होइ सलद्धी केई भणंति एसो ३७ केई भणंति बाला केई भणंति मूढा ३९३ केच्चिर कालं वसहिह ७१२ केसिंचि विणयकारणं ३३५ कोउअ भूईकम्मे ३०१ को णाम सारहीणं ९९८ कोत्थलगारी घरगं ४४४ कोप्पर पट्टगगहणं १३२२ को वा कस्स न.सयणो १३२० कोहाइपगारेहि ९३५ कोहप्फलसम्भावण ९४६ १०४९ ख ४५६ खज्जूरमुद्दियादाडिमाण . १०३७ खलियमिलियवाइद्धं १६०३ खंताइ साहुधम्मे १४६२ | खंधेगरणी चउहत्थ २७८ ५२ १३४ १४३७ ६९७ १६४२ २७४ ६७० १०७ ६५२ ७५८ ३८१ १२८ ८५८ ८३२ Page #303 -------------------------------------------------------------------------- ________________ २७८ ] [पञ्चवस्तुके गाथाङ्क: ११८१ ३१ ७२५ ११३५ गाथाद्यचरणम् खामित्तु करिति तओ खामित्तु तओ एवं खामेइ तओ संघ खित्ते कालचरित्ते तित्थे खित्ते कालचरित्ते तित्थे खित्ते दुहेह मग्गणखित्ते भरहेरवए खीरदहिनवणीयं खुद्दइआराणं चिअ खोडणपमज्जवेलासु ६६९ १३२४ २४७ १६८५ ४२ ६७८ ६८९ ५५३ २९४ ५९९ २२६ गाथाङ्क: गाथाद्यचरणम् ५०२ गीअस्स ण उस्सुत्ता ४७८ गीतत्थो कडजोगी १४१५ गीयाणि अ पढिआणि १४८३ गुणसमुदाओ संघो १५२७ गुरवो वामगपासे १४८५ गुरुअरगुणमलणाए १५२९ गुरुउग्गहो अठाणं ३७१ गुरुकम्मओ पमाओ ८७३ गुरुकम्माणं जम्हा २५५ गुरुगच्छवसहि गुरुगुणजुत्तं तु गुरुणाऽणुण्णायाणं १५३४ गुरुणा अपेसियाणं १५०७ गुरुणावि चरणजोए १३७९ गुरुणोऽवि कह न दोसो १५५० गुरुदंसणं पसत्थं १३७८ गुरुदाणसेसभोअण७६० गुरुपच्चक्खाण४१३ गुरुपरिओसगएणं गुरुपरिवारो गच्छो ३५९ गुरुफरिसाहिगकहणे गुरुमाइसु जइअव्वं ३३३ गुरुराहेह ण णिअमो १७१४ गुरुसंजमजोगोऽवि ८०३ गूहइ आयसहावं ८०५ गेहाईणमभावे ८०४ गोअरमाइआण २२५ गोमहिसुट्टिपसूणं १३२९ १३१७ ११८० । घयघट्टो पुण विगइ गणओ तिण्णेव गणा गणणत्ति सयपहुत्तं गणणिक्खेवित्तिरिओ गणमाणओ जहण्णा गणिउवझायपवित्ती गब्भपरिसाडणाइ गमण मणुन्ने इयरे गयजोवण्णावि गहणे पक्खेवंमि अ गंभीर-महुरफुडविसय गारत्थिअभासाओ गाहग्गं पुण इत्थं गिम्हासु तिन्नि पडला गिम्हासु पंच पडला गिम्हासु हुंति चउरो गिहिणो पुण संपज्जइ गीअत्थ जायकप्पो गीअत्था कयकरणा गीअत्थो उ विहारो ६९० ७२६ ५४९ २६० १००८ ६९६ ९८९ ६८७ १५१४ १५६१ १६४१ १८७ ८९९ ३७२ ३७९ Page #304 -------------------------------------------------------------------------- ________________ मूलगाथाऽकाराद्यनुक्रमः] [२७९ गाथाद्यचरणम् गाथाङ्क: १४७३ १६८४ १०१० १४७२ ४८० ५८६ २७१ गाथाङ्कः | गाथाद्यचरणम् चोअग एवंपि इहं २०८ चोएइ कहं समणो ९८ चोएइ जई जिट्ठो २२० चोएई पढमदिणे ११९६ चोएइ हंदि एवं चोद्दस्स वासस्स तहा ४४० ३१८ ८१६ छउमत्थो परमत्थं १३३८ छउमत्थो परिणाम १८२ छक्कायरक्खणट्ठा १५७४ छट्टम्मि दिआगहिअं ३७३ छप्पुरिमा तितिअकए ८३६ छलिएण व पव्वज्जाकाले ४८७ छाएइ अणुकुईए २६७ छेअसुआईएसु १६५३ ७२३ १११ जइऽवि वयमाइएहिं ४९२ जइ एवं किं गिहिणो ७१० जइ एवं कीस मुणी जइ एवं ता किं पुण २१७ जइ एवं तो कम्हा ८४८ जइ जिणमयं पवज्जह ११३३ जइ णाम कम्मपरिणइ१२५ जइणो अदूसिअस्स १५९८ जइणोऽवि हु दव्वत्थय ३२६ जइ पुण निव्वाघाओ २९१ जइ पुण पासवणं से जइभागगया मत्ता १३५ । जइवि न पावइ सेkि चइऊणऽगारवा चइऊण घरावासं चइऊण घरावासं चउकारणपरिसुद्धं चउकोण भाणकोणे चउभागवसेसाए चउरंगुलमप्पत्तं चउरंगुल विहत्थी चउवीसत्थय नवकार चत्तंमि घरावासे चत्तारि विचित्ताई चत्तारि हुंति तिल्ला चम्मतियं पट्टदुगं चरणं सारो दंसणचरिमाए पोरिसीए चंकमणाइ सत्तो चंकमिअं ठिअमुट्ठिअं चाउद्दसिं पण्णरसिं चाउम्मासियवरिसे चाउस्सालाईए चाओ इमेसि सम्म चारित्तविहीणस्स चिअमंससोणिअस्स चिइवंदण थुइवुढि चिइवंदण रयहरणं चिंतामणी अप्पुव्वो चिंतित्तु जोगमखिलं चिंतित्तु तओ पच्छा चितेइ कज्जमन्नं चेइअकुलगणसंघे ६०५ १७८ ८१० ६६२ २४२ ५७२ ८२९ ९७८ १०१२ १८६ १५६३ ३२५ १७२ ६३९ ११५३ १२१० ४४५ ३१५ ३६३ १६१० ८८५ Page #305 -------------------------------------------------------------------------- ________________ २८० ] [पञ्चवस्तुके % 3D गाथाङ्क: ५९४ ९४७ ५६० ५०३ १०७८ ६६६ ६७९ १०७१ १०७४ १०६९ ४७ १२० गाथाद्यचरणम् जइ सुहुमइआराणं जच्चाइगुणविभूसिअजच्चाइहिं अवण्णं जत्थऽम्हे वच्चामो जत्थ उ पमत्तयाए जमणाइभवब्भत्थो जमिह सुह भावणाए जम्मजराजीवणमरणजम्मजरामरणजलो जम्मणसंतीभावेसु जम्हा अपोरिसेअं जम्हा उ अभिस्संगो जम्हा उत्तरकप्पो जम्हा उ दोण्ह वि जम्हा उ पंचरत्तं जम्हा न धम्ममग्गे जम्हा वयसंपन्ना जम्हा समग्गमेअंपि जयणाए वट्टमाणो जयणेह धम्मजणणी जलथलखहयरमंसं जल्लमलपंकिआणवि जस्सिच्छाए जायइ जस्स जया पडिलेहा जस्स य जोगोत्ति जह जह इह दव्वथयाओ जह उस्सग्गंमि ठिओ जह खाराईहितो जह गहिअपालणंमी जह चेव असुहपरिणामओ जह चेव उ मोक्खफला गाथाङ्क: गाथाद्यचरणम् ८६६ जह चेव उ विहिरहिया ८८४ जह जह बहुस्सुओ १६३९ जह जह सुअमवगाहइ ४१४ जह तस्स न होइच्चिअ १०७६ जह देवाणं संगीअ ५१६ जह परिहरई संमं १६११ जह पाविअंपि वित्तं ६४८ जह पंचहिं बहूएहि १५९५ जह पंचसु समिईसुं १४८६ जह मणवयकायेहि १०३१ जह लोअम्मिऽवि विज्जो ११५२ जह वाहिओ अ किरिअं १५१६ जह विज्जगम्मि दाहं ९९२ जं अन्नाणी कम्म १५४० जं इमं इयं न दुक्खं जं एअं एअं अट्ठारससीलंग९३२ जं किंचि पमाएणं ११७२ जं किंचि भासगं दठूणं १२६३ जं केवलिणा भणिअं १२६२ जंघाबलम्मि खीणे ३७५ जं च चउद्धा भणिओ ७२४ जं तमणाइसरूवं १९८ जं पुण अपरिसुद्धं ४३९ जं पुण एअ विउत्तं २९५ जं बहुगुणं पयाणं १२४७ जं बीअं चारित्तं ११७४ जं विसयविरत्ताणं १०४३ जं वीअरागगामी ५१३ जं वुच्चइत्ति वयणं ८९४ जं सो उक्किट्ठयरं ११९ । जं सो सया विवायं १७०७ १२९९ ५६४ ८५७ ११६२ १४१६ ९३९ ५९० १५२२ १२१९ १०५९ १६०७ ११४७ १२६८ ६२५ १९५ ११४६ १२७९ १३०४ १६८० Page #306 -------------------------------------------------------------------------- ________________ मूलगाथाऽकाराद्यनुक्रमः] [२८१ गाथाङ्क: ८७८ गाथाद्यचरणम् जाए उचिए अ तयं जाओ अ अजाओ अ जा खलु जहुत्तदोसेहि जा खलु पमत्तजोगा जा चेव य जिणकप्पे जा तत्थ दाणधारा जा देवसिअं दुगुणं जा दुचरिमोत्ति जा पुण एअविउत्ता जायसमत्तविभासा जावइआ उ सुणिती जावंतिआ उ सिज्झा जिणकप्पत्ति अ दारं जिणकप्पाभिग्गहियं जिणकप्पिअपडिरूवी जिणकप्पिआ व तहियं जिणकिरिआएँ असज्झा जिणदिट्ठमेवमेअं जिणधम्मसुट्ठिआणं जिणपण्णत्तं लिंगं जिणपूआएँ विहाणं जिणबिंबकारणविही जिणबिंबपइट्ठावणजिणभवणकारणादि जिणभवणकारणविही जिणभवणाइविहाणजिणवयणमेव तत्तं जिणवयणे पडिकुळं जिणसासणस्सऽवण्णो जिणसुद्धाजहलंदा जिणा बारसरूवाणि गाथाङ्क: गाथाद्यचरणम् १३८३ जीअं जोव्वणमिड्ढी १३२८ जीवत्तं तेर्सि तउ ७१७ जीवदयट्ठा पेहा १५८६ जीवसरीराणंपि हु १५४१ जीवाइभाववाओ जो ३५० जीवाइभाववाओ बंधाइ४५० जीवो अणाइनिहणो ४७४ जीवो पमायबहुलो १५८७ जुगवं तु खविज्जत्तं १३३५ जुत्ती सुव्वण्णयं १००४ जे इह सुत्ते भणिया ७१४ जे केइ महापुरिसा १४५७ जे खलु पमायजणगा १४६१ जेण उ तेऽवि कसाया १४११ जे दंसणवावन्ना जे पडिआरविरहिआ जे पुण तप्परिहीणा ५३२ जे वण्णाइनिमित्तं ९०३ जे सेसा सुक्काए जेहिं सविया ण दीसइ ११४० जो आयरेण पढमं ११३० जो उ परं कंपंतं ११५७ जोए करणे सण्णा १२१७ जो एत्थ अभिस्संगो १११२ जो कोइ परिकिलेसो ११५० जोगिअवस्थाईओ १०६३ जोग्गाण कालपत्तं ५७४ जो चेव भावलेसो २२ जो जत्तो उप्पज्जइ १३७६ जो जस्स कोइ भत्तो ७७१ । जो जहवायं न कुणइ ६४३ २५८ १०९५ १०८० १०२३ ७३५ ४७९ १५८२ ११९९ १२०० ८६० १०७५ १३८९ १०३९ ८७२ १५४७ ४९ १६९ ३६९ १६९५ ८०२ २० १६५४ ११६३ १८८ ३०६ ६८१ ५७० १२१५ ४६३ ७५७ १६६६ Page #307 -------------------------------------------------------------------------- ________________ २८२ ] [पञ्चवस्तुके गाथाङ्क: ४२१ ७३१ ८९० गाथाङ्क: ३३१ ५२९ १२२६ १५४५ ३६६ ९१५ २३ गाथाद्यचरणम् जो जंमि उउम्मि कया जो जारिसेण मिति जो जेणं बाहिज्जइ जो पुण अणुवत्तेई जो पुण अविसयगामी जो पुण किलिट्ठचित्तो जो पुण तमेव मग्गं जो पुण मोहेइ परं जो बज्झज्चाएणं जो मागहओ पत्थो जोव्वणमविवेगो जो संजओऽवि एआसु जो साहू गुणरहिओ जो हुज्ज उ असमत्थो जो हेउवायपक्खमि ६०६ १६८३ १६५८ १६६० १३०५ ८१८ ६० १६२९ १२०१ ४४७ ९९३ गाथाद्यचरणम् णट्टं चलं च भासं णणु अप्पमायसेवणणणु तत्थेव य ण तरिज्ज जई णत्थि छुआए सरिसा णणु दंसणस्स सुत्ते णमिऊण वद्धमाणं ण य अस्थि कोइ अन्नो ण य एत्तो उवगारो ण य एयभेयओ ण य कम्मविवागो ण य किंचि अणुन्नायं ण य णाणण्णो सोऽहं ण य णिच्छओवि ण य तव्वयणाओ ण य तस्सेगंतेणं ण य तस्स तेसु वि ण य तेऽवि होंति पायं ण य तेसिपि ण वयणं ण य पडिकूलेअव्वं ण य पढमभावण य बहुगाणवि एत्थं ण य बहुगुणचाएणं ण य भयवं अणुजाणइ ण य रागाइविरहिओ ण य वयो एत्थ पमाणं ण य वेअगया एवं ण य समइविगप्पेणं ण य सेसाणवि एवं णवणीउग्गाहिमए ण विसिट्ठकज्जभावो झाणंमिवि धम्मेणं १५०५ १०३३ १५५९ १०३६ ८५९ २८० १०९२ १२८३ १२४४ १०५४ ५२४ २१३ १२४१ १३५५ ५२५ १२३८ १३८१ १२१४ १२३९ १०१४ १२५३ ९४४ १०६० ५११ १०८७ ठाणं चिट्ठति जहिं ठाणं पमज्जिऊणं ठिअकप्पम्मी णिअमा ठिअमट्ठिए अ कप्पे ७२१ १००२ १५३३ १४९९ ण ण अ फलुद्देसपवित्तिउ ण उ केवलओ जीवो ण कयाइ इओ कस्सइ ण करेइ मणेणाहारणच्चंतसंकिलिट्ठासु १२५४ ११०० १२८९ ११६६ Page #308 -------------------------------------------------------------------------- ________________ मूलगाथाऽकाराद्यनुक्रमः] [२८३ गाथाङ्क: गाथाद्यचरणम् ण हि रयणगुणाऽरयणे णाइविगिट्ठो अ णाऊण एवमेअं णाणस्स होइ भागी णाणाइ तिविहमग्गं णाणाइलाभओ खलु णायंबिलमेअंपि हु णिच्चं विग्गहसीलो णित्थारगपारगो णिप्पडिकम्मसरीरो णिप्फण्णस्स य सम्म णिप्फाइअ जयणाए णिव्वाघाइममेअं णेवं परंपराए माणं णो उवठावणएच्चि णो सप्पिणि उस्सपिणि ४३७ १४४ १२४ १०६६ १०६२ ११३९ ६७५ ८८० १३०० ९५५ ३३ गाथाङ्कः । गाथाद्यचरणम् १२९५ तत्तो अ गुरुपरिण्णा १५७५ तत्तो अ गुरू वासे १७०५ तत्तो अ जहाविहवं १३५८ तत्तो अ तिव्वभावा १६५७ तत्तो अ दव्वसम्म २४ तत्तो अ पइदिणं १४५५ तत्तो अ पण्णविज्जइ १६५० तत्तो अ माइगामस्स १४८ तत्तोऽवि कीरमाणे १५१९ तत्तोऽवि दोऽवि ११३२ तत्तो अ विमलबुद्धी ११२९ तत्तो इत्थिनपुंसा १६१९ तत्तो चिअ भावाओ १२९१ तत्तो पवेइआए ९०९ तत्थ चउरिदिआई १४८८ तत्थ पहाणो अंसो तत्थवि अ जो तओवि तत्थवि अ धम्मझाणं १२७२ तत्थवि अ साहुदंसण६५७ तत्थावायं दुविहं २४३ तत्थुग्गमो पसूई १४१२ तदहो परिभव१५२१ तप्पुविआ अरहया ४९९ तप्पुव्वयं जयत्थं ५०० तप्पूआपरिणामो ५८ तबिबस्स पइट्ठा ३०९ तम्मि सइ सुहं नेअं १५६४ तम्हा अगारवासं पुनाओ तम्हा उ अणसणाइवि १२९० तम्हा उ जुत्तमेअं ६७४ । तम्हा उ भावसम्म ४३३ १६८२ ९५२ ६४२ १२६९ ४८१ २१६ तअहिगनिव्वत्तीए तइअम्मिवि एमेव तइअं पम्मजणमिणं तइआए अलेवाडं तइआए पोरुसीए तइए निसाइआरं तइए निसाइआरं तक्कम्मखओवसमो तक्कालाणुवलद्धं तक्काले उचिअस्सा तणगहणानलसेवा तत्तो अ आगमो जो तत्तो अ कारविज्जइ ११५८ ४०७ ७४० ५१ ११३६ २९० ११३८ १२४९ १०२९ २०६ ८५० १७७ १०६५ Page #309 -------------------------------------------------------------------------- ________________ २८४] [पञ्चवस्तुके % 3D गाथाङ्कः ५६ १६५९ १४४९ ९२३ ४८ १६०४ ११८९ ७२९ १३ गाथाद्यचरणम् तम्हा उ सुहं झाणं तम्हा उ सिद्धमेअं तम्हा गिहासमरतो तम्हा जहुत्तदोसेहिं तम्हा जे इह सत्थे तम्हा ण वयणमित्तं तम्हाणुवत्तियव्वा सेहा तम्हा तित्थयराणं तम्हा तित्थयराणं तम्हा न दिक्खिअव्वा तम्हा निरभिस्संगा तम्हा पवयणगुर्ति तम्हा बद्धस्स तओ तयभावम्मि अ असुहा तवभावणणाणत्तं तवभावणाएँ पंचिंदितयभेअम्मि अनिअमा तव्वावार विउत्तं ण य तवसो अ पिवासाई तस्सऽवि य अट्टझाणं तस्स उपवेसनिग्गमतस्समुदायाओ चिअ तस्स य पायच्छित्तं तस्स वि अ इमो नेओ तस्स वि एवमजोगा तस्सेव य समरागाभावं तस्सेव य स सहावो तस्सेव य झाएज्जा तस्सेव यानिलानलातह अन्नधम्मिआणं तह ऽभुत्तभोगदोसा गाथाङ्क: गाथाद्यचरणम् १६७७ तह ऽभुत्तभोगदोसा तह तह उवहयमइओ १८४ तह कइ जणत्ति तह चरमसरीरत्तं १२०४ तह चेव धम्मविज्जो १२४५ तह चेव सुहुमभावे २९ तह तिल्लपत्तिधारय६८८ तह पवयणत्थवत्ता १३२५ तह भव्वत्ताऽभावा ६४ तह य अलक्खण२०३ तह य विरुद्धकहाओ ६७७ तह वि तया अदीणो ११०६ तह वेए च्चिअ भणियं १६७६ तह संभवंतरूवं सव्वं १५२४ तह सुअधम्माओ च्चि १३९३ तं कसिणगुणोवेअं ११०२ तं खलु निरभिस्संग १२८० तं च ण सिस्सिणिगाओ २१० तंतम्मि वंदणाए तं पुण पयंपएणं ५२३ तं पुण विचित्तमित्थ १०६१ तं हियो काऊणं ४६५ ता आराहेसु इमं १११८ ता एअगया चेवं १०३५ ता एअमायरिज्जा ८८१ ता एअमेअ वित्तं १०४५ ता एअम्मि वि काले ८८६ ता एईएँ अहम्मो ८८३ ता एरिसोच्चिअ १०७९ ता एव विरइभावो ७१ । ता एवं सण्णाओ ४६ ९२९ ६८० ६८२ १६७९ १२९७ १२७७ १०४४ ११९८ ५१९ १३३४ १२११ ४६७ ५९८ ५०४ १५९१ १२७६ ६९५ ११२८ १००० १२५२ १३५३ ११८३ १२९६ Page #310 -------------------------------------------------------------------------- ________________ मूलगाथाऽकाराद्यनुक्रमः] [२८५ गाथाङ्क: ११२ गाथाद्यचरणम् ता कीस अणुमओ ता कुलवहुणाएणं ता जह न देहपीडा ता धनाणं गीओ ताण वि असंखा लोगा ताणि य जईण जम्हा ताणिह पोरसेआणि ता