Book Title: Panch Parmeshthi Mantraraj Dhyanamala
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
Catalog link: https://jainqq.org/explore/001523/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય વિકાસ મંડળ ગ્રંથમાલા ગ્રંથાંક-૨૬ કવિરાજ શ્રીનેમિદાસ રામજી શાહ પ્રણીત ૧ પંચ પરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા. અ ય વા અનુભવ લીલા તથા ૨ અધ્યાત્મસારમાલા (મૂલ) મેં શે ધ કે : પૂજય પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર વિવેચક તથા પ્રજા ? શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દોશી બી. એ. GYA પ્ર કા શ ક : જૈન સાહિત્ય વિકાસ મંડળ, ઇરલા, વિલેપારલે, મુંબઈ-૫૬ [ A. S.] Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક — સનતકુમાર પી. ઉપાધ્યાય મધચન્દ્રે નાનાલાલ શાહ મંત્રી, જૈન સાહિત્ય વિકાસ મડળ, ૧૧૨, સ્વામી વિવેકાનંદ મા, ઇરલા, વીલેપારલે ( વેસ્ટ ) સું ખ૪ - ૫૬ [ A. S. ] પરિમાર્જિત મૂલ્ય રૂા. ૧૦૦૦ મૂલ્ય સ્પ આવૃત્તિ પહેલી નકલ ૧૦૦૦ * વિ.સં. ૨૦૨૮ ઇ. સ. ૧૯૭૧ મુદ્રકભાનુ, નાનચંદ્ર મહેતા શ્રી બહાદુરસિંહજી પ્રિન્ટીંગ પ્રેસ, પાલીતાણા ( સૌરાષ્ટ્ર ) Page #4 -------------------------------------------------------------------------- ________________ ક્ર અનુક્રમણિકા ક ૧. બે બેલ. ૨. પ્રાફકથન. ૩. પ્રકાશકીય નિવેદન. ૪. પંચપરમેષિ મંત્રરાજ ધ્યાનમાલાના તથા ટબાના શબ્દાર્થ, ભાવાર્થ તથા સવિતર વિવરણ વિષે સમજૂતિ. ૫. ધ્યાનની અને આનુષંગિક સામગ્રી. ૬. ટબામાં સૂચિત કરેલા ગ્રંથની યાદી. ૭. વિવરણના લેખનમાં આધારભૂત ગ્રંથોની યાદી. ૮. ઉપગમાં લેવાયેલી હસ્તલિખિત પ્રતિઓની યાદી તથા તેના અ. ૯. મૂળ ગ્રંથમાં તથા ટબામાં નિર્દિષ્ટ મંત્ર બીજાક્ષરે. ૧૦. યંત્ર ચિત્રસૂચિ. ૧૧. શબ્દાર્થના શીર્ષક નીચે દર્શાવેલા તથા અન્ય ઉપયોગી શબ્દોની સૂચિ. ૧૨. સંકેતસૂચિ. ઢબામાં નિર્દિષ્ટ દ્રષ્ટાન્ત. ૧૪. આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિનું જીવનવૃત્ત. ૧૫. કવિરાજ શ્રીનેમિદાસ રામજી શાહનું જીવનવૃત્ત. ૧૬. પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલામાંથી ઉદધૃત કરેલા સુભાષિતે. પૃષ્ઠ પંચપરમેષિ મંત્રરાજ ધ્યાનમાલા અથવા અનુભવલીલા (મૂલમાત્ર) ૧ થી ૨૦ પંચપરમેષિ મંત્રરાજ ધ્યાનમાલા અથવા અનુભવલીલા. ટબા તથા સાવસ્તર વિવરણ સાથે. ૨૧ થી ૨૫૬ અધ્યાત્મસારમાલા મૂળમાત્ર ૨૫૭ થી ૨૭૨ શુદ્ધિ પત્રક સંસ્થાની સ્થાપના તથા તેનાં પ્રકાશને. ૨૭૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ * ચિત્ર પરિચય * ૧. હથ્થુડી તો મંડન શ્રી રાતા મહાવીરજી. રાજસ્થાનમાં ફાલના સ્ટેશનથી માર માઈલ દૂર અને વિજાપુર ગામથી ૨ માઇલ દૂર અરવલ્લીના પતાની ગેાદમાં વસેલું હથ્થુંડી તીથ પ્રકૃતિની રમ્યતાનેા અપૂર્વ આસ્વાદ કરાવે છે. આ તીથ લગભગ ૧૪૦૦ વર્ષ પ્રાચીન છે. આ તીર્થની પાસે જ હથ્થુડી નગર હતું ( જેનું પ્રાચીન ઉલ્લેખામાં હસ્તિકુણ્ડી નામ પ્રાપ્ત થાય છે) તે કારણથી આ તીર્થં પણ હથ્થુંડી તરીકે ઓળખાવા લાગ્યું. આ નગરના નામથી હથ્થુ ડી ગચ્છ પણ નીકળ્યો હેાવાનુ` નાંધાયું છે. વિ. સ. ૬૨૧માં આ તીર્થમાં પ્રતિષ્ઠા થયાના પ્રથમ ઉલ્લેખ સાંપડે છે. ત્યાર બાદ તા અનેકવાર પ્રતિષ્ઠા થઇ છે. આ તીમાં હાલ તે એક જ વિશાલ જિનાલય છે. જેમાં મૂલનાયક તરીકે શ્રી મહાવીરસ્વામીની અઢી હાથ ઉંચી, રક્ત રંગની, વેળુની પ્રતિમા છે. તેથી આ તીથ રાતા મહાવીર નામથી એળખાય છે. ૨. પુરુષાકાર લેક. ચૌદ રજી પ્રમાણ લેાકના આકાર કેટ હાથ દઇને, એ પગ પહેાળા કરીને, ઉભેલા પુરુષ જેવા છે. એ લેાક પુરુષના કયાં કયાં અંગેામાં કયાં કયાં સ્થાને છે તેના નિર્દેશ પૂર્ણાંકનુ... ચિત્ર અહીં રજૂ કરાયુ છે, જેથી સાધકને શ્રી સિદ્ધચક્રને ભાલસ્થળે ધારવામાં અનુકૂલતા રહે. ૩. આતમસાર કાર. ૐકારમાં પાંચ પરમેષ્ટિ ભગવતાની સ્થાપના દર્શાવતું પાંચેય પરમેષ્ઠિએના વધુ અનુસારનું આ ચિત્ર ‘આતમસાર તે ચિત્તમાં ધરે' ના ચિંતનમાં સહાયક અને તેમ છે. ૪. `આતમાં આતમ ધ્યાને લીન. મસ્તકની અંદર સહસ્ત્રાર ચક્રમાં શ્રી અરિહંત પરમાત્માને બિરાજમાન કરીને, તે શ્રી અરિહંત પરમાત્મા અન્ય કાઇ નહિં પણ પેાતાના આત્માજ છે એ દર્શાવતુ આ ચિત્ર આત્મા આત્મધ્યાનમાં લીન કેવી રીતે થાય, તેનુ દગ્દર્શન કરાવે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ [૪] ૫. સ`ભેદ પ્રધાન, ધ્યાનસ્થ, પરમપૂજ્ય, પન્યાસજી, શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર. જે પ્રણિધાનમાં ધ્યાતાનેા ધ્યેય સાથે સ'લેષરૂપે અથવા સબધરૂપ ભેદ હેાય છે તે સંભદ્ર પ્રણિધાન છે. શ્રી નવકાર મહામત્રના સભેદ પ્રણિધાનની સાધનામાં લયલીન પૂર્વ પન્યાસજી શ્રી ભદ્ર કરવિજયજી ગણિવરનુ` આ ચિત્રાલેખન, તેઓશ્રીની એકાગ્રતા અને ધ્યાનલીનતાનું દર્શન કરાવી વાચકને ધ્યાનમાર્ગે આગળ વધવામાં સહાયક થશે. સંશ્લેષ માટે શ્રી નમસ્કાર મહામત્રના વર્ણ પૂ. પંન્યાસજી આસપાસ આલેખિત ગીર્વાણુયંત્રમાં વ્યવસ્થિત કરાયેલા માલુમ પડશે. જેકેટ પરિચય. પ્રસ્તુત ગ્રંથના આવરણ પૃષ્ઠમાં (જેકેટમાં) ગ્રંથના અને પ્રકાશક સંસ્થાના અભિધાન ઉપરાંત નમસ્કારના અવિધ પ્રકારી દર્શાવવામાં આવ્યા છે. આ આઠેય પ્રકારા સપૂર્ણ મૂળ ઢાળેા તેમ જ ટમા સહિત સાત દ્વાળાના પ્રાન્ત ગ્રંથમાં દર્શાવવામાં આવેલ છે. પર ંતુ અહીં તે આઠેય પ્રકારોને સમુદિત રીતે વિવિધ રગામાં અને શ્રી ચતુર્વિધ સ’ઘના વિભિન્ન વિભિન્ન અંગેા દ્વારા દર્શાવાયા છે. આ આઠેય પ્રકાર મહર્ષિ શ્રી નર્દિષેણે શ્રી અજિતશાન્તિસ્તવમાં શબ્દદેહ દ્વારા દર્શાવેલ છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ जैन साहित्य Multil "// | || | \ \\ णाण /in कास दिघायर स मंडल बम्बई Page #8 -------------------------------------------------------------------------- ________________ વિ ષ યા નુ ક્રમ ઢાળ પહેલી - % 8 = ૮ 6 " o મંગલ, શુદ્ધ આત્મ સ્વરૂપની કલ્યાણકારી વિચારણા. શુદ્ધ આત્મસ્વરૂપ કયારે અને કેમ થાય? આત્માને કેમ જાણે? પ્રથમ ( પરમાત્માના આલંબન સાથે ) રતિગુણ પ્રકટે. આલંબનના ધ્યાનથી અવર્ણનીય સુખ. પૂર્વ દર્શિત સ્થિતિ થતાં શું થાય ? નિજ સ્વરૂપની દ્રવ્ય, ગુણ, પર્યાયથી વિચારણા. ચેતનરાજનું સ્મરણ, વિચિંતન અને ધ્યાન. અરિહંતાદિ શુદ્ધાત્માના ધ્યાનનું સ્વરૂપ. ધ્યાનની સામગ્રી. ધ્યાનની સામગ્રી. (ચાલુ) ધ્યાનની યોગ્યતા. ધ્યાનની યેગ્યતા ( ચાલુ) ધ્યાતા અને દયેય. ધ્યેયનું સ્વરૂપ. ધ્યાનની પ્રાથમિક વિચારણ. ધ્યાનની તાવિક વિચારણા. ધ્યાનની તાવિક વિચારણું. (ચાલુ) ધ્યાનની તાવિક વિચારણા. (ચાલુ) ધ્યાનનું ફળ, જૈન શાસનમાં ધ્યાન માટે અનેક યોગ માર્ગો. 2 e d ૪ ૧૫ ૧૭ . ઢાળ બીજી મેક્ષને મૂળ ઉપાય-ધ્યાન, તેનું સ્વરૂપ ધર્મધ્યાનથી નિર્વિક૯૫ ગુણ ઉપજે. Page #9 -------------------------------------------------------------------------- ________________ [૬] દ્રવ્ય, ગુણ, પર્યાયાત્મક ચિંતન તે શુકલધ્યાન. શુદ્ધક્રિયાયુક્ત આમવીર્ય તે શુકલધ્યાન. ધર્મધ્યાનના પ્રશસ્ત ગુણે. ભવાભિનંદીને ધર્મધ્યાન ન હોય. શુકલધ્યાનથી શુકલગુણ પ્રગટે. ચિત્તના ચાર પ્રકાર. શુદ્ધાતમ પ્રગટે તેવું ચિંતન અને ધ્યાન કરે. સંસારનું પરિભ્રમણ અટકાવવા ધ્યાન-સાચું અવલંબન. ધર્મધ્યાન, જ્ઞાન આદિ ગુણની ખાણ. 4 6 + ૮ = બ 2 & હાલ ત્રીજી ધર્મધ્યાનનું સ્વરૂપ અને અષ્ટાંગ યોગ. અડગના નામે-તેનાથી દુષ્ટ વિકલ્પ તથા ભવદુઃખ જાય. ધ્યાનસિદ્ધિ માટે પ્રાણાયામ-તેના પ્રકારે. દ્રવ્ય અને ભાવ પ્રાણાયામના ગુણે. ઔદાસીન્યરૂપ ઔષધિ અને ધર્મામૃત પથ્ય. પ્રકૃતિ (પ્રવૃત્તિ) સંકેચ, વિકાર-અવિકાર અને નિર્વિકાર માટે પવનની સાધના.) પવન નિજધથી થતા લાભે. પવનાભ્યાસ. પવનાભ્યાસથી પૂરણા પ્રમાની સાધના. આરાધનાને પ્રપંચ. દ્રવ્ય ગીની સ્વર સાધના સ્વરોદય-સંવેદ્ય સમીર. સ્વર સાધનાથી કાર્યના મમત્વને વિચાર. દ્રવ્યગીને સ્વર સાધનામાં પલિમંથ. આધ્યાત્મિક સ્વર સાધના તત્ત્વ વિચારણા આધ્યાત્મિક ચિંતન આમરાજની શુચિ. પિંડસ્થાદિ ધ્યાનથી ગુણો પ્રગટે. જાગરુક સાધક ગીતાર્થને સેવે. સ્વાધ્યાયથી સાવધાની. તે ભાવ અધ્યાત્મમાં વાસિત હેવાથી ઇન્દ્રિય સુખમાં લીન થાય નહિં. Page #10 -------------------------------------------------------------------------- ________________ [૭] 0 = ) ૧ ૦ ઢાળ ચોથી પવનોભ્યાસ. ( ચાલુ ). પરમાત્મ સ્વરૂપ પામવા માટે ધ્યાન. જે ત્રિપદીના પાંચ વર્ણ, તેના ફેલાવાનો વિચાર. અષ્ટદલકમલની સ્થાપના. દ્રવ્યયેગીની સાધના માટે બીજે. (બીજાક્ષર) મંત્રરાજ અકારની સાધના. મંત્રરાજને નાદાનુસંધાન માટે સમુચ્ચાર. સમુચારથી સમતારસની પરાકાષ્ઠા. પરમાત્મ પદનો લાભ, આત્મા આમધ્યાનમાં લયલીન. ઉપશમ ખ પકને સંકેત વિચાર, જ્ઞાન સહાયથી ઉપશમ, આત્મવી અપક મિથ્યાવભેદનની જેવી શક્તિ તેવી દશા. જપના ત્રણ પ્રકાર, ધ્યાનથી સમાપત્તિ. આત્મા પરમાત્માના ધ્યાનથી મોક્ષ પામે. તે વખતે ક્ષાયિક સમ્યક્ત્વ પામે. પિંડસ્થાદિ ધ્યાનથી આરાધક, પોતાના મનને સવસ્થ કરે. ચાર નિક્ષેપ વડે કેમ ધ્યાનાધિરુઢ થવું? સ્વરૂપ વિચારતાં પરિણામની સ્થિરતા. આવા અવલંબનથી મોક્ષ પ્રાપ્તિમાં વિલંબ નહીં. સકલીકરણ અને મુદ્રાઓ દર્શાવે છે. સાધના પ્રપંચ માટે કેટલાંક બીજે. 0 0 8 = - = • 2 ઢાળ પાંચમી પરમ મંત્રને વિશેષ વિચાર. લબ્ધિ અને અનાહતનાદની પ્રાપ્તિ શાસનધુરા વહન કરવા આમ્નાયુનું અનુકરણ. શાસનધુરા વહન કરવા આમ્નાયુનું અનુકરણ. (ચાલુ) શાસનધુરા વહન કરવા આમ્નાયનું અનુકરણ. ( ચાલુ) ભરતાના પાંચ વર્ણની પાંચ પદમાં વ્યાપ્તિ. શુદ્ધ પ્રતીતિધર જિનબિંબ દેખે. ફલશ્રુતિ Page #11 -------------------------------------------------------------------------- ________________ [૮] ધર્મધ્યાનના ચાર પાયાને વિચાર. ધર્મધ્યાનમાં મૈત્રી આદિ સહાયક, સ્વર્ગના હેતુ. શુકલધ્યાનના ચાર ભેદ. દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક ન વડે ભેદ પ્રધાન ચિંતન. અર્થ, વ્યંજન અને ચેગમાં સંક્રમણ. નિર્વાણ સમયને વેગનિરોધ. પરના યોગ વિનાની દશા. શુકલધ્યાનનો પહેલો અને બીજો ભેદ કોને, કયારે ? શુકલધ્યાનનો ત્રીજો અને ચે ભેદ કોને, કયારે ? સિદ્ધ ભગવંતનું ધ્યાન તે રૂપાતીત છે. ભયગ્રાહી કર્મો કયારે અને કેવી રીતે જાય ? સિદ્ધિ ગતિને પ્રકાર. સાદિ પણ અનંત અને અતીન્દ્રિય સુખ. આ પ્રકારે પરમેષ્ઠિ મંત્ર શિવસુખનું સાધન. ઢાળ છઠ્ઠી પુરુષાતમરૂપની સ્થાપના, નવકાર મંત્રની ધારણુ. ધ્યાનને બીજો પ્રકાર, સિદ્ધચક્રની માંડણ. પરમેષ્ઠીમંત્રની સાધના માટે ગુણ સામગ્રી. ઢાળ સાતમી વિદ્યાપ્રવાદને આમ્નાય. પ્રાણાયામાદિ-રૂઢિમાત્ર, શુભ સંક૯પમાં મનોગ. અજ્ઞાન નાશ થતાં તારિક જ્ઞાનનો પ્રકાશ. સ્વભાવ રમણતા. ક્ષેત્ર, બીજ, જલ, પુષ્પ અને ફલની વિચારણા. (યોગાભ્યાસ, ઉત્સાહ, જ્ઞાન) નિશ્ચય, વ્યવહારના સંકલનપૂર્વકને ગુણ. આલંબનથી પરિણામની સ્થિરતા. ઉપસંહાર. કલશ. ૮-૯-૧૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ બે બેલ જૈન પરંપરા માનસિક, વાચિક અને કાયિક એમ ત્રણ પ્રકારનાં દયાને દર્શાવે છે. શ્રી બૃહત્કલ્પસૂત્ર લઘુભાષ્યમાં “ધ્યાન” અને “ચિન્તા ”નું લક્ષણ આ પ્રમાણે બતાવ્યું છે : આત્માના દઢ-નિશ્ચળ અધ્યવસાય-પરિણામને ધ્યાન કહેવામાં આવે છે અને તે દઢ અધ્યવસાયરૂય અર્થાત્ મનઃસ્થર્થરૂપ સર્વ પ્રકારનું ધ્યાન ચિન્તનરૂપ હોવાથી તેને ચિત્તારૂપ પણ કહી શકાય છે. આ અપેક્ષાએ ધ્યાન અને ચિન્તાને અભેદ છે. પરંતુ દઢ અધ્યવસાય એક અન્તર્મુહૂર્તથી અધિક નિરંતર રહેતો નથી. તેથી એક ધ્યાનમાંથી બીજા સ્થાનના મધ્યમાં અદઢ અધ્યવસાયરૂપ “ચિન્તા” છે તેને ધ્યાનાન્તરિકા પણ કહે છે. અને જે છુટી છુટી (વિપ્રકીર્ણ) ચિત્તની ચેષ્ટા તેને પણ ચિન્તા કહે છે. આવી સામાન્ય ચિત્તચેષ્ટા અને ધ્યાનાન્તરરૂપ ચિન્તા એ બનને ધ્યાનથી ભિન્ન છે. ધ્યાનના ત્રણ ભેદ – દઢ અધ્યવસાયરૂપ ધ્યાનના ત્રણ ભેદ છે. (૧) કાયિક દયાન– કાયાના વ્યાપારથી વ્યાક્ષેપને ત્યાગ કરી ઉપયુક્ત થઈ ભાંગા વગેરે ગણવા અથવા કાચબાની જેમ અંગોપાંગ સંકેચી સ્થિર રહેવું તે. (ર) વાચિક ધ્યાન– (મારે આવી) નિર્દોષ ભાષા બેલવી જોઈએ) પણ સાવદ્ય ભાષા ન બોલવી. આ પ્રમાણે વિચાર પૂર્વક બેલવું તે; અથવા વિકથાને ત્યાગ કરી શાસ્ત્રાભ્યાસ-સૂત્રપરાવર્તન આદિ ઉપગ પૂર્વક કરવું તે. Page #13 -------------------------------------------------------------------------- ________________ [૧૦] (૩) માનસ દયાન – એક પદાર્થમાં ચિત્તની એકાગ્રતા તે. ધ્યાનાનારિકા દ્રવ્યાદિ એક વસ્તુ વિષયક ધ્યાનને પૂર્ણ કરી જ્યાં સુધી દ્વિતીય વસ્તુ વિષયક ધ્યાનમાં પ્રવેશ ન થાય ત્યાં સુધી વચગાળામાં જે ચિન્તન-વિચાર થાય, જેમકે હવે કયા વિષયનું ધ્યાન કરું ? તે વિચારને ધ્યાનાક્તપિકા કહેવાય છે. જેમ માર્ગમાં ચાલતે મુસાફર જ્યાં બે રસ્તા ફંટાતા હોય ત્યાં ડીવાર બંને માર્ગની વચમાં ઉભું રહી વિચાર કરે કે બે માંથી કયા માર્ગે જાઉં ? જેથી મારા ઈષ્ટ સ્થાને ધ્યેય સ્થળે પહોંચી શકું. - આ રીતે એક પદાર્થ કે તેના ગુણના ચિંતનમાં એકાગ્ર બનેલું ચિત્ત એક અન્તમુહૂર્ત પછી ત્યાંથી ચલિત થાય છે, ત્યારે બીજા પદાર્થ કે તેના ગુણના ચિંતનમાં એકાગ્ર બનાવવા માટે અનિત્યતાદિ કે મૈત્રાદિ ભાવનાઓ વડે ચંચળ થયેલા ચિત્તને વાસિતભાવિત બનાવવું પડે છે અને જ્યાં સુધી દઢ અધ્યવસાયથી દ્વિતીય ધ્યાનમાં પ્રવેશ ન થાય ત્યાં સુધીની અવસ્થાને ધ્યાનાન્તર કે બધાનાન્તરિક કહેવામાં આવે છે. વિસ્તીર્ણ એવી દ્વાદશાંગીને સાર સુનિર્મળ ધ્યાન યોગ છે, એમ શાસકાર મહર્ષિ ફરમાવે છે. દ્વાદશાંગી એટલે શ્રી જિન પ્રવચન, તે સવયંભૂરમણ સમુદ્રની જેમ અણોરપારઅગાધ છે; તેને સાર નવકાર છે, એમ કહેવાય છે. તેનું તાત્પર્ય પણ નિર્મળ દયાનગ છે. નવકાર એ નિર્મળ દયાનગનો જ એક પ્રકાર છે. નવકાર વડે જે ચિત્તની વિશુદ્ધિ થાય છે, તે જ દ્વાદશાંગી વડે થાય છે અને દ્વાદશાંગી વડે જે પરિણામની વિશુદ્ધિ થાય છે, તે જ નવકાર વડે થાય છે. તે કારણે સમર્થ એવા ચૌદ પૂર્વ ધર પણ અંત સમયે ચૌદ પૂર્વનો સ્વાધ્યાય કરવા અસમર્થ બને ત્યારે ચૌદ પૂર્વના સારરૂપ એક શ્રી પંચપરમેષ્ટિ નમસ્કાર મહામંત્રના ધ્યાનમાં લીન બની જાય છે અને તે દ્વારા ઉત્કૃષ્ટ આત્મવિશુદ્ધિ કરે છે. આત્મવિશુદ્ધિનું અનન્ય કારણ નિર્મળ થાન * ध्यानं दृढाध्यवसायात्मकं चित्तं विधा-कायिक, वाचिक, मानसिकं च । १ कायिकं नाम यत् कायव्यापारेण व्याक्षेपान्तरं परिहरन्नुपयुक्तो भंगकचारणिकां करोति, कूर्मवद्वा संलीनाङ्गोपाङ्गस्तिष्ठति । २ वाचिकं तु 'मयेदशी निरवद्या भाषा भाषितव्या, नेदृशी सावद्येति विमर्शपुरस्सरं यद् भाषते, यद्वा विकथादिव्युदासेन श्रुतपरावर्त नादिकमुपयुक्तः करोति तद् वाचिकम् । ३ मानसं त्वेकस्मिन् वस्तुनि चित्तस्यैकाग्रता । बृहत् कल्पसूत्र, गा. १६४२ लघुभाष्य Page #14 -------------------------------------------------------------------------- ________________ [૧૧] ચોગ છે, પછી તેનું આલંબન ચૌદ પૂર્વ બને કે તેના સારરૂપ એક નવકાર બને. એ દ્રષ્ટિએ નવકાર, નવપદ, ચૌદપૂર્વ કે તેમાંનું કેઈ એક પદ પણ સમાન કાર્ય કરે છે; અને તે કાર્ય તે શુભાસ્ત્રવ, સંવર અને નિજ રારૂપ છે. જૈન શાસનમાં મેક્ષ માગ સંવર અને નિર્જરારૂપ કહ્યો છે. તેનું પ્રધાન સાધન તપ છે અને તપનું પણ પ્રધાન અંગ ધ્યાન છે. તેથી ધ્યાન એ મોક્ષને પરમ હેતુ છે. શ્રી તત્ત્વાર્થસૂત્રકાર ફરમાવે છે કે તપવડે સંવર અને નિર્જરા થાય છે.+ સંવર વડે અભિનવ કર્મને ઉપચય રેકાય છે અને નિજ૨ વડે ચિરંતન કર્મને ક્ષય થાય છે. ધ્યાન એ મેક્ષનો હેતુ છે, પણ તે સુવિશુધ હેવું જોઈએ. મન:શુદ્ધિ રહિત તપ કે ધ્યાનના બળે કવચિત અભવ્યને પણ નવમા પ્રિવેયક પર્વતની ગતિ સંભવે છે, પણ મોક્ષરૂપ ફળ મળતું નથી. મુકયર્થક કોઈ પણ અનુષ્ઠાન ચિત્તની શુદ્ધિ માગે છે. નવકારવડે યા ચૌદપૂર્વના કોઈ પણ પદના આલંબનવડે ચિત્તશુદ્ધિ અને એકાગ્રતા થતી હોવાથી તેને નિર્મળ ધ્યાનયોગનું નામ આપી શકાય છે. વિશુદ્ધ અને એકાગ્ર એવું ચિત્ત તે જ ઉત્તમ ધ્યાન છે. મોક્ષદાયક ઉત્તમ ધ્યાનની બે શરત છે.– એક તે ચિત્તની વિશુદ્ધિ અને બીજી ચિત્તની એકાગ્રતા. વિશુદ્ધિને હેતુ ભાવના દ્વારા સધાતી “સમતા” છે અને એકાગ્રતાનો હેતુ અભ્યાસ દ્વારા સધાતી “સ્થિરતા છે. રાગાદિ દોષ આત્મસ્વરૂપનું તિરોધાન કરે છે, તેને વિરાગ્ય ભાવના વડે દૂર કરી શકાય છે અને રાગદ્વેષના હેતુઓમાં પણ માધ્યધ્યભાવરૂપ પરમ ઔદાસીન્ય કેળવી શકાય છે. એકાગ્રતા માટે આત્મજ્ઞાનના પુનઃ પુનઃ અભ્યાસની આવશ્યકતા રહે છે. સ્વસંવેદન જ્ઞાનવડે તે અભ્યાસ જ્યારે થિરતાને પ્રાપ્ત કરે છે, ત્યારે આત્મનિશ્ચય દઢ થાય છે અને આત્મસ્વરૂપથી ભિન્ન એવાં આવારક કર્મો ક્ષય પામે છે. મુમુક્ષુ આત્માઓનું પરમ કર્તવ્ય નિર્મળ એવા ધ્યાનયેગનો આશ્રય લે તે છે. વિશુદ્ધ અને એકાગ્ર એવું ચિત્ત તે ઉત્તમ સ્થાન છે. “ શ્રી પંચ પરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાળા” એ નામના આ ગ્રન્થરત્નમાં ચિત્તને નિર્મળ અને એકાગ્ર કરવાના વિવિધ ઉપાય બતાવ્યા છે. પ્રત્યેક કાર્ય તેની સામગ્રી સહિત જ ફળ આપે છે. ધ્યાનરૂપી કાર્યની મુખ્ય સામગ્રી ધ્યાતા, ધ્યેય, ધ્યાન અને તેના ફળની વિચારણું છે. આ ગ્રન્થમાં તેની અનુભવ, યુક્તિ અને શાસ્ત્રાનુસારી વિસ્તૃત વિચારણું છે. ઉત્કૃષ્ટ ધ્યેય તરીકે શ્રી પંચપરમેષ્ઠિ મંત્રરાજનું વર્ણન મુખ્ય હોવાથી ગ્રંથનું નામ “શ્રી. પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાળા ” પડ્યું છે. તેમાં ધ્યાનના સર્વ અંગોની વિચારણા સાથે મુખ્ય અંગ તરીકે * ध्यानस्य सर्वेषां तपसामुरि पाठो मोक्षसाधनेष्वस्य प्राधान्यख्यापनार्थः । એગશાસ્ત્ર, પ્ર. ૪, ટીકા. + તપના નિર્જરા ના તત્વાર્થસૂત્ર અ. ૯, સૂત્ર ૩. x विशुद्ध च यदेकाग्रं चित्तं तद् ध्यानमुत्तमम् । ઉપમિતિભવપ્રપંચકથા પ્ર. ૮, ક્લે. ૭૨૮ Page #15 -------------------------------------------------------------------------- ________________ [૧૨ ] ધ્યેય સ્વરૂપ શ્રી પંચપરમેષ્ટિનું વર્ણન કરેલું છે. ધ્યાનનો વિષય જ્યારે પંચપરમેષ્ઠિ ભગવંતે બને છે, ત્યારે ચિત્ત ઉત્કૃષ્ટ વિશુધિને અનુભવે છે અને એકાગ્રતાનું કાર્ય સરળ બને છે. એય તરીકે શ્રી પંચ પરમેષ્ઠિનું આલંબન “પુણાલંબન' છે, તે વડે ધ્યાતા સ્વયં દયેયરૂપ બની જાય છે. પુષ્ટાલંબનને અર્થ જ એ છે કે થાતાને જે સ્વરૂપ પામવું ઈષ્ટ છે તે સ્વરૂપને જેઓ સ્વયં પામેલા છે અને તે શ્રી પંચપરમેષ્ટિ ભગવંત જ છે, બીજા નહિ. આ ગ્રન્થની સાત ઢાળમાં કવિએ ધ્યાન સંબંધી વિજ્ઞાન હદયંગમ શૈલીમાં વર્ણવી બતાવ્યું છે. ધ્યાનને વિષય અતિગંભીર છે, ગીપુરુષોને પણ અગમ્ય છે. તેનો સાર આ નાનકડા ગ્રન્થમાં અતિ અભુત રીતે સરળ ગુજરાતી ભાષામાં પદ્યાત્મક રીતે ઉતારીને કવિએ પિતાની કીર્તિને દિગતવ્યાપી બનાવી છે, એટલું જ નહિ પણ શ્રાવકપણામાં રહીને ગુરુભક્તિ દ્વારા ધ્યાનમાર્ગ માં પણ અત્યુચ્ચ કેટિને વિકાસ સાધી શકાય છે, તેની પ્રતીતિ કરાવી આપી છે. ગ્રન્થ ઉપર ટબ કરી આપીને શ્રી જ્ઞાનવિમલસૂરિ જેવા પ્રસિધ્ધ આચાર્ય ભગવંતે તેના પર શાસ્ત્રાનુસારિતાની મહેર છાપ મારી આપી છે. જૈન સાહિત્ય વિકાસ મંડળે આ ગ્રન્થને પરિશ્રમપૂર્વક સંપાદિત કરીને એવી રીતે પ્રકાશિત કર્યો છે કે ધ્યાનના અભ્યાસીવર્ગને ધ્યાનમાર્ગમાં પ્રગતિ કરવા માટે આવશ્યક સામગ્રી એક જ સ્થળે મળી રહે અને શ્રી પંચપરમેષ્ઠિ આદિ પરમ તત્ત્વોના વિધિયુકત ધ્યાન વડે તે આત્મવિકાસ સાધી શકે. શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ આવાં અનેક ઉપયેગી પ્રકાશનો વડે શ્રી જૈન સંઘની સેવા કરવામાં વધુ ને વધુ ઉત્સાહી બને અને ગ્રન્થના વાચકો તેના સ્વાધ્યાયાદિ દ્વારા અધિકાધિક આત્મવિકાસ સાધે, એજ એક મન કામના. પિંડવાડા, રાજસ્થાન. વિ. સં. ૨૦૨૭, ધનતેરસ. પં. ભદ્રકરવિજય ગણી. Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રા ક ક થ ન ૧. પુસ્તિકાની પ્રાપ્તિ– નમસ્કાર મહામંત્ર પાસક પૂજ્યપાદ પંન્યાસ શ્રી ભદ્રકવિજયજી ગણિવર વિ. સં. ૨૦૧૨ની સાલમાં જામનગરમાં બિરાજતા હતા. તે વખતે તેમના શિષ્ય મુનિ શ્રી કુંદ. કુંદવિજયજીએ ભીમશી માણેક તરફથી પ્રકાશિત થયેલી એક પુરાણ પુસ્તિકા મને આપી. તેમાં ત્રણ ગ્રંથ સાથે બાંધેલા હતા. (૧) સવદયજ્ઞાન (૨) પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા અને (૩) પુદગલ ગીતા. આમાં ધ્યાનમાલાને જે બીજે ગ્રંથ છે તે સવિસ્તર વિવરણ પૂર્વક સંપાદિત કરી છપાવાય તો ભજનને ઉપકારક નીવડશે એમ કહી તે વિષે તેમણે ખાસ ભલામણ કરી. ૨. ગ્રંથના વિવેચન માટે ટબાને ઉપગ-- તે વખતથી કવિરાજ શ્રી નેમિદાસ રામજી શાહ વિરચિત “પંચપરમેષ્ઠિ મંત્રાજ ધ્યાનમાલા” ને સ્વાધ્યાય અમે આદરી દીધે. લગભગ આખા ગ્રંથનું વિવરણ તૈયાર કરાયું પણ પૂજ્ય મુનિશ્રી ભુવનવિજયજીના અંતેવાસી મુનિશ્રી જ બૂવિજયજીને તે બતાવતાં તેઓશ્રી તરફથી આ વિવરણને પ્રગટ કરતાં પહેલાં વિશેષ પ્રયત્નની સલાહ મળતાં, નવેસરથી વિવરણ માટે પ્રયાસ આદર્યો. અઢારમી સદીના ધ્યાનાભ્યાસ, પવનાભ્યાસ અને સ્વરોદયની પ્રણાલિકાએ હાલ ચાલુ ન હોવાથી, પ્રસ્તુત ગ્રંથ તેના મૂળ સ્વરૂપમાં સમજ બહુ કઠિન થઈ પડે છે, તેથી તે ભારેખમ તથા જટિલ લાગે છે. પરંતુ ત્યાર પછી તેના ઉપર શ્રી જ્ઞાનવિમલસૂરિના ટબાના પાઠાંતરો લઈને તેને મૂળ કૃતિ સાથે સ્વાધ્યાય શરૂ કરતાં તે વિષય ગહન હોવા છતાં જેમ જેમ તેમાં પ્રવેશ થવા લાગ્યો તેમ તેમ સુધ અને રુચિપષક જણાયા. ૩. ભક્તકવિના ગ્રંથ ઉપર ગુરુદેવને – વિ. સં. ૧૭૬૬માં ભક્તકવિ શ્રી નેમિદાસે “પંચ પરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા” નામને એક રાસ ગુજ૨ ભાષામાં રચ્યો, તેના ઉપર તેમના ગુરુવર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિ જીએ બાલાવબોધ માટે પ્રસ્તુત ભાષામાંજ ટબાથે લખ્યો. તે એક અતિ વિરમયકારક અને બને-ગુરુ તથા ભક્ત-ના માહાભ્યામાં વૃદ્ધિ કરે તેવી ઘટના છે. પ્રસ્તુત રાસ અને Page #17 -------------------------------------------------------------------------- ________________ [૧૪] તેના ઉપરનો ટબ આ બન્ને-તેમના શબ્દાર્થ, ભાવાર્થ અને સવિસ્તર વિવરણ સાથે-આ પુસ્તકમાં મુખ્ય ગ્રંથ તરીકે પ્રકાશિત કરવામાં આવે છે. ૪. અધ્યાત્મસારમાલાની રચના ધ્યાનમાલા પહેલાં વિ. સં. ૧૭૬૫માં શ્રી નેમિદાસે અધ્યાત્મસારમાલા” નામને ગ્રંથ રચ્યું હતું. તેના ઉપર કઈ એ ટબ રો નથી. એટલે તે ગ્રંથ મૂળમાત્ર રૂપે પ્રસ્તુત પુસ્તકમાં બીજા ગ્રંથરૂપે સામેલ કરવામાં આવે છે. ૫. ગ્રંથયુગલનું પ્રકાશન– આ પ્રમાણે આ પુસ્તકમાં શ્રી નેમિદાસના ગ્રંથયુગલનું પ્રકાશન કરવામાં આવે છે. ગ્રંથયુગલને વિષય “અધ્યાત્મસારમાલા” ને તથા “ધ્યાનમાલાને અનુક્રમે શુદ્ધ આત્મતત્ત્વ વિશે તાત્પર્ય જ્ઞાનને તથા તે પ્રાપ્ત કરવા માટે યોગક્રિયાને લેવાથી બને ગ્રંથરત્નો એકબીજાની પૂરવણ રૂપે છે, તે વાચકના ધ્યાનમાં આવશે. ૬. ધ્યાનમાલાનું વિવરણ શા માટે પહેલું ?— અધ્યાત્મસારમાલાના ગ્રંથ ઉપર વિવરણ કરીને ધ્યાનમાલાનું સંપાદન છે અને એ હાથમાં લીધું હતું, તે શ્રી નેમિદાસે ગ્રહણ કરેલા માર્ગ ઉપર જ અમારું પ્રયાણ થાત અને કદાચ ધ્યાનમાલાને ગ્રંથ વિશેષ સારી રીતે સમજી શકાત, પરંતુ અધ્યાત્મસારમાલા ઉપર કોઈ ટબ નહીં હોવાથી અને ધ્યાનમાલાને ગ્રંથ આચાર્ય શ્રી જ્ઞાનવિમલ સૂરિએ સુગમ કરી દીધેલ હોવાથી તેનું સંપાદન પહેલાં ગ્રહણ કર્યું. ૭. નામકરણ– - પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલાનું નામ ગ્રંથને અંતે કલશની છેલી કડીમાં દર્શાવ્યા પ્રમાણે થાનમાલા” છે અને અપર નામ જે “અનુભવ લીલા” તે તે કલશની કડએમાં સાંકેતિક રીતે ગૂંથાયેલું માલુમ પડે છે. પ્ર. વેલણકર પણ તેમના જિનરત્ન કોષ નામના કેટલોગમાં તે કૃતિને “ધ્યાનમાલા” ના નામથી ઉહિલખિત કરે છે. તેમજ શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ પણ તેમના “જૈન ગૂર્જર કવિઓ” ના ત્રીજા ભાગના ખંડ બીજામાં (પૃ. ૧૪૧૩ પર) આ રાસનું નામ “ધ્યાનમાલા” દર્શાવે છે. ત્યારે હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ કૃતિનું નામ “પંચ પરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા” કેણે રાખ્યું હશે ? એ હકીકત છે કે પ્રસ્તુત ગ્રંથમાં પંચપરમેષ્ઠિ અને મંત્રરાજના ધ્યાન વિષે લંબાણથી નિરૂપણ થયું છે. કેટલીએક પ્રતે પણ સદરહુ વિશેષણે સહિતના નામવાળી પ્રાપ્ત થાય છે. (જુઓ અનુક્રમણિકા–“ઉપગમાં લેવાયેલી હસ્તલિખિત પ્રતિઓની યાદી ના શીર્ષક નીચે ) આ ઉપરથી એવું અનુમાન થઈ શકે છે કે “પંચપરમેડિ” અને “મંત્રરાજ” ના દાનની મુખ્યતા દર્શાવવા કેઈએ “ધ્યાન” શબ્દ પહેલાં તે શબ્દ તે કૃતિના નામમાં ઉમેરી દીધા હોય. Page #18 -------------------------------------------------------------------------- ________________ [૧૫] ૮. આદર્શ, ઐતિહાસિક અને સંગ્રહાત્મક યોગ ગ્રંથ- શ્રીનેમિદાસે સાચા અને ઉત્કટ મુમુક્ષુ તરીકે આત્મસ્વરૂપની સ્પષ્ટ અને ઉંડી પ્રતીતિ માટે અનેક ચોગ માર્ગોનું જે મંથન કર્યું, જે સાધના કરી, અને જે તપ આચર્યું તેને પરિણામે તેમને લાધેલી અનુભવ પ્રતીતિ જ આ કાવ્ય કૃતિમાં મુખ્યપણે પ્રરૂપાઈ છે. શ્રી નેમિદાસે જે નિરૂપ્યું છે તે તેમના જીવનના ઉંડાણમાંથી આવેલું હોઈ એ માત્ર તાર્કિક ઉપપત્તિ નથી. તે તે આત્માનુભવની થયેલી સિદ્ધિ-પ્રતીતિ છે, એમ અમને સ્પષ્ટ લાગે છે. આ વિશિષ્ટતાને કારણે તથા તે સમયના પ્રકાંડ વિદ્વાન આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિ જેવા સમર્થ ગુરુએ બાલાવબોધ માટે તેમના ભક્તનો કૃતિ ઉપર અર્થને ટબ લખી આપવાની કૃપા કરી તે વિશિષ્ટતાને કારણે પ્રસ્તુત રાસ અઢારમી સદીમાં પ્રચલિત દયાન પ્રક્રિયાઓને એક આદર્શ, ઐતિહાસિક અને સંગ્રહામક ગગ્રંથ સિદ્ધ થાય છે. ૯. તત્ત્વવિષયક કેયડાઓ– શ્રીનેમિદાસની પ્રસ્તુત કાવ્યમય કૃતિને સારા મિથ્થામતિને પરિહાર કેમ કરે ? અને “આતમ શુદ્ધિ” અથવા સમવન લાભ કેમ પામ તે છે. તેથી આ કૃતિનું સમ્યફ પ્રકારે મૂલ્યાંકન કરવા માટે સમ્યક્ત્વ અને મિથ્યાત્વના તત્વવિષયક કેટલાએક પ્રશ્નો અથવા કેયડાએ ઉપસ્થિત થાય છે તેને વિચાર આપણે પ્રથમ કરી લેવો જોઈએ. તે પ્રશ્નોના ઉત્તર પણ તેની નીચે જ આપવામાં આવ્યા છે. ૧૦. તાત્વિક પ્રશ્નો— તાત્વિક વિચારણા કરતાં જે પ્રશ્નો અથવા કોયડાઓ ઉભા થાય છે, તેની સમજણ વિના સાધક, “સાધ્ય અને સાધન” વિશે તદ્દન નિઃશંક થઈ શકતો નથી. તે પ્રશ્નો નીચે પ્રમાણે છે – (૧) મિથ્યાજ્ઞાન પણ એક પ્રકારનું જ્ઞાન છે. તે અધ્યાત્મ વિચારમાં તેને વિષય કયાંથી કયાં સુધી ગણ? અને સમ્યગજ્ઞાનને વિષય ક્યાંથી શરૂ થાય? (૨) મિથ્યાજ્ઞાનમાં એવું શું તત્ત્વ છે કે જેને કારણે રાગ, દ્વેષ અને દર્શન મેહ રૂપ મળે અનિવાર્ય પણે ઉદભવે જ? (૩) સમ્યગજ્ઞાનમાં એવું શું તત્ત્વ છે કે જે આવિર્ભાવ પામતાં મિથ્યાજ્ઞાનસહ બાકીના કષાને સબીજ નાશ કરે છે ? (૪) જેમ પ્રથમ નહીં એવું ક્ષાયિક સમ્યજ્ઞાન કયારેક પ્રગટ થાય છે તેમ એક વાર નાશ પામેલું પણ મિથ્યાજ્ઞાન ફરી પ્રગટ થતું નથી એવી માન્યતાને આધાર શેર ૧૧. ઉત્તરે– તે પ્રશ્નોના ઉત્તર અનુક્રમે આ પ્રમાણે છે – (૧) જેમાં જેમાં “હું પણનું ભાન થાય અને તેને લીધે “મમબુદ્ધિ થાય તે બધે જ Page #19 -------------------------------------------------------------------------- ________________ [૧૬] આત્મબુદ્ધિનો વિષય છે. પણ જે જે વસ્તુ મૂર્ત, પરિમિત અને ભાગ્ય હોઈ, પ્રયત્નથી પ્રાપ્ત કરવાની હોય છે અને પ્રયત્નથી જ સાચવવી પડે છે, તે બધી જ વસ્તુ અહંભાવનો વિષય હોવા છતાં મિયાજ્ઞાનનો વિષય છે. જે વસ્તુ અપ્રાપ્ત નથી, જેને મેળવવા કે સાચવવા માટે કશે જ બાહ્ય પ્રયત્ન અપેક્ષિત નથી, જે જ્ઞાનમાત્રથી જ સિદ્ધ છે તે વસ્તુ સમ્યગજ્ઞાનને વિષય છે. આ વ્યાખ્યા પ્રમાણે અહબુદ્ધિના વિષયભૂત શરીર, પ્રાણ, મન, સત્તા, યશ, સંપત્તિ, પુત્ર આદિ બધું જ મિથાજ્ઞાનના વિષયમાં આવે, કેમકે તે બધું જ પ્રયત્નથી મેળવવું અને સાચવવું પડે છે, જ્યારે એ બધા મૂર્તા ભાવે અને તેને અનુષંગી બીજા ભાવથી પર એવો અહબુદ્ધિને વિષય ચેતન, તે સમ્યજ્ઞાનને વિષય છે; કેમકે તે વસ્તુ પ્રયત્નથી ઉપજાવવાની, આણવાની કે સાચવવાની જરૂર નથી પડતી, માત્ર એને ઓળખવાની જ જરૂર રહે છે. . (૨) અહં ત્વની અપરિમિત સહજ વૃત્તિ પરિમિત ભાવમાં નથી સંતોષાતી એ જ મિથ્યાજ્ઞાનનું મિથાપણું છે, તેને લીધે જીવ અનેક નવા નવા પદાર્થો મેળવવા, મેળવેલા સાચવવા અને તેનું પરિમાણ વધારવા ઇછે અને તરફડે છે. બાહ્ય સામગ્રી મેળવવા અને સાચવવામાં અનિવાર્ય રીતે ભાગીદારી અને પ્રતિસ્પર્ધાના વિM ઉપસિથત થતાં તેની રાગવૃત્તિ આઘાત અનુભવી શ્રેષમાં પરિણમે છે અને અભિનિવેશ છૂટ નથી. આજ મિથ્યાત્વનું અંતર કષાય કે કવેશ પ્રત્યે અનિવાર્ય ક્ષેત્રત્વ છે. (૩) અપરિમિત એવી અહંત્વની વૃત્તિ જ્યારે સદા સંનિહિત અને માત્ર સેવ એવા આત્માના સ્વભાવની પ્રાપ્તિ કરે છે ત્યારે બીજું કાંઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. જે છે તે જવાનો ભય પણ નથી અને તેમાં ભાગીદારી કે પ્રતિસ્પર્ધાની સ્થિતિ આવતી જ ન હોવાથી, કેઈ પણ જાતના ઈચ્છા-વિધાનના અભાવે અપ્રીતિ કે દ્વેષ જેવાં વલણે પણ ઉદય પામતાં નથી. એટલે સમ્યક્ત્વ ઉદય પામતાં પરિમિત વિષયક અહેવની વૃત્તિરૂપ મિથ્યાવની સાથે તેના પરિવાર રૂપ ઈતર કષાયે અગર કલેશો પણ સબીજ નાશ પામે છે. (૪) શુદ્ધ આત્મા-શુદ્ધ ચેતન એ પિતે જ મુખ્ય અહં બુદ્ધિનું કેન્દ્ર છે. એ બુદ્ધિ પરિમિત અને અચેતન ભાવોમાંનું ભાન્ત કેન્દ્ર છોડી મૂળ અને અંતિમ કેન્દ્રમાં જ્યારે સ્થિર થાય છે, ત્યારે હવે તેને અ૫ ભણું વળવાને રસ જ નથી રહેતું, કેમકે તેણે અ૬૫ કેન્દ્રને પરિણામે ઉદ્દભવતા કવાયચક્રને અનુભવ કરી લીધો છે, જે અત્યારે મુખ્ય કેન્દ્રમાં કરતાં સર્વથા વિલય પામેલ છે. ક્ષાવિક સમ્યજ્ઞાનનો વિષય અને તેનું સાહજિક વલણ આવાં કાઈ, હવે મિથ્યાત્વના ઉભવને કઈ અવકાશ જ નથી રહે, જયારે મિથ્યાત્વદશામાં સર્જ્ઞાનના અવકાશને પૂર્ણ સ્થાન છે.* * स्वभावलाभात् किमपि प्राप्तव्यं नावशिष्यते-१ નિઃસ્પૃહાષ્ટક ૧૨, જ્ઞાનસાર પૂ. ૭૧ * પેરા ૧૦-૧૧નો સારભૂત ભાગ અધ્યાત્મ વિચારણામાંથી લીધેલ છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] ૧૨, યથા જ્ઞાન મિથ્યાત્વ તરફ વળે નહીં— આ પ્રશ્નોત્તરીને સાર એ છે કે બુદ્ધિને પક્ષપાત હુ ંમેશાં યથાર્થ જ્ઞાનનેા જ હાય છે. તેથી કાઇ પણ વિષયનું યથાર્થ જ્ઞાન એકવાર પૂર્ણપણે પ્રગટયું અને એકરસ થયું એટલે બુદ્ધિ કદી મિથ્યાજ્ઞાન ભણી વળતી જ નથી. ૧૩ ગ્રંથયુગલ-જ્ઞાનયોગ અને ક્રિયાયાગ— શુદ્ધાતમ છે મહાકલ્યાણ' આ શબ્દોમાં શ્રીનેમિદાસે તેમના પ્રથમ ગ્રંથને-અયા ભસારમાલાને સાર આપ્યા છે અને તે ગ્રહવાને થાએ જાગુ' એમ કહીને ધ્યાનમા· લાનેા સાર આપ્યા છે-તેમને પહેલે ગ્રંથ જ્ઞાનયેાગના છે અને બીજો ગ્રંથ ક્રિયાયેગને છે. ૧૪ અણુખેડાયેલા માગે જનાર માટે પાથેય— આ વસ્તુ મુમુક્ષુએએ ચેાન્ય રીતે ગ્રહ કરવી જોઈએ. કેઈ આત્મીય વાળા અને પરાક્રમી સાધક આવા ખેડાયેલા માર્ગ ઉપર જવાને ઇચ્છે નહી' તે તેમને માટે તેમની કાવ્યમય સલાહ નીચે પ્રમાણે છે:~~ અભ્યાસે કરી સાધીઇરે, લહી અનેક શુભયેગ, આત્મવીર્યની મુખ્યતારે, જ્ઞાનાદિક સુવિવેક; ઢા. ૭ કડી-૬, ઉપાદેયને વિવેક અને ત્રીજી દર્શાવ્યા છે. તેમાંથી કાઈ પણ જ્ઞાનાદિક એટલે પ્રજ્ઞાષ્ટક તથા સુવિવેક એટલે હેય આત્મવીય-એ પાથેય સાથે જે અનેક શુભયાગ ક્રિયા માટે ચેગના અભ્યાસના માર્ગે જઈ શકાય છે. પરિણામે જીવથી અર્થાત્ જડથી ભિન્ન એવા જીવ તત્તવનેા-ચેતન તત્ત્વને જ્યારે અનુસવ અથવા અપરાક્ષ સાક્ષાત્કાર થાય ત્યારે જ તે ૫ત્ર સત્યજ્ઞાન સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ કૈાટિમાં આવે છે. ૧૫ અનુભવની વ્યાખ્યા— આવા ધ્યાનાભ્યાસને ગ્રંથકાર ‘ અનુભવ લીલા ’ રૂપે કાવ્યમય ભાષામાં રજૂ કરે છે. દિગબરીય કવિ બનારસીદાસના ‘નાટક સમયસાર ' માં અનુભવની વ્યાખ્યા નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છેઃ ܐ • આત્મ પદાના વિચાર અને યાન કરવાથી ચિત્તને જે શાંતિ મળે છે તથા આત્મિક રસનું આસ્વાદન કરવાથી જે આનંદ મળે છે, તેને ‘અનુભવ' કહે છે. ૧૬, તત્ત્વની પ્રાથમિક સિદ્ધિના પરમ આનંદ— શ્રીનેમિદાસે પ્રસ્તુત ગ્રંથમાં અનેક ચેગ અનુભવ લીલા રૂપે દર્શાવેલા ઢાવા છતાં એ વસ્તુ વિચારત થાયતે', મન પાયે વિશ્રામ । रस स्वाद सुख उपजै, अनुभौ याकौ नाम ॥ १७ ॥ સમયસાર નાટક (ઉત્થાનિકા) પૃ ૧૭. Page #21 -------------------------------------------------------------------------- ________________ [૧૮] જેમ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચા૨ે યાગશાસ્ત્રના ભારમા પ્રકાશમાં પેાતાના અનુભવ છેવટે સક્ષેપમાં દર્શાવ્યે તેમ શ્રીનેમિદાસે પણ જે પ્રક્રિયાથી અનુભવ પ્રમાણુ સાધ્યું તે પ્રસ્તુત ગ્રંથની પ્રથમ ઢાળની પ્રથમ પાંચ કડીમાં, ક્રિયાપદો ભૂતકાળમાં મૂકીને, વિશદ પ્રકારે દર્શાવ્યું છે. ત્યાં પાંચમી કડીમાં બેાધિષ્મીજની પ્રાપ્તિનુ' જે વર્ણન કર્યુ છે અને અહેાભાવના ઉદ્ગારા ટાંકી જે રતિગુણુ માટે સમર્પણભાવ વર્ણવ્યેા છે તે જેમ કવિતાની કળા સૂચવે છે, તેમ તત્ત્વની પ્રાથમિક સિદ્ધિને! પરમ આનંદ પણ સૂચવે છે. ૧૭. અનુભવ દ્વારા આધ્યાત્મિક ઉત્ક્રાન્તિ— સમગ્ર ગુણસ્થાન ક્રમની-આધ્યાત્મિક ઉત્ક્રાંતિના ક્રમની મુખ્ય મુખ્ય ચાવીએ તેમણે અનુભવ દ્વારા જ રજૂ કરી હેાય તેવેા સ્પષ્ટ ભાસ થાય છે. ત્રીજી ઢાળની ૨૧મી કડીમાં પ્રમત્તથી સાતમા ગુણસ્થાનક અપ્રમત્તના પ્રયાસ અને ચાથી ઢાળની ૨૦મી કડીમાં અપ્રમત્તથી બીજા અપૂર્વકરણને એટલે કે આઠમા ગુણુસ્થાનકના પ્રયાસ તેવી જ રીતે રજૂ કરાતા જણાય છે. ૧૮. આત્મજ્ઞાન માટે સ્વચ્છંદની રૂકાવટ— સ્વચ્છંદ રોકાયા સિવાય આત્મજ્ઞાનની દિશા ન પ્રકટે અને સદ્ગુરુના અર્થાત્ અનુભવી દોરવણી આપનારના ચાગ વિના સ્વચ્છ ંદ રાકવાનું કામ અતિ અઘરૂ છે, સીધી ઉંચી કરાડ ઉપર ચડવા જેવું છે. પરંતુ નેમિદાસે ‘જ્ઞાનવિમલસૂરિ ગુરુકૃપા લહી' તેમના આધારે જણાવ્યું છે, તેથી એમને માટે આ સર્વ પ્રયાસે આત્મજ્ઞાન માટે હિતાવહ છે. ૧૯. જૈન અને પાત’જલ ચેાગ પર પરા જૈન ચેાગ-પરપરા પ્રથમ સકષાય યાગના નિરાધ અને પછી અંતે અકષાય ચેગના નિરાધ અર્થાત્ અટૈગ અવસ્થા માને છે. એજ રીતે પાતંજલ યેાગ પરંપરા પણ પ્રથમ ક્લિષ્ટ ચિત્તવૃત્તિઓના અને પછી ક્રમે અંતે અક્લિષ્ટ ચિત્તવૃત્તિઓના નિરોધ માને છે. આ રીતે બન્ને પરપરાએમાં પરભાષા અને વર્ગીકરણ ભિન્ન છે, પણ અર્થ અને ભાવ એક હાવાથી શ્રીનેમિદાસ યોગ શબ્દના ઉપયોગ પ્રસ્તુત ગ્રંથમાં છૂટથી કરે છે અને સોંદર્ભ પ્રમાણે તેનેા અથ કરી લેવાના હૈાય છે. ૨૦. યાગ એ વિજ્ઞાનશુદ્ સાધના— વસ્તુત: ચેાગ એ વિજ્ઞાનશુદ્ધ સાધના છે અને કાઈ! પરંપરામાં તેના પાયા ઉપર સચેટ સાધના માર્ગ અનુસરી શકાય છે, તે મનુષ્યનુ ધ્યેય શું છે તે બતાવીને તેની પ્રક્રિયાના માર્ગ યોજી આપે છે. ચેાગતુ મુખ્ય અને સર્વશ્રેષ્ઠ પ્રયેાજન અધ્યાત્મસાધના છે. ૨૧. પ્રાણાયામની મર્યાદિત ઉપયેાગિતા— જૈન ગ્રંથકારો ચૈાગના આઠેય અંગેનુ વણુ ન એક સરખી રીતે કરે છે, છતાં મુક્તિના Page #22 -------------------------------------------------------------------------- ________________ [ ૯ ] સાધનરૂપ ધ્યાનમાં પ્રાણાયામને અનિવાય અને ઉપયેગી હોય તેમ માનતા નથી. તેમનુ` કથન છે કે પ્રાણાયામથી મન: સ્વાસ્થ્ય પ્રાપ્ત થવાને બદલે ઉલટો કલેશ થાય છે. યાગશાસ્ત્રના ખારમાં પ્રકાશમાં કે જ્યાં તેમણે પેાતાના અનુભવ દર્શાગ્યેા છે ત્યાં આચાય શ્રી હેમચન્દ્રસૂરિ ક્રમાવે છે કે “રેચક, પૂરક તથા કુંભક કરવાના અભ્યાસક્રમ વિના પણુ અમનસ્કતા પ્રાપ્ત થતાં પ્રયત્ન વિના પ્રાણ પેાતાની મેળે જ કાબૂમાં આવી જાય છે.” એકવાર આત્માએ બહિરાત્મદશાના ત્યાગ કરી અંતરાત્મરૂપ બની પરમાત્મા સાથે તન્મયતા કરી એટલે પ્રાણાયામનુ પછી પ્રયેાજન રહેતું નથી, ૨૨. મન જીતવાને ધ્યાન, કામ જીતવાને પ્રાણાયામ— નાથસંપ્રદાયે પ્રાણાયામની વિશેષતાં દર્શાવતા જણાવ્યું છે કે “મનને જીતવા માટે ધ્યાન છે અને કામને જીતવા માટે પ્રાણાયામ છે. " પ્રસ્તુત ગ્રંથની ઢાળ ત્રણની કડી છના ટખામાં શ્રી જ્ઞાનવિમલસૂરિ પણ જણાવે છે કે પવન નિ યથી કામથીય વ્યવ ન હોઈ ” (જુએ પૃ-૧૧૨):~ ૨૩, વન એ વિકાર વગેરેનું કારણ— પ્રસ્તુત ગ્રંથની ઢાળ ત્રીજીની છઠ્ઠી કડીના ટખામાં શ્રી જ્ઞાનવિમલસૂરિ સ્પષ્ટ જણાવે * न च प्राणायामो मुक्तिसाधने ध्याने उपयोगी, असौमनस्यकारित्वात् । यदाहु:ऊसासं न निरुभइ आभिग्गहिओ वि किमुअ चिट्ठाए ? सज्ज मरणं निरोहे सुहुमासासं तु जयणा ॥ १ ॥ ચેા. શા. પ્ર. પુ, શ્વે. ૧ અથ–પ્રાણાયામ મુક્તિના સાધનરૂપ ધ્યાનમાં ઉપયેગી નથી કારણ કે તે અસમાધિ કરાવનાર થાય છે. કયુ છે કે અભિગ્રહ કરનાર પણ શ્વાસાચ્છવાસને રોકી શકતા નથી તે પછી બીજી ચેષ્ટા કરનાર તેને કેવી રીતે રોકી શકે? (અભ્યાસ સિવાય) તે રેાકવાથી તત્કાળ મરણ થાય છે તેથી યતના પૂર્ણાંક સૂક્ષ્મ શ્વાસાવાસને ગ્રહણુ કરે. ઈન્દ્રિય જય કરી અમનસ્કતા સિદ્ધ કરવી જોઇએ. એ સિદ્ધ થતાં પ્રાણાયામ એની મેળે સિદ્ધ થાય છે. છતાં પ્રાણાયામના વિષયમાં એટલું વિશેષ સમજવાનું કે યેગીએને નાના પ્રકારની રુચિઓ હાય છે. પેાતાની રુચિ પ્રમાણે યાગને ઉપાય સાધવામાં આવે તે ઉત્સાહ ટકી રહે તેથી કાઈ સાધક વ્યક્તિને પ્રાણાયામથી પણ સિદ્ધ થવી સ ́ભવે છે. જે સાધક પ્રાણવૃત્તિના નિરાધથી જ ઇન્દ્રિયવૃત્તિના નિરોધ સાધી શકે તેમ હેાય તેને માટે પ્રાણાયામ ઉપયેાગી છે, તેથી કાઇ ક્રાઇ સ્થળે પ્રાણાયામની ઉપયોગિતાના વર્ણતા પ્રાપ્ત થાય છે. જેમકે પ્રાકૃત દયાશ્રય કાવ્યની પૂર્ણ કળશગણિકૃત ટીકામાં ( સ૮ શ્લા. ૨૩ પૃ. ૨૭૨) નીચે પ્રમાણેનું વાકય પ્રાપ્ત થાય છે:-- “ નાડીપન મયણના પરિજ્ઞાતથી કે પાંચ સમીરના ઉત્થાનની પ્રક્રિયાથી રહિત પુરુષ ઘણા કહેશે પણ યાગ સાધી શકતા નથી.” શારીરિક આરોગ્ય, મૃત્યુનાન વગેરે કેટલીક અન્ય બાબતે પ્રાણાયામથી સિદ્ધ થાય છે તેટલા પૂરતું તેનું યેાજન સ્વીકારવામાં આવ્યું છે, Page #23 -------------------------------------------------------------------------- ________________ [૨૦] છે કે વિકાર, અવિકાર, નિર્વિકાર સાધનાના કારણે પવન છે. ઈન્દ્રને જય તેનાથી સધાય છે. આ વિષય તેના અભ્યાસીઓ દ્વારા પુષ્કળ સંશોધન માગે છે. ર૪. ગ ગ્રંથ સમજવા માટે સદગુરુની દોરવણીની આવશ્યકતા– શ્રી જ્ઞાનવિમલસૂરિએ ઉપનિષદો વગેરે ગ્રંથ વાંચવા, વિચારવા ટબમાં સૂચન કર્યું છે પણ સદગુરુની દોરવણ વિના ચાર હાથ લાધે નહી. આ વિષયમાં તેઓશ્રી પોતે ત્રીજી ઢાળની પહેલી કડીના ટબમાં આ પ્રમાણે જણાવે છે – “અષ્ટાંગ યોગની સમાધિ સકલ દર્શન કહઈ છઈ પણિ તેહના ભલા વિચાર યોગી પુરુષ વિના કહી શકાઈ નહીં” (જુઓ પૃ-૯૦.) ૨૫. પ્રાણાયામથી પ્રાણુ વગેરેનો જય પ્રાણાયામથી માત્ર પ્રાણનો જય નથી થતું, પરંતુ પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન એ પાંચે વાયુને જય થઈ શકે છે. પરંતુ તે માટે તે પાંચેનાં સ્થાન, વર્ણ, ક્રિયા, અર્થ અને બીજા જાણવા જોઈએ. (જુઓ ઢાળ ૩-૬ પૃ. ૧૦૭-૯) આ પ્રમાણે પ્રાણદિના વિજય માટે અભ્યાસ કર્યા બાદ, મનની સ્થિરતા માટે ધારણા, ધ્યાન અને સમાધિને અભ્યાસ કરવાનું દર્શાવાય છે. ૨૬. તેજ ધરવાનાં સ્થાન અથવા આધાર સ્થાને – નિજ તેજ ધરવાનાં સ્થાનેએ+ (યોગશાસ્ત્ર પ્રકાશ-૫ કલે-ર૭ થી ૩૧ તથા પ્રસ્તુત ગ્રંથની ઢાળ-૩ કડી ૮) વાયુ સંચાર અને મન સ્થિર કરવાથી જે ફલપ્રાપ્તિ જણાવી છે, તે પાતંજલ યોગસૂત્ર વગેરે ગ્રંથમાં અમુક અમુક આધાર સ્થાને એ ધારણ થાન અને સમાધિ કરવાથી થતી ફલપ્રાપ્તિના જેવી જ છે. ૨૭. ધારણુઓથી અવાંતર – શ્રીનેમિદાસનો મુખ્ય ઉદ્દેશ, તે બધી ધારણાઓથી જે અવાંતર ફલ પ્રાપ્ત થાય છે કે જે મેળવવાં તેમને મતે ઉપયોગી નથી-તેમનું જ વર્ણન કરવાનો છે. પાતંજલ યોગસૂત્રમાં પણ એ રીતે અભિપ્રેત તેમજ અવાંતર ફલેની પ્રાપ્તિ પ્રકરણવશાત્ એક સાથે જ વર્ણવ્યા કરવી પડી છે અને સાથે સાથે જણાવવું પડયું છે કે “તે સમાધી ઉપર સુયાને + યેગશાસ્ત્ર અનુસાર નિજ તેજ ધરવાના ૨૧ સ્થાનો આ પ્રમાણે છે – (૧) પાદાંગુક, (૨) પાદતલ, (૩) પાર્ણ, (૪) મુક્લ, (૫) જધા, (૬) જાનુ, (૭) ઉરુ, (૮) ગુદ, (૯) લિંગ, (૧૦) નાભિ, (૧૧) તુંદ, (૧૨) હતુ, (૩) કંઠ, (૧૪) રસના, (૧૫) તાલુ, (૧૬) નાસામ, (૧૭) નેત્ર, (૧૮) ભૂ (ય), (૧૯) ભાલ, (૨૦) શિર, (૨૧) બ્રહ્મરદ્ધ. હયોગ પ્રદીપિકા (તૃતીયોપદેશ) અનુસાર ધારણું માટેનાં ૧૬ આધાર સ્થાને આ પ્રમાણે છે – (1) અંગુ, (૨) ગુફ, (૩) જાનુ, (૪) ઉરુ, (૫) સીવની, (૬) લિંગ, (૭) નાભિ, (૮) હતું. (૯) ગ્રીવા, (૧૦) કંઠદેશ, (૧૧) લમ્બિકા, (૧૨) નાસિકા, (૧૩) ભૂમધ્ય, (૧૪) તલાટ, (૧૫) મૂધ, (૧૬) બ્રહ્મરંધ. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૧) સિદ્ધયઃ ” * એ બધી સિદ્ધિઓને જેનાથી સાક્ષાત્કાર થાય છે તે સમાધિની પ્રતિબંધક છે. (૩, ૩૬) તેથી તેવી બધી ધારણાઓ આદિ ન કરતાં જેનાથી “તારનારૂં વિવેકજ્ઞાન” થાય એવા ધારણાદિ જ કરવાં. “તારાં સવિષચં સર્વથા વિષચક્રમં વિષે જ્ઞાનમ્ . ૪ (૩. ૫૩) ૨૮. યા ધમ વ્યાપારને યોગકેટિમાં ગણ? અપુનબંધકથી સર્વવિરતિ સુધી અધિકારીઓના મુખ્ય ચાર વર્ગ છે. દરેક વર્ગમાં પણ અધિકાર પરત્વે તારતમ્ય છે જ. એવી ભિન્ન ભિન્ન યોગ્યતાવાળા સમસ્ત અધિકારીઓના પોતપોતાની ભૂમિકાને અનુરૂપ હોય એવા બધાજ પ્રકારના ધર્મ વ્યાપારને વેગ કટિમાં ગણવાની સામાન્ય કસોટી શું હોઈ શકે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પ્રસ્તુત ગ્રંથમાં અનેક યોગ માર્ગો દર્શાવેલા હોવાથી આ ગ્રંથ પરત્વે તે તે પ્રશ્ન જરૂર ઉપસ્થિત થાય છે. આ પ્રશ્નનો ઉત્તર ગશતકના કર્તા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ તે ગ્રંથમાં આપવા કૃપા કરી છે. તેઓ કહે છે કે સામાન્ય કસોટી માત્ર એક જ છે અને તે શાસ્ત્ર આજ્ઞાને અનુસરવાની છે. ભૂમિકાભેદ પ્રમાણે ચાલતા અધિકારીને કોઈ પણ ધર્મવ્યાપાર અર્થાત્ ઉચિત અનુષ્ઠાન જે સ્વછંદી ન હોય અને જે તે ઉપર દર્શાવ્યા તેવા અનુભવી પુરુષનાં વચનને અનુસરી વિવેકપૂર્વક અને ઉપગપૂર્વક ચાલતો હોય તે તે વેગ કોટિમાં લેખાય છે. જિન શાસનમાંહિ યોગ અનેક” એ પ્રમાણે કવિ નેમિદાસ પ્રસ્તુત કૃતિની પહેલી ઢાળની એકવીસમી કડીમાં દર્શાવે છે. તે સઘળી વેગ પ્રક્રિયાઓ યોગ કેટિની છે અને તે ચોગ્ય રીતે મૂલવવાની આવશ્યકતા રહે છે. પ્રસ્તુત રાસની સાતેય ઢાળમાં જે ગમાર્ગો નિર્દિષ્ટ કર્યા છે તે માટે જુઓ અનુક્રમણિકામાં દયાનની અને આનુષંગિક સામગ્રી’ના શીર્ષક નીચે દર્શાવેલ સામગ્રી વિસ્તાર) તે તપાસવાથી તે વિષે સંપૂર્ણ માહિતી મળશે. આ વિરલ, વિપુલ અને વિવિધ ધ્યાન સામગ્રીને સંગ્રહ બીજે ક્યાંય સંગ્રહીત થયો હોય તેવું અમારા જાણવામાં આવ્યું નથી. ર૯. મન અને તેની શુદ્ધિ આત્મશુધિ એ વસ્તુતઃ મનની શુદ્ધિ ઉપર આધાર રાખે છે. તે મન શું છે? અને 1 * એ પ્રતિભ આદિ સંપ્રજ્ઞાdયોગના પ્રતિબંધક છે (અર્થાત ઉપેક્ષા કરવા યોગ્ય છે) માત્ર વ્યુત્થાનદશામાં (વ્યવહારદશામાં) સિદ્ધિ વા વિભૂતિરૂપ છે. * આ વિકજન્ય જ્ઞાન સર્વ પદાર્થને વિષય કરનાર હોય છે. પદાર્થોના સર્વ ભૂલ સુમાદિ પ્રકારોને વિજ્ય કરનાર છે. તથા સર્વને યુગપત ભાસમાન કરે છે અને સંસાર સાગરથી તારનાર હોવાથી તારક કહેવાય છે. : ૧ જુઓ યોગશતક ગાથા ૨૨નું વિવરણ. 2 “ક્રિયા ઉપગશન્ય ન હોય અને સ્વમતિકપિત ન હોય” જુઓ પ્રસ્તુત ગ્રંથ ઢાળ ૩, કડી ૫ નો ઓ. Page #25 -------------------------------------------------------------------------- ________________ [૨૨] તેની શુદ્ધિ કેવી રીતે થાય છે? તે આપણે સમજીએ. જીવાત્માની ઉપયેગરૂપી ચેતના જે દેહની બહાર જાય છે, તેનું પ્રવાહાત્મક અસ્તિત્વ તે · મન ' છે. શરીરનું અસ્તિત્વ જેવું નિરંતર છે, તેવું ભાષાનું કે મનનું નિરંતર નથી, પરંતુ તે પ્રવાહાત્મક છે. ‘ મધ્યમાળા માષણ' એટલે કે બેાલાતી હાય ત્યારે ભાષા કહેવાય છે. ભાષણની પહેલાં ભાષા ન હોય અને ત્યાર પછી પણ ન હેાય. ભાષા ફેત્રળ ભાષણકાળમાં જ હાય છે, કારણ કે માસિजमाणी भासा આ પ્રકારે ‘મન્યમાન” મન હોય છે. વિચાર કરતે હૈાય તે પહેલાં મન ન હેાય અને ત્યાર પછી પણ ન હોય. મન કેવળ મનન કાળમાંજ હોય છે, બિનમાળે મળે’મન એક ક્ષણમાં એક હાય છે, ‘ ì મળે તંત્તિ તંત્તિ સમયંત્તિ ’ મનના ઇન્દ્રિયાની સાથે સ'ખ'ધ હોય છે. ઇન્દ્રિયાના સ્પર્શ આદિ પાંચ વિષયા છે. આ વિષયામાં જગતની સઘળી વસ્તુ સમાવિષ્ટ થઈ જાય છે. ઇન્દ્રિયા દ્વારા દરેક વસ્તુ તથા તેનું સ્થૂલ સ્વરૂપ ગ્રહણ થાય છે. તે પ્રમાણે શબ્દના માધ્યમથી આપણા બાહ્ય જગત સાથે સંબધ જોડાય છે. મનના બાહ્ય વસ્તુ સાથે સીધે। સ ંપર્ક નથી. તે તે ઇન્દ્રિયાના માધ્યમ દ્વારા થાય છે. " ૩૦. સામ્યાવસ્થાઃ વાસ્તવમાં સામ્યાવસ્થા એ મનઃશુદ્ધિનું કારણ છે. સાધારણ રીતે આપણે માનીએ છીએ કે મન ચંચલ છે. મનમાં વિક્ષેપ થાય છે, તેથી તે અશુદ્ધિમય છે; પરંતુ વિક્ષેપ ત્યાં થાય છે કે જ્યાં ઇન્દ્રિય, મન અને પવન વિષમ હાય. તે જો સમ થઈ જાય તે વિક્ષેપ તેની મેળે વિલીન થઈ જાય છે. સમતાની સ્થાપનાનું માધ્યમ સમતાલ શ્વાસ છે. જેટલી માત્રા એક શ્વાસમાં થાય તેટલી જ બીજા શ્વાસમાં થાય અને તેટલી જ ત્રીજામાં થાય તેા તે શ્વાસ સમતાલ કહેવાય. સમસ્વર અથવા સમલયમાં તન્મયતા સાથે શક્તિ પણ વિકસિત થાય છે. આ કારણે ત્રીજી ઢાળમાં પવનાભ્યાસની (૩–૯ માં) કે અધ્યાત્મ પવનની (૩-૧૫ માં) અનેક રીતે ભલામણ કરવામાં આવી છે. આ વિષયના ઉદ્દેાધન માટે પવન', ‘ સમીર’ અને ‘વાયુ ' એ પ્રમાણે જુદા જુદા શબ્દ પ્રયાગા થયા છે અને તેના જયને અભ્યાસ કર્યા પછી મનનેા જય કરવા માટે પ્રયત્ન કરવા જોઇએ, તેમ દયાનદીપિકા ' પણ કહે છે. પ્રસ્તુત ગ્રંથની ઢાળ કની, કડી ૩ના ટખામાં શ્રી જ્ઞાનવિમલસૂરિ સ્પષ્ટ જણાવે છે કે પ્રાણાયામ પવનનિય વિના કરી ન શકાય, એટલે વસ્તુતઃ પ્રાણાયામ રૂઢિમાત્ર ગણાયા હોય પણ પવનના નિયની અત્યંત આવશ્યકતા છે. આવા નિય માટે પ્રાણાયામ અનુકૂળ ન ગણાયા હાય તા શ્વાસાયામ કેળવવે 6 " ܕ * શ્વાસેાચ્છવાસના કેવળ પૂરક અને રેચકના વ્યવસ્થિત પ્રયત્નને કોઇ વાસાયામ કહે છે, તેમાં પ્રાણને સમસ્થિતિમાં રાખવા માટે લામવિલામની પ્રક્રિયા અનુસરાય છે. તેમાં કુંભકના પ્રયાસ હોતા નથી. બૌધ્ધ સંપ્રદાયમાં તે। શ્વાસ અને ઉચ્છ્વાસના કુદરતી સંચાર ઉપર જ દયાન અપાય છે અને તેને દસ્ય ગણાય છે. તે પ્રકારે દશ્ય અને દૃષ્ટાને ભેદ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને તેએ ‘આનાપાનસતિ' કહે છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ [૨૩] જોઈએ. તે તંદુરસ્તી માટે પણ તેટલો જ જરૂરી છે. તે માટે રવદયને માર્ગ+ પણ દર્શાવવામાં આવ્યો છે. રવોદય એ શ્વાસની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે, અને તેની રીત, રસમ કે પ્રણાલિકા હાલ ચાલુ નહીં હોવાથી તેના વિષે ગ્રંથમાં જણાવ્યું છે, તે ઉપરાંત કંઈ સારભૂત પ્રકાશ નાખી શકાય તેમ નથી. ૩૧. મંત્રગનું ગૂઢ રહસ્ય અનુષ્ઠાને માટે મંત્રોગને એક અતિગૂઢ રહસ્યને સ્ફટ, આચાર્યશ્રી જ્ઞાનવિમલસૂરિ પ્રસ્તુત ગ્રંથની પાંચમી ઢાળની પહેલી કડીના ટબામાં સહજરીતે કરી નાખે છે. તે વિષે ટબાનું વાક્ય આ પ્રમાણે છે : એ દ્રવ્ય વિધાન જાણવાના ભાવવિધાન સાધી.” આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે દ્રવ્ય વિધિવિધાનની અનુષ્ઠાનમાં સફળતા જોઈતી હોય તો ભાવવિધાન અત્યંત આવશ્યક છે. એ વિષય વાચકવર્ગને યથાર્થ રીતે સમજાય તે માટે ભાવવિધાનના યંત્રનું આલેખન કરાવી તે પૃ ૧૭૯-૮૨ ઉપર અમે મુદ્રિત કરાવ્યાં છે. ભાવવિધાનના પાઠનો જાપ યોગ્ય રીતે કરી શકાય તે માટે અમે પુનરુક્તિનો દોષ વહારીને પણ પૃ. ૧૮૩-૮૬ ઉપર તે સવિસ્તર જણાવેલ છે. આ ઉપરથી ભાવવિધાનની આવશ્યકતા દયાનમાં આવશે. ૩ર. આભાર દર્શન– નમસ્કારમહામંત્રોપાસક, પરમપૂજ્ય, પંન્યાસ શ્રીભદ્રંકરવિજયજી ગણિવરની સતત પ્રેરણા અને અવારનવારના બહુમૂલ્ય સૂચનેને લઈને જ આ અતિવિકટ અને જટિલ ધ્યાનમાલા” નામક ગ ગ્રન્થનું સંપાદન અમે પાર ઉતારી શકયા છીએ. તેઓશ્રીની ઘણા સમયથી નાદુરસ્ત તબીયત હોવા છતાં આ ગ્રન્થનું કાર્ય જ્યારે જ્યારે તેમની પાસે ધર્યું છે, ત્યારે ત્યારે વિના સંકોચે અને વિના વિલંબે તેમણે તપાસી આપ્યું છે અને અતિ ઉપયોગી સૂચને આપીને આ ગ્રંથને તાવિક બેધથી સભર કરી દીધો છે. તેઓશ્રીના આવા સહદય સહકાર વિના અમારું ગજું નહોતું કે આવા કેટલાય વર્ષો થયાં અણખેડાયેલા માગને નિર્દેશ કરતા ગ્રંથની અમે સમાપ્તિ કરી શક્યા હતા. આથી અમે તેઓશ્રીના અનેક પ્રકારે ઋણે છીએ અને તેમને અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. પૂ. મુનિશ્રી ભુવનવિજયજીના અંતેવાસી, અખંડજ્ઞાનોપાસક મુનિશ્રી જંબૂવિજયજીએ + સ્વરોદયનો ભાગ–આ વિષયમાં યોગી શ્રી ચિદાનંદજી તેમના “અધ્યાત્મ અનુભવ યોગ પ્રકાશ' નામના ગ્રંથમાં પૃ ૧૧૪ ઉપર આ પ્રમાણે દર્શાવે છે : जो कोइ योगकी प्तिद्धि करना चाहे तो प्रथम स्वरोदय अर्थात् स्वरका अभ्यास अवश्यमेव करे , क्योंकी जबतक पूरा पूरा उसको स्वरके तत्वांका ज्ञान न होगा तब तक योगकी सिद्धि कदापि न होगी । આ ઉપરથી સ્વરોદયની આવશ્યકતા પણ સમજાશે. Page #27 -------------------------------------------------------------------------- ________________ [૨૪] પ્રસ્તુત ગ્રંથનું અમારું પહેલું સંપાદન સાદ્યન્ત તપાસીને તે વિવરણને હજી વધારે સંસ્કારની જરૂર છે એવી સલાહ આપી વધારે સુંદર વિવરણ તૈયાર કરવા અમને ઉત્સાહિત કર્યા તે માટે અમે તેમને આભાર માનીએ છીએ. પ. પૂ. પં શ્રી ભદ્રકવિજયજીના શિષ્ય મુનિશ્રી કુંદકુંદવિજયજીને અમે એટલા માટે આભાર માનીએ છીએ કે તેઓશ્રીએ અમને આ સંપાદનનું કાર્ય સુપ્રત કર્યું. તેઓની પ્રાથમિક પ્રેરણા ન હોત તો આ કાર્ય અમે હાથ ધરવાનું કઈ દિવસ વિચારતા નહીં. ૩૩. ક્ષતિઓ માટે ક્ષમાયાચના આ ગ્રંથના સંપાદનમાં અજ્ઞાન, મોહ અને પ્રમાદાદિ દેશોથી જે કાંઈ ત્રુટિઓ રહી જવા પામી હોય કે શ્રી તીર્થંકરદેવની આજ્ઞાવિરૂદ્ધ કાંઈ લખાયું હોય તે માટે અમે અંતઃકરણ પૂર્વક ક્ષમા યાચીએ છીએ અને બહુમતાને વિનંતિ કરીએ છીએ કે તેમણે અમારા ઉપર અનુગ્રહ કરીને આ ગ્રંથયુગલમાં રહી ગયેલી ક્ષતિઓનું સંશોધન કરવું અને તે અમને ઉદારભાવે લખી જણાવવું જેથી બીજી આવૃત્તિમાં યોગ્ય સુધારે વધારે થઈ શકે. વિ. સં. ૨૦૨૭ શ્રાવણ. મુંબઈ લિ. સેવક અમૃતલાલ કાલીદાસ દેશી. પ્રમુખ, જે. સા. વિ. મંડળ Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન કવિરાજ શ્રી નેમિદાસ રામજી શાહ પ્રણત ૧. પંચપરમેષ્ટિ મંત્રરાજ ધ્યાનમાલા અથવા અનુભવલીલા () મૂલમાત્ર તથા (ગા) મૂલ સાથે આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિન ટબ અથવા બાલવિલાસ, તેમના શબ્દાર્થ, ભાવાર્થ, તથા સવિસ્તર વિવરણ સાથે તથા– ૨. અધ્યાત્મસારમાલા (મૂલમાત્ર)* –jથયુગલને આ પ્રકારે સર્વપ્રથમ પ્રકાશિત કરી તે વિષયના અભ્યાસી મહાનુભાવે સમક્ષ મૂકતાં હું આનંદ અનુભવું છું. પ્રસ્તુત ધ્યાનમાલા ગ્રંથન સંપાદનમાં જે કમ રખાયો છે તે નીચે મુજબ છે – દયાનમાલા તથા ટબાના શબ્દાર્થ, ભાવાર્થ તથા સવિસ્તર વિવરણ વિષે સમજૂતિ, આ શીર્ષક નીચેના લખાણમાં આ ગ્રંથના સંપાદનના કમની વિગતપૂર્ણ માહિતી સુસ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવી છે. વાચકોને ત્યાંથી તે જોઈ લેવા વિનંતિ છે. દયાનની અને આનુષગિક સામગ્રી આ ગ્રંથને વિષય ધ્યાનનો છે. જેમ એક માલાના મણકા ૧૦૮ હોય છે તેમ આ કાવ્યકૃતિની કડીઓ ૧૦૮ રચવામાં આવી છે અને તે કડીઓને સાત ઢાળમાં અને જુદા જુદા છેદ તથા દેશીઓમાં ઢાળી છે. તે દરેક ઢાળને વિષય અનુક્રમે નીચે પ્રમાણે છે – * પૃ ૧ થી ૨૦ સુધી. + પૃ ૨૧થી પૃ ૨૫૬ સુધી. ૪ પૃ ૨૫થી પૃ. ૨૭૨ સુધી ૧ છંદ તથા દેશી. ઢાળ-૧ ચોપાઈ. ઢાળ-૨ બંગલાની દેશી, રાગ કાફી. ઢાળ-૩ ત્રિભુવનતારણ તીરથ એ દેશી. ઢાળ-૪ બંગલાની દેશી, રાગ કાફી. ઢાળ-૫ ચોપાઇ. ઢાળી-૬ છીપવ. ઢાળ-૭ ચંદ્રાઉલાની. Page #29 -------------------------------------------------------------------------- ________________ [૨૬] ઢાળ પહેલી..... ......શુદ્ધાતમ દયાન. ઢાળ બીછ.......................ધ્યાન-શિવસુખ પ્રાપણ મૂલ ઉપાય. ઢાળ ત્રીજી.............ધમ ધ્યાનની વ્યકિત તથા પવનાભ્યાસ. ઢાળ ચોથી...................મંત્રરાજ આદિની સમાપત્તિ અથવા સાધના પ્રપંચ ઢાળ પાંચમી......................પરમમંત્રની સાધના-વિશેષવિચાર. ઢાળ છઠ્ઠી........................પરમેષ્ઠિ પદ તથા સિદ્ધચક્રની માંડણી. ઢાળ સાતમી પંચપરમેષ્ઠિ-મુખ્ય આલંબન તથા અનુભાવલીલા. આ પ્રમાણે ધ્યાનના વિષયને (રાસની કડી ૧૦૮, ઉપસંહારની કડી ૩, અને કલશની કડી ૧ એ પ્રમાણે) ૧૧૨ કડીમાં બહેલાવતાં અનેક ગમાર્ગોને ક્રિયા તથા જ્ઞાન માટે જે સામગ્રી ૨જૂ કરી છે તે અતિપ્રશંસનીય છે. આ સમગ્ર સાધનાનું રહસ્ય ટૂંકમાં બતાવવું હોય તે અભ્યાસ, જ્ઞાનગર્ભિત વૈરાગ્ય અને આત્મવીર્ય આ શબ્દમાં દર્શાવી શકાય. ટબામાં સૂચિત કરેલા ગ્રંથોની યાદી ટબાકારે જે જે જૈન દર્શન તેમજ ઈતરદર્શનના ગ્રંથ કે જે દયાનાભ્યાસ, પવના ભ્યાસ અને સવરોદયના અભ્યાસના વિષયોમાં મદદગાર થાય તેવા છે તેનો પ્રસ્તુત ટબામાં જુદે જુદે સ્થળે ઉલ્લેખ કર્યો છે, તે સર્વને એકત્ર કરી યાદી રૂપે અમે રજૂ કરેલ છે. ટબાકાર એક સમર્થ જૈનાચાર્ય હોવા છતાં તેમણે જરાય પૂર્વગ્રહ વિના કાવ્યકૃતિનું રહસ્ય સમજવા પેગવિષયક ઇતરગ્રંથની સાક્ષીએ આપી છે તે તેમની નિષ્પક્ષપાતવૃત્તિ દર્શાવે છે. વિવરણના લેખનમાં આધારભૂત ગ્રંથની યાદી પ્રસ્તુત ગ્રંથનું સવિસ્તર વિવરણ લખતી વેળા તેમાં જે જે ગ્રંથને આધાર લેવાયો છે તે તે ગ્રન્થની વિગતપૂર્ણ યાદી રજૂ કરાઈ છે. જેથી તે તે લખાણના મૂળ સ્થલે જાણવા ઈચ્છતા મુમુક્ષુ મહાનુભાવોને સરળતા થશે. ઉપયોગમાં લેવાયેલી હસ્તલિખિત પ્રતિઓની યાદી પ્રસ્તુત ગ્રંથના સંપાદન સમયે પાઠભેદેના નિર્ણય માટે જે હસ્તલિખિત પ્રતે એકત્ર કરવામાં આવી હતી તેના ક્રમાંક તથા જ્ઞાનભંડારના નામે લેખપૂર્વકની સૂચિ દર્શાવી છે. મૂળગ્રંથમાં તથા ટબામાં નિર્દિષ્ટમંત્ર બીજાક્ષરે તથા તેના અર્થો – ગ્રંથકાર તેમજ ટબાકારે જે જે મંત્રીને મૂળ તેમજ ટબામાં ઉલ્લેખ કર્યો છે તેની સમુદિત યાદી અર્થ સાથે રજૂ કરવામાં આવી છે. યંત્ર ચિત્ર સૂચિ પ્રસ્તુત ગ્રંથમાં જે જે વિધાનને નિર્દેશ કરાયો છે તેને સમજવામાં વાચકને Page #30 -------------------------------------------------------------------------- ________________ [૨૭] અનુકૂલતા રહે તે માટે તેના યંત્રે આલેખાવી રજૂ કરાયાં છે, તેમજ પ્રાસ'ગિક ચિત્રા પ રજૂ કરાયાં છે. તે તે યા તથા ચિત્રા કયા કયા પૃષ્ઠ ઉપર છે, તેની સૂચિ દર્શાવી છે. શબ્દાના શીક નીચે દર્શાવેલા તથા અન્ય ઉપચેાગી શબ્દોની સૂચિ— પ્રસ્તુત ગ્રંથના કઠિન શબ્દો કે જેના અર્ધાં અમે ‘શબ્દાર્થ ' શીષક નીચે ટમાથ અનુસાર આપેલ છે, તેની તથા કાઇ કાઈ મહુજ ઉપયાગી શબ્દોની તેના સ્થલનિર્દેશ પૂર્ણાંકની વિસ્તૃત સૂચિ અકારાદિ ક્રમથી રજૂ કરાઇ છે. સંકેતસૂચિ— વિવરણના લેખનમાં જે ટુંકાક્ષરી શબ્દ પ્રયોગા કરાયા છે તે કયા ક્યા શબ્દોના સૂચક છે તેની યાદી રજૂ કરવામાં આવી છે. મામાં નિર્દિષ્ટ દાતા— ટબાકારે ટખામાં કેટલેક સ્થળે તે તે વિષયને અનુરૂપ થ્રાન્તા ટાંકયાં છે. તે તે દૃષ્ટાન્ત કયી કી ઢાળની કયી કયી કડીમાં છે તેની, અને તે તે દૃષ્ટાન્ત જાણવાના ઇચ્છુક મહાનુભાવાએ કયા કયા ગ્રંથા જેવા તેની યાદી રજૂ કરાઈ છે. આચાય શ્રીજ્ઞાનવમલસૂરિનું જીવનવૃત્ત— ટમાના રચિયતા આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિનું જીવનવૃત્ત, તેમનેા સત્તાકાળ, તેમના રચેલા ચેા વગેરેની શકય અને પ્રાપ્ત થઇ શકી તેટલી વિગતાની રજૂઆતપૂર્વકનુ આલેખવામાં આવ્યું છે. કવિરાજ શ્રીનેમિદાસ રામજી શાહનું જીવનવૃત્ત— પ્રસ્તુત ગ્રંથયુગલના રચયિતા કવિરાજ શ્રીનેમિદાસ રામજી શાહનું જે કઇ જીવનવૃત્ત પ્રાપ્ત થયું તે રજૂ કરાયું છે. ધ્યાનમાલામાંથી ઉષ્કૃત કરેલા સુભાષિતા— પ્રસ્તુત ગ્રંથયુગલ પૈકી ‘ધ્યાનમાલા’માં સ્થળે સ્થળે જે સુભાષિતા યાને સુંદર ઉપ દેશ વચને ગ્રંથકારે રજૂ કર્યો છે તે પેાતાના હૃદયાદ્ગાર જેવા અને અનુભવના નીચેાડ રૂપ છે. વાચકને તે અતિ ઉપયેગી જાણી અહીં તે રજૂ કરાયાં છે. શુધ્ધિપત્રક— ત્યાર બાદ પ્રસ્તુત ગ્રંથના મુદ્રણમાં જે કંઇ પ્રેસદેોષથી ક્ષતિએ સજાવા પામી હાય તેની યાદી રજૂ કરી છે, વાચકે પ્રથમ તે મુજબ ગ્રંથને સુધારી લે પછી વાંચે એવી વિનંતિ છે. સપાદન આ ગ્રંથના સંપાદન પાછળ સીધી કે આડકતરી રીતે અનેક વ્યક્તિઓના શ્રમ છે. તેમાં સૌથી વિશેષ શ્રમ અમારા મંડળના માનનીય પ્રમુખશ્રી શેઠ અમૃતલાલ કાલીદાસ દોશીના છે કે જેમણે રાતના ઉજાગરા વેઠીને પણ આ ગ્રંથના રહસ્યાને તાગ મેળવવા મથામણેા કરી છે. ઉપરાંત નમસ્કારમહામત્રાપાસક, પ્રશાન્તમૂર્તિ, પરમ Page #31 -------------------------------------------------------------------------- ________________ [૨૮] પૂજ્ય, પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રકવિજયજી ગણિવરે પણ તેમના ફેટ માટે પુષ્કળ શ્રમ લીધો છે. તેમની નાદુરસ્ત તબિયત હોવા છતાંય તેમણે ગ્રન્થને વાંચ્યું છે, વિચાર્યો છે, તેના ભાવાર્થ અને વિવરણની ક્ષતિઓ સુધારી છે, તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યાં છે. તદુપરાંત આ ગ્રંથ ઉપર વિદ્વત્તાપૂર્ણ બે બેલ” લખી આપવાની પણ તેમણે કૃપા કરી છે. તેમના આ સઘળા ઉપકાર બદલ હું તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. વિશેષતા પ્રસ્તુત ગ્રંથ, ધ્યાન અંગેની અનેક પ્રક્રિયાઓને છતી કરે છે. ઉપરાંત તે યુગમાં પ્રચલિત પદ્ધતિઓનું પૂરેપૂરું દિગદર્શન કરાવે છે. દયાન પ્રક્રિયા અંગે આટલા વિશિષ્ટ પ્રકારે સ્પષ્ટીકરણ કરતો લોકભાષામાં બીજો કોઈ ગ્રંથ જાણવામાં નથી. ઉપરાંત આ ગ્રંથ ઉપર ગ્રંથકર્તાના ગુરુદેવ આચાર્યશ્રી જ્ઞાનવિમલસૂરિએ પતે ટબ લખી આ ગ્રંથની મહત્તામાં અનેકગણું વૃદ્ધિ કરી છે અને ગ્રંથકર્તાએ રજૂ કરેલી વિગતે ઉપર પિતાની મહોર મારી છે. આ તેની અદ્દભુત વિશેષતા છે. ગ્રંથના રચયિતા પ્રસ્તુત ગ્રંથયુગલના રચયિતા વ્રતધારી ગૃહસ્થ છે. આપણે ત્યાં પંચમહાવ્રતધારી મુનિઓના રચેલા ગ્રંથેની તુલનામાં ગૃહસ્થરચિત ગ્રંથો અતિ અલ્પમાત્રામાં છે. છેલ્લા ૧૦૦૦ વર્ષને ઈતિહાસ તપાસતાં શ્રી નેમિચંદ્ર ભાંડાગારિક, કવિશ્રી ઋષભદાસ અને શ્રી નેમિદાસ કવિ સિવાય તેવાં અન્ય પ્રચલિત નામે જાણવામાં નથી. બાકાર પ્રસ્તુત ગ્રંથ ઉપર વિદ્વત્તા પૂર્ણ ટ લખનાર આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિ છે. તેમનું જીવનવૃત્ત આ ગ્રંથમાં આપેલ છે તેથી અહિં તેનું પુનરાવર્તન અનાવશ્યક છે. વાચકોએ તે ત્યાંથી જોઈ લેવું. અધ્યાત્મસારમાલાનું મુદ્રણું કવિરાજશ્રી નેમિદાસ રામજી શાહ કૃત ત્રણ ગ્રંથ હાલ ઉપલબ્ધ થાય છે. જેની રચના નીચેના ક્રમાનુસાર તેમણે કરી છે. ૧. અધ્યાત્મસારમાલા. રચના વિ. સં. ૧૭૬૫ ૨. પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા. રચના વિ. સં. ૧૭૬૬ ૩. વીશી ચઢાળિયું. રચના વિ. સં. ૧૭૭૩ આ ત્રણ ગ્રંથે પિકી “અધ્યાત્મસારમાલા” ઉપર કોઈ બે કે વિવેચન ઉપલબ્ધ થતું નથી. પરંતુ પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલાને સમજવા માટે તે ગ્રંથ અતિ ઉપયોગી હોવાથી અમે અહીં તેનું મુદ્રણ કરાવ્યું છે. તે ગ્રંથ આજથી ૫૫ વર્ષો પૂર્વે બુદ્ધિપ્રભા નામના માસિકના વર્ષ ના અંક ૬માં પૃ. ૧૬રથી પૃ૦ ૧૭૦ સુધીમાં મુદ્રિત થએલ છે પરંતુ અમે અહીં શક્ય તેટલી પ્રતે મેળવી Page #32 -------------------------------------------------------------------------- ________________ [૨૯] તેના પરથી ગ્રંથને શકય તેટલો શુદ્ધ કરી મુદ્રિત કરાવેલ છે. તે માસિકમાં અદયાત્મસારમાલા” સંપૂર્ણ થયા બાદ શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત “અધ્યાત્મવાણી ગર્ભિત સ્વાધ્યાય ” નામક ૧૦ કડીની કૃતિ મુદ્રિત કરેલ છે. તે કૃતિ અદયાત્મસારમાલાને જ વિભાગ છે કે એક સ્વતંત્ર કૃતિ છે તે નિર્જીત થઈ શકયું નથી, પરંતુ અમે અહીં તેને અધ્યાત્મસારમાલાના પ્રાતે રજૂ કરી છે. ત્રીજે ગ્રંથ “ચોવીશી ચઢાળિયું ” આજ સુધી કયાંય મુદ્રિત થયાનું જાણવામાં નથી. તેમજ તેની હસ્તલિખિત પ્રત પણ અમે મેળવી શકયા નથી. આભાર દશન-. કરતુત ગ્રંથના સંપાદનમાં જે જે હસ્તપ્રતોને ઉપયોગ કરાયો છે તે તે હસ્તપ્રતે આપનાર ગ્રંથભંડારોના વ્યવસ્થાપકોને તેમજ પૂ. મુનિવર આદિને હું આભાર માનું છું. ઉપરાંત સીધી યા આડકતરી રીતે અનેક મુનિવરે તથા મહાનુભાવે આમાં મદદગાર બન્યા છે તે સૌને હું આભારી છું. આ ગ્રન્થમાં રજૂ કરવામાં આવેલાં ચિત્ર તેમજ યંત્રે જાણીતા ચિત્રકાર તેમજ રંગોળી કલા નિષ્ણાત ડઈવાળા શ્રી રમણિકલાલ ચુનીલાલે આલેખ્યાં છે. તેમના કળામય આલેખન માટે હું તેમને આભારી છું. ઉપરાંત સમયસર ગ્રન્થને છાપી આપનાર શ્રી બહાદુરસિંહજી પ્રિન્ટીંગ પ્રેસના માલિક શ્રી ભાનુભાઈ નાનચંદ મહેતાને પણ હું યાદ કરું છું. ક્ષમાયાચના - પ્રસ્તુત ગ્રંથના સંપાદનમાં અમારી પ્રતિમંદતાથી જે કંઈ જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તે સર્વને હું મિચ્છામિ દુક્કડં દઉં છું. વિસં. ૨૦૨૭, ભાદરવા સુદ ૫ ગુરુ તા. ૨૬-૮-૧૯૭૧. લિ, સેવક, સુબોધચન્દ્ર નાનાલાલ શાહ મંત્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ. Page #33 -------------------------------------------------------------------------- ________________ પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલાના ટબાર્થ શબ્દાર્થ, ભાવાર્થ તથા સવિસ્તર વિવરણ વિષે સ મ જ તિ પ્રસ્તુત ગ્રન્થના સંપાદનમાં લેખનપદ્ધતિને જે ક્રમ રાખવામાં આવ્યું છે તે નીચે પ્રમાણે છે – મૂલપાઠ (સંપૂર્ણ) પૃ. ૧–ર૦ સર્વ પ્રથમ દયાનમાલાનો રાસ કે જે સાત ઢાળમાં વિભક્ત થયેલ છે તેના ઉપર અનેક હસ્તલિખિત પ્રતાના પાઠાંતરે જે ઉપલબ્ધ થયા છે તેમાં આમેજ કરીને એક સંસ્કરણરૂપે તેને સંપૂર્ણ મૂલમાત્ર પાઠ મુદ્રિત કરવામાં આવે છે. સવિસ્તર વિવરણને કમ (૧) મૂળ –પ્રત્યેક ઢાળની મૂળ એક એક કડી, તેના ઉપર સંક્ષિપ્ત સાર કૌંસમાં મૂકીને મુદ્રિત કરવામાં આવી છે. (૨) ટબો:-તે કડી ઉપર શ્રી જ્ઞાનવિમલસૂરિને બાલાવબોધ માટેને “ટ” (ટબાઈ) અથવા “બાલવિલાસ”ના નામે જે અર્થવિસ્તાર છે અને જે રાસની ભાષાની જેમ તે સમયની એટલે અઢારમા સિકાની ભાષામાં છે, તેને પણ ઉપર પ્રમાણે (મૂળપાઠની જેમ) સંસ્કારિત કરીને મુદ્રિત કરવામાં આવે છે. (૩) શબ્દાર્થ –રાસની મૂળ કડીના પારિભાષિક અને વિશિષ્ટ શબ્દો શોધીને, ટબાના આધારે તેને અર્થ કરીને, “શબ્દાર્થ'ના શીર્ષક નીચે મુદ્રિત કરવામાં આવ્યા છે. (૪) ભાવાર્થ –ટબાને આધારે તે તે કડીને કરેલ અર્થ “ભાવાર્થ' શીર્ષક નીચે દર્શાવાય છે. (પ) વિવરણ – આ પ્રમાણે કરાયેલા ભાવાર્થને સ્પષ્ટ કરવા માટે સવિસ્તર વિવરણ જે ટબા ઉપરાંત અનેક ગ્રંથને આધાર લઈને તૈયાર કરાયું છે તેને “વિવરણ” શીર્ષક નીચે રજુ કરવામાં આવેલ છે. (૬) વિસ્તાર -ગૂઢ રહસ્યોને સુસ્પષ્ટ કરવા જયાં જયાં જરૂર જણાઈ ત્યાં ત્યાં જેન જેનેતર ગ્રંથને આધાર લેવામાં આવે છે. અને તે દ્વારા અર્થના હાર્દ સુધી Page #34 -------------------------------------------------------------------------- ________________ [ 31 ] પડાંચવાના પ્રયત્ન કરાયા છે. તે અવિસ્તાર, વિવરણની નીચે જુદા જુદા પેરેગ્રાફામાં દર્શાવાયા છે. (૭) પાદનોંધઃ-આ પ્રકારે સવિસ્તર વિવરણમાં દર્શાવેલા અર્થોની સમજૂતી તથા તે અંગેના આધારસ્થાને પાદનોંધમાં ટાંકવામાં આવેલ છે. નોધ: નમસ્કાર ક્રિયાના અવિધ પ્રકારો: પ્રસ્તુત ગ્રંથના (સંપૂર્ણ) મૂળપાડના મુદ્રણને અંતે તથા તેની સાતેય ઢાળના—દરેકના સર્વિસ્તર વિવરણને અંતે આઠ નમસ્કૃતિ ચિત્રા તજજ્ઞાની સલાહ અનુસાર ચીતરાવી બ્લેાકેા બનાવરાવી ગ્રંથના બહુમાન માટે મૂકવામાં આવ્યા છે. આ પ્રકારે સ્વમતિકલ્પિત નથી. તે દરેક નમસ્કૃતિ અજિતશાન્તિસ્તવની શરૂઆતની આ ગાથાઓમાં દરેકના લગભગ છેલ્લા પાદમાં, તે કૃતિના કર્તાએ-મહર્ષિ ન ભેણે—તવમાં જે શાબ્દિક ચિત્રવડે ગ્રથિત કરી છે, તે તેન! ચિત્રની નીચે સ્તવના મૂળ શબ્દેમાં દર્શાવવામાં આવેલ છે અને તેની નીચે તેનું ભાષાંતર મુદ્રિત કરાયું છે. 5 Page #35 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનની અને આનુષંગિક સામગ્રી ઢાળ પહેલી સામગ્રીવિસ્તાર શુદ્ધાતમના ધ્યાન માટેની સામગ્રી પ્રજ્ઞાષ્ટક (કાવ્યમાં ગર્ભિત ર।તે) અધ્યાત્માદિ ચેગ પંચક શમ તથા સંયમ— (૧) સમ્યક્ત્વનાં પાંચ લક્ષણા (૨) સયમની ચાર કેાટિ ચાર પ્રકારનાં ધ્યાન ચાર પ્રકારની ભાવના ચાર પ્રકારનાં શરણ ત્રણ પ્રકારના જીવ ચાર પ્રકારનું ચિત્ત એ ભવતરુનાં મૂલ અડયોગ (અષ્ટાંગ યોગ) પ્રાણાયામના સાત પ્રકાર શુશ્રૂષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, વિજ્ઞાન, ઊઠું, અપેા, તત્ત્વાભિનિવેશ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસ ક્ષય આસ્તિય, અનુક‘પા, નિવૃદ્ધ, સવેગ અને શમ. ઇચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ અને સિદ્ધિયમ ઢાળ ખીરુ સામગ્રીવિસ્તાર આતા, રૌદ્ર, ધર્મ અને શુકલ મૈત્રી, પ્રમેાદ, કરુણા, અને માધ્યસ્થ્ય અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી. પ્રણીત ધર્મ ઢાળ ત્રીજી સામગ્રીવિસ્તાર યમ, નિયમ, (પ્રણિધાન) કરણ આસન પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ કડી ૧૨-૨૦ રેચક, પૂરક, કુંભક, પ્રત્યાહાર, શાન્ત, ઉત્તર અને અધર ૧૫ ૬-૧૧ ७ ભવાભિનંદી, પુદ્ગલાનંદી, આત્માનંદી વિક્ષિપ્ત, યાતાયાત, સુશ્લિષ્ટ અને સુલીન ૮ વિષય અને કષાય ૯-૧૧ ૧–૪ ૫-૬ ૫-૬ ૧-૨ 3 Page #36 -------------------------------------------------------------------------- ________________ ૪ પવનની દ્રવ્યસાધનાનાં ફલ પવનની ભાવ સાધનાનાં ફલ ક્રિયાનાં બીજ (પાંચ) [૩૩] વાત, પિત્ત, અને કફ પ્રમુખ દેશે જાય (૧) ફોષ ન હોય, (૨) વિષય (૩) કષાયની આશંસા પણ ન હોય સ્થાન, વર્ણ, ક્રિયા અર્થ અને આનંબન (બીજ) પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન. પ્રકૃતિ (પ્રવૃત્તિ) સંકેચ, વિકાર અવિકાર અને નિર્વિકાર સાધનાનું કારણ છે. પંચ સમીર દ્રવ્ય પવનનાં પાંચ બીજ- અનાહત બ્રહ્મના બીજ (સ્વરોદય આધારે)વાયુ સાધવાનાં સ્થાને- તેજ રહેવાનાં ઠેકાણ ૧૨ ૧૩ | લિંગ, નાભિ, ઉદર, હૃદય, કે, તે લ. રસના, નાફ્રિકાના વિવરા, નેત્રા બ્ર (ડાબાં જમ) ભાલ શિર (બ્રહ્મરંધ્ર) જ ભણી, મોહિની, ઑભિની અને બધિનીkત્રણ ગુણે-સત્વ, રજસ્ અને તમસૂત્ર૪૪૩=૧૨ અષ્ટાંગ +અધીત (સ્વાધ્યાય) દ્વાદશ વિદ્યાસ્થાને (પહેલો પ્રકાર) દ્વાદશ વિદ્યાસ્થાન (બીજો પ્રકાર) બાધ આચરણ+પ્રચા૨=૧૨ પૃથ્વી, આ તેજ, વાયુ અને આકાર ૧૦ (ત્રીજો પ્રકાર) પંચભૂત તણું તને અભિગમ મંડલ, ચક્ર, આર, આવ7 મંડલરૂપ યંત્ર, કે આરાધનો, આવત અવગુઠને, ઊ સરણ, ભૂ અવગુંઠન, અઘમર્ષણ, ભૂમિપ્રમાર્જન - વગેરે પવન સાધનાનાં ચાર મંડલ ભૌમ, વારુણ, વાયવ્ય અને આગ્નેય મંડલ તત્ત્વ, વર્ણ, ગંધ, રસાદિ ઉષ્ણ, કણ, શીત સ્વરોદય સાધનસ્વરના સ્પર્શ ત્રણ Page #37 -------------------------------------------------------------------------- ________________ t૩૪] કાર્ય વિષે મમત્વને વિચાર સ્વર વાયુની ગતિસ્વર વાયુને વર્ણ નાસિકાનાં વિવર બે દ્રવ્ય સ્વરોદય અનુસાર પક્ષ બે દ્રવ્ય સ્વરોદય અનુસાર દિનના ભાગ દ્રવ્ય સ્વદય અનુસાર વારના પ્રકાર મૃદુ, ખર, શુભ, દુર્ભાગ, સ્થિર, અસ્થિર, શીધ્ર મંદ વગેરે વિચારનું જેવું મમત્વ તે અંગીકાર તિરછી, નીચી, ઉદ્ધ રક્ત, ધૂમ્ર, પીત, નીલ કે શ્યામ સફેદ વામ અને દક્ષિણ (નસકોરાં) કૃષ્ણ તથા શુકલ દિન તથા રાત્રિ સૌમ્ય તથા કુર (વામ નાડી એ સૌમ્ય અને દક્ષિણ નાડી એ કૂર ૧૪ દ્રવ્ય નાસિકા વહનની ગતિ દ્રવ્ય નાસિકા વહનની વરા દ્રવ્ય સ્વરદયના પાંચ તત્વ દ્રવ્ય સ્વરદય અનુસાર વર્ણ ભાવ સ્વરોદય ભાવ સ્વરેાદય ભાવ રવદય ભાવ સ્વરાજય ભાવ સ્વોદય ૧૫ ભાવ સ્વરદય વર્ણ, માન, આકાર, કાલ અને ફલ ક્ષત્રિયાદિ કૃષ્ણપક્ષી, શુકલપક્ષી ગંભીરતાદિક આઠ ગુણ નાડીકાની ધુરા અવિરતિ, વિરતિ, નાસિક-ચંદ્ર અને સૂર્યને આસ્તિક ભાવ સમીર પાંચ-પંચાચાર. (દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્ય.) સૂર્યચંદ્રના રમિ-દેશવિરતિ અને સર્વવિરતિ ચારમંડલ-ધદિના ચાર મંડલ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલનાદિના ચક્રમંડલ પાંચ ઈન્દ્રિય પતા-પાંચ તત્તવ વિચારણા અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષેપ-ગભૂમિકા | પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત ધ્યાને ભાવ સ્વરોદય ભાવ સ્વરોદય અધ્યાત્મ આદિ ૧૭ ધ્યાન-પિંડસ્થાદિ Page #38 -------------------------------------------------------------------------- ________________ [૩૫] આત્મિક તત્ત્વજ્ઞાન ચિતવન ૧૯ પાંચમી યોગ ભૂમિકા ગના દો વાચનાદિક સઝાય | (વિરમય) પુલક, આનંદ અને અનુ ભવ ગુણોન ઉભવથી સમતા. વૃત્તિસંક્ષય દ, કં૫, શ્રમ, મૂચ્છ, બ્રાન્તિ, અલહીનતા વગેરે વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુ. પ્રેક્ષા અને ધર્મકથા ઢાળ ચોથી સામગ્રીવિસ્તાર ૐ ૐ જૈ જૈ , શુદ્ધ ધર્મનું બીજ असिआउसा છે. જો, , શ્રી દત્તે नमो अरिहंताणं थी नमो लोए सव्वसा. ટૂળ સુધી ગનાં બીજ પંચક બીજ પાંચ પદ પાંચ સ્વાથ્ય માટે પાંચ વર્ષો ત્રિપદીના પાંચ વર્ણ અઢાર દોષ પાંત્રીસ ગુણ અષ્ટદલ કમલ ચાર બીજ દ્રવ્ય યોગી માટે મË અક્ષર વર્ણ વિભાગ अरि-आय-उव-सव्व-सिद्धाणं દાનાંતરાય વગેરે, અઢાર પાપથાનક પ્રખ્યાત છે તે પંચ નમસ્કારના પાંત્રીસ વર્ણરૂપ ગુણે ચબીજ-દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ તથા ॐ हो श्री क्लो અહંકારના ઉચ્ચારણના વિશ્લેષણથી હવ, દીર્ઘ, હુત, સૂક્ષમ, અતિસૂક્ષમ અને પર વિભાગે ઉપશમ અને ક્ષપકશ્રેણિ ઉપશમ ધાર ખપક વિચાર બંધ, ઉદય અને સત્તા અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અને અંત૨કરણ રહસ્ય, ઉપાંશુ અને ભાગ્ય ૬-૧૦ ધ્યાનની ધારાને સંકેત જ્ઞાન સહાચે આત્મવીર કર્મના ભાગ કરણ ૧૩ ૧૪ જપના પ્રકાર Page #39 -------------------------------------------------------------------------- ________________ [૩૬] પિંડસ્થ આદિ ધ્યાનના પ્રકાર ચાર નિક્ષેપ પિંડસ્થ, પદસ્થ, રૂપ અને રૂપાતીત ૧૭ નામ, સ્થાપના, દ્રવ્ય, અને ભાવ અથવા છદ્મસ્થ, પ્રતિમા, કેવલી અને સિદ્ધભાવે કાન સ્થિરીકરણ (પરમેષ્ઠિમુદ્રા, કામધેનુ મુદ્રા ) ચકલીકરણ મંત્ર બીજેને પ્રપંચx ઢાળ પાંચમી સામગ્રીવિસ્તાર પરમમંત્ર – મહામંત્ર नमो अरिहंतागं ચૌદ મહાવિદ્યા ટબામાં દર્શાવ્યા પ્રમાણે મંત્ર ગણવાનાં ૬૪ પ્રકારનાં વિધાન દ્રવ્ય વિધાન જાણવાને ભાવવિધાન સાધવા જોઈએ ચાર મંડલ (જ્ઞાનના) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન તથા મન:પર્યવજ્ઞાન ચાર (લોકોત્તમના) મંડલ અરિહંત, સિદ્ધ, સાધુ, કેવલી પ્રણીત ધર્મ ચાર શરણ અરિહંત, સિદ્ધ, સાધુ, કેવલિપ્રણીત ધર્મ રવાર કમલક (દ્રવ્યથી) નાભિકમલ, હૃદયકમલ, ઉદરકમલ અને કંઠકમલ ચાર મ‘ગલ અરિહંત, સિદ્ધ, સાધુ, કેવલિપ્રણીત ધર્મ અઠ્ઠાવીસ લબ્ધિ વિવરણમાં દર્શાવ્યા પ્રમાણે વ્યક્ત લક્ષણ નાદ અનાહતની પાવના અવ્યક્ત લક્ષણ જે અનાહત તેની પ્રાપ્તિ પાંચ વર્ણ ક, રિ, હું, તા, . ત્રિગુણ યુક્ત જ્ઞાન, દર્શન અને ચારિત્ર ૪ જુઓ નિર્દિષ્ટ મંત્ર બીજાક્ષરો તથા તેના અર્થોનું કાષ્ટક (અનુક્રમણિકા ક્રમાંક-૨) ગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશ લેક ૧૦માં નાભિ, કંઠ, હદય અને તાલુ એમ ચાર સ્થાન દર્શાવ્યાં છે પરંતુ ઉદર દર્શાવેલ નથી. તેથી આ વિષયના જાણકાર ગીતાર્થો પાસેથી વિશેષ માહિતી મેળવવી. Page #40 -------------------------------------------------------------------------- ________________ [૩૭]. ત્રિગુણ મુક્ત પંચ પ્રસ્થાન પંચ આચાર પાંચ પીઠ સાધ્ય, સાધક અને સાધન પાંચ પદની પાંચ અવસ્થા ધર્મધ્યાનનું મંડાણ આનુષગિક ફળ ધર્મધ્યાનના ચાર પાયા વિશુદ્ધ લેશ્યા ધર્મ દયાન ધમ ધ્યાનના સહાયક સવ, રજસ્ અને તમસ્ પાંચ પીઠ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિચાર વિદ્યાપીઠ, મહાવિદ્યાપીઠ, ઉપવિદ્યાપીઠ, મંત્રપીઠ અને મંત્રરાજપીઠ ત્રિતય અભેદ અભય, અકરણ, અહમિન્દ્ર (સમાન), તુલ્ય (સાધન) અને કલ૫ (સાવધાન) પાંચ વર્ણના અહિડાણ અન્તર્ભાવના ભવાય તે ધર્મધ્યાનના પાયા રૂપ ક્રિયા છે નવનિધિ, રિદ્ધિ અને સિદ્ધિ. આજ્ઞાવિય, અપાયવિચ, વિપાક. વિચય અને સંસ્થાનવિચય તેજ, પદ્મ અને શુકલ સ્વર્ગને હેતુ (૧) મિત્રી, પ્રમદ, કરુણા અને માધ્ય થ (૨) પિંડસ્થ, પદસ્થ, રુપસ્થ અને રૂપાતીત (૩) આજવ, માવ, શાન્તિ અને વિમુકિત મોક્ષને પ્રધાન હેતુ (૧) નાના શ્રત વિચાર (૨) એકય કૃત સુવિચાર (૩) સૂમક્રિયા અપ્રતિપ્રાતિ (૪) સમુછિન્નક્રિયા અનિવૃત્તિ અર્થ, વ્યંજન અને ગાંતર શૈલેશીગત નિશ્ચલ અને પગ અપ્રમત્ત, સુવિશુદ્ધ, યથાખ્યાત અને સંયમી સચ્ચિદાનંદ સિદધ ભગવંતનું ધ્યાન આયુ, નામ, ગાત્ર અને વેદનીય ચાર અઘાતી કર્મો નવકાર મંત્ર આત્મા વિષે અનુભવ સિદ્ધ શુકલધ્યાન પ્રક્રિયા ગુણસ્થાનકની ઉત્ક્રાન્તિ રૂપાતીત ધ્યાન ભોપગ્રાહી ચાર કર્મ પરમેષ્ઠિ મંત્ર આત્મ સ્વરૂપી Page #41 -------------------------------------------------------------------------- ________________ પુરુષાકાર લેાકનું ચિંતન ધ્યાનના બીજો પ્રકાર ધ્યાતાના દશ ગુણા પ'ચ પરમેષ્ઠિ મત્ર શુભસ'કલ્પ વડે આત્મા ઐકયભાવ શુભયોગ ધર્મ ધ્યાનનું અવલંબન [ ૩૮ ] ઢાળ છઠ્ઠી સામગ્રીવિસ્તાર પાંચ પરમેષ્ઠિની મુખ, ભાલ, કંઠે અને બાહુમાં સ્થાપના; ચૂલિકાનાં પદે, શરીરમાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાનત્રિતયને અભેદ સિદ્ધચક્રની માંડણી (૧) શાંત, (૨) દાંત (૩) શુભ્રુવ'ત (૪) સ`તસેવી (૫) નિવિષયી (૬) કષાય વિનાને (૭) સભ્યજ્ઞાની અને સમ્યગ્દર્શની, (૮) સ્યાદ્વાદ સિધ્ધાં તમાં રમણુ કરનારા, (૯) શુભ ક પરિણામી અને (૧૦) અશુભકર્મવાહક ઢાળ સાતમી સામગ્રીવિસ્તાર તે સાધવાના સ્નાય, વિદ્યાપ્રવાદ– દશમું પૂર્વ, વધુ માનવિદ્યા, પ્રાણાયામ આદિ બાહ્ય આત્યંતર વૈરી નાશે આત્મધ્યાનથી પરમાનન્દ્વ પામે પરમાતમ અનુભવ લ અભ્યાસ, આત્મીય, વિવેકજ્ઞાન, વ્યવહાર અને શુભ આચારની મુખ્યતા વડે સાધવા તેનાથી સ્થિરપરિણામી થઈ પંચ પરમેષ્ઠિ પદનું ધ્યાન કરે તે પરમાત્મા થાય * 3 ૧-૨ 3 ૫ ૮-૯-૧૦ Page #42 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક ગ્રંથનું નામ ૧ અષ્ટપ્રકાશી (સિદ્ધસેનાચાય ) (મુદ્રિત) ૨ ધ્યાનીપિકા (ઉ. સકલચ'દ્રષ્ટ) (મુદ્રિત) 3 ધ્યાનરહસ્ય (અલભ્ય) * ધ્યાનેપનિષત્ (ધ્યાન-બિંદુ-ઉપનિષદ્) પ્રમુખ નિગમચિંતામણિ (અલભ્ય) પંચપરમેષ્ટિપદકારિકા (અલભ્ય) મંત્રચૂડામણિ (અલભ્ય) ચેાગ પાત'જલ (મુદ્રિત) ૫ પંચ પરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા' ના ટમામાં સૂચિત કરેલા ગ્રંથાની યાદી. ७ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ઢાળ ૫ સ્વરદ્વીપક (અલભ્ય) સ્વરાય (અલભ્ય) ૩ પ ૫ ૫ 3 ૫ ચેાગપ્રદીપ (જ્ઞાનાણું વ– શ્રી શુભચંદ્રાચાર્ય વિરચિત.) (મુદ્રિત) ૩ 3 3 ચેાગશાસ્ત્ર (શ્રી હેમચ`દ્રાચાર્ય') (મુદ્રિત) 3 ૩ 3 વિદ્યાપ્રવાદ (દશમ પૂર્વ) (અલભ્ય) ७ વિવેકવિલાસ (જિનદત્તસૂરિ-વિચિત.) (અમુક ભાગ મુદ્રિત) ૩ ૩ ૩ કડી ७ ૧ ७ ૭ ← ७ છ ૧ ૧૪ * ‘પ્રમુખ’ શબ્દ પ્રયોગથી અમૃતનાદે નિષત, અમૃતબિન્દુપનિષત્, તેજોબિન્દુપનિષત, ધ્યાનબિન્દુપનિષત્ , નાદબિન્દુપનિષત્—સમાવિષ્ટ થાય તેમ જણાય છે. (મુદ્રિત) ७ ૧ ૧૪ ૧૪ ૧૪ Page #43 -------------------------------------------------------------------------- ________________ પંચ પરમેષ્ટિ મંત્રરાજ ધ્યાનમાલાના ' વિવરણના - લેખનમાં આધારભૂત ગ્રન્થાની યાદી : . [ પ્રથમ ગ્રથનું નામ આપેલ છે. તેની સામે ગ્રન્થના કર્તા, ટીકાકાર અથવા સંપાદકનું નામ દર્શાવેલ છે. બીજી પંક્તિમાં તે ગ્રન્થને પ્રકાશિત કરનાર સંસ્થા યા વ્યક્તિનું નામ તથા પ્રકાશન વર્ષ વિ. સં. (વિક્રમ સંવત ) વી. સં. (વીર સંવત્ ) અથવા ઈ. સ. (ઈસ્વીસન ) માં દર્શાવેલ છે] ૧ અધ્યાત્મ અનુભવ યોગ પ્રકાશ ચિદાનંદજી મહારાજ અભયદેવસૂરિ ગ્રંથમાળા, બિકાનેર વિ. સં. ૧૯૭૦ ૨ અધ્યાત્મવિચારણા વ્યા. પં. શ્રી સુખલાલજી ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ વિ. સં. ૨૦૧૩ અધ્યામઢાર ઊ૦ શ્રી યશોવિજયજી કમલપ્રકાશન, અમદાવાદ વિ. સં. ૨૦૨૩ અહંન્ના મસહસ્ત્રસમુરચય શ્રી હેમચંદ્રસૂરિ જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર વીર સં. ૨૪૬૫ ૫ આચારાંગસૂત્ર શ્રી સુધર્માસ્વામી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિ. વિ. સં. ૧૯૯૧ આમ બધય ગ્રહ સંગ્રા. મુનિ પુણ્યવિજય જૈન સંઘ, યેવલા વિ. સં. ૧૯૯૪ ૭ આનંદઘનજી ચોવીશી વિવે. મોતીચંદ ગી. કાપડિયા મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ વિ. સં. ૨૦૨૬ ઉત્તરાધ્યયનસૂત્ર શ્રુતસ્થવિર જૈન આત્માનંદ સભા વિ. સં. ૧૯૭૪ ઉપમિતિભવપ્રપંચાકથા શ્રી સિદ્ધર્ષિ ગણિ મોતીચંદ ગી. કાપડિયા. ઈ. સ. ૧૯૨૬ ૧૦ ગુણસ્થાનકમારોહ શ્રી રત્નશેખરસૂરિ જૈન ધર્મપ્રસારક સભા, ભાવનગર વિ. સં. ૧૯૮૯ ૬ Page #44 -------------------------------------------------------------------------- ________________ જિનસહસ્રનામસ્તવન ભારતીય જ્ઞાનપીઠ, કાશી ૧૨ જૈન ગુર્જર કવિએ ભા. ૨ જો જૈન શ્વેતાંખર કાન્સ, મુંબઇ ૧૧ ૧૩ જ્ઞાનસાર પ્રકરણ ૧૪ ૧૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર ૧૭ ૧૬ ત્રિભુવનદીપક પ્રમન્ય ૨૦ જૈનધમાં પ્રસારક સભા, ભાવનગર ૧૮ દ્વાદશત્રત પૂજા ૨૨ તત્ત્વાનુશાસન જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ ૨૩ દેવચંદ લાલભાઇ જૈન પુસ્તકાદ્ધાર. ૨૪ ૨૫ ૧૯ દ્વેષની સજ્ઝાય (અઢાર પાપસ્થાનક સજ્ઝાય અન્તગત) જૈનધમ પ્રસારક સભા, ભાવનગર સ'પાદક:-લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી પ્ર-અભયચંદ્ર ભગવાનદાસ ગાંધી દ્રવ્યગુણ પર્યાયના રાસ જૈન સાહિત્ય વર્ધક સભા, અમદાવાદ ૨૧ ધ્યાનશતક જૈનધમ પ્રસારક સભા, ભાવનગર ધ્યાનઢીપિકા સામચંદ્ ભગવાનદાસ, અમદાવાદ [૪] વિનયભક્તિ સુંદર ચરણ ગ્રંથમાલા નમસ્કારમાહાત્મ્ય નગીનદાસ કરમચંદ સંઘવી, પાટણ નમસ્કારસ્વાધ્યાય (પ્રાકૃત વિભાગ) જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ નમકારસ્વાઘ્યાય (સંસ્કૃત વિભાગ) જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ નવપદની પૂજા [સિદ્ધચક્ર નવપદ આરાધન વિષ અન્તગત ] વૃદ્ધિનેમિ અમૃત ગ્રંથમાળા ૫. આશાવર વિ. સ. ૨૦૧૦ સગ્રા. માહનલાલ દલીચંદ દેસાઇ વિ. સ. ૧૯૮૭ ઊ. શ્રી યશેાવિજયજી મ. વિ. સ. ૧૯૬૯ શ્રી નાગસેન (રામસેન) વિ. સં. ૨૦૧૭ શ્રી ઉમાસ્વાતિ વિ. સ’. ૧૯૮૨ શ્રી જયશેખરસૂરિ વિ. સ. ૧૯૭૭ ઊ. શ્રી યશે વિજયજી વિ. સ. ૨૦૨૦ શ્રી વીરવિજયજી વિ. સ. ૧૯૯૪ ઊ. શ્રી યશે।વિજયજી વિ. સ. ૧૯૯૭ સકલચદ્રજી ઉપાધ્યાય વિ. સ. ૧૯૭૩ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ્ વિ. સ. ૧૯૯૭ શ્રી સિદ્ધસેનસૂરિ વિ. સ. ૨૦૦૪ વિ. સ', ૨૦૧૭ વિ. સ', ૨૦૧૯ ઊ, શ્રી યÀાવિજયજી વિ. સં. ૨૦૨૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ [૪૨] ૨૬ નવપદનું સ્તવન શ્રી પદ્મવિજયજી [ સિદ્ધચક નવપદ આરાધનવિધિ અનન્તગત ] જૈન સાહિત્ય વર્ધક સભા, અમદાવાદ વિ. સં. ૨૦૦૫ ૨૭ નાટક સમયસાર શ્રી અમૃતચંદ્રસૂરિ જૈન ગ્રંથ રત્નાકર કાર્યાલય, મુંબઈ વિ. સં. ૧૯૮૬ નાથસ્વરોદય નથુરામ શર્મા આનંદાશ્રમ, બીલખા વિ. સં. ૨૦૦૭ પાતંજલ યોગદર્શન–ચોગવૃત્તિ ઊ૦ યશોવિજયજી આત્માનંદ જેન પુસ્તક પ્રચારક મંડલ, આગ્રા વિ. સં. ૧૯૭૮ ૩૦ પારમાર્થિક લેખ સંગ્રહ સંગ્રા. મુનિ પુણ્યવિજય જીવણલાલ અબજ જેન જ્ઞાનમંદિર, વઢવાણ વિ. સં. ૨૦૦૪ ૩૧ પંચ પ્રતિક્રમણ સૂત્ર સંપા-સલત જગજીવનદાસ ફુલચંદ જૈન આત્માનંદ સભા, ભાવનગર વિ. સં. ૧૯૯૧ ૩૨ પંચસૂત્ર - શ્રી ચિરંતનાચાર્ય, ટી. શ્રી હરિભદ્રસૂરિ લધિસૂરીશ્વર જૈન ગ્રંથમાલા, છાણ વિ. સં. ૧૯૯૫ પ્રશમરતિ પ્રકરણ શ્રી ઉમાસ્વાતિ વાચક જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા વિ. સં. ૧૯૬૬ પ્રાકૃત દ્વયાશ્રય મહાકાવ્ય શ્રી હેમચંદ્રાચાર્ય, ટી. પૂર્ણ કલશગણિ ભાંડારકર એરિ. રિસર્ચ ઈન્સ્ટીટયુટ, પૂના ઈ. સ. ૧૯૩૬ ૩૫ ગઉપનિષદ સંપા-મહાદેવ શાસ્ત્રી અધ્યાર પુસ્તકાલય, મદ્રાસ ઈ. સ. ૧૯૨૦ ગદષ્ટિની સઝાય ઊ. શ્રી યશોવિજયજી (આઠ દ્રષ્ટિની સઝાય અન્તર્ગત) જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર વિ. સં. ૧૯૯૭ ૩૭ ગદ્રષ્ટિસમુચ્ચય શ્રી હરિભદ્રસૂરિ ડો. ભગવાનદાસ મનસુખલાલ મહેતા, મુંબઈ વિ. સં. ૨૦૦૬ રોગપ્રદીપ - અજ્ઞાત જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ વિ. સં. ૨૦૧૭ યોગબિન્દુ શ્રી હરિભદ્રસૂરિ જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર વિ. સં. ૧૯૬૭ ૪. યોગશતક શ્રી હરિભદ્રસૂરિ રસિકલાલ છોટાલાલ પરીખ ઈ. સ. ૧૯૫૬ Page #46 -------------------------------------------------------------------------- ________________ [૪૩] ૪૧ યોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશનું સવિસ્તર વિવરણ જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ ઈ. સ. ૧૯૬૯ યોગશાસ્ત્ર ભાષાંતર સંપા. ગોપાલદાસ જીવાભાઈ પટેલ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ઈ. સ. ૧૯૫૨ ગશાસ્ત્ર ભાષાંતર ભાષાં. આ. શ્રી કેશરસૂરિ બાલચંદ સાકરચંદ શાહ વિ. સ. ૨૦૧૫ લલિતવિસ્તરા આ. શ્રીહરિભદ્રસૂરિ લબ્ધિસૂરીશ્વરજી ગ્રંથમાળા, છાણી વિ. સં. ૨૦૧૬ શ્રી પાળરાસ ઊ, શ્રીયશોવિજયજી સારાભાઈ મણિલાલ નવાબ વિ. સં. ૨૦૧૭ ષોડશક પ્રકરણ શ્રીહરિભદ્રસૂરિ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્વાર, સુરત વિ. સં. ૧૯૬૭ સમયપ્રાભત શ્રી કુંદકુંદાચાર્ય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા વારાણસી ૪૮ સમ્યગદર્શનનું પ્રકટીકરણ આ. શ્રીવિજયરામચનદ્રસૂરિ જૈન પ્રવચન કાર્યાલય, અમદાવાદ વિ. સં. ૨૦૨૪ ૪૯ સિદ્ધહેમશબ્દાનુશાસન મહાર્ણવન્યાસ (નમસ્કાર સ્વાદ થાય સંસ્કૃત વિભાગ અન્તર્ગત) જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ ઈ. સ. ૧૯૬૨ ૫૦ સો ઉપનિષદ સરતું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ વિ. સં. ૨૦૦૩ ૫૧ સ્વરોદય જ્ઞાન શ્રીચિદાનંદજી શ્રાવક ભીમશી માણક, મુંબઈ વિ. સં. ૧૯૭૮ રૈમાસિક, માસિક વગેરે પર આગમત, (માસિક)વર્ષ–૧ આગમોદ્ધારક ગ્રંથમાલા, કપડવંજ વિ. સં. ૨૦૨૨ પ૩ ફાર્બસ ગુજરાતી સભા ત્રિમાસિક ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ ૫૪ સિદ્ધચક્ર માસિકની ફાઈલો તંત્રી, પાનાચંદ રૂપચંદ, મુંબઈ હસ્તલિખિત પ્રતિ ૫૫ અધ્યાતમસારમાલા* કવિરાજ શ્રી નેમિદાસ રામજી શાહ * આ પ્રતિ બુદ્ધિપ્રભા નામના માસિકમાં વિ. સં. ૧૯૭૨માં મુદ્રિત થયાનું જાણવામાં આવ્યું છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ પંચપરમેષ્ટિ મંત્રરાજ ધ્યાનમાલા” ના સંપાદનમાં ઉપયોગમાં લેવાયેલી હસ્તલિખિત પ્રતિઓની યાદી ૧ પંચ પરમેષ્ઠિ ચોપાઈ. (પંચ પરમેષ્ઠિ ધ્યાનમાલા-નેમિદાસ), પત્ર-૩ નં. ૯૨૨/૫૫૫ સાગરગચ્છ પ્રવચન પૂજક સભા, શાંતિનાથ જૈન મંદિર, પાયધુની, મુંબઈ ૨ પંચ પરમેષ્ઠિ ચોપાઈ, પત્ર-૮ નં. ૫૫૫ સાગરગચ્છ પ્રવચનપૂજક સભા, શાંતિનાથ જૈન મંદિર, પાયધૂની, મુંબઈ ૩ પંચ પરમેષ્ઠિ ધ્યાનમાલા, ટબા સહિત. પાનાં ૨૦, પ્રત નં. ૪૦૬ શેઠ આણંદજી કલ્યાણજીની પાલીતાણાની પેઢી હસ્તક અંબાલાલ ચુનીલાલ જૈન જ્ઞાન ભંડાર, પાલીતાણા ૪ પંચપરમેષ્ઠિમંત્રરાજ ધ્યાનમાલા, પત્ર-૨૬ નં. ૩૨૧૩ શ્રી વિજય મેહનસૂરીશ્વરજી જૈન સાહિત્ય મંદિર, પાલીતાણા ૫ ધ્યાનમાલા રાસ, પત્ર-૯ નં. ૧૭૨૬ સંવેગી ઉપાશ્રય, હાજા પટેલની પિળ, અમદાવાદ પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા પત્ર-૮ ડાભડો નં. ૪૯, પિોથી નં. ૭૯૦, પ્રત નં.૯ આ. વિજયસિદ્ધિસૂરીશ્વરજી જૈન શાસ્ત્ર સંગ્રહ, વિદ્યાશાળા, અમદાવાદ ૭ ધ્યાનમાલા. ટબે, પત્ર-૧૦, પિથી નં. ૨૫૩-૬ વિરસૂરિ જૈન જ્ઞાનભંડાર, રાધનપુર ૮ પંચ પરમેષ્ઠિ રાસ, પત્ર-૧૬ ડાભડો નં. ૧૦૨, નં. ૨૪૬૮ શેઠ આણંદજી કલ્યાણજીની પિઢી, લીંબડી અધ્યાત્મસારમાલાના મુદ્રણમાં ઉપયોગમાં લેવાયેલી હસ્તલિખિત પ્રતિઓની યાદી અધ્યાત્મસારમાલા, પત્ર ૮, પ્રતિ નં. ૨૭૪૩ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ ૨ અધ્યાત્મસારમાલા, પત્ર ૮, પિથી નં. ૧૦૨, પ્રતિ નં. ૭૬૭ વિશાશ્રીમાળી તપગચ્છ જૈન પાઠશાળા, જામનગર અધ્યાત્મસા૨માલા, ૫ત્ર ૧૦ મુનિશ્રી મિત્રાનંદવિજયજી મ. તરફથી પ્રાપ્ત થયેલી પ્રતિ Page #48 -------------------------------------------------------------------------- ________________ પંચપરમેષ્ટિ મંત્રરાજ ધ્યાનમાલામાં તથા ટબામાં નિર્દિષ્ટ મંત્રીજાક્ષરો તથા તેના અર્થે قسم لم ه م ع سی ઢાળ કડી મંત્રી તથા તેના અર્થો. ૩-૬ –પ્રાણ બીજા –અપાનબીજ સમીરબીજ પંચક વૈ–સમાનબીજ } (દ્રવ્ય પવનના પાંચ બીજે) ઉદાનબીજ. –ભાનબીજ | ૪–૧ મ ર બ ૩ સા–શુદ્ધ ધમં બીજ, પાંચ આદિવણે. ૪–૨ દૌ છૌ ક્ષે છ જૈ–પંચબીજ ( ઉચ્ચાટનબીજ) ૪–૩ ગરિ, કાચ, ઉર, સદવ, સિદ્ધાળં–ત્રિપદીના પાંચ વર્ણો ૪–૫ –પ્રણવ, વહ્નિબીજ અથવા તેજબીજ. ૪-૫ દો–વશ્યબીજ અથવા માયાબીજ. ૪–૫ શ્રો–લક્ષ્મીબીજ અથવા શ્રીબીજ. ૪–૫ –કામ બીજા ૪-૬ અÉ–અક્ષર, અક્ષરહેતુ. ૪–૨૨ છે દૂ તૂ તૂ તૂ તૂ – સાધના પ્રપંચ+ +આને વિસ્તાર આ પ્રમાણે – છે ફ્રા ફ્રી ર્ હૂ હૂ:૪–સ્વાહા, વષ, વિષ, વધા.. છ શાં શૈ ણ છે – જી હા હૈ જૈ ? – , , માં i ī જ – , , » અ ા ી ઝૂ છે – " » રા ી ર્ ૌ જા—y » » * ત્રિપદી–૩:qનેવ, વિમે વા, ધુ વા . ૪ આ બીજાક્ષર “વિદ્યાપ્રવાદ પૂર્વ' માં જણાવેલા છે. O દ્વા–શાંતિ વાતે; વઘ--વસ્થાથે; વૌવ–આકર્ષણથે, ધા-પુષ્ટિ અથે.. Page #49 -------------------------------------------------------------------------- ________________ ચત્ર ચિત્ર સૂચિ ૧૮૦ યત્રસૂચિ પૃષ્ઠ ૧ નમસ્કાર બીજ પંચક તથા સમી૨બીજ પંચક ૧૧૧ ૨ નમસ્કાર નિપન્ન ત્રિપદી તથા બીજ પંચક ધ્યાન યંત્ર ૧૪૯ ૩ નવપદના આદિ બીજાક્ષરનું યંત્ર ૧૫૦ ४ नाभिकमले क्रोधनिवारणार्थ चतुर्ज्ञानेन चतुःशरणपूर्वकं परमपदध्यानम् ૧૭૯ ५ हृदयकमले माननिवारणार्थ चतुर्ज्ञानेन चतुःशरणपूर्वकं परमपदध्यानम् ६ कण्ठकमले मायानिवारणार्थ चतुर्ज्ञानेन चतुःशरणपूर्वकं परमपदध्यानम् ૧૮૧ ७ तालुकमले लोभनिवारणार्थ चतुर्ज्ञानेन चतुःशरणपूर्वकं परमपदध्यानम् ૧૮૨ ૮ ત્રિતયભેદના અભેદ માટે ધ્યાન ૨૨૫ ૯ અંતર આત્મામાં સિદ્ધચક્રની માંડણી ચિત્રસૂચિ ૧૦ હથુડી તીર્થમંડન શ્રી સતા મહાવીરજી ૧૧ પુરુષાકાર લેક ૧૨ આતમસા૨–૩ષ્કાર ૫૮-૫૯ ૧૩ આતમાં આતમ ધ્યાને લીન ૧૫૬-૧૫૭ ૧૪ સંભેદ પ્રણિધાન. ધ્યાન પરમ પૂજય, પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર ૨૨૩ ૧૫ નમસ્કાર ક્રિયાના અષ્ટવિધ પ્રકારે ૨૦, ૭૦, ૮૯ (અનુક્રમણિકાના ક્રમાંક ૪ “સવિસ્તર વિવરણની સમજૂતિ” ની ૧૪૩, ૧૭૫, પાદનોંધ અનુસાર) ૨૨૨, ૨૩૪, ૨૫૬ ૨૨ , s = Page #50 -------------------------------------------------------------------------- ________________ “પંચ પરમેષ્ટિ મંત્રરાજ ધ્યાનમાલા” “શબ્દાર્થ”ના શીર્ષક નીચે દર્શાવેલા તથા અન્ય ઉપયોગી શબ્દોની સૂચિ અકરણ-૫૬ અકામી-૭-૫. અક્ષર–૪–. અક્ષર હેતુ–૪-૬. અખય–૧–૧૫. અડગ –૩–૨. અતિ પાવન ઠામ–૧–૧૧. અતીન્દ્રિય સુખ-૫-૨૧. અદીન–૧-૨૦, અધ્યાત્મ પવન–૩–૧૫. અનામિકા–૪-૨૨. અનાહતનાદ–૫–૨. અનિદાન-૨-૨. અનુકરઈ–૫-૩. અનુગત–૭-૬. અનુપ્રેગ્યતા–-૩-૨૧. અનુભવ–૨-૪, ૩-૧૯. અનુભવ જ્યોતિ–૧-૨. અનુભવ ધા૨–૨-૪. અનુભવ ફલ–૭-૫. અનુભવ લીલા-–૭-૧૧. અનુભવ સાર–૨-૪. અનુભાવે–૭-૧. અનુમાન–૧-૮. અન્ય પ્રદી-૭-૪. અપવર્ગો દેવાને પ્રધાન-૫-૧૦. અભય--૬. અભિલાષી–૨-૬. અભિરામ–૪–૫. અભ્યાસે સંવેદ્ય સમીર–૩–૧૦. અમૂર્ત–પ-૧૮. અગે-૫- ૧૭. અર્થ–૩–૫. અર્થ વ્યંજન–પ-૧૨, ૫-૧૩. () અહંતુ–૬-૨. અરિહંતાદિક–૧-૯, ૨-૫. અલગે-૧-૮. અલાબુફળ-૫-૨૦, અલીનપણું–૩–૨૨. અ૯૫મલ–૩–. અવગુંઠન–૩–૧૦. અવર–૩–૭. અવલંબનમાં મુખ્ય–૭-૭. અવક–૪–૯. અવલોકન કરું–૧-૨. અવિદ્યા–૩-૧૭. x ઢા=ઢાળ અને ક=કડી. પહેલે અંક ઢાળને છે અને બીજો અંક કરીને છે * પારિભાષિક શબ્દ છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ [૪૮] આસંસ—૩-૪. અશુચિ–૩–૧૮. અશુભ નિદાન–૨-૧. અસંખ્ય પ્રદેશી–૧-૭. અહિઠાણ–પ-૬. અહમિદ્ર—૫-૬. અંગ થિરે–૨–૧૭. અંગુષ્ઠ તર્જની–૪–૨૧. અંતર આતમ-૬-૨, ૭-૫. આ આગલિ–૩-૨૧, ૪-૨, આગર-૭–૧. આચાર–-૭-૬. આતમ-૬-૧. આતમ આનંદી–૨–૭. આતમરાજ-૩-૧૮, આતમ વીયે–૪–૧૨. જૂઆત મસા૨–૧–૧૪, આમલાભે-૩-૨૦. આદિ અનંત–૫–૨૧. આદિ પદ વર્ણ-૪-૨. આ દુ ભેદ–૫–૧૬. આનંદ–૩–૧૯. આનંદજપ-૪-૧૬, આનુષંગિક–૫-૮. આપ આનંદમાંહિ–૧–૨૦. આ૫રૂપ-૧-૨૧. આપે સંવેદી–૭-૪. આમ્નાય–૭–૧. આર–૩–૧૦. - આલવાલ-૩-૧૮, આલબન-૩-૫. * આવત–૩–૧૦. આસ-૭-૯. ઈણિ પરિ–પ-૨, ૬-૩. ઈણિ વિધિ–૧-૧૪. ઈન્દ્રિયસુખ–૨–. ઈ હ–૧–૧૦. ઉ–ઊ ઉચ્છિન્નક્રિય–૫-૧૫. ઉછિન્ન ક્રિયા અપ્રતિપાત-૫-૧૧ઉજજવલપખિ–૭-૧૧. ઉત્તરોત્તર–૨-૨. ઉદાસપણું–૩–૧૯. ઉત–૧-૧૫. ઉપયોગ–૧–૧૪. ઉપશમ-૪–૧૧. ઉપશમધાર–૪-૧૨. ઉપાય–૭–૯. ઉપાંશુ–૪–૧૪. ઉસરણ–૩–૧૦ એ-એ-એએક કામિ–૫-૧૨. એકભાવ–૬–૧, ૩–૨. એકાન્ત–૧–૧૧. એકયથાસુવિચાર–પ-૧૧. ઔદાસીન્ય–૩–૫. ઔદાસીન્યપણે–૧–૧૨. કનિષ્ઠિકા–૪-૨૨, કરણ અપૂર્વ-૪-૨૦. કર્મકલંક–-૧-૯. કમ્પં ક-૬-૨. કર્મ ભયગ્રાહી–૫-૧૯. Page #52 -------------------------------------------------------------------------- ________________ [૪૯] ગુણઠાણા. ૭-૬. ગુણધર. ૨-૨. ગુણપક્ષી. ૧-૧૨, ગુણુભવ્ય. ૧-૭. ગુણસંપદા. ૭-૧૦. ગુરુવિનયી. ૧-૧૨. ગેહ. ૨-૩. ગળ ગળ્યા પરિ. ૧૫. ગ્રહવાને. ૧-૧. ઘામ ૧-૧૧, કલ્પ. ૫-૬. કંઠ. ૬–૨. કઠિ. ૬-૧. કંઠિ ઠ. ૭–૧૧. કામ. ૪-૫. કાર્યવિચાર મમત્વને. ૩-૧૩. કીજીઇ. ૩-૩, કીજે ઉનમૂલ. ૨-૯. કુવાસિત સંગતિ. ૩–૧૯. કૃપારસ વાસનં. ૩–૭. કૃષ્ણ શુકલ દેઈ પક્ષ. ૩–૧૫. કેતાં ભણું. ૧-૧૭. કેવલ. ૪–૧૮. કેવલરૂપ. ૧-૧૭. કેલિ , ૨-૯. ક્રિયા. ૩–૫. ક્રોધાદિક ચૌમંડલ. ૩-૧૬. ખ ખપક. ૪–૧૧. ખપક વિચાર. ૪-૧૨. ખલ સંગે. ૧–૧૮. ખપિયા. ૭–૧. ખાત્રપાત્ર. ૭-૫, ખીલઇ, ૬-૩, ગ ચઉ ૨-૫, ૬-૧. ચઉ કમલિ ૬-૨. ચઉદલથી ષટુ વલયથી ૩-૨૧. ચઉપદ ૬-૨. ચઉબીજ અન્ય ૪–૪. ચઉભેદ ૫-૧૧. ચક્ર ૩-૧૦. ચાદિક રીતિ ૫–૨૦. ચન્દ્ર સૂર્યનાં મિ. ૩–૧૬. ચલ પરિણામી ૧-૧૩. ચંક્રમે ૩-૨૧. ગાચાર શરણમ્યું લાગે રાગ ૧-૬. ચિત્તજમાવ ૧-૧૨. ચિદાનંદ ૫-૧૮, ચિંતન ૧-૮. ચૂલા પદ ૬-૧, ચેતનભૂપ ૧-૮. ગચૌદ મહાવિદ્યા ૫–૧. શ્યારે ગતિ ફરી ૧-૧૬. ગઈ. ૩–૨. ગણી ઉવજઝાય. ૬-૨. ગતમામ. ૧-૧૮, ગત સવિ દંદ. ૧-૧૫. ગતિભાવ, ૫-૨૦, ગંધગુણ. ૩-૯, ગંભીરાદિક અડગુણ, ૩-૧૫. ગારુડમંત્ર. ૨-૧૧, ગીતાર્થ. ૩-૨૦. છઇ ૩–૨. છઉમ ૪-૧૮. Page #53 -------------------------------------------------------------------------- ________________ છલે ૩–૧૮. છાલી ૧-૧૭. છેક ૭-૬. છેતિ ૧-૨, જ જન્માંતર ૭-૪. જમાવ ૭-૪. જલવાલ ૩–૧૧. જવ ૨-૧૦. જાઈ ૨-૧૧. જાણે ૫-૨૧. જિઉદ્રવ્ય ૧-૭. જિણ હેતિ ૧-૨૧. જિતકાશીભેરી ૭-૨. જિન ૧-૧. જિનને અનુરૂપ ૪-૯, જિનવાણું ૧-૧. જેહ ૨-૩. જેણિ ૭-૨. જબાલ ૩–૧૮. જ્ઞાનવિમલ ૭-૧૦, જ્ઞાનવિમલ પ્રભુ પ-૨૨. જ્ઞાનાદિક ગુણમણિ ૨-૧૧. [૫૦] તરણિ ૨–૧૧. તસ ૨-૬. તંત્ર પ-૨૨. તાદશ ૬-૩. તાસ ધુરા ૫-૩. તિહાં ૩–૧૪. તુલ્ય ૫-૬. તેહનું ૨-૩. તેહમાં વાધીઇં રે ૩-૧૫. ત્રિગુણયુક્ત ૫-૩. ત્રિદોષ ૩-૪. ત્રિપદી ૪-૩. ત્રિપદી પણ વર્ણ વિચાર ૪-૩. ત્રિભવે ૫-૮. ત્રિયોગયુક્ત ૫-૧૬. થયે વડભાગ ૧-૬. થાએ જાણ ૧-૧. થાયે ૩-૫. થિર કરી ૧-૧૪. થિર પરિણામ ૪-૧૯. ઠવે ૪–૧. ઠામિ ૩-૮. ઠામઠામિ ૭-૧૦. ઠેર ૨-૧૦. દશમ દ્વા૨ ૩-૮. દહી ૫–૧૯. દંડાભાવ ૫-૨૦. દાખU ૩–૧. દિન, પક્ષ ને વાર ૩–૧૪. દિશે દિસિ સેરી ૭-૨. દીર્ઘ ૪-૭. દીવ ૭-૯. દુર્થોનાદિક પ્રેત ૩–૧૮. દાખઠામ ૧-૧૮, દુઃખદાઈ ૧-૧૬. દુવિધ ૨-૮. તવ ૩–૧૩. તવતણે આગ (કર) ૧-૧૪. તદ્દભવે ૫-૮. તનગી ૫–૧૭. તનુલાઘવપણું ૩-૭. Page #54 -------------------------------------------------------------------------- ________________ [૫ ] દુષ્ટ વિક૯૫ ૩-૨. દૂરિ જાય ૧–૯. દઢ પ્રતીત ૧-૮. દઢભાવે ચિત્ત ધરું ૧-૨. દેખઈ પ–પ. દેખે ૫-૨૧. દેવરાજ ૭-૯ દેશ ૧-૧૧. દેશસર્વસંયતા ૩-૧૬. દોઇ નયન ૬-૨. દર ૨-૧૦, દોષ અઢાર ૪-૩. દ્રવ્યતણ પલિમંથમાં ૩-૧૪. દ્રવ્યપવનાભ્યાસીને ધર્મ ૩-૬. દિવ્ય પ્રાણ ૧-૧૯. દ્રવ્યયેગી ૩-૧૧. દ્રવ્ય વિષય સંક્રમણ ૫-૧૨. દ્વાદશવિદ્યા ૩–૧૦. ન કહાયે મુખિ ૧-૫. નમપદ ૪-૨, ન યોગવે ૩–૧૭. ન જે ૩-૨૦. નમ ૭-૮. નવિ ભાવે ૧–૧૧. નવિ લહે ૩-૧. નહી વિક૫. ૧–૪ નાગ ૧-૬. નાવે ૨-૬. નાનામૃત વિચાર પ-૧૧. નાસા ૩-૧૪, ૬-૨, નાસિકા ૩-૧૫. નાસે ૧-૨. નિઃકંપ ૪–૧૬. નિકલંક ૧-૪. નિજતેજ ૩-૮. નિજપરકેરાં ૧-૨૦. નિદાન ૪–૧૯. નિબિડ કર્મના ૧-૧૫. નિરખંતે ૪–૧૯. નિરધાર ૪–૧૪. અનિરુદ્ધાગ ૫-૧૪. નિરંજન ૧-૪, ૫–૧૮. નિર્ગુણ પ-૩. નિર્મલગુણ ૧-૪. નિર્મલ વિધુ ૪-૧૬. Aનિવિક૯૫ ગુણ ૨-૨, નિવાર ૫–૧. નિવારીઍ ૩–૧૬. નં ૧-૮. ન્યારો ૧-૮. ધણી ૫–૫. ધરી હતિ ૧-૨૧. ધમ ધ્યાન ૨-૨. ધર્મધ્યાને ૨-૫. ધર્મશર્મભૂમિકા ૭-૮. ધામ પાપના ૭-૭. ધૂમ ૫-૨૦, ધૃતિધર ૪-૧૯. ધ્યાન ૨–૧. ધ્યાન કરણ ૧-૧૩. ધ્યાન કુઠારે ૨-૯ ધ્યાનમાલા ૭-૧૧ ધ્યાને હાઈ પરભાગ ૫-૪. વિસ્તકર્મના મર્મ સંમુહ ૭-૮. Page #55 -------------------------------------------------------------------------- ________________ [૫૨] પજજવ ૧-૭, પટુઈન્દ્રિય ૧-૧૧. *પડિમ ૪–૧૮. પણિ ૧-૧૧, ૩-૧. પદ ૬-૨, પર ૩-૧૮. પરબ્રહ્મ ૧-૧૫, પરભાગ ૪-૭. પરભાવ ૭-૯. પરમનિધાન ૭-૧૦, પરમ મંત્ર ૫–૧. પરમાતમ જ્યોતિ ૧-૧૫. પરમાતમનું ચિંતન ૩–૧૭. પરમાતા પદ ૪-૧, પરમાતમપદ વરે ૧-૧૪. પરમાર્થ પ–૮. પરમેષ્ઠિ નામ ૭-૭. પરમેષ્ઠિ પદ ૬-૩. પરમેષ્ઠિ મંત્ર ૫–૨૨. પરોગ પ-૧પ. પ૨લાભે ૩-૨૦, પરસંગે ૧–૧૭. પરિણતિ ૧–૧૬. પરિપૂતક ૫-૩. પર્યાય અનુસરણ ૫-૧૨, પલિમંથ ૩–૧૪. પવનતણું જય ૩-૭. પવન નિર્જયથી થતા લાભ ૩–૭. પવનાલ્યાસ ૩–૯. પાવનઠાણ ૭-૨. પાવનઠામ ૪–૧૫. પિશુનતા ૩–૨૧. પીઠ પ-૩, ૬-૧૨, પીનતા ૩–૨૦. પુદ્ગલાનંદી ૨–૭. પુષ્કાદિક છ–૫. પુલક ૩–૧૯. મુલાય ૧૫. પૂર્ણ સમાપના ૩–૧૨. પંચ ૪–૨૨. પંચકબીજ ૪–૧. પંચપણિ ગુણ પ–પ. પંચપીઠ ૫–૪. પંચ પ્રસ્થાન પ્રવર્તક પ-૩. પંચભૂત તણું તત્ત્વ ૩–૧૦. પંચવણું –૩. પંચ સમીર ૩-૬, ૩–૧૫. પંચાંગુલી ડિ ૪–૨૧. પાંચ ઈન્દ્રિયની પટુતા ૩–૧૬. પાંચ પરમેષ્ઠિ ૭–૧. પ્રચાર ૩–૧૭. પ્રણમન કરી ૧–૧. પ્રણિધાન–કરણ ૩–૨. પ્રથમ ૧–૪. પ્રથમભેદ ૫–૧૨. પ્રધાન ૨૨. પ્રમત્ત ૩–૨૧. પ્રમાદની ઝલકિ ૩–૨૧. પ્રાગ ૫–૧૪. પ્રાણાધિક વરભાવક ૪-૬. પ્રાણાયામાદિક ૭–૨. બુત ૪–૭. બહુલા –૭. બહુ વ્યાપ ૫–૮. બહુશ્રત મુખથી ગ્રહીએ –૭. બાલકજનની સંગતિ ૩–૧૯. Page #56 -------------------------------------------------------------------------- ________________ [૫૩] બાહુ ૬-૧ બાદા અભિંતર વરી ૭-૨ બિહુધાર ૪-૧૧ બીજ (ક્રિયાના) ૩-૫ બોધ ૫-૯ બંધ ઉદય, સત્તા ૪-૧૩ ભજના ૨-૭ ભવ ગયા ૧–૧૯ ભવતરુ મૂળ ૨-૯ ભવના ધર્મ ૭-૮ ભવભાવ ૧-૧૨ ભવવનમાં ૨-૧૦ ભવસુખ ૧-૧૬ ભવાભિનંદી ૨-૭ ભવિ ભવિ ૭-૯ ભવ્ય સ્વભાવ ૩–૧ ભાઈ ૩–૧ ભાગ ૫-૨૧ ભાગી ૧-૧૮ ભાલતલિ ૬-૧ ભાલલિ ૧-૧ ભાવપ્રાણ ૧-૧૯ હભાવ ચારિજ ૬-૧ ભાવે ૩–૧૫ ભાષ્ય ૪-૧૪ ભૂ૫ ૧-૨૦ અલભૂમિ પ્રમાર્જન ૩-૧૦ ભાગ ૧-૧૦ મ મરો' ૩-૨૨ મણું ૫-૨૧ મદ ૧-૪ મદિરા મેહ ૧-૧૮ મધ્યમો ૪–૨૧ મથે ૫-૭ મનથિરતા ૫-૧૭ મનસ્વસ્થ ૪–૧૭ મનિ નિરમાય ૧-૧૨ મનિ રમે ૬-૧ મનોદમાં ૩-૨ મરાલ ૩-૧૮ મહાકલ્યાણ ૧-૧ મહાતમાં ૧-૯ મહાસુખ સાગર ૧-૧૫ માન ૧-૪ કમાયાબીજ ૪-૫ માસ મધુ ૭-૧૧ મુણિ ૬-૧ મુંદે ૨-૬ મૂલ ઉપાય ૨-૧ મૃગાંકપુડી ૩-૫ મેહ જીપનકેતુ ૨-૩ મંડલ ૩-૧૦ મંડલ ચા૨ ૫-૨ મંડલ ચાર વિચાર ૩-૧૨ મંડાણ ૫-૬ મત્રરાજ ૪-૧૦ યતનાઈ ૩-૩ ગ ૧-૧૦, ૧-૨૧, ૫-૨૫ ગાંતર ૫-૧૨, ૫-૧૩ ૨ત ૧-૭ રણમે ૧-૬ રતિ ૧-૪ ૨૫ ૧-૧૧ રવિશશિગૃહધરા ૩-૧૪ રસગુણ ૩-૯ 9. Page #57 -------------------------------------------------------------------------- ________________ [ પ૪] રહસ્ય ૪-૧૪ રાજહંસ પણું ૪-૯ રૂઢિમાત્ર ૭-૨ રૂપ ૨૬ રહણગિરિ ૨-૧૧ લઘુપંચાક્ષર ૫-૧૯ લબ્ધિ અઠ્ઠાવીસ પર લહઈ ૬-૩ લહેવાય ૫-૪ લાગ ૫–૧૪ લિગા૨ ૧-૧૧ * લીલા ૭-૧૧ લેશથકી પ-૮ લેશ્વાતીત ૫-૧૫ લેશ્યાશુદ્ધ ને ભાવ વિશુદ્ધ ૫ ૯ * કાતિક પ-૨૦ વારના બે ભેદ ૩-૧૪ વારિત વિષય કષાય ૬-૩ અરવિકથા ૧-૧૦ વિકાય ૧-૧૮ વિકાર ૩-૧૬ વિચય ૫-૯ વિચાર ૫-૨૨ વિણ ૩–૧ વિધાન ૫-૧ વિનય ૧-૩ વિભાવ વિદી ૭૪ વિરતિ અવિરતિ બેહુ ૩–૧૫ વિરૂપ ૧–૧૭ વિવેક ૧-૩ વિશુદ્ધ ૫-૯ વિષ પ્રતીકાર ૨-૧૧ વિષય વિકાર ૧-૧૧ વીતરાગદોસી ૧-૪ વીર્ય ૫-૯ વીય સહાય ૪-૨૦ વેદે નવિ ૧-૬ વેલિ ૨-૯ *વેરાગ્ય પ-૯ વંક ૧-૪ વ્યક્તિ ૩-૧, ૫-૧૩ વ્યવહાર વિચારી ૭-૬ શ શબ્દગુણ ૩-૯ શાન્તસુધારસમાંહિ ૧- ૨૦ શાશ્વત ૧-૧૫ શિરઈ ૫-૩ શિવસુખ ૨-૧ શુકલધ્યાન ૨-૨ શુચિ અનુભવની તિ ૧-૨ વચન ૧-૩ વણું ૩-૫ વણું ગુણ ૩-૯ વર્ણવિભાગ ૪-૭ વદનિ ૬-૧ વર્ધમાન ભાવે ૭-૧ વહિન ૪-૫ વહેવા પ-૩ વાચનાદિ ૩–૨૧ વાજે કીર્તિ ૭-૨ વાટક ૧-૧૭ વધે હીર ૪-૮ વાયગ ૬-૧ વાયુ ૩-૩ વાયુચારૂં ૩-૮ Page #58 -------------------------------------------------------------------------- ________________ [૫૫] શદ્ધક્રિયા ૨–૪ શુદ્ધ દ્રવ્યગુણ પજવ ૨-૩ *શુદ્ધ ધર્મનું બીજ ૪૧ શુદ્ધાતમ ૧–૧, ૧-૨, ૧-૯, ૨-૯, ૫-૧૬ શુદ્ધાતમાં ૧–૯ શુદ્ધાતમનું ૧–૧૩ શુદ્ધાતમ રત્નાકર ૨-૯ શુદ્ધ પ્રતીત ૫–૭ શુભ પરિણામ નિમિત્ત ૬-૩ શુભશુભ જોડે ૧–૧૦ શુભમૃતિ ૪–૧૯ શુભ સંક૯પ ૧-૩ શૈલેશી ૫–૧૯ શૈલેશીગત પ-૧૫ શ્રી ૧૧, ૪-૫ *શ્રી જિન ૫૭ મૃત અનુયાય ૧–૧૨ શ્રતથી ૫–૧૨ સહજાનંદ ૧-૧૫ સહિવાણી ૭-૮ સાધારણ ૪–૫ સાથ, સાધન, સાધકના ભેદ પ–પ સાર ૨-૪ સાવરણે ૧–૧૮ સાહિબ ૨–૧ સાહું ૬૨ રોસિદ્ધ ૪–૧૮, ૫–૧૮ સિદ્ધચક્ર ૧–૧ સિદ્ધચક્રની માંડણી ૬–૨ જસિદ્ધરસ ૭–૩ સિદ્ધા ૭-૯ સીઝસ્થઈ ૭–૯ સીઝે ૭–૯ સુખ ઉપનું ૧૫ સુખકંદ ૧-૧૫ સુખચક્ર ૩–૨૨ સુખાસન ૧–૧૧ સદ્ધ કરી ૧-૩ સુપઈ ૫-૩ સુમેરુ દર્શન ૪–૧૬ સુવિવેક ૧–૨૧ સૂક્ષ્મક્રિય અપ્રતિપાતિ ૫–૧૧ સેચનનીર ૭-૫ સેવના ૩–૫ સેવી ૧–૧૩. સેય ૫–૭ સેલ ચઉક પ-૧ સંકેત ૪-૬ સંચાર ૩–૧૬ સંમુખ ૧–૧૯. સંવેદ્ય સમીર ૩–૧૨ સ્થાન ૩–૫ સકણું ૪-૨ સકલસભાવવિભાવ ૧–૧૯ સકલ શરીર પઈટ્રિય ૬-૧ * સકલીકરણ ૪–૨૧ સઝાય ૩-૨૧ સત્ય સરૂપ થ ૧–૧૯ જસમકિતથાન ૩–૨૧ સમતા સુર લતાને ૭–૧૧ સમભાવ ૧–૧૯ સમ મનિ લાગી ૧૬ સમય પ-૨૦ સમાપત્તિ ૪–૧૪ સમીર ૩–૧૧ સમીરના બીજ ૩–દ સરસ સુધારસ કુંડ સુતીર ૪–૮ સહજ સભાવ ૭–૪ Page #59 -------------------------------------------------------------------------- ________________ [૫૬] સ્પર્શથી ૭-૩ સ્યાદવાદ રસરંગ ૬–૩ વગહેતુ ૫-૧૦ સ્વસ્થ ૨–૫. સ્વ૨ સાધન ૩૦-૧૧ હાણિ ૭–૨ *હુદયકમલે ૩–૫, ૪–૧ હેતુ ૨-૩ હેડી ૪–૨૧ હંસ પરિ ૬-૩ હર્ષે ૫–૧૩ * હવાદિક સર્વર પેજના ૪–૧૩ ના + + + Page #60 -------------------------------------------------------------------------- ________________ સં કે ત સૂચિ અ. ના. સ. સ. અહંન્નામસહસ્ત્રસમુરચય ઉ. ભ. પ્ર. ક. ઉપમિતિભવપ્રપંચ કથા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી જ્ઞાનસાર તવાર્થસૂત્ર 4. ગુ. ૫. રા. દ્રવ્યગુણ પર્યાયને રાસ સ્વા. સં. વિ. નમસ્કાર સ્વાધ્યાય સંસ્કૃત વિભાગ ગવૃત્તિ ચોગશાસ્ત્ર વિવરણ Page #61 -------------------------------------------------------------------------- ________________ પંચપરમેષ્ટિ મંત્રરાજ ધ્યાનમાલા ” ના ટબામાં નિર્દિષ્ટ દષ્ટાન્ત ઢાળ પકડી પૃષ્ઠ ૧. પ્રસન્નચન્દ્ર ૨. દમદંતમુનિ x ૩. શિવકુમાર ૦ ૪. ચિલાતીપુત્ર + * જુઓ પરિશિષ્ટપર્વ ૩ ૭ ૧૮ ૭ ૧૩૩ ૨૪૮ ક-આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિ મ. * જીએ અષમડલસ્તવ પ્રકરણ • જુઓ પંચપરમેષ્ટિ ગુણરત્નમાળા (અનુવાદ) + જુઓ યોગશાસ્ત્ર પણ વિવરણ પ્રથમ પ્રકાશ પ્ર-આત્મવલભગ્રંથમાલા ક-રામવિજયજી, પ્ર. જૈન આત્માનંદ સભા ક-આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિ મ. ( 1 ) : Page #62 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિનું જીવનવૃત્ત -+ — આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિને જન્મ વિ. સં. ૧૬૯૪માં મારવાડ દેશમાં ભિન્નમાલ નામના નગરમાં થયે. તેઓ વિસા ઓસવાલ જ્ઞાતિના હતા. તેમના પિતાનું નામ વાસવ શેઠ. તેમની માતાનું નામ કનકાવતી. તેમનું પિતાનું નામ નાથુમલ. તેમણે ૮ વર્ષની વયે મુનિશ્રી ધીરવિમલ ગણિ પાસે સંયમ સ્વીકાર્યું તે વખતે તેમનું નામ નવિમલ રાખવામાં આવ્યું. સંયમ સ્વીકાર્યા બાદ તેમણે અમૃતવિમલ ગણિ તેમ જ મેરુવિમલ ગણિ પાસે શાસ્ત્રાધ્યયન કર્યું. તેમના ગુરુએ તેમને સુગ્ય જાણી વિ. સં. ૧૭૨૭માં પંડિત પદથી (પંન્યાસપદથી) વિભૂષિત કર્યા. વિ. સં. ૧૭૩૯માં તેમના ગુરુદેવ સ્વર્ગવાસી બન્યા. તે વખતના સર્વ ગીતાર્થોએ વિચાર્યું કે “ હાલમાં સંવિગ્ન, જ્ઞાન ક્રિયા અને વૈરાગ્યાદિ ગુણોથી સંપૂર્ણ અને આચાર્યપદ માટે એગ્ય એવા પં. નવિમલ ગણિ છે” અને તેથી તેમણે આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિને-કે જે જગદગુરુ આચાર્યશ્રી વિજય હીરસૂરીશ્વરજીની ચોથી પાટે બિરાજમાન હતા–પં. નવિમલગણિને સૂરિપદથી અલંકૃત કરવા વિનંતિ કરી. આચાર્યશ્રી વિજયપ્રભસૂરિજીએ એ વિનંતિની યોગ્યતા જાણીને વિ. સં. ૧૭૪૮માં ફા. સુ. ૫ ને દિવસે સંડેર ગામમાં તેમને આચાર્યપદથી વિભૂષિત કર્યા અને તે વખતે તેમનું નામ જ્ઞાનવિમલસૂરિ રાખવામાં આવ્યું. આ નામ રાખવા પાછળનું કારણ તેમનું વિશાળ જ્ઞાન વિજયપ્રભસૂરિજીએ અનુભવ્યું હતું તે હતું. આ સમયે નાગજી પારેખે આચાર્ય પદનો મહત્સવ કર્યો અને સારું દ્રવ્ય ખરચ્યું. તેમના સમયમાં જૈન સંઘના મુનિવર્ગમાં શિથિલાચાર સારા પ્રમાણમાં પ્રવેશ્યા હતા અને તેથી તેમણે કિદ્ધાર કરી ભવ્યજીને મેક્ષને શુદ્ધ માર્ગ આચરી બતાવ્યો હતે. ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, મહેપાધ્યાય શ્રીમદ્દ યશવિજયજી, ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી, શ્રી દેવચંદ્રજી, શ્રી આનંદઘનજી વગેરે તેમના સમકાલીન હતા. તે સૌ સંવિગ્ન ગીતાર્થો હતા અને પરસ્પર પ્રત્યે આદરભાવ રાખનારા હતા. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી પ્રત્યે, તેમની શુદ્ધકરૂપણ પ્રત્યે, આ. શ્રી જ્ઞાનવિમલસૂરિને અદભુત આદર હતું. તેથી તેઓ તેમને “વાચકરાજ' નામથી સંબોધતા. ઉપાધ્યાયજીના બનાવેલા ઘણાય સ્તવને ઉપર આ૦ શ્રી જ્ઞાનવિમલસૂરિએ ટીકાઓ રચી Page #63 -------------------------------------------------------------------------- ________________ [૬૦] છે. ઉપરાંત ઉપાધ્યાયજીના વર્ગવાસ પછી તેમણે તથા શ્રી દેવચંદ્રજીએ સંયુકત રીતે શ્રી નવપદપૂજાની રચના કરી તે કૃતિને મહાપાધ્યાયજી શ્રી યશોવિજયજીની કૃતિ તરીકે ૨જૂ કરી છે.+. ઉ. શ્રી યશોવિજયજી ઉપર તેમને અનન્ય સભાવ હતો તે તેમની અનેક કૃતિઓના પ્રાન્તવાકયથી જાણવા મળે છે. જેવાં કે જ્ઞાનવિમલ મહિમા થકી, હેય સુયશ સવાયા રે, જ્ઞાનવિમલ સુરિંદ પ્રભુતા, હેય સુયશ જમાવ રે.૪ તેમણે અનેક વખત સિદ્ધાચલની યાત્રાએ કરી હતી. ૧૭ અંજનશલાકાએ કરી હતી. તેમજ બીજા પણ અનેક પ્રતિષ્ઠાદિ ધર્મકાર્યો કરાવ્યાં હતાં. ઘણા મુનિઓને પંડિતપદ તેમજ વાચકપદનાં દાન કર્યા હતાં. વિ. સં. ૧૭૭૦માં સુરતના શ્રી પ્રેમજી પારેખે સિદ્ધાચલન સંઘ તેમના ઉપદેશથી કાઢયે હતા.5 તેમનું વિહાર ક્ષેત્ર માટે ભાગે ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મારવાડ હતું. સુરત શહેરમાં તેમણે અનેકવાર સ્થિરતા કર્યાના ઉલલેખે સાંપડે છે. વિ. સં. ૧૭૫૫માં તેમણે સુરતમાં તીર્થમાલા રચી. વિ. સં. ૧૭૬૬માં તેમણે સુરતમાં વીશસ્થાનક તપનું સ્તવન રચ્યું. વિ. સં. ૧૭૭૩માં સકલાઉત્ સ્તોત્ર પર સુરતમાં બે રા. વિ. સં. ૧૭૭૪માં અશોકચંદ્ર હિણી રાસ સુરતમાં ર. વિ. સં. ૧૭૮૦માં સુરતમાં પ્રભુપ્રતિષ્ઠા કરાવી. આમ તેમના ધર્મ નિવાસને સારે લાભ લેવા સુરત ભાગ્યશાળી બન્યું હતું. તેમની કાવ્યશક્તિ અતિ અદભુત કહેવાતી હતી. સંસ્કૃત કવિતામાં જેવું સ્થાન કલિકાલસર્વજ્ઞ, આ૦ શ્રી હેમચંદ્રસૂરિનું હતું તેવું જ સ્થાન લોકભાષાની કવિતામાં તે યુગમાં આ૦ શ્રી જ્ઞાનવિમલસૂરિનું હતું. તેમણે સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતીમાં અનેક ગ્રંથો રચ્યા છે જે પૈકી નીચેના ગ્રંથ મુખ્ય છે. નરભવદિતવનયમાલા. પ્રશ્નદ્ધાત્રિશિકા તેત્ર. પ્રશ્નવ્યાકરણ સૂત્ર વૃત્તિ. જિનપૂજાવિધિ. સંસારદાવાનલ સ્તુતિ વૃત્તિ. વિશસ્થાનક તપવિધિ. શ્રીપાલ ચરિત્ર. જ્ઞાનવિલાસ. * ઉ. શ્રી યશોવિજયજીને સ્વર્ગવાસ વિ. સં. ૧૭૪૪માં થયો હતો. + જ્ઞાનવિમલ ગુણ ગાવે, સિધ્ધચક્ર પ્રભાવે, ગુરુ દીપચંદ સુચરણસેવક, દેવચંદ્ર સુશોભતા. યશો. વિ. કૃત નવપદપૂજા, નવમી તપપદ પૂજા. * આ વિગત અમને આ૦ શ્રી વિજયધર્મધુરંધરસૂરિ મ. તરફથી મળી છે. પ્રેમજી પારેખના સંઘના રસપ્રદ વર્ણન માટે જુએ સૂર્ય પૂર રાસમાલા પૃ. ૩૫ થી ૪૩. : Page #64 -------------------------------------------------------------------------- ________________ [ 1 ] સંયમ તરંગ. તીર્થમાલા. નવતત્વ બાલાવબોધ. સૂર્યાભ નાટક. આનંદઘન ચોવીશી બાલાવબોધ. સાધુવંદના રાસ. સાડા ત્રણ ગાથાના સ્તવનને બાલાવબોધ. જંબુસ્વામી રાસ. શ્રમણુસૂત્ર બાલાવબોધ. બારવ્રત ગ્રહણ રાસ. દિવાળીકલ્પ બાલાવબેધ. શ્રીચંદ્ર કેવલિ રાસ. અધ્યાત્મકલ્પ મ બાલાવબેધ. બે વીશીઓ. પાકિસૂત્ર બાલાવબોધ. દશ દષ્ટાંતની સઝાય. ધ્યાનમાળા ઉપર ટબ. ગદષ્ટિની સઝાય ઉપરાંત સિદ્ધાચલના સંખ્યાબંધ સ્તવન, રાસે, સઝા, સ્તુતિએ વગેરે. તેમનું આયુષ્ય ૮૮ વર્ષનું હતું. જેમાં ૮૦ વર્ષને સુદીર્ઘ ચારિત્રપર્યાય હતે. તેમને સ્વર્ગવાસ વિ. સં. ૧૭૮૨માં ખંભાત મુકામે આસે વદિ ૪ ના દિવસે પ્રભાતકાળે અનશનપૂર્વક થયો. તેઓ ભવ્યસમૂહમાં અત્યંત પ્રીતિપાત્ર હતા તેથી જ્યારે તેમનો સ્વર્ગવાસ થયે ત્યારે ખંભાતમાં ૪૦ દિવસ પર્વત અમારિ પ્રવર્તન કરાવાયેલ અને તે એટલે સુધીનું કે ખંભાતના દરિયામાં માછીમારની જાળો પણ ૪૦ દિવસ બંધ રહેલ. સુરતના સૈયદપરાના નંદીશ્વર દ્વીપના જિનાલયના ચેકમાં તેમના પગલાંની દેરી છે જે તેમના સ્વર્ગવાસના વર્ષમાં જ ત્યાં સ્થાપિત કરાઈ છે. સુરતમાં તેમની વિશેષ સ્થિરતાના કારણે અને સંભવત: સૈયદપરામાં સ્થિરતાના કારણે તે દેરી ત્યાં સ્થપાઈ હોવાની કલ્પના કરી શકાય ૪ આ રીતે અઢારમી શતાબ્દીને તેમણે પિતાના તપઃપૂત જીવનથી, સંવિગ્નપણથી, જ્ઞાનના પ્રકાશથી તથા અનેક ગુણેથી અજવાળી છે. આ૦ શ્રી જ્ઞાનવિમલસૂરિને ઉપાશ્રય તથા તેમના ચેલા ગ્રંથને સંગ્રહ ખંભાતખારવાડામાં હોવાનું વાંચવામાં આવેલ પરંતુ હાલમાં તે અંગે તપાસ કરતાં તે સ્થળે તે કઈ ઉપાશ્રય કે ગ્રંથભંડાર વિદ્યમાન નથી તેમ જાણવા મળે છે.* ૪ આ અંગેની કેટલીક વિગતો માટે અમે પૂ. મુનિશ્રી કંચનસાગરજી મહારાજના કૃતજ્ઞ છીએ. + સંદર્ભગ્રંથે. જૈન ગુજર કવિઓ. પ્રાચીન જૈન સ્તવન રત્નસંગ્રહ. સૂર્ય પૂર રાસમાળા. જૈન ગુર્જર સાહિત્યરતને અને તેમની કાવ્ય પ્રસાદી. સુરતના સૈયદપરાનાં જિનમંદિર અને એનાં ફલક ઉપરના ચિત્રો.વિ. સં. ૨૦૧૬ Page #65 -------------------------------------------------------------------------- ________________ કવિરાજ શ્રી નેમિદાસને પરિચય શ્રી નેમિદાસ અઢારમી શતાબ્દિમાં થયેલા છે. તેમના જીવન ઉપર પ્રકાશ પાડે તેવી કંઇજ માહિતી મળતી નથી. (મેહનલાલ દલીચંદ દેસાઈ “જૈન ગુર્જર કવિઓમાં તેમને દશાશ્રીમાળી જણાવે છે.) તેમના પિતાનું નામ રામજી હતું. કવિ પિતાની ઓળખ આ પ્રમાણે આપે છે. “શાહ રામજી સુતરત્ન નેમિદાસ ઈણિપરિ કહઈ” તેઓ આ૦ શ્રી જ્ઞાનવિમલસૂરિના ભક્ત હતા અને તેમની કૃપાથી, તેમના વચનને આધાર લઈને તેમણે દયાનમાલા ગ્રંથ રચ્યો છે. તે નીચેની કડી શાખ પૂરે છે. શ્રી જ્ઞાનવિમલસૂરિ ગુરુકૃપા લહી તસ વચન આધાર” તેમણે રચેલા ગ્રંથની સંખ્યા ત્રણની જાણવામાં આવેલ છે. (૧) અધ્યાત્મસારમાલા. રચના સંવત્ ૧૭૬પ (૨) પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા. રચના સંવત્ ૧૭૬૬ (૩) ચોવીશી ચઢાળિયું, રચના સંવત્ ૧૭૭૩ (ત્રીજે ગ્રંથ મુદ્રિત થયાનું જાણવામાં નથી. ) શ્રી નેમિદાસે રચેલ ગ્રંથ ઉપર આ. શ્રી જ્ઞાનવિમલસૂરિએ બે ર તે વસ્તુ શ્રી નેમિદાસના ધમપણાની અને બહુશ્રતપણાની સાબિતી પૂરી પાડે છે. તેઓ વ્રતધારી હતા તે વિગત તે તેમના પિતાના નીચેના શબ્દોથી જાણવા મળે છે – “ ધ્યાનમાલા ઈમ રચી નેમિદાસઈ વ્રતધારી’ શ્રી નેમિદાસ શ્રાવક કવિ છે. જૈન સાહિત્યનો ઈતિહાસ ઉપરછલી નજરે તપાસીએ તે એક વાત જરૂર આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે કે તેના પ્રાયઃ સઘળાજ કર્તાઓ ત્યાગી મુનિવરે હતા. જો કે તેમાં કઈ કઈ અપવાદ નેમિદાસ જેવાના મળે છે, પરંતુ સંખ્યાની દષ્ટિએ તેમજ પ્રતિભાની દષ્ટિએ શ્રમણ કવિઓ જ આપણી આખોને આંજી દે છે. છતાં શ્રમણ પાસક કવિઓએ જૈન વામને સમૃદ્ધ કરવામાં જે ફાળો આપ્યો છે તે પ્રત્યે ઉપેક્ષા તે ન જ કરી શકાય. Page #66 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમાલા ”ની રચના સુરતમાં થઈ હોય એવાં પ્રમાણે પ્રાચીનસ્તવન રત્નસંગ્રહ (પૃ. ૨૬૮) તથા સૂર્યપુર રાસમાલા (પૃ ૧૯) દ્વારા પ્રાપ્ત થાય છે. કેમકે સં. ૧૭૬૬માં આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિજી સુરતમાં જ હતા એ વાત નિર્વિવાદ છે. એમના વચનો આધાર લઈને શ્રાવક કવિએ ગ્રંથરચના કરી હોઈને શ્રી નેમિદાસ પણ સુરતમાં જ તે વખતે હતા તેમ પ્રતિપાદિત થાય છે. શ્રી જ્ઞાનવિમલસૂરિ વિદ્વાનો પ્રત્યે ખૂબ જ માન ધરાવતા હતા. તેઓ પોતે સાહિ. ત્યકાર ઈને સાહિત્યકારને ઓળખવામાં અને તેમને પ્રોત્સાહિત કરવામાં ખાસ રસ લેતા. આ વાતનું ઉદાહરણ એક મૂર્તિ ઉપરને લેખ પૂરું પાડે છે. (જુએ મુનિ કાંતિ સાગરનો લેખસંગ્રહ– “જૈનધાતુ પ્રતિમા લેખ” લેખાંક ૩૩૫) તે લેખમાં સુંદરદાસ શ્રાવકના નામ આગળ પંડિત બિરૂદ છે. જૈન મૂર્તિલેખોમાં શ્રાવકેનાં નામ આગળ “સા. સાહ, શ્રેષ્ઠિ, ઝવેરી, વ્યવહારી, સંઘવી, મંત્રી” વગેરે બિરુદ પ્રજિત હોય છે. પરંતુ લેખાંક ૩૩૫માં સૌ પ્રથમ પંડિત શબ્દનો પ્રયોગ શ્રાવકના નામ આગળ કરવામાં આવ્યો છે. આપણા વિદ્વાનોનું દયાન આ તરફ ગયું જણાતું નથી. શ્રી જ્ઞાનવિમલસૂરિને સાહિત્યકારે કે પંડિતે પ્રત્યેને પક્ષપાત આ દ્વારા સૂચિત થાય છે જ અને એ જ કારણ છે કે તેઓ પોતે શ્રાવક કવિની કૃતિના ટીકાકાર બન્યા છે. પરંપરાની દષ્ટિએ શ્રાવકના ગ્રંથ ઉપર એક આચાર્ય ટબ કે ટબાથે લખે એ આશ્ચર્યકારક ઘટના જરૂર લેખાય પરંતુ ઉપર્યુક્ત કારણને લીધે એ શકય બન્યું છે. * આ પરિચયની કેટલીક વિગત માટે અમે થી “પાર્થ' ઉફે પાસવીર વીરછ દુલ્લાના આભારી છીએ. Page #67 -------------------------------------------------------------------------- ________________ પંચ પરમેષ્ટિ મંત્રરાજ ધ્યાનમાલા માંથી ઉધ્ધત કરેલા સુભાષિતો હાળ ૧ લી રે શુદ્ધાતમ છે મહાકલ્યાણ, તે ગ્રહવાને થાઓ જાણ, શુદ્ધાતમ અવકન કર, દયભાવે એહિ જ ચિત્ત ધરું Dાર શરણમ્યું લાગે રાગ, જાણે એહથી થયો વડભાગ. અરિહંતાદિક શુદ્ધાતમા, તેનું ધ્યાન કરે મહાતમા; જે પુદગલમ્યું પરિણતિ કરી, તેહ થકી ચ્યારે ગતિ ફિરી. ઢાળ બીજી શિવસુખપ્રાપણ ભૂલ ઉપાય, થાન કહ્યું છે જિનવરરાય. વિષય કષાય જે ભવતરુમૂલ, ધ્યાન કુડારે કરો ઉનમૂલ. ઢાળ ૪ થી આતમ પરમાતમ ગુણ ધ્યાન કરે તે પામેં પાવન ડામ ઢાળ ૫ મી ................... પરમેષિમંત્ર શિવસુખ સાધનનો એ તંત્ર. ઢાળ ૭ મી અભ્યાર્સે કરી સાધીઈ રે, લહી અનેક શુભયોગ, આતમવીર્યની મુખ્યતા રે, જ્ઞાનાદિક સુવિવેક. Page #68 -------------------------------------------------------------------------- ________________ કવિરાજ શ્રીનેમિદાસ રામજી શાહ વિરચિત ગ્રન્થયુગલ ગ્રન્થ પહેલે પંચપરમેષ્ટિ મંત્રરાજ - જ I ' (કે. લા sole અથવા 2 8 2 2 9 Page #69 -------------------------------------------------------------------------- ________________ Pican Page #70 -------------------------------------------------------------------------- ________________ કવિરાજ શ્રી નેમિદાસ રામજી શાહ પ્રણીત પંચ પરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા” આ થ વા “અનુભવ લીલા” નું + લ મા ત્ર. ઢાળ પહેલી [ ઢાળઃ પાઈ] શ્રી જિનવાણી પ્રણમન કરી, સિદ્ધચક ભાલસ્થલ ઘરી; શુદ્ધાતમ છે મહાકલ્યાણ તે તે ગ્રહવાને થાઓ જાણુ. Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રગટે શુચિ અનુભવની તિ, નાસે તવ મિથ્યામત તિ; શુદ્ધાતમ અવલોકન કરું, દઢભાવે એહિ જ ચિત્ત ધરું. વચન, વિવેક, વિનય સુ(શુદ્ધિ કરી, તિથી મિથ્થામતિ અપહરી; પ્રગટ્યો શુભ સંકલ્પ પ્રધાન,. આપ્યું પ્રથમ શુદ્ધાતમ ધ્યાન. વિતરાગ દેસી નિકલંક, નહી વિકલ્પ મદ માન નૈ વંક; તેહ નિરંજન નિર્મલ ગુણું, પ્રથમ આલંબનમ્યું રતિ બની. એહ દયાને સુખ ઉપનું જેહ, ગં ગોલ ગન્યા પરિ તેહ ન કહાર્યો મુખિ સુખ બહુ થાય, નિબિડ કર્મના પાપ પુલાય. ચાર શરણમ્યું લાગે રાગ, જાણે એહથી થયો વડભાગ; સુખ દુખ આર્થે સમ મનિ લાગિ, વેદૈ જિમ નવિ રણમેં નાગ. અસંખ્ય પ્રદેશી નિજ જિઉ દ્રવ્ય, દર્શન જ્ઞાન ચારિત્ર ગુણ ભવ્ય; પજવ તેહના અનંત અનંત, નિજ સરૂપ જાણે તે સંત. એહથી અલગ પુદગલરૂપ. છે. તેથી ત્યારે ચેતન ભૂપ; Page #72 -------------------------------------------------------------------------- ________________ [૩] એહનું જ્ઞાન એહનું ધ્યાન, . દઢ પ્રતીત ચિતન અનુમાન. અરિહંતાદિક શુદ્દાતમાં, તેનું ધ્યાન કરો મહાતમા; કર્મ કલંક જિમ દૂરિ જાય, શુદ્ધાતમ દયાનૈ સુખ થાય. મન વચન કાયાના યોગ. શુભ શુભ જેડે ન ઈહિં ભેગ; વિકથા નિદ્રા – આહાર, આસનના જય અનેક પ્રકાર. એકાતે અતિપાવન ઠામ, - રમ્ય દેશ સુખાસન નહી ઘામ; પટું ઈન્દ્રિય પણિ વિષય વિકાર, નવિ ભાવે મનમાંહિ લિગાર. ગુરુ વિનયી ને શ્રત અનુયાય, , ગુણપક્ષી ને મનિ નિરમાય; ઔદાસિન્ય પણિ ભવભાવ, સે પણિ નવિ ચિત્ત જમાવ. એહવા ગુણને સેવી જોય, તે ધ્યાન કરણને યોગ્ય તે હોય; ચલપરિણામી ન ધરે ધ્યાન, - શુદ્ધાતમનું મ્યું તસ નામ. થિર કરી રાખે જે ઉપયોગ, કરતા તત્વતણે આભેગ; આતમસાર તે ચિત્તમાં ઘરે, ઇણિ વિધિ પરમાતમપદ વ. તેહને શાશ્વત અખય ઉ(૬)દ્યોત, પરબ્રહ્મ પરમાતમ તિ; ૧૪ Page #73 -------------------------------------------------------------------------- ________________ [૪] સહજાનંદ સદા સુખકંદ, મહા સુખસાગર ગતસવિર્દદ. પ્રથમ વિચાર કરે એહવે, ભવસુખ દુઃખદાઈ કેહ જે પુદગલ સ્યું પરિણતિ કરી, તેહ થકી ચ્યારે ગતિ ફિરી. છાલી વાટક નાટક ગણું, ક્રોધાદિક દુઃખ કેતાં ભણું; અનંત જ્ઞાન જે કેવલરૂપ, પરસંગે થયે તેહ વિરૂપ. સકલ ઋદ્ધિ સાવરણે જાય, ભાગી બદામ અનંત વિકાય; પુદગલ ખલ સંગે દુઃખ ઠામ, મદિરા મેહ થકી ગત મામ. દ્રવ્ય પ્રાણુ કરતે ભવ ગયે, ભાવ પ્રાણ સંમુખ જવ થયે; જાણ્યે સકલ સભાવ વિભાવ, સત્ય સરૂપ થયે સમભાવ, દેખે નિજ પર કેરાં રૂપ, જિમ નટ નૃત્ય કરતા ભૂપ આ૫ આનંદમાંહિ તે લીન, શાંતિ સુધારસમાંહિ અદીન. આપ રૂપે પ્રગટે જિણ હતિ. તે દાખેં ગુરુજન ધરી હેતિ, જિન શાસનમાંહિ ચિગ અનેક, ભાખ્યા શાસ્ત્રમાંહિ સુવિવેક. Page #74 -------------------------------------------------------------------------- ________________ ઢાવી બીજી [ ઢાળ : બંગલાની દેશી. રાગ-કાફી ] શિવસુખ પ્રાપણ ચૂલ ઉપાય, ધ્યાન કહ્યું છે જિનવરરાય. સાહિબ સેવિઈ હાંરે મનમેહન સા; ધ્યાનમાંહિ દેઈ અશુભ નિદાન, આરૌદ્રની કીજે હાનિ સારુ ધર્મ શુકલ ય યાન પ્રધાન, ઉત્તરોત્તર ગુણધર અનિદાન. સારા ધર્મધ્યાનથી આર્તરૌદ્ર જાય, નિર્વિકલ્પ ગુણ તેહથી સધાય. સારુ શુદ્ધ દ્રવ્ય ગુણ પજવ જેહ, શુકલધ્યાન છે તેનું ગેહ. સા ધર્મધ્યાન છે તેનું હેતુ, શુલધ્યાન મેહ છપન કેતુ. સા. શુદ્રક્રિયા જે અનુભવસાર, ધર્મયાન છે તાસ આધાર. આતમવીર્ય જે અનુભવ ધાર, શુકલ તે કર્મ છેદન કુઠાર. સા. મૈત્રી પ્રમોદ કરણે માધ્યષ્ય, ધર્મધ્યાને હાઈ એ ચઉ સ્વસ્થ, સાવ અરિહંતાદિક શરણાં આાર, કાલ અનાદિના જાસ પ્રચાર. સા. ઇ Page #75 -------------------------------------------------------------------------- ________________ [૬] ઇન્દ્રિય સુખ અભિલાષી જેહ, ધર્મધ્યાન તસ ના દેહ. સા શુકલધ્યાનનું આ રૂપ, તે મુદે સંસારનો ફપ. સા. ભવાભિનંદીને એ નવિ હોય. - પુદગલાનંદીને ભજનો જોય. સારુ આતમ આનંદી જે હોય, શુદ્ધ શુલ ગુણ પ્રગટે સોય. સા ચિત્ત વિક્ષિપ્ત ને યાતાયાત, તેહને ધ્યાન ન રહે થિર થાત. સા સુલિષ્ટ ચિત્ત અને સુલીન, તિહાં એ દુવિધ હેઈ લયલીન. સા શુદ્ધાતમ રત્નાકર વેલિ, પ્રગટે તિહાં ભવિ કીજે કેલિ. સા. વિષય કષાય જે ભવતર મૂળ, ધ્યાન કુઠા કરો ઉનમૂલ. સા. ભવ વનમાં ભૂલ કરે દોર, પણિ નવિ પામે કિહાં એ ઠાર. સા. જવ એ ધ્યાન અવલંબન થાય, તવ ભવભવ દુઃખ સઘલાં જાય. સારુ - તણિ કિરણથી જાઈ અંધાર, ગુ (ગા) ડ મંત્ર જિમ વિષ પ્રતીકાર. સા. - જિમ રેહણગિરિ રત્નની ખાણ, , તિમ જ્ઞાનાદિક ગુણ મણિ દયાન. સાવ ૯ ૧૧ i Page #76 -------------------------------------------------------------------------- ________________ ઢાળ ત્રીજી [ ઢાળ : ત્રિભુવન તારણ તીરથ: એ દેશી] ધર્મધ્યાનની વ્યક્તિ હ ઇમ દાખઈ રે, કિ હવૈ , શાસ્ત્ર તણે અનુસારિ નામ માત્ર ભાખઈ રે, કિ નામ; યોગ અષ્ટાંગ સમાધિ સકલ દર્શન કહે રે, કિ સ , પણિ તે ભવ્ય સ્વભાવ પુરુષ વિણ નવિ લહે રે, કિં પુ... ૧ ચમ નિયમ પ્રણિધાન કરણ પ્રાણાયામમાં રે, કિક, પ્રત્યાહાર નૈ ધારણા ધ્યાન મદમા રે, કિં ધ્યા; એક ભાવ સુસમાધિ એ અડગ છઈ રે, કિં એ, એહથી દુષ્ટ વિકલ્પ નહિ ભવ દુઃખ ગઈ રે, નહિ.... ૨ રેચક પૂરક કુંભક પ્રત્યાહારથી રે, કિં પ્રવે, ભા(તા)લ નાસાત(ન)ના દ્વાર વાયુ પ્રચારથી રે, કિં વા; યતનાઈ કરે રાધ તે શાંતિ કહી જઈ રે, કિં શo, ઉત્તર અધર તે વાયુ વ્યાધિઘાત કીજીઈ રિ, કિં વ્યા... ૩ દ્રવ્યે જાઈ ત્રિદોષ વાત પિત્ત કફ મુખા રે, કિં વા, ભાવ થકી નિર્દોષ હોઈ તસ નહિ અષા રે, કિં ત; વિષય-કષાય આ સંસ ત્રિદેષ ગયા થકી રે, કિં ત્રિ, દોષ શાંતિ તન કાંતિ વધે બલ બહુ થકી રે, કિં વ... ૪ ઔદાસીન્ય મૃગાંકપુડીની સેવના રે, કિં પુરુ, કરતાં પાવન થાય નહિ કલુષિત મના ૨, કિં ન ; થાપ તિહાં વલી બીજ હૃદયકમલેં સદા રે, કિં હું, સ્થાન વર્ણ ક્રિયા અર્થ આલંબન તે મુદાર, કિં આ૦... Page #77 -------------------------------------------------------------------------- ________________ [૮] પ્રાણાપાન સમાન ઉદાન અવ્યાન હૈ રે, કિં ઉ૦, અંગે પંચ સમીર તે બીજ સમાન છે રે, કિં તે ; જે જે વી ) છે એ અનાહત બ્રહ્મના રે, કિં અo, દ્રવ્ય પવનના પંચ એ બીજ છું ધર્મનાં રે, કિં બી.... ૬ દીપન હોઈ જડરાગ્નિ તન લાઘવપણું રે, કિં ત, રેગાદિકને નાશ અલ્પ મલ ધારણું રે, કિ અo; ગમનાગમનૅ શાન્ત ન હોઈ દઢ આસન રે, કિં ૬. પવનતણું જય હાય કૃપારસ વાસન રે, કિ કૃo... ૭ લિંગ નાભિ ને તુંગ(દ) રિધ્ય કંડ તાલુઈ રે, કિં રિ, રસના નાસા નેત્ર ભૂભાલ શિરમાલી ઈ રે કિં ભૂe; ઈણિ કામિ નિજ તેજ ધરે, વાયુ ચારણ્યે રે કિં વા, સ્થાનાંતર કરી એમ સાધે દશદ્વાર મ્યું રે, કિ સારુ. ૮ ઈમ કરે પવનાભ્યાસ, સુધા તૃષા જીતવા રે, કિં કું, વણે રૂ૫ રસ ગંધ શબ્દ ગુણ સાધવા રે, કિં શરુ ઇંદ્રિય વિષય વિકાર તણું વશિ નવિ હોઈ રે, કિં તo, ઈમ કરતાં બ્રહ્મરંધ્ર લહી સિદ્ધિ ને જોઈ રે, કિ લ૦... ૯ દ્વાદશ વિદ્યાસ્થાન ભજે તિહાં અનુક્રમે રે, કિં ભ૦, પૃથિવ્યાદિક પંચભૂત તણાં તત્ત્વ અભિગમં રે; કિં તળ; મંડલ ચક્ર ને આર આવર્ત પ્રમુખ બહૂ રે કિં આવે, તેહના જે વિસ્તાર લહો ગ્રંથથી સહૂ રે કિં લ... ૧૦ દ્રવ્યયોગી જે હોય લહે તે અભ્યાસથી રે, કિં તે.. તેહમાં અચરિજ કેય ન ધર્મ સુવાસથી રે, કિં ન ; ઈણિ પર્વે સાર્ધ સમીર તે વાત ત્રિકાલની રે, કિં તે, સ્વર સાધનથી તે લહૈ જલવાલથી રે, કિં તે.. ૧૧ મંડલ યાર વિચાર સમીર તણા કહ્યા રે, કિં સ; ભૌમ વાસણ વાયવ્ય આગ્નેયપણે ક(૨)હ્યા છે, કિં આ૦, Page #78 -------------------------------------------------------------------------- ________________ હથ્થુ ડીતીર્થ મંડન શ્રી રાતા મહાવીરજી Page #79 -------------------------------------------------------------------------- ________________ Page #80 -------------------------------------------------------------------------- ________________ [૯] અભ્યાસે સંવેદ્ય સમીરની થાપના રે, કિ સ; નાશિકા રાઁ હોઈ પૂર્ણ સમાપના રે, કિં પૂ... ૧૨. મંદે મંદે વાયુ વહે જે તત્ત્વનો રે, કિં વ૦, તે ઉપર જે કાર્ય વિચાર મમત્વનો રે, કિ વિ; વાયુ કોષ્ણ ને ઉષ્ણ શીત કૃષ્ણ (કૃસ્ન) નૈ. બાહિરે રે, કિ કૃ તિર્યગધઃ ફરમાન બાલ રવિ સમ સહી રે, કિ બા.... ૧૩ વામા દક્ષિણ નાસા રવિ શશિ ગૃહધરા રે, કિ રવિ, તિહાં દિન પક્ષ નેં વાર શુભાશુભની વરા રે. કિં શુ; ઇત્યાદિક બહુ ભેદ કહ્યા યોગગ્રંથમાં રે, કિં કo, તે સર્વે હોય દ્રવ્ય તણા પલિમંથમાં રે, કિ ત. ૧૪ હર્વે ભાવે અધ્યાત્મ પવનને સાધી રે. કિં અo, ગંભીરાદિક અવગુણ તેહમાં વાધીઈ રે, કિં તે; કૃષ્ણ શુલ દઈ પક્ષ વિરતિ અવિરતિ બેહુ રે, કિ અવિ, નાસિકા આસ્તિકભાવ સમીર ઘરે બહુ રે, કિ સ... ૧૫ ચંદ્ર સૂર્યનાં રશ્મિ તે દેશ સર્વ સંયતા રે, કિં દે, ક્રોધાદિક મંડલની તિહાં વકતા રે, કિં મં; પંચ ઈન્દ્રિય જે પટુતા તત્ત્વ વિચારી રે, કિં ત. વિષયતણા સંચાર વિકાર નિવારી રે, કિં વિ... ૧૬ પરમાતમનું ચિંતન અધ્યાત્મ તિહાં રે, કિ અo, અશુભતણા સંકલ્પ તિણે કરી નહિ તિહાં રે, કિં તિ; શુભ સંકલ્પે સંકલ્પ મંડલ ફેર રે; કિં મંe, જેહ અવિદ્યા વાયુ પ્રચાર ન ગ રે, કિં પ્ર... ૧૭ ઇંદ્રિય મલ આલવાલ અંબાલન ભોગવૅ ૨, કિં જ, આતમરાજ મરાલ તે અશુચિ ન સંભ રે, કિં અથ; પરથી ભય નવિ પામેં આતમને બેલેં રે. કિં આ૦, દુર્ભાનાદિક પ્રેત તેહને નવિ છેલ્લે રે, કિં તે... ૧૮ Page #81 -------------------------------------------------------------------------- ________________ (૧૦] પિંડસ્થાદિક ધ્યાન ગુણે આવી મિલેં રે, કિં ગુરુ, પુલક આનંદ નૈ અનુભવ તે આવી ભલેં રે, કિં તે; વ્યાપે સમતાભાવ ઉદાસપણું ભજે રે, કિં ઉ૦, જેહ કુવાસિત સંગતિ બાલકની ત્યજે રે, કિં બા.... ૧૯ સાવધાન બહુમાન ગીતારથ ને ભજો રે, કિં ગી, આતમ લાભૈ તુષ્ટ ન પર લાભે રજે રે, કિ ન ; કંપ સ્વેદ શ્રમ મૂછ ભ્રાંતિ બલહીનતા રે, કિં ભ્રા, ઈત્યાદિક જે દોષ નહી ત પીનતા રે, કિં ન... ૨૦ વાચનાદિક સક્ઝાય ઘરે અનુપ્રખ્યતા રે, કિં ધo, હાઈ પ્રમાદની ઝલકિ કદાપિ ન પિશુનતા રે, કિં કo; ચઉદલથી ષટવલયથી આગલિં સંકમેં રે, કિં આ૦, સમકિત થાન પ્રમત્ત થકી ગુણ ચંઝમેં રે, કિં ગુo... ૨૧ ઇંદ્રિય સુખ આધીન અલીનપણું રાચે રે, કિ અo, ચક્રિ શક સુખ ચક થકી અધિકું મર્ચે રે, કિ અo; (ઈન્દ્રિય સુખ ઉદ્દગાર તાસ ભાવ અધ્યાતમે રે, કિં અo, વાસ્તું મન જસ ઈમ જાણે. તે રસ પરિણમે રે, કિં તેo)x ૨૨ * આ બે પાદે ટબા ઉપરથી ધારવામાં આવ્યા છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ઢાળ ચોથી [ રાગ : કાફા. દેશી : બંગાલની ] હૃદયકમલ હવે પંચક બીજ, સિગારસી શુદ્ધ ધર્મનું બીજ; ભવિ થાઈએ રે, હાં રે મોરા આતમ, પરમાતમ પદ પાઇએ... ૧ પ્રણવ સહિત આદિ પદ વર્ણ, નમ પદ આગલિ જોડે સકર્ણ. ભ૦... ૨ ત્રિપદી પણ પણ વર્ણ વિચાર, એ થાતાં ટલેં દોષ અઢાર. ભ.... અષ્ટદલે ચઉં બીજ છઈ અન્ય, દર્શન, જ્ઞાન, ચારિત્ર તપ એ ધન્ય. ભ૦... અથવા માયા શ્રી વહિં કામ, સાધરણ એ બીજ અભિરામ. ભ૦... ૫ ગઈ અક્ષર અક્ષર હેતુ (ત) પ્રાણાધિક વર ભાવ સંકેત. ભ૦ ૬ હસ્વ દીર્ઘ લુત વર્ણ વિભાગ, ધ્યાતાં પ્રગટે ગુણ પરભાગ. ભ૦... ૭ સરસ સુધારસ કુંડ સુતીર, સામ્ય સ્વભાવનું વાઘેં હીર. ભ૦... ૮ પરમાતમ રાજહંસ સરૂપ, અવલેકે જિનનૈ અનુરૂપ. ભ.... ૯ Page #83 -------------------------------------------------------------------------- ________________ [૧૨] આતમાં આતમ ધ્યાને લીન. મંત્રરાજમાં જિમ જલિ મીન. ભ૦.... ૧૦ વામ દક્ષિણ પાસું બિહુ ધાર, ઉપશમ ખપાક સંકેત વિચાર, ભ૦.... ૧૧ જ્ઞાન સહાયે ઉપશમ ધાર, આતમવીર્ય ખપક વિચાર. ભ૦... બંધ ઉદય સત્તાકત ભાગ, હસ્વાદિક સ્વર યોજના લાગ. ભ.... રહસ્ય ઉપાંશુ ને ભાષ્ય વિચાર, ધ્યાન સમાપત્તિ નિરધાર. ભ૦... ૧૪ આતમ પરમાતમ ગુણ દયાન, કરતે પામેં પાવન ઠામ. ભ..... ૧૫ હોઈ સુમેર દર્શન નિકંપ, નિર્મલ વિધુ પરે આનંદ જંપ. ભ૦ ..... પિંડ-પદસ્થ અને રૂપસ્થ, રૂપાતીત ચઉવિધ મન સ્વસ્થ. ભ.... ૧૭ નામ સ્થાપના દ્રવ્ય મેં ભાવ, છઉમ પડિમ કેવલ સિદ્ધ ભાવ. ભ... ૧૮ નિરખતે હોઈ થિર પરિણામ, શુભ શ્રુતિ ધુતિધર પુરૂષ નિદાન. ભ. ૧૯ અવલંબે વિલંબ ન થાઈ કરણ અપૂર્વનઈ વીર્ય સહાય. ભ૦.... ૨૦ સકલીકરણ પંચાંગુલિ ડિ, અંગુષ્ઠ તર્જની મધ્યમ હોડી. ભ૦.... ૨૧ અનામિકા કની નિ, (ષ્ઠિ) કા પંચ. % હૈં હૂં સ્વાદ પ્રપંચ. ભ... રર Page #84 -------------------------------------------------------------------------- ________________ ઢાવી પાંચમી [ ઢાળ : ચોપાઈ ] ચૌદ મહાવિદ્યાની સિદ્ધિ, પરમસંગે પરમાનંદ વૃદ્ધિ ચૌસઠ તાસ વિધાન વિચાર, સેલ ચઉક જે કષાય નિવાર.... ૧ તિહાં મંડલ ચાર તિહાં ચઉ જ્ઞાન, મંડ(ગ)લ ચ્યારે શરણ એ ધ્યાન; લબ્ધિ અઠ્ઠાવીસની ભાવના, નાદ અનાહતની પાવના... ૨ પંચ વર્ણ પરિપૂતક પીડા ત્રિગુણયુક્ત નિર્ગુણ સુપઈ; પંચ પ્રસ્થાન પ્રવર્તક શિરઈ, તાસ ધુરા વહેવા અનુકરઈ.. ૩ પંચાચા પાવન થાય, તો એ પંચ પી લહવાય; વીતરાગ નહીં પણિ ઉપશમ રાગ, - એ ધ્યાનેં હોઈ ઇમ પરભાગ... ૪ દેખઈ પાંચું એહના ઘણું, દેખઈ પંચ એહનો પણિ ગુણ; સાય સાધન સાધકના ભેદ, - ત્રિર્યો છઈ પણિ હોઈ અભેદ... ૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ [૧૪] અભય અકરણ અહમિન્દ્ર સમાન, તુલ્ય, કલ્પ, સાધન સાવધાન; એ પાંચેના છે અહિડાણ, ધર્મધ્યાનનું એ મંડાણ... ૬ ઇત્યાદિક બહુલા વિસ્તાર બહુ મૃત મુખથી ગ્રહીઈ સાર, શુદ્ધ પ્રતીત જે નર હોય, મધ્યે દેખું શ્રી જિન સેય... ૭ તદ્દ ભર્વે ત્રિભર્વે હાઈ તસ સિદ્ધિ, આનુષંગિક તસ નવનિધિ ઋદ્ધિ, લેશ થકી એ બોલ્યા જાપ, ઈહાં પરમાર્થની છે બહુ વ્યાપ.... ૮ આજ્ઞાપાય વિપાક સંસ્થાન, વિચય તે ચિંતનનું નામ; લેશ્યા શુદ્ધ ને ભાવ વિશુદ્ધ, બોધ વીર્ય વૈરાગ્ય વિશુદ્ધ. ૯ સ્વર્ગ હેતુ કહિ ધર્મધ્યાન, દ્રવ્યોદારે ભાવ પ્રધાન; હવે ભાખ્યું જે શુકલધ્યાન, તે અપવર્ગ દેવાનું પ્રધાન... ૧૦ પ્રથમ ભેદ નાના શ્રત વિચાર, બીજું ઐકયકૃત સુવિચાર; સૂમક્રિય ઉચ્છિન્નત ક્રિયા, અપ્રતિપાત ચઉ ભેદ એ લહ્યા.... ૧૧ એક ઠામિ પર્યાય અનુસરણ, શ્રિતથી દ્રવ્ય વિષય સંક્રમણ Page #86 -------------------------------------------------------------------------- ________________ [૧૫] અર્થ વ્યંજન ગાંતરે થાય, પ્રથમ ભેદ તે એમ કહેવાય. ૧૨ એક રીતિ પર્યાયને વિષે, અર્થ વ્યંજન યોગાંતર ખેં (હ") શ્રુત અનુસાર થકી જે વ્યક્તિ, તે બીજે એક વિત.. ૧૩ જે નિર્વાણ સમય ને પ્રાગ, નિરુદ્ધ યોગ કેવલી લાગ; સૂફમક્રિયાપ્રતિપાતી નામ, ત્રીજું શુકલધ્યાન એ નામ. ૧૪ શિલેશીગત જે નિશ્ચલ યોગ, લેશ્યાતીત જિહાં નહી પર ગ; નામેં ઉચ્છિન્નક્રિય અપ્રતિપાતિ, ચોથ શુકલભેદ વિખ્યાતિ. ૧૫ ત્રિયોગયુક્ત મુનિવર હોય, આઘદુભેદ શ્રેણિગત સોય; નિજ શુદ્ધાતમ દ્રવ્યનું ધ્યાન, એક ગઈ બીજું અભિરામ... ૧૬ તનુ ગીને ત્રીજું હોય, ચોથે ભેદ અગે જોય; મનથિરતા છદ્મસ્થને ધ્યાન, અંગ થિ કેવલીને જાણ... ૧૭ ચિદાનંદ પરમાતમ અમૂર્ત, નિરંજન સવિ દેષ વિમુક્ત; સિદ્ધ યાન તે રૂપાતીત, યાતા તન્મયતાની રીત- ૧૮ Page #87 -------------------------------------------------------------------------- ________________ કર્મ ભપગ્રાહી ચ્ચાર, લધુ પંચાક્ષરનો ઉચ્ચાર; તુલ્યકાલ શૈલેશી લહી. કર્મ પુંજ સઘેલો તે દહી... ૧૯ ધમ અલાબુલ દંડા ભાવ, ચકાદિક રીતિ ગતિ ભાવ; સમય એકે લેકાંતિ જાય, સિદ્ધ સરૂપ સદા કહિવાય.... ૨૦ સાદિ અનન્ત અતીન્દ્રિય સુખ, ભાગાં કર્મ જનિત સાવિ દુખ; ભવ નાટિક સંસારી તણા. જાણે દેખું પણિ નહી મણ ૨૧ ઈણિ પરિ તે પરમેષ્ઠી મંત્ર, શિવ સુખ સાધનનો એ તંત્ર; નેમિદાસ કહે એમ વિચાર, જ્ઞાનવિમલ પ્રભુને આધાર. ૨૨ Page #88 -------------------------------------------------------------------------- ________________ ઢાળ છઠ્ઠી [ છય ] શ્રી અરિહંત પદે વદનિ, ભાલ તલિ સિદ્ધ વિરાજે, ભાવાચાજિક, વાયગ મુણિ માહુ સમાજે; ચૂલા પદ ચઉ પીડ, સકલ સા(સ)રીર પઇટ્ટિય, પુરુષાતમરૂપ થાપના ધ્યાન સ્વરૂપ અહિસ્ફિય; આતમને પરમાતમા, એક ભાવ થઇ નિ રમે×, ( ત્રિતય ભેદ અભેદથી તે જ્ઞાની પદિ જન તમે ).... ૧ ૐ ત્ પદ પીડ, સિદ્ધ ભાલે થિર કીજે, નાસાગણી ઉવજ્ઝાય સાહુ દાઇ નયન ભણીજઇ; કંડ હૃદય ને ઉદિર નાભિ કમલ જાણેા, દસણુ નાણુ ચરિત્ત તપ થકી ચ પદ આણંા; સિદ્ધચક્રની માંડણી, અંતર આતમ પરમાતમપદવી લહે, કર્મક વિ સેવાકારી, શાન્ત દાન્ત ગુણવ’ત, સંતના વારિત–વિષય-કષાય, જ્ઞાન દન સુવિચારી; સ્યાદ્વાદ રસ સંગ, હુસપરિશમરસ શુભ પરિણામ નિમિત્ત, અશુભ વિ કર્મન” ખીલ, ઝીલ”, ભાવતğ, જાવત.... ૨ તાદશ નર પરમેષ્ટિપદ સાધનના કારણ લ સાહુ રામજી સુત રત્ન નેમિદાસ ઇણિ પર ક.... ૩ × નોંધઃ——આ કડીનું છટ્ઠું. પાદ ઉપલબ્ધ નથી, અસંગતિથી ટ્રેડું પાદ બનાવી કૌસમાં મૂક્યું છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ઢાળ સાતમી [ ઢાળ: ચંદ્રાઉલાની ] એ પાંચે પરમેષ્ઠિના રે, સાધનના આનાય, વિદ્યાપ્રવાદ દશમ પૂર્વમાં રે, ભાખ્યા શ્રી જિનરાય; શ્રી જિનરાયતણા જે ગણધર, વર્ધમાનવિદ્યાના આગર, વર્ધમાનભાવે કરી તપિયા, તસ અનુભા સકલ કર્મ ખપિયા જે ભાવિક જનજીરે, થાઓ ધરી આનંદ પ્રમાદ દૂરિ કરી રે. પામે પરમાનંદ ભવજલનિધિ તરી રે..આંચલી.. ૧ પ્રાણાયામાદિક કહ્યા રે, રૂઢિમાત્ર તે જો (જા) હિં, શુભ સંકલ્પઇ થાપીઈ રે, મનડું પાવન ઠાણિ; હાણિ હોઈ તવ અશુભહ કેરી, નાસં બાહ્ય અભિંતર વૈરી, જિતકાશિ જગમાંહિ ભેરી, વાજે કીર્તિ દિશે દિસિ સેરીજી. આંચલી... ૨ સિરસાદિક સ્પર્શથી રે, લોહ હાઈ જિમ હમ, આતમ ધ્યાનથી આતમા રે, પરમાનંદ લહઈ તેમ; જિમ સૂતો નર ઊઠી જાગે, જાણઈ સકલ વસ્તુ વિભાગે, તિમ અજ્ઞાન નિદ્રા નાઈ, તત્વજ્ઞાનનો હોઈ પ્રકાશજી. આંચલી... ૩ જન્માંતર સંસ્કારથી રે, અથવા સહજ સંભાવ, અથવા સુગુપ્રસાદથી રે, પામેં તત્ત્વ જમાવ; પાવકથી જિમ કંચન સુદ્ધ, તત્વજ્ઞાનથી આતમ બુદ્ધ, આર્ષે સંવેદી અન્ય પ્રદી, જાણે સર્વ વિભાવ વિનોદીજી. આંચલી... ૪ Page #90 -------------------------------------------------------------------------- ________________ [19] બહિરાતમ ખાત્ર પાત્ર છઈ રે, અંતર આતમ બીજ, થાપી શુભ સંકલ્પથી રે, સૈચન નીર લહજે; દીજઈ પુણ્ય પ્રકૃતિ પુદિક પ્રશસ્તપણઈ જે થાઈરાગાદિક, પરમાતમ અનુભવ ફલ પામી, ઐક ભાવથી તેહ અકામીજી. આંચલી... 5 અભ્યાસે કરી સાધી રે, લહી અનેક શુભ યોગ, આતમવીર્યની મુખ્યતા રે, જ્ઞાનાદિક સુવિવેક; છેક કહે વ્યવહાર વિચારી. અસુભ ત્યાગથી શુદ્ધ આચારી, ગુણઠાણ અનુગત ગુણ ભારી, સ્ય જાણઈ અવિવેકી ભિખારીજી. આંચલી. 6 ધર્મધ્યાન અવલંબનેં રે, હાઈ થિર પરિણામ, આલંબનમાં મુખ્ય કઈ રે, એ પરમેષ્ઠી નામ; ધામ પાપના જે વલી હુંતા, તે પણિ ભવને પાર પટુતા, તિચાદિકને કહીઈ, અવર ગુણું જોં એ લહીઈજી, આંચલી... 7 મોક્ષમાર્ગનઈ સંમુહો રે. ધ્વસ્ત કર્મના મર્મ, ધર્મ શમની ભૂમિકા રે, ટાલ્યા ભવના ધર્મ ન થઈનેં સવિભવિ પ્રાણી, ઉપદેશઈ જિમ જિનવર વાણી, સ્યાદ્વાદનીએ સહિ ના(વા)ણી, સકલ સુરાસુરઇજેહ વખાણું. જી... આંચલી.... 8 (1) સિદ્ધા ને વલી સીઝર્ચાઈ રે, સીઝે છે જે જીવ, તેહને એક ઉપાય છે રે, ભવજલ પડતાં દીવ; દેવરાજ સરિખા જસ દાસ, નમી પરભ(ભાવેવતણી જસ આસ, વાસના એહની ભવિ ભવિ હોય, પરમાતમ દર્ટ કરી છે. આંચલી... 9 (2) તત્ત્વતણી જિહાં કથા રે, તેહી જ પરમ નિધાન, જ્ઞાનવિમલ ગુણ સંપદા રે, પામેં ઠામ મિ; Page #91 -------------------------------------------------------------------------- ________________ [20] નામ એહનું મંગલ મોટું, એહથી અવર જે તે સવિ ખેટું, નેમિદાસ કહે એ આરાધે, ગ્યાર વર્ણ પુરુષારથ સાધાજી. ભવિક જિનજી રે.. આંચલી. 10 (3) ઇમ ધ્યાનમાલા ગુણ વિશાલા ભવિક જન કંઠિ હવે, જિમ સહજ સમતા સરલતાને સુખ અને પમ અનુભવે; સંવત રસ તુ મુનિ શશી (1966) મિત માસ મધુ ઉજ્જવલ પબિં, પંચમી દિવસઈ ચિત્ત વિકસઈ લો લીલા જિમ સુખઈ, શ્રી જ્ઞાનવિમલસૂરિ ગુરુકૃપા લહી, તસ વચન આધાર; ધ્યાનમાલા ઈમ રચી નેમિદાસઈ વ્રતધારિ.... 11 (4) ઈતિ શ્રી પંચપરમેષ્ઠી મંત્રરાજ ધ્યાનમાલા અનુભવલીલા બાલવિલાસ. “શિવામિ” ( કાયિક નમસ્કાર ) Page #92 -------------------------------------------------------------------------- ________________ કવિરાજ શ્રી નેમિદાસ રામજી શાહ પ્રણીત પંચ પરમેષ્ટિ મંત્રરાજ ધ્યાનમાલા” આ થે વા અનુભવલીલા” તથા તેના ઉપર આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિને “ટો” અથવા “બાલવિલાસ” તેમના શબ્દાર્થ, ભાવાર્થ તથા સવિસ્તર વિવરણ સાથે तमेव सच्चं नीसंकं जं जिणेहिं पवेइयं // [તે જ સાચું અને શંકા વિનાનું છે કે જે શ્રીજિનેશ્વરદેવોએ કહ્યું છે. ] scx x % %: Aks Page #93 -------------------------------------------------------------------------- ________________ કવિરાજ શ્રી નેમિદાસ રામજી શાહ પ્રણત: * પંચ પરમેષ્ટિ મંત્રરાજ દયાનમાલા " અથવા " અનુભવલીલા' તથા તેના ઉપર આચાર્યશ્રી જ્ઞાનવિમલસૂરિનો “ટબો” અથવા “બાલવિલાસ” તેમના શબ્દાર્થ, ભાવાર્થ તથા સવિસ્તર વિવરણ સાથે ઢાળ પહેલી [ ઢાળ : પાઈ ] (મંગલ–શુદ્ધ આત્મસ્વરૂપની મહાકલ્યાણકારી વિચારણા ) મૂળ શ્રી જિનવાણી પ્રણમન કરી, સિદ્ધચક્ર ભાલસ્થલ ઘરી; શુદ્ધાતમ છે મહાકલ્યાણ, તે ગ્રહવાને થાઓ જાણુ..૧ –શ્રી જિન ચોત્રીસ અતિશયરૂપ શ્રી-શોભા-લક્ષ્મીવંત એહવા રાગદ્વેષાદિ રિપુનઈ છતઈ એહવા જે જિન અરિહંત તેહની વાણી તે સરસ્વતી તેહને પ્રણામ કરીને વલી સિદ્ધના ચક્ર-સમુદાય તે ભાલસ્થતિ, તે નિલાડે પ્રણામ કરીને અથવા પુરુષાકારે લેક ધારીઈ તિવારે સિદ્ધચક્રને નિલોડ ઠામિ ધારી. એતલે જગપૂજ્ય ઠામ તે નિલાડ સિદ્ધડામ ધારીને એહ સિદ્ધરૂપ શુદ્ધાત્મા તે મહાકલ્યાણમયી કર્મકલંક ટાલી સુવર્ણરૂપ થ તિમ સ્વરૂપ ક(9)હવાનઈ તુહ્નો પ્રાણીઓ જાણ થાઓ. 1. * પ્રસ્તુત રાસની દરેક કડીનો સંક્ષિપ્ત સાર તે તે કડી ઉપર દર્શાવવામાં આવ્યો છે. આ સાર મૂળ કૃતિમાં નિર્દિષ્ટ નહી હોવાથી અમે અહીં કૌંસમાં દર્શાવ્યો છે. * શ્રી નેમિદાના ગુરુ શ્રી જ્ઞાનવિમલસૂરિએ બાલ જીવો માટે આ બો કર્યો છે. મૂળ પ્રતિમાં ક્યાંક તેને ટબાથ તરીકે પણ દર્શાવ્યું છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ RAMITrain. uviकरवाशमानसशामAMnAra 111.aafd4.4. वरव204 पार 6 111510 पनर meanMano क एकाकारय॥ INTEDO ENIMira EL Een Aanana-AAR HEFC a अनारक परक HOM/NAIRTION 9414 Anup41CV... pre Un Lars ** IntAirn HamaiनाMARरको व०(U सवारदार Rht22YA PADापनमामा धार रामपाला AN कायor vemजन 60 EAG 21 KARMA Man पर . Auce KALE MANP33820 पतरकाप minRIHAJALREACTION ITI 21%b0 attern GAL HAR Patel21a.. INDI 15 6un 2400 31.रक 15. NALYA Sum Lyl Rotth NET aTIE admaav 331 Goa SHOU ARESee CPNIMURG र ALTRA LATEबार HANUMP hiation Vaima JATHArd I GEL सवाकरमानारदमाराम પુરુષાકાર લોક Page #95 -------------------------------------------------------------------------- ________________ Page #96 -------------------------------------------------------------------------- ________________ [ 23 ] શબ્દાથ– શ્રી....... ... ... ... ભાવંત, લકમીવંત, (ચોત્રીસ અતિશયરૂપ લકમીવાળા ) જિન ... ... ... રાગદ્વેષાદિ ભાવ-રિપને જીતે તે જિન અથવા અરિહંત. જિનવાણી.... .... સરસવતી, ( શ્રત દેવી ). પણુમન કરી.......... પ્રણામ કરીને. સિદ્ધચક... ........ ચક્ર એટલે સમુદાય. સિદ્ધોને સમુદાય. અકારથી ક્ષકારસુધી પચાસ વર્ણોન-સિદ્ધાક્ષરોને સમુદાય x પ્રખ્યાત સિદ્ધચક્રના યંત્રમાં વિરાજતા પંચપરમેષ્ઠિ. ભાલસ્થલ ... ... લલાટ વડે-વકીય લલાટ વડે અથવા લેક પુરુષની ધારણા કરી તેના લલાટસ્થાને. શુદ્ધાતમ+ ... ... ( સિદ્ધિરૂપ ) શુદ્ધાત્મા, આત્મતત્વ. આત્માનું પરમવિશુદ્ધ સ્વરૂપ મહાકલ્યાણુ........ મહાકલ્યાણમય, ઉત્કૃષ્ટ જ્ઞાનમય, નિઃશ્રેયસ-સાધક. ગ્રહવાને .... ..... સમાજવાને, પામવાને, તત્ત્વવિષયક શાસ્ત્રાર્થ ગ્રહણ કરવાને. થાઓ જાણુ.... ....જાણકાર (સુસ) થાઓ. ઉપયોગપૂર્વક શ્રવણ કરવાને તૈયાર થાઓ. ભાવાર્થ : ચેત્રીસ અતિશયોથી શોભતી જિનવરની વાણીને-સરસ્વતીને પ્રણામ કરીને(૧) શ્રી સિદ્ધોના સમુદાયને લલાટડે નમસ્કાર કરીને અથવા (2) પુરુષ આકારે લેકની ધારણા કરીએ તો (લેકપુરુષનું લલાટ તે જ જગતપૂજ્ય ધામ શ્રી સિદ્ધશિલા તેના ઉપર શ્રી સિદ્ધોના સમુદાયને ધારીને) એવું સિદ્ધ સ્વરૂપ+-વિશુદ્ધ આત્મતત્ત્વ જે ઉત્કૃષ્ટ જ્ઞાનમય અને નિઃશ્રેયસનું સાધક છે, તેને * શ્રી નેમિદાસની મૂળ કૃતિમાં જે જે શબ્દોના અર્થ દર્શાવવા જેવું જણાયું છે તેને જ શબ્દાર્થ આપવામાં આવ્યો છે. x अकारादि-क्षकारान्तानां पञ्चाशतः सिद्धत्वेन प्रसिद्धानां यच्चक्र समुदायः / / –શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન-શબ્દ મહાર્ણવન્યાસ (ટીકા) - ( ન. સ્વા. સં. વિ. પૃ. 30 ) + શ્રી નેમિદાસ તેમની “અધ્યાત્મસાર માલા” નામની અમુદ્રિત કૃતિમાં શુદ્ધાતમ વિષે નીચે પ્રમાણે જણાવે છે: શુદ્ધાતમદર્શન વિના, કમ ન ટઈ કેય; તેહ કારણ શુદ્ધાતમા, દશન કરો થિર હોઈ....૨ * શ્રી નેમિદાસની મૂળ કૃતિનો રહસ્ય ફેટ તો શ્રી જ્ઞાનવિમલસૂરિના ટબાથી થાય છે. તેથી આ ભાવાર્થ ટબાને અનુસરીને કરવામાં આવ્યો છે. + સિદ્ધનું સ્વરૂપ છેલા તાપને પામેલા અને શોધાયેલા સુવર્ણની માફક વિશુદ્ધ, પરિસ્પષ્ટ (સવ Page #97 -------------------------------------------------------------------------- ________________ [24] પામવાને (શ્રષાના ગુણ ધરાવનારા હે ભવ્ય જને! ) સુજ્ઞ (જાણકાર ) થાઓ. (ઉપગપૂર્વક શ્રવણ કરશે અને તત્વવિષયક શાસ્ત્રાર્થ ગ્રહણ કરો. ). વિવરણ: પ્રારંભની કડીમાં આ કાવ્યકૃતિ વિષે શિષ્ટાચાર કેવી રીતે જળવાય છે, તે વિચારીએ : મંગલ :- અહીં શ્રુતદેવીને પ્રણામ તે મંગલસૂચક છે. અભિધેય:- કારથી ક્ષકાર સુધીના પચાસ વર્ણોનો સમુદાય સિદ્ધાક્ષર જે માતૃકારૂપે પ્રસિદ્ધ છે, તેમનું જે ચક્ર તે “સિદ્ધચક્ર' કહેવાય છે. પંચપરમેષ્ઠિ મંત્ર પણ સિદ્ધાક્ષર અને માતૃકારૂપે પ્રસિદ્ધ છે. તેથી સિદ્ધચક્રની ધારણા તે પંચ પરમેષિ મંત્રરાજ ધ્યાનમાલા”ના અભિધેયની સૂચક છે. વિષયઃ–શુદ્ધાતમ એટલે શુદ્ધ જીવતવની વિચારણા તે વિષયસૂચક છે. પ્રોજન –કલ્યાણ એટલે શ્રેયસું. મહાકલ્યાણ એટલે નિશ્રેયસ અર્થાત્ મોક્ષ. મહાકલ્યાણકારી મેક્ષરૂપી ફળ તે પ્રયજનસૂચક છે. આ પ્રકારે પ્રસિદ્ધ અનુબંધ ચતુષ્ટયના નિયમો અનુસાર વ્રતધારી, કવિરાજ શ્રી નેમિદાસ રામજી શાહ તેમની કાવ્યકૃતિ રસરૂપે અથવા “અનુભવલીલા' રૂપે રજૂ કરે છે અને “બાલવિલાસ” રૂપે ટબા વડે અર્થવિસ્તાર તેમના ગુરુવર્ય શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરે આપવા કૃપા કરી છે. પરમાત્માને શુદ્ધ સ્ફટિક સમાન નિર્મલ રૂપને અહીં શુદ્ધાતમરૂપે દર્શાવવામાં આવ્યું છે. તેના ધ્યાનથી પ્રથમ પરમાત્મામાં ધ્યેયમાં) અને પછી આત્મામાં (જીવાત્મામાં) સાદનું જ્ઞાન થાય છે. પ્રકારે સ્પષ્ટ ) અને મહાકલ્યાણમય છે. આમાં પણ કર્મરૂપી કલંકને ટાળીને જ્યારે વિશુદ્ધ અને નિમલ થાય છે, ત્યારે સિદ્ધ પરમાત્માની જેમ મહાકલ્યાણમય હોય છે. + તત્ત્વ વિષે તાત્પર્યજ્ઞાનને જે જીવ નિશ્ચય કરી શકે તે જ આ આત્માનું સ્વરૂપ જાણે. આવા તવાભિનિવેશવાળી પ્રજ્ઞા વિનાને જીવનથી જાણતા પરમાત્મપણું, નથી જાણતો અંતરાત્મપણું, કે નથી જાણત અનાદિકાલથી પોતે જે રીતે ફર્યો છે તે બહિરામપણું. આ ત્રણ પ્રકારને આ જીવ અનાદિકાળથી (તત્ત્વગોચર પ્રજ્ઞા વિના) જાણતા નથી. ઉપર્યુક્ત પ્રજ્ઞા વગરના જીવને આમાની દશાને અંગે કંઈપણ બેધ હોતા નથી. તેથી શાસ્ત્રો સારી શિખામણુરૂપે સકલ ઉપાદેયના બોધની આદિમાં આત્માના શુદ્ધ સ્વરૂપના તાવિક બોધની આવશ્યકતા જણાવે છે. આત્મસ્વરૂપને બોધ બરાબર પ્રાપ્ત થાય તો પછી તે જીવ બહિરભવનથી કંટાળ્યા વગર રહે નહિં. ઉદ્વેગ અથવા વૈરાગ્ય જે થાય તે નરસાણને આધીન છે. સારાપણું જણાયું કે ગ્રહણ કરવાની ઇચ્છા થાય છે, ખરાબપણું જણાયું કે છોડવાની ઈચ્છા થાય છે. આ છોડવાની મરજીનું નામ વૈરાગ્ય છે. સારી વસ્તુ તાત્વિક હોય તે મેળવવાની ઈચ્છા અને જાણેલી ખરાબ વસ્તુથી દૂર રહેવાની ઈચ્છા આનું નામ જ વૈરાગ્ય છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ [25] ઢાળ 1/1 અરિહંત ભગવંત પરમાત્મા છે. પરમાત્મત્વનું નિશ્ચય સ્વરૂપ પ્રત્યેક જીવાત્મામાં અન્તાનહિત છે, માત્ર આવરણોથી આવૃત હોય એટલું જ. જે જીવાત્મા યોગ્ય સાધના દ્વારા એટલે કે શાંત વૃત્તિ વડે તત્ત્વના સંવેદન-અનુભવને અનુસરી અનુબંધ શુદ્ધિ કરી એ આવરણ સર્વથા નિવારે તે પોતે જ વિશુદ્ધ પરમાત્મા સ્વરૂપ બની રહે છે. મોક્ષમાર્ગ માટે ચારિત્રને અંતિમ સ્થાન અપાય છે, પણ બારીકીથી વિચાર કરતાં એનું તાત્પર્ય કેવળજ્ઞાનમાં જ છે. ચારિત્રની પૂર્ણતા એટલે મોહન સર્વથા ક્ષય. | નાના મોટા સઘળા દેવ ગમે તેટલી ભૌતિક વિભૂતિ ધરાવતા હોય છતાં તેમના કરતાં મનુષ્યનું સ્થાન ચડિયાતું જ મનાયું છે; તેમ જ એ એક પ્રૂર સત્ય છે કે, બાહાવિભૂતિ અને બાહ્યશારીરિક દૃષ્ટિએ મનુષ્ય દેવ કરતાં ગમે તેટલે ઉતરતો હોય છતાં જ્યારે મનુષ્ય આધ્યાત્મિક માર્ગે આગળ વધે છે, ત્યારે મોટામાં મેટા શક્તિશાળી દેવો પણ મનુષ્યના દાસ થઈ જાય છે. આ કારણે અને જીવતત્વની વિચારણા મેક્ષનું અન્તિમ ફળ આપે તેવી હોવાથી તે વિચારણા મહાકલ્યાણકારી છે તેવું અહીં સૂચવ્યું છે. શુદ્ધ આત્મતત્વના ચિંતન જેવી મહાકલ્યાણકારી પ્રવૃત્તિ કરતાં પહેલાં પ્રસ્તુત રાસમાં શ્રી શ્રુતદેવી-સરસ્વતીની માંગલિક હતુતિ શ્રી નેમિઠાસ કરે છે. પરંતુ તેમને તેટલાથી - જે આત્મતત્વનો નિશ્ચય તે જ પરમ અધ્યાત્મ છે, તે જ પરમ અમૃત છે, તે જ પરમ જ્ઞાન છે અને તે જ પરમયોગ છે. એટલે આત્મતત્વને નિશ્ચય થવાથી ઉત્કૃષ્ટ અધ્યાત્મ, ઉત્કૃષ્ટ અમૃત, ઉત્કૃષ્ટ જ્ઞાન અને ઉત્કૃષ્ટ યોગ પ્રાપ્ત થાય છે. –અધ્યાત્મસાર આત્મનિશ્ચયાધિકાર લે. 190 સરખા - प्रभाराशिरिव श्रीमान् सर्वविश्वोपकारकः / सदानंदसुखापूर्ण: स्वात्मा ध्यातव्य ईदृशः // 13 // शुद्धस्फटिकसंकाशः सर्वज्ञगुणभूषितः / परमात्मा कलायुक्तो ध्येयः स्वात्मा मनीषिभिः / / 14 // પ્રભારાશિ (તેજના સમૂહ-સૂર્ય) સમાન શોભાવાળા. સકલ વિશ્વના ઉપકારક તેમ જ સદા આનંદ અને સુખથી પૂર્ણ એવા પિતાના આત્માને (ધ્યાનીએ) ધ્યાવવો જોઈએ. તે 13 | શુદ્ધ સ્ફટિક સમ નિર્મળ, સવથા ગુણોથી વિભૂષિત અને પરમાત્માઓની કલાઓથી યુક્ત, એવા પિતાના આત્માનું બુદ્ધિશાળી પુરુષોએ ધ્યાન કરવું જોઈએ. તે 14 . ગપ્રદીપ (જે. સા. વિ. મ.) मोक्षः कर्मक्षयादेव, स चात्मज्ञानतो भवेत् / ध्यानसाध्य मतं तच्च, तद् ध्यानं हितमात्मनः // કમ ક્ષીણ થાય તો મેક્ષ મળે; કમ આત્મજ્ઞાનથી-ગુજ્ઞાનથી ક્ષીણું થાય અને આત્મજ્ઞાન ધ્યાનથી પ્રાપ્ત થાય છે. આ ધ્યાનનું પ્રત્યક્ષ ફળ છે. –ોગશાસ્ત્ર 4/113 Page #99 -------------------------------------------------------------------------- ________________ [26] ઢાળ 1/1 સંતેષ થતું નથી. તેથી તે રાસની પ્રથમ પાંચ કડીમાં પરમાત્માનું તત્ત્વચિંતનરૂપ સાચું શરણ ગર્ભિત રીતે સ્વીકારે છે. તત્ત્વચિંતનરૂપ અધ્યવસાય વિના પ્રજ્ઞાષ્ટકના ગુણે યથાર્થ રીતે પ્રકટી શકતા નથી અને આવા મહાકલ્યાણકારી કાર્યનું મંગલ યથાર્થ સચવાય નહીં. પ્રજ્ઞાષ્ટકના ગુણે આ પ્રમાણે છે - (1) શુશ્રુષા (2) શ્રવણ (3) ગ્રહણ () ધારણ (5) વિજ્ઞાન (6) ઊહ (7) અહિ અને (8) તવાભિનિવેશ. આ પ્રજ્ઞાષ્ટકના પ્રથમ ત્રણ ગુણો કેળવવાનું શ્રી નેમિદાસ રાસની પહેલી કડીમાં જ ગર્ભિત રીતે નિર્દિષ્ટ કરે છે. પ્રથમ કડીનું છેલ્લું પાદ “તે ગ્રહવાને થાઓ જાણ” છે. આ પાદ કેને સંબોધવામાં આવ્યું છે તે દર્શાવાયું નથી. પણ તે “શુશ્રષાના ગુણ ધરાવનારા હે ભયજને !" એમ સૂચિત કરે છે, તેમ સમજવામાં કાંઈ વાંધો નથી. એટલે કે પ્રસ્તુત રાસ તસ્વરૂપ વિષયને સાંભળવાની ઈચ્છા રાખનાર ભવ્યજનેને સંબોધીને રચાય છે. “તે ગ્રહવાને થાએ જાણ” આ શબ્દનો અર્થ નીચે પ્રમાણે થઈ શકે છેઃ ઉપગપૂર્વક યાન દઈને સાંભળો (શ્રવણ કરો) અને તરવવિષયક શાસ્ત્રાર્થ ગ્રહણ કરો.” જે અર્થ ગર્ભિત છે તેનું આ પ્રમાણે ઉદ્દઘાટન થાય તે પ્રજ્ઞાણકના ત્રણ ગુણે પહેલી કડીમાં પ્રાપ્ત થાય છે..... Page #100 -------------------------------------------------------------------------- ________________ કાળ 1/2 (શુદ્ધ આત્મસ્વરૂપ કયારે અને કેમ થાય?) મૂળ:– પ્રગટે શુચિ અનુભવની તિ, નાસે તવ મિથ્યામત તિ; શુદ્ધાતમ અવલોકન કરું, દઢ ભાવે એહિ જ ચિત્ત ધરું...૨ ટએ - તે કિવા કિમ થાઈ તે કહઈ ઈ– જિવાઈ શુચિ નિર્મલ અનુભવ આતમજ્ઞાનની જાતિ પ્રકાશ પ્રગટઈ તિવારે મિથ્યામતરૂપ છાતિ-મલિનતા નાશઈ, તિવાર ઈસી રુચિ ઉપજઇ તે કહઈ છઇં–શુદ્ધ આતમ નિકલંકનું જોવું જાણવું. સામાન્ય-વિશેષપણે જેવું વિચારું. એહો દઢ ભાવ ચિત્તમાં ધરુ-રાખું તે રુચિઝ થઈ...૨ * અધ્યાત્મમાગ આત્મકલ્યાણનો અમોધ ઉપાય છે, જેથી તેમાં જે કાંઈ કર્તવ્ય કરવામાં આવે છે તે લેકદેખાવ માટે નહિ, પણ કેવળ પિતાના જ આત્માને લક્ષી તેની શુદ્ધિ અને તેની જ ઉન્નતિ અર્થે કરવામાં આવે છે. આવી અંતરદૃષ્ટિ જેને જાગી છે, તે " અધ્યામદષ્ટિ વા “અધ્યાત્મી’ કહેવાય છે. એવા અધ્યાત્મદષ્ટિ મહાપુરુષ સત્તરમા ને ઓગણીસમા સૈકામાં શ્રી આનંદઘનજી અને શ્રી ચિદાનંદજી થઈ ગયા. વર્તમાનમાં પણ કઈ કઈ વિરલ આમાં એનો આંશિક અનુભવ અનુભવતા હશે. અનાદિકાળથી પર પુદ્ગલના અભ્યાસયોગે જીવને અધ્યાત્મનું આચરણ તે દૂર રહ્યું, પણ એ વાર્તા પ્રત્યે પ્રેમ આવે એ ય કઠિનતમ છે. એવા છે પૂ. ઉ. મહારાજે આઠ દષ્ટિ પૈકી બીજી તારાદષ્ટિમાં વર્તતાને જણાવ્યા છે. એહ દૃષ્ટિ હોય વર્તતા મનમોહન મેરે, યોગકથા બહુ પ્રેમ મનમોહન મેરે. આ અધ્યાત્મ વિના પૃત્ર ઉપાધ્યાયજી મહારાજના શબ્દોમાં કહીએ તો “અધ્યાત્મ વિણ જે ક્રિયા, તે તો તનમલ તલે; મમકારાદિક ચોગથી, ઇમ જ્ઞાની બોલે. ' બાળ નામ-અધયામથી કાંઈ દિ' વળવાનું નથી. જેનું ભાવ-અધ્યાત્મ સાચું છે અગર તેની સુરુચિ છે, સન્મુખભાવ છે, તે જ આત્માના અધ્યાત્મના ત્રણ નિક્ષેપ ( નામ, સ્થાપના ને દ્રવ્ય ) સાચા છે. આ ચારમાંથી એકે ય નિક્ષેપ ઓળવવા યોગ્ય નથી. (જીવ) આત્મામાં સચિ, પરિચછેદ અને અનુષ્ઠાન એ ત્રણ શક્તિઓ રહેલી છે. એ શક્તિઓ જ અનુક્રમે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રના નૈઋયિક લક્ષણ છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ [28] ઢાળ 1/2 શબ્દાર્થ:– શુચિ અનુભવની જ્યોતિ–શુદ્ધ આત્મજ્ઞાનને પ્રકાશ. તત્ત્વજ્ઞાનના ચિંતનથી પ્રકાશ રૂપ ગુણને ઉદ્દભવ. નાસે...... ........ .ચાલી જાય. તિ. ................................... ..મલિનતા. શુક્રાતમ..... ....................... નિષ્કલંક આત્મસ્વરૂપને. અવલોકન કરું................... જેવું અને જાણું-એટલે કે સામાન્ય અને વિશેષપણે જોઉં અને જાણું. દઢભાવે ચિત્ત ધરું...............ઢમાવપૂર્વક ચિત્તમાં ધરી રાખવું તેવી રુચિ થાય. ભાવાર્થ - શુદ્ધ આત્મસ્વરૂપ કયારે અને કેમ થાય? તે કહે છે - અનુભવ-શ્રી ચિદાનંદજીએ આ શબ્દની વ્યાખ્યા નીચે પ્રમાણે દર્શાવી છે; * આપે આપ વિચારતાં, મન પામે વિસરામ; રસાસ્વાદ સુખ ઉપજે, અનુભવ તાકે નામ. અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હે રસરૂપ; અનુભવ મારગ મોક્ષકો, અનુભવ શુદ્ધ સ્વરૂપ. " સ્વાનુભૂતિ અને સમફત સાથે સંકળાયેલાં છે. કહ્યું છે કે: " સમતિ દ્વાર ગભારે પેસતાંજી, ભુંગળ ભાંગી આ કષાયનીજી. " મિથ્યાત્વમોહની સાંકળ સાથ રે, બાર ઉઘાડ્યાં શમ સંવેદનાજી; અનુભવ ભવને બેઠા નાથ રે !!!.. ક્ષમા વિજય —-ભાવમંદિરનું સ્તવન. (પંચ પ્રતિક્રમણ સૂત્ર પૂરવણી પૃ. 54). શ્રીપાળરાસમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી જણાવે છે કે માહરે તો ગુચરણ પસાથે, અનુભવ દીલમાં પેઠે; ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહી, આતમરતિ દઇ બેઠે રે.” –શ્રીપાળરાસ ખંડ 4, ઢાળ 13, પૃ. 26 % શુદ્ધાતમ-જીવ (આત્મા) અને કર્મના સગથી પરસ્પર એક બીજા દ્રવ્યમાં જે અન્યથાભાવ થાય છે તે સંબંધ તત્ત્વચિંતનથી દૂર કરાય છે તે તે દ્રવ્યો પોતાના મૂળ સ્વભાવમાં આવે છે, તે શુદ્ધ સ્વભાવ છે. ઉપાધિભાવ રહિત અને અન્તર્ભાવ પરિણત એ શુદ્ધ સ્વભાવ છે. -(. ગુ. 5. રાસ પૃ. 173) Page #102 -------------------------------------------------------------------------- ________________ [29] હાળ 1/2 (તત્ત્વજ્ઞાનના ચિંતનથી) જ્યારે આત્મજ્ઞાનને નિર્મલ પ્રકાશ પ્રગટે ત્યારે મિથ્યામતરૂપ મલિનતા 4 નાશ પામે અને એવી રુચિ પ્રગટે કે નિષ્કલંક (નિર્મલ) આત્મસ્વરૂપને સામાન્ય અને વિશેષપણે એટલે દ્રવ્ય અને ગુણપર્યાયથી જોઉં અને જાણું. એટલે કે દઢ ભાવનાપૂર્વક એને જ ચિત્તમાં ધરી રાખું-ધારણ કરી રાખું તેવી રુચિ થાય છે. (ધારણા એ પ્રજ્ઞાષ્ટક પૈકીનો એ ગુણ છે. ) વિવારણું : અનાદિ કાલથી આ સંસારમાં પરિભ્રમણ કરતા જીવને ધર્મ પ્રત્યે અરુચિના અભાવનો કોઈ એ અપૂર્વ અવસર સાંપડે છે કે જે વિશિષ્ટ આત્મપરિણામરૂપ હોય. (શ્રી નેમિદાસ આવા આત્મપરિણામને “અનુભવની શુદ્ધ ત” તરીકે ઓળખાવે છે.) પ્રસ્તુત આત્મપરિણામથી ભાવમળની ક્ષીણતા થતાં અપૂર્વ આમેલાસ પ્રકટે છે. તે આત્મવીર્યની ફુરણારૂપ છે. મિચ્છામત તિ” એટલે મિથ્યાત્વરૂપી મળ* અને તેનો નાશ થાય તેવી સમ્ય x મિશ્યામતરૂ૫ મલિનતા આત્મભાન ભૂલવું તે “મિચ્છામતિ” અથવા “મિથ્યાત્વ' છે. ઈચ્છાઓને કાબૂમાં રાખવાનો નિયમ ન કરવો તે " અવિરતિ ' છે. રાગદેવવાળી પ્રવૃત્તિ તે 8 કષાય છે. અને મન-વચન-શરીરની સામાન્ય પ્રવૃત્તિ તે “યોગ' છે. કોઈ વખતે એક, કઈ વખતે બે, કોઈ વખતે ત્રણ અને કોઈ પ્રસંગે ચારેય જાતની લાગણીઓ એકી સાથે હોય છે. * ધારણા-સાંભળેલા અને ગ્રહણ કરેલા તત્ત્વને ભૂલી નહિં જવું, ધારી રાખવું, યાદ રાખવું. આમાં (1) અવિસ્મૃતિ એટલે યથાયોગ્ય કાળ પર્વત ઉપગ રાખો, (2) વાસના એટલે સ્મૃતિ ઉત્પન્ન કરવામાં કારણરૂપ સંસ્કાર અને (3) રમૃતિ એટલે તત્ત્વરૂપ પદાર્થનું કાલાંતરે “તેજ એવા ઉલ્લેખરૂપે યાદ આવવું–આ ત્રણેયનો સમાવેશ થાય છે. (વિશેષ માટે જુઓ લલિતવિસ્તરે પૃ. 361-62), * આમા નિગોદ અવસ્થામાંથી માંડીને સિદ્ધ અવસ્થા સુધીમાં અનેક ભૂમિકાઓમાંથી પસાર થાય છે. તેને શાસ્ત્રકારોએ મિથ્યાદષ્ટિથી અગી કેવલી સુધીના ચૌદ વિભાગમાં વહેચેલ છે. આ ચૌદ ભૂમિકાઓને ચૌદ ગુણસ્થાન કહેવામાં આવે છે. જેનાં નામો નીચે મુજબ છે - 1. મિથ્યાદષ્ટિ. 8. અપૂર્વકરણ 2. સાસ્વાદન 9. અનિવૃત્તિ બાદર સંપરાય મિશ્ર 10. સૂમ સં૫રાય અવિરતિ સમ્યગદષ્ટિ 11. ઉપશાન્તાહ 5. દેશવિરતિ 12. ક્ષીણમોલ 6. પ્રમત્ત 13. યોગી કેવલી 7. અપ્રમત્ત 14. અગી કેવલી. આ ગુણરથાનમાં આત્માની શુદ્ધિ થાય છે. તે અધ્યાત્મક્રિયા જાણવી. Page #103 -------------------------------------------------------------------------- ________________ [30] ઢાળ 1/2 કૃત્વની પ્રાપ્તિ માટેની જિજ્ઞાસા ઉદ્દભવે છે–મૂળગત આધ્યાત્મિક મિથ્યાજ્ઞાન, વિપર્યાય કે ભ્રમને નિવારવાની જિજ્ઞાસા થાય ત્યારે તે પરિપૂર્ણ કરવાનું એક માત્ર ઉપાય તરવના બેધમાં છે. અથવા તે યથાર્થ સ્વરૂપને સમજવાની ઉત્કટ ઇચછામાં (જિજ્ઞાસા-શુશ્રષામાં) છે. ચિન્ય તત્ત્વમાં લીન કે એકાગ્ર થયા સિવાય આવું ભાન કદી લાધતું નથી. તેથી જ શ્રી નેમિદાસ કહે છે કે સાધક માટે આત્માનું ચિન્તન કરવું તે જ ખરું તત્ત્વ છે. તેથી તેમાં જ સાધક ભ્રાંતિ વગર ઢભાવે લીન થાય તે આગ્રહ કરે છે. તત્વબેધની ધારણા માટે અને મિથ્યાત્વના નાશ માટે ચિંતન નીચે પ્રમાણે છે - આ જિનેશ્વરનું શાસન તે જ મોક્ષને માર્ગ છે. એવી શ્રદ્ધા કરું છું. તે પણ અજાણપણે નહીં પણ પ્રતીતિ-પરીક્ષા, વિશ્વાસપૂર્વક વળી શ્રદ્ધામાત્ર નહીં, પણ હું એ નિગ્રંથ પ્રવચન ધારણ કરનાર બને તેવી ચિ પણ ધરાવું છું તે માટે નીચે પ્રમાણે એકરાર કરું છું - सदहामि णं भंते ! णिग्गंथं पवयणं पत्तिआमि गं भंते ! tgfમ જે મને ! , , ભાવાર્થ : એકાંત હિતકર નિથ પ્રવચનની શ્રદ્ધા કરું છું, પ્રતીતિ કરું છું અને તે ધારણ કરવા માટે રુચિ રાખું છું. જરૂર તે મને મળે જેથી મારું કલ્યાણ થાય. આવા તત્વચિંતનથી મિથ્યાત્વ નાશ પામે છે, અને શુશ્રષા, શ્રવણ અને ગ્રહણનું દઢીકરણ થાય છે. મિથ્યાત્વનો નાશ થાય છે, ત્યારે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, સમ્યકૃતવની પ્રાપ્તિ થવાથી આત્માની શુદ્ધિ થાય છે અને આત્માની શુદ્ધિથી યોગ સિદ્ધ થાય છે. સમ્યફવની પ્રાપ્તિ થયા પછી શુદ્ધ એવી જ્ઞાનધારા હોય છે, જે થયા પછી ગની ધારા પ્રવર્તે છે. યોગની ઈચ્છા રાખનારાને આવશ્યકાદિક ક્રિયા રોગના કારણરૂપ થાય છે. સપુરુષોએ જિજ્ઞાસા રાખવી એ ન્યાય છે. જે પુરુષ યોગનો જ્ઞાતા ન હોય પરંતુ યેગની જિજ્ઞાસાવાળો હેય, તે પણ કાળાંતરે આત્મજ્ઞાનને પામે છે. જ્યાં સુધી આત્મજ્ઞાન ન થયું હોય ત્યાં સુધી સંન્યાસ ત્યાગ કહેવાતું નથી, કારણ કે-આત્મજ્ઞાન વિના વસ્તુતઃ તેનું સ્વરૂપ સાવદ્ય છે. આત્મજ્ઞાન ન થયું હોય, પરંતુ જે આત્મજ્ઞાન પામવાની સન્મુખતાપૂર્વક આત્મજ્ઞાનને પામવાના સાધને સેવાતાં હોય, તે ઉપચારથી સંન્યાસ-ત્યાગ કહી શકાય છે. આત્મા અને પરમાત્મા વિષે જે વિવાદ છે, તે ભેદબુદ્ધિથી કરેલ છે. જ્ઞાની ધ્યાનરૂપી સંધિથી એ વિવાદને દૂર કરી આત્મા અને પરમાત્માને મેળ કરી બતાવે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ [31] ઢાળ 1/2 ઐક્યતા અને ભિન્નતાથી (નિશ્ચય અને વ્યવહારથી) આત્માનું ધ્યાન હિતકારી છે અને તેથી જુદી રીતે આગ્રહ રાખનારા પુરુષની જે બુદ્ધિ તે વૃથા વિડંબનારૂપ છે. આત્મસ્વરૂપનો અનુભવ નિશ્ચયનયથી થાય છે અને વ્યવહારનય ભેદદ્વારા આત્માથી પર એવા શરીર વિગેરેનો અનુભવ કરાવે છે. વિશ્વમાં જે બધે જીવસમૂહ જુદાજુદા સ્વરૂપે છે, તે નામકર્મની પ્રકૃતિથી થયેલ છે. આત્માને એ સ્વભાવ નથી. આત્માને અજ્ઞાન અને વિષયે બંધન આપે છે અને સમ્યગજ્ઞાન મુક્તિ આપે છે. જ્ઞાન વિના જે કેવલ શાસ્ત્રને અભ્યાસ કરે છે તે શાસ્ત્રના પુદગલેથી મુક્તિ થતી નથી. સઘળા સશાસ્ત્ર આત્માને અનુભવ થવામાં કારણ છે અને શુદ્ધ અનુભવજ્ઞાન કાર્ય છે. આ જગતમાં જીવને બંધન કરનાર વિષયો અને દુઃખ છે, જે ચાર કષાયોમાંથી ઉત્પન્ન થાય છે. ધ્યાની પુરુષ તેવા વિષયેથી અને દુઃખેથી બંધાતું નથી, કારણ કે તેને આત્માને વિષે જ પ્રીતિ–લીનતા છે. જેમ કુવાના જળની સિદ્ધિ આવકના ઝરણાં ઉપર રહેલી છે. તેમ કર્મોના ફળની સિદ્ધિ ઉંચા પ્રકારના ધ્યાનમાં રહેલી છે, એવું ધ્યાન જ પરમાર્થનું કારણ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વિરાગ્ય-એ ચાર ભાવનાથી પુરુષ સ્થાનની યોગ્યતાને પ્રાપ્ત કરે છે. ભગવંતની આજ્ઞા પ્રમાણે ધ્યાનનો શુદ્ધ કમ માની જે પુરુષ તેનો અભ્યાસ કરે છે તે આત્માને જાણનારે થાય છે-આત્મજ્ઞાનને પામે છે. - હંમેશા ધ્યાન કરવાને અભ્યાસ હોય તે મનને નિગ્રહ થઈ શકે છે. અનંતીવાર ચારિત્ર પ્રાપ્ત કરવાથી જે નિર્જર થઈ છે તે ઉપલકભાવે થઈ છે, કે જે ભાવ અબંધક નથી. વળી કર્મક્ષય થાય તેવી નિર્જરા થઈ નથી. જે તેવી થઈ હતી તે આ પ્રમાણે સંસારમાં પરિભ્રમણ કરવાનું બનત નહિ. જ્ઞાનની સાથે ઐક્ય પામેલ ત૫ આત્માને નિજર કરાવે છે. તે સિવાયનો તપ વસ્તુતઃ કયારે પણ નિર્જરા કરતું નથી. જેમ જેમ ચિત્તનું શુદ્ધિપણું અને સ્થિરત્વ હોય છે, તેમ તેમ જ્ઞાનીના વચનોને વિચાર યથાગ્ય થઈ શકે છે. સર્વ જ્ઞાનનું ફળ પણ આત્મસ્થિરતા થવી એ જ છે. જો હૃદયમાં મમતા જાગૃત હોય તે વિષયને ત્યાગ નકામો છે, કારણ કે જ્યાં સુધી મમતા હોય ત્યાં સુધી વિષયેને ત્યાગ સ્થિર રહી શકતો નથી. જ્યાં મમતા હોય છે ત્યાં અવિદ્યા (અજ્ઞાન) રહેલ છે, જેથી જીવ મમતાની સહચારિ અવિદ્યાના બળથી અનેક જાતની અશુભ ચેષ્ટા કરે છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ [3] ઢાળ 1/2 જેણે ગને ધારણ કર્યો નથી, મમતા હણી નથી, સમતાનો આદર કર્યો નથી અને તવ જાણવાની ઈચ્છા કરી નથી, તે પુરુષનો જન્મ શાસ્ત્રકાર નિરર્થક કહે છે. - સમતાનો સામાન્ય અર્થ એ જ કે-ગમે તેવા અનુકૂળ-પ્રતિકૂળ સંજોગો પ્રાપ્ત થાય, તે પણ મનને એક સરખી રીતે પ્રવર્તાવવું અને સર્વ જીવ-અજીવ વસ્તુઓ તરફ રાગવેષને અભાવ હવે તે. જિજ્ઞાસા અને તાવિક વિવેક એ બને મમતાનો નાશ કરનારા છે. પ્રિય અને અપ્રિય લાગવાને આધાર પિતાની બુદ્ધિ ઉપર છે. વસ્તુતઃ જોઈએ તો મમતાને વશ થવાથી જ અષ્ટાદશ પાપ સેવવામાં આવે છે. કોઈપણ વસ્તુમાં જે અહંવની સૂકમ કલપના પણ ન ઉઠે, તે ખરેખર આત્મા સમતાને પરિપૂર્ણ ધારણ કરી શકે. મનમાંથી પર વસ્તુઓ પ્રત્યે મમતાની વાસનાઓ દૂર કર્યા વિના બાહ્ય પદાર્થો સાથેનો સંબંધ છૂટતું નથી. બહિર્મુખવૃત્તિને જે જે અંશે નાશ થાય છે, તે તે અંશે અંતર્મુખવૃત્તિ પ્રગટ થતી જાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પોતાના અધિકાર પ્રમાણે અંતર્મુખવૃત્તિને આદર કરવો જોઈએ. : કે A S Page #106 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 13 (શુદ્ધ આત્માને કેમ જાણે?). મૂળ - વચન વિવેક વિનય સુ (શુ) દ્ધિ કરી, તિણથી મિથ્યામતિ અપહરી; 1 વચન, વિવેક, વિનય-અધ્યાત્મમાર્ગ બતાવે તે “અધ્યાત્મવચન' છે. જે વચન એકાંત આત્મહિને જ અર્થે પ્રવર્તે છે. જે વચન રાગ-દ્વેષાદિક વિકારવર્જિત શ્રી વીતરાગદેવની અમૃતમય વાણીના અનુવાદક હોય છે, જે વચન જ્ઞાન કે ક્રિયાને એકાંત પક્ષ ખેંચતા નથી જે વચનથી જ્ઞાન અને ક્રિયાને સાથે જ પુષ્ટિ મળે છે અને જે વચન વડે શુદ્ધ સમજપૂર્વક શુદ્ધ ક્રિયા સેવવા જ પ્રવર્તાય છે. તેનું નામ " અધ્યાત્મવચન' કહી શકાય છે. જેમ પંખી બે પાંખ વડે જ ઉડી શકે છે અને રથ બે ચક્ર વડે જ ચાલી શકે છે, તેમ “અધ્યાત્મ પણ શુદ્ધ જ્ઞાનક્રિયાના સંમેલનથી જ પ્રવર્તે છે. તે વિના અધ્યાત્મ કહી શકાય જ નહિ. વરતુતવની સમજ મેળવી હિતાહિતના યથાર્થ વિવેક કરી, જે સ્વહિત સાધનમાં વિનયપૂર્વક પ્રવૃત્ત થાય છે અને અહિત કાર્યથી નિવૃત્ત થાય છે, તે જ અંતે સ્વ-ઈષ્ટ્રસિદ્ધ કરી શકે છે. તે વિના એકાંત જ્ઞાન કે ક્રિયાના પક્ષમાં પડી સ્વ-પરને ભારે નુકશાનીમાં ઉતરવાનું બને છે. 2 મિથ્થામતિ અપહરી-દર્શનમોહનનિરાસ-સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે જ્ઞાનાવરણીયકમને - પશમ સાક્ષાત પ્રધાન હેતુભૂત થતો નથી. સમ્યક્ત્વવાળાને જ્ઞાનાવરણીયકમનો ક્ષયપશમ જેટલા પ્રમાણમાં હોય છે તેટલા પ્રમાણને ક્ષપશમ મિશ્વાદષ્ટિએમાં પણ હોય છે. એ માટે “સખ્યપ્રાપ્તિનું મૂળ કારણ દર્શનમોહન નિરામ છે.' ખાસ પ્રજ (ભૂત આત્મ વિગેરે પદાર્થોમાં ભાન્તિ ટળી જવી એ દશનમાહના નિરાસ ઉપર આધાર રાખે છે અને એનાથી સમ્યક્ત્વનો આવિર્ભાવ થાય છે. આવી રીતે સમ્યક્ત્વની પ્રાપ્તિમાં સાધારણ રીતે સંજ્ઞી પંચેન્દ્રિમાં જ્ઞાનાવરણનો જેટલો ક્ષયપશમ હોય છે, તે કરતા વધુ જ્ઞાનાવરણના ક્ષયોપશમની આવશ્યકતા હોતી નથી, કિન્તુ ઉપર કહ્યું તેમ બ્રાન્તિનિરાસની જ અગત્યતા છે. જો કે સર્વથા બ્રાતિને નિરાસ કૈવલ્યદશામાં થાય છે. પણ કેટલેક અંશે મુદ્દાની બાબતમાં બ્રાન્તિ ટળી ગઈ હોય તો ક્રમશઃ સર્વ બ્રાતિરહિત એવી ઉચ્ચ સ્થિતિ ઉપર આવવું સહેલ થઈ પડે છે. જેમ વસ્ત્રને એક છેડે સળગતા ક્રમશઃ તે આખું વસ્ત્ર બળી જાય છે, તેમ અમબ્રાન્તિનું આવરણ એક દેશથી ખર્યું એટલે તે સર્વથા નષ્ટ થવાને ચાગ્ય થઈ જાય છે. જેમ બીજનો ચંદ્ર કમશઃ પ્રણ"તા ઉપર આવે છે, તેમ બ્રાતિના આવરણને અંશ નષ્ટ થતાં જે બીજજ્ઞાને પ્રગટ છે. તે ક્રમશઃ પ્રણ તા ઉપર આવી જાય છે. એ કારણે સમ્યફ એ ખરેખર મેક્ષવૃક્ષનું બીજ છે અને તેનું મુખ્યતયા મૂળ કારણ ' દર્શનમોહન નિરાસ” એ જ છે. ભગવાન તત્ત્વાર્થ સૂત્રકારે જણાવ્યું છે કે–તરવાશ્રદ્ધાનં સભ્યપૂનમ્’ યથાર્થ ૩૫થી પદાર્થોને નિશ્ચય કરવાની જે રુચિ તે સમ્યગદર્શન છે. જગતના પદાર્થોને યથાર્થરૂપથી જાણવાની રુચિ સાંસારિક અને આધ્યાત્મિક બને પ્રકારના અભિલાષાથી થાય છે. ધન, પ્રતિષ્ઠા આદિ કોઈ સાંસારિક વાસના માટે જે તત્વજિજ્ઞાસા થાય છે તે Page #107 -------------------------------------------------------------------------- ________________ [34] ઢાળ 1/3 પ્રગટયો શુભ સંકલ્પ પ્રધાન, આપ્યું પ્રથમ શુદ્ધાતમ ધ્યાન..૩ ટો - તે કિમ જાણી તે કહઈ છ– વિનય 1, વિવેક 2, વચન 3, એ ત્રિની શુદ્ધિ કરનઈ થાઈ. તિઈ કરી મિથ્યાભાવ ભ્રાન્તિ ભ્રમ વિપર્યાસનઈ નાશ પમાડઈ. તિવારા પ્રગટ કહતાં પ્રધાન શુભ સંકલ્પ પ્રગટઈ. તેણે સ્યુ થાઈ. શુદ્ધાતમનું જ ધ્યાન ચિત્તનઈં આપઈ અન્ય અશુભ સંક૯૫ વારઈ. તિવાઈ કેહનું અવલંબન કરઈ તે કહઈ છઈ...૩... શબ્દાર્થ - વચન............ અતીન્દ્રિય કે અરૂપી પદાર્થોના સ્વરૂપ નિર્ણયમાં સહાયક અનંત જ્ઞાની. એનાં વચન. તત્તભૂત પદાર્થોની યથાસ્થિત પ્રતીતિ કરાવે તેવા વચન. વિવેક......હેય તથા ઉપાદેયનું જ્ઞાન. વિનય..................તત્વભૂત પદાર્થોની યથાસ્થિત પ્રતીતિ અનુસાર આરાધના. સુદ્ધિ કરી......મિથ્યાત્વને ભાવ અગર તે બ્રાન્તિ કે વિપસને નાશ કરી. સમ્યગદર્શન નથી, કેમકે એનું પરિણામ મોક્ષ પ્રાપ્તિ ન હોવાથી એનાથી સંસાર જ વધે છે; પરન્તુ આ ધાર્મિક વિકાસને માટે જે તનિશ્ચયની રુચિ ફક્ત આત્માની તૃતિ માટે થાય છે તે સમ્યગદર્શન છે. અહિં જે જ્ઞાનની આધ્યાત્મિક ઉત્ક્રાંતિ થાય તે સમ્યગજ્ઞાન અને જેનાથી સંસારવૃદ્ધિ અથવા આવ્યાત્મિક પતન થાય તે અસમ્યજ્ઞાન, એ દષ્ટિ મુખ્ય છે. એવો પણું સંભવ છે કે-સામગ્રી ઓછી હવાને કારણે સમ્યકત્વી જીવને કોઈ વાર કઈ વિષયમાં શંકા, બ્રમણ, અસ્પષ્ટ જ્ઞાન પણ થાય, છતાં તે મયગષક અને કદાગ્રહરહિત હોવાથી પોતાનાથી મહાન, યથાર્થ જ્ઞાનવાળા અને વિશેષદર્શી પૂશ્વના આશ્રયથી પોતાની ભૂલ સુધારી લેવા હંમેશાં ઉત્સુક હોય છે ને સુધારી પણ લે છે. તે પોતાના જ્ઞાનનો ઉચાણ મખ્યતયા વાસનાનાં પાષણમાં ન કરતાં આધ્યાત્મિક વિકાસમાં જ કરે છે. જેથી કરી સમ્યવિપ્રાપ્તિનું મુખ્ય કારણ જ્ઞાનાવરણના ક્ષયોપશમ ઉપર નહિ, પરંતુ દર્શનમોહના નિરાસ ઉપર છે. શુભ સંક૯પ-ધર્મબીજની લાયકાતવાળા છવમાં ધર્મબીજનું વાવેતર થયા બાદ દેશનાદિ દ્વારા જે એનું સિંચન કરવામાં આવે, તે અંતમાં સદ્ધર્મની એટલે લેકોત્તર ધર્મની પ્રાપ્તિ થઈ શકે છે. એ લેટેનર ધમ વારતવિક નિર્મળ ચિત્તરૂં 5 છે અને એ નિમળ ચિતના શુભ પરિણામજનિત શુભ અનુદાનરૂપ છે. જયાં સુધી મળનો વિગમ થતો નથી, ત્યાં સુધી વાસ્તવિક ધર્મનો પ્રાદુર્ભાવ થત નથી. રાગ, દ્વેષ અને મોહ એ મળરૂપ છે. તેમનો સમ્યજ્ઞાન અને સમ્યફક્રિયાધારા વિગમ થાય છે. એ વિગમકારા જેટલી શુભ પરિણતિ થાય એટલે કે-જેટલા શુભ સંકલ્પો થાય, તેટલા અંશમાં ધમની પુષ્ટિ થાય છે. એ શુભ ઉપયોગને જ “સવિકપ સમાધિ” કહેવામાં આવે છે. એના દ્વારા પયાનુબંધી પુણ્યનું ઉપાર્જન અને દઢીકરણ થાય છે તથા એ રાણાદિના વિગમથી જે ચિત્તની વાતવિક શદ્ધિ થાય તો કમની નજર થાય છે અને આત્મા શદ્ધ દશામાં સ્થિર થાય છે. આ શુદ્ધ દશાને “શુદ્ધ ઉપયોગ” કહેવાય છે, જે નિર્વિકલ્પ દશારૂપ છે; જેમાં એકત્વને આવિષ્કાર થાય છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ [35] ઢાળ 1/3 શુભસંક૯પ...ઈચ્છાને સિદ્ધ કરવાની જેનામાં શક્તિ હોય તેમને જ શુભ મને વ્યાપાર રૂપ સંક૯પને આવિર્ભાવ થાય છે. ભાવાર્થ - તેને (શુદ્ધાત્માને) જાણવાનું વિજ્ઞાન તે કહે છે - વચન, વિવેક અને વિનયની શુદ્ધિ કરવાથી મિથ્યામતિનો નાશ થાય અને તે નાશ થતાં શુભ સંક૯૫ પ્રગટે અને તે દ્વારા ચિત્તમાં સર્વ પ્રથમ શુદ્ધાત્માનું જ ધ્યાન શરૂ થાય. ( વિજ્ઞાન એ પ્રજ્ઞાષ્ટક પૈકીનો પાંચમો ગુણ છે.) વિવરણ: “વચન” એટલે આમ વચનમાં વિશ્વાસ, શાસ્ત્રમાં અનુરાગ, શ્રદ્ધા કે સમ્યગ્દર્શન. વિવેક” એટલે સત્ય અને અસત્યની પરીક્ષા કે ઉપાદેય (કર્તવ્ય) અને હેયની (અકર્તવ્યની) સમજણ એટલે સમ્યજ્ઞાન. વિનય " એટલે જ્ઞાન આદિ મોક્ષ સાધનની યથાવિધિ આરાધના-સમ્યફ ચારિત્ર. સમ્યગુદર્શન જ્ઞાન અને ચારિત્ર એ ક્ષમાગે છે તેનું અનુસરણ વચન, વિવેક અને વિનયની શુદ્ધિથી થાય છે. આવા તત્વવિષયક જ્ઞાનને વિજ્ઞાન (ગુણ) કહે છે. તેના અવલંબનથી પ્રજ્ઞાષ્ટકના પ્રથમ ચાર ગુણો-શુશ્રષા, શ્રવણ, ગ્રહણ અને ધારણનું દઢીકરણ થાય છે. અને તેથી મિથ્યાવને પરિહાર થાય છે. આ અનુભવલીલાનું પ્રથમ સ્થાન છે.* *આ પ્રમાણે આધ્યાત્મિક જીવનની આરાધનાનું પ્રથમ અને આવશ્યક અંગ સમ્યગ્દશન-જ્ઞાનચારિત્ર રૂ૫ છે, તે સાધકને પ્રાપ્ત થાય ત્યારે નિશ્ચય-બુદ્ધિ ઉપજે અને ઉપાદેય તરીકે શુદ્ધ આત્માનું ધ્યાન કરવાનું સાંપડે. (દર્શન) મોહનો ત્યાગ પછી (જીવ) આત્મા આત્માને વિષે (આત્મામાં) આત્મા વડે આત્માને જે જાણે, ( એ જાણવું ) તે જ તેનું ચારિત્ર છે, તે જ જ્ઞાન છે અને તે જ દર્શન છે. કહ્યું છે કે.-- आत्मानमात्मना वेत्ति मोहत्यागाद् यदात्मनि / तदेव तस्य चारित्रं तज्झानं तच्च दर्शनम् // –જ્ઞાનસાર, પૃ. 77 વિવેકવાન-આત્મા આત્માને, આત્માએ કરીને આત્માને માટે આમાથી આત્માને વિષે જાશે, તે છ કારક છે. એ કારક જેને સાધકપણે પરિણમ્યા છે, તે મહાભાગને જડ-વિષમ એવા અવિવેકરૂપી જ્વરની સાથે આસક્ત થવાનું કયાંથી હોય ? સંસારમાં શરીર, આમા અને આદિ શબદથી વચન, ચિત્ત. ચતન્યાદિનો અવિવેક-અભેદ એ સદા સુલભ છે. તે દેહાત્માનું ભેદપરિજ્ઞાન–આત્માની એકતાને નિશ્ચય કોટિ જન્મ વડે દુર્લભ છે. સંસારમાં બધાય ભવસ્થ છો શરીર અને આત્માની અભેદવાસનાથી વાસિત જ છે. ભેદ-જ્ઞાની કોઇક જ હોય છે. એવા ભેદજ્ઞાની તે જ વિવેકવાન કહેવાય છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 1/4 ( પ્રથમ પરમાત્માના આલંબન સાથે રતગુણ પ્રકટે.). વીતરાગ દેસી નિકલંક, નહી વિકલ્પ મદ માન નૈ વંક; તેહ નિરંજન નિર્મલ ગુણી, પ્રથમ આલંબનમ્યું રતિ બની...૪ ટો :- વીત કહતાં ગયાં છઇ રાગ અનઈ ઢષ જેહથી એહવા જે વલી નિકલંક-કર્મમલરહિત વલી જેહથી ટલ્યાં ઇઈ અશુદ્ધ વિક૯૫. મદ તે પ્રાપ્ત વસ્તુને ગર્વ અનઈ અપ્રાપ્ત વસ્તુનો ઉત્કર્ષ તે માન. વંક કહેતાં વક્રપણું, માયા, કુટિલતા. તે જિ નિરંજન નિ:પાપ નિર્મલ ગુણના ધણી એવા જે દેવાદિક પ્રથમ કહિતાં પૂર્વે પહિલાં તેડના વાનના અવલંબનસ્ય રતિ રાગ બની આવઈ.....................૪ શબ્દાર્થ:– વીતરાગ દેસી..જેને રાગ કે કષ નથી તેવા આત્મા. નિકલ કે...........કર્મોના મલ રહિત. નહી વિકપ ......ટળ્યા છે અશુદ્ધ વિકલ્પ જેના. મદ.......................પ્રાપ્ત વસ્તુનો ગ. માન....................અપ્રાપ્ત વસ્તુ વિષે ઉત્કર્ષ ભાવ. વંક.................વક્રતાપણું, માયા, કુટિલતા. નિરંજન..............નિષ્પાપ, નિર્મલગુણી...... નિર્મલ ગુણના ધણું જે દેવાદિક. રતિ................પ્રભુની ભક્તિ માટે જે તે પતિગુણ, અનુરાગ, ભકિત. ભાવાર્થ:– અરિહંતદેવ— (1) કે જેઓ રાગદ્વેષાદિરૂપ મળના કલંકથી રહિત છે. ત્ર રાગ-પોતાની જાતનો પક્ષપાત તે રાગ છે. ષ-પિતાની જાત સિવાય સર્વની ઉપેક્ષા તે દ્વેષ છે. રાગ એ સ્વદુષ્કતગહનો પ્રતિબંધક છે અને દ્વેષ એ પરસુકૃતઅનુમોદનનો પ્રતિબંધક છે. रागहषादि मलकलङ्कविकल: (સિદ્ધહેમ શબ્દાનુશાસન.) निष्कलंकोऽकलाधरः / / 97 / / - જિનસહસ્ત્રનામ સ્તવન. ન. રવા. સં. વિ.) निष्कलंको निरञ्जनः // 10 // -અહંજામ સહસ્ત્ર સમુચવ. (નસ્વ. સં. વિ. ) Page #110 -------------------------------------------------------------------------- ________________ [37] ઢાળ 1/4 (2) જેમના અશુદ્ધ વિકલપ ટળ્યા છે, (3) જેમને પ્રાપ્ત વસ્તુનો ગર્વ નથી. એટલે કે મદ નથી.+ (4) જેમને અપ્રાપ્ત વસ્તુ વિષે ઉત્કર્ષભાવ નથી એટલે કે માન નથી. (5) જેમનામાં માયા કે કુટિલતા નથી.” (6) જેઓ નિષ્પા૫ છે અને (7) જેઓ નિર્મળ ગુણને ધણી છે. –તેમના આલંબનનો સર્વ પ્રથમ અનુરાગ થ, તીવ્ર અભિલાષ થયે ..........4 વિવરણ: સાધકને શુદ્ધ આલંબન પ્રાપ્ત થયું તેથી તેની પ્રભુભક્તિ તાત્વિક વરૂપ પકડે છે. તેને ધ્યેય પ્રત્યે તિગુણ પ્રાપ્ત થાય છે. પ્રજ્ઞાને છઠું અને સાતમો ગુણ જે અનુક્રમે ઊહ અને અહ છે અને જે વડે તવિષયક સામાન્ય અને વિશેષ જ્ઞાન તેને થાય છે તેથી તે ધ્યેયના ઉત્કૃષ્ટ ગુણોને નિશ્ચય કરે છે....૪.... નિવપદ્રશનોડzયવાવિ . 111 ! નના નિવો નિ:સ્વ - દિવ્યારા માનમ | 4 | વિરાગો વિમો... 6 કમાલ્યો માવઃ : 11 5 –જિ. સહસ્ત્ર નામ. (ન. સ્વ. સં. વિ.) -અન્નામ સહસ્ત્ર સમુચ્ચય. (ન. રવા. સં. વિ.). -જિન સહસ્ત્ર નામ રતવન. (ન. સ્વ. સં. વિ.) -અહંનામ સહસ્ત્ર સમુચ્ચય. (ન. સ્વા. સં. વિ.) દિ. સં. -અ. ન. સ. સ. પપ્તશત. (ન. વા. સં. વિ.) Page #111 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 1/5 ( આલંબનના ધ્યાનથી અવર્ણનીય સુખ. ). મળ:– એહ ધ્યાને સુખ ઉપનું જેહ, ગુગે ગેલ ગળ્યા પરિ તેહ; ન કહાર્યો મુખિસુખબહુ થાય, નિબિડ કર્મના પાપ પુલાયમ ટબો: એહવા અવલંબન ધ્યાને જે સુખ ઉપનું તે કેહવું લાગઈ? શુંબઈ ગોલ ગળ્યાંની પરિ થાઈ. મનમાં મીઠું લાગઈ પણિ મુખઈ કાંઈ ઉપમા ન કહી સક. અજાણતાં રહસ્યનઇં ઈમજ હાઈ પણિ એહવા અવલંબન ચિંતનથી કઠિન કર્મની કેડિ ગમઈ. તિવારે વલી કેહ થાઈ તે કહઈ છે. 5 શબ્દાર્થ :- એહ થાને.........................એવા આલંબનના યાને. સુખ ઉપનું.................સુખ ઉત્પન્ન થયું. ગળ ગળ્યા પરિ...ગોળ ખાધા પેઠે ( મનમાં મીઠું લાગે ) ન કહાયે મુખિ. મુખથી કહી શકાય નહીં. નિબિડ કર્મના........ગાઢ કર્મોના. પુલાય...............નાશ પામે, પલાયન થાય. ભાવાર્થ : તેવા આલંબનના ધ્યાનથી જે સુખ ઉત્પન્ન થાય તે અવર્ણનીય છે. * જેમ ગૂગ મનુષ્ય ગોળ ખાય પણ તેની મીઠાશને દર્શાવી શકે નહિં તે જ પ્રમાણે ધ્યાતા જે સુખ અનુભવે તેને કેઈ સાથે સરખાવી શકે કે ઉપમા આપી શકે નહીં તેથી પિતાના મુખથી વર્ણવી શકતો નથી. પણ ઘણું સુખ થાય એટલું જ દર્શાવી શકે છે અને તે આલંબનના ચિન્તનથી કરોડો ગાઢ કર્મો નાશ પામે છે. 5 * સમ્યગદષ્ટિ જીવને જે આનંદ કે ઉલ્લાસ ન હોય, દેશવિરતિને કે પ્રતિમા વહન કરનારને જે ઉલ્લાસ અને નિર્જરા ન હોય, કરડ પૂર્વ સુધી ચારિત્ર પાળનાર સાધુને મધ્યમ પરિણતિએ જે નિજરે ન હોય, તે સઘળાનાં કરતાં અસંખ્યાતગુણ નિજર સમ્યક્ત્વ પામતી વખતે હોય છે. ચોથે પાંચમે અને છઠે ગુણસ્થાનકે રહેલે જીવ જે કર્મ તોડે તે કરતાં સમ્યકત્વ પામતી વખતે જીવ અસંખ્યાતગુણ કર્મ તોડે છે. આવા જવને સઘળાં દુખમાંથી છોડાવનાર સાહજિક જ્ઞાનાદિ ગુણમય વિશુદ્ધ આત્મરવરૂપનું ભાન થતાં મહાનિધિ મળ્યાની જેમ અવર્ણનીય આનંદ ભાવોલ્લાસ થાય છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ [39] ઢાળ 1/5 વિવરણ: આ પ્રકારના ધ્યાનથી જે આનંદેલાસ થાય છે તે જેમ ગૂંગે ગોળના સ્વાદનું વર્ણન કરી શકતું નથી તેમ, શ્રી નેમિદાસ પણ તેનું વર્ણન કરી શકતા નથી, પરંતુ એકાગ્રતાથી સાધકને માનસિક સુખ બહુ થાય અને ગાઢ કર્મો તેમ જ પાપનાં બંધને નાશ થતાં જણાય. અહીં “આ વસ્તુનું સ્વરૂપ આવું જ છે” તેવો નિશ્ચય થાય છે. અર્થાત તત્ત્વવિષયક તાત્પર્ય જ્ઞાન એટલે કે તવાભિનિવેશને સદભાવ થાય છે. અહીં પ્રજ્ઞાષ્ટકના આઠે ગુણેને અન્વય અને વ્યતિરેકથી અનુભવ થાય છે અને તત્ત્વચિંતાત્મક વિવિદિષારૂપ શરણ પ્રાપ્ત થાય છે, જે મહાકલ્યાણકારી છે. આ પ્રકારે શ્રીનેમિદાસ પ્રથમ પાંચ કડીથી પરમાત્માનું તત્વચિંતનરૂપ સાચું શરણું ગર્ભિત રીતે સ્વીકારે છે અને તે જ પ્રસ્તુત રાસનું યથાર્થ મંગલ છે. આત્મા અનાદિકાળથી જન્મ-મરણના પ્રવાહમાં પડેલ તેમ જ અનેક શારીરિક તથા માનસિક દુ:ખને અનુભવતો અજ્ઞાનપણમાં-અનાભોગથી, ગિરિ-નદી-પાષાણના ન્યાયથી જ્યારે આમાનું આવરણ કંઈક શિથિલ થાય છે અને એ કારણે તે આત્માને અનુભવ તથા વિશ્વાસની માત્રા કંઈક વધે છે, ત્યારે તે વિકાસગામી આત્માના પરિણામોની શુદ્ધિ તથા કોમળતા કંઈક વધે છે, જેથી કરી રાગ-દ્વેષની તીવ્રતમ દુર્ભેદ્ય ગ્રન્થિને તોડવાની ચોગ્યતા ઘણે અંશે પ્રાપ્ત કરી લે છે. આ અજ્ઞાનપૂર્વક દુઃખ સંવેદનાજનિત અતિ અ૯૫ આત્મશુદ્ધિને જૈનશાસ્ત્રમાં “યથાપ્રવૃત્તિકરણ” કહેવાય છે. ત્યારબાદ જ્યારે અધિક આત્મશુદ્ધિ તથા વીલ્લાસની માત્રા વધે છે, ત્યારે રાગ-દ્વેષની દુઘ વિષગ્રથિને ભેદ કરી શકે છે. આ ગ્રથિભેદકારક આત્મશુદ્ધિને “અપૂર્વકરણ” કહે છે, કારણ કે- એવું કરણ– પરિણામ વિકાસગામી આત્માને માટે અપૂર્વ-પ્રથમ જ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ એ થી આત્મશુદ્ધિ તથા વીલાસની માત્રા કંઈક અધિક વધે છે, ત્યારે આત્મા મેહની પ્રધાનભૂત શક્તિ-દર્શનમોહ પર અવશ્ય વિજયલાભ પ્રાપ્ત કરે છે. આ વિજયકારક આત્મશુદ્વિને જૈનશાસ્ત્રમાં ‘અનિવૃત્તિકરણ” કહેવાય છે, કારણ કે-આત્મશુદ્ધિ પ્રાપ્ત કર્યોથી આત્મા દર્શનમેહ પર વિજયલાભ પ્રાપ્ત કર્યા સિવાય રહેતો નથી અર્થાત્ તે પાછે હઠત નથી. ઉક્ત ત્રણ પ્રકારની આત્મશુદ્ધિમાં બીજી અર્થાત્ “અપૂર્વકરણ” નામની શુદ્ધિ જ અત્યંત દુર્લભ છે, કારણ કે-રાગદ્વેષને તીવ્રતમ વેગને રોકવાનું અત્યંત કઠિન કાર્ય એના દ્વારા થઈ શકે છે, જે સહજ નથી. જે એકવાર આ કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ જાય, તો ફેર ચાહે વિકાસગામી આત્મા ઉપરની કઈ ભૂમિકાથી ગબડી પડે તે પણ ફરી કઈ ને કઈ વાર પોતાના લક્ષ્યને-આધ્યાત્મિક પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. આ આધ્યામિક પરિસ્થિતિનું સ્વરૂપ અનુભવગત વ્યાવહારિક દૃષ્ટાન્ત દ્વારા કહેવાય છે. જેમ કેઈ એક એવું વસ્ત્ર છે, કે જેમાં મેલથી અતિરિક્ત ચિકણાપણું પણ લાગેલું Page #113 -------------------------------------------------------------------------- ________________ [40] ઢાળ 15 છે. તે વસ્ત્રને મેલ ઉપર ઉપરથી દૂર કરે એટલે કઠિન અને શ્રમસાધ્ય નથી, એટલે ચિકાશ દૂર કરવામાં છે. અર્થાત્ મેલ દૂર કરતાં ચિકાશ દૂર કરવી એ કષ્ટસાધ્ય છે. જે એક વાર ચિકાશપણું દૂર થઈ જાય તે બાકીને મેલ દૂર કરવામાં કિવા કારણવશ ફરી લાગેલા મેલને દૂર કરવામાં વિશેષ શ્રમ પડતો નથી અને વસ્ત્રને અસલી સ્વરૂપમાં સહજમાં લાવી શકાય છે. ઉપર ઉપરનો મેલ દૂર કરવામાં જે બળ વપરાય છે એની સદશ “યથાપ્રવૃત્તિકરણ” છે, ચિકાશપણું દૂર કરવામાં વિશેષ બળ તથા શ્રમની સમાન “અપૂર્વકરણ છે, કે જે ચિકાશની સરખી રાગદ્વેષની તીવ્રતમ ગ્રથિને શિથિલ કરે છે. બાકી બચેલા મલ કિવા ચિકાશ દૂર થયા બાદ ફરીને લાગેલા મલને દૂર કરવાવાળા બળ-પ્રયોગની સમાન “અનિવૃત્તિકરણ” છે. ઉક્ત ત્રણેય પ્રકારના બળ-પ્રવેગમાં ચિકાશ દૂર કરવાવાળો બળ-પ્રયાગ જ વિશિષ્ટ છે. એ પ્રકારે અપૂર્વકરણરૂપ પરિણામ દ્વારા રાગદ્વેષની અતિ તીવ્રતા મટી ગયા પછી દર્શનમોહ પર વિજય પ્રાપ્ત કરવો સહજ છે. દર્શનમેહ છતાયે એટલે પહેલા ગુણસ્થાનની સમાપ્તિ થઈ. ઉક્ત પ્રમાણે હેચે છતે જ વિકાસગામી આત્મા સ્વરૂપનું દર્શન કરી શકે છે અર્થાત્ આજ સુધી તે આત્માની જે છીપમાં રૂપાની બ્રાતિની જેમ પરરૂપમાં સ્વરૂપની ભ્રાન્તિ હતી તે દૂર થઈ જાય છે. એથી જ તેના પ્રયત્નની ગતિ ઊલટી નહિ થતાં સીધી બની રહે છે અર્થાત તે વિવેકી બનીને કર્તવ્ય-અકર્તવ્યને વાસ્તવિક વિભાગ કરી લે છે. આ દશાને જૈનશાસ્ત્રમાં “અન્તરામભાવ' કહેવાય છે, કારણ કે આ સ્થિતિ પ્રાપ્ત કરીને વિકાસગામી આત્મા પોતાની અંદર વર્તમાન સૂક્ષમ અને સહજ એવા શુદ્ધ પરમાત્મભાવને દેખાવા લાગે છે, અર્થાત્ અન્તરાત્મભાવ એ આત્મમંદિરનું ગર્ભદ્વાર છે, જેમાં પ્રવેશ કરીને તે મંદિરમાં વર્તમાન પરમાત્મભાવરૂપ નિશ્ચય દેવનું દર્શન કરી શકે છે. આ દશા વિકાસક્રમની ચતુર્થી ભૂમિકા કિવા ચતુર્થ ગુણસ્થાનક છે, જેને પામીને આત્મા પ્રથમ વાર જ આધ્યાત્મિક શાંતિને અનુભવ કરે છે. આ ભૂમિકામાં આધ્યાત્મિક દષ્ટિ યથાર્થ (આત્મસ્વરૂપોન્મુખ) હેવાના કારણે વિપર્યાયરહિત હોય છે, જેને જૈન શાસ્ત્રમાં સમ્યગુદષ્ટિ કિવા “સમ્યક્ત્વ' કહે છે. - અત્ર ચૌદ ભૂમિકાને-ગુણસ્થાનનો વિચાર નહિ કરતાં ચતુર્થ સમ્યગદષ્ટિ ગુણરથાન સુધીનું કથન કર્યું છે. આત્મવિકાસની શરૂઆત આ ભૂમિકા પ્રાપ્ત થયા પછી જ ગણતરીમાં લેખાય છે. આ ચતુર્થ ભૂમિકા પામેલો આત્મા ઉત્ક્રાંતિક્રમમાં આગળ વધતા પંચમ આદિ ગુણસ્થાનની પ્રાપ્તિ થતાં ઉત્તરોત્તર વિકાસ અને દષ્ટિની શુદ્ધતા અધિકાધિક હોય છે. એ રીતે વિકાસક્રમમાં આગળ વધતા આધ્યાત્મિક શાન્તિના અનુભવથી વિશેષ બળવાન થઈ, ચારિત્રમેહને નષ્ટ કરી, છેવટે અઘાતિ કર્મને નાશ કરી પૂર્ણ સ્થિરતાસ્વરૂપ છેલલી-ચરમ અવસ્થા અર્થાત્ ચૌદમા ગુણસ્થાનને પામી પૂર્ણ શુદ્ધ સ્વરૂપી પરમાત્મઅવસ્થાને પ્રાપ્ત કરી કૃતકૃત્ય બને છે....પ Page #114 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 1/6 (પૂર્વદર્શિત સ્થિતિ થતાં શું થાય?) મૂળ:– ચાર શરણમ્યું લાગે રાગ, જાણે એહથી થયે વડભાગ સુખ દુઃખ આવ્યે સમ મનિ લાગિ, વેદે જિમ નવિ રણમેં નાગ...૬ ટબો અરિહંત 1, સિદ્ધ 2, સાધુ 3, કેવલી પ્રણીત ધર્મ ૪-એ થારના શરણ ઉપરિ રાગ થાઈ. મનમાં હર્ષ ધરઇ. જે હું મેટે વડભાગ્ય જે હું એ પામ્ય. તિવારે તે કેહ થાઈ તે કહે છઈ. સુખ દુખ આવ્યઈ મનમાં વેદઈ નહી. જિમ નાગ-હાથી સંગ્રામમાં મનમાં વયરી થકી ભય ન પામઈ તિમ... શબ્દાર્થ ચાર શરણમ્યું લાગો રાગ–અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રણીત ધર્મ એ “ચાર ના શરણ ઉપર રાગ થશે. તેથી મનમાં હર્ષ થશે. થો વડભાગ.............. ..હુ બહુ ભાગ્યશાળી થયો. સમ મનિ લાગિ..................... સુખ અને દુખ મનમાં સમ–એક સરખાં લાગે. વેદે નવિ........................... વેદે નહીં. રણમેં........... ....સંગ્રામમાં. નાગ...... ....હાથી. ભાવાર્થ - પૂર્વદર્શિત સ્થિતિ થતાં શું થાય તે કહે છે - (1) અરિહંત, (2) સિદ્ધ, (3) સાધુ અને (4) કેવલી પ્રણીત ધર્મ-એ ચાર શરણ પ્રત્યે રાગ પ્રગટે. (અરિહંત-સિદ્ધ એ જ સાચા દેવ છે, જિનેશ્વરના સાધુ એ જ સાચા ગુરુ છે અને કેવલિપ્રણત ધર્મ એ જ સાચો ધર્મ છે-તે જ સત્ય છે, તે સિવાય બીજું કાંઈ સત્ય નથી-એવા ભાવથી સ્વીકારે.) અને તે (સમ્યક્ત્વ પામેલો જીવ) એમ માને કે “હું બહુ જ ભાગ્યશાળી છું કે આવું શરણ પામ્યો.” સુખ અથવા દુઃખ જે કાંઈ ઉપસ્થિત થાય તેને તે સમભાવથી ભગવે. જેમ હાથી સંગ્રામમાં દુમનથી ભય પામતું નથી તેમ તે આત્મા પણ દુઃખથી ભય પામે નહીં અને તેને સમતાથી વેદે. Page #115 -------------------------------------------------------------------------- ________________ [42] ઢાળ 1/6 વિવરણ: અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રણીત ધર્મ આ ચાર પ્રકારના શરણે પ્રત્યે સાધકને અનન્ય ભક્તિ અને પ્રીતિ થાય છે. તેને અનુકૂલ અને પ્રતિકૂલ વસ્તુ પ્રત્યે સમભાવ પ્રગટે છે અને ગમ કે અણગમાનું તત્ત્વ ઘટતું જાય છે, તે એટલે સુધી કે “વાસીચંદન ક૯૫” જેવી મુનિદશા પ્રાપ્ત થાય ત્યારે સાધકને ભવ અને મોક્ષ, સુખ અને દુઃખ અનેમાં એક સરખે ભાવ રહે છે. અહીં દષ્ટાંત આપ્યું છે કે, યુદ્ધમાં નાગ એટલે હાથી જેમ પરિણામની દરકાર રાખ્યા વિના સંપૂર્ણ સેવા આપે છે તેમ સાધક આ સંસારમાં વિષય અને કષાયના ચાલી રહેલા તુમુલ યુદ્ધમાં નિર્ભયપણે અને સમભાવે પૂર્વ સંસ્કારપ્રેરિત બાઘજીવનચર્યા ચાલુ રાખે છે. અહીં સંસારી જીવન માટે જે ઉદાસીનતા રહે છે તે સમ્યકૃતવ પ્રગટ્યા વિના થાય નહીં...૬ છે . શરણ–સવથા પરા–રસિક હોવાથી નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી જગતના જીવો તેમનું શરણ અંગીકાર કરે છે તેથી શરણરૂપ છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 17 ( નિજરવરૂપની દ્રવ્ય, ગુણ, પર્યાયથી વિચારણા.), મૂળ - અસંખપ્રદેશી નિજ જિઉ દ્રવ્ય, દર્શન જ્ઞાન ચારિત્ર ગુણ ભવ્ય; પજવ તેહને અનંત અનંત, નિજ સરૂપ જાણે તે સંત.......૭.... ટો :-- અસંખ્યાતપ્રદેશી જે પિતાને જીવદ્રવ્ય છઇં તેહિ જ વિચારઈ દર્શન, જ્ઞાન, ચારિત્રના ગુણ ભવ્ય ભલા જેહનઇ વિષઈ જઈ તે એકેકા ગુણનઈ વિષઈ અનંત અનંત પર્યાય છે. દ્રવ્ય સાથઈ અવિનાભાવી છઈ. એહવા સ્વરૂપને આતમદ્રવ્યને જાણ તે સંત ઉત્તમ....૭... શબ્દાર્થ - અસંખપદેશી.......અસંખ્યાત પ્રદેશવાળે. જિઉ દ્રવ્ય.................આત્મારૂપી દ્રવ્ય, અન્વય. ગુણુ ભવ્ય................દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી ભવ્ય-શ્રેષ્ઠ ગુણો. અન્વયને આશ્રિત રહે તે ગુણ. પજવ......................પર્યાય, અન્વયના વ્યતિરેકે (ભેદ). પર્યાય. દ્રવ્ય સાથે અવિના ભાવી સંબંધથી રહે છે. સંત........ ............ઉત્તમ, પંડિત. ભાવાર્થ - પિતાના આત્માનો વિચાર (આરાધક) કરે કે તે (1) દ્રવ્યથી–અસંખ્ય પ્રદેશ છે, કારણ કે દ્રવ્ય અસંખ્ય પ્રદેશવાળું છે. *જ્ઞાનસારના જ્ઞાનાષ્ટકમાં આ વિચાર નીચે પ્રમાણે દર્શાવાયો છે - પિતાના શુદ્ધ આત્મદ્રવ્યમાં, પોતાના શુદ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ ગુણમાં અને પિતાના શુદ્ધ અર્થ અને વ્યંજન પર્યાયમાં ચર્યા–પરિણતિ શ્રેષ્ઠ છે. પર દ્રવ્ય તેના ગુણ પર્યાયમાં પરિણામ ગ્રહણ અને ઉત્પત્તિરૂપ ચર્યા–પરિણતિ અન્યથા છે-શ્રેષ્ટ નથી–સા. સા. પ્ર. 31 (ત્રિકાશવર્તી પર્યાય તે વ્યંજન પર્યાય, જેમ માટી વગેરે પર્યાય, વર્તમાનકાલવર્તી સૂક્ષ્મ પર્યાય તે અર્થ પર્યાય. જેમ તક્ષણવર્તી ઘટાદિ પર્યાય તથા આત્માના કેવલજ્ઞાનાદિ શુદ્ધ વ્યંજન પર્યાય અને તત્કાલવતી કેવલજ્ઞાનને પ્રવેગ વગેરે અર્થપર્યાય.) Page #117 -------------------------------------------------------------------------- ________________ [44] ઢાળ 1/7 (2) ગુણથી-દર્શન, જ્ઞાન અને ચારિત્રના શ્રેષ્ઠ ગુણથી ભરેલો છે. (3) પર્યાવથી-એક એક ગુણને આશ્રયી અનંત અનંત પર્યાયવાળે છે. (અને પર્યાને દ્રવ્ય સાથે અવિનાભાવી સંબંધ છે. એટલે કે પર્યાયે દ્રવ્યના આશ્રય વિના રહી શકતા નથી.) આવું પોતાનું સ્વરૂપ જે વિચારે છે તે ખર સંત એટલે કે ઉત્તમ પુરુષ છે. (જે આત્મા દ્રવ્યાનુગમાં ઉત્સાહ ધારણ કરે છે, તે પંડિત કહેવાય છે. દ્ર. ગુણ. પ.ને રાસ પૃ. 201) વિવરણ - સમ્યગુદષ્ટિ સાધક સમર્થ આત્મતત્વચિંતક થાય છે. તે નીચેની છ માન્યતાથી જૈન દર્શનનું આસ્તિષ્પ દર્શાવે છે. (1 જીવ (આત્મા) છેઃ 3 ચેવ વવઃ | (2) જીવ નિત્ય છે; સ ર નવા ! (3) જીવ કર્મનો કર્તા છે સ ળાં કર્તા | (4) જીવ પિતાના કરેલા કર્મફલને ભોક્તા છે; ક ર મોr (5) જીવ કર્મથી મુક્ત થાય છે; પ્તિ તસ્ય નિર્વાગત્ | (6) જીવને કર્મથી મુક્ત કરવાના ઉપાય છે; મહિત 2 તા મોક્ષોવાય ! આવા સમ્યગ્દર્શનને નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનકોનું ચિંતન કરે છે૪ તથા જીવ (આમા) વતુપણે-દ્રવ્યથી નિત્ય , પરંતુ સમયે સમયે જ્ઞાન આદિ પરિણામ પલટવાથી તેના ગુણે તથા પર્યાનું પલટાવાપણું થાય છે. શુભ અને અશુભ પરિણામે જયારે પરિણમે છે ત્યારે જીવ શુભ અગર અશુભ થાય છે. આ પ્રકારે એટલે કે જે સાધક આરિહંતને દ્રવ્ય, ગુણ, પર્યાયથી જાણે છે તે આત્માનું સ્વરૂપ સમજે છે અને તે પ્રમાણે વર્તે તે તેને મેહ નાશ પામે છે અને તે સંત પુરુષ ચા સમર્થ ચગી થાય છે............૭ મિથ્યાત્વ, અવિરતિ (ત્યાગનો અભાવ), પ્રમાદ, કષાય અને ગ–એ કમબંધના હેતુઓ છે. -ત. સૂ) 8-1 4 દર્શનને સ્વભાવ “તમેવ સાઁ નીસંવં = વિરું પડ્ય' (તે જ સાચું અને શંકા વિનાનું છે કે જે શ્રી જિનેશ્વરદેવોએ કહ્યું છે) રૂ૫ જિને તરોમાં સ્વાભાવિક અથવા અધિગમથી (ગુરૂપદેશાદિથી) થતી ચ છે, જયારે જ્ઞાનનો સ્વભાવ માત્ર 'જાણવું છે. આત્માના આવા ધાન-પરિણામનું નામ સમ્યક્ત્વ કહેવાય છે. આ ગુણ અનંતાનુબંધી કષાય વિગેરે સાત કૃતિઓના સંયોપશમ, ઉપશમ અથવા ક્ષયથી પ્રગટ થાય છે. એમ થયા વિના વસ્તુતઃ આ ગુણ પ્રગટતો નથી. Page #118 -------------------------------------------------------------------------- ________________ [45] ઢાળ 1/7 સમ્યગદર્શન અને આસ્તિયને મહિમા સાત પદાર્થો ઉપર શ્રદ્ધારૂપ આત્મપરિણતિની વ્યાપ્તિ તે “તત્વાર્થ શ્રદ્ધાન” તે જ્યારે સમ્યક્ત્વ હેય ત્યારે જ પ્રગટે છે, જેથી વસ્તુતઃ શ્રદ્ધાન એ સમ્યક્ત્વનું કાર્ય છે, તે પણ તેમાં સમ્યફવરૂપ કારણને ઉપચાર કરીને તેને સમ્યફવા કહેવામાં આવ્યું છે. સમ્યગ્દર્શનના લક્ષણમાં મૂકાયેલ “તત્ત્વ' શબ્દથી કેવળ અર્થથી “ગઢા” એ સમ્યગદર્શનની વ્યાખ્યા નથી, પરંતુ “તસ્વાર્થત્રદ્ધાન' તરૂપ અર્થોની-પદાર્થોની શ્રદ્ધા એટલે જે જે પદાર્થો તસ્વરૂપ છે, વાસ્તવિક રીતે પોતાના સ્વરૂપમાં રહેલ છે, તે તે જવ, અજીવ, પુષ્ય, પાપ વિગેરે અને સ્વીકારવારૂપ શ્રદ્ધા. આ સમ્યગ્ગદર્શનનું ફલદર્શક લક્ષણ છે, એટલે કે-સમ્યગદર્શનના ફળને દેખાડવાવાળું-પમાડવાવાળું આ લક્ષણ છે. તત્વરૂપ અર્થોની શ્રદ્ધા એ પણ સ્વયં સમ્યગુદર્શનરૂપ નથી કે સમ્યગદર્શનનું સ્વતંત્ર સ્વરૂપ નથી, મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષય, ક્ષયોપશમ યા ઉપશમથી તેવા પ્રકારની જાગૃતિ પામે છે, તેને “સમ્યગદર્શન ' કહેવાય છે. તેનું બાહ્ય ચિન્હ-કાર્યરૂપ લિંગ તત્વાર્થ શ્રદ્ધા છે. માન્યતા અને શ્રદ્ધાનમાં ફરક સમજવાનું છે. માન્યતા એ નીચી કોટિની વસ્તુ છે, જ્યારે શ્રદ્ધાન એ માન્યતાને પરિપાક હોવાથી ઉંચી કોટિની વસ્તુ છે. માન્યતા એ મનુવ્યના અમુક પ્રકારના મનને ભાવ જ સૂચવે છે, જ્યારે શ્રદ્ધાન મનુષ્યના આત્મા ઉપર અજવાળું પાડનાર દિવ્ય પ્રકાશ છે. શ્રદ્ધાનનો ઉદય થતાં જીવ અને દેહનું આત્મરૂપશ વિવેકજ્ઞાન કુરી ભેદજ્ઞાન થાય છે. એ ભેદજ્ઞાનનું થવું એ જ “સવૅગદર્શન” કહેવાય છે. જેવી આસક્તિપૂર્વકની માન્યતા પોતાના શરીર ઉપર અને માતા, પિતા તથા સાંસારિક વસ્તુઓ ઉપર હોય છે, તેવી અડગ માન્યતા આત્મા અને શરીરની ભિન્નતા ઉપર બંધાય ત્યારે તેને શ્રદ્ધાન થયું કહેવામાં આવે છે. ચતુર્થ ગુણસ્થાનકનું જે ગૌરવ શાસ્ત્રમાં બતાવ્યું છે, તે આવી શ્રદ્ધાને અવલંબે છે. જ્યારે તત્વાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યકત્વ ઉપજે, ત્યારે તેને મોક્ષની અભિલાષા-સાચે મુમુક્ષભાવ હોય છે. ચોથા અને ચૌદમાં ગુણસ્થાનકની શ્રદ્ધા એક જ છે. માત્ર તેમાં જ્ઞાન અને વર્તનમાં ફેર છે. સર્વ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે. સાચે મુમુક્ષભાવ આવ દુષ્કર છે, તે અનંતકાળથી અનભેસ્ત મુમુક્ષતા માટે તેમ હોય એમાં કાંઈ આશ્ચર્ય નથી. સમ્યગદર્શનના શમ-સંવેગાદિ જે પાંચ લક્ષણને નિર્દેશ કરવામાં આવ્યો છે, તે પાંચે ય (શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય) લક્ષણે યદ્યપિ સમકિતવંત આત્મામાં હોવા જ જોઈએ, તથાપિ શમ-સંવેગાદિ પ્રથમના ચાર લક્ષણે કદાચ કેઈ તેવા Page #119 -------------------------------------------------------------------------- ________________ [46] ઢાળ 1/7 કર્મોદયજન્ય નિરુપાયના પ્રસંગમાં ન્યૂનપણે દષ્ટિગોચર થાય, તેટલા માત્રથી સમ્યગદર્શનમાં ક્ષતિ માનવાનું સાહસ કરવું ઉચિત નથી. શમ, સંવેગ, નિર્વેદ અને અનુકંપા એ ચારે ય લક્ષણો પૂર્ણ કટિએ કેઈ આત્મામાં દષ્ટિગોચર થતાં હોય, પરંતુ “આસ્તિક લક્ષણમાં ખામી હોય, તે શમ-સંવેગાદિ ઉચ્ચકક્ષાના હોવા છતાં તે આત્મામાં સમ્યગદર્શનને પ્રાયઃ અભાવ છે. જે આસ્તિષ્પ નામના પંચમ લક્ષણમાં એક અક્ષરમાત્ર પણ અરુચિ-અશ્રદ્ધાન થાય, તો તે આત્મા સમ્યગદર્શનથી ભ્રષ્ટ થઈ જાય છે. કેઈ અપેક્ષાએ એમ કહેવામાં આવે છે કે–આસ્તિષ્પ વિનાના શમ-સંવેગાદિ લક્ષણો આત્મિક વિકાસ માટે નિરર્થક છે તે તે કથન અસંગત નથી.” સદ્ધર્મવિશિકામાં આસ્તિષ્યને જ પ્રધાનપણે અપેક્ષી આ પ્રમાણે પ્રતિપાદન કર્યું છે–“માનિāવાનુissસ્તિકારક્ષાનાં ગુણાનાં પાનુપૂર્થવ लाभक्रमः प्राधान्याच्चेत्थमुपन्यास इति / ' સમ્યગદર્શનગુણું જે આત્મામાં પ્રગટ થયો હોય, તે આત્મામાં “આરિત” લક્ષણ અવશ્ય હોય છે. સમ્યગદર્શન ને આસ્તિક્ય-એ બન્નેને અન્વય વ્યતિરેક સંબંધ છે, એટલે આસ્તિક્ય હેય ત્યાં અવશ્ય સમ્યગદર્શન હેય અને જ્યાં આસ્તિક્ય નથી ત્યાં સમ્યક્ત્વને અભાવ હોય છે. આત્મા છે, આત્મા નિત્ય છે, કર્તા છે, ક્તા છે, મેક્ષ છે અને મોક્ષને ઉપાય છે, આ આસ્તિક્યના છ લક્ષણો જ્યારે આત્મપરિણતિપૂર્વક-આત્મસાત્ થયા હોય, ત્યારે જ આસ્તિષ્પગુણ સાર્થક ગણાય છે. કેવળ આત્મા-પરલોક વિગેરેનો સ્વીકાર કરનાર આત્મા સમ્યગૂદષ્ટિ નથી થઈ શકતે, પણ વાસ્તવિક રીતે તે તે જીવ અજીવ આદિ તો કે જે પોતાના સ્વરૂપમાં રહેલા છે, તેને તે તે રીતે સ્વીકારનાર, સહનાર આત્મ સમ્યગદર્શનગુણને પામેલો કહી શકાય. તાત્પર્ય એ છે કે-આત્માના અસ્તિત્વને સ્વીકાર્યા પછી આત્માના સ્વરૂપને સંપૂર્ણપણે વફાદાર રહેનારી કર્તા, ભક્તા, નિત્યાનિત્યાદિ દરેક પ્રકારની માન્યતાઓ સ્વીકારી આત્મસાત્ કરવી જોઈએ-પરિણમવી જોઈએ. Page #120 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 1/8 (ચેતનરાજનું સ્મરણ, વિચિંતન અને ધ્યાન) એહથી અલગે પુદગલરૂપ, તેથી ત્યારે ચેતન ભૂપ; એનું જ્ઞાન હનું દયાન, દઢ પ્રતીત ચિંતન અનુમાન...૮ ટ :- એહવા લક્ષણથી વિલક્ષણ અલગે તે અચેતનામક તે પુદ્ગલરૂપી તેહથી અલગ અરૂપી જીવ લક્ષણ યુક્ત ને ચેતન રાજા. એહનું જ્ઞાન તેહિ જ એહનું ધ્યાન એકાગ્રતા એહવું ચિંતન વિચાર અનુમાનઈ કરી પ્રત્યક્ષગમ્ય કરવું તેહિ જ પ્રતીતે ધારવું...............૮ શબ્દાર્થ - ત્યારે..........જુદે. (દેહ અને આત્માનું ભેદજ્ઞાન %) ચેતન ભૂપ.....ચેતન રાજા. * દેહ અને આત્માના ભેદજ્ઞાનની દુભતા વિષે પૂ૦ ઉ. શ્રી યશોવિજયજી કૃત “જ્ઞાનસાર' ના વિવેકાષ્ટકમાં કહ્યું છે કે - “ભાવોä, aaa પુત્રમો મળે भवकोट्याऽपि तभेदविवेकस्त्वतिदुर्लभः // " સંસારમાં શરીર, આત્મા આદિ શબ્દથી વચન અને ચિત્તને અવિવેક-અભેદ એ સદા સુલભ છે. પરંતુ તે દહાત્માદિન ભેદ રિજ્ઞાન–આત્માની એકતાનો નિશ્ચય કોટિ જન્મ વડે પણ અત્યંત દુલભ છે. સંસારમાં બધા ય ભવસ્થ જીવો શરીર અને આત્માની અમેદવાસનાથી વાસિત જ હોય છે. ભેદજ્ઞાની કેઈક જ હોય છે. સમયપ્રાભૂતમાં કહ્યું છે કે "सदपरिचिदाणुभूता सव्वस्स वि कामभोगबंधकहा / एगन्तसुलभो णवरि ण सुलभो विभत्तस्स // " “સર્વ જીવોને પણ કામ ગાદિ બન્ધની કથા સાંભળવામાં આવી છે, પરિચયમાં આવી છે અને અનુભવમાં આવેલી છે તેથી સુલભ છે, પરંતુ વિભક્ત-શરીરાદિથી ભિન્ન એવા આત્માની એકતા સાંભળવામાં આવી નથી, પરિચયમાં આવી નથી અને અનુભવમાં આવી નથી તેથી સુલભ નથી. સમ્યગ્રષ્ટિને આવું ભેદજ્ઞાન હોય છે. તેને સંસાર તરફને તીવ્ર આસક્તિભાવ ઓછો થઈ ગયેલે હોય છે, તે પૂર્વના અશુભ કર્મને ઉદયથી કદાચ પાપક્રિયામાં પ્રવર્તે તો પણ પશ્ચાતાપપૂર્ણ હૃદયે પ્રવર્તે છે અને આ માટે હિતકારી પ્રવૃત્તિમાં ઉલ્લાસપૂર્ણ હૃદયે પ્રવર્તે છે. તેના ગુણોના સ્વરૂપભેદને અવિરતિ સમષ્ટિ ગુણસ્થાન કહે છે. નીચેના ગુણસ્થાનની અપેક્ષાએ અહીં અનંતગુણ વિશુદ્ધિ હોય છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ [48] ઢાળ 18 દઢ પ્રતીત...દઢ પ્રતીતિ, પ્રતીતિપૂર્વક ધારવું. ચિતન.. વિચાર. અનુમાન.............અનુમાને કરી પ્રત્યક્ષ-ગમ્ય કરવું-વિચિંતન કરવું. અવભા સમાન થતું હોય તેમ વિચારવું. ભાવાર્થ :- - જ્યારે પુદ્ગલ તેનાથી (આત્મદ્રવ્યથી) વિલક્ષણ એટલે તદ્દન જુદુ અને રૂપી છે. આત્મદ્રવ્ય એ ચેતનરાજ છે. આત્મદ્રવ્ય વિશે (નિત્યપણુ શુચિપણું અને આત્મપણાની બુદ્ધિરૂપ) જ્ઞાન, તેનું જ ધ્યાન, તેને પ્રત્યક્ષગમ્ય કરે તેવું ચિંતન, અનુમાન અને તેને જ દઢ પ્રતીતિ× વડે ધારવું. વિવરણ: નિજ સ્વરૂપની વિચારણા કરતાં પહેલાં મનને નિર્વિકલ્પ કરવા માટે સાધકે કઠેર પરિશ્રમ કરવો પડે છે. જુની ટેવ અનુસાર ભટકતા ચંચળ મનને ખેંચીને અંતર્મુખ કરવા માટે દઢ સંક૯૫ શક્તિ અને ખૂબ ધર્યની તેને જરૂર પડે છે. આ અભ્યાસ દરમિયાન મન અને ઈચ્છા શક્તિ વચ્ચે સતત સંઘર્ષ થયા જ કરે છે. સાંસારિક પદાર્થો પ્રત્યેની પિતાની આસક્તિ છોડી દઈ અંતરાત્મા પ્રતિ અભિમુખ થવા માટે મનને ઘણે સમય લાગે છે. ખૂબ પ્રયત્ન કરવા છતાં પણ સાધકને સફળતા ન મળે તે તેને માટે ધ્યાન નિરસ અને કંટાળાજનક બને છે. આવા સંજોગે માં પ્રશ્ન ઉભું થાય છે કે સાધકને ઓછો પરિશ્રમ લાગે એ ધ્યાન કેઈ માર્ગ છે ખરો? સહજ યાનને એક સુલભ ઉપાય અવશ્ય છે અને તે સરળ પણ છે..................૮ * પ્રત્યક્ષગ જેમ ચિતારો ચિતરતે હેય તેમ હળવે હળવે કોઈ આકૃતિનું ચિત્ર હદયપટ પર ચિતરવું, આલેખવું અને અનુભવવું. આ આકૃતિ સ્પષ્ટપણે સાધક દેખતો હોય તેટલી પ્રબળ કલ્પનાથી મનમાં આલેખે અને તેના ઉપર મનને સ્થિર કરી રાખે. આને વિચિંતન પણ કહે છે. 1 x દેડ આત્માથી ભિન્ન છે. દેહ જડ વસ્તુ છે. આમાં કેવળ ચિતન્ય સ્વરૂપ-જ્ઞાન સ્વરૂપ છે. આટલી વાત સામાન્ય રીતે તો સૌ કોઈ જાણે છે. પરંતુ જ્ઞાન શબ્દની સાથે “દઢ પ્રતીત' શબ્દ છે. તો તેનો અર્થ પણ સમજવાનું છે. જ્ઞાન અને પ્રતીતિ જ્યારે સાથે થાય ત્યારે તે જ્ઞાનને અનુભવજ્ઞાન કહેવામાં આવે છે. અનુભવજ્ઞાનનું ફળ વીતરાગપણું છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 1/9 (અરિહંતાદિ શુદ્ધાત્માના ધ્યાનનું સ્વરૂપ) મૂકી:– અરિહંતાદિક શુદ્ધાતમા, તેનું ધ્યાન કરે મહાતમા; કર્મકલંક જિમ દૂરિ જાય, શુદ્ધાતમ દયાને સુખ થાય...૯ ટો :- અરિહંતાદિક પદ તે શુદ્ધાતમા કહી. અરે મહાતમા મહાપુરુષ તેહનું જ ધ્યાન કરે. તિમ (જિમ) સ્વકૃત કર્મને મલ તે અલગે થાઈ. નિરાવરણ શુદ્ધાતમાને પરમ નિરાબાધ સુખ થાઈ તે કહે છઇં... શબ્દાર્થ - શુક્રાતમા........શુદ્ધ આત્મા. મહાતમા.......... હે! મહાત્મા પુરુષે. કર્મકલંક..............કર્મરૂપી મલ. દૂરિ જાય.........હર થઈ જાય-વિખૂટો પડે. ભાવાર્થ:– અરિહંત આદિ પદ તે શુદ્ધાતમા (શુદ્ધાત્મા) છે. હે મહાત્મા પુરુષ! તમે તેનું જ ધ્યાન કરો, જે કરવાથી તમારે કર્મરૂપી મલ દૂર થાય અને શુદ્ધાત્માને ધ્યાનથી તમારો આત્મા નિરાબાધ સુખ પામે...........૯ વિવરણ: તે ઉપાય (સુલભ અને સરળ ઉપાય) તે જગદગુરુ શ્રી અરિહંતદેવની અથવા પંચપરમેષ્ઠિરૂપ ગુરુપંચકની કૃપા અથવા અનુગ્રહ છે–તે શુદ્ધાત્માને ધ્યેય કરવાથી તેમના પ્રભાવે ધ્યાન આપોઆ૫ અને સહજ થાય છે. સાધક જે ભૂમિકા ઉપર હોય ત્યાંથી તેની આધ્યાત્મિક માર્ગે પ્રગતિ થવા માંડે છે. ગુરુકૃપાથી જાગેલી આંતરશક્તિ સાધકના મનને જ્યાં સ્થિર થવાની જરૂર છે ત્યાં સ્થિર કરવામાં મદદ કરે છે અને તેને લીધે સાધક જાતે જ ધ્યાનની પિતાને અનુકૂળ પદ્ધતિ અપનાવે છે અને સુખ પામે છે....૯ 7 Page #123 -------------------------------------------------------------------------- ________________ જળ અને ભગ ઢાળ 1/10 (થાનની સામગ્રી) મૂળ - મન વચન કાયાના યોગ, શુભ શુભ જોડે ન ઈહં ભેગ; વિકથા નિદ્રા નું આહાર, આસનના જય અનેક પ્રકાર...૧૦ ટબો– મન, વચન, કાયાના ગ-વ્યાપાર તે શુભ શુભ ઠામઈ જેડછે. પરોપકાર, પાપદુગંછાદિકઈં જેડઈ પણિ ભેગાદિકનઈ ન વાંછઈ. વિકથા-રાજ, દેશ, ભક્ત, સ્ત્રી પ્રમુખના વિરુદ્ધ કથા પ્રબંધ 1, તથા નિદ્રા, 1, પ્રમાદ 2, તથા આહારના અતિમાત્રતા-અતિ શુદ્ધતા 3, આસન, પદ્માસન, વીરાસનાદિ અનેક પ્રકારના તેહના જય કરઈ અભ્યાસ કરી સાધના કરશું.........૧૦ શબ્દાર્થ ચે...................................વ્યાપાર-પ્રવૃત્તિ. શુભ શુભ જોડે....શુભ પ્રવૃત્તિઓમાં જેડે. હે............. ............ઈ છે. ભેગ.......................પાંચે ઈન્દ્રિયોના વિષયે. વિકથા.... .......ખરાબ કથા, રાજકથા, દેશકથા, ભક્તકથા, સ્ત્રીકથા. ભાવાર્થ : મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓને શુભસ્થાનકે (પરોપકાર, પાપજુગુસા આદિમાં) જોડે પણ પાપસ્થાનકે ન જડે. * મન, વચન, કાયાના પેગ:-મન, વચન અને કાવાના યોગોનું સ્વરૂપ આ પ્રમાણે છે - દારિક ક્રિય અને આહારક શરીરની સાથે મળેલી આત્માની વીર્યપરિતિ-શક્તિવિશેષ તે કાયયોગ છે. દારિકાદિ શરીરના વ્યાપાર વડે બહારથી ખેંચેલા વચનવર્ગના દ્રવ્યના સમૂહની મદદથી ચાલતો જીવનનો વ્યાપાર તે વાગ છે. ઔદારિકાદિ શરીરના વ્યાપાર-ક્રિયા વડે ખેંચેલાં-બહારથી આકર્ષેલાં મનોવાને ચોગ્ય દ્રવ્યોની મદદથી ચાલતા જીવનો વ્યાપાર તે મને યોગ છે. આ સર્વ જ્ઞાનપૂર્વક નિરોધ કરનાર અંતર્મુહૂર્તમાં નિર્વાણ પામે છે. –ધ્યાનદીપિકા પૃ. 242 Page #124 -------------------------------------------------------------------------- ________________ [51] ઢાળ 1/10 ભેગનેપાંચે ઈન્દ્રિયોના વિષયોને ન વાંછે. વિકથા-એટલે ખરાબ કથા-(તે રાજકથા, ભજનકથા, દેશકથા અને સ્ત્રીકથા) નિદ્રા-ઉપલક્ષણથી સઘળા પ્રમાદ, આહાર એટલે આહારની અતિશય લોલુપતા વગેરે ઈચછે નહિં અને અનેક પ્રકારનાં આસનને, વીરા સન, પદ્માસન વગેરેને જય કરે, અર્થાત્ આસનને અભ્યાસ કરી સાધના કરે. વિવરણ - યોગ એટલે આત્માના વીર્ય ગુણનું સ્કુરણ. આત્મામાં સત્તારૂપે રહેલો અનંતવીર્ય રૂપી ગુણ એ ચેગ નથી; પણ જ્યારે તે વ્યવહારમાં આવે છે અથવા ક્રાયમાન થાય છે ત્યારે તે ગની સંજ્ઞા પામે છે. આ સ્કુરણ મન, વચન અને કાયા એ ત્રણ વડે જ થાય છે. એટલે ઉપચારથી તે ત્રણને અથવા ત્રણની પ્રવૃત્તિને “ગ” કહેવામાં આવે છે. ગના દ્રવ્ય અને ભાવથી બે પ્રકારે છે અને તેના પ્રશસ્ત અને અકશરત એવા અનેક ભેદ છે. પ્રશસ્ત ભાવ તથા પ્રશસ્ત દ્રવ્યોગ અહીં અપેક્ષિત છે. આસનજય એ જ ધ્યાનને પ્રથમ પ્રાણ છે. આસન ઉપર જય મેળવવાથી સાધક પિતાના શરીરની હિલચાલ ઉપર કાબુ મેળવી શકે છે અને અડગપણું સાધે છે, તેનાથી ઉપદ્રવ પ્રસંગે અક્ષુબ્ધ રહેવાની વૃત્તિ પ્રગટે છે........૧૦ . Page #125 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 1/11 (ધ્યાનની સામગ્રી-ચાલુ) મૂળ:– એકાંતે અતિપાવન ઠામ, રમ્ય દેશ સુખાસન નહી ઘામ; પટુ ઈન્દ્રિય પણ વિષયવિકાર, નવિ ભાવૈ મનમાં હિ લિગાર...૧૧ ટ:– - વલી એકાત દ્રવ્યથી વિજન પ્રદેશ ભાવથી એકાંત કે ધાદિકે રહિત-અતિ પાવન પ્રદેશ-દ્રવ્યથી શુચિ સ્થાનક ભાવથી પાવન મલિન સંકલ્પઈ રહિત રમ્ય-મનહર પ્રદેશ. દ્રવ્યથી સુખાસન, પદ્માસનાદિ. ભાવથી સુખાસન પર આશા રહિત ઘામ-તાપ. દ્રવ્યથી ઉણ પ્રદેશ, ભાવથી ઘામ-છેષ, મત્સર, ઈર્ષ્યાદિ રહિત. એહવઈ થાનિકઇ પાંચ ઇંદ્રિયની પટુતા-સાવધાનતા સ્વ સ્વ વ્યાપારઈ શુભ જોડવઈ. પણિ ઈન્દ્રિયાઈ વિકાર મનમાં લિગાર માત્ર ભાવ નહીં. કામગાદિકનઈ ન જેડઈ........૧૧ શબ્દાર્થ :- ધ્યાનની સામગ્રી દ્રવ્યથી એકાન્ત................વિજન પ્રદેશ, કોઈ મનુષ્ય, પ્રાણી કે ધાદિ ચાર કષાયથી રહિત ન હોય તે પ્રદેશ. અતિપાવન ઠામ.... પવિત્ર ધામ, શુચિ સ્થાન. મલિન સંકલ્પથી રહિત, શુભ સંક૯પ દશા. સુખાસન...........અનુકૂળ પડે તેવા આસન-પદ્માસનાદિ. પારકાની આશા રહિત દશા. ઘામ..................તાપ, ઉષ્ણ પ્રદેશ. દ્વેષ, મત્સર, ઈર્ષ્યા આદિ. પટુ ઈન્દ્રિય..........પાંચ ઈન્દ્રિયની પટુતા, સાવધાનતા. તે તે ઇન્દ્રિયના શુભ વ્યાપાર જોડાય. રમ્ય......................મનહર. દેશ...............................પ્રદેશ. પણિ...................... પણ. વિષયવિકાર..........પાંચેય ઈન્દ્રિયના વિષયના વિકારે. નવિ ભાવે... ભાવે નહીં, વિચારે નહીં. લિગાર...............જરા પણ. ભાવથી દશા. Page #126 -------------------------------------------------------------------------- ________________ [53] ઢાળ 1/11 ભાવાર્થ:– વિજન પ્રદેશમાં, પવિત્ર સ્થાનમાં, રમણીય પ્રદેશમાં કે પરિતાપ વગરના પ્રદેશમાં, સુખાસન આદિ આસનોના અભ્યાસપૂર્વક ધ્યાતા શુદ્ધ આત્માનું ધ્યાન કરે અને પાંચે ય ઈન્દ્રિયોને સ્વ સ્વ વિષયના શુભ વ્યાપારમાં જોડે જેથી તેને વિકારની વાસના જરાપણુ ઉપસ્થિત થાય નહીં. અથવા ધાદિથી રહિત દશા, મલિન સંકલપિથી રહિત દશા, પારકાની આશાથી રહિત દશા અને દ્વેષ આદિથી રહિત દશા પ્રાપ્ત કરીને ઘાતા કેઈ મને હર પ્રદેશમાં પાંચે ય ઈન્દ્રિયોને શુભ વિષયોના વ્યાપારમાં જોડવાપૂર્વક શુદ્ધ આત્માનું ધ્યાન કરે, પરંતુ વિષનો વિકાર જરા પણ મનમાં આવવા દે નહીં..૧૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 1/12 (ધ્યાતાની ગ્યતા) મૂળ:– ગુર વિનયિ નૈ શ્રત અનુયાય, ગુણપક્ષી ને મનિ નિરમાય; ઔદાસિન્યપર્ણિ ભવભાવ, સે પણિ નવિ ચિત્ત જમાવ...૧૨ ઢબે - હવઈ ધ્યાનને ધરણહારે કે જેઈઈ તે કહઈ છઈ-ગુરુજનને વિનયી, વિનયીભક્તિ બહુમાન પ્રેમવંત જેઈઈ. શ્રત શાસ્ત્રાનુસારી ક્રિયાવાન જેઈઈ. ગુણધર્મ પ્રિયતાદિ ગુણનો પક્ષપાતી જેઈઈ. વલી મનિ નિરમાથી નિઃકપટી-ઉદાસભાઇ સંસારના ભાવ સેવઈ. અતિ ચધતા પણિ નહી. આશ (સોક્તપણિ વિષયાદિ વ્યાપાર ચિત્ત જમાવ કરી ન સેવઈ. વ્યસનરૂપ ન થાઈ....૧૨ શબ્દાર્થ:– ગુરુવિનયી..ગુરુજનોન-વડિલને વિનય (ભક્તિ બહુમાન કે પ્રેમ) કરનારો. શ્રત અનુયાય..શાસ્ત્રને અનુસરનારી ક્રિયા કરવાવાળા. ગુણપક્ષી...................ધર્મપ્રિયતા આદિ ગુણોને પક્ષપાત કરનારો. મનિ નિરમાય...મનથી નિષ્કપટ-કપટ વિનાને. દાસિન્યપણે...ઉદાસીનપણે, રાગદ્વેષ રહિતપણે. ભવભાવ ....સંસારના ભાવને. ચિત્ત જમાવ....મનમાં તેની જમાવટ, આસક્તિ, અતિગૃધ્રતાપણું. ભાવાર્થ - તે ધ્યાતા(૧) ગુરુજનોને વડિલોને-વિનયી હેય એટલે તેમની ભક્તિ બહુમાન કે પ્રેમ કરનારે હેય. (2) શાસ્ત્રને અનુસારે ક્રિયા કરનારો હોય. (3) ધર્મપ્રિયતા આદિ ગુણો તરફ પક્ષપાતવાળે હોય. (4) મનથી નિષ્કપટ હોય, દંભી ન હોય. આ આત્મા સંસારના ભાવોને ઉદાસપણે સેવે એટલે કે તે સંસારને સેવે તે પણ અનાસક્તભાવે સેવે. * સરખાવો: સમ્યગદષ્ટિ છવડે, કરે કુટુંબ પ્રતિપાળ; અંતરથી ન્યારો રહે, જ્યમ ધાવ ખેલાવત બાળ. Page #128 -------------------------------------------------------------------------- ________________ [55] ઢાળ 1/12 વિવરણ: શ્રદ્ધાની સપાનમાલિકામાં સમ્યગ્દષ્ટિ જીવ માટે તત્ત-શ્રદ્ધાન એ પહેલું પાન છે અને તત્ત્વ-સાક્ષાત્કાર એ છેલ્લું સોપાન છે. એ સોપાનમાલિકા દઢ હોય ત્યારે જ યાચિત પુરુષાર્થથી તવને સાક્ષાત્કાર થાય છે. એટલે કે સાધક જીવનમાર્ગમાં ચેતનતત્વને સમાનભાવે અનુભવે છે. અહીં ઉપર્યુક્ત ભાવાર્થમાં ધ્યાતા માટે ચારિત્ર્યલક્ષી જે તો દર્શાવ્યાં તે માત્ર શ્રદ્ધાને વિષય ન બની રહેતાં જીવનમાં વણાઈ જાય છે. આનું જ નામ તત્વ-સાક્ષાત્કાર છે. તે થાય ત્યારે તો શ્રદ્ધા જીવંત બને છે. આવો સાધક સંસારમાં અનાસક્તભાવે રહી શકે છે. થાતાની યોગ્યતા માટે જે ગુણે અહીં દર્શાવ્યા છે તે તે સામાન્ય લક્ષણરૂપ છે, પરંતુ જ્યારે શ્રદ્ધા જીવંત બને અને સાધક સંસારમાં અનાસક્તભાવે રહે ત્યારે તેના ગુણો કેવા હોવા જોઈએ તે પરમેષ્ઠિમંત્રની સાધના માટે ગુણસામગ્રીનું વર્ણન કરતાં પ્રરતુત ગ્રંથની ઢાળ છીની ત્રીજી કડીમાં દર્શાવ્યા છે..........૧૨ Page #129 -------------------------------------------------------------------------- ________________ દાળ 1/13 (ધ્યાતાની યોગ્યતા-ચાલુ) મૂળ:– એહવા ગુણનો સેવી જાય, ધ્યાનકરણને યોગ્ય તે હોય; ચલ પરિણમી ન ધરે ધ્યાન, શુદ્ધાતમનું મ્યું તસ નામ...૧૩ ટબો– એહવા ગુણને જે સેવણહાર હોઈ, તે પુરુષ ધ્યાન કરવાનઈ ગ્ય થાઈ. જેહનું ચલચિત્ત- પરિણામની ચંચલતા હોઈ તે ધ્યાનનઈ ધરી સકઈ નહીજે ચલપરિણામી વિષયી કહ્યા ગુણથી વિપરીત તેહનઈ શુદ્ધાતમનું મ્યું નામ કહી ?........13 શદાર્થ:– સેવી........ ........................... સેવનારો, અંતરાત્માથી ઈછા, સ્પૃહા, રુચિ કે ભાવના રાખનારે. ધ્યાનકરણને........... ..ધ્યાનની પ્રવૃત્તિ કરવાને. ચલ પરિણામ .......... જેના માનસિક પરિણામો ચંચલ હોય તે. શુદ્ધાતમનું મ્યું તસ નામ... શુદ્ધાત્માની તેને વાત કેવી? ભાવાર્થ જે ઉપર દર્શાવેલા ગુણોની ઈચ્છા સેવતે હોય તે ધ્યાનપ્રવૃત્તિને યોગ્ય છે. જેના માનસિક પરિણામે ચલવિચલ હોય, જે વિષયી હોય, કહેલા ગુણેથી વિપરીત હોય તે દયાન ધરી શકે નહીં. તેને વળી શુદ્ધાતમાની વાત કેવી?.........૧૩ * સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિએ યોગદૃષ્ટિસમુચ્ચયમાં શુદ્ધિની તરતમતા પ્રમાણે સંયમની ચાર કોટિ (કક્ષા) દર્શાવી છે. (1) ઇચ્છાયમ, (2) પ્રવૃત્તિયમ, (3) સ્થિરતા (સ્થિરયમ) અને (4) સિદ્ધિયમ આ ચારેય યોગને કડી (13) અને (14) માં વિચાર કર્યો છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 1/14 ( માતા અને ધ્યેય ) મૂળઃ– થિર કરી રાખ્યું જે ઉપયોગ, કરતો તત્વતણે આભોગ; આતમસાર તે ચિત્તમાં ઘરે, ઈણિ વિધિ પરમાતમપદ વરેં..૧૪ ટઓ :- થિર પરિણામ રાખીનઈ જે જ્ઞાનાદિકના ઉપયોગ રાખઇ, અનઈ વલી તત્ત્વાદિકને આગ કહતાં વિરતારને ગવેષી હેઈ. આત્માનો સાર જે કારરૂપ પંચ પરમેષ્ઠી ચિત્તમાં ઘરઈ. ઈમ અભ્યાસ કરતે હતો પરમાતમ પદ પામઈ. 14 શબ્દાર્થ - થિર કરી . સ્થિર પરિણામ રાખીને. ઉપગ .... જ્ઞાન આદિને વ્યાપાર. કરતે..... .... શોધતે. શોધનારો. તત્વતણે આગ .... તવાદિને જ વિસ્તાર - નો ગવેષી–ગવેષણ કરનારો. આતમસાર.... આત્માને સાર - ઋારરૂપ પંચપરમેષ્ટિ ઈણિ વિધિ.. આ પ્રકારે ( અભ્યાસ કરતે ) પરમાતમપદ વરે–પરમાત્મપદ સુધીની સિદ્ધિ મેળવી શકે છે. ભાવાર્થ - જે સાધક આધ્યાત્મિક પરિણામ સ્થિર રાખે અને જ્ઞાન આદિના વ્યાપારપૂર્વક તત્ત્વની વિસ્તારથી ગવેષણ કરે અને આત્માને સાર એટલે પંચપરમેષ્ઠિરૂપ કારનું ધ્યાન કરે તે પરમાત્મપદ (સુધી)ની સિદ્ધિ મેળવી શકે છે...૧૪ + આતમસાર—શ્રી જયશેખરસૂરિ તેમના ત્રિભુવનદીપક પ્રબંધ (પૃ. 48 ) નામની કૃતિમાં પરમાનંદની સિદ્ધિ મેળવવા વિષે આ પ્રકારે જણાવે છે - " એક અક્ષર એક અક્ષર અછઈ ૩ૐકાર, તિણિ અક્ષર થિર થઇ રહેલ પામહ પરમાનદ ...16 Page #131 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 1/15 ( ધ્યેયનું સ્વરૂપ. ) મૂળઃ– તેહનો શાશ્વત અખય ઉ()ોત, પરબ્રહ્મ પરમાતમ જ્યોતિ; સહજાનંદ સદા સુખકંદ, મહાસુખસાગર ગતસવિદંદ...૧૫ ટઃ તેહને પરમાતમાં તે શાશ્વતે દ્રવ્યારર્થે અક્ષયપ્રદેશની અપેક્ષાઈ, ઉદ્યોત નિરાવરણ માટઈ ઉત્કૃષ્ટ જ્ઞાન, બ્રહ્મજતિ અરૂપી. સહજાનંદ સદા સુખકંદ સહજરૂપ અતીન્દ્રિય આનંદમય નિરંતર સુખસમુદ્ર વલી ગયે કઈ સકલ દંદ–સંસારનો કિલેસ...૧૫ શબ્દાર્થ - શાશ્વત .. .... સદાકાળ રહેનારો (દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ. ) અખય .. ... .. અક્ષય (પ્રદેશાર્થિક નયની અપેક્ષાએ ) ઉદ્યોત .... ..... ... નિરાવરણ માટે. પરબ્રહ્મ ... ... .. ઉત્કૃષ્ટ જ્ઞાન ( બ્રહ્માતિની અપેક્ષાએ ) પરમાતમ જ્યોતિ...અરૂપી. સહજાનંદ ... ....... સહજસ્વરૂપ, અતીન્દ્રિય આનંદ. સુખકંદ . સુખના ધામ. મહાસુખસાગર... મહાસુખના સમુદ્ર જેવા. ગતસવિર્દદ.... .... જેમનાં સઘળાં કંકો ચાલ્યાં ગયાં છે તેવા, જેમને સંસારને કલેશ ચાલી ગયો છે તેવા. ભાવાર્થ તે પરમાત્મા કેવા છે તે જણાવે છે. તે– (1) શાશ્વત છે, વ્યાર્થિક નયની અપેક્ષાએ. (2) અક્ષય છે, પ્રદેશાથિક. , , (3) ઉદ્યોત છે, નિરાવરણ હવાથી. (4) પરબ્રહ્મ છે, ઉત્કૃષ્ટ જ્ઞાનના ધણુ હેવાથી. (5) પરમાતમ જોત છે, અરૂપી હેવાથી. (6) સહજાનંદ છે, સહજ સ્વરૂપી હોવાથી. (7) સદા સુખકંદ છે, નિરંતર અતીન્દ્રિય આનંદમય હોવાથી. (8) મહાસુખસાગર છે, અનંત સુખ હોવાથી. (c) ગતસવિદંદ છે, સઘળા ધંધો ચાલ્યા ગયા હોવાથી. Page #132 -------------------------------------------------------------------------- ________________ શોપ Copyણે છે તે છે આતમસાર ષ્કાર Page #133 -------------------------------------------------------------------------- ________________ Page #134 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 1/16 ( ધ્યાનની પ્રાથમિક વિચારણા ) મૂળ - પ્રથમ વિચાર કરે એહ, ભવસુખ દુઃખદાઈ કેહવો; જે પુદગલમ્યું પરિણતિ કરી, તેહ થકી ચ્યારે ગતિ ફિરી..૧૬ બો - - તિહાં ચિત્તમાં પહિલ ઈમ વિચાર કરઈ. ભવ-સંસારનાં સુખ તે સર્વ દુઃખદાઈ છઈ. જે એણઈ આતમાઈ પુલની સંગતિ પરિણતિ કરી, તેહ થકી આરઈ ગતિમાં ફિરવું કહ્યું....૧૬. શબ્દાર્થ - ભવસુખ .... .... સંસારના સુખે. દુઃખદાઈ ... ... દુઃખ આપનારાં પરિણુતિ ..... .... સંગતિ, સેબત, દેરતી. ચારે ગતિ ફરી. ચારેય ગતિમાં પરિભ્રમણ કર્યું. ભાવાર્થ - તે ધ્યાતા પ્રથમ મનમાં એ વિચાર કરે કે સંસારનાં સઘળાં સુખ તે દુઃખ આપનારાં છે. આ આમાએ પુદ્ગલ સાથે સંગતિ કરી તેથી અત્યાર સુધી તેણે ચારે ગતિમાં પરિભ્રમણ કર્યું. વિવરણ: સાધકે પ્રથમ એ વિચાર કરવાનો છે કે આ સંસારનાં સુખે વાસ્તવિક રીતે પરિ. ણામે દુઃખદાયી છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા એ ચારે પ્રકારની ગતિમાં જીવને પરિભ્રમણ કરવું પડે છે, તે આત્માની પુદ્ગલ સાથેની સંગતિનું પરિણામ છે, એટલે કે આત્મા કર્મરૂપ પુગલ સાથે જોડાય તે જ ચાર ગતિમાં તે ફર્યા કરે છે......૧૬. Page #135 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 1/17 ( ધ્યાનની તાત્વિક વિચારણા ) મૂળઃ– છાલી વાટક નાટક ગણું, ક્રોધાદિક દુખ કેતાં ભણું; અનંત જ્ઞાન જે કેવલરૂપ, પરસંગે થયા તેહ વિરૂપ...૧૭. ટબોલ છાલી–બકરી જિમ વાડામાં ઘાલી હુંતી સકલ ભૂમિ પ્રદેશ અવગાહઇ તિમ છણ જીવઈ ચઉદ રાજકરૂપ વાટકઈ ઈમ નાટિક કરતાં અવગાહિઉં છઉં, તિહાં ક્રોધાદિક દુઃખ કેતાં ઈક કહીઈ પિતાનું આમાનું કેવલજ્ઞાન અનંતરૂપ છતું હતું. તેડી પણિ પરકમ્મ સંગથી વિપર્યયરૂપ થયું. જ્ઞાન અજ્ઞાનરૂપ થયું.....૧૭. શદાર્થ - છાલી બકરી. વાટક .... વાડે. કેતાં ભણું. કેટલાં કહું? કેવલરૂ 5.... કેવલજ્ઞાનસ્વરૂપ, પરસગે ... પરની સેબતે, પર એટલે કર્મ, કર્મની સેબતે. વિરૂપ .... વિપર્યયરૂપ, અજ્ઞાનરૂપ. ભાવાર્થ વાડામાં રાખેલી બકરી જેમ સંપૂર્ણ ભૂમિ પ્રદેશને અવગાહે છે, તેમ આ જીવે ચૌદ રાજલોકરૂપી વાડામાં નાટક કરતાં ચૌદેય રાજલકને અવગાહ્યા છે. ત્યાં એણે જે ક્રોધાદિક દુઃખ સહ્યો છે તે કેટલાં ગણાવું? આત્મામાં વિદ્યમાન જે અનંતજ્ઞાન-કેવલજ્ઞાન હતું તે પણ પર (કર્મ)ની સેબતથી વિરૂપ થયું. વિપર્યાયરૂપ થયું એટલે કે તે જ્ઞાન અજ્ઞાનરૂપ થયું. 17. અહીં “અજકુલકેસરી’ ન્યાયના દષ્ટાનથી શ્રી નેમિદાસ સમજાવે છે કે, એક સિંહણનું બચ્ચું (કેસર) બકરીઓના ટોળામાં ઉછેરવામાં આવ્યા પછી કોઈ સિંહની ત્રાડ સાંભળીને બકરીઓની જેમ નાસે છે. પરંતુ જ્યારે તેણે સિંહનું સ્વરૂપ જોયું ત્યારથી તેને ભાન થાય છે કે પોતાનું સ્વરૂપ પણ તેવું જ છે અને તે વિરૂપદશામાંથી સ્વરૂપદશામાં આવે છે. તે પ્રમાણે આમાં પણ કમના બંધનથી વિરૂદશામાં છે એટલે પિતાનું ખરૂં સ્વરૂપ પિછાની શકતો નથી, તેથી તેને તત્વચિંતનની જરૂર રહે છે. અહીં છાલી તે બકરી અને વાટક તે વાડા. છાલીવાટક તે બકરાનું ટોળું અથવા અજકુલ. Page #136 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 1/18 ( ધ્યાનની તાત્તિવક વિચારણા-ચાલુ ) મૂવી - સકલ ઋદ્ધિ સાવરણે જાય, ભાગી બદામ અનંત વિકાય; પુદગલ ખલસંગે દુઃખડામ, મદિરા મેહ થકી ગતમામ...૧૮ ટો - સકલ ઋદ્ધિ જેહની સાવરણઈ કરી ગયા પ્રાય થઈ તિવાર બદામનઈ અનંતમાં ભાગઈ વેચાણે નિગોદ મળે. પુદગલ જે ખલરૂપ દુર્જન તેહના સંગ થકી એ ચેતન દુઃખનું કામ થયું. મેહરૂષ મદિરા થકી ગતમામ–ગતલાજ થયો. જીવ સમાન છ પણિ એક જ્ઞાની એક અજ્ઞાની ઈમ ભેદ પામ્યો...૧૮. શબ્દાર્થ - સાવરણે .. સાવરણામાં, ઝા ડુમાં, વાસીદામાં, કચરામાં. ભાગી... ... ભાગમાં ( અનંતમા ભાગે ) વિકાય... ... વેચાય. ખલસંગે ... દુર્જનની સેબતે દુઃખઠામ ... દુઃખનું ભાજન. મદિરા મેહ. મેહરૂપી મદિરા. ગતમામ ... શરમ વિનાનો, ગતલાજ. ભાવાર્થ - (આત્માની) સઘળી ઋદ્ધિ સાવરણમાં, વાસીદામાં ચાલી ગઈ ( એટલે તે નિર્માલ્ય થયો અને ) ત્યારે તે કુટી બદામના પણ અનંતમા ભાગે વેચાયા. (કારણ કે તે જીવ નિગોદમાં ગયો. ) દુર્જન એવા પુલની સોબતથી આ ચેતન દુ:ખનું ભાજન થયો અને મેહરૂપી મદિરા પીવાથી તે શરમ વિનાને બની ગયો. જીવ સ્વરૂપે બધા સમાન છે. છતાં પણ એક જ્ઞાની અને એક અજ્ઞાની એવા ભેદ પામ્યો. 18. Page #137 -------------------------------------------------------------------------- ________________ [62] ઢાળ 1/18 વિવરણ - જીવ ઉપર કર્મનું આવરણ (ઢાંકણુ ) આવવાથી તેની અનંત ચતુષ્ટયની સઘળી ઋદ્ધિ કુંઠિત થાય છે, તે એટલે સુધી કે જ્યારે જીવ નિગદમાં હોય છે ત્યારે ચલણી નાણાને નાનામાં નાનો ભાગ જે બદામ, તેના અનંતમા ભાગે તે ગણાય છે એટલે કે ફૂટી બદામથી તેની સરખામણ થાય છેકેમકે દુર્જન એવા કર્મરૂપી પુગલોને એને જ્યારથી સંસર્ગ થયો છે ત્યારથી તે ઠેકાણે ઠેકાણે દુઃખ પામે છે. તે આસક્તિ કે રાગરૂપ મદિરા પીને અજ્ઞાન, સંશય અને ભ્રમથી ચકચૂર બને છે. મતલબ કે, બધા જ એક જ સ્વરૂપવાળા હોય છે પરંતુ કમના આવરણભેદના કારણે એક જ્ઞાની કહેવાય છે, જ્યારે બીજો અજ્ઞાની કહેવાય છે. 18. VT) : - Page #138 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 1/19 ( ધ્યાનની તાત્વિક વિચારણ–ચાલુ ) મૂળ - દ્રવ્ય પ્રાણ કરતે ભવ ગ, ભાવ પ્રાણ સંમુખ જવ થયે; જાણો સકલ સભાવ વિભાવ, સત્ય સરૂપ થયે સમભાવ...૧૯ ટો - તે માટઇ ઇન્દ્રિય પ, બલ 3, સાસસાસ 1, આયુ 1, એવં 10 દસવિધ દ્રવ્ય પ્રાણ કરતાં સંસાર વહ્યો. પણિ-ભાવપ્રાણ-જ્ઞાન, દર્શન, સુખ, વીર્યરૂપ તેહ નિરાવરણ કરવાનઈ સનમુખ થયે. હવઈ આતમજ્ઞાને સકલ સ્વભાવ-વિભાવ, સમાધિ-ઉપાધિભાવ જા. તિવારઈ સત્યવરૂપી થયો. અસત્ય ગોબ્રમ મિટ્યો. તિવારે સમભા રહ્યો. જે જ્ઞાન-સ્વભાવ આતમા, જડ સ્વભાવ કર્મ, અદ્વેષ ગુણ નીપન. 19 * સ્વભાવ-વિભાવ:– છ પદાર્થો છે, તે તે પદાર્થો જે જે સ્વરૂપથી સ્પષ્ટ ઓળખાય છે તે સ્વરૂપ તે તે પદાર્થોને સ્વભાવ છે. તેનાથી જુદુ સ્વરૂપ જે તે પદાર્થમાં જણાય છે તેને વિભાવ સ્વભાવ છે. વિભાવ સ્વભાવને કારણે પદાર્થમાં અન્યથાભાવ થાય છે. તેથી તે પદાર્થ તેના મૂળભૂત સ્વભાવમાં ઓળખી શકાતું નથી. જીવ અને પુદગલ એ બેમાં જ આ વિભાવ સ્વભાવ છે. આ વિભાવસ્વભાવને કારણે જીવને વિવિધ ભાવ ભજવતી કમેવગણ વળગે છે અને નવા નવા રૂપો જીવના થાય છે. જે વિભાવ સ્વભાવ ન હોય તો જીવને કમ ઉપાધિ વળગે નહિં. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ ચાર કાવ્યોમાં એવું કાંઈ સ્વરૂપ પરાવર્તન થતું નથી માટે એ ચાર દ્રવ્યોમાં વિભાવ સ્વભાવ નથી. - દ્રવ્યગુણુપર્યાયને રાસ પૃ. 173 જ્ઞાન એ આત્માનું પિતાનું લક્ષણ હોવાથી સ્વ પર વસ્તુનો બોધ થવારૂપ છે. પરંતુ તેમાં ઇષ્ટપણું અને અનિષ્ટપણારૂપ વિભાવ જ પર વસ્તુના સંગથી થયેલ અનાદિ પરંપરાજન્ય અશુદ્ધ પરિણામ છે તે સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે. –જ્ઞાનસાર. પૃ. 42 ક દેવની સજઝાયમાં શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે ગનું અંગ અપ છે પડેલું, સાધન સવિ લહે તેથી વહેલું, લાલન તેથી વહેલું. " યોગ ગુણના પ્રાકટ્રયમાં અષનું સ્થાન પ્રથમ છે. તે માટે Page #139 -------------------------------------------------------------------------- ________________ [64] ઢાળ 1/19 શબ્દાર્થ - દ્રય પ્રાણુ .... .... પાંચ ઈન્દ્રિય, ત્રણ બળ (મન, વચન અને કાયાનું) એક શ્વાસોચ્છવાસ અને એક આયુષ્ય-આ પ્રમાણે દશવિધ પ્રાણ જે દ્રવ્ય પ્રાણ છે તે. ભવ ગયો ... ... સંસાર વીતી ગયા. ભાવ પ્રાણુ ... ... અનંત ચતુષ્ટય ( અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય ) સંમુખ ... ... ... સન્મુખ. સકલ સભાવ વિભાવ. સઘળી વસ્તુના સ્વભાવ અને વિભાવ. સ્વભાવ એ સમાધિરૂપ છે. અને વિભાવ એ ઉપાધિરૂપ છે. સત્યસરૂપ થયે ... સાચા સ્વરૂપને પામેલે-અસત્ય જે ગેભ્રમ અથવા દેહાધ્યાસ હિતે તે મો-ટળ્યો. સમભાવ. .... . અદ્વેષ ગુણ-અરુચિપણને અભાવ. ભાવાર્થ આ જીવને દ્રવ્ય પ્રાણેને ધારણ કરતાં સંસાર વીતી ગયો, પણ જ્યારે તે ભાવ પ્રાણે ( અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અને અનંતવીય) ને પ્રગટ કરવા -ભાવપ્રાણને નિરાવરણ કરવા તત્પર થયે ત્યારે તેણે સઘળી વસ્તુને સ્વભાવ અને વિભાવ જાણ્યા. આઠ ચોગાંગ, આઠ દેષ પરિહાર, આઠ યોગ ગુણનું પ્રાકટ્રય અને તે અંગે મિથ્યાત્વ, સમ્યક્ત્વની વિશેષતા- આ સઘળાને કઠો નીચે પ્રમાણે દર્શાવી શકાય :ચોગાન્ગ દોષ પરિહાર ગગુણ પ્રાક વિશેષતા. યમ અષ નિયમ ઉદ્વેગ જિજ્ઞાસા આસન શુશ્રષા પ્રાણાયામ ઉત્થાન શ્રવણ પ્રત્યાહાર ભ્રાન્તિ બોધ સમ્યક્ત્વ. ધારણ અન્યમુદ્દ મીમાંસા ધ્યાન રુફ (રોગ) પ્રતિપત્તિ સમાધિ આસંગ પ્રવૃત્તિ 3/14 પૃ. 77 5 14/16 પૃ. 94 | ( આ કોઠો ષોડશક 14 અને 16 ના આધારે લખ્યો છે. અને તે યોગદષ્ટિસમુચ્ચય-વિવે છે. બી. એમ. મહેતા | પૃ. 83] ઉપરથી લીધો છે. ) મંદ મિથ્યાત્વ Page #140 -------------------------------------------------------------------------- ________________ [65] ઢાળ 1/19 એટલે કે સમાધિ અને ઉપાધિના ભાવ જાણ્યા, સાચું ભેદજ્ઞાન થયું કે આત્મા જ્ઞાનસવભાવ છે અને કર્મ જડસ્વભાવ છે, એવા દેહાધ્યાસને અસત્યભ્રમ હતો તે ટળ્યો અને સમભાવમાં વર્તવા લાગે ત્યારે અષગુણ પ્રકટ્યો. અષગુણ એટલે અરુચિપણનો અભાવ. વિવરણ: દ્રવ્ય પ્રાણ-ઓછા વત્તા પ્રમાણમાં પ્રાપ્ત કરીને આજ સુધી સંસારમાં, તે તે યોનિમાં રખડ્યા કર્યું એટલે જન્મ-મરણ પ્રાપ્ત કર્યા, પણ હવે ઉચ્ચ જાતિ, સદ્ગુરુ વગેરેની સામગ્રી સાંપડતાં વિભાવદશાનો ખ્યાલ આવ્યો. ત્યારે સાધક આત્માની સ્વભાવદશા જ્ઞાન, દર્શન, સુખ, વય, જેને ભાવપ્રાણ કહેવામાં આવે છે, તે સમજવા તરફ વળે છે. એ કારણે સંસારનાં આ સુખ-દુઃખ પ્રત્યે તેને સમભાવ+ પ્રગટ થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર 19-91 માં પણ કહ્યું છે કે लाभालाभे सुहे दुक्खे जोविए मरणे तहा / समो निंदा-पसंसासु समा माणावमाणओ // અર્થ–આત્માથી મુનિ લાભમાં કે અલાભમાં, સુખમાં કે દુઃખમાં, જીવિતમાં કે પ્રશંસામાં અને માન કે અપમાનમાં સમભાવ રાખે છે. શ્રી આનંદઘનજી મહારાજે તેમના શાંતિનાથ ભગવાનના સ્તવનમાં એ જ ભાવ આ પ્રમાણે ગાય છે * સમભાવ-ચિત અને શરીર ઉભયથી પણ પાપાચરણ થાય નહિં. તે સમયે દુઃખથી ઉઠેગ હતો નથી, સુખમાં પૃહા હોતી નથી, પણ માત્ર કમ વિપાકના જ્ઞાનપૂર્વક સર્વત્ર રાગદ્વેષરહિત થયા તે અહંભાવ કે મમતારહિત “સમભાવ' વિદ્યમાન હોય છે. આવી સ્થિતિવાળા જીવને " સ્થિતપ્રજ્ઞ' કે “સમાહિતસત્ત્વ” પણ કહેવામાં આવે છે. આ જીવ સમતામાં અને સ્થિરતામાં દઢ બની એવો સંસ્કારથી વાસિત થાય છે, કે જેથી એના પ્રભાવે વૈરિઓનું વૈર નિવૃત્ત થાય છે, ક્રમશઃ એના સર્વ આવરણને વિલય થાય છે તથા “પરમતત્ત્વને સાક્ષાત્કાર થાય છે. –પારમાર્થિક લેખસંગ્રહ પૃ. 233 * અષગુણવાસ્તવિક અવગુણુ પ્રગટ થયા બાદ જે અનુષ્ઠાન મુક્તિના ઉદ્દેશથી કરતું હોય અથવા તે જે પરંપરાએ મુક્તિનું કારણ બનતું હોય, તે અનુષ્ઠાનને “તહેતુ અનુષ્ઠાન' કહેવામાં આવે છે. અર્થાત- આત્માની સિદ્ધિને માટે જે ક્રિયા-સદનુષ્ઠાન થાય તેને તહેતુ અનુષ્ઠાન કહેવાય છે. –પારમાર્થિક લેખસંહ પૃ. 220 + શક્તિ છતાં સમતા ધારણ કરે છે. એ સમભાવ એ જ આત્મસ્થિરતા છે. cation International Jain E Page #141 -------------------------------------------------------------------------- ________________ [ 66 ] ઢાળ 1/19 માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણ રે; વંદક નિંદક સમ ગણે, ઈર્યો હોય તું જાણું રે..૯ સર્વ જગતને સમ ગણે, સમ ગણે તૃણ મણિ ભાવ રે; મુક્તિ સંસાર બેલ સમ ગણે, મુણે ભવ જળનિધિ નાવ રે....૧૦ અર્થ-માન અને અપમાનને મનથી એકસરખા ગણે, સુવર્ણ અને પત્થરને સમાન ગણે. વંદન કરનારને અને નિંદા કરનારને સમાન ગણે, એવા પ્રકારને હેય તેમ તું જાણ. (9) જગતના સર્વ જીવોને સમાન ગણે, તૃણ-તણખલાંને તેમ જ મણિને સમાન ગણે. મુક્તિ અને સંસાર બંનેને સમાન ગણે અને ભવને સંસારસમુદ્ર તરવાના નાવ તરીકે જાણે....૧૯. -આનંદઘનજી ચાવીશી. Page #142 -------------------------------------------------------------------------- ________________ દાળ 1/20 ( ધ્યાનનું ફળ ) મૂળ: દેખે નિજ પર કેરાં રૂપ, જિમ નટ નૃત્ય કરે તો ભૂપ; આપ આનંદમાંહિ તે લીન, શાંત સુધારસમાંહિ અદીન. 20 ટબ - તિવારે પિતાનાં પરનાં સમાનરૂપ જાણ્યાં. જિમ રાજા નટા નવાં નવાં રૂપ નાટિક કરતો સામાન્ય પ્રકાર સર્વનઈ દેખાવઈ. આપ રાજા પિતાના આનંદમાં લીન થાઈ યથા ભાવઈ મુજરા લીઇ જિમ આતમા શાંત સુધારસમાંહિ અદીનપણુ વર્ત. જિમ જિમ ગુણ પ્રગટઈં તિમ તિમ સુધારસ વધઈ. સિદ્ધ પરમાતમાં તિમ સર્વ જીવને ભવ નાટક કરતાં દેખે છઈ 20 શબ્દાર્થ:– નિજ પર કેરાં .... ... પિતાનાં અને પરનાં (પારકાં) ભૂપ... . . . રાજ આપ આનંદમાંહિ ... પિતાના આનંદમાં ( સ્વરૂપમણુતામાં ) શાન્તસુધારસમાંહિ ... શાન્ત નામના અમૃતરસમાં. અદીન ... ... ... દીનતા વિનાને, લાચારી વગર. ભાવાર્થ - તે વખતે પિતાનાં અને પરનાં ( સર્વ જીવોનાં ) સ્વરૂપ સમાન છે તે દેખે. જેમ રાજાની આગળ નાટક કરતો નટ સામાન્ય રીતે તે પિતાનું નાટક બધાને બતાવે છે પણ પિતે મનથી તે રાજાને આનંદ થાય એ ભાવનામાં જ લીન હેય તેમ અહીં પણ પોતે પિતાના આત્માના આનંદમાં લીન થાય અને શાંતસુધારસમાં દીનતા રહિતપણે પ્રવર્તે; અર્થાત્ જેમ જેમ આત્મગુણે પ્રકટ થવા માંડે તેમ તેમ શાન્ત સુધારયની વૃદ્ધિ થાય. વિવરણ:– અહીં શુદ્ધ આત્માનું સ્વરૂપ કેવું હોય છે અને તે કેવી રીતે સમભાવમાં વર્તે છે તે દષ્ટાંતથી દર્શાવ્યું છે. રાજા જેમ નાટક જોયા કરે છે અને તેના હૃદયમાં તે બાબત કોઈ ભાવ Page #143 -------------------------------------------------------------------------- ________________ [ 68 ] ઢાળ 1/20 ઉપસ્થિત થતા નથી તેમ શુદ્ધ આત્મા સંસારનું નાટક માથરણ્ય ભાવે નિહાળે છે, તેને રાગ કે દ્વેષ કાંઈ સ્પર્શતા નથી. આ બાબત ઉપાધ્યાય શ્રી વીરવિજય કૃત " દ્વાદશત્રત પૂજા”ની “ફૂલપૂજા”ની ઢાળમાં દર્શાવ્યું છે કે : “એક સમય શિવમંદિર, તે જ્યોત મિલાની માગણી કરતાં “નાટક દુનિયા દેખત, નવિ હેય અભાવ.” એટલે કે સિદ્ધાત્મા સંસારનું દશ્ય નાટક તરીકે નિરખે છે પણ તેથી અભાવ થતું નથી. થાન વડે પરમાત્મા સાથે તલ્લીનતા પ્રાપ્ત કરનારા ચગી જીવનમુક્ત કરતાં જરાયે ઊતરતે નથી. 20. ઉ છ પર ! છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 1/1 (જૈનશાસનમાં ધ્યાન માટે અનેક યોગમાર્ગો) મૂળઃ આ પરૂપ પ્રગટે જિણ હેતિ, તે દાખું ગુજન ધરી હેતિ, જિનશાસનમાંહિ યોગ અનેક, ભાખ્યા શાસ્ત્રમાંહિ સુવિવેક. 21 ટ :-- આપ રૂપ પ્રગટે એહવા જિનશાસનમાં અનેક યોગ જડાવીને વ્યાપાર તે સઘલાઈ ગુરુહિત કરીનઈ દાખઈ છઇં. તે શ્રી જિનશાસનમાં યોગ પ્રવચન શાસ્ત્રમાં શુ ભલાં વિવેક કરી કહ્યાં છે. 21. શબ્દાર્થ - આપપ ... .. પિતાનું સ્વરૂપ. જિણુ હતિ....... ..... જેના યોગે, જે સાધન વડે. ધરી હેતિ ..... .... હિત ધારણ કરીને, હેતપૂર્વક, પ્રેમપૂર્વક. યોગ ... .... મન, વચન, કાયાની પ્રવૃત્તિઓ-એગમાર્ગો. સુવિવેક ...... ... સુંદર વિવેકપૂર્વક. ભાવાર્થ :- જે સાધનો વડે પિતાનું વાસ્તવિક સ્વરૂપ લાધે એવા યોગના માર્ગે જિનશાસનમાં અનેક છે અને તે શાસ્ત્રમાં શુભ વિવેચનપૂર્વક તથા હેય અને ઉપાદેયના વિવેકપૂર્વક કહ્યા છે. અને ગુરુજન-સંત મહાત્માઓ તે સઘળાય યોગમાર્ગોને પ્રેમપૂર્વક હિતબુદ્ધિથી સમજાવે છે. જૈનયોગની અનેક શાખાઓ છે-દર્શનોગ, જ્ઞાનયોગ, ચારિત્રયોગ, તપયોગ, સ્વાધ્યાયોગ, ધ્યાનયોગ, ભાવનાયાગ, ગમનયોગ તથા આતાપનાગ વગેરે.... તે ઉપરાંત, અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય-એ યોગના પાંચ ભેદ છે. -હરિભદ્રસૂરિ. ચરણુકરણનુયોગ અને દ્રવ્યાનુયોગ-આત્માને હિતકર બે યોગ છે. સ્થાન, વ, અર્થ, આલંબન અને અનાલંબન-એ યોગના પાંચ પ્રકાર છે. -હરિભદ્રસૂરિ વેગના બીજા પણ અનેક ભેદ છે. એજ રીતિએ તે તે યોગમાં પ્રવેશ કરવા મિત્રા આદિ આઠ દૃષ્ટિ (શુદ્ધ પરિણામજન્ય વિશેષ બધ ) એ પણ યોગ જ છે. આ યોગોની પ્રાપ્તિનું કારણ તે તે અનુષ્ઠાન છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ [70] ઢાળ 1/1 વિવરણ - નવપદની પૂજામાં મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ જણાવે છે કે “યોગ અસંખ્ય જિનવર કા, નવપદ મુખ્ય તે જાણે રે.” સારાંશ કે મોક્ષ મેળવવા માટે અસંખ્ય યોગો–સાધન છે. પણ તે બધા શાસ્ત્રથી યોગી પુરુષે પણ સર્વ પ્રકારે જાણું શકતા નથી, સ્વાનુભવ દ્વારા નિષ્પન્ન થેગીઓ જાણી શકે છે. છે અનેકવિધ છે, તે તે જીવને અનુકૂળ થાય તે પ્રમાણે વેગના માર્ગો દર્શાવીને સૌને પિતાને આત્મા સ્વરૂપથી લાધે તેવું જિનશાસનમાં સાંપડે છે અને સદ્ગુરુઓ પ્રેમપૂર્વક તેની શિક્ષા આપે છે. 21. થે સામિ” (વાચિક નમસ્કાર) Page #146 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 2/1 ઢાળ બીજી [ ઢાળ : બંગાલાની દેશી. રાગ : કાફી ] (મોક્ષને મૂળ ઉપાય–ધ્યાન. તેનું સ્વરૂપ ) મૂળ:– શિવસુખ પ્રાપણ મૂલ ઉપાય, ધ્યાન કહ્યું છે. જિનવરરાય. સાહિબ સેવિઇ, હરે મનમોહન સાફ ધ્યાનમાંહિ દઈ અશુભ નિદાન, આરીદ્રની કીજ હાનિ. સા...૧ બે શિવસુખ તે મોક્ષસુખ પામવાનઈ મૂલ-પ્રથમ ઉપાય-કારણ શ્રી જિનવરેન્દ્ર ધ્યાન કહિઉ છઈ ધ્યાન તે કેહનઈ કહિઈ? એકાગ્ર ચિંતનને ધ્યાન કહિઈ એહવા સાહિબ સર્વ જીવના નાથ યોગક્ષેમંકરનઈ સેવાઈ. તે ધ્યાન ચાર કહિયાં છે, તેમાંહિ પૂર્વલ્યાં બે અશુભ. અશુભનાં નિદાન-કારણ છઈ. તે કહાં ? આર્તધ્યાન-ઈન્દ્રિય વિષયનું ચિંતન 1, રૌદ્રધ્યાન તે ષકાય જીવનઇ વધચિંતન 2, તેહના ભાવના ચિંતનના ભેદ-પાયા આલંબન-લક્ષણાદિ વિચાર બહુ છઇ તે શાસ્ત્રથી જાણવા, શબ્દાર્થ— શિવમુખ ... ... મોક્ષસુખ. મૂલ ઉપાય ... ... પ્રથમ કારણ. ધ્યાન ... . ..... એકાગ્રચિંતન. સાહિબ .. સર્વ જીના નાથ, ગ અને ક્ષેમને કરનારા. અશુભ નિદાન ... અશુભના કારણ. (આ અને રૌદ્ર ધ્યાન અશુભના કારણ હોવાથી હેય-ત્યાજ્ય છે. ) Page #147 -------------------------------------------------------------------------- ________________ [72] ઢાળ 2/1 ભાવાર્થ - મોક્ષસુખ મેળવવા માટે શ્રી જિનેશ્વરે ધ્યાનને પ્રથમ ઉપાય તરીકે વર્ણવ્યું છે. એકાગ્રપણે ચિંતન અથવા ભાવ ક્રિયા તે સ્થાન છે. આવા સાહેબ કે જેમણે આ ઉપાય દર્શાવ્યું તેમને અને જે સર્વ જીવોના યોગ અને ક્ષેમને કરનારા છે તેમને સેવીએ. ધ્યાન ચાર કહ્યાં છે. તેમાં પ્રથમ બે ધ્યાન અશુભ છે એટલે કે અશુભ ફળનાં કારણ છે. તે (1) આધ્યાન અને (2) રૌદ્રધ્યાન છે. આધ્યાન એટલે ઈન્દ્રિયોના વિષયનું ચિંતન અને રૌદ્રધ્યાન એટલે ષકાય જીના વધનું ચિંતન. આ બને ધ્યાને ત્યાગ કરીએ. વિવરણ - આત્માના જે અધ્યવસાય સ્થિર એટલે વ્યવસ્થિત કે વિષયાનુસાર હોય તે ધ્યાન કહેવાય છે. મોક્ષ મેળવવા માટે ધ્યાન એ પાયારૂપ ઉપાય છે. એ ધ્યાનના ચાર પ્રકારે છે. (1) આd, (2) રૌદ્ર, (3) ધર્મ અને (4) શુકલ, જુઓઃ “તરવાથષિામસૂત્ર“ આર્જ-રૌદ્ર-ધર્મ-સુકન્ઝાનિ ! જે તૂ II " તેમાં પહેલાંના બે આર્તધ્યાન (એટલે જેમાં ઈન્દ્રિયોના વિષયનું ચિંતન કરાય તે. ) અને રૌદ્રધ્યાન (એટલે જેમાં શકાય જીવન વધ-બંધનને વિચાર કરાય છે. ) આ બને ધ્યાન અશુભ ફળ આપનારાં છે, તેથી તેને સર્વ પ્રથમ ત્યાગ કરે..૧ * યોગ એટલે અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ. ક્ષેમ એટલે પ્રાપ્તનું રક્ષણ. શ્રી જિનવરેન્દ્રો અપ્રાપ્ત ગુણની પ્રાપ્તિ કરાવે છે અને પ્રાપ્ત ગુણનું રક્ષણ કરે છે. માટે તે “યોગ-ક્ષેમકર' છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ હાળ 2/2 ( ધર્મધ્યાનથી નિર્વિકલ્પ ગુણ ઉપજે. ) મૂળઃ– ધર્મશુકલ દોય ધ્યાન પ્રધાન, ઉત્તરોત્તર ગુણધર અનિદાન સારુ ધર્મધ્યાનથી આર્તરૌદ્ર જાય, નિર્વિકલ્પ ગુણ તેહથી સધાય.સા.-૨ ટ - હવઈ છેલ્લાં 2 ધ્યાન પ્રધાન ઈ. ધમ ધ્યાન તે સરાગચારિત્રીનઈ સકામ નિજ રા હેતુ? શુકલધ્યાન તે આત્માને નિરાવરણું થાવાનું. હેડ(ત)ઍ 2 ઉત્તર ઉત્તર પ્રધાન ગુણધારક અનઈ સંસારના કારણે નહીં. ધર્મસ્થાન આવ્યાથી આ 1, રૌદ્ર 2, બિહું જાઇ. નર તિરિ ગતિ મૂલ નિદાન એ ધ્યાનથી ટલઇ. ધર્મધ્યાનથી નિવિક૯૫ ગુણ ઉપજે. બેધિબીજ સુલભ થાઈ, માઠા સંક૯૫ ન ઉપજઈ...૨ શબ્દાર્થ - ધર્મ (ધ્યાન)* ..... શ્રતધર્મ અને ચારિત્રધર્મને અનુસરતું ધ્યાન. શુકલ (ધ્યાન) .. આઠેય પ્રકારના કર્મમલને દૂર કરનાર ધ્યાન. પ્રધાન ... ... ... શ્રેષ્ઠ. ઉત્તરોત્તર ... ... આગળ આગળના ગણધર ....... ...... --- ગુણના ધારક. અનિદાન.... ..... .... કારણભૂત નહીં. (સંસારના કારણ નથી. ) * ઘ– વરઘુરા-ઘમો વસ્તુને સ્વભાવ તે ધર્મ છે. આત્મા એક વસ્તુ છે, તેથી આત્માનો સ્વભાવ તે આત્મધર્મ કહેવાય છે. તે સંબંધી ધ્યાન, વિચારણા તે ધર્મધ્યાન કહેવાય છે. આત્મસ્વરૂપમાં પ્રવેશ કર્યા કે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે જે જે વિચારો કરવા, જે જે નિર્ણય કરવા, મન ઉપર તે તે સ્વભાવને લગતા સંસ્કારો પાડવા તે ધર્મધ્યાન છે. સારાંશ કે સત્યની ગષણામાં ચેતના પરિણત થાય તેની જે એકાગ્રતા-એ ધમ ધ્યાન કહેવાય છે. ધર્મધ્યાન માટે અનુકૂળતા પ્રમાણે એ વિચાર કરવાથી કે મન આદિનો રોધ કરવાથી સ્વાસ્થપણું-નિશ્ચલપણું પમાય, તો તે તે વખતે ઉપયોગ કરવાનો છે. શુકલધ્યાનમાં મન આદિના નિગ્રહનો ક્રમ છે. શુકલધ્યાન-ચેતનાની સહજ ( ઉપાધિ રહિત ) પરિણતિ તે શુકલધ્યાન કહેવાય છે. શુકલધ્યાન-શુકલ એટલે શુદ્ધ, નિર્મલ–વિભાવ આલંબન વિના, તન્મયરૂપે આત્મસ્વરૂપનો વિચાર. 10 Page #149 -------------------------------------------------------------------------- ________________ [ 74 ] ઢાળ 2/2 નિવિકલ૫ ગુણ ... સંકલ્પ વિક૯૫ રહિત દશા. (વિક૯૫ એટલે શબ્દ, અર્થ અને જ્ઞાનને પરસ્પર ભેદ હોવા છતાં તેમાં અભેદબુદ્ધિ થાય તે. નિર્વિકલ્પજ્ઞાન તે ભેદબુદ્ધિ બરાબર સમજાય તેવું શાસ્ત્રજ્ઞાન, અથવા શ્રુતજ્ઞાન. -માનસિક વૃત્તિઓને સંપૂર્ણ નિરોધ. જેને શુદ્ધ ઉપયોગ કહે છે. ભાવાર્થ ચાર ધ્યાને પિકી છેલ્લાં બે ધ્યાન (1 ધર્મધ્યાન અને 2 શુકલધ્યાન) શ્રેષ્ઠ છે. ધર્મધ્યાનઃ સરાગચારિત્રીને હોય અને તે સકામ નિજેરાનું કારણ છે. ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધીમાં જે ભાવચારિત્ર હોય છે તે સરાગ સંયમ અથવા સરાગ ચારિત્ર કહેવાય છે. શુકલધ્યાન તે આત્માને કર્મના આવરણેથી રહિત થવામાં કારણ છે. અને તે શ્રેણિપર ચઢેલા મહામુનિને હેય. આ બે ધ્યાનમાં ચડ્યું તે ત્રીજાથી વિશેષ (ચઢીયાતા) ગુણનું ધારક છે. અને તે (બને) સંસારના કારણભૂત નથી. ધર્મધ્યાન આત્મામાં પ્રગટ થતાં નીચે મુજબની સ્થિતિ થાય - (1) Fઆર્તધ્યાન અને રૌદ્રધ્યાન ચાલ્યાં જાય. (2) નારકી અને તિર્યંચગતિનું મૂળ કારણ તેનાથી ટળે. (3) સંકલ્પ વિકલ્પ રહિત દશા પ્રગટે, એટલે કે નિવિક૯પ ગુણ ઉત્પન્ન થાય. () બધિબીજ ભવાન્તરમાં સુલભ થાય, અને (૫અશુભ સંકલ્પ ઉત્પન્ન થાય નહીં...૨ વિવરણ: - ધાર્મિક વિષયનું ચિંતન તે “ધર્મધ્યાન” અને આત્માના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન તે શુકલધ્યાન” એ બને-ધર્મ અને શુકલધ્યાન મોક્ષસુખની પ્રાપ્તિના મૂળ ઉપાય છે. ધર્મ ધ્યાન કરતાં શુકલધ્યાન વિશેષ ગુણવાળું છે; પરંતુ શુકલધ્યાન અમુક અસાધારણ બાંધાવાળા તથા “પૂર્વ” નામનાં શાસ્ત્રો જાણનારને જ સંભવી શકે છે. તે ધ્યાન વડે જ સીધો કર્મનો ક્ષય થતાં મોક્ષ પ્રાપ્ત થાય છે. સર્વત્ર સમબુદ્ધિ પ્રાપ્ત થઈ હોય તેવા યેગી જ ધ્યાન કરી શકે છે અને ધ્યાનથી જ તેવી સમબુદ્ધિ પ્રાપ્ત થાય છે, તેથી તે અને અન્યનાં કારણ છે...૨ સ્થાવતુ ઘર્મદાન[... + વાઘાનિસાનં શુટ... –પો, ર, ક આર્તધ્યાનની હાજરીમાં આયુષ્યને બંધ પડે તો તિર્યંચગતિનો પડે. * રૌદ્રધ્યાનની હાજરીમાં આયુષ્યનો બંધ પડે તો નરક ગતિને પડે. જ સમતાની સાધના વગર ધ્યાન કરાય તે કેરી વિડંબના છે. -o. શા. 4/112 Page #150 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 2/3 ( દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક ચિંતન તે શુકલધ્યાન ) મૂળ: શુદ્ધ દ્રવ્ય ગુણ પજવ જેહ, શુકલધ્યાન છે તેનું ગેહ. સાવ ધર્મધ્યાન છે તેનું હેતુ, શુકલધ્યાન મહ૫ન કેતુ. સા...૩ અનઈ દ્રવ્ય-ગુણપર્યાયાત્મક નિત્યાનિત્યાત્મકશિ વસ્તુ સ્વભાવ ચિંતન. તેહનું ઘર તે શુકલધ્યાન. મૃતધર પૂર્વધર શ્રેણિગત સાધુનઈ હોઈ. તે માટે ધર્મધ્યાન તે શુકલધ્યાનનું હેતુ છે. અનઈ શુકલધ્યાનથી મેહ જીતીઇ. એનાં પણિ થાવાનાં લક્ષણ આલંબન પાયા ઉપાય અનેક છઈ ભેદ જેહના આવશ્યકનિર્યુક્તિ પ્રમુખ ગ્રન્થ મળે કહિયા છઈ....૩ શબ્દાર્થ - શુદ્ધ દ્રવ્યગુણ પજવ–કેવળ દ્રવ્ય, ગુણ અને પર્યાયને વિચાર. * દ્રવ્યગુણ પૂજજવ-આત્માને હિતકર બે યોગ છે–૧ ચરણકરણાનુયોગ અને 2 કયાનુયોગ. શુદ્ધ આહારપાણી વાપરવા, ઉત્કૃષ્ટ ક્રિયાકાંડની સાધના કરવી, વિવિધ તપશ્ચર્યા કરવી ઇત્યાદિ ચરણકરણાનુયોગ અને આત્મ-લક્ષ્ય ચૂક્યા વગર પદ્રવ્યની સૂક્ષ્મ ચિંતવના કરવી એ દ્રવ્યાનુયોગ છે. પ્રથમ યોગ સાધન છે અને બીજે સાધ્ય છે. આત્મ-દ્રવ્ય-ગુણ-પર્યાય ભેદની ચિતવના એ શુકલધ્યાનનો પ્રથમ પાયો છે, અને તેના અભેદની ચિંતવના એ બીજો પાયો છે. આવશ્યકારિરૂપ બાહ્યગ છે, સમય પરિજ્ઞાન તે અંતરંગ ક્રિયા-કવ્યાનુયોગ છે. દ્રવ્યાદિ જ્ઞાન જ શુકલધ્યાનધારાએ મેક્ષિકારણ માટે ઉપાદેય છે. ગુણ અને પર્યાયનું જે પાત્ર અને ત્રણેય કાળમાં એકરૂપ તે દ્રવ્ય કહેવાય છે. આત્મા એ દ્રવ્ય છે. તેમાં જ્ઞાનાદિ ગુણપર્યા રહે છે. તે ત્રણેય કાળમાં એકરૂપ છે. ચેતન મટીને જડ થતો નથી. પુગલ એ દ્રવ્ય છે. તેમાં રૂપાદિ ગુણપ રહે છે. ત્રણેય કાળમાં પુદ્ગલ યુગલસ્વરૂપ જ રહે છે. તે જડ મટીને ચેતનરૂ૫ થતા નથી. મૂળભૂત દ્રવ્યો જે આત્મા, પુદગલ, ધર્મારિતકાય, અધર્મારિતકાય, આકાશાસ્તિકાય અને કાળ છે, તેમાં અનુક્રમે ઉપયોગ ગુણ, ગ્રહણગુણ, ગતિકારણુતા, રિતિકારણુતા, અવગાહનકારણુતા અને વર્તમાનકારતા એ સતત રહેતા ગુણ છે. નર-નારકાદિ છવના પર્યાય છે. રૂપરસાદિના પરાવતને એ પુદ્ગલના પર્યાયો છે. (ચાલુ પૃ. 76) Page #151 -------------------------------------------------------------------------- ________________ [76] ઢાળ 2/3 જેહ.... ..........જે. તેહનું...... તેનું. ગેહ....................ઘર, સ્થાન. હેતુ ...........કારણ. મહ જીપન કેતુ...મોહને જીતવામાં નિશાન, મેહ જીતવામાં નિશાનડેકારૂપ; મહની સેના જીતવાને ઉપાય. ભાવાર્થ - દ્રવ્ય, ગુણ અને પર્યાયવરૂપ વસ્તુનું નિત્ય અનિત્યપણે ચિંતન કરવું તેનું સ્થાન તે શુકલધ્યાન છે. શ્રતધર એવા જે મુનિ શ્રેણિગત (ક્ષપકશ્રેણિ કે ઉપશમ શ્રેણિમાં વર્તતા) હોય તેમને શુકલધ્યાન સંભવિત છે. અને તેનું કારણ ધર્મધ્યાન છે. તેનાથી મેહ છતાય છે. મેહને જીતવામાં તે નિશાનડંકાનું કામ કરે છે. (પાદનોંધ પૃ. 75 ના ચાલુ) જેમ મોતીની માળામાં દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણને વિચાર આ પ્રમાણે કરી શકાય. મોતીની માળા એ સામાન્ય છે, માટે એ દ્રવ્ય છે, તેમાં તે તે મોતી એ વિશેષ છે માટે પર્યાય. માળામાં ઉજજવલતા એ ગુણ છે, કારણ કે એ પણ વિશેષ છે. અહીં એ વાત ખાસ લક્ષ્યમાં રાખવાની છે કે, ઉપર જણાથી એ દ્રવ્ય-પર્યાય સાપેક્ષભાવે છે. સેંકડો માળાઓમાં આ માળા મોતીની છે, આ પ્રમાણે માળાને વિશેષિત મોતી કરે છે-માળા તે સામાન્ય રહે છે. માટે ખેતી વિશેષ છે. ખેતી વિશેષ હોવાને કારણે પર્યાય છે, ને માળા સામાન્ય હોવાને કારણે દ્રવ્ય છે. આ અપેક્ષાને બદલે જો મોતીની અનેક વસ્તુઓ હાય-જેમકે માળા, વલય, કર્ણફૂલ, મુદ્રિકા આદિ તે તે સર્વમાં મેતી સામાન્ય રહે છે ને તે ભૂષણે વિશેષ બને છે એવી અપેક્ષા હોય ત્યારે એ મેતી દ્રવ્ય ગણાય છે અને માળા-વલય વગેરે પર્યાય ગણાય છે. ગુણ તરીકે ઉજજવલતા તે બને અપેક્ષામાં સમાન છે. -દ્રવ્યગુણપર્યાયને રાસ પૃ. 11. * ધર્મધ્યાન કરવાની અમુક મર્યાદાઓ છે, તે સંબંધી બાર ધારાનો વિચાર કરાય છે. તે આ પ્રકારે - 1. ભાવના-જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્યની પ્રદેશ-એકાન્ત પ્રદેશ. કાલ-મનને સમાધાન પ્રાપ્ત થાય ત્યારે જે હોય તે કાલ. આસન-શરીરની અવસ્થિતિને નિયમ નથી. આલંબન-વાયના, પૂછના, પરાવર્તના, અનુપ્રેક્ષા. ક્રમ-શરીર, વાણીની ગુપ્તિ પછી મનની ગુપ્તિ. (ચાલુ પૃ. 77) Page #152 -------------------------------------------------------------------------- ________________ [77 ] ઢાળ 2/3 શુકલધ્યાનની પ્રાપ્તિનાં (1) લક્ષણ (2) આલંબન અથવા પાયા અને (3) ઉપાય આદિ અનેક ભેદે આવશ્યકનિર્યુક્તિ વગેરે ગ્રન્થમાં કહ્યા છે...૩ વિવરણ - પ્રત્યેક પદાર્થ દ્રવ્ય અને પર્યાયાત્મક હોય છે. અર્થાત્ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયોની અપેક્ષાએ અનિત્ય છે. દરેક પદાર્થમાં બે અંશ હોય છે. એક અંશ ત્રિકાલ શાશ્વત અને બીજો અંશ અશાશ્વત છે. શાશ્વત અંશના કારણે દરેક વસ્તુ ધ્રૌવ્યાત્મક-નિત્ય અને અશાશ્વત અંશના કારણે ઉત્પાદવ્યયશીલ-અનિત્ય ગણાય છે. આ બન્ને દષ્ટિએ વિચાર કરવાથી વસ્તુનું પૂર્ણ અને યથાર્થ સ્વરૂપ જાણી શકાય છે. એ પ્રકારે પદાર્થના સ્વભાવનું ચિંતન કરવું તે જ “શુકલધ્યાન” કહેવાય છે. આવું શુકલધ્યાન કરી શકાય એ માટે પ્રથમ ધર્મધ્યાનથી શરૂઆત થાય છે. કેમકે ધર્મધ્યાન પૂર્વક જ શુકલધ્યાન પ્રગટે છે. અને તે શુકલધ્યાન આવે તે દર્શનમેહનીય અને ચારિત્રમેહનીય કર્મો સર્વથા છેદાઈ જતાં મુક્તિનો માર્ગ સરળ બને છે..૩ CY. 1a. = (પાદોંધ પૃ. 76 ની ચાલુ) 7. ધ્યેય-અરિહંત ભગવંત અથવા ૐકાર. 8. ધ્યાતા-અપ્રમાદી, નિર્મોહી, જ્ઞાનસંપન્ન. અનુપ્રેક્ષા-સ્વાધ્યાય અને ધ્યાન ( વારાફરતી ) 10. લેહ્યા–તેજે, પદ્મ અને શુકલ. 11. લિંગ-આજ્ઞારચિ, નિસગરુચિ, સૂત્રરુચિ, અવગાઢચિ. 12. ફલ–આત્મજ્ઞાન ( શુદ્ધાત્માનું જ્ઞાન. ) -ધ્યાનશતક શ્લો. 28-29. * ચારિત્રમેહનીય કર્મ–આત્મષરૂપને આવરણ કરે તે દર્શનમોહનીય કર્મ છે. આત્મસ્થિરતાને આવરણ કરે તે ચારિત્રમોહનીય કમ છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 2/4 ( શુદ્ધિ ક્રિયાયુક્ત આત્મવીર્ય તે શુકલધ્યાન ) મૂળ:– શુદ્ધક્રિયા જે અનુભવસાર, ધર્મધ્યાન છે તાસ આધાર. સા. આતમવીર્ય જે અનુભવ ધાર, શુકલ તે કર્મ છેદન કુડાર. સા...૪ ટઓ:– અનુભવજ્ઞાનઈ કરી જે શુદ્ધ ક્રિયા ત્રિકરણગઈ જે સાર પ્રધાન છઈ ધર્મધ્યાન તે તેહનું આધાર છઈ. એતલઈ જ્ઞાન, દર્શનશૂન્ય તે ધર્મધ્યાન ન હોઈ. અનુભવજ્ઞાન ક્રિયાયુક્ત આત્માને વીર્ય જોડવું તે તીખી થાર સમાન. શુક્લધ્યાન તે કર્મ છેદવાને કુઠાર કહતાં કુઠાર સરિખું છઈ. શુકલ તે સ્યું આમાનઈ ઉજવલ કરઈ. અથવા મેહાદિક કર્મનું શુકલ દાણ શુદ્ધ કરી ન્યાયગત થાઈ...૪ શબ્દાર્થ :- શુક્રક્રિયા .... સમ્યગદષ્ટિવાળાની ત્રિકરણ યેગે જે ક્રિયા થાય તે. અનુભવ ... જ્ઞાન અને ક્રિયા સાથે આત્માનું વીર્ય જોડવું તે તીખી ધાર સમાન. તરવજ્ઞાનના ચિંતનથી આત્મજ્ઞાનના પ્રકાશરૂપ ગુણને ઉદ્ભવ. સાર ... - પ્રધાન; મુખ્યતાએ. ભાવાર્થ - આત્મજ્ઞાનના પ્રકાશરૂપે કે તેની મુખ્યતાએ ત્રિરોગે જે શુદ્રક્રિયા કરાય તેને આધાર ધર્મધ્યાન છે એટલે જ્ઞાન અને દર્શનથી રહિત ધર્મધ્યાન ન હોય. અનુભવ-એ જ્ઞાન અને ક્રિયા સાથે આત્માનું વીર્ય જોડાય તે તે તીકણ ધાર રૂપે કાર્ય કરે છે. અને ગુલદયાન તે કર્મોને છેદવા માટે કુહાડા જેવું છે. શુકલધ્યાન આત્માને ઉજજવલ કરે છે. અથવા મેહાદિક કર્મોનું શુક એટલે દાણ* ચૂકવી આત્મા સુખથી વર્તી શકે છે. * દાણુ–અહીં ટબાકારે શુકલનું પરિવર્તન શુલ્ક કરી તેને દાણ અર્થે નિયુક્તિધારા ઘટાગ્યો છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ [6] ઢાળ 2/4 ભાવાર્થ - અનુભવજ્ઞાન એટલે સમ્યગદર્શન તે શુદ્ધ ક્રિયારૂપ ચારિત્રમાં ત્યારે જ પરિણમે છે કે જ્યારે સમ્યગદષ્ટિ પુરુષ ધર્મધ્યાનનું અવલંબન કરે. પણ એ જ અનુભવ જ્ઞાન સાથે આત્મવીર્યનું કુરણ થાય ત્યારે તે શુકલધ્યાન પ્રગટે છે. અને તે સઘળાં કર્મોને નિમૂળ કરવાને સમર્થ બને છે..૪ + સમ્યગ્દર્શન-સમ્યગદર્શનની પ્રાપ્તિ થઈ હોય તેને સમ્યજ્ઞાન અને સમ્યક્ઝારિત્ર હોય અથવા ન પણ હોય. સમ્યમ્ જ્ઞાનની જેને પ્રાપ્તિ થઈ હોય તેને સમ્યગ્દર્શન અવશ્ય હોય છે પરંતુ સમ્યફ ચારિત્ર હોય અથવા ન પણ હોય. સમ્યફ ચારિત્રની પ્રાપ્તિમાં પૂર્વના બે અવશ્ય હોય છે. સારાંશ એ છે કે ઉત્તરગુણની પ્રાપ્તિમાં પૂર્વગુણુ અવશ્ય હેય જ્યારે પૂર્વગુણની પ્રાપ્તિમાં ઉત્તરગુણની ભજના સમજવી. સમ્યગ્દર્શન શબ્દમાં સમ્યગનો અર્થ " પ્રશંસનીય,' " પૂજનીય,” " સર્વ દ્રવ્યભાવ વ્યાપક,’ યથાર્થ, " અવ્યભિચારી,” “સંગત, ' વગેરે થઈ શકે. મુક્તિનો હેતુ હોવાથી તે “પ્રશંસનીય' છે, સવ નય સાપેક્ષ હેવાથી “સંગત’ છે. વગેરે વયમેવ સમજી લેવું. દર્શન જે એકાંગી સચિવાળું હોય તે સમ્યગજ્ઞાન ન હોય, પરંતુ જે તે અનેકાન્ત સચિવાળું હોય તે સમ્યગજ્ઞાન અવશ્ય હોય. Page #155 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 2/5 ( ધર્મધ્યાનના પ્રશસ્ત ગુણે ) મૂળી:– મૈત્રી પ્રમોદ કરણા માયથ્ય, ધર્મધ્યાને હોઈ એ ચઉ સ્વસ્થ. સા અરિહંતાદિક શરણાં સ્માર, કાલ અનાદિના જાસ પ્રચાર. સા. 5 ટબો: મૈત્રી પરહિતચિંતા 1, પ્રમાદ, ગુણી પરસુખને દેખી હઇ 2, કરુણા દ્રવ્યભાવે દુઃખી જનની દયા 3, માધ્યચ્યું તે કૂરકર્મી આત્મપ્રશંસી ગુણિ દ્વેષી તેહનઈ વિષઈ અચાલઈ ઉપેક્ષા 4, ધર્મધ્યાનમાં એ ગ્યારઈ ભાવના ગુણ પ્રશસ્ત-ભલાં હોઈ. અરિહંત ઘાતી કર્મ રહિત (1), સિદ્ધ 8 કર્મ રહિત (2), સાધુ પચાશ રહિત (3), ધર્મ 18 પાપસ્થાનક રહિત એ શ્યારના શરણુ કરણપણું-એ ચ્યાર શરણને અનાદિપણુઈ જેહના પ્રચાર. જિહાં સંસાર આદિ (અનાદિ) તિહાં પણિ અનાદિ છ...૫ શબ્દાર્થ - ધર્મધ્યાનૈ . ધર્મધ્યાનથી ચઉ .... ચાર સ્વસ્થ * * પ્રશસ્ત, ભલાં. ભાવાર્થ : (1) મૈત્રી, (પરના હિતની ચિતા ) (2) પ્રમાદ, (ગુણીજનને કે પારકાં સુખ દેખીને હર્ષ પ્રગટાવ.) (3) કરુણા, (દ્રવ્ય અને ભાવથી દુખિત પ્રાણનું દુઃખ નાશ કરવાની વૃત્તિ) (4) માધ્યશ્મ (કૂરકમ કરનારા, સ્વ પ્રશંસા કરનારા, તથા ગુણિજનના દ્વેષીઓ ઉપર જે બીજે કઈ ઉપાય ન કારગત નીવડે તે ઉપેક્ષા) આ ચાર ભાવના ધર્મધ્યાન કરવામાં પ્રશસ્ત-ગુણકારી માની છે અને અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ આ ચારનાં શરણે અનાદિકાલથી પ્રચારમાં છે. જેમ સંસાર અનાદિ છે તેમ અરિહંત, સિદ્ધ, સાધુ (નિર્ગથ) અને ધર્મ (જિનપ્રણીત ) પણ અનાદિ છે...૫ વિવરણ - ધ્યાનનો પ્રવાહ ચાલુ રાખવા માટે મૈત્રી આદિ ચાર ભાવનાઓ અથવા અરિહંત આદિ ચાર શરણને સ્વીકાર કરવો જોઈએ. સગુણાના અભ્યાસ અર્થે ચાર ભાવનાઓ છે. પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીભાવ, ગુણાધિકે પ્રત્યે પ્રમોદભાવ, આદરભાવ, પીડિત અગર દુઃખી પ્રત્યે કરુણાભાવ અને સંસ્કારહીન પ્રત્યે તટસ્થભાવ કેળવવાની જરૂર છે. * परहितचिन्ता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा परसुखतुष्टिर्मुदिता, परदोषोंपेक्षणमुपेक्षा // 1 // Page #156 -------------------------------------------------------------------------- ________________ [1]. વાળ 2/5 જુઓ “તરવાથઘિકામસૂત્ર” - " મૈત્રી-નો- વખ્ય-માધ્યમથ્યાનિ સવ-ગુણાધિવિચરૂચનાનાવિનેg | " અ૦ 7, સૂ) 6. આવા પ્રકારના એટલે સ્થિર ધર્મધ્યાનમાં માનવીએ જે શરણે અનાદિકાલથી પ્રચાર પામેલ છે તેને સ્વીકાર કરવો જોઈએ. તે આ પ્રમાણે છે - (1) અરિહંત એટલે ચાર ઘાતી કર્મોથી રહિત હોય અને અષ્ટપ્રાતિહાર્ય આદિ પૂજાને માટે જે યોગ્ય હોય તે. (2) સિદ્ધ એટલે ચાર ઘાતી અને ચાર અઘાતી કર્મોથી રહિત હોય તે. (3) સાધુ એટલે પાંચ પ્રકારના આસ્રવથી રહિત હોય તે, અને (4) ધર્મ એટલે અઢાર પાપસ્થાનકોથી રહિત હોય તેવી ક્રિયા. ઉપર્યુક્ત લક્ષણવાળા અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ-એ ચતુર શરણના વિચાર દ્વારા ધમયાન સ્થિર અને ઉજજવળ થાય છે...૫ * ચતુદશરણુ-મહિમા. હે વીતરાગ ! હે સર્વજ્ઞ ! હે ઇન્દ્રપૂજ્ય ! યથાર્થ વાણીવાળા ! પ્રાણીમાત્રના ગુરુ ! હે અરિહંત પ્રભુ ! તમને નમસ્કાર થાઓ. જે ભગવંતે આ પ્રમાણે કહ્યું છે - જીવ અનાદિ છે, તેને સં'માર પણ અનાદિ છે. તે સંસાર કર્મના ચોગથી ઉપજેલ છે. વળી તે સંસાર દુઃખરૂપ છે. દુઃખફલક છે, દુઃખની પરંપરાવાળો છે, એનો નાશ શુદ્ધ ધર્મથી થાય છે. (2) - તે શુદ્ધધર્મ પાપ (મોહ) કર્મના અપગમ (ક્ષયોપશમ)થી પ્રાપ્ત થાય છે, અને પાપ (મોહનીય) ને અપગમ તથાભવ્યત્વ આદિન વિપાકથી થાય છે. ચતુર શરણ રવીકાર, દુષ્કતની ગહ અને સુકૃતની અનમેદના આ ત્રણ તથાભવ્યાદિના વિપકનું કારણ છે. ને કલ્યાણકામી આત્માએ રોજ શ્રેષ્ઠ ચતુદશરણાદિનો વીકાર સંકલેશ ( ચિત્તની વ્યાકુલતા ) વખતે વારંવાર અને સામાન્યથી યાજજીવ ત્રણ સંધ્યાએ કર જોઈએ. ઉત્તમ પુણ્યશાળી, ત્રણ જગતના ગુરુ, રાગ, દ્વેષ, મેહ જેમના ક્ષીણ થઈ ગયા છે, અચિંત્ય ચિંતામણિ જેવા, ભવસમુદ્રમાં વહાણસમા, શરણ લેવા લાયક શ્રી અરિહંત ભગવંત મારા શરણરૂપ થાઓ. - 3, 4, 5, 6. જન્મ-મરણ જેમના ક્ષીણ થઈ ગયા છે. કમના કલંકથી રહિત, પીડા રહિત, સમસ્ત પદાર્થના જ્ઞાનદર્શનથી સહિત, મુક્તિ માં વિરાજમાન, નિરુપમ સુખવાળા, કૃતકૃત્ય અને સર્વ રીતે શરણ લેવા લાયક શ્રી સિદ્ધભગવંતે સદા શરણરૂપ થાઓ. | 7-8 ! શાંત અને ગંભીર મનવાળા, સાવદ્યાગનો ત્યાગ કરનારા, પંચાચારના પાલનમાં નિપુણ, પરોપકારમાં તત્પર. પ આદિના ઉદાહરણને યોગ્ય, ધ્યાન અને અધ્યયનથી શોભતા, નિર્મળ અધ્યવસાયવાળા સાધુઓ મને સદા શરણ થાઓ. - | 8-10 દેવેન્દ્ર, અસુરેન્દ્ર અને નરેન્દ્રોથી પૂજનીય, મોહરૂપ અંધકાર માટે સૂર્ય સમાન, રાગદ્વેષરૂપ ઝેરને ઉતારવા મહામંત્ર સમાન, કમરૂપ ઘાસ માટે અગ્નિ સમાન, સિદ્ધિને સાધક, કેવલીભાષિત ધમ મને સદા સર્વથા ભભવ શરણરૂપ થાઓ. - જે 11-12 | પંચમુત્ર. 11 Page #157 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 2/6 ( ભવાભિનંદીને ધર્મધ્યાન ન હોય ) મૂળ: ઈન્દ્રિય સુખ અભિલાષી જેહ, ધર્મધ્યાન તસ ના દેહ. સા' શુકલધ્યાનનું આ રૂપ, તે મુદે સંસારને પ. સા. 6 ટઃ - તે માટિ જે ઈન્દ્રિય સુખને અભિલાષ ભવાનંદી પણઈ ઈચ્છક હોઈ જે પ્રાણ તેહનઈ ધર્મધ્યાન નાવાઇ. જેવઈ ગુફલધ્યાનને રૂપ સ્વરૂપ આવઇ તે પ્રાણી સંસાર કૂપન ઈ મુદઈ ઢાંકઈ. 6 શબ્દાર્થ - ઈન્દ્રિય સુખ અભિલાષી....ઈન્દ્રિયેના સુખની તીવ્ર ઈચ્છાવાળે તસ ... ... .. તેને નાવે છે... .. .. ન આવે. રૂપ ... ... ....... સ્વરૂપ. મુદે .. . . ઢાંકે. ભાવાર્થ - જે જીવ ઈન્દ્રિયના સુખની તીવ્ર અભિલાષાવાળો હોય એટલે કે ભવાભિનંદી હોય તેને ધર્મધ્યાન ન આવે. પણ જ્યારે શુકલ ધાનનું સ્વરૂપ આત્મામાં પ્રગટ થાય ત્યારે જીવ પિતાના સંસારરૂપી કૂવાને ઢાંકે...૬ વિવરણ - ધ્યાનનાં ફલ નીચે પ્રમાણે છે - (1) સર્વ ઇન્દ્રિ વગેરે પર સંયમ પ્રાપ્ત થાય છે અને તેથી પરતંત્રતા દૂર થઈ સ્વાયત્તતા આવે છે. (2) મનના પરિણામેનું નિશ્ચલપણું પ્રાપ્ત થાય છે. (3) કર્મના અનુબંધને વિર છેદ થાય છે એટલે કે સંસારને વધારનાર કર્મને અંત આવે છે. આ પ્રકારે ધ્યાતા સંસારરૂપી કૂવાને ઢાંકે છે. 6 Page #158 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 2/7 ( શુકલધ્યાનથી શુકલ ગુણ પ્રગટે ) મૂળી - ભવાભિનંદીને એ નવિ હોય, પુદ્ગલાનંદીને ભજના જોય. સા. આતમઆનંદી જે હોય, શુકલ શુલ ગુણ પ્રગટે સોય. સા. 7 બે ભવાભિનંદીને એ ધ્યાન ન હેઈન ઊપજઈ. અનઈ પગલાનંદી પ્રાણીનઈ વલી ભજન આપાત માત્ર હે ઈ તે નહી પણિ બહુવાર ન ટકઇં. પ્રસન્નચંદ્રાદિકની પરી. અનઈ જે આતમ આનંદી શમ, સંયમ, સુખમગ્ન હોઈ તેહનઈં શુકલધ્યાન દમદંતાદિ મુની (નિ) ની પરઈ શુકલધ્યાનને એ વિશેષ જે થાઈ તે તે ગુણરૂપઈ થાઈ...૭ શબ્દાર્થ - ભવાભિનંદી.... .. ભવાભિનંદી, સંસારમાં આનંદ માનનારા જીવ, જેનો અર્થ પુદ્ગલ પરાવર્તથી વધુ સંસાર બાકી છે તે. પુદગલાનંદી..... ... પુદગલાભિનંદી, સંસારના બાહ્ય પદાર્થોમાં આનંદિત થનાર. ભજના... સ્પર્શના હોય અને તે બહુવાર ટકે નહીં એટલે કે હોય અને ન પણ હોય. આતમઆનંદી .. આત્માભિનંદી. આત્માના ગુણમાં જેને આનંદ હોય તે જવ. ભાવાર્થ - ભવાભિનંદી જીવને ધર્મધ્યાન ન હોય. ૫ગલાનંદી જીવને ધર્મદયાન કયારેક આવી પણ જાય. પણ તે આવેલું ધ્યાન વિશેષ સમય ટકી રહે નહીં. જે આત્માનંદી જીવ હોય તે શમ અને સંયમના સુખમાં મગ્ન બને તે તેને શુકલધ્યાન હોય અને તે ઉત્તરોત્તર આત્મામાં ઉજજવલતા ગુણને પ્રકટ કરે....૭ વિવરણ - સંસારના સુખમાં રચ્યાપચ્યા રહેનાર એવા ભવાભિનંદીને એ ધર્મયાન ઉત્પન્ન થતું નથી. પુદ્ગલાનંદી એટલે વસ્તુને પરિગ્રહ ધરાવનાર અને તેના ઉપર મમતા રાખનાર માનવીને એ ધર્મધ્યાન સ્પષ્ટરૂપે ન આવે અને આવે તો પણ તે બહુવાર ન ટકે, તેથી ધર્મધ્યાન ભજનાએ હોય એટલે આવેય ખરૂં અને ન પણ આવે. સ્વાયત્તતાથી ધર્મધ્યાન પુષ્ટ થાય છે. પરંતુ જે માનવી આમાના ગુણે શમ અને સંયમના સુખમાં રમણ કરનારો છે, તેને મેક્ષનું અસાધારણ કારણ એવું શુકલ યાન ઉપજે અને તેને પરિ. ણામનું નિશળપણું પ્રાપ્ત થાય છે. ગુફલધ્યાનથી વિશેષ શુફલગુણ ઉત્પન્ન થતાં શુકલાભિજાત્ય થાય છે અને તે અનુબંધને વિરછેદ કરનારૂં અને આત્મગુણેને પ્રકટ કરનારૂં નીવડે છે. તેમ જ મહાકલ્યાણ સ્વરૂપ મોક્ષની સ્થિતિ પ્રાપ્ત કરાવે છે...૭ Page #159 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 2/8 ( ચિત્તના ચાર પ્રકાર ) મળ - ચિત્ત વિક્ષિસ નૈ યાતાયાત, તેહનૈ દયાને ન રહૈ થિર થાત. સા. સુલિષ્ટ ચિત્ત અને સુલીન, તિહાં એ દુવિધ હોઈ લયલીન. સા. 8 ટઃ - ચાર પ્રકારનાં ચિત્ત કહ્યાં છઇ, એક વિક્ષિપ્ત (1) તે અત્યંત ચલદુષ્ટભાવ. બીજે યાતાયાત (2) તે કાંઈક થિરભાવ માટે સાનંદ. એક-મીન ધ્યાનની પરઈ દુષ્ટ ભાવની અથિરતા એહ વાર (?) વાલાનઈ એ ધ્યાન નાઈ સુશ્લિષ્ટ ચિત્ત ત્રીજે તે થિરભાવઈ આનંદયુક્ત 3. સુલીન ચિત્ત ચે તે પરમ લીનતા....૮ શબ્દાર્થ - નૈ ... અને. દુવિધ ... બે પ્રકારનું. ભાવાર્થ - ચાર પ્રકારનાં ચિત્ત કહ્યાં છે(૧) વિક્ષિપ્ત (2) યાતાયાત (3) સુશ્લિષ્ટ (4) સુલીન. (1) વિક્ષિપ્ત-આમાં ચિત્તની અવસ્થા ચંચલ અને વિક્ષેપયુક્ત હોય છે. (2) યાતાયાત-આમાં ચિત્તમાં કંઈક સ્થિરતા આવે છે. (આ બે ધ્યાનવાળાને ધર્મ ધ્યાન પ્રકટ ન થાય ) (3) સુશ્લિષ્ટ-આમાં ચિત્ત વધુ સ્થિરતાને પામી જાય છે. અને તેથી ધ્યાનના આનંદનો અનુભવ કરે છે. (4) સુલીન-આમાં ધ્યેય સાથે પરમલીનતા પ્રગટે છે. * 8 નંદ સરખાવો : इह विक्षिप्त' यातायात लिष्टं तथा सुलीनं च / चेतश्चतुःप्रकारं तज्ज्ञचमत्कारकारकारि भवेत् // 2 // विक्षिष्ट चलमिष्टं यातायातं च किमपि सानन्दम् / प्रथमाभ्यासे द्वयभपि विकल्पविषयग्रहं तत्स्यात् // 3 // लिष्टं स्थिरसानन्दं सुलीनमतिनिश्चलं परानन्दम् / तन्मात्रकविषयग्रहमुभयमपि बुधैस्तदाम्नातम् // 4 // યેગશાસ્ત્ર, પ્રકાશ-૧૨ Page #160 -------------------------------------------------------------------------- ________________ [85] ઢાળ 2/8 વિવરણ - ગાભ્યાસના ક્રમમાં ચાર પ્રકારનાં ચિત હોય છે. (1) વિક્ષિપ્ત એટલે અહીં તહીં ભટકતું. (2) યાતાયાત અટલે કયારેક અંદર સ્થિર થતું અને ક્યારેક બહાર દેડતું. યાતાયાત આત્મામાં કાંઈક અંશે સ્થિર થતું હોવાથી તેમાં અમુક આનંદ વિદ્યમાન હોય છે. વિક૯પપૂર્વક બાહ્નવિષચેનું ગ્રહણ તે તે બને ચિત્તોમાં હોય છે. (3) જ્યારે ચિત્ત તેનાથી પણ વધુ સિથર અને પરિણામે આનંદયુક્ત બને ત્યારે તે ચિત્ત “સુલિષ્ટ " કહેવાય છે. તેમાં સ્થિરતા વિશેષ અને અસ્થિરતા થેડી હોય છે. તેથી તેમાં વિશેષ આનંદ આવે છે. અને (4) જ્યારે અતિ નિશ્ચળ હોવાને લીધે પરમાનંદયુક્ત બનેલું હોય ત્યારે એ ચિત્ત સુલીન” કહેવાય છે. સુશ્લિષ્ટ અને સુલીન ચિત્તમાં બાહ્ય વિષેનું ગ્રહણ હેતું નથી. તેમને વિષય ચિત્તગત ધ્યેય જ હોય છે....૮ Page #161 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 2/9 ( શુદ્ધાત્મનું ચિંતન ) મૂળ: શુદ્ધાતમ રત્નાકર વેલિ, પ્રગટે તિહાં ભવિ કીજે કેલિ. સા. વિષય કષાય જે ભવતમૂળ, ધ્યાન કુકારે કરે ઉનમૂલ. સા. 9 શુદ્ધાતમરૂપ રત્નાકર વેલિની લહરિ જિહાં પ્રગટઈ તિહાં અરે ભવિક જન કેલિક્રીડા રસ રંગ કરે. વિષય કષાયરૂપ જે ભવ-સંસાર તરુનાં જે મૂલ છ આર્ત રૌદ્રાદિ કલહજારૂપ તે શુકલધ્યાનરૂપ કુહાડઈ કરી ઉનમૂલી નાંખ્યા. 9 શબ્દાર્થશુદ્ધાતમ રત્નાકર.શુદ્ધ આત્મારૂપી સમુદ્ર. વેલિ . ....સમુદ્ર કિનારે, કેલિ ... કીડા. ભવતમૂળ ...સંસારરૂપી વૃક્ષનું મૂલ. ધ્યાનકુઠારે ધ્યાનરૂપી કુહાડાથી. કીજે ઉનમલ ઉખેડી નાખે. ભાવાર્થ - શુદ્ધાત્મારૂપી સમુદ્રના કિનારાનાં તરગે જ્યાં પ્રગટ થાય ત્યાં હે ભવ્યજને ! તમે કીડા-આનંદ પ્રમોદ કરો. વિષયો અને કષાયો કે જે સંસારરૂપી વૃક્ષનાં મૂલ છે, તેને ધયાનરૂપી કુહાડાથી સમુછેદ કરે-જડમૂળથી નાશ કરો....૯ * વિષય ઈન્દ્રિયોને વર્ણાદિનું જ્ઞાન થાય છે, તેથી વદિ જ્ઞાન ઇન્દ્રિયોના વિષયરૂપ નથી. પરંતુ જ્ઞાનથી જાણેલા મનોજ્ઞ અને અમનોજ્ઞ એવા વર્ણાદિ વિષયોમાં ઇષ્ટપણું અને અનિષ્ટપણું થવાથી ઈષ્ટ વિષયોમાં અભિમુખપણું અને અનિષ્ટ વિષયોમાં વિમુખતારૂપ મોહને પરિણામ થાય છે. તે વિષય છે. તથી રાગદ્વેષરૂપે પ્રવૃત્તિ કરાવતું જ્ઞાન એ ઇન્દ્રિયના વિષયરૂપ છે. જ્ઞાનસાર, ઈન્દ્રિયજય અષ્ટક પૃ. 42. Page #162 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 2/10 ( સંસારનું પરિભ્રમણ અટકાવવા ધ્યાન-સાચું અવલંબન. ) મૂળ - ભવવનમાં ભૂલે કરે દોર, પણિ નવિ પામે કિહાં એ ઠોર, સારુ જવ એ ધ્યાન અવલંબન થાય, તવ ભવભવ દુઃખ સઘલાં જાય. સા. 10 ટએ - ભવ-સંસારરૂપ અતિગહન વનમાં ભૂ હેતે બહિરાતમાં દેહિ કરઈ છઈ. પણિ કિહાંઈ ઠેર ઠેકાણું પામતું નથી. જે ભ્રમણ કરતે રહઈ. જિવાઈ એ ધ્યાનનું આતમા અવલંબન કરઈ તિવારઈ બહિરાતમાં ટળી અંતરાતમાં થાઇ. તિવારઈ ભવભવનાં સઘલાં કર્મો જનિત દુખ જાઈ...૧૦ શબ્દાર્થ - ભવભવમાં .... સંસારરૂપી અટવીમાં દોર ... ... દોડાદોડ. ઠેર .... ... ઠેકાણું. જવ ... ... જ્યારે. ભાવાર્થ:-- સંસારરૂપ અતિગહન વનમાં ભૂલે પડેલો બહિરામાં દોડાદોડ કરે છે, પણ કયાંય તે ઠેકાણું પામતું નથી. અને પરિશ્રમ કરતો જ રહે છે. જ્યારે તે આત્મા આ બધાનનું (ધર્મધ્યાનનું ) અવલંબન કરે ત્યારે તે બહિરાત્મપણું ત્યજી અંતરાત્મપણાને પામે. અને તે વખતે ભભવ એકઠાં કરેલાં સઘળાં કર્મજનિત દુઃખે વિનાશ પામે...૧૦ વિવરણ: ભવ-સંસારરૂપ અતિ ગહન વનમાં સાધક જે કાંઈ ગમ વિના દેડ્યા કરે તે સ્થિર ઠામ પહોચે નહીં, પરંતુ ઉપરોક્ત ધ્યાનનું આલંબન લે તે ભવ-સંસારમાં સર્વ દુખે ટળે....૧૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 2/11 (ધર્મધ્યાન-જ્ઞાન આદિ ગુણની ખાણ ) મૂળ:તરણિ કિરણથી જાઈ અંધાર, ગુ(ગા)સડ મંત્ર જિમ વિષ પ્રતીકાર, સા જિમ રહણગિરિ રત્નની ખાણ, તિમ જ્ઞાનાદિક ગુણમણિ ધ્યાન. સા. 11 જિમ તણિ કહતાં સૂર્યના કિરણ પ્રસારથી અંધકાર જાઈ, જિમ ગરુડ તે ગારુડ જાંગુલી મંત્રથી થાવર અને જંગમ સર્વ વિષરે પ્રચાર જાઈ, જિમ રેહણાચલ પર્વતથી સર્વ રન પામીઈ દરિદ્ર ન રહઈ તિમ એ ધ્યાનથી જ્ઞાનાદિક ગુણરત્નયુક્ત કલ્યાણસિદ્ધિ મેક્ષસિદ્ધિ પામીઇં...૧૧ શબ્દાર્થ - તરણિ * * સૂર્ય. જાઈ .... .... ..જાય, નાશ પામે. ગ(ગા) ડ મંત્ર... ....જાંગુલિ મંત્ર કે જે વિષને નાશ કરે છે. વિષ પ્રતીકાર ..... વિષના આવેગનું રોકાણ. રેહણગિરિ ..... રેહણાચલ નામને પર્વત કે જેમાંથી રત્ન નીકળે છે તે. જ્ઞાનાદિક ગુણમણિજ્ઞાન આદિ ગુણરૂપી રત્નયુક્ત કલ્યાણસિદ્ધિ. ભાવાર્થ - જેમ સૂર્યનાં કિરણોથી અંધકાર નાશ પામે છે, જેમ જાંગુલિ મંત્રથી સ્થાવર તેમ જ જંગમ વિષેનો આવેગ-પ્રચા૨ રોકાય છે. જેમ રોહણાચલ પર્વત રત્નોની ખાથી સર્વ રત્ન પામે દારિદ્ર ન રહે તેમ આ દયાન ( ધર્મધ્યાન ) જ્ઞાન આદિ ગુણરૂપી રત્નની ખાણ છે; એટલે આ ધ્યાનથી જ્ઞાન આદિ ગુણરત્નયુક્ત કલ્યાણની સિદ્ધિ અર્થાત્ મોક્ષની સિદ્ધિ પ્રાપ્ત ૪થાય...૧૧ * मोक्षः कर्मक्षयादेव स चात्मज्ञानतो भवेत् / ध्यानसाध्यं मतं तच्च तद् ध्यान हितमात्मनः // -. શા. 4-113 Page #164 -------------------------------------------------------------------------- ________________ [9] ઢાળ 2/11 વિવરણ :- ધ્યાનથી અજ્ઞાન દૂર થાય, અને અંતરાત્માની ઋદ્ધિ પ્રાપ્ત થતાં આત્મસ્વભાવમાં રમણતા કેળવાય છે. તેથી ધ્યાન જ ઉત્તમ ઉપાય છે. અને તે દ્વારા પરમ આનંદની પ્રાપ્તિ થાય છે.....૧૧ નમે (માનસિક નમસ્કાર) 12 Page #165 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 3/1 ઢાળ ત્રીજી ( ઢાળ : ત્રિભુવન તારણ તીરથ : એ દેશી ) (ધર્મધ્યાનનું સ્વરૂપ અને અષ્ટાંગ યુગ ) ધર્મધ્યાનની વ્યક્તિ હ ઇમ દાખઈ રે, કિ હવે, શાસ્ત્ર તણે અનુસારિ નામ માત્ર ભાઈ રે, કિં નામ; યોગ અષ્ટાંગ સમાધિ સકલ દર્શન કહે રે, કિં સ, પણિ તે ભવ્ય સ્વભાવ પુરષ વિણ નવિ લહે રે કિં પુ...૧ ટા - હવઈ ચાર દયાનમાં ધર્મ 1, શુકલ 2, એવઈ ધ્યાન થાવા ગ્ય છઇ, તેહનું સ્વરૂપ કહવાનઇ ઢાળ કહીઈ છઈ. ધર્મધ્યાનની વ્યક્તિ-પ્રગટતા ઈમ દાખીઈ કહીઈ જઈ તેહમાં વિચારના શાસ્ત્ર યોગ (પ્ર) દીપક ધ્યાનદીપાદિx બહ છ. પણિ યોગશાસ્ત્રાદિકનઈ અનુસારઈ નામ માત્ર કહીઈ ઇઈ. અષ્ટાંગ ચગની સમાધિ સકલ દર્શન કહઈ છઈ પણિ તેહના ભલા વિચાર તે યોગી પુરુષ વિના કહી સકાઈ નહી તે અષ્ટાંગ રોગનાં નામ કહઈ છ...૧ શબ્દાર્થ - વ્યક્તિ ... ... સ્પષ્ટીકરણ, પ્રગટતા. દાખઈ ..... ... કહે છે, દર્શાવે છે. ભાખઈ . .. કહે છે. * ગપ્રદીપ ( શ્રી શુભચંદ્રાચાર્ય કૃત.) X ધ્યાનદીપિકા ( ઉ. સકલચંદ્રજી કૃત. ) + યોગશાસ્ત્ર ( શ્રી હેમચંદ્રાચાર્ય કૃત. ) Page #166 -------------------------------------------------------------------------- ________________ [91] ઢાળ 3/1 પણિ ... ... પણ. ભવ્ય સ્વભાવ.. સારા સ્વભાવવાળો, યોગી પુરુષ. વિણ ... .. વિના નવિ લહે.. .. ન મેળવે. ભાવાર્થ - ચાર ધ્યાનમાં ધર્મધ્યાન અને શુકલધ્યાન એ બે ધ્યાન થાવવા યોગ્ય છે. એમ કહ્યું તેનું સ્વરૂપ હવે દર્શાવે છે. ધર્મધ્યાનની પ્રકટતા હવે આ પ્રમાણે કહીએ છીએ - ધર્મસ્થાનના વિચાર એગપ્રદીપ આદિ શાસ્ત્રોમાં ઘણાં કહ્યાં છે. તે શાસ્ત્રને અનુસાર હું નામમાત્ર (લવલેશ ) કહું છું. અષ્ટાંગ યોગ તથા સમાધેને સઘળાંય દશને નિદેશે છે પરંતુ તેની શુદ્ધ પ્રરૂપણ વેગી પુરુષ વિના કંઈ કરી શકતું નથી. તે અષ્ટાંગ યોગનાં નામ કહે છે...૧ વિવરણ: ધર્મધ્યાનનું સ્વરૂપ ઉ. શ્રી સકલચંદ્રજીના ધ્યાનદીપિકા નામના ગ્રંથમાં નીચે પ્રમાણે દર્શાવ્યું છેઃ દુઃખદાયી અનુષ્ઠાનથી વિરામ પામી-પાછા હઠી, મનની શુદ્ધિ કરવા માટે મુનિએ સમભાવના સાગરમાં પ્રવેશ કરીને, યેગના આઠ અંગોનો વિચાર કરવો. ઉત્તમ ધ્યાનમાં મનઃશુદ્ધિની પૂર્ણ જરૂર છે. મનાશુદ્ધિ થયા વિના ધ્યાન થઈ શકતું નથી અથવા મનઃશુદ્ધિ કરવા માટે ધ્યાનની જરૂર છે. મનઃશુદ્ધિ હોય તો ધ્યાન થાય અને ધ્યાન હેય તે મન:શુદ્ધિ થાય. આ પ્રમાણે અને અન્ય કારણ છે. મન જેમ શુદ્ધ થતું ચાલે છે, તેમ દયાન સ્થિરતા પામતું જાય છે; જેમ ધ્યાનમાં સ્થિરતા અનુભવાય છે, તેમ મન શુદ્ધ થતું ચાલે છે. ધીમે ધીમે બને સાથે વૃદ્ધિ પામી, પૂર્ણ સ્થિતિએ પહોંચે છે. આમ નશુદ્ધિ માટે ખરાબ-આd, રૌદ્રધાનવાળા વિચાર કે અનુષ્ઠાનથી તે અવશ્ય પાછા હઠવું જ જોઈશે, પણ સાથે, સમભાવમાં પણ પ્રવેશ કરવો પડશે. સમભાવ વિના રવભાવથી ચપળતાવાળું મન સ્થિરતા પામતું નથી કે વિશુદ્ધ બનતું નથી. Page #167 -------------------------------------------------------------------------- ________________ [2] ઢાળ 3/1 સમભાવ માટે શ્રીમાન થશેવિજયજી લખે છે કે વિકપ એ જ વિષય છે; તેથી પાછા હઠવું, અને આત્માના શુદ્ધ સ્વભાવનું આલંબન કરવું. જ્ઞાનની આવી મહાન પરિ. પાક અવસ્થા તેને સમભાવ કહે છે. આ સમભાવ-આત્માના મૂલ સત્તાસ્વરૂપ તરફ સર્વની દષ્ટિ થાય, અથવા સર્વ જીમાં રહેલ સત્તાસ્વરૂપ તરફ લક્ષ થાય તે સમભાવ સહજ પ્રાપ્ત થાય છે. વિક૯પ રહેતા નથી. આત્માને વરૂપ સાથે અભેદતા થઈ રહે છે. આ જ સમભાવ છે. આ સમભાવવાળે જ મોક્ષ પામે છે. બીજાને મોક્ષ પ્રાપ્તિને અધિકાર જ નથી. મમભાવથી સમ્યગદષ્ટિ થાય છે અને તેથી આવતાં કર્મ અટકી જાય છે, તથા પૂર્વકની નિર્જરા થાય છે. કર્મનાં આવરણે આત્માની આડેથી ખરી પડે છે-સમભાવના તાપથી પીગળી જાય છે. એટલે શેડો પણ સમભાવમાં પ્રવેશ કરીને તે સ્થિતિ કાયમ ટકાવવા માટે યોગનાં આઠ અંગ છે તેમને વિચાર કરવો. કેગનાં આઠ અંગો પણ મનઃશુદ્ધિ માટે જ આદરવાં કે વિચાર કરવા ગ્ય છે. પૂર્વે કહેલ સમભાવમાં મનની જે શુદ્ધિ થાય છે તેવી બીજા કશાયથી થતી નથી. છતાં શરૂઆતમાં તે સમભાવ આવતો નથી. આવે, તે ટકી રહેતું નથી એટલે યોગનાં અંગોની જરૂરિયાત પહેલી સ્વીકારવામાં આવી છે. (ધ્યાન દીપિકા પૃ. 122-125 )...1 ધર્મ અને ધર્મવાનની વ્યાખ્યાઓ આ પ્રમાણે મળે છે (1) શ્રી તીર્થકર ભગવતેએ સમ્યમ્ દર્શન જ્ઞાન ચારિત્રને ધર્મ કહ્યો છે, તે ધર્મથી ચુક્ત જે દયાન તે ધર્મધ્યાન છે. (2) મોહના વિકારથી રહિત જે પરિણામ તે ધર્મ છે. તેનાથી યુક્ત જે દયાન તે ધર્મધ્યાન છે. ( લો. ૫૧-પર તવાનુશાસન. ) Page #168 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 3/2 (અડોગના નામે-તેનાથી દુષ્ટ વિકલ્પ તથા ભવદુઃખ જાય ) મૂળ - યમ નિયમ પ્રણિધાન કરણ પ્રાણાયામમાં રે, કિક, પ્રત્યાહાર નૅ ધારણા ધ્યાન મનોદમા રે, કિં ધ્યા એક ભાવ સુસમાધિ એ અડ્યોગ છ રે, કિ એ , એહથી દુષ્ટ વિકલ્પ નહિ ભવ દુખ ગઈ રે, કિ નહિ..૨ બે - (1) યમ તે પ. - અહિંસા 1, સત્ય 2, અસ્તેય 3, મૈથુન ત્યાગ 4, પરિગ્રહ પરિમાણ છે. એ પ્રથમ વેગ યમનામાં 1. (2) નિયમ-૧ શૌચ, 2 સંતેષ, 3 તપ, 4 સઝાય, 5 પ્રણિધાન તે દેવાદિકનું શુભ પ્રવૃત્તિ આરાધન. એ બીજો નિયમ નામા-ગ 2. (3) કરણ (આસન) - તે ઈન્દ્રિય નિરધન હેાિં આસનાદિ કરણ 3. એ ત્રીજે ગ 3. () પ્રાણાયામ-તે સાસ્વા (સા)દિકનું શરીર લઘુકરણ હેતઈ. એ ચે યોગ-૪ (5) પ્રત્યાહાર-તે ઈન્દ્રિયગણનઈ વિષયાર્થ થકી નિવર્તાવવું એ પાંચમો યોગ-૫ (6) ધારણા-તે કોઈક એક પ્રશરત શુભ દયેયને વિષઈ ચિત્તનું થાપવું. એ છો એગ-૬ (7) ધ્યાન-તે જે ધ્યેય કહ્યું છે તેનું જે બહુ વિષય ચપલતા ટાળી એકાંઈ જોડવું તે. (8) સમાધિ-ધારણા ધ્યાન બહુની થાપનાં એકત્વ ભાવઈ કરી તન્મયી ભાઈ થાવું તે સમાધિ. તેહિ જ અર્થ માત્ર આભાસ માત્ર થાઈ તે. સમાધિ આ આઠમ ચોગ-૮. એ અષ્ટાંગ સકલ દર્શન સમ્મત છે. એથી દુષ્ટ વિકલ્પ ન ઊપજે', તિવારે - ભવસંગ દુઃખ તે ગણું કહેતાં જાઇ....૨ Page #169 -------------------------------------------------------------------------- ________________ [ 4] ઢાળ 3/2 શબ્દાર્થ - પણિધાન કરણ આસન ( પ્રણિધાન માટે ) નૈ ... ... .. અને. મનેદમાં મનનું દમન કરનાર, મનને કાબુમાં રાખનાર. એકભાવ .... એકત્વ ભાવ કરી તન્મય થવું તે. અડગ અષ્ટાંગ યોગ, ગનાં આઠ અંગો. છછ ..... .... .... છે. દુષ્ટ વિકલ૫.... .... અશુભ વિચારો. ગઈ .... ... ... જાય. લાવાર્થ :- (1) યમ, (2) નિયમ, (3) કરણ (આસન), (4) પ્રાણાયામ, (5) પ્રત્યાહાર, (6) ધારણા, (7) ધ્યાન અને (8) સમાધિ-આ ભેગનાં આઠ અંગે છે. આમાં ધ્યાન સુધીનાં અંગોમાં મનનું દમન છે અને એકાગ્ર ચિંતન તે સમાધિ છે. તેમાં અશુભ વિચાર થાય નહીં અને સંસારનાં દુઃખે ચાલ્યાં જાય. યમ-અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને દેશથી અપરિગ્રહ. નિયમ-શૌચ, સંતેષ, સ્વાધ્યાય, તપ અને પ્રણિધાન. (પ્રણિધાન-દેવાદિ વિષે શુભ પ્રવૃત્તિ અથવા આરાધન. ) (પ્રણિધાન) કરણ -ઈન્દ્રિયોના નિગ્રહ (નિરોધન) માટે આસન આદિ કરવાં તે. પ્રાણાયામ-દેહના લવીકરણ માટે શ્વાસોચ્છવાસનું નિયમન. પ્રત્યાહાર-ઈન્દ્રિયોના સમૂહને વિષ તથા પદાર્થોથી પાછો વાળવે તે-ઈન્દ્રિય નિગ્રહ. ધારણ-કોઈ એક પ્રશસ્ત ધ્યેયમાં ચિત્તને સ્થાપિત કરવું તે. ધ્યાન-યમાં પણ ઘણા વિષયની ચપલતા ટાળી તેના એક અંશમાં ચિત્તને જોડવું તે. * અપરિગ્રહ-પરિગ્રહ પરિમાણને દેશથી અપરિગ્રહ કહી શકાય. Page #170 -------------------------------------------------------------------------- ________________ [5] ઢાળ 3/2 સમાધિ-ધારણા અને ધ્યાનનું એકત્વ કરી તન્મયભાવ કરે કે જેનાથી ધ્યેયના વરૂપમાત્રને જ નિર્ભર રહે તે. આ આઠેય અંગો સકલ (ષડુ) દશનને સંમત છે. એના અભ્યાસથી દુષ્ટ વિચારો ન ઉપજે, ત્યારે સંસાર સંગે જે દુઃખે ઉત્પન્ન થયાં હોય તે જાય.૨ સરખા:-પાતંજલ યોગસૂત્ર, (1) ચમ-“ ઢિલા-સત્યમeતેથ-બ્રહ્મચર્ચા:રિવ્રા ચમા: + 2 - 30 | અર્થ-અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્યચર્ય અને અપરિગ્રહ આ પાંચ “યમ” છે. (2) નિયમ-“શ-સતોષ-તા: સ્વાસ્થયેશ્વરઝળિયાનાનિ નિમઃ | 2 - 22 / અર્થ—શોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઇશ્વરપ્રણિધાન આ પાંચ “નિયમ’ છે. (3) ગાયન - “સ્થિરમુવમાનમ્ 2-47 અર્થ–દઢ અને સુખપૂર્વક થાય તે આસન. (4) प्राणायाम-" तस्मिन् सति श्वास-प्रश्वासयोगतिविच्छेदः प्राणायामः // 2-49 // અર્થ–પૂર્વોક્ત આસનને પૂર્ણ રૂપે લાભ થવાથી શ્વાસ અને પ્રશ્વાસની સ્વાભાવિક ગતિને જે અભાવ તે “પ્રાણાયામ " છે. (5) प्रत्याहार-" स्वविषयासंप्रयोगे चित्तस्य स्वरूपानुकार इवेन्द्रियाणां प्रत्याहारः॥ 2-54 // અર્થ-ઈન્દ્રિયોના પિતતાના વિષયોના સનિક અભાવ હોવાથી ચિત્તના રૂ૫ જેવી ઈન્દ્રિયોની જે અવસ્થિતિ થવી તે “પ્રત્યાહાર’ છે. (6) ધારણા- વધૂચિત્ત ધારા રૂ -1 અર્થ-ચિત્તનો દેશ ( વિષય, આલંબન ) વિશેષ સાથે સંબંધ તે ધારણા છે. (7) દયાન-“તત્ર પ્રત્યકતાનતા થાનમ્ રૂ-૨ T. અર્થ-તે પૂર્વોક્ત દેશ ( વિષ, આલંબન ) માં જે યાકાર ચિત્તવૃત્તિની એકાગ્રતા તે * ધ્યાન’ છે. (1) समाधि-तदेवार्थमात्रनिर्भासं स्वरूपशू-यमिव समाधिः // // 3-3 // અર્થ-તે પૂર્વોક્ત ધ્યાન જ કે જેમાં એક સ્વરૂપ માત્રને નિર્ભાસ થાય છે અને જે દયાનાકારરૂપથી રહિત છે તે " સમાધિ " છે. પાતંજલ યોગના આ આઠ અંગોમાંથી પાંચ યમો કે મહાવતે એ સાધનાને મૂળ પાયો છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન એ પાંચ નિયમો યમની પુષ્ટિમાં ઉપકારક છે. આ બે અંગ ( યમ અને નિયમ ) દ્વારા સાધકનું જીવન મિત્રી અને કરુણુથી સમૃદ્ધ બને છે તેમજ તેના ચિત્તગત કલેશ મંદ થાય છે. આસન અને પ્રાણાયામ . સુ. 2. 48) એ બે અંગાથી શરીર Page #171 -------------------------------------------------------------------------- ________________ [ 6] ઢાળ 3/2 શીત, ઉષ્ણ આદિ કંઠ માટે સહિષ્ણુ બને છે, જ્યારે પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ચાર અંગો દ્વારા ઈન્દ્રિયજય ( 2-55 ) અને મનની સૂક્ષ્મ વિચાર શક્તિ યા સત્યસ્પર્શી ઋતંભરા પ્રજ્ઞા ( 3, 5 અને 1, 48 ) પ્રગટે છે. આ અંગે ને યથાશક્તિ સિદ્ધ કરવા સાધક યોગીએ કેમ વર્તવું અને શું કરવું એ પ્રક્રિયા વણવતાં પતંજલિએ પ્રથમ તે અભ્યાસ અને વૈરાગ્ય કેળવવા ( 1-12 ) સૂચવ્યું છે અને ત્યારબાદ જપ, ભાવના તેમજ ધ્યાન કરવાની સૂચના ( 1, 28, 32, 33, 39 ) કરી છે. (વેગ જગતની સર્વશ્રેષ્ઠ વસ્તુ છે. પ્રચુર પુણ્ય વડે તેની પ્રાપ્તિ થાય છે. પાત્રતા સાધનોને લાવે છે. સાધનની પાછળ આકર્ષવાની જરૂર નથી. જરૂર તે છે, પાત્રતાને વિકસાવવાની. શિષ્ય ગુરૂઓને શોધવાની જરૂર નથી, કારણ કે તે ગુરૂઓની યોગ્યતાનું માપ ન કાઢી શકે. યોગ માગમાં સદગુરૂઓ સારા શિષ્યોને શોધતા હોય છે અને તેમાં કેગનાં બીજ નાખતા હોય છે. એ જ તેમનું મહાન કર્તવ્ય છે, કૃતજ્ઞતા છે. એગ માટે આહાર શુદ્ધિ સર્વ પ્રથમ આવશ્યક છે. મલશુદ્ધિ વિના ચોગ ન થાય. અત્યંત મલશુદ્ધિ થતાં પ્રાણ અને વીર્ય સહજ રીતે ઉર્વગમન કરે છે. સાધના માટે ઉર્વરેતસ થવાની નિતાન્ત આવશ્યકતા છે. ) S Page #172 -------------------------------------------------------------------------- ________________ હાઈ 3/3 ( ધ્યાનસિદ્ધિ માટે પ્રાણાયામ–તેના પ્રકારે ) મૂળ:– રચક પૂરક કુંભક પ્રત્યાહારથી રે, કિ મe, ભા(તા) નાસાત(ન)ન-દ્વાર વાયુ પ્રચારથી રે, કિં વા; યતનાઈ કરે છે તે શાંતિ કહી જઈ રે. કિં શાં, ઉત્તર અધર તે વાયુ વ્યાધિદ્યાત કી રે. કિં વ્યા . 3 ટો :- કોઈક પ્રાણું ધ્યાનસિદ્ધિની કાજઈ પ્રથમ પ્રાણાયામ કરઈ તે પ્રાણાયામ પવન * પ્રાણાયામ પ્રાણાયામ વિષે યોગશાસ્ત્રના પાંચમા પ્રકાશમાં આપેલી વિશેષ વિગત નીચે પ્રમાણે છે. પ્રાણાયામથી માત્ર પ્રાણુને જય નથી થતો; પરંતુ પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન એ પાંચે વાયુને જય થઈ શકે છે. પરંતુ તે માટે તે પાંચેના સ્થાન, વર્ણ, ક્રિયા અર્થ અને બીજ જાણવા જોઇએ. નાસાગ, હૃદય, નાભિ તથા પગના અંગૂઠાના છેડા એ “પ્રાણ”નાં સ્થાન છે. પ્રાણને વણ લીલે છે. નાસાદિ સ્થાને વિષે રેચક અને પૂરક વારંવાર કરવાથી તે “ગમાગમગ કુંભક ( ધારણ”) કરવાથી તેને જય થઈ શકે છે. “અપાન વાયુના વણ કાળે છે. ગ્રીવાની પાછળની બે નાડીએ, પીઠ, પીઠનો છેડો અને બે પાનીઓ એ તેનાં સ્થાન છે; તથા તે સ્થાને વિષે રેચક અને પૂરક વારંવાર કરવાથી તેનો જય થઈ શકે છે. “સમાન” વાયુનો વર્ણ વેત છે. હદય. નાભિ અને સર્વ સંધિઓ તેનાં રસ્થાન છે; તે સ્થાને વિષે વારંવાર રેચક–પૂરક કરવાથી તેને જય થાય છે. “ઉદાન” વાયુને વર્ણ લાલ છે. હદય, કંઠ, તાલુ, ભ્રમરની વચ્ચેનો ભાગ અને માથે (મૂર્ધા) એ તેનાં સ્થાન છે. નાક વડે બહારથી પવન ખેંચી, હદયાદ સ્થાનમાં તેને સ્થાપી. તેને ઊંચે આવતો બળપૂર્વક રેકવાથી ( ગત્યાગતિનિયોગ” ) તેને ય થઈ શકે છે, “વ્યાનને વણ મેઘધનુષ જેવો જ છે. તેનું સ્થાન સર્વ વચા છે; તથા રેચક અને પૂરકના ક્રમથી કુંભકને અભ્યાસ કરવાથી તેને જ થઈ શકે છે. પ્રાણનું ધ્યાનબીજ જ છે; અપાનનું છે; સમાનનું છે; ઉદાનનું શું છે, અને બાનનું સ્ત્ર છે. પ્રાણનો ય કરવાથી જઠરાગ્નિની પ્રબળતા, દીધેશ્વાસ, વાયુને જય અને શરીરના લઘતા પ્રાપ્ત થાય છે. સમાન અને અપાનને જય કરવાથી ઘા જલદી રુઝાય છે. હાડકાં વગેરે ભાંગ્યા હોય તો જલદી સંધાય છે, ઉદરાગ્નિ પ્રબળ થાય છે, મળમૂત્ર ઓછાં થાય છે, અને વ્યાધિઓ ર થાય છે. ઉદાનનો જય કરવાથી મૃત્યુકાળે પિતાની મરજી મુજબ ઉત્ક્રાંતિ કરી શકાય છે; તથા કાદવ. કાંટા વગેરેથી બાધા થતી નથી. વ્યાનનો જય કરવાથી ટાઢ તડકાની પીડા થતી નથી. કાંતિ વધે છે અને અગિતા પ્રાપ્ત થાય છે. જે જે સ્થાને રોગ પીડા કરતો હોય તે તે સ્થાને પ્રાણાદિ વાયુ ધારણ કરવાથી, તે રોગ દૂર થાય છે. (યો. શા. ગે, પટેલ પુ. 148-150 ) 13 Page #173 -------------------------------------------------------------------------- ________________ [8] ઢાળ 3/3 નિય વિના કરી ન સકીઇ. જિહાં મન હેઇ તિહાં પવન હેઈ અનઈ પવન હેઈ * પવન નિ જયપવન જ્ય કરવાને ઉપાય. પવન તો એકનો એક જ છે પણ તે જુદા જુદા સ્થાને રહેતો હોવાથી તેનાં નામે જુદા જુદા પાડવામાં આવે છે, જેમકે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન-આ પાંચ પવન છે. શ્વાસે છવાસને વ્યાપાર કરનાર પ્રાણુ પવન છે. મૂત્ર, વિટાપ્રમુખને શરીરની બહાર કાઢનાર અપાન વાયું છે. અન્નપાણીથી ઉત્પન્ન થતા રસને એગ્ય સ્થાને પહોંચાડનાર સમાન વાયું છે. સાદિને ઊંચે લઈ જનાર ઉદાન વાયુ છે અને આખા શરીરમાં વ્યાપીને રહેલે વ્યાન વાયુ છે. પ્રાણવાયુ હૃદયના ભાગમાં રહે છે, અપાનવાયુ ગુદાના ભાગમાં રહે છે, સમાનવાયુ નાભિ આગળ રહે છે, ઉદાનવાયુ કંઠના ભાગમાં રહે છે, વ્યાનવાયુ ચામડીના તમામ ભાગોમાં રહે છે. - આ પાંચે વાયુને ય કરવા માટે, પાંચ બીજ મંત્ર છે. ચે, પૈ જૈ o ઢ અનુક્રમે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન તે એક એકનો એક એક બીજમંત્ર છે. સિદ્ધાસન કરી બેસવું, બહારથી નાસિકાઠારા પવન અંદર ખેંચો, જે પવન સિદ્ધ કરેલો હેય તે પવનના સ્થાન ઉપર તે પવનને રોકવા, હડપચી નીચી નમાવી છાતીના ભાગ પર રાખવી, જેથી પવન માથા ઉપર ચડી ન જાય કે તરત નીકળી ન જાય. પછી તે પવન રેકેલા સ્થાન પર તેના મંત્ર બીજને જાપ કરવો. તે મંત્ર જાપ મનથી કરવો અને આંતરદષ્ટિથી તે મંત્ર-અક્ષરની આકૃતિ-અંદર દેખાય તેમ જોયા કરવું. પવન ન રોકી શકાય ત્યારે ધીમે ધીમે પાછો છોડી દેવો. ફરી પાછો તે જ રીતે પૂરા અને તે જ સ્થાન પર રોક. ત્યાં પાછો મંત્ર બીજને જાપ કરવો. અને તેની આકૃતિ તે તે સ્થાનમાં જોયા કરવી. અકળામણ થતાં ધીમે ધીમે પવન છેડી દે. આ પ્રમાણે તે તે પવનના સ્થાનમાં અનુકમે અભ્યામ કરવાથી પાંચે પવનનો જય થાય છે. પવનજય કયારે થઈ રહે છે, તેના વખતનું માપ આપી શકાતું નથી. કોઈ સંસ્કારી જીવને થોડા વખતમાં જય થાય છે. કોઈને વધારે વખત લાગે છે. તથાપિ તેના ફળની પ્રાપ્તિ થાય ત્યારે જય થયો સમજવો. પ્રાણવાયનો જય થવાથી જઠરાગ્નિ પ્રબળ થાય છે, શરીર હલકું લાગે છે, દમ ચડતો નથી. સમાન અને અપાન બે નજીક આવેલા છે. એકની હદ પૂરી થતાં બીજાની હદ શરૂ થાય છે. બધા પવન માટે તેમજ સમજાય છે. સમાન વાયુનો જય થવાથી ગડગૂમડ અને ધા આદિના ઘણા રુઝાઈ જાય છે, હાડ ભાંગેલું પણ સંધાઈ જાય છે, અને ઉદરને અગ્નિ પ્રદીપ્ત થાય છે. અપાનના જયથી મળમૂત્રાદિ ઘણાં અલ્પ થાય છે. ખાધેલ ખેરાકને બધે રસ શરીરના પાવણમાં ઉપયોગી થાય છે, અને બાકીના કૂચા તરીકે મળ થડ જ રહે છે, તથા ગુદાના રોગોનો નાશ થાય છે. ઉદાનવાયુના જયથી પ્રાણને બહાર કાઢી શકાય છે, દશમા દ્વારથી પ્રાણ ત્યાગ કરી શકાય છે, પાણી તથા કાદવથી શરીરને બાધ થતો નથી. વ્યાનવાયુના જયથી ટાઢ કે તાપ લાગતા નથી. ગમે તેવો તા હોય કે ગમે તેવી ટાઢ હોય તેને સહન કરવાનું બળ આવે છે. શરીરનું તેજ વધે છે અને ચામડીના રોગો થતા નથી. Page #174 -------------------------------------------------------------------------- ________________ [ 99] ઢાળ 3/3 તિહાં મન હેઈ, તે બિહુનઈ તુય ક્રિયા કરવાનઇ કાઈ ક્ષીર-નીર ન્યાયની પરિ મિલવાનઈ કાજઇ રેચક, પૂરક, કુંભક કરઇ. નાશા બ્રહ્મરંધ્ર મુખ થકી જે વાયુ બહિઃપ્રચાર કરઈ તે રેચક 1, અપાનકારથી પૂરક કરઈ અંતરંગ તે પૂરક 2. નાભિપદ્મનઈ વિષઈ પવન સ્થિરી કરઠ તે કુંભક 3. સ્થાનિકથી સ્થાનાંતર કરઈ પવનનઈં તે પ્રત્યાહાર છે. ભા(તા)લ-નાશ-મુખદ્વારઈ કરી પવનને રોધો તે શાંત. એ પાંચમે ભેદ 5 એતલઈ ચું ? જે પવન સાધના થિરતા કરી પાછો પવન મુકઇ તિવારઈ યતનાઇ મુંકઈ સાવધાન પણ સ્વરિત સ્વસ્તિ મુકઇં તે પ્રાણાયામ. ઉત્તર ઉપલ્યો તથા અધર તે હેઠલ્યા વાયુનો ફોધ તે વ્યાધિને રેગાદિકને ( ઉત્પાત (ન) થ ) વિઘાત કરાઈ. એતલઈ પવનસાધના+ નીરોગનું હેતુ...૩ (પૃ. 98 ઉપરની પાદોંધ ) ટૂંકામાં વાયુ જય થયાની નિશાની એ છે કે શરીરના કોઈ પણ ભાગમાં પીડાકારક રોગ કે દુ:ખ થતું હોય ત્યાં તે તે ભાગ ઉપર પવનને કુંભક કરી રિથર કરો. થોડા જ વખતમાં તે રોગ કે દુઃખ નિવૃત્ત થાય ત્યારે સમજવું કે પવન જીતાઈ ગએલ છે. પવન જયનો અભ્યાસ કર્યા પછી મનને જય કરવા માટે પ્રયત્ન કરવો. -ધ્યાનદીપિકા. પૃ. 178-140 પ્રાણાયામ એટલે શ્વાસ-પ્રશ્વાસની ગતિ રોકવી . તેના રેચક, પૂરક અને કુંભક એમ ત્રણ પ્રકાર છે. તેમાં પ્રત્યાહાર, શાંત, ઉત્તર અને અધર એવા બીજા ચાર ઉમેરી તેના સાત પ્રકાર પણ કરાય છે. ઉદરમાંથી અતિ યત્નપૂર્વક વાયુને નાસા, બ્રહ્મર ધ્ર અને મુખ દ્વારા બહાર ફેંકે તે રેચક પ્રાણાયામ કહેવાય. બહારથી વાયુને ખેંચીને ગુદા સુધી ઉદરને પૂરી કાઢવું તે પૂરક પ્રાણાયામ કહેવાય; અને નાભિપદ્મમાં વાયુને સ્થિર કરે તે કુંભક પ્રાણાયામ કહેવાય. નાભિ વગેરે સ્થાનમાંથી હદય વગેરે અન્ય રથાનમાં વાયુને ખેંચી લઈ જ તે “પ્રત્યાહાર " પ્રાણાયામ કહેવાય; તાલુ, નાસા અને મુખના દ્વાર વડે વાયુને નિરોધ તે “શાંત’ પ્રાણાયામ કહેવાય. બાહ્ય વાયુને અંદર ખેંચીને પછી તેને પાછો ઊ'ચે ખેંચી હદયાદિમાં ધારણ કરવો તે " ઉત્તર’ પ્રાણાયામ કહેવાય. અને તેનાથી ઊલટું કરવું, એટલે કે ઉર્વ ભાગમાંથી વાયુને અધેભાગમાં લઇ જવો તે " અધર' પ્રાણાયામ કહેવાય. ( 1/4-9 ) રેચક પ્રાણાયામથી ઉદર વ્યાધિ અને કફ દૂર થાય છે, “પૂરક' પ્રાણાયામથી પરિપુષ્ટતા અને રોગક્ષય પ્રાપ્ત થાય છે. “કુંભક' પ્રાણાયામથી હૃદયકમળ ઝટ ખીલે છે. અંદરની ગ્રંથિઓ ભેરાઈ જાય છે. તથા બલ અને સ્થની વૃદ્ધિ થાય છે. " પ્રત્યાહાર'થી બલ પ્રાપ્ત થાય છે. “શાંત 'થી કાંતિ અને શાંતિ પ્રાપ્ત થાય છે. તથા " ઉત્તર’ અને ' અધર ' પ્રાણાયામથી " કુંભક 'ની સ્થિરતા પ્રાપ્ત થાય છે. ( 5/10-12 ) આ બધા પ્રાણાયામાદિથી કશો પારમાર્થિક લાભ તે થતા જ નથી; પરંતુ શારીરિક આરોગ્ય મૃત્યુજ્ઞાન, પરશરીર પ્રવેશ વગેરે કેટલીક અન્ય બાબતો અવશ્ય સિદ્ધ થાય છે. - યોગશાસ્ત્ર, ગો. પટેલ પૃ. 84-85. ) પ્રાણાયામની પ્રક્રિયાને આશ્રય લીધા વિના પરંતુ કેવળ તેને સંયમ રાખીને “બાતા યાનને ચો, કેવી રીતે થાય ?' એ પ્રશ્નના સમાધાન માં “ગુણરથાન ક્રમારે હ’માં જે વર્ણન કરવામાં આવ્યું છે, તેને સારાંશ નીચે મુજબ છે - Page #175 -------------------------------------------------------------------------- ________________ [10] ઢાળ 3/3 શબ્દાર્થ - યતના ... યેતનાથી. કીજીઈ ... કરીએ. ભાવાર્થ - કોઈ પ્રાણી ધ્યાનની સિદ્ધિ માટે પ્રથમ પ્રાણાયામ કરે, પણ તે પ્રાણાયામ પવનને જય કર્યા વિના થઈ શકતું નથી. જ્યાં મન હોય ત્યાં પવન હોય અને પવન હોય ત્યાં મન હોય. મન અને પવન બનેની ક્રિયા તે જ પ્રમાણે સમ કરવા માટે એટલે કે ક્ષીરનીરની માફક ( દૂધ-પાણીની માફક ) એકરસ કરવા માટે રેચક, પૂરક અને કુંભક પ્રાણાયામ કરવો જોઈએ. તે પ્રાણાયામના સાત પ્રકાર નીચે પ્રમાણે કાા છે (1) રેચક-(કઠામાંથી ઘણા પ્રયત્નપૂર્વક) નાસિકા, બ્રહ્મરંધ્ર અને મોંથી જે વાયુ બહાર કાઢવામાં આવે તે રેચક પ્રાણાયામ. (2) પૂરક-( બહારથી પવનને ખેંચીને ) અપાનદ્વાર પર્યન્ત કેન્ડમાં (ઉદરમાં) ભરે તે પૂરક પ્રાણાયામ. (3) કુંભક–નાભિકમલમાં તે પૂરક વાયુને સ્થિર કરીને રાક તે કુંભક પ્રાણાયામ. (4) પ્રત્યાહાર–એક સ્થાનથી બીજે સ્થાને વાયુને (ખેંચી) લઈ જ તે પ્રત્યાહાર. (5) શાન્ત-તાલ (તાળવું) નાસિકા અને મુખદ્વારેથી વાયુને નિરોધ કરે તેને શાન્ત કહે છે. જ્યારે પવનને સ્થિર કરી પાછા મૂ હોય ત્યારે યતનાથી મૂક. આ પ્રક્રિયાને શાન્ત પ્રાણાયામ કહેવામાં આવે છે. (પૃ. 99 ઉપરની પાદનોંધ.) (1) આહાર, આસન અને નિદ્રાને ય કરવો. (2) પદ્માસનાદિ જે જે આસનના અભ્યાસથી ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થાય, તે તે આસનમાં પ્રયત્ન કરો. (3) પ્રસન્ન એવા નેત્રાને નાસાગ્રે સ્થિર કરવા, નેત્રો કંઈક ઉઘાડા રાખવા તથા નેત્રોની કીકી સ્થિર રાખવી. (4) સર્વ ઈોિને પોતપોતાના વિષથી પ્રત્યાહત કરવી, (ગંભીર અને સ્થિર તિવાળાથઇને) (5) પ્રાણોને સંયમ રાખવો. (મંદમંદ પ્રાણાયામવાળા થઈને. ) (6) કમબંધમાં પ્રધાન કારણભૂત એવા વિકલ્પોને મનથી દૂર કરવા. (7) લલાટ આદિ ધારણું સ્થાનમાં મનને સ્થિર કરવું. ગુણસ્થાન ક્રમારોહ શ્લોક 52-53. Page #176 -------------------------------------------------------------------------- ________________ [10] ढा 3/3 (6) उत्त२ (प्राणायाम )-3uan मगामा वायुना शध. माझ पायुने यो में चार હૃદય આદિ પ્રદેશમાં ધારણ કરવો તે ઉત્તર પ્રાણાયામ. (7) અધર ( પ્રાણાયામ) હેઠલા અંગોમાં વાયુનો રાધ. બાઢા વાયુને ઉંચે ખેંચીને નાભિ આદિ નીચેના પ્રદેશમાં ધારણ કરે તે અધર પ્રાણાયામ ઉત્તર અને અધર પ્રાણાયામથી રોગાદિને ઉપદ્રવ ન થાય. અર્થાત પવનની સાધના निशापानु पारय छे....3 स२माव: मनो यत्र मरुत्तत्र, मरुद्यत्र मनस्ततः / अतस्तुल्यक्रियावेतौ, संवीतौ क्षीरनीरवत् // 2 // यत्कोष्टादतियत्नेन, नासाब्रह्मपुराननैः / बहिः प्रक्षेपणं वायोः स रेचक इति स्मृतः / / 6 / / समाकृष्य यदापानात् पूरणं स तु पूरकः / नाभिपक्षे स्थिरीकृत्य रोधनं स तु कुम्भकः // 7 // स्थानात्स्थानान्तरोत्कर्षः प्रत्याहारः प्रकीर्तितः / तालुनासाननद्वारेनिरोधः शान्त उच्यते // 8 // आपीयोर्ध्व यदुत्कृष्य हृदयादिषु धारणम् / उत्तरः स समाख्यातो विपरीतस्ततोऽधरः // 9 // रेचनादुदृख्याधेः कफस्य च परिक्षयः / पुष्टिः पूरकयोगेन, व्याधिघातश्च जायते // 10 // विकसत्याशु हृत्पद्म ग्रन्थिरन्तर्विभिद्यते / बलस्थय विवृद्धिश्च कुम्भकाद् भवति स्फुटम् // 11 // प्रत्याहारागलं कान्तिदेषिशान्तिश्च शान्ततः / उत्तराधरसेवातः स्थिरता कुम्भकस्य तु // 12 // ગશાસ્ત્ર પ્રકાશ 5, Page #177 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 3/4 ( દ્રવ્ય અને ભાવ પ્રાણાયામના ગુણે ). મૂળ:– દ્રવ્યે જાઈ ત્રિદોષ વાત પિત્ત કફ મુખા રે, કિં વા, ભાવ થકી નિર્દોષ હોઈ તસ નહિ ૨ષા રે, હિં તo; વિષય-કવાય આસંસ ત્રિદોષ ગયા થકી રે, કિં ત્રિ, દોષ શાંતિ તન કાંતિ વધે બલ બહુ થકી રે, કિં વ...૪ ટો - દ્રવ્ય થકી પણિ પવન સાધનાથી વાત, પિત્ત, કફ પ્રમુખના ત્રિદેષ રંગ જાઈ. ભાવ થકી પણિ વિષથ કષાય મિથ્યાત મંદતાઈ તથા નાશઇ, નિર્દોષ થાઈ. તેહનઈં રોષ ન હોઈ. વલી, વિષય-કષાય વિકાર ન હઈ. આસંસાએ ત્રિદેષને નાશ થાઈ. એ ત્રિદોષ અંતરંગ ત્રિદેષ પણિ સમઈ તિવારઈ દોષની શાંતિ હે ઈ. બહુ કાંતિ, પુણ્ય પ્રકૃતિની પુષ્ટિ થાઈ. દઢતાદિ ધૈર્ય બહુ વધઈ. ત્રિદોષ નાશ પામઈ. ગુણ બહુ થા....૪ શબ્દાર્થ - ત્રિદેષ .... ..વાત, પિત્ત અને કફના દે. સષા . ..ધ. આસંસ.. ...આશંસા, પૃહા, ઉકટ સ્પૃહા. ભાવાર્થ - પવનની સાધના દ્રવ્ય અને ભાવથી કરવાથી નીચે પ્રમાણે પરિણામ આવે છે - દ્રવ્યથી-વાત, પિત્ત અને કફ આ ત્રણે દે નાશ પામે છે; ભાવથી–આત્મામાંથી વિષય, કષાય અને મિથ્યાત્વ આ ત્રણે દેશે ચાલ્યા જાય છે, અર્થાત્ મંદ પડે છે. તેને શેષ હાય નહીં, વળી વિષયે અને કષાયોના વિકાર કે સુખની આશંસા-ઉત્કટ પૃહા-રહેતી નથી." વિષય કષાયના વિકારો અને મિથ્યાત્વની શાંતિ થવાથી અંતરંગ વિદેષ પણ શમે છે, શરીરની કાન્તિ વધે છે, પુણ્ય પ્રકૃતિ પુષ્ટ થાય છે, દઢતા, ધૈર્ય, બલ આદિ ગુણે બહુ વધે છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ [103] ઢાળ 3/4 વિવરણ - પ્રાણાયામ બે પ્રકારે છે– (1) દ્રવ્ય પ્રાણાયામ અને (2) ભાવ પ્રાણાયામ 9 દ્રવ્ય પ્રાણાયામમાં પવનને નિષેધ હોય છે, ભાવ પ્રાણાયામમાં માનસિક અશુદ્ધ વિકોને નિરોધ હોય છે. દ્રવ્ય પ્રાણાયામની સાધનાથી વાત, પિત્ત અને કફ એ ત્રણે પ્રકારના દે નાશ પામે છે. ભાવ પ્રાણાયામથી મિથ્યાત્વ મંદ થતાં વિષય કષાયના વિકાર અને બાહ્ય સુખની ઉત્કટ અભિલાષા નાશ પામે છે. આ રીતે બન્ને જાતના પ્રાણાયામથી બાહો તેમ જ અંતરંગ બધા દે શમે છે. કાન્તિ, પુણ્યપ્રકૃતિની પુષ્ટિ, દઢતા, ધર્ય આદિ ગુણોની વૃદ્ધિ થાય છે....૪ &tto | * ભાવ પ્રાણાયામ-ભાવ પ્રાણાયામ જ અધ્યાત્મરૂપ યોગ માગમાં ઈષ્ટ છે. ઉ. શ્રી યશોવિજયજી યોગદષ્ટિ સજઝાય ( ચોથી દીપાદષ્ટિની સઝાય )માં જણાવે છે કે બાહ્ય ભાવ રેચક બહાંજી, પૂરક અંતરભાવ. કુંભક થિરતા ગુણે કરીછ, પ્રાણાયામ સ્વભાવ. મનમોહન જિન”, મીઠી તાહરી વાણુ. –આઠ દૃષ્ટિની સજઝાય. (પૃ. 19) Page #179 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 35 ( દાસીન્યરૂપ ઔષધિ અને ધર્મામૃત પશ્ય ) મૂળ - ઔદાસીન્ય મૃગાંકપુડીની સેવના રે, કિં પુ, કરતાં પાવન થાય નહિ કલુષિત મના રે, કિં ના; થાપ તિહાં વલી બીજ હૃદયમલેં સદા રે, કિં હું, સ્થાન વર્ણ ક્રિયા અર્થ આલંબન તે મુદા રે, કિં આ ...5 ટો - તે ત્રિદોષ ગઈ ઉદાસીનતારૂપ મૃગાંકપુડીની સેવાના કરાવઈ. અપ્રમાદરૂપ નિવાત, વિકથા રહિત વિજન-એકાન્ત સેવાવઇ, ધર્મામૃત પથ્ય સેવાવઈ તેહવી પુડી સેવતાં કલુષિત મન ટલે, ધર્મરુચિ વધ. બાહ્યમલ રેગાદિક, અંતરંગ મલ અશુભ ધ્યાનાદિક તે ટલતે પાવન થાઈ એ તે આગામિ સુભિક્ષ થાનાર હોઈ તિવારે વરસતા થંભ જિમ, તથા સૂર્ય ઉગતાં પહિલી જિમ પ્રભાતિ તિમ એ જાણવા. હવઈ એહવા શુભાશયરૂપ ધરતીમાં હૃદયકમલઈ બીજ થાપઈ. તે બીજ કેહાં સ્થાન, વર્ણ, ક્રિયા, અર્થ, આલંબન 5 પામઈ. સ્થાન તે મુદ્રા, પ્રસ્થાન, ન્યાસાદિ, વણે તે પ્રયત્ન ઉદાત્તાદિક. ક્રિયા તે શપગ (નહીં ) (અથવા) સ્વમતિ કલ્પિત નહીં. અર્થ તે યમનિયમાનુયાયી ગુરુ પ્રદત્ત આલંબન તે પ્રતિમા સ્થાપનાદિક ઈત્યાદિ બીજ ક્રિયાનાં વલી પ્રાણાયામનો વિચાર લેશ કહિઈ છઈ...૫ શબ્દાર્થ - દાસી .... . ..માધ્યગ્ય, સંસારના પદાર્થોમાં રાગદ્વેષનો અભાવ,* મૃગાંક પુડી .... ..ચંદ્રોદયની પડીકી. સેવના .. ... .ચિકિત્સક તરફથી ઔષધના ઉપયોગ સમયે પાદિને આગ્રહ રહે તે. બીજ (ક્રિયામાં) સ્થાન, વર્ણ, ક્રિયા, અર્થ અને આલંબન. થાપે ... ... ...સ્થાપન કરે, વાવે. હૃદયકમલે... ... ....હૃદયરૂપી કમલમાં, હદયરૂપી ભૂમિમાં. * ધ્યાનને પરમ હેતુ માધ્યરથ છે, ઉ. ભ. પ્ર. કથા પૃ. 2054 Page #180 -------------------------------------------------------------------------- ________________ [105] ઢાળ 3/5 સ્થાન . ..... .....મુદ્રા, પ્રસ્થાન, ન્યાસાદિ. વણું.... .... ..... ....સ્વર, ઉદાત્તાદિ પ્રયત્ન. ક્રિયા ...તે ઉપયોગ રહિત કે સ્વમતિ કપિત ન હય. અથ ... .. ...યમ-નિયમાનુયાયિ, ગુરુપ્રદત્ત. યમ તથા નિયમને અનુસરતે અને ગુરૂએ જે અર્થ આપ્યો હોય તેઆલંબન... ... ....પ્રતિમા. ભાવાર્થ - બાહ્ય તથા અંતરંગ ત્રિદોષ ચાલ્યા ગયા પછી માધ્યરચ્યભાવરૂપી ચન્દ્રોદયની પડીકીનું સેવન કરવું જોઈએ તેમાં (1) પ્રમાદના ત્યાગરૂપી પવન વિનાનું સ્થળ તથા (2) વિકથાના ત્યાગરૂપી એકાન્ત સ્થળનો આશ્રય કરવો જોઈએ. ધર્મરૂપી અમૃત પથ્ય છે, તેનું સેવન કરવું જોઈએ. આ પથ્યપૂર્વક ચન્દ્રોદયની પડીકીનું ( માધ્યસ્થભાવનું ) સેવન કરતાં મનની કલુષિતતા ટળે, ધર્મની રુચિ વધે. બાહ્યમલ તે રોગ આદિ અને આત્યંતર મલ તે અશુભ ધ્યાન આદિ, તે ટળે એટલે આમા પાવન થાય. આ બધું સુભિક્ષ થવાનું થાય ત્યારે આકાશમાં જેમ વરસાદ વરસતી વખતે ( ઘનઘેર ) થંભ (થાંભલે) દેખાય તથા સૂર્ય ઉગતાં પૂર્વ પ્રભાતનો અરુણોદય દેખાય તેના સમાન છે. આવા શુભ આશયવાળી હદયકમલરૂપી ધરતીમાં ક્રિયાના બીજની સ્થાપના કરવી જોઈએ. તે બીજ નીચે જણાવેલાં પાંચ છે - (1) સ્થાન, (2) વર્ણ, (3) ક્રિયા, (4) અર્થ અને (5) આલંબન. શબ્દાર્થ - સ્થાન .. ....મુદ્રા, પ્રસ્થાન અથવા ન્યાસ આદિ. વર્ણ ... ....સૂત્રરૂપ શબ્દ ઉચ્ચારણને પ્રયત્ન, ઉદાત્ત, અનુદાત્ત કે સ્વરિત આદિ. ક્રિયા ..... ....ઉપયોગશૂન્યતાવાળી ન હોય અથવા સ્વમતિકવિપત ન હોય તેવી ધર્માચરણને અનુકુલ ક્રિયા. અર્થ ... ....યમ, નિયમને અનુસરતે તથા ગુરુ તરફથી પ્રાપ્ત થયેલ અર્થ. આલંબન ....પ્રતિમા તથા સ્થાપનાચાર્ય આદિ. આ બધાં ( ક્રિયાનાં ) બીજેને હર્ષપૂર્વક હદયકમલરૂપી ભૂમિમાં સ્થાપન કરવાં જોઈએ. સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ વિરચિત ગર્વિશિકામાં દર્શાવેલા યોગની પ્રક્રિયાના અંગે-“સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને આલંબન રહિત” એ પ્રમાણે છે. તેમાંથી Page #181 -------------------------------------------------------------------------- ________________ [16] ઢાળ 3/5 સ્થાન, વણે જે ક્રિયા-ચોગ છે તેને સ્થાન, વર્ણ તથા ક્રિયારૂપે ત્રણ યોગગો દર્શાવ્યા છે. અર્થ, આલંબન અને અનાલંબન એ ત્રણ જ્ઞાન છે. અનાલંબન યોગ અહીં દર્શાવ્યો નથી તે ઉપલક્ષણથી સમજી લેવું. તે પ્રક્રિયાને મૂળ લેક આ પ્રમાણે છે: ठाणुन्नत्थालंबण-रहिओ तंतम्मि पंचहा एसो, दुमित्थ कम्मजोगो, तहा तियं नाण जोगा उ // 2 // ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ આ શ્લોકની વ્યાખ્યામાં સ્થાન અને વર્ણન કર્મ ગરૂપે અને અર્થ આલંબન તથા નિરાલંબનને જ્ઞાનગરૂપે દર્શાવેલ છે. તે આ પ્રમાણે - व्याख्या-अत्र स्थानादिषु 'द्वय' स्थानार्णलक्षणं कर्मयोग एव....तथा त्रय अर्थालम्बननिरालम्बनलक्षणं ज्ञानयोगः / / આલંબન રહિત એટલે રૂપાતીત અથવા રૂપ વિવર્જિત જે આ પેગ પ્રણાલિકામાં પાંચમું અંગ છે. અનાલંબન યોગ માટે યોગપ્રદીપમાં કહ્યું છે કે - षट्चक्रचतुःपीठादि सर्व त्यक्त्वा मुमुक्षुभिः / / आत्मा ध्यातव्य एवाय ध्याने रूपविवर्जिते // 15 // અર્થ– રૂપવિવર્જિત ( રૂપાતીત ) ધ્યાનમાં છ ચક્ર, ચાર પીઠ વગેરે સર્વને ત્યાગ કરીને મુમુક્ષુઓ ( મોક્ષના અભિલાષીએ ) ( ઉપર કહ્યા એવા ગુણોવાળા ) આ આત્માનું જ થાન કરવું. | 15 | રૂપાતીત ધ્યાન અથવા પરમાત્માના ગુણેનું ધ્યાન એ “શુકલ ધ્યાનાંશ” રૂપ છે. આ પ્રકારનું ધ્યાન આજે પણ હોઈ શકે છે. તે ઉપાધ્યાયજીને અનુભવસિદ્ધ હતું. ( યોગવિંશિકાની વૃત્તિ, . ૧૯ની ટીકા ) વિવરણ - પવનને સાધક અકલુષિત મનવાળો હોય છે. મનની તે અકલુષિતતા ઔદાસીન્ય ( માધ્યર ભાવ)ના સતત સેવનથી આવે છે. સાધક પ્રમાદ રહિત થઈને એકાન્તનું સેવન કરે છે. એથી ધર્મરુચિ વધે છે, બાહ્યમવરૂપ શારીરિક રંગો નાશ પામે છે અને અંતરંગમલરૂપ અશુદ્ધ ધ્યાનાદિ ટળે છે. આવી રીતે આ સાધક શુભ આશયવાળો થાય છે. આ સાધક હૃદયકમલમાં ગુરુગમ પ્રમાણે યોગનાં પાંચ બીજ-સ્થાન, વર્ણ (ક્રિયા), અર્થ, આલંબન અને અનાલંબનની (સ્થાપના) કરે...૫ * માથરશ્ય, સમતા, ઉપેક્ષા, વૈરાગ્ય, સામ્ય, નિસ્પૃહતા, વૈતૃદય, પરમ શાન્તિ-એ બધા શબ્દો વડે એકજ અર્થ કહેવાય છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 3/6 ( પ્રકૃતિ(વૃત્તિ)સંકોચ, વિકાર-અવિકાર અને નિર્વિકાર માટે પવનની સાધના ) મૂળ - પ્રાણાપાન સમાન ઉદાન અવ્યાન ઇં રે, કિં ઉછે. અંગે પંચ સમીર તે બીજ સમાન છે રે, કિં તે; જૈ જૈ જૈ oN o અનાહત બ્રહ્મના રે, કિં અ. દ્રવ્ય પવનના પંચ એ બીજ છે ધર્મનાં રે, કિં બી...૬ ટબે– પ્રાણ 1, અપાન 2, સમાન 3, ઉદાન 4, અત્યાન ( વ્યાન ) 5. એ પાંચ વાયુ અંગ મધે છઈ પ્રાણવાયુ તે નાશાગ્રથી પ્રારંભી યથાવત્ પાનીય સુધી (1) (અપાન ?)* (2) સમાન વાયુ તે સંધિ હૃદય શિરૉતર તે નીલ વર્ણ. (3) ઉદાન તે કંઠ, તાલુ, ભુવાદિક મધ્યવતિ નીલરુફ. (4) અવ્યાન તે સર્વ ત્વચા વ્યાપી રકતરુફ (5) તે મળે પ્રાણ, અપાન એહના ગમાગમઈ ધારણા કરવી. ઉદાન તે રૂપ કરવો. સમાન તે ઈન્દ્રિય જયાર્થઈ થાય. ઈત્યાદિક સર્વ વિચાર વેગશાસ્ત્ર, ગપ્રદીપ, યોગ-પતંજલિ ગ્રંથથી જાણવા. પ્રકૃતિ (પ્રવૃત્તિ) સંકેચક વિકારાવિકાર, નિર્વિકાર સાધનાના કારણે પવન * અપાન વિશે ટબામાં સમજૂતિ આપવી રહી ગઈ છે. પ્રવૃત્તિ સંકોચ :- ઈદ્રિયોને દ્રવ્યજય તે ઈદ્રિયોની પ્રવૃત્તિનો સંકેચ કરવા રૂપ છે. વિકાર :- રાગ, દ્વેષ, મહામોહ આદિ વિકારો છે. તત્વની પ્રતીતિ ન થવી તે આત્માનો વિકાર, પાપથી પાછા હઠવાનું ન થવું તે આત્માને વિકાર, પરિણતિમાં વિપર્યાસ તે આત્માને વિકાર. આગમત વર્ષ 1 પુસ્તક-૨, પૃ. 17. સુખ-દુ:ખ આદિ રૂ૫ ભોગ, સંસાર અવસ્થામાં આત્માને વાસ્તવિક વિકાર છે, મનને નહિ. - પાતંજલ યોગદર્શનની વૃત્તિ. ( ઉ. યશવિજયજી ) પૃ. 108. વિકાર અવિકાર :- વિકાર અવિકાર દશા એ લમવિલેમ સ્થિતિ છે. આમાં કયારેક તત્ત્વની પ્રતીતિ થાય, કયારેક ન થાય, પાપથી પાછા હઠાય, કયારેક ન હઠાય; પરિણતિમાં વિપર્યાસ થાય, ક્યારેક ન થાય. Page #183 -------------------------------------------------------------------------- ________________ [ 108 ઢાળ 3 6 છઈ તે માટઇ પવન સાધવાનઈ એ પાંચ વર્ણનેં બીજ છઈ. મેં તે પ્રાણ, 1 (અ) પાન, છે સમાન. ઉદાન, 4 અવ્યાન 5. એ પવનના વર્ણ છઈ. એ પ સમીર ઉઠાડઈ તિ વારઈ અનાહતનાદ દસમેં દ્વારે પવન પહોંચાઈ તિવારઇ લીન થાઈ. તિવારઈ અજાણ કહસ્ય શૂન્ય થયો. અનઈ ભેદ જ્ઞાની કહયે તન્મયભાવ થયો. પવનાભ્યાસી કહસ્યU અનાહતનાદ પામ્યો. ઈત્યાદિ ભાવ કહઈ. અનઈ દ્રવ્ય પવનનાભ્યાસીને પણિ આહાર, નિદ્રા, વિકથા, આસન દઢતાના ધર્મ હોઈ...૬ શબ્દાર્થ - પંચ સમીર . . પાંચ વાયુ. પાંચ સમીરના, અનાહત બ્રહ્મના બીજ અને દ્રવ્ય જો, 1, હૈ, , . સમીર બીજ પંચક પવનાલ્યાસીના બીજ દ્રવ્ય પવનાલ્યાસીને ધર્મ -. .... ...... ....આહાર, નિદ્રા, વિકથા તથા આસન દઢતાનો ધર્મ. ભાવાર્થ -- વાયુ પાંચ પ્રકારના છે - (1) પ્રાણ, (2) અપાન, (3) સમાન, (4) ઉદાન અને (5) વ્યાન. આ પાંચ વાયુ શરીરમાં વસે છે. (1) પ્રાણવાયુ-નાસિકાના અગ્ર ભાગ ઉપર, હદયમાં, નાભિમાં અને પગની પાની અથવા અંગુઠા પર્યત પ્રસરે છે. * (પૃ 107 ઉપરની પાદનોંધ ચાલુ) આ પહેલું વૈરાગ્ય કહી શકાય. તેને શ્રી ઉપાધ્યાયજી " આપાત ધર્મ સંન્યાસ' કહે છે. તે વિષયગત ની ભાવનાથી શરૂઆતમાં ઉત્પન્ન થાય છે. નિર્વિકાર :- આ દશામાં તત્ત્વની પ્રતીતિ થાય, પાપથી પાછા હાય, પરિણતિમાં વિપક્ષ સંભ નહીં. આ બીજું વૈરાગ્ય કહી શકાય. તેને થી ઉપાધ્યાયજી તરિક ધર્મ સંન્યાસ ' કહે છે. તે સ્વરૂપ ચિતનથી ઉત્પન્ન થતી વિષની ઉદાસીનતા છે. આ આઠમે ગુણસ્થાનકે સંભવિત છે. તેમાં સમ્યફાવ ચારિત્ર આદિ ધર્મ ક્ષાપશમિકની અપૂર્ણ અવસ્થા છોડીને ક્ષાયિક ભાવની પૂર્ણતા પ્રાપ્ત કરે છે. * प्राणो नासाग्रहृन्नाभिपादाङ्गुष्टान्तगो हरित् // 14 // Page #184 -------------------------------------------------------------------------- ________________ [ 109] ઢાળ 3/6 (2) અપાનવાયુ-કંઠની પાછળની બે નાડીઓ, પિઠ, ગુદા અને પગની પલ્લી (પાણિ)માં હોય છે. તેનો વર્ણ શ્યામ છે. (3) સમાનવાયુ-હદય, નાભિ અને સર્વ સાંધાઓમાં તથા મસ્તકની અંદર હોય છે. તેનો વર્ણ લીલો હોય છે 4 (4) ઉદાનવાયુ હદય, કંઠ, તાળવું (દશમદ્વાર ), ભ્રકૃટિ (આદિ)ના મધ્ય ભાગમાં અને મસ્તકમાં રહેનાર છે. તે લીલી કાન્તિવાળો હોય છે.* (5) વ્યાનવાયુ-સંપૂર્ણ ત્વચામાં વ્યાપીને રહેલ અને લાલ કાન્તિવાળ હોય છે. = પ્રાણ તથા અપાનવાયુને તેના ગમ-આગમ (રેચક પૂરક) પ્રવેગ વડે - તથા ધારણા (કુંભક) વડે જય કરે. ઉદાનવાયુને પણ તે જ પ્રમાણે જય કરે. સમા નવાયુને ઇન્દ્રિયના જય+ માટે સ્થાપન કરે. આ સઘળો વિચાર યોગશાસ્ત્ર, ગપ્રદીપ, વેગપતંજલિ (પાતંજલ યોગદર્શન) વગેરે થી જાણ. * अपान: कृष्णरुगू मन्यापृष्टपृष्ठान्तपाणिगः // 16 // * કલિકાલસર્વજ્ઞ આનો વર્ણ રક્ત દર્શાવે છે. જુઓ : शुक्ल: समानो हन्नामिसर्वसन्धिष्ववस्थितः // 17 / / + કલિકાલસર્વજ્ઞ આનો વર્ણ રક્ત દર્શાવે છે. જુઓ : रक्तो हृत्कण्ठतालुभ्रूमध्यमूर्धनि संस्थितः उदान: // 18 / / = કલિકાલસર્વજ્ઞ આનો વર્ણ ઇન્દ્ર ધનુષના જે દર્શાવે છે. જુઓ - सर्वत्वग्वृत्तिको व्यानः, शक्रकार्मुकसन्निभः // 20 // - ગમ-રેચક ક્રિયા, આગમ-પૂરક ક્રિયા. 0 गमागमप्रयोगेण तज्जयो धारणेन वा / / 14 // –યોગશાસ્ત્ર પંચમ પ્રકાશ. + ઈનિ જય ચારિત્રમોહના ઉદયથી નહિ રમણ કરવા ચોગ્ય પરભાવમાં રમણ કરવું તે અસંયમ છે. ત્યાં વર્ણાદિ તે માત્ર જાણવા ચોગ્ય છે એમ નથી, પણ રમ્ય હેવાથી તેમાં રમણ કરવું એટલે વિષયને ગ્રહણ કરનાર ઈન્દ્રિય દ્વારા પ્રવૃત્ત થએલ જ્ઞાનનું ઈષ્ટપણે અને અનિષ્ટ પણે પરિણમન કરવું, તેને જય કરવો એટલે ઈટ અને અનિષ્ટપણે પરિણમતા જ્ઞાનને રોકવું તે ઇન્દ્રિયને જય. તાત્પર્ય એ છે કે જે દ્વારા વણદિનું જ્ઞાન થાય, પણ ઇષ્ટપણું કે અનિષ્ટપણું ન થાય તે ઇન્દ્રિય જય છે. તે Page #185 -------------------------------------------------------------------------- ________________ [110] ઢાળ 3/6 પ્રકૃતિ (વૃત્તિ) કેચ, વિકાર-અવિકાર કે નિર્વિકાર સાધનાનું કારણ પવન છે. પવનની સાધના માટે પાંચ બીજે ( બીજાક્ષરે ) દર્શાવ્યા છે. તે આ પ્રમાણે - 2 પ્રાણવાયુની સાધના માટે. હિં અપાનવાયુની સાધના માટે, દ્વિ સમાનવાયુની સાધના માટે. તે ઉદાનવાયુની સાધના માટે વ્યાનવાયુની સાધના માટે છે આ પાંચ વાયુને જ્યારે સાધક (નાદના રથુલ ઉચ્ચારણ દ્વારા ) ઉઠાડે ત્યારે અનાહતનાદ દશમ દ્વા૨માં એટલે કે બ્રહ્મરંધ્રમાં પહોંચે અને તે સ્વરૂપમાં લીન થાય. અજ્ઞા(પૃ. 109 ઉપરની પાદોંધ ચાલુ ). અનાદિકાળની અશુદ્ધ અસંયમની પ્રવૃત્તિને નિવારણ કરવારૂપ છે. જ્ઞાન એ આત્માનું પોતાનું લક્ષણ હોવાથી વ પર વસ્તુને બોધ થવા રૂપ છે, પરંતુ તેમાં ઇષ્ટપણું અને અનિષ્ટપણારૂપ વિભાવ જ પર વસ્તુના સંગથી થએલ અનાદિ પરંપરાજન્ય અશુદ્ધ પરિણામ છે તે સર્વથા ત્યાગ કરવા ગ્ય છે. માટે ઇન્દ્રિયો જય કરવા યોગ્ય છે. તેમાં દ્રવ્યજય એ ઈન્દ્રિયની પ્રવૃત્તિને સંકોચ કરવા વગેરે રૂપ છે. ભાવજય એ આત્માના ચેતના અને વીર્વગુણની સ્વરૂપને અનુલ પ્રવૃત્તિ કરવારૂપ છે. જ્ઞાનસાર-ન્દ્રિયજયાષ્ટક પૃ. 42-43. સારા અથવા બૂરા શબ્દ આદિ વિષયોની સાથે કર્ણ આદિ ઇંદ્રિયોને સંબંધ હોય તો પણ તત્વજ્ઞાનના બલથી જે રાગદ્વેષ પેદા ન થાય તે જ ઇંદ્રિયોની પરમવસ્યતા છે. પરમવશ્યતાનો એક માત્ર ઉપાય જ્ઞાન જ છે, જ્ઞાન પણ એવું સમજવું જોઈએ કે જે અધ્યાત્મ ભાવનાથી થવાવાળા સમભાવના પ્રવાહવાળું હાય. પાતંજલ યોગદર્શનની વૃત્તિ (ઉ. શ્રી યશોવિજયજી) પૃ. 106 * प्राणापानसमानोदानव्यानेष्वेषु वायुषु यै पै वै रौ लौ बीजानि ध्यातव्यानि यथाक्रमम् / / 21 // -ગશાસ્ત્ર ( પંચમ પ્રકાશ. ) Page #186 -------------------------------------------------------------------------- ________________ [111] ઢાળ 3/6 નીઓ એને શૂન્યાવસ્થા કહે છે. ભેદજ્ઞાનીઓ એને “તમયીભાવ” કહે છે. પવનના અભ્યાસીઓ એને “અનાહતનાદની પ્રાપ્તિ” કહે છે. દ્રવ્ય પવનના અભ્યાસીને પણ આહાર, નિદ્રાદિ તથા આસનદઢતા વિષે જે ધર્મો કે નિયમો પાળવાના હોય છે, તેમાં ઉપયુંક્ત બીજો ( ચે છે વગેરે) સહાયક થાય છે. 6 આ વિષયની સમજૂતિ આપે તેવું “મરકાર બીજ પંચક તથા સમીર બીજ પંચક”નું યંત્ર નીચે આપવામાં આવે છે...૬ नमस्कार बीजपंचक तथा समीर बीजपंचक 4. \ / Page #187 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 3/7 ( પવન નિર્જરથી થતા લાભો. ) મૂળ: દીપન હાઈ જઠરાગ્નિ તન લાઘવપણું રે, કિં તે, રેગાદિકને નાશ અલ્પમલ ધારણું રે. કિ અન્ય; ગમનાગમનં શ્રાન્ત ન હોઈ દઢ આસન રે, કિં દ૬, પવનતણું જય હોય કૃપારસ વાસન રે. કિં કૃ...૩ ટ: વલી, જઠરાગ્નિ દીપઈ, કામવીર્ય યવ ન હોઈ, શરીરઇ લધુતાપણું હાઈ-હલકે થાઇ. બાહ્ય રોગાદિકના નાશ થાઇં. મલ અ૫ ઉચ્ચારાદિક થેડા શરીર સુગંધ વાતાદિક નિમ. થેડા એતલઈ નહી જ. ગમનાગમનઈ થાક ન . તથા સ્વાસાદિક શ્રમ ન હોઇ. આસનની દઢતા હોઇ. વાકાની ચપળતા, શરીર ચાલતા, ઉત્સુકતાદિ દોષ શાંતિ હોઈ. પવનને ય થાઇ, તિવારઈ કૃપા કરુણારસની વાસના ઉપજઈ, નિર્દયપણું લઈ.........૭ શબ્દાર્થતનુ લાઘવપણું . શરીર હળવું જણાય. અ૯પ મલ ... ....મળ થેડ, ઝાડે (દસ્ત) ઘેડે પણ ખુલાસાથી આવે. ડે અહીં “નહીં જે ”ના અર્થમાં છે. (શરીર સુગધી, અપાન વાયુની છૂટ. ) કૃપારસ વાસનં. .... કરસની વાસના ઉપજે, નિર્દયપણું છે. ભાવાર્થ: ( વાયુને જીતવાથી ) (1) જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. * જ સરખા : ' प्राबल्य जाठरस्याग्नेर्दीघश्वासमरुज्जयो / लाघवं च शरीरस्य, प्राणस्य विजये भवेत् // ' હેમચંદ્રાચાર્ય કૃત શાસ્ત્ર, પ્રકાશ-૫ મે, લે. 22 Page #188 -------------------------------------------------------------------------- ________________ [13] ઢાળ 3/7 (2) કામવીર્યનું વન (ખલન ) થતું નથી. (3) શરીર હલકું થાય છે. (4) રોગ વગેરેને નાશ થાય છે અને મળની અલ્પતા થાય છે. (મળ છેડે એટલે નહીં જેવો ) (5) પવન વગેરેને નિર્ગમ શેડો હોય ત્યારે શરીર સુગંધમય લાગે છે. (6) હરતાં ફરતાં થાક લાગતું નથી, શ્વાસ ચઢત નથી. (7) આસનની દઢતા પ્રાપ્ત થાય છે. (8) વાક્યની ચપળતા, શરીરની ચંચળતા ઉત્સુકતા આદિ દેશો શાંત થઈ જાય છે. (9) પવનનો જય થાય છે ત્યારે કરુણ રસ ઉત્પન્ન થાય છે; અને (10) નિયપણું-નિષ્ફરતા ટળે છે......૭ Jain Educ 1 International Page #189 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 3/8 ( પવનાભ્યાસ) મૂળ: લિગ નાભિ ને તુંગ(દ) રિદય કંઠ તાલુઈ રે, કિં રિટ રસના નાસા નેત્ર ભૂ ભાલ શિરમાલી રે, કિં 0 ઈણિ મિં નિજ તેજ ધરે, વાયુ ચારણ્યું રે, કિં વા સ્થાનાંતર કરી એમ સાધે દશદ્વારસ્યું રે, કિં સા....૮ બે - લિંગચક. નાભિચક્ર, હદયચક્ર, ઉદર (ઉર) ચક્ર, (કંઠ) તાલુઉં, રસના, નાશા, નેત્ર, બ, ભાલ, શિર એ ઠેકાણું તેજ રહેવાનાં, તથા વર્ણ ન્યાસનાં તથા વરદવનિ ઉત્પાદક સ્થાનક એ શરીર પુત્ત (ગ) લકાદિકઈ જણાઈ. તથા પવન થાપવાનાં સ્થાનક પણિ છઈ. વાયુ સાધવાનાં સ્થાનાંતર કરઈ. ઈહાં 15 અવસ્થા છઈ તે પ્રભાતિ જે સ્વર સાધનામાં જે અવસ્થામાં નાડી પ્રચાર હોઈ તે દિનઇ તે અવસ્થા થાઈ. મુખ્યતામાં હોઈ પછઈ વલી પૂર્ણ સાધક હાઈ. દશમાદ્વારથી ફેરવી ચક્ર સાધઈ....૮ શબ્દાર્થ - કામિ .... ....(તેજ માટેનાં) સ્થાનમાં, ઠેકાણામાં નિજ તેજ ...પિતાનું તેજ કે રશ્મિ. વાયુ ચારણ્યે...વાયુ-પવન-ના સંચારથી. દશદ્વાર .બ્રારબ્ર. ભાવાર્થ : (1) લિંગ, (2) નાભિ, (3) ઉદર, (4) હૃદય, (5) કંઠ, (6) તાલુ. (7) રસના, (8-9) નાસિકાનાં ડાબા જમણા ધ્રો, વિરે, (10-11 ) નેત્ર ( ડાબા જમણ) (12-13) ભ્ર (ડાબા જમણાં ), (14) ભાલ; અને (15) શિર (બ્રહ્મરંધ્ર ) પવનના અભ્યાસ માટે અહીં દેહમાં– (1) તેજ અથવા રશ્મિ રહેવાનાં સ્થાને દર્શાવ્યાં છે, (2) આ વર્ણન્યાસના તથા Page #190 -------------------------------------------------------------------------- ________________ [15] ઢાળ 3/8 (3) વરવનિના ઉત્પાદક છે અને શરીરના પુદગલાદિકમાં જણાય છે, (4) તે વાયુ સ્થાપવાના તથા (5) સ્થાનાન્તર કરવાના પણ સ્થાનક છે. અહીં પંદર અવસ્થાનું પંદર તિથિ સાથે અનુસંધાન કર્યું છે. પ્રભાતે જે સ્વર સાધનામાં જે અવસ્થામાં નાડી પ્રચાર હોય તે દિને તે અવસ્થા થાય. મુખ્યતઃ તે પ્રમાણે દરેક તિથિએ તે તે સ્થાનમાં પવન અને મનની ધારણા કરવી. તે પ્રમાણે ઠેઠ દશમદ્વાર એટલે બ્રહ્મરક્ન-શિર-સુધી જવું ત્યાંથી તે પ્રકારે જ પાછું ફરવું...૮ * તિચિને આરંભ સૂર્યોદય સમયે નહીં પણ પંચાંગમાં તે તે તિથિને આરંભ જે જે સમયે જણાવ્યો હોય તે તે સમયે થાય છે. તિથિની વધઘટ હોય તો પણ સ્વર ધારણામાં અડચણ આવતી નથી. નાથસ્વદય પૃ. 8 Page #191 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 39 ( પવનાભ્યાસથી પૂરણા પ્રમાની સાધના) મળ:– ઇમ કરે પવનાભ્યાસ, ક્ષુધા તૃષા જીતવા રે, કિં વર્ણ રૂપ રસ ગંધ શબ્દ ગુણ સાધવા રે, કિં શo; ઈન્દ્રિય વિષય વિકાર તણે વશિ નવિ હોઈ રે, કિં તo, ઈમ કરતાં બ્રહ્મરંધ્ર લહી સિદ્ધિ નૈ જઈ રે, કિં લ....૯ એ - ઈણિ પરિ પવનાભ્યાસ કરતે ક્ષુધા તૃષા જીત. પૂરણા પ્રમ નામ સાધના પામઈ. બે પરવાહ તે પૂરણ પ્રમા નામ સાધના કહિઈ. તેહને વિચાર નિગમ ચિંતામણિથી જાણ. તેહથી વર્ણ, રસ, ગંધ, શબ્દ ગુણ સર્વ સધાઈ. અશુભ શુભ થાઈ. તે હવે પ્રાણી ઈદ્રિય વિષય વિકારનઈ વિશિ ન થાઈ. ધ્યાન થિરતા રહઈ. ઈમ કરતાં બ્રહ્મરંધ્ર જ્ઞાનમાર્ગ પામીનઈ સિદ્ધિને જોઈ. એતલઈ રૂપાતીત ધ્યાનના ગ્યતા હોઈ. ગનલિકા બાંધીનઈ શુદ્ધાતમ સેરી નિહાલઈ...૯ શબ્દાર્થ - વગુણ .... ....ચક્ષુમાં વાયુને ધારી રાખવાથી વર્ણનુ-રૂપનું જ્ઞાન થાય છે. રસગુણ ....જીભના અગ્રભાગ ઉપર વાયુને ધારી રાખવાથી સર્વ જાતના રસનું જ્ઞાન થાય છે. ગંધગુણ -નાસિકાના અગ્રભાગ ઉપર વાયુને ધારી રાખવાથી ગંધનું જ્ઞાન થાય છે. શબ્દગુણ . . કર્ણના અગ્રભાગ ઉપર વાયુને ધારી રાખવાથી શબ્દનું જ્ઞાન થાય છે. ભાવાર્થ - આવી રીતે પવનને અભ્યાસ કરવાથી સુધા અને તૃષા ઉપર વિજય મળે છે. અર્થાત પૂરણ પ્રમાં નામની સાધના પ્રાપ્ત થાય છે. સુધા અને તૃષાની “બેપરવા " તે જ પૂરણ પ્રમ સાધના છે. તેના વિષે વધારે વિચારણા કરવી હોય તે નિગમ ચિંતામણિ ગ્રંથ જે. તેનાથી વર્ણ, રૂપ, 23, ગંધ અને શબ્દના ગુણો–સર્વ સાધી શકાય છે, અશુભ શુભ Page #192 -------------------------------------------------------------------------- ________________ [117] ઢાળ 3/9 થાય છે. આ રીતે પવનની સાધના કરતે આત્મા ઈન્દ્રિય વિષયના વિકારને વશ થત નથી. થાનની તેને સ્થિરતા રહે છે. એમ કરતાં કરતાં યેગી બ્રારબ્ધ જ્ઞાનમાર્ગને પામીને સિદ્ધિને જુએ છે. અર્થાત્ રૂપાતીત ધ્યાનની યોગ્યતા પ્રાપ્ત કરે છે; અને એગ નાલિકા ( સુષમ્ય ) બાંધીને એટલે ઈડા અને પિંગલાને કુંભક કરીને શુદ્ધાતમ શેરી એટલે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જેને મધ્યમાર્ગઝલ કહે છે તે નિહાળી શકે છે...૯ જો ભી જ છે * જુઓ યોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશ, લે. 10 Page #193 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 3/10 ( આરાધનાને પ્રપંચ ) મૂળઃ - દ્વાદશ વિદ્યા સ્થાન ભજે તિહાં અનુક્રમે રે કિં ભ૦, પૃથિવ્યાદિક પંચભૂત તણાં તત્ત્વ અભિગમેં રે, કિં તળ; મંડલચકને આર આવર્ત પ્રમુખ બહુ રે. કિં આવે, તેહના જે વિસ્તાર લહા ગ્રંથથી સહુ રે. કિ લ૦.૧૦ ટઃ અનુક્રમ દ્વાદશ વિદ્યાસ્થાન ભજઈ. જમિણ 4, મેડિણ 4, સ્થભિણું ૪–એવ 12 તે સાત્વિક 1, રાજસ 2, અનઈ તામસઈ 3 જોડતાં થાઈ અથવા અષ્ટાંગ યેગ 1, અધીતિ, 2, બેધ, 3 આચરણ, 4 પ્રચારણે કરી થાઈ, તથા વલી પૃથિવ્યાદિક પાંચ તત્વના અભિગમ જાણવા. રૂ૫ઇ કરી પણિ પ્રાપક થાઈ પવનાભ્યાસી વિના પણિ અનાહત નાદ પામઈ. મંડલ, ચક્ર આરા આવ7 ઈત્યાદિક મંડલ મંત્રઅવતાર, ચક હદયકમલાદિકે, આરા સાધનાદિક આવર્ત તે વાસ સ્થાપનાદિકે, અવગુંઠન, ઉસરણ, ભૂમિ પ્રમાર્જન પ્રમુખ બહુ વિધાન કહ્યાં છઈ તે જાણવાં. તેહના જે વિસ્તાર પ્રપંચ બુધજનઈ સઘલાઈ લાાં છઈ..૧૦ શબ્દાર્થ - દ્વાદશવિદ્યા ..... ...જમ્પિણી, મોહિની, સ્તુલિની અને બંધિની. આ ચાર દેવીની સાત્તિવક, રાજસિક અને તામસિક પ્રકારે સાધના કરાય તે બાર વિદ્યા થાય. મંડલ.... .. મંત્ર અવતાર-મંડલ અથવા યંત્ર. જેમાં મંત્ર આલેખાય યંત્રાલેખન ચક - " હૃદયચક્ર આદિ ષકે. આર ... ... ...સાધના આદિ પ્રક્રિયા, આરાધના. આવર્ત . અન્યાસ, સ્થાપના, અવગુંઠન . પિધાન કરવું, ઢાંકવું. ઉસરણું... ...અઘમર્ષણ. ભૂમિ પ્રમાર્જન ..ભૂતશુદ્ધિ. Page #194 -------------------------------------------------------------------------- ________________ [118] ઢાળ 3/10 ભાવાર્થ - જમિણી, મોહિની, સ્વૈભિની અને બંધિની આ ચાર વિદ્યાઓની દરેકની સાત્વિક, રાજસિક અને તામસિક એ પ્રમાણે ત્રણ ગુણોથી સાધના થાય તો તે બાર વિદ્યા સ્થાન થાય. અથવા યોગના આઠ અંગો તથા તેને સ્વાધ્યાય, બેધ, આચરણ અને પ્રચાર આ પ્રકારે બાર વિદ્યાસ્થાન થાય. અથવા પૃથ્વી આદિ પાંચ ભૂતના તાના-અભિ(વિ)ગમ-જ્ઞાનથી પણ સિદ્ધિ પ્રાપ્ત થાય. તેમ થાય તે પવનના અભ્યાસ માટે પરિશ્રમ લીધા વિના પણ અનાહતનાદની તે સાધકને સિદ્ધિ થાય. યંત્રાલેખન, દેહના ચક્રોની ધારણા, આરાધના, ન્યાસ અથવા સ્થાપના, અવગુંડન (આવરણ–દેવેનું પિધાન) ઉસરણ–અઘમર્ષણ, તથા ભૂતશુદ્ધિ વગેરે સમગ્ર આરાધના તે માટેની ક્રિયાને પ્રપંચ (સુજ્ઞજનેએતે તેવિશેનાં વ્ર અનુસાર ગુરુગમથી કરે. 10 Page #195 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 3/11 | ( દ્રવ્ય યોગીની સ્વર સાધના ) મૂળા - દ્રવ્યયોગી જે હાય લહે તે અભ્યાસથી રે, કિં તે; તેહમાં અચરિજ કય ન ધર્મ સુવાસથી રે, કિં ન, ઈણિ પરં સાધે સમીર તે વાત નિકાલની રે, કિં તે; સ્વર સાધનથી તે લહૈ જલવાલથી રે, કિં તે....૧૧ :-- વલી જે દ્રવ્યથી યોગી, જે સાધનાદિકનો અભ્યાસી ગુરુ-ઉપાસના શીલ હોઈ તે પણિ એ સર્વ પ્રકાર જાણઈ. તેહ વાતમાં કેઈ અચરિજ નથી. ધર્મની સુવાસનાથી ગુરુ પ્રસન્નતાથી સ્યું ન થાઈ ? ઈણિ પરિ પવન સાધના કરતે અતીત, અનાગત, વર્તમાનકાલની વાત પણિ જાણે. ઈગિત આકારાદિકઈ અથવા વરસાધના પણિ જાણઈ. તથા જલવાલ તે સાસસ્વાસ નાડી પ્રચારથી પણિ જાણઈ. તેહનઈ સદા શુભ હાઈ...૧૧ શબ્દાર્થ - દ્રવ્યોગી.... ....દ્રવ્યથી યોગી. (ભાવથી નહિં. ) સ્વર સાધનથી ....સ્વરોદય સાધના. જલવાલ ... ...શ્વાસેચ્છવાસ, નાડી પ્રચાર. ભાવાર્થ - વળી જે દ્રવ્યયોગી એટલે કે જે સાધનાદિકનો અભ્યાસી હોય અને ગુરુની ઉપાસના કરવાના સ્વભાવવાળો હોય તે પણ આ સર્વ પ્રકારોને જાણે તેમાં કંઈજ નવાઈ નથી. કારણ કે ધર્મની વાસનાથી ( ભાવનાથી ) અને ગુરુની પ્રસન્નતાથી શું ન થાય ? આવી રીતે પવનની સાધના કરતે ચગી અતીત, અનાગત અને વર્તમાનકાળની વાત પણ જાણે. તે સાધક ઇંગિત-એટલે હદયના ભાવ અને આકાર એટલે બહારની આકૃતિ તેના પરથી થતાં જ્ઞાનને મેળવે તથા સ્વરની સાધનોને પણ જાણે. તેમ જ શ્વાસછવાસ એટલે નાડીના પ્રચારથી પણ ત્રિકાલની વાત જાણે અને તેનું સદા શુભ થાય...૧૧ Page #196 -------------------------------------------------------------------------- ________________ [121] હાળ 3/11 વિવરણ - અહી દ્રવ્યોગી કેટલી કેટલી સાધના કરી શકે છે તેને ખ્યાલ આપે છે. - તેના માર્ગ માટે બે શરત રાખવામાં આવી છે. 1. અભ્યાસ અને 2. ગુરુ-ઉપાસનાશીલતા-આ બે હોવા જ જોઈએ. તે તે સમીરની સાધના કરી શકે. ત્રિકાલની વાત એટલે કે અતીત, અનાગત અને વર્તમાનકાલની વાત જાણી શકે, ઈગિત આકારાદિ પણ તે જાણી શકે અને સ્વરે દયની સાધના કરી શકે તેમ જ શ્વાસે છવાસથી નાડી પ્રચાર થાય તે સમજી શકે અને તેનું સદા શુભ થાય...૧૧ 16 Page #197 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 3/12 ( વરદય-સંવેદ્ય સમીર ) મૂળ - મંડલ ચાર વિચાર સમીર તણા કહ્યા છે. કિં સત્ર ભૌમ વારુણ વાયવ્ય આગ્નેયપણે ક(૨)હ્યા રે, કિં આo; અભ્યાસે સંવેધ સમીરની સ્થાપના રે, કિં સ; નાશિકા રંઘે હોઈ પૂર્ણ સમાપના રે, કિ પૂ.૧૨ બે પવન સાધવાનાં ચ્યાર મંડલ થિર થાનક કહ્યાં છઈ, તે કહાં ? ભૌમમંડલ–પૃથિવી 1, વરુણમંડલ-આ૫ 2, વાયવ્ય તે વાયુમંડલ 3, આનેય તે તેજ મંડલ 4. તેહના તત્વ વર્ણ, ગંધ, રસાદિક સ્વર સાધન સર્વ નાડિકાથી જાણવા. હવઈ તે નાડિકાના 2 ભેદ તે એક અદ્ય સમીરઈ સધાઈ. તેહના અભ્યાસથી સંવેદ્ય સમીર તે વ્યક્તિ સમીરથી જેહનું સ્થાનક આકાશતલ તે સર્વત્ર વ્યાપક છઈ. પણિ નાશિકાના રંધ્ર થકી સમીરની પૂર્ણ સમાપના જણાઇ, તે સ્વરોદય કહીઈ ઈ .12 શબ્દાર્થ - મંડલ યાર વિચાર ........નૌમ, વારુણ, વાયવ્ય અને આગ્નેય-ચાર મંડલનો વિચાર. અભ્યાસે સંવેધ સમીર ....અભ્યાસ કરવાથી ચારેય મંડળના ભેદ એટલે કે વર્ણ, માન, આકાર, કાલ અને ફલ જાણી શકાય છે. અહીં અવેદ્ય પ્રકારને છોડી દઈને સંવેદ્ય પ્રકારને સ્વરોદય જ્ઞાનરૂપે જણાવવામાં આવે છે. પૂણું સમાપના .... ....સમીરની પૂર્ણ સમાપના જણાય તે સ્વરોદય. ભાવાર્થ :- પવન સાધવાનાં ચાર મંડળને સ્થિર સ્થાન કહ્યાં છે - (1) પૃથ્વીમંડળ, (2) જલમંડળ, (3) વાયુમંડળ, (4) અનિમંડળ. તેના તરવ, વર્ણ, ગંધ, રસાદિ સેવે સ્વરસાધનથી નાડીના અભ્યાસથી જાણવાં. Page #198 -------------------------------------------------------------------------- ________________ [121] ઢાળ 3/12 નાડીના બે પ્રકાર છે(૧) અવેદ્ય-તે સમીર વડે ચક્રભેદનના અભ્યાસથી સધાય અને (2) સંવેદ્ય-તે વ્યક્ત સમીર જેનું સ્થાન આકાશતલ છે અને જે સર્વ વ્યાપી છે, પરંતુ નાસિકાના વિવરથી એ સમીરના પૂર્ણ પ્રકારો જણાય છે તે “સ્વરોદય” કહેવાય છે. (સ્વરપ્રાણ, ઉદય=ઉદ્ભવ. )....12 વિવરણ : મંત્રવિજ્ઞાન અનુસાર આરાધકોમાંથી સમાલંબન સાધનારા બહુ જ ઓછા હોય છે. સમાલંબનની પ્રક્રિયા માટે નીચે પ્રમાણે એક ઉલેખ પ્રાપ્ત થાય છેઃ “નાડીપવન સંયોગના પરિજ્ઞાનથી કે પાંચ સમીરના ઉત્થાનની પ્રક્રિયાથી રહિત પુરુષ ઘણા કલેશે પણ યોગ સાધી શકતું નથી....૧૨ કે જુએ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત પ્રાકત દ્વયાશ્રય મહાકાવ્ય. Page #199 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 3/13 ( સ્વર સાધનાથી કાર્યના મમત્વને વિચાર ) મૂળ - મંદ મંદ વાયુ વહે જે તત્ત્વનો રે, કિં વો; તે ઉપરિ જે કાર્ય વિચાર મમત્વને રે, કિં વિ, વાયુ કાણનૈ ઉષ્ણ શીત કૃષ્ણ (કૃસ્ન)નૈ બાહિરે રે, કિં કૃ; તિર્યગધ ફરમાન બાલ રવિ સમ સહી રે, કિં બા..૧૩ ટો - મંદ મંદ જે વાયુ પ્રચાર તે તત્વ કહી. આકાશ તત્વ ઊર્વ વાયુ, તત્ત્વ તિર્ય પ્રચાર, અપૂતત્ત્વ તે અધોગામી, પૃથિવી તત્વ તે સમગમી. અગ્નિ તત્તવ સમોર્વગામી ઇત્યાદિ વિચાર તે ઊપરેિ વલી જે કાર્ય જેહનું મૃદુ, ખ૨, શુભ, દુર્ભાગ, સ્થિર, અથિર, શીધ્ર, મંદ પ્રમુખ વિચારને જેહ મમત્વ ભાવ હોઈ તેહ અંગીકાર કરવો. વાયુ પણિ ફર સ કેઈન ઉષ્ણ, કેઈન કો ઇત્યાદિ રૂપ હોઈ એ સર્વ નાડીથી બાહિર ફતા વાયુને હાઈ. કેઈને ત્રી છે, કોઈને અધ, કેઈને ઉર્ધ્વગામી હોઈ. કોઈ તરવને વર્ણ બાલ રવિ-સૂર્ય સમાન, કેઈને ધૂમ્ર સમાન, કેઈને પીત, કેઈને નીલ, કોઈનો થામ, કેઈનો સપ(ફે )ત ઈમ હાઈ...૧૩ શબ્દાર્થ - તત્ત્વ . ..નાસિકાથી મંદ મંદ વાયુને જે પ્રચાર તે તરવ છે. તો આ પ્રકારે છે? આકાશત-નાસિકાના વાયુનો ઉ4 પ્રચાર. વાયુતત્તવ ,, તિર્યફ પ્રચાર. અ પૂતર - , , અધોગામી પ્રચાર. પૃથ્વીતાવ સમગામી પ્રચાર, અગ્નિતત્વ , સમર્ધ્વગામી પ્રચાર. કાર્ય વિચાર મમત્વનો ....સાધકે પોતે શું કાર્ય કરવું તેના વિચારથી સાધકને કાર્યસિદ્ધિ વિષે સમજૂતિ મળે. ભાવાર્થ નાસિકાથી મંદ મંદ વાયુનો જે પ્રચાર તે સ્વરોદયની ભાષામાં તત્ત્વ કહેવાય છે. તે ઉપરથી કાની સદ્ધ અસિદ્ધિને વિચાર થઈ શકે છે. મૃદુ ખર, શુભ, દુર્ભાગ, સ્થિર, અથર, શત્ર, કંદ વગેરે કાર્યોમાં સાધક જે પિતાને વિચારવા જેવું હોય તે અંગીકાર કરે. Page #200 -------------------------------------------------------------------------- ________________ [15] ઢાળ 3/13 વાયુની સ્પર્શ ત્રણ પ્રકારનો છે - (1) ઉષ્ણ, (2) ક ણ (હેજ ઉણ) અને (3) શીત. એ પ્રકારે સ્પર્શ સઘળી નાડીએથી બહાર ફરતા વાયુનો હેય. તે વાયુની ગતિ કેઈની તિરછી, કેઈની નીચી, કોઈની ઉર્વગામી હોય. તે તોનો વણ કે ઈનો બાલ રવિ જે રક્ત, ધૂમ્ર, પીત, નીલ કે મ હોય તેમ જ કે ઈનો સફેદ પણ હોય. સરખાવો : " દેય સ્વરોમે પાંચ તત્ત્વ પહિચણિ, વણ માન આકાર કાલ ફલ જાણયે; અણુ વિધ તત્વ લખાવ, સાધતા જે લહે, સાચી વિસવાવીસ, વાત નર તે કહે...૧૦૮ પૃથ્વી જલ પાવક અનિલ, પંચ તત નભ જાન; yવી જલે સ્વામી સસી, અપર તીન ભાન...૧૦૯ પતિ પત રાત વરણ, હરત શ્યામ પુન જ; પંચવર્ણ ચે પચક, અનુક્રમથી પહિરણ....૧૧૦ પૃથ્વી સનમુખ સંચરે, કરપલવ ઘટ દેય: સમચતુર ને આકાર તસ, સ્વર ગામે હોય..૧૧૧ અધભાગ જલ ચલત હૈ, પોડશ આંગુલ માન; વર્તુલ હ આકાર તસ, ચંદ્ર સરીખો જાન...૧૧૨ ચારાં પુલ પાવક ચાલે, ઊર્વ દિશા સ્વરમાંહ; ત્રિકે ! કર તું છે બાલ રવિ સમ આહ...૧૧૩ વાયુ તિર્ધા ચલત છે, અષ્ટાંગુલ નિતમેવ; વરૂપ આકાર તસ, જાણો ઈણવિધ ભેવ..૧૧૪ નાસા સંપુટમેં ચલે, બાહિર નવિ પરકાસ; સુજ અહુ આકાર તસ, અર યુમ ચલત ખીકાશ....૧૧૫ પ્રથમ પચ્ચાસ પલ દૂર, ચાલીશ ત્રીજો ત્રીશ; વશરૂ દશ પલ ચલત હૈ, તત સ્વરમેં નિશદીશ...૧૧૬ ઘડી અઢાઈ પાંચ તત, એક એક સ્વરમાંહિ, અનિશિ ઈસુવિધ ચલત હૈ, યામેં સંશય નાંહિ૧૧૭ પંચ તત્તર સ્વરમેં લખે, ભિન્ન ભિન્ન જબ કોય; કાત સમય! જ્ઞાન તસ, વરસ દિવસકા હેય..૧૧૮ - શ્રી ચિદાનંદજી કૃત રવદયજ્ઞાન પૃ. 31-34 Page #201 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 3/14 ( દ્રવ્યોગીને સ્વર સાધનામાં પલિમંથ ) મૂળ:– વામાં દક્ષિણ નાસા રવિ, શશિ ગૃહધરા રે, કિં રવિ; તિહાં દિન પક્ષ નેં વાર શુભાશુભની ત્વરા રે, કિ શુ; ઈત્યાદિક બહુ ભેદ કહ્યા ગગ્રંથમાં રે, કિં કo; તે સર્વે હાય દ્રવ્ય તણ, પલિમંથમાં રે, કિં ત...૧૪ ટઓઃ નાશિકાના પણિ 2 (ભેદ) છે. એક વાસ, એક દક્ષિણા. એકનું ઘર શશિ છે, દક્ષિણાને રવિ ઘર છઈ તિહાં વલી પક્ષ બેં-કૃષ્ણ, શુકલ દઈ તથા દિનરાત્રિ ભેદઇ, તિહ વલી વાર સૌમ્ય-શ્નર 2 ભેદઈ. દક્ષિણાનઈ કૂર, વામનઈ સૌમ્ય જોઈઈ. તિહાં વલી શુભાશુભ કાર્ય અથવા વલી ગતિ નાશિકા વહનની ત્વરા જેવી. વલી, વણે ક્ષત્રિ યાદિક જોવા, ગમનઈ પ્રવેશ કાલઈ .... રીક્ષાવાળા-તૃતહેવાવાં ક્ષર-કર્મ-વિઝિલેડુ વામાના સુમાં થતા | यात्रा-युद्ध-विवाहे च, विद्यायां राजदर्शने / कामोद्दीपन-चौये च, (शस्या) दक्षिणनाडी शुभा कथिता // ઈત્યાદિક બહુ વિચાર યોગશાસ્ત્ર, વિવેક વિલાસ, સ્વરોદય, સ્વરદીપક મધ્યેથી જાણવા. તે સઘલાઈ દ્રવ્યોગી અભ્યાસથી સાધઈ. તે સાધવાનઈ કાઈ ઘણાઈ પતિમંથ ઉપક્રમ કરઈ છઈ....૧૪ શબ્દાર્થ - નાસા .. . . અહીં નાસિકાના રધ્રો (નસકોરાં)ના અર્થ માં છે. તે જમણા તથા ડાબા એ પ્રમાણે બે છે. રવિશશિ ગૃહધરા .. .. જમણું નસકોરું સૂર્યનું ઘર અને ડાબું નસકોરું ચન્દ્રનું ઘર. દિન પક્ષ ને વાર . .. દિનના બે ભેદ દિવસ અને રાત. પક્ષના બે ભેદ શુકલ અને કૃષ્ણ. વારના બે ભેદ ... ... સૌમ્ય અને કૂર (તે સિવાય ઘણા ભેદો છે. ) દ્રવ્ય તણું પલિમંથમાં. દ્રવ્ય પ્રાણાયામના ઉપક્રમે. Page #202 -------------------------------------------------------------------------- ________________ [127 ] ઢાળ 3/14 ભાવાર્થ :- નાસિકાના 2% બે છે. (1) વામા–તે શશીનું ઘર અને (2) દક્ષિણા-તે રવિનું ઘર. કાલ દ્વારા ફલની આગાહી માટે દિનના બે પક્ષ-પખવાડિયાં-પંદર તિથિઓ છે.* (1) શુકલ, અને (2) કૃષ્ણ, અથવા સુદિ અને વદિ. તથા દિવસ અને રાત્રિ; વાર જે સાત છે તેમાં સૌમ્ય અને કૂર એવા બે ભેદ છે. આ સઘળું શુભ કે અશુભ કાર્યની આગાહી માટે છે. નાસિકાવહનની ગતિ તરાથી કેટલા અંગુલ પ્રમાણ છે એટલે કે તેનાં તત્વ, માન અને આકાર પણ જોવામાં આવે છે. તે સિવાય વર્ણન (?) એટલે ક્ષત્રિયાદિનો નિર્ણય થાય છે. ગમન કે પ્રવેશ કાલ નીચેના વિષયમાં પણ જોવાય છે દીક્ષા, વાણિજય (વેપાર), રાજસેવા, ક્ષૌરકમ અને ચિકિત્સામાં વામાનાડી શુભ કહી છે અને યાત્રા, યુદ્ધ, વિવાહ, વિદ્યાગ્રહણ કરવામાં કે રાજાને મળવા જવામાં કે કામોદ્દીપનમાં કે ચેરી કરવામાં દક્ષિણનાડી શુભ કહી છે. વગેરે વગેરે. આ વિષે વધુ વિચારે વેગશાસ, વિવેકવિલાસ, સ્વરોદય અને સ્વરદીપક શાસ્ત્રોમાં મળે છે. તે સઘળાં દ્રવ્યયોગી અભ્યાસથી સાધે છે, અને તે સાધવા તે ઘણો પરિશ્રમ કરે છે. 14 x 3 થી 7 સુધીના 15 ચરો પ્રાગુવાન સ્વરૂપ છે. તે આ રીતે : ઉપરના 15 સ્વરેના ઉપચારમાં જે કાળ લાગે છે તે સમ ક્રિયાશક્તિરૂ૫ છે. પ્રથમ આત્મામાં 15 સ્વરોનું જ્ઞાન હોય છે. પછી જ્યારે ઉચાર થાય ત્યારે તે ક્રિયાશક્તિના ગે થાય છે. તે ક્રિયાશક્તિ પ્રાણા પાન રૂપ છે. તેને સૂર્યચંદ્ર પણ કહેવામાં આવે છે. પ્રાણ તે સૂર્ય અને અપાન તે ચંદ્ર. બાહ્ય જગતમાં જેમ સૂર્ય અને ચંદ્રના વેગે પ્રતિપદ આદિ 15 તિથિઓ પ્રવૃત્ત થાય છે, તેમ અંતરમાં પણુ પ્રાણપાનરૂ 5 સૂર્ય ચંદ્રોગે સ્વરરૂપ 15 તિથિઓ પ્રવર્તે છે. * વર્ગ એટલે રંગ હોવો જોઈએ. રબામાં વર્ણરૂપે ક્ષત્રિયાદિ જાતિ કેમ દર્શાવી છે તે સમજાતું નથી. Page #203 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 3/15 ( આધ્યાત્મિક સ્વરસાધના ) મૂળ -- હવે ભાવે અધ્યાત્મ પવનને સાધઈ રે, કિં અo, ગંભીરાદિક અડગુણ તેમાં વાધી રે, કિં તે; કૃષ્ણ શુકલ દઈ પક્ષ વિરતિ અવિરતિ મેહ રે કિં અવિ, નાસિકા આસ્તિકભાવ સમીર ધરેં બહુ રે, કિં સ...૧૫ બે - હવે ભાવથી અધ્યાત્મ સાધવાના ઉપાય કહઈ છે. ગંભીરાદિક આઠ ગુણ જે પ્રાણ હોઈ તે ભાવ પવન સાધનામાં વધઈ તે કહઈ છઇં. કૃષ્ણ પક્ષી 1, શુકલપક્ષી 2, જેહનઈ એક પુદગલ પાવર્ત સંસાર તે શુકલ પક્ષી તેહથી અધિક સંસાર તે કૃષ્ણપક્ષી 2, અભવ્યને અલેખઈ. અવિરતિ વિરતિ પ્રાણી તે બેઉ નાડિ (સિ) કાની ધુરા જાણવી. ચંદ્રની સૂર્યની આતિક ભાવ તે નાસિકા તે માંહિ સમીર પાંચ 5 તે પંચાચાર પ્રચાર જાણુ ........15 શબ્દાર્થ - ભાવે .... ... ... ....ભાવથી અધ્યાત્મપવન.... .... ...અદથમ પ્રાણાયામ, ભાવથી અધ્યાત્મ સાધવાને ઉપાય. કભીરાદિક અડગુણ ..ગંભીરતા આદિ આઠ ગુણો. તેહમાં વાધી રે .... ..તેમાં (ભાવ પવનની સાધનામાં) વધે, પ્રગતિ કરી શકે. કoણ શુકલ દોઇ પક્ષ દ્રવ્યથી, શુકલ અને કૃષ્ણ-( એક માસના ) બે પક્ષ ભાવથી શુકલ પક્ષી એટલે કંઈક ન્યૂન અર્ધ પુદગલ પરાવર્ત સંસાર પરિભ્રમણ જેનું બાકી રહ્યું હોય તે અને કૃષ્ણપક્ષી એટલે જેનું અર્ધ પુદગલ પરાવર્તથી અધિક સંસાર પરિભ્રમણ બાકી રહ્યું હોય તે. વિરતિ અવિરતિ બેહુ ...સર્વવિરતિ અને દેશવિરતિ. અહીં એ બે નાસિકાના બે ધુરા-ચન્દ્ર સૂર્યને બદલે આ બને-સર્વ વિરતિ અને દેશવિરતિ સમજવા. નાસિકા.... ... ... ...આરિતકભાવ. પાંચ સમીર .. .... ...પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન તે પાંચ આધાર, * ગંભીરાદિક આઠ ગુણો માટેની સમજૂતિ પ્રસ્તુત ઢાળમાં હવે પછી આપવામાં આવી છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ [12] ઢાળ 3/15 ભાવાર્થ ગંભીરતા દિ આઠ ગુણોવાળો સાધક માનસિક અશુદ્ધ વિકપના નિરોધ માટે ભાવથી પવનની સાધનામાં પ્રગતિ કરી શકે તે માટે હવે આધ્યાત્મિક પવનની સાધના કેમ કરવી તે દર્શાવે છે - દ્રવ્યથી, પવનની સાધનામાં ભાવથી, પવનની સાધનામાં (1) શુકલ અને કૃષ્ણ પક્ષ (1) શુકલપક્ષી ભવ્યજીવ તે છે કે મહિનાના બે પખવાડિયાં હોય છે. જેનું કંઈક ન્યૂન અર્ધ પુદ્ગલ પરાવર્ત સંસાર પરિભ્રમણ બાકી છે અને કૃષ્ણપક્ષી જીવ તે કે જેનું અર્ધ પગલપરાવર્તથી અધિક સંસાર પરિભ્રમણ બાકી રહ્યું હોય. (2) નાસિકાની બે ધુરા (2) જીવોની બે મુખ્ય અવસ્થા અવિરતિ મુખ્ય નાડીઓ ચન્દ્ર અને સૂર્ય છે. અને વિરતિની છે. * ગંભીરાદિક આઠ ગુણે-સુયગડાંગના વય નામના અધ્યયનમાં દશ પ્રકારનું આધ્યાત્મિક વિય વર્ણવવામાં આવ્યું છે. તે ઉદ્યમ, ધૃતિ, ધીરવ શૌઢીય, ક્ષમા, ગાંભી, ઉપયોગ, યોગ, તપ અને સંયમ છે. એ દશ પ્રકારનું આધ્યાત્મિક વીર્ય અહીં અક્ષત હોય તેમ જણાય છે. સંભવ છે કે તે પૈકીના ગાંભીર્યને પ્રથમ દર્શાવીને તે સહિત આઠ ગુણો અહીં વયમાણ હોય. તેના અર્થો આ પ્રમાણે :-- 1. ઉદ્યમ-જ્ઞાન તપ આદિના અનુષ્ઠાનોમાં અપૂર્વ ઉલ્લાસ હોય. 2. ધૃતિ-સંયમમાં જ ચિત્ત સમાહિત હોય. 3. ધીરત્વગમે તેવા પરિષહે કે ઉપસર્ગો આવે તો પણ મેરુ પ્રમાણે નિષ્ક, હેય. 4. શૌડીય–ત્યાગ સંપન્નતા-પોતાના સર્વરનો ગમે ત્યારે ભોગ આપવા તૈયાર હોય, આપતિ એમાં અવિષપણુ હોય, વિષમ કર્તવ્ય કરવા માટે પણ સદા તૈયાર હોય. પ. ક્ષમા-પોતાનું ખૂન કરવા આવનાર પર પણ કરુણા. 6. ગાંભીર્ય—પોતાની કોઇપણું અસાધારણ વિશેષતાનો પણ ગવ ન હોય. 7. ઉપગ-પરિસ્થિતિનું યથાસ્થિત અવલોકન કરવાનું સામર્થ્ય હાય. 8. યોગ-મન, વચન અને કાયાના શુભ યોગોમાં પ્રવૃત હેય. 9. તપ-જેને તપ સર્વદા પ્રિય હોય. 10. સંયમ-દર્શન, જ્ઞાન, ચારિત્રની ખલના રહિત આરાધના. આ દશ ગુણોને કેળવ્યા પછી જે યુગમાં સમાધિ મળે છે તે અપૂર્વ, અનિર્વચનીય હોય છે. 17 Page #205 -------------------------------------------------------------------------- ________________ [130 ] ઢાળ 3/15 (3) નાસિકા–એ દેહનું મુખ્ય (3) આસ્તિકભાવ એ પ્રગતિ માટે મુખ્ય અંગ છે. અંગ છે. (4) પાંચ સમીર-પ્રાણ, અપાન, (4) પાંચ આચાર-દર્શન, જ્ઞાન, ચારિત્ર, સમાન, ઉદાન અને વ્યાનની વિચા- તપ અને વીર્યની વિચારણા રણું હોય છે. હોય છે. વિવરણ:દથથી, પવનની સાધના માટે દેહનું ભાવથી, પવની સાધનાનું મુખ્ય અંગ મુખ્ય અંગ તે નાસિકા છે. આસ્તિક છે. દ્રવ્યથી, પવનની સાધના માટે મુખ્ય ભાવથી, પવનની સાધના માટે સાધનાડીઓ ઈડ અને પિંગલા અથવા ચંદ્ર- કની મુખ્ય દશા-અવસ્થા અવિરાતિ કે નાડી અને સૂર્યનાડી છે. વિરતિની છે તે વિચારવાનું છે. દ્રવ્યથી, પવનની સાધના માટે ભાવથી, પવનની સાધના માટે જીવ કાલની વિચારણામાં મહિનાનો કર્યો પક્ષ શુકલપક્ષી છે કે કૃષ્ણ પક્ષી એટલે કે એક એટલે ક્યું પખવાડિયું ચાલે છે શુકલ કે પુદ્ગલપરાવર્ત એટલે કાલ તેને સંસારમાં કુણ-તે વિચારવું પડે છે તે વિચારવું પડે. બાકી છે કે વધારે તે વિચારવું જોઈએ. દ્રવ્યથી, પવનની સાધનામાં પાંચ ભાવથી, પવનની સાધનામાં પાંચ સમીરની વિચારણા કરવી પડે. આચારની વિચારણા કરવી પડે. આ પ્રમાણે ભાવથી વિચારણા કરાય તો અશુદ્ધ વિકલ્પોના નિરોધ માટે પ્રગતિ સધાય છે...૧૫ (પૃ. પાદ નોંધ ચાલુ) આચાર્યશ્રી જ્ઞાનવમલસૂરિ કૃત “આઠ ગુણ પર સઝાય, પણ ટબા સહિત' માં સમકિત પામ્યા પૂર્વે આઠ -સુકતા, ભરતિ, દીનતા, મત્સર, ભય, શહતા, અગ્રતા અને ભવાભિનંદિતા નિવારવાના અને ગંભીરતા, ધૃતિ, સૌમ્યતા, ભદ્રકતા, ગુણરાગિતા, દક્ષતા, ધીરતા, ભઠિનતા એ ગુણ ધારવાના જણવેલ છે. (જુઓ જૈન ગુર્જર કવિઓ ભા. 1, પૃ. 334 આ સજઝાયમાં દર્શાવેલા આઠ ગુણો અહીં નિર્દિષ્ટ કરાતા હોય એવો પણ સંભવ છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 3/16 ( તત્વ વિચારણા ) મૂળઃ– ચંદ્ર સૂર્યનાં રમિ તે દેશ સર્વ સંયતા રે, કિં દે, કોધાદિક ચૌમંડલની તિહાં વકતા રે, કિં મં; પંચ ઈન્દ્રિય જે પટુતા તત્વ વિચાઈ રે, કિં તવ, વિષયતણા સંચાર વિહાર નિવારીઈ રે, કિં વિ.....૧૬ ટો : ચંદ્ર-સૂર્યનાં રશ્મિ મંડલ તે દેશવિરતિ સર્વવિરતિના મૂલગુણ, ઉત્તર ગુણાદિકના સંયમપણાના દેર, તે ધાદિકના ચ્યાર મંડલ, અનન્તાનુબંધીયા, અપ્રત્યાખાનિ (ની) યા, પ્રત્યાખાનિ (ની) યા, સંજવલનાદિકના ચક્રમંડલ, તિહાં પાંચ ઇંદ્રિયની પટુતા તે પાંચ તત્તવ વિચારણા પ્રશસ્ત પણઈ ઈદ્રિયાર્થ કરણ શક્તિ, અશુભ વિષયાર્થીના વિકાર, સર્ષની વિચારણા એ તત્વના પ્રચાર....૧૬ શબ્દાર્થ - ચન્દ્ર સૂર્યનાં રશ્મિ ચંદ્રસૂર્યનાં રશ્મિાંડલ, દેશ સવસંયતા .. .. દેશવિરતિ અને સર્વવિરતિના મૂલગુણ તથા ક્રોધાદિક ચૌમંડલ ... ક્રેધાદિ કષાયોની ચોકડી, તેના દરેકના ચાર ચાર ભેદો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની તથા સંજવલન. ચાર કષાયના ચાર મંડલ તે દરેકના ચાર ભેદ એટલે એકંદર સેળ ભેદ. પાંચ ઈન્દ્રિયની ૫૯તા. પાંચ તત્ત્વ વિચારણા. સંચાર *** .. * પ્રશસ્તપણે ઈન્દ્રિયોનો પ્રચાર. વિકાર... ... ... ... અશુભ વિષયાર્થે ઈન્દ્રિયોને પ્રચાર. અશુભ વિષયાથ થી થાન નિવાર . . ... પ્રવૃત્તિ બંધ કરીએ. ભાવાર્થ - ચન્દ્ર સૂર્યનાં રશ્મિમંડલ તે દેશવિરતિ અને સર્વવિરતિના મૂલ અને ઉત્તર ગુણેની સંયતિ. જે વક્રતા માલુમ પડે તે ક્રોધ, માન, માયા અને લેભના દરેકના ચાર ચાર ભેદરૂપ ચક્રમંડલો સમજવા. ત્યાં પાંચ ઈન્દ્રિયની પટુતા છે તે પાંચ તત્વની વિચારણા સમજવી. પ્રશસ્તપણે ઇન્દ્રિયને પ્રચાર તે કરણશક્તિ અને અપ્રશસ્તપણે ઇન્દ્રિયને પ્રચાર તે વિકાર તે પ્રવૃત્તિ બંધ કરીએ. આ સર્વેની જે વિચારણું તે તરવને પ્રચાર છે...૧૬ Page #207 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 3/17 ( આધ્યાત્મિક ચિંતન ) મૂળ - પરમાતમનું ચિંતન અધ્યાત્મ તિહાં રે, કિં અo, અશુભ તણે સંકલ્પ તિણું કરી નહિ તિહાં રે, કિં તિ; શુભ સંકલ્પે સંક૯પ મંડલ ફેરવે રે, કિં મંત્ર, જેહ અવિદ્યા વાયુ પ્રચાર ન યોગ 2, કિં પ્રવે....૧૭ બે તિહાં પરમાત્માનું સ્વરૂપ ચિંતન તે અધ્યાતમ જાગી છે. જિહાં અશુભ સંકલ્પાદિકનો સંક૯પ, આસવને ધ, તિણઈ કરી હઈ. તિહાં શુભ સંક૯૫નઇ મંડળરૂપ સંકલ્પ ફેરવઈ. અનઈ અવિદ્યારૂપ અશુભ વાયુને પ્રચાર તે જગાવઈ નહી...૧૭ શબ્દાર્થ - પરમાતમનું ચિંતન છે. અધ્યામ. અવિધા... ... ... ... અશુભ વાયુ. પ્રચાર . .... ... ... વિસ્તાર. ન ગ ... ... ... જગાવે નહીં. ભાવાર્થ:– ત્યાં પરમાત્માનું સ્વરૂપ ચિંતન* તે અધ્યાત્મ સમજવું. જેથી અશુભ વિચારે વગેરેના સંક૯પને તથા આમ્રવને રોધ થાય છે. ત્યાં શુભ સંકલ્પથી કવાયનાં મંડળે અથવા મિથ્યાત્વનું મંડળ ફેરવી શકાય છે અને અવિઘારૂપ-અજ્ઞાનરૂપ અશુભવાયુનો વિરતાર જગાવે નહીં...૧૭ પરમાત્માના સ્વરૂપ ચિંતન વિષે “તવાનુશાસન'માં નીચે પ્રમાણે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આપ્યોમાં આદ્ય આપ્ત, દેવોના પણ અધિદેવત, ઘાતી કર્મરહિત, અનંત ચતુષ્ટયને પામેલા, પૃથ્વીતલને દૂર છેડીને ( ઉંચે) આકાશપ્રદેશમાં રહેલા, પોતાના પરમ ઔદારિક શરીરની પ્રભાવી સૂર્ય કરતાં પણ અધિક તેજસ્વી, મહા આશ્ચર્યભૂત ચોત્રીશ અતિશો અને આઠ પ્રાતિહાર્યોથી શોભતા, મુનિવરો, તિર્યંચે, મનુષ્યો અને દેવતાઓની પર્ષદાથી ઘેરાયેલા, જન્માભિષેક વગેરેમાં પ્રાપ્ત થયેલ પૂજના કારણે સૌથી ચઢિયાતા, કેવળજ્ઞાનવડે નિર્ણત એવા વિશ્વના તના ઉપદેશક, ઉજજવળ એવા અનેક લક્ષણથી વ્યાપ્ત, સર્વાગ પરિપૂર્ણ અને ઉન્નત દેહવાળા, નિમલ (મહાન) રફટિકરનમાં પ્રતિબિબિત કદીપ્ત જવાલાએવાળા અગ્નિ સમાન ઉજજવલ, સર્વતે જેમાં ઉત્તમ તેજ અને સર્વ તિમાં ઉતમ જ્યોતિ સ્વરૂ૫ એવા શ્રી અરિહંત પરમાત્માનું મોક્ષની પ્રાપ્તિ માટે ધ્યાન કરવું. 34-39 તત્વાનુશાસન પૃ. 33-34 Page #208 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 3/18 ( આત્મરાજની શુચિ ) મૂળ:~ ઇંદ્રિય મલ આલવાલ જબાલ ન ભેગર્વે રે, કિં જ, આતમરાજ મરાલ તે અશુચિ ન સંભ રે, કિં અo; પરથી ભય નવિ પામેં આતમને બલેં રે, કિં આ૦, દુર્ગાનાદિક પ્રેત તેહને નવિ છલેં રે, કિં તે..૧૮ ટબો તિવારઈ યદ્યપિ શુદ્ધાતમ નથી થયો, તેહી પણિ ઈદ્રિયના મલરૂપ જે આલવાલ કહતાં નીક, તેહને જંબાલ-કાદવ તે ભેગવઈ નહીં આતમ રાજારૂપ રાજહંસ તે અશુચિ પંકનો સંભવ ન કરાઈ. શિવકુમારાદિકની પરઈ પરમહાદિક વયરી થકી તે ભય ન પામઈ. અગજેયપણે વરતે, પિતાને બલઈ કોઈનું સહાય ન વાંછ. તેને આરૌદ્રાદિક દુર્વાનરૂપ પ્રેતડાં નવિ છલઈ કેાઈના દંભ પ્રપંચ દેખી નઇ વંચાઈ નહી...૧૮ શબ્દાર્થ - આલવાલ .... ... નીક. જિબાલ *** .. કાદવ, મરાલ .... ..... રાજહંસ. અશુચિ ... ... પંક, કાદવ, પર ... ... .. મહાદિ વેરી. દુનાદિક પ્રેત . દુર્ધાનરૂપ ભૂતડાં. છેલે .... ........ વંચિત કરે, ચલિત કરે, છેતરે. ભાવાર્થ - આ પ્રમાણે ભાવથી આશોમાં પરિવર્તન કરવાથી જે કે સાધક આત્મા શુદ્ધ ન થયે હેય છતાં ઈન્દ્રિયના મળરૂપ નીકને કાદવને ભગવાને પ્રસંગ ઓછો થાય છે અને આત્મા રૂપી રાજહંસને તે કાદવની અશુચિ સંભવે નહિં. શિવકુમાર વગેરેની * શ્રેષ્ઠિપુત્ર શિવકુમારની કથા માટે જુઓ નમસ્કાર સ્વાધ્યાય સંસ્કૃત વિભાગ. પૃ. 325 Page #209 -------------------------------------------------------------------------- ________________ [ 134] ઢાળ 3/18 માફક આત્માના બલવડે મેહ વગેરે વેરીથી તે ભય પામતું નથી. કેઈથી ગાંજ જાય નહીં તેવી રીતે વર્તે અને કેઈની સહાયની તેને જરૂર પડતી નથી; આૌદ્ર ધ્યાનરૂપી ભૂતડાં તેને છેતરી શકતાં નથી. કેઈનાં દંભ-પ્રપંચ જોઈને તે છેતરાતે નથી ....18 વિવરણ: સાધક આત્મા શુદ્ધ ન થયે હેય છતાં ઈન્દ્રિયોનાં મળરૂપ જે નક તેને કાદવ ભેગવવાને પ્રસંગ ઓછો થાય અને આત્મારૂપી રાજહંસને તે કાદવની અશુચિ સંભવે નહીં. મેહ આદિ વેરીથી ભય પામે નહીં અને કેઈની સહાય વિના પિતાના આધ્યાત્મિક બળવડે કર્મ સાથે બૂઝે અને દુર્બાનરૂપી રાક્ષસ તેને ચલાયમાન કરી શકે નહીં...૧૮ Page #210 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 3/19 ( પિંડસ્થાદિ ધ્યાનથી ગુણો પ્રગટે.) મૂળ - પિંડસ્થાદિક થાન ગણે આવી મિલે છે, કિં ગુરુ, પુલક આનંદ અનુભવ તે આવી ભલે રે, કિં તે; વ્યાપે સમતાભાવ ઉદાસપણું ભજે રે, કિં ઉo, જે કુવાસિત સંગતિ બાલકની ત્યજે રે, કિં બા.૧૯ ટો - પિંડસ્થ, પદસ્થાદિક ધ્યાનના ગુણ આવીનઈ આશ્રયઈ જેતલું છદ્મસ્થ સ્વરૂપ ધ્યાવું તે પિંડસ્થાવસ્થા 1. પદસ્થાવસ્થા તે ઘાતીના અભાવથી થયું તે સ્વરૂપ 2. રૂપસ્થ તે - અહીં થેય અધ્યાહાર છે. એય એટલે ધ્યાનનું આલંબન. તેને વિદ્વાનોએ ચાર પ્રકારનું જણાવ્યું છે. શરીર, પદય રૂપરથ, અને રૂપાતીત.“ શરીરશ્ય' એટલે કે શરીરગત. શરીરગત ધ્યેયનો દાખલો નીચે પ્રમાણે છે. શારીરિક સપ્ત ધાતુ વિનાના, પૂર્ણ ચંદ્ર જેવી નિર્મળ કાંતિવાળા, તથા સર્વજ્ઞ ભગવાન જેવા શુદ્ધ આત્માનું શુદ્ધ બુદ્ધિથી ચિંતન કરવું. અમુક પદો અથવા અક્ષરનું જપપૂર્વક ધ્યાન, ‘પદસ્થળેય ’નું ધ્યાન કહેવાય છે. અહંત ભગવાનના રૂપને અવલંબીને કરેલું ધ્યાન “રૂપથ ય”નું ધ્યાન કહેવાય છે. તે જેમકે -જેને મોક્ષશ્રી પ્રાપ્ત થયેલી છે, જેનાં અખિલ કર્મો નાશ પામ્યાં છે, જેને ચાર મુખ છે, જે સમસ્ત ભુવનને અભયદાન દેનારા છે, ચંદ્રમંડળ જેવી કાંતિવાળાં જેને ત્રણ છત્ર છે, પિતાને ફુરતા તેજના વિસ્તારથી જેણે સૂર્યને ય ઝાંખો કરી દીધો છે, જેની સામ્રાજ્યસંપત્તિનો ઘોષ દિવ્ય દુંદુભિઓ વડ થઈ રહ્યો છે, ગુંજારવ કરતા ભમરાઓથી મુખર બનેલા અશોક વૃક્ષ નીચે સિંહાસન ઉપર જે બેઠેલા છે, જેમને ચામર વીંઝાઈ રહ્યાં છે, સુરાસુરના મુકુટમણિઓથી જેમના પગના નખ પ્રતિબિંબિત થઈ રહ્યા છે, દિવ્ય પુષ્પોના સમૂહથી જેમની સભાની જમીન ઢંકાઈ ગઈ છે, જેમના મધુર અવાજનું પાન મૃગલો ઊંચે કંઠે કરી રહ્યાં છે, જેમની સમીપમાં હાથી સિંહ વગેરે પ્રાણીઓ પિતાનું સહજ વૈર ભૂલીને ઊભાં છે, જેમની આસપાસ દેવ મનુષ્ય અને તિર્યંચોને મેળો જામે છે, જેમનામાં સવ " અતિશયો’ એટલે કે વિભૂતિઓ મોજૂદ છે, તથા જે કેવળજ્ઞાનથી પ્રકાશિત છે. (9/1-7). એ જ પ્રમાણે જિનેન્દ્રની પ્રતિમાના રૂપનું ધ્યાન કરનારો રૂપસ્થ ધ્યાન કરનારો કહેવાય. તે જેમકે -રાગદ્વેષ, મહામહ વગેરે વિકારોથી અકલંકિત, શાંત, કાંત, મનોહર, સવ લક્ષણયુક્ત, અન્ય તીર્થિકોને ભાન પણ નથી એવી ગમુદ્રાની શેભાયુક્ત, તથા જેની આંખોમાંથી અદ્દભૂત તેમ જ વિપુલ આનંદ પ્રવાહ વરસી રહ્યો છે વગેરે ( 8-10 ). અભ્યાસયોગ વડે પોતાના તે ધ્યેય સાથે તન્મયતા પામેલે વેગી પોતાના આત્માને સવજ્ઞરૂપ --બનેલ જુએ છે; તથા આ સર્વજ્ઞ ભગવાન હું પોતે જ છું એમ જાણે છે. એવી તન્મયતાને પામેલો Page #211 -------------------------------------------------------------------------- ________________ [136] ઢાળ 3/19 કેવલીભાવ તથા પ્રાતિહાર્યાદિક પ્રતિમાદિક 3. ઈત્યાદિક ગુણ ઉપને હેતે પુલક તે હર્ષને રોમાંચકંચુક 1. આનંદ તે નિહેતુક ચિત્ત પ્રસન્નતા 2. અનુભવ તે ત્રિકાલત્પન્ન શેક, ભયાદિ નાશઇ. આમિક તત્ત્વજ્ઞાન ચિતવને 2 નુભવ સુખાસ્વાદ તેહવા ગુણના ઉદભવ થાઇ. ઉદાસભાવ પણ તે તૃપ્તભાવે શરણું તે જઈ વલી સહજથી એહવા ગુણ ઊપજઇ જે બાલક જનની, કુવાસિતજનની, અગીતાર્થની, અવિદ્યાવંતની એહવા પુરુષની સંગતિ વરજઈ....૧૯ શબ્દાર્થ:– પુલક .... ... હર્ષથી થતા રોમાંચરૂપ કંચુક, હર્ષાતિરેક. આનંદ ... .... નિહેતુક ચિત્ત પ્રસન્નતા. હેતુ વગર ચિત્તની પ્રસન્નતા થાય તે ત્રિકાલોત્પન્ન શેક ભય વગેરે નાશે તે. અનુભવ ... ... ... તત્ત્વજ્ઞાનના ચિતનથી અનુભવરૂપ-સુખ આસ્વાદરૂપ ગુણને ઉદ્ભવ થાય તે. ઉદાસપણું ..... .... તૃપ્તિભાવે શમપણુ. કુવાસિત સંગતિ ... ... અવિદ્યાવંતની સેાબત. બાલક જનની સંગતિ. કુવાસિત જનની, અગીતાર્થની, અવિદ્યાવતની સેબત. ( પૃ. 135 ની પાદ નોંધ ચાલુ ) યોગી " સર્વને જાણનાર ' કહેવાય છે કારણ કે, વીતરાગ પ્રભુનું ધ્યાન કરનારો વીતરાગ થઈને મુક્ત થાય છે. તે જ પ્રમાણે રગવાનનું ધ્યાન કરનારા તત્કૃષ્ણ રાણવાન બને છે. વિશ્વરૂપ મણિ જે જે પદાર્થની સાથે વેગ પામે છે, તે તે રૂપ બની જાય છે; તેમ ધ્યાન કરનારો પણ જે જે ભાવનું થાન કરે છે, તે તે ભાવ સાથે તન્મય બની જાય છે. (9) 11-14 ) યોગશાસ્ત્ર. ગ. પટેલ. પૃ. 88-92 * જે અનુભવદશા માત્ર સ્વસંવેદ્ય છે. પણ શબ્દદ્વારા વાય નથી, મનદ્વારા ગમ્ય નથી અને ચક્ષદ્વારા દર્ય નથી; આમ છતાં નિષેધ્ય પણ નથી જ : કારણ કે-તે તે છોને અનુભવસિદ્ધ છે. એવું પણ સંભવિત છે કે- જેનું આંશિક પણ આલેખન થઈ શકે નહિં, બલકે જે કલ્પનાથી પણું અકલ હોય તો પણ તો અનુભવથી ગમ્ય થઈ શકે છે. એથી જ અનુભવસિદ્ધ તત્ત્વનો અપલાપ કરી શકાય નહિં. -પારમાર્થિક લેખ સંગ્રહ. પૃ. 234. અનુભવજ્ઞાન-સર્વ શાસ્ત્રને વ્યાપાર માત્ર દિગદર્શન-દિશા માત્ર દેખાડનાર છે, પણ એક અનુભવ જ ભવસમુદ્રને પાર પમાડે છે. વિશુદ્ધ અનુભવ વિના સેંકડો શાસ્ત્રયુક્તિઓથી પણ અતીન્દ્રિય પરબ્રહ્મનું જ્ઞાન થતું નથી એમ પંડિતે કહે છે. ક્ષુધા અને તૃષા, શોક અને મેહ, કામ, કષાય વિગેરેના અભાવે કરીને પણ નિકલેશ છે, એવા શુદ્ધ બોધ વિના લિપિમય, અક્ષરમય, વાસય અથવા હૃદયને વિષે જાકારરૂ૫ ચિંતન એ પ્રમાણે ત્રણ રૂપવાળી દૃષ્ટિથી જોઈ શકે નહિ, પણ ઇનિષ્ટ વિક૯પને વિરહ થવાથી (મિથ્યાત્વ, અજ્ઞાન ને મેહના અભાવથી ) જ અનુભવજ્ઞાન પ્રાપ્ત થાય છે. અનુભવે કરીને જ સંવેદ્ય પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે. -પારમાર્થિક લેખસંગ્રહ પૃ. 124 Page #212 -------------------------------------------------------------------------- ________________ (13s1 ઢાળ 3/19 ભાવાર્થ - પિંડસ્થ આદિ ધ્યેયનું ધ્યાન કરવાથી શુભ ગુણોની વૃદ્ધિ થાય છે. ડિસ્થ-અવસ્થા તે છદ્મસ્થ સ્વરૂપનું ધ્યાન છે. પદસ્થ-અવરથા તે ઘાતી કર્મના અભાવથી ઉત્પન્ન થયેલું વરૂપ છે. રૂપસ્થ-અવસ્થા તે (1) કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછીની અવસ્થા તથા (2) પ્રતિહાય વગેરેનું અને પ્રતિમાદિકનું ધ્યાન છે. આ પ્રમાણે ધ્યાનક્રિયાના ગુણે ઉત્પન્ન થવાથી સાધક હર્ષાતિરેકની લાગણી અનુભવે છે. નિહેતુક ચિત્તપ્રસન્નતા થાય છે, તે સાધકના ત્રિકાલેમ્પન્ન શેક-ભય વગેરે નાશી જાય છે અને તેને તરંજ્ઞાનના ચિંતનથી અનુભવદશાની ઉત્પત્તિ થાય છે. તેમ જ ઉદા સીનતા એટલે તૃપ્તિભાવથી શમ પણું આદિ ગુણેને તે ભજનારે થાય છે. વળી સ્વાભાવિક ગુણે પ્રાપ્ત થાય છે. જેથી અગીતાર્થ અને અજ્ઞાની પુરુષની સંગતિનો અભાવ થાય છે અને સત્સંગતિ પ્રતિ આકર્ષણ વધે છે...૧૯ વિવરણ - પિંડસ્થ ધ્યેય તે શ્રી વીતરાગ દેવની છસ્થાવસ્થા; પદસ્થ ધ્યેય તે શ્રી વીતરાગ– દેવના ઘાતકર્મના અભાવથી થયેલું અહંત સ્વરૂપ, રૂપસ્થયેય તે શ્રી વીતરાગદેવને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછીની અવસ્થા અથવા તેમની પ્રતિમા પ્રાતિહાર્ય આદિ. આ પ્રમાણે અનુક્રમે અથવા કોઈ એક દયેયનું ધ્યાન ધરવાથી શુભ ગુણોની અભિવૃદ્ધિ થાય છે. આવા શુભ અધ્યવસાયથી અહેભાગ્ય સમજાય છે. હદય પુલકિત થાય છે અને હર્ષ ઉભરાય છે. આ સુખાસ્વાદરૂપી આનંદથી સ્વભાવમાં સમતા વ્યાપે છે અને સંસાર પ્રતિ ઔદાસીન્ય પ્રગટે છે, તેમ જ સત્સંગ પ્રતિ આકર્ષણ રહે છે. કુવાસિત પુરુષને સંગ તે બાળકના સંગ જેવો સમજાય છે અને તેથી તેને ત્યાગ થાય છે...૧૯ Maa . આ Jain fall Page #213 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 3/20 ( જાગરુક સાધક ગીતાર્થને સેવે ) મૂળ - સાવધાન બહુમાન ગીતારથે નૈ જૈ રે કિ ગીe. આતમલામેં તુષ્ટ ન પરલા મેં રજે રે, કિં ન ; કંપ સ્વેદ શ્રમ મૂછ ભ્રાન્તિ બલહીનતા રે, કિં ભ્રા, ઇત્યાદિક જે દોષ નહી ત: પીનતા રે, કિં ન...૨૦ ટ - ગીતાર્થ તે શ્રદ્ધા 1, જ્ઞાન 2, કથક (ન) 3, કરણી 4, એ યાર શુદ્ધ નાગમ શ્રદ્ધાવંત તે. ગત - गीयं भण्णइ सुत्तं, अन्थो तस्सेव होइ वक्खाण / उभयेण य संजुत्तो, सो गीयत्थो मुणेयव्यो / / આતમ પિતાના ગુણનઈ લાભઈ પ્રાપ્તિ તુષ્ટ થાઈ. પણ પરપુદ્ગલાદિ લાભાઈ તુષ્ટ ન થાઈ. વલી ભાવાધ્યામ પવનાભ્યાસીનઈ કં૫, સ્વેદ, શ્રમ, મૂછ, ભ્રાંતિ, બલની હીનતા ઈત્યાદિક દેશ ન હોઈ. નીરોગની પીનતા પુષ્ટતા થાઈ...૨૦ શબ્દાર્થ :ગીતાથ ... ... ...શ્રદ્ધા, જ્ઞાન, કથન, કરણી જેની શુદ્ધ હોય તેવા ગુરુ. આતમલાભે ... ... આત્માના ગુણનો લાભ થાય. પર લાભ ... ... ... ૫ર એટલે પુદ્ગલાદિ વિષે કંઈ લાભ થાય છે. ન રજે ... ... ..તુષ્ટ ન થાય, મનથી રાગી થાય નહીં. પીનતા ... ... ....પુષ્ટતા. ભાવાર્થ - જાગરુક સાધક બહુમાનપૂર્વક ગીતાર્થ ગુરુની ઉપાસના કરે. શ્રદ્ધા, જ્ઞાન કથક ( કથન ) અને કરણી–આ ચારે જેનાં શુદ્ધ હોય તે ગીતાર્થ છે. કહ્યું છે કે ગીત એટલે સૂત્ર અને અર્થ એટલે તેની વ્યાખ્યા. આ બનેથી જે યુક્ત હોય તે ગીતાર્થ કહેવાય છે. આરાધકને આત્માના ગુણને લાભ થતાં તે તુષ્ટ થાય પણ પર એટલે પુદ્ગલ વગેરેના લાભથી તે તુષ્ટ થાય નહીં. આત્મ ગુણોની વૃદ્ધિથી તુષ્ટ થાય પણ ઈન્દ્રિયની વાસનાની વૃદ્ધિથી તુષ્ટ થાય નહીં. ભાવ અધ્યાત્મ અને પવનના અભ્યાસથી કંપ, સ્વેદ ખેદ, શ્રમ, મૂચ્છ, બ્રાન્તિ, બલની હીનતા વગેરે દેશે દૂર થાય છે, શરીર નિરોગી થાય છે અને પુષ્ટતા વધે છે....૨૦ Page #214 -------------------------------------------------------------------------- ________________ દાળ 3/21 ( સ્વાધ્યાયથી સાવધાની ) મી :- વાચનાદિક સઝાય ધરે અનુપ્રખ્યતા રે, િધ, હાઈ પ્રમાદની ઝલક કદાપિ ન પિશુનતા રે, કિં કo; ચઉદલથી પટ વલયથી આગલિ સંક્રમે રે, કિ આo, સમકિત થાન પ્રમત્ત થકી ગુણ ચંક્રમેં રે, કિ ગુ...૨૧ ટો : વાચના 1, પૃચ્છના 2, પરાવર્તન 3. અનુ પ્રેક્ષા 4. ધર્મકથા 5, એ સઝાયની ચારતા-કુશલતા અખેદાદિ ગુણ વધતઈ હોઈ. કદાચિત વિચઈ 2 પ્રમાદની ઝલકી હાઈ. પણિ પિશુનતા પદેષાભાઈ કરી ગુણી પરિ પ્રષતા તે ન જ હોઇ વલતો પવન વલી યાર દલનું કમલ દ્રવ્યથી નાભિ અનઈ ભાવથી અનતાનુબંધિયાઈ અભાઈ તિહાંથી આઠ દલ કમલ. દ્રવ્યથી હૃદયકમલ અનઈ ભાવથી પ્રત્યાખ્યાનિયા અપ્રત્યાખ્યાનિયા તિહાં એ 2 ચોકડીઈ સંક્રમ. એતલઈ વિરતિરૂપ પવન તે તે ભાવ અધ્યાતમઈ સંકમઈપ્રવેશ કરઈ સમકિત રથાનિક થકી દેશવિરતિ પ્રમત્તગુણઠાણ ભાવ અધ્યાત્મ પવન સ ક્રમ પ્રવેશ કરશું....૨૧ શબ્દાર્થ :- વાચનાદિ * * વાચના, પૃચ્છના, પરાવર્તના અનુપ્રેક્ષા અને ધર્મકથા. સઝાય ... ... .....સવાધ્યાય. અનુગતા ... ..અનુપ્રેક્ષા. પ્રમાદની ઝલકિ .અમુક સમય માટે અજાગરુક્તા પણ થઈ જાય. પિશુનતા .. .. ...પરદેષાભાસવડે ગુણીને ઠેષ ન કરે. ચઉદલથી ષટ– વલયથી આગલિં.... ...ચા૨ દલ તે મૂલાધાર ચકના અને છ દલ અથવા વલય તે સ્વાધિષ્ઠાનચક્રના તેનાથી આગળ એટલે નાભિચક્રમાં અને હૃદયચક્રમાં આ પ્રમાણે દ્રવ્યથી પ્રવેશ કરે. સમકિત થાન ... ...સમકિત ( ચોથા ) ગુણસ્થાનથી. પ્રમત્ત .... ... ....દેશવિરતિ (પાંચમું) પ્રમત્ત (છઠું) ગુણસ્થાનક. ચંકમેં ..... ... ....પ્રગતિ કરે. Page #215 -------------------------------------------------------------------------- ________________ [ 140 ] ઢાળ 321 ભાવાર્થ - તે જાગરુક સાધક સવાધ્યાય આદિ કુશલતા અને અખેદાદિ ગુણે દાખવે. વચમાં કઈ વખત અજાગરુકતા એટલે પ્રમાદની વેળા આવી જાય, પણ તેથી તે ગુણીને ધષ કરવા જેટલે નીચે ઉતરે નહીં. દ્રવ્યથી નાભિચક્ર અને હૃદયકમલમાં ધ્યાન ધરે પણ ભાવથી સમ્યક્ત્વના દેશવિરતિ અને પ્રમત્ત એટલે પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનથી આગળ પ્રગતિ કરે...૨ 1 વિવરણ– આલંબન પાંચ છે (1) વાચના, (2) પૃચ્છના, (3) પરાવર્તન, (4) અનુપ્રેક્ષા અને (5) ધર્મકથા તેમાં સાધક સુલીન રહે છે અને તે આત્મનિરીક્ષણથી દૂર ખસતું નથી. એટલે તેને પ્રમાદ આવતો નથી, છતાં કોઈ કારણે ઘડી-બે ઘડી પ્રમાદ આવી જાય છે તેનું એટલું પતન થતું નથી કે તે બીજાના દેષ નિરખે, અગર તે તે વિષે પશુન્ય સેવે કે ગુણી ઉપર છેષ કરે. તે તે આત્માનંદી હોવાથી જીવને ચતુર્દલ એટલે મૂલાધારચક્રમાંથી પસાર કરી બદલકમલ એટલે સ્વાધિષ્ઠાનચક્રમાં લાવે છે અને ત્યાંથી પસાર કરીને બ્રહ્મગ્રંથન ભેદ કરે છે. આ પ્રસંગે ભાવમલની ક્ષીણતા થતાં અપૂર્વકરણ અને અનિવૃત્તિ x અનુપ્રેક્ષા-શાસ્ત્રાદિનું પઠન એ દ્રવ્યશન છે અને આત્મસ્વરૂપનું જાણવું તે ભાવજ્ઞાન છે. સમ્યક્ત્વ વિના ભાવજ્ઞાન થતું નથી. વાચના ( વાંચવું ), પૃષ્ઠના ( પૂછવું ), પરાવર્તન ( ફરી ફરી વિચારવું ) અને ધર્મકથા ( ધમ વિષયની કથા ) કરવી-એ ચાર દ્રવ્ય છે અને પાંચમી અનુપ્રેક્ષા એ ભાવ છે. પ્રથમના ચાર અનુપ્રેક્ષા ( મનનરૂપ ઉપયોગ ) ન આવે તે દિવ્યરૂપ સમજવા. તેના અર્થો આ પ્રમાણે :વાચના-ગીતાર્થ મુદિ પાસે સૂત્ર અને અર્થની વાયના લેવી તે. પૃચ્છના-અપૂર્વ અર્થ મેળવવા, સંશયનું નિવારણ કરવા, શાસનની શોભા માટે, પરની પરીક્ષા કરવા માટે, યોગ્ય વિનય સહિત ગુર્નાદિને પૂછવું તે. પરાવર્તન-ભણેલાં સૂત્ર અને અર્થ ભૂલી ન જવાય માટે શુદ્ધ ઉપયોગ સહિત તે સૂવાદિને વારંવાર સ્વાધ્યાય કરો તે. અનુપ્રેક્ષા-છવાદિ તરવાનું રહસ્ય સમજવા માટે સ્વાર્થનું ચિંતન કરવું તે. Page #216 -------------------------------------------------------------------------- ________________ [14] ઢાળ 3/21 કરણની પ્રાપ્તિ થાય છે. અપૂર્વકરણથી બ્રહ્મગ્રંથિ ભેદાય છે. અને અનિવૃત્તિકરણથી સમ્યફવઝ પ્રાપ્ત થાય છે....૨૧ * સફવ-સમકિત થાન - જિનેશ્વરભાવિત તને વિષે જે રુચિ થવી તે સમ્યફથદ્ધા અર્થાત સમ્યક્ત્ર કહેવાય છે; તે સમ્યકત્વ સ્વાભાવિક રીતે થાય છે અથવા તો ગુરુના ઉપદેશાદિ પ્રયત્નથી પણ થાય છે. | | 1 | " છે 18 તે ચોથું ગુણસ્થાન એટલે અવિરત સમ્યગદષ્ટિ નામનું ગુણસ્થાન છે. એ સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં અર્ધપુદ્ગલપરાવર્તથી અધિક સંસાર બાકી રહેતો નથી. તેમ જ એ સમ્યકત્વ ભવ્ય જીવોને જ પ્રાપ્ત થાય છે. જીવના અમુક પ્રકારના પરિણામ વિશેષ તે કરણ કહેવાય. તે કરણ 3 પ્રકારનું છે:- 1 યથાપ્રવૃત્તિકરણ, 2 અપૂર્વકરણ અને 3 અનિવૃત્તિકરણ. ત્યાં પર્વતથી નીકળેલા નદીના જળ વડે ઘસાતા પાષાણુની પેઠે ઘોલના ન્યાય વડે જીવ જે અવ્યવસાયવિશેષવડે આયુષ્ય કર્મ સિવાયના 7 કર્મોની સ્થિતિને કંઈક ન્યૂન 1 કેડાછેડી સાગરોપમ પ્રમાણ કરતા ગ્રથિને સ્થાન સુધી આવે તે અધ્યવસાયનું નામ યથાપ્રવૃત્તિમારા કહેવાય. તથા પૂર્વે કદી પણ નહિ પ્રાપ્ત થયેલા એવા જે અથવસાય વડે અતિનિબિડ રાગ દ્વેષના પરિણામરૂપ તે પૂર્વોક્ત ગ્રથિને ભેદવાને પ્રારંભ કરે તે પૂર્વજન કહેવાય તથા નિવૃત્તિ વિનાના જે અધ્યવસાયવડે અતિ પરમ આલ્હાદજનક (અતિ પરમ આનંદદાયક ) સમ્યકત્વ પ્રાપ્ત કરે તે અધ્યવસાયનું નામ અનિવૃત્તિળ કહેવાય. પ્રતિસ્થાનની અતિ નજીકમાં આવે ત્યાં સુધીના અધ્યવસાય તે પહેલું યથાપ્રવૃત્તિકરણ કહેવાય. ગ્રંથિને ભેદ કરતાં બીજું અપૂર્વકરણ કહેવાય અને જીવે સમત્વને પુરસ્કૃત-આગળ કર્યું હોય અર્થાત્ સન્મુખ કર્યુ હોય તે વખતે અનિવ્રત્તિકરણ કહેવાય. અપૂર્વ કરણથી ગ્રંથિભેદ કર્યા બાદ અનિવૃત્તિકરણે આવેલ જીવ અવશ્ય આગળ વધી સમ્મફત પ્રાપ્ત કરે છે, પણ પાછા વળતા નથી, માટે અનિવૃતિકરણના અધ્યવસાય નિવૃતિ એટલે વ્યાવૃતિ રહિત છે અર્થાત પાછી ન વળે એવા છે. - ગુણસ્થાન કમરેહગ્રંથ, પૃ. 29-36 મિથ્યાત્વ તથા અનંતાનુબંધીધ આદિ પ્રકૃતિના પાદિથી ઉત્પન્ન થએલ તત્ત્વ-રચિને ‘સમ્યગ્દર્શન' કહેવાય છે. નય અને પ્રમાણુથી થનાર જીવાદિ તનું યથાર્થ જ્ઞાન તેને “સમ્યજ્ઞાન” કહેવામાં આવે છે. સમ્યગ જ્ઞાનપૂર્વક કાષાયિક ભાવોની એટલે કે રાગદ્વેષની અને યોગની નિવૃતિ થવાથી જે સ્વરૂપ રમણ થાય છે, એ “સમ્યફચારિત્ર' છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ હાઈ 3/22 ( તે ભાવ અધ્યાત્મમાં વાસિત હોવાથી ઈદ્રિય સુખમાં લીન થાય નહિ ) મૂળ - ઇંદ્રિય સુખ આધીન અલીનપણું રચે 2, કિં અo, ચકિ શક સુખ ચક થકી અધિકે મર્ચે રે કિ અ ..રર (ઇંદ્રિય સુખ ઉદગાર તાસ, ભાવ અધ્યાતમેં રે, કિં ભા. વાણ્યું મન જસઈમ જાણે, તે રસ પરિણમે રે, કિં તે.) ટ ઈદ્રિય સુખનઈ આધીન યદ્યપિ હોઈ પણ તેહમાં અલીન થઈ લીનપણું ન થઈ ચક્રવર્તિ શક-ઈ તેહના સુખ થકી પણિ શમ સંતોષઈ રાધિક આતમલાભે મચઈ ઈદ્રિય સુખ તે તેહનું ઉદ્ગાર છઈ. ભાવાયામ જે વાગ્યું હોઈ તે ઈમ કરી જાણુ એતલઈ એ ઢાલ પૂર્ણ થઈ..૨૨ શબ્દાર્થ - અલીનપણું .... લયલીન પણાનો અભાવ. ચક્રિ .... .. ચકવર્તિ. શક ..... ..... શકેન્દ્ર. સુખચક ... સુખને સમૂહ. મચૅ ... .. ર પ રહે, ભાવાર્થ - ઈન્દ્રિય સુખને આધીન હોય છતાં સાધક તેમાં આસક્ત ન બને અર્થાત એવા સુખરાં લીન ન થાય, ચકવર્તી અને ઇન્દ્રના મુખ કરતાં પણ વિશેષ શમ-સંતેષનું સુખ અનુભવે છતાં આત્માના લાભ માટે અર્થાત્ આત્મ પ્રગતિ માટે વિશેષ તત્પર રહે. * આ કડીનાં પહેલાં બે ચરણ મળ્યાં છે, પણ ટબામાં બીજા બેને ભાવાર્થ રપષ્ટ છે. તે ઉપરથી કડી નીચે પ્રમાણે હેવી જોઈએ. ઈન્દ્રિય સુખ ઉદ્ગાર તાસ, ભાવ અધ્યાતમેં રે, કિ ભા, વાણ્યું મન જસ ઈમ જાણે, તે રસ પરિણમેં રે, કિં તે..૨૨ Page #218 -------------------------------------------------------------------------- ________________ [143] ઢાળ 3/22 ભાવ અધ્યાત્મમાં જેનું મન વાસિત થયું છે અને તે રસ જેને પરિણામ પામ્ય છે, તેને ઈન્દ્રિયના સુખના ઓડકાર ન આવે. ( તેનાથી તે ધરાઈ જાય ) કર - - कि त णं ( મરણ નમસ્કાર ) Page #219 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 41 ઢાળ ચોથી (રાગ : કાફી. દેશી : બંગાલની ) [ પવનાભ્યાસ ચાલુ ] મૂળ: હૃદયકમલ હવે પંચક બીજ સિવારના શુદ્ધ ધર્મનું બીજ; ભવિ થાઈએ, હાં રે મોરા આતમ પરમાતમ પદ પાઈએ...૧ ટબો: હવે વલી પ્રકારાંતરઈ એહ જ પવનાભ્યાસની ઢાળ થી બંગાલની દેશીઈ કાફી રાગર્દી કહઈ છઈ હદયકમલનઈ વિષઈ યુગના બીજ પંચક છઈ તે વલી થાપઈ છે. (નમો) કોઈ सव्व fણ રા| 3 | Raa | | | an| સ | વ | PS / | | | | | ન. અરિ પદ વિચમાં તથા ચ્યાર દલનાં ચાર પદ તથા જૈ જૈ વો () { ર એવં આદિ અક્ષર થાપી. પાંચ સમીર થાપીઈ. ઈત્યાદિક બહભેદ છ...૧ * આત્માની જ્ઞાનાદિક ઋદ્ધિનો જે નિરભાવ અનાદિકાળથી છે, તેનો આવિર્ભાવ થવો તે જ પરમાત્મપદ છે. - પારમાર્થિક લેખસંગ્રહ પૃ. 302 Page #220 -------------------------------------------------------------------------- ________________ [145) ઢાળ 4/1 શબ્દાર્થ: હવે ... ... .... સ્થાપન કરે. પંચકબીજ - યોગનાં બીજ પંચક ( શૈ oN કૅ છે ર) -સમીર બીજ પંચક શુદ્ધ ધર્મનું બીજ. ગરિબાવા. -શુદ્ધ ધર્મ બીજ પંચક. પરમાતમ પદ ..... આ દયેય છે. (જુઓ પહેલી ઢાળ કડી પંદરમી. ) -બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા-અધ્યાત્મ પ્રક્રિયાને આ કમ છે. પ્રસ્તુત રાસમાં બહિરાત્માને ભવાભિનંદી અથવા પુદ્ગલાનંદી તરીકે તથા અંતરાત્માને શુદ્ધાત્મા અથવા રાજહંસ સ્વરૂપ તરીકે અને પરમાત્માને પરમાતમપદ તરીકે દર્શાવેલ છે. ( જુએ બીજી ઢાળ. કડી 7-9 ) ભાવાર્થ - હવે પ્રકારાન્તરથી એ જ પવનાભ્યાસની વાત કહે છે - હદયકમલને વિષે યોગનાં પાંચ બીજની સ્થાપના કરે, નમો વારિ પદ વચમાં તથા ચાર દિલનાં ચાર પદ aai, મા, 3, ના, તથા શૈ, , , , , એ પ્રમાણે સમીરનાં બીજ આદિ સ્થાપવા. પાંચ સમીરના બીજ પંચકદ્વારા તેમની સ્થાપના કરવી. વગેરે ઘણા ભેદ છે. ( આત્માથી સાધક હદયકમલમાં નમસ્કારનાં શુદ્ધ ધર્મ બીજ પંચક તથા સમીર બીજ પંચક સ્થાપે અને તેથી પરમાત્મપદને પામે. ) ' હે ભવ્ય લોક ! આ પ્રકારે પિતાના આત્માને સમજાવીએ અને આવા ધ્યાન અને પવનાભ્યાસના અનેક ભેદે છે તે પૈકી આ ભેદને ગ્રહણ કરી પરમાત્મપદ જે દયેય છે તે પામવાને પ્રયાસ કરીએ એ આ ઢાળની આંકણું છે......૧ ' 7 ) Page #221 -------------------------------------------------------------------------- ________________ 42 ( પરમાત્મ સ્વરૂપ પામવા માટે ધ્યાન. ) મૂળ: પ્રણવ સહિત આદિ પદ વર્ણ, નમ પદ આગલિ જે સકર્ણ... ભ...૨ ટબે– તથા વલી પરમાતમ પામવાનઈ ધ્યાન પ્રણવ કહતાં કાર સહિત પંચ પદ સગાસી થાપીઇ. નવ (મ) પદ આગલિ ડીઇ તથા પ્રણવ સહિત એક વણે જેડીઈ. નમ અંતઈ તથા >> સકલ વણે પ્રથમ નમ અંતઈ ઈમ ડીઈ. અનઇ કામ, વશ્ય, ઉચ્ચાટન, લક્ષમી, શરે 5 ખા(સ્વા)થ્ય () નઈ કાજે રેં જે પ્રમુખ પંચવર્ણ જેડઇ. તિહાં ટ્રો રો શ્રી એ બીજ, પદ પાંચ ઈત્યાદિ સર્વ સકણું પંડિત જાણુ...૨ શબ્દાર્થ - આદિ પદ વર્ણ. ... નમસ્કારના પાંચ પદના આદિ વર્ષે એટલે કે અતિશાસણા નામપદ -. ... ... “નમો” પદ. આગલિ ... ... ... “તમો” ની પહેલાં. સકણું ... ... .... પંડિત, સુજ્ઞ પુરુષ. ભાવાર્થ - વળી પરમાત્મપદ પ્રાપ્ત કરવા માટે ધ્યાન કરવું. પ્રણવ કહેતાં કાર સહિત પાંચ પદ મણિશાવતા એટલે અરિહંતાણું...સવ્વસાહૂણ સુધીના પદે સ્થાપવા. પ્રથમ અને અંતે નમઃ એ પ્રમાણે થાય અને વશ્ય (હો), કામ (જી), ઉચ્ચાટન (શ), લકમી (છ) અને શરબીજ જે (ર) છે, તે પાંચમા બીજ તરીકે પંડિત આરાધક સંજન કરે. સ્વાથ્ય માટે પાંચ સમીરબીજ વગેરેનું પણ સંયોજન કરે. પ્રાન્ત તે પાંચ પદનું સ્વરૂપ નીચે પ્રમાણે થાય - * શાળા:૧૫-t, , સ્ત્રી, વર્, તઃ - યોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશ વિ. પૃષ્ઠ. 12 Page #222 -------------------------------------------------------------------------- ________________ [17] પ્રણય માં સમીર બીજા नमो હાળ 4/2 પાંચ પાંચ નમાકાર પાંચ પદ બીજ સમીર બીજ अरिहंताणं सिद्धाणं आयरियाणं उवज्झायाणं लोए सव्वसाहूणं 1 + 5 + 5 + 1 + 5 = 17 કાર + પાંચબીજ - વશ્ય વગેરે + પાંચબીજ સમીરના + નમોકાર + પાંચ પદ-આ પ્રકારે સત્તર ગુણ ગ્રહણ કરવામાં આવે છે. (વિશેષ સમજૂતિ ત્રીજી કડીમાં મળશે.) 25 જs who >> Page #223 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 4/3 ( ત્રિપદી પાંચ વર્ણમાં પાંચ વર્ણના ફેલાવાને વિચાર ) મૂળ - ત્રિપદી પણ પણ વર્ણ વિચાર, એ યાતાં ટલે દોષ અઢાર ભ...૩ ટઃ ત્રિપદીનાં પાંચ વર્ણ-શનિ-કાર--Hદવ-સિદ્ધાળ” ત્રિપદ તથા ત્રિપદ મળે પંચ વર્ણના વિચાર “સિગાવવા”ના ફઇલાવ થઈ. એ પદ થાતાં હુતા દેષ અઢાર તથા અઢાર પાપ સ્થાનાદિક ટઈ. અંતરાય પ, હાસ્યાદિક 6, એવં 11, કામ 12, મિથ્યાત 13, અજ્ઞાન 14, નિદ્રા 15, અવિરતિ 16, રાગ 17, દ્વેષ 18 દેષ ટલઈ. એવં સમુદાઇ 35 ગુણ પ્રકારોતરઈ પાંચ દલને વિચાર જાણ...૩ શબ્દાર્થ - ત્રિપદી પણ પશુવણે વિચાર .. ... ત્રિપદીના પાંચ વર્ણ– 1 કરિ, 2 સાય, 3 33, 4 સવ, અને 5 સિદ્ધાળ, તે મધ્યે પાંચ વર્ણ સિબારસને વિચાર. દોષ અઢાર .... ... અઢાર દે (1) દાનાંતરાય, (2) લાભાંતરાય, (3) ભેગાં. તરાય, (4) ઉપભેગાંતરાય, (5) વીર્યાતરાય, (6) હાસ્ય, (7) રતિ, (8) અરતિ, (9) ભય, (10) શેક, (11) જુગુપ્સા, (12) કામ, (13) મિથ્યાત્વ, (14) અજ્ઞાન, (15) નિદ્રા, (16) અવિરતિ, (17) રાગ અને (18) શ્રેષ-આ અઢાર દે છે. ત્રિપદી * * * લવજો વા, વિમે વા, ધુવે વા–આ ત્રણ પદોની તસ્વરૂપે વાચના ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુએ તેમના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીને આપેલી હોવાથી તે ત્રિપદી રૂપે વિખ્યાત છે. ભાવાર્થ - " ત્રિપદીનાં પાંચ વર્ણ છે - (1) ગરિ, (2) ગાય, (3) લવ, (4) સદવ અને (5) સિદ્ધાળં. તથા ત્રિપદી મધ્યે પાંચ વર્ણ સિગારાના વિચારને એટલે કે નમસ્કારનાં પાંચ પદેના પદાર્થને વિસ્તાર છે. તે વિસ્તાર આ પ્રકારે છે Page #224 -------------------------------------------------------------------------- ________________ [14] ઢાળ 4/3 3 = 35 = ૩પનેરૂ વા, ગરિ + ગાય = ચરિચ = સાવરિત = વિરૂ વા; સદારિદ્વાળ = સર્વસિદ્ધ = પુરૂ વા. આ પ્રકારે ત્રિપદી પાંચ પદના વર્ષોમાં વિપ્રકીર્ણક્ષરથી અને સંકેતથી અતિભારણાના પાંચ વર્ણને વિચાર વિદર્ભિત છે. એ પદે રિ–ચાર-=વ-સર-સિદ્ધાર્થ મલ્થ ગાગાસાનું ધ્યાન કરતાં અઢાર દે (જે અહીં ટબામાં તથા શબ્દાર્થમાં દર્શાવ્યા છે તે) તેમજ અઢાર પાપસ્થાનકે ટળે છે અને તે ટળતાં અઢાર ગુણે ઉપસ્થિત થાય છે તે ગ્રહણ કરવા. સત્તર ગુણે બીજી કડીમાં દર્શાવ્યા છે. આ પ્રકારે સઘળા મળી સમુદાયથી પાંત્રીસ ગુણને અને પ્રકારાન્તરથી પાંચ દલને એટલે કે નમસ્કારના પાંચ પદના પાંત્રીસ વર્ણને વિચાર જાણ..૩ नमस्कार निष्पन्न त्रिपदी तथा बीजपंचक ध्यानयंत्र * પાપરથાનકે આ પ્રમાણે (1) પ્રાણાતિપાત, (2) મૃષાવાદ, (3) અદત્તાદાન, (4) મિથુન, (5) પરિગ્રહ, (6) ક્રોધ, (7) માન, (8) માયા, (9) લેભ, (10) રાગ, (11) ઠેષ, (12) કલહ, (13) અભ્યાખ્યાન, (14) પશુન્ય, (15) રતિ-અરતિ, (16) પર પરિવાદ, (17) માયામૃષાવાદ અને (18) મિથ્યાત્વશલ્ય. Page #225 -------------------------------------------------------------------------- ________________ વાળ 4/4 ( અષ્ટદલકમલની સ્થાપના ) મળઃ– અષ્ટદલે ચઉં બીજ છઈ અન્ય, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ ધન્ય, ભ.....૪ બે - હવઈ અદલ કમલન વિષઈ આર બીજ. તિહાં અન્ય છે તે થાપીઇ. તે કેહાંદર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ ચારની થાપના કીજઇ. તિવાર નવદલનું કમલ કર્ણિકાઈ કરી યુક્ત થાઈ૪ શબ્દાર્થ - ચઉં બીજ અન્ય .... બીજાં ચાર બીજ. ભાવાર્થ: - હવે અદલ કમલને વિષે ચાર બીજ છે, તે સ્થાપવાં તે ચાર બીજ-દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ છે. ત્યારે નવદલનું કમલ કર્ણિકાએ કરી યુક્ત થાય અહીં ચાર કડીમાં ધ્યાન માટે દર્શાવેલા યંત્રનું સ્વરૂપ આ સાથેના ચિત્ર પ્રમાણે સમજાય છે...૪ नवपटना आदि बीजाक्षरनुं यंत्र. જ S - 1 * * 8. | Page #226 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 4/5 ( દ્રવ્ય ગીની સાધના માટે બીજે ) અથવા માયા શ્રી વહિં કામ, સાધારણ એ બીજ અભિરામ. ભ૦૫ ટો :-- અથવા વલી માયા, વશ્ય, શ્રી લક્ષમી, વહિ, તેજ, કામપ્રતાપ એ ચ્યારઈ બીજ સાધારણ સર્વનઈ ઈચ્છારૂપ છે તે સાધવાનઈ પણિ એ છઈ. દ્રવ્યયેગીનઈ...૫ શબ્દાર્થ - માયા બીજ અથવા વશ્ય બીજ ... દો. શ્રી , જે લક્ષમી .... વહ્િન છે, જે તેજ , . . કામ , જે પ્રતાપ છે . રહી. સાધારણ સર્વ લોકો માટે સાધારણ રીતે. અભિરામ .. .. * ઈચ્છારૂપ, સાધવાને અનુકૂળ પડે તેવા. ભાવાર્થ - અથવા દ્દો, શૌ, ૩છે અને જો એ ચાર મનહર બીજાક્ષરો સાધારણ રીતે બધાની ઈચ્છારૂપે કામના પરિપૂર્ણ કરવા માટે છે. તે છે, દાં, શ્રી, કરી, પણ દ્રવ્ય યોગીને સાધના માટે છે...૫ Page #227 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 4/6 ( મંત્રરાજ અહંકારની સાધના ) મૂળ: દિ અક્ષર અક્ષર હેતુ (ત) પ્રાણાધિક વર ભાવ સંકેત. ભ૦૬ ટએ - મ એહવું અક્ષર જપતાં અક્ષર કહતાં આત્મ સ્વરૂપ પ્રતઈ જાણુઇ, દેખ. પ્રાણથી અધિક વર-પ્રધાન ભાવનઈ સંકેત કરી..૬ શબ્દાર્થ - અક્ષર ... ... બીજ, બીજાક્ષર. અક્ષર હેતુ (ત) .... આત્મ સ્વરૂપ જે શાશ્વત છે તેની અનુભૂતિનું પ્રધાન કારણુ-હેતુ. પ્રાણધિક વર ભાવ સંકેત...પ્રાણથી પણ અધિક ભાવના ચિહ્નરૂપે. ભાવાર્થ - પ્રાણથી પણ અધિક ભાવના ચિહ્નરૂપે જે જ અક્ષરનું પ્રણિધાન કરવામાં આવે તે તે અક્ષર આત્મસ્વરૂપની અનુભૂતિમાં પ્રધાન હેતુ થઈ જાય છે.૬ Page #228 -------------------------------------------------------------------------- ________________ ત ઢાળ 4/7 ( મંત્રરાજને નાદાનુસંધાન માટે સમુચ્ચાર. ) મૂળઃ– હસ્વ દીર્ઘ લુત વર્ણવિભાગ ધ્યાતાં પ્રગટે ગુણ પરભાગ. ભ...૭ ટો - હસ્વ 1, દીર્ઘ 2, ડુત 3, એ ત્રિણ વર્ણના વિભાગને ઉચ્ચારણ કાલ વિશેષ માત્રાનઈ કહી છઇ. તેહવા દ્વાની પરિણતિ કરતઈ ઘાનના વિભાગ પાઈ. તે માત્રા ફેર ન કરઈ તે હવઈ વચનસિદ્ધિ 1, દીર્ઘ ઈ કાર્ય સિદ્ધિ 2, કુતઈ દરિદ્ર નારાઈ 3, ઈત્યાદિ ગુણ પામી.૭ શબ્દાર્થ - હસ્ત્ર એક માત્રા કાલ તે હસ્વ. દીઘ બે માત્રા કાલ તે દીર્ઘ. . ** . ત્રણ માત્રા કાલ તે તુત. આવી રીતે વર્ણના વિશ્લેષણથી જે ઉચ્ચાર કરવામાં આવે તે સૂક્ષમ, અતિસૂક્ષ્મ અને પર સુધી ઉચ્ચારાય છે. વર્ણવિભાગ . .. વર્ણના વિશ્લેષણથી. પરભાગ... ... ... ગુણોને પરભાગ, પરમ તત્વ. લાવાર્થ :- હૈં અક્ષરનું હસ્ય, દીર્ઘ, કુત, સૂક્ષમ અને અતિસૂક્ષમ એવા પ્રકારના વિભાગ ( ઉચ્ચારણમાં વિશ્લેષણ ) સહિત જો ધ્યાન કરવામાં આવે તે તે પરમ તત્વને પ્રકટ કરનારું થાય છે. હસ્વ માત્રાનું યથાર્થ ધ્યાન સિદ્ધ થતાં વચનસિદ્ધિ, દીર્ધ માત્રાથી કાર્યસિદ્ધિ અને સ્કુલ માત્રાથી દારિદ્રય નાશ પ્રાપ્ત થાય છે+....૭ * માત્રા શ્રાવણ:- સિદ્ધહેમશબ્દાનુશાસન, લઘુવૃત્તિ, સૂત્ર 1-1-5 ની વૃત્તિ. + સરખાવો H हस्वा दहति पापानि दीर्घः संपत्प्रदोऽव्ययः / अर्धमात्रासमायुक्तः प्रणव मोक्षदायकः // 17 // हस्वदीर्घप्लुतया प्रणवजपफलमाह-हस्व इति / " यदि हो भवति सर्व पाप्मानं दहति अमृतत्वं च गच्छति / यदि दीर्घा भवति महतीं श्रियमाप्नोति अमृतत्वं च गच्छति / यदि प्लुतो भवति ज्ञानवान् भवति અમૃતવં નરછત્તિ " ટુતિ થતઃ + 17 | –ધ્યાનબિન્દ્રપનિષ-યોગ ઊપનિષદ્ પૃ. 190-191 20 Page #229 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 4/8 ( સમુચ્ચારથી સમતારસની પરાકાષ્ઠા ) મૂળ:– સરસ સુધારસ કુંડ સુતીર, સામ્ય સ્વભાવનું વાધે હીર. ભo...૮ ટઃ સરસ સમતારસરૂપ સુધાકુંડનું તીર કાંઠે પામઈ. સામ્ય સ્વભાવ રાગદ્વેષની મંદતાનું હીર-રહસ્ય વાધઈ પામઈ....૮ શબ્દાર્થ - સરસ સુધારસ કુંડ સુતીર ... સમતાભાવની પરાકાષ્ઠા. વાધે હીર ... ... ....... રહસ્ય પામે છે. ( રાગદ્વેષની મંદતા તે અહીં ૨હસ્ય છે. ) ભાવાર્થ :- ઉપર દર્શાવેલ વર્ણ વિભાગના ધ્યાનથી સમતાભાવની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય છે, સ્વભાવ શાન થાય છે અને રાગદ્વેષની મંદતાનું હીર ( રહસ્ય ) પામે છે.....૮ Page #230 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 4/9 (પરમાત્મપદનો લાભ ) મૂળ - પરમાતમ રાજહંસ સરૂપ, અવલેકે જિનનૈ અનુરૂપ. ભ૦૯ ટો - તિવારઇ વિષય કષાયને નાશથી બહિરાતમા ટાલીનઈ આતમા પણું રાજહંસપણું ભજઈ. તિવાર પછી જિન સવરૂપ યાતે પરમાતમાપણું પામઈ...૯ શબ્દાર્થરાજહંસ સરૂપ ... આત્માપણું, અંતરાત્માપણું. અવલે .... .... જુએ, એકાગ્રતાપૂર્વક અવલોકન કરે. જિનનૈ અનુરૂપ .... જિનસ્વરૂપ. ભાવાર્થ - તે વખતે વિષય કષાય નાશ પામતાં બહિરાત્મપણું ટાળે છે અને આત્મા અંતરાત્મ ભાવને પામે છે અને તે પછી જિનનું અભેદ ધ્યાન કરતાં પરમાત્મપદને પામે છે...૯ Vad Page #231 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 4/10 ( આત્મા આત્મધ્યાનમાં લયલીન ) મૂ :- આતમાં આતમ ધ્યાનેં લીન, મંત્રરાજમાં જિમ જલિ મીન. ભ...૧૦ ટબો– એ મંત્રરાજના ધ્યાનમાં લયલીન થયે આત્મા તે આત્મારૂપ થાઈ. જિમ નીરમાં માછિલે લયલીન થાઈ તિમ આતમ સ્વરૂપમાં લયલીન થાઈ...૧૦ શબ્દાર્થ - મંગરાજ . અરેંજ ભાવાર્થ તે વખતે આત્મા આમધ્યાન વડે મંત્રરાજ માં, જવમાં માછલાંની જેમ લયલીન બને છે...૧૦ ડિk. N Home Page #232 -------------------------------------------------------------------------- ________________ * * + ' '' આતમાં આતમ ધ્યાને લીન Page #233 -------------------------------------------------------------------------- ________________ Page #234 -------------------------------------------------------------------------- ________________ હાળ 4/11 ( ઉપશમ, અપકને સંકેત વિચાર) મળી - વામ દક્ષિણ પાસે બિહુ ધાર, ઉપશમ ખપાક સંકેત વિચાર. ભ૦...૧૧ ટબો– હવઈ વલી વામભાઈ તથા દક્ષિણભાગઇ એ મંત્રરાજની ધારઈ, અરિહંતબિંબ તે દેખઈ તદ્ભવઈ ઉપશમશ્રેણિ તથા ક્ષપકશ્રેણિ પામ્યાની ગતાગતિ ગણી . તેણુઈ ભવપાર પામીઈ, કમલદલ ધ્યાન ઉપશમણિ સ્વરૂપ ધ્યાનઈ ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ જાણવી......૧૧ * ભાવ પાંચ પ્રકારના છે - (1) ક્ષાચિક, (2) સાપથમિક, (3) પથમિક, (4) ઔદયિક અને (5) પારિણામિક. (1) સાયિકભાવ-ખક-આ શ્રેણિમાં મેહની પ્રકૃતિનો સંપૂર્ણ ક્ષય થાય છે. ક્ષય થયેલ હોવાથી તે પ્રકૃતિને કદી ઉદય થતો નથી. (2) લાપશમિકમાવ-આ શ્રેણિમાં મોહની પ્રકૃતિ જે ઉદયમાં આવેલી લેય તેને ક્ષય અને જે પ્રકૃતિ ઉદયમાં નહીં આવેલી હોય તેને ઉપશમ કે ક્ષયોપશમ કહેવાય છે. અહીં ફરક એ હોય છે કે અનુદિત પ્રકૃતિનો રસથી ઉપશમ હેય છે પણ પ્રદેશથી તે ઉદયમાં હોય છે. (3) પશમિક ભાવ– ઉપશમ ) આ શ્રેણિમાં મેહની પ્રકૃતિ જે ઉદયમાં આવેલ હોય તેને રસથી તથા પ્રદેશથી ઉપશમાવવી તે ઉપશમ કહેવાય છે. અહીં પ્રકૃતિ દબાયેલી હોય ત્યાં સુધી આત્મ સ્વભાવ શુદ્ધ રહે છે. પણ હેજ નિમિત્ત મળતાં તે પ્રકૃતિ ફરીથી ઉછળી આવે છે. (4) ઔદયિક ભાવ-કર્મના ઉદયથી પ્રાપ્ત થતી સ્થિતિ તે ઔદયિક ભાવ છે. (5) પરિણામિકભાવ–આત્મરૂપજીવતત્વ અને આત્માની વિશેષ સ્થિતિરૂપ ભવ્યત્વ તથા અજગ્યત્વ એ ત્રણ પરિણામિક ભાવ છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ [118] ઢાળ 4/11 શબ્દાર્થ - બિહુધાર ... બન્ને બાજુએ) (મંત્રાજની) ધાર, કેરે. ઉપશમ . ઉપશમશ્રેણિ. પક ... ક્ષપકશ્રેણિ. ભાવાર્થ : હવે જે એ લયલીનતામાં ધ્યાતા મંત્રરાજની ડાબી બાજુમાં એટલે કે હું પછી અરિ. હંતનું બિંબ દેખે તો તે જ ભવમાં ઉપશમ શ્રેણિએ ચડે તથા જે જમણી બાજુની ધાર પર એટલે કે એના જ પહેલાં અરિહંતનું બિંબ દેખે તે તે ભવમાં ક્ષપકશ્રેણિએ ચડે (ડાબી તરફ દેખે તે ઉપશમશ્રેણિએ ચડે અને જમણી બાજુએ દેખે તે ક્ષપકશ્રેણિએ ચડે ) અને તે દ્વારા સંસારને પાર પામે. કમલદલ ધ્યાનથી ( સંભેદ પ્રણિધાનથી ) ઉપશમશ્રેણિ પામે અને સ્વરૂપ ધ્યાનથી (અભેદ પ્રણિધાનથી ) ક્ષપકશ્રેણિ પામે...૧૧ * * * * Page #236 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 4/12 ( જ્ઞાન સહાયથી ઉપશમ, આત્મવીર્ય ખપક ) મૂળ:–– જ્ઞાનસહાયૅ ઉપશમ ધાર, આતમવી ખપક વિચાર. ભ૦૧૨ ટબો– જિહાં ગ્રંથિભેદ થાઈ છે તિહાં સમય 1 લગઈ. અંતરઈ ન્યૂનતા વૃદ્ધતા કહી છઇ. તિહાં જ્ઞાનની તીવ્રતાઇ ઉપશમશ્રેણિની ધારા વધંતી અનઈ વીર્યની ધારા વધંતઈ ક્ષપકશ્રેણિની ધારા વધતી એ ઉક્તિ છઈ...૧૨ શબ્દાર્થ - ઉપશમ ધાર . ઉપશમ શ્રેણિની ધારા. આતમવીયે .... આત્મામાં સત્તારૂપે રહેલ વીર્ય ગુણ કુરે તે સાધક ખક વિચાર ( ક્ષપકશ્રેણિની ધારાએ ચડે. ભાવાર્થ - જ્યારે ગ્રંથિભેદx થાય છે ત્યારે એક સમય લાગે છે. તે વખતે જ્ઞાનની તીવ્રતાથી ઉપશમ શ્રેણિમાં આગળ વધાય છે. પરંતુ જ્યારે વીર્યની ધારા થાય એટલે અનંત વિયરૂપી ગુણ કુરે ત્યારે ક્ષપકશ્રેણિની ધારા શરૂ થાય અને તેમાં વૃદ્ધિ થતી રહે છે...૧૨ * ગાઢ એવા રાગદ્વેષને જે આત્મ પરિણામ તે જ કર્મગ્રંથિ છે. તે કર્કશ, ગાઢ, રૂઢ અને ગૂઢ હોય છે. 4 અનંતાનુબંધી કષાયની ચેકડીને ભેદવી તે જ ગ્રંથિભેદ છે. જેનાથી તાવ તરફ પ્રીતિ ન થાય, અતર તરફ પ્રીતિ થાય તે બા અનંતાનુબંધી જા ગુવા. અનંતાનુબંધી કષાયો તપ્રીતિને ઘાત કરે છે. ગ્રંથિ ભેદથી જ તત્વ તરફ અખલિત પ્રીતિ થાય અને આખી દુનિયા અતત્વ લાગે. આ સ્થિતિ ત્રીજે પગથિયે આવે; અને ત્યારે જ સમ્યક્ત્વ ગણાય. 3, ઘરમ, તેણે -ત્યાગને દુનિયા દારીના સાધને જે ગણે, કિંમતમાં સરખામણીમાં ગણે ત્યાં " અર્થ છે. દુનિયાદારીના ઇષ્ટ પદાર્થોથી જૈન પ્રવચનને અધિક ગણે ત્યાં “પરમાર્થ'. અને ત્યાગમય જૈન શાસન સિવાય જગતના તમામ પદાર્થોને અનર્થ ગણે ત્યાં “શેષ અનર્થ'. -સિદ્ધચક્ર-વર્ષ 1 પૃ. 161 Page #237 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 4/13 (મિથ્યાત્વભેદનની જેવી શક્તિ તેવી દશા.). મૂળ - બંધ ઉદય સત્તાકૃત ભાગ, હસ્વાદિક સ્વર પેજના લાગ. ભ૦....૧૩ ટઓ - તિહાં અપૂર્વાદિ કરણઈ કર્મના બંધ ઉદય સત્તાના સ્વવીર્ય ઈ ભાગ પાડે છે. તિહાં કેઈક પ્રાણી સમક્તિ પડઈ. કેતલાઈક સંખ્યકાલે અસંખ્યકાલઈ અનંતકાલઈ ત૬ ભવમલ અંતકૃત કેવલી થાઈ છે. સર્વ ગ્રંથિભેદ કરી અનિવૃત્તિકરણ પછી અંતરકરણ કરતાં જ વીર્યની યાદશ મિથ્યાત્વભેદનશક્તિ તેહવી તે દશાઈ પામઈ તે વિચાર ગ્રંથાન્તરમાં બહુ થઈ. તિહાંથી જાણવા..૧૩ શબ્દાર્થ - બંધ ઉદય (અને સત્તાકૃત ભાગ... બદ્ધકર્મના ઉદયમાન અને સત્તાગત સ્વવી ભાગ પાડે. કર્માણનો જીવ પ્રદેશ સાથે ક્ષીરનીર ન્યાયે સબંધ તે બંધ છે. તે ચાર પ્રકારે છે(૧) પ્રતિબંધ એટલે કર્મને સ્વભાવ. (2) સ્થિતિબંધ એટલે કમ ટકી રહેવા માટેની કાળની મર્યાદા-શુભાશુભ અધ્યવસાયથી ગ્રહણ કરેલા કર્મના દળિયાં કેટલો વખત સુધી ભોગવવા પડે તેને નિશ્ચય. (3) રસબંધ એટલે કર્મના પુલને શુભ કે અશુભ અથવા ઘાતિ કે અધાતિપણાનો જે રસ તે. (4) પ્રદેશ બંધ એટલે સ્થિતિ તથા રસની અપેક્ષા વિના કમ પૃગલેના દળિયાનું ગ્રહણ કરવું તે અથવા કર્મ અને આત્માના પ્રદેશ પરસ્પર મળી રહે તે પ્રદેશોનો સમૂહ. કમની સ્થિતિ, કમને રસ અને કર્મના પ્રદેશો-દળિયાં એ ત્રણ બંધનો જે સમુદાય અને તેમાંથી જ્ઞાન, દર્શન દયાદિ આમિક શક્તિઓને દબાવવાને જે સ્વભાવ ઉત્પન્ન થાય તેને " પ્રકૃતિ બંધ' કહેવાય છે. આ રીતે કર્મને ચાર પ્રકારને બોધ આત્મા ઉપર આવરણ કરે છે. 2 ઉદય-ભોગવાતું ઉદયમાન કર્મ. 3 ઉપશમ-ક્ષોપશમ યા ઉપશમ દશાને પ્રાપ્ત થયેલ કમ. 4 સત્તાગત-બદ્ધ છતાં કાળ ન પાકવાને લીધે સત્તાગત કર્મ. –આત્મબોધસંગ્રહ પૃ. 270 Page #238 -------------------------------------------------------------------------- ________________ [11] ઢાળ 4/13 હૂસ્વાદિક સ્વર યોજના* ... સમુચ્ચારની પ્રક્રિયા. ભાવાર્થ - ત્યારે અપૂર્વકરણથી બદ્ધ, ઉદયમાન તથા સત્તા ગત કર્મના સ્વવીર્ય વડે ભાગ પડે છે, તે વખતે કેટલાક જ સમકિતથી પડે છે, કેટલાક સંખ્યાતા કાલે અસંખ્યાતા કાલે અનંતકાલે કે તદ્દભવ મેક્ષ પામી અંતકૃત્ કેવલી થાય છે. સર્વ જી ગ્રંથિનો ભેદ કરી અનિવૃત્તિકરણ પછી અંતરકરણ કરતાં જે વીલાસ હોય તે પ્રમાણે મિથ્યાત્વ ભેદન કરી તેવી દશાને પામે છે. હ, દીર્ઘ, ડુત, સૂમ, અતિસૂક્ષમ અને પછી પરપ્રમાણે મંત્ર વર્ણના સમુચ્ચારની એજનાને પણ અભ્યાસ કરે જોઈએ. અન્ય માં વિશે વિશદ વિચાર કરવામાં આવ્યું છે...૧૩ 4 મંત્રના વર્ષોના વિશ્લેષણથી હવ, દીર્ધ અને લુત પ્રકારે વડે જે ઉચાર કરવામાં આવે છે તેને સમુચ્ચાર કહેવામાં આવે છે. તેથી અનુચ્ચાય એવી બિંદુ આદિ અવસ્થાએ રૂ૫ અર્ધમાત્રા પણ ઉચ્ચારને યોગ્ય થાય છે. (યોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશ પૃ. 170 ) સમુચાર વિષે અન્ય યોગ ગ્રંથોમાં આ રીતે માહિતી મળે છે - પરતવરૂપ પરમાત્મત્વના સંવેદનના લાભમાં મુખ્ય કારણ જિજ્ઞાસા છે. જિજ્ઞાસાની સાથે જ્યારે યોગ વ્યાપાર અને તે વ્યાપારને ઉચિત એવાં કર ભળે છે, ત્યારે જિજ્ઞાસિત અર્થનું યથાર્થ જ્ઞાન થાય છે. પ્રરતુતમાં યોગ વ્યાપારમાં સૌથી મુખ્ય ચોગવ્યાપાર મંત્રોચ્ચારરૂપ છે. એથી ક્રમશઃ પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. વ્યાપાર ( ક્રિયા ) અને કરણથી જે સાધક યુક્ત ન હોય તેના મારચારનું કોઈ મૂલ્ય નથી. અહીં કરણમાં રેચક આદિ કરણોને સમાવેશ છે. મંત્રશાસ્ત્રોમાં કરણ ત્રણ પ્રકારનાં મનાય છે. તે આ પ્રકારે છે - (1) કુંભકકરણ, (2) દિવ્યકરણ અને (3) ઉર્વરેચકકરણ. ર 1 Page #239 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 4/14 ( જાપના ત્રણ પ્રકાર ) મૂળ - રહસ્ય ઉપાંશ ને ભાષ્ય વિચાર, ધ્યાનસમાપત્તિ નિરધાર. ભ... 14 - હવઈ ગણવાના વિચાર કહઈ છઈ. વિષ્ણુ ભેદ રહસ્ય તે હદયકમલિ 1, ઉપાંશુ તે ઓષ્ઠપુટાદિકની ચાલણ નહી 2, ભાષ્ય તે વર્ણ-સ્થાનાદિ શુદ્ધ 3, એ ધ્યાન સમાપ્તિ ( સમાપતિ) તાઈ જાણવા. ધ્યાન (ના) રૂઢને પવનાભ્યાસી...૧૪ લાય રહસ્ય ... હૃદયકમલમાં કરાતે જાય, સાર્થ અને ચિત્તસ્થ જાપ. ઉપાંશુ જાપ કે જેમાં બે હોઠ પણ ચાલતા દેખાય નહીં, મૌન જાપ. વર્ણ ( શબ્દ ઉચ્ચારણ ) તથા સ્થાન (મુદ્રા તથા આસન વિશેષ)ની શુદ્ધિવાળો જાપ, શાખ જાપ, વિખરીવાણુને જાપ. સમાપત્તિ ... ધ્યાતા, દયેય અને ધ્યાનની ઐકયતા, સમરસાપતિ, સમાધિ વગેરે. નિરધાર ... અવશ્યમેવ. ભાવાર્થ:-- જાપની પઠનવિધિ ત્રણ પ્રકારની છે - (1) રહસ્ય એટલે હદયકમલમાં જાપ કરે તે. (2) ઉપાંશુ-છપુટાદિક ચલાવ્યા વિના માત્ર પિતે સાંભળી શકે એટલા પૂરતા ધીમે અવાજે કરવામાં આવતો જાય તે. (3) ભાગ-વર્ણ ( ઉચ્ચારણ ) સ્થાનાદિક ( આસન-મુદ્રા )ની શુદ્ધિ એ ભાગ્ય કહેવાય છે. બીજા સાંભળી શકે એવા ઉચ્ચારણથી કરવામાં આવતો જાપ તે. ધ્યાનારૂઢ અને પવન અભ્યાસી સાધકને સમાપત્તિ અવશ્ય થાય છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ [ 163] ઢાળ 4/14 વિવરણ: સમાપત્તિનું વિશેષ વર્ણન આ રીતે પણું પ્રાપ્ત થાય છે - એ સમાપતિ યાતા, ધ્યાન અને ધ્યેય જ્યારે સમ્યફ પ્રકારે સાથે પડે--જ્યારે તેમનું ઐક્ય થાય ત્યારે તે સમાપત્તિ કહેવાય છે. સમાપત્તિ એ સમાધિની ઉત્તરાવસ્થા છે. સમાધિ ચડે છે અને ઉતરી જાય છે એટલે તે ધ્યાન સમાધિ કહેવાય છે. સ્થિતપ્રજ્ઞની-સમાપતિ સંપન્નની– સમાધિ જુદી છે; તે જ્ઞાન સમાધિ છે, તે ચડતી કે ઉતરતી નથી. પાનસમાધિ એ વૃત્તિ છે. વૃત્તિ જ્યારે ક્ષીણ થાય ત્યારે જ્ઞાનસમાધિ થાય તે એક રિથતિ છે, જે અખંડ, નિશ્ચલ અને સહજ એટલે સ્વભાવગત હોય. સમાધિનું ધ્યાન સ્વરૂપ જતું રહે અને જે સહજ, સ્વાભાવિક સ્થિતિનું સ્વરૂપ થાય તે પ્રજ્ઞા છે. શુદ્ધ, નિર્મળ બુદ્ધિને બેધનું સાધન માનવામાં આવ્યું છે. રાગ, દ્વેપ વગેરે વિકારોથી ન લેપચેલી બુદ્ધિમાં જ જ્ઞાનનુ–પ્રજ્ઞાનું સાચું સાધન બનવાનું સામર્થ્ય છે. સમાપત્તિનું સ્વરૂપ સમજાવતાં પૂ. 9. શ્રી યશોવિજયજીએ જે વ્યાખ્યા કરી તે નિષેધક અને વિધાયક હોવાથી પૂર્ણ વ્યાખ્યા છે. તેમાં ક્ષીણવૃત્તિ એ નિષેધક છે અને તાત્રશ્ય તથા તજનતા એ વિધાયક છે. સમાપત્તિમાં ક્ષીણવૃત્તિ થવું તે પ્રારંભિક સ્વરૂપ છે અને તારશ્ય એટલે પ્રજ્ઞા-સ્થિત થવું અને તદ જનતા એટલે તન્મય અથવા સમરસ થવું એ પ્રગત અથવા વિકસિત સ્વરૂપ છે. સમાધિ એટલે ચિત્તના સમાધાનની સ્થિતિ. ચિત્તની નિર્વિકાર દશાની અથવા સમતાની કે સમાધિની સ્થિતિ થયા પછી બુદ્ધિ સ્થિર, અચલ, કેઈપણ જાતના પ્રવાહના વેગથી ડગે નહીં એવી થાય ત્યારે સ્થિતપ્રજ્ઞ દશા આવી મળી જાણવી. વિકારોની, વિચારોની, એટલું જ નહીં, શાસ્ત્ર વચનોની સત્તા સુદ્ધાં જેના પર રહી નથી એ બધાયનો દોર જેના પર ચાલતો નથી, જેની સમાધિ અડગ થઈ છે, સ્થિર થઈ છે તે સ્થિતપ્રજ્ઞ છે. સમાધિનું ધ્યાન સ્વરૂપ જતું રહી તેનું હંમેશની સહજ, સ્વાભાવિક સ્થિતિનું સ્વરૂપ થાય તે પ્રજ્ઞા છે. સમાપતિની મુખ્ય સાધન સામગ્રી આ પ્રમાણે હેઈ શકે છેઃ૧. સાધનનિશ્ચય-શબ્દ અથવા મૌન જાપ. 2. સાર્થચિન્તન અને એકાગ્રતા-આ ફળ નિરપેક્ષ હોવા જોઈએ. 3. ચિત્તર-ધ્યાન સમાધિ-આ સમતા અથવા સમાધિ છે. 4. યેચકય-જ્ઞાન સમાધિ-આ સ્થિર સમાધિ છે. તે અખંડ, નિશ્ચળ અને સહજ એટલે કે રવભાવગત હોય છે, તે જ સ્થિતપ્રજ્ઞતા છે. આને જ સ્વરૂપમાં લીન થવું કે શૂન્યાવસ્થા કે તન્મયભાવ કહે છે. અને આને અનાહતનાદની પ્રાતિ પણ કહે છે. (પાદનેંધ પેજ 164 ઉપર) Page #241 -------------------------------------------------------------------------- ________________ (164] ઢાળ 4/14 તે પરમાત્મા જ્યારે હૃદયમાં ધ્યાન દ્વારા સંસ્થિત થાય છે, ત્યારે નિશ્ચયથી સર્વ અર્થોની સંપ્રાપ્તિ થઈ જાય છે, કારણ કે તે પરમાત્મા પરમ ચિન્તામણિ છે. ધ્યાન વડે પરમાત્માની સાથે સમરસાપત્તિ-સમાપત્તિ થાય છે. એ સમરસાપત્તિને જ નિર્વાણફિલ આપનાર યોગિમાતા કહી છે. (પાદનોંધ પેજ 163 ઉપરની ચાલુ) (નોંધ - વસ્તુતઃ નાદ એ સમાધિ પડેલાંની સ્થિતિ છે, સમાધિ પછી નાદનું ઉત્થાન હેય નહીં ) પાતંજલ યોગની સાધન સંપત્તિની સોપાનમાલિકો આ પ્રમાણે છે શ્રદ્ધા, તેમાંથી વય એટલે ઉત્સાહ પૂર્વક સ્મૃતિ એટલે આત્મસ્મરણ, તેને પરિપાક તન્મયતારૂપ ધ્યાન સમાધિ, તેમાંથી પ્રજ્ઞા અને તે સ્થિર થઈ એટલે યોગ. સમાપતિના પ્રકારે ચાર છે- 1. સવિતર્ક, 2. નિતિક, 3. સવિચાર અને 4. નિર્વિચાર. સમાપતિને વિષય સચરાચર વિશ્વના દરેક સ્થલ પદાર્થ ઉપરાંત સમસ્ત સુમ ભાવો પણ છે. દ્રકમાં જ્ઞાન મેળવવા માટે સમાપતિના વિષયમાં કઈ મર્યાદા નથી. ચાર પ્રકારની સમાપત્તિ સબીજ સમાધિ કહેવાય છે. ઉત્તમ મણિની પેઠે, ક્ષીણ વૃત્તિવાળું બનેલું ચિત ગ્રહીતા, ગ્રહણ અને ગ્રાહ્ય-એ ત્રણની સાથે એકતા અને તન્મયતા પામે છે. નિર્મળ ચિત્તો ગુણ એ છે કે જે આવી મળે તેની જોડે તે તદાકાર થઈ જાય. એ રીતે જ ચિત્ત કામ કરે છે. ચિત્તની નિર્માતા કે પ્રસન્નતા અનેક વૃત્તિઓના ઉછાળાથી બગડે છે. તેમ ન હોય અને વૃત્તિ ક્ષીણ થઈ ચિત પોતાના શુદ્ધરૂપે હોય તો તેને ગુણ ચકખા મણિ જેવો છે. સમાપત્તિ અને વૃત્તિમાં આ ફેર છે. ચિત્તનો સમાપત્તિ ધર્મ હોવાથી વૃત્તિ નીપજે છે. સમાપતિ મૂળ પ્રક્રિયા છે, તે વડે સંપ્રજ્ઞાન શકય બને છે. બાળક ચિત્તમાં સમાપત્તિ છે. સંપ્રજ્ઞાન ધીમે ધીમે જાગે છે. સમાપત્તિના ગર્ભમાં સંપ્રજ્ઞાન કે વૃત્તિ રહે છે. સંપ્રજ્ઞાન વડે કે છત્તિ વડે સમાપત્તિ શી છે તે પકડાય છે. તેથી સમાપત્તિના પ્રકારો સંપ્રજ્ઞાનના પ્રકારની પેઠે પડે છે. સમાપતિ અને વૃત્તિ એક જ પ્રક્રિયાના બે અંગ હોઈ એટલા બધા નિકટ છે કે, જાણે તે બે પાસાં જ હોય એવાં લાગે છે. સહજ શુદ્ધ દશામાં પ્રયત્ન કરીને આણેલી સમાપત્તિને અખંભરા પ્રજ્ઞા કહે છે. એટલે કે તે દશાએ સમાપતિ, પ્રતીત, વૃત્તિ, તક, બુદ્ધિ અને પ્રજ્ઞા-એ બધી ચિતની વિભૂતિઓ એકરસ એકરૂપ બને છે. આને વર્ણવવાને ચિત્તલય, ચિત્તનાશ, ચિત્તશુદ્ધિ ઇત્યાદિ વિવિધ શબ્દ પ્રયોગો પણ જોવા મળે છે. ચિત્તને થતા જ્ઞાનની પ્રક્રિયા પર જે ભેદે છે તે સમાપત્તિના ચાર પ્રકારરૂપે ઉપર દર્શાવ્યા. આ પ્રક્રિયામાં ભૂલ થવાનું કારણ રમૃતિની કે સંસ્કારોની અશુદ્ધિ કે અસ્પષ્ટતા છે. તે દૂર કરવામાં આવે તો જ જ્ઞાન પ્રક્રિયા ઋત કે સત્યવાહક બની શકે. (પાદનોંધ પેજ ૧૬પ ઉપર) Page #242 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 4/14 સમાપત્તિ તે વિશેષ પ્રકારનું ધ્યાન છે. અથવા તેના ફળરૂપ સમાધિ છે. તેમાં મન કેવળ પરમાત્માના સ્વરૂપમાં ઉપયુક્ત હોય છે. ઉપગ અન્યત્ર કયાંય પણ હોતો નથી...૧૪ (પાદોંધ પેજ 16 4 ઉપરની ચાલુ) સમાપતિના વિષયની કઈ અવધિ નથી. એકાગ્રતાને અભ્યાસ કરે તેના મનને કાબૂ પરમાણુ અને પરમ મહત્ તત્ત્વ સુધી હોય છે. સમાપતિ દ્વારા ચિત્ત ઉપર જે છબી પડે છે, તેનો ભાવ શુદ્ધરૂપે સમજવા માટે સમાધિ કે એકાગ્ર ચિંતન-મનન સાધનરૂપ છે. નિર્વિચાર સમાધિ કે સમાપત્તિનું વૈશારઘ આવે ત્યારે ચિતમાં આત્મ-પ્રસાદ જન્મે છે. તે કાળે મનુષ્યની પ્રજ્ઞા ઋતંભરા એટલે કે સત્યશીલ કે તને સહેજે પકડનારી એવી બને છે. સમાધિમાંથી વ્યુત્થાન દશામાં જવું તે સમાપતિ, વ્યુત્થાન એટલે સમાધિની સ્વરૂપ શૂન્ય જેવી દસ્યાકારની સ્થિતિમાંથી જાગી જવું તથા દષ્ટ, દશ્ય અને દર્શનના ભાનપૂર્વક દૃશ્ય પ્રત્યે એકાગ્રતા રહેવી તે. સંપ્રજ્ઞાન-વ્યાપાર આપણું બંધ-મોક્ષનું, સુખ-દુ:ખનું, જ્ઞાન-અજ્ઞાનનું મૂળ છે. અભ્યાસ અને વૈરાગ્ય એની ઉપર કામ કરે છે અને તેમને શુદ્ધ કરી સમ્યજ્ઞાન અથવા ઋત તથા પરમ સત્ય પામવા તરફ લઈ જાય છે. આ ફળશ્રતિ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની યાગવૃતિનો સાર પં. સુખલાલે દર્શાવ્યો છે તેમાંથી સમાપતિ વિષે સંદર્ભ– सूत्र-४६-चित्तका ध्येय विषयके समानाकार बन जाना उसकी समापत्ति है। जब ध्येय स्थूल हा तव सवितर्क, निर्वितर्क और ध्येय सूक्ष्म हो तब सविचार, निर्विचार; इस तरह समापत्तिके चार भेद है, जो सभी सबीज ही हैं और संप्रज्ञात कहलाते हैं। जैन शास्त्रमें समापत्तिका मतलब उन भावनाओं से है जो भावनायें चित्तमें एकाग्रता उत्पन्न करती हैं और जिनका अनुभव शुक्लध्यानवाले ही आत्मा करते है। पर्यायसहित स्थूल द्रव्यकी भावना सवितर्कसमापत्ति, पर्यायरहित स्थूल द्रव्यकी भावना निर्षितर्कसमापत्ति, पर्यायरहित सूक्ष्म द्रव्यकी भावना सविचारसमापत्ति और पर्यायरहित सूक्ष्म द्रव्यकी भावना निर्विचारसमापत्ति है / इन भावनाओंको मोहकी उपशम दशामें अर्थात् उपशमश्रेणिमें सम्प्रज्ञात समाधिकी तरह सवीज और मोहकी क्षोण अवस्थामें अर्थात् क्षपक श्रेणिमें अप्तम्प्रज्ञात समाधिकी तरह निर्बीज घटा लेना चाहिये। सूत्र ४९-जेन प्रक्रियाके अनुसार ऋतंभराप्रज्ञाका समन्वय इस प्रकार है-जो समाधिप्रज्ञा दूसरे अपूर्वकरण अर्थात् आठवे गुणस्थानमें होनेवाले सामर्थ्य योगके बलसे प्रकट होती है, और जो शास्त्रके द्वारा प्रतिपादन नहीं किये जा सकनेवाले अतीन्द्रिय विषयोंको अवगाहन करती है, अत एव जो प्रज्ञा न तो केवलज्ञानरूप है और न श्रुतज्ञानरूप; किन्तु जैसे रात के खतम होते समय और सूर्योदयके पहले अरुणोदयरूप संध्या रात और दिन दोनोंसे अलग पर दोनोंकी माध्यमिक स्थितिरूप है. वैसे ही जो प्रज्ञा श्रुतज्ञानके अंतमें और केवलज्ञानके पहले प्रकट होनेके कारण दोनोंकी मध्यम दशारूप है जिसका दूसरा नाम अनुभव है, उसीको ऋतम्भराप्रज्ञा समज्ञना चाहिये / -पात 14 येशन .18-69 Page #243 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 4/15 ( આત્મા પરમાત્માના દયાનથી મોક્ષ પામે. ) આતમ પરમાતમ ગુણ ધ્યાન, કરતો પામેં પાવન ઠામ. ભ....૧૫ ટો - આત્મા તે પરમાત્માને ધ્યાન કરતો પાવન ઠામ પવિત્રતાશય કર્મવિજનારૂપ સ્થાનક પામઈ...૧૫ શબ્દાર્થ– પાવનઠામ ... પરમાત્મપદ, કર્મવિયેજનારૂપ સ્થાન, મેક્ષ. ભાવાર્થ - આત્મા પરમાત્માના ગુણેનું ધ્યાન કરતાં કર્મોથી રહિત બની પવિત્ર આશયવાળા પવિત્ર સ્થાન-મોક્ષને પામે છે....૧૫ કny ). Gink Pઝ Page #244 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 4/16 (તે વખતે ક્ષાયિક સમ્યફ પામે. ) મૂળ હાઈ સુમેરુ દર્શન નિકંપ, નિર્મલ વિધુ પરે આનંદ જંપ. ભ૦.૧૬ ટો : તિવારઇ તે પ્રાણીનઈ સુદર્શન ભલા દર્શનારૂપ મેરુ ખાઈક સમકિત તે નિશ્ચલ નિકંપ થાઈ. નિર્મલ પૂર્ણ ચન્દ્રમાની પર આનંદને જપ તે નિરાબાધ સુખ ઉપજઈ મિથ્યાભ્રાન્તિ, વિપર્યય કુતર્ક અધિક જાઈ...૧૬ શબ્દાર્થ - સુમેરુ દર્શન .... ક્ષાયિક સમકિત. નિડકંપ . . નિશ્ચલ, અપ્રતિપાતી. નિર્મલ વિધુ * પૂર્ણ ચન્દ્ર જેવું નિર્મલ. આનંદ જપ .... નિરાબાધ સુખ ( મિથ્યાત્વને નાશ થતાં. ) ભાવાર્થ - તે વખતે સાધકને સુમેરુ દર્શન એટલે ક્ષાયિક, સમ્યક્ત્વ થાય છે. તે નિશ્ચલઅપ્રતિપાતિ હોય છે. અને નિર્મલ–પૂર્ણચન્દ્રરૂપ શુદ્ધ સ્વભાવના નિરાબાધ-આનંદ-સુખને અનુવે છે. નિવિકલ્પદશા છે એટલે મિથ્યાભ્રાન્તિરૂપ વિપર્યાય અને કુતર્ક આદિ નાશ પામે છે...૧૬ વિવરણ - આરાધક “અનિવૃત્તિ બાદર” નામના આઠમાં ગુણસ્થાનકે છે અને ત્યાં બીજી અપૂર્વકરણ પ્રગટે છે. પહેલું અપૂર્વકરણ ચોથે ગુણસ્થાનકે હોય અને આ બીજું આઠમે ગુણસ્થાનકે હોય છે. તે કેવળજ્ઞાન અપાવે છે એટલે સૂક્ષમ રહી ગયેલા કષાયોને લપકહિવટે નાશ કરી સાધક આતમા પિતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાની સાધનામાં લાગી જાય છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ (168] ઢાળ 4/16 પાછળ આ ઢાળની અગિરમી કડીમાં દર્શાવ્યા પ્રમાણે અહીં સાધના સ્પષ્ટ રીતે બે શ્રેણિમાં વહેંચાઈ જાય છે. (1) ઉપશમશ્રેણિ અને (2) ક્ષપકશ્રેણિ. ઉપશમશ્રેણિમાં કષાયનો ક્ષય નહિ પણ ફક્ત ઉપશમ થયેલો હોવાથી અગિઆરમે ગુણસ્થાને પહોંચ્યા પછી કષાય ઉછળી આવે છે, તેથી સાધકને અવશ્ય પડવાનું થાય છે, એટલે કેવળ ઉપશમશ્રેણિ કાર્યસાધક નથી. આડમાથી બારમા ગુરથાન સુધીનો કાળ દરેકને જઘન્ય એક સમય અને ઉષ્ટ અંતર્મુહૂર્તને છે. આ કાળ ઘણો સૂક્ષમ છે. એટલે આ ગુણરથાની ભૂમિકા માત્ર એકાગ્ર ચિત્તના ધ્યાન સ્વરૂપે છે. અને તે પાનમાં અનન્ય ચિતનથી શુદ્ધ સ્વભાવ પ્રગટ થવાનો છે. ક્ષપકશ્રેણિમાં ઉત્તરોત્તર ચડતા જઈને અપૂર્વ પુરુષાર્થથી ઘાતી કર્મોનો સમૂ ળગે નાશ કરીને શુદ્ધ સ્વભાવ પ્રગટ કરવાને છે. અહીં નિષ્કપ સુમેરુદનથી “અપ્રતિપાતિ ક્ષાયિક સમકિત” નિર્દિષ્ટ છે અને “નિર્મલ વિધુ” થી “શુદ્ધ સ્વભાવ” નિર્દિષ્ટ છે....૧૬ Page #246 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 4/17 (પિંડથ આદિ ધ્યાનથી આરાધક પોતાના મનને સ્વસ્થ કરે.) મૂળઃ–– પિંડ-પદસ્થ અને રૂપસ્થ, રૂપાતીત ચઊંવિધ મન સ્વસ્થ ભ૦....૧૭ ઓ :- તિવારઈ પિંડસ્થ 1, પદારથ 2, અનઈ રૂપસ્થ 3 અને રૂપાતીત એ ચાર પ્રકારઇ ધ્યાન મન પિતાનું સર્વસ્થ થાઈ પણિ પુદગલાદિક પામીનઈ અભૂતતા ન ભાઈ....૧૭ શબ્દાર્થ - મન સ્વસ્થ ... સમબુદ્ધિ, વિષયસુખમાં તલ્લીનતા નહિં અને તે સુખના અભાવમાં દીનતા નહિં એવી દશા. ભાવાર્થ - તે વખતે (1) પિંડસ્થ, (2) પદસ્થ, (3) રૂપસ્થ અને (4) રૂપાતીત આ ચાર પ્રકારના ધ્યાનથી પિતાનું મન સ્વસ્થ થાય છે. પુદ્ગલ વગેરેને પ્રાપ્ત કરવામાં તેને લલુપતા રહેતી નથી. અથવા તે ભોગવિલાસની ઈચ્છા કરતું નથી...૧૭ Page #247 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 4/18 (ચાર નિક્ષેપ વડે કેમ ધ્યાનાધિરૂઢ થવું?) મૂળ: નામ સ્થાપના દ્રવ્યને ભાવ, છઉમ પડિ કેવલ સિદ્ધભાવ. ભ.૧૮ ટબે— વલિ તેહિ જ સ્વરૂપ કહઈ છઈ. નામ 1, થાપના 2, દ્રવ્ય 3, કેવલ ભાવ 4 - એ પ્યારનઈ છદ્મસ્થ પ્રતિમા કેવલી અનઇ સિદ્ધભાવ ધાનાધિરૂઢ હેતે ભાવઈ...૧૮ શબ્દાર્થ છઉમ ... છદ્મસ્થ અવસ્થા. પડિમ ... પ્રતિમા. કેવલી અવસ્થા. સિદ્ધ ... સિદ્ધ અવસ્થા. કેવલ ભાવાર્થ - તે જ સ્વરૂપની અર્થાત્ ધ્યાનસ્વરૂપની વાત બીજી રીતે કહે છે–તે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપ વડે. નામ ધ્યેય તે વીતરાગ દેવની છસ્થ અવસ્થા, સ્થાપના દશેય તે તેમની પ્રતિમા, દ્રવ્ય ધ્યેય તે કેવલી અવસ્થા અને ભાવ દયેય તે તેમની સિદ્ધ અવસ્થા છે. આવી રીતે ધ્યાનધિરૂઢ થઈને સાધકે ભાવવું...૧૮ * આ અંગે નીચે પ્રમાણે ઉલેખ પ્રાપ્ત થાય છે. નામધ્યેય, સ્થાપના ધ્યેય, દ્રવ્યય અને ભાવય એમ બેય ચાર પ્રકારનું છે અધ્યાત્મના જાણકાર મહાત્માઓએ એનું (ચતુર્વિધ થેનું) ભેગું અથવા પ્રત્યેકનું જુદું જુદું ધ્યાન કરવું જોઇએ. હાસ્ય-અભિધેય પદાર્થના વાચક શબ્દને નામ અને પ્રતિમાને સ્થાપના કહેવાય છે. ગુણ અને પર્યાયવાળ તે દ્રવ્ય છે, અને ગુણ અને પર્યાય તે ભાવ છે. 99-100 તવાનુશાસન પૃ. 27 S Page #248 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 4/19 ( વરૂપ વિચારતાં પરિણામની સ્થિરતા ) મૂળી - નિરખતે હાઈ થિર પરિણામ, શુભમૃતિ વૃતિધર પુરષ નિદાન. ભ૦.૧૯ બો - એહ સ્વરૂપ જોતાં ભાવતાં પોતાના પરિણામ થિર મેગે થાઈ. અશુભથી લઈ તે પુરુષ શુભ શ્રત, શુભ ધેર્ય, તેહને ધરણહાર અનિદાની અણુપુદગલ ઈચ્છક એહવે થાઈ........૧૯ શબ્દાર્થ - નિરખતે . * સ્વરૂપ નિરીક્ષણ કરતાં, ભાવતાં. થિર પરિણામ ... મનના પરિણામ સ્થિર થાય છે. શુભશ્રુતિ ... ... શુભમૃતને ધારણહાર. ધતિધર . .... શુભ ધર્યને ધારણહાર. નિદાન ... .... અનિદાનના અર્થમાં છે, એટલે કે યુગલને ઈરછુક નહીં પણ આત્માથીં. ભાવાર્થ - તે સ્વરૂપ ભાવતાં સાધકના પરિણામ સ્થિર થાય છે. સ્થિર પરિણમી સાધકના અશુભ દૂર થાય છે. તેનામાં શુભ કૃત, શુભ ધર્યું આવે છે. અને તે પુગલને ઇચ્છુક બનતું નથી...૧૯ Page #249 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 4/20 ( આવા અવલંબનથી મેક્ષપ્રાપ્તિમાં વિલંબ નહીં ) મૂળ: અવલંબે વિલંબ ન થાઈ કરણ અપૂર્વનઈ વિર્ય સહાય. ભ૦. 20 બ:- એહવા ધ્યાનનું અવલંબવું તેહિ જ મેક્ષ પ્રાપણનઈ વિલંબ ન થાઈ શીઘ કાર્ય. કારી થાઈ. અપૂર્વકરણ-વીર્યના સહાયથી અનેક પ્રકારની તથાભવ્યતાવશિ રચના હોઈ...૨૦ શબ્દાર્થ :- કરણ અપૂર્વ .... અપૂર્વકરણ ( આ બીજું અપૂર્વકરણ છે અને તે સામર્થ્ય યોગના પ્રથમ ભેદરૂપ છે. ) વીય સહાય ... વીર્યરૂપી ગુણના કુરણની સહાયથી. ભાવાર્થ એવા ધ્યાનનું અવલંબન લેતાં મોક્ષ-પ્રાપ્તિમાં વિલંબ થતો નથી. અર્થાત્ આરાધકને એવું ધ્યાન સામર્થ્ય યોગના પ્રથમ ભેદરૂપ ધર્મ સંન્યાસ હોવાથી શીઘ્ર ફળદાયી થાય છે. આ અપૂર્વકરણ આઠમાં ગુણસ્થાને સંભવે અને ત્યાં વીર્યની-આત્મ શકિતની સહાયથી તથાભવ્યતાવશ હોય છે એટલે કે પ્રત્યેક ભવ્ય જીવ તે તે પ્રકારની દ્રવ્ય, ક્ષેત્ર, કાલાદિ સામગ્રી પામીને મુક્તિ મનની યોગ્યતા પામે છે....૨૦ ધમસંન્યાસનો કાળ આઠમાથી બારમા ગુણસ્થાન સુધી હોય અને ત્યાં અખંડ ઉપવેગ અને અવિચ્છિન્ન આત્મસ્થિરતાને કારણે પુણ્યાનુબંધી પુણ્યનો અભાવ હોય છે અને માત્ર નિજરે હોય છે. - તથાભ બતાવશ–તથાભવ્યતાને આધીન, જેવી તથાભવ્યતા હોય તેવી રીતે પ્રગતિ થાય છે. ભવ્યતા તે મુનિગમન યોગ્યતા. તથાભવ્યતા એટલે તે તે પ્રકારની દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિ સામગ્રી પામીને મુક્તિએ જવાપણું. તે સામગ્રી પ્રત્યેક ભવ્ય જીવને ભિન્ન ભિન્ન હોય છે, તે " તથા ' શબ્દથી સૂચિત થાય છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 4/21 ( સકલીકરણ અને મુદ્રાઓ દર્શાવે છે.) સકલીકરણ પંચાંગુલિ જેડિ, અંગુષ્ટ તર્જની મધ્યમી હોડી. ભ૦. 21 ટ - સકલીકરણ તે જાપ સ્થિરીકરણ, પંચાંગુલિ જેડિ તે પરમેષ્ટિ મુદ્રા, કામધેનુમુદ્રાદિકનું જોડવું. અંગુઠ, તર્જની, અંગુષ્ટ પાસલી મધ્યમાં તે સર્વનઈ મધ્ય-અંગુલી તેહની હોડિથી નીપજે......૨૧ શબ્દાર્થ - સકલીકરણ .... ... જાપનું સ્થિરીકરણ. પંચાંગુલી ડિ ... પરમેષિમુદ્રા. જે બને હાથની પાંચ પાંચ આંગળીઓ એક બીજા સાથે જોડવાથી થાય છે. અંગુષ્ટ તર્જની.. . જમણા અંગુઠા સાથે ડાબા હાથની તર્જની અને ડાબા અંગુઠા સાથે જમણા હાથની તર્જની જોડવી. (પરમેષ્ઠિમુદ્રામાં) મધ્યમો.... .. .. બને મયમા આંગળીઓ વચમાં ઉભી રહે છે. (પરમેષિમુદ્રામાં). હેડી .... ... ... આંગળીઓ જોડાય ત્યારે હેડી-વહાણ જેવું સ્વરૂપ થાય અને બન્ને મધ્યમા આંગળીઓ વચમાં કૂવાથંભ જેવી જણાય. ભાવાર્થ - જાપના સ્થિરીકરણ માટે-સલીકરણની પ્રક્રિયા અને મુદ્રા માટે-પરમેષિમુદ્રા અને કામધેનુમુદ્રા વગેરે કરવી. મૂળ કડીમાં પરમેષિમુદ્રાને આકાર-શબ્દ ચિત્રથી દર્શાવેલ છે. અંગુષ્ટ અને તર્જની એક બીજા હાથની એક બીજા અંગુષ્ટ અને તર્જની સાથે જોડી, વચમાં આંગળીઓ ઉભી રાખી હેડી જેવા સ્વરૂપે ઉપસ્થિત કરવી....૨૧ Page #251 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 4/22 ( સાધના પ્રપંચ માટે કેટલાંએક બીજો ) મૂળી - અનામિકા કનીનિ(ષ્ટિ)કા પંચ 4 ફૂ aa ટૂં સ્વાદ પ્રપંચ, ભ૦. રર ટ:– તે અનામિકા તે કનિષ્ઠા પાસઇ. કનિષ્ઠા તે સર્વથી લઘુ. એ પાંચે આંગુલી તિહાં એ પાંચ બીજક જેડીનઈ સ્વાહાદિ જાણઈ. વિસ્તાર કરીઈ તે ક્ષા ના પાંચ બીજક, રકારના પાંચ. નકારના પાંચ, કાર-અકારના 5 જેડી. વર્ષ as tવધા 4 ઈત્યાદિ યથાચિંતિત જોડીઇ. એ ઢાળ મળે પ્રપંચ દેખાડ્યો....૨૨ શબ્દાર્થ - અનામિકા ... ટચલી આંગળીની પાસેની આંગળી. કનિષ્ઠિકા ... ટચલી આંગળી. પંચ ... . એ પ્રમાણે પાંચ આંગળીઓને ટેરવું જેડીને. પ્રપંચ ... ... વિરતાર. ભાવાર્થ - આ (મંત્ર બીજેનો ) સાધના પ્રપંચ-વિસ્તાર આ પ્રમાણે - ॐ हूँ। ही हूँ छौ हः स्वाहा-वषट्-वौषट् अशा स्वधा. ॐ साक्षी क्षौ क्षः છે * : ॐ गा गीगू गौ गः ॐ का की कूँ कौं અથવા 4 : Page #252 -------------------------------------------------------------------------- ________________ [195] ઢાળ 4/22 દરેક બીજાક્ષરના ઉચ્ચારણ વખતે એક એક આંગળીનું ટેરવું જોડીને પાંચ આંગળી ઉપર જે જે કર્મ માટે બીજની આવશ્યકતા હોય તે તે બીજાક્ષરે તેના યોગ્ય ૫૯લવ સાથે સાજન કરીને ચિંતન કરે. આ ચેાથી ઢાળમાં સાધનાપ્રપંચ દર્શાવવામાં આવ્યું છે......૨૨ છે "+ H " ( દ્રવ્યસમર્પણ નમસ્કાર ) Page #253 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 1/1 ઢાળ પાંચમી ( ઢાળ : ચોપાઈ) ( પરમ મંત્રને વિશેષ વિચાર) મૂળ - ચૌદ મહાવિદ્યાની સિદ્ધિ, પરમમંત્ર પરમાનંદ વૃદ્ધિ; ચૌસઠ તાસ વિધાન વિચાર, સેલ ચઉક જે કષાય નિવાર. 1 ટો - હવે વલી એહનો જ ચેપઈની ઢાલ કહઈ છઈ. વિશેષ વિચાર પ્રતિ એ પરમ મહામંત્ર છઈ. 14 વિદ્યા મિટી છઈ. નભોગામિની 1, પરશરીરપ્રવેશિની 2, રૂપપરાવર્તિની 3, સ્વૈભિની 4, મોહિની 5, સ્વર્ણસિદ્ધિ 6, રજતસિદ્ધિ 7, રસસિદ્ધિ 8, બંધક્ષેનની ( ? મેક્ષણી) 9, શત્રુપરાજયી 10, વશીકરણી 11, ભૂતાદિદમની 12, સર્વસંપકરી 13, શિવપદાધિની 14, તથા વલી સર્વ પ્રકારઈ પરમાનંદ વધઈ. તે મંત્ર ગણવાના વિધાન 64 પ્રકારનાં છઈ. જૂદઈ જૂદઈ કાર્યઈ આવઈ. એ દ્રવ્ય વિધાન જાણવાના ભાવવિધાન સાધીઈ. તે એ પરમેષ્ઠિ મંત્ર 14 પૂર્વ સાધન 16 કષાયની ચોકડી એટલે સોલ ચકું ચેસઠિ ઇત્યાદિ અનેક સાધનભૂત થાઈ..૧ શબ્દાર્થ - ચૌદ મહાવિદ્યા ... ટબામાં ગણાવ્યા પ્રમાણે. પરમ મંત્ર ... .... મહામંત્ર. નમો રતાળ. વિધાન ... ... ... દ્રવ્ય અને ભાવ વિધાન. દ્રવ્ય અને ભાવ અનુષ્ઠાન. સેલ ચઉક . .. 16 4 4 = 64. નિવાર .... ... ... દૂર કર. | વિવાઓ કરજકરી છે એટલે તેઓનું વિધાન, કહ૫ અથવા અનુષ્ઠાન દ્રવ્યપરિપાટીમાં ગણાય છે. * કષાય નિવારણના 64 પ્રકારે આધ્યાત્મિક શુદ્ધિ માટે છે એટલે તેઓનું વિધાન, કલ્પ અથવા અનુષ્ઠાન ભાવ પરિપાટીમાં ગણાય છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ [177] ઢાળ પ/૧ ભાવાર્થ - ળ પિતા એ પરમ મંત્ર છે. તેના જાપથી ચૌદ મહાવિદ્યાઓ સિદ્ધ થાય છે. તે નીચે પ્રમાણે 1. ભેગામિની. 8. રસસિદ્ધિ 2. પરશરીરપ્રવેશિની 9. બંધમેક્ષણ 3. રૂપપરાવર્તિની 10. શત્રુપરાજી 4. સ્વૈભિની 11. વશીકરણી પ. મોહિની 12. ભૂતાદિદમની 6. સુવર્ણસિદ્ધિ 13. સર્વ સંપન્કરી 7. રજતસિદ્ધિ 14. શિવપદાધિની. અને તેનાથી સર્વ પ્રકારે પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. આ પરમ મંત્રના જાપ માટે ચેસઠ પ્રકારના વિધાન છે. ભિન્ન ભિન્ન કાર્યોમાં કૃત્યકારિ થાય તે દ્રવ્ય વિધાન કહેવાય અને તે જાણવા માટે ભાવ વિધાને સાધવા જોઈએ. તે એ પરમ મંત્ર ચૌદ પૂર્વનું સાધન ગણાય. ભાવ વિધાન નીચે પ્રમાણે છે અનંતાનુબંધી% અનંતાનુબંધી ક્રોધ નિવારણાર્થે જ્ઞાનના અને શરણના ચાર મંડલ વડે નાભિકમલે પરમ મંત્રની સાધના કરું છું. અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની 4 ધ નિવારણાર્થે જ્ઞાનના અને શરણના ચાર મંડલ વડે નાભિકમલે પરમ મંત્રની સાધના કરું છું. * અનંતાનુબંધી કષાયની ચોકડીને ભેદની તેજ ગ્રંથિભેદ છે. જેનાથી તત્ત્વ તરફ પ્રીતિ ન થાય પરંતુ અતત્ત્વ તરફ થાય તે બધા અનંતાનુબ ધી જાણવા. અનંતાનુબંધી કષાય તત્ત્વપ્રીતિનો ઘાત કરે છે. અનંત સંસારના કારણભૂત જે તીવ્રતમ કષાય છે તે અનંતાનુબંધી કહેવાય છે અને તેના ચાર પ્રકાર-ક્રોધ, માન, માયા, લોભ છે. * જેના ઉદયથી જરા પણ વિરતિનો-પ્રત્યાખ્યાનને પરિણામ ન થાય તે અપ્રત્યાખ્યાની કહેવાય છે. 23 Page #255 -------------------------------------------------------------------------- ________________ [178] ઢાળ 1/1 અનંતાનુબંધી પ્રત્યાખ્યાની + કેધ નિવારણાર્થે જ્ઞાનના અને શરણના ચાર મંડલ વડે નાભિકમલે પરમ મંત્રની સાધના કરું છું. અનંતાનુબંધી સંજવલન કોધ નિવારણાર્થે જ્ઞાનના અને શરણના ચાર મંડલ વડે નાભિકમલે પરમ મંત્રની સાધના કરું છું. * એ પ્રમાણે અપ્રત્યાખ્યાની કેધ નિવારણાર્થે ચાર, પ્રત્યાખ્યાની ધ નિવારણાર્થે ચાર અને સંજવલન ધ નિવારણાર્થે ચાર એ રીતે સઘળા મળીને 16 પ્રકારે થાય. એ પ્રમાણે સેળ કે ધના, સેળ માનના, સેળ માયાના અને સેળ લોભના નિવારણાર્થે થાય તે 64 પ્રકારે પ્રાપ્ત થાય છે. સમગ્ર 64 પ્રકારો આ સાથે આપવામાં આવ્યા છે અને તેના ચાર યંત્રો પણ સામેલ કરાયાં છે, જે આ પછી દર્શાવાયાં છે. + પાપ વ્યાપારને સર્વથા ત્યાગ કરવારૂપ પ્રત્યાખ્યાનને જે કષાય આવરે તે પ્રત્યાખ્યાનાવરણ અથવા પ્રત્યાખ્યાની કહેવાય છે. * જુઓ સાથેનું કાષ્ટક Page #256 -------------------------------------------------------------------------- ________________ [178] नाभिकमले कोधनिवारणार्थं चतुर्ज्ञानेन चतुशरणपूर्वकं परमपदध्यानम्। ताणण चत्तारिक मारण पवज्जामि कोहवासात्थं चा अपच्चकरवाणि पच्चक्रवाणि शसरण पवज्जामि * अणंताणुबंधि संजलण __ कोहवारणत्थं INDE अणता अणंताणुबधि Joliberah अपच्चरवाणि णमो सजलण चनाणण चत्तारि अरिहंताणं ध्यक्Yam वाणि चनाणण चत्तारि सर पच्चक्रवाणि InՐՎիհիճ bhbn संजलण BjPfniLINE कोहवारणत्य सजलण पच्चक्खाणि विसरणं पवज्जामि * अणंताणुबंधि अपच्चक्खाणि Ennada InIns 09 Page #257 -------------------------------------------------------------------------- ________________ [180) हृदयकमले माननिवारणार्थ चतुर्ज्ञानेन , .. चतु:शरणपूर्वकं परमपदध्यानमा ... चनाणेण चत्तारि सरण परणं पबज्जामि मानवारणत्थं / अपच्चकवाणि पच्चक्रवाणि 2. अणंताणुबंधि चत्तारि सरणं पवजा संजलण In मानवारणत्थ. ताणुबा अणंताणुबंधि त्थ चनाणेण lal>Ւիի अपच्चक्रवाणि संजलण णमो अरिहंताणं अपच्चक करवाणि पच्चक्रवाणि Iդիֆիիիից वारणत्थ चानाणेण, संजलण hiefPINIE संजलग मानवारण शरणं पवज्जामि पच्चरवाणि अपच्चक्वाणि अणंताणबंधि / naha Oce a nter Gen Page #258 -------------------------------------------------------------------------- ________________ [18] कण्ठकमले मायानिवारणार्थ चतुर्ज्ञानेन . चतुःशरणपूर्वकं परमपदध्यानम्। जत्थं चनाणेण चत्तारिस रिसरण पकजामि मायावारणत्य पवज्जामि अणंताणुबंधि अपच्चक्खाणि पच्चरवाणि संजलण Indor मायावारणत्थं स्थ Jaiprthat __ अणताणुबंधि थचनाणण चत्तारित णमो अपच्चरजाणि संजल चिक्का उनाणेण चत्तारित पच्चरवाणि सजलण मायावारणत्थं HDaini सजलण नारिसरण पवज्जामि पच्चकवाणि अपच्चरवाणि अणंताणुबंधि Enabhart CMR madesh Reinden Page #259 -------------------------------------------------------------------------- ________________ [182] तालुकमले लोभनिवारणार्थ चदर्जानेन चतुःशरणपूर्वक परमपदध्यानम्। स्थं चनाणेश चत्तारित पण पचज्जामि लोहवारण अपच्चक्खाणि पच्चकवाणि रिसरण पवज्जामि अणंताणुबंधि संजलण लाहवार In ताणुबाट अणती अणंताणुबंधि Los 12h अपच्चक्वाणि स्थं चनाणेण चत्तार संजलण णमो अरिहंताणं स्थ चउनाणण चत्तारिसर स्वाणि पच्चकवाणि Unithah Anition on संजलण Businila लोहवारणत्थं संजलण सरणं पवज्जामि पच्चवाणि अपच्चकवाणि अणंताणुबंधि 1 hIES SUR ninile16 Page #260 -------------------------------------------------------------------------- ________________ नमो अरिहंताण नाभिकमले अणंताणुबधि काहवारणत्थं चउनाणेण चत्तारि सरणं पज्जामि / अणताणुबंधि अपच्चक्खाणि पच्चक्खाणि संजलण अपच्चक्खाणि ___ अणंताणुबंधि अपच्चक्खाणि पच्चक्खाणि संजलण [18] पच्चक्खाणि अणंताणुबंधि अपच्चक्खाणि पच्चक्खाणि संजलण संजलण अणंताणुबंधि अपच्चस्खाणि पच्चक्खाणि संजलण Page #261 -------------------------------------------------------------------------- ________________ नमो अरिहंताण हृदयकमले अणताणुबंधि अणंताणुबधि अपच्चक्खाणि पच्चक्खाणि मानवारणत्थं , चउनाणेण , चत्तारि , सरणं , पवज्जामि / " संजलण अपच्चक्खाणि [184] अणंताणुबंधि अपच्चक्खाणि पच्चक्खाणि संजलण . . . . . . . . ! ... पच्चक्खाणि अणताणुबधि अपच्चक्खाणि पच्चक्खाणि संजलण संजलण अणंताणुबधि अपच्चक्खाणि पच्चक्खाणि संजलण Page #262 -------------------------------------------------------------------------- ________________ नमो अरिहंताणं कण्ठकमले अणंताणुबंधि मायावारणथं चउनाणेण चत्तारि सरण पवज्जामि / अणंताणुबंधि अपच्चक्खणि पच्चक्खाणि संजलण अणंताणुबंधि अपच्चक्खाणि पच्चक्खाणि अपच्चक्त्राणि [185) संजलग पच्चक्खाणि अणंताणुबंधि अपच्चक्खाणि पच्चक्खाणि संजलण अणंताणुबंधि अपच्चक्खाणि पच्चक्खाणि संजलण संजलण Page #263 -------------------------------------------------------------------------- ________________ नमो अरिहंताणं तालकमले अणंताणुबंधि चउनाणेण चत्तारि सरणं पवज्जामि / अणंताणुबंधि अपच्चक्खाणि पच्चक्खाणि लोहवारणत्थं , संजलण अपच्चक्खाणि अणंताणुबंधि अपच्चक्खाणि पच्चक्खाणि [501] संजलण पच्चक्खाणि अणंताणुबंधि अपच्चक्खाणि पच्चक्खाणि संजलण अणंताणुबंधि अपच्चक्खाणि पच्चकवाणि संजलण संजलण Page #264 -------------------------------------------------------------------------- ________________ [187] ઢાળ 5/1 વિવરણ– અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન-કષાયના આ ચાર પ્રકારની ચોકડીને પરમાર્થદર્દીઓએ ચંડાળ ચોકડી કહી છે. અનંતાનુબંધી કષાયના ઉદયે સમ્યક્ત્વ પ્રાપ્ત ન થાય, અપ્રત્યાખ્યાન કષાયના ઉદયે શ્રાવકપણું પ્રાપ્ત ન થાય, પ્રત્યાખ્યાન–આવરણ કષાયના ઉદયે સાધુપણું પ્રાપ્ત ન થાય અને સંજવલન કષાયને ઉદય અપ્રમત્તભાવ-વીતરાગતાથી વંચિત રાખે. આ રીતે સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ અને વીતરાગતા એ આત્માના ગુણ છે તે તેને આવરીને આત્માને તે તે ગુણોથી વંચિત રાખનારા આ કષાય છે. આ ચોકડીના કષાયે અજર, અમર, સિદ્ધ, બુદ્ધ અને શુદ્ધ સત્વરૂપી આત્માને પણ સ્વરૂપથી ભ્રષ્ટ કરી ચોરાશી લાખ એનિના ચકકરમાં ૨ખડાવે છે. આ ચંડાલાકડી બધું રમણ-શ્રમણ કરાવનારી છે. આવો નિર્ધાર થવું જરૂરી છે. તે જ આત્મા ધર્મમાગે ઉપયોગ ( જાગૃતિ ) રાખી આગળ ધપી શકે. આત્માના મૌલિક ગુણ તરીકે ચારિત્રગુણની માન્યતાના પાયા પર જ ધર્મ આરાધના ટકી શકે છે. યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં નીચે પ્રમાણે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે - पक्षं संज्वलनः प्रत्याख्यानो मासचतुष्टयम् / अप्रत्याख्यानको वर्ष जन्मान्तानुबन्धकः // 7 // તૃણના અગ્નિની માફક સળગી ઊઠે અને તત્કાળ શાન્ત થાય તે સંજવલન કષાય છે, તે એક* પખવાડિયા સુધી રહે છે; તે સંપૂર્ણ વિરતિને રોકતું નથી, પણ તેને અમુક અંશે મલિન કરે છે. પ્રત્યાખ્યાનાવરણીય કષાય ચાર માસ સુધી ટકે છે, તે સંપૂર્ણ વિરતિને રોકે છે, પણ અમુક અંશે વિરતિ થવા દે છે. અપ્રત્યાખ્યાનાવરણીય કષાયની સ્થિતિ એક વર્ષ સુધી હોય છે અને તે દેશવિરતિને પણ પ્રતિબન્ધ કરે છે. અનન્તાનુબન્ધી કષાયક જીવનપર્યન્ત રહે છે અને આત્માને અનન્ત ભવભ્રમણ કરાવે છે. (7)...1 * અહીં સંજવલનાદિ કષાયની સ્થિતિ પૂલ વ્યવહારનયથી બતાવી છે. કારણ કે બાહુબલી વગેરેને સંજવલન માન એક વર્ષ પર્યત રહ્યું છે અને પ્રસન્નચંદ્ર રાજર્ષિને અનન્તાનુબંધી કષાય અન્તર્મુદત સુધી રહ્યો છે. 4 કષાય–આમા સાથે કર્મના પુલનો સંબંધ કરાવનાર મિયાત્વ, અવિરતિ, કષાય અને ચોગ છે. જેમાંથી ત્રીજી લાગણી " કષાયો”ની છે. ઈન્દ્રિયોને પોષણ આપવા-વિષયે મેળવવા માટે કોઇને. માનનો. માયાને અને લેભનો ઉગ કરવામાં આવે છે. આ ચારને કા કહે છે. કેઈ પ્રસંગે આ વિષયો મેળવવા માટે, તે કઈ વખતે તેનું રક્ષણ કરવા માટે અથવા પોતાના કે પરના પ્રસંગમાં આ ચાર કષામાંથી કોઈપણુ કષાયવાળી લાગણીની મુખ્યતા હોય છે. આ કાયવાળી લાગણીઓ પુલને આત્મા સાથે સંબંધ વિશેષ દઢ કરાવે છે અને ટકાવી રાખે છે. --પારમાર્થિક લેખસંગ્રહ પૃ. 68 Page #265 -------------------------------------------------------------------------- ________________ ઢાળ પર ( લબ્ધિ અને અનાહતનાદની પ્રાપ્તિ ) મૂળઃ– તિહાં મંડલ ચાર તિહાં ચઉજ્ઞાન, મંડ(ગ)લ ચાર શરણ એ ધ્યાન; લબ્ધિ અઠ્ઠાવીસની ભાવના, નાદ અનાહતની પાવના...૨ ટો - | તિહાં ઋાર મંડલ તે 4 જ્ઞાન મત્યાદિક 4 અથવા 4 મંડલ-અરિહંત 1, સિદ્ધ 2, સાધુ 3, ધર્મ 4. એહી જ ચાર શરણ દ્રવ્યે 4 કમલ, નાભિકમલ 1, હદયકમલ, 2, ઉદરકમલ 3, અનઈ .........કંઠકમલ 4 મંગલ અટ્રાવીય લબ્ધિની ભાવના હોઈ અનાહતનાદ અવ્યક્તલક્ષણ. પરમ પ્રમોદની પાવના સાહસ સત્તવાદિકઈ કરી....૨ શબ્દાર્થ: મંડલ ચ્યાર .... ...કયા જુદા જુદા ચાર અર્થમાં આ શબ્દ ગ્રહણ કરે તે ટબે સમજાવે છે - (1) જ્ઞાનના ચાર મંડલ-મતિ, શ્રત અવધિ અને મન:પર્યવ. (2) શરણના ચાર મંડલ-અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિપ્રજ્ઞપ્ત ધર્મ. (3) મંગલના ચાર મંડલ-અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિપ્રજ્ઞપ્ત ધર્મ, (4) દ્રવ્યથી ચાર કમલ-નાસિકમલ, હદયકમલ, ઉદરકમલ અને કઠકમલ. પહેલા ત્રણ ચતુષ્ક ભાવ મંડલના સમજવાં અને છેલ્લે ચોથે ચતુષ્ક દ્રવ્ય મંડલનું સમજવું. લબ્ધિ અાવીસ ... .જુઓ વિવરણ ) અનાહત નાદ... ..... અવ્યક્તલક્ષણરૂપ નાદ (જુએ ભાવાર્થ. ) Page #266 -------------------------------------------------------------------------- ________________ [189] ઢાળ 1/2 ભાવાર્થ - ત્યાં ચાર મંડલ તે જ્ઞાન મંડલ એટલે (1) મતિજ્ઞાન, (2) શ્રુતજ્ઞાન, (3) અવધિજ્ઞાન તથા (4) મન:પર્યવજ્ઞાન અથવા શરણના મંડલ એટલે (1) અરિહંત, (2) સિદ્ધ, (3) સાધુ તથા (4) કેવલિપ્રજ્ઞપ્ત ધર્મ અને આ જ ચાર મંગલ પણ કહેવાય છે. દ્રવ્યથી ચાર કમલ તે (1) નાભિકમલ, (2) હૃદયકમલ, (3) ઉદરકમલ અને (4) (કંઠ) કમલ. આ પ્રમાણે ચાર જ્ઞાન, ચાર શરણ અને ચાર મંગલપૂર્વક ચાર (દ્રવ્ય) કમલેમાં ધ્યાન કરવાથી આમશૌષધિ આદિ ( વ્યક્ત લક્ષણરૂપ ) 28 લબ્ધિઓની ભાવના અનુસાર પ્રાપ્તિ થાય છે. તથા અનાહતનાદની અને તે દ્વારા અવ્યક્તની પણ પ્રાપ્તિ થાય છે. તેથી ( વિસ્મય પ્રધાન ) સાદિના કારણે પરમ પ્રમાદ પ્રાપ્ત થાય છે....૨ વિવરણ– તે અાવીસ લબ્ધિઓ આ પ્રકારે છે– 1. આમષધિ, 2. વિપ્રૌષધિ, 3 ખેલૌષધિ, 4 જલૌષધિ, પ સર્વોષધિ, 6 સંભિન્નશ્રોતેલબ્ધિ, 7 અવધિ, 8 મન પર્યવ 9 વિપુલમતિ, 10 ચારણલબ્ધિ, 11 આશીવિષ, 12 કેવળલબ્ધિ, 13 ગણધરલબ્ધિ 14 પૂર્વ ધરલબ્ધિ, 15 અરિહંતલબ્ધિ, 16 ચક્રવતિલબ્ધિ, 17 બલદેવલબ્ધિ, 18 વાસુદેવલબ્ધિ, 19 અમૃતામ્રપલબ્ધિ, 20 કેકબુદ્ધિલબ્ધિ, 22 બીજબુદ્ધિલબ્ધિ, 23 તે વેશ્યાધિ, 24 આહારકલબ્ધિ, 25 શીતલેશ્યાલબ્ધિ, 26 વિક્રિયલબ્ધિ, ર૭ અક્ષણમહાન સલબ્ધિ, 28 પુલાક લબ્ધિ....૨ Page #267 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 53 ( શાસનધુરા વહન કરવા આખાયનું અનુકરણ ) મૂળ:– પંચવર્ણપરિપૂતક પીઠ, ત્રિગુણયુક્ત નિર્ગુણ સુપઈ, પંચપ્રસ્થાન પ્રવર્તક શિરઈ તાસ ધુરા વહેવા અનુકરઈ.... 3 ટબે-- પાંચ વર્ણ ઈ કરી પાવન પરમ પીઠ અરિહેતા એહવું ત્રિગુણ-જ્ઞાન દર્શન ચારિત્રઈ યુક્ત, નિર્ગુણ-સાત્વિક, રાજસ, તામસઈ મુક્ત, ભલું પ્રતિક પઈઠાણ, પંચ પ્રસ્થાનને પ્રવર્તાવક આચાર્યાદિકનઈ પ્રધાન તેહની ધુરા ગણધર પદાદિક વહન ધુરાનઈ અનુકરઈ. 3 શબ્દાર્થ - પંચવણ . .... અરિહંતાણં ના પાંચ વર્ણો. પરિપૂર્વક .... .... પાવન. પીઠ ... ... ... પરમપીઠ હૂિંતા (પીઠ એટલે એયને સમૂહ ) ત્રિગુણુયુક્ત ... ... જ્ઞાન, દર્શન અને ચારિત્રથી યુક્ત નિર્ગુણ .... ..સારિવક, રાજસ અને તમસ ગુણોથી રહિત. સુપઈકુ.. ... ... સારી રીતે-શુભ રીતિએ પ્રતિષ્ઠિત કરેલું. પંચપ્રસ્થાન પ્રવર્તક. સૂરિમંત્રના પાંચ પ્રસ્થાનના પ્રવર્તન કરનાર આચાર્યાદિ ભગવંતે. શિરઈ ..... .... ... શિર ઉપર, મસ્તકે તાસ ધુરા ... .... તેના ( અરિહંતપદના ) શાસનની જવાબદારી. વહેવા... ... ... વહન કરવા, શાસનનું સંચાલન કરવા. અનુકરઈ .. . અનુકરણ કરે. આ આખાયને અનુસરે. Page #268 -------------------------------------------------------------------------- ________________ [19] ઢાળી 53 ભાવાર્થ - જે પરમ મંત્રનું પરમ પીઠ-રિતા-પાંચ વર્ષોથી પવિત્ર છે એવું તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ ગુણેથી યુક્ત એટલે સગુણ અને સાત્વિક, રાજસિક અને તામસિક એ ત્રણ ગુણોથી રહિત એટલે નિર્ગુણ એવી શુભ રીતિએ પ્રતિષ્ઠિત થયેલું છે. અરિહંતપદની ધુરાને વહન કરનારા ગણધર ભગવંતે અથવા આચાર્ય ભગવંતે જે સૂરિમંત્રના પાંચ પ્રસ્થાનના પ્રવર્તક હોય છે તે શાસનની જવાબદારી વહન કરવા આ આમ્નાયને અનુસરે છે...૩ * શ્રી પદ્મવિજયજીએ “નવપદના સ્તવન'માં સુરિમંત્રના પાંચ પીઠોને તેના પર્યાયવાચી નામો દ્વારા આ રીતે નિર્દિષ્ટ કર્યા છે ---- વિધાન સૌભાગ્ય લક્ષ્મીપીઠ મંત્રોગરાજ પીઠજી રે; સુમેરુએ પીઠ એ પંચ પ્રસ્થાને નમો આચાર જ ઈક્ર...૪ ભવિજન [ (1) વિવા=વિદ્યાપીઠ. (2 ) સૌભાગ્ય=મહાવિદ્યાપીઠ (3) લક્ષ્મીપીઠ=3પવિદ્યાપીઠ. (4) મંત્રોગરાજ મંત્રપીઠ (5) સુમેરુપીઠ=મંત્રરાજપીઠ. ] શ્રી સિદ્ધચક્ર-નવપદ-આરાધન વિધિ પૃ. 27 પ્રવર પ્રવચન દેવતાથી અધિષિત થયેલ પંચમંગલમહામૃતસ્કંધનું નમો ૩રિદંતાળ એવું પ્રથમ અધ્યયન કે જે ત્રણ પદ, એક આલાવા તથા સાત અક્ષર પ્રમાણનું છે. તે અનંતગમ પર્યાયાથેનું પ્રસાધક છે અને સર્વ મહામંત્ર તથા પ્રવર વિદ્યાઓનું પરમ બીજરૂપ છે. –શ્રી મહાનિશીથ સૂત્ર સંદર્ભ (નમસ્કાર સ્વાધ્યાય પ્રાકૃત વિભાગ અંતર્ગત પૃ. 39) Page #269 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 1/4 ( શાસન ધુરા.....ચાલુ ) મળ: પંચાચારે પાવન થાય, તે એ પંચપીડ લહવાય; વિતરાગ નહીં પણિ ઉપશમ રાગ, એ ધ્યાને હોઈ ઈમ પરભાગ....૪ ટો - પાંચ આચારઈ કરી પવિત્ર થાઈ તે પંચાચાર કેહા-જ્ઞાનાચાર 1, દશનાચાર 2, ચારિત્રાચાર 3, તપ-આચાર 4, વીર્યાચાર પ એ પંચાચાર તિવારઈ એ પાંચપીઠનું પામવું થાઈ. વીતરાગ ન લેઈ તેહઈ પણિ ઉપશમ રાગવંત હેઇ. એ ધ્યાનથી પરમ પ્રકૃણ પરભાગ ગુણેકર્ષને ધણું થાયઈ....૪ શબ્દાર્થ - પંચપીઠ .. .... સૂરિમંત્રના પાંચપીઠ (1) વિદ્યાપીઠ, (2) મહાવિદ્યાપીઠ, (3) ઉપવિદ્યાપીઠ, (4) મંત્રપીઠ અને (5) મંત્રરાજ પીઠ. લહવાય .. .. પામવું થાય, પમાય. ધ્યાને હાઈ પરભાગ...ધ્યાનથી ગુણત્કર્ષનો ધણું થાય, ધ્યાન વડે દર્શન, જ્ઞાન, ચારિત્ર તપ અને વીર્ય એ પાંચ ઉત્કૃષ્ટ ગુણોને ધારક થાય. ભાવાર્થ - જ્ઞાનાચાર, દર્શનાચાર, ચરિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચ આચારથી પવિત્ર હોય તેવા આચાર્ય ભગવંત એ સૂરિમંત્રના પાંચ પીઠને પામી શકે છે. તેની સાથે અભેદપ્રણિધાન સાધી શકે છે. આચાર્ય ભગવંત વીતરાગ ન થાય પણ ઉપશમ-રાગવંત એટલે જેને રાગ શાંત થયો છે એવા તે જરૂર થાય અને એ ધ્યાનથી તે પરમપ્રકૃણ અતિ ઉત્તમ ગુણત્કર્ષના ધણું થાય છે. અથવા અતિ ઉત્તમ ગુણોને પ્રાપ્ત કરે છે.......૪ Page #270 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 5/5 ( શાસનધુરા...ચાલુ ) મૂળ - દેખઈ પાંચુ એહના ધણી, દેખઈ પંચ એહને પણિ ગુણ; સાધ્ય સાધન સાધકના ભેદ, ત્રિર્યો છઈ પણિ હોઈ અભેદ...૫ બે -- એ મંત્રરાજનો ધણી એ પાંચઈ અરિહંતાદિક પદનઈ દેખઈ. એ પાંચે ગુણી પદ તે એહ મંત્રના ધ્યાનારનઈ પણિ દેખાઈ. સાધ્ય 1. સાધન 2. સાધક 3 એ વિષ્ણુ ભેદ યદ્યપિ છઈ પણિ પરં પરાઈ અભેદ એક રૂપઈ છઈ. સાધ્ય સાધન તે સાધકાન્તભૂત છઈ....૫ શબ્દાર્થ - દેખાઈ ... ... ... ... ચક્ષુ વડે પિતાની સામે પ્રત્યક્ષ દેખાતા હેય તેમ દેખે. ધણી ... ... ... ... સાધક, ધ્યાતા. પંચ પણિ ગુણિ .... ... પાંચેય ગુણીઓ પાણ. ગુણીએ અહીં–અભયના ધામ અરિહંતદેવ, અકરણના ધામ સિદ્ધદેવ, અહમિન્દ્ર સમાન ગુણના ધામ આચાર્ય ભગવંત, તુલ્ય સમાન પણની સાધનાવાળા ઉપાધ્યાય ભગવંત અને આચાર ક૯૫માં સાવધાનીવાળા સાધુ ભગવંત. સાધ્ય સાધન સાધકના ભેદ...આ ત્રણેય પ્રકારે સાધકમાં અંતજ્ત થાય છે. ભાવાર્થ - એ મંત્રરાજને ધણી અરિહંત વગેરે પાંચેય પદને જુએ છે અને એ મંત્રરાજનું ધ્યાન કરનારને પણ એ પાચેય અભય, અકરણ અહમિન્દ્ર, તુલ્ય અને કલ્પના ધામરૂપ દેખે છે. એટલે કે અંગોમાં અનુભવાતા હોય, તન્મયતાને પામી જતા હોય તેવો અનુભવ થાય છે. સાધુ, સાધન અને સાધક ત્રણેમાં ભેદ છે. છતાં પ્રણિધાનની પરંપરાએ એ ત્રણેય અભેદ એટલે એકરૂપ થાય છે. સાધ્ય અને સાધન એ બન્ને સાધકમાં અન્તભૂત-અંદર રહેલા છે તે અનુભવ થાય છે...૫ 25 Page #271 -------------------------------------------------------------------------- ________________ [14] તાળ 5/5 વિવરણ - ભાવનાના બળે કે ભય વગેરેના કાળમાં થતાં જ્ઞાનની જેમ જે જ્ઞાન અવિસંવાદી ભાસે છે તે નિર્વિકલ્પ પ્રત્યક્ષ છે. ગાઢ અનુરાગ વડે અહીં તે તે ગુણના ધારકે પ્રત્યક્ષ હોય તેમ ભાસે છે. તેથી અહીં વેદ્ય સમૂહ વિસ્પષ્ટ હોય છે. તે આરાધકને તે તે ગુણના ધારકે જાણે ચક્ષુ વડે પિતાની સામે સાક્ષાત દેખાતા હાય, હૃદયમાં પ્રવેશ કરતા હોય, મધુર આલાપ કરતા હોય, સર્વ અંગોમાં અનુભવાતા હોય અને તન્મયતાને પામી જતા હોય તે અનુભવ થાય છે. આવી રહ્યા અથવા અનુભવથી સર્વ ક્રિયાઓ સકળ થાય છે....૫ Page #272 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 5/6 (અરહંતાણંના પાંચ વર્ણની પાંચ પદમાં વ્યાપ્તિ. ) મૂળ - અભય અકરણ અહમિન્દ્ર સમાન. તુલ્ય, કલા, સાધન સાવધાન; એ પાંચેના છે અહિડાણ, ઘર્મયાનનું એ મંડાણ.......૬ ટબો પાંચ પદની અવસ્થા એ રીતઈ વ્યાપક છઈં. અભય 1, અકરણ 2, અહમિદ્ર 3, તુલ્ય 4, ક૯૫ ૫-એ અવસ્થા સાધવાનઈ સાવધાન ઇં. અભય તે અરિહંત 1, અકરણ તે સિદ્ધ, અહમિન્દ્ર તે આચાર્ય 3, તુલ્ય તે ઉપાધ્યાય 4, ક૯૫ તે સાધુ 5, એ સમાન અવસ્થા છઈ એ પાંચઈ અવસ્થાના એ પાંચ પદ . અહિ છા(ઠા)ઈ અંત૨ ભાવના જેતા ધર્મધ્યાનનું મંડાણ તે સહેજ છઈ સાધુ અપ્રમાદીનઈ સકામ નિર્જરા ધર્મધ્યાનથી મુખ્યતા છઈ...૬ શબ્દાર્થ - અભય ... ... અભયના ધામ, અભયના અધિષ્ઠાનવાળા અરિહંત ભગવંત. અકરણ ... ... કરણ વીર્યના અભાવરૂપ ધામ, અકરણ અધિકાનવાળા સિદ્ધ ભગવંત. ( કર્મના વિપ્રનાશને કારણે સંસારી જીનું ક્રિયા કર વાનું જે વી હોય તેના વિલયના ધામ હોવાથી અકારણ અવ સ્થાવાળા છે. ) અહમિન્દ્ર.... .. (અહમિન્દ્ર દેવ-શ્રેયકના દેવો ઉપર કેઈનું શાસન હોતું નથી ) અહમિદ્ર દેવ સમાન હોવાથી સર્વ તંત્ર સ્વાતંત્ર્યની અવસ્થા વાળા શ્રી આચાર્ય ભગવંત. તુલ્ય. . .. સર્વ જીવોમાં સમાનપણાની બુદ્ધિ દ્વારા સાધના કરનાર શ્રમણ સંસ્કૃતિના પ્રતિનિધિ શ્રી ઉપાધ્યાય. -સર્વ નામાં સમાનપણાની સાધનાવાળા. As gયે તુઝમત્તેલિ ( સૂ. 17 ) પૃ 68. ટા–uતાં તુાં અન્વેષતું ! यथा परं तथा आत्मानम् इत्येतां तुलां तुलित-स्वपरं-सुख-दुःखानुभवोऽन्वेषयेत् જે રીતે મને દુઃખ પ્રિય નથી તેમ બીજાને પણ પ્રિય નથી એવી તુલનાની-સમાનપણાની અને વેષણ કરે. તે તુસ્ત્રમfણ-તુલનાની અન્વેષણ કરનારા હોય છે. - આચારાંગ સૂત્ર, અધ્યયન 1, ઉદેશે 7 સૂત્ર 57, પૃ. 70 A, Page #273 -------------------------------------------------------------------------- ________________ [16] ઢાળ 5/6 વિર ક૯૫ અને જિનક૯૫-એમ બે પ્રકારના ક૯પને સાધવામાં સાવધાન, અહિઠાણું.... .... અધિષ્ઠાન, ધામ. મંડાણ ... .... (ધર્મ ધ્યાનની) પાયારૂપ પ્રક્રિયા. લાવાર્થ :- આ ઢાળની ત્રીજી કડીમાં દર્શાવે પાંચ વર્ષનું પારંપૂતક પીઠ ઢંતાની વ્યાપ્તિ+ આ પ્રકારે છે :+ પાંચ વર્ણના પરિપૂતક પીઠ સરહૃાાંની વ્યાપ્તિની સમજૂતિ આ પ્રમાણે સંભવે છે - અ ની વ્યાપ્તિ અભય અને તે અરિહંતનું અધિષ્ઠાન છે. 2 ' , અકરણ , સિદ્ધનું , , હ” , અહમિન્દ્ર , આચાર્યનું , ,, ‘તા’ , તુલ્ય ઇ ઉપાધ્યાયનું , ણું' , કષ , સંસાધુનું , , દંતા' પીઠની બાપ્તિ શ્રી નેમિદાસે અહીં આ પ્રમાણે દર્શાવી, પણ તેમને એક બીજે અપ્રકાશિત રાસ જેનું નામ શ્રી " અધ્યાત્મસારમાલા' છે તેમાં તે તેમણે પરમાત્મા-દેહાતીત શાત્માનું સ્વરૂપ સપષ્ટ કર્યા પછી દર્શાવ્યું છે કે અરિહંત પરમાત્મા પોતે જ પાંચ પદમય છે. તે રાજની કડીઓ આ પ્રમાણે છે - એહ જે પરમાતમા, તેહી જ છે અરિહંત, કથકી નિબજ છઇ, ભાવઈ ઘુતિ નતિકત. | પ સિદ્ધ સરૂપી એલ ઈ, આચારી પણિ એહ, વાચક નય ઉપનય લહી, સાધુ સયણ (લ) ગુણગેડ. | 6 | રિવાજામાં પંચ પ્રસ્થાન અથવા પીઠ આ પ્રમાણે મળે છે - पंचपत्थाणमयायरिय महामंतझाणलीणमणा / पंचविहायारमओ आयच्चिअ होड आयरिओ // 1329 // ટી पंचप्रस्थानमयो यः आचार्यसम्बन्धी महामन्त्रः प्रधानमंत्रस्तस्य ध्याने लीनं मनो यस्य स तथा, पुनः पंचविधे। यः आचारः स प्रधानं यस्य सः तथाभूतः आत्मा एव आचार्यो भवति / ga પ્રથાનાનિ ૧-વિદ્યાપીઠ, 6. સોમાયપીઠ, 2. , રૂ. થોn Isla, 4. सुमेरुपीठ, 5. नामानि एषामर्थस्तु सूरिमन्त्रकल्पात् ज्ञेयः / भावध्यानमालाप्रकरणे तु अन्यथा पश्च प्रस्थानान्युक्तानि, तथाहि Page #274 -------------------------------------------------------------------------- ________________ [19] ઢાળ 56 અભય, અકરણ, અહમિન્દ્ર, તુલ્ય અને કલ્પ-એ પાંચ અવસ્થા સાધવાને સાધક સાવધાન થાય છે. તે પાંચ અવસ્થાઓ અનુક્રમે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુની છે. એ પાંચ અવસ્થાના પાંચ પદે છે. અવસ્થા અથવા અધિષ્ઠાનની જે અંતર્ભાવના ભવાય તે તે ધર્મધ્યાનના પાયારૂપ પ્રક્રિયા છે. અપ્રમાદી સાધુને આવા ધર્મધ્યાનની મુખ્યતાથી સકામનિર્જરા થાય છે.....૬ (પાદનોંધ પેજ 16 ઉપરની ચાલુ) अभयप्रस्थानं 1. अकरणप्रस्थान 2. अहमिन्द्रप्रस्थानं 3. तुल्य प्रस्थानं 4. कल्पग्रस्थानं 5. चेति, एषां पञ्चानां स्वामिनः पञ्चपरमेष्ठिनः इत्यादि // 1329 / / લિરિલિરિવાર% મા. 2. -- અનુવાદ - પંચ પ્રસ્થાનમય જે આચાર્ય સંબંધી મહામંત્ર–પ્રધાનમંત્ર તેના ધ્યાનમાં લીન છે મન જેનું, વળી પંચ પ્રકારનો જે આચાર તે છે પ્રધાન જેને એવા પ્રકારનો આમાજ આચાર્ય છે. પાંચ પ્રસ્થાન તે વિદ્યાપીઠ (1) સૌભાગ્યપીઠ (2) લક્ષ્મી પીઠ (3) મંત્રાગરાજપીઠ (4) સુમેરુપીઠ (5) નામનાં છે એમને અર્થ સૂરિમંત્રક૯પથી જાણો. ભાવ ધ્યાનમાલા પ્રકરણમાં બીજી રીતે પણ પાંચ પ્રસ્થાન કહ્યાં છે. તે આ પ્રકારે–અભય પ્રસ્થાન (1) અકરણ પ્રસ્થાન (2) અહમિન્દ્ર પ્રસ્થાન (3) તુલ્ય પ્રસ્થાન (4) અને ક૫ પ્રસ્થાન (5) આ પાંચના સ્વામીઓ પંચ પરમેહિઓ છે વગેરે, 1329 લંકારની સમજુતિ આ પ્રમાણે છે વ્યાકરણના " ક૯૫’ના આધારે પ્રત્યય છે એ કારણે “કલ્પ' શબ્દ વ્યાપ્તિ તરીકે મૂકાય છે. તે કલ્પ નું અર્થાન્તર જિનકેપ અને સ્થવિરકલ્પ-સાધુઓનો કલ્પ થાય, જે તેમનું અધિષ્ઠાન છે અને ઉપચારથી તે સવ' સાધુઓનું પણ અધિષ્ઠાન છે, તેમ અહીં દર્શાવાયું છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 5/7 ( શુદ્ધપ્રતીતિધર જિનબિંબ દેખે. ) મૂળ - ઈત્યાદિક બહુલા વિસ્તાર, બહુશ્રત મુખથી ગ્રહીઈ સાર; શુદ્ધ પ્રતીત જે નર હોય, મધ્યે દેખું શ્રી જિન સોય.૭ ટો - ઇત્યાદિ ઘણા વિસ્તાર બહતના મુખથી જાણવા. ચોગપાતંજલિ, રોગશાસ્ત્ર, દવાનરહસ્ય, મંત્રચૂડામણિ, ધ્યાને પનિષત્ પ્રમુખ, પંચપરમેષ્ઠિ પદકારિકા, અષ્ટપ્રકાશી શ્રી સિદ્ધસેન દિવાકર (સૂરે) કૃત ઈત્યાદિક બહુ ગ્રંથ છે. તે શુદ્ધપ્રતીતધર જે નર હાઈ તેહનઈ ધ્યાન ધારણા છે. અથવા તે શ્રી જિનનું બિબ હદયમધ્યે ધ્યાનમઈ દેખઈ.......૭ શબ્દાર્થ - બહુલા ..... ....... .. ... અનેક, ભિન્ન ભિન્ન. બહુશ્રત મુખથી ગ્રહીએ . ગીતાર્થના મુખેથી સાંભળીએ, સમજીએ. શુદ્ધ પ્રતીત .. ... ... શુદ્ધ પ્રતીતિધર ઈષ્ટ વસ્તુને શુદ્ધ પ્રતીતિધર. ઈષ્ટ વસ્તુને સાધવાનું બળ મંત્રમાં નિશ્ચિત રહેલું છે, એ જે દઢ નિશ્ચય તેને શુદ્ધ પ્રતીતિ, વિશ્વાસ અથવા શ્રદ્ધા કહેવામાં આવે છે. મધ્યે.. ... .. ... ... હૃદયમાં શ્રી જિન .. ........ ..... શ્રી જિનનું બિલ્બ, સેય.... . .. ...... .... તે જ. ભાવાર્થ - આ ધાન પ્રક્રિયાને અનેક પ્રકારે વિસ્તાર છે. તે કોઈ ગીતાર્થ પાસેથી સાંભળીને સમજ. આ માટે નીચે પ્રમાણે ગ્ર વાંચવા વિચારવાની ટબાકાર ભલામણ કરે છે. 1. યોગદર્શન ( શ્રી પતંજલિ ) 2. યોગશાસ્ત્ર ( શ્રી હેમચંદ્રાચાર્ય ) Page #276 -------------------------------------------------------------------------- ________________ [ 199] ઢાળ 5/7 3. ધ્યાન રહસ્ય. ( ? ) 4. મંત્રચૂડામણિ. (?) 5. ધ્યાનપનિષત્ વગેરે ? ( ધ્યાનબિંદ્રપનિષત ) આસન, બંધ, પ્રાણાયામ, ધ્યાન વગેરે યોગની ક્રિયાઓનું આ ઉપનિષદમાં સવિરતર વર્ણન કરવામાં આવ્યું છે. (સે ઉપનિષદે-સતુ સાહિત્ય વર્ધક કાર્યાલય.) 6. પંચપરમેષિપદકારિકા (). 7. અષ્ટપ્રકાશી ( શ્રી સિદ્ધસેનસૂરિકૃત ) વગેરે વગેરે. આ પ્રકારના અનેક ગ્રંથો છે. આ વિષય અંગે જે નર શુદ્ધ પ્રતીતિધર હોય તેને ધારણ અને થાન સંભવે છે અને તે શ્રી જિનનું બિંબ હૃદયમાં પ્રત્યક્ષ અનુભવે છે. 7 * શ્રી સિદ્ધસેનસૂરિ કૃત નમસ્કાર મહામ્ય આઠ પ્રકાશવાળું છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 5/8 ( ફલશ્રુતિ ) મૂળ - તભ ત્રિભ હોઈ તસ સિદ્ધિ, આનુષંગિક તસ નવનિધિ ઋદ્ધ, લેશ થકી એ છેલ્યો જાય, ઈહાં પરમાર્થનો છે બહુ વ્યાપ..૮ ટબે જે પુરુષનઈ તદભવ સિદ્ધ તથા ત્રિભવઈ સિદ્ધ હોઈ તેહનઈ એ પ્રતીતિ ઉપજઈ. પ્રસંગ તેહનિ નવનિધિ રિદ્ધિ સિદ્ધિ હોઈ તે માટે એ જાપનો વિચાર લવલેશ માત્રથી દેખાડ્યો, લવમાત્ર પર એહને વ્યાપ વિસ્તાર ઘણે છઈ ગુરુકૃપાથી જ પામીઈ. અભ્યાસ સાધ્ય છઈ....૮ શબ્દાર્થ - આ ભવમાં જ, ત્રિભવૅ .. ત્રણ ભવમાં. આનુષંગિક ... આનુષંગિક ફળ. લેશ થકી... .... લવ લેશ. પરમાર્થ . .. સાર. બહુ વ્યાપ ... વિસ્તાર ઘણે છે. ભાવાર્થ - જે સાધક આ ભવમાં અથવા ત્રણ ભવમાં સિદ્ધ થવાને હોય તેને જ આ સાધનાને અંગે આવશ્યક પ્રતીતિ અથવા શ્રદ્ધાબાહુલ્ય ઉત્પન્ન થાય છે. આ સાધનાનાં આનુ વંગિક ફળરૂપે નવવિધિ અને રિદ્ધિ સિદ્ધિ મળે છે. તે માટે આ જાપને વિચાર અહીં લવલેશ માત્ર દર્શાવ્યો છે. આ તે લવ માત્ર છે. પણ આ વિસ્તાર કરીએ તે ઘણે થાય. આ સઘળું ગુરુકૃપાથી પમાય પણ તે અભ્યાસ સાધ્ય છે....૮ Page #278 -------------------------------------------------------------------------- ________________ (ધર્મધ્યાનના ચાર પાયાનો વિચાર ) મૂળ: આજ્ઞાપાય વિપાક સંસ્થાન, વિય તે ચિંતનનું નામ; લેશ્યા શુદ્ધ ને ભાવ વિશુદ્ધ, ધ વીર્ય વૈરાગ્ય વિશુદ્ધ...૯ ટો :- - હવઈ ધર્મધ્યાનના ચાર પાયા કડીઈ છે. આજ્ઞાવિચય 1, અપાયવિચય 2, વિપા. કવિય 3, સંસ્થાનવિચય 4, આજ્ઞા વીતરાગની તેહનું વિચય કહતાં ચિંતન તે આજ્ઞાવિચય . અપાય તે રાગદ્વેષ તેહનું વિઘનરૂપ છઈ તેહનું ચિંતન 2. વિપક તે કર્મના શુભાશુભરૂપ તેહનું ચિંતન 3. સંસ્થાન તે લેક પુરુષાકૃતિ ચિંતનરૂપ છે. તે વિશુદ્ધ લડ્યા તેજ, પદ્મ શુકલરૂપ ભાવ તે આત્મપરિણામની નિર્મળતાઈ જ્ઞાનબધ વીર્યની વિશુદ્ધતાઈ વૈરાગ્ય નિરાશસ પરિણામની વિશુદ્ધિ ધર્મધ્યાન ઉપજઈ...૯ શબ્દાર્થ - વિચય ... ... .... ચિંતન -આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાન વિચય-એ પ્રમાણે ચિંતનના ચાર પ્રકાર. લેયા શુદ્ધ ને ભાવો.. લેગ્યા (પરિણામ) અથવા તેજ, પધ, શુકલરૂપ વિશુદ્ધ ભાવ ( અધ્યવસાય. ) બોધ . .... .... જ્ઞાન બધ જે આત્મપરિણામની નિર્મળતાએ થાય. ( અર્થમાં ઉપયોગ. ) વીય .... .... .... વિશુદ્ધ આત્મવીર્યની ફુરણા વડે. વૈરાગ્ય ... .... .... નિરાશંસ વૃત્તિ. આશંસા કે અપેક્ષારહિત વૃત્તિ. વિશુદ્ધ ... .... ... પરિણામની વિશુદ્ધિ. ભાવાર્થ :- ધર્મધ્યાનના ચાર પાયા કહેવામાં આવે છે. તે આ છે - : ધર્મધ્યાનના ચાર લક્ષણો છેઆજ્ઞાચિ, નિસરુચિ, સૂત્રરુચિ અને ઉપદેશરુચિ. (1) આજ્ઞારુચિ-વીતરાગની આજ્ઞા પ્રત્યે અતિશય અનુરાગ, ભક્તિ અને શ્રદ્ધા ઉત્પન્ન થવી તે. (2) નિસર્ગશચિ-સહજ રવભાવે (જાતિસ્મરણાદિ વડે ) ઉપદેશ વિના શ્રત અને ચારિત્ર– ધમ પર યથાર્થ શ્રદ્ધા થવી. (3) સૂત્રરુચિ-સૂત્ર ( નિગ્રંથ પ્રવચન ) સાંભળવાથી ભણવાની સચ થવી. (4) ઉપદેશરુચિ-ગીતાર્યાદિ મુનિના ઉપદેશને સાંભળવાથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધા. Page #279 -------------------------------------------------------------------------- ________________ [202] ઢાળ 59 1. આજ્ઞાવિચય, 2 અપાયરિચય, 3 વિપાકરિચય અને 4 સંસ્થાનવિચય. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે આજ્ઞાવિચય-વીતરાગની આજ્ઞાનું ચિંતન, અપાયરિચય-રાગદ્વેષરૂપી અપાય વિજ્ઞરૂપે છે તેનું ચિંતન. વિપાકવિચય-કર્મના શુભ અને અશુભ ફળનું ચિંતન. સંસ્થાનવિચય લકતું પુરુષાકૃતિરૂપે ચિંતન. * ઋતવ્યાપાર-જ્ઞા-કરવા યોગ્ય અર્થને ઉપદેશ તે આજ્ઞા. આજ્ઞાવિચય-સમકિતપૂર્વકના શ્રાવકના 12 વ્રત, 11 પ્રતિમા, 5 મહાવત, ભિક્ષુની 12 પ્રતિમા, શુભધ્યાન, શુભ ચોગ, જ્ઞાન-દર્શન-ચારિત્ર અને છકાયની રક્ષા ઈત્યાદિમાં વીતરાગની આજ્ઞાની આરાધના માટે એક સમય માત્ર પણ પ્રમાદ ન કરે અને ચતુવિધ તીર્થના ગુણકીર્તન કરવા તે આજ્ઞાવિચય ધર્મધ્યાન કહેવાય છે. + અપાયરિચય-જીવને જેનાથી દુઃખ ઉત્પન્ન થાય છે તેનો વિચાર-મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અશુભયોગ, 18 પાસ્થાનક, છકાયની હિંસા વગેરે દુઃખના કારણે જાણીને તેને ત્યાગ કરવાનું વિચાર-તે અપાયવિચય ધર્મધ્યાન કહેવાય છે. * વિપાકવિય-શુભાશુભ કર્મના ઉદયથી જીવ જે સુખ દુઃખનો અનુભવ કરે છે, તેને વિચાર કરે તે.. જ્ઞાનાવરણીયાદિ કર્મનું સ્વરૂપ ચિંતવવું, કર્મના સ્વરૂપને સમજીને સમભાવ ધારણ કરે, અર્થાત્ કઈ પર પણ રાગદ્વેષ ન કરવા-તે વિપાકવિય ધર્મધ્યાન કહેવાય છે. ક સંસ્થાનવિચય-ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ સ્વભાવવાળા અનાદિ અનંત લોકની આકૃતિનું ચિંતન કરવું તે સંસ્થાનવિય ધર્મધ્યાન કહેવાય છે. આવી રીતે દાનાદિમાં (1) સામાન્ય અને વિશેષ ઉપયોગવાળા થઈને. (2) વિશુદ્ધ પરિણામ અને અધ્યવસાયવાળા થઇને, (3) અર્થમાં નિર્મળ ઉપગ રાખીને, (4) સમ્ય વિશુદ્ધ વીર્ય સાથે, (5) અત્યંત તદપિત થઈને, (6) આશા કે અપેક્ષા રહિત વૃત્તિથી સુનિયુક્ત થઈને, ચિંતન કરતાં વિશુદ્ધ ધર્મધ્યાન ઉપજે... 9 Page #280 -------------------------------------------------------------------------- ________________ [ 203] ઢાળ 5/9 વિવરણ - પાત્રતા વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. પરિણામ આપતું નથી. તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે જીવને વૈરાગ્ય પાત્રતા આપે છે. આમ આ સંસારથી છૂટવા ઈચ્છતા જીવને-મુમુક્ષુઓને વેરાગ્ય પરમ સાધન છે. જેના ચિત્તમાં લેશ માત્ર ત્યાગ-વૈરાગ્ય નથી તેને તવજ્ઞાન ન થાય, એમ પુરુ. કહે છે તે સાવ સત્ય છે. આ કાળ તેના પ્રત્યક્ષ પૂરાવારૂપે છે. આ કાળને પરમ જ્ઞાનીએએ દુષમ કહો છે તે વારતવિક છે. જે કાળમાં જીવોને આત્મહિતના સાધને દુષ્કર થઈ પડ્યા હોય, તત્વજ્ઞાન-આત્મજ્ઞાનની પ્રાપ્તિ પરમ દુર્લભ હોય, તે કાળ કેવળ દુષમવિષમ કહેવા ગ્ય છે. આ સંસારરૂપી રણભૂમિકામાં (દુષમકાળમાં) કાળરૂપી ગ્રીષ્મના ઉદયને ન દે, એવી સ્થિતિનો તે કેઈક જ જીવ હશે. સંસાર સ્વરૂપનું જ્ઞાન અને સંસાર ઉપર ઠેષ એ બને કારણોથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. સમકિતવંત જ્ઞાતા પુરૂષે સંસારની નિર્ગુણતા નિચે જુએ છે, એટલે તેમને વૈરાગ્યની પ્રાપ્તિ સહેજે થાય છે. જ્યાં હદય વિષયાસક્ત હોય ત્યાં વૈરાગ્ય ટકી શક્તિ નથી. જ્યારે અજ્ઞાનને નાશ થાય, ત્યારે વિષયોનું સાચું સ્વરૂપ તથા લોકનું સ્વરૂપ સમજવામાં આવે છે. સંસારના ભેગો પૈગલિક છે, પરવરતુ છે અને વિરક્તભાવે રહેવું એ સ્વવતુ છે, એવા સતત વિચારથી ભેદજ્ઞાન થતાં આત્મસ્વરૂપ એળખાય છે. જ્ઞાનનું ફળ ઉદાસીનતા છે. એટલે જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે મનુષ્યને સંસારથી ઉદાસીન ભાવ વર્તે છે. વસ્તુને વસ્તુગતે જોઈને આત્મભાવે રહેવાની સમવૃત્તિને દાસીન્યભાવ કહેવાય છે. જેમને પામવા યોગ્ય આત્મસ્વરૂપ પ્રાપ્ત થયું છે, એટલે જગના અન્ય પદાર્થો પરથી જેમની આસક્તિ નષ્ટ થઈ છે, તેથી હાનાદાન- ત્યાગવાનું અને ગ્રહણ કરવાનું કાંઈ રહેતું નથી. આવી રીતે ઈષ્ટ અનિષ્ટ વસ્તુના અભાવે મહાત્મા મુનિઓને ઉદાસીનતા હોય છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ 204] ઢાળ 5/9 (1) સમ્યકૃત્વને ઓળખવાથી (2) સ્યાદવાદ મતને માનવાથી, (3) મોક્ષના ઉપયને ચિંતવવાથી અને (4) તત્વદર્શન થવાથી, આ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલા જ્ઞાન દ્વારા ઉત્તમ પ્રકારનો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ઉદ્દભવે છે. જ્યારે પિતાના અને પારકા સિદ્ધાંતેમાં બુદ્ધિ પ્રવર્તે, એટલે બને સિદ્ધાંતનું સ્વરૂપ યથાર્થ જાણવામાં આવે અને જ્યારે સર્વ નવ ઉપર માધ્યÀભાવ હોય, ત્યારે જ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. - જ્ઞાનગર્ભિત વિરાગ્ય પરમદુર્લભ છે. જ્ઞાનગતિવૈરાગ્યવાળા નિર્ચથની નિશ્રામાં વસતા મુનિએ પણ જ્ઞાનગમિતરાગ્યવાળા કહેવા ગ્ય છે. જ્ઞાનગતિ વૈરાગ્યવાન્ પુરુષની સૂક્ષમ દષ્ટિ હોય છે. તે સર્વમાં મધ્યસ્થભાવે વતે છે, તે સર્વત્ર હિતનું ચિંતવન કરે છે, તેને સક્રિયા ઉપર મહાન્ આદર હોય છે અને તે લોકેને ધર્મમાં જોડે છે. પારમાર્થિક લેખસંગ્રહ છે. 310-312 રી હિ Page #282 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 510 ( ધર્મશાનમાં મૈત્રી આદિ સહાયક-વર્ગના હેતુ ) મૂળ:– સ્વર્ગહેતુ કહિઓ ધર્મધ્યાન, દ્રવ્યોદરે ભાવ પ્રધાન; હવે ભાખ્યું જે શુકલધ્યાન, તે અપવર્ગો દેવાનું પ્રધાન...૧૦ ટો - તે ધર્મ ધ્યાન સ્વર્ગ પ્રાપ્તિનું હેતુ છઈ. મૈત્રી, પ્રમેહ, કરુણા, મધ્યસ્થતાદિક પદસ્થ ડિસ્થાદિ ખંતી અજવાદિક એ સર્વ ધર્મધ્યાનાદિ અવલંબન-સહાય ઈ ઉદારઇ દ્રવ્યઈ કરી ભાવ પ્રધાનતા થાઈ. હવઈ ચોથું શુકલધ્યાન તે અપવર્ગ-મક્ષ-દેવાનઈ ધારી-પ્રધાન છઈ. ધર્મધ્યાનથી વિશુદ્ધ હેતુ કારણઇ પ્રધાન ભાઈ પ્રવાન સંઘયણ, પ્રધાન શ્રેતાદિક હેતુ જનિત થઈ, તે પણિ સ્થાર ભેદઇ છઈ તે કહઈ ઇઈ...૧૦ શબ્દાર્થ - સ્વર્ગહેતુ .. .... ....... સ્વર્ગને હેતુ-કારણ ( ધર્મધ્યાન ). અપવગ દેવાને પ્રધાન ... મોક્ષને મુખ્ય હેતુ, શુકલધ્યાન. ભાવાર્થ - જે ધર્મધ્યાન વિષે વર્ણન થયું તે સ્વર્ગની પ્રાપ્તિ માટે એટલે દેવલોકની પ્રાપ્તિ માટે હેતુ છે. * મરી આદિ ચાર ભાવનાઓ યાનની પુ2િ માટે રસાયનરૂપ છે. “કાઈ જીવ પાપ ન કરે, કે ઇ જીવ દુઃખી ન થાઓ, આ આખું જગત મુક્ત થાઓ, ' એવી ભાવના “મિત્રી' કહેવાય છે. જે સર્વ દોષ દૂર થઈ ગયા છે, અને જે વસ્તુનું તત્વ જોઈ શકે છે, એવા સહાપુના ઓ રે પર: ' મેદ' નવના કડું છે. દીન, દુ:ખી, સી અને હવા ર૪ છે. પણીઓ બ, ' રંગ છે કે હું દુઃખ દૂર થઈ, તે રાધને શાંતિ કેમ કરીને પામે ' એવી બુદ્ધ, તે ‘કારણ્ય' કહેવાય. અત્યંત કર કર્મો કરનારા, દેવ-ગુરુની નિંદા કરનારા તથા અમપ્રશંસા કરનારા લોકો પ્રત્યે ઉપેક્ષાશુદ્ધિ તે માધ્ય કહેવાય. આ ભાવનાઓ વડે આત્માને શાવિત કર્યા કરનારો ખુદ્ધમાન પુરુષ, વાનપ્રવાહ તૂટ્યો હોય તે પણ તેને સાંધી શકે છે. ( 4-117-122 ) -ચોગશાસ્ત્ર. ગો. પટેલ. પૃ. 82 Page #283 -------------------------------------------------------------------------- ________________ [206] ઢાળ 5/10 મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્ય. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. આજંવ, 4 માર્દવ, ક્ષાન્તિક અને વિમુક્તિ -આ સઘળા ધર્મ ધ્યાનના અવલંબન - સડાયક છે. સાધના દ્રવ્યથી-આલંબનથી કરાય. આલંબનરૂપ દ્રવ્ય જે ઉદાર-શ્રેષ્ઠ હોય તે ભાવ પ્રધાન-શ્રેષ્ઠ થાય. આલંબન જેટલાં ઊંચાં તેટલા ભાવ અધિક. સ્વસંવેદન એ ધર્મધ્યાન અને શુકલધ્યાન બનેનું ધયેય છે, પણ વિશુદ્ધિ અને સ્વામી (ધાતા) ના ભેદથી તે બે દયાનમાં ભેદ સમજવો. ચોથું ધ્યાન જે શુકલધ્યાન તે મોક્ષનો મુખ્ય હેતુ છે જે ધર્મધ્યાનથી વિશુદ્ધ હોય, ભાપ્રધાન હોય, વજ ઋષમનારાચ સંઘયણવાળા હોય, પૂર્વકૃત આદિના જાણકાર હોય તેને શુકલધાન હોય છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્ર”ના દશમા પ્રકાશમાં આ વિષે જણાવ્યું છે કે - धर्मध्याने भवेद्भावः क्षायोपशमिकादिकः / સેફયાઃ મવશુદ્ધાઃ યુઃ વીતવાણિતા પુનઃ + 26 | अस्मिन् नितांतवैराग्यव्यतिगतरंगिते / जायते देहिनां सौख्यं स्वसंवेद्यमतीन्द्रियं / / 17 / / અનુવાદ - | ધર્મધ્યાનમાં લાપશમિક આદિ ભાવ હોય છે અને જેમ જેમ તે આગળ વધતો જાય, તેમ તેમ અનુક્રમે પીત, પદ્ધ અને શુકલ લેડ્યા વિરુદ્ધ વિશુદ્ધ હોય છે. આ ચાર પ્રકારના (આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનના ) થાનમાં અત્યંત વૈરાગ્ય રસના સંયોગથી તરંગિત થયેલા ચોગીઓને, પિતે અનુભવ કરી શકે તેવું અતીનિદ્રય ( ઇન્દ્રિયના વિષય વિનાનું ) આત્મિક સુખ પ્રાપ્ત થાય છે. 10 * આજવ–આજવ-ઋજુતા, એટલે વિચાર વાણી અને વર્તનની એકતા. + મદવ-માદવ-મૃદુતા, એટલે અંદર અને બહાર નમ્ર તિ, જાતિ, કુલ, રૂપ વગેરેના અભિમાનનો ત્યાગ કરવાથી તે ધર્મ કેળવાય છે. કા ખંતિ-ક્ષતિ-ક્ષમાં એટલે સહનશીલતા. તે કેળવવાની પાંચ રીત છેઃ 1. કોઈ ગુસ્સો કરે ત્યારે તેનાં કારણની પોતામાં શોધ કરવી. 2. ફોધવૃત્તિથી અહિંસાદિ વ્રતોને લેપ થાય છે, ઇત્યાદિ અર્થપરંપરાનું ચિંતન કરવું. 3. ભૂખ લોકાનો સ્વભાવ જ ગુસ્સે થવાનું છે એમ વિચારી તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખવી. 4. કેઈ સકારણ કે અકારણ ગુસ્સો કરે તો પણ એમ માનવું કે, એ મારાં પૂર્વ કર્મોનું ફળ છે. 5. ક્ષમા ધારણ કરવાથી ચિત સ્વસ્થ રહે છે, વગેરે ક્ષમાના ગુણનું ચિંતન કરવું, * વિમુત્તિ-વિમુક્તિ-ત્યાગ, એટલે બાહ્યાભ્યતર વસ્તુઓમાં તૃણાનો વિદ. વિમુક્તિ-અકિચનતા એટલે કોઈપણ વસ્તુમાં મમત્વબુદ્ધિ ન રાખવી તે. - ધર્મપાનના ચાર આલંબન-વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા. ધમધાનની ચાર અનુપ્રેક્ષા–એકત્વાન પ્રેક્ષા, અનિત્યાનુપ્રેક્ષા, અશરણાનુપ્રેક્ષા, સંસારાનુપ્રેક્ષા. Page #284 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 511 ( શુકલધ્યાનના ચાર ભેદ ) મૂળઃ– પ્રથમ ભેદ નાનામૃતવિચાર, બીજું ઐકયકૃત સુવિચાર; સૂમક્રિય ઉચ્છિaહ કિયા, અપ્રતિપાત ઉભેદ એ લહ્યા...૧૧ ટ - તેડના પ્રથમ ભેદનું નામ નાના શ્રત વિચાર પૃથકત્વ વિતક સવિચાર 1, બીજા ભેદનું નામ એક વિતર્ક અવિચાર, ત્રીજાનું નામ સૂકમ ક્રિયા અપ્રતિપાતી 3, ચોથા પાયાનું નામ ઉછિન્ન ક્રિયા અપ્રતિપાતી ....11 શબ્દાર્થ - નાના શ્રત વિચાર .... ... ... પૃથકૃત શ્રત વિચાર ( પૃથફત્વ વિતર્ક સવિચાર. ) ઐકયકૃત સુવિચાર ... ......... અપૃથફ યુત વિચાર (એક વિતર્ક નિવિચાર) અપૃથકત્વ સવિતર્ક અવિચાર. સૂમક્રિય અપ્રતિપાતિ .... સૂક્ષમક્રિય અપ્રતિપાતિ. ઊંછન્નક્રિય અપ્રતિપાત ... ઉચ્છિન્નક્રિય અનિવૃત્તિ (સમુચ્છિન્ન ક્રિય -અનિવૃત્તિ ચઉ ભેદ ... ... .. . ચાર પ્રકારો. ભાવાર્થ - શુકલધ્યાનના ચાર પ્રકારે આ પ્રમાણે છે - 1. “પૃથક-વિતર્કસવિચાર જ " - પૃથકત્વ વિતર્ક સવિચાર-શુકલધ્યાનનો આ પહેલો પાયો છે. તેને નાનામૃતવિચાર પણ સહિત વતે છે માટે તેને માતા આ પાનામાં વિતક સહિત, વિચાર સહિત અને પૃથફ પૃથક્વ વિતક સવિચાર કહે છે. (પાદોંધ પેજ 208 ઉપર ) Page #285 -------------------------------------------------------------------------- ________________ [20] ઢાળ 5/11 2. અપૃથફવ (એક) વિતર્ક-અવિચાર. 9 (પાદનોંધ ચાલુ ) જે થાનમાં શ્રુતજ્ઞાનના આલંબનથી અનુભવમય અાજે 95 એટલે અંતરંગ વનિરૂ૫ વિચારણાત્મક વિતક હોય તે સવિતક ધ્યાન છે. જે દયાનમાં પ્રવે કરેલ વિચારણારૂપ વિતર્ક એક અર્થથી બીજ અર્થ માં જય, એક શબ્દથી બીજા શબદનાં જાય અને એક બેગમાંથી બીજા યુગમાં જાય તે દયાન સવિચાર એટલે સ ક્રમયુક્ત કહેવાય છે. જે માને એક દ્રવ્યથી બીજ દ્રવ્યમાં, એક ગુણથી બીજા ગુણ માં અને એક પરથી બીન પાયમાં જાય તે પૃથફ થાન કહેવાય છે. ત્રણ યોગવાળાને આ વાન હોય છે. આ ધ્યાનથી મોક્ષસુખને જાણે લેશમાત્ર આસ્વાદ અનુભવવાને હાય તેવી આમવિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. તે પ્રતિ પાતી હોવા છતાં આતમાં નિર્મળ થયેલ હોવાથી ગુણસ્થાનક્રમમાં આરોહણ એકદમ રહેલું દેખાય છે. પૃથફત્વવિતર્ક સવિચારને પાતંજલ યોગપરિભાષામાં સંપ્રજ્ઞાત સમાધિ કહે છે. ઉ. વ. કૃત યો. ) << અમૃથક-વિતર્ક-અવિચાર-શુકલયાનને આ બીજે પામે છે. તેને એક-વિતક– અવિચાર અથવા ઐકય-શ્રત-સુવિચાર પણ કહે છે. પિતાના જ એક આત્મ દ્રવ્યને અથવા તેના એક પર્યાયને કે એક ગુણને નિશ્ચલપણે ચિંતવાય તે તે અપૃથકૃત્વ અથવા એકત્વ ધ્યાન કહેવાય છે. અવિચાર-વ્યંજન (શબ્દ), અર્થ અને યોગ એ ત્રણને વિષે પરાવૃત્તિ રહિત ( એટલે ત્રણમાંના કઈ પણ એકનું ) જે ધ્યાન તે અવિચાર ધ્યાન કહેવાય છે. સવિતક–પિતાના અતિ વિશુદ્ધ આત્મામાં લીન થઈ ગયેલું સૂક્ષ્મ વિચારરૂપ જે ચિન્તન-શાન કરાય છે તે સવિતક કહેવાય છે. બીજા શુકલધ્યાનમાં વર્તતો બાની સમરસીભાવને ધારણ કરે છે. ધ્યાનના પ્રભાવથી આત્માની જે અનુભૂતિ કે અનુભવ તેનાથી અભિન્ન પણે લયલીન થવાથી સમરસીભાવ પ્રાપ્ત થાય છે. એક વેગવાળાને આ પ્લાન હેય છે. આ ધ્યાનથી ક્ષપકશ્રેણિવંત મુનિ શીશુમેહ ગુણસ્થાન પ્રાપ્ત કરી કેવલજ્ઞાનયુક્ત થાય છે. પાતંજલ યોગની પરિભાષામાં આને અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે. (ઉ. વ. કૃત . . ) Page #286 -------------------------------------------------------------------------- ________________ [29]. ઢાળ પ/૧૧ 3. સૂઢમકિય અપ્રતિપાતિ* 4. સમુચ્છિન્નક્રિય-અનિવૃત્તિ 4 જ સૂક્ષ્મક્રિયઅપ્રતિપાતિ– શુકલધ્યાનને આ ત્રીજો પાયો છે. તેને સૂક્ષ્મ-અનિવૃત્તિ પણ કહે છે. જે ધ્યાનમાં આત્મપ્રદેશોની સ્પન્દનારૂપ સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિવાળી હોય છે એટલે કે તે સૂકમ ક્રિયા મટીને કદી પણ બાદર ક્રિયા થવાની નથી. ધ્યાન કરનાર કેવલી ભગવાન આત્મવીર્યની અચિન્ય શક્તિવડે આ બાદર ક્રિયા યુગમાં સ્વભાવથી જ રહીને બાદર વચન એગ અને બાદર મને એ બને ભેગને સુકુમ કરતા જાય છે, ઇક્વસ્થને મનની રિથરતા તે ધ્યાન કહેવાય જ્યારે કેવલી ભગવંતની કાયાની સ્થિરતા તે દયાન છે. કેવલ કાયયોગીને આ શુકલધ્યાન હેય. * સમુછિન્નક્રિયઅનિવૃત્તિ-શુકલધ્યાનનો આ ચોથે પાયો છે. તેને “ઉછિન્નક્રિય-અપ્રતિપાતિ” પણ કહે છે. જે ધ્યાનમાં સુક્ષ્મ વેગાત્મક એટલે સૂક્ષ્મકાગ રૂ૫ ક્રિયા પણ સમુચ્છિન્ન એટલે સર્વથા નિવૃત્ત થઈ છે તે ચોથું શુકલધ્યાન છે, આ ધ્યાનથી અનંતર સમયે મેક્ષ જ થાય છે. 27 Page #287 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 5/12 ( વ્યાર્ષિક પર્યાયાર્થિક નિવડે ભેદ પ્રધાન ચિંતન ) મૂળઃ– એક ઠામિ પર્યાય અનુસરણ, શ્રુતથી દ્રવ્ય વિષય સંક્રમણ અર્થ વ્યંજન યોગાંતરે થાય, પ્રથમ ભેદ તે ઇમ કહેવાય....૧૨ બે– એ ચ્યાર શુકલધ્યાનના ભેદ તે મળે પ્રથમ બે પાયા દ્રવ્યના જે પર્યાય છઈ તે દ્રવ્ય 2 ના જૂદા પાડ્યા વિના સર્વ પર્યાયનું અનુસરણ સર્વ દ્રવ્યનઇ વિષઈ પ્રવર્તન. શ્રતજ્ઞાનથી દ્રવ્ય-દ્રવ્યનઈ વિષઈ સકલ વિષયનું સંક્રમણ. પદાર્થના વ્યંજક જે ગાંગજી મન, વચન, કાયાદિ રોગ થાઈ તે પ્રથમ ભેદ શુકલધ્યાનને તે કહવાઇ..૧૨ શબ્દાર્થએક કામિ ..... ... ... એક જ દ્રવ્યના સંબંધમાં, પરમાણુ આદિ દ્રવ્યમાં અને પર્યાયાર્થિક નયાએ કરી પૂર્વગત મૃતાનુસારે ચિંતન કરવું તે. શ્રતથી ..... . . . મુતઆધારે, શ્રત જ્ઞાનથી. દ્રવ્ય વિષય સંક્રમણ ... દ્રવ્ય, શબ્દ તથા મન, વચન અને કાયાના યોગાંતરમાં સંક્રમણરૂપ. એક દ્રવ્યના ચિંતનથી તેના શબ્દના ચિંતન ઉપર આવવું; મનોયોગથી કાયયોગના ચિંતનમાં અથવા વાનું ચગના ચિંતનમાં, એમ કાયયોગથી મને યોગે વા વાગ્યાને સંક્રમણ કરવું. અર્થ વ્યંજન... ... ... શબ્દ અને અર્થ ગાંતર .... ... ... મન, વચન અને કાયાના યોગોમાં સંક્રમણ પ્રથમ ભેદ .... ..... પૃથફત વિતક સુવિચાર. Page #288 -------------------------------------------------------------------------- ________________ [ 1] ઢાળ પ૧૨ ભાવાર્થ - શુકલધ્યાનના ચાર ભેદમાંથી પહેલા બે ભેદમાં ષટ્દ્રવ્યના જે પર્યાય છે તે દ્રવ્ય દ્રવ્ય જુદા પાડ્યા વિના સર્વ પર્યાયનું અનુસરણ કરે. સર્વ દ્રવ્યને વિષે પ્રવર્તન કરે. શ્રુતજ્ઞાનથી દ્રવ્યને વિષે સકલ વિષયનું સંક્રમણ અને અર્થના વ્યંજક શબ્દમાં તથા મન, વચન અને કાયાના યોગાંતરમાં સંક્રમણ તે “પૃથકૃત્વવિતર્ક સવિચાર” નામનો પ્રથમ ભેદ છે...........૧૨ ભાવિક જ વિશેષ માટે જીએ- શ્રી તાર્થોપિંગમસત્ર, અ, 9, સૂ. 41 અથવા યોગશાસ્ત્ર પ્ર. 11 તથા શ્રી ગુણસ્થાનક્રમારોહ લેક 60 થી 80. ના વાળવિમમરા. કે Page #289 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 5/13 ( અર્થ, વ્યંજન અને યોગમાં સંક્રમણ ) મૂળ - એક રીતિ પર્યાયને વિષે, અર્થ વ્યંજન ગાંતર ખેં (હ ) શ્રત અનુસાર થકી જે વ્યક્તિ, તે બીજે એકત્વ વિતર્ક....૧૩ બે - એક પર્યાયની રીતઈ સકલ દ્રવ્યના પર્યાયની રીતિ પોમવાવઈ તથા અર્થ, પદાર્થ વ્યંજન જે ગાંતર કરતે હર્ષઈ તેહમાં પહચઈ શ્રુતશાસ્ત્રની અનુસારઇ જે એક દ્રવ્યના એક પર્યાયાંતરની જે વ્યક્તિ થાઈ તે બીજો ભેદ એકત્વ વિતર્ક સવિચાર કહિઇ. 13 શબ્દાર્થ - હ ... ... ... હરખે, આનંદપૂર્વક કરે, સાનંદ કરે. અર્થ વ્યંજન ... શબ્દ અને અર્થ અથવા પદાર્થ. ગાંતર -. .... એક પેગમાંથી બીજા વેગમાં સંક્રમણ. વ્યક્તિ ... ... પ્રકટતા, સ્પષ્ટીકરણ લાવાર્થ : એક પર્યાયની રીતે સકલ દ્રવ્યના પર્યાયને મૃતશાસ્ત્ર અનુસારે સાનંદ આવશે તથા અર્થ, પદાર્થ, વ્યંજન ગાંતરેને વિષે સંક્રમણરૂપ તે એકત્વ-વિતર્ક-અવિચાર નામનો બીજે ભેદ છે...૧૩ વિવરણ - દ્રવ્યાદિ જ્ઞાન જ શુકલધ્યાન દ્વારા મોક્ષકારણ માટે ઉપાદેય છે. તે માટે કહે છે કે - દ્રવ્યાદિકની ચિંતાએ શુકલધ્યાનને પણ પાર પામીએ, જે માટે આત્મદ્રવ્ય-ગુણપર્યાય ભેદ ચિતાએ શુકલધ્યાનને પ્રથમ ભેદ હોયે અને તેની અભેદ ચિંતાએ દ્વિતીય પાદ હોયે, તથા શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયની ભાવનાએ “સિદ્ધ સમાપત્તિ” હોયે તે તે શુકલધ્યાનનું ફળ છે.” દ્રય ગુરુપર્યાયનો રાસ, ઉપા. યશોવિજયજીને પસ્તબક (બ) ઢાળ 1. પૃ. 7 Page #290 -------------------------------------------------------------------------- ________________ ઢાળ પ/૧૪ ( નિર્વાણ સમયને યોગ નિરોધ ) મુળી: જે નિર્વાણ સમયને પ્રાગ, નિરૂદ્ધ યોગ કેવલી લાગ; સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ નામ, ત્રીજું શુકલધ્યાન એ નામ....૧૪ ટ - નિર્વાણકાલ અંતમુહૂર્ત પહેલાં જે કાયાદિ યોગને ધ કે જે કેવલી કરાઈ છઈ સૂક્ષિમ ક્રિયા નિર્નિમેષાદિક પણિ તે પ્રતિપાતી છઇ ને માહિં જે સૂક્ષમ ક્રિયા નિવૃત્તિ તેહથી પદાર્થો આઘે જાસઈ તે માટઈ પ્રતિપાતી કહઈ તે શુકલધ્યાનનું ત્રીજું નામ સૂક્ષમક્રિય (અ) પ્રતિપાતી કહીઈ...૧૪ શબ્દાર્થ - પ્રાગ ... ... ... પૂર્વે, પહેલાં નિરૂદ્ધ યોગ .... .... કાયા આદિ યોગને નિરોધ લાગ ... ... ... (કેવલી) કરે. ભાવાર્થ - મોક્ષ ગમનના અવસરે પહેલાં કેવલી ભગવંતને મન, વચન અને કાયાના (બાદર) યોગને નિરોધ થાય છે એટલે કે તેમને સૂફમક્રિય-અપ્રતિપાતી નામનું ત્રીજું શુકલધ્યાન છે.૧૪ Page #291 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 5/15 ( પરના વેગ વિનાની દશા ). મૂળઃ– શૈલેશીગત જે નિશ્ચલ યોગ, લેશ્યાતીત જિહાં નહી પરયોગ; નામેં ઉછિન્નયિ અપ્રતિપાતિ, ચોથે શુકલભેદ વિખ્યાતિ...૧૫ શિલાને સમુદાય તે શૈલ પર્વત. તેને ઈશ તે શેલેશ કહેતાં મેરુ. તેની પરિ નિકંપ કાયાકાદિ (કાયિકાદિ) સકલ ગ રુંધવા લક્ષણ વેશ્યાતીત ગુફલલેશ્યાથી અતીત જિહાં પર યોગ કેઈ ન મિલઇ. વિભાગ ન્યૂન શરીર ઘનપ્રદેશી, અસ્પૃશ્યમાન, આકાશ પ્રદેશી ઉછિન સર્વક્રિય અપ્રતિપાતિ નામા એહવે ચે શુકલ ધ્યાનને પાયે એ ભેદ પ્રગટ છઈ...૧૫ શબ્દાર્થ - શૈલેશીગત ... મેરુ જેવા નિશ્ચલ. ચોગ ... ... કાયા, વચન અને મનના સકલ યોગ. લેશ્યાતીત - મનને પરિણામેથી બાઘ, પરિણામેથી પર. પર ગ . જ્યાં કઈ પરને યોગ નથી તેવી દશા. ઉછિનકિય .... જ્યાં સઘળી ક્રિયાઓ સ્થગિત થઈ જાય છે તે. ભાવાર્થ - શૈલેશી દશા (મેરુ પર્વત જેવી નિશ્ચલ દશા ) કે જે ચૌદમે ગુણસ્થાનકે હોય છે. ત્યાં શુકલેશ્યાથી અતીત દશા છે. ત્યાં પર (દ્રવ્ય) ને યોગ નથી, ત્યાં રહેલા કેવલીને ઉછિન્નક્રિય-અપ્રતિપાતિ (અનિવૃત્તિ) નામને શુકલધ્યાનને ચે વિખ્યાત ભેદ હેય છે....૧૫ Page #292 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 5/16 ( શકલધ્યાનનો પહેલો અને બીજો ભેદ કોને ? કયારે ? ) મૂળ:– ત્રિયાગ યુક્ત મુનિવરનું હોય, આદ્ય દુભેદ શ્રેણિગત સોય; નિજ શુદ્ધાતમ દ્રવ્યનું ધ્યાન, એક યોગ બીજું અભિરામ...૧૬ બે– એ ગુફલધ્યાન વિગઈ શુભયોગયુક્ત મુનિ અપ્રમત્ત સુવિશુદ્ધ યથાખ્યાત સંયમીનઈ હોઈ. તે ધ્યાનના આદ્ય પાયા 2 ક્ષપકશ્રેણિગત મુનિનઈ હેઇ. એક ભેદઈ પિતાના શુદ્ધાતમ દ્રવ્યનું પરિજ્ઞાન ધ્યાન થાઈ. બીજઈ ભેદઈ શુદ્ધાતમ દ્રવ્યના ગુણ પર્યાયના અભિરામપણું..૧૬ શબ્દાર્થ - ત્રિોગયુક્ત .... .... મન, વચન અને કાયાના શુભ ચોગવાળો. આદ્ય દુભેદ .... .... પ્રથમ બે પાયા. પ્રથમ બે પ્રકાર. ભાવાર્થ - ત્રણ યોગની શુભ પ્રવૃત્તિવાળા મુનિવરે જે અપ્રમત્ત સુવિશુદ્ધ તથા યથાખ્યાત સંયમી હોય તેને શુકલ યુગનો પ્રથમ પ્રકાર હોય અને ઉપશમશ્રેણિ તથા પકશ્રેણિમાં વિરાજતા મુનિવરોને પણ શુકલધ્યાનને પહેલે ભેદ હેય. પહેલા ભેદે શુદ્ધાતમ દ્રવ્યના પરિજ્ઞાનનું ધ્યાન થાય અને બીજા ભેદે શુદ્ધાતમ દ્રવ્યના ગુણ પર્યાયનું ધ્યાન થાય તેથી દ્રવ્યનું શુદ્ધ જ્ઞાન મળે..૧૬ Page #293 -------------------------------------------------------------------------- ________________ ઢાળ પ/૧૭ ( શુકલધ્યાનને ત્રીજે ભેદ કોને ? કયારે ?) મૂળ: તનુ ગીને ત્રીજું હોય, ચોથો ભેદ અગે જોય; મન થિરતા છદ્મસ્થને ધ્યાન, અંગ થિરે કેવલીને જાણ...૧૭ ટો - કેવલ કાયયોગ રાધન વેલાઈ ત્રીજો ભેદ હેઇ. એતલઈ ત્રીજે પાઈયે. ચે ભેદ અગીનઈ સંસાર પ્રાન્તઇ હેઈ. છઘસ્થનઈ ધ્યાન તે મનની એકાગ્રતાઈ હોઈ. કેવલીનઈ કેવલ ગની નિશ્ચલતા તે ધ્યાન. મનને વ્યાપાર કેવલીનઈ નથી....૧૭ શબ્દાર્થ - તનુયોગી ... .... સૂક્ષ્મ શરીરના સેગવાળો. અયોગે " ... (સંસારના પ્રાંતે) મન, વચન અને કાયા એ ત્રણેયના ચેગને રોધ. મન થિરતા .... ..... મનની સ્થિરતા. અંગ થિરે ...... .... કાયાની સ્થિરતાથી. ભાવાર્થ કેવલ કાયયોગ સાધવાળાને એટલે કે સૂક્ષ્મ શરીરના યોગવાળાને શુકલધ્યાનને ત્રીજે ભેદ એટલે સૂક્ષ્મક્રિય અપ્રતિપ્રાતિ હોય અને મન, વચન, કાયાના ત્રણેય યુગ ૨હિતને ચે ભેદ હોય ત્યારે સંસારને છેડે આવે છે. મનની સ્થિરતા એ છઘ માટે ધ્યાન છે પણ કાયયોગને ધ એટલે કેવલકાયયોગની નિશ્ચલતા તે કેવલી માટે ધ્યાન છે...૧૭ Page #294 -------------------------------------------------------------------------- ________________ હાલ 5/18 ( સિદ્ધ ભગવંતનું ધ્યાન તે રુપાતીત છે. ) મૂળ - ચિદાનંદ પરમાતમ અમૂર્ત, નિરંજન સવિ દેષ વિમુક્ત; સિદ્ધધ્યાન તે રૂપાતીત, ધ્યાતા તન્મયતાની રીત...૧૮ ટો - ચિદાનંદ જ્ઞાનને પરમાનંદ અમૂર્તિ, અરૂપી, પરમ આપ (ત્મ) રૂપ નિરંજન, રાગદ્વેષને સંગ અંજન નથી. સકલદોષથી મુક્ત એહવા સિદ્ધનું ધ્યાન તે રૂપાતીત કહી. તે ધ્યાનઈ પિતાનઈ તન્મયપણું રૂપાતીતપણું કહી...૧૮ શબ્દાર્થ - ચિદાનંદ ..... .... જ્ઞાનને પરમાનંદ. અમૂર્ત .. . અરૂપી. નિરંજન .. ... રાગદ્વેષનું અંજન એટલે તેને સંગ જેને નથી તે પરમાત્મા. સિદ્ધ ... .... સકલ દેષથી મુક્ત-વિમુક્ત. ભાવાર્થ - જ્ઞાનતત્ત્વ અને આનંદતત્વના સમવાયરૂપ, સર્વોત્તમ આત્મા-પરમાત્મા જે અરૂપી, સઘળા દો (કર્મ) થી વિમુક્ત એવા સિદ્ધ ભગવંતનું ધ્યાન તે રૂપાતીત છે. તેનું નિરંતર ધ્યાન કરનાર યોગી ( ગ્રાહ્ય ગ્રાહક ભાવ વિનાનું) તન્મયપણું પામે છે.....૧૮ * સરખાવોઃ अमूर्तस्य चिदानंदरूपस्य परमात्मनः / निरञ्जनस्य सिद्धस्य, ध्यानं स्याद्रूपवर्जितगू // 1 // –ોગશાસ્ત્ર પ્રકાશ-૧૦ અર્થ :-- આકૃતિ રહિત, જ્ઞાનાનંદ સ્વરૂપ, નિરંજન, કમરહિત) સિદ્ધ પરમાત્માનું ધ્યાન તે રૂપાતીત ધ્યાન છે. 28 Page #295 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 5/ 19 ( ભોપાહી કર્મો કયારે અને કેવી રીતે જાય ? ) મૂળ - કર્મ ભપગ્રાહી ચાર, લઘુ પંચાક્ષરને ઉચ્ચાર; તુલ્ય કાલ શૈલેશી લહી, કર્મ પુંજ સઘલે તે દહી...૧૯ બે - વલતાં ભોપગ્રાહી પ્યાર કર્મ રહઈ. આયુ 1, નામ 2, ગોત્ર 3, વેદની ૪-એ તેહને કાલ લઘુ પંચાક્ષર ઉચ્ચાર માત્ર કાલ એ શૈલેશીને અયોગીને તુલ્ય સરિખે જ કાલ છઇ. કર્મ પંજ સઘલઈ દહીનઈ લોકાગ્રઈ સ્થાનકઈ નઈ....૧૯ શબ્દાર્થ - કર્મ ભપગ્રાહી ... ... આયુ, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર અઘાતી કર્મો. લઘુ પંચાક્ષર ... ... પાંચ હસ્તાક્ષર (ગ, 6, 3, , .) શૈલેશ* . . . ચૌદમુંગુણ સ્થાનક. દહી . . બાળી. ભાવાર્થ - સાધક યોગી જ્યારે ચાર ઘાતી કર્મોને નાશ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી લે છે ત્યારે તેને વેપગ્રહી એવા આયુ, નામ, ગોત્ર અને વેદનીય કર્મો માત્ર રહેતાં હોય છે. તે કર્મોને દૂર કરવા માટે ત્રીજું, ચોથું શુકલધ્યાન કરે અને ચારે અઘાતી કર્મોને ક્ષય થતાં પાંચ લઘુ એટલે હસ્વ અક્ષર “અ, ઈ, 6, 8, લ” બેલતાં જેટલો સમય લાગે તેટલા સમયમાં શશીકરણ કરીને એટલે મેરુ પર્વત જેવી નિશ્ચલ દશા પામીને તે ચારે કર્મોનો સંપૂર્ણ ક્ષય કરી નાખે છે, ત્યારે તે કામાગી એટલે કે લેકની ટોચે જઈ પહોચે છે.... 19 આ શૈલેશી-સામગ્ધ યોગના ધર્મસંન્યાસ અને યોગસંન્યાસરૂપ બે ભેદ છે. ચિતવૃતિના પૂર્ણ નિરોધને ધર્મસંન્યાસનું ફળ કહેવાય છે. ધર્મસંન્યાસ એટલે ક્ષાયોપથમિક ધર્મોને સંન્યામ-ત્યાગ અને ક્ષયિક ધર્મોના આડમાં ગુણસ્થાનકથી પ્રાદુર્ભાવાર્થ પ્રયાસ. યોગસંન્યાસ એટલે સંપૂર્ણ કાયિક વૃત્તિનો નિરોધ, જેને ' ગ દશા' કહેવાય છે, જે શશીકરણનું ફળ છે. –પારમાર્થિક લેખસંગ્રહ પૃ. 210-21 Page #296 -------------------------------------------------------------------------- ________________ થમ **** ઢાળ 5/20 ( સિદ્ધિ ગતિને પ્રકાર ) મૂળ: ધૂમ અલાબુફલ દંડાભાવ, ચકાદિક રીતિ ગતિભાવ; સમય એકે લોકાંતિં જાય, સિદ્ધ સરૂપ સદા કહેવાય...૨૦ ટબે– જિમ ધૂમ ઇંધણથી છૂટે ધૂમ આકાશે જાઈ, જિમ પાકું અલાબું કહેતા તુંબડું ત્રટકીને વેગલું જાઈ, જિમ દંડ વિના ચક્ર પૂર્વાભ્યાસે ફિરં તિમ એણઈ જાઈ કર્મના બ્રમણ વિના પણિ અનાદિ અભ્યાસઈ ઉંચે જાઈ. એક સમયમાંહિં લેકાગ્ર સ્થાન જાઈ. ધર્માસ્તિકાયના અભાવથી અલોક મધ્યે પણિ ન જઈ સકઇ. તિહાં સદા સિદ્ધ સરૂપી કહવાઈ. તિહાં કેહ રૂપ છે તે રૂપ પામ્યો...૨૦ શબ્દાર્થ - ઈંધણ-બળતણથી જે ધૂમાડો છૂટે તે. અલાબુફી.. . તુંબડું. દંડાભાવ .... .... ચાકડો ફેરવવાના દંડ વિના. ચકાદિક રીતિ .... ચાકડે જેમ પૂર્વાભાસે ફરે તેમ. ગતિભાવ .... ..... અનાદિ અભ્યાસે ગતિ કરે. સમય... ... ... ક્ષણ (એકમાં) લોકાંતિ ..... .... લેકના અગ્રસ્થાને. ભાવાર્થ કાગે જનાર સિદ્ધ આત્મા જેમ ધણમાંથી છૂટેલો ધુમાડો હલકો હેવાથી ઉપર જાય, જેમ અલાબુફલ એટલે તુંબડા ઉપરના માટીના લેપ ઉખડી જવાથી પાણીની સપાટી ઉપર તરી આવે તેમ કર્મબંધન વિનાને આત્મા લેકના અગ્ર ભાગે જાય છે. જેમ કુંભાર એકવાર દંડથી ચાકડે ફેરવે પછી દંડની જરૂરત રહેતી નથી અને ચાકડે પૂર્વ અભ્યાસથી ફર્યા કરે તેમ જીવ પણ એક સમયમાં લોકાંતે જાય છે અને ત્યાં તે સદા પિતાના સ્વરૂપમાં સ્થિર રહીને રહે છે. 20 સરખા: लाघवयोगाद् धूमवदलाबुफलवच्च संगविरहेण / बंधनविरहादेरंडवच्च सिद्धस्य हि गतिरुव॑म् // 6 // - યોગશાસ્ત્ર. પ્રકાશ-૧૧. Page #297 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 5/21 ( સાદિ પણ અનંત અને અતીન્દ્રિય સુખ ) મૂળ - સાદિ અનન્ત અતીન્દ્રિય સુખ, ભાગાં કર્મ જનિત સાવિ દુખ ભવ નાટિક સંસારી તણ, જાણે દેખું પણિ નહી મણા.૨૧ બો - તિહાંથી સાદિ વલતે નાશ નથી તે માર્ટિ, અનંત, ઈન્દ્રિય સાધ્ય સુખ નથી તે માટે અતીન્દ્રિય સુખ, સ્વભાવ જનિત, કર્મ જનિત સુખ તે સર્વ દુઃખમયી છે તે કર્મ સવિ ભાગમાં વિણઠાં. તિહાં રહ્યા હુંતા સિદ્ધ સઘલા સંસાર નાટિક જોઈ છઈ. જાણઈ . વિશેષ રીતઈ દેખઈ છે. સામાન્ય રીતિ કિસી વાતની મણું નથી. નાટિક કોઈ તેહથી જેણારનઈ ઘણે સુખ.૨૧ શબ્દાર્થ - સાદિ અનંત ... ... જેની આદિ છે પણ અંત નથી તેવું. અતીન્દ્રિય સુકખ.. સ્વભાવ જનિત સુખ. (ઈન્દ્રિય જનિત સુખે સર્વે દુઃખમય હોય છે.) ભાગાં વિનષ્ટ થયાં. જાણે... ... સામાન્યરીતે જાણે. દેખે ... ... ... ... વિશેષ રીતે દેખે. મણુ... . . . .. ઉણપ. ભાવાર્થ:-- સિદ્ધપણું મેળવ્યા પછી સિદ્ધને સિદ્ધિ સ્થાનમાં જેની આદિ છે પણ અંત નથી એવું અતીન્દ્રિય સુખ હોય છે. અર્થાત સિદ્ધિમાં ગયા પછી સિદ્ધને જે સુખ મળે છે તે અનંતકાળનું શાશ્વતિક અને અતીન્દ્રિય સુખ હોય છે. કેમકે તેમને કર્મોથી ઉત્પન્ન થતું સુખ નાશ પામ્યું છે. તેમાં અનંતજ્ઞાન અને અનંત દર્શનને ધારણ કરીને સિદ્ધિમાં રહેલા હોવાથી સંસારીઓનાં ભવભ્રમણનાં નાટક નિહાળે છે અને જાણે છે. વસ્તુતઃ એમને એવા નાટકથી ઉત્પન્ન થતા સુખની જરૂરત હોતી નથી કેમકે મુક્તિમાં તેમને કઈ વાતે ઉણપ નથી. 21 Page #298 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 522 ( આ પ્રકારે પરમેષિમંત્ર શિવસુખનું સાધન ) મૂળ: ઈણિ પરિ તે પરમેષ્ટી મંત્ર, શિવસુખ સાધનને એ તંત્ર, નેમિદાસ કહે એમ વિચાર, જ્ઞાનવિમલ પ્રભુને આધારરર બે - એણુઇ પ્રકાર પરમેષ્ટિ મંત્રને મહામહિમા મોક્ષનાં સુખ સાધવાન એ મહાતંત્ર ઉપાય છઇ. સાહ નેમિદાસ રામજી એહ વિચાર નેકાર મંત્રને કહે છઈ. શ્રી જ્ઞાનવિમલસૂરિ ગુરુ વચનનો આધાર પામીનઈ પિતાને પણિ કાંઈક અનુભવ સિદ્ધિ આતમ સ્વરૂપી હુંતઈ.૨૨ શબ્દાર્થ - નેમિદાસ વિચાર ઈણિ પરિ ... ... ... એ પ્રકારે. તંત્ર, મહાતંત્ર ઉપાય. શાહ નેમિદાસ રામજી. રાસ રૂપે જે વિચાર રજૂ કર્યો છે તે. જ્ઞાનવિમલ પ્રભુ .... .... જ્ઞાનવિમલસૂરિ. ભાવાર્થ - એ પ્રકારે મોક્ષના સુખ સાધવાને પરમેષ્ઠિ મંત્રની સાધનાને મહાતંત્ર એટલે કે જે ઉપાય તેને હું શાહ નેમિદાસ રામજી તેને મહામહિમા સહિત રાસરૂપે દર્શાવું છું. આ, ગુરુ શ્રી જ્ઞાનવિમલસૂરિના વચનને આધારે છે એટલે કે આ સઘળું તેમની કૃપાને પ્રતાપે છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ [ 222 ] ઢાળ 5/22 અહીં ટબાકાર શ્રી જ્ઞાનવિમલસૂરિ ટબામાં ઉમેરે છે કે શ્રી નેમિદાસે આત્મવરૂપ વિષે જે કાંઈક અનુભવની સિદ્ધિ કરી છે તે દર્શાવી છે....૨૨ સ ર " ( આત્મસમર્પણ નમસ્કાર ) Page #300 -------------------------------------------------------------------------- ________________ સંભેદ પ્રણિધાન SoosebeDes oooooooooooo છે 50 100g - 40000606 90990 ઈ00 6000 કો | या KAR | -KKKKA ( લો કરી मो છે IR h A | ID E જ * /e, / / | IN 20000 200, 'કથg : 0 800 ક . ક0 80 4 0 0 0 0 0 રમગિક ધ્યાનસ્થ, પ૨મપૂજય, પંન્યાસજી શ્રી ભદંક૨ વિજયજી ગણિવર. 0 * deg Woo 0005 5060 Page #301 -------------------------------------------------------------------------- ________________ Page #302 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 1/1 ઢાળ છઠ્ઠી ( 5) ( પુરુષાતમરૂપની સ્થાપના-નવકાર મંત્રની ધારણા ) મૂળ: શ્રી અરિહંત પદ વદનિ, ભાલ તલિ સિદ્ધ વિરાજે; ભાવાચારિજ કંકિ, વાયગ મુણિ બહુ સમાજે ચૂલા પદ ચઉ પીડ, સકલ સા(સ)રીર પઈહિય; પુરુષાતમરૂપ થાપના, ધ્યાન સ્વરૂપ અહિક્રિય; આતમને પરમાતમા, એક ભાવ થઈ મનિ રમેં ( ત્રિતય ભેદ અભેદથી તે જ્ઞાની પદિ જન નમેં. ).....1 બે - ષટ્પદ કવિત્વની જાતિ. લકનો પુરુષાકાર બનાવીઈ તિહાં અરિહંતપદની સ્થાપના મુખનઈ વિષઈ. ભાલસ્થલિઇ સિદ્ધપદની સ્થાપના. ભાવાચાર્ય સુવિહિત ગણી આચાર્ય તેહની કંઠિ, ગલઈ થાપના. વાચક–ઉપાધ્યાય, મુનિ–સાધુ તે ભુજા બિહું થાપિઇં. ચૂલિકાનાં ગ્યાર પદ તે પૃષ્ઠ જાણવી. ઈત્યાદિ સર્વ સરીરની પ્રતિષ્ઠા થાપીઈ. એ પુરુષાતમરૂપની સ્થાપના થાનમયઈ અધિષ્ઠિત કરીઈ. તિવારઈ અંતર આત્મા અનઈ પરમાત્મા એક ભાવ એકરૂપ થઈ મનમાં રમાડી. તિવારઈ ગ્યાતા 1, ધ્યાન 2, ચેવ ૩-એ વિતય ભેદ છઈ તે અભેદ. પણે એક રૂપ જ ધ્યેયપણઈ થાઈ....૧ * આ કડીનું છઠું પાર ઉપલબ્ધ નથી. અર્થ સંગતિથી છઠું પાદ બનાવી કસમાં મૂક્યું છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ [224] પીઠ ઢાળ 6/1 શબ્દાર્થ - વનિ .... .... મુખસ્થાને ભાલતલિ.. ભાલDલે-ભાલસ્થાને ભાવાચારિજ સુવિહિતગણ–આચાર્ય કંઠિ કંઠસ્થાને, ગળે. વાયગ વાચક, ઉપાધ્યાય. મુણિ મુનિ. બાહુ ભુજા ( બિહુ-બંને બાહુમાં સ્થાપે ) ચૂલાપદ ચૂલિકાના પદે. ચ9 ચાર પૃષ્ઠ ભાગે સલ સરીર સકલ શરીર ઉપર ( આ પ્રમાણે) પઈટ્ટિય ( સ્થાપન અધિષ્ઠિત કરે. આતમ આતમાં એકભાવ ... .... એકરૂપ (ધ્યાતા, દયેય અને ધ્યાન તે ભેદ છે તે.) અભેદપણે થાય. મનિ રમેં ... ... મનમાં રમાડે. ભાવાર્થ - નમસ્કાર મંત્રનું ધયાન કરવા માટે પ્રથમ ચૌદ રાજલોકરૂપ પુરુષ આકૃતિ કલવી. તે આકૃતિના મુખમાં નમો અરિહંત પદની સ્થાપના કરવી; કપાળમાં નમો સિદ્ધાળે પદની સ્થાપના કરવી. કંઠમાં નમો બાચરિયાળે પદની સ્થાપના કરવી, જમણા હાથમાં નમો ઉવકક્ષાયા પદની સ્થાપના કરવી, તેમ જ ડાબા હાથમાં નમો સ્ત્રો સદારFi પદને રસ્થાપવું. વળી, (તે લોક) શરીરના પીઠ ભાગમાં ઘણો પવનમુક્કારો, સવાર-gબાળા, ચાલું જ નહિ, પઢમં હૃવરૂ મારું એ પ્રકારે ચૂલિકાના ચાર પદોની સ્થાપના કરવી. એ રીતે સ્થાપના કરીને એ પુરુષ આકૃતિમાં આત્માની પ્રતિષ્ઠા કરવી. પછી ધ્યાતા આત્માએ નમસ્કાર મંત્ર ગત ધ્યેય એવા પરમ આત્માઓનું ધ્યાન કરવું. એ ધ્યાન દ્વારા ધ્યાતા અને ધ્યેય એકરૂપ બની જાય અર્થાત્ તે પરમાત્મા જ હું પિતે છું એવી ધ્યાનસ્થ રમણતા આવી જાય તે ધ્યાતા સ્વયં સર્વજ્ઞરૂપે લોકેને નમસ્કાર કરવા ગ્ય બની જાય છે.....૧ Page #304 -------------------------------------------------------------------------- ________________ 28 - त्रितयभेदना अभेद मारे ध्यान ..नमो सिद्धाणं .---नमो अरिहंताणं -------नमो आयरियाणं (एसो पंचनमुकारो सव्वपावप्पणासणो मंगलाणं च सवर्सि / पटमं हवइ मंगलं [225]] नमो उवझायाण--- IM---- नमो लोएसव्वसाहणं | w ww.jainelibrary.org Page #305 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 62 ( ધ્યાનને બીજો પ્રકાર-સિદ્ધચક્રની માંડણી ) મૂળ - ૐ અર્હત્ પદપીડ, સિદ્ધ ભાલે થિર કીજે, નાસાગણી ઉવઝાય, સાહુ દેઈ નયન ભણી જઈ; કંઠ હૃદયને ઉદરિ નાભિ ચઉ કમલિં જાણે, દંસણ નાણ ચરિત્ત તપ થકી ચઉ પદ આણે. સિદ્ધચકની માંડણું, અંતર આતમ ભાવતઈ; પરમાતમ પદવી લહે, કર્મ પંક સવિ જાવાઈ.૨ ટ - - વલી અવર પ્રકાર ધ્યાનને કહીઈ છ. કાર પર્વક અરિહંત પદ તે પગે થા પી. જે માટે અરિહંતને માર્ગ કહવાઈ તે માટિ, સિદ્ધ તે ભાલDલે સિદ્ધશિલાકાર માટે અને સકલ કર્મ ટાવ્યાં માટે. નાસા તે આચાર્ય તેહની સકલ શોભા ઘારક છઈ. હવઈ ઉપાધ્યાય 4 અને સાધુ તે મુનિવર 5 એ બહુનઇ નેત્ર કહતાં લોચન જાણવાં. હવઈ કંઠકમલ 1, હૃદયકમલઇ 2, ઉદ૨કમલૐ 3, નાભિકમલઈ 4 એ ચ્યાર કમલિ એ થાર પદની સ્થાપના જાણવી તે ચ્યાર પદ તે કેહાં દર્શન 1, જ્ઞાન 2, ચારિત્ર 3, તપ ૪-એ 4 પદ થાપન એ બાર કમલનઈ વિષઈ આણે. એ મંત્રને પ્રયત્ન વીર્ય ફોરવવું એ પંડિત વિર્યમય શરીર. એ સિદ્ધચક્રની માંડણીઈ અંતર આતમા ભાવતઈ હુંતઈ તે આતમાં પરમાતમ પદવી પામઈ. સકલ કમનો નાશ હુંતઇ પરમ સિદ્ધપણું પામઈ....૨ શબ્દાર્થ:ૐ અર્હત્ .. ... ડું નમો અરિહંતાળું પદ ... પગે. પીઠ ... ... સ્થાપના. નાસા .... નાકનાં બંને નસકેરાંના સ્થાને. ગણુ ઉવજઝાય .... .... આચાર્ય અને ઉપાધ્યાયના પદે. Page #306 -------------------------------------------------------------------------- ________________ [ 227] ઢાળ 1/2 સાહ - સાધુદેઈ નયન ... .. . બંને ચક્ષુ સ્થાને. ચપદ . . ચારેય પદે. સિદ્ધચક્રની માંડણી ... સિદ્ધચકના નવપદની સ્થાપના અથવા તેનો ન્યાસ. કર્મયંક . . . સકલ કમ મળ. ભાવાર્થ ધ્યાનને બીજો પ્રકાર એવો છે કે થાતાએ ઋારપૂર્વક અરિહંતપદને પગના ઉપરના ભાગમાં સ્થાપિત કરવું. સિદ્ધપદને ભાલસ્થલમાં સ્થિર કરવું; ગણિ એટલે આચાર્યપદને નાસિકામાં સ્થાપિત કરવું, અને ઉપાધ્યાયપદ તથા સાધુપદને બંને આંખમાં સ્થાપિત કરવાં. કંઠકમત, હદયકમલ, ઉદરકમલ અને નાભિકમલમાં ક્રમશઃ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર પદેને સ્થાપિત કરવાં. આ પ્રકારે સિદ્ધચક્રનાં પદોની માંડણ કરીને હૃદયથી આત્મભાવનું ધ્યાન કરવામાં આવે તે કર્મરૂપ કાદવ દૂર થતાં થતાં છેવટે પરમાત્મ પદવીને મેળવી શકાય છે....૨ વિવરણ: ચરણનો સ્વભાવ માર્ગ શોધવાનો છે તે માટે ધ્યાની પુરુષ છે નમો અરિહંતાજું પદ દ્વારા માર્ગો પદેષ્ટા અરિહંત ભગવાનને ચરણમાં સ્થાપીને ધ્યાન કરે. સમગ્ર શરીરમાં કપાળનું સ્થાન ઉંચું છે, ચંદ્ર જેવા આકારવાળું છે અને સિદ્ધ ભગવંત લેકના અગ્ર ભાગમાં ચંદ્રાકાર સિદ્ધશિલામાં વિરાજમાન છે. તેથી >> નમો સિદ્ધાળે પદદ્વારા કપાળમાં સિદ્ધ ભગવંતેનું ધ્યાન કરવું. ઉન્નત નાસિકા એ શરીરની શોભા છે તેમ આચાર્ય ભગવંત લોકમાં ઉનત શેભાવાળા હેવાથી 3 નમો નાચરિયાળું પદ દ્વારા આચાર્ય ભગવતનું નાસિકામાં ધ્યાન કરવું. આંખનું કાર્ય જોવા-જાણવાનું છે અને ઉપાધ્યાય મહારાજ જ્ઞાન આપતા હોવાથી છે નમો ઉવજ્ઞાવાન પદ દ્વારા ઉપાધ્યાય મહારાજનું જમણ આંખમાં અને સાધુ મહારાજ દર્શન શુદ્ધ તપ એટલે ચારિત્રને આદર્શ ઉપસ્થિત કરતા હોવાથી નમો ટોપ સત્રસાદૂ પદ દ્વારા સાધુ મહારાજનું ડાબી આંખમાં ધ્યાન કરવું. સિદ્ધચક્રના નવ પદે પૈકી પાંચ વિષે ઉપર જણાવી દીધું. હવે વન પદને કંઠકમળમાં, જ્ઞાન પદને હૃદયકમળમાં, વારિત્ર પદને ઉદરકમલમાં અને ત૬ પદને નાભિકમળમાં સ્થાપિત કરવાં. Page #307 -------------------------------------------------------------------------- ________________ [228] हा 6/2 આ પ્રકારે સિદ્ધચક્રનાં નવપદની માંડણી દ્વારા અંતરમાં આત્મભાવનું ધ્યાન કરતાં કર્મો વિખેરાઈ જાય અને પરમાત્મ પદ પામી શકાય...૨ ( गुमानीय शवितुं यत्र) अंतर आत्मामा सिद्धचक्रनी मांडणी नमो उवज्झायाणं------ ----नमो सिद्धाणं -----नमो लोएसव्वसाहणं -------नमो आयरियाण ----- नमो दंसणस्स CAT----नमो णाणस्स -H-----नमो चरित्तस्स पाकि--- नमो तवस्स - --- नमो अरिहंताणं Page #308 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 63 ( પરમેષ્ટિ મંત્રની સાધના માટે ગુણ સામગ્રી ) મૂળ - શાન્ત દાન ગુણવંત, સંતના સેવાકારી, વારિત વિષય કષાય, જ્ઞાન દર્શન સુવિચારી; સ્યાદવાદ રસ સંગ, હંસ પરિશમરસ ઝીલઈ, શુભ પરિણામ નિમિત્ત, અશુભ સવિ કર્મનઈ ખીલ તાદશ નર પરમેષ્ટિ પદ, સાઘનના કારણે લહઈ, સાહ રામજી સુત રત્ન, નેમિદાસ ઈણિ પરિ કહઈ... 3 બે– એહને દયાયક કેહો જેઈઈ તે કહઈ છઈ. ઉપશમી, વિનયી, જિત ઈદ્રિય, ગુણ દા (દ) યાદિવાન સંત સજન ભગતી, વાર્યા છે વિષય કષાય જેણે, અમર્યાદી નહી. જ્ઞાન, દર્શનને ભલે વિચારી સ્યાદવાદરુપ ખીરસમુદ્રન વિષે હંસ સમાન વિવેક ગુણે કરી સમતા રસમાં ઝીલઈ શુભ પરિણામઇ વર્તાઈ. એહવા જ નિમિત્ત મેલવઈ. અશુભ કર્મ સવિ આવતાં રોકઈ. ઈત્યાદિક ગુણવંત જનઈ તે પરમેષ્ટિ મંત્ર સાધવાને કારણ મેલવઈ. અનઈ એ મંત્રનઈ થાપી. સાહ રામજીનો સુત રત્ન નેમિદાસ તે ઈમ કાંઇ....૩ શબ્દાર્થ - * * વારિત વિષય કષાય .. સ્યાદવાદ રસ સંગ .. હંસ પરિ ..... .... શુભ પરિણામ નિમિ ખીલઈ . . તાદશ ...... ..... લહઈ .... .... - - ઈણિ પરિ વિષય કષા જેમણે વાર્યા છે તેવા. સ્યાદવાદરૂપ ક્ષીર સમુદ્રમાં. હંસ સમાન. શુભ પરિણામના જ નિમિત્ત મેળવીને. કે. તેવો. મેળવે. આ પ્રકારે. - - Page #309 -------------------------------------------------------------------------- ________________ [23] ઢાળ 6/3 ભાવાર્થ - (1) શાંત, (2) દાંત-દમી, (3) ગુણવંત, (4) સંતસેવી, (5) નિવિષયી, (6) કષાય વિનાને, (7) સમ્યગુ જ્ઞાની અને સમ્યમ્ દર્શની, (8) સ્યાદવાદ સિદ્ધાંતમાં રમણ કરનારે, હંસ પેઠે શમરસ ગ્રહણ કરનાર, (9) શુભકર્મ પરિણામી અને (10) અશુભ કર્મ વા૨ક. આવા ગુણવાળે ધ્યાતા પરમેષ્ઠી પદ પામવાનાં સાધને મેળવી શકે એમ શાહ રામજીના પુત્ર શ્રી નેમિદાસ કહે છે.....૩ * ગુણવાળે ધ્યાતા ધ્યાન કરવાવાળા જીનાં ઉપર જે લક્ષણો બતાવવામાં આવ્યા છે તે સંપૂર્ણ લક્ષણે જે જીવમાં હોય તો પછી ધ્યાન કરવાની જરૂરિયાત જ રહેતી નથી. ત્યારે આ લક્ષણો શા માટે બતાવ્યો છે ? આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે કે બીજમાં શક્તિ છે તે કરતાં અંકુરો ફૂટ્યા હોય તે અધિક ગણાય છે. બીજમાં રહેલી વૃક્ષ થવાની શક્તિની શરૂઆત અંકુરો કુટ્યાથી થયેલી ગણાય છે. આ ઠેકાણે પૂર્ણ ગુણો ઝાડ સમાન છે. તેટલા સંપૂર્ણ નહિ, પણ અંકુર જેટલા જ્ઞાનાદિ ગુણે તો બહાર આવવા જોઈએ જ. આટલી યોગ્યતા આવ્યા પછી અનુકૂળ હવા, પાણી, તાપ, રક્ષણ, ઇત્યાદિની સહાયથી અંકુરે વૃક્ષનું રૂપ ધારણ કરે છે. તેવી જ રીતે અંકુર જેટલા પણ જ્ઞાનવૈરાગ્યાદિ ગુણો માં પ્રગટ થયા હોય તો પછી થાનાદિની મદદથી તે ગુણે અનુક્રમે સંપૂર્ણ સ્વરૂપમાં પ્રગટી શકે છે. અર્થાત્ પ્રથમ ચોગ્યતાના ગુણ આવ્યા પછી આત્મગુણો ધણી સહેલાઈથી પ્રગટ થાય છે. થાતા કયા ગુણસ્થાનકે હોય તો ધર્મધ્યાનને અધિકારી થાય? તે પ્રશ્નનો ઉત્તર ધ્યાનદીપિકામાં નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે - अप्रमत्तप्रमत्ताख्यौ मुख्यतः स्वामिनौ मतौ / चत्वारः स्वामिनः कश्चित् उक्ता धर्मस्य सूरिभिः / / 136 / / છા ગુણસ્થાનકવાળા પ્રમત અને સાતમાં ગુણસ્થાનકવાળા અપ્રમત ધ્યાતાઓ મુખ્યતાએ ધર્મધ્યાનના અધિકારી માનેલા છે. કેઈ આચાર્યોએ ચેથાથી સાતમા સુધીના ગુણસ્થાનકવાળાઓને એ પ્રમાણે ચાર ગુણરથાનકવાળાઓને અધિકારી કહ્યા છે. કારણું કે ચેથાગુણસ્થાનકે સમ્યકત્વ ગુણ પ્રગટ થાય છે. તે જે અંશે આત્મગુણ પ્રગટ થાય છે તે અંશે ત્યાંથી ધર્મધ્યાનની શરૂઆત માનવી જોઈએ. અપેક્ષા દષ્ટિએ બંને માન્યતાઓમાં તથ્ય છે. –ધ્યાનદીપિકા પૃ. 191, પૃ. 200 ધ્યાતાનું વિશેષ લક્ષણ આ પ્રમાણે મળે છે - तत्राऽऽसन्नोभवन्मुक्तिः किंचिदासाद्य कारणम् / विरक्तः कामभोगेभ्यस्त्यक्तसर्वपरिग्रहः // 41 // ( પાદવ પૃ. 233 ઉપર. ) Page #310 -------------------------------------------------------------------------- ________________ [23] ઢાળ 6/3 अभ्येत्य सम्यगाचार्य दीक्षां जैनेश्वरीं श्रितः / तपःसंयमसम्पन्नः प्रमादरहिताऽऽशयः // 42 // सम्यग्निर्णीतजीवादिध्येयवस्तुव्यवस्थितिः / आर्त्तरौद्रपरित्यागाल्लब्धचित्तप्रसत्तिकः // 43 / / मुक्तलोकद्वयाऽपेक्षः सोढाऽवेशपरीषहः / अनुष्ठितक्रियायोगो ध्यानयोगे कृतोद्यमः // 44 // महासत्त्वः परित्यक्तदुर्लेश्याऽशुभभावनः / इतीदृग्लक्षणो ध्याता धर्म्यध्यानस्य सम्मतः // 45 // -તત્ત્વાનુશાસન ( હીંદી) પૃ. 47 1 જે મુક્તિની નજીક આવેલો (આસભવ્ય) હેય, 2 જે કઈપણ નિમિત્તને પામીને કામ-સેવન તથા અન્ય ઈન્દ્રિયોના ભોગોથી વિરક્ત થયેલો હોય, 3 જે સમસ્ત પરિગ્રહને ત્યાગી હેય, 4 જેણે આચાર્ય ભગવંત પાસે ભાવપૂર્વક આવીને જૈનેશ્વરી દીક્ષા ગ્રહણ કરી હોય, 5 જે તપ અને સંયમથી સંપન હેય, 6 જે પ્રમાદ રહિત ચિત્તવાળા હેય, 7 જેણે જીવાદિ ણેય વસ્તુની વવસ્થિતિને સારી રીતે નિર્ણત કરી લીધી હેય. 8 જે આ-રૌદ્ર ધ્યાનના પરિત્યાગથી ચિતની પ્રસન્નતાને પામેલ હેય, 9 જે (પોતાના ધ્યાનમાં વિષયમાં ) આ લોક અને પરલોક બંનેની આશંસાથી રહિત હોય, 10 જે સઘળા પરીષહેને સહન કરનાર હોય, 11 જે ક્રિયાયોગને વિધિપૂર્વક કરી ચૂકેલો હોય, 12 જે ધ્યાનમાં ઉદ્યમશીલ હેય, 13 જે મહાસત્ત્વશાળી હોય અને 14 જે અશુભ લેશ્યાઓ તથા ભાવનાઓથી રહિત હેય; –એવો થાતા ધર્મધ્યાનને માટે સંમત-ગ્ય મનાયો છે. વ્યાખ્યા: અહીં 45 માં શ્લોકના છેલ્લા પાદમાં વપરાયેલ “સમ્રતઃ' શબ્દ પિતાની ખાસ વિશેષતા રાખે છે અને તે એ વાત તરફ સૂચન કરે છે કે આ બધા લક્ષણ ધર્મધ્યાનના સંમાન્ય ધ્યાતાના છે. જેનો આશય પ્રશસ્ત અથવા ઉતમ ધ્યાતા કેવો હોય તે સમજાવવાનો છે. અને તેથી મધ્યમ તથા જઘન્ય કેટિમાં સ્થિત થાતા આ બધા ગુણેથી વિશિષ્ટ જ હેય. ( આ બધા ગુણોની આત્મામાં પૂતિ થયા ( પાદનોંધ પૃ. 232 ઉપર ) Page #311 -------------------------------------------------------------------------- ________________ [232] ઢાળ 63 વિના કોઈ ધ્યાતા થઈ જ ન શકે) એમ ન સમજવું જોઈએ. થાતાના આ લક્ષણમાં જે વિશેષણને પ્રયોગ થયો છે એમાં અધિકાંશ વિશેષ એવાં છે કે જે " પ્રમસંયત " નામના છઠ્ઠા ગુણસ્થાનકથી પૂર્વના બે ગુણસ્થાનકવાળાઓ સાથે સંમત થતા નથી. જેવા કે(૧) જે કામ ભોગેથી વિરક્ત થયેલો હોય (જુઓ-૨) (2) જે સમસ્ત પશ્રિતને ત્યાગી હોય (જુઓ-૩) (3) જેણે આચાર્ય પાસે જેનેશ્વરી દીક્ષા ગ્રહણ કરી હેય જુઓ-૪) અને (4) જે સઘળા પરિષડાને સહન કરનાર હેય (જુઓ-૧૦) –આ અને કેટલાંક વિશેષણો એવા પણ છે કે જે ઘણે ભાગે “અપ્રમત્ત સંયત” નામના સાતમાં ગુણસ્થાનક સાથે સંબંધ રાખે છે. જેવા કે (1) પ્રમાદરહિત ચિત્તવાળા હેવું (જુઓ-૬) (2) આનં-રૌદ્ર ધ્યાનના પરિત્યાગથી ચિત્તની સ્વાભાવિક પ્રસન્નતાને પામેલા દેવું. (જુઓ-૮) આવી રિથતિમાં આ પાંચ લેકમાં દર્શાવેલ સંપૂર્ણ લક્ષણ અપ્રમત્ત સંવત’ ગુણસ્થાનવર્તી મુનિની સાથે ઘટિત થાય છે, કે જેને લેક ૪૭માં ધર્મસ્થાનનો મુખ્ય ઉત્તમ અધિકારી જણાવ્યું છે અને એ માટે પ્રસ્તુત લક્ષણ ઉત્તમ ધ્યાતાના છે એ એના સ્વરૂપ પરથી સ્પષ્ટ જણાય છે. જધન્ય ધ્યાતાનું કાઈ લક્ષણ આપેલ નથી. ધ્યાતાનું સામાન્ય લક્ષણ ગુલેનિયમના દાતા (શ્લેક ૩૮માં ) આપેલ છે આને જ જધન્ય ધાતાના રૂપમાં ગ્રહણ કરી શકાય છે કારણકે એછામાં ઓછું ધ્યાનકાલમાં ઈન્દ્રિય તથા મનનો નિગ્રહ કર્યા વિના કોઈ ધ્યાતા બનતો જ નથી, જે ઉત્તમ કક્ષામાં આવી શકતા નથી અને જધન્યથી શ્રેષ્ઠ છે તેવા જે થાતા હોય છે તે અનેક પ્રકારના હોય છે અને તેથી એનું કોઈ એક લક્ષણ બાંધી શકાતું નથી. ઉત્તમ વાતાના ગુણોની ન્યૂનતાથી એના અનેક ભેદ પિતાની મેળે જ થાય છે. (એટલે કે ઉત્તમ ધ્યાતાના સંપૂર્ણ ગુણ ન હોય તે સઘળા મધ્યમ યાતામાં ગણાય) ધર્મસ્થાનના સ્વામી अप्रमत्तः प्रमत्तश्च सदृष्टिदेशसंयतः / धर्मध्यानस्य चत्वारस्तत्त्वार्थे स्वामिनः स्मृताः // 46 // (સાતમે ગુણસ્થાનકે રહેલ) અપ્રમત્ત, (છડે ગુણસ્થાને વતત) પ્રમત્ત, (પંચમ ગુણસ્થાને વ ) દેશસંયમી અને (ચોથા ગુણસ્થાને વતતા) સમ્યગ્દષ્ટિ-આ રીતે ચાર ગુણસ્થાને પૈકી કોઈપણ ગુણ સ્થાનકમાં વતત જીવ તત્વાર્થમાં (રાજવાર્તિકમાં) ધમકાનના સ્વામી અધિકારી તરીકે માન્ય કરો છે અથવા તત્વાર્થને અર્થ જૈનાગમ એવો કરીએ તે જૈનાગમના અનુસાર માન્ય કરાયો છે.” વ્યાખ્યા:– અહીં ચોથાથી સાતમાં ગુણસ્થાનક સુધીના જીવોને ધમયાનના અધિકારી પ્રતિપાદિત કરવામાં આવેલા છે. પછી ચાહે તે કોઈપણ જાતિ, કુલ, દેશ, વર્ગ અથવા ક્ષેત્રના કેમ ન હોય અને આ ( પાદનોંધ પૃ. 233 ઉપર ) in Education International Page #312 -------------------------------------------------------------------------- ________________ [ 133] ઢાળ 2/3 વિવરણ :- (1) શાંત એટલે ઉપશમ ગુણવાળ, (2) દાંત એટલે ઈન્દ્રિયનું દમન કરનાર, (3) ગુણવંત એટલે સૌજન્ય દાક્ષિણ્ય આદિ ગુણવાળ, (4) સંતસેવી એટલે મહા મા પુરુષની મન, વચન અને કાયાથી સેવા કરનાર, (5) નિર્વિષયી, (6) કષાયોને દૂર કરનારે, (7) સમ્યગૂ જ્ઞાની અને સગ્ય દર્શની એટલે જ્ઞાન તેમ જ દશન ગુણનો ધારણ કરનાર, (8) સ્વાદવાદ સિદ્ધાંતમાં રમણ કરનારે એટલે સ્વાદુવાદ મતરૂપ સમુદ્રમાં હંસની પેઠે સમતારૂપી રસને ઝીલનારે(૯) શુભ કર્મ પરિણા મી એટલે પ્રતિપાદન જૈન સિદ્ધાન્તોની દૃષ્ટિથી છે, જેનો ઉલ્લેખ તત્ત્વાર્થ રાજવાતિક આર્ષ (મહાપુરાણ ) આદિ થામાં પ્રાપ્ત થાય છે. અહીં “તરવાર્થ' પદ દ્વારા તત્ત્વાર્થ રાજવાર્તિકનું ગ્રહ શું છે જેમાં એકમાત્ર રઅપ્રમત્ત ગુણરથાનકવર્તીને જ ધર્મધ્યાનના અધિકારી માનનારાઓની માન્યતાનો નિષેધ કરતાં પૂર્વવર્તી ચાર ગુણસ્થાનકવાળાઓને પણ એના અધિકારી તરીકે દર્શાવાયા છે, કારણ કે ધમકાન સભ્ય દર્શનથી ઉત્પન્ન થનારૂં છે. * અને સમ્યગ દર્શનની ઉત્પત્તિ ચોથે ગુણસ્થાનકે થઈ જાય છે તે પછી આગળના પાંચમા છઠ્ઠા ગુણસ્થાનમાં ધર્મધ્યાનની ઉત્પત્તિ કેમ ન હોઈ શકે ? ઉપરે તે માન્યતા કે- સાતમે ગુરથાનકે જ ધર્મધ્યાન હોય તે તત્વાર્થાધિગમ ભાગ્ય-સમ્મત તાંબરીય સૂત્રપાઠની છે.... એમ હોઈ શકે કે તે માન્યતા મુખ્ય (ઉત્તમ) ધર્મધ્યાનને દષ્ટિમાં રાખતાં હોય, કારણ કે મુખ્ય ધર્મધ્યાન અપ્રમત્તાને જ હોય બીજાઓને તે ઔપચારિક રૂપથી હોઈ શકે. જે પ્રન્થના આગળના કમાંજ ધ્યાનના મુખ્ય અને ઉપચાર એવા બે ભેદ કરતાં પ્રતિપાદન કરવામાં આવેલ છે. તત્વાર્થસૂત્રના દિગબરીય સુત્રપાઠમાં ધર્મધ્યાનના સ્વામીઓને નિર્દેશ કરતું કોઇ સૂત્ર નથી. જયારે બીજા આર્તધ્યાન આદિના સ્વામીના નિર્દેશ કરતું સૂત્ર સ્પષ્ટ મળે છે. આ વાત ખરેખર વિચારણીય છે. હા, “મારૂાગાય-વિષા-સંરથાન-વિશ્વાથ ધર્થમ” આ સૂત્રની (સુત્ર-૩૬ ) સર્વાર્થસિધિ ટીકામાં તરત-વરત-ગ્રમત સંતાનો મત * આ વાક્ય દ્વારા ચોથાથી સાતમાં ગુણસ્થાન પર્વતના જીવોને આ ધર્મધ્યાનના સ્વામી જણાવ્યા છે. આનાથી એક વાત સરસ ફલિત થાય છે અને તે એ કે જે વિદ્વાનાનો એવો ખ્યાલ છે કે દિગંબર સૂત્રપાઠ, સર્વાર્થસિધના કર્તા દ્વારા સંશોધિત-સ્વીકત પાઠ છે તે ઠીક નથી. એમ હોત તો તેઓ (શ્રી પૂજયપાદ સ્વાભાવિક રીતે જ સૂત્રમાં આ ધ્યાનના સ્વામીઓનો ઉલ્લેખ કરી શકતા હતા પરંતુ એમ ન કરીને ટીકામાં જે ઉલ્લેખ કરાયો છે તે એ વાતનું સૂચન કરે છે કે તેમણે મૂલસૂત્રને જેમનું તેમજ રહેવા દીધું છે. * धर्म्यमप्रमत्तस्येति चेन्न पूर्वेषां विनिवृत्तिप्रसंगात.... असंयतसम्यग्दृष्टि-संयता संयत-प्रमत्तसंयतानामपि धर्म्यध्यानमिष्यते सम्यक्त्वप्रभवत्वात् / यदि धर्म्यमप्रमत्तस्यैवे त्युच्यते तर्हि તેવાં નિવૃત્તિ પ્રસન્વેત ! (1-2 ) 4 આજ્ઞાપા- વેપા સંસ્થાન-વિવાર ઘનમસયતક્ષ્ય (તવર્યાધિનને સૂત્ર રૂ 7) ! દિગપુર સૂત્રપાઠમાં આ સૂત્રને નંબર 36 છે. અને તેમાં “મમત્તસંવતથ ' આ પદ નથી. 30 Page #313 -------------------------------------------------------------------------- ________________ [23] ઢાળ 1/3 શુભ પરિણામોમાં વર્તવાનાં નિમિત્ત મેળવવામાં ઉદ્યમશીલ, (10) અશુભ કર્મ વાર એટલે અશુભ કર્મોને આવતાં રોકનારે, - આવા પ્રકારનો ધ્યાતા પરમેષ્ઠી પદ પામવા અગાઉ જે જે સાધનેને આખાય કહ્યો છે, તે દ્વારા કારણે એટલે સાઘને મેળવી શકે - આ રીતે શાહ રામજીના પુત્ર શ્રી નેમિદાસ કવિ જણાવે છે....૩. 30 મે” (વિનયનમસ્કાર ) Page #314 -------------------------------------------------------------------------- ________________ હાળ 7/1 ઢાળ સાતમી ( ઢાળ : ચંદ્રાઉલાની ) (વિદ્યાપ્રવાદને આમ્નાય ) મૂળ - એ પાંચ પરમેષ્ટિના રે, સાધનના આમ્નાય, વિદ્યાપ્રવાદ દશમ પૂર્વમાં રે, ભાખ્યા શ્રી જિનરાય; શ્રી જિનરાયતણા જે ગણધર, વર્ધમાન વિદ્યાના આગર, વિદ્ધમાન ભાડૅ કરી તપિયા, તસ અનુભાવૈ સકલ કર્મ ખપિયા; જે ભવિક જનજી રે, કયાઓ ધરી આનંદ. પ્રમાદ દૂર કરી રે, પામે પરમાનંદ ભવજલનિધિ તરી (રે) રે. આંચલી...૧. ટો :- એ પંચ પરમેષ્ઠી મંત્ર સાધવાને આમ્નાય રહસ્ય તે વિદ્યાપ્રવાદ પૂર્વ દિશામામાં વલી, તે શ્રી જિનરાજના ગણધર વલી પૂર્વધર, વલી વર્ધમાન વિદ્યાના ધણ સૂરિવર. વલી વધતાઈ ભાઈ જે વિવિધ તપના ધારક એ વિદ્યાનઈ પ્રભાવનઈ સકલ કમ તિણુઈ એ કહ્યા. ભવિક જીવનઇ આનંદ સાથઈં પ્રમાદ દુરિ કરી થાઓ. પરમાનંદ પામે. પરમાનંદઈ ભવજલધિ તરે એ આસીસ વચન...૧. શબ્દાર્થ - આમ્નાય ... . રહસ્ય. આગર.... ... (વર્ધમાન વિદ્યાના ) ઘણ; સાધક સૂરિવર. વધમાન ભાવે ..... વધતે ભાવે, ચઢતા ભાલ્લાસે. Page #315 -------------------------------------------------------------------------- ________________ [236J ઢાળ 7/1 અનુભવે ... " પ્રભાવે. બપિયા .... .... સકલ કર્મોને (જેણે ) ક્ષય કર્યો. આંચલી ..... .... આંકણી, ટૂંક, ટેક. ભાવાર્થ :- આ પ્રકારે પાંચ પરમેષ્ઠીઓની સાધનાને આમ્નાય એટલે રહસ્ય વિદ્યાપ્રવાદ નામના દશમા પૂર્વમાં શ્રી જિનેશ્વર ભગવતેએ બતાવેલું છે તે શ્રી નેમિદાસ અહીં જણાવે છે. તે પરમેથી મંત્રની સાધનાથી વર્ધમાન વિદ્યાના સ્વામી શ્રી જિનેશ્વર ભગવંતના ગણધરોસૂરીશ્વર-એ ચઢતા ભાવે વિવિધ પ્રકારનું તપ કરતાં સમગ્ર કર્મો નષ્ટ કર્યા છે, માટે હે ભવ્ય પુરુષે ! પ્રમાદ તજી દઈ આનંદભેર પાંચ પરમેષ્ઠિઓનું ધ્યાન કરે, જેથી સંસારરૂપી સમુદ્ર તરી જઈને પરમ આનંદના સ્થાન એવા મેક્ષને પ્રાપ્ત કરી શકો. 1 ત્ર કાવ્ય કૃતિઓમાં ધ્રુપદ કે ધ્રુવપદ તરીકે ઓળખાવાતી પતિ જોવા મળે છે. એના પ્રયો તરીકે આંકણી, આંચલી, ટૂંક અને ટેક શબ્દોનો ઉપયોગ કરાય છે, એમ સામાન્ય રીતે કહી શકાય; કેમકે મમય કડીને બદલે પ્રારંભિક કે અંતિમ અંશ ફરી ફરીને પ્રત્યેક કડીના અંતમાં બોલવાની પ્રથા છે. ( જુઓ ફાર્બસ ગુ. ટૈમાસિક પુ. 36 અં. 1 પૃ. 8 ) Page #316 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 7/2 (પ્રાણાયામાદિ રૂઢિ માત્ર, શુભ સંક૯૫માં મનેયોગ) મૂળ - પ્રાણાયામાદિક કહા રે, રૂઢિમાત્ર તે જો (જા) ણિક શુભ સંક૯પઈ થાપાઈ રે, મનડું પાવન ઠાણિ; હાણિ હોઈ તવ અશુભહ કેરી, નાસે બાહ્ય અભિંતર વૈરી, જિત કાશિ જગમાંહિ ભેરી, વાજે કીર્તિ દિશે (સે) દિસિ સેરીજી. આંચલી.. 2. બે - પ્રાણાયામાદિન સકલ પવનના ભેદ તે રૂઢિ માત્ર. તે બાઈ (ય) અભ્યાસ માત્ર. એણિ શુભ સંક૯૫ઈ મન થાપીઈ તિવારઈ મન પવિત્રપણું પામ તે તે ધ્યાન વિના ન થાઈ. સકલ ધ્યાનમાં પરમેષ્ઠિ પદ ધ્યાન તે પુષ્ટ આલંબન છઇં. તે પાષાઈ અશુભ કર્મની હોણિ ન થાઈ. બાહ્ય આત્યંતર વેરી મહાદિક તેહને નાશ થાઈ. અંતરંગ વૈરી નાસઇ. જીતકાશ (શી) છે જિમ સંગ્રામઈ થાઈ તિમ નાશ તિવારઇ દિદિસઈ જય. વાદની કીર્તિભંભા વાજઈ. શબ્દાર્થ - પ્રાણાયામાદિક ... પ્રાણાયામના સાત ભેદે તથા સ્વરદયના અનેક ભેદ વગેરે જે કહ્યા તે. રૂઢિમાત્ર પ્રાયઃ અભ્યાસમાત્ર, કેવળ અભ્યાસમાં મૂકવાની રૂઢિ પૂરતું જ. જણી (જાણી) .... જાણે. પાવન ઠાણિ . . પવિત્ર સ્થાને. (મન) પવિત્ર પણું પામે તેવા પુષ્ટ આલંબને. (તે સિવાય અશુભ કર્મની હાનિ થાય નહીં ) બાહ્ય અભિંતર વૈરી.. મોહાદિ બાહ્ય અને આત્યંતર રિપુએ. જિત કાશી ભેરી .... સંગ્રામમાં જીત થાય ત્યારે જે ભેરી ઢોલ વગેરે વગાડવામાં આવે છે તે. વાજે કીર્તિ . કીર્તિ ભંભા વગાડવામાં આવે છે તે. દિશે દિસિ સેરી ... દશેય દિશાઓમાં અને શેરીઓમાં. Page #317 -------------------------------------------------------------------------- ________________ [38] ઢાળ ૭ર ભાવાર્થ - પ્રાણાયામ સ્વરોદય વગેરે પવનના જે સમગ્ર ભેદો કહ્યા છે તે તે રૂઢિ પરંપરાગત લોકમાં પ્રસિધ્ધ છે, તેથી કહેલાં છે. પણ મનને શુભ સંકલ્પમાં સ્થાપન કરવામાં આવે તો તે પવિત્ર એવા સ્થાનને પ્રાપ્ત કરે. એથી અશુભ કર્મો દૂર થાય અને બાહ્ય તેમ જ આંતર શત્રુઓ નાશ પામી જાય. આવી સ્થિતિ પ્રાપ્ત થતાં મનુષ્ય જિતકાશી એટલે જગતમાં વિજયી બને છે. અને દશે દિશાઓમાં અને શેરીએ શેરીએ તેની કીર્તિનું વાજિંત્ર વાગ્યા કરે છે..૨. વિવરણ: ધ્યાન માટે યુગના પ્રાણાયામ, સ્વરોદય વગેરે પવનને ભેદનું અહીં આગળની ઢાળોમાં જે વર્ણન કરવામાં આવ્યું છે તે તે લોક પ્રસિદ્ધ રસમને અનુસારે જણાવ્યું છે. પરંતુ જે પવિત્ર પદ એટલે મુક્તિ મેળવવી હોય તે મનને શુભ સંકઃ૫માં જોડવું પરમ આવશ્યક છે. શુભ સંકલ્પ ધ્યાન વિના સાધી શકાતું નથી. અને સમગ્ર ધ્યાનમાં પરમેષ્ઠીઓનું ધ્યાન પુષ્ટ આલંબનરૂપ છે. તેથી એવા ધ્યાનપૂર્વક મનને શુભ સંકલ્પમાં જોડવાથી પવિત્ર પદ પ્રાપ્ત કરી શકાય છે. કર્તાએ પ્રથમ ઢાળની ત્રીજી કડીમાં વર્ણવ્યું છે કે - પ્રગટ્યો શુભ સંકલ્પ પ્રધાન, આપ્યું પ્રથમ શુદ્ધાતમ ધ્યાન. " એટલે શુભસંકલ્પરૂપ બીજને રાસને અંતે પણ શ્રી નેમિદાસ યાદ દેવડાવે છે. તે બીજમાંથી એટલે શુદ્ધ આત્માના ધ્યાન દ્વારા શુભ સંકલ્પની જે રીત જણાવી છે, તે દ્વારા અશુભ કર્મો નાશ પામે છે અને બહારના શત્રુઓ તેમ જ આંતરશત્રુઓ નાશ પામે ત્યારે સાધક વિજયી–જિતભય બની જાય છે. આવા વિજયી માનવીની આખા જગતમાં કીર્તિ ગવાય છે....૨. વિવરણુ જીવ, રાગ અને દ્વેષ એ બને તરફથી જે મધ્યસ્થ રહે છે તે પાપ, પુણ્યથી મુક્ત રહે છે. ધ્યાનને આ મુખ્ય મુદ્દો છે. - નિર્મળ ચિત્તવાળા તથા વૈરાગ્ય અને અભ્યાસના રસીલા ના આલંબનો અનેક પ્રકારના સંભવે, કારણ કે એ આલંબને છેવટે એને માધ્યભ્ય તરફ લેતા જાય છે... ધ્યાનને પરમ હેતુ માધ્યશ્ય છે ( ઉપમિતિ-ભવ-પ્રપંચ કથા ) પૃ. 2051-2054 Page #318 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 7/3 ( અજ્ઞાનનો નાશ થતાં તાત્ત્વિક જ્ઞાનનો પ્રકાશ ) મૂળ - સિદ્ધરાસાદિક સ્પર્શથી રે, લેહ હાઈ જિમ હમ, આતમ ધ્યાનથી આતમા રે, પરમાનંદ લહઈ તેમ; જિમ સૂતે નર ઊઠી જાગે, જાણઈ સકલ વસ્તુ વિભાગે, તિમ અજ્ઞાન નિદ્રાન નાશઈ, તત્વજ્ઞાનને હેઈ પ્રકાસજી. આંચલી...૩. બે - જિમ સિદ્ધરસ કુંપીને (રસના ) ફરસથી લેહથી ડેમ થાયે વલી વિસે લેહથી હેમ થાયે તિમ કહ્યું તિમ પરમાત્મ ધ્યાનથી આત્મા તે પરમાનંદ પણ લહે કહેતાં પામે. જિમ સૂતે નર જાગે તિવારે પાછિલા સર્વ ભાવ સંભારે. કૃતકાર્ય પ્રારબ્ધ કાર્યના વિભાગ જાણે તિમ અજ્ઞાન નિદ્રાને છે તે ના તિવારે તત્ત્વજ્ઞાનનો પ્રકાશ થાયૅ....૩. શબ્દાર્થ - સિદ્ધરસ ... સિદ્ધરસની પી. જેના સ્પર્શથી લેહ હેમ થાય. લેખંડ સેનું થાય. સ્પર્શથી ... ફરસથી, સંગથી. ભાવાર્થ - સિદ્ધરસ વગેરેને સ્પર્શ થતાં જેમ લટું સુવર્ણ બની જાય છે, તેમ પરમાત્માના ધ્યાનથી આત્મા પરમ આનંદને પ્રાપ્ત કરે છે. જેમ સૂઈ ગયા પછી માનવી જ્યારે ઉઠે છે ત્યારે બધી વસ્તુઓનું વિભાગવાર જ્ઞાન થાય છે તેમ અજ્ઞાનરૂપ નિદ્રા નાશ પામી જતાં તાવિક જ્ઞાનનો પ્રકાશ લાધે છે. 3 Page #319 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 7/4 ( સ્વભાવ રમણતા ) મૂળ -- જન્માંતર સંસ્કારથી રે, અથવા સહજ સંભાવ, અથવા સુગુરુ પ્રસાદથી રે, પામેં તત્વ જમાવ; પાવકથી જિમ કંચન સૂદ્ધ તત્વ જ્ઞાનથી આતમ બુદ્ધ, આપે સંવેદી અન્ય પ્રદી, જાણે સર્વ વિભાવ વિનોદીજી. આંચલી.... ટબે— એહવું તત્વજ્ઞાન પૂર્વજન્મના સંસ્કારથી આવેં. અથવા સહજથી વિગર પ્રયત્ન આવે. તથા ગુરુની કૃપાથી તત્ત્વને જમાવ ઘન પામેં તિવારે જિમ અગ્નિથી કંચન નિમલ થાયે તિમ તત્વજ્ઞાનથી આત્મા પ્રભેદ પામે. આપ પોતે સમ્યગ જ્ઞાનનો જાણ થાયે અવરને પ્રમોદ ઉપજાવે. સર્વ વિભાવને ભા(રા) થાયે સ્વભાવપણે પ્રવર્તે છે. શબ્દાર્થ - જન્માંતર ... પૂર્વ જન્મના. સહજ ભાવ .. સાહજિક સ્વભાવથી, વગર પ્રયને. જમાવ ... ... ઘન, ઘેરું, ઊંડું (તત્વજ્ઞાન ) આપે સંવેદી . પિતે (પિતાની મેળે) તવજ્ઞાનને જાણકાર થાય. –આપ પોતે સમ્યગુ જ્ઞાનને જાણકાર થાય. અન્ય પ્રમોદી ... અવરને (બીજાને) પ્રમોદ ઉપજાવે (એ થાય.) વિભાવ વિનેદી... વિભાવને સહેલાઈથી જાણકાર થાય. ભાવાર્થ - ઉપર્યુક્ત શુભ સંક૯પદ્વારા તવ વિષે તાત્પર્ય જ્ઞાન ત્રણ પ્રકારે પામી શકાય તે આ રીતે - 1. જન્માંતરના સંસ્કારથી, અથવા 2. પિતાના સાહજિક સ્વભાવથી, અથવા 3. સદગુરુની કૃપાથી. Page #320 -------------------------------------------------------------------------- ________________ [241 ] ઢાળ 7/4 અગ્નિના છેલ્લા તાપને પામેલા સુવર્ણના સ્વરૂપની માફક તત્ત્વજ્ઞાન-તાત્પર્ય જ્ઞાન વડે આત્માનું સ્વરૂપ વિશુદ્ધ અને પરિપષ્ટ જણાય છે. આરાધક સભ્યજ્ઞાની હેય તે બીજાને પ્રમોદ ઉપજાવી શકે, તેમ જ વિભાવને સમજી શકે અને પરિણામે સ્વભાવ-રમણતા અનુભવે. 4 વિવરણ - વિપરીત તત્વાર્થ પ્રતીતિ– આત્મપ્રતીતિ એ જ મિથ્યા છે. જીવ અનાદિ સંસારદશામાં જગતના સઘળા બનાવે, ભાવ અને પ્રવૃત્તિઓને નિર્ણય કર્યા કરતે છતે પણ માત્ર પોતાના વારતવિક સ્વરૂપ સંબંધી અનિર્ણય અર્થાત વિપરીત શ્રદ્ધાન વડે જ દુઃખી થઈ રહ્યો છે અને એ જ અનંત સંસારદશાનું બીજ છે. જે મનુષ્ય જડ-ચેતનના વાસ્તવિક સ્વરૂપને સમજવે છે, તે આત્મશ્રદ્ધાના અપૂર્વ બળવડે પોતાની આત્મપરિકૃતિ અને બાહ્ય શરીરાદિ યુગને અવંચકભાવે પરિણમાવી શકે છે. એટલે કે મનને વિશુદ્ધપણે પ્રવર્તાવી શકે છે. સમકિતી જીવ રાગ-દ્વેષથી પર વસ્તુમાં–પૌગલિક વસ્તુમાં રાચ-માચતે નથી, અંતરથી ન્યારે વર્તે છે. જેમ જળમાં ઉત્પન્ન થયેલ કમળ જળથી નિર્લેપ રહે છે, તેમ ભવ્યજીવ સમકિતની પ્રાપ્તિ થતાં સંસારમાં પરવસ્તુના સંબંધથી જ્યારે વર્તે છે, સંસા૨માં રહ્યા છતાં તે સર્વ સાંસારિક પદાર્થો પરથી મમતા ત્યાગે છે, તે પરવતુમાં થતી ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિને ત્યાગ કરે છે એટલે પુદ્ગલાનંદી કહેવાતું નથી, પણ ચતુર્થ ગુણરથાનકવાળે સમકિતી જીવ જ અંતરાત્મા કહેવાય છે. સમ્યગદષ્ટિને સર્વ પ્રકારના ભેગોમાં પ્રત્યક્ષ રેગોની માફક અરુચિ થાય છે, કારણ કે-જે સમયે સમ્યગુદષ્ટિની ચેતના, સમ્યકત્વ હેવાને લીધે શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય છે, તે સમયે તેની વિષમાં અરુચિ હેવી સ્વાભાવિક છે. સમ્યગદષ્ટિ હેયને હેય સમજે છે, પરંતુ હેય પદાર્થના ત્યાગમાં કેવળ સમ્યકૃત્વ જ કારણ નથી, કિન્તુ સમ્યકત્વના સભાવની સાથે ચારિત્રમેહનીય આદિને ક્ષયેશમાં પણ કારણ છે. અર્થાત્ - સમ્યકત્વના અભાવમાં વિષયે પ્રત્યે અરુચિ થાય છે, પણ વિષયને ત્યાગ તે સમ્યકત્વ સાથે ચારિત્રહને ક્ષયે પશમ હોય છે અને ત્યારે જ થાય છે. અવિરત સમ્યગદષ્ટિ પાપસેવનને અનિષ્ટ માનવા છતાં અને બીજાને તેના ત્યાગને ઉપદેશ આપવા છતાં, પિતે પરિત્યાગ કરી શકતા નથી તેનું કારણ ચારિત્રાવરણીય કર્મનો ઉદય છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ [242] ઢાળ 7/4 ગુણ, દેષ અને તેનાં કારણેને સમ્યગૂ વિવેકથી આત્મામાં તથારૂપ દશાપૂર્વક નિશ્ચય વર્તવો એ જ સમ્યગદર્શન સહિત સમ્યગૃજ્ઞાન છે તથા દેષના કારણેને છોડી ગુણના કારણેને હેયે પાદેયના વિવેકપૂર્વક પરમ આદરભાવે ચણ કરવા એ જ સમ્યફ. ચારિત્ર છે. એ ત્રણેયની ઐકયતારૂપ આત્મદશા વર્તવી તે મોક્ષમાર્ગ છે. સમ્યગદર્શનના સભાવથી જ ગૃહસ્થધને અથવા મુનિધર્મને ધર્મ કહેવાય છે. એ વિના બંને પ્રકારના ધર્મને વસ્તુતઃ ધર્મ કહેવા નથી. જડ તથા ચૈતન્યને ભિન્ન સમજીને જ્યારે આત્માની સન્મુખ વલણ થાય છે, ત્યારે જ જૈનમાર્ગમાં પ્રવેશ કરી શકાય છે અને તેમાં આગળ વધ્યા પછી જ શ્રાવક અને શ્રમણ આદિની ભૂમિકાઓ - અધિકારે શરૂ થાય છે. આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે, કેમકે - તે વિના પરમાર્થ આવિર્ભીત થ કઠણ છે અને તે કારણે વ્યવહાર - દ્રવ્ય સંયમરૂપ સાધુ શ્રી જિને ઉપદેશ્ય છે. સમ્યફવગુણ હોય તે જ પરમાર્થથી મનની શુદ્ધિ કહેવાય છે-થાય છે. જયારે સમ્યક્ત્વ વિના મનની શુદ્ધિ મોહગર્ભિત હેઈ ઉલટી બંધન કરનારી થાય છે. સમકિતથી સગુણની પ્રાપ્તિ થાય છે અને સદગુણની પ્રાપ્તિથી સમદષ્ટિપણું પ્રાપ્ત થાય છે. કીકી વગરનું નેત્ર અને સુગંધ વગરનું પુષ્પ જેમ નકામું છે, તેમ સમ્યકત્વ વગરની ધર્મક્રિયા નકામી માની છે. દાનાદિ ક્રિયાઓ કરવાથી મોક્ષફળ મળે છે, પણ તેમાં સમ્યફ જ સહાયક છે. સમ્યજ્ઞાન કહે કે આત્મજ્ઞાન કહે, તે આત્માનું ખરૂં હિત સાધી શકે છે. જયારે એવી સાચી કરણ આત્મા સાથે એક રસ થાય છે, ત્યારે તે જલ્દી જીવને જન્મ-મરણના દુઃખથી મુક્ત કરાવી શકે છે. જેમ જળમાં જળને રસ સાથે જ મળી રહે છે, તેમ જ્ઞાનમાં સાચી કરણી પણ સાથે જ મળી રહે છે. પૂ૦ ઉ૦ મ૦ કહે છે કે - “ક્રિયા બિના જ્ઞાન નાહિં કબહુ, જ્ઞાન ક્રિયા બિનુ નાહિ; ક્રિયા જ્ઞાન દોઉ મિલત રહેતુ હૈ જ્યાં જલરસ જલમાંહી.” - મોક્ષાભિમુખ આત્માએ પોતાના જ્ઞાનને ઉગ સમભાવની પુષ્ટિમાં કરે છે પણ સાંસારિક વાસનાની પુષ્ટિમાં કરતા નથી, જેથી તેમનું જ્ઞાન અપ હેય તે પણ સમ્યક દર્શન પૂર્વકનું હોવાથી સત્ય જ્ઞાન છે. તેથી ઉલટું સંસારાભિમુખ આત્માનું જ્ઞાન ગમે, Page #322 -------------------------------------------------------------------------- ________________ [23] હાળ 74 તેટલું વિશાળ અને સ્પષ્ટ હોવા છતાં સાંસારિક વાસનાનું પિષણ કરનાર હોવાથી મિથ્યાજ્ઞાન - અજ્ઞાન કહેવાય છે. ચૌદ પૂર્વનું જ્ઞાન, મુનિ પણું, હજારે જાતિના સદાચરણ, તપશ્ચર્યા આદિ જે જે સાધન - જે જે મહેનતે - જે જે પુરુષાર્થ કહ્યા છે, તે એક આત્માને ઓળખવા માટે - શોધી કાઢવા માટે-આત્માને અર્થે થાય તે સફળ છે, નહિ તે નિષ્ફળ છે. જો કે તેથી બાહ્ય ફળ થાય, પણ ચાર ગતિને છેદ થાય નહિ. સમ્યગૃષ્ટિ અથવા તથા પ્રકારની દષ્ટિભેદને ત્યાગી જે અન્ય દર્શનીયના વેદાંતાદિ કંઈપણ ગ્રંથને વાંચે તે સમ્યરૂપે પરિણમે છે, કારણ કે - તે પુરુષ તે તે ગ્રંથમાંથી હેય, ય ને ઉપાદેવના વિભાગ સ્વરૂપને સમજે છે અને તેથી અન્ય શ્રી જિનેશ્વરના અથવા ગમે તેના ગ્રંથ કુદષ્ટિથી વાંચે તે મિથ્થારૂપે પરિણમે છે. - દાવિલ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન તથા ગમે તે વચન પ્રાયઃ અહિતનું કારણ થતું નથી. આત્મશ્રદ્ધાને સ્થિર રાખનાર દ્રવ્યાનુયોગ અર્થાત્ તત્ત્વજ્ઞાન - તત્ત્વબોધ જ છે. અનેક ઉપયેગી વિષે ચર્ચવા ઉપરાંત શ્રદ્ધાને સ્થિર રાખનાર દ્રવ્યાનુગ ઉપયોગી છે. દ્રવ્યાનુયોગમાં બાહ્ય વસ્તુ અને આત્મિક વસ્તુઓને અરસપરસ સંબંધ, એકબીજા ઉપર થતી તેની અસર અને તેનું વાસ્તવિક સ્વરૂપ બતાવવામાં આવેલું હોય છે. આત્મશ્રદ્ધા સુદઢ થવાનો સહેલો અને સર્વોત્તમ ઉપાય આત્મજ્ઞાની - સદગુરુ-મુખે સમ્યગજ્ઞાનના ભંડાર સમા શ્રી જિનાગનું શ્રવણ કરવું એ જ છે. આ જ કારણે પ્રસ્તુત રાસની પહેલી ઢાળની પહેલી કડીના વિવરણમાં બુદ્ધિના આઠ ગુણો પૈકી શુશ્રષાગુણપર વધુ વજન આપવામાં આવ્યું છે. શ્રદ્ધાની સાથે જે શુશ્રષાદિ બુદ્ધિના ગુણો ભળે તો જ શ્રદ્ધાની સ્થિરતા અને દઢતા રહે છે, પરંતુ એકલી બુદ્ધિ કાર્યકર નિવડતી નથી. અને તેથી શ્રદ્ધાની મુખ્યતા અને બુદ્ધિની ગૌણતા સમજવી. જ્યાં સુધી ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માનવામાં ન આવે, ત્યાં સુધી સમકિતની પ્રાપ્તિ થતી નથી. પ્રભુ અત્યારે વિદ્યમાન નથી, પરંતુ તેમના ભાખેલાં સૂત્ર મોજુદ છે. તે સૂત્રમાં પ્રભુએ કહ્યું છે, તે મુજબ જે આપણે માનીએ - શ્રદ્ધિએ તે જ પ્રભુની આજ્ઞા માની કહેવાય અને તે જ સમકિત પ્રાપ્તિને એગ્ય બની શકાય. , ( પારમાર્થિક લેખ સંગ્રહ, પૃ 285.) . . . . - WWW.jainelibrary.org Page #323 -------------------------------------------------------------------------- ________________ ઢાળ ૭પ ( ક્ષેત્ર, બીજ, જલ, પુષ્પ, ફલની વિચારણા. ) સૂલી - બહિરાતમ ખાત્ર પાત્ર છ રે, અંતર આતમ બીજ, થાપી શુભ સંકલ્પથી રે, સેચન નર લહજે; દીજઈ પુણ્ય પ્રકૃતિ પુષ્કાદિક પ્રશસ્તપણ જે થાઈ રાગાદિક, પરમાતમ અનુભવ ફલ પામી. ઐક ભાવથી તેહ અકામીજી... આંચલી...પ. ટો - ઈન્દ્રિયાર્થીનું ફલ આતમા તે ખાત્રરૂપ ખેત્ર છે. તેમાં હિં અંતરાત્મા શુદ્ધ ભવ્ય જીવ દ્રવ્ય તે બીજ. તે વાવીને, શુભ સંક૯પરૂપ ની સીંચીને, તિહાં દાનાદિક દેતા પુન્ય પ્રકૃતિ તે પુપાદિક તેહ જ પ્રશસ્ત રાગાદિક તે સર્વ કરણ સાધનના તે જાણવા. પરમાતમ અનુભવ ફલ તેહ જ એજ્યભાવ અકામીપણું તે પરમાનંદ....પ. શબ્દાર્થ - અહિરાતમ.... ... ... ... ઇંદ્રિયાથ. ખાત્ર પાત્ર ખાતરનું પાત્ર અથવા ક્ષેત્ર. અંતર આતમા.... ... .. - શુદ્ધ-ભવ્ય જીવ દ્રવ્ય. સેચન નીર... .... ( શુભ સંક૯પરૂપ ) પાણી સીંચીને. પુફાદિક.... .... ... ... ફળ, ફૂલ વગેરે. પરમાતમ અનુભવ ફલ ... એકથભાવ. અકામી ... .. ... .... પરમાનંદ, સિદ્ધ સ્વરૂપ. ભાવાર્થ - બહિરાત્મા ( ઇઢિયાર્થી ) તે ખાત્ર પાત્ર એટલે ખેતર છે. તેમાં અંતર આત્મા એટલે ભવ્ય જીવને શુદ્ધ આત્મા તે બીજ સ્વરૂપ છે. તેને શુભ સંકલ્પરૂપ જલથી સિંચન કરતા પુણ્યપ્રકૃતિરૂપ પુખની પ્રાપ્તિ થાય છે. પુણ્યપ્રકૃતિ એ સકલકરણ અથવા સાધના પ્રત્યે પ્રશસ્ત રાગ છે. પરમાત્માના અનુભવરૂપ ફળ તે જ એકયભાવ અને તે સધાય તે તે અકામીપણું એટલે પરમાનંદરૂપ સિદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરે છે...૫. Page #324 -------------------------------------------------------------------------- ________________ [25] ઢાળ 7/5 વિવરણ: અહીં કર્તાએ ખેતર, બીજ અને પુષ્પની ઉપમા દ્વારા પિતાના કાવ્યમય અને અધ્યાત્મ - રસિક અભ્યાસની ઝાંખી કરાવી છે. સારાંશ કે અભ્યાસ ચાર પ્રકારનો છે - સૂત્રાભ્યાસ, અર્થોભ્યાસ, વસ્તુ-અભ્યાસ અને અનુભવ-અભ્યાસ. આ ચારમાંથી અનુભવઅભ્યાસ એ વસ્તુપરિચ્છેદક જ્ઞાનવાળ હોય છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 7/6 ( નિશ્ચય વ્યવહારના સંકલ્પપૂર્વકનો ગુણ ) મૂળ - અભ્યાર્સે કરી સાધીઈ રે, લહી અનેક શુભ યોગ, આતમવીર્યની મુખ્યતા રે, જ્ઞાનાદિક સુવિવેક; છેક કહે વ્યવહાર વિચારી, અસુ(શુ)ભ ત્યાગથી શુદ્ધ આચારી, ગુણઠાણ અનુગત ગુણ ભારી, જાણઈ અવિવેકી ભિખારી જી. આંચલી...૬. બે - અભ્યાસે કરી સાધીયે તે પ્રતેં અનેક શુભયોગ પામીને આત્મવીર્યની મુખ્યતાયે કરી જ્ઞાનાદિકની સુવિકતા કરીને છેક - ડાહા તે વ્યવહાર વિચારીને સકલ કાર્યની થિરતા રાખે. અશુદ્ધ આચારને ત્યાગ કરેં, શુદ્ધ આચારને આદર કરે. ગુણઠાણને અનુગત તત્સદશ આચાર-વ્યવહાર . એવી વાત અવી(વિ) વેકી ભિખારી તે શું સમઝે ?....6. શબ્દાર્થ - डाहा વ્યવહાર વિચારી ... કેવળ નિશ્ચયનો વિચાર ન કરે પણ તે સાથે વ્યવહાર વિચારે. ગુણઠાણ અનુગત ... ગુણસ્થાનક્રમ અનુસાર, આચાર ... ... . વ્યવહાર. ભાવાર્થ - અનેક પ્રકારની યોગપ્રક્રિયાઓ પ્રાપ્ત કરીને અભ્યાસ દ્વારા આત્મ સાધના કરવી જોઈએ. સાધક જ્ઞાની પુરુષો મુખ્ય એવા આત્મવીર્યથી ( સતત પુરુષાર્થ અને અભ્યાસથી ) અગર વિરતિ પૂર્વક વિવેકજ્ઞાનથી વિચારીને સમગ્ર વ્યવહારને સિદ્ધ કરે છે. તે શુદ્ધ આચારોથી અશુદ્ધ વ્યવહારનો ત્યાગ કરે છે. તેથી એવા પુરુષને આચાર - વ્યવહાર ગુણસ્થાનક અનુસાર ગુણવાળો હોય છે, પણ આ હકીકત બિચારા અવિવેકી હોય તે કેમ જાણી શકે ?.6. * ગુણસ્થાનક્રમની ભૂમિકા માટે જુઓ ઢાળ-૧, કડી-ર ની પાદનોંધ. Page #326 -------------------------------------------------------------------------- ________________ ( 247] ઢાળ 76 વિવરણ: અહીં શ્રી નેમિદાસ વ્યાપક દષ્ટિએ ગુણનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે, અગાઉની ઢાળમાં અનેક પેગો કહેલા છે તે પૈકીના કેઈ યોગનો અભ્યાસ કરીને જ્ઞાની થયેલ માનવી પોતાના વ્યવહારને આત્મ ચિતન્યથી, પિતાના આત્મ ૌરુષથી અને હા, રેય તેમજ ઉપાદેયના વિવેક જ્ઞાનથી સ્થિર કરી શકે છે આ કેમકે, તેનું મન શુદ્ધ આચારોમાં રમતું હોય છે તેથી તે અશુદ્ધ વ્યવહારને ઉપયોગમાં લાવતું નથી. આવા જ્ઞાની પુરુષના ગુણસ્થાનકના ક્રમ અનુસાર આચાર યોગ્ય ગણાય છે. પણ જે માણસને સાર, અસાર જાણવાને વિવેક નથી. તેમ જ પરાયા બોધરૂપ અન્ન ઉપર જીવનારે એ ભિખારી છે તે આ ગુણને કેમ સમજી શકે ?....... સરખાવો : उत्साहान्निश्चया?र्यात्संतोषात्तत्वदर्शनात् / मुनेर्जनपदत्यागात्पड्भिोगः प्रसिध्यति // 410 // –ોગબિન્દુ. Page #327 -------------------------------------------------------------------------- ________________ હાળ 7/7 ( આલંબનથી પરિણામની સ્થિરતા) મૂળ: ધર્મધ્યાન અવલંબને રે, હાઈ થિર પરિણામ, આલંબનમાં મુખ્ય કઇં રે, એ પરમેષ્ઠી નામ; ધામ પાપના જે વલી હુતા, તે પિણ ભવને પાર પહંતા, તિર્યંચાદિકને સું કહીશું, અવર ગુણ જનૅ એ લહીઈજી. આંચલી...૭ ટબોલ– ધર્મધ્યાનના અવલંબન કરતે પિણ પરિણામ થિરતા હોયે સંસારમાં અવલંબન અનેક છઈ. તેમાંહિ પરમેષ્ઠી મંત્ર પદનું આલંબન વિશેષ છઈ. એ પરમાતમ ધ્યાન નવપદના પ્રવર્તન થકી જે પાપનાં ઘર ચિલાતીપુત્ર સરિખા તે પણિ સંસારનઈ પાર yહતા. વલી તિર્યંચાદિકનું વલી સ્યું કહેવું. અપર ગુણી જનનઈ ઉપગારી થાઇ તેની સી વાત ?...7. શબ્દાર્થ - પરમેષ્ઠી નામ ... પરમેષ્ઠી મંત્ર પદ. આલંબનમાં મુખ્ય આલંબન વિશેષ. ધામ પાપના . પાપના ઘર-ચિલાતીપુત્ર સરખા. અવર ..... ... ..... .. ... અપર-બીજા. ભાવાર્થ - ધર્મધ્યાનના અવલંબનથી આમ પરિણામોની સ્થિરતા સધાય છે. એ અવલંબનેમાં પંચ પરમેષ્ટી મંત્ર પદનું આલંબન મુખ્ય છે. ચિલાતીપુત્ર જેવા પાપી આત્માઓ * *ઉપશમ, વિવેક અને સંવર' એ ત્રણ પદની યથાર્થ રટનાથી ચિલાતીપુત્ર જેવા અઘોર પાપી જીવનું પણ કલ્યાણ થઈ શકયું તો બીજા સુલભબોધિ જીવનું તો કહેવું જ શું ? -પ્રશમરતિ પ્રકરણપૃ. 135 Page #328 -------------------------------------------------------------------------- ________________ [29] ઢાળ 7/7 પણ એ નવ પદનું આલંબન લઈને ભવને પાર પામી જાય છે, તિર્યએ પણ પશુતાને ત્યાગ કરી દિવ્યતાને પ્રાપ્ત કરે છે, તે બીજા ગુણ જો પરમેષ્ઠિઓનું આલંબન સ્વીકારતાં સંસાર સમુદ્ર તરી જાય એમાં કશી નવાઈ નથી....૭. - પંચપરમેષ્ઠિ મંત્રરાજધ્યાનમાલા –આ નામ સૂવે છે કે માલાના મણકાની સંખ્યા 108 ની હોય તે પ્રમાણે પ્રસ્તુત રાસની સંખ્યા પણ 108 છે. તે આ પ્રમાણે - - કડી 21 1 2 - - | | | | | | 108 + [4 કડીઓ ઉપસંહારની છે.] હસ્તલિખિત પ્રતોમાં ઉપસંહારની કડીઓ તે પ્રમાણે દર્શાવેલી હોતી નથી, પરંતુ ધ્યાનમાલાના નામ અનુસાર તે પ્રમાણે કરવું યોગ્ય લાગવાથી ચાર કડીઓ ઉપસંહારરૂપે અમે દર્શાવી છે અને તેની સંખ્યા 8 (1) 9 (2) વગેરે પ્રકારે પ્રરતુત ગ્રંથમાં દર્શાવવામાં આવી છે. આ ઉપરથી સમજાય છે કે પંચ પરમેષ્ટિ મંત્રરાજના ધ્યાનના વિષય ઉપર શ્રી નેમિદાસે 108 સંખ્યાની કડીઓ રચીને એક માલારૂપે આ કૃતિ કરી છે. . ' ' 32 Page #329 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 7/8 (ઉપસંહાર) મૂળ - મોક્ષ માર્ગનઈ સંમુહો રે, વસ્ત કર્મના મર્મ, ઘમ શર્મની ભૂમિકા રે, ટાલ્યા ભવના ધર્મ; નર્મ થઈનેં સવિ ભવિ પ્રાણું, ઉપદેશ જિમ જિનવર વાણી, સ્યાદ્વાદની એ સહિ ના(વા)ણું, સકલ સુરાસુર જેહ વખાણુજી આંચલી.૮. (1) ટો : મોક્ષમાર્ગનઈ સનમુખ સામો જે પ્રાણું, ટાલવા છઈ કર્મના મર્મ જે તે પ્રાણ ધરમના શર્મક. સુખના ઘરની ભૂમિકા જાણવી. ભવ સંસારના ધર્મ ક. તાપ જેણઈ ટાલ્યાં છઈ. એહવા નમે સુંડાલા થઈનઈ સઘલાઈ પ્રાણ નઈ જિનની વાણીને ઉપદેશ એહ આપે. સ્યાદ્વાદ જે વીતરાગનું શાસન તેહની એહ જ વાંણી છઇ જે પંચ પરમેષ્ઠી પદ ધ્યાનઈ એ આત્મા પરમાત્મા થાઈ. જે સમસ્ત સુરાસુરઇ જે વાણી ઈમ કરી વખાણ સ્તવી છ...૮ (1). શબ્દાર્થ:સંસહે ...... .. ... ... સન્મુખ વસ્ત કર્મના મમ.. .... ટાળી છે કર્મની રહસ્ય ગ્રંથિઓ જેણે ધમ શર્માની ભૂમિકા.... .... ધર્મધ્યાનરૂપી સુખના ઘરની ભૂમિકા (જાણવી) ભવના ધર્મ ... ... .... સંસારના તાપ. નમં.. . . . . સુંવાળા, ઋજુતાવાળા થઈને. સહિ વાણી .... .. ... નિશ્ચય વાણી ભાવાર્થ:-- જે પુરુષ મે ક્ષમાર્ગને સન્મુખ એટલે મોક્ષનો આરાધક છે અથવા જેણે કર્મની રહસ્ય ગ્રંથિઓ 9 ખેડી નાખી છે તેણે ધમ ધ્યાનરૂપ સુખના ઘરની ભૂમિકા જાણવી. જેથી સંસારના તાપ ટળે છે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! નમ્રતા ધારણ કરીને જિનેશ્વર ભગ- . વંતે એ જે ઉપદેશ કર્યો છે, જેમાં સ્યાદ્વાદની સ્પષ્ટ વાણું છે, (સ્યાદ્વાદની સાક્ષી છે. શ્યાદ્વાદયુક્ત વાણું તે જેની નિશાની છે.) તે પ્રમાણે આચરણ કરો. એ જિનવાણી ને સમસ્ત દેવ અને અસુરોએ પણ વખાણી છે..૮. (1) Page #330 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 7/9 (ઉપસંહાર - ચાલુ) કૂળ - સિદ્ધાને વલી સીઝર્ચાઈ રે, સીઝે છે જે જીવ, તેહને એક ઉપાય છૅ રે, ભવજલ પડતાં દીવ; દેવરાજ સરખા જ દાસ, નહી પરંભ(ભાવેવતણી જસ આસ, વાસના એહની ભવિ ભવિ હોયે ), પરમાતમ દષ્ટ કરી જે(જ્યો) આંચલી.... (2) ટો :- જે સંસારમાં અનેક પ્રાણી સિદ્ધ કમથી મુંકાઈ આત્મ સ્વરૂપી થયા. અતીત કાલઈ આવતઈ કાલઈ વલી સીઝન્સ્પે. વર્તમાન કાલઈ પણિ મહાવિદેહાદિકમાં સીઝઈ છે. તે સર્વ પ્રાણીયોને એક જ ઉપાય પ્રપંચ છઇં. સંસાર સમુદ્રમાં પડતાને એ પરમેષ્ઠીપદ દ્વીપ સરિખે છઈ. દેવરાજઇ સરિખા જેહના દાસપણું કરઈ છઈ એ ધ્યાનના ધ્યાતા પુરુષનઈ નથી પરભાવ પુદગલભાવની આશા તના (થા) વાંછા જેહનઈ તે માટ ભોભવિ સંસારમાંહિ રહિવું થાઈ તિહાં લગઈ જ વાસના ચિત્તમાં ૨હો. પરમાતમ દષ્ટિ કરી એહી જ તત્ત્વમાં રહ્યો ?.... (2) શબ્દાર્થ. સિક્કા .... .... અતીત કાલમાં જે સિદ્ધ થયા. સીઝસ્ય... અનાગતકાલમાં જે સિદ્ધ થશે. વર્તમાનકાલમાં (મહાવિદેહ ક્ષેત્રમાં) જે સિદ્ધિ પામે છે. ઉપાય .... પ્રપંચ. દ્વીપ, બેટ. દેવરાજ ... ઈ. પરભાવ....... પુદગલભાવ. આસ * * આશા, વાંછા. ભવિ ભવિ. . . ભવભવ. સીઝે ... Page #331 -------------------------------------------------------------------------- ________________ [25] ઢાળ 7/9 ભાવાર્થ - (કવિ અહીં ઉપસંહાર કરતાં પિતાની ભાવના પ્રકટ કરે છે.-) જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા છે, ભવિષ્યકાળમાં સિદ્ધ થશે અને વર્તમાનકાળમાં સિદ્ધ થઈ રહ્યા છે તે બધાને સંસાર સમુદ્રમાંથી બચવાના સાધન માટે પરમેષ્ઠીઓનું આલંબન એ જ એક દ્વીપ (બેટ) છે. કેમકે જેમને પરભાવ એટલે પૌલિક ભાવની વાંછા નથી, તેના (પરમેષ્ઠીઓના ઇંદ્ર જેવા પણ દાસ બનીને રહે છે. એવા પરમેષ્ઠીઓની ભવોભવ એટલે જ્યાં સુધી સંસારમાં રહેવું પડે ત્યાં સુધી મને ચિત્તમાં વાસના હશે, એમ શ્રી નેમિદાસ કહે છે. પરમાત્મા તરફ દૃષ્ટિ કરી છે તે તત્વમાં રહ્યો છે એમ માને......... (2) Page #332 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 710 (ઉપસંહાર - ચાલુ) મૂળ - તત્ત્વતણી જિહાં કથા રે, તેથી જ પરમ નિદાન. જ્ઞાનવિમલ ગુણ સંપદા રે, પાર્મ હામો હામિક નામ એનું મંગલ મોટું, એહથી અવર જે તે સવિ છે, નેમિદાસ કહે એ આરાધે, ગ્યાર વર્ણ પુરવારથે સાજી ભાવિક જનજી રે આંચલી...૧૦ (3). - જે તાવની સંકથા જ્ઞાન, દર્શન, ચારિત્રના વિચારની વાર્તા તેહી જ જોતાં પરમ નિધાન અક્ષય વસ્તુ છે. તે પ્રાણી કેવલજ્ઞાનની વિમલ નિર્મલ સંપદા ઠામઠાર્મિ પામઈ. એ ધ્યાનમાલાનું નામ તે મોટું મંગલીક છઇં. એહથી અન્ય જે સંસારમાં વસ્તુ તે કર્મબંધનના ઠામ સર્વ ખોટાં જાણવાં. સુશ્રાવક સા. નેમિદાસ કહે છે જે એ ધ્યાનમાલા આરાધો સે. ગ્યાર વર્ણ બ્રાહ્મણ 1, ક્ષત્રિય 2, વૈશ્ય 3, શૂદ્ર 4 એ સર્વે પુરુષાર સાધે. ધર્મ 1, અર્થ 2, કામ 3, મોક્ષ 4, એ જ સાધે...૧૦. (3) શબ્દાર્થ - ૫૨મનિધાન .... .... ... ... અક્ષય વસ્તુ જ્ઞાનવિમલ .... .. ... ... કેવલજ્ઞાનથી નિર્મલ. ગુણસંપદા . .... ગુણની સંપત્તિ, ગુણસ્થાનને ક્રમ. ઠામઠામિ .... .... ......... નિશ્ચિત, એક સ્થાન પછી બીજું એ પ્રકારે. ભાવાર્થ: (કવિ પૂર્ણાહુતિ કરતાં કહે છે કે:-) જ્યાં તત્ત્વની સંકથી એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રના વિષયની વિચારણા થયા કરે છે, તે જ ખરેખર ઉત્કૃષ્ટ નિધાન એટલે ભંડાર છે. એવી જાણકારીવાળે આમ ગુણસ્થાનના ક્રમપૂર્વક કેવળજ્ઞાનની નિમલ સંપત્તિને નકકી પામે છે. (અહીં કવિએ આ અર્થદ્વારા જ્ઞાનવિમલસૂરિ જે તેમના ગુરુ છે, તેમનું નામસ્મરણ પણ કર્યું છે.) આ ધ્યાનમાળામાં (પરમેષ્ઠીઓનું) નામ છે તે જ મોટા મંગલરૂપ છે. એટલે સુખ આપનારું છે. તે સિવાય સંસારમાં જે વસ્તુઓ છે, તે કમ બંધના કારણરૂપ હોવાથી મિથ્યા છે. માટે નેમિદાસ કવિ કહે છે કે, આ ધ્યાન માલા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એવા ચારે વ આરાધન કરે, સેવ અને ધર્મ, અર્થ, કામ તેમ જ મોક્ષરૂપ ચારે પુરુષાર્થને મેળવે. અથવા ચાર વર્ણ એટલે " -- દંત’ તે સૌ-સઘળા પ્રયત્નથી આરાધો-તેને જપ કરે....૧૦, (3) Page #333 -------------------------------------------------------------------------- ________________ ઢાળ 7/11 કરીશ ભૂળ - ઈમ ધ્યાનમાલા ગુણવિશાલા ભવિક જન કંડિ ઠ, જિમ સહજ સમતા સુરલતાન સુખ અનોપમ અનુભવે; સંવત રસન્નડતુ મુનિ શશી (1966) મિત માસ મધુ ઉજજવલ પરિખ, પંચમી દિવસઈ ચિત્ત વિકસઈ લો લીલા જિમ સુખ. 1 શ્રીજ્ઞાનવિમલસૂરિ ગુરુકૃપા લહી, તસ વચન આધારિ; ધ્યાનમાલા ઇમ રચી નેમિદાસઈ વ્રતધારિ૧૧. (4) - એ ધ્યાનમાલા સકલ પ્રાણ કંઠ કરો. એ ધ્યાનમાલાનો ટબ ભ૦ શ્રી જ્ઞાનવિમલસૂરિ કીધે, રહસ્ય જાણવા માટે. એ રહસ્ય સમઝીને પંચ પરમેષ્ઠીપદ આરાધી તમય થાઓ; જેમ મહામંગલ નિવાસ થાઓ..૧૧. (4) ઈતિ શ્રી પંચપમેથી મંત્રરાજ ધ્યાનમાલા, અનુભાવલીલા. બાલ વિલાસ. શબ્દાર્થ - કંઠિ હે ... ... ... ... ... કંઠે કરો, યાદ રાખો. સમતા સુર લતાનો.. .... .... ... સમતારૂપી સુરની લતાને માસ મધુ .. . .. ચૈત્ર માસ, ઉજજવલ પબિં ... ... ... ... શુકલ પક્ષમાં. ભાવાર્થ - (પ્રશસ્તિ ) હે ભજનો ! ગુણોનું દર્શન કરાવવામાં વિશાલ એવી આ “ધ્યાનમાળા” ને પુષ્પમાળાની પેઠે તમે કંઠમાં ધારણ કરે. એથી સ્વાભાવિક સમતારૂપી સુરલતાના અનુપમ સુખને અનુભવ થશે. આ ધ્યાનમાળા ગ્રંથ સં. 1766 ના ચૈત્ર માસની સુદિ પંચમીના દિવસે (શ્રી નેમિદાસે) પ્રકુલિત મનથી રચ્યો છે. તે દ્વારા તમે ચિત્તને વિકાસ કરીને આનંદથી અને સુગમતાથી સુખને પામશે. 11. (4) શ્રી જ્ઞાનવિમલસૂરિની કૃપા પ્રાપ્ત કરીને, તેમના વચનને આધારે વ્રતધારી નેમિદાસ નામના કવિએ આ “પરમેષ્ઠી ધ્યાનમાળા” ની રચના કરી છે. વિવરણ - પ્રસ્તુત ગ્રંથનું અપર નામ “અનુભવ લીલા” હોય તેમ જણાય છે. સાતમી ઢાળની દશમી કડી (અથવા ઉપસંહારની ચેથી કડીની બીજી અને ચોથી પંક્તિમાં “અનુભવ” Page #334 -------------------------------------------------------------------------- ________________ (215 1 ઢાળ 7/11 અને “લીલા” શબ્દ અનુક્રમે ગૂંથીને આ નામ દર્શાવાયું છે. તદુપરાંત ગ્રંથની સમાપ્તિમાં “ઈતિ શ્રી પંચ પરમેષ્ટી મંત્રરાજ થયાનમાલા” –એ પ્રમાણે દર્શાવીને “અનુભવ લીલા” તથા “બાલ વિલાસ” એમ બે વિશેષ નામે અસંબદ્ધ મૂકાયા છે તે ઉપરથી સમજાય છે કે “અનુભવ લીલા” એ ગ્રંથનું અપર નામ છે અને “બાલ વિલાસ” એ ટબાનું અપર નામ છે. અનુભવ એ આધ્યાત્મિક શાસ્ત્રોમાં અતિ મહત્વને શબ્દ છે. તેને કેઈ સાક્ષાત્કાર અથવા અપક્ષ આત્માનુભૂતિ પણ કહે છે. ગીને આત્મા વડે આત્માનું જે વેદ્યત્વ અને વેદકત્વ થાય છે તેને યોગીશ્વરએ વસંવેદન આત્માનુભવ અથવા આતમદર્શન કહ્યું છે. એ સ્વ–પર તિરૂપ હોવાથી તેનું બીજું કોઈ કારણ નથી. અનુભવદશા એ સ્વયંવેદ્ય છે. તે શબ્દ દ્વારા વાચ્ય નથી, મન દ્વારા ગમ્ય નથી, ચક્ષુ દ્વારા દશ્ય નથી છતાં તે નિષેધ્ય તે નથી જ. પાંચમી ઢાળને અંતે એટલે તેની બાવીસમી કડીના ટબામાં શ્રી જ્ઞાનવિમલસૂરિએ તેમના ભક્ત શ્રી નેમિદાસને નીચે દર્શાવેલા શબ્દો વડે અનુભવનું પ્રમાણપત્ર આપ્યું છે પિતાને પણિ કાંઈક અનુભવ સિદ્ધિ આતમ સ્વરૂપી હુંતઈ.” શ્રી નેમિદાસે પ્રસ્તુત રસ અથવા કાવ્ય દ્વારા આત્માનંદ માટેનું સાહજિક ખેલન, ૨મણ કે કીડા કરી તેને લીલા તરીકે અહી દર્શાવી છે. લીલા-fસ્ટ ચાતિ શુતિ રીઢા (શ૦ ચિ) એમ સામાન્ય રીતે લીલા શબ્દને સમજાવી શકાય. “જેનાથી દૂર જવાનું મન થાયજ નહીં” “જેમાં તન્મય બની જવાય” અને ‘જેનું આલંબન પ્રાપ્ત કરાય” એવા અર્થો આ વ્યુત્પત્તિ આપે છે. અને શ્રીરા એ પ્રકારે પણ શબ્દ નિષ્પત્તિ કરાય છે. (અ. ચિં) આ લીલા બે પ્રકારની હોઈ શકે—પ્રકટ, તથા અપ્રકટ, વ્યક્તિ તથા અવ્યક્ત. બાહ્ય તેમ જ આંતર ઈન્દ્રિયોને અગમ્ય એવી આત્મ-૨મણતા જે શ્રી નેમિદાસે કરી હોય તે અહીં અપ્રસ્તુત છે. પણ તેનું જે કાવ્ય દ્વારા નિરૂપણ કર્યું તે અહીં પ્રસ્તુત છે. તે પ્રકટ તથા વ્યક્ત છે. પરમાત્માની પ્રાપ્તિ અર્થે પ્રયોજાતી સમ્યગદર્શનની રસમય વિશિષ્ટ કીડા તે જ અહીં “લીલા” છે. જે ક્રીડામાં મંત્રરાજના ધ્યાનને એકને એક રસ અનેક રસરૂપે થઈને અનેક રસનું આસ્વાદન કરે છે, કરાવે છે. અર્થાત્ તેમાં એક રસ રસસમૂહરૂપે પ્રકટ થઈને પોતે જ આસ્વાદ-આસ્વાદક, લીલા-ધામ, આલંબન-ઉદ્દીપન આદિ સ્વરૂપે કીડા કરે છે. તેની ક્રીડા તે જ લીલા. આત્મા કેવળજ્ઞાનસ્વરૂપ હેવાથી અનુભવવૃત્તિ તેની આગળ પિતાના કાર્યમાં પંગુ - બની જાય છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ [56] હાળ 7/11 અભ્રકનું એક ચોસલું લઈને તેના ઉપર રહેલાં પડીને એક પછી એક ઉખેડતા જઈએ તો ક્રમે ક્રમે એ ચોસલાના અંગને જ નાશ થઈ જાય છે. તે પ્રકારે અનુભવ, અનુભાવ્ય અને અનુભાવક-આ ત્રિપુટીજ અદશ્ય થઈ જાય એકનો બીજા સાથે કર્યો સંબંધ રહે ? અર્થાત્ તે કઈ પણ જાતને સંબંધ રહી શકતું નથી. શુદ્ધ આત્મા કે પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરવા જતા જ્યાં અનુભવની આવી દશા થાય અર્થાત્ એ અનુભવની ત્રિપુટી જ અદૃશ્ય થઈ જાય ત્યાં શબ્દો દ્વારા તાગ કઈ રીતે લાગી શકવાન છે અર્થાત્ જ્યાં અનુભવ જ ૨હે નહીં ત્યાં શબ્દોથી આત્માનું વર્ણન થઈ જ કયી રીતે શકે? અનુભવ હોય તેજ શબ્દથી વર્ણન થાય ને ? જે પરમાત્મસ્વરૂપનું વર્ણન કરવામાં પરા વાણી પાંગળી બની જાય છે, ત્યાં નાદને તે ગજ જ વાગતું નથી, અર્થાત્ વાણી વિના શબ્દ જ સંભવતું નથી. તે પરમાત્મ તત્તવનું મુખથી વર્ણન કરી શકાય એમ બને ખરું? આમ હોવાથી અનુભવનું નિરૂપણ કરવાનું શબ્દ જે કૌતુક કરે તે જ્યાં અનુભવને જ લેપ થઈ જાય છે ત્યાં શબ્દની શક્તિ કેટલી ? પરંતુ આત્મજ્ઞાનના સંબંધમાં તેવું નથી. આત્મા વિષેનું જ્ઞાન આપતા રહીને તે પૂર્ણપણે પ્રાપ્ત થતાં શબ્દ પોતે જ સ્વાભાવિક રીતે લુપ્ત થઈ જાય છે અને કેવળ જ્ઞાન અવશિષ્ટ રહે છે. ઈતિ શ્રી પંચપરમેષ્ઠી મંત્રરાજ ધ્યાનમાલા, અનુભવલીલા. બાલવિલાસ. पणमामि (આધ્યાત્મિક નમસ્કાર ) Page #336 -------------------------------------------------------------------------- ________________ કવિરાજ શ્રી નેમિદાસ રામજી શાહ વિરચિત ગ્રન્થયુગલ ગ્રન્થ બીજે EAL * * * * * * * 1. - CC16 ' છે ' પો . ' હો.. મૂ લ મા ત્ર Page #337 -------------------------------------------------------------------------- ________________ અ નુ ક મણિ કા પ્રથમ પીઠ કમાંક 10-21 1-21 વિષય (1) અધ્યાત્મસારમાલા - પ્રાસ્તાવિક તથા આત્માનું ત્રિવિધપણું (2) અંતરાત્મા લઇ (3) પરમાત્મ લછને (4) ચ્યાર નિખાઈ આતમ થાપના (5) આતમ સ્વરૂપ દ્વિતીય પીઠ (6) આત્મ દ્રવ્ય વર્ણના. તૃતીય પીઠ (7) પરમાતમ સ્વરૂપ (8) ષ દ્રવ્યને વિવાર (9) સંસારી જીવનું લક્ષણ (10) પાંચ અજીવ દ્રવ્ય ચતુર્થ પીઠ (11) વડુ દ્રવ્ય વિચાર (પુનરાવર્તન) પંચમ પીઠ (12) પરમાતમા તેહી જ પંચ પરમેષ્ઠી પદ રૂપ થાપન (13) ઉપસંહાર 1-10 11-15 16-18 19-21 1- 21 1-24 1-3 Page #338 -------------------------------------------------------------------------- ________________ પણE આ કવિરાજ શ્રીનેમિદાસ રામજી શાહ પ્રણીત અધ્યાત્મસારમાલા अथ अध्यात्मसारमालाx પ્રથમ પીઠ. દેહા છંદ શ્રી જિનવાણી નિત નમી, કીજઈ આતમશુદ્ધિ; ચિદાનંદ સુખ પામી, મિટઈ અનાદિ અશુદ્. શુદ્ધાતમ દર્શન વિના, કર્મ ન છૂટછે કોય; તેહ કારણ શુદ્ધાતમા, દર્શન કરો થિર હોઈ. આતમ અનુભવ તરણિયેં, મિટ મોહ અંધાર; આપરૂપમઈ ઝલહલે, નહી તસ અંત અપાર. તિહાં આતમ ત્રિવિધા કહ્યો, બાહિજ 1 અંતરનામઈ ર; પરમાતમ તિહાં તીસર 3, ઈસો અનંત ગુણધામ. પુગલસેં રાતે રહઈ, જાન એહ નિધાન; તસ લાભઈ લેજો રહઈ, બહિરાતમ અભિધાન. * આનું સંપાદન બે હસ્તપ્રતો સામે રાખી કરવામાં આવ્યું છે. (1) લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની પ્રતિ, ક્રમાંક 2743, પત્ર 8 તથા (2) વીશા શ્રીમાળી તપગચ્છ સંધ જનભંડાર જામનગરની પ્રતિ, ક્રમાંક 767, ૫ત્ર 8. Page #339 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસારમાલ. અથ અંતરામાં લઈન પુદગલ ખલ સંગી પરં, સેવઈ અવસર દેખિક તનું અશક્તિ જયું લાકડી, જ્ઞાન ભેદ પદ લેખિ. અથ પરમાત્મ લઇને પ્યારે આપ સરૂપમઈ ત્યારે પુદગલ બેલિક સો પરમાતમ જાણુઈ, નહી જસ ભાવકો મેલ. અથ ચ્યાર નિખેપ આતમ થાપના નામાતમ બહિરાતમા, થાપણ કારણ જેહ; સો અંતર દ્રવ્યાતમા, પરમાતમ ગુણ ગેહ. ભાવાતમ સો દેખાઈ, કર્મ મર્મ કે નાશિ; જે કરુણુ ભગવાનકી, ભાવે ભાવ ઉદાસ. એ રીતિ ચાર આતમાં વિચારતા ઉપાદાન અસાધારણ અપેક્ષા નિમિત્તઈ એહી જ ભાવાતમાદિકઈ જાણવા. હવઈ આતમ સ્વરૂપ કહઈ છે. ચિદાનંદ ચિનમય સદા, અવિચલ ભાવ અનંત, નિર્મલ જ્યોતિ નિરંજન, નિરાલંબ ભગવંત. કંત કમલ પરિ પંકથી, નિઃસંગઈ નિર્લેપ; જિહાં વિભાવ દુર્ભાવને, નહી લવલેશઈ ખેપ. ન્યું (નવનીત) મોષણથી જલ બલે, નવ વૃત પ્રગટઈ ખાસ; અંતર આતમ થકી, પરમાતમ પરકાશ. શુદ્ધાતમભાવઈ રહ્યા, તે પ્રગટી નિર્મલ તિ; તે ત્રિભુવન શિર મુકુટમણિ. ગઈ પાપ સવિ છોતિ. નિજ સ્વરૂપી રહતાં થકાં, પર સ્વરૂપકો ભાસે; સહજભાવથી સંપજે, ઓર તે વચન વિલાસ. આતમ દષ્ટિ દેખાઈ, પુદગલ ચેતન રૂપ; પર પરિણતિ હાઈ વેગલી, ન પડે તે ભવપ. Page #340 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પીઠ આતમભાઈ સિદ્ધ છ, પરભાવઇ છ બંધ નિજ સ્વરૂપ અવલોકતાં, મિટ અનાદિ સવિ ધંધ. જે જે પુદ્ગલની દશા, તેહની ન ધરઈ આસ; શુદ્ધાતમ અનુભવ ભર્યો, શાશ્વત સુખ વિલાસ. ચેતન લક્ષણ આતમા, સે અનાદિ ગુણલીન; પિણ તે પ્રગટઈ અનુભવઈ, સમકિત દષ્ટી (ષ્ટિ) પીન. મગન ભયે જડભાવમ, તિણિ સાવરણ કહાય; નિરાવરણ તે સંપજઈ, જે આપઈ આપ સંબાહિ. શુદ્ધ દ્રવ્ય શુદ્ધાતમા, વ્યાપક સહજ ભાવ: શુદ્ધ દ્રવ્ય ગુણ પજ્જવઈ, મિટ મેહ મદ તાવ. ઇમ ભાવિત શિવ તવ રસ, તે અધ્યાતમ સાર; તાકી કહું ગુણ વર્ણના, સુણતાં હોઈ સુખકાર. ઇતિ પ્રથમ પીઠબંધ દૂહા. દ્વિતીય પીઠ અથે અધ્યાતમારે આત્મ દ્રવ્ય વર્ણના ચોપાયા છંદ હવઈ અધ્યાતમની કહું વાણી, અનુભવ શાંત દશા પહચાણું; સકલ કર્મનઈ જોય કરેવા, નિવિકલ્પ વલી દયન લહેવા. કમલેશ દાવાનલ નીરં, બધ્યમાં રાજ કર્મ સમીરે; ભવજલ પાર લહેવા તીરં, તે અધ્યાતમ ગુણગંભીરં. અધ્યાતમની એહવી ભાષા, સમકિત મૂલ શુદ્ધ સંવર શાખા; જે નિઈ ગુણને પ્રગટાવઈ, શુદ્ધ વ્યવહાર થકી તે પાવઈ 3 જે પરમાતમ અનુભવ કરતા, તે હવઈ સમતાના ભરતા; અનુભવ શાશ્વત સુખ ભોગવતા, ફિર નવિ પામ કર્મકી મમતા. 4 .. . Page #341 -------------------------------------------------------------------------- ________________ 262 અધ્યાત્મસાભાલા કર્તા ભકતા નઈ સંસત, પરિનિર્વાતા ઈમ ચઉવિધિ નિરતા; આતમભેદ લહે સો ગ્યાતા, દુવિધ જીવ ઈણિ પરિ શુભ તા. 5 અશુદ્ધ નઈ કર્માદિક કારક, મિથ્યાત્વાદિક હેતુ અવારકા ભજતા સ્વત શુભાશુભ કરો, પરકૃત ભગઈ જે નહી ને. 6 સંસ તિણિથી ચઉ ગતિમાં, જે વિભાવ ધરઈ નિજ મતિમાં પરિનિર્વાતા સકલ કર્મ નાઈ, સહજ સરૂપ યદા પરકાશઈ. 7 રાગદ્વેષ ચિકણુતા સંગઈ, કર્મ રાશિ રજ આવી વિગઈ; જેહ અનાદિ સંચગઈ જાણે, ખીર નીર અય અગ્નિ પહચાણે. 8 ભવ્યપણઈ સામગ્રી ગઈ, ટલઈ તેહ ફિરતા આગઈ; દ્રવ્ય 1 ભાવ 2 ને કર્મ ઈહુ જાવઈ, સિદ્ધ સ્વરૂપ સદા પ્રગટાવઈ. 9 તીવ્ર અનલ યોગઇ જિમ કંચન, ઉપલભાવ મૂકઈ હું નિરંજન લેલીભૂત પ્રદેશઈ કર્મ, મર્મ લઈ લહઈ અનુભવ ધર્મ. 10 જેહ અભવ્ય તે નહી નિર્વાતા, નો હઈ તે વલી દર્શન શાતા; ભવ્ય અછઈ પણિ દુર્લભ યેગી, વિણુ કારણ તે નહી સિવભેગી 11 સદા નિરંતર નિજ ગુણ ભક્તા, કેવલ જ્ઞાન દર્શનનો કર્તા નિશ્ચય શુદ્ધ નયઈ ઈમ જાણે. તે પરમાતમ ભાવે વખાણે. 12 રાગાદિક અરિ અંશ ન પાવઈ. આતમ ધ્યાનઈ જે થિર થાવઈ; શુદ્ધ ચેતના લઇ(છી) સુહાવઈ, તે પરમાતમ બિરૂદ ધરાવઈ. 13 ચેતન આપ સભાવ જવ થાયા, તે ચેતન પરબ્રહ્મ કહાયા; પરમ પવિત્ર નિજ ધામ બનાયા, જેહ અતીંદ્રિય સુખ સવાયા. 14 જેહ અસંગ અનંત ભણી જઈ, અખય અભંગ અલિંગ મુણી જઈ; ચિદાનંદ ભરપુર વિલાસી, આતમભાઈ જે અવિનાશી. 15 નિપાધિક નિસ્પકમ ઘરમી. આપ અકરમી બાવાઈ કરમી; પારંગત પણિ નહી પર ભેગી, આપ અગી ધ્યાવઈ યોગી. 16 અનુભવ ઉપમા જાસ ન પાઈ, અશુદ્ધભાવ જેહનઈ નવિ કાંઈ પરમાનંદ આતમ આરામી, રમઈ સદા દુવિધા જસ વામી. 17 Page #342 -------------------------------------------------------------------------- ________________ 263 દ્વિતીય પીઠ શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યવ સાથી, સાખી હોઈ થય ગુણ હાથી; અસંખ્ય પ્રદેશી જ્ઞાન નિવેસી, આપ અલેશી લહઈ શુભલેશી. 18 જ્ઞાન દિવાકર પ્રગટી જ્યોતિ, તેહની કી જઈ દિલમાં ગોતિ; શુદ્ધાતમ અનુભવ રસકુંડ, એહના ગુણ છઈ અતુલ પ્રચંડ. 19 શક્તિ અનંત તો જે આગર, સહજ સભાવ વિરાગ ઉજાગર; કમલ કેશ જિમ કણિકા થાણુઈ, તિમ યોગી રિટયાંબુજ ઝાણઈ. ર૦ ઈમ પરમાતમ કેર રૂ૫, જાણઈ જે કેવલિ ચિદ્રપ; જ્ઞાન રૂપ ધન મહિમા જેહ. પ્રણમઈ નેમિદાસ પદ તેહ. તૃતીય પીઠ (અથ અધ્યાત્મસારે પરમાત્મ સ્વરૂપ, પડુ દ્રવ્યને વિવરે, સંસારી જીવનું લક્ષણ તથા પાંચ અજીવ દ્રવ્યની વર્ણના ) હાટકી છંદ (હવાઈ પરમાતમ સ્વરૂપ કહઈ છ0) સુણો ભવિયાં ભત્તિ, ચોખઈ ચિત્તઈ, જેઉ પરમાતમ રૂપ; અવિનાશી ઉત્તમ, પરમ પવિત્ત, અવિચલ અતુલ અનૂપ. એ આંકણી. એ અધ્યાતમ અનુભવ સાતિમ, ફલ પામી જઈ એમ; જે હોઈ શુદ્ધ વેલે સમકિત પહિલે, ધર્મકરણને પ્રેમ, હોઈ મંદ કષાઈ ધર્મિ ન ભાઈ, ભાઈ પરિ સવિ પ્રાણી; વિણુ કારણ ન તપઈ કૃતગુણ ન જઈ, ન વદઈ અહંકૃત વાણું. 1, સુ. જે હોઈ ગતરાગી દસ વિરાગી, જૂઠ તેલ ન લઈ; તેહનું જે આગમ સકલ સુખાગમ, તેહસું હિયડું લઈ, તે તત્વ પ્રતીતિ ભદ્રક રીતઈ, સકલ કરઈ વ્યવહાર; જિણિ લહઈ અક્ષર અજર અમર પદ, તેહ ભલો આચાર. 2. સુ. Page #343 -------------------------------------------------------------------------- ________________ 294 અધ્યાત્મસારમાલા જે જિનની આણ તેહના જાણ, તેહસું કરઈ સખાઈ; જે આશ્રવદ્વારી અશુદ્ધ આચારી, તાકી સંગ ન લ્યાઈ [વલી વિષય કષાયી મિથ્યા માયી, સંગતિ તાસ ન લ્યાઈ ] જે ત્યાગી ભેગી સેવિત ગી, ગતસોગી ગુણગેહ, જે ચરિમાવર્તઈ ગુણગણિ વર્તા, શુભ અભિલાષી જેહ. 3 સુo અંગઈ સુજગીસા ગુણ પણતીસા, માર્ગતણા અનુસારી; સહજઈ હોઈ તેવી સમકિત જેવી, ચાલિ લલિત ગુણભારી, નિજ વયણ વિચારી કહઈ મનધારી, નહી પર આસ ભિખારી; જે આતમ કાઈ નહી મનિ વ્યાજઈ, રહત સદા હુંસીયારી. 4 સુo જે આપદ પામ્યઈ નહી મનિ મે, સરલપણું નવિ ઈડઈ; ગુણિપદનઈ કામઈ ન પડઈ ભાઈ, સજ્જન સ ગતિ મડઈ, નય પંથઈ ચાલઈ દૂષણ ટાલઈ, ન કરઈ કબહી અકાજ; ગુરુ આણું સંગી કપટ ન લિંગી, અંગીકૃત વહઈ લાજ. પ સુ જસ ધર્મ પિપાસા નહી પર આશા, ખાસા ગુણ આરાધઈ; વલી વિષય દુર્ગાછા નહી ખેલ ખંચા, ગુણિ ગુણ ઇચ્છા સાધઈ, જલધર પરિ દાન ઈ વરસઈ અમાનિં, પુન ઉપકૃત નવિ ઈહઈ; આગમપંથી ચાલઈ નિજત્રત પાલઈ, અશુભ કર્મથી બીહઈ. 6 સુo ઇત્યાદિક બહુ ગુણ ભાવિત ભૂમિઈ, જેડ કરઈ મંડાણ; ક્ષુદ્રાદિક દેવા નહી તસ પાષા, નહી રેષાદિક ઠાંણ, નિજ શુભમતિ ચંચુઈ રાજહંસ પરિ, ખીર નીર સુવિવેક; કરઈ તત્વ અતહ જેહ વિવેચન, કરતો ધરતો ટેક. 7 સુ નહી મતિ મૂંઝાણું ધર્મ રણની, કરઈ પરિખ્યા જાણી; એહવા જે પ્રાણી શીતલ વાણું, ધર્મઈ મતિ રંગાણી, શુદ્ધ વેલા કહીઈ તિણહીજ લહઈ, એ અધ્યાતમ સાર; બીજા વિ જાણે માયા મમતા, કેરા તે ભંડાર. Page #344 -------------------------------------------------------------------------- ________________ 25 તૃતીય પીઠ શુદ્ધ હીરે જાચો તેહ સાચે, કાચ નહી કિણિ ભાંતિ, ભ્રમ સંશય ટાલી તત્ત્વ નિહાલી, શ્રી જિન વયણ વિખ્યાત, ગત રાગ ને દોસા પૂરણ તૈસા, મોસા નહી તસ વાઈફ તેમજ શુદ્ધ લેશી તત્વનો દરસી, હરસી દરિસણ સાચઈ. 9 સુત્ર નહી ભવ આસંસા પુદગલ ખિંસા, ધર્મ ફલાદિક આગઈ અપચખાણ કષાયઈ હાત સહાય, વિરતિ ને વિરતિ નો રાગઈ, હોઈ તાસ સહાયી ઉદ્યમતાઈ, કરઈ શાસન ઉદ્યોતક વિધિ ગુણ આરામ. અવિધિને વામી, સમકિત લિગી હોત. 10 સુo અથ પડુ દ્રવ્યનો વિવરે કહીઈ છઇ. હવઈ બિહું વિધ ભેદઈ નાણ વિનોદઈ, દ્રવ્ય કહ્યા જિનરાજ; એક જીવ અજવા, તિહાં ધુરે જીવા, તેમાં લખ્યણ કહું આજ, ઉપયોગી લખ્યણ સહજ વિચક્ષણ, જાસ પ્રદેશ અસંખ: વિહુ કાલિ સત્તા, નિજ ગુણ મત્તા, યોગી તેહ જ દેખાઈ. 11 જીવ દ્રવ્ય અનંતા, અભવ્ય થકી ગુણ, સિદ્ધ અનંતમઈ ભાગઈ, નિજ તનું પરિમાણઈ, ખેત્રથી જાણો, કાલથી છેહ ન લાગે, જે ભાવે અપી ફાસ ન ગંધ ન, નિર્ગુણ અકલ સપ; ગુણ ચેતના લખ્યણ શુદ્ધા શુદ્ધ, ભેદ બહુવિધ રૂપ. 12 દ્રવ્યાસ્તિક નયથી ધ્રૌવ્ય કહી જઈ, ગુણ વ્યંજન પર્યાય; બિહુ ભેદઈ જાણે નિશ્ચયવ્યવહુતિ (હારા). જાસ સભાવ વિભાવ; હાઈ અનંતાનંતા શબ્દા શુદ્ધઈ ભેદ થકા પરભાવ. પરિણામિ કહીઈ, નિજ ગુણ લહી, દર્શન જ્ઞાન સભાવ. 13. કર્તા નિજ ગુણનો શુદ્ધ નવેંચું, નિશ્ચય નથી હોઈ વ્યવહાર કર્તા પુદગલ કર્મી, ઉપચારઈ કરી જોઈ મિથ્યાદિક હેતઇ કર્મ ગ્રહણનુ, ભવપાક પરિણામી; અત્યાદિક કેરે એ ઉપચરિતઈ, અસદભૂતને કામી. 14 44 Page #345 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસારમાલા સદભૂત શુદ્ધઈ નિશ્ચય નથી, અનુપચરિતથી જેહ, અવિનાશી અક્ષય નિત્યાનિત્ય જ્ઞાનાદિક ગુણગેહ, પુદગલથી ત્યારે ઈમ અવધારો, ચિદાનંદ ભગવાન; તે સિદ્ધ સભાવઈ દ્રવ્ય પ્રભાવે, નિજ પર્યાયનો ધાંમ. 15 હવઇ સંસારી જીવનું લક્ષણ કઈ છઈ. જે સંસારી જીવ તે સિદ્ધરૂપી થાઈ તે દેખાઈ છે. કહઈ સંસારી કર્મઈ ભારી, ખીર નીર અય અગ્નિ; આતમ પ્રદેશ મિલિત રહ્યો , જે અનાદિ અવિજ્ઞ, ગતિ જાતિ વિભેદઈ દુઃખ સુખ વેદઈ સકલ કર્મ પર્યાય; ઇમ બહુત ઉપાધઈ, નિતુ સાપેખ, નવિ લેખેં શુભ આય. તિહાં આશ્રવ બેહું કોઈ અપેહઈ, પુણ્ય પાપનો બંધ; રાગાદિક હેતઈ અશુભ સંકેતઈ, ધરઈ ધર્મને બંધ, હું કર્તા ભક્તા ઈમ અભિમાની, ગ્યાની વયણ ન ધારઈ; તે ચિહું ગતિવાસી હાઈ પર આશી, જિહાં નવિ દર્શન ધારઈ. 17 ઈમ કરતાં માર્ગાનુસારી થઈ ભવ્યત્વ પરિપાકકારી શુભ વેલો કહિઈ તિહાં આવ્યું મ્યું હોઈ તે કહઈ છે. શબ્દ લઈ ચઢીઓ આગમ પઢિઓ, મઢિઓ ચરણની શ્રેણિં; જિમ કંચન ઉપલં પામી અનí શુદ્ધ હાઈ પરમેણ, દયાનાનલ યોગઈ કર્મ વિયોગઈ. પામી કેવલનાંણ; ભવ્યત્વ સંભાવઈ ચરણ પ્રભાવઈ, આપ રૂપ મંડાણ. એતલઈ જીવ દ્રવ્યનું સ્વરૂપ જણુવ્યું. હવઈ પાંચ અજીવ દ્રવ્ય તે કહઈ છઈ હવઈ પંચ અજીવા દ્રવ્ય જાણો, ધર્મો 1 અધર્મા 2 આકાશ 3; તિમ કાલ 4 અરૂપી તિહું સપ્રદેશી, સમય પ્રદેશ ન તાસ; Page #346 -------------------------------------------------------------------------- ________________ 27 19 ચતુર્થ પીઠ હવઈ પુદગલરૂપી 5 વર્ણાદિકથી, તેહ અનંતા જાણો; કયણકાદિક કારણ નગ વિસ્તારણ, પરમાણુ પહિચાણે. વલી લેકાલે કઈ ગગન આકઈ, લકઈ ધર્માધર્મ; વલી પુગલ જવા ઈણિ પરિ જાણો, સમય સમય થિત મર્મ તે વર્તન લખ્યણ ધર્માધર્મા–કાશ તિહું એક દ્રવ્ય જીવ પુદગલ સમયા એહ અનંતા, એ તિન્દુઈ ઈમ દ્રવ્ય. ઈમ નિત્યાનિત્યઈ ગુણપર્યાયઈ, દ્રવ્ય તણે લહઈ મેલઈ; સ્યાદ્વાદઈ સુધી પરખી વિબુધા, હરખીનઈ મતિ ભલઈ; તેહિજ નરનારી નહી અવિકારી. લહઈ અધ્યાત્મસાર; પરમાતમ સાધઈ નયગુણ બા (વા) ધઈ. આતમના આધાર. મિના આધારે. 21 સર્વે ગાથા. 63 એતલઈ સંસારી જીવ વિભાવવાસિત, સ્વભાવ પરિણામી દેખાડ્યો અનઈ સિદ્ધ જીવ સ્વભાવ પરિણમી નિકલંક અચલ દેખાડ્યૌ(વ્યો). | ચતુર્થ પીઠ અથ પ (ડ) દ્રવ્ય વિચાર વલી કહઈ છઈ ચાલિ ચેપાયા છંદઃ ચાર અકર્તા નઈ દઈ કર્તા, પંચ અચેતન એક સચેતા; પાંચ લેક એક કાલકઈ. કર્તા પુદ્ગલ જીવ વિકઈ. પંચ અરૂપ એક પુદગલરૂપી, પરિણામી બેહું એહ જ ઉપી; ઘટઈ વધઈ છિનુમાંહઈ પુદગલ, વર્ણાદિક ગુણ વીસસમંગલ. પુદગલ જીવ અનાદિ સંયોગઈ, મિલી રહ્યા ભવમાં આભગઈ; તિહાં દોઉ કર્મ કહ્યા દ્રવ્યભાવઈ, એક પુદ્ગલ એક ચિત્ત વિભાવઈ. 3 Page #347 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસારમાલા રાગદ્વેપ પરિણામી જીવ, ભાવ કર્મકી લહિરી અતીવ; તિણથી દ્રવ્ય કર્મને મેલ, એ ઉપચરિત અશુદ્ધનય ખેલ. 4 વ્યવહારઈ પુણ બિહેને કર્તા, તિણને કર્મ તનુ આદિ ધર્તા; તિહુવિધિ કર્મ તો જે કારક, સંસારઈ ફિરતા નવિ વારક. 5 સકલ અશુભ હેતિ મિથ્યાતી, ધુર ગુણઠાણ તણો સંઘાતી; કર્મ સ્થિતિનઈ જલિ અરૂઝયૌ, રહઈ સદા પણિ તત્વ ન બૂઝયી. 6 હું કર્તા હું ભેકતા માની, મમકારાહંકારઈ ગ્યાની; ભૂમિ મિથ્યાતતણે હાઈ ધોરી, કરઈ અનાદિ પંચાથવ ચોરી. 7 શુદ્ધ ચેતના સંગિન આઈ. આપ સભાવને 5 ન જાણઈ દર્પણ મલિનઈ જોઈ જ્યોતિ, રવિ વાદલથી વિગત ઉદ્યોત(તિ). 8 શુભ સામગ્રી કારણ કબરી, ભવ્ય પણઈ પરિપાકઈ તબહી; સહજ ગુણ અથે ભવ્ય નિમિત્તઈ, ઋજુતાભાઈ સરલ સુચિત્તઈ. 9 સંજ્ઞી પંચંદ્રિયનઈ પત્ત, કરણ અપૂર્વ લઈ ભવિપત્તો; બંધ અનાદિની સંકલ ત્રોડઈ, અપુનબંધક ગુણ તવ જોઈ. 10 સકલ કર્મ સ્થિતિ સંકલ ત્રોડી, સાત કર્મ સ્થિતિ રહી એક કોડાકડી; પલ્ય અસંખ ભાગ સ્થિતિ ઓછી, મંદ મિથ્યાત કષાય અચી. 11 ગ્રહી અપૂરવ કરણનો મોગર, ભાંજી ગ્રંથિભેદનો નંગર; અંતરકરણિ ધવલ ગૃહપેઈ, પ્રથમ સમય સ્થિતિ ઉપશમ લેખ. 12 વચન અગોચર લહઈ આનંદ, છતાં જોદ્ધા જિમ અરિવૃન્દ; ગ્રીષ્મ પ્તિ જિમ જલ અમૃતધન,સિદ્ધ વાનગી લઈ તિમ ભાવે મનિ. 13 ભેદવિગ્યાન જ ઘટ ભિંતરિ, આપકી ચેરી લઇ તવ અંતરિક નય નિષ નિશ્ચય વ્યવહાર, ધુરિ પ્રતીત જિન વચ અનુસારિઈ. 14 મૃગતૃષ્ણ પરિ લઈ જગલીલ, સેવઈ પણિ નહી ભાવ કુશીલ, ત્રત ધરતા હોઈ અનુમોદી, તત્વજ્ઞાન તણે હાઈ વેદી. 15 Page #348 -------------------------------------------------------------------------- ________________ 269 પાંચમ પીઠ શેય ઉપાદેય ને વલી હય, જાણઈ દ્રવ્ય ભાવના ભેય; જે ગીતારથે આગમ જાણ, રાખઈ તાસ વચન સુપ્રમાણ. 16 અનુક્રમિ દેશવિરતિનઈ ફરસઈ, સર્વવિરતિ પામી ની હરસઈ; વચન સોલ બાયાલીસ ભાષા, ભેદઈ ભાષઈ જિમ મધુ શાખા. 17 જ્ઞાન ધ્યાનનઈ તપ આરાધઈ, દ્રવ્યભાવસું સંયમ સાધઇ; ઉંચ ઉંચ શુભ સ્થાનિક ચઢ, તિમ તિમ મહાદિકનઈં નડતો. 18 ધ્યાયક ધ્યાન ધ્યેય ગુણ માઝી, ગુણશ્રેણઈ થઈ કરતિ ઝાઝી; ધર્મધ્યાન નિમિત્તઈ દયાવઇ, શુકલધ્યાનની જ્યોતિ જગાવઈ. 19 ઘાતકર્મ સલાં પરજાલઇ, કેવલજ્ઞાનતણુઇ અજુયાલઈ (ઈ); કલેક પ્રકાશી હોવઈ, હુઈ અયોગ પરમપદ જેવઈ. સકલ કર્મખર્ચે સિદ્ધ સિદ્ધ, સામતભાવિ અનંત વિબુદ્ધ; અજર અમર અકલંક અવિનાશી, ચિદાનંદ લખલીલ વિલાસી. 21 સર્વ ગાથા...૮૪ પંચમ પીઠ હવઈ પરમાતમાં તેહી જ પંચ પરમેષ્ઠી પદરૂપ થાપન દૂહા કહીઈ છઈ, - દૂહા :દેહાતીત શુદ્ધાતમા, અસંખ્યાત પ્રદેશ; શુદ્ધાનંત ચતુષ્ટથી, સિદ્ધ બુદ્ધ ગતલેશ. શુદ્ધ દ્રવ્ય ગુણ પજવઈ, કર્તા આપસભાવ; અનુપચરિત નિશ્ચયનયઈ, ગત ભવ સકલ વિભાવ. સ્પર્શ નહી પણિ સ્પર્શના, અધિક કહી છઈ તાસ; નહી દેહાદિક ભાવના, પણિ અવગાહના વાસ, Page #349 -------------------------------------------------------------------------- ________________ ર૭ર અધ્યાત્મસા૨માલા લિખઈ જેહ પરમાતમા, પરમાતમના ભાવ; ખ્યાયિક ભાવઈ આપમેં, પરિણાર્મિ પરભાવ. એહવે જે પરમાતમા, તેહી જ છઈ અરિહંત; દ્રવ્યથકી નિબીજ છઈ, ભાવઈ ઘુતિ નતિ કંત. સિદ્ધ સરૂપી એહ છઈ, આચારિ પણિ એહ; વાચક નય ઉપનય લહી, સાધુ સયલ ગુણગેહ. માર્ગ તે શુદ્ધાતમ તણો, અવિનાશી નિજ રૂપ; સહજ સભાવે સંવરી, જ્ઞાનાધાર અનૂપ. સકતિ સહાયી ભાવ છે, વીર્ય વિનોદ અનંત ગૌણ મુખ્યની વ્યક્તતા, નવિ લહિયેં અત્યંત. નિત્ય દ્રવ્યની સક્તિથી, સકલ ભાવની વ્યક્તિ પર્યાયઈ જે પરિણમેં, સમયઈ જેવું અનિત્ય. નિત્યાનિત્યપણે રહઈ(ઈ), ધ્રૌવ્યઈ નહી પરભાવ; પરમાતમ સુખમાં અછઈ, ન મિલઈ દુવિધાભાવ. એહવા ગુણ સમુદય તણે, જે છઈ પરમાધાર; તેહ તણું જે ચિંતના, તે અધ્યાતસાર. એહી જ તત્ત્વ નિધન છે, એહી જ દર્શન સાર; તિણે ભવભૂપ જ મુંદીઓ, તે પામઈ ભવપાર. ઈણિ યાન જે લય થયા, તિણિ કાઢિ કર્મની કવિ, તપ જપ પણિ કિરિયા બહું, ન કર એહની હડિ. જ્ઞાન ક્રિયા દઉ નય મિલી, સાધઈ મુગતિને પંથ; એક નઈ જે સાધી, તે હાઈ ભવ પલિમ. Page #350 -------------------------------------------------------------------------- ________________ પંચમ પીઠ જાણઈ ચરણ ન આદર છે, તે પિણ ન લહઈ પાર; જિમ તારૂ જલમાં પડ્યા, ન તરઈ વિષ્ણુ ક્રિય વારિ શિક્ષિત નટ પણિ નવિ લહઈ, વંછિત દાન વિષ્ણુ નાચ તિમ જ્ઞાની પણિ વિણ ક્રિયા, ન લહે મુગતિની વાચ. જ્ઞાન વિના કિરિયા કહી, મંડૂચૂર્ણ સમાન; ખજૂયા પરિ તે તગમગઈ, પામઈ ભવ અહિડાંણ. અધ્યાતમ તસ જાણીશું, જે કઈ દઉ પ્રમાણ; એક એક જે સંગ્રહઈ, તે સ્યાદવાદ અયાણ. પદ પંચઈ પરમેષ્ટિનાં, ભાવઈ ઈણિવિધિ જે; તે નરભવ સફલ કરી, પરમભાવ લહે તે એહી જ અખય નિધાન ઈ, એહી જ સમતા કુંડ; જિણિ પરમાતમ લખ્યો, લિખ્યો તિણિ બ્રહ્માંડ એ પરમાતમ તે લહઈ, તે ભાવિત અણગાર; નિર્વિકલ્પ આરામમાં, જીવન મુક્તિ પ્રચાર. સાર અછાંઈ સવિ શ્રુતતણો, મહામંત્ર નવકાર; દ્રવ્યભાવથી શુદ્ધ જે, તસ મનિ એ આચાર. અર્થ છપ્પય એ અધ્યાતમ ભાવસાર, કરી તેણઈ જા, જિણઈ સુસ્થિત મહારાજ, દૃષ્ટિમાં જે પહિચા; ધર્મ બેધકર તાસ, શુદ્ધ રસવતીને કારક, કરણ દુહિતા તાસ, રોર જન દુખ નિવારક; વિમલાંજન સુનેત્ર, બિહું જ્યોતિ ઝલમલ કીજી, તત્ત્વ પ્રીતિકર નીર–પાનથી ભવદવ મંજી. 1. (23) Page #351 -------------------------------------------------------------------------- ________________ 272 અધ્યાત્મસારમાલા ઇમ અનુક્રમેં સુદ્ધ બોધ, યોગથી લહે સદાગમ, દિ પરમાન્ન વિશેષ, તેહથી ચરણની સાતિમ ધર્મધ્યાન સમર ચઢ, ગુણ ઠાણ સોપાન, ક્ષપકશ્રેણિ વર વજ, તેણિ સવિ દુસમન ગ્રામ, ત્રિવિધ અવંચક યોગથી, થઈ અયોગ નિવૃતિ લહઈ; પરમાનંદ વિલાસસ્, સદાકાલિ અક્ષય રહઈ. 2. (24) (ઉપસંહાર) સવિ ભવિજન એ ધ્યાન, પામીનઈ તૃભવ સુધારો. જ્ઞાનવિમલ ગુરુ વય, ચિત્તમાંઈ અવધારે; શ્રી શ્રીમાલી વંશ, રત્નસમ રામજી નંદન, નેમિદાસ કહઈ વાણી, લલિત શીતલ જિમ ચંદન; શિર રસ મુનિ વિધુ વરસ 1765 નો. માસ માધવ તૃતીયા દિન; એ અધ્યાત્મસાર મેં, ભર્યો ભાવ કરી શુભ મને. ગાહા પધડી. દર્શન જ્ઞાન ચરિત્ર તવ ચઉગુણ જિનસિદ્ધસૂરિ વાયગ મુનિ ગુણ પણ નવપદ એકી ભાવઈ માલા, ત્રિપદી સૂત્ર થકી સુવિશાલા. કલશ. ઈમ જિનમત આરાધો, કાજસાધે, ભવિક નિસુણું ભાવના. ગુણ ડાણિ વાધે, સુણો સાધો, કરો નિજમતિ પાવના; અધ્યાતમ ગુણની, એહ માલા, ભવિક જન કેહિ કવો, જિમ લહો મંગલ, લીલ માલા, અચલ અનુભવ અનુભવો. 1 ઈતિ અધ્યાત્મસારમાલા સંપૂર્ણ સર્વ ગાથા 108. ગ્રંથાચં ર૩૫. Page #352 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ ત્ર ક શુદ્ધ પ્રણ પંક્તિ 7 रौं लौं : ળ અશુદ્ધ ये पे रों लो રિય સ્ફરમાન સાધારણ આતમવીર્ય શમની નમી હોચે 9 X 1 કથા ભવિક જિનજી ઇમ સરલતાનો આધાર સમાજવાને અમુદ્રિત કૃતિમાં અન્તાનપાદ રિદય ક્રમાન સાધારણ આતમવી શર્મની નહી હો જે સંકથા ભાવક જનજી (કળશ) ઇમ સુરલતાને આધારિ સમજવાને કૃતિમાં અન્તનિ– પાદથી આવ્યા સંવેગનાજી અવિરત કરાવતો અઢાર य आत्मनि निर्विकल्पदर्शनो० , આવ્યું 0 8 સંવેદના અવિરતિ od કરતે અષ્ટાદશ यदात्मनि निर्विकल्पदशनो० 8 35 Page #353 -------------------------------------------------------------------------- ________________ [27] પૃષ્ઠ પંક્તિ છે. 0 છે ઈ 0 અશુદ્ધ પહેલા ગુણસ્થાનની સમાપ્તિ ચોથા ગુણસ્થાનની પ્રાપ્તિ હોય અનુભવે કર્મને કર્મોને પામે છે આવે છે ચિહ્ન છ ઇ 0 છ ઇ = ચિન્હ * * 47 वेकोऽयं 47 वेकोऽर्थ ન’ 50 9 '0 ફૂલપૂજાની કો 8 વિનયી વિનયી 54 વિનયી, વિનયી વિનયી, વિનય. 54 અહીં ફૂટનેટ કેન્સલ કરવી - 60 પંક્તિ 24 થી 30 સાવરણામાં...કચરામાં આવરણસહિત હવાથી 61 12 સાવરણામાં, વાસીદામાં ચાલી ગઈ આવરણસહિત હોવાથી હેવા છતાં, નહાવા બરાબર થઈ ભવને સમતાને વગર વગરનો ફલપૂજાની દેખત દેખતે જિનવર છે જિન કીજ 71 ગણધર ગુણધર ०चमत्कार कार. ०चमत्कार 25 ભવભવમાં ભવનમાં આમ નઃશુદ્ધિ આ મનઃશુદ્ધિ दुदख्या० दुदरव्या० 101 एवाय एवायं 106 થાનના દયાનની 116 ફરમાન કુરમાન 124 વાયુની વાયુને તૃપતિ નૃપતિ નિરોભાવ તિરોભાવ 144 ત્રિપદી ત્રિપદીના 148 e છે 17 \ નું છે \ 6 - | 2 4 6 ક 8 ન x 0 A Page #354 -------------------------------------------------------------------------- ________________ [275] શુદ્ધ અશુક્ર પૃષ્ઠ પંક્તિ 6 ... 158 159 206 231 233 આત્મવીર્ય આજ सोढावेश દીધું છે. છે નો પ્રાણાયામાદિન પાષાઇ કથા 237 237 253 254 254 0 જે o જે આત્મવીચે અજવ सोढाशेष० દીધું છે (તસ્વાનુશાસન) હીંદી પ્રાણાયામાદિક પાષઈ સંકથા (કળશ) કડી) ની અંતરનામ પરે થાપના પ્રોત થાપન તવ વૃત રહે, તે સ્વરૂપ સુદ્ધ અનંત સકલ સવિ સમતાનો 259 260 કળી કડીની અંતરનામઈ પરે થાપના થાપણ નવધૂત રહ્યા, તે સ્વરૂપી જે 0 - 0 છે સિદ્ધ આ 261 કે 1 અનાદિ સહજ શિવ સમતાના 7 % વિતા ચેતા 0 0 1 2 કર્મ નિજ બિરુદ પાયા થાયા - પ સાથી કર્મઈહ બિરુદ થાયા સવાયા સાખી રિદયાંનુજ ધન ગતરાગી મનિ પરઆશા તેલા ની પ 1 પ 0 પ હદયનુજ ઘન ગુણરાગી પદ મન આશા વેલે 264 0 4 જ 4 Page #355 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય વિકાસ મંડળ, વિલેપારલે, મુંબઈ. સંસ્થાની સ્થાપના અને તેનાં પ્રકાશનો. સ્થાપના શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડલની સ્થાપના તા. ૧૫-૮-૧૫ના રોજ સોસાયટીઝ રજીસ્ટ્રેશન એકટ 1860 નીચે રજીસ્ટર કરાવીને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ નં 3092 નીચે કરવામાં આવી છે. તેનું સંચાલન સોસાયટીના મેમોરેન્ડમ, રૂસ અને રેગ્યુલેશન અનુ. સાર કાર્યવાહક સમિતિ દ્વારા થઈ રહેલ છે. જેના સભ્યો હાલ નીચે પ્રમાણે છે. 1. શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દેશી. (પ્રમુખ) 2. શેઠશ્રી ભેગીલાલ લહેરચંદ ઝવેરી. 3. શેઠશ્રી મૂળચંદ વાડીલાલ. 4. શેઠશ્રી રસિકલાલ અમૃતલાલ દોશી. 5. શેઠશ્રી ચંદ્રકાન્ત અમૃતલાલ દોશી. 6. શ્રી રમગ્રિકલાલ ચુનીલાલ શાહ. આ મંડલને તા. ૨૩-૩-૧૯૫૫ના રોજ મુંબઈ પબ્લિક ટ્રસ્ટ એકટ અનુસાર રજીસ્ટર કરવામાં આવેલ છે. તેના સર્ટિફિકેટને નં. ' 416 (Bon.) છે. મંડળને દર ત્રણ વર્ષે આવકવેરાથી મુકત થવાના સર્ટિફિકેટ મળે છે. ઉદેશ– મંડલની સ્થાપનાને મુખ્ય ઉદ્દેશ જૈન દર્શન વિષેના સાહિત્યનું સંશોધન અને પ્રકાશન કરવાને છે. તેમાં પણ જૈનસિદધાત, યોગ અને ધ્યાન વિષયક સાહિત્યને મહત્ત્વના સ્થાને રાખવામાં આવેલ છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીરને ઉપદેશ તથા તેમના દ્વારા પ્રતિપાદિત કરાયેલા સિધાનતે તેમજ આચાર વિચારના સંબંધમાં જૈનાચાર્યો તથા વિદ્વાનોએ જે વિપુલ સાહિત્યનું નિર્માણ કર્યું છે તેને પ્રકાશમાં લાવવું અને તે માટે, આવા સાહિત્ય સાથે સંબંધ ધરાવતી પ્રાચીન હસ્તલિખિત પ્રતિ પ્રાપ્ત કરવી. તેને સંશોધિત સંપા. દિત અને પ્રકાશિત કરીને જનસમૂહમાં તેને પ્રચાર કરવાની દિશામાં મંડલે કાર્યો કર્યા છે અને કરી રહેલ છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ 277] ઈ. સ. 1971 સુધીમાં મંડલ દ્વારા 23 ગ્રંથ પ્રકાશિત થઈ ચૂકયા છે અને અન્ય અનેક ગ્રંથે જુદા જુદા પ્રેસમાં છપાઈ રહ્યા છે, જેનું પ્રકાશન સમયે સમયે થતું રહેશે. કાર્યાલય– ગૃહત્ મુંબઈ વીલેપારલે, ઈરલામાં સ્વામી વિવેકાનંદ રોડ ઉપર સંસ્થાનું વિશાલ પ્રાંગણ તથા ઉદ્યાન યુકત નિજી મકાન છે. અહીં સંસ્થાનું કાર્યાલય તથા એક સમૃદ્ધ પુસ્તકાલય છે. આ પુસ્તકાલયમાં આગમ, સ્તોત્ર, પ્રકરણ, પૂજા, કથા, પ્રબંધ, રાસ, ચરિત્ર, વ્યાકરણ, ન્યાય, કાવ્ય, નાટક, અલંકાર, છંદ, સંગીત, જ્યોતિષ, યોગ, ધ્યાન આદિ અનેક વિષયોના બહુમૂલ્ય ગ્રંથ તથા કે સંગૃહીત કરાયા છે. વૈદિક, તાન્ત્રિક તથા બૌદ્ધ આદિ જેનેતર સાહિત્યના પણ મહત્વપૂર્ણ ગ્રંથને અહીં સંગ્રહ છે. ઉપરાંત અનેક દુર્લભ હસ્તલિખિત પ્રતિએની ટેરટેટિક કોપીઓને પણ સારો એ સંગ્રહ છે. મંડળ તરફથી આજ સુધી નિમ્નલિખિત ગ્રન્થો પ્રકાશિત થવા પામ્યા છે. શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ દ્વારા અદ્યાવધિ પ્રકાશિત ગ્રંથે. (1) પ્રતિક્રમણની પવિત્રતા પ્રતિક્રમણ સૂત્રોના રચયિતા, તેની આવશ્યકતા, પ્રતિક્રમણની ચારિત્ર ઉપર અસર વગેરે વિષયોની વિશદ મીમાંસા કરી અનેક શંકાઓના શાસ્ત્રીય સમાધાન આમાં આપવામાં આવ્યાં છે. વિ. સં. 2007 મૂલ્ય રૂ 0-62 (2) પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા ભા. 1 લ– પ્રતિક્રમણ સૂત્રોના અષ્ટાંગ વિવરણને સમાવતા આ પુસ્તકના ત્રણ ભાગ પછી આ પ્રથમ ભાગમાં નવકાર મંત્રથી આરંભી ગરિહંત વેચાણ સુધીનાં સૂત્રો સામેલ કરવામાં આવ્યાં છે, કાત્સગ ઉપર પુષ્કળ પ્રકાશ પાડવામાં આવ્યો છે. પૂજાની પરિભાષા સમજાવાઈ છે, આલંબન ચગનું રહસ્ય દર્શાવાયું છે. આ ભાગના પાંચેય પરિશિષ્ટ ફરી ફરીને વાંચવા જેવાં છે. વિ સં. 2007 મૂલ્ય રૂ. 5-00 * (3) પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા ભા. 2 જે આ બીજા ભાગમાં ‘મવાનદ્દે થી આરંભી મરર સુધીનાં સૂત્રો સમાવિષ્ટ કરાયાં છે. પંચાચાર અને શ્રાવકધર્મ ઉપર પુષ્કળ પ્રકાશ પાથરેલ છે. - લઘુશાન્તિ ઉપર 100 પૃષ્ઠ જેટલું વિવેચન કરી તેના પદે પદનું રહસ્ય સમજાવી તેમાં રહેલા મ ના અર્થનું ઉદ્દઘાટન કરાયું છે. મૂલ્ય રૂા 5-00 1 2 આ નિશાનાવાળા ગ્રન્થો અપ્રાપ્ય છે. Page #357 -------------------------------------------------------------------------- ________________ [28] (4) પ્રતિકમણ સૂત્ર પ્રબોધટીકા ભા. 3 જે-- મન્નg જિળા” થી આરંભી પ્રતિક્રમણના અવશિષ્ટ સર્વ સૂત્રો આમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઉપરાંત અનેક મહત્વના વિષયો આમાં ચર્ચવામાં આવ્યા છે. અજિત. શાન્તિ સ્તવ ઉપર અદભુત પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રાચીનમાં પ્રાચીન પ્રતિઓના આધારે સંતિવા સ્તવને પાઠ સુધારીને મૂકવામાં આવ્યો છે. પાંચેય પ્રતિક્રમણની વિધિ તથા હેતુઓ સ્તવનાદિ સંગ્રહ તથા અનેક પરિશિષ્ટ સમુચિત રીતે અપાયા છે. 2400 પૃષ્ઠ પ્રમાણ આ 3 ગ્રંથ એક યાદગાર કૃતિ સમા છે. વિ. સં. 2009. મૂલ્ય રૂા. 5-00 * (5) પંચ પ્રતિક્રમણ સૂત્ર (પ્રધટીકાનુસારી) ગુજરાતી આવૃત્તિ– પાંચેય પ્રતિકમણના સૂત્રોના પ્રત્યેક શબ્દના અર્થ, સમુદાયાર્થ, અર્થ રહસ્ય, સૂત્ર પરિચય, વિધિઓ તથા અન્ય સર્વ ઉપગી વિષયોને સમાવતું શુદ્ધ પ્રકાશન છે. 640 પાનાને દળદાર ગ્રંથ. વિ. સં. 2010. મૂલ્ય રૂા. 2-00 (6) પંચ પ્રતિક્રમણ સૂત્ર તથા નવસ્મરણ. (આવૃત્તિ બીજી) હીન્દી આવૃત્તિ પાંચેય પ્રતિક્રમણના સૂત્રોને શબ્દાર્થ, અર્થસંકલના, સૂત્ર પરિચય, વિધિઓ, ઉપયોગી વિષય, નવસ્મરણે, ચૈત્યવંદન તથા સ્તુતિએ વગેરેનો સમાવેશ કરતું આ સર્વાગ શુદ્ધ પ્રકાશન છે. વિ. સં. 2025. મૂલ્ય રૂા. 5-00 * (હ) સચિત્ર સાથે સામાયિક શૈત્યવંદન. (આવૃત્તિ બીજી) સામાયિક તથા ચૈત્યવંદનના સૂત્રોનું વિશિષ્ટ રીતે, સરળ, બાળભોગ્ય ભાષામાં વિવેચન કરી, જરૂરી ચિત્રો દ્વારા તેની સમજૂતી આપવામાં આવી છે. વિ. સં. 2024. મૂલ્ય રૂા. 1-25 (8) યોગપ્રદીપ. લગભગ દોઢસો શ્લોક પ્રમાણે આ પ્રાચીન ગ્રંથ યોગ જેવા ગહન વિષય ઉપર ગંભીર પ્રકાશ પાડે છે. આમાં પ્રાચીન ગુજરાતી બાલાવબોધ તથા અર્થ સમજૂતી દ્વારા વિશિષ્ટ વિવેચન છે. વિ. સં. 2017 મૂલ્ય રૂા 1-50 * 9) ધ્યાન વિચાર (સચિત્ર) આ નાનકડો ગ્રંથ ધ્યાન અંગેના તદ્દન અપરિચિત 24 પ્રકારે દર્શાવી, જૈન દર્શને ધ્યાનના વિષયમાં જે વિશદ ચિતન દર્શાવ્યું છે, જે ગૂઢ રહસ્ય દાખવ્યાં છે તેને પ્રકટ કરે છે. ધ્યાનના વિષય પર આ પ્રકાશ પાથરનાર કેઈ ગ્રંથ આજ સુધી પ્રાપ્ત થયેલ નથી. વિ. સ. 2017 મૂલ્ય-સ્વાધ્યાય Page #358 -------------------------------------------------------------------------- ________________ [27] (10) તત્ત્વાનુશાસન, ( ગુજરાતી અનુવાદ સહિત)– ધ્યાનના પ્રત્યેક અભ્યાસ માટે આનું વાચન અત્યંત જરૂરી છે. ધ્યાનના વિષયની સંપૂર્ણ છણાવટ કરતા આ ગ્રંથમાં વ્યવહાર ધ્યાન, નિશ્ચય ધ્યાન વગેરેનું સુંદર વર્ણન છે. વિ. સં. 2017 મૂલ્ય રૂ. 1-00 (11) નમસ્કાર સ્વાધ્યાય. (સચિત્ર) [ પ્રાકૃત વિભાગ]– શ્રીપંચમંગલ મહામૃતસ્કન્ધ અર્થાત્ શ્રી નવકાર મહામંત્રની યથાર્થ સ્વરૂપમાં વ્યવસ્થિત સમજ આપતાં અનેક પ્રાકૃત સ્તોત્રો, યંત્ર, મંત્રો તથા ચિત્રોને આમાં અને સંગ્રહ છે. નમસ્કાર વિષયક પ્રાચીન શ્રેષ્ઠ સાહિત્યને, ગુજરાતી અનુવાદ સાથેનો આ અભૂતપૂર્વ સંગ્રહ છે. વિ. સં. 2017 મૂલ્ય રૂા. 20-00 (12) ઋષિમંડલ સ્તવયંત્રાલેખન. મત્ર વિજ્ઞાનમાં સિદ્ધ, ચૌદમી શતાબ્દિના સમર્થ માંત્રિક, આચાર્યશ્રી સિંહતિલકસૂરિની આ કૃતિ છે, આમાં ઋષિમંડલયંત્રનું આલેખન કરવાની વિધિ સરળતાથી સમજાવવામાં આવી છે. 11 પરિશિષ્ટો તથા સરળ ગુજરાતી અનુવાદ સાથે આ ગ્રંથ સાધકોને અતિ ઉપયોગી છે. વિ. સં. 2017 મૂલ્ય રૂા. 3-00 (13) રાષિમંડલ યત્ર. (ત્રિરંગી આર્ટ પેપર ઉપર)– આચાર્ય શ્રી સિંહતિલકસૂરિએ નિર્દિષ્ટ કરેલ આમ્નાય અનુસાર દેરવામાં આવેલ ઋષિમંડલ યંત્રને ત્રણ રંગોમાં સુંદર રીતે આર્ટ પેપર ઉપર છાપવામાં આવેલ છે. વિ. સં. 2017. મૂલ્ય રૂ. 1-00 (14) નમસ્કાર સ્વાધ્યાય. (સચિત્ર) [ સંસ્કૃત વિભાગ ] શ્રી નવકાર મહામંત્ર અંગેના 43 પ્રાચીન સંસ્કૃત સ્તોત્રો તથા સંદર્ભોને આ મહાકાય ગ્રંથમાં સમાવિષ્ટ કરાયા છે. શ્રી નવકાર મહામંત્રની વિશેષતાઓ જાણવા ઈચ્છતા અભ્યાસીઓ તથા આરાધકો માટે આ ગ્રંથ અતિ ઉપયોગી છે. વિ. સં. 2019. મૂલ્ય રૂા. 15-00 * (24) A comparative study of the jaina theories of reality and knowiedge. By-Y. J. Padmarajiah જૈન દર્શનની અન્ય દર્શને સાથે તુલના કરી તેના પર વિશદ વિવેચન કરતા આ નિબંધ (થીસીસ) પર ઓકસફર્ડ યુનિવર્સિટી દ્વારા લેખકને M A. D. Phil ની પદવી એનાયત થયેલ છે. અતિ ઉપયોગી આ ગ્રન્થની સેંકડો પ્રતિઓ પરદેશમાં ગયેલ છે. . સ. 1963, મૂલ્ય રૂા. 15-00 Page #359 -------------------------------------------------------------------------- ________________ (280 ] (16) સર્વસિદ્ધાન્તપ્રવેશક છ એ ભારતીય દર્શનનું ટૂંકું પણ સચોટ વિવેચન કરતે આ ગ્રંથ અગ્યારમી શતાબ્દીમાં જૈન મુનિએ રચેલ છે, જે દર્શનેનું જ્ઞાન મેળવવાના ઈચ્છુક માટે બાળપથી જે છે. વિ. સં 2020 મૂલ્ય રૂા. 1-00 (17) જિનસ્નાત્રવિધિ તથા અહંદભિષેકવિધિ (1) લગભગ એક હજાર વર્ષો પૂર્વે થયેલા આચાર્ય શ્રી જીવદેવસૂરિની પ્રાકૃત કૃતિ સમુદ્રસૂરિની સંસ્કૃત પંજિકા સાથે તથા. (2) વાદિવેતાલ આચાર્યશ્રી શાન્તિસૂરિની સંસ્કૃત કૃતિ, શીલાચાર્ય કૃત સંસ્કૃત પંજિકા સાથે. આ ઉભય ગ્રંથે ગુજરાતી અનુવાદ, વિરતૃત પ્રસ્તાવના, ઉપયોગી અનેક પરિશિષ્ટ સાથે સંપાદિત કરાયા છે. વિ. સં. 2021 મૂલ્ય રૂા. 2-00 * (18) લોગસ્સ સત્ર સ્વાધ્યાય ચોવીસેય અહંતુ ભગવંતના વંદન માટેના આ લોગસ્સ સૂત્ર અંગે અત્યાર સુધીના પ્રાચીન ગ્રંથમાં પ્રાપ્ત થતા સાહિત્યનું આમાં સર્વતે મુખી વિવેચન કરવામાં આવ્યું છે. ઉપરાંત પ્રશ્નોત્તરે, પ્રકીર્ણ વિચારે, આવશ્યક સઘળી માહિતી, તેત્રો, સન્ના, કલપ વગેરે વિવિધ સામગ્રીથી સભર આ ગ્રન્થ સ્વાધ્યાય રસિકો માટે અતિ આદરણીય બન્યા છે. વિ. સં. 2022 મૂલ્ય રૂા. 7-00 (19) ગસાર લગભગ 500 વર્ષો પૂર્વે જૈન મુનિવરે રચેલ આ ગ્રંથમાં ધર્મને ટૂંક સાર દર્શાવવામાં આવ્યો છે. ગુજરાતી અનુવાદ સાથેની આ પુસ્તિકા અતિ ઉપયોગી છે. વિ. સં. 2023 મૂલ્ય રૂ. 2-00 (20) Praman-Nava-Tattvalokalamkar with english translation અગ્યારમી શતાબ્દીના મહાસમર્થ દિગ્ગજ વાદી આચાર્ય શ્રી વાદિદેવસૂરિએ રચેલ જૈન દર્શનના પ્રમાણ, નય, નિક્ષેપ વગેરેનું વિવેચન કરતા આ મહાગ્રંથરાજમાં જૈન દર્શનનું અતિ સ્પષ્ટ વિવેચન છે. સંસ્કૃત ગ્રંથનું અંગ્રેજી ભાષામાં આ પ્રથમ વાર રૂપાન્તર છે. સન. 1967. મૂલ્ય રૂા. 20-00 (21) યોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશનું સવિસ્તર વિવરણ (વિભાગ 1 ) કલિકાલસર્વજ્ઞ, આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ વિરચિત ગશાસ્ત્રના આડમાં પ્રકાશના 1 થી 17 શ્લોકમાં દર્શાવેલી પદસ્થ દયાનની પ્રક્રિયાનું આમાં સુંદર વિવેચન છે, કુંડલિની માટે પ્રાપ્ત થતા જૈન પાઠો એકત્ર કરી રજૂ કરાયા છે, ધ્યાનની એક સળંગ પ્રક્રિયા દર્શાવાઈ છે. ધ્યાન અને યોગના અભ્યાસીઓ માટે આ એક મનનીય ગ્રંથ છે. વિ. સં. 2025 મૂલ્ય રૂા. 15-00 Page #360 -------------------------------------------------------------------------- ________________ | 281] (22) સરિમંત્રકલપસમુચ્ચય. (પ્રથમ ભાગ) અનેક પૂર્વાચા રચિત સૂરિમંત્ર અંગેના વિવિધ સાહિત્યને સમાવતા આ ગ્રંથમાં સૂરિમંત્રના પાંચ કપને પાઠાંતરે આદિથી શુદ્ધ કરી મુદ્રિત કરવામાં આવ્યા છે. જે પિકી ત્રણ કપ તે પ્રથમવાર જ પ્રકાશિત થાય છે. સૂરિમંત્ર અંગે આ એક આકર ગ્રંથ છે. વિ. સં. 2025. મૂલ્ય રૂા. 20-00 (ર૩) ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય, [ સચિત્ર-યંત્ર.] શ્રતકેવલી, આચાર્ય, શ્રી ભદ્રબાહુવામી પ્રણત, મહાપ્રાભાવિક શ્રી ઉવસગ્નહર તેત્રનું સર્વતોમુખી વિવરણ આ ગ્રંથમાં સર્વ પ્રથમ જ ઉપલબ્ધ થાય છે. સ્તોત્રની ગાથાઓના વિવિધ અર્થો, તેત્ર સાથે સંબદ્ધ અનેક જરૂરી વિષયે, ગાથાઓનું વાસ્તવિક પરિમાણ, પરિશિષ્ટ, સ્તોત્રે, 21 રંગીન યંત્રો, બહુરંગી ચિત્રો વગેરે વિપુલ સામગ્રીથી સમૃદ્ધ આ ગ્રંથ પ્રત્યેક સાધક તથા અભ્યાસી માટે અતિ આવશ્યક છે. વિ. સં. 2027 મૂલ્ય રૂા. 10-00 Page #361 -------------------------------------------------------------------------- ________________ 1. Page #362 -------------------------------------------------------------------------- ________________ lain Education Interational www.jano y org