SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ [242] ઢાળ 7/4 ગુણ, દેષ અને તેનાં કારણેને સમ્યગૂ વિવેકથી આત્મામાં તથારૂપ દશાપૂર્વક નિશ્ચય વર્તવો એ જ સમ્યગદર્શન સહિત સમ્યગૃજ્ઞાન છે તથા દેષના કારણેને છોડી ગુણના કારણેને હેયે પાદેયના વિવેકપૂર્વક પરમ આદરભાવે ચણ કરવા એ જ સમ્યફ. ચારિત્ર છે. એ ત્રણેયની ઐકયતારૂપ આત્મદશા વર્તવી તે મોક્ષમાર્ગ છે. સમ્યગદર્શનના સભાવથી જ ગૃહસ્થધને અથવા મુનિધર્મને ધર્મ કહેવાય છે. એ વિના બંને પ્રકારના ધર્મને વસ્તુતઃ ધર્મ કહેવા નથી. જડ તથા ચૈતન્યને ભિન્ન સમજીને જ્યારે આત્માની સન્મુખ વલણ થાય છે, ત્યારે જ જૈનમાર્ગમાં પ્રવેશ કરી શકાય છે અને તેમાં આગળ વધ્યા પછી જ શ્રાવક અને શ્રમણ આદિની ભૂમિકાઓ - અધિકારે શરૂ થાય છે. આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે, કેમકે - તે વિના પરમાર્થ આવિર્ભીત થ કઠણ છે અને તે કારણે વ્યવહાર - દ્રવ્ય સંયમરૂપ સાધુ શ્રી જિને ઉપદેશ્ય છે. સમ્યફવગુણ હોય તે જ પરમાર્થથી મનની શુદ્ધિ કહેવાય છે-થાય છે. જયારે સમ્યક્ત્વ વિના મનની શુદ્ધિ મોહગર્ભિત હેઈ ઉલટી બંધન કરનારી થાય છે. સમકિતથી સગુણની પ્રાપ્તિ થાય છે અને સદગુણની પ્રાપ્તિથી સમદષ્ટિપણું પ્રાપ્ત થાય છે. કીકી વગરનું નેત્ર અને સુગંધ વગરનું પુષ્પ જેમ નકામું છે, તેમ સમ્યકત્વ વગરની ધર્મક્રિયા નકામી માની છે. દાનાદિ ક્રિયાઓ કરવાથી મોક્ષફળ મળે છે, પણ તેમાં સમ્યફ જ સહાયક છે. સમ્યજ્ઞાન કહે કે આત્મજ્ઞાન કહે, તે આત્માનું ખરૂં હિત સાધી શકે છે. જયારે એવી સાચી કરણ આત્મા સાથે એક રસ થાય છે, ત્યારે તે જલ્દી જીવને જન્મ-મરણના દુઃખથી મુક્ત કરાવી શકે છે. જેમ જળમાં જળને રસ સાથે જ મળી રહે છે, તેમ જ્ઞાનમાં સાચી કરણી પણ સાથે જ મળી રહે છે. પૂ૦ ઉ૦ મ૦ કહે છે કે - “ક્રિયા બિના જ્ઞાન નાહિં કબહુ, જ્ઞાન ક્રિયા બિનુ નાહિ; ક્રિયા જ્ઞાન દોઉ મિલત રહેતુ હૈ જ્યાં જલરસ જલમાંહી.” - મોક્ષાભિમુખ આત્માએ પોતાના જ્ઞાનને ઉગ સમભાવની પુષ્ટિમાં કરે છે પણ સાંસારિક વાસનાની પુષ્ટિમાં કરતા નથી, જેથી તેમનું જ્ઞાન અપ હેય તે પણ સમ્યક દર્શન પૂર્વકનું હોવાથી સત્ય જ્ઞાન છે. તેથી ઉલટું સંસારાભિમુખ આત્માનું જ્ઞાન ગમે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy