SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૨૩ उठेउं अण्णत्थ गंतूणं समुद्दिसइ, हत्थं वा पायं वा सीसं वा आउट्टिज्ज वा पसारिज्ज वा ण भज्जइ, अब्भुट्ठाणारिहो आयरितो पाहुणगो वा आगओ अब्भुट्टेयव्वं, तस्स एवं समुट्ठिस्स उट्ठियस्स ण भज्जइ, पाढिावणिया जइ होज्ज कप्पइ, मयहरागारसमाहीओ तहेवत्ति गाथार्थः ॥ ५०८ ॥ ઉક્ત બે ગાથાનો ચાર ગાથાઓથી ભાવાર્થ કહે છે નવકારશીમાં અનાભોગ અને સહસાગાર એ બે આગારો છે. આગાર એટલે પ્રત્યાખ્યાનના અપવાદનું કારણ, અર્થાત્ પ્રત્યાખ્યાનમાં છૂટ. આગારોનો અર્થ આ પ્રમાણે છે- અનાભોગ એટલે અત્યંત વિસ્મરણ. અનાભોગ સિવાય મારે આ પ્રત્યાખ્યાન છે. સહસા (= ઓચિંતુ) કરવું તે સહસાકાર, અર્થાત્ રોકી ન શકાય તેવો બનાવ. પોરિસીમાં નવકારશીના બે તથા પ્રચ્છન્નકાલ, દિસામોહ, સાધુવચન અને સર્વસમાધિપ્રત્યયાકાર એ ચાર એમ છ આગારો છે. પ્રચ્છન્નકાલ વગેરે આગારોનો અર્થ આ પ્રમાણે છે પ્રચ્છન્નકાલ- રજથી, ધૂળથી કે પર્વતથી સૂર્ય ઢંકાઈ જવાથી ન દેખાય ત્યારે પરિસી પૂર્ણ થઈ ગઈ છે એમ માનીને પોરિસીનું પ્રત્યાખ્યાન પારી લીધું. પછી પોરિસીને હજી વાર છે એમ ખબર પડે તો રોકાવું = શેષ ભોજન ન કરવું. જો ભોજન કરે તો પચ્ચકખાણ ભાંગે. આ પ્રમાણે આ બધા આગારોમાં પણ જાણવું. દિસામોહ- કોઈ પુરુષને કોઈ સ્થળે દિશાનો ભ્રમ થઈ જાય, તેથી તે પૂર્વ દિશાને ન જાણી શકે, દિશાભ્રમથી તે તુરત ઉગેલા સૂર્યને જોઈને સૂર્યનો અસ્ત થયો એમ માને. આમ કોઈને દિશાભ્રમ થવાથી પ્રત્યાખ્યાન ન આવ્યું હોવા છતાં આવી ગયું છે એમ માનીને ભોજન કરે તો પ્રત્યાખાનનો ભંગ ન થાય, પણ જાણ થયા પછી ભોજન કરવાનું બંધ કરવું જોઈએ. સાધુવચન- કોઈ સાધુ પાત્રોનું પડિલેહણ કરવાની પોરિસીની અપેક્ષાએ પોરિસી થઈ ગઈ એમ કહે, કોઈ સાધુ સમજે કે પ્રત્યાખ્યાનની પોરિસી થઈ ગઈ છે. એથી તે ત્યારે ભોજન કરવાનું શરૂ કરે. થોડું ભોજન કર્યા પછી “હજી પોરિસી પ્રત્યાખ્યાન પૂર્ણ થયું નથી” એમ પોતે જાણે, અથવા અન્ય કોઈ જાણે અને ભોજન કરનારને કહે કે પોરિટી પૂર્ણ થઈ નથી, તો તે સાધુ ભોજન કરવાનું બંધ કરે. સર્વસમાધિપ્રત્યયાકાર- (આમાં સમાધિ માટે છૂટ છે) કોઈ પોરિસિનું પચ્ચકખાણ કરે, પછી તેને ઓચિંતું મૃત્યુ થાય તેવું દુઃખ (રોગ) થાય, તો તેની શાંતિ માટે પચ્ચખાણ પારી શકાય કે ઔષધ લઈ શકાય, અથવા પોરિસીના પ્રત્યાખ્યાનવાળા અન્યને (= વૈદ્ય વગેરેને) કોઈની અસમાધિ દૂર કરવા જવું પડે ત્યારે પચ્ચખાણના સમય પહેલાં પણ ભોજન વગેરે કરીને જાય તો નિયમભંગ ન થાય, પણ જો ભોજન કરતાં હવે જવાની જરૂર નથી એવા સમાચાર મળે-જાણે તો તે જ વખતે ભોજન કરવાનું બંધ કરી દે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy