SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [૨૨૧ 4 તથા ‘યાવથિ ચ' તત્, ‘તત: તંત્ર' સામયિકે ‘નાારા:પ્રજ્ઞતા વીતરાગૈ', તથાવિવરૂપ-ત્યાવિતિ ગાથાર્થ: || ૬૮ હવે ઉત્તર આપે છે સામાયિક શત્રુ-મિત્ર વગેરે બધી વસ્તુઓ વિષે સમભાવ આવે ત્યારે જ હોય છે અને જીવનપર્યંત હોય છે. આ બે કારણોથી તેમાં વીતરાગભગવંતોએ આગારો નથી કહ્યા. ભાવાર્થ- સર્વ સાવધયોગના ત્યાગરૂપ સામાયિકમાં બધા પદાર્થો ઉપર જીવનપર્યંત સમભાવ હોવાથી દરેક પ્રવૃત્તિ સમભાવપૂર્વક થાય છે. આથી કોઈ વખત માંદગી આદિ સંયોગોમાં અપવાદનું સેવન કરવું પડે તો સમભાવપૂર્વક થાય છે. એટલે સામાયિકભંગનો પ્રસંગ જ ન આવતો હોવાથી આગારોની જરૂર જ નથી. જ્યાં ભંગનો પ્રસંગ હોય ત્યાં જ આગાો જોઈએ. બીજી વાત-સર્વ સાવઘયોગના ત્યાગરૂપ સામાયિક બધા પદાર્થો ઉપર જીવનપર્યંત સમભાવના પરિણામ જાગે ત્યારે જ હોઈ શકે. હવે જો સર્વસાવદ્યયોગના પ્રત્યાખ્યાન વખતે વૈરિપ્રતિકાર આદિ પ્રસંગ સિવાય સાવઘયોગોનો ત્યાગ કરું છું, તથા છ માસ સુધી સાવઘયોગોનો ત્યાગ કરું છું... એમ આગારો રાખે તો વૈરી આદિ ઉપર તેને સમભાવ નથી, તથા છ મહિના પછી પણ સમભાવ નથી. આથી સાવઘયોગની વિરતિ કરતી વખતે આગારો રાખવામાં બધા પ્રત્યે અને જીવનપર્યંત સમભાવના પરિણામ થયા નથી એ સિદ્ધ થાય છે. બધા પ્રત્યે અને જીવનપર્યંત સમભાવના પરિણામ વિના સામાયિક હોઈ શકે નહિ. આથી સામાયિકમાં આગારો રાખી શકાય નહિ અને રાખવાની જરૂર પણ નથી. [૫૧૮] एतदेव प्रकटयन्नाह तं खलु निरभिस्संगं, समयाए सव्वभावविसयं तु । कालावहिम्मिवि परं, भंगभया णावहित्तेण ॥ ५१९ ॥ વૃત્તિ:- ‘તત્' સામાયિ‘નિમિષ્ણાં', નિશુંસમેવ, ‘સમતયા' હેતુભૂતયા, 'सर्वभावविषयं तु' सर्वपदार्थविषयमेव निरभिष्वङ्गं, 'कालावधावपि' यावज्जीवनमित्येवंभूते ‘પરં’ નીવનાદ્‘ મડ઼મયાત્, નાવધિત્વન' વર્તતે, અતસ્તત્રાપિ નિમિષ્વમેવેતિ થાર્થઃ ।। બo l! આ જ વિષયને સ્પષ્ટ કરે છે— આ સામાયિક આશંસાથી=અપેક્ષાથી રહિત છે. કારણ કે સમતાથી સર્વભાવોના વિષયવાળું છે. અર્થાત્ સામાયિકમાં બધા પદાર્થો ઉપર સમભાવ છે. જ્યાં સમભાવ હોય ત્યાં આશંસા=અપેક્ષા ન હોય. પ્રશ્ન- સર્વસાવદ્યયોગોનો ત્યાગ સર્વકાળ સુધી થતો નથી. કારણ કે તેમાં નાવઝ્નીવા=જીવનપર્યંત એમ કાળની મર્યાદા છે. આથી તેમાં વર્તમાન જીવન પૂર્ણ થયા પછી હું પાપ કરીશ એવી આશંસા=અપેક્ષા રહેલી છે. જો જીવન પૂર્ણ થયા પછી પણ પાપ કરવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy