SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ (215 1 ઢાળ 7/11 અને “લીલા” શબ્દ અનુક્રમે ગૂંથીને આ નામ દર્શાવાયું છે. તદુપરાંત ગ્રંથની સમાપ્તિમાં “ઈતિ શ્રી પંચ પરમેષ્ટી મંત્રરાજ થયાનમાલા” –એ પ્રમાણે દર્શાવીને “અનુભવ લીલા” તથા “બાલ વિલાસ” એમ બે વિશેષ નામે અસંબદ્ધ મૂકાયા છે તે ઉપરથી સમજાય છે કે “અનુભવ લીલા” એ ગ્રંથનું અપર નામ છે અને “બાલ વિલાસ” એ ટબાનું અપર નામ છે. અનુભવ એ આધ્યાત્મિક શાસ્ત્રોમાં અતિ મહત્વને શબ્દ છે. તેને કેઈ સાક્ષાત્કાર અથવા અપક્ષ આત્માનુભૂતિ પણ કહે છે. ગીને આત્મા વડે આત્માનું જે વેદ્યત્વ અને વેદકત્વ થાય છે તેને યોગીશ્વરએ વસંવેદન આત્માનુભવ અથવા આતમદર્શન કહ્યું છે. એ સ્વ–પર તિરૂપ હોવાથી તેનું બીજું કોઈ કારણ નથી. અનુભવદશા એ સ્વયંવેદ્ય છે. તે શબ્દ દ્વારા વાચ્ય નથી, મન દ્વારા ગમ્ય નથી, ચક્ષુ દ્વારા દશ્ય નથી છતાં તે નિષેધ્ય તે નથી જ. પાંચમી ઢાળને અંતે એટલે તેની બાવીસમી કડીના ટબામાં શ્રી જ્ઞાનવિમલસૂરિએ તેમના ભક્ત શ્રી નેમિદાસને નીચે દર્શાવેલા શબ્દો વડે અનુભવનું પ્રમાણપત્ર આપ્યું છે પિતાને પણિ કાંઈક અનુભવ સિદ્ધિ આતમ સ્વરૂપી હુંતઈ.” શ્રી નેમિદાસે પ્રસ્તુત રસ અથવા કાવ્ય દ્વારા આત્માનંદ માટેનું સાહજિક ખેલન, ૨મણ કે કીડા કરી તેને લીલા તરીકે અહી દર્શાવી છે. લીલા-fસ્ટ ચાતિ શુતિ રીઢા (શ૦ ચિ) એમ સામાન્ય રીતે લીલા શબ્દને સમજાવી શકાય. “જેનાથી દૂર જવાનું મન થાયજ નહીં” “જેમાં તન્મય બની જવાય” અને ‘જેનું આલંબન પ્રાપ્ત કરાય” એવા અર્થો આ વ્યુત્પત્તિ આપે છે. અને શ્રીરા એ પ્રકારે પણ શબ્દ નિષ્પત્તિ કરાય છે. (અ. ચિં) આ લીલા બે પ્રકારની હોઈ શકે—પ્રકટ, તથા અપ્રકટ, વ્યક્તિ તથા અવ્યક્ત. બાહ્ય તેમ જ આંતર ઈન્દ્રિયોને અગમ્ય એવી આત્મ-૨મણતા જે શ્રી નેમિદાસે કરી હોય તે અહીં અપ્રસ્તુત છે. પણ તેનું જે કાવ્ય દ્વારા નિરૂપણ કર્યું તે અહીં પ્રસ્તુત છે. તે પ્રકટ તથા વ્યક્ત છે. પરમાત્માની પ્રાપ્તિ અર્થે પ્રયોજાતી સમ્યગદર્શનની રસમય વિશિષ્ટ કીડા તે જ અહીં “લીલા” છે. જે ક્રીડામાં મંત્રરાજના ધ્યાનને એકને એક રસ અનેક રસરૂપે થઈને અનેક રસનું આસ્વાદન કરે છે, કરાવે છે. અર્થાત્ તેમાં એક રસ રસસમૂહરૂપે પ્રકટ થઈને પોતે જ આસ્વાદ-આસ્વાદક, લીલા-ધામ, આલંબન-ઉદ્દીપન આદિ સ્વરૂપે કીડા કરે છે. તેની ક્રીડા તે જ લીલા. આત્મા કેવળજ્ઞાનસ્વરૂપ હેવાથી અનુભવવૃત્તિ તેની આગળ પિતાના કાર્યમાં પંગુ - બની જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy