SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ 3/19 ( પિંડસ્થાદિ ધ્યાનથી ગુણો પ્રગટે.) મૂળ - પિંડસ્થાદિક થાન ગણે આવી મિલે છે, કિં ગુરુ, પુલક આનંદ અનુભવ તે આવી ભલે રે, કિં તે; વ્યાપે સમતાભાવ ઉદાસપણું ભજે રે, કિં ઉo, જે કુવાસિત સંગતિ બાલકની ત્યજે રે, કિં બા.૧૯ ટો - પિંડસ્થ, પદસ્થાદિક ધ્યાનના ગુણ આવીનઈ આશ્રયઈ જેતલું છદ્મસ્થ સ્વરૂપ ધ્યાવું તે પિંડસ્થાવસ્થા 1. પદસ્થાવસ્થા તે ઘાતીના અભાવથી થયું તે સ્વરૂપ 2. રૂપસ્થ તે - અહીં થેય અધ્યાહાર છે. એય એટલે ધ્યાનનું આલંબન. તેને વિદ્વાનોએ ચાર પ્રકારનું જણાવ્યું છે. શરીર, પદય રૂપરથ, અને રૂપાતીત.“ શરીરશ્ય' એટલે કે શરીરગત. શરીરગત ધ્યેયનો દાખલો નીચે પ્રમાણે છે. શારીરિક સપ્ત ધાતુ વિનાના, પૂર્ણ ચંદ્ર જેવી નિર્મળ કાંતિવાળા, તથા સર્વજ્ઞ ભગવાન જેવા શુદ્ધ આત્માનું શુદ્ધ બુદ્ધિથી ચિંતન કરવું. અમુક પદો અથવા અક્ષરનું જપપૂર્વક ધ્યાન, ‘પદસ્થળેય ’નું ધ્યાન કહેવાય છે. અહંત ભગવાનના રૂપને અવલંબીને કરેલું ધ્યાન “રૂપથ ય”નું ધ્યાન કહેવાય છે. તે જેમકે -જેને મોક્ષશ્રી પ્રાપ્ત થયેલી છે, જેનાં અખિલ કર્મો નાશ પામ્યાં છે, જેને ચાર મુખ છે, જે સમસ્ત ભુવનને અભયદાન દેનારા છે, ચંદ્રમંડળ જેવી કાંતિવાળાં જેને ત્રણ છત્ર છે, પિતાને ફુરતા તેજના વિસ્તારથી જેણે સૂર્યને ય ઝાંખો કરી દીધો છે, જેની સામ્રાજ્યસંપત્તિનો ઘોષ દિવ્ય દુંદુભિઓ વડ થઈ રહ્યો છે, ગુંજારવ કરતા ભમરાઓથી મુખર બનેલા અશોક વૃક્ષ નીચે સિંહાસન ઉપર જે બેઠેલા છે, જેમને ચામર વીંઝાઈ રહ્યાં છે, સુરાસુરના મુકુટમણિઓથી જેમના પગના નખ પ્રતિબિંબિત થઈ રહ્યા છે, દિવ્ય પુષ્પોના સમૂહથી જેમની સભાની જમીન ઢંકાઈ ગઈ છે, જેમના મધુર અવાજનું પાન મૃગલો ઊંચે કંઠે કરી રહ્યાં છે, જેમની સમીપમાં હાથી સિંહ વગેરે પ્રાણીઓ પિતાનું સહજ વૈર ભૂલીને ઊભાં છે, જેમની આસપાસ દેવ મનુષ્ય અને તિર્યંચોને મેળો જામે છે, જેમનામાં સવ " અતિશયો’ એટલે કે વિભૂતિઓ મોજૂદ છે, તથા જે કેવળજ્ઞાનથી પ્રકાશિત છે. (9/1-7). એ જ પ્રમાણે જિનેન્દ્રની પ્રતિમાના રૂપનું ધ્યાન કરનારો રૂપસ્થ ધ્યાન કરનારો કહેવાય. તે જેમકે -રાગદ્વેષ, મહામહ વગેરે વિકારોથી અકલંકિત, શાંત, કાંત, મનોહર, સવ લક્ષણયુક્ત, અન્ય તીર્થિકોને ભાન પણ નથી એવી ગમુદ્રાની શેભાયુક્ત, તથા જેની આંખોમાંથી અદ્દભૂત તેમ જ વિપુલ આનંદ પ્રવાહ વરસી રહ્યો છે વગેરે ( 8-10 ). અભ્યાસયોગ વડે પોતાના તે ધ્યેય સાથે તન્મયતા પામેલે વેગી પોતાના આત્માને સવજ્ઞરૂપ --બનેલ જુએ છે; તથા આ સર્વજ્ઞ ભગવાન હું પોતે જ છું એમ જાણે છે. એવી તન્મયતાને પામેલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy