SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते धूमादि व्याचिख्यासयाऽऽह रागेण सइंगालं, दोसेण सधूमगं मुणेअव्वं । रागद्दोसविरहिआ, भुंजंति जई उ परमत्थो ॥ ३६२ ॥ વૃત્તિઃ- “જોન' મુન્નાનસ્ય “સાકાર, વારલ્પનર્સ ધત્વ, “તે સધૂ ત્તવ્ય', चारित्रेन्धनस्यैव दाहं प्रत्यारब्धत्वाद्, 'रागद्वेषविरहिता भुञ्जन्ते यतय इति परमार्थो' वाक्यભાવાર્થ રૂતિ યથાર્થ: II રૂદ્ર || ધૂમ વગેરે દોષોનું વ્યાખ્યાન કરે છે– રાગથી ખાનારને ઈંગાલદોષ લાગે છે. કારણ કે ચારિત્રરૂપ કાષ્ઠને રાગરૂપ ઈંગાલથી = અંગારાથી બાળી નાખે છે. ષથી ખાનારને ધૂમ દોષ લાગે છે. કારણ કે ચારિત્રરૂપ કાષ્ઠને બાળવાનું શરૂ કરી દીધું છે. (તમાંથી નીકળતા ધૂમાડાથી ચારિત્રરૂપ ચિત્રશાલા કાળી થાય છે. લાકડું બળવા લાગે ત્યારે પહેલાં તેમાંથી ધૂમાડો નીકળે, માટે અહીં બાળવાનું શરૂ કરી દીધું છે એમ જણાવ્યું છે.) આનો પરમાર્થ એ છે કે સાધુઓ રાગ-દ્વેષ વિના ભોજન કરે. [૩૬ ૨] . किमित्येतदेवमित्याह जइभागगया मत्ता, रागाईणं तहा चओ कम्मे । रागाइविहुरयाऽवि हु, पायं वत्थूण विहुरत्ता ॥ ३६३ ॥ વૃત્તિ - “યવિદ્ધા'તા માત્રા' ઉપેક્ષ્ય “રાવીનાં તથા : શનિ ', तत्त्वतस्तन्निबन्धनत्वात् तस्याः, अतस्तद्वैधुर्ये यतितव्यमिति वाक्यार्थः, 'रागादिविधुरतापि प्रायो', न तु नियमेनैव, कथमित्याह-वस्तूनाम्' ओदनादीनां 'विधुरत्वाद्', इत्येतेषु सुन्दरेष्वेवातितरां પત્ન: +ાર્થ રૂતિ ગાથાર્થ: II રૂદ્ર / રાગ-દ્વેષ વિના ભોજન કરવાનું કારણ જણાવે છે રાગ-દ્વેષની માત્રા જેટલી વધારે તેટલોજ કર્મબંધ વધારે થાય. કારણ કે પરમાર્થથી રાગદ્વેષની માત્રા કર્મબંધનું કારણ છે. આથી સાધુઓએ રાગ-દ્વેષ ઓછો થાય તે માટે પ્રયત્ન કરવો જોઈએ. રાગ-દ્વેષની હાનિ પણ પ્રાયઃ ભાત વગેરે વસ્તુની હાનિથી થાય છે, અર્થાત્ વસ્તુ જેમ જેમ સારી તેમ તેમ રાગ વધારે થાય, વસ્તુ જેમ જેમ હલકી તેમ તેમ રાગ ઓછો થાય. માટે સુંદર દ્રવ્યો મળે ત્યારે જ ખાસ કાળજી રાખવી જોઈએ = રાગ ન થાય તેવો અતિશય પ્રયત્ન કરવો જોઈએ. [૩૬૩] . ૧. સાધુએ રાગ ન થાય એ માટે સ્વાદિષ્ટ આહાર અને સુંદર વસ્ત્રો ન લેવાં જોઈએ. કોઈ કારણથી સ્વાદિષ્ટ આહાર કે સુંદર વસ્ત્રો લેવા પડે તો પણ શુભ ભાવનાઓનું ચિંતન કરીને તેમાં રાગ ન થવા દેવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy