SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ [ 99] ઢાળ 3/3 તિહાં મન હેઈ, તે બિહુનઈ તુય ક્રિયા કરવાનઇ કાઈ ક્ષીર-નીર ન્યાયની પરિ મિલવાનઈ કાજઇ રેચક, પૂરક, કુંભક કરઇ. નાશા બ્રહ્મરંધ્ર મુખ થકી જે વાયુ બહિઃપ્રચાર કરઈ તે રેચક 1, અપાનકારથી પૂરક કરઈ અંતરંગ તે પૂરક 2. નાભિપદ્મનઈ વિષઈ પવન સ્થિરી કરઠ તે કુંભક 3. સ્થાનિકથી સ્થાનાંતર કરઈ પવનનઈં તે પ્રત્યાહાર છે. ભા(તા)લ-નાશ-મુખદ્વારઈ કરી પવનને રોધો તે શાંત. એ પાંચમે ભેદ 5 એતલઈ ચું ? જે પવન સાધના થિરતા કરી પાછો પવન મુકઇ તિવારઈ યતનાઇ મુંકઈ સાવધાન પણ સ્વરિત સ્વસ્તિ મુકઇં તે પ્રાણાયામ. ઉત્તર ઉપલ્યો તથા અધર તે હેઠલ્યા વાયુનો ફોધ તે વ્યાધિને રેગાદિકને ( ઉત્પાત (ન) થ ) વિઘાત કરાઈ. એતલઈ પવનસાધના+ નીરોગનું હેતુ...૩ (પૃ. 98 ઉપરની પાદોંધ ) ટૂંકામાં વાયુ જય થયાની નિશાની એ છે કે શરીરના કોઈ પણ ભાગમાં પીડાકારક રોગ કે દુ:ખ થતું હોય ત્યાં તે તે ભાગ ઉપર પવનને કુંભક કરી રિથર કરો. થોડા જ વખતમાં તે રોગ કે દુઃખ નિવૃત્ત થાય ત્યારે સમજવું કે પવન જીતાઈ ગએલ છે. પવન જયનો અભ્યાસ કર્યા પછી મનને જય કરવા માટે પ્રયત્ન કરવો. -ધ્યાનદીપિકા. પૃ. 178-140 પ્રાણાયામ એટલે શ્વાસ-પ્રશ્વાસની ગતિ રોકવી . તેના રેચક, પૂરક અને કુંભક એમ ત્રણ પ્રકાર છે. તેમાં પ્રત્યાહાર, શાંત, ઉત્તર અને અધર એવા બીજા ચાર ઉમેરી તેના સાત પ્રકાર પણ કરાય છે. ઉદરમાંથી અતિ યત્નપૂર્વક વાયુને નાસા, બ્રહ્મર ધ્ર અને મુખ દ્વારા બહાર ફેંકે તે રેચક પ્રાણાયામ કહેવાય. બહારથી વાયુને ખેંચીને ગુદા સુધી ઉદરને પૂરી કાઢવું તે પૂરક પ્રાણાયામ કહેવાય; અને નાભિપદ્મમાં વાયુને સ્થિર કરે તે કુંભક પ્રાણાયામ કહેવાય. નાભિ વગેરે સ્થાનમાંથી હદય વગેરે અન્ય રથાનમાં વાયુને ખેંચી લઈ જ તે “પ્રત્યાહાર " પ્રાણાયામ કહેવાય; તાલુ, નાસા અને મુખના દ્વાર વડે વાયુને નિરોધ તે “શાંત’ પ્રાણાયામ કહેવાય. બાહ્ય વાયુને અંદર ખેંચીને પછી તેને પાછો ઊ'ચે ખેંચી હદયાદિમાં ધારણ કરવો તે " ઉત્તર’ પ્રાણાયામ કહેવાય. અને તેનાથી ઊલટું કરવું, એટલે કે ઉર્વ ભાગમાંથી વાયુને અધેભાગમાં લઇ જવો તે " અધર' પ્રાણાયામ કહેવાય. ( 1/4-9 ) રેચક પ્રાણાયામથી ઉદર વ્યાધિ અને કફ દૂર થાય છે, “પૂરક' પ્રાણાયામથી પરિપુષ્ટતા અને રોગક્ષય પ્રાપ્ત થાય છે. “કુંભક' પ્રાણાયામથી હૃદયકમળ ઝટ ખીલે છે. અંદરની ગ્રંથિઓ ભેરાઈ જાય છે. તથા બલ અને સ્થની વૃદ્ધિ થાય છે. " પ્રત્યાહાર'થી બલ પ્રાપ્ત થાય છે. “શાંત 'થી કાંતિ અને શાંતિ પ્રાપ્ત થાય છે. તથા " ઉત્તર’ અને ' અધર ' પ્રાણાયામથી " કુંભક 'ની સ્થિરતા પ્રાપ્ત થાય છે. ( 5/10-12 ) આ બધા પ્રાણાયામાદિથી કશો પારમાર્થિક લાભ તે થતા જ નથી; પરંતુ શારીરિક આરોગ્ય મૃત્યુજ્ઞાન, પરશરીર પ્રવેશ વગેરે કેટલીક અન્ય બાબતો અવશ્ય સિદ્ધ થાય છે. - યોગશાસ્ત્ર, ગો. પટેલ પૃ. 84-85. ) પ્રાણાયામની પ્રક્રિયાને આશ્રય લીધા વિના પરંતુ કેવળ તેને સંયમ રાખીને “બાતા યાનને ચો, કેવી રીતે થાય ?' એ પ્રશ્નના સમાધાન માં “ગુણરથાન ક્રમારે હ’માં જે વર્ણન કરવામાં આવ્યું છે, તેને સારાંશ નીચે મુજબ છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy