________________
૭પ૦
પ્રતિમા શતક | શ્લોક : ૬૦ ઉક્ત છે. તેથી ભગવાનની પૂજારૂપ શુભ અધ્યવસાયો વડે કે શુભયોગો વડે પુણ્યબંધ કે નિર્જરા જ થઈ શકે છે, પરંતુ અલ્પ પણ પાપબંધનો સંભવ નથી.
અહીં પુણ્યજનક અધ્યવસાયો કે પુણ્યજનક યોગો એ બેનું ગ્રહણ એટલા માટે કરેલ છે કે, નિશ્ચયનય અધ્યવસાયથી કર્મબંધ માને છે, તેથી પુણ્યજનક અધ્યવસાયનું ગ્રહણ કરેલ છે. જ્યારે વ્યવહારનય પરિણામપૂર્વકની ક્રિયાને=પરિણામપૂર્વકના યોગવ્યાપારને કર્મબંધ પ્રત્યે કારણ માને છે, તેથી પુણ્યજનક યોગનું ગ્રહણ કરેલ છે. અને આ આગમમાં ત્રીજી રાશિ પ્રસિદ્ધ નથી=એ, આગળમાં વિશેષાવશ્યક ભાષ્યની સંમતિથી ઉપપાદન કરાશે.
અહીં વિશેષ એ છે કે, ભગવાનની પૂજામાં હિંસાકૃત અલ્પ પાપબંધ અને શુભ અધ્યવસાયકૃત પુણ્યબંધ કે વિપુલ નિર્જરા સ્વીકારવામાં આવે તો પૂજા મિશ્ર અધ્યવસાયરૂપ છે, તેમ માનવું પડે. તે આ રીતે – પૂજામાં હિંસા અંશને કારણે અલ્પ પાપબંધ થાય છે અને ભગવાનની ભક્તિના અંશને આશ્રયીને વિપુલ પુણ્યબંધ થાય છે. પરંતુ તેમ માનવાથી મિશ્રજાતિરૂપ ત્રીજી રાશિ માનવાની આપત્તિ આવે, અને તે શાસ્ત્રસંમત નથી. તેથી પૂજ્ય અભયદેવસૂરિ મહારાજે પંચાશક-૪/૧૦ ની ટીકામાં જે કહ્યું કે, ધર્માર્થપ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પ પાપનું ઈષ્ટપણું છે તે કથન સંગત નથી અને તેની પુષ્ટિ આગમમાં ત્રીજી રાશિ પ્રસિદ્ધ નથી, એ કથનથી થાય છે. ઉત્થાન :
પૂર્વમાં ત્રરાશિક મતનું નિરાકરણ કર્યું, આમ છતાં પૂર્વમાં પંચાશકના કથનમાં કેચિત્કારે કહ્યું તે આગમાનુપાતી નથી, એ પ્રકારના કથનમાં પૂજ્ય અભયદેવસૂરિ મહારાજે જે ભગવતીનું કથન કહ્યું, તે ભગવતીના પાઠમાં અશુદ્ધ દાનથી અલ્પ પાપબંધ અને બહુનિર્જરાનું વિધાન છે, તેથી મિશ્ર અધ્યવસાયની પ્રાપ્તિ સ્વીકૃત થાય છે. તેવી શંકાના નિરાકરણાર્થે ભગવતીના પાઠનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે – ટીકાર્ય :
માવત્યાં ..... ઉત્તરારૂતિ / ભગવતીમાં સુપાત્રવિષયક અશુદ્ધ દાનમાં અલ્પ પાપ અને બહુતર=ઘણી, નિર્જરાનું અભિધાન નિર્જરાવિશેષને=નિર્જરાના ભેદને જણાવે છે. (પરંતુ ત્રીજી રાશિને નહિ) અને તે નિર્જરાવિશેષ, શુદ્ધ દાનફલ-અવધિક અપકર્ષાત્મક છે, અને પ્રકૃતમાંe દ્રવ્યસ્તવમાં, ચારિત્રફલાવધિક અપકર્ષાત્મક દાનાદિચતુષ્ક ફળ સમશીલ તે=નિર્જરાવિશેષ, સ્વીકારાય છે. એથી કરીને ભગવતીમાં અશુદ્ધ દાનવિષયક નિર્જરાવિશેષ અને દ્રવ્યસ્તવમાં થતી નિર્જરાવિશેષ એ બેની વિલક્ષણતા છે, જેથી કરીને, અશુદ્ધ દાનની સાથે શુદ્ધ પૂજામાં તપસ્વી વડે ઉપનીયમાન=બતાવાતું, તુલ્યપણું કઈ રીતે ચમત્કારસાર એવા ચિત્તને રચવા સમર્થ બને=ચિત્તને આ ઉચિત વિચારણા કરી છે એ પ્રકારે ચમત્કાર પેદા કરવા માટે કઈ રીતે સમર્થ થઈ શકે ? અર્થાત્ ન જ થઈ શકે. જે કારણથી અશુદ્ધ દાન અતિથિસંવિભાગવતના અતિચારભૂત છે, અને શુદ્ધ પૂજા એ સમગ્ર શ્રાદ્ધધર્મના તિલકભૂત ઉત્તરગુણરૂપ છે. “તિ’ શબ્દ હેતુ અર્થક છે.