SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૨] તેની શુદ્ધિ કેવી રીતે થાય છે? તે આપણે સમજીએ. જીવાત્માની ઉપયેગરૂપી ચેતના જે દેહની બહાર જાય છે, તેનું પ્રવાહાત્મક અસ્તિત્વ તે · મન ' છે. શરીરનું અસ્તિત્વ જેવું નિરંતર છે, તેવું ભાષાનું કે મનનું નિરંતર નથી, પરંતુ તે પ્રવાહાત્મક છે. ‘ મધ્યમાળા માષણ' એટલે કે બેાલાતી હાય ત્યારે ભાષા કહેવાય છે. ભાષણની પહેલાં ભાષા ન હોય અને ત્યાર પછી પણ ન હેાય. ભાષા ફેત્રળ ભાષણકાળમાં જ હાય છે, કારણ કે માસિजमाणी भासा આ પ્રકારે ‘મન્યમાન” મન હોય છે. વિચાર કરતે હૈાય તે પહેલાં મન ન હેાય અને ત્યાર પછી પણ ન હોય. મન કેવળ મનન કાળમાંજ હોય છે, બિનમાળે મળે’મન એક ક્ષણમાં એક હાય છે, ‘ ì મળે તંત્તિ તંત્તિ સમયંત્તિ ’ મનના ઇન્દ્રિયાની સાથે સ'ખ'ધ હોય છે. ઇન્દ્રિયાના સ્પર્શ આદિ પાંચ વિષયા છે. આ વિષયામાં જગતની સઘળી વસ્તુ સમાવિષ્ટ થઈ જાય છે. ઇન્દ્રિયા દ્વારા દરેક વસ્તુ તથા તેનું સ્થૂલ સ્વરૂપ ગ્રહણ થાય છે. તે પ્રમાણે શબ્દના માધ્યમથી આપણા બાહ્ય જગત સાથે સંબધ જોડાય છે. મનના બાહ્ય વસ્તુ સાથે સીધે। સ ંપર્ક નથી. તે તે ઇન્દ્રિયાના માધ્યમ દ્વારા થાય છે. " ૩૦. સામ્યાવસ્થાઃ વાસ્તવમાં સામ્યાવસ્થા એ મનઃશુદ્ધિનું કારણ છે. સાધારણ રીતે આપણે માનીએ છીએ કે મન ચંચલ છે. મનમાં વિક્ષેપ થાય છે, તેથી તે અશુદ્ધિમય છે; પરંતુ વિક્ષેપ ત્યાં થાય છે કે જ્યાં ઇન્દ્રિય, મન અને પવન વિષમ હાય. તે જો સમ થઈ જાય તે વિક્ષેપ તેની મેળે વિલીન થઈ જાય છે. સમતાની સ્થાપનાનું માધ્યમ સમતાલ શ્વાસ છે. જેટલી માત્રા એક શ્વાસમાં થાય તેટલી જ બીજા શ્વાસમાં થાય અને તેટલી જ ત્રીજામાં થાય તેા તે શ્વાસ સમતાલ કહેવાય. સમસ્વર અથવા સમલયમાં તન્મયતા સાથે શક્તિ પણ વિકસિત થાય છે. આ કારણે ત્રીજી ઢાળમાં પવનાભ્યાસની (૩–૯ માં) કે અધ્યાત્મ પવનની (૩-૧૫ માં) અનેક રીતે ભલામણ કરવામાં આવી છે. આ વિષયના ઉદ્દેાધન માટે પવન', ‘ સમીર’ અને ‘વાયુ ' એ પ્રમાણે જુદા જુદા શબ્દ પ્રયાગા થયા છે અને તેના જયને અભ્યાસ કર્યા પછી મનનેા જય કરવા માટે પ્રયત્ન કરવા જોઇએ, તેમ દયાનદીપિકા ' પણ કહે છે. પ્રસ્તુત ગ્રંથની ઢાળ કની, કડી ૩ના ટખામાં શ્રી જ્ઞાનવિમલસૂરિ સ્પષ્ટ જણાવે છે કે પ્રાણાયામ પવનનિય વિના કરી ન શકાય, એટલે વસ્તુતઃ પ્રાણાયામ રૂઢિમાત્ર ગણાયા હોય પણ પવનના નિયની અત્યંત આવશ્યકતા છે. આવા નિય માટે પ્રાણાયામ અનુકૂળ ન ગણાયા હાય તા શ્વાસાયામ કેળવવે 6 " ܕ * શ્વાસેાચ્છવાસના કેવળ પૂરક અને રેચકના વ્યવસ્થિત પ્રયત્નને કોઇ વાસાયામ કહે છે, તેમાં પ્રાણને સમસ્થિતિમાં રાખવા માટે લામવિલામની પ્રક્રિયા અનુસરાય છે. તેમાં કુંભકના પ્રયાસ હોતા નથી. બૌધ્ધ સંપ્રદાયમાં તે। શ્વાસ અને ઉચ્છ્વાસના કુદરતી સંચાર ઉપર જ દયાન અપાય છે અને તેને દસ્ય ગણાય છે. તે પ્રકારે દશ્ય અને દૃષ્ટાને ભેદ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને તેએ ‘આનાપાનસતિ' કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy