________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૧
પ૪પ દ્રવ્યર્ચામાં ભાવાર્થી જ શ્રેષ્ઠ છે.
વા ..... દિગો (બંતા) | કંચનમણિનાં પગથિયાંવાળાં તથા હજારો સ્તંભવાળાં, ઊંચાં, સુવર્ણનાં તળિયાંવાળાં જિનભવનોને જે કરાવે, તેનાથી પણ તપ-સંયમ અધિક છે. (પાઠાંતરે-અનંતગુણ છે.)
તવલંનમેખ ..... મુવવું || તપ-સંયમ દ્વારા ઘણા ભવોથી એકઠા કરેલા પાપકર્મમળના પ્રવાહને અટકાવીને શીધ્ર શાશ્વત સુખરૂપ મોક્ષને પામે છે.
વા િ..... પરનો ત્તિ | જિનાયતનો વડે સકલ પૃથ્વીપટને મંડિત=સુશોભિત કરીને પણ અને સારા પ્રકારના દાનાદિ ચારથી પણ (ગૃહસ્થ) અય્યત=૧૨મા દેવલોક સુધી જઈ શકે છે, આગળ નહિ.
ત્તિ' શબ્દ મહાનિશીથના પાઠની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ :
ભાવપૂજા એ ઉગ્રવિહારતારૂપ છે અને તે યતિને જ સંભવે. ગૃહસ્થને ભાવપૂજા અને દ્રવ્યપૂજા બંને કહી, ત્યાં ઉગ્રવિહારતારૂપ ભાવપૂજા સંભવે નહિ, પરંતુ દ્રવ્યર્ચા સાથે અનુવિદ્ધ એવી ભાવપૂજા ગૃહસ્થને સંભવે.
અહીં ઉગ્રવિહારતાથી એ કહેવું છે કે, મુનિ તપ-સંયમમાં સુદઢ યત્ન કરવા અર્થે નવકલ્પી વિહાર કરે છે, અને જેઓ સ્વાધ્યાયાદિનો ભંગ ન થાય એ રીતે માસકલ્પાદિ વિહાર કરતા હોય અને વિહારમાં પણ સંયમના પરિણામરૂપ ગુપ્તિવાળા હોય કે જેથી કર્મબંધનું આગમન અટકે અને સ્વાધ્યાયાદિ કે બાહ્યતપ દ્વારા પૂર્વસંચિત કર્મની નિર્જરા કરતા હોય એ રૂપ તપમાં જેઓ યત્ન કરતા હોય, તે સાધુ ઉગ્ર વિહારી છે અર્થાત્ મોક્ષને અનુકૂળ એવા ભાવમાં અપ્રમત્તભાવથી વિતરણ કરી રહ્યા છે. ટીકા :
न च प्रथमाया एव प्रशस्तत्वाभिधानेऽनाद्याया अप्रशस्तत्वादनादरणीयत्वम्, एवं सति “सारो चरणस्स निव्वाणं" (वि० आ० भा० ११२६) इत्यभिधानान्मोक्षस्यैव सारत्वाभिधानाच्चारित्रस्यापि अनादरणीयतापत्तेः, सारोपायत्वेन सारत्वं तत्राविरुद्धमिति चेत् ? प्रशस्तभावार्थोपायत्वेन द्रव्यार्चाया अपि प्राशस्त्यादादरणीयत्वाक्षतेः ।।४१।। ટીકાર્ય :
..... હરીયત્વાક્ષઃ મહાનિશીથના પાઠમાં પ્રથમના જ=ભાવાર્થાના જ, પ્રશસ્તપણાનું અભિધાન હોતે છતે, અનાવાનું બીજાનું દ્રવ્યાચતું, અપ્રશસ્તપણું હોવાથી અનાદરણીયપણું છે, એમ ન કહેવું; કેમ કે એ પ્રમાણે હોતે છતે મહાનિશીથમાં ભાવાચનું પ્રશસ્તપણું કહ્યું એટલે દ્રવ્યાચતું અનાદરણીયપણું છે એમ હોતે છતે, ચરણનો સાર નિર્વાણ છે, એ પ્રકારના અભિધાનથી મોક્ષના જ સારપણાનું અભિધાન હોવાથી, ચારિત્રતા પણ અનાદરણીયપણાની આપત્તિ આવશે.