________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦
૨૯ અહીં ‘વાયેળ નાટ્ટિ' શબ્દના પૂરક તરીકે મનોવ્યાપારમાત્રા' આ કથન છે. તેથી એ અર્થ પ્રાપ્ત થાય કે, મનોવ્યાપારમાત્રથી જે વ્યક્તિ પ્રાણીની હિંસા કરે છે, પરંતુ કાયાથી અહિંસક છે, તેને કર્મનો ઉપચય થતો નથી.
વર્તન .... ગુહ્યતે | આના વડે=(૧) જાણતો કાયાથી અનાકુટ્ટી અને (૨) અબુધ જે હિંસા કરે છે, તે બંને કેવલ સ્પષ્ટ એવા સાવાને વેદે છે, આ કથન સૂત્રકૃતાંગના પાઠમાં કહ્યું. આના વડે, પરિજ્ઞા ઉપચિત અને અવિજ્ઞા ઉપચિત એ બે ભેદનું ગ્રહણ થાય છે. મૂળપાઠમાં “ઘ' કાર છે. તે “ઘ' શબ્દથી ઐર્યાપથ અને સ્વપ્નાંતિક એ ભેદદ્વયનું ગ્રહણ થાય છે.
ઐર્યાપથની વ્યુત્પત્તિ બતાવતાં કહે છે -
ફુdય ..... પયઃ | ઈર્યાપથ પ્રત્યય નિમિત્ત, તે ઐર્યાપક. ત્યાં અનભિસંધિથી=મનનો અધ્યવસાય નહિ હોવાથી, જે પ્રાણીનું વ્યાપાદન=હિંસા, થાય છે, તેનાથી કર્મનો ઉપચય થતો નથી.
સ્વપ્નાંતિકની વ્યુત્પત્તિ બતાવતાં કહે છે -
વન ..... માવત્ લોકોક્તિથી સ્વપ્ન જ સ્વપ્નાત છે. તે સ્વપ્નાંત, વિદ્યમાન છે જેમાં = જે કર્મમાં=જે ક્રિયામાં, તે સ્વપ્નાંતિક કહેવાય. અને તે પણ તે કર્મરૂપ ક્રિયા પણ, કર્મબંધ માટે થતી નથી, કેમ કે સ્વપ્નમાં ભોજનક્રિયાથી જેમ તપ્તિ થતી નથી, તેમ “હિસાની ક્રિયાથી' કર્મનો કર્મબંધનો, પણ અભાવ છે.
ઉત્થાન :
આ ચાર પ્રકારની હિંસા=(૧) પરિજ્ઞા ઉપચિત, (૨) અવિજ્ઞા ઉપચિત, (૩) ઐર્યાપથ અને (૪) સ્વપ્નાંતિક – આ ચાર પ્રકારની હિંસા, બૌદ્ધ મતે અહિંસા માની છે. તેથી અહીં કોઈ પ્રશ્ન કરે છે - ટીકાર્ય :
વઘં . પ્રથમ મેન ! તો પછી હિંસા કેવી રીતે થાય ? અને કેવી રીતે કર્મબંધ થાય તો ઉત્તર આપતાં કહે છે -
(૧) પ્રાણી. (૨) પ્રાણીનું જ્ઞાન, (૩) ઘાતક ચિત્ત, (૪) તદ્ગત ચેષ્ટા=ઘાતકગત ચેષ્ટા, અને (૫) પ્રાણોથી વિયોગ, આ પાંચથી હિંસા પ્રાપ્ત થાય છે. આ પ્રકારના ઉક્તપદોના આ પાંચ પદોના, સંયોગથી ૩૨ ભાંગાઓમાં પ્રથમ ભેદથી હિંસા થાય છે અને કર્મબંધ થાય છે.
પ્રીજી ..... રશદતીત્વર્થઃ | અહીં પ્રસ્ન થાય કે પ્રાણુક્ત ભેદ ચતુષ્ટયથી = (૧) પરિજ્ઞા ઉપચિત, (૨) અવિશા ઉપચિત, (૩) ઐર્યાપથ અને (૪) સ્વપ્નાંતિક આ ભેદ ચતુષ્ટયથી, શું સર્વથા કર્મબંધનો અભાવ છે?
ઉત્તર :- ના, તો અહીં પ્રશ્ન થાય કે, કેવો કર્મબંધ થાય છે ? એથી કરીને કહે છે - સ્થાનાંગસૂત્રની મૂળગાથા “પુટ્ટ' શબ્દથી બતાવેલ છે, અને તે જ સ્થાનાંગસૂત્રની ટીકામાં કહે છે - કેવલ સ્પષ્ટ કર્મબંધ થાય છે. સ્પષ્ટ કર્મનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે - તેના વડે=સ્પષ્ટ કર્મ વડે, અવ્યક્ત સાવાને વેદે છે.
અવ્યક્ત સાવઘને વેદે છે તેનો જ અર્થ કરે છે - સ્પર્શમાત્રથી અધિક વિપાકને અનુભવતો નથી, અને તે કથનનું જ દષ્ટાંતથી તાત્પર્ય બતાવતાં કહે છે – ભીંત ઉપર આવી પડેલી રેતીની મુઠ્ઠીની જેમ સ્પર્શના અનંતર જ