SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ [31] ઢાળ 1/2 ઐક્યતા અને ભિન્નતાથી (નિશ્ચય અને વ્યવહારથી) આત્માનું ધ્યાન હિતકારી છે અને તેથી જુદી રીતે આગ્રહ રાખનારા પુરુષની જે બુદ્ધિ તે વૃથા વિડંબનારૂપ છે. આત્મસ્વરૂપનો અનુભવ નિશ્ચયનયથી થાય છે અને વ્યવહારનય ભેદદ્વારા આત્માથી પર એવા શરીર વિગેરેનો અનુભવ કરાવે છે. વિશ્વમાં જે બધે જીવસમૂહ જુદાજુદા સ્વરૂપે છે, તે નામકર્મની પ્રકૃતિથી થયેલ છે. આત્માને એ સ્વભાવ નથી. આત્માને અજ્ઞાન અને વિષયે બંધન આપે છે અને સમ્યગજ્ઞાન મુક્તિ આપે છે. જ્ઞાન વિના જે કેવલ શાસ્ત્રને અભ્યાસ કરે છે તે શાસ્ત્રના પુદગલેથી મુક્તિ થતી નથી. સઘળા સશાસ્ત્ર આત્માને અનુભવ થવામાં કારણ છે અને શુદ્ધ અનુભવજ્ઞાન કાર્ય છે. આ જગતમાં જીવને બંધન કરનાર વિષયો અને દુઃખ છે, જે ચાર કષાયોમાંથી ઉત્પન્ન થાય છે. ધ્યાની પુરુષ તેવા વિષયેથી અને દુઃખેથી બંધાતું નથી, કારણ કે તેને આત્માને વિષે જ પ્રીતિ–લીનતા છે. જેમ કુવાના જળની સિદ્ધિ આવકના ઝરણાં ઉપર રહેલી છે. તેમ કર્મોના ફળની સિદ્ધિ ઉંચા પ્રકારના ધ્યાનમાં રહેલી છે, એવું ધ્યાન જ પરમાર્થનું કારણ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વિરાગ્ય-એ ચાર ભાવનાથી પુરુષ સ્થાનની યોગ્યતાને પ્રાપ્ત કરે છે. ભગવંતની આજ્ઞા પ્રમાણે ધ્યાનનો શુદ્ધ કમ માની જે પુરુષ તેનો અભ્યાસ કરે છે તે આત્માને જાણનારે થાય છે-આત્મજ્ઞાનને પામે છે. - હંમેશા ધ્યાન કરવાને અભ્યાસ હોય તે મનને નિગ્રહ થઈ શકે છે. અનંતીવાર ચારિત્ર પ્રાપ્ત કરવાથી જે નિર્જર થઈ છે તે ઉપલકભાવે થઈ છે, કે જે ભાવ અબંધક નથી. વળી કર્મક્ષય થાય તેવી નિર્જરા થઈ નથી. જે તેવી થઈ હતી તે આ પ્રમાણે સંસારમાં પરિભ્રમણ કરવાનું બનત નહિ. જ્ઞાનની સાથે ઐક્ય પામેલ ત૫ આત્માને નિજર કરાવે છે. તે સિવાયનો તપ વસ્તુતઃ કયારે પણ નિર્જરા કરતું નથી. જેમ જેમ ચિત્તનું શુદ્ધિપણું અને સ્થિરત્વ હોય છે, તેમ તેમ જ્ઞાનીના વચનોને વિચાર યથાગ્ય થઈ શકે છે. સર્વ જ્ઞાનનું ફળ પણ આત્મસ્થિરતા થવી એ જ છે. જો હૃદયમાં મમતા જાગૃત હોય તે વિષયને ત્યાગ નકામો છે, કારણ કે જ્યાં સુધી મમતા હોય ત્યાં સુધી વિષયેને ત્યાગ સ્થિર રહી શકતો નથી. જ્યાં મમતા હોય છે ત્યાં અવિદ્યા (અજ્ઞાન) રહેલ છે, જેથી જીવ મમતાની સહચારિ અવિદ્યાના બળથી અનેક જાતની અશુભ ચેષ્ટા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy