Book Title: Pratima Shatak Part 02
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 412
________________ ૭૨૭ પ્રતિમાશતક | શ્લોક : ૧૦ દ્રવ્યસ્તવ એ આરંભસ્થાનીય છે, અને દ્રવ્યસ્તવનો આરંભ ભાવરૂવરૂપ ફળ માટે કરાય છે, માટે ભાવસ્તવરૂપ ફળ પ્રધાન છે અને તેનું કારણ દ્રવ્યસ્તવ અપ્રધાન છે. આશય એ છે કે વિત્તના પરિત્યાગથી કોઈ દ્રવ્યસ્તવ કરતો હોય અને તે દ્રવ્યસ્તવ તદ્ધત અનુષ્ઠાન કે અમૃત અનુષ્ઠાનરૂપ હોય તો તેનાથી શુભ અધ્યવસાય થાય છે, પરંતુ તે શુભ અધ્યવસાય ભાવસ્તવરૂપ છે. અને દ્રવ્યસ્તવ એ ભાવસ્તવના કારણભૂત છે, તેથી દ્રવ્યસ્તવ અપ્રધાન છે અને ભાવસ્તવ પ્રધાન છે. માટે દ્રવ્યસ્તવમાં પણ વર્તતા શુભ અધ્યવસાયરૂપ ભાવસ્તવની જ પ્રધાનતા છે, તેથી ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એમ કહી શકાય નહિ. ઉત્થાન : દ્રવ્યસ્તવમાં વિત્તના પરિત્યાગથી શુભ જ અધ્યવસાય થાય છે, તેથી ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ પ્રકારની ચાલનામાં કરાયેલી શંકાનું અહીં સુધી નિરાકરણ થયું. હવે ચાલનામાં કહેલ કે, દ્રવ્યસ્તવ કરાવે છતે તીર્થનું ઉન્નતિકરણ છે, તેથી ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, તેનું નિરાકરણ કરતાં કહે છે - ટીકાર્ય :વ્યાખ્યા :- પવિતવ ..... પૂષ્યત્વત્, ભાવસ્તવ જ હોતે છતે તત્વથી તીર્થનું ઉન્નતિકરણ છે; કેમ કે ભાવાસ્તવવાળા તેનું=મુનિનું, દેવો વડે પણ સમ્યગુ પૂજ્યમાનપણું છે. વિશેષાર્થ : અહીં “ભાવસ્તવ' શબ્દથી દ્રવ્યસ્તવ અંતર્ગત ભાવસ્તવ અથવા તો સંયમપાલનરૂપ પ્રધાન ભાવસ્તવ બંનેનું ગ્રહણ કરવાનું છે. તેથી એ પ્રાપ્ત થાય કે દ્રવ્યસ્તવમાં વર્તતો ભાવસ્તવ હોતે છતે જ અથવા તો મુનિમાં સંયમપાલનરૂપ ભાવસ્તવ હોતે છતે જ પરમાર્થથી તીર્થનું ઉન્નતિકરણ છે; કેમ કે ભાવસ્તવવાળા તેનું મુનિનું, દેવતાઓ વડે પણ સમ્યગુ પૂજ્યપણું છે. આશય એ છે કે, ભાવસ્તવ મુખ્યરૂપે મુનિમાં જ વર્તે છે અને દ્રવ્યસ્તવવાળામાં શુભઅધ્યવસાયરૂપ ભાવસ્તવ અલ્પમાત્રામાં છે, તેથી દેવતાઓ પણ ભાવસ્તવવાળાની જ પૂજા કરે છે. અહીં તીર્થનું ઉન્નતિકરણ એ છે કે, ભાવસ્તવવાળા મુનિને જોઈને દેવતાઓ તેમની ભક્તિ કરે છે, તેથી તે દેવતા આદિમાં ભગવાનનું શાસન પરિણામથી વૃદ્ધિમતું થાય છે=તે જ તીર્થનું ઉન્નતિકરણ છે તેઓના હૈયામાં ભગવાનનું શાસન અધિક બન્યું, એ જ તીર્થની ઉન્નતિ છે. ૦ અમરાદિમાં “આદિ' પદથી ધર્મી મનુષ્યોને ગ્રહણ કરવાના છે, તેઓ સુસાધુઓની ભક્તિ કરે છે અને ચિત્તમાં ધર્મની વૃદ્ધિ કરે છે, એ જ તીર્થનું ઉન્નતિકરણ છે.

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446