तस्स पमाणत्ते ता तस्सेव हिअट्ठा ता तह कायव्वं ते ता तंऽसि भावविज्जो ता तंपि अणुमयं ता थेवमिअंकज्जं ता नत्थि एत्थ दोसो तारिसयस्साभावे ता संसारविरत्तो ताहे दुरालोइअ तिण्णेव य पच्छागा तिण्णेव य पच्छागा तिण्णेव य पच्छागा तिण्ह सहस्स पुहुत्तं तित्थयरो चउनाणी तित्थेत्ति नियमओ तिनि विहत्थी चउरं तिनेव य पच्छागा तिपयक्खिणीकए तिरि उड्ढ अहे मुसली तिवरिसपरिआगस्स तिविहाऽतिवायकिरिया तिविहं हवइ निमित्तं तिविहं होइ णिमित्तं गाथाङ्कः | गाथाद्यचरणम् १०१ तिसु उत्तरासु तह १३५७ तिविहजोगम्मि पसत्थे ८५३ तिहिं कप्पेहिं न कप्पइ ४४ तीअ बहुस्सुयणायं १५३१ तीआणागयकरणे ७८ तीए अ उवक्खडियं १२८५ तीए अ अपरिभोए १२९८ तुब्भेहिं पि न एसो ९५० तुब्भेहिं सामाइअमारो तुल्लमिअमणसणाओ १३५१ तुल्ला जहण्णठाणा १२१८ ते उ पडिसेवणाए १०५ तेऊलेसाए जे अंसा ते चेव उविहिजुत्ता ११३१ ते चेव तत्थ नवरं ११८५ ते चेव तेहिं अहिआ ३४१ तेण परं आवायं ७८९ तेण परं पुरिसेणं ७७३ तेण परंसे सुक्के ওওও तेणस्स वज्झनयणं ६२९ ते तुच्छगा वराया ८४१ तेसि णमो तेसि णमो १४९१ तेसि तओच्चिअ ७९२ तेसिं तयं पयच्छइ तेसिपि भावचरणं ९६१ तो आगमहेउगयं २४१ तो कड्ढिऊण नंदि ५८२ तो तेऽवि तहाभूआ १५८४ तो पाणवहाईआ १६५२ तो वंदणगं पच्छा १६४७ ९५१ १४६८ १७१० २६८ १४६५ १५४६ १३५४ १४७ ८५२ १५३० ३२१ १६९६ ५९५ ३२२ ৩৩ ४३२ ४३१ २०१ २२३ ११२२ १६०० ९८१ १५४४ ९२२ ७८६ ९९५ ९५८ ९४२ ८८ १४६ Page #311 -------------------------------------------------------------------------- ________________ २८६ ] [पञ्चवस्तुके गाथाद्यचरणम् थ थीवज्जिअं विआणह थुइदाणं जह पुव्वि थुइमंगलम्मि गुरुणा थूलो ण सव्वविसओ थेराणं णाणत्तं थेरेण अणुण्णाए थेवमुवक्कमणिज्जं गाथाङ्क: ११० ७९७ ४१२ ३४५ १४३१ ६५३ ४२५ दवगुडपिंडगुला दवअप्पकलुस असई दव्वगुणपज्जवेहि अ दवक्थयभावत्थयदव्वत्थयंपि काउं दव्वाइआण गहणं दव्वाई अणुकूले दव्वाई आभिग्गह दव्वासण्णं भवणादव्वे भावे अ तहा दव्वे भावे अ थओ दस एगो अ कमेणं दसकप्पव्ववहारा दस पणयाल विसुत्तर दसवासस्स विहाओ दहिअवयवो उ मंथू दंसणसुद्धिनिमित्तं दाराणुवायमो इह दावानलमज्झगओ दाहिणकरेण कने दिक्खावएहिं पत्तो गाथाङ्क: गाथाधचरणम् दिज्ज ण उ भग्गझामिअ७२० दिज्जाहि भाणपूरं तु ५५२ दित्ताऽदित्ता तिरिआ ४९० दिन्ने गुरूहि तेहिं १०७० दिव्वाईउवसग्गा १५४८ दिव्वाइ मेहुणस्स य ६२३ दिसिपवणगामसूरिअ१५८१ दितग पडिच्छगाणं दिति अ तो वंदणयं दिति तओ अणुसट्टि ३७४ दीणो जणपरिभूओ ४१५ दीवत्त सदीवा जा ९५९ दीसइ कम्मावचओ १२०९ दीसंति अ केइ इहं १३०३ दुक्खं लब्भइ नाणं ६६१ दुगसंजोगे चउरो १४१७ दुगुणो चउग्गुणो १५०९ दुप्पणिहियजोगेहिं ४२३ दुविहं उवहिपमाणं १११३ दुविहा साहूण दिसा ११११ दुविहो अ होइ साहू ४०५ दूमिअ धूमिअ वासिअ ५८३ देइ तओ मुट्ठीओ ४०४ देवयजइमाईसु ५८४ देवसिया पडिलेहा ३७८ देसे कुलं पहाणं देहम्मि असंलिहिए १४१८ देहेऽवि अपडिबद्धो ३८४ देहेणं देहम्मि अ २७७ दो चेव नमुक्कारे १३२६ | दो चेव मत्तगाई ३०२ १३४६ ३५३ १९२ १४४७ ११०८ ९७ १६८६ ४०२ ८२१ ४६२ ৩০ ६७३ ३४३ ७०९ ४८५ ९६३ ६०८ २५६ १५७ १५७७ २१५ ११०३ ५०८ १००३ Page #312 -------------------------------------------------------------------------- ________________ मूलगाथाऽकाराद्यनुक्रमः] [२८७ गाथाद्यचरणम् दो छच्च सत्त अट्ठ दो थेर खुड्डथेरे दोनि तिहत्थायामा दो पुत्तपिआ पुत्ता दोसम्मि अ सइ मिति दोसा जेण निरुज्झंति १५९६ ५५ ध धण्णाण णिवेसिज्जइ धण्णा य उभयजुत्ता धण्णोऽहं जेण मए धण्णोसि तुमं णायं धम्मकहा अक्खित्तं धम्मत्थकाममोक्खा धम्मत्थकाममोक्खा धम्मत्थमुज्जएणं धम्मत्थी दिट्ठत्थे हढोव्व धम्मपसंसाए तह धम्मं कहण्ण कुज्जं धम्ममि अ अइआरे धाइत्तणं करेइ धाई दूइ निमित्ते धिइबलणिबद्धकिच्छो धिइसंघयणाईणं धूणणा तिण्ह परेणं गाथाङ्कः । गाथाद्यचरणम् ५०७ नो अणसणाइविरहा ६३३ नो इत्तो हिअमण्णं ८३१ नो उच्चारो एत्थं ६३४ नो उणा नऽइरित्ता ८९२ नो कयपच्चक्खाणो नो तिविहं तिविहेणं नो पुरिसमित्तगम्मा नोभयमवि जमणाई १३४८ न उ तं चेव सरीरं १०८ न उ वण्णाइनिमित्तं न उ मणुअमाइएहिं ९६८ न कयाइ खुद्दसत्ता ११६ नणु गुरुकुलवासम्मी ६७ नणु नेअमिहं पढिअं न परंपरयावि तओ १११४ नमुक्कार चउव्वीसग्ग ९७६ न य एसा संजायइ ११२३ न य गीअत्थो अण्णं ३५२ न य तं सहावओ १६०८ न य सामाइअमेअं ७५६ नवकार पोरसिए ७५४ नवगनिवेसे दूराओ १४०९ नवरं सम्मं धारय ४७५ नवि कालाईहितो २५१ नंदाइ सुहो सद्दो नाणणत्तीअ पुणो नाणस्स केवलीणं ३५६ नाणाइ अ दूसिंतो १४१४ नाणाईणमभावे ७४७ नाणेण सव्वभावा ९२१ । नामाइचउभेआ गाथाङ्कः ८४७ १६०१ १४३८ २५४ ५३४ ५३५ १२८४ १२९३ १०९८ ३६८ ३८ ८६१ ७०२ ९२८ ९८३ ४५३ २०४ ११८२ १२८६ ५२६ ५०६ २७३ ९६० १०५१ १११९ ५६१ १६३६ १६५६ ९४३ ५५९ निद्धमहुराइ पुटिव निम्माओ अ ताहिं नीअदुवारंधारे निवे चरणाभावे Page #313 -------------------------------------------------------------------------- ________________ २८८ ] [पञ्चवस्तुके गाथाद्यचरणम् निअमेण भावणाओ निच्चो वेगसहावो निच्छयओ दुन्नेअं निच्छयणया जमेसा निच्छयनअस्स निद्दामत्तो न सरई निद्दाविगहापरिवज्जिएहिं ४९८ गाथाङ्क: गाथाद्यचरणम् ३६४ पडिवज्जमाणगा वा १०८५ पडिवज्जमाण भइआ १०१५ पडिवाईविअ एअं १२०७ पडिसिद्धवज्जगाणं ९१४ पडुपण्णऽणागए वा पढमदिवसम्मि कम्म १००६ पढमाउ कुसलबंधो पढमा उवस्सयम्मी पढमा सइ अणुमन्ने ६१० पढमिल्लुगसंघयणे १४१९ पढमिल्लयसंघयणा १६२४ पढमे वा बीए वा ३९१ पढमंपि जा इहेच्छा ९७२ पढमंमी एगिर्दिअ पढिए अ कहिअ ४३८ पण्णरसंगो एसो ९५४ पण्हो उ होइ ৩০৩ पत्तगठवणं तह ८२६ पत्तगधारीण पुण ७८७ पत्ताबंधपमाणं १५४२ पत्ताईण पमाणं ११२७ पत्ताबंधो पडला ११५९ पत्तो अकप्पिओ इह १४५६ पत्तं पत्ताबंधो ४३६ पत्तं पत्ताबंधो २३७ पम्हुट्ठमेरसारण पयईए सावज्जं पयरगकडछेएणं ८६९ परपक्खेडविअ दुहं ८५४ परमगुरुणो अ अणहे १५८८ | परमत्थओ न दुक्खं पइदिणकिरियाइ पक्खीपत्तुवगरणे पच्चक्खइ आहारं पच्छन्ने भोत्तवं जइणा पच्छा य सोऽणुयोगी पच्छावि तस्स घडणे पट्टग मत्तग सगउग्गहो पट्टवसु अणुण्णाए पट्ठीवंसो दो पट्टोवि होइ तासिं पडलाइँ रयत्ताणं पडिबद्धा इयरेऽवि पडिबुज्झिस्संति इहं पडिबुज्झिस्संतेऽण्णे पडिमत्ति अ मासाई पडिलेहणा उ दुविहा पडिलेहणा पमज्जण पडिलेहिउँ पमज्जण पडिलेहिऊण उवहिं पडिवक्खज्झवसाणं पडिवज्जइ अ इमं खल पडिवज्जइ अ इमं जो गाथाङ्क: १५५१ १५३६ ६२८ १५७० ३८७ १४६६ ११५६ १३९५ ४३० १६१८ १४३० १४८९ १९९ ६५५ ६१४ १६० १६४५ ७९९ ওও ७९८ ८२३ ७९० ९७७ ७७२ ७८० १०३४ ४९१ १३६ २६३ १०० ३६० ४०९ ११८६ २२७ Page #314 -------------------------------------------------------------------------- ________________ मूलगाथाऽकाराद्यनुक्रमः] [२८९ गाथाङ्क: ६०२ ९७० . ८८८ गाथाद्यचरणम् परमरहस्समिसीणं परमो अ एस हेऊ परलोगम्मि अ सइ परसावज्जच्चावणपरिअट्टिए अभिहडुपरिआओ अ दुभेओ परिकड्ढिऊण पच्छा परिकम्मं पुण इह परिगलमाणो हीरेज्ज परिचितिएऽइआरे परिणामविसुद्धीए परिणामे असुहं परिवत्तिअं च सम्म परिवालिऊण विहिणा परिसुद्धमणुट्ठाणं परिसुद्धं पुण एअं पवज्जं पढमं दारं पव्वज्जाए अरिहा पव्वज्जाएँ विहाणं पव्वज्जाएँ विहाणं पव्वज्जाजोग्गगुणेहि पव्वज्जा निक्खमणं पव्वइअगो जओ इह पव्वयणं पव्वज्जा पव्वावण मुंडावण पव्वावण मुंडावण पव्वाविओ सिअत्ति पव्वावियस्सऽवि तहा पव्वावेइ ण एसो पसिढिल पलंब लोला पसिढिलमघणं गाथाङ्क: १६४६ ७२८ ५१० ६६० ४९७ ४९३ १५५४ १०२१ ६५० १४५२ १४१३ ७४८ ८४६ ८०१ १६०५ ७४२ १४९३ ४६८ १३८६ २८४ ४५९ ३४७ १२५७ २३६ १३६८ १६०६ १९४ गाथाद्यचरणम् पसिणापसिणं सुमिणे पसुपंडगेसुवि इहं पंच चउरो अभिग्गह पंचमगम्मि अ सुहुमो पाउसिअथुईमाई पाउसिआई सव्वं पाएण चरमकाले पाणवहाईआणं पाणाइवायविरमणमाई पाणगगहणं एवं पाणिपडिग्गहपत्तो पामिच्चं जं साहूण पायच्छित्तं विणओ पायपमज्जण हेऊ पायपमज्ज निसीहि पायं उस्सग्गेणं पायं च तेण विहिणा पायाहिणं निवेअण पारद्धावोच्छित्ती इण्हि पालेइ साहुकिरियं पासवणंपि अ एत्थं पासंगिअभोगेणं पासंडकारणा खलु पाहुडिआ जीएँ बली पिअपुत्तमाइआणं पिच्छामु ताव एए पिच्छिस्सं एत्थं इह पितिपुत्त खुड्डथेरे पिंडो पडोव्व ण घडो पीडागरत्ति अह सा पीडागरीवि एवं ३२ २२८ १० २२९ १४०७ ९१० ६७१ १३७५ ९६ १४३९ ५४३ ७१६ १४४५ ६२१ १३८० ११२६ ६२२ १०८८ १२२९ १२५० १४८४ १५२८ ५७५ ५७३ १५११ २४९ २५० Page #315 -------------------------------------------------------------------------- ________________ २९०] [पञ्चवस्तुके गाथाङ्क: १८१ गाथाङ्क: ८३४ ११५ १५२५ ८०७ १२७ ३३६ ४१० २६१ ५४० ३०५ गाथाद्यचरणम् पीढग निस्सिज्ज दंडग पुच्छगहणा परिच्छा पुण्णे जिणकप्पं वा पुष्फफलोदगरयरेणुपुरओ उ ठंति गुरवो पुरकम्म पच्छकम्मे पुरिसावायं तिविहं पुरिसुवहिविवच्चासो पुरिसं तस्सुवयारं पुरिसे पडुच्च एए पुढवाइसु आरंभो पुव्वपडिवनगाण उ पुव्वपडिवनगाणवि पुव्वाभिमुहो उत्तरमुहो पुव्वाहीअं तु तयं पुवि असंतगंपि पुवि पच्छा संथव पुवुदिढे ठाणे पुबुदिट्ठा अ विही पुव्वोवट्ठपुराणे पेहिति तवो पोत्ति गाथाद्यचरणम् बहुदुक्खसंविढत्तो बहुपीडाए अ कहं बंभवयस्स अगुत्ती बायालीसेसणबारसवासस्स तहा बारसविहम्मिवि तवे बारसविहोऽवि एसो बिअतिअचउक्कबिइअम्मि मुसावाए बुद्धिजुआ गुणदोसे बेइंदियादओ पुण ७२२ ३५४ ५८५ ५६२ ७७४ ७७५ ६५६ ९७५ ६४९ १५०८ १५५२ १३१ १४९६ ७५५ ३१९ ४३५ ६१७ ९५३ भ भगवंते तप्पच्चयकारी भणइ अ कुण वक्खाणं भणइ सलद्धीअंपि भणिअं च परममुणिहिं भणिऊण इमं पढम भण्णइ एगंतेणं भण्णइ खुड्डगभावो भण्णइ पत्तो सो ण भण्णइ सच्चं एअं भत्तपरिण्णाएवि हु भत्तंवि हु भोत्तव्वं भत्तिबहुमाणसद्धा भमुहणयणाइएहिं भयवं दसन्नभद्दो भरहेणविं पुव्वभवे भवओऽवि अ सव्वव्णू भवजलहिपोअभूअं भव्वत्ते सइ एवं ९९६ ९६५ १३६० २०० १३७० १०४७ ५७ १०४२ १५८५ १६२६ ७३८ फासियं पालिअंचेव ५४७ १५ बज्झचरणाउ नेअं बज्झाणुट्ठाणेणं बत्तीस कवलमाणं बत्तीसंगुलदीहं बहिरस्स य अंधस्स ६०० १०२२ ७६८ ८१४ ६४० १६३२ ९०४ ५४१ १२९२ १५५ १०५७ Page #316 -------------------------------------------------------------------------- ________________ मूलगाथाऽकाराद्यनुक्रमः] [२९१ गाथाङ्क: ८९६ ७०४ ११९४ १००१ ३८० ९३ गाथाद्यचरणम् भाणस्स पास बिट्ठो भायण पमज्जिऊणं भावत्थओ अ एसो भावमवि संलिहेई भाविअजिणवयणाणं भावुग अभावुगाणि भावे अइप्पसंगो भावेइ भाविअप्पा भावेमाणस्स इमं भासइ दुअं दुअं भावं विणावि एवं भिक्खाअरिया णियमा भिक्खायरिआ पाणयभिक्खं अडंति आरंभभुंजित्तु भरहवासं भूअत्थसद्दहाणं भूईअ मट्टिआए भूतेसु जंगमत्तं भूमीखयसाभाविअभोअणकाले अमुगं भोगाइफलविसेसो भोमाई णव जीवा गाथाङ्क: २६९ २७६ ११६० १५९३ ५३९ ७३४ ११४५ १५९४ ८८९ १६३३ ११७७ १४५१ १४२८ २१८ ५४२ १०३० १६४४ १५६ ६४६ ५५० ११४८ ११६५ गाथाद्यचरणम् मोत्तूणमासकप्पं मोत्तूण मिहुवयारं मग्गणुसारि पयाहिणमज्जण निसिज्ज अक्खा मज्जमहुणो ण खोला मज्जंति अ ते पायं मज्झत्थाऽसग्गाहं मज्झत्था बुद्धिजुआ मज्झिमतित्थयराणं मत्तगगयं अजोगं मरणजयज्झवसिअसुहडमरणपडिआरभूआ मरुदेवीसामिणीए मल्लाइएहिं पूआ मंसंकुरो इव समाणमंसनिवत्ति काउं माणं तु रयत्ताणे मालोहडं तु भणि मासं निवसइ खित्ते मिच्छत्तं लोअस्सा मिच्छद्दिट् ठीआवि हु मुच्छारहिआणेसो मुत्तीए वभिचारो मुत्तूण अभयकरणं मुहणंतएण गोच्छमुहणंतग पडिलेहणमुहपोत्ती केसरिआ मुंडावणावि एवं मुंडाविओ सिअत्ति मूइंगलिआईणं मूलुत्तरगुणसुद्धं ९७४ ९७३ १४९० ७६४ ५२० १५८९ ९२४ १२१२ ६४५ ८०८ ७५० १४५८ ५९२ १६८८ ८३९ १९७ २२२ २७० मेत्तादी सत्ताइसु मेहाइच्छण्णेसु मेहुनस्सऽइआरो मोएइ अप्पमत्तो मोक्खोऽवि अबद्धस्सा मोक्खोऽवि तप्फलं मोत्तूणुक्कडदोसं १६७३ १४०१ ६५९ १३५२ ११०५ ७० ६०७ । ४५१ ७९१ १५१३ ५७६ १३५ ७०६ Page #317 -------------------------------------------------------------------------- ________________ २९२ ] गाथाद्यचरणम् मूसगरयउक्रे मूसगरयउक्केरे वासे रयमाइरक्खणट्ठा रयताण भाणधरणं रयहरणं मुहपोत्ती रागद्दोस विरहिआ रागेण व दोसेण व रागेण सईंगालं रायाणुण्णा ण्हवणग राया रायाणो वा लक्खिज्जइ कज्जेणं लगादिसुत्तरं लद्धूण सीलमेअं ल लहुगुरुगुरुतरगम्मि लंदं तु होइ कालो लिंगम्मि होइ भयणा लिंगे अ जहाजोग्गं लेवडमलेवडं वा लेवालेवंति इदं लेसा य सुप्पसत्था सासु विसुद्धा लोए अ साहुवाओ लोगम्मि अ उवघाओ लोगस्सुज्जरं लोगुत्तमाण पच्छा गाथाङ्कः २७२ ८०९ ८०० २८३ ७७६ ३५५ ६२० ३६२ २२४ ६३५ १७० १५४३ १६२ ५६९ १५३८ १५०१ १०४० २९८ १४५३ २०२ १५०३ ११२४ १३२३ १४२ १५३ गाथाद्यचरणम् वणी गुणगणं वक्खाणसमत्ती वक्खाणेअव्वं पुण वक्त्त पहु वज्जइ अ संकिलिट् ठं वज्जिज्ज य संसग्गं वण्णायपोरसे अं व वत्थे अप्पाणमि अ वत्थे काउड् ढंमि अ वयणाओ जा पवित्ती वयभंगे गुरुदोसो वयरक्खणं वरं वरबोहिलाभओ सो ववहारणया चरणं ववहारपवत्तीइवि ववहारोऽवि हु बलवं वसही पमज्जियव्वा वंदंति अज्जियाओ वंदंति तओ साहू वंदित्तु तओ तुब्भं वंदित्तु तओ पच्छा वंदित्तु णमोक्कारं वंदित्तु पवेयअह दत्तु पुणो हो वंदिय पुट्ठआणं वंसगकडणोक्कंपण