________________
૩૭
પ્રતિમાશતક / બ્લોક : ૩૦ मनागनगारं भूम्यां पातयति, नापातितस्यार्शच्छेदः कर्तुं शक्यत इति । 'तस्स त्ति' वैद्यस्य क्रिया व्यापाररूपा, सा च शुभा धर्मबुद्ध्या छिन्दानस्य, लोभादिनात्वशुभा क्रियते भवति । 'जस्स छिज्जई' यस्य साधोरऑसि छिद्यन्ते नो तस्य क्रिया भवति निर्व्यापारत्वात् । किं सर्वथा क्रियाया अभावः ? नैवम् । अत आह -'णणत्थे त्ति' न इति चोऽयं निषेधः सोऽन्यत्रैकस्माद् धर्मान्तरायात्, धर्मान्तरायलक्षणा क्रिया तस्यापि भवतीति भावः । धर्मान्तरायश्च शुभध्यानविच्छेदादर्शच्छेदानुमोदनाद् वेति वृत्तौ ।। ટીકાર્ચ -
૩પ .... તથા પ્રસિદ્ધ અને વળી અધ્યવસાયના અનુરોધથી જ ભગવાન વડે ક્રિયા શુભ કે અશુભરૂપ કહેવાયેલી છે, કેમ કે અર્થચ્છેદના અધિકારમાં તે પ્રકારની પ્રસિદ્ધિ છે.
વિશેષાર્થ :
દ્રવ્યસ્તવમાં પુષ્પાદિને પીડા વગેરે થાય છે, તેથી તે અશુભ છે; અને સામાયિકાદિની ક્રિયા જીવોની પીડાના પરિહારરૂપ હોવાથી શુભ છે, તેથી સાધુને દ્રવ્યસ્તવની અનુમતિ ઈષ્ટ નથી, એ પ્રકારના પૂર્વપક્ષીના આશયનું નિરાકરણ કરવા અર્થે કહે છે કે – બાહ્ય હિંસાદિને આશ્રયીને ક્રિયા શુભાશુભરૂપ નથી, પરંતુ અધ્યવસાય વડે જ ક્રિયા શુભાશુભરૂપ ભગવાને કહેલી છે. તેથી દ્રવ્યસ્તવમાં કરાતી ક્રિયા અધ્યવસાયથી શુભરૂપ છે, માટે સાવદ્યરૂપ નથી, પરંતુ અસદ્ આરંભની નિવૃત્તિફળસ્વરૂપ છે. અને ભગવાને અધ્યવસાયના અનુરોધથી જ ક્રિયાને શુભાશુભરૂપ કહી છે, તેને સ્થાપન કરવા માટે કહે છે કે – ભગવતીમાં સાધુના અર્થચ્છેદના અધિકારમાં તે પ્રકારે પ્રસિદ્ધિ છે, અર્થાત્ અધ્યવસાયને આશ્રયીને ક્રિયાની શુભ-અશુભતાની પ્રસિદ્ધિ છે. ટીકાર્ય :
તકુ.. તૃતીયાદેશ - ભગવતીના સોળમા શતકના ત્રીજા ઉદ્દેશકમાં તે કહેવાયેલું છે=સાધુને અર્થચ્છેદનો અધિકાર કહેવાયેલો છે. (તે આ પ્રમાણે -)
MIR ..... ભાવિતાત્મા સાધુ અવિક્ષિપ્ત અર્થાત્ સતત છઠ્ઠના પારણે છઠ્ઠ કરતો હોય યાવત્ આતાપના લેતો હોય તો તેને પૂર્વાહ્નમાં અર્થો દિવસ અર્થાત્ દિવસના પૂર્વના અર્ધા ભાગમાં હાથ કે પગ કે બાહુ કે યાવત્ સાથળ સંકોચવા કે પસારવા કહ્યું નહિ. (કેમ કે કાયોત્સર્ગમાં વ્યવસ્થિત અર્થાત્ રહેલો છે.)
પશ્ચિમના અર્થાત્ દિવસના પાછલા અર્ધા ભાગમાં હાથ કે પગ કે બાહુ કે કાવત્ સાથળ સંકોચવા કે પસારવા કલ્પે છે. કેમ કે કાયોત્સર્ગનો અભાવ છે. ચૂણિને અનુસાર આ વ્યાખ્યાન કરેલું છે -)
તેના અર્થાત્ કાયોત્સર્ગના અભિગ્રહવાળા તે સાધુના, અર્થ અર્થાત્ નાક સંબંધી મશા લટકતા હોય તેને અર્થાત્ કરાયેલા કાયોત્સર્ગવાળા, લટકતા અર્શવાળા સાધુને વૈદ્ય જુએ, (તેથી અર્શને છેદવા) સાધુને પૃથ્વી પર મનાફ પાડે, (કેમ કે સાધુને પાડ્યા વિના અર્શ છેદી ન શકાય) અને અર્શાવે છેદે.