SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ ]. [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते સંજ્ઞાના કાલ અને અકાલ એમ બે પ્રકારો છે. સૂત્ર પરિસિ અને અર્થપોરિસિ કરીને કાલની પડિલેહણા થઈ ગયા પછીના સમયે થતી સંજ્ઞા કાલસંજ્ઞા છે. અથવા ભોજન પછી થતી સંજ્ઞા કાલસંજ્ઞા છે. બાકીના સમયમાં થતી સંજ્ઞા અકાલસંજ્ઞા છે. પ્રશ્ન- જો પહેલી પરિસિમાં સંજ્ઞા થાય તો શો વિધિ છે? ઉત્તર- પહેલી પરિસિમાં સંજ્ઞા થાય તો પાત્રને ઝોળીમાં રાખીને પાણી લાવે. જો પાત્રને ઝોળીમાં રાખ્યા વિના પાણી લાવે તો સામાચારીનો ભંગ થાય. પાત્રને ઝોળીમાં રાખ્યા વિના પાણી લેવા જતાં લોકો એમ સમજે કે સાધુ સ્પંડિત જવા માટે પાણી લે છે, એથી ચતુર્થરસિક=છાશની આશ વગેરેનું પાણી ન આપે. પાત્રને ઝોળીમાં રાખીને વહોરવા જવાથી બીજો લાભ એ થાય કેએક ગામથી બીજા ગામે જતો કોઈ શ્રાવક પૂર્ણશ્રદ્ધાથી સાધુને જુએ, ત્યારે “આ મહાત્માને વહોરાવવાથી મને અવશ્ય લાભ થશે” એમ વિચારીને સાધુને વહોરાવે. તથા પાત્રને ઝોળીમાં રાખવાથી કોઈને અંડિલ જવા માટે પાણી વહોરે છે એવી શંકા પણ ન પડે. બીજાઓ સમજે કે (પીવાના) પાણી માટે ફરે છે. પ્રશ્ન- સાધુ કેવું પાણી લે? ઉત્તર-ગંધરહિત સ્વચ્છ છાશની આશ વગેરેનું પાણી લે. તેવું પામી ન મળે તો ત્રણ ઉકાળાથી ઉકાળેલું પાણી લે. ચંડિલભૂમિમાં જવાની દિશામાંથી પાણી ન લેવું. જો સ્પંડિલભૂમિમાં જવાની દિશામાંથી પાણી લે તો સામાચારીનો ભંગ થાય, તથા આ સાધુઓ આવા (મલિન) પાણીથી શુદ્ધિ કરે છે એવી અપભ્રાજના થાય. માટે સ્પંડિલભૂમિમાં જવાની દિશાથી અન્ય દિશામાંથી પાણી લાવવું. (જેથી લોકોને “સાધુ આવું પાણી વહોરીને સ્પંડિલ ભૂમિએ ગયા” એવી ખબર ન પડે.) તથા અન્ય સાધુઓને પૂછીને પાણી લેવા જવું. જો સાધુઓને પૂછ્યા વિના પાણી લેવા જાય તો સામાચારીનો ભંગ થાય. કારણ કે પૂછડ્યા વિના પોતા માટે થોડું પાણી લઈ આવ્યા. પછી બીજો સાધુ કહે કે હું પણ સ્પંડિલ ભૂમિએ આવું છું. એકને પૂરું થાય તેટલું પાણી લઈને બે સાધુ અંડિલ ભૂમિએ જાય તો ઓછા પાણીથી શુદ્ધિ કરવાથી જોનારા લોકો “આ સાધુ ગંદા છે” વગેરે રીતે શાસનની નિંદા કરે, એથી શાસનની અપભ્રાજના થાય. હવે જો બીજું પાણી લેવા ન જાય અને (ઝાડો રોકે, પણ પછી) તીવ્ર હાજત થાય તો (૪૨૩મી ગાથામાં જણાવેલા) અનેક દોષો થાય. આથી પૂછીને પાણી લેવા જવું. સાધુઓને વિનંતિ કરવી કે હે આર્ય! આપનામાંથી કોને ઈંડિલ જવા માટે પાણીની જરૂર છે? પછી જેટલા સાધુઓ કહે તે પ્રમાણે પાણી લાવે. જો બે સ્પંડિલભૂમિએ જાય તો ત્રણ જેટલું પાણી લાવે. હવે જો ઘણા સ્પંડિલભૂમિએ જાય તો ઘણું પાણી લાવે. પાણી લઈને આવેલ સાધુ ઉપાશ્રયની બહાર બે પગ પૂંજીને, દંડ રાખીને ઈરિયાવહી કરીને પાણીની આલોચના કરીને, ૧. ચોથા રસવાળું = ખાટું. ૨. ચંડિલ જતાં પાત્રને ઝોળી વિના પ્રગટ લઈ જવાનો વિધિ છે અને વહોરવા જતાં પાત્રને ઝોળીમાં રાખીને વહોરવા જવાનો વિધિ છે. ૩. કાવેર માતા = બાવાસા, બાવાસા એટલે તીવ્ર હાજત. (જુઓ ૪૨૩મી ગાથા) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy