SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] अतो वस्तुकारणत्वात् तेषामपि वस्तुत्वमेव । विशिष्टस्वर्गगमनादीनि तु प्रव्रज्याविधानादिकार्याणि, अतो वस्तुकार्यत्वादमीषामपि वस्तुता, परिस्थूरव्यवहारनयदर्शनतः । तत्त्वतस्त्वधिकृतानामेव વસ્તુત્વમ્ । રૂતિ ગાથાર્થ: || ૩ || હવે ઉક્ત પાંચ વિષયો ‘વસ્તુ' કેમ છે તે જણાવે છે— પ્રશ્ન- જેમ ‘ઘટ' વગેરે વસ્તુ છે તેવી રીતે દીક્ષાવિધિ વગેરે વસ્તુ નથી, વસ્તુમાં રહેનાર ધર્મો (= ગુણો) છે. તો પછી અહીં આ પાંચનો વસ્તુ તરીકે ઉલ્લેખ કેમ કર્યો ? ઉત્તર- દીક્ષાવિધિ વગેરે ધર્મો (= ગુણો) શિષ્ય, આચાર્ય વગેરે જીવ દ્રવ્યમાં (જીવ રૂપ વસ્તુમાં) રહેલા હોવાથી પરમાર્થથી વસ્તુરૂપ છે. (કારણ કે વસ્તુ અને પર્યાયો કથંચિત્ અભિન્ન છે = એકરૂપ છે.) તથા આ પાંચમાં જ વસ્તુશબ્દનો ભાવાર્થ ઘટે છે. તે આ પ્રમાણે- જેમાં જ્ઞાનદર્શન-ચારિત્રરૂપ ગુણો રહે તે વસ્તુ. જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણ મુખ્ય ગુણો છે. દીક્ષાવિધિ વગેરેમાં જ્ઞાનાદિ મુખ્ય ગુણો રહેલા છે. આમ શબ્દના ભાવાર્થ પ્રમાણે પણ આ પાંચ જ વસ્તુઓ છે. પ્રશ્ન- આ પાંચ વસ્તુઓ છે તે બરાબર છે. પણ આ પાંચ જ વસ્તુ છે એમ નિશ્ચયરૂપે જકારપૂર્વક ન કહેવું જોઈએ. કારણ કે આ પાંચ સિવાય અન્ય પણ સમ્યગ્ દર્શનવિધિ (= સમ્યગ્દર્શનના આરોપણની વિધિ) વગેરે તથા વિશિષ્ટસ્વર્ગની પ્રાપ્તિ, સુકુલમાં જન્મ, બોધિલાભ વગેરે બીજી પણ વસ્તુઓ છે. ઉત્તર- સમ્યગ્દર્શનવિધિ આદિ કારણભાવથી અને વિશિષ્ટસ્વર્ગની પ્રાપ્તિ આદિ ફલભાવથી વસ્તુ બને છે, તે આ પ્રમાણે સમ્યગ્દર્શનવિધિ વગેરેથી દીક્ષાની ભાવના થાય છે. પછી તેનાથી દીક્ષાની વિધિ વગેરે થાય છે. આમ સમ્યગ્દર્શનવિધિ વગેરે દીક્ષાવિધિ વગેરે વસ્તુનું કારણ છે. (કારણમાં કાર્યના ઉપચારથી કારણનો પણ કાર્ય તરીકે વ્યવહાર થાય છે. જેમ કે ઘી પ્રાણને ટકાવવાનું કારણ હોવાથી “ઘી એ પ્રાણ છે” એમ બોલાય છે.) સમ્યગ્દર્શનવિધિ વગેરે વસ્તુ દીક્ષાવિધિ વગેરે વસ્તુનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી સમ્યગ્દર્શનવિધિ વગેરે પણ વસ્તુ છે. દીક્ષાવિધિ વગેરેથી વિશિષ્ટ સ્વર્ગની પ્રાપ્તિ વગેરે ફલ મળે છે. આથી વિશિષ્ટ-સ્વર્ગપ્રાપ્તિ વગેરે દીક્ષાવિધિ વગેરેનું કાર્ય છે. (કાર્યમાં કારણના ઉપચારથી કાર્યનો પણ કારણ તરીકે વ્યવહાર થાય છે. જેમકે સાધુજીવનનું ફળ (= કાર્ય) મોક્ષ છે તો મોક્ષને સાધુજીવન કહી શકાય.) દીક્ષાવિધિ વગેરેનું ફળ વિશિષ્ટસ્વર્ગાદિપ્રાપ્તિ વગેરે હોવાથી કાર્યમાં કારણના ઉપચારથી વિશિષ્ટસ્વર્ગાદિની પ્રાપ્તિ વગેરે પણ વસ્તુ છે. આમ સમ્યગ્દર્શનવિધિ વગેરે વસ્તુનું કારણ હોવાથી અને વિશિષ્ટસ્વર્ગપ્રાપ્તિ વગેરે વસ્તુનું કાર્ય હોવાથી ઉપચારથી (= સ્થૂલ વ્યવહારનયની અપેક્ષાએ) વસ્તુ છે, તત્ત્વથી નહિ. તત્ત્વથી તો પ્રસ્તુત દીક્ષાવિધિ વગેરે પાંચ જ વસ્તુ છે. [૩] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy