SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ [ 163] ઢાળ 4/14 વિવરણ: સમાપત્તિનું વિશેષ વર્ણન આ રીતે પણું પ્રાપ્ત થાય છે - એ સમાપતિ યાતા, ધ્યાન અને ધ્યેય જ્યારે સમ્યફ પ્રકારે સાથે પડે--જ્યારે તેમનું ઐક્ય થાય ત્યારે તે સમાપત્તિ કહેવાય છે. સમાપત્તિ એ સમાધિની ઉત્તરાવસ્થા છે. સમાધિ ચડે છે અને ઉતરી જાય છે એટલે તે ધ્યાન સમાધિ કહેવાય છે. સ્થિતપ્રજ્ઞની-સમાપતિ સંપન્નની– સમાધિ જુદી છે; તે જ્ઞાન સમાધિ છે, તે ચડતી કે ઉતરતી નથી. પાનસમાધિ એ વૃત્તિ છે. વૃત્તિ જ્યારે ક્ષીણ થાય ત્યારે જ્ઞાનસમાધિ થાય તે એક રિથતિ છે, જે અખંડ, નિશ્ચલ અને સહજ એટલે સ્વભાવગત હોય. સમાધિનું ધ્યાન સ્વરૂપ જતું રહે અને જે સહજ, સ્વાભાવિક સ્થિતિનું સ્વરૂપ થાય તે પ્રજ્ઞા છે. શુદ્ધ, નિર્મળ બુદ્ધિને બેધનું સાધન માનવામાં આવ્યું છે. રાગ, દ્વેપ વગેરે વિકારોથી ન લેપચેલી બુદ્ધિમાં જ જ્ઞાનનુ–પ્રજ્ઞાનું સાચું સાધન બનવાનું સામર્થ્ય છે. સમાપત્તિનું સ્વરૂપ સમજાવતાં પૂ. 9. શ્રી યશોવિજયજીએ જે વ્યાખ્યા કરી તે નિષેધક અને વિધાયક હોવાથી પૂર્ણ વ્યાખ્યા છે. તેમાં ક્ષીણવૃત્તિ એ નિષેધક છે અને તાત્રશ્ય તથા તજનતા એ વિધાયક છે. સમાપત્તિમાં ક્ષીણવૃત્તિ થવું તે પ્રારંભિક સ્વરૂપ છે અને તારશ્ય એટલે પ્રજ્ઞા-સ્થિત થવું અને તદ જનતા એટલે તન્મય અથવા સમરસ થવું એ પ્રગત અથવા વિકસિત સ્વરૂપ છે. સમાધિ એટલે ચિત્તના સમાધાનની સ્થિતિ. ચિત્તની નિર્વિકાર દશાની અથવા સમતાની કે સમાધિની સ્થિતિ થયા પછી બુદ્ધિ સ્થિર, અચલ, કેઈપણ જાતના પ્રવાહના વેગથી ડગે નહીં એવી થાય ત્યારે સ્થિતપ્રજ્ઞ દશા આવી મળી જાણવી. વિકારોની, વિચારોની, એટલું જ નહીં, શાસ્ત્ર વચનોની સત્તા સુદ્ધાં જેના પર રહી નથી એ બધાયનો દોર જેના પર ચાલતો નથી, જેની સમાધિ અડગ થઈ છે, સ્થિર થઈ છે તે સ્થિતપ્રજ્ઞ છે. સમાધિનું ધ્યાન સ્વરૂપ જતું રહી તેનું હંમેશની સહજ, સ્વાભાવિક સ્થિતિનું સ્વરૂપ થાય તે પ્રજ્ઞા છે. સમાપતિની મુખ્ય સાધન સામગ્રી આ પ્રમાણે હેઈ શકે છેઃ૧. સાધનનિશ્ચય-શબ્દ અથવા મૌન જાપ. 2. સાર્થચિન્તન અને એકાગ્રતા-આ ફળ નિરપેક્ષ હોવા જોઈએ. 3. ચિત્તર-ધ્યાન સમાધિ-આ સમતા અથવા સમાધિ છે. 4. યેચકય-જ્ઞાન સમાધિ-આ સ્થિર સમાધિ છે. તે અખંડ, નિશ્ચળ અને સહજ એટલે કે રવભાવગત હોય છે, તે જ સ્થિતપ્રજ્ઞતા છે. આને જ સ્વરૂપમાં લીન થવું કે શૂન્યાવસ્થા કે તન્મયભાવ કહે છે. અને આને અનાહતનાદની પ્રાતિ પણ કહે છે. (પાદનેંધ પેજ 164 ઉપર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy