________________ [8] ઢાળ 3/3 નિય વિના કરી ન સકીઇ. જિહાં મન હેઇ તિહાં પવન હેઈ અનઈ પવન હેઈ * પવન નિ જયપવન જ્ય કરવાને ઉપાય. પવન તો એકનો એક જ છે પણ તે જુદા જુદા સ્થાને રહેતો હોવાથી તેનાં નામે જુદા જુદા પાડવામાં આવે છે, જેમકે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન-આ પાંચ પવન છે. શ્વાસે છવાસને વ્યાપાર કરનાર પ્રાણુ પવન છે. મૂત્ર, વિટાપ્રમુખને શરીરની બહાર કાઢનાર અપાન વાયું છે. અન્નપાણીથી ઉત્પન્ન થતા રસને એગ્ય સ્થાને પહોંચાડનાર સમાન વાયું છે. સાદિને ઊંચે લઈ જનાર ઉદાન વાયુ છે અને આખા શરીરમાં વ્યાપીને રહેલે વ્યાન વાયુ છે. પ્રાણવાયુ હૃદયના ભાગમાં રહે છે, અપાનવાયુ ગુદાના ભાગમાં રહે છે, સમાનવાયુ નાભિ આગળ રહે છે, ઉદાનવાયુ કંઠના ભાગમાં રહે છે, વ્યાનવાયુ ચામડીના તમામ ભાગોમાં રહે છે. - આ પાંચે વાયુને ય કરવા માટે, પાંચ બીજ મંત્ર છે. ચે, પૈ જૈ o ઢ અનુક્રમે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન તે એક એકનો એક એક બીજમંત્ર છે. સિદ્ધાસન કરી બેસવું, બહારથી નાસિકાઠારા પવન અંદર ખેંચો, જે પવન સિદ્ધ કરેલો હેય તે પવનના સ્થાન ઉપર તે પવનને રોકવા, હડપચી નીચી નમાવી છાતીના ભાગ પર રાખવી, જેથી પવન માથા ઉપર ચડી ન જાય કે તરત નીકળી ન જાય. પછી તે પવન રેકેલા સ્થાન પર તેના મંત્ર બીજને જાપ કરવો. તે મંત્ર જાપ મનથી કરવો અને આંતરદષ્ટિથી તે મંત્ર-અક્ષરની આકૃતિ-અંદર દેખાય તેમ જોયા કરવું. પવન ન રોકી શકાય ત્યારે ધીમે ધીમે પાછો છોડી દેવો. ફરી પાછો તે જ રીતે પૂરા અને તે જ સ્થાન પર રોક. ત્યાં પાછો મંત્ર બીજને જાપ કરવો. અને તેની આકૃતિ તે તે સ્થાનમાં જોયા કરવી. અકળામણ થતાં ધીમે ધીમે પવન છેડી દે. આ પ્રમાણે તે તે પવનના સ્થાનમાં અનુકમે અભ્યામ કરવાથી પાંચે પવનનો જય થાય છે. પવનજય કયારે થઈ રહે છે, તેના વખતનું માપ આપી શકાતું નથી. કોઈ સંસ્કારી જીવને થોડા વખતમાં જય થાય છે. કોઈને વધારે વખત લાગે છે. તથાપિ તેના ફળની પ્રાપ્તિ થાય ત્યારે જય થયો સમજવો. પ્રાણવાયનો જય થવાથી જઠરાગ્નિ પ્રબળ થાય છે, શરીર હલકું લાગે છે, દમ ચડતો નથી. સમાન અને અપાન બે નજીક આવેલા છે. એકની હદ પૂરી થતાં બીજાની હદ શરૂ થાય છે. બધા પવન માટે તેમજ સમજાય છે. સમાન વાયુનો જય થવાથી ગડગૂમડ અને ધા આદિના ઘણા રુઝાઈ જાય છે, હાડ ભાંગેલું પણ સંધાઈ જાય છે, અને ઉદરને અગ્નિ પ્રદીપ્ત થાય છે. અપાનના જયથી મળમૂત્રાદિ ઘણાં અલ્પ થાય છે. ખાધેલ ખેરાકને બધે રસ શરીરના પાવણમાં ઉપયોગી થાય છે, અને બાકીના કૂચા તરીકે મળ થડ જ રહે છે, તથા ગુદાના રોગોનો નાશ થાય છે. ઉદાનવાયુના જયથી પ્રાણને બહાર કાઢી શકાય છે, દશમા દ્વારથી પ્રાણ ત્યાગ કરી શકાય છે, પાણી તથા કાદવથી શરીરને બાધ થતો નથી. વ્યાનવાયુના જયથી ટાઢ કે તાપ લાગતા નથી. ગમે તેવો તા હોય કે ગમે તેવી ટાઢ હોય તેને સહન કરવાનું બળ આવે છે. શરીરનું તેજ વધે છે અને ચામડીના રોગો થતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org