________________
પYA
પ્રતિમાશતક | શ્લોક : ૪૦ ટીકાર્ચ -
વિમ્ ..... નાવ . અકસ્મસંયમવાળા શ્રાવકોને દેશવિરત શ્રાવકોને, ભક્તિથી=અતિશય રાગથી, ત્રિલોકીગુરુની=ત્રિભુવનધર્માચાર્યની, પૂજામાંપુષ્પાદિ વડે અર્ચનમાં, પૂજ્યોએ=ગણધરોએ, મહાનિશીથસિદ્ધાંતમાં યોગ્યપણું શું નથી કહ્યું? પરંતુ કશું જ છે.
તેમાં સાક્ષી આપતાં કહે છે –
નવસા (માત્થવિ) | અકસ્મપ્રવર્તક એવા વિરતાવિરતોને આ દ્રવ્યસ્તવ, ખરેખર યુક્ત છે, અને જે કુમ્નસૂર્ણ, સંયમ અનુભવનારા છે. તેઓને પુષ્પાદિ કલ્પતાં નથી. તે કારણથી હે ગૌતમ ! દેશવિરતોને ઉભયત્ર=દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ ઉભયમાં, વિનિયોગ છે, એ પ્રમાણે તું નિઃસંશય જાણ. ટીકાર્ય :
નન્યાં ..... માવા નંદીમાં નંદીસૂત્રમાં, દશિત જે સૂવંદ, તેની મધ્યમાં વિદિત=પ્રસિદ્ધ, જે પ્રામાણ્યમુદ્રા મહાનિશીથના પ્રામાણ્યની દઢતા, તેને ધારણ કરનાર, જે તેવા પ્રકારની સંપ્રદાયવૃદ્ધોની આ વાણી, તે નિદ્રાણોને વિષે= સૂતેલા પ્રમતોને વિષે, ડિંડિમના=પટના, ડમત્કારની જેમ પડે છે.
જેમ ગાઢ સૂતેલા ચોરો આકસ્મિક ભેરી-ભાંકારના શબ્દશ્રવણ વડે સર્વસ્વ નાશની ઉપસ્થિતિથી કાંદિશીકા=વિહ્વળ થાય છે, તે પ્રમાણે ઉક્ત મહાનિશીથના શબ્દશ્રવણથી લુંપાકો પણ વિહ્વળ થાય છે, એ પ્રમાણે ભાવ છે. ટીકા :
न च वाङ्मात्रेण महानिशीथमप्रमाणमित्यपि तैर्वक्तुं शक्यम्, यत्र सूत्रे आचारादीनि प्रमाणतया दर्शितानि तत्रैव महानिशीथस्यापि दर्शनात्, आपातविरोधस्य च बहुषु स्थानेषु दर्शनाद्, विवेकिनः समाधिसौकर्यस्य च सर्वत्र तुल्यत्वादिति ।।४०।। ટીકાર્ચ -
= = ...... સર્જનાત્, અને વાણીમાત્રથી મહાનિશીથસૂત્ર અપ્રમાણ છે, એ પ્રમાણે પણ તેઓના વડે=લુંપાકો વડે, કહેવું શક્ય નથી, કેમ કે જે સૂત્રમાં આચારાદિ અંગોને પ્રમાણપણા વડે બતાવ્યાં છે, તે જ સૂત્રમાં મહાનિશીથના પ્રામાણ્યનું દર્શન છે. (તેથી આચારાદિ સૂત્રોનું પ્રમાણ માનનારા લંપાક વડે મહાનિશીથને પણ પ્રમાણ માનવું જોઈએ.). ઉત્થાન :
અહીં કોઈ કહે કે મહાનિશીથસૂત્રમાં પણ ઘણાં સ્થાનોમાં પરસ્પર વિરોધ દેખાય છે, તેથી મહાનિશીથસૂત્ર પ્રમાણભૂત નથી. તેના નિરાકરણ માટે બીજો હેતુ કહે છે –