Page #1
--------------------------------------------------------------------------
________________
શી શત્રીજી મહારા
રચયિતા :પૂ. આ.શ્રી ધનેશ્વરસૂરીશ્વરજી મ.સા.
- સાર
Page #2
--------------------------------------------------------------------------
________________
// શિવમસ્તુ સર્વજગતઃ ||
પરમપૂજ્ય ધનેશ્વરસૂરીશ્વરજીમહારાજા વિરચિત
માSિાય
(સંક્ષિપ્ત સાર વિવેચન).
૦ શ્રી શત્રુંજય માહાલ્ય અનુવાદક ૦
પરમપૂજ્ય સાહિત્યરત્ના આચાર્યદેવશ્રીમદ્વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મહારાજ
૦ સંક્ષિપ્ત અનુવાદ - સંપાદક ૦. પરમપૂજ્ય પંન્યાસ શ્રી વજસેનવિજયજી ગણિવર્ય
9 પ્રકાશકે ?
ભદ્રંકર પ્રકાશન
C/o. ફકીરચંદ મણીલાલ શાહ ૪૯/૧, મહાલક્ષ્મી સોસાયટી, સુજાતા ફલેટ પાસે, શાહીબાગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૪. • ફોન : (૦૭૯) ૨૨૮૬૦૭૮૫
Page #3
--------------------------------------------------------------------------
________________
#િ પ્રેરક : પરમ પૂજય મહાન સંયમી - દીર્થસંયમપર્યાયી શત્રુંજયઆરાધિકા, વયોવૃદ્ધા, સાધ્વીવર્યા શ્રી દમયંતીશ્રીજી મહારાજ
@ સંક્ષિપ્ત સંસ્કરણ :
પ્રથમ આવૃત્તિ : વિ.સં. ૨૦૬ ૨, પોષ સુદ-૧૫ | દ્વિતીય આવૃત્તિ : વિ.સં. ૨૦૬૬, અષાઢ સુદ-૧૫ તૃતીય આવૃત્તિ : વિ.સં. ૨૦૬૮, આસો સુદ-૧૫
@ કિંમત : રૂા. ૩૦૦/
@ પ્રાપ્તિ સ્થાન : (૧) સરસ્વતી પુસ્તક ભંડાર
હાથીખાના, રતનપોળ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧.
ફોન : (૦૭૯) ૨૫૩૫૬૬૯૨ (૨) શ્રી પાર્શ્વનાથ જૈન પુસ્તક ભંડાર
તળેટી રોડ, પાલિતાણા - ૩૬૪ ૨૭૦. (સૌરાષ્ટ્ર)
ફોન : (૦૨૮૪૮) (ઓ) ૨૫૩૩૨૩ (ઘર) ૨૫૩૧૦૩ (૩) શ્રી પાર્શ્વનાથ ઉપકરણ ભંડાર
C/o. જયદીપ એમ. કોઠારી સુવિધા સ્ટોર્સની બાજુમાં, સુભાષ ચોક, ગોપીપુરા, સુરત. મો. ૯૮૭૯૪ ૬૨૩૦૪
જે મુદ્રક :
Tejas Printers F/5, Parijat Complex, Swa. Mandir Road, Kalupur, AHMEDABAD-1. (M) 98253 47620 • PH. (O) (079) 22172271
Page #4
--------------------------------------------------------------------------
________________
..
શ્રી આદિશ્વર ભગવાન
શ્રી શત્રજય તીર્થાધિરાજ શ્રી આદિત
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
-
૨ પ્રકાશદીય છે.
શાશ્વત આનંદ... આનંદ થયા કરે છે. કારણ કે, તીર્થના ગુણગાન કરવાનો અવસર અમારા પ્રકાશનને મળ્યો છે.
પરમપૂજય, પરમોપકારી, હાલાર દીપક, પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીનાં શિષ્યરત્ન, હાલારના હીરલા આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજનાં શિષ્યરત્ન પરમ પૂજ્ય પંન્યાસ શ્રી વજસેનવિજયજી ગણિવર્યશ્રીને વયોવૃદ્ધા પૂજય સાધ્વીજી શ્રી દમયંતીશ્રીજી મહારાજે વિનંતી કરી કે, ‘સાહેબજી ! મારી છેલ્લી ઉંમરે એક આ ભાવના છે કે, ‘શ્રી શત્રુંજય માહાભ્ય' છપાય તો સારું.’ પૂજયશ્રીએ તેમની વાત સાંભળી પોતાની નાદુરસ્ત તબીયતમાં આટલું મોટું કાર્ય કેવી રીતે શક્ય બનશે ! તે માટે પોતાના લઘુ ગુરુબંધુ ગણિ શ્રી હેમપ્રભવિજયજી ને વાત કરી અને આ કાર્ય માટે તૈયારી થઇ.
“આ રીતે પૂજ્યોનાં સહકારથી અને દાતાઓના આર્થિક સહયોગથી તીર્થ- ભક્તિના એક અંગભૂત આ ગ્રંથની ત્રીજી આવૃત્તિ આજે પ્રકાશિત કરી શક્યા છીએ.”
જ શત્રુંજયનો મહિમા આ તીર્થનું ધ્યાન ધરવાથી - ૧૦૦૦ પલ્યોપમના જેટલા કર્મો નાશ પામે છે. આ તીર્થ ઉપર અભિગ્રહ ધારવાથી - લાખ પલ્યોપમ જેટલા કર્મો નાશ પામે છે. આ તીર્થ તરફ ચાલવાથી - એક સાગરોપમ જેટલાં કર્મો નાશ પામે છે. (શત્રુજય કલ્પવૃત્તિ) આ તીર્થ પર નવકારશી કરવાથી - બે ઉપવાસનો લાભ.
પોરસી કરવાથી - ત્રણ ઉપવાસનો લાભ. જ પુરિમઠ્ઠ કરવાથી - ચાર ઉપવાસનો લાભ.
એકાસણું કરવાથી - પાંચ ઉપવાસનો લાભ. આંબિલ કરવાથી - પંદર ઉપવાસનો લાભ.
ઉપવાસ કરવાથી - ત્રીસ ઉપવાસનો લાભ. (શત્રુજય કલ્પવૃત્તિ) * આ તીર્થ ઉપર ધૂપ કરવાથી - ૧૫ ઉપવાસનો લાભ. * અને કપૂરનો ધૂપ કરવાથી - માસખમણનો લાભ થાય છે. (શત્રુજય કલ્પવૃત્તિ) * શત્રુંજય તીર્થનાં દર્શન અને પૂજનથી - ૩૦ ઉપવાસનો લાભ.
તળેટીમાં એક પહોર જાગરણ કરવાથી - છ મહિનાના ઉપવાસનો લાભ.
શત્રુંજય તીર્થને સાત વખત વંદન કરવાથી - ત્રીજે ભવે મોક્ષ. * ચૈત્રી પૂનમના દિવસે ૧૦, ૨૦, ૩૦, ૪૦ અને ૫૦ પુષ્પોની માળા ચઢાવવાથી
અનુક્રમે ૧, ૨, ૩, ૪, ૫ ઉપવાસનો લાભ થાય. (ઉપદેશ પ્રસાદ સા. ૧૩)
Page #7
--------------------------------------------------------------------------
________________
નિ તથu>
એકેકું ડગલું ભરે શત્રુંજય સમો જેહ,
ઋષભ કહે ભવક્રોડના કર્મ ખપાવે તેહ.” જ્યાં જ્યાં દેવાધિદેવ તીર્થંકર પરમાત્માઓના ચ્યવન-જન્મ-દીક્ષા-કેવળજ્ઞાનનિર્વાણ થયા હોય તે સ્થાન તીર્થ બની જાય છે અને જયાં ૧૦૦ વર્ષથી પ્રાચીન પરમાત્મા કે જિનાલય હોય તે તીર્થ કહેવાય છે.
જયારે શત્રુંજય તીર્થમાં તો અનંતકાળથી એક-એક કાંકરે અનંત અનંતા આત્માઓ મોક્ષમાં ગયા છે. એવા અનંત આત્માઓના પવિત્ર રજથી આ ભૂમિ પવિત્ર થઇ છે.
ભૂમિના પરમાણુઓની એક આગવી અસર હોય છે. એક સંત જેઠ મહિનાનાં ભયંકર તાપમાં ધગધગતા રેતાળ ભાગમાંથી પસાર થઇ રહ્યા છે. ત્યાંજ એમની નજર ઉડતી એક ચકલી ઉપર પડી અને તે ચકલી તાપથી બેચેન બનેલી નીચે પડી અને તરફડવા લાગી. આ જોતા જ દયાર્દ્ર બનેલા સંત એ તરફડતી ચકલીને બચાવવા દોડ્યા અને નજીક પહોંચે તે પહેલા એક સૂકેલા વૃક્ષની બખોલમાંથી ધસમસતો આવતો સર્પ જોયો અને સંતના પગ થંભી ગયા. મુખમાંથી ચીસ નીકળી ગઇ કે એ ચકલી મરી ! ' પણ આશ્ચર્ય ! સર્ષ આવીને ચકલીને ઉપરથી છાયા કરી અને પોતાના શરીરનો પીંડ બનાવી તેની ઉપર બેસાડી દીધી અને ચકલી એકદમ શાંત થઇ ગઇ. થોડીવાર થઇ. ચકલી ઉડી ગઇ, સર્પ ચાલ્યો ગયો.
આ દેશ્ય સંત જોતા રહી ગયા. અંતરથી આશ્ચર્યમાં ગરકાવ થયેલા સંત આગળ જઇ રહ્યા છે. મનમાં વિચારોના વમળમાં ફસાયા છે કે, આ શું હશે ? આમ કેમ બન્યું ? અને ત્યાંજ એક ખેડૂત મળી ગયો. સંતને આવકાર આપ્યો. પણ સંત વિચારમગ્ન હતા. એટલે ખેડૂતે કહ્યું, મહાત્મા શું કંઇ મૂંઝવણ છે ? જે હોય તે ફરમાવો. કંઇક માર્ગ નીકળશે. ત્યારે મહાત્મા બોલ્યા, ભાઇ ! આજે હું આવતો હતો ત્યારે મેં જે દશ્ય જોયું, તે વાત કરી અને પૂછ્યું કે સર્પને ચકલી ઉપર આવી દયા કેમ આવી ? ત્યારે ખેડૂતે કહ્યું કે, મહારાજ અહીં વર્ષો સુધી એક સંન્યાસીનો આશ્રમ હતો. તે આશ્રમનાં સંન્યાસી તથા તેમના શિષ્યો ખૂબજ ભલા હતા. જે કોઇ આ બાજુથી નીકળે તેને આવકારે, જમાડે, પાણી પીવડાવે તથા સેવાભક્તિ કરીને પછી જ જવા દે. આખો દિવસ ભગવાનની ભક્તિ ધૂન ચાલે, સત્સંગ ચાલે .
Page #8
--------------------------------------------------------------------------
________________
એ આશ્રમ ગયા વર્ષે વાવાઝોડામાં અસ્ત-વ્યસ્ત થઇ જતા સંન્યાસી પોતાના શિષ્ય પરિવાર સાથે બીજે ચાલ્યા ગયા અને આ જગ્યા વેરાન વગડા જેવી થઇ ગઇ.
પણ...! એ જગ્યામાં કરેલા એમની દયાના ભાવો પ્રસરી ગયા છે. જેથી અહીં રહેલા દરેક જીવને સારા ભાવો જ આવે છે... આ સાંભળીને સંત ખુશ થઇ આગળ ચાલ્યા. આપણને ... આ પ્રસંગ કંઇક કહી જાય છે કે જો થોડા વર્ષો માટે આવા ભાવો પ્રસરાવ્યા તો આટલી અસર થઇ તો જે પવિત્ર ગિરિરાજ ઉપર અનંત અનંત વર્ષોથી અનંત અનંત આત્માઓ જગતમાત્રના જીવોના હિતની ચિંતા કરતા મોક્ષે ગયા, તે ભૂમિ કેવી પવિત્ર થઇ ગઇ હશે ? તે આજે આપણે અનુભવીએ છીએ. આ મહામૂલા તીર્થરાજ આપણને આરાધવા મળ્યા છે.
આ તીર્થનો મહિમા અદ્ભૂત - અલૌકિક છે. આ તીર્થભૂમિના કણ-કણમાં, વૃક્ષોના પાંદડે-પાંદડે કે ત્યાનાં પરમાણુ-પરમાણુએ જે વિશેષતાઓ છે, તે આ ગ્રંથમાં પૂજય ધનેશ્વરસૂરીશ્વરજી મહારાજાએ આલેખ્યું છે. વિશાળ સંસ્કૃત ગ્રંથનો અનુવાદ પરમ પૂજ્ય દાન-પ્રેમ-રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન, વિદ્ધવર્ય, સાહિત્યરત્ન, પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કનકચંદ્રસૂરીશ્વરજી મહારાજે કરેલ અને તેની આવૃત્તિઓ બહાર પડતી રહી. જૈન જગતમાં આ શત્રુંજય મહાભ્યનો વાંચનમાં, વ્યાખ્યાનમાં ખૂબ જ ઉપયોગ થતો રહ્યો છે.
અમે શ્રી શત્રુંજય તીર્થમાં ચાતુર્માસ અર્થે હતા ત્યારે વયોવૃદ્ધા, દીર્થસંયમી, સાધ્વીજી શ્રી દમયંતીશ્રીજી મહારાજે આ શ્રી શત્રુંજય માહાત્મ ગ્રંથનો પુનઃ પ્રકાશન અંગે વાત કરી. મનમાં થયું કે આ ગ્રંથનાં ઉપયોગી સ્થાનોની મહત્તા પૂર્ણ લખાણને રાખીને આ ગ્રંથનો સંક્ષિપ્ત સાર પ્રકાશિત થાય તો વધુ ઉપયોગી - રસવાળો બનશે. તેથી આ ગ્રંથનું કાર્ય શરૂ કર્યું. મૂળગ્રંથનો સંક્ષિપ્ત પાંચ પ્રસ્તાવ જેટલો થયો.
- છઠ્ઠા અને સાતમા પ્રસ્તાવમાં બાકીના ઉદ્ધારો, તીર્થના ૨૧ નામના કથાનકો, પ્રાચીન-અર્વાચીન પ્રસંગો, પુન્યાત્માઓનો ઉલ્લેખ તેમજ ભાવયાત્રા અને પરમાત્મા આદિનાથ ભગવાનના ૧૨ ભવ, તીર્થયાત્રાની મહત્તા, તીર્થોમાં થતી આશાતનાથી કર્મબંધ - નુકશાની વિગેરે લખાણો, વિવિધ ગ્રંથો - પ્રકાશનોમાંથી તેમના પૂજ્ય લેખકો, સંપાદકોનાં આભાર પૂર્વક પ્રકાશિત કરી રહ્યા છીએ.
આ ગ્રંથનાં વાંચન દ્વારા તીર્થનો મહિમા ખ્યાલ આવશે અને તીર્થ પ્રત્યે - તીર્થાધિપતિ પ્રત્યે વધતી ભક્તિ દ્વારા એ પુન્યાત્માઓ કર્મનિર્જરા કરી પરમપદને પામવા સભાગી બને, એ જ અભ્યર્થના...
પં, વજૂસેન વિ જન્મ
Page #9
--------------------------------------------------------------------------
________________
ઈરાની) * * * * * * * * * * * * * * * *
૨L૧૨0/
ગમન
રૂા. ૬૦/
રૂા. ૩૦/
// શિવમસ્તુ સર્વ જગતઃ ||
સર્વ જગતઃ || Hહર પ્રકાશનો | શ્રી ગૌતમસ્વામીને નમઃ ૪૯/૧, મહાલક્ષ્મી સોસાયટી, સુજાતા ફલેટ પાછળ, શાહીબાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૪. ઉત્તમ, શિષ્ટ, સંસ્કારપોષક અને અભ્યાસ માટેના પુસ્તકો તથા જ્ઞાનભંડારો માટે
વસાવવા યોગ્ય વિવિધ વિષયોને આવરી લેતાં વિશિષ્ટ પ્રકાશનો પૂ.પં. શ્રી વજસેન વિ. મ. સા. સંપાદિત અભ્યાસ માટેના ઉપયોગી પુસ્તકો ૧. શ્રીઉપમિતિભવપ્રપંચા કથા (ભાગ-૧, ૨) ........ રૂા. ૭૫O|- | ૧૩. અધ્યાત્મ કલ્પદ્રુમ .....
........ રૂા.૨. પ્રવચનસારોદ્ધાર (ભાગ-૧, ૨) ................... રૂા. 300/- ૧૪. જૈનધર્મવર સ્તોત્ર-ગોધૂલિકાથે.................... રૂા. ૨૦0/૩ ઉત્તરાધ્યયનસુત્રમ્ (ભાગ-૧, ૨) ................. રૂા. ૩૦૦/- ૧૫. સુલભ કાવ્યપ્રવેશિકા ............. - રૂા. ૫૦/
(મૂળ, સંસ્કૃત છાયાનુવાદ, ગુર્જરભાષાનુવાદ, કથા સહિત) ૧૬શ્રાદ્ધવિધિપ્રકરણ (ગુજરાતી) ... રૂા. ૧૨૦/૪. ઉત્તરાધ્યયનસુત્ર (ભાગ-૧, ૨) ................... રૂા. /- | ૧૭. પ્રાતવ્યાકરણ (અષ્ટમઅધ્યાય) ........... (લક્ષ્મીવલ્લભગણી કતટીકા)
| ૧૮. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર (સંસ્કૃત)પ્રત ................. રૂા. 100/૫ લઘુક્ષેત્રસમાસ ..... ..... રૂા. ૧૨૫/- | ૧૯. પાઇઅલચ્છીનામમાલા ..
•........................ રૂા. ૮૬. ભરતેશ્વર બાહુબલીવૃત્તિ ..
રૂા. ૨૪૦/- ૨૦. પંચપ્રતિક્રમણ સુત્ર (અર્થસાથે) .. રૂા. ૫૦/૭. શાંતસુધારસ ......... •. રૂા. ૨૦૦/- ૨૧. સંસ્કૃત ધાતુકોષ (અર્થ સાથે)
રૂા. ૬૦/૮. શ્રી શત્રુંજયમાહાભ્ય.......... • રૂા. ૨૫૦/- ૨૨. શ્રીપ્રમાણનયતત્વલોક: ...... ૯ શ્રીસિદ્ધર્ષિ.
........ રૂા. ૨૫૦/- | ૨૩. શ્રી ગુણસ્થાનક્રમારોહ (ગુજરાતી) ............... - રૂા. ૧૨/૧૦. લોગસ્સસૂત્રસ્વાધ્યાય ..
. રૂા. ૧૨૫/- | ૨૪. હેમસંસ્કૃતિ પ્રવેશિકા (ભાગ-૧,પ્રથમા) ........... રૂા. ૪૦/૧૧. કાયોત્સર્ગ ધ્યાન . ........................... રૂા. ૭૫/- ૨૫. હેમસંસ્કૃતિપ્રવેશિકા (ભાગ-૨,મધ્યમા) ........... રૂા. ૬૦/૧૨. ભક્તામરકલ્યાણમંદિરનમિઉણસ્તોત્રયમ્ ......... રૂા. ૩OO|- | ૨૬. હેમસંસ્કૃતિ પ્રવેશિકા (ભાગ-૩, મધ્યમા) .......... રૂા. ૬૦/
૨૭. ભક્તિ-ભાવના (સ્તવનાવલી) પૂજ્ય પંન્યાસજી ભદ્રંકરવિજયજી પૂ.સા. શ્રી ચંદનબાલાશ્રીજી મ. સા. ગણિવર્યશ્રીના મૌલિક ચિંતનો
સંપાદિત પુસ્તકો ૧. રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ...................... રૂા. ૨૦O|- | ૧. ઉત્તરજઝયણાણિ (ભાગ-૧, ૨) .................... રૂા. ૬૦૦/૨. આત્મઉત્થાનનો પાયો ............ ............ રૂા. ૧૫૦/- | (મુનિશ્રી કમલસંયમોપાધ્યાયવિરચિત) ૩. પ્રાકૃતિકપરમતત્ત્વનુંમિલન ....................... રૂા. ૨૦૦/- | ૨. ઉત્તરાધ્યાયાઃ (ભાગ-૧, ૨) ............... ... રૂા. 800/૪. નમસ્કાર ચિંતનયાત્રા .............. . રૂા. ૧૪૦/- ૩. શ્રી ધર્મવિધિપ્રકરણમ્ ......................... ૫ પૂજ્યપંચાસજી મહારાજના પ્રવચનો (પાટણ)..... રૂા. ૧૨૦/- ૪. જંબુચરિયમ્..............
રૂા. ૨૦૦/૬. પૂજ્યપંન્યાસજી મહારાજના પ્રવચનો (લાલબાગ) રૂા. ૯૦/- ૫ શ્રીજગડૂચરિતમહાકાવ્યમ્
રૂા. ૭૫/૭ નવપદપ્રવચનો.. .. રૂા. ૧૮૦/- ૬. શ્રીવિચારરત્નાકરઃ..........
- રૂા. ૩૦૦/નવકારનો જાપ-સામાયિક પુજા તથા ગુરુવંદનની ગણના કરવા માટેના પુસ્તકો ૧. નવલાખજપંતાનરકનિવારે .. » રૂા. પ/- | ૫ પૂજ્ય પંન્યાસજી મહારાજનાપ્રવચનો.. ૨. વર્ધમાનસામાયિક.............. રૂા. ૫/- | ૬, વંદનાપાપનિકંદના .........
- રૂા. ૬)૩. કર્મખપાવવાનોકિમિયો ...
રૂા. ૫/- | ૭. સિદ્ધિદાયકસહસ્ત્રકુટ સામાયિક..................... ૪. સિદ્ધાચલસ્તવના........
.......... રૂા. ૬)- | ૮. પાપના થાકથીવિસામો ..
૯. જીવનજાગૃતિ અને અંતિમ આરાધના .............. - રૂા. ૧૨/
* * *'
O
N TRUS ) ******************* SL
SO -
- રૂા. ૨૫૦/
..........
••••••...
૨. 10/
Page #10
--------------------------------------------------------------------------
________________
સહયોગાતા
૦ કસ્તુરધામ - પાલિતાણા
૭ ઓસવાલ એસોસીએશન ઓફ યુ.કે. - નોર્થ વેસ્ટ
૦ શ્રી મહેસાણા ઉપનગર શ્વે. મૂ. જૈન સંઘ - મહેસાણા
૭ શ્રી સુરત રત્નત્રયી આરાધક સંઘ ટ્રસ્ટ - સુરત
૦ શ્રી ઓશવાલ જૈન સંઘ - રોહા
૦ શ્રી મરીનલાઇન જૈન આરાધક ટ્રસ્ટ - મુંબઇ
૦ શ્રી લુણાવા જૈન સંઘ - રાજસ્થાન
૦ શ્રી મહારાષ્ટ્ર ભુવન ધર્મશાળા - પાલીતાણા
૦ શ્રી કૈલાશનગર જૈન સંઘ - સુરત
લિ.
ભદ્રંકર પ્રકાશન
અમદાવાદ.
Page #11
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા)
૦
૦
૦
0
0
•••••. ૧૦ • ••• .. ૧૧
૦
........ ૧
૩
=
........
૧૮.
ક્રમ વિષય
પૃષ્ઠ ૧. મંગલાચરણ ........... ૨. ઉપોદ્ધાત..... ૩. દેવકૃત શત્રુંજયગિરિ વર્ણન............................... ૪. કંડુ રાજર્ષિ ............. ૫. વીરપ્રભુની સ્તવના કરતાં સૌધર્મેન્દ્ર ............. ૬. શ્રી મહાવીરસ્વામી ભગવાનની દેશના ............ ૭. ગિરિરાજ વિષે સૌધર્મેન્દ્રના પ્રશ્નો ...... ૮. સૌરાષ્ટ્ર દેશની વિશેષતા ..
૯. સૌરાષ્ટ્રનો શણગાર : શત્રુંજય ગિરિરાજ ............. ૧૦. ગિરિરાજ ઉપર કરેલ આરાધનાથી થતું પુણ્ય ....................... ૧૧. ગિરિરાજનું પ્રમાણ, ૨૧ મુખ્ય શિખરો અને યાત્રાનો મહિમા ... ૧૨. શ્રી શત્રુંજય મહાતીર્થમાં પ્રભુપૂજાનું ફળ ....
........૧૭ ૧૩. તીર્થાધિરાજમાં પુષ્પમાળાનું ફળ .........
........૧૮ ૧૪. ગિરિરાજમાં તપનું ફળ ૧૫. તીર્થસ્થાનમાં પાત્રદાનનો મહિમા .. ૧૬. રાયણ વૃક્ષનો અચિંત્ય પ્રભાવ ............ ૧૭. સૂર્યદેવકૃત સૂર્યોદ્યાનનો પવિત્ર મહિમા .......................... ૧૮. સૂર્યાવર્ત કુંડના માહાભ્ય વિષે મહિપાલ રાજાની કથા ........... # રાણીને પુત્રરત્ન પ્રાપ્તિ ............
........... ૪ મહીપાલ કુમારને ખગ સિદ્ધિની પ્રાપ્તિ .................... * શ્રીનિવાસ વન-યોગિનીનો મેળાપ ........... ....... ૨૬ # મહાકાલ યક્ષના પૂર્વભવનું વૃત્તાંત...............
* ધાર્મિક બગલાની કથા ........ ૧૯. સિદ્ધગિરિના પ્રભાવ વિષે ત્રિવિક્રમ રાજાની કથા ............ ૨૦. મહાબાહુ રાજાને જાતિસ્મૃતિ ............
૪ મહીપાલકુમાર અને ગુણસુંદરીનો લગ્નોત્સવ...... ...... ૩૮ ૪ માલવ દેશના રાજાઓ સાથે યુદ્ધ ........... ૪ વિદ્યાધર યુગલની શત્રુંજયગિરિ પર ભક્તિ..
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૮
......
U.
૦ U
૦
૦ =
૦
.... ૨૮
૦ 6
0 0
•... ૩૫
......... ૪૦
Page #12
--------------------------------------------------------------------------
________________
I *
૫૩
F =
T 9
u = w
in w 9
,
,
,
,
,
w
# મહીપાલનો પૂર્વ વૃત્તાંત ...
....... ૪૨ મહીપાલનો માતા-પિતા સાથે મેળાપ ............. ....... ૪૫ ૨૧. શ્રી ઋષભદેવ ભગવાનના ૧૩ ભવોનાં નામ ................ ૪૬
(એ) પહેલો પ્રસ્તાવ ૨૨. આદિનાથ ભગવાનના પૂર્વજોનું ચરિત્ર તથા ચ્યવનાદિનું વૃત્તાંત.. ૪૭ ૨૩. શ્રી આદિનાથ ભગવાનનો અંતિમ ભવ.
......... ૪૭ ૨૪. અક્ષયતૃતીયા પર્વ .. ૨૫. ઋષભદેવ પ્રભુને કેવળજ્ઞાન........... ૨૬. પ્રભુના સમવસરણને જોઈ મરૂદેવી માતાને કેવળજ્ઞાન ......... ૨૭. ચતુર્વિધ સંઘની સ્થાપના ..... ૨૮. કમલદ્રહનો મહિમા..............
...........
.... ૫૯ ૨૯. મ્લેચ્છ જાતિએ ચક્રવર્તીના સૈન્યમાં કરેલો ઉપદ્રવ ............. ૩૦. રાયણ વૃક્ષના પ્રભાવથી રોગશાંતિ ....... ૩૧. નમિ-વિનમિ સાથે યુદ્ધ ..........
........ ૬૪ ૩૨. દષ્ટિવિષ સર્પ બન્યો ઇશાનેન્દ્ર ! ............... ૩૩. ચક્રવર્તીને નવનિધિની પ્રાપ્તિ ........ ૩૪. ભરતેશ્વરનું અયોધ્યામાં પુનરાગમન ....
........ ૩૫. ભરતેશ્વરનો અયોધ્યામાં રાજ્યાભિષેક ............. ૩૬. ભરત ચક્રવર્તીનો રાજવૈભવ.........
.........૬૯ ૩૭. ભરત નરેશ્વરના અઢાણું ભાઇઓની દીક્ષા ................ ૩૮. બાહુબલીનો પ્રત્યુત્તર અને યુદ્ધની તૈયારી .... ૩૯. ભરત ચક્રવર્તીની બલ પરીક્ષા .
....... ૮૧ ૪૦. ભરત બાહુબલિનું દ્વન્દ્ર યુદ્ધ .........
....... ૮૧ ૪૧. બાહુબલિનું સ્વયં કેશાંચન અને સંયમ ગ્રહણ .................... ૪૨. બાહુબલિના સ્થાને સોમયશાનો રાજ્યાભિષેક..................... ૮૪ ૪૩. બાહુબલિ રાજર્ષિને કેવળજ્ઞાન પ્રાપ્તિ ............................. ૮૫ ૪૪. શત્રુંજયગિરિ પર સંઘ સહિત ઋષભદેવ પ્રભુની પધરામણી ...... ૮૬ ૪૫. શ્રી શત્રુંજય તીર્થાધિરાજની નિશ્રામાં થતાં ધર્મકાર્યનું મહાફલ .... ૮૭ ૪૬. શ્રી પુંડરીક ગણધર આદિ પાંચ કરોડ મુનિઓનું અનશન અને કેવળજ્ઞાન પ્રાપ્તિ .....
••••••........ ૯૦
w =
w )
w 9
..... ૬૮ ••••••••••••
.૭૧
8 0
• 9
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૯
Page #13
--------------------------------------------------------------------------
________________
૪૭. ચૈત્રી પૂર્ણિમાનું પર્વ
૪૮. ઋષભદેવ પ્રભુની વિનીતા નગરીમાં પધરામણી. ૪૯. શ્રી ઋષભદેવ ભગવંતની દેશના...
૫૦. આ અવસર્પિણીમાં પ્રથમ તીર્થયાત્રા માટે સંઘ સહિત ભરતેશ્વરનું પ્રયાણ
૫૧. ગણધર ભગવંતે બતાવેલી ગિરિરાજ પૂજનવિધિ ૫૨. ગિરિરાજની પ્રથમ ભક્તિ..
૫૩. ચિલ્લણ સરોવર.
૫૪. ‘સર્વતીર્થાવતાર' મહાકુંડનો જીણોદ્ધાર ૫૫. પ્રથમ ઉદ્ધારક : ભરત મહારાજા
૫૬. શત્રુંજય તીર્થ ઉપર ત્રૈલોક્યવિભ્રમ જિનપ્રાસાદ ૫૭. ભરત ચક્રવર્તીએ કરાવેલો પ્રતિષ્ઠા મહોત્સવ...
૫૮. શ્રી નાભગણધરની દેશના : જિનપૂજા અને સાતક્ષેત્રનું માહાત્મ્ય વર્ણન
૫૯. હવે ચતુર્વિધ સંઘ સ્વરૂપ અન્ય ચાર ક્ષેત્ર (૪ થી ૭)
૬૦. શાંતન રાજાની કથા
૬૯. ભરત મહારાજાનો મહોત્સવપૂર્વક સંઘ સાથે
વિનીતા નગરીમાં પ્રવેશ
૯૧
૯૨
૯૨
૭૦. શ્રી ઋષભદેવ પ્રભુનું અષ્ટાપદ પર્વત ઉપર નિર્વાણ ૭૧. સિંહનિષધા પ્રાસાદની સ્થાપના
૭૨. ભરત મહારાજાને આરિસાભવનમાં પ્રાપ્ત થયેલ
કેવળજ્ઞાન અને મોક્ષપ્રાપ્તિ
૯૪
૯૫
(૯૬
૧૦૧
૧૦૩
૧૦૫
૬૧. સાત વ્યસન
૧૦૫
૬૨. શાંતન રાજાના પુત્રોના પૂર્વભવો..
૧૦૬
૬૩. ધરણેન્દ્રે શાંતન રાજાને દુઃખોમાંથી છૂટવાનો બતાવેલો ઉપાય .. ૧૦૮ ૬૪. શત્રુંજય આદિ ૧૪ મહાનદીઓની ઉત્પત્તિ અને પ્રભાવનું વર્ણન૧૦૯ ૬૫. કદંબિગિરનો પ્રભાવ
૧૧૧
૬૬. ચન્દ્રોધાનનો મહિમા તથા શ્રી ચન્દ્રપ્રભપ્રાસાદ યુક્ત
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર • ૧૦
6-2
વિશાળ નગર .
૧૧૨
૬૭. ભરતેશ્વરે કરેલ રૈવતાચલની યાત્રા, જિનપ્રાસાદની સ્થાપના .... ૧૧૨ ૬૮. શ્રી ભરત ચક્રવર્તીએ કરેલી વિવિધ તીર્થોની યાત્રા
૧૧૬
૯૭
૯૮
૯૮
૯૯
૧૧૭
૧૧૮
૧૨૦
૧૨૨
Page #14
--------------------------------------------------------------------------
________________
૭૩. ઇન્દ્ર મહારાજા દ્વારા સૂર્યયશા રાજાના સત્ત્વની પ્રશંસા ૭૪. સૂર્યયશા રાજાને ચલિત કરવા રંભા અને ઉર્વશીનું પૃથ્વી પર આગમન .
૧૨૪
૭૫. સૂર્યયશા રાજાને ચલાયમાન કરવા રંભા તથા ઉર્વશીના પ્રયત્નો ૧૨૬ ૭૬. સૂર્યયશા અને તેમની પાટપરંપરાની સિદ્ધિગતિ
૧૨૮
૭૭. સુવલ્ગુ તાપસ દ્વારા દ્રાવિડનો ટર્નીંગ પોઇન્ટ
૧૩૦
૧૩૩
૧૩૪
૧૩૫
૮૧. શત્રુંજય તીર્થના ઉદ્ધાર માટે સૌધર્મેન્દ્રની દંડવીર્ય રાજાને પ્રેરણા ૧૩૫ ૮૨. શત્રુંજય તીર્થે જતા માર્ગમાં વેતાલે કરેલું વિઘ્ન ..
૧૩૫
૧૩૬
૮૩. દંડવીર્ય રાજાએ કરેલ તીર્થોદ્ધાર અને પ્રાંતે મુક્તિ પ્રાપ્તિ . ૮૪. ત્રીજા ઉદ્ધારક : ઇશાનેન્દ્ર
૧૩૭
૧૩૭
૧૩૮
૭૮. દસ કરોડ મુનિવરો સાથે દ્રાવિડ તેમજ વારિખિલ્લની મુક્તિ ૭૯. ઇન્દ્ર દ્વારા દંડવીર્ય રાજાની સાધર્મિક ભક્તિની કસોટી .
૮૦. બીજા ઉદ્ધારક : દંડવીર્ય રાજા
૮૫. હસ્તિની દેવીનું દુષ્ટ ચેષ્ટિત..
૮૬. શ્રી શત્રુંજયનો ચોથો-પાંચમો-છઠ્ઠો ઉદ્ધાર..
(બી) બીજો પ્રસ્તાવ
૮૭. શ્રી અજિતનાથ ભગવાનનું ચરિત્ર ૮૮. શ્રી અજિતનાથ પરમાત્માનો જન્મ
૧૪૦
૧૪૦
૮૯. શ્રી અજિતનાથ પરમાત્માની બાળક્રીડા અને પાણિગ્રહણ ........ ૧૪૧ ૯૦. ઉદ્યાનમાં પરમાત્માની વિચારણા અને લોકાંતિક દેવોની પ્રાર્થના ૧૪૨ ૯૧. શ્રી અજિતનાથ પ્રભુને કૈવલ્ય પ્રાપ્તિ અને સગરને ચક્રરત્ન પ્રાપ્તિ૧૪૩ ૯૨. પરમાત્માનું પુંડરિકગિરિએ આગમન અને મયૂરદેવનો પૂર્વભવ.. ૧૪૫ ૯૩. સુભદ્રગિરિ ઉપર શ્રી અજિતનાથ સ્વામીનું ચાતુર્માસ ૯૪. સગર ચક્રવર્તીના ૬૦,૦૦૦ પુત્રોની અષ્ટાપદ તીર્થયાત્રા . .... ૧૪૭ ૯૫. સગરચક્રીના સૈન્યને ઇન્દ્રે આપેલ આશ્વાસન
૧૪૬
૧૪૯
૧૫૦
૧૫૧
૧૫૩
૧૫૩
૧૫૫
૯૬. પુત્રોના મૃત્યુથી દુ:ખી થયેલા ચક્રવર્તીને ઇન્દ્રનો બોધ ૯૭. સગર ચક્રવર્તીના પુત્રોના પૂર્વભવો.
૯૮. સાતમા ઉદ્ધારક : સગર ચક્રવર્તી.
૯૯. સગર ચક્રીની સંઘસહિત શ્રી શત્રુંજયની યાત્રા
૧૦૦. સગર ચક્રીની રૈવતાચલતીર્થની યાત્રા
૧૨૩
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર - ૧૧
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૦૧. આઠમા ઉદ્ધારક : વ્યંતરેન્દ્ર
૧૦૨. નવમા ઉદ્ધારક : ચંદ્રયશા રાજા ૧૦૩. શ્રી ચંદ્રપ્રભસ્વામીનું ચરિત્ર.. ૧૦૪. ચન્દ્રપ્રભાસતીર્થની ઉત્પત્તિ અને મહિમા ૧૦૫. શ્રી શાંતિનાથ ચરિત્ર
૧૦૬. શ્રી શાંતિનાથ પરમાત્માને સિંહનો ઉપસર્ગ.
૧૦૭. ચક્રધરે કરેલ વિદ્યાધરને સહાયતા અને પાણિગ્રહણ
૧૦૮. વાંદરી : શૃંગારસુંદરી ..
૧૦૯. ચક્રધર રાજા દ્વારા તાપસોને પ્રતિબોધ.
૧૧૦. દશમા ઉદ્ધારક : ચક્રધર રાજા
૧૧૧. ચક્રધર રાજવીએ કરેલ દશમો તીર્ણોદ્ધાર અને વિવિધ તીર્થોની યાત્રા.
૧૧૨. દેવ આવો જગતમાં નહિ મળે રે...
(સી) ત્રીજો પ્રસ્તાવ
૧૧૩. શ્રી રામચંદ્ર આદિ મહાપુરુષોના ચરિત્રો
૧૧૪. અક્ષય રાજાને પ્રાપ્ત થયેલ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા ૧૧૫. રામ=બળદેવ તથા લક્ષ્મણ=વાસુદેવ વિગેરેનો જન્મ.
૧૧૬. રામચંદ્રજી અને સીતાનું પાણિગ્રહણ
૧૧૭. અગ્યારમો ઉદ્ધારક : રામચંદ્રજીનો
૧૫૬
૧૫૭
૧૫૭
૧૫૮
૧૫૯
૧૬૦
૧૬૧
૧૬૨
૧૬૩
૧૬૫
૧૬૬
૧૬૭
૧૬૯
૧૭૦
૧૭૨
૧૧૮. શ્રી રામનો અરણ્યવાસ અને દશરથની દીક્ષા
૧૭૨
૧૧૯. રાવણ વિગેરેનું પાણિગ્રહણ અને વાલીએ કરેલ રાવણનું દમન. ૧૭૪ ૧૨૦. વાલીમુનિ દ્વારા રાવણને શિક્ષા
તીર્થરક્ષા
૧૭૫
૧૭૬
૧૨૧. રાવણ અને ઇન્દ્રરાજાનું યુદ્ધ ૧૨૨. અંજનાનો અરણ્યવાસ અને હનુમાનનો જન્મ. ૧૨૩. રાવણ પાસે સીતાના રૂપની પ્રશંસા
૧૭૭
૧૮૦
૧૮૨
૧૨૪. સુગ્રીવનું રામચંદ્રજીના શરણે આગમન ૧૨૫. હનુમાન દ્વારા સીતાને આશ્વાસન ૧૨૬. રામ-રાવણનું યુદ્ધ ..
૧૮૩
૧૮૪
૧૮૬
૧૨૭. વિશલ્યાના કરસ્પર્શથી લક્ષ્મણને ચૈતન્યપ્રાપ્તિ ૧૨૮. રામનું અયોધ્યામાં આગમન અને રાજ્યપ્રાપ્તિ
૧૮૭
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૨
-
૧૬૫
૧૬૫
Page #16
--------------------------------------------------------------------------
________________
છે
\
ઇ
ણિી
......... • • • • • • • • • • • • • • • • • • • • • •
૧૨૯. સીતા-હનુમાનનો ભાવિ વૃત્તાંત .............. ૧૩૦. રામ-લક્ષ્મણ આદિનો ભાવિ વૃત્તાંત ............... ...... ૧૮૮ ૧૩૧. શ્રી ગિરનાર મહાતીર્થ માહાભ્ય વર્ણન ........................ ૧૩૨. માહેન્દ્ર વર્ણવેલો મુનિવરનો વૃત્તાંત
....... ૧૮૯ ૧૩૩. શુક પક્ષીએ ભીમસેનને બતાવેલો જીવવાનો ઉપાય ............ ૧૩૪. મંગલ તાપસે ગુરુ પાસે વર્ણવેલું રૈવતાચલનું માહાત્મ........ ૧૩૫. અશોકચંદ્ર ક્ષત્રિયની કથા ...............
............ ૧૯૩ ૧૩૬. ભીમસેનનું રેવતાચલગિરિ તરફ પ્રયાણ ...... ........ ૧૯૪ ૧૩૭. ભીમસેનનું શત્રુંજય તેમજ ફરીથી રૈવતાચલ તીર્થયાત્રા માટે પ્રયાણ ....
........ ૧૯૬ ૧૩૮. હરિવંશની ઉત્પત્તિ અને તેનો વિસ્તાર ............................... ૧૩૯. કિલ્બિષિક દેવ દ્વારા યુગલિકોનું અપહરણ .............................. ૧૪૦. મુનિસુવ્રતસ્વામી ભગવંતનું ચરિત્ર...........
................
૨૦૦ ૧૪૧. અશ્વના પૂર્વભવો..
૨૦૧ ૧૪૨. સમેતશિખર પર શ્રી મુનિસુવ્રતસ્વામીનું નિવણ ..... ૨૦૩ ૧૪૩. શત્રુંજય તીર્થ સ્પર્શનાનું ફળ .........
(ડી) ચોથો પ્રસ્તાવ ૧૪૪. શ્રી નેમિનાથ પ્રભુનું ચરિત્ર ................. ૧૪૫. ગંગાકુમારીનું વૃત્તાંત .............
.......... ૨૦૫ ૧૪૬. ગાંગેયનો જન્મ ... ૧૪૭. વનમાં ગાંગેય અને શાંતનુનું પરસ્પર યુદ્ધ ..................... ૧૪૮. શાંતનુ રાજાની સત્યવતી માટે પ્રાર્થના ........................... ૧૪૯, સરસ્વતી કન્યાની ઉત્પત્તિ ....................
.... ૨૧૧ ૧૫૦. વિચિત્રવીર્યનું પાણિગ્રહણ : પાંડુનો રાજયાભિષેક ............ ૧૫૧. પાંડુ રાજાનો કુંતી સાથે ગાંધર્વવિવાહ ..
....... ૨ ૧૩ ૧૫૨. મથુરામાં ઉગ્રસેનને ત્યાં કંસનો જન્મ ..
....... ૨૧૪ ૧૫૩. કૃષ્ણ વાસુદેવ તથા તેમનાથ ભગવાનનો જન્મ.............. ૧૫૪. દેવો દ્વારા બાળ નેમિનાથપ્રભુની પરીક્ષા ....
.... ૨૧૭ ૧૫૫. ધર્મરાજ યુધિષ્ઠિર તેમજ દુર્યોધનનો જન્મ...
.... ૨૧૭ ૧૫૬. શા ધનુષ્યનું આરોપણ : કૃષ્ણ દ્વારા કંસનો વધ..............
૨૦૩
..................
...............
૨૦૭ ૨૦૮
૦
૦
કે
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૩
Page #17
--------------------------------------------------------------------------
________________
0
૦
': પ્રાSiાલાલ'
ના
" •* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
ო
નવ....... • • • • • •
૨૩૨
ო જી
ო જી
ო -
ო 2
૨૩૫
૧૫૭. કુબેરે શ્રીકૃષ્ણને માટે રચેલી દ્વારિકા નગરી ...... ...... ૨૨૨ ૧૫૮. દેવો દ્વારા શ્રી નેમિનાથ ભગવાનની સત્ય પરીક્ષા ........... ૧૫૯. શ્રી નેમિનાથ ભગવંતને યુદ્ધ માટે પ્રેરણા ...................... ૧૬૦. દ્રોણાચાર્યનો મેળાપ..............
..... ૨ ૨૭ ૧૬૧. ગુરુભક્ત એકલવ્ય .....
............. .... ૨૨૮ ૧૬૨. પાંડવો તેમજ કૌરવોને પરસ્પર ઈર્ષાભાવ ..................
..... ૨૨૯ ૧૬૩. દ્રૌપદીનો સ્વયંવર - અર્જુનનો રાધાવેધ ........................
... ૨૩૦ ૧૬૪. દ્રૌપદીનો પૂર્વભવ.
૨૩૧ ૧૬૫. અર્જુનનું પરદેશગમન ............ ૧૬૬. ગિરનારના હસ્તિપદ કંડના માહાસ્ય ઉપર દુર્ગધાની કથા ...... ૨૩૩ ૧૬૭. હસ્તિપદ કુંડના જળથી દુર્ગધાની દુર્ગધ દૂર .................... ૧૬૮. દુર્ગધાનો પૂર્વભવ ...................
............ ૧૬૯. યુધિષ્ઠિરને રાજય અર્પણ .............
....... ૨૩૫ ૧૭૦. યુધિષ્ઠિરે કરેલ પ્રતિષ્ઠા મહોત્સવ એ અમારીની ઉદ્ઘોષણા ..... ૧૭૧. દુર્યોધનનું કપટ ...............
............ ૨૩૬ ૧૭૨. પાંડવોને વનવાસમાં જવાનો દુર્યોધનનો આદેશ ................ ૨૩૭ ૧૭૩. પાંડવોનું વનવાસ માટે પ્રયાણ ....... ............... ૨૩૮ ૧૭૪. પાંડવોનો લાક્ષાગૃહમાંથી બચાવ અને પુરોચનનું મૃત્યુ......... ૧૭૫. હિડંબ રાક્ષસનો વધ ......... ૧૭૬. ભીમ અને હિડંબાનું પાણિગ્રહણ
. ૨૪૨ ૧૭૭, બક રાક્ષસનો વધ..........
.... ૨૪૨ ૧૭૮. અર્જુનને અનેક પ્રકારની વિદ્યાસિદ્ધિ ................................ ૧૭૯. અર્જુન તથા શિકારીનું યુદ્ધ : દેવ પ્રગટ ......................... ૧૮૦. ઇન્દ્ર રાજાની સહાય માટે અર્જુનનું પ્રયાણ ..................... ૧૮૧. કાયોત્સર્ગના પ્રભાવથી પાંડવોની મુક્તિ .................................. ૨૪૭ ૧૮૨. પાંડવો દ્વારા દુર્યોધનની રક્ષા
................... ૧૮૩. જયદ્રથ દ્વારા દ્રૌપદી હરણ ...
....... ૨૪૯ ૧૮૪. પાંડવોને હણવા માટે દુર્યોધને કરાવેલ ઉદ્ઘોષણા........... ૧૮૫. દ્રૌપદી દ્વારા કૃત્યા રાક્ષસીથી પાંડવોનું રક્ષણ ...... ૧૮૬. કૃત્યા રાક્ષસીનું આગમન......
૨૫૧ ૧૮૭. પાંડવોનો ગુપ્તવાસ : કીચકનો વધ.
...... ૨ ૫૩
E
.
૨૪૮
૨૫૦
૧. 19ના
૨
S
•••••••............ ૨ ૫૧
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૪
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૮૮. ગુપ્તવાસમાં રહેલા પાંડવોને શોધવા માટે દુર્યોધનની યુક્તિ..... ૨૫૫ ૧૮૯. ગુપ્ત વેષમાં રહેલા અર્જુને દુર્યોધન વગેરેનો કરેલો પરાભવ.... ૨૫૬ ૧૯૦. કૃષ્ણપુત્ર પ્રદ્યુમ્નકુમારનો જન્મ..............
....... ૨૫૮ ૧૯૧. કનકમાલાનો પ્રપંચ અને પ્રદ્યુમ્નને વિદ્યાપ્રાપ્તિ................. ૨૫૯ ૧૯૨. પ્રદ્યુમ્નનો પ્રભાવ ...............
૨૬૦ ૧૯૩. રૂક્મિણી અને પ્રદ્યુમ્ન (માતા-પુત્ર)નો સોળ વર્ષે મેળાપ ....... ૧૯૪. ભીરુક માટેની કન્યાઓનું શાંબ સાથે પાણિગ્રહણ .
દણ .............. ૧૯૫. યુદ્ધ નિવારવા માટે કૌરવો પાસે મોકલાયેલ વિજય નામનો દૂત ૨૬૫ ૧૯૬. શ્રીકૃષ્ણના વધ માટે જરાસંઘનું સૈન્ય સાથે પ્રયાણ........... ૨૬૭ ૧૯૭. કૌરવ તેમજ પાંડવોના સૈન્યનું યુદ્ધ માટે રણમાં આગમન ...... ૨૬૯ ૧૯૮. અર્જુને ભીષ્મને કરાવેલું જળપાન : ભીષ્મની દીક્ષા .............. ૨૭૦ ૧૯૯. દ્રોણાચાર્યનું અનશન તેમજ કર્ણને સેનાપતિ પદ ............... ૨૭૨ ૨૦૦. દુર્યોધનના મૃત્યુના સમાચારથી જરાસંઘને ખેદ ................ ૨૭૩ ૨૦૧. જરાસંઘ પ્રતિવાસુદેવનું કૃષ્ણ વાસુદેવની સાથે ભીષણ યુદ્ધ ..... ૨૭૫ ૨૦૨. શ્રીકૃષ્ણને પ્રાપ્ત થયેલી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રભાવિક પ્રતિમા ૨૭૬ ૨૦૩. શ્રી નેમિનાથ ભગવાનની ક્રીડા ..........
........ ૨૭૯ ૨૦૪. શ્રી નેમિનાથ પ્રભુના બળની પરીક્ષા કરવા કૃષ્ણની ઇચ્છા.... ૨૮૦ ૨૦૫. ઇન્દ્ર મહારાજાએ દૂર કરેલ શ્રીકૃષ્ણ વાસુદેવનો સંશય...... ૨૮૧ ૨૦૬. નેમિનાથ પ્રભુને વિવાહની વિનંતી .............. ........... ૨૮૨ ૨૦૭. શ્રી નેમિનાથ પ્રભુનો રાજીમતી સાથે લગ્ન ઉત્સવ ............. ૨૮૩ ૨૦૮. રાજીમતી સાથે સખીઓનો સંવાદ...........
.. ૨૮૪ ૨૦૯. પશુઓનો પોકાર : શ્રી નેમિનાથ પ્રભુએ રથને પાછો વાળ્યો : લોકાંતિક દેવોનું આગમન ........................
૨૮૪ ૨૧૦. શ્રી નેમિનાથ પ્રભુની દીક્ષા .................................... ૨૧૧. શ્રી નેમિનાથ પ્રભુને કેવળજ્ઞાન ................................ ૨૧૨. અંબિકાદેવીનું ચરિત્ર ............
......... ૨૮૭ ૨૧૩. માતાના સૂચનથી સોમભટ્ટ દ્વારા અંબિકાનો ત્યાગ . ............. ૨૮૮ ૨૧૪. મુનિદાનના પ્રભાવથી સોમભટ્ટના આવાસમાં પ્રગટેલ સમૃદ્ધિ.. ૨૮૯ ૨૧૫. અંબિકાની પ્રાર્થના ...........
........... ૨૯૦ ૨૧૬. શ્રી નેમિનાથ પ્રભુના સમવસરણમાં અંબિકા દેવીનું આગમન .. ૨૯૧ ૨૧૭. ગોમેધ યક્ષનું ચરિત્ર......
.......... ૨૯૧
......• • • •
ર
ત્ર
.................... • • • • • • • • • • • • • • • •
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૧૫
Page #19
--------------------------------------------------------------------------
________________
૨૯૨
૨૧૮. વરદત્ત ગણધરનો પૂર્વભવ.. ૨૧૯. પ્રતિમા પ્રાપ્તિ માટે અંબિકાદેવી સાથે રત્નશ્રેષ્ઠિનું ગમન........ ૨૯૬ ૨૨૦. શ્રીકૃષ્ણે નૂતન પ્રાસાદમાં કરેલ શ્રી નેમિનાથ પ્રભુની મૂર્તિની સ્થાપના
૨૨૧. અમલકીર્તિ નદીનો પ્રભાવ
૨૨૨. વાનરી : રાજકુમારી
૨૨૩. રૈવતાચલ મહાતીર્થના બ્રહ્મેન્દ્ર આદિ અધિષ્ઠાયક દેવો ૨૨૪. ઉમાશંભુ શિખર
૨૨૫. થાવા પુત્રની દીક્ષા
૨૨૬. થાવચ્ચાપુત્ર, શુકપરિવ્રાજક, શૈલકસૂરિ આદિનું સિદ્ધિગમન ૨૨૭. બારમા ઉદ્ધારક : પાંડવો .
૨૨૮. પ્રદ્યુમ્નકુમારના શ્રી નેમિનાથ ભગવાનને ભાવવંદન ૨૨૯. દ્વારિકાનો અંત.
૨૩૦. દ્વૈપાયન અસુર દ્વારા દ્વારકાદહન
૨૩૧. શ્રીકૃષ્ણનું મૃત્યુ
૨૩૨. બલભદ્રની દીક્ષા અને સ્વર્ગવાસ
૨૩૩. શાંબ-પ્રદ્યુમ્ન વગેરેનું નિર્વાણ સંયમગ્રહણ
૨૩૪. પાંડવોનો પૂર્વભવ..
૨૩૫. શ્રી નેમિનાથ પ્રભુનું નિર્વાણ ૨૩૬. પાંડવોનું શત્રુંજયતીર્થ ૫૨ સિદ્ધિગમન ૨૩૭. શત્રુંજયનો મહિમા
પાંચ પાંડવોને વૈરાગ્ય
૨૩૮. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર ૨૩૯. નાગ થયો ધરણેન્દ્ર
૨૪૦. કલિકુંડ તીર્થ
૨૪૧. અહિચ્છત્રા નગરી
(ઇ) પાંચમો પ્રસ્તાવ
-
નારદની મુક્તિ
૨૪૨. કમઠાસુરનો ઉપસર્ગ અને ધરણેન્દ્રની ભક્તિ ૨૪૩. શ્રી પાર્શ્વનાથ પ્રભુનો પરિવાર અને મોક્ષગમન ૨૪૪. તેરમા ઉદ્ધારક જાવડશાનું ચરિત્ર
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૬
૨૯૮
૩૦૧
૩૦૧
303
૩૦૪
૩૦૫
..... ૩૦૫
૩૦૭
૩૦૯
૩૦૯
૩૧૧
૩૧૧
૩૧૨
૩૧૩
૩૧૪
૩૧૫
૩૧૫
૩૧૬
૩૧૭
૩૧૭
૩૧૭
૩૧૮
૩૧૮
૩૨૧
૩૨૧
Page #20
--------------------------------------------------------------------------
________________
૩૩૪
...........
............
૨૪૫. કપર્દી યક્ષનું ચરિત્ર.
૩૨૫ ૨૪૬. પ્રભુએ ફરમાવેલું ભાવિકોલનું સ્વરૂપ અને તીર્થનો મહિમા.... ૩૩૦ ૨૪૭. ઉપસંહાર.........
......... ૩૩૧ ૨૪૮, તારે તે તીર્થ કહીએ ! .......................................... ૩૩૧ ૨૪૯. ચૌદમા ઉદ્ધારક બાહડમંત્રીનું ચરિત્ર .........
૩૩૨ ૨૫૦. પંદરમા ઉદ્ધારક સમરાશાનું ચરિત્ર . ૨૫૧. સોળમા ઉદ્ધારક કર્માશાનું ચરિત્ર ............. •••••••••• ૩૩૭ ૨ ૫૨. અંતિમ કથન ....
૩૩૮ ૨૫૩. માંડવગઢના પેથડશા ...........................
33८ પરિશિષ્ટ ૨૫૪. શત્રુંજયના ૨૧ નામ વિષયક કથાઓ
# વિમલગિરિ નામ વિષે સુરરાજાની કથા .................... ૩૩૯ ૪ મુક્તિનિલય નામ વિષે વીરસેનરાજાની કથા ............... ૩૪૧
શત્રુંજય નામ વિષે શુકરાજાની કથા ...................... ૩૪૪ $ સિદ્ધક્ષેત્ર નામ વિષે દંડવીર્યરાજાની કથા ................... » પુંડરીકગિરિ નામ વિષે પુંડરીકસ્વામીની કથા... ........ ૩૫૫ ૪ સિદ્ધશેખર નામ વિષે પદ્મરાજાની કથા ................... ૩૫૬
સિદ્ધપર્વત નામ વિષે હર-હરીની કથા .......... ૩૫૭ * સિદ્ધરાજ નામ વિષે ચંદ્રચૂડરાજાની કથા .................... ૩૫૮
બાહુબલિ નામ વિષે કેલિપ્રિય રાજાની કથા ................. ૩૫૯ મરૂદેવ નામ વિષે ચંદનરાજાની કથા .....
૩૫૯ ભગીરથ નામ વિષે ભગીરથની કથા .................... ૩૬૦ છે સહશ્નપત્ર નામ વિષે સહમ્રપત્રકુમારની કથા..............
.... ૩૬૧ જ શતાવર્ત નામ વિષે સોમદેવરાજાની કથા ......
.. ૩૬૨ ૪ અષ્ટોત્તરશતકૂટ નામ વિષે વીરરાજાની કથા ................ ૪ નગાધિરાજ નામ વિષે સ્વયંપ્રભદેવની કથા ................ સહસ્ત્ર કમલ નામ વિષે રણવીરરાજાની કથા. ............
.... ૩૬૫ » ઢંક નામ વિષે હરરાજાની કથા ......
.......... * કોટિનિવાસ નામ વિષે ધર્મનંદનની કથા.................
.... ૩૬૬ લૌહિત્ય નામ વિષે લૌહિત્યઋષિની કથા .................. ૩૬૭
............
بی
بی
بی
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૭
Page #21
--------------------------------------------------------------------------
________________
..: ••••
૩૭૫
........
•. ૪૧૦
••••••••••••.....
........
૪ તાલધ્વજ નામ વિષે ધરાપાલરાજાની કથા.
••••••••••• ૩૬ ૮ » કદંબગિરિ નામ વિષે ઇન્દ્ર (ભીમ) શ્રેષ્ઠિની કથા .......... ૩૬૯ ૨૫૫. સર્વ ઉપદ્રવો શત્રુંજયના સ્મરણથી દૂર થાય તે વિશેની સંક્ષિપ્ત કથાઓ ..........
..............
. ૩૭૦ ૨૫૬. શત્રુંજય ઉપર રસકૂપિકા (કથા યુક્ત) .......
. ૩૭૨ ૨૫૭. શત્રુંજય ઉપર ઔષધોનો ભંડાર (કથા યુક્ત) ............. ..... ૩૭૪ ૨૫૮. શત્રુંજય તીર્થરાજની ભાવયાત્રા.. * ઘેટીપાનની યાત્રા............
૪૦૯ ૪ નવટૂંકની યાત્રા....... છ ગાઉની યાત્રા ............................ .........
.... ૪૧૯ ૨૫૯. તીર્થસ્થાને કૃતં પાપં ......
....... ૪૨૧ ૨૬૦. શત્રુંજયના પ્રભાવ વિષે કથાનકો .............
...... ૪૨ ૨ પોપટની કાયાપલદ દેદીપ્યમાન દેવ............ .... ૪૨ ૨ ૪ દેરાણી-જેઠાણી અને દાસી ..................
... ૪૨૪ ૪ ટીલાના હાથે સંઘમાળ ...............
....... ૪૨૬ ૪ તીર્થની આશાતના બંધ થઈ ................
..... ૪૨૭ વિરતિની શૂરવીરતા ........
......... ૪૨૮ ૨૬૧. શત્રુંજયના દાદાની વિવિધ પૂજાઓ
......... ૪૩૧ ૨૬ ૨. આંખે દેખી હૈયુ હરખ્ય... કાને સુણી મુખ મલક્યું ........... ૪૩૫ ૨૬૩. શત્રુંજયના સત્તર ઉદ્ધારો .........
........ ૪૩૮ ૨૬૪. સોહામણા શત્રુંજયના અલૌકિક અભિષેકનો આછો ઇતિહાસ... ૪૩૯ ૨૬૫. શત્રુંજય તીર્થ સ્પર્શનાનું ફળ .........
......... ૪૪૮ ૨૬૬. શત્રુંજય ગિરિરાજ આધારિત પર્વ દિવસો ...................... ४४८ ૨૬૭. તીર્થયાત્રાએ જતાં પૂર્વેની સમજૂતી ........
........ ૪પ૬ ૨૬૮. તીર્થયાત્રા માટે કેટલાક સૂચનો.......
....... ૪૫૯ ૨૬૯. તીર્થસ્થાનમાં આપણું વર્તન ૨૭૦. સાતયાત્રાની સમજૂતી .. ૨૭૧. નવ્વાણું યાત્રાની સમજૂતી.................... ૨૭૨. નવ્વાણું યાત્રાનું ગણણું .................................................. ૨૭૩. ૨૧ ખમાસમણના દુહા ........................................ ૪૬૭ ૨૭૪. શત્રુંજયનું ભાવાત્મક ચિંતન .................................... ૪૭૦
''•....
••••. ૪૬૨
૪૬૩ ४६४
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૮
Page #22
--------------------------------------------------------------------------
________________
| શ્રી શત્રુંજ્ય માહાભ્ય | आदिमं पृथिवीनाथमादिमं निष्परिग्रहम् । आदिमं तीर्थनाथं च, ऋषभस्वामिनं स्तुमः ॥
પ્રથમ રાજા, પ્રથમ મુનિ અને પ્રથમ તીર્થપતિ એવા શ્રી ઋષભસ્વામીની સ્તુતિ કરીને પૂજયપાદ્ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ધનેશ્વરસૂરીશ્વરજી મહારાજા રચિત શ્રી શત્રુંજય માહાભ્યમાંથી તેનો સાર ગ્રહણ કરીને અહીં સંકલિત કરાય છે.
જગતના સ્વામી, ત્રણ લોકની મર્યાદા કરનાર, અવર્ણનીય સ્વરૂપવાન, યુગની આદિ કરનાર, યોગી અને અરિહંત પ્રભુ શ્રી ઋષભદેવસ્વામીને નમસ્કાર થાઓ.
અરિહંત અને ચક્રવર્તી, સુવર્ણ જેવી કાંતિવાળા, સ્તુતિ કરાતા, કલ્યાણકારી એવા શ્રી શાંતિનાથ ભગવાન અમારા સત્કૃત્યના લાભ માટે થાઓ.
ક્રીડાપૂર્વક કૃષ્ણને હાથમાં હીંચકાવનાર, જરાસંઘના પ્રતાપને હરનાર અને કામદેવનો નાશ કરનાર શ્રી નેમિનાથ ભગવાન સર્વને પવિત્ર કરો.
જેની દષ્ટિમાંથી નીકળતી અમૃતવૃષ્ટિથી સર્પ પણ, સર્પોનો પતિ ધરણેન્દ્ર બની, ત્રિવિધ તાપથી મુક્ત થયો, એવા શ્રી પાર્શ્વનાથ ભગવાન સર્વના હર્ષ માટે થાઓ.
ઇન્દ્રનો સંશય ટાળવા જેમણે મેરૂ પર્વતને કંપાવ્યો એવા શૂરવીર, દાનવીર અને ધર્મવીર શ્રી મહાવીરસ્વામી ભગવાન સર્વનું કલ્યાણ કરનારા થાઓ.
લક્ષ્મીના નિવાસ માટે કમલરૂપ, મોક્ષલક્ષ્મીના છત્રરૂપ અને શ્રી શત્રુંજય ગિરિના મુકુટરૂપ શ્રી પુંડરીક ગણધર ભગવંતને હું નમસ્કાર કરું છું.
શ્રી આદિનાથ ભગવાન વગેરે તીર્થકરો, શ્રી પુંડરીકસ્વામી આદિ મહામુનિઓ અને શ્રી શાસનદેવીનું ધ્યાન કરીને, “શત્રુંજય માહાભ્યનો સંક્ષિપ્ત સાર કરવા હું ઉદ્યમ કરું છું.
પૂર્વે યુગાદિ પ્રભુ શ્રી ઋષભદેવસ્વામીના શ્રી પુંડરીક ગણધરે, વિશ્વના ભવ્યજીવોના હિત માટે, દેવતાઓથી પૂજાયેલું, સર્વ તત્ત્વવાળું અને અનેક આશ્ચર્યયુક્ત “શ્રી શત્રુંજય માહાભ્ય” સવા લાખ શ્લોક પ્રમાણ કર્યું હતું.
ત્યાર બાદ ભગવાન શ્રી મહાવીર સ્વામીની આજ્ઞાથી શ્રી સુધર્માસ્વામી ગણધરે, મનુષ્યોને અલ્પ આયુષ્યવાળા જાણીને તેમાંથી સંક્ષેપ કરી, ચોવીશ હજાર શ્લોક પ્રમાણ કર્યું.
ત્યારબાદ શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરનાર સૌરાષ્ટ્રના અધિપતિ શિલાદિત્ય રાજાના આગ્રહથી, બૌદ્ધોના મદને સાદ્વાદથી ગાળનાર, સર્વાગ યોગનિપુણ,
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧
Page #23
--------------------------------------------------------------------------
________________
નિઃસ્પૃહ શિરોમણિ, વિવિધ લબ્ધિના પ્રભાવે ભવ્યજીવોને બોધ આપનાર, રાજગચ્છના મંડનરૂપ, સચ્ચારિત્રથી પવિત્ર, વૈરાગ્યરસના સાગર અને સર્વ વિદ્યામાં પ્રવીણ મહાત્મા શ્રી ધનેશ્વરસૂરિજીએ સુખપૂર્વક સમજાય તેવું સંક્ષિપ્ત “શ્રી શત્રુંજય માહાભ્ય’ વલ્લભીપુરમાં રચ્યું. તેમાંથી પણ સારભૂત તત્ત્વ ગ્રહણ કરીને “શ્રી શત્રુંજય માહાભ્ય સાર” અહીં સંકલિત કરાય છે.
કહેવાય છે કે ઃ આ માનવ જન્મ મેળવીને, અનેક શાસ્ત્રો સાંભળી જે સફળ કરવાનું છે તે સર્વ શ્રી શત્રુંજય તીર્થની માહાભ્ય કથા સાંભળવાથી સફળ થાય છે.
શ્રી શત્રુંજય તીર્થાધિરાજ અને શ્રી જિનેશ્વર દેવનું ધ્યાન કરવું અતિશ્રેષ્ઠ છે. કારણ કે તેના જેવું પરમતીર્થ બીજું નથી અને જિનેશ્વર દેવના ધ્યાન જેવો શ્રેષ્ઠ ધર્મ નથી. મન, વચન, કાયાથી કરેલું ભયંકર પાપ પણ શ્રી પુંડરીકગિરિનાં સ્મરણથી નાશ પામે છે. સિંહ, વાઘ, સર્પ જેવા હિંસક પશુઓ અને મોર, સમડી જેવા પક્ષીઓ તથા બીજા પણ પાપી જીવો આ શત્રુંજય તીર્થ અને શ્રી અરિહંત પ્રભુના દર્શનથી સ્વર્ગગામી થાય છે. એવા આ તીર્થનું માહાભ્ય એકવાર પણ અવશ્ય સાંભળવું જોઇએ. એક વાર શ્રી પુંડરીકગિરિની છાયાનો આશ્રય કરવો જોઇએ. જે જીવોએ આ ગિરિરાજના દર્શન કર્યા નથી એનો ભવ નિષ્ફળ થાય છે.
અન્ય તીર્થોમાં ઉત્તમ દાન, શીલ, પૂજન, ધ્યાનાદિ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તેનાથી અનંતગણું ફળ શ્રી શત્રુંજયની માત્ર કથા સાંભળવાથી થાય છે. તેથી હે ભવ્ય જીવો ! આ ગિરિરાજનું માહાભ્ય અતિભક્તિપૂર્વક શ્રવણ કરવું જોઇએ. • ઉપોદ્દાત :
એક વખત શ્રમણ ભગવાન મહાવીરસ્વામી પૃથ્વીતલ પર વિચરતા... વિચરતા... સૌરાષ્ટ્ર દેશના શણગારરૂપ, બાહ્ય-અત્યંતર શત્રુઓને જીતવામાં સહાયક એવા શત્રુંજય ગિરિરાજ ઉપર પધાર્યા. ઘણા બધા દેવ-દેવીઓના સમૂહ સહિત ચોસઠે ઇન્દ્રો તેમને વંદન કરવા ત્યાં આવ્યા. સર્વ લોકમાં અદ્વિતીય દર્શનીય આ ગિરિરાજને જોઇને દેવતાઓ હર્ષથી ડોલવા લાગ્યા.
| દેવકૃત શત્રુંજયગિરિ વર્ણન તે સમયે મહર્લૅિક દેવો પોતાના અભિયોગિક દેવોને કહે છે, “હે દેવો ! ત્રણે લોકમાં આ ગિરિરાજ જેવો ગિરિવર કોઈ નથી. આ ગિરિવરના સ્વર્ણગિરિ, બ્રહ્મગિરિ વગેરે ૧૦૮ શિખરો છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨
Page #24
--------------------------------------------------------------------------
________________
આ ગિરિવરમાં સ્થાને સ્થાને જિનાલયો, જિન-ગણધર આદિના પગલાની દેરીઓ છે. વિવિધ સ્થાનોમાં દેવો નિવાસ કરીને સદા ભક્તિ કરે છે. ગુફાઓમાં યોગીઓ તેમજ મહામુનિઓ રહે છે. અહીં હરણ, હાથી, ચમરી ગાય વગેરે પશુઓ નિર્ભયતાથી વિચરે છે. સદા પુષ્ય અને ફળ આપનારા વિવિધ વૃક્ષો છે. ચારે બાજુ ઝરણાં તેમજ નદીઓ વહી રહી છે. ઘણા બધા મનોહર સરોવરો છે. તેમાં સારસ, હંસ આદિ પક્ષીઓ ક્રીડા કરી રહ્યા છે. સૂર્યઉદ્યાન, સ્વર્ગઉદ્યાન વગેરે મનોહર ઉદ્યાનો છે. સૂર્યકુંડ, ચંદ્રકુંડ વગેરે માહાભ્યપૂર્ણ કુંડો છે. આ બધાથી આ ગિરિરાજ અત્યંત શોભી રહ્યો છે. અહીં અનંતાનંત આત્માઓએ આત્મકલ્યાણ સાધ્યું છે.
હવે, આ તરફ જુઓ. અહીં આ જે મહાત્મા ઘોર તપ કરી રહ્યા છે, તે કંડૂ રાજર્ષિ છે. મહાવિદેહમાં સીમંધરસ્વામી ભગવાને એમની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે મહાપાપી આત્મા પણ કંડૂ રાજર્ષિની જેમ શત્રુંજય ઉપર આરાધના કરીને સર્વ કર્મથી મુક્ત થાય છે.
| કંડૂ રાજર્ષિ ચંદ્રપુર નામનું નગર... કંડૂ નામે રાજા...!
રાજા અત્યંત પાપી, ક્રૂર, મદિરાપાનમાં આસક્ત અને સંપત્તિના અભિમાનમાં ચકચૂર, દેવ - ગુરુ - વડીલો કે ઉપકારી માતા-પિતાનું પણ માનતો નહિ.
પાપીઓને પણ પૂર્વના પુણ્યોદયથી સંપત્તિઓ મળે છે, પરંતુ ઘાસનો સમૂહ જેમ અગ્નિથી નાશ પામે છે, તેમ પરિણામે તે મૂળથી નાશ પામે છે.”
પાપમાં આસક્ત એવા આ રાજાને પરસ્ત્રી અને પરધન હરણ કરવાનું વ્યસન હતું અને સત્તાના જોરે આવા અકાર્યો નિઃશંકપણે કરતો. તેથી પ્રજા તેનાથી ખૂબ ત્રાસી ગઈ હતી. એકવાર સ્વયં આચરેલા પાપો અને પ્રજાના નિઃશાસાથી રાજા માંદો પડ્યો. તેને ક્ષય (T.B.) નામનો રોગ લાગુ પડ્યો.
જે વ્યક્તિ બીજાની આંતરડી કકળાવે એને ઘણું કરીને રોગાદિક દુઃખો સહન કરવા પડે છે. તે અસંતોષ અને અશાંતિથી પીડાય છે.
ક્ષયરોગના કારણે રાજાનું શરીર ક્ષીણ થવા માંડ્યું. નિર્બળતા આવી, એટલે.... શક્તિહીન બનેલા રાજાને ધર્મનું શરણ યાદ આવ્યું.
મૂઢ બુદ્ધિવાળા જીવો સુખ હોય ત્યાં સુધી ધર્મને જરા પણ માનતા નથી, પણ જ્યારે યમરાજા આવે ત્યારે ધર્મને યાદ કરે છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૩
Page #25
--------------------------------------------------------------------------
________________
• કંડુ રાજાનો TURNING POINT:
એકવાર રાજા રાજસભામાં બેઠો હતો, ત્યારે દિવ્યશ્લોક લખેલું એક કલ્પવૃક્ષનું પાંદડું આકાશમાંથી તેની આગળ પડ્યું. રાજાએ તે પાંદડું હાથમાં લઈને તેમાં લખેલો શ્લોક વાંચ્યો.
धर्मादधिगतैश्वर्यो, धर्ममेव निहंति यः । कथं शुभायतिर्भावी, स स्वामिद्रोहपातकी ॥
અર્થ : ધર્મથી ઐશ્વર્ય મેળવી જે માણસ તે ધર્મને જ હણે છે, તે સ્વામીદ્રોહના પાપીનું ભવિષ્ય ક્યાંથી શુભ થાય ?
શ્લોક વાંચીને કાંઇક વિવેક પ્રગટ થવાથી રાજા વિચારવા લાગ્યો કે - અહાહા...! સત્તા અને સંપત્તિના મદમાં ચકચૂર બની મેં ઘણા પાપો કર્યા. આ રાજ્યનું ન્યાય-નીતિપૂર્વક પાલન ન કર્યું, તેથી તે અવશ્ય મને દુર્ગતિમાં લઈ જશે. હવે આ દુઃખથી છૂટકારો કેમ થાય ? માટે મરણ એ જ શરણ છે. • ગોત્ર દેવી દ્વારા કસોટી :
સમુદ્રમાં ઝંપલાવીને કે પર્વત ઉપરથી ઝંપાપાત કરીને દુઃખમુક્ત બનવાની ઇચ્છાથી રાજા એક રાત્રે મહેલમાંથી નીકળ્યો. રાજમાર્ગ વટાવી નગર બહાર પહોંચ્યો. ત્યાં એક મનોહર રૂપવાળી ગાય તેની સામે ધસી આવી અને પૂર્વનું કાંઈક વૈર હોય એમ ક્રોધથી રાજા ઉપર શિંગડાથી પ્રહાર કર્યો.
રાજાને મરવાની ઇચ્છા હતી, મૃત્યુ સામે આવ્યું હતું. છતાં ખગથી ગાયનો સામનો કર્યો. ખરેખર ! મરવું કોઇને ગમતું નથી. રાજાએ ખગ્નના એક ઘાથી ગાયના બે કટકા કરી નાંખ્યા. આશ્ચર્ય તો એ થયું કે, ત્યારે. ગાયના શરીરમાંથી એક દિવ્ય રૂપવાળી સ્ત્રી નીકળી. તેના હાથમાં ચમકતી ધારદાર છરી હતી. તેણે રાજાને કહ્યું,
અરે પાપી ! આ બિચારી ગાયને કેમ મારી ? તારામાં શૂરવીરતા હોય તો મારી સાથે યુદ્ધ કર.”
રાજાએ કહ્યું, ‘તું કોમળ સ્ત્રી છે. હું ક્ષત્રિય પુરુષ છું. આથી તારી સાથે યુદ્ધ કેમ થાય ?'
સ્ત્રી બોલી, “રાજન્ ! હું વાણીમાં જ શૂર નથી. માટે મારી સાથે યુદ્ધ કર.” એટલે રાજા ખગ્ન લઇને સામે થયો, પણ એક ક્ષણમાં સ્ત્રીએ તેને લોહીલુહાણ કર્યો.
સ્ત્રીથી પરાભવ પામેલો રાજા અત્યંત શોકાતુર થઇ વિચારવા લાગ્યો. જ્યાં સુધી પુન્યોદય હોય ત્યાં સુધી જ બળ, તેજ અને કીર્તિ અખંડિત રહે છે. પૂર્વે
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૪
Page #26
--------------------------------------------------------------------------
________________
મોટામોટા હાથીઓને પણ રમતમાત્રમાં હું મહાત કરતો. આજે એક સ્ત્રીએ મને હરાવ્યો. ગૌહત્યાનું પાપ મને તત્કાળ ફળ્યું લાગે છે.
શોકાતુર થયેલા રાજાને તે દેવી બોલી, “હે મૂઢ ! પૂર્વે કરેલા ધર્મના પ્રભાવે તને ઐશ્વર્ય મળ્યું, એમાં ભાન ભૂલેલો તું ધર્મને ભૂલી ગયો ? હવે દુઃખ આવી પડ્યું એટલે ધર્મ યાદ આવે છે ? તો પણ તને હજી સાચી ધર્મબુદ્ધિ જાગી નથી. એ વાત ગાય રૂપે તારી પરીક્ષા કરીને મેં જાણી છે.'
રાજાએ પૂછ્યું, ‘તમે કોણ છો ?'
દેવી બોલી, “હું અંબિકા નામે તારી ગોત્રદેવી છું. તને સત્યધર્મનો બોધ આપવા તારી પાસે આવી, પણ તારું મન હજી કલુષિત છે. તું ધર્મને લાયક નથી. માટે દેશોદેશ ફરી, કષ્ટો સહન કરી, પાપકર્મ ખપાવીને યોગ્યતા પ્રાપ્ત કર. ત્યાર પછી સમય આવ્યે હું જરૂર તને ધર્મસહાય કરવા આવીશ.”
ગોત્રદેવીના દર્શનથી રાજા અત્યંત ખુશ થયો. માતા જેવા વાત્સલ્યયુક્ત તેના વચનોએ રાજાના હૈયામાં દિવ્યપ્રકાશ પાથર્યો. તેનો તાપ-સંતાપ દૂર થયો. પાપો ખપાવવા અને આત્મકલ્યાણ સાધવા રાજા આગળ ચાલ્યો.
ફરતાં ફરતાં તે કોલ્લાક પર્વતે આવ્યો. ત્યાં એક ઝાડ નીચે રાતવાસો કર્યો. લગભગ રાત પસાર થવા આવી ત્યારે હાથમાં ગદાધારી કોઇક યક્ષ રાજા સન્મુખ આવ્યો અને ક્રોધથી બોલ્યો, “યાદ છે ? તે મને મારી નાંખીને મારી પત્નીનું હરણ કર્યું હતું. હવે હું તને નહીં છોડું.” એમ કહી રાજાને ખૂબ માય, ખૂબ પછાડ્યો.
ત્યારે એકમાત્ર આત્મકલ્યાણની ઇચ્છાવાળા રાજાએ જરાપણ સામનો ન કર્યો. સમતાભાવે સહન કર્યું. આથી છેવટે થાકીને તે યક્ષ રાજાને પર્વતની ગુફામાં મૂકીને અદ્રશ્ય થયો.
મારથી રાજા બેભાન થઇ ગયો હતો તે શીતલ પવનથી થોડીવારે ભાનમાં આવ્યો. ત્યારે પણ એ જ વિચારે છે કે, “મેં જે પાપરૂપી વૃક્ષ વાવ્યું છે, એનો તો આ અંકુરો છે. નરકાદિ દુર્ગતિના દુ:ખરૂપી પુષ્પ અને ફળ તો હજી બાકી છે.” આમ, આત્મનિંદા કરતો... સંવેગ અને સમતારસથી પ્રસન્ન મુખવાળો રાજા ત્યાંથી આગળ ચાલ્યો.
ત્યાંજ તેની ગોત્રદેવી ફરી પ્રગટ થઈને કહેવા લાગી, “હે વત્સ ! તારા પૂર્વજોની ભક્તિથી હું રંજિત થયેલી છું. આથી જ પૂર્વે એક શ્લોક મેં તને બતાવ્યો હતો. ત્યારપછી ગાય રૂપે તારી પરીક્ષા કરી અને આજે ફરી તારી પાસે આવી છું. તું ધન્ય છે. તારામાં હવે યોગ્યતા પ્રગટ થઇ છે. માટે તું શત્રુંજયગિરિએ જા. ત્યાં તારું કલ્યાણ થશે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૫
Page #27
--------------------------------------------------------------------------
________________
શત્રુંજય ગિરિરાજના સ્તવન, પૂજન, સ્મરણ માત્રથી કે એકવાર પણ તેના ભાવથી દર્શન કરવાથી પાપકર્મોનો નાશ થાય છે, અક્ષયસુખની પ્રાપ્તિ થાય છે.
હે વત્સ ! અત્યાર સુધી તારામાં મત્સર ભાવ હતો. તેથી મેં તારી ઉપેક્ષા કરી હતી. હવે તું એ તીર્થના દર્શનને યોગ્ય થયો છે. તે પાપો કરીને ઘણા ગાઢ કમ બાંધ્યા છે. તે શ્રી શત્રુંજય તીર્થની સ્પર્શના સિવાય ક્ષય થાય તેમ નથી. માટે હું તને ત્યાં જવાની પ્રેરણા કરું છું.
ત્રણે લોકમાં શત્રુંજય સમાન બીજું તીર્થ નથી. ત્યાં અનંતાનંત આત્માઓ મોક્ષે ગયા છે. એવા એ મહાતીર્થના યોગે સમતારૂપી જળમાં સ્નાન કરીને પવિત્ર થયેલો તું એ ગિરિરાજના પ્રભાવે ત્યાં જ સિદ્ધિપદ પામીશ.”
અંબિકાદેવીના મુખે ગિરિરાજનું વર્ણન સાંભળી, અમૃતથી સિંચાયો હોય તેમ અત્યંત ઉલ્લસિત થયેલા રાજાએ અંબિકામાતાને નમસ્કાર કર્યા. દેવી અદ્રશ્ય થઇ. નિર્મળ અંતઃકરણવાળો રાજા ચારિત્ર અંગીકાર કરવાની ભાવનાપૂર્વક સિદ્ધાચલ મહાતીર્થ તરફ ચાલવા લાગ્યો તથા જયાં સુધી ગિરિરાજના દર્શન ન થાય ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ કર્યો.
અનુક્રમે ચાલતાં ચાલતાં રાજા તીર્થાધિરાજની નજીક પહોંચ્યો. દૂરથી ગિરિનું શિખર જોતાં જ અત્યંત હર્ષિત થયો. ત્યાં માર્ગમાં રાજાએ એક મહામુનિ જોયા. ઘણા સમયે કોઈ આપ્તજન મળ્યું હોય તેવો ભાવ થયો. એટલે રાજા પ્રણામ કરીને ત્યાં બેસી ગયો. મુનિને પોતાની ચારિત્રની ભાવના જણાવી.
મુનિએ પણ તેને યોગ્ય જાણીને કહ્યું, “હે રાજન્ ! શ્રી સિદ્ધગિરિ મહાતીર્થમાં ચારિત્ર અંગીકાર કરીને શ્રી જિનેશ્વર દેવનું ધ્યાન ધરવું, તે મહાકલ્યાણકારી છે.' • કંડૂ રાજાની દીક્ષા :
મુનિરાજની વાણીથી અતિ ઉત્સાહિત થયેલા રાજાએ ત્યાં જ તેમની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. શાંત-પ્રશાંત બનેલા તે રાજર્ષિ શત્રુંજય તીર્થરાજની તળેટીએ આવ્યા. હૃદયનાં ઉલ્લાસથી તીર્થની સ્પર્શના કરતાં ગિરિરાજ ચડ્યા અને આદિનાથ પ્રભુના દર્શનથી તન, મન, નયન પવિત્ર કર્યા.
પરમાત્માનું દર્શન કરતાં એમનાં નયનો ધરાતા નથી. આથી અનિમેષ નયને આ મહાત્મા અહીં જ રહીને દુષ્કર તપ આચરે છે અને થોડા જ સમયમાં સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, આયુષ્યનો ક્ષય કરી તેઓ અહીં જ સિદ્ધિપદ પામશે.
કંડૂ રાજર્ષિનું આવું અલૌકિક ચરિત્ર સાંભળી સર્વ દેવતાઓ હર્ષિત થઈ આગળ વધ્યા. આનંદના ઉછળતા તરંગો સહિત શ્રી આદિનાથ પ્રભુના દર્શન
શ્રી શત્રુંજય માહાભ્ય સાર : ૬
Page #28
--------------------------------------------------------------------------
________________
કરી, રાયણ વૃક્ષ પાસે આવ્યા. પવિત્ર એવા તે વૃક્ષને પ્રદક્ષિણા દઇ, શ્રી મહાવી૨સ્વામી ભગવાન પાસે આવ્યા.
પરમાત્માના ચરણોમાં વંદન કરી, ૫રમાત્માની ચારે બાજુ બિરાજમાન શમરસ ભરપૂર મૂર્તિમંત ધર્મ હોય એવા અને કાયોત્સર્ગ, ધ્યાન, જ્ઞાનાભ્યાસ, જાપ, પ્રભુદર્શન, પ્રતિલેખનાદિ વિવિધ આરાધનામાં અપ્રમત્ત શ્રમણવૃંદને પણ વંદન કર્યા. ત્યારપછી પરસ્પર સ્પર્ધા કરતા દેવોએ શ્રેષ્ઠ રત્નોથી સમવસરણની રચનાનો આરંભ કર્યો.
વાયુકુમાર દેવોએ સુગંધી વાયુથી જમીનને શુદ્ધ કરી અને મેઘકુમારોએ સુગંધી જલનો છંટકાવ કર્યો. સુગંધી જલ વડે સિંચન થયેલી એ શ્રી શત્રુંજયતીર્થની ભૂમિ જાણે મોક્ષરૂપ ફળ પામવા પુણ્યરૂપી વૃક્ષ વાવવા માટે તૈયાર કરી હોય તેવી શોભવા લાગી.
તેની ઉ૫૨ વ્યંતરદેવોએ યોજનપ્રમાણ ભૂમિમાં જેઓના ઝિંટા નીચે છે, એવા પંચવર્ષાં પુષ્પોની ઢીંચણપ્રમાણ વૃષ્ટિ કરી. રત્નની ભૂમિ ઉપર રહેલાં એ પુષ્પો જાણે પ્રભુની પાસે કામદેવે પોતાનાં શસ્ત્રો છોડી દીધા હોય તેમ શોભવા લાગ્યા. ચારે દિશાઓમાં વ્યંતરદેવેન્દ્રોએ લાલ પદ્મરાગમણિનાં તોરણો બાંધ્યા.
તે પછી બહારના ભાગમાં ભવનપતિ ઇન્દ્રોએ પ્રભુના શુભ ધ્યાનની પ્રતિકૃતિરૂપ રૂપાનો ગઢ કર્યો. તે ચંદ્ર જેવો શોભતો હતો. કુંડળાકારે શોભતા તે ગઢની ઉપર ફરતી સુવર્ણના કાંગરાની શ્રેણી કરી.
તે ગઢથી પંદરસો ધનુષ્ય વચ્ચેની જમીનને છોડીને જ્યોતિષ્પતિ દેવોએ સુવર્ણનો મધ્યગઢ કર્યો. પૂર્વના ગઢ જેટલા જ પહોળા અને ઉંચા તે ગઢ ઉપર રત્નમય કાંગરા કર્યા.
ત્યારબાદ વૈમાનિક દેવોએ રત્નમય ગઢ કર્યો અને તેની ઉપર દિવ્ય પ્રભાવથી પૂર્ણ એવી મણિના કાંગરાની શ્રેણીઓ રચી. તેની ઉપર ધજાઓ અને સુવર્ણની ઘૂઘરીથી દિશાઓને ગજવતો એક રત્નમય મહાધ્વજ શોભતો હતો.
દરેક ગઢમાં સુંદર કમાડવાળાં રત્નના ચાર દ્વારો હતા. તે દ્વારો ઉપર ઇન્દ્રનીલમણિના તોરણો હતા. દરેક દ્વારે તેજથી ઝળહળતાં ધૂપધાણાઓ હતા. તેની સુગંધ ચારે બાજુ પસરતી હતી. તેજથી અંધકારનો નાશ કરતા તે ગઢો શોભી રહ્યા હતા. બહારના ગઢના દરેક દ્વારની પાસે પ્રભુને નમસ્કાર કરવા આવનારાઓને સ્નાન ક૨વા માટે સુવર્ણકમળોથી શોભતી સુંદર જળથી પૂર્ણ વાવડીઓ દેવોએ રચી હતી.
તે સમવસરણમાં મધ્ય ગઢમાં ઇશાન દિશામાં પ્રભુને વિશ્રામ લેવા એક દેવછંદ દેવોએ રચ્યો હતો. રત્નના ગઢમાં સત્તાવીશ ધનુષ્ય ઊંચું એક મણિપીઠ અને તેની અંદર વિશાલ ચૈત્યવૃક્ષ દેવોએ રચ્યું. તે ચૈત્યવૃક્ષના પાંદડાઓથી તે સમવસરણ તાપરહિત બની શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦૭
Page #29
--------------------------------------------------------------------------
________________
લોકોને બેસવા યોગ્ય બન્યું. તે ચૈત્યવૃક્ષની નીચે સૂર્યના બિંબ જેવું તેજસ્વી પાદપીયુક્ત સુવર્ણનું સિંહાસન શોભતું હતું. તે સિંહાસનની ઉપર સદ્ભક્તિ વડે ઉજ્જવળ ચિત્તવાળા દેવોએ પ્રભુ ત્રણ ભુવનના સ્વામી છે, એમ કહેતા ન હોય, એવા ત્રણ છત્રો બનાવ્યા.
સમવસરણની પાસે એક હજાર ઊંચો મોક્ષની નિસરણી જેવો વિસ્તૃત સુવર્ણનો ધર્મધ્વજ શોભતો હતો. દરેક ગઢના દરેક દ્વાર આગળ તુંબડું વિગેરે દેવતાઓ દેદીપ્યમાન શૃંગાર ધારણ કરી અને હાથમાં છડી રાખી પ્રતિહારી થઇને ઊભા રહ્યા. આ પ્રમાણે લક્ષ્મી પણ લોભાઇ જાય એવું સમવસરણ રચી, વ્યંતરેન્દ્રોએ અવશેષ કાર્ય સમાપ્ત કર્યું.
તે અવસરે દેવતાઓએ મૂકેલા સુવર્ણમય નવ કમળો ઉપર ચરણકમળને મૂકતા, નવનિધિના દાતાર, જગતના જીવિત સમાન અને ધર્મીઓનું જાણે સર્વસ્વ હોય, તેવા વીરપ્રભુએ પૂર્વદ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો.
મોક્ષાર્થી આત્માઓ પ્રભુની સ્તવના કરવા લાગ્યા. તે સમયે સુવર્ણ કમળમાં રહેલું, પાપરૂપ અંધકારનો નાશ કરવા માટે સૂર્યમંડળરૂપ ધર્મચક્ર સધર્મ ચક્રવર્તી પ્રભુની આગળ પ્રગટ થયું.
ત્યારબાદ પ્રભુએ ચૈત્યવૃક્ષની પાસે આવી પ્રદક્ષિણા કરી. પછી પૂર્વ દિશા તરફ આવી “નમો તિર્થીમ્સ' કહી શ્રી મહાવીરસ્વામી ભગવાન સિંહાસન ઉપર બિરાજમાન થયા, એટલે તરત જ બાકીની ત્રણે દિશાના સિંહાસનો ઉપર વ્યંતરદેવોએ ભગવંતના ત્રણ રૂ૫ વિદુર્થી. તે ત્રણે રૂપ પ્રભુ જેવાં જ થયાં. આ પણ પરમાત્માનો અતિશય છે.
ત્યારબાદ સાધુઓ, સાધ્વીઓ અને વૈમાનિક દેવીઓ પૂર્વ દ્વારેથી પ્રવેશ કરીને, રત્નગઢની મધ્યમાં રહેલા પ્રભુને પ્રદક્ષિણા કરી, ભક્તિપૂર્વક નમસ્કાર અને સ્તુતિ કરી સ્વામીની સન્મુખ અગ્નિ દિશામાં બેઠા. તેમાં આગળ મુનિઓ બેઠા, પાછળ વૈમાનિક દેવીઓ ઊભી રહી અને તેની પાછળ તેવી જ રીતે સાધ્વીઓ પણ ઊભા રહ્યા.
ભવનપતિ, જ્યોતિષી અને વ્યંતરોની દેવીઓ દક્ષિણ દ્વારેથી પ્રવેશ કરીને પૂર્વની જેમ પ્રભુને નમસ્કાર કરી અનુક્રમે નૈઋત્ય દિશામાં રહ્યા. ભવનપતિ,
જ્યોતિષી અને વ્યંતરદેવો પશ્ચિમ દ્વારેથી પ્રવેશ કરીને તેવી જ રીતે પ્રભુને નમન કરી વાયવ્ય દિશામાં બેઠા. વૈમાનિક દેવ, નર અને નારીઓ ઉત્તર દ્વારેથી પ્રવેશ કરીને પ્રભુના ચરણોને નમી ઇશાન દિશામાં રહ્યા.
મૃગ, સિંહ, ઘોડા, પાડા વિગેરે પશુ-પંખીઓ પરમાત્માનાં માહાભ્યથી પરસ્પરના જાતિવૈરને છોડી બીજા ગઢના મધ્યભાગમાં રહ્યા. દેવ, અસુર તથા મનુષ્યોનાં વાહનો છેલ્લા ગઢમાં રહેલા હતા.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૮
Page #30
--------------------------------------------------------------------------
________________
સમવસરણમાં બીજા પણ વિદ્યાસિદ્ધ, ગંધર્વ અને કિન્નરાદિ, પ્રભુની અમૃતવાણી સાંભળવા યથાસ્થાને આવીને બેઠા. તે યોજનપ્રમાણ સમવસરણમાં મનુષ્યો, નાગકુમારાદિ અસુરો અને બીજા દેવતાઓ કરોડોની સંખ્યામાં સમાઈ શકે છે. આ પણ પ્રભુનો અતિશય છે.
આવી રીતે સમવસરણના મધ્યમાં સિંહાસન પર બિરાજમાન થયેલા, ત્રણ છત્રોથી શોભતા, ચામરો વડે વીંઝાતા, સર્વ અતિશયોથી અલંકૃત, સુપ્રસન્ન, પોતાના તેજથી ત્રણ જગતને પ્રકાશિત કરતા, મધ્યસ્થ દ્રષ્ટિથી સમસ્ત લોકોને જોતા, ઐશ્વર્યથી સુંદર, સર્વ પ્રાણીઓના હિતકારી, મહિમાવંત શ્રી મહાવીર પ્રભુને જોઇને સર્વ જીવોને અવર્ણનીય આનંદ થયો. આનંદવિભોર બનેલા કેટલાક દેવો પ્રભુ સન્મુખ નૃત્ય, કેટલાક મધુર સ્વરે ભાવવાહી સ્તુતિ વિગેરે દ્વારા ભક્તિ કરવા લાગ્યા.
તે અવસરે સૌરાષ્ટ્ર દેશનો અધિપતિ, ગિરિદુર્ગ (ગિરનાર) નગરમાં રાજય કરતો ગાધિરાજાનો પુત્ર રિપુમલ નામે યાદવ રાજા પણ ત્યાં આવ્યો અને યોગ્યસ્થાને બેઠો. હવે હર્ષાશ્રપૂર્ણ નેત્રે રોમાંચિત દેહે સૌધર્મેન્દ્ર પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરી.
| વીરપ્રભુની સ્તવના કરતા સૌધર્મેન્દ્ર હે સ્વામીન્ ! હે જિનાધીશ ! હે જગત્રભુ ! આપ જય પામો ! હે રૈલોક્યમાં તિલકરૂપ ! આ સંસારથી તારનારા આપ જય પામો ! હે દેવાધિદેવ ! હે કરૂણાના સાગર ! સંસારીઓને શરણભૂત ! આપ જય પામો ! હે અહમ્ ! જંગમ કલ્પવૃક્ષરૂપ, પરમેશ્વર, પરમેષ્ઠી, અનંત, અવ્યક્ત અને નિરંજન એવા આપ જયવંતા વત હે સિદ્ધ ! સ્વયંબુદ્ધ ! સર્વ સુખના આગાર, હે નાથ ! આપ જયવંતા વર્તા! હે પ્રભુ ! સુર-અસુર અને મનુષ્યોના સ્વામીઓ આપને નમસ્કાર કરે છે. હે જગત્પતિ ! આપનાથી આ જગતને અમે ધન્ય માનીએ છીએ. હે દેવાધિદેવ ! જ્યાં આપ સંચરો છો, ત્યાં સવાસો યોજન સુધી સાત પ્રકારની "ઇતિઓ પણ ઉત્પન્ન થતી નથી. હે ભગવન્ ! યોગીઓને ધ્યાન કરવા યોગ્ય આપ જયોતિરૂપ છો.
સ્વામીઓના પણ સ્વામી, ગુરુઓના પણ ગુરુ અને દેવોના પણ દેવ એવા આપને હું નમસ્કાર કરું છું. ૧. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉંદરનો ઉપદ્રવ, તીડનો ઉપદ્રવ, સૂડાઓનો ઉપદ્રવ, સ્વચક્રનો ભય અને પરચક્રનો ભય - આ સાત ઇતિઓ = ઉત્પાત ગણાય છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૯
Page #31
--------------------------------------------------------------------------
________________
પ્રભુ ! જલ, અગ્નિ, અરણ્ય, શત્રુઓના સંકટમાં તેમજ સિંહ, સર્પ અને રોગની વિપત્તિમાં આપ જ એક શરણભૂત છો.
આમ ભક્તિથી શ્રી મહાવીર પ્રભુની સ્તુતિ કરીને સૌધર્મેન્દ્ર, જેમ જલનું પાન કરવા ચાતક તત્પર થાય, તેમ પ્રભુની અમૃતવાણીનું પાન કરવા ઉત્સુક થઇને પ્રભુની સન્મુખ બેઠા.
તે પછી ત્રણ જગતના નાથ શ્રી મહાવીરસ્વામી ભગવાન, સર્વ જગતના પરમ કલ્યાણ માટે, સર્વ ભાષામાં સમાન, સર્વ પ્રાણીઓને હિતકારી, સર્વ અતિશયોથી ભરેલી, સર્વ તત્ત્વોથી સુંદર, સૌભાગ્યવાળી, શાંત અને યોજન સુધી સંભળાતી મધુર વાણી વડે દેશના આપવા લાગ્યા.
શ્રી મહાવીરસ્વામી ભગવાનની દેશના
હે ભવ્યજનો ! ‘જેમ કસ્તૂરી મૃગની નાભિમાં થાય છે, છતાં પણ તે કસ્તૂરી પોતાની સુગંધથી અમૂલ્ય બને છે, તેમ આ નાશવંત અને અશુચિમય એવો મનુષ્યદેહ ધર્મના ગુણથી ઉત્તમ બને છે.
આ કાયામાં બહાર અને અંદર સાતધાતુરૂપ મળ રહેલા છે. તેથી અપવિત્ર એવી આ કાયા સર્વથા નિરર્થક છે. તેમ છતાં અહો ! મૂઢ પ્રાણી અહંકાર અને ગાઢ કર્મને વશ થઇ પોતાને અજરામર માનીને ઇચ્છા પ્રમાણે વર્તે છે.
વિવિધ પ્રકારના શસ્ત્રો, જલ, અગ્નિ, વિષ, શત્રુઓ, તીવ્ર વ્યાધિઓ, અકાળમૃત્યુ, શીત તથા ગરમી વગેરેની પીડા, વૃદ્ધાવસ્થા અને ઇષ્ટ પદાર્થોના વિયોગ ઇત્યાદિ મહાદોષો વડે આ કાયા અત્યંત ક્લેશ પામે છે. આ બધી વસ્તુઓની અસરથી મુક્ત રહેવાનું સામર્થ્ય આ દેહમાં નથી. આથી આવા પ્રકારનાં આ અસાર દેહ દ્વારા જગતમાં સારભૂત અને જગપૂજ્ય ધર્મનું તમે સત્ત્વર આચરણ કરો.
જો કાચના ઢગલાથી અમૂલ્ય ચિંતામણિ રત્ન પ્રાપ્ત થતું હોય, ધૂળ આપીને જો સુવર્ણ મળતું હોય, જલના બિંદુથી જો સુધાસાગર પ્રાપ્ત થતો હોય, ઘર આપવા માત્રથી જો સામ્રાજ્ય મળતું હોય, એમ અસાર એવા પણ આ દેહ વડે જો સુકૃત સંપાદન થતું હોય, તો કયો વિવેકી પુરુષ તેને ગ્રહણ ન કરે
માતા, પિતા, ભ્રાતા, મિત્ર અને રાજા વગેરે કોઇ રક્ષણ કરતું નથી. સંસારમાં કેવળ ધર્મ જ રક્ષણ કરે છે. તેથી તેની જ સેવા કરવી જોઇએ.
સદ્ધર્મની પ્રાપ્તિના ઉપાયોથી, ઉચિત આચરણથી અને સદ્જ્ઞાનયુક્ત ક્રિયાથી સદ્ધર્મની આરાધના કરનારા બુદ્ધિશાળી આત્માઓનો જન્મ પ્રશંસનીય છે.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૦
Page #32
--------------------------------------------------------------------------
________________
ખરેખર એક ધર્મ જ જગત્પતિ છે. કારણ કે એની આજ્ઞાને અનુસરનારા લોકો ત્રણલોકના નાયક શ્રી તીર્થકર થાય છે. રાજાને રાજાપણું આપનાર પણ ધર્મ છે. ધર્મ વિના જરાપણ સુખ મેળવી શકાતું નથી. આ સંસારમાં કેટલાક જીવો દુઃખો સહન કરે છે અને કેટલાક સારા ભોગો ભોગવે છે. આમાં ધર્મ અને અધર્મ જ પ્રમાણરૂપ છે.
શુદ્ર એવા રાક્ષસ, સિંહ અને સર્પ વગેરે પણ પુણ્યવાન પ્રાણીને જરાપણ ઇજા કરવા સમર્થ થઈ શકતા નથી. એ ધર્મનું જ પ્રત્યક્ષ માહાભ્ય છે. માટે ધર્મ કરવામાં જરાપણ પ્રમાદ ન કરવો. તેનાથી ધર્મ હણાય છે અને ધર્મના નાશથી દેહમાં વ્યાધિ, બંધન વગેરે વિપત્તિઓ થાય છે. | માટે હે પ્રાણીઓ ! જેનાથી કલ્યાણની સિદ્ધિ થાય છે, એવા મહાકલ્યાણકારી ધર્મની તમે આરાધના કરો.'
આ રીતે ધર્મરૂપી અમૃતનાં ઝરણાસમાન, જગદ્ગુરુનાં ઉપદેશવચનોનું પાન કરીને જાણે નિધાનની પ્રાપ્તિ થઈ હોય તેમ સર્વે અત્યંત હર્ષ પામ્યા. તેમાંથી કેટલાકે સંયમ ગ્રહણ કર્યું. કેટલાક સમ્યગદર્શન પામ્યા અને કેટલાક હર્ષપૂર્વક ભદ્રકભાવને પામ્યા.
તે અવસરે સૌધર્મેન્દ્ર, તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તીર્થે બિરાજમાન યુગાદિજિન, પવિત્ર રાયણ વૃક્ષ, મનોહર નદીઓ, સરોવરો, કુંડો, પર્વતો, વૃક્ષો, વનો, નગરો તથા ઊંચાં શિખરોને જોઇને હર્ષના ઉત્કર્ષથી રોમાંચિત થયા અને બે હાથ જોડી, સર્વને આનંદ કરાવતા ગુણગર્ભિત અને અમૃત જેવી વાણીથી જગત્પતિ શ્રી મહાવીર સ્વામી ભગવંતને પૂછવા લાગ્યા.
ગિરિરાજ વિષે સૌધર્મેન્દ્રના પ્રશ્નો હે જગતના આધારભૂત ભગવદ્ ! આ જગતમાં તીર્થરૂપ તો આપ છો જ, આથી આપનાથી અધિષ્ઠિત એવું આ તીર્થ વિશેષ પવિત્ર થયું છે. હે પ્રભુ ! -
આ તીર્થમાં દાન, તપ, જપ, વ્રત, પૂજા વગેરે કરવાથી શું શું ફળ પ્રાપ્ત થાય છે? > આ તીર્થનો મહિમા શા માટે ગવાયો છે ?
તેની સ્થિતિ કેટલી છે ? આ નવીન પ્રાસાદ ક્યા ઉત્તમ પુરુષે કરાવ્યો છે ? તેમાં રહેલી આ ચંદ્રની સ્ના જેવી સુંદર પ્રતિમા કોણે ભરાવી છે ? આ રાયણ વૃક્ષનો શો પ્રભાવ છે ? આ રસનો કૂવો, રત્નની ખાણ, કુંડો, ગુફાઓ, સરોવરોનો શો મહિમા છે? અહીં કયા કયા ઉત્તમ પુરુષો થઈ ગયા છે ?
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૧
A
A
A
A
A
A
A
Page #33
--------------------------------------------------------------------------
________________
> અહીં કેટલા કાળ સુધી પ્રાણીઓ સિદ્ધિપદ પામશે ? > આ સ્થાનમાં કેટલા ઉદ્ધારો થયા અને થશે ?
હે દયાનિધાન સ્વામી ! આ સર્વ પ્રશ્નોના ઉત્તર તેમજ બીજું જાણવા યોગ્ય, આપ કૃપા કરીને કહો.
આ રીતે સૌધર્મેન્દ્રના પ્રશ્નો સાંભળી, તીર્થના પ્રભાવની વૃદ્ધિ માટે અને ભવ્યજીવોના બોધ માટે તથા શ્રોતાજનોના પાપોનો નાશ કરવા ગંભીર વાણીથી દેવાધિદેવ શ્રી મહાવીર પ્રભુએ શ્રી શત્રુંજય તીર્થના માહાભ્યનું વર્ણન શરુ કર્યું. • પ્રભુવીર દ્વારા શત્રુંજય તીર્થના માહાભ્યનું વર્ણન :
“હે સુરરાજ ! સર્વે તીર્થોના અધિરાજ આ શત્રુંજયગિરિનું માહાભ્ય કહેનાર અને સાંભળનાર બંનેને પુણ્યનું કારણ થાય છે. માટે તેને તું એકાગ્રતાપૂર્વક સાંભળ.”
સંપૂર્ણ ચંદ્ર જેવો ગોળ અને લાખ યોજનના વિસ્તારવાળો આ જંબૂઢીપ નામનો દ્વીપ છે. તેની મધ્યમાં શાશ્વત જંબૂવૃક્ષ રહેલું છે. આ દ્વીપમાં ભરત, હૈમવંત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યફ, હિરણ્યવંત અને ઐરાવત નામે સાત ક્ષેત્રો છે. તે ક્ષેત્રોની વચ્ચે હિમવંત, મહાહિમવંત, નિષધ, નીલવંત, રૂક્ષ્મી અને શિખરી નામના છ વર્ષધર પર્વતો છે. તે પર્વતો પૂર્વ અને પશ્ચિમે લવણ સમુદ્ર સુધી લાંબા તથા શાશ્વત ચૈત્યોથી વિભૂષિત છે.
મહાવિદેહ ક્ષેત્રની મધ્યમાં લાખો શિખરોથી અલંકૃત સોનાનો મેરૂ પર્વત છે. તે એક લાખ યોજન ઉંચો છે. ઉપવનો, શાશ્વત ચૈત્યો, ચૂલિકાઓ તથા તેજસ્વી રત્નોના કિરણોથી તે ઘણો સુંદર લાગે છે. ત્યાં કલ્પવૃક્ષો છે તથા પરમાત્માનો જન્માભિષેક આ પર્વત ઉપર થાય છે.
જંબૂદ્વીપના સાત ક્ષેત્રોમાંથી ભરતક્ષેત્ર પુન્યથી ભરેલો છે. કારણ કે ત્યાં હમણા દુષમકાળ વર્તતો હોવા છતાં પ્રાણીઓ પુન્ય કરે છે.
સૌરાષ્ટ્ર દેશની વિશેષતા આ ભરતક્ષેત્રના દક્ષિણાર્ધ ભાગના મધ્યખંડમાં સર્વ દેશોમાં શ્રેષ્ઠ સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર) નામનો દેશ છે.
આ દેશમાં અલ્પ પાણીથી ધાન્ય પેદા થાય છે. અલ્પ પુન્યથી અધિક સત્કલ પમાય છે. અલ્પ પ્રયત્નથી કષાયોનો સંપૂર્ણ નાશ થાય છે.
અહીં સર્વ જલાશયોનાં નીર નિર્મળ છે. પર્વતો પવિત્ર છે. પૃથ્વી રસાત્ય અને સર્વ ધાતુમય છે. સ્થાને સ્થાને સર્વ પાપ હરનારા તીર્થો છે. પવિત્ર જલવાળી નદીઓ
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૨
Page #34
--------------------------------------------------------------------------
________________
છે. પ્રભાવમય દ્રહો તથા કુંડો છે. પગલે પગલે નિધાનો છે. પર્વત પર્વત મહાપ્રભાવિક ઔષધિઓ છે તથા દરેક તીર્થસ્થાનની માટી પણ પવિત્ર છે.
આ સૌરાષ્ટ્ર દેશમાં દેવતાઓથી પૂજીત ચોવીશે તીર્થકરો વિચર્યા છે. અનંત મુનિઓ સિદ્ધિપદ પામ્યા છે. સંઘમાં ધર્મધુરંધર પુરુષો ઉત્પન્ન થયા છે. શ્રીકૃષ્ણ – બલદેવ આદિ વીર પુરુષોએ અહીં ઉદય મેળવ્યો છે.
અહીં પૂર્વે નીતિમાં નિપુણ, કીર્તિ મેળવનાર, દાનેશ્વરી, સુકૃત કરનારા, સમદષ્ટિવાળા ઘણા રાજાઓ થયા છે. તેમની પ્રજા પણ તેવી હતી. અહીં વર્તમાનમાં પણ સરલ, વિચક્ષણ, સંતોષી, સદા પ્રસન્ન, સત્યવચની, નિંદા-ઇર્ષ્યાથી રહિત, પરસ્ત્રીથી પરાઠુખ, સ્વસ્ત્રીમાં સંતોષી, વૈર વિનાના, માયા-લોભ છોડનારા, ઉદાર, શાંત, શુદ્ધ આચારવાળા તથા સુખી લોકો વસે છે.
અહીં સ્ત્રીઓ રૂપવતી, શીલવતી, પતિભક્તિમાં તત્પર, પરિવાર પ્રત્યે પ્રીતિવાળી, સૌભાગ્યશાળી, તેજસ્વી, લજ્જાળુ, ઉત્સાહવાળી, મધુર બોલનારી, મુગ્ધ, ગંભીર, ગુરુ પ્રત્યે ભક્તિવાળી, ગુણીજનનો સંગ કરનારી છે તથા આ દેશના સંતાનો માતા-પિતાના ભક્ત, કલામાં કુશલ, શાંત તથા સુશીલ છે. સેવકો સ્વામીભક્ત, શૂરવીર, સંતોષી, અનુરાગી અને સ્નેહાળ છે. અહીં અધિકારીઓ આસ્તિક, ક્ષમાવાન, દાક્ષિણ્યવાળા અને પરાક્રમી છે.
અહીં ગાયો-ભેંસો ઘણા દૂધવાળી, હૃષ્ટપુષ્ટ, બલવાન, સુંદર શિંગડાવાળી બંધનરહિત નિર્ભયતાથી ફરે છે. ઘોડાઓ ચપળ અને તેજવંત છે. વૃષભો મોટી ખાંધવાળા અને હાથીઓ કદાવર છે. અહીં બીજા પણ પશુઓ મહાબલવાન, મત્સરરહિત, ક્રૂરતા વિનાના અને નિર્ભય થઈને રહે છે.
હેઇન્દ્ર! આ સૌરાષ્ટ્ર દેશમાં મોટા કિલ્લાથી શોભતા ઘણા શહેરો છે. તે શહેરોમાં અરિહંત પ્રભુના ચૈત્યો શોભી રહ્યા છે. ઘણા નિર્ચન્થ સાધુઓ વિચરે છે. ઘણા ત્યાગી – તપસ્વી સંત પુરુષો વસે છે. સાધુભગવંતોના મુખેથી શાસ્ત્રવચન સાંભળીને નિષ્પાપ જીવન જીવનારા, પુન્યશાળી અને ધનાઢ્ય લોકો આ દેશમાં છે. તેમના ઘર ધન-ધાન્યથી ભરપૂર છે. તેઓ યાચકોને ઇચ્છિત આપે છે. આથી યાચકો સંતોષ પામેલા છે.
2 સૌરાષ્ટ્રનો શણગાર : શત્રુંજય ગિરિરાજ K આવા સમૃદ્ધ સૌરાષ્ટ્ર દેશના મુકુટરૂપ આ શત્રુંજય પર્વત છે. તે સ્મરણમાત્રથી ઘણા પાપોનો નાશ કરનાર છે. તે ઇન્દ્ર ! આ ગિરિવરનો સંપૂર્ણ મહિમા સામાન્ય માણસથી જાણી શકાતો નથી, કેવળજ્ઞાની જ સંપૂર્ણ જાણી શકે છે અને તેઓ પણ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૩
Page #35
--------------------------------------------------------------------------
________________
જાણવા છતાં યથાર્થ કહી શકતા નથી. એટલો બધો આ ગિરિવરનો અતિશય છે. તો પણ... ભવ્યજીવોના ઉદ્ધાર માટે સંક્ષેપથી એનો મહિમા હું જણાવું છું.
જેમ શ્રી પાર્શ્વનાથની સ્તુતિથી સર્પનું ઝેર ઉતરી જાય છે, તેમ... ત્રણ લોકના ઐશ્વર્યરૂપ આ ગિરિરાજના નામમાત્રથી બધા પાપ નાશ પામે છે.
શત્રુંજય, પુંડરીક, સિદ્ધક્ષેત્ર, મહાબલ, સુરશૈલ, વિમલાદ્રિ, પુન્યરાશિ, શ્રેય પદ (શ્રીપદ), પર્વતેન્દ્ર, સુભદ્ર, દેઢશક્તિ, અકર્મક, મુક્તિગેહ, મહાતીર્થ, શાશ્વતગિરિ, સર્વકામદ, પુષ્પદંત, મહાપદ્મ, પૃથ્વીપીઠ, પ્રભુપદ, પાતાલમૂલ, કૈલાસ, ક્ષિતિમંડલમંડન વગેરે આ તીર્થના ૧૦૮ નામ છે. આ નામ પ્રાતઃકાળે જે બોલે, સાંભળે કે યાદ કરે તેની વિપત્તિઓ સર્વ રીતે ક્ષય પામે છે અને સંપત્તિઓ પ્રાપ્ત થાય છે.
આ સિદ્ધગિરિ સર્વ તીર્થોમાં ઉત્તમ તીર્થ છે. સર્વ પર્વતોમાં ઉત્તમ પર્વત છે. સર્વ ક્ષેત્રોમાં ઉત્તમ ક્ષેત્ર છે.
હે ઇન્દ્ર ! આ અવસર્પિણી કાલની શરૂઆતમાં મોક્ષદાયક પ્રથમ તીર્થ આ શત્રુંજય જ હતું. બીજા તીર્થો ત્યાર પછી થયેલાં છે.
હે સુરેશ્વર ! આ ગિરિરાજનાં દર્શન કરવાથી, પૃથ્વી ઉપર જેટલા પવિત્ર તીર્થો છે તે સર્વનાં દર્શન કર્યા ગણાય છે. પંદર કર્મભૂમિઓમાં વિવિધ તીર્થો છે, તે સર્વમાં આ શત્રુંજય સમાન પાપનાશક અન્ય કોઇ તીર્થ નથી.
બીજા પર્વત, ઉદ્યાન, નગરાદિમાં રહેલા લૌકિક તીર્થોમાં તપ, જપ, નિયમ, દાનાદિ કરવાથી જે પુન્ય પ્રાપ્ત થાય, તેથી દશગણું પુન્ય વીતરાગ પ્રભુથી અધિષ્ઠિત તીર્થમાં તે તે કાર્યો કરવાથી થાય છે.
Uગિરિરાજ ઉપર કરેલી આરાધનાથી થતું પુણ્ય - લૌકિક તીર્થો કરતાં જૈન તીર્થોમાં દાનાદિ કરવાથી દશગણું પુણ્ય, તેનાથી જંબૂવૃક્ષના ચૈત્યોમાં દાનાદિ કરવાથી સોગણું પુણ્ય, તેનાથી ધાતકીવૃક્ષના ચૈત્યોમાં દાનાદિ કરવાથી હજારગણું પુણ્ય,
તેનાથી પુષ્કરવરદ્વીપ તથા રૂચક પર્વતના ચૈત્યોમાં દાનાદિ કરવાથી દશ હજારગણું પુણ્ય,
તેનાથી નંદીશ્વર, કુંડલાદ્રિ, માનુષોત્તરમાં દાનાદિ કરવાથી લાખગણું પુણ્ય,
તેનાથી વૈભારગિરિ, સમેતશિખર, વૈતાઢય, મેરૂ પર્વતમાં દાનાદિ કરવાથી દસ લાખગણું પુણ્ય,
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૪
Page #36
--------------------------------------------------------------------------
________________
A
A
A
A
A
તેનાથી ગિરનાર તથા અષ્ટાપદ પર્વત પર દાનાદિ કરવાથી ક્રોડગણું પુણ્ય અને તેનાથી શત્રુંજય તીર્થનાં દર્શન માત્રથી અનંતગણું પુણ્ય ઉપાર્જન થાય છે,
અને હે ઇન્દ્ર ! શત્રુંજયની સેવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે તો વચનથી કહી શકાય તેમ જ નથી. I ગિરિરાજનું પ્રમાણ, ૨૧ મુખ્ય શિખરો અને યાત્રાનો મહિમા
આ સિદ્ધગિરિ તીર્થ - પહેલા આરામાં ... : ૮૦ યોજન વિસ્તારવાળો, બીજા આરામાં ..... : ૭૦ યોજન,
ત્રીજા આરામાં...: ૬૦ યોજન, > ચોથા આરામાં ..... : ૫૦ યોજન,
પાંચમા આરામાં . : ૧૨ યોજન અને છઠ્ઠા આરામાં .....: ૭ હાથ જેટલા પ્રમાણવાળો રહેશે.
આ ઉત્તમ તીર્થનું પ્રમાણ અવસર્પિણી કાળમાં ઘટતું જાય છે અને ઉત્સર્પિણી કાળમાં તે જ પ્રમાણે પાછું વધતું જાય છે, પરંતુ તેનો મહિમા ક્યારેય ઓછો થતો નથી.
જયારે શ્રી ઋષભદેવ પ્રભુ વિચરતા હતા ત્યારે, અર્થાત્ ત્રીજા આરાના અંતે આ ગિરિ મૂળમાં પચાસ યોજન વિસ્તારવાળો અને ઉંચાઇમાં આઠ યોજનનો હતો. છઠ્ઠા આરાના અંતે ભરતક્ષેત્રમાં થનારા પ્રલયકાલમાં બીજા પર્વતો ક્ષય થશે પણ આ ગિરિનો ક્ષય નહિ થાય. તેથી તેનો આશ્રય કરીને રહેલા લોકો અક્ષય સુખને મેળવે છે.
આ ગિરિરાજમાં – ૧. શત્રુંજય, ૨. રૈવતગિરિ, ૩. સિદ્ધક્ષેત્ર, ૪. સુતીર્થરાજ, ૫. ઢંક, ૬. કપર્દી, ૭. લૌહિત્ય, ૮. તાલધ્વજ, ૯. કંદબગિરિ, ૧૦. બાહુબલિ, ૧૧. મરુદેવ, ૧૨. સહસ્રાખ્ય, ૧૩. ભગીરથ, ૧૪. અષ્ટોત્તરશતકૂટ, ૧૫. નગેશ, ૧૬. શતપત્રક, ૧૭. સિદ્ધિરાજ, ૧૮. સહસ્રપત્ર, ૧૯. પુણ્યરાશિ, ૨૦. સુરપ્રિય અને ૨૧. કામદાયી - એ નામનાં એકવીશ મુખ્ય શિખરો કહેવાય છે.
તે પ્રત્યેકનો જો મહિમા કહેવા બેસીએ તો અનેક વર્ષો ચાલ્યા જાય, તેથી તેઓમાં જે સુપ્રસિદ્ધ છે, તેનો મહિમા અહીં કહેવાશે.
આ સર્વ પ્રસિદ્ધ શિખરોમાં મુખ્ય શિખરો શત્રુંજય અને સિદ્ધક્ષેત્ર છે. તેથી તેની ઉપર ચઢનારા પ્રાણીઓ અલ્પ પ્રયત્ન લોકાગ્ર ઉપર સ્થાન મેળવે છે.
માહાભ્ય સાર • ૧૫
Page #37
--------------------------------------------------------------------------
________________
મેરુ, સમેતશિખર, વૈભારગિરિ, રુચકાદ્રિ, અષ્ટાપદ વગેરે સર્વ તીર્થો આ શત્રુંજયગિરિમાં આવી જાય છે. આથી ત્રણ ભુવનમાં ઇન્દ્રાદિક જેટલા દેવો અને દેવીઓ છે, તે સર્વે સદ્ગતિની ઇચ્છાથી આ તીર્થરાજની સદા સેવા કરે છે.
પોતાના સ્થાનમાં રહેલા પ્રાણીઓ આ તીર્થના સ્મરણમાત્રથી તીર્થયાત્રાનું ફળ મેળવે છે. તેથી સર્વ તીર્થમય આ તીર્થરાજને નમસ્કાર થાઓ.
આ જગતમાં સદ્રવ્ય, સત્કલમાં જન્મ, સિદ્ધક્ષેત્ર, સમાધિ અને ચતુર્વિધ સંઘ એ પાંચ “સ”કાર દુર્લભ છે.
પુંડરીક પર્વત, પાત્ર, પ્રથમ પ્રભુ, પરમેષ્ઠિ અને પર્યુષણ પર્વ - એ પાંચ ઉપકાર દુર્લભ છે.
તે રીતે શત્રુંજય, શિવપુર (મોક્ષ), શત્રુંજયા નદી, શ્રી શાંતિનાથ ભગવાન અને શમવંતને દાન એ પાંચ “શ”કાર પણ દુર્લભ છે.
જે સ્થાને મહાપુરુષો એકવાર આવીને અધિષ્ઠિત થાય છે, તે “તીર્થ' કહેવાય છે. પણ આ સ્થાન પર તો અનંતા તીર્થંકરદેવો આવેલા છે. તેથી આ મહાતીર્થ ગણાય છે. વળી અહીં ઘણા તીર્થંકરો સિદ્ધ થયા છે. અસંખ્ય મુનિવરો પણ સિદ્ધિપદને પામ્યા છે, તેથી આ શત્રુંજય તીર્થ મોટું તીર્થ ગણાય છે.
જે સ્થાવર અને ત્રસજંતુઓ સદા આ તીર્થમાં રહે છે, તેઓને ધન્ય છે અને જેઓએ આ તીર્થ એકવાર પણ જોયું નથી, તેમનાં જીવિતને ધિક્કાર છે.
આ ગિરિરાજ ઉપર મયૂર, સર્પ અને સિંહ વગેરે હિંસક પ્રાણીઓ પણ શ્રી જિનેશ્વરદેવના દર્શનથી ક્રમશઃ સિદ્ધ થયેલા છે, થાય છે ને થશે. પશુ-પક્ષીઓએ બાલ્યાવસ્થામાં, યૌવનમાં કે વૃદ્ધપણે પણ જે પાપ કર્યું હોય, તે આ સિદ્ધગિરિનો સ્પર્શ કરવાથી નાશ પામી જાય છે.
પુંડરીકગિરિની યાત્રા કરવા જવાની ઇચ્છાથી કરોડો ભવોનાં પાપ પગલે પગલે નાશ પામી જાય છે. એ ગિરિરાજ તરફ એક પગલું ભરે ત્યાં જ પ્રાણી કરોડો ભવોના પાપોથી મુક્ત થાય છે. આ તીર્થની ભાવથી સ્પર્શના કરનારા આત્માઓને રોગ, સંતાપ, દુઃખ, વિયોગ, દુર્ગતિ અને શોક થતા નથી.
બુદ્ધિશાળી તથા કલ્યાણકારી આત્માએ આ તીર્થમાં પત્થરને ખોદવા નહીં, વિષ્ટા કે પેશાબ કરવા નહીં. આ ગિરિરાજ પોતે તીર્થકર છે. દર્શન અને સ્પર્શથી ભૌતિક સુખો અને મુક્તિ સુખ પણ આપે છે.
હે ઇન્દ્ર ! સ્વર્ગમાં, મનુષ્યલોકમાં અને પાતાળમાં જેટલાં જિનબિંબો છે, તે સર્વનાં પૂજન કરતાં, આ તીર્થ પર રહેલાં શ્રી જિનબિંબના પૂજનથી વિશેષ ફળ થાય છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૬
Page #38
--------------------------------------------------------------------------
________________
| શ્રી શત્રુંજય મહાતીર્થમાં પ્રભુપૂજાનું ફળ હે ઇન્દ્ર ! આ તીર્થમાં રહેલા યુગાદિદેવ શ્રી ઋષભદેવસ્વામીના ચરણકમળની સેવા કરવાથી ભવ્ય પ્રાણીઓ સર્વત્ર સન્માનીય, જગવંદ્ય અને નિષ્પાપ થાય છે. • જેઓ શીતલ અને સુગંધી જલથી શ્રી યુગાદિપ્રભુને અભિષેક કરે છે, તેઓ
પંચમજ્ઞાન મેળવી પાંચમી ગતિ=મોક્ષ મેળવે છે. જે મનુષ્યો ચંદનથી પ્રભુની પૂજા કરે છે, તેઓ અખંડ લક્ષ્મી પ્રાપ્ત કરે છે. બરાસથી પ્રભુને પૂજનાર પુરુષો જગતમાં શ્રેષ્ઠ બને છે. કસ્તૂરી અને કેસરથી જેઓ પ્રભુનું અર્ચન કરે છે, તેઓ ગુરુપદ પામે છે. ત્રણે જગતમાં કીર્તિ મેળવે છે. આ લોકમાં નિરોગી થાય છે, પરલોકમાં સદ્ગતિ પામે છે. જેઓ સુગંધી પુષ્પોથી આદર સહિત પૂજા કરે છે, તેઓ સુગંધી દેહવાળા અને ત્રણે લોકમાં પૂજનીય બને છે. બીજી પણ સુગંધી વસ્તુથી પૂજા કરનાર આ
સ્થાનમાં સમાધિમૃત્યુ મેળવે છે. પરંપરાએ સિદ્ધિપદ પામે છે. • પ્રભુની વાસક્ષેપ વડે પૂજા કરનાર મનુષ્ય આખા વિશ્વને પોતાના યશથી વાસિત
કરે છે. પરમાત્માને વસ્ત્રાલંકાર ધરવાથી વિશ્વમાં અલંકારરૂપ બને છે. વિવિધ પ્રકારે પૂજન કરવાથી (આંગી બનાવવાથી) દેવતાઓને પણ પૂજનીય બને છે. પ્રભુની પાસે ધૂપ કરવાથી પંદર દિવસના ઉપવાસનું ફળ મેળવે છે. કર્પરાદિ ઘણા સુગંધી પદાર્થો વડે ધૂપ કરવાથી વિશ્વ વિખ્યાત બને છે. પ્રભુની દીપક પૂજા કરે તેની દેહકાંતિ દેદીપ્યમાન થાય છે. અખંડ અક્ષતોથી સ્વસ્તિકાદિ આલેખનારાની સુખ-સંપત્તિ અખંડ થાય છે. અત્યંત હર્ષથી જેઓ પ્રભુ આગળ નૈવેદ્ય ધરે છે, તેઓ અત્યંત સુખ મેળવે છે. પ્રભુને મનોહર, સ્વાદિષ્ટ ફળો ધરવાથી મનોરથો સફળ થાય છે. પ્રભુની આરતી ઉતારનારને યશ, લક્ષ્મી, સુખ મળે છે. તેને સાંસારિક અર્તી=પીડા આવતી નથી, હોય તો દૂર થાય છે. જેઓ પ્રભુનો મંગલદીવો હાથમાં ધારણ કરે છે, તેમનો સંસાર સંબંધી અંધકાર નાશ પામે છે તથા તેને મંગલની પ્રાપ્તિ થાય છે.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૭
Page #39
--------------------------------------------------------------------------
________________
ઘણા અલંકારોથી જેઓ પ્રભુને શણગારે છે, તે ત્રણે ભુવનના અલંકારભૂત બને છે. જેઓ પ્રભુની સ્તુતિ કરે છે, તેઓ પોતે સ્તુતિ કરવા લાયક બને છે. પ્રભુને નમનાર આત્માઓને સહુ નમન કરે છે. ગીતપૂજા કરનાર આત્માના ગુણગાન થાય છે તથા ભક્તિપૂર્વક સંગીતપૂજા કરે તે જે પુન્ય પ્રાપ્ત કરે છે, તે તો વચનથી કહેવું શક્ય નથી. અર્થાત્ અહીં પ્રભુની જેવી ભક્તિ કરવામાં આવે, તેવું ફળ પ્રાપ્ત થાય છે. આ તીર્થમાં પરમાત્માને સ્નાન, વિલેપન અને માળારોપણ કરવાથી અનુક્રમે સો, હજાર અને લાખ દ્રવ્યના દાનનું ફળ થાય છે. અહીં જગત્પતિની રથયાત્રા માટે રથ આપનાર ચક્રવર્તીપણું મેળવે છે. નીરાજન=પોંખણું કરવાથી કર્મરજરહિતપણું પ્રાપ્ત થાય છે. જેઓ આ તીર્થમાં અશ્વદાન કરે તેને સર્વ તરફથી લક્ષ્મી મળે, હસ્તિદાન કરે તેને રૂપવાનશીલવાન સ્ત્રીઓ પ્રાપ્ત થાય. તથા - જેઓ પ્રભુને પંચામૃત સ્નાન માટે ઉત્તમ ગાયોનું દાન આપે તે રાજા થાય છે. જેઓ ચંદરવો, મહાછત્ર, સિંહાસન અને ચામર આપે તેમણે જાણે થાપણ મૂક્યા હોય તેમ બીજા ભવમાં તે બધું તેઓને વિશિષ્ટ પ્રાપ્ત થાય છે. જેઓ અહીં મહાધ્વજ અથવા ધજા ચઢાવે, તેઓ અનુત્તર વિમાનનાં સુખોને ભોગવી શાશ્વતપદ પ્રાપ્ત કરે છે. જેઓ આ તીર્થમાં સુવર્ણના, રૂપાના કે તાંબા-પિત્તળના કળશ કરાવે છે, તેઓ સ્વપ્નમાં પણ પીડા પામતા નથી અને શાશ્વત મંગલ કલશ પ્રાપ્ત કરે છે. જેઓ ઉત્તમ પટ્ટસૂત્રથી ગૂંથેલી આંગી કરાવે છે, તેઓ મુક્તિપદને પામે છે. જે ભાગ્યશાળી ભૂમિનું દાન કરે, તે શુભ ભાવવાળા પ્રાણીને ઉત્તમ ભોગસામગ્રી પ્રાપ્ત થાય છે અને નિર્મળ બુદ્ધિવાળા જે આત્મા ગામ તથા વાડી આપે છે, તે સમ્યગૃષ્ટિ ચક્રવર્તી થાય છે.
તીર્થાધિરાજમાં પુષ્પમાળાનું ફળ | આ તીર્થમાં જિનપૂજામાં જે દસ પુષ્પોની માળા ચઢાવે છે, તેને એક ઉપવાસનું ફળ મળે છે અને અનુક્રમે દસ-દસગણી માળાઓથી પ્રભુને પૂજા કરવાથી છઠ્ઠ, અઠ્ઠમ, પાસક્ષમણ, માસક્ષમણ વગેરે તપનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૮
Page #40
--------------------------------------------------------------------------
________________
T ગિરિરાજમાં તપનું ફળ | અન્ય સ્થાનકે ભૂમિ, સોનું કે અલંકારાદિ આપવાથી જેટલું પુણ્ય થાય, તેટલું પુણ્ય અહીં એક ઉપવાસ કરવાથી થાય છે. અન્ય તીર્થમાં બહુકાળ સુધી ઉગ્ર તપ કરવાથી અને બ્રહ્મચર્ય પાલનથી જે લાભ મળે છે, તે અહીં એક ઉપવાસથી પ્રાપ્ત થાય છે.
આ મહાતીર્થમાં શ્રી પુંડરીકગણધર ભગવંતના સ્મરણપૂર્વક દશ પ્રકારના તપમાંથી કોઇપણ તપનું આદરપૂર્વક પચ્ચકખાણ કરે, તેના સર્વ વિઘ્નો દૂર થાય છે. સર્વ મનોરથો સફળ થાય છે. છઠ્ઠ તપ કરે તે સર્વ સંપત્તિ પામે છે, અઠ્ઠમ કરવાથી આઠ કર્મનો ક્ષય કરી મુક્તિ પામે છે.
બીજા તીર્થમાં સૂર્યના બિંબ ઉપર દૃષ્ટિ રાખી, એક પગે ઉભા રહી, અખંડ બ્રહ્મચર્ય પાળી માસક્ષમણ કરવાથી જે લાભ પ્રાપ્ત થાય છે, તે લાભ શ્રી સિદ્ધગિરિમાં એક મુહૂર્ત માત્ર સર્વ આહારનો ત્યાગ કરવાથી થાય છે.
આઠ ઉપવાસ કરવાથી સ્ત્રીહત્યાના પાપથી મુક્ત થાય છે. પાક્ષિક તપ કરવાથી બાળહત્યાનું પાપ નાશ પામે છે.
માસક્ષમણ કરવાથી બ્રહ્મચારીની હત્યાનું પાપ દૂર થાય છે. આ તીર્થમાં એકાદિક ઉપવાસના પુણ્યથી લાખ ઉપવાસના પ્રાયશ્ચિત્તથી મુક્ત થાય છે અને અંતે મુક્તિસુખને આપનાર બોધિબીજને પામે છે.
શ્રી શત્રુંજય તીર્થનું નામ સાંભળવાથી જે પુણ્ય થાય છે, તેના કરતાં શત્રુંજય તીર્થની નજીક આવવાથી (શ્રી શત્રુંજય તીર્થ ન દેખાયો હોય છતાં પણ) ક્રોડગણું ફળ થાય છે અને જયારે તેનું દર્શન થાય ત્યારે તો અનંતગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.
શ્રી સિદ્ધગિરિજી તીર્થ હજુ બરાબર ન દેખાયો હોય, તે વખતે પણ જેઓ સંઘની ઉત્કૃષ્ટ ભક્તિ કરે છે, તેઓ એવું પુન્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરે છે, કે એ પુણ્યના પ્રભાવે તેઓ અવશ્ય મુક્તિસુખને પામે છે.
| | તીર્થસ્થાનમાં પાત્રદાનનો મહિમા -
આ તીર્થરાજમાં જો કોઈ મહાભાગ્યશાળી ત્રિવિધ શુદ્ધિથી ચારિત્રવંત સાધુને ભોજનાદિ વહોરાવે તો તે કાર્તિક માસના (?) તપનું ફળ મેળવે છે.
જેઓ તીર્થસ્થાનોમાં, યાત્રામાં અને પર્વોમાં સુપાત્ર સંયમી મુનિઓને પૂજે છે, તેઓ ત્રણે લોકનું ઐશ્વર્ય મેળવે છે. માટે આ તીર્થમાં આવીને બુદ્ધિમાન પ્રાણીએ
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૧૯
Page #41
--------------------------------------------------------------------------
________________
સંયમી, સુપાત્ર મુનિઓને પૂજવા જોઇએ. તેમની ભક્તિ કરવી જોઇએ. સુપાત્ર સાધુની સેવાથી યાત્રા સફલ થાય છે. નહીં તો નિષ્ફળ બને છે. કહ્યું છે કે - જેઓએ શ્રી શત્રુંજય તીર્થમાં આવીને મુનિજનોને પૂછ્યા નથી, તેઓનું ધન, જન્મ અને જીવન નિરર્થક છે.
આ સાંભળી ઇન્દ્ર મહારાજાએ પ્રશ્ન કર્યો કે, ભગવન્ ! મુનિદાનનો આટલો મહિમા કેમ ?’ ત્યારે પરમાત્મા ઉત્તર આપે છે કે, ‘હે ઇન્દ્ર ! વીતરાગપણું પ્રાપ્ત થવામાં પણ પૂર્વભવોમાં સાંભળેલી ગુરુવાણી કારણ રૂપ છે. એ અપેક્ષાએ સુદેવ તત્ત્વ કરતાં સુગુરુ તત્ત્વ મહાન છે. આથી જ મુનિદાન ઘણા પુન્યનું કારણ કહેવાયું છે. તે પણ જો આ તીર્થમાં કર્યું હોય તો તે સોનામાં સુગંધ ભળ્યાની જેમ વિશિષ્ટ ગણાય છે.
જેઓ આ તીર્થમાં અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર, વસતિ, આસન આદિથી મુનિની ભક્તિ કરે છે, તેઓ સ્વર્ગના દેવો કરતાં વિશેષ સંપત્તિ મેળવે છે અને જે ચડતા ભાવે ગુરુનું પૂજનાદિ કરે છે, તે શુદ્ધાત્મા ત્રીજા ભવમાં મુક્તિ પામે છે.
જગતને પૂજવા યોગ્ય સચ્ચારિત્ર્યવાન્ સાધુઓની ભક્તિ સારી રીતે જે કરે છે તે આત્મા, તેનું ધન તથા તે દ્રવ્ય આ બધું પ્રશંસનીય છે, ધન્ય છે. આ તીર્થમાં હજારો-લાખો શુદ્ધ શ્રાવકોની અન્નદાનથી ભક્તિ કરવાથી જે પુન્ય પ્રાપ્ત થાય છે તે કરતાં એક મુનિને દાન આપવાથી અધિક પુન્ય થાય છે. આથી જ જ્ઞાનાદિ ગુણથી હીન છતાં પ્રભુનો વેષ ધરનારો સંયમી સાધુ હોય તો તેની શ્રી ગૌતમસ્વામીની જેમ સેવા કરવી જોઇએ. સાધુવેષમાં રહેલા સંયમી મહાત્મા જ્ઞાન, રૂપ કે બીજા ગુણો દ્વારા વિશિષ્ટ ન હોય તો પણ તે શ્રેણિકરાજાની જેમ સમ્યગ્દષ્ટ આત્માઓ માટે સદા પૂજનીય છે. કહ્યું છે કે -
સદ્ગુરુની આરાધનાથી સ્વર્ગ અને વિરાધનાથી નરકગતિ પ્રાપ્ત થાય છે.
સુપાત્રદાનની જેમ અભયદાનનું ફળ પણ વાણીથી કહી શકાતું નથી. બીજા દાન કીર્તિ કે સ્વર્ગના સુખ માટે હોઇ શકે છે, જ્યારે અભયદાન ભવોભવ અખંડ લક્ષ્મી માટે થાય છે.
હે ઇન્દ્ર ! અહીં આ તીર્થમાં કરેલું સત્કર્મ અનંત પુન્યનું કારણ છે. તેમ દુષ્કર્મ નિકાચિત પાપનું કારણ બને છે. કહ્યું છે કે
अन्यस्थाने कृतं पापं, तीर्थस्थाने विनश्यति ।
तीर्थस्थाने कृतं पापं, वज्रलेपो भविष्यति ॥
અર્થ : અન્ય સ્થાનમાં કરેલું પાપ આ તીર્થસ્થાનમાં નાશ પામે છે, પરંતુ આ તીર્થમાં આવીને જે આત્મા પાપકર્મ કરે છે તેને વજ્રલેપ જેવો ગાઢ કર્મબંધ થાય શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૦
Page #42
--------------------------------------------------------------------------
________________
છે. માટે હે ઇન્દ્ર ! આ તીર્થમાં આવીને બીજાની નિંદા કરવી નહીં, પરદ્રોહ કરવો નહીં, પરસ્ત્રી, પરદ્રવ્યમાં બુદ્ધિ રાખવી નહીં, વૈરી ઉપર પણ વૈર રાખવું નહીં, જીવહિંસા કરવી નહીં, જુગારાદિ રમવું નહીં, અશુભ વિચારો કરવા નહીં, તથા
હે ઇન્દ્ર ! અનર્થદંડથી વિરતિ, પરમાત્માની ભક્તિ, સદ્ગુરુ પ્રત્યે પ્રીતિ, દાનમાં વૃત્તિ, સત્પુરુષો પ્રત્યે રતિ અને પંચનમસ્કાર મહામંત્રની સ્મૃતિ. આ બધા કાર્યો પુણ્યરૂપી ભંડારને ભરનારા છે, ભવસાગરથી તારનારા છે. તેથી આ મહાતીર્થમાં આ સર્વ આચરવું.
આ તીર્થમાં જે શ્રી ચતુર્વિધ સંઘસહિત આવીને ભાવથી યાત્રા કરે છે, તેઓ તીર્થંકર નામકર્મ બાંધે છે. તીર્થયાત્રા કરતા યાત્રાળુઓના શ્રમજલ (પસીના)ને જેઓ ભક્તિ વડે લુછે છે, તેઓનો દેહ પાપરહિત તથા નિર્મલ થાય છે તથા યાત્રાળુઓને ભક્તિપૂર્વક વસ્ત્ર અને અન્નાદિ વડે પૂજે છે, તે વિપુલ સમૃદ્ધિનું સુખ મેળવે છે અને ભોગવી અંતે મુક્તિ પ્રાપ્ત કરે છે.
જેઓ અહીં હંમેશા ઇચ્છાનુરૂપ ઘણું દાન આપે છે, તેઓ આનંદયુક્ત અત્યંત સુખ પ્રાપ્ત કરે છે અને જેઓ પોતાની શક્તિ પ્રમાણે બીજા પણ પુન્ય કાર્યો આ સ્થાને આચરે છે, તેમનાં કુકર્મો નાશ પામે છે. આલોક અને પરલોક બંનેની શુદ્ધિ થાય છે. હે ઇન્દ્ર ! આ રીતે આ પવિત્ર તીર્થમાં કરેલા દાનનો મહિમા કહ્યો.
રાયણ વૃક્ષનો અચિંત્ય પ્રભાવ
હવે પ્રભુ મહાવીરસ્વામી ભગવાન ઇન્દ્ર મહારાજાને ઉદ્દેશીને સમસ્ત પર્ષદાને રાયણ વૃક્ષનો મહિમા બતાવતાં કહે છે કે, ‘હે ઇન્દ્ર ! અહીં શત્રુંજયગિરિ ઉપર રહેલા તીર્થરૂપ શ્રી રાજાદની (રાયણ) વૃક્ષનો મહિમા તું સાંભળ !'
આ રાયણનું વૃક્ષ શાશ્વત છે અને ભગવાન શ્રી ઋષભદેવ પ્રભુથી અલંકૃત છે. તે વૃક્ષમાંથી ઝરતી દૂધની ધારાઓ ક્ષણવારમાં અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરે છે. તે પવિત્ર રાયણવૃક્ષની નીચે શ્રી ઋષભદેવ પ્રભુ અનેક વખત સમવસર્યા હતા, તેથી આ વૃક્ષ પણ ઉત્તમ તીર્થની જેમ વંદન કરવા યોગ્ય છે.
તેના દરેક પત્ર ઉ૫૨, ફળ ઉપર અને શાખા ઉપ૨ દેવતાઓનો વાસ છે, તે માટે પ્રમાદથી પણ એનાં પુષ્પ, ફળાદિક કાંઇપણ છેદવા યોગ્ય નથી. કોઇ સંઘપતિ ભક્તિથી ભરપૂર ચિત્તથી એને પ્રદક્ષિણા કરે, ત્યારે જો રાયણ વૃક્ષ હર્ષથી તેના મસ્તક ઉ૫૨ દૂધની ધારા વર્ષાવે, તો તે પુણ્યવાનનું ભવિષ્ય ખૂબ સુખકારી થાય. શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૧
Page #43
--------------------------------------------------------------------------
________________
વંદનાપૂર્વક સોના-રૂપા ને મોતીથી જો તેની પૂજા કરવામાં આવે, તો તે સ્વપ્નમાં આવી સર્વ શુભા-શુભ કહી આપે છે.
શાકિની, ભૂત, વેતાળ કે રાક્ષસાદિક કોઇને વળગ્યાં હોય, તેવા વળગાડવાળો મનુષ્ય પણ જો અહીં આવી આ વૃક્ષનું પૂજન કરે તો એ બધા દોષથી મુક્ત થાય છે. એની પૂજા કરનારાને એકાંતરો તાવ, તરીઓ તાવ, કાળજવર કે ઝેર અસર કરી શકતાં નથી.
આ વૃક્ષના પત્ર, પુષ્ય શાખા વગેરે કાંઇપણ અવશેષ તોડાય નહીં અને જાતે નીચે પડી ગયા હોય તો તે લઇ, જીવની જેમ સાચવી રાખવાથી સર્વ અમંગળો દૂર થાય છે. આ રાયણને સાક્ષી રાખી જે બે આત્માઓ પરસ્પર મૈત્રી બાંધે છે, તે બંને સમગ્ર ઐશ્વર્ય મેળવીને અંતે પરમપદ પામે છે.
ઇન્દ્ર ! આ રાયણ વૃક્ષથી પશ્ચિમ તરફ એક દુર્લભ રસકૂપિકા . એ કૂપિકામાં રહેલા રસના લેપથી લોખંડ મટીને સુવર્ણ બની જાય છે. અટ્ટમનો તપ કરી ઋષભદેવની પૂજા, નમસ્કાર કરી ઉત્તમભાવમાં રમનારો કોઈ મહાભાગ્યશાળી આ વૃક્ષના પ્રભાવથી તે રસકૂપિકાનો રસ મેળવી શકે છે.
આ વૃક્ષની નીચે ત્રણે જગતના લોકોથી પૂજાયેલા શ્રી યુગાદિનાથ ઋષભદેવના ચરણ પાદુકા છે, તે મહાસિદ્ધિ આપનારા છે. તે ચરણની ડાબી અને જમણી બાજુ શ્રી ઋષભદેવ પ્રભુના પ્રથમ ગણધર શ્રી પુંડરીકસ્વામીજીની બે મૂર્તિ છે. આ પર્વત ઉપર મરુદેવા નામના શિખર ઉપર કરોડો દેવોથી પૂજાયેલા શ્રી શાંતિનાથ ભગવાન પણ અત્યંત પ્રભાવશાળી છે.
હે ઇન્દ્ર ! શ્રી આદિનાથ પ્રભુ, પુંડરીક ગણધર, રાયણ વૃક્ષ, પાદુકા અને શ્રી શાંતિનાથ પ્રભુ - આ પાંચેનો જેઓ સૂરીમંત્ર વડે મંત્રેલા શુદ્ધ જલથી ભરેલા એકસોને આઠ કુંભો વડે ગંધ-પુષ્પાદિક સહિત, માંગલિકપૂર્વક અભિષેક કરે છે, તેઓ આ લોકમાં રાજય, બુદ્ધિ, લક્ષ્મી, કીર્તિ, સ્વામીત્વ, ધનસંપત્તિ, પરિવાર, સંપત્તિ, સૌભાગ્ય, આરોગ્ય, જયલક્ષ્મી, મનોરથપૂર્તિ અને આનંદની પ્રાપ્તિ કરે છે. તે લોકોમાં કોઈ દોષો હોય તો તેનો નાશ થાય છે અને તે વ્યક્તિ પરલોકમાં સ્વર્ગલોક તથા પરંપરાએ મોક્ષ મેળવે છે.
વળી એકસો ને આઠ વખતના તે સ્નાત્રજલથી શાકિની, ભૂત, વેતાળ અને વ્યંતરોના દોષ દૂર થાય છે. તેમ જ તે સ્નાત્રજલના સિંચનથી યેષ્ઠા, અશ્લેષા, મઘા, મૂળ, ભરણી અને ચિત્રા વગેરે કુનક્ષત્રોમાં જન્મેલા પ્રાણીઓના વિકાર પણ દૂર થાય છે. તે જળનો બીજો પણ અનેક પ્રકારનો પ્રભાવ છે, તેમાંથી થોડોક મહિમા અહીં કહ્યો.
એ માહાભ્ય સાર • ૨ ૨
Page #44
--------------------------------------------------------------------------
________________
સૂર્યદેવકૃત સૂર્યોધાનનો પવિત્ર મહિમા આ તીર્થની પૂર્વદિશામાં આભૂષણરૂપ, નિર્દોષ અને દેવોને પ્રિય એવું સૂર્યોદ્યાન આવેલું છે. આ ઉદ્યાન કલ્પવૃક્ષોથી શોભી રહ્યું છે. આમ્રવૃક્ષ વગેરે વિવિધ પ્રકારના વૃક્ષો ઉપર કિલકિલાટ કરતા કોયલ આદિ પક્ષીઓથી ઉદ્યાન જાણે પરમાત્માની સ્તુતિ કરતું લાગે છે, વિવિધ પુષ્પો ઉપર ગુંજારવ કરતા ભમરાઓના મધુર ઝંકાર જાણે કે પક્ષીઓના ગીતમાં સંગીત પૂરે છે. મંદ મંદ વાતા પવનથી ઉદ્યાનવૃક્ષો જાણે આનંદથી સતત ડોલતા હોય તેવા દેખાય છે. પર્વતના શિખરેથી ઝરતું, વૃક્ષોના ક્યારાઓમાં આવતું ઝળહળતું પાણી અત્યંત નિર્મળ દેખાય છે.
જ્યાં વૃક્ષોના સમૂહને હસાવનારી તથા હંમેશાં પોત-પોતાના પુષ્પોથી શોભતી ઋતુઓ, સુખની ઇચ્છાવાળા મનુષ્યોને અનુપમ સુખ આપે છે. શ્રી જિનેશ્વરદેવની દષ્ટિરૂપ અમૃતથી સિંચન થયેલી, વિવિધ વૃક્ષોની રચનાથી દેદીપ્યમાન એવી આ સૂર્યોદ્યાનની શોભા ઘણી સુંદર દેખાય છે.
આ સૂર્યોદ્યાનમાં એક શ્રેષ્ઠ સરોવર (સૂરજકુંડ) છે, તે વિવિધ કમળોથી સુશોભિત છે. તેમાં કેટલાય હંસયુગલો ક્રીડા કરી રહ્યા છે, આ સરોવરના પાણીથી અઢારે પ્રકારનો કોઢ રોગ દૂર થાય છે. આ પૂર્વદિશાના મંડનરૂપ ઉપવન તથા સરોવર સર્વ જીવોને અત્યંત આનંદદાયી છે.
શ્રી વીરપ્રભુની વાણી સાંભળીને હર્ષિત થયેલા સૌધર્મ ઇન્દ્ર પ્રભુની સન્મુખ અંજલી જોડી, પ્રણામ કરી, વિનંતી કરી કે, “હે પ્રભુ ! મનને પ્રીતિ ઉત્પન્ન કરનાર આ તીર્થરાજનો મહિમા આપે કહ્યો, પણ આ સૂર્યોદ્યાન અને તેમાં આવેલું આ સરોવર કોણે બનાવ્યું છે? સૂર્યોદ્યાન તથા આ સરોવરની કથા સાંભળવાની મારી ઇચ્છા છે.”
તે વખતે વીરપ્રભુએ સર્વ સભાજનોની યોગ્યતા જાણીને તીર્થના માહાભ્યની વૃદ્ધિ કરનારી વાણીમાં ઉત્તર આપ્યો કે, “હે ઇન્દ્ર ! સંસારરૂપી ઊંડા કૂવામાં પડતા જીવોને બચાવનાર સૂર્યાવર્ત નામે આ ઉત્તમ કુંડની માહાભ્યભરી કથા તું સાંભળ ! | સૂયવર્ત કુંડના માહારા વિષે મહીપાલ રાજની કથા
શ્રી સૌરાષ્ટ્ર દેશમાં ગિરનાર પર્વતની નીચે ગિરિદુર્ગ નામે નગર છે. તે વિશાળ કિલ્લાથી શોભે છે. ત્યાં ઘણા ધનવાન લોકો વસે છે. વાવ, કૂવા, સરોવર અને મોટા મોટા ઉદ્યાનથી તે ઘણું સુંદર લાગે છે. દાનશાળા અને પરબોથી મહિમાવંત બન્યું છે.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૩
Page #45
--------------------------------------------------------------------------
________________
તે નગરમાં રહેનારી પ્રજા દાનવીર, ધૈર્યવાન અને સ્વાવલંબી હતી. ત્યાં હંમેશાં પૂજાથી દેવતા, ભક્તિદાનથી તપસ્વીઓ, ઇચ્છિત દાનથી યાચકો, અનુકંપાદાનથી ગરીબો, રાજસન્માનથી વેપારીઓ, યોગ્ય ઔચિત્યથી કવીશ્વરો અને કૃપાદાનથી સેવકો યોગ્ય સન્માન પામતા હતા. આથી જ સર્વ લોકો સુખી હતા.
એ નગરમાં સમુદ્રવિજય રાજાના વંશમાં થયેલો સૂર્યમલ્લ નામે રાજા રાજ્ય કરતો હતો. તે સૌભાગ્યવંત અને દેવગુરુનો ભક્ત હતો.
શુભ કાર્યમાં તત્પર રહેનારી અને નેમિનાથ ભગવંતના ચરણકમળને સેવનારી શશિલેખા નામે તે રાજાને પ્રિય પટ્ટરાણી હતી. સુખસમુદ્રમાં નિમગ્ન રહેનારા, સુકૃતમાં આદરવાળા, સૌમ્ય સ્વભાવવાળા તેમજ પરસ્પર પ્રીતિવંત એવા તે રાજારાણી આનંદથી સમય પસાર કરતા હતા. • રાણીને પુત્રરત્ન પ્રાપ્તિ
એક વખત રાજા-રાણી બંને નેમિનાથ ભગવંતની યાત્રા કરવા ગિરનાર ઉપર ગયા હતા. ત્યારે શશિલેખા રાણીએ એક મયુરી (ઢેલ)ને પોતાનાં બચ્ચા રમાડતી જોઇ. તે જોતાં પોતાને કોઇપણ સંતાન નથી, એ વિચારથી રાણી શોક કરવા લાગી. રાજાએ રાણીનું શોકનું કારણ જાણી, તેને સમજાવીને આશ્વાસન આપ્યું કે, “હે પ્રિયે ! ફોગટ ખેદ ન કર. આપણા પરમાત્મા વીતરાગ હોવા છતાં સર્વવાંછીત આપનારા છે. એટલે સંતાનપ્રાપ્તિ માટે તું શ્રી જિનેશ્વર દેવોની પૂજા કર. જેથી પ્રભુભક્તિના બલે પુણ્યોદય જાગૃત થતાં ઇચ્છિત પ્રાપ્ત થાય.'
પ્રભુભક્તિ કરતાં કરતાં કેટલાક સમય બાદ, જગતની માતા સમાન શ્રી નેમિનાથ પ્રભુની અધિષ્ઠાયિકા અંબિકા દેવીની કૃપાથી તેમને દેવપાળ અને મહીપાળ નામે બે પુત્રો થયાં. આ બંને પુત્રો અત્યંત રૂપવાન, ગુણવાન, સદાચારી તથા માતાપિતાને આનંદ આપનારા હતા.
બુદ્ધિના ભંડાર એવા તે બંને કુમારોને અનુક્રમે કલાભ્યાસ માટે કલાચાર્ય પાસે મૂક્યા. ગુરુકૃપાથી થોડા જ વર્ષોમાં અલ્પ મહેનતે તેઓ ૭૨ કલામાં પ્રવીણ થયાં. મિત્રો સાથે અનેક પ્રકારની ક્રીડા કરતા, પ્રજાને પ્રસન્ન કરતા તેઓ અનુક્રમે યૌવનવય પામ્યા.પિતાએ મહોત્સવપૂર્વક હર્ષથી ઘણી રાજકન્યાઓની સાથે પરણાવ્યા.
બંને કુમારોમાં મહીપાલકુમાર માન, યશ, તેજ, વિનયથી અધિક તેમજ નીતિની રીતને જાણનારો હોવાથી સર્વ ગુણો વડે દેવપાળકુમારથી શ્રેષ્ઠ થયો. • મહીપાલ કુમારને ખગ સિદ્ધિની પ્રાપ્તિ એક વખત રાત્રે મહીપાલકુમાર અચાનક જાગ્યો. આંખ ખોલીને જુએ છે તો ચારે
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૪
Page #46
--------------------------------------------------------------------------
________________
બાજુ જંગલી પ્રાણીઓ ફરતા હતા. કુમાર વિચારવા લાગ્યો કે, ‘આ સ્વપ્ન છે ? ઇન્દ્રજાળ છે કે કોઇ દેવકૃત માયા છે ? હું તો મારા મહેલની અગાસીમાં સૂતો હતો અને આ તો ભયંકર જંગલ દેખાય છે. હું અહીં ક્યાંથી આવ્યો ? મને અહીં કોણ લાવ્યું ? આમ, વિચારમાળામાં ખોવાયેલ કુમાર ધૈર્ય ધારણ કરી આગળ ચાલવા લાગ્યો. ત્યાં જ તેને મધુર શબ્દો સંભળાયા.
‘હે કુમાર ! તું ડરીશ નહીં. હું તને અહીં લાવ્યો છું.' અવાજની દિશામાં ધારીને જોઇ, એ તરફ ચાલતાં કુમાર ગીચ ઝાડીમાંથી પસાર થઇ આગળ ચાલ્યો. ત્યાં તેણે એક સુંદર રાજમહેલ જોયો.
તે મહેલ સોનાનો હતો. તેમાં વિવિધ પ્રકારના રત્નો જડેલા હતા. તેના ઝરૂખાઓ સુંદર કોતરણીવાળા હતા. શિકારી પ્રાણીઓથી ભરપૂર આવા ગીચ જંગલમાં આટલો સુંદર મહેલ જોઇ કુમાર આશ્ચર્યસહિત મહેલમાં ગયો. એક પછી એક માળ ચડતો જાય છે... ત્યાં કલાત્મક સુંદર ઘણી બધી વસ્તુઓ હતી. પણ કોઇ વ્યક્તિ દેખાયું નહીં. છતાં કૂતુહલવશ ઉપર ચડતાં કુમાર છેક મહેલની અગાસીમાં પહોંચી ગયો. ત્યાં પદ્માસન મુદ્રામાં બેઠેલા એક યોગીપુરુષને તેણે જોયા.
સાગરમાં નાવડી સમાન આવા ભયંકર જંગલમાં પણ દયાના નિધાન, તપના તેજથી તેજસ્વી, ધ્યાનમગ્ન યોગીશ્વરને જોઇ કુમારે ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા. એટલામાં યોગીરાજે પણ ધ્યાન પૂર્ણ કર્યું. કુમા૨ને મધુરવાણીથી સત્કાર્યો અને બોલ્યા, ‘હે કુમાર ! તારું સ્વાગત હો...! તું વિકલ્પોથી મૂંઝાઇશ નહીં. સદ્વિદ્યાનું અર્પણ કરીને ગુરુના ઋણથી મુક્ત થવા હું તને અહીં લાવ્યો છું. સૂર્યોદય થઇ ગયો છે. તું ક્ષુધાતુર છે. માટે પહેલાં જમી લે.'
એમ કહી, યોગીરાજે દિવ્ય શક્તિથી રસવતી ભરેલો થાળ આકાશમાર્ગે મંગાવ્યો અને મહીપાલકુમારને ખૂબ પ્રેમથી ભોજન કરાવ્યું. ભોજનથી નિવૃત્ત થઇ કુમાર વિનયપૂર્વક નમ્ર બનીને યોગીશ્વર સામે બેઠો. યોગીશ્વરે કહ્યું, ‘મારી પાસે ગુરુદત્ત ખડ્ગસિદ્ધિની વિદ્યા છે. મારું આયુષ્ય હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે. આથી આ સિદ્ધિ હું કોઇક યોગ્ય પાત્રને આપવા ઇચ્છું છું. તારામાં એ યોગ્યતા છે. આથી તું તેને ગ્રહણ કર.'
મહીપાલકુમા૨ે પણ ‘તહત્તિ’ કહેતાં વિધિપૂર્વક એ વિદ્યા ગ્રહણ કરી. ત્યારબાદ તત્કાળ એ યોગીરાજે ફરી પદ્માસન મુદ્રા ધારણ કરી સ્નાયુ રૂંધ્યા અને ક્ષણવારમાં યોગસાધના દ્વારા પ્રાણત્યાગ કર્યો. આખો મહેલ તેમની દેહકાંતિથી દેદીપ્યમાન થયો શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૫
Page #47
--------------------------------------------------------------------------
________________
અને સ્વપ્નની જેમ ક્ષણવારમાં યોગીરાજ, મહેલ એ બધું અદ્રશ્ય થયું. કુમારે ફરી પોતાને ભયંકર જંગલમાં જોયો.
આ બનાવથી આશ્ચર્ય પામી મહીપાલકુમાર યોગસામ્રાજ્યનો વિચાર કરતો કરતો આગળ ચાલ્યો. ત્યાં તેણે એક નિર્મળ જલથી ભરપૂર વિશાળ પાણીનો કુંડ જોયો. કુમારને તેમાં સ્નાન કરવાની ઇચ્છા થઇ. એટલે જેટલામાં કુંડમાં પ્રવેશવા જાય છે, ત્યાં વળી તેણે, “ના... ના...' એવી વાણી સાંભળી.
આમ તેમ જોતાં કોઈ મનુષ્ય દેખાયો નહીં, પણ એક વાંદરો તેની નજીક આવ્યો અને મનુષ્યની વાણીમાં બોલ્યો કે, “હે કુમાર ! આ કુંડમાં પડીશ નહીં. એમાં રાક્ષસ રહે છે. કુંડમાં જનારને આ રાક્ષસ મારી નાંખે છે. જો ... એના હાડકાનો ઢગલો અહીં દેખાય છે. તું કોઇક યુવાન, સુંદર રાજપુત્ર દેખાય છે. માટે હું તને કહું છું કે તું અહીંથી ચાલ્યો જા. નહીં તો રાક્ષસ તને પણ મારી નાંખશે.'
વાનરનું આવું વચન સાંભળી મહીપાલ હસીને બોલ્યો, “અરે ! તું ખરેખર પશુ જ છો ! જેથી સૂર્યને અંધકારના ભયની જેમ મને રાક્ષસનો ભય બતાવે છે.” રાજપુત્રની આવી વાણી સાંભળી કપિરાજ બોલ્યો કે, “જો તારી શક્તિ હોય તો તું ખુશીથી જા ! ત્યાં એક પ્રચંડ કોપવાળો અને ભયંકર રાક્ષસ છે.” એમ કહી તે કપિરાજ વનમાં અદ્રશ્ય થઈ ગયો.
પછી રાજપુત્ર વિદ્યાથી વિભૂષિત યોગીએ આપેલું ખગ્ન હાથમાં લઈ જલ્દીથી કુંડની નજીક આવ્યો અને જલાશયમાં પ્રવેશ કર્યો ત્યાં જ ક્રોધથી લાલ આંખવાળો રાક્ષસ પ્રગટ થઈ તેની સામે દોડ્યો. તેઓ બંને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ઘણો કાળ યુદ્ધ કરીને છેવટે ખગવિદ્યાના પ્રભાવથી કુમારે રાક્ષસનો પરાભવ કર્યો અને રાક્ષસ કુમારના શરણે આવ્યો. રાક્ષસે કહ્યું, “તમે મને જયારે યાદ કરશો ત્યારે હું આવીને તમારી સેવામાં હાજર થઈશ.” આમ કહીને રાક્ષસે મહીપાલ રાજકુમારને વેષ પરાવર્તિની અને સંરોહિણી=શરીર પરના ઘા રૂઝાવનારી એવી બે ઔષધિઓ આપી અને પોતે હિંસાનો ત્યાગ કરી દયાધર્મનો સ્વીકાર કર્યો. ત્યારબાદ રાજકુમારે તેને અનુજ્ઞા આપી એટલે તે અદ્રશ્ય થયો. • શ્રીનિવાસ વન - યોગિનીનો મેળાપ :
સરોવરમાંથી બહાર આવી કુમાર આગળ ચાલ્યો અને શ્રીનિવાસ નામના વનમાં આવ્યો. ત્યાં શ્રી નેમિનાથ ભગવંતનું સુંદર મંદિર જોઇ, આનંદપૂર્વક તે જિનમંદિરમાં જઈ, હર્ષથી પ્રભુને નમસ્કાર કર્યા, સ્તુતિ કરી અને પ્રભુ સન્મુખ બેઠો. તેટલામાં ત્યાં એક યોગિની જોઈ. એ યોગિનીએ પલાશની પાદુકા પહેરી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૬
Page #48
--------------------------------------------------------------------------
________________
હતી, એક હાથમાં સુવર્ણ દંડ અને બીજા હાથમાં મધુર ફળોથી પરિપૂર્ણ પાત્ર હતું. તે ફળો તેણે પ્રભુ આગળ ધર્યા, પરમાત્માની ભક્તિ કરીને બહાર નીકળી. મહીપાલ પણ યોગિનીના દર્શન થતાં જ સંભ્રમપૂર્વક મંદિરની બહાર નીકળી યોગિનીને ગોત્રદેવી માની વિનયપૂર્વક રાજકુમારે નમસ્કાર કર્યા અને સ્તુતિ કરી કે, “હે દેવી ! તમે ખરેખર મારા ગોત્રદેવી જ છો, જેથી આવા ભયાનક જંગલમાં હાલ તમે પ્રગટ થયા છો.'
ત્યારે યોગિનીએ કહ્યું, “વત્સ ! હું દેવી નહીં, પણ તપસ્વિની, માનુષી છું. તું આજે મારો અતિથી છો. એટલે મને અતિથિસત્કારનો લાભ આપ.' એમ કહી યોગિની આગળ ચાલી. કુમાર એની પાછળ ચાલ્યો. આગળ માર્ગમાં ફળોથી ભરપૂર વૃક્ષ નીચે યોગિની ઉભી રહી અને વૃક્ષ પાસે પાત્ર ધરીને ફળોની યાચના કરી એટલે વૃક્ષોએ સ્વયં તેનું પાત્ર ફળોથી ભરી દીધું. તે પાત્ર યોગિનીએ રાજકુમારની પાસે મૂક્યું. કુમારે તેમાંથી કેટલાક ફળો લઈને ખાધાં.
ત્યારબાદ યોગિનીએ પૂછ્યું, “હે વત્સ ! તું ક્યાંનો છે ? અને ક્યાં જવાનો છે ?” કુમારે કહ્યું, “હે માતા ! હું સાર્થથી ભ્રષ્ટ થઈ અહીં આવી ચડ્યો છું. હવે શ્રી નેમિનાથ ભગવાનને અને તમને નમસ્કાર કરી, હું મારા નગરમાં જવા ઇચ્છું છું.”
યોગિનીએ કહ્યું, “હે વત્સ ! આગળ જે આ વન દેખાય છે, તેમાં મહાકાળ નામે એક યક્ષ વસે છે. તેણે ઘણા લોકોનો સંહાર કર્યો છે, માટે દૂરથી જ એ વન છોડીને સુખપૂર્વક ચાલ્યો જજે.”
આ રીતે મહીપાલ અને યોગિની પરસ્પર વાતો કરતા હતા, તેટલામાં મહાતેજસ્વી કોઈ મુનિ અચાનક આકાશમાર્ગે ગમન કરતાં ત્યાં નીચે ઉતર્યા. મહામુનિને જોઇ, તે બંને ઊભા થયા અને તેમને નમસ્કાર કર્યા. મુનિએ તેમને “ધર્મલાભ” રૂપ આશિષ આપ્યા. એટલે તેઓએ કહ્યું કે, “હે ભગવન્ ! શ્રી નેમિનાથ ભગવાનનાં વંદનનું સાક્ષાત્ ફલ સ્વરૂપ આપનું દર્શન અમને મળ્યું. આપ સાક્ષાત્ સમતારસના સમુદ્ર અને પુણ્યના ભંડાર છો. અમારામાં યોગ્યતા હોય તો અમને ધમપદેશ આપો.'
કુમારની ઉત્કંઠા જાણી તે મહામુનિએ ધર્મોપદેશ આપતાં કહ્યું, ‘વીતરાગ પરમાત્માની પૂજા અત્યંત લાભદાયક છે. જિનેશ્વર ભગવંતની અષ્ટપ્રકારી પૂજા કરવાથી અઢળક પુન્ય બંધાય છે. ત્રિકાળ પૂજા કરવાથી પુન્યની વૃદ્ધિ, પાપનો ક્ષય, ગ્રહપીડાની શાંતિ, સામ્રાજ્ય પ્રાપ્તિ વગેરે લાભ થાય છે. માટે વિવેકી આત્માઓએ હંમેશાં જિનપૂજા કરવી જોઇએ.
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૨૭
Page #49
--------------------------------------------------------------------------
________________
દેશના પૂર્ણ થતાં મહીપાલકુમારે કહ્યું, ‘હે ભગવન્ ! અહીં જે મહાકાળ યક્ષ છે, તે ધર્મના ફલસ્વરૂપે દેવપણું પામ્યા છતાં અધર્મ કરાવનાર હિંસા કેમ કરે છે? અને મનુષ્યોનો દ્વેષી કેમ છે ? હે પૂજ્ય ! કૃપા કરીને અમારો આ સંશય દૂર કરો.’ જ્ઞાનના માહાત્મ્યથી યક્ષનું સમગ્ર ચરિત્ર જાણી, મુનિરાજ બોલ્યા, ‘વત્સ ! સાંભળ.’ મહાકાલ યક્ષના પૂર્વભવનું વૃત્તાંત :
પૂર્વે આ વનમાં જિનેશ્વર ભગવંતના શાસન ઉપર ઇર્ષ્યા કરનારો કોઇ એક તાપસ સ્ત્રી સહિત રહેતો હતો. તેને રૂપવાન અને શુભ લક્ષણવાળી શકુંતલા નામે પુત્રી હતી. અનુક્રમે શકુંતલા યુવાન થઇ, તેથી વિશેષ સુંદર લાગતી હતી.
એક વખત ભીમ નામનો રાજા અશ્વક્રીડા કરતો ત્યાં આવી પહોંચ્યો. તે આ બાળાને જોઇ મોહ પામ્યો એટલે તેની નજીક આવીને પૂછ્યું, ‘હે સુંદરી ! તું કુંવારી છે કે પરણેલી ?'
શકુંતલાએ કહ્યું, ‘હું કુંવારી છું.' એટલે રાજા તેને ઘોડા ઉપર બેસાડીને લઇ ગયો. પુત્રીના અચાનક વિયોગથી તાપસ ખૂબ દુ:ખી થયો. તેણે આહાર-પાણી છોડી દીધા. તેથી બીજા તાપસો તેને સમાધિ થાય તે માટે અહીં નેમિનાથ ભગવાન સામે લાવ્યા. અલ્પ સમયમાં તે ત્યાં જ મૃત્યુ પામ્યો.
અરિહંત પરમાત્મા પ્રત્યે ભક્તિભાવ નહીં હોવા છતાં અંતિમકાલે પરમાત્મદર્શનનાં પ્રભાવે તે તાપસ મરીને અહીં યક્ષ તરીકે ઉત્પન્ન થયો. પૂર્વ ભવમાં તેની પુત્રીનું અપહરણ થયેલું, તેથી મનુષ્ય પ્રત્યે તેના મનમાં દ્વેષ જાગેલો. પૂર્વના અભ્યાસથી આજે પણ તે મનુષ્યનો દ્વેષી છે અને દ્વેષથી બધાને હણે છે.
આ પ્રમાણે યક્ષનો પૂર્વભવ કહી મુનિ આકાશમાર્ગે ચાલ્યા ગયા. ત્યારબાદ યોગિની પણ પોતાનાં સ્થાને ગઇ અને રાજકુમાર શ્રી નેમિનાથ ભગવંતની પૂજા કરીને કાલવન તરફ ચાલ્યો.
રાજકુમાર જેમ જેમ આગળ જાય છે તેમ તેમ મનુષ્યોના મૃતકોમાંથી ઝરતા પરુ વગેરેની અત્યંત દુર્ગંધ આવે છે.
આગળ જતાં કાળ અને કંકાળ નામના બે રાક્ષસો તેની સામે આવ્યા, તે બંને સાથે કુમારે યુદ્ધ કર્યું અને બંનેને જીતી લીધા. ત્યાંથી કુમાર આગળ વધ્યો. ત્યાં તેણે મહાકાલ યક્ષનું ગૃહ જોયું. મનુષ્યને આવેલો જાણી મહાકાલ યક્ષ તેની સન્મુખ આવ્યો અને બોલ્યો, ‘હે મનુષ્ય ! તું કોઇ નવો જણાય છે અને તું કોઇ પારકાનાં પરાક્રમથી ઉન્મત્ત થયેલો લાગે છે, પણ હવે તારા ઇષ્ટદેવનું તું સ્મરણ કર. હમણાં જ તારું મૃત્યુ આવી રહ્યું છે.’
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૮
Page #50
--------------------------------------------------------------------------
________________
યક્ષનું આ વચન સાંભળીને રાજકુમાર હિંમતપૂર્વક હસીને બોલ્યો, “હે યક્ષ ! આવી ઉદ્ધત વાણીથી તું મને ભયભીત નહીં કરી શકે. તું પ્રસન્ન થા, કોપ છોડી દે ! અને હૃદયમાં વિવેકપૂર્વક વિચાર કર, નિરપરાધી મનુષ્યોને તું શા માટે હણે છે ? પૂર્વપુણ્યથી પ્રાપ્ત થયેલું આ અનુપમ દેવપણું ભોગવ અને મનુષ્યોના વિનાશને છોડી દે. ક્રોધથી અંધ થયેલા પુરુષને આ લોકમાં કે પરલોકમાં જરા પણ સુખ મળતું નથી. માટે હે ભાગ્યવાન્ ! તું ક્રોધ છોડી દે, દયામય ધર્મનું શરણું સ્વીકાર.'
આ રીતે રાજકુમારનાં હિતકારી ઉપદેશ વચનો સાંભળી, ઉલટો તે યક્ષ વધારે ક્રોધિત થયો અને રાજકુમારને કહેવા લાગ્યો, “તું મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થા. હું જોઉં, તારા ધર્મનું માહાભ્ય કેવું છે? એમ કહી મુદુગર હાથમાં લઈ તે મહાકાલ યક્ષ રાજકુમારની સામે કાલની જેમ દોડ્યો. તેને આવતો જોઈ મહીપાલકુમાર પણ સન્મુખ થયો.
તે બંનેનું પરસ્પર ઘણોકાળ યુદ્ધ થયું. છેવટે યક્ષને અજેય જાણી, કુમારે ખગ વિદ્યાનું સ્મરણ કર્યું. સ્મરણમાત્રથી વિદ્યાધિષ્ઠિત ખડ્ઝરત્ન રાજકુમારના હાથમાં આવ્યું. તેમાંથી અગ્નિજવાળાઓ નીકળતી હતી. આવા ખગને જોઇને યક્ષ અત્યંત ભય પામ્યો. ભયભીત થયેલા યક્ષને મધુરવાણીથી કુમારે કહ્યું, “હે યક્ષ ! તને સાચે ખગ્નથી ભય લાગ્યો હોય, તો હજી પણ હિંસા છોડી દે, દયામય ધર્મ સ્વીકાર અને સર્વ જીવો ઉપર સમતાભાવ ધારણ કર.'
કુમારનું સત્વ, શૌર્ય અને પૈર્ય જોઇ યક્ષ તેને શરણે આવ્યો ને બોલ્યો, “હે વીર ! વરદાન માંગ ! તેં મને જીતી લીધો છે. ખરેખર ! ધર્મથી સર્વત્ર જય થાય છે. તે સત્ય છે. કારણ કે હું હિંસા કરનાર છું અને તું સર્વને અભય આપનાર છે, તેથી જ તારો જય થયો છે.
યક્ષને શરણે આવેલો જોઇ, તેને ધર્મમાં વધુ દ્રઢ કરવા કુમાર બોલ્યો, “હે યક્ષરાજ ! તમે જો ધર્મ સમજ્યા હો તો જીવદયા પાળવામાં સ્થિર થજો. જીવદયાથી એક બગલા જેવો ક્ષુદ્ર પક્ષી પણ સ્વર્ગનું સુખ પામી મુક્તિ પામ્યો હતો.
યક્ષે પૂછ્યું, “તે બગલો કોણ હતો ?' તેથી કુમાર તેને બગલાની કથા કહે છે. • ધાર્મિક બગલાની કથા :
એક સુંદર ઉપવન હતું. તેમાં સ્વચ્છ જળવાળું સરોવર હતું. ત્યાં ઘણા પક્ષીઓ રહેતા હતા. તેમાં એક બગલો પણ હતો. પહેલાં તો તે ખૂબ રૌદ્રધ્યાની, માછલા, કાગડા આદિને મારીને જીવન ચલાવતો.
એક વખત ત્યાં એક કેવળજ્ઞાની મહાત્મા પધાર્યા. દેવોએ સુવર્ણકમળ રચ્યું. તે ઉપર તે મહાત્મા બિરાજ્યા. તેમના પ્રભાવથી આજુબાજુમાં રહેલા સર્વ પશુપંખીઓ
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૯
Page #51
--------------------------------------------------------------------------
________________
ભેગા થયા અને જાણે દેશના સાંભળવા ઉત્સુક થયા હોય તેમ મહાત્માને અનિમેષ દૃષ્ટિએ નિહાળવા લાગ્યા. તેમાં આ બગલો પણ પોતાના સમગ્ર પરિવાર સાથે આવ્યો.
ભગવંતે સર્વ પ્રાણીઓ સમજી શકે એવી દિવ્ય વાણીમાં દેશના આપી, “હે પ્રાણીઓ ! પૂર્વે ધર્મની વિરાધના કરવાથી તિર્યચપણું પ્રાપ્ત થાય છે. તેમાં પણ જો જીવહિંસાદી પાપ કરવામાં આવે, તો તે પાપ નરકમાં લઈ જાય છે. નરકમાં નરકપાલ અર્થાત્ પરમાધામી દેવો તે જીવોને તપેલા લોઢાની સાથે આલિંગન કરાવે છે. ગરમ કરેલા સીસાનો રસ પીવડાવે છે. વજન કાંટા ભોંકે છે. વગેરે અનેક પ્રકારના ઘોર દુઃખો નરકમાં ભોગવવા પડે છે. માટે તે પ્રાણીઓ ! તમારે કોઈ જીવને મારવા નહીં.”
આ સાંભળી વાઘ-સિંહ જેવા હિંસક પ્રાણીઓ પણ મૈત્રીભાવવાળા થયા અને હિંસારહિત જીવન જીવવાનું વિચાર્યું. આ બગલાનું પણ ચિત્ત પરિવર્તન થયું. તેણે હિંસા છોડી દીધી. સમય જતા આયુષ્ય પૂર્ણ થયું. અંતકાળે પણ મહાત્માના વચનો યાદ કરતો તે બગલો મરીને દેવ થયો. ત્યાંથી ચ્યવીને શ્રેષ્ઠીપુત્ર થયો. ત્યાં પણ ધર્મ આરાધના કરી, સંયમ લઇ મુક્તિ પામ્યો.
“હે યક્ષરાજ ! અવિવેકી કહેવાતા પશુપંખી પણ ધર્મઆરાધના કરી, આત્મકલ્યાણ સાધે છે. તમે તો વિવેકી છો અને પૂર્વભવમાં શ્રી નેમિનાથ પ્રભુના દર્શનના પ્રભાવે જ આ દેવપણું પામ્યા છો તો આ ભવમાં પણ હવે દ્વેષ છોડી, હિંસા ત્યજીને, ધર્મ આરાધના કરી દેવપણું સફળ કરો.'
રાજકુમારનાં વચનો વડે ચિંતામણીરત્ન જેવા ધર્મને પામવાથી પ્રસન્ન થયેલા તે યક્ષે ગુણવાન અને ગુરુતુલ્ય કુમારને પ્રણામ કર્યા અને કહ્યું કે, “આજથી હું સુદેવ તરીકે શ્રી જિનેશ્વરદેવ, સદ્ગુરુ તરીકે પરિગ્રહરહિત નિર્ઝન્ય મહાત્મા અને સધર્મ તરીકે દયાપ્રધાન ધર્મ સ્વીકારું છું.'
આમ કહી રાજપુત્રને તેણે એક વિદ્યા આપી. રાજકુમાર યક્ષને રજા આપી આગળ ચાલ્યો. માર્ગમાં કુમારે વિચાર કર્યો કે, મારે મારા નગરમાં પાછા જવું છે, પણ અચાનક આ પ્રસંગે મારે બહાર નીકળવાનું થયું જ છે. તો હવે અનેક આશ્ચર્યકારી જુદા જુદા દેશોમાં ફરીને પછી મારા નગરમાં જાઉં.
વળી દેશાટન કરવાથી પોતાની શક્તિની ખબર પડે, તે તે દેશના આચારોની પરીક્ષા થાય, ઉત્તમ અને અધમની ઓળખાણ થાય, અનેક કલાઓ શીખવા મળે, વિવિધ પુરુષોનો સંગ થાય અને પરમતારક કલ્યાણકારી તીર્થોનાં દર્શન થાય. આમ વિચારી, રાજકુમાર પૂર્વ દિશા તરફ ચાલ્યો.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૦
Page #52
--------------------------------------------------------------------------
________________
ઘણા નગર-પર્વતાદિ પસાર કરી કેટલાક દિવસ બાદ તે “સુંદર' નામના શહેર પાસે આવ્યો. ત્યાં બહાર ઉદ્યાનમાં અંબિકા દેવીનું ચૈત્ય હતું. રાત થવા આવી હતી. તેથી રાજકુમાર તે ચૈત્યમાં જઈ દેવ-ગુરુનું સ્મરણ કરી સૂઈ ગયો.
ત્યારે, “હે ભાઈ ! હે પિતા ! હે કૃપાળુ દેવતાઓ ! આ પાપી પુરુષથી મારી રક્ષા કરો.' એવી કોઈ સ્ત્રીની દીનતા ભરેલી વાણી વારંવાર સાંભળી રાજકુમાર જાગી ગયો. તે શબ્દને અનુસારે ચાલતાં ચાલતાં પર્વતની ખીણમાં ધ્યાનમાં બેઠેલો એક પુરુષ, તેની સન્મુખ વિહ્વળ થયેલી નારી અને અગ્નિનો કુંડ તેને દેખાયા.
આ કોઈ મૂઢ પુરુષ કોઇક સાધના માટે આ અબલા સ્ત્રીને મારવા ઇચ્છે છે, એમ જણાય છે. માટે હું આ સ્ત્રીને છોડાવું. એમ વિચાર કરી દૂરથી જ રાજકુમારે તે પુરુષને કહ્યું, “અરે પાપી નરાધમ ! તું આ શું કરે છે ? આ બાલાને છોડી દે. જો નહીં છોડે તો હું તને યમગૃહમાં પહોંચાડીશ.
કુમારનાં વચનોથી ત્રાસ પામેલો તે સાધક સ્ત્રીને ઉપાડીને આગળ દોડવા લાગ્યો. કુમાર તેની પાછળ દોડ્યો. આથી કુમારથી બચવા તે વિદ્યાસાધકે એક કૂવામાં ઝંપલાવ્યું. કુમાર પણ તેની પાછળ કૂવામાં પડ્યો. આ કૂવો પાતાલમાં પ્રવેશવાના માર્ગ સમો હતો.
- વિદ્યાસાધક ક્યાં ગયો તેની ખબર પડી નહીં, છતાં ધૈર્યપૂર્વક કુમાર આગળ વધ્યો. ત્યાં તેને ફરી અગ્નિનો પ્રકાશ દેખાયો અને ફરી પેલી સ્ત્રીનું આઝંદ સંભળાયું. આથી કુમાર એકદમ ધીમે પગલે છેક વિદ્યાધર પાસે પહોંચી ગયો અને તેને પડકાર્યો કે, “હે મહાસત્ત્વ ! આ તું શું કરે છે ? આ બધુ ગુરુના આદેશથી કરે છે કે તારી બુદ્ધિથી કરે છે ?'
તે વિદ્યાધરે કહ્યું, “હે પ્રવાસી ! તું સ્વેચ્છાએ તારે માર્ગે ચાલ્યો જા. મારે તારી શિખામણની કોઈ જરૂર નથી.' તેટલામાં તે કુમારિકાએ કુમારની સામે દ્રષ્ટિ કરીને કહ્યું, “હે પરોપકારી ! આ પાપીથી મારી રક્ષા કરો.'
એ બાલિકાનાં આવા દીનતાપૂર્વકનાં વચનો સાંભળીને કરૂણાપૂર્વક રાજકુમારે ફરીથી કહ્યું, “હે મહાસત્ત્વ ! તું ક્ષત્રિયકુળમાં અવતર્યો છે, છતાં આ અશરણ અબલાનો વધ કેમ કરે છે ? સ્ત્રીના વધથી કોઇપણ વિદ્યા સિદ્ધ ન થાય. કારણ કે પાપકારી આરંભથી તો પુણ્યકર્મનો નાશ થાય છે. તેથી આ સ્ત્રીને છોડી દે અને સ્ત્રીહત્યાના પાપથી ભારે થઇ ફોગટ દુર્ગતિમાં ન પડે.”
રાજકુમારના આવા હિતકારી વચનોથી વિદ્યાધર વધારે કોપ પામ્યો. કહ્યું કે, તું તારા માર્ગે ચાલ્યો જા. નહીં તો તારા મસ્તકને હું ફોડી નાંખીશ.” એમ કહેતો
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૧
Page #53
--------------------------------------------------------------------------
________________
ખગ લઇને તે કુમારને મારવા દોડ્યો. રાજકુમાર પણ યુદ્ધ કરવા સજ્જ થયો. થોડી જ વારમાં કુમારે ખગવિદ્યાના પ્રભાવથી તે વિદ્યાધરનો પરાભવ કર્યો. પરાસ્ત થયેલા વિદ્યાધરે રાજકુમારને કહ્યું, ‘પૂર્વે હું કોઇનાથી જીતાયો નથી, છતાં આજે તમે તમારા પરાક્રમથી મને જીતી લીધો છે. હું પાપી છું અને તમે પ્રાણીઓના હિતકારી છો. તેથી સર્વત્ર ધર્મથી જ જય થાય છે, તે સત્ય જ છે.”
રાજપુત્રે કહ્યું, “હે મહાનુભાવ ! તમે ખેદ ન કરો. સ્ત્રીહત્યાના પાપથી પાછા ફરો અને સેંકડો સુખને આપનાર શ્રી જિનેશ્વરની આજ્ઞાની આરાધનામાં તત્પર થાઓ.” રાજકુમારની આવી મધુર વાણીથી ખુશ થયેલા વિદ્યાધરે તેનું વચન સ્વીકાર્યું.
ત્યારબાદ રાજપુત્રે વિદ્યાધરને પૂછ્યું કે, “આ કુમારિકા કોણ છે ? વિદ્યાધરે કહ્યું, “કલ્યાણકટક નગર, ત્યાં કલ્યાણસુંદર રાજા છે. તેની કલ્યાણસુંદરી પટ્ટરાણી છે, ગુણસુંદરી નામે આ તેની કુંવરી છે.
વિદ્યાસિદ્ધિ કરવા હું એને અપહરણ કરીને અહીં લાવ્યો છું. તમે આ કુમારિકાને જીવનદાન આપ્યું અને નરકમાં પડતાં મારો ઉદ્ધાર કર્યો. આથી તમે અમારા ઉપાકરી છો. આ કન્યાનો ૧ મહિના પછી સ્વયંવર થવાનો છે.”
રાજકુમારે કહ્યું, “જો એમ છે તો આ કુમારીને તેના પિતાને ઘેર તત્કાળ પહોંચાડો.” રાજકુમારના કહેવાથી વિદ્યારે પોતાની વિદ્યાશક્તિથી તે બાળાને તત્કાળ તેને ઘેર પહોંચાડી. કુમારિકા પાછી મળી જવાથી તેના સ્વજનોને આનંદ થયો.
વિદ્યાધરે કુમારને સોળ વિદ્યાઓ આપી અને કુમારે તેને જૈનધર્મનો ઉપદેશ આપી, ધર્મમાં જોડ્યો. એટલામાં આમ-તેમ જોતાં કુમારે પૂર્વ દિશામાં એક ઊંચો પ્રાસાદ જોયો. તેથી વિદ્યાધરને પૂછ્યું કે, “આ કોનો મહેલ છે ?' વિદ્યાધરે કહ્યું, “આ પ્રાસાદસંબંધી હું મારી કથા કહું છું, તે આપ સાંભળો !”
વૈતાઢય પર્વત ઉપર રત્નપુર નામે નગર છે. ત્યાં મણિચુડ રાજા રાજય કરતો હતો. તેને રત્નપ્રભ અને રત્નકાંતિ નામે બે કુમારો થયા. તેઓ પિતૃભક્ત અને વિદ્યારસિક હતા. કેટલાક વર્ષો સુધી રાજય કરી, મણિચુડ રાજાએ પોતાનું રાજય રત્નપ્રભને આપી પોતે વ્રત ગ્રહણ કર્યું.
રત્નપ્રભે સત્તાના મદમાં છકી જઈને પોતાના નાના ભાઈ રત્નકાંતિને નગરમાંથી કાઢી મૂક્યો. તે અહીં નવું નગર વસાવીને રહ્યો છે. તે રત્નકાંતિ હું છું. અહીંના સ્વામી શ્રી શાંતિનાથ ભગવાન છે. મારા ભાઈ રત્નપ્રભ ઉપર વિજય મેળવવા માટે હું વિદ્યાસાધના કરતો હતો. તેમાં થતા અનર્થથી તમે મને બચાવ્યો છે. હવે ચાલો આપણે જિનાલયે પ્રભુભક્તિ કરીએ.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૨
Page #54
--------------------------------------------------------------------------
________________
એમ કહી તે બંનેએ જિનાલયમાં જઇ વિધિપૂર્વક શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા કરી. ત્યાંથી વિદ્યાધર રાજકુમારને આગળ લઇ ગયો અને પાતાળવનમાં રહેલા મુનિભગવંતોના દર્શન કરાવ્યા. તે વખતે કોઇક મહાત્મા સ્થિર ચિત્તે ધ્યાન કરતા હતા. કોઇક અધ્યયન કરાવતા હતા, કોઇક જાપમાં, કોઇક વૈયાવચ્ચમાં લીન હતા. સાધુભગવંતોના દર્શનથી રાજકુમાર ખૂબ ખુશ થયો. બંને જણાએ બધાને વિધિપૂર્વક વંદન કર્યું અને ગુરુમહારાજ સન્મુખ જિજ્ઞાશા ભાવથી બેઠા એટલે ગુરુભગવંતે પણ બંનેને યોગ્ય જાણી દેશના શરૂ કરી. એટલામાં બે મહાચારિત્રી મહાત્મા ત્યાં પધાર્યા. એમના ચારિત્રના તેજથી આકર્ષાયેલા કુમારે પૂછ્યું, ‘આપ ક્યાંથી પધાર્યા ?'
મુનિઓએ કહ્યું, ‘અમે પુંડરીકગિરિ અને ઉજ્જયંતગિરિની યાત્રા કરીને હમણાં જ અહીં આવ્યા છીએ.' તીર્થાધિરાજની યાત્રાની વાત સાંભળીને મહીપાલકુમાર ખૂબ ખુશ થયો. તેને ધર્મ અને તીર્થમાં આદરવાળો જોઇ, ગુરુમહારાજે એ તીર્થનો મહિમા વર્ણવતાં કહ્યું.
‘હે રાજકુમાર ! જેમ સર્વ જિનોમાં આદિજિન, સર્વ ચક્રવર્તીઓમાં ભરતચક્રી, સર્વ ભવોમાં મનુષ્યભવ, સર્વ વર્ણોમાં કાર, સર્વ દેશોમાં સૌરાષ્ટ્ર અને સર્વ વ્રતોમાં શીલવ્રત મુખ્ય છે, તેમ સર્વ તીર્થોમાં મુખ્યતીર્થ શ્રી શત્રુંજય તીર્થ કહેવાય છે. તે આત્માના ભાવ દારિદ્રયનો નાશ કરે છે, એ સિદ્ધગિરિનું માહાત્મ્ય શ્રી જિનેશ્વરદેવ જ જાણે.
ત્યાં શ્રી ઋષભદેવ ભગવાન બિરાજમાન છે. એ ગિરિરાજ અને શ્રી આદિનાથ એ બંને લોકોત્તર અતિશયવાળા છે. તેમના દર્શનથી પ્રાણી, હત્યાદિક સર્વ પાપોમાંથી મુક્ત થાય છે. તે વિષે એક કથા કહું છું, તે સાંભળો !
સિદ્ધગિરિના પ્રભાવ વિષે ત્રિવિક્રમ રાજાની કથા
આ ભરતક્ષેત્રમાં શ્રાવસ્તી નગરીમાં ત્રિશંકુ રાજાનો પુત્ર ત્રિવિક્રમ રાજા હતો. તે એક વખત વડના વૃક્ષ નીચે આરામ કરવા બેઠો હતો. ત્યાં વૃક્ષ ઉપર એક ક્રૂર શબ્દ કરતું પક્ષી તેણે જોયું. કાનને અપ્રિય લાગે એવો અવાજ હોવાથી તેને ઉડાવવા માંડ્યું. પણ તે ઊડ્યું નહીં. તેથી ક્રોધ પામી બાણથી તે પક્ષીને રાજાએ વીંધી નાખ્યું. બાણથી વીંધાયેલું પક્ષી તરફડતું રાજાની સન્મુખ નીચે પડ્યું. તેનો તરફડાટ જોઇને રાજાને કરુણા આવી, પશ્ચાત્તાપ થયો. પક્ષીના દુઃખે દુ:ખી થતો રાજા મહેલે ચાલ્યો ગયો. તરફડતું પક્ષી મૃત્યુ પામીને જંગલમાં ભીલ કુળમાં ઉત્પન્ન થયું. તે ભીલપુત્ર બાળપણથી શિકાર કરવા લાગ્યો.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૩
Page #55
--------------------------------------------------------------------------
________________
આ બાજુ ત્રિવિક્રમ રાજાને ધર્મરૂચિ નામના મુનિભગવંતનો સંયોગ થયો. તેમની પાસેથી તેણે દયામય ધર્મ સાંભળ્યો. રાજાના કરૂણા×મનમાં પોતે કારણ વગર પક્ષીને મારી નાંખ્યાની વાત યાદ આવી. તેથી રાજા પશ્ચાત્તાપથી વિચારવા લાગ્યો, “અહો ! અજ્ઞાનથી મેં કેવું દુરાચરણ કર્યું ! તેના ફળ સ્વરૂપે અનેક કષ્ટો મારે ભવોના ભવો સુધી સહન કરવા પડશે. દુષ્કૃત્યનું ફળ આ લોકમાં સંતાપ અને પરલોકમાં નરકગતિ છે. માટે કાદવમાંથી કમલ અને માટીમાંથી સુવર્ણની જેમ દુર્ગતિથી બચવા આ અસાર દેહમાંથી સારરૂપ વ્રતને હું ગ્રહણ કરું.” એમ વિચારી રાજાએ મુનિરાજને નમસ્કાર કરી આદરથી વ્રત પ્રદાન કરવા મહર્ષિને પ્રાર્થના કરી. મુનિએ પણ હર્ષથી તેને દીક્ષા આપી.
ત્રિવિક્રમ મુનિ અનુક્રમે સર્વ સિદ્ધાંતનું અધ્યયન કરી જ્ઞાની બન્યા અને ગુજ્ઞા લઈ એકાકી પ્રતિમા સ્વીકારી, અર્થાત્ વિશેષ કર્મક્ષય કરવા એકલા વિચરવા લાગ્યા. વિચરતાં વિચરતાં એક દિવસ એ અટવીમાં પહોંચ્યાં, જયાં પેલો ભીલપુત્ર હતો. તે અટવીમાં મુનિ કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. ભીલપુત્રે દૂરથી મુનિને જોયા. પૂર્વના વૈરથી તેને ખૂબ ક્રોધ ઉત્પન્ન થયો. તેથી મુનિને લાકડી, મુષ્ટિ વગેરેથી ખૂબ મારવા લાગ્યો. તેણે કરેલી આ ઘોર યાતનાથી પીડા પામેલા મુનિ શાંત હૃદયવાળા હતા. તો પણ તેમને ક્રોધ પ્રગટ થયો અને સામનો કરવાની વૃત્તિથી ભીલપુત્ર ઉપર તેજોલેશ્યા મૂકી. તેનાથી ભીલપુત્ર તુરંત બળીને મૃત્યુ પામ્યો.
ત્યાંથી મૃત્યુ પામીને તે જ વનમાં તે કેશરીસિંહ થઈને અવતર્યો. આ બાજુ વિહાર કરતાં કરતાં ત્રિવિક્રમ મુનિ તે જ વનમાં ફરી આવી ચડ્યા. મુનિને જોતાં તરત જ પૂર્વના વૈરથી તેમની સામે દોડ્યો. તેને આવતો જોઇ, ધર્મના એક સાધનરૂપ પોતાનાં દેહને બચાવવા મુનિરાજ ત્યાંથી ભાગ્યા. તે સિંહ પણ રાજર્ષિની પાછળ પાછળ જવા લાગ્યો. તેથી છેવટે ક્રોધને વશ થઈ તે સિંહ ઉપર તેજોલેશ્યા મૂકી. તેથી તે તત્કાળ મૃત્યુ પામીને તે જ વનમાં દીપડા તરીકે ઉત્પન્ન થયો.
કેટલાક કાળ પછી ફરીથી તે રાજર્ષિ ત્યાં આવી સ્થિરતાપૂર્વક કાયોત્સર્ગમાં ઊભા રહ્યા. અચાનક તે દીપડો ત્યાં આવ્યો અને પૂર્વના વૈરથી મારવા ધસ્યો. કષાયોનો વિપાક દારૂણ છે. એ જાણવા છતાં પણ કર્મને આધીન બનેલા ત્રિવિક્રમ રાજર્ષિ કોપને વશ થયા. કષાયોનો પરાભવ કરવો એ ખરેખર વિકટ કાર્ય છે.
મુનિએ તે દીપડા પર તેજોલેશ્યા મૂકી. તેથી તે મૃત્યુ પામી કોઈ ભયંકર વનમાં સાંઢ થયો. ભાગ્યયોગે તે જ વનમાં આવીને મુનિ કાઉસ્સગમાં રહ્યા. તેમને જોઈ પૂર્વના વૈરથી તે સાંઢ અત્યંત ઉપદ્રવ કરવા માંડ્યો. એટલે પૂર્વની જેમ એ સાંઢને પણ યમરાજનો અતિથિ કર્યો.
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૩૪
Page #56
--------------------------------------------------------------------------
________________
એ સાંઢનો જીવ ત્યાંથી મરણ પામીને અવંતિ દેશમાં ઉજ્જયિની નગરી પાસે રહેલા સિદ્ધવડની બખોલમાં મહાઝેરી સર્પ થયો. અનુક્રમે વિહાર કરતાં કરતાં ત્રિવિક્રમમુનિ ત્યાં આવી તે વડ નીચે એક વખત કાયોત્સર્ગ ધ્યાને રહ્યા. પૂર્વના વૈરથી મુનિને જોતાં જ સર્પને દ્વેષ ઉત્પન્ન થયો. એટલે તત્કાળ એ સર્પ ફણા ચડાવી પોતાના પૂર્વના અપકારી મુનિને ડસવા આવ્યો. તેને આવતો જોઈ કોપ પામી સર્પ ઉપર તેજોલેશ્યા મૂકી. અકામ નિર્જરાના યોગે કેટલાક કર્મ ખપાવીને સર્પનો જીવ કોઈ ગરીબ બ્રાહ્મણના ઘરે પુત્રરૂપે અવતર્યો.
યોગાનુયોગ ત્રિવિક્રમ રાજર્ષિ પણ વિહાર કરતા તે ગામમાં આવી ગયા. ગામની પાસે યોગાભ્યાસમાં તત્પર રહેલા મુનિને જોઈ ત્યાં આવી ચડેલો અધમ બ્રાહ્મણ તે મુનિને મારવા દોડ્યો. મુનિને નિર્દયપણે મુષ્ટિઓ અને લાકડીથી મારતા બ્રાહ્મણ ઉપર કોપના આવેશથી પૂર્વની જેમ રાજર્ષિએ તેજલેશ્યા મૂકી. કાંઇક શુભના ઉદયથી અકામ નિર્જરા વડે કર્મ ખપાવીને તે વારાણસી નગરીમાં મહાબાહુ નામે રાજા થયો. રાજસુખ ભોગવતાં તેનો ઘણો કાલ પસાર થયો. • મહાબાહુ રાજાને જાતિસ્મૃતિ :
એક વખત તે મહાબાહુ રાજા પોતાના મહેલમાં ગોખમાં બેઠો હતો. ત્યારે માર્ગમાં પસાર થતા કોઇ પવિત્ર સાધુને તેણે જોયા. તેથી મનમાં વિચાર આવ્યો કે, “અહો ! આ અથવા આવા કોઈ મહાત્મા કોઈ ઠેકાણે મેં જોયા છે. એમ ઘણો વખત વિચાર કરતાં રાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. રાજર્ષિના કોપરૂપી અગ્નિની જવાળામાં બળી જતા પોતાના પૂર્વના સાત ભવો તેને દેખાયા.
તે ઉપરથી તત્કાળ અધ શ્લોક બનાવીને રાજા બોલ્યો - विहगः शबरः सिंहो, द्वीपी षण्ढः फणी द्विजः । અર્થ : પક્ષી, ભીલ, સિંહ, દીપડો, સાંઢ, સર્પ અને બ્રાહ્મણ.
આ શ્લોક બનાવીને, તે મુનિને મળવા માટે મહાબાહુ રાજાએ પોતાના રાજયમાં જાહેર કર્યું કે, “આ અર્ધા શ્લોકની સમસ્યા જે કોઈ વિદ્વાન પૂરશે તેને હું લાખ સોનામહોર આપીશ.”
રાજાનું વચન સાંભળી ધનની ઇચ્છાથી ઘણા લોકો શ્લોક પૂર્ણ કરવા વારંવાર શ્લોક બોલતા હતા.
આ બાજુ ત્રિવિક્રમ મુનિ વિહાર કરતાં કરતાં ત્યાં આવ્યા અને કોઇ પ્રજાજનના મુખે તેમણે આ શ્લોક સાંભળ્યો. આ સમસ્યાનો સંબંધ ખ્યાલ આવી જવાથી એમના મુખમાંથી શબ્દો સરી પડ્યા કે...
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૫
Page #57
--------------------------------------------------------------------------
________________
'येनामी निहताः कोपात्स कथं भविता हहा !' અર્થ : જેણે આ બધાયને કોપથી માર્યા છે, અહો ! તેનું શું થશે ?
મુનિએ પૂર્ણ કરેલી એ સમસ્યા તે પુરુષે રાજાની પાસે જઈને કહી. રાજાને શંકા પડી કે આ માણસ શું શ્લોક રચના કરી શકે ? માટે ખાત્રી કરવા પૂછ્યું કે આ શ્લોક પૂર્તિ કોણે કરી ? શરૂઆતમાં તો ઈનામની લાલચે પેલા ભાઈએ કહ્યું કે મેં કરી છે. પણ રાજાએ કડકાઇથી પૂછતાં સત્ય હકીકત જણાવી કે આપણા નગરમાં એક જૈનમુનિ પધાર્યા છે, તેમણે આ શ્લોક પૂર્ણ કર્યો છે.
આ સાંભળતાં રાજાને વિશ્વાસ થયો કે નક્કી તે જ મુનિ અહીં પધાર્યા હશે. આથી ચતુરંગી સેના, પ્રધાન, પુરોહિત, અંતઃપુર આદિ વિસ્તૃત રસાલાપૂર્વક મુનિના વંદનાર્થે વનમાં આવ્યો અને જાતિસ્મરણથી એ મુનિને ઓળખીને કહ્યું કે, “હે મુનિરાજ ! મારા તે સર્વ અપરાધોની આપ ક્ષમા કરો. મને ધિક્કાર છે, કે જેથી તે તે ભવોમાં, દર્શન માત્રથી આવા રાજ્યને આપવાનું સામર્થ્ય ધરાવનારા મહાઉપકારી એવા આપને મેં દુઃખી કર્યા.
હે યતિવર્ય ! અજ્ઞાનતાના કારણે મેં વારંવાર આપના તપનો નાશ કર્યો. પરંતુ હવે મારા નિમિત્તે થતો ક્રોધ તમે છોડી દો.”
રાજાના આવા નમ્ર વચનથી જાગૃત થયેલા તે મુનિ પણ ઉપશમભાવ પામ્યા અને બોલ્યા કે, “રાજન્ ! મને ધિક્કાર છે, હું ક્ષમાશ્રમણ હોવા છતાં પાપી એવા મેં તે તે જન્મમાં તને મારી નાંખ્યો. અજ્ઞાનથી કરેલા મારા તે અતિદુઃસહ અપરાધની તું ક્ષમા કર !”
આ રીતે તે બંને પરસ્પર ક્ષમાપના કરતા હતા, તેટલામાં આકાશમાં દુંદુભિનો અવાજ સંભળાયો અને આકાશમાર્ગે જતા દેવો દ્વારા જાણવા મળ્યું કે, વનમાં એક કેવળજ્ઞાની મુનિ પધાર્યા છે. તેમના દર્શનની ઇચ્છાથી આદર સહિત ત્રિવિક્રમ રાજર્ષિ તથા મહાબાહુ રાજા ત્યાં ગયા અને કેવલી ભગવંતને પ્રણામ કર્યા. કેવલી ભગવાને પણ તે બંનેના હૃદયના ભાવ જાણીને પાપનો નાશ કરનાર જીવદયામય ધર્મનો ઉપદેશ આપ્યો અને કહ્યું કે, “હે રાજા ! તે પૂર્વભવમાં આ મુનિને કોપ કરાવ્યો છે અને મુનિએ પણ ક્રોધ કરીને હિંસા કરી છે. તેથી તમે બંનેએ ઘણું પાપ બાંધ્યું છે. તે પાપથી મુક્ત થવા સર્વ પાપનો નાશ કરનારા શત્રુંજય તીર્થે તમે જાવ. ત્યાં તપશ્ચર્યા કરવાથી અને શ્રી અરિહંત પરમાત્માના ધ્યાનથી તમને જ્ઞાન અને સિદ્ધિ પ્રાપ્ત થશે.
ઘણું દાન, શીલપાલન વગેરે ધર્મ સેવ્યા છતાં પણ શત્રુંજય તીર્થની સ્પર્શના વિના તમારું પાપ નિર્જરા પામશે નહીં. માટે હે રાજા ! આ ત્રિવિક્રમ રાજર્ષિને આગળ કરી અનેક લોકોની સાથે શત્રુંજયાદિ તીર્થોની સમાધિપૂર્વક તું યાત્રા કર.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૬
Page #58
--------------------------------------------------------------------------
________________
યાત્રા કર્યા પછી સર્વવિરતિ અંગીકાર કરી આત્મસ્વરૂપમાં લીન બની એ મુનિ સાથે તું ત્યાં ઉત્તમ તપ કરજે. હે રાજા ! શ્રી શત્રુંજય તીર્થનાં સ્મરણમાત્રથી કર્મરૂપી કાદવ ગળી જાય છે, દુષ્કર્મ નાશ પામે છે, સર્વ અજ્ઞાન નાશ પામે છે.”
આ રીતે કેવલી ભગવંતે કહેલો ઉપદેશ હૃદયમાં ધારણ કરીને તે ત્રિવિક્રમ મુનિ અને મહાબાહુ રાજા પ્રસન્ન થઈ, ભક્તિથી તેમને નમસ્કાર કરી, સંઘમાં અનેક લોકોને સાથે લઈ શત્રુંજય તીર્થની યાત્રા કરવા ગયા. ત્યાં નવા નવા મહોત્સવપૂર્વક પ્રભુની ભક્તિ કરી, સંયમ લીધું. સંયમપાલન સાથે તીવ્ર તપ તપી, સર્વે કર્યો ખપાવીને તેઓ મુક્તિસુખ પામ્યા.
આ પ્રમાણે રાજકુમાર મહીપાલને તે મુનિરાજે ઉપદેશ આપીને કહ્યું, “હે મહીપાલ ! તે રીતે આ શત્રુંજય તીર્થમાં મોટા હત્યાદિ પાપો પણ જલ્દી વિલીન થઇ જાય છે. ગુરુમહારાજના મુખેથી ધર્મ સાંભળી પોતાના આત્માને કૃતાર્થ માનતા રાજકુમારે વિદ્યાધરની સાથે શાશ્વત ચૈત્યોનાં વંદન-પૂજન કર્યા અને સાધુઓની સેવામાં કેટલોક કાળ પસાર કર્યો. વિદ્યારે પણ તેની ઘણા પ્રકારે ભક્તિ કરી. થોડા સમય પછી વિદ્યાધરની રજા લઈ, મહીપાલકુમાર આગળ ચાલ્યો. માર્ગમાં કૌતુક જોતો કલ્યાણકટક નગર તરફ ચાલ્યો. આકાશગામિની વિદ્યા વડે આકાશમાં ચાલતો તે સ્વયંવર જોવાની ઇચ્છાથી તત્કાળ તે નગરે આવી પહોંચ્યો. કુમારે ત્યાં જુદી જુદી ભાષાઓને જાણનારા અને જુદા જુદા વેષને ધરનારા, અનેક દેશોથી આવેલા રાજાઓને જોયા. તેઓને બેસવા માટે કરેલી ઊંચી માંચાની શ્રેણીઓ જોઇ.
નગરમાં આમતેમ ફરતાં સૈન્યથી પરિવરેલા પોતાના જયેષ્ઠબંધુ દેવપાલને ત્યાં આવેલો જોયો. એટલે તરત વેષ પરિવર્તન કરી કુમાર પોતાના બંધુ પાસે આવી અજાણ્યો થઈ તેને પૂછવા લાગ્યો કે, “હે મિત્ર ! અહીં ઘણા રાજાઓનાં સૈન્યો કેમ એકઠા થયા છે ? આ ઊંચા માંચડાઓ કેમ માંડ્યા છે ? અને આ તરફ લોકો ઉત્સુક થઈ કેમ દોડાદોડ કરે છે ? હું પરદેશી છું, એટલે આ નગરનું વૃત્તાંત મને કહો.”
આ સાંભળી દેવપાલે કહ્યું, “હે મહાસત્ત્વ ! આનું સર્વવૃત્તાંત તમે સાંભળો. આ કલ્યાણકટક નામે સમૃદ્ધિવાળું નગર છે. કલ્યાણસુંદર રાજા છે, તેને ગુણસુંદરી નામે કુમારી છે. તેનો આવતીકાલે સ્વયંવર મહોત્સવ થવાનો છે. જુઓ, આ અગ્નિકુંડ દેખાય છે, તેમાં ઘણી શાખાઓવાળું એક અગ્નિવૃક્ષ છે. તે વૃક્ષની શિખા, શાખા અને ફળોને જે ગ્રહણ કરશે, તે સાહસિક પુરુષને આ કન્યા પરણશે. પોતાના બંધુ દેવપાલના વચનો સાંભળી, ચિત્તમાં કુંવરી પરણવાનો નિશ્ચય કરી મહીપાલકુમાર મંચના કોઈ એક ભાગમાં જઈને બેઠો.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૭
Page #59
--------------------------------------------------------------------------
________________
બીજે દિવસે લગ્નનો સમય નજીક આવ્યો. તે વખતે પાલખીમાં બેઠેલી ગુણસુંદરી હાથમાં સ્વયંવરમાળા લઇને રાજસભામાં દાખલ થઇ. સોળે શણગાર સજેલી રાજબાળાને ખેચરપુરુષો અગ્નિકુંડ પાસે લઇ ગયા.
તે સમયે પર્વત જેવા દુર્ધર પરાક્રમી વિદ્યાધર રાજકુમારો ત્યાં આવ્યા. પણ અગ્નિકુંડની પાસે જવા પણ તેઓ સમર્થ થયા નહીં. તે વિદ્યાધરોએ ઘણા ઉપાયો કર્યા, પણ તેઓ અગ્નિવૃક્ષના ફળ મેળવી શક્યા નહીં અને ખેદ પામ્યા. તેથી લોકો વિચારમાં પડી ગયા કે હવે શું થશે ? ત્યાં તો મહીપાલકુમાર ઉભો થઇ પોતાની ભુજાને થાબડતો અગ્નિકુંડ પાસે આવ્યો અને ઊંચા હાથ કરી મોટા અવાજે કહ્યું કે, ‘પરાક્રમી અને વિદ્યા તથા સંપત્તિથી શોભનારા હે રાજપુત્રો ! જો હજુ પણ પુરુષાર્થની ઇચ્છા હોય તો અવસર છે. નહીં તો તે વૃક્ષના ફળની લંબને તમારા સૌની સમક્ષ, હું ગુણસુંદરી સહિત ગ્રહણ કરીશ.’
મહીપાલકુમારનાં આવા વચનો સાંભળીને વિદ્યાધરોના રાજાઓ તથા રાજકુમારો લજ્જાથી નીચું જોઇ રહ્યા. બીજા લોકો કૌતુકથી ઊંચા મસ્તક કરી જોવા લાગ્યા. ત્યારે કુમારે ખેચરી વિદ્યા યાદ કરીને લીલામાત્રથી તે વૃક્ષ પાસે જઇ ફળોની લંબ હાથથી લઇ આનંદપૂર્વક રાજકન્યાને અર્પણ કરી. લોકોએ જયજયકાર કર્યો. મહીપાલકુમાર અને ગુણસુંદરીનો લગ્નોત્સવ :
રાજકુમારીએ રોમાંચ સાથે કુમારના કંઠમાં વરમાળા પહેરાવી ત્યારે કલ્યાણસુંદ૨ રાજા કુમારને વિરૂપ નેત્રવાળો અને વક્ર અંગવાળો જોઇ મનમાં વિચારવા લાગ્યો કે, આ કુમાર જોવામાં કદરૂપો લાગે છે, પણ ચરિત્રથી, ગુણોથી અને વંશથી જગતમાં વંદન કરવા યોગ્ય હશે, એમ હું ધારું છું. એમ વિચારી કુમાર પાસે જઇ સ્નેહયુક્ત વાણીથી પૂછ્યું, ‘હે ઉત્તમ ! ગુણ, વિનય અને શક્તિથી તમારાં જાતિકુલ વગેરે સમગ્ર લોકથી અધિક છે, એમ હું માનું છું, તો પણ હે કુમાર ! તમે વિદ્યાધર છો ? કોઇ દેવતા છો ? કે કોઇ નાગકુમાર છો ? તમે કોણ છો ? તે કહીને મારા કાનને પવિત્ર કરો.'
રાજાનું કહેવું સાંભળીને કુમારે પોતાનું સ્વાભાવિક રૂપ પ્રગટ કર્યું. તે જોઇને રાજા ખુશ થયો. લોકોએ જયજયકાર કર્યો, દેવોએ મહીપાલકુમાર પર પુષ્પોની વૃષ્ટિ કરી. દેવપાળે પણ પોતાના લઘુબંધુને જોઇ સંભ્રમથી ઉભા થઇ હર્ષથી ગાઢ આલિંગન કર્યું અને સ્નેહપૂર્વક કહેવા લાગ્યો, ‘ભાઇ મહીપાલ ! તું ક્યાં જતો રહ્યો હતો ? તારા ગયા પછી વિયોગ પામેલા આપણા માતા-પિતા તને જ યાદ કરી કરીને દુર્બળ બનેલા માત્ર દેહ ધરીને રહ્યા છે. હું સ્વયંવરની સ્પૃહાથી અહીં આવ્યો નથી, પણ આ મહોત્સવમાં શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૮
Page #60
--------------------------------------------------------------------------
________________
તારા આવવાનો સંભવ હોવાથી ખાસ અહીં આવ્યો છું. હે વત્સ ! તું રાજમહેલ છોડીને નીકળ્યો ત્યારથી અત્યાર સુધીમાં તેં જે કાંઇ અનુભવ્યું હોય, તે સર્વ મને કહે.'
આમ, પોતાના વડીલબંધુનું કહેવું સાંભળી, મહીપાલે અત્યાર સુધીનો પોતાનો સર્વ વૃત્તાંત તેની સમક્ષ કહ્યો. દેવપાળ પોતાના નાનાભાઇનું આશ્ચર્યકારી ચરિત્ર સાંભળીને અત્યંત આનંદ પામ્યો.
ત્યારબાદ કલ્યાણસુંદર રાજાએ સુંદર વિવાહ મહોત્સવ પ્રવર્તાવ્યો. હસ્તમેળાપ વખતે રાજાએ ઘણા હાથી, ઘોડા, રથ અને રત્નો મહીપાલકુમારને આપ્યા. ત્યાં ચારણો દ્વારા થતી સ્તુતિથી મહીપાલને જાણવા મળ્યું કે અહીં સ્વયંવરમાં પોતાના વિદ્યાધર મિત્ર રત્નકાંતિનો ભાઇ રત્નપ્રભ આવ્યો છે. એટલે તરત તે રત્નપ્રભના આવાસમાં ગયો. રત્નપ્રભ વિદ્યાધરે મહીપાલનો ઘણો આદર કર્યો. પરસ્પર વાતો કરતાં બુદ્ધિબળથી મહીપાલે જાણ્યું કે, રત્નપ્રભને પણ પોતાના ભાઇ પ્રત્યે સ્નેહ છે. એટલે બંનેની પરસ્પર પ્રીતિ દૃઢ કરાવવા તેણે રત્નપ્રભને કહ્યું, ‘ભાઇ રત્નપ્રભ ! આ જગતમાં પૂર્વના પુન્યથી જ સહોદર-બંધુનું દર્શન થાય છે. જે મૂર્ખ આત્માઓ રાજ્યલક્ષ્મીને કારણે પોતાના ભાઇ પર દ્વેષ કરે છે, તે ભાગ્યહીન પુરુષો શ્વાન જેવા છે. જે રાજ્યાદિક માટે ભાઇને હણે છે, તે પોતાની જ પાંખ છેદનારા છે. જેઓ એક ગ્રાસ' માટે ભાઇને છેતરે છે, તેમના ઉપર સંપ કરીને ગ્રાસ લેનારા કાગડાઓ પણ હસે છે. માટે ભાઇનો પ્રેમ ભૂલવા જેવો નથી.'
મહીપાલની અમૃતભરેલી વાણી સાંભળીને રત્નપ્રભની આંખમાંથી આંસુઓ ઝરવા લાગ્યા. ગદ્ગદ્ વાણીથી તે બોલ્યો, ‘હે પરમબંધુ ! મારો નાનો ભાઇ કોઇ કારણસર રીસાઇને જતો રહ્યો છે. તેનો વિયોગ મને ખૂબ સાલે છે. તેના વિના આ રાજ્ય પણ મને દુ:ખ આપી રહ્યું છે.'
મહીપાલે કહ્યું : ભાઇ ! હવે તમે ખેદ ન કરો. તમારા બંનેનો સંગમ હું કરાવીશ. કુમારનું વચન સાંભળી રત્નપ્રભ હર્ષિત થયો.
ત્યારબાદ મહીપાલકુમા૨ે ગુણસુંદરી સાથે વિષયસુખ ભોગવતાં કેટલાક દિવસો ત્યાં પસાર કર્યા. એટલામાં અચાનક પૂર્વકર્મના ઉદયથી મહીપાલકુમારને જ્વરની પીડા થઇ. તેના શરીર ઉપર ચારે બાજુ ફોલ્લાં ઉઠી આવ્યા. શરીરમાં દુઃસહ તાપ થવા લાગ્યો. તે તાપની શાંતિ માટે જે કાંઇ શીત ઉપચારો ક૨વામાં આવે, તેનાથી કુમારના દેહમાં વધારે બળતરા થવા લાગી. મોટા વૈદ્યોએ આવી આવીને વિવિધ પ્રકારની ઔષધિઓથી એક મહિના સુધી ઘણા ઉપાયો કર્યા, તો પણ મહીપાલ તે ૧. ગ્રાસ શબ્દના બે અર્થ કરવા ઃ રાજ્યભાગ અને કોળીયો.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૯
Page #61
--------------------------------------------------------------------------
________________
રોગથી મુક્ત ન થયો. છેવટે કલ્યાણસુંદર રાજાની સંમતિ મેળવી, સ્વજન વર્ગને મધુર વચનોથી શાંત કરી, સેંકડો વિદ્યાધરો અને પુષ્કળ સૈન્યથી પરિવરેલો કુમાર, પોતાના માતા-પિતાને મળવાની ઉત્કંઠાથી પોતાના દેશ તરફ ચાલ્યો. • માલવ દેશના રાજાઓ સાથે યુદ્ધ :
આ બાજુ પૂર્વે સ્વયંવર મંડપમાં જે રાજાઓ ઇર્ષાળુ બન્યા હતા, તેઓ માલવ દેશના સીમાડા પર કુમારને માર્ગમાં જ રોકી કહેવા લાગ્યા, “હે રાંક ! અમારા જેવા રાજાઓને જોતાં આ સ્ત્રીરત્નને લઇને તું ક્યાં જાય છે ? જો આ તને કોઢ થયો છે તે તને તારી છલવિદ્યાનું ફળ મળ્યું. આમ કહી, સર્વ રાજાઓ ભેગા મળીને મહીપાલકુમારને ચારેબાજુથી ઘેરી વળ્યા. તે વખતે મહીપાલકુમાર રોગની પીડા ભૂલી ગયો અને સાવધાન થઈ હાથમાં ખડ્ઝ લીધું. બંને સૈન્યોની વચ્ચે પરસ્પર ભયંકર યુદ્ધ થયું. આ રીતે સતત યુદ્ધ ચાલતાં મહીપાલના સૈન્યનાં બાણોને સહન કરવા અસમર્થ બનેલા શત્રુઓ થાકી ગયા અને ચારેબાજુ નાસી ગયા. તત્કાળ યાદવ સૈનિકોએ “જય-જય’ શબ્દ કર્યો. દેવતાઓએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી.
મહાપરાક્રમી પુરુષો ક્યારેય પણ તૃણ ઉપર કોપ કરતા નથી, એમ ધારીને નરવર્માદિક રાજાઓએ મુખમાં તૃણ ધારણ કર્યું. તે વખતે સ્વામી તરીકે પોતાના કર્તવ્યને જાણતાં મહીપાલે તે રાજાઓની પીઠ થાબડી. તે પછી ત્યાં જ નરવર્મ રાજાએ પોતાની વનમાલા નામની કન્યા દેવપાળને પરણાવી. આમ, સર્વ રાજાઓને જીતી, મહીપાલ પોતાના નગર તરફ ચાલ્યો. નરવર્માદિક રાજાઓ તેની આજ્ઞા લઈ પોતપોતાના સ્થાને ગયા.
આ બાજુ, પોતાના પરિવાર સાથે આગળ વધતા મહીપાલને જેમ જેમ પવન વાવા લાગ્યો તેમ તેમ દેહમાં રોગ વધવા લાગ્યો. તેની પીડા તેને નરકના દુઃખથી પણ અધિક લાગતી હતી. તેના શરીરમાંથી ગ્નવતા પરુ વગેરેની દુર્ગધથી તેનો પરિવાર પણ તેનાથી દૂર રહેવા લાગ્યો. તે ક્યાંય આનંદ પામતો ન હતો. આવી રીતે કેટલાક દિવસો બાદ મહીપાલ પુષ્પોથી મનોહર અટવીમાં આવ્યો. ત્યાં તેણે પડાવ નંખાવ્યો. તે ઉદ્યાનના ખુલ્લા પ્રદેશમાં રાત્રે અમૃતમય શીતલ ચાંદનીમાં સુખની ઇચ્છાથી સૂતો. • વિધાધર યુગલની શત્રુંજયગિરિ પર ભક્તિ :
આ બાજુ ચૈત્રીપૂર્ણિમાના મહાપવિત્ર દિવસે શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવા અને શ્રી આદિનાથ પ્રભુના ચરણકમલની સેવા કરવા ચારે બાજુથી અનેક વિદ્યાધરો જતા હતા. કારણ કે ત્રણે લોકમાં જેટલા તીર્થો છે, તેની યાત્રાથી જે ફળ થાય, તેટલું ફળ પુંડરીકગિરિની એક યાત્રા કરવાથી પ્રાપ્ત થાય છે. વિદ્યાધરોએ તે દિવસે પોતાની શક્તિથી નંદનવનમાંથી લાવેલા વિવિધ પ્રકારના પુષ્પોથી આદિનાથ
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૪૦
Page #62
--------------------------------------------------------------------------
________________
પ્રભુની પૂજા કરી તથા ભાવવાહી ગીત, સંગીત અને નૃત્ય દ્વારા પરમાત્માની ભક્તિ કરી. આ રીતે ચૈત્રીપૂર્ણિમાની યાત્રા કરી સર્વ વિદ્યાધરો પોતાના સ્થાને ગયા.
તે અવસરે ચંદ્રચૂડ નામના એક વિદ્યાધરને તેની પ્રિયાએ કહ્યું, “હે નાથ ! બીજા સૌ ભલે જાય પણ આપણે તો અહીં રહીશું. કારણ કે બીજા આઠ દિવસ અહીં રહીને ભક્તિ કરવાની મારી ભાવના છે. પ્રિયાની આવી સ્નેહપૂર્વકની પ્રાર્થનાથી તીર્થ પ્રત્યે ભક્તિવાળો ચંદ્રચૂડ વિદ્યાધર ત્યાં રહ્યો. ઘણી રીતે પ્રભુભક્તિ કરી. આઠ દિવસ પછી વિમાનમાં બેસી તે દંપતી ત્યાંથી જવા લાગ્યા. તે સમયે પૂર્વ દિશામાં રહેલું સૂર્યોદ્યાન તેમણે જોયું. આ સુંદર ઉદ્યાન જોઇ વિદ્યાધરીએ પોતાના હૃદયેશ્વર ચંદ્રચૂડને કહ્યું, “નાથ ! શત્રુંજય ગિરિરાજથી થોડે દૂર રહેલા ઉપવનને જુઓ. તેમાં જળથી પૂર્ણ આ કુંડ કેવો શોભે છે ! અને કુંડને કાંઠે અહંત ભગવંતના ઉજ્જવલ પ્રાસાદો કેવા સુંદર દેખાય છે. તે સ્વામી ! જો આપની પ્રસન્નતા હોય તો ક્ષણવાર આપણે અહીં રોકાઇએ.'
આ પ્રમાણે પ્રિયાની પ્રાર્થનાથી ચંદ્રચૂડે પોતાનું વિમાન તે ઉદ્યાનમાં ઉતાર્યું અને કહ્યું, “હે મૃગાક્ષી ! સૂર્યોદ્યાન નામનું મહાપ્રભાવવાળું આ વન છે. અહીં સર્વ કાર્યમાં ઉપયોગી એવી અનેક દિવ્ય ઔષધીઓ થાય છે. આ સૂર્યાવર્ત નામનો કુંડ છે. તે સર્વ રોગની પીડા દૂર કરનાર છે. એના જળના એક બિંદુમાત્રથી અઢારે પ્રકારના કોઢ ક્ષય પામે છે.
આ પ્રમાણે સૂર્યાવર્ત કુંડનો તથા સૂર્યોદ્યાનનો પ્રભાવ કહેતા તે વિદ્યારે પત્ની સાથે તે કુંડમાં ઘણીવાર સુધી જળક્રીડા કરી. ત્યારપછી ત્યાંથી કમળના પુષ્પો લઈ સિદ્ધાયતનમાં જઇ પરમાત્માની પૂજા – સ્તુતિ કરી. ત્યારબાદ ભગવંતના ચરણોથી પવિત્ર થયેલું અનેક રોગોને નાશ કરનારું સૂર્યાવર્ત કુંડનું જળ લઇને તે દંપતી વિમાનમાં બેસી ત્યાંથી આગળ ચાલ્યા.
આગળ ચાલતાં અનેક ધોળા તંબુઓથી જાણે નગર વસ્યું હોય એવી મહીપાલની સેના રાતે પણ ચંદ્રના પ્રકાશમાં તેઓએ જોઇ. તેથી કૂતુહલ પામેલી સ્ત્રીએ વિદ્યાધરને પૂછયું, “સ્વામી ! આવા વનમાં આટલા બધા મનુષ્યો કેમ રહ્યા છે ? ચારે બાજુ આટલા બધા હાથી, ઘોડા કેમ દેખાય છે ? અને આ કોઈ પુરુષ રોગથી ઘેરાયેલો, ઘણા માણસોથી પરિવરેલો અત્યંત દુઃખી થતો લાગે છે. તે તરફથી દુર્ગધ આવે છે, તેથી મને લાગે છે કે તેને ભયંકર કોઢ થયો છે. હૃદયેશ્વર ! “આપણી પાસે કોઢને હરનારું ઉત્તમ જળ છે. તમારી આજ્ઞા હોય તો આ જળ હું તેના શરીર પર છાંટુ.' વિદ્યારે તેને અનુજ્ઞા આપી. એટલે તે દયાળુ સ્ત્રીએ વિમાનમાં રહીને જ નીચે રહેલા
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૧
Page #63
--------------------------------------------------------------------------
________________
મહીપાલ ઉપર સૂર્યાવર્ત કુંડના પાણીનો છંટકાવ કર્યો. તે પવિત્ર જળના સંપર્કથી તત્કાળ મહીપાલને અપૂર્વ શાંતિ થઇ. તેનું શુષ્ક થઈ ગયેલું શરીર નવપલ્લવ થઇ ગયું.
મહીપાલનો દેહ દિવ્ય કાંતિવાળો થયેલો જોઈ ચંદ્રચૂડ વિદ્યાધર, મહીપાલની પત્ની ગુણસુંદરી, દેવપાળ અને સર્વ સૈનિકો અત્યંત હર્ષ પામ્યા. ત્યારે રાજાના શરીરમાંથી છૂટા પડેલા કુષ્ટરોગો આકાશમાં રહીને બોલ્યા, “હે રાજા ! તું જય પામ. અમે તને મુક્ત કર્યો છે. સાત ભવથી અમે તને હેરાન કર્યો છે, પણ આ સૂર્યાવર્ત કુંડનું જળ આવ્યું, તેથી અમે હવે અહીં રહી શકીશું નહીં.' એમ કહી કૃષ્ણ વર્ણવાળા અને ભયંકર રૂપવાળા એ મહારોગો કોલાહલ કરતા ક્યાંક ચાલ્યા ગયા. મહીપાલનો રોગ જવાથી ખુશ થયેલા દેવપાળે સવારે મહોત્સવ કર્યો. પોતાનાં આરોગ્યની વાતથી ખુશ કરવા પૂર્વમિત્ર રત્નકાંતિને બોલાવવા માણસ મોકલ્યો. મહીપાલનું નામ સાંભળતાં જ રત્નકાંતિ અતિ હર્ષ પામી સત્વર ત્યાં આવ્યો. આથી, મહીપાલે રત્નકાંતિ અને રત્નપ્રભનો ત્યાં મેળાપ કરાવ્યો અને પોતાની મૈત્રી તેમજ પોતે કહેલા વચનો સફળ કર્યા. ત્યારથી તે બંને ભાઈઓ પણ પરસ્પર મિત્રતાવાળા થયા.
હવે, મધ્યાહ્ન સમયે મહીપાલના આવાસમાં માસોપવાસના પારણા માટે કોઇ બે મુનિઓ પધાર્યા. તે બંને મહાત્માઓને જોઇ, મહીપાલ અત્યંત ખુશ થયો. ઉઠીને નમસ્કાર કર્યા અને ભક્તિપૂર્વક શુદ્ધ અન્ન, વસ્ત્ર વગેરે વસ્તુઓ વહોરાવી. ત્યારબાદ પોતાને થયેલા રોગનું કારણ પૂછ્યું. ત્યારે તે મુનિઓએ કહ્યું, “રાજન્ ! આ વનમાં અમારા ગુરુમહારાજ પધાર્યા છે. તેઓ જ્ઞાની છે. તમે ત્યાં આવી તેમને તમારા સંદેહ વિશે પૂછો.” આ પ્રમાણે કહી બંને મહાત્માઓ ત્યાંથી પોતાના ગુરુમહારાજ પાસે આવ્યા અને બન્યું હતું તે સર્વ વાત જણાવી.
દેવપાળ, મહીપાલ, રત્નકાંતિ, રત્નપ્રભ અને બીજા પણ ઘણા લોકો ગુરુમહારાજને વંદન કરવા ગયા. ત્યાં પરમજયોતિનું ધ્યાન કરતા, સર્વ ઉપર સમભાવવાળા ગુરુમહારાજને જોઇ અત્યંત આનંદ પામ્યા. મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દઈ ઉત્તરાસંગ કરીને હર્ષથી નમસ્કાર કર્યા. મુનીશ્વરે પણ તેઓના બોધ માટે ધર્મદેશના ફરમાવી. ગુરુમુખે દેશનારૂપ અમૃતનું પાન કરી તેઓએ પૂછ્યું, “ભગવદ્ ! આ મહીપાલને કયા કારણસર સાત ભવથી કુષ્ઠરોગો હેરાન કરતા હતા ?' આ સાંભળી, જ્ઞાનથી મહીપાલનો પૂર્વભવ જાણી, શાંત ચિત્તે ગુરુમહારાજ બોલ્યા, ‘મહીપાલ! પૂર્વભવમાં જે દુષ્ટકર્મ તે બાંધ્યું હતું તે તું સાંભળ.“ • મહીપાલનો પૂર્વ વૃત્તાંત : આ ભરતક્ષેત્રમાં શ્રીપુર નામે નગર, શ્રીનિવાસ નામે રાજા હતો. શીલાદિ
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૪૨
Page #64
--------------------------------------------------------------------------
________________
ગુણસંપન્ન આ રાજા શિકારનો વ્યસની હતો. એક વખત અશ્વારૂઢ થઈ તે શિકાર કરવા વનમાં ગયો. ત્યાં એક મૃગ ટોળાની પાછળ ઘોડો દોડાવતાં અતિ વેગના કારણે તે પોતાના સૈન્યથી છૂટો પડી ગયો. આગળ જતાં એક ગીચ ઝાડી આવી. ઝાડીની અંદર કોઇપણ પ્રાણી હશે, એમ ધારીને તેણે બાણ છોડ્યું. તે સમયે નમોગ:' એવી શાંત – ગદ્ગદ્ વાણી તેણે સાંભળી. તેથી તે સ્થળ જોવા તેણે દષ્ટિ નાંખી તો કાયોત્સર્ગમાં રહેલા કોઈ મુનિ પોતાના બાણથી વીંધાઈને પૃથ્વી પર પડતા તેણે જોયા. મહર્ષિને હણાયેલા જોઇ, શ્રીનિવાસ રાજા શોક કરવા લાગ્યો અને પશ્ચાત્તાપ કરતો બોલવા લાગ્યો, “અરે ! પાપી એવા મેં આ શું કર્યું? મારા જીવિતને ધિક્કાર છે. મહાયોગી મહાત્માને ભાગ્યહીન એવા મેં મારી નાંખ્યા. હવે હું ક્યાં જાઉં અને શું કરું ?
આ પ્રમાણે ખેદ કરતા તે રાજાએ તે વખતે જ પોતાના ધનુષ્ય અને બાણ તોડી નાખ્યા તથા શીઘ્ર ઘોડા ઉપરથી ઉતરીને મુનિ પાસે આવી ક્ષમાપના કરી. માત્ર થોડો શ્વાસ ચાલતો હતો એવા મુનિના ચરણો પોતાના મસ્તકે લગાડ્યા અને પોતાના કુકર્મને નીંદતો, આજુબાજુના પશુ-પંખીઓને પણ રડાવતો, રાજા અત્યંત રુદન કરવા લાગ્યો. આ અવસરે તે મહર્ષિએ અરિહંતનું સ્મરણ કરતાં ક્ષણવારમાં પ્રાણ છોડ્યા.
આ તરફ જે સૈનિકો જુદા પડી ગયા હતા તે પણ રાજાને શોધતા ત્યાં આવી પહોંચ્યા અને રાજાને દુઃખપૂર્વક પશ્ચાત્તાપ કરતા જોઈ યુક્તિપૂર્વક સમજાવી કંઇક શાંત કર્યા. પછી રાજાએ મુનિદેહનો અગ્નિસંસ્કાર કર્યો. મનમાં ઘણું દુઃખ પામતો રાજા પોતાના સ્થાને ગયો. મુનિહત્યાના પાપની શાંતિ માટે તેણે તે વનમાં શ્રી શાંતિનાથ ભગવાનનું મોટું દેરાસર બંધાવ્યું તથા શુદ્ધ અન્નાદિક વડે મહાત્માની ભક્તિ કરવા લાગ્યો.
પૂર્વે કરેલા શિકારાદિ જીવહિંસાના પાપોના ફળ રૂપે અંત સમયે રાજાને મહારોગો થયા. તેની પીડાથી પીડાતો મૃત્યુ પામીને તે સાતમી નરકે ગયો. ત્યાં ઘણા કાળ સુધી દુઃખ ભોગવી ત્યાંથી નીકળીને તિર્યંચ થયો. તે ભવમાં પણ દુઃખ ભોગવી ત્યાંથી પાછો નરકમાં ગયો. આ રીતે નરક-તિર્યંચના ઘણા ભવો કરી, છ વખત સળંગ મનુષ્ય ભવ પામ્યો. તે દરેક ભવમાં છેલ્લે કોઢ રોગથી જ મૃત્યુ પામી સાતમા ભવમાં “મહીપાલ' થયો . પૂર્વભવમાં જે પ્રાણીસંહાર અને મુનિહત્યા કરી હતી તે પાપકર્મ ભોગવતાં ભોગવતાં હજી બાકી રહ્યું હતું. તેના ઉદયથી તને આ કોઢ થયો હતો. મહીપાલ ! તને રોગ થવાનું આ કારણ છે. તેથી તારે હવે કદી જીવવિરાધના કરવી નહીં.'
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૪૩
Page #65
--------------------------------------------------------------------------
________________
સૂર્યાવર્ત કુંડના જળથી આ કોઢ રોગ દૂર થયો. તેથી હવે સૂર્યાવર્ત કુંડ સંબંધી વૃત્તાંત હું કહું છું. તે તું સાંભળ !
શત્રુંજયગિરિની નીચે પૂર્વ દિશા તરફ એક મોટું સૂર્યવન છે. ત્યાં સૂર્ય વૈક્રિયરૂપ ધરીને શ્રી જિનેશ્વરની સેવા માટે ૬૦ હજાર વર્ષ સુધી રહ્યો હતો. તેથી આ સૂર્યોદ્યાન કહેવાય છે. તેની અંદર સૂર્યાવર્ત કુંડ છે. તેનું જળ શ્રી ઋષભદેવ પ્રભુની દૃષ્ટિથી પવિત્ર થયેલું છે. તે જળ હત્યાદિ દોષો તથા કુષ્ઠાદિ રોગો નાશ કરનારું છે. ચંદ્રચૂડ નામનો વિદ્યાધર પ્રિયાસહિત ચૈત્રીપૂનમે પુંડરિકગિરિની ભક્તિ કરવા આવ્યો હતો. તે ત્યાંથી આ સૂર્યોદ્યાનમાં આવેલો અને તે કુંડનું જળ લઈ પોતાના નગર તરફ જતો હતો. માર્ગમાં તારી દુઃખી સ્થિતિ જોઈ. તેથી તેની પ્રિયાને દયા આવી અને પતિની આજ્ઞા લઈ તેણે તારા દેહ ઉપર તે જળ છાંટ્યું. તેના છંટકાવમાત્રથી તારા શરીરમાંથી રોગો બહાર નીકળી ગયા અને હવે અહીં રહેવા અને સમર્થ નથી, એમ કહી ક્યાંક ચાલ્યા ગયા.
આટલું કહી મહર્ષિ અટક્યા. એટલે મહીપાલે નમસ્કાર કરી કહ્યું, “સ્વામિન્ ! આપ કહો છો તે સત્ય છે. ભવસાગરમાં અનંતકાળથી ભમતા એવા મને ચિંતામણિરત્ન જેવા આપ મળ્યા છો. તો આપ જ હવે મને શત્રુંજય તીર્થની યાત્રા માટે માર્ગદર્શક બનો.'
આમ કહી પરિવાર સહિત મહીપાલકુમાર નતમસ્તકે ઊભો રહ્યો. તે વખતે મહીપાલકુમારની પ્રાર્થનાથી એ મહર્ષિ કુમારની સાથે સિદ્ધગિરિ મહાતીર્થ બાજુ પ્રયાણ કરવા સંમત થયા, એટલે આનંદ પામતો રાજકુમાર તત્કાળ ઉભો થયો, તૈયારી કરી અને સર્વ પરિવાર સહિત ગુરુમહારાજની સાથે તીર્થયાત્રા માટે ચાલ્યો. સતત પ્રયાણ કરતાં કરતાં તેઓ થોડા દિવસમાં સૂર્યવનમાં આવ્યા. ત્યાં જાતજાતના વૃક્ષોની છાયા નીચે સૈન્યનો પડાવ નંખાવ્યો. ત્યારબાદ ગુરુમહારાજે કહેલ વિધિ પ્રમાણે ઉત્સાહપૂર્વક મહીપાલકુમારે પરિવારની સાથે સૂર્યકુંડના જલથી પવિત્ર થઈ ત્યાંના ચૈત્યમાં પરમાત્માની પૂજા કરી. તે સમયે ત્યાં વિદ્યાધરોએ વિદ્યાના બળથી રત્નમય વિમાનો વિકુળં. તે વિમાનોમાં બેસી તેઓ સૂર્યકુંડથી શ્રી શત્રુંજયગિરિ ઉપર આવી પહોંચ્યા.
ત્રણ ભુવનમાં ઉત્તમ એ તીર્થના તથા આદીશ્વર પ્રભુનાં તેઓએ દર્શન કર્યા, રાયણ વૃક્ષને પ્રદક્ષિણા કરી અને પ્રભુનાં પગલાંને નમસ્કાર કર્યા. ફરી પ્રભુના મુખ્ય દેરાસરે આવ્યા. શ્રી આદિનાથ પ્રભુના દર્શનથી રોમાંચિત થઇને પરમાત્માની સ્તુતિ કરી, નૃત્ય કર્યું. રત્નોથી પ્રભુને વધાવ્યા. ત્યાંથી શત્રુંજય નદીએ જઇ, તેમાં સ્નાન કરી, વિદ્યાના બળે નદનવનમાંથી લાવેલા પુષ્પોથી પ્રભુની પૂજા કરી. આ રીતે મનમાં હર્ષથી અને ગુરુમહારાજના આદેશથી તેઓએ ગિરિરાજ પર પ્રભુની ઉત્તમ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૪
Page #66
--------------------------------------------------------------------------
________________
ભક્તિ કરી. તેમજ શ્રી સિદ્ધગિરિની નિશ્રામાં ગુરુમહારાજની શુદ્ધ ઉપકરણોથી ભક્તિ કરી અને અનુકંપાદાન આપી અનેક દીન લોકોને આનંદિત કર્યા.
મહીપાલનો માતા-પિતા સાથે મેળાપ :
આ શુભ પ્રસંગે ગુરુમહારાજે મહીપાલને કહ્યું કે, ‘પરમાત્માની પૂજા કરવામાં જે પુણ્ય થાય છે, તેનાથી પ્રભુની પ્રતિમા અને ચૈત્ય કરાવવાથી સેંકડો અને હજારોગણું વધારે પુણ્ય થાય છે તથા પાપી લોકોથી તીર્થની રક્ષા કરવાથી અનંતગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ રીતે ગુરુમહારાજના વચનો સાંભળી ભક્તિથી મહીપાલે એક ઊંચું જિનમંદિર ત્યાં કરાવ્યું અને અષ્ટાહ્નિકા ઉત્સવ કર્યો. ત્યારબાદ ગુરુમહારાજ સાથે તેઓ ત્યાંથી રૈવતાચલ પર આવ્યા. ત્યાં શ્રી નેમિનાથ પ્રભુનાં ચરણની પૂજામાં તત્પર થઇ, ઘણા ઉત્સાહથી ત્યાં પણ અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો.
ત્યાં રહેલા સૂર્યમલ્લ રાજાને સમાચાર મળ્યા કે, ‘પોતાના પુત્રો મહાન ઉત્કર્ષને મેળવી પત્ની સહિત અહીં આવેલા છે.’ એટલે હર્ષ પામી તરત જ તે તેઓની સન્મુખ આવ્યા. પિતાને જોઇને ભક્તિથી ભરપૂર એવા બંને કુમારો આદરથી પિતાના ચરણોમાં નમી પડ્યા. રાજાએ પોતાના બંને પુત્રોને ઉભા કર્યા, પરસ્પર આલિંગન કર્યું. તે સમયે બધાને અત્યંત હર્ષ થયો.
ત્યારબાદ પોતાના પુત્રોની સાથે હાથી ઉપર બેસી યાચકોને દાન આપતાં આપતાં સૂર્યમલ્લ રાજાએ નગરમાં પ્રવેશ કર્યો. પછી સુવર્ણ, હાથી અને ઘોડા વગેરે આપવા વડે રત્નકાંતિ અને રત્નપ્રભ વિદ્યાધરનો સત્કાર કરી, પરિવાર સાથે પ્રીતિપૂર્વક પોતાને સ્થાન જવા માટે તેમને વિદાય કર્યા. તે જ દિવસે વયથી પોતે મોટો હોવા છતાં દેવપાળે, ‘મહીપાલ ગુણથી મોટો છે, માટે એને રાજ્ય આપો.' એમ કહેવાથી સૂર્યમલ્લ રાજાએ લઘુપુત્ર મહીપાલકુમારને રાજ્યગાદી ઉપર સ્થાપન કર્યો.
મહીપાલકુમાર ન્યાય વડે પ્રજાને પાળવા લાગ્યો. તેની ધર્મરુચિના પ્રભાવે પૃથ્વી ઉપર અન્યાય, શત્રુનો ભય, દુષ્કાળ કે રોગનો સંભવ તદ્દન નાશ પામી ગયો. મેઘો વાંછિત વૃષ્ટિ કરવા લાગ્યા. પવન તાપને અટકાવવા લાગ્યો અને વૃક્ષો પૂર્ણ રીતે ફળ આપવા લાગ્યા. પ્રિયાને સાથે લઇ આકાશગામિની વિદ્યા વડે મહીપાલ રાજા હંમેશા શાશ્વત અને અશાશ્વત ચૈત્યોમાં જઇ પરમાત્માની પૂજા કરતો. શત્રુંજય અને ઉજ્જયંત વગેરે તીર્થસ્થાનોમાં તથા અનેક ગામ, નગર અને ઉદ્યાનોમાં તેણે નવા જિનમંદિરો કરાવ્યાં.
મહીપાલ રાજા ચોરાશી કિલ્લાબંધ નગરો, તેટલા જ બંદરો તથા એક લાખ અને બત્રીસ હજા૨ ગામોનો સ્વામી બન્યો. સાત લાખ ઘોડા, સાતસો હાથી અને સાતસો ૨થનો સ્વામી થયો. આ રીતે ચારસો વર્ષ સુધી રાજસમૃદ્ધિ ભોગવી છેવટે શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૪૫
Page #67
--------------------------------------------------------------------------
________________
સંસારથી વિમુખ થઇ પોતાના પુત્ર શ્રીપાળને તેણે રાજ્ય ઉપર બેસાડ્યો અને પોતાના ભાઇ દેવપાળના પુત્ર વનપાળને ધાન્યથી ભરપૂર, જળદુર્ગવાળો સિંધુદેશ આપ્યો.
આ પ્રમાણે મહીપાલ રાજા વિવેકપૂર્વક સર્વ કાર્યથી નિવૃત્ત થઇ, પોતાની સ્ત્રી સહિત શ્રી શત્રુંજય ગિરિરાજ પર આવી, શ્રી કીર્તિમહર્ષિ પાસે વ્રત ગ્રહણ કરી, તેમની કૃપાથી નિર્મલ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, આયુષ્યનો ક્ષય થતાં તે જ ભવમાં મુક્તિ પામ્યા.
હે ઇન્દ્ર ! તેના વંશમાં શુદ્ધ ચિત્તવાળા આ રિપુમલ્લ રાજા થયા છે. પવિત્ર એવા આ રાજા આ રૈવતાચલની ભક્તિ કરે છે. તેથી તે ત્રણ ભવ કરી મુક્તિ લક્ષ્મીને પામશે !
હે સુરરાજ ! સ્મરણ કરવાથી પણ સર્વ ઇચ્છિત ફળને આપનારું એવું આ શાશ્વત અને આદિ તીર્થ જય પામે છે. આ તીર્થના મહિમાને સઘળાં રહસ્યો જાણનારા જ્ઞાનીઓ પણ કહી શકવા સમર્થ થતા નથી.
***
શ્રી ઋષભદેવ ભગવાનના ૧૩ ભવો
• પ્રથમ ભવ ........... : ધન સાર્થવાહ
• બીજો ભવ............... યુગલિક પુરુષ
ત્રીજો ભવ.............: સૌધર્મ દેવલોકમાં દેવ
ચોથો ભાવ ............ :
• પાંચમો ભવ .........:
મહાબલ રાજા
લલિતાંગ દેવ
વજંઘકુમાર
યુગલિક પુરૂષ
• આઠમો ભવ......... . સૌધર્મ દેવલોકમાં દેવ
• નવમો ભવ ...........: જીવાનંદ વૈદ્ય
• દસમો ભાવ ........... અચ્યુત દેવલોકમાં સામાનિક દેવ
• અગિયારમો ભવ ... :
વજ્રનાભ ચક્રવર્તી
સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ ઋષભદેવ તીર્થંકર
• છટ્ટો ભાવ ............:
• સાતમો ભવ .........
• બારમો ભવ .........:
• તેરમો ભવ...........
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૪૬
Page #68
--------------------------------------------------------------------------
________________
પહેલો પ્રસ્તાવણી
એ આદિનાથ ભગવાનના પૂર્વજોનું ચરિત્ર તથા ચ્યવનાદિનું વૃત્તાંત
नारका अपि मोदन्ते, यस्य कल्याणपर्वसु, पवित्रं तस्य चारित्रं, को वा वर्णयितुं क्षमः ॥
અર્થ : જેમની કલ્યાણક ક્ષણોમાં નારકીના જીવો પણ આનંદની અનુભૂતિ કરે છે તેમનું ચરિત્ર વર્ણવવા માટે કોણ સમર્થ થાય ?
વીરપ્રભુ કહી રહ્યા છે, “હે ઇન્દ્ર ! આ તીર્થનો મહિમા મેં સંક્ષેપથી કહ્યો. હવે આ ગિરિરાજનો જે અનેક પ્રકારે પ્રભાવ વિસ્તર્યો છે, તે કઈ રીતે ઉત્પન્ન થયો છે, તે વિસ્તારથી કહું છું. જો કે, આ તીર્થ અનંતકાળથી છે અને અવિનાશી છે. પણ આ અવસર્પિણી કાળમાં તે જેવી રીતે થયું છે, તેની કથા તું સાંભળ.
આ જંબૂદ્વીપના દક્ષિણ ભરતાદ્ધમાં ગંગા અને સિંધુ નદીના મધ્યપ્રદેશમાં આ અવસર્પિણીના પહેલા ત્રણે આરામાં યુગલિકો રહેતા હતાં. ત્રીજા આરાના અંતે વિમલવાહન નામના પ્રથમ કુલકર થયા. તેમનો પુત્ર ચક્ષુષ્માન થયો, તેનો પુત્ર યશસ્વી નામે થયો, તેનો અભિચંદ્ર, તેનો પ્રસેનજિત, તેનો મરૂદેવ અને તેનો નાભિ નામે પુત્ર સાતમો કુલકર થયો. નાભિકુલકર નીતિથી ઉજજવલ હતો. તેને સરળતા આદિ ગુણોથી મનોહર મરુદેવી નામે પત્ની હતી.
| શ્રી આદિનાથ ભગવાનનો અંતિમ ભવ અવસર્પિણીકાળના ત્રીજા આરાના છેડે જગત્પતિ આદિનાથ પ્રભુ, સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યવીને નાભિકુલકરના પત્ની મરુદેવીના ઉદરે અવતર્યા. ત્યારે પ્રભુ મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. અષાઢ માસની કૃષ્ણ ચતુર્થીના પવિત્ર દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થતા, રાત્રિના શેષ ભાગે શ્રી મરુદેવી માતાએ વૃષભ, હસ્તી, સિંહ, લક્ષ્મી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, પદ્મસરોવર, વિમાન, ક્ષીરસાગર, રત્નરાશિ અને નિર્ધમઅગ્નિ - આ ચૌદ સ્વપ્નો જોયા.
જે સમયે પ્રભુ ગર્ભમાં આવ્યા તે સમયે ત્રણે જગતમાં પ્રકાશ થયો. નરકમાં રહેલા જીવોને પણ ક્ષણવાર સુખ થયું. તરત જ મરુદેવી માતાએ જાગીને તે સ્વપ્નો કોમળ વચનોથી નાભિકુલકરને સંભળાવ્યાં. એ સાંભળી નાભિ રાજાએ વિચાર કરીને કહ્યું, “હે પ્રિયા ! આ સ્વપ્નોના પ્રભાવથી તારી કૂખે અદ્ભુત પુત્ર થશે.” આ બાજુ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૭.
Page #69
--------------------------------------------------------------------------
________________
ઇન્દ્રનું આસન કંપ્યું, એટલે પ્રભુભક્તિથી પ્રેરાઇને ઇન્દ્ર મહારાજા ત્યાં આવ્યા અને મરુદેવી માતાને નમી, તેઓની સ્તુતિ કરી. પુત્રની પ્રાપ્તિરૂપ સ્વપ્નનું ફળ તેઓને તેમણે વિસ્તારથી જણાવ્યું.
ઇન્દ્રની આજ્ઞાથી વૈશ્રમણ, જંભક દેવતાઓને આદેશ કરી ઇચ્છિત વસ્તુઓથી તેમનું ઘર ભરપૂર કરી તેમના હર્ષમાં વૃદ્ધિ કરવા લાગ્યો. ગર્ભ સમય પૂર્ણ થયો ત્યારે ચૈત્ર માસની કૃષ્ણ અષ્ટમી (ફાગણ વદિ ૮)ના પવિત્ર દિવસે, ગ્રહો ઉચ્ચસ્થાને આવતા મધ્યરાત્રિએ મરુદેવી માતાએ પીડારહિતપણે રોગરહિત યુગલિક પુત્ર-પુત્રીને જન્મ આપ્યો. • શ્રી આદિનાથ પ્રભુનો જન્મોત્સવ :
તે સમયે પવન સુખકારી વાવા લાગ્યો. નારકીઓ હર્ષ પામ્યા. ત્રણે જગતમાં પ્રકાશ થયો. આકાશમાં દુંદુભિના નાદો થવા લાગ્યા. તપેલા સુવર્ણ જેવી કાંતિવાળા, વૃષભના ચિહ્નથી અંકિત અને સર્વ લક્ષણ સંયુક્ત પ્રભુ અત્યંત શોભતા હતા.
પ્રભુનો જન્મ થવાથી દિકકુમારીઓના આસન કંપ્યાં. પ્રભુના જન્મને જાણીને છપ્પન દિકુમારીઓ અત્યંત હર્ષપૂર્વક મૃત્યુલોકમાં આવી. તેઓ પ્રભુને અને પ્રભુની માતાને નમસ્કાર કરી, ભક્તિપૂર્વક સ્તવી, પોતાના આત્માને ધન્ય માનતી, પ્રભુના ગુણ ગાતી ગાતી નૃત્ય કરવા લાગી. ત્યારબાદ આઠ કુમારિકાઓએ સંવર્તવાયુ વિકુર્તી યોજનપ્રમાણ ભૂમિ શુદ્ધ કરી, આઠે સુગંધી જલ વરસાવ્યું, આઠે દર્પણ ધારણ કર્યા, આઠે કલશ ભર્યા, આઠે પંખા લીધા, આઠે ચામર ધારણ કર્યા અને ચાર દીપક લઇને ઊભી રહી, તેમજ અન્ય ચારેએ રક્ષા આદિ તમામ પ્રકારનું સૂતિકાકર્મ કર્યું.
તે પછી આસન કંપથી અવધિજ્ઞાન વડે પ્રભુના જન્મને જાણી ૬૪ ઇન્દ્રો તથા અસંખ્ય દેવતાઓ ત્યાં આવ્યા. ત્યાર પછી વૈક્રિયરૂપવાળા સૌધર્મેન્દ્ર ભક્તિ વડે સૂતિકાગૃહમાં જઇ, મરુદેવી માતાને અને ભગવંતને આદરથી નમ્યા. પછી માતાને અવસ્થાપિની નિદ્રા આપી, આજ્ઞા લઈ, પ્રભુનું પ્રતિબિંબ તેમની પડખે મૂકી પ્રભુને હાથમાં લીધા અને પોતાના પાંચ રૂપ વિકુર્તી મેરગિરિ પર આવ્યા. ત્યાં રહેલા પાંડુક નામના વનમાં અર્ધચંદ્રની આકૃતિવાળી અતિપાંડુકંબલા નામની શિલા ઉપર
આવ્યા. ત્યાર પછી ઇન્દ્રની આજ્ઞાથી આભિયોગિક દેવતાઓએ ૧. રૂપાના, ૨. સુવર્ણના, ૩. રત્નના, ૪. રત્ન અને સુવર્ણના, ૫. રત્ન અને રૂપાના, ૬. સુવર્ણ અને રૂપાના, ૭. રત્ન, સુવર્ણ અને રૂપાના, ૮. માટીના એમ આઠ જાતિના કળશો વિકુળં. ત્યાં દિવ્ય સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખી, અદ્ભુત કાંતિવાળા પ્રભુને ખોળામાં લઈને સૌધર્મઇન્દ્ર બેઠા. પછી દેવોએ લાવેલા સમુદ્ર, નદી, કુંડ, સરોવર અને દ્રહોના જળ વડે ઇન્દ્રોએ પ્રભુનો જન્મ મહોત્સવ સ્નાત્ર
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૮
Page #70
--------------------------------------------------------------------------
________________
દ્વારા ઉજવ્યો. ત્યારબાદ ચંદનનું વિલેપન, પુષ્પ, અક્ષત, ફળ, વસ્ત્ર, આભરણ અને પત્ર વગેરે મહામૂલ્ય વસ્તુઓથી પ્રભુની પૂજા કરી. પછી ઉત્તરાસંગ કરી આરતી ઉતારીને હર્ષથી પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા.
- “હે સ્વામિન્ ! હે યુગાદીશ ! હે જગદ્ગુરુ ! હે નિરંજન ! આપ જય પામો. અઢાર કોટાકોટિ સાગરોપમથી ધર્મરહિત પ્રાણીઓનો ઉદ્ધાર કરનારા આપ જય પામો. આ ભરતક્ષેત્રમાં વ્યવહારના પ્રથમ દેશક, સર્વ સુખને આપનારા, ચૈતન્યરૂપી સ્વામી ! આપ જય પામો. હે નાથ ! વૃક્ષ, પર્વત અને નદીઓ સહિત પૃથ્વીનો ઉદ્ધાર કરનાર તો આપ જ છો. હે ભગવન્! આપની કૃપાથી જ્યાં સુધી શિવસુખની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી હંમેશાં આપના ચરણોની સેવા મને શરણરૂપ થાઓ.”
આ પ્રમાણે ભગવંતની સ્તુતિ કરી કૃતાર્થ થયેલા ઇન્દ્ર, ઉત્સવસહિત પ્રભુને ત્યાંથી લઇને માતાની પાસે સ્થાપન કર્યા. બે કુંડલ, દિવ્ય વસ્ત્રો, હાર તેમજ મુગટ ભગવંતના ઓશીકે મૂકી માતાની નિદ્રા દૂર કરી ઈન્દ્ર મહારાજાએ અપ્સરાઓને પ્રભુની ધાત્રી તરીકે ત્યાં સ્થાપી અને નંદીશ્વર દ્વીપે અઢાઈ મહોત્સવ કરી પોતે દેવો સહિત સ્વર્ગમાં ગયા.
પ્રાતઃકાળે પુત્રનો જન્મનો વૃત્તાંત સાંભળીને નાભિ રાજાએ જન્મ મહોત્સવ ઉજવ્યો. પ્રભુના સાથળમાં વૃષભનું ચિહ્ન હતું. તેમ જ સ્વપ્નમાં પણ માતાએ પ્રથમ વૃષભ જોયો હતો. તેથી માતા-પિતાએ પુત્રનું “ઋષભ' એવું નામ પાડ્યું. પાંચ દેવાંગનાઓ રૂપી ધાવમાતાથી લાલન-પાલન પામતા પ્રભુ વધવા લાગ્યા. ચારે પ્રકારના દેવો પ્રભુની સાથે ક્રિડા કરતા હતા. સ્વામી જે જે પ્રકારે કૌતુક વડે રમવાની ઇચ્છા કરે તે તે રૂપ કરીને દેવતાઓ તેમની આગળ રમતા હતા. એવી રીતે પ્રભુ એક વર્ષના થયા ત્યારે વંશની સ્થાપના કરવા માટે ઇન્દ્ર શેરડી લઈ પ્રભુની પાસે આવ્યા. તે વખતે પ્રભુ પિતાના ખોળામાં બેઠેલા હતા. ઇન્દ્રનો સંકલ્પ જાણીને પ્રભુએ તે શેરડી=ઈશુલતા હાથમાં લીધી. તેથી પ્રભુનો વંશ “ઇક્વાકુ વંશ' નામથી પ્રસિદ્ધ થયો.
પ્રભુ થોડા મોટા થયા એટલે દેવોએ ઉત્તરકુરૂ ક્ષેત્રમાંથી લાવેલા કલ્પવૃક્ષના ફળોનો આહાર કરવા લાગ્યા. એ રીતે અનુક્રમે વૃદ્ધિ પામતા પ્રભુ યૌવન પામ્યા. ચાર અતિશયોથી શોભતું પ્રભુનું શરીર પાંચસો ધનુષ પ્રમાણ ઊંચું હતું. યોગ્ય સમયે ઇન્દ્ર આવીને પ્રભુને પ્રાર્થના કરી કે, “હે પ્રભુ ! જો કે આપ નિઃસંગ, સંસારથી ઉદ્વેગ પામેલા અને મુક્તિસુખને પ્રાપ્ત કરવામાં તત્પર છો, તો પણ હે દયાના સાગર પ્રભુ ! જગત વ્યવસ્થા માટે આપનો પાણીગ્રહણ મહોત્સવ કરવાની આજ્ઞા આપો. પ્રભુએ ત્યાશી લાખ પૂર્વ વર્ષ સુધી પોતાના ભોગાવલી કર્મનો ઉદય છે, એમ અવધિજ્ઞાન વડે જાણીને ઇન્દ્રની વાત માની અને ઇન્દ્ર કરેલા ઉત્સવપૂર્વક સુમંગલા
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૪૯
Page #71
--------------------------------------------------------------------------
________________
અને સુનંદા નામની બે સ્ત્રીઓને પરણ્યા. પરમાત્મા દ્વારા આ રીતે થયેલો પાણીગ્રહણનો વ્યવહાર ત્યારથી હજી સુધી લોકમાં પ્રવર્તે છે. પ્રભુને છ પૂર્વ વર્ષ પૂર્ણ થતાં સુમંગલા દેવીએ ભરત અને બ્રાહ્મી નામે બે સંતાનોને જન્મ આપ્યો. ત્યાર પછી કેટલાક સમય બાદ અનુક્રમે બીજા ઓગણપચાસ પુત્ર યુગલોને જન્મ આપ્યો તથા સુનંદાદેવીએ બાહુબલી અને સુંદરી નામે પુત્ર-પુત્રી યુગલને જન્મ આપ્યો.
કાળ પ્રભાવે કલ્પવૃક્ષો નિષ્ફળ થતા ગયા. તેથી યુગલિકોમાં પરસ્પર તે સંબંધી કલહ થવા લાગ્યો. તેઓએ પ્રભુની પાસે નિવેદન કર્યું. પ્રભુએ કહ્યું કે, ‘જળથી લોકોએ અભિષેક કરેલો જે પુરુષ હોય, તે રાજા થઇને લોકોને શિક્ષા કરી શકે. આ સાંભળીને યુગલીયા જળ લેવા સરોવરમાં ગયા. ત્યારે આસન કંપથી પ્રભુના રાજ્યાભિષેકનો અવસર જાણી ઇન્દ્ર મહારાજાએ ત્યાં આવીને ભવ્ય મંડપ વિકુર્યો. તેની મધ્યમાં મણિમય પીઠ કરીને તેની ઉપર એક સિંહાસન રચ્યું. તેની ઉપર પ્રભુને બેસાડી ઇન્દ્રોએ હર્ષથી જન્માભિષેકની જેમ વિધિપૂર્વક પ્રભુનો રાજ્યાભિષેક કર્યો. પછી પ્રત્યેક અંગે યોગ્ય આભૂષણોથી તેમને અલંકૃત કર્યા.
આ બાજુ યુગલિકો કમળપત્રમાં જળ લઇને ત્યાં આવ્યા. પણ ત્યાં તેઓએ સર્વ ઐશ્વર્યથી અલંકૃત પ્રભુને જોયા. તેથી વિવેકથી યુગલિકો વિચારવા લાગ્યા કે, ‘જો આપણે પ્રભુના મસ્તક ઉપર અભિષેક કરીશું, તો પ્રભુના શરીર પર કરેલ વિભૂષા વિનાશ પામી જશે.’ આમ વિચારીને તેઓએ પ્રભુના બે ચરણોમાં પોતે લાવેલાં જળથી અભિષેક કર્યો. તે યુગલિકોનો આવો અનુપમ વિવેક જોઇ દેવતાઓ પણ આશ્ચર્ય પામ્યા.
ત્યારબાદ ઇન્દ્રે તે યુગલિકોને પ્રભુના રાજ્યમાં અલગ અલગ અધિકારીઓ નીમ્યા તથા યુગલિકોને આ રીતે સ્વયમેવ વિનય ઉત્પન્ન થયેલ હોવાથી ‘વિનિતા’ નામે નગરી રચવાની કુબેરને આજ્ઞા કરી. ઇન્દ્રના આદેશથી કુબેરે બાર યોજન લાંબી, નવ યોજન વિસ્તારવાળી, આઠ દરવાજાથી શોભતી, મોટા કિલ્લાવાળી અને રત્નમય તોરણોથી ઉજ્જવલ વિનીતા નગરી બનાવી. તેની આસપાસ ફરતો મોટી ખાઇવાળો સુવર્ણનો કિલ્લો રચ્યો. તેની ઉપર મણિમય કાંગરા રચ્યા.
નગરીના મધ્યભાગમાં ચોરસ, ત્રિકોણ, વર્તુળાકાર તેમજ સ્વસ્તિકના આકારવાળા અને સર્વતોભદ્ર આકૃતિના એક માળથી માંડીને સાત માળ સુધીના સાધારણ રાજાઓ માટે રત્નસુવર્ણમય ક૨ોડો પ્રાસાદો રચવામાં આવ્યા. ઇશાન દિશામાં નાભિ રાજા માટે સાત માળનો અને ચાર બાજુ કોટ તથા ખાઇવાળો એક સુવર્ણમય ચોરસ મહેલ રચ્યો. પૂર્વ દિશામાં સર્વતોભદ્ર જાતિનો વર્તુળાકારવાળો સાત ભૂમિનો એક મોટો મહેલ ભરત માટે કર્યો. અગ્નિ દિશામાં તેના જેવો જ એક મહેલ બાહુબલિ શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૫૦
Page #72
--------------------------------------------------------------------------
________________
કલાપમાં કુશલ, સત્સંગમાં તત્પર, નિર્મલ હૃદયવાળા અને સ્વભાવે શાંત ચિત્તવાળા હતા. શ્રી ઋષભદેવ રાજા આ નગરીમાં રહીને રાજ્યનું પાલન કરવા લાગ્યા.
પ્રભુના કહેવાથી, તેમણે શીખવેલા કારીગરોએ વિનીતા નગરીની આજુબાજુ બીજા કેટલાક નગરો રચ્યા. લોકોના હિત માટે પ્રભુએ જેની જેવી યોગ્યતા જણાઇ, તેને તે પ્રકારના કળા-શિલ્પાદિ શીખવ્યા. કૃષિકર્મ, સેવક, કુંભાર, વેપારી, અધિકારી, ક્ષત્રિય, સુથાર, સલાટ, સ્વર્ણકાર, ચિત્રકાર, મણિયાર વગેરેની વ્યવસ્થા કરી. પોતાના મોટા પુત્ર ભરતને બહોતેર કળાઓ ભણાવી. તે કળાઓ ભ૨તે પોતાના અન્ય બંધુઓને શીખવી. બાહુબલિને ગજ, અશ્વ, સ્ત્રી, પુરુષોના લક્ષણાદિ શીખવ્યા. સુંદરીને ગણિત શીખવ્યું અને બ્રાહ્મીને અઢાર લિપિઓ જમણા હાથે શીખવી.
આ પ્રમાણે નિર્માયાવી પ્રભુએ વિશ્વસ્થિતિનું નિર્માણ કરી, સર્વ લોકોને વિવિધ કાર્યોમાં જોડી દીધા. પ્રભુએ વિનીતા નગરીમાં રાજ્ય કરતાં જ્યાશી લાખ પૂર્વ વર્ષો પસાર કર્યા. હવે એક લાખ પૂર્વનું આયુષ્ય બાકી રહ્યું ત્યારે પ્રભુના ભાવને અનુસરી, પોતાનો આચાર જાણનારા લોકાંતિક દેવો ‘જય-જય’ શબ્દ ઉચારતાં ત્યાં આવ્યા. પ્રભુને પ્રણામ કરીને તેઓએ કહ્યું, ‘હે પ્રભુ ! મુક્તિમાર્ગ બતાવો. ધર્મસ્થાપના કરો.' આમ કહી, પોતાનું કૃત્ય કરી, પોતાનાં સ્થાને ગયા.
ત્યારબાદ ઋષભદેવ પ્રભુએ મોટા પુત્ર ભરતને વિનીતાનું રાજ્ય સોંપ્યું. તેમજ બાહુબલિ વગેરેને પોતપોતાના નામથી અંકિત દેશો વહેંચી આપ્યા. આ રીતે રાજ્યભારનો ત્યાગ કરી, પ્રભુએ સાંવત્સરિક દાન આપવાનો આરંભ કર્યો. પ્રભુ સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધી એક કરોડ અને આઠ લાખ સુવર્ણનું દાન આપતા હતા. આમ, એક વર્ષમાં ત્રણસો અઠ્યાસી કરોડ, એંશી લાખ સુવર્ણનું દાન પ્રભુએ આપ્યું. ત્યારથી માંડીને દાનધર્મ આ જગતમાં પ્રવર્તો.
ત્યારબાદ પવિત્ર ચૈત્ર વદ અષ્ટમીના દિવસે (ગુજરાતી ફાગણ વદ ૮) સાંજના સમયે કચ્છ, મહાકચ્છ વગેરે ચાર હજાર રાજાઓ સાથે શકટ ઉદ્યાનમાં પ્રભુએ સર્વવિરતિ સામાયિક ઉચ્ચર્યું. તે અવસરે સર્વ સંશી પ્રાણીઓના મનના પર્યાયોને સૂચવનારું મન:પર્યવ નામે ચોથું જ્ઞાન જગત્પતિને ઉત્પન્ન થયું. પ્રભુ સંયમી બનીને પૃથ્વી પર વિચરવા લાગ્યા. નાસિકા ઉપર પોતાના બે નેત્રો સ્થાપન કરી, સર્વ ઇન્દ્રિયોનો રોધ કરી ધ્યાનસ્થ મુદ્રામાં નિરંતર મૌનપણે પ્રભુ રહેતા હતા.
અક્ષયતૃતીયા પર્વ :
તે કાળે મુગ્ધ યુગલિકો નિર્દોષ આહાર-પાણી આપવાની વિધિને જાણતાં નહિ હોવાથી અને પ્રભુએ પોતે પૂર્વના કોઇક ભવમાં બાંધેલુ અંતરાયકર્મ ઉદયમાં શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૫૨
Page #73
--------------------------------------------------------------------------
________________
કલાપમાં કુશલ, સત્સંગમાં તત્પર, નિર્મલ હૃદયવાળા અને સ્વભાવે શાંત ચિત્તવાળા હતા. શ્રી ઋષભદેવ રાજા આ નગરીમાં રહીને રાજ્યનું પાલન કરવા લાગ્યા.
પ્રભુના કહેવાથી, તેમણે શીખવેલા કારીગરોએ વિનીતા નગરીની આજુબાજુ બીજા કેટલાક નગરો રચ્યા. લોકોના હિત માટે પ્રભુએ જેની જેવી યોગ્યતા જણાઈ, તેને તે પ્રકારના કળા-શિલ્પાદિ શીખવ્યા. કૃષિકર્મ, સેવક, કુંભાર, વેપારી, અધિકારી, ક્ષત્રિય, સુથાર, સલાટ, સ્વર્ણકાર, ચિત્રકાર, મણિયાર વગેરેની વ્યવસ્થા કરી. પોતાના મોટા પુત્ર ભરતને બહોંતેર કળાઓ ભણાવી. તે કળાઓ ભરતે પોતાના અન્ય બંધુઓને શીખવી. બાહુબલિને ગજ, અશ્વ, સ્ત્રી, પુરુષોના લક્ષણાદિ શીખવ્યા. સુંદરીને ગણિત શીખવ્યું અને બ્રાહ્મીને અઢાર લિપિઓ જમણા હાથે શીખવી.
આ પ્રમાણે નિર્માયાવી પ્રભુએ વિશ્વસ્થિતિનું નિર્માણ કરી, સર્વ લોકોને વિવિધ કાર્યોમાં જોડી દીધા. પ્રભુએ વિનીતા નગરીમાં રાજય કરતાં ચાશી લાખ પૂર્વ વર્ષો પસાર કર્યા. હવે એક લાખ પૂર્વનું આયુષ્ય બાકી રહ્યું ત્યારે પ્રભુના ભાવને અનુસરી, પોતાનો આચાર જાણનારા લોકાંતિક દેવો “જય-જય’ શબ્દ ઉચારતાં ત્યાં આવ્યા. પ્રભુને પ્રણામ કરીને તેઓએ કહ્યું, “હે પ્રભુ ! મુક્તિમાર્ગ બતાવો. ધર્મસ્થાપના કરો.” આમ કહી, પોતાનું કૃત્ય કરી, પોતાનાં સ્થાને ગયા.
ત્યારબાદ ઋષભદેવ પ્રભુએ મોટા પુત્ર ભરતને વિનીતાનું રાજ્ય સોંપ્યું. તેમજ બાહુબલિ વગેરેને પોતપોતાના નામથી અંકિત દેશો વહેંચી આપ્યા. આ રીતે રાજયભારનો ત્યાગ કરી, પ્રભુએ સાંવત્સરિક દાન આપવાનો આરંભ કર્યો. પ્રભુ સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધી એક કરોડ અને આઠ લાખ સુવર્ણનું દાન આપતા હતા. આમ, એક વર્ષમાં ત્રણસો અઠ્યાસી કરોડ, એંશી લાખ સુવર્ણનું દાન પ્રભુએ આપ્યું. ત્યારથી માંડીને દાનધર્મ આ જગતમાં પ્રવર્યો.
ત્યારબાદ પવિત્ર ચૈત્ર વદ અષ્ટમીના દિવસે (ગુજરાતી ફાગણ વદ ૮) સાંજના સમયે કચ્છ, મહાકચ્છ વગેરે ચાર હજાર રાજાઓ સાથે શકટ ઉદ્યાનમાં પ્રભુએ સર્વવિરતિ સામાયિક ઉચ્ચર્યું. તે અવસરે સર્વ સંજ્ઞી પ્રાણીઓના મનના પર્યાયોને સૂચવનારું મન:પર્યવ નામે ચોથું જ્ઞાન જગત્પતિને ઉત્પન્ન થયું. પ્રભુ સંયમી બનીને પૃથ્વી પર વિચરવા લાગ્યા. નાસિકા ઉપર પોતાના બે નેત્રો સ્થાપન કરી, સર્વ ઇન્દ્રિયોનો રોધ કરી ધ્યાનસ્થ મુદ્રામાં નિરંતર મૌનપણે પ્રભુ રહેતા હતા. • અક્ષયતૃતીયા પર્વ :
તે કાળે મુગ્ધ યુગલિકો નિર્દોષ આહાર-પાણી આપવાની વિધિને જાણતાં નહિ હોવાથી અને પ્રભુએ પોતે પૂર્વના કોઇક ભવમાં બાંધેલુ અંતરાયકર્મ ઉદયમાં
શ્રી શત્રુંજય માહામ્ય સાર • પર
Page #74
--------------------------------------------------------------------------
________________
આવવાથી, કેટલાક લોકો ભદ્રિકતાથી રથ, ઘોડા, હાથી, કન્યા, સુવર્ણ, વસ્ત્ર ઇત્યાદિ પ્રભુની આગળ ધરતા હતા. પણ પ્રભુ તે ગ્રહણ કરતા નહીં. આ રીતે વ્રત ગ્રહણ કર્યા બાદ નિરાહારપણે એક વર્ષ વીત્યા પછી પ્રભુ હસ્તિનાપુર પધાર્યા.
ત્યાં બાહુબલિના પૌત્ર શ્રેયાંસકુમારને પ્રભુના દર્શનથી પોતાના પૂર્વજન્મનું સ્મરણ થયું. જાતિસ્મરણથી જાણ્યું કે પૂર્વભવમાં પોતે પ્રભુનો અનુચર હતો. તે ભવમાં સ્વામીની સાથે સંયમ લીધું હતું. તેથી પૂર્વભવના આધારે સાધુના આચારો જાણીને તે જ વખતે ભેટ આવેલો નિર્દોષ ઇક્ષરસ વહોરાવવાની ભાવના શ્રેયાંસને થઈ. આથી પ્રભુ પાસે આવીને વિનંતી કરી કે, “સ્વામિન્ ! પ્રસન્ન થઇ આ નિર્દોષ રસ ગ્રહણ કરો.” ભગવંતે કથ્ય ભિક્ષા જાણીને બંને હાથ લાંબો કર્યા. શ્રેયાંસકુમારે ઇશુરસ વહોરાવ્યો. પ્રભુએ ત્યાં પારણું કર્યું. તે વખતે ત્યાં સુગંધી જળ, સુવર્ણ, વસ્ત્ર તથા પુષ્પોની વૃષ્ટિ થઈ અને દુંદુભિનો નાદ થયો. આ પાંચ દિવ્ય પ્રગટ થયા. પ્રભુએ જ્યાં પારણું કર્યું ત્યાં શ્રેયાંસે એક રત્નમય પીઠિકા બંધાવી. અક્ષયસુખ આપતું સુપાત્રદાન સૌપ્રથમવાર વૈશાખ માસની શુક્લ તૃતીયાના પુન્ય દિવસે થયું. તેથી એ પર્વ અક્ષયતૃતીયા નામથી પ્રવર્તે તે વર્તમાનમાં પણ વર્તી રહેલ છે.
ભરત મહારાજા દરરોજ દાદીમા મરુદેવી માતા પાસે જઇને ભક્તિપૂર્વક તેમના ચરણોમાં નમસ્કાર કરતા હતા. પોતાના પુત્ર ઋષભના વિરહના દુઃખથી, નિરંતર અશ્રુ પાડવાથી આંખે પડલ આવી ગયા હતા એવા મરુદેવી માતાએ એક દિવસ ભરતને અત્યંત શોકસહિત ઠપકો આપ્યો કે, “હે વત્સ ! મારો પુત્ર ઋષભ તને, મને, બીજા સર્વને એકી સાથે છોડી દઈને એકલો જંગલમાં ભમે છે. ભૂખ, તરસ, ઠંડી, ગરમી સહન કરે છે. પુત્રના દુઃખને સાંભળવા છતાં હજી હું જીવું છું. આ મારા જીવિતને ધિક્કાર છે. હે વત્સ ! તું તો માત્ર ભોગની લાલસાવાળો છે. અરણ્યમાં રખડતા મારા પુત્રનાં કુશળ સમાચાર પણ પૂછતો નથી.'
આ પ્રમાણે દીનપણે બોલતાં અને આંસુઓની ધાર વહાવતા મરુદેવી માતાને ભરતે કહ્યું, “હે માતા ! રૈલોક્ય અધિપતિ, ધીર-ગંભીર એવા પ્રભુનાં માતા થઇને તમે આવા કાયરને ઉચિત વચનો ન બોલો. આપના પુત્ર તો ત્રણ લોકના નાથ છે. એમની ઋદ્ધિ અપરંપાર છે.” • ઇષભદેવ પ્રભુને કેવળજ્ઞાન :
આ પ્રમાણે ભરત રાજા કહેતા હતા, તેટલામાં દ્વારપાળે આવી નિવેદન કર્યું કે, “હે સ્વામી ! યમક અને શમક નામના બે પુરુષો આપને કાંઈક કહેવા દ્વાર
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૫૩
Page #75
--------------------------------------------------------------------------
________________
પાસે આવીને ઊભા છે.” રાજાએ એમને અંદર આવવાની સંમતિ આપી એટલે દ્વારપાળે એ બંને પુરુષોને અંદર મોકલ્યા.
પ્રથમ શમકે પ્રણામ કરી કહ્યું કે, “હે દેવ ! પિતાજીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. તેની આપને વધામણી આપવા હું આવ્યો છું. પુરિમતાલ નગરના શકટાનન નામના વનમાં ઇન્દ્રોએ મળીને પ્રભુનું સમવસરણ રચ્યું છે. સર્વ દિશાઓમાંથી નરનારી, દેવ-દેવીઓ ત્યાં આવી રહ્યા છે. આ રીતે શમકે કહ્યા પછી, યમક નામના પુરુષે ભરત મહારાજાને પ્રણામ કરીને કહ્યું, “હે દેવ ! સૂર્યના બિંબ જેવું ફૂરાયમાન પ્રભાથી પ્રકાશતું, હજાર આરાવાળું ચક્રરત્ન શસ્ત્રશાળામાં ઉત્પન્ન થયું છે. તેની આપને હું વધામણી આપું છું. આ રીતે બંનેની વધામણી સાંભળી ભરત મહારાજા હર્ષિત થયા અને તેઓને યથાયોગ્ય દાન આપી સંતુષ્ટ કર્યા.
આ બંને પ્રસંગો એકસાથે પ્રાપ્ત થતાં ભરત મહારાજાને વિચાર આવ્યો કે, હું પહેલાં કેવલજ્ઞાનનો મહોત્સવ કરું કે ચક્રરત્નનો કરું ?' પણ તરત જ વિચાર આવ્યો કે, સર્વ જીવોને અભયદાન આપનાર પિતાજી ક્યાં ? અને વિશ્વ માત્રને ભય કરનારું ચક્ર ક્યાં ? માટે પહેલા ભગવાનના કેવલજ્ઞાનનો જ મહોત્સવ કરવો જોઇએ.” આ પ્રમાણે નિશ્ચય કરી ભરતે મરુદેવી માતાને વિનંતી કરી કે, “માતાજી ! તમે હંમેશા મને કહો છો કે મારો પુત્ર દુઃખી છે, તે એકલો વનમાં ફરે છે અને ક્ષુધા-તૃષાના દુઃખો સહન કરે છે. તો આજે દેવ-દાનવોએ સેવેલા તમારા પુત્રની આશ્ચર્ય કરનારી લક્ષ્મીને જોવા ચાલો.' - ભરતે કહેલું સાંભળી હર્ષ પામેલા મરુદેવી માતાને ભરતે હાથી ઉપર બેસાડ્યા અને ચતુરંગ સૈન્ય પરિવારથી પરિવરેલા ભગવંતને વંદન કરવા માટે નીકળ્યા. શૌર્યયુક્ત સૈન્યોની સાથે શોભતા ભરતે આગળ ચાલતાં અહપણાને સૂચવનારો રત્નમય ધ્વજ દૂરથી જોયો. • પ્રભુનાં સમવસરણને જોઇ મરુદેવી માતાને કેવળજ્ઞાન :
અનુક્રમે સમવસરણની નજીક આવ્યા, એટલે ભરતે માતાને કહ્યું કે, “હે માતા ! મૈલોક્યવાસી દેવોએ રત્નોથી રચેલું આ તમારા પુત્ર પ્રભુ શ્રી ઋષભદેવસ્વામી)નું સમવસરણ તો જુઓ.” પોતાના પૌત્રરત્નના વચનો તથા દિવ્યધ્વનિ - દુંદુભિનો નાદ સાંભળી મરુદેવીને હર્ષનાં આંસુ આવ્યા. તેથી પહેલા દુઃખના અશ્રુથી નેત્રપડલ થયા હતા તે હર્ષાશ્રુથી ધોવાઈ જતાં નેત્રો સ્વચ્છ થયાં અને ઉઘડી ગયા. પ્રભુનું સમવસરણ, પ્રભુની ઋદ્ધિ જોતાં જ મરુદેવી માતાને વિચાર આવ્યો કે, “હું માનતી હતી કે મારો પુત્ર દુઃખી છે. પણ એનું ઐશ્વર્ય તો અપરંપાર છે અને એ તો મને
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૫૪
Page #76
--------------------------------------------------------------------------
________________
યાદ પણ કરતો નથી. ખરેખર ! સંસારમાં કોઇ કોઇનું નથી.' આવી ભાવના ભાવતાં સર્વ કર્મનો તત્કાળ ક્ષય થતાં હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા જ મરુદેવી માતાને કેવળજ્ઞાન થયું અને એ જ ક્ષણે આયુષ્ય પુરું થતાં નિર્વાણ પામ્યા.
મરુદેવી માતા નિર્વાણ પામ્યાના સમાચાર મળતાં જ સમવસરણમાંથી ઇન્દ્રોએ આવીને માતાના શરીરનો સત્કાર કરી, ક્ષીરસમુદ્રમાં પધરાવ્યું. પછી તેઓ ઉચ્ચ સ્વરે બોલ્યા કે, “આ અવસર્પિણીકાળમાં મરુદેવી માતા પ્રથમ કેવલી અને પ્રથમ સિદ્ધ થયા છે. આ ઘોષણા કરીને દાદીના વિયોગથી શોકાતુર થયેલા ભરતને પ્રભુ પાસે લઈ ગયા. ત્યાં પ્રભુની તીર્થંકરપણાની શોભા જોઈ, તેમજ દેવોના વચનથી શોકને દૂર કરી, ભરત મહારાજાએ પ્રભુને નમસ્કાર કર્યા. વિધિપૂર્વક પ્રદક્ષિણા દઇ, પૃથ્વી ઉપર મસ્તક મૂકીને પ્રભુના ચરણોમાં વંદન કર્યું. પછી ભક્તિથી રોમાંચિત થયેલા પ્રફુલ્લિત નેત્રવાળા ભરત રાજાએ આ પ્રમાણે સ્તુતિ કરી.
હે ત્રણ લોકમાં તિલકરૂપ સ્વામી ! યુગાદીશ ! જિનેશ્વર ! અનંત, અવ્યક્ત ચૈિતન્યરૂપ અને યોગીશ્વર એવા આપને હું નમસ્કાર કરું છું. હે નાથ ! એકાંત હિતકારી એવા આપે આ સંસારમાં અવતરીને પ્રથમ વિશ્વની વ્યવસ્થાનો માર્ગ પ્રવર્તાવ્યો. ત્યારબાદ હે જગત્રભુ ! આ સંસાર સમુદ્રમાંથી અમારો ઉદ્ધાર કરવા મુક્તિમાર્ગ બતાવવા માટે સંયમ ગ્રહણ કર્યું. હે પ્રભુ ! આપ વિશ્વપતિ, દયાળુ અને પ્રાણીઓને શરણ આપનાર છો. આપ પોતાની જાતે જ અમને તારવાની પ્રવૃત્તિ કરી રહ્યા છો. માટે આપની પાસે હું શું માંગું ?'
આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી, ભરત રાજા જરા પાછા ખસી, ઇન્દ્રને આગળ કરી, પ્રભુની સન્મુખ બેઠા. ત્યારબાદ અનંત કરુણાકર પ્રભુએ યોજનગામિની સર્વભાષામય અને ભવ્યજનોના લાભ માટે દેશના ફરમાવી.
देवपूजा गुरुपास्तिः, स्वाध्यायः संयमस्तपः । दानं चेति गृहस्थानां, षट्कर्माणि दिने दिने ॥
અર્થ : જિનેશ્વરની પૂજા, સદ્ગુરુની સેવા, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન આ છ કાર્યો ગૃહસ્થોએ દરરોજ કરવા યોગ્ય છે. | સર્વ પ્રાણી પર દયા, સુપાત્રમાં દાન, દીન પ્રાણીઓનો ઉદ્ધાર કરવાની બુદ્ધિ અને ઔચિત્યપૂર્વક સર્વ જીવોની ઉપર ઉપકાર કરવો. આ ધર્મ સંસારમાંથી તારનારો છે. સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી જલથી જેઓ હૃદયને નિર્મળ કરે છે, તે શુદ્ધ ભાવવાળા પુરુષો સુખપૂર્વક સિદ્ધિ સુખ પામે છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૫૫
Page #77
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને ભરતના પુત્ર ઋષભસેને ઉભા થઈને પ્રભુને વિનંતી કરી કે, “હે સ્વામી ! આ સંસારરૂપી જંગલમાં ભમતા મને પૂર્વના પુન્યથી આપના જેવા સાર્થપતિ મળ્યા છે. તેથી હે શરણદાયક ! ભગવન્! વિષયોથી વિરક્ત થયેલા મને વ્રતનું દાન કરી, મારી રક્ષા કરો. મને પાર ઉતારો.” • ચતુર્વિધ સંઘની સ્થાપના :
“આ ભવ્ય જીવ છે.” એમ જાણી પ્રભુએ તેમને વ્રત આપીને તેના પર અનુગ્રહ કર્યો. કારણ કે “સપુરુષો હંમેશાં બીજાનો ઉદ્ધાર કરનારા જ હોય છે. તેમની પાછળ ભરત મહારાજાના ૪૯૯ પુત્રો અને ૭૦૦ પૌત્રોએ પણ ચારિત્ર ગ્રહણ કર્યું. ત્યારે કરોડો દેવોથી પ્રભુને સેવાતા જોઇ, ભરતના પુત્ર મરીચિએ (મહાવીરસ્વામીનો જીવ) પણ પ્રભુ પાસે દીક્ષા લીધી. ભરતની આજ્ઞા લઈ બ્રાહ્મીએ પણ ઘણી રાજકન્યાઓ સાથે વ્રત લીધું. સુંદરીને પણ વ્રત લેવાની ઈચ્છા થઈ પણ ભરતે તેને અટકાવી. એટલે તે પ્રભુના ચતુર્વિધ સંઘમાં પ્રથમ શ્રાવિકા થઈ. ભરત મહારાજાએ સમ્યકત્વ ગ્રહણ કર્યું. વિદ્યાધરોમાંથી કેટલાકે સંયમ લીધું. કેટલાકે શ્રાવકપણું સ્વીકાર્યું અને કેટલાક જીવો ભદ્રક ભાવ પામ્યા.
પૂર્વે ભગવાનની સાથે દીક્ષા લેનાર ચાર હજાર રાજપુત્રો જે તાપસ થયા હતા, તેમાંથી કચ્છ અને મહાકચ્છ સિવાય બાકી બધા તાપસોએ ભગવંત પાસે આવી ફરીથી વ્રત ગ્રહણ કર્યું. ત્યારે ભગવંતે “પુંડરીક વગેરે મુનિઓ, “બ્રાહ્મી' આદિ સાધ્વીજી, શ્રેયાંસ’ વગેરે શ્રાવકો અને “સુંદરી' આદિ શ્રાવિકાઓ રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. આ સંઘ અહંતોને પણ માન્ય, પુન્યવંતોને પણ પૂજ્ય, દેવેન્દ્રોને પણ સેવવા યોગ્ય અને સર્વદા જયવંતો વર્તે છે અને આજે પણ સંઘ પ્રભાવવંતો છે. ઋષભસેન વગેરે ૮૪ મુનિઓએ ભગવંતના શ્રીમુખેથી ત્રિપદી પ્રાપ્ત કરીને બુદ્ધિની અતિશયતાથી તત્કાલ દ્વાદશાંગીની રચના કરી. તેથી ઋષભદેવ પ્રભુના ૮૪ ગણધરો થયા. ત્યારબાદ દેવો, ગાંધર્વો, વિદ્યાધરો અને નરેશ્વરો પ્રભુને પ્રણામ કરીને પ્રભુની દેશનાનું સ્મરણ કરતા કરતા પોતપોતાના સ્થાને ગયા. ભગવાન ભવ્ય પ્રાણીઓને બોધ કરતા કરતા પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા.
આ તરફ ભરત રાજા પોતાના પરિવારની સાથે અયોધ્યા નગરીમાં આવ્યા અને શસ્ત્રગૃહમાં પ્રવેશ કર્યો. ત્યાં સૂર્યની જેમ આખા શસ્ત્રાગારને પ્રકાશિત કરતું ચક્રરત્ન જોયું. ચક્રનું દર્શન થતાં જ તેઓએ પંચાંગ પ્રણામ કર્યા. કારણ કે ક્ષત્રિયોનું પરમદેવત શસ્ત્ર જ છે. પછી આનંદિત થયેલા ભરતેશ્વરે સ્નાન કરી, ચક્રરત્નની અષ્ટપ્રકારી પૂજા કરી. વજ, વૈર્ય અને કર્કમેન આદિ રત્નો તથા મોતીઓથી તેની
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • પ૬
Page #78
--------------------------------------------------------------------------
________________
આગળ સ્વસ્તિક પૂર્યો અને મંગળદીવા સહિત આરતી ઉતારી. ત્યારપછી “ક્ષત્રિયના પ્રત્યક્ષ દેવ તથા ગુરુ એવા તને નમસ્કાર હો.” એમ કહી ચક્રને પ્રણામ કર્યો. આ રીતે આઠ દિવસ સુધી નવા નવા મનોહર ભટણાઓથી ભરતેશ્વરે તેનું પૂજન કર્યું. - ત્યારબાદ ૧ હજાર યક્ષોથી અધિષ્ઠિત ચક્રરત્ન, શસ્ત્રાગારમાંથી બહાર નીકળ્યું એટલે ભરતેશ્વર પણ તેની પાછળ હસ્તીરત્ન ઉપર આરૂઢ થઇને નીકળ્યા. તે સમયે તે ગજરને શુભ સૂચિત ગર્જના કરી. તેની સાથે જ બીજા સેંકડો હાથીઓએ પણ હર્ષનાદ કર્યો. દશે દિશાઓમાં પ્રયાણનો દુંદુભિનાદ ગાજી ઉઠ્યો. વિશાળ ચતુરંગ સૈન્યને સાથે લઈ ભરત રાજા પૂર્વ દિશા તરફ ચાલ્યા. હાથમાં દંડવત્નને લઇને અશ્વરત્ન ઉપર બેઠેલો સુષેણ નામે સેનાપતિરત્ન સર્વથી આગળ ચાલ્યો. પુરોહિતરત્ન ચક્રવર્તની સાથે ચાલ્યો તથા ગૃહીરત્ન, વર્દ્રકીરત્ન, ચર્મરત્ન, છત્રરત્ન, ખગ્રરત્ન, મણિરત્ન અને કાકિણીરત્ન પણ ચક્રવર્તીની પાછળ સાથે ચાલવા લાગ્યા.
ચક્રવર્તી સૈન્ય સહિત ચક્રરત્નની પાછળ ચાલતા હંમેશા એક યોજન પ્રમાણ પ્રયાણ કરતા. ત્યારપછી જ્યાં પડાવ કરતા ત્યાં વર્લ્ડકીરત્ન પોતાની દિવ્યશક્તિથી મોટા નગરની જેમ તત્કાળ સર્વને માટે નિવાસસ્થાન રચી આપતો. લશ્કરી છાવણીમાં પણ અયોધ્યા નગરીની જેમ ચૌટા, ત્રણ માર્ગ, શિલ્પશાળા અને દુકાનોની શ્રેણીઓ રચવામાં આવતી. માર્ગમાં આવતા દેશદેશના રાજાઓ ચક્રવર્તીને હાથી, ઘોડા, રત્નો વગેરેની ભેટ આપી નમતા હતા. આ પ્રમાણે ભરત રાજા કેટલાક દિવસે માગધ નામના તીર્થે આવી પહોંચ્યા. ત્યાં પૂર્વ સમુદ્રને કાંઠે નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી છાવણી નંખાઇ. તેમાં વર્લ્ડકીરને સૈન્યના નિવાસો તેમજ એક રત્નજડીત પૌષધશાળા રચી. ફક્ત બે શ્વેત વસ્ત્રધારી ભરત રાજાએ તેમાં માગધદેવને ઉદ્દેશીને પૌષધ ગ્રહણ કર્યો તથા મુનિની જેમ સર્વ સાવદ્ય યોગોનો ત્યાગ કરી, શુદ્ધ સંસ્મારક ઉપર બેસીને અટ્ટમનો તપ કર્યો. તપ પૂર્ણ થયે, પૌષધ પારીને પૌષધાગારની બહાર નીકળ્યા. પછી યથાવિધિ સ્નાન કરી, ભગવાનની પૂજા કરીને શુદ્ર દેવતાઓને પ્રસન્ન કરવા બલી આપ્યું. પછી રથ ઉપર આરૂઢ થઇ પૂર્વ સમુદ્રમાં પ્રવેશ્યા. રથના પૈડા અડધા ડૂબે ત્યાં સુધી પાણીમાં જઈ ત્યાંથી ધનુષ્ય ઉપર પણછ ચડાવીને બાણ છોડ્યું. ભરતેશ્વરે છોડેલું તે બાણ બાર યોજન ઉલ્લંઘી માગધેશ્વરની સભામાં આવીને પડ્યું.
અકસ્માતું બાણ પડવાથી માગધેશ્વરના રત્નમય સિંહાસનમાંથી અગ્નિ ઝર્યો. આખી સભા ચિત્રવત્ સ્થિર થઈ ગઈ અને માગધદેવ કોપાયમાન થઈ બોલ્યો કે, કોણ દુર્બુદ્ધિવાળાએ મારી સભામાં આ રીતે પોતાનું બાણ નાંખ્યું છે ?' તે વખતે સ્વામીના કોપને શાંત કરવા તેના મંત્રીએ બાણ લઇ, તેની ઉપર લખેલા અક્ષરો
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૫૭
Page #79
--------------------------------------------------------------------------
________________
વાંચ્યાં કે, “હે દેવો ! તમે તમારું સર્વસ્વ અર્પણ કરી અમારી સેવા કરો, એમ ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તી તમને આજ્ઞા કરે છે.” આ અક્ષરો વાંચી – જોઇને માગધેશ્વરનો કોપ તત્કાળ શાંત થયો અને વિવિધ પ્રકારના ભેટણા તથા તે બાણ લઈ મંત્રી સહિત ભરતચક્રી પાસે આવ્યો. ભરત રાજાને પ્રણામ કરીને વિનંતી કરી કે, “હે સ્વામી ! અમારા સદ્ભાગ્યે આપ અહીં પધાર્યા છો. આજે અમે સનાથ થયા છીએ. આ દુર્વિનીત ભક્ત પાસે પ્રથમ આ બાણ મોકલ્યું તે ઘણું સારું કર્યું. પ્રમાદના કારણે મેં સત્ત્વર આવીને આપની સેવા કરી નહીં તો પણ આપ મારા ઉપર પ્રસન્ન થાઓ. હે નાથ ! હવેથી હું આપની આજ્ઞા મસ્તક ઉપર ધારણ કરીશ અને માગધતીર્થમાં આપનાથી સ્થાપિત થયેલો હું આપનો ભક્ત થઈને રહીશ.”
આમ કહી માગધદેવે હાર, મુગટ, કુંડલ, બાણ, માગધતીર્થનું જલ, રત્નો, મોતી, મણિ અને બીજી પણ દિવ્યવસ્તુઓ ભરતેશ્વરને અર્પણ કરી. ભરતેશ્વરે પણ તેનો ઉચિત સત્કાર કરી વિદાય કર્યો. પછી ભરત રાજા ત્યાંથી પાછા વળી, પોતાની છાવણીમાં આવ્યા. ત્યાં અઠ્ઠમ તપનું પારણું કર્યું. ચક્રરત્નનો અઢાઇ મહોત્સવ કર્યો. ઉત્સવ પૂર્ણ થયો એટલે તેજથી દૈદીપ્યમાન ચક્ર આકાશમાર્ગે આગળ ચાલ્યું. તેની પાછળ યોજન પ્રમાણ પ્રયાણ કરતા ભરતેશ્વર પોતાની દિવ્યશક્તિનાં સામર્થ્યથી અક્કડને નમાવતા, નમ્રને પાછા સ્થાને સ્થાપતા, ગર્વિષ્ઠને શિક્ષા કરતા, દીનનો ઉદ્ધાર કરતા, દક્ષિણ સમુદ્રના કિનારે આવ્યા. ત્યાં છાવણી નાખી પૂર્વની જેમ વર્દ્રકીરને નિવાસગૃહો અને પૌષધશાળા રચી. ત્યાં ચક્રવર્તીએ વરદામદેવને ધારીને પૌષધ સહિત અઠ્ઠમ તપ કર્યો. અઢમને અંતે બલિની વિધિ કરી. ત્યારપછી સોનાના રથ ઉપર આરૂઢ થઇ, ધનુષ લઈને સમુદ્રજલમાં ઉતર્યા. ત્યાંથી એક દિવ્યબાણ છોડ્યું. તે બાર યોજન સુધી જઈ વરદામદેવની સભામાં પડ્યું. માગધદેવની જેમ વરદામદેવ પણ કોપ પામ્યો. પછી બાણ ઉપરના અક્ષરો જોઇ, શાંત થઇ, ભેટણા અને બાણ લઈને ભરતેશ્વરની પાસે આવ્યો. ભરતેશ્વરે તેને તે સ્થાનમાં સ્થાપિત કરી, પોતાની આજ્ઞા વર્તાવી જે માર્ગે આવ્યા હતા તે માર્ગે જ પાછા વળ્યા. અક્રમનું પારણું કરી પૂર્વની જેમ ત્યાં પણ ચક્રરત્નનો અઠ્ઠાઇ ઉત્સવ કર્યો.
ત્યાંથી પશ્ચિમ દિશાના સમુદ્ર તીરે આવ્યા. ત્યાં પૂર્વની જેમ પ્રભાસદેવને સાધ્યો. પ્રભાસદેવે પણ ભેટણા આપ્યા. તે વખતે તેના હાથમાં સુવર્ણકુંભમાં રાખેલું જળ જોઈ ભરતેશ્વરે પૂછ્યું કે, “જીવની જેમ સાચવેલું આ શું છે?” ત્યારે પ્રભાસદેવે કહ્યું કે, “સ્વામી ! આનો વૃત્તાંત આપ સાંભળો.”
માહાભ્ય સાર • ૫૮
Page #80
--------------------------------------------------------------------------
________________
કમલદ્રહનો મહિમા સૌરાષ્ટ્ર દેશમાં અત્યંત મહિમાવાળુ, અનંત સુકૃતના સ્થાનરૂપ “શત્રુંજય' નામે મહાતીર્થ છે. તે વિવિધ રત્નો, ઔષધિઓ, કુંડો તથા રસકૂપિકાઓ વગેરેથી સમૃદ્ધિવાળું છે. તેના દર્શનથી, શ્રવણથી, સ્પર્શથી અને કીર્તનથી પણ પાપનો નાશ થાય છે. તે ક્ષણવારમાં પ્રાણીઓને સ્વર્ગ અને મોક્ષનાં સુખ આપે છે. અન્ય તીર્થોમાં સેંકડો યાત્રા કરવાથી જેટલું પુન્ય થાય છે, તેટલું પુન્ય આ તીર્થમાં માત્ર એકવાર યાત્રા કરવાથી થાય છે.
શત્રુંજયની દક્ષિણ દિશામાં શત્રુંજયા નામે એક પવિત્ર નદી છે. એ નદી આ મહાતીર્થની નિશ્રામાં રહેલી હોવાથી વિશેષ પવિત્ર છે તથા ગંગા તેમજ સિંધુ નદીનાં દિવ્યજલથી પણ અધિક ફળ આપનારી છે. તેમાં સ્નાન કરનારના સર્વ પાપો દૂર થાય છે. તે નદી શત્રુંજયા, જાહ્નવી, પુંડરીકિણી, પાપંકષા, તીર્થભૂમિ, હંસી આવા વિવિધ નામથી પ્રખ્યાત છે. ત્યાં કદંબગિરિ અને પુંડરીકગિરિ આ બે શિખરની મધ્યમાં કમલ' નામે એક મહાપ્રભાવિક દ્રહ છે. શત્રુંજયના જલથી આ દ્રહની માટીનો પીંડ કરીને જો નેત્ર ઉપર બાંધવામાં આવે તો તે રાત્રીઅંધત્વ, નીલિકા (મોતીયો) વગેરે નેત્રરોગોનો નાશ કરે છે. તે દ્રહનું જળ કીર્તિ અને કાંતિ આપનારું છે. તે જલના પ્રભાવથી શાકિની, ભૂત, પ્રેત, વેતાલ, વાતપિત્તાદિ દોષ વિનાશ પામે છે. તેમાં જીવની ઉત્પત્તિ થતી નથી.
એ પુંડરીક તીર્થમાં હું દર વર્ષે જાઉં છું અને મારા ઘરદેરાસરમાં રહેલા પ્રભુની સ્નાત્રપૂજા કરવા માટે તે દ્રહમાંથી જળ હું લાવું છું. સર્વ શત્રુઓને દૂર કરવામાં સમર્થ એવું આ જલ મેં રાખ્યું હતું, પણ “જે વસ્તુ વિશેષ પ્રીતિકારી હોય તે સ્વામીને આપવી જોઇએ.” એમ વિચારી આ જલ આપને ભેટ આપવા હું લાવ્યો છું. તેને આપ યતનાથી રાખો. સર્વ દોષને હરનારું આ જળ આપને દિગ્વિજય યાત્રામાં ઉપકારક થશે.
આ પ્રમાણે પ્રભાસપતિના વચનો સાંભળીને શત્રુંજય તીર્થની યાત્રા માટે ઉત્સુક થયેલા ભરત ચક્રવર્તી, પ્રભાસદેવે રચેલા વિમાનમાં બેસીને શત્રુંજયગિરિની યાત્રાએ આવ્યા. ત્યાં શત્રુંજયા નદીમાં સ્નાન કરી, તીર્થનો સ્પર્શ કરીને તરત જ પાછા વિમાનમાં બેસી પોતાની છાવણીમાં આવ્યા. ત્યાર પછી પ્રીતિથી પ્રભાસપતિને પોતાને સ્થાને સ્થાપિત કર્યો. પછી અટ્ટમનું પારણું કર્યું. ત્યાં અઢાઈ ઉત્સવ કરી, ચક્રને અનુસરતા ત્યાંથી આગળ ચાલ્યા.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૫૯
Page #81
--------------------------------------------------------------------------
________________
આગળ ચાલતાં અનુક્રમે સિંધુ અને મહાસિંધુના દક્ષિણ તટે જઈ, પૂર્વાભિમુખે પોતાનો પડાવ નંખાવ્યો. મનમાં સિંધુદેવીને ધારીને અક્રમ કર્યો. તેથી સિંધુદેવીનું આસન ચલિત થયું. અવધિજ્ઞાનથી ચક્રવર્તીને આવેલા જાણી સિંધુદેવી ભેંટણું લઇને ત્યાં આવી અને આકાશમાં રહી “જય-જય' શબ્દ વડે આશિષ આપીને બોલી કે, “હે સ્વામી ! હું આપની દાસી છું. આપની સેવામાં સદા હાજર છું. એમ કહી ૧૦૦૮ રત્નકુંભો, દિવ્ય રત્નસિંહાસન, મુકુટ, બાજુબંધ, કડા, હાર અને કોમળ વસ્ત્રો ચક્રવર્તીને અર્પણ કર્યા. તે સર્વ સ્વીકારી સિંધુદેવીને અનુજ્ઞા આપી, ચક્રવર્તીએ અક્રમનું પારણું કર્યું તથા અષ્ટાનિકા ઉત્સવ કરી ચક્રરને બતાવેલા માર્ગે તેઓ આગળ ચાલ્યા.
ત્યાંથી ઈશાન દિશા તરફ ચાલતાં અનુક્રમે બંને ભરતાદ્ધની વચ્ચે પચ્ચીશ યોજન ઊંચા અને પચાસ યોજન પહોળા રૂપામય વૈતાઢયગિરિ પાસે પહોંચ્યા. તે જિનચૈત્યો, મોટા ઉદ્યાનો, વિદ્યાધર અને દેવતાઓના નિવાસો, જલાશયો તથા લાખો ગામોથી ઘણો શોભતો હતો. ત્યાં આવીને તેની દક્ષિણ તળેટીમાં ભરતેશ્વરે પડાવ નાંખ્યો. પછી તેના અધિષ્ઠાયક દેવને મનમાં ધારીને અઠ્ઠમ તપ કર્યો. તપના પ્રભાવથી વૈતાઢ્યપતિનું આસન કંપ્યું. એટલે અવધિજ્ઞાનથી ચક્રવર્તીને આવેલા જાણી, ત્યાં આવી આકાશમાં રહીને ભરતેશ્વરને કહ્યું કે, “હે સ્વામી ! જય પામો. હું તમારો કિંકર છું. પૂર્વ ભક્તોની જેમ મને તમારો સેવક માની આજ્ઞા આપો.” એમ કહી, મણિરત્નના અલંકારો, ભદ્રાસનો અને દેવદૂષ્ય વસ્ત્રો ભેટ ધર્યા. રાજાએ તે સ્વીકારી, પ્રીતિદાન આપી, તેને ત્યાં જ સ્થાપિત કર્યો. પછી અટ્ટમનું પારણું કરીને અઢાઈ ઉત્સવ કર્યો.
ત્યાંથી ચક્રની પાછળ ચાલતાં ભરતચક્રી તમિસ્રા ગુફા પાસે આવ્યા. તે ગુફાના અધિષ્ઠાયક કૃતમાલ દેવને મનમાં ધારી અઢમ કર્યો. તેના પ્રભાવથી તે દેવે આવીને નમસ્કાર કરીને કહ્યું, “હું અહીં તમારા દ્વારપાળની જેમ રહું છું.' એમ કહી દિવ્ય આભૂષણો, સ્ત્રીરત્નને યોગ્ય ચૌદ તિલકો, દિવ્યમાળાઓ અને દિવ્યવસ્ત્રો ચક્રવર્તીને અર્પણ કર્યા. ચક્રવર્તીએ પણ તેને પ્રીતિદાન આપી વિદાય કર્યા પછી પારણું કર્યું.
ત્યારબાદ ભરતેશ્વરે પોતાના સેનાપતિરત્ન સુષેણને આજ્ઞા કરી કે, “તમે સિંધુનદીની મધ્યમાં રહેલા સિંધુનિકૂટને સાધી આવો.” આ પ્રમાણે આજ્ઞા થતાં અડધા સૈન્યને સાથે લઈ, ચર્મરત્નથી સિંધુ નદી ઉતરીને બર્બર, ભિલ્લ, સિંહલ, ટંકણ, જવન, કાલમુખ, જોનક અને અન્ય અનેક જાતના મ્લેચ્છોને અને બીજા પણ ત્યાં રહેલાઓને લીલામાત્રમાં જીતી લીધા. તેઓની પાસેથી રત્નરાશિ, અશ્વો, રથો અને ગજેન્દ્રો લઈ આવીને ચક્રીને અર્પણ કર્યા.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૬૦
Page #82
--------------------------------------------------------------------------
________________
કેટલાક દિવસો ત્યાં રહીને પછી ચક્રવર્તીએ સેનાપતિને કહ્યું કે, “તમિસ્રા ગુફાના દ્વાર ઉઘાડો.' સ્વામીની આજ્ઞા થતાં તરત જ સૈન્યથી પરિવરેલો સુષેણ સેનાપતિ ગુફાના દ્વાર પાસે આવ્યો. ત્યાં અઠ્ઠમ તપ કરી, અટ્ટમને અંતે સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી, હાથમાં સુવર્ણનું ધૂપીયુ રાખી ગુફા પાસે આવ્યો. ગુફાના દર્શન થતાં જ તેણે પ્રણામ કર્યા. પછી ત્યાં અઢાઈ ઉત્સવ કરી, શુદ્ધ અક્ષતોથી અષ્ટમાંગલિકો આલેખી, હાથમાં દંડરત્ન ગ્રહણ કર્યું. તે દંડરત્નથી ગુફા દ્વારની ઉપર ઘા કરવાની ઇચ્છાથી સાત-આઠ ડગલા પાછા વળી વેગથી દંડરત્ન ઉંચો કરી ગુફાના દ્વાર ઉપર ત્રણવાર પ્રહાર કર્યા. તેથી તડતડ” એવા અવાજ સાથે તે દ્વારો ઉઘડી ગયા. એટલે ચક્રવર્તીને જાણ કરી.
ત્યારપછી ભરતેશ્વર ગજરત્ન ઉપર બેસી તમિસ્રા ગુફા પાસે આવ્યા. મણિરત્નને ગજરત્નના કુંભસ્થળ પર મૂક્યું અને ચક્રરત્નને અનુસરતા ચતુરંગી સેના સહિત ગુફાના દ્વારમાં પ્રવેશ્યા. ત્યારપછી બાર યોજન સુધી અંધકારનો નાશ કરનારું કાકિણીરત્ન હાથમાં લીધું અને તેના વડે ગુફાની બંને દિવાલમાં અનુક્રમે એક એક યોજનના આંતરે મંડલ આલેખતા ભરત રાજા આગળ ચાલ્યા. આગળ જતાં નિમ્નગા અને ઉન્નિસ્નગા નામની નદીઓ પાસે આવ્યા. આ નદીના જલનો એવો પ્રભાવ છે કે નિમ્નગા નદીમાં શિલાની જેમ તુંબડી પણ ડૂબી જાય અને ઉગ્નિગા નદીમાં શિલા પણ તુંબડીની જેમ તરે. આ બંને નદીઓ ઉપર વર્લ્ડકીરને પુલ બાંધી દીધો એટલે તેની ઉપર થઇને ચક્રવર્તી સૈન્યસહિત આગળ ચાલ્યા. ત્યાંથી ઉત્તર તરફ ચાલતાં ગુફાના ઉત્તરદ્વાર પાસે આવ્યા. ત્યાં પહોંચતાં જ તે દ્વાર પોતાની મેળે ઉઘડી ગયું. આ રીતે પચાસ યોજનાના વિસ્તારવાળી વૈતાદ્યની ગુફાને પસાર કરી ભરત રાજા ઉત્તરાદ્ધ ભરતક્ષેત્રનો વિજય કરવા માટે તે ગુફામાંથી બહાર નીકળી આગળ ચાલ્યા. • મ્લેચ્છ જાતિએ ચક્રવર્તીના સૈન્યમાં કરેલો ઉપદ્રવ :
જયારે ભરતચક્રીએ ઉત્તર ભરતાદ્ધમાં વસતા મ્લેચ્છો ઉપર ચડાઈ કરી ત્યારે ત્યાંના કાલચક્ર, કાલદંષ્ટ્ર, કરાળ, કાલદારૂણ, વડવામુખ અને સિંહ નામના સર્વ પ્લેચ્છોના મુખ્ય છ અધિપતિઓ હતા તે સામે થયા. તે પ્રત્યેકને પાંચ-પાંચ કરોડ અશ્વ, દશ કરોડ રથ, એક કરોડ હાથી અને પચાસ કરોડ પાયદળ આટલું વિશાળ મહાબળવાન સૈન્ય હતું. આ સર્વ સૈન્યને ભેગું કરીને તે મદોન્મત્ત મ્લેચ્છો ભરતચક્રી સન્મુખ યુદ્ધ કરવા દોડ્યા. પ્રલયકાળના મેઘની જેમ બાણોની વૃષ્ટિ કરતા તેઓ ભરત રાજાના અગ્ર સૈન્ય સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે દૈત્યોનાં અસ્ત્રોથી ચક્રવર્તીની સેના ત્રાસી ગઇ. હાથીઓ પોકાર કરવા લાગ્યા, રથો ભાંગવા લાગ્યા, ઘોડાઓ નાસવા
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૬૧
Page #83
--------------------------------------------------------------------------
________________
લાગ્યા. આ જોઇ સેનાપતિ સુષેણ તેઓની સામે આવ્યો. તેનાથી ત્રાસ પામેલા પ્લેચ્છ સૈનિકો દશે દિશામાં ભાગી ગયા. ઘણે દૂર જઈ એક ઠેકાણે બધા ભેગા થયા અને વિચારણા કરીને સિંધુ નદી પાસે આવ્યા. ત્યાં નગ્નપણે નદીની રેતીમાં ચત્તા સૂઈ જઈને પોતાના મેઘકુમાર વગેરે દેવોને સંતુષ્ટ કરવા લાગ્યા. તેથી તત્કાલ તે દેવોના આસન કંપ્યા એટલે તેઓ ત્યાં આવી આકાશમાં રહીને પૂછવા લાગ્યા કે, તમે અમને શા માટે બોલાવ્યા છે ?' સ્વેચ્છાએ કહ્યું કે, “કોઈ મહાબળવાન અમને પરાસ્ત કરી રહ્યો છે. તમે તેને શિક્ષા કરો.' | મેઘકુમાર દેવોએ કહ્યું, “અરે મ્લેચ્છો ! આ તો યુગાદીશ્વર ઋષભદેવ પ્રભુના પુત્ર અને ભરતક્ષેત્રમાં પ્રથમ ચક્રવર્તી થનારા એવા મહાપરાક્રમી ભરતેશ્વર છે. તેમને મંત્ર, તંત્ર, વિષ, શસ્ત્ર, અગ્નિ કે વિદ્યા કોઈપણ વસ્તુ પરાસ્ત કરી શકશે નહીં. તો પણ તમારા આગ્રહથી અમે તેને ઉપસર્ગ કરીશું. એમ કહી તે દેવો અદશ્ય થઈ ગયા.
ત્યારબાદ થોડી જ વારમાં આકાશમાં ઘનઘોર વાદળ ચડી આવ્યા. વિદ્યુતના ઝબકારા થવા લાગ્યા અને મુશલ-સાંબેલા જેવી જલધારાથી મેઘ વરસવા લાગ્યો. તેનું પાણી ચારેબાજુ ફેલાઈ ગયું.
આ ઉપદ્રવ થવાથી સૈન્યની રક્ષા માટે ચક્રવર્તીએ ચર્મરત્ન હાથમાં લીધું. તેમના હસ્તસ્પર્શથી તે ૧૨ યોજન સુધી વિસ્તાર પામ્યું. એટલે આખી સેના તે ચર્મરત્નની ઉપર આવી ગઈ. પછી છત્રરત્ન હાથમાં લીધું. તેથી તે પણ તેટલું જ પહોળું થયું અને છેડાના ભાગથી ચર્મરત્નને મળી ગયું એટલે સમુદ્રમાં વહાણ હોય તેમ તે ચર્મરત્ન જલમાં તરવા લાગ્યું અને છત્રરત્ન ઉપરથી પડતી જલવૃષ્ટિને રોકી તથા કાકિણીરત્નથી અને ચક્રરત્નથી અંધકાર દૂર થયો. વળી ગૃહીરને તત્કાળ ઉત્પન્ન કરેલા ધાન્યથી રસોઈ બનાવી આખી સેના ત્યાં સુખે રહેવા લાગી.
આ રીતે કલ્પાંતકાલની જેમ વરસતા મેઘથી સાત દિવસ પસાર થયા. પછી ભરત રાજાના મનમાં વિચાર આવ્યો કે, “આ કોણ પાપી મને આવો ઉદ્વેગ પમાડે છે ?' તેમના આ ભાવને યક્ષનાયકોએ જાણ્યો. તેથી ચક્રવર્તીના સોળ હજાર યક્ષો કોપથી મેઘકુમાર દેવો પાસે આવી કહેવા લાગ્યા, “અરે તમે આ શું કરો છો ? શું આ ભરત ચક્રવર્તીને તમે જાણતા નથી ? જલ્દી ચક્રવર્તી પાસે આવી તેમના ચરણોનો આશ્રય કરો. શરણું સ્વીકારવાથી તે તમારા મોટા દુર્નયને પણ ક્ષમા કરશે અને જો તમે નહીં માનો તો અમે તેમના સેવકો તમને શિક્ષા કરીશું.” આ સાંભળી મેઘકુમારોએ તત્કાળ વાદળા સંહરી લીધા અને યક્ષોની સાથે ભરતેશ્વર પાસે આવી નમસ્કાર કર્યો એટલે ચક્રવર્તીએ પણ તેમનું સન્માન કરીને રજા આપી. પછી તેઓએ મ્લેચ્છો પાસે આવીને
માહાસ્ય સાર ૦ ૬ ૨
Page #84
--------------------------------------------------------------------------
________________
કહ્યું કે, “આ ચક્રવર્તી અમારાથી અજેય છે. માટે તમે શીધ્ર તેમની પાસે જઈ, તેમને પ્રણામ કરો.' દેવોનું આ કથન સાંભળી મ્લેચ્છ રાજાઓએ તરત જ મુખમાં તૃણ લઇ ભૂમિ પર આળોટતા ભરત રાજા પાસે આવી તેમને નમસ્કાર કર્યા તથા ઘણા ઉત્તમરત્નો, ઘોડા, હાથી અને સુવર્ણ ભેટ ધર્યું. ભરતે પણ તેમનું સન્માન કરી તેમને જવાની અનુજ્ઞા આપી. તેથી તેઓ પોતપોતાના સ્થાને ગયા, પરંતુ અંતરમાં મત્સરભાવ ધારણ કરી, ક્ષુદ્ર મંત્રોની સાધનાથી ચક્રવર્તીના સૈન્યમાં અનેક પ્રકારના રોગો ઉત્પન્ન કર્યા. • રાયણ વૃક્ષના પ્રભાવથી રોગશાંતિ :
આ પ્રમાણે ઉપદ્રવ થવાથી સૈન્યમાં રોગચાળો ફેલાયો. તે વૈદ્યોના ઔષધોથી શમ્યો નહીં. તેથી સુબુદ્ધિ નામના મંત્રીએ રાજાને કહ્યું, “રાજન્ ! આ વાતપિત્તાદિ દોષજનિત વ્યાધિ નથી, પણ કોઈ મંત્ર-તંગના દોષથી ઉત્પન્ન થયેલો વ્યાધિ છે. આ વાત ચાલતી હતી તે સમયે બે અતિ તેજસ્વી વિદ્યાધરો આકાશમાંથી ત્યાં ઉતર્યા અને ભરત રાજાને પ્રણામ કરી તેની આગળ બેઠા. તેમને જોઈ ચક્રવર્તીએ પૂછ્યું, તમે કોણ છો ?' તેઓએ કહ્યું, “અમે વાયુગતિ અને વેગગતિ નામના બે વિદ્યાધરો છીએ. અમે તમારા પૂજ્ય પિતાશ્રી ઋષભદેવ ભગવાનને વંદન કરવા ગયા હતા. ત્યાંથી તમને જોવા અહીં આવ્યા છીએ. “સ્વામીના પુત્ર સાથે પણ સ્વામીની જેમ વર્તવું જોઇએ.” તેથી તમને પૂછીએ છીએ કે તમને ક્ષેમકુશળ છે ને ?'
ચક્રવર્તીએ કહ્યું, “મારા સૈન્યમાં મંત્રૌષધિથી પણ અસાધ્ય એવા વ્યાધિઓ અચાનક ઉત્પન્ન થયા છે. તેની ચિંતા છે.”
વિદ્યાધરો બોલ્યા, “હે મહારાજા ! શત્રુંજયગિરિ ઉપર એક રાજાદની (રાયણ)નું વૃક્ષ છે. તે શાકિની, ભૂત અને દુષ્ટદેવોના દોષને હરનારું છે. શ્રી યુગાદીશ પ્રભુ પાસેથી તેનો પ્રભાવ અમે ઘણીવાર સાંભળ્યો છે. તે વૃક્ષના થડની શાખા, માટી તથા પત્રાદિક અમારી પાસે છે. તેને જલથી સીંચી એ જલનો છંટકાવ કરવાથી સર્વ સૈન્ય રોગરહિત થશે. એમ કહી તરત તે પ્રમાણે જલનું સિંચન કર્યું. તેના પ્રભાવથી સર્વ સૈન્ય તત્કાળ નિરોગી થયું. તેથી ભરત રાજાએ તેમનું સન્માન કર્યું. બંને વિદ્યાધરો ક્ષણવારમાં પોતાના સ્થાને ગયા.
સૈન્યને નિરોગી થયેલું જોઈ ભરતેશ્વર હર્ષ પામ્યા અને આનંદથી બોલ્યા : “અહો ! આ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિવરનો મહિમા અચિંત્ય છે. ત્રણ જગતમાં આ તીર્થ જેવું બીજું એકેય તીર્થ નથી. આ તીર્થના ચિંતનમાત્રથી બંને લોકનું સુખ પ્રાપ્ત થાય છે. પૂર્વે પ્રભાસદેવે આ તીર્થનો પ્રભાવ મને કહ્યો હતો, ત્યારે હું એની
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૬૩
Page #85
--------------------------------------------------------------------------
________________
સાથે ત્યાં યાત્રાર્થે ગયો હતો. હવે પણ દિગ્વિજય કર્યા પછી સંઘસહિત જઇને આ તીર્થની યાત્રા હું કરીશ.”
પ્લેચ્છ રાજાઓએ આ રોગનો ઉપદ્રવ કર્યો છે તે જાણી તેઓને શિક્ષા કરવા ભરતેશ્વરે તેઓ ઉપર પોતાનું ચક્ર મૂક્યું. એટલે ચક્રના અધિષ્ઠાયક દેવો તત્કાળ તે બધાને બાંધીને ચક્રવર્તી પાસે લાવ્યા. દીન મુખવાળા અને દીન વચન બોલતા, તેઓ ઉપર કરૂણાવંત ચક્રીએ કૃપાદૃષ્ટિ કરી અને હાથી, ઘોડા, રત્નો વિ. લઇ, શિક્ષા કરીને છોડી મૂક્યા.
ત્યારબાદ ભરતેશ્વરની આજ્ઞાથી સેનાપતિ સુષેણ સિંધુ નદીના ઉત્તર નિકૂટને સાધી આવ્યો. ત્યારપછી ત્યાં પડાવ નાંખીને સુખ ભોગવતા ચક્રીએ ઘણો કાળ પસાર કર્યો. ફરી આયુધશાળામાંથી ચક્ર બહાર નીકળ્યું એટલે તેની પાછળ ચાલતા ચક્રવર્તી અનુક્રમે લઘુહિમવંત પર્વતની દક્ષિણ બાજુએ આવ્યા. તેની તળેટીમાં છાવણી નાંખી અમ કર્યો. પછી રથમાં બેસી પર્વતની પાસે આવ્યા અને રથના અગ્રભાગ વડે તેને ત્રણવાર તાડન કર્યું. તેમજ પોતાના નામથી અંકિત એક બાણ તેના શિખર તરફ છોડ્યું. આકાશમાર્ગે ઉછળતું તે બાણ વેગથી ૭૨ યોજન સુધી જઈને હિમવાન દેવની સભામાં પડ્યું. તેની ઉપર લખેલા અક્ષરો વાંચતા જ હાથમાં ભેટ લઈ, તે દેવે આવીને ચક્રીને પ્રણામ કર્યા. ચક્રવર્તીએ પણ તેનું સન્માન કર્યું. તેથી તે પોતાના સ્થાને ગયો. ભરતેશ્વર પણ પોતાની છાવણીમાં પાછા આવ્યા.
ત્યાંથી ઋષભકૂટ તરફ ચાલ્યા. કાકિણીરત્ન વડે ઋષભકૂટ ઉપર અક્ષરો લખ્યા કે, “આ અવસર્પિણીના ત્રીજા આરાના અંતે શ્રી યુગાદીશપ્રભુનો પુત્ર હું ભરત ચક્રવર્તી થયો છું.” આ પ્રમાણે લખી, જે માર્ગે આવ્યા હતા તે જ માર્ગે પાછા વળ્યા અને ભરતક્ષેત્રની મધ્યમાં રહેલા વૈતાઢ્ય પર્વત પાસે આવ્યા. • નમિ - વિનમિ સાથે યુદ્ધ :
પૂર્વે શ્રી ઋષભદેવ પ્રભુ રાજ્ય કરતા હતા ત્યારે કચ્છ અને મહાકચ્છના પુત્રો નમિ અને વિનમિને કોઇ કાર્ય માટે કોઈ સ્થાને મોકલ્યા હતા. તેઓ તે કાર્ય સાધીને પાછા આવ્યા ત્યારે પ્રભુને સંયમ સ્વીકારીને રહેલા જોયા. હવે પ્રભુ મમતારહિત થયેલા છે એવું નહીં જાણતા તે બંને “હે તાત ! હે તાત !' એમ બોલતા પુત્રની જેમ પ્રભુ પાસે રાજયભાગ માંગવા લાગ્યા અને એ જ આશાએ પ્રભુની નિત્ય સેવા કરવા લાગ્યા.
એક દિવસ ધરણેન્દ્ર પ્રભુને વંદન કરવા આવ્યા ત્યારે નમિ - વિનમિની પ્રભુભક્તિથી પ્રસન્ન થઈ, તેમને સોળ હજાર વિદ્યાઓ આપી અને વૈતાદ્ય પર્વત
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૬૪
Page #86
--------------------------------------------------------------------------
________________
ઉપર દક્ષિણ અને ઉત્તર શ્રેણીનાં રાજ્યો આપ્યા. તે દિવસથી તે બંને આનંદથી ત્યાં રાજ્ય કરતા રહેવા લાગ્યા.
આ બાજુ ભરતેશ્વરે ત્યાં આવી તે બંનેની પાસે પોતાના નામથી અંકિત બાણ નાંખ્યું. આથી કોપાયમાન થઈ તે બંને યુદ્ધ કરવા તૈયાર થયા. તેમની આજ્ઞાથી બીજા વિદ્યાધરો પણ મોટા સૈન્ય સાથે ત્યાં આવ્યા અને ચક્રવર્તી સાથે યુદ્ધ શરૂ કર્યું. બંને સૈન્યો વચ્ચે સમાનપણે યુદ્ધ થતાં બાર વર્ષ પસાર થયા. છેવટે ચક્રવર્તીના સૈન્યથી પરાભવ પામેલા નમિ-વિનમિ ભારત પાસે આવી પ્રણામ કરી કહેવા લાગ્યા કે, ખરેખર ! ચક્રવર્તી એવા તમારાથી વધારે શૂરવીર કોઈ નથી. માટે તે સ્વામી ! આજથી અમે તમારી આજ્ઞામાં રહીશું.' આમ કહી, વિનમિએ સુભદ્રા નામની પોતાની પુત્રી સ્ત્રીરત્ન તરીકે ચક્રવર્તીને આપી. બીજા વિદ્યાધરોએ પણ પોતપોતાની પુત્રીઓ વિદ્યાસહિત ચક્રવર્તીને આપી. ત્યારબાદ નમિ-વિનમિએ વિરક્ત થઈ, પોતાના પુત્રોને રાજય સોંપી, શ્રી ઋષભદેવ પાસે વ્રત અંગીકાર કર્યું.
હવે, ભરતેશ્વર ચક્રને અનુસરીને ચાલતા ગંગા નદીને કાંઠે આવ્યા. ત્યાં છાવણી નાંખી. રાજાની આજ્ઞાથી સેનાપતિ ગંગા નદી ઉતરીને ગંગાના ઉત્તર નિકૂટને સાધીને પાછો આવ્યો. ચક્રવર્તીએ અઠ્ઠમનો તપ કર્યો, તેનાથી ગંગાદેવી સિદ્ધ થઈ. તેણે ચક્રવર્તીને સુવર્ણના બે સિંહાસન તથા ૧૦૦૮ રત્નકુંભો, હાર, બાજુબંધ, મુગટ, ઉત્તમ શય્યા, દિવ્ય વસ્ત્રો અને દિવ્ય પુષ્પો ભેટ ધર્યા તથા ભરતેશ્વરનું અતિશય રૂપ જોઈ ગંગાદેવીએ ભોગની પ્રાર્થના કરી. ભરત રાજાએ તેનો સ્વીકાર કરી, એક હજાર વર્ષ તેની સાથે ભોગ ભોગવતા ત્યાં રહ્યા.
એક વખત ભરતેશ્વર સભામાં બેઠા હતા ત્યારે સૌમ્ય કાંતિવાળા બે ચારણ મહર્ષિઓ આકાશમાંથી ઉતર્યા. તેમને જોઈ ભરતે ભક્તિથી પ્રણામ કર્યા અને વડીલ મુનિવરને સિંહાસન પર બેસાડી ભરતચક્રી હાથ જોડી સન્મુખ બેઠા. તે વખતે મુનિએ પણ ઉચિત ઉપદેશ આપ્યો. દેશના પૂર્ણ થયા બાદ ભરતેશ્વરે પૂછ્યું, “ભગવંત ! આપ અહીં ક્યાંથી પધાર્યા છો ?' મુનિ બોલ્યા, “રાજન્ ! અમે યુગાદીશ્વરને વંદન કરવા ગયા હતા. તેમના મુખેથી પુંડરીકગિરિનું માહાત્મ સાંભળી તે ગિરિરાજની સ્પર્શના કરવા ગયા હતા. ત્યાં તે સમયે ઇશાનેન્દ્ર દેવતાઓથી પરિવરેલો બેઠેલો હતો. તેણે અમને જોઈ હર્ષથી કહ્યું, “મુનિઓ ! આ ગિરિરાજનું માહાભ્ય અતિ આશ્ચર્યકારી છે. નરકગામી એવો હું આ ગિરિરાજના પ્રભાવે સ્વર્ગપતિ = ઇન્દ્ર થયો છું. તે મારી વાત આપ સાંભળો.'
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૬૫
Page #87
--------------------------------------------------------------------------
________________
• દષ્ટિવિષ સર્પ બન્યો ઇશાનેન્દ્ર..!
મહાવિદેહ ક્ષેત્ર, પશુગ્રામ, સુશર્મા નામે મૂર્ખ શિરોમણિ, અતિદરિદ્ર બ્રાહ્મણ હતો. તેને એક પત્ની, પુત્ર અને પુત્રી હતા. નગરમાંથી ભીખ લાવીને તે જેમ તેમ નિર્વાહ કરતો હતો. એક વખત આખા ગામમાં ભીખ માંગવા છતાં તેને કાંઈ પણ મળ્યું નહીં. તેથી કંટાળીને ખાલી પાત્રે તે પાછો ઘેર આવ્યો. તેથી તેની પત્ની ખૂબ ગુસ્સે થઈ. તેણે સમજાવવા છતાં તે સ્ત્રી શાંત ન થઈ. એટલે સુશર્માને પણ ક્રોધ આવ્યો અને બાજુમાં પડેલ પત્થર ઉપાડી તેને માથામાં માર્યો. પત્થર મર્મસ્થાનમાં વાગવાથી તે સ્ત્રી થોડીવારમાં મરણ પામી. આ જોઈ પુત્ર-પુત્રી કહેવા લાગ્યા, અરે ! તમે અમારી માતાને કેમ મારી નાંખી ?'
આ વચનથી ક્રોધાવિષ્ટ થયેલ બ્રાહ્મણે તે બંનેને પણ મારી નાંખ્યા. પછી ભયભીત થયેલો તે વિપ્ર બહાર નીકળ્યો. રસ્તામાં ગાયથી સ્કૂલના પામ્યો એટલે ક્રોધથી ગાયને પણ મારી નાંખી. આ રીતે ઘોર કૃત્ય કરવાથી તેને પકડવા રાજપુરુષો તેની પાછળ પડ્યા. આથી ભયનો માર્યો ત્યાંથી ભાગતાં એક ખાડામાં પડી ગયો. ત્યાં તીવ્ર વેદના ભોગવી, મૃત્યુ પામી, સાતમી નરકે ગયો. ત્યાંથી મરીને કોઇક જંગલમાં સિંહ થયો. ત્યાંથી ચોથી નરકમાં ગયો. ત્યાંથી ચંડાલ થયો. ત્યાં ફરી ઘોર કર્મ કરી સાતમી નરકે ગયો. ત્યાંથી દષ્ટિવિષ સર્પ થયો.
એક વખત રાફડા પાસે મુનિવર જોયા. તેથી એકદમ ફૂંફાડા મારતો મુનિને ડંખવા દોડ્યો. પણ મુનિ તો જરાય ભયભીત થયા નહીં. આ જોઈ સર્પ વિચારમાં પડ્યો અને મંદમંદ ગતિએ મુનિ પાસે પહોંચ્યો. તે વખતે મુનિરાજ તેમની સન્મુખ બેઠેલા વિદ્યાધરોને શ્રી શત્રુંજય માહાસ્ય કહી રહ્યા હતા. તે વાત સર્પ પણ એકચિત્તે સાંભળવા લાગ્યો. અકામ નિર્જરાથી ભાગ્યયોગે સર્પને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી સર્પને પસ્તાવો થયો અને મુનિરાજને ત્રણ પ્રદક્ષિણા દઈ અનશન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. મુનિવરે જ્ઞાનથી તેની ઇચ્છા જાણી તેને અનશન કરાવ્યું. ત્યારપછી વિદ્યાધરોએ તેને સિદ્ધગિરિ ઉપર લાવીને મૂક્યો. સર્પ મરણ પામી શુભધ્યાનના યોગે, ગિરિના પ્રભાવે ઇશાન દેવલોકનો ઇન્દ્ર થયો. તે હું અહીં આવ્યો છું. આ મારો સર્પનો દેહ છે. એમ કહી સર્પનું ફ્લેવર બતાવ્યું. પછી ચંદનના કાષ્ઠો ગોઠવી તે સર્પનો અગ્નિસંસ્કાર કર્યો અને તે ભૂમિ ઉપર એક રત્નમય પીઠિકા બનાવી. પછી તે મહાતીર્થને ભક્તિથી પ્રણામ કરી ઇશાનેન્દ્ર સ્વસ્થાને ગયા.
હે ચક્રવર્તી ! શ્રી શત્રુંજયગિરિનું આવું માહાભ્ય પ્રત્યક્ષ જોઇ, તે તીર્થની વારંવાર સ્પર્શના કરી અને ત્યાંથી અન્યત્ર જતા હતા. વચમાં તમારું આ વિશાળ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૬૬
Page #88
--------------------------------------------------------------------------
________________
સૈન્ય જોઇ અહીં ઉતર્યા. હવે અહીંથી આગળ જઇશું.' ચક્રવર્તીએ તેમને સંમતિ આપી તેથી તેઓ અન્ય સ્થાને ગયા.
ચક્રવર્તીને નવનિધિની પ્રાપ્તિ :
તે સમયે ચક્રવર્તી મનમાં વિચારવા લાગ્યા, ‘તે ધન્ય દિવસ ક્યારે આવશે કે જ્યારે હું સંઘસહિત શત્રુંજય તીર્થની યાત્રા કરીશ ?' આમ શુભ મનોરથ કરતા ભરતેશ્વરે ગંગાદેવીને સમજાવી તેની અનુમતિ લઇ ખંડપ્રપાતા ગુફા તરફ સૈન્યસહિત પ્રયાણ કર્યું. ગુફાના દ્વાર પાસે અક્રમનો તપ કર્યો. તેથી આસનકંપ થતાં ત્યાંનો અધિષ્ઠાયક નાટ્યમાલ દેવ ભેટ લઇને ત્યાં આવ્યો. અનેક પ્રકારના આભૂષણો ભેટ ધર્યા. ભરતેશ્વરે બહુમાનથી તેને વિદાય કર્યો. પછી ચક્રવર્તીની આજ્ઞાથી સુષેણ સેનાપતિએ તમિસ્ત્રાની જેમ ખંડપ્રપાતાના દ્વાર ઉઘાડ્યા. એટલે ચક્રવર્તી હસ્તી ઉપર આરૂઢ થઇ ગુફામાં પ્રવેશ્યા અને પૂર્વની જેમ જ કાકિણીરત્નથી મંડલ કર્યા. સૈન્યસહિત ઉન્નિમ્નગા અને નિમ્નગા નદીઓ ઉતરી ગુફાને છેડે આવ્યા એટલે ગુફાનું દક્ષિણ દ્વાર પોતાની મેળે જ ઉઘડી ગયું. ચક્રવર્તીએ તે ગુફા દ્વારમાંથી નીકળીને ગંગાના પશ્ચિમ તીરે સૈન્યનો પડાવ કરાવ્યો. ત્યાં નવનિધિને ઉદ્દેશીને ચક્રીએ અક્રમનો તપ કર્યો. તપને અંતે નવનિધિ પ્રત્યક્ષ થયા : ૧. નૈસર્પ, ૨. પાંડુક, ૩. પિંગલ, ૪. સર્વરત્નક, ૫. મહાપદ્મ, ૬. કાલ, ૭. મહાકાલ, ૮. માણવ અને ૯. શંખક. આ નવે નિધિ આઠ યોજન ઉંચા, નવ યોજન પહોળા અને બાર યોજન લાંબા છે. તે દરેક એક એક હજાર યક્ષો વડે રક્ષણ કરાયેલા છે અને દરેક નામ પ્રમાણે નામવાળા, એક પલ્યોપમ આયુષ્યવાળા નાગકુમાર દેવોથી અધિષ્ઠિત છે. તેઓએ ત્યાં આવીને, ચક્રીને પ્રણામ કરીને કહ્યું, ‘હે મહાભાગ ! અમે ગંગા કિનારે માગધ તીર્થમાં રહીએ છીએ. તમારા ભાગ્યથી વશ થઇને તમારી પાસે આવ્યા છીએ. અમારો કદી ક્ષય થતો નથી. માટે ઇચ્છા પ્રમાણે દાન કરો, અમારો ઉપભોગ કરો.' આ પ્રમાણે નવનિધિ વશ થયા પછી ચક્રવર્તીએ અઠ્ઠાઇ ઉત્સવ કર્યો અને ઇચ્છા પ્રમાણે દાન આપ્યું. ભરતેશ્વરનું અયોધ્યામાં પુનરાગમન :
·
ત્યારબાદ ચક્રવર્તીની આજ્ઞાથી સુષેણ સેનાપતિ ગંગા નદીનું દક્ષિણ નિષ્કુટ સાધીને પોતાના સ્થાને પાછો આવ્યો. એટલે ચક્રવર્તી હર્ષપૂર્વક કેટલોક કાળ ત્યાં રહ્યા. ત્યાર પછી ચક્રરત્ન અયોધ્યા તરફ ચાલ્યું. સુર-અસુર અને મનુષ્યોથી પરિવરેલા ભરતેશ્વર પ્રથમ પ્રયાણના દિવસથી સાઠ હજાર વર્ષે પોતાના નગરમાં પાછા આવ્યા. નગરની નજીક પોતાનો પડાવ કર્યો. ત્યાં નગરીની અધિષ્ઠાયક દેવીને ઉદ્દેશીને અક્રમનો તપ કર્યો.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૬૭
Page #89
--------------------------------------------------------------------------
________________
આ બાજુ નગરીમાં ભરતેશ્વર પધાર્યાના સમાચાર આવવાથી લોકો અત્યંત હર્ષિત થયા. વિવિધ પ્રકારના તોરણો, ધજા, પતાકા વગેરે વડે આખું નગર શણગાર્યું. બજાર અને શેરીઓ શણગારી અને સ્વામીનો સત્કાર કરવા સૌ સજ્જ થઇને રહ્યા. નગરીમાં પ્રવેશવાની ઇચ્છાવાળા ભરતેશ્વર પણ શુભમુહૂર્તે ગજરત્ન ઉપર આરૂઢ થયા. ઠેકાણે ઠેકાણે નગરજનોનાં નમનને સ્વીકારતા ભરત ચક્રવર્તી નગરીમાં પધાર્યા. નગ૨ વચ્ચે થઇને ચાલતાં અનુક્રમે પિતાના મહેલ પાસે આવ્યા. મહેલ પાસે આવતા જ હાથી ઉપરથી નીચે ઉતર્યા. તે સાથે બીજા બધા પણ પોતપોતાના વાહનો ઉપરથી નીચે ઉતર્યા. ભરતેશ્વરે પ્રથમ પોતાના ૧૬ હજાર અધિષ્ઠાયક દેવતાઓને યથોચિત પૂજા કરીને વિદાય કર્યા. પછી બન્નીશ હજાર રાજાઓ, પુરોહિતરત્ન, ગૃહપતિરત્ન અને વાÁકિરત્નને વિસર્જન કર્યા. પછી ૩૬૩ રસોઇયા, શ્રેષ્ઠીઓ, અઢારે વર્ણના શ્રેણી-પ્રશ્રેણીના લોકો, દુર્ગપાલો અને સાર્થવાહોને પણ ભરતેશ્વરે જવાની સંમતિ આપી. પછી સ્ત્રીરત્ન સુભદ્રા આદિ સકલ અંતઃપુર સાથે, ભરત મહારાજાએ મહેલમાં પ્રવેશ કર્યો. ત્યાં પ્રથમ પિતાની મૂર્તિને પ્રણામ કરી સ્નાનપીઠ પર ગયા. ત્યાં સ્નાન કરીને આવ્યા પછી પુષ્પ, ધૂપ અને અક્ષતાદિ વડે ભક્તિપૂર્વક પ્રભુની પૂજા કરી. ત્યારપછી સુખ ભોગવતાં કેટલોક કાળ પસાર કર્યો.
ભરતેશ્વરનો અયોધ્યામાં રાજ્યાભિષેક :
હવે, દેવોએ અને રાજાઓએ આવીને ભરત રાજાને વિનંતી કરી કે, ‘મહારાજ ! તમે છ ખંડના અધિપતિ થયા છો. તેથી અમને મહારાજ્યાભિષેક કરવાની રજા આપો. આપનો રાજ્યાભિષેક કરવાનો અમારો આચાર છે.
આ સાંભળી ભરતેશ્વરે આજ્ઞા આપી. એટલે તરત જ અનેક રાજાઓ, વિદ્યાધરો અને યક્ષો ત્યાં ભેગા થયા. યક્ષોએ ઇશાન દિશામાં એક સુંદર મંડપ રચ્યો. પછી પવિત્ર એવા અનેક દ્રહો, નદી, સમુદ્ર અને તીર્થોમાંથી જલ, મૃત્તિકા (માટી), વાલુકા લાવ્યા. ભરતનરેશ્વરે પૌષધશાળામાં જઇને અક્રમનો તપ કર્યો. કારણ કે ‘તપથી મેળવેલું રાજ્ય તપ વડે જ આબાદ થાય છે.' તપ પૂર્ણ થયા પછી, પૌષધ પારી, ઉત્તમ વસ્ત્રો પહેરીને ભરત રાજા અંતઃપુરની સ્ત્રીઓ સહિત દિવ્યમંડપમાં આવ્યા. તે મંડપના મધ્યભાગમાં રચેલા મણિમય રત્નપીઠને અને સિંહાસનને પ્રદક્ષિણા કરી. પછી તે ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વાભિમુખે સ્ત્રીરત્ન સહિત ભરત ચક્રવર્તી બેઠા. ત્યાર પછી ઉત્તર દિશામાં બત્રીશ હજાર રાજાઓ બેઠા. સેનાપતિ, ગૃહપતિ, વકિ અને પુરોહિતરત્ન તથા અન્ય શ્રેષ્ઠી વગેરે દક્ષિણ દિશામાં પોત-પોતાના યોગ્ય
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૬૮
Page #90
--------------------------------------------------------------------------
________________
આસનો ઉપર બેઠા. ત્યારબાદ બીજાઓ પણ પોતપોતાના સ્થાને બેઠા. પછી રાજ્યાભિષેકનો વિધિ શરૂ થયો.
તેમાં સૌપ્રથમ ચારણોએ ભરતેશ્વરને વિધિપૂર્વક મંત્રસ્નાન કરાવ્યું. પછી આભિયોગિક દેવોએ તીર્થોમાંથી લાવેલ શુદ્ધ જલ વડે અભિષેક કર્યો. પછી બત્રીશ હજાર રાજાઓ, ગોત્રવૃદ્ધો, સેનાપતિ આદિએ ભરત મહારાજાને અભિષેક કર્યો. ત્યારપછી ભરતેશ્વરે ઉજજવલ વસ્ત્રો ધારણ કર્યા. દેવોએ ઈન્ડે આપેલો ઋષભદેવ ભગવંતનો મુગટ ભરતેશના મસ્તક પર પહેરાવ્યો અને શુદ્ધ મોતીનો ગૂંથેલો હાર કંઠમાં પહેરાવ્યો. ત્યારબાદ અન્ય સર્વ અલંકારો પહેરાવ્યા. સર્વાગે આભૂષણો ધારણ કર્યા પછી ભરતેશ્વર તે રત્નમય સિંહાસન ઉપરથી ઉભા થયા. ગજરત્ન ઉપર આરૂઢ થઈ મહેલમાં આવ્યા. ત્યાં ફરીથી શુદ્ધ જલથી સ્નાન કરી પરમાત્માની પૂજા કરી. ત્યાર પછી અઠ્ઠમ તપનું પારણું કર્યું. તે વખતે વિવિધ દેશોમાંથી આવેલા રાજાઓએ, દેવોએ, વિદ્યાધરોએ બાર વર્ષ સુધી ભરત ચક્રવર્તીનો રાજ્યાભિષેક મહોત્સવ કર્યો. • ભરત ચક્રવતીનો રાજભવ :
ભરત ચક્રવર્તીને ૧૪ રત્નો, ૯ નિધિ, ૧૬ હજાર યક્ષો, ૩૨ હજાર રાજાઓ, ૬૪ હજાર સ્ત્રીઓ હતી. ૩૬૦ રસોઇયા, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ રથ, ૮૪ લાખ ઘોડા, ૯૬ કરોડ પાયદળ હતું. ૯૬ કરોડ ગામ, ૩૨ હજાર દેશ, ૭૨ હજાર ઉત્તમ નગરો, ૯૯ હજાર દ્રોણમુખ, ૪૮ હજાર પત્તન, ૨૪ હજાર કર્બટ, ૨૪ હજાર મડંબ, ૨૦ હજાર આકરો (ખાણો), ૧૬ હજાર ખેટ, ૧૪ હજાર સંબોધનો, પ૬ અંતર્લીપ, ૩૬ હજાર તટ, ૪૯ કુરાજ્યો અને ભરત ક્ષેત્રના બીજા પણ સર્વ ક્ષેત્રો ઉપર તેમનું શાસન ચાલતું હતું. નીતિને જાણનાર વિશ્વભર, શ્રીધર, સુબુદ્ધિ, બુદ્ધિસાગર નામે ચાર મુખ્યમંત્રી હતા. તે સિવાય બીજા પણ ૧૦૮ ઉત્તમ મંત્રીઓ હતા. ત્રણ કરોડ સચિવો હતા. સુષેણ આદિ ચાર મુખ્ય સેનાપતિઓ હતા. સાડા ત્રણ લાખ મનુષ્યના વૈદ્યો હતા. ૧ લાખ ગજવૈદ્યો હતા, ૩ લાખ અવૈદ્યો હતા, ૭ લાખ મુખ્ય પંડિતો હતા તથા ધનુર્વેદ જાણકાર, જ્યોતિ શાસ્ત્ર જાણકાર બીજા ઘણા વિશિષ્ટ વ્યક્તિઓ હતા. તેમાંથી કેટલાક તો ઋષભદેવ પ્રભુની પાસેથી જ ભણેલા હતા.
આવી ઋદ્ધિ - સમૃદ્ધિમાં મગ્ન બનેલા ભરતેશ્વરને એક વખત પોતાના સર્વ સ્વજનોને મળવાનું મન થયું. તેથી સૌને પ્રેમપૂર્વક બોલાવીને ભરતેશ્વરે પ્રીતિથી સત્કારાદિ કર્યા. તેમનું કુશલ પૂછ્યું. તેમાં અનુક્રમે સુંદરીને કરમાએલી કમલિની જેવી જોઈ, ભરત રાજાએ કોપથી સેવકોને કહ્યું, “અરે ! સેવકો શું આપણા ઘરે કાંઈપણ ખાવાનું નથી ? કે તમે આ સુંદરી તરફ શું નિરાદરવાળા છો ? કે કોઈ
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૬૯
Page #91
--------------------------------------------------------------------------
________________
રોગથી પીડાતી સુંદરી કાંઇ ભોજન કરતી નથી ? અને રોગની પીડા દૂર કરનાર કોઈ કુશળ વૈદ્ય નથી ? આ સુંદરી આ રીતે ગ્લાનિ કેમ પામી છે ?'
આ પ્રમાણે બોલતા ચક્રવર્તીને પ્રણામ કરીને સેવકોએ કહ્યું, “હે નાથ ! આપણા મંદિરમાં સર્વ પ્રકારની સામગ્રી ભરપૂર છે. તેમજ આ સુંદરી દેવી અમારે મન કુલદેવતાની જેમ સદા પૂજય છે. ઘણા રાજવૈદ્યો પણ હાજર છે. પરંતુ... જે દિવસથી આપે દિગ્વિજય કરવા માટે અહીંથી પ્રયાણ કર્યું, તે દિવસથી કેવળ પ્રાણ માત્રને ધારણ કરનારી આ સુંદરીદેવી આયંબિલનો તપ કરે છે. તે વખતે વ્રતની ઇચ્છાવાળી સુંદરીને તમે અટકાવી હતી, તેથી તે માત્ર ગૃહસ્થપણાનો વેષ જ રાખીને ભાવસાધ્વીપણું ગ્રહણ કરીને અહીં રહેલ છે.
સેવકોની વાત સાંભળીને ભરત રાજાએ આદરપૂર્વક સુંદરીને પૂછ્યું કે, “તારી વ્રત ગ્રહણ કરવાની ઇચ્છા છે ?” સુંદરીએ હા કહી. એટલે ભરતેશ્વર બોલ્યા, “હે સુંદરી ! તને ધન્ય છે કે જેથી તું આ સંસારથી વિમુખ થઈ છો. ભગવાન શ્રી ઋષભદેવ જેવા પિતાના સંતાનોએ આમ કરવું એ જ ઉચિત છે. હું તે પિતાનો સંતાન હોવા છતાં આ તુચ્છ સુખવાળા રાજયમાં સ્પૃહા રાખું છું. માટે હે મહાસત્તા ! તમે સુખેથી આત્મકલ્યાણ કરો.' આ પ્રમાણે ચક્રવર્તીએ અનુમતી આપવાથી સુંદરી અત્યંત ઉલ્લાસ પામી.
તે અવસરે ઋષભદેવ ભગવાન ભવ્યજીવો ઉપર ઉપકાર કરતા અષ્ટાપદગિરિ પર પધાર્યા. ત્યાં સર્વ ઇન્દ્રોએ ભેગા થઈ પ્રભુનું સમવસરણ રચ્યું. આ વધામણી લઇ, ઉદ્યાનપાળ જલ્દીથી ભરતેશ્વર પાસે આવ્યો અને કહ્યું, “હે દેવ ! આપના પૂજય પિતાજી અત્યારે અષ્ટાપદ પર્વતને પવિત્ર કરે છે અને ત્યાં દેવતાઓએ સમવસરણ રચ્યું છે.'
આ આનંદજનક સમાચાર સાંભળી ચક્રવર્તીએ હર્ષથી વધામણી આપનાર વનપાલકને સાડાબાર કરોડ સુવર્ણ આપ્યું અને સુંદરીને કહ્યું, “બહેન ! તમારો મનોરથ હવે પૂર્ણ થયો છે. ત્યારબાદ તીર્થજલ વડે સ્નાન કરાવી, ઉજ્જવલ વસ્ત્રો પહેરાવી, છત્ર-ચામર સહિત શિબિકામાં સુંદરીને બેસાડી, પરિવાર સહિત ભરત મહારાજા અષ્ટાપદગિરિ પર આવ્યા. ત્યાં પ્રભુને પ્રદક્ષિણા કરી, ભક્તિથી પ્રણામ કર્યા. પછી અંતરમાં થયેલા આનંદનો ઓડકાર હોય એવી સુંદર પ્રભુની સ્તુતિ કરી.
“હે પ્રભુ ! આપ સર્વને ધ્યાન કરવા યોગ્ય છો. આપ દેવેન્દ્રોને પણ પૂજય છો. આપ સર્વને શરણ કરવા યોગ્ય છો. આપ સર્વ વિશ્વના સ્વામી છો. આપ અનાદિ અનંત છો. આ સંસારરૂપ સમુદ્રમાં વહાણરૂપ આપને અમારા નમસ્કાર છે. હે ભક્ત વત્સલ ! આપની પાસેથી હું મોક્ષસુખના આનંદની જ પ્રાર્થના કરું છું.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૭૦
Page #92
--------------------------------------------------------------------------
________________
હે નાથ ! હું આપનો દાસ છું. હે જગતને શરણ કરવા યોગ્ય પ્રભુ ! આપ મારી રક્ષા કરો. આપ મારા ઉપર પ્રસન્ન થાઓ.'
આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી દેશના સાંભળવા યથાસ્થાને બેઠા. દેશનાને અંતે સુંદરીએ પ્રભુને કહ્યું, “હે નાથ ! આપ મારી ઉપર પ્રસન્ન થાઓ અને દીક્ષાના દાન વડે આ સંસારમાંથી મારો ઉદ્ધાર કરો.' આથી પ્રભુએ સુંદરીને દીક્ષા આપી. ભરત રાજા સુંદરીનો દીક્ષા મહોત્સવ કરી, પ્રભુને નમીને પોતાની નગરીમાં પાછા આવ્યા. • ભરત નરેશ્વરના અટ્ટાણું ભાઇઓની દીક્ષા :
એક વખત ભરત રાજાએ પોતાના નાના ભાઇઓને બોલાવવા માટે દૂતો મોકલ્યા. દૂતોએ વેગથી જઈ તે અઢાણું ભાઇઓને સમતાયુક્ત વચનોથી ભારત પાસે જવા કહ્યું, તો પણ તેઓ માન્યા નહીં. એટલે દૂતોએ કઠોર વચનોથી કહ્યું, “જો તમારે જીવિતથી અને રાજ્યથી કામ હોય તો ભરત રાજાની સેવા કરો.”
દૂતના મુખેથી આવા કટુ વચનો સાંભળી, તેઓ અતિશય માન ધરી, અષ્ટાપદગિરિ પર પ્રભુની પાસે ગયા. ત્યાં પ્રભુની સ્તુતિ કરી, નેત્રોમાં અશ્રુ લાવીને પોતાનો વૃત્તાંત પ્રભુને કહ્યો કે, “પૂજય પિતાજી ! જ્યારે આપે દીક્ષા લીધી, ત્યારે આપે આપની ઇચ્છા મુજબ અમને અને ભરતને રાજય વહેંચી આપ્યા હતા. વડીલબંધુ ભરતે છ ખંડનો ગ્રાસ કર્યો છે અને અમે તો આપે આપેલા રાજ્યથી જ સંતોષ માની, આપની ભક્તિમાં મગ્ન થઇને દિવસો નિર્ગમન કરીએ છીએ. તો પણ એ જ્યેષ્ઠબંધુ અમારા રાજ્યો લેવા ઇચ્છે છે. તો આપ પૂર્વની જેમ અમને યથાયોગ્ય ઉપદેશ આપો.'
તેમની વાત સાંભળીને જગત હિતકારી પ્રભુએ કહ્યું, “વત્સો ! ક્ષાત્રતેજવાળા ક્ષત્રિયોએ શત્રુઓને મારવા જ જોઇએ. રાગ-દ્વેષ એ બે તમારા મોટાશત્રુ છે. તેઓ શત્રુતામાં પરાયણ થઇ, તમારી પાસે જ રહીને તમારા પુન્યરૂપ સર્વસ્વને હણી નાંખે છે. આ સંસારરૂપ સાગરમાં રાગ શિલાઓના સમૂહ જેવો છે અને દ્વેષ બોધિ રૂપ કલ્પવૃક્ષને મૂળમાંથી બાળનાર અગ્નિ જેવો છે. માટે હે વત્સ ! તમે આત્મસામ્રાજયને અખંડિત રાખવા માટે વ્રતરૂપ સામ્રાજ્ય મેળવી, અતિ દારૂણ એવા તપ રૂપ અસ્ત્ર વડે રાગદ્વેષ રૂપ મહાશત્રુનો વિનાશ કરો.”
આ પ્રમાણે પ્રભુના વચન સાંભળવાથી સમકિત પામી, વૈરાગ્ય પામેલા તેઓએ અક્ષયસુખ મેળવવાની ઇચ્છાથી ત્યારે જ પ્રભુની પાસે વ્રત ગ્રહણ કર્યું. તેમનું આવું સાહસ જોઇ, દૂતોએ આવી તે વૃત્તાંત ભરત ચક્રવર્તીને જણાવ્યો. ત્યાર પછી ભરતે તે સર્વ રાજ્યો ગ્રહણ કર્યા અને તેમના પુત્રોને પોતાને સ્વાધીન કરી તે રાજયો ઉપર બેસાડ્યા.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૭૧
Page #93
--------------------------------------------------------------------------
________________
ત્યારબાદ ભગવાન શ્રી મહાવીરસ્વામી ઇન્દ્રને કહે છે કે, “હે ઇન્દ્ર ! હવે ચક્રવર્તી ભરત રાજાનું પરાક્રમ અને ઉત્તમ એવા આ તીર્થનો પ્રભાવ તું સાંભળ.”
એક વખત ભરત રાજા સિંહાસન પર બેઠા હતા. ત્યારે સુષેણ સેનાપતિએ આવીને વિનંતી કરી કે, “હે સ્વામી ! સર્વે રાજાઓ આપની આજ્ઞા મસ્તક પર ધારણ કરે છે. છતાં ચક્રરત્ન શસ્ત્રાગારમાં પ્રવેશ કરતું નથી.' તે સાંભળી વિશ્વભર નામના મુખ્યમંત્રીએ આદરપૂર્વક કહ્યું, “હે મહારાજ ! ત્રણે લોકમાં આપની આજ્ઞા નહીં માનનાર એક આપનો નાનો ભાઈ મહાબળવાન બાહુબલિ જ અવશેષ રહેલ છે.”
તે સાંભળી ભરત રાજાએ કહ્યું, પોતાના ભાઈ સાથે યુદ્ધ કરવું તે લજ્જાનું કારણ છે. પણ આ ચક્ર શસ્ત્રાગારમાં પ્રવેશતું નથી, તેથી શું કરવું તે વિચાર મૂંઝવે છે. ત્યારે મંત્રીએ કહ્યું, “હે રાજન્ ! ‘વડીલ જે જે આજ્ઞા કરે તે પ્રમાણે નાનાએ કરવું જોઇએ, એવો સામાન્ય ગૃહસ્થોનો પણ આચાર છે.” માટે પ્રથમ દૂત દ્વારા આપના નાના ભાઈ બાહુબલિને આપની આજ્ઞા માનવાનું કહેવરાવો ! હું ધારું છું કે તે આપની આજ્ઞા નહીં માને, એટલે તેના અવિનયથી તેનો આપ પ્રતિકાર કરશો તો આપને લોકઅપવાદ લાગશે નહીં.
મંત્રીનું કહેલું સાંભળી ભરત રાજાએ રાજનીતિના જાણકાર અને બોલવામાં કુશળ એવા “સુવેગ” નામના દૂતને બાહુબલિ પાસે મોકલ્યો. સુવેગ પણ બાહુબલિના દેશ તરફ ચાલતાં માર્ગમાં થતાં અપશુકનોને જરાપણ ગણ્યા વિના આગળ ચાલતાં ચાલતાં સમૃદ્ધ એવા બહલિ દેશમાં આવ્યો. ત્યાં તેણે ગામેગામ શ્રીયુગાદિ પ્રભુના ગુણગાન અને ત્રણ ભુવનમાં સર્વથી શ્રેષ્ઠ બાહુબલિનું બળ સાંભળ્યું તથા બાહુબલિ પ્રત્યે અત્યંત સ્નેહવાળા, ધનવાન અને સ્વરૂપવાન નગરજનોને જોયા.
અનુક્રમે બહલી દેશના ત્રણ લાખ ગામોને જલ્દીથી પસાર કરીને સુવેગ દૂત તક્ષશિલા નગરીમાં આવી પહોંચ્યો. નગરની શોભા જોતો જોતો બાહુબલિનાં સિંહદ્વાર પાસે રત્નજડિત અતિ સુંદર રાજમહેલમાં રાજાની આજ્ઞા મેળવી છડીદાર સાથે રાજસભામાં પ્રવેશ કર્યો. ત્યાં સિંહાસન પર બેઠેલા અપૂર્વ ક્ષાત્રતેજવાળા બાહુબલિને પ્રણામ કર્યા અને તેમણે બતાવેલા આસન ઉપર સુવેગ બેઠો.
પછી ગંભીર વાણીથી બાહુબલિએ પૂછ્યું, “હે દૂત ! મારા પિતા સમાન પૂજ્ય એવા આર્ય-ભરતને કુશળ છે ને ! અમારી કુલનગરી અયોધ્યામાં સર્વત્ર શાંતિ છે?' વિગેરે કુશળવાર્તા પૂછીને બાહુબલિ મૌન રહ્યા, એટલે સુવેગ પ્રણામ કરીને બોલ્યો, જેમની કૃપાથી બીજાઓનાં ઘેર પણ કુશળતા થાય છે, તેવા તમારા જયેષ્ઠબંધુ ભરત અત્યંત કુશળ છે અને વિનીતા નગરીમાં પણ સર્વત્ર શાંતિ છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૭૨
Page #94
--------------------------------------------------------------------------
________________
હે મહારાજ ! લાખ્ખો યક્ષો, રાજાઓ, વિદ્યાધરો અને દેવતાઓથી તે ભરતેશ્વર હંમેશા સેવાય છે. તો પણ પોતાના બાંધવ બાહુબલિ વિના તેઓને આનંદ નથી. તેઓ દિગ્વિજયમાં અને બાર વર્ષ સુધી થયેલા રાજ્યાભિષેક મહોત્સવમાં નહીં આવેલા પોતાના બંધુઓને મળવા ઘણી ઈચ્છા કરતા હતા. પરંતુ બીજા ભાઇઓએ તો વ્રત ગ્રહણ કર્યું. તેથી હવે કેવળ તમને મળવાની ઉત્કંઠા ધરીને મને અહીં મોકલ્યો છે. કારણ કે બંધુ વગરનું રાજસુખ દુઃખ જેવું છે. તેમજ કુલીન પુરુષોને પોતાના જ્યેષ્ઠ બંધુ પિતા સમાન પૂજ્ય છે. વળી તમારા સમાગમના સુખથી અને તમારી ઉપરના વાત્સલ્યભાવથી તમને વિશેષ રાજયસમૃદ્ધિ આપશે અને ઇન્દ્ર પણ જેને પોતાનું અર્ધ આસન આપે છે, એવા મોટાભાઈ ભરતને નમન કરતાં તમને શી લજ્જા ? વધારે તો શું કહું ? પણ જો તમારે રાજય અને જીવિતની ઇચ્છા હોય તો ત્યાં આવી ભરત રાજાના ચરણોની સેવા તમે સ્વીકારો.” • બાહુબલિનો પ્રત્યુત્તર અને યુદ્ધની તૈયારી :
સુવેગનાં આવા વચનો સાંભળી બાહુબલિ ક્રોધિત થઈ બોલ્યા, “રે દૂત ! તું વાચાળ અને પોતાના સ્વામીનું કાર્ય કરનાર છે તે સત્ય છે. કારણ કે, તું પરસ્થાને આવીને પણ આ પ્રમાણે બોલી શકે છે. તે કહે છે કે, જયેષ્ઠબંધુ પિતાની જેમ પૂજ્ય છે એવો કુલીન પુરુષોનો આચાર છે, તે સાચું. પણ જે વડીલ પોતાનાં મોભા પ્રમાણે ન વર્તે તેની સેવા કરવી યોગ્ય નથી. ભારતે છલ કરી પોતાના નાના ભાઇઓનાં રાજયો પડાવી લીધા, તે ભારતનું મોટાભાઈપણું કેવું ? તે મારા અઢાણુ ભાઇઓ કાંઈ ડરપોક નહોતા. પણ જયેષ્ઠબંધુની સાથે કજીયો કરવામાં તેઓ લજ્જા સમજતા હતા. આથી તેઓએ પૂજ્ય પિતાશ્રી ઋષભદેવ ભગવંત પાસે દીક્ષા ગ્રહણ કરી છે. હું પિતાશ્રીએ આપેલા રાજયથી સંતુષ્ટ છું, તો હું તેની સેવા શા માટે કરું ? વળી, તે પિતાશ્રી ઋષભદેવ ભગવંતનો જયેષ્ઠ પુત્ર છે, એવું ધારીને ઇન્દ્ર તેને અડધું આસન આપે છે, તેમાં કાંઈ ભરતનો પ્રભાવ નથી અને જ્યારે હું રણભૂમિમાં આવું ત્યારે મારી આગળ એનું સૈન્ય, સુષેણ અને ચક્રરત્ન – એ સર્વનું બળ વ્યર્થ છે. પૂર્વે બાલ્યાવસ્થામાં અશ્વક્રીડા કરવા માટે અમે ગંગાને કાંઠે ગયા હતા. તે સમયે મેં તેને આકાશમાં ઉછાળ્યો હતો અને દયા આવવાથી પાછો ઝીલી લીધો હતો. તે બધું હમણાં રાજયમદથી કદાચ તે ભૂલી ગયો હશે. તેથી જ તે દુરાશયે તારા જેવા દૂતને મારી પાસે મોકલ્યો છે. માટે, હે દૂત ! અહીંથી જલ્દી ચાલ્યો જા ! કેમકે નીતિનાં પાલનને ઇચ્છતા રાજાઓ માટે ગમે તેવો દૂત પણ અવધ્ય છે. તે ભરત જ ભલે અહીં આવીને પોતાના દુર્નયનું ફળ ભોગવે !'
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૭૩
Page #95
--------------------------------------------------------------------------
________________
આવી ગંભીર અને ઉગ્ર વાણીથી મનમાં ચમત્કાર પામેલો સુવેગ દૂત આસન પરથી ધીમે ધીમે ઉભો થયો અને ભયથી સ્ખલના પામતો સભામાંથી બહાર નીકળી, જલ્દીથી પોતાના રથ ઉપર ચડી ગયો. તે વખતે લોકો આ પ્રમાણે વાતો કરવા લાગ્યા. કોઇએ કહ્યું, ‘આ કોઇ નવો માણસ સભામાંથી નીકળ્યો જણાય છે, હું ધારું છું કે તે ભરત રાજાનો દૂત હશે.'
ત્યારે બીજાએ કહ્યું, ‘શું બાહુબલિ સિવાય બીજો કોઇ રાજા છે ખરો ?' એટલે અન્ય કોઇએ ઉત્તર આપ્યો કે, ‘હા. બાહુબલિના જ્યેષ્ઠબંધુ ભરત નામે રાજા છે.’
ત્યારે કોઇ બોલ્યું કે, ‘તો આટલા વખતથી તે કયા દેશમાં ગયો હતો ?' અન્ય કોઇએ કહ્યું કે, ‘તે ચક્રવર્તી હોવાથી છ ખંડ સાધવા ગયો હતો.' વળી કોઇ ત્રીજાએ કહ્યું કે, ‘તેણે આ દૂત શા માટે મોકલ્યો હશે ?' જવાબમાં અન્યે કહ્યું, ‘પોતાની સેવા કરવાનું કહેવા માટે મોકલ્યો હશે.' ત્યારે અન્ય કોઇ બોલ્યું કે, ‘શું તેને મંત્રી નહીં હોય કે જે આવું કામ કરતાં ભરતને રોકે નહીં ?'
એટલે પેલાએ કહ્યું કે, તેને સેંકડો મંત્રીઓ છે, પણ આ કામમાં સર્વે ઉલ્ટી સલાહ આપે છે.'
આ સાંભળી એક જણે કહ્યું, ‘ભાઇ ! આ તો સૂતેલા સિંહને જગાડવા જેવું છે.’ આ પ્રમાણે નગરજનોનો વાર્તાલાપ સાંભળતો સુવેગ વેગથી તક્ષશિલા નગરીની બહાર નીકળ્યો. શહેરે-શહેરે અને ગામડે-ગામડે ભુજાના મદથી ગર્વ ધરતા અને શસ્ત્રોને ઉગામતા વીર પુરુષોને જોઇ તથા હાથમાં શસ્ત્રો લઇ યુદ્ધ કરવા સજ્જ થતા બાળકોને જોઇ સુવેગ મનમાં વિચારવા લાગ્યો કે અહીં આવા બાળકો પણ યુદ્ધ કરવાની સ્પૃહા કરે છે, તો શું આ ભૂમિનો ગુણ હશે કે બાહુબલિના પરાક્રમનો ગુણ હશે ? ખરેખર ! જેવા રાજા હોય તેવી પ્રજા હોય છે.’ તેથી પોતાના સ્વામીના બળના માહાત્મ્યથી જ આ સર્વે ઉત્સાહ ધરે છે.
આગળ ચાલતાં અનુક્રમે એક ભયંકર અટવીમાં આવ્યો. ત્યાં પણ પર્વતના રાજાઓને યુદ્ધ માટે સજ્જ થતા જોઇ, તે દૂત બંને ભાઇઓનું પરસ્પર વૈર થવાના હેતુથી હૃદયને નીંદવા લાગ્યો અને વિચારવા લાગ્યો, ‘અહા ! ચક્રવર્તીને શી ન્યૂનતા છે કે જે આ બાહુબલ પાસેથી સેવાને ઇચ્છે છે. મેં પણ કેસરીસિંહની જેમ બાહુબલિને ફોકટ આ રીતે ચીડવ્યા છે.’ એમ વિચારતો સુવેગ કેટલાક દિવસે પોતાના સ્વામીના દેશની નજીક સુખપૂર્વક આવી પહોંચ્યો. તે વખતે ત્યાંના લોકોમાં થતી વાતો સાંભળી શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૭૪
Page #96
--------------------------------------------------------------------------
________________
કે, “હે લોકો ! સર્વે પોતપોતાના સ્ત્રી, પુત્ર વગેરેને લઇને તૈયાર થઈને જલ્દી કિલ્લામાં જાઓ. કેમ કે બાહુબલિ ક્રોધ પામતા કિલ્લાનું બળ પણ નકામું છે. આવી લોકવાર્તા સાંભળીને સુવેગ વિચારમાં પડ્યો કે, “શું આ વાત મારાથી પણ પહેલા અહીં આવી પહોંચી કે જેથી આ લોકો બાહુબલિના સૈન્યનો આટલો બધો ભય રાખે છે ?'
સુવેગ દૂતનું પુનરાગમન :
આમ વિચારતા સુવેગે અયોધ્યામાં ભરત ચક્રવર્તી પાસે આવીને પ્રણામ કર્યા. ત્યારે ભારતે પૂછ્યું, “તું કેમ જલ્દી પાછો આવી ગયો ? મારો ભાઈ બાહુબલિ કુશલ તો છે ને?' સુવેગ પ્રણામ કરીને બોલ્યો, “સ્વામી ! આ પૃથ્વીમાં બાહુબલિનું અકુશલ કરવા કોણ સમર્થ છે? પ્રથમ તો મેં તેમને સામ-નીતિનાં વાક્યોથી હિત સમજાવ્યું. પછી બીજા ઉપાયો પણ કહી બતાવ્યા. તો પણ તેમણે મારું કંઇ માન્યું નહીં. ઉલ્યું, છેલ્લે મને તિરસ્કારપૂર્વક કહ્યું કે, “હે દૂત ! ચાલ્યો જા અને તારા સ્વામીને રાજય તથા જીવિત માટે અહીં મોકલ.” હે પ્રભુ! વિશેષ શું કહું? તેના રાજયના સીમાડામાં વસતા સર્વ લોકો પણ તેની ઉપર સંપૂર્ણ અનુરાગી છે અને તેઓ પોતાનું જીવિત આપીને પણ તેની રાજ્યલક્ષ્મીની રક્ષા કરવા ઇચ્છે છે.'
દૂતનાં વચનો સાંભળી ભરત રાજાએ કહ્યું કે, “મારો નાનો ભાઈ શત્રુરૂપ છે, એ હું જાણું છું. તો પણ હું તેની સાથે યુદ્ધ નહીં કરું. કારણ કે સર્વ દેશોમાં ફરીએ તો પણ પોતાનો ભાઈ કોઈ ઠેકાણે મળતો નથી.
સંપત્તિ, રાજ્ય અને બીજું બધું સર્વ ઠેકાણે મળે છે, પણ ભાગ્ય વિના બંધુ ક્યાંય પણ મળતો નથી. બંધુ વગરનું વિશ્વ ફોગટ છે. જે ધન કે જીવિત, બંધુના ઉપકાર માટે કે રક્ષણ માટે ઉપયોગી થતું નથી, તે ધન નિધનરૂપ (મરણરૂપ) છે.
મને કોઈ ‘આ નિઃસત્ત્વ છે” એમ કહીને હસે, તો ભલે હસે. પણ હું એ મારા નાના ભાઇ બાહુબલિની સાથે યુદ્ધ કરીશ નહીં.'
ભરત રાજાના વચનો સાંભળી ક્રોધ પામેલા સુષેણ સેનાપતિએ ધીર-ગંભીર વાણીથી કહ્યું, “હે સ્વામી ! શ્રી યુગાદિપ્રભુના પુત્ર હોવાથી તમે આ કહો તે યોગ્ય છે. પરંતુ તમે તેની ઉપર સ્નેહ ધરાવો છો, જયારે તે તમારી ઉપર દ્વેષ રાખે છે. માટે હે નરેશ્વર ! પોતાનો સહોદર પણ જો આજ્ઞાનો ભંગ કરતો હોય, તો રાજાએ તેની ઉપેક્ષા કરવી યોગ્ય નથી. કારણ કે રાજાઓને પોતાની આજ્ઞા જ સર્વત્ર તેજ કરનારી છે. પોતાનાં રાજ્યથી કૃતાર્થ થયેલા રાજાઓ પણ દિગ્વિજય કરે છે, તે લોભથી નહીં, પરંતુ પોતાનાં તેજની વૃદ્ધિ માટે કરે છે. માટે આ કાર્યમાં આપે
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૭૫
Page #97
--------------------------------------------------------------------------
________________
જરાપણ વિલંબ કરવો યોગ્ય નથી. છતાં જો આપને શંકા હોય તો નીતિનાં જાણકાર આ મંત્રીઓને આપ પૂછી જુઓ.'
તે વખતે જાણે સુષેણનાં વચનોના પડઘા હોય તેમ બધા મંત્રીઓ પણ રાજાને ઉત્સાહિત કરવા, વિશેષ રીતે બાહુબલિની સામે યુદ્ધ કરવા માટે કહેવા લાગ્યા. તેથી ભરત નરેશ્વરે યુદ્ધપ્રયાણ ભંભાનો નાદ કરાવ્યો. તેના નાદથી સર્વ રાજાઓ તત્કાળ એકઠા થયા.
પછી ભરતેશ્વરે શુભ દિવસે પ્રભુની ભક્તિભાવપૂર્વક પૂજા કરી, પૌષધાગારમાં રહેલા મુનિઓ પાસે જઈ વંદન કર્યું અને નગરીની બહાર છેવાડે છાવણી નાંખી. પ્રયાણ સમયે સૌભાગ્યવતી સ્ત્રીઓએ અને કુલીન કન્યાઓએ અખંડ અક્ષતોથી આદરપૂર્વક ચક્રવર્તીને વધાવ્યા. ભાટચારણ-બંદીજનો સ્તુતિ કરવા લાગ્યા, દેવતાઓ સેવામાં હાજર થયા, કુલસ્ત્રીઓ મંગળ ગીત ગાવા લાગી, મહાજનો દર્શન કરવા લાગ્યા. આમ માંગલિકોથી કૃતાર્થ થયેલા ભરત રાજા રણયાત્રાનો આરંભ કરવા, પ્રાતઃકાળમાં સૂર્યની જેમ સુરગિરિ નામના ગજેન્દ્ર ઉપર ચડ્યા, એ ગજરત્ન ઘણો ઉંચો અને ચક્રવર્તીના યશ જેવો ઉજ્જવલ હતો. એક હજાર યક્ષો તેની રક્ષા કરતા હતા. • યુદ્ધ માટે ભરત ચક્રવર્તીનું મહાપ્રયાણ :
ભરત રાજાએ પ્રેરણા કરેલો ગજરત્ન આગળ ચાલ્યો. સૂર્યમંડળ જેવું પ્રકાશમાન સહસ્ર આરાને ધારણ કરતું ચક્રરત્ન સૈન્યની આગળ ચાલવા લાગ્યું. સૈન્યના ભારથી પૃથ્વી દબાઇ ગઇ, દુંદુભિના ધ્વનિથી અને રથચક્રના ચિત્કારથી દિશાઓને શબ્દમય કરતા ભરત રાજા અવિચ્છિન્ન પ્રમાણે ચાલવા લાગ્યા અને કેટલાક દિવસે બહલી દેશની નજીક આવી પહોંચ્યા.
ભરત રાજાએ પોતાના સૈન્યને માટે આવાસ કરવા કેટલાક પુરુષોને આગળ મોકલ્યા હતા. તેઓએ આવીને હર્ષથી વિજ્ઞપ્તિ કરી કે, “અહીંથી ઉત્તર દિશામાં ગંગા નદીને કાંઠે એક મોટુ વન છે. તેમાં સુવર્ણ તથા મણિરત્નમય પિતાશ્રી ઋષભદેવ ભગવંતનો એક સુંદર પ્રાસાદ છે. ત્યાં કોઇ સંયમી, ત્યાગી મુનિરાજ બિરાજમાન છે.” તે સાંભળી ભરત રાજા તરત જ તે વનમાં ગયા અને વિધિસહિત જિનેશ્વરને નમીને તથા ભક્તિથી પ્રભુનું પૂજન કરી મુનિરાજ પાસે ગયા. તેમને ઓળખીને પ્રણામ કરી, તે મહાત્માને કહ્યું, “હે ભગવન્! તમે વિદ્યાધર હતા અને મારી સાથે યુદ્ધ કરવા આવ્યા હતા. તો આવા પ્રકારના વૈરાગ્યનું કારણ શું બન્યું ? કે આપ સંયમી બન્યા, તે કૃપા કરીને મને ફરમાવો.'
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૭૬
Page #98
--------------------------------------------------------------------------
________________
મુનીશ્વરે કહ્યું કે, “જ્યારે હું તમારી સાથે યુદ્ધ કરવા આવ્યો હતો, તે વખતે નમિ, વિનમિ અને હું તમારાથી જીતાયા. તેથી વૈરાગ્ય પામીને તરત જ મારા પુત્રને રાજય આપી, મેં પ્રભુની પાસે જઈ ચારિત્ર ગ્રહણ કર્યું છે. ત્યારથી હું નિત્ય એમની સેવા કરું છું.” તે સાંભળી ભરતે પૂછ્યું, “ભગવન્! હમણાં પિતાશ્રી ઋષભદેવ ભગવંત
ક્યાં બિરાજે છે ? તેમણે કહ્યું, “તે સંબંધમાં એક કૌતુક બન્યું છે, તે તમે સાંભળો !” • વિધાધર મુનિવર દ્વારા શત્રુંજય માહાભ્ય વર્તન :
હમણાં શ્રી યુગાદિપ્રભુ “શ્રીપ્રભ” ઉદ્યાનમાં પધાર્યા છે. ત્યાં હું પણ સાથે હતો. “અનંત’ નામના નાગકુમારદેવની સાથે ધરણેન્દ્ર ત્યાં આવ્યા અને જગદ્ગુરુને નમીને પ્રશ્ન કર્યો કે, “ભગવન્! સર્વ દેવોમાં આ અનંતના દેહની કાંતિ આટલી અધિક કેમ છે ?'
પ્રભુએ કહ્યું કે, “આજથી પૂર્વે ચોથા ભવે અનંતદેવ આભીર જાતિમાં ઉત્પન્ન થયો હતો. ત્યાં તે નિરંતર મુનિઓને દુઃખ આપતો હતો. ત્યાંથી મૃત્યુ પામી, નરકમાં વિવિધ વેદનાઓને ભોગવી, “સુગ્રામ' નામના ગામમાં કોઢ રોગથી પીડિત બ્રાહ્મણ થયો. એક વખતે તેણે “સુવ્રત' નામના મારા શિષ્ય મુનિને પોતાનાં દેહમાં કોઢ થવાનું કારણ પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું કે, “પૂર્વ ભવે મુનિરાજને પીડા કરી હતી, તેથી તું કોઢીયો થયો છું.” બ્રાહ્મણે કોઢ રોગના નાશનો ઉપાય પૂછ્યો, ત્યારે મુનિએ કહ્યું કે, “તું ભાવપૂર્વક શત્રુંજયગિરિની સેવા કર. તે તીર્થમાં રાગ-દ્વેષરહિત અને સમતારસ યુક્ત થઈને રહેવાથી પાપકર્મનો ક્ષય કરીને તે રોગથી મુક્ત થઇશ. એ તીર્થના માહાભ્યથી ત્યાં રહેનારા તિર્યંચો પણ પ્રાયઃ પાપમુક્ત અને નિર્મળ હૃદયવાળા થઇને સારી ગતિ પામે છે. એ ગિરિરાજનાં સ્મરણથી સિંહ, અગ્નિ, સમુદ્ર, સર્પ, રાજા, વિષ, યુદ્ધ, ચોર, શત્રુ અને મહામારીના ભયો નાશ પામે છે.”
તીર્થ-મહિમા સાંભળીને એ બ્રાહ્મણ પુંડરીક ગિરિરાજની યાત્રાએ ગયો. ત્યાં મુનિએ કહ્યા પ્રમાણે વર્તવાથી અનુક્રમે તે રોગરહિત થયો અને વિશેષ વૈરાગ્યથી અનશન કરી મૃત્યુ પામી, અદ્દભૂત કાંતિને ધારણ કરનાર આ અનંત નામનો નાગકુમાર દેવ થયો છે. વળી તીર્થસેવાના પ્રભાવથી આ ભવથી ત્રીજે ભવે આ દેવ સર્વ કર્મોનો ક્ષય કરી મુક્તિસુખ પામશે.
આ પ્રમાણે સાંભળી તે અનંતદેવ શત્રુંજયગિરિ પર ગયો. તેના આગ્રહથી હું પણ તેની સાથે જ તે તીર્થની યાત્રાએ ગયો હતો. ત્યાં અષ્ટાહ્નિકા મહોત્સવ કરીને ભક્તિથી તીર્થનું સ્મરણ કરતો તે દેવ પોતાનાં સ્થાને ગયો અને હું અહીં આવ્યો છું. આ પ્રાસાદ શ્રી બાહુબલિના પુત્ર સોમયશાએ રચાવ્યો છે. એમ કહી,
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૭૭
Page #99
--------------------------------------------------------------------------
________________
મુનિએ ધર્મલાભરૂપ આશિષ આપીને ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. પછી ભરતેશ્વરે તે રમણીય પ્રદેશમાં જ સૈન્યનો પડાવ કરાવ્યો. • ઘોર યુદ્ધની તૈયારી :
આ બાજુ બાહુબલિએ ભરતને આવેલા સાંભળી પોતાના સિંહનાદ સાથે ભંભાનો નાદ કરાવ્યો. તે નાદ સાંભળી, ભરતેશ્વરને “હું જીતીશ, હું જીતીશ” એમ પરસ્પર સ્પર્ધા કરતાં વીરપુરુષો જલ્દીથી એકઠા થયા.
જાણે મૂર્તિમાન વીરરસ હોય તેવા ચતુરંગ સૈન્ય સહિત ત્રણ લાખ પુત્રોથી વીંટાયેલા, છત્ર-ચામરથી વિભૂષિત બાહુબલિ રાજા, ભદ્રકરણ નામના ઉત્તમ હસ્તી ઉપર આરૂઢ થયા અને દેશના પર્યત ભાગે પોતાની છાવણી નાખી મસ્તક પર રણપટ્ટ બાંધ્યો.
ભરત મહારાજાએ પોતાના સૈન્યમાં સુષેણને સેનાપતિ કર્યો અને સર્વ રાજાઓને તથા સૂર્યયશા વગેરે સવા ક્રોડ પુત્રોને બોલાવીને કહ્યું, “હે વીરપુરુષો ! તમે દિગ્વિજયમાં સર્વ રાજાઓ, વિદ્યાધરો, દૈત્યો અને દુર્દમ એવા ભીલોને જીતી લીધા છે, પણ તેમાં આ બાહુબલિના એક સામંત જેવો પણ કોઇ બળવાન હતો નહીં.
બાહુબલિનો સોમયશા નામે પૂર્ણ પરાક્રમી જયેષ્ઠ પુત્ર છે. તે એક લાખ હાથી તથા ત્રણ લાખ રથ અને ત્રણ લાખ ઘોડા સાથે એકલો યુદ્ધ કરે તેવો છે.
તેનો નાનો ભાઈ સિંહરથ બળવાન, મહારથી, દિવ્ય શસ્ત્રથી યુદ્ધ કરનાર છે. તેનાથી નાનો સિંહકર્ણ એક હાથે મોટા પર્વતોને પણ ઉપાડે તેવો છે. તેનાથી નાનો સિંહવિક્રમ સર્વ વીરપુરુષોથી પણ અજેય છે. સિંહસેન શત્રુસૈન્યનો ક્ષય કરવા સમર્થ છે. ત્રણ લાખ કુમારોમાં સૌથી નાનો પુત્ર પણ એકલો આખી સેનાને જીતવા સમર્થ છે. તમે દિગ્વિજયમાં તો કેવળ દિશાઓનું અવલોકન કર્યું છે. બાકી તો બાહુબલિ સાથે યુદ્ધ હવે જ થવાનું છે. તેથી તમારે સુષેણ સેનાપતિને અનુસરવું. તે સાંભળી સર્વ વીરો હર્ષ પામતા પોતપોતાનાં સ્થાને ગયા.
- ભરતેશ્વરે ધનુષ્યાદિ સર્વ શસ્ત્રોનું વિવિધ પુષ્પાદિકથી પૂજન કર્યું, અક્ષતો તથા રત્નોથી અષ્ટમાંગલિકોને આલેખ્યા ત્યારે ભારતના સૈન્યમાં એકસાથે અઢાર લાખ દુંદુભિઓ વાગવા માંડી.
આ તરફ બાહુબલિએ શ્રી જિનેશ્વરદેવની પૂજા કરી, વજય બન્નર, મુગટ અને લોહબાણથી ભરેલા બે ભાથા ધારણ કર્યા અને મહાભદ્ર નામના ગંધહસ્તી ઉપર આરૂઢ થઈ રણભૂમિ તરફ ચાલ્યા. તેમની સાથે મુખ્ય પુત્ર સોમયશા અને બીજા પણ ઘણા કુમારો રથમાં આરૂઢ થઇને ચાલ્યા.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૭૮
Page #100
--------------------------------------------------------------------------
________________
ભરતેશ્વરે પણ પ્રાત:કાળે ઋષભદેવ પ્રભુની ભાવથી ભક્તિ કરી. “સપુરુષો ક્યારે પણ સાંસારિક કાર્યમાં મોહ પામી ધર્મકાર્યને ભૂલી જતા નથી.” ચૈત્યમાંથી નીકળી કવચ, મુગટ, ભાથાને ધારણ કર્યા અને ઐરાવણ હાથી જેવા મદ ઝરતા સુરગિરિ નામના હાથી ઉપર આરૂઢ થયા. સુષેણ સેનાપતિ પવનંજય નામના રથ ઉપર બેઠો તથા સવા કરોડ કુમારો અને અનેક રાજાઓ સજ્જ થઇને રણભૂમિમાં આવ્યા. • ભરત - બાહુબલિનું યુદ્ધ :
ઘોડેસવારો ઘોડેસવાર સાથે, ગજસવારે ગજસવાર, રથીએ રથી, પાયદળે પાયદળ, ખેચરે ખેચર, રાજાએ રાજા, સુભટે સુભટ, સામંતે સામંત અને ભીલેભીલ એમ સર્વ સૈનિકો સમાનપણે એકબીજાને સામસામાં મળ્યા અને યુદ્ધ શરૂ થયું.
ભરત ચક્રવર્તી અને બાહુબલિના વીરો રણભૂમિમાં પરસ્પર ઘોર યુદ્ધ કરવા લાગ્યા અને સામ-સામા યુદ્ધ કરતાં જય-પરાજય પામવા લાગ્યા. યુદ્ધ કરતાં તેઓના રથના ચિત્કારોથી પૃથ્વી કંપાયમાન થઇ, બાણના પ્રહારોથી આકાશમાં રહેલા દેવતાઓ પણ ત્રાસ પામ્યા, તેમના સિંહનાદથી સિંહાદિ પ્રાણીઓ પણ મૃગની જેમ ત્રાસથી દૂર થઈ ગયા, તેમના ભુજાના આસ્ફોટથી પર્વતો પણ ફાટી ગયા. સેનાનો સંહાર થતા પૃથ્વી વીરજનોના ક્લેવરથી વ્યાપ્ત થઇ, આકાશ અસ્ત્રમય બન્યું અને દિચક્ર રુધિરમય બની ગયું. આમ ભરતેશ્વર તથા બાહુબલિના સૈન્ય વચ્ચે બાર વર્ષ સુધી મહાભયંકર યુદ્ધ ચાલ્યું.
તે વખતે ત્રણ લોકના પ્રલયની શંકા કરાવતો ઘોર સંગ્રામ ચાલતો જોઇને દેવોએ વિચાર કર્યો કે, “શ્રી ઋષભસ્વામીના પુત્રોનું જ સામ-સામું ઘોર યુદ્ધ થઈ રહ્યું છે, તે યોગ્ય ન ગણાય.” તેથી તેઓ નીચે આવી બંને સૈન્યોના સુભટોને કહેવા લાગ્યા કે, “અરે સુભટો ! અમે જઇને તમારા બંનેના સ્વામીને સમજાવીએ, ત્યાં સુધી જે કોઇ યુદ્ધ કરે તેને શ્રી યુગાદિપ્રભુની આણ છે.' આ રીતે દેવો તરફથી પ્રભુની આણ થતાં સર્વ યોદ્ધાઓ સ્થિર થઈને ત્યાં યુદ્ધભૂમિ પર ઉભા રહ્યા. • ભરત - બાહુબલિને યુદ્ધવિરામ માટે દેવોની વિનંતી :
દેવતાઓ ભરત ચક્રવર્તી પાસે આવ્યા અને “ચક્રવર્તીઓમાં શિરોમણિ, હે ભરત રાજા ! તમારો જય થાઓ.” એવી આશિષ આપીને કહ્યું કે, “હે રાજેન્દ્ર ! તમે પખંડ પૃથ્વીનો જય કર્યો, તે સારું કર્યું. પણ ઋષભદેવના પુત્ર થઇ, આવા યુદ્ધનો પ્રારંભ કેમ કર્યો છે ? તમારા પિતાએ આ સૃષ્ટિ નિર્માણ કરી છે અને તેમના પુત્ર થઇને તમે તેનો સંહાર કરો છો, તે તમને શોભે છે ? માટે હે ક્ષિતિપતિ ! જગતનો અકાળે સંહાર કરનારા આ રણસંગ્રામથી તમે પાછા હઠો !
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૭૯
Page #101
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે સાંભળીને ભરતેશ્વર બોલ્યા : “હે દેવતાઓ ! તમે અમારા પિતાના ભક્ત છો અને અમે તેમના પુત્રો છીએ. તેથી ઘટિત-અઘટિત વિચારીને જે યથાર્થ હોય તે અમને ફરમાવો. હું લોભથી, ગર્વથી કે માત્સર્યથી યુદ્ધ નથી કરતો, પણ શસ્ત્રાગારમાં ચક્રરત્ન પ્રવેશ કરતું નથી. માત્ર એક બાહુબલિ જ મારા પ્રત્યે દુર્વિનીત થયો છે. પહેલા તો પિતાની જેમ મારો આદર કરતો હતો, પણ અત્યારે તે મારી આજ્ઞા પણ માનતો નથી. એક તરફ મારો લઘુભ્રાતા છે અને બીજી તરફ ચક્રરત્ન પોતાના સ્થાનમાં પેસતું નથી. હે દેવતાઓ ! હું આવા સંકટમાં પડ્યો છું, માટે તમે મને ન્યાય આપો. તમે વિબુધ હોવાથી જે કહો તે મારે પ્રમાણ છે.” - ભરત ચક્રવર્તીના આવા વચનો સાંભળીને તે દેવો બોલ્યા, “હે મહીપતિ ! જો ચક્રનો પ્રવેશ ન થાય, તો તમને યુદ્ધથી વારવા યોગ્ય નથી અને જો બાહુબલિ યુદ્ધ જ કરવાનું કહે, તો તમારે બંનેએ જ વંદયુદ્ધ કરવું. તે યુદ્ધમાં દૃષ્ટિયુદ્ધ, વાગ્યુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ એ ચાર યુદ્ધથી તમારે યુદ્ધ કરવું. જેથી તમારું માન સચવાય અને નિષ્કારણ જીવોની હિંસા ન થાય.”
આ વાત ભરત ચક્રવર્તીએ સ્વીકારી. એટલે દેવો બાહુબલિનાં સૈન્યમાં આવ્યા. ત્યાં જઇ, “હે યુગાદિ પ્રભુના પુત્ર બાહુબલિ ! તમે જય પામો અને આનંદમાં રહો.” એવી આશિષ આપીને બોલ્યા, “મહારાજ બાહુબલિ ! તમે યશના અર્થી અને વડીલના ભક્ત છો, છતાં વડીલબંધુ સાથે યુદ્ધ કેમ આરંભ્ય છે? એમાં જગતનો સંહાર થઈ રહ્યો છે. માટે હે ભૂપતિ ! ચાલો અને (ભારત) વડીલબંધુને પ્રણામ કરો. ગુરુજનની સેવાથી તમને વિશેષ માન મળશે. સર્વ રીતે તમે પ્રશંસા પામશો.” આમ કહીને દેવતાઓ મૌન થયા એટલે બાહુબલિ બોલ્યા, “હે દેવતાઓ ! તમે પિતાશ્રીના અતિ ભક્ત હોવાથી સરળ હૃદયવાળા છો. પણ પૂર્વે પિતાશ્રીએ અમને અને ભરતને રાજયસંપત્તિ વહેંચી આપેલી છે. અમે તો પિતાની આજ્ઞાથી તેટલા જ રાજ્યમાં સંતુષ્ટ થઈને રહ્યા છીએ. પરંતુ અસંતોષી ભરતે આખા ભરતખંડને પોતાને આધીન કરી લીધો. એટલું જ નહીં, અપૂર્ણ આશાવાળા તેણે ભાઇઓનાં રાજય પણ લઈ લીધાં છે અને છેવટે મારા રાજ્યને પણ લેવા ઇચ્છે છે. તો આવા બંધુને હું ગુરુબુદ્ધિથી કેમ નમું ? માટે હે દેવતાઓ ! જો તમે તેનું હિત ઇચ્છતા હો તો, તે લોભાંધને જઇને સમજાવો. હું તેના જેવો લોભી નથી.'
આવી બાહુબલિની વાણી સાંભળી અંતરથી આશ્ચર્ય પામેલા દેવોએ બાહુબલિને કહ્યું કે, “જ્યાં સુધી ચક્ર પ્રવેશ કરે નહીં, ત્યાં સુધી ભરત રાજાને શી રીતે યુદ્ધથી અટકાવી શકાય? અને તે યુદ્ધ કરે, તો તમારે યુદ્ધ કરવું, એ નિશ્ચય છે. એટલે
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૮૦
Page #102
--------------------------------------------------------------------------
________________
તમને પણ અટકાવી ન શકાય. તો પછી તમારે બંનેએ જ કેવળ ઉત્તમ યુદ્ધથી જ યુદ્ધ કરવું, પણ અધમ યુદ્ધથી નહીં.” આ વાત બાહુબલિએ પણ સ્વીકારી. એટલે સર્વ દેવતાઓ યુદ્ધભૂમિની નજીક આકાશમાર્ગે તે બંનેનું યુદ્ધ જોવા માટે ઉભા રહ્યા. • ભરત ચક્રવર્તીની બલ પરીક્ષા :
બાહુબલીના છડીદારે હાથી ઉપર ચડીને, ઉંચો હાથ કરી, મોટા અવાજે કહ્યું, હે રાજવીરો ! આ યુદ્ધ સમારંભથી નિવૃત્ત થાઓ. દેવતાઓની પ્રાર્થનાથી વંદયુદ્ધનો આરંભ થાય છે, તે તમે દૂર રહીને જ જુઓ.'
તે સાંભળી ભરત ચક્રવર્તીના સુભટો વિચારવા લાગ્યા, આ ત્રણ લોકમાં આપણા સ્વામી સમાન કોઇ બળવાન નથી. પણ આ એક બાહુબલિ બળમાં વધે તેમ છે. તેથી શોકપૂર્વક ચિંતા કરવા લાગ્યા.
આ પ્રમાણે પોતાના સુભટોને ચિંતિત દેખી, ભરતનરેશ્વરે પોતાનું બળ બતાવવા એક મોટો ખાડો ખોદાવ્યો. પછી સાંકળો વડે પોતાની ડાબી ભુજાને બાંધીને ભરત રાજા તે ખાડાની એકબાજુ બેઠા અને કહ્યું કે, તમે સર્વે તમારા સર્વ વાહનોથી અને બળથી મને ખેંચીને આ ખાડામાં પાડી જુઓ. જેથી મારા બળનો નિશ્ચય થાય. એટલે સર્વ રાજાઓ તે રીતે કરીને ભરતનરેશ્વરને વારંવાર ખેંચવા લાગ્યા. પણ ભરત ચક્રવર્તી પોતાનાં સ્થાનથી જરાપણ ચલિત થયા નહીં. પછી ચક્રવર્તીએ પોતાનો હાથ જરાક ખેંચ્યો, ત્યાં તો સર્વ વીરો, વાહન તથા પરિવાર સહિત તે સાંકળ સાથે ખાડા ઉપર લટકી રહ્યા. • ભરત - બાહુબલિનું તંદ્વયુદ્ધ :
પોતાના સ્વામીનાં બળનું આવું માહાસ્ય જોઇ પ્રસન્ન થયેલા તે બધા સુભટો બંને ભાઈઓનું વંદ્વયુદ્ધ જોવા ઉભા રહ્યા. તેઓ બંને પ્રથમ દ્રષ્ટિયુદ્ધની પ્રતિજ્ઞા લઈ એકબીજાની સન્મુખ ઉભા રહયા. અનિમેષ દ્રષ્ટિએ સામ-સામું જોતાં જોતાં ભરત નરેશ્વરનાં નેત્રો અશ્રયુક્ત થઇને મીંચાઈ ગયાં.
પછી વાયુદ્ધ કરવા તૈયાર થયા. આકાશમાં તારા, ગ્રહ, નક્ષત્રોને ત્રાસ આપતો, કલ્પાંતકાળના મેઘના ગર્જારવ જેવો મહા ઘોર સિંહનાદ ભરતચક્રીએ કર્યો. તે સિંહનાદથી પર્વતોના શિખરો કંપવા લાગ્યા, સમુદ્રનું પાણી આકાશ સુધી ઉછળવા લાગ્યું તથા સિંહાદિક પ્રાણીઓ એક ગુફામાંથી બીજી ગુફામાં સંતાઈ ગયા. સૈનિકો મૂચ્છ પામ્યા. આવા ભરતના સિંહનાદ પછી બાહુબલિએ બ્રહ્માંડને ફોડે તેવો સિંહનાદ કર્યો ત્યારે ત્રણે લોક ચેતન રહિત થઈ ગયું. ત્યારબાદ ફરીથી ભરત રાજાએ દુઃસહ સિંહનાદ કર્યો. એટલે બાહુબલિએ પણ ફરી સિંહનાદ કર્યો. એમ વારંવાર
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૮૧
Page #103
--------------------------------------------------------------------------
________________
કરતાં અનુક્રમે ભરતનો સિંહનાદ ઉત્તરોત્તર હીન થવા લાગ્યો અને બાહુબલિનો વધવા લાગ્યો. છેવટે બાહુબલિએ સર્વની સાક્ષીએ ભરતને જીતી લીધો.
ત્યારબાદ મુષ્ટિયુદ્ધ ચાલુ થયું. ભુજાનો આસ્ફોટ કરતા, વારંવાર ચરણપ્રહારથી પૃથ્વીને કંપાવતા તે બંનેનું મુષ્ટિયુદ્ધ થોડીવાર ચાલ્યા પછી ક્રોધથી બાહુબલિએ ભરતચક્રીને હાથમાં લઈ દડાની જેમ આકાશમાં ઉછાળ્યા. ત્યારે ભરત રાજા આકાશમાં ક્યાંય અદ્રશ્ય થઈ ગયા. બંને સૈન્યોમાં હાહાકાર થઈ ગયો. ત્યારે બાહુબલિ વિચારવા લાગ્યા - અવિવેકી એવા મને, મારા બળને, સાહસને, રાજ્યલોભને ધિક્કાર છે. જ્યાં સુધી વડીલબંધુ ભરત પૃથ્વી પર પડી ચૂરો ન થઈ જાય, ત્યાં સુધીમાં હું તેમને અદ્ધરથી જ ઝીલી લઉં. એમ વિચારી ભૂમિ પર પડતા પહેલા ભરતને ઝીલી લીધા. તે વખતે ક્રોધ પામી ભરત નરેશ્વરે ગાઢપણે બાહુબલિના મસ્તક ઉપર મુષ્ટિનો પ્રહાર કર્યો. તેથી મસ્તકમાં આઘાત પામેલા બાહુબલિના નેત્ર ક્ષણવાર મીંચાઈ ગયા. થોડીવારે પાછા સ્વસ્થ થઈ બાહુબલિએ ભરતની છાતીમાં મુષ્ટિનો પ્રહાર કર્યો. તેથી ભરત પૃથ્વી પર સપાટ પડી ગયા. તે વખતે, “અહા ! દુર્મદ એવા મેં આ કેવું કાર્ય આરંભ્ય છે ? જો આ જયેષ્ઠબંધુ ભરત જીવે નહીં તો હું પણ નહીં આવું.' એમ વિચારતાં અશ્રુસહિત બાહુબલિ ભૂમિ પર પડેલા ભરતને સેવકની જેમ ઉત્તરીય વસ્ત્ર વડે પવન નાખવા લાગ્યા.
ક્ષણવાર પછી સંજ્ઞા પ્રાપ્ત થતાં ચક્રવર્તીએ સેવકની જેમ રહેલા બાહુબલિને જોયા, પણ સાથે તેનાથી સંતાપિત પોતાની સ્થિતિ જોઇ તત્કાળ ઉભા થઈ ક્રોધથી લોહદંડથી બાહુબલિના મસ્તક ઉપર ઘા કર્યો. તેનાથી બાહુબલિનો મુકુટ ભાંગીને ભુક્કો થઈ ગયો અને પીડાથી બાહુબલિએ નેત્રો મીંચી દીધા. ક્ષણવારમાં તે પીડાને અવગણી બાહુબલિએ લોઢાના દંડથી ભરતના હૃદય પર પ્રહાર કર્યો. તેથી ભારતનું મજબૂત બપ્પર તૂટી ગયું. પછી ભરતે ફરી દંડથી મસ્તક ઉપર ઘા કર્યો. તે વખતે દંડ લોઢાનો હોવા છતાં ભાંગી ગયો અને બાહુબલિ જાનુ સુધી પૃથ્વીમાં ખૂંપી ગયા... પાછા બહાર નીકળી, ચક્રવર્તીના મસ્તક ઉપર લોહદંડનો ઘા કર્યો, તેથી ભરત ચક્રવર્તી કંઠ સુધી પૃથ્વીમાં પેસી ગયા. થોડીવારે તે વ્યથાને હળવી કરી, ભરત ચક્રવર્તી પૃથ્વીમાંથી બહાર નીકળ્યા.
ત્યારે ભરતેશ્વર વિચારવા લાગ્યા કે, રાજાઓથી ચક્રવર્તી જીતાય નહીં, તે છતાં આ શું થયું ? જેમ એક કાળે બે વાસુદેવ ન થાય, તેમ એક કાળે એક ક્ષેત્રમાં બે ચક્રવર્તી પણ ઉત્પન્ન ન થાય, તેવી શ્રીજિનાગમોની વાણી છે. તે વ્યર્થ પણ કેમ થાય ? તો શું આ બાહુબલિ જ ખરો ચક્રવર્તી હશે ?' એમ વિચારતા હતા તેટલામાં
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૮૨
Page #104
--------------------------------------------------------------------------
________________
સૂર્ય જેવું તેજસ્વી ચક્રરત્ન તેઓના હાથમાં આવ્યું. તેથી તેમને પોતાના ચક્રવર્તાપણાની પ્રતીતિ થઈ અને તેઓએ ચક્રને ભમાડતાં ભમાડતાં ક્રોધ કરીને બાહુબલિને કહ્યું,
અરે બાહુબલિ ! હજુ કાંઇ બગડી ગયું નથી, હજી પણ માન છોડીને મારી આજ્ઞાને તું માન્ય કર. તારે તારા બાહુબળનો ગર્વ કરવો યોગ્ય નથી. કારણ કે સર્વ બળવાન રાજાઓ પણ ચક્રવર્તીની આજ્ઞાને અંગીકાર કરે છે. તો તું તો મારો નાનો ભાઈ છે.'
આ સાંભળીને બાહુબલિ ધીર-ગંભીર વાણીથી નિર્ભયપણે બોલ્યા, “હે આર્ય ! તમારામાં આપણા પિતાનું પુત્રપણું શોભતું નથી. કારણ કે ક્ષત્રિય ધર્મને જાણવા છતાં તંદ્વયુદ્ધની પ્રતિજ્ઞાથી ચલિત થઇને તમે આ વંદ્વયુદ્ધમાં પણ ચક્ર ગ્રહણ કર્યું છે. પણ આ લોહનો ટુકડો – મારા બળની પાસે શું કરશે ? અત્યાર સુધી તે તારા બાહુનું બળ જોયું, હવે આ ચક્રનું બળ પણ જોઈ લે અને આ મારો ભાઈ છે, એવી શંકા ન રાખીશ. કેમ કે ક્ષત્રિયોનો એવો આચાર છે કે, રણસંગ્રામમાં સંબંધ જોવો નહીં.” બાહુબલિનાં વચનો સાંભળીને ક્રોધ પામેલા ભરત ચક્રવર્તીએ તે જ ક્ષણે પોતાના હાથમાં રહેલા ચક્રને આકાશમાં જમાડીને બાહુબલિ તરફ છોડ્યું.
પ્રચંડ વેગથી ધસી આવતા ચક્રને જોઇને બાહુબલિ વિચારવા લાગ્યા કે, “પહેલાં હું આ ચક્રરત્નનાં સામર્થ્યને જોઉં. પછી જે કરવું હશે તે હું કરીશ.” આ પ્રમાણે બાહુબલિ વિચારતા હતા, તેવામાં તો તે જાજવલ્યમાન ચક્ર બાહુબલિને પ્રદક્ષિણા કરીને પાછું ચક્રવર્તીના હાથમાં ગયું. કારણ કે ચક્રવર્તીનું ચક્ર તેના સમાન ગોત્રના કુટુંબી પર પ્રવર્તતું નથી, તો તદ્દભવસિદ્ધિ પામનારા બાહુબલિ જેવા મહાપુરુષ પર તો કેમ પ્રવર્તે ?
ત્યારપછી બાહુબલિએ અત્યંત ક્રોધાયમાન થઈને વિચાર્યું કે, “આ ચક્રને, તેના રક્ષક એક હજાર યક્ષોને અને આ અન્યાય કરનારા તેના અધિપતિ ભરતને હવે તો એક મુષ્ટિના ઘાથી ચૂર્ણ કરી નાખું.” એમ વિચારી કુર મુષ્ટિ ઉગામીને ભરત તરફ દોડ્યો. • બાહુબલિનું સ્વયં કેશલુંચન અને સંયમગ્રહણ : | દોડતા બાહુબલિ પોતાના વડીલભાઈ ભરતનરેશ્વરની પાસે આવતાં અટકી ગયા અને સ્થિર થઇને વિચારવા લાગ્યા કે, “અહો ! ક્ષણવિનશ્વર એવા રાજ્ય માટે આ ભવ અને પરભવનો નાશ કરે તેવો આ ભ્રાતૃવધ હું કરું છું? દેખાવ માત્રથી સુખને આપનાર પૌદ્ગલિક પદાર્થોના મોહથી ભ્રમિત થયેલા અધમ પુરુષો નરકમાં જાય છે. જો તેમ ન હોય તો તેવા રાજયને પિતા શ્રી ઋષભદેવ ભગવંત પણ કેમ છોડી દે ? માટે હું પણ આજે તે પૂજ્ય પિતાના માર્ગનો જ પથિક થાઉં.”
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૮૩
Page #105
--------------------------------------------------------------------------
________________
એમ વિચારીને મહાવિવેકી બાહુબલિએ તે જ મુષ્ટિ વડે પોતાના કેશનો લોચ કર્યો અને પશ્ચાત્તાપથી ભરતનરેશ્વરને કહેવા લાગ્યા, “હે યેષ્ઠબંધુ ભરત ! મેં તમને રાજ્ય માટે બહુ ખેદ કરાવ્યો છે. તે મારા દુશ્ચરિત્રની ક્ષમા કરો. હું પિતાશ્રીના માર્ગનો પથિક થઇશ. મને હવે રાજ્યસંપત્તિની સ્પૃહા નથી.'
તે સાંભળી તત્કાળ “સાધુ-સાધુ” એવા શબ્દો બોલતા દેવતાઓએ આનંદથી તે બાહુબલિ રાજર્ષિ ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી. ત્યારબાદ મહાવ્રતો સ્વીકારી બાહુબલિએ વિચાર્યું કે, “અનંત સુખના કારણ એવા પિતાશ્રીનાં ચરણોની સેવા માટે હું તેઓની પાસે જાઉં અથવા અહીં જ રહું? કારણ કે ત્યાં જવાથી મારાથી પહેલા વ્રત ગ્રહણ કરી કેવળજ્ઞાન પામેલા મારા લઘુબંધુઓમાં મારી લઘુતા થશે. માટે અહીં જ રહી ધ્યાનરૂપ અગ્નિથી ઘાતકર્મોને બાળી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પછી હું પ્રભુની પર્ષદામાં જઇશ.” આ પ્રમાણે વિચારીને બાહુબલિ ત્યાં જ કાયોત્સર્ગ ધ્યાને ઉભા રહ્યા.
આ પ્રમાણે કાયોત્સર્ગ ધ્યાને ઉભા રહેલા બાહુબલિને જોઇને તથા પોતાના અઘટિત કાર્યોથી લજ્જિત થયેલા ભરત ચક્રવર્તી જાણે પૃથ્વીમાં પેસી જવા ઇચ્છતા હોય, તેમ નીચે મુખ કરીને, નેત્રોમાંથી આંસુ વહાવતાં લઘુબંધુને પ્રણામ કરીને બોલ્યા, “હે ભ્રાતા ! તમે પ્રથમ યુદ્ધમાં મને જીતી લીધો અને ત્યારબાદ વ્રતરૂપી શસ્ત્ર વડે આ રાગાદિક ભાવ શત્રુઓને પણ તમે જીતી લીધા. તેથી આ જગતમાં તમારાથી અધિક કોઈ બળવાન નથી. તમે જ આપણા પિતાશ્રી ઋષભદેવ ભગવંતના ખરેખરા પુત્ર છો, કે જે પિતાના માર્ગે આ રીતે પ્રવર્યા છો. પણ હે બાંધવ ! મારા અપરાધને ભૂલીને મારા પર પ્રસન્ન થાઓ. મારું આખી પૃથ્વીનું રાજય તમે ગ્રહણ કરો અને હું તમારું સંયમ સામ્રાજ્ય ગ્રહણ કરીશ.” • બાહુબલિના સ્થાને સોમયશાનો રાજ્યાભિષેક :
આ પ્રમાણે બાળકની જેમ વિલાપ કરતા ભરત ચક્રવર્તીને મંત્રીઓએ નિર્મળ વાણીથી બોધ આપીને સમજાવ્યા. ત્યારપછી બાહુબલિના પુત્ર – સોમયશાને આગળ કરી ભરતેશ્વર જિનમંદિરોથી અલંકૃત એવી તક્ષશિલા નગરી તરફ જવા માટે નીકળ્યા.
માર્ગમાં એક ઉદ્યાનમાં અનેક જાતના મણિઓથી રચેલું અને હજાર આરાવાળું ધર્મચક્ર એક પ્રાસાદમાં સ્થાપન કરેલું તેમણે જોયું. તેને નમસ્કાર કર્યા, ત્યારે સોમયશાએ ભરતેશ્વરને કહ્યું, ‘પૂર્વે શ્રી ઋષભદેવસ્વામી છદ્મસ્થપણે વિહાર કરતાં એક રાત્રિએ અહીં પધાર્યા હતા. મારા પિતાને એ સમાચાર મળતાં તેમણે પ્રતિજ્ઞા કરી કે, પ્રાતઃકાલે સર્વ રાજાઓ અને પ્રજાની સાથે મોટા ઉત્સવ સહિત જઈ હું પિતાના ચરણોમાં નમસ્કાર કરીશ.' પછી તેમણે માંચા, અટારીઓ, દુકાનો, શેરીઓ અને
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૮૪
Page #106
--------------------------------------------------------------------------
________________
ચોકને કપૂર ચંદનના જલથી છંટાવી, કસ્તુરીના મંડલો તેમજ પુષ્પમાળા, વસ્ત્રો અને રત્નમાળાઓ વડે અલંકૃત કરાવ્યા અને પ્રાતઃકાલે સર્વ સમૃદ્ધિ સાથે પ્રજા અને પરિવાર સહિત અહીં આવ્યા. પરંતુ અહીંથી પ્રભુ વિહાર કરી ગયા હતા, તેથી અત્યંત દુઃખી થયેલા મારા પિતા આજુબાજુના વૃક્ષોને પણ રોવરાવતા ઉંચે સ્વરે રુદન કરવા લાગ્યા. તે વખતે મુખ્યમંત્રીઓએ સમજાવીને તેમને શાંત કર્યા. પછી પૃથ્વી પર પડેલા પ્રભુનાં પગલાને નમસ્કાર કર્યા અને આ પવિત્ર સ્થાને આ પ્રાસાદ સહિત ઉંચું “ધર્મચક્ર' કરાવ્યું છે.'
આ પ્રમાણે સાંભળી, ભરતેશ્વર તે ધર્મચક્રને નમસ્કાર કરી, તક્ષશિલા નગરીમાં આવ્યા. ત્યાં અનેક રાજાઓ દ્વારા મહોત્સવ કરાવીને ભરત મહારાજાએ સોમયશાનો તક્ષશિલાનાં રાજય પર અભિષેક કરાવ્યો. ત્યારથી પૃથ્વીમાં સોમ (ચંદ્ર) વંશ પ્રવત્યો.
શ્રી સોમયશાને રૂપવતી અને કુલીન સુવ્રતા વિ. ચોવીસ હજાર સ્ત્રીઓ હતી. તેનાથી થયેલા પરાક્રમવાળા શ્રેયાંસ વિગેરે બોતેર હજાર પુત્રો હતા. બત્રીસ લાખ ગામ, સો પત્તન અને ત્રણસો નગરનું શાસન સોમયશા રાજા તક્ષશિલાનગરીમાં રહીને કરવા લાગ્યો. તેને ચુમાલીસ લાખ રથ, એક લાખ હાથી, પાંત્રીસ લાખ ઘોડા અને સવા કરોડ પાયદળની સેના હતી. સાતસો રાજાઓ તેની આજ્ઞા ધારણ કરનારા હતા.
પછી સોમયશા તેમજ સર્વ રાજાઓથી સન્માનિત થયેલા ભરત ચક્રવર્તી તક્ષશિલાથી પાછા ફરીને પોતાના નગર તરફ ચાલ્યા. માર્ગમાં કાઉસ્સગ્ગ મુદ્રાએ રહેલા બાહુબલિને પ્રણામ કરી ભરતનરેશ્વર અયોધ્યાપુરીમાં આવ્યા અને પિતાની જેમ પ્રજાનું પાલન કરવા લાગ્યા. • બાહુબલિ રાજર્ષિને કેવળજ્ઞાન પ્રાપ્તિ
આ બાજુ બાહુબલિ રાજર્ષિ સર્વ કર્મ ખપાવવા કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભા રહ્યા. શ્રી જિનેશ્વર ભગવંતની નિર્મલ જ્યોતિનું ચિંતવન કરતા, રાગ-દ્વેષ વડે યોગી જેમ અલિપ્ત રહે તેમ ટાઢ, તડકો અને જલથી તેઓ નિર્લેપ હતા. પરસ્પર જાતિવૈર ધરાવનારા જીવો પણ સહોદરની જેમ નિશ્ચલ અંગવાળા તેઓને આશ્રિત થઈને રહેતા હતા. તેમના મસ્તક, દાઢી, મૂછ અને ભુજા વિગેરેમાં પક્ષીઓએ માળા કર્યા હતા. તીક્ષ્ણ દર્ભના અંકુરો જલથી વૃદ્ધિ પામી તેઓનાં ચરણતળમાં પેસીને તેમનાં શરીરને ભેદી નાખતા હતાં. આમ અનેક પરિષદો સહન કરનારા, રાગ અને દ્વેષને જીતનારા તથા સર્વ પર સમાન ભાવ રાખનારા એ મુનિ પતિએ હૃદયકમળમાં જિનેશ્વર ભગવાનનું ધ્યાન ધરીને એક વર્ષ સુધી કાયોત્સર્ગે રહીને પોતાના ઘણાખરા ઘાતકર્મોનો ક્ષય કર્યો હતો.
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૮૫
Page #107
--------------------------------------------------------------------------
________________
આ રીતે કર્મો ક્ષીણપ્રાયઃ થવાથી બાહુબલિરાજર્ષિને કેવળજ્ઞાન થવાનો સમય આવ્યો. પણ તેઓને માન નામનો કષાય કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં વિક્ષેપ કરતો હતો. એમ જ્ઞાન દ્વારા જાણીને શ્રી યુગાદિપ્રભુએ તેમના બોધ માટે બ્રાહ્મી અને સુંદરીને તે વનમાં મોકલ્યા. વાદળામાં ઢંકાયેલા સૂર્યની જેમ લતા અને વલ્લીઓથી વીંટાળેલા બાહુબલિરાજર્ષિને શોધીને વંદન કરીને બંને બહેનો પ્રભુનાં વચનો આદરપૂર્વક કહેવા લાગી, ‘હે ભાઇ ! જગત્પતિ ભગવંતે અમારા મુખે તમને કહેવરાવ્યું છે કે, ‘જે પુરુષો ગજેન્દ્ર ઉપર ચડે તેઓને શું જ્ઞાન પ્રાપ્ત થાય ? માટે પોતાના વૈરી જેવા તે ગજેન્દ્રનો તમે ત્યાગ કરો, મોહને દૂર કરીને બોધિને પ્રાપ્ત કરો.'
તેમનાં વચનો સાંભળીને બાહુબલિ રાજર્ષિ વિચારે છે કે, ‘સમસ્ત રાજ્ય છોડીને હું અહીં કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યો છું, તો મારે ગજેન્દ્ર ક્યાંથી હોય ? અહો ! હવે જાણવામાં આવ્યું કે, મારામાં જે માન છે, તે ગજેન્દ્ર છે.'
મને પહેલાં વિચાર થયો હતો કે, મારાથી લઘુબંધુઓને હું કેમ વંદન કરું? આ માન કષાયનો હું ત્યાગ કરું છું. મારું દુશ્ચરિત વૃથા થાઓ. મારાથી સંયમમાં વડીલ તે મારા નાના બંધુઓને હું ભાવથી નમસ્કાર કરું છું. હવે હું પૂજ્ય પિતાશ્રી પાસે જાઉં અને માનને છોડી, મારી પહેલાં ચારિત્રરત્નને ગ્રહણ કરનારા મારા લઘુબંધુઓને નમસ્કાર કરીશ.' આમ વિચારી બાહુબલિ રાજર્ષિ પિતાની પાસે જવા તૈયાર થયા. તે જ સમયે તેઓને કેવળજ્ઞાન પ્રગટ થયું. ત્યારબાદ ઉત્તમ જ્ઞાન વડે શોભતા બાહુબલિ રાજર્ષિ પ્રભુ પાસે જઇ પ્રભુને પ્રદક્ષિણા કરીને કેવળજ્ઞાનીઓની પર્ષદામાં બેઠા. શત્રુંજયગિરિ પર સંઘસહિત ઋષભદેવ પ્રભુની પધરામણી :
હવે પૃથ્વીતલ ઉપર વિચરતા શ્રી ઋષભદેવ પ્રભુ સૂર્યની જેમ ભવ્ય પ્રાણીરૂપ કમળને વિકસ્વર કરતા, શત્રુંજયગિરિ પર પધાર્યા. એ ગિરિરાજ અનેક વૃક્ષોથી શોભી રહ્યો હતો. જિનમંદિરોના ઉંચા શિખરો ઉપર રહેલા કળશથી સુંદર લાગતો હતો. દર્શનથી વિશ્વને પવિત્ર કરતા અને સ્પર્શથી પાપને હરતા એવા તે ગિરિરાજને અનેક સિદ્ધ, ગંધર્વ, વિદ્યાધર, મનુષ્ય, સુર, અસુર, સર્પ અને સિંહાદિ પ્રાણીઓ તથા મુમુક્ષુ જીવો સેવતા હતા. અનંત સિદ્ધોનું સ્થાન અને અનંત સુખ આપનાર એ ગિરિવર પ્રાણીઓને અનંતભવરૂપ સાગરમાં દ્વીપરૂપ હતો. આસપાસ રહેલા બત્રીસ હજાર ગામોથી તે વિભૂષિત હતો. તે ગિરિરાજ મૂળમાં પચાસ યોજન પહોળો, શિખરમાં દસ યોજન પહોળો અને ઉંચાઇમાં આઠ યોજન ઉંચો હતો.
આવા ઉત્તમ ગિરિરાજ પર પ્રભુએ આરોહણ કર્યું. તેમની પાછળ પુંડરીક વગેરે મહર્ષિઓ અને સુંદરી પ્રમુખ સાધ્વીઓ પણ તે શત્રુંજય ગિરિવર પર ચડ્યા. પ્રભુ શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૮૬
Page #108
--------------------------------------------------------------------------
________________
ત્યાં રાયણ વૃક્ષની નીચે સમવસર્યા. આસનકંપથી પ્રભુનાં આગમનને જાણી દેવતાઓએ ત્યાં આવી સમવસરણ રચ્યું. તેમાં બેસી પ્રભુએ એક પોરસી સુધી દેશના ફરમાવી. પછી પ્રભુનાં ચરણપીઠ પર બેસી, શ્રી પુંડરીક ગણધરે દેશમાં ફરમાવી.
ત્યારબાદ પ્રભુ શ્રી ઋષભદેવ ભગવંતે પુંડરીક ગણધરને કહ્યું કે, આ તીર્થરાજ શત્રુંજયગિરિ મોક્ષનો નિવાસ છે. આ ગિરિરાજ પર આરોહણ કરનારા પ્રાણીઓ અતિદુર્લભ મુક્તિસુખને પણ સત્વર મેળવી શકે છે. તેથી આ ગિરિરાજ શાશ્વત તીર્થેશ્વર છે. આ અનાદિ તીર્થ ઉપર અનંત તીર્થકરો અને અનંત મુનિવરો સિદ્ધ થયા છે. અહીં જે ક્ષુદ્ર અને હિંસક પ્રાણીઓ છે, તે પણ ત્રણ ભવમાં ઉત્તમ સિદ્ધિપદને પામે છે. જે અભવ્ય અને પાપી જીવો છે, તે આ પર્વતને જોઈ શકતા નથી. જ્યારે દુષમકાળ આવશે, કેવલજ્ઞાન ચાલ્યું જશે અને ધર્મ શિથિલ થશે તે સમયે પણ આ તીર્થ જગતને હિતકારી થશે. તેથી સર્વ તીર્થોમાં આ તીર્થ મુખ્ય છે. ભૂતકાળમાં થયેલા જે જે તીર્થકરો આ ગિરિરાજ પર આવ્યા છે, તેઓ આ રાયણ વૃક્ષની નીચે જ સમવસર્યા છે અને આગામી કાળે જેઓ આવશે તેઓ અહીં જ સમવસરશે. • શ્રી શત્રુંજય તીર્થાધિરાજની નિશ્રામાં થતાં ધર્મકાર્યનું મહાફલ :
આ તીર્થમાં શ્રી અરિહંત પ્રભુની પુષ્પ અને અક્ષતાદિકથી પૂજા અને સ્તુતિ કરી હોય તો તે પૂજક પ્રાણીનાં સર્વ પાપો નાશ પામે છે.
અન્ય તીર્થમાં કરેલી પ્રભુની પૂજા કરતાં અહીં કરેલી શ્રી જિનેશ્વરદેવની પૂજા અનંતગુણી થાય છે.
અહીં એક પુષ્પમાત્રથી પણ જિનપૂજન કર્યું હોય તો તેથી સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત થાય છે અને જે અષ્ટપ્રકારી પૂજા કરે છે, તે આ લોકમાં નવનિધાનને પ્રાપ્ત કરીને શ્રી અરિહંત સમાન થાય છે.
મન, વચન, કાયાથી આ તીર્થમાં જો ગુરુની આરાધના થાય, તો તે તીર્થકર પદની પ્રાપ્તિનું કારણ બને છે.
આ તીર્થમાં જો સામાન્ય મુનિઓની આરાધના કરી હોય, તો પણ તેને ચક્રવર્તીની લક્ષ્મી પ્રાપ્ત થાય છે. શ્રી તીર્થકરોને પણ પૂર્વભવે બોધિબીજના હેતુભૂત ગુરુમહારાજ છે. તેથી આ મહાતીર્થમાં ધર્મસંબંધી સર્વ ક્રિયા ગુરુની સાથે કરવી અને ગુરુના ઉપકારથી અનૃણી થવા ઇચ્છતા પુરુષે આ પવિત્ર તીર્થમાં વસ્ત્ર, અન્ન, પાન વગેરેનાં દાનથી વિશેષ પ્રકારે ગુરુમહારાજની સેવાભક્તિ કરવી.
અભયદાન, અનુકંપાદાન, પાત્રદાન, ઉચિતદાન, કીર્તિદાન, અન્નદાન, જ્ઞાનદાન, ઔષધદાન અને જલદાન એ સર્વ દાનો આ મહાતીર્થમાં વિશેષ રીતે ફળદાયક છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૮૭
Page #109
--------------------------------------------------------------------------
________________
જેઓ આ મહાતીર્થમાં દીન અને અનાથ લોકોને ભોજન આપે છે, તેને ઘેર નિરંતર લક્ષ્મી રહે છે.
આ તીર્થમાં મહાબુદ્ધિશાળી પુરુષે મોક્ષસુખના સ્થાનરૂપ શીલ મન, વચન, કાયાની શુદ્ધિથી પાળવું. જે પુરુષ આ તીર્થ પર આવીને શીલનો ભંગ કરે છે, તેની કોઇપણ સ્થાને શુદ્ધિ થતી નથી અને તે ચંડાળથી પણ અધમ છે.
આ સ્થાને કરેલો તપ નિકાચીત કર્મનો ક્ષય કરે છે. આ તીર્થમાં જો એક દિવસનો તપ કર્યો હોય તો તે પણ સમગ્ર જન્મમાં કરેલાં પાપોનો નાશ કરે છે અને છઠ્ઠ, અઠ્ઠમ વગેરે તપ કરવાથી આ તીર્થમાં ઉત્તમ ફળ મળે છે. તેથી સર્વ વાંછિતને આપનાર તપ આ તીર્થમાં વિશેષપણે કરવો.
સુવર્ણની ચોરી કરનાર પુરુષ આ તીર્થમાં ચૈત્રીપૂનમે એક ઉપવાસ કરવાથી શુદ્ધ થાય છે અને વસ્ત્રની ચોરી કરનાર શુદ્ધ ભાવનાથી જો સાત આયંબિલ કરે તો તે આ તીર્થમાં શુદ્ધ થાય છે.
રત્નની ચોરી કરનાર આ તીર્થમાં સારી ભાવનાપૂર્વક દાન આપી કાર્તિક માસમાં સાત દિવસનો તપ કરે તો શુદ્ધ થઈ જાય છે.
રૂપું, કાંસુ, તાંબું, લોઢું અને પિત્તળ ચોરનાર પુરુષ અહીં સાત દિવસ પુરિમુઢનો તપ કરે, તો તે પાપથી મુક્ત થાય છે.
મોતી અને પરવાળાને ચોરનાર ત્રિકાલ જિનપૂજા કરી, અહીં પંદર દિવસ પર્યત આયંબિલ કરે તો તે પાપમુક્ત થાય છે.
ધાન્યનો અને જલનો ચોર પાત્રદાનથી શુદ્ધ થાય છે. રસ પદાર્થનો ચોરનાર અહીં યાચકોને ઇચ્છિત મહાદાન આપવાથી પાપમુક્ત બને છે.
વસ્ત્રાભરણનો હરનાર શુદ્ધ ભાવનાથી આ તીર્થમાં જિનપૂજન કરીને પોતાના આત્માનો સંસારમાંથી ઉદ્ધાર કરે છે.
ગુરુદ્રવ્ય અને દેવદ્રવ્યને ચોરનાર આ મહાતીર્થની નિશ્રામાં ધ્યાન તથા પાત્રદાનમાં પરાયણ થઈ શ્રી જિનેશ્વરદેવનું પૂજન કરે તો તે પોતાનાં પાપને નિષ્ફળ કરે છે.
કુમારિકા, દીક્ષિતા, વેશ્યા, સધવા, વિધવા, ગુરુપત્ની અને અગમ્યા સ્ત્રીનો સંગ કરનાર, આ તીર્થ પર જો છ માસ પર્યત અહર્નિશ જિનેશ્વરનાં ધ્યાનમાં સ્થિર થઇ છ માસનો તપ કરે તો તે પુરુષ કે સ્ત્રી તત્કાળ તે પાપમાંથી મુક્ત થઇ જાય છે.
ગાય, મહિષી, હાથી, પૃથ્વી અને મંદિરનો ચોરનાર આ તીર્થમાં ભક્તિથી શ્રી જિનેશ્વર ભગવંતનું ધ્યાન ધરે અને તે તે વસ્તુઓનું આ તીર્થમાં દાન કરે તો તે પાપમુક્ત બને છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૮૮
Page #110
--------------------------------------------------------------------------
________________
અન્યનાં ચૈત્ય, ગૃહ, ઉદ્યાન, પુસ્તક અને પ્રતિમા વગેરેમાં પોતાનું નામ નાખી, આ મારું છે એવું વિચારનાર પુરુષ આ પવિત્ર તીર્થક્ષેત્રમાં શુભ આશયવાળો થઈ છ માસના સામાયિકથી પવિત્ર તપ વડે તે પાપોથી શુદ્ધ થાય છે. આ રીતે જગતમાં તેવું કોઇ પાપ નથી કે જે અહીં અરિહંતનું ધ્યાન કરવાથી ન જાય.
આ તીર્થમાં જે કોઈ આત્માએ ઉત્તમ પુણ્યકાર્યો ન કર્યા હોય પણ પોતાના ચિત્તમાં શુભ ભાવથી ચિંતવ્યા હોય તો પણ તે આત્માને શુભ ભાવનાના યોગે આ ક્ષેત્રના પ્રભાવથી લાભ પ્રાપ્ત થાય છે. માટે અહીં સદા શુભધ્યાન કરવું.
સૂક્ષ્મજીવોનો પણ મન, વચનથી આ તીર્થક્ષેત્રમાં દ્રોહ કરવો નહીં. કારણ કે જીવહિંસા ધર્મરૂપી વૃક્ષમાં દાવાનળરૂપ છે. પરને પીડા કરનાર પુરુષની પાસે ધર્મરાજ આવતો જ નથી.
સબુદ્ધિવાળા પુરુષે આ પવિત્ર ગિરિરાજ પર પ્રાણાંતે પણ અસત્ય બોલવું નહીં. જે અસત્ય બોલે છે, તે ખરેખરો અપવિત્રથી પણ અપવિત્ર છે. અસત્ય બોલનાર પુરુષના મુખમાં ફોડલી, પરુ અને જીવડાવાળી વ્યાધિઓ તથા બીજી પણ અતિદારુણ વ્યાધિઓ ઉત્પન્ન થાય છે.
વળી એક ખોબા જેટલી પણ નહીં આપેલી (અદત્ત) વસ્તુ અહીં લેવી નહીં. અદત્તાદાનથી જીવો નિર્ધન થાય છે.
આ તીર્થમાં સત્પરુષોએ પોતાની સ્ત્રી પણ સેવાય નહીં. તો પછી બંને લોકનો ઘાત કરનાર પરસ્ત્રીસેવનનું પાપ તો કઈ રીતે આચરાય ? પરદ્રવ્યની ચોરી, પરસ્ત્રીસેવન, પારકી ચાડી અને પારકો દ્વેષ તે ઘણા પાપ માટે થાય છે.
તથા આ સંસારરૂપ ઘોર સાગરમાં પરિગ્રહનો ભાર વિશેષ થવાથી ભારે વહાણની જેમ પ્રાણી ડૂબી જાય છે. તેથી પરિગ્રહ હંમેશા અલ્પ રાખવો. તેમજ અનુક્રમે અલ્પથી પણ અલ્પ કરવો.
પોતાના આત્માની જેમ સર્વ પ્રાણીઓ ઉપર સમભાવ રાખવો. સામાયિક (સમભાવ) વિના સર્વ ક્રિયા નિષ્ફળ થાય છે અને જો સામાયિકમાં તત્પર રહે તો તેને ગૈલોક્ય વશ થાય છે. દેવતા પણ તેનો પરાભવ કરવા જરાપણ સમર્થ થતા નથી અને ચારિત્રધારીની જેમ તે દેવ અને મનુષ્યોને વંદનીય થાય છે.
આ તીર્થમાં જેઓ પૌષધ કરે છે, તેમને માસક્ષમણનું પુણ્ય અને કેવળજ્ઞાન પણ પ્રાપ્ત થાય છે.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૮૯
Page #111
--------------------------------------------------------------------------
________________
મોક્ષના સંવિભાગરૂપ અતિથીઓને જે સંવિભાગ (દાન) આપે છે, તે પુણ્યથી તે આત્મા નરક અને તિર્યંચ ગતિને દૂર કરે છે. એકેન્દ્રિય વગેરે પ્રાણીઓને ફોગટ પીડા આપવી, તે અનર્થદંડ કહેવાય છે, માટે પ્રયત્નપૂર્વક એવા અનર્થદંડની વિરતી કરવી.
કલ્યાણની ઇચ્છાવાળા પુરુષે આ તીર્થમાં આવીને કોઈપણ વૃક્ષનાં શાખા, પત્ર, ફલ અને અંકુરોને છેદવા નહીં. કારણ કે શત્રુંજય ગિરિવર ઉપર સર્વ ઠેકાણે દેવતાનો નિવાસ છે.
સપુરુષોએ આ તીર્થ પર આવીને આનંદ આપનાર અને સર્વ ધર્મમાં સંમત પરોપકાર કરવો. પરોપકારથી પ્રાપ્ત થયેલું પુણ્ય ભવે ભવે વૃદ્ધિ પામે છે. તેથી તે આત્મા અખ્ખલિતપણે સદ્ગતિમાં વિચરે છે.
અહીં આવીને જે પ્રાણી જ્ઞાનીની અને પુસ્તકોની વસ્ત્ર, અન્ન અને ચંદનાદિકથી પૂજા કરે છે, તેને મુક્તિસુખનું કારણ કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે.
આ તીર્થમાં આવીને જે મનુષ્ય રાત્રિભોજન કરે છે, તે ગીધ, ઘુવડ વગેરેના ભવો પામી દુઃખી થઈ નરકમાં જાય છે. રાત્રિભોજન કરનાર અને એ રીતે સદા અપવિત્ર રહેનાર પ્રાણીને આ તીર્થનો સ્પર્શ પણ યોગ્ય નથી.
બીજા તીર્થમાં જપ, તપ અને દાન કરવાથી જે ફળ થાય, તેનાથી કરોડગણું પુણ્ય આ તીર્થના સ્મરણમાત્રથી થાય છે.
આ ગિરિવર સર્વ તીથમાં તીર્થરાજ છે અને સર્વ પર્વતોમાં ઉત્તમ છે. તેથી મુક્તિને આપનાર આ ગિરિરાજને હે ભવ્યજીવો ! તમે સારી રીતે ભજો .
હે પુંડરીક મુનિ ! આ અવસર્પિણીમાં જેમ મારાથી વિશ્વસ્થિતિ પ્રવર્તી છે, તેમ તમારાથી આ તીર્થરાજનો મહિમા પ્રસિદ્ધ થશે. કારણ કે તમે આ તીર્થક્ષેત્રમાં શુભાશુભ કર્મનો નાશ કરી, ઘાતકર્મને બાળી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, આ ક્ષેત્રના માહાભ્યથી મુક્તિના વલ્લભ થશો. • શ્રી પુંડરીક ગણધર આદિ પાંચ કરોડ મુનિઓનું
અનશન અને કેવળજ્ઞાન પ્રાપ્તિ :
આ પ્રમાણે મહામુનિ શ્રી પુંડરીક ગણધરને જણાવીને ભગવાન ઋષભદેવે રૈલોક્યના હિતની ઇચ્છાથી ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો અને પુંડરીક ગણધર પાંચ કરોડ મુનિઓ સહિત ત્યાં જ રહ્યા. તેઓએ પોતાની સાથે રહેલા પુણ્યવાન મુનિઓને પરમ સંવેગથી ભરપૂર વાણી વડે કહ્યું, ‘ક્ષેત્રના પ્રભાવથી આ ગિરિવર સિદ્ધિસુખનું સ્થાન છે અને કષાયરૂપ શત્રુને સાધવાનું સ્થાન છે. આથી અહીં આપણે મુક્તિનું કારણ એવી સંલેખના કરીએ. તે સંલેખના દ્રવ્ય અને ભાવથી બે પ્રકારની છે.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૯૦
Page #112
--------------------------------------------------------------------------
________________
સર્વ ઉન્માદ તથા રોગના નિદાનરૂપ ધાતુઓને શોષણ કનારી દ્રવ્યસંલેખના કહેવાય છે, અને સમાધિથી મોહમાત્સર્યયુક્ત રાગ, દ્વેષાદિ કષાયોનો ઉચ્છેદ કરવો, તે ભાવસંલેખના કહેવાય છે.
આ પ્રમાણે કહીને પુંડરીક ગણધરે પોતાની સાથે રહેલા પાંચ કરોડ સાધુઓની સાથે સર્વ પ્રકારના સૂક્ષ્મ તથા બાદર અતિચારોને આલોચ્યા, મહાવ્રતોને ફરી દ્રઢ કર્યા અને અરિહંતાદિનું શરણ સ્વીકાર્યું. આ પ્રમાણે આરાધના કરી તેમણે સર્વ મુનિઓ સાથે નિરાગાર અને દુષ્કર એવું અંતિમ અનશન ગ્રહણ કર્યું. એક માસને અંતે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ક્ષપકશ્રેણી પર આરૂઢ થયેલા શ્રી પુંડરીક ગણધરનાં ઘાતકર્મ જીર્ણ રજુની જેમ તૂટી ગયાં, તેમજ તેઓની સાથે રહેલા પાંચ કરોડ સાધુઓનાં પણ ઘાતકર્મ તે વખતે તત્કાળ તૂટી ગયાં અને સર્વને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારબાદ ક્ષણવારમાં બાકીનાં સર્વ અઘાતી કર્મોનો ક્ષય કરી, તે સર્વ મોક્ષપદ પામ્યાં અને દેવોએ આવીને તેમનો નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. • ચૈત્રી પૂર્ણિમાનું પર્વ :
ચૈત્રી પૂર્ણિમાને દિવસે પાંચ ક્રોડ મુનિઓની સાથે પુંડરીક મુનિ સિદ્ધ થયા, તેથી ત્યારથી જગતમાં ચૈત્રી પૂર્ણિમાનું પર્વ પ્રસિદ્ધ થયું અને આ તીર્થ પણ પુંડરીક ગિરિરાજના નામે પ્રખ્યાત થયું.
ચૈત્રી પૂર્ણિમાના પવિત્ર દિવસે પુંડરીકગિરિ પર રહેલા પુંડરીક ગણધરની જે સંઘસહિત યાત્રા કરીને પૂજા કરે, તે લોકોત્તર સ્થિતિ પ્રાપ્ત કરે છે. નંદીશ્વરાદિ દ્વીપોમાં રહેલા શાશ્વતા પ્રભુનાં પૂજનથી જેટલું પુણ્ય થાય, તેનાથી શત્રુંજય ગિરિરાજ ઉપર ચૈત્રી પૂર્ણિમાએ પૂજન કરવાથી અધિક પુણ્ય થાય છે. અન્ય દિવસે દાન, શીલ, તપ અને પૂજા કરવાથી જે પુણ્ય થાય, તેનાથી ક્રોડગણું પુણ્ય ચૈત્રી પૂર્ણિમાના દિવસે પુંડરીકગિરિ પર જિનેશ્વર દેવની પૂજા કરવાથી થાય છે. જે ભવ્ય આત્મા, ચૈત્રી પૂર્ણિમાના દિવસે જિનાલયમાં શાંતિકકર્મ કે ધ્વજારોપણ કરે છે અને આરતી ઉતારે છે. તે ઉત્તરોત્તર કર્મજ રહિત સંસાર સ્થિતિ પ્રાપ્ત કરે છે. ચૈત્રી પૂર્ણિમાએ અન્ય સ્થાને રહીને પણ જે સંઘપૂજન કરે છે, તે પણ સ્વર્ગનાં સુખોને પ્રાપ્ત કરે છે. ચૈત્રી પૂર્ણિમાએ વસ્ત્ર તથા અન્નપાનાદિક વડે જો મુનિની ભક્તિ કરી હોય તો તેના યોગે તે આત્મા ચક્રવર્તી અને ઇન્દ્રનું પદ પામી, ઉત્તરોત્તર મોક્ષને પામે છે. જો ચૈત્રી પૂર્ણિમાએ અાલિકા મહોત્સવ પૂર્ણ થાય તો તે પર્વ અષ્ટમહાસિદ્ધિને પામનારું થાય છે. દેવતાઓ પણ આ દિવસે પુંડરીકગિરિ પર જઇને ભક્તિથી જિનપૂજાદિક વડે આ પર્વનું નિત્ય આરાધન કરે છે, માટે ધર્મબુદ્ધિવાળા ભવ્ય પ્રાણીએ ચૈત્રી પૂર્ણિમાના મંગલકારી દિવસે
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૯૧
Page #113
--------------------------------------------------------------------------
________________
પ્રમાદના હેતુરૂપ વિકથા, કલહ, ક્રીડા અને અનર્થદંડ વગેરે કાંઇપણ પાપ આચરવા નહીં, તેમજ જિનચૈત્યની, સિદ્ધાંતની, સુપાત્રની તથા ગુરુમહારાજની ભક્તિ કરવી. • ઋષભદેવ પ્રભુની વિનીતા નગરીમાં પધરામણી :
પૃથ્વીતલને પવિત્ર કરતા શ્રી આદિનાથ પ્રભુ અનુક્રમે વિનીતા નગરીની નજીક સિદ્ધાર્થ ઉદ્યાનમાં પધાર્યા. ઇન્દ્રાદિક દેવોએ ત્યાં સમવસરણ રચ્યું. ત્યાંના ઉદ્યાનપતિએ ચક્રવર્તીને પ્રભુના આગમનની વધામણી આપી. તે સાંભળી અત્યંત હર્ષથી ભરત ચક્રવર્તીએ તેને બાર કરોડ સુવર્ણ દક્ષિણામાં આપ્યું. ત્યારબાદ પાયદળ, ઘોડાઓ, હાથીઓ, રથો, પુત્રો, સામંતો, સેનાપતિઓ, રાજાઓ, શ્રેષ્ઠીઓ, સાર્થવાહો, ચારણો, બંદીજનો અને ગંધથી પરીવરેલા ભરતેશ્વર પ્રભુને વંદન કરવા નીકળ્યા. પૂર્વ દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરી, પ્રભુને પ્રદક્ષિણા આપી, ભાવપૂર્વક ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીની આ પ્રમાણે સ્તુતિ કરી :
શ્રી જિનોના અધીશ, કરૂણાના સાગર, સંસારઅટવીથી નિસ્તાર કરનાર છે જંગતવત્સલ સ્વામી ! આપ જય પામો.
લાંબા કાળથી ઉત્કંઠિત એવા મને આપે આજે દર્શન આપ્યું, તેથી હું ધારું છું કે, પૂર્વે કરેલું મારું શુભ કર્મ આજે મને ફળ્યું.
વીતરાગ એવા આપના ચિત્તમાં હું રહું, તે વાત તો કેમ સંભવે ? પણ આપ મારા ચિત્તમાં રહો, તો મારે બીજા કશાની જરૂર નથી.
સુખમાં, દુઃખમાં, નગરમાં, અરણ્યમાં, જલમાં, અગ્નિમાં, રણમાં, દિવસ કે રાત્રિમાં આપ સદા મારા ચિત્તમાં રહો.”
આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી, પંચાંગ પ્રણામ કરીને ભરતચક્રી યથાસ્થાને બેઠા. ત્યારબાદ પ્રભુએ સર્વ ભાષાને અનુસરતી, એક યોજન સુધી પહોંચે એવી મધુર વાણીમાં ધર્મદેશના ફરમાવી. • શ્રી બાષભદેવ ભગવંતની દેશના :
સુપાત્રમાં દાન, શ્રી સંઘની પૂજા, શાસનની મહાપ્રભાવના, મહોત્સવપૂર્વક તીર્થયાત્રા, શ્રુતજ્ઞાન-સિદ્ધાંતનું આલેખન, સાધર્મિક વાત્સલ્ય, ગુરૂઆગમનનો મહોત્સવ, સમદષ્ટિ અને શુભધ્યાન – આ બધાં પુણ્ય પ્રાપ્તિનાં સ્થાનો છે. તે આત્માને અનંત સુકૃતની પ્રાપ્તિ કરાવે છે.
આ પ્રમાણે દેશના પૂર્ણ થયા પછી ભરતેશ્વરે ભાવપૂર્વક પ્રણામ કરી મધુરવાણીથી શ્રી ઋષભદેવ સ્વામીને પૂછ્યું :
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૯૨
Page #114
--------------------------------------------------------------------------
________________
‘ભગવન્ ! આપે સંઘપતિના પદનું બહુ વર્ણન કરેલું છે, તો તે પદ કેવી રીતે પ્રાપ્ત થાય ? અને તેનાથી કયું શુભ ફળ પ્રાપ્ત થાય ? તે કૃપા કરીને ફરમાવો.’ તે સાંભળી પ્રભુએ કહ્યું : ‘રાજન્ ! જેવું તીર્થંકર પદ છે, તેવું સંઘપતિ પદ છે. તે વિષે હું જે કહું, તે તું સાંભળ.'
જેમ સંપત્તિ હોય છતાં પણ ભાગ્ય વિના પુંડરીક ગિરિરાજનાં દર્શન પ્રાપ્ત થતાં નથી, તેમ ભાગ્ય વિના સંઘપતિ પદ પણ પ્રાપ્ત થતું નથી. ઇન્દ્ર અને ચક્રવર્તીપદ વખાણવા લાયક છે. પરંતુ તે બંનેથી પણ વિશેષ સુકૃતથી પ્રાપ્ત થતું સંઘપતિનું પદ અતિશય વખાણવાલાયક છે. સંઘપતિ ઉત્તમ દર્શનશુદ્ધિને પ્રાપ્ત કરીને અતિ દુર્લભ એવા તીર્થંકર નામગોત્રને ઉપાર્જન કરે છે. શ્રીસંઘ અરિહંતને પણ સર્વદા માન્ય અને પૂજ્ય છે. તેથી તેનો જે પતિ થાય, તે લોકોત્તર સ્થિતિવાળો થાય છે. જે ચતુર્વિધ સંઘ સાથે શુભ ભાવનાપૂર્વક ચાલીને રથમાં જિનબિંબ સહિત દેવાલય રાખીને મોટા ઉત્સવો કરતો જાય છે, કલ્પવૃક્ષની જેમ નિરંતર દાન આપતો રહે છે તથા માર્ગમાં ગામે ગામે શ્રી જિનચૈત્યોમાં ધ્વાજારોપણ કરતો રહે છે, એવો જે પુણ્યવાન આત્મા - ગુરુના આદેશમાં તત્પર થઇ શત્રુંજય, રૈવતગિરિ, વૈભાર, અષ્ટાપદ અને સમ્મેતશિખર વિગેરે સર્વ તીર્થોની અથવા તેમાંથી એક તીર્થની યાત્રા તથા પૂજા અને ઇન્દ્ર મહોત્સવાદિ ધર્મકૃત્ય કરે છે, તે સંઘપતિ કહેવાય છે.
જે પુણ્યવાન સંઘયાત્રા કરાવે, તેણે સાધર્મિકસહિત, સાધુઓની વસ્ત્રાજ્ઞ-દાન અને વંદન વગેરેથી પ્રતિવર્ષ ભક્તિ કરવી તથા સરળતાપૂર્વક પાક્ષિક વગેરે પર્વ દિવસોમાં દાનાદિક ધર્મનું આરાધન અને શ્રી સંઘપૂજા વિશેષ પ્રકારે કરવી. આ પ્રમાણે કરનાર સંઘપતિ દેવતાઓને પણ પૂજ્ય થાય છે અને કોઇ સંઘપતિ તે ભવમાં તો કોઇ ત્રીજે ભવે સિદ્ધ થાય છે.
શ્રી ઋષભદેવ પરમાત્માના શ્રીમુખેથી સંઘપતિનો આવો અપાર મહિમા સાંભળીને ભરતેશ્વરે નમસ્કાર કરી, ભક્તિપૂર્વક કહ્યું કે, ‘હે સ્વામી ! આપ મારી ઉપર પ્રસન્ન થાઓ કે જેથી હું સંઘપતિનું નિર્મલપદ પ્રાપ્ત કરું.' તે સાંભળીને પ્રભુએ ઇન્દ્રાદિકદેવ અને સંઘ સાથે ઉઠીને ભરતનરેશ્વર ઉપર અક્ષત સહિત વાસચૂર્ણનો નિક્ષેપ કર્યો. શક્રેન્દ્રે દિવ્યમાળા મંગાવીને ભરતનરેશ્વર અને તેની પત્ની સુભદ્રાને પહેરાવી, પછી ભરત મહારાજા સર્વ સામંતોની સાથે માર્ગમાં અનેક રાજાઓથી પૂજાતા અયોધ્યાનગરીમાં પાછા આવ્યા. ત્યાં આવીને બહુમાનપૂર્વક સર્વ સ્થાનોમાં શ્રી સંઘોને ભરતનરેશ્વરે આમંત્રણ કરીને બોલાવ્યા.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૯૩
Page #115
--------------------------------------------------------------------------
________________
સંઘયાત્રાના પ્રારંભમાં અયોધ્યાનગરીના જિનચૈત્યોમાં અષ્ટાદ્રિકા મહોત્સવ કરાવ્યો. ગણધર ભગવંતોને પોતાના ઘરે ભક્તિપૂર્વક આમંત્રણ આપીને ભાવપૂર્વક સન્માન – વંદન કર્યું તથા સર્વ વિઘ્નોના નાશ માટે શાંતિકર્મ કરાવ્યું. ગણધરદેવોના મંત્રોથી નિર્વિઘ્ન યાત્રા કરાવવા દેવતાઓ પ્રત્યક્ષ થયા. ઇન્દ્ર સુવર્ણના દેવાલય સાથે શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમા ભરતને અર્પણ કરી.
આ અવસરે ભરતનરેશ્વરે શક્રેન્દ્રને પૂછ્યું કે, “શ્રી આદિનાથ પ્રભુ પોતે સાવદ્યરહિત છે, છતાં તેમણે સાવદ્ય ક્રિયાવાળા સંઘપતિના પદનો મને કેમ ઉપદેશ કર્યો? આરંભ કરવામાં પુણ્યસિદ્ધિ કેવી રીતે થાય ? તેનું સમાધાન તમે મને કહો.” ત્યારે શક્રેન્દ્ર બોલ્યા, ‘ભરતેશ્વર ! જે કર્મ અતિશય શુદ્ધભાવનું કારણ હોય, વળી બહુ પુણ્યવાળું અને અલ્પ સાવઘવાળું હોય તે કર્મ ગૃહસ્થને આદરવા યોગ્ય છે. કારણ કે પ્રાયઃ ગૃહસ્થોને પૂજાદિક સર્વ ધર્મકાર્ય સાવઘવાળું હોય છે અને સ્વાદમાં કડવાં પણ પરિણામે હિતકારી ઔષધની જેમ સાવદ્ય ક્રિયાવાળા ધર્મકૃત્યોથી પરિણામે આત્માને મહાન લાભ પ્રાપ્ત થાય છે. કેમકે, તેમાં પાપ તો લવમાત્ર હોય છે. પરંતુ દાન, શીલ, અભય, પ્રભાવના - ભાવના વગેરેથી મહાપુણ્ય થાય છે. આ રીતે શાસનની પ્રભાવના જે આત્મા સરલતાપૂર્વક સર્વ પ્રકારનાં સાધનોથી કરે છે, તે આત્મા પણ સ્વર્ગ અને મોક્ષનું સુખ ઉપાર્જન કરે છે. માટે તીર્થયાત્રા અને પ્રતિષ્ઠાદિ કર્મ સાવઘથી થતાં હોવા છતાં તે સાવધનો લેશ પણ બહુ પુણ્યને આપનાર હોવાથી આદરવા યોગ્ય છે. • આ અવસર્પિણીમાં પ્રથમ તીર્થયાત્રા માટે સંઘ સહિત ભરતેશ્વરનું પ્રયાણ:
આ પ્રમાણે શંકાનું નિવારણ કરી, ઇન્દ્ર મહારાજા અનુજ્ઞા લઈ પોતાના સ્થાનકે ગયા. પછી ભરત ચક્રવર્તીએ શુભ દિવસે પ્રયાણ કર્યું. પહેલા મુકામે પહોંચ્યા. ત્યાં વદ્ધકિર કરેલા મણિરત્ન અને સુવર્ણમય બહારના આવાસમાં સંઘ સાથે નિવાસ કર્યો. મધ્યમાં પ્રભુનું સુવર્ણમય દેવાલય, દક્ષિણ બાજુએ પૌષધાગારમાં વિશાલ મુનિગણ સહિત ગણધર ભગવંતો, ડાબી તરફ ભરત ચક્રવર્તીનું નિવાસસ્થાન હતું. તેની આસપાસ બીજા યાત્રિકોના આવાસો. આ રીતે માર્ગમાં દરેક મુકામે સંઘનો પડાવ થતો.
ચારણ તથા બંદીજનોની જેમ દેવતાઓ - “હે ભરત રાજા ! જય પામો, ઘણું જીવો અને આનંદ પામો.” એવી આશિષ આપી હર્ષપૂર્વક સ્તુતિ કરતા હતા.
ભરત રાજા સ્થાને સ્થાને અને નગરે નગરે દેવગુરુની પૂજા અને શ્રીજિનચૈત્યોનો ઉદ્ધાર કરતા, દેશદેશના રાજાઓના વિવિધ ભેટાને ગ્રહણ કરતા, એક એક યોજના પ્રમાણ પ્રયાણ કરતા, અનેક દેશોને ઓળંગતા અનુક્રમે સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૯૪
Page #116
--------------------------------------------------------------------------
________________
ભરત રાજાને સંઘપતિ તરીકે આવતા જાણી, તેમનો ભત્રીજો - સૌરાષ્ટ્રના અધિપતિ સુરાષ્ટ્ર રાજાના પુત્ર શક્તિસિંહે ભરતની સન્મુખ આવીને ભક્તિપૂર્વક નમન કર્યું. તેને ભરતેશ્વરે હર્ષથી કહ્યું,
આ દેશનું “સુરાષ્ટ્ર' એવું નામ સફળ છે. કારણ કે જ્યાં અન્ય દેશવાસીઓને દુષ્માપ્ય એવું મહાપવિત્ર શત્રુંજય તીર્થ છે. સદાકાલ આ તીર્થની સેવા કરનાર તમને ધન્ય છે. કારણ કે આ ગિરિરાજની છાયા પણ પાપ અને તાપને દૂર કરે છે. અહીં જે વૃક્ષો, પશુઓ, પંખીઓ છે, તેઓ પણ પુણ્યવાન છે. જયારે અમારા જેવા દૂરવાસી તો તેને વારંવાર જોઈ પણ નથી શકતા.' આ રીતે પ્રીતિપૂર્વક તેને બોલાવી આભરણાદિકથી તેનું સન્માન કર્યું. પછી ઉંચા શિખરોથી જાણે યાત્રિકોને આવકારતો હોય, એવો પુંડરીકગિરિ દૂરથી જોઇને ભરતેશ્વર રોમાંચિત થયા. · ગણધર ભગવંતે બતાવેલી ગિરિરાજ પૂજનવિધિ :
ત્યારબાદ ગજરત્ન ઉપરથી નીચે ઉતરીને ભરત રાજાએ હર્ષથી, ભક્તિથી ગણધર મહારાજાને વંદન કરીને પૂછ્યું કે, “આ પર્વતની પૂજા કેવી રીતે કરવી ? અને અહીં કઇ ક્રિયા કરવી ? તે કૃપા કરીને મને કહો !”
ત્યારે ગણધર ભગવંતોમાં મુખ્ય એવા શ્રી નાભગણધરે અવધિજ્ઞાનથી જાણીને ભરતને કહ્યું, “હે નરેશ્વર ! જયારે આ ગિરિરાજનાં દર્શન થાય ત્યારે પ્રથમ તેને નમસ્કાર કરવો. જે કોઈ ગિરિરાજનાં પ્રથમ દર્શનની વાત જણાવે, તેને કાંઇપણ પ્રીતિદાન આપવું. કારણ કે તે પુણ્યની વૃદ્ધિ માટે થાય છે. જયારે આ ગિરિરાજનું પ્રથમ દર્શન થાય, ત્યારે આ ગિરિને સુવર્ણથી અને મણિરત્નાદિકથી વધાવવો. પછી પૃથ્વી પર મસ્તક અડે એ રીતે પંચાંગ નમસ્કાર કરી પ્રભુનાં ચરણોની જેમ ગિરિને નમસ્કાર કરવો. પછી તે જ સ્થાને સંઘનો પડાવ કરી સદ્ભક્તિ વડે શોભતા સંઘપતિએ તે દિવસે ઉપવાસ કરવો અને સ્નાન કરી વસ્ત્રાલંકાર ધારણ કરી, પત્ની સહિત દેવાલયમાં મનોહર સ્નાત્રપૂજા કરવી.
પછી સંઘ સાથે સુવર્ણનું ધૂપધાણું ધારણ કરી, મંગલધ્વનિ સહિત ધવલ ગીતોનાં ઉચ્ચાર કરવાપૂર્વક યાચકોને દાન આપતાં શ્રી શત્રુંજયગિરિની સન્મુખ થોડું ચાલી, ત્યાં ભૂમિ ઉપર મોતીનો કે ચોખાનો એક સ્વસ્તિક કુંકુમમંડલ ઉપર કરવો અને ત્યાં પૂજા ઉત્સવ કરવો. ત્યારબાદ ભુજેલા, રાંધેલા કે તૈયાર કરેલા નૈવેદ્યોથી, રૂપા તથા સુવર્ણથી અને વસ્ત્રાલંકાર તથા પુષ્પમાલાથી પ્રથમ પૂજન કરવું. પછી સાધમિક વાત્સલ્ય, સંઘપૂજા અને દેવાલયમાં સંગીત-નૃત્યાદિ કરવા. તે સમયે બીજા પણ શુભ ભાવનાવાળા આત્માઓએ વસ્ત્રાલંકાર અને પુષ્પમાલાઓથી પત્ની સહિત સંઘપતિને
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૯૫
Page #117
--------------------------------------------------------------------------
________________
બહુમાનપૂર્વક પૂજવા. તે દિવસે સર્વ સંઘવાસીઓએ મિષ્ટભોજન જમી ધર્મસંબંધી કથા અને ગુરુસેવા કરતાં ત્યાં જ રહેવું.'
ગિરિરાજની પ્રથમ ભક્તિ :
આ પ્રમાણે સાંભળી આનંદ પામેલા ભરતેશ્વરે ગિરિરાજની નજીક સંઘનો પડાવ કરાવ્યો. પછી પત્ની સહિત સ્નાનથી શુદ્ધ થઈ, શુદ્ધ વસ્ત્રો પહેરી દેવાલયમાં આવ્યા. ત્યાં ગણધર ભગવંતની સાક્ષીએ પુષ્પો, અક્ષત તથા સ્તુતિ વડે પ્રભુની પૂજા કરી, સંગીત-નૃત્ય કર્યું.
ત્યારબાદ ગણધર ભગવંતે કહેલ વિધિ પ્રમાણે એક પવિત્ર સ્થાન ઉપર મંડલ કરી, મોતીનો સ્વસ્તિક કર્યો. નૈવેદ્યો મૂક્યા. પછી પંચાંગ પ્રણામ કરી, તીર્થની આ પ્રમાણે સ્તુતિ કરી :
ત્રણે લોકમાં રહેલા નાગકુમારાદિક ચારે પ્રકારના દેવો અને મનુષ્યો જે તીર્થરાજને સદા સેવે છે, તે તીર્થરાજને નમસ્કાર હો !
જે તીર્થ અનાદિકાલથી અનંત, અક્ષય, નિત્ય અને અનંત ફળ આપનારું છે, તે તીર્થને નમસ્કાર હો !
જ્યાં અનંત તીર્થકરો સિદ્ધ થયા અને થશે, તેમજ જે મુક્તિનું ક્રીડાગૃહ છે, તે તીર્થરાજને નમસ્કાર હો !
ગિરિરાજની આ પ્રમાણે સ્તુતિ કરીને શ્રી નાભગણધરને પણ નમસ્કાર કર્યો. નમન કરતાં ભરતનરેશ્વરની પીઠ ઉપર ગણધરે પોતાનો હાથ મૂક્યો. તેથી મનમાં સંતોષ પામીને ભરતેશ્વરે ધર્મધ્યાનમાં રહી, તે દિવસ ત્યાં જ પૂર્ણ કર્યો.
બીજે દિવસે પ્રાતઃકાલે સંઘસહિત ચૈત્યમાં જઈ તીર્થકર ભગવંતને, ત્યારબાદ ગણધર ભગવંતને વંદન કરીને ભરતેશ્વરે પારણું કર્યું. પછી પુંડરીકગિરિની નજીક વિનીતાનગરી જેવું એક નગર રચાવ્યું. તે નગરમાં સ્થાને સ્થાને વાવડી, કૂવા, સરોવર, હોજ વિગેરે જળાશયો, મનોહર ઉદ્યાનો, દેવમંદિરો વિગેરે શોભી રહ્યા હતા. આવા નગરને જોવાથી ખૂબ આનંદ થતો હતો. તેથી ભરતેશ્વરે તેનું નામ આનંદપુર રાખ્યું અને સૌરાષ્ટ્ર દેશમાં આવેલું હોવાથી એ નગર શક્તિસિંહને અર્પણ કર્યું.
ત્યારબાદ તીર્થયાત્રા કરવામાં ઉત્સુક એવા ભરતનરેશ્વર શ્રીનાભગણધર પાસે આવ્યા, એટલે ગણધર મહારાજ સર્વ મુનિઓની સાથે આગળ ચાલ્યા. એમની પાછળ ભરત રાજા ચાલ્યા. તેમની પાછળ ગિરિરાજને જોતો સકળ સંઘ ચાલ્યો અને બધા સાથે ગિરિરાજ ચડવા લાગ્યાં. તેમાં ભરત મહારાજા ઉત્તર બાજુના માર્ગે ચડતા હતા અને બીજા સર્વે પોતપોતાની શક્તિ પ્રમાણે જુદે જુદે માર્ગે ચડતા હતા.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૯૬
Page #118
--------------------------------------------------------------------------
________________
• ચિલ્લણ સરોવર :
તે વખતે ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીના સુધમ ગણધરના ચિલ્લણ નામે ઉત્કટ તપસ્વી શિષ્ય લોકોથી વીંટાઇને પશ્ચિમ માર્ગથી ગિરિ પર ચડતા હતા. સર્વ શ્રાવકો દસ યોજન સુધી ચડ્યા, ત્યારે તેમને ઘણી તૃષા લાગી. તેથી તેઓએ ચિલ્લણ મુનિને કહ્યું કે, “હે મહારાજ ! પ્રાણને હરી લે તેવી તૃષા અમને લાગી છે. જલ વિના અમારા પ્રાણ ભગવંતનાં ચરણકમલોનાં દર્શન વિના અત્યારે જ ચાલ્યા જશે.' આ પ્રમાણે યાત્રિક લોકોને મ્યાન થયેલા જોઇ, તે તપસ્વી મુનિએ તેમને પાણીનું સ્થાન બતાવ્યું. તે જોઇને તેઓ બોલ્યા, “હે સ્વામી ! આટલા જલથી અમારી સૌની તૃષા છીપાય તેમ નથી.” તે સાંભળી સંઘનું હિત ઇચ્છતા તે ચિલ્લણ મહર્ષિએ તપોલબ્ધિથી ત્યાં એક સુંદર સરોવર ઉત્પન્ન કર્યું. તે સરોવર જોઈ લોકો ખુશ થયા. આ રીતે સંઘ લોકોનાં આગ્રહથી ચિલ્લણ મુનિએ તપશક્તિથી એ સરોવર બનાવ્યું. તેથી તે સરોવરનું ચિલ્લણ સરોવર એવું નામ પ્રખ્યાત થયું અને તે ઘણું પવિત્ર ગણાય છે. એ સરોવરનાં દર્શનથી, સ્નાનથી, પાનથી અને તે જળ વડે પ્રભુને સ્નાત્રાભિષેક કરવાથી સર્વ પાપોની શુદ્ધિ થાય છે. એનાં જળથી સ્નાન કરી જે પ્રભુનાં ચરણોનું પ્રક્ષાલન કરે છે. તે પુરુષ એકાવતારી થઈ મુક્તિ પામે છે. આવા પ્રભાવશાળી સરોવરનાં જલનું પાન કરી, સંઘના લોકો સજજ થયા અને તેના શીતલ પવન વડે વિશ્રાંતિ પામેલા સુખેથી પ્રથમ શિખર ઉપર ચડ્યા. • “સર્વતીર્વાવતાર' મહાકુંડનો જીર્ણોદ્ધાર :
આ બાજુ ઉત્તર તરફના માર્ગેથી ગિરિરાજ ઉપર ચડતાં ભરત રાજાએ પથિકજનોના પરિતાપને હરનાર, લક્ષ્મીવિલાસ નામનું એક વન જોયું અને ત્યારે સૂર્ય આકાશમાં મધ્યમાં આવેલો હોવાથી તાપને દૂર કરવા તે સુંદર ઉદ્યાનમાં વાદ્ધકરત્ન પાસે ત્યાં સંઘનો પડાવ કરાવ્યો.
યાત્રિકો ત્યાં હર્ષથી ખેલવા લાગ્યા અને ભરત ચક્રવર્તી પણ શક્તિસિંહને સાથે લઈ તે લક્ષ્મીવિલાસ વનમાં ગયા. ત્યાં તેમણે એક કુંડ જોયો. તે કુંડ શતપત્ર વગેરે વિવિધ જાતિના કમલોથી અને હંસોથી મનોહર લાગતો હતો. તે જોઇને આનંદ પામેલા ચક્રવર્તીએ શક્તિસિંહને તે મનોહર કુંડના પ્રભાવ વિષે પૂછયું. ત્યારે શક્તિસિંહે કહ્યું, “સ્વામી ! એક વખત આપના પૂજ્ય પિતાશ્રી ઋષભદેવ ભગવંત અહીં પધાર્યા હતા. ત્યારે હું પણ અહીં આવ્યો હતો. પ્રભુને મેં આ કુંડનું માહાભ્ય પૂછ્યું હતું. ત્યારે પ્રભુએ કહેલું કે હું કહું છું, કે...
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૯૭
Page #119
--------------------------------------------------------------------------
________________
આ મહાકુંડ સર્વતીર્વાવતાર નામથી પ્રખ્યાત છે. પૂર્વે ઉત્સર્પિણીકાલમાં આ ગિરિ ઉપર કેવળજ્ઞાની નામના પહેલા તીર્થંકર પાસે સૌધર્મપતિ આવ્યા હતા. તેમણે તીર્થંકરદેવની ભક્તિ માટે આ કુંડમાં ગંગા, સિંધુ અને પહદ વિગેરે તીર્થોનાં જળ નિર્માણ કર્યા હતા. તેથી આ કુંડનાં જલથી પ્રભુનો સ્નાત્રાભિષેક કરવાથી પાપ નાશ છે, મુક્તિફળની પ્રાપ્તિ થાય છે. પ્રભુનાં ચરણને પ્રક્ષાલન કરવાથી પવિત્ર થયેલા આ કુંડનાં જલથી અતિ દારૂણ વિષની પીડા નાશ પામે છે તથા અનેક પ્રકારની આધિ ક્ષય પામે છે. કાંતિ, કીર્તિ, બુદ્ધિ અને ધૃતિ વૃદ્ધિ પામે છે. જો કે ઘણો કાળ થવાથી આ કુંડ જીર્ણ થયો છે, તો પણ તેનો પ્રભાવ વિશેષ છે.' આ પ્રમાણે કુંડનો પ્રભાવ જાણીને ભરતેશ્વરે વદ્ધકિરત્ન પાસે તે કુંડ સજ્જ કરાવ્યો. ત્યારથી તે પ્રભાવિક કુંડ “ભરતકુંડ' નામથી વિખ્યાત થયો.
ત્યાં તે રાત્રિ પસાર કરી, પ્રાતઃકાલે સંઘસહિત ભરતેશ્વર પહેલા શિખર ઉપર આવ્યા.તે વખતે ભરત પ્રત્યેના સ્નેહથી પ્રેરાયેલા સૌધર્મપતિ - ઇન્દ્ર સંઘને જોવાની ઇચ્છાથી ત્યાં આવ્યા અને ભરત તથા ઇન્દ્ર પરસ્પર આનંદથી ભેટી પડ્યા. શ્રીનાથગણધરની સાથે બંનેએ ગિરિરાજના મુખ્ય શિખરની સ્પર્શના કરી, રાયણ વૃક્ષને પ્રદક્ષિણા દીધી. તે વૃક્ષની નીચે મણિમય મંડલ ઉપર ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીની પાદુકા - જે ઇન્દ્ર પોતે કરાવેલી હતી તે બતાવી. એટલે ભારતે પાદુકાને નમસ્કાર કર્યા. સાક્ષાત્ અનંતજ્ઞાનથી ઉજજવલ શ્રી ઋષભદેવને મનમાં ચિંતવી તે પ્રભુનાં ચરણના પ્રતિકરૂપ તે સ્થાનને ભરતેશ્વરે પ્રણામ કર્યા તથા ભક્તિથી ચંદનબરાસ વડે પાદુકાને વિલેપન કરી, પારિજાત અને ગુલાબના પુષ્પોથી પૂજા કરી.
૦ પ્રથમ ઉદ્ધાક : ભરત મહારાજ રે
(
શત્રુંજય તીર્થ ઉપર રૈલોક્યવિભ્રમ જિનપ્રાસાદ ઈન્દ્ર મધુરવાણીથી કહ્યું કે, “કાલના પ્રભાવે મનુષ્યો ઉત્તરોત્તર હીન ગુણવાળા થતા જાય છે, તેથી આ ગિરિ પર પ્રભુની મૂર્તિ વિના કોઇ તેની શ્રદ્ધા કરશે નહીં. પ્રભુનાં ચરણથી પવિત્ર થયેલો આ ગિરિરાજ સ્વયં તીર્થરૂપ છે, તો પણ લોકોની ભાવનાથી વિશેષ પ્રકારે શુદ્ધિ માટે અહીં શ્રી જિનેશ્વરનો એક ભવ્ય પ્રાસાદ થવો જોઇએ. જે જે તીર્થકરો જે જે કાલમાં વિદ્યમાન હોય, તે તે કાલે તે તે તીર્થકરોની મૂર્તિઓ પ્રતિષ્ઠિત થાય છે. હાલ શ્રી ઋષભદેવ સ્વામી જયવંતા વર્તે છે. માટે તેઓની મૂર્તિસહિત આ તીર્થાધિરાજ પર વિનીતા નગરીના ચૈત્ય જેવું એક જિનમંદિર તમે
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૯૮
Page #120
--------------------------------------------------------------------------
________________
કરાવો અથવા જેમ બાહુબલિએ તક્ષશિલાપુરી વસાવી, ત્યારે ચોરાશી મંડપથી મંડિત એવો મહાન જિનપ્રાસાદ કરાવ્યો છે, તેવો અહીં એક જિનપ્રાસાદ કરાવો.
ઇન્દ્રના આવાં વચનો સાંભળી, ભરત રાજાએ વર્ધ્વકિરત્નને આજ્ઞા કરી. દિવ્ય શક્તિવાળા વóકીએ અલ્પ સમયમાં મણિરત્નોથી શોભતો ત્રિલોક્યવિભ્રમ” નામે એક પ્રાસાદ બનાવ્યો. ચોર્યાશી મંડપો યુક્ત તે પ્રાસાદ એક કોશ ઊંચો, બે કોશ લાંબો અને એક હજાર ધનુષ્ય પહોળો હતો. તેની આસપાસ લાખ્ખો ગોખલાઓ, રત્નમયી વેદિકાઓ, જાળીઓ અને અનેક અટારીઓ શોભી રહી હતી. તેની મધ્યમાં ઋષભદેવ પ્રભુની ચતુર્મુખવાળી રત્નમય તેજસ્વી મૂર્તિ હતી અને પ્રતિમાની બંને બાજુએ ગણધર ભગવાન શ્રી પુંડરીકસ્વામીની અદૂભૂત મૂર્તિઓ હતી તથા કાયોત્સર્ગ રહેલી પ્રભુશ્રી ઋષભદેવ સ્વામીની મૂર્તિ અને તેના બંને પડખે ખગ્ર ખેંચીને રહેલા નમિ-વિનમિની મૂર્તિ બિરાજમાન કરાવી. તે મંદિરમાં એક બાજુ ત્રણ ગઢની વચ્ચે રહેલા કેવળજ્ઞાની ચતુર્મુખ પ્રભુ ધર્મતત્ત્વની દેશના આપતા હોય તેવી મૂર્તિ બિરાજમાન કરી. તેમની આગળ શ્રીયુગાદિપ્રભુ ઉપર દષ્ટિ રાખી, અંજલી જોડી, ઊભેલી પોતાની મૂર્તિ પણ ભરતે સ્થાપના કરી. તે સિવાય શ્રી નાભિરાજા, મરૂદેવામાતા અને બીજા પૂર્વજોની પણ રત્નમય મૂર્તિઓ ભરતનરેશ્વરે ભરાવીને તે જુદા પ્રાસાદ કરાવી તેમાં પ્રતિષ્ઠિત કરાવી. તેમજ તે ચૈત્યમાં સુનંદા અને સુમંગલામાતાની મણિ-રત્નમય મૂર્તિ, બ્રાહ્મી-સુંદરીની મૂર્તિઓ પણ બિરાજમાન કરાવી. ત્યારબાદ ત્યાં બીજા નવા મંદિરો કરાવીને તેમાં ભાવી અજિતનાથ સ્વામી આદિ ત્રેવીસ તીર્થકરોના બિંબોને પોતપોતાના વર્ણ અને દેહમાન પ્રમાણ શાસનદેવતા સહિત સ્થાપિત કર્યા. તેમજ ભરતે પોતાનાં બીજા બંધુઓની પણ મણિરત્નમય મૂર્તિઓ કરાવીને નવા પ્રાસાદમાં ગોઠવી. • ભરત ચક્રવર્તીએ કરાવેલો પ્રતિષ્ઠા મહોત્સવ :
આ પ્રમાણે વિવિધ પ્રકારનાં ચૈત્યો કરાવીને કાર્ય પૂર્ણ થયે ભરત ચક્રવર્તીએ તે કાર્ય કરનારા શિલ્પીઓ, ચિત્રકારો, રક્ષકો અને પૂજકોનું સન્માન કર્યું. શ્રી જિનેશ્વરાદિકની નિત્યપૂજા માટે ઝારી, થાળ, કલશ, છત્ર, ચામર, દીપક, આભૂષણ અને આરતી વગેરે સર્વ પ્રકારની સુંદર સામગ્રી ત્યાં દરેક ચૈત્યમાં મૂકી. હાથીના વાહનવાળો, બે જમણી ભુજામાં વરદાન અને અક્ષમાલા અને બે ડાબી ભુજામાં બીજોરુ અને પાશ ધારણ કરનારો, તપેલો સુવર્ણ જેવા વર્ણવાળો ગોમુખ નામનો યક્ષ તે શત્રુંજય તીર્થનો રક્ષક થયો. તેમ જ સુવર્ણ વર્ણવાળી, ગરુડ પર બેસનારી, ચાર જમણી ભુજાઓમાં
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૯૯
Page #121
--------------------------------------------------------------------------
________________
વરદાન, અક્ષમાળા, ચક્ર અને પાશ તથા ચાર ડાબી ભુજાઓમાં ધનુષ્ય, વજ, ચક્ર અને અંકુશ ધરનારી અપ્રતિચક્ર ચક્રેશ્વરી નામે શાસનદેવી તે તીર્થની રક્ષણ કરનારી થઇ.
પછી શુભ દિવસે બાહુબલિ મુનિ, શ્રીનાભગણધર, નમિ-વિનમિ અને આચાર્યદેવો તેમજ ઇન્દ્રાદિક દેવો ત્યાં ભેગા થયા. ગુરુમહારાજે સૂચવેલાં અંજનશલાકા વિધિમાં જોઇતા સર્વ ઉપકરણો ઇન્દ્રની આજ્ઞાથી આભિયોગિક દેવોએ ભક્તિપૂર્વક તુરત જ ત્યાં હાજર કર્યા. શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે મહર્ષિઓએ શાંતિકર્મપૂર્વક ચૈત્યોમાં પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. સૂરિમંત્રથી અભિમંત્રિત કરેલ પવિત્ર વાસપૂર્વકના અક્ષતો ધ્વજાદંડ અને પ્રતિમા ઉપર હર્ષથી નાખ્યા. તે સાથે સંઘે પણ વાસચૂર્ણનો ક્ષેપ કર્યો. આ પ્રમાણે કરેલા પ્રતિષ્ઠા મહોત્સવથી સર્વ અધિષ્ઠાયક દેવો પ્રત્યક્ષપણે ત્યાં આવીને રહ્યા.
ત્યારપછી ચક્રવર્તીએ મંત્રોચ્ચારપૂર્વક સુવર્ણ-રત્નમય કલશો વડે પ્રભુનો સ્નાત્ર મહોત્સવ કર્યો. સુગંધી કપૂર, અગરૂ, કસ્તૂરી અને ચંદનાદિથી પ્રભુની પ્રતિમાને વિલેપન કર્યું. વિવિધ પ્રકારના સુગંધિત પુષ્પોથી સર્વ ઇન્દ્રોએ અને ચક્રવર્તી વગેરેએ પ્રભુની પૂજા કરી. ત્યારબાદ ધૂપ, દીપ, પૂજા કરીને અક્ષત, ફળ, નૈવેદ્ય વિગેરે પ્રભુની આગળ ધર્યા. પછી ભરતેશ્વરે પ્રભુ સમક્ષ આરતી, મંગલદીપ ઉતાર્યા. આ રીતે અંગ તથા અગ્રપૂજા કરી પરમ હર્ષ પામેલા ભરતેશ્વરે બે હાથ જોડી ભાવપૂજારૂપી આ પ્રમાણે સ્તુતિ કરી :
હે નાથ ! બુદ્ધિરૂપ ધનથી રહિત હું ક્યાં ? અને ગુણના સાગર આપ ક્યાં ? તો પણ આપની ભક્તિથી વાચાળ થયેલો હું યથાશક્તિ આપની સ્તવના કરું છું -
હે જગપૂજય આપ અનંત, અનાદિ અને અરૂપી છો. યોગીઓ પણ આપના યથાર્થ સ્વરૂપને જાણી શકતા નથી.
હે અનંતજ્ઞાનરૂપ માહાભ્યના સાગર, ચારિત્રમાં ચતુર અને જગતમાં દીપકરૂપ એવા હે પ્રભુ ! આપને અમારા નમસ્કાર હો.
હે શત્રુંજયતીર્થના શિરોરત્ન ! શ્રી નાભિરાજાના કુળમાં સૂર્યરૂપ પ્રભુ ! આપને નમસ્કાર હો.
હે નાથ ! હું સ્વર્ગસુખને, મોક્ષને કે માનવલક્ષ્મીને માંગતો નથી, પણ આપનાં ચરણકમળો સદા મારા હૃદયમાં વસો, એવી આપની પાસે હું યાચના કરું ચું.'
આ પ્રમાણે ભક્તિથી પ્રભુની સ્તુતિ કરી, પંચાંગ પ્રણામ કર્યા. પછી આ અવસર્પિણી કાળમાં પ્રથમ સિદ્ધ થયેલા ઋષભદેવ ભગવંતની માતા શ્રી મરૂદેવાની પૂજા કરીને સ્તુતિ કરી કે, “આ વિશ્વને અંતરંગ શત્રુઓથી પરાભવ પામતું જોઈ સર્વ જગતને અભય આપનાર જગત્પતિ ઋષભદેવને પોતાના ઉદરમાં ધારણ કરનાર
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૦૦
Page #122
--------------------------------------------------------------------------
________________
મરૂદેવા માતા...! આપને હું અનેકવાર નમસ્કાર કરું છું. જગતમાં આપના જેવી કોઈ બીજી પરમયોગપરાયણ નારી નથી, કે જેણે ગજેન્દ્ર પર બેસીને પોતાના અંતઃશત્રુઓને હણ્યા અને બહુ વાત્સલ્યભાવને લીધે પોતાના પુત્રનું સુખ જોવા અગ્રેસર થઈ મોક્ષમાં પધાર્યા, એવા જગદીશજનની હે મરૂદેવામાતા ! આપને હું પ્રણામ કરું છું, આપ મને નિત્ય મંગલરૂપ હો.'
આ પ્રમાણે સ્તુતિ કરી, બ્રાહ્મીના ચૈત્યમાં આવ્યા. ત્યાં પૂજા કરીને સ્તુતિ કરી, જે સ્થિર સ્વભાવી, ભવભયને હણનારા, સુર-નરસમૂહથી પૂજિત છે. જેનું રૂપ મંત્રસ્વરૂપી છે, તેવા વિશ્વમાતા જગદીશપુત્રી શ્રી બ્રાહ્મીને હું નમસ્કાર કરું છું. પરમ સમાધિપરાયણ યોગીઓ જેને હૃદયકમલમાં રાખી નિરંતર સ્મરણ કરવા દ્વારા અજ્ઞાનને દૂર કરી તત્ત્વને જાણે છે, તે ઉજ્જવલ શીલધારી ભારતીને હું નમસ્કાર કરું છું. આપ મારા વિનોની શાંતિ માટે થાઓ.’
આ પ્રમાણે સ્તુતિપૂર્વક પ્રણામ કરી, સુંદરીના ચૈત્યમાં આવ્યા. ત્યાં સુંદરીની પ્રતિમાની પૂજા કરીને સ્તુતિ કરી, “હે સુંદરી ! તમે પૃથ્વીના આભૂષણરૂપ છો. નીચવંશમાં ઉત્પન્ન થયેલો પુરુષ પણ તમારા લેશમાત્ર આશ્રયથી કુલીન, બુદ્ધ અને વૃદ્ધજનને સેવવા યોગ્ય થઈ જાય છે. હે દેવી ! તમારી કૃપાથી આ જગત સર્વ મનોરથ પૂરનાર અને સર્વ જનને સેવ્ય થાય છે. જગતને હિતકારી અને આદિનાથ પ્રભુના સાગરમાંથી ઉત્પન્ન થયેલી લક્ષ્મીરૂપ હે દેવી સુંદરી ! તમે જ બુદ્ધિરૂપ, ધૃતિરૂપ અને મતિરૂપ છો. તેથી તમારી અમે સ્તુતિ કરીએ છીએ.”
આ પ્રમાણે સ્તુતિ કરી, ફરી જિનેશ્વરદેવની પૂજામાં તત્પર થયા. ત્યારબાદ બધા પ્રાસાદો ઉપર ગણધરદેવોએ પ્રતિષ્ઠિત કરેલી સુવર્ણ, રૂપ્ય અને વસ્ત્રમય ધજાઓ ચડાવી. પછી ગુરુમહારાજને પ્રદક્ષિણા દઈ તેઓનાં ચરણની પણ પૂજા કરી. ત્યારે શ્રીનાભગણધર હર્ષપૂર્વક બોલ્યા, “હે રાજા ! સૂરિમંત્રથી પ્રતિષ્ઠિત, દષ્ટિદોષને દૂર કરનારું અને ગુરુના કરકમલથી થયેલું આ તિલક તને મંગલ આપો.' આ પ્રમાણે કહી ભરતના લલાટ ઉપર ચંદનનું તિલક કર્યું. પછી ભરતેશ્વરે “ફચ્છામિ ક્ષમાશ્રમUT વંડિતું' એમ કહી પંચાંગ પ્રણામ કર્યા અને વાણીરૂપ સુધાનું પાન કરવા ભરત રાજા તેઓની આગળ પ્રસન્નતાપૂર્વક બેઠા. એટલે શ્રીનાભગણધરે દેશના શરૂ કરી.
શ્રીનાથગણધરની દેશના : જિનપૂજા અને સાત ક્ષેત્રનું માહાભ્ય વર્ણન જેઓ આ લોકમાં શ્રી જિનેશ્વર ભગવંતને પૂજે છે, તે મનુષ્યો જ ધન્ય છે,
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૧૦૧
Page #123
--------------------------------------------------------------------------
________________
જે પ્રાણી શુભાશય વડે સાતક્ષેત્રમાં સદ્દવ્યરૂપી બીજ વાવી, આદરપૂર્વક તેનું સિંચન કર્યા કરે છે, તે લોકાગ્રને પામે છે. તે સાત ક્ષેત્રોમાં ૧. જિનમંદિર, ૨. જિનબિંબ અને ત્રીજું ક્ષેત્ર - જિનાગમ છે.
સમ્યગૃજ્ઞાન વિના આત્મા સંસારમાં પરિભ્રમણ કરે છે અને સમ્યગુજ્ઞાનથી આત્મા મોક્ષસુખને પામે છે. તે સમ્યજ્ઞાન શ્રી જિનેશ્વરદેવના આગમ - સિદ્ધાંતની આરાધનાથી પ્રાપ્ત થાય છે. તે આરાધના દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે થાય છે. તેમાં દ્રવ્ય આરાધના - શ્રુતની જેમાં સ્થાપના છે, તે શ્રુતજ્ઞાનના પુસ્તકોને સારા પોથીબંધનો, સારા પાઠા, સુંદર દોરી, પાનાની રક્ષા થાય, તેવું વીંટણું (કવળી) કરવાથી, તેમ જ જ્ઞાન પાસે દીપક, ધૂપ, અષ્ટમંગલ, સંગીત, ફળ, પુષ્પ, અક્ષત ધરવા ઇત્યાદિ રીતે પૂજા કરવાથી થાય છે અને સમ્યગ્રજ્ઞાન સાંભળવું, તે પર શ્રદ્ધા રાખવી, ભણવું, ભણાવવું અને જ્ઞાન ભણનારાઓની ભક્તિ કરવી એ જ્ઞાનનું ભાવ-આરાધન કહેવાય છે.
આ પ્રમાણે કરેલી જ્ઞાનની આરાધના સંસારની જડતાને નાશ કરનારી અને કેવળજ્ઞાન આપનારી થાય છે. • ચતુર્વિધ સંઘ સ્વરૂપ અન્ય ચાર ક્ષેત્ર (૪ થી ૭) :
ચતુર્વિધ સંઘની પૂજા અને ઉપાસના લોકોત્તર સુખ આપનારી છે. જેને ઘેર સંઘ આવે, તેના હાથમાં ચિંતામણિ રત્નની પ્રાપ્તિ થઇ છે, આંગણે કલ્પવૃક્ષ ફળ્યું છે, આગળ કામધેનુ રહેલી છે. એમ સમજવું. જેના આંગણામાં ચતુર્વિધ સંઘ આવે છે, તેનું કુલ નિષ્કલંક થાય છે. સંઘના ચરણની રજ જે મસ્તકે સ્પર્શ કરે છે, તે પવિત્ર પુરુષને તીર્થસેવાનું ફળ મળે છે. ફળ, મુખવાસ, વસ્ત્ર, ભોજન, ચંદન અને પુષ્પોથી જે સંઘની પૂજા કરે છે, તે આ માનવજન્મનું ફળ પ્રાપ્ત કરે છે. “હે ભરત ચક્રવર્તી ! આ સાત ક્ષેત્રો જૈનશાસનમાં સદા ફળદાયક છે. તેમાં જો ભક્તિપૂર્વક પોતાની સંપત્તિના દાનરૂપ બીજ વાવેલું હોય તો તેમાંથી નિર્વિને ઉદયકારી ફલ પ્રાપ્ત થાય છે.”
આ પ્રમાણે દેશના – અમૃતને સાંભળી ભરતેશ્વર ખૂબ હર્ષિત થયા. પછી વંદન કરી, વાણીનું સ્મરણ કરતાં પોતાના સ્થાનકે ગયા. ત્યાં જમી, આરામ કરી, ઉઠીને સોમયશા, શક્તિસિંહ અને સુષેણ વગેરેના પરિવારની સાથે શક્રેન્દ્રના આવાસમાં આવ્યા. ત્યાં શક્ર અને ભરત ચક્રવર્તી બંને એક આસન ઉપર બેઠા. બંનેની વચ્ચે અનેક પ્રાસંગિક વાતો ચાલતાં સમય જોઈ ઇન્દ્ર મહારાજે ભરતને કહ્યું કે, “ભગવાન શ્રી ઋષભદેવ સ્વામી અમારા પૂજય છે, તેમના અમે સેવકો છીએ અને તે પ્રભુના પુત્ર તમે ચક્રવર્તી છો, ચરમશરીરી છો, તીર્થનો ઉદ્ધાર કરનારા તથા સંઘના અધિપતિ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૦૩
Page #124
--------------------------------------------------------------------------
________________
જે પ્રાણી શુભાશય વડે સાતક્ષેત્રમાં સદ્દવ્યરૂપી બીજ વાવી, આદરપૂર્વક તેનું સિંચન કર્યા કરે છે, તે લોકાગ્રને પામે છે. તે સાત ક્ષેત્રોમાં ૧. જિનમંદિર, ર. જિનબિંબ અને ત્રીજું ક્ષેત્ર - જિનાગમ છે.
સમ્યગૃજ્ઞાન વિના આત્મા સંસારમાં પરિભ્રમણ કરે છે અને સમ્યગજ્ઞાનથી આત્મા મોક્ષસુખને પામે છે. તે સમ્યજ્ઞાન શ્રી જિનેશ્વરદેવના આગમ - સિદ્ધાંતની આરાધનાથી પ્રાપ્ત થાય છે. તે આરાધના દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે થાય છે. તેમાં દ્રવ્ય આરાધના – શ્રુતની જેમાં સ્થાપના છે, તે શ્રુતજ્ઞાનના પુસ્તકોને સારા પોથીબંધનો, સારા પાઠા, સુંદર દોરી, પાનાની રક્ષા થાય, તેવું વીંટણું (કવળી) કરવાથી, તેમ જ જ્ઞાન પાસે દીપક, ધૂપ, અષ્ટમંગલ, સંગીત, ફળ, પુષ્પ, અક્ષત ધરવા ઇત્યાદિ રીતે પૂજા કરવાથી થાય છે અને સમ્યજ્ઞાન સાંભળવું, તે પર શ્રદ્ધા રાખવી, ભણવું, ભણાવવું અને જ્ઞાન ભણનારાઓની ભક્તિ કરવી એ જ્ઞાનનું ભાવ-આરાધન કહેવાય છે.
આ પ્રમાણે કરેલી જ્ઞાનની આરાધના સંસારની જડતાને નાશ કરનારી અને કેવળજ્ઞાન આપનારી થાય છે. • ચતુર્વિધ સંઘ સ્વરૂપ અન્ય ચાર ક્ષેત્ર (૪ થી ૭) :
ચતુર્વિધ સંઘની પૂજા અને ઉપાસના લોકોત્તર સુખ આપનારી છે. જેને ઘેર સંઘ આવે, તેના હાથમાં ચિંતામણિ રત્નની પ્રાપ્તિ થઈ છે, આંગણે કલ્પવૃક્ષ ફળ્યું છે, આગળ કામધેનુ રહેલી છે. એમ સમજવું. જેના આંગણામાં ચતુર્વિધ સંઘ આવે છે, તેનું કુલ નિષ્કલંક થાય છે. સંઘના ચરણની રજ જે મસ્તકે સ્પર્શ કરે છે, તે પવિત્ર પુરુષને તીર્થસેવાનું ફળ મળે છે. ફળ, મુખવાસ, વસ્ત્ર, ભોજન, ચંદન અને પુષ્પોથી જે સંઘની પૂજા કરે છે, તે આ માનવજન્મનું ફળ પ્રાપ્ત કરે છે. “હે ભરત ચક્રવર્તી ! આ સાત ક્ષેત્રો જૈનશાસનમાં સદા ફળદાયક છે. તેમાં જો ભક્તિપૂર્વક પોતાની સંપત્તિના દાનરૂપ બીજ વાવેલું હોય તો તેમાંથી નિર્વિઘ્ન ઉદયકારી ફળ પ્રાપ્ત થાય છે.”
આ પ્રમાણે દેશના – અમૃતને સાંભળી ભરતેશ્વર ખૂબ હર્ષિત થયા. પછી વંદન કરી, વાણીનું સ્મરણ કરતાં પોતાના સ્થાનકે ગયા. ત્યાં જમી, આરામ કરી, ઉઠીને સોમયશા, શક્તિસિંહ અને સુષેણ વગેરેના પરિવારની સાથે શક્રેન્દ્રના આવાસમાં આવ્યા. ત્યાં શક્ર અને ભરત ચક્રવર્તી બંને એક આસન ઉપર બેઠા. બંનેની વચ્ચે અનેક પ્રાસંગિક વાતો ચાલતાં સમય જોઈ ઇન્દ્ર મહારાજે ભરતને કહ્યું કે, “ભગવાન શ્રી ઋષભદેવ સ્વામી અમારા પૂજય છે, તેમના અમે સેવકો છીએ અને તે પ્રભુના પુત્ર તમે ચક્રવર્તી છો, ચરમશરીરી છો, તીર્થનો ઉદ્ધાર કરનારા તથા સંઘના અધિપતિ
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૦૩
Page #125
--------------------------------------------------------------------------
________________
છો, તેથી તમે મારા અનુજબંધુતુલ્ય સર્વથા પૂજનીય છો. તમે કરેલી જિનપૂજાને લોકો પણ અનુસરશે. તેથી વિશેષ પ્રકારે મારી કરેલી જિનપૂજાને તમે અનુસરો.
આ રીતે ઇન્દ્રે કહેવાથી ભરતનરેશ્વરે પોતાની સંમતિ દર્શાવી. ત્યારબાદ દેવોની સાથે ઇન્દ્રે વિવિધ પુષ્પાદિ વડે વિધિપૂર્વક જિનેશ્વર દેવની પૂજા કરી, ક્ષીરસાગરમાંથી તત્કાળ કલશોમાં જલ ભરી લાવી, હર્ષપૂર્વક તે જલથી પ્રભુનો અભિષેક કર્યો અને સત્પાત્રોમાં દાન આપ્યું. ત્યારથી અદ્યાપિ લોકોમાં ઇન્દ્ર મહોત્સવ પ્રવર્તે છે. મહાન પુરુષો જેમ પ્રવર્તે છે, તેમ લોકો પણ તેને અનુસરે છે. ત્યારબાદ ઇન્દ્રની આજ્ઞાથી અપ્સરાઓએ અને ગંધર્વદેવોએ પ્રભુ પાસે સંગીત કર્યું. ખરેખર ! ગીત ત્રૈલોક્યને વશ કરે છે, સર્વજનને આનંદ પમાડે છે. આથી જો જિનપૂજામાં ભાવપૂર્વક ગીત થયું હોય તો તે સર્વ પાપને હરે છે. ત્યારબાદ ભરતેશ્વરે તે તીર્થમાં શુદ્ધ, અન્ન, વસ્ત્ર અને પાનાદિકથી અનેક સંયમી મુનિવરોની ભક્તિ કરી. સુવર્ણ, રૂપ્ય, રત્ન, જલ, અન્ન અને વસ્ત્રાદિકનાં દાન કરી યાચકોનું દારિદ્રય દૂર કર્યું અને શ્રી શત્રુંજય તીર્થની પૂજા માટે ભરતનરેશ્વરે સમગ્ર સુરાષ્ટ્ર દેશ અર્પણ કર્યો. ત્યારથી તે દેશ ‘દેવ દેશ’ નામથી વિખ્યાત થયો.
એક વખત ભરતનરેશ્વર અને શક્રેન્દ્ર પરસ્પર વાર્તાલાપ કરી રહ્યા હતા ત્યારે વિમલગિરિનાં બંને શિખરોની મધ્યમાં રહેલી પવિત્ર નદીને જોઇ ભરતનરેશ્વરે શક્રેન્દ્રને પૂછ્યું કે, આ કઇ નદી છે ?’ ઇન્દ્રે કહ્યું : ‘આ શત્રુંજયા નામે નદી છે અને શત્રુંજય ગિરિરાજના આશ્રયથી લોકમાં આ નદી ગંગાથી પણ અધિક ફલ આપનારી છે. પૂર્વે ગઇ ચોવીશીમાં ‘કેવલજ્ઞાની' નામે પ્રથમ તીર્થંકર થઇ ગયા. તેમનો સ્નાત્ર મહોત્સવ કરવા માટે ઇશાનપતિએ ગંગા નદી પ્રગટ કરી હતી. તે વૈતાઢ્ય પર્વતથી માંડીને આ પૃથ્વીની અંદર ગુપ્તરૂપે વહેતી હતી. પછી કેટલોક કાલ બાદ તે નદી શત્રુંજયગિરિની પાસે પ્રગટ થવાથી તે શત્રુંજયાના નામે પ્રસિદ્ધ થયેલ છે. જેના જલસ્પર્શથી કાંતિ, કીર્તિ, લક્ષ્મી, બુદ્ધિ, ધૃતિ, પુષ્ટિ તેમજ સમાધિ પ્રાપ્ત થાય છે. અનેક સિદ્ધિઓ વશ થાય છે. હંસ, સારસ અને ચક્રવાક વગેરે જે પક્ષીઓ તેનાં જલનો સ્પર્શ કરે છે, તે પક્ષીઓનાં પાપ પણ દૂર થાય છે. આ સરિતાની માટી શરીર ઉપર લગાડવાથી શરીરના રોગો દૂર થાય છે અને કાદંબ જાતની ઔષધિ સાથે અગ્નિમાં ધમવાથી તે માટી સુવર્ણરૂપ થઇ જાય છે. જે આ પવિત્ર નદીના તીરના વૃક્ષોનાં ફળ જ માત્ર વાપરે છે અને છ માસ સુધી આ જ નદીનું જલ પીએ, તે લોકોના વાત, પિત્ત અને કુષ્ટાદિક રોગો નાશ પામે છે. તેના જળમાં સ્નાન કરવાથી પાપ ચાલ્યા જાય છે. આ નદીના માહાત્મ્યને અંગે હું કહું છું તે કથા શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર - ૧૦૪
Page #126
--------------------------------------------------------------------------
________________
તમે સાંભળો ! આ દ્રહના પ્રભાવશાલી જલનાં સ્પર્શથી શાંતન રાજાના પુત્રો સુખ પામ્યા હતા. તેથી કથા આ પ્રમાણે છે.
શાંતન રાજાની કથા ભરતક્ષેત્ર. શ્રીપુર નામે નગર. શાંતન નામનો રાજા. સુશીલા રાણી.
એક વખતે સુશીલાએ સ્વપ્નમાં ધૂસરવર્ણી ધૂમકેતુ જોયો. તે સ્વપ્નની વાત પોતાના પ્રિયપતિ શાંતનને કહી. અનુક્રમે તે સ્વપ્નને અનુરૂપ એવો શ્યામવર્ણવાળો પુત્ર થયો. તે પુત્રનો જન્મ થતાં જ રાજયલક્ષ્મીઓનું મુખ્ય અંગ – હાથીઓનું સૈન્ય ક્ષય પામી ગયું. પુનઃ દુઃસ્વપ્નને અનુસાર તેને બીજો પુત્ર થયો. તેની ગર્લોત્પત્તિથી જ અશ્વસેનાનો ક્ષય થઈ ગયો. તેવી રીતે ત્રીજો પુત્ર થતાં તે રાજાની સર્વ સંપત્તિનો નાશ થઈ ગયો. ચોથા પુત્રની વાત સાંભળતાં જ તેના શત્રુઓએ અપાર સૈન્યથી શ્રીપુરનગરને ઘેરી લીધું. તે વખતે ક્ષીણ થયેલો શાંતન રાજા રાણી સુશીલા અને પુત્રોને લઇ કોઇ સ્થાને નાસી ગયો. નીલ, મહાનલ, કાલ અને મહાકાલ એવા નામનાં તે ચારે પુત્રો સાતે વ્યસનોમાં ચકચૂર થયા.
સાત વ્યસન
અન્ય વ્યસનોનું મૂળ જુગાર છે. જુગારમાંથી સઘળા વ્યસનો ઉત્પન્ન થાય છે. માટે બંને લોકનું અહિત કરનારા જુગારના વ્યસનને વિવેકી આત્માઓએ છોડી દેવું. ઘૂતથી ધન, યશ, ધર્મ, બંધુવર્ગ અને કુલનો ક્ષય થાય છે. તેમ જ દુઃખો આપનારી તિર્યંચ અને નરકગતિની પ્રાપ્તિ થાય છે.
જે નરકમાં જવા ઇચ્છતો હોય, “સ” એટલે તે પ્રાણી, “માં” એટલે મને ભજો . એ પ્રમાણે “માં” શબ્દ પોતાના નામથી જ પોતાનો અર્થ કહે છે. તે માંસનો દૂરથી જ ત્યાગ કરવો. જે માનવ જીભના રસથી સદા માંસભક્ષણ કરે છે, તે શિયાળ, કૂતરા અને પિશાચ જેવા માંસભક્ષણના પાપથી નરકગામી બને છે.
મતિ, શાંતિ તથા યશને હરનારું મધ નામનું વ્યસન અનર્થોનું મૂળ છે અને માતા કે પત્નીનું ભાન પણ ભુલાવનારું છે.
બંને લોકનો વિઘાત કરનાર પરસ્ત્રીની પ્રીતિ ત્યાગ કરવા યોગ્ય છે. નિરંતર પાપને વશ રહેનારી વેશ્યા તો જરાપણ પ્રીતિ કરવા યોગ્ય નથી.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૦૫
Page #127
--------------------------------------------------------------------------
________________
આ લોકમાં પ્રત્યક્ષ રીતે વધ, બંધનાદિકને કરનારી અને પરલોકમાં નરક આપનારી “ચોરી' સબુદ્ધિવાળા પુરુષે ત્યજી દેવી જોઇએ. રાજા ચોરી કરનારને કાન, નાક કે હાથપગ કપાવી નાખવારૂપ દંડ કરે છે અને પરલોકમાં ચંડાળ કુળમાં જન્મ થાય છે.
ધર્મરૂપ વૃક્ષમાં અગ્નિરૂપ અને સર્વ વિદ્વાન પુરુષોને નિંદનીય શિકાર છે. જે પુરુષો નિરપરાધી જંતુઓની હિંસા કરે છે, તેઓ દુઃખ, દારિદ્રય, પીડા અને દુર્ગતિ પામે છે.
આવા સાત વ્યસનો સેવનારા શાંતન રાજાના તે ચારે પુત્રો અનુક્રમે તે પાપકર્મના ઉદયથી કોઢ રોગવાળા થયા. તેઓને લઇને જંગલોમાં ભમતો રાજા કોઇપણ સ્થાને સુખ પામ્યો નહીં. અને દુઃખી બનેલા રાજાને મરવાનો વિચાર આવ્યો. તેથી તે એક મોટા પર્વત ઉપર ચડ્યો. ત્યાં તેની તલાટીની ભૂમિમાં એક મોટું જિનાલય તેણે જોયું. તરત પર્વત ઉપરથી ઉતરીને પોતાના કુટુંબ – પરિવાર સાથે તે ચૈત્યમાં ગયો. ત્યાં અભુત રૂપવાળો અને સર્વ તેજનો સાર હોય એવો એક ઉત્તમ પુરુષ પ્રભુના ચરણમાં નમસ્કાર કરતાં તેણે જોયો. તેને જોતાં રાજાને વિશેષ શુભ ભાવના પ્રગટ થઈ અને તેણે ભાવપૂર્વક પ્રભુને પ્રણામ કર્યા.
રાજાએ ભગવંતને કરેલા નમસ્કાર માત્રથી તે સમયે ત્યાં હાજર રહેલા ધરણેન્દ્ર ખુશ થઈને રાજાને કહ્યું કે, હું ધરણેન્દ્ર નાગકુમારનો ઇન્દ્ર છું અને તારી જિનભક્તિથી ખુશ થયો છું. માટે હે ભદ્ર ! તું ઇચ્છિત વર માગ.
રાજાએ કહ્યું, “હે પુણ્યાત્મા ! તમારું દર્શન જ મને સંપત્તિનું દર્શક થયેલું છે. હું વરદાન પછી માંગીશ, પણ પહેલાં તો મને કહો કે, જેમ જેમ મારા પુત્રો થતા ગયા, તેમ તેમ સર્વ સંપત્તિનો નાશ થતો ગયો, તેનું કારણ શું છે ? • શાંતન રાજાના પુત્રોના પૂર્વભવો :
ધરણેન્દ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી, તેમના પૂર્વભવને જાણીને કહ્યું, ‘પૂર્વભવમાં આ તારો મોટો પુત્ર કોઈ મહાઇટવીમાં ક્ષય નામે ભીલ હતો. ક્રૂર, હિંસા કરનારો તે એક વખતે તીર્થે જતા કોઈ સંઘને લૂંટીને પાછો વળી માર્ગમાં શિકાર માટે મૃગને શોધવા લાગ્યો. ત્યાં ધ્યાનમાં સ્થિર “શ્રીસંયમ નામના મુનિને જોઇને પૂછયું કે, “અહીંથી હરણ ક્યાં ગયું ?' પણ તે દયાળુ મુનિ કાંઈ ન બોલ્યા, ત્યારે “તે મૃગ તું જ છો.' એમ કહી તે ભીલે તેમની ઉપર બાણ છોડ્યું. એટલે મો નમ:' એમ બોલતા તે મહર્ષિ તત્કાળ પ્રાણરહિત થયા. ત્યાંથી આગળ ભટકતાં તે ભીલને તે જ દિવસે કોઇ સિંહે માર્ગમાં જ મારી નાખ્યો. તે અવસરે તે પોતાના પાપનો પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે, “અરે ! મેં પાપીએ નિરપરાધી મુનિને
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૦૬
Page #128
--------------------------------------------------------------------------
________________
મારી નાંખ્યા, તેનું આ ફલ મળ્યું.' આમ ચિંતવતો મૃત્યુ પામ્યો અને મુનિઘાતના મહાપાપથી તે સાતમી નરકે ગયો. ત્યાં ૩૩ સાગરોપમ સુધી ઘણા દુઃખો સહન કરી, ત્યાંથી નીકળીને સિંહ, વાઘ વગેરે અનેક ભવો કરી, ફરી નરકમાં ગયો. ભીલના ભાવમાં મરણકાલે પોતાના દુષ્કૃત્યની નિંદા કરી હતી, તે પુણ્ય વડે નરકમાંથી નીકળીને આ “નીલ” નામે તારો પુત્ર થયો છે. પણ મુનિવધના ઘોર દુષ્કતનું ફળ હજી બાકી રહ્યું હતું, તેથી તારા રાજ્યમાં ગજસંપત્તિની હાનિ થઈ.
આ મહાનલ પૂર્વે “શૂર' નામે “ક્ષત્રિય' હતો. કંકા નામે નગરીના રાજા ભીમનો તે અલ્પ ધનવાળો સેવક હતો. એક વખતે મંત્રીઓના વિપરીતપણાથી તેને પોતાનો નિયમિત ગરાસ મળ્યો નહીં. એટલે દારિદ્રયથી પીડિત થઈ તે પોતાને ઘેર આવ્યો. ભોજન વખતે રસોઇને તે સારી નઠારી કરવા લાગ્યો, ત્યારે તેની સ્ત્રીએ કહ્યું,
સ્વામી ! ઘરમાં સારી વસ્તુ મને મળતી નથી, એટલે હું શું કરું ? જો તમે અનાજ, ઘી વગેરે સારા લાવો તો હું સારી રસોઈ કરું. તે સાંભળીને શૂરને ક્રોધ આવ્યો અને આવેશમાં સ્ત્રી ઉપર એક પત્થરનો ઘા કર્યો. તેથી તે સ્ત્રી મૂચ્છિત થઈને તત્કાળ મૃત્યુ પામી. તેને એક પુત્રી હતી. તેણે મોટો કોલાહલ કર્યો. તે સાંભળી નગરનો કોટવાળ ત્યાં આવી પહોંચ્યો અને તેને રાજા પાસે લઈ ગયો. રાજાએ શૂળીએ ચઢાવવાની આજ્ઞા આપી, એટલે કોટવાળે તરત તેને શૂળીએ ચડાવ્યો. તે વેદના સહન કરતાં કરતાં કોઈ મુનિના મુખેથી બોલાતો નવકાર આદરબુદ્ધિથી સાંભળ્યો. ત્યાંથી મૃત્યુ પામી છઠ્ઠી નરકે ગયો. સ્ત્રીહત્યાથી બાંધેલું કર્મ ભોગવી, નવકાર મંત્રના શ્રવણથી હે રાજા ! તારે ઘેર આ બીજા પુત્રપણે મહાનલ નામે અવતર્યો છે.
આ તારો ત્રીજો પુત્ર કાલ, પૂર્વજન્મમાં એક શ્રેષ્ઠીનો પુત્ર હતો. તે કામાંધ, અગમ્ય સ્ત્રી સાથે ગમન કરનારો, દેવ તથા ગુરુનો નિંદક અને ધર્મનો ઘાતક હતો. ધન અને યૌવનના ગર્વથી તે માતા-પિતાની આજ્ઞાને માનતો ન હતો. એક વખતે તેના કુકૃત્યોથી કંટાળેલા તેના પિતાએ તેને નગરમાંથી બહાર કાઢી મૂકાવ્યો. એટલે તે જંગલમાં ભટકવા લાગ્યો. છેવટે કરોળીઆ અને મુખપાકના રોગની વેદના વડે મૃત્યુ પામી છઠ્ઠી નરકે જઇ, ત્યાંથી તે કાલ નામે તારો પુત્ર થયો છે.
આ ચોથો પુત્ર મહાકાલ પૂર્વભવે એક બ્રાહ્મણનો પુત્ર હતો. નિત્ય ભિક્ષા માંગીને આજીવિકા કરતો હોવાથી તે હંમેશા દુઃખી હતો. એક વખત કોઈ જિનપૂજકના ઘરમાં તે ચાકર થઇને રહ્યો અને એક સમયે લાગ જોઇ શ્રી જિનેશ્વર ભગવંતનાં આભૂષણો ચોરીને કોઇ ઠેકાણે ચાલ્યો ગયો. તેવા નિંદ્ય વ્યવસાયથી ધનને પ્રાપ્ત કરવામાં તેનું ચિત્ત લુબ્ધ થઇ ગયું હતું. તેથી બીજી વખત વળી તે અધમ બ્રાહ્મણે મુનિનાં ઉપકરણો
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૦૭
Page #129
--------------------------------------------------------------------------
________________
ચોરી લીધાં અને વ્યસનમાં આસક્ત એવા તેણે તે સર્વ વેશ્યાને આપી દીધાં. આ પ્રમાણે ઘોર પાપ કરતો તે કોઢ રોગથી પીડાતો રીબાઇને મૃત્યુ પામીને નરકમાં ઉત્પન્ન થયો. પછી ચાંડાલના ભાવોમાં ભટકી અંતે આ તારો ચોથો પુત્ર થયો છે. • ધરણેન્દ્ર શાંતન રાજાને દુઃખોમાંથી છૂટવાનો બતાવેલો ઉપાય :
આ ચારે પુત્રો મુનિઘાત, સ્ત્રીહત્યા, દેવગુરુની નિંદા અને દેવ-ગુરુનાં દ્રવ્ય હરનારા છતાં તારા રાજકુલમાં અવતર્યા, તેનું કારણ એ છે કે – ક્ષય ભીલ મુનિના સ્મરણથી, શૂર ક્ષત્રિય નવકારના સ્મરણથી, નિંદા કરનાર શ્રેષ્ઠી પુત્ર સંકુલમાં ઉત્પન્ન થયેલ હોવાથી અને ચોરી કરનાર બ્રાહ્મણને શ્રી જિનેશ્વરનાં દર્શન થયા. તેથી તેઓ રાજકુળને પામ્યા છે. પરંતુ તેઓનું પાપ હજુ બાકી રહેલું હતું, તેથી હે રાજા ! તેઓ તારા કુલમાં આવવાથી તું રાજયથી ભ્રષ્ટ થયો. માટે હવે તું આ રીતે સંસારનું
સ્વરૂપ જાણી, મરવાનો પ્રયત્ન ન કર અને આ પાપોનો નાશ કરવા માટે સુરાષ્ટ્ર દેશમાં આવેલા મહાતીર્થ શત્રુંજયની નજીકમાં રહેલી સર્વ દોષોનો નાશ કરનારી શત્રુંજયા નદી છે, તેનો આશ્રય લે. તેના કાંઠે જે વૃક્ષો છે, તેમના ફલોનો જ માત્ર આહાર કર, તેના જલમાં સ્નાન કરે અને તે ગિરિરાજનો સ્પર્શ કર. તે નદીના કાંઠે પૂર્વે સૂર્યદેવે નિર્માણ કરેલું સર્વ પાપહારી જિનમંદિર છે. તેમાં રહેલા જિનેશ્વરની મન, વચન અને કાયાની શુદ્ધિ વડે પાપની શાંતિ માટે વિધિપૂર્વક પૂજા કર અને હંમેશાં જીવદયાનું પાલન કર. આ નીલકુમાર શર્જયામાં, મહાનલકુમાર ઐન્દ્રી નદીમાં, કાલકુમાર નાગેન્દ્રી નદીમાં અને મહાકાલકુમાર તાલધ્વજી નદીમાં સ્નાન કરીને આ સર્વ વિધિ કરે. એવી રીતે વિધિપૂર્વક કરવાથી અનુક્રમે એક, ત્રણ, ચાર અને છે માસે તેઓ નિરોગી થઈ સુખ પ્રાપ્ત કરશે. પૂર્વના કુકર્મથી મુક્ત થઇ, દેવત્વ જેવું શરીર પામી, પોતાના રાજ્યનાં સ્વામી બની, અંતે સ્વર્ગસુખના પણ ભોક્તા થશે.
આ પ્રમાણે સાંભળી હર્ષથી શાંતન રાજાએ પરિવાર સાથે ધરણેન્દ્રનાં ચરણોમાં નમસ્કાર કર્યા. ફરી ધરણેન્દ્ર કહ્યું કે, “રાજન્ ! આ રીતે વિધિપૂર્વક છ માસ સુધી ત્યાં રહ્યા પછી મને ત્યાં યાદ કરજો. એટલે હું આવીને તમારા શત્રુઓ પાસેથી તમારું રાજય અપાવીશ.' એમ કહી ધરણેન્દ્ર સ્વસ્થાનકે ગયો અને રાજા તેને નમસ્કાર કરી, શત્રુંજયગિરિ તરફ ચાલ્યો. તેની તળેટીમાં શત્રુંજયા નદીના કાંઠે ઘાસની ઝુંપડી બનાવી, કુટુંબ સહિત ત્યાં નિવાસ કર્યો. ત્યાં રહીને ધરણેન્દ્ર બતાવ્યા પ્રમાણે વિધિપૂર્વક કરવાથી પોતાના પુત્રો રોગરહિત સુવર્ણ જેવી કાંતિવાળા થયા. છ માસ પછી ધરણેન્દ્રનું સ્મરણ કરવાથી, ધરણેન્દ્ર ત્યાં આવ્યો. સૌને વિમાનમાં બેસાડી, સાથે લઇને તેમના રાજ્ય ઉપર તેમને બેસાડ્યા. પછી શાંતન રાજા - પુત્રો સહિત
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૦૮
Page #130
--------------------------------------------------------------------------
________________
નિરંતર જિનયાત્રા અને જિનપૂજન કરવા લાગ્યો. પોતાના દેશની સર્વ પૃથ્વી જિનમંદિરોથી મંડિત કરી દીધી. આ પ્રમાણે ચોસઠ લાખ વર્ષ સુધી રાજ્યવૈભવનું સુખ ભોગવી, પરિવાર સાથે સંયમ ગ્રહણ કર્યું અને છેવટે શત્રુંજય મહાતીર્થ ઉપર અનશન કરીને કેવલજ્ઞાન પામી, સર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષે ગયા. શત્રુંજયા આદિ ૧૪ મહાનદીઓની ઉત્પત્તિ અને પ્રભાવનું વર્ણન
આ પ્રમાણે શક્રેન્દ્ર ભરત ચક્રવર્તી પાસે શત્રુંજયા નદીના પ્રભાવનું વર્ણન કરતાં શાંતન રાજાનો વૃત્તાંત જણાવીને કહ્યું કે, “આ પ્રમાણે આ શત્રુંજયા નદી અનેક પ્રભાવોથી ભરપૂર છે.
જેમ સર્વ દેવોમાં શ્રી યુગાદીશ પ્રભુ મુખ્ય છે, જેમ સર્વ તીર્થોમાં શ્રી શત્રુંજયગિરિ મુખ્ય તીર્થ છે, તેમ તીર્થરૂપ સર્વ નદીઓમાં આ શત્રુંજયા નદી મુખ્ય છે. માટે તેની તમે પણ અધિક આરાધના કરો.
આ બાજુ ઉત્તર દિશામાં પવિત્ર જલ વડે પૂર્ણ એવી જે આ સરિતા જણાય છે, તે એન્ટ્રી નામે નદી છે. ઇશાનેન્દ્રની સાથે સ્પર્ધાથી સૌધર્મેન્દ્ર જિનભક્તિ વડે આ નદીને પદ્મદ્રહમાંથી અહીં લાવી છે. તેથી તે શત્રુંજયા નદી જેવા પ્રભાવવાળી અને પાપીઓના દોષો હરનારી છે. જે આ નદીની માટીનો કળશ કરી, તેમાં તેનું જ જળ ભરી પરમાત્માની ભક્તિથી અભિષેક કરે, તે મુક્તિ પ્રાપ્ત કરે છે.
વળી આ પૂર્વદિશાના આભૂષણરૂપ જે નદી છે, તેને ધરણેન્દ્ર ભક્તિથી પાતાળમાંથી અહીં લાવેલી છે. આ નદી ઉત્તર દિશામાં ઉત્પન્ન થઈ દક્ષિણ દિશામાં થઈ સૂર્યોદ્યાનને મળે છે. નાગેન્દ્ર શ્રી જિનેન્દ્રનો સ્નાત્ર કરવા લાવ્યા હતા, તેથી આ નદી નાગેન્દ્રી એવા નામથી વિખ્યાત થયેલી છે.
વળી આ યમલહૃદા નામની નદી સર્વ સુર અસુરોએ શ્રી આદિનાથ પ્રભુના અભિષેક માટે ઉત્પન્ન કરેલી છે. આ નદીના જલમાં જે સ્નાન કરે છે, કે પ્રભુને સ્નાન કરાવે છે, તેનો મનુષ્ય જન્મ સફળ થાય છે.
હે ભરત ! આ રીતે શ્રી જિનેશ્વરનાં સ્નાત્ર અભિષેક માટે પવિત્ર એવી ચૌદ મહાનદીઓ આ શત્રુંજય તીર્થ સમીપે શોભે છે. માટે એ ચૌદ મહાનદીઓમાંથી, મોટા કુંડોમાંથી, ક્ષીરસમુદ્રમાંથી અને પદ્મદ્રહાદિક દ્રહોમાંથી જલ લાવીને આ તીર્થે શ્રી જિનેશ્વર ભગવંતનો અભિષેક કરવો. જે શ્રાવકો સંઘપતિ થઈને અહીં આવે છે, તેમનો આ આચાર છે અને તે આચાર ચક્રવર્તી, ઇન્દ્ર તથા તીર્થંકરપણું આપે છે. તેમજ ચંદ્ર, સૂર્ય અને વ્યંતરોએ કરેલા અન્ય પણ ઘણા જળાશયો આ તીર્થમાં રહેલા છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૦૯
Page #131
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે સાંભળીને હર્ષ પામેલા ભરતેશ્વરે તે શત્રુંજયા સરિતામાં સ્નાન કર્યું અને તેના કાંઠે રહેલા વૃક્ષોનાં પુષ્પો તથા નદીમાંના કમળો લઇ, તેના જલથી કળશ ભરી, પરમાત્માની ભાવપૂર્વક પૂજા કરી.
પછી પૂર્વ દિશામાં માનપુર અને દક્ષિણ દિશામાં ભરતપુર નગર વસાવ્યું. તે બંને નગરમાં વદ્ધકિરને અનેક તળાવો તથા વનો વડે વિભિવૃત એવો શ્રી યુગાદીશ ઋષભદેવ ભગવંતનો ભવ્ય પ્રાસાદ કર્યો. તે સ્થાને ભરતેશ્વરના પુત્ર બ્રહ્મર્ષિ - મુનિગણ સાથે સિદ્ધિપદ પામ્યા. તેથી તે તીર્થ બ્રહ્મગિરિ નામે વિખ્યાત થયું. તે તીર્થમાં સુરવિશ્રામ નામનો શ્રી ઋષભદેવ પ્રભુનો ઉંચો પ્રાસાદ ભરતે કરાવ્યો. ત્યાંથી ધવલમંગલપૂર્વક ગુરુમહારાજને આગળ કરી, સંઘ સહિત વિવિધ શિખરો પર રહેલા ચૈિત્યોની પૂજા કરવા ચાલ્યા.
આ તીર્થમાં કપર્દી નામે યક્ષ અધિષ્ઠાયક થશે, એવું ધારી એક શિખર ઉપર ઇન્દ્ર તેના નામથી એક અરિહંત પ્રભુનો પ્રાસાદ યક્ષમૂર્તિ સહિત કરાવ્યો. એ શિખર ઉપર ગુરુમહારાજનાં વચનથી મહામાસની પૂર્ણિમાએ ચક્રવર્તીએ પ્રભુની માતામરૂદેવાને સ્થાપિત કર્યા. ત્યારથી સર્વ લોકો મહા સુદ પૂર્ણિમાએ એ શિખર ઉપર આવીને આદરથી મરૂદેવા માતાને પૂજવા લાગ્યા. તે દિવસે જે સ્ત્રીઓ મરૂદેવા માતાને પૂજે છે, તે સ્ત્રીઓ સૌભાગ્યવતી, પુત્રવતી અને ચક્રવર્તીની સ્ત્રીપણું કે ઈન્દ્રાણીપણું પામી અનુક્રમે મુક્તિ પામે છે.
ત્યાંથી બે યોજન આગળ ચાલતાં એક યોજન ઊંચો પર્વત આવ્યો. ભરતે તે ગિરિને નમસ્કાર કર્યો અને તેની ઉપર પણ એક યોજન ઊંચો યુગાદિ પ્રભુનો ભવ્ય પ્રાસાદ કરાવ્યો.
ત્યાંથી આગળ બીજા શિખરની નજીક આવતા, બાહુબલિએ પોતાના એક હજારને આઠ સંયમી પુત્રોને કહ્યું કે, “આ તીર્થના માહાસ્યથી પુંડરીકમુનિની જેમ તમોને અહીં કેવલજ્ઞાન અને તત્કાળ સિદ્ધિસુખ પ્રાપ્ત થશે. માટે તમે અહીં રહીને નિર્ધામણ કરો. તે સાંભળી તેઓ સમાધિથી ત્યાં જ રહ્યાં. ત્યાં તે મહર્ષિઓને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું અને મોક્ષે ગયા. તેથી તે શિખર “બાહુબલિ' નામથી પ્રસિદ્ધ થયું. ત્યાં અગ્નિસંસ્કાર કરવાથી તીર્થની આશાતના અને જિનાજ્ઞાનું ખંડન થાય છે, તેથી ઇન્દ્ર બતાવેલા સ્થાને મુખ્ય શિખરથી બે બે યોજન પૃથ્વી છોડી સ્વર્ગ નામના ગિરિશિખર ઉપર અગ્નિસંસ્કાર કર્યો અને તે શિખર ઉપર જિનપ્રાસાદ કરાવ્યો. સોમયશાએ પણ પોતાના બંધુઓના તથા પિતાના પ્રાસાદો વર્ધ્વકિ પાસે ત્યાં કરાવ્યા.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૧૦
Page #132
--------------------------------------------------------------------------
________________
ત્યારપછી તાલધ્વજ શિખર ઉપર જઇને તાલધ્વજ દેવને ત્યાં સ્થાપિત કર્યો.
ત્યાંથી કદંબગિરિ પર જઇને શ્રીનાભગણધર ભગવંતને તે ગિરિનો પ્રભાવ પૂછ્યો. તેમણે કહ્યું, “હે ભરત ! આ પર્વતનો પ્રભાવ અને તેનું કારણ વિસ્તારથી કહું છું, તે તમે સાંભળો.”
કદંબગિરિનો પ્રભાવ ગઇ ઉત્સર્પિણીમાં સંપ્રતિ નામે ચોવીસમા તીર્થંકર થયા હતા. તેમને કદંબ નામના ગણધર હતા. તે એક કરોડ મુનિઓની સાથે આ ગિરિ પર સિદ્ધિપદ પામ્યા હતા, તેથી આ ગિરિ કદંબગિરિ નામે ઓળખાય છે. અહીં પ્રભાવિક દિવ્યઔષધિઓ, રસની વાવડીઓ, રત્નની ખાણો અને કલ્પવૃક્ષો રહેલા છે. દીપોત્સવી વિગેરે શુભ દિવસે અહીં આવી મંડળની સ્થાપના કરવામાં આવે, તો દેવતાઓ પ્રત્યક્ષ થાય છે. આ શિખર પણ મુખ્ય શિખરની જેમ સર્વ પાપનો નાશ કરનાર છે અને આલોક તથા પરલોક એમ બંને ભવમાં ઉપકારી હોવાથી અતિ ખ્યાતિ પામેલું છે.
આવો મહિમા સાંભળી ભરતેશ્વરે ઇન્દ્રની સંમતિપૂર્વક તે ગિરિ ઉપર ધર્મોદ્યાનમાં ભાવિ ચોવીસમા તીર્થંકર શ્રી વર્ધમાનસ્વામીનો એક મોટો પ્રાસાદ વદ્ગતિ પાસે કરાવ્યો.
કદંબગિરિના પશ્ચિમ શિખર ઉપર શત્રુંજયા નદીને તીરે ભરતચક્રીની હાથી અને અન્ય વગેરે કેટલીક સેના રહી હતી. તેમાંથી કેટલાક હસ્તી, ઘોડા, વૃષભ અને પાયદળ રોગની પીડાથી મુક્ત થઇ, તે તીર્થના યોગથી સ્વર્ગે ગયા. તેઓએ સ્વર્ગમાંથી આવીને ભરત રાજાને પ્રણામ કરી તીર્થના પ્રભાવથી પોતાને સ્વર્ગ પ્રાપ્ત થયાની વાત કરી અને તે દેવોએ મહિમાવંત એવા તે સ્થાને પોતાની મૂર્તિ સહિત જિનપ્રાસાદો કરાવ્યા, ત્યારથી તે ગિરિ હસ્તિસેન નામે પ્રખ્યાત થયો.
આ પ્રમાણે ભરત ચક્રવર્તીએ ગુરુના આદેશથી શત્રુંજયગિરિના સર્વ શિખરો ઉપર જિનાલયો કરાવ્યાં અને મુખ્ય શિખરને પ્રદક્ષિણા કરી પુનઃ પોતાના સ્થાને આવીને આદિનાથ ભગવંતને નમસ્કાર કર્યા. પછી મુખ્ય શિખરની નીચે પશ્ચિમ ભાગે સુવર્ણ ગુફામાં રહેલી ભૂત, ભાવી અને વર્તમાન એમ ત્રણેય ચોવીશીના તીર્થકરોની રત્નમય મૂર્તિઓની અતિ ભાવપૂર્વક પૂજા કરી, એ પ્રમાણે ગિરિરાજની પૂજા-ભક્તિ કરી, ત્યાંથી ઉજ્જયંતગિરિની યાત્રા માટે પ્રયાણ કર્યું. તે વખતે નમિ-વિનમિ રાજર્ષિ બે કરોડ મુનિઓ સાથે ફાગણ સુદી દશમીએ તે જ ગિરિ ઉપર કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધિપદ પામ્યા. ત્યારે ભરતેશ્વર અને દેવતાઓએ તેઓનો નિર્વાણ મહોત્સવ કર્યો અને તે ઠેકાણે તેમની રત્નમય મૂર્તિઓ સ્થાપિત કરી. ત્યાં બે માસ રહીને આગળ
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૧૧
Page #133
--------------------------------------------------------------------------
________________
ચાલ્યા. પશ્ચિમ દિશાના શિખર ઉપર ભરતે મહાબલવાન નંદી નામના દેવને તીર્થરક્ષા માટે સ્થાપિત કર્યો. ત્યારથી તે શિખરનું “નાંદગિરિ' એવું નામ પ્રસિદ્ધ થયું.
નમિ વિદ્યાધરની કનકા, ચર્ચા આદિ ચોસઠ પુત્રીઓ વ્રત ધારણ કરી, શત્રુંજયના અન્ય શિખર ઉપર રહી હતી. તેઓ ચૈત્ર વદ ચૌદસની અદ્ધરાત્રિએ ત્યાં સમાધિપૂર્વક મૃત્યુ પામી. તે બધી પુત્રીઓ એક સાથે સ્વર્ગગતિ પામી, તેથી તે મહાન શિખર ચર્ચગિરિના નામે પ્રસિદ્ધ થયું. તે દેવીઓ દેવલોકમાં રહીને પણ આદિનાથ પ્રભુના ભક્તોને વાંછિત આપે છે અને તેમના વિઘ્નો દૂર કરે છે. • ચન્દ્રોધાનનો મહિમા તથા શ્રી ચન્દ્રપ્રભ પ્રાસાદ યુક્ત વિશાળ નગર :
ત્યાંથી સર્વ યાત્રિકો પશ્ચિમ દિશા બાજુ ચન્દ્રોદ્યાનમાં આવ્યા. તે વનની રમણીયતા જોવા સોમયશા કુમાર બીજા કુમારોની સાથે તે વનમાં ફરવા ગયો. આગળ ચાલતા બ્રાહ્મી નદીના કાંઠે કેટલીક પર્ણકુટીઓ જોઈ અને અંગ ઉપર ભસ્મલેપનવાળા જટાધારી તાપસો જોયા. શાંત અને અદ્ભુત કાંતિવાળા તેઓને જોઈ સોમયશાએ વિનયપૂર્વક તેઓને આચાર પૂક્યો.
તે તાપસીએ કહ્યું, “અમે વૈતાઢયગિરિ નિવાસી વિદ્યાધરો છીએ. અમારામાંના કેટલાક હત્યા વિગેરેના પાપથી અને કેટલાક દુસ્તર રોગોથી ગ્રસ્ત થયા હતા. તે પીડાની શાંતિનો ઉપાય ધરણેન્દ્ર પાસેથી સાંભળીને અમે અહીં આવીને રહ્યા અને સર્વ પ્રકારના દોષો અને રોગોને હરનારી આ બ્રાહ્મી નદીને તથા આ પવિત્ર ક્ષેત્રને સેવવાથી અમે રોગ અને દોષથી મુક્ત થયા. ત્યારબાદ કચ્છ અને મહાકચ્છિ તાપસ પાસેથી આવું તાપસ વ્રત લઈ કંઇફલ ખાઈને ભક્તિથી શ્રી આદિનાથ પ્રભુનું સ્મરણ કરતાં અહીં રહ્યા છીએ. હે રાજા ! આ સ્થાને આ અવસર્પિણીના આઠમાં ભાવિ તીર્થકર શ્રી ચન્દ્રપ્રભસ્વામીનું સમવસરણ થવાનું છે, એવું જાણી ભરતે વર્દ્રકિની પાસે શ્રી ચન્દ્રપ્રભ પ્રભુના પ્રાસાદવાળું વિશાળ નગર ત્યાં વસાવ્યું અને તીર્થની પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ ત્યાંથી શ્રીસંઘ સાથે રૈવતાચલ તીર્થની યાત્રાએ ગિરનાર તરફ ચાલ્યા. • ભરતેશ્વરે કરેલ રૈવતાચલની યાત્રા, જિનપ્રાસાદની સ્થાપના :
તે રસ્તે આગળ પ્રયાણ કરતાં, વિવિધ પ્રકારની શોભા અને ઔષધિ વડે તેમ જ રોહણાચલ, વૈતાઢ્ય અને મેરુગિરિની સંપત્તિથી પણ વિશેષ સમૃદ્ધ એવા શ્રી રૈવતાચલ ગિરિવરને દૂરથી જોઇ ભરત ચક્રવર્તીએ ઉપવાસ કરીને ત્યાં જ આવાસ કર્યો. પછી શત્રુંજય તીર્થની જેમ સંઘ સાથે ત્યાં તીર્થપૂજા કરી.તે અવસરે શક્તિસિંહે ભરત ચક્રવર્તી સહિત સર્વ સંઘની ઉત્તમ ભોજનથી ભક્તિ કરી. તે રૈવતાચલગિરિને દુર્ગમ જાણી ભરતેશ્વરે હજાર યક્ષોને આદેશ કરીને સુખે ચડી શકાય એવો માર્ગ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૧૨
Page #134
--------------------------------------------------------------------------
________________
કરાવ્યો. તે માર્ગની નજીકમાં વાવ, વન, નદી અને ચૈત્યોથી રમણીય, તેમજ યાત્રિક લોકોની વિશ્રાંતિ માટે શ્રેષ્ઠ નગર વસાવ્યું. તે માર્ગે સંઘના લોકો સુખપૂર્વક શ્રી રેવતાચલ પર આરૂઢ થયા. ત્યાં ભવિષ્યમાં શ્રી નેમિનાથ પ્રભુનાં ત્રણ કલ્યાણકો થશે, એમ જાણીને ભરતેશ્વરે તે સ્થાને શિલ્પી પાસે એક રમણીય, વિશાલ ગગનચુંબી જિનપ્રાસાદ કરાવ્યો. તે સુરસુંદર નામે ઊંચો, ચાર દ્વારવાળો જિનપ્રાસાદ પ્રત્યેક દિશામાં અગિયાર અગિયાર મંડપોથી શોભી રહ્યો હતો. તે ચૈત્યમાં શ્રી નેમિનાથ ભગવંતની પાંડુર નેત્રવાળી નીલમણિમય મૂર્તિ શોભતી હતી. મુખ્ય શિખરથી એક યોજન નીચે પશ્ચિમ દિશામાં “સ્વસ્તિકાવર્તક' નામે શ્રી આદિનાથ ભગવંતનો વિશાલ જિનપ્રાસાદ કરાવ્યો. તેમાં પણ વિમલાચલની જેમ સુવર્ણ, રૂપ્ય, માણિક્ય, રત્ન અને ધાતુની જિનપ્રતિમાઓ ભરાવીને ગણધરો પાસે પ્રતિષ્ઠા કરાવી.
હર્ષથી પ્રેરાયેલ ઇન્દ્ર ઐરાવણ હાથી પર બેસી આકાશમાર્ગે શ્રી નેમિનાથ પ્રભુને વંદન કરવા માટે ત્યાં આવ્યા. ત્યાં ઐરાવણના બલવાન એક ચરણ વડે પૃથ્વીને દબાવીને પ્રભુના પૂજન માટે ગજેન્દ્રપદ નામે એક કુંડ કર્યો. તે કુંડમાં ત્રણે જગતની નદીઓના અભુત પ્રવાહો પડવા લાગ્યા. તેથી તે ખૂબ પ્રભાવશાળી થયો.
ધરણેન્દ્ર પણ નેમિનાથ પ્રભુની ભક્તિથી એક બીજો કુંડ કરાવ્યો. લાખ્ખો નદીઓ અને ઇદોનાં પવિત્ર જલવાળો તે કુંડ નાગઝર નામે પ્રખ્યાત થયો. વળી ભક્તિવાળા ચમરેન્દ્ર પણ માયૂરનિઝર નામે મોટો કુંડ કરાવ્યો. તે સિવાય ત્યાં બીજા સૂર્ય, ચન્દ્રના કરેલા કુંડો છે, કે જેનો પ્રભાવ વચનથી કહી શકાય તેમ નથી. તે કુંડના જલના સ્પર્શમાત્રથી કુષ્ટરોગ પણ ચાલ્યા જાય છે. વળી એક મહા પ્રભાવવાળો મોટો અંબાકુંડ ત્યાં છે કે, જેના જલના સેવનથી દુસ્તર એવો હત્યાદોષ નાશ પામે છે. બીજા કેટલાક કુંડો દેવતાઓએ પોત પોતાના નામથી ત્યાં નિર્માણ કરેલા છે. જેઓનો પ્રભાવ અને સિદ્ધિ તે તે દેવતાઓ જ જાણે છે. તે અવસરે ત્યાં દેવતાઓએ ભક્તિથી લાવેલા દિવ્ય પુષ્પોથી સૌધર્મેન્દ્ર નેમિનાથ પ્રભુની પૂજા કરી.
આ બાજુ ભરત રાજાએ ગજેન્દ્રપદ કુંડમાં સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો પહેરી, નેમિનાથ પ્રભુની પૂજા કરી, મંગલદીપ સહિત આરતી ઉતારી. પછી પ્રભુ સામે દૃષ્ટિ કરીને સ્તવના કરી...
હે અમેય ગુણરત્નના સાગર, અપાર કૃપાના આધાર અને સંસારતારક, હે શિવાદેવીના પુત્ર નેમિનાથ પ્રભુ ! આપ જય પામો.
હે કૃપાલુ સ્વામી ! હું અંધકારમાં મગ્ન થયેલો અને સંસારથી ઉદ્વેગ પામેલો છું. તો આપ આપનાં સહજ તેજથી મારો ઉદ્ધાર કરો.
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૧૧૩
Page #135
--------------------------------------------------------------------------
________________
પાપકર્મનો પ્રલય કરનારા હે નાથ ! આપ એવું કરો કે જેથી વિષયોરૂપી ગ્રહને વળગનારા મારા સંકલ્પો અલ્પ થઇ જાય.
હે જગત્પત્તિ ! આપની કૃપાથી પરમ આનંદસ્વરૂપ હૃદયમાં નિમગ્ન થઇ રહેલા મને સમકિતની પ્રાપ્તિ થાઓ.
આ પ્રમાણે શ્રી નેમિનાથ પ્રભુની ભાવપૂર્વક સ્તુતિ કરીને પોતાના આવાસમાં આવી ઉત્તમ આહાર કર્યો. દાનશાળામાં યાચકોને દાન આપ્યું. તે સમયે અનેક વર્ણવાળા રત્નોથી મઢેલી હોય તેવી ભૂમિ અને આકાશને રંગબેરંગી કરતી રૈવતાચલ ગિરિવરની શોભા જોઇને શક્તિસિંહને કહેવા લાગ્યા. આ રૈવતાચલની પાસે બીજો કોઇ પર્વત સમાનતાને પામતો નથી. આ ગિરિરાજ લક્ષ્મીનો ક્રીડા પર્વત છે, મોક્ષનું સ્થાન છે. આ ગિરિરાજને જોતાં જ મારું ચિત્ત પરમ આનંદ પામે છે.
ત્યારે શક્તિસિંહે કહ્યું, ‘હે સ્વામી ! આ રૈવતગિરિને શ્રી જિનેશ્વર ભગવંતે શત્રુંજયનું પાંચમું શિખર કહેલું છે. ઉત્સર્પિણીકાલમાં અનુક્રમે આ ગિરિની ઉંચાઇનું માન પહેલા આરામાં સો ધનુષ્યનું, બીજા આરામાં બે યોજનનું, ત્રીજામાં દશ યોજનનું, ચોથામાં સોળ યોજનનું, પાંચમામાં વીસ યોજનનું અને છઠ્ઠા આરામાં છત્રીસ યોજન રહેશે. તેવી જ રીતે અવસર્પિણીકાલમાં તે પ્રમાણે તે હીન હીન થતો જશે. તેથી આ શાશ્વતગિરિ સર્વ પાપને હરનારો છે. તે તે આરામાં કૈલાસ, ઉજ્જયંત, રૈવત, સ્વર્ણગિરિ, ગિરનાર અને નંદભદ્ર - એમ અનુક્રમે તેનાં નામો ગણાય છે. આ ગિરિ પર અનંત તીર્થંકરો આવેલા છે ને આવશે, તેમજ અનેક મુનિઓ સિદ્ધિ પામ્યા છે અને પામશે. તેથી આ તીર્થ મોટું છે.
આ પ્રમાણે શક્તિસિંહે ભરતેશ્વરની સમક્ષ રૈવતગિરિનું વર્ણન કર્યા પછી વાયવ્ય દિશામાં એક ગિરિને જોઇ ભરતેશ્વરે શક્તિસિંહને પૂછ્યું, આ કયો ગિરિ શોભે છે ? શક્તિસિંહે કહ્યું, ‘એક કુમતિવાળો બરટ નામનો વિદ્યાધર રાક્ષસી વિદ્યા સાધી તે પર્વત પર રહેલો છે. તે ક્રૂર રાક્ષસથી અધિષ્ઠિત થયેલો આ પર્વત તેના નામથી જ વિખ્યાત છે. ભયંકર રાક્ષસોથી પરીવરેલો અને આકાશગામિની વિદ્યા વડે ગગનમાં ફરતો એ દુર્દાત - રૌદ્ર રાક્ષસ મારી આજ્ઞાને પણ માનતો નથી અને આ દેશને પણ ઉદ્વેગકારી થયો છે. આવું સાંભળી ક્રોધાતુર થયેલા ભરતે પોતાના સેનાપતિ સુષેણને તેને જીતવા માટે જવાની આજ્ઞા કરી. સુષેણે ત્યાં જઇ, યુદ્ધ કરીને બટને પકડીને ચક્રવર્તીના ચરણમાં નમાડ્યો. દીન અને મ્લાન મુખવાળા તે રાક્ષસને જોઇને શક્તિસિંહ દયા લાવી બોલ્યો :
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૧૪
Page #136
--------------------------------------------------------------------------
________________
હે અસુર ! તે જે જીવવધ કર્યો છે, તેનું ફલ તો તને નરકમાં મળશે ! માટે હે દુર્મતિ ! હજી પણ તું જીવહિંસા છોડી દે અને મારી આજ્ઞા માન ! તો તને અભયદાન આપીને હું છોડાવું.' આવા વચનો સાંભળી તે રાક્ષસે કહ્યું, “હે સ્વામી ! આજથી હું તમારી આજ્ઞા માનીશ. એટલે શક્તિસિંહે તેને ભારત પાસેથી છોડાવ્યો. પછી હર્ષથી તે બરટ રાક્ષસે પોતાના ગિરિ ઉપર આદિનાથ પ્રભુ અને અરિષ્ટનેમિ પ્રભુનાં બે ભવ્ય પ્રાસાદો કરાવ્યા તથા જે લોકો આદિનાથ અને નેમિનાથસ્વામીને નમસ્કાર કરે, તેઓનાં ઇચ્છિત મનોરથ પુરવા લાગ્યો. તેથી તે પર્વત કામદતીર્થ નામથી પ્રસિદ્ધ થયો.
- ત્યારબાદ શ્રી નેમિનાથ ભગવંતની પૂજા કરવા માટે ભારતે પોતે કરાવેલાં જિનપ્રાસાદમાં આવ્યા. તે સમયે પાંચમાં દેવલોકના સ્વામી બ્રહ્મદ્ કરોડો દેવતાઓની સાથે ત્યાં આવ્યા અને પૂજા કરતા ભરતને સ્નેહયુક્ત વાણીથી કહ્યું :
“હે ભરતેશ્વર ! તમે સદાકાલ જય પામો. જેમ પ્રથમ તીર્થનાયક શ્રી ઋષભદેવ સ્વામી છે, તેમ પ્રથમ તીર્થપ્રકાશક સંઘપતિ તમે થયા છો. આ ઉજજયંત ગિરિ ઉપર તમે શ્રી નેમિનાથસ્વામીનું નવીન મંદિર કરાવ્યું છે, તેથી તમે મારે વિશેષ માન્ય છો. કારણ કે.. | ‘પૂર્વે ગઈ ઉત્સર્પિણીમાં થયેલા સાગર નામે પ્રભુનાં મુખકમલથી મારી અગાઉ થઈ ગયેલા બે બ્રહ્મક્કે આ પ્રમાણે સાંભળ્યું હતું કે, “આવતી અવસર્પિણીમાં બાવીસમાં ભાવી તીર્થકર શ્રી નેમિનાથના ગણધરપદને પામીને તમે મોક્ષે જશો.” તે સાંભળી હર્ષ પામેલા તેમણે પોતાના કલ્પમાં નેમિનાથ પ્રભુની મૂર્તિ કરાવી હતી. ત્યારથી તે મુર્તિનું અમે પૂજન કરીએ છીએ. વળી ભાવી બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના ત્રણ કલ્યાણકો અહીં થવાના છે, એમ જાણી અમે સદા અહીં આવીએ છીએ. આજે શ્રી ઋષભદેવ ભગવંતના પુત્ર અને ચક્રવર્તી એવા તમને અહીં જોવાથી અમારે મંગલિક થયું છે. આ પ્રમાણે કહી, નેમિનાથ પ્રભુને ભક્તિથી નમી અને સંઘની આરાધની કરી બ્રહ્મન્દ્ર પોતાના કલ્પમાં ગયા.
ત્યાર પછી એક માસને અંતે ભરત ચક્રવર્તી આનંદપૂર્વક દેવો તથા સંઘ સાથે તે સ્વર્ણગિરિના શિખર ઉપરથી નીચે ઉતર્યા. પછી શક્તિસિંહના આગ્રહથી ભરત રાજાએ વિવિધ લોકોથી ભરપૂર અને સમૃદ્ધિ વડે સ્વર્ગપુરી જેવા તેના “ગિરિદુર્ગ નગરમાં પ્રવેશ કર્યો. ત્યાંના જિનપ્રાસાદમાં ઋષભપ્રભુની પૂજા કરી અને અઢાઈ ઉત્સવ કર્યો. પછી ભરતે ચતુરંગસેના અને સંઘ સહિત ત્યાંથી પ્રયાણ કર્યું. માર્ગે આગળ ચાલતાં ચાલતાં પણ ભરત પોતાની ડોકને વાંકી વાળીને રૈવતાચલગિરિને જોવા લાગ્યા અને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા :
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૧૫
Page #137
--------------------------------------------------------------------------
________________
અહા ! આ દેશનું સુરાષ્ટ્ર એવું જે નામ છે, તે યુક્ત જ છે. કારણ કે શત્રુંજય અને ઉજ્જયંત વગેરે ઉત્કૃષ્ટ તીર્થો અહીં જ રહેલા છે. અહીં રહેલ ગિરિઓ, નદીઓ, વૃક્ષો, કુંડો અને ભૂમિઓ પણ તીર્થરૂપ છે. સર્વ દેશોમાં ઉત્તમ દેશ અને સર્વ તીર્થોમાં ઉત્તમ તીર્થ એવો આ સુરાષ્ટ્ર દેશ શરણે આવેલાને રક્ષણ આપનાર છે. જે સૌરાષ્ટ્રવાસી થઈને બીજા દેશની સ્પૃહા કરે છે, તેઓ કલ્પવૃક્ષને છોડીને ધતુરો લેવાનો આગ્રહ કરે છે. જે દેશમાં દુર્ભિક્ષનો ભય નથી, પાપ થતા નથી અને ફૂટબુદ્ધિ કે દ્રોહ જોવામાં આવતા નથી અને જ્યાં સર્વ લોકો સરળ પ્રકૃતિના છે એવો આ દેશ છે.”
આ પ્રમાણે કહેતા ભરતનરેશ્વર શ્રી શત્રુંજયગિરિને પ્રદક્ષિણા કરીને કેટલાક દિવસે આનંદપુરમાં આવ્યા. ત્યાં શક્તિસિંહને પોતાની પાસે બોલાવીને હર્ષથી કહ્યું, “હે વત્સ ! મારી આજ્ઞાથી તારે સદા અહીં રહેવું અને અહીંના સામ્રાજયને ભોગવતા તારે આ બંને તીર્થોની રક્ષા કરવી. પવિત્રપણાથી તીર્થરૂપ એવા આ સૌરાષ્ટ્ર દેશનો તું રાજા છો, તેથી તું ધન્યથી પણ ધન્ય અને બીજા સર્વ રાજાઓને પૂજવા યોગ્ય છો. આ પ્રમાણે કહી ભરતેશ્વરે “બે તીર્થભૂમિના પ્રદેશ પર આનું શાસન છે એમ સૂચવતાં બે છત્રો શક્તિસિંહને ભેટ આપ્યાં તથા અલંકારો, હાથી, ઘોડા, રથ, રત્ન અને દ્રવ્યથી સન્માન કરી શક્તિસિંહને વિદાય કર્યો. શક્તિસિંહ પણ જિનેશ્વરદેવની આરાધના કરતો સૌરાષ્ટ્રના લોકોનું પાલન કરવા લાગ્યો. • શ્રી ભરત ચક્રવર્તીએ કરેલી વિવિધ તીર્થોની યાત્રા :
ત્યાંથી ભરત ચક્રવર્તી આબુ ગયા. ત્યાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાલના અહંત પ્રભુના પ્રાસાદો તેમણે કરાવ્યાં. સર્વ ઠેકાણે પોતપોતાના દેશથી પોતાના ભાઇઓના પુત્રો ભરતેશ્વરને મળવા આવતા હતા. તેઓને જોઈ હર્ષ પામતા ભરતે તેઓને પ્રીતિદાનથી પ્રસન્ન કર્યા. ત્યાંથી ધીરે ધીરે પ્રયાણ કરતાં અને આગળ ચાલતા સર્વ તીર્થને નમતા, સ્થાને સ્થાને મહોત્સવ કરતાં, દીનજનોનો ઉદ્ધાર કરતા મુનિજનની પૂજા કરતા અને સર્વની આશિષ લેતા તેઓ અનુક્રમે મગધ દેશમાં આવ્યા. તે દેશમાં પણ પોતાના બંધ મગધનો પુત્ર માગધ નામનો ભત્રીજો રાજય કરતો હતો. ભરત ચક્રવર્તીનાં આગમનને સાંભળીને તે સર્વ સમૃદ્ધિપૂર્વક તેમની સન્મુખ આવ્યો. માગધ રાજાનો ભોજનાદિક સત્કાર ગ્રહણ કરી ચક્રવર્તી ત્યાંથી પ્રયાણ કરીને તીર્થયાત્રા માટે વૈભારગિરિ ઉપર આવ્યા. ત્યાં પણ શત્રુંજય તીર્થ પર કરાવ્યું હતું, તેવું ભાવી ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામીનું એક ઉત્તમ મંદિર વધ્વંકી પાસે તેમણે કરાવ્યું. એ રીતે શત્રુંજય, રેવતાચલ, અર્બુદગિરિ અને વૈભારગિરિ ઉપર
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૧૬
Page #138
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંત ભગવંતોના પ્રાસાદો થયા. ભરતેશ્વરે ત્યાં તીર્થ સ્થાપીને પૂર્વ સ્થાનની જેમ પૂજન, ઉત્સવ અને દાનાદિક ધર્મકાર્યો અતિ હર્ષથી કર્યા.
આ રીતે સંઘપતિને યોગ્ય એવું સર્વ કાર્ય કરી માર્ગમાં સાથે આવેલા માગધ રાજાને વિદાય કર્યા અને પોતે સુર, અસુર અને ચતુર્વિધ સંઘની સાથે પ્રયાણ કરતા કેટલાક દિવસે સમેતશિખરગિરિ પર આવ્યા. ત્યાં પણ ભરત રાજાની આજ્ઞાથી વીસ તીર્થંકરદેવોનાં પ્રાસાદોની શ્રેણી વર્તકીરને ક્ષણવારમાં તૈયાર કરી. તે અવસરે ત્યાં પૂર્વ તીર્થોની જેમ ભરતે જિનેશ્વર દેવોની, ગણધર ભગવંતોની તથા મુનિઓની પૂજા કરીને યાચકોને ઈચ્છાથી અધિક દાન આપ્યાં. ત્યાં આઠ દિવસ રહી પોતાની નગરીનું સ્મરણ થતાં પવિત્ર દિવસે સૈન્ય સહિત ભરતેશ્વર વિનીતા નગરી તરફ ચાલ્યા. • ભરત રાજાનો મહોત્સવપૂર્વક સંઘ સાથે વિનીતા નગરીમાં પ્રવેશ:
અનુક્રમે કેટલાક દિવસે ભારતચક્રી અયોધ્યાની પાસેના નંદનવન જેવા ઉદ્યાનમાં આવી પહોંચ્યા. શ્રી ભરતેશ્વરને આવેલા સાંભળીને સૂર્યયશા હર્ષથી અતિ વેગથી દોડીને ભારત સામે આવ્યો અને ચક્રવર્તી પિતાનાં દર્શન થતાં જ તેમનાં ચરણકમલમાં તે આળોટીને પડ્યો. ભરતે તેને બેઠો કરીને આનંદથી આલિંગન કર્યું. ત્યારબાદ સુર, અસુર અને સંઘની સાથે વિનીતા નગરીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને નગરમાં રહેલા મુખ્ય ચૈત્યોમાં જઈ પ્રભુ શ્રી આદીશ્વર ભગવંતને વંદન કરી, પછી ગુરુમહારાજને નમસ્કાર કરી, ભરતેશ્વર પોતાનાં આવાસમાં આવ્યા.
હે ઇન્દ્ર ! હવે આદિનાથ પ્રભુ જે રીતે નિર્વાણ પદ પામ્યા, તે પ્રસંગ તું સાંભળ.
ત્યારબાદ તે અવસરે સોમયશા વગેરેને જુદા જુદા દેશો સોંપીને ભરતેશ્વરે સ્નેહથી સત્કારપૂર્વક તે બધાયને વિદાય કર્યા અને ભોજનવસ્ત્રાદિકથી સર્વ સંઘનું સન્માન કર્યું. તે અરસામાં શ્રી આદિનાથ પ્રભુ વિહાર કરતા કરતા અષ્ટાપદ ગિરિ ઉપર સમવસર્યા. તે શુભ સમાચાર ઉદ્યાનપતિ પાસેથી સાંભળીને ભરત ચક્રવર્તી પ્રભુને વંદન કરવાની ઇચ્છાથી ત્યાં અષ્ટાપદ ઉપર આવ્યા. શ્રી સર્વજ્ઞપ્રભુનાં મુખકમલથી દાનધર્મનો મહિમા અને તેનું મહાન ફળ સાંભળીને ચક્રવર્તીએ પ્રભુને વિનંતી કરી કે, “આ સંયમી મુનિઓ મારું દાન ગ્રહણ કરે તેમ આપ ફરમાવો.” ત્યારે પ્રભુએ કહ્યું કે, ‘નિર્દોષ પણ રાજપિંડ મુનિઓને કલ્પતો નથી !” આ સાંભળી ભરતે કહ્યું, સ્વામી ! આ જગતમાં મહાપાત્રરૂપ તો સંયમી મુનિવરો છે. તેમને મારું દાન નહીં કહ્યું, તો મારે શું કરવું ? તે અવસરે દીન બનેલા ભરતને આશ્વાસન આપતાં ઇન્દ્ર કહ્યું, “હે રાજા ! જો તમારે દાન આપવું હોય તો ગુણોમાં ઉત્તમ સાધુભગવંતો પછી પાત્ર તરીકે ગણાતા સાધર્મિક શ્રાવકોને તમે દાન આપો.” પ્રભુએ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૧૭
Page #139
--------------------------------------------------------------------------
________________
નહીં નિષેધ કરેલું ઇન્દ્રનું તે કથન સાંભળીને ભરત અયોધ્યામાં આવી નિત્ય સાધર્મિક શ્રાવકોને ભક્તિથી ભોજન કરાવવા લાગ્યા.
ત્યાં આવું મહાભોજન થતું સાંભળીને ઘણા લોકો ભોજન કરવા આવવા લાગ્યા. તે જોઈ રસોઇયાઓએ ભરત રાજાને કહ્યું કે, “સ્વામી ! આ શ્રાવક છે કે નહીં, એવો ભેદ અમારાથી થઈ શકતો નથી. તે સાંભળી ચક્રવર્તીએ શ્રાવકોના કંઠમાં કાકિણીરત્નથી રત્નત્રયીની નિશાની તરીકે દક્ષિણોત્તર ત્રણ રેખાઓ કરી - ‘તમે કામ, ક્રોધાદિ, શત્રુઓથી જીતાયા છો, તમારા માથા પર કર્મરાજાનો મહાભય વર્તી રહ્યો છે. માટે તમે તમારા આત્માને મા હણો ! મા હણો !' અર્થાત્ માહણ માહણ એમ દરરોજ પ્રાતઃ કાલે તે શ્રાવકોને ભરત ચક્રવર્તી પોતાને સૂચના કરવા માટે કહેતા. તે મુજબ તે શ્રાવકો નિરંતર ભરતેશ્વરને જાગ્રત કરતા હતા. તે સાંભળીને ચક્રવર્તી પોતાનો પ્રસાદ ત્યાગ કરતા. એટલે ત્યારથી ત્રણ રેખાઓથી અંકિત થયેલા શ્રાવકો માહણ = બ્રાહ્મણ નામથી પૃથ્વીમાં પ્રખ્યાત થયા. ત્યારબાદ ભરતે અહંત, યતિ અને શ્રાવક ધર્મના ચાર વેદો તે શ્રાવકોને ભણાવ્યા. ભગવંત આદિનાથથી જેમ ધર્મ પ્રવર્યો, તેમ ભરત રાજાથી સાધર્મિક વાત્સલ્યનો ધર્મ પ્રવર્યો.
આ બાજુ શ્રી ઋષભદેવ ભગવાને ચતુર્વિધ સંઘની સ્થાપના કર્યા પછી એક લાખ પંચાસી હજાર અને સાડા છસો (૧,૮૫,૬૫૦) મુનિઓ, ત્રણ લાખ (૩,૦૦,૦૦૦) સાધ્વીઓ અને ત્રણ લાખ, પચાસ હજાર (૩,૫૦,૦૦૦) શુદ્ધ સમ્યક્ત્વધારી શ્રાવકો અને પાંચ લાખ, ચોપન હજાર (૫,૫૪,૦૦૦) શ્રાવિકાઓ. આ પ્રમાણે શ્રી ઋષભદેવ પ્રભુના ચતુર્વિધ સંઘનો પરિવાર હતો.
ત્રણ જગતના પ્રભુશ્રી ઋષભદેવસ્વામી એક લાખ પૂર્વ સુધી વ્રત પાળ્યા પછી પોતાનો મોક્ષકાલ સમીપ જાણી અષ્ટાપદ પર્વત ઉપર પધાર્યા. ત્યાં શુદ્ધ પ્રદેશમાં દશ હજાર મુનિઓની સાથે જગતપ્રભુએ અનશન વ્રત ગ્રહણ કર્યું. તે ખબર પડતાં ખેદ પામેલા ભરત રાજા વાહન તથા પરિવારને મૂકીને એકદમ પગે ચાલી નીકળ્યા. પોતાની પાછળ દોડતા સેવકોને પણ દૂર છોડતા અને અશ્રુને વર્ષાવતા તથા કાંટા વગેરેને નહીં ગણકારતા અષ્ટાપદ પર્વત ઉપર આવ્યા. ત્યાં પર્યકાસને બેઠેલા સર્વ ઇન્દ્રિયોના આશ્રવને રૂંધીને રહેલા શ્રી ઋષભદેવ પ્રભુને જોઇને અશ્રુજલથી યુક્ત ભરતે પ્રભુને વંદન કર્યું. તે સમયે આસન ચલિત થવાથી સર્વ ઇન્દ્રોએ પણ શોકથી આકુળ બનીને ત્યાં આવી પ્રભુને પ્રદક્ષિણા કરી નમન કર્યું. • શ્રી બાષભદેવ ભગવંતનું અષ્ટાપદ પર્વત પર નિર્વાણ : આ અવસર્પિણી કાળનાં સુષમદુષમ નામના ત્રીજા આરામાં નેવ્યાસી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૧૮
Page #140
--------------------------------------------------------------------------
________________
પખવાડીયા બાકી રહેતા, માઘ માસની કૃષ્ણ ત્રયોદશી (વર્તમાનમાં પોષ વદ ૧૩)ના પૂનકાલે, ચન્દ્ર અભિજિત નક્ષત્રમાં આવતાં પર્યકાસને રહેલા પ્રભુ શ્રી ઋષભદેવ
સ્વામી ચોથું શુકલધ્યાન પામી લોકાગ્રપદ - મોક્ષ પામ્યા. તે સમયે બાહુબલિ વગેરે મુનિઓ પણ તે જ ક્ષણે અવ્યયપદ પામ્યા. પ્રભુનાં નિર્વાણ કલ્યાણકના સમયે ક્ષણવાર નારકીઓને પણ સુખ થયું. ત્રણે જગતમાં ઉદ્યોત થયો. પ્રભુને નિર્વાણ પામેલા જોઈ ભરત રાજા અપાર દુઃખથી મૂચ્છ પામી પૃથ્વી પર પડી ગયા. થોડીવારે સાવધાન થઈ તેમણે આક્રંદ કરવા માંડ્યું કે, “અહા ! ત્રણ જગતના ત્રાતા પ્રભુ, બાહુબલિ વગેરે ભાઇઓ, બ્રાહ્મી અને સુંદરી બહેનો, પુંડરીક વગેરે પુત્રો, શ્રેયાંસ વગેરે પૌત્રો – કર્મરૂપ શત્રુઓને હણી લોકાગ્રને પામ્યા, તો પણ હું ભરત અદ્યાપિ જીવું છું.' આ પ્રમાણે આક્રંદ કરતા ભરતને જોઈ ઇન્દ્ર શોકથી રુદન કરવા માંડ્યું. ઇન્દ્રની પાછળ દેવતાઓએ પણ રુદન કરવા માંડ્યું. ત્યારથી માંડીને પૂર્વે નહીં દીઠેલો રુદનનો વ્યવહાર પ્રવર્યો. ભરતના રુદનથી આખું વાતાવરણ શોકાકુલ થઈ ગયું.
અતિ શોકવાળા ભરતને જોઈ તેમને બોધ કરવા ઈન્ડે કહ્યું, “ત્રણ જગતના સ્વામીના પુત્ર હે ભરત ચક્રવર્તી! સ્વાભાવિક ધેર્યને છોડીને અજ્ઞજનની જેમ શોકથી આમ રુદન કેમ કરો છો ? જે સ્વામી જગતના આધાર, જગતની સ્થિતિ કરનાર અને અહનિશ જગતને નમવા યોગ્ય હતા, તે પ્રભુનો શોક કરવાનો ન હોય. જેણે અનુપમ કાર્યો સાધ્યા છે અને કર્મોના બંધનનો નાશ કર્યો છે એવા આત્માઓ માટે વિશેષ રીતે આ પ્રસંગ અખંડ મહોત્સવરૂપ ગણાય છે. તેમ જ હર્ષ અને શોક બંને પાપબંધન કરાવનારા છે. માટે બુદ્ધિમાન એવા તમે શોક છોડી દો અને પુનઃ ધૈર્ય ધારણ કરો.
આ પ્રમાણે ભરતને આશ્વાસન આપી ઈન્દ્ર પ્રભુના અંગનો સંસ્કાર કરવા માટે ગોશીષ ચંદનનાં કાષ્ઠો દેવતાઓ પાસે મંગાવ્યા. પછી દેવતાઓએ પ્રભુ માટે પૂર્વ દિશામાં ગોળ, બીજા ઇશ્વાકુવંશી મુનિઓ માટે દક્ષિણ દિશામાં ત્રિખૂણી અને બાકીના સર્વ મુનિઓ માટે ચાર ખૂણાવાળી ચિતા રચી. પ્રભુનાં શરીરને ઇન્દ્ર ક્ષીરસમુદ્રનાં જલથી સ્નાન કરાવી અને વસ્ત્રાભરણથી શોભાવી શિબિકામાં પધરાવ્યું. બીજા દેવતાઓએ અન્ય મુનિઓનાં શરીરને બીજી શિબિકામાં મૂક્યાં. એટલે અગ્નિકુમાર અને વાયુકુમાર દેવોએ તત્કાળ તે શરીરોને પ્રજવલિત કર્યા. થોડીવાર પછી મેઘકુમારોએ તે શરીરોને જળધારાથી ઠાર્યા એટલે સર્વ દેવોએ પ્રભુનાં અને બીજા મુનિઓનાં દાંત અને હાડકાં પોતપોતાનાં વિમાનોમાં પૂજા કરવા માટે પોત-પોતાની યોગ્યતા પ્રમાણે ગ્રહણ કર્યા. ઇન્દ્રોએ પ્રભુની દાઢાઓ ગ્રહણ કરી. કેટલાક શ્રાવકોએ માગણી કરવાથી દેવોએ ત્રણ કુંડનો અગ્નિ તેઓને આપ્યો. ત્યારથી તે શ્રાવકો
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૧૯
Page #141
--------------------------------------------------------------------------
________________
અગ્નિહોત્રી માહણ (બ્રાહ્મણ) કહેવાય. કેટલાકોએ તે ચિતાની ભસ્મને ભક્તિથી વંદન કર્યું અને શરીરે લગાવી. તે કા૨ણે ભસ્મથી શોભતા શરીરવાળા તેઓ તાપસો કહેવાયા. સિંહનિષધા પ્રાસાદની સ્થાપના :
•
ત્યારબાદ તે ચિતાસ્થાનમાં ત્રણ મોટા સ્તૂપો કરીને સર્વ ઇન્દ્રોએ નંદીશ્વર દ્વીપે જઇ પ્રભુનાં નિર્વાણ કલ્યાણકને અનુલક્ષીને અષ્ટાર્લિક ઉત્સવ કર્યો. ત્યાંથી પોતપોતાના સ્થાને આવી, તે સર્વે દેવો, હૃદયમાં પ્રભુનું સ્મરણ કરતા વિઘ્નની શાંતિ માટે ભગવંતનાં અસ્થિનું પૂજન કરવા લાગ્યા. અહીં ચિતાની નજીકની ભૂમિ ૫૨ ભરત રાજાએ વáકિરત્ન પાસે એક સુંદર પ્રાસાદ કરાવ્યો. ત્રણ કોશ ઊંચા અને એક યોજન લાંબા પહોળા તે પ્રાસાદને તોરણોથી મનોહર ચાર દ્વાર રચાવ્યાં. તેની અંદર પીઠિકા, દેવચ્છંદ અને વેદિકા બનાવ્યા. તેમાં સુંદર પીઠિકા પર કમલાસન પર રહેલી અને આઠ પ્રાતિહાર્ય સહિત રત્નમય ચાર શાશ્વત અહંતોની પ્રતિમાઓ સ્થાપન કરી દેવચ્છંદ ઉપર પોતપોતાના માન, લંછન તથા વર્ણસહિત ચોવીસ પ્રભુની મણિરત્નમય પ્રતિમાઓ ભરાવી. ત્યાં પ્રત્યેક પ્રતિમાની ઉપર ત્રણ છત્રો, ચામરો, ધ્વજાઓ તેમ જ તે પ્રભુની આરાધના કરનારા યક્ષો અને કિન્નરોને સ્થાપિત કર્યા. ત્યારબાદ ત્યાં ભરતે પોતાના પૂર્વજોની, બંધુઓની તેમ જ બ્રાહ્મી અને સુંદરીની તથા ભક્તિથી નમ્ર એવી પોતાની મૂર્તિ સ્થાપન કરી.
તે વિશાળ મંદિરની ચોમેર ચૈત્યવૃક્ષો, કલ્પવૃક્ષો, સરોવરો, દીર્ષિકાઓ, વાવડીઓ તથા વિશ્રાંતિસ્થાનો કરાવ્યા. મૂલમંદિરની બહાર પ્રભુ શ્રી ઋષભદેવ સ્વામીનો ઊંચો સ્તૂપ તેમણે કરાવ્યો. તેની આગળ પોતાના બંધુમુનિઓના તેમજ અન્ય મુનિઓના મણિમય સ્તૂપો કરાવ્યા અને ચોમેર મનુષ્યોથી દુર્ભેદ્ય એવા લોખંડના દ્વારપાલો કર્યા અને ત્યાં ભરત ચક્રવર્તીની આજ્ઞાથી મંદિરની રક્ષા માટે અધિષ્ઠાયક દેવતાઓ અધિષ્ઠિત કર્યા.
આ પ્રમાણે અષ્ટાપદ પર્વત પર સિંહનિષદ્યા પ્રાસાદને વિધિપૂર્વક કરાવીને ઉત્સવપૂર્વક સાધુમુનિવરો પાસે પ્રતિષ્ઠા સમારોહપૂર્વક કરાવી. ત્યારબાદ પવિત્ર તથા શ્વેત વસ્ત્રો ધારણ કરી ભરતેશ્વરે મંદિરમાં પ્રવેશ કર્યો અને ત્રણ વખત નિસિહી કહીને, પ્રભુની ત્રણવાર પ્રદક્ષિણા કરી. પ્રભુ પ્રતિમાઓનો પવિત્ર જલથી અભિષેક કર્યો, કોમળ વસ્ત્રોથી અંગપૂંછન કર્યું. ત્યારબાદ સુગંધમય ચંદનથી વિલેપન, પૂજા કરી, તેમજ સુગંધી વિવિધ પુષ્પોથી પૂજન કર્યું.
આ રીતે અંગપૂજા કર્યા બાદ ધૂપ કર્યો, મણિપીઠ પર શુદ્ધ અક્ષતોથી અષ્ટમાંગલિકો આલેખીને ફલો પ્રભુજી સમક્ષ મૂક્યા અને મંગલદીપ તથા આરતી ઉતારી. શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૨૦
Page #142
--------------------------------------------------------------------------
________________
આમ દ્રવ્યપૂજા કર્યા બાદ ભક્તિથી ઉલ્લસિત ભરત ચક્રવર્તીએ પ્રભુ સ્તુતિ કરી :
હે ત્રણ જગતનાં આધાર ! ધર્મના ઉદ્ધારને ધારણ કરનારી અને સ્વર્ગ તથા નરકની સીમાસમાન આ પૃથ્વીને ત્યજીને આપે દુર્ગમ એવા લોકાગ્રને પ્રાપ્ત કર્યો છે. જો કે આપ તો આ ત્રિલોકને એકદમ ત્યજીને ચાલ્યા ગયા છો, છતાં તે ત્રિલોક બળાત્કારે આપને પોતાના હૃદયમાં ધારી રાખશે. આપનાં ધ્યાનરૂપ દોરીને અવલંબીને રહેલા મારા જેવા આત્માઓ આપનાથી દૂર હોવા છતાં પણ આપની પાસે જ છે, તો પછી હે નાથ ! અમને ત્યજીને આપ પહેલાં કેમ ચાલ્યા ગયા ? અશરણ એવા અમને અહીં જ મૂકીને એકદમ આપ જેમ અહીંથી ચાલ્યા ગયા, તેમ અમે જયાં સુધી આપની પાસે ન પહોંચીએ, ત્યાં સુધી અમને ત્યજીને આપ અમારા ચિત્તમાંથી ચાલ્યા ન જતા.”
આ પ્રમાણે શ્રી ઋષભદેવ સ્વામીની સ્તુતિ કરીને, ત્યાં બિરાજમાન અન્ય અરિહંત પ્રભુની પણ ભરતેશ્વરે સ્તવના કરી.
આ રીતે અષ્ટાપદ તીર્થ પર ભરતેશ્વરે જિનમંદિર બંધાવ્યા પછી વિચાર કર્યો કે, “કાલના પ્રભાવથી સત્વહીન મનુષ્યો દ્વારા આ રત્નમય જિનપ્રાસાદની આશાતના ન થાઓ.” એમ વિચારી તેમણે તે પર્વતના શિખરોને તોડી નાંખી, એક-એક યોજનના અંતે દંડરત્નથી આઠ પગથિયાઓ કર્યા. ત્યારથી તે પર્વત “અષ્ટાપદ'ના નામથી પ્રસિદ્ધ થયો. આ પ્રમાણે કરીને શ્રી ઋષભદેવ સ્વામીના નિર્વાણથી અતિશય દુઃખને ધારણ કરતા ભરતેશ્વર અષ્ટાપદ પર્વત પરથી નીચે ઉતર્યા અને અનુક્રમે વિનીતા નગરીમાં આવ્યા. તે સમયે ભરતેશ્વરનું ચિત્ત ક્યાંય લાગતું ન હતું. બેસતાં, સૂતાં, ચાલતાં તેમજ સમગ્ર કાર્યમાં પોતાના ચિત્તમાં કેવલ પ્રભુનું જ ધ્યાન ધરતાં પોતાના સ્વામી ભરત ચક્રવર્તીને સર્વ મંત્રીઓએ ત્યારે આ પ્રમાણે કહ્યું :
હે નરેશ્વર ! જે પ્રભુનો દેવોએ મેરુ પર્વત પર અભિષેક કર્યો, જેઓને આશ્રયીને ઇક્વાકુવંશ પ્રગટ થયો, જેમણે રાજાઓનો આચાર દર્શાવ્યો, જેઓએ ધર્મતીર્થની સ્થાપના કરી છે, જેમનું ચારિત્ર ઉજજવલ છે. જેમનામાં વિશુદ્ધ જ્ઞાન રહેલું હતું એવા શ્રી ઋષભદેવ પ્રભુનો શોક કરવાનો ન હોય ! હે સ્વામી ! તેઓ તો ખરેખર સ્તુતિને યોગ્ય છે. માટે રાજન્ ! પ્રભુના વિરહને યાદ કરી તમે મૂંઝાવ નહીં, તેઓ તો કૃતકૃત્ય બનીને પરમપદમાં લીન થયા છે.'
આ રીતે મંત્રીઓએ કહેલું સાંભળીને ભરત ચક્રવર્તીએ મનને સમજાવીને મુશ્કેલીથી શોક ત્યજયો, રાજયકાર્યની પ્રવૃત્તિમાં પ્રવર્યા અને પ્રજાનું નિરંતર પાલન કરવા લાગ્યા.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૨૧
Page #143
--------------------------------------------------------------------------
________________
ભરત મહારાજાને આરિસાભવનમાં પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન અને મોક્ષપ્રાપ્તિ
એક વખતે સ્નાનથી સ્વચ્છ થઇ ભરત ચક્રવર્તી આનંદપૂર્વક સર્વ અંગોમાં આભૂષણો પહેરી આરિસાભવનમાં આવ્યા. તે અવસરે પોતાના શરીર પ્રમાણ રત્નમય આરિસામાં ભરતેશ્વરે પોતાનું રૂપ જોયું. ઉત્સાહવાળા તેઓ પોતાના પ્રત્યેક અંગને જોતા મુદ્રિકા૨હિત પોતાની આંગળીને શોભા વગરની જોઇને મનમાં વિચારવા લાગ્યા.
‘મારી આંગળીની શોભા મુદ્રિકાથી જ છે ? તો પછી મસ્તક આદિ શરીરના અંગોની જે શોભા છે, તે પણ કૃત્રિમ છે ! આ વિચારપૂર્વક પ્રશાંત હૃદયવાળા, વૈરાગ્યવાસિત ભરતેશ્વરે પોતાના માથા પરથી મુકુટ દૂર કર્યો, કાન પરથી કુંડલો કાઢ્યા, કંઠ પરથી કંઠાભરણ, છાતી પરથી હાર, બે ભુજાઓ પરથી કડાઓ, હાથ પરથી વીરવલયો, આંગળીઓ પરથી મુદ્રિકાઓ દૂર કરી. સર્વથા અલંકાર રહિત પોતાના શરીરને જોઇને ભરત ચક્રવર્તી વિચારવા લાગ્યા.
અહો ! આ શરીર પર સંસારી લોકોને કેવો દુસ્યય મોહ છે ? સંસારીજનો આ શરીરને ચંદનના લેપ કરે છતાં પણ તે પોતાની મલિનતાને મૂકતું નથી. જે શરીરના મોહથી લોકો પાપકર્મને આચરે છે, તે દેહ ચંચલ છે. આ શરીરની ખાતર સાઠ હજાર વર્ષો સુધી પૃથ્વી પર ભમી-ભમીને મેં મારું જીવન નિરર્થક વીતાવ્યું અને કરવા યોગ્ય મેં કાંઇ ન કર્યું. ખરેખર મારા તે અકૃત્યને ધિક્કાર હો ! વી૨ એવા બાહુબલિને તેમ જ અન્ય પણ મારા બાંધવોને ધન્ય હો ! જેઓએ અસાર એવા
આ સંસારને ત્યજીને મુક્તિપદ પ્રાપ્ત કર્યું. જ્યાં વિશાળ રાજ્ય પણ વિનશ્વર છે, યૌવન ચંચલ છે, લક્ષ્મી પણ અસ્થિર છે, એવા આ સંસારમાં કઇ વસ્તુ સ્થિર હોઇ શકે ? માતા, પિતા, સ્ત્રી, પરિવાર, બંધુજનો તથા પુત્રો તેમજ સંપત્તિ આદિ કાંઇપણ ભવરૂપી કૂવામાં ડૂબતા આત્માનો ઉદ્ધાર કરવામાં સમર્થ નથી. હે જગત્ઝાતા પિતાશ્રી ઋષભદેવ સ્વામી ! બાહુબલિ આદિ પુત્રોનું જેમ આપે રક્ષણ કર્યું, તેમ મને પણ આપ તારો ! હું કોઇનો નથી. આ સંપત્તિ, શરીર, ઘર, અંતઃપુર વગેરે કાંઇપણ મારું નથી. હું સમતારૂપ આનંદસ્વરૂપ છું.
આ પ્રમાણે વૈરાગ્યપૂર્વક શુભ ભાવનામાં રહેલા ભરત ચક્રવર્તી જ્ઞાનાનંદ તત્ત્વમાં લીન બની ગયા. ખરેખર શુભ ભાવનાનો પ્રભાવ અચિંત્ય છે. આવા ઉપશમના ક્રમથી ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઇને કર્મો ખપાવી ત્યાં જ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે સમયે ઇન્દ્રના આદેશથી દેવતાએ આપેલા વ્રતના ચિહ્નરૂપ વેશ તેઓએ ગ્રહણ કર્યો અને સર્વવરિત દંડક - ‘કરેમિભંતે’ સૂત્રનો ઉચ્ચાર કર્યો. ભરત મહારાજાની પાછળ દશ શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૨૨
Page #144
--------------------------------------------------------------------------
________________
હજાર રાજાઓએ તે સમયે વ્રત અંગીકાર કર્યું. ત્યારબાદ વિનીતાના રાજયસિંહાસન પર ભરત ચક્રવર્તીના પુત્ર સૂર્યપશાનો ઇન્દ્ર મહારાજાએ રાજ્યાભિષેક કર્યો.
આ બાજુ કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી ભરત રાજર્ષિ ગામ, આકર, નગર વગેરે સ્થળોમાં ભવ્ય જીવોને ધર્મદેશના દ્વારા પ્રતિબોધ આપતાં પોતાના પરિવારની સાથે એક લાખ પૂર્વ વર્ષ સુધી વિચર્યા. ત્યારબાદ તેઓએ અષ્ટાપદ પર્વત ઉપર જઈને ચાર પ્રકારના આહારનું વિધિપૂર્વક પચ્ચખાણ કર્યું. એક માસના અંતે અઘાતી કર્મોને ખપાવી સિદ્ધિપદ પામ્યા. અન્ય સાધુઓ પણ એ ક્રમપૂર્વક મોક્ષે ગયા. તે સમયે ભરત રાજર્ષિનો પણ નિર્વાણ મહોત્સવ ઇન્દ્રોએ સારી રીતે ઉજવ્યો અને તે સ્થાને ચૈત્યો કરાવ્યા.
ભરત રાજર્ષિ કુમારપણામાં ૭૭ લાખ પૂર્વ, મંડલિકપણામાં એક હજાર વર્ષ, ચક્રવર્તીપણામાં એક હજાર વર્ષ જૂન ૬ લાખ પૂર્વ અને કેવલજ્ઞાનીપણામાં ૧ લાખ પૂર્વ. આ રીતે ચોરાસી લાખ પૂર્વનું સર્વ આયુષ્ય પરિપૂર્ણ કરી નિર્વાણપદ પામ્યા. ભગવાન ઋષભદેવ સ્વામી, ભરત રાજર્ષિ આદિનાં નિર્વાણ સ્થાન રૂપ શ્રી અષ્ટાપદ તીર્થનો મહિમા અપાર છે. પવિત્ર ભાવનાવાળા જે પ્રાણી, આ અષ્ટાપદ તીર્થમાં યાત્રા કરે છે, તે ત્રણ ભવ અથવા સાત ભવમાં શિવમંદિરને પ્રાપ્ત કરે છે.
ત્યારબાદ શોકાકુલ સૂર્યયશા રાજાએ અષ્ટાપદ તીર્થ પર આવીને ત્યાં ગગનચુંબી અનેક પ્રાસાદો ર્યા. પોતાના પિતા ભરતેશ્વરનાં નિર્વાણ થી થયેલા શોકને મુખ્યમંત્રીઓના વચનોથી ધીરે ધીરે દૂર ર્યો અને રાજ્યપ્રવૃત્તિઓનો ભાર ઉપાડ્યો. પ્રભુના રાજ્યારોહણ વખતે પ્રભુનાં મસ્તક પર મૂકેલો મુકુટ સૂર્યપશાના મસ્તક પર ઇન્દ્ર મહારાજાએ જયારે મૂક્યો, ત્યારે તેનો પ્રભાવ દ્વિગુણ ઉદયને પામ્યો.
સૂર્યયશાએ રાધાવેધની પ્રતિજ્ઞાને પૂરીને કનક વિદ્યાધરની પુત્રી જયશ્રી સાથે પાણીગ્રહણ કર્યું હતું. આ સિવાય વિદ્યાધરોની તથા રાજાઓની પુત્રીઓ મળીને કુલ બત્રીસ હજાર પવિત્ર કુલીન સ્ત્રીઓ તેના અંતઃપુરમાં હતી. તે રાજા બે આઠમ, બે ચૌદસ - આ રીતે ચતુ:પર્વમાં વિશેષ રીતે પ્રત્યાખ્યાન તથા પૌષધાદિ તપ દ્વારા આરાધના કરતા હતા. સૂર્યયશાને જીવિત કરતાં પણ પર્વોની આરાધના વધારે પ્રિય હતી. • ઇન્દ્ર મહારાજા દ્વારા સૂર્યયશા રાજાનાં સત્ત્વની પ્રશંસા :
એક અવસરે સૌધર્મસભામાં બેઠેલા ઈન્દ્ર મહારાજાએ અવધિજ્ઞાનથી સૂર્યયશા રાજાના પર્વની આરાધના માટેના દ્રઢ નિશ્ચયને દેખીને હૃદયના આદરભાવથી આશ્ચર્ય દર્શાવતા, સહસા માથું કંપાવ્યું. તે જોઇને ઉર્વશીએ ઇન્દ્રને માથું ધૂણાવવાનું કારણ પૂછ્યું.
ઇન્ડે કહ્યું, ‘ઉર્વશી, તું સાંભળ ! અત્યારે હું અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી, સાત્ત્વિકોમાં શિરોમણિ એવા શ્રી ઋષભદેવ ભગવંતના પૌત્ર અને ભરત ચક્રવર્તીના
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૨૩
Page #145
--------------------------------------------------------------------------
________________
પુત્ર સૂર્યયશા રાજા, જે હાલ અયોધ્યા નગરીમાં રાજ્યનું પાલન કરી રહ્યા છે. તેને હું જોઉં છું. તેઓ અષ્ટમી અને ચતુર્દશીના પર્વની તપ આદિની આરાધનાના નિશ્ચયથી અનેક પ્રકારના પ્રયત્નોવાળા દેવોથી પણ ચલિત ન થાય તેવા છે ! આ સૂર્યયશા રાજા પોતાના પ્રાણો કંઠે આવે છતાં જિનેશ્વરદેવની આજ્ઞાની જેમ પોતાના નિશ્ચયને કદી પણ નહીં મૂકે.”
આ રીતે ઇન્દ્ર મહારાજાનાં વચનો સાંભળી, મનમાં હસતી અને પોતાના સ્વામીને કોઇપણ જાતનો ઉત્તર આપવા અસમર્થ એવી તે ઉર્વશી વિચારવા લાગી, “અહો ! આજે દેવતાઓના ઇન્દ્ર પણ મનુષ્ય માત્ર માટે કેવી નિશ્ચયપૂર્વકની વાત કરે છે ? જે મનુષ્યનો દેહ સાત ધાતુઓથી બનેલો છે, જે અન્નથી જીવે છે. તે પણ દેવોથી અચલ - દ્રઢ રહી શકે ? આવી વાતને કોણ માને ? આમાં શ્રદ્ધા પણ કઈ રીતે રહે? બીજું બધું ગમે તેમ હોય, પણ ઇન્દ્રના આ વિચાર વિનાનાં બોલાયેલાં વચનોને હું ખોટા કરીશ. તે સૂર્યયશાને તેના નિશ્ચયથી ભ્રષ્ટ કરીશ.' • સૂર્યયશા રાજાને ચલિત કરવા રંભા અને ઉર્વશીનું પૃથ્વી પર આગમનઃ
આ રીતની પ્રતિજ્ઞા કરીને રંભાની સાથે ઉર્વશી હાથમાં વીણાને ધારણ કરતી, દેવલોકમાંથી પૃથ્વી પર આવી. તે બંનેએ મોહને ઉપજાવનારું પોતાનું રૂપ વિકર્વીને અયોધ્યા નગરીની નજીકમાં રહેલા શ્રી ઋષભદેવ ભગવંતના ચૈત્યમાં પ્રવેશ કર્યો. ત્યાં પ્રભુની સમક્ષ સુંદર રાગ-રાગિણીઓથી પ્રભુના ગુણોની સ્તવના કરવા લાગી. તેઓના મધુર નાદમાં પશુ-પંખી આદિ સમગ્ર પૃથ્વીતલ સ્થિર થઈ ગયું.
આ અવસરે સૂર્યશા રાજા અશ્વક્રીડા કરીને પોતાના પરિવાર સાથે પાછો ફરી રહ્યો હતો, ત્યાં માર્ગમાં તે બંનેનું મધુર અને અપૂર્વ સંગીત સાંભળ્યું. તે મધુર સંગીત સાંભળવા રાજા, મંત્રી તથા સૈનિકોની સાથે જિનમંદિરમાં ગયો.
મંદિરમાં પ્રવેશ કર્યા બાદ તેજસ્વી, કાંતિવાળી તે બંનેને જોઇને કામદેવના બાણોથી વીંધાયેલો સૂર્યયશા રાજા વિચાર કરવા લાગ્યો, “અહો ! આ બંને સુંદરીઓનું આવું અનુપમ રૂપ અને અમૃતના ઝરણાઓ જેવું ગીત કેવું સુંદર છે. તેઓ કયા પુણ્યવાન પુરુષના ભોગ માટે થશે ? એમ વિચારતાં અને વારંવાર તે બંને રમણીઓનાં રૂપને જોતા, રાજાએ શ્રી ઋષભદેવ સ્વામીના ચરણોમાં નમસ્કાર કર્યા. દર્શન કર્યા બાદ રાજા પાછો ફર્યો અને ત્યાં જિનમંદિરના બહારના ઓટલા પર તે બેઠો. ત્યારે પોતાના મંત્રીને એ બંનેના કુલ આદિ જાણવા માટે આદેશ કર્યો. મંત્રી પણ પોતાના સ્વામીની આજ્ઞા પામીને તે બંનેની પાસે જઈ મધુર વાણીથી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૨૪
Page #146
--------------------------------------------------------------------------
________________
બોલાવીને પૂછ્યું, “તમે બંને કોણ છો ? તમારો નિવાસ ક્યાં છે? તમારો સ્વામી કોણ છે ? અને તમે બંને અહીં કેમ આવ્યા છો ?
મંત્રીશ્વરનાં વચન સાંભળી તે બેમાંથી એકે જવાબ આપતાં કહ્યું, “અમે વિદ્યાધરપતિ મણિચૂડની પુત્રીઓ છીએ. આ જગતમાં અમારે અનુરૂપ પતિ અમને મલ્યો નહીં, એટલે અમે બંને અમારા માતા-પિતાને ચિંતાથી નિવૃત્ત કરવા આ બાજુ નીકળ્યા છીએ. સ્થાને સ્થાને શ્રી અરિહંત પ્રભુનાં ચૈત્યોની યાત્રા કરતા અમે અમારાં માનવજન્મને સફલ કરી રહ્યા છીએ. શ્રી જિનેશ્વરદેવનાં ચરણોથી પવિત્ર એવી આ અયોધ્યા નગરી તીર્થરૂપ છે, તે કારણથી આ ભરતનરેશ્વરનાં કરાવેલાં જિનચૈત્યોમાં અહીં ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીને અમે નમસ્કાર કરી રહ્યા છીએ.'
આ પ્રમાણે સાંભળી મંત્રી કહેવા લાગ્યા, “આ સૂર્યયશા રાજાની સાથે તમારો સંયોગ શ્રેષ્ઠ છે. સૂર્યશા રાજા શ્રી ઋષભદેવ સ્વામીના પૌત્ર અને ભરતચક્રીના પુત્ર છે. અનેક કલાથી યુક્ત, સૌમ્ય, સગુણી અને બલવાન છે. માટે ખરેખર તમારા ઉપર ભગવાન શ્રી ઋષભદેવ સ્વામી તુષ્ટમાન થયા છે. જે સૂર્યયશા જેવા સ્વામી તમને પ્રાપ્ત થયા. આમ મંત્રીએ કહ્યું, એટલે તેમણે જવાબ આપ્યો. “મંત્રી ! અમે અમારા આધીન એવા પતિ સિવાય કોઈનો આશ્રય ઇચ્છતા નથી.” એટલે મંત્રીએ આ બાબતમાં રાજાની અનુમતિ મેળવીને તેઓને કહ્યું, “રાજા તમારા કહ્યા પ્રમાણે કરશે અને તમારી વાણીને જ્યારે એ ન માને ત્યારે મારે તેને નિષેધ કરીને રોકવો.”
આમ પરસ્પરની અનુમતિથી તેઓનો પાણીગ્રહણ મહોત્સવ શ્રી યુગાદીશ્વર પ્રભુની સમક્ષ થયો. તે બંનેના પ્રીતિરસમાં ખેંચાયેલો રાજા કામરસમાં નિમગ્ન થયો.
એક સમયે રાજા, સંધ્યાકાળે તે બંને પત્નીઓ સાથે મહેલના ગોખમાં બેઠો છે. ત્યાં ઉદ્ઘોષણા સંભળાઈ કે, “આવતીકાલે આઠમ છે, તો તે લોકો ! તેની આરાધના કરવા માટે તમે આદરપૂર્વક તૈયાર થજો !” આ ઉદ્દઘોષણાને તે બંને કપટી સ્ત્રીઓએ પણ સાંભળી, એટલે અવસર આવ્યો જાણીને રંભાએ અજાણી બનીને ઉદ્ઘોષણાનું કારણ રાજાને પૂછ્યું. રાજાએ કહ્યું, “પિતાશ્રીએ કહેલ ચતુર્દશી તથા અષ્ટમીના પર્વદિવસોમાં વ્રતારાધના કરવાનો અમારે સંકલ્પ છે. વર્ષમાં બે શાશ્વત અઢાઇ, ત્રણ ચાતુર્માસી તથા વાર્ષિક પર્યુષણાપર્વ. આ બધા પર્વો વર્ષના સમગ્ર પાપનો નાશ કરે છે. આ ચતુ:પર્વમાં દેવ અને નરકગતિના કારણરૂપ શુભ અને અશુભ કર્મોને જીવ તે તે પ્રકારનાં અધ્યવસાયથી બાંધે છે, માટે આ ચતુષ્પર્વમાં ગૃહ વ્યાપારાદિક સાંસારિક પ્રવૃત્તિઓ ત્યજીને શુભકર્મ કરવાં જોઇએ. ચતુષ્પર્વમાં સ્નાન ન કરવું, મૈથુનનો ત્યાગ કરવો, ક્લેશ, જુગાર, હાસ્યાદિ ન કરવાં તેમજ
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૨૫
Page #147
--------------------------------------------------------------------------
________________
માત્સર્ય, ક્રોધ પણ ન કરવાં, કષાય ન કરવાં, પ્રિય પદાર્થોમાં મમતા ન કરવી, યથેચ્છ ક્રીડા તથા પ્રમાદાદિ કાંઇપણ ન કરવું. તેમજ શુભ ધ્યાનથી પરમેષ્ઠીનાં સ્મરણમાં રહેવું. સામાયિક, પૌષધ, છઠ્ઠ, અઢમ ઇત્યાદિક તપ કરીને આરાધના કરવી તથા શ્રી જિનેશ્વરદેવની પૂજા અને નિયમો વગેરે કરવાં. માટે હે સુંદરી ! તેરસ તેમજ સાતમના દિવસે મારી આજ્ઞાથી આ ઉદ્ઘોષણા લોકોને જણાવવા માટે થાય છે. ચૌદસ અને આઠમનું આ પર્વ ત્રણ લોકમાં દુર્લભ છે. આ પર્વોની જે ભક્તિપૂર્વક આરાધના કરે છે, તે પરમપદને પ્રાપ્ત કરે છે.' સૂર્યચશા રાજાને ચલાયમાન કરવા રંભા તથા ઉર્વશીના પ્રયત્નો
સૂર્યયશા રાજાએ કહેલી આ હકીકત સાંભળી, રાજાના નિશ્ચયથી ચમત્કાર પામેલી અને માયાપૂર્વકની વાણી બોલવામાં કુશલ એવી ઉર્વશી, સૂર્યયશા રાજાને કહેવા લાગી, “હે સ્વામી ! આ મનુષ્યપણું, સુંદર રૂપ અને અખંડિત એવું રાજય આ તપના ક્લેશથી શા માટે વિડંબના કરો છો? હે નાથ ! યથેચ્છપણે સુખો ભોગવો. આ માનવભવ ક્યાં ફરી મલશે ? આ રાજય ક્યાં ? આવો સુંદર ભોગવિલાસ ક્યાં ? તેથી આજે એનો ભોગ કરી લો, જેથી પાછળથી પશ્ચાત્તાપ ન થાય !”
તપેલા તાંબાના રસને કાનમાં નાંખવા જેવા ઉર્વશીના વચનો સાંભળીને હૃદયમાં ઉત્પન્ન થયેલા દાહને વ્યક્ત કરનારી વાણીમાં રાજાએ કહ્યું, “રે ધર્મનિંદાથી મલિન અધમ સ્ત્રી ! તારી આ વાણી વિદ્યાધરકુલના આચારને સ્ટેજ પણ ઉચિત નથી. જિનપૂજા, તપ આદિ ઉત્તમ આચારોનો તું અપલાપ કરે છે, તો તારી સઘળી હોંશિયારીને ધિક્કાર હો ! તારા રૂપને, કુલને અને યૌવનવયને પણ ધિક્કાર હો ! માનવજન્મ, રૂપ, આરોગ્ય તથા રાજય, એ સઘળું તપથી પ્રાપ્ત થાય છે. તે તપધર્મને કોણ પુરુષ ન આરાધે ? ધર્મની આરાધના કરવાથી દેહની વિડંબના નથી થતી, પણ તેની સફલતા છે અને ધર્મ વિના કેવલ વિષયોથી જ દેહની વિડંબના થાય છે. માટે ધર્મ આચરવો જોઇએ. આઠમ તથા પાક્ષિક (ચતુર્દશી)માં પક્ષીઓ, હરણાઓ, સિંહ, સર્પ અને હાનાં બચ્ચાઓ પણ આહાર ગ્રહણ કરતા નથી. તો હું કઈ રીતે આહાર ગ્રહણ કરું? જેઓ પવરાધના કરતા નથી, તેઓને ધિક્કાર હો ! તેઓનું મનુષ્યપણું ફોગટ છે. શ્રી ઋષભદેવ સ્વામીએ ફરમાવેલા આ ઉત્તમપર્વને મારા પ્રાણો કંઠે આવી જાય તો પણ હું તેને નહીં છોડું. માટે ભલે મારું રાજય જાઓ, મારા પ્રાણનો નાશ થાઓ, પણ હું પર્વનાં તપની આરાધનાથી ભ્રષ્ટ નહીં બનું.'
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૨૬
Page #148
--------------------------------------------------------------------------
________________
આ રીતે રાજાના વચન સાંભળી ઉર્વશી મોહપૂર્વક માયા કરતી ફરીથી રાજાને કહેવા લાગી, “હે સ્વામી ! પ્રેમરસમાં અતિશય મગ્ન એવી મેં તમને જે કાંઇ કહ્યું છે, તે કેવલ તમારા શરીરને ક્લેશ ન થાઓ એમ માનીને કહ્યું છે. તેમાં આ રીતે ક્રોધ કરવાનો અવસર નથી. સંસારમાં આવા પ્રકારની વિડંબનાના કારણથી જ અત્યાર સુધી અમે સ્વચ્છંદાચારી પતિની સાથે પાણીગ્રહણ નહોતું કર્યું. તે છતાં પૂર્વકર્મના દોષથી હમણાં તમને અમે પરણ્યા અને અમારું સંસારસુખ, શીલ બધુ ત્યારથી એક સાથે ચાલ્યું ગયું. વળી તે સ્વામી ! તમે શ્રી ઋષભદેવ સ્વામીની સમક્ષ - અમારું કહેલું કરવાની હા પાડી છે. તેની એક વખત પરીક્ષા કરવા તમારી પાસે આ યાચના કરી, તેટલામાં તો આવા નાના કામમાં તમે ક્રોધને આધીન બન્યા. હા ! હું તો શીલથી અને સુખથી - બંને રીતે ભ્રષ્ટ થઈ. હવે તો ચિતામાં પડીને મરવું જ મારે કલ્યાણકર છે.
સૂર્યયશા આ સાંભળી પોતાનાં વચનને યાદ કરતો કહેવા લાગ્યો, હે માનિની ! મારા દાદાએ જે ફરમાવ્યું છે અને મારા પિતાએ જે આચર્યું છે, તેને હું તેઓનો પુત્ર થઈને કંઈ રીતે લોખું ?
તેથી કાંઇક હસીને કોમલ વાણીથી તે બોલી, હે રાજન્ ! તમારા જેવા માટે તો સત્ય બોલવું એ મોટું વ્રત છે. જેઓ પોતે અંગીકાર કરેલાનો નાશ કરે છે, તે અપવિત્ર છે. હે નાથ ! તમારાથી આટલું પણ થઇ શકતું નથી. જો પર્વભંગ કરવા ઇચ્છતા ન હો તો મારી સમક્ષ શ્રી ઋષભદેવનાં જિનાલયને ભાંગી નાંખો ! આ સાંભળતાં જ જાણે વજથી હણાયો હોય તેમ તે રાજા મૂચ્છિત થઈને પૃથ્વી પર ઢળી પડ્યો.
ત્યારે તરત પરિજનોએ શીતલ ચંદનરસનો લેપ કરીને રાજાને ચૈતન્યયુક્ત કર્યા. એટલે ચેતના પામેલા ક્રોધથી લાલ થયેલા રાજાએ ઉર્વશીને કહ્યું, “રે અધમ ! તું વિદ્યાધરની પુત્રી નહીં, પણ ચાંડાલની પુત્રી લાગે છે. તો પણ વચનથી બંધાયેલા મને ઋણમુક્ત કરવા - ધર્મના લોપ સિવાય મારી પાસે જે માંગવું હોય તે માંગી લે.”
હસીને ઉર્વશી બોલી, ‘આ નહીં, આ નહીં, એમ કહીને તમે તમારા વચનને પાછું ઠેલો છો. જો આ પણ કરવા તૈયાર ન હો અને અંગીકાર કરેલા વચનને પાળવા ઇચ્છતા હો, તો તમે તમારા પુત્રનું માથું છેદીને મને જલ્દી આપો.'
જવાબમાં રાજાએ કહ્યું, “પુત્ર પણ મારો છે, તો પુત્ર કરતાં હું તને મારું જ મસ્તક છેદીને સોંપું છું. એમ કહીને રાજા જેટલામાં પોતાના હાથે પોતાના મસ્તકને છેદવા તલવારને મ્યાનમાંથી બહાર કાઢે છે, તેટલામાં ઉર્વશીએ રાજાની તલવારની ધાર બાંધી લીધી.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૨૭
Page #149
--------------------------------------------------------------------------
________________
-
એટલે સૂર્યયશા રાજા નવા નવા ખડ્ગો ગ્રહણ કરે છે. પણ પોતાના સત્ત્વથી સ્ટેજ પણ ડગતો નથી. તેથી તેને હરાવવામાં અસમર્થ ઉર્વશી તથા રંભા – બંને પોતાના મૂલસ્વરૂપને પ્રગટ કરીને ‘જય પામો, જય પામો' એમ સૂર્યયશા રાજાને વધાવવાપૂર્વક આ પ્રમાણે કહેવા લાગી, ‘હે ઋષભસ્વામીના કુળમાં ચન્દ્ર સમાન, હે ભરતચક્રીના પુત્ર, પુરુષોમાં શ્રેષ્ઠ તમે ચિરકાલ જય પામો ! અહો તમારું સત્ત્વ, તમારું ધૈર્ય, તમારા મનનો નિશ્ચય ખરેખર અદ્વિતીય છે. જે કારણે પોતાનો ઘાત કરવા તમે સજ્જ થયા, પણ પોતાનું વ્રત સ્ટેજ પણ ન ત્યજ્યું. હે રાજા ! દેવલોકમાં દેવતાઓની સમક્ષ ઇન્દ્ર મહારાજે તમારા અતુલ સત્ત્વની પ્રશંસા કરી હતી, તે સાંભળીને અમે બંનેએ તમને તમારા નિશ્ચયથી ડગાવવા માટે આ બધો પ્રયત્ન આરંભ્યો. પણ તમે ચલિત ન થયા. હે વીર ! ધીર ! તમારાથી આ પૃથ્વી ખરેખર ‘રત્નપ્રસવા' છે.
આ પ્રમાણે તે બંને દેવાંગનાઓ સૂર્યયશા રાજાની સ્તુતિ કરતી હતી, તેવામાં હર્ષથી જય-જય શબ્દ કહેતા ઇન્દ્ર મહારાજા સ્વયં ત્યાં આવ્યા અને ભ્રષ્ટ પ્રતિજ્ઞાવાળી ઉર્વશીની સામે ઉપહાસપૂર્વક જોયું. ઉર્વશીએ પણ હર્ષિત થઇ રાજાના ગુણો ઇન્દ્રની સમક્ષ વર્ણવ્યાં. ત્યારબાદ ઇન્દ્ર સૂર્યયશા રાજાને મુકુટ, બે કુંડલો, બે બાહુભૂષણો અને હાર આપીને તથા સ્તુતિ કરીને પોતાના દેવલોકમાં ગયા.
•
સૂર્યયશા અને તેમની પાટપરંપરાની સિદ્ધિગતિ :
સત્ય પ્રતિજ્ઞાવાળા તે સૂર્યયશા રાજાએ પૃથ્વીનું પાલન કરતા પોતાના રાજ્યને શ્રી જિનમંદિરોથી અલંકૃત કર્યું તથા શ્રી સંઘયાત્રા કરી પોતાનાં જન્મને પવિત્ર કર્યો. તે રાજા ચતુર્દશી તથા અષ્ટમી પર્વને નિત્ય આરાધતા હતા તથા જ્ઞાન, દર્શન, ચારિત્રને ધારણ કરનારા શ્રાવકોને ભક્તિપૂર્વક પોતાના આવાસમાં જમાડતા હતા. ભરત મહારાજાએ જેમ કાકિણીરત્નની રેખાઓથી વ્રતધારી શ્રાવકોને અંકિત કર્યા હતા. તે રીતે સૂર્યયશાએ સુવર્ણના કંદોરાથી શ્રાવકોને અંકિત કર્યા. તે પછીના મહાયશા આદિ રાજાઓએ રૂપાના કંદોરાથી, તે પછી કેટલાક રાજાઓએ પટ્ટસુત્રથી અને છેવટે બીજા રાજાઓએ સૂતરથી સાધર્મિક બંધુઓને અંકિત કર્યા. સૂર્યયશાને ઉદાર ચરિત્રવાળા, પરાક્રમી એવા મહાયશા આદિ સવા લાખ કુમારો હતા. જેમ ઋષભદેવ સ્વામીથી ઇક્ષ્વાકુ વંશની ઉત્પત્તિ થઇ તે રીતે સૂર્યયશા રાજાથી સૂર્યવંશ પ્રસિદ્ધ થયો. એક વખત સૂર્યયશા ભરત ચક્રવર્તીની જેમ આસિાભવનમાં રત્નમય દર્પણમાં પોતાના રૂપને જોતાં, સંસારની અસારતાને ચિંતવતા કેવલજ્ઞાન પામ્યા. મુનિવેષને ધારણ કરી, મુનીશ્વર થઇ વિહાર કરતા, ભવ્ય જીવોને પ્રતિબોધ આપતા ક્રમશઃ શેષ અઘાતી કર્મરૂપ રોગ પર વિજય પ્રાપ્ત કરીને મુક્તિ પામ્યા.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૨૮
Page #150
--------------------------------------------------------------------------
________________
આ રીતે ભારતના પુત્ર સૂર્યયશા, તેમના પુત્ર મહાયશા, તેમના અતિબલ, તેમના બલભદ્ર, તેમના બલવીર્ય, તેમના કીર્તિવીર્ય, તેમના જલવીર્ય અને તેમના પુત્ર દંડવીર્ય આઠમી પેઢીએ થયા. આ આઠ રાજાઓ સુધી ભરતેશ્વરની પુત્રપરંપરામાં સાધર્મિક બંધુઓની ભક્તિ ચાલી. આ આઠેય રાજાઓ આરિસા ભવનમાં કેવળજ્ઞાન પામી મોક્ષને પામ્યા. આ રાજાઓએ અર્ધ ભરતક્ષેત્ર પર રાજ્ય કર્યું. તેમજ શકે પૂર્વે ભગવાન ઋષભદેવ સ્વામીનાં મસ્તક પર મૂકેલો મુકુટ પોતાનાં મસ્તક પર ધારણ કર્યો હતો. ત્યારપછી ભારતની પાટ પર થયેલા રાજાઓ તે મુકુટ પ્રમાણમાં મોટો હોવાથી ધારણ કરવા શક્તિમાન ન થયા. ભરતેશ્વર પછી તેઓની પુત્ર પરંપરામાં શ્રી અજિતનાથ ભગવાન સુધીના ભરતવંશના બધા રાજાઓ મોક્ષમાં કે અનુત્તર દેવલોકમાં ગયા છે અને તે બધા રાજાઓ સંઘપતિ થયા છે, તે સર્વેએ શ્રી જિનપ્રાસાદો કરાવ્યાં છે, તીર્થોદ્ધારો કર્યા છે.
શ્રી ઋષભદેવ સ્વામીના સો પુત્રોમાં દ્રવિડ નામનો એક પુત્ર હતો. તેનાં નામથી દ્રવિડ દેશ વિખ્યાત થયો. દ્રવિડ રાજાને દ્રાવિડ અને વારિખિલ્લ નામના બે પુત્રો હતા. દ્રવિડ રાજાએ દીક્ષા ગ્રહણ કરી, ત્યારે તેમણે દ્રાવિડને મિથિલાનું રાજય આપ્યું અને વારિખિલ્લને એક લાખ ગામો આપ્યાં. સમય પસાર થતાં વારિખિલ્લને જોઇને દ્રાવિડ તેના પર કાંઇક અસૂયા રાખવા લાગ્યો અને વારિખિલ્લ પણ દ્રાવિડનું રાજય લેવા લુબ્ધ થયો.
એક વખત દ્રાવિડના નગરમાં આવાસ કરીને રહેલા વારિખિલ્લને દ્રાવિડે કહ્યું, તારે આજથી મારું નગર છોડી દેવું અને તારા પોતાના સ્થાનમાં રહેવું.” તેથી ક્રોધ પામી તે વારિખિલ્લ તત્કાળ પોતાના નગરમાં ચાલ્યો ગયો. ત્યાં જઈને યુદ્ધ કરવાની તૈયારી કરી. તે વાત જાણી દ્રાવિડ રાજાએ પણ યુદ્ધની તૈયારી કરી. પરસ્પર યુદ્ધના અભિલાષી બંને રાજાઓએ પોત-પોતાના સૈન્યની વચ્ચે પાંચ-પાંચ યોજનનું અંતર રાખીને પોતાના પડાવો નાંખ્યા. બંને સેનાઓમાં રહેલા મુખ્ય પુરુષોએ સંધિ કરવા સામસામા દૂતો મોકલ્યા. પણ દ્રાવિડ તથા વારિખિલ્લ માન્યા નહીં અને યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો. બંને સૈન્યોમાં તે સમયે દશ કરોડ પાયદળ, દશ લાખ રથો, દશ લાખ હાથીઓ, પચાસ લાખ ઘોડાઓ તથા સંખ્યાબંધ રાજાઓ હતા. ત્યારબાદ યુદ્ધનો દિવસ આવ્યો ત્યારે બંને સૈન્યો યુદ્ધભૂમિ તરફ ચાલવા લાગ્યા અને યુદ્ધભૂમિ પર ઘોર સંગ્રામનો પ્રારંભ થયો. સાત મહિના સુધી અતિ ભયંકર યુદ્ધ થયું. ત્યારબાદ ચોમાસાના દિવસો આવવાથી યુદ્ધ વિરામ પામ્યું. ઉંચી જગ્યા પર ઘાસની ઝૂંપડીઓ કરીને તે બંને સેનાએ મુકામ કર્યો.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૨૯
Page #151
--------------------------------------------------------------------------
________________
વર્ષાઋતુ વીત્યા પછી શરદઋતુ આવી. ત્યારે દ્વાવિડના મંત્રી વિમળબુદ્ધિ એ દ્રાવિડ રાજાને વિનંતી કરી, હે મહારાજ ! અહીંથી નજીકના શ્રીવિલાસ નામના વન પાસે કેટલાક તાપસો તપસ્યા કરે છે. તેઓ જીર્ણ વલ્કલનાં વસ્ત્રો પહેરે છે અને કંદમૂળ ફળાદિ ખાય છે. જો આપનો આદેશ હોય તો આપણે તેમને વંદન કરવા જઇએ. આ સાંભળી દ્રાવિડ રાજા સૈન્ય સહિત તે તાપસો પાસે ગયાં.
તેમાં મુખ્ય તાપસ પર્યંકાસને બેઠેલા જપમાળા ફેરવતા હતા. વલ્કલના વસ્ત્રો પહેર્યાં હતાં, ગંગાજીની માટીથી સર્વ અંગ પર વિલેપન કર્યું હતું, જટાથી શોભી રહ્યા હતા અને શ્રી આદિનાથ પ્રભુના ધ્યાનમાં મગ્ન હતા. અન્ય તપસ્વીઓ તથા બીજા ધર્માર્થી લોકો તેમની સેવા કરતા હતા. યોગ્ય સમયે હાથરૂપી પાત્રમાં ફળ-ફળાદિનો આહાર કરતા, એવા તે સુવલ્લુ નામના તપસ્વીને દ્રાવિડ રાજાએ પ્રણામ કર્યા, સુવલ્ગુ ઋષિએ પણ ધ્યાન મૂકી રાજાને આશીર્વાદ આપ્યા. પછી રાજા પરિવાર સહિત તેમની પાસે યોગ્ય સ્થાને બેઠા. ત્યારે સુવલ્ગુ ઋષિ નિર્મળ વાણીમાં દ્રાવિડ રાજાને ઉદ્દેશીને બોલ્યા :
સુવલ્ગુ તાપસ દ્વારા દ્રાવિડનો ટર્નીંગ પોઇન્ટ :
હે રાજન્ ! આ સંસાર, સાગરની ઊર્મિઓ જેવો અતિ ચંચળ છે. તેમાં વિષયના વમળોમાં અટવાઇ પ્રાણીઓ ડૂબી જાય છે. સન્માર્ગે ચાલનારા પ્રાણીને પણ વિષયો દગો દે છે. વિષયોને વશ થયેલ જીવ સંસારમાં તીવ્ર દુઃખોને ભોગવે છે. વિષયોથી પણ અતિદારૂણ કષાયો છે. ક્રોધ આત્માનાં સર્વ પુણ્યકર્મોને બાળી નાંખે છે.
ધર્મરૂપી વૃક્ષનું બીજ દયા છે. ક્રોધથી દયાનો નાશ થાય છે. એટલે ક્રોધીને દયા હોતી નથી. પ્રમાદથી પણ જીવોની હિંસા થાય તો કુયોનિઓમાં જન્મ લેવો પડે છે અને ક્રોધથી કરેલી હિંસા તો નરકનું કારણ બને છે. તેથી બુદ્ધિમાન આત્માઓએ એકેન્દ્રિય જીવોની હિંસા પણ ત્યજવી જોઇએ. જે મનુષ્યો રાજ્યાદિનાં સુખોમાં મૂંઝાઇને અશ્વો, હાથીઓ અને મનુષ્યોને હણે છે, તેઓ અજવાળું કરવાની બુદ્ધિએ પોતાનું ઘર બાળે છે. તો હે રાજન્ ! પરિણામે નરકને જ આપનાર રાજ્ય ખાતર તું ભાઇની સાથે વૈર બાંધીને કરોડો જીવોનો સંહાર કેમ કરે છે ? આ શરીર ક્ષણભંગુર છે, લક્ષ્મી જળના પરપોટા સમાન છે. તેની ખાતર તું હવે પાપનો ત્યાગ કર. તેમાં પણ ભાઇની સાથે વૈર બાંધવું એ તો પોતાની જ એક આંખ ફોડવા જેવું છે. ગુણહીન, દરિદ્ર, કંજૂસ અને અતિ દુઃખ આપનારો એવો પણ બંધુ હોય તો તે ઉત્તમ છે. માટે હજી પણ તું યુદ્ધથી અટકી જા.
આ પ્રમાણે ઉપદેશ સાંભળીને દયાથી આર્દ્રહૃદયવાળો રાજા બોલ્યો : હે મહાત્મન્ ! ભરત ચક્રવર્તી, આદિત્યયશા તથા બાહુબલિ આદિ ભગવાન શ્રી શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૩૦
Page #152
--------------------------------------------------------------------------
________________
ઋષભદેવ સ્વામીના પુત્રોએ પણ કારણને વશ થઇ પરસ્પર યુદ્ધ કર્યું હતું. તેઓએ પણ યુદ્ધમાં હાથી, ઘોડા, મનુષ્યો, પાડા વગેરે મોટી સંખ્યામાં હણ્યા હતા. આમ ક૨વા છતાં પણ તેઓ સ્હેજે દોષિત ન થયા, મારો ભાઇ વારિખિલ્લ તો કોપથી કલૂષિત છે અને અયોગ્ય માર્ગને પ્રવર્તાવના૨ છે. પોતે રણસંગ્રામમાં આગળ થઇને નીકળ્યો છે, છતાં જો તે પાછો હઠે, તો હું પણ યુદ્ધ ત્યજીને મારા દેશમાં જઇશ. દ્રાવિડની વાત સાંભળી સુવલ્લુએ કહ્યું : ભરતેશ્વર આદિનું જે દ્રષ્ટાંત તેં કહ્યું, તે જરાય યોગ્ય નથી. કારણ કે ભરતે પૂર્વભવમાં મુનિવરોને દાન આપ્યું. તેથી ચક્રવર્તીની સંપત્તિ પ્રાપ્ત કરી હતી અને બાહુબલિએ મુનિઓની વૈયાવચ્ચ કરી, અતિશ્રેષ્ઠ બાહુબલ ઉપાર્જ્યું હતું. જ્યારે ચક્રરત્ન આયુધશાળામાં ન પેઠું ત્યારે ભરતે બાહુબલિને શરણે આવવા કહ્યું. પણ બાહુબલિએ કહેવડાવ્યું કે, ‘હું પિતાશ્રી ઋષભદેવ સિવાય અન્યને નમસ્કાર નહીં કરું.' એથી તેઓનું યુદ્ધ થયું. પણ છેવટે તે બંને વીરોએ દેવોનાં વચનને માન્ય રાખીને રણસંગ્રામ ત્યજીને પરસ્પર દ્વન્દ્વ યુદ્ધ જ કર્યું અને છેવટે તો બાહુબલિએ ત્યાં જ દીક્ષા લીધી અને ભરતે પણ તેમને ખમાવ્યા હતા. આ રીતે તેમને બરાબર તું યાદ કર ! અને એ બંને મહાપુરુષોને આ પ્રસંગે વચ્ચે લાવીને તું તેઓને શા માટે દૂષિત કરે છે ? ભગવાનના પુત્રો મહાપરાક્રમી, ઉદાર, ગુણવાન, ક્ષણવારમાં કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. તે જ સ્વામીના તમે પૌત્રો છો. તેમની જેમ તમે પણ તમારા આત્માનું કલ્યાણ કરો.
સુવલ્ગુ તાપસની આ વાત સાંભળીને કાંઇક લજ્જા પામેલા દ્રાવિડ રાજા ક્ષમાપના કરતાં બોલ્યા કે, મેં અજ્ઞાનતાથી, મારા મહાન પૂર્વજોને દૂષિત કર્યા. તેનું મિથ્યાદુષ્કૃત આપું છું. હવે મારે જે કરવા યોગ્ય હોય તે કહો. ત્યારે તાપસે કહ્યું, રાજન્ ! કેવળ પાપકર્મના આશ્રયરૂપ આ લડાઇને હમણાં જ બંધ કર અને તારા આત્માનું હિત ચિંતવ.
સુવલ્ગુની વાણીથી બોધ પામેલા દ્રાવિડ રાજાએ કહ્યું, ‘હે ભગવન્ ! તમે જ મારા ગુરુ, તમે જ મારા દેવ અને તમે આ સંસારસાગરમાંથી મારો ઉદ્ધાર કરનારા છો. માટે હે દયાસાગર ! મારી ઉપર તમે પ્રસન્ન થાઓ અને મને દીક્ષા આપો. એમ કહી મુનિના વચનથી પોતાના બંધુને ખમાવવા જલ્દીથી એકલા જ તેના સૈન્યની અંદર ગયા. તેમને ઉતાવળથી એકલા જ આવતા જોઇ વારિખિલ્લે પણ તત્કાળ પોતાના આસન ઉપરથી ઉભા થઇને પ્રણામ કર્યા અને કહ્યું કે, મારા ભાગ્ય વડે આપ મારા ઘેર પધાર્યા છો. માટે પ્રસન્ન થઇને આ રાજ્ય ગ્રહણ કરો. દ્રાવિડે પણ મુનિએ કહેલા બોધની વાત કહી અને પછી કહ્યું, ‘હે બંધુ ! ઉત્તમ બોધના લાભથી મારું રાજ્ય પણ હું છોડી દેવાની ઇચ્છાવાળો છું. તો તમારા રાજ્યનો શી રીતે શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૩૧
Page #153
--------------------------------------------------------------------------
________________
આદર કરું ? હે ભ્રાતા ! તમને મેં કોપાવ્યા છે. તેથી તમને ખમાવવા માટે જ હું આવ્યો છું. હવે આ રાજય છોડી ઉચ્ચ એવા વ્રતસામ્રાજ્યને ગ્રહણ કરીશ.' વડીલબંધુની આવી ધર્મયુક્ત વાણી સાંભળી વારિખિલ્લ બોલ્યો, “પ્રથમની માફક પૂજય વડીલબંધુનો સેવક એવો હું પણ વ્રતસામ્રાજયને જ ગ્રહણ કરીશ.”
એવી રીતે પરસ્પર વિચારણા કરી, બંને રાજા સૈન્ય સહિત, વ્રત લેવાની ઇચ્છાવાળા બનીને સુવલ્લુ મુનિ પાસે ગયા. પોત-પોતાના રાજય ઉપર પોતાના પુત્રોને બેસાડી મંત્રી સહિત દસ કરોડ મનુષ્યોની સાથે તેમણે તાપસી દીક્ષા લીધી. જટાને ધારણ કરનારા, કંદમૂળ ફળને ખાનારા, ગંગાની માટીથી અંગે વિલેપન કરનારા, પ્રતિદિન ધ્યાનમાં લીન, મૃગના બચ્ચાંઓની સાથે વસતા, જપમાલાથી શ્રી યુગાદિપ્રભુને નિરંતર જપતા, દોષથી વર્જિત અને હંમેશાં સરળ ગુણવાળા તે બધાએ તાપસપણામાં લાખો વર્ષ પસાર કર્યા.
એક વખત નમિ રાજર્ષિના બે વિદ્યાધર મુનિશિષ્યો ત્યાં ઉતર્યા. તેઓને જોઈ સર્વ મુમુક્ષુ તાપસોએ તેમને ભક્તિથી નમસ્કાર કરી પૂછ્યું, “હે મુનિઓ ! તમે ક્યાંથી આવો છો ? અને ક્યાં જવાનું છે?' મુનિઓ બોલ્યા : અમે શ્રી જિનેશ્વરદેવની સેવા માટે પુંડરીકગિરિએ જઈએ છીએ. તે પછી તેમણે શત્રુંજયગિરિ સંબંધી પૃચ્છા કરી. તેથી તેમના ઉદ્ધાર માટે વિદ્યાધર મુનિએ આ પ્રમાણે વૃતાંત કહ્યો.
સૌરાષ્ટ્ર દેશમાં શ્રી શત્રુંજય ગિરિરાજ જયવંતો વર્તે છે. તેની ઉપર તે તીર્થના પ્રભાવથી અનંત જીવો સિદ્ધ થયા છે અને ભાવિમાં ઘણા સિદ્ધો થશે. ત્યાં યુગાદિ પ્રભુ રહેલા છે, જેમ સૂર્યનો ઉદય થવાથી અંધકાર નાશ પામે છે, તેમ તે તીર્થમાં ક્ષણવારમાં હત્યાદિક પાપો નાશ પામે છે.
શત્રુંજયગિરિનો આવો મહિમા સાંભળી તે તપસ્વીઓ તે બંને મુનિઓ સાથે ચાલ્યા. જીવની જતનાપૂર્વક ચાલતા અને જે મળે તેનો આદર કરતા તેઓએ આગળ જતાં એક સરોવર જોયું. તાપની શાંતિ માટે તેની પાળ ઉપર ગયા અને જીવરહિત સ્થાને વૃક્ષોની છાયામાં વિસામો લેવા લાગ્યા. ત્યાં બીજા હંસોથી વીંટાઇ, મરવા પડેલા એક હંસને તેઓએ જોયો. માણસો આવેલા જોઇ, ભયથી બીજા હંસો તે હંસને છોડીને ચાલ્યા ગયા. તે વખતે તે તાપસોમાંથી એક દયાળુ મુનિએ ત્યાં જઈ પોતાના પાત્રમાંથી જળ લઇને તેના મુખમાં નાખ્યું. તેથી તેને થોડીક શાંતિ થઇ. પછી તે મુનિએ હંસને અંતિમ આરાધના કરાવતા કહ્યું, “હે જીવ ! ઘણાં દુઃખદાયક આ સંસારમાં તને ચાર શરણ હો. જે જે ભવમાં તે જે જે જીવોને વિરાધ્યા હોય, તે સર્વ જીવોને તું ખમાવા
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૩૨
Page #154
--------------------------------------------------------------------------
________________
અને તેઓ તને ક્ષમા કરો. હવે તું શત્રુંજય તીર્થનું અને શ્રી આદિનાથ પ્રભુનું સ્મરણ કર.” આ પ્રમાણે કહી તે મુનિએ તેને વારંવાર નવકાર મંત્ર સંભળાવ્યો.
પંચ નમસ્કારના સ્મરણથી પીડારહિત થયેલો હંસ સમાધિપૂર્વક મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં ઉત્તમ દેવ થયો. | મુનિના ઉપદેશથી સર્વે તાપસોએ પણ પોતાની મિથ્યાત્વની ક્રિયા છોડીને જિનેશ્વરોક્ત વ્રતને અંગીકાર કર્યું. વ્રત પ્રત્યે વિશેષ આસ્થાવાળા થઇ મુનિઓની અનુજ્ઞા લઈ તેઓ શત્રુંજય તરફ ચાલ્યા. માર્ગમાં જતનાપૂર્વક ચાલતા શ્રી સિદ્ધાચલનાં દર્શન થતાં અમંદ આનંદ પામ્યા. પછી તેઓ તે ગિરિવર પર ચડ્યા. ઉપર રાયણ વૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી, શ્રી આદિનાથ પ્રભુને નમસ્કાર કર્યો અને પ્રભુના ગુણો ગાવા લાગ્યા.
તે બે મુનિઓએ તેમને કહ્યું, “હે સાધુઓ ! તમે આ ઉત્તમ ક્ષેત્રના પ્રભાવથી અહીં કેવળજ્ઞાન પામી મોક્ષે જશો. તેથી તમારે આ ક્ષેત્રમાં જ રહેવું. આવી રીતે આદેશ કરી તે બંને દેવર્ષિઓ પોતાની કાંતિથી પૃથ્વી અને આકાશને પ્રકાશ કરતા આકાશમાર્ગે ચાલ્યા ગયા. • દસ કરોડ મુનિવરો સાથે દ્રાવિડ તેમજ વારિખિલ્લની મુક્તિ ઃ
પછી દ્રાવિડ અને વારિખિલ્લ વગેરે મુનિઓ તે તીર્થના અને શ્રી જિનેશ્વરનાં ધ્યાનમાં તત્પર થઇ, માસોપવાસ કરીને તે જ ઠેકાણે રહ્યા. અનુક્રમે સમસ્ત મોહનીય કર્મનો ક્ષય કરી, પ્રાંતે નિર્ધામણા આચરી, મન - વચન - કાયાથી સર્વ પ્રાણીઓને ખમાવી, નિર્મળ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી આઠે કર્મના ક્ષયથી અંતર્મુહૂર્તમાં તે દસ કરોડ સાધુઓ મોક્ષ પામ્યા. પેલો હંસ જે સૌધર્મ દેવલોકમાં દેવ થયો હતો, તેણે ત્યાંથી આવી ભક્તિથી તેમનો નિર્વાણ મહોત્સવ કર્યો અને બીજા લોકોને પોતાનું સ્વરૂપ જણાવી ત્યાં બહંસાવતાર' નામે પવિત્ર તીર્થ સ્થાપી પાછો દેવલોકમાં ગયો.
જેમ ચૈત્ર માસની પૂર્ણિમાએ પુંડરીક ગણધર મોક્ષે ગયા, તેમ કાર્તિકી પૂર્ણિમાએ દ્રાવિડ - વારિખિલ્લ આદિ મોક્ષે ગયા. તેથી કાર્તિકી પૂર્ણિમા અને ચૈત્રી પૂર્ણિમા એ બે પવો પ્રસિદ્ધ થયા છે. તેથી તે પૂર્ણિમાએ ત્યાં યાત્રા, તપ અને દેવાર્ચન કરવાથી બીજા દિવસ કરતાં અધિક પુણ્ય થાય છે. કાર્તિકી પૂર્ણિમાએ ત્યાં માત્ર એક ઉપવાસ કરે તો બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા અને ગર્ભહત્યાના પાપમાંથી મુક્ત થાય છે. વૈશાખ, કાર્તિક અને ચૈત્ર માસની પૂર્ણિમાએ જેઓ સંઘ લઈ સિદ્ધાચલ ગિરિરાજે આવી આદરથી દાન અને તપ કરે છે, તેઓ મોક્ષસુખ પામે છે.
તે મુનિઓના પુત્રોએ સિદ્ધાચલે ઘણા દેરાસરો બંધાવ્યા. આ રીતે કરોડો મુનિઓ વિમલાચલ ઉપર મોક્ષ પામ્યા. તેથી આ તીર્થ ત્રણ જગતમાં વિશેષ પ્રખ્યાત થયું.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૩૩
Page #155
--------------------------------------------------------------------------
________________
હે ઇન્દ્ર ! ભરતના મોક્ષ પછી એક પૂર્વકોટી વર્ષ પસાર થયા પછી દ્રાવિડ અને વારિખિલ્લ વિગેરે મુનિઓ મોક્ષે ગયા. આ અવસર્પિણી કાલમાં આ તીર્થનો પ્રથમ ઉદ્ધાર કરનાર ઇન્દ્ર તથા ભરત ચક્રવર્તી થયા.
(પ્રથમ ઉદ્ધાર સમાપ્ત) હવે ત્યારપછીના બીજા સર્વ ઉદ્ધારોની વાત કહું છું, તે સાંભળ.
અયોધ્યા નગરીમાં શ્રી ભરતના વંશમાં આઠમો “દંડવીર્ય' નામે ત્રણ ખંડ ભરતનો અધિપતિ રાજા થયો. તે શ્રાવકોની પૂજા કરવારૂપ ભરત રાજાનો આચાર સારી રીતે પાળતો હતો.
એક વખત જ્ઞાનચક્ષુથી આલોકન કરતાં પ્રચંડ વીર્યવાળા, સૂર્ય જેવો તેજસ્વી, મસ્તક ઉપર શ્રી આદિનાથના મુગટ ધારણ કરતા, નીતિધર્મમાં પરાયણ, પ્રભુ પર દ્રઢ ભક્તિવાળા અને સભા વચ્ચે સુવર્ણના સિંહાસન પર બેસી ધર્મના માહાભ્યને કહેતા આ દંડવીર્ય રાજાને સૌધર્મેન્દ્ર જોયા. તેને જોઈ શક્રેન્દ્ર મનમાં પ્રસન્ન થયા. • ઇન્દ્ર દ્વારા દંડવીર્ય રાજાની સાધર્મિક ભક્તિની કસોટી :
પછી શ્રાવકનો વેષ લઇને ઇન્દ્ર અયોધ્યામાં આવ્યા. બ્રહ્મવ્રતથી પવિત્ર, બારવ્રતધારીના કારણે શરીર પર બાર તિલકને ધારણ કરનાર, તે ઇન્દ્રને શ્રાવક રૂપે જોઇને દંડવીર્ય રાજાએ આદરથી તેને ભોજન કરાવવા રસોઇઆને આજ્ઞા આપી. તે શ્રાવક રસોઇઆ સાથે દાનશાળામાં ગયો. ત્યાં શ્રાવકકરણીમાં રક્ત બીજા અનેક શ્રાવકોને જોઈ ઇન્દ્ર ખૂબ આનંદ પામ્યા. આ નવા શ્રાવકને આવતા જોઈ, શ્રાવકજી ! તમને અભિવાદન કરીએ છીએ.” એમ બોલતા કેટલાક શ્રાવકો સામા આવ્યા. પવિત્ર જલનું આચમન લઈ તે માયાવી ઇન્દ્ર, કરોડો શ્રાવકો માટે તૈયાર કરેલું ભોજન દિવ્યપ્રભાવથી ક્ષણવારમાં એકલો જમી ગયો અને રસોઇઆને કહ્યું, અરે ! હું ઘણો ભૂખ્યો છું. માટે મને પીરસો.'
આશ્ચર્ય પામેલા રસોઇયાઓએ રાજાને જણાવ્યું. એટલે રાજા પોતે ત્યાં આવ્યો. તેને તે ઇન્દ્ર-શ્રાવક કઠોરવાણીથી બોલ્યો, “હે રાજા ! તમે આ રસોઇઆ કેવા રાખ્યા છે ? જેઓ ક્ષુધાતુર એવા મને એકલાને પણ તૃપ્ત કરી શકતા નથી.” તે સાંભળી જરા કોપ પામેલા રાજાએ સો મૂડા પ્રમાણ અન્ન રંધાવ્યું. રાજાના જોતાં જ એ માયાવી શ્રાવક તે બધું ક્ષણવારમાં ખાઈ ગયો. પછી તે બોલ્યો, “હે રાજા ! તમે સુધાથી પીડાતા મને એકને પણ તૃપ્ત કરી શકતા નથી ! જો આ કાર્ય નથી કરી શકતા તો ભરતના સિંહાસન પર શા માટે બેસો છો ? અને ભગવંતના મુગટને મસ્તક પર ધારણ કરી શું કામ ખેદ પામો છો ? દાનશાળાના બહાને મનુષ્યોને શા માટે
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૩૪
Page #156
--------------------------------------------------------------------------
________________
છેતરો છો ? માટે આ શ્રાવકોને જમાડવાની માયા છોડી દો.” તેની આવી કઠોર વાણી સાંભળીને પણ દંડવીર્ય રાજા કોપ પામ્યો નહીં. ઉલટો પોતાના પુણ્યની અપૂર્ણતા માનતો પોતાની નિંદા કરવા લાગ્યો.
રાજાનો શુભભાવ જાણી એક મંત્રી બોલ્યો, “સ્વામી ! આ કોઈ દેવતા શ્રાવકરૂપે આવેલ લાગે છે.' આ સાંભળી રાજાએ તેની આગળ અગરુચંદન મિશ્રિત ધૂપ કર્યું અને ભક્તિથી બોલ્યા, “શ્રાવકનો વેષ લઈ અહીં મને પવિત્ર કરવા તમે કોણ આવ્યા છો? હે દેવ ! મારી ઉપર કૃપા કરી આપ પ્રગટ થાઓ. જો શ્રી જિનેશ્વરમાં, ધર્મમાં, ગુરુમાં અને તમારામાં મારી ભક્તિ હોય તો તમે પોતાનું સ્વરૂપ પ્રગટ કરી મારા પુણ્યને સફલ કરો.”
દંડવીર્યના ભક્તિથી ભરપૂર વચનો સાંભળી ઇન્દ્ર ખુશ થયા અને માયારૂપ છોડી પોતાનું સહજ સ્વરૂપ પ્રગટ કર્યું. ઇન્દ્રને જોતાં જ દંડવીર્ય રાજા વિસ્મય પામી હર્ષથી તેને નમી પડ્યા. ઇન્દ્ર તેને સ્નેહથી આલિંગન કરીને બોલ્યા, “હે મહારાજા ! તમને ધન્ય છે. તમે ચરમશરીરી છો. તમને જોતાં ભરત, સૂર્યયશા વગેરે તમારા વંશજ યાદ આવ્યા.”
• બીજા ઉદ્ધારક : દંડવીર્ય રાજ, • શત્રુંજય તીર્થના ઉદ્ધાર માટે સૌધર્મેન્દ્રની દંડવીર્ય રાજાને પ્રેરણા :
ગુણો વડે તમારા પૂર્વજોથી તમે અધિક છો. પૂર્વે અંગીકાર કરેલા કાર્યને કરનારા છો. તમારા જેવા કુલપુત્રથી પ્રભુનો વંશ અત્યારે પણ દીપે છે. તેથી તમે હવે શત્રુંજયની યાત્રા અને તીર્થોદ્ધાર કરો. હું દેવતાઓ સાથે ત્યાં આવીને તમને સહાય કરીશ, માટે શ્રાવકોના પૂજનની જેમ હવે તીર્થયાત્રા માટે ત્વરા કરો.
ઈન્દ્રનું વચન સાંભળી દંડવીર્ય રાજા આનંદથી બોલ્યા, “હે ઇન્દ્ર ! તમે મને બહુ શ્રેષ્ઠ આદેશ કર્યો. હું યાત્રા માટે જાઉં છું. આપણો પુનઃ સમાગમ હવે પુંડરીકગિરિ પર થશે.” પછી ખુશ થયેલા ઇન્દ્ર દંડવીર્યને બાણસહિત ધનુષ, દિવ્ય રથ, હાર અને નિર્મલ બે કુંડલ આપ્યાં. તેણે તેનો સ્વીકાર કર્યો. પછી ઇન્દ્ર સ્વર્ગમાં ગયા.
રાજા દંડવીર્થે યાત્રા માટે ભંભાનાદ કરાવ્યો. તે સાંભળી ઘણા માણસો પોતપોતાના વાહનો સહિત વેગથી ત્યાં આવ્યા. રાજાએ શુભ દિવસે લોકોની સાથે પ્રયાણ કર્યું. સંઘની આગળ ચાલતા દેવાલયમાં રહેલા જિનબિંબના પ્રભાવથી કોઇપણ ક્ષુદ્ર દેવતા વિપ્ન કરવા સમર્થ થયા નહીં. અનુક્રમે ઘણા દેશો પસાર કરી કેટલેક દિવસે કાશ્મીર દેશમાં આવ્યા. • શત્રુંજય તીર્થે જતાં માર્ગમાં વેતાલે કરેલું વિઘ્ન :
સવારે સૈન્ય સાથે રાજાએ આગળ જવાની તૈયારી કરી, તેટલામાં શૈલ અને મહાર્શલ નામના બે પર્વતોએ માર્ગ રોકેલો જણાયો. તે પર્વતો પરસ્પર અથડાવા
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૩૫
Page #157
--------------------------------------------------------------------------
________________
લાગ્યા અને તત્કાળ તે પર્વતોમાંથી અગ્નિ ઉત્પન્ન થયો. ત્યારે સુમતિ નામે મંત્રી બોલ્યો, “કોઇ દુષ્ટ દેવની આ ચેષ્ટા જણાય છે. તેની શાંતિ માટે ભક્તિયુક્ત આચરણ કરો. જેથી પ્રસન્ન થઈ તે પોતાનું રૂપ પ્રગટ કરશે.'
મંત્રીના વચનથી રાજાએ શુદ્ધ થઇ તેની પૂજા કરી, શાંતિનાં ઘણાં ઉપાયો કર્યા, તો પણ તે દેવ જરાપણ સંતુષ્ટ ન થયો. તેથી ઇન્દ્ર આપેલા શત્રુસંહાર ધનુષ્યની પૂજા કરી, બાણને તેની સાથે જોડ્યું, તેવામાં તેજસ્વી નેત્રવાળો ભયંકર રૂપવાળો વેતાલ – “રક્ષા કરો, રક્ષા કરો” એમ બોલતો પ્રગટ થયો. એટલે રાજાએ કહ્યું, અરે ! તે કોના બળથી આ માર્ગ રૂંધ્યો છે ? અને તું કોણ છે ? તે કહે.'
વેતાલ બોલ્યો, “હે મહારાજ ! તમે કૃપાલુ છો. તેથી મારા ઉપર ક્રોધ ન કરશો. અજ્ઞાની એવા મેં તમારો માર્ગ રોક્યો, તેનું કારણ સાંભળો.” પૂર્વે વિયજ્ઞતી નામે હું વિદ્યાધરોનો સ્વામી હતો. તે વખતે તમે મને યુદ્ધમાં જીતી લીધો હતો. તેથી આર્તધ્યાનથી મૃત્યુ પામી કેટલાક ભવ ભમીને કોઇ પુણ્યયોગે આ પર્વતમાં વેતાલ થયો છું. વિર્ભાગજ્ઞાનથી પૂર્વના વૈરને લીધે તમને જોઈ દ્વેષથી તમારો માર્ગ રૂંધ્યો. પરંતુ તમારા ધનુષ્યના ટંકાર માત્રથી પર્વતો તૂટી ગયા. પૂર્વે હું કોઇથી જીતાયો ન હતો. પણ તમારાથી હું પરાજિત થયો છું. હવે તમારી આજ્ઞાથી પૂર્વવત્ સેવકની જેમ હું અહીં રહીશ.’ આ પ્રમાણે કહેતાં વેતાલને રાજાએ ત્યાં જ સ્થાપિત કર્યો. પછી રાજા પરિવાર સાથે ત્યાંથી આગળ ચાલ્યા. • દંડવીર્ય રાજાએ કરેલ તીર્થોદ્વાર અને અંતે મુક્તિ પ્રાતિ :
કેટલાક દિવસે સંઘસહિત રાજા શત્રુંજયગિરિ સમીપે આવી પહોંચ્યા. ત્યાં આનંદપુરમાં ભરત ચક્રવર્તીની જેમ જિનપૂજા, તીર્થપૂજા અને સંઘપૂજા વગેરે સર્વ કર્યું. પછી શત્રુંજયી નદીમાંથી, ભરતકુંડમાંથી અને બીજા કુંડોમાંથી તીર્થજળ લઇ શત્રુંજય ગિરિરાજ ઉપર ચડ્યા. મુખ્ય શિખરે આવીને તેને પ્રદક્ષિણા કરી. મુખ્ય શિખર, ચૈત્ય, રાયણવૃક્ષ, સમવસરણ અને પ્રભુની પાદુકાની ત્રણ ત્રણ વાર પૂજા કરી. તે વખતે અવધિજ્ઞાનથી દંડવીર્યને ત્યાં આવેલા જાણી સૌધર્મેન્દ્ર દેવતાઓની સાથે ત્યાં આવ્યા અને તેમણે કહેલ વિધિથી રાજાએ દેવપૂજા, સંઘપૂજા તથા મહોત્સવ વગેરે શુભ કાર્યો કર્યા. પછી જગત્મભુના જીર્ણ થઈ ગયેલા પ્રાસાદોનો ઇન્દ્રની સંમતિથી ઉદ્ધાર કર્યો તથા ત્રણ અઠ્ઠા મહોત્સવ સહિત તીર્થોત્સવ કર્યો. તેવી જ રીતે ઇન્દ્રની સાથે ગિરનાર પર પણ ઉત્સવ કરી તીર્થનો ઉદ્ધાર કર્યો. પછી અર્બુદાચળ, વૈભારગિરિ, અષ્ટાપદ અને સમેતશિખર તીર્થ પર સંઘ સહિત જઇને યાત્રા અને ઉદ્ધાર કર્યા. ત્યારપછી પોતાનાં રાજયમાં આવી દંડવીર્ય રાજાએ બીજા કરોડો નવા પ્રાસાદો કરાવ્યાં.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૩૬
Page #158
--------------------------------------------------------------------------
________________
એક વખત ભરતેશ્વરની જેમ દર્પણમાં શરીરશોભા જોતાં ચિત્તમાં તેની અસારતા જાણી શુભધ્યાને ચડતાં કેવળજ્ઞાન પામ્યા, પછી અદ્ધ પૂર્વ સુધી વ્રત પાળી, અંતે મોક્ષ પામ્યા.
હે ઇન્દ્ર ! આ તીર્થરાજનો બીજો ઉદ્ધાર કરનાર શ્રી ભરતના વંશમાં પવિત્ર એવા દંડવીર્ય રાજા થયા છે અને ઉદ્ધારના પુણ્ય વડે તેઓ મુક્તિસુખ પામ્યા છે.
(ઇતિ દ્વિતીય ઉદ્ધાર) • ત્રીજા ઉદ્ધારક : ઇશાનેન્દ્ર , ત્યાર પછી કેટલેક કાળે ત્રીજો ઉદ્ધાર થયો, તે આ પ્રમાણે : એક વખત ઇશાનેન્દ્ર મહાવિદેહ ક્ષેત્રમાં ગયા. ત્યાં સમવસરણમાં બિરાજમાન સીમંધરસ્વામીને નમસ્કાર કરી, સ્તવીને તેમની આગળ બેઠા. પ્રભુએ દેશના શરૂ કરી કે :
જેમ સર્વ ભવમાં મનુષ્યભવ, સર્વ ગ્રહોમાં સૂર્ય તેમ સર્વ દ્વીપોમાં જંબૂઢીપ ગુણ વડે સર્વોત્તમ છે. તે જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સર્વ દેશોમાં ઉત્તમ સૌરાષ્ટ્ર દેશ છે. તે દેશમાં સર્વ પર્વતોમાં ઉત્તમ પુંડરીકગિરિ છે. ત્યાં સર્વ દેવોમાં પ્રથમ શ્રી આદિનાથ ભગવાન છે. માટે તે ભરતક્ષેત્રને ધન્ય છે કે જ્યાં શત્રુંજય તીર્થ છે અને ત્યાં રહેનારા મનુષ્યોને પણ ધન્ય છે કે જેઓ તે તીર્થની અને શ્રી જિનેશ્વરની પૂજા કરે છે.'
આ પ્રમાણે પરમાત્માની દેશના સાંભળી ઇશાનપતિ તીર્થયાત્રા માટે ઉત્કંઠિત થઇને ક્ષણવારમાં શત્રુંજયગિરિ પર આવ્યા. આદિનાથ પ્રભુની સ્તુતિ કરતા, દર્શન કરતા, નમતા અને જિનવાણીનું શ્રવણ કરતા ઇન્દ્ર દેવોની સાથે ત્યાં અઢાઈ ઉત્સવ કર્યો. પછી ત્યાં અહંતના પ્રાસાદોને કાંઇક જીર્ણ થયેલા જોઇને તે સુરપતિએ દિવ્ય શક્તિથી ઉદ્ધાર કરાવ્યો. દંડવીર્ય રાજાના ઉદ્ધાર પછી સો સાગરોપમ પસાર થયા બાદ ઇશાનપતિએ પુંડરીકગિરિ ઉપર આ ત્રીજો ઉદ્ધાર કર્યો. • હસ્તિની દેવીનું દુષ્ટ ચેષ્ટિત :
એક વખતે ચૈત્રી પૂર્ણિમાને દિવસે સર્વ દેવતાઓ પુંડરીકગિરિ પર શ્રી ઋષભદેવ પ્રભુની યાત્રા માટે આવ્યા. તે સમયે નજીકમાં આવેલા હસ્તિસેન નામના નગરમાં કરોડ દેવીઓના પરિવારવાળી, પડતા કાળબળે મિથ્યાદ્રષ્ટિ સુહસ્તિની નામે એક દેવી ઉત્પન્ન થઈ હતી. મહાબલવાળી, ક્રૂર અને જિનધર્મ પર દ્વેષ રાખનારી તે દેવીએ તાલધ્વજગિરિ વગેરેના ક્ષેત્રપાલોને પોતાને વશ કરી લીધા હતા અને પોતાના ગર્વથી ઉન્મત્ત, સ્વેચ્છાચારી પરદ્રોહી અને મદ્ય-માંસ ખાવાની આશાવાળી સુહસ્તિની દેવીએ તીર્થ અવ્યવસ્થિત કરી નાખ્યું. જયારે આ દેવતાઓ શત્રુંજય તીર્થે આવ્યા, ત્યારે તેણે માયાથી શત્રુંજય જેવા ઘણા પર્વતો વિક્ર્વીને તેમને છેતરવા માંડ્યા. ઘણા શત્રુંજય
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૩૭
Page #159
--------------------------------------------------------------------------
________________
પર્વતો જોઇ સર્વ દેવતાઓ પોતાના મનમાં આશ્ચર્ય પામીને વિચારવા લાગ્યા કે, શું પૃથ્વી ઉપર આટલા બધા શત્રુંજયગિરિ છે ? અથવા શું તે એક હોવા છતાં આપણી ભક્તિથી આટલા રૂપે થયા છે ? એમ વિચારી અવધિજ્ઞાનનો ઉપયોગ મુક્યા વિના સર્વ પર્વતો ઉપર જુદી જુદી સ્નાત્રપૂજાદિક ક્રિયા કરી. પછી અઠ્ઠાઇ મહોત્સવ કરીને ત્યાંથી જવાની ઇચ્છા કરે છે, તેટલામાં શત્રુંજયગિરિ ઉપર એક શિખર પણ ન દેખાયું. તેથી સંભ્રમ પામી - ‘શું આપણી ભક્તિમાં આશાતના થવાથી આ વિમલગિરિ અદ્રશ્ય થયો હશે ? અથવા મનથી જવાનું ચિંતવવાથી આપણે જ ત્યાંથી દૂર આવી ગયા ? એમ વિચારી અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને દેવીનું સર્વ કપટ જાણ્યું.
તેથી કોપાયમાન થયેલા તે દેવોએ મહાઘોર જ્વાળા તે દેવી પર મૂકી. તેનાથી અત્યંત બળતી તે મિથ્યાત્વી દેવી પરિવાર સહિત દીનતાપૂર્વક નમીને કહેવા લાગી, ‘હે દેવો ! તમે અમારા સ્વામી છો, અમે તમારી દાસીઓ છીએ. અમે અજ્ઞાનતાથી અવિચારિત કાર્ય કર્યું છે. હવે કદીપણ નહીં કરીએ. માટે આ એક અપરાધ ક્ષમા કરો.' આ સાંભળી દેવતાઓ બોલ્યા, ‘અરે તીર્થઘાતિની દુષ્ટા ! અમારી જેમ બીજાઓને પણ તું આવી રીતે ઠગે છે ? હે માંસભક્ષિણી ! તેં આ તીર્થને મલિન કર્યું. તને તીર્થની રક્ષા કરવા માટે રાખેલી છે, પણ તું તો ઉલટું તીર્થનો નાશ કરે છે. તે આવું દુષ્કૃત્ય કર્યું, માટે હવે તું હમણાં જ મૃત્યુ પામીશ.
દેવોનાં આવા વચન સાંભળી તે ભય પામીને શ્રી જિનેશ્વર ભગવંતના શરણે ગઇ અને વારંવાર ક્ષમા માંગવા લાગી. તેથી તેને દેવોએ છોડી મૂકી. સત્પુરુષો અપરાધી છતાં પણ નમેલા પ્રાણી ઉપર કોપ કરતા નથી. ત્યારથી હસ્તિનીદેવી હસ્તિસેનાપુરમાં ગઇ અને પૂર્વની જેમ તીર્થની રક્ષા અને સંઘભક્તિ કરવામાં તત્પર થઇ.
• શ્રી શત્રુંજયનો ચોથો - પાંચમો - છઠ્ઠો ઉદ્ધાર
એક વખત ચોથા દેવલોકના માહેન્દ્ર નામના ઇન્દ્ર શત્રુંજયગિરિ ઉપર આવ્યા અને પ્રભુના જીર્ણ થયેલા પ્રાસાદો જોઇને વિચાર્યું, જરૂર તે દેવીનું જ આ ચેષ્ટિત તે લાગે છે. એમ ચિંતવી દિવ્યશક્તિથી નવીન પ્રાસાદો કરાવ્યા. એ રીતે બાહુબલિ, કાદંબ, તાલધ્વજ, રેવતાદ્રિ અને બીજા શિખરોનો પણ ઉદ્ધાર કરાવ્યો. આ રીતે ઇશાનેન્દ્રના ઉદ્ધાર બાદ કરોડ સાગરોપમ ગયા પછી શત્રુંજય ઉપર માહેન્દ્ર કરેલો ચોથો ઉદ્ધાર થયો.
(ઇતિ ચતુર્થ ઉદ્ધાર)
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૩૮
Page #160
--------------------------------------------------------------------------
________________
એક વખત ઐરવત ક્ષેત્રમાં દેવતાઓ શ્રી જિનજન્મોત્સવ કરી નંદીશ્વરદ્વીપમાં અઠ્ઠાઇ મહોત્સવ કરી વિમલાચલગિરિરાજ ઉપર શ્રી આદિનાથ ભગવાનને વંદન કરવા આવ્યા. ત્યાં આઠ દિવસ પૂજા કરતાં પ્રભુના પ્રાસાદોને કાંઇક જીર્ણ થયેલા જોઇને સર્વ દેવતાઓ વડે ઉત્સાહિત કરાયેલા પાંચમાં દેવલોકના બ્રહ્મેન્દ્ર દિવ્યશક્તિથી ઉદ્ધાર કર્યો. માહેન્દ્ર કરેલા ઉદ્ધારથી દસ કરોડ સાગરોપમ ગયા પછી બ્રહ્મદેવે કરેલો પાંચમો ઉદ્ધાર થયો.
(ઇતિ પંચમ ઉદ્ધાર)
ત્યાર પછી એક વખત ચમરેન્દ્ર વગેરે ઇન્દ્રો સ્વેચ્છાથી નંદીશ્વરદ્વીપે ગયા હતા. ત્યાં બે વિદ્યાધર મુનિરાજો તીર્થયાત્રા કરવા આવ્યા હતા. તેમણે પુંડરીકગિરિનો મહિમા ચમરેન્દ્ર વગેરેને કહ્યો. આવા તીર્થની યાત્રા કરવા ઉત્કંઠીત થઇ તે બે મુનિઓ સાથે તેઓ શત્રુંજય ઉપર આવ્યા. ત્યાં ભક્તિથી યાત્રા, દાન અને પૂજા કરી, સર્વ તીર્થો પર રહેલા પ્રાસાદોનો તેમણે ઉદ્ધાર કર્યો. બ્રહ્મેન્દ્રના ઉદ્ઘાર પછી લાખ કરોડ સાગરોપમ ગયા પછી વિમલાચલગિરિ ઉપર ભવનેન્દ્રનો છઠ્ઠો ઉદ્ધાર થયો. (ઇતિ ષષ્ઠ ઉદ્ધાર)
આ પ્રમાણે આંતરે આંતરે મનુષ્ય અને દેવતાઓથી કરાયેલા ઉદ્ધારો થયા. હે ઇન્દ્ર ! હવે બીજા સર્વ ઉદ્ધારોની સ્થિતિ પણ સાંભળ.
શ્રી વર્ધમાન સ્વામીના મુખમાંથી નીકળતા સારભૂત એવા વચનો શક્રેન્દ્ર પરમ આનંદ પામતા સાંભળવા લાગ્યા.
ગૌતમસ્વામી યાને
વેગવાન વિદ્યાધરની વિધા સાધના
શ્રી ગૌતમસ્વામીજી પૂર્વના ત્રીજા ભવમાં મહાવિદેહ ક્ષેત્રમાં વેગવાન નામના વિદ્યાધર હતા. ત્યાં સાધના કરવા છતાં વિદ્યાઓ સિદ્ધ થઇ નહી, એટલે સિદ્ધગિરિ આવીને સાધના કરતા તે બધી વિદ્યાઓ માત્ર બે મહિનામાં સિદ્ધ થઈ હતી.
***
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૩૯
Page #161
--------------------------------------------------------------------------
________________
બીજો પ્રસ્તાવ
I અજિતનાથ ભગવાનનું ચરિત્ર આદિનાથ પ્રભુના વંશમાં અસંખ્ય પુરુષો મોક્ષે જાય ત્યારે એક સર્વાર્થસિદ્ધ જાય. એમ યાવતુ બીજા તીર્થકર થયા ત્યાં સુધી ભગવાન ઋષભદેવની પાટે મોક્ષમાર્ગ ચાલ્યો. આવા ઋષભદેવપ્રભુના ઇક્વાકુ વંશમાં “અયોધ્યા નગરીમાં “જિતશત્રુ” નામે રાજા થયા. તે રાજાને “વિજયા” નામે પટ્ટરાણી હતી અને ગુણથી શ્રેષ્ઠ, બલવાન સુમિત્ર' નામે નાનો ભાઈ હતો. તેને “યશોમતી' નામે પ્રિયા હતી.
એક વખતે ચન્દ્રશાળામાં કાંઇક જાગતી અને કાંઇક ઊંઘતી અવસ્થામાં સૂતેલી વિજયા દેવીએ રાત્રિના પાછલા પહોરે ચૌદ મહાસ્વપ્નો પોતાના મુખમાં પ્રવેશ કરતાં જોયા. તે જ વખતે વૈશાખ માસની શુક્લ ત્રયોદશીએ, ચન્દ્ર રોહિણી નક્ષત્રમાં આવતાં દેવસંબંધી આયુષ્યનો ક્ષય કરી વિજય નામના અનુત્તર વિમાનથી ચ્યવીને બીજા તીર્થકરનો જીવ વિજયાદેવીના ઉદરમાં ઉત્પન્ન થયો. તે સમયે મહાઉદ્યોત થયો અને નારકીઓને પણ સુખ થયું. • શ્રી અજિતનાથ પરમાત્માનો જન્મ :
આ બાજુ તે જ રાત્રિએ સુમિત્ર યુવરાજની પ્રિયા યશોમતીએ પણ તે જ ચૌદ સ્વપ્નો કાંઇક ઝાંખા જોયાં. પ્રાતઃકાલે હર્ષ પામી વિજયા અને યશોમતીએ પોતપોતાના પતિને સ્વપ્નની વાત કહી. તેમણે પણ સ્વપ્નપાઠકોને પૂછ્યું. તેઓએ વિજયાદેવીથી તીર્થકરનો જન્મ અને યશોમતીથી ચક્રવર્તીનો જન્મ થશે એમ કહ્યું. તેથી હર્ષ પામેલા રાજાએ અને યુવરાજે તેઓને ઘણું ધન આપીને ખુશ કર્યા. ત્યાર પછી ઉત્તમ દોહદવાળી વિજયાદેવીએ નવ માસ અને સાડા સાત દિવસ પૂર્ણ થતાં માઘ માસની શુક્લ અષ્ટમીએ ચન્દ્ર રોહિણી નક્ષત્રમાં આવતાં અર્ધરાત્રિએ ગજના ચિહ્નથી લાંછિત, કનકવર્ણી, જગતમાં ઉદ્યોત કરનાર પવિત્ર તીર્થકર રૂપ પુત્રને જન્મ આપ્યો.
તે સમયે આસનકંપથી જિનજન્મ જાણી છપ્પન દિકુમારીઓએ ત્યાં આવી ભક્તિપૂર્વક સૂતિકકર્મ કર્યું. પછી ચોસઠ ઇન્દ્રો આસનકંપથી પ્રભુનો જન્મ જાણી હર્ષોલ્લાસથી પ્રભુને મેરુગિરિ ઉપર લાવ્યા. ત્યાં પાંડુક વનમાં અતિપાંડુકંબલા નામે અર્ધચન્દ્રાકાર સ્ફટિકમય શાશ્વતી શ્રેષ્ઠ શિલા ઉપર રહેલા સિંહાસન ઉપર બેસી સૌધર્મેન્દ્ર પ્રભુને ખોળામાં બેસાડ્યા. ભાવનાથી ભરેલા બીજા ઇન્દ્રોએ તીર્થજલથી ભરેલા એક હજાર આઠ નિર્મલ કલશાઓથી પ્રભુનું સ્નાત્ર કર્યું. ચંદન, પુષ્પ, ફલ આદિથી પૂજા કરી.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૪૦
Page #162
--------------------------------------------------------------------------
________________
ત્યાર બાદ સૌધર્મપતિએ થોડા પાછા ખસીને આ પ્રમાણે સ્તુતિ કરી -
હે તીર્થપતિ અજિતસ્વામી ! ત્રણ લોકના નાયક, દેવાધિદેવ, સર્વ જનો કરતાં શ્રેષ્ઠ એવા આપ જય પામો.
હે ભગવન્! આદિનાથ પ્રભુ પછી પચીસ લાખ કરોડ ઇન્દ્રો થઈ ગયા પછી આજે તમે મારા સારા ભાગ્યે જ અવતર્યા છો.
હે ભગવન્ ! તમારા અવતારથી, તમારી પૂજા અને તમારી દેશના સાંભળવા વગેરે વડે મારો અવતાર પણ હું કૃતાર્થ માનું છું.
હે નાથ ! તમારા જેવા સ્વામીથી આ ભરતખંડ પવિત્ર થયો. તમે આ સંસારરૂપ સમુદ્રમાં ડૂબતા પ્રાણીઓને તારનાર અને વિષય-કષાયરૂપ શત્રુઓના બળને તોડનાર છો.
હે કરૂણાકર સ્વામી ! આસન, શયન, ગમન, ધ્યાન વગેરે સર્વ કર્મમાં તમે મારા ચિત્તમાં નિવાસ કરો. તમારું પૂજન, નમન, સ્તવન અને ધ્યાન કરવાના પુણ્યથી તમારા ચરણકમલ દરેક ભવમાં મારા હૃદયને સંતોષ પમાડો.'
આ પ્રમાણે સ્તુતિ કરી પ્રભુને માતા પાસે મૂકી નંદીશ્વરદ્વીપમાં આઠ દિવસ ભક્તિ મહોત્સવ કરીને જિનધર્મમાં તત્પર થઇ પોત-પોતાનાં સ્થાનકે ગયા.
આ બાજુ સંપૂર્ણ દોહદવાળી યશોમતીએ પૂર્ણ સમયે તે જ રાત્રીએ ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. પ્રાતઃકાલે રાજાએ પુત્ર જન્મની વધામણી કહેનાર પુરુષોને હર્ષથી ઘણું દાન આપી તેનું જીવનપર્યતનું દારિદ્રય દળી નાંખ્યું. તે વખતે ઇન્દ્રના આદેશથી કુબેરે સમગ્ર નગરમાં હિરણ્ય, રત્ન અને વસ્ત્રોની વૃષ્ટિ કરી. ધ્વજા, તોરણ, માણિક્ય, સ્વસ્તિક, અગરુ અને માળાઓથી આખું નગર શણગાર્યું, મોકળા હાથે દાન આપ્યું. આમ મોટો ઉત્સવ થયો. બીજે દિવસે રાજાએ સ્થિતિ અને પ્રતિસ્થિતિ સંસ્કાર કર્યો. (કુળની મર્યાદાની શરૂઆત કરી.) ત્રીજે દિવસે ઉત્સવ સાથે બંને પુત્રોને ચન્દ્ર-સૂર્યનું દર્શન કરાવ્યું. છટ્ટે દિવસે ગોત્રજનની સંમતિથી “આ પુત્ર કર્મથી જીતાશે નહીં.” એમ વિચારી ઉત્સવપૂર્વક પ્રભુનું “અજિત” એવું નામ પાડ્યું અને અનુસ્વાર સહિત – સગર = સંગર. યૂહ જીતનાર એવું યશોમતીના પુત્રનું અનુસ્વાર રહિત સગર’ નામ પાડ્યું. • શ્રી અજિતનાથ પરમાત્માની બાળક્રીડા અને પાણિગ્રહણ :
ઇન્દ્ર મોકલેલી પાંચ ધાત્રીઓથી લાલન પાલન કરાતા પ્રભુ વૃદ્ધિ પામવા લાગ્યા. તે પ્રભુ વિશ્વને આલંબન કરવાની યષ્ટિરૂપ (લાકડી) છે, તે છતાં પોતે હાથમાં યષ્ટિ (લાકડી)નું આલંબન કરી જાણે ભવસાગરનો તાગ લેતા હોય તેમ મંદ મંદ ચાલવા લાગ્યા. કેટલાક દેવો ઇન્દ્રની આજ્ઞાથી મોર, ઘોડા, હાથીનાં રૂપ લઇ પ્રભુને રમાડવા લાગ્યા. પ્રભુ જો કે સંસારથી વિરક્ત હતા. તો પણ માતા-પિતાને અને દેવોને હર્ષ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૪૧
Page #163
--------------------------------------------------------------------------
________________
પમાડવા માટે જ બાળકને ઉચિત રમત કરતા હતા. યોગ્ય સમયે સગરકુમાર પણ માતા-પિતાની પ્રસન્નતા માટે ગુરુ પાસેથી સર્વકળાઓ શીખ્યા. અનુક્રમે બાળપણ વિતાવી સુવર્ણ જેવી કાંતિવાળા તે બંને કુમારો યૌવનવય પામ્યા. ત્યારબાદ પોતાના ભોગ ફળને જાણતા પ્રભુ માતા-પિતાને હર્ષ આપવા માટે રાજકન્યાઓ પરણ્યા. પ્રભુએ અઢાર લાખ પૂર્વ વર્ષ કુમારપણામાં પસાર કર્યા. પછી પુત્રવત્સલ જિતશત્રુ રાજાએ તેઓ ઇચ્છતા નહોતા તો પણ રાજ્ય પર બેસાર્યા અને સુમિત્ર યુવરાજે પણ જિતશત્રુ રાજાની આજ્ઞાથી પોતાના પુત્ર સગરને પોતાની પદવી ઉપર નીમ્યા. પછી જિતશત્રુએ અને સુમિત્રે તેમજ બીજા અનેક રાજાઓએ ધર્મઘોષ ગુરુની પાસે દીક્ષા લીધી.
સુરાસુરોથી સેવિત અજિતરાજા જગતનું પાલન કરતાં રાજય કરવા લાગ્યા. યુવરાજ સગરકુમાર ઘણા દેશોને સાધી થોડા વખતમાં વિજય મેળવી આવ્યા. પ્રભુ રાજય કરતા હતા, ત્યારે સર્વ દેશોમાં સાત પ્રકારની ઇતિ અને કોઇપણ ભય ન રહ્યો. લોકો હંમેશાં સુખેથી રહેતા હતા. આ પ્રમાણે પ્રભુએ ત્રેપન લાખ પૂર્વ વર્ષ સુધી વ્રતની ઇચ્છાએ પોતાનું ભોગકર્મ ખપાવતાં રાજય કર્યું. • ઉધાનમાં પરમાત્માની વિચારણા અને લોકાંતિક દેવોની પ્રાર્થના :
એક વખત વસંતઋતુ આવી એટલે વિરાગી પ્રભુ પણ લોકોના આગ્રહથી અંતઃપુરની સ્ત્રીઓ સાથે ઉદ્યાનભૂમિમાં ગયા. ત્યાં કામીજનો વિવિધ પ્રકારે કામરસમાં વ્યગ્ર થયા હતા તે સમયે પ્રભુને મનમાં થયું કે અહીં આ ક્રિીડા છે. તેવી બીજે કોઈ ઠેકાણે છે કે નહીં ? એમ વિચાર કરતાં અવધિજ્ઞાનથી અનુત્તર દેવના સુખનું સ્મરણ થયું અને ચિંતવવા લાગ્યા કે, અહો ! તે લોકોત્તર સુખ ભોગવ્યા છતાં પણ મારું મન હજુ આવા તુચ્છ સુખમાં રમવા ઇચ્છે છે ! માટે આ કામચેષ્ટાને ધિક્કાર છે ! અજ્ઞાની જીવો અનંતભવમાં ઘણીવાર સુખોને ભોગવ્યા છતાં પણ પાછાં ભવોભવમાં તે સુખો નવીન મળતા હોય તેમ ઇચ્છે છે ! પૂર્વે અનંત સુખ ભોગવ્યા છતાં પ્રાણી જરાપણ તૃપ્ત થતો નથી અને એક લવ માત્ર દુઃખ આવી પડે છે, તેમાં તુરત ઉદ્વેગ પામી જાય છે. પુણ્ય કરવાથી પ્રાણીને અનેક સુખ પ્રાપ્ત થાય છે, છતાં તે પુણ્યમાં પ્રાણીને આદર થતો નથી અને પ્રમાદથી દુઃખ થાય છે, છતાં પ્રમાદમાં જ તે આદરવાળો થાય છે. મૂર્ખ જીવ સંસારમાં કરે છે બીજું અને તેનાથી જુદા ફળની ઇચ્છા કરે છે. પરંતુ બીજ લીમડાનું વાવ્યું હોય તો તેમાંથી શું કલ્પવૃક્ષનો અંકુર ઉત્પન્ન થાય ? ભવોભવમાં પુત્ર, મિત્ર અને સ્ત્રી વગેરે પાશથી બંધાયેલો પ્રાણી પક્ષીની જેમ સ્વેચ્છાથી ધર્મમાં રમી શકતો નથી. જેઓ વિષયસંબંધી તુચ્છ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૪૨
Page #164
--------------------------------------------------------------------------
________________
સુખના લોભથી પોતાનું પુણ્ય હારી જાય છે, તેઓ પોતાના ચરણ ધોવા માટે અમૃત વાપરવા જેવું આચરણ કરે છે.
આ પ્રમાણે પ્રભુ ચિતવતા હતા, તેવામાં સ્વર્ગમાંથી “જય જય” એવી વાણી ઉચ્ચારતા લોકાંતિક દેવતાઓ તેમની આગળ આવ્યા અને “હે સ્વામી ! તીર્થ પ્રવર્તાવો.' એમ કહી વિનયથી નમસ્કાર કરી પોતાને સ્થાનકે ગયા. પછી પ્રભુએ તત્કાલ ઉદ્યાન ક્રીડાદિક સર્વ છોડી દઈ વાર્ષિકદાન આપવાનો આરંભ ક્યો અને જ્ઞાનથી પોતાના ભાઇ સગર ભવિષ્યમાં ચક્રવર્તી થવાનાં છે એવું જાણીને રાજ્યને નહીં ઇચ્છતા પણ સગરકુમારને બલાત્કારે પ્રભુએ રાજય પર બેસાડ્યા.
પછી આસનકંપથી પ્રભુના દીક્ષા કલ્યાણકને જાણીને સર્વ ઇન્દ્રો ત્યાં આવ્યા. પ્રભુ સ્નાન કરી, દિવ્ય વસ્ત્રાભરણ પહેરી, ગૃહચૈત્યોમાં અહિતના બિંબની પૂજા કરીને સુર-અસુરોએ રચેલી સુપ્રભા નામની શિબિકામાં આરૂઢ થયા. એક હજાર પુરુષો વડે વહન કરાતી શિબિકામાં બેસીને સહસ્રામ્રવનમાં ગયા. ત્યાં શિબિકામાંથી ઉતરી, વસ્ત્રાભરણ અને માલાઓ વગેરે સર્વ ત્યજી દીધું, તે ઇન્દ્ર પોતાના વસ્ત્રના છેડામાં ગ્રહણ કર્યું. અશોકવૃક્ષની નીચે મસ્તક પરના કેશનો પાંચ મુષ્ટિ વડે લોચ કર્યો. તે કેશને ઇન્દ્રમહારાજા ક્ષીરસમુદ્રમાં પધરાવી આવ્યા. પછી ઇન્દ્ર હાથની સંજ્ઞા વડે સર્વ કોલાહલ શાંત કર્યો. ત્યારબાદ પ્રભુએ “કરેમિ સામાઈયં” ઉચ્ચર્યું. એ રીતે એક હજાર રાજાઓની સાથે પ્રભુએ વ્રત ગ્રહણ કર્યું અને ઇન્દ્ર પ્રભુના અંધ ઉપર દેવદૂષ્ય નાખ્યું. તે સમયે માઘમાસની શુક્લ નવમીએ ચન્દ્ર રોહિણી નક્ષત્રમાં આવતાં દિવસને પાછલે પહોરે છઠ્ઠ તપવાળા પ્રભુ ચોથા મન:પર્યવજ્ઞાનને પામ્યા. ત્યારપછી સંગ વિનાના, મૌનને ધારણ કરી પ્રભુએ પૃથ્વીતલ ઉપર વિહાર કર્યો. ઇન્દ્રાદિક દેવતાઓ નંદીશ્વરદ્વીપે ગયા.
બીજે દિવસે અયોધ્યાનગરીમાં બ્રહ્મદત્તને ઘેર પ્રભુએ પરમાત્રથી પારણું . તે સમયે તેના ઘરમાં આકાશમાંથી સાડાબાર કરોડ સોનૈયાની, પુષ્પોની અને વસ્ત્રોની વૃષ્ટિ થઈ. આકાશમાં દેવદુંદુભિ વાગી, દાતારની પ્રશંસા કરતા દેવતાઓએ જય જય શબ્દનો ઉચ્ચાર કર્યો. “પ્રભુએ સ્પર્શેલી આ ભૂમિને બીજો કોઈ સ્પર્શ કરે નહીં એવું વિચારી બ્રહ્મદત્તે તે ઠેકાણે ધર્મચક્ર કરાવ્યું. • અજિતનાથ પ્રભુને કૈવલ્ય પ્રાપ્તિ અને સગરને ચક્રરત્ન પ્રાપ્તિ ઃ
આર્ય-અનાર્ય દેશોમાં મમતારહિત વિહાર કરતા પ્રભુએ ધ્યાનરૂપ અગ્નિથી પોતાના ઘાતકર્મોને બાળતાં, સર્વદેશોમાં બાર વર્ષ સુધી વિહાર કરી ફરીને અયોધ્યા સમીપે આવ્યા. ત્યાં સહસ્સામ્રવનમાં સાચ્છદ વૃક્ષની નીચે ગોદોહાસને રહી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૪૩
Page #165
--------------------------------------------------------------------------
________________
શુક્લધ્યાનમાં વર્તતા ઘાતી કર્મોનો ક્ષય થવાથી પોષ માસની શુક્લદ્વાદશીએ ચન્દ્ર રોહિણી નક્ષત્રમાં આવતાં દિવસના પાછલા પહોરે પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આસનકંપ થતાં સર્વ ઇન્દ્રો ભક્તિપૂર્વક ત્યાં આવ્યા. દેવતાઓએ એક યોજન પ્રમાણ પૃથ્વી પર રૂપ્ય, સુવર્ણ અને મણિરત્ન વડે ત્રણ પ્રાકારવાળું અને ચાર ધારવાળું સમવસરણ રચ્યું.
અહીં સગરરાજા સભામાં સિંહાસન ઉપર બેઠા હતા, તેમને છડીદારે આવીને કહ્યું કે, “સ્વામી ! કોઈ બે પુરુષો દ્વારે આવીને ઉભા છે.” રાજાની આજ્ઞાથી સભામાં પ્રવેશ કરાવાયેલા તે બેમાંથી એક પ્રણામ કરીને બોલ્યો, “હે રાજન્ ! વધામણી છે કે, અજિતનાથ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે.” બીજા પુરુષે પ્રણામ કરીને કહ્યું, “મહારાજા વધામણી છે કે આપણા શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થયું છે.” તે વખતે તરત જ સગરરાજા આસન પરથી ઊભા થયા. હાથી, ઘોડા, રથ, અંતઃપુર, પુત્ર, પાયદળ, વેપારીઓ અને બીજા લોકોથી પરિવરેલા રાજા વનમાં ગયા. ત્યાં પ્રભુને પ્રદક્ષિણા કરી, નમીને પ્રભુની સ્તુતિ કરીને પછી પ્રભુની દેશના સાંભળી. દેશના આપ્યા પછી પ્રભુએ ચતુર્વિધ સંઘ અને તીર્થની સ્થાપના કરીને પોતે વિહાર કર્યો. સગરરાજાએ અયોધ્યામાં આવી ચક્રનો અઢાઈ ઉત્સવ કર્યો.
ત્યારપછી સૂર્ય જેવી કાંતિવાળું ચક્ર શસ્ત્રાગારમાંથી બહાર નીકળ્યું. એટલે તે જ દિવસે સગર રાજાએ છ ખંડ સાધવા પ્રયાણ કર્યું. ચોરાશી લાખ હાથી, તેટલા ઘોડા અને રથ તથા કરોડો પાયદળ સાથે પ્રથમ પૂર્વ દિશા તરફ સગર ચાલ્યા. લાખ યક્ષોએ અધિષ્ઠિત એવા ગજરત્ન, વાજિરત્ન, છત્રરત્ન, દંડરત્ન, મણિરત્ન, કાકિણીરત્ન, વર્દ્રકીરત્ન, પુરોહિતરત્ન, ગૃહીરત્ન, ચક્રરત્ન, ચર્મરત્ન વગેરે (સેનાપતિરત્ન, ખડ્ઝરત્ન) રત્નો લઈ અતુલ પરાક્રમી સગરરાજા ચાલ્યા. અનુક્રમે પૂર્વ સાગરને કિનારે આવી અઠ્ઠમ તપ કરી બાર યોજન જનારા બાણ વડે માગધદેવને બોલાવ્યો. તેને સાધી તે દિશામાં અધિપતિ તરીકે તેને સ્થાપન કરી પારણું કરીને તેનો અઢાઇ ઉત્સવ કર્યો. ત્યાંથી પાછા ફરી ચક્રની પાછળ અવિચ્છિન્ન પ્રમાણે ચાલતા દક્ષિણ સાગરના તીરે આવીને વરદામને સાધ્યો. તેવી જ રીતે પશ્ચિમસાગરના કિનારે જઈ પ્રભાસપતિને વશ કર્યો. ત્યાંથી સિંધુ નદીના દક્ષિણ તીરે આવી તેની અધિષ્ઠાયિકા સિંધુ દેવીને સાધી. પછી ઇશાન દિશા તરફ ચાલી વૈતાઢ્યગિરિ પાસે આવ્યા. ત્યાં ભરતરાજાની જેમ વૈતાઢચ પર્વતના અધિષ્ઠાતા કુમારદેવને સાધ્યો. પછી સિંધુસાગર અને વૈતાઢ્યગિરિની નજીક આવેલ સીમાપ્રદેશને રાજાની આજ્ઞાથી સેનાપતિએ સાધીને પછી તમિસ્રાગુફાના બંને કમાડ દંડવત્ન વડે ઉઘાડી નિમ્નગા અને ઉગ્નિગા નામની નદીઓને પુલ વડે પાર ઉતરી તે ગુફામાંથી બહાર નીકળ્યા. ત્યાં રહેલા
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૪૪
Page #166
--------------------------------------------------------------------------
________________
મહાક્રૂર પ્લેચ્છોને જીતી લીધા. પછી ત્યાંથી હિમવંત પર્વતની દક્ષિણ બાજુએ આવ્યા. તે પર્વતના સ્વામીને સાધી, ત્યાંથી ઋષભકૂટ પાસે જઇ, કાકિણીરત્ન વડે ચક્રવર્તીએ પોતાનું નામ લખ્યું. ત્યાંથી વૈતાઢ્ય પર્વત પરના વિદ્યાધર રાજાઓને જીતી ત્યાં જ સ્થાપન કર્યા. પછી ગંગાના તીરે સૈન્ય રાખી ચક્રવર્તીના હુકમથી સેનાપતિએ ચર્મરત્ન વડે ગંગા ઉતરીને તે બાજુના રાજાઓને જીતી લીધા. ત્યાં અઠ્ઠમ તપ કરી ચક્રીએ ગંગાદેવીને પોતાને વશ કરી. પછી તમિસ્રાની જેમ ખંડપ્રપાતા ગુફાનું દ્વાર - તેના અધિષ્ઠાયક દેવને સાધીને ઉઘાડ્યું. તે ગુફામાંથી બહાર નીકલી, ગંગાના પશ્ચિમ કિનારે આવી, અઠ્ઠમ તપ કરી ત્યાં નવનિધિ પ્રાપ્ત કર્યા. આ રીતે પાંત્રીસ હજાર વર્ષ સુધી ભારત ચક્રવર્તીની જેમ દિગ્વિજય કરી સગર ચક્રવર્તી ચક્રની પાછળ ચાલતા અનુક્રમે અયોધ્યામાં આવ્યા. ત્યાં બત્રીસ હજાર રાજાઓએ, અનેક યક્ષોએ અને અન્ય મનુષ્યોએ મળીને તેમનો ચક્રવર્તીપણાનો અભિષેક કર્યો. આ રીતે પચીસ હજાર યક્ષોથી સેવાતા પખંડ ભરતક્ષેત્ર ઉપર રાજય કરવા લાગ્યા. • પરમાત્માનું પુંડરીકગિરિએ આગમન અને મયૂરદેવનો પૂર્વભવ :
આ સમયે સ્વામીએ જ્ઞાનથી શ્રી આદિનાથ પ્રભુએ પવિત્ર કરેલા પુંડરીકગિરિને જાણી તે તરફ વિહાર કર્યો અને શત્રુંજયગિરિ પાસે આવ્યા. ત્યાં પ્રભુ ધ્યાનમાં રહ્યા, તેવામાં પોતાના પીંછાના કલાપથી ભગવાન ઉપર ભક્તિથી છત્ર કરતો કોઈ એક મોર બીજા મયુરોથી પરિવરેલો ત્યાં આવ્યો. ત્યાં દેવોને જોયા છતાં ભય પામ્યા વિના ત્યાં જ રહ્યો. ધ્યાન પુરું થયા બાદ પ્રભુએ તે મયુરોને બોધ આપ્યો. પછી તે મયુરોની સાથે પ્રભુ શત્રુંજયગિરિના મુખ્ય શિખરે આવી રાયણ વૃક્ષની નીચે ત્રણ દિવસ રહ્યા. પ્રાતઃકાલે પેલા વૃદ્ધ મયુરનું મરણ નજીક આવેલું જાણી પ્રભુએ તેને સંલેખના કરાવી. પછી ત્યાંથી પ્રભુ દક્ષિણ પશ્ચિમ દિશાના માર્ગે ઉતરી સુભદ્ર નામના શિખર પર રહ્યા. તે સમયે દેવોએ સમવસરણ રચ્યું અને પ્રભુ સિંહાસન ઉપર બિરાજમાન થયા.
આ બાજુ પેલો વૃદ્ધ મયુર ચારે આહારનો ત્યાગ કરી સધ્યાન વડે પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને ચોથા દેવલોકમાં ગયો. “પોતાને સ્વર્ગ પ્રાપ્તિનું કારણ તીર્થ છે.” એવું અવધિજ્ઞાનથી જાણી શ્રી અજિતનાથ ભગવંતના તથા તે તીર્થનાં દર્શન કરવા ત્યાં આવ્યો, તેને “મયૂરદેવ ! આવો..' એમ પ્રભુએ બોલાવ્યો એટલે દેદીપ્યમાન કાંતિવાળો તે દેવ પ્રભુની સામે બેઠો.
તે વખતે સૌધર્મેન્દ્ર તે મોર-દેવ વિષે પૂછતાં ભગવંતે તે બધી હકીકત કહી અને કહ્યું કે તે એકાવતારી થઈ વ્રત ગ્રહણ કરી, કર્મ ખપાવી, કેવળજ્ઞાન પામી આ તીર્થે જ સિદ્ધિ પામશે.
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૧૪૫
Page #167
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે સાંભળી તે દેવે આનંદથી એ રાયણ વૃક્ષ નીચે પોતાની પૂર્વભવની મયૂરની મૂર્તિ કરાવી અને તીર્થપૂજા કરાવી.
પછી શ્રી અજિતનાથ ભગવાને દેશના દેવાનો આરંભ કર્યો કે : “સર્વ પ્રાણી ઉપર સમભાવ, ભક્તિપૂર્વક સંઘની પૂજા અને શત્રુંજય તીર્થની સેવા અલ્પ પુણ્યથી પ્રાપ્ત થતાં નથી. સૂક્ષ્મ કે બાદર – સર્વ પ્રાણીઓને પોતાની તુલ્ય માની તે સર્વ ઉપર રાગદ્વેષરહિત જે ચિત્ત રાખવું, તે સમતા કહેવાય છે.
સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ ધર્મની જેમ ત્રણ લોકમાં પૂજાય છે. તે સંઘ જેને ઘેર આવે તે ગૃહ અને તેને પૂજનાર તીર્થરૂપ છે.
તથા આ શત્રુંજયગિરિ સદા શાશ્વત અને સ્થિર છે. સંસારસાગરમાં ડૂબતા પ્રાણીઓને જીવિત આપનાર દ્વીપ સમાન છે. આ તીર્થમાં શુભ કર્મ કરવાથી આ ભવ અને પરભવનાં કર્મો ક્ષય પામે છે. આ તીર્થના સર્વ શિખરોમાં જે મહિમા રહેલો છે, તે કરોડો વર્ષોએ પણ કહી શકાય તેમ નથી.'
આ પ્રમાણે દેશના સાંભળીને અતિ હર્ષ પામેલા દેવતાઓ અઢાઈ ઉત્સવ કરી પોતપોતાના સ્થાનકે ગયા. તે વખતે આખું આકાશ મેઘથી છવાઈ ગયું. ગ્રીષ્મઋતુને દૂર કરતી વર્ષાઋતુ આવી. પૃથ્વી અંકુરીત થઈ અને દેડકા આદિ ઘણા શુદ્ર જીવોની ઉત્પત્તિ થઈ. • સુભદ્રગિરિ ઉપર શ્રી અજિતનાથ સ્વામીનું ચાતુર્માસ :
આ પ્રમાણે વર્ષાકાલનો સમય આવેલો જાણી શ્રી અજિતનાથ સ્વામી મુનિઓ સાથે તે સુભદ્ર શિખર ઉપર જ ચાતુર્માસ રહ્યા. કેટલાક મુનિઓ નિયમ લઇ ગુફામાં બેસી ગયા, કોઇ સિંહની ગુફામાં અને કોઇ સર્પના રાફડા સમીપે રહ્યા. દેવેન્દ્રોએ ત્યાં સ્વામી માટે ઉંચો મંડપ રચ્યો. ત્યાં પ્રભુએ ધ્યાન ધરી ચાતુર્માસ નિર્ગમન કર્યું. ત્યાં રહેલા પ્રાણીઓમાંથી કેટલાક નિત્ય જિનસેવાથી સમકિત પામ્યા, કેટલાક ભદ્રક સ્વભાવી થયા અને કેટલાકે હિંસા છોડી દીધી. પછી વર્ષાઋતુ પુરી થઈ અને શરદઋતુ આવી.
તે સમયે ચોખાના ધોવણના પાણીનું પાત્ર હાથમાં લઈ સુવ્રત નામના આચાર્ય ગ્લાનપણાથી ધીમે ધીમે ચડતા પ્રથમ શિખર પર આવ્યા. ત્યાં વિસામો લેવા કોઇ વૃક્ષની નીચે બેઠા. તેવામાં કોઇ તૃષાતુર કાગડાએ આવી તેમના જલપાત્રને ઢોળી નાખ્યું. શોષ, તરસ અને સૂર્યના તાપથી તપેલા તે મુનિ જલપાત્રને ઢોળાતું જોઈ, કોપથી બોલ્યા, “હે કાકપક્ષી ! આ પ્રાણરક્ષક જલને તેં ક્ષણવારમાં ઢોળી નાખ્યું. તે કુકૃત્યથી હવે આ તીર્થમાં તારી સંતતિ રહેશે નહીં અને આ ઠેકાણે મારા સપના પ્રભાવથી સર્વ મુનિજનને સંતોષ આપે તેવું નિર્જીવ અને પ્રાસુક જલ સદા થશે.” આવાં મુનિનાં વચનથી તે જ વખતે શોકથી કોલાહલ કરતા કાગડાઓ ત્યાંથી ચાલ્યા
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૪૬
Page #168
--------------------------------------------------------------------------
________________
ગયા. ત્યારથી આ સિદ્ધગિરિ ઉપર કાકપક્ષીઓ આવતા નથી. દુષ્કાલ-વિઘ્નો વગેરે અનર્થ કરનાર કાકપક્ષી જો કદી અહીં આવે તો વિઘ્નનો નાશ કરવા શાંતિકર્મ આચરવું. તે સુવ્રતાચાર્યના તપોબળથી સિદ્ધગિરિની નજીક નૈઋત્ય દિશા તરફ તે જળ નિરંતર લોકોની તૃષા દૂર કરવા વગેરે અનેક સુખને આપે છે. તે જળના સ્પર્શથી રોગ, શોક, પીડા, વેતાલ અને ગ્રહ સંબંધી પાપજન્ય દુઃખો નાશ પામે છે. પછી ભગવાન અજિતનાથસ્વામીએ મુખ્ય શિખર ઉપર ચડીને તે ક્ષેત્રના માહાત્મ્યથી મુક્તિ પામવા ઇચ્છતા કેટલાક મુનિઓને ઉપદેશ આપ્યો, ‘હે મુનિવરો ! તમે અહીં જ રહો. પુંડરીક ગણધરની જેમ શુભભાવથી કર્મોનો નાશ થવાથી તમને અહીં જ કેવળજ્ઞાન અને મુક્તિ થશે.' આ પ્રમાણે તે મુનિઓને કહી અજિતનાથ સ્વામીએ વિહાર કર્યો. પછી તે મુનિઓ કેવળજ્ઞાન પામીને અવ્યયપદ પામ્યા.
સગર ચક્રવર્તીના ૬૦,૦૦૦ પુત્રોની અષ્ટાપદતીર્થ યાત્રા :
આ બાજુ સગર રાજા ષટ્ખંડ ભરતનું રાજ્ય ચલાવતા હતા. તેને શસ્ત્ર-શાસ્ત્રના જાણકા૨ જન્રુ વગેરે સાઠ હજાર પુત્રો થયા. એક વખતે તે કુમારો પોતાના પૂર્વજોનાં તીર્થોને નમવા પિતાની બલાત્કારે આજ્ઞા લઇ પુષ્કળ સૈન્ય તથા વાહનો સહિત ચાલ્યા. સગર રાજાની આજ્ઞાથી સ્ત્રીરત્ન સિવાયના બીજા તેર રત્નો, યક્ષો, રાજાઓ અને બીજી ઘણી સેના સાથે લીધી. અનુક્રમે એકેક યોજનનું પ્રયાણ કરીને ચાલતાં તેઓ કેટલેક દિવસે અષ્ટાપદગિરિ સમીપે આવ્યા. તેના આઠ પગથિયા ચડીને ત્રણ પ્રદક્ષિણા કરી. દક્ષિણ દ્વારથી ચૈત્યમાં પ્રવેશ કરી ચાર, આઠ, દશ અને બે - એમ ચોવીશ તીર્થંકરોની પુષ્પ, અક્ષત અને સ્તવન આદિથી પૂજા કરી. પછી તે તીર્થનાં વારંવાર દર્શન કરતા તેઓ આ પ્રમાણે પરસ્પર કહેવા લાગ્યા :
‘આ ગિરિ આદિનાથ પ્રભુનું નિર્વાણકલ્યાણક અહીં થવાથી પૂજ્ય થયો છે. તેથી બીજાને પણ તે કલ્યાણ આપે છે અને પોતે ઉંચો છે, તેથી તેનો આશ્રય કરનારને ઊંચી ગતિમાં લઇ જાય છે. આ પ્રાસાદની ચારે દિશાઓમાં, દેવોથી પણ અજેય દ્વારપાળો રહેલા છે અને મનુષ્યોને દુરારોહ એવા આ આઠ પગથિયા છે. તેથી અવશ્ય એમ લાગે છે કે ભરતેશ્વરે ભવિષ્યમાં થનારા લોભી મનુષ્યોને જાણીને પ્રાસાદનું રક્ષણ કરવા માટે આ પ્રયત્ન કરેલો છે.’
આ પ્રમાણે બોલતા પોતાના બંધુઓને પ્રીતિપૂર્વક જનુકુમારે કહ્યું, ‘દિવસો જતાં આપણાં પૂર્વજોનાં ધર્મસ્થાનનો કોઇ નાશ કરશે. કારણ કે લોભી મનુષ્યોને સો યોજન પણ કાંઇ દૂર હોતા નથી. માટે અહીં રક્ષા કરવા માટે આ તીર્થની ફરતી એક મજબૂત ખાઇ ખોદીએ.' આવો પરસ્પર વિચાર કરી ચક્રવર્તી સગરના પુત્રો શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૪૭
Page #169
--------------------------------------------------------------------------
________________
વાહન અને પરિવાર સહિત મોટી ખાઈ ખોદવા લાગ્યા. પૃથ્વીના પિંડ જેટલી ઊંડી ખાઇ ખોદાતા તેઓના ઘાથી નીચે નાગલોકમાં રજની વૃષ્ટિ થવા માંડી. તેથી વ્યાકુળ થયેલા નાગકુલોમાં કોલાહલ થયો. સર્વે કોપ કરવા લાગ્યા. તેથી જ્વલનપ્રભ નામે નાગપતિ અત્યંત કોપિત થયો. અવધિજ્ઞાનથી રજ પડવાનું કારણ જાણ્યું. એટલે કોપ છોડીને વેગથી ત્યાં આવ્યો અને નમ્રતાથી મીઠા વચને કહ્યું, “અરે વત્સો ! ચક્રવર્તીના પુત્રો ! તમે ભરતના વંશના છો, વિવેકી છો, છતાં આવો ઉદ્યમ કેમ આરંભ્યો છે ? તમારા ખોદવાના ઘાથી નાગલોક પીડાય છે. માટે આ પ્રયાસથી તમે અટકો. અમારા સ્વામી શ્રી યુગાદીશ છે. અમે તેમના સેવકો છીએ અને તમે તેમના કુલમાં ઉત્પન્ન થયા છો, તેથી આપણે સ્નેહ છે, તેને સ્થિર કરો.'
આ પ્રમાણે કહીને તેના ગયા બાદ તે સર્વે સગરના પુત્રોએ ખોદવાનું બંધ કર્યું. પરંતુ થોડીવારે પાછા ભેગા થઇને વિચારવા લાગ્યા કે, “આ ખાઇ જળ વગરની છે, તેથી કાળે કરીને પૂરાઈ જવાથી કોઈ વખત ઓળંગી શકાય તેવી થઇ જશે. કેમકે, ત્રણ જગતમાં લોભીને અસાધ્ય શું છે ? એમ વિચારી જનુકુમારે દંડરત્ન વડે ગંગા નદીનો પ્રવાહ ખેંચી લાવી તેના જળથી આખી ખાઈ પૂરી દીધી. તેથી નાગદેવલોકમાં કાદવ પડવાથી જવલનપ્રભદેવે અત્યંત કૂપિત થઈ વિચાર્યું, “અરે ! આ સગરચક્રીના પુત્રો મૂર્ખ અને રાજયમદે ભરેલા જણાય છે. અમારું કહેલું પણ માનતા નથી.' એમ વિચારી બીજા નાગપતિઓ સહિત ફણાના આટોપને ધારણ કરતો, હુંફાડા મારતો ત્યાં આવ્યો અને વિષમય દ્રષ્ટિથી એકસાથે સગરચક્રીના સાઠ હજાર પુત્રોને બાળી નાખ્યા અને પોતાના સ્થાને પાછો ચાલ્યો ગયો. કેમ કે શત્રુના વધ સુધી જ કોપ રહે છે.”
સગરકુમારોના ઘાતથી સૈન્યમાં મોટો કોલાહલ થયો. વિપરીત ભાગ્યથી અનાથ થઈ ગયેલું સૈન્ય હવે કઈ દિશામાં જવું, એમ ચિંતાતુર અને સર્વ ઉપાયથી ભ્રષ્ટ થઇ ગયું. નાયક વગરના સૈનિકો વિચારવા લાગ્યા, આપણા બધાનાં જોતાં છતાં આ ચક્રીના કુમારોનો નાગોએ એકસાથે વધ કર્યો, આપણું બળ તદ્દન વૃથા છે. આપણી સર્વ સેના હોવા છતાં આ સર્વે રાજકુમારો મૃત્યુ પામ્યા છે. માટે હવે આપણે નિર્લજ્જ થઈને નગરમાં જઈ શી રીતે મુખ બતાવીશું ? સગરરાજા પણ આપણને જરૂર મારી નાંખશે, તેથી આપણે પણ એમના માર્ગે જ જઇએ. અર્થાત્ મૃત્યુને શરણે જઇએ. ‘ઉત્તમ સેવકો રાજાના માર્ગને જ અનુસરે છે, એવી જનસ્થિતિ છે.' આમ પરસ્પર વિચાર કરી બાર યોજનમાં ફેલાઈને રહેલા અશ્વ, રથ, હાથી વિગેરે સર્વ સૈન્યને કાષ્ઠસમૂહથી વીંટી લીધું. પછી જેટલામાં અગ્નિ પ્રગટાવવા માંડ્યા તેટલામાં
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૪૮
Page #170
--------------------------------------------------------------------------
________________
અવધિજ્ઞાનથી આ ઉપદ્રવ સૌધર્મેન્દ્ર જાણ્યો. દયાળુ ઇન્દ્ર બ્રાહ્મણનો વેષ ધારણ કરીને ત્યાં આવ્યા અને “મરો નહીં, મરો નહીં એમ કહેવા લાગ્યા. તેથી તે સર્વ સૈન્ય ત્યાં જ સ્થિર થયું. પછી તેઓની પાસેથી મરવાનું કારણ જાણીને કહ્યું, તમે આવું સાહસ કરો છો, તે સ્વામીની ભક્તિથી, સ્વામીના ભયથી કે સ્વામીના પુત્રના મરણના શોકથી ? તેઓએ કહ્યું, “અમે મૃત્યુને ઇચ્છતા નથી, પણ ચક્રવર્તીના ભયથી મરવા તૈયાર થયા છીએ. કારણ કે તે અવશ્ય અમને મારી નાંખશે.” • સગરચક્રીના સૈન્યને ઇન્દ્ર આપેલ આશ્વાસન :
તે પછી ઇન્દ્ર પોતાનું સ્વરૂપ પ્રગટ કરીને કહ્યું, “આમાં તમારો કોઈ દોષ નથી. ચક્રવર્તીનો ભય હું દૂર કરીશ. માટે તમે નગર તરફ પ્રયાણ કરો અને હું બોલાવું ત્યારે નગરમાં પ્રવેશ કરજો .” એમ આશ્વાસન આપી ઇન્દ્ર અદ્રશ્ય થઈ ગયા. પછી ધીમે ધીમે તેઓ અયોધ્યા તરફ ચાલ્યા. કેટલેક દિવસે અયોધ્યા પાસે આવી ઇન્દ્રનું સ્મરણ કર્યું, તેથી દયાવાન ઇન્દ્ર વેગથી ત્યાં આવ્યા અને મૃત્યુ પામેલા બાળકને હાથમાં લઇ, પાંચસો વર્ષના આયુષ્યવાળા બ્રાહ્મણનો વેષ ધરી ઇન્દ્ર સગરચક્રી પાસે ગયા. રાજદ્વાર પાસે મોટેથી પોકાર કરી પૃથ્વી, દેવ અને સગરચક્રીની નિંદા કરતાં તે બોલ્યા, “સર્વ પ્રત્યે સુખકારી ભાવનું સર્જન કરનાર હે દૈવ ! મારા પ્રત્યે નિધુરતાપૂર્વક અવળા મુખવાળા થઈ શા માટે મને દુઃખી કરો છો ? હે ચક્રવર્તી ! કુદૈવથી મારી રક્ષા કરો. આ વૃદ્ધવયમાં જ મારા પુત્રને કુદવે મારી નાંખ્યો. આપ ન્યાયથી પૃથ્વીની રક્ષા કરો.”
આવાં તેનાં વચન સાંભળી ખેદ પામેલા સગરરાજાએ માણસો મોકલી તેને બોલાવ્યો. ઇન્દ્ર આવીને તે બાળકને આગળ મૂકી સભામાં રહેલા બીજાઓને પણ રોવરાવતો તે બ્રાહ્મણ મોટેથી રોવા લાગ્યો. રાજાએ તેને રડવાનું કારણ પૂછ્યું, એટલે તે બોલ્યો, “હે સ્વામી ! એકના એક પુત્રના મરણથી મને જે દુઃખ થયું છે, તે હું તમને કેટલું કહું ? આજે રાત્રે આ મારો લાડકવાયો પુત્ર સૂતો હતો, ત્યાં અચાનક મહાક્રૂર સર્પ તેને કરડ્યો. હે રાજા ! ગમે તે મંત્રમંત્રાદિ ઉપાયો કરીને મારા બાળપુત્રને સજીવન કરો. નહીં તો દોષ તમને લાગશે અને મારા કુલનો ક્ષય થશે.' પછી સગરરાજાએ માંત્રિકો - વૈદ્યોને બોલાવ્યા. તેઓએ અનેક ઉપાયો કરી જોયા, પણ બાળકને મૃત્યુ પામેલો જાણી કહેવા લાગ્યા, આ બાલક ઉપર ઔષધિના ઉપાયો અસાધ્ય છે, પણ જેના ઘરમાં પૂર્વે કોઇ મરણ પામ્યું ન હોય, તેના ઘરમાંથી જો રાખ લાવવામાં આવે તો આ સજીવન થાય તેમ છે.”
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૪૯
Page #171
--------------------------------------------------------------------------
________________
તે સાંભળી ચક્રીએ તેવી રાખ લાવવા સર્વ રાજાઓને આજ્ઞા કરી. ઇન્દ્રે પણ વૈક્રિયરૂપ વડે ઘેર ઘેર જોવા માંડ્યું. પણ ક્યાંયથી તેવી ભસ્મ ન મળી. તેથી બધા રાજાઓ અને ઇન્દ્ર બ્રાહ્મણ પણ અતિ દુઃખી થતો પાછો આવ્યો. તે વખતે વૈદ્યો મનમાં હર્ષ પામી કહેવા લાગ્યા કે, એવી ભસ્મ મળ્યા વગર અનેક ઔષધોથી આ કાર્ય અસાધ્ય છે. ઔષધ વગર આ બાળક મરી જશે, એમાં વૈદ્યોનો બિલકુલ દોષ નથી.' આ સાંભળી ઇન્દ્ર બ્રાહ્મણે કપટથી પાછું છૂટે કંઠે રુદન કરવા માંડ્યું. તે વખતે ચક્રીનું સર્વ સૈન્ય રાજદ્વારમાં આવીને ઉભું હતું.
અત્યંત આર્દ્ર થયેલા સગર ચક્રવર્તીએ મધુર વચનથી એ બ્રાહ્મણને કહ્યું કે, તમે શોક ન કરો. સંસારની સ્થિતિ એવી જ છે. આ સંસારમાં જન્મેલો પ્રાણી અવશ્ય મૃત્યુ પામે જ છે. વસ્તુતઃ કોઇપણ સ્થિર રહેતું નથી. જગતને પૂજવા યોગ્ય અનંત તીર્થંકરો પણ અંત પામ્યા, તો બીજા પ્રાણીઓની શી વાત કરવી ? ભાઇ, પુત્ર અને સ્ત્રી વગેરે સર્વ સ્વાર્થ માટે હંમેશાં આવે છે અને જાય છે. દુઃખ ફક્ત આત્માને થાય છે. સર્વદા લાલન પાલન કરેલો પોતાનો દેહ પણ જેને વશ નથી, તેને માતા, પિતા, ભાઇ અને પુત્રાદિક કેમ વશ રહે ?'
પુત્રોના મૃત્યુથી દુઃખી થયેલા ચક્રવર્તીને ઇન્દ્રનો બોધ :
આ પ્રમાણે સગરરાજા બોલતા હતા, તેવામાં ઇન્દ્રે પોતાનું રૂપ પ્રગટ કરીને કહ્યું કે, ‘હે રાજા ! શું તમે સંસારની સ્થિતિ જાણો છો ? ખરેખર સંસાર દુઃખદાયક છે, તે સાચું છે ? તો હવે આ સંસારનાં વિચિત્ર સ્વરૂપને યાદ રાખી આ દૃષ્ટાંત આપતા પૂર્વે સાંભળો કે, જેમ મારો પુત્ર મરી ગયો છે, તેમ તમારા સાઠ હજાર પુત્રો પણ ખરેખર મૃત્યુ પામ્યા છે. તેમાં કોઇનો દોષ નથી. એમના કર્મોનો જ દોષ છે.' તેટલામાં શોકથી વ્યાકુળ સૈનિકોએ સભામાં આવી રુદન કરતાં કરતાં ચક્રવર્તી આગળ તેમના કુળક્ષયની વાત કહી. તે સાંભળતાં જ રાજા મૂર્છા પામ્યો. ઇન્દ્રે પંખાથી પવન નાખી, ગોશીર્ષ ચંદનથી વિલેપન કરી, તેના શરીર ઉપર પાણી છાંટ્યું. તેથી માંડ માંડ ચેતના પામેલો રાજા પુત્રોનું સ્મરણ કરતો વારંવાર મૂર્છા પામવા લાગ્યો. મૂર્છાથી ચક્રવર્તી મરણ પામી જશે, એમ વિચારી ઇન્દ્ર પણ તેને ભેટીને મુક્ત કંઠે રોવરાવતો પોતે પણ છૂટે કંઠે રડવા લાગ્યો. આ રીતે રુદનથી ગાઢ શોકની ગ્રંથિ ગળી ગઇ, ત્યારે ઇન્દ્રે કહ્યું, ‘હૈ ચક્રી ! તમે પણ અજ્ઞજનોની જેમ દુ:ખથી કેમ મોહ પામો છો ? આ સંસારમાં કોઇ જીવ પોતાના કર્મથી અલ્પ આયુષ્યવાળા થાય છે અને કોઇ દીર્ઘાયુવાળા થાય છે, તો પણ અહીં ક્ષય નિશ્ચિત શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૫૦
Page #172
--------------------------------------------------------------------------
________________
જ છે. વળી પૂર્વે વૈરાગ્ય વચનોથી તમે જ મને બોધ આપતા હતા અને તમે જ વળી આ પ્રમાણે કેમ મોહ પામો છો ?'
ઇન્દ્ર આ પ્રમાણે કહેતા હતાં, તેવામાં દ્વારપાળે આવીને વિનંતી કરી કે, કોઇ બે પુરુષ આપને નમસ્કાર કરવા ઇચ્છે છે. ચક્રીના આજ્ઞા મળતાં તે બંને પુરુષોને સભામાં મોકલ્યા. તેમાંથી એકે નમસ્કાર કરી, ‘શ્રી અજિતનાથ ભગવાન પધાર્યા છે’ એમ કહ્યું અને બીજાએ કહ્યું, ‘હે સ્વામી ! જય પામો. તમારા પુત્રોએ લાવેલી ગંગા નદીનો પ્રવાહ અષ્ટાપદગિરની ફરતી ખાઇને પૂરીને હવે પૃથ્વીને ડૂબાડે છે. તેના પૂરથી ત્યાંના નિવાસીઓ ડૂબી રહ્યા છે.' પ્રભુનું આગમન, પુત્રોનો નાશ અને પાણીના ઉપદ્રવથી વિષાદ પામેલા ચક્રવર્તીને ઇન્દ્રે કહ્યું, ‘હે રાજા ! પુત્રશોક છોડી દો અને પ્રભુને ભજો તથા ગંગાના પ્રવાહનો રોધ કરવા જનુના પુત્ર ભગીરથને આજ્ઞા કરો.' આ સાંભળી સગરરાજાએ નિઃશ્વાસ લઇને ભગીરથને બોલાવી, પોતાના ખોળામાં બેસાડી કહ્યું, ‘હે વત્સ ! આપણા ભરતવંશ ઉપર આ કેવું કષ્ટ આવી પડ્યું ? અમારી કુલસંતતિમાં તું જ એક અવશિષ્ટ રહેલો છે. માટે તું લોકની રક્ષા માટે ગંગા નદી પાસે જા અને જવલનપ્રભદેવની સેવાથી દંડરત્ન વડે ગંગાના મુખ્ય પ્રવાહને પાછો સમુદ્ર તરફ ફે૨વ.’ દાદાની આજ્ઞાથી ભગીરથકુમાર મોટા સૈન્ય સાથે ત્યાં ગયો અને સગ૨ાજા ઇન્દ્ર સાથે અંતઃપુર સહિત પ્રભુને વંદવા આવ્યો. ત્યાં સમવસરણમાં રહેલા પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઇ પ્રભુની સ્તવના કરતાં કહ્યું :
‘શોકને ટાળનાર હે સ્વામી ! તમે જયવંતા વર્તો. અંતરની વ્યાધિને હરનારા આપને નમસ્કાર છે.' એવી રીતે ભક્તિથી સ્તવીને તેઓ યોગ્ય સ્થાને બેઠા. ત્યારબાદ પ્રભુએ દેશના આપી, ‘હે ચક્રવર્તી ! આ સંસાર અસાર છે, રાજ્યસુખ સ્થિર નથી. પુત્ર, મિત્ર અને સ્ત્રી તે બંધનરૂપ છે. દેહ રોગ અને શોક કરનાર છે. વિષયો વિષ જેવા પીડા કરનારા છે. ભોગો સર્પની ફણા જેવા છે. જીવિત જળના બિંદુ જેવું અસ્થિર છે. જે ક્ષણ પહેલા રમણીય લાગતું હતું તે ક્ષણ પછી દારુણ લાગે છે. તત્ત્વથી આ સંસારમાં દેવગુરુધર્મરૂપી તત્ત્વ સિવાય બીજું કાંઇપણ સ્થિર નથી.’ આ પ્રમાણે પ્રભુની દેશનાનું પાન કરી સગ૨૨ાજાએ પ્રભુને પૂછ્યું, ‘હે સ્વામી ! આ જગત કર્મને આધીન છે, તો મારા સાઠ હજાર પુત્રોએ એકીસાથે તેવું શું કરેલું કે જેથી તેઓને તે કર્મ એકસાથે મૃત્યુદાયક થઇ પડ્યું ? ત્યારે પ્રભુએ તેમના પૂર્વભવો આ પ્રમાણે કહ્યા :
સગર ચક્રવર્તીના પુત્રોના પૂર્વભવો :
કોઇ એક પલ્લીમાં ચોરીનો ધંધો કરનારા, નિર્દય અને નિરંતર પરધન, પરસ્ત્રીનું જ ધ્યાન ધરનારા સાઠ હજાર ભીલ્લો હતા. એક વખતે એક સંઘ ભિલપુરથી શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૫૧
Page #173
--------------------------------------------------------------------------
________________
શત્રુંજય તરફ જતો હતો. તે જોઇને ભીલોએ તેને લૂંટવાનો વિચાર કર્યો. તેમાંના કોઈ ભદ્રક કુંભારે તે જાણીને તે ભીલ્લોને કહ્યું, “આપણી પાસે બીજું ધન હોવા છતાં આવી રીતે યાત્રાળુ લોકોને લૂંટીએ તે સારું નથી. આ યાત્રિકો પોતાનું ધન ઉત્તમ ક્ષેત્રમાં વાવશે તે ધન આપણે ગ્રહણ કરીએ તે મોટું અધર્મીપણું છે. પૂર્વના પાપથી આવો કુત્સિત જન્મ મળેલો છે, વળી આવા પાપ વડે આપણી શી ગતિ થશે ? આ યાત્રાળુઓ પૂર્વના પુણ્યાનુબંધી પુણ્યથી અહીં દાનવીર થયેલા છે અને આ ભવમાં આ તીર્થરાજની યાત્રા કરવાથી આગામી ભવમાં પણ પાછા સુખી થશે. તેથી આ કાર્ય કરવામાં હું તમને અનુસરીશ નહીં કે અનુમતિ આપીશ નહીં.'
આ પ્રમાણે બોલતા અને પોતાના વિચારથી જુદા પડેલા તે કુંભારને તે લોકોએ કાઢી મૂક્યો અને પાપીઓએ ભેગા મળીને તે શ્રી સંઘને લૂંટી લીધો.
આ બાજુ ભલિપુરના રાજાએ તે ખબર સાંભળીને તેઓની પલ્લી ઉપર ઘેરો નાંખ્યો. મોટા સૈન્યને જોઇ સર્વ ભીલ્લો ભય પામીને પોતાના કિલ્લામાં ભરાઇ રહ્યા. તે વખતે અચાનક કિલ્લામાં અગ્નિ ઉત્પન્ન થયો. એ અગ્નિ જળથી વારવા છતાં ઠર્યો નહીં. તેથી તે ભીલ્લો પશ્ચાત્તાપથી કહેવા લાગ્યા કે, “પાપી એવા આપણને ધિક્કાર છે, કે આપણે આ સંઘને લૂંટ્યો. આ કુકર્મનું ફળ આપણને શીધ્ર મળ્યું. નિર્લોભી અને પુણ્યવાન તે કુંભાર આપણને અટકાવતો હતો, તો પણ આપણે તેને કાઢી મૂક્યો.
આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતાં તેઓ એકીસાથે મૃત્યુ પામ્યા. “કર્મની સ્થિતિ એવી જ છે.” જે સંઘ શ્રી અર્વતને પણ પૂજ્ય છે અને જે તીર્થનું પણ તીર્થ છે, તેવા સંઘનું જે અહિત કરે છે, તે ખરેખરા પાપી જ છે, માટે સર્વદા સંઘની આરાધના કરવી. કદીપણ વિરાધના ન કરવી. સંઘની આરાધનાથી મુક્તિ થાય છે અને વિરાધનાથી નરક પ્રાપ્ત થાય છે.
અગ્નિથી મરીને તેઓ નરકમાં ગયા. ત્યાંથી નીકળી સમુદ્રમાં માછલા થયા. માછીમારોએ તે સર્વને એકસાથે જાળમાં બાંધી લીધા. ત્યાંથી કર્ણશૃંગાલી નામના જનાવર થયા. ત્યારબાદ આ રીતે ઘણા ભવોમાં ભમીને પાછા શિકારમાં તત્પર ભીલ થયા. એક વખત વનમાં ફરતાં એક શાંત સ્વભાવી મુનિને જોઇને નમસ્કાર કર્યા. મુનિએ તેમને ધર્મોપદેશ આપ્યો, તેથી તેઓ ભદ્રકપણાને પામ્યા. આસન્નભાવી જાણી મુનિ તેમના નગરમાં ચાતુર્માસ રહ્યા. પ્રથમ માસે તેમણે સાતેય વ્યસનો છોડી દીધાં, બીજે માસે અનંતકાય ત્યાગ, ત્રીજે માસે રાત્રિભોજન ત્યાગ અને ચોથે માસે અનશન કરી વિદ્યુત્પાતથી એકસાથે મૃત્યુ પામ્યા. તે ચક્રવર્તી ! ત્યાંથી તેઓ તમારે ઘેર પુત્રપણે અવતર્યા. જે પેલા કુંભારે સંઘ લૂંટવાની સંમતિ આપી નહોતી, તેણે તે
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૫ર
Page #174
--------------------------------------------------------------------------
________________
જ ભવમાં ઘણી સમૃદ્ધિવાળું રાજ્ય પ્રાપ્ત કર્યું. શુભ ભાવનાથી ઉત્તરોત્તર ઉત્તમ ભવને પ્રાપ્ત કરી છેવટે તમારા જહુનુનો પુત્ર આ મહાભાગ્યશાળી ભગીરથ થયેલ છે.
પૂર્વકર્મના યોગથી હે રાજા ! તમારા પુત્રો એકસાથે મૃત્યુ પામ્યા છે. માટે આ તત્ત્વ મનમાં ધારણ કરજો કે, કદી સંઘની અવજ્ઞા કરવી નહીં. કારણ કે તે બોધિવૃક્ષને બાળવામાં અગ્નિરૂપ અને દુર્ગતિ આપનાર છે. વલી જેઓ તીર્થે જનારા લોકોને વસ્ત્ર, અન્ન અને જલ વગેરે આપવા દ્વારા પૂજે છે, તેઓને તીર્થયાત્રાનું મોટું ફળ મળે છે. સંઘ એ જ પ્રથમ તીર્થ છે અને તે વળી તીર્થયાત્રાએ જતો હોય ત્યારે તો વિશેષ પૂજવા યોગ્ય છે. તે રાજા ! રાજયમાં, પુત્રમાં અને પત્નીમાં મોહ ન રાખો. આત્મહિત કરો. ફરીવાર આવો મનુષ્યભવ ક્યાંથી મળશે? આ પ્રમાણે પ્રભુના મુખેથી પોતાના પુત્રના પૂર્વભવો જાણીને સગરરાજા શોકમુક્ત થઇ વૈરાગ્ય પામ્યા.
• સાતમા ઉદ્ધારક : સગર ચક્રવર્તી છે
સગર ચક્રીની સંઘસહિત શ્રી શત્રુંજયની યાત્રા તે સમયે ઇન્દ્ર કહ્યું, “હે ચક્રવર્તી ! તમે ભરત ચક્રીની જેમ પૃથ્વીને સાધી છે, તો હવે તેઓની જેમ સંઘપતિ થાઓ.” આ સાંભળી સગરચક્રી તીર્થયાત્રા માટે આદરવાળા થયા. પછી પ્રભુએ વાસક્ષેપ નાંખ્યો. સૌધર્મેન્દ્ર રાજાને શ્રી આદિનાથ ભગવાનનું રત્નમય બિંબવાળું એક શ્રેષ્ઠ દેવાલય આપ્યું. પછી સગરચક્રીએ ચતુર્વિધ સંઘ સાથે શુભ દિવસે યાત્રા કરવા પ્રયાણ કર્યું. ગણધરો, મુનિવરો, શ્રાવકો, શ્રાવિકાઓ, મહાધરો, મંડલીક રાજાઓ, ગાયન કરનારા, બિરદાવલી બોલનારા, નૃત્ય કરનારા અને કૌતુક ઉપજાવવાવાળા પુરુષોની સાથે સગરચક્રવર્તી ચકે બતાવેલા માર્ગે આગળ ચાલ્યા.
તીર્થમાર્ગમાં પ્રત્યેક નગરમાં અને પ્રત્યેક ગામમાં શ્રી જિનેશ્વરની પૂજા કરતા, મુનિજનોને વાંદતા અને દાન આપતા શ્રી સિદ્ધાચલ પાસે આવી પહોંચ્યા. ત્યાં આનંદપુર નગરમાં ચક્રીએ તીર્થની, પ્રભુની તથા સંઘની પૂજા અને સાધર્મિક વાત્સલ્ય કર્યું. પછી દેવાલયને આગળ કરી સંઘ સાથે મહોત્સવપૂર્વક તે તીર્થને ત્રણ પ્રદક્ષિણા કરી. પછી સગરરાજા પૂર્વ તરફથી ગિરિ પર ચડ્યા અને બીજા લોકો પોતાની શક્તિ પ્રમાણે સર્વ માર્ગેથી ગિરિ પર ચડવા લાગ્યા. ચક્રવર્તી ગિરિ ઉપર આવ્યા એટલે ઇન્દ્ર પણ પ્રીતિથી ત્યાં આવ્યા. બંને રાયણ વૃક્ષ નીચે પરસ્પર મળ્યા.
આ બાજુ જહુનુનો પુત્ર ભગીરથ ચક્રીની આજ્ઞાથી સૈન્ય સાથે અષ્ટાપદગિરિએ પહોંચ્યો. ત્યાં પોતાના પિતા અને કાકાઓની ભસ્મ જોઇને મૂચ્છ પામ્યો. ઠંડા
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૫૩
Page #175
--------------------------------------------------------------------------
________________
ઉપચારથી ફરી ચેતના પામી સત્ત્વશાળી એવા તેણે શોક છોડીને ભક્તિપૂર્વક જ્વલનપ્રભ નાગદેવની આરાધના કરી. સંતુષ્ટ થયેલ જ્વલનપ્રભદેવ નાગકુમારો સાથે ત્યાં આવ્યો. ભગીરથે ગંધમાલ્ય અને સ્તુતિથી તેનું પૂજન કર્યું. એટલે હર્ષ પામી નાગપતિએ કહ્યું, ‘હે ભગીરથ ! જનુકુમાર વગેરેને ખાઇ ખોદવાના કાર્યથી વારવા છતાં અટક્યા નહીં, તેથી મેં તેમને બાળીને ભસ્મ કર્યા છે. તેઓએ પૂર્વે તેવું કર્મ ઉપાર્જન કર્યું હતું. તો હવે તમે તેમની ઉત્તર દેહક્રિયા કરો અને પૃથ્વીને ડુબાવતી આ ગંગા નદીને મુખ્ય પ્રવાહમાં લઇ જાઓ.' એમ કહી તે પોતાને સ્થાને ગયો. પછી ભગીરથે પોતાના વડીલોની તે ભસ્મ ગંગામાં નાંખી, ત્યારથી જગતમાં ‘પિતૃક્રિયા’ નો વ્યવહાર પ્રવર્તો. ઉત્તરક્રિયા કરીને ભગીરથ ગંગાના ઉન્માર્ગી પ્રવાહને દંડરત્નથી મુખ્ય માર્ગમાં લાવ્યો.
ત્યારપછી લોકો પાસેથી સગર રાજાને શત્રુંજય તીર્થે પધારેલા જાણીને તે ત્યાંથી ગિરિરાજ ઉપર આવ્યો. ત્યાં રાયણ વૃક્ષની નીચે ઇન્દ્ર અને ચક્રી તેને મળ્યા. પછી હર્ષ પામી તેઓએ ભેગા મળી શ્રી આદિનાથ પ્રભુનો સ્નાત્રપૂજાદિક મહોત્સવ કર્યો. મરુદેવા તથા બાહુબિલિ શિખર ઉપર, તેમજ તાલધ્વજ, કાદંબ, હસ્તિસેન ઇત્યાદિ સર્વ શિખરો ઉપ૨ તેમણે જિનપૂજા કરી તથા ગુરુ મહારાજની વાણીથી મુનિભક્તિ, અન્નદાન, આરતી, મહાધ્વજ તેમજ ઇન્દ્રોત્સવ કર્યા. પછી ઇન્દ્રે સગ૨૨ાજાને કહ્યું, ‘હે ચક્રવર્તી ! આ શાશ્વત તીર્થમાં તમારા પૂર્વજ ભરતરાજાનું આ પુણ્યવર્ઝન કર્તવ્ય જુઓ. ભવિષ્યમાં કાલના માહાત્મ્યથી વિવેકરહિત, અધર્મી, તીર્થનો અનાદર કરનારા લોકો મણિ, રત્ન, રૂપું અને સુવર્ણના લોભથી આ પ્રાસાદની કે પ્રતિમાની આશાતના કરશે. માટે જન્નુની જેમ તમે આ પ્રાસાદની કાંઇક રક્ષા કરો. ત્રણે જગતમાં તમારા જેવો કોઇ સમર્થ પુરુષ સાંપ્રતકાળે નથી.'
તે સાંભળી સગરરાજા વિચારવા લાગ્યા કે, ‘મારા પુત્રો સાગર સાથે મળેલી ગંગા નદી લાવ્યા, તો હું તેનો પિતા થઇ જો સાગરને લાવું, તો તેમનાથી વિશેષ થાઉં, નહીં તો માનહીન થાઉં.' આવા આવેશના વશથી સગરરાજા ક્ષણવારમાં યક્ષો દ્વારા સાગરને ત્યાં લાવ્યા. વિવિધ દેશોને ડૂબાડતો, અતિ ભયંકર દેખાતો, ઉછળતો, અતિ દુસ્સહ લવણસમુદ્ર જંબુદ્વીપની જગતીના પશ્ચિમ દ્વારમાંથી નીકળી શત્રુંજયગિરિની પાસે આવ્યો અને લવણસમુદ્રનો અધિષ્ઠાતા દેવ અંજલિ જોડીને ચક્રવર્તીને પ્રણામ કરીને બોલ્યો; ‘હે ચક્રવર્તી ! કહો હું શું કરું ?'
તે વખતે અવધિજ્ઞાનથી જિનવચન યાદ કરતાં ઇન્દ્રે આકુલતાથી કહ્યું કે, ‘હે ચક્રી ! વિરામ પામો, વિરામ પામો. જેમ સૂર્ય વિના દિવસ, છાયા વિના વૃક્ષ તેમ આ તીર્થ વિના બધી જીવસૃષ્ટિ નિષ્ફળ છે. અષ્ટાપદ પર્વતનો માર્ગ તો રૂંધાઇ જ શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૫૪
Page #176
--------------------------------------------------------------------------
________________
ગયો છે. હવે પ્રાણીને તારનાર આ જ તીર્થ છે. જો સમુદ્રના જળથી આ તીર્થનો માર્ગ પણ રૂંધાશે તો પછી પ્રાણીઓને તારનાર આ પૃથ્વી પર બીજું કોઇ તીર્થ નહિ રહે. જ્યારે તીર્થંકર દેવ, જૈન ધર્મ કે શ્રેષ્ઠ આગમ પૃથ્વી પર રહેશે નહિ, ત્યારે માત્ર આ સિદ્ધગિરિ જ લોકોના મનોરથોને સફળ કરનારો થશે.’
ઇન્દ્રના વચનથી ચક્રવર્તીએ લવણદેવને કહ્યું કે, ‘દેવ ! માત્ર નિશાની માટે સમુદ્ર અહીંથી થોડે દૂર રહો અને તમે સ્વસ્થાને જાઓ.' એવી રીતે તેને વિદાય કર્યા. પછી સગર રાજાએ ઇન્દ્રને આ તીર્થની રક્ષાનો ઉપાય પૂછ્યો. ત્યારે ઇન્દ્રે કહ્યું : ‘હે રાજા ! આ રત્નમણિમય પ્રભુની મૂર્તિઓ સુવર્ણગુફામાં મૂકાવો. તે ગુફા પ્રભુનો કોશ છે અને સર્વ અર્હતોની મૂર્તિઓ સોનાની કરાવો તેમજ પ્રાસાદો સુવર્ણ અને રૂપાના કરાવો. પછી પ્રાસાદથી પશ્ચિમ તરફ રહેલી સુવર્ણ ગુફા ઇન્દ્રે બતાવી એટલે પ્રભુની રત્નમણિમય મૂર્તિઓને ચક્રીએ તેમાં પધરાવી અને તેમની પૂજા માટે યક્ષોને નિમ્યા. પછી સગર રાજાએ અર્હતના પ્રાસાદો રજતના અને મૂર્તિઓ સુવર્ણની કરાવી. સુભદ્ર નામના શિખર ઉપર શ્રી અજિતનાથનો રૂપાનો પ્રાસાદ કરાવ્યો. ત્યાં ગણધરો, શ્રાવકો અને દેવોએ મળીને પૂજાપૂર્વક સુંદર પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો. સગર ચક્રીની રૈવતાચલતીર્થની યાત્રા :
આ પ્રમાણે શત્રુંજયતીર્થનો ઉદ્ધાર કરી સુરનરોની સાથે સગર ચક્રવર્તી રૈવતાચલ તરફ ચાલ્યા. માર્ગમાં આવેલા ચંદ્રપ્રભાસ તીર્થમાં શ્રી ચંદ્રપ્રભપ્રભુને નમી રૈવતાચલના શિખર પર તેઓ આવ્યા. તે તીર્થને પણ આદરથી ત્રણ પ્રદક્ષિણા કરી ગજેન્દ્રપદ કુંડનું જલ લઇ જિનાલયમાં ગયા. ત્યાં પૂર્વની જેમ ચક્રીએ પૂજા, નમસ્કાર સ્તુતિ કરી તથા ભાવપૂર્વક સુપાત્રદાન, અભયદાન, ઉચિતદાન અને અનુકંપાદાન આપ્યા. પછી શ્રીદાયક સિદ્ધગિરિ, વિદ્યાધરગિરિ, દેવગિરિ, અંબિકાગિરિ અને ઉમાશંભુગિર વિગેરે સર્વ શિખરો ઉપર ગુરુભગવંત સાથે જઇ ચક્રવર્તીએ ગુરુમહારાજની આજ્ઞા પ્રમાણે વિધિપૂર્વક યાત્રા અને દેવપૂજા કરી. ત્યાંથી પાછા ફરી અર્બુદાચલ, સમેતશિખર અને વૈભારગિરિની યાત્રા કરી પાછા અયોધ્યામાં આવ્યા.
તે સમયે શ્રી અજિતનાથ પ્રભુ જાણે તેના પુણ્યથી ખેંચાઇને આવ્યા હોય તેમ ત્યાં પધાર્યા. તેમના આગમનની વધામણી કહેનારા પુરુષોને ઘણું ધન આપી ચક્રવર્તી ઉત્સાહથી પ્રભુને વંદન કરવા આવ્યા. પછી પ્રભુને નમસ્કાર કરી રોમાંચિત શરીરે દેશના સાંભળવા બેઠા. એટલે ચક્રવર્તીને બોધ ક૨વા અજિતનાથ પ્રભુએ ધર્મદેશના ફરમાવી કે, ‘હે રાજન્ ! રાજ્ય, પુત્ર, પત્ની, ભાઇ, નગર, આવાસ, ધન, દેવવૈભવાદિક અને અન્ય સર્વ ૨મણીય લાગતી વસ્તુઓ આ સંસારસાગરમાં મોતી, શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૫૫
Page #177
--------------------------------------------------------------------------
________________
પરવાળા અને અન્ય રત્નોની જેમ મળવાં સુલભ છે. પરંતુ ચિંતામણી રત્ન જેવું સર્વ અર્થને સાધનારું શ્રી જિનેશ્વરોએ કહેલું આ ચારિત્ર અતિ દુર્લભ છે. જો એક દિવસ પણ શુદ્ધ ચારિત્ર પાળ્યું હોય તો સર્વ કર્મ ખપાવી પરમપદ પમાય છે.'
આવો ચારિત્રનો પ્રભાવ સાંભળી વૈરાગ્ય પામેલા સગર રાજા પોતાના પૌત્ર ભગીરથને રાજય પર સ્થાપન કરીને પોતે એક હજાર રાજાઓની સાથે પ્રભુ પાસે વ્રત ગ્રહણ કરીને વિચારવા લાગ્યા.
શ્રી અજિતસેનસ્વામીને સિંહસેન વગેરે પંચાણું ગણધરો થયા. એક લાખ મુનિઓ, ત્રણ લાખ ત્રીસ હજાર સાધ્વીઓ, બે લાખ એકાણું હજાર શ્રાવકો તથા પાંચ લાખ પીસ્તાલીસ હજાર શ્રાવિકાઓ એ પ્રમાણે પ્રભુનો ચતુર્વિધ સંઘનો પરિવાર થયો. તેમના તીર્થમાં મહાયક્ષ નામે યક્ષ અને અજિતા નામે યક્ષિણી થયા. કુમારપણામાં અઢાર લાખ પૂર્વ, રાજયાવસ્થામાં ત્રેપન લાખ પૂર્વ, વ્રતમાં એક લાખ પૂર્વ અને છબસ્થપણામાં બાર વર્ષ એમ સર્વ મળી બોતેર લાખ પૂર્વ પ્રભુનું આયુષ્ય થયું.
પ્રાંતે શ્રી અજિતનાથસ્વામી વિહાર કરતા કરતા એક હજાર મુનિઓની સાથે સમેતશિખરગિરિ પર પધાર્યા અને અનશન કરી માસને અંતે ચૈત્ર માસની શુક્લ પંચમીએ રોહિણી નક્ષત્રમાં હજાર મુનિઓ સાથે મુક્તિ પામ્યા. ઇન્દ્રાદિ દેવોએ ત્યાં આવી શ્રી અજિતનાથસ્વામીનો નિર્વાણ મહોત્સવ કર્યો. સગર મુનિ પણ કેવલજ્ઞાન પામી, બોતેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી, અજિતનાથ પ્રભુની જેમ સમેતશિખર ઉપર મોક્ષે ગયા.
(ઇતિ સગર ચક્રવર્તીએ કરાવેલો સાતમો ઉદ્ધાર)
• આઠમા ઉદ્ધારક : વ્યંતરેન્દ્ર છે. હવે ચોથા તીર્થકર શ્રી અભિનંદન સ્વામી ભગવાન પૃથ્વીને પવિત્ર કરતા, શ્રી શત્રુંજયગિરિ ઉપર આવ્યા. રાયણ વૃક્ષની નીચે દેવોએ તેમનું સમવસરણ રચ્યું. ત્યાં સિંહાસન પર બેસી પ્રભુએ દેશનામાં કહ્યું કે, “અરિહંતો મુક્તિ પામ્યા પછી, કેવલજ્ઞાન રૂપી ધર્મ નાશ પામ્યા પછી આ તીર્થ જ સર્વ કલ્યાણ કરનારું થશે. જેઓ આ તીર્થમાં આવી ભક્તિથી ભગવાનનું ધ્યાન અને પૂજન કરે છે, તેઓ અલ્પકાળમાં અજરામર પદ પ્રાપ્ત કરે છે. જેઓ અહીં પ્રાસાદ, પ્રતિમા, પાત્રદાન અને અનુકંપાદાન વગેરે કરે છે, તેઓ તત્કાલ આ લોક અને પરલોકના સુખો પામે છે.” પ્રભુની દેશના સાંભળી વ્યંતરપતિઓએ તે જ વખતે ભક્તિથી ઉત્સાહિત થઈ જીર્ણ થયેલા તીર્થના પ્રાસાદોનો ઉદ્ધાર કર્યો. આ રીતે આ શત્રુંજય તીર્થ ઉપર વ્યંતરેન્દ્રોએ કરેલો આઠમો ઉદ્ધાર થયો.
(ઇતિ વ્યંતરેન્દ્રોએ કરેલો આઠમો ઉદ્ધાર) શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૫૬
Page #178
--------------------------------------------------------------------------
________________
કરી
• નવમા ઉદ્ધારક : ચંદ્રયશા રાજા છે • શ્રી ચંદ્રપ્રભસ્વામીનું ચરિત્ર :
હવે આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભ પ્રભુનું ચરિત્ર અહીં સંક્ષેપમાં કહેવામાં આવે છે. આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ચંદ્રાનના નામે શ્રેષ્ઠ નગરી છે. ત્યાં મહાસેન નામે રાજા અને લક્ષ્મણા નામે રાણી હતી. એક વખત સુખે શય્યામાં સૂતેલી એ દેવીએ રાત્રિના શેષ ભાગે ચૌદ મહાસ્વપ્નો જોયાં. તે વખતે ચૈત્ર માસની કૃષ્ણ પંચમીએ વૈજયંત વિમાનથી પ્રભુ તેમની કુક્ષીમાં અવતર્યા. સમય પૂર્ણ થતાં પોષ માસની કૃષ્ણ દ્વાદશીએ લક્ષ્મણાદેવીએ પુત્રરત્નને જન્મ આપ્યો. દિકકુમારીઓ અને ઇન્દ્રોએ જન્મોત્સવ કર્યો. પ્રાતઃકાલે રાજાને ખબર પડતાં જન્મોત્સવ કર્યો. અપ્સરાઓથી લાલન કરાતા પ્રભુ અનુક્રમે યૌવનવય પામ્યા. ચંદ્ર જેવા ઉજજવલ, ચંદ્રનાં લાંછનવાળા અને દોઢસો ધનુષની કાયાવાળા તે ચંદ્રપ્રભ પ્રભુ લોકોને આનંદકારી થયા. માતા-પિતાએ તેમનો શ્રેષ્ઠકન્યા સાથે વિવાહ કર્યો અને રાજય ઉપર બેસાડ્યા. પ્રભુએ ચોવીસ પૂર્વાગયુક્ત સાડા છ લાખ પૂર્વ સુધી પિતાના રાજ્યનું પાલન કર્યું. પછી પોષ માસની કૃષ્ણ ત્રયોદશીએ અપરાણહ કાલે એક હજાર રાજાઓ સાથે વ્રત ગ્રહણ કર્યું. વ્રત લીધા પછી ત્રણ માસ ગયા ત્યારે ફાલ્ગન શુક્લ સપ્તમીએ પ્રભુ કેવળજ્ઞાન પામ્યા. અવધિજ્ઞાનથી તે જાણીને ચારે નિકાયના દેવો, ઈન્દ્રોએ ત્યાં આવીને કેવળજ્ઞાન કલ્યાણકનો મહોત્સવ કર્યો. સમસરણમાં પ્રભુની દેશના સાંભળી પુનઃ દેવો પોત-પોતાના સ્થાનકે ગયા. પછી શ્રેષ્ઠ અતિશયો સહિત વિહાર કરતા પ્રભુ શત્રુંજયગિરિ ઉપર આવ્યા. રાયણ વૃક્ષને પ્રદક્ષિણા કરી ત્યાં સમવસર્યા.
તે તીર્થનો મહિમા વર્ણવી તેને પ્રદક્ષિણા કરીને પ્રભુ ચંદ્રોદ્યાનમાં પધાર્યા. ત્યાં સગર રાજાએ લાવેલા સમુદ્રને કાંઠે બ્રાહ્મી નદીના તટ ઉપર ચંદ્રોદ્યાનના એક ભાગમાં પ્રભુ સમવસર્યા. દેવોએ આવીને સમવસરણ કર્યું. ત્યારબાદ લોકો પ્રભુની સ્તુતિ કરતા તેમની આગળ બેઠા. તે વખતે નજીકમાં રહેલી શશિપ્રભા નગરીનો રાજા ચંદ્રશેખર, ચંદ્રપ્રભા રાણી અને ચંદ્રયશા પુત્રની સાથે ત્યાં આવ્યો. ત્યારે પ્રભુએ દેશના આપી કે, “સર્વ રીતે અસ્થિર એવા આ સંસારમાં શત્રુંજય તીર્થ, અહંતનું ધ્યાન અને બે પ્રકારનો ધર્મ એ જ સાર છે. દેવોમાં જેમ અરિહંત, ધ્યાનમાં જેમ શુક્લધ્યાન અને વ્રતોમાં જેમ બ્રહ્મચર્ય તેમ સર્વ તીર્થોમાં આ તીર્થ મુખ્ય છે. તેમજ સર્વ ધર્મમાં મુનિપણું મુખ્ય ગણાય છે. કારણ કે તેની મુદ્રા વિના મુક્તિરૂપી સ્ત્રી વરને વરતી નથી.”
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૫૭
Page #179
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે દેશના સાંભળીને ચંદ્રશેખર રાજાએ બોધ પામી સ્ત્રી સહિત દીક્ષા ગ્રહણ કરી. ત્યાં સમુદ્રનાં તટ ઉપર પ્રભુના કાયોત્સર્ગને સ્થાને ધરણેન્દ્ર ચંદ્રકાંત મણિના બિંબવાળો એક પ્રાસાદ કરાવ્યો. પછી પ્રભુ ત્યાંથી રૈવતગિરિના શિખરો ઉપર ચારે બાજુ વિચર્યા. ત્યાંથી વિહાર કરી એક હજાર મુનિઓ સાથે સમેતશિખર પર્વતે આવ્યા. ત્યાં ભાદ્રપદ માસની કૃષ્ણ સપ્તમીએ સાડાસાત લાખ પૂર્વનું પૂર્ણ આયુષ્ય પાળી (શ્રી ચંદ્રપ્રભ પ્રભુનું આયુષ્ય અન્યત્ર દશ લાખ પૂર્વનું કહેવું છે), અનશનયુક્ત મોક્ષ પામ્યાં. સર્વ ઇન્દ્રોએ પ્રભુનો નિર્વાણમહિમા કર્યો. પછી પોતપોતાના સ્થાને ગયા. • ચંદ્રપ્રભાસ તીર્થની ઉત્પત્તિ અને મહિમા :
- હવે ચંદ્રશેખર મુનિ વિહાર કરતાં ભગવંતના ચરણથી પવિત્ર થયેલી ચંદ્રપ્રભા નગરીમાં આવ્યા. તે જાણી તેમનો પુત્ર ચંદ્રયશા રાજા પાંચસો રાજાઓ સાથે તેમને વંદન કરવા આવ્યો. ત્યારે ચંદ્રશેખર મુનિરાજે તેને કહ્યું; “અહીં ચંદ્રપ્રભ ભગવંત રહ્યા હતા. તેથી આ ઉત્તમ તીર્થ ચંદ્રપ્રભાસ નામે (વેરાવળ પાસે હાલ પ્રભાસપાટણ છે તે) પૃથ્વી ઉપર પ્રખ્યાતિ પામશે. જે સ્થાને પ્રભુ પ્રતિમા વડે સ્થિર રહ્યા હતા, તે સ્થાને સમુદ્ર વેલને ઓળંગીને ઉંચે ઉંચે જવા લાગ્યો. તેથી લવણ સમુદ્રના અધિષ્ઠાયક દેવે ભક્તિથી ત્યાં છત્રરૂપ થઈ તત્કાલ ચારે બાજુથી તે સમુદ્રને રૂંધ્યો અને તે ઠેકાણે ધરણેન્દ્ર પ્રભુનો પ્રાસાદ કરાવ્યો. તેથી તે સ્થાને એક પવિત્ર તીર્થ થયું અને ત્યારથી તે સમુદ્ર પણ પવિત્ર કહેવાયો.
વળી પૂર્વે શ્રી યુગાદિપ્રભુના પૌત્ર ચંદ્રકીર્તિએ ચંદ્રોદ્યાનની પાસે ભાવી તીર્થકર શ્રી ચંદ્રપ્રભ પ્રભુનો પ્રાસાદ કરાવ્યો હતો. તે ઠેકાણે એક યોજનમાં ચંદ્રપ્રભ પ્રભુનું સમવસરણ થયેલું હતું. ત્યાં દૈવયોગે જે મરણ પામે તે માણસો સ્વર્ગમાં જાય છે. શ્રી તીર્થકરના ચરણથી પવિત્ર થયેલા તે પ્રદેશમાં મૃત્યુ પામેલા મનુષ્યના દેહમાં દુર્ગધ ઉત્પન્ન થતી નથી, કીડા પડતા નથી. આ તીર્થે મૃત્યુ પામેલા પ્રાણીઓ નરક કે તિર્યંચગતિમાં જતા નથી, તેઓ મનુષ્યગતિ, દેવગતિ અથવા મોક્ષ મેળવે છે.
સગર રાજાએ તીર્થની રક્ષા માટે સાગરને આકર્થો, તેને આઠમા તીર્થકરના સ્નાત્રજળ સાથે સ્પર્શ થયો. તેથી તે અતિ પવિત્ર છે. પ્રભુનો સ્નાત્ર કરવા માટે બ્રત્યેન્દ્ર ઘણા જલવાળી બ્રાહ્મી નદી લાવેલા છે, તેથી તે પણ પવિત્ર છે. અહીં ઘણાં તીર્થોનો સંગમ થયેલો છે, તેથી આ ઉત્તમ તીર્થ સર્વ પાપનો નાશ કરનારું છે.”
આ પ્રમાણે ધર્મોપદેશ આપી તે મુનિએ ત્યાંથી વિહાર કર્યો. ત્યારબાદ ચંદ્રયશા રાજાએ હર્ષથી તે ઠેકાણે પ્રાસાદસહિત ચંદ્રપ્રભ પ્રભુની ચંદ્રકાંત મણિમય મૂર્તિ કરાવી તથા પોતાના પિતા ચંદ્રશેખરની પણ એક મણિમય મૂર્તિ કરાવી અને ચંદ્રપ્રભ
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૫૮
Page #180
--------------------------------------------------------------------------
________________
ભગવંતને ચંદ્રનું લાંછન છે તેવું પિતાના મસ્તક ઉપર ચંદ્રનું ચિહ્ન કરાવ્યું. તે બંને મૂર્તિનો પ્રતિષ્ઠા ઉત્સવ પણ સારી રીતે કર્યો.
ત્યાર પછી ચંદ્રયશા શુભ દિવસે શુભ ભાવનાપૂર્વક સગર રાજાની જેમ સંઘ સહિત તીર્થયાત્રા કરવા ચાલ્યો. કેટલાક દિવસે ગુરુના કહેલા માર્ગે શત્રુંજય તીર્થમાં આવી વિધિપૂર્વક દાન-પૂજન આદિ સર્વ કર્યું. ત્યાં કેટલાક જીર્ણ થયેલા પ્રાસાદોને જોઇ ચંદ્રયશાએ આદરપૂર્વક પ્રાસાદનો ઉદ્ધાર કર્યો. પુંડરીક, રૈવત, આબુ અને બાહુબલિ વગેરે સર્વ શિખરોનો તેણે ભક્તિથી ઉદ્ધાર કર્યો. એ પ્રમાણે સર્વ તીર્થની યાત્રા અને ઉદ્ધાર કરી ચંદ્રયશા રાજાએ સદ્ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરી. લાખ પૂર્વ સુધી દીક્ષા પાળી, અષ્ટકર્મનો ક્ષય કરી કેવલજ્ઞાન મેળવીને અંતે મોક્ષસુખ પામ્યા. (ઇતિ નવમો ઉદ્ધાર)
શ્રી શાંતિનાથ ચરિત્ર
આ ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગરમાં વિશ્વસેન નામે રાજા થયા. તેમને અચિરા નામે પટ્ટરાણી હતા. એક વખત રાત્રિના અવશેષ સમયે તેમણે બે વાર ચૌદ સ્વપ્નો જોયાં. તે દિવસે ભાદ્રપદ માસની શુક્લ સપ્તમીએ સર્વાર્થસિદ્ધ વિમાનથી ચ્યવીને પ્રભુ તેમની કુક્ષીમાં અવતર્યા. બે વાર ચૌદ સ્વપ્નો જોવાથી અત્યંત અને ચક્રવર્તી એમ બે પદવી ધરાવનાર પુત્રનો રત્નગર્ભા - પૃથ્વીની જેમ અચિરા દેવીએ ગર્ભ ધારણ કર્યો. સમય પૂર્ણ થતાં જેઠ માસની શુક્લ ત્રયોદશીએ શુભ મુહૂર્તે અચિરા દેવીએ પુત્રરત્નને જન્મ આપ્યો.
દિકુમારીઓએ, ઇન્દ્રોએ અને રાજાઓ વગેરેએ પ્રભુનો જન્મોત્સવ કર્યો. પિતાએ હર્ષથી ‘શાંતિ' એવું નામ પાડ્યું. અનુક્રમે યૌવનવય પામતાં સુવર્ણ જેવા વર્ણવાળા અને ચાલીસ ધનુષ ઉંચા દેહવાળા પ્રભુએ પિતાની આજ્ઞાથી રાજ્યનો ભાર સ્વીકાર્યો. પછી ચક્રરત્નને અનુસરી ભરતના છ ખંડ જીતી સુખેથી પોતાના રાજ્યનું પાલન કર્યું. ઘણા વર્ષો સુધી રાજ્ય પાળ્યા પછી જ્યેષ્ઠ માસની કૃષ્ણ ચતુર્દશીએ પ્રભુએ એક હજાર રાજાઓની સાથે વ્રત ગ્રહણ કર્યું. છદ્મસ્થપણે સર્વ દેશમાં વિહાર કરી, પ્રભુએ એક વખત હસ્તિનાપુરની પાસેના વનમાં નિવાસ કર્યો. ત્યાં પોષ માસની શુક્લ નવમીએ ઘાતીકર્મનો ક્ષય થતાં લોકાલોકને પ્રકાશિત કરનારું નિર્મળ કેવળજ્ઞાન તેઓ પામ્યા. પછી ત્યાંથી તે તે પ્રકારના સર્વ અતિશયોથી યુક્ત અને સર્વ દેવતાઓએ સર્વ પ્રકારથી સેવેલા પ્રભુ શત્રુંજયગિરિની પાસેના સિંહોદ્યાનમાં પધાર્યા.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૫૯
Page #181
--------------------------------------------------------------------------
________________
• શાંતિનાથ પરમાત્માને સિંહનો ઉપસર્ગ :
આ તરફ પૂર્વે પ્રતિષ્ઠાનપુર નામના નગરમાં યજ્ઞકર્મમાં નિષ્ઠાવાળો, અતિ દુષ્ટબુદ્ધિવાળો કોઈ મિથ્યાત્વી બ્રાહ્મણ રહેતો હતો તે રોજ યજ્ઞ કરતો. એક વખત કોઇ મુનિ તે બ્રાહ્મણના યજ્ઞસ્થાનમાં આવ્યા. તે સમયે ત્યાં હિંસા થતી જોઇ મુનિ હૃદયમાં કરૂણાભાવ ઉભરાવાથી બોલી ઉઠ્યા, “શુદ્ધ સિદ્ધાંતને દૂષિત કરનારા આ લોકોને ધિક્કાર છે. પૂર્વે ભરતરાજાએ જે ધર્મતત્પર વેદ રચેલા હતા, તેઓને આ માંસ-મદિરા ખાવાની ઇચ્છાવાળા પુરુષો પ્રાણીની હિંસાથી દૂષિત કરે છે.'
મુનિનાં વચનો સાંભળી એ અધમ બ્રાહ્મણને ક્રોધ ચઢયો. તેથી મુનિને મારવા માટે શ્રવ (શ્રવ = સરવો - હોમવાનું કાષ્ઠમય પાત્ર) ઉપાડી વેગથી દોડ્યો. ક્રોધમાં અંધ બનીને દોડતો એ બ્રાહ્મણ અતિ ઉંચા યજ્ઞસ્તંભ સાથે અથડાઈને ક્ષણવારમાં આર્તધ્યાનથી મૃત્યુ પામીને શત્રુંજયના સિંહોઘાનમાં કેશરીસિંહ થયો. પ્રાંતે થયેલા મુનિદર્શનના પુણ્યથી ઉત્તમ તીર્થ પામ્યો, પરંતુ જાતિસ્વભાવથી ત્યાં અનેક પ્રાણીઓને ત્રાસ પમાડતો તે ફરતો હતો. તેવામાં ત્યાં તેણે ધ્યાનારૂઢ શાંતિનાથ પ્રભુને જોયા. પ્રભુના દર્શનથી તેનો કોપાગ્નિ વિશેષ પ્રજવલિત થયો. તેથી પંજો ઉપાડીને પ્રભુ સામે એકદમ દોડ્યો. પ્રભુની પાસે પાંચ હાથ નજીક આવતાં જ એ પાપી સિંહ ભીંત સાથે અફળાઈને જેમ ઢેકું પાછું પડે, તેમ સ્વયમેવ સાત ધનુષ્ય જેટલો પાછો પડ્યો. પોતે ફાળ ચૂક્યો છે એવું માની અતિ ક્રોધ કરી પૂછડું ઊંચું લઈ પાછો તે પ્રભુ તરફ દોડ્યો, વળી પાછો પડ્યો.
આ પ્રમાણે વારંવાર સ્કૂલના પામવાથી તે વિચારવા લાગ્યો કે, અહીં મને આડું આવે તેવું મારી આગળ કોઈ દેખાતું નથી અને મારી ફાળ નિષ્ફળ જાય છે. તેથી આ કોઈ અસાધારણ પુરુષ લાગે છે. એવું વિચારી વારંવાર પ્રભુ તરફ જોતાં તેને પૂર્વભવનું સ્મરણ થયું. તે વખતે સિંહ શાંત થયો છે, એમ જાણીને પ્રભુએ તેને કહ્યું, “હે બ્રાહ્મણ ! તું તારા પૂર્વભવને યાદ કર. તે ભવમાં કરેલા પાપકર્મથી સિંહ થયો છે અને હમણાં પણ તીર્થકરનું સાંનિધ્ય મળ્યા છતાં અતિ રોષ ધરીને નરકની માતાતુલ્ય હિંસા હજુ કેમ કરે છે ? હજુ પણ તું જીવહિંસા છોડી દે, દયા અંગીકાર કર, ધર્મને ભજ અને તીર્થની આરાધના કર.”
આ પ્રમાણે તેને ધર્મવચનથી પ્રતિબોધ કરી પ્રભુ આગળ ચાલ્યા એટલે શાંત થયેલો તે સિંહ પ્રભુની પાછળ ચાલ્યો. સ્વર્ગગિરિ પર આરૂઢ થતાં પ્રભુએ પાછળ આવતા તે સિંહને કહ્યું કે, “સર્વ પ્રાણી ઉપર સમભાવ ધારણ કરીને તું અહીં રહે. આ ક્ષેત્રના પ્રભાવથી અહીંથી જ તને સ્વર્ગ મળશે અને પછી એક અવતારે મોક્ષની
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૬૦
Page #182
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિ પણ થશે.” આવી પ્રભુની આજ્ઞા થતાં એ સિંહ પ્રભુનું જ ધ્યાન ધરતો ત્યાં સ્થિર થયો અને શુભ ધ્યાનપૂર્વક આયુષ્યને અંતે મૃત્યુ પામી સ્વર્ગે ગયો.
પ્રભુ શાંતિનાથે પણ અજિતનાથસ્વામીની જેમ મરુદેવા શિખર ઉપર ચાતુર્માસ નિર્ગમન કર્યું. ત્યાં ગંધર્વ, વિદ્યાધર, દેવો, નાગકુમારો અને મનુષ્યો આવી પ્રીતિથી પ્રતિદિન પ્રભુની પૂજા કરતા હતા. ચાતુર્માસ પૂર્ણ થયા પછી ભગવાને અન્યત્ર વિહાર કર્યો. પછી પેલા સિંહદેવે સ્વર્ગમાંથી આવી પ્રભુથી પવિત્ર થયેલા તે મરુદેવા શિખર ઉપર શ્રી શાંતિનાથ જિનનું પ્રતિમા સહિત ચૈત્ય કરાવ્યું. તે સિવાય પોતાની સ્વર્ગગતિના હેતુરૂપ સ્વર્ગગિરિ શિખર ઉપર જિનેશ્વરોની તથા પોતાની પ્રતિમા સાથે બીજા પ્રાસાદો કરાવ્યા.
- સિંહદેવ અને તેના અનુગામી દેવો વડે અધિષ્ઠિત એવું તે શિખર, શ્રી શાંતિનાથની ભક્તિ કરનારની સર્વ કામના પૂરે છે અને પૂર્વાભિમુખે રહેલા તે ચૈત્યથી પાંચસો ધનુષ દૂર ઇશાન ખૂણામાં એક યક્ષ રહેલો છે. તે ચિંતામણિરત્ન આપે છે. વળી ત્યાં કલ્પવૃક્ષને અધિષ્ઠિત થઈને સાડા ત્રણ કરોડ દેવતાઓ રહેલા છે. તેઓશ્રી શાંતિનાથનું આરાધન કરનારને સર્વ વાંછિત આપે છે. અતિ પુણ્યવાન પ્રાણીઓને ત્યાં તે તીર્થનો અને તીર્થંકરનો આશ્રય કરવાથી પારલૌકિક સિદ્ધિ થાય છે. | સર્વ શિખર ઉપરની પૃથ્વીને પાવન કરતા શ્રી શાંતિનાથ ભગવાન અનુક્રમે હસ્તિનાપુર આવ્યા. પ્રભુને ત્યાં પધારેલા જાણી તેમના પુત્ર ચક્રધર રાજા પરિવાર સાથે પ્રભુને વાંદવા આવ્યા. નમસ્કાર કરી, સ્તુતિ કરીને સર્વ બેઠા એટલે પ્રભુએ દેશના આપી કે, “શીલ, શત્રુંજય પર્વત, સમતા, જિનસેવા, સંઘ અને સંઘપતિનું પદ એ શિવલક્ષ્મીના જામીનરૂપ છે.”
તે સાંભળી ચક્રધરે ઉભા થઈને પ્રભુને કહ્યું કે, “હે પ્રભુ ! મને સંઘપતિની પદવી આપો.” તે સાંભળી પ્રભુએ દેવોએ લાવેલો અક્ષતયુક્ત વાસક્ષેપ ચક્રધરના મસ્તક પર નાંખ્યો. ચક્રધરે ત્યાં મોટો ઉત્સવ કર્યો. પછી પ્રભુની આશિષ લઇને ચક્રધર સંઘને આમંત્રણ કરીને બોલાવ્યો. ઇન્ડે આપેલા દેવાલય સાથે શુભ મુહૂર્ત સંઘ સહિત ત્યાંથી ચાલ્યો. ગામે ગામે જિનપ્રતિમાને અને મુનિઓને નમતો અવિચ્છિન્ન પ્રયાસોથી સૌરાષ્ટ્ર દેશમાં આવીને તીર્થની નજીક આવ્યો. • ચક્રધરે કરેલ વિધાધરને સહાયતા અને પાણિગ્રહણ :
એક વખત સંઘપતિ ચક્રધર રાજા દેવાલય પાસે બેઠો હતો તેવામાં કોઈ વિદ્યાધર ત્યાં આવ્યો. ચક્રધરે તેને આવકાર આપ્યો. પછી વિદ્યાધરે કહ્યું, “હે રાજા ! તમે અરિહંતના પુત્ર છો. હું ખેટનગરના રાજા મણિપ્રિય વિદ્યાધરનો કલાપ્રિય નામે પુત્ર છું.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૬ ૧
Page #183
--------------------------------------------------------------------------
________________
મને ઘણા શત્રુઓએ છળ કરીને ઘેરી લીધો છે. ગોત્રદેવીની આજ્ઞાથી તમારાથી શત્રુનો ક્ષય થશે તેમ જાણવાથી તમને લેવા માટે હું આવ્યો છું. તેથી મારા પર પ્રસન્ન થાઓ.”
તે સાંભળી ચક્રધર વિદ્યાધર સાથે ખેટનગરમાં આવ્યા. ચક્રધર આવતાં જ તેના તેજને નહીં સહન કરી શકતા શત્રુઓ તત્કાળ ખસી ગયા. તેથી હર્ષ પામેલા કલાપ્રિયે ચક્રધર રાજાને કહ્યું, “હે રાજન્ ! પોતાની મેળે જ તમારી ઉપર અનુરક્ત થયેલી આ મારી બહેન હું તમને આપું છું. તેથી કાંઈ તમારા ઉપકારનો બદલો વળી શકે તેમ નથી, તો પણ તે મારી બહેનનો આપ સ્વીકાર કરો.” એમ કહી ગુણાવલી નામે પોતાની બહેન ચક્રધરને આપી. તે સિવાય પણ ઘણી વિદ્યાધર કન્યાઓ ચક્રધર રાજા પરણ્યા. “સર્વ ઠેકાણે ભાગ્ય તો સરખું જ હોય છે.”
ત્યારપછી કલાપ્રિય વિદ્યાધર, ચક્રધર રાજાને તીર્થયાત્રાની સ્પૃહાવાળા જાણીને પ્રિયાસહિત વિમાનમાં બેસાડી વેગથી ચાલ્યો. વિમાનના ગોખમાં બેસી રાજા વિશ્વના પદાર્થોને જોતા હતા, તેવામાં કોઇક ઠેકાણે એક રમણીય ઉદ્યાન તેમણે જોયું. તે જોઇ તેમણે વિદ્યાધરને કહ્યું, “આ કોઇ ઉત્તમ વન લાગે છે. મને અહીં ક્રીડા કરવાની ઇચ્છા થઇ છે. તેથી અહીં વિમાન ઉતારો.' વિદ્યાધરે તે વિમાનને તત્કાળ ત્યાં ઉતાર્યું. તેમાંથી ઉતરીને રાજા તે વનમાં સુંદર વૃક્ષોની શોભા જોતો આગળ ચાલ્યો. ત્યાં એક નિર્મળ જળવાળું સરોવર જોયું. • ચક્રધર રાજવીના કરસ્પર્શથી વાનરીનું રૂપ પરાવર્તન ને પાણિગ્રહણ :
તે વિદ્યાધરની સાથે ચક્રધર રાજા સરોવરની આસપાસ ફરવા લાગ્યા. આગળ જતાં વૃક્ષોની શાખાથી ઢંકાયેલું એક ચૈત્ય હતું. તે ચૈત્યમાં શ્રી આદિનાથપ્રભુનું મણિમય બિંબ જોઇ હર્ષ પામેલા ચક્રધર રાજા પ્રિયાને લઇને પૂજા કરવા માટે અંદર ગયા. પુષ્પ, અક્ષત તથા સ્તવનાદિકથી પૂજા કરીને પ્રાસાદની ઉત્તમ શોભા જોતા જોતા ચૈત્યની બહાર આવ્યા. ત્યાં નારીની જેમ ગોખમાં બેઠેલી એક વિચિત્ર રૂપવાળી વાનરી તેમણે જોઇ. “આ સુંદર છે' એવું ધારી ચક્રધરે તેના શરીરને હાથથી સ્પર્શ કર્યો, તેવામાં તો એ દિવ્ય રૂપવાળી સ્ત્રી થઇ ગઇ. તે જોઇ વિસ્મય પામેલો રાજા કાંઈ બોલવા જાય, તેવામાં બે વિદ્યાધરો આવી હર્ષથી રાજાને કહેવા લાગ્યા, રાજન્ ! આ વાનરીનું રૂપ બદલાઈ જવાથી વિસ્મય ન પામતાં, અમારી વિચિત્ર કથા સાંભળો. તે સાંભળવા તેઓ ત્યાં બેઠા. એટલે તે બેમાંથી એક જણ બોલ્યો - • વાંદરી - શૃંગારસુંદરી :
“હે રાજા ! અમે વૈતાદ્યગિરિની ઉત્તમ શ્રેણીમાં રહીએ છીએ. શૃંગારસુંદરી નામે આ મારી પુત્રી છે. એક વખતે વસંતઋતુ આવતાં યૌવનવયને પામેલી તે
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૬૨
Page #184
--------------------------------------------------------------------------
________________
સખીઓની સાથે ઉદ્યાનમાં ક્રીડા કરવા ગઈ. ત્યાં સ્વેચ્છાથી પુષ્પ, ફલ આદિને ગ્રહણ કરતી અને રમતી તે બીજા વનમાં ગઇ. ત્યાં પણ ફલાદિક લેતાં તેની ચપળતા જોઇને તે વનની ચક્રેશ્વરી નામે દેવીએ તેને શાપ આપ્યો કે, “તું વાનરી થઇ જા.” તે સાંભળી ભય પામેલી શૃંગારસુંદરીએ અનુગ્રહ માટે વિનંતી કરી, એટલે તે દેવી પ્રસન્ન થઈ. ઘણું કરીને ઉત્તમ પુરુષો અતિ કોપવાળા નથી હોતા.”
તે દેવીએ કહ્યું કે, “હે સુલોચના ! શ્રી શાંતિનાથ પ્રભુના પુત્ર ચક્રધર રાજા જ્યારે તને હાથથી સ્પર્શ કરશે, ત્યારે તું પાછી તારા પોતાના સ્વરૂપમાં આવીશ અને તે રાજા તારી સાથે પાણિગ્રહણ પણ કરશે.” આવો અનુગ્રહ કરી, દેવી અંતર્ધાન થઈ ગયા. ત્યારથી આ બાળા વાનરી થઈને આ વનમાં રહેતી હતી. તેના ભાગ્યથી જ અત્યારે તમે અહીં આવ્યા છો. “હે રાજા ! મનુષ્યપણું આપીને તમે તેને પોતાની કરી દીધી છે. તો હવે તેનું પાણિગ્રહણ કરો.'
તેમની પ્રાર્થનાથી અને કલાપ્રિય વિદ્યાધરના આગ્રહથી ચક્રધર રાજાએ શ્રી યુગાદિ પ્રભુની સાક્ષીએ તેનું પાણિગ્રહણ કર્યું. કલાપ્રિય અને તે બંને વિદ્યાધરોએ ચક્રધરને અનેક કળાઓ આપી અને દેવીઓએ પ્રત્યક્ષ થઈને શ્રેષ્ઠ વરદાનો આપ્યા. • ચક્રધર રાજા દ્વારા તાપસોને પ્રતિબોધ :
આ પ્રમાણે શૃંગારસુંદરીને પરણીને ચક્રધર રાજા તે વનમાં આગળ ફરવા લાગ્યા. થોડે દૂર જતાં એક નદીને કિનારે તાપસીના આશ્રમો જોયા. તાપસોએ કેટલાક લક્ષણોથી તેમને રાજા જાણી આદરપૂર્વક તેમની શુશ્રુષા કરી. પછી રાજાએ તેમને બહુમાનપૂર્વક પૂછ્યું, ‘તમે કોણ છો ? તમારું શું વ્રત છે ? અને તમે કોનું ધ્યાન ધરો છો ?' એટલે તેઓ બોલ્યા, “હે રાજા ! અમે કચ્છઋષિના વંશજ જટાધારી તાપસો છીએ. કંદમૂલનું ભક્ષણ કરીએ છીએ. શ્રી યુગાદિ પ્રભુને નમીએ છીએ. વલ્કલનાં વસ્ત્ર પહેરીએ છીએ. પૃથ્વી પર શયન કરીએ છીએ અને બ્રહ્મચર્ય પાળીએ છીએ.'
તે સાંભળી રાજા બોલ્યો, “અરે તાપસો ! તમે મિથ્યાત્વમાં મોહ પામી વિપરીત ધર્મને આચરવા વડે ઠગાયા છો. તમે સંગરહિત, બ્રહ્મચર્યાદિ તપ જપમાં પરાયણ અને યુગાદિ દેવને શરણે રહેનારા છતાં અભક્ષ્યનું ભક્ષણ કેમ કરો છો ? જેની નસો ગૂઢ છે, જે છેદવાથી ઉગે છે અને જેનો સરખા ભાગે ભંગ થાય છે. એવી વનસ્પતિ અને પલ્લવો અભક્ષ્ય કહ્યા છે. તેને મિથ્યાદ્રષ્ટિઓ જાણતા નથી. તેવા કંદમૂળનાં તીક્ષ્ણ સોયની અણી જેટલા ભાગમાં પણ અનંત પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને લય પામી જાય છે, તેથી તે અનંતકાય કહેવાય છે. ઉદુંબર, વડ, પીપર,
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૬૩
Page #185
--------------------------------------------------------------------------
________________
કકોદુંબર અને પીપળો એટલા વૃક્ષોનાં ફળ નિરંતર કીડાથી ભરેલા હોય છે, તેથી તે કદીપણ ખાવા નહીં. મધ, માંસ, માખણ અને મધ એ ચાર મહાવિગઈ છે, તેનો ત્યાગ કરવો. કારણ કે તે અનંત દોષને કરનારી છે. બરફ, વિષ, કરા, સર્વ જાતની માટી, તુચ્છ ફળ, રાત્રિભોજન, અનંતકાય, સંધાનક (બોળ અથાણું), રીંગણાં, અજાણ્યા ફલ, વાસી (ચલિત રસ), બહુબીજ અને કાચા ગોરસ સાથે મળેલા કઠોળ = દ્વિદળ એ સર્વનો ત્યાગ કરવો. આ બાવીસ પ્રકારના અભક્ષ્ય શ્રી જિનેશ્વરે કહેલા છે, તેનો ત્યાગ કર્યા વગર શ્રી આદિનાથ પ્રભુ તમારે કેવી રીતે પૂજવા યોગ્ય થાય? તે અભક્ષ્યોનું ભક્ષણ કરવાથી હીન જાતિ, અજ્ઞતા, રોગોત્પત્તિ અને દારિદ્રય પ્રાપ્ત થાય છે. તેમજ મૃત્યુ પામ્યા પછી નરકમાં જવું પડે છે. પ્રભુએ કહેલા આ અભક્ષ્યોને જાણીને તેનો જે ત્યાગ કરે, તે બુદ્ધિમાન પુરુષ પાપરહિત થઈ અનંત સુખ ભોગવી છેવટે મોક્ષે જાય છે.
ચક્રધરના આ વચનથી પ્રતિબોધ પામેલા તાપસી કહેવા લાગ્યા કે, “તમે અમારા માર્ગદર્શક છો. હે રાજા ! અંધ પુરુષ જેમ ચિંતામણિ ગુમાવે, તેમ મિથ્યાત્વપણાથી અમે અમારા જન્મનો આટલો કાળ વ્યર્થ ગુમાવ્યો.” ચક્રધરે કહ્યું, “હવે તમે ખેદ ન કરો અને મારી સાથે શ્રી ઋષભ પ્રભુને નમવા ચાલો.'
એમ કહી તેમને સાથે લઇ ચક્રધર રાજા જ્યાં સંઘ હતો ત્યાં આવ્યા. સંઘપતિને પત્ની, વિદ્યાધરો તથા તાપસો સહિત આવતા જોઈ સંઘના લોકો હર્ષથી વાજિંત્રો વગાડી ધવલ મંગલ ગાવા લાગ્યા. પછી રાજા તીર્થની અને સંઘની પૂજા કરીને પુંડરીકગિરિ ઉપર ચડ્યા. તે સમયે ઇન્દ્ર મોટો ઉત્સવ કર્યો. ત્યાં વિધિ પ્રમાણે પૂજા, આરતી, દાન અને ઇન્દ્રોત્સવ ઈત્યાદિ આદરસહિત કર્યા.
તે વખતે પેલા સિંહદેવે ચક્રધર પાસે પ્રત્યક્ષ થઈને કહ્યું કે, “તમારા પિતાની કૃપાથી હું આટલી સમૃદ્ધિવાળો થયો છું. હે રાજા ! અહીં મરુદેવા નામના શિખર ઉપર તમારા પિતાનો એક પ્રાસાદ છે, ત્યાં જઈ હર્ષથી તેમની પૂજા કરો.' તેના વચનથી ચક્રધરે ત્યાં જઈ ભક્તિથી પૂજન કર્યું અને ત્યાં પણ પૂર્વની જેમ સર્વ ઉચિત કાર્ય કર્યું. સર્વ તાપસી શ્રી ઋષભદેવ પ્રભુનાં દર્શન કરી પોતાના જન્મને કૃતાર્થ માની હર્ષ પામ્યા. પછી કેવળી પ્રભુની આજ્ઞાથી સ્વર્ગગિરિથી ઉત્તર દિશાએ એક યોજન નીચે તે બધા તપસ્વીઓ રહ્યા. ત્યાં ઘાતકર્મનો ક્ષય થવાથી તેઓને એક સાથે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને અનુક્રમે મુક્તિ પામ્યા. ત્યારથી તે સ્થાન તાપસગિરિ નામે પ્રખ્યાત થયું.
માહાભ્ય સાર : ૧૬૪
Page #186
--------------------------------------------------------------------------
________________
• દશમા ઉદ્ધારક : ચક્રધર રાજા -
ચક્રધર રાજવીએ કરેલ દશમો તીર્થોદ્ધાર અને વિવિધ તીર્થોની યાત્રા ઃ રાજા ચક્રધરને તે તીર્થ જોઇ આનંદ પામેલા જાણી ઇન્દ્ર બોલ્યા, ‘હે રાજા ! તમારા પૂર્વજોનું આ તીર્થ કાળયોગથી જીર્ણ થઇ ગયું છે અને તમે પ્રભુના પુત્ર છો, તો આ તીર્થનો તમારે ઉદ્ધાર કરવો જોઇએ.’ તે સાંભળી ચક્રધરે જીર્ણ થયેલા પ્રાસાદોને નવીન કર્યા. ‘તમે આ તીર્થનો જીર્ણોદ્ધાર કરનાર થયા' એમ કહી ઇન્દ્રે સોના રૂપાની પુષ્પવૃષ્ટિ સહિત તેમને હર્ષપૂર્વક વધાવ્યા. પછી સમુદ્રની પાસે આવેલા ચંદ્રપ્રભાસ તીર્થમાં આવી શ્રી ચંદ્રપ્રભ પ્રભુનો અઠ્ઠાઇ ઉત્સવ કર્યો. ત્યાંથી સંઘ સાથે રૈવતગિરિ પર ચડ્યા. ત્યાં પણ જિનપ્રાસાદોનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને બીજા કેટલાક નવા ચૈત્યો પણ કરાવ્યા. ત્યાંથી નંદીવર્ધનગિરિ પર સંઘ સહિત ચડ્યા. ત્યાં પણ વિધિપૂર્વક પૂજા, અન્નદાન, સંઘભક્તિ અને જીર્ણોદ્વાર ઇત્યાદિ સત્કર્મો કર્યા. પછી સમેતિશખર વગેરે તીર્થોની ભક્તિથી યાત્રા કરી ચક્રધર રાજા ઉત્સવપૂર્વક હસ્તિનાપુરમાં આવ્યા.
આ બાજુ શાંતિનાથ પ્રભુ અનેક મુનિઓ સાથે સમેતશિખરગિરિએ પધાર્યા. ત્યાં એક લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી નવસો મુનિઓ સાથે અનશન વ્રત ગ્રહણ કર્યું. અનુક્રમે વૈશાખ માસની કૃષ્ણ ત્રયોદશીએ અપરાષ્ઠ કાલે તે મુનિઓ સાથે પ્રભુ મુક્તિપદ પામ્યા. સર્વ દેવતાઓએ પૂર્વની જેમ ત્યાં પ્રભુનો નિર્વાણ મહિમા કર્યો અને એક મણિમય જિનચૈત્ય કર્યું.
શ્રી શાંતિનાથ પ્રભુનું નિર્વાણ સાંભળી ચક્રધર રાજાએ વૈરાગ્યથી ગુરુમહારાજની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. દશ હજાર વર્ષ સુધી ખડ્ગધારા જેવું વ્રત પાળી કેવળજ્ઞાન પામ્યા. શુભધ્યાનથી બાહ્ય અને અત્યંતર સર્વ અંધકારને દૂર કરતા શ્રી ચક્રધર મુનિ પ્રાંતે સમેતશિખર ઉપર આવીને મોક્ષે ગયા.
(આ દશમો ઉદ્ધાર થયો.)
દેવ આવો જગતમાં નહિ મળે રે...
સિદ્ધાચલ તીર્થરાજ ભગવાન શ્રી આદિનાથનો જે માણસ ૧૦૮ પાણીના ઘડા ભરીને સ્નાત્ર મહોત્સવ કરે છે તે જીવનો જો ખરાબ નક્ષત્રમાં જન્મ થયો હોય તો પણ તેના તમામ દોષો ટળી જાય છે.
***
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૬૫
Page #187
--------------------------------------------------------------------------
________________
ત્રીજો પ્રસ્તાવ
શ્રી રામચંદ્ર આદિ મહાપુરુષોનાં ચરિત્રો, અયોધ્યા નગરીમાં સૂર્યપશાના વંશમાં ઘણા રાજાઓ થયા પછી વિજય નામે એક રાજા થયો. તેને હિમચૂલા નામે રાણીથી વજબાહુ અને પુરંદર નામે બે પુત્રો થયા. તેમાં વજબાહુએ પોતાના સાળાએ કરેલા હાસ્યથી દીક્ષા લીધી. વિજય રાજા પણ પુરંદરને રાજ્ય ઉપર બેસાડી દીક્ષા લઇને છેવટે મોક્ષે ગયા. એ પુરંદર રાજાને કીર્તિધર નામે એક પુત્ર થયો. તેને સુકોશલ નામે પુત્ર થયો. સુકોશલે ગર્ભવતી પત્નીને મૂકીને વ્રત ગ્રહણ કર્યું. તે સુકોશલની માતા સહદેવી આર્તધ્યાનથી મૃત્યુ પામીને વનમાં વાઘણ થઈ. તેણે સંયમી એવા પોતાના પતિ અને પુત્રને જોઇ પૂર્વના ક્રોધથી મારી નાંખ્યા. સુકોશલનો પુત્ર હિરણ્યગર્ભ થયો અને તેનો પુત્ર નઘુષ નામે થયો. એક વખત નઘુષ બીજે ઠેકાણે ગયો હતો ત્યારે શત્રુઓ ચડી આવ્યા. તેથી તેની રાણીએ શત્રુઓનો પરાજય કર્યો. તે કાર્યથી નઘુષને પોતાની સ્ત્રી અસતી છે એવું લાગ્યું. એટલે તે સ્ત્રીએ પોતાના સતીપણાના પ્રભાવથી પોતાના પતિના તીવ્રજવરને પોતાના હાથના સ્પર્શમાત્રથી દૂર કર્યો. તેમનો પુત્ર સોદાસ થયો. તે રાક્ષસની જેમ મનુષ્યનું માંસ ખાનારો થયો. તેથી મંત્રીઓએ તેને રાજ્યથી દૂર કરી તેના પુત્ર સિંહરથને રાજ્ય ઉપર બેસાડ્યો. છેવટે સોદાસ પણ કોઇ મુનિ પાસે ધર્મ સાંભળી જીવદયા પાળવા લાગ્યો અને મહાપુર નગરનો રાજા થયો.
એક વખત સોદાસે સિંહરથને જીતી બંને રાજય ઉપર પાછો તેને જ સ્થાપન કરીને ગુરુ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. સિહરથનો પુત્ર બ્રહ્મરથ રાજા થયો, તેનો પુત્ર ચતુર્મુખ, તેનો પુત્ર હેમરથ, તેનો શતરથ, તેનો ઉદયપૃથુ (તેનો ઉદય અને ઉદયનો પૃથુ એમ પણ લેખ છે), તેનો વારિરથ, તેનો ઈન્દુરથ, તેનો આદિત્યરથ, તેનો માંધાતા, તેનો વીરસેન, તેનો પુત્ર પ્રતિમન્યુ, તેનો પાબંધુ, તેનો રવિમન્યુ, તેનો વસંતતિલક, તેનો કુબેરદત્ત, તેનો કુંથુ, તેનો શરભ, તેનો કિરદ, તેનો સિંહદર્શન, તેનો હિરણ્યકશિપુ, તેનો પંજસ્થળ, તેનો કકુસ્થ અને તેનો રઘુ - એ પ્રમાણે રાજાઓ થયા. તેઓમાં કેટલાક મોશે અને કેટલાક સ્વર્ગે ગયા.
તે પછી સાકેતપુર નગરમાં અનરણ્ય નામે રાજા થયો. તે લોકોમાં અજ નામે વિખ્યાત થયો. પૂર્વકર્મના યોગે તે એકસોને સાત વ્યાધિઓથી પીડાવા લાગ્યો. રોગની
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૬૬
Page #188
--------------------------------------------------------------------------
________________
પીડાથી દુ:ખી છતાં પરાક્રમવાળા તે રાજાએ દુઃસાધ્ય એવા સેંકડો રાજાઓને જીત્યા. અનુક્રમે અખંડ આજ્ઞાવાળો તે સૌરાષ્ટ્ર દેશમાં આવ્યો અને ઉત્તમ ભાવનાથી શત્રુંજયતીર્થે આવી પ્રભુને નમીને દ્વીપનગર (દીવ)માં ગયો.
અજય રાજાને પ્રાપ્ત થયેલ શ્રી પાર્શ્વનાથપ્રભુની પ્રતિમા :
તે અરસામાં રત્નસાર નામે એક સાંયાત્રિકશિરોમણિ (સમુદ્ર માર્ગે મુસાફરી કરનારમાં મુખ્ય) સમુદ્રના કાંઠેથી અનેક વસ્તુઓના વહાણ ભરીને સમુદ્રમાં જતો હતો. તેટલામાં અગ્નિદિશા બાજુથી પ્રતિકૂલ પવન વાવા લાગ્યો. આકાશમાં મેઘ ચડી આવ્યો. તેથી સર્વત્ર અંધકાર ફેલાયો. સમુદ્ર ઉછળવા લાગ્યો. નાવ ઝોલા ખાવા લાગી. તેથી તેનો સ્વામી વિચારવા લાગ્યો કે, ‘મારાથી વધુ લોભ થયો લાગે છે. તેનું આ ફળ છે, તો મારા પાપનું ફળ હું જ ભોગવું. બીજાને નુકસાન ન થાઓ.' એમ વિચારી પોતે સમુદ્રમાં ઝંપાપાત કરવા તૈયાર થયો. તેવામાં આ પ્રમાણે અદ્રશ્ય આકાશવાણી થઇ -
‘હે ભદ્ર ! સાંભળ. સમુદ્રમાં પડવાનું સાહસ કરીશ નહીં. હમણાં આવી દશા મેં કરેલી છે. આ સમુદ્રમાં કલ્પવૃક્ષના પાટીયાના સંપુટમાં રહેલી ભાવી તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ છે. એ પ્રભાવક પ્રતિમાને પ્રથમ એક લાખ વર્ષ સુધી ધરણેન્દ્ર પૂજેલી હતી. પછી છસો વર્ષ સુધી કુબેરે પૂજી હતી. પછી વરુણે પોતાના સ્થાને લઇ જઇ સાત લાખ વર્ષ સુધી પૂજી હતી. હમણાં અજય રાજાના ભાગ્યથી તે પ્રતિમા અહીં આવેલી છે. માટે તેને બહાર કાઢી તે ઇક્ષ્વાકુ રાજાને આપ. તે રાજા હાલ દ્વિપપત્તનમાં રહેલો છે. માટે ત્યાં જઇ તે રાજાને તારે આ પ્રતિમા અર્પણ કરવી. જે વખતે તે રાજા
આ પ્રતિમાનું દર્શન કરશે, તે જ વખતે તેના દુષ્ટ કર્મ સાથે રોગો તત્કાળ લય પામી જશે અને બીજાઓને પણ તેવી રીતે જ ફલ મળશે. એ પ્રતિમાની પાસે રહેનારી પદ્માવતી નામે હું પ્રભાવિક દેવી છું અને આ બધો દેખાવ મેં જ કરેલો છે.'
આવી આકાશવાણી સાંભળી બુદ્ધિના ભંડાર રત્નસારે તત્કાલ પ્રતિમા માટે નાવિકોને સમુદ્રમાં ઉતાર્યા અને પ્રતિમાનો સંપુટ લઇ તેઓ તરત જ નાવની અંદર આવ્યા. બધી પ્રતિકૂળતા દૂર થઇ ગઇ અને અનુકૂલ વાયુને યોગે નાવ સહજ દ્વીપનગરે આવી પહોંચ્યું. એક પુરુષે આગળ જઇ અજયપાળ રાજાને વધામણી આપી. પાર્શ્વનાથને આવેલા સાંભળી અજયપાળ રાજા પણ ઘોડા પર બેસી તત્કાલ સામો આવ્યો. તે પછી ઉત્સવ કરી લોકોએ વહાણમાંથી પ્રતિમાનો સંપુટ કિનારે ઉતાર્યો. અનેક પ્રકારના વાજિંત્રો વાગવા માંડ્યા. હર્ષથી કેટલાક સુભટો નૃત્ય કરવા લાગ્યા અને ભાટ લોકો બિરુદાવલી બોલવા લાગ્યા. તેમને રાજાએ ઘણું દાન આપ્યું, શહેર શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૬૭
Page #189
--------------------------------------------------------------------------
________________
આખું ધ્વજાઓથી શોભિત અને કપૂર તથા અગરુના સુગંધથી સુવાસિત કરી દીધું. આ પ્રમાણે મહોત્સવસહિત રાજાએ તે પ્રતિમાના સંપુટને પોતાના નગરમાં પ્રવેશ કરાવ્યો. પછી રમણીય સિંહાસન ઉપર તે પ્રતિમાનો સંપુટ મુકી રાજાએ પોતે ભક્તિથી તેની પૂજા કરીને તે ઉઘાડ્યો. તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની સુંદર પ્રતિમા જોઇ. તેમને જોતાં જ પંચાંગપ્રણિપાત કર્યો. તે જ વખતે અજયપાળ રાજાના શરીરમાંથી બધા રોગ દૂર થઈ ગયા.
પછી ભક્તિથી તે પ્રતિમાનું અર્ચન કરીને પ્રીતિયુક્ત રાજાએ ઉત્સવપૂર્વક રત્નસારની સાથે ભોજન કર્યું. તે રાત્રિએ અજય રાજા સ્વેચ્છાએ સૂતો હતો, તે વખતે સર્વ રોગો સ્વપ્નામાં આવી તેને કહેવા લાગ્યા, “હે રાજા ! તમે પૂર્વભવમાં મુનિને દુભાવ્યા હતા, તેનું ફળ આપવા અમે તમને ઘણી પીડા કરી છે, તે ક્ષમા કરજો . શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં દર્શનથી હવે તમારા અંગથી અમે દૂર થયા છીએ, પણ હજી પણ છ માસ સુધી તમારે તે કર્મ કાંઇક ભોગવવાનું બાકી રહેલું છે. માટે આ શહેરના પરામાં સૂર નામે એક પશુપાલક રહે છે. તેને છાતી, પૂંછ અને મુખના ભાગમાં શ્વેતવર્ણવાળી એક બકરી છે, તેના શરીરમાં અમે પૂર્વકર્મથી બંધાઇને તેટલા કાલ સુધી રહીશું, તેથી ત્યાં સુધી એ બકરીને તમે ચારો આપજો . તેમજ ચંદનમિશ્રિત તમારા દેહનું જલમિશ્રિત ધોવણ પણ તેને પીવા આપજો . તેથી અમે ઘણાં પ્રસન્ન થઇશું. છ માસ પછી પાર્શ્વનાથ પ્રભુના પ્રભાવથી સુવર્ણ જેવી કાંતિવાળા થઇને તમે બહુકાળ સુધી તમારા રાજયનું રક્ષણ કરશો.' એમ કહીને તે વ્યાધિઓ અંતર્ધાન થઈ ગયા.
રાજાએ જાગીને જોયું તો પોતાનો દેહ નિરોગી થઇ ગયો હતો. પોતાનો રોગ શાંત થવાથી રાજાએ નગરમાં મોટો ઉત્સવ કર્યો. પછી પોતાના અજય નામથી ઉત્તમનગર વસાવ્યું. ત્યાં પાર્શ્વનાથ પ્રભુનો પ્રાસાદ કરાવ્યો. તેના નિર્વાહ માટે દશ ગામ સહિત તે નગર આપ્યું અને તેને માટે પૂજારીઓની ગોઠવણ કરી. રાજા પોતે ત્યાં જઇ શ્રી પાર્શ્વનાથ પ્રભુની ત્રિકાળ પૂજા કરવા લાગ્યો. જેથી તેના ઘરમાં પ્રતિદિન કલ્યાણવૃદ્ધિ થવા લાગી. રોગોએ બતાવેલી બકરીને રાજા પોતાને ત્યાં લાવ્યો અને તેમણે કહેલ વિધિપૂર્વક તેટલા કાળ સુધી અન્નપાન આપવા દ્વારા તેનું પાલન કર્યું.
તે સમય સૌરાષ્ટ્ર દેશના રાજકુલમાં થયેલો વજપાણિ નામે રાજા ગિરિદુર્ગ નગરથી આવીને પોતાના ગોત્રી અજય રાજાને મળ્યો. બંને તીર્થમાં ધર્મશાસન ચલાવનાર એ રાજાને ઘણા દેશ વગેરે આપીને અજય રાજાએ તેનું સન્માન કર્યું. વજપાણિ રાજાના આગ્રહથી અને અતિ ભક્તિથી પ્રેરાયેલા રઘુના પુત્ર અજયપાળે
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૬૮
Page #190
--------------------------------------------------------------------------
________________
ગિરનાર ઉપર આવી શ્રી નેમિનાથ પ્રભુની પૂજાભક્તિ કરી, પાછો પોતાના અજયપુરમાં આવ્યો. તે સમયે કોઈ જ્ઞાની મુનિ ત્યાં પ્રભુનાં દર્શન કરવા આવ્યા. રાજાએ તેમને પ્રણામ કરી તે પ્રભુનું ઉજજવલ માહાભ્ય પૂછ્યું.
મુનિ બોલ્યા, “હે રાજા ! આ બિંબનો પ્રભાવ હું શું કહું ? પ્રત્યક્ષ ઓળખાતી વસ્તુ માટે કયો માણસ પ્રશ્ન કરે ? આ જગત્પતિ શ્રી પાર્શ્વનાથ પ્રભુના દર્શન માત્રથી લાંબાકાળથી થયેલ વ્યાધિઓ તમારા અંગમાંથી નાશ પામ્યા. તેવી જ રીતે જે કોઇ પ્રાણી આ પ્રતિમાના દર્શન કરશે, તેમના નેત્ર, મુખ અને પેટ સંબંધી સર્વે રોગો, અન્ય વ્યાધિઓ તેમજ બધી જાતના કોઢ નાશ પામી જશે. શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં સ્મરણથી શાકિની, ભૂત, વેતાળ, રાક્ષસ અને યક્ષ સંબંધી ઉપસર્ગો પણ દૂર થઇ જશે. જે કોઇ આ તીર્થકરની સેવા કરશે, તેમના જવર, ઝેર, ઉન્માદ અને સંનિપાત વગેરે સર્વ દોષો લય પામી જશે. અહીં શ્રી જગદ્ગુરુનું ધ્યાન કરવાથી વિદ્યા, લક્ષ્મી, સુખ, પુત્ર અને સ્ત્રીની અભિલાષા કરનાર પુરુષોના સર્વે જાતના મનોરથો સિદ્ધ થશે. વળી જે જિનબિંબ એકસો વર્ષ અગાઉનું હોય, તે તીર્થરૂપ ગણાય છે. આ પાર્શ્વનાથ પ્રભુનું બિબ લાખો વર્ષ સુધી દેવોએ સ્વર્ગમાં અને સમુદ્રમાં પૂજેલું છે, તેથી તે તીર્થરૂપ છે. માટે આ બિંબના દર્શનથી સર્વ પાપની શાંતિ થશે અને અહીં આપેલું દાન અધિક ફળને આપશે.'
આ પ્રમાણે તે તીર્થનો મહિમા કહી તે મુનિ આકાશમાં અદ્રશ્ય થયા અને અજય રાજા છ માસ સુધી ત્યાં રહ્યા. ત્યાર પછી સિદ્ધગિરિ પર જઇને પ્રભુની પૂજા કરી. તેમજ સ્નાત્રપૂજા, ઇન્દ્રોત્સવ, મહાધ્વજા વગેરે અનેક કૃત્યો કરી પોતાનો જન્મ સફળ કર્યો. ત્યારપછી ફરી પોતાના રાજયમાં આવી ધર્મનું આચરી છેવટે વ્રત લઇને અજય રાજા સ્વર્ગે ગયા. • રામ = બળદેવ તથા લક્ષ્મણ = વાસુદેવ વગેરેનો જન્મ :
અજય રાજાનો મોટો પુત્ર અનંતરથ હતો, તેણે વ્રત ગ્રહણ કર્યું હતું. તેથી બીજો દશરથ નામે પુત્ર હતો, તે રાજ્યાધિપતિ થયો. તેને કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા અને સુપ્રભા નામે ચાર રાણીઓ હતી. એક વખત કૌશલ્યાએ ગજ, સિંહ, ચંદ્ર અને સૂર્યના સ્વપ્નોથી સૂચિત એવા રામ અથવા પા નામના બળદેવ પુત્રને જન્મ આપ્યો. ત્યારપછી સુમિત્રાએ હાથી, સિંહ, ચંદ્ર, સમુદ્ર, લક્ષ્મી, અગ્નિ અને સૂર્યના સ્વપ્નથી સૂચિત લક્ષમણ નામના વાસુદેવ પુત્રને જન્મ આપ્યો. કૈકેયીએ શુભ સ્વપ્નથી ભરત નામના પુત્રને અને સુપ્રભાએ શત્રુદન નામના પુત્રને જન્મ આપ્યો. વિદ્યાવિનયથી સંપન્ન આ ચારે પુત્રોથી દશરથ રાજા શોભવા લાગ્યા.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૬૯
Page #191
--------------------------------------------------------------------------
________________
તે સમયે મિથિલાપુરીમાં હરિવંશમાં વાસવકેતુ રાજા અને વિપુલા દેવીના પુત્ર જનક નામે રાજા હતા. તેને વિદેહા નામે રાણી હતી. તેણે સારા સ્વપ્નથી સૂચિત એક પુત્ર અને પુત્રી યુગલને જન્મ આપ્યો. ત્યારે સૌધર્મ દેવલોકમાંથી પિંગલ નામે એક દેવ પૂર્વજન્મના વૈરથી ત્યાં આવીને તેમના પુત્રને હરી ગયો. પરંતુ પછી દયા આવતાં તેને કંડલ વગેરે આભૂષણો પહેરાવી વૈતાઢઢ્યગિરિના વનમાં મૂકીને ચાલ્યો ગયો. તે વખતે રથનૂપુર નગરનો સ્વામી ચંદ્રગતિ નામે વિદ્યાધર ત્યાં આવ્યો હતો. તેણે તે બાળકને લઈ પોતાની પત્ની પુષ્પવતીને સોંપ્યો. તે પુત્રના શરીરમાં પ્રભાનું મંડળ હતું. તેથી તેનું ભામંડલ એવું નામ પાડ્યું. • રામચંદ્રજી અને સીતાનું પાણિગ્રહણ :
અહીં મિથિલા નગરીમાં જનક રાજા પુત્રને નહીં જોવાથી ખેદ પામ્યા. સર્વત્ર શોધ કરાવી. પણ તેનો પતો લાગ્યો નહીં. પછી કેટલાક કાળે શોકરહિત થઇ પુત્રીનું સીતા નામ પાડ્યું. સંપૂર્ણ યૌવનવાળી પુત્રીને વરને યોગ્ય જોઇ, જનક રાજાએ તેના સ્વયંવરનો નિશ્ચય કર્યો. પણ તે સમયે માતરંગ વગેરે પ્લેચ્છો લોકોને પીડા કરતા જનક રાજાના દેશમાં ઉપદ્રવ કરવા લાગ્યા. જનક રાજાએ મિત્રતાના નાતે આ વૃત્તાંત દૂત મોકલી દશરથ રાજાને જણાવ્યો. તે સાંભળી યુદ્ધ કરવા જતાં દશરથ રાજાને અટકાવી રામ પોતે ત્યાં ગયા અને યુદ્ધ કરીને તે શત્રુઓને ભગાડ્યા. રામના પરાક્રમથી હર્ષ પામેલા જનક રાજાને પોતાની પુત્રી સીતા, રામને આપવાની ઇચ્છા થઇ..
તે વખતે યોગાનુયોગ નારદ ત્યાં આવ્યા. તેની વિચિત્ર મૂર્તિ જોઇ સીતા ભય પામીને નાશી ગઇ. એટલે કોલાહલ કરતી દાસીઓએ ભેગી થઈને નારદને ગળેથી અને શિખાથી પકડી ઘરમાંથી કાઢી મૂક્યા. તેથી નારદને કોપ ચડ્યો, એટલે તેણે સીતાનું રૂપ એક વસ્ત્ર ઉપર ચીતરીને તે ચંદ્રગતિના પુત્ર ભામંડલને બતાવ્યું. ભામંડલ સીતા પોતાની બહેન છે, એમ ન જાણતો હોવાથી કામવિહલ થયો. ચંદ્રગતિએ પુત્રના ઉદ્વેગનું કારણ જાણીને ચપલગતિ વિદ્યાધર પાસે જનક રાજાનું હરણ કરાવી પોતાની પાસે બોલાવ્યો અને પ્રીતિથી તેની પાસે સીતાની માંગણી કરી. ત્યારે જનક રાજાએ કહ્યું કે, “મેં દશરથના પુત્ર રામને સીતા આપેલી છે.' તે સાંભળીને ચંદ્રગતિ બોલ્યો, “હું સીતાને હરણ કરવા સમર્થ છું. તે છતાં સ્નેહની વૃદ્ધિ થાય તેવું ધારી તમને અહીં બોલાવીને મેં સીતાની માંગણી કરી છે. તો હવે મારી પાસે વજાવર્ત અને અર્ણવાવર્ત નામે બે દિવ્ય ધનુષ્યો છે. તેને રામ કે મારો પુત્ર ભામંડલ જે ચડાવે તે સીતાને પરણે તેવું કરો.”
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૧૭૦
Page #192
--------------------------------------------------------------------------
________________
જનક રાજાએ આ પ્રમાણે કબૂલ કર્યું અને પોતાની નગરીમાં આવી, એક મંડપ બનાવી તેમાં બંને ધનુષ્ય મૂક્યાં. પછી પ્રત્યેક રાજપુત્રોને આમંત્રણ આપ્યું. તેથી અનેક રાજાઓ, વિદ્યાધરો ત્યાં આવ્યા. જનકે સર્વ રાજાઓને યથાયોગ્ય માન આપ્યું અને રામાદિકના પિતા દશરથને વિશેષ માન આપ્યું. પછી શુભ દિવસે પ્રાત:કાલે સર્વ રાજાઓ મંડપમાં યથાયોગ્ય સ્થાને બેઠા. સીતા પણ સુંદર વષ પહેરી મંડપમાં આવી. પછી રાજકુમારો ધનુષ્યને ઉપાડવા લાગ્યા. પણ ઉપાડવામાં જ અસમર્થ થતાં લજજાથી મુખને નીચું કરીને રહ્યા. તે વખતે શ્રીરામે મંચ ઉપરથી ઉતરી લીલામાત્ર વડે ધનુષ્યને હાથમાં લઇ પણછ ઉપર ચડાવ્યું, ત્યારે પુષ્પની વૃષ્ટિ થઈ અને સીતાએ રામના કંઠમાં વરમાળા આરોપણ કરી. લોકોએ હર્ષધ્વનિ કર્યો. પછી બીજું ધનુષ્ય લક્ષ્મણે ચડાવ્યું. એટલે ત્યાં આવેલા વિદ્યાધરોએ તેમને પોતાની અઢાર કન્યાઓ આપી. શુભ દિવસે રામ અને સીતાનો વિવાહ થયો. ભરતકુમાર કનક રાજાની પુત્રી ભદ્રાને પરણ્યા. પછી જનકની અનુમતિ લઈને દશરથ રાજા ચારે પુત્રો સાથે પોતાનાં નગરે ગયા અને બીજા રાજાઓ પણ સ્વસ્થાને ગયા.
એક વખત દશરથ રાજાએ એક વૃદ્ધ સેવક સાથે પોતાની પટ્ટરાણી સુમિત્રાને (કૌશલ્યાને) જિનસ્નાત્રનું જળ મોકલ્યું અને બીજી રાણીઓને દાસીઓ સાથે મોકલાવ્યું. તે દાસીઓ યૌવનવયને લીધે જલ્દીથી સ્નાત્રજળ લાવી. એટલે બીજી રાણીઓને સુમિત્રાની પહેલા સ્નાત્રજળ મળ્યું. પેલો કંચુકી વૃદ્ધપણાને લીધે જલ્દી લાવી ન શક્યો. તે હકીકત જાણ્યા વગર સુમિત્રાએ પોતાનું માનભંગ થયેલું જાણીને દુઃખથી કંઠમાં પાશ નાખ્યો. તે જાણી દશરથ રાજા તેને મનાવવા આવ્યા અને તે જ વખતે કંચુકી સ્નાત્રજળ લઈને આવ્યો. ત્યારે સફેદ વાળવાળા, મોઢામાંથી લાળ પાડતા અને ધીમી ગતિથી આવતા કંપતા એવા તે વૃદ્ધ કંચુકીને જોઇને રાજાને વૈરાગ્ય થયો. તે વિચારવા લાગ્યો કે, “અહો ! આ શરીર જીર્ણ થયેલા અને પડતા ઘર જેવું છે. તેથી જયાં સુધી આ મારું શરીર જરાવસ્થાથી હણાયું નથી, ત્યાં સુધીમાં હું આત્મકલ્યાણ સાધવા પ્રયત્ન કરી લઉં.” એમ વિચારી રાજા સભામાં ગયા.
ત્યારબાદ કેટલોક કાળ પછી એક વખત દશરથ રાજા કોઇ મુનિને વાંદવા ગયા. ત્યારે ભામંડલ ફરતો ફરતો ત્યાં આવ્યો. ત્યાં મુનિએ ધર્મનું સ્વરૂપ, પુંડરીકગિરિનું માહાભ્ય સંભળાવ્યું તથા ભામંડલ સીતા સાથે યુગલરૂપે જ જન્મેલ છે એ કહ્યું. તે જાણીને ભામંડલે સીતા પાસે જઈ ક્ષમા માંગી પ્રણામ કર્યા.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૭૧
Page #193
--------------------------------------------------------------------------
________________
અગ્યારમા ઉદ્ધારક : રામચંદ્રજી ) ભામંડલના આગ્રહથી દશરથ રાજા, ચારે પુત્રો, મંડલિક રાજાઓ, શાહુકારો અને રાણીઓ સાથે તીર્થયાત્રા કરવા ચાલ્યા. માર્ગમાં પાંચ પ્રકારના દાન આપી, ઘણું સુકૃત ઉપાર્જન કર્યું અને સ્થાને સ્થાને ચૈત્યોને નમતા અનુક્રમે શત્રુંજયગિરિ પર આવી જિનેશ્વરોને નમસ્કાર કર્યો. ત્યાં વિશાળ પ્રાસાદ કરાવ્યો તેમજ યથાવિધિ યાત્રા કરીને સંઘ સાથે પર્વત પરથી નીચે ઉતર્યા. આ રામચંદ્રજીએ કરાવેલ અગ્યારમો ઉદ્ધાર સમજવો.
(ઇતિ એકાદશમો ઉદ્ધાર:) આગળ ચાલતાં ચંદ્રપ્રભાસ નગરમાં સીતાએ પોતે કરાવેલા નવીન ચૈત્યમાં ચંદ્રપ્રભ પ્રભુની સ્થાપના કરીને ગુરુમહારાજ પાસે પ્રતિષ્ઠા કરાવી. પૂજાભક્તિ કરી, ગુરને પ્રતિલાભી તીર્થમાં પ્રભાવના કરી. ત્યાંથી રૈવતગિરિએ જઈ નેમિનાથ પ્રભુની પૂજા કરી, સુપાત્ર દાન આપી તીર્ણોદ્ધાર કર્યો. નજીકમાં બરટ (બરડો) નામના ગિરિને જોઇ કૈકેયી રાણી ઉત્સુક થઈ પતિની સંમતિથી રામાદિક પુત્રોને લઈ ત્યાં ગઈ. તે ગિરિ ઉપર બરડા રાક્ષસે કરાવેલું શ્રી નેમિનાથ પ્રભુનું ચૈત્ય હતું. તેમાં મોટો ઉત્સવ કરી યાચકોને ઘણું દાન આપ્યું અને તે ચૈત્યને જીર્ણ થયેલું જોઇ તેનો ઉદ્ધાર કર્યો અને પુનઃ શ્રી નેમિનાથ પ્રભુની સ્થાપના કરી. ઢંકાનગરીમાં કૌશલ્યાએ મોટું ચૈત્ય કરાવી શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમાની ગુરુ પાસે પ્રતિષ્ઠા કરાવી. સુપ્રભાએ વલ્લભીનગરમાં શ્રી શાંતિનાથ પ્રભુનું ચૈત્ય તથા પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યો. કાંડિલ્યનગરમાં રામે અને વામનગરમાં લક્ષ્મણે આદિનાથ પ્રભુનું ચૈત્ય કરાવ્યું. બીજા કુમારોએ, સામંતોએ, મંડલિકોએ અને ભામંડલે ભક્તિથી શ્રી અરિહંત પ્રભુના અનેક ચૈત્યો કરાવ્યા. એ રીતે દશરથ રાજા સર્વ તીર્થોની યાત્રા કરીને પોતાના નગરમાં પાછા વળ્યા. પછી સંસારથી ઉદ્વેગ પામેલા દશરથ રાજાએ સભામાં આવીને રાજ્ય આપવા માટે પોતાના પુત્રોને બોલાવ્યા. • શ્રી રામનો અરણ્યવાસ અને દશરથની દીક્ષા :
એ સમયે યોગ્ય અવસર જાણી કૈકેયીએ પોતાને પૂર્વે આપેલાં બે વરદાન રાજા પાસે માંગ્યા કે, “મારા પુત્ર ભરતને રાજય આપો અને રામને લક્ષ્મણની સાથે ચૌદ વર્ષ સુધી અરણ્યમાં મોકલો.” અકાળે વજપાત જેવું આ વચન સાંભળી દશરથ રાજાને મૂર્છા આવી. તે સાંભળી તરત રામ વનવાસ જવા તૈયાર થયા. એમની સાથે સીતા અને લક્ષ્મણ પણ ચાલ્યા. તેમના જવાથી, જેમ મસ્તક વિના શરીર ન શોભે તેમ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૭૨
Page #194
--------------------------------------------------------------------------
________________
રામ રહિત અયોધ્યાનગરી શોભારહિત થઈ ગઈ. દશરથે પોતાનાં રાજય ઉપર ભરતને બેસાડી સત્યભૂતિ મુનિની પાસે વ્રત ગ્રહણ કર્યું.
અરણ્યમાં પ્રવાસ કરતાં રામ આદિ ગંભીરા નદીને ઉતરીને વડના વૃક્ષની નીચે બેઠા. ત્યાં રામચંદ્ર લક્ષ્મણને કહ્યું, ‘ભાઈ લક્ષ્મણ ! આ દેશ કોઇના ભયથી હમણાં જ ઉજજડ થયેલો જણાય છે. કેમ કે વૃક્ષો બધાં રસસહિત છે અને ધાન્યના ખળા ધાન્યથી ભરેલા પડ્યા છે.” એમ બંને ભાઇઓ વાત કરે છે, તેવામાં કોઈ પુરુષ
ત્યાં આવ્યો. તેને તે દેશ ઉજજડ થવાનું કારણ પૂછતાં તેણે કહ્યું કે, “આ દેશનો સિંહકર્ણ (વજકર્ણ) નામે રાજા છે. તેને એવો નિયમ હતો કે, શ્રી અરિહંતદેવ અને નિગ્રંથ સાધુ વિના બીજા કોઇને નમસ્કાર ન કરવો તેનો આવો નિયમ સાંભળી સિંહોદર નામે તેનો ઉપરી રાજા ક્રોધથી તેની ઉપર ચડી આવ્યો. તેના ભયથી સિંહકર્ણ દૂર નાસી ગયો. ત્યારથી આ દેશ ઉજજડ થઇ ગયેલ છે.
આ સાંભળી રામે લક્ષ્મણ દ્વારા સિંહોદરનો ભય દૂર કરાવી સિંહકર્ણને આદરથી તેના રાજ્ય પર સ્થાપન કરાવ્યો. ત્યાંથી રામ આગળ ચાલ્યા. ત્યાં એક સ્થાનકે બે વિદ્યાધર મુનિઓ આકાશમાંથી નીચે ઉતર્યા. સીતાએ ભક્તિથી તેમને વહોરાવ્યું, એટલે દેવોએ ત્યાં સુગંધી જલની વૃષ્ટિ કરી. તેની સુગંધ સૂંઘવા જટાયુ નામનો એક પક્ષીરાજ ત્યાં આવ્યો. બંને મુનિરાજ પાસેથી ધર્મોપદેશ સાંભળી જટાયુને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેને જિનધર્મમાં સ્થિર કરીને તે બંને મુનિ આકાશમાર્ગે શાશ્વત અરિહંત - પ્રતિમાઓને વંદન કરવા ગયા.
આ બાજુ તીર્થકર ભગવંત શ્રી અજિતનાથ પ્રભુ વિચરતા હતા ત્યારે રાક્ષસદ્વીપમાં રહેલી લંકાનગરીમાં રાક્ષસવંશમાં ઘનવાહન નામે રાજા હતો. રાક્ષસોના ઇન્દ્ર ભીમે પોતાના પૂર્વજન્મના મોટા ભાઈ ઘનવાહનને રાક્ષસી વિદ્યા આપી હતી. તેથી તે રાક્ષસવંશ કહેવાયો. ઘનવાહનનો પુત્ર મહારાક્ષસ નામે થયો. તેનો પુત્ર દેવરાક્ષસ થયો. તે દીક્ષા લઈને મોક્ષે ગયો. એવી રીતે તે રાક્ષસવંશમાં ઘણા રાજાઓ થયા. અનુક્રમે શ્રી શ્રેયાંસનાથ ભગવાનના તીર્થમાં કીર્તિધવલ નામે રાક્ષસ રાજા થયો. તેણે વૈતાદ્યગિરિ ઉપરથી શ્રીકંઠ નામના ખેચરને લાવી વાનરદીપ વસાવ્યો.
ત્યાં ત્રણસો યોજનાના વિસ્તારવાળા કિષ્કિન્ધ નામના પર્વત ઉપર કિષ્કિયા નામે નગરી તેની રાજધાની થઇ. ત્યાં રહેનારા સર્વે લોકો વાનરનું ચિહ્ન રાખતા હતા અને અનુક્રમે તેઓએ વાનર જેવું શરીર થાય તેવી વિદ્યા પણ સાધી હતી. તેથી તેઓ વાનર કહેવાયા. શ્રીકંઠ ખેચર પછી વજકંઠ ઇત્યાદિક ઘણાં રાજાઓ તેના વંશમાં થયા. ત્યારપછી ત્યાં શ્રી મુનિસુવ્રત પ્રભુના તીર્થમાં ઘનોદધિ નામે રાજા થયો. તે વખતે
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૭૩
Page #195
--------------------------------------------------------------------------
________________
લંકાપુરીમાં તડિકેશ નામે રાજા હતો. તે બંને રાજાઓ વચ્ચે પૂર્વની જેમ ગાઢ સ્નેહ બંધાયો. પછી કિષ્કિલાનગરીમાં ઘનોદધિનો પુત્ર કિકિધિ નામે થયો અને લંકામાં તડિકેશનો પુત્ર સુકેશ નામે રાજા થયો. વિદ્યાધરના રાજા અશનિવેગે તે બંનેને જીતી લીધા, તેથી કિષ્કિધિ અને સુકેશ પાતાળલંકામાં જતા રહ્યા. ત્યાં સુકેશને ઇન્દ્રાણી નામની સ્ત્રીથી માલી, સુમાલી અને માલ્યવાન નામે ત્રણ પુત્રો થયા અને કિષ્કિધિને શ્રીમાળા નામે સ્ત્રીથી આદિત્ય અને ઋક્ષરજા નામે બે પુત્રો થયા. એક વખત કિષ્કિધ રાજા મેરુપર્વત પર શાશ્વત અરિહંતની યાત્રા કરીને પાછો ફરતાં મધુપર્વત પર આવ્યો. ત્યાં કિષ્કિધા નગરી વસાવીને સુખપૂર્વક રહેવા લાગ્યો. • રાવણ વગેરેનું પાણિગ્રહણ અને વાલીએ કરેલ રાવણનું દમન :
પાતાળલંકામાં રહેલા સુકેશના ત્રણ પુત્રોએ લંકામાં આવી પૂર્વના વૈર વડે અશનિવેગના સેવક નિઘતને મારી નાખ્યો. પછી ત્યાં સુમાલી રાજા થયો અને કિષ્કિધામાં આદિત્યરજા રાજા થયો. તે બંનેને પણ પરસ્પર સ્નેહ થયો. આ બાજુ અશનિવેગને સહસ્ત્રાર નામે પુત્ર થયો. તેને ચિત્રસુંદરી નામે સ્ત્રીથી ઇન્દ્ર નામે પુત્ર થયો. તેણે કપિઓ અને રાક્ષસોને પરાજિત કરીને પાછા પાતાળલંકામાં કાઢી મૂક્યા.
ત્યાં રહેલા સુમાલીને રત્નશ્રવા નામે પુત્ર થયો. તેણે અનેક વિદ્યાઓ સાધી હતી. તેને કેકેસી નામે રાણી હતી. તે વખતે સો યોજન વિસ્તારવાળી, સાત કિલ્લા અને એકસો આઠ દરવાજાવાળી પાતાળલંકા ખૂબ પ્રસિદ્ધિ પામી. તેમાં કૈકસીને અતિદુર્મદ રાવણ નામે પુત્ર થયો. તેણે પહેરેલા હારમાં નવ મોટા રત્નો હતાં. તેમાં તેના મસ્તકનું પ્રતિબિંબ પડવાથી તેનું દશમુખ એવું નામ પ્રખ્યાત થયું. ત્યારપછી કુંભકર્ણ, સુર્પણખા અને વિભીષણ આ ત્રણ સંતાનોને કેકસીએ જન્મ આપ્યો.
એક દિવસ પોતાની માતાના મુખથી શત્રુઓ થકી થયેલો પૂર્વજોનો પરાભવ સાંભળી રાવણ, કુંભકર્ણ અને વિભીષણ આ ત્રણે ભાઈઓ વિદ્યા સાધવા માટે ભીમારણ્યમાં ગયા. ત્યાં રાવણને એક હજાર મોટી વિદ્યાઓ, કુંભકર્ણને પાંચ વિદ્યાઓ અને વિભીષણને ચાર વિદ્યાઓ પ્રાપ્ત થઇ.
ત્યારપછી મય નામના ખેચરેશની હેમવતી રાણીથી ઉત્પન્ન થયેલી મંદોદરી નામની કન્યાને રાવણ પરણ્યો. તે સિવાય તેના ગુણથી રંજીત થઈ પોતાની મેળે આવેલી છ હજાર ખેચર કન્યાઓને પણ તે પરણ્યો. મહોદર રાજાની પુત્રી તડિન્માલાને કુંભકર્ણ પરણ્યો અને વીર વિદ્યાધરની પુત્રી પંકજશ્રીને વિભીષણ પરણ્યો. અનુક્રમે મંદોદરીએ શુભલગ્ન ઈન્દ્રજિત અને મેઘવાહન નામના બે કુમારને જન્મ આપ્યો.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૭૪
Page #196
--------------------------------------------------------------------------
________________
એક અવસરે ઇન્દ્રરાજાના સેવક વૈશ્રવણ વિદ્યાધરને જીતીને રાવણ પુષ્પક વિમાનમાં બેસી પોતાની લંકાનગરીમાં આવ્યો તથા ઇન્દ્રરાજાના સેવક યમને જીતી તેણે કરેલ કૃત્રિમ નરકને ભાંગી કિષ્કિધા નગરી પોતાના મિત્ર આદિત્યરજાને આપી તથા ત્યાં ઋક્ષપુર નામે નવું શહેર વસાવી ઋક્ષરજાને આપ્યું. આ બાજુ આદિત્યરજાને વાલી નામે એક અતિ બળવાન પુત્ર થયો. ત્યારપછી બીજો પરાક્રમી સુગ્રીવ નામે પુત્ર અને શ્રીપ્રભા નામે પુત્રી થઈ. ઋક્ષરજાને પણ હરિકાંતા નામની રાણીથી નલ અને નીલ નામે બે જગવિખ્યાત પુત્રો થયા. આદિત્યરજાએ વાલીને રાજય આપી, સુગ્રીવને યુવરાજ બનાવી પોતે દીક્ષા ગ્રહણ કરી.
હવે, આ બાજુ ખર નામના રાક્ષસે સૂર્પણખાનું હરણ કરી, આદિત્યરજાના પુત્ર ચંદ્રોદર રાજાને જીતી પાતાળલંકા કબજે કરી લીધી. તે સાંભળી રાવણને ક્રોધ ચડ્યો પણ મંદોદરીએ સમજાવવાથી ક્રોધ છોડી પોતાના બનેવી ખરને દૂષણ નામના તેના ભાઈ સાથે પાતાળલંકાના રાજ્ય ઉપર પોતે જ બેસાડ્યો. ચંદ્રોદર મૃત્યુ પામ્યો ત્યારે તેની સ્ત્રી અનુરાધા ગર્ભવતી હતી. તેણે વનમાં વિરાધ નામના ગુણવાન પુત્રને જન્મ આપ્યો.
એક વખત વાનરોનો અધિપતિ વાલી ઘણો બળવાન થયો છે, એવું સાંભળીને તેને નહીં સહન કરનારા દશમુખે એક દૂત મોકલીને તેને સત્વર પોતાની પાસે બોલાવ્યો. દૂતે જ્યાં જઇ પાછા આવી રાવણને કહ્યું કે, “વાલી અહંત સિવાય બીજા કોઇને નમતો નથી. તે સાંભળીને રાક્ષસપતિ રાવણે તત્કાળ મોટી સેના લઈને તેના ઉપર ચડાઈ કરી. બળવાન વાલી ઘણાં અસ્ત્રોથી યુદ્ધ કરી છેવટે ચંદ્રહાસ ખગ્ન સહિત લંકાપતિને પોતાની કાખમાં લઈ ચાર સમુદ્રયુક્ત પૃથ્વી પર ક્ષણવારમાં ફરી આવ્યો. પછી વૈરાગ્યયુક્ત હૃદયવાળા વાલીએ રાવણને છોડી દઈ પોતાના રાજ્ય ઉપર સુગ્રીવને સ્થાપન કરીને દીક્ષા લીધી. સુગ્રીવે પોતાની બેન શ્રીપ્રભા રાવણને આપી અને વાલીના પુત્ર ચંદ્રરમિને યુવરાજપદે સ્થાપન કર્યો. • વાલીમુનિ દ્વારા રાવણને શિક્ષા - તીર્થરક્ષા :
એક વખત રાવણ વૈતાઢ્યગિરિ ઉપર રત્નવતીને પરણવા માટે આકાશમાર્ગે જતો હતો, તેવામાં અષ્ટાપદ તીર્થ ઉપરથી પસાર થતાં તેનું વિમાન સ્મલિત થયું. તેનું કારણ તપાસ કરતાં નીચે કાયોત્સર્ગ કરી નિશ્ચલ થઈને રહેલા વાલમુનિને દીઠા. ત્યારે... “હજી પણ આ વાલી મારા ઉપર ક્રોધ ધરી દંભથી મુનિનો વેષ ધરી રહ્યો છે, માટે તેને આ પર્વત સહિત ઉપાડીને લવણ સમુદ્રમાં નાંખી દઉં.” આ પ્રમાણે વિચારી રાવણ પૃથ્વી ખોદીને પર્વતની નીચે પેઠો, પછી અતિ ગર્વથી પોતાની હજારે વિદ્યાઓનું સ્મરણ કર્યું અને તેના બળથી તે પર્વતને રાવણે ઉપાડ્યો.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૭૫
Page #197
--------------------------------------------------------------------------
________________
તે વખતે, “અરે ! મારા પ્રત્યેની અદેખાઇથી રાવણ આ મહાતીર્થનો વિનાશ કરે છે, માટે હું નિઃસંગ છતાં પણ તેને શિક્ષા આપવા માટે જરાક બળ બતાવું.” આવો વિચાર કરી વાલી મુનીશ્વરે ડાબા પગના અંગુઠાના અગ્રભાગથી અષ્ટાપદ પર્વતના શિખરને જરાક દબાવ્યું. એટલે ગાત્રનો સંકોચ કરતો અને લોહીની ઉલ્ટી કરતો રાવણ ચીસો પાડવા લાગ્યો. તેનો દીન પોકાર સાંભળી દયાળુ વાલીમુનિ તત્કાળ વિરામ પામ્યા. કારણ કે તેમનું આ કાર્ય શિક્ષા માટે હતું, ક્રોધથી ન હતું. પછી રાવણ ત્યાંથી નીકળી, વાલીમુનિને ખમાવીને ભરતે કરાવેલા ચૈત્યમાં અરિહંત દેવોની પૂજા કરવા લાગ્યો. ત્યાં અંતઃપુર સહિત ભક્તિપૂર્વક પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરી. પછી પ્રભુ પાસે નૃત્યગીત કરતાં વીણાની તાંત તૂટી જવાથી તાનમાં ભંગ ન પડે તે માટે રાવણે પોતાની ભુજામાંથી નસ ખેંચીને વીણામાં જોડી દઈ વગાડવા માંડી. તે વખતે ત્યાં આવેલા ધરણેન્દ્ર તેની ભક્તિથી હર્ષ પામીને અહંતના ગુણને ગાનારા રાવણને કહ્યું, ‘વરદાન માંગો.' તેના ઉત્તરમાં રાવણે કહ્યું, “અહંતની ભક્તિ મને નિરંતર રહો.” આથી વધારે ખુશ થઈ ધરણેન્દ્ર અમોઘવિજયા શક્તિ અને અન્ય વિદ્યાઓ આપી, સ્વસ્થાને ગયા. પછી રાવણ તીર્થકરોને નમસ્કાર કરી નિત્યાલોક નામે નગરમાં ગયો અને ત્યાં રત્નાવલીને પરણીને પાછો લંકામાં આવ્યો. • રાવણ અને ઇન્દ્ર રાજાનું યુદ્ધ :
એક વખત રાવણ, ખર વગેરે વિદ્યાધરો અને સુગ્રીવ સાથે પરિવરેલો વૈતાઢ્યગિરિ ઉપર ઈન્દ્ર રાજાને જીતવા ચાલ્યો. માર્ગમાં રેવા નદી આવતાં, તેના કાંઠે બેસીને તે નદીનાં જળ તથા કમળો વડે એક રત્નપીઠ ઉપર પ્રભુને સ્થાપન કરીને ભક્તિવાળા રાવણે પૂજા કરી. પછી રાવણ ધ્યાનમાં લીન થતાં અકસ્માત જળનું પુર આવ્યું અને પ્રભુની પૂજા ધોવાઇ ગઇ. તેથી રાવણને ક્રોધ ચડ્યો. એટલામાં કોઈ વિદ્યાધરે કહ્યું કે, “સ્વામી ! માહિષ્મતી નગરીના રાજા સહસ્ત્રાંશુએ રેવાના જલમાં સ્નાન કરવા માટે તેના જલનો રોધ કર્યો હતો, તે એકીસાથે છોડી દેવાને લીધે તમારી આ જિનપૂજાનો ભંગ થયો છે. એ રાજા તેના અનેક આત્મરક્ષક રાજાઓ તથા સ્ત્રીઓ સાથે નજીકમાં રહેલો છે.
આ ખબર સાંભળી રાવણને ઘણો ક્રોધ ચડ્યો. તેથી તત્કાળ સહસ્ત્રાંશુને જીતવા માટે કેટલાક રાક્ષસોને મોકલ્યા. તેઓ ત્યાં ગયા ખરા પણ સહસ્ત્રાંશુએ કરેલા તેઓના પરાભવથી તેઓ તરત જ રાવણની પાસે પાછા આવ્યા. એટલે રાવણ પોતે ત્યાં ગયો અને બળથી સહસ્ત્રાંશુને જીતીને પોતાની છાવણીમાં પકડી લાવ્યો. પછી સભા ભરીને બેઠો. તેવામાં ત્યાં આકાશમાંથી કોઈ શતબાહુ નામના ચારણશ્રમણ આવ્યા.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૭૬
Page #198
--------------------------------------------------------------------------
________________
રાવણે તેની પૂજા કરી. “આ મારો પુત્ર થાય છે એવું તે શતબાહુ મુનિએ કહ્યું, એટલે રાવણે સહસ્ત્રાંશુને છોડી દીધો અને સહસ્ત્રાંશુએ તત્કાળ વ્રત ગ્રહણ કર્યું.
ત્યારપછી મરૂતુ રાજા હિંસામય યજ્ઞ કરતો હતો. તે હકીકત નારદના વાક્યથી સાંભળી, દયાળુ રાવણે તેને અટકાવ્યો. પછી રાવણની આજ્ઞાથી દુર્લંઘનગરે ઇન્દ્રના દિગૂપાલ નલકુબેરને જીતવા કુંભકર્ણ વગેરે ગયા. તે ખબર સાંભળી નલકુબેરે આશાલી વિદ્યા વડે પોતાના નગરની આસપાસ સો યોજનનો એક અગ્નિનો કિલ્લો બનાવ્યો. તેને જોવા પણ અશક્ત એવા કુંભકર્ણ વગેરેએ કોઇપણ રીતે પાછા આવીને તે ખબર રાવણને કહ્યા. તે અવસરે નલકુબેરની ઉપરંભા નામની પત્નીએ રાવણ પર અનુરાગ ધરીને તેને આશાલિની વિદ્યા આપી. રાવણે તે વિદ્યા વડે અગ્નિનો કિલ્લો સંહરીને દુર્લઘપુરને કબજે કરી લીધું અને સુદર્શન નામના ચક્રને સંપાદન કર્યું. પછી તે નગર ઉપર તેના અધિપતિ નલકુબેરને જ સ્થાપન કરી, “આ પરસ્ત્રી છે.” એથી ભોગવ્યા વિના તેની પ્રિયા ઉપરંભાને રાવણે તેને પાછી અર્પણ કરી.
ત્યાંથી રાવણ સૈન્ય લઇને વૈતાઢ્યગિરિ ઉપર ગયો અને રથનુપૂર નગરને ઘેરો નાંખ્યો. તેનો સ્વામી ઈન્દ્ર વિદ્યાધર કોપ કરીને સામો આવ્યો. “આપણી વચ્ચે વૈર થતાં ફોગટ આ સૈન્યને મારવાથી શું થવાનું છે ? માટે આપણે બંનેએ જ યુદ્ધ કરવું જોઇએ.' એમ કહી રાવણે ઈન્દ્રને બોલાવ્યો. પછી બંને વીરો હાથી ઉપર ચડીને વિદ્યા શસ્ત્રોને વર્ષાવવા લાગ્યા. છળને જાણનારો રાવણ પોતાના હાથી ઉપરથી છલાંગ મારી ઇન્દ્રના ઐરાવણ હાથી ઉપર ચડ્યો અને ત્યાં ઇન્દ્રને બાંધી વિજય મેળવી પાછો ફરી લંકામાં આવ્યો અને ઇન્દ્રને કારાગૃહમાં નાંખ્યો. તેના પિતા સહસ્રાર રાજાએ લોકપાલ સહિત રાવણ પાસે આવી નમસ્કાર કરીને પુત્રભિક્ષા માંગી એટલે તેના વિનયથી શાંત થઈ રાવણે કહ્યું, “જો તે ઇન્દ્ર આ મારી નગરીને નિત્ય તૃણકાષ્ઠાદિથી વર્જિત કરી, જલથી અભિષેક કરે અને પુષ્પોથી પૂજે, તો હું તેને છોડી મૂકું. એ પ્રમાણે કરવાનું કબૂલ કરીને સહશ્નાર રાજાએ પોતાના પુત્રને કારાગૃહમાંથી છોડાવ્યો. ઇન્દ્ર રથનુપૂરમાં આવી સંસારથી ખેદ પામી વૈરાગ્યથી વ્રત લઇ, લાંબા સમય સુધી તપ કરીને કર્મક્ષયથી મુક્તિ પામ્યો.
એક વખતે રાવણે મુનિ પાસેથી પરસ્ત્રીના સંગથી પોતાનું મરણ જાણી તેઓની પાસે “જે સ્ત્રી સ્વેચ્છાએ પોતાને ઇચ્છે નહિ, તેનો ત્યાગ કરવાનો અભિગ્રહ લીધો. • અંજનાનો અરણ્યવાસ અને હનુમાનનો જન્મઃ
તે અરસામાં આદિત્યનગરમાં પ્રહલાદ નામના રાજાની કેતુમતી નામની સ્ત્રીના ઉદરથી જન્મેલ પવનંજ્ય નામે વિદ્યાધર હતો. તે માટેન્દ્રનગરના અધિપતિ માહેન્દ્ર
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૭૭
Page #199
--------------------------------------------------------------------------
________________
રાજાની હઁસુંદરી નામે રાણીના ઉદરથી જન્મ પામેલી અંજનાસુંદરી નામે કન્યાને પરણ્યો. પરંતુ અભિમાનથી કોઇ દોષની શંકા લાવી તેણે મૂળથી જ તેની સંભાળ લેવી છોડી દીધી. તેથી સતીઓમાં મુખ્ય એવી તે દુઃખેથી કાળ પસાર કરવા લાગી. એમ કરતાં બાવીસ વર્ષ પસાર થયા. તેવામાં એક વખત વરુણ રાજાનો વિજય કરવા જતા સહાય માટે રાક્ષસપતિ રાવણના દૂતે પ્રહલાદ રાજાને આમંત્રણ કર્યું. તે માટે પિતાની રજા લઇ યુદ્ધમાં જતો પવનંજ્ય માતાને નમવા આવ્યો. ત્યાં પોતાની પ્રિયા તેના ચરણમાં નમી તો પણ તેની અવજ્ઞા કરી. પવનંજ્યે સૈન્યસહિત આકાશમાર્ગે જઇને માનસરોવરને તીરે પડાવ નાંખ્યો. ત્યાં રાત્રિએ એક ચક્રવાકીને વિયોગથી પીડાયેલી જોઇ પોતાની પ્રિયા તેને યાદ આવી. તેથી પ્રહસિત નામના પોતાના મિત્રની સાથે તેના આવાસમાં ગયો. ત્યાં પોતાની પ્રિયા અંજનાસુંદરીને મધુર વચનોથી આશ્વાસન આપી પવનંજ્યે તે રાત્રિ અÁક્ષણની જેમ તેની સાથે સુખમાં પસાર કરી.
પ્રાતઃકાલે જ્યારે પવનંજ્ય જવા તૈયાર થયો, ત્યારે અંજનાસુંદરી બોલી, ‘હે નાથ ! આપનાથી જો હું સગર્ભા થઉં તો મારે શો આધાર ? માટે કાંઇ નિશાની આપો.' પવનંજયે તેને પોતાની મુદ્રા આપી કહ્યું, ‘પ્રિયે ! ભય ન રાખીશ.' એમ કહી માનસરોવર ઉપર રહેલી પોતાની છાવણીમાં પાછો આવ્યો.
કેટલોક કાળ જતાં અંજનાસુંદરીના શરીર પર ગર્ભનાં ચિહ્ન જોઇ તેની સાસુ તિરસ્કારથી બોલી, ‘અરે ! બંને કુલને કલંક આપનારી અધમ સ્ત્રી ! આ તે શું કર્યું ? પતિ પરદેશ ગયા છતાં હે પાપિણી, તું ગર્ભિણી કેમ થઇ ?' અંજના સતી રોતી રોતી પતિની મુદ્રિકા બતાવીને પતિ ગુપ્ત રીતે આવ્યાની સર્વ વાત કહેવા લાગી, તો પણ તેના ઉપર વિશ્વાસ નહીં રાખતી કેતુમતીએ ક્રોધથી તેને કોટવાળ દ્વારા રથમાં બેસાડી, માહેન્દ્રપુર પાસે મૂકાવી. ત્યારે તેની વસંતતિલકા નામે એક સખી સાથે રહી હતી. તે અંજનાના પિતા પાસે ગઇ, પણ અંજનાને દોષિત ધારી વસંતતિલકા સહિત તેના પિતાએ પણ તેને પોતાના ઘરમાંથી તે જ વખતે કાઢી મૂકી. રાજાના શાસનથી ગામમાં પણ તેને કોઇ સ્થાન ન મળ્યું. તેથી રખડતી રખડતી તે કોઇક અરણ્યમાં ગઇ. ત્યાં ચારણ મુનિને જોઇ હર્ષ પામીને તેણે નમસ્કાર કર્યા અને પ્રારંભથી પોતાનો વૃત્તાંત કહી, પોતાના તેવા કર્મનું કારણ પૂછ્યું.
અંજનાસતીનો પૂર્વભવ :
મુનિએ કહ્યું કે, ‘લાંતક દેવલોકમાંથી ચ્યવીને એક દેવ તારા ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયો છે. તે વિદ્યાધર થઇ આ જ ભવમાં મુક્તિએ જશે. વળી તારા પૂર્વભવનું સ્વરૂપ સાંભળ ! પૂર્વે કનકરથ નામના રાજાને લક્ષ્મીવતી અને કનકોદરી નામે બે શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૭૮
•
Page #200
--------------------------------------------------------------------------
________________
પત્ની હતી. તેમાં લક્ષ્મીવતી શ્રાવિકા હતી. કનકોદરીએ શોક્યના ભાવથી અદેખાઇપૂર્વક એક વખત તેની અરિહંતની પ્રતિમાનું હરણ કરીને તેની અવજ્ઞા કરી. પછી કોઈ સાધ્વીના કહેવાથી તે પ્રતિમાજીની તેણે આરાધના કરી. અંતે ધર્મનો બોધ થવાથી કનકોદરી મૃત્યુ પામીને દેવી થઇ. ત્યાંથી ચ્યવીને અંજના થઈ છે. પૂર્વભવે કરેલી અરિહંતની પ્રતિમાના દ્વેષથી તને પીડા થઈ પરંતુ હવે તે કર્મ ઘણુંખરું ભોગવી લીધું છે. હવે તું અરિહંત ધર્મ ગ્રહણ કર અને કર્મનો નાશ કર.' એમ કહીને મુનિના ગયા પછી અંજનાસતીએ ગંધર્વપતિ મણિચૂલની આજ્ઞાથી એક ગુફામાં રહીને એક પુત્રને જન્મ આપ્યો. એક દિવસ પ્રતિસૂર્ય નામના તેના મામા ત્યાંથી પસાર થતા હતા. તેમણે તેને જોઈને પોતાની સાથે વિમાનમાં બેસાડીને પોતાના નગરમાં લઈ ગયા. વિમાન જ્યારે વેગથી ચાલ્યું ત્યારે એ કુમાર માતાના ખોળામાંથી ઉછળીને નીચે પર્વત ઉપર પડ્યો. તેના દેહના ભારથી તે પર્વત ચૂર્ણ થઈ ગયો. પરંતુ તે બાળકને જરાપણ ઇજા થઇ નહીં. પ્રતિસૂર્યે જલ્દીથી નીચે જઈને તેને લઈ લીધો અને અંજનાને સોંપ્યો અને માતા-પુત્રને લઇ પોતાના હનુરૂહ નામના નગરમાં આવ્યો. “આ બાળક જન્મ્યા પછી તરત હનુરૂહપુરમાં આવ્યો તેથી તેના મામાએ હનુમાન એવું નામ પાડ્યું અને તે ત્યાં વૃદ્ધિ પામવા લાગ્યો.
આ બાજુ પવન વરુણની સાથે સંધિ કરી, લંકેશ રાવણની કૃપા પ્રાપ્ત કરી પોતાના નગરમાં આવ્યો. ત્યાં પ્રિયાનું વૃત્તાંત સાંભળી ઘણો ખેદ પામી સાસરાના ઘરે ગયો. ત્યાં પણ પોતાની પ્રિયાને ન જોવાથી તેને શોધવા વનેવન ભમવા લાગ્યો. પણ ક્યાંય ન મળવાથી પોતાના માતા-પિતાને પોતે પ્રિયાના વિરહથી મરણ પામશે એમ કહેવરાવ્યું. તે સાંભળી તેના પિતા પ્રહલાદ અંજનાને શોધવા વિદ્યાધર સાથે ત્યાં આવ્યા. પવનંજય અગ્નિમાં પ્રવેશ કરવા તૈયાર થયો હતો, તેને અટકાવ્યો અને એટલામાં તેના મોકલેલા ખેચરો અંજનાને સાથે લઇને ત્યાં આવ્યા. સર્વે આનંદ પામી પ્રતિસૂર્ય રાજાના આગ્રહથી હનુરૂહ નગરમાં આવ્યા. પછી બીજા સર્વે રજા લઈ પોતપોતાના નગરમાં ગયા અને પવનંજય તથા અંજના, પુત્રની સાથે ત્યાં જ રહ્યા. હનુમાન ત્યાં રહી લોકોને હર્ષ આપતો અનુક્રમે સર્વ કળા શીખ્યો અને યૌવન અવસ્થા પામ્યો. એક વખત વરુણ સાથેના યુદ્ધમાં હનુમાનનું અદ્દભૂત બળ જોઇ રાવણ તેની ઉપર ખુશ થયો અને પોતાનો કૃપાપાત્ર બનાવ્યો. વરુણની પુત્રી સત્યવતી, ખર વિદ્યાધરની પુત્રી અનંગકુસુમાં અને તે સિવાય બીજી ઘણી કન્યાઓ હનુમાન પરણ્યો તથા રાવણે સૂર્ય વગેરે નવ વિદ્યાધરોને જીત્યા અને સુખે રાજય કરવા લાગ્યો.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૭૯
Page #201
--------------------------------------------------------------------------
________________
રાવણ પાસે સીતાના રૂપની પ્રશંસા :
અહીં દંડકારણ્યમાં રામચંદ્ર રહેલા હતાં. ત્યાં એક વખત ક્રીડા માટે ફરતાં લક્ષ્મણે વનમાં ખડ્ગ જોયું. ક્ષત્રિયપણાથી તે ખડ્ગની પાસે વંશજાળ હતી, તેને તે ખડ્ગથી છેદી. તેટલામાં તેની આગળ કોઇનું મસ્તક કપાઇને પડ્યું. તે જોઇને, ‘અહા ! કોઇ પુરુષને મેં મારી નાખ્યો.' એવો લક્ષ્મણને પશ્ચાત્તાપ થયો. પછી તે ખડ્ગ લઇ રામ પાસે જઇ તે વૃત્તાંત કહ્યો. રામે કહ્યું, ‘તમે આ સારું ન કર્યું. આ ચંદ્રહાસ ખડ્ગ છે અને જેને તમે મારી નાંખ્યો એ પુરુષ તેનો સાધનાર હશે વળી આટલામાં તેનો કોઇ ઉત્તરસાધક પુરુષ પણ હોવો જોઇએ.'
તેવામાં રાવણની બહેન સૂર્પણખા પોતાના પુત્રને આજે વિદ્યા સિદ્ધ થયેલી હશે, એમ જાણી પૂજાની ઘણી સામગ્રી લઇને ત્યાં આવી. તેવામાં પોતાના પુત્રનું મસ્તક છેદાયેલું તેણે જોયું. તે જોઇને ઉંચે સ્વરે પોકાર કરતી રૂદન કરવા લાગી. પછી ત્યાં પુરુષના પગલા જોઇ તે અનુસારે આગળ જતાં દૂરથી તેણે કામદેવ જેવા મનોહર રામચંદ્રને જોયા. રામના સુંદર રૂપથી મોહ પામી તે પોતાનું વૈર ભૂલી ગઇ અને શોક છોડી દઇ, પાસે આવી સંભોગ માટે તેમની પાસે યાચના કરી. ત્યારે રામે કહ્યું, ‘હું સ્ત્રી સહિત છું, માટે લક્ષ્મણ પાસે જા.' તેથી તે લક્ષ્મણ પાસે આવી. એટલે, ‘માનસિક વિકારથી તું મારી ભોજાઇ થઇ ચૂકી, તેથી મારે ગ્રહણ કરવા યોગ્ય નથી.' એમ કહી લક્ષ્મણે પણ તેનો ત્યાગ કર્યો.
આ પ્રમાણે બંને તરફથી ભ્રષ્ટ થયેલી એ દુષ્ટા રોષથી ત્યાંથી નાસીને મસ્તક ફૂટતી ફૂટતી પોતાના પતિ પાસે આવી, પુત્રના વધનો વૃત્તાંત કહ્યો. તે સાંભળતાં જ ચૌદ હજાર વિદ્યાધર સુભટોની સાથે ખરાદિ વીરો કોપ કરતાં રામ ઉપર ચડી આવ્યા. રામે લક્ષ્મણને કહ્યું, ‘હું શત્રુઓને હણવા જાઉં છું. મારા આવતા સુધી આ તમારી ભાભીનું રક્ષણ કરજો.' પણ લક્ષ્મણે એમને અટકાવી પોતે યુદ્ધ કરવા ચાલ્યા, ત્યારે રામે સંમતિ આપતા કહ્યું, જો શત્રુઓ તરફથી કોઇ સંકટ આવે તો સિંહનાદ કરીને મને જણાવજો.
આ પ્રમાણે રામની આજ્ઞા મસ્તકે ચડાવી ધનુષ્યના નાદથી અને ભુજાઓના આસ્ફોટથી શત્રુઓને ત્રાસ ઉત્પન્ન કરતા લક્ષ્મણ યુદ્ધ કરવા ચાલ્યા. તે વખતે દુરાશયા સૂર્પણખા રાક્ષસી પોતાના સ્વામી ખરને મદદ આપવા માટે રાવણ પાસે જઇને કહેવા લાગી; ‘હે બંધુ ! કોઇ દેવ જેવા બે પુરુષો દંડકારણ્યમાં આવ્યા છે. તેમણે તપમાં રહેલા તારા ભાણેજ શંબૂકને મારી નાખ્યો છે. મારા કહેવાથી તારા બનેવી તેમનો વધ કરવા ગયેલા છે અને તે હાલ લક્ષ્મણની સાથે યુદ્ધ કરે છે. તેનો બંધુ રામ પોતાના તથા લક્ષ્મણના બળથી તેમજ પોતાની સ્ત્રીના રૂપથી વિશ્વને અસાર ગણે શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૮૦
Page #202
--------------------------------------------------------------------------
________________
છે. તેની પત્ની સીતા આગળ જગતની બધી સ્ત્રીઓ અને અપ્સરાઓ ઝાંખી પડે છે. એવી એ મનોહર સીતા તમારે જ લાયક છતાં તેને રામ રાખી બેઠેલો છે. જયાં સુધી એ રમણી તારા હાથમાં નહીં આવે ત્યાં સુધી આ તારું રાજય, તારી દિવ્ય સ્ત્રીઓ, તારા સ્વરૂપની શોભા અને તારું અપ્રતિમ બળ તે સર્વ નકામું છે.
સૂર્પણખાના આવા વચન સાંભળી રાવણને સીતા પર અનુરાગ ઉત્પન્ન થયો. તેથી તે પુષ્પક વિમાનમાં બેસીને દંડકારણ્યમાં આવ્યો. ગરુડના તેજથી સર્પની જેમ રામના તેજથી તેનું અભિમાન હણાઈ ગયું. આથી રાવણ વિચારવા લાગ્યો કે હવે મારે શું કરવું ? ચિંતાથી દોલાયમાન ચિત્તવાળા રાવણે અવલોકિની વિદ્યાનું સ્મરણ કર્યું. એટલે તે વિદ્યા તરત ત્યાં હાજર થઇ. રાવણે તેને જાનકીને હરણ કરવાનો ઉપાય પૂછ્યો. એટલે તે વિદ્યા બોલી, “આ કાર્ય દુષ્કર છે. પરંતુ જો આ રામ તેણે કરેલા સંકેત પ્રમાણે લક્ષ્મણનો સિંહનાદ સાંભળીને ત્યાં જાય, તો પછી સુખેથી સીતાનું હરણ કરી શકાય, માટે હું તેવી યુક્તિ કરું છું.' રાવણે કહ્યું : “તેમ કરો.” એટલે તે વિદ્યાએ બરાબર લક્ષ્મણ જેવો સિંહનાદ કર્યો. તે સાંભળીને સીતાના આગ્રહથી રામ, લક્ષ્મણને સહાય કરવા દોડ્યા.
તે સમયે છૂપી રીતે રાવણે આકાશમાંથી નીચે ઉતરી સીતાને હરી લીધી. ભય પામેલી સીતા, “હે તાત ! હે કાંત ! હે ભ્રાત ! હે દીયર ! અત્યંત દારૂણ એવા આનાથી મારી રક્ષા કરો. રક્ષા કરો.” એવો વારંવાર પોકાર કરવા લાગી. સીતાનો આવો આર્તપોકાર સાંભળી ત્યાં રહેલો જટાયુ પક્ષી રાવણ પ્રત્યે ક્રોધ કરીને સીતાને આશ્વાસન આપવા રાવણનાં મુખને નખથી તોડવા લાગ્યો. એટલે ક્રોધ પામેલા રાવણે ખગ્ન ખેંચી જટાયુની પાંખ છેદી નાંખી. મરણતોલ હાલતમાં જટાયુ નીચે પડ્યો, તેથી સીતા વિશેષ ભય પામી અને ભામંડલને સંભારવા લાગી. “હે બંધુ ભામંડલ ! મારી જલ્દી રક્ષા કર ! રક્ષા કર ! આ શબ્દો આકાશમાં જતા ભામંડલના અનુચર રત્નજટી નામના વિદ્યાધરે સાંભળ્યા. એટલે તે સીતાને જાણી ત્યાં દોડી આવ્યો. તેને પોતાની પાછળ આવતો જોઇને લંકાપતિ રાવણે પોતાની વિદ્યાથી તેની વિદ્યાઓ હરી લીધી. જેથી તે ભૂમિ ઉપર પડી ગયો. પછી રાવણ નિર્વિને ગમન કરી પોતાના સ્થાને આવ્યો અને તેની સ્ત્રી થવાને નહીં ઇચ્છતી તે સીતાને ખેચરીઓની સાથે દેવરમણ ઉદ્યાનમાં મૂકી.
અહીં લક્ષ્મણ રામને આવેલા જોઈ શત્રુઓને મૂકી દઈ કહેવા લાગ્યા; આર્ય! સીતાને એકલા મૂકી અહીં કેમ આવ્યા ?' રામે કહ્યું; “તમારો સિંહનાદ સાંભળીને આવ્યો છું.' લક્ષ્મણે કહ્યું; “મેં સિંહનાદ કર્યો નથી, તેથી જરૂર કોઇએ આપને છેતરી લીધા જણાય છે. માટે સત્વર પાછા જાવ અને સીતાની રક્ષા કરો; હું શત્રુઓને મારીને
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૮૧
Page #203
--------------------------------------------------------------------------
________________
હમણા જ આવું છું.' તત્કાલ રામ માર્ગમાં અલના પામતા શીઘ્રતાથી પાછા આવ્યા. નિવાસસ્થાને આવીને જોતાં રામે જાનકીને દીઠાં નહીં. એટલે તેઓ તત્કાળ મૂચ્છ પામ્યા. વનના પવનથી ક્ષણવારે સંજ્ઞા મેળવી અત્યંત રૂદન કરવા લાગ્યા. પછી આમતેમ ભમતા ભમતા જયાં જટાયુ મરવાની તૈયારીમાં હતો ત્યાં આવ્યા અને તેને નવકાર મંત્ર સંભળાવ્યો. આથી જટાયુ શુભધ્યાનમાં મૃત્યુ પામી સદ્ગતિગામી બન્યો.
આ બાજુ લક્ષ્મણ ખર, ત્રિશિરા અને દૂષણને હણી વિરાધ મિત્રને લઈને પાછા વળ્યા અને સ્વસ્થાને આવી સીતા વગરના રામને જોઇને નેત્રમાંથી અશ્રુજળને મૂકતા બોલ્યા, ‘જયેષ્ઠબંધુ ! હું તમારી આજ્ઞાથી શત્રુઓને જીતીને તમને નમવા માટે આવ્યો છું. આ શું છે ? “મારા પૂજય ભાભી ક્યાં છે ?' આ સાંભળી રૂદન કરતા રામ તેને આલિંગન કરીને બોલ્યા કે, “સીતાનું હરણ થયું જણાય છે. લક્ષ્મણે કહ્યું,
ખરેખર આ (સીતાહરણ) માટે જ કપટી એવો સિંહનાદ થયો હતો. હે જયેષ્ઠબંધુ! હવે કાયરપણું છોડી દો. હું સીતાને સત્વર શોધી લાવીશ.'
આ પ્રમાણે આશ્વાસન પામેલા રામ અનુજબંધુ સાથે આગળ ચાલ્યા. પછી વિરાધે પોતાના કેટલાક સેવકોને સીતાની શોધ માટે મોકલ્યા. પરંતુ સીતાને કોઈ ઠેકાણે નહીં જોતાં તેઓ ત્યાં પાછા આવ્યા. તેથી અનુજબંધુ સહિત રામ અને વિરોધ વિશેષ દુઃખી થયા. પછી બંને ભાઈ પાતાળલંકામાં ગયા. ત્યાં ખરના પુત્ર સુંદને જીતી લઇ, તે રાજય ઉપર વિરાધને બેસાડ્યો. • સુગ્રીવનું રામચંદ્રજીના શરણે આગમન :
( કિષ્કિધા નગરીમાં વાલીનો ભાઈ સુગ્રીવ વિદ્યાધર રાજા હતો તે જવલનશિખા વિદ્યાધરની પુત્રી તારા કે જેની સાહસગતિ વિદ્યાધરે માગણી કરેલી હતી તેની સાથે પરણ્યો હતો. તારા સાથે ક્રીડા કરતાં સુગ્રીવને અંગદ અને જયાનંદ નામના બે ઉત્તમપુત્રો થયા. તારાને મેળવવા માટે સાહસગતિ વિદ્યાધરે હિમવંત પર્વત ઉપર જઈ હૃદયમાં તારાનું સ્મરણ કરી વિદ્યા સાધવાનો પ્રારંભ કર્યો.
હવે, એક વખત સુગ્રીવ ક્રીડા કરવા ગયો હતો ત્યારે સાહસગતિ ખેચર વિદ્યા સાધીને કિષ્કિધા નગરીમાં આવ્યો અને પ્રસારણી વિદ્યાથી સુગ્રીવ જેવો વેષ ધારણ કરી તારાની અભિલાષાથી કામાતુર થઇને અંતઃપુરમાં પેઠો. તેવામાં તો જે સત્ય સુગ્રીવા હતો તે પણ ત્યાં આવ્યો. એટલે દ્વારપાળોએ તેને અટકાવ્યો અને કહ્યું કે; “સુગ્રીવ તો અંદર ગયેલા છે. તે વખતે વાલીનો પુત્ર ચંદ્રરશ્મિ ત્યાં હાજર હતો, તેણે માતાની (અંતઃપુરની) રક્ષા કરવા માટે બંને સુગ્રીવોનું સરખાપણું જોઇને અંદર જઈ પેલા માયાવી સુગ્રીવને અંતઃપુરમાં જતા રોક્યો. તે વાતની ખબર પડવાથી સાચા સુગ્રીવની
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૮૨
Page #204
--------------------------------------------------------------------------
________________
ચૌદ અક્ષૌહિણી સેના અડધી અડધી બંને સુગ્રીવમાં વહેંચાઇ ગઇ. બંને વચ્ચે યુદ્ધ થયું. તેમાં પેલા સુગ્રીવથી સત્ય સુગ્રીવ જીતાયો. એટલે નગર બહાર જતો રહ્યો.
ત્યારે... સાચા સુગ્રીવે વિચાર્યું કે, “મારા મોટાભાઈ વાલી ખરેખર ધન્ય છે કે, જે દીક્ષા લઇ પરમપદ પામ્યા. તેના પુત્ર ચંદ્રરશ્મિને પણ ધન્ય છે કે, જેણે દુશ્મને અંતઃપુરમાં જતા અટકાવ્યો. અત્યારે મારી સહાય કરનાર એક ખર વિદ્યાધર હતો, તેને રામે મારી નાખ્યો છે. માટે હવે તો વિરાધના ઉપકારી રામનો જ હું આશ્રય કરું.
એમ વિચારી રામને શરણે આવ્યો અને રામ લક્ષ્મણને સાથે લઇ કિષ્ક્રિધાનગરીમાં આવ્યા. ત્યાં નગર બહાર રહી પેલા માયાવી સુગ્રીવને યુદ્ધ કરવા પરિવાર સહિત બોલાવ્યો. તે નગર બહાર આવ્યો. એટલે બંને સુગ્રીવનું સાદેશ્ય જોઇ બંનેનો ભેદ જાણવા રામે વજાવર્ત ધનુષનો ટંકાર કર્યો. તે નાદથી કપટી સુગ્રીવની વેષ પરાવર્તિની વિદ્યા પલાયન થઈ ગઈ. પછી રામે એક બાણથી કપટી સુગ્રીવને હણ્યો. સત્ય સુગ્રીવનો સર્વ પરિવાર એકઠો થયો. એટલે રામે તેને તેનાં રાજય ઉપર પુનઃ બેસાડ્યો. તે સમયે વિરાધ અને ભામંડલ પરિવાર સાથે ત્યાં આવ્યા. જાંબુવાન, હનુમાન, નીલ, નિષધ, ચંદન, ગવાક્ષ, રથ અને ભંભ વગેરે બલવાન વીરોને સુગ્રીવે એકઠા કર્યા. પછી કપીશ્વર સુગ્રીવે સીતાને રાવણ હરી ગયો છે. એવા ખબર મેળવીને રામની આજ્ઞાથી તેની ખાત્રી કરવા માટે મહાબળવાન અને વિનીત એવા હનુમાનને લંકા બાજુ મોકલ્યો.
આ બાજુ નહીં ઇચ્છતી એવી પરસ્ત્રી સાથે ક્રીડા નહીં કરનારો રાવણ પોતાની સ્ત્રીઓ દ્વારા હંમેશા સીતાને સમજાવતો હતો. વિભીષણાદિક સજ્જનોએ અને મંત્રીઓએ રાવણને સારી રીતે વારંવાર સમજાવ્યો. તો પણ તેણે જાનકીને છોડી નહીં. કારણ કે, “ભવિતવ્યતા કદી પણ ફરતી નથી.” • હનુમાન દ્વારા સીતાને આશ્વાસન :
હવે પવનંજયનો પુત્ર હનુમાન આકાશમાં ચાલતાં માહેન્દ્ર પર્વત ઉપર આવ્યો. ત્યાં પોતાનાં માતામહ મહેન્દ્ર રાજાનું નગર જોઇ તે વિચારવા લાગ્યો કે; “આ મહેન્દ્ર મારી નિરપરાધી માતાને કાઢી મૂકી હતી. તો તેને કાંઇપણ મારું બળ બતાવું.” આવો વિચાર કરી હનુમાને ક્રોધથી સિંહનાદ કર્યો. તે સાંભળી મહેન્દ્ર રાજાએ પણ કોપથી નગર બહાર નીકળી હનુમાનને યુદ્ધ માટે બોલાવ્યો. ચિરકાલ યુદ્ધ કરીને પ્રાંતે મૂંઝવણ પામેલા માતામહને નમસ્કાર કરી, પોતાનું સ્વરૂપ જણાવી, હનુમાન પોતાના સ્વામીનું કાર્ય કરવાની શીઘ્રતા હોવાથી ત્યાંથી નીકળ્યો. અનુક્રમે લંકાના પરિસર ભાગમાં આવી આશાળી વિદ્યાને હણી હનુમાને રણમાં આવેલા વજમુખને માર્યો. પછી
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૮૩
Page #205
--------------------------------------------------------------------------
________________
પવનકુમારે લંકાસુંદરીને પણ જીતી ગાંધર્વવિધિ વડે તેની સાથે લગ્ન કર્યું અને તે રાત્રિ તેની સાથે આનંદમાં નિર્ગમન કરી પ્રાતઃકાળે તે વિભીષણને ઘેર આવ્યો. હનુમાનના વચનથી વિભીષણ રાવણને સમજાવવા ગયો અને હનુમાન ત્યાંથી આકાશમાર્ગે ઉડીને જયાં સીતા રહેલાં છે, તે વનમાં આવ્યો.
ત્યાં રાક્ષસીઓથી પરિવરેલી, મલિન વસ્ત્રને ધરનારી, સુધાથી ક્ષીણ થયેલી, ગ્લાનિ પામેલી સીતાને રામના નામનું રટણ કરતી તેણે જોઈ. તે જોઇને હનુમાને વિચાર્યું કે, ખરેખર વિશ્વને પવિત્ર કરનારી આ સીતા સતી છે. આવી રૂપ સંપત્તિવાળી સીતાને માટે રામ ખેદ કરે છે તે ઉચિત છે. પછી કપિરાજે ગુપ્ત રીતે રામની આપેલી મુદ્રા સીતાના ઉત્સંગમાં નાખી. તે મુદ્રિકા જોઈને સીતા હર્ષથી ઉચ્છવાસ પામ્યા. સીતાને હર્ષિત થયેલા જોઇ ત્રિજટા રાક્ષસીએ રાવણ પાસે જઈને વાત કહી; એટલે રાવણે દૂતકાર્યમાં પંડિત એવી પોતાની સ્ત્રી મંદોદરીને સીતા પાસે મોકલી. સીતાએ તેનો તિરસ્કાર કર્યો. તે જોઇ પવનકુમાર શિશપા (શીશમ)ના વૃક્ષ ઉપરથી નીચે ઉતરી, સીતા પાસે આવી, પ્રણામ કરીને બોલ્યા, માતા ! તમારા સ્વામી રામ અને લક્ષ્મણ કુશળ છે. હું પવનંજય તથા અંજનાનો પુત્ર હનુમાન નામે તેમનો દૂત છું. તેઓ દંડકારણ્યમાં રહ્યા છે. તેમની આજ્ઞાથી હું અહીં આવ્યો છું.
તે સાંભળતાં જ સીતા ઘણાં ખુશ થયા. હનુમાનના આગ્રહથી અને રામના સમાચાર સાંભળવાના હર્ષથી એકવીશ દિવસે સીતાએ પારણું કર્યું. પછી સીતા પાસેથી મુકુટનું ચિહ્ન લઈ હનુમાન ત્યાંથી ચાલ્યો અને દેવરમણ ઉદ્યાનનાં વૃક્ષો તેણે ભાંગી નાંખ્યાં. તે સિવાય વનપાલકોને હણી રાવણના પુત્ર દક્ષકુમારને પણ મારી નાખ્યો. ત્યારે રાવણના મુખ્ય પુત્ર ઈન્દ્રજિતે ત્યાં આવી, નાગપાશ વડે હનુમાનને બાંધ્યો અને રાવણ પાસે લઈ ગયો. ત્યાં રાવણના દુષ્ટ વાક્યથી હનુમાને ક્રોધ કરી નાગપાશ તોડી રાવણના મુગટને ચરણના આઘાતથી ભાંગી નાંખ્યો. પછી લંકાનગરીને ભાંગી, ત્યાંથી આકાશમાં ઉડીને રામ પાસે આવ્યો અને રામને નમસ્કાર કરી સીતાનો ચૂડામણિ અર્પણ કર્યો. જાણે સાક્ષાત્ સીતા આવ્યા હોય તેમ ધારી ચૂડામણિ લઈને રામે પ્રેમથી પવનકુમારની કુશળતા પૂછી. • રામ - રાવણનું યુદ્ધ :
ત્યારપછી રામની આજ્ઞાથી સુગ્રીવ વગેરે સર્વ વાનરવીરોએ યુદ્ધપ્રયાણના વાજીંત્રો વગડાવ્યા. આગળ જતાં રાવણના “સેતુ અને સુભદ્ર' નામે બે સુભટો લડવા આવ્યા. તેમને રામે શરૂઆતમાં જ સમુદ્રનાં આંગણાંમાં બાંધી લીધા. પછી સુવેલ પર્વત પરના “સુવેલ” રાજાને જીત્યો. પછી લંકાની નજીકમાં રહેલી ઉપલંકા તથા
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૮૪
Page #206
--------------------------------------------------------------------------
________________
હંસદ્વીપનાં હંસરથ રાજાને જીતી લીધા. જયારે રામચંદ્ર નજીક આવ્યા, ત્યારે લંકાનગરી ક્ષોભ પામી. રાવણે પણ યુદ્ધનાં વાજિંત્રો વગડાવ્યા.
રામને આવેલા જાણી વિભીષણ કે જે રાવણનો નાનો ભાઈ છતાં ગુણથી શ્રેષ્ઠ હતો, તેણે રાવણ પાસે આવી પ્રણામ કરી કહ્યું, “હે દેવ ! તમે વિચાર્યા વગર પરસ્ત્રીનું હરણ કર્યું છે. તો હવે અભ્યાગતરૂપે આવેલા રામને તે જલ્દી પાછી આપી ઘો. માત્ર એક પરસ્ત્રી માટે આ રાજયનો અને પરલોક (સ્વર્ગ)નો શા માટે નાશ કરો છો ? ફક્ત રામના દૂત તરીકે આવેલા તેના સેવક હનુમાને જે કરી બતાવેલું છે, તેનું સ્મરણ કરો ! - શત્રુની પ્રશંસાથી ક્રોધ પામેલા રાવણે વિભીષણને લંકાનગરીમાંથી કાઢી મૂક્યો. એટલે તેણે રામનું શરણ લીધું. વિભીષણની પાછળ રાક્ષસો અને ખેચરોની ત્રીશ અક્ષૌહિણી સેના નીકળી. તેને રામે પ્રીતિથી બોલાવી. પછી વિભીષણને લંકાનું રાજ્ય આપવાની કબૂલાત આપીને સૈન્યથી પૃથ્વીને કંપાવતા રામે લંકાનગરીને વીંટી લીધી. તે સમયે રાવણના ક્રોડો બળવાન સુભટો ભુજાસ્ફોટ કરતા કરતા નગરીની બહાર નીકળ્યા. શિલા, વૃક્ષ અને લોહના અસ્ત્રો પરસ્પર ફેંકવા વડે રામ અને રાવણના સૈનિકોની વચ્ચે ઘણા વખત સુધી દારૂણ યુદ્ધ ચાલ્યું.
એટલામાં પૂર્વે અંગીકાર કરેલા વરદાનવાળો ગરૂડદેવ અવધિજ્ઞાનથી રામની વિપત્તિ જાણી ત્યાં આવી, રામને સિંહનિનાદ વિદ્યા, રથ, હળ અને મુશલ તથા લક્ષ્મણને ગારુડીવિદ્યા, રણમાં શત્રુનો નાશ કરનારી વિધુદ્ધદના ગદા અને બીજા અસ્ત્રો આપી તે દેવ અંતર્ધાન થઈ ગયો. આ અસ્ત્રોથી યુદ્ધ ચાલતાં લક્ષ્મણે ઈન્દ્રજિતને અને રામે કુંભકર્ણને નાગપાશથી બાંધી પોતાના સૈન્યમાં મોકલી દીધો. બીજા પણ રાક્ષસોને રામના વીરોએ બાંધી લીધા. ત્યારે વિભીષણ ફરી રાવણને સમજાવવા લાગ્યા, તેથી રાવણે તેની સાથે યુદ્ધ આરંભ્ય. ક્રોધથી તેનો વધ કરવા એક ત્રિશૂળ નાંખ્યું. તેને લક્ષ્મણે બાણ વડે વચ્ચમાંથી જ છેદી નાંખ્યું. પછી રાવણે ધરણેન્દ્ર આપેલી શક્તિ હાથમાં લીધી અને આકાશમાં જમાડવા લાગ્યો. તેનો ભાવ જાણી લક્ષ્મણે વિભીષણની આગળ આવી રાવણને આક્ષેપ કર્યો. તેથી રાવણે કોપથી તે કલ્પાંતકાળના વજ જેવી શક્તિ લક્ષ્મણ ઉપર જ મૂકી. તે શક્તિ લક્ષ્મણની છાતી ઉપર પડી. તેથી લક્ષ્મણ તત્કાળ મૂચ્છ પામ્યા અને છાવણીમાં સર્વત્ર શોક પ્રવર્યો.
તે વખતે રામ અત્યંત ક્રોધથી પંચાનન રથ પર બેસી રાવણની સાથે યુદ્ધ કરવા આવ્યા અને રાવણના પાંચ રથ ભાંગી નાખ્યા. તેનું વીર્ય સહન ન થતાં રાવણ પોતાના નગરમાં ચાલ્યો ગયો. પછી સૂર્યાસ્ત થતાં રામ લક્ષ્મણ પાસે આવ્યા. તેની
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૮૫
Page #207
--------------------------------------------------------------------------
________________
મૂચ્છિત અવસ્થા જોઈ રામ પણ મૂચ્છ પામ્યા. પછી ચેતના આવતાં અત્યંત વિલાપ કરવા લાગ્યા. તે વખતે વિભીષણે કહ્યું કે, આ શક્તિથી જે પુરુષ હણાય છે, તે એક રાત્રિ સુધી જ જીવે છે. માટે તે દૂર કરવા કોઈ ઉદ્યમ કરો. ત્યારે સુગ્રીવ વગેરેએ વિઘાથી રામ-લક્ષ્મણની આસપાસ ચાર ધારવાળા સાત કિલ્લા કર્યા.
તે સમયે ભામંડલનો ભાનુ નામે એક મિત્ર હતો. તે રામ પાસે આવી કહેવા લાગ્યો કે, “અયોધ્યાનગરીથી બાર યોજન દૂર દ્રોણ રાજાનું કૌતુકમંગલ નામે નગર છે. તે દ્રોણ રાજા કૈકેયીના ભાઈ થાય છે. તેને વિશલ્યા નામે એક પુત્રી છે. તેના હાથના સ્પર્શથી શરીરમાં ગમે તેવું શલ્ય હોય તે નીકળી જાય છે. માટે સૂર્યોદય પહેલાં તે વિશલ્યાને જો અહીં લવાય તો આ લક્ષ્મણ સજજ થાય. તે સાંભળી રામે તરત જ અંગદ, ભામંડલ અને હનુમાનને ભરત પાસે જવાની આજ્ઞા કરી. તેઓએ વિમાનમાં બેસી ભરત પાસે જઈ સર્વ વૃત્તાંત જણાવ્યો. ભરતે તેઓની સાથે વિમાનમાં બેસી દ્રોણ રાજા પાસે આવી વિશલ્યાની માંગણી કરી. • વિશલ્યાના કરસ્પર્શથી લક્ષ્મણને ચૈતન્યપ્રાપ્તિ :
દ્રોણ રાજાએ એક હજાર કન્યાઓ સહિત વિશલ્યા આપી. પછી ભરતને અયોધ્યામાં મૂકી ભામંડલ તે કન્યાઓ લઈ રામ પાસે આવ્યો. દૂરથી આવતી વિશલ્યાની કાંતિથી સર્વેને સૂર્યના ઉદયની શંકા થઇ. પણ હનુમાને આવી શંકા દૂર કરી. વિશલ્યાએ લક્ષ્મણને કરસ્પર્શ કર્યો એટલે તે શક્તિ તેના શરીરમાંથી નીકળી આકાશમાર્ગે જવા લાગી. તેને હનુમાને પકડી લીધી. એટલે દેવીરૂપ તે શક્તિ બોલી, હું તો સેવકરૂપ છું. મારો કાંઈ દોષ નથી. મને છોડી દો. તેથી તેને હનુમાને છોડી દીધી અને તે ઉછળીને આકાશમાં જતી રહી. પછી વિશલ્યાનાં સ્નાનજળથી સિંચન થયેલા લક્ષ્મણના શરીરના સર્વ ઘા રૂઝાઈ ગયા અને તે બેઠા થયા. રામે લક્ષ્મણનું આલિંગન કરી બનેલો સર્વ વૃત્તાંત જણાવ્યો અને એક હજાર કન્યા સહિત વિશલ્યાને તેની સાથે પરણાવી. વળી તેના સ્નાનજળથી બીજા સુભટોના પણ ઘા રૂઝાઈ ગયા. પછી સર્વેએ મળી મોટો ઉત્સવ કર્યો.
લક્ષ્મણ જીવ્યાના ખબર ચરપુરુષ પાસેથી સાંભળી રાવણે બહુરૂપીવિદ્યા સાધવાનો નિશ્ચય કર્યો અને શ્રી શાંતિનાથ પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરી તે વિદ્યા સાધવાનો આરંભ કર્યો. મંદોદરીની આજ્ઞાથી આઠ દિવસ સુધી લંકાના સર્વ લોકો જૈનધર્મમાં જ તત્પર થયા. આઠમે દિવસે રાવણે વિદ્યા સિદ્ધ કરી. પ્રાતઃકાલે ફરીવાર બંને સૈન્યો વચ્ચે દારૂણ યુદ્ધ પ્રવર્તે. લક્ષ્મણ બીજા સર્વ રાક્ષસોને છોડી સતત રાવણ ઉપર બાણો ફેંકવા લાગ્યો. તેથી આકુલ થયેલા રાવણે બહુરૂપી વિદ્યાર્થી પોતાનાં
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૮૬
Page #208
--------------------------------------------------------------------------
________________
ઘણાં રૂપો વિકુળં. તે જોઇ ગરુડ પર બેસી લક્ષ્મણ બાણધારાથી તે બહુરૂપી રાવણને મારવા લાગ્યો. બાણોથી દુઃખી થયેલા રાવણે ચક્રનું સ્મરણ કર્યું. એટલે એ ચક્ર ત્યાં હાજર થયું. તેને ભમાવીને રાવણે લક્ષ્મણ ઉપર મૂક્યું. પણ તે પ્રદક્ષિણા કરીને લક્ષ્મણના હાથમાં આવ્યું. લક્ષ્મણે તે ચક્ર રાવણના વક્ષસ્થળમાં માર્યું. ચક્રના ઘાતથી જેઠ માસની કૃષ્ણ એકાદશીએ પાછલે પહોરે મૃત્યુ પામીને રાવણ ચોથી નરકમાં ગયો. તે વખતે દેવોએ પુષ્પવૃષ્ટિ કરી.
પછી રામે મુક્ત કરેલા કુંભકર્ણ, ઇન્દ્રજિત અને મેઘવાહન વગેરેએ જઈને રાવણનું પ્રેતકર્મ કર્યું અને તેઓએ તથા મંદોદરીએ વૈરાગ્યવાસિત બની અપ્રમેયબલ નામના મુનિની પાસે દીક્ષા અંગીકાર કરી. આ બાજુ રામે નિષ્કલંક સીતાને લઈ વિભીષણે બતાવેલા માર્ગે ઉત્સવ સહિત લંકાનગરીમાં પ્રવેશ કર્યો. વિભીષણને લંકાનું રાજ્ય આપી છ વર્ષ સુધી રામચંદ્રજી પોતાના પરિવાર સાથે ત્યાં રહ્યા. પછી પોતાની માતાને મળવા તેઓ ઉત્કંઠિત થયા. એ અરસામાં વિંધ્યાચળની ભૂમિમાં રહેલા ઇન્દ્રજિત અને મેઘવાહન સિદ્ધિપદ પામ્યા. ત્યાં મેઘરથ નામે તીર્થ થયું. નર્મદા નદીમાં કુંભકર્ણ સિદ્ધિ પામ્યા. ત્યાં પૃથુરક્ષિત નામે તીર્થ થયું. • રામનું અયોધ્યામાં આગમન અને રાજ્યપ્રાપ્તિ ઃ
શુભ દિવસે સીતા અને લક્ષ્મણ સહિત સુગ્રીવાદિક વડે અનુસરાયેલા રામ પુષ્પક વિમાનમાં બેસી, પૃથ્વી ઉપર સ્થાને સ્થાને અનેક આશ્ચર્યો જોતાં જોતાં અયોધ્યા પાસે આવ્યા. એ ખબર સાંભળી ભરતે શત્રુનને સાથે લઈ સામા આવી રામના ચરણમાં નમસ્કાર કર્યો. રામ અને લક્ષ્મણે વિનયથી બંધુઓને આલિંગન કર્યું. પછી તેઓએ અયોધ્યામાં પ્રવેશ કર્યો. પ્રથમ બંને ભાઇઓ માતા-પિતાને પગે લાગ્યા. ભરતે થાપણની જેમ રાખેલ અયોધ્યાનું રાજય રામને અર્પણ કરી પોતે દેશભૂષણ નામના મુનિની પાસે પોતાનો પૂર્વભવ સાંભળી દીક્ષા લીધી.
એક દિવસ ગુરુના મુખથી શ્રી શત્રુંજયગિરિનો મહિમા સાંભળી એક હજાર મુનિની સાથે ભરતમુનિ તે તીર્થ ઉપર આવી શ્રી ઋષભદેવ પ્રભુને નમી તેમના ધ્યાનમાં સ્થિર થયા. પ્રાંતે સર્વ કમોં ખપાવી કેવળજ્ઞાન પામી, મોક્ષ પામ્યા. રામલક્ષ્મણે તે સ્થળે આવી યાત્રા, ઉદ્ધાર તથા ધ્વજાદિક પુણ્યકૃત્ય કરી વારંવાર તે મહાતીર્થના મહિમાને પ્રસિદ્ધ કર્યો. • સીતા - હનુમાનનો ભાવિ વૃત્તાંત ઃ
સમય જતાં પૂર્વકર્મના ઉદયે સીતાએ પોતાના ઉપર ચડેલ આળને અગ્નિ-પરીક્ષા દ્વારા દૂર કર્યું. પછી વ્રત લઈ તપસ્યા આચરીને સીતા અચ્યતેન્દ્ર થયા. શ્રીશૈલ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૮૭
Page #209
--------------------------------------------------------------------------
________________
(હનુમાન) પણ પોતાનું રાજય પુત્રને આપી વૈરાગ્યથી દીક્ષા લઇ લાંબો કાળ સંયમ પાળીને મોક્ષે ગયા. • રામ - લક્ષ્મણ આદિનો ભાવિ વૃત્તાંત :
એક વખત ભ્રાતૃસ્નેહની પરીક્ષા કરવા માટે બે દેવોએ લક્ષ્મણ પાસે આવી, “રામ મૃત્યુ પામ્યા છે” એમ કહ્યું. તે સાંભળી લક્ષ્મણ તત્કાળ ખરેખર મૃત્યુ પામ્યા. તે ખબર સાંભળી રામના પુત્ર લવણ અને અંકુશ દીક્ષા લઈ અનુક્રમે શિવસંપત્તિને પામ્યા. જટાયુદેવે કરેલા પ્રતિબોધથી લક્ષ્મણનાં મૃતકર્મને કરી રામે અનંગદેવને રાજય આપ્યું અને પોતે શત્રુઘ્ન, સુગ્રીવ તથા વિભીષણ વગેરે સોળ હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી. વિવિધ અભિગ્રહ કરતાં રામમુનિ વિહાર કરતાં કરતાં કોટિશિલાએ આવ્યાં. ત્યાં કેવળજ્ઞાન પામ્યા. પછી પુંડરીકગિરિ વિગેરે તીર્થમાં વિહાર કરી, તે તીર્થોનો પ્રભાવ વિસ્તારી, પંદર હજાર વર્ષનું શેષ આયુષ્ય પૂર્ણ કરી શ્રી રામ મોક્ષે ગયા.
હવે ઇન્દ્ર શ્રી વીરપ્રભુને પ્રણામ કરીને ભક્તિપૂર્વક આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે; “હે સ્વામી ! અમારો ઉદ્ધાર કરવા માટે શત્રુંજયગિરિના મુખ્ય શિખર સંબંધી વિસ્તારવાળી જે કથા કહી તે સાંભળી હું પવિત્ર થયો છું. તે સિવાય એ ગિરિના એકસોને આઠ શિખરો છે. તેમાં આપે એકવીશ શિખરો ઉત્તમ કહ્યાં છે. હે પ્રભુ! તે એકવીશ શિખરોમાં પણ જે શિખરનો મહિમા અધિક હોય, તે મહિમા સર્વ પ્રાણીઓને પવિત્ર કરવાને માટે હું સાંભળવા ઇચ્છું છું. હે જગતના સ્વામી ! જે. સાંભળવાથી સર્વ પાપનો ક્ષય થાય, તેવો મહિમા આપ પ્રસન્ન થઇને કહો.”
ઇન્દ્રની વિનંતી સાંભળી ત્રણ જગતના સ્વામી શ્રી મહાવીર પ્રભુએ સર્વ પ્રાણીઓની દયા માટે આ પ્રમાણે કહેવાનો આરંભ કર્યો -
| શ્રી ગિરનાર મહાતીર્થ માહાભ્ય હે ઈન્દ્ર ! સાંભળ. આ સિદ્ધગિરિનું પાંચમું શિખર રૈવતગિરિ (ગિરનાર) છે. તે પાંચમા જ્ઞાન (કેવળજ્ઞાન)ને આપવાવાળું છે. ત્યાં ભક્તિ વડે ઉચિત દાન કે અનુકંપાદાન વગેરે આપ્યા હોય તો તે આલોક અને પરલોકમાં હિતકારક એવા સર્વ સુખો આપે છે. જેઓએ વારંવાર સુકૃત કર્યા હોય તેવા કૃતાર્થ પ્રાણીઓ જ આ ગિરિરાજનું દર્શન કરી શકે છે. આ ગિરિરાજ ઉપર રહેલા મુનિઓ અને દેવતાઓ નિત્ય શ્રી નેમિનાથ પ્રભુને નમે છે; અહીં અપ્સરાઓના ગણ, ગંધર્વો, સિદ્ધપુરુષો, વિદ્યાધરો અને નાગકુમારો નિર્મલ હૃદયથી સદા શ્રી નેમિનાથ પ્રભુની સેવા કરે છે;
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૮૮
Page #210
--------------------------------------------------------------------------
________________
આ પવિત્ર પર્વત ઉપર બિલાડી અને ઉંદર, સિંહ અને હાથી, સર્પ અને મયુર; પરસ્પરના જાતિવૈરને શાંત કરીને રહેલા છે. અહીં વસંતાદિ છએ ઋતુઓ શ્રી નેમિનાથ પ્રભુને નમવાને માટે સદૈવ પ્રવર્તે છે. અહીં ઉલ્લાસતી નદીઓ શોભે છે. આની ચોતરફ પર્વતો શોભી રહ્યા છે; આની ચારે દિશાઓમાં ચાર મહાનદીઓ રહેલી છે; અહીં હાથીપગલાં (ગજપદ) વગેરે પવિત્ર કુંડો પરિપૂર્ણ જલભરેલા શોભે છે. શ્રીમાન્ નેમિનાથ પ્રભુ બીજા પર્વતોને છોડી, જેનો સર્વદા આશ્રય કરીને રહેલા છે, તે આ રૈવતગિરિના મહિમાનું વર્ણન કરવું અશક્ય છે. જેવી રીતે શત્રુંજય પર દાન આપવાથી અને તપશ્ચર્યા કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે. તેવી રીતે અહીં પણ તે કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે. હે ઇન્દ્ર ! સર્વ પર્વતોના રાજા આ રૈવતગિરિનો પવિત્ર મહિમા તું સાંભળ !
પૂર્વે મહેન્દ્ર કલ્પના માહેન્દ્ર નામે ઇન્દ્ર, દેવોના સમૂહથી પરિવરેલા ચૈત્રી પૂર્ણિમાએ સિદ્ધાચલની યાત્રા કરવા આવ્યા હતા. ત્યાં યાત્રા કરીને વૈશાખી પૂર્ણિમાએ આદરથી શ્રી નેમિનાથ પ્રભુને નમવા રૈવતગિરિ પર આવ્યા. કુંડો, નદીઓ અને સરોવરમાંથી જલ લઈ પ્રભુનો સ્નાત્ર કરી, પૂજા કરીને પ્રાસાદની બહાર નીકળ્યા.
તે અવસરે કોઈ દવે આવી મહેન્દ્રને કહ્યું કે, “સ્વામી ! જ્ઞાનશિલા ઉપર કોઈ મુનિ બિરાજેલા છે અને ઉગ્ર તપ કરે છે. તે સાંભળતાં જ માહેન્દ્ર ઊભા થઈ શ્રી જિનેશ્વરને નમી તે જ્ઞાનશિલા પાસે આવ્યા અને મુનિને નમસ્કાર કરીને તેમની આગળબેઠા. તે વખતે સર્વ દેવોએ ત્યાં બેઠેલા ઇન્દ્રને પૂછ્યું; હે સ્વામી ! આ મુનિ કોણ છે ? અને આવો ઉગ્ર તપ કેમ કરે છે? ત્યારે મહેન્દ્ર અવધિજ્ઞાનથી મુનિનો સર્વ વૃત્તાંત જાણી કહ્યું કે, “હે દેવો ! આ મહાશયનું અદૂભૂત ચરિત્ર તમે સાંભળો. • માહેન્દ્ર વર્ણવેલો મુનિવરનો વૃત્તાંત ઃ
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં શ્રાવસ્તી નામે શ્રેષ્ઠ નગરી છે. ત્યાં વસેન નામે ભૂપતિ હતો. એ રાજા હંમેશાં જિનાર્ચનમાં તત્પર હતો. તેને સુભદ્રા નામે રાણીથી આ ભીમસેન નામે પુત્ર થયો. તે ઘણો ભયંકર અને જુગાર આદિ કુવ્યસનમાં તત્પર થયો. એ કુલક્ષણી કુમાર હંમેશાં ગુરુ, દેવ અને પિતા વગેરે વડીલોનો દ્વેષ કરતો હતો. અનુક્રમે પિતા વજસેને મોહથી તેવા અપલક્ષણવાળા ભીમસેનને યુવરાજપદ આપ્યું. યુવરાજપણાની પ્રાપ્તિથી તે કુમારે પરસ્ત્રી અને પરદ્રવ્ય હરણ કરી પ્રજાને પીડવા માંડી.
એક વખત ભીમસેનની દુર્તીતિથી દુઃખી થઈને પ્રજાએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે, “હે પ્રજા પાળ ! સર્વ પ્રજા રાજકુમારના અન્યાયથી કંઠ સુધી દુઃખમાં ડૂબી ગયેલી છે. માટે તેનો વિચાર કરીને જેમ યોગ્ય લાગે તેમ કરો.” તે સાંભળી રાજાએ
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૮૯
Page #211
--------------------------------------------------------------------------
________________
સામવચનથી તેમને સાંત્વન આપી પોતપોતાના સ્થાન તરફ વિદાય કર્યા. પછી રાજાએ ભીમસેનકુમારને બોલાવીને આ પ્રમાણે શિક્ષા આપી; “હે વત્સ ! લોકનું આરાધન કરીને જગતમાં દુર્લભ એવી કીર્તિ મેળવ. રાજાઓએ પરસ્ત્રી અને પારદ્રવ્યનું કદીપણ હરણ કરવું નહીં. માતા-પિતા, ગુરુ અને જિનેશ્વર પ્રત્યે ભક્તિ રાખવી. મંત્રીની સલાહ પ્રમાણે ચાલવું. હંમેશાં ન્યાયને સ્વીકારવો. અનીતિને દૂર ત્યજી દેવી. વાણી વડે પ્રતિષ્ઠા મેળવવી. ધીરતા કેળવવી. ધર્મમાર્ગે ચાલવું અને સાતે વ્યસનોને છોડી દેવાં. રાજાઓનો પ્રાય: આ જ ઉત્તમ ધર્મ છે. તે ધર્મના આશ્રયથી લક્ષ્મી, કીર્તિ, યશ અને સ્વર્ગ પ્રાપ્ત થાય છે. આવી રીતે વારંવાર રાજાએ શિખામણ આપી તો પણ ભીમસેને પોતાનું દુરાચરણ છોડ્યું નહીં.
આવી રીતે શિક્ષા દેતાં પણ તે કુમાર વિનીત બનવાને અશક્ય જણાયો એટલે રાજાએ કુમારને કારાગૃહમાં નાંખો. કેટલોક કાલ કેદમાં રહી એક વખત અવસર પામી પોતાના જેવા મિત્રોની ખરાબ શિખામણથી દોરાઈ કુમારે ક્રોધ વડે માતાપિતાને મારી નાંખ્યા અને પોતે રાજ્ય ઉપર બેસી, મદ્યાદિક વ્યસનોમાં આશક્ત રહી લોકોને નિત્ય પીડા કરવા લાગ્યો.
તેના અત્યાચારથી કાયર થઈને સર્વ સામંતોએ, મંત્રીઓએ અને તેના પરિવારે મળીને તે પાપીને પકડીને ક્ષણવારમાં દેશનિકાલ કરી દીધો. પછી સર્વ શાસ્ત્રોમાં અને ન્યાયમાં ચતુર એવા જિનવલ્લભ નામના તેના અનુજબંધુનો મંત્રીઓએ શુભ મુહૂર્તમાં રાજય ઉપર અભિષેક કર્યો.
દેશનિકાલ કરેલા ભીમસેને બીજા દેશોમાં જઈને પણ ચોરી કરવા માંડી. ખરેખર વ્યસન છોડવું અશક્ય છે. તે પથિકોને અત્યંત મારતો. આ પ્રમાણે ઘણો અન્યાય કરનારા એ ભીમસેનને લોકો પકડીને મારતા. તેમનાથી છૂટીને યથેચ્છાએ ગામે ગામ ફરતો તે ભીમસેન અનુક્રમે મગધ દેશના પૃથ્વીપુર નગરમાં આવી ચડ્યો. ત્યાં કોઈ માળીને ઘેર સેવક થઇને તે રહ્યો. ત્યાં પણ પત્ર, પુષ્પ અને ફલાદિક ચોરીને વેચવા લાગ્યો. તેથી માળીએ તેને કાઢી મૂક્યો. એટલે તે કોઈ શેઠની દુકાને વાણોતર થઈને બેઠો; ત્યાં પણ તેણે પોતાનું દુર્વ્યસન છોડ્યું નહીં. ત્યાં રહીને પણ દુકાનની વસ્તુઓ ચોરી ચોરીને વેચવા માંડી. માણસને પડેલા સ્વભાવનો ત્યાગ કરવો ઘણો મુશ્કેલ છે. તેની ચોરી જાણવામાં આવતાં તે શેઠે તેને કાઢી મૂક્યો. ત્યાંથી નીકળીને તે ઇશ્વરદત્ત નામના કોઈ વ્યાપારીને ઘેર નોકર રહ્યો. એક વખતે દ્રવ્યનો લોભી ભીમસેન તે ઇશ્વરદત્તની સાથે નાવમાં બેસીને ત્વરાથી જલમાર્ગે ચાલ્યો. એક માસ સુધી સમુદ્રમાં ચાલતું નાવ એકવાર રાત્રિમાં પરવાળાના અંકુરોની કોટીથી અલિત
માહાભ્ય સાર • ૧૯૦
Page #212
--------------------------------------------------------------------------
________________
થયું. નાવિકોએ ઘણા ઉપાય કર્યા પણ તે નાવ જરાપણ આઘું કે પાછુ ફર્યું નહીં. કેટલેક કાળે અનાજ-પાણી પણ ખૂટી ગયું.
શુક પક્ષીએ ભીમસેનને બતાવેલો જીવવાનો ઉપાય :
પછી ચતુઃશરણનું ઉચ્ચારણ કરી, અઢાર પાપસ્થાનનો ત્યાગ કરી, સર્વ જીવોને મન વચન કાયાથી મિથ્યા દુષ્કૃત આપી, શુભ ભાવનાએ પંચપરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરી જેટલામાં ઇશ્વરદત્ત વ્યવહારી મરવાની ઇચ્છાએ સમુદ્રમાં ઝંપાપાત ક૨વા જતો હતો, તેટલામાં કોઇ પોપટ ત્યાં આવી માનુષવાણીમાં બોલ્યો; ‘હે ઇશ્વરદત્ત વ્યવહા૨ી ! આ અપંડિત (બાળ) કોમલ શરીરવાળો પક્ષી છે. એમ માનશો નહીં. હું આ નગરનો અધિષ્ઠાતા અગ્રણી દેવ છું અને તમને જીવિતનો ઉપાય કહેવા તેમજ મરણથી અટકાવવાને હું અહીં આવ્યો છું. માટે તમે સર્વ લોકો ઉપાય સાંભળો. તમારામાંથી એક જણ જે સાહિસક અને દયાળુ હોય તે મરવાને તૈયાર થઇ, સમુદ્રને તરીને આ પર્વત ઉપર જાઓ અને ત્યાં જઇને ભારડ પક્ષીઓને ઉડાડો. એટલે તેમની પાંખોના ઝપાટાનો પવન તમારા વહાણને ચલાવશે, તેનાથી બાકીના સર્વને જીવિત પ્રાપ્ત થશે. આ પ્રમાણે તેના વચનને આદરથી સાંભળીને ઇશ્વરદત્તે વહાણમાં બેઠેલા સર્વ લોકોને ત્યાં જવા માટે પૂછવા માંડ્યું, પણ કોઇએ હા પાડી નહીં. પછી જ્યારે ત્યાં જવાનો લોભ બતાવ્યો ત્યારે પેલો ભીમસેન નિર્લજ્જ થઇ સો દિનારના લોભથી સાગરને તરીને પર્વત ઉપર ગયો. તેણે ત્યાં જઇ ભારડ પક્ષીઓને ઉડાડ્યા, એટલે તેની પાંખોના પવનથી પરવાલાના આવર્તમાંથી મુક્ત થઇ તે વહાણ આગળ ચાલ્યું. પર્વત ૫૨ રહેલો ભીમસેન પોતાના મનમાં જીવિતનો ઉપાય વિચારતાં કાંઇ ન સૂઝવાથી પેલા પોપટને શોધવા લાગ્યો. એટલામાં તે નજરે પડવાથી તત્કાળ ભીમસેને તે પોપટને કહ્યું; ‘હે મહાપુરુષ ! મને પણ વહાણની જેમ અહીંથી નીકળવાનો ઉપાય બતાવો.’
એ સાંભળી પોપટ બોલ્યો; ‘હે ભીમસેન ! તું જઇને આ સમુદ્રમાં પડ, એટલે તને આ જળમાં રહેલ કોઇ મહામત્સ્ય ગળી જશે; અને તે કાંઠે નીકળશે. પછી જ્યારે તે ફુંફાડા કરે ત્યારે આ ઔષધી તેના ગળામાં નાખજે. એટલે તેના મુખનું વિવર મોટું થઇને ઉઘાડું થશે. જ્યારે મગર તેમ કરે ત્યારે કાંઠા ઉપર નીકળી જજે. આ પ્રમાણે તારો જીવવાનો ઉપાય છે. તે સિવાય નહીં. આવી રીતે પોપટે કહ્યું, એટલે અતિ સાહિસક ભીમસેન તે ઉપાય કરીને સિંહલદ્વીપને કાંઠે નીકળ્યો. સ્વસ્થ થઇને કાંઠા ઉપર તેણે ફ૨વા માંડ્યું. ત્યાં જળાશય અને વૃક્ષોને જોઇ જળપાન કરીને તે વિશ્રાંત થયો. પછી ભીમસેન ત્યાંથી કોઇ દિશા ધારીને આગળ ચાલ્યો. કેટલાક ગાઉ ઉલ્લંઘન કરી ગયા પછી એક ત્રિદંડી સંન્યાસી તેના જોવામાં આવ્યો. તેને
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૯૧
Page #213
--------------------------------------------------------------------------
________________
તેણે નમસ્કાર કર્યો એટલે આશીર્વાદ દઇને તે સંન્યાસીએ હર્ષથી પૂછ્યું; ‘હે ભદ્ર ! તું કોણ છે ? અને આવા ગહન વનમાં કેમ ફરે છે ? તું દુઃખી હોય તેમ જણાય છે, માટે સ્વસ્થ થા અને તારે જે દુ:ખ હોય તે કહે.'
તેનાં વચનથી પ્રસન્ન થયેલા ભીમસેને કહ્યું : ‘મુનિવર્ય ! શું કહું ? હું સર્વથા મંદભાગ્યવાળો છું. આ સંસારમાં જેટલા મહાદુ:ખી, સૌભાગ્યરહિત અને નિર્ભાગી પુરુષો છે, તે સર્વમાં હું પ્રથમ છું, એમ તમારે જાણી લેવું. હું જ્યાં જેને માટે જાઉં, ત્યાં તે વસ્તુ સિદ્ધ થતી નથી. મારે ભ્રાતા, માતા, કાંતા કે પિતા કોઇ નથી, તો પણ મારું પેટ હું ભરી શકતો નથી.
આ પ્રમાણે તેનાં દીન વચનો સાંભળી એ માયાવી તાપસ મધુર વચને બોલ્યો, અરે ભદ્ર ! હવે ખેદ કર નહીં, હું મળતાં હવે તારું દારિદ્ર ગયું જ એમ સમજ. અમે હમેશાં પરોપકાર કરવા માટે જ આમતેમ વિચરીએ છીએ. અમારે કાંઇપણ સ્વાર્થ નથી. આ શ્રેષ્ઠ સિંહલદ્વીપમાં મારી સાથે ચાલ. ત્યાં તને રત્નની ખાણમાંથી રત્નો આપીશ. ત્રિદંડીનાં આવા વચન સાંભળી, ભીમસેન તેની સાથે ચાલ્યો. પ્રાયઃ ‘મુનિવેષ પ્રાણીઓને વિશ્વાસ પમાડે છે' પોતાની પાસેની સો સુવર્ણમહોરમાંથી માર્ગમાં ખાવા માટે પાથેય લઇ તેઓ બંને કેટલેક દિવસે એક રત્નની ખાણ પાસે આવ્યા. પછી કૃષ્ણ ચતુર્દશીના દિવસે એ કપટી સંન્યાસીએ ભીમસેનને ખાણમાં ઉતારી રત્નો બહાર કઢાવવા માંડ્યાં. સર્વ રત્નો લઇ લીધા પછી તે દુષ્ટ તાપસે તુરત દોરડું છેદી નાંખીને ભીમસેનને ખાણમાં પડતો મૂક્યો અને ત્રિદંડી ત્યાંથી બીજે રસ્તે ચાલતો થયો.
ભીમસેન દુ:ખી થતો ખાણમાં આમતેમ ફરવા લાગ્યો. તેવામાં અત્યંત પીડિત અને કૃશ થઇ ગયેલો એક પુરુષ તેણે ત્યાં જોયો. ભીમસેનને જોઇ દયા લાવીને તે પુરુષ બોલ્યો; ‘વત્સ ! યમરાજનાં મુખ સરખા આ સ્થાનમાં તું કેમ આવ્યો છે ? શું તને પણ મારી જેમ પેલા પાપી તાપસે રત્નનો લોભ બતાવી છેતર્યો છે ?’ ‘હા તેમજ થયું છે.' એમ કહીને ભીમસેને તેને પૂછ્યું કે, ‘અહીંથી નીકળવાનો ઉપાય હોય તો બતાવો.' તે બોલ્યો, ‘જીવિતનો એક ઉપાય છે, તે સાંભળ. આવતીકાલે સ્વર્ગમાંથી કેટલીક દેવીઓ પોતપોતાનાં અધિષ્ઠિત રત્નોનો ઉત્સવ ક૨વા માટે અહીં આવશે. તેઓ શુભ ભાવનાથી આ ખાણના અધિષ્ઠાતા રત્નચંદ્ર નામના દેવની આગળ વિવિધ ગીત-નૃત્યના ઉપચારથી પૂજા કરશે. તે વખતે એ રત્નચંદ્ર દેવનું ચિત્ત તેમનાં સંગીતમાં લાગતાં તેના સેવકો સાથે તું બહાર નીકળી જજે. બહાર નીકળેલા તને દેવતા પણ કાંઇ કરી શકશે નહીં.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર - ૧૯૨
Page #214
--------------------------------------------------------------------------
________________
આવી રીતે ભીમસેનને આશ્વાસન આપી તે પુરુષે તેની સાથે આખો દિવસ પસાર કર્યો. બીજે દિવસે પ્રાતઃકાલે મૃદંગનો ધ્વનિ કરતી કેટલીક દેવીઓ વિમાનમાં બેસીને મહોત્સવપૂર્વક ત્યાં આવી. જ્યારે અધિષ્ઠાયક દેવનું મન સંગીતમાં મગ્ન થયું ત્યારે તે દેવના સેવકોની સાથે ભીમસેન તત્કાળ ખાણની બહાર નીકળી ગયો. પછી મંદ મંદ ગતિએ માર્ગનું ઉલ્લંઘન કરતો ભીમસેન કેટલાક દિવસે સિંહલદ્વીપના મુખ્ય નગર ક્ષિતિમંડનપુરમાં આવ્યો. ત્યાં સર્વ સુલભ વસ્તુઓથી સંપૂર્ણ એવી કોઇ વ્યાપારીની વખાર ઉપર સેવક થઇને રહ્યો અને તે વ્યાપારીના ઘરમાંથી પણ ઘણીવાર ચોરી કરી.
એક વખતે કોટવાળોએ જાણ્યું કે, ‘આ ચોર છે.' એટલે તેને અપરાધી ગણી બધે ફેરવીને શૂલીએ ચઢાવવા લઇ ગયા. તેટલામાં ઇશ્વરદત્ત શેઠે તેને જોયો. પોતાનો ઉપકારી જાણી તત્કાળ રાજાને વિનંતી કરી તેને છોડાવ્યો. ત્યાંથી નાવમાં બેસી કેટલેક દિવસે એ મહાપરાક્રમી ભીમસેન પૃથ્વીપુર નગરમાં આવ્યો. વહાણમાંથી ઊતરીને ત્યાં આગળ કોઇ પરદેશીને જોઇ તેણે પોતાનો વૃત્તાંત જણાવ્યો. તેનો વૃત્તાંત સાંભળી, ‘તું ખેદ કરીશ નહીં’ એમ કહેતો તે પરદેશી ભીમસેનને સાથે લઇ રોહણાચળ તરફ ચાલ્યો. ઉતાવળે ચાલતા માર્ગમાં એક તાપસનો આશ્રમ તેમના જોવામાં આવ્યો. તેમાં એક જટિલ નામના વૃદ્ધ મુનિ હતા. તેમને તેઓએ નમસ્કાર કર્યા. એ વખતે મંગલ નામનો તેમનો એક શિષ્ય આકાશમાર્ગે આવ્યો. તેણે વિનયથી ગુરુને પ્રણામ કર્યા.
મંગલ તાપસે ગુરુ પાસે વર્ણવેલું રૈવતાચલનું માહાત્મ્ય :
નિર્મળ આશયવાળા જટિલે પોતાના શિષ્ય મંગળને પૂછ્યું, ‘વત્સ ! હમણાં તું ક્યાંથી આવ્યો ?' મંગલ બોલ્યો, ‘સ્વામી, હું સુરાષ્ટ્ર દેશમાં ગયો હતો. ત્યાં શત્રુંજય અને ગિરનાર ઉપર જિનપૂજન કરીને અહીં આવ્યો છું. એ બંને તીર્થનો મહિમા અદ્ભૂત છે. તેમાંથી જેની ઉપાસના કરવાથી લોકોને આ લોક અને પરલોકનું સુખ પ્રાપ્ત થાય છે, એવા ઉજ્જયંત (ગિરનાર) ગિરિનો મહિમા હું કહું છું, તે સાંભળો. જેના આરાધનથી અશોકચંદ્રની જેમ પ્રાણી, કાંતિ, કલા, લક્ષ્મી અને ઇન્દ્ર તથા ચક્રવર્તીની સંપત્તિ પ્રાપ્ત કરે છે. તે અશોકચંદ્રની કથા આ પ્રમાણે છે.
અશોકચંદ્ર ક્ષત્રિયની કથા ઃ
‘ચંપાનગરીમાં અશોકચંદ્ર નામે એક પરોપજીવી અને દરિદ્રી ક્ષત્રિય હતો. નિર્ધનપણાને લીધે, તે સંસારથી વિરક્ત હતો. એક વખત દયાળુ જૈન મુનિઓને જોઇ તેણે પોતાનું દુર્ભાગ્ય દૂર કરવાનો ઉપાય પૂછ્યો. તપસ્વી મુનિઓ બોલ્યા, ‘વત્સ ! આ સંસારમાં જીવ કર્મના બળથી ભમ્યા કરે છે. જીવ તે કર્મના વિપાકને ભોગવ્યા વિના કે રૈવતગિરિની શુભભાવે સેવા કર્યા વિના એ કર્મના પાંજરામાંથી શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર - ૧૯૩
Page #215
--------------------------------------------------------------------------
________________
મુક્ત થઈ શકતો નથી.' આ પ્રમાણે કહીને તેઓ વિરામ પામ્યા. એટલે અશોકચંદ્ર ત્યાંથી રેવતગિરિ પર આવ્યો અને ત્યાં સ્થિર થઇને તપશ્ચર્યા કરવા લાગ્યો. કેટલાક દિવસે તે ગિરિની અધિષ્ઠાયિકા અંબાદેવીએ પ્રીતિ સહિત તેની પાસે આવી એક પારસમણિ તેને આપ્યો. તે લઈ પોતાના નગરે જઈ ઘણા માણસો રાખી, દ્રવ્યના બળથી રાજય મેળવી અશોકચંદ્ર સર્વ સુખ ભોગવવા લાગ્યો.
એક વખત અશોકચંદ્ર મનમાં વિચારે છે કે, “જે અંબિકાના પ્રસાદથી મેં આ સર્વ ઉપાર્જન કર્યું, તે અંબિકાનું તો હું પાપી સ્મરણ પણ કરતો નથી કે ત્યાં જઈને તેને નમતો પણ નથી.” આવો વિચાર કરી અશોકચંદ્ર સંઘની સામગ્રી એકત્ર કરી સર્વને દાન આપતો સ્વજનોની સાથે ત્યાંથી ચાલ્યો. કેટલાક દિવસે તે શત્રુંજય તીર્થ ઉપર આવ્યો. ત્યાં વિધિ વડે પ્રભુની પૂજા કરીને ત્યાંથી રેવતાચલ તીર્થ પર આવી પહોંચ્યો. ત્યાં ગજેન્દ્રપદ વગેરે કુંડોના જળથી પોતે સ્નાન કરી નેમિનાથ પ્રભુનો અભિષેક કરી વિવિધ પુષ્પોથી પૂજા કરી, જગન્માતા અંબિકાની ભક્તિથી પૂજા કરી. પછી વૈરાગ્યભાવથી પુત્રને રાજય પર બેસાડી, પોતે દીક્ષા લઇ, અંતે શુભ ધ્યાન વડે કર્મ ખપાવી મુક્તિ પામ્યા.
હે ભગવન્! આ સર્વ મેં પ્રત્યક્ષ જોયું છે. તેથી હું જાણું છું કે આ રૈવતાચલ મોટું તીર્થ છે. તેના જેવું બીજું કોઇ તીર્થ નથી. જે તીર્થની સેવાથી પુરુષો આલોકમાં સર્વ સંપત્તિ અને પરલોકમાં પરમપદને પામે છે. • ભીમસેનનું રેવતાચલગિરિ તરફ પ્રયાણ :
આ પ્રમાણે મંગલના મુખથી રૈવતગિરિનો મહિમા સાંભળી ત્યાં રહેલા સર્વ તપસ્વીઓ પરમ હર્ષ પામ્યા. પેલો વૈદેશિક અને ભીમસેને પણ તે મહિમા સાંભળી પ્રથમ રોહણાચલ પર જઈ ગિરનાર તીર્થે જવાનો નિશ્ચય કર્યો. અનુક્રમે તે બંને રોહણાચલ પર્વત પાસે આવ્યા. ત્યાં પછી “હા દેવ' એમ બોલી તેમણે ખાણમાં પ્રહાર કર્યો. એટલે ભીમસેનને તેમાંથી બે અમૂલ્ય રત્નો મળ્યાં. તેમાંથી એક મહાતેજસ્વી રત્ન રાજદાણ તરીકે રાજકુલમાં આપી બીજુ રત્ન સાથે લઈને તે ત્યાંથી ચાલ્યો. વહાણમાં બેસી સમુદ્રમાં ચાલતા એક વખત રાત્રિએ પૂર્ણિમાના ચંદ્રને જોઈ વહાણના કાંઠા પર બેસી હાથમાં રત્ન લઇને ચંદ્ર અને રત્નના તેજની તે ભીમેસન તુલના કરવા લાગ્યો. તેટલામાં કષ્ટથી પ્રાપ્ત થયેલા રત્નને વારંવાર જોતા ભીમસેનના હાથમાંથી અભાગ્યયોગે તે રત્ન સમુદ્રમાં પડી ગયું. તેથી તત્કાળ તે મૂચ્છ પામી ગયો. પછી થોડીવારે સચેત થઈ તે પોકાર કરવા લાગ્યો કે, “હા દેવ ! તે આ શું કર્યું? રત્નનું હરણ કરતાં મારું જીવિત કેમ ન હર્યું ? મારા જીવિતને, જન્મને, વૈભવ વિનાના
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૯૪
Page #216
--------------------------------------------------------------------------
________________
મનુષ્યભવને અને દૈવને ધિક્કાર છે.' આવી રીતે વિલાપ કરતો ભીમસેન ફરીવાર મૂર્છા પામીને પડી ગયો. તેના કોલાહલના અવાજથી નાવિક પુરુષો ત્યાં એકઠા થયા અને પવન નાખી ક્ષણવારમાં તેની મૂર્છાને દૂર કરી. જ્યારે ચૈતન્ય આવ્યું ત્યારે તેણે નાવિકોને ઉંચે સ્વરે કહ્યું કે, ‘મારું રત્ન સમુદ્રમાં પડી ગયું છે. માટે નાવ ઊભું રાખો અને તેની શોધ કરો.' તે સાંભળી પેલા વિદેશી મિત્રે તેને સમજાવીને કહ્યું, ‘મિત્ર ! આ તને શું થયું છે ? ક્યાં રત્ન ક્યાં જળ ? અને ક્યાં વહાણ ? કેમકે તારું રત્ન પડી ગયા પછી તો આપણે ઘણો પંથ કાપ્યો છે. માટે હે બંધુ ! શોક છોડી દે, ધીરજ ધર. અદ્યાપિ ભૂમિ પર રૈવતાચલગિરિ વિદ્યમાન છે. તો શા માટે વિલાપ કરે છે?
મિત્રના આવા વચનથી ધૈર્ય ધરી સમુદ્રનું ઉલ્લંઘન કરી ભીમસેન અનુક્રમે પૃથ્વીપુરમાં આવ્યો. ત્યાંથી પાથેય લઇ બંને મિત્રો રૈવતગિરિના માર્ગે ચાલ્યા. દુર્ભાગ્યના યોગથી માર્ગમાં ચોરોએ પાથેય લઇ સર્વ લૂંટી લીધું. પાથેય અને વસ્ત્ર વગરના, નિરાહારી અને કૃશ શરીરવાળા તેઓ માર્ગમાં એક મુનિને જોઇને ઘણા ખુશ થયા. તે મુનિને ભક્તિથી નમસ્કાર કરી હૃદયમાં હર્ષ પામી તે દુઃખી મિત્રોએ સ્વસ્થપણે પોતાનો સર્વ વૃત્તાંત કહી બતાવ્યો. પછી કહ્યું, ‘હે મુનિ ! અમે દારિદ્રય અને દુર્ભાગ્યથી પીડિત છીએ. તેથી હવે આ પર્વત ઉપરથી ઝંપાપાત કરીને મરણ પામવાના અભિલાષી છીએ.
આવા તેમના સખેદ વચનો સાંભળી અતિદયાળુ મુનિએ તેઓને બોધ આપતા કહ્યું, ‘તમોએ પૂર્વજન્મમાં ધર્મ કર્યો નથી, તેથી તમને આ નિર્ધણપણું પ્રાપ્ત થયું છે. પ્રાણીઓને સારાકુળમાં જન્મ, નિરોગીપણું, સૌભાગ્ય, અદ્ભુત સુખ, લક્ષ્મી, આયુષ્ય, વિદ્યા, મનોહર પત્ની, અશ્વ, હાથી, ચક્રવર્તીપણું અને ઇન્દ્રનો વૈભવ એ સર્વ ધર્મથી જ પ્રાપ્ત થાય છે. માટે તમે ગિરિ ઉપરથી પડીને પ્રાણત્યાગ ન કરતાં, સર્વ મનોરથને આપનાર આ રૈવતિગિર પર જાઓ.
હે ભીમસેન ! તેં પૂર્વજન્મમાં અનીતિ વડે એક મુનિને અઢાર ઘડી સુધી પીડ્યા હતા, તેનું આ ફળ છે. પ્રાજ્ઞપુરુષોએ બાહ્ય અત્યંતર બંને પ્રકારે મુનિની આરાધના કરવી, વિરાધના કરવી નહીં. મુનિની વિરાધના કરવાથી કષ્ટ પ્રાપ્ત થાય છે અને સેવા કરવાથી કષ્ટ નાશ પામે છે. હે ભદ્ર ! હવેથી તારું કલ્યાણ થશે. તેમાં કાંઇપણ સંશય રાખીશ નહીં, કેમકે હવે અશુભ કાલ વીતી ગયો છે, આ આખી ભૂમિ તારા વડે જિનમંદિરોથી મંડિત થશે.
મુનિના આવા ઉપદેશથી ભીમસેન પેલા પરદેશી મિત્રની સાથે તે મુનિને નમી શુભ ચિંતન કરતો રૈવતાચલ તરફ ચાલ્યો. અનુક્રમે રૈવતગિર પર આવી ઘોર તપ શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૯૫
Page #217
--------------------------------------------------------------------------
________________
તપ્યા અને શ્રી નેમિનાથ પ્રભુની પૂજા કરવા લાગ્યો. એક વખત કોઇ સંઘ ત્યાં યાત્રા કરવા આવ્યો. તેમાં સંઘપતિ ભીમસેનનો અનુજબંધુ હતો. સંઘ અને અમાત્યની સાથે શ્રી જિનાલયમાં પ્રભુની આરતી ઉતારતાં ન્હાના ભાઇએ ભીમસેનને જોયો. આરતી ઉતાર્યા પછી તરત તેણે ભીમસેનને આલિંગન કરી નમસ્કાર કર્યા. ભીમસેન પણ પ્રીતિરૂપી વેલને વધારવા માટે અશ્રુજળથી સિંચતો હર્ષથી વારંવાર આલિંગન કરી કરીને પોતાના લઘુબંધુના મસ્તક પર ચુંબન કરવા લાગ્યો. અનુજબંધુ ભક્તિથી બોલ્યો, “ભાઈ ભીમસેન ! એવું કોઈ સ્થાન બાકી રહ્યું નથી કે જયાં મેં તમને શોધ્યા ન હોય. પ્રિય ભાઈ ! આટલા વર્ષ સુધી મારા વિના તમે ક્યાં રહ્યા હતા ? મેં તમારું રાજય થાપણની જેમ આજ સુધી જાળવ્યું છે. હવે તમે એનો સ્વીકાર કરો.
આવા અતિવિનયવાળા વચનથી મનમાં હર્ષ પામેલા અને સારગ્રાહી બુદ્ધિવાળા ભીમસેને મંત્રીઓની સાથે પોતાનું રાજય પાછું ગ્રહણ કર્યું. પછી નિર્મળજળથી પોતે સ્નાન કરી, પ્રભુને સ્નાન કરાવી, પૂજન કરીને શુભ ભાવનાવાળા ભીમસેને વિધિપૂર્વક આરતી ઉતારી અને પ્રતિદિન નવીન મહોત્સવપૂર્વક અઠ્ઠાઈ ઉત્સવ કરી અનુજબંધુની સાથે તેણે શ્રી નેમિનાથ પ્રભુની પૂજા કરી. પછી જિનેશ્વરને નમી ભીમસેન પોતાના દેશ તરફ ચાલ્યો.
માર્ગમાં અનેક રાજાઓએ પૂજેલો ભીમસેન મોટા ઉત્સવથી પોતાની નગરીમાં આવી પહોંચ્યો. પોતાના સુલક્ષણયુક્ત રાજાને જોઈ ઉત્સાહવાન થયેલા નગરજનોએ નૃત્યાદિ વિવિધ ઉત્સવોપૂર્વક તેમને નગરમાં પ્રવેશ કરાવ્યો. સૌના આશીર્વાદપૂર્વક રાજા પોતાના મહેલ પાસે આવ્યો. વસ્ત્ર, દ્રવ્ય, તાંબુલ, અશ્વ, વાણી અને દૃષ્ટિથી સર્વ લોકોનું યથાયોગ્ય સન્માન કરી, સર્વને વિદાય કરીને પછી પોતે રાજમંદિરમાં પ્રવેશ્યો.
રાજમહેલમાં પ્રથમ કુળદેવતાને નમસ્કાર કરી પોતાના બંધુની સાથે ભોજન લઈ ક્ષણવાર વિશ્રામ લઇને તે સભામાં આવ્યો અને ખૂબ વાત્સલ્યથી રાજયધુરા સંભાળી. વળી પ્રથમ પોતે ક્રોધના આવેશમાં પોતાનાં માતા-પિતાને મારી નાખ્યા હતાં, તેમનો શોક કરતાં ભીમસેને માતા-પિતાને ઉદ્દેશીને આખી પૃથ્વી જિનપ્રાસાદોથી મંડિત કરી દીધી. આ રીતે દેવ-ગુરુ પર ભક્તિ ધારણ કરતા ભીમસેન રાજાએ સુખે રાજ્ય ચલાવવા માંડ્યું. ભીમસેને પોતાના અનુજબંધુને યુવરાજપદ આપ્યું અને વિદેશી મિત્રને કોષાધ્યક્ષ ક્ય. • ભીમસેનનું શત્રુંજય તેમજ ફરીથી રૈવતાચલ તીર્થયાત્રા માટે પ્રયાણ :
એક વખતે જિનપૂજન કરવામાં ઉદ્યમી ભીમસેન બહાર ઉદ્યાનમાં ગયો. ત્યાં એક વિદ્યાધરને જોઇ તેણે પૂછ્યું કે, “તમે ક્યાંથી આવો છો ? વિદ્યાધર બોલ્યો,
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૯૬
Page #218
--------------------------------------------------------------------------
________________
હે રાજા ! શત્રુંજય અને ઉજ્જયંત (ગિરનાર) ગિરિ પર રહેલા પ્રભુને નમસ્કાર કરીને હું અહીં જિનેશ્વરને નમવા માટે આવેલો છું.'
તે વિદ્યાધરનાં વચનથી રાજાને વિચાર આવ્યો કે, ‘મારા જન્મને ધિક્કાર છે કે હું રૈવતગિર પર જઇને પ્રભુને નમતો નથી.' આમ વિચારી રાજા પોતાના અનુજબંધુ જયસેનને રાજ્ય આપી તત્કાળ અલ્પ પરિવાર અને સમૃદ્ધિ સાથે લઇ રૈવતગિરિ તરફ ચાલ્યો. પ્રથમ શત્રુંજયગિરિ પર જઇ ત્યાં શ્રી આદિનાથ પ્રભુને નમી, પૂજી અને અઠ્ઠાઇ ઉત્સવ કરી ત્યાંથી તે રૈવતગિરિ પર ગયો. ત્યાં કપૂર, કેસ૨, ઉત્તમ ચંદન અને નંદનવનમાં થયેલા વિવિધ પુષ્પોથી તેણે શ્રી નેમિનાથ પ્રભુની પૂજા કરી. સર્વ યાચકોને દાન આપતાં તથા શીલ, તપ અને ભાવનારૂપ ધર્મમાં પણ યથાશક્તિ પ્રવૃત્તિ કરતાં ત્યાં રહીને ભીમસેને ચાર વર્ષ નિર્ગમન કર્યા. પછી પ્રમાદરહિત એવા તેણે જ્ઞાનચંદ્ર મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. એ ભીમસેન મહામુનિ અહીં મહાન તપશ્ચર્યા કરે છે. જેણે પૂર્વે મહાપાપ કર્યા છે એવા આ રાજર્ષિમુનિ આ ગિરનાર ઉપર જ રહીને આજથી આઠમે દિવસે કેવલી થઇ મુક્તિપદને પામશે.
હે દેવો ! અમે અર્બુદાચળ (આબુ) ગયા હતા. ત્યાં જ્ઞાનચંદ્ર મુનિશ્વરના મુખથી આ પર્વતરાજનું અમે માહાત્મ્ય સાંભળ્યું હતું. આ પ્રમાણે માહેન્દ્ર ઇન્દ્રના મુખથી સાંભળીને સર્વ દેવો વિધિથી જિનપૂજાદિ કરી પોતપોતાનાં સ્થાનકે ગયા. આ કથા કહીને શ્રી વીરપ્રભુ ઇન્દ્રને કહે છે કે, ‘હે ઇન્દ્ર ! આ રીતે ઘણા મુનિવરો આ તીર્થ ઉપર પોતાના પાપકર્મને ખપાવી મુક્તિપદ પામ્યા છે. આ તીર્થ ભવિષ્યમાં થનારા શ્રી નેમિનાથ પ્રભુના આશ્રયભૂત થવાનું છે, એમ જાણીને ભરત રાજાએ આ અવસર્પિણી કાળમાં પ્રકાશિત કરેલું છે. રૈવતગિરિના મંડનરૂપ આ શ્રી નેમિનાથ પ્રભુ હિરવંશમાં થયેલા છે. તેથી પ્રથમ તે વંશનું સંક્ષેપમાં હું વર્ણન કરું છું. તે તું સાંભળ ! હરિવંશની ઉત્પત્તિ અને તેનો વિસ્તાર :
આ ભરતક્ષેત્રમાં કૌશાંબી નામે એક ઉત્તમ નગરી છે. ત્યાં સુમુખ નામે રાજા હતો. એક વખતે દેવવૃક્ષ (કલ્પવૃક્ષ)ની જેમ ફલ, પલ્લવ અને પુષ્પોનો વિકાસ કરતી વસંતઋતુ વનમાં પ્રવર્તી. એ ઋતુમાં ૨મણીઓની સાથે ક્રીડા કરવા માટે સુમુખ રાજા ઉદ્યાનમાં જતો હતો તેવામાં માર્ગમાં એક સુકુમાળ બાળા તેના જોવામાં આવી. તે સુંદરીને જોઇ મન્મથના બાણોથી રાજા શિથિલ થઇ ગયો અને એક ડગલું પણ ભરી શક્યો નહીં. એટલે તેનો ભાવ જાણવા ઇચ્છતો હોય તેમ મંત્રી બોલ્યો, ‘સ્વામી આપણું તમામ લશ્કર આગળ ચાલ્યું ગયું છે. તો હવે કેમ વિલંબ કરો છો ? તમારી શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૯૭
Page #219
--------------------------------------------------------------------------
________________
સાથે રમવાની ઇચ્છા કરતી વસંતલક્ષ્મી ઉત્કંઠિત થઇને રાહ જુવે છે. મંત્રીની તેવી મર્મ વાણી સાંભળી રાજા માંડ માંડ ત્યાંથી આગળ ચાલ્યો.
રાજાની પીડિત અવસ્થા જોઇ સુમતિ મંત્રી ભક્તિથી બોલ્યો, ‘હે સ્વામી ! સર્વ પૃથ્વી ઉપર તમારી આજ્ઞા માન્ય છે, તે છતાં તમે સર્વસ્વ અપહરણ થયું હોય તેમ કેમ ખેદ કરો છો ? તે મને કહેવાય એવું હોય તો કહેવાની કૃપા કરો.' મંત્રીના વચનો સાંભળીને રાજા કાંઇક નિઃશ્વાસ મૂકીને બોલ્યો, ‘હે મંત્રી ! તમે જાણકાર હોવા છતાં હમણાં અજાણ્યા થાવ છો. આજે સર્વ સ્ત્રીઓના રૂપને લૂંટનારી એક સુંદર સ્ત્રી મારા જોવામાં આવી છે. તેણીએ મારું મન હરી લીધું છે. તેથી હું ચેતન રહિત થઇ ગયો છું.’ તે સાંભળી મંત્રીએ હાસ્ય કરીને કહ્યું, ‘હે રાજન્ ! તમને દુઃખ આપનાર તે કારણ મારા જાણવામાં આવ્યું છે. સુંદરી વનમાળા નામે વીરકુવિંદની સ્ત્રી છે. તે હું તમને મેળવી આપીશ. માટે તમે સુખેથી પધારો.' મંત્રીના વચનથી હર્ષ પામેલો રાજા તેની પીઠ ઉપર હાથ ફેરવી પરિવાર સાથે રાજમંદિરમાં ગયો.
આ બાજુ મંત્રીએ તેને મેળવવાના ઉપાયનો નિશ્ચય કરીને એક આત્રેયિકા નામની પરિવ્રાજિકાને વનમાળાની પાસે મોકલી. આત્રેયી તરત જ તેને ઘેર ગઇ. વનમાળાએ તેને વંદના કરી. એટલે તેણે કહ્યું, ‘વત્સે, તું ફીકી કેમ જણાય છે ?’ વનમાળા તેની ઉપર વિશ્વાસ લાવી નિઃશ્વાસ મૂકીને બોલી, ‘હે માતા ! માર્ગમાં જતા અહીંના રાજા મારા જોવામાં આવ્યા. તેઓ મારા પતિ નથી, પણ મારી તેમના ઉપર પ્રીતિ થઇ છે. પરંતુ સર્વપ્રકારના દૈવતવાળા અને ઉત્તમ કુલવાન એ રાજા ક્યાં અને હીનજાતિવાળી હું ક્યાં ? દૈવસ્થિતિ વિષમ છે. ઇષ્ટ પદાર્થની પ્રાપ્તિ દુર્લભ હોવાથી મંદ ભાગ્યવાળી મને હવે મરણનું જ શરણ છે.'
આ પ્રમાણે કહેતી વનમાળાને આત્રેયીએ કહ્યું, ‘વત્સે ખેદ ક૨ નહીં, મંત્રયંત્રાદિક વડે હું તારો મનોરથ પૂર્ણ કરીશ.' એવી રીતે વનમાળાને ધીરજ આપી આત્રેયી હર્ષ પામતી મંત્રીના ઘેર આવી અને કાર્યસિદ્ધિ કહી સંભળાવી. મંત્રી રાત્રે એ સ્ત્રીને ગુપ્ત રીતે આત્રેયીની મારફત રાજાના સ્થાનમાં લાવ્યો અને પ્રીતિથી રાજાએ તેને પટ્ટરાણીપદે સિંહાસન ઉપર સ્થાપન કરી. સુમુખ રાજા તે વનમાળાની સાથે ઉદ્યાનોમાં, વાપિકાઓમાં, મહેલોમાં, સરિતાના નીરમાં અને ગિરિના શિખર ઉપર યથેચ્છપણે રમવા લાગ્યો.
અહીં વનમાળાના વિયોગથી તેનો પતિ વીરકુવિંદ જાણે ભૂતે પ્રવેશ કર્યો હોય અને સર્વસ્વ હરાઇ ગયું હોય તેવો થઇ ગયો. એ વિયોગથી તૃષા, ક્ષુધા, નિદ્રા, છાયા કે તડકો, મહેલ કે લોકમાં કોઇ ઠેકાણે પણ પ્રીતિ રહી નહીં. મલીન શરીર
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૯૮
Page #220
--------------------------------------------------------------------------
________________
પર જીર્ણ વસ્ત્ર ધરતો, હાથમાં ફૂટેલું ઠીકરું રાખતો અને દેવનિર્માલ્યને ધારણ કરતો વીરકુવિંદ ઘેર ઘેર ફરવા લાગ્યો. “હે પ્રિયા વનમાળા ! હે કૃશોદરિ ! હે સુલોચના ! મને મૂકીને તું ક્યાં ગઈ છો ? મને પ્રત્યુત્તર આપ.' આ રીતે બૂમો પાડતો. શેરીએ શેરીએ ભટકવા લાગ્યો
કર્ણને અપ્રિય એવો તે પોકાર એક વખત રાજાએ સાંભળ્યો. તેથી રાજા વનમાળાની સાથે રાજકુળનાં આંગણામાં આવ્યો અને ગાંડા થયેલા વીરવિંદને જોઈ રાજા-રાણી વિચારમાં પડ્યાં. છેવટે તેને ઓળખવાથી તેઓ બોલ્યાં કે, “અહો ! આપણે દુઃશીલ થઇને આ મહાનિર્દય કાર્ય કર્યું છે અને આ વિશ્વાસી ગરીબ પુરુષને છેતર્યો છે. અરે આપણી વિષયલંપટતાને ધિક્કાર છે. આવા આચરણથી આપણા જેવા પાપીજનોને નરકમાં પણ સ્થાન મળવું દુર્લભ છે. જેઓ અહોરાત્ર જિનધર્મને સાંભળે છે, આચરે છે અને પોતાના વિવેક વડે વિશ્વનો ઉપકાર કરે છે તેઓ સર્વદા વંદનીય છે.”
આવી રીતે પોતાને નિંદતા અને ધર્મીજનને અભિનંદતા તે સુમુખ રાજા અને વનમાળાની ઉપર તે જ વખતે અકસ્માતુ આકાશમાંથી વીજળી પડી. તેથી તે બંને મૃત્યુ પામ્યા. પરસ્પર સ્નેહના પરિણામથી અને શુભધ્યાનથી મૃત્યુ પામીને તેઓ બંને હરિવર્ષ ક્ષેત્રમાં યુગલીઆપણે ઉત્પન્ન થયા. માતા-પિતાએ હરિ અને હરિણી એવા તેમના નામ પાડ્યાં. પૂર્વજન્મની જેમ તેઓ અવિયોગી દંપતી થયાં. દશ પ્રકારના કલ્પવૃક્ષો દ્વારા ઇચ્છિત મેળવતા તેઓ દેવની જેમ સુખે વિલાસ કરતાં રહેવા લાગ્યાં. • કિલ્બિષિક દેવ દ્વારા યુગલિકોનું અપહરણ :
સુમુખ રાજા અને વનમાળા વિદ્યુત્પાતથી મૃત્યુ પામ્યા. તે જોઇ વીરકુર્વિદ સ્વસ્થ થઈ ગયો. તેનું ગાંડપણ ચાલ્યું ગયું અને તેણે દુરૂપ બાલતપશ્ચર્યા કરવાનો આરંભ કર્યો. પ્રાંતે મૃત્યુ પામીને તે સૌધર્મકલ્પમાં કિલ્બિષિક દેવ થયો. અવધિજ્ઞાનથી તેણે પોતાના પૂર્વજન્મ જોયો એટલે તત્કાળ પેલા હરિ અને હરિણી તેના જોવામાં આવ્યાં. તે જ વખતે ઉગ્રરોષથી રાતાં નેત્ર કરી ભૃકુટી વડે ભયંકર થઇને તે શીધ્ર હરિવર્ષમાં આવ્યો. તેણે વિચાર કર્યો કે, “આ બંને યુગલીઆનો અહીં વધ કરવો ઠીક નથી. કેમ કે જો અહીં મૃત્યુ પામે તો આ ક્ષેત્રના પ્રભાવથી તેઓ અવશ્ય સ્વર્ગમાં જશે. માટે એ મારા કટ્ટા શત્રુઓને દુર્ગતિમાં લઈ જનારા અને અકાળે મૃત્યુ આપનારા કોઈ બીજા સ્થાનમાં હું લઈ જાઉં.' આવો નિશ્ચય કરી તે દેવ કલ્પવૃક્ષો સહિત તે યુગલિકને આ ભરતક્ષેત્રમાં ચંપાનગરીમાં લાવ્યો.
પ્રથમ શ્રી ઋષભદેવ સ્વામીના પુત્ર બાહુબલિને સોમયશા નામે પુત્ર થયો હતો. તેના વંશમાં જે રાજાઓ થયા, તે સર્વ ચંદ્રવંશી અને ઇક્વાકુ કુળના કહેવાયા.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૯૯
Page #221
--------------------------------------------------------------------------
________________
સોમયશાનો પુત્ર શ્રેયાંસ થયો અને તે પછી સાર્વભૌમ, સુભ્રમ, સુઘોષ, ઘોષવર્ધન, મહાનંદી, સુનંદી, સર્વભદ્ર અને શુભંકર ઇત્યાદિ અસંખ્ય રાજાઓ થયા. તેઓ સ્વર્ગ અને મુક્તિ પામ્યા. પછી તે ચંપાનગરીમાં ચંદ્રકીર્તિ નામે રાજા થયો. તે પુત્રરહિત મરણ પામ્યો. તે સમયે સર્વ મંત્રીઓ કોઇને રાજા કરવા માટે ઉપાય ચિતવતા હતા. તેવામાં આ કિલ્બિષિક દેવે આકાશમાં રહીને આ પ્રમાણે કહ્યું, ‘હે મંત્રીઓ ! હે લોકો ! તમે મનમાં આવી ચિંતા કેમ કરો છો ? અનેક શત્રુઓને નમાવનાર આ પુરુષ તમારો રાજા થશે. તેને આ કલ્પવૃક્ષોના ફલની સાથે મદ્ય-માંસ પણ આપજો. આ તમારા સ્વામીને સ્વેચ્છાચારી તેમજ દુરાચારી થવા દેજો.'
લોકોને આવી રીતે સમજાવી, તે બંનેનું આયુષ્ય ટૂંકુ કરી અને કાયા પણ માત્ર ૧૦૦ ધનુષ્યની કરી કિલ્બિષિક દેવ કૃતાર્થ થઇને અંતર્ધાન થઇ ગયો. પછી પ્રીતિથી ભરપૂર સામંત અને મંત્રીઓએ મંગલિક શબ્દોના ઉચ્ચારપૂર્વક તીર્થોના જળ લાવી હિર રાજાનો રાજ્ય ઉપર અભિષેક કર્યો.
શ્રી શીતલનાથ પ્રભુના તીર્થમાં એ હિર રાજા થયો, તેનાથી અનેક રાજાઓને ધારણ કરનારો હરિવંશ પૃથ્વીમાં પ્રસિદ્ધ થયો. કેટલોક કાળ ગયા પછી હિર રાજાને હરિણીથી પૃથ્વીપતિ નામે પુત્ર થયો. હિર અને હરિણી અનેક પ્રકારનાં પાપ ઉપાર્જન કરીને દુર્ગતિમાં ગયા. ત્યારબાદ તેનો પુત્ર પૃથ્વીપતિ રાજા થયો. ઘણા કાળ સુધી રાજ્ય પામી છેવટે મહાગિરિ નામના પુત્રને રાજ્ય પર સ્થાપન કરી, તપશ્ચર્યા કરીને સ્વર્ગે ગયો. તેનો પુત્ર હિમગિરિ, તેનો પુત્ર વસુગિરિ, તેનો પુત્ર ગિરિ, તેનો પુત્ર મિત્રગિરિ, તેનો પુત્ર સુયશા થયો. શ્રી ચંદ્રવંશના (હરિવંશના) એ સર્વ રાજાઓ જિનધર્મના ધુરંધર, ત્રિખંડ ભોક્તા અને સંઘના અધિપતિ થયા.
આ રીતે અનુક્રમે હરિવંશમાં અસંખ્ય રાજાઓ થયા. તેઓમાં કેટલાક તપ તપીને સ્વર્ગે ગયા, કેટલાક મોક્ષે ગયા. હવે, આ હરિવંશમાં થયેલ શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનનું શ્રેષ્ઠ સંપત્તિયુક્ત ચરિત્ર પાંચ કલ્યાણકના વર્ણન પૂર્વક કહેવામાં આવે છે.
મુનિસુવ્રતસ્વામી ભગવાનનું ચારિત્ર :
આ ભરતક્ષેત્રમાં મગધ દેશના મંડનરૂપ રાજગૃહ નામે નગર છે. તે નગરમાં હરિવંશમાં સુમિત્ર નામે રાજા હતો. તે રાજાને પદ્માદેવી નામે નિર્વિકારી રાણી હતી. પ્રાણત દેવલોકમાં દેવનો ભવ પૂર્ણ કરી, શ્રાવણ માસની પૂર્ણિમાની રાત્રિએ પ્રભુ શ્રી મુનિસુવ્રતસ્વામીનો આત્મા પદ્માદેવીની કુક્ષીમાં અવતર્યો. તે સમયે સુખે સૂતેલા પદ્માદેવીએ તીર્થંકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્નો રાત્રિના શેષભાગે જોયા. શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૦૦
Page #222
--------------------------------------------------------------------------
________________
સમય જતાં જેઠ મહિનાની કૃષ્ણાષ્ટમીએ કાચબાના લાંછનવાળા અને તમાલ જેવી શ્યામ કાંતિવાળા કુમારને દેવીએ જન્મ આપ્યો. દિકુમારીઓએ આવીને ભક્તિથી સૂતિકર્મ કર્યું. પછી ઇન્દ્ર વીશમા તીર્થંકરને મેડ્રિગિર પર લઇ ગયા. ત્યાં સૌધર્મેન્દ્રના ઉત્સંગમાં રહેલા જગદ્ગુરુને ત્રેસઠ ઇન્દ્રોએ પવિત્ર તીર્થોદક વડે જન્માભિષેક કર્યો. આ પ્રમાણે સર્વ દેવો અને ઇન્દ્રોએ ભક્તિથી પૂજા અને સ્તુતિ કરી, પ્રભુને માતાની પાસે મૂકી નંદીશ્વરદ્વીપે ગયા. ત્યાં અઠ્ઠાઇ મહોત્સવ કરીને પોતપોતાના સ્થાનકે ગયા. પ્રાતઃકાળે સુમિત્ર રાજાએ પુત્રનો જન્મોત્સવ કર્યો અને લોકોને સત્કારાદિ વડે પ્રસન્ન કરી મુનિસુવ્રત એવું નામ પાડ્યું.
ત્રણ જ્ઞાન ધારણ કરનારા પ્રભુ બાલ્યવયનું ઉલ્લંઘન કરીને યૌવનવયમાં વીશ ધનુષ્યની કાયાવાળા થયા. પછી શ્રી મુનિસુવ્રતસ્વામી પૃથ્વીપુરના રાજા પ્રભાકરની પુત્રી પ્રભાવતીને સ્વયંવર દ્વારા પરણ્યા. કેટલાક સમયે મુનિસુવ્રતસ્વામીને પ્રભાવતીદેવીથી સુકૃત નામે પુત્ર થયો. ભગવંતે થોડા વર્ષો રાજ્ય સંભાળી ફાગણ સુદ દશમીએ એક હજાર રાજાઓની સાથે દીક્ષી લીધી અને ફાગણ સુદ બારસે પ્રભુને ઘાતી કર્મો ક્ષય થવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ઇન્દ્ર મહારાજાએ કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો. વિશ્વને દેશનાના કિરણોથી જાગૃત કરતા ભગવંત એક વખત પ્રતિષ્ઠાન નામે નગરમાં પધાર્યા. ત્યાંથી જ્ઞાન દ્વારા ભૃગુકચ્છ નગ૨માં પોતાનો પૂર્વભવનો મિત્ર એક અશ્વ, અશ્વમેધયજ્ઞમાં હોમાતો જાણીને પ્રભુ રાત્રિમાં જ સાઇઠ યોજનનો વિહાર કરી, પ્રાતઃકાળે ભૃગુકચ્છ (ભરૂચ) નગરે પહોંચ્યાં. માર્ગમાં સિદ્ધપુરમાં મધ્યરાત્રે ક્ષણવાર વિશ્રામ લીધેલો હોવાથી ત્યાં વજ્રધર રાજાએ તેમનું ચૈત્ય કરાવ્યું.
ભરૂચના કોરંટક ઉદ્યાનમાં પ્રાતઃકાળે દેવતાઓએ સમવસરણ રચ્યું. પ્રભુને સમવસરેલા જાણીને તે જ અશ્વ ઉપર બેસી નગરનો સ્વામી જિતશત્રુ રાજા ત્યાં આવ્યો. ત્યાં પ્રભુના દર્શન કરી તે અર્થે પણ ઉંચા કાન કરીને સર્વ લોકોને તૃપ્ત કરનારી દેશના સાંભળી. દેશના પૂર્ણ થયા પછી રાજાએ પ્રભુને પૂછ્યું, ‘ભગવન્ ! આપની
આ દેશનાથી અહીં કોણ કોણ ધર્મ પામ્યું ? પ્રભુએ કહ્યું, ‘આ તમારા અશ્વ સિવાય બીજા કોઇને અત્યારે ધર્મ પ્રાપ્ત થયો નથી.' ફરીથી રાજાએ પૂછ્યું, ‘હે વિભુ ! આ અશ્વ કોણ છે ?' પ્રભુ બોલ્યા, ‘હે રાજા ! એનાં પૂર્વ ભવોને સાંભળો.'
અશ્વનાં પૂર્વભવો ઃ
પૂર્વે ચંપાનગરીમાં હું સુર નામે ધનાઢ્ય શ્રેષ્ઠી હતો. તે વખતે આ અશ્વ મતિસાગર નામે મંત્રી હતો ને તે મારો મિત્ર હતો. તે માયા, કપટ અને મિથ્યાત્વથી ભરપૂર હતો. ત્યાંથી મૃત્યુ પામી કેટલાક ભવમાં ભમીને તે પદ્મીનીખંડ નામના શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૦૧
Page #223
--------------------------------------------------------------------------
________________
નગરમાં સાગરદત્ત નામે એક મિથ્યાત્વી વણિક થયો. તે નગરમાં જિનધર્મ નામે એક ઉત્તમ શ્રાવક રહેતો હતો. તેની સાથે સાગરદત્તની અતિશય પ્રીતિ થઈ.
એક વખત તે બંને મિત્રો કોઈ મુનિને વંદન કરવા પૌષધગૃહમાં ગયા. ત્યાં મુનિના મુખેથી તેઓએ ધર્મ સાંભળ્યો. તેમાં તેમણે એવું સાંભળ્યું કે, “જે પુરુષ માટીનું, સોનાનું કે રત્નનું જિનબિંબ કરાવે તેના કુકર્મો નાશ પામે છે. તે સાંભળી સાગરદત્તે એક સુવર્ણનું જિનબિંબ કરાવ્યું અને સાધુભગવંતની પાસે પ્રતિષ્ઠા કરાવી તે પોતાના ઘરમાં સ્થાપન કર્યું. તે પૂર્વે તેણે નગરની બહાર એક મોટું શિવાલય કરાવ્યું હતું. તેમાં ઉત્તરાણના દિવસે તે દર્શન કરવા ગયો. ત્યાં તે વખતે શિવાલયના પૂજારીઓને ઘીના ઘડા ઉપરથી ખરી પડતી જીવાત, પગથી કચડી નાખતા જોઇ, સાગરદત્ત અતિ દુઃખી થયો. એટલે ધીરે રહીને ઘડા ઉપરથી જીવાત દૂર કરવા લાગ્યો. તે જોઈ એક પૂજારીએ આવીને હઠથી બધી ઉધઈઓને પગથી પીલી નાંખી અને બોલ્યો, “અરે ! સાગર ! પાખંડી શ્વેતાંબરીઓએ તને છેતર્યો લાગે છે. તેથી તું આ જંતુઓની રક્ષામાં તત્પર થયો છું.” પૂજકના આવા કૃત્યની તેના આચાર્યો પણ ઉપેક્ષા કરી. આથી સાગરદત્ત વિચારવા લાગ્યો કે, “આ નિર્દય પૂજકોને ધિક્કાર છે. આવા લોકોને ગુરૂબુદ્ધિથી કેમ પૂજાય ? કે જેઓ પોતાના યજમાનને દુર્ગતિમાં પાડે છે.” આવો વિચાર કરી મનમાં સમસમીને રહ્યો અને પછી તે પૂજકોના આગ્રહથી ત્યાં પૂજાદિ ક્રિયા કરી, અંતે સમ્યકત્વ પ્રાપ્ત કર્યા વગર જ ત્યાંથી મૃત્યુ પામી, આરંભાદિકથી તિર્યંચ ગતિ પામી તારો આ જાતિવંત અશ્વ થયો છે. તેને બોધ પમાડવા માટે જ હું અહીં આવ્યો છું. પૂર્વ જન્મમાં કરાવેલી જિનપ્રતિમાના પ્રભાવથી તેને હમણાં મારો અને ધર્મનો યોગ પ્રાપ્ત થયો છે.
આ સાંભળી, તે જાતિવંત અશ્વને જાતિસ્મરણ થયું. તેથી સંસારથી છૂટવા તેણે પ્રભુની પાસે અનશનવ્રત ગ્રહણ કર્યું. પછી સાત દિવસ અનશનમાં રહી, સમાધિ મૃત્યુ પામીને સહસ્ત્રાર દેવલોકમાં દેવ થયો. અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જાણી, પૃથ્વી ઉપર આવીને સુવર્ણના કિલ્લાની મધ્યમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની એક પ્રતિમા કરાવી, તે પ્રતિમાની સામે પોતાની અશ્વમૂર્તિ કરાવી અને ત્યાં દર્શન કરનારા સુવ્રત પ્રભુના ભક્તોના મનોરથ પૂરવા લાગ્યો. ત્યારથી તે પવિત્ર તીર્થ અથાવબોધ નામે પ્રસિદ્ધ થયું અને ભરૂચ નગર પણ વિશેષ પ્રસિદ્ધ થયું.
જેમ તે અશ્વે થોડો ધર્મ કરીને ઘણું ફળ પ્રાપ્ત કર્યું તેમ કોઇપણ પુરુષ ત્યાં જેટલું ધન વાપરે છે તેનાથી અનંત ઘણું પ્રાપ્ત કરે છે. નર્મદા નદીના ભૃગુ = તટના શિખર ઉપર કચ્છ જેવું અને લીલોતરીવાળું તે નગર હોવાથી તેનું “ભૃગુકચ્છ' એવું
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૦૨
Page #224
--------------------------------------------------------------------------
________________
નામ પ્રખ્યાત થયું. ત્યાં શ્રી મુનિસુવ્રત પ્રભુના સ્નાત્રજળ વડે નિર્મળ એવી નર્મદા નામે નદી છે. જે દીનજનોને અદીન કરે છે.
સમેતશિખર પર શ્રી મુનિસુવ્રતસ્વામીનું નિર્વાણ :
સુર-અસુરોને પૂજેલા શ્રી મુનિસુવ્રત સ્વામી ભરૂચથી વિમલાચલ તીર્થે સમવસર્યા. ત્યાં પોતાના ચરણન્યાસથી સર્વ શિખરોને તીર્થ રૂપ કરી ત્યાંથી પાછા ભરૂચનગરે આવ્યા. ત્યાંથી સૌરીપુરી, ચંપાનગરી, પ્રતિષ્ઠાનપુર, સિદ્ધપુર, હસ્તીનાપુર અને બીજા પણ અનેક નગરોમાં વિહાર કરી, ભવ્યજનોનો ઉદ્ધાર કરી, પ્રાંતે એક હજાર મુનિઓની સાથે સમેતશિખરજી ગિરિ પર આવ્યા. ત્યાં એક મહિનાનું અનશન કરી, જેઠ માસની કૃષ્ણ નવમીએ, હજાર મુનિઓની સાથે મુક્તિ પામ્યા.
કુમા૨વય અને દીક્ષા બંનેમાં સાડાસાત હજાર વર્ષ અને રાજ્યમાં પંદરહજાર વર્ષ, સર્વ મળી ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. શ્રી મુનિસુવ્રતસ્વામીનું અને ભૃગુકચ્છ તીર્થનું આ ચરિત્ર ભવ્યપ્રાણીઓને શાંતિને માટે થાઓ. તીર્થપતિ શ્રી મુનિસુવ્રતસ્વામી પછી સુવ્રત નામે રાજા થયા અને ત્યારપછી તે વંશમાં બીજા ઘણા રાજાઓ થયા. ત્યારપછી શ્રી મુનિસુવ્રત સ્વામીના હરિવંશમાં યાદવ રાજાઓ થયા. તેમાં શ્રી નેમનાથ ભગવાન બાવીશમા તીર્થંકર થયા. તેમનું ચરિત્ર કહેવાય છે.
***
શત્રુંજય તીર્થ સ્પર્શનાનું ફળ
• નંદીશ્વરદ્વીપની જાત્રા કરવાથી જે પુણ્ય થાય તેનાથી બે ગણું પુણ્ય કુંડલગિરિની યાત્રા કરવાથી થાય.
• તેનાથી ત્રણ ગણું પુણ્ય રૂચકગિરિની યાત્રા કરવાથી થાય.
• તેનાથી ચાર ગણું પુણ્ય ગજદંતગિરિની યાત્રાથી થાય. • તેનાથી બે ગણું પુણ્ય જંબુવૃક્ષ ઉપર આવેલા ચૈત્યોથી થાય. • તેનાથી છ ગણું પુણ્ય ઘાતકી વૃક્ષ ઉપર રહેલા ચૈત્યોથી થાય. • તેનાથી બાર ગણું પુણ્ય પુષ્કરવર દ્વીપના ચૈત્યોથી થાય. • તેનાથી સો ગણું પુણ્ય મેરુપર્વતની ચૂલિકા ઉપરના ચૈત્યોથી થાય. • તેનાથી હજાર ગણું પુણ્ય સમેતશિખરની યાત્રાથી થાય.
• તેનાથી દશ હજાર ગણું પુણ્ય અંજનગિરિની યાત્રાથી થાય.
• તેનાથી લાખ ગણું પુણ્ય રૈવતગિરિની યાત્રાથી થાય.
•
તેનાથી ક્રોડ ગણું પુણ્ય શત્રુંજયની સ્પર્શના કરવાથી થાય.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૦૩
(ઉપદેશ પ્રસાદ)
Page #225
--------------------------------------------------------------------------
________________
ચોથો પ્રસ્તાવ
(શ્રી નેમિનાથ પ્રભુનું ચરિત્ર આ ભરતક્ષેત્રમાં મથુરા નામે નગરી છે. તે નગરી યમુના નદીના કૃષ્ણ જળ વડે શોભી રહી છે. તે નગરીમાં હરિવંશમાં વસુનો પુત્ર બૃહધ્વજ થયો. તે પછી ઘણા રાજાઓ થયા પછી યદુ નામે રાજા થયો. યદુ રાજાને સુર નામે પુત્ર થયો. તેને શૌરી અને સુવીર નામે પુત્રો થયા. શૌરીને રાજ્ય ઉપર અને સૌવીરને યુવરાજપદે બેસાડી સુર રાજાએ દીક્ષા ગ્રહણ કરી. શૌરી મથુરાનું રાજય પોતાના નાનાભાઇ સૌવીરને આપીને કુશાદશમાં ગયો. ત્યાં તેણે શૌર્યપુર નામે નવીનનગર વસાવ્યું. શૌરી રાજાને અંધકવૃષ્ણિ વગેરે અને સુવીરને ભોજવૃષ્ણિ વગેરે પુત્રો થયા. સુવીરે મથુરાનું રાજય ભોજવૃષ્ણિને આપી પોતે સિંધુદેશમાં જઇને સૌવીર નામનું નવું નગર વસાવ્યું. શૌરી રાજા પોતાના રાજય ઉપર અંધકવૃષ્ણિને સ્થાપી પોતે સુપ્રતિષ્ઠ મુનિની પાસે દીક્ષા લઇ મોક્ષે ગયા. | મથુરામાં રાજ્ય કરતાં ભોજવૃષ્ણિને ઉગ્રસેન નામે એક પુત્ર થયો. અંધકવૃષ્ણિને સુભદ્રા રાણીથી (૧) સમુદ્રવિજય, (૨) અક્ષોભ, (૩) સિમિત, (૪) સાગર, (૫) હિમવાન, (૬) અચળ, (૭) ધરણ, (૮) પૂરણ, (૯) અભિચંદ્ર અને (૧૦) વસુદેવ નામે દશ પુત્રો થયા. તે દશે પુત્રો દશાહ કહેવાયા. સમાન આચારવાળા, પરસ્પર પ્રીતિવાળા, શસ્ત્ર તથા શાસ્ત્રના અભ્યાસી તે દશે પુત્રો હર્ષથી પિતાની ભક્તિ કરતા હતા. તેમને કુંતી અને માદ્રી નામે બે બહેનો થઇ.
શ્રી ઋષભદેવસ્વામીને એક કુરૂ નામે પુત્ર હતો. જેના નામથી કુરૂક્ષેત્ર કહેવાય છે. તે કુરૂનો પુત્ર હસ્તી નામે થયો. જેના નામથી હસ્તીનાપુર કહેવાય છે. હસ્તી રાજાના સંતાનમાં વિશ્વવીર્ય નામે રાજા થયો. તે જ વંશમાં અનુક્રમે સનત્કુમાર, શાંતિ, કુંથુ અને અર આ ચાર ચક્રવર્તી થયા. જેમાં પાછળના ત્રણ તીર્થકરો પણ થયા હતા. ત્યારપછી ઇન્દ્રકેતુ અને તેનો કીર્તિકેતુ થયો. તેનો શુભવીર્ય, તેનો સુવીર્ય, તેનો પુત્ર અનંતવીર્ય, તેનો પુત્ર કૃતવીર્ય અને તેનો પુત્ર સુભૂમ ચક્રવર્તી થયો. તે પછી અસંખ્ય રાજાઓ થઇ ગયા પછી શાંતનુ નામે રાજા થયો. તે હસ્તીનાપુરમાં રહીને રાજ્ય કરતો હતો.
એક વખત તે રાજા હાથમાં ધનુષ્ય લઈ વાગરિક (જાળ પાથરનાર) લોકોએ પ્રથમથી રૂંધેલા વનમાં પેઠો. વનની મધ્યમાં રહેલા સર્વ શિકારી ભીલો કૌતુકથી
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૨૦૪
Page #226
--------------------------------------------------------------------------
________________
નવા નવા અવાજો કરી અરણ્યના જીવોને ક્ષોભ કરવા લાગ્યા. કોઇ ધસતા, કોઇ દોડતા અને કોઈ તર્જના કરતા શિકારીઓ હાકોટાના શબ્દોથી જ પ્રાણીઓને સત્ત્વરહિત કરવા લાગ્યા. આ રીતે સમગ્ર શિકારી લોકો શિકારના રસમાં આસક્ત થયા. તેવામાં એક મૃગની પાછળ પડેલો અને અર્થે આકર્ષેલો શાંતનુ રાજા દૂર ચાલ્યો ગયો. જેમ જેમ મૃગ દોડે છે તેમ તેમ જાણે આકર્ષાતો હોય તેમ રાજા ધનુષ્ય ખેંચીને તેની પાછળ ચાલ્યો. વેગવાળા અશ્વ વડે વનમાં ભમતો રાજા અનુક્રમે ગંગા નદીના કાંઠે આવ્યો. ત્યાં તેણે રત્નોથી રચેલું એક મોટું ચૈત્ય જોયું. શાંતનુને વિચાર થયો કે, “ઉજજવલ એવો આ પ્રાસાદ ઘણો સુંદર છે.'
આ પ્રમાણે વિચારીને કૌતુકી રાજાએ તે ચૈત્યની અંદર પ્રવેશ કર્યો. ત્યાં શ્રી આદિનાથ પ્રભુની સુંદર પ્રતિમા તેણે જોઈ. પછી પ્રભુને નમસ્કાર કરીને તે મત્તવારણ (દેરાસરનો આગળના ભાગનો ઝુલતો ગોખ) ઉપર બેઠો. ત્યાં અપ્સરા જેવી એક કન્યા તેના જોવામાં આવી. રાજાએ તે બાળાને સ્નેહ વડે પવિત્ર વાણીથી આદરપૂર્વક પૂછ્યું, “હે કન્યા ! તું કોની પુત્રી છે?” રાજા આ પ્રમાણે પૂછે છે, તેટલામાં કોઇ પુરુષ આગળ આવીને બોલ્યો, “રાજેન્દ્ર ! આ બાળાનું શુભ ચરિત્ર સાંભળો.” • ગંગાકુમારીનું વૃત્તાંત :
વિદ્યાધરોના પતિ જનુની આ પુત્રી છે. કલાગુરુ પાસેથી તે સર્વ શાસ્ત્રાર્થ ભણી છે. આનું નામ ગંગા છે. તે અનુક્રમે યૌવન પામી. એક વખત પ્રાતઃકાળે આ બાળા હર્ષથી પિતાના ઉલ્લંગમાં બેઠી હતી. તેવામાં ત્યાં કોઈ જ્ઞાની ચારણમુનિ આવ્યા. જહુનુ રાજાએ તેમને નમી, ઉત્તમ આસન ઉપર બેસાડી, પોતાની પુત્રીના વરને માટે પૂછયું. મુનિ બોલ્યા, “ગંગા નદીના કાંઠે મૃગયાથી ખેંચાઇને શાંતનુ રાજા આવશે. તે આનો પતિ થશે.” આ પ્રમાણે કહીને ચારણમુનિ પાછા આકાશમાં ચાલ્યા ગયા. પછી જહુનુ રાજાએ ગંગાના તીરે મણિરત્નમય જિનપ્રાસાદ બનાવ્યો અને પિતાની આજ્ઞાથી આ બાળા અહીં રહીને નિત્ય શ્રી આદિનાથ પ્રભુનું આરાધન કરે છે. હે રાજન્ ! તેના ભાગ્યસમૂહથી આકર્ષાયેલા તમે અહીં આવી ચડ્યા છો. માટે હવે આદિનાથ પ્રભુની સન્મુખ આ બાળાનું તમે પાણિગ્રહણ કરો.”
આ પ્રમાણે સાંભળી તે કન્યા બોલી, “જે રાજા મારું વચન ઉલ્લંઘે નહીં તે મારો પતિ થાય અને જો મારું કહેવું ન કરે તો હું મારા પિતાને ઘેર પાછી ચાલી જાઉં.' આવી મેં પ્રતિજ્ઞા કરેલી છે. તે કન્યાની તેવી પ્રતિજ્ઞાનો સ્વીકાર કરી, કામવશ હૃદયવાળા રાજાએ પ્રભુની સાક્ષીએ ગંગાકુમારીનું પાણિગ્રહણ કર્યું.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૦૫
Page #227
--------------------------------------------------------------------------
________________
આ ખબર સાંભળી, જહુનુ રાજા જલ્દીથી ત્યાં આવ્યા અને ઘણા ઉત્સવપૂર્વક તેમનો વિવાહ કર્યો. પછી જહુનુ રાજા પોતાના સ્થાનકે ગયા. ત્યાર પછી તે રાજદંપતી હર્ષથી ત્યાં બેઠા હતા. તેવામાં આકાશમાં તેમણે મહાતેજ જોયો. “શું આ સૂર્યનું તેજ હશે? અથવા શું અગ્નિનું, ચંદ્રનું, વિદ્યુતનું કે કોઈ મુનિના તપનું તેજ હશે ?' આ પ્રમાણે તે બંને વિચારતા હતા તેવામાં તે તેજમાં બે શ્રમણ રહેલા જોવામાં આવ્યા. તેમને પ્રત્યક્ષ જોઈ તે બંને આસન ઉપરથી ઉભા થયા. બંને મુનિએ પ્રથમ તો ભક્તિયુક્ત મનોહર વચનો વડે પ્રભુની ભાવપૂજા કરી. પછી તે મુનિયુગલ જિનમંદિરની બહાર આવ્યું એટલે રાજદંપતીએ ભક્તિથી નમસ્કાર કર્યા. ક્ષણવાર જિનાલયને જોતા તે મુનિઓ ત્યાં બેઠા.
થોડીવાર પછી શાંતનુ રાજાએ પૂછ્યું, “હે ભગવંત! આપ અત્યારે ક્યાંથી પધારો છો? તેઓમાંથી એક મુનિએ જવાબ આપ્યો, “અમે વિદ્યાધર મુનિ છીએ. તીર્થે તીર્થે શ્રી જિનેશ્વરોને વંદન કરવા ફરીએ છીએ. સમેતશિખર, અર્બુદાચલ, વૈભારગિરિ, રૂચક, અષ્ટાપદ, શત્રુંજય અને રૈવતાદિ તીર્થોની અને યાત્રા કરી. સૌથી છેલ્લે રૈવતાચલ પર્વતે ગયા હતા. ત્યાં ભાવી તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુને નમીને તે ગિરિના કાંચન નામના ચોથા શિખર ઉપર જતા હતા, તેવામાં સૂર્ય જેવી આકૃતિવાળો, દેહની કાંતિથી સર્વ દિશાઓને પ્રકાશિત કરતો જાણે અદ્ભુત રત્નમૂર્તિ હોય તેવો દેખાતો એક પવિત્રદેવ અમે જોયો. તે ભક્તિથી શ્રી નેમિનાથ પ્રભુની પૂજા કરતો હતો. ત્યારે કોઈ બીજો દેવ ત્યાં આવ્યો. તેણે તેનું સ્વરૂપ પૂછ્યું. એટલે તે દેવ બોલ્યો -
‘પૂર્વે આ રૈવતગિરિની પાસે સુગ્રામ નામના ગામમાં રહેનારો હું એક ક્ષત્રિય હતો. મલિન હૃદયવાળો હું સદા યાત્રાળુઓને ઉપદ્રવ કરતો. નિર્ભયપણે જીવોને મારતો અને મિથ્યા વચન બોલતો હતો. આ બધા પાપોથી મારા શરીરમાં લૂતા નામનો રોગ થયો. પછી કોઈ મુનિ પાસેથી આ તીર્થનું માહાભ્ય સાંભળી હું અહીં આવ્યો. આ કાંચનગિરિ ઉપર શ્રી નેમિનાથ પ્રભુની પૂજા કરવાથી અને ઉજ્જયંતી નદીના જળમાં સ્નાન કરવાથી અનુક્રમે મારો રોગ દૂર થયો. ભરત ચક્રવર્તીએ કરાવેલા શ્રી નેમિનાથ પ્રભુના મંદિરમાં જિનપૂજા કરવાથી મારા પાપ દૂર થયા અને આ તીર્થના માહાભ્યથી આત્માની પ્રસન્નતા પામતો હું આવા સ્વરૂપવાળું દેવપણું અને લોકોત્તર તેજસ્વીપણું પામ્યો છું. દેવ બન્યા પછી મને ખ્યાલ આવ્યો કે આ તીર્થના સેવનથી મને દેવપણું પ્રાપ્ત થયું છે. તેથી ફરીવાર તેનો સ્પર્શ કરવા માટે હું અહીં આવ્યો છું અને આદરથી આ જિનમંદિર મેં અહીં કરાવ્યું છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૦૬
Page #228
--------------------------------------------------------------------------
________________
જેનાથી સિદ્ધિ પ્રાપ્ત થઇ તેનો જો આશ્રય ન કરીએ તો સ્વામીદ્રોહના પાપ વડે હંમેશાં દુર્ગતિમાં પાત થાય છે. વળી આ પ્રભુના સેવનથી આગામી ભવમાં મને આનંદદાયક કેવળજ્ઞાન પ્રાપ્ત થશે અને મારી મુક્તિ થશે. તેથી વિશેષે કરીને અહીં જ સાંનિધ્ય કરીને હું રહું છું. હે મુનિઓ ! મારું નામ સિદ્ધિવિનાયક છે અને મારું આશ્રિત કરેલું આ તીર્થ સુખને માટે અને પાપના ક્ષયને માટે થાય છે.
ગાંગેયનો જન્મ :
આ પ્રમાણે તીર્થનું માહાત્મ્ય અને પોતાનો વૃત્તાંત કહી આકાશને પ્રકાશિત કરતો તે તેજસ્વી દેવ સ્વર્ગમાં ચાલ્યો ગયો. તે સાંભળી પ્રભુને નમી તીર્થયાત્રા કરવા અમે ત્યાંથી ચાલ્યા. અહીંથી પસાર થતાં રમણીય મણિચૈત્ય અમે જોયું. તેથી અહીં શ્રી આદિજિનને નમસ્કાર કરવા ઉતર્યા. હવે અમે અહીંથી બીજા તીર્થોએ જઇશું. એમ કહી તે મુનિઓ ચાલ્યા ગયા.
ત્યાર પછી શાંતનુ રાજા વિચારવા લાગ્યા કે, ‘હું ક્યારે એ તીર્થે જઇશ ? રાજા આવો વિચાર કરતા હતા એટલામાં પાછળ રહી ગયેલું સૈન્ય ત્યાં આવી પહોંચ્યું. તેણે ગંગાના તીરે તે ચૈત્ય તથા પ્રિયાસહિત શાંતનુ રાજાને દીઠા. રાજાને જોતાં જ હર્ષના ઉત્કર્ષથી સર્વ સૈનિકો જય જય નાદપૂર્વક રાજાને કહેવા લાગ્યા. ‘હે સ્વામી ! અમારા જોતા-જોતામાં તમે દૂર ચાલ્યા ગયા હતા. તે આજે ઘણા સમયે અમને જોવા મળ્યા છો. તેથી અમારે આજે અખંડ મંગલ થયું છે. પછી રાજા ગંગારાણીની સાથે હાથી ઉપર બેસીને હસ્તીનાપુરમાં આવ્યા. ત્યાં ઉપવનોમાં, ક્રીડાપર્વતો ૫૨, નદીઓમાં ગંગાની સાથે શાંતનુ રાજા અવિયોગીપણે રાત્રિદિવસ રમવા લાગ્યો.
કેટલોક કાળ ગયા પછી, ગંગા રાણીને શુભ સ્વપ્નસૂચિત ગાંગેય નામે એક પુત્ર થયો. તે રાજપુત્ર અનુક્રમે મોટો થયો. ગંગાએ રાજાને અનેક વખત વિનયપૂર્વક પ્રાર્થના કરી તો પણ તેણે મૃગયાનું વ્યસન છોડ્યું નહીં. તેથી ગંગા પોતાના પુત્રને લઇ પિતાના ઘરે ચાલી ગઇ. વનમાંથી નિવૃત્ત થયેલો રાજા પોતાની રાણીને નહીં જોવાથી મૂર્છા પામ્યો. પછી ક્ષણવારે સંજ્ઞા પ્રાપ્ત કરી શોકથી આકુલ થઇ, મોટેથી વિલાપ કરવા લાગ્યો, ‘હે પ્રિય...!’ મેં પૂર્વે કોઇવાર તારું અપ્રિય કર્યું નથી. તે છતાં નિ૨૫રાધી એવા મને એકદમ તું કેમ છોડી દે છે ?'
આ પ્રમાણે વિરહાગ્નિ વડે વિáલ બનેલા રાજાની પાસે કુલપ્રધાનો આવીને નીતિવાક્યો વડે તેને સમજાવવા લાગ્યા, ‘હે સ્વામી ! તમે સુજ્ઞ છતાં અન્નની જેમ કેમ વર્તે છો ? સર્વ પ્રાણીઓને નિત્ય સંયોગ અને વિયોગ થયા કરે છે, તો તેને માટે કયો બુદ્ધિમાન પુરુષ હર્ષ અને શોકથી બાધા પામે ? હે રાજન્ ! તમે સંભારો. શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૦૭
Page #229
--------------------------------------------------------------------------
________________
ગંગાની પાસે તમે પ્રતિજ્ઞા કરી હતી કે, “હું તારું વચન ઉલ્લંઘન નહીં કરું. તે છતાં તમે તેની અવજ્ઞા કરી. તેથી તે મનસ્વિની ચાલી ગઇ છે.” આ પ્રમાણે મંત્રીઓએ સમજાવવાથી રાજાએ બાહ્યથી શોક છોડી દીધો. પરંતુ ચિત્તમાંથી તો જરાપણ છોડ્યો નહીં. આવી રીતે વિરહી શાંતનુ રાજાએ ચોવીસ વર્ષો નિર્ગમન કર્યા.
આ બાજુ ગંગા ગાંગેયને લઈ પોતાના પિતાને ઘેર ગઈ. જનુ રાજાએ સન્માન કરી તેને સુખે રાખી. મોશાળપક્ષમાં મોટા થતા ગાંગેયે ગુરુની પાસેથી આદરપૂર્વક સર્વ કલાઓ સંપાદન કરી તથા ચારણમુનિઓ પાસેથી ધર્મ પામીને વૈરાગ્યવાન થઇ, સર્વ જીવો પ્રત્યે દયાળુ થયો. પછી નંદન નામના વનમાં રહેલા શ્રી યુગાદિપ્રભુની આરાધના કરવા લાગ્યો. • વનમાં ગાંગેય અને શાંતનુનું પરસ્પર યુદ્ધ :
એ અરસામાં શાંતનુ રાજા મૃગયાના રસથી ભમતો ભમતો તે જ વનમાં આવી ચડ્યો. તેણે જાળવાળા અને પાશવાળા શિકારીઓથી તે આખા વનને ઘેરી લીધું. આ જોઇને ધનુષ્ય લઈ, બશ્વર પહેરી, ભાથારૂપ પાંખો બાંધી ગાંગેય ત્યાં આવ્યો અને તેણે વિનયથી રાજાને કહ્યું, “હે રાજા ! તમે ભૂપાળ છો. તેથી તમારી પૃથ્વી પરના સર્વ પ્રાણીઓની તમારે આપત્તિમાંથી રક્ષા કરવી જોઇએ. કારણ કે રાજા લોકપાળ કહેવાય છે. રાજાએ અપરાધીઓને મારવા અને નિરપરાધીઓને બચાવવા એવો તેનો ધર્મ છે. તેથી આ જળ અને ઘાસનો આહાર કરનારા નિરપરાધી પ્રાણીઓને તો કદીપણ મારવા ન જોઈએ. હે રાજા ! બળવાનું શત્રુ રાજાઓની સામે પરાક્રમ કરવું તે યોગ્ય છે. પણ આવા નિર્બળ પ્રાણીઓની સામે તમારું પરાક્રમ શોભતું નથી. જેમ તમે તમારા રાજયની સીમાની અંદર કોઈનો પણ અન્યાય સહન કરી શકતા નથી, તેમ આ વનનો હું રક્ષક છું. તેથી અહીં કાંઇપણ અન્યાય થાય, તો તેને હું સહન કરી શકીશ નહીં. આ પ્રમાણે ગાંગેયે ઘણું કહ્યું, તો પણ શાંતનુ રાજાએ તેની અવજ્ઞા કરી અને રોષ વડે તે શિકાર કરવા લાગ્યો.
પછી ગાંગેયે ક્રોધથી ધનુષ્ય ઉપર પણછ ચડાવી કર્ણમાં ભયંકર લાગે એવો ટંકાર અને સિંહનાદ કર્યો અને એકલાએ સર્વ શિકારીઓને ઉપદ્રવિત કરી નાંખ્યા. તેથી તત્કાળ શાંતનુએ ધનુષ્ય લઈ યુદ્ધ કરવા માટે તેને બોલાવ્યો. પછી બંને વીરો પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. એટલામાં કોઈ ચરપુરુષ દ્વારા આ સમાચાર સાંભળીને ગંગા જલ્દીથી ત્યાં આવી અને રાજાને કહેવા લાગી, “સ્વામી ! વ્યસનમાં ભાન ભૂલીને તમે આ શું કરો છો ? તત્ત્વને જાણવા છતાં પણ તમે પોતાના જ પુત્રની સાથે કેમ યુદ્ધ કરો છો ?' તે સાંભળી ગંગાને પ્રત્યક્ષ જોઇ, રાજા ઘણો ખુશ થયો
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૦૮
Page #230
--------------------------------------------------------------------------
________________
અને બોલ્યો, ‘પ્રિયે ગંગે! તું અહીં ક્યાંથી?” ગંગા શાંતનુને પોતાનો વૃત્તાંત જણાવી, જલ્દીથી પોતાના પુત્ર પાસે આવી અને કહેવા લાગી, “પુત્ર ! આ તારા પિતા શાંતનુ રાજા છે.” રાજા પણ એ જ વખતે ઘોડા પરથી ઉતરી નજીક આવ્યો અને હર્ષથી બોલવા લાગ્યો, “બેટા ! અહીં આવ. અહીં આવ. મને આલિંગન આપ.'
આ સાંભળી ગાંગેય પણ તત્કાળ અસ્ત્ર છોડી પિતાના ચરણનો સ્પર્શ કરવા દોડ્યો. તે પિતાપુત્રના મિલનથી પૃથ્વી પણ ઉલ્લાસ પામી. પછી ગંગા ભાવપૂર્વક રાજાની આગળ બેઠી અને પુત્રને પોતાના ઉત્સંગમાં બેસાડ્યો. બંને ઉપર પ્રગટેલા અતિસ્નેહના ભારથી રાજાનો કંઠ રૂંધાઈ ગયો. ક્ષણવાર રહીને ગદ્ગદ્ સ્વરે રાજા બોલ્યો, “હવે ફરી રાજયને અલંકૃત કર.”
ગંગા બોલી, “સ્વામી ! તમારું વચન યાદ કરો. જો તમે વચનથી ભ્રષ્ટ થયા છો, તો હું કેમ તમારાથી ભ્રષ્ટ (જુદી) ન થાઉં ? વળી, સર્વ દુઃખના સમૂહ રૂપ જીવહિંસા, મહાઅહિતકારી છે. તેને હજી પણ તમે છોડી નથી, તો હવે મારું શું કામ છે ? આ તમારો પુત્ર ગાંગેય સર્વ શાસ્ત્રોનો તેમજ અસ્ત્રવિદ્યાનો જાણકાર છે. ધર્મવાન અને તમારા ઉપર ભક્તિવાળો છે. તો તેને રાખો અને મારો લોભ કરો નહીં. હે સ્વામી ! તમને આ પુત્રને ઓળખાવવા માટે જ હું અહીં આવી હતી. માટે હવે મને મારા પિતાના ઘરે જવાની આજ્ઞા આપો.'
તે વખતે પતિ અને પુત્રે મનોહર વચન વડે આદરથી વારવા માંડી તો પણ તે માનિની પિતૃગૃહે ચાલી ગઈ. પ્રિયાનો વિરહી અને પુત્રનો સંયોગી શાંતનુ રાજા સરખા સુખ-દુઃખને પામ્યો. પછી ગાંગેયને હાથી ઉપર બેસાડી મોટા ઉત્સવપૂર્વક રાજાએ પુત્રનો નગર પ્રવેશ કરાવ્યો. વિદ્વાન અને પરાક્રમી એવા તે પુત્ર વડે શાંતનુ રાજા શોભવા લાગ્યો.
એક વખત શાંતનુ રાજા અશ્વારૂઢ થઈ લીલાપૂર્વક ફરતા યમુના નદીના કાંઠે આવ્યા. યમુના નદીને જોઇને તેની સુંદરતા વિચારતા હતા. તેવામાં ત્યાં હોડી વડે ક્રિીડા કરતી કોઈ એક મૃગાક્ષી તેમણે જોઇ. તેને જોઈને, “શું આ યમુનાદેવી પ્રત્યક્ષ થઈને પોતાના જળમાં આવી હશે ? અથવા શું અપ્સરા સ્વર્ગગંગાનો ત્યાગ કરીને અહીં આવેલ હશે ? એમ વિચારતો રાજા કામદેવના બાણથી વિધાઈ ગયો. તેથી તેણે બીજા ખલાસીઓને પૂછ્યું, “આ સ્ત્રી કોણ છે ?” ત્યારે તેઓમાંથી એક મુખ્ય નાવિક રાજા પાસે આવી પ્રણામ કરીને બોલ્યો, “હે સ્વામી ! ગુણથી યુક્ત એવી આ મારી પુત્રી છે. તે સર્વ શાસ્ત્રોમાં કુશલ છે. સર્વ લક્ષણોએ સંપૂર્ણ છે અને આ બાળા પોતાના સમાન પતિને નહીં પામવાથી અદ્યાપિ કુમારિકા છે.”
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૦૯
Page #231
--------------------------------------------------------------------------
________________
શાંતનુ રાજાની સત્યવતી માટે પ્રાર્થના :
તે સાંભળી શાંતનુ રાજા ઘરે આવ્યો અને પોતાના ડાહ્યા પ્રધાનપુરુષોને તે નાવિકના ઘરે તે કન્યાની માંગણી કરવા મોકલ્યા. નાવિકે સન્માનથી તેમને ઉત્તમ આસન પર બેસાડ્યા. પછી પ્રધાનોએ બહુમાનથી રાજા માટે તેની કન્યાની માંગણી કરી. ત્યારે નાવિકે કહ્યું, ‘રાજા સર્વ દેવમય છે અને હું હીન જાતિ છું. માટે આ બાબતમાં તેમણે મારી પ્રાર્થના કરવી ઉચિત નથી. સરખે સરખા કુળવાળાનો સંબંધ જ યોગ્ય કહેવાય છે.’
•
પ્રધાનોએ તેને કહ્યું, ‘આ કન્યાનું આવું સ્વરૂપ હીન કુળમાં ઉત્પન્ન થયું હોય તેમ સંભવતું જ નથી. કારણ કે જાતિવાન રત્નની ઉત્પત્તિ રોહણાચલમાં જ સંભવે, બીજે નહીં. આ બાળા કોઇ કાર્યયોગે તારા ઘરે વસતી હશે. અન્યથા તેમાં શાંતનુ રાજાનું મન કેમ આસક્ત થાય ? માટે હે નાવિક ! તારે આ બાબતમાં ના કહેવી યોગ્ય નથી. તેથી અમારા આગ્રહ વડે તું રાજાની આજ્ઞા માન્ય કર.'
નાવિક બોલ્યો, ‘હે પ્રધાનો ! રાજાની આજ્ઞા માન્ય કરવી જ જોઇએ. પણ પ્રાજ્ઞપુરુષોએ કન્યા માટે ઘણું વિચારવાનું હોય છે. આ કન્યા નીચકુળની હોવાથી આગળ કદાચ પતિના અપમાન વડે દુ:ખી થાય. વળી ગંગાનો પુત્ર ગાંગેય અતિપરાક્રમી અને રાજ્યના ભારની ધુરાને યોગ્ય છે. તેથી મારા દોહિત્રને તે પણ દુઃખ આપનારો જ થાય. આ અમારી પુત્રી દાસી થાય તો તેના સંતાન પણ તેવાં જ ગણાય. માટે ઉભય અર્થથી ભ્રષ્ટ કરવા હું મારી પુત્રી રાજાને આપીશ નહીં.'
તે સાંભળી પ્રધાનોએ આવીને તે સમાચાર રાજાને કહ્યા. એટલે શાંતનુ રાજા દુઃખથી ગ્લાનિ પામ્યો. આ વૃત્તાંત ગાંગેયે સાંભળ્યો. એટલે પોતે જાતે ત્યાં જઇને પિતાને માટે તે નાવિકની પાસે કન્યાની માંગણી કરી અને કહ્યું, ‘આ તમારી પુત્રી મારી માતા ગંગાની જેમ મારે નિરંતર પૂજ્ય થઇને સુખે રહો. હું પ્રથમથી જ વૈરાગ્યવાન છું. મારી બુદ્ધિ રાજ્ય લેવાની નથી. તેથી તમારી પુત્રીને જે પુત્ર થાય, તે મારો ભ્રાતા સુખે રાજ્યને ભોગવો. આમ છતાં કદી મારા પુત્રો બળથી તેનું રાજ્ય હરી લે, એવું જો તમારા મનમાં આવતું હોય તો આજથી મારે બ્રહ્મચર્ય છે. આ વિષે દેવતાઓ સાક્ષી છે અને રાજાઓ મારા જામીન છે.’
આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ગાંગેયે નાવિક પાસેથી તે કન્યાની યાચના કરી. તત્કાળ ‘જય જય’ શબ્દપૂર્વક આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઇ અને આણે મહાભીષ્મ વ્રત ગ્રહણ કર્યું છે. તેથી તે ખરેખર ‘ભીષ્મ' છે. એમ આકાશમાં દેવતાઓ કહેવા શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૧૦
Page #232
--------------------------------------------------------------------------
________________
લાગ્યા. તે વખતે નાવિક હર્ષ પામીને બોલ્યો, “હે ગાંગેય ! આ કન્યાનું કુળ પ્રથમથી સાંભળો. કેમકે ચંદ્રિકા ચંદ્રમાંથી જ થાય, મેઘમાંથી થાય નહીં.'
સરસ્વતી કન્યાની ઉત્પત્તિ ઃ
આ ભરતક્ષેત્રમાં રત્નપુર નામે નગર છે. તેમાં રત્નશેખર રાજા છે. તેને રત્નાવતી રાણી છે. એક વખત તે રત્નવતીએ સ્વપ્નમાં ચંદ્રની કાંતિ જોઈને અનુક્રમે આ પુત્રીને જન્મ આપ્યો. જન્મતાં જ તેને કોઈ વિદ્યાધર હરણ કરી આ યમુનાના તટ ઉપર મૂકી અંતર્ધાન થઈ ગયો. તે વખતે “આ સર્વ લક્ષણવાળી રત્નશેખર રાજાની પુત્રી સત્યવતી શાંતનુ રાજાની સ્ત્રી થશે” એવી આકાશવાણી સાંભળી અને આ કન્યાને જોઈને હું તેને લઇને ઘેર આવ્યો. અહર્નિશ ઉત્તમ ભોજન આપીને તેને ઉછેરી. હે ગાંગેય ! દેવના બતાવેલા આ કન્યાના પતિ શાંતનુ રાજા જ છે. તેથી તમારા સત્ત્વ વડે આ મારી કન્યા સાથે ખુશીથી તેઓ વિવાહિત થાઓ.'
આ પ્રમાણે સાંભળી ખુશ થયેલા ગાંગેયકુમારે જલ્દીથી પિતા પાસે આવી તેમને હર્ષ પમાડવા માટે કન્યા સંબંધી પ્રથમથી સર્વ વૃત્તાંત નિવેદન કર્યો. તે વખતે પુત્રના સત્ત્વથી શાંતનુ રાજા અંતરમાં ચમત્કાર પામ્યો અને પોતાનાં હીનસત્ત્વપણાને માટે ક્ષણવાર કાંઇક લજ્જા પામી ગયો. પછી વિદ્યાધરોએ જેનો મહોત્સવ કરેલો છે, એવો શાંતનુ રાજા સત્યવ્રતવાળી સત્યવતી કન્યા સાથે પરણ્યો અને તેની સાથે યથેચ્છ રીતે સર્વ વિષયોને ભોગવવા લાગ્યો. શાંતનુ રાજાને સત્યવતીથી ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય નામે બે પુત્રો થયા. પછી મૃગયાના વ્યસનમાંથી વિરામ પામેલા શાંતનુ રાજાએ શત્રુંજયાદિ તીથએ જઈ પુણ્યકાર્ય કરી પોતાના જન્મને સફળ કર્યો. અનુક્રમે શાંતનુ રાજા કર્મયોગે મૃત્યુ પામ્યો. પછી સત્યપ્રતિજ્ઞાવાળા ભીષ્મ ચિત્રાંગદનો રાજયાભિષેક કર્યો. • વિચિત્રવીર્યનું પાણિગ્રહણ : પાંડનો રાજ્યાભિષેક :
એક વખત દુર્મદ ચિત્રાંગદે ભીખને અવગણીને નીલાંગદ નામના ગંધર્વની સાથે મોટું યુદ્ધ કર્યું. બળવાન નીલાંગદે ક્રોધથી ચિત્રાંગદને મારી નાખ્યો. તે વાત સાંભળી ગાંગેયે રણમાં આવી તે નીલાંગદને માર્યો. પછી ભીખે વિચિત્રવીર્યને રાજ્ય ઉપર સ્થાપન કર્યો. તે સમય કાશી રાજાને અંબા, અંબિકા અને અંબાલિકા નામે ત્રણ કન્યાઓ હતી. કાશી રાજાએ તેનો સ્વયંવર કર્યો. તેમાં સર્વ રાજાઓને બોલાવ્યા પણ સામાન્ય જાતિના કારણે વિચિત્રવીર્યને બોલાવ્યો નહીં. તેથી ગાંગેયને ક્રોધ ચડ્યો, એટલે તેણે સ્વયંવરમાં જઈ બધા રાજાઓના દેખતા તે ત્રણે કન્યાનું હરણ કર્યું. તત્કાળ સર્વ રાજાઓ ક્રોધ કરી યુદ્ધ કરવા એકઠા થઈ શસ્ત્રો ઊંચા કરી અને કવચ ધારણ કરી ગાંગેય ઉપર ચડી આવ્યા. બળવાન ગંગાપુત્રે પોતાનાં તેજથી જ
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૧૧
Page #233
--------------------------------------------------------------------------
________________
સર્વ રિપુ રાજાઓને જીતી લીધા. પછી પોતાના નગરે આવી પોતાના નાનાભાઈ વિચિત્રવીર્યને મોટા ઉત્સવથી તે ત્રણે કન્યાઓ પરણાવી. વિષયસુખ ભોગવતા અંબિકાને ધૃતરાષ્ટ્ર નામે પુત્ર થયો. જે પોતાના કુકર્મથી જન્માંધ થયો. અંબાલાને પાંડુ નામે પુત્ર થયો. જે અખંડ પરાક્રમી થયો અને અંબાને વિદુર નામે પુત્ર થયો, જે શત્રુઓને વિદારવામાં આદરવાન થયો. એવી રીતે તે ત્રણ પુત્રો વિનયથી નમ્રપણે શોભવા લાગ્યા. અતિ કામસેવન કરનારા વિચિત્રવીર્ય રાજાના શરીરમાં રાજયશ્મા (ક્ષય) નામે રોગ ઉત્પન્ન થયો. તેથી તે અલ્પકાળમાં મૃત્યુ પામ્યો. ત્યાર પછી સર્વ મંત્રીઓએ પાંડુને પૃથ્વીપતિ કર્યો.
એક વખત વસંતઋતુ આવતાં પાંડુ રાજા હર્ષથી વિનોદને માટે વનલક્ષ્મીનું સૌંદર્ય જોવાને ઉદ્યાનમાં ગયો. આગળ ચાલતા આંબાના વૃક્ષ નીચે વારંવાર ચિત્રફલકને એકી નજરે જોતો કોઈ એક પુરુષ તેના જોવામાં આવ્યો. કૌતુકી રાજાને જોઇને વસ્ત્રના છેડાથી ચિત્રફલકને ઢાંકી દેતા તે પુરુષને રાજાએ તેને અંગે માંગણી કરતા કહ્યું કે, “આ શું છે ?' એટલે તેમાં કોઇ મૃગાક્ષીનું અભૂત રૂ૫ રાજાના જોવામાં આવ્યું. તેના લાવણ્યજળના સંગથી રાજાએ પોતાનું શિરકમળ ધૂણાવ્યું. “અહા ! આના સર્વ અંગમાં કેવું સૌંદર્ય છે? કેવું અનુપમ લાવણ્ય છે? આ રમણી ત્રણ જગતમાં કોના ભોગને માટે થશે ?'
આવી રીતે ક્ષણવાર મૌનપણે મનમાં વિચારીને રાજાએ પ્રીતિપૂર્વક તેને પૂછ્યું કે, “આ કોની છબી છે ?' તે પુરુષે જવાબ આપતા કહ્યું, “આ શૌર્યપુરના રાજા અંધકવૃષ્ણિની પુત્રી અને દશ દશાઈની બહેન કુંતી છે. ચોસઠ કળામાં ચતુર એવી આ બાળાને જોઇને મેં દષ્ટિને વિનોદ આપવા માટે આ ચિત્રપટમાં આલેખી છે.” આ પ્રમાણે સાંભળી તેને ઇચ્છિત દાન આપી, પાંડુ રાજાએ તેની પાસેથી તે મનોહર ચિત્ર લઈ લીધું અને તેને જોતો જોતો તે પોતાના ઘેર આવ્યો. વારંવાર ચિત્રમાં આલેખેલી તે બાળાને જોતા પાંડુ રાજાએ પોતાનું મન સર્વ રીતે નિરંતર તે સ્ત્રીમાં જ જોડી દીધું અને સર્વ ઠેકાણે તેને જ જોતો હોય તેમ વનમાં ભમવા લાગ્યો.
આગળ ચાલતાં ચંપકની શ્રેણીના માર્ગમાં લોઢાના બાણોથી જડી દીધેલો કોઈ મૂચ્છિત પુરુષ તેના જોવામાં આવ્યો. તેને જોતા પાંડુ રાજાને દયા આવવાથી, “આ કોણ છે ?' એમ વિચારીને તેની આગળ આવી જોયું, તો ત્યાં એક ખગ તેના જોવામાં આવ્યું. તે ખગ લઈ તેને મ્યાનમાંથી બહાર કાઢ્યું. એટલે તેમાં બે ઔષધિના વલય તેણે જોયા. સહજ ઉપકારી તેણે એક ઔષધિથી તે પુરુષને શલ્યરહિત કરી બીજી ઔષધિથી તેના ત્રણ રૂઝાવી દીધા. પછી પૂછ્યું : ‘તમે કોણ છો? અને તમારી
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૨૧૨
Page #234
--------------------------------------------------------------------------
________________
આવી અવસ્થા કેમ થઇ ?’ ત્યારે તે બોલ્યો, ‘હું અનિલગતિ નામે વિદ્યાધરોનો રાજા છું. અશનિવાન નામના વિદ્યાધરે મારી સ્ત્રીનું હરણ કર્યું, એટલે હું તેની પાછળ અહીં આવ્યો. તેથી તેણે કોપથી મારી આવી દશા કરી. તમે મારા નિષ્કારણ ઉપકારી થયા છો. મારા ભાગ્યથી જ તમે અહીં આવેલા છો અને મારા ઉપર દયા લાવીને મને દુ:ખ મુક્ત કર્યો છે. તમે મારા જીવિતદાતા છો, તમારા ઉપકારનો બદલો હું શું આપી શકું ? તો પણ આ બે ઔષધિ અને આ મુદ્રિકા ગ્રહણ કરો. આ મુદ્રિકાના પ્રભાવથી તમે ધારેલા સ્થાનકે જઇ શકશો. જ્યારે મારું સ્મરણ કરશો, ત્યારે હું આવીને નિઃસંશય ઉત્તર આપીશ.' આ પ્રમાણે કહી રાજાનું સન્માન કરી તે વિદ્યાધર અન્યત્ર ચાલ્યો ગયો. પાંડુ રાજા પોતાના નગરમાં પાછા આવ્યા.
પાંડુ રાજાનો કુંતી સાથે ગાંધર્વવિવાહ :
અહીં પેલો ચિત્રક્ષ્કવાળો પુરુષ, અંધકવૃષ્ણિ રાજાની પાસે ગયો, અને તેણે પાંડુ રાજાના રૂપ, ઐશ્વર્ય અને વિજ્ઞાનનું વર્ણન કરી બતાવ્યું. તે સાંભળી પિતાના ઉત્સંગમાં બેઠેલી કુંતીએ, ‘આ ભવમાં મારો પતિ પાંડુ રાજા થાઓ' એવો અભિગ્રહ કર્યો. રાજાને પોતાનો તે અભિગ્રહ કહેવાને અસમર્થ અને પોતાને તે પતિની પ્રાપ્તિ દુર્લભ જાણીને એક વખત કુંતી ઉદ્યાનમાં પાશ નાખતી દુઃખી થઇને કહેવા લાગી, ‘હે કુળદેવી માતાઓ ! હું અંજલી જોડીને પ્રાર્થના કરું છું કે, મને મારા ધારેલા પતિ મળવા દુર્લભ છે, તેથી હું અશરણ થઇને આજે મૃત્યુ પામું છું. આ ભવમાં હું પાંડુ રાજાને જ વરી છું, બીજાને વરવાની નથી. પરંતુ આજે તેને માટે હું મરું છું. તેથી તેમને મારી કથા કહેજો અને હવે તમારા પ્રસાદથી બીજા ભવમાં પણ તે જ મારો પતિ થજો.' આ પ્રમાણે કહી તેણે કંઠમાં પાશ નાખ્યો. તેવામાં મુદ્રાના પ્રભાવથી પાંડુ રાજા ત્યાં આવ્યો. પેલા ચિત્રલકના દર્શનથી પાંડુ રાજાએ તેને ઓળખી એટલે તેના કંઠમાં નાખેલો પાશ છેદી નાખ્યો અને બે હાથ વડે પોતાનો મજબૂત પાશ દીધો (આલિંગન કર્યું).
પતિને આવેલા જાણી કુંતી અશ્રુ વડે અર્ધ્ય આપી સ્તંભ, કંપ અને રોમાંચ પ્રમુખ શૃંગારભાવને બતાવવા લાગી. તત્કાળ સખીઓ વિવાહના ઉપકરણો લાવી એટલે ગાંધર્વવિવાહ વડે પાંડુ રાજા, પરણવાની ઇચ્છાવાળી કુંતી સતીને પરણ્યો. ઋતુસ્નાતા કુંતીએ ત્યાં તે જ વખતે સંભોગથી ગર્ભ ધારણ કર્યો અને એ ચતુરાએ પાંડુ રાજાને તે વાત પણ જણાવી. રાજા કૃતાર્થ થઇ મુદ્રાના યોગથી પોતાના નગરમાં આવ્યો અને કુંતી ગર્ભને ધારણ કરી પોતાના ઘરમાં આવી. ધાત્રીઓએ અને સખીઓએ ગુપ્ત રાખેલી કુંતીએ સમય આવતાં ગુપ્ત રીતે એક પુત્રને જન્મ આપ્યો. પછી લજ્જા વડે અર્ધરાત્રે
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૨૧૩
Page #235
--------------------------------------------------------------------------
________________
એક કાંસાની પેટીમાં તે બાળકને મૂકીને સખીઓની પાસે તે પેટી ગંગાના પ્રવાહમાં ગુપ્ત રીતે કુંતીએ વહેતી મૂકાવી. પ્રવાહમાં વહેતી તે પેટી હસ્તીનાપુર આવી. ત્યાં સૂત નામના કોઈ સારથીએ તેને લઈને ઉઘાડી અને તેજસ્વી બાળકને તેમાં જોઈ હર્ષ પામેલા તે સૂતસારથીએ પોતાની રાધા નામની પ્રિયાને તે પુત્ર અર્પણ કર્યો. કર્ણ એવા નામથી કહેવાતો તે સારથીપુત્ર ગુણજ્ઞ હોવાથી રાજાને અતિ વલ્લભ થઈ પડ્યો.
અહીં અંધકવૃષ્ણિએ પોતાની પુત્રી કુંતીનો ભાવ જાણી તેને પાંડુ રાજા સાથે મહોત્સવથી પરણાવી. મદ્રક નામના રાજાની માદ્રી નામની પુત્રી બીજી સ્ત્રી તરીકે પાંડુ રાજાને સ્વયંવરમાં પ્રાપ્ત થઈ. તે અરસામાં ગંધાર દેશના સુબલ રાજાના પુત્ર શકુનિને ગંધારી વિ. આઠ પુત્રીઓ હતી. ગોત્રદેવીના કહેવાથી શકુનિએ પોતાની આઠે પુત્રીઓ ધૃતરાષ્ટ્રને પરણાવી. “જેવું કર્મ કર્યું હોય તેવું ફળ પ્રાણીને મળે છે.” વિદુર - દેવક રાજાની પુત્રી કુમુદિની પરણ્યો.
આ તરફ અંધકવૃષ્ણિ રાજા પોતાના મુખ્ય પુત્ર સમુદ્રવિજયને રાજ્ય પર બેસાડી પોતે સુપ્રતિષ્ઠ મુનિની પાસે દીક્ષા લઇ મોક્ષે ગયા, અશિવનો નાશ કરનારી, શિવા નામે તેમને મુખ્ય પત્ની હતી. પરસ્પર પ્રીતિપરાયણ અને પરસ્પર ધર્મમાં રાગી એવા શિવાદેવી અને સમુદ્રવિજયનું યુગલ સુખથી સમય નિર્ગમન કરતું હતું. • મથુરામાં ઉગ્રસેનને ત્યાં કંસનો જન્મ :
રાજા ભોજવૃષ્ણિએ દીક્ષા લીધા પછી મથુરાના રાજય ઉપર ઉગ્રસેન રાજા થયો. તેને ધારણી નામે સ્ત્રી હતી. એક વખત કોઇ તાપસ પારણાના વિધ્વંસથી ઉગ્રસેનનો વધ કરવાનું નિયાણું બાંધીને મરણ પામ્યો, તે ધારણીની કુક્ષીમાં આવીને અવતર્યો. તેના ગર્ભમાં આવવાથી ધારણીને પોતાના પતિના માંસભોજનનો દોહદ થયો. તેથી તે પુત્રને દુષ્ટ ધારી જન્મતાં જ કાંસાની પેટીમાં મૂકીને તે પેટી યમુનાના પ્રવાહમાં વહેતી મૂકી દીધી. તે પેટી વહેતી - વહેતી શૌર્યપુર પાસે આવી. એટલે તેને કોઇક વણિકે બહાર કાઢી. કાંસાની પેટીમાંથી તેને પુત્ર મળ્યો. તેથી તેનું કંસ એવું નામ પાડ્યું. વણિકને ઘેર મોટો થતો કંસ નિત્ય નાના બાળકોને મારવા લાગ્યો. એ પોતાના કુળને અયોગ્ય જાણીને તે વણિકે તેને સમુદ્રવિજય રાજાને સોંપ્યો. અનુક્રમે તે વસુદેવને વહાલો થઈ પડ્યો.
તે વખતે રાજગૃહ નગરમાં બૃહદ્રથનો પુત્ર જરાસંઘ ત્રિખંડ ભરતક્ષેત્રનો અધિપતિ પ્રતિવાસુદેવ થયો. તેની આજ્ઞાથી કંસને સારથી કરી વસુદેવ તેના શત્રુ સિંહરથ રાજાને પકડી લાવ્યા. બંને કુળનો ક્ષય કરનારી જરાસંઘની પુત્રી જીવયશા તે વખતે વસુદેવે કંસને અપાવી ‘તમે કોઈપણ નગરની માંગણી કરો' એ પ્રમાણે
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૧૪
Page #236
--------------------------------------------------------------------------
________________
જરાસંઘના કહેવાથી કંસે પિતા ઉપરના વૈરથી મથુરાની માંગણી કરી અને તે મેળવી કંસે પોતાના પિતા ઉગ્રસેનને કારાગૃહમાં પૂર્યા. કંસના નાના ભાઇ અતિમુક્તે પિતાના દુ:ખથી દીક્ષા લીધી. પછી બળથી ઉગ્ર એવો કંસ મથુરાનું રાજ્ય કરવા લાગ્યો.
જરાસંઘની આજ્ઞાથી તે દશે દશાર્હ પાછા પોતાની નગરીમાં આવ્યા. મનસ્વી વસુદેવકુમાર કાંઇક નિમિત્ત પામી રોષથી દેશાંતરમાં ચાલ્યા ગયા. તેઓ પૂર્વે કરેલા નિયાણાના પ્રભાવે પ્રબળ ભોગકર્મનો ઉદય થતાં સ્થાને - સ્થાને કોઇ કલાથી, કોઇ રૂપથી અને કોઇ સ્વેચ્છાએ આવેલી વિદ્યાધરોની, રાજાઓની, સામાન્ય વ્યવહા૨ીઓની તથા સાર્થવાહ વગેરેની સેંકડો કન્યાઓ પરણ્યા. ‘તપનું નિદાન (નિયાણું) અન્યથા થતું નથી.'
ત્યાંથી વસુદેવકુમાર રોહિણીના સ્વયંવર મંડપમાં ગયા, ત્યાં સમુદ્રવિજયને યુદ્ધમાં મળ્યા અને રોહિણીને પરણીને સમુદ્રવિજયની સાથે પોતાના નગરમાં પાછા આવ્યા. એક વખત રાત્રિએ રોહિણીએ બલભદ્રના જન્મને સૂચવનારા ચાર સ્વપ્નો જોયા. તેના પ્રભાવથી સમય આવતાં તેણે બલરામ પુત્રને જન્મ આપ્યો. કંસના આગ્રહથી વસુદેવકુમાર હર્ષથી દેવક રાજા (ઉગ્રસેનના ભાઇ)ની પુત્રી દેવકીને પરણ્યા.
તેના વિવાહનો ઉત્સવ ચાલતો હતો. તેવામાં કંસના અનુજબંધુ અતિમુક્તમુનિ ત્યાં આવ્યા. મદોન્મત થયેલી કંસપત્ની જીવયશાએ તેને કહ્યું, ‘હે દીયરજી ! આવો, આ વિવાહ ઉત્સવમાં તમે મારી સાથે ખાઓ, પીઓ અને સ્વેચ્છાએ ૨મો. દેહ ઉ૫૨ વૈર શા માટે કરો છો ?’ એમ કહી તેણે સમીપ આવી ઉપહાસ કરતાં અતિમુક્તમુનિના કંઠમાં આલિંગન કર્યું.
તે વખતે મુનિએ કોપથી કહ્યું, ‘હે જીવયશા ! તું જેના વિવાહ ઉત્સવમાં મહાલે છે તે દેવકીનો જ સાતમો ગર્ભ તારા પિતાને અને પતિને હણનારો થશે.' તે સાંભળીને મદરહિત થઇ ગયેલી જીવયશાએ અતિમુક્તમુનિને છોડી દીધા અને તે સર્વ વૃત્તાંત એકાંતે જઇને કંસને કહ્યો. પછી કંસે ઉપાયપૂર્વક કપટ કરી વસુદેવની પાસે દેવકીના સાતે ગર્ભની માંગણી કરી. વસુદેવે તેમ કરવા કબૂલ કર્યું.
કૃષ્ણ વાસુદેવ તથા નેમનાથ ભગવાનનો જન્મ :
અનુક્રમે ઇન્દ્રના ગમેષી દેવે દેવકીના છ ગર્ભને જન્મતા જ હરી લીધા અને સુલસાને આપ્યા અને સુલસાના જન્મતા જ મરણ પામતા છ ગર્ભો દેવકીને આપ્યા. નિર્દય કંસે તે છએ ગર્ભને પોતાના ઘરમાં શિલા પર પછાડી મારી નાંખ્યા અને દેવકીના તે પુત્રો અનુક્રમે સુલસાને ઘેર મોટા થયા. તેમના અનિકયશા, અનંતસેન, અજિતસેન, નિહતારિ, દેવયશા અને શત્રુસેન એવા નામ પાડ્યા.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૧૫
Page #237
--------------------------------------------------------------------------
________________
પછી ફરીવાર દેવકી ઋતુસ્નાતા થઇ, ત્યારે રાત્રિના શેષભાગે તેણે સિંહ, સૂર્ય, અગ્નિ, હાથી, ધ્વજ, વિમાન અને પદ્મસરોવ૨ એ સાત સ્વપ્નો અવલોક્યા. તે જ રાત્રિએ તેણે ગર્ભ ધારણ કર્યો. સ્વપ્નના પ્રભાવથી શુભ દોહદવાળી દેવકીએ સમય આવતા શ્રાવણ માસની કૃષ્ણ અષ્ટમીએ અર્ધરાત્રે કૃષ્ણવર્ણી પુત્રને જન્મ આપ્યો. તે વખતે તેની ખબર રાખવા કંસે જે રક્ષકપુરુષોને રાખ્યા હતા, તેઓને વસુદેવના ગૃહદેવતાઓએ પોતાની શક્તિથી નિદ્રાયુક્ત કરી દીધા. દેવકીના કહેવાથી વસુદેવે તે બાળકને લઇ જઇને ગોકુલમાં રહેલા નંદની સ્ત્રી યશોદાને અર્પણ કર્યો અને તેના બદલે યશોદાની તત્કાળ જન્મેલી પુત્રી લાવીને હર્ષથી દેવકીને અર્પણ કરી. પછી કંસના પુરુષો જાગૃત થતાં તે પુત્રીને લઇને કંસની પાસે આવ્યા. તે પુત્રીને જોઇને કંસને વિચાર થયો કે, ‘એ મુનિનું કહેવું મિથ્યા થયું, કેમ કે આ સાતમો ગર્ભ તો સ્ત્રી થયો, માટે બળવાન એવા મારું આનાથી મૃત્યુ થશે નહીં.' આવો વિચાર કરી તે પુત્રીની માત્ર નાસિકા છેદીને સેવકોને પાછી આપી.
આ બાજુ દેવકીનો સાતમો બાળક ગોકુલમાં દેવીઓથી રક્ષાતો મોટો થયો. કૃષ્ણવર્ણી અંગ હોવાથી તેનું ‘કૃષ્ણ' એવું નામ પાડ્યું. તેણે બાલ્યવયમાં જ શનિ અને પૂતની નામની બે વિદ્યાધરીઓને મારી નાખી. એક શકટ ભેદી નાખ્યું અને યમલ તથા અર્જુન નામના બે વૃક્ષોને ભાંગી નાખ્યા. તે ખબર સાંભળી કોઇ-કોઇ પર્વની આરાધનાનું બ્હાનું કરીને દેવકી બીજી સ્ત્રીઓની સાથે હર્ષ પામતી નિરંતર ગોકુલ આવવા લાગી. કૃષ્ણની રક્ષા કરવાને માટે વસુદેવે રામ (બલભદ્ર)ને આજ્ઞા કરી. દશ ધનુષની ઊંચી કાયાવાળા બંને ભાઇ નિત્ય ગોકુલમાં સાથે ક્રીડા કરવા લાગ્યા. અહીં શૌર્યપુરમાં સમુદ્રવિજયની પત્ની શિવાદેવીએ રાત્રિના અવશેષ કાલે ચૌદ મહાસ્વપ્નોને જોયા. તે વખતે કાર્તિક માસની કૃષ્ણ દ્વાદશીએ અપરાજિત વિમાનમાંથી ચ્યવીને શંખકુમારનો જીવ શિવાદેવીની કૂક્ષીમાં ઉત્પન્ન થયો. અનુક્રમે શ્રાવણ માસની શુક્લ પંચમીએ શિવાદેવીએ શંખ લંછનવાળા કૃષ્ણવર્ણી કુમારને જન્મ આપ્યો. તે જ વખતે છપ્પન દિકુમારીઓએ ઘરમાં અને ચોસઠ ઇન્દ્રોએ મેરૂિિગર ઉપર હર્ષથી તે પુત્રનો જન્મમહોત્સવ કર્યો. રાજા સમુદ્રવિજયે પ્રાતઃકાળે મહોત્સવ સાથે અપરાધીઓને કારાગૃહમાંથી છોડવા વિગેરે સત્કર્મ કરી કુમારનું ‘અરિષ્ઠનેમિ’ એવું નામ પાડ્યું. ઇન્દ્રની આજ્ઞાથી અપ્સરાઓ પ્રભુનું લાલનપાલન કરવા લાગી અને દેવતાઓ સમાનવયના થઇને ક્રીડા કરવા આવતા.
એક દિવસ સ્વજનોથી પરિવરેલા સમુદ્રવિજય રાજા ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા. તે ઉદ્યાનમાં શ્રી નેમિનાથને જોઇ સૌધર્મપતિએ હર્ષથી દેવતાઓને કહ્યું, ‘આ શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૧૬
Page #238
--------------------------------------------------------------------------
________________
જગતમાં રાજા સમુદ્રવિજય ધન્ય છે, અત્યારે તે સૌભાગ્યની ભૂમિરૂપ છે. કારણ કે તેમને ઘેર શ્રી નેમિનાથ પ્રભુ પુત્રપણે અવતર્યા છે. આ શ્રી નેમિનાથ પ્રભુ બાળક છતાં તેમનામાં જે સત્ત્વ (બળ) રહેલું છે, તેવું સત્ત્વ બીજા કોઈ દેવમાં કે દાનવમાં કહી શકાય તેમ નથી. એક તરફ આ પ્રભુનું અભૂત બળ રાખીએ અને બીજી તરફ ત્રણે જગતનું બળ રાખીએ તો પણ મેરૂ અને તલની ઉપમા થાય.
આ પ્રમાણે સૌધર્મપતિના વચનો સાંભળી કેટલાક દેવતાઓ તે સહન કરી શક્યા નહીં. તેઓ બોલ્યા, “હે ઇન્દ્ર ! અમે બળથી એક રમત માત્રામાં મોટા સાગરને શોષી નાખીએ અને મોટા પર્વતોને ચૂર્ણ કરી નાખાએ, તે આવી સ્તુતિને કેમ સહન કરી શકીએ? તેથી હે સ્વામી ! તે પ્રભુનું બળ જોવા અમે ઉત્સુક થઈ ત્યાં જવા ઇચ્છીએ છીએ.” આ પ્રમાણે કહી રજા લઈને તેઓ નેમિનાથ પ્રભુએ પવિત્ર કરેલા ઉદ્યાનમાં આવ્યા. • દેવો દ્વારા બાળ નેમિનાથ પ્રભુની બળ પરીક્ષા
તે ઉદ્યાનમાં લોકોથી પરસ્પર હાથોહાથ તેડીને લાલન કરાતા પ્રભુ તેમણે જોયા. છળ શોધતા દેવતાઓ ત્યાં રહ્યા. એક વખત નિર્જન સ્થળમાં પારણામાં વિશ્રાંત થયેલા પ્રભુને જોઈ તેઓ ચોરની જેમ તેમને હરી ગયા અને પ્રભુને લઇને આકાશમાં ચાલ્યા. સવા લાખ યોજના ગયા પછી પ્રભુએ અવધિજ્ઞાનથી દેવતાઓને ઉત્પન્ન થયેલો વિકાર જાણી લીધો. તત્કાળ પ્રભુએ લેશમાત્ર બળ બતાવ્યું. એટલે તે દેવતાઓ એવી રીતે નીચે પડ્યા કે, તેના આઘાતથી પૃથ્વીમાં સો યોજન ચાલ્યા ગયા. તે સ્વરૂપ જોઈ દેવોની ઉપર દયા લાવીને ઇન્દ્ર નેમિનાથ પ્રભુની પાસે આવ્યા અને બોલ્યા : “હે વિશ્વત્રાતા ! હે જગતના નાથ ! ગર્વના ભારથી ભગ્ન થયેલા આ ગરીબ દેવોને હવે હેરાન કરો નહીં. હે નાથ ! તમારા વિના આ સંસારમાં બીજો કોણ રક્ષક છે? માટે, હે કૃપાલુ ! એ દીન દેવતાઓની ઉપર અનુગ્રહ કરો. હે સ્વામી ! તમે અશરણના શરણ છો અને બાલરૂપ છતા પરાક્રમમાં અબાળ છો, આથી વિશેષ સ્તુતિ શું કરવી?” એવી રીતે સ્તુતિ કરી, દેવોને છોડાવી, પ્રભુને પારણામાં મૂકી, પ્રભુને ખમાવીને ઇન્દ્ર સ્વર્ગમાં ગયા.
શ્રી નેમિનાથ પ્રભુનું આવું અપ્રતિમ બળ જોઇ સમુદ્રવિજય વગેરે સર્વ હર્ષ પામી ઉત્સવપૂર્વક નૃત્ય કરવા લાગ્યા. તે દેવો પણ પ્રભુના પ્રાસાદમાં મહોત્સવ કરીને હર્ષથી શ્રી નેમિનાથ પ્રભુનું સ્મરણ કરતા કરતા પોતાના સ્થાનકે ગયા. ત્યારથી માંડીને શ્રી નેમિનાથ પ્રભુ ક્રોડ દેવતાઓથી રક્ષણ કરાતા પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા. • ધર્મરાજ યુધિષ્ઠિર તેમજ દુર્યોધનનો જન્મ : અહીં ધૃતરાષ્ટ્રની પટ્ટરાણી ગાંધારીને અતિ દુષ્ટ ગર્ભ ઉપજવાથી જનયુદ્ધ
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૧૭
Page #239
--------------------------------------------------------------------------
________________
કરવાનો દોહદ થયો. ગર્ભના પ્રભાવથી હાથી ઉપર બેસી મહાયુદ્ધ કરીને શત્રુઓને મારી નાખું અથવા બધા લોકોને કારાગૃહમાં પુરી દઉં' એવી ઇચ્છા થવા માંડી. અહંકારની વૃદ્ધિ થવાથી વડીલવર્ગને નહી નમતી, ગર્વથી અંગને મરડતી તે બધાની સાથે ક્લેશ કરવા લાગી.
આ બાજુ પાંડુ રાજાની પત્ની કુંતીએ રાત્રે સ્વપ્નમાં સુરગિરિ, ક્ષીરસાગર, સૂર્ય, ચંદ્ર અને લક્ષ્મીને જોયા. તેના પ્રભાવથી રત્નગર્ભાની જેમ શુભ્ર ગર્ભને ધારણ કરતી કુંતીને દિવસે - દિવસે ધર્મના મનોરથ થવા લાગ્યા. અનુક્રમે શુભદિવસે સુલગ્નમાં પાંચ ગ્રહો ઉચ્ચ થતા કુંતીએ એક પુત્રને જન્મ આપ્યો. તે વખતે તેના ઘર ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને નિર્મળ એવા દયાદાન પ્રમુખ ગુણ વડે યુક્ત એવો આ કુમાર ધર્મપુત્ર છે.” એમ બોલતા દેવો તેના ઘેર આવ્યા. શુભ દિવસે દેવોની વાણીથી મોટા ઉત્સવ સાથે સર્વને પ્રિય અને સજજનોના અપ્રિયને હરનાર તેનું યુધિષ્ઠિર' એવું નામ પાડ્યું.
બીજી વાર કુંતીએ રાત્રે સ્વપ્નમાં પવને પોતાના આંગણામાં રોપેલું અને ક્ષણમાત્રમાં ફળેલું એક કલ્પવૃક્ષ જોયું. તે સ્વપ્નના પ્રભાવથી કુંતીએ પુનઃ ઉત્તમ ગર્ભ ધારણ કર્યો. તેથી પાંડુ રાજા અત્યંત હર્ષપામ્યા. કૂડકપટમાં ચતુર એવી ગાંધારી ગર્ભની અત્યંત વૃદ્ધિથી ઘણું દુ:ખ પામતી નિરંતર મોટા ઔષધોથી ગર્ભપાત કરવાને ઇચ્છવા લાગી. જ્યારે કુંતી બીજીવારના પ્રસવને સન્મુખ થઈ ત્યારે તે જોઈને અતિપીડિત થયેલી ગાંધારીએ પેટ કૂટીને પોતાનો અપકવ ગર્ભ પાડી નાખ્યો. તેથી ત્રીશ માસે તેણે એક વજ જેવા દઢ પુત્રને જન્મ આપ્યો. પછી છ માસ સુધી તેને પેટીમાં રાખીને પૂર્ણ દેહવાળો થયે સૌને બતાવ્યો. જ્યારે તે ગર્ભમાં હતો, ત્યારે તેની માતા ગાંધારી દુર્યુદ્ધ કરવામાં આદરવાળી થઇ હતી. તેથી તેનું દુર્યોધન' એવું નામ પાડ્યું.
જે દિવસે ગાંધારીએ પુત્રને જન્મ આપ્યો તે દિવસે ત્રણ પહોર પછી કુંતીએ પણ એક પુત્રને જન્મ આપ્યો. તે વખતે આકાશમાં વાણી થઈ કે, “આ કુમાર વાયુનો પુત્ર ભીમસેન છે. તે વજ જેવી કાયાવાળો, ધર્મબુદ્ધિવાળો, વડીલજનનો ભક્ત અને ગુણ વડે જયેષ્ઠ થશે.'
એક વખત પાંડુ રાજા કોઇ ગિરિ ઉપર ક્રીડા કરવા ગયા હતા. તેવામાં કુંતીના હાથમાંથી વજકાય ભીમકુમાર પૃથ્વી ઉપર પડી ગયો. ભીમના પડવાથી ઘંટી વડે ચોખાની જેમ બધી શિલાઓ ચૂર્ણ થઇ ગઇ. પણ કુમાર અક્ષત શરીરી રહ્યો. તે જોઇ કુમારને લઇ, “આ વજકાય છે” એમ બોલતા દેવોએ હર્ષના સ્થાનરૂપ એ કુમાર કુંતીને આપ્યો. ત્યાર પછી કુંતીએ પુણ્યયોગે ત્રીજો ગર્ભ ધારણ કર્યો. તે સમયે
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૧૮
Page #240
--------------------------------------------------------------------------
________________
સ્વપ્નમાં ગજારૂઢ થયેલા ઇન્દ્રને જોઈ કુંતી જાગી ગઈ. થોડા સમય બાદ તેને દોહદ થયો કે, “ધનુષ્ય લઈ દઢ રીતે દાનવોને દળી નાંખુ અને શત્રુના ઉર:સ્થળને ચૂર્ણ કરી નાંખું.” પછી સમય આવતા તેણે એક લોકોત્તર કુમારને જન્મ આપ્યો. તત્કાળ આકાશવાણી થઈ કે, “આ ઇન્દ્રપુત્ર અર્જુન નામે કુમાર છે.' એમ કહી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી, દુંદુભિનો નાદ કર્યો. અપ્સરાઓના નૃત્ય સાથે રાજાએ પણ મહોત્સવ કર્યો. પછી મદ્રી નામની સ્ત્રીથી પાંડુ રાજાને નકુલ અને સહદેવ નામે બે પુત્રો થયા. ધૃતરાષ્ટ્રને પણ દુર્જય, પરાક્રમી અને શસ્ત્ર-શાસ્ત્રમાં ચતુર એવા અનુક્રમે સો પુત્રોથયા.
એક વખત કુંતી યાત્રા કરવા નાસિક નગરમાં ગઈ. ત્યાં તેણે શ્રી ચંદ્રપ્રભસ્વામીનું નવીન ચૈત્ય કરાવ્યું. પછી પૂજા, આરાત્રિક, નેપથ્ય અને મુનિદાન પ્રમુખ સર્વ ક્રિયા કરીને પોતાના સ્વામીની સાથે કુંતી પાછી પોતાના નગરમાં આવી. આજે પણ નાસિક નગરમાં જઈ જેઓ એ આઠમાં પ્રભુને ભક્તિથી પ્રણામ કરે છે, તેઓ આગામી ભવમાં બોધિબીજ પામીને પરમ ગતિ મેળવે છે. • શા ધનુષ્યનું આરોપણ - કૃષ્ણ દ્વારા કંસનો વધ :
આ બાજુ નૈમિતિકના કહેવાથી કૃષ્ણથી નિશ્ચિત થવા માટે કંસે મોકલેલા કેશી નામના અશ્વ, મેષ નામના ખર અને અરિષ્ટ નામના વૃષભનો કૃષ્ણ ઘાત કર્યો. તેથી નિમિત્તિયાના કહેવા પ્રમાણે બનવાથી કંસ કૃષ્ણથી પોતાના મરણની મનમાં શંકા કરવા લાગ્યો. પછી પોતાના શત્રુની ખરી પ્રતીતિ કરવા તેણે શા ધનુષ્યની પૂજાનો ઉત્સવ કર્યો. તેમાં પોતાની બહેન સત્યભામાને પણ આગળ બેસાડી અને પોતાના માણસો પાસે ઉચ્ચ સ્વરે સર્વ ઠેકાણે એવી આઘોષણા કરાવી કે, “જે કોઇ આ ધનુષ્ય ચડાવશે, તેને દેવકન્યા જેવી આ મારી બહેન પરણાવીશ.' તે કામમાં જયારે કોઇપણ રાજાઓ સજ્જ ન થયા ત્યારે અનાવૃષ્ટિ નામે પોતાના આત્માને વીર માનનારા વસુદેવના પુત્ર રથમાં બેસીને ત્યાં જવા લાગ્યા. રાત્રે ગોકુળમાં સૂઇ રહી પ્રાતઃકાળે કૃષ્ણને સહાયકારી તરીકે સાથે લઈ મથુરાના માર્ગે ચાલ્યા. (કૃષ્ણને રથમાં બેસાડ્યા ન હતા.) રસ્તામાં રથને સ્કૂલના કરનારું એક વૃક્ષ આવ્યું. તેને કૃષ્ણ ઉખેડી નાખ્યું, પછી પ્રીતિથી અનાધૃષ્ટિએ તેમને રથમાં બેસાડ્યા. સવારે સભામાં આવીને અનાવૃષ્ટિ તે ધનુષ્યને ઉપાડતાં સ્કૂલના પામ્યા, તે વખતે સર્વ લોકો હસી પડ્યા. તે સર્વના હાસ્યથી કોપ પામી કૃષ્ણ તરત જ તે ધનુષ્ય ચડાવી દીધું. વસુદેવે કંસના ભયથી “આ ધનુષ્ય મેં ચડાવ્યું છે” એમ બોલવા અનાવૃષ્ટિને સૂચવી કૃષ્ણ સહિત તેને ત્યાંથી જલ્દીથી રવાના કરી દીધો.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૧૯
Page #241
--------------------------------------------------------------------------
________________
આ રીતે શત્રુનો સત્ય નિર્ણય ન થવાથી કંસે શત્રુનો નિશ્ચય કરવા માટે વળી સત્યભામાના લગ્નના ઉત્સવનું બહાનું કાઢી મલ્લયુદ્ધ જોવાની ઇચ્છાએ સર્વ રાજાઓને બોલાવ્યા. કૌતુકી એવા કૃષ્ણ તે સાંભળી બલરામની સાથે ત્યાં જવા ચાલ્યા. માર્ગમાં આવેલી યમુના નદીના દ્રહમાં કાલી નાગનો કૃષ્ણે બળ વડે નાશ કર્યો. ત્યારબાદ કંસે માર્ગમાં છૂટા મૂકેલા બે મદોન્મત્ત હાથીમાંથી કૃષ્ણે પદ્મોતર નામના હાથીને માર્યો અને રામે ચંપક નામના હાથીને માર્યો. મથુરામાં સમુદ્રવિજય વગેરે પોતાના વડીલો આવેલા હતા. તેમની સમક્ષ રામે નામ લઇને કૃષ્ણને પોતાના બંધુ તરીકે ઓળખાવ્યો. તે પ્રસંગમાં થયેલી વાતચીતથી કંસને પોતાના છ બંધુનો હણના૨ો જાણીને હૃદયમાં કોપાગ્નિ સહિત કૃષ્ણ ત્યાં મંડપમાં બેઠા.
તે સમેય ચાણ્ર અને મુષ્ટિક નામે બે મલ્લ રંગભૂમિમાં આવ્યા. તેમને જોઇ કૃષ્ણ અને બલરામ કોપ કરી માંચા ઉપરથી ઉભા થયા. થોડા વખતમાં કૃષ્ણે ચાણ્ર અને બલભદ્રે મુષ્ટિકને મારી નાંખ્યો. તેમના વધથી કોપ પામેલો કંસ ઊંચે સ્વરે બોલ્યો; અરે યોદ્ધાઓ ! આ બે અધમ ગોપને અને તેમનો પક્ષપાત કરીને તેમનું પોષણ કરનાર નંદને પણ વગર વિલંબે મારી નાખો.
તેનાં આવાં વચન સાંભળી રોષથી રાતાં નેત્ર કરી કૃષ્ણ બોલ્યો; હે મૂઢ ! ચાણૂર જેવા મલ્લને માર્યા છતાં પણ તું તારા આત્માને મરેલો કેમ જાણતો નથી? માટે પ્રથમ તો મારાથી હણાતા એવા તારા આત્માની રક્ષા કર, પછી ક્રોધને લાયક જે લાગે તે નંદ વગેરેને બતાવી દેજે. આ પ્રમાણે કહી કૃષ્ણે છલાંગ મારી તેના મંચ ઉપર જઇ કંસને કેશ વડે પકડી પૃથ્વી ઉપર પાડી નાખ્યો. તે વખતે કંસની રક્ષા માટે કંસના સુભટો વિવિધ પ્રકારના આયુધો હાથમાં લઇને કૃષ્ણને મારવા દોડ્યા. પરંતુ માંચાનો એક સ્તંભ ઉપાડી તેઓને બળભદ્રે ભગાડી દીધા. પછી કૃષ્ણે મસ્તક ઉપર ચરણ મૂકીને કંસને મારી નાંખ્યો અને કેશથી ખેંચી સમુદ્ર જેમ લાકડાને બહાર ફેંકી દે તેમ રંગભૂમિની બહાર નાંખી દીધો. તે વખતે કંસના પક્ષના કેટલાક રાજાઓને યુદ્ધ કરવાને તૈયાર થયેલા જોઇ રાજા સમુદ્રવિજય પણ અનુજબંધુઓની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. જ્યારે સમુદ્રવિજય રાજા સામા થયા ત્યારે તેઓ સામા થવામાં ટકી શક્યા નહીં. પછી રામ અને કૃષ્ણને લઇને સમુદ્રવિજય પ્રમુખ સર્વે ઉગ્રસેન રાજાને મથુરાનું રાજ્ય આપીને શૌર્યપુર ગયા.
કંસના મરણથી વિહ્વળ થયેલી તેની પત્ની જીવયશા યાદવોનો ક્ષય કરાવવાની પ્રતિજ્ઞા લઇ રાજગૃહ નગરમાં આવી. છૂટા કેશ મૂકી શોકથી ઊંચે સ્વરે રુદન કરતી પોતાની પુત્રી જીવયશાને જોઇ જરાસંઘે રુદન કરવાનું કારણ પૂછ્યું. એટલે પ્રથમ શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૨૦
Page #242
--------------------------------------------------------------------------
________________
અતિમુક્તક મુનિએ કહેલા કંસના વધથી માંડીને સર્વ હકીકત તેણે ત્યાં કરી. તે સાંભળી જરાસંઘે કહ્યું, “વત્સ તારા શત્રુઓને હું રોવરાવીશ.” તેને એવી રીતે સમજાવીને જરાસંઘે સોમક નામના રાજાને બધી હકીકત સમજાવીને સમુદ્રવિજયની પાસે મોકલ્યો. સમુદ્રવિજયે તેનો સત્કાર કર્યો. પછી તેણે જરાસંઘનો સંદેશો આ પ્રમાણે કહ્યો કે, “હે રાજન્ ! કુલાંગર જેવા રામ અને કૃષ્ણ અને અર્પણ કરો. કંસને હણનારા એ બંને રામ અને કૃષ્ણ કારણ વગરના તમારા વૈરી છે. તેથી તેમનો ત્યાગ કરીને પૂર્વની જેમ મારા શાસનથી રાજય ચલાવો.'
તે સાંભળી પ્રથમ દશાર્ણ સમુદ્રવિજયે અંતરમાં દુભાઈને સોમક રાજાને કહ્યું કે, “જરાસંઘ રામ-કૃષ્ણ ઉપરના મારા સ્નેહના કારણને જાણતા નથી, પણ તે સોમક રાજા ! તે રામ-કૃષ્ણની માંગણી કરતાં તમે કેમ લાજતા નથી ? કેમ કે એ બંને ભાઈ તો દેહમાં નેત્રની જેમ અમારા હરિવંશના મંડન છે. કદી અમારા જીવિતનું દાન થાય તો ભલે પણ એ બંને વત્સ (રામ-કૃષ્ણ)નું દાન થવાનું નથી. માટે જાઓ અને આ વાત એ પોતાના જામાતા કંસના માર્ગને અનુસરનારા જરાસંઘને કહો.” રામ-કૃષ્ણ કોપના સંભ્રમથી જોયેલા સોમલ રાજાએ તત્કાલ ત્યાંથી ઊઠી, વેગથી જરાસંઘ પાસે જઈ તે વૃત્તાંત જણાવ્યો.
ઉગ્રસેન રાજાએ પ્રીતિ વધારવા માટે પૂર્વથી અનુરાગ ધરતી પોતાની પુત્રી સત્યભામાં કૃષ્ણને આપી. બીજે દિવસે સમુદ્રવિજય રાજાએ પોતાના બંધુઓને એકઠા કરી ક્રોકિ નામના એક ઉત્તમ અને હિતકારી નિમિત્તઓને બોલાવીને પૂછ્યું કે, ‘ત્રિખંડ ભારતના અધિરાજ જરાસંઘની સાથે લડાઈ કરવામાં જે ભાવી બનવાનું હોય, તે કહી આપો.'
નિમિત્તઓએ કહ્યું, “મહાપરાક્રમી રામ-કૃષ્ણ ચિરકાલે જરાસંઘને મારી ત્રિખંડ ભરતના અધિપતિ થશે. હમણાં અહીંથી પશ્ચિમ દિશાના સમુદ્રતટને ઉદેશીને જાઓ. ત્યાં જતાં તમારા શત્રુના ક્ષયનો આરંભ થશે. માર્ગે જતાં જે ઠેકાણે સત્યભામા બે પુત્રને જન્મ આપે, તે ઠેકાણે નગરી વસાવીને તમારે નિઃશંક થઈને રહેવું.” તે સાંભળી અઢાર કુલકોટી યાદવોના નાયક સમુદ્રવિજય રાજા પરિવાર સહિત વિંધ્યાચળની મધ્યમાં થઇને ચાલ્યા.
અહીં જરાસંઘ સોમક રાજાનું કહેવું સાંભળી ક્રોધથી પ્રજવલિત થયો. તે જાણીને કાલ નામના તેના પુત્રે કહ્યું કે, “હે સ્વામી ! એ યાદવો કોણ માત્ર છે. તેમનો વધ કરવાની મને આજ્ઞા આપો. એટલે પછી અગ્નિ, આકાશ કે જલમાંથી પણ ખેંચી લાવીને તેમને હું મારી નાંખીશ.” ત્રિખંડપતિ જરાસંઘે પાંચસો રાજાઓ, ઘણી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૨૧
Page #243
--------------------------------------------------------------------------
________________
સેના અને નાના ભાઈ યવન સહિત તેને મોકલ્યો. જાણે સાક્ષાત્ કાલ આવ્યો હોય, તેમ કાલને આવેલો જોઇ રામ-કૃષ્ણના રક્ષક દેવોએ માર્ગમાં એક પર્વત વિકુવ્યો તથા રસ્તાના એક દ્વાર પાસે ઘણી ચિતાઓ અને તેની પાસે રુદન કરતી એક સ્ત્રી તથા અગ્નિથી ભસ્મીભૂત થયેલું યાદવોનું સૈન્ય વિકુવ્યું.
તે સ્ત્રીને જોઇને કાલે પૂછ્યું, હે ભદ્રે ! તું કેમ રુવે છે ?' જવાબમાં તે બોલી, જરાસંઘથી ભય પામીને બધા યાદવો નાસવા લાગ્યા. પછી તેમની પછવાડે કાલ જેવો કાલકુમાર ચાલ્યો, તે જયારે નજીક આવ્યો ત્યારે ભય પામીને તેઓ સર્વે આ અગ્નિમાં પેસી ગયા. દશાર્ણ અને રામ-કૃષ્ણ પણ ચિત્તામાં પ્રવેશ કર્યો. તે બંધુઓના વિયોગથી હું પણ હવે આ અગ્નિમાં પ્રવેશ કરું છું.'
આ પ્રમાણે કહીને તેણે અગ્નિમાં પ્રવેશ કર્યો. એટલે દેવતાથી મોહ પામેલા કાલે પોતાની પ્રથમ કરેલી પ્રતિજ્ઞાને સંભારી સર્વની સાક્ષએ અગ્નિમાં પ્રવેશ કર્યો. પછી યવનકુમાર વગેરે સર્વે પાછા વળી ગયા અને આ સર્વ વૃત્તાંત મગધપતિને કહ્યો. એટલે તે જાણી યાદવોએ આદરથી ક્રોપુકિ નિમિતિયાની પૂજા કરી. પછી ક્રોકિના વચનથી સર્વ યાદવોએ સૌરાષ્ટ્ર દેશમાં રહેલા ગિરનાર પર્વતથી વાયવ્ય દિશામાં આવીને સૈન્યનો પડાવ નાખ્યો. સત્યભામાએ ત્યાં ભાનુ અને ભામર નામના બે કુમારોને જન્મ આપ્યો. દશાહએ શ્રી પુંડરીક ગિરિરાજ અને ગિરનારગિરિ પર જઇ શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા કરી. • કુબેરે શ્રીકૃષ્ણને માટે રચેલી દ્વારિકા નગરી :
તે અવસરે ક્રોપુકિએ બતાવેલા શુભ દિવસે કૃષ્ણ સ્નાન કરી બલિદાન આપી સમુદ્રની પૂજા કરી અમનો તપ કર્યો. ત્રીજે દિવસે લવણસમુદ્રના અધિષ્ઠાયક દેવે ત્યાં આવી અંજલી જોડી કૃષ્ણને કહ્યું, “હે વાસુદેવ ! મને કેમ સંભાય છે? આજ્ઞા આપો. પૂર્વે પણ સગર રાજાની આજ્ઞાથી હું મુખ્ય સમુદ્રમાંથી અહીં આવેલો છું.” એમ કહી તે દેવે કૃષ્ણને પંચજન્ય શંખ અને રામને સુઘોષ શંખ તથા રત્નમાળા અને વસ્ત્રો આપ્યાં.
પછી કૃષ્ણે કહ્યું, ‘તમે તીર્થની રક્ષા કરવા માટે અહીં આવ્યા તે સારું કર્યું. અત્યારે હું તીર્થની રક્ષા કરવા માટે તમને પ્રાર્થના કરતો નથી; પણ પૂર્વના વાસુદેવની એક નગરી તમે અહીં જળની અંદર ઢાંકી દીધી છે. તે નગરી મને રહેવાને માટે પ્રગટ કરી આપો.” તે સાંભળી દેવે ત્યાંથી ઇન્દ્રની પાસે જઈને કહ્યું, એટલે ઇન્દ્રની આજ્ઞાથી કુબેરે આવીને તે નગરી પ્રગટ કરી. લંબાઇમાં બાર યોજન, વિસ્તારમાં નવ યોજન અને સુવર્ણ રત્નના કિલ્લાવાળી તે નગરી હતી. સરોવરો, દીધિંકા, વાપિકાઓ, ચૈત્યો, ઉદ્યાનો, શેરીઓ અને બીજુ સર્વ કુબેરે એક અહોરાત્રિમાં તે
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૨૨૨
Page #244
--------------------------------------------------------------------------
________________
નગરીમાં બનાવી દીધું. એવી રીતે ઇન્દ્રપુરી જેવી દ્વારિકા નામની નગરી દેવતાઓએ નિર્માણ કરેલી વાસુદેવને પ્રાપ્ત થઇ.
પછી બીજા દિવસે પ્રાતઃકાળે કુબેરે આવીને બે પીળા વસ્ત્રો, નક્ષત્રમાળા (હાર), મુગટ, કૌસ્તુભ નામે મહારત્ન, શાર્ક ધનુષ્ય, અક્ષય બાણવાળા બે ભાથાં, નંદક નામે ખડ્ગ કૌમોદકી ગદા અને ગરુડની ધ્વજાવાળો રથ એ સર્વ કૃષ્ણને આપ્યું. વનમાળા, મુશળ, બે નીલ વસ્ત્રો, તાલધ્વજ રથ, અક્ષય બાણવાળા બે ભાથાં ધનુષ્ય અને હળ રાજાને આપ્યાં. કંઠાભરણ, બાજુબંધ, ત્રૈલોક્યવિજય હાર, ચંદ્ર, સૂર્ય નામે બે કુંડલ, ગંગાના તરંગ જેવા નિર્મલ બે શ્વેત વસ્ત્રો અને સર્વતેજોહર નામે રત્ન કુબેરે હર્ષથી શ્રી અરિષ્ટનેમિ પ્રભુને આપ્યાં. ઇન્દ્રની આજ્ઞાથી કુબેરે સમુદ્રવિજયને ચંદ્રહાસ ખડ્ગ, બે સુંદર વસ્ત્ર અને દિવ્યરથ આપ્યો. મોટી ધ્વજાવાળો ૨થ, સહસ્રમુખા શક્તિ અને બે કૌસુમ્બી વસ્ત્રો મહાનેમિને આપ્યા. અક્ષય બાણવાળું ધનુષ્ય અને હાર રથનેમિને આપ્યા. તે સિવાય તેમના બીજા બંધુઓને યોગ્યતા પ્રમાણે વસ્ત્રો અને અસ્ત્રો આપ્યા. પછી કુબેર પ્રમુખ દેવતાઓએ અને સર્વ યાદવોએ મળી બલભદ્ર સહિત કૃષ્ણનો રાજ્ય ઉપર અભિષેક કર્યો. કૃષ્ણ બલરામની સાથે દશાર્ણોનું માન સાચવીને સમુદ્રવિજયની આજ્ઞા પ્રમાણે સારી રીતે રાજ્ય કરવા લાગ્યા.
દશ ધનુષ્યની ઊંચી કાયાવાળા પ્રભુ અનુક્રમે યૌવનવય પામ્યા. તથાપિ જન્મથી કામદેવને જીતનારા હોવાથી તેમનું મન અવિકારી રહેલું હતું. તેવામાં એક વખત સ્વર્ગમાં ઇન્દ્રે દેવતાઓની આગળ સભા વચ્ચે શ્રી નેમિનાથ પ્રભુનું અદ્ભૂત સત્વ આ પ્રમાણે વર્ણવ્યું; ‘ત્રણ લોકમાં સત્વ, શૌર્ય, બળ, દાન, રૂપ અને ગુણમાં શ્રી નેમિનાથ ભગવંતની ઉપમાને યોગ્ય થાય તેવો કોઇપણ પુરુષ નથી.'
દેવો દ્વારા નેમિનાથ ભગવાનની સત્ત્વ પરીક્ષા :
આ સાંભળી કેટલાક મિથ્યાત્વી દેવતાઓ ઇન્દ્રનાં વચનને મિથ્યા કરવા માટે તત્કાળ પૃથ્વી ઉપર આવ્યા. રૈવતાચળની નીચેની ભૂમિ ઉપર સુરધાર નામે એક નગર વસાવી, તેઓ મનુષ્યરૂપે થઇ તેમને અસ્વસ્થ કરવા માટે રહ્યા. તેઓ દ્વારિકાનગરીના ઉદ્યાનની વૃક્ષશ્રેણીને લીલામાત્રમાં ઉખેડી નાખવા લાગ્યા. ગરીબ ભાર ઉપાડનારા લોકોનો પરાભવ કરવા લાગ્યા, પાણી ભરનારા તથા અન્ય લોકોની ઉપર પણ બહુ પ્રકારે જુલમ કરવા લાગ્યા અને દ્વારિકાના કિલ્લા સુધી પોતાની દુઃસહ
આજ્ઞા ચલાવવા લાગ્યા.
આ પ્રમાણે તેઓએ નગરમાં મોટો કોલાહલ કર્યો. તે સાંભળી વાસુદેવના પ્રથમ પુત્ર અનાવૃષ્ટિને કોપ ચડ્યો અને ક્રોધ વડે રાજા સમુદ્રવિજયની આજ્ઞા લીધા શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૨૩
Page #245
--------------------------------------------------------------------------
________________
વગર એ વીરમાની કુમાર રથમાં બેસી પ્રૌઢ પરાક્રમ વડે સર્વ આયુધો સાથે લઇ તેઓને જીતવાની ઇચ્છાથી તત્કાલ ત્યાં દોડી ગયો. રૈવતાચળની આગળ જઇને તેણે જોયું તો ત્યાં ઉત્તમ સમૃદ્ધિવાળું નવીન નગર જોવામાં આવ્યું. આ શું ? એ રીતે વિસ્મય પામ્યો. પણ તેમાં અપરાધીઓ રહે છે, તેવું જાણી ક્રોધથી ઉદ્ધર એવા અનાવૃષ્ટિએ શંખ ફૂંક્યો અને ધનુષ્યનો ટંકાર કર્યો. તેનો નાદ સાંભળી તત્કાળ દેવો ક્રોધથી નગર બહાર નીકળ્યાં અને માયાથી અનાવૃષ્ટિને જીતી લઇ, ક્રોધથી આકુળ થયેલા તેને તેઓ નગરમાં લઇ ગયા.
તે વૃત્તાંત જાણી રાજા સમુદ્રવિજયે સર્વ સુભટોને બોલાવ્યા. આવી તૈયારી જોઇ, મહાબળવાન રામ અને કૃષ્ણે આવી રાજાને કહ્યું, ‘પિતાશ્રી ! આ સંરંભ તમે જાતે કેમ કરો છો ? જે કાર્ય હોય તે અમને કહો. રામ અને કૃષ્ણના આવા વચન સાંભળી સમુદ્રવિજયે લોકોના ઉપદ્રવથી માંડીને અનાવૃષ્ટિના પરાભવ સુધીનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળી કૃષ્ણ હસીને બોલ્યા, જ્યાં સુધી અમે જીવતા છીએ ત્યાં સુધી હે તાત ! આપને પુરુષાર્થ કરવો યુક્ત નથી. આપની આજ્ઞાથી શત્રુઓને હું જીતી શકીશ. માટે આપ આજ્ઞા આપો.' પછી સમુદ્રવિજયની આજ્ઞાથી મહાભુજ રામ અને કૃષ્ણે પંચજન્ય શંખ વગેરેના નાદથી ઘણા સુભટોને એકઠા કર્યા અને તે બંને વીરોએ પોતપોતાનાં આયુધોને લઇ રથમાં બેસી તે નગર પાસે આવીને તે માયાવી દેવોને યુદ્ધ માટે બોલાવ્યા. એટલે તે દેવોએ વેગથી બહાર આવી, પોતાની માયા બતાવીને રામ અને કૃષ્ણને જીતી લીધા અને બંનેને રથ સહિત પોતાના નગરમાં લઇ ગયા. શ્રી નેમિનાથ ભગવંતને યુદ્ધ માટે પ્રેરણા :
•
રામ અને કૃષ્ણના હરણથી દ્વારિકાનગરીમાં મોટો કોલાહલ થયો. રામ, કૃષ્ણ જેવા વી૨ કે જેઓ દેવોને પણ પૂજ્ય અને અજેય છે, તેઓને જીતી લીધા. તો હવે શું થશે ? પ્રજાવર્ગ એવી ચિંતામાં પડ્યો. તે વખતે શ્રી નેમિપ્રભુ પોતાના મહેલમાં લીલા વડે ફરતા હતા. તેમને કૃષ્ણની સ્ત્રીઓએ ઉપહાસમાં કહ્યું કે, ‘હે અરિષ્ટનેમિ ! અમે સાંભળ્યું છે કે, ‘સર્વજ્ઞ ભગવંતો અનંતવીર્યવાળા હોય છે. તેઓ મેરુનો દંડ અને પૃથ્વીનું છત્ર કરવાને સમર્થ હોય છે.' તમે પણ આપણા કુળમાં અર્હત્પણે અવતર્યા છો. તેથી કાંઇપણ તમારું અખંડિત પરાક્રમ પ્રગટ કરી બતાવો. તમે હોવા છતાં શત્રુઓ તમારા ભાઇઓનો પરાભવ કરે છે, તેથી શ્રી તીર્થંકરભગવંત એવા તમારું બળ આજે આમ વૃથા થઇ રહ્યું છે.
આ સમયે ક્રોહુકિ નિમિત્તજ્ઞે સમુદ્રવિજયને કહ્યું કે, ‘સ્વામી ! આ વખતે યુદ્ધ ક૨વાનો તમારો પ્રયાસ નિષ્ફળ છે. કેમ કે વિશ્વમાં વીર એવા રામ, કૃષ્ણને જેઓએ શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૨૪
Page #246
--------------------------------------------------------------------------
________________
એક લીલામાત્રમાં જીતી લીધી, તેવા પુરુષો તો તીર્થકરથી જ જીતાશે. અસુરો કે સુરોથી પણ તે જીતાશે નહીં. આ પ્રમાણે તે કહે છે. તેવામાં ઇન્દ્રની આજ્ઞાથી એક ઉત્તમ રથ લઈને માતલિ સારથી ત્યાં આવ્યો. તેણે નેમિનાથ પ્રભુને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી, “હે સ્વામી ! આપની ઇચ્છાની સાથે જ થયેલી ઇન્દ્રની આજ્ઞાથી હું રથ લઇને આવ્યો છું. માટે તેમાં આરુઢ થઈ શત્રુઓને જીતી લ્યો.” પછી સમુદ્રવિજયના મુખ સામું જોઈ પ્રભુ રથ ઉપર બેઠા અને એક ધનુષ્ય સિવાય બીજા સર્વ શસ્ત્રો છોડી દીધાં. “સર્વની રક્ષાનો મંત્ર હું છું, તો મારી રક્ષા આનાથી શા માટે હોય.” એવું જાણે ધારતા હોય તેમ પ્રભુએ બશ્વર પણ છોડી દીધું. એ પ્રમાણે રથ ઉપર બેસીને ભગવંત ક્ષણમાં માયાનગર પાસે આવ્યા અને શંખના ધ્વનિ વડે ચારેબાજુથી શત્રુઓને બોલાવ્યા. નગરની આસપાસ વેગથી ફરતા એવા એ રથના આઘાતથી ગઢના કાંગરા પડી ગયા.
વળી રથના આઘાતથી સર્વ દેવતાઓ એકઠા થઈ ચતુરંગ સેના લઈ વિમાનોમાં બેસી વેગ વડે ત્યાં આવ્યા. તેઓ ઊંચે સ્વરે બંભા, નિશાન અને કાહલને વગાડ્યા લાગ્યા. તેના પ્રતિધ્વનિ વડે લોકો પ્રલયકાળની શંકા કરવા લાગ્યા. તે માયાવી દેવોએ મોટા મોટા પર્વતોને પણ દુઃસહ એવા મહાન વંટોળિયા વિકુવ્ય. તેથી આકાશમાં મહાનિષ્ફર નાદ થયો. પૃથ્વી અત્યંત અસ્થિર થઈ ગઈ. મેઘના કડાકા જેવી પ્રચંડ ગર્જના થવા લાગી. પૃથ્વીમાંથી નીકળતી ધૂમશિખા આકાશમાં ફેલાઈ ગઈ. સ્થાને સ્થાને મોટા હસ્તીઓ, અતિભયંકર કેશરીસિંહો અને વ્યાધ્ર પ્રમુખ પ્રાણીઓ બુબારવ કરવા લાગ્યા. વીંછીઓ અને અજગરો પ્રગટ થયા. વિકરાળ એવા ઘણા શાકિની ભૂત અને વેતાળ વૃદ્ધિ પામી ભૂમિ પર ઘણો ભય આપવા લાગ્યા.
તે દેવોનું આવું વિકરાળ સ્વરૂપ જોઇ પ્રભુએ કાંઇક હસી પોતાનું ધનુષ્ય લીલામાત્રમાં પણછ ઉપર ચડાવ્યું. નમતા ધનુષ્યના દુસહ કંકારથી સિંહાદિક પ્રાણીઓ ત્રાસ પામી ગયા. પછી પ્રભુએ ધનુષને ખેંચી ફરીવાર દઢ રીતે આસ્ફાલિત કર્યું. એટલે તેમાંથી નીકળતા અગ્નિ વડે અંધકારના સમૂહ દૂર થઈ ગયા. તે સમયે કેટલાકને આકાશમાં અને કેટલાકને ભૂમિ ઉપર પ્રગટ થયેલા જોઈ પ્રભુએ હસતાં હસતાં કહ્યું કે, “હવે બધુ સારું થશે.” એવું કહીને પ્રભુએ ધનુષ ઉપર પૃથ્વી, પર્વત અને સાગરનો ઉદ્ધાર કરવામાં સમર્થ એવું અમોઘ વાયવ્યાસ્ત્ર સાધ્યું. કાન સુધી ખેંચી તે બાણ પ્રભુએ તત્કાળ છોડ્યું. તેમાંથી એવો પવન ઉત્પન્ન થયો કે જેથી દેવોનાં વિમાનો રૂની જેમ ઊડી ઊડીને ક્યાંનાં ક્યાં જતાં રહ્યાં. “જગત્મભુની એવી અપાર શક્તિ છે. તે વાયુથી પરસ્પર અથડાયેલા વિમાનો પ્રલયકાળના મેઘની જેમ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૨૫
Page #247
--------------------------------------------------------------------------
________________
અંગારાની વૃષ્ટિ કરવા લાગ્યા. પછી ભગવાને મોહનાસ્ત્ર નામે એક બીજું બાણ છોડ્યું. તેથી સર્વ દેવો ચેતન રહિત થઇને પૃથ્વી પર આળોટવા લાગ્યા. તે બાણજનિત તંદ્રાથી તેને જોનારા પક્ષીઓ, માનવો, દેવતાઓ પણ સર્વે સ્થિર થઇ ગયા. પ્રભુના આવા પરાક્રમની હકીકત જાણી ઇન્દ્ર સૌધર્મ દેવલોકમાંથી નીચે આવી નમીને પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
‘હે સ્વામી ! વિશ્વમાં સારરૂપ, જગતનો ઉદ્ધાર કરવામાં સમર્થ, અનંતવીર્યવાળા અને દુર્સ્ટ ભુજાના બળવાળા હે ભગવંત ! આપ જય પામો. હે નાથ ! આપ લોકને અલોકમાં નાંખવાને, મેરુગિરિને અંગૂઠાથી ઉપાડવાને અને આખા વિશ્વનો વિપર્યય કરવાને સમર્થ છો. હે જગતના સ્વામી ! સુર, અસુર, મનુષ્ય અને નાગકુમારોથી તેમજ અમારા જેવાથી પણ આપનું બળ સહન થઇ શકે તેમ નથી. હે સ્વામી ! આપની પ્રવૃત્તિ સર્વ જગતની રક્ષાને માટે જ છે. તે છતાં હમણાં આવો સમારંભ કેમ આદર્યો છે ? આ બિચારા અજ્ઞાની દેવતાઓ આપના ક્રોધને સહન કરી શકે તેમ નથી. માટે હે નાથ ! હવે વેગથી અસ્ત્રોને સંહરી લ્યો. આપ જ વિશ્વના બ્રહ્મા છો અને આપ જ જગતના હર્ષને માટે છો.
આવી ઇન્દ્રની સ્તુતિ સાંભળી પ્રભુએ સત્વર બંને અસ્ત્રો સંહરી લીધાં. તેથી તત્કાળ સચેત થયેલા તે દેવો પ્રભુને અને ઇન્દ્રને જોઇને લજ્જા પામી ગયા. નીચું મુખ કરીને રહેલા તે દેવોને ઇન્દ્રે ઉપહાસ્યથી કહ્યું, ‘અહા ! તમે તમારું ચેષ્ટિત જોઇ લીધું ? અરે, દુરાગ્રહી દેવતાઓ ! આ સ્વામી જગતને પૂજનીય અને જગતના આધાર છે, માટે નમીને તમે ક્ષમાની પ્રાર્થના કરો. એ સ્વામી સ્વભાવથી જ જગતના રક્ષણમાં સદા તત્પર છે. તેથી તમારું પણ રક્ષણ કરશે. તમે અપરાધ કરનારા છતાં પણ તમોને અભય કરનારા થશે.
ઇન્દ્રનાં આવાં વચન સાંભળી લજ્જા અને વિનયથી નમ્ર એવા તે દેવો કાયાથી આળોટતા પ્રભુને નમી, નમ્રવાણી વડે આ પ્રમાણે કહેવા લાગ્યા; હે સ્વામી ! અમે પાપીઓએ આપનું સત્વ જોવા માટે આ આરંભ કર્યો હતો. અમને ધિક્કાર છે !' આ પ્રમાણે કહી ભગવંતના ચરણને મસ્તક પર લગાડી દેવતાઓ તેમને જ શરણે ગયા. પ્રભુએ તેમને સાંત્વન આપ્યું. કેમ કે પ્રભુ વિશ્વની સ્થિતિ કરનાર અને વિશ્વ સ્થિતિને પાળનાર છે.’
પછી શ્રી નેમિનાથ પ્રભુ દેવોએ કરેલા તે માયાનગરમાં આવી પોતાના બંધુ રામ, કૃષ્ણ તથા અનાધૃષ્ટિને સ્નેહથી આલિંગન કરી પરમ હર્ષ પામ્યા. પછી ઇન્દ્રે કહ્યું, ‘હે સ્વામી ! અમારા ઉપર અનુગ્રહ કરી શત્રુંજ્યાદિ તીર્થોની યાત્રા કરાવો અને અમને શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૨૬
Page #248
--------------------------------------------------------------------------
________________
તારો.” આ પ્રમાણે કહી પ્રભુની અનુમતિ થવાથી તત્કાળ બનાવેલાં વિમાનો વડે સર્વ દેવતાઓની સાથે પ્રભુને લઇને ઇન્દ્ર શત્રુંજયગિરિએ આવ્યા. ત્યાં આવીને સ્વામીના આદેશથી મનને પૂર્ણ ભાવિત કરતા ઈન્દ્ર પૂર્વની જેમ પોતાનું સર્વ કર્તવ્ય કર્યું અને સ્થાવર અને જંગમ એવા પ્રભુની પૂજા કરી. પછી પ્રભુને બંધુવર્ગસહિત દ્વારિકામાં મૂકી, તેમના પિતાને સર્વ વૃત્તાંત જણાવી હર્ષ પામતા ઇન્દ્ર સ્વર્ગમાં ગયા. વિશ્વને આનંદ આપતા પ્રભુ સુર, અસુર તથા રામ-કૃષ્ણથી સેવાતા સુખે રહેવા લાગ્યા.
એક વખત નારદે બતાવેલી રૂકિમ રાજાની બહેન રૂક્મિણીને કૃષ્ણ પોતાના ભજવીર્યથી હરી લીધી. જાંબવાન નામના ખેચરની જાંબવતી નામની પુત્રી ગંગામાં હાતી હતી. તેને તેના પિતાને જીતીને હરી લીધી અને તે બંનેને તેઓ પરણ્યા. તે સિવાય લક્ષ્મણા, સુસીમા, ગોરી, પદ્માવતી અને ગંધારી એ પાંચ મુખ્ય સ્ત્રીઓને પરણ્યા. આથી પ્રથમની સત્યભામા સહિત સર્વ મળીને કૃષ્ણને આ આઠ મુખ્ય પટ્ટરાણી થઈ. • દ્રોણાચાર્યનો મેળાપ :
ધૃતરાષ્ટ્રના સો પુત્રો, પાંચ પાંડવો અને સારથીપુત્ર કર્ણ એ સર્વે એકઠા થઈ હંમેશાં ખેલતા હતા. છલ કરવામાં ચતુર એવો દુર્યોધન ખેલવામાં સરળ હૃદયવાળા પાંડુપુત્રોને હંમેશા ઠગતો હતો. સ્વભાવથી બળવાન એવો ભીમ કૌરવોની પ્રત્યક્ષ માયા જોઇ તેઓને કૂટતો અને પોતાના બળ વડે તેઓને ત્રાસ પમાડતો હતો. તેઓ છળ કરી ભીમ ઊંઘી જતો ત્યારે તેને બાંધીને જળમાં નાખી દેતા, પણ જયારે ભીમ જાગતો ત્યારે અતિદુર્મદ થઈ બંધનના દોરડાઓને તોડી નાખતો. દુર્યોધન ક્રોધથી હંમેશાં ભીમનો તિરસ્કાર કરતો અને ભીમ પણ સદા ભુજા દબાવીને તેનો પરાભવ કરતો હતો. દુષ્ટબુદ્ધિવાળો દુર્યોધન ભીમને ભોજનમાં વિષ આપતો, પણ તેના પુણ્યયોગે તે અમૃત થઇ જતું હતું. દુર્યોધન ભીમને માટે જે જે ઉપદ્રવ કરતો તે તે કુપાત્રમાં આપેલા દાનની જેમ વ્યર્થ થઈ જતા હતા. આ સો કૌરવ, પાંચ પાંડવો અને સૂતપુત્ર કર્ણ એ સર્વેએ પિતાની આજ્ઞાથી કૃપાચાર્ય નામના ગુરુ પાસેથી સર્વ વિદ્યા સંપાદન કરી. તેઓમાં પ્રજ્ઞાગુણથી કર્ણ અને અર્જુન વિશેષ શીખ્યા. તેથી કૂટશ એવો દુર્યોધન તેમની ઉપર નિઃશંકપણે દ્વેષ કરવા લાગ્યો.
એક વખતે તેઓ અનધ્યાયના દિવસે ક્રીડા કરતા હતા. તે સમયે તેમનો કંદુક (દડો) એક મોટા ખાડામાં પડી ગયો. તેને બહાર કાઢવામાં સર્વે નિરુપાય થયા. તેવામાં અશ્વત્થામા નામના પુત્ર સહિત ધનુર્વેતાઓમાં અગ્રેસર એવા દ્રોણાચાર્ય ત્યાં ૧. સ્થાવર પ્રભુ તે પૂર્વે સ્થાપેલી શ્રી નેમિનાથજીની પ્રતિમા અને જંગમ પ્રભુ તે ગૃહસ્થાવાસમાં વર્તતા પ્રભુ પોતે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૨૭
Page #249
--------------------------------------------------------------------------
________________
આવી ચડ્યા. તેમણે કુમારોને પૂછ્યું કે, ‘તમે આ ખાડાની આસપાસ એકઠા થઇને કેમ ઊભા છો ?' તેઓએ કહ્યું કે, ‘આ કૂવામાં અમારો ક્રીડાકંદુક (Ball) પડી ગયો છે.' તે સાંભળી દ્રોણે એક પછી એક બાણો પરોવીને કંદુકને ખાડામાંથી બહાર કાઢ્યો. તેમની આવી (કળા) હસ્તલાઘવતા જાણી ભીષ્મે કૃપાચાર્યની આજ્ઞાથી ધનુર્વેદ શીખવવાને માટે સર્વ રાજકુમારો દ્રોણાચાર્યને અર્પણ કર્યા. તેઓમાં કર્ણ વધારે હોશિયાર થયો અને ઇન્દ્રપુત્ર અર્જુન તેનાથી પણ વધારે પ્રવીણ થયો. તે બધા કુમારોમાં વિનયમાં, વિક્રમમાં અને શૌર્યમાં સર્વથી અધિક જોઇને દ્રોણે અર્જુનને બહુમાન આપવા માંડ્યું.
એક વખતે શિષ્યોની સાથે યમુના નદીમાં આનંદપૂર્વક ૨મતાં દ્રોણાચાર્યનો એક પગ કોઇ જલજંતુએ આકર્ષ્યા. જો કે દ્રોણાચાર્ય પગ છોડાવવા શક્તિમાન હતા. તથાપિ શિષ્યોનો વિનય જાણવાની ઇચ્છાએ તેઓએ મોટે સ્વરે પોકાર કર્યો. તે સાંભળ્યા છતાં સર્વે ઉદાસીન થઇને બેસી રહ્યા, ત્યારે ઇન્દ્રપુત્ર અર્જુન દોડીને આવ્યો. તેનું આવું સત્વ જોઇ ‘આની ઉપર બીજાઓ દ્વેષ કરો નહીં અને તેને પણ ગર્વ થાઓ નહીં' એવું ધારી દ્રોણે તેની પ્રશંસા કરી નહીં. પરંતુ એકાંતમાં દ્રોણે અર્જુન પાસે એવી પ્રતિજ્ઞા કરી કે, ‘તારા વિના બીજાને હું સંપૂર્ણ ધનુર્વિદ્યા શીખવીશ નહીં.'
ગુરુભક્ત એકલવ્ય :
એ સમયે એકલવ્ય નામે એક ભીલનો પુત્ર હતો. તેણે દ્રોણાચાર્ય પાસે ધનુર્વેદ શીખવવાની પ્રાર્થના કરી. પણ નીચ જાતિને લીધે તે નીતિવાન છતાં દ્રોણગુરુ પાસેથી ધનુર્વેદ મેળવી શક્યો નહીં. સાક્ષાત્ ગુરુના અભાવથી તે એકલવ્યે માટીની દ્રોણગુરુની મૂર્તિ કરી એક વૃક્ષતળે તેને સ્થાપિત કરી અને તેની સાક્ષીએ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરવા માંડ્યો. એવી રીતે ગુરુભક્તિપૂર્વક અભ્યાસ કરતાં તે ગુરુભક્ત એકલવ્યને બાણ વડે વૃક્ષોનાં પત્રોમાં વિચિત્ર પ્રકારની આકૃતિઓ પાડી શકે તેવી હસ્તલાધવતા પ્રાપ્ત થઇ. એક વખત ફરતો ફરતો અર્જુન દ્રોણગુરુની સાથે ત્યાં આવ્યો. એકલવ્યનું તેવા પ્રકારનું પત્રછેદન જોઇ અર્જુને પોતાના ગુરુ દ્રોણાચાર્યને કહ્યું કે, ‘તમે પ્રતિજ્ઞા કરી હતી કે તારા વિના બીજા કોઇને હું ધનુર્વેદ શીખવાડીશ નહીં. તો આ ક્યાંથી ? દ્રોણે વિસ્મયથી કહ્યું, ‘હે અર્જુન ! મારું કહેલું ખોટું નથી. દેવમાં કે મનુષ્યોમાં આ કોઇ નવીન થયો છે. એમ હું ધારું છું. આવી ધનુર્કળા જાણનાર કોઇ સુર કે અસુર ગમે તે હો. તે મને પ્રત્યક્ષ થઇ પોતાનો ઉદ્યમ બતાવો.' આવા દ્રોણગુરુનાં વચન સાંભળી ધનુષ્ય અને ભાથાને ધારણ કરતો એકલવ્ય વનમાંથી ત્યાં આવ્યો અને સાક્ષાત્ આવેલા પોતાના ગુરુને પ્રણામ કરી પોતાનું નામ કહ્યું.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૨૮
Page #250
--------------------------------------------------------------------------
________________
દ્રોણે પૂછ્યું : “તારા વિદ્યાગુરુ કોણ છે ?'
એકલવ્ય કહ્યું : “મારા ગુરુ પ્રસન્ન એવા દ્રોણાચાર્ય છે.” “એ દ્રોણ ક્યા ?” એમ દ્રોણાચાર્ય મનમાં ચિંતવવા લાગ્યા. તે સમયે એ ધનુર્ધારી એકલવ્ય પૂર્વ વૃત્તાંત કહી દ્રોણાચાર્યની મૃત્તિકામય મૂર્તિ બતાવી. ત્યાં પોતાની પ્રતિમાને જોઇને “આ અર્જુનથી શ્રેષ્ઠ ન થાઓ' એવું ધારી, દ્રોણે ગુરુદક્ષિણામાં તેનો જમણો અંગૂઠો માંગી લીધો. એકલવ્ય હર્ષથી પોતાનો તે અંગૂઠો કાપી આપીને ભક્તિથી ગુરુને નમસ્કાર કર્યો. પછી તેણે નિઃશંક થઇને અંગુલી વડે ધનુર્વેદનો અભ્યાસ કરવા માંડ્યો.
અમુગ્ધ બુદ્ધિવાળા દ્રોણે અર્જુનને રાધાવેધ અને ભીમ તથા દુર્યોધનને ગદાયુદ્ધ શીખવ્યું. નકુલ, સહદેવ અને યુધિષ્ઠિર અસ્ત્રવિદ્યામાં નિપુણ થયા અને અશ્વત્થામા પોતાના તેજથી કર્ણ અને અર્જુન જેવો થયો. • પાંડવો તેમજ કૌરવોને પરસ્પર ઇષ્યભાવ :
કોઇક સમયે દ્રોણાચાર્યની આજ્ઞાથી ભીખે પુત્રોની યુદ્ધકળા જોવા માટે માંચાની રચના કરાવી. તેમાં ધૃતરાષ્ટ્ર, દ્રોણ અને ભીષ્મ વગેરે આવીને બેઠા. પછી ધર્મકુમાર યુધિષ્ઠિર વગેરે સર્વ અસ્ત્રધારી કુમારો ત્યાં આવ્યા. સર્વ શસ્ત્રોમાં ચતુર અને રણરંગવાળા તેઓએ પોતાનો અભ્યાસ બતાવી લોકોને વિસ્મય પમાડ્યો. એ અવસર પામીને પરસ્પર વિરોધ કરતા ભીમ અને દુર્યોધનને દ્રોણના કહેવાથી અશ્વત્થામાએ અટકાવ્યા. પછી દ્રોણગુરુએ દષ્ટિથી પ્રેરેલો મહાવીર અર્જુન ભુજાસ્ફોટ વડે આકાશને ગજાવતો અને માંચડાઓની ભીંતોને ફાડતો ઊભો થયો. અર્જુને બાણો એવી રીતે છોડ્યા કે જેથી સૂર્યના રથના અશ્વો પણ ત્રાસ પામ્યા અને આકાશ ગ્રહ વગરનું શૂન્ય થઈ ગયું. પછી અર્જુને કરેલો રાધાવેધ અને વૃક્ષના પત્રની મધ્યમાં કરેલ ચિત્રલેખન જોઇ સર્વ રાજાઓ પ્રશંસા કરતા હર્ષથી મસ્તક ધુણાવવા લાગ્યા.
અર્જુનની આવી પ્રશંસા સહન ન થવાથી દુર્યોધને ભૂસંજ્ઞા વડે કર્ણને ઊભા થવા સૂચવ્યું. એટલે તે કોપસહિત ગાઢ મેઘની જેમ ગર્જના કરતો માંચા ઉપરથી ઊભો થયો અને પછી ધનુષ્યને ધ્રુજાવતા અને અત્યંત ભુજાસ્ફોટ કરતા કણે પોતાની ધનુર્વિદ્યામાં હસ્તલાઘવતા મંડપમાં મળેલા રાજાઓને બતાવી. તેના આવા શીદ્યવેધીપણાથી સંતુષ્ટ થયેલા દુર્યોધને અર્જુનના વૈરી તે કર્ણને ચંપાનગરી આપી. તેવામાં ત્યાં સૂત સારથી આવ્યો. કણે પિતૃભક્તિથી તેને નમસ્કાર કર્યો. તે રાજાની પાસે આવીને બેઠા.
તે વખતે બળવાન ભીમ સહિત ક્રોધ પામેલા અર્જુને દુર્યોધનને કહ્યું કે, “આ હીન આચારવાળા કર્ણને તે ચંપાનગરી કેમ આપી ? હે કુલાધમ ! હું તારો તે અન્યાય
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૨૯
Page #251
--------------------------------------------------------------------------
________________
સહન કરીશ નહીં.' આ પ્રમાણે કહી ધનુષ્ય સજ્જ કરી તે બંને યુદ્ધ માટે તૈયાર થયા. એટલે દુર્યોધન, કર્ણ અને તેના પક્ષના બીજા રાજાઓ પણ ઉત્કંઠિત હોય તેમ યુદ્ધ માટે તૈયાર થયા. “આમના યુદ્ધારંભથી ત્રણ જગતને ક્ષોભ ન થાઓ' એમ વિચારી દ્રોણાચાર્યે ઉઠીને તેઓને રણમાંથી અટકાવ્યા.
પછી ધૃતરાષ્ટ્ર કર્ણના કુળ વિષે સૂતને પૂછ્યું. એટલે તેણે ગંગાના પ્રવાહમાં આવેલી પેટીમાંથી કર્ણની પ્રાપ્તિનો સર્વ વૃત્તાંત કહ્યો. વળી કહ્યું કે, સૂર્ય આવીને સ્વપ્નમાં કહી જવાથી હું એ પરાક્રમી પુત્રને હર્ષથી લઈ આવ્યો અને મુદ્રાના અક્ષરથી, “એ કુંતીનો પુત્ર છે' એવું મારા જાણવામાં આવ્યું. આ કુમાર પેટીમાં કર્ણ = કાન નીચે ભુજદંડ રાખીને સૂતો હતો, તેથી મેં તેનું કર્ણ એવું નામ પાડ્યું. સૂતનાં આવા વચન સાંભળી ધૃતરાષ્ટ્ર ખુશી થયા અને પાંડવો ઉપર અંતરમાં મત્સર ધારણ કરતા કર્ણને પુત્ર સહિત સાથે લઈ ધૃતરાષ્ટ્ર પોતાના ઘેર ગયા. પાંડુરાજાએ તેમના પરસ્પર થતા મત્સરનો નાશ કરવાની ઇચ્છાથી ધૃતરાષ્ટ્રના કુમારોને કુશસ્થલનગર આદિ દેશ વહેંચી આપ્યા.
એક વખતે પાંડુ રાજા સભામાં બેઠા હતા. તેવામાં છડીદાર સાથે ખબર કહેવરાવીને દ્રુપદ રાજાનો એક દૂત સભામાં આવ્યો. તેણે નમસ્કાર કરીને જણાવ્યું કે, સ્વામી ! કાંપિલ્યપુરના દ્રુપદ રાજાને ચુલની રાણીના ઉદરથી જન્મેલી દ્રૌપદી નામે એક પુત્રી છે. તે ધૃષ્ટદ્યુમ્નની નાની બહેન થાય છે. તેના સ્વયંવરમાં સર્વે દશાઈ, રામ, કૃષ્ણ, દમદત, શિશુપાલ, રૂમી, કર્ણ, દુર્યોધન અને બીજા રાજાઓને તથા મહાપરાક્રમી કુમારોને રાજાએ દૂતો મોકલીને તેડાવ્યા છે. તેઓ હાલ ત્યાં જાય છે. માટે આ દેવકુમાર જેવા પાંચકુમારોને સાથે લઇને તમે પણ એ સ્વયંવર મંડપને અલંકૃત કરો.' તે સાંભળી તત્કાલ પાંડુ રાજા પાંચકુમારો અને મોટી સેનાને સાથે લઇ વાજિંત્રો વગડાવતો કાંડિલ્યપુર તરફ ચાલ્યા અને નગર સમીપે આવ્યા. પુત્રસહિત પાંડુ રાજાને આવેલા જાણીને દ્રુપદ રાજાએ અતિ હર્ષ વડે મોટા ઉત્સવથી પુરપ્રવેશ કરાવ્યો. સ્વયંવર મંડપમાં ઘણા તેજસ્વી રાજકુમારો આવી આવીને પોત-પોતાને યોગ્ય સિંહાસન ઉપર બેસવા લાગ્યા. પાંચ કુમારોથી અલંકૃત પાંડુ રાજા પણ ત્યાં બેઠા. • દ્રૌપદીનો સ્વયંવર - અર્જુનનો રાધાવેધ :
તે સમયે સ્નાન કરી વીતરાગનું પૂજન કરીને આવેલી અને હાથમાં વરમાળાને ધારણ કરતી દ્રૌપદી સ્વયંવર મંડપમાં આવીને એક સ્તંભની પાસે પિતાની આગળ ઊભી રહી. પછી દ્રુપદ રાજાની આજ્ઞાથી છડીદાર એક ધનુષ્ય લાવી રાધાવેધના સ્તંભની પાસે મૂકીને સર્વ રાજાઓને કહેવા લાગ્યો, “હે સર્વ રાજાઓ ! સાંભળો.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૩૦
Page #252
--------------------------------------------------------------------------
________________
આ સ્તંભના અગ્રભાગ ઉપર અદ્ભૂત ચક્ર છે. વામ અને દક્ષિણ ભાગમાં તેના બાર આરાઓ ભમ્યા કરે છે. તેની નીચે આ ઘીનો ભરેલો તાવડો રાખેલો છે. તેની અંદર પ્રતિબંબિત થયેલા ચક્ર ઉપર ગોઠવેલી રાધાના પ્રતિબિંબને જોઇ, બાણ વડે ચક્રને ભેદી જે કોઇ રાધા (પૂતલી)ના વામનેત્રને વીંધે, તે કુમાર પોતાના ભાગ્યબળે રાધાવેધની પ્રતિજ્ઞાવાળી દ્રુપદકુમારીને પરણે.
તે સાંભળી કેટલાક તો ધનુષ્ય ધરવામાં જ અસમર્થ થયા, કોઇ ધરીને આરોપણ કરી શક્યા નહીં અને કેટલાક રાજાઓ તો પોતાની અશક્તિ જાણીને જેમના તેમ બેસી જ રહ્યા. તે સમયે અર્જુને બળવાન ભીમસેનની સાથે સિંહની જેમ મંચ ઉપ૨થી ઊતરી પ્રથમ ક્ષેત્રદેવતાને નમસ્કાર કર્યો. જ્યારે અર્જુને હાથ વડે ધનુષ્ય ઉપાડ્યું તે વખતે ભીમસેન ઊંચા હાથ કરી દિપતિઓ પ્રત્યે બોલ્યો, ‘હે શેષનાગ ! તું સર્વ પૃથ્વીના ભારને ધરી રહ્યો છું. માટે દૃઢ રહેજે અને ઇન્દ્ર, અગ્નિ, યમ, નૈઋત્ય, વરૂણ, વાયુ, કુબેર, ઇશાન અને બ્રહ્મ વગેરે સર્વે તમે વિશ્વની સ્થિતિમાં પરાયણ થઇ સ્થિર રહેજો. કારણ કે હમણાં મારો અનુજબંધુ દૃઢ ધનુષ્યના ધ્વનિથી અને ચરણન્યાસથી ધનુષ્યને નમાવશે.
તે અવસરે અર્જુને બળથી કડકડાટ શબ્દ કરતા ધનુષ ચડાવ્યું. કર્ણને બધિર કરે તેવા તે ધનુષ્યના નિષ્ઠુર શબ્દથી કાયર પુરુષો તો પૃથ્વી પર સૂઇ ગયા અને ભીરુ પુરુષો એકદમ ત્રાસ પામી ગયા. પછી તપાવેલા ઘીના કડાહમાં દિષ્ટ રાખી ચક્રના આરામાં રાધા (પૂતળી)ની કીકીને જોઇને તત્કાળ અર્જુને બાણ છોડ્યું. જેથી વિસ્મય સાથે રાધાનો વેધ થયો. તે વખતે દેવતાઓના સમૂહે જય જય ધ્વનિ અને દુંદુભિના નાદથી મિશ્રિત પુષ્પની વૃષ્ટિ કરી. તત્કાળ દ્રૌપદીએ અનુરાગસહિત આવીને વેગથી અર્જુનના કંઠમાં વરમાળા આરોપણ કરી. તે વખતે એ વરમાળા પાંચરૂપે થઇને પાંચે પાંડવોના ગળામાં આવી. તે જોઇને ભીષ્મ લજ્જા પામ્યા, દ્રુપદ રાજાએ મસ્તક નીચું કર્યું અને સર્વ વિસ્મયથી જોઇ રહ્યા. તેવામાં કોઇ ચારણ મુનિ ત્યાં આવી ચડ્યા. એટલે ‘આ પાંચાલીને પાંચ પતિ કેમ થયા ?’ એમ કૃષ્ણ પ્રમુખ રાજાઓએ તે ચારણ મુનિને પૂછ્યું. ત્યારે તેઓ બોલ્યા, ‘પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલા કર્મથી આ દ્રૌપદીને પાંચ પતિ થયા છે. તેમાં શું આશ્ચર્ય છે ? કર્મની ગતિ વિષમ છે. તેનો પૂર્વભવ તમે સાંભળો, એમ કહી મુનિએ વિસ્તારથી તેનો પૂર્વભવ કહ્યો. તે આ પ્રમાણે દ્રૌપદીનો પૂર્વભવ :
•
અહીં ચંપાનગરીમાં સાગરદત્ત નામના શેઠની સુભદ્રા નામની સ્ત્રીના ઉદરથી સુકુમાલિકા નામે એક પુત્રી થઇ હતી. યૌવનવયમાં આવતાં જિનદત્ત શેઠનો પુત્ર શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૩૧
Page #253
--------------------------------------------------------------------------
________________
સાગર તેને પરણ્યો. રાત્રિએ તેની સાથે શયામાં સૂવા ગયો. તે વખતે પૂર્વકર્મના યોગથી તેના સ્પર્શ વડે સાગર અંગારાની જેમ બળતો ક્ષણવાર માંડ માંડ રહ્યો. પછી જયારે તે ઊંઘી ગઈ ત્યારે તેને સૂતી મૂકીને સાગર નાસીને પોતાને ઘેર ચાલ્યો ગયો. જાગૃત થતાં સુકુમાલિકાએ પતિને જોયો નહીં એટલે તે અત્યંત રુદન કરવા લાગી. તેનો ત્યાગ કરવાનો હેતુ શરીરની અગન છે. તે જાણી સાગરદત્તે પોતાની પુત્રીને દાનાદિ કાર્યમાં જોડી દઈને ઘેર રાખી. કાળ પસાર થયે સુકુમાલિકાએ વૈરાગ્યથી ગોપાલિકા આર્યાની પાસે ચારિત્ર અંગીકાર કર્યું અને ચોથ, છઠ્ઠ, અઠ્ઠમ વગેરે તપસ્યા કરવા માંડી.
એક વખતે તે સુકુમાલિકો સાધ્વી ગ્રીષ્મઋતુમાં ઉદ્યાનમાં જઈ સૂર્યની સામે દૃષ્ટિ રાખીને આતાપના સહન કરવાનો આરંભ કરતી હતી. ત્યાં દેવદત્તા નામે એક રૂપગર્વિતા ગણિકા પાંચ પુરુષો વડે સ્વીકાર કરાયેલી તેના જોવામાં આવી. તેને જોતા સંભોગની ઇચ્છા જેની સંપૂર્ણ થઈ નથી એવી સુકુમાલિકાએ એવું નિયાણું કર્યું કે, “આ તપશ્ચર્યાથી આ ગણિકાની જેમ હું પણ પાંચ પતિવાળી થઉં.” પછી આઠ માસની સંલેખના કરી નિયાણાની આલોચના કર્યા વગર તે મૃત્યુ પામીને નવ પલ્યોપમના આયુષ્યવાળી સૌધર્મ દેવલોકમાં દેવી થઈ. ત્યાંથી ચ્યવીને તે સુકુમાલિકા આ દ્રૌપદી થયેલ છે અને પૂર્વના નિયાણાથી તેને આ ભવમાં પાંચ પતિઓ થયેલા છે. તો અહીં આશ્ચર્ય શું છે ?
મુનિએ આ પ્રમાણે કહ્યા પછી આકાશમાં “સાધુ સાધુ” એવી વાણી થઈ. એટલે કૃષ્ણ આદિ પણ “આ પાંચ પતિ થયા તે યુક્ત છે” એમ કહેવા લાગ્યા. પછી સ્વયંવરમાં આવેલા રાજાઓ અને સ્વજનોએ કરેલા મહોત્સવથી પાંડવો દ્રૌપદીને પરણ્યા. તે પછી પાંડુ રાજા તે સર્વ દશાહને, કૃષ્ણને અને બીજા રાજાઓને જાણે વિવાહને માટે જ બોલાવ્યા હોય તેમ ગૌરવથી પોતાના નગરમાં લઈ ગયા. • અર્જુનનું પરદેશગમન :
એક વખત યુધિષ્ઠિર દ્રૌપદીના આવાસમાં બેઠા હતા તેવામાં સ્વેચ્છાએ ફરનારા નારદ ત્યાં આવી ચડ્યા. યુધિષ્ઠિરે તેમની યોગ્ય પૂજા કરી એટલે તેની ભક્તિથી પ્રસન્ન થઇ બીજા પાંડવોને બોલાવી નારદે એવી મર્યાદા બાંધી આપી કે, ‘તમારે વારા પ્રમાણે દ્રૌપદીનું સેવન કરવું. તેમાં એક પુરુષ દ્રૌપદી સાથે ઘરમાં હોય અને જો બીજો આવશે, તો તે બાર વર્ષ સુધી તીર્થવાસી થશે. અર્થાત્ તેણે બાર વર્ષપર્યંત પરદેશ જવું પડશે. આમ નક્કી કર્યા બાદ કેટલાક સમયે એક પ્રસંગ બન્યો. એક
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૨૩૨
Page #254
--------------------------------------------------------------------------
________________
વખત યુધિષ્ઠિર દ્રૌપદીના આવાસમાં હતા, તે સમયે અર્જુન અજાણતાં ત્યાં આવી ચડ્યો. તેથી સત્ય પ્રતિજ્ઞાવાળા તેણે તરત જ ત્યાંથી પાછા ફરીને પરદેશગમન કર્યું.
અનેક તીર્થોમાં જિનેશ્વરને હર્ષથી નમતો નમતો તે અનુક્રમે વૈતાઢયગિરિ પર આવ્યો. ત્યાં તેણે આદીશ્વર પ્રભુને વંદન કર્યું. ત્યાં કોઈ દુઃખી વિદ્યાધર જોયો. તેથી અર્જુને પૂછયું કે, “તમે શોક સહિત કેમ છો ?' ત્યારે તે બોલ્યો, “વૈતાઢ્યગિરિની ઉત્તરશ્રેણીમાં રહેનારો મણિચૂડ નામે હું રાજા છું. હેમાંગદે આવીને બળાત્કારે મને રાજ્યથી દૂર કર્યો છે.” તે સાંભળી ધનુર્ધારી અર્જુને તેના રચેલા વિમાનમાં બેસી,
ત્યાં જઈ બળ વડે હેમાંગદને જીતીને પુનઃ મણિચૂડને રાજય ઉપર સ્થાપન કર્યો. હેમાંગદ અને મણિચૂડ વગેરે વિદ્યાધરોએ હર્ષથી સેવેલો અર્જુન કેટલોક કાલ ત્યાં રહીને પછી આગળ ચાલ્યો. તે વિદ્યાધરે રચેલા વિમાનમાં બેસી અષ્ટાપદાદિ તીર્થોમાં તીર્થકરોને નમન કરતો, અર્જુન શ્રી ગિરનાર તીર્થ ઉપર આવ્યો. • ગિરનારના હસ્તિપદ કુંડના માહાભ્ય ઉપર દુર્ગધાની કથા :
આ તરફ શ્રીપુર નામના નગરમાં પહેલા પૃથુ નામે ક્ષત્રિય હતો. તેને દુર્ગધથી વિખ્યાત એવી દુર્ગધા નામે પુત્રી હતી. પૃથુએ આપેલી તે કન્યાને સોમદેવ પરણ્યો. પરંતુ તેની દુર્ગધથી કંટાળો પામીને સોમદેવ ગુપ્ત રીતે કોઈ ઠેકાણે ચાલ્યો ગયો. પતિના દ્વેષથી તે પુત્રી માતા-પિતાને પણ દ્વેષનું પાત્ર થઈ પડી. “વનિતાઓ પ્રાયઃ પતિની પ્રીતિ વડે જ સર્વ ઠેકાણે પૂજાય છે. જ્યારે સર્વ સ્થાને તેનો પરાભવ થવા લાગ્યો, ત્યારે તે રાત્રે પોતાનું ઘર છોડીને પોતાનાં દુષ્કર્મોનો નાશ કરવા માટે તે દુર્ગધા પણ અનેક તીર્થોમાં ફરવા લાગી. પરંતુ કોઈ પ્રકારે તેનાં પૂર્વ કર્મોનો ક્ષય થયો નહીં. તેથી દુર્ગધાએ અતિદુઃખથી સમુદ્રમાં ઝંપાપાત કરીને મરવાની ઇચ્છા કરી. તે વિચારથી તે અરણ્યમાં ચાલી જતી હતી. ત્યાં એક વર્લ્ડલધારી જટીલ તપસ્વીને જોઇને તે નમી. તે તાપસ મુનિ પણ તેની દુર્ગધથી વિમુખ થઈ ગયા. તે જોઇ તેણે તે તાપસને કહ્યું કે, “હે મુનિ ! તમારા જેવા મમતારહિત તાપસ પણ
જ્યારે મારાથી વિમુખ થઈ જાય ત્યારે મારું પાપથી રક્ષણ કોણ કરશે ?' તાપસ બોલ્યો, “વત્સ ! અહીં અમારા કુલપતિ છે. તે તને ઉપાય બતાવશે, માટે ભક્તિથી તેની પાસે જઈને તું તારા દુઃખની વાત કહે.” આ પ્રમાણે સાંભળી તે તાપસની પાછળ પાછળ દુર્ગધા ચાલી. • હસ્તીપદ કુંડના જળથી દુર્ગધાની દુર્ગધ દૂર :
અનુક્રમે શ્રી ઋષભદેવ પ્રભુનું ધ્યાન કરતા એક જટીલ તાપસને દેખી તેની પાસે જઈને તેણે પ્રણામ કર્યો. તેની દુર્ગધથી ગુરુએ પણ પોતાની નાસિકા જરા વાંકી કરી.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૩૩
Page #255
--------------------------------------------------------------------------
________________
પછી દર્ભના આસન પર બેઠેલી તે દુર્ગધાને કુલપતિએ કહ્યું, “હે વત્સ ! તું દુઃખી કેમ જણાય છે ? તેમજ તારા શરીરમાં આવી દુર્ગધ કેમ છે ? અને તું અહીં કેમ આવી છે?” તે સાંભળી અશ્રુને લૂછીને દુર્ગધા બોલી, “હે મુનિવર્ય! મારા પૂર્વભવનાં કુકર્મનો આ સર્વ વિલાસ છે. એમ હું જાણું છું. બાલ્યવયથી માંડીને દુઃખારૂં એવી મને મારા પતિએ પણ દુર્ગધથી છોડી દીધી. ત્યારથી હું બધા તીર્થોમાં ભણું છું. તો પણ અદ્યાપિ તે કર્મોનો ક્ષય થયો નથી. હે ઋષીશ્વર ! ધર્મના દાનથી તમે સર્વ પ્રાણીઓના આધાર છો, માટે મને પૂર્વના પાપથી મૂકાવીને આ સંસારસાગરમાંથી તારો.
તે સાંભળીને મુનિ બોલ્યા, “વત્સ ! મારામાં તેનું જ્ઞાન નથી, તથાપિ તું શત્રુંજયગિરિના મધ્યમાં થઈને રેવતાચલે જા. ત્યાં કેવલી ભગવંતે બતાવેલા ગજેન્દ્રપદકુંડમાંથી જળ લાવી કર્મના ક્ષય માટે સ્નાન કર.'
આ પ્રમાણે સાંભળી ચિત્તમાં પ્રસન્ન થઈ દુર્ગધા તે તાપસના ચરણમાં પ્રણામ કરી મનમાં પુંડરીકગિરિનું અને રૈવતાચલનું ધ્યાન કરતી ચાલી. એક નિશ્ચયથી નિત્ય ચાલતી દુર્ગધા કેટલાક દિવસે શત્રુંજયગિરિ ઉપર આવી. ત્યાં શ્રી ઋષભદેવ ભગવંતને પ્રણામ કર્યા. પછી તે ગિરિને પ્રદક્ષિણા કરીને ત્યાંથી પૂર્વના અશુભ કર્મનો સંચય દૂર કરવા માટે વેગથી વૈતવાચલ તરફ તે ચાલી. શુભ ભાવનાવાળી તે સ્ત્રી ઉત્તર તરફના પગથિયાના માર્ગથી રૈવતાચલ ઉપર ચડી અને હાથીપગલા નામના કુંડ પાસે આવી. પરંતુ દુર્ગધીપણાથી તે શ્રી અરિહંત પ્રભુના ચૈત્યમાં અને કુંડમાં પ્રવેશ પ્રાપ્ત ન કરી શકી. આથી તે તેમાંથી પાણી બહાર લાવીને પ્રતિદિન સ્નાન કરવા લાગી. એવી રીતે સ્નાન કરતાં સાત દિવસે તેનું દુર્ગધપણું દૂર થયું અને શુભ ગંધયુક્ત શરીરવાળી બની, ત્યારબાદ તે પૂજા કરવા માટે જિનમંદિરમાં ગઇ. • દુર્ગધાનો પૂર્વભવ :
તે વખતે અર્જુન ત્યાં હતો. તેણે પ્રભુની પૂજા કર્યા પછી બહાર આવતાં મુનિએ કહેલો તેનો પૂર્વભવ આ પ્રમાણે સાંભળ્યો, “હે વત્સ તું પૂર્વભવમાં બ્રાહ્મણના કુળમાં ઉત્પન્ન થઈ હતી. તે વખતે કોઈ શ્વેતાંબર મુનિનો તે ઉપહાસ કર્યો હતો. હા ! હા ! આ શ્વેતાંબર મુનિઓ વનમાં રહે છે, સ્નાન કરતા નથી તેથી તેઓ પોતાના શ્વેત વસ્ત્રને ઉલટાં મલિન કરે છે. એવું કહી મુખ મરડતાં અને હાથને કટિ ઉપર તાડન કરતાં તે જે કુકર્મ ઉપાર્જન કર્યું, તેનું જે ફળ તે ભોગવ્યું તે સાંભળ. તું ત્યાંથી મૃત્યુ પામ્યા પછી નરકમાં ગઇ, ત્યાંથી શ્વાનની યોનિમાં પછી ચંડાલના કુળમાં ઉત્પન્ન થઈ. પછી ગામની ડુક્કરી થઈ. એવી રીતે દુષ્ટભવોમાં ઘણું પરિભ્રમણ કરી અનુક્રમે આ ભવમાં તું મનુષ્ય થઇ. પરંતુ નામથી અને પરિણામથી દુર્ગધા
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૩૪
Page #256
--------------------------------------------------------------------------
________________
થઇ. શ્રેષ્ઠ અને યોગીઓને પણ પૂજ્ય એવા શ્રી જિનેશ્વરદેવની મુદ્રાને ધારણ કરનારા મુનિઓની નિંદા કરવી યોગ્ય નથી. હે દુર્ગંધા ! આ તીર્થના પ્રભાવથી કેટલાંક કર્મોને ખપાવતાં તને બોધિબીજ પ્રાપ્ત થયેલ છે, તો હવે આ તીર્થની વિશેષ સેવા કર કે જેથી તારા સંસારનો ક્ષય થાય.
આ પ્રમાણે કહી તે મુનિ વિરામ પામ્યા. એટલે દુર્ગંધાએ અને અર્જુને હર્ષ પામી પ્રભુને અને મુનિને વંદના કરી, પોતાના આત્માને ધન્ય માનતો અર્જુન તે તીર્થમાં શુભભાવનાથી મણિચૂડ નામના મિત્રની સાથે ત્રણ દિવસ સુધી રહ્યો.
તે અવસરે કૃષ્ણને ખબર મળ્યા કે, ‘પાંડુકુમાર અર્જુન રૈવતાચળ પર આવેલા છે.’ એટલે તેણે હર્ષથી ત્યાં આવી ૫રસ્પર પ્રીતિની વૃદ્ધિ માટે પોતાની બહેન સુભદ્રા અર્જુન સાથે પરણાવી. ત્યાંથી અર્જુન ફરીને શત્રુંજય તીર્થ ઉપર ગયા અને ત્યાંથી નંદિવર્ધનગિરિ ઉપર તથા અષ્ટાપદ તીર્થ પર જઇને બાર વર્ષમાં બાકી રહેલાં વર્ષ તીર્થયાત્રામાં નિર્ગમન કર્યા.
એ પ્રમાણે પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરીને બાર વર્ષ બાદ ઘણા વિદ્યાધરોની સાથે તે હસ્તીનાપુરમાં આવ્યા. ત્યાં આવતાં જ અર્જુને સાંભળ્યું કે, ‘મણિચૂડ વિદ્યાધરની બહેન પ્રભાવતીને કોઇ બળવાન વિદ્યાધર બળાત્કારે હરી ગયો છે.' તે સાંભળતાં જ બળવાન પાર્થ મણિચૂડને સાથે લઇ આકાશમાર્ગે ચાલ્યો અને ત્યાં જઇ તે વિદ્યાધરને હણીને પ્રભાવતીને શીઘ્ર પાછી લઇ આવ્યો.
યુધિષ્ઠિરને રાજ્ય અર્પણ :
આ કાર્યથી અર્જુનનું વિશેષપણે અભિનંદન કરીને પછી પાંડુ રાજાએ યુધિષ્ઠિરને પોતાનાં રાજ્ય પર સ્થાપિત કર્યા. તે ધર્મપુત્રની આજ્ઞાથી પરાક્રમવાળા ભીમાદિ ચારે બંધુઓ ચારે દિશાઓમાં જઇ સર્વત્ર વિજય મેળવીને પાછા આવ્યા. પાંચાલી (દ્રૌપદી)ને પાંચે પાંડવોથી સિંહ જેવા પરાક્રમી પાંચ પુત્રો થયા. રાજા યુધિષ્ઠિરની સાથે ચારે બંધુઓ વિનયથી વર્તતા હતા. આમ, તે પાંચે પાંડવોનો કાળ સુખપૂર્વક પસાર થતો હતો.
યુધિષ્ઠિરે કરેલ પ્રતિષ્ઠા મહોત્સવ અને અમારીની ઉદ્ઘોષણા :
તે પાંડવો ઉપરની પ્રીતિથી મણિચૂડે વિદ્યાના બળ વડે ઇન્દ્ર સભા જેવી એક નવી સભા રચી આપી. તેમાં મણિમય સ્તંભો હોવા છતાં અરૂપી આત્માની જેમ જાણે સ્તંભ જ ન હોય તેમ દેખાતું હતું. તે સભામાં રત્નની કાંતિથી ભૂમિ અનેક વર્ણવાણી જણાતી હતી. દેવતાને પ્રિય અપ્સરાઓ જેવી રત્નમય પૂતળીઓ બનાવી
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૩૫
Page #257
--------------------------------------------------------------------------
________________
હતી. આવી સભા રચીને તેમાં સુવર્ણના સિંહાસન ઉપર પ્રીતિવડે યુધિષ્ઠિરને બેસાડી મણિચૂડે પોતાની મિત્રતા સફળ કરી.
પછી યુધિષ્ઠિરે શ્રી શાંતિનાથ પ્રભુનો સુવર્ણમય નવીન પ્રાસાદ મૂર્તિ સહિત કરાવ્યો. પૂર્વે શ્રી શાંતિનાથ પ્રભુના ત્રણ કલ્યાણકો આ નગરીમાં થયેલ હોવાથી તે ધર્મદાયક હસ્તીનાગ નામે તીર્થ થયું. તે જિનમંદિરનો યુધિષ્ઠિરે ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો. તે મહોત્સવમાં દર્શાહ, રામ, કૃષ્ણ અને દ્રુપદ ઈત્યાદિ અનેક રાજાઓને યુધિષ્ઠિરે તેડાવેલા હોવાથી તે સર્વ ત્યાં આવ્યા. મણિમય સભાના સ્તંભમાં પ્રતિબિંબત થઇને તે સર્વ રાજાઓ બેઠા હતા. ત્યારે યુધિષ્ઠિરે બોલાવેલો દુર્યોધન પણ બંધુ સહિત ત્યાં આવ્યો. તે વખતે મણિમય સિંહાસન પર બેઠેલા યાદવોને અને પાંડવોને સિંહાસન તદ્દન સ્વચ્છ હોવાથી જાણે આકાશમાં અદ્ધર હોય તેમ દેખી દુર્યોધન વિસ્મય પામી ગયો. નીલમણિમય જમીનમાં જળના ભ્રમથી વસ્ત્રને સંકોચતા, સ્ફટિકમણિની ભૂમિ જોઈ આકાશની શંકાથી ઠેકતા, મણિમય ભીંત સાથે ત્યાં ભીંત નહીં હોય એમ જાણી અથડાતા અને મુખ્ય મુખ્ય કૃત્રિમ પ્રતિમાઓ પર ભ્રાંતિ ધરતા સુયોધનને જોઈ સર્વ સભાજનો તે અવસરે હાસ્ય કરવા લાગ્યા. તેથી અરણીના વૃક્ષની જેમ અને સૂર્યકાંત મણિની જેમ બહારથી શીતળ પણ અંદર ક્રોધાગ્નિ વડે યુક્ત દુર્યોધને તે મહોત્સવ જેમ તેમ પૂરો કર્યો.
સર્વ ધર્મનું મૂળ અહિંસા છે” એવું જાણી ધર્મપુત્રે પોતાના રાજયોમાં અહિંસાની ઉદ્ઘોષણા કરાવી. એવી રીતે આનંદપૂર્વક પ્રતિષ્ઠાનો મહોત્સવ કરીને ધર્મરાજાએ ચારણ મુનિઓને, અન્ય મુનિઓને અને સર્વ રાજાઓને પુષ્કળ દાનથી ભક્તિ કરીને વિસર્યા.
દુર્યોધનને પણ બંધુ સહિત વસ્ત્ર-રત્નાદિકથી અતિશય સત્કાર કરીને રજા આપી. એટલે તે પોતાનાં નગરમાં આવ્યો. પછી અંતર્લેષથી પોતાના પિતાને અને શકુનિનામાને બોલાવીને તેણે આ પ્રમાણે કહ્યું, “આ પાંડવો બાલ્યવયથી જ કપટમાં ચતુર છે. તેમજ તેઓ બહારથી મધુરવાણી બોલે છે પણ અંતરમાં અત્યંત ક્રૂર છે. હું સભામાં ગયો ત્યારે તે ગર્વિષ્ઠ પાંડવોએ અને બલરામ તથા કૃષ્ણ મારો ઉપહાસ કર્યો છે. તેથી હું સશલ્ય થઇને અદ્યાપિ અત્યંત દુભાઉં છું. “છલથી કે બળથી શત્રુને સાધ્ય કરવો’ એવી નીતિ છે. તેથી ગમે તેમ કરીને મારા કોપની શાંતિને માટે હું પાંડવોનું રાજય હરી લઇશ. • દુર્યોધનનું કપટ :
આ પ્રમાણે કહીને પાંડવોની સ્પર્ધાથી દુર્યોધને શિલ્પીઓને બોલાવીને કોટી દ્રવ્ય ખર્ચે એક નવીન રમણીય સભા બનાવી. પછી તે સભા બતાવવાને માટે કૌતુકી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૩૬
Page #258
--------------------------------------------------------------------------
________________
દુર્યોધને દશાઈ, પાંડવ અને રામ, કૃષ્ણને દૂત મોકલીને બોલાવ્યા. તેમાંથી જેમ જેમ આવતા ગયા તેમ તેમ તેઓની સામે જઇ, કૃત્રિમ માન આપી અને યોગ્યતા ઉપરાંત દાન આપી સર્વને વશીભૂત કરવા લાગ્યો. તેણે ભોજનાદિકથી, વનક્રીડાથી તથા જલયંત્રોથી અને કુતૂહલોથી પાંડવોને વશ કરીને પછી ધૂત રમવા માટે બોલાવ્યા. તે વખતે ધર્મવેત્તા વિદુરે તેમને અટકાવ્યા. તો પણ રાજા યુધિષ્ઠિર કર્મયોગે જુગાર રમવાથી વિરામ પામ્યા નહીં. જો કે પાંડવો સર્વ રીતે ચતુર હતા, તો પણ વિપરીત દેવને લીધે કપટથી દિવ્ય પાસા વડે ઘૂત રમનારા કૌરવોનું છલ જાણી શક્યા નહીં. સત્કર્મની હાનિને લીધે, અનુક્રમે અશ્વ, હાથી, રથ, ગ્રામ અને નગર તથા છેવટે રાજ્ય પણ યુધિષ્ઠિર હારી ગયા. છેલ્લે યુધિષ્ઠિરે દ્રૌપદીને પણમાં મૂક્યાં, તો તેને પણ હારી ગયા. “અહો ! આવા વિધિને ધિક્કાર છે.” • પાંડવોને વનવાસમાં જવાનો દુર્યોધનનો આદેશ :
દુર્બુદ્ધિ દુર્યોધને બીજું બધું પોતાને સ્વાધીન કરી લઇ પછી દ્રૌપદીને લાવવા માટે દુઃશાસનને મોકલ્યો. “હે કૃષ્ણા ! તને પણ પાંડવો હારી ગયા છે, માટે હવે તું મારા ઉત્સંગમાં બેસ અને તને વિટંબના કરનારા પાંડુપુત્રોને છોડી દે.” આ પ્રમાણે બોલતો દુઃશાસન તેના ઘરમાં ગયો. આવાં તેનાં વચન સાંભળી દ્રૌપદીએ નાસવા માંડ્યું. પણ દુઃશાસન તેને કેશ વડે પકડીને હઠથી સભામાં લાવ્યો.
તે વખતે ત્યાં ભીષ્મ, દ્રોણ અને વિદુર ઇત્યાદિ વડીલોને બેઠેલા જોઇ અપમાનથી લજ્જા પામતી તે સતીની ક્રોધ વડે, “રે દુરાચારી ! કુલાંગાર અને નિર્લજ્જ દુઃશાસન ! આવું કુકર્મ કરવાથી તારાં અસ્ત્રો વ્યર્થ થઈ જશે.” આવી શાપવાણી સાંભળ્યા છતાં પણ મદોન્મત્ત એવા દુ:શાસને અમર્ષ વડે તેના નિતંબ ઉપરથી વસ્ત્રો ખેંચવા માંડ્યા. દુઃશાસને જેમ જેમ તેના વસ્ત્રો ખેંચી લેવા માંડ્યા. તેમ તેમ શીલલક્ષ્મી તેને નવાં નવાં વસ્ત્રોથી ઢાંકવા લાગી. એવી રીતે એકસોને આઠ વસ્ત્રો ખેંચ્યા, પછી ચંડાળ જેવો તે દુ:શાસન થાકીને બેસી ગયો.
તે વખતે ભીમસેનના ક્રોધ અગ્નિને યુધિષ્ઠિર વચનરૂપ પાણી શાંત કરતા હતા તેમ છતાં તે બોલ્યો, “જો મારા રોષને શાંત કરવા વડીલબંધુની વાણી ન હોય તો હું અત્યારે આ દુર્યોધનને તેના ગોત્ર સહિત ગદાથી ચૂર્ણ કરી નાખું.” આવી રીતે ગર્જના કરતા ભીમને સાંભળી કેટલાક રાજાઓએ મુખ નીચું કર્યું. કેટલાક હૃદયમાં ભય પામ્યા અને કેટલાક મનમાં દુઃખી થયા.
ભીખે રોષથી દુર્યોધનને કહ્યું, “અરે અંધપુત્ર ! તે આ શું કરવા માંડ્યું છે ? આ સાધ્વી સ્ત્રીને વિડંબના કેમ કરે છે ? આ ભીમ અને અર્જુન વગેરે તને મારવા
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૩૭
Page #259
--------------------------------------------------------------------------
________________
તૈયાર થયેલા છે, પણ તેમને ધર્મકુમાર અટકાવે છે. નીતિ સહિત પરાક્રમ આવું હોય છે. માટે હે દુર્યોધન ! તારા કુળને સળગાવવામાં અંગારા સમાન આ પતિવ્રતા દ્રૌપદીને તું છોડી દે. તારો પિતા બાહ્ય અંધ છે અને તું બાહ્ય અને અંદર બંને સ્થાનકે અંધ છે.
તે સાંભળી દુર્યોધન બોલ્યો, “આ પાંડવો બાર વર્ષ સુધી વનમાં જાય અને એક વર્ષ ગુપ્ત રહે. એ તેરમાં વર્ષમાં જો કોઈ ઠેકાણે રહેલા મારા જાણવામાં આવે તો ફરીવાર બાર વર્ષ સુધી વનમાં જાય.' ધર્મરાજા તે પ્રમાણે અંગીકાર કરી, ગુરુજનને નમી, દ્રૌપદી અને અનુજબંધુની સાથે હસ્તીનાપુરમાં આવ્યા. ત્યાં માતા-પિતાને નમીને યુધિષ્ઠિરે દુર્યોધન સંબંધી બધો વૃત્તાંત મનમાં જરાપણ ખેદ પામ્યા વિના જણાવ્યો.
આ વૃત્તાંત સાંભળી પાંડુ રાજા ક્ષણવાર મૌન રહ્યા પછી મનમાં સંસારની સ્થિતિ વિચારવા લાગ્યા. એટલે સત્ય પ્રતિજ્ઞાવાળા ધર્મપુત્ર બોલ્યા, “પિતાજી ! ખેદ કરશો નહીં. હું વનવાસમાં રહીને મારું નામ સાર્થક કરીશ. “
રાજ્યના ત્યાગમાં કે રાજ્યની પ્રાપ્તિમાં, વનમાં કે નગરમાં, જે પુરુષ પોતાનો બોલ પાળે છે, તેને સર્વ ઠેકાણે સમૃદ્ધિ મળે છે.” હે તાત ! તમે ધીર અને વીર છો અને કુરુવંશના કુલગિરિ છો, માટે અમને અમારો બોલ પાળવા વનમાં જવાની આજ્ઞા આપો. • પાંડવોનું વનવાસ માટે પ્રયાણ :
આ પ્રમાણેના તેનાં વચન સાંભળી પાંડુ રાજા સંમતિ આપવાના અને નિષેધ કરવાના સંકલ્પ વિકલ્પમાં પડ્યા ત્યારે પિતાએ નિષેધ નથી કર્યો માટે રજા આપી છે, એમ કલ્પીને તેઓ માતા પાસે આવ્યા. માતા-પિતાની આજ્ઞા લઈને જાણે લક્ષ્મીને પરણવા જતા હોય તેમ ધર્મકુમાર, પોતાના ચાર બંધુઓ અને પત્ની સાથે ત્યાંથી ચાલી નીકળ્યા. તેમની પાછળ સ્નેહને લીધે પાંડુ, કુંતી, મદ્રી, સત્યવતી, અંબા, અંબાલા અને અંબિકા પણ બહાર નીકળ્યા. પાંડવોને જતા જોઈને પ્રજાજનો ખૂબ રડ્યા.
નગરની બહાર આવ્યા પછી સત્ત્વશીલ ધર્મકુમાર ઊભા રહી પિતા અને માતાઓ પ્રત્યે નમસ્કારપૂર્વક અંજલી જોડીને બોલ્યા, “હે પિતા ! તમે કુરુવંશના આભૂષણ છો. માટે સત્ત્વને ધારણ કરો. અજ્ઞની જેમ પુત્રના સ્નેહથી કેમ આંસુ પાડો છો ? અમે તમારા પુત્રો પ્રતિજ્ઞા પાળવામાં તત્પર થયા છીએ. તેમાં અમારું શ્રેય, તમારી કીર્તિ અને કૌરવનું મંગલ રહેલું છે. તે પિતા ! ધૃતરાષ્ટ્રના પુત્રોએ રાજયલુબ્ધ થઈને આવું હિત ન કર્યું હોત તો મારું સત્યપુત્રપણું ભાવિમાં સાચું શી રીતે જણાત ? માતાઓ ! તમે જે કાયર થઈ ગયા છો તે સ્નેહની ચેષ્ટા છે. માટે તમે પોતાનું વીરપત્નીપણું તથા વીરમાતાપણું સંભારીને હમણાં ધૈર્ય રાખો. તમારે
માહામ્ય સાર • ૨૩૮
Page #260
--------------------------------------------------------------------------
________________
અમારા પિતાની સેવા કરવી, શ્રી જિનેશ્વરની પૂજા કરવી, નિરંતર અમને આશીષ આપવી અને પુત્રની જેમ પ્રજાને પાળવી.
આમ કહીને ધર્મપુત્રે પ્રજાજનોને કહ્યું, “હે લોકો ! અમોએ રાજ્યમાં અંધ થઇને જો કાંઇપણ અપરાધ કર્યા હોય, તો તે તમે ક્ષમા કરજો.' કારણ કે “પ્રજા સર્વ દેવમય છે.” આવી રીતે વિનયથી પિતા, માતાઓ અને લોકોને વિદાય કરી કુંતી, દ્રૌપદી, સુભદ્રા અને બંધુઓની સાથે ધર્મકુમાર આગળ ચાલ્યા. દુર્યોધનની આજ્ઞાથી ક્રૂર અને કમિર નામના બે રાક્ષસો દ્રૌપદીને બીવરાવવા આવેલા, તેને ભીમે જીતી લીધા. પછી સર્વ ઉપાયોને જાણનાર વિદુર પાંડવોની પાસે આવ્યા. તેણે વિદ્યાના અનેક ઉપાયો બતાવ્યા. પછી પાંડવોથી પૂજાયેલા તેઓ નગરમાં પાછા ગયા. દ્રૌપદીનો ભાઇ ધૃષ્ટદ્યુમ્ન પાંડવોને વનવાસે નીકળેલા જાણી પ્રીતિથી તેમની પાસે આવ્યો અને પાંચાળ દેશના આભૂષણરૂપ કાંડિલ્યનગરમાં લઈ ગયો. પછી સમુદ્રવિજયની આજ્ઞાથી કૃષ્ણ કુંતીને નમવાને માટે ઉત્સુક થઇને કોટી યાદવો સહિત ત્યાં આવ્યા. પાંડવોએ હર્ષ પામીને અર્જુનની વિદ્યાર્થી પ્રગટ કરેલા અને કૃષ્ણને પણ વિસ્મય પમાડે તેવા ભોજનોથી તેમને જમાડ્યા.
કૃષ્ણ પાંડવોને પ્રીતિ વડે કહ્યું કે, “બાલ્યવયથી ફૂડ-કપટના નિવાસરૂપ અને છલથી ઘાત કરનારા ધૃતરાષ્ટ્રના પુત્રોને હું સારી રીતે જાણું ચું. એ કપટપટુ કૌરવોએ ઘુતક્રીડાના છલથી દિવ્ય પાસા વડે રમીને તમને રાજયથી ભ્રષ્ટ કર્યા. અહા ! કેવું વિપરીત દેવ ” પણ તમે હવે પાછા તમારા સ્થાનમાં જાઓ. હું તમારા શત્રુઓને હમણાં જ હણીશ. કારણ કે દુષ્ટોને અકાળે મારવાથી પણ નિયમનો ભંગ થતો નથી.' આવી રીતે કૃષ્ણ કહ્યું છતાં પણ ધર્મકુમાર બોલ્યા, “હે હરિ ! પરાક્રમવાળા તમારાથી બધુ જ શક્ય છે. પરંતુ અમે તેર વર્ષ સુધી વનવાસમાં રહ્યા પછી તમારી સહાયથી તે શત્રુઓને મારીશું. માટે હમણાં તમે શાંત થઈને પાછા જાઓ.” એવી રીતે કહી પાંડવોએ વિષ્ણુને વિદાય કર્યો. એટલે પોતાની બહેન સુભદ્રાને પુત્ર સહિત રથમાં બેસાડી પોતાની સાથે લઇને તે પોતાની નગરીમાં આવ્યા. • પાંડવોનો લાક્ષાગૃહમાંથી બચાવ અને પુરોચનનું મૃત્યુ
ત્યાંથી પાંચ પાંડવો, માતાકુંતી અને દ્રૌપદી આ સાત જણા નગરમાં અને વનમાં ફરતા હતા. તેવામાં દુર્યોધનના પુરોહિત પુરોચને તેમની પાસે આવીને આ પ્રમાણે કહ્યું, “નમસ્કાર કરતો સુયોધન આદરથી મારા મુખે આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરે છે કે, હે ધર્મકુમાર ! તે વખતે મેં અજ્ઞાનને વશ થઇને તમારી જે અવજ્ઞા કરી તે તમે ગુણથી
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૨૩૯
Page #261
--------------------------------------------------------------------------
________________
અને વયથી જ્યેષ્ઠ હોવાથી સહન કરી, તેવી રીતે હે માનદાતા ! પશ્ચાત્તાપ કરવામાં તત્પર એવા મારા ઉપર કૃપા કરીને ઇન્દ્રપ્રસ્થ નગરનું સ્વામીપણું ગ્રહણ કરો.'
એવી રીતે અંદરથી દારુણ પણબહારથી કોમળ તેવી તેની વાણી સાંભળી સરળ મનવાળા ધર્મરાજા તેનો વિશ્વાસ રાખીને વારણાવતી (ઇન્દ્રપ્રસ્થ)માં ગયા. તે સમાચાર વિદુરને મળતાં તેણે ગૂઢ લેખ લખીને ધર્મરાજાને જણાવ્યું કે, “કદી પણ શત્રુઓનો વિશ્વાસ કરશો નહીં. તેમણે તમારા નિવાસ માટે નવીન લાક્ષાગૃહ બનાવ્યું છે. જેમાં તમને રાખીને ગુપ્ત રીતે તમને તેડવા આવેલો પુરોચન બ્રાહ્મણ તમને અગ્નિથી બાળી નાંખશે. ફાલ્ગન માસની કૃષ્ણ ચતુર્દશીએ મધ્યરાત્રે દુર્યોધનની પ્રેરણાથી તે પુરોહિત તમારું અનિષ્ટ કરવાનો છે.” તે સાંભળી નિઃસીમ ઉજજવલ પરાક્રમવાળો ભીમસેન ક્રોધ કરીને યુધિષ્ઠિર પ્રત્યે બોલ્યો, ‘તમે શત્રુઓને ક્ષમા કરો છો, તે જ કષ્ટકારી છે. જો તમે આજ્ઞા આપો તો દુયોધનને હું એકલો જ ગદાથી મારી નાંખું.' આવી રીતના ભીમના ઉગ્ર કોપરૂપી અગ્નિને ધર્મપુત્રે તે તે નીતિવાક્યરૂપ અમૃતથી સત્વર શમાવી દીધો. પછી વિદુરે ખોદવાની કલાના જાણકાર પુરુષોની પાસે એક સુરંગ કરાવી અને તે વાત કૌરવના પુરોહિતને છેતરવા માટે ધર્મપુત્રને જણાવી. પુરોચન પુરોહિત લાક્ષાગૃહમાં પાંડવોને સન્માન સાથે વસાવીને તેમની ભક્તિમાં પરાયણ થઈ રહેવા લાગ્યો.
તેવામાં સંકેતને દિવસે કોઈ વૃદ્ધા સ્ત્રી પાંચ પુત્રો અને વધૂની સાથે ત્યાં આવી. તેને કુંતીએ તે નિવાસમાં રાખી. અર્ધરાત્રે શત્રુએ ગુપ્ત રીતે તેમાં અગ્નિ મૂક્યો. એટલે લાક્ષાગૃહ બળવા લાગ્યું. સર્વે સુરંગને માર્ગે ચાલ્યા ગયા. ભીમ સૌની પાછળ રહી પુરોહિતને પકડી અગ્નિમાં ફેંકી દઈ, વેગથી બંધુઓને આવી મળ્યો. પ્રાતઃકાળે તે ગૃહમાં સાત જણાને દગ્ધ થઈ ગયેલા જોઈ સર્વે લોકો અંતરમાં શોક કરવા લાગ્યા અને દુર્યોધનની ઉપર ક્રોધ કરવા લાગ્યા. શોકથી અત્યંત આકુળવ્યાકુલ થયેલા લોકોએ પિતાનું વૈર હોય તેમ પગના આઘાત વડે પુરોહિતના મસ્તકને ચૂર્ણ કરી નાખ્યું.
દુર્યોધનના જાણવામાં આવ્યું કે, “પાંડવો અને પુરોહિત લાક્ષાગૃહમાં બળી ગયા છે.” તેથી બહારથી શોક રાખીને તેણે તેમને જળથી અંજલી આપી. વરીઓની શંકાથી પાંડુકુમારો માર્ગમાં શીવ્રતાથી અથડાતા અને પડતા રાત્રિ-દિવસ ચાલવા લાગ્યા. ભયને લીધે તેઓએ વૃક્ષ, ચૈત્ય, ગિરિ, નદીતટ કે સરોવર કોઇ પણ ઠેકાણે વિસામો લીધો નહીં. દર્ભના અંકુરોથી અને કાંટાઓથી ક્લેશકારી એવા ભૂમિતળ ઉપર કે સરળ ભૂમિ ઉપર ચાલતા તેઓ સુખ-દુ:ખને ગણતા નહીં. માર્ગમાં કુંતી અત્યંત થાકી ગઈ. એટલે તેણે ભીમને કહ્યું કે, “આપણે કેટલેક દૂર જવાનું છે? હવે
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૪૦
Page #262
--------------------------------------------------------------------------
________________
એક ડગલું પણ ભરી શકતી નથી, દ્રૌપદી પણ ચાલવા સમર્થ નથી અને આ નકુળ અને સહદેવ પણ માત્ર લજ્જાથી જ ચાલે છે.' તે સાંભળી માતાને અને સ્ત્રીને બે ખભા ઉપર રાખી, બે બંધુઓને પૃષ્ઠ ભાગ ઉપર બાંધી લીધા અને બીજા બે બંધુઓને હાથ પર બેસાડી અતુલ પરાક્રમવાળો ભીમસેન વેગથી ચાલવા લાગ્યો.
હિડંબ રાક્ષસનો વધ :
આ પ્રમાણે રાત્રિ ઉલ્લંઘન કરી પ્રાતઃકાળે કોઇ વનમાં આવી પહોંચ્યાં. ત્યાં થાકી ગયેલા સર્વે સૂઇ ગયા એટલે પાણીની ઇચ્છાવાળો ભીમસેન ભમતો ભમતો એક મોટા સરોવર પાસે આવ્યો. ક્ષણવાર તેમાં તરી પાણી ભરી જેટલામાં આવ્યો તેટલામાં કોઇક સ્ત્રીને તેણે જોઇ. પ્રથમ તો ક્રૂર શરીરવાળી તે ‘અરે ! ઊભો રહે, ઊભો રહે.' એમ બોલતી આવી. પણ ભીમને જોઇને તે સ્ત્રી મોહ પામી ગઇ. તેથી ભીમની પાસે આવી આનંદથી સ્ખલિત વચને અને મૃદુ સ્વરે બોલી, ‘હે વીરપુરુષ ! તમે સાંભળો. આ પર્વત ઉપર હિડંબ નામે મારો સહોદર બંધુ રહે છે. હિડંબા નામે હું તેની બહેન છું. મારા ભાઇ હિડંબને તમારી ગંધ આવવાથી ભક્ષણ કરવા માટે તમને પકડી લાવવા માટે મને મોકલી છે, પણ તમને જોતાં જ મને રતિસુખની ઇચ્છા ઉત્પન્ન થઇ છે. માટે હે દયાળુનાથ ! મારી ઉપર પ્રસન્ન થઇને મારું પાણિગ્રહણ કરો. હું મારી શક્તિથી તમને વનવાસમાં મોટો ઉપકાર કરીશ. માટે, ‘હે હ્રદયેશ્વર ! મારી સાથે વિવાહ કરો.' આ પ્રમાણે કહેતી તે હિડંબાને ભીમસેને કહ્યું કે, ‘એવું બોલ નહીં. વનવાસમાં રહેતા એવા મારે તેવું કામ કરવું યોગ્ય નથી.’ આવી રીતે ભીમ અને હિડંબા વાત કરતા હતા, તેવામાં ભયંકર અને વિકરાળ દૃષ્ટિવાળો હિડંબ ત્યાં આવ્યો. પ્રથમ તો તેણે હસ્તપ્રહારથી પોતાની બહેનને મારવા માંડી, તેથી ભીમસેને ક્રોધ કરીને કહ્યું કે, ‘અરે અધમ રાક્ષસ ! મને જીત્યા વગર આ બાળાને મારી નજર આગળ કેમ મારે છે ?'
આ પ્રમાણે ભીમે કહ્યું એટલે પીળા નેત્રવાળો તે ભયંકર રાક્ષસ મોટા વૃક્ષને ઉખેડી ફુંફાડા મારતો ક્રોધથી ભીમ સામે દોડ્યો. ભીમસેન પણ વૃક્ષને ઉખેડી જાણે છત્રવાળો હોય તેમ રોષ પામેલો ને ભયંકર સિંહનાદ કરતો તત્કાળ યુદ્ધ માટે દોડ્યો. તેઓના પરસ્પર સંઘટ્ટથી અને ચરણના પાતથી પૃથ્વી અત્યંત કંપાયમાન થઇ. તેમનાં યુદ્ધથી ધર્મરાજા વગેરે જાગી ગયા. એટલે હિડંબા કુંતીમાતા પાસે આવી નમીને કહેવા લાગી કે, ‘હે માતા ! આ તમારા પુત્ર ભીમસેનને કોઇ રાક્ષસ મારે છે, માટે તેની સહાય કરવા કોઇને મોકલો. મારું નામ હિડંબા છે અને હું ગુણથી વશ થયેલી ભીમસેનની દાસી છું.' તે વખતે રાક્ષસના પ્રહારથી ભીમસેનને શિથિલ થયેલ જોઇ શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૪૧
Page #263
--------------------------------------------------------------------------
________________
હાથમાં ખડ્ઝ લઈને ધર્મકુમાર વેગથી આક્ષેપ કરતા દોડ્યા. તેવામાં પ્રચંડ પરાક્રમવાળા ભીમસેને પોતે જ સજજ થઈ યમરાજની જેમ હાથમાં ગદા લઈને રાક્ષસને મારી નાંખ્યો. તેને માર્યો પછી ભીમના રૂપથી મોહ પામેલી હિડંબા તેમની સેવા કરવામાં તત્પર રહેતી તેમની પાછળ ચાલવા લાગી. • ભીમ અને હિડંબાનું પાણિગ્રહણ :
એક વખતે અરણ્યમાં વિષમ માર્ગ આવવાથી તેમનાથી જુદી પડી ગયેલી દ્રૌપદી યૂથભ્રષ્ટ મૃગલીની જેમ એકલી ભમવા લાગી. પરંતુ સિંહ, ડુક્કર, હાથી, વ્યાધ્ર, સર્પ અને અજગર વગેરે શિકારી પ્રાણીઓ શીલમંત્રથી પવિત્ર એવી દ્રૌપદીને કિંચિતુ. પણ પરાભવ કરવા સમર્થ થઈ શક્યા નહીં. પાંડવો કોઇપણ સ્થાનકે તેનો પત્તો મેળવી શક્યા નહીં. જયારે તેઓ ખેદ પામીને નિરાશ થયા, ત્યારે ભીમસેનનાં કહેવાથી હિડંબા દ્રૌપદીની શોધ કરીને ત્યાં તેડી લાવી. પછી હિડંબા દ્રૌપદી અને કુંતીને અતિવાત્સલ્યથી અંધ ઉપર ઉપાડીને તેમની ઇચ્છા પ્રમાણે અન્ન-જળ આપતી માર્ગમાં સાથે ચાલી. તેની ભક્તિથી હર્ષ પામેલા કુંતી અને યુધિષ્ઠિરે તેને ભીમસેન સાથે પરણાવી. પછી ભીમસેન ઉપર અનુરાગિણી હિડંબા માર્ગમાં વિવિધ મહેલો બનાવી ઇચ્છાનુસાર રૂપ કરી ભીમની સાથે રમવા લાગી.
હિડંબાએ લાવી આપેલા અન્નપાન દ્વારા નિશ્ચિત અને શ્રમરહિત બનેલા પાંડવો બ્રાહ્મણનો વેષ ધરીને ફરતા ફરતા એકચક્ર નગરમાં આવ્યા. ત્યાં દેવશર્મા નામના બ્રાહ્મણને ઘેર નિવાસ કરીને ધર્મપુત્રે વાત્સલ્ય કરનારી હિડંબાને કહ્યું, “હે વધૂ! અમારે આવું દુઃખ બાર વર્ષ સુધી નિત્ય સહન કરવાનું છે, માટે હમણાં તમે તમારાં ઘરે જાઓ.' પોતાના જયેષ્ઠની આવી આજ્ઞાથી હિડંબા પોતાને ગર્ભ છે, એવું કુતીમાતાને જણાવી અને “સમય આવે ત્યારે મને સંભારવી” એમ સૂચના કરી અંતતિ થઈ. • બક રાક્ષસનો વધ :
દેવશર્માને ઘેર નિવાસ કરીને રહેલા પાંડવોએ એક વખત પાડોશમાં રહેતી સ્ત્રીઓના પોકાર અને હાહાકારના વચનો સાંભળ્યા. તેમના દુઃખથી દુઃખી થયેલા ભીમસેને દેવશર્માને પૂછ્યું કે, “આ તમારું કુટુંબ કેમ શોકાતુર થયું છે ?” ત્યારે દેવરાજે પોતાના લલાટ ઉપર હાથ મૂકી રુદન કરીને અરે દેવ ! એ પ્રમાણે નિઃસાસા મૂકતો “આ મારા અભાગ્યથી થયેલું છે ?” એમ કહેવા લાગ્યો. વળી બોલ્યો કે, “હે મહાભાગ્ય વિપ્ર ! આ મારી અકસ્માત પ્રાપ્ત થયેલી વિટંબનાને શરણ વગરનો હું શું કહું ? તો પણ હે વત્સલ ! સાંભળો.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૪૨
Page #264
--------------------------------------------------------------------------
________________
પૂર્વે સિદ્ધવિદ્યાવાળો અતિ ભયંકર બક રાક્ષસ આકાશમાં શીલા લટકાવીને સંહાર કરવાની ઇચ્છાવાળો અહીં આવ્યો. તે વખતે ભય પોમલા રાજાએ અને પ્રજાએ શ્રી જિનેશ્વરને સંભારી પંચપરમેષ્ઠીની સ્તુતિને પઠન કરતાં કાયોત્સર્ગ કર્યા. તેના પ્રભાવથી તે રાક્ષસ લોકોને પીડવામાં અસમર્થ થયો, તેથી તેણે શાંતાત્મા બની રાજાની આગળ આવીને કહ્યું, “હે રાજન્ ! હું સર્વ લોકોને હણવા ઉદ્યત થયો હતો. પણ તારી જિનભક્તિથી સંતુષ્ટ થયો છું. માટે હવે મારું એક વાંછિત પૂર્ણ કર. હંમેશાં તારે એક એક મનુષ્ય આપી મને પ્રસન્ન કરવો.' રાજાએ જયારે તેમ કરવું કબૂલ કર્યું ત્યારે તે શિલા સંહરીને ચાલ્યો ગયો. - ત્યાર પછી પ્રતિદિન નવા નવા એકેક મનુષ્યનું તે ભક્ષણ કરવા લાગ્યો. નગરનિવાસી સર્વજનોના નામની પત્રિકા નાંખેલા કલશમાંથી કુમારી કન્યાનાં હાથે જેના નામની પત્રિકા નીકળે તે પ્રાત:કાળે રાજાની આજ્ઞાથી રાક્ષસના ભક્ષણને માટે જાય છે. યમરાજાની પત્રિકાની જેમ આજે મારું નામ નીકળ્યું છે. પૂર્વે એક કેવળી ભગવંત અહીં આવ્યા હતા, તેમને રાજાએ પૂછ્યું હતું કે, “આ રાક્ષસનો ક્ષય ક્યારે થશે ?' ત્યારે તેમણે કહ્યું હતું કે, “તેનો ઘાત પાંડવોથી થશે.” અદ્યાપિ પાંડવો તો અહીં આવ્યા નહીં. જેથી તેનો નાશ થયો નહીં. માટે આજે મારો નાશ નિર્મિત થઈ ચૂક્યો છે. તેથી બધા શોકાતુર છે.
દેવશર્માની વાત સાંભળી તેમજ તેના દુઃખથી દુઃખી થઈને ભીમ વિચારવા લાગ્યો, ‘જયાં સુધી મારાથી બીજાના પ્રાણની રક્ષા થતી નથી, ત્યાં સુધી મારાં બળ, શરીરો, પરાક્રમ અને ક્ષાત્રને ધિક્કાર છે. પ્રત્યેક જંતુ રોગ, શસ્ત્ર, અગ્નિ અને જળાદિ વડે તો સ્વયમેવ મૃત્યુ પામે છે, પણ ઉત્તમ પુરુષો તેમ મરણ ન પામતાં પરપ્રાણની રક્ષાને માટે પોતાનો દેહ ઉપયોગમાં લે છે.”
આવો વિચાર કરીને સાહસનિધિ ભીમસેન બોલ્યો, “હે વિપ્ર ! તું ઘરે જા. આજે હું તે રાક્ષસને તૃપ્ત કરીશ.' તેના આવા સાહસથી અંતરમાં હર્ષ પામી દેવશર્મા બોલ્યો, હે ભદ્ર! પરોપકારમાં પરાયણ એવા તમને આ વાત યોગ્ય છે. પરંતુ હું તમને રાક્ષસની પાસે ભક્ષણ કરાવી મારા જીવિતની રક્ષા કેમ કરું ? વળી “આવેલો અતિથિ સર્વનો ગુરુ છે.' એમ વિદ્વાનો કહે છે, તો તમારા પ્રાણથી હું મારા પ્રાણની રક્ષા કેમ કરું?”
આ પ્રમાણે કહેતા તે બ્રાહ્મણને બળાત્કારે ઘરમાં રાખી ભીમસેન રાજપુરુષોની સાથે તે રાક્ષસનાં ભવનમાં ગયો. પેલો રાક્ષસ બીજા રાક્ષસોની સાથે ત્યાં આવ્યો. ત્યારે મોટી કાયાવાળા ભીમસેનને શિલા ઉપર સૂતેલો જોઈ હર્ષ પામીને સેવકોને કહેવા લાગ્યો, “અહા ! આજે મારા ભાગ્યથી આ મોટી કાયાવાળો માણસ આવી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૪૩
Page #265
--------------------------------------------------------------------------
________________
ચડ્યો છે. તેથી આજે તો સર્વે ક્ષુધાતુરોની સારી રીતે તૃપ્તિ થશે.” એમ કહી કરવત જેવા દાંતને વારંવાર પીસતો, મુખમાં જીભને હલાવતો, ક્રોધથી આંખોને ફેરવતો અને દર્શનથી ભય પમાડતો આ રાક્ષસ હાથમાં ખગ લઈ અટ્ટહાસ્ય કરતો તેની આગળ આવ્યો. તેવામાં તો શરીર ઉપરથી વસ્ત્રને ત્યજી દઇને તેને બીવરાવતો ભીમસેન લોઢાની ગદા લઈ પર્વતની જેમ શય્યા ઉપરથી ઊભો થયો અને બોલ્યો કે, “હે રાક્ષસ ! ઘણા દિવસનું લોકોને હણવાનું તારું પાપ આજે ઉદયમાં આવ્યું છે. માટે હવે ઇષ્ટદેવને સંભાર. હમણાં જ તારો ક્ષય થશે.”
આવા આક્ષેપથી રાક્ષસ ક્રોધથી રાતો થઈ બીજા રાક્ષસોની સાથે દંડ ઉગામીને ભીમની સામે દોડ્યો. હસ્તલાઘવતાવાળા ભીમસેને મહાબળ વડે તેની સાથે બહુવાર સુધી યુદ્ધ કરીને પછી તેના મસ્તક પર ગદાનો ઘા કર્યો. એટલે તેનું મસ્તક ફૂટી ગયું. તે સમયે ભીમના મસ્તક ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને દેવતાઓના મુખમાંથી જય જય શબ્દના ધ્વનિ નીકળ્યા. આ સાંભળીને તે નગરનો રાજા અને લોકો અતિ હર્ષ પામી સર્વજનને જીવિત આપનાર ભીમસેનને વધાવવા લાગ્યા. આવી રીતે તેના પરાક્રમથી અને જ્ઞાનીના વચનથી “તે પાંડવો છે' એવું જાણીને રાજાએ તેમને પ્રગટ કરીને ભક્તિ કરી. આવું ઉત્કૃષ્ટ વિજ્ઞ નાશ પામતાં લોકો ભક્તિથી ચૈત્યમાં જિનેશ્વરની પૂજા અને સ્તુતિ કરવા લાગ્યા. પછી પાંડવો પોતે પ્રગટ થવાથી શત્રુ વડે ઉપદ્રવ થવાનો સંભવ ધારીને રાત્રિએ તે નગર છોડી તવનમાં આવી ગુપ્ત રીતે ઝૂંપડી બાંધીને ત્યાં રહ્યાં. • અર્જુનને અનેક પ્રકારની વિધાસિદ્ધિ :
“એકચક્રપુરમાં પાંડવો આવ્યા છે અને તેમણે રાક્ષસનો વધ કર્યો છે એ વાત દુર્યોધનને જાણવામાં આવતાં તે અંતરમાં ખેદ છતાં ઉપરથી હર્ષ બતાવવા લાગ્યો. દુર્યોધનનો તેવો ભાવ જાણી વિદુરે પ્રિયંવદ નામના એક સેવકને પાંડવોની પાસે મોકલ્યો. તવનમાં આવીને તેણે પાંડવોને નમસ્કાર કરીને અક્ષયસુખના કારણરૂપ વિદુરનો સંદેશો કહ્યો, ‘દુર્યોધન તમને દૈતવનમાં રહેલા જાણી કર્ણને લઇને ત્યાં આવશે. માટે મારી આજ્ઞાથી તમારે તે વન છોડી દેવું.'
તે સાંભળી દ્રૌપદી આકુળવ્યાકુલ થઈને બોલી કે, “તે પાપીઓ અદ્યાપિ આપણી ઉપર શું શું કરશે ? સત્યને માટે રાજય, દેશ, સેના અને ધન છોડી દીધા તો પણ હજુ શું અધુરું રહેલું છે? હું તમને પાંચ પાંડવોને વરી તેથી મને ધિક્કાર છે ! અને તમારા ક્ષાત્રને, વીર્યને અને શસ્ત્રગ્રહણને પણ ધિક્કાર છે ! હે માતા ! તમે વીરપત્ની છતાં આવા ક્લીબ પુત્રોને જન્મ આપ્યો છે કે જેથી તે વખતે કૌરવોએ સભા વચ્ચે
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૪૪
Page #266
--------------------------------------------------------------------------
________________
મારી તેવી વિડંબના કરી તેને પણ આર્યપુત્રોએ સહન કરી ! અને આપણે રાજ્ય છોડી વનનો આશ્રય કર્યો તો પણ ધૃતરાષ્ટ્રના પુત્રો વૈરથી વિરામ પામતા નથી.' દ્રૌપદીનાં આવા વચન સાંભળી ભીમસેન જાણે મૂર્તિમાન વી૨૨સ હોય તેમ પોતાનો હાથ પૃથ્વી પર પછાડતો ઉભો થયો. અર્જુને મેઘની જેમ ગર્જના કરીને ક્રોધથી ધનુષ્યનો ટંકાર કર્યો. જાણે તેમના પ્રતિબિંબ હોય તેવા નકુળ અને સહદેવ પણ રાતાં નેત્ર કરીને ખડ્ગ ઉછાળવા લાગ્યા. તેઓને ક્ષોભ પામેલા જોઇ ધર્મકુમારે કહ્યું, ‘હે મહાવીરો ! શાંત થાઓ. શત્રુઓને હરે તેવું તમારું બળ હું જાણું છું. યુદ્ધમાં ઉદ્યત થયેલા એવા તમારાથી મારું વચન મિથ્યા ન થાય માટે આપણે સ્વીકારેલી પ્રતિજ્ઞામાં બાકી રહેલો કાળ પૂરો થતાં સુધી રાહ જુઓ.'
આવી જ્યેષ્ઠબંધુની આજ્ઞા થતાં સર્વે અનુજો પાછા શાંત થઇ ગયા. યુધિષ્ઠિરે પ્રિયંવદને સામો સંદેશો કહી, તેનું સન્માન કરી હૃદયમાં વિદુરના વચનો ધારી લઇને વિદાય કર્યો. પછી પાંડવો દ્વેતવનને છોડી ગંધમાદન પર્વતમાં રહેવા ગયા. ત્યાં આગળ ઇન્દ્રકિલ નામનો પર્વત તેમણે જોયો. એટલે અર્જુન સમય આવેલો જાણી યુધિષ્ઠિરને જણાવીને તત્કાળ એકાગ્રમને વિદ્યા સાધવા માટે તે ગિરિમાં ગયો. ત્યાં શ્રી યુગાદિપ્રભુને નમી પવિત્ર થઇને મણિચૂડ વગેરે ખેચરો પાસેથી પ્રાપ્ત કરેલી વિદ્યાઓ સાધવા તે સ્થિર થયો. કમલાસન પર બેસીને ધ્યાન ધરતો અર્જુન મેરૂની જેમ નિષ્કપ અને શ્વાસોશ્વાસરહિત પાષાણની જેમ નિશ્વળ થઇ ગયો. એક મને રહેલા તે અર્જુનને ભૂત, વેતાળ, શાકિની, સિંહ, વ્યાઘ્ર અને હાથી વગે૨ે કોઇપણ પ્રાણી ધ્યાનથી જરાપણ ચલાયમાન કરી શક્યા નહીં. યોગ્ય સમયે સર્વ વિદ્યાદેવીઓ પ્રસન્ન થઇ તેની આગળ આવીને કહેવા લાગી કે, ‘અમે સર્વે તુષ્ટમાન થયેલ છીએ. માટે વરદાન માંગો.' અર્જુને ઉઠીને તેમને નમસ્કાર કર્યો. એટલે ઉજ્જવળ કાંતિવાળી તે વિદ્યાઓ અર્જુનના શરીરમાં સંક્રમિત થઇ.
·
અર્જુન તથા શિકારીનું યુદ્ધ
દેવ પ્રગટ ઃ
વિદ્યા સિદ્ધ કરી અર્જુન આનંદથી પર્વતના શિખર પર બેઠો હતો. ત્યાં કોઇ શિકારીથી હણાતો એક વરાહ તેણે જોયો. અર્જુને તેની પાસે આવીને કહ્યું, ‘અરે શિકારી ! આમ ન કર. આ તીર્થમાં મારા દેખતાં આ વરાહને કેમ મારે છે ? આ શરણ રહિત એવા નિરપરાધી ડુક્કરને મારે છે. તેથી તારું બળ, તારું જ્ઞાતાપણું અને તારું કુળ સર્વ વૃથા છે.'
આવી રીતે તેણે તિરસ્કાર કર્યો તેથી શિકારી બોલ્યો, ‘અરે વટેમાર્ગુ ! આ અરણ્યમાં સ્વેચ્છાથી વિચરતા એવા મને શા માટે વારે છે ? આ વનવાસી જીવોનો
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૪૫
Page #267
--------------------------------------------------------------------------
________________
કોઇપણ રક્ષક નથી. જો ક્ષાત્રબળથી તું રક્ષક થયો હોય તો રક્ષણ કરવું તે યોગ્ય છે.” તત્કાળ અર્જુને ક્રોધથી ધનુષ્ય હાથમાં લીધું એટલે તે શિકારીએ પણ ધનુષ્ય ગ્રહણ કર્યું અને પોતાની હસ્તલાઘવતાથી કંકપત્ર બાણો વડે વૃક્ષોને પત્રરહિત કરી દીધાં.તેઓના બાણો વડે પર્વતોના શિખરો દૂર જઈ પરસ્પર અથડાવા લાગ્યા. છેવટે તે માયાવી શિકારીએ અર્જુનના ધનુષ્યને હરી લીધું એટલે અર્જુન ખગ લઈને તેની સામે દોડ્યો. તેણે ખગ્ન પણ લઈ લીધું એટલે મહાપરાક્રમી અર્જુને સિંહનાદ કરીને હિંદયુદ્ધ માટે તેને બોલાવ્યો. પછી અર્જુને હસ્તલાઘવતા વડે તેને ચરણથી પકડી આકાશમાં ઉછાળ્યો. તત્કાળ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને એક દેવ પ્રગટ થયો.
આ શું ?' એમ આશ્ચર્ય પામીને હૃદયમાં વિચારતા અર્જુનને તે સંતુષ્ટ થયેલા દેવે કહ્યું, “હે પાર્થ ! જય પામો. હું તમારી ઉપર સંતુષ્ટ થયો છું. માટે જે ઇચ્છા હોય તે માંગો.' અર્જુન બોલ્યો, “જયારે સમય આવશે ત્યારે વરદાન માંગીશ, પણ હાલ તો તમે કોણ છો તે જાણવાની મારી જિજ્ઞાસા છે. તેથી કહો.” અર્જુનના વચન સાંભળી હર્ષિત થયેલા દેવે કહ્યું, “હે પાર્થ ! મારો વૃત્તાંત સાંભળો.” • ઇન્દ્ર રાજાની સહાય માટે અર્જુનનું પ્રયાણ :
વૈતાઢ્યગિરિ ઉપર રથનૂપુર નામે નગર છે. ત્યાં ઇન્દ્ર નામે વિદ્યાધરનો રાજા છે. ઈન્દ્રની જેમ દિકપાલનો સમૂહ તના ચરણકમળને સેવે છે. વિદ્યુમ્માલી નામે તેને એક અનુજબંધુ હતો. તે ઘણો ચપળ અને લોકોને પીડાકારી હોવાથી રાજાએ તેને નગરમાંથી કાઢી મૂક્યો. તે રોષ કરીને રાક્ષસના નગરમાં ચાલ્યો ગયો. ત્યાં તલતાળ નામના રાક્ષસોની સાથે તે મળી ગયો. પછી તેમની મદદથી તેણે ઈન્દ્રના દેશમાં બહુ પ્રકારના ઉપદ્રવો કરીને તેને અત્યંત ક્લેશ પમાડ્યો. છેવટે ઇન્દ્ર રાજાએ કેવલજ્ઞાનીનાં વચનથી તમને અહીં રહેલા જાણી તમને તેડી લાવવા માટે મને તમારી પાસે મોકલ્યો છે. “હે પાર્થ ! હવે આ રથમાં બેસો. આ કવચ, મુગટ અને ધનુષ્ય ગ્રહણ કરો. એ દુષ્ટ રાક્ષસોનો નિગ્રહ કરો અને જે ઇચ્છા હોય તે માંગી લ્યો.'
તે સાંભળતા જ અર્જુન ઉત્સાહથી મુગટ, કવચ, રથ અને ધનુષ્ય તથા ભાથાં સ્વીકારી ક્ષણવારમાં તે રાક્ષસનાં નગરમાં આવ્યો. રથનો ધ્વનિ સાંભળી રાક્ષસપુરમાં કોલાહોલનો ધ્વનિ થયો અને તે રાક્ષસો નગરની બહાર નીકળ્યા. તેમની સાથે અર્જુને યુદ્ધ શરૂ કર્યું. મહાઘોર યુદ્ધ કરી તેઓનો સંહાર કરીને ધનંજયે વૈતાઢય પર્વત પર આવી હર્ષથી ઇન્દ્રના ચરણમાં પ્રણામ કર્યા. ઇન્દ્ર આજ્ઞાથી વિજયી અર્જુનને આદરથી પોતાના અર્ધઆસન પર બેસાડ્યો. ઇન્દ્રની આજ્ઞાથી સર્વ લોકપાલોએ તેને નમસ્કાર કર્યા. પછી ઇન્દ્ર અર્જુનને દિવ્ય આયુધો આપ્યાં. ત્યાં અર્જુને હર્ષપૂર્વક ચિત્રાંગદને ધનુર્વેદ શીખવ્યો.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૪૬
Page #268
--------------------------------------------------------------------------
________________
કારણ કે પછી બંધુઓને મળવા માટે ઉત્કંઠિત થયેલો અર્જુન ઇન્દ્રવિદ્યાધર અને બીજા ખેચરોની આજ્ઞા લઈ વિમાનમાં બેસી સ્વસ્થાનમાં આવ્યો. તેણે કુંતી માતાને અને જયેષ્ઠ બંધુઓને નમસ્કાર કર્યો. લઘુબંધુઓને આલિંગન કર્યું અને દ્રૌપદીને દષ્ટિદાનથી પ્રસન્ન કરી. ચિત્રાંગદ વિદ્યાધરે અર્જુનનું પરાક્રમ કહ્યું. તે સાંભળી સૌ ખુશ થયા.
આવી રીતે તેઓ સર્વે પૂર્ણ આનંદથી ત્યાં રહેતા હતા. તેવામાં એક દિવસ આકાશમાંથી એક સુવર્ણકમળ તેમની વચ્ચમાં પડ્યું. તેને દ્રૌપદીએ ગ્રહણ કર્યું. બે હાથે તેને લઈ સૂંઘી હર્ષ પામીને દ્રૌપદી ભીમસેનને કહેવા લાગી કે, ‘પ્રિય ! આવાં કમળો કોઈ સરિતા કે સરોવરમાંથી મને લાવી દેખાડો.' તેની ઇચ્છા થતાં તત્કાળ ભીમસેન પંચ નમસ્કારનું સ્મરણ કરતો તેવાં કમળ શોધવા વનમાં ગયો. તે સમયે વિપરીત ફલ બતાવતું યુધિષ્ઠિરનું વામલોચન અને કુંતીનું દક્ષિણ લોચન ફરક્યું. તેથી તેને મોટા અપશુકનરૂપ જાણી ધર્મપુત્રે બંધુઓને કહ્યું કે, “કોઈ ભીમનો પરાભવ કરવા ઉદ્યત થાય તેવો આ દુનિયામાં છે નહીં તો પણ મારું નેત્ર કાંઇક ભીમને માટે અમંગલ સૂચવે છે. માટે ચાલો ઊઠો, અનુચરની જેમ આપણે તેની પાછળ જઈએ.”
પછી ત્યાંથી ઊઠીને તેઓ સર્વ ઠેકાણે ફર્યા પણ કોઈ ઠેકાણે ભીમસેનને મેળવી શક્યા નહીં. ત્યારે તેઓએ હિડંબાના વચનને સંભારીને તત્કાળ તેનું સ્મરણ કર્યું. સ્મરણ કરતાં જ હિડંબા ત્યાં આવી અને તે સર્વને પોતાના મસ્તક પર બેસાડી ભીમની પાસે લઇ ગઈ અને પછી પોતે પોતાના ઘેર ગઈ. ભીમે પોતાના સહોદર બંધુઓને પેલા પદ્મ લાવવા માટે સરોવર પાસે આવતાં માર્ગમાં આવેલી મુશ્કેલીની વાત કહી. તે જાણવાથી સર્વને અતિ આનંદ થયો. પછી દ્રૌપદીની સુવર્ણકમલની ઇચ્છા પૂરવા માટે ભીમસેન તે સરોવરમાં પ્રવેશ્યો. પેસતા જ તે અદૃશ્ય થઈ ગયો. તેની પાછળ અર્જુન પ્રવેશ્યો તો તે પણ અદશ્ય થયો. પછી બંને ભાઈની પાછળ ગયેલા યુધિષ્ઠિર અને તેની પાછળ નકુળ તથા સહદેવ સરોવરમાં પ્રવેશ્યા તો તે પણ અદૃશ્ય થઈ ગયા. • કાયોત્સર્ગના પ્રભાવથી પાંડવની મુક્તિ ઃ
શિકારી પ્રાણીઓથી ભરપૂર એવા વનમાં કુંતી અને દ્રૌપદી એકલા પડી ગયા અને પાંડવોને નહીં જોવાથી આકુળ-વ્યાકુલ થઈ રૂદન કરવા લાગ્યા, “હા દેવ ! ત્રણ લોકમાં વીર, દેવ, દાનવ અને રાક્ષસોથી પણ ક્ષોભ ન પામે એવા પાંચે પાંડવો
ક્યાં ચાલ્યા ગયા હશે ? કેટલીકવાર સુધી આવી રીતે રૂદન કરીને પછી તે બંને વિચારવા લાગ્યા કે, ચિંતા કરવાથી કે રૂદન કરવાથી શું વળશે ? એમ વિચારીને તેમણે પરમેષ્ઠીની સ્તુતિ તથા ધ્યાનમાં તત્પર થઇ કાયોત્સર્ગ કર્યો. જાણે પૂતળીઓ હોય તેમ કાઉસ્સગ્ગ ધ્યાને નિશ્ચળ રહેલી તે સતીઓના આઠ પહોર પસાર થયાં.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૪૭
Page #269
--------------------------------------------------------------------------
________________
બીજે દિવસે સૂર્યનો ઉદય થતાં આકાશમાંથી ઊતરીને પાંડવોએ વેગથી આવી માતાને નમસ્કાર કર્યો. એટલે કુંતી માતાએ કાયોત્સર્ગ પારીને, નમી રહેલા પુત્રોને કિંચિત્ નેત્રાશ્રુ વડે હર્ષથી નવરાવી દીધા. તેવામાં કોઇ છડીદારે આવી નમસ્કાર કરીને વિસ્મય ઉત્પન્ન કરતાં કુંતીને કહ્યું, “હે માતા ! કેવળજ્ઞાનીનો ઉત્સવ કરવા માટે આ રસ્તેથી ઇન્દ્ર જતા હતા. તેવામાં તમારી ઉપર આવતાં તેમનું વિમાન અલિત થઈ ગયું. તેથી તેનું કારણ જાણવા માટે ઇન્દ્ર પ્રહિત નામના તેના સેવક એવા મને મોકલ્યો. મેં અહીં આવી તમને જોઈને તેમને નિવેદન કર્યું. તમારું પરમેષ્ઠી નમસ્કારરૂપ મહામંત્રનું ધ્યાન જ પોતાનાં વિમાનને અલિત કરનાર છે એમ જાણી ઇન્દ્ર તમે શા માટે ધ્યાન કરો છો ? તે વિષે ચિંતવન કરી મને કહ્યું કે, “પાંચાલીના વચનથી પાંચે પાંડવો સુવર્ણકમલ લેવાને માટે મોટા સર્પોવાળા સરોવરમાં પ્રવેશ્યા હતા. તેથી તે સરોવરનો સ્વામી શંખચૂડ તેમને નાગપાશથી દઢ રીતે બાંધીને પાતાળમાં લઈ ગયો છે. તે પાંડવોને માટે આ બંને સતીઓ પરમેષ્ઠીની સ્તુતિ અને
મૃતિરૂપ ધ્યાન કરે છે, માટે મારી આજ્ઞા વડે તું પાતાળમાં જઈ શંખચૂડ પાસેથી તેમને છોડાવી સતીઓની પાસે લાવી તેમનું ધ્યાન મૂકાવ.'
આવો ઈન્દ્રનો આદેશથવાથી હું પાતાળમાં ગયો અને તે નાગપતિને આક્ષેપથી કહ્યું, “રે શંખચૂડ ! આ નિરપરાધી અને શસ્ત્ર વગરનાં પાંડવોને તે કેમ બાંધી લીધા છે ?' તેણે કહ્યું કે, “મારા સરોવરમાંથી કમળ લેવાની તેઓએ ઇચ્છા કરી, તેથી મેં બાંધી લીધા છે. પછી મેં તેને ઇન્દ્રનો નિર્દેશ કહી બતાવ્યો. એટલે તરત જ ઇન્દ્રની આજ્ઞાથી શંખચૂડે તેમનો સત્કાર કરીને પોતાના રાજ્યાસન ઉપર બેસાડ્યા. કેમ કે, સુર, અસુર અને મનુષ્યોને ઇન્દ્રની આજ્ઞા માન્ય છે. તમારા ચરણકમળમાં ભ્રમરરૂપ પાંડવોએ તેનું રાજય લેવામાં નિઃસ્પૃહ થઈ રણસંગ્રામમાં અર્જુનને સહાય કરવાની તેની પાસે માંગણી કરી. સર્પપતિએ તેમ કરવાનું અંગીકાર કરી અર્જુનને એક ઉત્તમ હાર, ધર્મકુમારને રત્નમય બાજુબંધ અને બીજાઓને હર્ષથી વિદ્યાઓ આપી. ‘હે માતા ! પછી તેણે મારી સાથે આ તમારા ન્યાયનિષ્ઠ પુત્રોને મોકલ્યા છે. હવે ઇન્દ્રના અખંડ ગમન માટે મને જલ્દી જવા રજા આપો.” પુત્રો આવવાથી થયેલા હર્ષથી કુંતીએ હર્ષવચનથી તે દેવનેવિદાય કર્યો અને કરકમળથી પુત્રોના અંગ પર સ્પર્શ કર્યો. એટલે પાંડવોએ પણ ફરીથી જનનીના ચરણકમલમાં વિનયપૂર્વક વંદના કરી. • પાંડવો દ્વારા દુર્યોધનની રક્ષા :
આવી રીતે છ વર્ષ પસાર કરીને પાંડવો ફરીથી પાછા વૈતવનમાં આવ્યા. દુર્યોધન, પાંડવોને ત્યાં આવેલા જાણીને વેગથી ત્યાં આવ્યો અને પોતાના સૈન્યને
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૪૮
Page #270
--------------------------------------------------------------------------
________________
દ્વિત સરોવરના નીર ઉપર પડાવ નંખાવ્યો. તે વખતે અનુચરોએ અને ચિત્રાંગદ વિદ્યાધરે તેને અટકાવ્યો. તો પણ તે સરોવરમાં પ્રવેશ્યો. તેથી ક્રોધ પામેલા વિદ્યાધરે આયુધ અને પરિવાર વગરનાં દુર્યોધનનું અનુજબંધુઓ સહિત હરણ કર્યું. ત્યારે તત્કાળ પોકાર કરતી તેના અંતઃપુરની સ્ત્રીઓ વિનયપૂર્વક યુધિષ્ઠિરની પાસે આવીને પતિભિક્ષા યાચવા લાગી; “હે જયેષ્ઠ ! જો કે ધૃતરાષ્ટ્રના પુત્રોએ તમારો અપરાધ ર્યો છે, તો પણ તમે ધર્મપુત્ર છો. માટે અનુજબંધુઓની ઉપર કૃપા કરો.”
આવી રીતે ભય પામેલી તે સ્ત્રીઓએ યુધિષ્ઠિરને કહ્યું ત્યારે ધર્મરાજાએ તત્કાળ તે કાર્ય કરવા માટે રણકર્મમાં સમર્થ એવા અર્જુનને આજ્ઞા કરી. અર્જુને જઇને તે વિદ્યાધરને યુદ્ધ માટે બોલાવ્યો એટલે વિદ્યાધર તરત પાછો વળ્યો. અર્જુનના પરાક્રમથી શત્રુ વિદ્યાધર મિત્રપણાને અંગીકાર કરી તત્કાળ અર્જુન પાસે આવીને નમ્યો અને દુર્યોધન આદિને છોડી દીધા. તે અવસરે અર્જુને ચિત્રાંગદ વિદ્યાધરને કહ્યું, “હે સખા ! હું અર્જુન છું અને મોટાભાઇની આજ્ઞાથી મેં આ પ્રમાણે કર્યું છે. માટે દુર્યોધનને સાથે લઈ તમે મારા વડીલબંધુ પાસે આવી તેમને નમી “હું નિરપરાધી છું' એમ જણાવી મને સત્ય પ્રતિજ્ઞાવાળો કરો.”
અર્જુનના આવા વચન સાંભળી ચિત્રાંગદ વિદ્યાધર ખુશ થયો. પછી તે વિદ્યાધર વિમાનમાં બેસીને અર્જુનને અગ્રેસર કરીને ધર્મપુત્રની પાસે આવ્યો. યુધિષ્ઠિરને જોતાં જ મસ્તકમાં પીડા થતી હોય તેમ અતિ કોપ કરતો દુર્યોધન તેમને નમ્યો નહીં અને અક્કડ થઈને રહ્યો ત્યારે ચિત્રાંગદે, “હે મૂઢ ! જે તારા વડીલ, તારા અન્યાયને સહન કરનાર અને તને જીવાડનાર છે. તેને પણ તું નમતો નથી ?' એમ કહીને બળાત્કારે દુર્યોધનને નમાડ્યો. દુર્યોધનને આલિંગન કરીને વાત્સલ્યધારી ધર્મપુત્ર પ્રીતિથી કુશળ પૂછ્યું. એટલે દુર્યોધને પોતાના ચિત્ત પ્રમાણે કહ્યું કે, “રાજયથી ભ્રષ્ટ થવું અને શત્રુઓથી પીડા પામવી, તે એટલી લજ્જા કરનાર નથી પણ આ તમને જે પ્રણામ કરવો પડ્યો તે મને અત્યંત પીડા કરે છે.' આવા તેના વચન સાંભળીને પણ કોપ નહીં કરતા યુધિષ્ઠિરે તેને આશ્વાસન આપીને તેના નગરમાં મોકલ્યો. તેનો સર્વ વૃત્તાંત જાણી ગાંગેય અને વિદુર પ્રમુખ સર્વે દુર્યોધનને સમજાવવા લાગ્યા કે, તે અર્જુનનું બળ જોયું, માટે હવે તેમની સાથે સંધિ કર.' પણ દુર્યોધને તેમના હિતવચન ગણકાર્યા નહીં. • જયદ્રથ દ્વારા દ્રોપદી હરણ :
એક વખત જ્યાં પાંડવો હતા તે માર્ગે થઇને ધૃતરાષ્ટ્રની પુત્રી દુઃશલ્યાનો પતિ જયદ્રથ રાજા જતો હતો. તેને કુંતીએ પોતાનો જમાઈ જાણી નિયંત્રણ કરીને
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૨૪૯
Page #271
--------------------------------------------------------------------------
________________
રોક્યો. અર્જુને સત્વર દિવ્યશક્તિથી ભોજન લાવી તેને જમાડ્યો. ત્યાં જયદ્રથે દ્રૌપદીને જોઇ. એટલે તેનામાં આસક્ત થયેલો કાંઇક છળ કરી, પાંડવોને છેતરીને જયદ્રથ દ્રૌપદીને રથમાં બેસાડીને ચાલ્યો. તે ખબર પડતાં જ ક્રોધથી તેની પાછળ દોડતા ભીમ અને અર્જુનને કુંતીએ કહ્યું કે, ‘તે અપરાધી છતાં આપણો જમાઇ છે. માટે તેને મારશો નહીં.’ અર્જુને તત્કાળ પાછળ જઇ ધનુષ્યના ટંકારથી અને અત્યંત ભયંકર બાણધારાની વૃષ્ટિથી રાજા જયદ્રથની સેનાને ભય ઉપજાવીને ઉન્માર્ગગામિની કરી દીધી. ગદાના ઘા વડે ભીમસેને તેના હાથીઓને લોહી વમતા કર્યા. પછી અર્જુને અર્હચંદ્ર બાણોથી જયદ્રથની ધ્વજા અને દાઢી મૂછના કેશ છેદી નાખ્યા. પરંતુ માતાના વચનથી તેને જીવથી હણ્યો નહીં અને એ જ હાલતમાં જીવતો છોડી દીધો તથા દ્રૌપદીને રથમાં બેસાડી પાછી લઇ આવ્યા અને માતાના ચરણમાં વંદના કરી. માતાએ પણ સ્નેહપૂર્વક બંને પુત્રોને બે હાથે સ્પર્શ કર્યો.
પાંડવોને હણવા માટે દુર્યોધને કરાવેલ ઉદ્ઘોષણા :
આ પ્રમાણે સર્વે આનંદિત થઇને બેઠા હતા, તેવામાં નારદમુનિ આકાશમાંથી ઉતરી તેઓથી પૂજાએલા તેમની મધ્યમાં બેઠા. પછી એકાંતે લઇ જઇને નારદે તેમને કહ્યું, ‘હે પૃથાકુમારો ! દુર્યોધનનો જે વિચાર છે તે સાંભળો. તમારી પાસેથી છૂટીને અધમ દુર્યોધન પોતાની નગરીમાં આવ્યો ત્યારથી તે પાપી તમને મારવાના ઉપાયો ચિંતવ્યા કરે છે. પરંતુ કપટથી પણ તમને મારવા પોતે અશક્ત થયો તેથી તેણે રાત્રે નગરમાં આ પ્રમાણે ઘોષણા કરાવી છે કે, ‘જે કોઇ ઉત્તમ પુરુષ કપટથી કે બાહુબળથી પાંડવોને હણશે, તેને હું અવશ્ય અર્ધું રાજ્ય આપીશ.'
આવી ઘોષણા સાંભળી પુરોચન પુરોહિતના પુત્રે પોતાના પિતાના વૈરથી દુર્યોધનને જણાવ્યું કે, ‘પ્રભુ ! આ કાર્ય માટે તમે નિશ્ચિત બનો. મારી પાસે મને વરદાન આપનારી અને સર્વ કાર્ય કરનારી કૃત્યા નામે વિદ્યા છે. તેના પ્રભાવથી હું ત્રણે લોકને ક્ષોભ ઉપજાવી શકું છું.' તે સાંભળી પાપી દુર્યોધન ખુશ થયો અને એ પુરોહિતકુમારને વસ્ત્રાલંકાર તથા માળાથી પૂજીને તેની પ્રશંસા કરી. તે પાપી હાલ વિદ્યા સાધે છે. સાધીને તે અહીં આવવાનો છે. તે અમોઘ વિદ્યા વિશ્વનો નાશ કરવા પણ સમર્થ છે. તેથી હે પાંડવો ! સ્નેહ અને સાધર્મીપણાને લીધે મેં અહી આવીને તમને જણાવ્યું છે, માટે તેના નિવારણનો કોઇ ઉપાય વિચારો.'
તે સાંભળીને ધર્મસુનુ યુધિષ્ઠિરે જણાવ્યું કે, ‘તમે જાણીને અમને કહ્યું તે બહુ સારું કર્યું. પણ તે પોતાના કાર્યમાં સમર્થ થશે નહીં.' એમ કહી બહુમાનથી નારદને તેમણે વિદાય કર્યા. પછી પાંડવો, કુંતી અને દ્રૌપદીની સાથે તે વિઘ્ન કાર્યને ટાળવામાં શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૫૦
Page #272
--------------------------------------------------------------------------
________________
તપને પ્રમાણ કરતાં તેઓ કાયોત્સર્ગ કરવા માંડ્યાં. એક પગે ઊભા રહી, સૂર્યની સામે નેત્ર કરી આદરપૂર્વક પરમેષ્ઠીની સ્તુતિ તથા ધ્યાનમાં નિશ્ચળ થઈને રહેવા લાગ્યા. ટાઢ, તડકો વગેરે ક્લેશને સહન કરતા તેઓએ સમાધિપૂર્વક જિનધ્યાનમાં તત્પરપણે સાત દિવસ નિર્ગમન કર્યા. આઠમે દિવસે અકસ્માતુ પ્રચંડ વાયુ ઉત્પન્ન થયો. મહાવાયુ વા વા લાગ્યો. તેમ તેમ પાંડવોનો ધ્યાનરૂપ દીપક વધારે નિશ્ચળ થવા લાગ્યો. • દ્રૌપદી દ્વારા કૃત્યા રાક્ષસીથી પાંડવોનું રક્ષણ :
તે સમયે અશ્વોના હષારવથી, સુભટોના સિંહનાદોથી, રથના ચિત્કારથી અને નિઃસ્વાન પ્રમુખ વાજિંત્રોથી પર્વતોને પણ ફાડતું મોટું સૈન્ય ત્યાં આવ્યું. તેમાંથી કોઈ એક પુરુષ તેમની નજીક આવી ધ્યાન ધરતી કુંતી અને દ્રૌપદીને ઉપાડી ઘોડાના સ્કંધ પર બેસાડી પોતાનાં સૈન્યમાં ચાલ્યો ગયો. “હે વત્સો ! હે રણમાં શૂરવીરો ! હે માતૃવત્સલો ! હે ભીમ ! હે અર્જુન ! આ લોકો અમને મારે છે. તેનાથી અમારી રક્ષા કરો.” આ પ્રમાણે દ્રૌપદી અને કુંતીએ ઊંચે સ્વરે પોતાના પુત્રોને પોકાર કરવા માંડ્યો. • કૃત્યા રાક્ષસીનું આગમન :
તે સાંભળી ધ્યાનથી ચલિત થઈ પાંડવો રોષ વડે પોતપોતાનાં શસ્ત્રો લઈ સિંહનાદથી ગર્જના કરતાં ચાલ્યા. પાંચે પાંડવોના પરાક્રમથી સર્વ સૈન્ય દીનતાપૂર્વક ચારે બાજુથી અત્યંત પરાભવ પામ્યું અને સર્વ દિશાઓમાં તત્કાળ અદશ્ય થઈ ગયું. હવે તે વખતે ધર્મરાજાને અત્યંત તૃષા લાગી, બીજા સર્વે પણ તૃષાતુર થયા; એટલે તેઓ જળ શોધવા લાગ્યા. આગળ જતાં કમલથી શોભતું એક સરોવર તેમણે જોયું. તે સરોવરમાંથી સર્વેએ કંઠ સુધી જળ પીધું. જળપાન કર્યા પછી થોડીવાર થઈ ત્યાં તે જળપાનથી જ તે સર્વે અકસ્માતુ મૂચ્છિત થઈને પૃથ્વી ઉપર આળોટવા લાગ્યા. એવામાં પોતાના પતિની શોધમાં ફરતી દ્રૌપદી ત્યાં આવી. પતિઓને પૃથ્વી પર આમતેમ તરફડતા જોઇ દુઃખાર્ત થયેલી દશે દિશાઓમાં જોવા લાગી. તેટલામાં વલ્કલ વસ્ત્રને ધારણ કરતી કોઈ ભિલ્લ સ્ત્રી તેની આગળ આવી.
દ્રૌપદી તે સ્ત્રીને કાંઇક કહે તેવામાં તીવ્ર લોચનવાળી, એક હાથમાં કાપાળ અને ખડ્રગને ધારણ કરનારી, તેમજ અટ્ટહાસ્ય કરતી અતિ ભયંકર કૃત્યા રાક્ષસી બીજા હાથમાં કૃત્તિ રાખીને પ્રગટ થઈ. ત્યાં પાંડવોને આમતેમ આળોટતા જોઇ, પોતાનું કાર્ય કરવામાં ઉત્સાહવાળી થઈ અને મુખમાં જીભ હલાવતી તેમની આસપાસ ફરવા લાગી. તેના દર્શનથી કંપતી દ્રૌપદીએ ભિલ્લ સ્ત્રીને પોતાની વચમાં ઊભી રાખી અને કૃત્યાને કહ્યું, “હે દેવી ! તારા આવવાના પવનથી આ ચમદહી પ્રાણીઓ ભયથી તુરત મૂચ્છ પામી ગયા છે અને તેઓ ક્ષણવારમાં પ્રાણને પણ છોડી દેશે
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૫૧
Page #273
--------------------------------------------------------------------------
________________
એમ જણાય છે. ત્રણે જગતમાં એવો કોઈ પુરુષ નથી કે જે તારા ક્રોધને સહન કરી શકે. તેથી હે દેવી ! સ્વયમેવ જ મરેલા આ સર્વને મારવાથી તારું કાંઇપણ પરાક્રમ ગણાશે નહીં.” આ પ્રમાણે દ્રૌપદીએ ભક્તિસહિત યુક્તિ વડે તેને સમજાવી. એટલે તે પોતાને કૃતકૃત્ય માનતી અને હાસ્ય કરતી કરતી પાછી ચાલી ગઇ.
તેના ગયા પછી દ્રૌપદી પાસે આવી પાંડવોને જોવા લાગી ત્યારે તેમને મૃતપ્રાયઃ જાણી મૂચ્છિત થઈ ફરી ચૈત્યન્ય પામી વારંવાર ઊંચે સ્વરે વિલાપ કરવા લાગી. ત્યારે ત્યાં ઊભેલી ભિલ્લની સ્ત્રીએ તેના આંસુ લૂછીને કહ્યું, “હે સુશીલા ! આ સર્વે માયાથી મૂચ્છ પામેલા છે, તેઓને મણિકાળા નદીના જળથી પાછા સજીવન કર.” તે સાંભળી દ્રૌપદી ખુશ થઇ, અને પાસેની મણિકાળા નદીનું જળ લાવી, તેનું સિંચન કરીને તેઓને સજીવન કર્યા. અકસ્માત્ સૂઈને ઊઠ્યા હોય તેમ ઊઠીને પાંડવો આશ્ચર્ય પામી દ્રૌપદીનાં વચનથી બધી હકીકત સાંભળી, વિચાર કરવા લાગ્યા કે, અહીં સૈન્ય સાથે ક્યો રાજા આવ્યો? દ્રૌપદીનું હરણ કોણે કર્યું? વિષમય જળવાળું સરોવર ક્યાંથી થયું ? આ પ્રિયા દ્રૌપદી ભિલ્લ સ્ત્રીના વચનથી અહીં સ્વયમેવ ક્યાંથી આવી? વળી તેણે અમૃત જેવા મણિકાળા નદીના જળથી આપણને શી રીતે જીવાડ્યા ? અહો ! શું આ વિધિનો વિલાસ છે ? કે ચિત્તનો ભ્રમ છે ? અથવા શું દૈવનું ચેષ્ટિત છે ? કે સ્વપ્ન છે ?
આવી રીતે પાંડવો વિચારતા હતા, તેવામાં તેજથી પ્રકાશ પાથરતો કોઈ દેવ ત્યાં આવી શુદ્ધવાણી વડે તેમને કહેવા લાગ્યો, “હે ધર્મકુમાર ! આ કાર્યથી તમે ચિત્તમાં કેમ આશ્ચર્ય પામો છો ? આ સર્વ માયા કૃત્યાને ઠગવા માટે મેં કરી હતી. તમે કરેલા અહંનાં ધ્યાનથી સંતુષ્ટ થયેલો હું ઇન્દ્રનો સેનાપતિ હરિર્ઝેગમેલી દેવ છું અને મેં માયા કરીને ત્યાને ઠગી છે. હવે જ્યારે જરૂર પડે ત્યારે મને સંભારજો .” એમ કહી તેણે પાંડવોને કેટલાંક આભૂષણો આપ્યા. પછી તે પરમદ્ધિક દેવ પોતાના સ્થાને ગયો.
પૂર્વના વિશેષ પુન્યથી, સર્વ દુઃખ અને ઉપાધિથી મુક્ત થયેલા પાંડવો સમાધિ સહિત વિશેષ રીતે પ્રભુના ધ્યાનમાં તત્પર થયા. એક વખત મધ્યાહ્ન કાળે રસોઈ તૈયાર થઈ હતી. તેવા અવસરે કોઈ માસખમણના તપસ્વી મુનિ પારણા માટે ત્યાં આવ્યા. સાક્ષાત્ સમતારસરૂપ તે મુનિને જોઇ પાંડવોએ હર્ષના ઉત્કર્ષથી તેમને નમસ્કાર કર્યો. પછી રોમાંચ ધારણ કરતા અને હર્ષથી પોતાને ભાગ્યશાળી માનતા તેઓએ ભક્તિથી મુનિને દાન આપ્યું. તે વખતે આકાશમાં દુંદુભિ વાગી, સુવર્ણની વૃષ્ટિ થઇ, વસ્ત્રોની વૃષ્ટિ થઈ અને જય જયારવ થયો. પછી શાસનદેવીએ આકાશમાં રહીને કહ્યું, “હે વત્સો ! હું શાસનદેવી છું અને તમારા દાનનાં માહાભ્યથી સંતુષ્ટ થયેલી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૫ર
Page #274
--------------------------------------------------------------------------
________________
છું. તમે વનમાં બાર વર્ષ પસાર કર્યા છે, હવે તેરમું વર્ષ વેષ પરાવર્તન કરી મત્સ્ય દેશમાં રહીને નિર્ગમન કરો.' એમ કહી શાસનદેવી અંતહિત થયા. પછી પાંડવો પોતાની કરેલી પ્રતિજ્ઞાનો નિર્વાહ કરવાને માટે એકઠા થઇ વિચાર કરવા લાગ્યા. • પાંડવોનો ગુખવાસ - કીચકનો વધ :
તે અવસરે ધર્મરાજ બોલ્યા, “હું કંક નામે બ્રાહ્મણ વેષ લઇ વિરાટ રાજાનાં ઘેર રહીશ.” ભીમે કહ્યું, “હું વલ્લવ નામે રાજાનો રસોઇઓ થઇને રહીશ.' અર્જુન બોલ્યો, “હું ખૂહુન્નટ નામે નાટ્યકળાનો શિક્ષક થઈને રહીશ.' નકુલે કહ્યું, “હું ગાંધિક નામે અશ્વપાળ થઈશ.” સહદેવ બોલ્યો, “હું તંત્રપાળ નામે ગોપાળ થઈને રહીશ.” દ્રૌપદી બોલી, “હું સૈરઘી નામે રાજાની પત્નીની અનુચરી થઈશ.' કારણ કે તે કામ મારે સુખદાયક અને યોગ્ય છે. પરસ્પર આવો વિચાર કરી પોત-પોતાના ધારેલા વેષને ધારણ કરીને તેઓ અનુક્રમે વિરાટ દેશમાં આવ્યા. નગરમાં નજીક ભાગમાં સ્મશાનની અંદર શમીવૃક્ષની ઉપર પાંડવોએ પોતાના ધનુષાદિ શસ્ત્રો સ્થાપન કર્યા. સભામાં આવતાં તેમને વિરાટ દેશના રાજાએ તેમના ઇચ્છિત કામ ઉપર નીમી દીધા.
ત્યાં સન્માનપૂર્વક તેઓ ગુપ્તવૃત્તિએ સુખે રહેવા લાગ્યા. કુંતીને કોઇના ઘરમાં ગુપ્ત રાખ્યાં. રસોઈના કામ પર રહેલા ભીમે રણભૂમિમાં મલ્લ સુભટોને મારી નાખ્યાં, તેથી તે રાજા પાસે વિશેષ માન પામ્યો.
વિરાટ રાજાની રાણી સુદૃષ્ણાને એકસોને છ ભાઇઓ હતા. જેઓ રાજાના સાળા થતા હતા તેઓમાં કીચક નામે મુખ્ય હતો. તે કીચકે એકવાર પોતાની બહેન સુદેખ્તાના મહેલમાં રૂપવાન દ્રૌપદીને જોઈ. તેથી મોહ પામી ગયો. સમય મેળવી કીચકે ચતુર વાણીથી દ્રૌપદીની પ્રાર્થના કરી. દ્રૌપદીએ તેને ધિક્કારીને કાઢી મૂક્યો. તેથી કીચકે દ્રૌપદી સંબંધી અભિલાષ પોતાની બહેન સુદૃષ્ણાને જણાવ્યો. કીચકને સુદેષ્માએ કહ્યું કે, “હું કોઇ ન્હાનું કરી સૈરઘીને તારા આવાસમાં મોકલીશ. એટલે ત્યાં તું તેની પ્રાર્થના કરજે.” એવી રીતે સુદૃષ્ણાએ કીચકને આશ્વાસન આપ્યું.
ત્યારપછી સુષ્માએ કોઈ ન્હાનું કાઢીને બળાત્કારે દ્રૌપદીને કીચકના ઘેર મોકલી. પૃથ્વી પર લોચન રાખીને પોતાને ઘેર આવતી તેને જોઈ કીચક ઉત્કંઠિતપણે તત્કાળ ઊભો થઈ પહોળા હાથ કરીને બોલ્યો, “હે કાતરાણી ! અહીં આવ, અહીં આવ, મને આલિંગન આપ. હે પ્રિયા ! કામદેવથી પીડિત એવા મને પ્રસન્ન કર.” એવાં તેના શ્રુતિકટુ વચન સાંભળી દ્રૌપદી બોલી, “રે મૂઢ ! તું આવું પાપી વચન બોલ નહીં. મારા પાંચ પતિઓ ગુપ્ત રીતે રહ્યા છે, તેઓ તને મૃત્યુ પમાડી દેશે.” આવી રીતે કહેતી દ્રૌપદીને કીચકે કેશમાંથી પકડી અને આર્તપોકાર કરતી બાળા ઉપર
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૫૩
Page #275
--------------------------------------------------------------------------
________________
તેણે ચરણના પ્રહાર કર્યા. કસાઇના ઘરમાંથી મેંઢી છૂટે તેમ તેની પાસેથી માંડ માંડ છૂટીને ધૂળથી લીંપાયેલા શરીરવાળી પાંચાલી તત્કાળ મત્સ્ય રાજાની સભામાં આવી.
ત્યાં ધર્મરાજાને જોઇને છૂટા કેશવાળી દ્રૌપદી ગુપ્તપતિના નામાક્ષરો યુક્ત આ પ્રમાણે વિલાપ કરવા લાગી, “હે રાજા ! જેઓ યુદ્ધમાં સ્થિર (યુધિષ્ઠિર), જેઓ ભીમભયંકર (ભીમસેન), જેઓ જયના ચિહ્નવાળા (અર્જુન) અને જેઓ ભુજાધારી (નકુળ અને સહદેવ) છે. તેઓ હોવા છતાં પણ કીચકે મારી કદર્થના કરી.” આવો વિલાપ કરતી દ્રૌપદીને કંક થયેલા ધર્મરાજે કૂટ રોષ અક્ષરોથી કહ્યું, “હે સ્ત્રી ! જો તારા પતિ કોઇ ઠેકાણે ગુપ્ત હશે અથવા તેમાં કોઈ ભીમ (ભયંકર) હશે તો તારું રક્ષણ કરશે. માટે અહીં વિઘ્ન કર નહીં. રાજમહેલમાંથી ચાલી જા. તે સાંભળી દ્રૌપદી ચાલી ગઈ.
રાત્રિએ દ્રૌપદીએ સર્વ વૃત્તાંત ભીમને કહ્યો. એટલે ભીમે મધુર વચને આશ્વાસન આપીને કહ્યું કે, “દુર્યોધનનો અપરાધ અમે સહન કર્યો છે, તે ધર્મપુત્રની સત્યતા માટે. પણ આ કીચકનો અપરાધ અમારે સહન કરવો યુક્ત નથી. માટે તમે તેને સ્નેહના કૂટ વચનથી સંગમના બહાને રંગમંડપમાં બોલાવો. પછી આજ રાત્રે ત્યાં જ હું તેને હણી નાંખીશ.” આવી રીતે કહી ભીમસેને તેને આશ્વાસન આપ્યું. પછી દ્રૌપદીને ત્યાંથી જતાં માર્ગમાં કીચક મળ્યો. એટલે તેણે કૂટસ્નેહનાં વચનો કહીને રાત્રે રંગમંડપમાં આવવાનું કહ્યું. એ અક્ષરો સાંભળી હર્ષ પામેલો તે મૂર્ણ રાત્રિના પહેલા જ પહોરમાં હે પ્રિયા ! તું ક્યાં છે ? તું ક્યાં છે? એમ પોકાર કરતો મંડપમાં આવ્યો. ત્યાં ભીમ દ્રૌપદીનો વેષ ધરીને બેઠો હતો. તેનો કીચકે સ્પર્શ કર્યો. એટલે તત્કાળ કોઈ ન જાણે તેમ ભીમે તેને મારી નાખ્યો અને પાછો વેગથી રસોડામાં જતો રહ્યો.
પ્રાતઃકાળે મૃત્યુ પામેલા કીચકને જોઈ તેના ભાઇઓ તેને શિબિકામાં બેસાડીને અગ્નિસંસ્કાર કરવા ચાલ્યા. ત્યાં આગળ સૈરંઘીને જોઇને આ સ્ત્રીને કારણે જ આપણા બંધુનો વધ થયો, તેમ બોલતા તેઓ દ્રૌપદીને કેશ વડે પકડી ખેંચીને લઇ ચાલ્યા અને તેને ચિતાગ્નિમાં નાખવા તૈયાર થયા. રુદન કરતી અને મનમાં પતિનું સ્મરણ કરતી દ્રૌપદીને તેઓ ચિતાની પાસે લાવ્યા. તે સમયે બળવાન ભીમસેન અકસ્માત ત્યાં આવી ચડ્યો અને કીચકના બંધુઓને કૂટી કૂટીને અગ્નિમાં નાખ્યા. દ્રૌપદીને દુઃખ મુક્ત કરી. કીચકોને કોઈ ગંધર્વોએ મારી નાખ્યા એવું જાણી વિરાટ રાજાએ બંધુઓના શોકથી વિહ્યલ એવી સુદૃષ્ણાને સમજાવ્યું, “હે સુલોચના ! કેટલાક દિવસ માટે તું આમ વ્યથિત બનીને મને દુઃખી ન કર ! કોપ છોડીને હમણાં એ સૈરંઘીનું તું સન્માન કર, જયારે સમય આવશે ત્યારે તેના ગુપ્ત રહેલા ગંધર્વપતિઓ પોતાની સ્ત્રીને લઈ જશે.' આવી રીતે પતિએ સમજાવવાથી સુદેષ્મા સ્વસ્થ થઈ.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૫૪
Page #276
--------------------------------------------------------------------------
________________
• ગુપ્તવાસમાં રહેલા પાંડવોને શોધવા માટે દુર્યોધનની યુક્તિ :
હવે અહીં દુર્યોધનની આજ્ઞાથી કેટલાક હરિકો - ગુપ્તચરોએ ઘણા દેશોમાં ફરીને પાંડવોને શોધ્યા પણ જયારે તેઓને ક્યાંય પણ જોયા નહીં ત્યારે પાછા આવી તેઓ દુર્યોધનને કહેવા લાગ્યા કે, “હે રાજા ! કોઇ ઠેકાણે પાંડવો અમારા જોવામાં આવ્યા નથી.' તે સાંભળી દુર્યોધને ભીષ્મ અને વિદુરના મુખ સામું જોયું. તેનો ભાવ જાણી લઇ ગંગાપુત્ર ભીષ્મ બોલ્યા, ‘અહના વિહારની જેમ જે દેશમાં સાત ઇતિઓ (ઉપદ્રવો) ભય અને રોગનો સંભવ ન હોય, ત્યાં પાંડવો રહેલા છે” એમ સમજી લેવું. ત્યારે દૂતો બોલ્યા. “સર્વ દેશોમાં જોતાં આધિ-વ્યાધિથી વર્જિત અને ધન-ધાન્ય વડે સ્વર્ગના ખંડ જેવો અત્યારે મત્સ્યદેશ શોભે છે.” એટલે દુર્યોધન બોલ્યો. એ ગુપ્ત રહેલા પાંડવોને કેવી રીતે જાણી લેવા?' તે વખતે સુશર્મા રાજા દુર્યોધનને નમસ્કાર કરીને બોલ્યા કે, “પાંડવો જરૂર મત્યદેશમાં જ વિચરતા હશે, તેથી જો આપણે ત્યાં જઈને મત્સ્ય રાજાના નગરમાંથી ગાયોનું હરણ કરશું, તો પાંડવો અકાળે પણ પ્રત્યક્ષ થશે. એક તરફ મત્સ્ય દેશનો રાજા કે જે આપણો પ્રથમથી શત્રુ છે, તેનો નિગ્રહ થશે અને બીજી તરફ ગોહરણ કરવાથી પ્રત્યક્ષ થયેલા પાંડવોને પણ હણી શકાશે.”
સુશર્માનો આ વિચાર સાંભળી કર્ણ પ્રમુખ વીરોએ ઉશ્કેરેલો દુર્યોધન ગોહરણના આશયથી મોટું સૈન્ય લઇને મત્સ્ય દેશ તરફ ચાલ્યો. અનુક્રમે મત્સ્ય દેશમાં આવી વિરાટ નગરની સમીપે રહ્યો. પછી દુર્યોધનની આજ્ઞાથી પ્રથમ નિર્ભય એવા ત્રિગર્તપતિએ વિરાટનગરના પ્રદેશમાં દક્ષિણ દિશામાં છોડેલી ગાયોને પોતાના સૈન્યથી હરી લીધી. તત્કાલ ગોપાલ વિરાટ રાજાની સભામાં આવી વિરાટ રાજાને નમ્યો અને બોલ્યો કે, “હે રાજેન્દ્ર ! પ્રથમ રણભૂમિમાં કીચકે જેનો ભંગ કર્યો હતો, તે સુશર્મા રાજાએ પોતે જ આવીને તમારા નગરની આસપાસ ચરતી ગાયોને હરી લીધી છે.”
તે સાંભળતાં જ ક્રોધ વડે ઉદ્ધત એવો વિરાટ રાજા ધનુષ્યના ટંકારથી જગતને બહેરો કરતો સૈન્ય લઇને શત્રુઓની પાછળ દોડ્યો. સૂર્ય, શંખ, મંદિરાક્ષ ઇત્યાદિ પોતાના શ્રેષ્ઠ પુત્રોની સાથે તેણે શત્રુઓને ચારે બાજુથી ઘેરી લીધા. પરસ્પર અમર્શ ધરીને રણમાં તાંડવ કરતાં તે વીરોના શત્રુઘાતક બાણોથી આકાશ છવાઇ રહ્યું. તે વખતે સૂર્ય અંધકારનો નાશ કરે તેમ વિરાટપતિએ ક્ષણવારમાં હજારો શત્રુઓનો નાશ કર્યો. એટલામાં સૂર્ય પણ અસ્ત પામી ગયો. તે વખતે પોતાના અનેક સુભટોના સંહારથી ક્રોધ પામેલો સુશર્મા રાજા ધનુષ્યનો ધ્વનિ કરવાપૂર્વક મત્સ્યપતિ ઉપર દોડ્યો. ત્રિગર્તદેશના સ્વામી સુશર્માએ પણ ક્રોધથી શસ્ત્રોનો વર્ષાદ વર્ષાવવા માંડ્યો. પરસ્પર બાણવર્ષા થઇ ત્યારે વિરાટ રાજાનું સર્વ સૈન્ય ત્રાસ પામ્યું. માત્ર એક વિરાટ
માહામ્ય સાર • ૨૫૫
Page #277
--------------------------------------------------------------------------
________________
રાજા જ સ્થિર રહ્યા. થોડીવારે તે પણ વિધુર થઇ ગયા. આથી શસ્ત્ર અને ૨થ વગરના થઇ ગયેલા વિરાટ રાજાને બાંધી રથમાં નાખીને સુશર્મા સૈન્યસહિત પાછો વળ્યો. તે ખબર સાંભળી યુધિષ્ઠિર, ભીમ, નકુળ અને સહદેવ તેની પાછળ સુશર્માની સેનાને અત્યંત ઉપદ્રવ કરવા લાગ્યા. તે વખતે, ‘હું તમારો દાસ છું અને તમને ઐશ્વર્ય આપીશ' એમ બોલતા ત્રિગર્તપતિ સુશર્માને ભીમે બાંધી લીધો અને ક્ષણવારમાં વિરાટપતિને છૂટો કર્યો. તે વખતે હર્ષ પામેલો વિરાટ રાજા ધર્મપુત્રે કહેલું પાંડવોનું આખ્યાન સાંભળવા તત્પર થઇ ઉત્સવપૂર્વક ત્યાં જ રાત્રિ રહ્યો.
ગુપ્ત વેષમાં રહેલા અર્જુને દુર્યોધન વગેરેનો કરેલો પરાભવ :
બીજા દિવસે વિરાટનગરની ઉત્તર દિશામાં રહેલી ગાયોને દુર્યોધને હરી લીધી. તે ખબર ગોપાળે સત્વર આવી અંતઃપુરમાં રહેલા વિરાટપતિના પુત્ર ઉત્તરકુમારને કહ્યા. તે સાંભળીને રોષથી ઉલ્લસિત વીર્યવાળા ઉત્તરકુમારે માતાની પાસે આવીને કહ્યું કે, ‘મારે યુદ્ધ કરવા જવું છે, પણ મારી પાસે કોઇ સારો સારથી નથી.’ તેના ઉગ્ર પરાક્રમવાળા વચન સાંભળી દ્રૌપદી તત્કાળ બોલી; ‘હે રાજકુમાર ! તમારી બહેનના કલાચાર્ય જે બૃહન્નડ નામે છે, તે અર્જુનના સારથી છે. તે પુરુષ તમારા પણ સારથી થશે.' તે સાંભળી ઉત્તરકુમારે પોતાની નાની બહેનને મોકલી બૃહન્નડને બોલાવ્યો. તેણે ઉત્તરકુમારના બહુ આગ્રહથી સારથીપણું કરવાનું સ્વીકાર્યું. યુવતીજનને હાસ્ય કરાવવા પ્રથમ અર્જુને અવળું બન્નર પહેર્યું, પછી રથમાં બેઠો. અર્જુને હાંકેલા અશ્વોના વેગથી ઉત્તરકુમાર તત્કાલ કૌરવસેના પાસે આવી પહોંચ્યો. ભીષ્મ, કૃપાચાર્ય, કર્ણ અને દુર્યોધન ઇત્યાદિથી ગર્વિત એવું સૈન્ય જોઇ કંપાયમાન થતા ઉત્તરકુમારે અર્જુનને કહ્યું, બૃહન્નડ ! સૂર્યના તેજ વડે ચળકતા શસ્ત્રોને ધારણ કરનારું અને સર્વ ઠેકાણે પ્રસરી ગયેલું આ સૈન્ય હું જોઇ શકતો નથી.’ અર્જુને હાસ્ય કરીને કહ્યું કે, ‘હે કુમાર ! તમે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયા છો, પ્રથમ પરાક્રમની વાત કરી છે. તો હવે પાછા જઇને સ્ત્રીવર્ગની આગળ શું કહેશો ? ૨ણ ક૨વામાં સ્નેહ ધરતાં ક્ષત્રિયોનું જીવિત શત્રુઓનો નિગ્રહ થાય તો રાજ્યના લાભને માટે થાય છે અને મરણ થાય તો કીર્તિના લાભને માટે થાય છે.’
તે સાંભળી ભયાતુર થયેલો ઉત્તરકુમાર બોલ્યો, ‘મૃત્યુ પામ્યા પછી કદલી જેવું નિઃસાર કીર્તિફલ મારે જોઇતું નથી.' એમ કહી વિરાટપતિનો કુમાર ૨થ ઉપરથી પડતું મૂકીને ભાગવા લાગ્યો. તેની પાછળ અર્જુને પણ રથ ઉપરથી ઊતરી પડી તેને પકડી પાડીને કહેવા માંડ્યું, ‘રૈ કુમાર ! ધીર થા, હું અર્જુન છું. તું મારો સારથી થા. જેથી હું શત્રુઓને જીતીને તેની કીર્તિ તને અપાવીશ. માટે નિર્ભય થઇ ફળની
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૫૬
Page #278
--------------------------------------------------------------------------
________________
શંકા કર્યા વિના પહેલા શમીવૃક્ષ ઉપર શબાકારે આચ્છાદિત કરેલા મારાં ધનુષ્ય અને ભાથાં અહીં લઈ આવ.” એવી રીતે પોતાનું અને બંધુઓનું સ્વરૂપ કહીને ધનંજય અસ્ત્રો લઇ. તે ઉત્તરકુમારને સારથી કરી રથમાં બેસીને શત્રુઓની સન્મુખ ચાલ્યો.
અહીં ભીખે ભયંકર શંખધ્વનિથી અર્જુનને ઓળખી દુર્યોધનને કહ્યું કે, “આ સ્ત્રીનો વેષ ધારણ કરનાર અર્જુન છે. આજે યોગ્ય સમયે પ્રાપ્ત થયેલા તને તે જરૂર મારશે, માટે ત્રણ જગતને હર્ષ કરવા માટે હમણાં તેની સાથે સંધિ કર, નહિ તો સૈન્યના ચોથા ભાગથી રક્ષિત થઈ ગાયોના સમૂહ સાથે તું ગુપ્તપણે ચાલ્યો જા. રાજાનું રક્ષણ કરવું જોઈએ એવી નીતિ હોવાથી અમે તારા આંતરામાં રહીશું.' ભીષ્મપિતામહનો આ વિચાર સાંભળી ભીરુ દુર્યોધને સૈન્યના ચોથા ભાગ સાથે ગાયોને લઇને સત્વર ત્યાંથી પલાયન કરવા માંડ્યું. તે જોઈ અર્જુને ઉત્તરકુમારને કહ્યું, “જુવો કુમાર ! આ દુર્યોધન મારા ભયથી નાસી જાય છે, માટે તેની પાછળ ઘોડાને હાંકો.' તત્કાલ ઉત્તરકુમારે પ્રેરેલો રથ દુર્યોધનના સૈન્યની પાસે આવી પહોંચ્યો. પછી અર્જુને પોતાનો શંખ એવો ફૂંક્યો કે તેના નાદથી મોહિત થયેલી ગાયો ઊંચા પૂછડા લઇને સ્વયમેવ વિરાટનગર તરફ પાછી વળી.
ત્યારબાદ અર્જુને હવે તું શું જઈ શકીશ? માટે ઊભો રહે અને ધનુષ્યને સાધ.” એમ કહી અર્જુને ધનુષ્ય ચડાવ્યું. બાણોની વૃષ્ટિથી ક્રોડો સુભટોનો ક્ષય થતો જોઇને દયા આવવાથી અર્જુને સ્વપ્નદશા પમાડવા સંમોહનાસ્ત્ર છોડ્યું. તે વખતે દુર્યોધનની ચતુરંગસેના મોહ પામી ગઈ. ભીખવ્રતવાળા એક ભીષ્મ વિના સર્વે નિદ્રા પામી ગયા. ત્યારે અર્જુને ઉત્તરકુમારને કહ્યું કે, “હે કુમાર ! દુર્યોધનનાં, કર્ણનાં અને બીજાઓનાં જે વસ્ત્રો છે તે વેગથી ઊતારી અહીં લઈ આવ.” તેણે તત્કાળ તેમ કર્યું. પછી બાણ વડે ભીષ્મના ઘોડાને મારીને અર્જુન નગરમાં આવ્યો અને શત્રુનું સૈન્ય ઉપદ્રવિત થઇ નાસી ગયું.
અહીં વિરાટ રાજા વિજય મેળવીને હર્ષ ધરતા નગરમાં આવ્યા. તે વખતે તેમણે જાણ્યું કે, “ઉત્તરકુમાર શત્રુઓની પાછળ ગયો છે તેથી જરા મનમાં કચાવવા લાગ્યા. પછી પુત્રની પાછળ જવાની ઇચ્છા કરીને જોવામાં સૈન્યને તૈયાર કરતા હતા, તેવામાં દૂતોએ આવીને ઉત્તરકુમારના વિજયના ખબર આપ્યા. રાજાએ હર્ષથી નગરમાં ઉત્સવ કરાવ્યો અને પોતે આનંદથી રાજસભામાં કંકમુનિની સાથે સોગઠાબાજી રમવા લાગ્યા. રાજાએ પુત્રના વિજયની પ્રશંસા કરવા માંડી એટલે કંકમુનિએ રાજાને કહ્યું, “જેનો સારથી બૃહન્નડ થયો છે, એવા કુમારને વિજય કેમ સુલભ ન હોય ? ' અહીંયા નગરમાં આવતાં જ અર્જુન રથમાંથી ઊતરી પોતાના સ્થાનકે ગયો અને ઉત્તરકુમાર
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૫૭.
Page #279
--------------------------------------------------------------------------
________________
સભામાં આવી રાજાને નમીને બેઠો. કુમાર બોલ્યો, ‘હે પિતાશ્રી ! જેનાથી મેં વિજય મેળવ્યો છે તે આજથી ત્રીજે દિવસે બંધુઓ સહિત સ્વયમેવ પ્રગટ થશે.'
ત્રીજો દિવસ આવ્યો, એટલે યુધિષ્ઠિરે શુદ્ધ વસ્ત્ર પહેરી અર્હતની પૂજા કરી ક્ષુદ્ર દેવતાને બલિદાન આપ્યું. પછી ચારે ભાઇઓએ પોત-પોતાનું સ્વરૂપ ધારણ કરી હર્ષથી આવીને સિંહાસન પર બેઠેલા ધર્મપુત્રને નમસ્કાર કર્યો. વિરાટ રાજાએ પણ ત્યાં આવીને પ્રણામ કર્યા અને ‘આ રાજ્ય, આ સંપત્તિ અને બીજું જે કાંઇ અહીં છે, તે સર્વ તમારું જ છે.' એમ કહી વિરાટ રાજાએ વિજ્ઞપ્તિ કરી, એટલે ધર્મરાજા કેટલાક દિવસો સુખે ત્યાં રહ્યા.
એક વખત વિરાટ રાજાએ પોતાની પુત્રી ઉત્તરા અર્જુનના પુત્ર અભિમન્યુને યોગ્ય છે, એવું ધર્મપુત્રને જણાવ્યું. તેથી ધર્મપુત્રે દૂત મોકલીને દ્વારિકામાં રહેલા અભિમન્યુને બોલાવ્યો. પોતાના ભાણેજને લઇ કૃષ્ણ પણ ત્યાં આવ્યા. પછી મત્સ્યદેશના વિરાટ રાજાને અને પાંડવોને હર્ષ આપતા એવા કૃષ્ણે શુભ દિવસે આનંદપૂર્વક અભિમન્યુ અને ઉત્તરાનો વિવાહ મહોત્સવ કર્યો. પછી વિરાટની આજ્ઞા મેળવીને હર્ષિત થયેલા કૃષ્ણ પોતાની ફઇને અને પાંડવોને દ્વારિકામાં લઇ ગયા.
કૃષ્ણપુત્ર પ્રધુમ્નકુમારનો જન્મ :
એક વખત રૂક્મિણીએ સ્વપ્નામાં શ્વેત વાદળની ઉપર રહેલા વિમાનમાં પોતે બેઠેલી હોય તેવું જોઇ કૃષ્ણને કહ્યું. કૃષ્ણે કહ્યું, ‘તમારે પુત્ર થશે.’ તે સાંભળી કોઇ દાસીએ તે ખબર સત્યભામાને આપ્યા. એટલે સત્યભામા કૃષ્ણની પાસે આવી કહેવા લાગી. મેં સ્વપ્નમાં એક મોટો હાથી જોયો છે.' તેની ચેષ્ટા ઉપરથી તેનું વચન ખોટું જાણી કૃષ્ણે કહ્યું, ‘તું ખોટો ખેદ કર નહીં.' સત્યભામા બોલી, ‘જો આ ખોટું હોય તો, જેનો પુત્ર પ્રથમ પરણે તેને બીજીએ પોતાના કેશ આપવા. આવી પ્રતિજ્ઞા કરી પૂર્ણ સમયે બંનેને પુત્રો જન્મ્યા. રૂક્મિણીનો પુત્ર પ્રદ્યુમ્ન નામે થયો અને સત્યભામાને ભાનુ નામે પુત્ર થયો.
પૂર્વના વૈરથી ધૂમકેતુ નામનો કોઇ દેવ રૂક્મિણીનો વેષ લઇ કૃષ્ણ પાસે આવી પ્રદ્યુમ્નને લઇને વૈતાઢ્યગિરિ પર ચાલ્યો ગયો. ત્યાં એક ટંકશિલા ઉપર તેને મૂકી તે દેવ અંતર્ધાન થઇ ગયો. તેવામાં કાલસંવર નામનો કોઇ ખેચર ત્યાંથી નીકળ્યો. તે બાળકને લઇને પોતાના નગરમાં આવ્યો. તેણે કનકમાલા નામની પોતાની પત્નીને પુત્રપણે અર્પણ કર્યો અને ‘આજે મારે પુત્ર થયો.' એવી નગરમાં ઘોષણા કરાવી. ત્યાં પુત્રવત્ પ્રીતિથી લાલન પામતો તે કુમાર મોટો થયો. સુવર્ણ જેવી કાંતિવાળા તે પુત્રનું ત્યાં પણ પ્રદ્યુમ્ન નામ પડ્યું. પુત્રના વિયોગથી કૃષ્ણને દુઃખી થયેલા જાણી શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૫૮
Page #280
--------------------------------------------------------------------------
________________
અરિહંત ભગવાન સીમંધર સ્વામીને પૂછી નારદે તરત ત્યાં આવી પુત્રનો વૃત્તાંત કહીને તેમને ખુશી કર્યા. તે આ પ્રમાણે છે -
રૂક્મિણીએ પૂર્વભવે એક મયુરીનાં ઇંડાને લઈ કેશરીયા હાથ વડે રંગીને મયૂરીને પાસે મૂકી તેને ભ્રમથી છેતરી હતી, તેથી આ ભવમાં તેને પુત્રનો વિયોગ થયેલો છે. તથા સોળ વર્ષ પછી તારે પુત્રની સાથે મેળાપ થશે.” એવું આહતું વચન સાંભળી રૂક્મિણી સ્વસ્થ થઈને રહેવા લાગી. કૃષ્ણ પણ શોકરહિત થયા. • કનકમાલાનો પ્રપંચ અને પ્રધુમ્નને વિધાપ્રાતિઃ
અહીં કાલસંવર ખેચરને ઘેર પ્રદ્યુમ્ન સર્વ શસ્ત્ર તથા અસ્ત્રોમાં કુશળ, તેમજ પરાક્રમી થયો. અનુક્રમે યૌવન પામ્યો. સુંદર યૌવનવયવાળા પ્રદ્યુમ્નને જોઇ તેની રક્ષક માતા કનકમાલા સવિકારી વચનો વડે તેને કહેવા લાગી, “હે મહાભાગ ! મારું શરીર કામદેવરૂપ દાવાનલથી તપી ગયેલું છે, તેને તારા શરીરના સ્પર્શરૂપ અમૃતથી સત્વર શાંત કરો.” તેણીનાં વચન સાંભળી કૃષ્ણકુમાર મનમાં અત્યંત દુભાણો. તેણે કનકમાલાને કહ્યું, “આ પાપી વચનને ધિક્કાર છે. જેથી તું માતા છે અને હું તારો પુત્ર છું.” તે બોલી, “હું તારી માતા નથી, તને તો કાલસંવર ખેચર કોઈ ઠેકાણેથી લાવ્યા છે. મેં તો માત્ર તને મોટો કરેલો છે. માટે મારી સાથે ભોગ ભોગવ અને વિશ્વનો વિજય કરવા સમર્થ એવી ગૌરી અને પ્રજ્ઞપ્તિ નામે વિદ્યા મારી પાસેથી ગ્રહણ કર. તું દયાળુ થઈને મારા વચનને વ્યર્થ કરીશ નહીં.”
આ સાંભળી કાંઇક મનમાં નિશ્ચય કરીને કૃષ્ણકુમારે કહ્યું, “મને વિદ્યા આપ, પછી તારું વચન માનીશ.' તેથી તેણે વિદ્યા આપી અને પ્રદ્યુમ્ન વિદ્યા લઇને સાધી. પછી, “તું મારી માતા અને ગુરુ છે' એમ કહી પ્રદ્યુમ્ન નગરની બહાર ચાલ્યો ગયો. કનકમાલાએ નખથી શરીરને ઉઝરડી પોકાર કરવા માંડ્યો. તે સાંભળી “આ શું?” એમ પૂછતા તેના પુત્રો આવી પહોંચ્યા. પોતાની માતાનો પ્રદ્યુમ્નથી પરાભવ થયેલો જાણી કોપ પામીને તેઓ આયુધ ઉગામી પ્રદ્યુમ્નને મારવા દોડ્યા. પ્રદ્યુમ્ન વિદ્યાના બળથી તેઓને મારી નાખ્યા. પુત્રોના વધથી ક્રોધ પામી લડવા આવેલા કાળસંવરને લીલામાત્રમાં જીતી લઇ પ્રદ્યુમ્ન કનકમાલાનો દારૂણ વૃત્તાંત જણાવી દીધો.
એવામાં નારદ ત્યાં આવ્યા. પ્રદ્યુમ્ન તેમની પૂજા કરી. નારદે તેની માતા રૂક્મિણી સંબંધી સીમંધર પ્રભુએ કહેલાં વચનો કહ્યાં. વળી જણાવ્યું કે, “સત્યભામાનો પુત્ર ભાનુ જો પ્રથમ પરણશે તો તારી માતાને પ્રતિજ્ઞામાં હારવાથી પોતાના માથાના વાળ આપવા પડશે. કેશદાન કરવાના પરાભવથી અને તારા વિયોગની પીડાથી તારી માતા રૂક્મિણી તું વિદ્યમાન છતાં મૃત્યુ પામશે.'
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૫૯
Page #281
--------------------------------------------------------------------------
________________
• પ્રધુમ્નનો પ્રભાવ :
આ પ્રમાણે હકીકત સાંભળી પ્રદ્યુમ્ન નારદને સાથે લઈ પ્રજ્ઞપ્તિ વિદ્યાએ રચેલા વિમાનમાં બેસી તત્કાળ દ્વારિકા નગરીમાં આવ્યો. વિમાન સહિત નારદને બહારના ઉદ્યાનમાં મૂકી બીજો વેશ પહેરીને તે નગરમાં ચાલ્યો. ત્યાં ભાનુને અર્થે આવેલી જાન તેના જોવામાં આવી. તેમાંથી જેનો વિવાહ થવાનો હતો તે કન્યાને હરી લઈને નારદ પાસે મૂકી. પછી પ્રદ્યુમ્ન વિદ્યા વડે કૃષ્ણના ઉદ્યાનને પુષ્પફલથી રહિત કર્યું. સર્વ જળાશયમાંથી જળ શોષી લીધું અને આખું નગર તૃણરહિત કરી દીધું. થોડીવાર રહીને સોદાગરનો વેષ કરી એક ઘોડા પર બેસી નગરની બહાર તે ખેલવા લાગ્યો. તેના ઉત્તમ ઘોડાને જોઇ સત્યભામાના પુત્ર ભાનુને મૂલ્યથી તે ઘોડા લેવાની ઇચ્છા થઇ. તેથી તે અશ્વની ઉપર બેસી ભાનુ તેને ખેલાવવા લાગ્યો. તત્કાલ પ્રદ્યુમ્નની માયાથી તે અશ્વ ઉપરથી પડી ગયો. એટલે લોકોએ હાસ્ય કરવાથી તે શરમાઇને નગરમાં ચાલ્યો ગયો.
પછી પ્રદ્યુમ્ન બ્રાહ્મણનો વેષ લઈ વેદ ભણતો નગરમાં આવ્યો. ત્યાં સત્યભામાની કુબ્બા (કુબડી) દાસીને વિદ્યાથી સરલ કરી અને તે માયાવવિખે કુળ્યા દાસીની પાસે યથેચ્છ ભોજન માગ્યું. દાસીએ પોતાની સાથે આવવા કહ્યું, એટલે તે દાસીની સાથે સત્યભામાના મંદિરમાં ગયો.
સત્યભામાએ તેને આસન ઉપર બેસાડ્યો. પછી કહ્યું, “હે દ્વિજ ! મને રૂક્મિણીથી અધિક રૂપવંતી કર.” કપટી બ્રાહ્મણે કહ્યું, ‘જો એવી ઇચ્છા હોય તો તત્કાલ વિરૂપા થઈ જા.” તેના વચનથી સત્યભામાં માથું મુંડાવી, જીર્ણ વસ્ત્ર પહેરી અને અંજન લગાડી કુરૂપ થઈ ગઈ. પછી કુલદેવી પાસે જઈ માયાવિપ્રના શીખવ્યા પ્રમાણે બડબડ વાણી બોલવા લાગી અને કપટી વિપ્રને ભોજન કરવા બેસાડ્યો. તેણે વિદ્યાશક્તિથી ભોજન કરતાં સર્વ અન્નપાન ખૂટાડી દીધાં, એટલે દાસીઓએ ‘તું ઊભો થા’ એ પ્રમાણે કહ્યું.
ત્યારપછી પ્રદ્યુમ્ન બાલમુનિનાં વેષે રૂક્મિણીને ઘેર ગયો. તેના દર્શન માત્રથી રૂક્મિણીને અત્યંત પ્રીતિ ઉત્પન્ન થઈ. તેને માટે આસન લેવાને રૂક્મિણી ઘરમાં ગઇ એટલે પાછળથી તે કૃષ્ણના રમણીય સિંહાસન ઉપર બેસી ગયો. તેને ત્યાં બેઠેલ જોઇ રૂક્મિણી બોલી, “આ સિંહાસન ઉપર કૃષ્ણ કે કૃષ્ણના પુત્ર વિના બીજો કોઈ પુરુષ બેસે તો દેવતાઓ તેને સહન કરી શકતા નથી.” તે બોલ્યો, “તપના પ્રભાવથી મારા ઉપર દેવતાની શક્તિ ચાલતી નથી. હું સોળ વર્ષ પર્યત તપ કરીને આજ અહીં પારણાંને માટે આવ્યો છું. માટે મને ભિક્ષા આપો અને જો ભિક્ષા આપી શકો તેમ ન હોય તો કહો એટલે હું સત્યભામાને ઘેર જાઉં.'
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૬૦
Page #282
--------------------------------------------------------------------------
________________
તેના વચન સાંભળી રૂક્મિણી બોલી, ‘ઉદ્વેગને લીધે મેં આજે કાંઇપણ રાંધ્યું નથી.’ તેણે ઉદ્વેગનું કારણ પૂછ્યું, એટલે તે બોલી, ‘મેં મસ્તકનું દાન કરી કુલદેવીની આરાધના કરી હતી. ત્યારે તેણે ‘આજે મને પુત્રનો મેળાપ થશે' એમ કહ્યું હતું. વળી તેણે પુત્રના આવવાની નિશાનીમાં આ આમ્રવૃક્ષને પુષ્પો આવવાનું કહ્યું હતું, તે પુષ્પો તો આજે આવ્યા પણ પુત્રનો મેળાપ હજી થયો નહીં, માટે હવે તમે પણ હોરાનો વિચાર કરીને કહો કે મને મારો પુત્ર ક્યારે મળશે ?' બાલમુનિ બોલ્યા, ‘ખાલી હાથે હોરા સફલ થતી નથી.’ રૂક્મિણીએ કહ્યું, ‘તમને શું આપું ?’ તેણે કહ્યું, ‘મને ખીર બનાવીને આપો.’
પછી રૂક્મિણીએ ખીર બનાવવા માટે સર્વ દ્રવ્ય ભેગાં કરાવ્યાં અને પોતે ખીર કરવા માંડી. કપટમુનિએ વિદ્યાબલથી ક્ષણવારમાં તેનાં સર્વ પદાર્થો બાળી નાંખ્યા. તેથી રૂક્મિણી ખેદ પામી ગઇ. પછી બાલ્યમુનિએ કૃષ્ણને ખાવાના મોદક માંગ્યા. રૂક્મિણી બોલી, ‘તે મોદક કૃષ્ણથી જ જીરવાય તેવા છે. બીજાઓને પચે તેવા નથી. તેથી હું તમને આપીને ઋષિહત્યા કરીશ નહીં.’ મુનિ બોલ્યા, ‘તપના પ્રભાવથી મારે કાંઇપણ દુર્જર નથી.' પછી શંકાયુક્ત ચિત્તે રૂક્મિણીએ એક એક મોદક આપવા માંડ્યો. તે બીજો ન આપે તેટલામાં તો મુનિ પેલો મોદક સત્વર ખાઇ જવા માંડ્યા. તે જોઇ આશ્ચર્યથી આનંદ પામેલી રૂક્મિણી હાસ્ય કરીને બોલી, ‘મુનિ ! તમે ખરેખર બળવાન જણાવો છો.'
અહીં કુલદેવીના નામને જપતી સત્યભામા પાસે આવીને તેના સેવક લોકો કહેવા લાગ્યા કે, ‘આપણું વન પુષ્પફળ વગરનું થઇ ગયું. ગામમાં ઘાસની દુકાનો ઘાસ વિનાની થઇ ગઇ, જળાશયો નિર્જળ થઇ ગયા, ભાનુક ઘોડા ઉપરથી પડી ગયો, જાનમાંથી કન્યાનું હરણ થયું અને પેલો વિપ્ર જતો રહ્યો.' તે સાંભળી ખેદ પામતી સત્યભામાએ ક્રોધથી હાથમાં ડાબલા આપીને દાસીઓને કેશ લેવાને માટે રૂક્મિણીને ઘેર મોકલી. કપટી સાધુએ માયા વડે તે દાસીઓના કાપેલા કેશથી જ પાત્રોને પૂરી દીધાં અને ‘રૂક્મિણી કેશ આપતા નથી' એમ કહીને તેને પાછી સત્યભામાની પાસે મોકલી. એટલે સત્યભામાએ જામીન થયેલા કૃષ્ણની પાસે રૂક્મિણીના કેશ માંગ્યા. કૃષ્ણે કહ્યું, ‘તું જ મંડિત થઇ છો, હવે બીજાનાં કેશનું શું કામ છે ?' ત્યારે તે બોલી, ‘હાસ્ય કરો નહીં, મને કેશ લાવી આપો.' પછી કૃષ્ણે કેશ લેવા માટે બલભદ્રને ‘રૂક્મિણીને ઘેર મોકલ્યા. ત્યાં પ્રદ્યુમ્ને વિકુર્વેલું કૃષ્ણનું રૂપ જોઇ તેને ત્યાં આવેલા જાણી લજ્જા પામીને પાછા ગયા. ત્યાંથી સભામાં આવી ત્યાં પણ કૃષ્ણને જોઇ રામ બોલ્યા કે, ‘તમે બે રૂપ લઇ તમારી વધૂને અને મને લજવી દીધાં.' હરિએ બલભદ્રને
૧.
હોરા = નિમિત્ત જોવા માટેનું એક સાધન (આ જ્યોતિષનો વિષય છે). શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૬૧
Page #283
--------------------------------------------------------------------------
________________
અને ભામાને સોગનપૂર્વક કહ્યું કે, હું ત્યાં ગયો જ નથી.” તથાપિ સત્યભામાં “એ તમારી જ માયા છે.” એમ બોલતી પોતાના મંદિરમાં ગઇ. • રૂમિણી અને પ્રધુમ્ન (માતા-પુત્ર)નો સોળ વર્ષે મેળાપ :
અહીં નારદે આવી રૂક્મિણીને કહ્યું કે, “આ પ્રદ્યુમ્ન નામે તમારો પુત્ર છે.” એટલે તત્કાળ પોતાનું સ્વરૂપ અંગીકાર કરી પ્રદ્યુમ્ન તેનાં ચરણમાં પ્રણામ કર્યા. રૂક્મિણીએ તેને બે હાથ વડે આલિંગન કર્યું. પ્રદ્યુમ્ન બોલ્યો, “હે માતા ! હમણાં પિતાની આગળ અને પ્રગટ કરશો નહીં.' એમ કહી માયા વડે રથ વિમુર્તી તેમાં રૂક્મિણીને બેસાડીને તે ચાલી નીકળ્યો. લોકોને ક્ષોભ કરે તેવો તેણે શંખનો નાદ કર્યો અને બોલ્યો કે, “હું આ રૂક્મિણીને હરી જાઉં છું. જો કૃષ્ણ બળવાન હોય તો તેની રક્ષા કરે.” એમ બોલતો બોલતો વેગથી તે નગરની બહાર નીકળી ગયો. “આ કોણ કુબુદ્ધિ મરવા ઇચ્છે છે ?' એમ બોલતા કૃષ્ણ શા ધનુષ્યનું વારંવાર આસ્ફાલન કરતા સૈન્ય સહિત તેની પછવાડે દોડ્યા. વિદ્યાના સામર્થ્યથી પ્રદ્યુમ્ન તત્કાળ તેની સેનાને ભાંગી અને કૃષ્ણને આયુધ વગરના કરી દીધા. તે વખતે કૃષ્ણ બહુ ખેદ પામ્યા. તેવામાં નારદે આવીને કહ્યું કે, “હે કૃષ્ણ ! તમારી સામે છે તે તમારો પુત્ર પ્રદ્યુમ્ન છે.” માધવે પુત્ર જાણી તેને પ્રેમથી આલિંગન કર્યું. પુત્રના સંગમથી હર્ષ પામેલા કૃષ્ણ રૂક્મિણી સહીત ઉત્સવથી નગરમાં પ્રવેશ્યા.
તે સમયે દુર્યોધને આવી કૃષ્ણને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી કે, “હે સ્વામી ! હમણાં કોઇએ મારી પુત્રી અને તમારી પુત્રવધુને હરી લીધી છે તે સાંભળી છે સ્વામી ! પ્રજ્ઞપ્તિ વિદ્યા વડે જાણીને હું કન્યાને હમણાં જ અહીં લાવીશ.” એમ કહીને પ્રદ્યુમ્ન તે સ્વયંવરા કન્યાને ક્ષણવારમાં ત્યાં લાવ્યો. કૃષ્ણ તે કન્યા તેને આપવા માંડી એટલે તે બોલ્યો, “એ મારી વધૂ એટલે નાના ભાઇની વહુ થાય છે. તેથી મારે પરણવા યોગ્ય નથી.' એમ કહીને તેણે ન લીધી. કન્યા કૃષ્ણ સત્યભામાના પુત્ર ભાનુને પરણાવી. પછી કૃષ્ણ પ્રદ્યુમ્નની પરણવાની ઇચ્છા નહોતી તો પણ મોટો ઉત્સવ કરીને બીજી બેચરોની અને રાજાઓની કન્યાઓ સાથે તેને પરણાવ્યો.
એક વખતે સત્યભામાને રીસાઈને જીર્ણ માંચા ઉપર બેઠેલી જોઈ કૃષ્ણ દુઃખનું કારણ પૂછ્યું. એટલે તેણીએ કહ્યું કે, “મારે પ્રદ્યુમ્ન જેવો પુત્ર થાય તેમ કરો.” અઠ્ઠમનો તપ કરીને કૃષ્ણ નૈગમેષીદેવને સાધ્યો. તે પ્રત્યક્ષ થયો. કૃષ્ણ પુત્ર માગતાં, તે એક હાર આપીને અંતર્ધાન થઈ ગયો. તે સ્વરૂપ જાણી પ્રદ્યુમ્ન વિદ્યાના પ્રભાવથી પોતાની માતાની સખી અને પોતાની અપરમાતા જાંબવતીને સત્યભામા જેવી કરી કૃષ્ણનાં વાસભવનમાં મોકલી. તેને હાર આપીને કૃષ્ણ ભોગવી. તે જ અવસરે કોઇ
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૬૨
Page #284
--------------------------------------------------------------------------
________________
દેવ સ્વર્ગમાંથી ચ્યવી શુભ સ્વપ્નથી સૂચિત થઇ તેના ઉદરમાં ઉત્પન્ન થયો. પછી જાંબવતી હર્ષ પામીને પોતાને સ્થાનકે ગઇ. ત્યાર પછી સત્યભામા રતિની ઇચ્છાથી કૃષ્ણની પાસે આવી. એટલે, ‘અહો ! આ સ્ત્રીને ભોગની અતૃપ્તિ છે' એવું વિચારી કૃષ્ણે ફરીથી તેની સાથે વિષયક્રીડા કરી. એ સમયે પ્રદ્યુમ્ને કૃષ્ણની ભંભાનો નાદ કર્યો. પ્રદ્યુમ્ને વગાડેલી ભંભાને જાણી કૃષ્ણ ક્ષોભ પામીને બોલ્યા, ‘હે સત્યભામા ! તારો પુત્ર ભીરુ અને રોષવાળો થશે.' પ્રાતઃકાળે તે હાર જાંબવતીનાં કંઠમાં જોઇ પ્રદ્યુમ્નની માયાની પ્રશંસા કરતા કૃષ્ણ વિસ્મય પામી ગયા.
શુભ સમયે જાંબવતીએ શાંબ નામના પુત્રને જન્મ આપ્યો અને સત્યભામાએ જન્મથી અતિભીરુ હોવાથી ભીરુક નામના જન્મ આપ્યો. રૂક્મિણીનો પુત્ર પ્રદ્યુમ્ન કોઇ પ્રયોગ વડે રૂક્મિ રાજાની પુત્રી વૈદર્ભીને પરણ્યો અને જાંબવતીનો પુત્ર શાંબ હેમાંગદ રાજાની પુત્રી સુહિરણ્યાને પરણ્યો.
એક વખત સત્યભામાએ જાંબવતીને કહ્યું કે, ‘આ શાંબ મારા પુત્રને બીવરાવે છે. ત્યારે તેણીએ કૃષ્ણ આગળ ભામાને કહ્યું કે, ‘મારો પુત્ર તો ન્યાયી છે.’ કૃષ્ણે જાંબવતીને કહ્યું, ‘આપણે તેનું સ્વરૂપ જોઇ પ૨ીક્ષા કરીએ.' પછી જાંબવતી આહીરી અને કૃષ્ણ આહીર થઇ દહીં વેચવા નીકળ્યાં. બંનેને નગરમાં ફરતાં જોઇ સદા ગામમાં ફરનારા શાંબે આહી૨ીને કહ્યું કે, ‘અહીં આવ, હું ગોરસ લઉં.’ એમ કહી શૂન્યગૃહ તરફ તેને બળાત્કારે ખેંચવા માંડી. એટલે તરત જ કૃષ્ણ અને જાંબવતીએ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. તેમને જોઇ શાંબ નાસી ગયો. ત્યારે કૃષ્ણે જાંબવતીને કહ્યું, ‘તારા પુત્રનો અન્યાય જોયો.' પરંતુ તું ન માને તેમાં આશ્ચર્ય નથી. કેમ કે સિંહણ પણ ગજેન્દ્રોને મારવામાં કઠોર એવા પોતાના પુત્રને સૌમ્ય અને ભદ્રિક માને છે.'
બીજે દિવસે શાંબ હાથમાં એક ખીલો લઇને આવ્યો. તેને કોઇએ પૂછ્યું કે, ‘આ ખીલો હાથમાં કેમ રાખ્યો છે ?’ ત્યારે તેણે કહ્યું કે, ‘કાલનું મારું વૃત્તાંત જે કહે, તેના મુખમાં નાંખવાને માટે રાખ્યો છે.' એવી રીતે તેને સ્વેચ્છાચારી અને નિર્લજ્જ જાણી કૃષ્ણે નગરમાંથી કાઢી મૂક્યો. એટલે તે પ્રદ્યુમ્ન પાસેથી પ્રજ્ઞપ્તિ વિદ્યા મેળવી ત્યાંથી ચાલી નીકળ્યો. પછી ભીરુકને પ્રદ્યુમ્ન નિત્ય હેરાન કરવા લાગ્યો. તે જાણી સત્યભામાએ તેને કહ્યું, ‘રે શઠમતિ ! તું પણ શાંબની જેમ નગરની બહાર કેમ જતો નથી ?’ પ્રદ્યુમ્ને કહ્યું, ‘ક્યાં જાઉં ?’ સત્યભામાએ કહ્યું, ‘સ્મશાનમાં જા.' પ્રદ્યુમ્ન બોલ્યો, ‘ફરી પાછો ક્યારે આવું ?' સત્યભામાએ ક્રોધથી કહ્યું, ‘જ્યારે હું શાંબને મારા હાથે પકડીને અહીં લાવું ત્યારે તારે ફરીને નગરમાં આવવું.’ ‘જેવી માતાની આજ્ઞા' એમ કરી પ્રદ્યુમ્ન સ્મશાનમાં ચાલ્યો ગયો. ત્યાં શાંબ પણ ફરતો ફરતો આવી ચડ્યો. શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦૨૬૩
Page #285
--------------------------------------------------------------------------
________________
• ભીક માટેની કન્યાઓનું શાંબ સાથે પાણિગ્રહણ :
અહીં સત્યભામાએ ભીરુકને પરણાવવા માટે નવાણું કન્યાઓ પ્રયત્નથી એકઠી કરી. પછી સો પૂરી કરવા માટે એક કન્યાની તજવીજ કરવા માંડી. પ્રજ્ઞપ્તિ વિદ્યાથી તે હકીકત જાણીને પ્રદ્યુમ્ન જિતશત્રુ રાજા થયો અને શાંબ કન્યારૂપે થયો. બંને નગરની બહાર ઊતર્યા. સત્યભામાએ ભીરુકને માટે તે માયાવી જિતશત્રુ રાજાની પાસે કન્યાની માંગણી કરી. જિતશત્રુરૂપે થયેલા પ્રદ્યુમ્ન કહ્યું, “આ મારી પુત્રીને હાથે પકડીને તમે નગરમાં લઇ જાઓ અને તેના વિવાહ વખતે તેનો હાથ ભીરુકના હાથ ઉપર જો રખાવો તો હું આ મારી કન્યા ભીરુકને માટે આપું.” સત્યભામાએ તેમ કરવું કબૂલ કર્યું. ત્યારપછી પ્રદ્યુમ્ન પ્રયોજેલી પ્રજ્ઞપ્તિ વિદ્યાથી સત્યભામા શાંબને કન્યા જાણવા લાગી અને બીજા લોકો તેને શાંબ જાણે છે, પછી શાંબને હાથે પકડીને નગરમાં આવતી સત્યભામાને જોઈ લોકો તર્ક કરવા લાગ્યા કે, “અહો પુત્રના વિવાહ ઉત્સવમાં સત્યભામા શાંબને મનાવીને પ્રીતિથી તેડી જાય છે.' એવી રીતે શાંબ સત્યભામાના ઘરમાં આવ્યો.
ત્યારપછી વિવાહ વખતે વામ બુદ્ધિવાળા શાંબે પોતાનો ડાબો હાથ ભીરુકના જમણા હાથની ઉપર રાખી અને જમણા હાથથી બીજી નવાણું કન્યાઓના હાથ પકડી એકીસાથે વિધિપૂર્વક અગ્નિની પ્રદક્ષિણા કરી. તેઓની સાથે વિવાહ કર્યા પછી શાંબ કન્યાઓ સહિત નિવાસગૃહમાં ગયો. ત્યાં ભીરુક આવતાં જ શાબે તેને ભૃકુટીથી બીવરાવ્યો. એટલે તે ભય પામીને નાસી ગયો. તેણે આવીને સત્યભામાને કહ્યું કે, શાંબ આવ્યો છે.” તે વચન નહીં માનતી સત્યભામાએ જાતે આવીને જોયું તો ત્યાં શબને દીઠો. શાંબે સત્યભામાને પ્રણામ કર્યો.
સત્યભામાએ કોપથી કહ્યું, ‘રે ધૃષ્ટ ! તને અહીં કોણ લાવ્યું છે?” તેણે કહ્યું, ‘તમે જ મને અહીં લાવ્યા છો અને આ કન્યાઓની સાથે તમે જ મને પરણાવ્યો છે. હે માતા ! આ વિષે સર્વલોક સાક્ષી છે, તમે સર્વને આદરપૂર્વક પૂછો.” સત્યભામાએ સર્વ જનસમૂહને પૂછવા માંડ્યું, તો સર્વે તે વાતને સત્ય કહેવા લાગ્યા. પછી “જેના બંધુ, પિતા અને માતા માયાવી છે, એવા આ માયાવી શાંબે કન્યારૂપે થઈ મને ખરેખર છેતરી માટે તે મારો સહજ શત્રુ છે, આ પ્રમાણે કહી બહુ રોષથી નિઃશ્વાસ નાખતી સત્યભામા દુઃખી થઈને પોતાના ઘરમાં જઈ જીર્ણ માંચા ઉપર બેઠી.
એક વખત શાંબ પોતાના પિતામહ વસુદેવને નમસ્કાર કરવા ગયો અને નમીને બોલ્યો, “પિતાજી ! તમે તો ચિરકાલ પૃથ્વી પર ભમીને ઘણી સ્ત્રીઓ પરણ્યા હતા અને હું તો થોડા કાળમાં એકસાથે સો કન્યાઓ પરણ્યો, તેથી ખરેખર આપણા
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૬૪
Page #286
--------------------------------------------------------------------------
________________
બંનેમાં મોટો તફાવત છે.' વસુદેવે કહ્યું, “રે કૂવાના દેડકા ! તું શું જાણે છે? દેશદેશમાં પરાક્રમ બતાવી હું આદર-માન પામ્યો અને સ્વયંવરમાં આવેલી કન્યાઓને હું પરણ્યો છું, પછી સમયે બંધુઓના અતિ આગ્રહથી પુનઃ નગરમાં આવ્યો છું અને નિર્લજજ ! તું તો માયાથી કન્યાઓને પરણ્યો છે અને માતાને છેતરીને નગરમાં આવ્યો છે. કાંઈ આદરથી આવ્યો નથી.” આ પ્રમાણે પોતાના પિતામહને ક્રોધ પામેલા જાણી શાંબે પ્રણામ કરીને કહ્યું કે, “હે તાત ! આ બાળકનાં દુઃચેષ્ટિતને ક્ષમા કરો.” આવું વિનયવાળું અને મોટાઈને દૂર કરનારું સાંબનું વચન સાંભળી વસુદેવ મનમાં અતિ હર્ષ પામ્યા અને તત્કાલ તે નીતિવાન પૌત્રની પ્રશંસા કરવા લાગ્યા. • યુદ્ધ નિવારવા માટે કૌરવો પાસે મોકલાયેલ વિજય નામનો દૂત :
આવી રીતે પ્રદ્યુમ્નવગેરે યાદવરાજાના કુમારો સાથે પાંડવોના કુમારો હર્ષથી ખેલતા હતા અને યાદવોએ આપેલા સન્માનથી પાંડવો પણ રાત્રિદિવસ ઇચ્છાનુસાર મનોરથ પ્રાપ્ત કરતા ઘરની જેમ ત્યાં સુખે રહેતા હતા. તેવામાં એક વખત સમુદ્રવિજય વગેરે યાદવપતિઓ અને રામ-કૃષ્ણ વગેરે એકઠા મળી પાંડવોને કહેવા લાગ્યા કે, “સત્યપ્રતિજ્ઞાવાળા તમે શત્રુઓનું સર્વ ચેષ્ટિત સહન કર્યું. કેમ કે “સપુરુષો પ્રલયકાલમાં પણ પોતાના વચનથી ચલાયમાન થતા નથી. પરંતુ હવે તમને સમય પ્રાપ્ત થયો છે, માટે શત્રુઓને દૂર કરવા એ જ યુક્ત છે.
તે સાંભળી ધર્મપુત્રે કહ્યું, “દુઃખકારી લક્ષ્મીના લાભ માટે પોતાની પાંખો જેવા બંધુજનને મારાથી કેમ કરાય ?' તે સાંભળી દ્રૌપદીએ ભીમની સામે જોયું. એટલે અતુલ બળવાળો ભીમસેન બોલ્યો, ‘તમે કદી શત્રુઓને સહન કરો પણ હવે હું તેમના પરાભવને સહન કરવાનો નથી.” આવાં તેના વચન સાંભળીને યુધિષ્ઠિરે યાદવોને કહ્યું, “જો કે શત્રુઓ મારવાને યોગ્ય છે અને આ ભીમ વગેરે યુદ્ધ કરવા ઉત્સુક છે. તો પણ પ્રથમ તેમને સામ અને ભેદથી સમજાવવા યોગ્ય છે. તેથી સમુદ્રવિજય વગેરેની આજ્ઞાથી વિજય નામે દૂત રથમાં બેસીને હસ્તીનાપુર ગયો.
જયાં ભીષ્મ અને ધૃતરાષ્ટ્ર વગેરે બેઠા હતા તે સભામાં આવી વિજયે દુર્યોધનને કહ્યું, “હે રાજા ! દ્વારકાધીશ કૃષ્ણનો વિજય નામે હું દૂત છું. તેમનો સંદેશો મારા મુખથી તમે સાંભળો. સત્યપ્રતિજ્ઞાવાળા પાંડુપુત્રો જે તમારા બંધ થાય છે, તેઓ પોતાના કહ્યા પ્રમાણે સમય આવતાં હવે પ્રત્યક્ષ થયા છે. જેવી રીતે તેઓ પોતાનો કાળ નિર્ગમન કરી સત્ય રીતે વર્યા, તેવી રીતે તેમને તેમનો રાજ્યભાગ પાછો સોંપી તમે પણ સત્ય રીતે વર્તો. હે રાજા ! એક પૃથ્વીના લવ માટે પૂર્વની જેમ તમારે
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૬૫
Page #287
--------------------------------------------------------------------------
________________
રણનો સમારંભ ન કરવો જોઇએ અને પરસ્પર દ્રોહ પણ ન થવો જોઇએ. ઇન્દ્રપ્રસ્થ, તિલપ્રસ્થ, વારણાવ્રત, કાશી અને હસ્તીનાપુર એ પાંચ ગામ તેમને આપો.'
આવા દૂતનાં વચન સાંભળી ક્રોધથી હોઠને ડસતો, મૂંછને મરડતો અને પોતાના ખભા ઉ૫૨ નેત્રને ફેરવતો દુર્યોધન બોલ્યો, ‘રે દૂત ! એ જુગારીઆ પાંડવોને હારી ગયેલું રાજ્ય હવે પાછુ કેમ મળે ? વળી તે ભીમ વગે૨ે તો પ્રથમથી જ મારા શત્રુઓ છે, બંધુઓ નથી. મેં રક્ષણ કરેલી ભૂમિમાં તેઓ સર્વ તરફ ફરે છે, તે જ તેમનો ભૂમિભાગ છે. બીજું કાંઇપણ હું તેમને આપવાનો નથી. પાંડવો મારી સાથે મૈત્રી રાખે કે દ્વેષ કરે પણ મેં ઘુતમાં જીતીને જે મેળવ્યું છે, તેમાંથી ભૂમિનો એક ટુકડો પણ હું તેમને આપવાનો નથી.’
તે સાંભળી વિજયદ્ભૂત નીતિભરેલું વચન ફરીથી બોલ્યો, ‘હે રાજા ! મારું વચન માનો, ગોત્રની કદર્થના કરો નહીં. હિડંબ, કીચક, બક, ક્રૂર અને કમ્મર પ્રમુખ દાનવોને જેણે ક્ષણવારમાં મારી નાંખ્યા, તેવા પવનપુત્ર ભીમસેનની આગળ હે સુયોધન ! તારી નિશ્ચે હાર થશે. વળી હે રાજા ! જુવો, પૂર્વે અર્જુને તમે અપકારમાં તત્પર હતા છતાં પ્રયત્ન વડે તમારી રક્ષા કરી હતી. તેથી પણ તેઓ સદા તમારે પૂજ્ય છે. ધર્મને જ એક સારભૂત માનનાર ધર્મકુમાર તો તમારી ઉપર વાત્સલ્ય રાખે છે, તેઓ પોતાના અનુજબંધુઓને સદા શાંત રાખે છે. વળી તેઓએ હમણાં કૃષ્ણનો આશ્રય કરેલો છે. તેઓ સત્વર તમને હણી નાંખશે. દૂતનાં વચન સાંભળીને ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણ, પાંડુ અને વિદુર પ્રમુખ રાજાઓએ પણ તેવાં જ વચનો દુર્યોધનને શિખામણ રૂપે કહ્યા. પરંતુ તેઓના વાક્યથી ઊલટો દુર્યોધનના હૃદયમાં ક્રોધાગ્નિ અધિક પ્રજ્વલિત થયો.
પછી તેના વડે તિરસ્કાર પામેલો કૃષ્ણનો દૂત ક્રોધપૂર્વક, ‘હવે ધૃતરાષ્ટ્રના પુત્ર જરૂર નાશ પામ્યા' એમ બોલતો બોલતો ત્યાંથી નીકળ્યો. દૂતે શીવ્રપણે દ્વારિકામાં આવી તે વૃત્તાંત કૃષ્ણને કહ્યો. તે સાંભળીને ઇષ્ટપ્રાપ્તિથી હર્ષ પામેલા ભીમસેન પ્રમુખ અત્યંત નાચવા લાગ્યા. પછી સમુદ્રવિજય રાજાની આજ્ઞાથી રણરંગના આંગણાંમાં પાંડવોએ સૈન્યનો સમૂહ એકઠો કરવા માંડ્યો. યાદવો, મત્સ્યદેશનો રાજા વિરાટ, ધૃષ્ટદ્યુમ્ન, સાત્યકિ, દ્રૌપદ અને સૌભદ્રેય વગેરે રાજાઓ પાંડવોના સૈન્યમાં આવ્યા. અર્જુનનો પુત્ર અભિમન્યુ, ભીમનો પુત્ર ઘટોત્કચ અને ક્ષાત્રવટથી ઉજ્જવળ એવા અનેક ક્ષત્રિયપુત્રો પણ આવી મળ્યા. ઇન્દ્રચૂડ, ચંદ્રચૂડ, મણિચૂડ, ચંદ્રાપીડ, વિયદ્ગતિ અને ચિત્રાંગદ વગેરે ખેચર રાજાઓ અર્જુનના સ્નેહથી સૈન્યમાં આવ્યા. શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦૨૬૬
Page #288
--------------------------------------------------------------------------
________________
એકઠા મળેલા રાજાઓની સભામાં પરસ્પર મત્સરને લીધે અર્જુન - કર્ણનો અને કર્ણ - અર્જુનનો પરસ્પર વધ કરવાની ઇચ્છા ધરાવતા જણાયા.
આ તરફ કર્ણ વગેરેએ નેત્રસંજ્ઞાએ પ્રેરેલા દુર્યોધને રણની ઇચ્છાથી પોતાના પક્ષના રાજાઓને દૂતો મોકલીને બોલાવ્યા. તેથી ભૂરિશ્રવા, ભગદત્ત, શલ્ય, શકુનિ, અંગરાજ, ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણગુર, સોમદત્ત, વાલ્હીક, શુક્તિ, સૌબલ, કૃતવર્મા, વૃષસેન, હલાયુધ અને ઉલૂક વગેરે રાજાઓ કૌરવના સૈન્યમાં એકઠા થયા. વિદુર વૈરાગ્યવડે દીક્ષા લઇને વનમાં ગયા. કુંતીએ પોતાના પક્ષમાં લેવા કર્ણને જણાવ્યું કે, “તું મારો પુત્ર છે. ત્યારે તેણે કહેવરાવ્યું કે, “મેં મારા પ્રાણ પ્રથમથી દુર્યોધનને અર્પણ કર્યા છે, હવે તેને છોડીને જો હું બીજાને ભજું તો હે માતા ! તમને લજ્જા લાગે. વળી મને આવી સ્થિતિમાં અત્યારે આપે ખબર જણાવ્યા તેથી હવે સર્યું. આવી કર્ણની કહેવરાવેલી વાણી સાંભળી કુંતી જાણે ભાલા વડે વિંધાણી હોય તેમ ખેદ પામી. પરંતુ તે પુત્રવત્સલ માતા, પાંડવો કરતાં પણ તેનો જય વિશેષ ઇચ્છવા લાગી. • શ્રીકૃષ્ણના વધ માટે જરાસંઘનું સૈન્ય સાથે પ્રયાણ :
આ બાજુ કેટલાક વ્યાપારીઓ યવનદ્વીપથી કરિયાણા વગેરે લઇ દ્વારિકામાં આવ્યા. ત્યાં તેમણે ઘણાં કરિયાણા વેચ્યાં. પરંતુ વિશેષ લાભની આશાએ રત્નકંબળો ત્યાં ન વેચતાં તેઓ મગધ દેશની રાજધાની રાજગૃહી નગરીમાં વેચવા આવ્યા. ત્યાં જરાસંઘ રાજાની પુત્રી જીવયશાએ તે રત્નકંબળો ઓછા મૂલ્ય માંગ્યાં. તેથી લાભને બદલે ઊલટી ખોટ જવાથી ક્રોધ પામેલા તે વ્યાપારીઓએ જીવ શાને કહ્યું કે, અમારી જ ભૂલ થઈ કે, અમે વધારે લાભની આશાએ આ રત્નકંબળો કૃષ્ણની દ્વારિકા નગરીમાં ન વેચ્યાં ને અહીં લાવ્યા. હવે અહીંયા લાભ મળવો તો દૂર રહ્યો પણ ઊલટી મૂડીમાં પણ ખોટ જાય છે.”
તે સાંભળી જીવયશાએ પૂછયું કે, ‘દ્વારિકાપુરી વળી ક્યાં છે ને કેવી છે ? અને ત્યાં રાજા કોણ છે ?' વ્યાપારીઓ બોલ્યા કે, “પશ્ચિમ સમુદ્રના તીર ઉપર કુબેરે નિમૅલી ઇન્દ્રપુરી જેવી દ્વારિકા નામે નગરી છે. તેમાં યાદવવંશીઓનો નિવાસ છે. તેમજ સૂર્ય સરખા પ્રતાપી અને વસુદેવ રાજાના પુત્ર કૃષ્ણ નામે રાજા છે.” કૃષ્ણનું નામ સાંભળતાં જ જીવયશા રોતી રોતી જરાસંઘની પાસે ગઈ અને મૃત્યુની પ્રાર્થના કરવા લાગી. જરાસંઘે તેની વાત સાંભળીને કહ્યું, “પુત્રી ! રો નહીં, હું કૃષ્ણની સ્ત્રીઓને રોવરાવીશ. મારી અજાણતાથી એ કૃષ્ણ આજસુધી જીવતો રહેલો છે.” એમ કહી જરાસંઘે સત્ય પ્રતિજ્ઞાવાળા થઇ સિંહનાદપૂર્વક ભંભા વગડાવીને સર્વ રાજાઓને બોલાવ્યા. તત્કાળ ઘણા પરાક્રમવાળા સહદેવ વગેરે પુત્રો, શિશુપાલ,
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૬૭
Page #289
--------------------------------------------------------------------------
________________
સ્વર્ણનાભ, રૂકિમીરાજા અને બીજા ઘણા રાજાઓ તથા હજારો સામંતો સેનાસહિત આવી આવીને જરાસંઘને મળ્યા.
પછી ઘણા યોદ્ધાઓને લઇને જરાસંઘે પ્રયાણ કર્યું. મંત્રીઓએ અને અપશુકનોએ ઘણી રીતે વાર્યો પણ તે અર્ધચક્રી જરાસંઘ સૈન્યથી ભૂચક્રને કંપાવતો ચાલ્યો. કલહ કરાવવામાં કૌતુકી એવા નારદે અને ચપુરુષોએ આવીને કૃષ્ણને જરાસંઘ આવવાના ખબર આપ્યા. એટલે કૃષ્ણે પણ યુદ્ધ પ્રયાણ માટે ભંભા વગડાવી. જેથી અનેક રાજાઓ એકઠા થયા.
તેઓમાં સમુદ્રવિજય રાજા તૈયાર થઇને આવ્યા. તેમની સાથે તેમના પુત્ર મહાનેમિ, સત્યનેમિ, દૃઢનેમિ, સુનેમિ, ભગવાન અરિષ્ટનેમિ, જયસેન, મહીજય, તેજસેન, જય, મેઘ, ચિત્રક, ગૌતમ, થલ્ક, શિવનંદ, વિકસેન અને મહારથ પણ આવ્યા. અક્ષોભ્ય નામે સમુદ્રવિજયનો અનુજબંધુ, ઉદ્ધવ, ધવ, ક્ષુભિત, મહોદધિ, અંભોનિધિ, જલનિધિ, વામદેવ અને દેઢવ્રત નામે તેના આઠ પુત્રો સહિત આવ્યો. સ્તિમિત અને તેના સુર્મિમાન્, વસુમાન્, વીર, પાતાલ અને સ્થિર નામે પાંચ ઉત્તમ પુત્રો આવ્યા. સાગર અને તેના નિઃકંપ, કંપન, લક્ષ્મીવાન્, કેસરી, શ્રીમાન્ અને યુગાંત નામે છ પુત્રો આવ્યા. હિમવાન અને તેના વિદ્યુત્પ્રભ, ગંધમાદન અને માલ્યવાન્ નામે ત્રણ પુત્રો આવ્યા. અચલ અને તેના મહેન્દ્ર, મલય, સહ્ય, ગિરિ, શૈલ, નગ અને બલ નામે સાત મહાપરાક્રમી પુત્રો આવ્યા. ધરણ અને તેના કર્કોટક, ધનંજ્ય, વિશ્વરૂપ, શ્વેતમુખ અને વાસુકી નામે પાંચ કુમાર આવ્યા. પૂરણ અને તેના દુઃપૂર, દુર્મુખ, દર્દુર અને દુર્ધર નામે ચાર પુત્રો આવ્યા. અભિચંદ્ર અને તેના ચંદ્ર, શશાંક, ચંદ્રાભ, શશી, સોમ અને અમૃતપ્રભ નામે છ પુત્રો આવ્યા. સૌથી નાના પણ ઇન્દ્ર જેવા મહાપરાક્રમી વસુદેવ તેના ઘણા પરાક્રમી પુત્રો સાથે આવ્યા. તેમના પુત્રોના નામ આ પ્રમાણે અક્રૂર, ક્રૂર, જ્વલનપ્રભ, વાયુવેગ, અશનિવેગ, મહેન્દ્રગતિ, સિદ્ધાર્થ, અમિતગતિ, સુદારુ, દારુક, અનાદૃષ્ટિ, દૃઢમુષ્ટિ, હેમમુષ્ટિ, શિલાયુદ્ધ, જરાકુમાર, વાલ્હીક, ગંધાર, પિંગલ, રોહિણીના પુત્ર રામ, સારણ અને વિદૂરાગ એ સર્વે આવ્યા. તથા ઉત્સૂક, નિષધ, સારુદત્ત, ધ્રુવ, શક્રદમન અને પીઠ નામે રામના પુત્રો આવ્યા. ભાનુ, ભામર, મહાભાનુ, અનુભાનુ, બૃહદ્ભૂજ, અગ્નિશિખ, વૃ, સંજય, અકંપન, મહાસેન, ધીર, ગંભીર, ગૌતમ, સુધર્મા, ઉદધિ, સૂર્ય, ચંદ્ર, ધર્મ, પ્રસેનજિત, ચારૂકૃષ્ણ, ભરત, સુચારુ, દેવદત્ત વગેરે તથા પ્રદ્યુન, શાંબ પ્રમુખ બીજા મહાપરાક્રમી કૃષ્ણના પુત્રો યુદ્ધ કરવાની ઇચ્છાએ તૈયાર થઇને આવ્યા. ઉગ્રસેન અને શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦૨૬૮
Page #290
--------------------------------------------------------------------------
________________
તેના પણ ઘણા પુત્રો આવ્યા. એ પ્રમાણે દશાહના પુત્રો અને રામ તથા કૃષ્ણના બીજા પુત્રો તથા તેમની ફૂઇના અને બહેનના પણ ઘણા મહાભુજ પુત્રો આવ્યા. • કૌરવ તેમજ પાંડવોનાં સૈન્યનું યુદ્ધ માટે રણમાં આગમન :
પછી ક્રોકિએ બતાવેલા શુભ દિવસે દારુક સારથીવાળા અને ગરુડના ચિહ્નવાળા રથ પર બેસી સર્વ યાદવોથી વીંટાઇ શુભ શુકનો વડે સૂચિત કૃષ્ણ પૂર્વોત્તર (ઇશાની દિશામાં પ્રયાણ કર્યું. સંગ્રામવિધિ જાણનારા કૃષ્ણ પોતાના નગરથી પીસ્તાલીશ યોજન જઇ શનિપલ્લિગ્રામે પડાવ નાંખ્યો. જરાસંઘના સૈન્યથી કૃષ્ણનું સૈન્ય ચાર યોજન દૂર રહ્યું. કૃષ્ણના લશ્કરમાં તે સમયે કેટલાક ઉત્તમ વિદ્યાધરો
ત્યાં આવ્યા. સમુદ્રવિજયને નમસ્કાર કરીને તેઓ બોલ્યા, “હે રાજા ! તમારા ભાઈ આનંકદુંદુભિ (વસુદેવ)ના ગુણોથી અમે વશીભૂત થયા છીએ. તમારા કુલમાં જગતની રક્ષા કરવામાં સમર્થ એવા અરિષ્ટનેમિ ભગવાન અને અદ્વિતીય પરાક્રમવાળા રામ અને કૃષ્ણ ઉત્પન્ન થયેલા છે. તેમજ પ્રદ્યુમ્ન અને શાંબ પ્રમુખ ક્રોડો પૌત્રો છે. તેથી તેમને બીજાઓની સહાયની જરૂર નથી તો પણ યુદ્ધનો અવસર જાણી અમે ભક્તિથી આવેલા છીએ, માટે અમને તમારા સામંતવર્ગમાં ગણીને આજ્ઞા આપો.
રાજા સમુદ્રવિજયે કહ્યું કે, “બહુ સારું.” ત્યારે તેઓ ફરીવાર બોલ્યા કે, “માત્ર એક કૃષ્ણની આગળ જરાસંઘ તૃણસમાન છે. પરંતુ વૈતાઢયગિરિ ઉપર જે ખેચરો જરાસંઘના પક્ષના છે, તેઓ જ્યાં સુધી અહીં આવ્યા નથી, ત્યાં સુધીમાં અમને ત્યાં જવાની આજ્ઞા આપો અને તમારા અનુજબંધુ વસુદેવને અમારા સેનાપતિ ઠરાવીને પ્રદ્યુમ્ન અને શાંબ સહિત અમારી સાથે મોકલો. જેથી તે સર્વને અમે ત્યાં જ જીતી લઇએ.” સમુદ્રવિજયે કૃષ્ણને પૂછીને વસુદેવ, પ્રદ્યુમ્ન અને શબને તે ખેચરોની સાથે મોકલ્યા. તે સમયે અરિષ્ટનેમિએ તેમના જન્મસ્નાત્ર વખતે દેવતાઓએ તેમના હસ્ત ઉપર બાંધેલી અસ્ત્રવારિણી ઔષધી વસુદેવને હાથે બાંધી.
અહીં દુર્યોધન જરાસંઘને યાદવ અને પાંડવો તરફ વધ કરવા માટે જતા જાણી તેની પાસે આવી નમસ્કાર કરીને બોલ્યો, “સ્વામી ! એ ગોપાળ અને પાંડવો કોણ માત્ર છે? વળી જ્યાં સુધી અમે વિદ્યમાન છીએ ત્યાં સુધી તેમની સાથે તમારે પરાક્રમ બતાવવું યુક્ત નથી. માટે હે રાજા ! અમોને આજ્ઞા આપો કે જેથી અમે યુદ્ધ કરી પૃથ્વીને યાદવ અને પાંડવ વગરની કરી દઈએ.' દુર્યોધનનો આગ્રહ જાણી જરાસંઘે પટ્ટબંધ કરી દુર્યોધનને રણભૂમિમાં પોતાના શત્રુની સામે યુદ્ધ કરવા માટે સેનાપતિ પદ ઉપર નીમ્યો. મહાઉદ્ધત યોદ્ધાઓથી પરીવરેલો દુર્યોધન અનુક્રમે કેટલુંક પ્રયાણ કરી સત્વર કુરુક્ષેત્રમાં
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૬૯
Page #291
--------------------------------------------------------------------------
________________
આવ્યો. અગિયાર અક્ષૌહિણી સેના વડે દુર્યોધન શોભવા લાગ્યો. દુર્યોધને વી૨મણિ ભીષ્મપિતામહને નમીને હર્ષ અને આદરપૂર્વક પોતાના સેનાપતિ સ્થાપ્યા.
પાંડવો સાત અક્ષૌહિણી સેના લઇ કુરુક્ષેત્રમાં આવ્યા. પાંડવોએ સર્વાનુમતે દ્રુપદ રાજાના પુત્ર મહાપરાક્રમી ધૃષ્ટદ્યુમ્નને સેનાપતિપણાનો અભિષેક કર્યો. રણના દિવસનો નિર્ણય કરી મહાવીરોએ ક્ષત્રિયોના દૈવતરૂપ શસ્ત્રોની પૂજા કરી. મલ્લિકાનાં પુષ્પોની માળા વડે પૂજીત આયુધો અત્યંત શોભવા લાગ્યા. સૂર્યોદય થતાં બંને સૈન્યની વચ્ચે યુદ્ધનો આરંભ થયો.
અર્જુને ભીષ્મને કરાવેલું જળપાન
ભીષ્મની દીક્ષા :
આઠ દિવસપર્યંત અત્યંત ભયંકર યુદ્ધ ચાલતાં આઠમા દિવસને અંતે પાંડવો વિચાર કરવા લાગ્યા કે, ‘સર્વથા દુર્જાય એવા ભીષ્મપિતામહને કેવી રીતે મારવા ?' તે વખતે કૃષ્ણે અર્જુનને કહ્યું કે, ‘ગાંગેય સત્યપ્રતિજ્ઞાવાળા છે. તેઓ અસ્રરહિત, નપુંસક, સ્ત્રી અને પરાક્રૃખ થયેલા પુરુષની ઉપર પ્રહાર કરતા નથી. માટે દ્રુપદ રાજાનો પુત્ર શિખંડી કે જે નપુંસક છે, તેને તમારા રથમાં તમારી આગળ બેસાડી તમે ભીષ્મની સામા જાઓ. નપુંસકને જોઇને ભીષ્મ હાથમાંથી અસ્ર છોડી દેશે, પછી નિઃશંક થઇને તમે તેની ઉપર પ્રહાર કરજો.' પાંડવોએ કૃષ્ણનો આ વિચાર અંગીકાર કર્યો.
નવમે દિવસે પ્રાતઃકાળે સૈનિકોને તૈયાર કરી પાંડવો અને કૌરવો રણભૂમિમાં આવ્યા. શાંતનુના પુત્ર ભીષ્મે અગ્રેસર થઇ, બાણવૃષ્ટિ કરીને પાંડવોની સેનાને ઉપદ્રવ કરવા માંડ્યો. એટલે અર્જુન પોતાના રથ ઉપર ખંઢ એવા દ્રુપદ રાજાના પુત્ર શિખંડીને બેસાડીને તેમની સામે આવ્યો. શિખંડીને જોતાં જ અસ્ત્ર નાખવામાં મંદ થયેલા વૃદ્ધ ભીષ્મને અર્જુને ગુપ્ત રીતે તીક્ષ્ણ બાણોથી જર્જર અંગવાળા કરી નાંખ્યા. ‘ચર્મના મર્મને ભેદનારા આ બાણ અર્જુનના છે, ખંઢના નથી' એમ સારથીને કહેતાં ભીષ્મ રથમાં સૂઇ ગયા.
ભીષ્મ પડવાથી શોક વડે કૌરવો તથા પાંડવો ભીષ્મને વીંટાઇ વળ્યા. તે વખતે ભીષ્મપિતામહને તૃષાર્ત જોઇ દિવ્ય અસ્ત્રને જાણનારા અર્જુને પૃથ્વીમાંથી બાણ વડે જળ આકર્યું. ભીષ્મે તે આશ્ચર્ય દુર્યોધનને બતાવીને કહ્યું કે, ‘તારાથી અધિક પરાક્રમવાળા પાંડવોની સાથે સંધિ કર.' ભીષ્મનું વચન જાણે સાંભળ્યું ન હોય તેમ બતાવી તે વખતે ક્રૂર એવા દુર્યોધને કોપથી રાતી આંખ ભીમની ઉપર નાખી. પછી દેવની વાણીથી ભીષ્મ ચારિત્ર અંગીકાર કર્યું અને સર્વ સાવધનો ત્યાગ કરી અનશન કરીને અચ્યુત દેવલોકમાં દેવતા થયા.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૭૦
-
Page #292
--------------------------------------------------------------------------
________________
ત્યાર પછી દુર્યોધને પોતાનાં સૈન્યમાં સેનાપતિ પદે દ્રોણાચાર્યનો અભિષેક કર્યો અને સવારે તેમને આગળ કરીને કુરુક્ષેત્રમાં તે આવ્યો. તેને જોઈ અર્જુને ધનુર્વેદના ગુરુ જાણી ગુરુદક્ષિણારુપ પ્રથમ પ્રણામ કર્યો. તે સમયે સંસપ્તકોએ અર્જુનને સૈન્યની બહાર યુદ્ધ કરવા બોલાવ્યો. તેથી અર્જુન તેમની સાથે યુદ્ધ કરવા પ્રવર્યો. યુદ્ધના બારમે દિવસે ભગદત્ત અર્જુન વિનાના પાંડવોના સૈન્યને ઉપદ્રવ કરવા લાગ્યો. તેથી પોતાના સૈન્યના ક્ષોભના શબ્દો સાંભળી અર્જુન સંસપ્તકોને છોડીને શીધ્ર ભગદત્તની સામે યુદ્ધ કરવા આવ્યો. ક્રોધ પામેલા અર્જુને ચિરકાલ યુદ્ધ કરી, ગજસહિત ભગદત્તને મારી નાંખ્યો. પછી કેટલાક રાજાઓના કહેવાથી કૌરવોએ તે રાત્રિમાં બીજે દિવસે અખંડિત એવો ચક્રવ્યુહ કરવાની ગોઠવણ કરી.
અર્જુન સૈન્યની બહાર આવી સંસપ્તકોને મારવામાં રોકાયો. એટલે ભીમ વગેરેથી પરીવરેલો અભિમન્યુ ચક્રવૂહમાં પેઠો દુર્યોધન, કૃપાચાર્ય, દ્રોણ, કર્ણ અને કૃતવર્માનાં અસ્ત્રોને નહીં ગણતો અર્જુનકુમાર ચક્રવ્યુહનું મથન કરવા લાગ્યો. દુર્યોધન વગેરે વીરોએ ભીમાદિકને યુદ્ધમાં રોકી રાખ્યા, એટલે અભિમન્યુ અને જયદ્રથ બંને સુભટો પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. લોહમય અને દિવ્ય એવા અત્રસમૂહથી ચિરકાલ યુદ્ધ કરીને જયદ્રથે સૂર્યાસ્ત સમયે અભિમન્યુને મારી નાંખ્યો. તે સાંભળી ક્રોધ પામેલો અર્જુન બીજા દિવસના અસ્તની અગાઉ જયદ્રથના વધની પ્રતિજ્ઞા કરીને શત્રુઓની સેનામાં પેઠો. ક્રોધી અર્જુનને વચ્ચમાં દ્રોણાચાર્યે રૂંધ્યો, સાત્યકિ અને ભીમસેન અર્જુનની પાછળ આવ્યા. પરંતુ દુર્યોધને ભીમને રૂંધ્યો અને ભૂરિશ્રવાએ સાત્યકિને રૂંધ્યો. વ્યાધિઓથી વીંટાયેલ હોય તેમ જયદ્રથની ફરતા તેના રક્ષણ માટે અનેક રાજાઓ વીંટાઈ રહેલા હતા, તો પણ જયદ્રથને અશ્વ, રથ, સારથી અને અસ્ત્ર વગરનો કરીને અર્જુને પોતાની પ્રતિજ્ઞા સંભારી, સૂર્ય અસ્ત થતાં પહેલાં તેને મારી નાંખ્યો. આ પ્રમાણે ચૌદ દિવસના યુદ્ધમાં દુર્યોધનની સાત અક્ષૌહિણી સેનાનો વિનાશ થયો, તેથી દુર્યોધનને અત્યંત દુઃખ થયું.
ત્યાર પછી કૌરવોએ રાત્રે યુદ્ધ કરવા વડે જય મેળવવાની આશા બાંધી. તેથી જ્યારે પાંડુકુમારો સૂઈ ગયા ત્યારે ઘુવડપક્ષીની જેમ આવીને અકસ્માત તૂટી પડ્યા. તે વખતે ભીમ જેવો ભયંકર ભીમનો કુમાર ઘટોત્કચ શત્રુઓને ત્રાસ પમાડતો માયાયુદ્ધથી યુદ્ધ કરવા લાગ્યો. તેને જોઇને કર્ણ કોપ પામ્યો, પછી કણે દેવે આપેલી સ્કુરાયમાન અગ્નિના કણોથી વીંટાએલી એક શક્તિ ઘટોત્કચ ઉપર છોડી, તેથી ઘટોત્કચ મૃત્યુ પામ્યો. પ્રાત:કાળે દ્રોણાચાર્યે પાંડુ સૈન્યને ઉપદ્રવિત કર્યું, એથી વિરાટ અને દ્રુપદ રાજા તેની સામે થયા. તે બંનેને તેમણે મૃત્યુ પમાડ્યા. વિરાટ અને દ્રુપદ રાજાના મૃત્યુથી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૭૧
Page #293
--------------------------------------------------------------------------
________________
ધર્મરાજાનું સૈન્ય ગ્લાનિ પામ્યું. તેથી ધૃષ્ટદ્યુમ્ન દ્રોણની સામે આવ્યો અને ધૃષ્ટદ્યુમ્ન અને દ્રોણાચાર્યનું ચિરકાલ યુદ્ધ થયું તે જોઇ આકાશમાં રહેલા ખેચરો પણ ભય પામ્યા. • દ્રોણાચાર્યનું અનશન તેમજ કર્ણને સેનાપતિ પદ :
એવે સમયે માલવદેશના રામનો અશ્વત્થામા નામે હાથી મરાયો, તે સાંભળી સર્વ સૈન્યમાં “અશ્વત્થામા હણાયો, અશ્વત્થામા હણાયો' એવો અદ્ભુત ધ્વનિ પ્રસરી ગયો. તે વાણી સાંભળી, “પોતાનો પુત્ર અશ્વત્થામાં હણાઈ ગયો’ એવું માનતા દ્રોણાચાર્યગુરુ યુદ્ધ કરવામાં મંદ થઈ ગયા અને શું કરવું ?” એ વિચારમાં જડ જેવા થઈ ગયા. તે વખતે અવસર જોઇને છલમાં બળવાળા ધૃષ્ટદ્યુમ્ન બાણથી વીંધેલા દ્રોણાચાર્ય પીડાથી વ્યથિત થતાં અનશન લઈને બ્રહ્મલોકમાં ગયા. પોતાના પિતાના મરણના ખબર સાંભળી અશ્વત્થામાએ પાંડવોની સેનાનો ઘણો વિનાશ કર્યો અને સર્વ સેનાનો વિનાશ કરવા તેણે રોષથી નારાયણી અસ્ત્ર છોડ્યું. કૃષ્ણના કહેવાથી વિનય વડે નમ્ર એવા પાંડવોએ તે અસ્ત્રને નિષ્ફળ કરી નાંખ્યું. ‘વિનયથી શું સિદ્ધ ન થાય ?' એવ રીતે અવિચ્છિન્ન બાર પહોર સુધી યુદ્ધ પ્રવર્તતાં ઘણા વીરો અને ઘણા શત્રુઓનો ક્ષય થયો. પછી કૌરવોએ અંગદેશના રાજા કર્ણને સેનાપતિના પદ ઉપર નીમ્યો. એટલે સમાન ભુજપરાક્રમવાળા અર્જુન અને કર્ણ પરસ્પર બાણોથી યુદ્ધ કરવા લાગ્યા. પૂર્વના કોપથી પ્રેરાયેલા ભીમે દુઃશાસનને રૂંધી લીધો અને સૂર્યાસ્ત સમયે તેને મારી નાંખ્યો.
પ્રાતઃકાળે અર્જુનના વધની અપેક્ષા કરતો કર્ણ શલ્યરાજને સારથી કરી શંખધ્વનિના બહાનાથી ગર્જના કરતો રણભૂમિમાં આવ્યો. સર્વ મંત્રાસ્ત્રોને જાણનારા અર્જુને કણે મૂકેલા નાગાસ્ત્રને ગરુડાસ્ત્રથી નિવારી દીધું. તેમજ બીજાં પણ તેના અસ્ત્રોને પ્રત્યસ્ત્રો વડે નિષ્ફળ કર્યા. છેવટે પન્નગેન્દ્રની સહાયથી અર્જુને કર્ણને મારી નાંખ્યો.
બીજે દિવસે શલ્યને સેનાપતિ કરી કૌરવો મંદ ઉત્સાહે રણમાં આવ્યા, ત્યારે ઉત્તમકુમારને શલ્ય મારેલો તે વૈરને સંભારીને ધર્મરાજાએ શલ્યરાજાને મારી નાંખ્યો. સૂર્ય જયારે અસ્ત પામ્યો, ત્યારે પોતાના કામથી લજ્જા પામેલો દુબુદ્ધિ ભીરુ દુર્યોધન ક્રોધથી નાસીને સરોવરમાં પેસી ગયો. અશ્વત્થામા, કૃતવર્મા અને કૃપાચાર્ય પણ દુર્યોધનની પદશ્રેણી જોતાં તે સરોવર પાસે આવ્યા અને સરોવરમાં રહેલા દુર્યોધનને બોલાવતા હતા, તેવામાં જ તેમની પાછળ પાંડવો ત્યાં આવી પહોંચ્યા.
એક અક્ષૌહિણી સેનાથી શત્રુઓને ક્ષોભ કરતા પાંડવો તે સરોવર પાસે આવી જળમાં તિરોહિત થયેલા દુર્યોધનને કહેવા લાગ્યા, “દુર્યોધન ! આ તે કરેલું પલાયન તને યુક્ત નથી. વળી અર્જુનના રોષ આગળ શું તું આમ સંતાઈને રહી શકીશ?
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૭૨
Page #294
--------------------------------------------------------------------------
________________
જો બધાની સાથે યુદ્ધ કરવા તુ સમર્થ ન થઈ શકે, તો તારી ઇચ્છા પ્રમાણે ગમે તે એક વીરની સાથે તારું ઇચ્છિત યુદ્ધ કર. આ કથન તારા મનમાં વિચારી જો.” - તે સાંભળી મનસ્વી દુર્યોધન બોલી ઊઠ્યો, “હું પરાક્રમી ભીમની સાથે ગદાયુદ્ધથી યુદ્ધ કરીશ.' પાંડવોએ તેમ કરવું અંગીકાર કર્યું એટલે દુર્યોધન મોટા જલચર પ્રાણીની જેમ યુદ્ધની ઇચ્છાથી સરોવરમાંથી બહાર નીકળ્યો. બીજાઓ સભ્ય થઇને જોવા ઊભા રહ્યા અને ભીમસેન તથા દુર્યોધન ગદા લઈને પરસ્પર યુદ્ધ કરવા દોડ્યા. ગદાયુદ્ધ કરતા તેઓ દેવોને પણ દુ:પ્રેક્ષ્ય થઈ પડ્યા. છેવટે દુર્યોધનને ચરણમાં ગદા મારીને ભીમસેને પૃથ્વી પર પછાડ્યો અને જીર્ણ કરી નાખ્યો. તે જોઈ બલદેવના મનમાં રોષ આવ્યો અને પાંડવોને ત્યાં જ છોડી રીસાઇને જતા રહ્યા. તત્કાલ પાંડવો ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડીને સૈન્યની રક્ષા માટે રાખી કૃષ્ણને સાથે લઇને બલદેવને શાંત કરવા તેમની પાછળ ગયા.
તે સમયે કૃતવર્મા, કૃપાચાર્ય અને અશ્વત્થામા એ ત્રણે વીરો દુર્યોધનને જોવા રણક્ષેત્રમાં આવ્યા. દુર્યોધનની તેવી અવસ્થા જોઈ તેઓ બોલ્યા, “અમને પ્રસન્ન થઈને આજ્ઞા આપો, જેથી અદ્યાપિ અમે પાંડવોને હણી નાખીએ.” “પાંડવોને હણીએ” એ વચન સાંભળતાં જ દુર્યોધન ઉચ્છવાસ પામ્યો અને હાથ વડે સ્પર્શ કરી પાંડવોના વધને માટે આજ્ઞા કરી. તેઓ પાંડવરહિત શૂન્ય સૈન્યમાં જઈ ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડી સાથે ચિરકાલ યુદ્ધ કરી તેમને મારીને પાંડવોના બાલપુત્રોને હરી લાવ્યા અને તેમનાં મસ્તક લઇને દુર્યોધનની સામે મૂક્યાં. તે બાલપુત્રોના મસ્તકો જોઇ દુર્યોધને તેઓને કહ્યું કે, “અરે ! ધિક્કાર છે તમને ! આ બાળ પાંડવપુત્રોના મસ્તક અહીં મારી આગળ કેમ લાવ્યા? પરંતુ આમ કરવાથી કાંઈ પાંડવોને ક્ષય થયો નહીં. આ પ્રમાણે બોલતો દુર્યોધન દુઃખથી પીડાતો મરણ પામ્યો અને કૃપાચાર્ય વગેરે લજ્જા પામી શોક કરતા કરતા કોઇ ઠેકાણે ચાલ્યા ગયા. અહીં પાંડવો બલભદ્રને ભક્તિવચનથી અનુકૂલ કરી પોતાના સૈન્યમાં આવ્યા, ત્યાં પોતાના બાળપુત્રોને મારેલા સાંભળીને શોકાતુર થયા પછી પાંડવોએ સરસ્વતી નદીને કાંઠે કૌરવોના અને પોતાના પુત્રોના પ્રેતકાર્ય કર્યા. • દુર્યોધનના મૃત્યુના સમાચારથી જરાસંઘને ખેદ :
દુર્યોધન મૃત્યુ પામ્યો તે સાંભળી, મગધ દેશના રાજા જરાસંઘે ક્રોધથી પ્રજવલિત થઈ સોમક રાજાને મોકલ્યો. તેણે આવીને પાંડવોની સાથે રહેલા સમુદ્રવિજયને ધીરવાણીએ જરાસંઘનો સંદેશો આ પ્રમાણે કહ્યો કે, “તમારા બળથી અને સહાયથી મારા મિત્ર દુર્યોધનને પાંડવોએ મારી નાંખ્યો છે, તેથી કંસનો વધ કરતા પણ મને ઘણું માઠું લાગ્યું છે. માટે હવે રામ, કૃષ્ણ અને પાંડવો મને સોંપી દો, નહીં તો
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૭૩
Page #295
--------------------------------------------------------------------------
________________
હું આવું છું તમે સત્વર યુદ્ધ કરવામાં અગ્રેસર થાઓ.” આવો રોષયુક્ત જરાસંઘનો સંદેશો સાંભળી રામ તથા કૃષ્ણ તેને ધિક્કાર આપ્યો. તેથી સોમકે પોતાના રાજા જરાસંઘને તે સર્વ વૃત્તાંત જણાવ્યો.
તે સમયે જરાસંઘના હંસ નામના મંત્રીએ કહ્યું, “હે રાજન્ ! ઉત્સાહશક્તિ અને પ્રભુશક્તિ કરતાં પણ મંત્રશક્તિ બલવતી છે. મંત્રશક્તિથી જ કંસ અને કાલ વગેરે પરાભવ પામી ગયા છે. મંત્રશક્તિવાળાઓને પગલે પગલે સંપત્તિ પ્રાપ્ત થાય છે. માટે વિચારી જીવો કે યાદવો હમણાં સર્વ પ્રકારે ઉદયવાળા છે. વળી તેઓનું પરાક્રમ પૂર્વે આપે જોયેલું છે. તે કરતાં પણ અત્યારે રામ-કૃષ્ણ સર્વથી અધિક પરાક્રમવાળા થયા છે અને તેમના પુત્રો પ્રદ્યુમ્ન અને શાંબ પણ તેવા જ પરાક્રમી છે. વળી તેમના કુળમાં ઉત્પન્ન થયેલા એક નેમિકુમાર જ ત્રણ લોકનો વિજય કરવા સમર્થ છે. ઇન્દ્રોથી પણ પૂજાયેલા તે નેમિની સાથે યુદ્ધ કરવાની ઇચ્છા પણ કોણ કરે ? વળી પરાક્રમવાળા પાંડવો પણ તેના સૈન્યમાં છે. આ રીતે કાલબલ અને શત્રુઓની ઉન્નતિ જાણીને આપને હાલ તેમની સાથે યુદ્ધ કરવું ઘટતું નથી. હમણાં સાહસ કરવાથી ઊલટો આપણા તેજનો ક્ષય થવાનો છે.
હંસ મંત્રીના આવા વચન સાંભળી જરાસંઘ ક્રોધથી રાતા નેત્ર કરી બોલ્યો કે, “હે મૂઢ મંત્રી ! જરૂર તને યાદવોએ ખૂટવ્યો છે. તે મંત્રી ! તારા વિચારની સાથે એ ગોવાળિયાના સૈન્યને રણમાં મારીને હમણાં જ મારી પુત્રીની પ્રતિજ્ઞાને હું પૂર્ણ કરીશ.” આ પ્રમાણે કહીને જરાસંઘે પોતાના બીજા મંત્રીઓની પાસે ચક્રવ્યુહ રચાવ્યું અને પ્રાત:કાળે શનિપલી ગામની પાસે યુદ્ધ કરવા માટે આવવા યાદવોને નિમંત્રણ કર્યું. પછી જરાસંઘે સર્વની સંમતિથી પોતે પટબંધ કરીને હિરણ્યનાભને પોતાના સૈન્યમાં સેનાપતિ કર્યો. પ્રાતઃકાળે યાદવો પણ ગરુડબૂહ રચી શુભ શકુનથી ઉત્સાહ ધરતા રણાંગણમાં આવ્યા. સમુદ્રવિજયે પોતાના સૈન્યમાં બળવાનું પુરુષોમાં મુખ્ય એવા અનાદષ્ટિને સેનાપતિ તરીકેનો અભિષેક કર્યો.
એ અવસરે માતલિ સારથી ઇન્દ્રની આજ્ઞાથી એક રથ લઈને ત્યાં આવ્યો. શ્રી નેમિપ્રભુ તેમાં વિરાજમાન થયા. પરસ્પર અસ્ત્રોના સંઘટ્ટથી નીકળતા અગ્નિકણ વડે પ્રજવલિત એવા તે બંને યૂહ જાણે સામસામા મળી ગયા. તેઓના વાજિંત્રોના શબ્દોથી, ઘોડાના હણહણાટથી, રથોના ચિત્કારથી અને સુભટોના સિંહનાદથી આખું જગત બહેરું થઈ ગયું. જરાસંઘના હુંકારયુક્ત તિરસ્કારોથી અને ચક્રવ્યુહના અગ્રેસર વીરોથી પ્રથમ કૃષ્ણના સૈનિકો ભાંગી ગયા. એટલે ભૂહના દક્ષિણ પામભાગ તરફ મહાનેમિ અને અર્જુન અને ભૂહના મુખભાગ તરફ અનાદષ્ટિ દોડી આવ્યા. સિંહનાદ
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૨૭૪
Page #296
--------------------------------------------------------------------------
________________
નામનો શંખ મહાનેમિએ, દેવદત્ત નામનો શંખ અર્જુને, બલાહક નામનો શંખ અનાદિષ્ટએ મોટા નાદથી ફૂંકવા માંડ્યો. તેઓના શંખના ધ્વનિથી, ધનુષ્યના ટંકારવથી, રથના ચિત્કારથી અને બાણોના સમૂહથી શત્રુઓનું સૈન્ય દીનતા પામી ગયું. તે ત્રણ વીરોએ કોપ કરી ત્રણ ઠેકાણેથી શત્રુના વ્યૂહને તોડી પાડ્યો.
પછી મહાનેમિ સામે રૂક્મી, ધનંજ્ય સામે શિશુપાલ અને અનાદિષ્ટ સામે હિરણ્યનાભ ક્રોધથી યુદ્ધ કરવા આવ્યા. પરસ્પર વિવિધ આયુધને વર્ષાવતા તે છ વીરોનો સંગ્રામ દેવતાઓને પણ થોડા વખતમાં અતિ ભયંકર દેખાવા લાગ્યો. મહાનેમિથી રૂક્મીની રક્ષા કરવા માટે વેણુહારી વગેરે સાત રાજાઓ જરાસંઘની આજ્ઞાથી આવ્યા. તે આઠે વીરોનાં બાણોને મહાનેમિએ હાથચાલાકીથી છેદી નાખ્યા. છેવટે રૂક્મીએ વરુણ પાસેથી મેળવેલી શક્તિ છોડી. જેમાંથી તેમની આગળ અનેક ક્રૂર વ્યંતરો પ્રગટ થવા માંડ્યા. તેથી અરિષ્ટનેમિની આજ્ઞા લઇને માતલી સારથીએ મહાનેમિના બાણમાં તત્કાળ ઇન્દ્રના વજ્રનું સંક્રમણ કર્યું. વજ્રમય બાણના ઘાતથી મહાનેમિએ તત્કાલ તે શક્તિને પાડી નાખી અને રૂક્મીના કપાળમાં એક બીજું બાણ માર્યું. તેથી ભૂમિ પર પડી ગયેલા રૂક્મીને પોતાના રથમાં ઊપાડી લઇને વેણુહારી ત્યાંથી ચાલ્યો ગયો. એટલે બીજા સાત રાજાઓ પણ ભય પામીને નાસી ગયા. સમુદ્રવિજયે દ્રુમને, સ્તિમિતે ભદ્રકંઠને અને ક્ષોભ્યે સુસેનરાજાને મારી નાંખ્યો. આ રીતે યાદવ વીરોએ જરાસંઘ રાજાના ઘણા પરાક્રમી રાજાઓને યુદ્ધમાં મારી નાખ્યા. તે સમયે સૂર્ય પણ અસ્ત થયો અને સૈનિકો પોતાના આશ્રમસ્થાન તરફ ચાલ્યા ગયા. બીજે દિવસે પ્રાતઃકાળે હિરણ્યનાભ યાદવોની સેનામાં પેઠો. તત્કાળ જયસેન અને મહીય તેની સામે દોડી આવ્યા. તેઓનું લોહમય શસ્ત્રોથી અને દિવ્ય અસ્ત્રોથી મહાયુદ્ધ થયું. હિરણ્યનાભે અવસર મળતાં જ જયસેન અને મહીજ્યને મારી નાખ્યા. તેમનો વધ જોઇ ક્રોધ પામેલા અનાદષ્ટિએ હિરણ્યનાભના રથને તોડી ઘોડાને, સારથીને અને હિરણ્યનાભને અનુક્રમે મારી નાખ્યા તથા પોતાના બંધુઓ જયસેન તથા મહીજ્યનો નાશ સાંભળી રથનેમિએ જરાસંઘના ઓગણત્રીશ પુત્રોને મારી નાખ્યા. પછી રથનેમિ પોતાના સૈન્ય તરફ પાછો ફર્યો.
જરાસંઘ પ્રતિવાસુદેવનું કૃષ્ણ વાસુદેવની સાથે ભીષણ યુદ્ધ :
ત્રીજે દિવસે પ્રાતઃકાળે જરાસંઘે શિશુપાલને સેનાપતિ કર્યો અને પોતે રામકૃષ્ણનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી. શિશુપાલની આગળ જરાસંઘે પોતાનો ૨થ હાંક્યો. યમરાજ જેવા જરાસંઘને આવતો જોઇ બલભદ્રના દશ પુત્રો તેની સામે દોડ્યા. શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૭૫
•
Page #297
--------------------------------------------------------------------------
________________
શિશુપાલ કૃષ્ણની સામે થયો. તેથી કૃષ્ણ શિશુપાલના મુગટ, કવચ, ધનુષ્ય, સારથી, રથ, ઘોડા અને તેનું મસ્તક અનુક્રમે છેદી નાંખ્યા.
પછી જરાસંઘના અઠ્યાવીશ પુત્રો બલભદ્રની સાથે યુદ્ધ કરવા આવ્યા. પણ બલભદ્રના અસ્ત્રોથી સ્વલ્પ સમયમાં મૃત્યુ પામી ગયા. જરાસંઘે ક્રોધથી બલભદ્રના પુત્રોને હણીને બલભદ્રના મસ્તક પર ગદા નાખી, જેથી બલરામ મૂચ્છ પામી ગયા. તેમને મારી નાખવા ઇચ્છતા જરાસંઘને જોઇ અર્જુન વચ્ચમાં આવીને તેની સામે યુદ્ધ કરવા લાગ્યો. કૃષ્ણ બલરામની તેવી અવસ્થા જાણીને કોપથી જરાસંઘના ઓગણોતેર પુત્રોને મારી નાખ્યા. તે સમયે સૂર્ય અસ્તાચલ પર જતાં પોતપોતાના સ્વામીની આજ્ઞાથી અનુક્રમે બંને સેનાઓ રણક્ષેત્રમાંથી પાછી ફરી.
જરાસંઘે શત્રુઓને યુદ્ધમાં દુર્જયમાની પોતે સિદ્ધ કરેલી જરા નામની અસુરસુંદરીને રાત્રિએ યાદવોના સૈન્યમાં મોકલી. શ્રી નેમિનાથ, કૃષ્ણ અને બલભદ્ર વિના અત્યંત જરાવસ્થાને પ્રગટ કરતી એ જરા અસુરી સર્વ સેના ઉપર વ્યાપી ગઈ. તે જરાથી આખી સેના ચેતનરહિત થઈને માત્ર કિંચિત્ ઉચ્છવાસ લેવા લાગી.
પ્રાતઃકાળે જાગ્રત થતાં જ કૃષ્ણ પોતાની સેનાની તેવી સ્થિતિ જોઇને મનમાં ગ્લાનિ પામી. નેમિકુમારને કહ્યું, “હે બંધુ ! આ સૈન્ય શૂન્ય થયું છે. બલભદ્ર ગદાઘાતથી વિધુર થયા અને બીજાઓ પણ છતા અછતા થઇ ગયા છે. નેત્ર જેવા આપણે બે છીએ, તેથી હવે તમારી સહાયથી જ શત્રુઓનો વિનાશ થાય તેમ છે. માટે હવે, તમે રણમાં ચાલો.' • શ્રીકૃષ્ણને પ્રાપ્ત થયેલી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રભાવિક પ્રતિમા :
કૃષ્ણનાં વચન સાંભળી અવધિજ્ઞાનથી જોઈને શ્રી નેમિનાથ ભગવંત બોલ્યા, “હે શ્રીકાંત ! સાંભળો, તમારા પરાક્રમ અને તેજ વડે સંભ્રમ પામેલા આ તમારા શત્રુએ તમારા સૈન્ય ઉપર જરાને મોકલી છે, તેથી આ સર્વ સેના વિધુર થઈ ગયેલી છે. તમે એકલા પણ આ રણસંકટમાં શત્રુઓને હણશો એ સત્ય છે, પણ આ તમારું સૈન્ય આ જરા વડે પ્રાણ છોડી દેશે, માટે તેનો ઉપાય કહું તે સાંભળો. ‘પાતાળમાં ધરણેન્દ્રના દેવાલયમાં ભાવી તીર્થકર શ્રી પાર્શ્વનાથની અતિ મહિમાવાળી પ્રતિમા છે, માટે પદ્માવતી દેવીની ત્રણ દિવસ ત્રણ ઉપવાસથી આરાધના કરીને તેની પાસે તે પ્રતિમાની યાચના કરો. એ રીતે આરાધેલી તે દેવી તમને તે પ્રતિમા આપશે. તે પ્રતિમાના સ્નાત્રજળનું સિંચન કરવાથી તમારું સર્વ સૈન્ય ક્ષણવારમાં સ્વસ્થ થશે.”
કૃષ્ણ બોલ્યા, ‘હું જેટલીવાર દેવીના ધ્યાનમાં તત્પર રહું, તેટલીવાર આ સેનાનું રક્ષણ કોણ કરશે ?'
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૭૬
Page #298
--------------------------------------------------------------------------
________________
પ્રભુએ કહ્યું, ‘ત્યાં સુધી શત્રુઓના સંકટમાંથી હું રક્ષા કરીશ.' તે સાંભળી હર્ષ પામેલા કૃષ્ણ વાસુદેવ ધરણેન્દ્રની આરાધનામાં તત્પર થયા અને પોતાનું મન તેના ઉજ્વલ ધ્યાનમાં જોડી દીધું.
અહીં યાદવોનું સૈન્ય રેઢું જોઇ પરાક્રમી જરાસંઘ ચતુરંગ સેના લઇને ચડી આવ્યો અને મેઘની જેમ બાણવૃષ્ટિ કરવા લાગ્યો. તે વખતે નેમિકુમારની આજ્ઞાથી માલિ સારથીએ આવર્ત લેતા પવનની જેમ પ્રભુસંયુક્ત પોતાના રથને યાદવ સૈન્યની ચારે બાજુ ફેરવવા માંડ્યો. તે રથ ભમવાથી આખું વિશ્વ જાણે ચેષ્ટારહિત થઇ ગયું. પછી પ્રભુએ મહાશંખ પૂર્યો અને ભયંકર શબ્દ કરતું ઇન્દ્રધનુષ્ય ખેંચીને તેનો ટંકારવ કર્યો. તે ધનુષ્યનો શબ્દ સર્વને દુઃસહ થઇ ગયો. પછી શત્રુ તરફ અસંખ્ય બાણો શીઘ્રતાથી છોડવા માંડ્યા. તેમનો રથ ફરવા સાથે છૂટેલી બાણોની શ્રેણીને ભેદવાને અસમર્થ એવા સર્વ રાજાઓ રણમાં સાક્ષીભૂત હોય તેમ દૂર ઊભા રહ્યા. પ્રભુએ તે રાજાઓનાં કવચ, ધનુષ્ય, મુગટ, ધજા અને બાણ છેદી નાંખ્યા. પણ દયાળુ પ્રભુએ કોઇના પ્રાણ હર્યા નહીં.
અહીં કૃષ્ણ ધ્યાનમાં લીન થયા હતાં. તેમની આગળ ત્રીજે દિવસે પદ્માવતી દેવી પ્રગટ થયાં. દેવોના ગણની સાથે પોતાની સામે ઊભેલાં તે દેવીને જોઇ પ્રણામ કરીને કૃષ્ણ સ્તુતિપૂર્વક બોલ્યા, ‘હે પવિત્ર દેવી ! આજે હું ધન્ય, કૃતાર્થ અને પવિત્ર થયો. વળી આજે મારા સર્વ મનોરથ સફળ થયા કે જેથી મને તમારું દર્શન થયું.’ આવા ભક્તિ ભરેલા વચનથી પ્રસન્ન થયલા તે દેવી બોલ્યા, ‘હે કૃષ્ણ ! જે કાર્ય માટે તમે મારું સ્મરણ કર્યું હોય તે કહો.'
તે સાંભળી વિષ્ણુ બોલ્યા, ‘હે પરમેશ્વરી ! જો તમે સંતુષ્ટ થયાં હો તો મને પાર્શ્વનાથનું અદ્ભૂત બિંબ આપો. જેથી જરાએ ગ્રસ્ત થયેલું આ સૈન્ય તેમનાં સ્નાત્રજળથી સજ્જ થઇને શત્રુઓનો પરાભવ કરે અને સદા તમારી પૂજા કરે.'
પદ્માવતી બોલ્યા, ‘કૃષ્ણ ! આ તમારા બંધુશ્રી નેમિકુમાર કે જે જગતની રક્ષા ક૨વામાં સમર્થ છે. જેઓને યોગીશ્વરો પણ નમસ્કાર કરી રહ્યા છે, તે પ્રભુની આગળ, આ જરા, આ જરાસંઘ અને સુર કે અસુરો કોણ માત્ર છે ? તેમની આજ્ઞાથી હું તમારા શત્રુ જરાસંઘને સૈન્યસહિત મારી નાંખું અથવા તેને બાંધીને ક્ષણવા૨માં તમારી પાસે લાવું અને બીજું જે કહો, તે તમારું સર્વ ઈચ્છિત હું કરું.'
કૃષ્ણે કહ્યું, ‘હે દેવી ! તમારાથી તે સર્વ થઇ શકે છે, પરંતુ હે માતા ! મેં શ્રી નેમિકુમારની આજ્ઞાથી જ તમારું સ્મરણ કર્યું છે. ત્રણ જગતને માન્ય એવા મારા બંધુ નેમિનાથના મહિમાને કોણ નથી જાણતું ? પણ તમે કહ્યું તેમ તમારી પાસે શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૭૭
Page #299
--------------------------------------------------------------------------
________________
કરાવવાથી તમારું કાંઇપણ પરાક્રમ જોવામાં આવશે નહીં. માટે જો તમે પ્રસન્ન થયા હો, તો પ્રસાદ કરી મને તે પ્રતિમા આપો. જેથી હું પોતે જ તમારી કૃપાથી રણમાં શત્રુઓને જીતુ. આવા કૃષ્ણના આગ્રહથી અને ભક્તિથી પદ્માવતી તે પ્રતિમા ત્યાં લાવી અને તે કૃષ્ણને આપીને પોતે અંતર્હિત થઇ ગયા. કૃષ્ણે તે પ્રતિમાનું સ્નાત્રજળ સૈન્ય ઉ૫૨ સિંચન કર્યું એટલે ક્ષણવારમાં સૈન્ય સ્વસ્થ થયું.
પછી સમુદ્રવિજયને નમી કૃષ્ણ યુદ્ધ કરવા આવ્યા અને હર્ષથી પંચજન્ય શંખને એવો ફૂંક્યો કે જેનો શબ્દ સાંભળી શત્રુઓ બહેરા થઇ ગયા. શ્રી નેમિનાથ પ્રભુએ લાખ રાજાઓને જીતી લીધા, પરંતુ ‘પ્રતિવાસુદેવનો વધ વાસુદેવથી જ થાય છે' એ નિયમ હોવાથી માત્ર જરાસંઘને છોડી દીધો. બધું સૈન્ય જ્યારે રણ માટે સજ્જ થયું. ત્યારે નેમિનાથ પ્રભુ પોતે રણમાંથી મુક્ત થઇ માત્ર સૈન્યની રક્ષા માટે જ રહ્યા. બલભદ્રે પણ પોતાની વ્યથા દૂર થયા પછી હલ અને મુશલથી ઘણા શત્રુઓને ચૂર્ણ કરી નાખ્યા. પછી રોષથી અંધ થયેલા જરાસંઘે કૃષ્ણ તરફ પોતાનો રથ ચલાવ્યો. કૃષ્ણ પણ રથમાં બેસીને તેની સામે દોડ્યા. બંને વીરો પરસ્પર લોહાત્રે લોહાન્નનો અને દિવ્યાસ્ત્રે દિવ્યાસ્ત્રનો છેદ કરવા લાગ્યા.
જ્યારે જરાસંઘના સર્વ અસ્ત્રો ક્ષીણ થઇ ગયાં ત્યારે તેણે રોષથી ચક્રનું સ્મરણ કર્યું. તત્કાલ અગ્નિના કણોથી વ્યાપ્ત એવું તે ચક્ર તેના હાથમાં આવ્યું. એટલે જરાસંઘે કૃષ્ણને કહ્યું, ‘રે ગોવાલ ! સર્વ છોડી દે, અને હજુ પણ મારી આજ્ઞા માન. જો તું જીવતો રહીશ તો ગાયોને ચારવાનું તારું કામ તું પ્રાપ્ત કરીશ, નહીં તો આ ચક્ર તારા મસ્તકને ભેદી નાખશે.’ આ પ્રમાણે કહેતા જરાસંઘને કૃષ્ણે કહ્યું, ‘રે મૂઢ જરાસંધ, તું સત્ય કહે છે. તને મારીને ગોપાલન એટલે પૃથ્વીને પાલન કરવાનું મારું કર્મ હું કરીશ. માટે હવે ચક્ર છોડી દે, શા માટે વિલંબ કરે છે ?'
જરાસંઘે તત્કાલ રોષથી આકાશમાં ફેરવીને ભયંકર ચક્ર મૂક્યું. તે ચક્ર કૃષ્ણને પ્રદક્ષિણા કરીને કૃષ્ણના હાથમાં આવ્યું. એટલે ‘પોતે અર્ધચક્રી છે’ એવું જાણીને કૃષ્ણે તે ચક્ર શત્રુ ઉપર પાછું છોડ્યું. તે ચક્રે મગધરાજ જરાસંઘનું ગળું છેટું તેથી તે તત્કાલ પૃથ્વી ઉપર પડી ગયો. અંતે મૃત્યુ પામીને ઘણા કર્મના ભારથી ચોથી નરકમાં નારકી થયો. ‘આ કૃષ્ણ નવમા વાસુદેવ છે.' એમ બોલતા દેવોએ કૃષ્ણનાં મસ્તક ઉપર પુષ્પની વૃષ્ટિ કરી.
સહદેવ વગેરે જરાસંઘના પુત્રોએ આવી કૃષ્ણને પ્રણામ કર્યા. કૃષ્ણે તેમની સંભાળ લીધી અને હર્ષથી રાજગૃહીના રાજ્ય પર તેમને સ્થાપન કર્યા. પછી યાદવોએ પ્રેરેલા અને અમાપ ભક્તિવાળા કૃષ્ણે ત્યાં દેવાલય બનાવી પદ્માવતીએ આપેલી શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર • ૨૭૮
Page #300
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા અને તેની સામે પોતાની પ્રતિમા સ્થાપિત કરી અને તેની વ્યવસ્થા માટે તે નગર નીમ્યું. પછી માતલી સારથી શ્રી નેમિનાથ પ્રભુની આજ્ઞા મેળવી પ્રણામ કરી સ્વસ્થાને ગયો.
કૃષ્ણ હર્ષથી ઇન્દ્રપ્રસ્થ પાંડવોને, અયોધ્યા રૂદ્મનાભને, શૌર્યપુર મહાનેમિને અને બીજાઓને યથાયોગ્ય રાજયો સોંપી દીધા. પછી હર્ષ પામતા કૃષ્ણ સૈન્ય તથા બલભદ્રની સાથે ભરતાધનો વિજય કરવા માટે ચક્રની પાછળ ચાલ્યા. છ માસમાં ત્રણખંડ પૃથ્વીનો વિજય કરી. સોળ હજાર રાજાઓથી સેવાતા કૃષ્ણ એક છત્ર રાજ્ય મેળવીને પોતાની દ્વારિકાનગરીમાં આવ્યા. પોતાનો આચાર જાણીને તેમણે ભરતાઈવાસી દેવતાઓએ બતાવેલી કોટશિલાને ભૂમિથી ચાર અંગુલ ઊંચી કરી. પછી કૃષ્ણવાસુદેવ આ ભરતાર્ધ ઉપર સુખે રાજય કરવા લાગ્યા. • શ્રી નેમિનાથ ભગવાનની ક્રીડા :
શ્રી નેમિનાથ પ્રભુ પોતાની સમાન વયના થઇને આવેલા દેવોની સાથે ચારેબાજુથી પરિવરેલા માત્ર કૃષ્ણને હર્ષ આપવા માટે ક્રીડા કરતા હતા. જેવી જેવી નેમિનાથ પ્રભુની ઇચ્છા થતી તેવી રીતે દેવોનો સમૂહ ચેષ્ટા કરતો હતો અને પ્રભુ પણ દેવોની અભિલાષા પ્રમાણે વર્તતા હતા.
એક વખતે નેમિકુમાર લાખો રક્ષકોથી રક્ષિત કૃષ્ણના આયુધગૃહમાં આવી ચડ્યા. ત્યાં રહેલા અતિ ઉજજળ શંખને જોઇને કૌતુકથી શંખ લેવાની ઈચ્છા કરી. એટલે સેવકોએ ભક્તિથી તેમને રોક્યા. ત્યારે પ્રભુએ હસતા હસતા શંખ ઉપાડી લીલાથી ફૂંકવા માંડ્યો. તે શંખના નાદથી આખી નગરી, આખી પૃથ્વી અત્યંત ખળભળી ગઈ અને બલભદ્ર, કૃષ્ણ તથા દશાઈ વગેરે દુઃખથી દુભાણા હોય તેમ ક્ષોભ પામી ગયા. ક્ષણવાર અંતરમાં ચમત્કાર પામી કૃષ્ણ બલભદ્રને કહ્યું, “શું આ કોઇ નવો વાસુદેવ ઉત્પન્ન થયેલ છે ?” ત્રણ લોકમાં કોઇ બીજો તેવો પુરુષ નથી કે જે બલથી મને અને તમને (બલભદ્રને) ક્ષોભ કરી શકે. તે છતાં સર્વજનને અત્યંત ક્ષોભ કરનારો આ શંખ કોણે વગાડ્યો ? તે જુઓ.
આ પ્રમાણે કહી કૃષ્ણ તત્કાલ સિંહાસન ઉપરથી ઊભા થયા અને ચતુરંગ સેનાને તૈયાર કરીને ત્યાંથી આગળ ચાલવા જતા હતા, તેવામાં અસ્ત્રગૃહના અધિકારીએ આવી નમસ્કાર કરી વિજ્ઞપ્તિ કરી, “દેવ ! તમારા બંધુ અરિષ્ટનેમિને અમોએ નીતિવચનોથી વાર્યા તો પણ કૌતુકથી તમારો શંખ હાથમાં લઈ ફંક્યો છે.'
પોતાના બંધુનું પરાક્રમ સાંભળી કૃષ્ણ અંતરમાં ચમત્કાર પામ્યા. અહીં ભગવાન નેમિનાથે પણ પોતાનું કિંચિત્ વીર્ય બતાવીને શંખ છોડી દીધો એટલે જગતુ પણ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૭૯
Page #301
--------------------------------------------------------------------------
________________
પાછુ પોતાની મૂળ પ્રકૃતિમાં સ્થિર થયું. ત્યારપછી નેમિનાથ પ્રભુ ભ્રષ્ટ થયેલી દુકાનોની શ્રેણી અને મણીમય દીવાલો તેમજ ત્રાસ પામેલા ઘોડા અને ગજેન્દ્રોના ટોળાને જોતા જોતા વેગથી કૃષ્ણની સભામાં આવ્યા. • શ્રી નેમિનાથ પ્રભુના બળની પરીક્ષા કરવા કૃષ્ણની ઇચ્છા :
નેમિનાથને ત્યાં આવેલા જોઈ તત્કાલ કૃષ્ણ લજ્જાથી નમ્ર થઇ ગયા અને બીજાઓ પણ મૌન થઈ ગયા. તે વખતે કૃષ્ણ ક્ષણવારમાં સંભ્રમથી નેમિકુમારને બોલાવી પ્રભુને કહેવા લાગ્યા, “હે ભાઈ ! તમને સંભાર્યા તેવા જ તમે આવ્યા છો. હે ભ્રાતા ! શસ્ત્રગૃહમાં રહેલા પંચજન્ય શંખને તમે કાંઇપણ કારણ વિના શા માટે ફૂંક્યો? નેમિનાથ પ્રભુએ ચિત્તમાં ક્ષોભ પામ્યા વગર સહજ ક્રીડાથી શંખ ફૂંક્યો હતો !' એવો પ્રત્યુતર આપ્યો. પ્રભુનું તેવું બળ અને ધીરતા જોઈ જાણે આશંકા પામ્યા હોય, તેમ કૃષ્ણ બલભદ્રના મુખ સામું જોઈ નેમિકુમાર પ્રત્યે બોલ્યા. આ બલભદ્ર મારા બળથી જેમ સર્વ રાજાઓને તૃણ સમાન જાણે છે, તેમ હું તમારા બળથી વિશ્વને તૃણસમાન જાણું છું. હે બંધુ ! તમારા આવા બળથી મને સમૃદ્ધિ તથા હર્ષ થયો છે. તો પણ પ્રસન્નતા માટે મને આપની ભુજાનું બળ બતાવો.” પ્રભુએ ઉચિત કાર્ય પાણી, તે અંગીકાર કર્યું.
પછી તે બંને ભાઈ સિંહાસનથી ઉઠી બીજા બંધુઓની સાથે જનસમૂહ વડે જોવાતા આયુધશાળા તરફ ચાલ્યા. બીજાઓનો નાશ કરવામાં શક્તિને નહીં વાપરનારા કૃપાળુ નેમિનાથ પ્રભુ વિચાર કરવા લાગ્યા કે, “અહા ! આ મારા બંધુ કૃષ્ણ મારા પ્રત્યે શંકા કરે છે. હું કૃષ્ણને મન, વચન અને કાયાની શુદ્ધતાથી કહું છું કે, “મારે જગતનાં આધિપત્યની સ્પૃહા નથી. તો પણ કૃષ્ણ તે માનતા નથી. ભુજા, છાતી, કરતલ અને ચરણથી હું તેને મારીશ, તો તેનું શું થશે ? તેથી જે રીતે મારાથી એને કાંઈ અનર્થ પ્રાપ્ત ન થાય અને તે અંશથી પણ મારું બળ જાણી લે, તેમ જ તેના માનની પણ સિદ્ધિ થાય, તેવી રીતે મારે આ કાર્ય કરવાનું છે.”
આ પ્રમાણે મનમાં વિચારી પ્રભુએ કૃષ્ણને કહ્યું, “હે બંધુ ! ચરણના પ્રહારથી અને પૃથ્વી પર પડવાથી રજસમૂહને ઉડાડવા વડે થતું પામર જનને હર્ષ આપનારું યુદ્ધ તે ઉત્તમ વીર પુરુષને યુક્ત નથી. વળી શત્રુઓ ઉપર યોજવા યોગ્ય આ દિવ્ય અને લોહમય શસ્ત્રોથી પણ આપણે યુદ્ધ કરવું સારું નથી. કારણ કે, તે યુદ્ધ તો વિશેષ ખેદ કરનાર છે. માટે આપણે પરસ્પર ભુજાને નમાડીને જ જય-પરાજયની કલ્પના કરીએ, જેથી ક્રીડામાત્રમાં આપણને માનની સિદ્ધિ થશે અને લજ્જાકારી દેહપીડા નહીં થાય.'
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૮૦
Page #302
--------------------------------------------------------------------------
________________
ઇન્દ્રનાં વચન સાંભળી સંશય રહિત થયેલા કૃષ્ણ પોતાનો અપરાધ ખમાવી શ્રી નેમિનાથ પ્રભુને આલિંગન કર્યું. પછી ઇન્દ્રને વિદાય કરી નેમિનાથને લઈને કૃષ્ણ પોતાના અંતઃપુરમાં ગયા. ત્યાં દ્વારપાલોને આજ્ઞા કરી કે, “આ મારા બંધુ નેમિનાથને અંતઃપુરમાં પ્રવેશ કરતાં કોઈ દિવસ રોકશો નહીં, તે સત્યભામા વગેરે પોતાની ભોજાઇઓની સાથે ભલે ક્રીડા કરે.” પછી કૃષ્ણ પોતાની સ્ત્રીઓની સાથે ખેલવા લાગ્યા. તેમની સાથે નેમિનાથ પ્રભુ પણ નિર્વિકારપણે રમવા લાગ્યા. • નેમિનાથ પ્રભુને વિવાહની વિનંતી :
એક વખત ગ્રીષ્મઋતુમાં સૂર્ય અત્યંત તપતો હતો. તે સમયે જળક્રીડાની ઇચ્છાએ કૃષ્ણ નેમિનાથને સાથે લઈને અનેક યુવતીઓની સાથે ગિરનાર ઉપર ગયા. ત્યાં એક સરોવરમાં કૃષ્ણની પ્રેરણાથી રૂક્મિણી આદિ પ્રવેશ્યા. વિવિધ ક્રીડાથી ક્રીડારસા અત્યંત વિસ્તાર પામતાં કૃષ્ણ પોતાની સ્ત્રીઓને નેમિનાથ પ્રભુની સાથે ક્રીડા અને ઉપહાસ્ય કરાવવા માટે પ્રેરણા કરવા લાગ્યા. તેથી તે મૃગાક્ષીઓ જળથી અને કટાક્ષથી નેમિનાથને આચ્છોટન કરવા લાગી. નેમિનાથ પ્રભુ પણ નિર્વિકારપણે માત્ર તે સ્ત્રીઓ જે પ્રમાણે કરે તે પ્રમાણે સામું કરતાં તેમની સાથે રમવા લાગ્યા. નેમિનાથ પ્રભુને આ પ્રમાણે ખેલતા જોઇ કૃષ્ણ બહુ જ ખુશ થયા. આ રીતે ચિરકાલ ક્રીડા કરીને કૃષ્ણ સરોવરને કાંઠે આવીને બેઠા. નેમિનાથ પ્રભુ પણ તેમની પાસે આસન પર બેઠા.
તે સમયે રૂક્મિણીએ હાસ્યપૂર્વક કહ્યું, “હે દિયરજી ! ભાર્યા વગર વાંઢાની જેમ એકલા રહીને આ જન્મ વૃથા કેમ ગુમાવો છો ? સોલ હજાર સ્ત્રીઓના ભોક્તા એવા કૃષ્ણના પ્રિય બંધુ છતાં એક સ્ત્રીને પણ પરણતા નથી તો તમને લજ્જા કેમ આવતી નથી ?'
પછી જાંબવતી બોલી, “હે સખી ! મને તો આપણા દિયર નપુંસક હોય એમ જણાય છે અથવા ઘરના ખર્ચથી ઉદ્વેગ પામતા જણાય છે. તેથી સ્ત્રીને સ્વીકારતા નથી. આજ સુધી થયેલા બધા તીર્થકરો ગૃહસ્થાશ્રમી થઈ રાજ્ય ભોગવીને પછી દીક્ષા લઇ નિવૃત્તિ પામ્યા છે. પણ આ તો કોઈ નવીન તીર્થકર થયા જણાય છે.'
પછી સત્યભામાએ પણ આગ્રહથી કહ્યું, ત્યારે નેમિનાથ પ્રભુ વિચાર કરવા લાગ્યા કે, “આ સર્વે પોતે તો સંસારમાં પડ્યા છે અને બીજાને પાડવા ઇચ્છે છે; પણ હમણાં તો આ સર્વનો આગ્રહ મારે માત્ર વાણીથી સ્વીકારવો. પછી કાંઈ બહાનું કરીને હું મારા આત્માની ઇચ્છા પૂર્ણ કરીશ.” આવો વિચાર કરી પ્રભુ બોલ્યા, ‘તમે જે ઇચ્છો છો, તે હું કરીશ. જે પોતાના કાર્યનો અવસર જાણે છે, તે જ ચતુર ગણાય છે.”
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૮૨
Page #303
--------------------------------------------------------------------------
________________
ઇન્દ્રનાં વચન સાંભળી સંશય રહિત થયેલા કૃષ્ણ પોતાનો અપરાધ ખમાવી શ્રી નેમિનાથ પ્રભુને આલિંગન કર્યું. પછી ઇન્દ્રને વિદાય કરી નેમિનાથને લઇને કૃષ્ણ પોતાના અંતઃપુરમાં ગયા. ત્યાં દ્વારપાલોને આજ્ઞા કરી કે, “આ મારા બંધુ નેમિનાથને અંતઃપુરમાં પ્રવેશ કરતાં કોઈ દિવસ રોકશો નહીં, તે સત્યભામા વગેરે પોતાની ભોજાઇઓની સાથે ભલે ક્રીડા કરે.” પછી કૃષ્ણ પોતાની સ્ત્રીઓની સાથે ખેલવા લાગ્યા. તેમની સાથે નેમિનાથ પ્રભુ પણ નિર્વિકારપણે રમવા લાગ્યા. • નેમિનાથ પ્રભુને વિવાહની વિનંતી :
એક વખત ગ્રીષ્મઋતુમાં સૂર્ય અત્યંત તપતો હતો. તે સમયે જળક્રીડાની ઇચ્છાએ કૃષ્ણ નેમિનાથને સાથે લઈને અનેક યુવતીઓની સાથે ગિરનાર ઉપર ગયા. ત્યાં એક સરોવરમાં કૃષ્ણની પ્રેરણાથી રૂક્મિણી આદિ પ્રવેશ્યા. વિવિધ ક્રીડાથી ક્રીડારસ અત્યંત વિસ્તાર પામતાં કૃષ્ણ પોતાની સ્ત્રીઓને નેમિનાથ પ્રભુની સાથે ક્રીડા અને ઉપહાસ્ય કરાવવા માટે પ્રેરણા કરવા લાગ્યા. તેથી તે મૃગાક્ષીઓ જળથી અને કટાક્ષથી નેમિનાથને આચ્છોટન કરવા લાગી. નેમિનાથ પ્રભુ પણ નિર્વિકારપણે માત્ર તે સ્ત્રીઓ જે પ્રમાણે કરે તે પ્રમાણે સામું કરતાં તેમની સાથે રમવા લાગ્યા. નેમિનાથ પ્રભુને આ પ્રમાણે ખેલતા જોઇ કૃષ્ણ બહુ જ ખુશ થયા. આ રીતે ચિરકાલ ક્રીડા કરીને કૃષ્ણ સરોવરને કાંઠે આવીને બેઠા. નેમિનાથ પ્રભુ પણ તેમની પાસે આસન પર બેઠા.
તે સમયે રૂક્મિણીએ હાસ્યપૂર્વક કહ્યું, “હે દિયરજી ! ભાર્યા વગર વાંઢાની જેમ એકલા રહીને આ જન્મ વૃથા કેમ ગુમાવો છો ? સોલ હજાર સ્ત્રીઓના ભોક્તા એવા કૃષ્ણના પ્રિય બંધુ છતાં એક સ્ત્રીને પણ પરણતા નથી તો તમને લજ્જા કેમ આવતી નથી ?'
પછી જાંબવતી બોલી, “હે સખી ! મને તો આપણા દિયર નપુંસક હોય એમ જણાય છે અથવા ઘરના ખર્ચથી ઉદ્વેગ પામતા જણાય છે. તેથી સ્ત્રીને સ્વીકારતા નથી. આજ સુધી થયેલા બધા તીર્થકરો ગૃહસ્થાશ્રમી થઈ રાજ્ય ભોગવીને પછી દીક્ષા લઈ નિવૃત્તિ પામ્યા છે. પણ આ તો કોઈ નવીન તીર્થકર થયા જણાય છે.”
પછી સત્યભામાએ પણ આગ્રહથી કહ્યું, ત્યારે નેમિનાથ પ્રભુ વિચાર કરવા લાગ્યા કે, “આ સર્વે પોતે તો સંસારમાં પડ્યા છે અને બીજાને પાડવા ઇચ્છે છે; પણ હમણાં તો આ સર્વનો આગ્રહ મારે માત્ર વાણીથી સ્વીકારવો. પછી કાંઈ બહાનું કરીને હું મારા આત્માની ઇચ્છા પૂર્ણ કરીશ.” આવો વિચાર કરી પ્રભુ બોલ્યા, ‘તમે જે ઇચ્છો છો, તે હું કરીશ. જે પોતાના કાર્યનો અવસર જાણે છે, તે જ ચતુર ગણાય છે.”
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૮૨
Page #304
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે નેમિકુમા૨ના વચન સાંભળી હર્ષ પામેલા કૃષ્ણ નેમિનાથને હાથી પર બેસાડી પ્રિયાઓ સહિત દ્વારિકામાં આવ્યા. અને નેમિનાથે પરણવાનું કબૂલ કર્યું છે એમ રાજા સમુદ્રવિજય અને શિવાદેવીને કૃષ્ણે જણાવ્યું. સત્યભામાએ લાવણ્ય સંપત્તિવાળી રાજીમતી નામે પોતાની બહેન નેમિનાથને યોગ્ય છે' એમ કહ્યું. તેથી કૃષ્ણ તત્કાળ જાતે ઉઠીને ઉગ્રસેન રાજાનાં ઘેર ગયા. કૃષ્ણને જોઇ ઉગ્રસેન રાજા ઊભા થયા અને આગમનનું કારણ પૂછ્યું.
કૃષ્ણ બોલ્યા, ‘તમારી પુત્રી રાજીમતી મારાથી અધિક ગુણવાન મારા બંધુ નેમિનાથની વધૂ થાઓ. એવી મારી પ્રાર્થના છે.’ ઉગ્રસેને આનંદ પામીને કહ્યું કે, ‘આ ગૃહ અને આ લક્ષ્મી સર્વ તમારાં જ છે. તો તેમાં પ્રાર્થના શી કરવાની છે.'
પછી ત્યાંથી ઊઠીને કૃષ્ણે સમુદ્રવિજય પાસે આવી તે વાત નિવેદન કરી અને લગ્નદિવસ નિશ્ચિત કરવા માટે ક્રોણુક નિમિત્તયાને તત્કાળ બોલાવ્યો. કૃષ્ણે નેમિનાથનો વિવાહ કરવા યોગ્ય લગ્નદિવસ પૂછ્યો એટલે ક્રોકિ બોલ્યો કે, ‘શ્રાવણ માસની શુક્લ ષષ્ઠીએ વવરની પ્રેમવૃદ્ધિ થાય તેવું લગ્ન છે.' કૃષ્ણે ક્રોટુકિનો સત્કાર કરી ભક્તિપૂર્વક વિસર્જન કર્યો અને તે સમાચાર ઉગ્રસેનને મોકલ્યા પછી બંને જણ વિવાહની તૈયારી કરવા લાગ્યા.
શ્રી નેમિનાથ પ્રભુનો રાજીમતી સાથે લગ્ન ઉત્સવ :
વિવાહનો દિવસ નજીક આવતાં કૃષ્ણે આખી દ્વારિકાનગરીમાં દુકાને દુકાને અને દ્વારે-દ્વારે તોરણ બંધાવ્યા. લોકોએ રત્નમય માંચાઓને શોભાવી, તેની વચ્ચમાં સુગંધી ધૂપની ઘટાઓ મૂકી. પછી દશે દશાર્ણો, બલરામ, કૃષ્ણ, શિવાદેવી, રોહિણી, દેવકી, રેવતી અને સત્યભામા પ્રમુખ સ્ત્રીઓ - સર્વેએ મળીને નેમિનાથ પ્રભુને પૂર્વાભિમુખ આસન પર બેસાડ્યા. કૃષ્ણ તથા રામે પ્રીતિથી સ્નાન કરાવ્યું. સ્નાન કરાવ્યા પછી નેમિનાથ પ્રભુને સિંહાસન પર બેસાડી કૃષ્ણે વિવાહ યોગ્ય વસ્ત્રાદિ તથા ધનુષ્ય ધારણ કરાવ્યા. પછી કૃષ્ણ ઉગ્રસેનના મંદિરે ગયા. ત્યાં રાજીમતી બાળાને આદરથી કસુંબી વસ્ત્રો પહેરાવ્યા.
પ્રાતઃકાળે શરીર પર ગોશીર્ષચંદન લગાવી શ્વેત ફુલમાળા, હાર અને વસ્ત્રો ધરી, ચામર તથા છત્રથી મંડિત થઇ અને આગળ ચાલતા ક્રોડો રાજકુમારો અને દેવતાઓથી પરિવરેલા શ્રી નેમનાથ પ્રભુ શ્વેત અશ્વોવાળા ઉત્તમ ૨થ ઉપર આરુઢ થયા. શ્રી નેમિનાથ પ્રભુની પડખે હાથી ઉપર બેઠેલા રાજાઓ અને પાછળ દશાર્ણો, કૃષ્ણ અને બળદેવ હતા. તેમની પાછળ આભૂષણોની કાંતિથી આકાશને પ્રકાશિત કરતી અંતઃપુરની સર્વ સ્ત્રીઓ શિબિકામાં બેસીને ચાલી. તે વખતે ધવલમંગલ ગવાતા શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૮૩
•
Page #305
--------------------------------------------------------------------------
________________
હતા, નર્તકીજન નાચતા હતા, બંદીજનો સ્તુતિ કરતા હતા, અનેક પ્રકારના વાજિંત્રો વાગતા હતા. ભવનાટકનું ચિંતવન કરતા નેમિકુમાર પોતાના ઘેરથી રાજમાર્ગે થઇને અનુક્રમે ઉગ્રસેનના ભવન પાસે આવ્યા. • રાજીમતી અને સખીઓનો સંવાદ :
એ સમયે રાજીમતી સ્નાન કરી સર્વ આભૂષણોથી સજ્જ થઈને બેઠી. પોતાના વરના આવવાના વાજિંત્રો સાંભળી રાજીમતી અત્યંત પ્રફુલ્લિત થઈ. તેનો ભાવ જાણી સખીએ પૂછ્યું, “સખી રાજીમતી ! તે કયા તીર્થમાં જિનેશ્વરની આરાધના કરી હતી કે જેથી આવો ઉત્તમ વર પામી ? હે સુંદરી ! જેને દેવતાઓ નમસ્કાર કરે છે અને જે જગતના પ્રભુ છે. તે પ્રભુના આગમનનાં વાજિંત્રો વાગે છે. તે સાંભળ ! જો કે, તારા અંતરમાં રહેલા નેમિનાથને મેં જોયા છે. છતાં આવતા એવા તેમને તું જો. તેમજ જો તું પ્રસન્ન હો તો અમે પણ એમને માર્ગમાં આવતા જોઇએ.'
આ પ્રમાણે સાંભળી રાજીમતી સખીઓની સાથે ગોખમાં આવીને બેઠી. આંખ પહોળી કરી જોતી રાજીમતીને સખીએ કહ્યું, “હે સખી ! આ જો નેમિનાથ આવે છે. લોકોત્તર નેમિનાથને પોતાની દષ્ટિ વડે જોઈ રાજીમતી વિચારવા લાગી કે, “આ નેમિ જ મારા પતિ થાય છે તે મારું મોટું ભાગ્ય પરંતુ તે વખતે જ દક્ષિણ અંગ ફરકવાથી ભાવી અશુભને ચિંતવતી રાજીમતી બોલી, “સખી ! અત્યારે મને અપશુકન થાય છે, તેથી આ નેમિનાથ જેવા પતિ મને પ્રાપ્ત થવા અતિ દુર્લભ છે.” સખી બોલી, “બહેન ! તારું અશુભ હણાઇ જાવ અને શાંત થાવ. જો, આ નેમિનાથ પ્રત્યક્ષ આવ્યા. હવે સંદેહ શો કરે છે ?' • પશુઓનો પોકાર - શ્રી નેમિનાથ પ્રભુએ રથને પાછો વાળ્યો -
લોકાંતિક દેવોનું આગમન :
આ પ્રમાણે રાજીમતી અને સખીઓ પરસ્પર વાત કરે છે. તેવામાં નેમિનાથ પ્રભુનો રથ ઉગ્રસેનનાં મંદિર પાસે આવ્યો. તે અવસરે નિર્વિકાર પ્રભુએ પ્રાણીઓનો કરુણ સ્વર સાંભળ્યો. વિવિધ જાતિના પશુઓ ઊંચાં મુખ કરીને પોતપોતાની ભાષામાં નેમિનાથ પ્રભુ પ્રત્યે જાણે કહેવા લાગ્યા કે, “ત્રણ જગતનું રક્ષણ કરનાર છે સ્વામી ! અમારી રક્ષા કરો, રક્ષા કરો.” પ્રભુ સર્વ જાણતા હતા. તો પણ તેમણે સારથીને પૂછ્યું કે, “આ પશુઓનો સમૂહ કેમ એકઠો કર્યો છે? અને તે શા માટે કરુણ સ્વરે રડે છે?”
સારથીએ નમન કરીને કહ્યું, “સ્વામી ! યાદવો આ પ્રાણીઓને વિવાહમાં ભોજનને માટે લાવેલા છે, તેના કહેવાથી દયાળુ પ્રભુ અંતરમાં અત્યંત દુભાણા અને ચિંતવવા લાગ્યા કે, “અહો ! આ લોકોએ આવું અકૃત્ય આરંભ્ય છે? કેવળ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૮૪
Page #306
--------------------------------------------------------------------------
________________
આપાત માત્ર સુખને માટે આવું કાર્ય કોણ કરે? ક્ષણવાર પ્રકાશ મેળવવાને માટે અગ્નિથી પોતાનું ઘર કોણ બાળી નાંખે? માટે પાપકારી અને મુક્તિગૃહમાં જતાં ભૂંગળરૂપ આ બંધુવર્ગના સ્નેહનું અને ઇન્દ્રિયોના વિષયનું મારે કાંઇપણ પ્રયોજન નથી.' આવું ચિંતવી પ્રભુએ સારથીને કહ્યું, “રથને પાછો વાળ, હું માનવી સ્ત્રીને છોડી, અત્યંત સુખ આપનારી મુક્તિ સ્ત્રીને જ પરણીશ.'
રથને પાછો વાળતા નેમિનાથ પ્રભુને જોઇ સમુદ્રવિજયે મનમાં ઉદ્વેગ લાવીને પોતાનો હાથી વચમાં નાખ્યો અને કહ્યું, “હે વત્સ ! આવા ઉત્સવમય સમયમાં બંધુવર્ગને મહાદુઃખદાયી એવું તેં આ શું આરંભ્ય ?' બીજી તરફથી શિવાદેવી પણ આંખમાં આંસુ સહિત બોલ્યા. “હે વત્સ ! મારા મનોરથને તું ન ભાંગ.” સમુદ્રવિજય અને શિવાદેવી નેમિનાથ પ્રભુના રથની આડા ફર્યા. બીજા સર્વ ભાઈઓ અને માતાઓ પણ પ્રભુના રથને વીંટાઈ વળ્યા. તેઓથી વીંટાએલા પ્રભુ પોતાના આત્માને મુક્તિમાર્ગમાં એક અંતરાય ઉત્પન્ન થયેલો માનવા લાગ્યા.
તે અવસરે શિવાદેવી અને સમુદ્રવિજયે કહ્યું, “હે વત્સ ! તમે આ શું કરવા માંડ્યું? પોતે અંગીકાર કરેલા કાર્યને છોડી દેવાથી અમને કલંક બેસે છે. હે પ્રભુ ! તમે બાલ્યવયથી અમારા સર્વ મનોરથો પૂર્યા છે, તો હવે પરણવાથી તે મનોરથની શિખાને તમે પૂર્ણ કરો.
પ્રભુનો ભાવ નહીં જાણતાં કૃષ્ણ બોલ્યા, “હે બંધુ ! આવા પવિત્ર ઉત્સવમાં તમને વૈરાગ્ય થવાનું શું કારણ છે ? વાત્સલ્યવાળા તમારા માતા-પિતા અને અમે તમારું કલ્યાણ કરવામાં પ્રવીણ છીએ. વળી રાજીમતી પણ તમારા ઉપર અત્યંત રાગિણી છે, તે છતાં તમને આવો ખેદ કેમ થાય છે ?
પ્રભુ બોલ્યા, “ક્યારે પણ મને માતા-પિતા કે બંધુઓ પ્રત્યે અરતિ નથી, પરંતુ આ સંસારરૂપ અરણ્યમાં રહેલા વિષયોરૂપ શત્રુઓથી હું ભય પામું છું. એ વિષયો અનાદિકાળથી આ સંસારમાં ભોગવ્યા છતાં વારંવાર નવા નવા લાગે છે અને તેમાં અતૃપ્ત રહેનારા મૂઢમતિ પ્રાણી વારંવાર ભવમાં ભમ્યા કરે છે. જો તમે મારા પર વાત્સલ્ય ધારણ કરીને ખરેખરું મારું હિત ઇચ્છતા હો તો સંસારથી કાયર એવા મને દીક્ષા લેવાની સંમતિ આપો.”
પ્રભુની આવી સહેતુક વાણી સાંભળી તેઓ કાંઇપણ બોલી શક્યા નહીં. નીચી ગ્રીવા કરીને ઊભા રહ્યા. તે સમયે સારસ્વત વગેરે નવ લોકાંતિક દેવો આવી પ્રભુને નમીને કહેવા લાગ્યા કે, “હે દયાળુ સ્વામી ! હે ભગવન્! તીર્થ પ્રવર્તાવો.' તેથી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૮૫
Page #307
--------------------------------------------------------------------------
________________
તત્કાલ રથ છોડી દઈને પ્રભુ ઇન્દ્રની આજ્ઞાથી દેવતાઓએ લાવેલા દ્રવ્ય વડે સંવત્સરી દાન આપવા ઘર તરફ ચાલ્યા.
આ સમાચાર સાંભળી રાજીમતી જાણે વજનો પ્રહાર થયો હોય તેમ અચેતન થઈને પૃથ્વી પર પડી ગઈ. સખીઓએ લાવેલા શીતદ્રવ્યોથી મૂચ્છ રહિત થયેલી તે આ પ્રમાણે અત્યંત વિલાપ કરવા લાગી. “હે નાથ ! મારા પૂર્વોપાર્જિત ભાગ્યની મંદતાથી મેં તમને પ્રથમ દુર્લભ જ જાણ્યા હતાં, પણ વાક્યથી મારો સ્વીકાર કર્યા છતાં છેવટે તમે આ સારું કર્યું નહી. સપુરુષો જે કાર્ય બની શકે નહીં તેવું કાર્ય કરવાને અંગીકાર જ કરતા નથી, અને શુભ કે અશુભ જો અંગીકાર કર્યું, તો પછી તે અવશ્ય પાળે જ છે. તે સ્વામી ! જેવો રાગ મારી ઉપર કર્યો હતો, તેવો મુક્તિ ઉપર કરશો નહીં. કેમકે મારો ત્યાગ કરીને તો મુક્તિને પામશો, પણ મુક્તિનો ત્યાગ કરીને તો કાંઇપણ પામશો નહીં.” આવો વિલાપ કરતાં કરતાં જ રાજીમતીનું ભોગ્યકર્મ તૂટી ગયું. ત્યારબાદ સખીઓએ સાંત્વન આપીને તેના દુઃખને કાંઇક ઓછું કર્યું. • શ્રી નેમિનાથ પ્રભુની દીક્ષા :
પ્રભુએ એક વર્ષ સુધી યાચકોને યથાર્થ દાન આપ્યું પછી અવધિજ્ઞાનથી દીક્ષાનો અવસર જાણી દેવલોકમાંથી ઇન્દ્રોએ હર્ષથી ત્યાં આવી, જન્માભિષેકની જેમ પ્રભુનો દીક્ષાભિષેક કર્યો. પછી સુરાસુરોએ રચેલી ઉત્તરકુરુ નામની શિબિકામાં પ્રભુ આરુઢ થયા અને રૈવતગિરિના સહસામ્ર નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં શિબિકામાંથી ઊતરીને પ્રભુએ આભૂષણાદિક ત્યજી દીધાં. જન્મદિવસથી ત્રણસો વર્ષ ગયા પછી શ્રાવણ માસની શુક્લ પછીએ, દિવસના પ્રથમ પ્રહોરે, છઠ્ઠ તપ કરી, પંચમુષ્ટિ લોચ આચરી, પ્રભુ દીક્ષા લેવા તૈયાર થયા. લોચ કરેલા પ્રભુના કેશ ઇન્દ્ર ક્ષીરસાગરમાં નંખાવ્યા અને પ્રભુના ખભા ઉપર એક દેવદૂષ્ય વસ્ત્ર મૂક્યું. પછી ઈન્દ્ર કોલાહલ શાંત કર્યો એટલે પ્રભુએ સામાયિક ઉચ્ચર્યું. ત્યારે તત્કાળ મન:પર્યવ નામે ચોથું જ્ઞાન પ્રભુને પ્રાપ્ત થયું. તેમની સાથે બીજા એક હજાર રાજાઓએ સંયમ સ્વીકાર્યું. પછી ઇન્દ્ર અને કૃષ્ણ પ્રમુખ રાજાઓ પ્રભુને નમન કરી પોતપોતાનાં સ્થાનકે ગયા.
નેમિનાથ પ્રભુને કેવળજ્ઞાન :
બીજે દિવસે નજીકના ગોષ્ઠની અંદર વરદત્ત બ્રાહ્મણના ઘેર પ્રભુએ પરમાત્રથી પારણું કર્યું. ત્યાં દેવતાઓએ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પ્રભુએ કર્મનો ક્ષય કરવા માટે ત્યાંથી બીજે વિહાર કર્યો. વ્રત લીધા પછી ચોપ્પન દિવસ ગયા ત્યારે પ્રભુ પાછા સહસાવનમાં પધાર્યા. ત્યાં નેતરના ઝાડ નીચે ધ્યાનમાં રહેલા પ્રભુને અશ્વિન માસની અમાવસ્યાએ ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં ઘાતકર્મનો ક્ષય થતાં કેવળજ્ઞાન ઉત્પન્ન
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૮૬
Page #308
--------------------------------------------------------------------------
________________
થયું. તત્કાળ ઇન્દ્રો આસન ચલિત થવાથી હર્ષ વડે ત્યાં આવ્યા. તેઓએ સમવસરણ રચ્યું. પ્રભુ તેમાં બિરાજયા. ઉદ્યાનપતિએ દ્વારિકામાં આવીને કૃષ્ણને પ્રણામ કરી વધામણી આપી કે, “શ્રી નેમિનાથ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. તેને ઉચિત દાન આપી દશે દિશાહ, માતા, બંધુ, રાજીમતી અને પુત્રોની સાથે કૃષ્ણ ઉત્સવ સહિત ગિરનાર ઉપર આવ્યા. ત્યાં પ્રભુને પ્રદક્ષિણા કરી, નમી, સ્તુતિ કરી ઈન્દ્રની પાછળ યોગ્ય આસને બેઠા. બીજાઓ પણ યથાયોગ્ય સ્થાને બેઠા. • અંબિકાદેવીનું ચરિત્ર :
અહીં પ્રસંગોપાત શ્રી નેમિનાથ પ્રભુનાં શાસનની અધિષ્ઠાયિકા (કૂષ્માંડિકા) અંબિકા દેવીનું સુંદર ચરિત્ર કહેવામાં આવે છે.
સિદ્ધાચલ અને ઉજ્જયંતગિરિ (ગિરનાર) વડે સર્વ દેશના આભરણ રૂપ સુરાષ્ટ્ર નામે દેશ છે. ત્યાં કુબેર નામે એક ઉત્તમ નગર છે. તે નગરમાં રત્નરૂપ કૃષ્ણ નામનો રાજા રાજ્ય કરે છે. તે કુબેર નગરમાં સમ્યગ્દર્શનવાળો જૈનધર્મી દેવભટ્ટ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને દેવલા નામની સ્ત્રીથી સોમભટ્ટ નામે પુત્ર હતો. તે પુત્રને સારા આચરણવાળી અંબિકા નામે સ્ત્રી હતી. એ કાળક્રમે સોમભટ્ટનો પિતા દેવભટ્ટ સ્વર્ગમાં ગયો. તેની સાથે જૈનધર્મ પણ સ્વર્ગમાં ગયો અને સોમભટ્ટ મિથ્યાધર્મનો આશ્રય કર્યો.
એક વખતે તે દેવભટ્ટના શ્રાદ્ધનો દિવસ આવ્યો. મધ્યાહ્ન સમયે માસોપવાસી બે મુનિ સોમભટ્ટને ઘેર પધાર્યા. તે મુનિઓને જોઈ અંબિકા હર્ષ પામી, અનંત ભક્તિથી મનમાં વિચારવા લાગી કે, “આજે પર્વ દિવસે મારા અગમ્ય પુણ્યથી આ બે મુનિઓએ મારા ગૃહનાં આંગણાને પાવન કર્યું છે. યોગાનુયોગ અત્યારે મારી સાસુ ઘેર નથી, મને દાનની પ્રબળ ઇચ્છા છે. ઘરમાં શુદ્ધ અન્ન પણ છે. માટે આ મુનિઓને હું વિનંતી કરું.”
આવો વિચાર કરી હર્ષથી રોમાંચ ધારણ કરતી અંબિકા એકદમ આસન ઉપરથી ઉભી થઈ અને મુનિને કહેવા લાગી, “હે મુનિરાજ ! કૃપા કરીને આ શુદ્ધ અન્ન ગ્રહણ કરો. જેથી હું પવિત્ર પુણ્યવતી થાઉં.' તેના ચિત્તની અને અન્નની શુદ્ધિ જોઇને મુનિએ તેની પાસે પાત્ર ધર્યું. એટલે અંબિકાએ હર્ષથી તેમાં અન્ન વહોરાવ્યું. બંને મુનિએ ધર્મલાભ કહ્યો. બંને મુનિ તેના ઘરમાંથી ચાલ્યા ગયા.
અંબિકાએ આપેલું મુનિદાન જોઇને જાણે મૂર્તિમાન કૃત્યા હોય તેવી કોઈ કલહપ્રિયા પાડોશણ તત્કાલ ઊંચો હાથ કરતી પોતાના ઘરમાંથી બહાર નીકળી. ૧. અત્યારે કોડીનાર છે તે સંભવે છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૮૭
Page #309
--------------------------------------------------------------------------
________________
મુખ વાંકું કરી લોકોને ત્રાસ પમાડતી એ સ્ત્રી ક્રોધાર્તિ થઈને કહેવા લાગી, “હે વધૂ! આ તારી સ્વતંત્રાને ધિક્કાર છે ! તેં આ વસ્તુનો કાંઈ વિચાર કર્યો નહીં, જે 'હવ્ય ચક્રવ્ય વગેરે આપ્યા વગર આ અધન્ય મુનિને ધાન્ય આપ્યું. આ તારો અન્યાય છે. તારા ઘરમાં સાસુ નથી, જેથી તું આ વૈશ્યકુલને યોગ્ય એવું આચરણ કરે છે, તે યુક્ત નથી. અદ્યાપિ પિતૃઓને અને બ્રાહ્મણોને પિંડપ્રદાન પણ થયું નથી, તો ત્યાં સુધી તેનું કાંઈ ભોગ્યાદિક થાય જ નહીં. માટે આ તારો સ્વેચ્છાચાર છે.” આ પ્રમાણે ઘેલી હોય તેમ ઊંચે સ્વરે બોલતી તે પાડોશણે નજીકના ઘરમાંથી તેની સાસુને બોલાવી અંબિકાની વાતો વધારીને તેને કહી.
આ સાંભળીને વહુએ અંબિકાને કહ્યું, “અરે વધૂ ! દયાનો આધાર થઈ તે જે મુનિઓને અન્ન આપ્યું તે સારું કર્યું નથી. હું છું, છતાં તારી સત્તા કેમ ચાલી શકે ? તે વખતે પોતાની સાસુ અને પાડોશણ એ બંને વચ્ચે રહેલી અંબિકા અત્યંત ભયથી કંપવા લાગી. • માતાના સૂચનથી સોમભટ્ટ દ્વારા અંબિકાનો ત્યાગ :
એ સમયે સોમભટ્ટ પણ બ્રાહ્મણોને બોલાવીને ઘેર આવ્યો. તેણે પોતાની માતાની અને પાડોશણની વાત સાંભળી કોપ પામીને પોતાની પ્રિયાનો ઘણો તિરસ્કાર કર્યો. બધાના વચનોથી દુઃખી થયેલી, અભિમાન સહિત, મૌનયુક્ત એવી તે અંબિકા પોતાના બે પુત્રોને લઈને મનમાં મુનિને સંભારતી દીનમુખે ઘરમાંથી ચાલી નીકળી. તે મનમાં ચિંતવવા લાગી કે, “મેં કદીપણ સાસુ - સસરાની આજ્ઞા ઉલ્લંઘન કરી નથી, સદા ભકતિથી પતિનું હિત કર્યું છે અને નિર્વિકારપણે ઘરનું સર્વ કામકાજ કરું છું. વળી આજે પવિત્ર પર્વનો દિવસ ધારી એ મુનિને સર્વના શ્રેયના માટે મેં દાન આપ્યું છે, તે છતાં તેઓ ફોગટ મને આવી રીતે હેરાન કરે છે. પુત્રોએ આપેલા પિંડાદિકથી જો મરેલા પ્રાણીઓ પ્રસન્નતાને પામતા હોય તો અતિશય સૂકાઈ ગયેલું વૃક્ષ જળના સિંચનથી પુનઃ કોમલ થવું જોઈએ. મિથ્યાત્વમાં મૂઢ અને અલ્પ સત્વવાળા એવા આ લોકો મારા શુભપાત્રના દાનને નીંદે છે અથવા તે વિષે મારે વિશેષ પ્રલાપ કરવો તે વૃથા છે. કારણ કે, આ સાચી રીતે તો મારા શુભ કર્મનો લાભ જ મને પ્રાપ્ત થયેલો છે. કેમ કે અત્યારથી અવશ્ય મારે ગૃહવાસનું દાસીપણું નાશ પામી ગયું છે. માટે હવે તો આ સંસારસાગરમાં શરણ કરવા યોગ્ય તે બે પવિત્ર મુનિનું મારે શરણ હો. હવે હું શ્રી રૈવતાચલ પર જઇ, શ્રી જિનેશ્વર દેવને ધારી કુકર્મ ક્ષય કરવા નિત્ય તપશ્ચર્યા કરીશ. ૧. હવ્ય : દેવતાને જે અપાય તે. ૨. ક્રવ્ય : પિતૃઓને જે અપાય તે.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૮૮
Page #310
--------------------------------------------------------------------------
________________
આવો અંતરમાં વિચાર કરી એક પુત્રને કેડ ઉપર અને એકને હાથમાં લઈ શોક છોડી દઈ, પ્રભુનાં ચરણકમલના સ્નેહથી અંબિકા અચળ નિશ્ચયથી પેલા બંને મુનિનું અને તે ગિરિનું ચિત્તમાં સ્મરણ કરતી ગૃહવાસના બંધનો સર્વથા ત્યજી દઇને ત્યાંથી આગળ ચાલી. દુઃખથી આકુળ અને પૃથ્વી પર નેત્ર રાખીને ચાલતી અંબિકા નગરથી થોડેક દૂર ગઇ, એટલામાં જે બાળપુત્ર કેડ ઉપર તેડ્યો હતો, તે રોવા લાગ્યો. અતિ તૃષા લાગવાથી તે શિશુ “પાણી પાણી' પોકારવા લાગ્યો. ત્યાં બીજો પુત્ર પણ “હે માતા ! મને ભોજન આપ.” એમ કહેવા લાગ્યો. બંને બાળકોના કરૂણા ભરેલા રુદનથી અંબિકાને પાછો શોક ઉત્પન્ન થયો. તે રોવા લાગી અને વિચારવા લાગી કે,
“શ્રી જિનેશ્વરની સેવાને માટે હું તત્પર થઈ છું. પરંતુ આ મારા મુગ્ધ બાળકો સુધા અને તૃષાથી શોક કરે છે, મારા પુત્રને જોઇતી વસ્તુ આપવાને અસમર્થ એવી મને ધિક્કાર છે. આ પ્રમાણે ચિંતવી અંબિકા જરા નીચે બેઠી. એટલામાં તેણે પોતાની આગળ સ્વચ્છ જળ વડે ભરેલું એક પવિત્ર સરોવર જોયું અને તે સમયે જ પડખે રહેલી પાકી ગયેલી આમ્રફલોની લુંબ તેના હાથમાં આવી. તરત જ અંબિકાએ સરોવરનું જળ અંજલીમાં લઈ બાળકોને પાયું અને આમ્રફળ ખવડાવ્યું. મુનિદાનનું તાત્કાલિક આવું ફળ જોઈ, તેને આદરપૂર્વક ધર્મ ઉપર વિશેષ પ્રીતિ થઈ. • મુનિદાનના પ્રભાવથી સોમભટ્ટના આવાસમાં પ્રગટેલ સમૃદ્ધિ :
અહીં ઘેર અંબિકાની સાસુ કોપથી અંબિકાને અનેક પ્રકારના શ્રાપ આપતી, ચિત્તમાં પ્રથમના અન્નને ઉચ્છિષ્ટ માનીને નવું અન્ન બનાવવા માટે ઘરમાં આવી. ત્યાં તો તે મુનિ જેના ઉપર બેઠેલા તે આસનો સુવર્ણમય થયેલા અને સર્વ પાત્રો અન્નથી પૂર્ણ ભરેલાં જોઈ તે અત્યંત ખુશ થઇ. તે સમયે આકાશમાં વાણી થઈ કે, “અરે ક્રોધી સ્ત્રી ! તે મૂઢ થઈને અંબિકાને દુઃભવી છે. તેણે જે અન્નદાન આપ્યું છે, તેના સુખકારી ફલનો માત્ર અંશ જ મેં તને બતાવ્યો છે અને અંબિકાને તો તેના સુખકારી પરિણામે સુરેન્દ્રને પણ પૂજવા યોગ્ય એવું ઉત્તમ સ્થાન પ્રાપ્ત થશે.”
આવી આકાશવાણી સાંભળીને જાણે ભય પામી હોય તેમ અંબિકાની સાસુ ઘરની બહાર નીકળી પુત્રને કહેવા લાગી કે, “પુત્ર ! અહીં ઘર ધનધાન્યથી ભરપૂર થયું છે તે જો ! અને હવે તારી વહુ પાસે ત્વરાથી જઈ પ્રાર્થના કરીને મારી પ્રીતિ માટે પાછી લઇ આવ અને તેનું સન્માન કર. મૂર્તિ વિનાના દેવાલયની જેમ તેના વિના મારું ઘર અને હૃદય મને શૂન્ય લાગે છે.' આ પ્રમાણે માતાનાં મુખથી વાણી સાંભળી તેના સ્નેહ અને મોહથી ઉત્સુક થયેલો સોમદેવ તેને પગલે પગલે વેગથી ચાલ્યો.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૮૯
Page #311
--------------------------------------------------------------------------
________________
આગળ જતાં વનમાં સોમદેવે બે હાથમાં પુત્રોને ઉપાડીને ફરતી અભૂત પ્રભાવવાળી અંબિકાને જોઇ. એટલે તેને અછૂટ વણે કહ્યું, “બાલે ! એક ક્ષણવાર મારી રાહ જો, હું આવું છું.' તે સાંભળીને આગળ ચાલતી અંબિકાએ મુખકમલ પાછું વાળીને જોયું, ત્યાં તો તેણે સોમદેવભટ્ટને પોતાની પાછળ આવતો જોયો. એટલે તે વિચારવા લાગી કે, “અરે ! મારા કોઇ અકારણ વૈરીએ પ્રેરેલા તેઓ ક્રોધ કરીને મારી પાછળ આવે છે. હવે આ વનમાં હું કોનું શરણ લઇશ ? એ નિર્દય પુરુષ હમણાં જ મને બળાત્કારે પકડીને મારથી હેરાન કરશે. અહીં કોઇપણ મારો ત્રાતા નથી, અથવા અહીંથી જઇને ગૃહસ્થનાસમાં દાસવૃત્તિએ રહી મારે જીવવાની ઇચ્છા શા માટે રાખવી ? મેં મુનિદાન વડે જે પુણ્ય-દ્રવ્ય ઉપાર્જન કરેલ હોય, તે જ મારે પરલોકના પ્રમાણમાં ઉપયોગી થાઓ. આ ક્રૂર પુરુષ કદર્થના કરીને મને મારશે, તો તે પહેલાં જ હું મારા પ્રાણને સ્વેચ્છાથી છોડી દઉં.' એવો વિચાર કરી પડીને મરવાની ઇચ્છાએ તે કોઇ મોટા કૂવાના કાંઠા ઉપર આવીને ઊભી રહી. • અંબિકાની પ્રાર્થના :
પછી, “મુનિદાનના પ્રભાવથી શ્રી જિનેશ્વરના ચરણો, સિદ્ધ ભગવંતો, તે બે મુનિ અને દયાના ઉદયવાળો ધર્મ - તેનું મારે શરણ થાઓ. આ દાનના પ્રભાવથી દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ રત્નોને જાણનારા, દેવને પૂજનારા, દાતાર, કુલમાં તથા સૌરાષ્ટ્ર દેશમાં મારો જન્મ થજો. તેમજ મને પ્રાણી પર અનુકંપા, દુઃખીજનની રક્ષા અને યોગ્યનો આશ્રય મળજો.”
આવી રીતે સત્વનો આશ્રય કરી, શ્રી જિનેશ્વરના ચરણકમલમાં પોતાનું ચિત્ત જોડી, અંબિકાએ બંને પુત્રોની સાથે સહસા તે કૂવામાં ઝંપાપાત કર્યો. તત્કાલ બીજા વેષમાં આવેલી હોય તેમ તે અંબિકા મનુષ્યદેહ છોડી દઇ, દેહની કાંતિથી કિરણોને વિસ્તારતી અને બંને પુત્ર સાથે આનંદી મુખકમલ ધરતી વ્યંતરદેવોને સેવવા યોગ્ય દેવી થઇ.
તેને કૂવામાં પડતી જોઈને નહિ નહિ' એમ પોકાર કરતો સોમદેવ જેવો કૂવા પાસે આવી પહોંચ્યો, તેવામાં તો પુત્ર સહિત વિશીર્ણ થઈ ગયેલી અંબિકાને તેણે કૂવામાં પડેલી જોઇ, તેથી તે ઘણો ખેદ પામ્યો. પછી કહેવા લાગ્યો કે, “અહા ! કોપને વશ થઈને આ તેં અકાળે શું કર્યું? કદી જડ જેવો હું આ કામ કરું, પણ તે વિદુષી થઇને આ શું કર્યું ? હે માનીનિ ! તારા વિના નિપ્પલ એવું આ કલંકી જીવિત હવે શા કામનું છે ? હું નિર્માગી અને હતાશ ઘેર જઇને સ્વજનોને મુખ શી રીતે બતાવું ?
સ્ત્રી અને પુત્રના મૃત્યુથી દુઃખી થયેલા મને હવે મૃત્યુ જ સુખકારી છે. દુઃખથી આકુલ થયેલા તેણે આ પ્રમાણે વિચારીને તે જ કૂવામાં ઝંપાપાત કર્યો. જેથી તત્કાળ મૃત્યુ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૯૦
Page #312
--------------------------------------------------------------------------
________________
પામીને તે અંબિકાનો સિંહરૂપે વાહન થનારો દેવ થયો. પછી અવધિજ્ઞાનથી પૂર્વભવ સંભારી તે અંબિકાદેવી તત્કાળ શ્રી રૈવતાચળ તીર્થ ઉપર આવી. • શ્રી નેમિનાથ પ્રભુનાં સમવસરણમાં અંબિકાદેવીનું આગમન :
એ સમયે શ્રી અરિષ્ટનેમિ ભગવાનને ઘાતી કર્મોના નાશથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. દેવોએ સમવસરણ રચ્યું. તેથી તે પ્રભુનાં સમવસરણમાં વેગથી જઈને અંબિકાદેવીએ ધર્મદેશના સાંભળી.
“જગતમાં ધર્મ, કારણ વગરનો બંધુ, જગદ્વત્સલ, પીડાનો નાશ કરનાર અને ક્ષેમંકર છે. તે ધર્મરૂપી વૃક્ષની મુખ્ય ચાર શાખા છે. તેમાં સત્પાત્રને દાન આપવું તે પ્રથમ શાખા છે, અખંડ શીલ પાળવું તે બીજી શાખા છે. સમસ્ત પ્રકારના વિપ્નભયને નાશ કરનાર તપ કરવો તે ત્રીજી શાખા છે અને સંસારનો નાશ કરનારી શુભ ભાવના ભાવવી તે ચોથી શાખા છે. સિદ્ધાચલ અને રૈવતાચળ વગેરે તીથની સેવા, દેવની પૂજા, સદ્ગુરુનું સેવન અને પંચપરમેષ્ઠી મંત્રનું સ્મરણ એ ધર્મરૂપ વૃક્ષના પુષ્પાંકુર છે અને તેનું ફળ મુક્તિ છે. માટે શુભયોગ રૂપ શ્રેણી ઉપર ચડી ઉત્કૃષ્ટ સમતાને અંતરમાં રાખી, ઉદાર સત્વથી તે મુક્તિરૂપ ફળને ગ્રહણ કરી લેવું.'
આ પ્રમાણે શ્રી નેમિનાથ પ્રભુની વાણી સાંભળીને સર્વે પ્રાણીઓ પરમ તૃપ્તિ પામ્યા. તે સમયે વરદત્ત રાજાએ વૈરાગ્ય પામી બે હજાર સેવકોની સાથે વ્રત લીધું અને પરમાત્માનાં દશ ગણધરોમાં પ્રથમ ગણધર થયા. યક્ષિણી નામે રાજાની પુત્રી બીજી સ્ત્રીઓની સાથે પ્રવર્તિની થઈ. દશાહ, ભોજ, કૃષ્ણ અને બલભદ્ર પ્રમુખ શ્રાવકો થયા અને સ્ત્રીઓ શ્રાવિકા થઈ. એવી રીતે શ્રી નેમિનાથ પ્રભુનો ચતુર્વિધ સંઘ સ્થપાયો. પછી પ્રભુના મુખથી અંબિકાનું ચરિત્ર જાણી ભક્તિવાળા ઇન્દ્ર તે અંબિકાને શ્રી નેમિનાથ પ્રભુની શાસનદેવી સ્થાપી. • ગોમેધ યક્ષનું ચરિત્ર :
તે અવસરે સુગ્રામ નામે ગામમાં ગોમેધ વગેરે યજ્ઞ કરનાર ગોમેધ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. લાખો બ્રાહ્મણો તેની સેવા કરતા હતા. પાપના ઉદયથી તેની
સ્ત્રી અને પુત્રો મરણ પામી ગયાં અને કાળક્રમે તેના શરીરમાં પણ કોઢ રોગ ઉત્પન્ન થયો. જેથી તેના સર્વ અનુચર - સ્વજનોએ તેને ત્યજી દીધો. તેના શરીરમાંથી પરુ ઝરતું હતું, લાળ પડતી હતી. ધાતુઓ સૂકાઇ ગઇ હતી અને મક્ષિકાઓ આસપાસ ગણગણતી હતી. એવી સ્થિતિવાળા અને માર્ગમાં આળોટતા ગોમેધને જોઇને કોઇ શાંતમુનિ તેને કહેવા લાગ્યા, “હે ભદ્ર ! ધર્મની બુદ્ધિથી અને કુગુરુએ બતાવેલા મિથ્યા લાભથી તે યજ્ઞમાં જે ઘણા પ્રાણીઓનો ઘાત કર્યો છે તે ઉગ્ર પાપરૂપ વૃક્ષના
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૯૧
Page #313
--------------------------------------------------------------------------
________________
અહીં તો પુષ્પમાત્ર તે મેળવ્યાં છે, બાકી તેનાં ફળ તો દુર્ગતિમાં પડીને પ્રાપ્ત કરીશ. તેથી હજી પણ જો આ દુઃખથી ભય પામ્યો હોય તો તું જીવરક્ષામય શ્રી જિનવચનનો આશ્રય કર અને સર્વ પ્રાણીઓ પાસે પોતાના અપરાધની ક્ષમા માંગ. વળી તારા પૂર્વોક્ત પાપની શાંતિ માટે રૈવતાચલ તીર્થનું તું મનમાં સ્મરણ કર.”
તે મુનિનાં વચન સાંભળી ગોમેધ બ્રાહ્મણ સમતા ભાવ પામ્યો અને પૂર્ણ સમાધિપૂર્વક મૃત્યુ પામી ક્ષણવારમાં ઉત્તમ ઋદ્ધિવડે પરિપૂર્ણ યક્ષપણે ઉત્પન્ન થયો.
કહ્યું છે કે, “સાધુનું દર્શન પણ પુન્ય આપનારું છે. સાધુ તીર્થરૂપ છે. તીર્થની ભક્તિથી કાળક્રમે આત્મ કલ્યાણ થાય છે. જ્યારે સાધુનો સમાગમ તત્કાળ ફળે છે. તે મુનિના વચનથી ગૈલોક્રપતિ પ્રભુના ગુણોનું સ્તવન કરતો તે યક્ષ ધર્મથી અધિવાસિત થયો. તે ગોમેધ નામનો યક્ષ અંબિકાની જેમ ભક્તિથી ઉત્તમ પરિવારને લઇને રૈવતાચળ પર રહેલા શ્રી નેમિનાથ પ્રભુની પાસે આવ્યો અને પ્રણામ કર્યા.
ત્યાં પ્રભુનાં વચન સાંભળીને તે પ્રતિબોધ પામ્યો અને ઇન્દ્રની પ્રાર્થનાથી તે શ્રી નેમિનાથ પ્રભુનાં શાસનમાં અંબિકાની જેમ લોકોને સર્વ ઇચ્છિત આપનાર અધિષ્ઠાતાની પદવીએ રહ્યો. - હવે શ્રી નેમિનાથ પ્રભુને નમસ્કાર કરી અંજલી જોડીને ઇન્દ્ર પૂછ્યું, “હે સ્વામી! આ વરદત્ત કયા પુણ્યથી આપના ગણધર થયેલા છે?” ત્યારે કૃપાળુ પ્રભુએ ભવ્ય પ્રાણીઓને બોધ કરવા માટે તેમનો પૂર્વભવ કહ્યો. • વરદત્ત ગણધરનો પૂર્વભવ :
ગઇ ઉત્સર્પિણીમાં સાગર નામે ત્રીજા તીર્થકર ભગવાન પૃથ્વી ઉપર વિચરતા હતા. એક વખત જિનેશ્વર દેવ ચંપાપુરીનાં ઉદ્યાનમાં સમવસર્યા. દેશનામાં પ્રભુએ મોક્ષસ્થાન સંબંધી પવિત્ર સ્વરૂપ જણાવ્યું કે, “પીસ્તાલીશ લાખ યોજનના વિસ્તારવાળી (લાંબી પહોળી) અને ઊંધા કરેલા છત્ર જેવી આકૃતિવાળી, ઉજવળ વર્ણની સિદ્ધશિલા છે. તેની ઉપર એક યોજનના 'ચોવીશમા ભાગમાં નિરંજન અને અનંતાનંત ચૈતન્યરૂપ સિદ્ધ ભગવંતો રહેલા છે. તેઓ અવિકૃત, અવ્યયરૂપ, અનંત, અચલ, શાંત, શિવ, અસંખ્ય, મહતું, અક્ષય, અરૂપ અને અવ્યક્ત છે. તેમનું સ્વરૂપ માત્ર જિનેશ્વર કે કેવળીભગવંત જાણે છે અથવા સર્વ કર્મનો નાશ થવાથી પોતે જ જાણી શકે તેવું અને વચન વડે અવાચ્ય એવું મુક્તિસુખ છે.' ૧. એક યોજના ૮૦૦૦ ધનુષ્ય, તેના ૨૪ ભાગ કરતાં ૩૩૩ ધનુષ્ય ને ૩૨ આંગળ થાય. એટલી સિદ્ધની ઉત્કૃષ્ટ અવગાહના હોય છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૯૨
Page #314
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે પ્રભુની વાણી સાંભળી પાંચમા દેવલોકનો સ્વામી બ્રહ્મન્દ્ર પોતાના સ્વર્ગસુખ પ્રત્યે ઉદાસ થયો અને પ્રભુને પ્રણામ કરી વિનંતી કરી કે, “હે સ્વામી ! મારું આ સંસારનું પરિભ્રમણ અટકી શકશે કે નહીં ? અને મને મુક્તિ સુખનો ક્યારે પણ સંગમ થશે કે નહીં ?'
પ્રભુ બોલ્યા, “હે બ્રહ્મન્દ્ર ! આવતી અવસર્પિણીમાં બાવીસમા તીર્થંકર શ્રી અરિષ્ટનેમિ થશે. તેમનું ગણધર પદ મેળવી, ભવ્ય પ્રાણીઓને બોધ કરી, રેવતાચલનાં આભૂષણ થઇને તમે મુક્તિપદને પામશો. આ નિઃસંશય વાત છે. આ પ્રમાણે સાંભળી બ્રહ્મદ્ હર્ષથી પ્રફુલ્લિત નેત્રે પ્રભુને નમી પોતાના દેવલોકમાં ગયો અને મારા પ્રત્યે ઘણો અનુરાગ ધરવા લાગ્યો.”
“પોતાના ઉપર ભાવિમાં મારાથી ઉપકાર જાણી મારું ધ્યાન ધરવા માટે શ્રેષ્ઠ રત્નોથી તેણે મારી મૂર્તિ બનાવી. પછી નિત્ય તેની આગળ સંગીત કરી શાશ્વત પ્રતિમાની જેમ ત્રિકાળ તેની પૂજા કરવા લાગ્યો. એવી રીતે મારી ભક્તિમાં પોતાનું આયુષ્ય પૂર્ણ કરી, તે શુભધ્યાનમાં એક મન રાખી ઉત્તરોત્તર ઉત્તમ ભાવોને મેળવીને અહીં આ વરદત્ત થયેલ છે. તેણે મારી મૂર્તિ બનાવી અને તેની પૂજા કરી, તેના ફળથી તેણે ગણધરપદ મેળવ્યું અને મુક્તિ પામશે.”
તે સમયે વર્તમાન બ્રહ્મદ્રે ઊઠીને ત્યાં પ્રભુને નમસ્કાર કરીને કહ્યું, “હે વિભુ ! આપની તે મૂર્તિને હજુ પણ હું પૂછું છું અને મારા પૂર્વજ ઇન્દ્રોએ પણ ભક્તિથી તેની ઉપાસના કરેલી છે. અત્યારે આપના કહેવાથી જ તે પ્રતિમા અશાશ્વત છે એવું મારા જાણવામાં આવ્યું, નહીં તો હું અને બીજા તેને શાશ્વત જ માનતા હતા.'
પ્રભુ બોલ્યા, “હે ઇન્દ્ર ! તે મૂર્તિ અહીં લાવો. કેમકે શાશ્વત પ્રતિમા સિવાય બીજી પ્રતિમા દેવલોકમાં હોતી નથી. પ્રભુની આજ્ઞાથી ઇન્દ્ર તે મૂર્તિ શીધ્ર લઈ આવ્યા. એટલે કૃષ્ણ હર્ષથી પૂજા કરવા માટે પ્રભુની પાસેથી તે મૂર્તિની પ્રાર્થના કરી. પછી શ્રી નેમિનાથ પ્રભુના સ્વમુખે શ્રી તીર્થનું માહાભ્ય સાંભળવા લાગ્યા.
પ્રભુ બોલ્યા, “આ રૈવતાચલગિરિ પુંડરીક ગિરિરાજનું મુખ્ય શિખર છે. મંદાર અને કલ્પવૃક્ષો વગેરે ઉત્તમ વૃક્ષોથી વીંટાઈને રહેલું છે. તે મહાતીર્થ સ્પર્શથી પણ હિંસાના પાપને ટાળે છે. આ ગિરિરાજ પર આવીને જેઓ પોતાના ન્યાયોપાર્જિત ધનનો સુપાત્રમાં સદ્વ્યય કરે છે, તેઓને ભવોભવ સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. ભવ્ય પ્રાણીઓમાં ઉત્તમ એવો જે કોઈ પ્રાણી આ તીર્થમાં માત્ર એક દિવસ પણ શીલ ધારણ કરે છે, તે હંમેશાં સુર, અસુર, નર અને નારીઓથી સેવવા યોગ્ય થાય છે. વળી જે વિવેકી પુરુષ અહીં દશ પ્રકારના પ્રત્યાખ્યાન (તપ) કરે છે, તેને
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૯૩
Page #315
--------------------------------------------------------------------------
________________
અનુક્રમે દશ પ્રકારનાં સ્વર્ગસુખ મળે છે. આ તીર્થમાં જેઓ ચતુર્થ, છટ્ટ અને અઢમ આદિ તપ કરે છે, તેઓ સર્વ સુખને ભોગવી અવશ્ય પરમપદ પામે છે.”
જે પ્રાણી અહીં ભાવથી શ્રી જિનપ્રતિમાની પૂજા કરે છે, તે શિવસુખને પ્રાપ્ત કરે છે. તો માનવસુખની તો વાત જ શી કરવી ? જે પ્રાણી અહીં ભાવથી સુસાધુને શુદ્ધ અન્ન, વસ્ત્ર અને પાત્ર વગેરે વહોરાવે છે, તે મુક્તિ પ્રાપ્ત કરે છે. ત્રણ જગતમાં સર્વ તીર્થોમાં ઉત્કૃષ્ટ એવું આ મહાતીર્થ છે. જેમાં નિવાસ કરવાથી તિર્યંચ પણ આઠ ભવની અંદર સિદ્ધિ પામે છે. આ ગિરિરાજ ઉપર બધી જ શાશ્વતી દિવ્ય ઔષધીઓ, સ્વર્ણાદિક સિદ્ધિઓ અને રસકૂપિકાઓ છે. આ તીર્થમાં ગજેન્દ્રપદ નામે કુંડ છે, જે તેની સ્પર્શના કરનાર જીવોના પાપનો નાશ કરવા સમર્થ છે. આ ગિરિરાજ ઉપર રહેલા બીજા પણ કુંડોનો જુદો જુદો પ્રભાવ છે. જેમાં છ માસ માત્ર સ્નાન કરવાથી પ્રાણીઓના કુષ્ટાદિક રોગો નાશ પામે છે. આ પ્રમાણે શ્રી નેમિનાથ પ્રભુનાં મુખકમળથી ગિરનારનો મહિમા સાંભળીને સુર, અસુર અને નરેશ્વરો હર્ષ પામ્યા.
પછી કૃષ્ણ વાસુદેવે પૂછ્યું, “હે પ્રભુ આ પ્રતિમા મારા પ્રાસાદમાં સ્થાપન કરવાની છે. તે ત્યાં કેટલો કાલ રહેશે અને પછી બીજે ક્યાં ક્યાં પૂજાશે ?
પ્રભુ બોલ્યા, ‘જયાં સુધી તમારું નગર રહેશે, ત્યાં સુધી તમારા પ્રાસાદમાં પૂજાશે પછી કાંચનગિરિ પર દેવોથી પૂજાશે. અમારા નિર્વાણ સમય પછી અતિ દુઃખદાયક બે હજાર વર્ષ ઉલ્લંઘન થશે, ત્યારપછી અંબિકાની આજ્ઞાથી રત્ન નામે એક ઉત્તમ અને સારી ભાવનાવાળો વણિક ત્યાંથી લાવી, આ રૈવતગિરિ પર પ્રાસાદ કરાવી, તેમાં સ્થાપિત કરીને તે પ્રતિમાની પૂજા કરશે. પછી એક લાખ, ત્રણ હજાર, બસોને પચાસ વર્ષ સુધી ત્યાં રહીને પછી ત્યાંથી તે અંતર્ધાન થઈ જશે. એકાંત દુષમા કાળમાં તેને સમુદ્રમાં રાખીને અંબિકાદેવી તેની પૂજા કરશે અને હે હરિ, પછી તેને બીજા દેવો પૂજશે.” આ પ્રમાણે સાંભળી કૃષ્ણ પૂછ્યું કે, “એ પુણ્યવાન રત્ન વણિક કોણ થશે ? કે જે ભાવિમાં આ પ્રતિમાની પૂજા કરશે.” | શ્રી નેમિનાથ પ્રભુએ કહ્યું, “હે કૃષ્ણ ! તમારી સ્થાપેલી પ્રતિમાની પૂજા જ્યારે બંધ થશે, તે સમયમાં જૈનધર્મની ધુરાને વહન કરવામાં સમર્થ વિમલ નામે એક રાજા થશે. એ રાજા મારી મૂર્તિને રૈવતગિરિના મુખ્ય શિખર પર એક કાષ્ઠના પ્રાસાદમાં સ્થાપન કરશે. ત્યાં તેનું પૂજન પ્રવર્તતું હશે તે સમયે સૌરાષ્ટ્ર દેશમાં કાંડિલ્ય નામના નગરમાં રત્ન નામે એક ધનાઢ્ય વણિક થશે. તે વખતે અહીં બાર વર્ષનો દુષ્કાળ પડશે, તેમાં ઘણા પ્રાણીઓ પ્રાણ છોડી દેશે. તે રત્ન શેઠ પણ સ્થિતિરહિત થઈ જવાથી સૌરાષ્ટ્ર દેશ છોડી દેશાંતરમાં ફરતો ફરતો કાશ્મીરમાં
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૯૪
Page #316
--------------------------------------------------------------------------
________________
સ્થિરતા કરશે. ત્યાં દ્રવ્ય ઉપાર્જન કરીને તેનો સારા માર્ગે ખર્ચ કરી તેનું ફળ મેળવવાની ઇચ્છાએ અદ્વૈતની પૂજાને માટે ભક્તિથી તે સંઘની પ્રાર્થના કરશે. સંઘજનોએ વિશેષ ઉત્સાહિત કરેલો રત્ન શ્રાવક હર્ષના ભારથી ઉજવળ થઇ સંઘ લઇને ત્યાંથી નીકળશે. માર્ગમાં નગરે નગરે પ્રભુના નવીન પ્રાસાદો કરાવતો અને આનંદસૂરી નામે ગુરુની પૂજા કરતો તે ચાલશે. રસ્તે ભૂત, વ્યંતર, વૈતાળ, રાક્ષસ અને યક્ષોથી થતાં સંઘના વિઘ્નોનો અંબિકાનાં ધ્યાનથી તે નાશ કરશે. અનુક્રમે તે પોતાનાં નગરે આવી, ભક્તિથી ત્યાંના સંધને નિયંત્રણ કરી, શત્રુંજય તીર્થ પર પ્રભુને નમીને રૈવતાચલ તીર્થ ઉપર આવશે. જે ઠેકાણે મને કેવળજ્ઞાન થયું છે તે સ્થાને આવી તે હર્ષથી મારી પ્રતિમાને પૂજી, મુખ્ય શિખર ઉપર આરૂઢ થશે. છત્રશિલાની નીચે ચાલતાં તેનો કંપ થતો તેના જોવામાં આવશે, એટલે તે ભક્તિથી ગુરુમહારાજને બોલાવીને તેનો હેતુ પૂછશે.'
અવધિજ્ઞાન વડે જાણીને આચાર્ય મહારાજ તેને આદરથી કહેશે કે, ‘આ તીર્થનો ભંગ અને ઉદ્ધાર તારાથી જ થશે.' પછી રત્ન શેઠ કહેશે કે, ‘હે વિભુ ! જો આ તીર્થનો ભંગ મારાથી થવાનો હોય તો હવે અહીંથી આગળ ચાલવાની જરૂર નથી, અહીં રહીને જ જિનેશ્વરને નમસ્કાર કરીશ.' ગુરુ કહેશે કે, ‘તારાથી તીર્થનો ભંગ નથી, પણ તારા અનુગામી પ્રાણીઓથી છે અને તારાથી તો આ તીર્થનો અધિક ઉદ્ધાર પ્રભુએ કહ્યો છે.'
ગુરુની આવી વાણી સાંભળી સંઘપતિ રત્ન ઉત્સવથી યાત્રાળુઓની સાથે સંઘનો પ્રવેશ મુખ્ય શૃંગ ઉપર કરાવશે. ત્યાં હર્ષ પામેલા સર્વ યાત્રાળુઓ સત્વર ગજેન્દ્રપદ કુંડમાંથી શુદ્ધ જળ કાઢી કાઢીને સ્નાન કરશે પછી હર્ષપૂર્ણ અંગે તે કુંડના જળ વડે કુંભો ભરીને તેઓ જિનાલયમાં પ્રવેશ કરશે. દેવોએ વાર્યા છતાં તેમની ભાષાને નહીં જાણતા તેઓ હર્ષના આવેશથી મારી લેખમય મૂર્તિને જળથી સ્નાન કરાવશે. તે જળના સ્પર્શથી તત્કાળ લેખમય મૂર્તિ ગળી જશે અને ક્ષણવારમાં આસન ઉ૫૨ રહેલી તે મૂર્તિ અતિઆર્દ્ર મૃત્તિકાના પિંડની જેમ થઇ રહેશે. તેને જોતાં જ રત્નશેઠ તત્કાળ મૂચ્છિત થઇને ‘શું કરવું ?’ એવા વિચારમાં જડ જેવો થઇ જશે. તે વખતે તે વિચારશે કે, ‘તીર્થનો ધ્વંસ કરનાર મને ધિક્કાર છે, મારાં આવાં અજ્ઞાનપણાને ધિક્કાર છે અને આ તીર્થનો વિનાશ કરનાર મારા અજ્ઞાની અનુયાયીઓને પણ ધિક્કાર છે. અહીં આવતાં અમારી સદ્ભક્તિનું ઊલટું આવું ફળ થયું કે, જેથી તીર્થનો ઉદ્ધાર ન થતાં હા, હા તીર્થનો ધ્વંસ થયો. કયા કયા દાન અને કયા કયા તપથી શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૯૫
Page #317
--------------------------------------------------------------------------
________________
હું આ પાપને દૂર કરીશ અથવા આવી વ્યર્થ ચિંતા કરવી શા કામની છે ? આ અપરાધમાં આ સ્થિતિ પામેલા મને શ્રી નેમિનાથ પ્રભુનું જ શરણ હો.” • પ્રતિમા પ્રાપ્તિ માટે અંબિકાદેવી સાથે રત્નશ્રેષ્ઠીનું ગમન :
આ પ્રમાણે વિચારી, બધા લોકો વારશે તો પણ એ રત્ન શેઠ સત્વવાનું થઈ મારું સ્મરણ કરી, દઢ આસને નિરાહાર થઈને બેસશે. તેવી રીતે નિરાહાર થઈને બેસતા અને ઉપસર્ગમાં પણ નહીં કંપતા એ રત્ન વણિકની પાસે એક માસે અંબિકા આવશે. અંબિકાના દર્શનથી તે રત્નશેઠ ઊભો થશે. અંબિકા તેને કહેશે, “વત્સ ! તું ખેદ કેમ કરે છે? તું ધન્ય છે. કેમ કે તે યાત્રા કરાવીને આ સર્વ પ્રાણીઓને પુણ્યવાન કર્યા છે. આ પ્રતિમાનો પ્રાચીન લેપ બગડી જવાથી પ્રતિવર્ષ નવીન લેપ થયા કરે છે. અહીં જ એમનું પ્રતિષ્ઠા સ્થાન છે અને તેનો શંકુ અભંગ રહેલો છે. માટે ફરીવાર લેપ કરાવીને તું તેની પ્રતિષ્ઠા કરાવ.'
ત્યારે રત્નશેઠ કહેશે, “માતા ! પૂર્વે મૂર્તિના ભંગથી હું તો પાપી થયો જ છું. હવે તમારી આજ્ઞાથી હું નવો લેપ કરાવીશ, પણ મારી જેમ બીજો કોઈ અજ્ઞાની આવશે તો તેનો ધ્વંસ કરી નાખશે, માટે હે માત ! પ્રસન્ન થઈને કોઈ અભંગ મૂર્તિ મને આપો કે જેથી જળસ્નાનથી પૂજા કરનાર લોકોનાં મન પ્રસન્ન થાય.” આવી રત્ન વણિકની વાણી સાંભળી ન સાંભળી કરીને અંબિકા અંતર્ધાન થઈ જશે. એટલે તીવ્ર નિશ્ચયવાળો તે રત્નવણિક પાછો તપ શરૂ કરશે. અંબિકા તેને ક્ષોભ કરવા ઉપસર્ગો કરશે પણ તે મહાસત્વ વણિક મારું દઢ રીતે સ્મરણ કરશે. પછી જેનું સિંહ વાહન ગર્જના કરી રહેલું છે, એવી તે કુષ્માંગિની (અંબિકા) સર્વ દિશાઓમાં ઉદ્યોત કરતી તેની આગળ સ્થિરપણે પ્રત્યક્ષ થઈને કહેશે, “વત્સ ! તારા આ ઉગ્ર સત્વથી હું સંતુષ્ટ થઈ છું. માટે મારી પાસે જે તારા મનની ઇચ્છા હોય તે માંગી લે.”
આ સાંભળી રત્નશેઠ કહેશે કે, “હે માતા ! આ તીર્થના ઉદ્ધાર વિના મારો બીજો કોઇપણ મનોરથ નથી. માટે મને શ્રી નેમિનાથ પ્રભુની વજમય મૂર્તિ આપો કે જે શાશ્વત રહે અને જળના પૂરથી પૂજન કરનારા લોકો પણ હર્ષ પામે. ત્યારે અંબિકા કહેશે કે, “વીતરાગ પ્રભુએ તને તીર્થોદ્ધારક કહેલો છે, માટે તું આદરથી મારી સાથે ચાલ, પરંતુ મારા પગલાં જ્યાં પડે, તે વિના બીજે ક્યાંય દષ્ટિ નાખીશ નહીં.”
તે સાંભળી રત્નશેઠ તે દેવીની પાછળ ચાલશે. પછી અંબિકા ડાબા હાથ તરફ બીજા શિખરોને છોડતી અનુક્રમે પૂર્વ દિશામાં હિમાદ્રિપર્વત ઉપર આવીને સિદ્ધભાસ્ય નામના દેવને કહેશે કે, “કાંચન નામના આ ચૈત્યની રક્ષા માટે દેવોએ તને અહીં રાખેલો છે. માટે તું ભક્તિથી આ બંધ કરેલા દ્વારને સત્વર ઉઘાડ.' અંબિકાની
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૯૬
Page #318
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાથી તત્કાલ તે દ્વાર ઉઘાડશે. એટલે પ્રતિમાઓની કાંતિનો ઉદ્યોત દેખાશે. ઘડાના મુખ જેવડા તે દ્વારમાં અંબિકા પેસી જશે, તેની પાછળ સોય સાથે બાંધેલા દોરાની જેમ તે ઉત્તમ શ્રાવક રત્ન શેઠ પણ તેમાં પ્રવેશ કરશે.
પછી અંબિકા તેમાં રહેલા પ્રત્યેક બિંબોને બતાવતાં તે રત્નને કહેશે કે, “વત્સ ! આ બિંબોના જે જે કર્યા છે, તેમના નામો તત્પર થઇને તું સાંભળ. આ બિંબ સૌધર્મપતિએ નીલમણીનું બનાવેલું છે, આ બિંબ નાગકુમારના ઇન્દ્ર ધરણેન્દ્ર પારાગથી બનાવેલ છે. આ રત્નમાણિક્યનાં સાર વડે બનેલું શાશ્વત પ્રતિમા જેવું બિંબ છે, તે બ્રહ્મન્દ્રોએ ચિરકાલ સુધી પોતાના દેવલોકમાં રાખીને પૂજેલું છે અને બીજા આ બિંબો બલરામ તથા કૃષ્ણ વાસુદેવે કરાવીને પૂજેલાં છે. આ સર્વે બિંબોમાંથી તને જે રુચે, તે મારી આજ્ઞાથી ગ્રહણ કર.
ત્યારે તે રત્નશ્રાવક, મણિરત્ન અને સુવર્ણમય બિંબ ગ્રહણ કરવાની ઇચ્છા કરશે એટલે અંબિકા કહેશે કે, “વત્સ ! તે બિંબો તું ન લે. કારણ કે હવે આવનારા દુષમકાળમાં લોકો અતિ નિર્દય, સત્ય, શૌચ અને દયારહિત તથા દેવ-ગુરુ અને ધર્મના નિંદક થશે. વળી હવેનાં કાળમાં આ પૃથ્વી ઉપર અન્યાયી, પારદ્રવ્ય અને પરસ્ત્રીમાં આદર કરનારા અને ચોરવૃત્તિવાળા પ્લેચ્છ રાજાઓ થશે. તેથી કોઇવાર હું કોઇ સ્થળે ગઈ હોઉં એ સમયે શૂન્ય રહેલાં જિનમંદિરમાં આવીને તે અમર્યાદ લોકો લોભથી આ બિંબની આશાતના કરશે. તેથી જેમ “લક્ષ્મી ન હોય તે કરતાં પ્રાપ્ત થઈને સહસા ચાલી જાય તે વધારે દુઃખ થાય છે' તેમ ઉદ્ધાર કરતાં હાનિ થવાથી તને વિશેષ પશ્ચાત્તાપ થઈ પડશે. માટે હે ભદ્ર ! આ બ્રહ્મન્દ્રનું રચેલું સ્થિરબિંબ ગ્રહણ કર. તે વીજળી, અગ્નિ, જળ, લોહમય શસ્ત્ર અને વજથી પણ અભંગુર છે.”
આ પ્રમાણે કહી તેની બાર યોજન સુધી પ્રસરતી કાંતિ હતી, તેને અંબિકાદેવી પોતાની દૈવી માયાથી ઢાંકીને, સામાન્ય કરી રત્ન શ્રાવકને આપશે પછી અંબિકાદેવી શેઠને કહેશે કે, “સુક્ષ્મ તંતુઓ વડે બાંધીને આ બિંબને તું લઈ જા. સ્થાન વિના પણ જ્યાં તું મૂકીશ ત્યાં આ બિંબ પર્વતની જેમ સ્થિર થઇ રહેશે.” એ પ્રમાણે સમજાવી તે બિંબ આપીને અંબિકા ચાલી જશે અને રત્ન શેઠ બીજી કોઇપણ દિશા તરફ અવલોકન કર્યા સિવાય તે બિંબ લઇને ચાલશે.
અનુક્રમે માર્ગમાં અસ્મલિત ચરણે રૂની જેમ તે બિંબને વહન કરતો રત્નશેઠ પ્રાસાદના દ્વાર પાસે આવી આ પ્રમાણે વિચાર કરશે, “આ બિંબને અહીં રાખી મધ્યે રહેલા પૂર્વ બિંબના લેપના પડેલા ઢગલાને લઇને પછી અંદર સ્થાપન કરું.” એવો વિચાર કરી તે ઠેકાણે તે બિંબને મૂકશે, પછી અંદર જઈ બધુ પ્રમાર્જીને તે હર્ષથી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૯૭
Page #319
--------------------------------------------------------------------------
________________
બિંબ લેવા આવશે, તેવામાં ત્યાં જ મેરુની જેમ તે નિશ્ચળ થયેલ જોવામાં આવશે. જ્યારે ક્રોડો મનુષ્યોથી પણ તે ચલિત થશે નહીં ત્યારે તે પાછો પૂર્વની જેમ સ્થિર થઇને તીવ્ર તપશ્ચર્યા કરશે. તેને સાત ઉપવાસ થશે ત્યારે અંબિકાદેવી તેને દર્શન આપશે અને કહેશે કે, ‘હે વત્સ ! આમ યથેચ્છપણે તું આ શું કરે છે ? આ બિંબને જ્યાં તું મૂકીશ ત્યાં જ તે સ્થિર રહેશે' એવું મારું વચન ભૂલી જઇને આ શાશ્વતબિંબને તેં શા માટે અહીં મૂક્યું ? હવે તું વૃથા પ્રયાસ કર નહીં, આ બિંબ અહીં ધ્રુવ અને મેરુની જેમ નિશ્ચલ છે. દેવ, દાનવોથી પણ તે આ સ્થાનથી ચલિત થશે નહીં. માટે અહીં જ આ બિંબની ફરતો પશ્ચિમાભિમુખી પ્રાસાદ કર, કે જેથી તારુ સઘળુંય પુણ્ય શાશ્વત થાય. બીજા તીર્થોમાં તો ઉદ્ધારો પણ થશે પણ આ તીર્થનો ઉદ્ધાર કરનાર તો તું એક જ આ બિંબની જેમ સ્થિર થયેલો રહીશ.' એવી રીતે તેને સમજાવી સંતુષ્ટ થઇ વરદાન આપીને અંબિકાદેવી ત્યાંથી તત્કાળ અંતર્ધાન પામી જશે. પછી રત્નશેઠ પણ તે જ પ્રમાણે કરશે.
સંઘની સાથે ઉલ્લસિત થયેલો રત્ન શ્રાવક દેવીના કહ્યા પ્રમાણે કરેલા ચૈત્યમાં તે બિંબની પ્રતિષ્ઠા કરાવશે. તે વખતે આચાર્યો વડે સૂરિમંત્રના પદોથી આકર્ષિત થયેલા દેવતાઓ તે બિંબ અને ચૈત્યને અધિષ્ઠાયક સહિત કરશે. પછી અષ્ટપ્રકારી પૂજા કરી, મહાધ્વજ ચડાવી ભક્તિ વડે નમ્ર અને ઉદાર એવો તે રત્નશેઠ હર્ષથી મારી સ્તુતિ કરશે. સ્તુતિ કરી, પાંચ અંગે પૃથ્વીને સ્પર્શતો પ્રણામ ક૨શે. તે વખતે ક્ષેત્રપાળ પ્રમુખ દેવતાઓની સાથે અંબિકાદેવી ત્યાં આવીને તેના કંઠમાં પારિજાતના પુષ્પોની માળા પહેરાવશે. પછી તે રત્નવણિક કૃતાર્થ થઇ સૌરાષ્ટ્ર દેશમાં જ અનુક્રમે મુક્તિ પામશે. ‘હે કૃષ્ણ ! આવી રીતે તે રત્ન શ્રેષ્ઠી મારી પ્રતિમાને પૂજશે અને તમે પણ ભાવી તીર્થંકર થશો.’
શ્રીકૃષ્ણે નૂતન પ્રાસાદમાં કરેલ શ્રી નેમિનાથ પ્રભુની મૂર્તિની સ્થાપના પ્રભુની આવી વાણી સાંભળી કૃષ્ણે પૂછ્યું, ‘હે પ્રભુ ! આ મૂર્તિ હું કયા તીર્થમાં સ્થાપિત કરું ?' પ્રભુ બોલ્યા, ‘હે કૃષ્ણ ! પૂર્વે ઇન્દ્રે જ્ઞાનશિલા ઉપર કાંચનમય પ્રાસાદ કરાવ્યો છે. તેની નીચે નવીન પ્રાસાદ કરાવીને આ મૂર્તિ સ્થાપિત કરો. પ્રભુની આજ્ઞાથી કૃષ્ણે એક ઊંચું ચૈત્ય કરાવીને તેમાં ત્રિજગત્પતિ શ્રી નેમિનાથ પ્રભુની બ્રહ્મેન્દ્રે આપેલી પ્રતિમા સ્થાપિત કરી. જે પ્રતિમા ત્રણ જગતના લોકોએ પૂજેલી અને ભક્તિ તથા મુક્તિને આપનારી છે. પ્રભુના વાસક્ષેપથી ગણધરોની પાસે તેની પ્રતિષ્ઠા કરાવી.
ત્યાર પછી કૃષ્ણે જળયાત્રાને માટે દેવ તથા મનુષ્યોને નિમંત્રણ કર્યું. વાજિંત્રો વાગતાં હાથમાં કુંભવાળી સ્ત્રીઓથી અને દેવોથી પરિવરેલા કૃષ્ણ વાસુદેવ કુંડો શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૯૮
·
Page #320
--------------------------------------------------------------------------
________________
સમીપે આવ્યા. પ્રથમ ઐરાવત કુંડે ગયા, ત્યાં તેનાં તે નામનું કારણ જાણવા માટે કૃષ્ણ ઈન્દ્રને પૂછ્યું કે, “આ કુંડનું આવું નામ કેમ પડ્યું ?'
ઇન્દ્ર કહ્યું કે, “પૂર્વે જ્યારે અહીં ભરતચક્રવર્તી આવ્યા હતા, ત્યારે તે સમયના ઇન્દ્ર ઐરાવત હાથી પાસે આ કુંડ કરાવેલો છે. ચૌદ હજાર નદીઓના જળના પૂરે આ કુંડમાં પ્રવેશ કરેલો છે, તેથી આ કુંડ પવિત્ર અને પાપનો ઘાત કરનાર છે. જેણે આ કુંડના જળથી સ્નાન કરીને જિનેશ્વર ભગવંતને સ્નાન કરાવ્યું છે, તેણે પોતાના આત્માને પવિત્ર કર્યો છે. આ કુંડના જળનું પાન કરવાથી કાસ, આસ, અરુચિ, ગ્લાનિ, પ્રસૂતિ અને ઉદરમાં ઉત્પન્ન થયેલા બાહ્યરોગો નાશ પામે છે. આ બીજો કુંડ ધરણેન્દ્ર નાગકુમારે કરેલો છે અને આ કુંડ ચમરેન્દ્રના વાહન મયૂરે રચેલો છે. એ બંને કુંડના જળથી જંગમ અને સ્થાવર વિષ તથા ક્ષય અને શ્વાસાદિક ન ખમી શકાય તેવા રોગો નાશ પામી જાય છે. આ બલીન્દ્ર, સૂર્ય અને ચંદ્ર વગેરેના રચેલા કુંડો છે, જેઓ પોતાનાં જળથી પાપને હરે છે. આ કુંડ અંબાદેવીએ ભરત ચક્રવર્તીના ઉદ્ધાર વખતે તેની મૈત્રીથી કરેલો છે. તે અંબાકુંડ હમણાં વિશિષ્ટકુંડ એવા નામથી પ્રખ્યાત થયેલો છે.” • વશિષ્ટ ફંડનો ઇતિહાસ - કૃષ્ણના દામોદર નામની પ્રસિદ્ધિ :
તે અવસરે કૃષ્ણ ઈન્દ્રને પૂછ્યું કે, “તે વશિષ્ટ મહાત્મા કોણ હતા ? કે જના નામથી આ પવિત્ર કુંડનું અંબાકુંડ નામ લોપાઈને તેમનું નામ પ્રસિદ્ધ થયું ?”
સૌધર્મપતિ બોલ્યા, “હે કૃષ્ણ ! તે વશિષ્ઠની કથા સાંભળો. આ કથા શ્રી જિનેશ્વરે કહેલી છે. જ્યારે આઠમા વાસુદેવ લક્ષ્મણ પૃથ્વીનું પાલન કરતા હતા, તે સમયમાં વિશિષ્ટ નામે એક તીવ્ર તપ કરનારો વેદ-વેદાંગોને જાણનારો અને કુટિલ કલામાં કુશલ તાપસપતિ હતો. તે કંદમૂળ, ફળ અને જળથી નિર્વાહ કરતો હતો અને લોકો પોતાના કાર્યને માટે તેની પૂજા કરતા હતા.
એક વખતે કોઈ હરણી તેની પર્ણકૂટીના આંગણામાં ઊગેલા ઘાસને ચરવા આવી. તેને જોઈ કોપથી મંદ પગલાં ભરતા આવીને તેણે એક લાકડીનો તેની પર ઘા કર્યો. તે ઘા લાગતાં જ ફાટી ગયેલા તેના ઉદરમાંથી એક બચ્ચે નીકળી પડ્યું અને મૃગલીએ ઘાની પીડાથી તત્કાળ પ્રાણ છોડી દીધા. તેમજ બચ્યું પણ મરણ પામ્યું. તે જોઈ વિશિષ્ટ તાપસ અંતરમાં ઘણું કચવાયો. લોકો તેને “બાલસ્ત્રીઘાતક' એમ કહીને હસવા લાગ્યા. તેનું પ્રાયશ્ચિત લેવાની ઈચ્છાથી એ પાપભીરુ વશિષ્ટ અનુચરોને છોડી દઈને એકલો વાદળાની જેમ નદીઓ, દ્રહો, ગિરિઓ, ગ્રામો અને
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૯૯
Page #321
--------------------------------------------------------------------------
________________
સમુદ્રતીરે ભમવા લાગ્યો. એવી રીતે અડસઠ તીથમાં જઇ આવીને પોતાના આત્માને પવિત્ર માનતો એ તાપસ પુનઃ પોતાના સ્થાનમાં આવ્યો.
એક વખત કોઈ જ્ઞાનપવિત્ર જૈનમુનિ તેની પર્ણકૂટી પાસે આવીને કાઉસ્સગ્ન ધ્યાને સ્થિર રહ્યા. એ મુનિને આવેલા જાણીને નજીકના નગરના લોકો ભક્તિથી તેમને પ્રણામ કરવા ત્યાં આવ્યા. લોકોએ સંશય પૂછતાં, પૂર્વભવો કહેતા તે મુનિને સાંભળીને વશિષ્ટ તેમની પાસે આવી પૂછ્યું કે, “મારામાં હવે તે પાપકર્મ રહ્યું છે કે નહિ ?” | મુનિ બોલ્યા, “ક્ષેત્ર પ્રભાવ અને તપશ્ચર્યા વિના માત્ર પર્વત, નદી વગેરેમાં ભમવાથી તેનું નિબિડ કર્મ કેમ ક્ષય થઇ જાય ? તેવા કર્મને તોડનાર રૈવતાચલ તીર્થ વિના મિથ્યાત્વી તીથમાં ભ્રમણ કરવાથી તો ફક્ત ક્લેશ જ થાય છે.”
વશિષ્ટ કહ્યું, “હે મુનિ ! તમે જે ક્ષેત્ર અને તપ કહ્યો, તે મારા પાપની શાંતિને માટે વિસ્તારથી કહો.'
મુનિ બોલ્યા, “સૌરાષ્ટ્ર દેશમાં રેવતાચલગિરિ ઉત્તમ ક્ષેત્ર છે અને પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને ત્યાં શ્રી અરિષ્ટનેમિનું આરાધન કરવું તે તપ છે. જો તારે પાપનો ક્ષય કરવો હોય અને પુણ્યની પ્રાપ્તિ કરવી હોય તો સદ્ગતિને આપનાર તે રૈવતગિરિનો આશ્રય કર.'
તે સાંભળીને તેમના બોધને હૃદયમાં ધરતો વશિષ્ટ તાપસ તે આશ્રમસ્થાન છોડીને ત્યાંથી ચાલતો થયો. શ્રી નેમિનાથ પ્રભુનું સ્મરણ કરતો ઉતાવળો તે રૈવતાચલતીર્થ ઉપર આવ્યો અને ઉત્તર દિશાના માર્ગથી ગિરિરાજ ઉપર ચડ્યો. અંબાગિરીની નીચે છત્રશિલાને છોડી તે અંબાકુંડ પાસે આવ્યો અને ત્યાં તેના જળથી તેણે સ્નાન કર્યું. સ્નાન કરતાં કરતાં આહંતુ તેનું ધ્યાન કરતો તે તાપસ ધ્યાન તથા ધ્યેયને ભૂલીને તન્મય બની ગયો. જેવો સ્નાન કરીને તે બહાર નીકળ્યો, તેવી જ આકાશવાણી થઈ કે, “હે મુનિ ! તું હત્યાના પાપથી રહિત થઈને શુદ્ધ થયો છે, અંબાકુંડના જળ વડે સ્નાન કરવાથી અને શુભધ્યાનથી તારું અશુભકર્મ બધું ક્ષીણ થઈ ગયું છે, માટે હવે શ્રી નેમિનાથ પ્રભુનો આશ્રય કર.”
આવી આકાશવાણી સાંભળીને મનમાં હર્ષ પામતા વિશિષ્ટ તત્કાલ શ્રી નેમિનાથ પ્રભુનાં ચૈત્યમાં જઈને તેમને નમસ્કાર કર્યા. સદૂભક્તિ વડે સ્તુતિ કરી, ધ્યાન કરી અને અત્યંત તપ આચરી અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યું. અનુક્રમે સમાધિથી મૃત્યુ પામી જિનધ્યાનમાં પરાયણ તે વિશિષ્ટ મુનિ પરમ ઋદ્ધિવાળો દેવ થયો. અહીં વિશિષ્ટનો હત્યાદોષ મટી ગયો હતો, તેથી હે કૃષ્ણ ! આ પવિત્ર કુંડ તેના નામથી લોકમાં
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૦૦
Page #322
--------------------------------------------------------------------------
________________
પ્રસિદ્ધ થયો. આ કુંડના જળસંસર્ગથી વાયુની વ્યાધિ, પથરી, પ્રમેહ, કુષ્ટ, દાદર વગેરે રોગો નાશ પામે છે. તે જ પ્રમાણે હત્યાનું પાપ પણ નાશ પામે છે.
આ પ્રમાણે ઇન્દ્ર પાસેથી કુંડોનો તેવા પ્રકારનો પ્રભાવ સાંભળીને તેમાંથી જળ લઈ કૃષ્ણ વાસુદેવ નેમિનાથ પ્રભુનાં મંદિરમાં આવ્યા. ત્યાં ઇન્દ્રોની સાથે પ્રભુનું સ્નાત્ર કરીને કપૂર અને અગર ચંદન વડે તેઓએ પૂજા કરી. પછી કૃષ્ણ આરતી ઉતારી ઉત્સવ સાથે સુવર્ણ, રત્ન અને મણિના દાન આપીને ત્યાંથી સુવર્ણ ચૈત્યમાં રહેલા પ્રભુના ચરણની પૂજા કરી. ભક્તિરૂપ દામ-દોરડાથી કૃષ્ણ પોતાનું ઉદર બાંધ્યું હોવાથી દામોદર એવું પોતાનું નામ ધારણ કરીને દામોદર નામના દ્વારમાં કૃષ્ણ પોતાની મૂર્તિ કરવી અને અધિક ભક્તિ જણાવતા કૃષ્ણ પોતાના મસ્તક પર શ્રી નેમિનાથ પ્રભુનાં બિંબને ધારણ કરીને પોતે જ દ્વારપાળ થયા. • અમલકીર્તિ નદીનો પ્રભાવ :
રૈવતગિરિ ઉપર જ્યાં પ્રભુએ પોતાનું વસ્ત્ર મૂક્યું હતું, તે વસ્ત્રાપથ નામના તીર્થમાં કાલમેઘ નામે એક ક્ષેત્રપતિ થયો હતો ત્યાં પોતાના જળમાં સ્નાન કરનારા પ્રાણીઓને અમલ કરનારી અમલકીર્તિ નામની એક સરિતા હતી. તેમાં ભવ નામે દેવોનો અધિપતિ રહેતો હતો. તે ભવ પૂર્વે કોઈ સુંદર ચાલવાળો મૃગ હતો. વનમાં ભટકતાં કોઈ મુનિની પાસેથી રેવતાચલ તીર્થનું માહાભ્ય સાંભળી તે ત્યાં આવ્યો. એક વખતે દાવાનળ સળગવાથી તે વડે બળતાં મૃગલીની સાથે તે જળ પાસે આવ્યો. કુંડને જોઇ તીર્થની ભાવનાપૂર્વક તે તેમાં પડ્યો, જેથી મૃત્યુ પામીને તે ત્યાં જ ભવ નામે ક્ષેત્રના અધિષ્ઠાયક દેવતા થયો અને તે મૃગી મરણ પામીને કુંડની અધિષ્ઠાયક દેવી તરીકે વિખ્યાત થઇ. ત્યારથી તે બંને દેવ-દેવી લોકમાં પ્રસિદ્ધ થયાં, અને સર્વ મનુષ્યો તેઓને નિત્ય પૂજવા લાગ્યા. • વાનરી - રાજકુમારી :
કર્ણાટક દેશમાં ચક્રપાણિ નામે એક રાજા થયો. તેને પ્રિયંગુમંજરી નામે પત્ની હતી. એક વખત તેણે નારી જેવા મનોહર દેહવાળી પરંતુ વાનરી જેવા મુખવાળી એક પુત્રીને જન્મ આપ્યો. તેને જોઇને રાજા મનમાં વિસ્મય પામ્યો. અનર્થની શંકા થવાથી રાજાએ તેને નિવારવા સર્વત્ર શાંતિકર્મ કરાવ્યું. પ્રત્યેક જિનમંદિરમાં દેવપૂજા કરાવી અને સુપાત્રોની ભાવપૂર્વક ભક્તિ કરી. પ્રતિદિન વૃદ્ધિ પામતી એ સુંદર પુત્રી અનુક્રમે યૌવન પામી સૌભાગ્યમાં ઉત્તમ તે કન્યાનું સૌભાગ્યમંજરી એવું નામ પડ્યું.
એક વખત તે રાજસભામાં રાજાના ઉત્સંગમાં બેઠી હતી. તેવામાં કોઇ વિદેશી પુરુષ રાજાની સભામાં આવ્યો, તેણે સર્વ તીર્થના મહિમાનું સુંદર વર્ણન કરવા માંડ્યું.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૦૧
Page #323
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પુંડરીકગિરિરાજનું માહાત્મ કહીને પછી સંસારતારણ અને પુણ્યનું કારણ એવું રૈવતગિરિનું માહાત્મ તેણે કહ્યું કે, “હે રાજા ! રૈવતગિરિ મહાતીર્થ જય પામે છે. વિવિધ પ્રકારે રૈવતાચલનાં માહાભ્યને સાંભળવાથી સૌભાગ્યમંજરીને પૂર્વભવનું
સ્મરણ થવાથી તત્કાળ મૂચ્છ પામી. ઘણા શીતોપચાર કરવાથી સચેતન થઈ હર્ષ ધરીને તે પોતાનાં પિતાને કહેવા લાગી, “હે તાત ! આજનો દિવસ મારા માટે મહામંગલરૂપ છે, તેનું કારણ તમે સાંભળો.”
પૂર્વભવે રેવતાચલ ઉપર હું એક વાનરી હતી. તે વખતે સદા ચપળતાથી સર્વ શિખરો, વૃક્ષો અને સરિતાઓમાં હું ફરતી હતી. એ ગિરિના મુખ્ય શિખરેથી પશ્ચિમ દિશામાં એક અમલકીર્તિ નામે નદી છે. વિવિધ પ્રકારના પ્રભાવોવાળી અનેક દ્રહોથી ભરપૂર એ નદી શ્રી નેમિનાથ પ્રભુની દૃષ્ટિથી પવિત્ર થયેલી છે. અનેક વાનરોની સાથે વૃક્ષોમાં સ્વેચ્છાએ ફરતી હું (વાનરી) જાતિની ચપળતાના કારણે એક વખત ત્યાં આવી. ત્યાં ફલિત થયેલા આંબાની મોટી લતાના તંતુથી કંઠ બંધાઈ જવાને લીધે મારા પ્રાણ ચાલ્યા ગયા. ત્યાંથી મરણ પામીને તીર્થમાં નિવાસ કરવાના પ્રભાવથી હું તમારી પુત્રી થઈ છું. આ ભવમાં મારા શરીરમાં જે આશ્ચર્યકારી વિચિત્રતા થઈ છે, તેનું કારણ એ છે કે તે સમયે વાનરી એવી મારું મસ્તક લતાપાશથી બંધાયેલું હતું. એટલે શરીર નમતું, નમતું, માત્ર મુખ વિના આખું શરીર એ અમલકીર્તિ નદીમાં પડ્યું. તેથી હું અહીં સર્વ અંગમાં લાવણ્યથી મંડિત થઈ અને તે તીર્થનદીના સ્પર્શ વગરનું મારું મુખ વાનરી જેવું જ રહ્યું. હવે તે પિતા ! મારું મસ્તક જે ત્યાં વૃક્ષ પર લટકી રહેલું છે તેને નદીમાં નાંખો એટલે હું સુંદર મુખવાળી બનીને મારો જન્મ નિર્ગમન કરીશ. આ વિદેશી પુરુષે રૈવતગિરિનું માહાભ્ય સંભળાવીને મને તેનું સ્મરણ કરાવ્યું. તેથી હે પિતાજી ! એ મારો ખરેખર બંધુ છે, માટે આપ તેનું ઘણું સન્માન કરો.
આ રીતે પ્રસન્ન મનથી પુત્રીનો પૂર્વભવ સાંભલીને રાજાએ માણસો મોકલીને તેનું મસ્તક તે નદીમાં નંખાવ્યું. એટલે તત્કાળ એ રાજકુમારીનું મુખ પણ પણ સુંદર શોભાવાળું થયું. રાજા પણ એ તીર્થનું માહાભ્ય પ્રત્યક્ષ જોઇને ચિત્તમાં બહુ જ વિસ્મય પામ્યા.
પછી સૌભાગ્યમંજરી સંસારથી વિમુખ થઈ આગ્રહથી પિતાને પોતાનો વિવાહ ઉત્સવ કરતાં અટકાવીને રૈવતાચલ તીર્થ ઉપર આવી. ત્યાં તીવ્ર તપ આચરી એ રાજકન્યાએ જિનધ્યાનમાં તત્પર થઈને ઘણાં અશુભ કર્મો ખપાવ્યા. છેવટે મૃત્યુ પામીને તીર્થના મોહથી તે ત્યાં વ્યંતરદેવી થઈ અને તે નદીના દ્રહમાં નિવાસ કરી સંઘના વિદનોનો નાશ કરવાવાળી થઈ.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૦૨
Page #324
--------------------------------------------------------------------------
________________
• રેવતાચલ મહાતીર્થના બ્રહ્મ આદિ અધિષ્ઠાયક દેવો ?
વાયવ્ય કોણમાં ઇન્દ્ર નામનું એક નગર વસાવીને શ્રી નેમિનાથ પ્રભુને મસ્તક પર ધરીને સંકટોને દૂર કરતો બ્રહ્મન્દ્ર ત્યાં રહ્યો. શ્રી નેમિનાથ પ્રભુનાં ધ્યાનથી પવિત્ર એવા બ્રહ્મન્દ્ર સંઘની વૃદ્ધિને માટે ડમર નામના દ્વારમાં પોતાની મૂર્તિ સ્થાપના કરી. જિનધ્યાનથી પવિત્ર મનવાળો મલ્લિનાથ નામનો બળવાન રૂદ્ર નંદભદ્ર નામનાં ગિરિદ્વારમાં દ્વારપાળ થયો. બલવાન બલભદ્ર મહાબલદ્વારમાં રહ્યો. મહાબલવાન વાયુ બકુલ નામના દ્વારમાં રહ્યો. પોતાનાં શસ્ત્રોથી વિઘ્નરૂપ શત્રુઓને હણનારી અને ઉત્તરકુરુમાં રહેનારી સાત માતાઓ બદરીદ્વારમાં રહી. કેદાર નામે રૂદ્ર કેદાર નામનાં દ્વારમાં ગિરિનો રક્ષક થઇને રહ્યો. એવી રીતે સર્વ દિશાઓમાં આઠ દેવોએ નિવાસ કર્યો. જેમાં જિનેશ્વરદેવ પાસે આઠ પ્રાતિહાર્ય રહે છે, તેમ એ આઠ દેવો એ ગિરિરાજ ઉપર આયુધ ઊંચા કરી પ્રતિહાર થઇને રહ્યા છે. - તે સિવાય ત્યાં રહેલા બીજા પણ અસંખ્ય દેવો ત્યાં આવનારના મનોરથોને પૂરે છે. મુખ્ય શૃંગથી ઉત્તર દિશાએ તે દિશાનો રક્ષક મહાબલવાન મેઘનાદ છે. પશ્ચિમ દિશાનો રક્ષક વાંચ્છિત અર્થને આપનારો રત્નમેઘનાદ છે, પૂર્વદિશામાં સિદ્ધભાસ્ય છે અને દક્ષિણમાં સિંહનાદ છે. એ ચારેદેવોથી તે શિખર જાણે ચમુખ હોય તેવું જણાય છે. મુખ્ય શિખરથી ચારે દિશાઓમાં બે બે હાના શિખરો છે. ત્યાં મૃત્યુ પામેલો અને બાળવામાં આવેલો મનુષ્ય ઉત્તમદેવ થાય છે. ત્યાં રહીને તપશ્ચર્યા કરતા અને શ્રી નેમિનાથ પ્રભુનું ધ્યાન ધરતા મનુષ્યો અષ્ટસિદ્ધિ મેળવીને પ્રાંતે અવ્યય પદને પામે છે.
એ ગિરિ ઉપર પ્રત્યેક વૃક્ષમાં, પ્રત્યેક સરોવરમાં, પ્રત્યેક કૂવામાં, પ્રત્યેક દ્રહમાં અને પ્રત્યેક સ્થાનમાં શ્રી નેમિનાથ પ્રભુનાં ધ્યાનમાં પરાયણ દેવો રહેલા છે. તે સર્વની મધ્યમાં ઊંચાં શિખર ઉપર સંઘના ઇચ્છિત અર્થને આપનારી સિંહવાહિની અંબિકાદેવીનો નિવાસ છે. જ્યાં રહીને શ્રી નેમિનાથ પ્રભુએ જરા પાછું વાળીને જોયું હતું તે તેમના બિંબ વડે પવિત્ર એવું શિખર ‘આલોકન” એવા નામથી પ્રખ્યાત થયેલું છે. અંબાગિરિની દક્ષિણ તરફ ગોમેધ નામે યક્ષ રહેલો છે. ઉત્તરદિશાએ સંઘના વિપ્નને હરવામાં ચતુર એવી મહાવાળા નામે દેવી રહેલી છે. કૃષ્ણ વાસુદેવે પૂજા કરતી વખતે પોતાનું છત્ર જે શિલા પર મૂકીને પાછું લીધેલું હતું તે શિલા લોકમાં છત્રશિલા” એવા નામથી પ્રખ્યાત થઇ છે.
કૃષ્ણ કરેલો જળયાત્રા મહોત્સવ પૂર્ણ થવાથી સર્વે દેવો કૃતાર્થ થઇ પ્રભુને નમીને ગિરનાર તીર્થ ઉપરથી ઉતરીને પોતપોતાનાં સ્થાને ગયા. ત્યારે કૃષ્ણ વાસુદેવ
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૦૩
Page #325
--------------------------------------------------------------------------
________________
પણ નીચે ઉતરવા લાગ્યા. માર્ગમાં બિંદુગુફામાં એક મુનિ તેમના જોવામાં આવ્યા. તત્કાળ હૃદયમાં હર્ષ પામતા કૃષ્ણ તે મુનિને નમ્યા અને તેમની પાસેથી ગિરિનો ઘણો પ્રભાવ સાંભળ્યો. પછી ત્યાં રહીને પર્વતનું સૌંદર્ય જોતાં વાયવ્ય દિશામાં એક ગિરિને જોઈ કૃષ્ણ તે મુનિને પૂછ્યું કે, “આ કયો ગિરિ છે ?' મુનિ બોલ્યા, “એ ગિરિ હાલ ઉજજયંતગિરિનું મસ્તક એ નામથી ઓળખાય છે, હવે પછી તેનું ઉમાશંભુ એવું નામ પડશે. તે રીતે નામ પાડવાનું કારણ હું કહું છું. તે તમે સાંભળો.' • ઉમાશંભુ શિખર :
“ભાવિમાં વૈતાઢ્યગિરિ ઉપર વિદ્યાના બળથી ભયંકર એવો રૂદ્ર નામે ખેચર થશે. તે વૈતાઢ્ય ઉપરની બધી પૃથ્વીને દબાવશે. તેને ઉમા નામે સ્ત્રી થશે. તે રૂદ્રના ભયથી તેને શંભુના નામથી બોલાવીને પોતાની શાંતિને માટે લોકો તેના ભક્ત થઇ ઉમા સહિત તેની પૂજા કરશે. એ તેઓ ઉપર તુષ્ટમાન થઈને તેમને ઇચ્છિત વસ્તુ આપશે, તેથી લોકો તેની સદૈવ વિશેષ રીતે પૂજા કરશે.
પર્વત, આરામ, સરિતા અને ચૈત્ય પ્રમુખ સ્થાનોમાં હર્ષથી ક્રીડા કરતો તે રૂદ્ર ખેચર એ ઉજ્જયંતગિરિના મસ્તક પર આવીને ઉમા સહિત તપશ્ચર્યા કરશે અને પછી ત્યાં રહેલા ચારણ મુનિને ભક્તિથી નમસ્કાર કરશે. ત્યારબાદ તે મુનિના ઉપદેશથી તે પાપકર્મથી વિરામ પામશે. મુનિના ઉપદેશથી “દુઃખનું વૃક્ષ જે વિષય, તેનું આદ્ય મૂળ સ્ત્રી જ છે' એવું જાણી પોતાની સ્ત્રી ઉમાનો ત્યાગ કરીને સહસ્ત્રબિંદુ નામની ગુફામાં તે એકલો તપશ્ચર્યા કરશે. તેના વિયોગમાં રહેલી ઉમા પણ તેની પ્રવૃત્તિ (ખબર) નહીં જાણવાથી બિંદુશિલા ઉપર રહીને એકલી તીવ્ર તપશ્ચર્યા કરશે. તેના ધ્યાનયોગથી સંતુષ્ટ થયેલી ગૌરીવિદ્યા ઉમા ઉપર સંતુષ્ટ થઇ પ્રત્યક્ષ દર્શન આપીને તેને ઇચ્છિત વરદાન આપશે. તે વરદાનથી પોતાના પતિને સહસ્ત્રબિંદુ ગુફામાં તપ કરતા જાણી, ત્યાં જઈ અતિમોહક રૂપથી ઉમા રૂદ્રને ધ્યાનમાંથી ક્ષોભ પમાડશે. “સ્ત્રીથી કોણ ક્ષોભ ન પામે ?' એટલે ક્ષોભ પામેલો તે રૂદ્ર પુનઃ પ્રેમમગ્ન થઈ તેની સાથે પાછો ક્રીડા કરશે. તેનાથી આ ગિરિ ઉમાશંભુ એવા નામથી પ્રખ્યાત થશે. સહસ્ત્રબિંદુએ ગુફામાં એકચિત્તથી શ્રી નેમિનાથ પ્રભુનું આરાધન કર્યું હતું, તેથી તે આગામી ઉત્સર્પિણી કાળમાં તીર્થકર થશે.
આ પ્રમાણે મુનિવર પાસેથી સાંભળી તે ભાવી જિનેશ્વરને નમસ્કાર કરી કૃષ્ણવાસુદેવ પરિવાર સાથે ત્યાંથી પોતાની દ્વારિકા નગરીમાં આવ્યા અને શ્રી નેમિનાથ પ્રભુ દેશનાથી ભવ્યજીવોને પ્રતિબોધ કરતા પૃથ્વી પર વિચારવા લાગ્યા. રાજીમતીએ સંવેગ પામીને શ્રી નેમિનાથ પ્રભુની પાસે વ્રત ગ્રહણ કર્યું અને એક
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૦૪
Page #326
--------------------------------------------------------------------------
________________
વસુદેવ વિના બધા દશાહએ દીક્ષા લીધી. મહાનેમિ તથા રથનેમિ વગેરે યદુપુત્રો પણ દીક્ષા લઇ તીવ્ર તપ કરવા લાગ્યા. • થાવસ્યા પુત્રની દીક્ષા :
દ્વારિકા નગરીમાં સ્થાપત્યા (થાવસ્યા) નામે સાર્થવાહી રહેતી હતી. તેનો પુત્ર સ્થાપત્યા સૂનુ (થાવસ્ત્રાપુત્રો હતો. તે પુત્રે બત્રીશ પ્રિયાઓની સાથે પાણિગ્રહણ કર્યું હતું અને સ્ત્રીઓની સાથે વિવિધ પ્રકારના સુખો ભોગવતાં તેણે ઘણા દિવસો સુખપૂર્વક વ્યતીત કર્યા. એક વખત શ્રી નેમિનાથ પ્રભુની દેશના સાંભળીને તે થાવસ્ત્રાપુત્ર ક્ષણવારમાં વિષયસુખથી વિમુખ થઇ ગયા અને પોતાની માતા પાસે આવીને વિવિધ આગ્રહથી દીક્ષા સ્વીકારવા માટે અનુજ્ઞા આપવા પ્રાર્થના કરી. એટલે મુક્તાફલથી ભરેલો થાલ લઈ માતાએ કૃષ્ણ પાસે આવીને પોતાના પુત્રનો દીક્ષા લેવાનો આગ્રહ જણાવ્યો. કૃષ્ણ તેની સાથે આવીને થાવચ્ચપુત્રને સંસારની તૃષ્ણા વધે તેવા વચનો કહ્યા. પણ અતિવિરક્ત હોવાથી તે થાવસ્ત્રાપુત્ર પોતાની ભાવનામાં મક્કમ રહ્યા અને કૃષ્ણનું વચન માન્ય કર્યું નથી. તેથી હર્ષ પામીને કૃષ્ણ તે સ્થાપત્યા પુત્રની સાથે દીક્ષા લેવાની ઇચ્છાવાળા જે આત્માઓ હોય તેઓને જાણ કરવા માટે પોતાની નગરીમાં આઘોષણા કરાવી, તેથી વ્રત લેવાની ઇચ્છાવાળા એક હજાર પુરુષો ત્યાં એકઠા થયા. કૃષ્ણ તે સર્વનો થાવસ્ત્રાપુત્રની સાથે દીક્ષા મહોત્સવ
ક્ય. થાવસ્ત્રાપુત્ર મુનિ તે સર્વમુનિઓની સાથે શ્રુતજ્ઞાનધારી થયા. જીવાજીવાદિ તત્વને જાણનારા તે થાવસ્ત્રાપુત્ર મુનિને પ્રભુએ સૂરિપદે સ્થાપિત કર્યા. ત્યારબાદ તે હજાર મુનિઓની સાથે તેઓ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. • થાવાપુત્ર, શુકપરિવ્રાજક, શૈલકસૂરિ આદિનું સિદ્ધિગમન :
થાવસ્ત્રાપુત્ર આચાર્ય વિહાર કરતા કરતા એક વખત શૈલક નામના નગરમાં પધાર્યા. ત્યાં શૈલક નામના રાજાને તેમણે પ્રતિબોધ આપીને અણુવ્રતધારી કર્યો. ત્યાંથી વિહાર કરી એ આચાર્ય મહારાજ સૌગંધિકપુરીનાં ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં એક સુદર્શન નામના તાપસભક્ત તે પ્રસિદ્ધ આચાર્ય મહારાજને નમસ્કાર કર્યા. તે શેઠે તેમની પાસેથી જીવદયામય ધર્મ સાંભળીને આગ્રહપૂર્વક ગ્રહણ કર્યો. “ચિંતામણિ રત્નને કોણ ન ઇચ્છે ?'
સુદર્શનનો પૂર્વનો ગુરુ શુક નામે એક સંન્યાસી હતો, તે એક હજાર શિષ્ય સાથે દેશાંતરમાંથી ફરતો ફરતો તે નગરમાં આવ્યો. ત્યાં સુદર્શન શેઠને જુદી રીતનો થઈ ગયેલો જોઈ તેણે કહ્યું, “હે શિષ્ય ! કયા પાંખડી ગુરુ પાસેથી તે આ ધર્મ સ્વીકાર્યો?” તે બોલ્યો, “સ્થાપત્યાસૂનુ (થાવસ્ત્રાપુત્ર) મારા ગુરુ છે. તેથી પોતાના
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૦૫
Page #327
--------------------------------------------------------------------------
________________
હજાર શિષ્યોથી પરિવરેલો શુકપરિવ્રાજક સુદર્શનની સાથે નીલ અશોકવનમાં ગયો. ત્યાં રહેલા થાવચ્ચાપુત્ર આચાર્ય મહારાજને જોઇ શુકપરિવ્રાજકે પોતાના ધર્મના સ્થાપનપૂર્વક શુકપરિવ્રાજકને તેના પ્રશ્નોનો ક્રમપૂર્વક જવાબ આપીને નિરુત્તર કરી દીધો. જેથી તત્કાળ શુક તાપસે પોતાના સર્વ શિષ્યોની સાથે સુંદર ચરિત્ર ગ્રહણ કર્યું અને અનુક્રમે તેઓ સૂરિપદ પામ્યા. ભવભીરુ થાવચ્ચાપુત્ર આચાર્ય મહારાજ પોતાનો અંતસમય નજીક જાણી શ્રમરહિતપણે સિદ્ધિગિરિ તીર્થ પર આવ્યા અને અનશન ગ્રહણ કર્યું. એક માસને અંતે તીર્થનાં માહાત્મ્યથી જિનધ્યાનમાં પરાયણ એવા તેઓ સર્વ પરિવાર સાથે મોક્ષપદ પામ્યા.
શુકાચાર્ય વિહાર કરતાં શૈલક નગરે પધાર્યા અને ત્યાંના રાજા શૈલકને પાંચસો મંત્રીઓ સહિત પ્રતિબોધ કરી દીક્ષા આપી. મહાતપશ્ચર્યા કરનાર શૈલકમુનિ દ્વાદશાંગી ભણીને અનુક્રમે સૂરિપદ પામ્યા અને પોતાના ચરણન્યાસથી પૃથ્વીને પવિત્ર કરવા લાગ્યા. શુક આચાર્ય પણ ચિરકાલ પૃથ્વી પર વિહાર કરી શત્રુંજય તીર્થ ઉપર આવી અનશન લઇ કેવળજ્ઞાન પામ્યા અને એક માસને અંતે જ્યેષ્ઠમાસની પૂર્ણિમાએ એક હજાર મુનિઓ સહિત અનંત ચતુષ્ટયને સિદ્ધ કરીને નિર્વાણ પામ્યા.
શૈલકાચાર્યને સંયમીપણામાં અકાળે ભોજન કરવાથી શરીરમાં રોગો ઉત્પન્ન થયા. તેઓ ફરતા ફરતા શૈલકનગરે આવ્યા. તેઓનો સંસારીપુત્ર મદુક રાજા પોતાના પિતા મુનીશ્વરને આવેલા જાણીને પરિવાર સાથે સામો ગયો. ભક્તિથી તેમને વંદના કરી અને તેમની વાણી સાંભળીને શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. પછી ગ્લાન થયેલા પિતામુનિને નમસ્કાર કરીને તે રાજા બોલ્યો, ‘હે ગુરુદેવ ! જો આપની આજ્ઞા હોય તો હું વૈદ્યો પાસે આપની નિર્દોષ ચિકિત્સા કરાવું ?' આ પ્રમાણે કહી તેમની આજ્ઞા મેળવીને મદુકે વૈદ્યોને બોલાવી તેમનો ઉપચાર કરાવ્યો. ત્યાં બહુ દિવસ રહેવાથી આચાર્ય રસમાં લોલુપ થયા. તેથી એક પંથક નામના શિષ્યને ત્યાં મૂકી બાકીના સર્વ મુનિપરિવારે અન્યત્ર વિહાર કર્યો.
એક વખતે કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે તે પંથકમુનિને પ્રતિક્રમણ કરતાં સવારથી સૂઇ ગયેલા ગુરુને ખામણા ખામતાં પોતાના મસ્તકનો તેમનાં ચરણ સાથે સ્પર્શ થયો. ‘મને કોણ જગાડે છે ?' એમ બોલતા ગુરુ ઊઠ્યા. એટલે પંથકમુનિએ વિનયથી કહ્યું, ‘હે પૂજ્ય ગુરુદેવ ! આજે ચાતુર્માસ પૂર્ણ થયેલ હોવાથી તમને ખામણા કરવાના કારણે મેં સ્પર્શ કર્યો છે, તેથી મને ધિક્કાર છે. હે ક્ષમાવાન્ ગુરુ ! તે મારા અપરાધને આપ ક્ષમા કરો.' આવો તેનો વિનય જોઇ ગુરુ મનમાં લજ્જા પામ્યાં અને ચારિત્રને દૂષણ લગાડનારા પોતાના આત્માને અત્યંત નીંદવા લાગ્યા, ‘રસના શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૦૬
Page #328
--------------------------------------------------------------------------
________________
ઇન્દ્રિયથી જીતાએલા મને ધિક્કાર છે ! કે જે મેં શિથિલપણાથી ધર્મરૂપી રત્નને મલીન કરી નાખ્યું, પ્રતિક્રમણ કરતાં એવા આ પંથકે મારી નિદ્રા તથા તંદ્રાને દૂર કરવા દ્વારા મોહાંધકાર દૂર કરાવીને મને દ્રવ્ય તથા ભાવ એમ બે પ્રકારે જાગૃત કર્યો છે.' આ રીતે આત્મ ગર્હણા કરી દોષનો પરિગ્રહ છોડીને શૈલકસૂરિજી પોતાના પરિવાર સાથે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. ઘણા લોકોનો અનુગ્રહ કરીને પ્રાંતે શૈલકસૂરિજીએ શત્રુંજયગિરિ પર જઇ અનશન ગ્રહણ કર્યું. એક માસના અંતે કેવળજ્ઞાનથી નિર્મલ થઇ પાંચસો મુનિઓની સાથે તેઓ પણ મોક્ષે ગયા.
આ પ્રમાણે થાવાપુત્ર, શુકાચાર્ય અને શૈલક વગેરે મુનિપતિઓ શત્રુંજયતીર્થ ઉપર મોક્ષ પામ્યા છે. તેથી આ તીર્થ અતિવંદનીય છે અને નામગ્રહણ માત્રથી પણ પ્રબળ કર્મનાં મર્મને ભેદનારું છે.
બારમા ઉદ્ધારક
પાંડવો
આ તરફ શ્રી નેમિનાથ પ્રભુ પાસેથી શત્રુંજયગિરિનું માહાત્મ્ય સાંભળીને પાંડવોએ પોતાનાં જન્મને સાર્થક કરવા માટે તે તીર્થની યાત્રા કરવાનો મનોરથ કર્યો. તે વખતે તેમના પિતા પાંડુએ સ્વર્ગમાંથી આવીને પ્રીતિથી કહ્યું કે, ‘હે વત્સો ! આ તમારો મનોરથ સારા પરિણામવાળો થશે, માટે તમે શુદ્ધ હૃદયથી પુંડરીકગિરિની યાત્રા કરો, તેમાં પુણ્યવાન એવા તમને હું સહાય કરીશ.' પિતાની આવી આજ્ઞા થવાથી પાંડવોએ પ્રસન્ન થઇને યાત્રાને માટે સર્વ રાજાઓને નિયંત્રણ કર્યું. એટલે તે સર્વ રાજાઓ હર્ષ પામી ઘણી સમૃદ્ધિ અને બહુ પરિવાર સાથે લઇને હસ્તીનાપુર આવ્યા. પાંડવોએ તેમનો સારો સત્કાર કર્યો. પછી શુભદિવસે મણિમય પ્રભુના બિંબયુક્ત સોનાના દેવાલયને સંઘની આગળ રાખીને સૈન્ય અને વાહનો સહિત તેમણે હસ્તિનાપુરથી પ્રયાણ કર્યું.
માર્ગમાં સાધર્મિકવાત્સલ્ય, ગુરુ, જ્ઞાન અને દેવની પૂજા તથા જીર્ણ ચૈત્યોનો ઉદ્ધાર કરતા કરતા તે પાંડવો સિદ્ધગિરિજી તરફ ચાલ્યા. સુરાષ્ટ્ર દેશના સીમાડા સુધી સામા આવીને પ્રીતિવાળા પાંડવોને યાદવો સહિત કૃષ્ણ આનંદથી મળ્યા. ત્યાંથી આગળ ચાલતાં તીર્થની સમીપે આવીને તેઓએ વિધિપૂર્વક તીર્થપૂજા અને સંઘપૂજા કરી. હર્ષથી શત્રુંજયગિરિ ઉપર ચડ્યા. મુખ્ય શિખરને અને રાજાદની વૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરીને સુ૨-અસુરોએ પૂજેલી પ્રભુની પાદુકાને તેમણે પ્રણામ કર્યા. પછી કૃષ્ણે અને યુધિષ્ઠિરે વરદત્ત ગુરુની સાથે હર્ષપૂર્વક યુગાદિ પ્રભુના ચૈત્યમાં પ્રવેશ કર્યો. ત્યારે પાષાણોની સંધિ શિથિલ થવાથી જેમાં તૃણાંકુર ઊગેલા છે, એવું જીર્ણ શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૦૭
Page #329
--------------------------------------------------------------------------
________________
ચૈત્ય અને ચૈત્યની મધ્યમાં ભગવંતનું બિંબ પણ તેવું જ જીર્ણ થયેલું જોઇને બંને ધાર્મિક વીરો અતિદુઃખથી ખેદ પામ્યા.
- કૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું, “જુઓ, આપણે રાજય ઉપર હોવા છતાં કાળનાં માહાભ્યથી આ તીર્થ કેવું જીર્ણ થઈ ગયેલું છે ?” તે સમયે અકસ્માતુ સ્વર્ગમાંથી પાંડુદેવે આવીને પ્રસન્ન દૃષ્ટિએ કહ્યું, “હે કૃષ્ણ ! તમે સર્વ કાર્યમાં પરિપૂર્ણ પરાક્રમી છો, સારી બુદ્ધિવાળા તમે પૂર્વે રેવતાચલનો ઉદ્ધાર કરીને ફળ મેળવ્યું છે, તો મારા પુત્રને આ પુંડરીકગિરિના ઉદ્ધારનું ફળ આપો.' કૃષ્ણ પ્રસન્ન થઇને કહ્યું, “હે પાંડુદેવ ! તેમાં તમારે પ્રાર્થના શા માટે કરવી પડે ? કેમ કે તમારા પુત્ર પાંડવો તે અમે છીએ અને અમે તે પાંડવો છે. અમારામાં પહેલેથી પરસ્પર કાંઇપણ અંતર નથી.” પછી પ્રસન્ન થયેલા તે પાંડુદેવ કૃષ્ણના ચિત્તની પ્રશંસા કરતા યુધિષ્ઠિરને એક મણિ આપીને વેગથી અંતર્ધાન થઈ ગયા.
ત્યારબાદ ધર્મસૂનુએ આનંદ પામી કારીગરો બોલાવીને શાશ્વત ચૈત્ય જેવું શ્રી આદિનાથ પ્રભુનું મોટું ચૈત્ય કરાવ્યું. પછી પારિજાત વૃક્ષની શાખાનો એક શંકુ કરીને પાંડુદેવે આપેલો મણિ ભગવંતની પ્રતિમાના હૃદય ઉપર સ્થાપિત કર્યો. પછી સુગંધી દ્રવ્યોથી શિલ્પીઓની પાસે પાંડવોએ પ્રભુનું નવું બિંબ કરાવ્યું. ધર્મકુમારે શ્રી વરદત્ત ગણધરે આપેલા શુભ લગ્નમાં પ્રભુનાં ચૈત્યની અને બિંબની તેમની જ પાસે પ્રતિષ્ઠા કરાવી. પછી પ્રભુને માટે અલંકારોનો સમૂહ રચાવ્યો અને પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરી. ચૈત્ય ઉપર ધર્મના પરમ લક્ષણરૂપ મહાધ્વજ ચડાવ્યો. હર્ષથી યાચકોને ઇચ્છા પ્રમાણે દાન દીધું અને ચતુર્વિધ સંઘની પૂજા કરી. પછી ઇન્દ્રોત્સવ કરી, ચામર છત્ર પ્રભુની આગળ ધરી, પ્રભુની આરતી ઉતારીને ધર્મપુત્રે પુષ્કળ દાન આપ્યું. એવી રીતે ધર્મકુમાર સર્વ ધર્મકાર્ય કરીને અનુમોદન કરતાં સર્વ રાજાઓની સાથે ગિરિરાજ ઉપરથી ઉતર્યા.
ત્યાંથી ચંદ્રપ્રભાસ તીર્થક્ષેત્રમાં જઇને શ્રી ચંદ્રપ્રભુની અને રૈવતગિરિ ઉપર શ્રી નેમિનાથ પ્રભુની વિધિથી પૂજા કરી. ત્યાર પછી અર્બુદાચલ, વૈભારગિરિ અને સમેતશિખર તીર્થ પર તેઓ ગયા. ત્યાં ચોવીશે તીર્થંકર દેવોની પૂજા કરવા દ્વારા તેમણે ઉપાસના કરી. આવી રીતે સંઘપતિનું સર્વ કર્તવ્ય કરી પુણ્યથી પવિત્ર હૃદયવાળા તેઓ અનુક્રમે દ્વારિકામાં આવ્યા. દ્વારિકામાં કૃષ્ણને મૂકી તેમણે કરેલો સત્કાર ગ્રહણ કરી, સર્વ રાજાઓને વિદાય કરીને પાંડવો પોતાના નગરમાં આવ્યા. આ રીતે પાંડવોએ શત્રુંજય મહાતીર્થનો ઉદ્ધાર કર્યો.
(ઇતિ દ્વાદશમો ઉદ્ધાર:) શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૦૮
Page #330
--------------------------------------------------------------------------
________________
પ્રધુમ્નકુમારનાં શ્રી નેમિનાથ ભગવંતને ભાવવંદન :
અહીં દ્વારિકામાં કૃષ્ણ પોતાના વાસગૃહમાં જિનેશ્વરનું ધ્યાન કરતા રહેવા લાગ્યા. એક વખતે તેમણે પોતાના પુત્રોને કહ્યું, ‘જે પ્રાતઃકાળે શ્રી નેમિનાથ પ્રભુને પહેલો નમવા જશે, તેને હું ઇષ્ટ અશ્વ આપીશ.' તે વાત પ્રદ્યુમ્ન અને પાલકે સાંભળી. તેથી પાલક તો સૂર્ય ઊગ્યા પહેલાં નેમિનાથ પ્રભુને વંદના કરી પાછો આવીને ઊભો રહ્યો અને પ્રદ્યુમ્ન તો પોતાના આવાસમાં રહીને જ શ્રી નેમિનાથ પ્રભુને ભાવ નમસ્કાર કર્યા. પછી કૃષ્ણે જઇને શ્રી નેમિનાથ પ્રભુને પૂછ્યું કે, ‘હે સ્વામી ! આજે આપને પ્રથમ કોણે નમસ્કાર કર્યા ?’
શ્રી નેમિનાથ પ્રભુએ કૃષ્ણને કહ્યું, ‘પ્રદ્યુમ્ન પહેલાં નમસ્કાર કર્યા.' પાલક અહીં પ્રથમ આવ્યા છતાં તે ન આવ્યો સમજવો. કેમ કે પ્રદ્યુમ્ન રાત્રિમાં જવાથી જીવહિંસા થાય તે પાપથી ભય પામીને આવ્યો નહોતો અને પાલક તો અશ્વના લોભથી નિઃશૂકપણે અહીં આવ્યો હતો. હે કૃષ્ણ ! માત્ર કાયાથી ક્રિયાનું સાચું ફળ મળતું નથી. ભાવની પ્રધાનતા છે, માટે ભાવથી ફળ પ્રાપ્ત થાય છે.
ત્યારબાદ કૃષ્ણે પૂછ્યું એટલે શ્રી નેમિનાથ પ્રભુએ જીવતત્ત્વને અંગે ફરમાવ્યું, ‘હે કૃષ્ણ ! આ સંસારમાં ચોરાશી લાખ જીવાયોનિ છે. તેમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાંચ સ્થાવર અને છઠ્ઠા ત્રસ જીવો છે. પૃથ્વી આદિ (એકેન્દ્રિય), ત્રણ વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય એ ચાર મળી ચૌદ જીવભેદ પણ થાય છે. તેમની કુલ સંખ્યા વિવિધ પ્રકારની જાણવી. શક્તિ મુજબ તે જીવોની જયણા કરવી જોઇએ. તે સાંભળી કૃષ્ણ વર્ષાઋતુમાં પોતાના રાજકુલમાં જ રહેતા, જીવહિંસાના ભયથી બહાર નીકળતા નહીં. તે સમયે સામંતસહિત રાજાઓ અને લોકો કહેવા લાગ્યા કે, ‘હમણાં હિર (કૃષ્ણ) સૂતા છે, એમ ચોમાસા માટે લોકોમાં રૂઢિ પ્રવર્તી.'
દ્વારિકાનો અંત :
એક વખત નેમિનાથ પ્રભુ સહસાવનમાં સમવસર્યા. ત્યાં આવી કૃષ્ણે તેમને નમસ્કાર કર્યા અને પૂછ્યું કે, ‘હે પ્રભુ ! આ દેવ નિર્મિત દ્વારિકાપુરી અને વૈભવશાળી યાદવો પોતાની મેળે નાશ પામશે કે બીજાથી નાશ પામશે ?'
પ્રભુ બોલ્યા, ‘શાંબ વગેરે તમારા પુત્રો મદિરાપાન કરી દ્વૈપાયનને મા૨શે એટલે તે કોપ કરીને દ્વારકાપુરીને બાળી નાંખશે અને તમારા મોટાભાઇ જરાકુમારના હાથથી તમારું પણ મૃત્યુ થશે.’
૧. અહીં મૂલ ગ્રંથમાં પ્રદ્યુમ્નના નામનો ઉલ્લેખ છે, પણ પરંપરા પ્રમાણે તથા અન્યત્ર શાંબકુમારનું નામ આવે છે.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૦૯
Page #331
--------------------------------------------------------------------------
________________
પ્રભુનાં આવાં વચન સાંભળી અંતરમાં ખેદ પામતા કૃષ્ણ દ્વારિકાપુરીમાં ગયા. જરાકુમારે કૃષ્ણની રક્ષા માટે દૂર જઇને વનમાં નિવાસ કર્યો. લોકોના કહેવાથી તે હકીકત સાંભળીને તૈપાયન ત્યાંથી બીજે ઠેકાણે ચાલ્યો ગયો અને કૃષ્ણ નગરમાંથી બધી મદિરા (દારૂ) લઇને પર્વતની ગુફાઓમાં કુંડમાં નખાવી દીધી. તે મદિરા કાદંબરી નામની ગુફામાં રહેવાથી કેટલાક કાલે કાંઠા ઉપર રહેલા ઝાડના સુગંધી પુષ્પોનો સમૂહ પડવાથી, ગંધ માત્રથી પણ અતિ મદ કરનારી થઈ પડી.
એક વખતે શાંબકુમાર ફરતો ફરતો તે તરફ પહોંચ્યો અને તેની ગંધથી તેમાં લોલુપ થઇ અતૃપ્તપણે તેનું પાન કરીને તેણે તેનું સુંદર પ્રકારે વર્ણન કરવા માંડ્યું, જેથી બીજા કુમારોએ પણ તે મદિરાનું પાન કર્યું. પછી તેના નશામાં ફરતા તે બધા એક ગિરિની ગુફામાં આવ્યા, ત્યાં તૈપાયન ઋષિને ધ્યાન કરતા જોયા એટલે “આ દ્વૈપાયન આપણી નગરીને બાળી નાંખીને યાદવોનો નાશ કરવાનો છે, માટે તેને જલ્દી અહીં જ મારી નાંખો, જેથી તે હણાયા પછી આપણને શી રીતે હણશે ?” આ પ્રમાણે શાબના કહેવાથી સર્વ કુમારો ક્રોધાતુર થઇ, લાકડીઓથી અને મુઠિઓથી તેને ખૂબ કુટી નગરીમાં ચાલ્યા ગયા.
આ વૃતાંત સાંભળી કૃષ્ણ ખેદ પામીને તે જ વખતે બલભદ્રની સાથે ત્યાં જઈ દ્વૈપાયનને શાંત કરવા ખૂબ પ્રયત્ન કર્યો. ત્યારે દ્વૈપાયને કહ્યું, “હે કૃષ્ણ ! આ તમારી પ્રાર્થના વૃથા છે, કેમ કે પ્રથમ જ્યારે મને મારની પીડા થઈ, ત્યારે મેં દ્વારિકા બાળવાનું નિયાણું કરેલું છે, તેથી તમારા બે સિવાય બધા અગ્નિથી બળી જશે. માટે હવે વધારે કરગરવાની જરૂર નથી.' તેનાં વચન સાંભળીને, “જે થવાનું હશે, તે અન્યથા થશે નહીં.” એવું વિચારી કૃષ્ણ ત્યાંથી ચાલ્યા ગયા અને તપસ્વી દ્વૈપાયન મૃત્યુ પામીને નિયાણાનાં પ્રભાવે અગ્નિકુમારમાં દેવ થયો. બીજે દિવસે કૃષ્ણ દ્વારિકામાં એવી ઉદ્ઘોષણા કરાવી કે, “ભાવિ અનિષ્ટનો નાશ કરવા માટે સૌએ ધર્મમાં તત્પર રહેવું.' લોકો તે સાંભળીને ધર્મ કરવા લાગ્યા.
આ બાજુ શ્રી નેમિનાથ પ્રભુ વિહાર કરતા રૈવતાચળ તીર્થ ઉપર સમવસર્યા. તે સમાચાર સાંભળીને કૃષ્ણ પુત્રો સહિત ત્યાં આવી પ્રભુને વંદના કરી. પ્રભુના મુખથી મોહને નાશ કરનારી વાણી સાંભળીને પ્રદ્યુમ્ન અને શાંબ વગેરે કુમારોએ તથા બીજા ઘણાએ દીક્ષા લીધી. રૂક્મિણી તથા જાંબવતી વગેરે ઘણી યાદવોની સ્ત્રીઓએ ચારિત્ર લીધું અને બીજા કેટલાકે શુભ ભાવનાથી દેશવિરતિ ધર્મ સ્વીકાર્યો. પછી કૃષ્ણ પૂછ્યું, “હે સ્વામી ! મારી નગરીનો દાહ કયારે થશે ?' પ્રભુએ કહ્યું, આજથી બાર વર્ષે રોષ પામેલો તે દ્વૈપાયન અસુર તમારા નગરને બાળી નાંખશે.”
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૩૧૦
Page #332
--------------------------------------------------------------------------
________________
તે સાંભળી કુષ્ણ મનમાં ખેદ પામીને પોતાની નગરીમાં ગયા અને સૂર્યની જેમ અજ્ઞાનરૂપી અંધકારને ટાળનારા શ્રી નેમિનાથ પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. • દ્વૈપાયન અસુર દ્વારા દ્વારકાદહન :
આ બાજુ દ્વારિકામાં કૃષ્ણની આજ્ઞાથી સર્વ પ્રજાજનો વિશેષપણે ધર્મમાં ઉદ્યત થયા અને પેલો દ્વૈપાયન દેવ પણ પોતાનો લાગ જોવા લાગ્યો. એ પ્રમાણે બાર વર્ષ વ્યતીત થઈ ગયા, એટલે સર્વ લોકો તપ કરવામાં કંટાળી ગયા. મદ્ય-માંસ ખાવા લાગ્યા અને સ્વેચ્છાચારી થઈ ગયા. એ સમયે પેલો તૈપાયન અસુર દ્વારિકાનગરીમાં અનેક પ્રકારના ઉત્પાતો કરવા લાગ્યો. તેણે વંટોળિયો વિકર્વીને તૃણ અને કાષ્ટોને તેમજ મનુષ્યોને ઉછાળી ઉછાળીને નગરીમાં નાંખ્યા. પછી સાઠ કુળ કોટી બહાર રહેનારા અને બોંતેર કુળ કોટી નગરીમાં રહેનારા એ સર્વે યાદવોને નગરીમાં ભેગા કરીને તે અસુરે દ્વારિકાપુરીમાં અગ્નિ સળગાવ્યો. તે સમયે નગરીની બહાર જવાને અશક્ત થવાથી લોકોએ ધન અને ઘરની સાથે પ્રાણને પણ છોડી દીધા. અર્થાત્ મૃત્યુ પામ્યા. વસુદેવ, દેવકી અને રોહિણી સમાધિ વડે અનશન કરી અગ્નિના ઉપઘાતથી મરણ પામીને દેવપણુ પામ્યા. દેવતાના કહેવાથી બલરામ તથા કૃષ્ણ નગરીની બહાર નીકળી દ્વારિકાની બહાર રહેલા જીર્ણ ઉદ્યાનમાં આવી ઊભા રહીને પોતાની નગરીને બળતી જોવા લાગ્યા. ત્યાંથી તેઓ પાંડવોની પાંડુમથુરા તરફ ચાલી નીકળ્યા. નગરીમાં રહેલા લોકો સહિત દ્વારિકાનગરી છ માસ સુધી અગ્નિથી બળી પછી સમુદ્રનું પાણી તેના પર ફરી વળ્યું. • શ્રીકૃષ્ણનું મૃત્યુ :
પાંડુમથુરા તરફ જતાં માર્ગમાં હસ્તિકલ્પ નામના નગરમાં બલભદ્ર ભોજન લેવા માટે ગયા, ત્યાંનો રાજા અચ્છેદત - ધૃતરાષ્ટ્રનો પુત્ર હતો અને દુર્યોધનનો ભાઈ હતો. તેણે બલભદ્રને ઘેરી લીધો. તે વખતે બલભદ્ર સિંહનાદ કર્યો, તે સિંહનાદથી બલભદ્રને કષ્ટમાં જાણીને કૃષ્ણ ત્યાં આવ્યા અને સૈન્યસહિત અચ્છંદત રાજાને જીતી લઇને બલભદ્રને છોડાવ્યા. પછી તે નગરીની બહાર જઈને તેઓએ ભોજન કર્યું. ત્યાંથી આગળ ચાલતાં કૃષ્ણ તૃષાતુર થયા, તેથી જળ લેવા માટે બલભદ્રને મોકલ્યા અને પોતે એક વૃક્ષની નીચે વસ્ત્ર ઓઢીને સૂઈ ગયા. તે સમયે કૃષ્ણનો બંધુ જરાકુમાર કે જે દ્વારિકા ત્યજીને બાર વર્ષથી જંગલમાં રહી, શિકાર કરીને નિર્વાહ કરતો હતો, તેણે વસ્ત્ર ઓઢીને સૂઈ રહેલા કૃષ્ણને દૂરથી મૃગ માની બાણ માર્યું. બાણ પગમાં લાગતાં જ ઊઠીને કૃષ્ણ બોલ્યા કે, “મને છળથી કોણે બાણ માર્યું? માટે જેણે બાણ માર્યું હોય તે પોતાનું નામ અને ગોત્ર સત્વર જણાવો.”
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૧૧
Page #333
--------------------------------------------------------------------------
________________
તે સાંભળીને વૃક્ષની પાછળ રહેલા જરાકુમારે કહ્યું કે, “હું જરાદેવીનો કુમાર જરાકુમાર છું, અને કૃષ્ણની રક્ષા માટે હું આ વનમાં બાર વર્ષથી રહું છું. અહીં કોઈ માણસ ક્યારે પણ મારા જોવામાં આવ્યો નથી, તેથી મારા બાણના ઘાતથી પીડાયેલો તું કોણ છે ? જે સત્ય હોય તે કહે.'
તે સાંભળી કૃષ્ણે કહ્યું, “ભાઈ જરાકુમાર ! અહીં આવ. જેને માટે તું વનવાસી થયો છે, તે હું કૃષ્ણ છું. તારો વનમાં રહેવાનો બધો પ્રયાસ વૃથા થયો છે. જે ભાવી થવાનું હતું, તે સત્ય થયું છે. તેમાં તારો જરાપણ દોષ નથી. પરંતુ હવે અહીંથી તું સત્વર ચાલ્યો જા, નહીં તો મારા વધના ક્રોધથી બલભદ્ર તને મારી નાંખશે. આ મારું કૌસ્તુભ રત્ન નિશાની તરીકે લઇને તું પાંડવોની પાસે જા અને તેમને આ સર્વ વૃત્તાંત જણાવજે. એટલે તેઓ તને સહાય આપશે.” આ પ્રમાણે કહેવાથી જરાકુમાર ઘણું ખેદ પામતો ત્યાંથી ગયો. તેના ગયા પછી બાણના ઘાતથી અને નરકનું આયુષ્ય બાંધેલું હોવાથી થોડીવાર કૃષ્ણને અશુભ લેશ્યા ઉત્પન્ન થઈ. પોતાનું એક હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તે વેશ્યાથી મૃત્યુ પામીને કૃષ્ણ ત્રીજી નરકે ગયા. • બલભદ્રની દીક્ષા અને સ્વર્ગવાસ :
આ બાજુ બલભદ્ર પાંદડાના પડિયામાં પાણી લઈને ત્યાં આવ્યા. ત્યાં પોતાના અનુજબંધુ કૃષ્ણને તેમણે પૃથ્વી પર સૂતેલા જોયા. “આ સુખે સૂતા છે.' એવી બુદ્ધિથી ક્ષણવાર તો તેઓ એમ જ ઊભા રહ્યા. તેવામાં કૃષ્ણના મુખમાં પેસતી મક્ષિકાઓ જોઇને તે મનમાં દુઃખ પામ્યા. એટલે વારંવાર સ્નેહથી કૃષ્ણને બોલાવવા લાગ્યા, પણ તે બોલ્યા નહીં એટલે હલાવી જોયા, તેથી તેમને મૃત્યુ પામેલા જાણ્યા એટલે બલભદ્ર તત્કાળ મૂચ્છ પામીને રુદન કરવા લાગ્યા. પછી વનમાં ચારે બાજુ દૃષ્ટિ નાખતાં તેના ઘાતકને ન જોયો એટલે તેમણે મોટો સિંહનાદ કરીને વૃક્ષોને અને પ્રાણીઓને કંપાવી દીધા. પછી અપૂર્વ સ્નેહથી કૃષ્ણના શબને સ્કંધ પર ઉપાડીને બલભદ્ર વને વને ભમવા લાગ્યા. વળી ક્ષણવાર નીચે મૂકી મીઠે વચને તેને બોલાવતા એવી રીતે સ્નેહથી મોહ પામેલા બલભદ્ર છ માસ નિર્ગમન કર્યા.
ત્યારબાદ તેનો સારથી સિદ્ધાર્થ જે દેવ થયો હતો, તે ત્યાં આવ્યો. તેણે અતિ ભાંગી ગયેલા રથને સજ્જ કરવાની મહેનત કરીને, પત્થર ઉપર લતા વાવીને અને બળી ગયેલા વૃત્ત પર સિંચન કરી તેને નવપલ્લવ કરવાનો પ્રયત્ન કરી દેખાડીને બલભદ્રને કાંઇક બોધ પમાડ્યો. બલભદ્ર તે તે દષ્ટાંતોથી પોતાના ભાઈ કૃષ્ણને મૃત્યુ પામેલા જાણ્યા. એટલે તે દેવે પોતાનું સ્વરૂપ જણાવ્યું અને કૃષ્ણ ઉપરનો સ્નેહ જે બલભદ્રને મૂંઝવતો હતો તે ત્યજવા બોધ આપ્યો. છેવટે બલભદ્રે તે મોહ ત્યજ્યો અને તે દેવની
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૧૨
Page #334
--------------------------------------------------------------------------
________________
સાથે સિંધુસંગમ તીર્થમાં અગ્નિ અને કાસ્ટથી કૃષ્ણના દેહનો તેમણે અગ્નિસંસ્કાર કર્યો. તે વખતે શ્રી નેમિનાથ ભગવંતે મોકલેલા એક ચારણમુનિ ત્યાં આવ્યા. તેમણે પ્રતિબોધ આપીને બલભદ્રને દીક્ષા દીધી. પછી બલભદ્ર મુનિ તુંગિકા શિખર ઉપર ગયા.
ત્યાં બલરામમુનિ માસક્ષમણાદિ તપ કરવા લાગ્યા અને પારણા માટે એક નગરમાં ગયા. ત્યાં કૂવાકાંઠે પાણી ભરવા આવેલ કોઇ સ્ત્રીએ તેમનાં રૂપથી મોહિત થઇ તેમની જ સામું જોઈ રહીને ઘડાની શંકાએ પોતાના બાળકના ગળામાં દોરડું નાંખીને તેને કૂવામાં નાંખવા માંડ્યો. તે જોઈને પોતાના દેહથી તેઓ ઉદ્વેગ પામ્યા અને “હવેથી મારે કોઈ વખત પણ નગરમાં પેસવું નહીં એવો અભિગ્રહ ધરીને ત્યારથી તેઓ વનમાં જ રહેવા લાગ્યા. વનમાં રહીને તપશ્ચર્યા કરતા એ બલરામમુનિની સમતાના પ્રભાવથી સિંહ-વ્યાધ્રાદિક ક્રૂર પ્રાણીઓએ પણ પોતાની દુષ્ટતા ત્યજી દીધી. એક મૃગ પૂર્વભવના સંબંધથી તેમની પાસે આવીને હંમેશાં શિષ્યની જેમ હર્ષપૂર્વક તેમની ઉપાસના કરવા લાગ્યો.
એક વખતે કોઈ રાજાના કાર્યને માટે એક રથકાર ત્યાં આવ્યો. તેની પાસે બલરામમુનિ મૃગની પાછળ પાછળ ચાલતા પારણાને માટે ગયા. રથકાર તેમને જોઇને ઘણો જ ખુશી થયો અને પોતાના આત્માને ધન્ય માનવા લાગ્યો. પછી તેણે શુદ્ધ અન્નથી બલભદ્રમુનિને વહોરાવ્યું. રથકારનું દાતાપણું અને મુનિનું સત્પાત્રપણું ભક્તિથી અનુમોદતો તે મૃગ નેત્રમાં હર્ષાશ્રુ લાવી નીચું મુખ રાખીને જોતો હતો. તે વખતે અકસ્માત્ અધું છેદાયેલું એક વૃક્ષ તે ત્રણેય ઉપર પડ્યું, તેથી તે ત્રણે સમકાળે મૃત્યુ પામીને બ્રહ્મકલ્પમાં પદ્મોત્તર વિમાનમાં દેવો થયા. જે તુંગીશિખર ઉપર રામમુનિએ તપ કર્યું હતું તે શિખર તેમના સંયોગથી સર્વ પાપને ધોવામાં સમર્થ એવું મહાતીર્થ થયું. એ ‘તુંગી ગિરિ' મહાપ્રભાવિક છે. ત્યાં જઈને જે ત્રિકાલ ભક્તિથી નેમિનાથ પ્રભુને નમે છે, તે ત્રણ ભવમાં જ મુક્તિસુખ પામે છે. • શાંબ - પ્રધુમ્ન વગેરેનું નિવણ ?
આ બાજુ પ્રદ્યુમ્ન, શાંબ વગેરે યાદવકુમાર મુનિઓ વિધિપૂર્વક નેમિનાથ પ્રભુની આરાધના કરતા હતા, તેમને પ્રભુએ કહ્યું કે, “તમે શ્રી સિદ્ધાચલ તીર્થ ઉપર જાઓ. ત્યાં ધ્યાન ધરતાં તમને મુક્તિ પ્રાપ્ત થશે.” પ્રભુની વાણી સાંભળી સાડાઆઠ ક્રોડ મુનિઓની સાથે શાંબ અને પ્રદ્યુમ્ન મુનિ પ્રભુને નમીને હર્ષથી શત્રુંજય તીર્થે આવ્યા અને તેની દક્ષિણ તરફ જઈ તે જ ગિરિના સાતમા શિખર ઉપર આવીને પ્રભુના ધ્યાનમાં લીન થઇને તેઓ રહ્યા. ત્યાં તેઓ કેવળજ્ઞાન પામ્યા અને સર્વ અઘાતી કર્મોને ખપાવી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૧૩
Page #335
--------------------------------------------------------------------------
________________
મુક્તિ પામ્યા. સદ્ભદ્ર નામના શિખર ઉપર એ રીતે સાડા આઠ ક્રોડ મુનિઓ મુક્તિ પામ્યા છે, તેથી તે શિખર ત્યાં જનારા પ્રાણીઓનાં દુષ્ટ મનનું દહન કરે છે. • પાંચે પાંડવોને વૈરાગ્ય - સંયમ ગ્રહણ :
આ બાજુ જરાકુમાર પાંડવોની પાસે આવ્યો અને કૃષ્ણ આપેલ કૌસ્તુભમણિ બતાવીને દ્વારિકાનાં દહન વગેરેનો વૃત્તાંત જણાવ્યો. તે સાંભળી પાંડવો શોકાતુર થયા. ત્યારે સર્વજ્ઞ એવા શ્રી નેમિનાથ પ્રભુએ તરત જ પાંડવોના બોધને માટે ધર્મઘોષ નામના મહામુનિને પાંચસો મુનિઓની સાથે ત્યાં મોકલ્યા. પાંડવોએ પણ પરિવારની સાથે તેમની દેશના સાંભળી. પછી તેઓએ ધર્મઘોષ મુનિને નમીને આદરથી પોતાના પૂર્વભવો પૂછુયા, એટલે મુનિએ જ્ઞાન વડે જાણીને તેઓના પૂર્વભવો જણાવ્યા. • પાંડવોના પૂર્વભવ :
આસન્નચલ નામે નગરમાં પૂર્વે સુરતિ, શાંતનુ, દેવ, સુમતિ અને સુભદ્રક એવા નામના પાંચ ભાઇઓ કૃષિકાર હતા. ત્યાં દારિદ્રતા વડે તમે બધાએ સંસારથી ઉદ્વેગ પામીને યશોધર મુનિના વચનથી દીક્ષા ગ્રહણ કરી. પહેલા મુનિએ કનકાવલી, બીજાએ રત્નાવલી, ત્રીજાએ મુક્તાવલી, ચોથાએ સિંહનિકેતન અને પાંચમા મુનિએ વર્ધમાન તપ એમ જુદાં જુદાં તપ કર્યા. અનુક્રમે ઘણા કર્મ ક્ષય કરી અનશન વડે મૃત્યુ પામી, અનુત્તર વિમાનમાં દેવ થયા. ત્યાંથી ચ્યવીને તમે અહીં પાંડુ રાજાના પુત્રો પાંચ પાંડવ થયા છો અને આ ભવમાં જ તમે મુક્તિ પામશો.
આ પ્રમાણે પોતાના પૂર્વભવ સાંભળી સંવેગથી પાંડવોએ અભિમન્યુના પુત્ર પરીક્ષિતને રાજય ઉપર સ્થાપન કરીને ધર્મઘોષ ગુરુની પાસે દીક્ષા લીધી. કુંતી અને દ્રિૌપદીએ પણ દીક્ષા લીધી. દીક્ષા સ્વીકાર્યા બાદ પાંચે પાંડવો વિવિધ અભિગ્રહ ધારીને તપશ્ચર્યા કરવા લાગ્યા.
આ બાજુ દ્વારિકા નગરીનો દાહ થયા પછી યાદવોએ પરીક્ષિત રાજાને સાથે લઈ મહાનેમિના પુત્ર મેહિનીમલ્લને સૂર્યપુરમાંથી લાવી રૈવતાચલની નીચે રહેલા ગિરિદુર્ગ (જૂનાગઢ) નગરના રાજ્ય ઉપર તેનો અભિષેક કર્યો. પછી પરીક્ષિત રાજા હર્ષથી શત્રુંજય અને ઉજ્જયંત તીર્થની યાત્રા કરી પોતાના નગરમાં આવ્યો.
નેમિનાથ પ્રભુ અનુક્રમે પૃથ્વીને પવિત્ર કરતા ઢંકાપુરમાં આવ્યા. ત્યાં ધૂમકેતુ નામના બ્રાહ્મણને પ્રતિબોધ કર્યો અને અભ્રપુરમાં દુષ્ટ વૈતાલ શંકબ ને અસારા નામની દુષ્ટદેવી સાથે પ્રતિબોધ આપીને તેને સમ્યક્ત્વથી વાસિત કર્યો. કોરંટક વનમાં પ્રાણીઓનો ઘાત કરનાર કર્કોટક નાગ અને સિદ્ધવડમાં રહેલા સિદ્ધનાથ યોગીને પ્રતિબોધ કર્યો. નાગરકોટમાં નાગ નામના અસુરને અને ઇન્દ્રકીલગિરિમાં ઇન્દ્રકેતુ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૧૪
Page #336
--------------------------------------------------------------------------
________________
નામના અધમ વિદ્યાધરને પણ સમ્યગ્દર્શનનું દાન કર્યું. દેવગિરિમાં દુર્ગાદિત્યને જૈનતત્ત્વનો જ્ઞાતા ર્યો અને બ્રહ્મગિરિમાં બ્રહ્મનાથ તાપસને પ્રતિબોધ કર્યો. બીજા પણ ઘણા લોકો, ભિલ્લો, મ્લેચ્છો, પાપીઓ, વનેચરો અને પક્ષીઓને પ્રભુએ પ્રતિબોધ પમાડ્યો. તેથી જેઓ તીર્થનો નાશ કરનારા હતા, તેઓ પણ ઉલટા તીર્થના પ્રભાવક થયા અને નેમિનાથ પ્રભુની કૃપાથી તે સર્વ સદ્ગતિ પામ્યા. • શ્રી નેમિનાથ પ્રભુનું નિર્વાણ :
આ પ્રમાણે આર્ય, અનાર્ય દેશોમાં વિહાર કરતા શ્રી નેમિનાથ પ્રભુનો ચોવીસ હજારને સાતસો સાધુઓ, ચાલીસ હજાર સાધ્વીઓ, એક લાખ, ઓગણસિત્તેર હજાર શ્રાવકો અને ત્રણ લાખને ઓગણચાલીશ હજાર શ્રાવિકાઓ, આટલો પરિવાર હતો. પોતાનો નિર્વાણ સમય નજીક જાણી શ્રી નેમિનાથ પ્રભુ રૈવતાચલ તીર્થ ઉપર આવ્યા. ત્યાં પ્રભુએ અંતિમ દેશના આપી, જેથી કેટલાયે ભવ્યજીવોએ પ્રતિબોધ પામી દીક્ષા સ્વીકારી. ત્યારબાદ પ્રભુએ પાદપોપગમ અનશન અંગીકાર કર્યું અને અષાઢ માસની શુક્લ અષ્ટમીએ ચિત્રા નક્ષત્રમાં શૈલેશી ધ્યાન વડે પ્રભુ પાંચસોને છત્રીસ સાધુઓની સાથે મોક્ષે ગયા. એ સમયે આસન ચલિત થવાથી સર્વે ઇન્દ્રો શોક કરતા ત્યાં આવ્યા. પછી ઇન્દ્રોએ મળીને નિર્વાણ મહોત્સવ કર્યો. કલ્પવૃક્ષનાં કાષ્ઠોથી શ્રી અરિષ્ટનેમિ પ્રભુનાં અને બીજા મુનિઓનાં દેહનો અગ્નિસંસ્કાર કર્યો અને ત્યાંથી ઈન્દ્રો નંદીશ્વર દ્વિીપમાં જઇ અઠ્ઠાઈ ઉત્સવ કરીને પોતપોતાના સ્થાનકે ગયા. • પાંડવોનું શત્રુંજય તીર્થ પર સિદ્ધિગમન :
દીક્ષા લઇને વિહાર કરતાં પાંડવોએ હસ્તિકલ્પ નગરમાં લોકોની પાસેથી શ્રી નેમિનાથ પ્રભુનું નિર્વાણ સાંભળ્યું, તેથી શોક કરતાં તેઓ પુંડરીકગિરિ મહાતીર્થ ઉપર આવ્યા. ત્યાં તેમણે અનશન ગ્રહણ કર્યું. અનુક્રમે વીશક્રોડ મુનિઓ અને કુંતી માતાની સાથે ઘાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી પાંડવો મોક્ષે ગયા. પાંડવો મોક્ષે ગયા પછી બીજા બે હજારને પાંચસો મુનિઓ પણ અનંત ચતુષ્ટને પામી મોક્ષે ગયા. ઘણાં પુણ્યવાળા દ્રૌપદી સતી પાંચમાં દેવલોકમાં ગયા અને બીજા કેટલાક મુનિઓ મોક્ષે અને સ્વર્ગે ગયા. • નારદની મુક્તિ :
આ બાજુ શ્રી નેમિનાથ પ્રભુ પાસેથી દ્વારિકા દાહના અને યાદવોના ક્ષયના ખબર સાંભળી હૃદયમાં દુઃખ પામતા નારદ શત્રુંજયગિરિ ઉપર આવ્યા. ત્યાં પોતાના અવિરતિપણાની નિંદા કરતા અને યુગાદીશ પ્રભુને નમસ્કાર કરતા નારદ તે જ શિખર ઉપર, ત્યાં જ પાંચમી ગતિ (મોક્ષ) પામ્યા.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૧૫
Page #337
--------------------------------------------------------------------------
________________
આ રીતે ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં મળીને એકાણું નારદો આ શત્રુંજયગિરિની ઉપર સિદ્ધિને પામ્યા છે. રામ પ્રમુખ ત્રણ ક્રોડ રાજર્ષિઓ આ ગિરિરાજ ઉપર આવી શ્રી યુગાદિપ્રભુના ધ્યાનથી કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા છે. આ મહાતીર્થમાં અસંખ્ય ઉદ્ધારો, અસંખ્ય પ્રતિમાઓ અને અસંખ્ય ચૈત્યો થયેલા છે.
હે ઇન્દ્ર આ રીતે શત્રુંજયગિરિરાજનાં માહાભ્યને અનુસરીને રૈવતગિરિરાજનું માહાભ્ય કહ્યું. હવે બાકીના ઉદ્ધારની વાત શુદ્ધ મનથી તું સાંભળ !
શત્રુંજયનો મહિમા • સવારે ઉઠીને શત્રુંજયની સ્તુતિ કરવાથી સર્વ પાપોનો નાશ થાય. અન્ય
તીર્થોને વિષે હજારો યાત્રા કરવાથી જેટલું પુણ્ય થાય તેટલું પુણ્ય આ
તીર્થની યાત્રા કરવાથી થાય. (ઉપદેશ પ્રસાદ) • તીર્થોદ્દભાવના તથા તીર્થોન્નતિના કારણે શત્રુંજય ઉપર જેવો તેવો સંયમી
પણ પૂજનીક છે. (શત્રુંજય માહા.) • ભરત ચક્રવર્તીએ જિર્ણોદ્ધાર કરાવ્યા પછી ૧૦ લાખ ખેચરોએ એવો
અભિગ્રહ કર્યો કે અમો સર્વદા અહીં જિન પૂજા કરશું. (પુંડરીક ચરિત્ર) • દેવદત્ત જ્યારે પુંડરીક ગણધરના હાથે સંયમ લે છે તે વખતે તેમની સાથે
૧૦,૦૦૦ જૈન શ્રાવકો સંયમ લે છે. • ભરત ચક્રવર્તીએ શત્રુંજયની તળેટીમાં ૨૨ યોજનાના વિસ્તારવાળું
પાંચ કરોડ ઘરો વસાવીને નગર બનાવેલું. તેમાં ૨૫ લાખ જિનાલયો, પાંચ લાખ પૌષધશાળા અને પાંચ કરોડ બ્રાહ્મણો શ્રાવકો વસાવેલા.
(પુંડરીક ચરિત્ર) • પાર્શ્વનાથ ભ.ના ભાઈ હસ્તિસેને સંઘ કાઢેલ તે વખતે રાયણ વૃક્ષમાંથી
દૂધ ઝરેલ. • ૫00 વર્ષ પહેલાં દેવમંગલ મણિએ ચંદનતલાવડી પાસે અઠમ કરેલ
તે વખતે કપર્દિ યક્ષે આદિમનાથની રત્નમય પ્રતિમા બનાવે. તેથી ત્રીજા
ભવે મોક્ષે ગયેલ. ૧. ભગવાન શ્રી મહાવીર પ્રભુ, સૌધર્મઇન્દ્રને ઉદ્દેશીને શત્રુંજય મહાતીર્થનું માહાભ્ય ફરમાવી રહ્યા છે, એ સંબંધ ચાલુ છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૧૬
Page #338
--------------------------------------------------------------------------
________________
પાંચમો પ્રસ્તાવ
શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચારિત્ર | આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વાણારસી નામે શ્રેષ્ઠ નગરી છે. તે નગરીમાં અશ્વસેન નામે રાજા હતા. તેમને વામા નામે રાણી હતી. એક વખત તે વામા રાણી રાત્રિના ચોથા પહોરે સુખશયામાં સૂતાં હતાં. તે સમયે ઉત્તમ સુખની ખાણરૂપ ચૌદ સ્વપ્નો જોયા. ત્યારે ચૈત્રમાસની શુક્લ ચતુર્થીએ પ્રાણત દેવલોકમાંથી ચ્યવીને પાર્શ્વજિનેશ્વરનો જીવ વામા રાણીના ગર્ભમાં ઉત્પન્ન થયો. તે કાળે ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યો.
ગર્ભસમય પૂર્ણ થતાં પોષ માસની કૃષ્ણ દશમીએ સર્ષના લાંછનવાળા અને નીલવર્ણવાળા પુત્રને વામાદેવીએ જન્મ આપ્યો. પ૬ દિકુમારી દેવીઓએ અને ૬૪ ઇન્દ્રાદિ દેવોએ પ્રભુનો જન્મ મહોત્સવ કર્યો. બીજે દિવસે સવારે અશ્વસેન રાજાએ પણ હર્ષ ધરીને પોતાના વૈભવ પ્રમાણે પુત્ર જન્મનો ઉત્સવ કર્યો. જ્યારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાએ પાર્થ(પડખે)થી પસાર થતાં સર્પને જોયો હતો. તેથી પિતાએ તેમનું “પાર્થ” એવું નામ પાડ્યું. તારૂણ્યવયમાં પાર્શ્વકુમાર પિતાના આગ્રહથી નરવર્મરાજાની પુત્રી પ્રભાવતીને પરણ્યાં. • નાગ થયો ધરણેન્દ્ર :
એકવખત શ્રી પાર્શ્વનાથ પ્રભુએ મિથ્યા તપમાં રક્ત કમઠ નામના તાપસને કાઇમાં બળતો સર્પ બતાવી ધર્મનો બોધ કર્યો. અગ્નિજવાલાથી આકુલ - વ્યાકુલ થયેલા સર્પને પ્રાણ ત્યજતી વખતે શ્રી પાર્શ્વનાથ પ્રભુના દર્શન થવાથી અને પાર્થપ્રભુના સેવક દ્વારા નવકાર સાંભળવાથી દેવપણું પ્રાપ્ત થયું. તે ધરણ નામે પાતાલપતિ નાગેન્દ્ર થયો.
આ પ્રસંગ બનવાથી હિંસામિશ્ર કુધર્મને આચરનાર કમઠની લોકો નિંદા કરવા લાગ્યાં. તેથી શ્રી પાર્શ્વનાથ ઉપર રોષ કરતો કમઠ મૃત્યુ પામીને મેઘમાળી નામે અસુર થયો. અનુક્રમે ત્રીશ વર્ષ સંસારીપણે પસાર કરીને લોકાંતિક દેવો દ્વારા વિનંતી કરાયેલાં પ્રભુ સંવત્સરી દાન આપી દીક્ષા લેવા ઉત્સુક થયાં. પોષ માસની કૃષ્ણ – એકાદશીએ દિવસના પ્રથમ ભાગે પ્રભુએ અઠ્ઠમ તપ કરીને ત્રણસો રાજાઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. તે વખતે પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. • કલિકુંડ તીર્થ :
બીજે દિવસે કોપકટક નામના નગરમાં ધન્ય નામનાં ગૃહસ્થનાં ઘેર પ્રભુએ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૧૭
Page #339
--------------------------------------------------------------------------
________________
પરમાત્રથી પારણું કર્યું. ત્યાંથી વિહાર કરતાં પ્રભુએ કલિગિરિમાં કુંડ જેવા સરોવરનાં કાંઠે કાદંબરી અટવીમાં કાયોત્સર્ગ કર્યો. ત્યાં મહીધર નામે એક હાથી જળ પીવા માટે આવ્યો. પ્રભુને જોતાં તેને પૂર્વભવનું સ્મરણ થવાથી તે પ્રભુની સેવા કરવા આવ્યો. ત્યાં પ્રભુને ન જોવાથી તે મૂચ્છ પામી ગયો. તે રાજાને મૂચ્છિત જોઈ તેની પ્રીતિને માટે દેવતાઓએ ત્યાં પ્રભુની નવ હાથ પ્રમાણ પ્રતિમા સ્થાપન કરી. અંગદેશના રાજાએ હર્ષ પામીને ત્યાં મોટો પ્રાસાદ કરાવ્યો. મહીધર હસ્તી કાળયોગે મૃત્યુ પામીને વ્યંતર દેવ થયો. તે દેવ અને બીજા દેવતાઓ તે પ્રતિમાનું ધ્યાન કરનારા પુરુષોની મનોકામના પૂરવા લાગ્યા. ત્યારથી એ તીર્થ કલિકુંડ એવા નામે વિખ્યાત થયું. તેથી કલિગિરિમાં તે કુંડને કાંઠે રહેલી જગતસ્વામી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાના જે દર્શન કરે છે અને પ્રીતિથી પૂજે છે તેનું સર્વ પ્રકારનું ઇચ્છિત થાય છે. • અહિચ્છત્રા નગરી :
એ પછી પાર્શ્વનાથ પ્રભુએ શિવપુરીના કૌશાંબક નામના વનમાં કાયોત્સર્ગ ર્યો. ત્યાં ધરણેન્દ્ર પ્રભુને વંદન કરવા આવ્યા. આ પ્રમાણે કરવાથી મારો ભવતાપ નાશ પામશે. એવું ધારી નાગેન્દ્ર પ્રભુની ઉપર આતપ નિવારે તેનું પોતાની ફણાનું છત્ર કર્યું અને તેના અંતઃપુરની સ્ત્રીઓએ આવીને પ્રભુની આગળ સંગીત કર્યું. ત્યારથી તે નગરી અહિચ્છત્રા નામે પ્રસિદ્ધ થઈ. “જ્યાં જ્યાં મહાપુરુષો વિચરે છે તે તે સ્થલો પ્રખ્યાતિ પામે છે.”
ત્યાંથી પ્રભુ રાજપુરમાં કાયોત્સર્ગ કરીને સ્થિર રહ્યાં. ત્યાં રાજા ઈશ્વરે આવીને અતિ હર્ષથી પ્રભુને વંદન કર્યું તથા પોતાનો પૂર્વભવ જાણીને રાજાએ ત્યાં મોટો પ્રાસાદ કરાવ્યો. તેમાં ઇશ્વર રાજાએ પોતાના પૂર્વભવની કૂકડાની મૂર્તિ કરાવી. તેથી એ તીર્થ કુર્કટેશ્વર નામથી પ્રખ્યાત થયું. તે તીર્થની નજીકમાં રહેલા દેવો તે તીર્થનું સાંનિધ્ય કરે છે અને તે તીર્થ ધ્યાન કરનારા પ્રાણીઓનાં મનોરથ પૂરે છે. • કમઠાસુરનો ઉપસર્ગ અને ધરણેન્દ્રની ભક્તિ :
ત્યાંથી આગળ ચાલતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ કોઇ નગરની પાસેના તાપસના આશ્રમની નજીક કાયોત્સર્ગ ધરીને રહ્યાં. તે સમયે કમઠ અસુર ત્યાં આવી છલ શોધીને પ્રભુને ઉગ્ર ઉપસર્ગો કરવા લાગ્યો. દીપડો, હાથી, સિંહ, વેતાળ, સર્પ અને વીંછીના ઉપસર્ગથી જયારે પ્રભુ ક્ષોભ પામ્યા નહીં ત્યારે તેણે આકાશમાં મેઘ વિકવ્યો. વૃક્ષોને ઉખેડી નાંખતો, પાષાણોને ઉડાડતો, દુઃસહ વાયુ વા વા લાગ્યો અને વિદુર્વેલો મેઘ પ્રભુને ક્ષોભ કરવા માટે મહાનિષ્ફર ગર્જના અને વિજય સાથે પોતાની ધારાઓથી વર્ષવા લાગ્યો. તેથી અંધકારની જેમ સર્વ તરફ પ્રસરેલું જળ ખાડાઓમાં, ખીણોમાં,
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૧૮
Page #340
--------------------------------------------------------------------------
________________
નદીઓમાં અને ઝરાઓમાં ન સમાવા લાગ્યું. જેમ જેમ મેઘમાં ઉત્પન્ન થતું તેજ, વીજળી અને જળ પ્રસરવા લાગ્યા, તેમ તેમ પ્રભુનો ધ્યાનરૂપી દીપક વૃદ્ધિ પામવા લાગ્યો. ચારે બાજુ જળનું પૂર પ્રસરી રહ્યું અને વધતું જતું તે જળનું પુર પ્રભુની નાસિકા સુધી આવ્યું. છતાં પણ પ્રભુ ધ્યાનથી જરા પણ ચલિત થયા નહીં.
એ સમયે ધરણેન્દ્રનું આસન કંપાયમાન થયું. તેથી તેણે અવિધજ્ઞાન વડે જોયું અને પ્રભુનો ઉપસર્ગ જાણી મનમાં ઘણો ખેદ પામ્યો. તત્કાળ પરિવાર સહિત ત્યાં આવીને સર્પનું શરીર ધારણ કરી તે ધરણેન્દ્ર પ્રભુની ઉપર પોતાની ફણાનું છત્ર કર્યું અને બીજી ફણા વડે પ્રભુને પૃથ્વીથી ઉંચા રાખી પોતાની ઉપર ધારણ કર્યા. તે સમયે તેની ઇન્દ્રાણીઓ પ્રભુની પાસે સંગીત કરવા લાગી. દ્વેષરહિત અને સમવૃત્તિવાળા પ્રભુએ તે સમયે ધરણેન્દ્ર તથા કમઠ ઉપર સમભાવ રાખ્યો. ધરણેન્દ્ર આવ્યા છતાં પણ મેધમાલી વૃષ્ટિના ઉપદ્રવથી વિરામ પામ્યો નહીં. ત્યારે ધરણેન્દ્રે ક્રોધથી પોતાના સેવકોને મેઘમાલીનો નાશ કરવાની આજ્ઞા કરી. તેથી મેઘમાલી નાસીને તત્કાળ પ્રભુના શરણે આવ્યો અને મેઘનો સમૂહ સંહરી લઇને ભક્તિથી બોલ્યો, ‘હે સ્વામી ! મે અજ્ઞાનથી આપને જે કષ્ટ આપ્યું તે માટે ક્ષમા કરો ! હે સ્વામી ! આજથી હું આપનો દાસ છું.
આ પ્રમાણે તે કમઠ, ધરણેન્દ્રની જેમ પાર્શ્વનાથ પ્રભુનો સેવક થઇને રહ્યો અને ત્યારથી ધરણેન્દ્રની અનુમતિથી તે સંઘના સર્વ વિઘ્નોનો નાશ કરવા લાગ્યો. પછી પ્રભુને નમસ્કાર કરીને તેઓ પોતપોતાનાં સ્થાનકે ગયા અને સ્વયં તીર્થના આશ્રયરૂપ પ્રભુએ ત્યાંથી બીજે વિહાર કર્યો.
અનુક્રમે પ્રભુ કાશીનગરીના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં ધાતકી વૃક્ષની નીચે ચૈત્રમાસની શુક્લચતુર્થીએ દીક્ષાથી ચોરાશીમાં દિવસે પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થયું. સુર-અસુરોએ આવીને રચેલા સમવસરણમાં જગત્પ્રભુએ દેશના આપી. તે સાંભળી અશ્વસેન વગેરે રાજાઓએ અને વામાદેવી, પ્રભાવતી વગેરે સ્ત્રીઓએ પ્રતિબોધ પામીને દીક્ષા લીધી. હસ્તિસેન પ્રમુખ કેટલાંક રાજાઓએ અને તેમની સ્ત્રીઓએ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું. આર્ય(શુભ)દત્ત વગેરે દશ ગણધરો થયા. પછી સ્થાને સ્થાને પોતાનાં ચરણોથી તીર્થ નિષ્પન્ન કરતાં, અતિશયોથી શોભતા પ્રભુ ત્યાંથી પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. અનુક્રમે પ્રભુ તીર્થરાજ શ્રી શત્રુંજયગિરિવર પર આવ્યાં. ત્યાં ભવ્ય પ્રાણીઓને તે તીર્થનો મહિમા જણાવ્યો કે ભવ્યજીવો... ! આ ગિરિરાજ અનાદિ સંસારરૂપ સમુદ્રમાંથી તારનારો છે. તે શુદ્ધભાવથી જ પ્રાપ્ત થાય છે. અભવ્ય જીવો તેનું દર્શન કે તેનો સ્પર્શ પણ કરી શકતા નથી. આ આખો ગિરિરાજ તીર્થમય છે.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૧૯
Page #341
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં શ્રીમુખે સાંભળીને ગિરિરાજના મહિમાની અનુમોદના કરતાં કેટલાક જીવોએ સમ્યક્ત્વને, કેટલાંક જીવોએ દ્વાદશવ્રત અને કેટલાંક જીવોએ ચારિત્ર અંગીકાર કર્યું. પ્રભુની દેશનાને સાંભળી કેટલાંક સર્પ, નોળિયા, હાથી અને મૃગ આદિ જીવો પ્રતિબોધ પામી, સમતાનો આશ્રય કરી, તે ગિરિરાજ પર સદ્ગતિ પામ્યા. ત્યારપછી પ્રભુ રૈવતગિરિ આદિ તીર્થોમાં વિહાર કરી પુનઃ કાશીના ઉદ્યાનમાં આવીને સમવસર્યા. તેમના ભાઈ હસ્તિસેને આવી પ્રભુને નમસ્કાર કર્યો.
તે સમયે પરમ કૃપાળુ પ્રભુએ તેમને તારવા માટે દેશના ફરમાવી. શત્રુંજયગિરિ, સુરપતિ એવા અહંતની પૂજા, સંઘપતિનું પદ, સદગુરૂ, સમકિત, શીલ અને સમતા એ શિવસુખને આપનારું સપ્તક છે.” અનંત ભવમાં થયેલાં દુષ્કૃત્યનો નાશ કરનાર અને સિદ્ધિપદરૂપ શાશ્વતગિરિ શત્રુંજય તીર્થાધિરાજ સદા સેવવાયોગ્ય છે. જિનનું પૂજન કરવાથી પ્રાણીઓના કર્મસમૂહનો વિનાશ થાય છે. તીર્થકર નામ કર્મને ઉપાર્જન કરાવનાર, સંઘપતિ પણ આદરણીય છે. સદ્ગર, સમ્યક દર્શન આપનાર છે. મિથ્યાત્વથી મોહિત એવો જીવ આ સંસારમાં ત્યાં સુધી જ ભમે છે કે જ્યાં સુધી સમ્ય દર્શનનો તે સ્પર્શ કરતો નથી. જેનાથી અગ્નિ જળ થાય, સઘળાં વિષો અમૃત થાય, સર્પ રજુ થાય અને દેવતા દાસ થઈ જાય તેવું શીલ પ્રાણીઓએ અવશ્ય સેવવા યોગ્ય છે અને સ્વાભાવિક વૈરને ધારણ કરનારા પ્રાણીઓ પણ વૈર વગરના થઇને પરસ્પર મિત્રતા અનુભવે છે. આથી સિદ્ધિસુખનું કારણ એવી સમતા સદા સેવવા યોગ્ય છે. આ સાત વસ્તુઓ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. • શ્રી હસ્તિસેન રાજાને પ્રાપ્ત થયેલ સંઘપતિપદ :
આ પ્રમાણે દેશના સાંભળીને હસ્તિસેન રાજાએ ભક્તિથી ઉઠી, પ્રભુને નમી, અંજલી જોડીને, હર્ષપૂર્વક પ્રભુ પાસે સંઘપતિ પદની પ્રાર્થના કરી. તત્કાળ પ્રભુએ ઇન્દ્ર લાવેલો વાસક્ષેપ તેના મસ્તક પર નાંખી તેને સંઘપતિ પદ પર પ્રતિષ્ઠિત કર્યો.
તે જ સમયે હસ્તિસેન રાજા સંઘની સાથે દેવાલયને આગળ કરી પૂર્વકાળે થઈ ગયેલા સંઘપતિઓની જેમ માર્ગમાં જિનેશ્વર દેવની અને ગુરુદેવની પૂજા કરતો ચાલ્યો. અનુક્રમે શત્રુંજયગિરિરાજ ઉપર આવી નદીઓમાંથી જળ લઇને મહોત્સવપૂર્વક પ્રભુનું સ્નાત્ર કર્યું. શિખરે શિખરે ચૈત્યો કરાવ્યાં અને વિશેષ પ્રકારે સંઘની પૂજા કરી. ત્યાંથી ચાલતાં ચંદ્રપ્રભાસતીર્થમાં, શ્રી શૈલમાં અને ગિરનાર મહાતીર્થમાં પણ અહંત પ્રભુને નમી, સ્તવના કરીને તેણે પાંચ પ્રકારનાં દાન આપ્યાં. સાત ક્ષેત્રોમાં દ્રવ્ય વાવતી વખતે તે હસ્તિસેન રાજા અનુક્રમે ચર્તુવિધ ધર્મનું પાલન કરતાં
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૩૨૦
Page #342
--------------------------------------------------------------------------
________________
પાછા વળતાં માર્ગમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને નમીને પુનઃ કાશીનગરીમાં આવ્યો. ત્યાં તેણે અનેક ચૈત્યો બંધાવ્યાં.
શ્રી પાર્શ્વનાથ પરમાત્માનો પરિવાર અને મોક્ષગમન :
પૃથ્વી પર વિહાર કરતાં પ્રભુને વીશ હજારને નવસો સાધુઓ, આડત્રીસ હજાર સાધ્વીઓ, એક લાખ ચોસઠ હજાર શ્રાવકો અને ત્રણ લાખને સિત્યોતેર હજાર શ્રાવિકાઓનો સ્વહસ્તે ધર્મ પામેલો પરિવાર હતો. અનુક્રમે સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પાર્શ્વનાથ પ્રભુ સમેતશિખરે પધાર્યા. ત્યાં એક માસના અનશનથી નિઃશેષ કર્મનો ક્ષય કરી, તેત્રીશ મુનિઓની સાથે અષાઢ માસની શુક્લ અષ્ટમીએ અનુરાધા નક્ષત્રમાં પાર્શ્વનાથ પ્રભુ મોક્ષે પધાર્યા. હસ્તિસેન રાજા પણ પોતાનાં પુત્ર મહારથનાં શિરે રાજ્યભાર મૂકી, દીક્ષા લઇ શત્રુંજયગિર ઉપર મુક્તિ પામ્યાં.
શ્રી મહાવીર પ્રભુ ઇન્દ્રને કહે છે, ‘હે ઇન્દ્ર ! આ અવસર્પિણી કાળમાં અત્યાર સુધી આ તીર્થમાં સિદ્ધિપદ પામેલા મુનિઓ અને તીર્થોદ્ધાર કરનારા સંઘપતિઓ જે થઇ ગયા છે. તેઓમાંના મુખ્ય મુખ્ય મેં તને કહી બતાવ્યાં. હવે મારા પછીના દુઃષમ પંચમકાળમાં જે થનારા છે તે પુણ્યશાળીઓનું વર્ણન મારી પાસેથી ભાવપૂર્વક તું સાંભળ.
આ શત્રુંજય ગિરિરાજનું ચરિત્ર શ્રોતા અને વક્તાને ત્રણ પ્રકારની શુદ્ધિ વડે બુદ્ધિને વધારનારું, અજ્ઞાનરૂપ અંધકારને ભેદનારું, રોગ, દારિદ્રય, વિષ અને અપમૃત્યુને શમાવનારું, તેમજ સર્વ કર્મને હણનારું છે. તે સાંભળવાથી પ્રાણીઓ મોક્ષ મેળવે છે. • તેરમા ઉદ્ધારક : જાવડશા
રક : જાવડશા .
શ્રી મહાવીર પ્રભુ ઇન્દ્રને કહે છે કે, ‘વૈભારગિર પર અમને વંદન કરવા આવેલાં શ્રેણિકરાજા અમારા વચનથી આ તીર્થની યાત્રા કરીને આ મહાતીર્થ ઉપર અને પોતાના નગરમાં ચૈત્યો કરશે તથા હે ઇન્દ્ર ! અમારા નિર્વાણ પછી ત્રણ વર્ષ અને સાડાઆઠ માસ ગયા પછી પાંચમા આરાનો પ્રવેશ થશે. ત્યાર પછી ચારસો છાસઠ વર્ષ અને પીસ્તાલીશ દિવસે વિકમાર્ક રાજા આ પૃથ્વી પર રાજ્ય કરનારો થશે. તે સિદ્ધસેનસૂરિના ઉપદેશથી અત્યંત પરોપકારી જીવન જીવશે અને સર્વ દેશને ઋણમુક્ત કરશે. તેથી તેના નામનો સંવત્સર પ્રવર્તશે. (અર્થાત્ હમણાં જે વિક્રમ સંવત ચાલે છે તે.)
જાવડશાનું ચરિત્ર :
તે સમયે કાંપિલ્યપુર નામના નગરમાં વ્યાપારીઓમાં શિરોમણી ભાવડ નામે એક શ્રેષ્ઠિ થશે. શીલને ધરનારી ભાવલા નામે તેને સ્ત્રી થશે. શ્રાવકધર્મને પાળતાં તે બંનેના સુખમાં દિવસો પસાર થશે. પછી અચાનક અશુભના ઉદયથી તેના ઘરમાંથી શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૨૧
Page #343
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મી ચાલી જશે. દ્રવ્ય જવા છતાં તેમાંથી સત્ત્વ કદી જશે નહીં. ‘પુરુષોને મનવાંછિત સર્વ ક્રિયા સત્ત્વથી જ સાધ્ય થાય છે.' અલ્પ (સામાન્ય) વેષ ધરનારો, અલ્પ (નાના) ગૃહમાં રહેનારો અને અલ્પ દ્રવ્યવાળો થવા છતાં ભાવડ ધર્મમાં અનલ્પ ભાવ ધરીને નાની દુકાન કરીને દ્રવ્ય ઉપાર્જન કરશે. દરરોજ ત્રિકાલ જિનપૂજન ગુરુમહારાજને વંદન અને બંને સંધ્યાએ પ્રતિક્રમણ કરતો હશે.
એક વખત કોઈ મુનિઓ વિહાર કરતાં તેને ઘેર આવી ચડશે. ત્યારે ભાવલા શ્રાવિકા તેઓને દ્રવ્ય મળવા સંબંધી પ્રશ્ન કરશે. તેઓમાંથી એક મુનિ જ્ઞાનથી જાણીને તેને કહેશે કે, “આજે એક ઘોડી વેચાવા આવશે તે ખરીદવી. તેનાથી તમને બહુ ધનની પ્રાપ્તિ થશે.' આ કથન સાવદ્ય છે. તો પણ પરિણામે બહુ શુભનું હેત હોવાથી અમે કહ્યું છે. કેમ કે તે દ્રવ્યથી તમારો પુત્ર શત્રુંજય મહાતીર્થનો ઉદ્ધાર કરનારો થશે.”
મુનિનાં આવાં વચન સાંભળીને ભાવલા ઘેરથી હાટે આવીને ઘોડી વેચનાર પુરુષને જોઈને પોતાના પતિને મુનિનું વચન કહેશે. એટલે ભાવડ કેટલાંક રોકડ અને કેટલાંક ઉધાર દ્રવ્યથી તે ઘોડીને ખરીદશે. અનુક્રમે સગર્ભા થયેલી તે ઘોડી સમય આવતાં સર્વલક્ષણોથી લક્ષિત અશ્વ કિશોરને જન્મ આપશે. તે અશ્વ કિશોર ત્રણ વર્ષનો થતાં લોકોના કહેવાથી રાજાની સ્પૃહાનું પાત્ર થશે. પછી તપન નામે રાજા ઉત્સુક થઈ પોતે જ ભાવડને ઘેર આવી ત્રણ લાખ દ્રવ્ય આપીને તે અશ્વ લઈ જશે. ભાવડ તે દ્રવ્યથી ઘણી ઘોડીઓનો સંગ્રહ કરશે. તે ઘોડીઓ તેવા તેવા અશ્વરત્નોને પ્રસવનારી થવાથી અશ્વો અનુક્રમે શુભલક્ષણવાળા થશે. • ભાવને મધુમતી નગરીની પ્રાપ્તિ :
તે સમયે વિક્રમ રાજાને સર્વના અધિપતિ જાણી ભાવડ તે એકવર્તી ઘોડાઓને લઇને વિક્રમ રાજા પાસે જઈ, તેને ભેટ કરશે. તેની અપૂર્વ ભેટથી વિક્રમ રાજા સંતોષ પામીને તેને સૌરાષ્ટ્ર દેશમાં બીજા બાર નગર સાથે મધુમતી (મહુવા) નગરી ભેટ આપશે. તેથી સામૈયાપૂર્વક ભાવડ શ્રેષ્ઠી લોકોના વૃંદથી અને અશ્વોના સમૂહથી પરિવરેલો પોતાની મધુપુરીમાં પ્રવેશ કરશે. તે જ સમયે તેની સ્ત્રી ભાવલા શુભલક્ષણથી પરિપૂર્ણ એક પુત્રને જન્મ આપશે. પુત્ર જન્મની વધામણી સાંભળીને ભાવડ દીનજનોને પુષ્કળ દાન આપી, દયા વડે સંતુષ્ટ કરશે. પછી ભાવડ તે પુત્રનું પોતાના ગોત્રને મળતું જાવડ એવું નામ પાડશે.
એક વખત નિમિત્તિયાએ બતાવેલા શુદ્ધ પૃથ્વી ભાગ ઉપર પોતાના વૈભવના ઉદયથી ભાવડ તે પુત્રના નામથી એક નગરી વસાવશે. “પુણ્યથી ઇષ્ટ ફળ થાય છે અને પુણ્યને આપનારા જિનેશ્વરો છે. તેમાં પણ મહાવીર ભગવંત નજીકનાં
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૨૨
Page #344
--------------------------------------------------------------------------
________________
ઉપકારી છે. આ પ્રમાણે વિચારીને તે નગરીમાં ભાવડ મારો એક પ્રાસાદ કરાવશે અને ધર્મધ્યાન કરવાના ઉદ્દેશથી તેની પાસે એક પૌષધાગાર રચાવશે. જાવડ અનુક્રમે યૌવનવયવાળો થતાં સ્ત્રીનાં લક્ષણ જાણવામાં ચતુર એવા પોતાના સાળાને ભાવડ કાંપિલ્યપુરમાં કન્યા શોધવા મોકલશે.
કાંડિત્યપુર જતા માર્ગમાં શત્રુંજયની તળેટીમાં આવેલા ઘેટી ગામમાં તે કોઇક નિમિત્તે એક રાત્રિ નિવાસ કરશે. તે ગામમાં ભાવડની જ્ઞાતિનો શૂર નામે એક વણિક રહેતો હશે. તેને સુશીલા નામે પુત્રીરત્ન હશે. જાણે સરસ્વતીના વરદાનવાળી તે બાળાને જોઇને ભાવડનો સાળો વિસ્મય પામશે. નિમિત્તને જાણનારો તે કન્યાને બોલાવીને તેનું ગોત્ર અને નામ વગેરે જાણી લેશે. પછી કોઈ માણસ દ્વારા તેના પિતા શૂર વણિકને બોલાવશે. યોગ્ય એવી ભેટ લઈ શૂર વણિક ત્યાં આવીને નમસ્કાર કરશે. ભાવડનો સાળો મધુર વાક્યથી તેને પોતાના ભાણેજ જાવડને માટે યોગ્ય એવી તે કન્યાની માંગણી કરશે. પોતાની અશક્તિથી શૂર વણિક તે સમયે નમ્ર વદનનો થઈ જશે. તેવામાં કન્યા પોતે જ આ પ્રમાણે કહેશે કે, “જે કુલવાન પુરુષ મારા ચાર પ્રશ્નનો બરાબર ઉત્તર આપશે તે માટે યોગ્ય પતિ થશે. અને જો તેવો પતિ નહીં મળે તો હું અપરિણિત અવસ્થામાં તપશ્ચર્યા કરીશ. તેની આવી વાણી સાંભળી હર્ષ પામેલો જાવડનો મામો તે કન્યાને કુટુંબ સાથે લઇને સત્ત્વર મધુમતીનગરીમાં આવશે.
તેનું આગમન સાંભળીને ભાવડ સ્વજનને લઇ પુત્રની સાથે અમારાં ચૈત્યમાં આવીને બેસશે અને અંગ પર સર્વ શૃંગારવાળી પોતાના સ્વજનોથી પરવરેલી તે કન્યા પણ ચૈત્યમાં આવશે. પછી મુખને પ્રફુલ્લિત કરતી તે સુશીલા જાવડને કહેશે,
હે ચતુર ! શાસ્ત્રમાં કહેલા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ નામના ચાર પુરુષાર્થનું મારી આગળ વર્ણન કરો.”
તે સાંભળી જાવડકુમાર ધીર-ગંભીર ધ્વનિ વડે ઉત્તર આપશે. ચારે પુરુષાર્થનો યથાર્થ નિર્ણય સાંભળી સુશીલા તરત જ જાવડના કંઠમાં વરમાળા પહેરાવશે. ત્યારપછી માતા-પિતા શુભ દિવસે અન્યોન્ય અંત્યત અનુરાગી એવા તે દંપતિનો વિવાહ ઉત્સવ કરશે. • મોગલ દેશમાં જાવડશા :
કેટલોક કાલ ગયા પછી ભાવડ મૃત્યુ પામીને સ્વર્ગમાં જશે. એટલે જાવડ પોતાની નગરીનું ધર્મપૂર્વક પાલન કરશે. પછી દુષમકાળના મહાત્મથી લોકોનું લશ્કર પોતાના બળથી ઘણી ભરતભૂમિ ગ્રહણ કરશે. તેમાં જાવડની નગરી પણ લઈ લેશે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૨૩
Page #345
--------------------------------------------------------------------------
________________
તે મોગલ યવનો ગાયો, ધાન્ય, ધન, બાળકો, સ્ત્રીઓ તથા ઉત્તમ, મધ્યમ અને અધમ જાતના લોકોનું સૌરાષ્ટ્ર, કચ્છ અને લાટ વગેરે દેશોમાંથી અપહરણ કરીને પોતાના દેશમાં લઇ જશે. ત્યાં તે મોગલ લોકો સર્વ વર્ણોને પોતપોતાનાં ચિત કાર્યમાં જોડી, ઘણું દ્રવ્ય આપી પોતાનાં દેશમાં રાખશે. ત્યારે જાવડ શેઠને પણ તે લોકો ત્યાં લઇ જશે. ત્યાં પણ જાવડ શેઠ ઘણું દ્રવ્ય ઉપાર્જન ક૨શે અને આર્યદેશની જેમ ત્યાં પણ પોતાની જ્ઞાતિને એક ઠેકાણે વસાવી ધર્મવાન રહીને અમારું (ભગવાન શ્રી મહાવીર દેવનું) ચૈત્ય કરાવશે.
આર્ય અનાર્ય દેશમાં વિહાર કરતાં મુનીશ્વરો અનુક્રમે તે મોગલોના પ્રદેશમાં આવશે. એટલે આનંદ સહિત જાવડ તેમને વંદન કરશે. ધર્મવ્યાખ્યાનના સમયે સિદ્ધગિરિના મહિમાના ઉદયના પ્રસંગે પાંચમાં આરામાં જાવડ નામે એક તીર્થોદ્ધાર કરનાર થશે... એવું તેઓના મુખેથી સાંભળતાં જાવડ આનંદથી પ્રણામ કરીને મુનિઓને પૂછશે કે, ‘હે ભગવન્ ! જે તીર્થોદ્ધાર કરનાર જાવડ થશે તે હું કે બીજો ? જ્ઞાન ઉપયોગથી જાણીને ગુરુમહારાજ કહેશે કે, જ્યારે પુંડરિકગિરિના અધિષ્ઠાયકો હિંસા કરનાર થશે. મદ્ય-માંસને ખાનારા તે યક્ષો સિદ્ધગિરિની આસપાસ પચાસ યોજન સુધી બધું ઉજ્જડ કરી નાંખશે. કદી કોઇ માણસ તે હદનું ઉલ્લંઘન કરી તેની અંદર જશે. તો તેને મિથ્યાત્વી થયેલો કપ યક્ષ અતિરોષ ધરીને મારી નાંખશે. ભગવાન્ યુગાદિ પ્રભુ પણ અપૂજ્ય રહેવા પામશે. તેવા કટોકટીના સમયમાં તે તીર્થનો ઉદ્ધાર કરનાર ભાગ્યશાળી તું પોતે જ થઇશ. માટે પ્રભુના કહેવાથી બાહુબલિએ કરાવેલા શ્રી પ્રથમ પ્રભુનાં બિંબને તું ચક્રેશ્વરી દેવીની ભક્તિ કરીને તેની પાસેથી માંગી લે.
આ પ્રમાણે તે મુનિવરો પાસેથી સાંભળીને, તેઓને નમી, હર્ષથી જાવડ પોતાનાં ઘરે જઇ તત્કાળ પ્રભુની પૂજા કરીને ચક્રેશ્વરી દેવીનું ધ્યાન કરતો, સમાધિયુક્ત રહીને તપશ્ચર્યા કરશે. એક મહિનાના તપને અંતે ચક્રેશ્વરી દેવી સંતુષ્ટ થઇ, પ્રત્યક્ષરૂપે આવીને તે મહાપુરુષને કહેશે, ‘હે જાવડ ! તું તક્ષશિલાપુરીમાં જા, ત્યાંના રાજા જગન્મલ્લને કહે, એટલે તેણે બતાવવાથી ધર્મચક્રની આગળ તે આર્હત્ બિંબને તું દેખીશ. પછી તું શ્રી શત્રુંજય ગિરિરાજનો ઉદ્ધાર કરીશ.'
શ્રી ચક્રેશ્વરી દેવીનું વચન સાંભળી હૃદયમાં તેમનું જ સ્મરણ કરતો જાવડ તત્કાલ તક્ષશિલા નગરી તરફ જશે અને ઘણાં ભેટણાં વડે ત્યાંના રાજાને સંતોષીને ચક્રેશ્વરી દેવીએ કહેલી પ્રતિમા માટે પ્રીતિથી તેની સમક્ષ પ્રાર્થના કરશે. પછી રાજાની પ્રસન્નતા મેળવીને ધર્મચક્ર પાસે આવીને ભક્તિથી પ્રદક્ષિણા કરીને સમાધિપૂર્વક તેનું પૂજન શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૨૪
Page #346
--------------------------------------------------------------------------
________________
કરશે. પછી થોડા સમયમાં બે પુંડરિકવાળું આદિનાથ પ્રભુનું બિંબ એકદમ પ્રગટ થશે. તે જગત્પતિનાં બિંબને પંચામૃતથી અભિષેક કરી, પૂજા કરી, રથમાં સ્થાપિત કરીને ઉત્સવપૂર્વક તક્ષશિલા નગરીમાં લઈ જશે. પછી રાજાની સહાય મેળવી, ત્યાં રહેલાં પોતાના ગોત્રીઓને સાથે લઇને નિરંતર એકાસણા કરતો જાવડ શત્રુંજય - તીર્થની સન્મુખ તે પ્રતિમાને લઇને ચાલશે. માર્ગમાં સ્થાને સ્થાને ભૂમિકંપ, મહાઘાત, નિર્ધાત અને અગ્નિદાહ વગેરે મિથ્યાત્વી દેવોએ કરેલા વિપ્નસમૂહને ભાગ્યોદયથી ટાળતો અનુક્રમે સૌરાષ્ટ્ર દેશમાં પોતાની નગરી મધુમતીમાં આવી પહોંચશે.
હવે જાવડના પૂર્વે કરિયાણાં ભરીને જે વહાણો તેણે મહાચીણ, ચીણ તથા ભોટ દેશ તરફ મોકલેલ હતા. તે પાછા ફરતાં વાયુથી ભમતાં ભમતાં સ્વર્ણદ્વીપે જશે. અગ્નિના દાહથી ભૂમિમાં સુવર્ણ છે. ખલાસીઓ તે અઢારે વહાણોને સુવર્ણથી ભરશે અને તે વહાણો હેમખેમ મહુવા આવી પહોંચશે. તે વખતે એક પુરુષ તેની પાસે આવીને ખબર આપશે કે નગરીના બહારના ભાગમાં શ્રી વજસ્વામી નામે મહર્ષિ પધાર્યા છે અને એક બીજો પુરુષ પણ આનંદભર્યો આવીને ખબર આપશે કે પ્રથમ મોકલેલાં વહાણો બાર વર્ષે સુવર્ણ ભરીને અહીં આવ્યાં છે. તે બંને ખબર સાંભળી પ્રથમ શું કરવું ? તેના વિચારમાં તેનું ચિત્ત હીંચકા ખાતાં તે નિશ્ચય કરશે કે, પાપથી ઉપાર્જન થનારી લક્ષ્મી ક્યાં ? અને પુણ્યથી જ પ્રાપ્ત થનારા મહાપવિત્ર મુનિ ક્યાં ? માટે પ્રથમ વજસ્વામીજી પાસે જાઉં. • કપર્દીયક્ષનું ચારિત્ર :
આવો વિચાર કરીને તે ધન્યાત્મા જાવડ ઉત્સવપૂર્વક વજસ્વામી પાસે જઈને તેમને વંદન કરશે. પછી તેમની સન્મુખ બેસશે. તેવામાં દિશાઓને પ્રકાશિત કરતો, ત્યાં કોઈ દેવ આકાશમાર્ગે આવીને, વજસ્વામીને નમીને આ પ્રમાણે કહેશે...
હે સ્વામી ! પૂર્વે તીર્થમાન નગરના સ્વામી સુકર્માનો મદ્યપાન કરનારો કપર્દી નામે હું પુત્ર હતો. તે વખતે કૃપાસાગર આપે મને પચ્ચખાણ આપી, શત્રુંજય મહાતીર્થની સ્મૃતિ કરાવી, પંચપરમેષ્ઠીનો બોધ કરી, મદ્યપાનથી થયેલા પાપના ભારથી નરકમાં પડતાં બચાવ્યો. આપની કૃપાથી હું એક લાખ યક્ષોનો સ્વામી કપર્દી યક્ષ થયો છું. માટે તે સ્વામી ! કહો શી આજ્ઞા છે ?
આમ વિનયથી કહીને તે કપર્દી યક્ષ વજસ્વામીની પાસે બેસશે. પછી શ્રુતજ્ઞાનને ધારણ કરનારા વજસ્વામી સિદ્ધગિરિનો પ્રભાવ કહી જાવડને કહેશે, હે...! મહાભાગ...! તું શત્રુંજય મહાતીર્થની યાત્રા કર અને એ તીર્થનો ઉદ્ધાર કર. હું, આ યક્ષ અને તારું ભાગ્ય આ કાર્યમાં તને સહાય કરશે.” તે સાંભળી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૨૫
Page #347
--------------------------------------------------------------------------
________________
જાવડ તત્કાળ ત્યાંથી ઊઠી, વહાણોમાંથી વસ્તુ ઉતારી, મંગલિક કરીને શત્રુંજય મહાતીર્થ તરફ પ્રયાણ કરશે. • મિથ્યાત્વી કપર્દી યક્ષે સંઘમાં કરેલાં ઉપદ્રવો :
પહેલે દિવસે સિદ્ધગિરિનો રક્ષક પૂર્વનો મિથ્યાત્વી યક્ષ સંઘપતિની સતી સ્ત્રી જયમતીના શરીરમાં જવર ઉત્પન્ન કરશે. તે વખતે તપસ્વી આચાર્ય મહારાજ શ્રી વજસ્વામીજી તેનાં પર પોતાની દષ્ટિ માત્ર નાંખીને તેનો પ્રતિકાર કરશે તથા આકાશમાં લાખો યક્ષો સહિત ચાલતો નવો કપર્દી યક્ષ દુષ્ટ દેવતાઓ તરફથી આવી પડતા વિપ્નોને દૂર કરશે. શ્રી વજસ્વામી પણ અસુરોએ ઉત્પન્ન કરેલી વિપ્નોની શ્રેણીને પોતાના પ્રભાવથી દૂર કરશે. અનુક્રમે તે સંઘ આદિપુર પહોંચશે. ત્યારે તે અધમ દેવતાઓ ગિરિરાજને કંપાવશે. એટલે શ્રી વજસ્વામી શાંતિકર્મ કરીને તીર્થજળ, અક્ષત અને પુષ્પો આક્ષેપપૂર્વક પર્વત પર છાંટીને તેને નિશ્ચલ કરશે.
પછી વજસ્વામીએ બતાવેલા શુભ દિવસે ભગવંતની પ્રતિમાને આગળ કરીને દુંદુભિના નાદ સહિત સંઘ ગિરિરાજ ઉપર ચડશે. તે સમયે ત્યાં રહેલા મિથ્યાત્વી દેવતાઓ ભયંકર એવા શાકિની ભૂત, વેતાળ, રાક્ષસોના સમૂહને બતાવશે. વજસ્વામી અને કપર્દી યક્ષ તે વિપ્ન પણ દૂર કરશે. તેથી સકળ સંઘ સુખપૂર્વક ગિરિરાજના શિખર ઉપર પહોંચશે. ત્યાં મડદા, અસ્થિ, ચરબી, રુધિર, ખરી, કેશ અને માંસ વગેરે પદાર્થોથી ખરડાયેલાં તે ગિરિરાજને જોઈ બધાં યાત્રાળુઓ ખેદ પામશે. તે સમયે જાવડ પોતાના માણસો પાસેથી શત્રુંજય નદીનું જળ મંગાવીને તે ગિરિરાજને ક્ષણવારમાં ધોઈને નિર્મળ કરશે.'
ત્યારબાદ અત્યંત જીર્ણ થયેલાં પ્રાસાદોને જોઇ સંઘપતિ જાવડ ઘણો ખેદ પામશે. આ બાજુ રાત્રિ થતાં મિથ્યાત્વી અસુરો રથમાં રહેલી પ્રભુની પ્રતિમાને પર્વત ઉપરથી નીચે ઉતારી દેશે. પ્રાત:કાળે મંગળનાદથી જાગ્રત થયેલો જાવડ પ્રભુની પ્રતિમાને નહીં જોવાથી અત્યંત ખેદ પામશે. પછી વજસ્વામી ઉપયોગ મૂકી તેને નીચે ઉતારેલી જાણી આનંદથી પાછા ઉપર લાવશે. ફરીવાર બીજી રાત્રિએ મિથ્યાત્વી દેવો પ્રતિમાને નીચે ઉતારી દેશે. પ્રાત:કાળે પાછા સંઘના લોકો તેને પર્વત ઉપર લાવશે. આ રીતે એકવીસ દિવસ પસાર થશે પણ બંને પક્ષમાંથી કોઇ ઉદ્વેગ પામશે નહીં.
પછી વજસ્વામી રાત્રિએ કપર્દી યક્ષને અને જાવડને બોલાવીને કહેશે, “હે યક્ષ ! હવે તારી શક્તિનો ઉપયોગ કર અને તારા અનુચરોને સજજ કર અને હે ૧. શ્રી કપર્દી યક્ષ પોતાના સેવક દેવો પાસે જળ મંગાવીને તેને નિર્મળ કરશે. આવું પણ
આવે છે.
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૩૨૬
Page #348
--------------------------------------------------------------------------
________________
સંઘપતિ જાવડ ! તમને સ્ત્રી સહિત આદિનાથ પ્રભુનું હૃદયમાં ધ્યાન ધરી અને પંચપરમેષ્ઠી મહામંત્રનું સ્મરણ કરી, પ્રતિમાના રથની નીચે તેના ચક્રની પાસે પ્રતિમાને સ્થિર કરવા માટે સૂઇ જાઓ. તે મિથ્યાત્વી દેવો સમર્થ છતાં પણ તમને જરાપણ ઉલ્લંઘી શકશે નહીં અને અમે બાળક-સ્ત્રી આદિ સર્વ સંઘ સહિત આદિનાથ ભગવાનનું સ્મરણ કરતાં પ્રાતઃકાળ સુધી કાયોત્સર્ગ કરીને રહીશું. આવા ગુરુમહારાજના વચન સાંભળી સર્વ લોકો પોતપોતાના કાર્યમાં ત્વરા કરશે અને વજ્રસ્વામી ધ્યાનમાં નિશ્ચળ થઇને રહેશે. પછી શબ્દ સાથે ફુંફાડા મારતા તે પાપી અસુરો ત્યાં આવશે પણ ધ્યાનના પ્રભાવથી કોઇ રીતે પ્રવેશ કરી શકશે નહીં. પ્રાતઃકાળે સૂર્યનો પ્રકાશ થશે. એટલે પુણ્ય પ્રકાશક વજસ્વામી ધ્યાન પૂર્ણ કરીને જોશે ત્યારે પ્રતિમાને હેમખેમ દેખશે. તેથી મંગળ વાંજિત્ર વગાડતા સર્વ યાત્રાળુઓ અત્યંત હર્ષથી તે પ્રતિમાજીને પ્રાસાદમાં લઇ જશે. પછી વજસ્વામી, સંઘપતિ, તેની પત્ની, સંઘ સહિત ચૈત્યમાં પ્રવેશ કરી યત્નપૂર્વક સર્વત્ર અશાતના દૂર કરીને આખા ચૈત્યને શુદ્ધ કરશે. પછી દુષ્ટ દેવતાઓના નાશ માટે વજ્રસ્વામી સર્વઠેકાણે, વાસક્ષેપથી મંત્રિત અક્ષતોને નાંખીને શાંતી કરશે.
જાવડશા દ્વારા નવા આદિશ્વર દાદાની પ્રતિષ્ઠા :
આ બાજુ પ્રથમનો જે મિથ્યાત્વી કપર્દી યક્ષ હતો તે કેટલાક અસુરો સહિત અનર્થ કરવાની ઇચ્છાએ કોપ કરીને પ્રથમની મૂર્તિમાં અધિષ્ઠિત થઇ રહેશે. જીર્ણ થયેલી આ મૂર્તિને બહાર કાઢીને સાથે લાવેલી નવીન મૂર્તિને અંદર સ્થાપિત કરું. એવી બુદ્ધિથી જાવડ સંઘપતિ પ્રથમની મૂર્તિ બહાર લઇ લેશે. તે વખતે શ્રી વજ્રસ્વામીએ મંત્રથી સ્થંભિત કરેલો અસુર સમૂહ તેને ઉપદ્રવ કરવાને અશક્ત થઇ દારુણ સ્વરે પોકાર કરશે. તેના ધ્વનિથી સર્વ ખેચરો ભય પામીને દૂર નાસી જશે. પૃથ્વી, પર્વતો સહિત કંપાયમાન થશે. સમુદ્રમાં તરંગો ઉછળશે. એ ગિરિરાજના પણ દક્ષિણ અને ઉત્તરમાં બે વિભાગ થઇ જશે. માત્ર વજસ્વામી, જાવડ અને તેની પત્ની વિના બીજા સર્વે મરેલાની જેમ જમીન પર આળોટતા અચેતન જેવા થઇ જશે. આ પ્રમાણે તે અવસરે ત્યાં સર્વ લોકોની તેવી સ્થિતિ જોઇ વજસ્વામીએ પ્રતિબોધેલો નવો કપર્દી યક્ષ હાથમાં વજ્ર લઇ અસુરોનો અત્યંત તિરસ્કાર કરતો તે અસુરોની ઉપર આક્રમણ કરશે. તેને જોઇ પૂર્વનો કપર્દી યક્ષ ત્યાંથી નાસીને સૌરાષ્ટ્રના દક્ષિણ સમુદ્રના તીર ઉપર આવેલા ચંદ્રપ્રભાસ તીર્થની અંદર જઇ બીજું નામ ધારણ કરીને રહેશે. પછી વજસ્વામી લોકોને શુદ્ધિમાં લાવવા માટે પ્રથમની પ્રતિમાના અધિષ્ઠાયકોને ઉદ્દેશીને શાંત વાણીથી આ પ્રમાણે કહેશે કે, ‘જાવડે લાવેલું શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૨૭
Page #349
--------------------------------------------------------------------------
________________
પ્રભુનું નવીન બિંબ પ્રાસાદની અંદર રહો અને પૂર્વબિંબની સાથે તમે પણ સ્થિર થાઓ. ત્યારબાદ પહેલાં નવા મૂળનાયકના બિંબને નમસ્કાર, સ્નાત્રપૂજા, અભિષેક, ધ્વજ અને આરાત્રિક મંગળ કરીને પછી પૂર્વબિંબને પણ એ પ્રમાણે ક૨શે.
ત્યારબાદ તેઓ કહેશે કે આ મુખ્ય મૂળનાયકની જ આજ્ઞા સદા સ્થિર થાઓ. આ રીતે સ્થાપિત કરેલા મૂળનાયકની મર્યાદાને જે તોડશે તેનાં મસ્તકને કપર્દી યક્ષ ભેદી નાંખશે. આવી શુભ પરિણામવાળી આજ્ઞા કરીને વજસ્વામીજી પૂર્વના સર્વ અધિષ્ઠાયક દેવતાઓને સ્વસ્થ ક૨શે. પછી જય જય ધ્વનિપૂર્વક મંગળ વાંજિત્રોના નાદ સહિત પ્રતિમાનો પ્રતિષ્ઠા મહોત્સવ થશે.
તે વખતે સંઘપતિ જાવડશા સ્ત્રી સહિત ધ્વજા ચડાવવા માટે તે પ્રાસાદના અગ્રભાગ ઉપર ચડશે. તે વખતે ત્યાં રહીને ‘અહો ! આ સંસારમાં હું ધન્ય છું. મારું ભાગ્ય અદ્ભૂત છે. જેથી અન્યને મહાદુષ્કર અને નિર્દોષ એવો તીર્થના ઉદ્ધારનો લાભ મને મળ્યો. તેમાં પણ મારા ભાગ્યથી લબ્ધિવાળા સંસાર સમુદ્રમાંથી તારનારા અને વિઘ્નના સમૂહને હરનારા શ્રી વજસ્વામીજી જેવા મને ગુરુ મળ્યાં. વળી જેનું બાહુબલિએ ધ્યાન કરેલું છે, તે મહાપ્રાભાવિક પ્રભુનું બિંબ મને પ્રાપ્ત થયું. આજે મારો જન્મ સફળ થયો. હવે તો આ સંસા૨વાસ છોડી, જિનધ્યાનમાં પરાયણ થઇ હું સર્વ કર્મ ખપાવવામાં જ પુરુષાર્થ કરીશ.' આ પ્રમાણે જાવડ સંઘપતિ અને તેની સ્ત્રીનું શુભ ભાવનાથી ચિંતન કરતાં અત્યંત હર્ષઉલ્લાસ સહિત આયુષ્ય પૂર્ણ થવાથી હૃદય બંધ પડતાં તેઓ ત્યાં જ મૃત્યુ પામી ચોથા દેવલોકમાં જશે. ત્યાં રહેલાં તીર્થરક્ષાને કરનારા, વ્યંતર દેવતાઓ તે બંનેના ઉત્તમ દેહને લઇને ક્ષીરસાગરમાં નાંખશે. તે જાવડ સંઘપતિ ત્યાં દેવલોકમાં રહ્યો પણ શુદ્ધ મન, વચન, કાયાથી શત્રુંજય મહાતીર્થનું સ્મરણ કરશે અને તીર્થનો મહિમા વિસ્તા૨શે.
આ બાજુ સંઘપતિ જાવડનો પુત્ર જાજનાગ અને સર્વ સંઘ તે બંનેને નહીં જોવાથી ઘણો ખેદ પામશે. પછી ચક્રેશ્વરી દેવી આવીને તેમને હર્ષદાયક વૃત્તાત જણાવી અત્યંત આનંદ પમાડશે. પછી જાજનાગ ગુરુમહારાજનાં કહેવાથી સંઘને લઇને રૈવતાચલ પ્રમુખ તીર્થોએ જઇ જિનેશ્વર દેવોને હર્ષથી વંદન કરશે તથા સર્વ ઠેકાણે ચૈત્યો કરાવીને સર્વ કાર્યોમાં પિતાનો આચાર પાળશે. વિક્રમાદિત્યની પછી એકસો આઠ વર્ષે જાવડ સંઘપતિનો આ રીતે શત્રુંજય મહાતીર્થ ઉપર આ ઉત્તમ ઉદ્ધાર થશે. (ઇતિ ત્રયોદશમો ઉદ્ધાર:)
ત્યારબાદ કેટલોક કાળ ગયા પછી બૌદ્ધ લોકો રાજાઓને બોધ કરી બીજા ધર્મનો લોપ કરાવી જગતમાં પોતાનો ધર્મ સ્થાપન કરી સર્વ તીર્થોને પોતાને આધીન શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૨૮
Page #350
--------------------------------------------------------------------------
________________
બનાવશે. તે અવસરે ચંદ્રગચ્છમાં લબ્ધિસંપન્ન ધનેશ્વર નામે સૂરિ થશે. તે આચાર્ય વલ્લભીપુરના રાજા શિલાદિત્યને પવિત્ર જિનમતનો બોધ પમાડશે. તે સૂરિરાજ શિલાદિત્યની પાસે બૌદ્ધ લોકોને દેશમાંથી કઢાવી તીર્થોમાં શાંતિકર્મ કરાવીને આશાતનાઓને ટાળી, અનેક ચૈત્યો કરાવશે. વિક્રમાદિત્ય પછી ચોરસોને સિત્યોતેર વર્ષે તે ધર્મવદ્ધક શિલાદિત્ય રાજા થશે. ત્યાર પછી આ જૈનશાસનમાં કુમારપાળ, બાહડ, વસ્તુપાળ અને સમરાશા વગેરે ઘણાં પ્રભાવિક પુરુષો થશે.
તે સમયમાં ઘણું કરીને રાજાઓ મ્લેચ્છ જેવા, મંત્રીઓ ધનલુબ્ધ અને લોકો આચારભ્રષ્ટ તેમજ પરવંચક થશે. કેટલાંક ગીતાર્થ સાધુઓ માત્ર લિંગ ધરનારા, કેટલાંક આચારહીન, કેટલાક હીનવિદ્યામાં આદરવાળા અને પવિત્ર વિદ્યામાં અનાદરવાળા થશે. તે અવસરે અન્ય નવા ૧૦૮ પક્ષો જૈનશાસનમાં થશે.
હે ઇન્દ્ર ! મારા નિર્વાણ પછી એક હજાર નવસોને ચૌદ વર્ષો ગયા પછી ચૈત્ર માસની અષ્ટમીને દિવસે વિષ્ટિકરણમાં પાટલીપુત્ર નગરમાં કલ્કી, ચતુર્વત્ર અને રૂદ્ર એવા ત્રણ નામવાળો પ્લેચ્છ પુત્ર રાજા થશે. તે સમયે મથુરાપુરીમાં રામ અને કૃષ્ણનાં મંદિરો અકસ્માત પડી જશે. સાતે ઇતિઓ, સાતે પ્રકારના ભયો, ગંધ તથા રસનો ક્ષય, દુર્મિક્ષ અને રાજવિરોધ તેમજ ક્રોડો ઉત્પાતો થશે. એ કલ્કી છત્રીશ વર્ષનો થશે ત્યારે રાજા થશે. તે નંદરાજાના સુવર્ણના સ્તુપો ખોદાવશે. પછી દ્રવ્યનો અતિશય લોભી થઈ તે કલ્કી તે નગરીને ખોદાવીને પણ ધન ગ્રહણ કરશે. દ્રવ્ય માટે નગરને ખોદાવીને લગ્નદેવી નામે એક શિલામય ધેનુ પ્રગટ થશે. જે મુનિઓને પીડાકારી થશે. કેટલાક મુનિઓ ત્યાંથી અન્યત્ર ચાલ્યા જશે અને કેટલાંક ત્યાં પણ રહેશે.
આ અવસરે કલ્કી રાજા અન્ય લિંગીઓ પાસેથી દંડ લઇ કોપથી જૈન મુનિઓની પાસેથી પણ દંડ માંગશે. એટલે તે નગરીના અધિષ્ઠાયક દેવો બળાત્કારે તેને અટકાવશે. પછી સત્તર અહોરાત્રી સુધી વરસાદ વૃષ્ટિ કરીને તે નગરને ડુબાવી દેશે. તે સમયે કલ્કી રાજા, પ્રાતિપદ નામે સૂરિ અને કેટલાંક સંઘના લોકો ઊંચા સ્થળ પર ચડી જવાથી બચશે અને કેટલાંક જળના પૂર સાથે સમુદ્રમાં તણાઇ જશે. પછી નંદરાજાના દ્રવ્યથી કલ્કી તે નવી નગરી કરાવશે અને પચાસ વર્ષ સુધી ધર્મના યોગે સુકાલ ચાલશે. અવસાનકાલ નજીક આવવાથી દુષ્ટ બુદ્ધિવાળો કલ્કી રાજા ફરી પાછો બીજા પાંખડીઓ દ્વારા જૈન લોકોને ઉપદ્રવ કરાવશે. તે સમયે પ્રાતિપદસૂરિ અને સંઘ કાયોત્સર્ગ કરીને રહેશે. તેથી આસન ચલિત થવાને લીધે ઇન્દ્ર બ્રાહ્મણના રૂપે
ત્યાં આવશે. યુક્તિ-પ્રયુક્તિથી વારતા પણ જયારે કલ્કી વિરામ પામશે નહીં ત્યારે ઇન્દ્રના પ્રહારથી કલ્કી મૃત્યુ પામશે. યાસી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરેલ કલ્કી રાજા
શ્રી શત્રુંજય માહામ્ય સાર ૦ ૩૨૯
Page #351
--------------------------------------------------------------------------
________________
મરીને નરકમાં જશે. પછી ઇન્દ્ર કલ્કીના પુત્ર દત્તને તેના પિતાનાં રાજય પર બેસાડી, આહંદુ ધર્મનો બોધ કરી સંઘને નમીને સ્વસ્થાને જશે.
કલ્કીનો પુત્ર દત્તરાજા ઇન્દ્રની આજ્ઞાથી અને આચાર્ય પ્રાતિપદ સૂરિના કહેવાથી સંખ્યાબંધ જૈન ચૈત્યો કરાવશે. પછી સંઘ અને ગુરુને આગળ કરીને દત્તરાજા શત્રુજંયાદિ તીર્થો ઉપર જઇ યાત્રા અને ઉદ્ધાર કરશે. તે દત્તરાજા ત્રિખંડ ભરતક્ષેત્રમાં દરેક નગરે, ગામે, ખેટે, કબટે, પત્તને, ગિરિએ, તીર્થે અને આર્ય-અનાર્ય દેશમાં સર્વત્ર શ્રી જિનેશ્વર ભગવંતનાં વિશાળ મંદિરો કરાવશે અને સદા અહિંસામાં તત્પર રહીને ગુરુની આજ્ઞા પાળશે. દત્તના રાજયમાં શાંત, દાંત, સદાચારી અને નિર્મળ ચારિત્રમાં સ્પૃહા કરતા ઘણા શ્રેષ્ઠ મુનિવરો થશે. તે સમયે ઇન્દ્રના આદેશથી વરસાદ બરાબર કાળે વર્ષશે અને સાતે પ્રકારની ઇતિઓ શાંત થશે. દત્તરાજાનાં રાજ્યમાં તે સમયે રાજાઓ ન્યાયી, મંત્રીઓ જનહિતકારી અને લોકો સમૃદ્ધિમાનું તેમજ ધાર્મિક થશે. આ રીતે ત્યારપછી પાંચમાં આરાના અંત સુધી નિરંતર જૈનધર્મની પ્રવૃત્તિ રહ્યા કરશે. • પ્રભુએ ફરમાવેલું ભાવિકાલનું સ્વરૂપ અને તીર્થનો મહિમા :
હે ઇન્દ્ર ! દુષમકાલના પ્રભાવથી હવેથી ચોથા આરાની પૂર્ણાહુતિ બાદ લોકો અધર્મી, નિર્ધન, અલ્પાયુષી, રોગી અને કરથી પીડાએલા થશે. રાજાઓ અર્થલબ્ધ અને અતિભયંકર થશે. કુલવાનું સ્ત્રીઓ પણ કુશીલવાળી થશે. ગામડાંઓ સ્મશાન જેવાં દેખાશે. લોકો નિર્લજ્જ, નિર્દય, દેવગુરુનાં નિંદક અને દિનપ્રતિદિન અતિશય રાંક અને હીન સત્ત્વવાળા થશે.
પાંચમા આરાના અંતે આ ભરતક્ષેત્રમાં છેલ્લાં દુઃપ્રસહ નામે આચાર્ય, ફલ્યુશ્રી નામે સાધ્વી, નાગિલ નામે શ્રાવક, સત્યશ્રી નામે શ્રાવિકા, વિમલવાહન રાજા અને સુમુખ નામે મંત્રી થશે. દુ:પ્રસહસૂરિના ઉપદેશથી વિમલવાહન રાજા વિમલગિરિ તીર્થ ઉપર આવી યાત્રા અને ઉદ્ધાર કરશે. તે સમયે લોકો બે હાથ પ્રમાણ કાયાવાળા અને વીશ વર્ષના આયુષ્યવાળા થશે. તેઓમાં કોઇક જ ધર્મી થશે. બાકી પ્રાયઃ ઘણાં અધર્મી થશે. આચાર્ય દુ:પ્રસહ બાર વર્ષ ગૃહસ્થપણામાં રહી આઠ વર્ષ ચારિત્ર પાળી છેવટે અઠ્ઠમનો તપ કરીને કાળ કરી સૌધર્મકલ્પમાં દેવ થશે. તેમનો કાળધર્મ થતાં (પાંચમા આરાના છેલ્લાં) દિવસોના પૂર્વાહકાળે ચારિત્રનો ક્ષય થશે. મધ્યાહન કાળે રાજધર્મનો ક્ષય થશે. પછી તેટલાં જ પ્રમાણનો દૂષમકાળ (છઠ્ઠો આરો) શરૂ થશે. તે સમયે લોકો પશુ જેવા નિર્લજજ, બિલમાં રહેનારા અને જીવવા માટે મત્સ્ય ભક્ષણ કરનારા થશે. તે કાળે શત્રુંજયગિરિ સાત હાથનો થઈ જશે અને પછી ઉત્સપિણ્ કાળમાં પાછો પૂર્વની જેમ વૃદ્ધિ પામવા માંડશે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૩૦
Page #352
--------------------------------------------------------------------------
________________
અનુક્રમે પ્રથમ તીર્થંકર પાનાથ પ્રભુના તીર્થમાં પૂર્વની જેમ તે તીર્થનો ઉદ્ધાર થશે. ઋષભદેવના સ્થાને પ્રભુની મૂર્તિ બિરાજમાન થશે. આ રાજાદની (રાયણ)નું વૃક્ષ પણ થશે. આ પ્રમાણે સકલ તીથમાં શિરોમણી ગિરિરાજ જિનેશ્વર ભગવંતની જેમ ઉદય પામી કીર્તનથી, દર્શનથી અને સ્પર્શથી ભવ્યજીવોને સદા તારનાર રહેશે.
પાપનો ભાર દૂર કરનાર અતિશય પવિત્ર અને અત્યંત કલ્યાણકર, પર્વતોમાં ઇન્દ્ર સમાન આ પુંડરીક ગિરિરાજ સદા જય પામે છે. એક ક્ષણવાર પણ જે ગિરિરાજની છાયામાં રહીને જે દૂર જાય છે. તે ત્યાં પણ શત્રુંજયને નહીં પ્રાપ્ત કરનારા લોકોમાં પુણ્યથી સેવવા યોગ્ય છે. કારણ કે તેણે ગિરિરાજના દર્શન કર્યા છે. સ્પર્શ કર્યો છે. એ ગિરિરાજનાં શિખરો, ગુફાઓ, તલાવો, વનો, જળો, કુંડો, સરિતાઓ, પાષાણો, કૃતિકાઓ અને બીજું જે કાંઈ ત્યાં રહેલું છે તે અચેતન છતાં પણ નિબિડ પાપનો ક્ષય કરે છે.
પ્રભુ શ્રી મહાવીરદેવ ઇન્દ્રને કહે છે, “આ પ્રમાણે આ ગિરિરાજનું અમાપ માહાત્મ યુક્ત ચરિત્ર સહજ માત્ર સંક્ષેપથી મેં કહ્યું છે. કદી મુખમાં ઘણી જિલ્લાઓ હોય તો પણ તેનું સંપૂર્ણ માહાભ્ય કહી શકાય એમ નથી. વધારે વચનનો વિલાસ કરી પ્રયાસ કરવાની કોઈ જરૂર નથી. સંક્ષેપમાં એટલું જ કહેવાનું છે કે જો થોડો પણ પાપનો ભય હોય તો બીજું સર્વ ત્યજી દઈને શ્રી આદિનાથ પ્રભુથી અધિષ્ઠિત પુંડરીકગિરિરાજનું હંમેશાં આરાધન કરો.
| ઉપસંહાર : ભગવાનનો શત્રુંજય તીર્થ ઉપરથી વિહાર
આવી રીતે શ્રી વીરપ્રભુ ભવ્યજીવોને બોધ આપીને વિરામ પામ્યા પછી શ્રી મહાવીર પ્રભુ વિમલગિરિ પરના શિખર પરથી ઉતર્યા. એટલે દેવતાઓ અને મનુષ્યો પણ તીર્થને નમસ્કાર કરીને પોતપોતાનાં સ્થાને ગયાં.
તારે તે તીર્થ કહીએ ! હિલ સ્ટેશનો ડુબાડનારા છે, જ્યારે તીર્થસ્થાનો તારનારા છે. આડા અવળા રસ્તે બંધાયેલા પાપ કર્મો તીર્થયાત્રાથી ખપી જાય છે, આત્મા હળવો બને છે. સિદ્ધાચલજી તીર્થના જેટલા ગુણ ગાઇએ તેટલા ઓછા છે. ઘોરાતિઘોર પાપાત્માઓ પણ આ તીર્થના સ્પર્શે પતિતપાવન થયા છે. આ તીર્થના એક-એક કાંકરે અનંતાનંત આત્માઓ મુક્તિ પદને પામ્યા છે.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૩૧
Page #353
--------------------------------------------------------------------------
________________
ચૌદમા ઉદ્ધારક : બાહડ મંત્રી , (ચૌદમો અને પંદરમો ઉદ્ધાર પ.પૂ. દેવરત્નસાગરજી મ.સા.ના ‘જય શત્રુંજય’ પુસ્તકમાંથી લીધેલ છે.)
બાહડ મંત્રીએ તેરમો રે... તીર્થે કર્યો ઉદ્ધાર, બાર તેરોતર વર્ષમાં રે... વંશ શ્રીમાળી સાર.. હો જિનજી.”
૧૪મો ઉદ્ધાર શ્રી શિલાદિત્ય રાજાનો છે, એમ “શત્રુંજય મહાભ્યમાં ઉલ્લેખ છે. પરંતુ શ્રી મેરૂતુંગસૂરિ રચિત “પ્રબંધ ચિંતામણિ'ના આધારે અને પ્રસિદ્ધ નવાણું પૂજામાં “બાહડ મંત્રી” ૧૪મા ઉદ્ધારક છે.
| વિક્રમની તેરમી શતાબ્દીની આ વાત છે. એ સમયે ગુજરાતમાં પરમહંતુ રાજા કુમારપાળનો શાસનકાળ હતો. એમનો તેજસ્વી સૂર્ય મધ્યાન્હ તપતો હતો.
સૌરાષ્ટ્રમાં સમરસિંહ રાજાને જીતવા રાજા કુમારપાળ મહામંત્રી ઉદયનને મોકલ્યા. મંત્રીશ્વર લશ્કર લઈ સૌરાષ્ટ્રમાં આવ્યા. માર્ગમાં શત્રુંજય જોઇ યાત્રાની ભાવના જાગી. લશ્કરને આગળ મોકલી પોતે ગિરિરાજની યાત્રાએ આવ્યા. દાદાના મંદિરમાં તેઓ પ્રભુની ભાવથી સ્તુતિ કરતા હતા, તે સમયે એક ઉંદર દિપકમાંથી દિવેલ લઈને દોડવા લાગ્યો. મહામંત્રીએ વિચાર્યું : “અહો ! આ સળગતી દિવેટ જો મંદિરના કાષ્ટકામ પર પડે તો સમગ્ર મંદિરનો નાશ થાય.” એ સમયે એમણે સંકલ્પ કર્યો, “વળતાં શત્રુંજયના સમગ્ર મંદિર હું આરસ પાષાણનાં બનાવરાવીશ.”
પૂજા વિગેરે કરી તે યુદ્ધભૂમિમાં પહોંચ્યા. રાજા સમરસિંહનો વીરતાપૂર્વક સામનો કરી પરાજય કર્યો. વિજય તો મળ્યો પણ મહામંત્રીનું શરીર શસ્ત્રોના ઘાથી જર્જરીત બન્યું. મૃત્યુ નજીક આવ્યું.
આ તો ગઢ આલા પર સિંહ ગેલા' જેવો ન્યાય થયો. મહામંત્રીનો પ્રાણ જતો નથી તે સમયે તેમની છેલ્લી ઇચ્છા પુત્ર બાહડે પૂછી, મંત્રીશ્વરે કહ્યું : “બાહડ ! મારા હૃદયની ચાર ભાવના બાકી છે તે તું પૂર્ણ કરજે - (૧) શત્રુંજય પર આરસના મંદિર કરવા. (૨) નાના પુત્ર અબંડને સેનાપતિ કરવો. (૩) ગિરનાર પર પગથિયાં કરવાં અને (૪) મને નિર્ધામણા કરાવવા ગુરુનો મેળાપ.”
ઉપરોક્ત ભાવના પૂર્ણ કરવાની બાહડે પ્રતિજ્ઞા કરી. ચોથી ભાવના પૂર્ણ કરવા મુનિરાજની શોધ કરાવી. એટલામાં કોઇ સાધુનો યોગ મળ્યો નહિ. તેથી એક નાટકકાર (ભાટ)ને સાધુનો વેશ પહેરાવી મંત્રીશ્વર પાસે લાવ્યા. તે નાટકકારે (ભાટે) અસલ સાધુના ચરિત્ર મુજબ મંત્રીશ્વરને ધર્મોપદેશ ચાર શરણ વિગેરે સંભળાવ્યાં.
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૩૩૨
Page #354
--------------------------------------------------------------------------
________________
અંત સમયે ધર્મ શ્રવણ અને ધર્મ સ્મરણ કરતાં ઉદયન મંત્રી સ્વર્ગે ગયા. તેમના દેહની વિધિપૂર્વક અંત્યેષ્ટ ક્રિયા કરી. | નાટકકાર સાધુને ઉદયન મંત્રીની ધર્મભાવના સ્પર્શી ગઇ. તેના મનમાં થયું, “આ વેશને મંત્રી જેવા પણ નમે છે, તો તે જ માર્ગ મારા માટે પણ ઉત્તમ છે.' અને તેણે તે વેશ દૂર ન કર્યો. શુદ્ધ સાધુપણું પાળી તે ગિરનારથી દેવલોક પામ્યો.
ત્યાર બાદ પિતાની ભાવના પૂરી કરવા કુમારપાળ રાજાની અનુજ્ઞા લઇ બાહડમંત્રીએ અંબડને સેનાપતિ બનાવ્યો. ગિરનાર તીર્થ પર લાખોના ખર્ચે પગથિયાં બનાવરાવ્યાં અને શત્રુંજય તીર્થનો જીર્ણોદ્ધાર કરાવવા માટે સંઘ લઇને ચાલ્યા. હૃદયમાં પિતૃભક્તિ હતી. તીર્થભક્તિ હતી. અનુક્રમે મંદિરોની યાત્રા કરતા પાલીતાણા આવ્યા. તલેટીએ મુકામ કર્યો.
ત્યારબાદ બાહડમંત્રીએ શત્રુંજયની યાત્રા કરી અને કારીગરોને બોલાવી આરસનાં મંદિરો કરવાનો આદેશ આપ્યો. બે વર્ષે તે કાર્ય પૂર્ણ થયું. જિનાલયોની પૂર્ણતાના સમાચાર લાવનારને મંત્રીએ ૩૨ સુવર્ણની જીભ ભેટ આપી. બે વર્ષ બાદ દિવાલમાં તિરાડના સમાચાર સલાટે આપ્યા, તેને મંત્રીએ ૬૪ સોનાની જીભ ભેટ આપી. કહ્યું : “સારું થયું તે આ સમાચાર આપ્યા. મારી હયાતીમાં આ કાર્ય ફરી થશે.” ત્યાર બાદ શિલ્પીને આનું કારણ પૂછયું. તેણે કહ્યું : “મંત્રીશ્વરજી ! મંદિરની આજુબાજુ ભમતી છે. તેથી પવન પેસી જાય છે અને તિરાડ પડે છે. જો ભમતી ન રાખીએ તો શિલ્પ શાસ્ત્રના નિયમ મુજબ મંદિર કરાવનારને સંતાન ન થાય.'
મંત્રીએ કહ્યું : “ભમતી વિનાનાં મંદિર કરાવો. મારે ધર્મ ચિંતા એ જ સંતાન છે.” પણ સંઘે ના પાડી અને બધાએ ભેગા થઈ ટીપ કરીને દેરાસરો બંધાવ્યા. એ મંદિરોનો ફરી વાર જીર્ણોદ્ધાર કરાવ્યો. તેમાં બાહડ મંત્રીએ ૧ કરોડ ૬૦ લાખ રૂા. ખર્ચ કર્યો.
આમ, બાહડ મંત્રીએ પિતાની ભાવના પૂર્ણ કરી અને આચાર્ય ભગવંત હેમચંદ્રાચાર્યને બોલાવી (પ્રભાવક ચરિત્રના આધારે વિ.સં. ૧૨૧૩માં અને પ્રબંધ ચિંતામણિના આધારે વિ.સં. ૧૨૧૧માં) તે જીર્ણોદ્ધાર કરેલ મંદિરોની પ્રતિષ્ઠા કરાવી.
(ઇતિ ચતુર્દશઃ ઉદ્ધાર:)
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૩૩
Page #355
--------------------------------------------------------------------------
________________
1.
કે
જે
તે છે.
-
છે પંદરમાં ઉતારક : સમરાશા છે સંવત તેર ઈકોતેર રે- સમરોશા ઓશવાળ, ન્યાય દિવ્ય વિધિ શુદ્ધતા રે - પન્નરમો ઉદ્ધાર હો જિનજી.'
પ્રસિદ્ધ એવા પાટણ શહેરમાં ઓશવાળ જ્ઞાતિના દેશળશા નામે શ્રેષ્ઠિ હતાં. તેમનાં ધર્મપત્નીનું નામ ભોલીદેવી હતું. તેમને (૧) સહજપાલ, (૨) સાહણદેવ, (૩) સમરસિંહ (સમરાશા) વગેરે દેવકુમાર જેવા પુત્રો હતા. આ બધામાં વિશેષાધિક તેજસ્વી અને ચતુર સમરસિંહ (સમરાશા) હતા. સહજપાલ, દેવગિરિ અને સાહણ ખંભાતમાં વેપાર કરતો હતો. પાટણમાં સમરાશાએ વેપારી કુનેહ અને બુદ્ધિબળથી પાટણના સુબા અલપખાન અને દિલ્હીના બાદશાહ અલ્લાઉદ્દીન સાથે મીઠો સંબંધ બાંધ્યો હતો અને વેપાર તથા કીર્તિ બંનેમાં યશ મેળવ્યો હતો.
એવામાં વિ.સં. ૧૩૬૯નો દુઃખદ અંધાધૂંધીનો કાળ આવ્યો. અલ્લાઉદ્દીનના સરદારોએ ધર્મઝનૂનથી શત્રુંજયનો પણ ધ્વંસ કર્યો. મૂલનાયક પ્રતિમાનું મસ્તક ઉડાવી દીધું. ચોતરફ આ સમાચારથી ભારતભરના જૈનસંઘના હૃદય પર આઘાતજનક ઘા થયો. કેટલાક બેભાન થઈ ગયા. કેટલાકે અન્ન જળ છોડ્યાં. આ સમાચાર પાટણમાં દેશળશા અને સમરાશાને મળ્યા. તે બંને પણ ખિન્ન થઈ ગયા.
સમરાશા પ્રતાપી હતા. તે તુરત દિલ્હી પહોંચ્યા અને સમગ્ર હકીક્ત અલ્લાઉદ્દીનને કહી - કહ્યું : “હે શા ! આ રીતે મૂર્તિઓ તોડવાથી ધર્મનો ધ્વસ થતો નથી. ધર્મ તો અમારા આત્મામાં રમે છે. તેનો કોઇકાળે કોઇ ઉચ્છેદ કરી શકશે નહિ અને આ રીતના ધર્મઝનૂનથી તમારી કીર્તિ ઘટે છે.” આવા વચન સાંભળી શાહ ક્ષણભર શરમીંદો બન્યો. તેણે શત્રુંજયનો ફરી ઉદ્ધાર કરવા માટે સુબા અલપખાનને ફરમાન લખી આપ્યું.
સમરાશા પાટણ આવ્યા. ફરમાન અલપખાનને આપ્યું. તેમણે પણ સાંત્વન આપી સમરાશાનું બહુમાન કરવા પોતાના તરફથી પાઘડી, ખેસ અને પાવડી ભેટ આપ્યાં અને કહ્યું : “તમે શત્રુંજયનો ફરી જીર્ણોદ્ધાર કરાવો. અમે તમને સહાય કરીશું.” આ ફરમાન લઇ સમરાશા ગુરુ મહારાજ પાસે આવ્યા. ગુરુ મહારાજે ધન્યવાદ આપ્યા... કહ્યું : “સમરાશા ! આ કપરા સમયે ધર્મઝનૂની બાદશાહોની પાસેથી ધર્માનુકૂળ ફરમાનો મેળવવા સહજ નથી. એ કાર્ય તમે સુંદર કર્યું છે. હવે ઉદ્ધારની તૈયારી કરો.” સમરાશાએ ઉત્સાહથી જયાં સુધી શત્રુંજયનો જીર્ણોદ્ધાર ન કરું ત્યાં સુધી પાંચ નિયમો લીધા : (૧) બ્રહ્મચર્ય પાળવું. (૨) નિત્ય એકાસણું
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૩૪
Page #356
--------------------------------------------------------------------------
________________
કરવું. (૩) ભૂમિસંથારો કરવો. (૪) દરરોજ પાંચ વિગઇનો ત્યાગ અને (૫) સ્નાન આદિ શંગારનો ત્યાગ.”
ખરેખર જગતમાં ત્યાગ વિના સિદ્ધિ નથી. સમરાશાએ હવે કાર્યસિદ્ધિ માટેનાં ચક્રો ગતિમાન કર્યા. “કપરા સમયમાં સચવાય નહિ એ દષ્ટિએ વસ્તુપાલવાળી શિલા બહાર કાઢવાની ગુરુદેવે ના કહી. સમરાશા પ્રભુની પ્રતિમાને કાજે શિલા લેવા ત્રિસંગમપુર ગયા. ત્યાંના શિવભક્ત રાજા મહીપાલને ભેટશું ધરીને મિષ્ટવાણીથી પ્રસન્ન કર્યો. રાજા મહીપાલે અનુજ્ઞા આપી. “હે શ્રેષ્ઠિ ! તમને જે પસંદ આવે તે આરસ લઈ જાવ.'
સમરાશા મમ્માણી આરસની ખાણ પાસે ગયા. કારીગરો પાસે જે જે શિલા કઢાવે તે તે કિંચિત ખંડિત નીકળે. આખરે તેમણે અઠ્ઠમ તપ કર્યો. શાસનદેવ પ્રત્યક્ષ થયા. ખાણમાંથી જે શિલા નીકળી તે સ્ફટિક સંદેશ સુંદર હતી. તે શિલા કાઢનાર કારીગરને સમરાશાએ સોનાનું કડું – રેશમી વસ્ત્રો ભેટ આપ્યાં. વીશ બળદ જોડેલા ગાડામાં તે શિલા પધરાવી તે પાલીતાણા તરફ ચાલ્યા.
અવિરત પ્રયાણ કરતાં વચમાં કુમારસેના નામે ગામ આવ્યું. ત્યાં તે ગાડું ચાલતું નથી. શાસનદેવીએ સ્વપ્નમાં કહ્યું : “સમર ! અહીં બાજુમાં ઝાંઝા નામે ગામ છે. તેની અધિષ્ઠાત્રી ઝાંઝાદેવી છે. તેનું પૂજન કરી ત્યાં એક ગાડું બે બળદયુક્ત પડ્યું છે. તેમાં આ શિલા પધરાવી લઈ જા.” સમરાશાએ પ્રભાતે તે પ્રમાણે કર્યું. ગાડું વાયુ વેગે ચાલે છે. ગામે ગામ શિલાનાં પૂજન થાય છે અને અનુક્રમે પાલીતાણા આવે છે. ૮૪ માણસો તે શિલાને શત્રુંજય પર ચડાવે છે.
ત્યાર બાદ ઉત્તમ કારીગરોને તેની પ્રતિમા ઘડવાનું કામ સોંપ્યું. ગુરુદેવે મોકલેલ શિલ્પશાસ્ત્રના જાણકાર મુનિવર્ય શ્રી બાલચંદ્રજી ખડે પગે તેનું ધ્યાન રાખે છે. એક બાજુ પ્રતિમા ઘડાય છે. બીજી તરફ મંદિરોનાં સમારકામ ચાલે છે અને એક સુવર્ણ પ્રભાતે સમરાશાને સમાચાર સાંપડ્યા : “જીર્ણોદ્ધાર અને પ્રતિમા ઘડતર પૂર્ણ થયાં છે.' તે સમાચાર લાવનારને પ્રસન્નતાથી સમરાશાએ સુવર્ણની જીભ અને કડાં ભેટ આપ્યાં. સૂરિ મહારાજ પાસે જઈ પ્રતિષ્ઠાનું મંગલ મુહૂર્ત કઢાવ્યું. સં. ૧૩૭૧ના મહા સુદ ૧૪ ને સોમવાર પુષ્ય નક્ષત્રનો દિવસ આવ્યો.
ત્યાર બાદ સમરાશાએ વિશાલ સંઘમુક્ત વિશાલ આચાર્યાદિ પરિવાર યુક્ત પોષ સુદમાં પ્રયાણ કર્યું. તે સંઘની રક્ષા કાજે અલપખાને પોતાના ચોકીદારો મોકલ્યા. તે સંઘમાં પ00 તો આચાર્ય ભગવંતો હતા. દરેક ગચ્છના મુખ્ય આચાર્યનાં નામ પણ ઉપલબ્ધ થાય છે. સૌથી આગળ આચાર્ય શ્રી સિદ્ધસેનસૂરીશ્વરજી યુથાધિપતિ સમાન ચાલતા હતા. તે પછી શ્રી રત્નાકરસૂરિજી, શ્રી દેવસૂરગચ્છના પદ્માચાર્ય
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૩૫
Page #357
--------------------------------------------------------------------------
________________
સૂરિજી, ખંડેરક ગચ્છના શ્રી સુમતિચંદ્રાચાર્ય, ભાવડા ગચ્છના શ્રી વીરસૂરિજી, સ્થિરાપદ્રગચ્છના શ્રી સર્વદવસૂરિજી, બહ્યાણગચ્છના શ્રી જગચંદ્રસૂરિજી, નિવૃત્તિગચ્છના શ્રી આમ્રદેવસૂરિજી, નાણકગચ્છના શ્રી સિદ્ધસેનાચાર્ય, બૃહતગચ્છના શ્રી ધર્મઘોષસૂરિજી, નાગેન્દ્રગચ્છના શ્રી પ્રભાનંદસૂરિજી તથા શ્રી વિનયચંદ્રાચાર્ય, શ્રી હેમચંદ્રાચાર્ય પરંપરાના શ્રી વજસેનાચાર્ય. આ સિવાય ઉપાધ્યાયો-પદો મુનિવરોસાધ્વીગણ તથા શ્રાવક-શ્રાવિકાગણ તો અપરિમિત હતો.
પ્રભુના ગુણગાન ગાતો શ્રીસંઘ અનુક્રમે પાટણથી શેરીસા, અમદાવાદ, સરખેજ, ધોળકા વગેરે ભૂમિની સ્પર્શના કરતો શત્રુંજય તીર્થે પધાયો.
ગિરિરાજનાં સુભગદર્શન થતાં સંઘે સોનારૂપાના ફુલડે તેને વધાવ્યો. બધા ગિરિરાજ ઉપર આવ્યા. સમરાશાનો નૂતન પ્રતિમા અને જીર્ણોદ્ધાર જોઈ આનંદનો પાર ન રહ્યો. ગિરિરાજ પર અષ્ટાન્ડિકા મહોત્સવ કર્યો. નૂતન કપર્દીયક્ષનું, શાસન દેવી ચક્રેશ્વરી તથા અંગારશા પીરનું યથેચ્છાપૂજન કરી રેશમી વસ્ત્ર ચડાવ્યા.
સંઘ ૨૧ દિવસ રોકાયો. મંગલ મુહૂર્ત આચાર્ય ભગવંતોના હસ્તે મંત્રોચ્ચારપૂર્વક નૂતન પ્રતિમાની પ્રતિષ્ઠા વિધિ થઈ. સમરાશાએ પ્રતિષ્ઠા બાદ એક હજાર ગવૈયા-ભાટચારણો વગેરેને છૂટા હાથે દાન આપ્યું. મુનિવરોનું પણ યોગ્ય બહુમાન કર્યું. આ જીર્ણોદ્ધારમાં તે શ્રેષ્ટિએ ૨૭ લાખ - ૭૦ હજાર દ્રવ્ય વાપર્યું.
જ્યારે સંઘ પાટણ પાછો ફર્યો ત્યારે તે શ્રેષ્ટિએ સમગ્ર પાટણનું સ્વામીવાત્સલ્ય કર્યું.
ત્યાર બાદ સં. ૧૩૭૫માં પોતાના ગુરુવર્ય શ્રી સિદ્ધસેનસૂરિજી અને સાત સંઘપતિ તથા બે હજાર યાત્રિકયુક્ત સર્વ તીર્થની યાત્રા સંઘ કાઢયો. તેમાં ૧૦ લાખ દ્રમ વાપર્યું. માર્ગમાં મોગલોએ પકડેલ દાસોને છોડાવ્યા.
ત્યાર બાદ દિલ્હીની ગાદીએ ગ્યાસુદ્દીન આવ્યો. તે સમયે સમરાશાએ દક્ષિણનાં તોફાન શમાવ્યાં. તેની કદરરૂપે ગ્યાસુદ્દીને સમરાશાને તેલંગનો સુબો બનાવ્યો. સમરાશાએ સત્તા હાથમાં આવતાં જ ૧૧ લાખ નિરપરાધી તુકને છોડી મૂક્યા. વેપારમાં વેપારીઓને લાભ થાય તેવા કાયદા કરાવ્યા. પાંડુદેશના રાજા વીરવલ્લભને મુક્ત કરાવ્યો અને પોતાના રાજ્યમાં સ્થળે સ્થળે જિનમંદિરો કરાવ્યાં. આમ અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો કરી સમરાશા સ્વર્ગે ગયા. “ફુલ જાય ફોરમ રહી જાય.' એ ન્યાયે એમના ધર્મકાર્યોની સૌરભ આજે પણ જૈનશાસનમાં અખંડ છે.
ધન્ય સમરાશા ! ધન્ય તારી ભાવના...
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૩૩૬
Page #358
--------------------------------------------------------------------------
________________
કઈ જાણી લો આ વાત
• સોળમા ઉદ્ધારક : વિધામંડનસૂરિજી અને કમશિા •
શત્રુંજય તીર્થનો ૧૩મો ઉદ્ધાર વજસ્વામીજી અને જાવડશાએ કર્યો. ૧૪મો ઉદ્ધાર હેમચન્દ્રસૂરિજી અને બાહડ મંત્રીએ કર્યો. તે વખતે લાકડાનું દેરાસર દૂર કરીને આરસપહાણનું બનાવ્યું, જે આજે પણ વિદ્યમાન છે, જેની ભમતીઓને શિલાઓથી બંધ કરીને મંદિરને સુરક્ષિત કરાયું છે. ૧૫મો ઉદ્ધાર સિદ્ધસેનસૂરિજી અને સમરાશાએ કર્યો. આ જિનબિંબના યવનો (મુસ્લિમો)એ હુમલો કરીને ટુકડા કરી નાખ્યા. જૈનોએ મહામુસીબતે મસ્તક મેળવી લીધું. હવે મૂળનાયક ભગવંતની જગાએ મસ્તક મૂકીને તેની સેવા થવા લાગી. ત્યારપછી જે ૧૬મો ઉદ્ધાર વિદ્યામંડનસૂરિજી અને કર્માશાએ કર્યો, તે રોમાંચક વૃત્તાંતને આપણે જોઇએ.
ચિત્તોડમાં તોલાશા નામના શ્રદ્ધાળુ અને ખૂબ શ્રીમંત જૈન વસતા હતા. તેમને જ્યારે ખબર પડી કે તીર્થપતિ પરમાત્મા આદિનાથનું કપાઈ ગયેલું માત્ર મસ્તક પૂજાય છે ત્યારે તે વાત સાંભળતાં જ તેઓ આઘાતથી બેભાન થઈ ગયા. ભાનમાં આવીને ખૂબ રડ્યા. તે વખતે ચિતોડમાં મહાત્મા વિદ્યામંડનજી વિદ્યમાન હતા. તે જબરા સાધક હતા. જિનાજ્ઞાના કટ્ટર પાલક હતા. તેમની પાસે ઉપાશ્રયે સાંજનું પ્રતિક્રમણ કર્યા બાદ તોલાશાએ પોતાની વ્યથા ઠાલવી. ફરીથી પરમાત્મા આદિનાથને ગાદીનશીન કરવા માટે વિનંતી કરી. જે કાંઈ ધનવ્યય થાય તે તમામ પોતે ભોગવશે તેમ જણાવ્યું.
સૂરિજીને તોલાશાના નસીબમાં તીર્થોદ્ધારનું કાર્ય ન જણાયું; પરંતુ તેમના છે પુત્રોમાંના સૌથી નાના કિશોર કર્યાશાના લલાટ ઉપર તે તેજ જણાયું. તેમણે તોલાશાને એ વાત કરીને કમશાને મંત્રસાધનાની તાલીમ આપવાનું શરૂ કર્યું. કર્માશાનાં કેટલાંક વર્ષો મંત્રસિદ્ધિ મેળવવામાં ગયાં. કર્માશાનો આત્મા ઉત્તમ દશાને પામ્યો. વિદ્યામંડનસૂરિજીને તેની સાધનાથી પૂર્ણ સંતોષ હતો. તેમની ધારણા મુજબ કર્માશાએ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી.
યોગ્ય સમયે જિનબિંબનું વિધિવત્ નિર્માણ થયું. હવે જ્યારે અંજનવિધિને છે માસની વાર હતી ત્યારે મલિનતત્ત્વોના સંભવિત ઉપદ્રવોને શાંત રાખવા માટે સૂરિજીએ પોતાના બે વિશિષ્ટ કક્ષાના આરાધક શિષ્યોને ઉપવાસ સાથે ચિંતામણિ મંત્રનો જાપ શરૂ કરાવ્યો. કમશાને પણ તે મંત્રજાપ આપ્યો.
આથી તમામ મલિનતત્ત્વો ભાગી છૂટ્યાં. સમ્યગૃષ્ટિ દેવોનું સાન્નિધ્ય પ્રાપ્ત થયું.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૩૭
Page #359
--------------------------------------------------------------------------
________________
શુભ મુહૂર્ત નજીક આવ્યું. સૂરિજી અઠ્ઠમ કરીને ધ્યાનસ્થ બન્યા. વીતરાગપ્રાયઃ અવસ્થામાં સ્થિર થતાંની સાથે તેમણે બિંબને અંજન કરીને તેમાં પ્રાણાર્પણ કર્યું. એ જ સેકંડે દેવો તે પરમાત્માના અધિષ્ઠાતા બન્યા. તે વખતે હજારો પુણ્યાત્માઓની ઉપસ્થિતિમાં સાત વખત જિનબિંબે (પરમાત્માએ) શ્વાસોચ્છવાસ લીધા. આ દશ્ય જોઇને આખો ય સંઘ હર્ષની ચિચીયારીથી ઓળઘોળ થઇ ગયો. સહુ ત્યાં નાચવા લાગ્યા.
પ્રતિષ્ઠા મહોત્સવ વિધિવત્ સંપન્ન થયો. હાલમાં આ જિનબિંબની પૂજા જૈનસંઘ કરે છે.
(ઇતિ સોલસમો ઉદ્ધાર:)
| અંતિમ કથન આ પ્રમાણે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયગિરિના મહિમાનું કીર્તન કરવાથી મને જે કાંઈ પુણ્ય પ્રાપ્ત થયું હોય તેનાથી મિથ્યાત્વને નાશ કરનાર એવું નિર્મલ સમ્યક્ત્વ પ્રાપ્ત થાઓ. આ ગ્રંથમાં અજ્ઞાનતા અને પ્રમાદથી જે કાંઈ ન્યુનાધિક મારાથી કહેવાયું હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. સિદ્ધાચલ પર શોભાયમાન શ્રી આદીશ્વર પ્રભુ પ્રતિદિન સર્વનું રક્ષણ કરો. શ્રી ચંદ્રગચ્છમાં ચંદ્રસમાન અને પ્રભાવશાળી ગુણોને ધારણ કરનાર શ્રી ધનેશ્વરસૂરિએ તીર્થનો ઉદ્ધાર કરનાર, આહંદુ ધર્મનાં આરાધક શ્રી શિલાદિત્યરાજાના અતિ આગ્રહથી શ્રી શત્રુંજયગિરિરાજનું માહાભ્ય કહેલું છે. જયાં સુધી જનસમુહને સુખ આપનાર શ્રી જૈનધર્મ ત્રણ જગતમાં જાગૃત રહે અને જ્યાં સુધી અંધકારનો અંત કરનાર, ચંદ્ર-સૂર્ય આકાશમાં ઉદય પામે ત્યાં સુધી તે તે પુરુષરત્નોના ચારિત્રથી અલંકારરૂપ અને વિવિધ રસનો સાગર એવો આ ગ્રંથ પૂર્ણ ઉદયથી વૃદ્ધિને પામો.
માંડવગઢના પેથડશા માંડવગઢના રાણા જયસિંહના મંત્રી પેથડશા હતા. તેમણે પૂ. આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિજીના ઉપદેશથી સં. ૧૩૨૦માં શત્રુંજયનો સંઘ કાઢ્યો અને ગિરિરાજ પર “સિદ્ધકોટાકોટી' નામે મંદિર બંધાવેલ તથા માંડવગઢમાં ૧૮ લાખના ખર્ચે “શત્રુંજ્યાવતાર' નામે મંદિર બંધાવેલ.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૩૮
Page #360
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ઠ
શ્રી શગંજય ગિરીરાજનાં ગુણગર્ભિત સાન્વર્થ ૨૧ નામોનાં | ઉંડા પેટાળમાં કયા કારણો હતા ? તે અંગે બનેલા પ્રસંગો
| (૧) “વિમલગિરિ' નામનું આલંબન સૂરરાજા.
(આ દૃષ્ટાંતો પૂ. મહોદયસાગરજી મ. સંકલિત શ્રી શત્રુંજય કલ્પવૃત્તિ ભાષાંતર ભાગ-૧ના આધારે ઉદ્ધરેલા છે.) લીલી હરિયાળીવાળું સુંદર ઉપવન છે. ચારેબાજુ વનરાજી ખીલી છે. વાતાવરણ ખૂબ આલ્હાદક છે... આવા વાતાવરણમાં ક્રીડા કરવાની ઇચ્છા સહજ ઉદ્ભવે જ. આથી રાજા ઉદ્યાનમાં ક્રીડા કરવા આવ્યા છે.
આ ઉદ્યાન છે પાપુરનગરનું.. ! ત્યાંના રાજા છે મદનદેવ ! તેમને પ્રેમવતી નામે રાણી છે અને સૂર નામે રાજકુમાર છે. રાજા ક્રીડારસમાં નિમગ્ન છે... એ સમયે તેમણે શ્વેત વસ્ત્રવાળી એક સ્ત્રી જોઈ. આશ્ચર્યચકિત થયેલા રાજાએ તે સ્ત્રીને પૂછ્યું, “હે શુભૂ...! તમે કોણ છો ?'
તે સ્ત્રી બોલી, ‘તમારે પ્રયોજન છે ?” રાજા બોલ્યો, “હું રાજા છું, તેથી સર્વને શરણ આપું છું.”
સ્ત્રી બોલી, “સારું.. તો આવતી કાલે હું તમારા મહેલે આવીશ.'
રાજા ક્રિીડા કરીને મહેલે પાછો ગયો. બીજે દિવસે સવારે નિત્યકર્મમાંથી નિવૃત્ત થયો ત્યાં તો... સમાચાર આવ્યા કે શત્રુ રાજા સિંહરથ ચડાઈ કરવા આવે છે. રાજાએ યુદ્ધની તૈયારી કરી. પરંતુ... નગર બહાર જોતાં જ ખ્યાલ આવ્યો કે શત્રુસૈન્ય ઘણું અને બળવાન છે. તેથી, “જીવતો નર ભદ્ર પામે' એ ઉક્તિ વિચારી રાજાએ ગુપ્ત રીતે ત્યાંથી નીકળી જવા વિચાર્યું.
પોતાનો નિશ્ચય મંત્રીઓને જણાવી, પત્ની, પુત્ર અને થોડા રત્નો વગેરે સારભૂત સામગ્રી લઈ રાજા નગરના ગુપ્ત દ્વારેથી જંગલમાં જતો રહ્યો. સિંહરથ રાજાએ સ્વામીથી શૂન્ય નગર જોઈ હર્ષથી રાજસિંહાસન શોભાવ્યું.
જંગલમાં આગળ વધતો રાજા અનુક્રમે એક પલ્લી પાસે પહોંચ્યો. એટલામાં ચારે બાજુથી ભીલ લોકોએ તેને ઘેરી લીધો અને રાજાનું સર્વ ધન લૂંટી લીધું. રાજારાણી અને કુમાર જીવ બચાવી ત્યાંથી નાસી છૂટ્યા. આગળ જતાં ઉમાપુર નામે
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૩૯
Page #361
--------------------------------------------------------------------------
________________
એક નાનકડા ગામમાં આવી પહોંચ્યા. ત્યાં નાની ઝૂંપડી બાંધી, લાકડા કાપી લાવીને રાજા નિર્વાહ કરવા લાગ્યા. આ રીતે... આઠ વર્ષ પસાર થયા.
એક વખત રાજા જંગલમાં લાકડા કાપવા ગયેલો... ત્યારે ત્યાં પૂર્વની જેમ એક સ્ત્રીને ફરતી જોઇ. તે સ્ત્રી સ્વયં રાજાની નજીક જઇને બોલી, “રાજન્ ! જો તમને ગમતું હોય તો હું તમારા ઘરમાં આવીશ અને તમારું રાજ્ય પણ તમને અપાવીશ.”
રાજા બોલ્યો, ‘પૂર્વે હું એક સ્ત્રી વડે ઠગાયો છું. તેથી તમારી વાતનો વિશ્વાસ કેમ કરું ? અને તમે મને રાજ્યભ્રષ્ટ રાજા કેવી રીતે જાણ્યો ?'
સ્ત્રી બોલી : જે સ્ત્રી વડે રાજય ગુમાવાયું તે તારા કર્મથી દરિદ્રિણી દેવી આવી હતી. હમણાં તો હું તારા પુન્યોદયથી તારા રાજયની અધિષ્ઠાત્રી દેવી તને તારું રાજ્ય પાછું અપાવવા આવી છું. તું તારા નગરમાં પાછો જા અને ગુપ્તપણે ત્રણ મહિના રહે. ત્રણ મહિના પછી શુક્લ પંચમીના દિવસે સાંજના સમયે તારો શત્રુરાજા અપુત્રીયો મૃત્યુ પામશે. તે વખતે તને ત્યાં આવેલો જાણી, તારા મંત્રીઓ તને રાજા બનાવશે.
આ રીતે વિશ્વાસનીય વચનો સાંભળી રાજા પરિવાર સહિત પોતાના નગરમાં ગયો. ત્યાં ગુપ્તપણે ત્રણ મહિના પસાર કર્યા. તે જ સંધ્યાએ શત્રુરાજા મૃત્યુ પામ્યો. આથી રાજા પ્રગટપણે મહેલમાં ગયો. મંત્રીઓએ ઓળખીને ફરી રાજ્ય ઉપર સ્થાપન કર્યો.
રાજ્યાધીન રાજાના આનંદપૂર્વક દિવસો પસાર થતાં હતાં... તેવામાં.. કોઇક જ્ઞાની મુનિ વિચરતાં ત્યાં પધાર્યા. રાજા પરિવાર સહિત તેમને વંદન કરવા ગયા. મુનિની દેશના સાંભળી દેશના અંતે રાજાએ વિનયપૂર્વક કહ્યું, “ભગવન્! કયા કર્મના ઉદયથી મેં રાજય ગુમાવ્યું ?' | મુનિભગવંતે કહ્યું : રાજન્ ! તારો પૂર્વભવનો અપરાધ આમાં કારણ છે. તું પૂર્વભવે ભીમ નામે ક્ષત્રિય હતો. કોઈ સ્ત્રીનું એક રત્ન તે ચોરી લીધું હતું. પછી દયા આવવાથી પાછું આપ્યું. વચ્ચે આઠ પ્રહર પસાર થયા. તેનાથી બંધાયેલ કર્મના ઉદયે આઠ વર્ષ સુધી તું રાજયભ્રષ્ટ રહ્યો. તે સ્ત્રી મૃત્યુ પામીને તારો શત્રુરાજા સિંહરથ થયો. ભીમ ક્ષત્રિય મરીને તું મદન રાજા થયો છે.
પૂર્વભવ અને કર્મનો વિપાક સાંભળીને મદન રાજા વૈરાગ્ય પામ્યો. પોતાના પુત્રને રાજય ઉપર બેસાડી એ જ મુનિભગવંત પાસે દીક્ષા લીધી. અંતે અનશન કરી દેવલોકમાં ગયા.
હવે સૂર રાજા થયો. તે કુસંગના દોષથી સાતે વ્યસને પૂરો થયો. એમાં પણ શિકારનો વિશેષ વ્યસની થયો. એક વખત એક ભૂંડનો શિકાર કરતાં, ભૂંડે રાજાને સામો પ્રહાર કર્યો અને જોરદાર બચકું ભર્યું. તેનાથી રાજાને ભયંકર, રસી ઝરતો
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૪૦
Page #362
--------------------------------------------------------------------------
________________
કોઢ થયો. જેમ જેમ રાજા દવા કરે છે તેમ તેમ રોગ વધુને વધુ વિસ્તરે છે. આખરે રોગથી કંટાળેલો રાજા બળીને મરવા તૈયાર થયો. તેથી તે સ્મશાન તરફ ચાલ્યો. સ્મશાન નજીક તેને કોઇક જ્ઞાની મુનિ મળ્યા. મુનિ ભગવંતે કરુણાળુ હૈયે રાજાને કહ્યું, “રાજા ! તું આમ મર નહિ.”
રાજા બોલ્યો : હું કોઢથી પીડાયેલો છું, તેથી એક ક્ષણ પણ જીવવા માંગતો નથી. જો મારા શરીરમાંથી કોઢ જાય તો જ મારે જીવિત છે, નહિ તો મારે મરણને શરણ છે. | મુનિભગવંત બોલ્યા : ચૈત્રીપૂર્ણિમાના દિવસે સવારે શત્રુંજયમાં જઇને મનોહર એવા ચંદ્રકુંડના પાણી વડે સ્નાન કરીને, રાયણના ઝાડ નીચે રહેલી માટી શરીર ઉપર લગાડવી અને હંમેશા શ્રી યુગાદિદેવનું ધ્યાન કરવું. તો પંદરમા દિવસે અવશ્ય તારો કોઢ દૂર થશે.
મુનિભગવંતની વાત સાંભળી હર્ષિત થયેલો રાજા તત્કાળ ત્યાંથી શત્રુંજયગિરિએ ગયો અને મુનિએ કહ્યા પ્રમાણે સર્વ વિધિપૂર્વક ભાવથી કર્યું. આથી તેનો દેહ વિમલ=નિર્મલ થયો. તે જોઈ આનંદિત થયેલા રાજાના મુખમાંથી શબ્દો સરી પડ્યા કે આ તો શત્રુંજયગિરિ નહિ પણ વિમલગિરિ છે... અર્થાત્ આને વિમલગિરિ પણ કહી શકાય.
ત્યારબાદ સૂર રાજાએ હજારોની સંખ્યામાં સંઘ સહિત આવીને સેંકડોવાર તીર્થયાત્રા કરી. શત્રુંજયની યાત્રા કરતાં કરતાં પોતાનું ઘણું ખરું દુષ્કર્મ ક્ષય કર્યું. અંતે વૈરાગ્યવાસિત થઇ પોતાના પુત્રને રાજય સોંપી શત્રુંજય ઉપર આવી અતિદુષ્કર તપ કર્યું. તીવ્ર તપ કરતાં સૂરરાજર્ષિ કેવલજ્ઞાન પામ્યા અને ત્રણ હજાર સાધુઓ સહિત સુરમુનિ વિમલગિરિ ઉપર જ મોક્ષે ગયા.
એ રૂત્તિ વિમન્નરઃ નાગ સૂરVIનાથા છે | (૨) મુક્તિનિલય નામનું આલંબન વીરસેનરાજા (૧) પધા, (૨) રામા, (૩) રમા, (૪) લક્ષ્મી, (૫) કમલા, (૬) વિમલા, (૭) અચલા અને (૮) શ્રીમતી આ આઠ રાજકુમારીઓ એક ઉદ્યાનમાં ભેગી મળી હતી. આ આઠે આઠ અત્યંત બુદ્ધિશાળી હતી. તે બધી જ પરસ્પર બહેનો હતી. પદ્મપુર નગરના રાજા વૈરિસિંહને ચંદ્રલેખા વગેરે આઠ રાણીઓ હતી. તે દરેકે એક એક પુત્રીરત્નને જન્મ આપ્યો હતો. પૂર્વભવના સ્નેહને લીધે અથવા સમાન સ્વભાવના કારણે તે આઠેને પરસ્પર અતિપ્રેમ હતો. તેઓ આખો દિવસ વિદ્ધગોષ્ઠીમાં સમય પસાર કરતી.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૪૧
Page #363
--------------------------------------------------------------------------
________________
અહીં ઉદ્યાનમાં આ આઠે બાળાઓ ભેગી થઈ ત્યારે શ્રીમતી નામની સૌથી નાની બહેને બધાને કહ્યું : “બહેનો...! આપણે સહુ હવે બાલ્યાવસ્થા વટાવીને યૌવન પામ્યા છીએ. હવે આપણા માટે યોગ્ય રાજકુમારની તપાસ થશે. તેથી મને વિચાર આવે છે કે આપણે અલગ અલગ સ્થાને જવું પડશે, તો આવી જ્ઞાનગોષ્ઠીનો આનંદ છીનવાઈ જશે અને એકબીજાના સ્નેહ વગરનો આપણો જીવનદીપ પણ પ્રવજવલિત કેમ રહી શકશે ?
આ સાંભળી લક્ષ્મીએ કહ્યું, “બહેન...! તારી વાત સાચી છે. તો આજે આપણે બધા નિર્ણય કરીએ કે આપણે આઠે એક જ કુમારને પરણશું.
કમલા બોલી : તારી વાતમાં અમે બધા સંમત છીએ. પણ.. પાપકર્મના ઉદયે જો મૂર્ણપતિ થાય તો જન્મપર્યત આપણે દુ:ખી રહીએ. એટલે પતિની પરીક્ષા માટે કાંઇક વિચારવું જોઇએ.
વિમલાએ કહ્યું : આપણે બધા એક એક સમસ્યા (કોયડા) વિચારી લઇએ. આપણી બધી સમસ્યાઓ જે પૂરી કરે તેને જ આપણે પરણવું.
આ વાત પણ બધાને ગમી ગઈ અને આઠે કુમારીઓએ પ્રતિજ્ઞા કરી કે, “આપણી આઠની સમસ્યા પૂરે તેવા એક પતિને જ પરણવું.' આ વાત રાજાએ જાણી એટલે દેશોદેશના રાજાઓને આમંત્રણ મોકલ્યા.
આ બાજુ, પૃથ્વીભૂષણ નામના નગરમાં ભીમસેન નામે રાજા હતો. તેને સો રાણીઓ હતી. તેમાં પટ્ટરાણીનું નામ પદ્માવતી હતું. પદ્માવતીને ગુણોથી ઉત્તમ વિરસેન નામે કુમાર હતો. પદ્મપુરના વૈરસિંહરાજાનું આમંત્રણ ભીમસેન રાજાને ત્યાં પણ પહોંચ્યું. આથી વીરસેનકુમાર પણ કુંવરીઓને જોવાની ઉત્સુકતાથી પદ્મપુર જવા તૈયાર થયો. ત્યાં ઘણા રાજાઓ - રાજકુમારો આવ્યા હતા. પરીક્ષાના દિવસે વીરસેનકુમાર પણ પહોંચી ગયો.
વૈરિસિંહ રાજાએ સુંદર મંડપ તૈયાર કરાવ્યો હતો. તેમાં વચ્ચે સ્ટેજ ઉપર જાણે કે સરસ્વતી દેવી સાક્ષાત્ આઠ રૂપ કરીને આવી હોય તેવી આઠે કુંવરીઓ બેઠી. ઘણાએ પ્રયત્નો કર્યા પણ બધી જ સમસ્યા કોઇ પૂરી ન શક્યું. છેલ્લે ભીમેસન રાજાના પુત્ર વીરસેનકુમાર આગળ આવ્યા. તેમની પ્રતિભાથી જ આઠે કુમારીઓ ખૂબ જ આકર્ષિત થઈ. એક પછી એક કુંવરી સમસ્યા બોલતી ગઈ અને બૃહસ્પતિના પ્રતિબિંબ સમા કુમારે એ સર્વ સમસ્યાઓ જાણે કે ક્ષણવારમાં પૂર્ણ કરી. આઠે કુંવરીઓએ કુમારને વરમાળા પહેરાવી. વૈરિસિંહ રાજાએ અઢળક કન્યાદાન આપ્યું. સર્વ સામગ્રીયુક્ત કુમાર નવવધુઓને લઈને પોતાના નગરે આવ્યો.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૩૪૨
Page #364
--------------------------------------------------------------------------
________________
ભીમસેન રાજાએ પણ વીરસેનકુમારને યોગ્ય જાણી, રાયધુરા તેને ભળાવી, પોતે સંયમ અંગીકાર કર્યું. દુષ્કર તપાચરણ કરતા, ઉગ્રવિહાર કરતા ભીમરાજર્ષિ એકવાર પૃથ્વીભૂષણ નગરમાં પધાર્યા.
પિતામુનિનું આગમન સાંભળી વીરસેનરાજાએ ઠાઠથી સામૈયું કર્યું અને પછી દેશના સાંભળી. દેશનામાં શ્રી શત્રુંજય ગિરિરાજનો મહિમા વર્ણવ્યો. તીર્થનું માહાભ્ય સાંભળીને વીરસેનરાજાને તીર્થસ્પર્શના કરવાનો અત્યંત ઉલ્લાસ થયો. આથી તેમણે ત્યાં જ અભિગ્રહો કર્યા કે, “જ્યાં સુધી હું તીર્થરાજને ભેટું નહિ ત્યાં સુધી મારે (૧) એક જ વખત જમવું, (૨) પૃથ્વીતલ ઉપર સૂવું, (૩) બ્રહ્મવ્રત પાળવું અને (૪) પાન-સોપારીનો ત્યાગ કરવો.
ત્યારબાદ સંઘ ભેગો કરી, પગલે પગલે ઉત્સવ કરતો રાજા તીર્થને ભેટવા ચાલ્યા. જયારે દૂરથી જ તીર્થનાં દર્શન થયા ત્યારે રાજાએ ભાવપૂર્વક નમસ્કાર કર્યો. પ્રભુનો સ્નાત્રમહોત્સવ કરીને સંઘને મિષ્ટાન્ન જમાડ્યું. પછી ગિરિરાજ પાસે આવી, યાત્રા શરૂ કરી. એક એક પગલે વધાવતાં, ગીતો ગાતાં ઠેઠ ઉપરના શિખરે આવ્યા. પ્રથમ જિનેશ્વરના દર્શન કરતાં રાજવી નાચી ઉઠ્યા. પછી પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરી. સ્નાત્રપૂજા, ધ્વજારોહણ, યાચકોને ઇચ્છિત દાન આપી સંઘની સવિશેષ પૂજા કરી. રાયણવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા દઈને પાદુકાની પૂજા કરી.
રાજાની ભક્તિમાં ભાવવિભોર બનેલા તથા ત્યાં તપશ્ચર્યા કરી રહેલા... પાંચ કરોડ મુનિઓ તે વખતે ક્ષપકશ્રેણીમાંડી કેવળજ્ઞાન પામી, મુક્તિમાં ગયા. આમ, અલ્પપ્રયત્ન મુક્તિસાધનામાં આ તીર્થક્ષેત્રનું જ માહાભ્ય છે. એમ જાણીને રાજા ખૂબ જ પ્રભાવિત થયો અને એણે શત્રુંજય ગિરિરાજને “મુક્તિનિલય” એવું નામ આપ્યું. આ પ્રમાણે વિસ્તારથી યાત્રા કરી રાજા નગરમાં પાછો આવ્યો.
ન્યાય વડે પ્રજાનું પાલન કરતાં, ચાર પ્રકારના ધર્મને પાળતાં રાજાએ ઘણા વર્ષો પસાર કર્યા. હવે આયુષ્યનો પ્રાન્તભાગ જાણીને વીરસેન રાજાએ પોતાના પુત્ર મીનકેતુને રાજ્ય સોંપી પોતે શ્રુતસાગર નામના મુનિ પાસે સંયમ લીધું. ગુરુભગવંત સાથે વિચરતાં અનુક્રમે મુક્તિનિલય ગિરિએ આવ્યા. ત્યાં ગિરિરાજ અને યુગાદિદેવનું ધ્યાન ધરતાં વીરસેન રાજષિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. અંતે સર્વ કર્મક્ષય કરી ત્યાં જ નિર્વાણ પામ્યા. આ રીતે શત્રુંજયગિરિ મુક્તિનિલય નામે વર્ણવાયો.
॥ इति मुक्तिनिलयः नाम्नि वीरसेननपकथा ॥ શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૪૩
Page #365
--------------------------------------------------------------------------
________________
(૩) “શત્રુંજય' નામનું આલંબન શુકરાજા - હે રાજન ! કોઇ ઠેકાણે ગર્વ ન કરવો જોઇએ. કારણ કે જગતમાં ઘણે ઠેકાણે તરતમપણું હોય છે. અર્થાત્ શ્રેષ્ઠ દેખાતી વસ્તુથી પણ અધિક ચડિયાતી શ્રેષ્ઠત્તમ વસ્તુ જગતમાં હોય છે.”
અચાનક આવી વાણી સાંભળી મૃગધ્વજ રાજાએ ઉપર જોયું, તો એક પોપટ તેને આમ કહી રહ્યો હતો. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજા, મૃગધ્વજ પોતાના અંતઃપુરની સાથે ઉદ્યાનમાં ક્રીડા કરવા આવ્યા છે. વસંતઋતુ ખીલી છે. આંબા ઉપર મહોર ફુલી ફાલીને વાતાવરણને આફ્લાદક બનાવે છે. રાજા પોતાની સ્ત્રીઓને જોઇને ખૂબ ગર્વ કરતો હતો કે મારા જેવી રૂપવાન પત્નીઓ બીજા કોઈની પાસે નહિ હોય. ત્યારે ત્યાં આમ્રવૃક્ષ ઉપર બેઠેલો એક પોપટ તેને બોધ આપે છે.
રાજાએ પોપટને જ્ઞાની જાણી પૂછ્યું, “હે શુક ! શું તે આનાથી અધિક રૂપવાન સ્ત્રીને જોઈ છે ?'
શુક કહે છે : રાજન્ ! શ્રીપુરનગરના રાજા ગાગલિ, વૈરાગ્ય પામીને સંસાર ત્યાગી તાપસ બન્યા. રાજાના સ્નેહથી તેમની રાણી સગર્ભા હોવા છતાં તાપસી બની. અનુક્રમે સમય પૂર્ણ થતાં રાણીએ વનમાં પુત્રીને જન્મ આપ્યો અને પોતે તત્કાળ મૃત્યુ પામી. ગાગલિઋષિએ પુત્રીને લાલન-પાલન કરી, મોટી કરી. અત્યંત સૌંદર્યવાન તે કુંવરીનું નામ કમલમાલા રાખ્યું. તેનું કેવું રૂપ છે એવી તારી એક પણ સ્ત્રી નથી. માટે જો તારે તે કન્યા જોવાની ઇચ્છા હોય તો મારી પાછળ આવ.
પોપટની વાતમાં આકર્ષાયેલા મગધ્વજ રાજા તેની પાછળ જવા લાગ્યા. પોપટ તેમને લઈને મહાઅટીમાં આવ્યો. ત્યાં શ્રી યુગાદિપ્રભુનું સુંદર જિનાલય તેમણે જોયું. તેથી રાજા પ્રભુના દર્શન કરવા ગયો. મંદિરમાં તેણે એક દેવકન્યા જેવી સુંદર યુવતીને પૂજા કરતી જોઇએ. યુવતી તો પૂજામાં મગ્ન હતી. પૂજા પૂર્ણ થયા બાદ ક્યાંય નજર કર્યા વગર, નીચી નજરે પાછા પગલે તે નજીકમાં રહેલા પોતાના આશ્રમમાં ચાલી ગઈ. રાજા પણ તેની પાછળ પાછળ આશ્રમમાં આવ્યો.
રાજાને આવેલા જાણી ગાગલિ તાપસે તેમનું આતિથ્ય કર્યું અને કહ્યું કે, કમલમાલા નામની મારી આ પુત્રીનું પાણિગ્રહણ કરો.' રાજાએ હર્ષથી તેમની વાત વધાવી. ત્યારબાદ પોતાની નગરીમાં પાછા જવા અનુમતિ માંગી. ત્યારે ગાગલિ મહર્ષિએ રાજાને શીખ આપતા કહ્યું, “મેં આ શુકદેવના વચનથી તમને મારી પ્રાણ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૪૪
Page #366
--------------------------------------------------------------------------
________________
પ્યારી કન્યા આપી છે. તે ખૂબ કોમળ છે. એણે દુનિયાની રીત જાણી નથી, તેથી તેને સાચવજો. હવે હું શ્રી ઋષભદેવની ભક્તિમાં લીન થઇશ.'
રાજાએ પણ ઋષિને સંતોષકારક જવાબ આપી, આશીર્વાદ લઇ ત્યાંથી પોતાના નગર તરફ પ્રયાણ કર્યું. અનુક્રમે નગરમાં આવી સુખપૂર્વક રહેવા લાગ્યો. કમલમાલાની સાથે વિષયસુખ ભોગવતાં રાજાને પુત્ર પ્રાપ્ત થયો. તે ગર્ભમાં હતો ત્યારે કમલાલાએ શુકનું સ્વપ્ન જોવાથી તેનું નામ “શુકકુમાર પાડ્યું.
એક દિવસ બાળ રાજકુમારને ખોળામાં બેસાડી એ જ આમ્રવૃક્ષ નીચે રાજા રમાડી રહ્યો હતો. પાસે કમલમાલા રાણી બેઠી હતી. તેથી પૂર્વની વાત યાદ આવવાથી રાજાએ કમલમાલાને તે વાત કહેવા માંડી કે... અહીં હું ગર્વ કરતો હતો ત્યારે એક પોપટે મને અટકાવ્યો અને તારો મેળાવ કરાવ્યો... ઇત્યાદિ.
આ સાંભળતાં જ શુકકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. તે જ્ઞાનબળે પોતે જોયું કે, પૂર્વભવમાં પોતે ભદિલપુરનો જિતારિ રાજા હતો. તેને હંસી અને સારસી નામે રાણીઓ હતી. હંસી સરળ ચિત્તવાળી હતી. સારસી થોડી વક્રચિત્તવાળી હતી. બંનેની સાથે રાજાએ શત્રુંજયગિરિની ભાવપૂર્વક યાત્રા કરેલી અને હંસીના કહેવાથી રાજમહેલના આંગણામાં જ ઉત્તમ, ઉત્તુંગ જિનાલય બંધાવેલું. ત્યાં ત્રણે જણ પ્રભુની ભાવપૂર્વક ભક્તિ કરતાં.
અંત સમયે... જિતારિ રાજાનું ધ્યાન જિનાલયના શિખરે બેઠેલા પોપટમાં સ્થિર થયું અને તે જ સમયે નવા આયુષ્યનો બંધ પડ્યો. આ ભવ યોગ્ય આયુષ્ય કર્મ પૂરું કરી રાજા પોપટ તરીકે ઉત્પન્ન થયો. રાજાના વિયોગે વૈરાગ્યવાસિત થયેલી હંસી અને સારસીએ દીક્ષા લીધી. બંને શુભધ્યાનપૂર્વક મૃત્યુ પામી દેવલોકમાં ગઈ. ત્યાં અવધિજ્ઞાનથી પોતાના પતિને પોપટ થયેલા જાણી ત્યાં આવીને પ્રતિબોધ કર્યો કે –
‘તમે ભજિલપુરમાં જિતારી રાજા હતા. હવે હમણાં અનશન કરો તો ફરી દેદિપ્યમાન રૂપધારી અમારા સ્વામી થાઓ.” પોપટે અનશન કર્યું અને મરીને તે દેવીઓનો પતિદેવ' થયો. હંસીદેવીએ સરળપણાથી પુરુષવેદ બાંધ્યો તેથી તે ત્યાંથી ચ્યવીને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં “મૃગધ્વજ રાજા થઇ. સારસી કમલમાલા ઋષિકન્યા થઈ અને પોપટનો જીવ તે હું શુકકુમાર થયો.
આ સર્વ વૃત્તાંત શુકકુમારે જાતિસ્મરણ દ્વારા જાણ્યો. તેને પોતાની પૂર્વભવની પત્નીઓ કે જે અત્યારે માતા-પિતા બન્યા છે. તેમને માતા-પિતા કહેતાં લજ્જા આવી, તેથી તે મૌન થઈ ગયો. અત્યાર સુધી કાલીઘેલી ભાષામાં લાડપૂર્વક બોલતો કુમાર
વાહામ્ય સાર - ૩૪૫
Page #367
--------------------------------------------------------------------------
________________
અચાનક મૌન થઇ જવાથી રાજા અત્યંત ચિંતાતુર થયો. ઘણા ઉપચારો કરાવ્યા પણ પુત્ર બોલતો નથી.
થોડો સમય પસાર થયો. એક વખત કોઇ સેવકે સમાચાર આપ્યા કે, ‘રાજન્ ! ઉદ્યાનમાં કેવળી ભગવંત પધાર્યા છે.' રાજા તે સાંભળી ઉલ્લાસપૂર્વક પ્રિયા, પુત્ર સહિત વંદન કરવા આવ્યો. મુનિએ દેશનામાં સંસારનું સ્વરૂપ સમજાવી વિશેષમાં કહ્યું કે, ‘માતા-પિતા આદિના સંભવવાળો પોતાનો પૂર્વવૃત્તાંત જ્ઞાનથી જાણ્યા છતાં જીવોએ ચિત્તમાં વિચારવા જેવો નથી. કારણ કે માતા-પત્ની, પુત્ર-પિતા આદિ સંબંધો જીવને અનેક વાર થાય છે. માટે હે શુકકુમાર...! તમે કદાગ્રહ છોડી, મને ઉચ્ચારપૂર્વક વંદન કરો અને મૌન ત્યાગો.’
કેવલી ભગવંતના વચને કુમારે વિધિપૂર્વક વંદન કર્યું - કરાવ્યું. આથી વિસ્મય પામેલા રાજાએ પૂછ્યું, ‘ભગવન્ ! આ શું ?’ ત્યારે કેવલીએ પૂર્વભવનો સર્વ વૃત્તાંત કહ્યો. ચિત્તમાં આશ્ચર્ય પામેલ રાજાને થયું, ‘અહો ! સંસાર આવો છે. તેમ છતાં મને વૈરાગ્ય કેમ નથી થતો.' પછી કેવલીને જ પૂછ્યું કે, ‘ભગવન્ ! મને વૈરાગ્ય ક્યારે થશે ?' કેવલીએ કહ્યુ, ‘જ્યારે તું ચંદ્રાવતીના પુત્રને જોઇશ ત્યારે તને વૈરાગ્ય થશે.' દેશના પૂર્ણ કરી કેવલી ભગવાને વિહાર કર્યો.
આ બાજુ મૃગધ્વજ રાજા સુખેથી પ્રજાનું પાલન કરતા હતા. એક દિવસ રાજાને વિચાર આવ્યો, ‘ચંદ્રાવતીને પુત્ર ન થયો અને મને વૈરાગ્ય પણ ન થયો.' તે જ સમયે એક કુમારે આવીને રાજાને નમસ્કાર કર્યો. રાજાએ પૂછ્યું, ‘તું કોણ છે ?’ ત્યારે આકાશવાણી થઇ કે, ‘આ ચંદ્રાવતીથી થયેલો તારો પુત્ર છે. જો તને સંદેહ હોય તો ચંપકવનમાં યશોમતિ યોગિનીને પૂછ.'
આથી, રાજા અશ્વ પર બેસી યોગિની પાસે ગયો. ત્યાં તેણે સંદેહ પૂછ્યો. એટલે યોગિનીએ કહ્યું, ‘રાજન્ ! સાંભળો.'
ચંદ્રા નામની નગરીમાં સોમરાજાને ભાનુમતી રાણીએ એક પુત્ર-પુત્રીના યુગલને જન્મ આપ્યો. તેમનું નામ ચંદ્રાવતી અને ચંદ્રશેખર રાખ્યું. તે બંનેને જાતિસ્મૃતિ થઇ તેમાં પોતાનો યુગલિક તરીકેનો પૂર્વભવ જોઇ બંનેને પરસ્પર કામરાગ ઉત્પન્ન થયો. સોમ રાજા કાળધર્મ પામતાં ચંદ્રશેખરકુમાર રાજા થયો. રાજા થવા છતાં તે પોતાના કર્તવ્યથી વિમુખ થઇ ગયો.
માણસ જ્યારે કર્તવ્યવિમુખ બની જઇ પોતાની માણસાઇ પર પૂળો ચાંપે છે, ત્યારે એ હેવાન બની જઇ, અછાજતાં કાર્યો કરવા પ્રેરાય છે...!
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૪૬
Page #368
--------------------------------------------------------------------------
________________
રાજા ચંદ્રશેખર પણ આજે કર્તવ્યવિમુખ થઈ એક યક્ષની સાધનામાં બેઠો હતો...! એના અંતરમાં વાસનાની જવાળા ભભૂકી ઊઠી હતી અને એની આ ઉપાસના પણ વાસનાની પૂર્તિ માટે જ હતી...!
એને બીજું કાંઈ જોઈતું ન હતું. એને તો જોઇતી હતી એ ચંદ્રાવતી...! રાતદિવસ આંખ સામે ચંદ્રાવતીનાં જ સ્વપ્ન આવતાં હતાં !
ચંદ્રાવતીને રાજા મૃગધ્વજ સાથે પરણાવી હતી ને ચંદ્રશેખરને રાજકન્યા યશોમતી સાથે પરણાવ્યો હતો.
ચંદ્રાવતી ચંદ્રશેખરની સગી બહેન હતી. છતાં અગાધ પ્રેમના બંધનમાં બંધાયેલ એ ચંદ્રશેખર પોતાની યશોમતીને વીસરી જઇ બહેન ચંદ્રાવતીને હૃદયથી ચાહતો હતો ! અને ચંદ્રાવતી પણ ચંદ્રશેખરને જ ચાહતી હતી !
પણ જ્યાં સુધી રાજા મૃગધ્વજ જીવંત હોય ત્યાં સુધી આ શક્ય જ ન હતું !
રાજા મૃગધ્વજ સાથે સંગ્રામ ખેલી એનું રાજય ઝૂંટવી લેવું એ પણ રાજા ચંદ્રશેખર માટે કંઈ સહેલું ન હતું
અંતે એણે કો'ક દેવની સાધના કરી, પોતાની વાસનાની પૂર્તિ કરવાનો નિર્ણય લીધો હતો !
એકાંતમાં બેસી એણે એક ચિત્તે જપ આદર્યો હતો. જપ સાથે તપ પણ એણે આદર્યો હતો. જપ વગર તપની સિદ્ધિ થવી મુશ્કેલ હતી...!
લાગલગાટ જાપને અંતે રાજા ચંદ્રશેખરને સિદ્ધિના એંધાણ નજરે પડ્યાં...! સાધનાની છેલ્લી રાતે સાધનાનો અધિષ્ઠાયક પ્રસન્ન થઇ એની સામે પ્રગટ થયો...!
ત્યારે, ચંદ્રશેખરે કહ્યું, “જો તું પ્રસન્ન થયો હોય તો, મને બીજું કાંઈ જોઈતું નથી. એક જ તું મને મારી ચંદ્રાવતી આપ...!”
રાજનું ! ચંદ્રાવતી તો એમ હું શી રીતે આપી શકું? પણ તું કહેતો હોય તો તને એક એવું સિદ્ધઅંજન આપું કે એ અંજન આંજવાથી તું સહુને જોઈ શકે, તને કોઇ ન જોઈ શકે...! એ અંજનથી તું અદ્રશ્યપણે ચંદ્રાવતી સાથે યથેચ્છ સુખ ભોગવી શકીશ.”
આટલું કહી ચંદ્રશેખરના હાથમાં અંજન આપી એ યક્ષ અંતર્ધાન થઈ ગયો...!
સાથે સાથે એટલું કહી ગયો... કે ચંદ્રાવતીથી ઉત્પન્ન થનાર પુત્રને જ્યાં સુધી મૃગધ્વજ નહિ જુએ ત્યાં સુધી આ બધી તારી વાત ગુપ્ત રહેશે. જે દિવસે એ પુત્રને મૃગધ્વજ રાજા જોશે ત્યારે બધીય વાત ખુલ્લી પડી જશે માટે ધ્યાન રાખજે...!
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૩૪૭
Page #369
--------------------------------------------------------------------------
________________
ચંદ્રશેખરની પ્રસન્નતાનો પાર ન રહ્યો. એ અંજન આંજી ચંદ્રાવતીના મહેલમાં જઈ ચંદ્રાવતી સાથે યથેચ્છ વિલાસ કરવા માંડ્યો...!
આ રીતે દરરોજ ચંદ્રશેખર ગુપ્તપણે મહેલમાં આવી પોતાની વાસનાની પૂર્તિ કરતો. રાજા મૃગધ્વજ આ વાતથી સાવ અજાણ હતો...!
સમય જતા ચંદ્રાવતીએ ગુપ્તપણે એક પુત્રને જન્મ આપ્યો ને એનું નામ ચન્દ્રાંક પાડ્યું. ચંદ્રશેખરે ચન્દ્રાંકને લઇ જઇ પોતાની રાણી યશોમતીને સાચવવા સોંપી દીધો...!
યશોમતી પોતાના પતિને પોતાનાથી વિરક્ત બની ચંદ્રાવતીમાં અનુરક્ત થયેલા જાણતી હતી. છતાં સમભાવે બધું સહેતી હતી અને ચન્દ્રાંકને પોતાના જ પુત્રની જેમ પ્રેમથી ઉછેરતી હતી...!
ચંદ્રશેખર તો.. ચંદ્રાવતીની પાછળ પાગલ બની વર્ષોથી ત્યાં જ રહેતો. કોકવાર પોતાને ત્યાં આવતો હતો...!
આ બાજુ ચન્દ્રક પણ મોટો થઇ ગયો હતો. દેવકુમાર જેવું એનું રૂપ હતું. પતિ વિરહિણી યશોમતીને પુત્ર ચન્દ્રાંકના યૌવનને જોઇ એક પાપ વિચાર આવી ગયો...!
અને એણે ચન્દ્રાંકને પોતાનો વિચાર દર્શાવ્યો ! ચન્દ્રાંક તો એકદમ હેબતાઇ જઈ બોલ્યો, “માં ! તું આ શું બોલે છે ?'
ત્યારે યશોમતીએ કહ્યું, ‘હું ક્યાં તારી મા છું. તારી મા તો ચંદ્રાવતી છે ને તારો બાપ મૃગધ્વજ છે...!!
એ જ વખતે ચન્દ્રાંક મા-બાપની શોધમાં નીકળી પડ્યો. ને એક દિવસ રાજા મૃગધ્વજ પાસે આવી પહોંચ્યો.
યશોમતી યોગિની બની તીવ્ર તપ કરવા લાગી. તપના પ્રભાવે એને અવધિજ્ઞાન થયું, તે હું યશોમતી યોગિની છું. હે રાજન્ ! અવધિજ્ઞાનથી જાણી આ સર્વ વૃત્તાંત મેં તમને કહ્યો.
જયારે ચંદ્રશેખરે ચન્દ્રાંકને મૃગધ્વજ પાસે બેઠેલો જોયો, ત્યારે એને યક્ષનું વચન યાદ આવ્યું ને એ ભાગી છૂટ્યો.
રાજા મૃગધ્વજને બધી વાતની ખબર પડી ત્યારે એમને ગુસ્સો આવ્યો, પણ યોગિનીએ સંસારસ્વરૂપ સમજાવવાથી વૈરાગ્ય થયો. એમણે કોઇને આ વૃત્તાંત કહ્યો નહિ અને પોતે નક્કી કર્યું કે હવે સંસારમાં રહેવું નથી...! આથી પોતાના મોટા પુત્ર શુકરાજને રાજય સોંપી સંયમ લીધું. ચન્દ્રાંકે પણ પિતાની સાથે જ સંયમ લીધું.
હવે, શુકરાજ રાજા બન્યા. થોડા વર્ષોમાં તો એણે પોતાના કેંક શત્રુને જીતી લઇ ચારેબાજુ પોતાની કીર્તિ પ્રસરાવી દીધી.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૪૮
Page #370
--------------------------------------------------------------------------
________________
હજી ચંદ્રશેખરનું ચિત્ત ચંદ્રાવતીમાં જ ભમતું હતું. ગમે તે રીતે એ શુકરાજનું રાજય પચાવી પાડવા માંગતો હતો, પણ એનો કોઇ દાવ લાગતો નહિ...!
અંતે એણે ફરી એ જ રસ્તો લીધો. સાધનાની ધૂણી ધખાવી ફરી એ યક્ષરાજની સિદ્ધિ કરવા બેઠો...!
આ વખતની સાધના પણ વાસનાની વેદી પર જ મંડાઈ હતી...! એ જયારે સાધનામાં બેસતો ત્યારે મંત્રદેવને નીચે ઉતાર્યા વિના જંપતો નહિ...!
ત્રણ દિવસની સાધનાને અંતે ફરી એક દેવને એણે વશ કરી લીધો...! દેવે પ્રસન્ન થઈ પૂછ્યું, “ચંદ્રશેખર ! તારે શું જોઈએ છે...? જે જોઇએ તે માંગી લે.'
ચંદ્રશેખરે કહ્યું, “મારે તો જોઇએ છે શુકરાજનું રાજ. એ માટે જ મેં તારી સાધના કરી છે.'
રાજનું ! સિંહની સામે પડી સિંહને કોઈ જીતી શકે.? શુકરાજ તો સમ્યગુષ્ટિ છે. એનું રાજ હરણ કરવાની તાકાત મારામાંય નથી. હા, જરૂર બળથી નહિ પણ કળથી તું એનું રાજ્ય ભોગવી શકે એવો એક ઉપાય બતાવું. જ્યારે રાજા શુકરાજ રાજ્ય છોડી ક્યાંક બહાર ગયો હોય ત્યારે એના રાજયમાં યુક્તિથી પ્રવેશ કરી લેવો. મારા પ્રભાવથી તારું રૂપ બરાબર શુકરાજ જેવું જ થઈ જશે. લોકો સમજશે કે તું પોતે શુકરાજ જ છે.”
આટલું કહી દેવ અદ્રશ્ય થઈ ગયો. ચંદ્રાવતીને પણ ગમે ત્યાંથી આ બધી વાતની ખબર પડી ગઈ. એટલે એ પણ રાહ જ જોતી હતી કે શુકરાજ ક્યારે બહાર જાય ને હું ચંદ્રશેખરની સાથે મનમાની મોજ માણું...!
આ બાજુ ઘણા દિવસથી શુકરાજની ઇચ્છા તીર્થયાત્રાએ જવાની હતી, પણ રાજકાજને છોડી જઈ શકતો નહિ. એમાં એક દિવસ તીર્થયાત્રાએ જવાની એની ઉત્કંઠા ખૂબ જ વધી ગઇ, એટલે કોઇને કહ્યા વિના શુકરાજ પોતાની બે પત્નીઓને સાથે લઈ વિમાનમાં બેસી તીર્થયાત્રા માટે નીકળ્યો.
બરાબર લાગ જોઇ ચંદ્રાવતીએ આ સમાચાર ચંદ્રશેખરને પહોંચતા કરી દીધા.
ચંદ્રશેખર યોગ્ય સમય જોઈ ત્યાં આવી પહોંચ્યો, કે તરત તેનું રૂપ શુકરાજ જેવું થઈ ગયું...!
એણે આવતાંની સાથે... હાહાકાર કરી મૂક્યો... દોડો... દોડો... મારી પ્રિયાનું હરણ કરી કોઈ વિદ્યાધર હમણાં જ અહીંથી આકાશમાં ઊડી ગયો છે.
શુકરાજનો પોકાર સાંભળી બધા મંત્રીઓ વગેરે ત્યાં આવી પહોંચ્યા ને પૂછયું કે... તમને તો વિદ્યાધરે કંઈ કર્યું નથી ને.?
શ્રી શત્રુંજય માહામ્ય સાર ૩૪૯
Page #371
--------------------------------------------------------------------------
________________
શુકરાજે કહ્યું : “ના.” એટલે મંત્રીઓ ખુશ થઈ પોતાના સ્વામી શુકરાજને મહેલમાં લઈ આવ્યા.
મંત્રીઓને ક્યાં ખબર હતી કે આ તો માયાવી શકરાજ છે !
શુકરાજના રૂપમાં રહેલ ચંદ્રશેખર હવે તો ચંદ્રાવતી સાથે ખૂબ મોજ માણવા લાગ્યો...!
સાચો શુકરાજ તો તીર્થ યાત્રા કરવા ગયો હતો. થોડા દિવસ એણે યાત્રામાં ગાળ્યા. પોતાની બંને પ્રિયાઓને એમના માતા-પિતા સાથે મેળાપ કરાવી, હવે પાછો ફરતો હતો.
આ બાજુ ગવાક્ષમાં બેઠા બેઠા ચંદ્રશેખરે જોયું કે શુકરાજનું વિમાન આવી રહ્યું છે એટલે એણે ફરી હાહાકાર મચાવી મૂક્યો ને કહ્યું કે જે વિદ્યાધરે મારી સ્ત્રીઓને હરી લીધી હતી તે વિદ્યાધર મારું રૂપ લઈને નગરના ઉપવનમાં આવ્યો છે !
એ બહુ બળવાન છે. માટે તમે જઈ એને સમજાવીને પાછો વાળો, “નહિ તો આપણા નગરનું સત્યાનાશ નીકળી જશે !”
શુકરાજની આજ્ઞા થતાં તરત જ રાજય કર્મચારીઓ, મંત્રીઓ અને સેનાધ્યક્ષ વગેરે ઉપવનમાં ગયા ને જોયું તો ઉપવનની વચોવચ વિમાન ઊભું હતું...! શુકરાજની બે પ્રિયાઓ પણ ત્યાં જ બેઠી હતી. એટલે સહુ ત્યાં ગયા...!
સહુને પોતાની તરફ આવતાં જોઈ રાજા શુકરાજ વિમાનમાંથી ઉતરી એક આમ્રવૃક્ષ નીચે આવીને બેઠા...!
ત્યાંજ મંત્રી વગેરે બધાએ ત્યાં આવીને પ્રણામ કરીને કહ્યું : “ઓ ! અનેક વિદ્યાઓના સ્વામી વિદ્યાધરેન્દ્ર...! આપની શક્તિની કોઇ અવધિ નથી, આપે આપની વિદ્યાથી અમારા સ્વામી શુકરાજની બે પ્રિયાઓનું હરણ કરી લીધું છે...!”
અમારા સ્વામીએ વિનયપૂર્વક આપશ્રીને કહેવડાવ્યું છે કે, “આપે જે કર્યું તે ભલે કર્યું, પણ હવે આપ આપના મૂળ સ્થાને જાવ. એટલી અમારી વિજ્ઞપ્તિ છે.'
શુકરાજ તો આ સાંભળીને છક જ થઇ ગયો. એને થયું કે શું મંત્રીને ભૂત-પ્રેત કે પિશાચનો વળગાડ થયો છે કે જેથી કલ્પનામાંય ન આવે એવું બધું આ બોલે છે...!
શુકરાજે અવાજમાં જરા જોર લાવી કહ્યું : “મંત્રીશ્વર ! શુકરાજ તો હું પોતે છું.'
મંત્રીશ્વરે કહ્યું : “કૃપાનિધિ...! શા માટે આપ મને ઠગો છો...? અમારા સ્વામી શુકરાજ તો રાજપ્રાસાદમાં બિરાજે છે. આપ તો એમનું રૂપ લઈને આવ્યા છો. વધારે શા માટે બોલાવો છો...?'
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૫૦
Page #372
--------------------------------------------------------------------------
________________
શકરાજને થયું, ‘વાત તદ્દન સાચી છે. નીતિનાં શાસ્ત્રો સાદ દઇને કહેતાં આવ્યા છે કે, ‘રાજ્ય, ભોજન, શય્યા-ગૃહ, સ્ત્રી વગેરે દ્રવ્ય શૂન્ય થઇ જાય તો સમજી રાખવું કે એનો વિનાશ છે
સાચે જ નીતિનો એ સાદ ન સાંભળવાના કારણે આજે મારે મારું રાજ્ય મૂકવાનો વખત આવ્યો છે.
હા, ધારું તો વિદ્યાના બળથી હમણાં મારું રાજ્ય હું લઇ શકું એમ છું. પણ એમાં તો ભરમમાં ભરમાયેલી જનતા બોલશે કે અસલી શુકરાજને મારી નકલી શુકરાજ રાજ્ય કરી રહ્યો છે. છતાં, છેલ્લે શુકરાજે તથા તેની સ્ત્રીઓએ મંત્રીને ઘણા સંકેતો બતાવ્યા, પણ શુકરાજના વચન પર કોઇએ વિશ્વાસ મૂક્યો નહિ ! અંતે માનભ્રષ્ટ થયેલ શુકરાજે નક્કી કર્યું કે અવિશ્વાસુ પ્રજા પર રાજય કરવા કરતાં તો અહીંથી ચાલ્યા જવું સારું છે. એટલે તરત જ પોતાની સ્ત્રીઓને લઇને એણે વિમાન આકાશમાં ઊડતું મૂક્યું !
આ બાજુ મંત્રી વગેરે ખુશ થઇ નગરમાં ગયા ને બધી વાત શકરાજને કહી. શુકરાજના રૂપમાં રહેલ ચંદ્રશેખર ખૂબ ખુશ થયો !
ઘણીવાર અસલી કરતાં નકલી ચઢી જાય છે એ આનું નામ...! માનભ્રષ્ટ થયેલ શુકરાજે સ્ત્રીઓના કહેવા છતાં સસરાના નગર તરફ ન લઇ જતાં લજ્જાથી વિમાનને... ખૂબ દુર લઇ જઇ એક નિર્જન વનમાં ઉતાર્યું...!
શુકરાજ પોતે પણ મોટો વિદ્યાધર હતો. એની પાસે પણ વિદ્યાઓ કમ ન હતી. એટલે ગમે તેવા નિર્જન વનમાં પણ વિદ્યાના બળથી એ ભોજન-ભોગ સામગ્રીને હાજર કરી શકતો !
આ રીતે ફરતાં ફરતાં એણે છ મહિના તો શૂન્ય વનોમાં જ વિતાવ્યા...! એમાં એકવાર સૌરાષ્ટ્ર તરફ જવાની ઇચ્છા થતાં એ એનું વિમાન સૌરાષ્ટ્ર તરફ લઇને ચાલ્યો !
પણ અચાનક આ શું ? થોડેક દૂર સૌરાષ્ટ્રની હદમાં પ્રવેશ કર્યો કે શુકરાજનું વિમાન ગોથા ખાવા માંડ્યું ને અટકવા માંડ્યું...!
એક તો શુક૨ાજનું ચિત્ત અસ્વસ્થ તો હતું જ. એમાં વળી વિમાનની ગડમથલથી વધુ અસ્વસ્થ થવા માંડ્યું. એટલે શકરાજે પોતાનું વિમાન ત્યાં ને ત્યાં નીચે ઉતાર્યું ને વિમાનમાંથી બહાર આવી આજુબાજુ દૃષ્ટિ નાખી જોવા માંડ્યું.
ત્યાં તો એની ષ્ટિ થોડાં જ ડગલાં દૂર સુવર્ણ કમળ ઉપર બેઠેલ કૈવલ્યની જ્યોતિ જેમણે પ્રગટાવી દીધી છે એવા મૃગજમુનિ પર પડી... આ રીતે શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૫૧
Page #373
--------------------------------------------------------------------------
________________
શૂન્યાવસ્થામાં પોતાના જ પિતા-મુનિને જોઇને શુકરાજ બધું દુઃખ ભૂલી જઈ તરત જ પોતાની પ્રિયાઓને લઇ પિતા-મુનિ પાસે પહોંચી ગયો ને વંદન કરી પોતાની દુઃખદ પરિસ્થિતિ અને પોતાના પર આવેલી આફત જણાવતાં એ રડી પડ્યો...!
દુઃખનો એ સ્વભાવ છે કે સ્વજન મળતાં હૃદયમાં દુઃખ એકદમ ઉભરાઈ આવે છે...!
મૃગધ્વજ મુનિ તો કેવલી હતા. એ આ બધું પોતાના જ્ઞાનચક્ષુથી પહેલાં જ જાણતાં હતાં. ચંદ્રશેખર અને ચંદ્રાવતીને ય એ તો નખશિખ પિછાણતા હતા. છતાં શુકરાજ આગળ મુનિએ એ સંબંધી કંઈ વાત ન કરી...!
કારણ કૈવલ્ય જ્યોતિર્મય મુનિ પૂછ્યા વિના કોઇની ગુપ્ત વાત કોઈનેય કહેતા નથી. જગત સ્વભાવથી સાવ ઔદાસિન્ય એ જ એ જ્ઞાનનું પરમ ફળ છે...!
મૃગધ્વજ મુનિએ રડતાં શુકરાજને કહ્યું. એમાં રડવાનું શું હોય ? આ તો કર્મની વિચિત્રતા છે. કર્મની વિચિત્રતાને ટાળવાની તાકાત એક ધર્મ સાથેની મિત્રતામાં જ છે.
છતાં શુકરાજના આંસુ ન અટક્યાં તે ન જ અટક્યાં. ઘણાં દિવસનું ભેગું થયેલું દુઃખ આજે આંખ વાટે બહાર નીકળતું હતું...!
શુકરાજનું હૃદય એકદમ ભરાઈ આવતાં એ તો બાળકની જેમ પોતાના પિતામુનિના પગને વળગી પડ્યો ને કરગરતા સ્વરે કહ્યું : “આપ જેવા પૂજય પિતાશ્રી હાજર હોય છતાં મારું રાજ્ય કેમ લૂંટાય.. ? પ્રકાશ હાજર હોય છતાં અંધકાર રહે તો પછી થાય શું...? કલ્પવૃક્ષ સમાન આપ મારી સામે હાજર છો.. છતાં હું મારા રાજયને પ્રાપ્ત ન કરી શકું તો કામનું શું...?'
મૃગધ્વજ મુનિએ, શુકરાજને સાંત્વન આપતાં કહ્યું : “રાજનું...! ધર્મ એક એવી વસ્તુ છે જે જગતની કોઈ પણ અસાધ્ય વસ્તુને સાધ્ય બનાવી શકે છે. રાજન્ ! ગભરાવાની જરૂર નથી. અહીંથી થોડે જ દૂર વિમલાચલ નામનું મહાતીર્થ છે. ત્યાંના તીર્થનાયક આદિનાથ ભગવાનના ભાવપૂર્વક દર્શન કરી તે પર્વતની ગુફામાં પરમેષ્ઠી મહામંત્રનો છ મહિના સુધી જાપ કરવામાં આવે તો કોઈ વસ્તુ એવી નથી કે જે સાધ્ય ન બને. જે દિવસે જાપ કરતાં ગુફામાં ચારે બાજુ પ્રકાશ પ્રકાશ પથરાઈ જાય તે દિવસે સમજવું કે સિદ્ધિ થઈ ગઈ છે. ગમે તેવા અજેય શત્રુને જીતવાનો આજ એક ઉપાય છે.”
શુકરાજ આ સાંભળી ખુશ થઈ ગયો. કેટલાંય દિવસની એની નિરાશા આજ આશામાં ફેરવાઇ ગઇ...!
મૃગધ્વજ મુનિનો હાર્દિક ઉપકાર માની એ તરત જ પોતાનું વિમાન વિમલાચલ પર્વત તરફ લઈ ગયો..! વિમલાચલની તળેટીમાં વિમાન ઉતારી એ પૂર્ણભક્તિ સાથે વિમલાચલ પર ચઢ્યો. તીર્થનાથનાં દર્શન કર્યા. એણે એ દિવસે અપૂર્વ આનંદ
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૫ર
Page #374
--------------------------------------------------------------------------
________________
અનુભવ્યો...! બીજા દિવસથી એની સાધનાની શરૂઆત હતી. પર્વતની ગુફામાં જઇ એણે પલાંઠી લગાવી આયંબિલના તપ સાથે સાધનાની શરૂઆત કરી. સાધના પણ કેવી આકરી હતી. છ-છ મહિનાની લાગલગાટ સાધનામાંથી શુકરાજને પાર ઉતરવાનું હતું...! અને એ ઉતરી પણ ગયો..!
બરાબર છ મહિના જયાં પુરા થયા ત્યાં જ તેની અંધારી ગુફામાં ચારેબાજુ પ્રકાશ પ્રકાશ પથરાઈ ગયો !
બસ બરાબર એ જ વખતે સાવ નિસ્તેજ ને મહિમાહીન બની ગયેલ ચંદ્રશેખરની ગોત્ર દેવીએ ચંદ્રશેખરને જઈને કહી દીધું... કે તને આપેલું શકરાજનું રૂપ હવે નષ્ટ થાય છે. તારે જ્યાં જવું હોય ત્યાં જતો રહે...!
આ બાજુ ગુફામાં પ્રકાશ થવાથી શુકરાજ સમજી ગયો કે, “હવે કાર્યની સિદ્ધિ થઈ ગઈ છે.” એટલે તીર્થનાથની પરમપવિત્ર મૂર્તિને પ્રણામ કરી શકરાજ વિમાનમાં બેસી પોતાના નગર તરફ ચાલ્યો.
થોડી જ વારમાં એ ત્યાં પહોંચી ગયો. ત્યાં તો શકરાજનું રૂપ નાશ પામી ગયું હતું. ચંદ્રશેખર મૂળરૂપમાં આવી ગયો હતો...!
એટલે મંત્રીઓએ આવેલ શુકરાજને સહર્ષ વધાવી લીધો ને ત્યારે જ સહુને ખબર પડી કે... આજ સુધી રાજ કરનાર શુકરાજ બનાવટી હતો ! પણ એ બનાવટ કરી જનાર કોણ હતું એની કોઇને ખબર ન હતી...!
મહારાજ શુકરાજે પોતાના નગરમાં આવી તરત જ થોડા દિવસમાં પોતે જે તીર્થના પ્રભાવે જીત્યો હતો એ તીર્થની યાત્રા કરવાનો નિર્ણય કર્યો ને પોતાના મંત્રી, સામંતો તથા વિદ્યાધરો વગેરેને લઈ વિમાનો સાથે એ વિમલાચલ તરફ આગળ વધ્યો. ચંદ્રશેખર પણ સાથે જ હતો.
દૂરથી દેખાતાં વિમલાચલનાં સોનેરી શિખરોને ભાવપૂર્વક પ્રણામ કરી એ સહુ સાથે પરમપાવન તીર્થાધિરાજ ઉપર ચડ્યો... તીર્થાધિરાજ ઉપર ચઢી એણે પોતાના તમામ માણસોને આજ્ઞા ફરમાવી દીધી કે આ તીર્થાધિરાજ ઉપર પરમેષ્ઠી મહામંત્રના જાપ દ્વારા હું મારા અજેય શત્રુને જીત્યો છું. માટે આજથી બધાંએ આ તીર્થને “શત્રુંજય તીર્થ' કહી બિરદાવવું. બસ એ જ વખતે સહુ બોલી ઉઠ્યા : “જય શત્રુંજય...!”
એ દિવસથી વિમલાચલતીર્થ શત્રુંજય તરીકે પ્રસિદ્ધિમાં આવ્યું.
પાપાત્મા ચંદ્રશેખરનું હૈયું પણ હવે પીગળી ઊઠ્યું હતું. પશ્ચાત્તાપનો પાવક એના અંતરને પણ સ્પર્શી ગયો હતો. એણે મૃગધ્વજ મુનિ પાસે સંયમ લઈ એ જ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૫૩
Page #375
--------------------------------------------------------------------------
________________
પરમપાવન તીર્થાધિરાજ ઉપર આકરા તપ આદર્યા ને અંતે આત્મામાં પરમાત્મજયોતિ પ્રગટાવી દીધી...!
શુકરાજા પણ પુત્રને રાજ્ય સોંપી, બે હજાર રાજાઓ સાથે સંયમ લઇ, નિરતિચાર ચારિત્ર પાળી શત્રુંજય ઉપર મોક્ષે ગયા.
| | કૃતિ શત્રુય: નારિ ગુરાનથી II (૪) સિદ્ધક્ષેત્ર' નામનું આલંબન દંડવીર્યરાજા શત્રુંજય તીર્થે જતાં જે અહીંથી પસાર થશે તે સર્વ યાત્રિકોને ભક્તિપૂર્વક ભોજન આપી, સન્માન કરીને પછી જ મારે જમવું.' આવો અભિગ્રહ દંડવીર્ય રાજાએ ગ્રહણ કર્યો છે. આ રાજા શ્રી ભરત ચક્રવર્તીની વંશપરંપરાના આઠમા રાજા છે. ત્રિખંડ ભારતના અધિપતિ છે. એમને પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ કરવા દેવો પણ સમર્થ થાય નહિ એવા તે સાત્ત્વિક છે.”
આ પ્રમાણે સૌધર્મ ઇન્દ્ર પોતાની સભામાં દંડવીર્ય રાજાની પ્રશંસા કરી રહ્યા છે. તે સહન નહિ થવાથી એક દેવ તે રાજાની પરીક્ષા કરવા સ્વર્ગમાંથી અયોધ્યા નગરીમાં આવ્યો. તે સમયે..
દંડવીર્યરાજા જિનપૂજા આદિ કાર્યોથી નિવૃત્ત થઈ જમવા બેઠા. હજી કોળીયો મુખમાં મૂકવાની તૈયારી કરે છે એટલામાં કોઇક સેવકે સમાચાર આપ્યા કે નગરની બહાર શત્રુંજય તરફ જતો મોટો સંઘ આવ્યો છે. રાજા કોળીયો નીચે મૂકી, ઉભા થઇને સંઘને બોલાવવા ગયા. ભક્તિથી નિમંત્રણ કરી સંઘને જમાડ્યો. તેટલામાં વળી બીજો મોટો સંઘ આવ્યો. આ સંઘ જમાડતાં સૂર્યાસ્ત થઈ ગયો. વળી સવારે બીજો સંઘ આવ્યો. તે સંઘ જમી રહ્યો ત્યાં ફરી બીજો સંઘ આવ્યો. આમ... સંઘોને જમાડતાં જમાડતાં સૂર્યાસ્ત થયો. આ રીતે... એક, બે, ત્રણ... એમ કરતાં નહિ જમેલા રાજાના સાત દિવસ વ્યતીત થયા.
આટલું થવા છતાં દંડવીર્યરાજાને ભક્તિમાં સ્થિરચિત્તવાળા જાણી દેવ પ્રગટ થયો. રાજાની પ્રશંસા કરી, સાત ચિંતામણિરત્નો આપી સ્વસ્થાને ગયો. આ પ્રસંગથી દંડવીર્યરાજા વિશેષે કરીને શત્રુંજય પ્રત્યે ભક્તિવાળો થયો.
એક અવસરે રાજાને તીર્થયાત્રાએ જવાની ભાવના થઇ. તેથી છ'રી પાલિત સંઘ સહિત જવાની રાજાએ તૈયારી કરી. ૧૬ હજાર રાજાઓ, પાંચ કરોડ શ્રેષ્ઠીઓ, ૨૦ કરોડ મનુષ્યો, ૭૨ કરોડ સ્ત્રીઓ, ૭૦૦ સોનાના જિનાલયો, ૧૧૦૦ રૂપાના જિનાલયો, ૨૦ કરોડ રથ વગેરે સામગ્રી સહિત રાજાએ શત્રુંજય તરફ પ્રયાણ કર્યું.
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૩૫૪
Page #376
--------------------------------------------------------------------------
________________
શત્રુંજયે પહોંચીને સ્નાત્રપૂજા, ધ્વજારોપણ આદિ ખૂબ ઉલ્લાસપૂર્વક કર્યું. તે સંઘ ત્યાં રહ્યો હતો ત્યારે સંઘના સાત કરોડ પુરુષો અને સાત કરોડ સ્ત્રીઓ ત્યાં મુક્તિ પામ્યા. આવી રીતે સહજમાં સિદ્ધિગતિ પ્રાપ્ત થતી જોઈ દંડવીર્યરાજાએ સિદ્ધક્ષેત્ર’ એવું નામ આપ્યું.
રાજા યાત્રા કરીને પોતાના નગરમાં ગયા. ત્યાં પોતાના પુત્રને રાજય આપી, પોતે સંયમ લીધું. અનુક્રમે કેવલજ્ઞાન પામી સિદ્ધક્ષેત્રમાં મુક્તિ પામ્યા.
સિદ્ધક્ષેત્ર: રાત્રિ ૩ વીર્થરાના II J (૫) “પુંડરીકગિરિ' નામનું આલંબન પુંડરીકસ્વામી
ચાલ આવવું છે ? તો જલ્દી કર.” એક ભાઈ પોતાના મિત્રને કહી રહ્યા છે. ત્યારે મિત્ર પૂછે છે, ક્યાં એ તો કહે.'
અરે ! તને ખબર નથી ? પ્રભુ ઋષભદેવને કૈવલ્યપ્રાપ્તિ થઈ છે. દેવો-દેવેન્દ્રો કેવલજ્ઞાન મહોત્સવ કરવા આવ્યા છે. સમવસરણની રચના થશે. પ્રભુ દેશના આપશે.'
ઓહો..! ચાલ ચાલ હું તૈયાર જ છું.” બંને મિત્રો વિશાળ જનસમુદાયની સાથે સમવસરણ નજીક પહોંચી ગયા અને છેવટે સમવસરણમાં બાર પર્ષદામાં યોગ્ય સ્થાને ગોઠવાઈ ગયા.
પરમાત્માએ દેશના આપી. અનેક ભવ્યાત્માઓ વૈરાગ્યવાસિત બન્યા. સંયમ લીધું. તેમાં ભરત મહારાજાના પુત્ર ઋષભસેન=પુંડરીકે પણ સંયમ લીધું. પ્રભુએ ત્રિપદી આપી. પુંડરીકનો ક્ષયોપશમ તીવ્ર થયો. દ્વાદશાંગી રચી. પ્રભુએ પ્રથમ ગણધર તરીકે તેમની સ્થાપના કરી. ઋષભસેન ગણધર પુંડરીકસ્વામી તરીકે જ પ્રખ્યાત થયા. પ્રભુ સાથે વિચરવા લાગ્યા.
એક દિવસ પુંડરીકસ્વામીએ પ્રભુને પૂછ્યું... “ભગવન્! મારો મોક્ષ ક્યારે અને ક્યાં થશે ?'
ભગવાને કહ્યું, ‘તારો મોક્ષ ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે, શત્રુંજયના સૌથી ઉંચા શિખર ઉપર (તંગ પર્વત પર) પાંચ કરોડ મુનિઓની સાથે થશે.”
આ સાંભળી, પ્રભુની આજ્ઞાઈ પુંડરીકસ્વામી વિચરતા વિચરતા સૌરાષ્ટ્રમાં સિદ્ધગિરિની છાયામાં પધાર્યા. ત્યાં પાંચ કરોડ મુનિઓની સાથે અનશન વ્રત લીધું. ચૈત્રી પુનમના દિવસે કેવળજ્ઞાન પામી એ જ દિવસે નિર્વાણ પામ્યા. દેવોએ આવીને મહોત્સવ કર્યો. ભરત મહારાજાએ ત્યાં પુંડરીકસ્વામીનું જિનભવન બનાવ્યું. ત્યારે
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૫૫
Page #377
--------------------------------------------------------------------------
________________
દેવોએ ઉદ્ઘોષણા કરી કે.. આ ગિરિ હવે “પુંડરીકગિરિ' કહેવાશે. આ રીતે શત્રુંજયનું પુંડરીકગિરિ નામ પ્રસિદ્ધિ પામ્યું.
| | તિ પુંડરીરિ: નાત્રિ પુંડરીવાસ્વામી તથા /
[ (૬) “સિદ્ધશેખર' નામનું આલંબન પદ્મનૂપ “હે સ્ત્રી! તું શા માટે રડે છે? તને શું દુઃખ છે?” લક્ષ્મીપુરી નગરીના રાજા લક્ષદેવની પ્રીતિમતી નામની રાણીથી ઉત્પન્ન થયેલ પદ્મ નામનો પરોપકારી કુમાર, મધ્યરાત્રિએ સ્ત્રીનું રૂદન સાંભળી રાજમહેલમાંથી બહાર નીકળી, રૂદનને અનુસારે નગરની બહાર જંગલમાં આવી પહોંચ્યો. ત્યાં તેણે એક સ્ત્રીને રડતી જોઇ, રડવાનું કારણ પૂછ્યું.
તે સ્ત્રી બોલી : “હું રાજ્યની અધિષ્ઠાત્રી દેવી છું. વિઘ્નો દૂર કરીને રાજ્યનું રક્ષણ કરું છું. આ રાજયના મંત્રીપુત્ર પુન્યવાન અને સ્વરૂપવાન છે. તેને એક યોગી છળથી આ વનમાં લાવ્યો છે. એને અગ્નિકુંડમાં હોમીને તે યોગી સુવર્ણપુરુષ સાધશે. તે મંત્રીપુત્રને કષ્ટમાંથી ઉગારનાર કોઈ નથી, તેથી હું રહું છું.”