वासत्ताणे पणगं वासं कोडीसहियं वासासु णत्थि अगणी वाहिस्स य खयहेऊ [ पञ्चवस्तुके गाथाङ्क: १३३२ १००९ १०१८ ३२७ १६२७ ७३० १२८२ २४० २३४ ७१९ ५१२ ८४३ १२६७ १६६४ १७३ १०१६ २६४ १५४ ९६७ १३४२ ४५८ १३४३ १४६ १४० १२९ ७०८ ८३५ १५७६ २८५ २११ Page #318 -------------------------------------------------------------------------- ________________ मूलगाथाऽकाराद्यनुक्रमः] [२९३ गाथाङ्क: ४७७ ३८३ ३७० ४०० गाथाङ्क: ३६५ १२७८ ७९६ ८७७ ४३ गाथाद्यचरणम् वेअण वेआवच्चे वेअवयणं तु नेवं वेआवच्चकरो वा वेउव्वऽवावडे वेएइ जुवाणकयं वेओ पवत्तिकाले वेकच्छिआ उ पट्टो वेयवयणम्मि सव्वं वेयावच्चं परमं वेसवयणेहि हासं वेसालिवासठाणं वोसिरिअ काइयं ३४२ ४६० ८२२ १०९१ १४९७ ८३० १२९४ ६९१ १६३४ ३४९ ३१६ ६५ ५४ गाथाद्यचरणम् विअडण पच्चक्खाणे विगई परिणइधम्मो विगई विगईभीओ विच्छिण्णे दूरमोगाढे विजणम्मि मसाणाइसु विट्ठाण सूअरो जह विणएण पट्ठवित्ता विणएण विणयमूलं विण्णायविसयसंगा विण्णायविसयसंगा वितहकरणंमि तुरिअं वित्तंमि सामिगाईसु विम्हवणहोमसिरवियडण अब्भुट्ठाणं वियणऽभिधारण वाए विविहणिवेअणविसघाइरसायणविसम पलोट्टण विसया अ दुक्खहेऊ विसया य दुक्खरूवा विस्सोअसियारहिओ विहरंताणं पायं विहिआणुट्ठाणपरो विहिआणुट्ठाणमिणंति विहिणा उ थेवथेवं विहिणाणुवत्तिया विहिदाणम्मि जिणाणं विहिपाहण्णेणेवं विटिअबंधनधरणे वीहीए एक्काए वूढो गणहरसद्दो २४६ ६८६ १६४३ १६७१ ६६५ ११४२ ११९२ ४२० ३४ ८७९ ९०८ १०७२ ८६७ ८४९ १६७ २६५ १२४८ १५७९ १४०८ १०९० १२२२ ७४९ ७११ सइ अप्पमत्तयाए सई एअम्मि अ एवं सइ तम्मि विवेगीवि सइ तंमि इमं विहलं सइ पम्हलेण मिउणा सइ सव्वत्थाभावे सइ सुहभावस्स सइ सुहभावेण सकडुवभोगोऽवेवं सक्खा उ कसिणसंजमसग्गामपरग्गामा सच्चमिणं अच्छेरगभूअं सच्चमिणं तंमज्झे सच्चमिणं निच्छयओ सच्चं खु जिणाएसो सच्चित्तं जमचित्तं सज्झायं सेवंतो ११८७ ११४३ १५७८ २७ ५९६ २४४ २८२ १४७९ १३१९ ९२५ ७०३ ६२५ १६८ ७४३ ५५८ Page #319 -------------------------------------------------------------------------- ________________ २९४ ] [पञ्चवस्तुके गाथाङ्क: १४६३ ४७१ ४७० १४१० १०५० १००५ १६३८ ७६२ १३१६ १६२१ ला ८३३ १३३ गाथाद्यचरणम् सज्झायाईसंतो सट्ठाणे पडिवत्ती सण्णाए आगओ सत्तहिअरओ अ सत्तावीस जहण्णा सत्तीए संघपूआ सत्तेकट्ठाणस्स उ सत्थुत्तगुणी साहू सत्थे विहिआ निरवज्ज समभावम्मि ठिअप्पा समभावेच्चिअ समयं तु अणेगेसुं सम्मत्तंमि उ लद्धे सम्मं अन्नायगुणे सम्मं अहीयसुत्तो सम्म कयपडिआरं सम्मं च मोक्खबीअं सम्मं जहुत्तकरणे सम्मं धम्मविसेसो सम्मं भावेअव्वाई सम्मं विआरिअव्वं सयमेवऽणुपालणि सयमेव आउकालं सव्वजिआणं चिअ सव्वण्णुसव्वदरिसिसव्वण्णूहि पणियं सव्वत्थ णिरभिसंगत्तणेण सव्वत्थ निरभिसंगो सव्वत्थ निरवयक्खो सव्वत्थापडिबद्धो सव्वत्थापडिबद्धो गाथाङ्क: ९०२ १५३२ ४३४ १२ १५३५ ११३४ ५०९ ११९१ ३०७ १६१६ ५१८ ६३६ ९१९ १०६४ ११ ८७१ १०२८ ५९७ १०२० ८७६ ८६५ ५३६ १३७७ १०३८ १७०० ९४८ ११५१ ११८८ १५१८ १६१७ गाथाद्यचरणम् सव्वपयत्तेण अहं सव्वस्स जीवरासिस्स सव्वस्स समणसंघस्स सव्वासु भावणासुं सव्वेऽवि अ कालाई सव्वेऽवि उ उस्सग्गं सव्वेऽवि ण पडिबोहे संकिअ मक्खिअ संगहुवग्गहनिरओ संघयणाभावाओ संघाइमे परो वा संजमजोगा एत्थं संजलणाणं उदओ संजोअणा पमाणे संझागयं रविगयं संठवणा सक्कासे संडंसं पडिलेहिअ संतस्स सरूवेणं संतं बज्झगणिच्चं संतासंते जीवे संतेऽवि अ एअम्मी संतेसुवि भोगेसुं संदिट्ठो संदिट्ठस्स संदिसह किं भणामो संदिसह भणंति संपाडिएऽवि अ तहा संपातिमरयरेणुसंपाविऊण परमे संभावणिज्जदोसा संभुजिओ सिअत्ति संलिहिऊणऽप्पाणं ६२७ ७६७ ११३ १४४३ ४५५ १०८३ १३०८ १०८२ ५२२ १९३ ९८८ १३४१ २८८ १६६ ८१७ १३४९ ६२ ५७९ १६१३ १६९१ Page #320 -------------------------------------------------------------------------- ________________ मूलगाथाऽकाराद्यनुक्रमः] [२९५ गाथाङ्क: १३६६ १५७३ ३९२ ५३८ १६८१ ४०८ ४५२ ७३७ ४२७ ६११ ४१ गाथाङ्क: १०१९ १५९ १३४४ ६०१ ९४० १३३९ ७०१ १६२० १०६७ ४८६ १७०८ १४२६ ९५ १२६६ ४८३ ४९४ गाथाद्यचरणम् संलेहणा इहं खलु संलेहणापुरस्सरसंवरणं तयणंतरसंविग्गअण्णसंभोइआण संविग्गपक्खिओ संविग्गमसंविग्गा संवेगसमावण्णा संसग्गीए दोसा संसत्तग्गहणी संसारक्खयहेऊ संसारविरत्ताण य संसारहेउभूओ सा इह परिणयजलसामइअपुव्वगं तं सामइयं कड्ढित्ता सामाइअमिह कड्ढइ सामाइअस्स बहुहा सारक्खणत्ति तत्थेव सारणमाइविउत्तं सासयवुड्ढीवि इहं साहम्मिअन्नसाहम्मिआण साहिज्जा दुरणुचरं साहूण जओ कप्पो साहोभासियखीराइसिअ णो ते उवगारं सिअ णो सुहासयाओ सिअ तत्थ सुहो भावो सिअ तं न सम्मवयणं सिअ तेण कयं कम्म सिअ पूआउवगारो सिक्खाविओ सिअत्ति गाथाद्यचरणम् सिस्से वा णाऊणं सीले खाइअभावो सीसम्मि पक्खिवंतो सीसस्स हवइ एत्थं सीसाण कुणइ कह सीसोऽवि भाविअप्पा सीसो सज्झिलओ सीहाईअभिभूओ सुअधम्मस्स परिक्खा सुअनाणस्सुस्सग्गं सुअबज्झायरणरया सुअसंघयणुस्सग्गे सुकयण्णुआ विणीआ सुकयं आणत्तिपिव सुक्काए लेसाए सुचिरंपि अच्छमाणो सुचिरंपि अच्छमाणो सुत्तत्थे णिम्माओ सुत्तभणिएण विहिणा सुत्तस्स होंति जोग्गा सुत्तं पुण ववहारे सुत्तेण चोइओ जो सुदाण सहस्सेणवि सुद्धसयलाइआरा सुद्धस्सऽवि गहिअस्सा सुन्नहर देउले वा सुव्वइ अ एअवइअरसुव्वइ अ वयररिसिणा सुरजालमाइएहिं सुस्सामिगाइओ सुहगंधधूवपाणिअ १४३ ५०१ १४४२ ७०० ११२५ ६५८ ११८ २९६ ४८९ १६९४ ७३३ ७३२ १३१५ ३०८ ५७१ १०६ १७०९ ७४६ ८५१ १२३१ १२३४ ८५ १२७१ ५७७ ४८८ ११२० ३१० १६५ १२२७ १६३५ ६८३ ११४१ Page #321 -------------------------------------------------------------------------- ________________ २९६ ] [पञ्चवस्तुके गाथाङ्क: ८४४ ३२३ १६७४ १८३ ५४४ १४५० ६५१ १०६८ ८१९ १३४५ ४४६ ३७६ १२६ ६१६ ११६८ ९७९ १२२५ गाथाद्यचरणम् सो तावसासमाओ सो थेवओ वराओ सो पुव्वावरकाले सोभणदिणंमि सो य ण थेरविहारं सोलस उग्गमदोसा सोलसवासाईसु अ सो हु तवो कायव्वो गाथाद्यचरणम् सुहजोगवुड्ढिजणयं सुहजोगो अ अयं सुहझाणाओ धम्मो सुहझाणाओ धम्मो सुहतरुछायाइजुओ सुहुममवि हु अचिअत्तं सुहुमाई जीवाणं सुहुमो असेसविसओ सूवोदणस्स भरियो सेसं जह सामइए सेसा उ जहासत्ति सेसा ण हुति विगई सेहमिह वामपासे सेहस्स तिन्नि भूमी सोइंदिएण एअं सो उस्सग्गाईणं सो खलु पुष्फाईओ सोगं अक्कंदण विलवणं सो च्चिअ पडिबद्धो सो चेव भावणाओ सो तप्पभावओ गाथाङ्क: १११५ ९३८ १३७२ १२३ १५६८ ७३९ ५८७ २१४ हत्थाययं समंता हत्थुस्सेहो सीसप्पणामणं हरइ रयं जीयाणं हरिवंसकुलुप्पत्ति हवइ समत्ते कप्पे हिंडंति तओ पच्छा हुति बिले दो दोसा होइ बलेऽवि अ जी होंति उ विवज्जयम्मि होति गुणा निअमेणं होतेऽवि तम्मि विहलं ४२२ ३१३ १३२ ९२७ १३३१ २९७ ४२४ १५८ ९९७ १७६ १७४ ८० १६७८ १६०९ Page #322 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 રિહંતરિાટસ્ટનાપ્રાણિoો પ્રાથnlણ તક સંપૂર્ણ ટીકાળા diાવાQgવાદવાળપુસ્તકો પંચસૂત્ર ધર્મબિંદુ ચોગબિંદુ આત્મપ્રબોધ પાંડવ ચરિત્ર શ્રાદ્ધદિન કૃત્ય વીતરાગ સ્ત્રોત શીલોપદેશમાલા. યોગદૃષ્ટિ સમુચ્ચય પંચાશક ભાગ 1-2 પંચવસ્તુક ભાગ 1-2 ભવભાવના ભાગ 1-2 શ્રાવક ધર્મ વિધિ પ્રકરણ ગુરાતત્ત્વ વિનિશ્ચય ભાગ 1-2 ઉપદેશમાલા (પુષ્પમાલા) ભાગ 1-2 ગુજરાતી વિવેચન પ્રભુભક્તિ શ્રાવકના બારવ્રતા જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ મમતા મારે સમતા તારે પ્રભુ ભક્તિ મુક્તિની દૂતી આહારશુદ્ધિથી આત્મશુદ્ધિ ચિત્તપ્રસન્નતાની જડીબુટ્ટીઓ સ્વાધીન રક્ષા-પરાધીન ઉપેક્ષા નવકારનો જાપ મિટાવે સંતાપ | તપ કરીએ ભવજલ તરીએ. (બાર તપ ઉપર વિસ્તારથી વિવેચન) શ્રી શંત્રુજ્ય તીર્થ સોહામણું આધ્યાત્મિક પ્રગતિના પાંચ પગથિયા ભાવના ભવ નાશિની (બાર ભાવના) પ્રેમગુણ ગંગામાં સ્નાન કરીએ (પૂ. પ્રેમસૂરીશ્વરજી મ.સા.ની જીવન ઝરમર) સાધના સંગ્રહ (વિવિધ વિષયોનો સંગ્રહ) એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવા જીવન જીતવાની જડીબુટ્ટીઓ (ચાર ભાવના) અgવાદવાળા પુસ્તકો હીરપ્રસ્ત પરિશિષ્ટ પર્વ ચતિલક્ષણ સમુચ્ચય ચૈત્યવંદન મહાભાષ્ય આલયાસી વર્ગ માટેના પાકો ધાતુરૂપાવલી. શબ્દરૂપાવલી સિદ્ધહેમશબ્દાનુશાસન (મધ્યમવૃત્તિ ભાગ 1-2-3) તત્ત્વાર્થાધિગમસૂત્ર (પોકેટ બુક) વીતરાગ સ્તોત્ર (અન્વય સહિત શબ્દાર્થ-ટીકાથી વીતરાગ સ્તોત્ર (અન્વયાર્થ-ભાવાર્થ) જ્ઞાનસાર (અન્વયાર્થ-ભાવાર્થ) તત્ત્વાર્થાધિગમ સૂત્ર (મહેસાણા પાઠશાળા દ્વારા પ્રકાશિત) આ 10 કિ પ્રવિOળામ આત્મપ્રબોધ શ્રાદ્ધદિન કૃત્ય સિરિસિરિવાલકહા अष्टादशसहस्रशीलाङ्गग्रन्थः (प्राकृतः) અરિહંત આરાધકદ્રર૮ના આગામી પ્રકાશનો ઉપદેશપદ સટીક ભાવાનુવાદ, શ્રાદ્ધવિધિ પ્રકરણ સટીક ભાવાનુવાદ (9e 9e @ 9e @ Tejas Printers AHMEDABAD PH, (079) 6501045 www.jainelibrary