પદ્રકુમારે પૂછયું : “તે યોગી અને મંત્રીપુત્ર ક્યાં છે ?' દેવી બોલી : “આ બાજુ વૃક્ષોની ગીચ ઝાડીમાં છે.'
આ સાંભળી રાજપુત્ર વેગથી ત્યાં ગયો અને યોગીને પડકાર કરી, અગ્નિકુંડમાં હોમી દીધો. તેથી તે સુવર્ણપુરુષ બની ગયો. કહેવત છે કે “ખાડો ખોદે તે પડે.” પછી રાજપુત્રે પાણી છાંટીને અગ્નિ ઠંડો કર્યો. સુવર્ણપુરુષ લઇને એકાંતમાં રાખી દીધો.
આ બાજુ, રાજાને સમાચાર મળ્યા કે મંત્રીપુત્રને કોઇ યોગી લઇ ગયો છે. રાજપુત્ર પણ ક્યાંય ચાલ્યો ગયો છે. તેથી રાજા ખૂબ દુઃખી થયો. તેણે રાજપુત્ર ને મંત્રીપુત્રના સમાચાર આપનારને સો ગામનો ગરાસ આપવાનું જાહેર કર્યું. ત્યારે કોઇક કઠિયારાએ આવીને કહ્યું કે, “મેં રાજપુત્ર તથા મંત્રીપુત્રને જોયા છે.” તત્કાળ રાજા તેને આગળ કરીને જંગલ તરફ ચાલ્યો. ત્યાં માર્ગમાં બંને કુમારો મળ્યા. બધા આનંદિત થયા. કઠિયારાને કહ્યા પ્રમાણે દાન આપ્યું. આ પ્રસંગથી વૈરાગ્ય પામેલા રાજાએ પદ્મકુમારને રાજ્ય ઉપર બેસાડી, સંયમ લઇ, આત્મકલ્યાણ સાધ્યું.
પદ્મરાજા જૈનધર્મી હતો. એણે શત્રુંજયનો મહિમા સાંભળ્યો. આથી સુવર્ણપુરુષના સાંનિધ્યે અપાર જનસમુદાય યુક્ત સંઘ ભેગો કરી શત્રુંજયની યાત્રા કરી. ત્યાં ભવ્ય સ્નાત્રપૂજાદિ મહોત્સવ કર્યો. તે વખતે ત્યાં બિરાજમાન ધર્મઘોષઆચાર્ય બે કરોડ સાધુઓની સાથે મોક્ષમાં ગયા તથા ગિરિધ્યાનના પ્રભાવે રાજાના ૫૦૦
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૫૬
Page #378
--------------------------------------------------------------------------
________________
અંગરક્ષકો પણ મુક્તિ પામ્યા. તે જોઈ રાજાએ “સિદ્ધશેખર' નામ આપ્યું. પદ્મરાજા પણ ત્યાં ભાવના ભાવતાં ભાવતાં તે જ વખતે ત્યાં કેવળજ્ઞાન અને મુક્તિ પામ્યા.
તેના પુત્ર હીરકુમારે સંઘની ધુરા સંભાળી. પિતાનો સિદ્ધ મહોત્સવ કર્યો અને નગરમાં આવી સંઘને શ્રેષ્ઠ પહેરામણી કરી વિસર્જન કર્યો.
| | તિ સિદ્ધશેવર: રાત્રિ પતૃપાથા છે
(૯) “સિદ્ધપર્વત’ નામનું આલંબન હર-હરી
ઓ ભગવદ્ ! અમને લક્ષ્મી પ્રાપ્ત કરવાનો કોઇક ઉપાય બતાવોને. અમે ખૂબ દુ:ખી છીએ.'
શ્રીપુર નગરના ધનદ શેઠના પુત્રો હર અને હરી શ્રીધનેશ્વર સૂરી નામના આચાર્યમહારાજને ખૂબ પ્રભાવશાળી જાણીને, એમની પાસે પોતાનું દુઃખ જણાવે છે. પિતાએ ત્રણ કરોડ ધન પ્રાપ્ત કર્યું હતું. પણ... ધર્મરહિત પિતા એ ધન ક્યાંક નિધાનગત રાખીને મૃત્યુ પામ્યા. બંને પુત્રો વેપારાદિ માટે પ્રયત્ન કરે છે. પણ અભાગ્યના કારણે ખોટ જાય છે. તેથી દુઃખી દુઃખી થઈ ગયા છે. છેવટે જૈન સાધુ દયાળુ અને જ્ઞાની હોય એમ જાણી આચાર્ય ભગવંત પાસે આવ્યા.
આચાર્યમહારાજ કહે છે : અમે અર્થ-કામ ઉપાર્જનની વાતો કહેતા નથી. કારણ કે એમાં ઘણું પાપ છે. તમારે જો દુઃખમુક્ત થવું હોય તો મુક્તિસુખ આપનાર ધર્મમાં ઉદ્યમ કરો.
હર અને હરી બોલ્યા : “ગુરુદેવ ! નિર્ધન એવા અમે શું ધર્મ કરીએ ?
આચાર્યભગવંતે કહ્યું : “શત્રુંજયગિરિનો મહિમા અનંત છે અને દાનધર્મથી અધિક શીલાદિ ધર્મ છે. માટે તમે શત્રુંજયે જાવ ત્યાં નિત્ય એકાસન, ઉભયટંક પ્રતિક્રમણ અને ૩૦૦ વખત પરમેષ્ઠી મંત્રનો જાપ કરજો. તમારું કલ્યાણ થશે.”
ગુરુદેવની વાણી સ્વીકારીને હૈયામાં બહુમાન ધરતા બંને ભાઈઓ શત્રુંજયે આવ્યા અને વિધિપૂર્વક ગુરુએ કહેલું સર્વ કરતાં મરીને પ્રથમ દેવલોકમાં ગયા.
ત્યાં અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વભવ સંભારી શત્રુંજયગિરિની ભક્તિ કરવા આવ્યા. તે વખતે મુકુન્દ નામે રાજા ત્યાં મોટા સંઘસહિત આવ્યો હતો. તેણે ખૂબ ભવ્ય પ્રભુભક્તિ કરી. આ દેવોએ પણ ત્યારે નૃત્યાદિની ભક્તિ કરી. પછી બધા ત્યાં કોઇક કેવળજ્ઞાની મહાત્મા બિરાજમાન હતા તેમની પાસે દેશના સાંભળવા ગયા.
દેશનાને અંતે દેવોએ પૂછ્યું : “અમારી મુક્તિ ક્યાં થશે ?' કેવલીએ કહ્યું, અહીં સિદ્ધગિરિ ઉપર જ તમારો મોક્ષ થશે.” દેવો બોલી ઉઠ્યા, “અહો ! આ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૫૭
Page #379
--------------------------------------------------------------------------
________________
ગિરિરાજ સ્વર્ગ અને મુક્તિ આપવામાં સ્વયં સમર્થ છે. અહીં સર્વ સુખો સિદ્ધ થાય છે. તેથી આ સિદ્ધપર્વત છે.” આ રીતે શત્રુંજયનું “સિદ્ધપર્વત' નામ થયું. સ્વર્ગથી અવીને બંને દેવો મનુષ્ય થઈ, સંયમ લઇ, સિદ્ધપર્વત ઉપર મોક્ષે ગયા.
! રૂતિ સિદ્ધપર્વત: નાન વધુ કથા | (૮) “સિદ્ધરાજ' નામનું આલંબન ચંદ્રચૂડરાજા હે દુષ્ટ ! હે પાપિઇ ! તું શા માટે રાજપુત્રને હણે છે ?' આ પ્રમાણે કહીને એક દયાળુ વિદ્યાધરે બીજા વિદ્યાધરની પીઠમાં મુષ્ટિપ્રહાર કરીને તેને કુર્જ ખુંધવાળો બનાવ્યો. આ રીતે હાડકાં ભાંગી જવાની પીડાથી અત્યંત દુઃખી થતો વિદ્યાધર કરુણ સ્વરે વિલાપ કરવા લાગ્યો. ત્યારે પેલા દયાળુ વિદ્યારે તેને કહ્યું કે... “બીજાને હેરાન કરવા રૂપ દુષ્કૃતનું આ તો અંશમાત્ર ફળ છે. વિશેષ ફળ તો નરકપાત છે. તો તું શા માટે આવું અકાર્ય કરે છે ? અને આ સ્વરૂપવાન કુમાર કોણ છે ?
પેલો દુઃખી વિદ્યાધર બોલ્યો, “આ કલાકેલિનગરના રાજા લક્ષ્મીધર અને લક્ષ્મીવતી રાણીનો પુત્ર ચંદ્રચૂડકુમાર છે. તે મારો પૂર્વભવનો વૈરી છે, તેથી તેનો બદલો લેવા મેં આ અકાર્ય કર્યું છે. પણ... અમારા બંનેના સદ્ભાગ્યે આપ અહીં પધાર્યા. આને જીવિતદાન આપ્યું અને મને પણ પાપકાર્યથી અટકાવીને મોટો ઉપકાર કર્યો છે. હવે હું આના પ્રત્યેનો દ્વેષભાવ ત્યજી દઉં છું. તો આપ પણ કરુણા લાવીને મને પીડામુક્ત કરો.”
તેનાં આવા પશ્ચાત્તાપ અને વિનયવાળા વચનથી સંતોષ પામી દયાળુ વિદ્યાધરે તેને સાજો કર્યો. પીડામુક્ત થયેલા વિદ્યાધરે કુમારને વિદ્યાઓ આપીને મિત્રતા કરી. પછી બંને વિદ્યાધરો કુમારને લઇ તેના નગર તરફ ચાલ્યા.
આ બાજુ રાજપુત્રનું અપહરણ થવાથી દુઃખી થયેલા રાજા ખૂબ શોક કરતા હતા. તે સમયે તે ત્રણે ત્યાં આવી પહોંચ્યા. પુત્રને અક્ષતાંગ આવેલો જોઈ રાજા ખુશ થયો. વૃત્તાંત સાંભળી બંને વિદ્યાધરોનું ઉચિત સન્માન કરી વિદાય આપી.
આ પ્રસંગથી લક્ષ્મીધર રાજાને વૈરાગ્ય થયો અને પુત્રને રાજયધુરા સોંપી, આઠ દિવસના ઉત્સવપૂર્વક સંયમ લીધું. ગુરુભગવંત સાથે વિચરતા લક્ષ્મીધર રાજર્ષિ એક વખત શત્રુંજયગિરિએ પધાર્યા. ચંદ્રચૂડ રાજાને સમાચાર મળતાં તે પણ સંઘસહિત
ત્યાં આવ્યો. તે વખતે લક્ષ્મીધર રાજર્ષિને શુક્લધ્યાન ધ્યાવતા કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ ઉત્સવ કર્યો. દેવકૃત સુવર્ણકમલ ઉપર બેસીને કેવલીએ દેશના આપી.
માહાભ્ય સાર ૩પ૮
Page #380
--------------------------------------------------------------------------
________________
દેશના સાંભળતાં જ બે કરોડ ભવ્યજીવોને કેવળજ્ઞાન થયું તથા તે તીર્થના ધ્યાન વડે બીજા પણ ઘણા લોકોને કેવળજ્ઞાન થયું. તેથી રાજાએ આશ્ચર્યચકિત થઇ કહ્યું કે, આ તો સિદ્ધરાજ પર્વત છે.” આમ, શત્રુંજયનું નામ “સિદ્ધરાજ' વિખ્યાત થયું.
તિ સિદ્ધરાન: ના રઘુડનુકથા I(૯) બાહુબલિ નામનું આલંબન કેલિપ્રિય રાજા
બાહુબલિ કુમારને કેવળજ્ઞાન થયું.” આવો કોલાહલ ચારે તરફ સાંભળી એક નગરજને બીજાને પૂછ્યું, “શું આ સત્ય છે ? કેમ બન્યું આ ?' ત્યારે પેલા નગરજને કહ્યું કે, “ભાઈ ! સાંભળ - આ વાત તદ્દન સત્ય છે.'
‘આપણા નગરના ઉદ્યાનમાં માનમર્દનસૂરિજી નામના આચાર્ય ભગવંત પધાર્યા છે. તેઓ દેશનામાં શત્રુંજયગિરિનો મહિમા સંભળાવી રહ્યા હતા. તે સાંભળીને ગિરિરાજનું ધ્યાન ધરતા બાહુબલિ કુમારના ઘાતકર્મોનો ક્ષય થયો ને કેવળજ્ઞાન થયું.”
હવે, બાહુબલિ કેવલી શત્રુંજયતીર્થ તરફ વિહાર કરે છે. આથી આપણા કલાકેલિનગરના રાજા કેલિપ્રિય અને રાણી કેલિપ્રિયા બધા શત્રુંજયની યાત્રા કરવા જશે.'
આ રીતે સંઘસહિત રાજા કેવલી ભગવંતની નિશ્રાએ શત્રુંજયે પધાર્યા. કેવલીએ ત્યાં દેશના આપી. તે સાંભળતાં સાંભળતાં એક કરોડ આત્માઓ ત્યાં મુક્તિમાં ગયા અને બાહુબલિમુનિ પણ આયુષ્યનો ક્ષય થવાથી ત્યાં મુક્તિમાં ગયા. તેથી રાજાએ આ પર્વતનું નામ “બાહુબલિ' આપ્યું.
અથવા મતાંતરથી ઋષભદેવના પુત્ર બાહુબલિ એક હજારને આઠ મુનિઓ સાથે મોક્ષમાં ગયા. તેથી આ તીર્થનું બાહુબલિ નામ વિખ્યાત થયું.
॥ इति बाहुबलि: नाम्नि केलिप्रियनृपकथा ॥ (૧૦) મરૂદેવ નામનું આલંબન ચંદનરાજા, સ્વામીનાથ ! હું રાત્રીએ સુખપૂર્વક સૂતેલી હતી ત્યારે સ્વપ્નમાં મેં પુષ્પોષી પૂજાયેલા ઋષભદેવ ભગવાનને જોયા.’ મરૂદેવી નામની રાણી પોતાના સ્વામી વીરનગરના રાજા અનંગસેનને આ પ્રમાણે કહે છે, ત્યારે રાજા કહે છે : દેવી ! આપણો પુત્ર પુન્યશાલી થશે.
રાણીએ શુભ દોહલાપૂર્વક ગર્ભનું પાલન કર્યું. ઉચિત સમયે પુત્ર જન્મ્યો. એનું મરૂદેવ નામ રાખ્યું. કામદેવ સરખો કુમાર વૃદ્ધિ પામ્યો. યુવાન થતાં ચંદ્રપુરનગરના
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૫૯
Page #381
--------------------------------------------------------------------------
________________
હરરાજાની પુત્રી કમલા સાથે પરણાવ્યો. દેવપૂજા, ગુરુપાસ્તિ=ગુરુભક્તિ આદિ શ્રાવકના સર્વકાર્યોમાં તે ખૂબ ઉત્સાહવાળો હતો.
અનંગસેનરાજાએ પુત્રને યોગ્ય જાણી રાજ્યારૂઢ કરી, સંયમ લઈ આત્મકલ્યાણ સાધ્યું. સંસારસુખ અનુભવતાં મરૂદેવરાજાને ચંદન નામે પુત્ર થયો. તે પુત્ર યોગ્ય ઉંમરનો થતાં તેને રાજય સોંપી, મરૂદેવરાજાએ વ્રત સામ્રાજય અંગીકાર કર્યું. અનુક્રમે આચાર્ય થયા.
એકવાર મરૂદેવસૂરિજી શિષ્યોની સાથે વિહાર કરતા, શત્રુંજયગિરિએ પધાર્યા. તીર્થના ધ્યાનથી ક્ષપકશ્રેણી માંડી કેવલજ્ઞાન પામ્યા. તેમની સાથે ઘણા મુનિઓ પણ કેવલજ્ઞાની થયા. આયુષ્યને અંતે ગિરિરાજ ઉપર જ અનેક આત્માઓની સાથે મરૂદેવ કેવલી મોક્ષે ગયા. તે સમાચાર ચંદનરાજાને મળ્યા. તેણે ત્યાં આવી પિતામુનિનો નિર્વાણ મહોત્સવ કરીને, તેમની સ્મૃતિમાં ગિરિરાજનું નામ “મરૂદેવ એ પ્રમાણે પ્રસિદ્ધ કર્યું.
ચંદનરાજા પણ પોતાની નગરીમાં રહ્યા છતાં, હૃદયમાં હંમેશા શ્રી સિદ્ધગિરિનું ધ્યાન ધરતાં કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા.
|| કૃતિ : વન્દ્રનાથ છે (૧૧) ભગીરથ નામનું આલંબન ભગીરથકુમાર ત્રણે ભુવનમાં શત્રુંજય જેવું કોઈ તીર્થ નથી.' ઇત્યાદિ માહાભ્યયુક્ત ભગવાન શ્રી અજિતનાથ સ્વામીની દેશના સાંભળીને બીજા ચક્રવર્તી સગરરાજાના પુત્ર ભગીરથકુમારને અત્યંત ઉલ્લાસ થયો. આથી તેણે અયોધ્યાનગરીના રહેવાસી અનેક લોકોનો સંઘ ભેગો કર્યો અને ભક્તિપૂર્વક શત્રુંજયની યાત્રા કરી. ત્યાં તે વખતે કરોડો મુનિઓને શુભ ધ્યાનથી નિર્વાણ પામતા તેમણે જોયા. દેવોએ ગીતનૃત્યાદિપૂર્વક તેમનો સિદ્ધિગમનનો ઉત્સવ કર્યો. આ જોઈ ભગીરથે પણ તે સ્થાને કોટાકોટી નામનું મંદિર બંધાવ્યું અને તે જિનાલયમાં શ્રી અજિતનાથ સ્વામીને મૂલનાયક તરીકે સ્થાપન કર્યા.
આ રીતે ભગીરથ ત્યાં અનેકવાર યાત્રા કરવા આવતો. ફરી એક વખત યાત્રા કરી ત્યારે શ્રી ઋષભદેવસ્વામીનો રત્નમયબિંબયુક્ત સુંદર પ્રાસાદ બનાવ્યો અને તેને ભગીરથ” નામ આપ્યું. એટલે ત્યારથી શત્રુંજયનું “ભગીરથ” નામ પ્રસિદ્ધ થયું.
॥ इति भगीरथः नाम्नि भगीरथकथा ॥
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૩૬૦
Page #382
--------------------------------------------------------------------------
________________
(૧૨) સહસ્ત્રપત્ર નામનું આલંબન સહસ્ત્રપત્રકુમાર
સ્વામી ! વીરપુરીનો દૂત આવીને રાજદ્વારે ઉભો છે.” પ્રતિહારીએ આ પ્રમાણે સમાચાર આપતાં... રમાપુરીના રાજા મહાજિષ્ણુએ તેને અંદર મોકલવાની સંમતિ આપી.
તે દૂતે આવીને રાજાના હાથમાં એક લેખ મૂક્યો. રાજા અને મંત્રીએ લેખ ઉઘાડીને વાંચ્યો. તેમાં જણાવ્યું હતું કે –
વીરપુરીથી રોધની નામનો રાજા, હું મારી કમલશ્રી નામની કન્યાનો સ્વયંવર રચું છું. તો મહા સુદ પાંચમના તે સ્વયંવરમાં કુમાર સહિત આપે અવશ્ય પધારવું.”
લેખ વાંચીને રાજા ખુશ થયો. કારણ કે પટ્ટરાણી શ્રીમતીનો પુત્ર સહસ્ત્રપત્ર બધી કળાઓમાં કુશળ હતો. તે યૌવનવય પામ્યો હતો. તેથી તેને અનુરૂપ કન્યા માટે રાજા વિચારતા હતા. તેમાં સામેથી આવું આમંત્રણ આવ્યું. રાજાએ સઘળી તૈયારીઓ કરવા માંડી. શુભ દિવસે વીરપુરી તરફ કુમારને સૈન્ય સહિત પ્રયાણ કરાવ્યું.
કુમાર પણ સમયસર ત્યાં પહોંચ્યો. રોધની રાજાએ એનો આદર-સત્કાર કરી ખૂબ માન આપ્યું. સ્વયંવરના દિવસે સાક્ષાત્ રૂપલક્ષ્મી જેવી કન્યા મંડપમાં આવી. એક પછી એક રાજાઓ - રાજકુમારોની પાસેથી પસાર થતી સહસ્ત્રપત્રકુમાર પાસે આવી અને વરમાળા પહેરાવી.
તે જ વખતે તેના પુન્યથી આકર્ષાયેલા બીજા ઘણા રાજાઓએ પણ પોતાની પુત્રીઓ સહસ્ત્રપત્રને આપી. અઢળક ઋદ્ધિ અને નવપરિણીતા વધુઓ સાથે પોતાના નગર તરફ તે ચાલ્યો. નગરની નજીક આવતાં બહાર ઉદ્યાનમાં તેણે એક કેવલી ભગવંતને દેશના આપતા જોયા. સંસારનું સ્વરૂપ જણાવતી, મોહાંધકારને દૂર કરતી દેશના સાંભળીને રાજકુમાર ત્યારે જ વૈરાગ્યવાસિત બની ગયો.
વિનયસહિત માતા-પિતાને સમજાવીને સહસ્ત્રપત્રકુમારે સર્વ પત્નીઓ સહિત દીક્ષા લીધી. અનુક્રમે અગ્યાર અંગ ભણ્યા. આચાર્ય બન્યા. વિચરતા વિચરતા એક દિવસ શત્રુંજયગિરિએ પધાર્યા. ત્યાં ગિરિરાજની મહત્તાથી શુભધ્યાનની વૃદ્ધિ થતાં નિર્મળ કેવળજ્ઞાન પામ્યા. તેમની સાથે બીજા પણ કરોડ મુનિઓ કેવળજ્ઞાન પામ્યા.
ઇન્દ્રમહારાજાએ તેમના નામ અનુસાર હજાર પાંખડીવાળું સુવર્ણકમલ રચ્યું. તેની ઉપર કેવલી ભગવંત બિરાજયા. દેશના આપી. ત્યારબાદ સકલ કર્મક્ષયથી તે ગિરિ ઉપર જ મુક્તિ પામ્યા. આ જોઇ ઇન્દ્ર “સહમ્રપત્ર’ એવું નામ પ્રસિદ્ધ કર્યું.
॥ इति सहस्त्रपत्रः नाम्नि सहस्त्रपत्रकथा ॥ શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૬ ૧
Page #383
--------------------------------------------------------------------------
________________
(૧૩) શતાવર્ત નામનું આલંબન સોમદેવનૃપ, “હે રાજન્ ! તું શત્રુંજય તીર્થે જા. ત્યાં છäતપ સહિત શ્રી શાંતિનાથ ભગવાનની પુષ્પો વડે હંમેશા પૂજા કરવાથી તારું ઇષ્ટ સિદ્ધ થશે.”
ચંદ્રપુરીના ઉદ્યાનમાં પધારેલા શ્રી ચંદ્રસૂરીશ્વરજી મહારાજા કુંડકેલિનગરના રાજા સોમદેવને ઉપર્યુક્ત વચન કહી રહ્યા છે. કારણ કે રાજા અત્યારે વિપત્તિમાં ફસાયો છે. રાજપાટ છોડીને રાંકની જેમ રઝળપાટ કરી રહ્યો છે.
બન્યું છે એવું કે... દક્ષિણ કિનારાના રાજા અરિમર્દન પાસે સોમદેવરાજાએ બળજબરીથી પોતાની આજ્ઞા શિરોધાર્ય કરાવી. સોમદેવ રાજા પાસે બાહુબળ કામ ન લાગતાં અરિમર્દન રાજાએ કળથી કામ લીધું અને સોમરાજાના બધા માણસોને લાંચ-રૂશ્વત આપી આપીને ફોડી નાંખ્યા. આ રીતે પૂર્વભૂમિકા તૈયાર કરીને પછી તેણે કુંડકેલિનગર ઉપર ચડાઈ કરી. સોમ રાજા યુદ્ધ કરવા સન્મુખ આવ્યા. યુદ્ધ કરતાં પોતાનું સૈન્ય ભેદાયેલું જાણ્યું. તેથી જીવ બચાવવા રાત્રિના સમયે પત્નીને લઇને ગુપ્ત રીતે નીકળી ગયા.
જંગલોમાં અથડાતા... માર્ગમાં આગળ વધતાં... ચંદ્રપુરીના ઉદ્યાનમાં તેમને જ્ઞાની ગુરુભગવંતનો યોગ થયો. તેથી ગુરુભગવંતને પોતાની આપત્તિ દૂર કરવાનો માર્ગ પૂણ્યો. ગુરુએ બતાવેલ માર્ગ હૈયામાં રૂચિ ગયો અને પત્ની સાથે રાજા શત્રુંજયતીર્થે આવ્યો. ત્યાં ગુરુએ કહ્યા પ્રમાણે છઠ્ઠનો તપ કરી, પ્રભુને પૂજી ગિરિરાજના ધ્યાનમાં લીન રહે છે.
આ રીતે થોડો સમય પસાર થતાં... શ્રી શાંતિનાથ ભગવાનની સેવા કરનારો ગરૂડયક્ષ તુષ્ટ થયો. તેણે શતાવર્ત નામનું મહાચક્ર આપીને કહ્યું કે, “હાથમાં આ શતાવર્તચક્ર લઇને તું તારા નગરમાં જા. જે તારી આજ્ઞા નહિ માને તેનું મસ્તક આ ચક્ર વડે છેદાઈ જશે.'
સોમરાજા ખુશ થયો અને પોતાના નગર તરફ ચાલ્યો. અરિમર્દનરાજાએ તેને શતાવર્તચક્ર લઈને આવતો સાંભળ્યો. તેથી ભય વડે સન્મુખ આવીને નમ્યો. સોમદેવરાજાએ પોતાનું રાજ્ય સંભાળ્યું. ધર્મથી સિદ્ધિ મળી હોવાથી ૫૦૦ સુવર્ણના જિનાલયો અને ૧૭૦૦ શ્રેષ્ઠ લાકડાના જિનાલયો બંધાવ્યા.
જે તીર્થના પ્રભાવે પોતાને રાજયનો લાભ થયો, તેની ભાવપૂર્વક યાત્રા કરવાના ઉદ્દેશથી સાત કરોડ મનુષ્યોના સંઘ સાથે ઉત્સવ કરતો શત્રુંજય તીર્થે આવ્યો. ત્યાં સ્નાત્રપૂજા, ધ્વજારોપણ આદિ અપૂર્વ ભક્તિ કરી પોતાને શતાવર્ત નામનું આયુધ અહીંથી પ્રાપ્ત થયું હોવાથી આ ગિરિરાજનું “શતાવર્ત' નામ પ્રસિદ્ધ કર્યું.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૩૬૨
Page #384
--------------------------------------------------------------------------
________________
અનુક્રમે ઘણા તીથની યાત્રા તથા ભક્તિ કરી, પોતાના નગરમાં પાછા આવી, પુત્રને રાજયભાર સોંપી, આઠ હજાર સેવકો અને પચાશ રાજાઓની સાથે શ્રી ચંદ્રસૂરીશ્વરજી પાસે દીક્ષા લીધી. અગ્યાર અંગનો અભ્યાસ કર્યો. ગુરુએ યોગ્ય જાણી પોતાના પદે સ્થાપન કર્યા.
ઘણા મુમુક્ષુઓને પ્રતિબોધ કરી સોમાચાર્ય પરિવાર સહિત પૃથ્વી પર વિચરતા... શ્રી શત્રુંજયગિરિએ આવ્યા. ત્યાં ગિરિરાજનું ધ્યાન કરતાં સોમદેવસૂરિજી કેવળજ્ઞાન પામી, એક લાખ સાધુઓની સાથે મોક્ષે ગયા.
| | તિ શતાવર્તઃ શાનિ સોમવનૃપથી છે I(૧૪) “અષ્ટોત્તરશતકૂટ' નામનું આલંબન વીરરાજા धर्मादधिगतैश्वर्यो धर्ममेव निहन्ति यः । कथं शुभायतिः स्वामि-द्रोहकस्येह तस्य तु ॥
અર્થ : ધર્મથી ઐશ્વર્ય મેળવનારો જે વ્યક્તિ, ધર્મને જ હણે છે. અર્થાત્ ભૂલી જાય છે. સ્વામીદ્રોહનું પાપ કરનાર છે. તેનું ભવિષ્ય સારું ક્યાંથી થાય ?
વીર નગરીનો વિરરાજા રાત્રિના સમયે માર્ગમાં ચાલ્યો જતો હતો ત્યારે આ શ્લોક સાંભળે છે. પણ.. રાજાને શ્લોક સાંભળવા છતાં કોઈ અસર ન થઈ. કારણ કે રાજા પરસ્ત્રીગમન, ચોરી, શિકાર આદિ મોટા મોટા પાપોમાં રક્ત હતો.
રાજાએ નહિ ગણકારવા છતાં શ્લોકનો ધ્વનિ વારંવાર તેના કાને અથડાવા લાગ્યો. તેથી રાજાનું મન કંઇક વિચારે ચડ્યું. તેણે શ્લોકનો ભાવાર્થ જાણ્યો અને પોતે કરેલા પાપોથી ભય પામ્યો.
પાપનું ફળ જાણ્યા પછી પાપોનો ત્યાગ કરવાને બદલે દુઃખોથી દૂર ભાગવું એ પ્રાણીમાત્રનો સ્વભાવ બની ગયો છે. રાજા પણ આવી હિનવૃત્તિથી પ્રેરાયેલો અગ્નિમાં બળી મરીને કે પાણીમાં પ્રવેશીને આત્મહત્યા કરવા નગરમાંથી બહાર નીકળ્યો. તે વખતે અકસ્માત તેની સન્મુખ એક ભયંકર શિંગડાવાળી ગાય ધસી આવી. મરવાની ઇચ્છા હોવા છતાં ગાયથી પોતાના પરાભવને નહિ સહન કરતા રાજાએ ગાય ઉપર જોરથી ખડગૂ પ્રહાર કર્યો. તેથી ગાયનું પેટ ફાટી ગયું ને તેમાંથી એક સ્ત્રી નીકળી. તે સ્ત્રીના હાથમાં ધારદાર છરી હતી. તેણે રાજાને યુદ્ધ માટે પડકાર્યો. રાજા પણ સ્ત્રીની સામે થયો, પણ તેનું કશું ચાલ્યું નહિ. સ્ત્રીએ તેને લોહીલુહાણ કરી મૂક્યો.
એક સ્ત્રીથી પોતાનો પરાભવ જોઈ રાજા ખૂબ દુઃખી થયો. ત્યારે તે સ્ત્રીએ દેવીનું રૂપ કર્યું અને રાજાને કહ્યું, ‘તું મરવાની ઇચ્છાવાળો હોવા છતાં હજી જીવહિંસાથી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૩૬૩
Page #385
--------------------------------------------------------------------------
________________
અટકતો નથી. તો તારા પાપનું ફળ જો.' એમ કહી એક નિર્જળ જંગલમાં રાજાને મૂકી દીધો. ત્યાં રાજાએ પશ્ચાત્તાપ - ભૂખ - તરસથી પીડાતા ઘણાં કર્મો ખપાવ્યા. તેથી દેવી ફરીથી આવી અને તેને સંપૂર્ણ પાપમુક્ત કરવા શત્રુંજયતીર્થે મૂક્યો.
શત્રુંજયગિરિ ઉપર કોઇક મહાત્માને તેણે ગિરિરાજનું માહાત્મ્ય કહેતા સાંભલ્યા. તેથી નમ્ર થઇ તેમની આગળ બેઠો. મહાત્માની વાત સાંભળી તેણે નક્કી કર્યું કે, ‘આજથી મારે કોઇ જીવને હણવો નહિ અને હંમેશા છટ્ઠનો તપ કરવો.’ આ સંકલ્પથી દેવી ફરી પ્રત્યક્ષ થઇ. તેણે કહ્યું કે, ‘હું તમારી પૂર્વભવની બહેન દેવી થઇ છું. તમને દુર્ગતિમાં જતા અટકાવવા મેં અહીં લાવ્યા છે. હવે ધર્મ વડે તમારો સંકલ્પ સિદ્ધ કરી... આત્મકલ્યાણ સાધો.'
રાજાએ શત્રુંજયગિરિની ખૂબ ભક્તિ કરી. ત્યાં તેના ૧૦૮ શિખરો ઉપર ઘણા આત્માઓની મુક્તિ જોઇ રાજાએ દરેક શિખર ઉપર એક એક જિનમંદિર બંધાવ્યું. તેમાં સેંકડો પ્રભુપ્રતિમાની સ્થાપના કરી. તે વખતે રાજાએ ગિરિરાજનું ‘અષ્ટોત્તરશતકૂટ’ નામ પ્રસિદ્ધ કર્યું.
ત્યાંથી પોતાના નગરમાં આવી, પોતાના પુત્રને રાજ્ય પર સ્થાપન કરી વીરરાજાએ દીક્ષા લીધી. અનુક્રમે આચાર્ય થઇ, શત્રુંજયગિરિ ઉપર કેવળજ્ઞાન પામી ત્રણ લાખ સાધુઓની સાથે મોક્ષે ગયા.
॥ इति अष्टोत्तरशतकूटः नाम्नि वीरराजकथा ॥
(૧૫) શ્રી નગાધિરાજ નામનું આલંબન સ્વયંપ્રભદેવ
‘શ્રી શત્રુંજય સમાન તીર્થ કોઇ ઠેકાણે નથી.’ આ રીતે સૌધર્મ ઇન્દ્ર તીર્થની પ્રશંસા કરી રહ્યા હતા, તે નહિં માનતા સ્વયંપ્રભદેવે કહ્યું, ‘આપ સ્વામી છો, તેથી આપનું વચન માન્ય કરવું પડે.’ ઇન્દ્રે કહ્યું, ‘તમે સ્વયં અનુભવ કરીને માનજો.' આથી સ્વયંપ્રભદેવ બીજા શાશ્વત-અશાશ્વત તીર્થોમાં તપાસ કરવા ગયો. ત્યાં તેણે કવચિત્ અલ્પજીવોને મોક્ષે જતા જોયા.
ત્યારપછી તે દેવ શત્રુંજય તીર્થે આવ્યો. ત્યાં તે જ દિવસે લાખ જીવો મોક્ષે ગયા. બીજે દિવસે કરોડ, ત્રીજે દિવસે પાંચ હજાર, ચોથા દિવસે ૧૦૫, પાંચમા દિવસે ૭૦૦, છઠ્ઠા દિવસે ૧૦, સાતમા દિવસે ૮૦૦, આઠમા દિવસે ૬૨૮. આમ રોજે રોજ ઘણા બધા આત્માઓને મોક્ષે જતા જોઇ તેણે પવિત્ર એવા ગિરિરાજને ‘નગાધિરાજ’ નામ આપ્યું.
॥ इति नगाधिराजः नाम्नि स्वयंप्रभदेवकथा ॥
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૬૪
Page #386
--------------------------------------------------------------------------
________________
| (૧૬) સહસ્ત્રકમલ નામનું આલંબન રણવીરરાજા
આ બંને સાંઢ ઘણા હૃષ્ટપુષ્ટ છે, તેથી તેમને મારી ક્રિીડા માટે ક્રીડાઘરમાં રાખીશ.” આ પ્રમાણે વિચારતો કલ્યાણકોટી નગરનો કલ્યાણરાજા ઉદ્યાનમાં ગયો.
ઉદ્યાનમાંથી પાછા ફરતા માર્ગમાં તેણે બંને સાંઢને પરસ્પર યુદ્ધ કરતાં મૃત્યુ પામેલાં જોયા. આથી, અનિત્યભાવના ભાવતાં રાજાને વૈરાગ્ય થયો અને તેણે પોતાના રણવીર નામના કુમારને રાજય સોંપી દીક્ષા લીધી. નિરતિચાર સંયમ પાળીને કલ્યાણરાજાએ આત્મકલ્યાણ સાધ્યું.
આ બાજુ, રણવીર રાજા ન્યાય-નીતિપૂર્વક રાજય કરતો હતો. તેને એક દિવસ સમાચાર મળ્યા કે આચાર્ય ધર્મસૂરિજી પધાર્યા છે. રાજા તેમને વંદન કરવા ગયો તથા દેશના સાંભળી. દેશનામાં શત્રુંજયગિરિનો મહિમા સાંભલી રણવીરરાજાને યાત્રા કરવાના મનોરથ થયા. તેથી પરિવારસહિત ત્યાં ગયો. ત્યાં તેણે એક હજાર થાંભલાવાળું વિશાળ જિનાલય બંધાવ્યું અને આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી. તે સમયે ત્યાં હજાર સાધુઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ઈન્દ્ર મહારાજાએ તે સર્વને બેસવા માટે સુવર્ણના સહસ્ત્રકમલ વિકવ્ય. આથી હર્ષિત થઈ રાજાએ ગિરિરાજને સહસ્ત્રકમલ” નામ આપ્યું.
ત્યાંથી નગરમાં પાછા આવી પોતાના પુત્રને રાજય ઉપર બેસાડી રણવીરરાજાએ સંયમ લીધુ. અનુક્રમે આચાર્ય બન્યા. વિચરતા વિચરતા ઘણાને પ્રતિબોધ પમાડી શત્રુંજય ઉપર આવ્યા. ત્યાં કેવળજ્ઞાન પામી, ત્રણ લાખ સાધુઓની સાથે મોક્ષે ગયા.
| | કૃતિ સહસ્ત્રવિમઃ રાત્રિ વીર નાથા |
(૧૦) ટંક નામનું આલંબન હરરાજા આજથી મારે દરરોજ ત્રણસો નવકાર ગણવા અને પ્રભુનું દર્શન અવશ્ય કરવું.” હિર નગરના ઢંકરાજા અને ઢંકદેવી રાણીના પુત્ર હરકુમારે આનંદ અને સૂરી નામના સાધુયુગલની સન્મુખ આ પ્રમાણે અભિગ્રહ કર્યો. તેથી માતા-પિતા ખુશ થયાં. કારણ કે રાજા-રાણી ધર્મિષ્ઠ હતા. અનુક્રમે રાજકુમારને સર્વ રીતે યોગ્ય જાણી ઢંકરાજાએ રાજયની ધુરા તેને સંભાળવા આપી પોતે સંયમ લીધું. ગુરુ પાસે અનેક શાસ્ત્રો ભણીને બૃહસ્પતિ સરખા થયા. ગુરુએ પોતાના પદે સ્થાપ્યા.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૩૬૫
Page #387
--------------------------------------------------------------------------
________________
આચાર્ય ઢંકસૂરિજી પૃથ્વીતલ પર અનેક જીવોને પ્રતિબોધ કરતા એક વખત શત્રુંજયગિરિએ પધાર્યા. ત્યાં ગિરિધ્યાનથી કેવળજ્ઞાન પામ્યા અને આયુષ્યનો ક્ષય થતાં અનેક સાધુઓની સાથે નિર્વાણ પામ્યા. દેવોએ તેમનો મહોત્સવ કર્યો.
આ સમાચાર હરરાજાને મળતાં તે પરિવારસહિત ત્યાં આવ્યા. પિતામુનિના નિર્વાણ સ્થાને એક ઉત્તમ જિનાલય બંધાવ્યું અને આદિનાથ પ્રભુનું રત્નમય બિંબ સ્થાપન કરાવ્યું તથા આઠ કરોડ સોનૈયા વડે આખા તીર્થની પુષ્પોથી પૂજા કરી.
પિતામુનિની સ્મૃતિમાં તે વખતે રાજાએ ઢંકગિરિ એ પ્રમાણે નામ આપ્યું. દેવો અને મનુષ્યોએ આ નામ પ્રસિદ્ધ કર્યું. રાજા પોતાના નગરમાં પાછો ફર્યો. ત્યાં પણ ઢંકગિરિના સ્મરણ અને ધ્યાનમાં એકાગ્રમનવાળા રાજાને ગૃહસ્થજીવનમાં જ ભાવવૃદ્ધિ થતાં કેવળજ્ઞાન થયું અને અનુક્રમે બે કરોડ સાધુઓની સાથે તેઓ મુક્તિમાં ગયા.
રૂત્તિ ઢં: નાગ દાનથી (૧૮) કોટિનિવાસ નામનું આલંબન ધર્મનંદન રાજા,
હે રાજન્ ! તારી તીર્થભક્તિથી અને પ્રભુભક્તિથી હું તુષ્ટ થયો છું. અહીં રસકૂપિકા છે. આવતી કાલે પ્રભાતે હું તે તારા માટે ખુલ્લી કરીશ. તું તેમાંથી ઇચ્છા પ્રમાણે રસ ગ્રહણ કરજે. તે રસથી શ્રેષ્ઠ સુવર્ણ બનશે.'
મહાનંદસૂરિજી મહારાજ પાસે ધર્મદેશના સાંભળવા આવેલા ધર્મનંદનરાજાએ શત્રુંજયગિરિનો મહિમા સાંભળ્યો. તેથી ઉલ્લસિત થયેલા રાજા સંઘ સહિત ત્યાં યાત્રા કરવા આવ્યા. આદિનાથ પ્રભુની અપૂર્વ ભક્તિ કરી. મધ્યરાત્રિએ ધ્યાનમાં બેઠા છે ત્યારે અધિષ્ઠાયક દેવ પ્રત્યક્ષ થઈને તેને આ રીતે કહી રહ્યા છે.
ધરણીભૂષણ નગરના ચંદ્રરાજાની પ્રેમવતી રાણીના ધર્મનંદન અને દામોદર નામે બે પુત્રો છે. બંને વિનીત અને ધાર્મિક વૃત્તિવાળા છે. રાજાએ મોટા પુત્રને રાજા બનાવ્યો, નાનાને યુવરાજપદ આપ્યું અને પોતે સંયમ સ્વીકારી આત્મકલ્યાણ સાધ્યું.
યક્ષની કૃપાથી શત્રુંજયગિરિમાં રસકૂપિકા જોઇ ધર્મરાજાએ તેમાંથી રસ ગ્રહણ કરીને કોટિભાર પ્રમાણ સોનું બનાવ્યું. તેમાંથી દશભાર સોનામાંથી ૧૦૦ સુવર્ણના જિનબિંબ, ૧ લાખ રૂપાના બિંબ, ૯ લાખ પંચધાતુના બિંબ અને ૯૦ લાખ આરસના બિંબ ભરાવ્યા. આ પ્રમાણે ૧ કરોડ બિંબોની સ્થાપના શ્રી સિદ્ધગિરિ ઉપર કરાવી. આથી ત્યાં બિરાજમાન શ્રીધર્મધન નામના આચાર્ય મહારાજે કહ્યું, ‘રાજન્ ! આ ગિરિ લોકો વડે “કોટિનિવાસ' નામે કહેવાઓ.’
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૩૬૬
Page #388
--------------------------------------------------------------------------
________________
ધર્મનંદનરાજાએ પોતાના પુત્ર ગજને રાજ્ય પર સ્થાપન કરી, દીક્ષા લઈ શ્રી શત્રુંજયગિરિ પર તપ કર્યું. અનુક્રમે ધર્મરાજર્ષિ સંપૂર્ણકર્મનો ક્ષય કરી, કેવળજ્ઞાન પામી ઘણા સાધુઓની સાથે શ્રી શત્રુંજયગિરિ ઉપર મોક્ષ પામ્યા.
॥ इति कोटिनिवासः नाम्नि धर्मनंदननृपकथा ॥ I(૧૯) લૌહિત્ય નામનું આલંબન લૌહિત્યરષિ “અહો...! ભરતક્ષેત્રમાં પદ્મપુરનગરમાં ધન નામના શેઠ કોઇએ નહીં આપેલું ધન લેતા નથી. અનુજ્ઞા નહિ અપાયેલી જગ્યાનો પણ ઉપયોગ કરતા નથી.'
સૌધર્મેન્દ્ર આ પ્રમાણે પોતાની સભામાં પ્રશંસા કરી રહ્યા હતા. ત્યારે એક દેવ શ્રદ્ધા નહિ કરતો ધન શેઠની પરીક્ષા કરવા આવ્યો. દેવે ચારે બાજુ માર્ગમાં ઘણું ધન વેરેલું બતાવ્યું, પણ ધનશેઠ જરાપણ નજર સરખી કરતા નથી. તેથી ખુશ થયેલો દેવ બે રત્નો આપી દેવલોકમાં ગયો.
એક વખત શેઠ દેહની ચિંતા માટે બહારની ભૂમિમાં ગયો. જયાં જ્યાં સ્થાનના અધિષ્ઠાયક પાસે રજા માંગે છે, ત્યાં ત્યાં સ્થાનનો અધિષ્ઠાયક દેવ પ્રગટપણે કહેતો હતો, “હે શેઠ ! તું અહીં ન બેસ. બીજે ઠેકાણે જા.” આ પ્રમાણે સંધ્યાસમય સુધી વનની અંદર ભટકતા શેઠે તે યક્ષને ઠગીને જલ્દી કાયચિંતા ટાળી.
તેના સત્ત્વથી પ્રસન્ન થયેલા યક્ષે કહ્યું, “હું તમારી ઉપર તુષ્ટ થયો છું. ઇચ્છા પ્રમાણે માંગો.'
શેઠે કહ્યું : “ધર્મના પ્રભાવે મારી પાસે બધું જ છે.'
આ સાંભળી વધુ ખુશ થયેલા યક્ષે દશ કરોડના દશ મણિ શેઠને આપ્યા અને જરૂર પડે સ્મરણ કરવાનું કહી અંતધ્યન થયો.
શેઠે પાંચ મણિ વેચીને સંઘસહિત શત્રુંજયની યાત્રા કરી. ત્યાં તેની પ્રભુભક્તિથી પ્રસન્ન થયેલો યક્ષ ફરી પ્રગટ થયો. તેણે ફરી બીજા વીશ કરોડના મૂલ્યવાળા પાંચ મણિ આપ્યા. તેના દ્વારા શેઠે ત્યાં જિનાલય બંધાવ્યું. ત્યાં ધ્યાન ધરતા શેઠ કેવળજ્ઞાન પામી, મોક્ષમાં ગયા.
આ બાજુ પુન્યપુર નગરના અધિપતિ લૌહિત્યરાજાએ ૧ કરોડ માણસો સાથે દીક્ષા લીધી હતી. બાર અંગ ભણી અનુક્રમે આચાર્યપદ પામી કરોડ સાધુઓ સાથે શ્રી શત્રુંજયતીર્થ ઉપર આવ્યા. દરેક જિનમંદિરમાં તીર્થકર ભગવંતોને નમસ્કાર કરતા અનુક્રમે ધન શેઠે કરાવેલા શ્રી ઋષભદેવના મંદિરમાં લૌહિત્યમુનિ ઘણા સાધુઓ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૩૬૭
Page #389
--------------------------------------------------------------------------
________________
સહિત દર્શન કરતાં ધ્યાન નિમગ્ન બન્યા અને ઘાતકર્મ ખપાવી તે સર્વને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું તથા ત્યાં જ આયુષ્ય ક્ષય થતાં નિર્વાણ પામ્યા.
ઇન્દ્ર મહારાજાએ આવીને લહિયાચાર્ય આદિનો નિર્વાણ મહોત્સવ કર્યો અને તીર્થને “લૌહિત્ય' નામથી પ્રસિદ્ધ કર્યું.
| | કૃતિ તૌહિત્ય: રાગ નહિત્ય: કથા | I(૨૦) તાલધ્વજ નામનું આલંબન ધરાપાલરાજા
રાજન્ ! સંધ્યા સમય થવા આવ્યો. આપે સવારથી કાંઈ જ આહાર લીધો નથી માટે કૃપા કરો. ભોજનખંડમાં પધારો.”
કુંભપુરીના ધરાપાલરાજાને તેના મંત્રી આદિ સેવકો વિનંતી કરી રહ્યા છે. ત્યારે રાજા કહે છે : “મંત્રીશ્વર ! તમે જાણો છો કે મારે જિનપૂજાનો નિયમ છે. આજે મારા કોઇક અશુભ કર્મના ઉદયથી હું જયારે જ્યારે પુષ્પપૂજા કરવા પુષ્પો હાથમાં લઉં છું ત્યારે પુષ્પો મારા હાથમાંથી ક્યાંય જતા રહે છે. એટલે મારી જિનપૂજા અધૂરી રહી છે. તેથી આહાર ગ્રહણ કરી શકાય એમ નથી.'
આ રીતે જિનપૂજા વિના રાજાને ત્રણ દિવસ પસાર થયા. એમાં એવું બનેલું કે સૌધર્મેન્દ્ર પોતાની સભામાં પ્રશંસા કરી કે... “કુંભપુરીનો ધરાપાલરાજા પુષ્પ, વીણા, નૃત્યાદિ વડે એવી સુંદર જિનપૂજા કરે છે કે એને જિનપૂજામાંથી ચલાયમાન કરવાની કોઈની તાકાત નથી.” આ પ્રશંસા નહિ સહન કરવાથી મુકુન્દ નામના દેવે રાજાની પરીક્ષા કરી. તે અદૃશ્ય રીતે રાજાના હાથમાંથી ફૂલો લઇ લેતો હતો. આથી જિનપૂજા અધુરી રહી. આવું સળંગ ત્રણ દિવસ બન્યું, તેથી રાજાને અઠ્ઠમ તપ થયો. પણ... રાજા પોતાના ભાવથી ચલિત ન થયો.
આ જોઇ, ખુશ થયેલા દેવે ચિંતામણિરત્ન આપ્યું. તેના પ્રભાવથી રાજા સાતે ક્ષેત્રોમાં ખૂબ લાભ લેવા લાગ્યો તથા પોતાના મહેલના આંગણામાં ૧૦૮ મંડપવાળું જિનાલ બંધાવ્યું. તેમાં શ્રી અરનાથ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠિત કરી રાજા દરરોજ મણિમય આભૂષણો અને નવા નવા ગીત-નૃત્યો વડે ખૂબ ભાવપૂર્વક ભક્તિ કરે છે.
એક વખત શત્રુંજયગિરિનું માહાસ્ય જાણી ચાર કરોડ મનુષ્ય સહિત સંઘ લઈને રાજા ગિરિરાજની યાત્રાએ ગયો. ત્યાં પણ આ રીતે વિશિષ્ટ પ્રભુભક્તિ કરી પરમાત્માના ધ્યાનમાં લયલીન થયો.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૩૬૮
Page #390
--------------------------------------------------------------------------
________________
ત્યાં તે વખતે સંઘમાં પધારેલા તાલધ્વજ સૂરિભગવંત પણ ધ્યાનારૂઢ થયા અને ઘાતકર્મ ખપાવી એક લાખ સાધુ સહિત મોક્ષે ગયા. તેમની સાથે સંઘના ૧ લાખ લોકો પણ મોક્ષે ગયા.
આ જોઇ ભાવિત થયેલા રાજાએ એ શિખર ઉપર મોટું જિનાલય બંધાવ્યું અને સર્વસંઘની સાક્ષીએ ‘તાલધ્વજ' એ પ્રમાણે ગિરિરાજને નામ આપ્યું. ત્યારબાદ પોતાના નગરમાં આવી પુરંદર નામના પુત્રને રાજ્યભાર સોંપી પદ્માચાર્યની પાસે સંયમ લીધું. અનેક શાસ્ત્રો ભણી વિહાર કરતાં શત્રુંજયગિરિએ પધાર્યા. ત્યાં કેવળજ્ઞાન પામી મોક્ષમાં ગયા.
I તિ તાત્કૃધ્વગઃ રાત્રિ ઘર પાત્રસૃપથી . (૨૧) કદંબગિરિ નામનું આલંબન ઇન્દ્ર(ભીમ) શ્રેષ્ઠિ, લક્ષ્મીપુર નગરમાં ભીમ નામના ધનવાન તથા રૂપવાન શેઠ હતા. તેમને રતિ અને પ્રીતિ નામની બે સ્ત્રીઓ હતી. તે ઉપરાંત કોઇક પ્રસંગે શેઠ સુરસુંદરી નામની ત્રીજી શ્રેષ્ઠિકન્યા પણ પરણ્યા. પરંતુ તે ત્રણે સ્ત્રીઓ કાર્મણાદિ કપટકળામાં કુશળ અને એક-બીજાથી ચડિયાતી હતી. તેની જાણ થતાં શેઠ તેમને ત્રણેને છોડીને ગુરુભગવંતના શરણે ગયા. તેમની પાસેથી દયામય ધર્મ સાંભળી શેઠે સંયમ અંગીકાર કર્યું. નિરતિચાર ચારિત્રનું પાલન કરી આયુષ્ય પૂર્ણ કરી, ભીમમુનિ પહેલા દેવલોકમાં ઇન્દ્ર થયા.
આ ઇન્દ્ર એક વખત શત્રુંજયગિરિની યાત્રાએ આવ્યા તે વખતે કદંબ નામના ગણધર એક લાખ મુનિઓની સાથે ત્યાં મુક્તિ પામ્યા. તે જોઈ હર્ષિત થયેલા ઇન્દ્ર સિદ્ધગિરિનું “કદંબગિરિ' નામે પ્રસિદ્ધ કર્યું. શ્રેષ્ઠિનો જીવ ઈન્દ્ર બનેલો તેથી ઈન્દ્રશ્રેષ્ઠિ એ પ્રમાણે કહ્યું.
| | કૃતિ સ્વર: નાખિ રૂછિળથી ..
(નોંધ : શ્રી શત્રુંજયના ૨૧ નામો ૧૦૮ નામો ઘણી જુદી જુદી રીતે મળે છે. ખમાસમણાના દુહામાં જે ૨૧ નામ આવે છે તે આનાથી જુદા છે. અહીં જે નામો બતાવ્યા છે તે શત્રુજય કલ્પવૃત્તિના આધારે જણાવ્યા છે.)
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૩૬૯
Page #391
--------------------------------------------------------------------------
________________
I'સર્વ ઉપદ્રવ હરનાર : શત્રુંજય |
શત્રુંજયના સ્મરણથી પાણીનો ઉપસર્ગ, અગ્નિનો ઉપદ્રવ, હાથીનો ઉપદ્રવ દૂર થાય છે. સમુદ્રથી પાર પમાય છે. જંગલમાંથી પાર ઉતરાય છે. તે દરેક વિશે પૂ. મહોદયસાગરજી મ. સંકલિત શત્રુજય કલ્પવૃત્તિ ભાષાંતર ભાગ-૨ના આધારે લીધેલ કથા સંક્ષેપમાં જણાવાય છે - • પાણીનો ઉપસર્ગ :
કાંતિનગરીમાં ધનરાજા હતો. તેને મીનધ્વજ નામે કુમાર હતો. તે શત્રુંજય પ્રત્યે ખૂબ ભક્તિવાળો હતો. ધનરાજાએ મીનધ્વજને રાજય સોંપી સંયમ લીધું. નિરતિચાર પાળીને ચોથા દેવલોકમાં ગયો. તેના નગરમાં એક વખત નદીનું ભયંકર પૂર આવ્યું. આખી નગરીમાં પાણી ફરી વળ્યું. લોકોનું જીવન સંદેહમાં પડ્યું. આવા સમયે મીનધ્વજ રાજા અને નગરલોકો શત્રુંજયના ધ્યાનમાં એકાગ્રચિત્તવાળા થયા. તેના પ્રભાવથી નદીનું પૂર ઓસરી ગયું. નગરમાં ચારે તરફ શત્રુંજયનો જયજયકાર થયો.
- ત્યાર પછી મીનધ્વજ રાજાએ સંઘસહિત શત્રુંજયની યાત્રા કરી. અનુક્રમે શ્રી શત્રુંજયના ધ્યાનથી કર્મોનો ક્ષય કરી રાજા તે જ ભવમાં મુક્તિ પામ્યા. • અગ્નિનો ઉપદ્રવ :
વૈતાઢય પર્વત ઉપર વ્યોમવલ્લભ નગરમાં શ્રીપ્રભ નામે વિદ્યાધર રાજા હતો. તેને શત્રુંજય પ્રત્યે અત્યંત ભક્તિ હતી.
એક વખત તેના નગરમાં અગ્નિ ઉત્પન્ન થયો. ઉપાયો કરવા છતાં તે અગ્નિ બુઝાતો નથી. ત્યારે શ્રીપ્રભ વિદ્યાધરે પ્રજા સહિત શ્રી શત્રુંજયનું ધ્યાન કર્યું. તીર્થનું સ્મરણ કરવાથી અગ્નિ બૂઝાઇ ગયો. નગરીમાં સર્વત્ર શાંતિ-આનંદ ફેલાયા. તરત જ શ્રીપ્રભે વિમાનમાં બેસી, શત્રુંજયે જઇને શ્રી યુગાદીશપ્રભુની પૂજા-ભક્તિ કરી. અનુક્રમે આદરપૂર્વક સંયમ સ્વીકારી, તપ કરીને કર્યો ખપાવી મુક્તિપુરીમાં ગયો. • હાથીનો ઉપદ્રવ :
ભૂમંડન નગરમાં ચંદ્ર, વીર, સૂર અને અમર નામના ચાર મિત્રો રહેતા હતા. તેઓ ચારેએ સાથે વિદ્યાભ્યાસ કર્યો. ત્યારબાદ તેઓ ચારે ધન મેળવવા માટે પરદેશ ચાલ્યા.
ઘણે દૂર ચાલ્યા પછી એક જંગલ આવ્યું. નિર્ભયપણે તે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે એક મદોન્મત્ત હાથી દૂરથી તેમની સામે આવ્યો. “હાથી નિચે આપણને હણી નાંખશે.” આ પ્રમાણે વિચારતા તે ચારે મિત્રોએ શ્રી શત્રુંજય પ્રત્યેની શ્રદ્ધાથી તેનું સ્મરણ કર્યું. શત્રુંજ્યના ધ્યાનમાં દઢપણે ઉભેલા તેઓને હાથી કાંઇપણ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૭૦
Page #392
--------------------------------------------------------------------------
________________
કરી શક્યો નહિ અને છેવટે નમ્ર બનીને વારંવાર નમવા લાગ્યો તથા શાંત થઇને સન્મુખ ઉભો રહ્યો. ક્યાંય જતો પણ નથી. તે જોઇ ચારે મિત્રો આશ્ચર્યચકિત થયા.
આ અવસરે ત્યાં અકસ્માતુ કોઈ જ્ઞાની મુનિ પધાર્યા. તે ચારે મિત્રોએ તેમને વંદન કર્યું. ત્યારબાદ પોતાના હૈયાનો સંશય પૂછ્યો કે, “આ હાથી કેમ આટલો સ્નેહ બતાવે છે ?'
ગુરુભગવંતે કહ્યું, “ભૂમંડન નામના નગરમાં તમે પાંચ મિત્રો હતા. તેમાં ચાર જૈનધર્મ પ્રત્યેની રૂચિવાળા હતા. તમારો પાંચમો મિત્ર ધરણ ધર્મની અરુચિવાળો હતો. તેને તમે ઘણું સમજાવતા કે ધર્મ કરવા જેવો છે, પણ તે પ્રમાદી મિત્ર સાંભળતો નહિ. નાની ઉંમરમાં જ અકસ્માત મૃત્યુ પામીને તે આ હાથી બન્યો છે. ભાગ્યયોગે તમે ચારે અહીં આવ્યા. તમને જોઇને તેને જાતિસ્મરણ દ્વારા પૂર્વભવનું સ્મરણ થયું છે. હવે, આ હાથી અનશન કરીને સદ્ગતિ પામવાની ભાવનાવાળો છે.
હાથી પણ સિદ્ધગિરિના ધ્યાનમાં રહી, જીવનપર્યત અનશન કરી, મરીને પહેલા દેવલોકમાં દેવ થયો.
આ બાજુ આ ચારે મિત્રો કદલીપુરમાં આવ્યા. ત્યાં ઘણું ધન કમાયા. તેમાંથી શ્રી શત્રુંજય ઉપર ઘણું ધન વાપરી, સાત છઠ્ઠ, એક અટ્ટમ કરીને ઘણા કર્મો ખપાવ્યા. પ્રાંતે મૃત્યુ પામી ચારેય મિત્રો પહેલા દેવલોકમાં મિત્રદેવની પાસે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને પાંચે મિત્રો ભોગપુરમાં જિનદત્ત શેઠના વિનયથી યુક્ત પાંચ પુત્રો થયા. અનુક્રમે વ્રત સ્વીકારી, શ્રી શત્રુંજય તીર્થમાં જઈને તપ કરી, સર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષમાં ગયા. • સમુદ્રપાર :
તામ્રલિપ્તી નગરીમાં સોમ નામે શેઠ હતા. એક વખત તેઓ મિત્ર સહિત ધન કમાવવા સમુદ્ર માર્ગે ચાલ્યા. અનુક્રમે તેઓ મનોહરદ્વીપમાં ગયા. ત્યાં સાઠ લાખ પ્રમાણ સુવર્ણ ઉપાર્જન કરી પાછા વળતા હતા. ત્યારે સમુદ્રમાં અચાનક તોફાન જેવું વાતાવરણ થયું. તે જોઇ સોમશેઠે બધાને શ્રી શત્રુંજયનું એકાગ્રચિત્તે સ્મરણ કરવા કહ્યું. સોમશેઠ પણ તેમાં નિશ્ચલ મનવાળા થયા.
શત્રુંજયના ધ્યાનના પ્રભાવે સમુદ્રમાં તોફાની પવન શાંત થઈ ગયો. અનુકૂળ પવન વા વા લાગ્યો અને સરળ માર્ગે વહેતું વહાણ કિનારે આવ્યું.
શ્રી શત્રુંજયના ધ્યાનપૂર્વક સોમશેઠ બાર વર્ષ સમુદ્રમાં જઇને ઘણું ધન ઉપાર્જન કરી નગરમાં હેમખેમ પાછા આવ્યા. સાતે ક્ષેત્રોમાં તથા શ્રી શત્રુંજય તીર્થે ઘણું ધન વાપરી, સર્વ કર્મ ખપાવીને મોક્ષમાં ગયા.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૭૧
Page #393
--------------------------------------------------------------------------
________________
• જંગલપાર :
સુરપુરમાં હરરાજા રાજય કરતો હતો. એક વખત ત્યાં શત્રુરાજા ચડી આવ્યો. તૈયારી નહિ હોવાથી રાજા હારી ગયો. તેથી શત્રુ રાજાનું સૈન્ય નગરમાં લૂંટફાટ કરવા લાગ્યું.
તે નગરમાં ધન નામે એક ધાર્મિક શેઠ રહેતા હતા. તેઓ પણ શત્રુના હાથમાં ઝડપાઈ ગયા. શત્રુએ તેમની પાસે ઘણા ધનની યાચના કરી. શેઠે કહ્યું : “બીજા બધા લોકોને છોડી દો તો હું તમને ઇચ્છા પ્રમાણે ધન આપીશ. પરંતુ શત્રુઓ માન્યા નહિ અને શેઠને મારવા લાગ્યા. ધન શેઠે સમતાપૂર્વક સહન કરતાં સાત દિવસ પસાર કર્યા તથા શ્રી શત્રુંજયનું એકાગ્રતાપૂર્વક ધ્યાન કર્યું. તે ધ્યાનના પ્રભાવે એક વખત બધા દ્વારો પોતાની મેળે ઉઘડી ગયા અને અનેક સુભટોવાળા પણ તે પ્રદેશમાંથી ધનશેઠ હેમખેમ દૂર નીકળી ગયા.
ત્યાંથી આગળ ચાલતાં ધનશેઠ એક મહાઅટડીમાં આવ્યા. જંગલમાં ઘણા જંગલી પશુ વગેરે ભયસ્થાનો હોવા છતાં શેઠ શ્રી શત્રુંજયના ધ્યાનથી આગળ વધતા હતા. તેમાં... તેમને અત્યંત તરસ લાગી. આજુબાજ ક્યાંય પાણી નહિ જોવા છતાં શેઠ જરાપણ વ્યાકુળ ન થયા. શ્રી શત્રુંજયના ધ્યાનમાં સ્થિર રહ્યા. આથી તુષ્ટ થયેલી વનદેવીએ પ્રગટ થઈને કહ્યું, “શેઠ ! વરદાન માંગો.'
શેઠે કહ્યું : “મને જંગલથી પાર પમાડો અને સરોવર બતાવો.'
વનદેવી શેઠને તત્કાળ નગરમાં લાવી, ત્યાં પાણી પીને શેઠ સ્વસ્થ થયા. ત્યારપછી શત્રુંજય તીર્થે જઈ ઉલ્લાસથી પ્રભુભક્તિ કરી આત્મકલ્યાણ સાધ્યું. આ પ્રમાણે શત્રુંજયના સ્મરણથી, ધ્યાનથી વિવિધ ઉપદ્રવો પણ દૂર થાય છે.
શત્રુંજય ઉપર રસકૂપિકા કુંતલ નામના નગરમાં ધનદ અને ધનવતી નામના શેઠ-શેઠાણી રહેતા હતા. તેમને સોમ, અમર, શ્રીદ અને સુંદર નામે ચાર પુત્રો હતા. તે ચારેને શેઠે સારા ભણાવ્યા. યૌવનવયમાં આવતાં પરણાવ્યા. ભાગ્યયોગે બધા જ પુત્રો પુત્રવધુઓને આધીન થયા. શેઠ-શેઠાણીની દરકાર કોઈ નથી કરતું. તેથી આજીવિકા માટે પણ શેઠે પોતે જ મહેનત કરવી પડે છે.
એક દિવસ શેઠને બાલપણાનો મિત્ર મળી ગયો. તેણે શેઠની આવી હાલત જોઈ કારણ પૂછ્યું. શેઠે આપવીતી કહી. મિત્રે આશ્વાસન આપીને કહ્યું, “તમારા બધા પુત્રોને હું બુદ્ધિથી પાછા વાળીશ.” શેઠ પણ સંતોષ પામ્યા.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર - ૩૭૨
Page #394
--------------------------------------------------------------------------
________________
મિત્રે સમજાવીને તથા કળથી છોકરાઓને માતૃ-પિતૃભક્ત બનાવ્યા. તેથી ત્રણ છોકરાઓ શેઠ પાસે આવ્યા અને માતા-પિતા બંનેને પ્રેમથી સાચવે છે. નાનો પુત્ર સુંદર કમનસીબે સાવ નિધન થઈ ગયેલો. તેથી લજ્જાથી તે પિતા પાસે ન આવતાં પરદેશ ગયો. ચાલતાં ચાલતાં તે શત્રુંજયની નજીક આવ્યો. ત્યાં પર્વતોની હારમાળા વચ્ચે એક ગુફા જોઈ ત્યાં પહોંચ્યો. તે ગુફાની અંદર સાધુમહાત્માઓને સ્વાધ્યાય કરતાં જોયા.
તેમાં મુખ્ય સાધુભગવંત શ્રી શત્રુંજયનું માહાભ્ય કહી રહ્યા હતા. સુંદરે તે વખતે આ પ્રમાણે સાંભળ્યું કે, “શ્રી શાંતિનાથ ભગવાનની આગળ છઠ્ઠનો તપ કરી, પારણામાં ફક્ત ૨૦ અડદ જે ખાય અને શ્રી શાંતિનાથ ભગવાનના ધ્યાનમાં રહે તેને રસકૂપિકાનો અધિષ્ઠાયક દેવ દર્શન આપે. ત્યારપછી તે શ્રી શાંતિનાથ ભગવાનના ચૈત્યની આગળ ત્રીસ હાથ જેટલી ભૂમિ ગયા પછી, સાત હાથ પ્રમાણ ઉડી સોના-રૂપાની એ ખાણો છે. ત્યાંથી સો હાથ દૂર પૂર્વ બાજુએ આઠ હાથ ઉંડી સિદ્ધરસ ભરેલી કૂપિકા બતાવે છે.
તે ઉપરાંત... શ્રી ઋષભદેવપ્રભુના બિબથી પૂર્વદિશામાં નીચે ઋષભકૂટ છે. ત્યાંથી ત્રીશ ધનુષ જેટલું ચાલ્યા પછી ત્રણ ઉપવાસ કરવા તથા બલિવિધાન કરવું તો “વૈરોટ્યા દેવી' પ્રત્યક્ષ થાય. ત્યારપછી તેની આજ્ઞા વડે ત્યાં શિલા ઉપાડીને ૧ ઉપવાસ કરવો. તેનાથી સર્વસિદ્ધિઓ થાય તથા ત્યાં ગુફામાં રહેલી શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમાના જે દર્શન કરે તે એકાવતારી થાય.
ત્યાંથી ૫૦૦ ધનુષ આગળ જતાં સાત પત્થરની કુંડીઓ છે. ત્યાં સાત પગલા જઈને બલિનો વિધિ કરવો. ત્યાર પછી બે ઉપવાસ કરવાથી રસકૂપિકાનો અધિષ્ઠાયક યક્ષ પ્રત્યક્ષ થાય.'
આ સર્વ વાત સુંદર શ્રેષ્ઠીપુત્ર અવધારી લીધી અને ગિરિરાજના તે સ્થાને જઈ તે પ્રમાણે તપ કર્યું. તેથી કૂપિકાનો અધિષ્ઠાયક દેવ પ્રગટ થયો. તેણે કૂપિકા બતાવી. તેમાંથી સુંદરે ત્રણ ભાર રસ ગ્રહણ કર્યો. ત્યાંથી નગરમાં આવી તેમાંથી અઢળક સુવર્ણ બનાવ્યું.
ત્યારબાદ માતા-પિતાની ખૂબ ભક્તિ કરી. એક મોટો જિનપ્રસાદ બંધાવ્યો. તેમાં ત્રીસભાર પ્રમાણ સોનાની શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી તથા શત્રુંજય પર્વત ઉપર પણ શ્રી શાંતિનાથ પ્રભુની સુવર્ણની પ્રતિમા ભરાવી. ત્યારબાદ પરિવાર સહિત ઘણીવાર શત્રુંજયની યાત્રા કરી. તેમાં એક દિવસ શ્રી શાંતિનાથ પ્રભુનું ધ્યાન ધરતાં સુંદરને ગૃહસ્થજીવનમાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૭૩
Page #395
--------------------------------------------------------------------------
________________
સુંદર કેવલી ભગવંતે ધર્મદેશના આપી. તે સાંભળી ત્રણ લાખ જીવો પ્રતિબોધ પામ્યા. તે સર્વ સિદ્ધગિરિ ઉપર મોક્ષે ગયા.
આ
પ્રમાણે સિદ્ધિગિરિ ઉપર રત્નની ખાણો તથા અદ્ભૂત ગુફાઓ પણ છે. જેના પ્રભાવે અનેક આત્માઓને દ્રવ્ય-ભાવ બંને પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થઇ છે. આ રીતે શત્રુંજયનો મહિમા અપરંપાર છે.
શત્રુંજય ઉપર ઔષધોનો ભંડાર
શત્રુંજય ઉપર ઘણા વિશિષ્ટ વૃક્ષો છે. જેનાં ફળો ઔષધ તરીકેનું કામ કરે છે. તે ઔષધના પ્રભાવ સંબંધી પદ્મસેન રાજાની વાત આવે છે કે...
ક્ષિતિભૂષા નગ૨માં વીરરાજાને પદ્માવતી રાણીનો પદ્મસેન નામનો કુમાર છે. કુમાર રૂપ અને કળાઓમાં શ્રેષ્ઠ છે. તેને ૫૦૦ રાજકન્યાઓ પરણાવી છે. તેમની સાથે પાંચે ઇન્દ્રિયના વિષયસુખો ભોગવતો રાજકુમાર દોગુન્દક દેવની જેમ દિવસો પસાર કરે છે.
નિરંતર સુખમાં અત્યંત આસક્ત થયેલા રાજકુમારને અચાનક ક્ષય રોગ થયો. તે રોગથી તે અત્યંત પીડાવા લાગ્યો. રાજાએ ઘણા વૈદ્યો પાસે ઉપચાર કરાવ્યા પણ રાજકુમારને કાંઇ લાભ થયો નહિ. ત્યારપછી રાજાએ જ્યોતિષીઓને બોલાવીને રોગની શાંતિનો ઉપાય પૂછ્યો પણ તેનાથી પણ કાંઇ ગુણ થયો નહિ.
એક દિવસ રાજાને શત્રુંજયતીર્થની યાત્રા કરવાની ભાવના થઇ. તેથી પરિવાર સહિત રાજા યાત્રા કરવા આવ્યો. ત્યાં રોગની શાંતિ માટે રાજકુમારે સાત દિવસ ઉપવાસ કર્યા અને ગોમેધ યક્ષને વિનંતી કરી, ‘હે યક્ષ ! મારા રોગની શાંતિ માટેનું ઔષધ કહો.'
યક્ષે પ્રગટ થઇને કહ્યું, ‘હે રાજપુત્ર ! આ પાસે રહેલા વૃક્ષનું ફલ તું ખા. તો તારો રોગ તત્કાલ દૂર થશે.'
રાજપુત્રે તેમ કર્યું અને દેવકુમારની જેમ તરત જ નિરોગી થયો. રાજાએ પુત્રને નિરોગી થયેલો જોઇ ત્યાં ઊંચું અને સુંદર શ્રી શાંતિનાથ ભગવાનનું જિનાલય બંધાવ્યું. તેમાં સુવર્ણની પ્રતિમા બિરાજમાન કરી. અનુક્રમે શત્રુંજયની ભક્તિ કરતાં કરતાં આત્મકલ્યાણ સાધ્યું.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૭૪
Page #396
--------------------------------------------------------------------------
________________
શ્રી શત્રુંજય તીર્થરાજની ભાવયાત્રા
(શ્રી શત્રુંજય તીર્થાધિરાજની યાત્રાઓ ઘણી કરી, પણ એ યાત્રાના ભાવો કેટલા સ્પર્શયા એ પ્રશ્ન છે. દાદાની યાત્રા સાથે જો ભાવ ઉમેરાતા જાય અને એ ભાવયાત્રા કરાય તો ભવયાત્રાનો અંત આવી જાય. આ ભાવયાત્રામાં જે અર્થઘટન છે, તે પરમપૂજ્ય પંન્યાસપ્રવરશ્રી વજસેનવિજયજી ગણિવર્યશ્રીએ કરેલ છે.)
એકેકું ડગલું ભરે, શત્રુંજય સમો જેહ, ઋષભ કહે ભવક્રોડના, કર્મ ખપાવે તેહ...
અહાહા...! ક્રોડો ભવના જે ઢગલાબંધ કર્મો, આ આપણા આત્માએ જાણતાઅજાણતા બાંધી લીધા છે. તેને તોડવાનો સહેલામાં સહેલો ઉપાય છે, આ પવિત્રતમ અનંત સિદ્ધ ભગવંતોના ધામ-તીર્થધામ ગિરિરાજની પાવન સ્પર્શના. જુઓ...! સામે રળીયામણો ડુંગર દેખાય છે. તેની ઉપર હાથીની અંબાડી જેવું અને ઉંચા-ઉંચા શિખરોથી શોભતું ભવ્ય જિનાલય છે. આપણે ઠેઠ ત્યાં પહોંચવાનું છે. બધા પોતપોતાના હૈયામાં “જય જય શ્રી આદિનાથ'ના તરંગો ચાલુ રાખજો . બહુ ઉતાવળ ન કરજો. નીચે જોઇને ચાલજો . • જય તળેટી..!
બસ...! જુઓ...! આ ગિરિરાજની તળેટી છે.
જ્યાં તળેટી પહેલી આવે, ગિરિવર દર્શન વિરલા પાવે, પ્રભુના પગલા પુનિત ને અભિરામ છે. સૌ ચાલો સિદ્ધગિરિ જઇએ...
પ્રારંભમાં મહાપવિત્ર અને મહાપ્રભાવિક ગિરિરાજની સ્પર્શન-વંદના કરવા માટે ગિરિરાજનો મર્યાદિત ભાગ નક્કી કરવામાં આવ્યો છે. શરૂઆતમાં એ “મનમોહન પાગ” તરીકે ઓળખાતો. અત્યારે “જય તળેટી' કહેવાય છે. રોજ અહીં અભિષેક થાય છે. વરખ | ગુલાબના પુષ્પથી પૂજન, આંગી થાય છે. ટાણા સંઘના સક્યોગથી વિશાળ મંડપ બનાવવામાં આવ્યો છે. જે ગિરિરાજની યાત્રા નથી કરી શકતા તેઓ તળેટીની યાત્રા કરે છે. છ'રિ પાલિત સંઘો, ૯૯ યાત્રા સંઘો અને ચાતુર્માસમાં રોજ વાજતે-ગાજતે તળેટીએ ભક્તિમેળો રચાય છે. સાંજે મહાઆરતીનો પણ પ્રસંગ ઉજવાય છે. તળેટીની મહાપૂજા પણ યોજાય છે. ગિરિરાજની પૂજયતાને વરેલી આ ગિરિશિલા છે.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૭૫
Page #397
--------------------------------------------------------------------------
________________
આ ગિરિરાજની પવિત્ર ધરામાંથી અનંતાનંત આત્માઓ મુક્તિ પામ્યા છે. તેથી આ ગિરિરાજના અણુએ અણુ પવિત્ર છે, પૂજનીય છે. આ શત્રુંજય ગિરિરાજની માત્ર સ્પર્શના પણ મારા ભવોભવના કર્મોને ખતમ કરવા સમર્થ છે. આની સ્પર્શના પામીને આજે હું કૃતાર્થ બન્યો...' વગેરે ભાવપૂર્વક ગિરિરાજની આ પવિત્ર ભૂમિને મસ્તકથી સ્પર્શ કરીએ. અનંતાને તાર્યા તેમ આપણને પણ તારવાની વિનંતી કરીએ.
શ્રી શત્રુંજય ગિરિરાજની વિધિસહિત યાત્રા કરવા જુદી-જુદી જગ્યાએ મળીને કુલ પાંચ ચૈત્યવંદન કરવાના હોય છે. સ્તુતિ બોલીને આ જયતળેટીએ પહેલું ચૈત્યવંદન કરીએ.
| સ્તુતિ (૧) શ્રી સિદ્ધાચલ નયણે જોતાં, હૈયું મારું હર્ષ ધરે,
એ ગિરિવરનો મહિમા મોટો, સુણતાં તનડું નૃત્ય કરે; કાંકરે-કાંકરે અનંત સિધ્યા, પાવન એ ગિરિ દુઃખડા હરે,
એ તીરથનું શરણું હોજો, ભવોભવ બંધન દૂર કરે. (૧) (૨) જ્યાં સિદ્ધભૂમિમાં અનંતા, આત્મા મુક્તિ વર્યા,
જ્યાં નાથ આદીશ્વર નવ્વાણું, પૂર્વ વાર સમોસર્યા; તાર્યા ભવિ ભવસિંધુથી, દઇને અનુપમ દેશના,
દર્શન થકી પાવન કરે તે, વિમલગિરિને વંદના. (૨) પછી ધૂપ-દીપ કરી, સાથીયો કરી, દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપી ત્રણ રત્નો મેળવવા ત્રણ ઢગલી કરી, મોક્ષપદની પ્રાપ્તિ માટે ઉપર સિદ્ધિશીલા કરવા વડે અક્ષતપૂજા કરવી. સાથીયા ઉપર મીઠાઈ વગેરે નૈવેદ્ય મૂકવું તથા સિદ્ધશીલા ઉપર ઉત્તમ ફળો મૂકવા.
શત્રુંજય ગિરિરાજની દ્રવ્યપૂજા કર્યા પછી હવે ચૈત્યવંદન રૂપ ભાવપૂજન કરીએ...
તો બધા બેસી જાઓ. આપણે ચૈત્યવંદન કરશું, ત્રણ ખમાસમણા આપશું.. આપ્યા પછી...
શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે...(૧) અનંત સિદ્ધનો એહ ઠામ, સકલ તીરથનો રાય; પૂર્વ નવ્વાણું ઋષભદેવ, જ્યાં ઇવીયા પ્રભુ પાય...(૨)
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૭૬
Page #398
--------------------------------------------------------------------------
________________
સૂરજકુંડ સોહામણો, કવડજક્ષ અભિરામ; નાભિરાયા કુલમંડણો, જિનવર કરું પ્રણામ. (૩)
ખરેખર..! કેવો છે આ શત્રુંજય કે નજરે જોવા માત્રથી દુર્ગતિને દૂર કરી દે છે અને ભાવપૂર્વક ચડનારને ભવપાર ઉતારી દે છે. આવા ગિરિરાજના ચૈત્યવંદન પછી સ્તવન પણ આપણે એવું જ બોલવું છે ને...?
આજ મારાં નયણાં સફળ થયા, શ્રી સિદ્ધાચલ નિરખી; ગિરિને વધાવો મોતીડે, મારા હૈયામાં હરખી. આજ..(૧) ધન્ય ધન્ય સોરઠ દેશને, જિંહા એ તીરથ જોડી; વિમલાચલ ગિરનારને, વંદુ બે કરજોડી... આજ..(૨) સાધુ અનંતા ઇણગિરિ, સિધ્યા અણસણ લેઇ; રામ પાંડવ નારદ ઋષિ, બીજા મુનિવર કેઇ.. આજ...(૩) માનવ જન્મ પામી કરી નવિ એ તીરથ ભેટે; પાપ કરમ જે આકરા, કહો કેણી પરે મેટે.. આજ...(૪) તીર્થરાજ સમરુ સદા, સારે વાંછિત કાજ; દુઃખ દોહગ દૂર કરી, આપે અવિચલ રાજ... આજ...(૨) સુખ અભિલાષી પ્રાણીઆ, વંછે અવિચલ સુખડાં, માણેક મુનિ' ગિરિ ધ્યાનથી, ભાંગે ભવોભવ દુઃખડાં... આજ..(૬)
બસ...! હવે આપણે ગિરિરાજ ઉપર ચઢવાનું શરૂ કરશું, પણ... પ્લીઝ....! એક મિનિટ...! આ સિદ્ધાચલનો આધ્યાત્મિક અર્થ આપણા આત્માને માટે ઉપયોગી શું છે તે વિચારશું ને...?
“સિદ્ધાચલ એટલે આપણો આત્મા નિગોદથી કરીને આજ સુધી સીધો ચાલ્યો નથી. તેથી આપણે સિદ્ધ થયા નથી. એટલે સિદ્ધાચલ તીર્થ પોતાના નામથી જ આપણને જણાવે છે, હે આત્મા...! તું સીધો ચાલ...! જેથી ભવભ્રમણથી બચીને જલદી સિદ્ધિ પામી શકે. તો આજે આપણે ફક્ત દેવાધિદેવ, તીર્થંકર પરમાત્માને હૃદય સમક્ષ રાખીને ચાલવાનું છે.'
હા..! એટલું ધ્યાન રાખવાનું છે કે આવા પવિત્રતમ ગિરિરાજ ઉપર બુટચંપલ પહેરીને ચડાય નહિ, રસ્તામાં ઘૂંકાય નહિ, સંસારની વાતો કરાય નહિ, કંઇ પણ ખવાય નહિ. આટલી સાવધાની રાખીને ચઢવાનું છે, તો આ તીર્થ આપણને તારક બની શકે. તો ચાલો હવે ઉપર ચડીએ... બોલો આદિનાથ દાદા કી... જય...!
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૭૭
Page #399
--------------------------------------------------------------------------
________________
હા...! જુઓ...! બરોબર આપણા ડાબા હાથ તરફ જે નાનકડું પણ રળીયામણું દેરાસર છે, તેમાં શ્રી ધર્મનાથ ભગવાન બિરાજમાન છે. બધા જ પરમાત્માના બિંબો ખૂબ જ આકર્ષક અને રમણીય છે. તેની અંજનશલાકા પ્રતિષ્ઠા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરમહારાજસાહેબે કરેલ છે. ચાલો...! દર્શન કરી લઇએ...
હવે, જુઓ...! બહાર આવો... આ સામે દેખાય છે તે બાબુનું દેરાસર. મુર્શીદાબાદના રાયબહાદુર ધનપતસિંહે પોતાના ઉપકારી માતુશ્રી મહેતાબકુમારીના નામથી આ મંદિર બંધાવ્યું છે. આ મંદિર દાદાની ટુંકની જેમ જ વિશાળ છે. આ મંદિરમાં એક રત્નમંદિર છે. જેમાં રત્નોના ભગવાન છે. આ લોકોનો હીરા-મોતીનો ધંધો એમાં સારી વસ્તુ આવે તો તેઓ પરમાત્માનું બિમ્બ બનાવતા અથવા પરમાત્માના આભૂષણ બનાવીને ચડાવતા અને એ રીતે આ ભવ્ય-સુંદર આભૂષણોથી શોભતા પરમાત્માના દર્શન-વંદન-પૂજન કરીને સમ્યત્વ નિર્મળ કરતા. તમે પણ તમારા જીવનમાં મળતી સારી વસ્તુ પરમાત્માને ચરણે ધરજો.
આ મંદિરમાં સહગ્નકૂટ, ગુરુમંદિર, જલમંદિર, રાયણ પગલા, પુંડરીકસ્વામી અને ૮૪ શિખરો છે. ચાલો...! આપણે બધાના દર્શન કરીએ. અહા...! કેવા પરમાત્મા અને કેવો મહિમા. જેમ-જેમ દર્શન કરીએ તેમ-તેમ આપણા પાપો દૂર થતા જાય છે.
હવે આપણે પાછા નીચે આવીને જે સિદ્ધગિરિના પગથીયા છે ત્યાંથી ઉપર ચડશું. જુઓ ! આ ગિરિરાજના પગથીયાની બંને બાજુ દેરીઓ છે ને ? તેમાં ડાબી બાજુની દેરીમાં શ્રી અજિતનાથ ભગવાનની ચરણ પાદુકા છે અને જમણી બાજુની દેરીમાં ગૌતમસ્વામી, ધર્મનાથ-કુંથુનાથ વગેરે ભગવાનની ચરણ પાદુકા છે અને તેની પૂજા કરાય છે.
બરોબર ધ્યાનથી આગળ ચડજો હોં ! જયાં જયાં દેરી કે પગલા દેખાય ત્યાં આપણે “નમો જિરાણ” કહેતા જવાનું... - હવે જુઓ ! આ સરસ્વતી માતાની દેરી છે. ત્યાં જમણી બાજુના રસ્તેથી જવાય છે. સરસ્વતી માતાની કૃપાથી જ આપણે જ્ઞાનની આરાધનામાં આગળ વધી શકીએ છીએ. ચાલો ત્યાં આપણે સ્તુતિ કરશું. હાં...! ધ્યાન રાખજો હોં ! દરવાજો નાનો છે. આ રહ્યા હંસના વાહન ઉપર બેઠેલા સરસ્વતી દેવી...
कलमराल-विहंगमवाहना, शीतदुकूलविभूषण-लेपना । प्रणतभूमिरुहामृतसारणी, प्रवरदेहविभावरधारिणी ॥
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૭૮
Page #400
--------------------------------------------------------------------------
________________
અહીં અનેક મુનિઓએ એકાંતમાં બેસી, ધ્યાન કરીને વરદાન મેળવ્યા છે એવી દંતકથા છે.
દર્શન કર્યા...! કેટલો આનંદ આવ્યો.
ચાલો... હવે ઉપર તરફ...
હાં... જુઓ...! આ સામે દેખાય છે તે સમવસરણ મંદિર છે. લગભગ ૧૮ વર્ષ પહેલા જ પ્રતિષ્ઠા થઇ છે. પૂ.આ.શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજીમહારાજસાહેબની પ્રેરણાથી બનેલું છે. કેવું સરસ લાગે છે ! ચાલો...! જરા નજીકથી જઇને જોઇએ. ચાર દિશામાં ચાર વાવડીઓ છે. ઉપર ચડવા માટે પગથીયા છે.
ડોમ જેવા આકારમાં અંદર બે વિભાગ છે. તેના પ્રથમના વિભાગમાં ૧૦૮ ભગવાનના તથા તીર્થોના આરસ ઉપર કરેલા લેમીનેશન ફોટાઓ છે. સામેની દિવાલમાં જુદા-જુદા મહાપુરુષોના ચરિત્રો ઉપરથી ચિત્રો થયા છે. ખૂબ જ આકર્ષક અને ઉપદેશક ચિત્રો છે. હવે અંદર જઇએ. તો જુઓ, ચારે બાજુ પાર્શ્વનાથ ભગવાન, ૧૦૮ પાર્શ્વનાથ ભગવાનના બિંબો અહા...! કેવા હસતા, અમી વર્ષાવતા બિંબો છે કે, દર્શન કરવાથી જ અંતર ઠરી જાય છે ને ? કેવું મજાનું છે અને સામે ચારે દિશામાં ચોવીશ ભગવાનના નયનરમ્ય બિબો છે. ચાલો...! ત્રણ ખમાસમણા આપીને ‘અરિહંત ચેઇઆણં' કરીને બધા જ ભગવાનની સ્તુતિ કરી લઇએ. દર્શનવંદન-સ્તુતિ કરી જલ્દી ચાલો, નહિ તો મોડું થશે. આપણે ઉપર ચડવાનું છે.
હાં...! હવે આપણે તીર્થરાજ ઉ૫૨ ચડવાનું છે. પણ ખાસ ધ્યાન રાખજો કે, નજર નીચે રાખવાની કે જેથી ભૂલથી પણ આપણા પગની નીચે કોઇ જીવ આવીને મરી ન જાય. કારણ કે... કહ્યું છે કે...
તુમે જયણાએ ધરજો પાય, પાર ઉતરવાને!
ચાલો... મૌનપૂર્વક... પરમાત્માનું સ્મરણ કરતા ચડવાનું છે હોં ! તીર્થરાજ ઉપર ચડતા શરીરને થાક લાગે, શ્વાસ ચડે એટલે જરાક આરામ કરવા માટે ઠેકઠેકાણે વિસામા બનાવ્યા છે. પણ ચાલો...! આપણે તો ધીરે-ધીરે ઉપર જઇશું. આ સામે દેખાય તે પહેલો વિસામો છે. અહીં ધોરાજીના શેઠ શ્રી અમૂલખ ખીમજીના નામની ધોળી પરબ છે. અહીંથી પછી તો ચાલવાનું આવશે.
હાં... જુઓ...! આ સામે જે દેરી દેખાય છે ને, તેમાં ભરત મહારાજાની ચરણ પાદુકા પૂજાય છે. ભરત મહારાજા એટલે આપણા યુગાદિનાથ શ્રી આદિનાથ ભગવાનના મોટા પુત્ર. તેઓએ સૌ પ્રથમ છ'રિ પાળતો સંઘ કાઢ્યો હતો. શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૭૯
Page #401
--------------------------------------------------------------------------
________________
ગિરિરાજની યાત્રાએ પોતાની સંપૂર્ણ ઋદ્ધિ-સમૃદ્ધિ સાથે આવેલા એટલે એનું સ્તવન પણ ખૂબ મજેદાર છે...
આવે આવે ઋષભનો પુત્ર, ભરત શુભ ભાવશું એ; લાવે લાવે ચક્રવર્તિની ઋદ્ધિ, ઋષભ જિન ભેટવા એ.
આવા ભરત મહારાજા એક દિવસ પોતાના મહેલના એક વિભાગમાં જયાં ચારે તરફ અરીસાથી જ મહેલ બનાવેલો તેવા અરીસા ભવનમાં હતા અને હાથમાંથી વીંટી સરકી ગઇ. વીંટી વિનાની આંગળીની શોભા ગઇ એ જોઈ વિચારે ચડ્યા કે કેવું આ શરીર ? અને એ વિચારતા જ આત્માને અને શરીરને જુદુ માનતા ત્યાં ને ત્યાં જ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. આ રીતે કેવલી બનેલા ભરત મહારાજાના ચરણ કમળ અહીં પૂજાય છે. આની પ્રતિષ્ઠા વિ.સં. ૧૬૮૫માં થઇ છે. ચાલો.. આપણે “નમો સિદ્ધાણં' કરી આગળ વધીએ. હવે વચ્ચે-વચ્ચે આધ્યાત્મિક અર્થ પણ વિચારીએ.
પરમાત્મા સમવસરણમાં બેસીને દેશના આપે છે. તેમાં ત્રણ ગઢ હોય છે. તેની ઉપર પરમાત્મા બિરાજીને દેશના આપે છે. પહેલા ગઢમાં દેશના સાંભળવા આવેલા દેવો-મનુષ્યોના વાહનો હોય છે. બીજા ગઢમાં પશુ-પંખી, ત્રીજા ગઢમાં બાર પર્ષદા અને સિંહાસન ઉપર પરમાત્મા હોય છે. આપણે બધા નીચેથી ઉપર ચડ્યા. અહીં સુધી આવ્યા તેમાં આપણને શરીરના જ વિચારો આવ્યા કે, અહાહા..! શ્વાસ ચડે છે, ચડાતુ નથી, તરસ લાગી છે વિગેરે... તો શરીર એ વાહન છે, એટલે શરીરનો વિચાર અહીં સુધી.. હવે આગળ ચાલો..! આપણે સમવસરણના બીજા ગઢમાં જઇએ...
જોયું ને...! વાત કરતાં-કરતાં અહીં આવી ગયા. આ સામે જે ડાબી બાજુ કુંડ દેખાય છે ને ? તેનું નામ છે ઇચ્છાકુંડ...
આ કુંડ સુરતના શેઠ ઇચ્છાચંદે વિ.સં. ૧૯૮૧માં કરાવેલ. એમાં જુઓ શેઠની મૂર્તિ અને શીલાલેખ છે. જોવું છે ?... ચાલો...! વિસામામાં જઈએ એટલે બધો ખ્યાલ આવી જાય.
આવા તો વિસામા – દેરીઓ હજુ ઘણા આવશે. પણ સાથો-સાથ તમને આપણા આત્માને ઉપકારક વસ્તુ શું છે ? તે પણ બતાવી દઉં. જુઓ...! આ ક્ષેત્રમાં અનંત આત્માઓ સિદ્ધ થયા છે. તેથી આ ક્ષેત્ર સિદ્ધક્ષેત્ર કહેવાય છે. અહીંના કાંકરા, વૃક્ષો, પત્થરો, માટી બધું જ પવિત્ર છે. અરે...! અહીં વાતો પવન પણ પવિત્ર છે અને આપણે પણ એમાં તન્મય બનેલા હોવાથી આપણો આત્મા પણ અત્યારની પળોમાં પવિત્ર છે.
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૩૮૦
Page #402
--------------------------------------------------------------------------
________________
હવે તો થોડું ચઢવાનું અને ચાલવાનું, થોડું ચઢવાનું અને ચાલવાનું... થાક જરાય લાગે નહિ ને ઉપર ચઢાતું જાય...
વાહ... કેવું સરસ ! આ જમણી બાજુ દેરી આવી.
વંદના... પાપનિકંદના : આ શાશ્વત ગિરિરાજની આ તો વળી અદ્દભૂત વિશેષતા! જ્યાં થોડુંક ચઢો ત્યાં વંદના કરવાનું કોઈક સ્થાન આવી જ જાય !!!
વંદનાની સાથે ચઢતાં ચઢતાં થાકેલાને થોડો વિસામો પણ મળી જાય.
વચ્ચે વચ્ચે આવતા વિસામાઓ અને દેરીઓ કહે છે કે સંસારમાં ભમતાં ભમતાં થાક લાગ્યો હોય અને હવે વિસામો જોઇતો હોય તો જરા અહીં વંદના કરતો જા. વંદના કરતાં કરતાં થઈ જશે અનંતાનંત ભવોના પાપની નિકંદના !
ચાલો... આપણે પણ આ દેરીમાં રહેલાં શત્રુંજય ગિરિરાજના આદિનાથ, ગિરનારજીના નેમીનાથ અને જેમણે અહીં પધારીને શત્રુંજય ગિરિરાજના મહિમાને વર્ણવ્યો હતો તે નેમીનાથ ભગવાનના પ્રથમ ગણધર વરદત્તસ્વામીને વંદના કરીએ. નમો જિણાણું” • આદિનાથ ભગવાનના પગલાં : થોડા ઉપર ચઢીએ એટલે લીલી પરબ આવી. આ પરબ સુરતના તલકચંદ શેઠે બંધાવેલ છે. થોડા ઉપર ચડીએ ત્યાં બાજુમાં દેરીમાં રહેલા આદિનાથ ભગવાનના પગલાંને “નમો જિણાણં' કહીને સ્ટેજ આગળ વધ્યા ત્યાં તો આ કુમારકુંડ આવ્યો ! • કુમારકુંડ : કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી છરી પાલિત સંઘ લાવેલા કુમારપાળ મહારાજાએ આ કુંડ બનાવ્યો છે તથા ગિરિરાજ ઉપર ‘કુમારપાળવિહાર' નામની ટૂંક પણ બનાવી છે.
એકવાર છ'રી પાલિત સંઘની સાથે યાત્રા કરીને વસ્તુપાળ નીચે ઉતરતાં આ કુમારકુંડ પાસે આવ્યા. સંઘ આવ્યો છે, ખૂબ કમાણી થશે તેવી આશા લઇને ઉપર ચઢતો માળી પાછા ફરતા સંઘને જોઇને નિરાશ થયો ! પણ આ તો મહાઉદાર વસ્તુપાળ છે ! તેણે તમામ ફૂલો ઉદારતાપૂર્વક ખરીદી લીધાં અને આ જગ્યાએથી જ ગિરિરાજને તે ફૂલડાઓથી વધાવ્યો.
કુમારકુંડસ્થળે આવેલા આપણને આ પ્રસંગ ઉદાર બનવાનો મૂક સંદેશ પ્રસારિત કરે છે. કુમારપાળ રાજા યાત્રામાં આવતા તમામ વૃક્ષોને પણ નમસ્કાર કરતા.
આપણને પ્રશ્ન થાય કે, વચ્ચે વચ્ચે આવી દેરીઓ શા માટે ? એનું સમાધાન એ હોઈ શકે કે - આપણો આત્મા નિમિત્તવાસી છે. એને જેવા નિમિત્ત મળે તેવો એ બની જાય છે. બીજી બાજુ આપણા અનાદિથી એવા સંસ્કારો છે કે આપણો આત્મા
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૮૧
Page #403
--------------------------------------------------------------------------
________________
સંસાર તરફ – જડ તરફ – મોહક વસ્તુઓ તરફ તરત જ ખેંચાઈ જાય છે. હવે સંસારમાં બેઠા હો ત્યાં ખેંચાવ તે તો ઠીક પણ આવા પવિત્રતમ, મહાઆરાધ્ય એવા તીર્થરાજ ઉપર આવીને જો બીજી વાતો - ગપાટામાં કે આડું અવળું જોવામાં કોણ કેવો છે ? કેવા કપડાં પહેર્યા છે ? શું કરે છે ? એ જોવામાં જો ચિત્ત ચાલ્યુ જાય તો લાભને બદલે નુકશાન થાય. એવું ન થાય તે માટે ઉપકારી પૂજયો આવા સિગ્નલરૂપ પરમાત્માના ચરણ પાદુકા ગોઠવીને આપણને સાવધાન કરે છે કે, હે આત્મા...! સાવધાન થા...! આવા દેવાધિદેવના ચરણનું શરણ કર તો તારો વિસ્તાર થશે.
હવે આપણે સતત સીધું ચઢાણ ચડવાનું છે. બસ ચઢયા જ કરો. સામે ઉપરા ઉપરી પગથિયા જ પગથિયા દેખાય છે. પૂર્વે તો પગથીયા જ નહોતા. કેડે હાથ દઇને ચઢવું પડતું હતું ! ચાલો...! આપણે પણ ધીમે ધીમે ડગ ભરી ઉપર ચઢીએ... અને... આ શું આવ્યું ? આ તો આવ્યો પેલો હિંગળાજનો હડો. • હિંગળાજનો હકો :
હે.. આવ્યો હીંગળાજનો હડો, કેડે હાથ દઈને ચઢો, ફૂટ્યો પાપનો ઘડો, બાંધ્યો પુન્યનો પડો.
સિધુ નદી તરફના વિસ્તારમાંથી શ્રી શત્રુંજયગિરિરાજની યાત્રા કરવા આવતા યાત્રિકોને કરાંચીના જંગલમાં હિંગુલ નામનો રાક્ષસ હેરાન કરતો હતો. નેમિનાથ પરમાત્માની અધિષ્ઠાયિકા અને સૌરાષ્ટ્ર દેશની રખેવાળી અંબિકાદેવીએ આ હિંગુલરાક્ષસનો પરાભવ કર્યો. હિંગુલ રાક્ષસની વિનંતીથી તેઓ હિંગળાજ માતા તરીકે પ્રસિદ્ધ થયા. તેમની પ્રતિમા અહીં પૂજાતી હોવાથી આ ભાગ હિંગળાજના હડા તરીકે ઓળખાય છે. યાત્રામાં સહુની રક્ષા થાય એવી અહીં ભાવના ભાવવી. • કલિકુંડ પાર્શ્વનાથના પગલા થોડું ઉપર ચડીએ ત્યાં કલિકુંડ પાર્શ્વનાથના પગલા છે. “નમો જિણાણં' અહીં પણ વિસામો છે અને સાથે મોટો ઓટલો છે. જેથી બરાબર આરામ પણ કરી શકાય. અહીં કચ્છના શેઠ હીરજી નાગજી તરફથી પાણીની પરબ છે.
હવે આપણે આગળ જઇએ... સામે ઓટલા જેવો ઉંચો ચોતરો દેખાય છે ને, તેને થાકલો કહે છે...! આણંદજી કલ્યાણજીની પેઢી આ તીર્થનો વહીવટ કરે છે. માલ સામાન ઉપર પહોંચાડવા માટે મજૂરો હોય છે. તેઓ લાકડા વિગેરે માલ લઇને ઉપર ચડે ત્યારે વચ્ચે-વચ્ચે થાક ઉતારે. એમાં અહીં થાક ઉતારવા માટે માલ આ ઓટલા ઉપર રાખે અને પોતાની રીતે પાછા માથા ઉપર રાખીને ચાલતા થાય. અહીં આવા થાકલા પણ વચ્ચે-વચ્ચે આવે છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૮૨
Page #404
--------------------------------------------------------------------------
________________
અહીંથી બે રસ્તા પડે છે. જમણી બાજુના જૂના રસ્તે હજારો યાત્રિકોના ઉત્તમ ભાવનાના પવિત્ર પરમાણુઓ પથરાયેલા છે. આ જૂના રસ્તે થોડે આગળ જતાં જમણી બાજુ બેસવાનો ઓટલો આવે છે.
કહેવાય છે કે ભરૂચના અનુપચંદ શેઠ વિસામા માટે આ ઓટલે બેઠાં. સાથે રહેલા ગિરધરભાઇ ભોજકને તેમણે કહ્યું કે, ‘અહીં કોઇ મરે તો તે કેવું કહેવાય ? ભોજકે જવાબ આપ્યો કે, ‘જેના કાંકરે કાંકરે અનંતા આત્માઓ સિદ્ધિપદના ભોક્તા બન્યા છે. ત્યાં તો મહાપુણ્યશાળીને જ મોત મળે !'
આ સાંભળતાં જ અનુપચંદભાઇએ પોતાની ડોક ગિરધરભાઇના ખભે ઢાળી દીધી. ઇચ્છામૃત્યુને તેઓએ આ જગ્યાએ પ્રાપ્ત કર્યું.
· સમવસરણ દેરી : થોડા આગળ જતાં, શત્રુંજય ઉપર મંડાયેલા પ્રભુ વીરના સમવસરણને યાદ આપતી સમવસરણના આકારની દેરી આવે છે. જેમાં પ્રભુવીરના પગલાં છે. ‘નમો જિણાણું.'
કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરીને, ત્યાં ઊભા-ઊભા જ જૂના રસ્તે રહેલા મહાવીરપ્રભુના પગલાને નમસ્કાર કરીને આપણે હવે ડાબી બાજુના નવા રસ્તેથી ઉપર ચઢીએ.
શાશ્વત જિનના પગલા : હવે આપણે ઘણા ઉંચે આવી ગયા. આ પાંચમો વિસામો છે. અહીં શેઠ અમરચંદ મોતીચંદ તરફથી પરબ છે. ઉપરાંત ઝાડ નીચે નગરશેઠ હેમાભાઇ વખતચંદની પરબ છે. બાજુમાં જ દેરી છે. ત્યાં ચાર શાશ્વત જિનેશ્વર એટલે ઋષભ-ચંદ્રાનન-વારિષણ-વર્ધમાનસ્વામીના ચરણ પાદુકા છે, તે પૂજાય છે. એની પાછળ જે કુંડ છે, તે છાલાકુંડ છે.
હવે અહીં એક મિનિટ ઉભા રહીને પાછળ નજર કરો, જુઓ...! કેવું વાતાવરણ છે. પ્રકૃતિના સુંદર દશ્યો, નદી, નાના-નાના ગામો, ખેતરોના દૃશ્યો, બધુ કેવું આહ્લાદક છે. તે પણ આપણને આનંદ આપી રહ્યું છે.
હાં...! હવે આપણે આગળ ચડીએ...? બસ... આ પગથીયાનો મોટો ભાર ઓછો થયો. આપણી બરોબર જમણી બાજુ આ શ્રીપૂજ્યની ટૂંક છે. આ ટૂંક તપાગચ્છના પતિ શ્રી દેવેન્દ્રસૂરિએ કરાવી છે. તેમાં કુલ ચૌદ દેરીઓમાં જુદા-જુદા શ્રીપૂજ્યોના પગલા છે. હવે વચ્ચમાં મંદિરમાં જઇએ. હા...! આ મંદિરમાં સામે જ પદ્માવતી માતા છે. ૭ ફણાવાળી ૧૭ ઇંચની પ્રતિમા છે, સાથે માણિભદ્રવીર અને હનુમાનની પણ મૂર્તિઓ છે. પદ્માવતી દેવી શાસનરક્ષિકા છે. તેને સાધર્મિક શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૮૩
Page #405
--------------------------------------------------------------------------
________________
તરીકે તમો સૌપ્રથમ પ્રણામ કરો. ચાલો જઇએ...? હા... બહાર નીકળતા પહેલા જુઓ...! આ આપણી જમણી બાજુ કુંડ છે. તેની ચારે બાજુ ચાર દેરી છે. તેમાં પાર્શ્વનાથ ભગવાન - આદિનાથ ભગવાન - ગૌતમસ્વામી અને ધર્મસૂરીશ્વરજી મ.સા.ના પગલા છે. “નમો... જિણાયું...”, “મFએણ વંદામિ...”
હા...! આચાર્ય મહારાજના પગલા હોય તો “મFણ વંદામિ' કહેવું. આ ચોવીશ તીર્થકરોની ૨૪ દેરીઓ હમણાં નવી બનાવવામાં આવી છે. “નમો જિણાયું.”
- હવે આપણે થોડુ ચડીએ પછી બસ લગભગ ચાલવાનું જ છે ! બધાને કેવો આનંદ થયો કે હાશ...! હવે તો દાદા પાસે પહોંચતા વાર નહિ લાગે.
હા...! પણ પ્લીઝ એક મિનિટ...
જુઓ...! આપણે બીજા વિસામા સુધી પહેલા ગઢની કલ્પના કરીને શરીરરૂપ વાહનનો વિચાર કર્યો. હવે બીજા ગઢમાં પશુ હોય. મનના આડા-અવળા વિચારો એટલે પશુવૃત્તિ...!
પહેલા ચાલવાનું સ્થાન પુરું થાય અને ચડવાનું ચાલુ કરીએ તે અહીં સુધી આપણને બીજા-બીજા વિચારો આવી જાય કે થાકી ગયા. ઓહો...! કેટલો ટાઇમ થઈ ગયો... પાણી પીએવાતોના ગપાટા માર્યા, એ બધુ પશુવૃત્તિ છે. તે અહીં સુધી કરી પણ હવે આપણને દેરાસરજી - ભવ્ય શિખરો - બાજુના દૂરના પહાડ ઉપર કદમ્બગિરિ - પાછળના પહાડ ઉપર હસ્તગિરિ વગેરે તીર્થોના દ્રશ્યો દેખાશે એટલે બસ. મન એમાં ગોઠવાઈ જશે. એટલે પશુવૃત્તિરૂપ વિચારો બંધ થશે. આ રીતે આપણે ત્રીજા ગઢ ઉપર ચડવાનું શરૂ કરીએ...
ચાલતા ચાલતા આપણે આ મેદાનમાં આવ્યા. • રજની-શાંતિ અભિષેક પરબ : આ મેદાન જોઈને યાદ આવે છે. જૈન-શાસનના બે દાનવીર ભક્તો - સુરતના રજનીભાઈ દેવડી અને મુંબઇના શાંતિભાઈ બાલુભાઈ. આ બંને શ્રાવક મિત્રોએ સોહમણા શત્રુંજયનો અલૌકિક અભિષેક કરાવ્યો હતો. વિ.સં. ૨૦૪૭, પો.સુ. ૬, ઇ.સ. ૧૯૯૦, તા. ૨૩ ડિસેમ્બર આ આખાય ગિરિરાજનો અભિષેક થયો હતો. આ પ્રસંગની યાદમાં અહીં આ અભિષેક પરબ બંધાવવામાં આવી છે. આ પુસ્તકમાં જ આ પ્રસંગનો ઇતિહાસ આપેલો છે. (પાના નંબર : -------) • દ્રાવિડ - વારીખિલ્લજી : આ સામે મંદિરમાં દ્રાવિડ - વારીખિલ્લજી - અતિમુક્ત મુનિ તથા નારદજીની મૂર્તિ છે. સુંદર શ્યામવર્ણની છે. દ્રાવિડ-વારીખિલ્લ એ આદિનાથ ભગવાનના પૌત્ર હતા. તેમના પિતા દ્રવિડ હતા. દ્રવિડે દીક્ષા લેતા પહેલા
શ્રી શત્રુંજય માહાસ્ય સાર - ૩૮૪
Page #406
--------------------------------------------------------------------------
________________
પોતાના બંને પુત્રોને રાજયની જમીન વહેંચી આપી હતી. છતાં બંને ભાઇઓ જમીનની બાબતમાં યુદ્ધે ચડ્યા. ભયંકર યુદ્ધ થયું. દશક્રોડ માણસોનો કચ્ચરઘાણ વાળી નાંખ્યો. તેમાં એમનો કોઇ પુન્યોદય જાગ્યો અને સુવલ્લુ નામના તાપસને જોયા. તેમણે બોધ આપ્યો. તેથી બંને ભાઈ સમજી ગયા, પણ હવે આ ભયંકર પાપથી છૂટવું કેમ...? તે માટે તેઓએ પોતાના બાકીના ૧૦ ક્રોડ સૈનિકો સાથે તાપસી દીક્ષા લીધી. જંગલોમાં – ગુફાઓમાં રહે છે. તેમાં એક વખત એક વિદ્યાધર પાસેથી શત્રુંજય તીર્થરાજનો મહિમા સાંભળીને યાત્રાર્થે આવ્યા. શુદ્ધ સાધુ બન્યા. અહીં આવ્યા પછી ૧૦ ક્રોડ મુનિઓ સાથે અનશન કર્યું. કારતક સુદ ૧૫ના બધા કેવળજ્ઞાન પામીને મુક્તિમાં ગયા. તેમની યાદીરૂપ આ દેરી છે. • અઈમુત્તો : અતિમુક્ત મુનિનો પ્રસંગ પણ જાણવા જેવો છે. આ મુનિવર છ વર્ષની નાની વયમાં દીક્ષા લઈ ગૌતમસ્વામીના શિષ્ય થયા. વૃદ્ધ મુનિઓની સાથે બહાર જંગલ ગયા હતા. પાછા વળતા રસ્તામાં વરસાદના કારણે પાણીના ખાબોચિયા ભરાઈ ગયેલા. તેમાં કેટલાક છોકરાઓ કાગળની હોડી બનાવીને તરાવતા હતા. આ બાલમુનિએ પણ બાલ સ્વભાવને વશ બનીને પોતાની પાતરી તરતી મૂકી દીધી. ત્યાં જ વૃદ્ધ મહાત્માઓ પણ આવી ગયા. અરે...! આ શું કર્યું...?
પરમાત્મા મહાવીર સ્વામી ભગવાનને ફરિયાદ કરી. પરમાત્માએ કહ્યું, અતિમુક્ત...! આનાથી તો પાણીના અસંખ્ય જીવોની વિરાધના કરી... આપણાથી થાય...? મિથ્યા દુષ્કત આપ... ઇરિયાવહી કર... આ નિર્મળ એવા બાલ મહાત્મા ઇરિયાવહી કરતા... પણગ-બગ આવ્યું ત્યાં પણગ-દમ, પણગ-દગ કરતા ધ્યાનમાં ચડ્યા... અરે... મેં મારા હાથે અસંખ્ય જીવો માર્યા... અહાહા...! મેં શું કર્યું...? પશ્ચાત્તાપ કરતા-કરતા કેવળજ્ઞાન પામી ગયા. કેવી અંતરની નિર્મળતા, કેવો હૈયાનો સાચો પશ્ચાત્તાપ... કેવળજ્ઞાન પામીને ઘણા વર્ષો સુધી વિચર્યા અને અહીં સિદ્ધગિરિ પર પધારીને મોક્ષમાં ગયા. તેથી તેમની સ્મૃતિમાં આ દેરી છે. • નારદજી : નારદજી માટે લોકોમાં ખરાબ છાપ પણ... નારદજી એટલે બ્રહ્મચર્યના અખંડ ઉપાસક, રાજાના અંતઃપુરમાં નારદજી પરવાનગી કે કોઇની રોકટોક વિના જઈ શકે એવી છાપ. એવા નારદજીએ જયારે દ્વારકાનગરીનો દાહ અને યાદવો ભસ્મીભૂત થયા છે તે સમાચાર સાંભળ્યા ત્યારે આ સંસારની વિષમ અવસ્થાને વિચારતા કાર્તિક પૂર્ણિમાના દિવસે અહીં ૯૧ લાખ મુનિવરોની સાથે કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. એમ આ ચારે પૂજયોની મૂર્તિ અહીં પૂજાય છે.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૮૫
Page #407
--------------------------------------------------------------------------
________________
આ સામે ઊંચે દેખાતું શિખર કાંઈ દાદાની ટૂંક નથી હોં! એ તો છે ચૌમુખજીની ટૂંકનું શિખર. ચારે બાજુ ૨૫-૨૫ માઈલ દૂરથી પણ આ શિખરના દર્શન થાય છે. ચાલો... અહીંથી જ “નમો જિણાણું' કહીને વંદના કરી આગળ વધીએ...
હીરાબાઈએ બનાવેલ હીરાકુંડ વટાવીને હવે આપણે એક ચોતરા પાસે આવી પહોંચ્યા છીએ. • ત્રિશિખરી દેરી: આ ચોતરા ઉપર ત્રણ શિખરવાળી દેરીમાં, પાંચ શ્યામવર્ણના કાઉસ્સગીયા પ્રતિમા જે દેખાય છે, તે રામ, ભરત, થાવસ્ત્રાપુત્ર, શુક પરિવ્રાજક અને શેલતાચાર્યની છે. • રામ-ભરત : રામાયણના મુખ્ય પાત્ર રામચંદ્રજીએ આ શત્રુંજય ગિરિરાજનો અગિયારમો ઉદ્ધાર કરાવ્યો છે. તેઓ અને તેમના ભાઈ ભરત ત્રણ કરોડ મુનિઓ સાથે અહીં મોક્ષે ગયા છે. “નમો સિદ્ધાણં.” • થાવા પુત્ર : થાવસ્યા શેઠાણીના પુત્ર નેમિનાથ ભગવાનની દેશના સાંભળીને, વૈરાગ્ય પામી, ૩૨ કરોડ સોનામહોરની સંપત્તિ તથા ૩૨ પત્નીઓને છોડી બીજા એક હજાર પુરુષો સાથે નેમિનાથ પરમાત્મા પાસે દીક્ષા લીધી. છેલ્લે આ શત્રુંજય ગિરિરાજ ઉપર તેઓ બધા એક મહિનાનું અનશન કરીને મોક્ષે ગયા. નમો સિદ્ધાણં.' • શુક પરિવ્રાજક : જલશૌચમાં ધર્મ માનનાર સુદર્શન થાવચ્ચ પુત્રના સત્સંગને પામી ચુસ્ત શ્રાવક બન્યો. સુદર્શનને છેતરાયેલો માની, તેના ભૂતપૂર્વ ગુરુ શુક પરિવ્રાજક ત્યાં આવ્યા. સુદર્શન તેમને આચાર્ય થાવગ્ગાપુત્ર પાસે લઈ ગયો. કાચા પાણીના એક ટીપામાં અસંખ્યાતા જીવ છે. જલશૌચમાં ધર્મ નથી પણ પુષ્કળ હિંસા છે. જલશૌચથી મોક્ષ થતો હોય તો બધા જ માછલાઓ જલ્દી મોક્ષમાં જવા જોઇએ, વગેરે યુક્તિઓ વડે પ્રતિબોધ પામેલા શુકપરિવ્રાજકે પોતાના ૧૦૦૦ શિષ્યો સાથે દીક્ષા લીધી. પછી આચાર્ય થઇને તેઓ છેલ્લે શત્રુંજય ગિરિરાજ ઉપર ૧૦૦૦ શિષ્યો સાથે અનશન કરીને મોક્ષમાં ગયા. “નમો સિદ્ધાણં.” • શેલતાચાર્યઃ આ શુકાચાર્ય (શુક પરિવ્રાજક) પાસે મંડુકદેશના રાજા શેલકજીએ, પંથકજી વગેરે ૫૦૦ મંત્રીઓ સાથે દીક્ષી લીધી હતી. શુકાચાર્યના નિર્વાણ પછી આ શેલતાચાર્ય પોતાના શિષ્યો સાથે મંડુકનગરીમાં આવ્યા. શરીરમાં આવેલી માંદગીના અહીં ઉપચારો કર્યા. શારીરિક માંદગી તો દૂર થઈ પણ ખાવા-પીવાની આસક્તિ રૂપ આત્મિક માંદગી શરૂ થઇ. ત્યાં જ રોકાઈ ગયા. પંથકજીએ અન્ય શિષ્યોને વિહાર કરાવી દીધો.
શ્રી શત્રુંજય માહામ્ય સાર - ૩૮૬
Page #408
--------------------------------------------------------------------------
________________
શિથીલ ગુરુની પણ સેવા કરતાં પંથકજી મુનિએ ચોમાસી પ્રતિક્રમણ કરતાં નિદ્રામાં પોઢેલા ગુરુ શેલકાચાર્યના પગને સ્પર્શ કર્યો, ખામણા કર્યા.
નિદ્રામાં ખલેલ પડતાં ગુરુ ગુસ્સે ભરાયા. પંથકજીએ વિનયપૂર્વક ક્ષમા માંગતા કહ્યું કે, “ચોમાસાની પૂર્ણાહુતિએ ચોમાસી પ્રતિક્રમણ કરતી વખતે ચાર મહિનાના આપના સંબંધમાં થઇ ગયેલા અપરાધોની ક્ષમા માંગવા મેં આપના ચરણને સ્પર્શ કર્યો હતો !”
આ શબ્દો સાંભળતાં જ શેલકાચાર્યનો અંતરાત્મા જાગ્રત થયો. ચોમાસી પ્રતિક્રમણ પણ કર્યું નથી; તેનું ભાન થયું. પોતાની તમામ શિથિલતા પ્રત્યે ધિક્કાર વછૂટ્યો. પ્રાયશ્ચિત કરીને સંયમજીવનને વ્યવસ્થિત કર્યું. શિષ્યો પણ તેમની પાસે પાછા આવી ગયા. છેલ્લે શત્રુંજય ગિરિરાજ ઉપર આવી, અનશન કરીને તેઓ ૫૦૦ શિષ્યોની સાથે મોક્ષે ગયા. “નમો સિદ્ધાણં.”
આ પાંચે મુનિવરોના દર્શન કરીને એવી ભાવના ભાવીએ કે આપણો પણ જલ્દી આ ભવભ્રમણમાંથી છૂટકારો થાય અને મોક્ષના અનુપમ સુખને પામનારા બનીએ.
ખરેખર! આ પવિત્ર ગિરિરાજ સાથે સંકળાયેલા આવા એક-એક મહાપુરુષોની કેવી વિશિષ્ટ આત્મોત્થાન કરનારી ઘટનાઓ છે. આવા તરણ તારણ તીર્થ ઉપર ભલભલા પાપી આત્માઓ પણ તરી ગયા છે. તેથી જ એક સ્તવનમાં ગાયું છે કે, એ ગિરિવરના ગુણ ઘણા એ, જ્ઞાનીએ નવિ કહેવાય; પૂજો ગિરિરાજને રે...'
આવા ગિરિરાજ ઉપર ચડતા આપણે પણ આપણા આત્માને એવો ભાવિત કરવો જોઇએ કે જેથી આપણું જીવન અવગુણોને દૂર કરી ગુણમય બની જાય...
હવે જુઓ...! નજીકમાં જ ભૂખણ કુંડ છે. આનું નિર્માણ સુરતના ભૂખણદાસે કરાવેલું હતું અને એના પછી ખુલ્લા પગલા છે તે સુકોશલ મુનિના છે. સુકોશલ મુનિની જીવનકથા પણ સાંભળવા જેવી છે હોં...! • સુકોશલ મુનિ : અયોધ્યાના રાજા કીર્તિધર અને રાણી સહદેવીના પુત્ર સુકોશલકુમાર. સુકોશલ માતાના ગર્ભમાં હતા ને કીર્તિધર રાજાએ દીક્ષા લીધેલી. પુત્રનો જન્મ થયો. પુત્ર પણ પિતાના પંથે ન જાય એ પુત્રમોહથી માતા સહદેવી હંમેશા બાળકને મહાત્માઓથી દૂર રાખે છે. એમાં એક દિવસ સમાચાર મળ્યા કે બહાર પિતામુનિ પધાર્યા છે. માતાએ પુત્રને ન જવા દેવાના ઘણા પ્રયત્નો કર્યા પણ પુત્ર તો ગયો, પિતામુનિની વૈરાગ્ય ગર્ભિત દેશના સાંભળીને વૈરાગી એવો તે પણ સંયમી બન્યો. સહદેવી, પતિ અને પુત્રના વિયોગથી આર્તધ્યાનમાં પડી વૈર રાખવાથી મરીને વાઘણ થઈ. બંને મુનિવરો ગિરિવરનું ધ્યાન ધરતા આરાધના કરતા. તેમાં એક દિવસ આવા પવિત્રતમ ગિરિરાજના ધ્યાનમાં તત્પર હતા અને
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૮૭
Page #409
--------------------------------------------------------------------------
________________
પૂર્વભવની માતા પણ વૈરી બનીને વાઘણ થઇને આવીને સામે જ બંને મહાત્માઓને જોયા અને વૈર ભભૂક્યો. ભયંકર કાળ ચડ્યો. એક જોરદાર કૂદકો મારીને તે આખી કાયાને ફાડી નાખી. મુનિવર તો ગિરિરાજના ધ્યાનમાં એકાકાર બનીને તરત જ કેવળજ્ઞાન પામીને કાયાની માયા છોડી મુક્તિધામમાં પહોંચી ગયા. પુત્રના દાંતમાં સોનું જડાવેલ, તે નજરે ચડતા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું કે અરે...! આ તો મારો પુત્ર..! ત્યાં જ કીર્તિધર મુનિએ તેને સાંત્વના આપી ધર્મ પમાડ્યો. વાઘણ પણ અનશન કરીને દેવગતિને પામી. આ છે ગિરિરાજનો પ્રભાવ... તેની સ્મૃતિમાં સુકોશલ મુનિના પગલા છે. • નમિ-વિનમિ : પરમાત્મા ઋષભદેવ ભગવાન દીક્ષા લીધા પછી સાધના કરતા હતા ત્યારે, રાજ્યનો ભાગ મેળવવા નમિ-વિનમિએ પ્રભુની ખૂબ સેવા કરી હતી. જેનાથી પ્રભાવિત થઇને વંદન કરવા આવેલા ધરણેન્દ્ર તેમને ૧૬૦૦ વિદ્યાઓ અને વૈતાઢય પર્વત ઉપરના ૧૧૦ નગરોનું રાજય આપીને વિદ્યાધર બનાવેલા. પરમાત્માની સેવા કદી પણ નિષ્ફળ જતી નથી.
આ નમિ અને વિનમિ ફાગણ સુદ ૧૦ના દિને શત્રુંજય ગિરિરાજ ઉપર બે કરોડની સાથે મોક્ષે ગયા. “નમો સિદ્ધાણં.'
નમિ અને વિનમિ પરમાત્મા ઋષભદેવની સેવા કરી રહ્યાં છે, તે દ્રશ્યને જણાવતી પ્રતિમા, ઉપર દાદાના દરબારમાં રાયણ પગલાંની પાસે દેરીમાં છે. કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભેલા ઋષભદેવ ભગવાનની આજુબાજુ ઊભેલા નમિ વિનમિકુમારના હાથમાં રહેલી તલવારમાં પરમાત્માનું પ્રતિબિંબ દેખાય છે. બાજુમાં બાહુબલીજી અને ભરતજીની મૂર્તિ પણ છે. બ્રાહ્મી અને સુંદરી (ઋષભદેવની પુત્રી)ની મૂર્તિ પણ તેની અંતર્ગત છે. આપણે ઉપર પહોંચીશું ત્યારે તેના અચૂક દર્શન કરીશું. હાલ તો આપણે ઉપર ચઢવાનું ચાલુ રાખીએ. • હનુમાનધારા: આ આવી હનુમાનધારા ડાબીબાજુ ઘટાદાર વડલા નીચે પાણીની પરબ દેખાય છે. જમણી બાજુ હનુમાનજીની મૂર્તિ દેખાય છે. ચોતરા ઉપર ઋષભદેવ ભગવાનના પગલાં છે. ચાલો, વંદના કરીએ : “નમો જિણાણું.”
ઉપર ચઢવા માટે હવે સામે બે રસ્તા દેખાય છે. માટે મૂંઝાઈ ગયા? મૂંઝાવાની જરાય જરૂર નથી. જુઓ ડાબી તરફના રસ્તા પાસે દાદાની ટૂંક તરફ જવાનો રસ્તો અને જમણી તરફના રસ્તા પાસે નવ ટૂંક તરફ જવાનો રસ્તો એવા બોર્ડ લગાડેલા વંચાય છે ને ?
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૮૮
Page #410
--------------------------------------------------------------------------
________________
• દાદાની ટૂંક તરફ : ઘણા સમયથી આપણું મન આદેશ્વરદાદાના દર્શન કરવા થનગની રહ્યું છે. તેથી આપણે ડાબી બાજુના રસ્તે ઉપર ચઢીશું. જમણીબાજુના રસ્તે ચઢીને, પહેલાં નવટૂંકના દર્શન કરતાં કરતાં પણ દાદાની ટૂંકમાં જવાય છે.
જુઓ...! આપણે બે ગઢ ઉપર ચડ્યા ત્યાં સુધી શરીરની મમતાનો ત્યાગ કર્યો. પહેલા ગઢમાં અને બીજા ગઢમાં ખરાબ મનોવૃત્તિને ટાળી. એટલે ત્રીજા ગઢમાં કુદરતી દિવ્ય વાતાવરણ સર્જાયુ. આ ત્રીજા ગઢમાં ચડતા-ચડતા આપણને કેવા-કેવા મહાપુરુષોના જીવનને જોવાનો લ્હાવો મળ્યો. બસ.. માનવતા અને દિવ્યતાના જ વિચારો. જેમ સમવસરણના ત્રીજા ગઢમાં માનવો અને દેવો, સાધુ અને સાધ્વીજી ભગવંતો. તેમ આપણે પણ તન-મનને માનવતા, દિવ્યતા અને સાધુતાથી ભરી દીધા. કોઈની નિંદા કરવી નહીં. બસ.. મહાપુરુષોની અનુમોદના, ગુણાનુરાગ, ગુણાનુવાદની વાત કરી છે. એ રીતે ત્રીજા ગઢ ઉપર આપણે સ્થિર થઈને સિંહાસન ઉપર બિરાજમાન પરમાત્માને ભેટવાનું છે. તો સિંહાસન એટલે ભવ્યાતિભવ્ય ઉજીંગ મંદિરોની શ્રેણી એ ભવ્ય સિંહાસન છે. • તાલધ્વજગિરિ : મનોહર વળાંકવાળા રસ્તે આપણે ઉપર જઈ રહ્યા છીએ. ડાબી બાજુ દૂર દૂર તાલધ્વજ (તળાજા) દેખાય છે. અહીંથી જ વંદના કરીએ, “નમો જિણાણું.”
નીચે જોતાં ખૂબ મનોહર અને આહલાદક દ્રશ્ય દેખાય છે. શત્રુંજય નદી ખળખળ વહી રહી છે. આપણે તો હાલ ઉપર તરફ આગળ વધવાનું છે. • જાલી-મયાલી-વિયાલી : આ જમણી બાજુ પહાડ ઉપર નાના-નાના પગથીયા દેખાય છે. ત્યાં પર્વતમાં જાલી, મયાલી અને ઉવયાલીની પ્રતિમા કોતરેલી છે. તેઓ શ્રીકૃષ્ણના પુત્રો હતા અને નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લઈને અનશન કરીને આ શત્રુંજય ગિરિરાજ ઉપર મોક્ષે ગયા છે. આપણે તેમને વંદન કરીએ. ‘નમો જિણાણું.'
[ રામપોળ પ્રભુજી ! આવી રામપોળ કે... સામા મોતીવસહિ રે લોલ...
થોડા પગલાં આપણે આગળ વધ્યા ત્યાં તો સામે મોટો જે દરવાજો દેખાય છે, તેનું નામ છે રામપોળ.
શત્રુંજયની દેવનગરીમાં પ્રવેશ આપતો “ગેટ વે ઓફ શત્રુંજય તરીકે રામપોળનું સ્થાન ગણાય છે. મોતીશા શેઠનો એક માણસ રામજી હતો, તેની યાદમાં રામપોળ નામ પડ્યું છે. ડાબીબાજુ દહીં વેચવાવાળા બેઠેલાં છે. જમણી બાજુ પાણીની મોટી પરબ છે.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૮૯
Page #411
--------------------------------------------------------------------------
________________
| તીરથની આશાતના નવિ કરીએ - ગિરિરાજ ઉપર કાંઇ પણ ખવાય નહિ. કેટલાક લોકો અહીં દહીં, બિસ્કીટ કે અન્ય ખાદ્યપદાર્થો ખાય છે. પણ તેમને ખબર નથી કે ગિરિરાજ ઉપર કાંઈ પણ ખાવું તે ગિરિરાજની ભયંકર આશાતના છે. તીર્થધામની આશાતના મનથી પણ ન થઈ જાય તેની કાળજી રાખવાની છે.
હવે કુલ પાંચ દ્વાર આવશે. રામપોળ, સગાળપોળ, વાઘણપોળ, હાથીપોળ અને રતનપોળ. તેની વિચારણા આવી થઈ શકે કે -
આપણો આત્મા પાંચ પ્રકારથી કર્મબંધ કરે છે. તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગથી..
આપણે અહીં સુધી આવ્યા પછી હવે પ્રથમદ્વારમાં પ્રવેશતા મિથ્યાત્વને દૂર કરવું એટલે ખોટી વિચારણાને દૂર કરવી. બીજા પ્રવેશદ્વારમાં પ્રવેશતા અવિરતિ - એટલે હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહને દૂર કરવા. ત્રીજા પ્રવેશદ્વારમાં પ્રવેશતા પ્રમાદને નિંદા - વિકથાઓને દૂર કરવા. ચોથા દ્વારમાં પ્રવેશતા અશુભ યોગોને છોડવા એટલે મનથી ખરાબ વિચારવું નહિ, વચનથી ખરાબ બોલવું નહિ, કાયાથી ખરાબ પ્રવૃત્તિ કરવી નહિ અને એ રીતે કર્મબંધથી મુક્ત બનેલો આત્મા સિદ્ધિને પામે તેમ આપણે પણ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી આદિનાથ ભગવાનને પામીને સર્વ કર્મથી આંશિક રીતે મુક્ત બનવારૂપ હળવાફૂલ બની શકીએ છીએ. • પંચશિખરી જિનાલય : રામપોળના દરવાજામાં આપણે પ્રવેશ્યા એટલે સામે જમણી બાજુ પાંચ શિખરવાળું વિમલનાથ ભગવાનનું જિનાલય આવ્યું. અંદર પ્રવેશીને દર્શન કરીએ. “નમો જિણાણં'. આ દેરાસર ઔરંગાબાદના શેઠ વલ્લભભાઇ મોહનદાસે કરાવેલ છે. • ત્રિશિખરી જિનાલયઃ પછી બાજુમાં સુમતિનાથ ભગવાનનાં ત્રણ શિખરવાળા જિનાલયમાં પ્રવેશ કરીને દર્શન કરીએ. “નમો જિણાણું'. આ જિનાલય સુરતના દેવચંદ કલ્યાણજી શેઠ પરિવારે કરાવેલ છે. • મોતીશાની ટૂંક : બહાર નીકળ્યા એટલે બાજુમાં મોતીશાશેઠની ટૂંકનો ભવ્ય દરવાજો દેખાય છે. આપણને તો દાદાને ભેટવાની ઉતાવળ છે, તેથી બહારથી જ ટૂંકમાં બિરાજમાન આદેશ્વર ભગવાનને “નમો જિણાણું” કહીને વંદના કરીને આગળ વધીએ. આ ટૂંકમાં ૧૬ મંદિરો અને ૧૨૩ નાની દેરીઓ છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૩૯૦
Page #412
--------------------------------------------------------------------------
________________
ડાબી બાજુ વિસામો લેવા બેઠેલા ડોળીવાળા દેખાય છે. થોડા પગથીયા ચડ્યા એટલે જમણી બાજુ ઘટીની પાગ તરફ જવાનો રસ્તો દેખાય છે. પહેલા અત્રે કુંતાસર નામે ખીણ હતી. મોતીશા શેઠે ખીણ પૂરાવી. બહારના ભાગમાં કુંતાસર કુંડ છે. તેની દિવાલના ગોખલામાં કુંતારદેવીની મૂર્તિ સ્થાપેલી છે. સામે દેખાય છે તે દરવાજો સગાળપોળ તરીકે ઓળખાય છે. બંગાળના સરાફની યાદમાં નામ અપાયું છે. • સગાળપોળ : સાથે લાવેલાં કપડાના બુટ-સ્લીપર, લાકડી વગેરે અહીં મૂકીને આગળ વધાય છે. સામે જે ચોક છે, તે દોલાખાડી તરીકે ઓળખાય છે.
ડાબી બાજુ નોંધણકુંડ, સગાળકુંડ અને તેની પાસે આણંદજી કલ્યાણજીની પેઢી દેખાઇ રહી છે. બાજુમાં પૂજારીઓ અને પહેરેગીરોને રહેવા માટેની રૂમો છે.
| વિમલવસહી. • વાઘણપોળ : થોડા પગથીયા ચડ્યા એટલે સામે દેખાય છે, વાઘણપોળનો દરવાજો. વાઘણપોળથી દાદાના દરબાર સુધીના વિસ્તારને દાદાની ટૂંક, વિમલવસહી કે મરુદેવા શિખર કહેવાય છે. જમણી બાજુ અચલગચ્છીય શેઠશ્રી કેશવજી નાયકની ટૂંક દેખાય છે. તેમાં પાંચ મહાતીર્થની રચના છે. ત્યાં રહેલા સર્વ પરમાત્માને વંદન કરીએ. “નમો જિણાણં'. વાઘણપોળનું નિર્માણ ઈ.સ. ૧૨૩૨માં મંત્રી વસ્તુપાળ તેજપાળે કરાવ્યું. પુનઃનિર્માણ શેઠશ્રી કસ્તુરભાઇ લાલભાઇએ કરાવેલ છે.
બંને બાજુ સામ સામે શીલાલેખો છે, તે આ નવું પ્રવેશદ્વાર બનાવતી વખતે ખોદકામ કરતાં નીકળેલ. એ શીલાલેખોમાં ધોળકાના મંત્રીશ્વર વસ્તુપાળ-તેજપાળના ગુણાનુવાદ કરવામાં આવેલ છે. મંત્રીશ્વરોએ અહીં નેમિનાથ સ્વામી તથા સ્થંભન પાર્શ્વનાથ ભગવાનના મંદિરો બંધાવેલા જે પંદરમી સદી સુધી હતા. એવો ઉલ્લેખ છે.
I શાંતિનાથજીનું દેરાસર જ્યાં સોહે શાંતિનાથ દાદા, સોળમા જિન ત્રિભુવન ત્રાતા, પોળ જાતાં સૌ પહેલા પ્રણામ છે. સૌ ચાલો સિદ્ધગિરિ...
સૌ પ્રથમ શાંતિનાથ ભગવાનને ભેટીશું. અહીંની યાત્રામાં બીજુ ચૈત્યવંદન શાંતિનાથ ભગવાનનું કરાય છે. આ મંદિરનું નિર્માણ દમણના શેઠ શ્રી હીરાચંદરાયે ૧૮૬૦ વૈશાખ સુદ પાંચમ સોમવારે કરાવેલ તેવો ઉલ્લેખ છે. તો ચાલો...! આપણે દાદાના દર્શને જઇએ...
શ્રી શત્રુંજય માહાસ્ય સાર - ૩૯૧
Page #413
--------------------------------------------------------------------------
________________
અહ... કેવી પ્રતિમા છે. જાણે સતત આપણા ઉપર અમી વરસાવી રહ્યા છે. વાહ... રે... દાદા શાંતિનાથ...
મારા જીવનમાં રહેલી અશાંતિ - અસંતોષ અને અસમાધિને દૂર કરનારા મને શાંતિ - સંતોષ અને સમાધિમાં સ્થિર કરનારા હે પરમાત્મા...!
શાંતિઃ શાંતિકરઃ શ્રીમાનું...!
આપણે ચૈત્યવંદન કરીને પછી પરમાત્મા શાંતિનાથ ભગવાન પાસે શાંતિથી બે મિનિટ બેસવાનું અને પરમાત્મા સાથે એકમેક બનીને મનને સ્થિર કરવાનું છે.
આપણે તળેટીના ચૈત્યવંદન પછી બે મિનિટ સુધી અનંત આત્માઓને મુક્તિમાં જતા કલ્પવાના અને આપણને જગતના સર્વ જીવો પ્રત્યે સ્નેહભાવ પ્રગટે તેવી ભાવના લાવવાની છે. જ્યારે બીજા ચૈત્યવંદન પછી બે મિનિટ સુધી સમભાવની માંગણી કરીને જીવનમાં સમભાવ આવે તેવી ભાવના ભાવવાની છે.'
ચાલો... હવે દાદા પાસે જલ્દી જવું છે ને...? પણ જુઓ...! પહેલા જરા નીચે જઇએ... આ આપણી ડાબી બાજુ નીચે ભગવાન આદિનાથના અધિષ્ઠાયિકા ચક્રેશ્વરી માતાની મૂર્તિ છે...! હા... આ માતા ચક્રેશ્વરી છે.
I ચક્રેશ્વરી દેવીની દેરી પ્રભુજી ! આવી વાઘણપોળ કે, ડાબા ચક્રેશ્વરી રે લોલ; ચક્રેશ્વરી જિનશાસન રખવાલ કે, સંઘની સહાય કરે રે લોલ.
શત્રુંજય ગિરિરાજનો સોળમો (હાલનો) ઉદ્ધાર કરનાર કર્માશાને તેમણે ગિરિરાજનો ઉદ્ધાર કરવામાં ખૂબ સહાય કરી હતી.
ચાલો... સ્તુતિ કરી લઇએ. રવિમંડલ સરખા, કાને કુંડલ દોય, સુખસંપત્તિકારક, વિઘન નિવારક સોય; ચક્રેશ્વરી દેવી, ચક્રતણી ધરનારી, શાસન સુખકારી, ઉદયરતન જયકારી...
જ્યાં ચક્રેશ્વરી છે માતા, વાઘેશ્વરી દે સુખશાતા; કવડજક્ષાદિ સૌ દેવતા તમામ છે. સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ.
બાજુમાં વાઘેશ્વરી માતાની પ્રતિમા છે. ચક્રેશ્વરી તથા વાઘેશ્વરી બંને દેવીની પ્રતિમા કર્માશાએ ભરાવીને પ્રતિષ્ઠિત કરાવી છે. શાસનરક્ષા માટે અને આરાધનામાં સહાય કરવા માટેની પ્રાર્થના કરવાપૂર્વક પ્રણામ કરીએ.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૩૯૨
Page #414
--------------------------------------------------------------------------
________________
• કવાયક્ષ : પગથીયા ચઢીને ઉપર આવ્યા ત્યાં તો સામે દેખાય છે - કવઠ્યક્ષ (કપર્દીયક્ષની દેરી), શત્રુંજય ગિરિરાજના અધિષ્ઠાયક આ કપર્દીયક્ષ છે.
આ કપર્દીયક્ષ પૂર્વે તીર્થમાન નગરના સ્વામી સુકર્માનો મદ્યપાન કરનારો કપર્દી નામે પુત્ર હતો. તે વખતે કૃપાસાગર શ્રી વજસ્વામીએ એને ગંઠસી પચ્ચકખાણ દ્વારા મદ્યપાનનો નિયમ કરાવ્યો હતો. એટલે કે... મદ્યપાન કર્યા પછી કપડાના છેડે ગાંઠ મારવાની અને પછી જયારે પાછુ મદ્યપાન કરવું હોય ત્યારે સૌપ્રથમ ગાંઠ છોડવાની. ત્યારપછી મદ્ય પીવાનું. આ છે ગંઠસી પચ્ચખાણની વિધિ.
એકવાર કપરી કસોટી આવી. ગાંઠ એવી મજબૂત બંધાઇ છે કે છૂટતી જ નથી. પ્રાણ કરતાં પણ પ્રતિજ્ઞાપાલનનું મૂલ્ય તેને મન વધારે હતું. અંતે શુભભાવમાં પ્રાણો છોડ્યા. ગાંઠ તો ન જ છૂટી પણ હૃદયમાંથી પાપની ગાંઠ જાણે કે છૂટી ગઈ. દેવલોકમાં કપર્દીયક્ષ તરીકે ઉત્પન્ન થયો. શત્રુંજય ગિરિરાજનો અધિષ્ઠાયક દેવ બન્યો અને તીર્થની રક્ષાનું કાર્ય કરે છે. આ કપર્દીયક્ષની અહીં સ્થાપના કરવામાં આવી છે. તેમને શ્રીફળ ચઢાવીને શાસનરક્ષા અને તીર્થયાત્રામાં સહાય કરવાની પ્રાર્થના કરવાપૂર્વક પ્રણામ કરવા જોઇએ.
જ્યાં જ્યાં પ્રતિમા જિનતણી ત્યાં ત્યાં કરું પ્રણામ.'
અહીંથી દાદાના દરબાર તરફ નજર માંડીએ તો ડાબી અને જમણી; બંને બાજુ દેરાસરો જ દેરાસરો નજરે પડે છે. જાણે કે દેરાસરોની એક નગરી જ જોઈ લો. આપણે તે તમામ દેરાસરોમાં બિરાજમાન ભગવંતોને ભાવપૂર્વક વંદના કરીએ. “નમો જિણાë.”
! નેમનાથની ચોરી પ્રભુજી આવી નેમનાથની ચોરી કે પુણ્ય પાપની બારી રે લોલ..
ડાબી બાજુ “નેમનાથની ચોરી' નામથી પ્રસિદ્ધ દેરાસરમાં પ્રવેશીને દર્શન કરીએ. “નમો જિણાણું.”
નેમિનાથ ભગવાન જાન લઇને રાજીમતીને પરણવા ગયા હતા, પણ અબોલ પશુઓનો કરુણ કલ્પાંત સાંભળીને, કરુણાના મહાસાગર પરમાત્માએ પરણ્યા વિના જ જાન પાછી વાળી હતી. નેમિનાથ ભગવાનની જાન, લગ્નની ચોરી વગેરે આ જિનાલયમાં છે. કલાત્મક કોતરણી જોવા જેવી છે. આ બધું જોતા માણસ ભૂલભૂલામણીમાં પડી જાય છે. માટે આને ભૂલભૂલામણીનું દેરાસર પણ કહેવાય છે. ઘુમટમાં કમલપત્ર-નાગપાશ-રાજીમતીનો વિલાપ, અષ્ટમહાસિદ્ધિ વગેરે દેશ્યો પણ છે.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૯૩
Page #415
--------------------------------------------------------------------------
________________
વળી આ જિનાલયમાં ૧૭૦ જિનેશ્વર ભગવંતોનો સુંદર પટ દર્શનીય છે. જયારે આપણા ભરતક્ષેત્રમાં બીજા શ્રી અજિતનાથ ભગવાન વિચરતા હતા ત્યારે પાંચે ભરતક્ષેત્ર અને પાંચે ઐરાવતક્ષેત્રમાં ૧-૧ ભગવાન વિચરતા હતા. એટલું જ નહિ, દરેક મહાવિદેહક્ષેત્રમાં ૩૨-૩૨ વિજય (મોટા દેશો) આવેલી છે. કુલ પાંચ મહાવિદેહ ક્ષેત્ર હોવાથી બધું મળીને ૫ x ૩૨ = ૧૬૦ વિજય થઈ. તે દરેકમાં પણ ૧, ૧ ભગવાન તે સમયે વિચરતા હતા. તેથી પાંચ મહાવિદેહક્ષેત્રના ૧૬૦, પાંચ ભરતક્ષેત્રના પાંચ અને પાંચ ઐરાવતના પાંચ એમ કુલ ૧૭૦ ભગવંતો વિચરતા હતા. આ પટને વંદના કરવાથી ઉત્કૃષ્ટપણે વિચરતા આ ૧૭૦ ભગવાનને વંદના કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. “નમો જિણાણં' કહીને વંદના કરીએ.
આપણે તેમનાથની ચોરીના આ દેરાસરમાં દર્શન કર્યા. બધું બારીકાઇથી | નિહાળ્યું; હવે આપણે સામેની બાજુ જઇએ. • સમવસરણ મંદિર : પરમાત્મા પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને દેવો સમવસરણની રચના કરે છે. વિશેષાવશ્યક ભાષ્યવૃત્તિ ગ્રંથમાં વર્ણવ્યા પ્રમાણેનું આ સમવસરણ છે. અઢારમા સૈકામાં બન્યું છે. તેમાં બિરાજમાન પરમાત્મા મહાવીરદેવને વંદના કરીએ. “નમો જિણાણું.' - અમીઝરા પાર્શ્વનાથનું જિનાલયઃ બાજુમાં થોડા પગથીયા ચઢ્યા ત્યાં તો આવ્યું અમીઝરા પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય ! શ્યામવર્ણના નયનમનોહારી છે : ભગવાન ! બસ જોયા જ કરીએ... ખસવાનું મન જ થતું નથી. વિ.સં. ૧૭૯૧ વૈ.સુ. ૭ના મહામંત્રી ભંડારી રત્નસિંહજીએ પ્રતિમા ભરાવી છે.
પાછળના ભાગથી નવટૂંકના ગગનચુંબી જિનાલયોના દર્શન થઈ રહ્યા છે. “નમો જિણાણું' કરીને પગથીયા ઉતરીએ..
જમણી બાજુના નાના દેરાસરમાં બહારથી જ દર્શન થાય તેવા અદ્દભૂત નંદીશ્વરદ્વીપ અને અષ્ટાપદજી તીર્થના બે પટ છે. અખંડ આરસની શીલામાંથી તે કંડારાયા છે. કળા-કામગીરી અજબની છે. તેના દર્શન કરીને પાછા ડાબી બાજુ જઈ નેમનાથની ચોરીના દેરાસરની પાસે પહોંચીએ. પુન્ય પાપની બારીમાં...! • પુન્ય-પાપની બારી :
પુણ્ય-પાપનું પારખું કરવાને ગુણવંત, મોબારી નામે છે તિહાં, પેસી નિકસો સંત.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૩૯૪
Page #416
--------------------------------------------------------------------------
________________
દેરીમાં સામે દેખાય છે - સાંઢણી ઉપર બેઠેલા શેઠ અને તેની આગળ નીચે દોરડું લઇને બેઠેલો રબારી. સાંઢણીના પગ વચ્ચેની જગ્યાને પુણ્ય-પાપની બારી કહેવાય છે. જે આ બારીમાંથી નીકળી જાય છે તે પુણ્યશાળી કહેવાય છે.
જેઓ નીકળી શકતા નથી, તેઓ પછીથી તપ કરીને પુણ્યશાળી બને છે અને તપથી શરીર પાતળું થવાથી આરામથી આ બારીમાંથી બહાર નીકળી જાય છે.
આ દેરી પાછળ શત્રુંજય ગિરિરાજ પ્રત્યે અસીમ આસ્થા ધરાવનારા ભાગ્યશાળીના બલિદાનનો ગૌરવસભર ઇતિહાસ છૂપાયેલો છે.
આજથી લગભગ ૮૦૦ વર્ષ પહેલાં પાટણના મણિયાતી પાડામાં રહેતા બાળબ્રહ્મચારી પ્રતાપદાસ શેઠ શત્રુંજય ગિરિરાજ પ્રત્યે અતિશય ભક્તિભાવ ધરાવતાં હતા. તેઓ કાર્તિકી ચૈત્રી પુનમની યાત્રા તો કરે જ. તથા... દર વર્ષે કા. સુદ ૧૩-૧૪-૧૫નો ચોવિહારો અઠ્ઠમ કરે. ચોમાસી પ્રતિક્રમણ કરીને પવનવેગી સાંઢણી (ઊંટડી) ઉપર બેસીને રબારી સાથે કાર્તિકી-પૂર્ણિમાએ શત્રુંજય ગિરિરાજ પહોંચી જાય. ભાવવિભોર બનીને યાત્રા કરે. દર વર્ષનો આ તેમનો ક્રમ.
પણ એકવાર વરસાદ ન થવાના કારણે ભયંકર ગરમીથી અઠ્ઠમ ભારે પડ્યો. છતાં યાત્રા કરવા ચોમાસી પ્રતિક્રમણ પછી નીકળ્યા તો ખરા. વલભીપુર પહોંચતાં તો હાંફી ગયા. છતાં યાત્રા કરવાનો ભાવ ઉછળતો જ હતો. માંડ માંડ શત્રુંજયની તળેટીએ પહોંચ્યા.
એક નિર્ણય કર્યો કે આ દેહથી નહિ તો દેવ થઇને દેવાધિદેવના દર્શન કરીશ. આ નિર્ણયપૂર્વક દાદાનું ગિરિરાજનું તથા અરિહંતાદિનું શરણ સ્વીકાર્યું. દુષ્કૃતગર્તા, સુકૃતની અનુમોદના કરી. ગિરિવરના ધ્યાનમાં મન એકાગ્ર બનાવીને પોતાના પ્રાણ તયા.
તળેટીમાં રહેલી સાંઢણી થાકીને લોથપોથ થયેલી તેણે પણ સમજપૂર્વક ત્યાં તળેટીમાં જ પોતાના પ્રાણ છોડ્યા અને અલૌકિક મૃત્યુને પામી. સાથે રહેલો ભદ્રિક-શ્રદ્ધાળુ ચારણ પણ... “મારા શેઠના જે નાથ તે જ મારો સાથ...' એ ભાવથી તે પણ ત્યાં ચિરનિદ્રામાં પોઢી ગયો. આ રીતે યાત્રા કરનારા શેઠશ્રી, યાત્રા કરાવનારી સાંઢણી અને તેની અનુમોદના કરનાર ચારણ એકી સાથે ત્રણે એ ગિરિવરના શરણે મૃત્યુને વર્યા.
આવા મહાન નિષ્ઠાવાળા ગુણ-વ્રત અને શીલસંપન્ન ભાવુક યાત્રિકની સ્મૃતિ ચિરંજીવી રહે તે આશયથી ત્યાં સંઘે નિર્ણય કર્યો અને સાંઢણી ઉપર સવારી કરતાં તે શેઠની આદર્શરૂપ પ્રતિમા કંડારીને ગિરિરાજ ઉપર સ્થાપિત કરી.
આ સમાચાર પાટણમાં કારતક વદ બીજે મળ્યા એટલે અત્યારે તેમના બંને ભાઇઓના પરિવારમાં કાકાજી - સાહેબનો એ દિવસ ઉજવાય છે. મણિયાતી પાડામાં
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૯૫
Page #417
--------------------------------------------------------------------------
________________
તેઓના ઘરદેરાસરમાં સાંઢણી ઉપર બેઠેલા આ કાકજી સાહેબ તથા રબારીનું જૂનું ભીંતચિત્ર આજે પણ છે.
તેથી પુન્યને કરાવનારી..! પાપને તોડાવનારી...! આ છે પુન્ય પાપની બારી...!
અહીં સાંઢણીના બે પગની વચમાં થઈને જે કોઈ પસાર થાય તે પુન્યશાળી મુક્તિગામી કહેવાય છે. ઘણા યાત્રિકો આની ખાત્રી કરે છે.
હવે ઉતાવળ છે. ચાલો... બધા દર્શન કરતાં જજો . હું ફક્ત મૂળનાયક ભગવાનનું નામ કહેતો જઇશ... તમારે ‘નમો જિરાણ” કહેવાનું.
જિનાલયોની શ્રેણિ હવે ડાબી બાજુની લાઇનમાં આવેલા (૧) વિમલનાથ, (૨) અજીતનાથ, (૩) સહસ્ત્રફણા પાર્શ્વનાથ, (૪) નલિન મનોહર દેરી, (૫) ધર્મનાથ, (૬) ચંદ્રપ્રભસ્વામી, (૭) પાર્શ્વનાથ, (૮) સુમતિનાથ, (૯) શાંતિનાથ, (૧૦) સહસ્ત્રફણા પાર્શ્વનાથ અને (૧૧) કુમારપાળ રાજાએ બનાવેલા દેરાસરમાં પણ ‘નમો જિણાણું' કહીને વંદના કરીએ. વળી જમણી બાજુની લાઈનમાં રહેલા (1) ચંદ્રપ્રભસ્વામી, (૨) સંભવનાથ, (૩) પાર્શ્વનાથ, (૪) ચંદ્રપ્રભસ્વામી, (૫) સંભવનાથ, (૬) અજિતનાથ, (૭) પાર્શ્વનાથ, (૮) ઋષભદેવ, (૯) ધર્મનાથ, (૧૦) મહાવીર સ્વામી, (૧૧) સો થાંભલાવાળા ચૌમુખજીનું દેરાસર સં. ૧૯૮૬માં જોધપુરવાળા મનોતમલ્લ જયમલ્લજીએ કરાવ્યું. (૧૨) કપડવંજવાળાના ઋષભદેવ અને (૧૩) પદ્મપ્રભુસ્વામીના જિનાલયમાં દર્શન-વંદન કરીએ. ‘નમો જિણાણું.” અચલગચ્છીય સુથરીના શ્રાવકનું જિનાલય અને કલ્યાણસાગરસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત શાંતિનાથનું જિનાલય પણ છે.
ગુિરુવંદના આગળ જતાં જમણી બાજુ સાવ રસ્તા ઉપર ગુરુ મૂર્તિની દેરી આવી. તેમાં શત્રુંજય ગિરિરાજના અદ્ભૂત મહિમાને વર્ણવતા, શ્રી શત્રુંજય માહાભ્ય ગ્રંથના રચયિતા શ્રી ધનેશ્વરસૂરિજીની ગુરુમૂર્તિ છે. ગુરુના ચરણકમળમાં ‘મર્થીએણ વંદામિ કહીને તેમને વંદના કરીએ. ગુરુમૂર્તિનું આ શિલ્પ દર્શનીય છે.
વીર વિક્રમશીનો પાળીયો ઃ હવે આગળ વધી રહ્યા છીએ. સામે જમણી બાજુ ફૂલવાળાની નજીકમાં કુમારપાળના મંદિરની સામે, લીંબડાની ડાળ નીચે વીર વિક્રમશીની પરાક્રમગાથાની સ્મૃતિ કરાવતો વિક્રમશીનો પાળીયો દેખાય છે. જે વિક્રમશીની કથાને યાદ કરાવે છે.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૯૬
Page #418
--------------------------------------------------------------------------
________________
| વીર વિક્રમશી ભાવસાર ( એક સમય હતો. જ્યારે ગરવા ગિરિરાજ પર ઘનઘોર આડબીડ જંગલો હતા. હરાભરા આ ગિરિવરની કંદરાઓમાં રાની પશુઓ નિવાસ કરતા. એકવાર એક સિંહે કંદરાઓને ત્યજી દઇને દાદાની ટૂંકના બારણે અડ્ડો જમાવ્યો. વનરાજને જોતાં જ ભલભલાના છક્કા છૂટી જતા. સહુ કોઈ દૂરથી જ વનરાજને સલામ કરીને ભાગી જતા. ડરના માર્યા યાત્રિકોએ ઉપર જવાનું લગભગ બંધ કરી દીધું હતું. તળેટીએ દિનરાત આ વનરાજની વાતો ચર્ચાતી હતી. સહુ કોઈ યાત્રા ક્યારે શરૂ થાય તેની રાહ જોતા હતા.
| વિક્રમશી નામનો એક કાચો કુંવારો ભાવસાર યુવાન પોતાના ભાઇ-ભાભી સાથે પાલીતાણામાં વસતો હતો. શરીરે હુષ્ટપુષ્ટ હતો. ભારે મિજાજનો પણ માલિક હતો.
એકવાર ગામમાં રખડીને બપોરે જમવાના સમયે ઘરે પહોંચ્યો. રસોડામાં શોધખોળ કરવા છતાં કોઇ ચીજ હાથ લાગી નહિ. એટલામાં તો કૂવે કપડા ધોવા ગયેલાં ભાભી આવી ચડ્યા.
ભૂખથી તેનો મિજાજ આસમાનને આંબી ગયો છે, એ વિક્રમશી ભાભી ઉપર તાડૂકી ઊઠ્યો. રે...! બાર વાગ્યા તોય રસોઇના કોઈ ઠેકાણા નથી...! ખબર નથી અહીં પેટમાં કેવી આગ લાગી છે, ભાભી ! તમને શું કહેવું? તમે સાવ નકામા છો!
દિયરનો આક્રોશ જોઇને ભાભીથી રહેવાયું નહિ. એમણે પણ સામે સીધો જોરદાર જવાબ આપ્યો કે કમાઈને ઘરમાં એક પાઈ આપવી નહિ. આખો દિરખડ્યા કરવું અને જમવાના ટાઈમે હાજર થઈ જવું ! આ કયા ઘરનો ન્યાય ? મહેનત મજૂરી તમારા મોટા ભાઈ કરે અને તાગડધિન્ના તમારે કરવાના ! અને વધારામાં પાછુ અમારા ઉપર આવો રોફ ઠોકવાનો ! બાવડામાં બહુ જોર કૂદતું હોય તો જાવને ગિરિરાજ પર ! પેલો સિંહડો અડ્ડો જમાવીને બેઠો છે, એને પાંસરો કરી આવોને. નાહક ઘરમાં શું ઠાલું શૂરાતન બતાવી રહ્યા છો !
ભાભીની જબાનેથી વછૂટેલા બંદૂકની ગોળી જેવા શબ્દોએ વિક્રમશીને વીંધી નાખ્યો. એ પળનો ય વિલંબ કર્યા વિના ઘરમાંથી નાઠો. સીધો તળેટીએ પહોંચ્યો. તળેટીએ પોતાના મિત્રોને જણાવ્યું કે વનરાજનો વિજય કરવા જાઉં છું. જો ઉપર ઘંટ વાગે તો સમજજો કે સિંહ મર્યો અને યાત્રા ખૂલી થઇ છે. જો ઘંટ ન વાગે તો સમજજો કે વિક્રમશી મરી ગયો છે.
ઉપર જઈને વીર વિક્રમશીએ ધોકાનો છેડો અડાડીને સૂતેલા વનરાજને જગાડ્યો. ઘણા દિવસે એકાએક નરમાંસની ગંધ આવતાં, લાકડીનો છેડો ટચ થતાં,
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૯૭
Page #419
--------------------------------------------------------------------------
________________
સિંહ કેશવાળી ખંજવાળીને સફાળો ઊઠ્યો. પળનોય વિલંબ કર્યા વિના એ વિક્રમશી સામે ધસ્યો. વિક્રમશીએ પણ સામે સીધો ઘા કર્યો અને એક ઝાટકે સિંહને મહાત કર્યો. ભારે આઘાતથી તરફડીને સિંહ ઢળી પડ્યો. વીર વિક્રમશી ઘંટ વગાડવા મંદિર તરફ દોડ્યો. પણ એટલામાં તો ઘવાયેલા સિંહે વળતો હુમલો કર્યો અને વિક્રમશીને લોહી લુહાણ કરી નાખ્યો. ઘાયલ વિક્રમશી મન કાઠું કરીને ઊઠ્યો. માંડ માંડ મંદિર સુધી પહોંચ્યો અને ઘંટનાદ કર્યો.
ટન... ન... ન... ન... ટન...! ટન... ન... ન... ન... ટન...!
ઘંટનાદ થતાં મિત્રો દોડી આવ્યા અને જોયું તો એક બાજુ સિંહ મરેલો પડ્યો હતો અને બીજી બાજુ વિક્રમશી પડ્યો હતો. મિત્રોએ તેને ખૂબ ખૂબ ઢંઢોળ્યો, પણ ઊઠ્યો નહિ. મિત્રોએ વિચાર્યું કે સિંહને માર્યા પછી વિક્રમશી પણ ઘંટ વગાડીને ઘાયલ સ્થિતિમાં મરણ પામ્યો છે.
વીર વિક્રમશી ગયો પણ યાત્રા ખુલ્લી કરતો ગયો. હજારો નર-નારીઓ નિરંતર ગિરિરાજ પર યાત્રાર્થે જવા લાગ્યા. વીર વિક્રમશીની પરાક્રમ ગાથાની સ્મૃતિરૂપે હાથી પોળના આગળના ચોકમાં લીંબડાની ડાળ નીચે વીર વિક્રમશીનો પાળીયો આજે પણ ઊભો છે. જે વીર વિક્રમશીની યાદ તાજી કરાવી રહેલ છે. સામે હાથીપોળનો દરવાજો દેખાય છે. • સુરજકુંડ : હાથીપોળના આ દરવાજાની ડાબી તરફના રસ્તે આપણે સુરજકુંડ તરફ જઇએ. સાવકીમાતા વીરમતીએ ચંદરાજાને કૂકડો બનાવી દીધો હતો. પત્ની પ્રેમલાલચ્છી સાથે આવેલો આ કૂકડો જે કુંડમાં પડતાં ફરી ચંદરાજાના મૂળ રૂપને પામ્યો હતો તે સુરજકુંડની પાસે આપણે આવી પહોંચ્યા છીએ. ભીંતમાં શિલ્પથી ઉપસાવેલું કૂકડાનું ચિત્ર ચંદરાજાની યાદ આપે છે.
| ચંદરાજાની કથા આભાપુરી નગરીમાં રાજા વીરસેને પોતાનાં કુમાર ચંદકુમારને રાજય સોંપ્યું. વીરસેન ગુજરી જવાથી ચંદરાજા રાજ્યનું પાલન કરતા હતા. પણ અપરમાતા વીરમતિ તેમનું ધ્યાન રાખતા હતા. એકદા વીરમતિ ચંદરાજાની રાણી ગુણાવલીને દેશાવર જોવા લઈ ગયાં. પોતાની વિદ્યાથી એક વૃક્ષ પર બેસી સાસુ વહુ ઉડ્યાં. તેની બખોલમાં છૂપી રીતે ચંદરાજા બેસી ગયેલા. સિંહલપુરમાં ચંદરાજા જ પ્રેમલાલચ્છીને પરણ્યા હતા. આ વાત વીરમતિએ “હાથમાં મીંઢણ'થી જાણી અને
શ્રી શત્રુંજય માહાત્મ સાર • ૩૯૮
Page #420
--------------------------------------------------------------------------
________________
તેને દ્વેષ થયો. ચંદરાજાને કૂકડો બનાવી દીધો. ગુણાવલી કલ્પાંત કરવા લાગી વીરમતિનું હૃદય જરાય કુણું ન થયું.
એક વખત નાટક કરનારા આવેલ નાટકીયાઆએ નાટક કરી દાનના બદલામાં વીરમતિ માતા પાસેથી આ કૂકડો માંગી લીધો. તે નાટકીઆ સિંહલપુર ગયા. ત્યાં પ્રેમલાલચ્છીએ કૂકડો રાખી લીધો. એકવાર પ્રેમલાલચ્છી ફરતી ફરતી શત્રુંજય પર આવી. પ્રભુની યાત્રા કરી કૂકડાને લઈ સૂર્યકુંડની પાળી પર બેઠી. એ સમયે ચંદરાજાને પૂર્વની સુંદર અવસ્થા યાદ આવી અને હૃદય ભરાઈ ગયું. આપઘાત કરવા સૂર્યકુંડમાં તેમણે ઝંપલાવ્યું. પ્રેમલા તેમને પકડવા દોડી. આખરે કૂકડાના પગમાં જીર્ણ થયેલ દોરો તૂટી જતાં ચંદરાજા પોતાના મૂળ સ્વરૂપને પામ્યા. સર્વત્ર આનંદ પ્રસરી ગયો. બંને નરનારે ત્યારબાદ ભાવપૂર્વક યુગાદિદેવની પૂજા કરી.
“ધન્ય ધન્ય સૂરજકુંડ જલ, કલિમલ મલહણનાર; ચંદરાજા જલ મહિમા થકી, પામ્યા મનુષ્ય અવતાર.”
1 મહિપાલ રાજાનો પ્રસંગ આ રાજાનો કોઢનો રોગ પણ આ કુંડના પ્રભાવથી દૂર થયેલ. સૌરાષ્ટ્રમાં ગિરિદૂર્ગ નામે નગરમાં સૂર્યમલ્લ નામે રાજા હતો. તેને બે પુત્ર હતા. દેવપાલ અને મહિપાલ.
એક વખત યુવાન મહિપાલ પરદેશ ભ્રમણ કરવા નીકળ્યો. ત્યાં અનેક નગરોમાં ફરતો ધમ કમાતો બે રાણી પરણ્યો. નગર પ્રતિ પાછા ફરતાં પૂર્વના અશુભ કર્મના ઉદયે કોઢરોગ ઉત્પન્ન થયો. ઘણી દવા કરી પણ દવા લાગુ ન પડી. એક વખત તે ઝાડ નીચે સૂતો હતો. આ સમયે ચંદ્રચુડ નામના એક વિદ્યાધરે પોતાની સ્ત્રી સહિત ગગનમાર્ગે શત્રુંજયની યાત્રા કરીને પાછા ફરતાં આ મહિપાલને જોયો. દયા આવતાં સૂર્યકુંડનું જળ તેના પર છાંટ્યું. તેથી મહિપાલ તુરત જળપ્રભાવે નિરાગી થાય છે. ત્યારબાદ તેને સ્વજનોનો મેળાપ થાય છે. મુનિરાજનો પણ મેળાપ થાય છે. પૂર્વભવ સાંભળે છે. પ્રતિબોધ પામી મહિપાલ પોતાના પુત્ર શ્રીપાલને રાજ્ય આપી શત્રુંજય પર આવી અણસણ કરે છે. કર્મ ખપાવી મુક્તિને વરે છે. • આદેશ્વર ભગવાનના પગલા : સૂરજકુંડની પાસે આદેશ્વર ભગવાનના પગલા દેખાય છે. ચાલો “નમો જિણાણં' કહીને વંદના કરીએ.
અહીં બાજુમાં ભીમકુંડ, બ્રહ્મકુંડ, ઇશ્વરકુંડ આ ત્રણ કુંડો પણ છે.
આ કુંડની ઉપરના ભાગમાં મહાદેવનું એક શિવલીંગ છે. જિનાલયોમાં પૂજા કરનારા પૂજારીજી તથા મંદિરોનું નિર્માણ કાર્ય કરતા સોમપુરા શિલ્પીઓ વિગેરેને
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૯૯
Page #421
--------------------------------------------------------------------------
________________
પોતાના ઇષ્ટદેવની પૂજા માટે જૈનોએ ઉદારતાથી અહીં શિવલીંગ સ્થાપેલું. આજે પણ આ શિવલીંગનો વહીવટ શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના હાથમાં છે. ત્યાંથી આપણે પાછા હાથીપોળના દરવાજે આવી ગયા છીએ. દાદાના દર્શને હવે જલ્દી થવાના છે. ઝડપથી અંદર પ્રવેશીએ.
ચારે બાજુ સુગંધ ફેલાઈ રહી છે. જમણીબાજુ રહેલા ફુલવાળાઓ પરમાત્માની ભક્તિ કરવા પોતાના ફૂલો ખરીદવા માટે પૂજકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. ડાબી બાજુ રહેલા સ્નાનાગર તરફ અનેક યાત્રિકો પૂજા કરવા માટેની પૂર્વ તૈયારી માટે જઈ રહ્યા છે. પૂજાના વસ્ત્રોમાં સજ્જ થયેલા ભાવુકો “પરમાત્માની આજ્ઞા મસ્તકે ચઢાવું છું; તેવું સૂચવતા તિલકને કરી રહ્યા છે તો કોઈ કેશર-સુખડ વાટી રહ્યા છે. સામે રતનપોળનો દરવાજો દેખાઈ રહ્યો છે. રતનપોળ એટલે દાદાનો દરબાર આપણને તો દાદાને ભેટવાની ઉતાવળ છે ને? તો ચાલો... સીધા રતનપોળમાં જ જઇએ...
રતનપોળ આવ્યા દાદાને દરબાર, હૈયે હર્ષ તણો નહીં પાર.”
કેવો ભવ્ય પ્રવેશદ્વાર છે. હા..! અહીં બંને બાજુની ભીંત પર શીલાલેખો છે. તેમાં જમણી બાજુ ૧૬૫૦માં જીર્ણોદ્ધાર કરાવનાર તેજપાલ સોનીનો અને ડાબી બાજુ ૧૫૫૭માં તીર્થોદ્ધાર કરાવનાર કર્માશાનો તથા ૧૬૫૦માં અકબરે યાત્રાવેરો માફ કરેલો તેનો શીલાલેખ છે.
જુઓ... બસ... આવી ગયા... આપણે દાદાના દરબારમાં... કેવું વાતાવરણ છે... ચારે બાજુ પરમાત્માના ભક્તોની પરમાત્માને ભેટવા માટે કેવી દોડાદોડ છે.
કેવો ઊંચો ભવ્ય-દિવ્ય દરબાર છે દાદાનો... ચાલો... પહેલા આપણે એક વખત દાદાને ભેટી લઇએ... પછી વિધિપૂર્વક ત્રણ પ્રદક્ષિણા આપશું. કારણ કે... બે માઇલ અને બે ફલાંગનો માર્ગ પસાર કરીને, ૩૩૬૪ પગથીયા ચઢીને ૨૦૦૦ ફૂટની ઊંચાઇએ આપણે દાદાને ભેટવા આવ્યા છીએ.
ચાલો... અંદર હા... અંદર જઈને બધા બેસી જઇશું. કારણ કે પાછળ રહેલાને દાદાના દર્શનમાં અંતરાય ન થાય.
બોલો... શ્રી આદીનાથ ભગવાન કી જય...!
કેવા ભવ્ય ભગવાન છે. અહા...! કેવું દિવ્ય તેજ પ્રસરી રહ્યું છે. મારા દાદાની આંખોમાંથી કેવા અમી વરસી રહ્યા છે. કેવું હાસ્ય... વાહ...! રે દાદા વાહ...!
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૪૦૦
Page #422
--------------------------------------------------------------------------
________________
કરુણાસાગર...! હે કૃપાલુ...! ઓ પરમાત્મા...! હે જગન્નાથ...! અહાહા...! મારા નાથ...! મારા નાથ...! ઓ કૃપાળુ...! ઓ પરમાત્મા..! પદ્માકર...! ઓ દિવાકર..! ઓ કરૂણાનિધાન...! વાહ રે દાદા... દાદા...! અહીં... પરમાત્માના કેવા અનુપમ દર્શન થઈ રહ્યા છે. બધા આજે ધરાઈ ધરાઈને દર્શન કરજો. આ મારા નાથના અંતરના દર્શન કરજો ... અહા..! પરમાત્માની નિર્મળ પવિત્ર એવી આંખોમાંથી કેવી અનુપમ કરુણાનો ધોધ વહી રહ્યો છે..! અરે..! જુઓ...! એ કરુણાના ધોધમાં આપણી કાયાને પવિત્ર કરી લઇએ...!
બસ... બે મિનિટ મૌનપૂર્વક પરમાત્માના પવિત્રતમ મુખારવિંદને જોયા જ કરો. કેવા છે દાદા...! દાદા પાસેથી ખસવાનું મન જ થતું નથી... આ દાદા પાસે તો ગજબનું ચુંબક છે. કેવી કામણગારી મૂર્તિ છે. મારા નાથની...! ના એ મૂર્તિ નથી. સાક્ષાત્ મારો દાદો છે. દાદા... દાદા... ઓ પરમાત્મા...! મારા જગજીવન જગવાલા... ઓ મારા દાદા...
ચાલો... હવે આપણે પહેલા ત્રણ પ્રદક્ષિણા આપશું અને બે ચૈત્યવંદન કરીને પછી અહીં છેલ્લે ચૈત્યવંદન કરશું.
સમ્યમ્ દર્શન-જ્ઞાન અને ચારિત્રરૂપી ત્રણ રત્નોને મેળવવા ત્રણ પ્રદક્ષિણા દેવાની છે. ભગવાનને આપણી દક્ષિણ (જમણી) બાજુ રાખીને ફરવું, તેને પ્રદક્ષિણા કહેવાય.. ચાલો... વચ્ચે આવતાં જિનાલયોના દર્શન કરતાં કરતાં ઉત્તરોત્તર મોટી થતી પ્રદક્ષિણા દઇએ. • પ્રથમ પ્રદક્ષિણા : દાદાના દરબારમાંથી આપણી ડાબી બાજુથી બહાર નીકળી, સૌ પ્રથમ સહગ્નકૂટ મંદિરમાં રહેલા ૧૦૨૪ જિનેશ્વરોને વંદના કરીએ. “નમો જિણાણું.'
(૧) આપણે ભરતક્ષેત્રમાં રહીએ છીએ. આવા પાંચ ભરતક્ષેત્રો અને પાંચ ઐરાવતક્ષેત્રો છે. તે દરેકમાં તે-તે કાળે ૨૪-૨૪ ભગવાન થાય છે. તેથી આ દસ ક્ષેત્રોમાં ૧૦ x ૨૪ = ૨૪૦ ભગવાન વર્તમાનકાળે થયા. ગઈ ચોવીસીમાં પણ ૨૪૦ ભગવાન થયા હતા. આવતી ચોવીસીમાં પણ ૨૪૦ ભગવાન થશે. આમ ભરત-ઐરાવત ક્ષેત્રના ત્રણેકાળના ૨૪૦ + ૨૪૦ + ૨૪૦ = ૭૨૦ ભગવાન થયા.
(૨) મહાવિદેહ ક્ષેત્રના ૩૨ વિભાગ છે. દરેક વિજય કહેવાય છે. તે દરેકમાં એકેક ભગવાન ગણીયે તો મહાવિદેહ ક્ષેત્ર કુલ પાંચ હોવાથી ૫ x ૩૨ = ૧૬૦ ભગવાન થાય.
(૩) ચોવીસે ભગવાનના ચ્યવન (માતાના પેટમાં આવવું) જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ એમ પાંચ કલ્યાણક ગણતાં ૨૪ x ૫ = ૧૨૦ થાય.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૦૧
Page #423
--------------------------------------------------------------------------
________________
(૪) વર્તમાનકાળે દરેક મહાવિદેહક્ષેત્રમાં ચાર-ચાર ભગવાન થઈને પાંચ મહાવિદેહક્ષેત્રમાં ૪ x ૫ = ૨૦ વિહરમાન તીર્થકરો વિચરી રહ્યા છે.
(૫) ચાર શાશ્વતા જિનઃ ઋષભ, ચંદ્રાનન, વારિષેણ અને વર્ધમાનસ્વામી = ૪.
આમ, ૭૨૦ + ૧૬૦ + ૧૨૦ + ૨૦ + ૪ = ૧૦૨૪ જિનેશ્વરો થયા. તેમને અહીં વંદન કરીએ : નમો જિણાણે.
૧૪૫ર ગણધરના પગલા : ત્યાર પછી દાદાના જિનાલયની પાછળની દેરીઓને વંદના કરતા-કરતા આગળ વધીએ. એટલે આવે રાયણ પગલાં...
અહીં ચૈત્યવંદન કરવાનું છે. રાયણવૃક્ષ પાસે નવ્વાણ પૂર્વવાર પરમાત્મા પધાર્યા હતા...! આ વૃક્ષતળે દાદાના ચરણ છે. આ વૃક્ષનો મહિમા અપરંપાર છે. વૃક્ષની ડાળ-ડાળે, પાંદડે-પાંદડે દેવતાઓનો વાસ છે.
આ વૃક્ષને ત્રણ પ્રદક્ષિણા આપવાની અને જો એ વૃક્ષ ઉપરથી પ્રદક્ષિણા આપનાર ઉપર ખીર ઝરે તો તે વ્યક્તિ ત્રીજે ભવે મુક્તિ ગામી થાય છે.
અહીં ત્રીજુ ચૈત્યવંદન થયું. ચૈત્યવંદન પછી અહીં બે મિનિટ બેસીને ભાવના ભાવવાની કે અહીં દાદાના ચરણની પૂજા થાય છે. ચરણનો બીજો અર્થ છે ચારિત્ર...
પરમાત્માના ચરણ-કમલને પૂજીને ચારિત્ર ધર્મની પ્રાપ્તિ માટેની માંગણી કરવાની છે, ચારિત્રનો મુખ્ય અર્થ છે - આત્મરમણતા... આત્મ રમણતા બાહ્ય ઉપભોગની સામગ્રી ઘટાડવાથી આવે છે. એટલે કે જેમ જેમ આપણે બાહ્ય સામગ્રીનો ઘટાડો કરીએ તેમ-તેમ આત્મ રમણતા આવે છે. આત્મ સુખનું કારણ વિરતિ છે. જેટલા અંશમાં આપણાથી શક્ય હોય તેટલા અંશે વિરતિનું પાલન કરવાથી આપણો ભાવ જે દેહ તરફ છે. તે દેહ તરફથી ઘટીને આત્મા તરફ થાય છે. એટલે આત્મભાવ પ્રગટે છે.
ચાલો... હવે આગળ જઇએ... આ છે ૧૪પર ગણધર પાદુકા મંદિર.
આ અવસર્પિણીકાળમાં ઋષભદેવથી માંડીને મહાવીરસ્વામી સુધીના જે ૨૪ ભગવાન થયા છે. તેમના મુખ્ય શિષ્યોને ગણધર કહેવાય છે. ઋષભદેવના પુંડરીકસ્વામી વગેરે ૮૪ ગણધર હતા. તો મહાવીરસ્વામીના ગૌતમસ્વામી વગેરે ૧૧ ગણધરો હતા. ૨૪ ભગવાનના બધા મળીને કુલ ૧૪પર ગણધર હતા. તેઓના પગલાં અહીં સ્થાપન કરવામાં આવ્યા છે. તેમનો “નમો સિદ્ધાણં' કહીને વંદના કરીએ. • સીમંધરસ્વામીઃ આગળ વધતાં વસ્તુપાળ તેજપાળે બંધાવેલું જિનાલય આવ્યું. તેમાં રહેલા સીમંધરસ્વામી ભગવાનને વંદના કરીએ. અત્યારે મહાવિદેહક્ષેત્રમાં સીમંધરસ્વામી ભગવાન સદેહે વિચારી રહ્યા છે. ત્યાંથી મોક્ષમાં પણ જવાય છે. આપણે પણ તેમને વંદના કરીને મોક્ષની યાચના કરીએ. “નમો જિણાë.”
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૦૨
Page #424
--------------------------------------------------------------------------
________________
સીમંધરસ્વામી ભગવાનની પ્રતિમા ઉપર “આદેશ્વર ભગવાન' તરીકેનો લેખ છે, છતાં ગમે તે કારણસર આ પ્રતિમા સીમંધરસ્વામી તરીકે લોકોમાં પૂજાય છે.
આ જિનાલયમાં મા સરસ્વતીજીની પ્રાચીન પ્રતિમા દર્શનીય છે. પ્રણામ (ધર્મલાભ) કહીએ.
અબ તો પાર ભયે હમ સાધુ સીમંધરસ્વામીના જિનાલયની બહાર જમણી બાજુ કલાકારીગરીવાળા સુંદર આરસના ગોખલામાં પંચધાતુની સુંદર ગુરુમૂર્તિ છે.
સ્થાનકવાસી આત્મારામજી મહારાજને શાસ્ત્રોનો અભ્યાસ કરતાં સ્પષ્ટપણે સમજાયું કે મંદિર માર્ગ સાચો છે અને તેથી સ્થાનકવાસી મતનો ત્યાગ કરીને તેઓ શત્રુંજય ગિરિરાજ પધાર્યા. પરમાત્માના પાવન દર્શને તેમની આંખોમાંથી પશ્ચાત્તાપની અશ્રુધારા વહેવા લાગી.
અત્યાર સુધી પરમાત્માની મૂર્તિ અને તેની પૂજાનું ખંડન કર્યું; તેનો પશ્ચાત્તાપ કર્યો. પ્રતિમાવિરોધના પાપોમાંથી શી રીતે મુક્ત થવાશે ? તેવી વેદના-વ્યથામાંથી પરમાત્માની પ્રતિમાના દર્શન કરતાં જ તેમને મુક્તિ મળી ગઈ. આનંદથી તેઓ નાચી ઊઠ્યા ને તેમના મુખમાંથી પંક્તિઓ સરી પડી :
“શ્રી સિદ્ધાચલ દરશ કરી અબ તો પાર ભયે હમ સાધુ.”
આ આત્મારામજી મ.સા. મંદિરમાર્ગી વિજયાનંદસૂરીશ્વરજી મ.સા. તરીકે પ્રસિદ્ધ થયા. પંજાબ પ્રાંત ઉપર તેમણે ખૂબ જ ઉપકાર કર્યો છે. તેમની યાદમાં પંજાબ જૈન સંઘ તથા આત્માનંદ સભાએ (ભાવનગર) પંચધાતુની આ પ્રતિમા અહીં બિરાજમાન કરી છે. અહીં પહેલી પ્રદક્ષિણા પૂરી થઈ. • બીજી પ્રદક્ષિણા : સીમંધરસ્વામીના જિનાલયની સામે તેના જેવું જ નવા આદેશ્વરજીનું જિનાલય છે. ત્યાંથી શરૂ થાય છે. • નવા આદેશ્વરજી : વસ્તુપાળ-તેજપાળે આ જિનાલય બંધાવ્યું છે. પૂર્વે આ જિનાલયમાં અન્ય ભગવંત બિરાજમાન હશે. પણ અઢારમા સૈકામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. અચાનક ભયંકર કડાકા સાથે વીજળી પડી. દાદાના શિખરને ફાડીને મંદિરમાં પ્રવેશેલી વીજળી દાદાની નાસિકાને ઘસરકો લગાડવા દ્વારા ખંડિત કરીને જમીનમાં ઊતરી ગઈ.
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૪૦૩
Page #425
--------------------------------------------------------------------------
________________
ખંડિત બિંબના સ્થાને એવું નવું બિંબ ભરાવવાનો શ્રી સંઘે નિર્ણય કર્યો. સુરતના તારાચંદ શેઠ, નૂતન બિંબ ભરાવવાનો આદેશ લઇને, સુરતમાં વિધિપૂર્વક આદેશ્વરદાદા, બે કાઉસ્સગિયા પ્રભુ તથા ચરણપાદુકા તૈયાર કરાવીને, ગિરિવર ઉપર પહોંચ્યાં.
કર્માશાએ ભરાવેલા જૂના આદેશ્વરદાદાને ખસેડવા શિલ્પીઓ ગભારામાં દાખલ થયા ત્યારે ભયંકર અવાજ થયો. ગભરાઈને બહાર નીકળી ગયા. થોડીવાર પછી પ્રવેશ કરીને જૂના દાદાને ખસેડવા ગયા, ત્યાં “ના” “ના” એવા ભયંકર અવાજ થયા. સંઘે સારું મુહૂર્ત જોઇને ઉત્થાપવાનો નિર્ણય કર્યો. પણ રાત્રે સ્વપ્નમાં તારાચંદશેઠ અને પૂજારીને ચક્રેશ્વરી દેવીએ જણાવ્યું કે, “ઘણા વર્ષોથી આ બિંબ પૂજાતું આવ્યું છે. માટે ઉત્થાપશો નહિ. આથી ઉત્થાપનાનું કાર્ય પડતું રખાયું અને નવા પ્રતિમાજીઓને અહીં જિનાલય નિર્માણ કરી એમાં પધરાવવામાં આવ્યા. જે નવા આદેશ્વર દાદા'ના નામે ઓળખાય છે. આ ભમતીની શરૂઆત ત્યાંથી થાય છે. ત્યાંથી દર્શન કરતાં આગળ વધીએ.
આ દેરાસરમાં ૧૫મો ઉદ્ધાર કરાવનારા સમરાશાના પિતાશ્રી દેશલશાના મોટાભાઈ આસધર અને તેમના પત્ની રત્નશ્રીની મૂર્તિઓ પણ છે. બે નવપદજી આરસમાં કોતરેલા છે. બે ઉભા કાઉસગ્ગીયા પ્રભુ અને પાદુકા મનોહર છે. • મેરુ પર્વત : આગળ વધતાં મેરુપર્વત આવ્યો. અમદાવાદના માકુભાઈ શેઠ શત્રુંજય ગિરિરાજનો છ'રી પાલિત સંઘ લઈને આવેલા. તે સંઘની સ્મૃતિમાં તેમણે ત્રણ ગઢવાળો આરસનો મેરુપર્વત બનાવરાવ્યો છે. તેની ઉપર ચૌમુખજી બિરાજે છે. વંદના કરીએ “નમો જિણાë.” મેરુ પર્વત મહાવિદેહ ક્ષેત્રમાં આવેલો છે. જેની ઉપર ભગવંતોનો જન્મ મહોત્સવ દેવો અને ઇન્દ્રો કરે છે.
બરાબર દર્શન કરીને આગળ દર્શન કરતાં સમવસરણ – સમેતશિખર મંદિરના દર્શન કરતાં અને વચ્ચેની જગ્યામાંથી રાયણવૃક્ષ પાસેથી નીકળીને હવે આગળ બધે દર્શન કરતાં કરતાં આ પગથિયાથી ઉપર ચડશું. ઉપર પણ ઘણા ભગવાન છે. ચૌમુખજી છે... ચાલો... ઉપર...! જુઓ ! આ સ્થાનની બરોબર નીચે દાદા બિરાજમાન છે. એથી કોઇના પગ ન આવે એટલે અહીં આ કોર્ડન કરી છે. બધા ભગવાનના દર્શન કરવાના છે. દર્શન કરતા જાઓ...!
હવે પાછા નીચે ઊતરશું. આ સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનના મંદિરના દર્શન કરતા ફરી ચોકમાં આવ્યા. અહીંથી પાછા દાદાના દર્શન કરીએ.
હવે ત્રીજી પ્રદક્ષિણા આપશું. પહેલા આ પાંચ ભવ્ય પ્રતિમાજીનું મંદિર છે. તે પાંચભાઈનું દેરાસર કહેવાય... આ છે બાજરીયાનું દેરાસર. આ છે નેમિનાથનું દેરાસર.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૦૪
Page #426
--------------------------------------------------------------------------
________________
હવે આ બધી દેરીઓમાં ભગવાન છે. “નમો જિણાણું' બોલતાં સ્તુતિ બોલતાં બોલતાં દર્શન કરતાં કરતાં આગળ વધશું... આ આવ્યું વીસ વિહરમાન ભગવાનનું દેરાસર...
પાછળની ભમતી ફરીને... અહીં છે અષ્ટાપદજી...ચાલો અંદર પણ ભગવાન છે ને એટલે પ્રદક્ષિણા પણ અપાઈ જશે અને દર્શન થશે...! આ સામે રાવણ અને મંદોદરીના સ્ટેચ્યું છે...!
હવે બધી દેરીઓના દર્શન કરતાં કરતાં આગળ વધશું... • નમિ-વિનમિ ? પછી પાછળની ભમતીમાં આગળ વધીએ તો દેરીમાં વિશિષ્ટ પ્રકારનું શિલ્પ જોવા મળે છે. તે શિલ્પની નજીકમાં દીવો લઇને જોઇએ તો આદેશ્વરદાદાની આજુબાજુ ઊભેલા નમિ-વિનમિના હાથમાં રહેલી તલવારમાં પ્રભુજીનું પ્રતિબિંબ દેખાય છે. જાણે કે ત્રણે જગતનો ઉદ્ધાર કરવા માટે પ્રભુજીએ કુલ ત્રણ રૂપ ન લીધાં હોય ! “નમો જિણાણું.' • ભરત-બાહુબલીજી ઃ તેની બાજુમાં બીજે ક્યાંય જોવા ન મળે તેવી અલૌકિક બાહુબલી અને ભરતજીની પ્રતિમા છે. “નમો સિદ્ધાણં' કહીને તેમને વંદના કરીએ. • વિજયશેઠ-વિજયાશેઠાણી : ૮૪૦૦૦ સાધુઓને આહાર-પાણી વહોરાવવાથી જે લાભ મળે તે લાભ વિજયશેઠ અને વિજયાશેઠાણીને જમાડવાથી મળે તેમ કેવલી ભગવાને જણાવ્યું હતું. તેમાં તેમના અણિશુદ્ધ બ્રહ્મચર્યની મહત્તા ગવાઈ છે.
એકને કૃષ્ણપક્ષના અને બીજાને શુક્લપક્ષના બ્રહ્મચર્યનો નિયમ હતો. યોગાનુયોગ બંનેના લગ્ન થયા. પરસ્પરના નિયમની ખબર પડી. કોઇ જ પ્રકારનો અફસોસ કે સંકલ્પ-વિકલ્પ ન કરતાં સાથે રહીને પણ સુવિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન તેઓએ કર્યું. તે બંનેની ઊભી મૂર્તિઓ આ ગિરિરાજ ઉપર ગોખલામાં સ્થાપના કરવામાં આવી છે.
બ્રહ્મચર્યપાલન માટેનું બળ મેળવવા તેમના દર્શન કરીએ. • નવનિધાનનું દેરાસર ઃ આગળ વધતાં નવનિધાનનું દેરાસર આવ્યું. અંદર રહેલા ૧૪ ભગવાનને વંદના કરીએ. કેટલાક આને ચૌદ રતનનું દેરાસર પણ કહે છે. નમો જિણાણે. • નવી ટૂંક : થોડા આગળ વધ્યા એટલે ડાબી બાજુ નવી ટૂંકમાં જવાનો રસ્તો આવ્યો. ચાલો... ત્યાં દર્શન કરવા જઇએ. દાદાની ટૂંક જેવી આ ટૂંક છે. સામે પુંડરિક સ્વામી છે. ભમતીમાં એક દેરીમાં મહાવીર પ્રભુના મુખમાંથી ઝરી રહેલાં ફૂલડાંને ગ્રહણ કરીને માળ ગૂંથતા ગણધરોના વિશિષ્ટ શિલ્પના પણ દર્શન કરીએ.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૪૦૫
Page #427
--------------------------------------------------------------------------
________________
મૂળનાયક આદેશ્વરદાદાનું ચૈત્યવંદન કરીને નવી ટૂંકમાંથી પાછા મૂળટૂંકમાં આવીને ભમતીના દર્શન કરતાં કરતાં આપણે આગળ વધી રહ્યા છીએ.
અહીં એક દેરીમાં સોના-ચાંદીના ભગવાન છે. જોખમ હોવાથી બંધ જ રાખે છે. પૂજા દરરોજ થઈ જાય છે. • ગંધારિયા ચૌમુખજી : શ્રી ઋષભદેવના પ્રથમ ગણધર અને જેમના નામથી શત્રુંજય ગિરિરાજનું નામ પુંડરિકગિરિ પડ્યું છે, તે પુંડરીકસ્વામીના જિનાલય તરફ આગળ વધતાં છેલ્લે ગંધારિયા ચૌમુખજીનાં દર્શન કરીએ.
મૂળનાયક શાંતિનાથ ભગવાનને “નમો જિણાણું' કહીને વંદના કરીએ. ત્રણ પ્રદક્ષિણા દઈને બધા પરમાત્માને વંદના કરીએ.
અકબર પ્રતિબોધક જગદ્ગુરુ હરસૂરીમહારાજ વિ.સં. ૧૬૫૦માં સિદ્ધગિરિ પધારેલા. તે વખતે ૭૨ સંઘો યાત્રા કરવા આવેલા. જગદ્ગુરુનો પરમભક્ત ગંધારનો શ્રાવક રામજી પણ આવ્યો હતો.
દાદાના દર્શન કરીને, પુંડરીકસ્વામીના દેરાસરની પાસેના ચોકમાં વ્યાખ્યાન ગોઠવાયું. અનેકે ચતુર્થવ્રત સ્વીકાર્યું. ગુરુદેવે રામજી શ્રાવકને આ સ્થળે યાદી અપાવી કે વ્રત લેવાનો આ ઉત્તમ અવસર છે. કેમ કે તમે પૂર્વે જણાવેલ કે એક પુત્ર થયા પછી હું આ મહાનવ્રત સ્વીકારીશ.
ગુરુભગવંતના વચનને ઉલ્લાસભેર સ્વીકારીને, ભરયુવાનવયે વાસનાને તિલાંજલી આપીને રામજી શ્રાવક અને તેની શ્રાવિકાએ (ઉંમર ૨૨ વર્ષ) ચતુર્થવ્રત ગ્રહણ કર્યું. તેની યાદમાં તે સ્થળે આ ગંધારિયા ચૌમુખજીનું જિનાલય બનાવ્યું. પરમાત્માને વંદન કરતી વખતે આપણે પણ નૈષ્ઠિક બ્રહ્મચર્યના પાલનની શક્તિ મેળવીએ.
પછી ગોખલામાં ભગવાનને પોતાની પાસે લઇને ઊભેલી ૨૪ ભગવાનની માતાઓને પ્રણામ કરીને હવે આપણે આવ્યા છીએ; દાદાને એકીટસે જોવા માટે સતત તેમની સામે બેસી રહેલા પુંડરિક સ્વામી જિનાલયમાં.
| પુંડરીક સ્વામી પુંડરીક સ્વામી એ દાદાના પ્રથમ ગણધર હતા અને ચૈત્રી પુનમના દિવસે પાંચ ક્રોડ મુનિની સાથે નિર્વાણ પામ્યા હતા. અહીં જોવા જેવું તો એ છે કે, દાદા પુંડરીક
સ્વામીની સામે જોયા કરે છે અને પુંડરીક સ્વામી દાદાને જોયા કરે છે. કેવું મનોહર દેશ્ય છે. હે... જોયું ને ?. ચાલો... સ્તુતિ બોલીને ચૈત્યવંદન કરીએ... ચૈત્યવંદન પછી બે મિનિટ ભાવના ભાવવાની છે કે...
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૪૦૬
Page #428
--------------------------------------------------------------------------
________________
‘પુંડરીકસ્વામી... પુંડરીક એટલે કમળ... કમળ કાદવમાં ઉત્પન્ન થવા છતાં એનાથી અલિપ્ત રહીને પોતે પૂજ્યના ચરણોમાં પહોંચીને પવિત્ર બની જાય છે. તેમ આપણે પણ સંસારરૂપ કાદવમાં ઉત્પન્ન થયા હોવા છતાં આ સંસારના વિષય કષાયના ભાવોથી અલિપ્ત રહીને વિષય-કષાયથી નિર્લેપ રહીને પૂજ્યોના ચરણોમાં રહીશું તો મળેલ દુર્લભ મનુષ્યભવ સફળ કરી લેશું. અહીં પુંડરીક સ્વામી સામે બેસીને બે મિનિટ પુંડરીક સ્વામી ભગવાન સામે જોયા જ કરવાનું છે. એ મહાપુરુષના અણુઓપરમાણુઓનો સંચાર આપણા અંતઃ સ્થળ ઉપર થશે. આપણું જીવન ધન્યાતિધન્ય બની જશે. અહીં પરમાત્મા પુંડરીક સ્વામીની ભક્તિ કરતાં નિર્લેપભાવ માંગવાનો છે.’
આવ્યોને આનંદ...?
હવે બસ...! દાદા પાસે ચૈત્યવંદન કરશું...! ચાલો... દાદાના દરબારે... આવ્યો દાદાને દરબાર, કરો ભવોદિધ પાર,
ખરો તું છે આધાર, મોહે તાર... તાર... તાર...!
તારી મૂર્તિ મનોહાર, હરે મનના વિકાર;
મારા હૈયાનો હાર, પ્રભુ તાર તાર તાર...
આજની ઘડી છે રળીયામણી...
હાં રે મને વ્હાલો મળ્યાની વધામણી જી રે... આજની ઘડી છે રળીયામણી...
***
આનંદ કી ઘડી આઇ... સખી રી... આજ...
આનંદ કી ઘડી આઇ...
કરકે કૃપા પ્રભુ દરિસણ દીનો, ભવકી પીડ મીટાઇ... સખીરી... આજ...
***
અખિયાં હરખન લાગી હમારી... અખિયાં હરખન લાગી...
દરિશન દેખત આદિ જિણંદ કો ભાગ્ય દશા અબ જાગી હમારી...
આજે તો મન મૂકીને, પેટ ભરીને દાદાના દર્શન કરી લ્યો... સાચુ કહું ? મને તો અહીંથી જરાયે ખસવાનું મન થતું નથી. બસ...! એમ જ થયા કરે છે કે દાદા...! જો મારું ચાલે તો તારા સાનિધ્યથી એક ક્ષણ પણ દૂર ન થાઉં... કેવી બલિહારી છે... દાદા તારી...
બસ... દાદા પાસે તો લેવાય એટલું લઇ જ લો... આ દાદો તો આપવા જ બેઠો છે. જુઓ તો કેવી અમીદિષ્ટ પડી રહી છે આપણા ઉપર આજે... આપણું શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૪૦૭
Page #429
--------------------------------------------------------------------------
________________
કામ થઈ ગયું... ધન્ય ઘડી... ધન્ય વેળા... આજનો દિવસ ધન્ય... અરે...! ખાલી ધન્ય નહીં પણ ધન્યાતિધન્ય બની ગયો...!
આટલો સમય ક્યાં વ્યતીત થઈ ગયો કંઈ ખબર જ ન પડી. આ ગિરિરાજ અને દાદાનો આવો પ્રભાવ છે કે અહીં ભૂખ-તરસ-થાક બધું જ ભૂલાઈ જાય છે. બસ...! ભક્તિ રસને પીધા જ કરો. દાદાના ખોળામાં જાણે રમ્યા જ કરો...!
પૂર્વના કાષ્ઠના મંદિરનો જીર્ણોદ્ધાર કરીને સં. ૧૨૧૭માં બાહડ મંત્રી વડે પાષાણના બનાવાયેલા અને તેજપાળ સોની દ્વારા સં. ૧૬૫૦માં જીર્ણોદ્ધાર કરાયેલા બાવન હાથ ઊંચા નંદીવર્ધન નામના પ્રાસાદમાં આવેલા મેઘનાદ નામના મંડપમાં બેસીને કર્ભાશાએ ભરાવેલા અને પ્રતિષ્ઠિત કરેલા આદેશ્વરદાદાની આપણે હમણા ભક્તિ કરી રહ્યા છીએ.
આ જિનાલયમાં ૧૨૪૫ કુંભ, ૨૧ સિંહ, ૭૨ થાંભલા, ચાર યોગીનીઓ અને દસ દિપાલ છે. અહીં ચારે બાજુ ૧૯૭૨ દેરીઓ, ૪ ગવાક્ષ, ૩૨ પૂતળીઓ, ૩૨ તોરણો, ૨૯૧૩ પાષાણના પ્રતિમાજી, ૧૩૧ ધાતુના પ્રતિમાજી તથા ૧૫૦૦ પગલાં છે. તે બધાને ભાવથી આપણે વંદના કરીએ.
પ્રણિધાને ભજો એ ગિરિ રાયો, તીર્થકર-નામ નિકાચો; મોહરાયને લાગે તમાચો શુભવીર વિમલગિરિ સાચો સ્નેહી સંત ! એ ગિરિ સેવો. ચૌદે ક્ષેત્રમાં, ત્રણ ભુવનમાં તીરથ ન એવો સ્નેહી સંત ! એ ગિરિ સેવો. હવે આપણે દાદા પાસે એમ વિચારવાનું છે કે...
પૂર્વના ચાર ચૈત્યવંદન દ્વારા આત્માની અંદર સર્વ જીવો પ્રત્યે હિતચિંતારૂપ સ્નેહભાવ, રાગ-દ્વેષની શાંતિરૂપ સમભાવ, આત્મારમણતારૂપ ચારિત્ર દ્વારા આત્મભાવ, પુંડરીક કમળની જેમ નિર્મળતા રૂપ નિર્લેપભાવ પ્રાપ્ત થયા બાદ દાદાના દર્શન કરતાં આપણે આપણા આત્માને પરમાત્મા સ્વરૂપે જોઇને પરમાત્માભાવની પ્રાપ્તિ કરી શકીએ. આત્મામાં પરમાત્માના દર્શન કરવા તે જ સાધનાનું અંતિમ લક્ષ્ય છે. તે લક્ષ્ય આ રીતે વિચારણા-ચિંતનપૂર્વક યાત્રા કરવાથી જલ્દી સિદ્ધ થાય છે.
હા... સમવસરણના ત્રણ ગઢ તો થયા પણ પછી શું ?
આપણે ત્રણ ગઢની કલ્પનાથી ઉપર આવ્યા હવે ત્રીજા ગઢ ઉપર સિંહાસન હોય છે... સિંહાસન રૂપ આ દાદાનો ભવ્ય દરબાર છે અને એની ઉપર એ બેઠા આપણા પરમાત્મા...! પરમાત્મા દેશના સંભળાવે છે. આપણે સાંભળવી છે. તો બધા બેસો અહીં
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૪૦૮
Page #430
--------------------------------------------------------------------------
________________
હમણાં જ સંભળાશે... જુઓ...! આપણા મનમાં જે અત્યારે સારા વિચારો, શુભ ફુરણાઓ – સચિંતનો થઇ રહ્યા છે તે બધા પરમાત્માની અદશ્ય દિવ્યદેશના છે.
કહેવાય છે કે પરમાત્માની દેશના બધા પોત પોતાની ભાષામાં સમજી શકે અને બધાને એમ જ થાય કે જાણે ભગવાન મને જ મારી જ વાત કરી રહ્યા છે તેમ ખરેખર...! આપણે પણ સાંભળીએ છીએ...! દેશના સાંભળી ને ? હવે જઇશું નીચે ? શું ? દાદાની આ એક યાત્રા કર્યા છતાં સંતોષ નથી થતો ? બીજી યાત્રા કરવાનું મન ખૂબ થઈ રહ્યું છે ને ! તો પૂર્વના મહાપુરુષોએ એવી વ્યવસ્થા કરી છે કે, દાદાને દરબારે દર્શન કરીને ઘેટીની પાગે ઉતરીને ત્યાં જો તળેટીનું ચૈત્યવંદન કરીએ અને પછી ફરી ઉપર ચઢીને બાકીના ચારે ચૈત્યવંદન કરવાપૂર્વક દાદાના દર્શન કરીએ તો બે યાત્રાનો લાભ મળે. આપણે પણ બે યાત્રા કરવી છે ? તો દરબારમાંથી બહાર નીકળીને રતનપોળ, હાથીપોળ, વાઘણપોળ વટાવીને સગાળ પોળમાંથી બહાર નીકળીએ. ત્યાં મોતીશાની ટૂંક પહેલા ડાબી બાજુ ઘટીની પાગ જવાનો રસ્તો આવ્યો. સીધા ચાલીને હવે આપણે બારીમાંથી બહાર નીકળી નીચે ઉતરવાનું છે.
J ઘેટી પાનની યાત્રા ડુંગર ચઢવા દોહ્યલા... ઊતરતા શી વાર?
આપણે સડસડાટ ઘેટીના પાગ તરફ ઉતરી રહ્યા છીએ અને આ વચમાં આવી ૨૪ તીર્થંકર પરમાત્માના પગલાંની દેરી. બાજુમાં કુંડ અને વિસામો છે. “નમો જિણાણં' કહીને વંદના કરીએ.
હજુ નીચે જઇએ એટલે ઘેટીની પાગ પહેલાં નવી બનેલી સિદ્ધાચલ શણગાર ટૂંક અને બુદ્ધિસાગર ટૂંક આવી. ત્યાં રહેલ તમામ પરમાત્માઓને વંદના કરીએ. “નમો જિણાણું” અને સ્ટેજ આગળ વધ્યા એટલે ઘેટી પાગ આવી. અહીં દેરીમાં પરમાત્માના પગલાં છે... અહીં આપણે સ્તુતિ-સાથીયાદિ કરીને મોટું ચૈત્યવંદન કરીએ. • ઘેટીની પાગ : ઘેટી ગામની પાસે આદપુરમાં આવેલી હોવાથી ઘેટીની પાગ તરીકે પ્રસિદ્ધ છે. પરમાત્મા ઋષભદેવ શત્રુંજય ગિરિરાજ ઉપર કુલ ૯૯ પૂર્વવાર આવ્યા હતા. ૧ પૂર્વ એટલે ૭૦૫૬૦ અબજ (૮૪ લાખ X ૮૪ લાખ) જ્યારે જયારે પરમાત્મા શત્રુંજય પધાર્યા ત્યારે ફાગણ સુદ આઠમ જ હતી અને પરમાત્મા આદપુરની આ ઘેટીની પાગેથી જ ચડ્યા હતા અને તેથી તો નવ્વાણું યાત્રા કરનારે પણ ઓછામાં ઓછી નવયાત્રા તો આ ઘેટીની પાગથી જ કરવાની હોય છે. (નીચે આદપુર ગામમાં ૯૯ ઇંચના આદેશ્વર ભગવાનનું ભવ્ય જિનાલય છે.)
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૪૦૯
Page #431
--------------------------------------------------------------------------
________________
ઘેટીની પાગે ચૈત્યવંદન કરીને હવે આપણે બીજી યાત્રાનો પ્રારંભ કરીએ છીએ. દાદાના ગુણગાન ગાતાં ગાતાં ઉપર આવી ગયા... સગાળપોળમાં પ્રવેશ કરીને વાઘણપોળમાં શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન કરીને પૂર્વે જણાવ્યું તે પ્રમાણે ત્રણ પ્રદક્ષિણા દઈને દાદાના દરબારમાં આવી પહોંચ્યા છીએ અને બીજીયાત્રાના ભક્તિરસને લૂંટી રહ્યા છીએ. દાદાને છોડતા પહેલા દાદા પાસે ભૂતકાળના તમામ પાપોનું - દોષોનું ત્રણ-ત્રણ વાર મિચ્છામિ દુક્કડમ્ જરૂર કરી લઇએ. ચાલો... હવે જઇએ નવ ટૂંક તરફ...
નવ ટૂંકની યાત્રા શત્રુંજય ગિરિરાજ ઉપર જુદી જુદી નવ ટૂંકો આવેલી છે. તેની યાત્રા કરવા ચાલો આપણે જઇએ.
જ્યાં નીરખીએ નવટુંકો, પાતિકનો થાય ભુક્કો, નવ ટૂંક તરફ જતાં પગથીયા જયાં પૂર્ણ થયા ત્યાં કિલ્લામાં પ્રવેશ કરવાનો દરવાજો આવ્યો. આ કિલ્લામાં ધર્મનગરી છે. ઠેરઠેર જિનાલયો પથરાયેલા છે. ટૂંકની સંખ્યા ભલે નવ; પણ દેરાસરો, દેરીઓ, પ્રતિમાઓની સંખ્યા તો ઘણી મોટી ! એક એક શિલ્પ જાણે કે મૂર્તિમંત શ્રદ્ધાનું પ્રતિક ! પરમાત્મા પ્રત્યેના સમર્પણભાવ અને અહોભાવનું પ્રતિબિંબ ! અનેકોને ભગવદ્ ભક્તિમાં તરબોળ કરતું આલંબન ! • અંગારશાપીર : ચાલો... નવટૂંકના દરવાજામાં પ્રવેશીને ડાબી તરફ જઇએ એટલે અંગારશાપીરની દરગાહ આવી. દરેક સંઘના સંઘપતિ દાદાની યાત્રા કરતી વખતે સૌ પ્રથમ અહીં ચાદર ઓઢાડે છે. “આમ કેમ?” જૈનોના સૌથી મોટા તીર્થમાં મુસલમાન પીરની દરગાહ કેમ ? - શેરશાહ નામનો પાટણનો સૂબો હતો. સત્તા અને યુવાનીએ તેનામાં અવિવેકનો તરખાટ મચાવ્યો હતો. ક્યાંક કોઇ રૂપવતી સુંદરી દેખાઈ નથી કે તેને સ્વાધીન કરી નથી.
કુણઘેરનો ભાણજી શ્રાવક, પોતાની રૂપવતી પત્ની કોડાઈને લઈને શત્રુંજયની યાત્રાએ જઈ રહ્યો હતો. શેરશાહે અપહરણ કરાવીને તેને પોતાના ઘરમાં બેસાડી.
રોજ રૂમ બંધ કરીને કોડાઇ આદેશ્વરદાદા અને શત્રુંજયનું ધ્યાન ધરતી હતી. કોઈકે સૂબાના કાન ભંભેર્યા. તપાસ કરવા સૂબાએ એકાએક રૂમમાં જઈને જોયું તો કોડાઈ ધ્યાનમાં લીન હતી. પૂછ્યું, “શું કરે છે ?' કોડાઇએ કહ્યું, “મારું જીવન
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૪૧૦
Page #432
--------------------------------------------------------------------------
________________
પતિત થયું છે. પતિતને પણ પાવન કરનાર આદેશ્વર ભગવાન અને શત્રુંજય તીર્થનું ધ્યાન ધરું છું. જો તમે એક વાર તેના દર્શન કરશો તો પાવન થઈ જશો.”
આથી એકવાર સૂબો કોડાઈને લઈને શત્રુંજય પહોંચ્યો. સાથે અંગારશા નામના ઓલીયાને રાખ્યો છે. શત્રુંજય ઉપર અદ્દભૂત, અલૌકિક, દેદીપ્યમાન આદેશ્વર ભગવાનને જોઈને શેરશાહ સૂબો સ્તબ્ધ થઈ ગયો. હાથ જોડાઈ ગયા, ભક્તિભાવથી મસ્તક નમી ગયું. સાથે રહેલા સેવક પાસે પરમાત્માને ચરણે ધરવા સોનામહોરનો થાળ મંગાવ્યો.
અંગારશા ઓલીયાથી આ સહન થતું નથી. મુસલમાન થઈને જૈનોના ભગવાનને નમ્યો ! કાફર થયો ! સમજે છે શું ? ત્યાં તો સોનામહોરોનો થાળ ધરાવાયો. ગુસ્સે થયેલો અંગારશા આદેશ્વર ભગવાન ઉપર શસ્ત્રનો છૂટો ઘા કરીને ભાગ્યો... પડ્યો... મૃત્યુ પામીને પીર બન્યો.
શત્રુંજય અધિષ્ઠાયક કપર્દીયક્ષે એ પીરને નાથ્યો. શત્રુંજયની રક્ષા કરવાનું કામ સોંપ્યું. ભાવિમાં આવનારા મુસલમાનોના હુમલાઓને ખાળવા તેની અહીં દરગાહ
બનાવાઇ.
તીર્થની રક્ષા કરતા હોવાથી સંઘપતિ અહીં ચાદર ઓઢાડીને પછી આગળ યાત્રા કરે છે. • નરશી કેશવજીની ટૂંક : અંગારશા પીરના સ્થાન બાદ અચલગચ્છીય નરશી કેશવજીની ટૂંક આવી. મધ્યમાં મંદિરના મૂળનાયક શ્રી અભિનંદન સ્વામીને “નમો જિણાણું.” આજુબાજુ રહેલી ૩૪ દેરીમાં રહેલા પરમાત્માને વંદન કરીએ. નમો જિણાણે. • સંપ્રતિ રાજાનું જિનાલયઃ બહાર નીકળતાં સંપ્રતિ રાજાએ બંધાવેલા દેરાસરમાં રહેલા શાંતિનાથ ભગવાન તથા અન્ય સર્વ જિનબિંબોને વંદના કરીએ. નમો જિણાણે.
હવે જેમ જેમ આગળ વધીએ તેમ તેમ ચારે બાજુ જિનાલયો અને જિનબિંબો આવ્યા કરે છે. “જ્યાં જ્યાં પ્રતિમા જિનતણી, ત્યાં ત્યાં કરું પ્રણામ.” બધે “નમો જિણાણ કરતાં કરતાં આગળ વધીએ. • મરુદેવી પ્રસાદ : સંભવનાથ પ્રાસાદ, ઋષભદેવ પ્રાસાદ, કુંડીવાળાના તથા કચ્છ નલિયાના નરશી નાથાના દેરાસરમાં ચંદ્રપ્રભસ્વામી વગેરેને વંદના કરતાં કરતાં મરૂદેવીમાતાના પ્રાસાદમાં હાથી ઉપર બિરાજમાન મરુદેવા માતાને વંદના કરીએ. નમો સિદ્ધાણં'. ઋષભની દીક્ષાથી, પુત્ર વિરહથી હજાર વર્ષ સુધી સતત રૂદન કરતાં મરૂદેવામાતાને આંખે પળિયા બાઝી ગયા. ભગવાનને કેવળજ્ઞાન થતાં પૌત્ર ભરત, દાદી મરૂદેવાને તેમના પુત્ર ઋષભનાં દર્શન કરાવવા હાથી ઉપર બેસાડીને લઈ ગયો.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૧૧
Page #433
--------------------------------------------------------------------------
________________
પરમાત્મા ઋષભદેવ ભગવાનની ઋદ્ધિને જોવાનો પ્રયત્ન કરતાં, હર્ષના આંસુએ પળીયા દૂર કર્યા. પુત્રની ઋદ્ધિ જોઇને, સ્વાર્થી સંસારની વિચારણા કરતાં, ધ્યાનની ધારામાં આગળ વધતાં માતા મરૂદેવા હાથીની અંબાડી ઉપર જ કેવળજ્ઞાન પામ્યા. આયુષ્ય પૂર્ણ થતાં આ અવસર્પિણીકાળમાં સૌ પ્રથમ મોક્ષે ગયા. આવા આ કાળના પ્રથમ સિદ્ધ માતા મરૂદેવાને વંદના કરીને, ભગવાનના સાચા દર્શન કરવાની તેમના જેવી કળા મેળવવાનો સંકલ્પ કરીએ. • પહેલી ટૂંક જઈ પાવન થાશું ? ત્યાંથી આગળ વધતાં, વચ્ચેના અનેક જિનાલયોમાં જિનબિંબોને નમસ્કાર કરતાં કરતાં પ્રથમ ટૂંકમાં પ્રવેશીએ.
આ મહિમાવંત શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર અનેક વ્યક્તિઓએ અનેક જિનાલયોનું સર્જન કરાવ્યું છે અને તેમાં ઘણા જિનબિંબો પ્રતિષ્ઠિત કર્યા છે. તે રીતે વિચારીએ તો શત્રુંજય ઉપર ઘણી ટૂંકો છે; પણ મુખ્યતાની દૃષ્ટિએ નવ ટૂંક પ્રસિદ્ધ છે. તેમાંની પહેલી ટૂંકમાં પ્રવેશીએ :
(૧) ખરતરવસહી : આ ટૂંકમાં ચૌમુખજી (ચાર) આદેશ્વર ભગવાન હોવાથી ચૌમુખજીની ટૂંક તરીકે પણ પ્રખ્યાત છે. ૨૭૦ ફૂટ લાંબી, ૧૧૬ ફૂટ પહોળી અને ૯૭ ફૂટ ઊંચી છે. ચારેબાજુ ૨૫-૨૫ માઇલના ઘેરાવામાંથી આ ટૂંકનું ઉંચું શિખર દેખાય છે. આ ટૂંક સવચંદ અને સોમચંદ નામના બે શેઠીયાઓએ બનાવી હોવાથી સવા-સોમાની ટૂંક તરીકે પણ ઓળખાય છે.
સૌરાષ્ટ્રના વંથલી ગામમાં, દીન-દુઃખીયાના બેલી અને ધર્મવીર એવા સવચંદ શેઠ, પરદેશથી વહાણ પાછા ન ફરતાં આર્થિક મુશ્કેલીમાં મૂકાયા. થાપણદારો થાપણની ઉઘરાણી કરવા લાગ્યા. શેઠે જે હતું તે બધું ચૂકવ્યું. બાકી રહેલા એક શેઠે પોતાના લાખ રૂપિયાની તાત્કાલિક ચૂકવણી કરવાની પઠાણી ઉઘરાણી કરી. હવે કાંઈ હતું નહિ. ઇજ્જતનો સવાલ હતો. ના પણ કેમ પડાય ?
ઘણો વિચાર કરીને, શેઠે અમદાવાદના ધનાસુતારની પોળના સોમચંદશેઠ ઉપર અશ્રુભરી આંખે હૂંડી લખી આપી.
સોમચંદ શેઠ પાસે હુંડી આવી, તેમના ચોપડામાં સવચંદશેઠનું કોઇ ખાતું જ ન હતું. હુંડીને બારીકાઇથી જોતાં, શેઠની નજરે, હુંડી લખતી વખતે પડેલા બે આંસુથી ઉપસી ગયેલો ભાગ દેખાયો. શેઠ સમજી ગયા કે સંકટમાં આવેલા આ શેઠે ઇજ્જત બચાવવા મારા ભરોસે આ હુંડી લખી આપી હોવી જોઇએ. પળનો ય વિલંબ કર્યા વિના શેઠે લાખ રૂપિયા હુંડી લાવનારને આપી દીધા.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૧૨
Page #434
--------------------------------------------------------------------------
________________
સમય જતાં વહાણો પરદેશથી પાછા ફર્યા. સવચંદશેઠ વ્યાજ સાથે લાખ રૂપિયાની મૂડી લઇને અમદાવાદ સોમચંદશેઠને ત્યાં પહોંચ્યા. પૂજા કરી લીધા પછી શેઠના ચરણે રકમ પરત કરવા લાગ્યા. ત્યારે સોમચંદશેઠે ઘસીને ના પાડતાં કહી દીધું કે અમારા ચોપડે તમારું ખાતું બોલતું જ નથી. પછી શી રીતે લઉં? સવચંદશેઠે કહ્યું કે, “પણ તમે મારી ઇજ્જત સંકટના સમયે સાચવી લઈને મને સહાય કરી છે. તમારો ઉપકાર કદી ભૂલું તેમ નથી. તમારી આ રકમ તમારે સ્વીકારવી જ જોઈએ.'
સોમચંદશેઠ ટસ ના મસ ના થયા. અંતે આ ઝઘડાનો તોડ એ નીકળ્યો કે આ રકમમાં બંને શેઠીયાઓએ બીજી રકમ ઉમેરીને શ્રી શત્રુંજય તીર્થાધિરાજ ઉપર એક ટૂંકનું નિર્માણ કરવું.
થોડાક સમયમાં જ આ ચૌમુખજીની ટૂંક નિર્માણ પામી. વિ.સં. ૧૬૭૫માં પરમાત્માની પ્રતિષ્ઠા કરી. ત્યારથી આ ટૂંક ચૌમુખજીની ટૂંક કે સવા-સોમાની ટૂંક તરીકે ઓળખાય છે.
ચૌમુખજીની ટૂંકના મુખ્ય દેરાસરમાં ચૌમુખજી આદીશ્વર ભગવાન છે. તેમના દર્શન કરીએ.
(દરેક ટૂંકમાં મુખ્ય દેરાસરે સ્તુતિ બોલીને ધૂપ-દીપ પૂજા કરીને સાથીયો કરવો. નૈવેદ્ય-ફળ મૂકીને ચૈત્યવંદન કરવું.)
આ ટૂંકમાં મોટા ૧૧ દેરાસરો છે. તેમાં ૪૧૨ જિનપ્રતિમા છે. જુદી જુદી ૭૪ દેરીઓ છે. જેમાં ૨૯૧ જિનપ્રતિમા છે. કુલ ૭૦૨ ભગવાન છે.
તમામ ભગવાનને “નમો જિણાણ' કહીને વંદના કરીને આગળ વધીએ. • પાંચ પાંડવ: જિનાલયની પાછળ બારીમાંથી બહાર જઈએ ત્યાં પેથડ મંત્રીએ બંધાવેલ પાંડવોનું દેરાસર છે. પાંડવ મુનિઓને નેમીનાથ ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી આહાર-પાણીના ત્યાગનો સંકલ્પ હતો. રસ્તામાં જ પરમાત્માના નિર્વાણના સમાચાર મળ્યા. હવે શું કરવું ? બધા તીર્થાધિરાજ શત્રુંજય ગિરિરાજના શરણે આવ્યા. અહીં આસો સુદ પૂનમના દિને વીસ કરોડની સાથે પાંડવો મોક્ષે ગયા. પાંચ પાંડવોની પ્રતિમાને વંદના કરીએ. “નમો સિદ્ધાણે.' • સહસ્ત્રકુટ : પાંડવોના દેરાસરની પાછળ સહસ્ત્રકુટ જિનાલય છે, ત્યાં રહેલા ૧૦૨૪ જિનબિંબોને વંદના કરીએ. “નમો જિણાણું.'
આપણા ભરતક્ષેત્રમાં જ્યારે અજિતનાથ ભગવાન વિચરતા હતા, ત્યારે વિશ્વમાં કુલ ૧૭૦ તીર્થકરો વિચરતા હતા. તે ૧૭૦ પરમાત્માના પટને આપણે વંદના કરીએ. “નમો જિણાણે.”
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૧૩
Page #435
--------------------------------------------------------------------------
________________
અહીં ૧૪ રાજલોકનો પટ પણ આરસમાં કોતરેલો છે. જૈન શાસ્ત્રો પ્રમાણે સમગ્ર વિશ્વનું સ્વરૂપ ૧૪ રાજલોકમય છે. આજનું શોધાયેલું આ વિશ્વ તો આ રાજલોકની સામે એક નાનકડા બિંદુ જેટલું ગણાય.
ત્યાંથી પાછા ચૌમુખજીની ટૂંકમાં થઇને બીજી ટૂંકમાં જઇએ.
બીજી ટૂંકે જઇ કર્મ ખપાવશું
(૨) છીપાવસહીની ટૂંક ઃ આ નાની ટૂંક ભાવસાર ભાઇઓએ વિ.સં. ૧૯૭૧માં બંધાવી છે. મૂળનાયક આદેશ્વર ભગવાન છે. ભાવસાર ભાઇઓ રંગારા હોવાથી મૂળનાયકને પણ રંગ ચડાવેલ છે.
છ નાની દેરી અને ૧૪ મોટી દેરીના મળીને કુલ ૪૮ ભગવાન છે. બધાને ‘નમો જિણાણં’ કરીએ. પછી ગઢને અડીને રહેલા દેરાસરમાં શ્રેયાંસનાથ ભગવાનને નમીએ ‘નમો જિણાણું.’
બહારના ઢોળાવ ઉપર શ્રી અજિતનાથ ભગવાન અને શ્રી શાંતિનાથ ભગવાનની પાસે-પાસે દેરી છે. તે બંને ભગવાનને વંદન કરીએ. ‘નમો જિણાણું.’
બીજા અજિતનાથ ભગવાન અને સોળમા શાંતિનાથ ભગવાને શત્રુંજય ગિરિરાજ ઉપર એકેક ચોમાસા કર્યા હોવાથી તે બે ભગવાનની આ દેરીઓ બનાવી છે.
સાંભળવા પ્રમાણે પૂર્વે આ બંને દેરીઓ સામસામે હતી. પૂ. નંદીષેણસૂરિ મહારાજે અત્રે અજિતશાંતિસૂત્રની રચના કરી હતી. તેના પ્રભાવે સામ-સામેના બદલે પાસે પાસે થઇ ગઇ. જેથી એક ભગવાનનાં દર્શન કરતાં બીજા ભગવાનને પૂંઠ ન પડે. આપણે તેમને વંદના કરીને ત્રીજી ટૂંકમાં પ્રવેશીએ.
ત્રીજે તે પાપ પલાય પ્રભુજી !
(૩) સાકરવસહી : અમદાવાદના શેઠ સાકરચંદ પ્રેમચંદે વિ.સં. ૧૯૮૩માં આ ટૂંક બંધાવી છે. મૂળનાયક તરીકે પંચધાતુના શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન છે. તેમની સામે સ્તુતિ બોલી, સાથિયો કરી, ચૈત્યવંદન કરીએ.
આ ટૂંકમાં રહેલા બીજા દેરાસરમાં ચંદ્રપ્રભસ્વામી તથા ત્રીજા દેરાસરમાં રહેલા પદ્મપ્રભસ્વામીને તથા નાની મોટી દેરીમાં રહેલા સર્વ જિનેશ્વરોને નમો જિણાણું કહી, વંદના કરીને ચોથી ટૂંકમાં જઇએ.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૪૧૪
Page #436
--------------------------------------------------------------------------
________________
ચોથી ટૂંકે જઇ ક્રોધ ન કરશો, (૪) ઉજમફઈની ટૂંકઃ એક સમયે અમદાવાદમાં પ્રેમાભાઈ નામના નગરશેઠ હતા. તેમના બેનનું નામ હતું ઉજમબેન. નગરશેઠના બેન હોવાના કારણે આખું નગર એમને ઉજમફોઈ તરીકે જ ઓળખતું હતું.
ઉજમફોઇના લગ્ન સમયે તેમના ભાઈ, બહેનને દાયજામાં આપવા ૫૦૦ ગાડા ભરીને કરિયાવર લઈ આવેલા.
બહેનને બધો કરિયાવર બતાડ્યો, પણ બહેનને આનંદ ન થયો. ભાઇએ પૂછ્યું, કેમ બહેન ! તને સંતોષ ન થયો ? કાંઈ વાંધો નહિ. હજુ પણ તારી જે ઇચ્છા હોય તે કહે. તે પણ ઉમેરી દઇશું.”
ઉજમફોઇ બોલ્યા : “આ બધી સામગ્રીઓ તો સંસારવર્ધક છે. મારે તો જોઇએ સંસારતારક ચીજ અને તે છે શત્રુંજય ગિરિરાજ ઉપર જિનાલય ! તું મારો સાચો ભાઈ હોય તો કરિયાવરમાં શત્રુંજય ઉપર જિનાલય બાંધી આપ.” ભાઇએ કહ્યું, ‘ચિંતા ન કરીશ, બહેન ! ટૂંક સમયમાં તે પણ થઈ જશે.'
ભાઇએ શત્રુંજય ગિરિરાજ ઉપર જિનાલયનું નિર્માણ શરૂ કરાવ્યું. પરમાત્માના પાંચે કલ્યાણકોની ઉજવણી કરીને દેવો જે નંદીશ્વરદ્વીપમાં જાય છે, તે નંદીશ્વરદ્વીપ ઉપર આવેલા બાવન જિનાલય જેવી રચના શરૂ કરી. ચારે બાજુ પથ્થરમાં જાળીઓ કોતરી છે. મંદિરની વચમાં મુખ્ય દેરી છે. તેની આસપાસ ચારે બાજુ ૧૩-૧૩ નાની દેરીઓ છે. સૌથી વચ્ચે જંબુદ્વીપ મધ્યનો મેરુપર્વત બતાડેલ છે. જેની ઉપર પરમાત્મા બિરાજમાન કરેલ છે. વિ.સં. ૧૮૮૩માં નંદીશ્વરદ્વીપની રચનાવાલા આ જિનાલયમાં ઉજમફોઈના હાથે પ્રતિષ્ઠા થઇ.
સર્વે જિનબિંબોને વંદના કરીએ. “નમો જિણાણું.”
આ ટૂંકના ચોકમાં બે નાની બારીઓ આવેલી છે. તેમાંથી જોતાં સહેજ દૂર દાદાની ટૂંક અને મોતીશાની ટૂંકનો દેખાવ સુંદર લાગે છે.
બહાર નીકળીને જુદા જુદા બે દેરાસરમાં રહેલા કુંથુનાથ અને શાંતિનાથ ભગવાનને વંદના કરીએ. “નમો જિણાણું. હવે પાંચમી ટૂંકમાં પ્રવેશીએ.
પાંચમી ટૂંકે જઇ માન ન કરશો ? (૫) હેમાભાઈની ટૂંકઃ અમદાવાદના નગરશેઠ શ્રી હેમાભાઇએ આ ટૂંક વિ.સં. ૧૮૮૨માં બંધાવી છે. ઉપર ત્રણ શિખરો છે. મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની વિ.સં. ૧૮૮૬માં પ્રતિષ્ઠા કરી. શ્રી પુંડરિકસ્વામી તથા બીજા બે ચૌમુખજી પણ છે.
માહાભ્ય સાર ૪૧૫
Page #437
--------------------------------------------------------------------------
________________
| છઠે તે માયાને વિસરો પ્રભુજી (૬) મોદીની ટૂંકઃ પાંચમી ટૂંકમાંથી બહાર નીકળને આપણે હવે આ છઠ્ઠી મોદીની ટૂંકમાં પ્રવેશીએ. અમદાવાદના શ્રીમંત વેપારી પ્રેમચંદ લવજી મોદી શ્રી શત્રુંજય મહાતીર્થનો છ'રી પાલિત સંઘ લઈને અત્રે આવ્યા હતા. અહીંના સાત્વિક વાતાવરણથી મુગ્ધ થયેલા તેમણે ભાવવિભોર બનીને વિ.સં. ૧૮૩૭માં આ ટૂંકનું નિર્માણ કર્યું.
મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાન છે. તેમને વંદના કરીએ.
આ મુખ્ય મંદિરમાં ગુંબજમાં બે સુંદર દશ્યો છે. મહારાજા દર્શાણભદ્ર પરમાત્મા મહાવીરદેવનું ભવ્ય સામૈયું કર્યું. તેના મનમાં ગર્વ આવ્યો કે આ વિશ્વમાં મારા જેવું ભવ્ય સામૈયું કરનાર છે કોઈ બીજો ? તે વખતે તેના મનનો અહંકારભાવ જાણીને ઇન્દ્ર મહારાજાએ અતિભવ્ય સામૈયું કર્યું. જેને જોઇને દર્શાણભદ્રનો ગર્વ ગળી ગયો.
તેણે વિચાર્યું કે હવે હું એવું તે શું કરું? જે દેવ પણ ન કરી શકે. તરત જ તેઓ પરમાત્માને વિનંતી કરીને સાધુ બની ગયા, જે દેવ પણ ન કરી શકે તે આ માનવે કરી બતાવ્યું. ઈન્ડે કહ્યું, ‘તમે જીત્યા, હું હાર્યો.' દર્શાણભદ્રનો ગર્વ પણ સાધુજીવન અપાવનારો બન્યો.
અહીં એક ચિત્રમાં દર્શાણભદ્ર સામૈયું કરે છે, તે બતાવ્યું છે. તો બીજા ચિત્રમાં ઇન્દ્ર દર્શાણભદ્રનો ગર્વ ઉતારવા જે ભવ્ય સામૈયું કરે છે તે બતાવ્યું છે.
મૂળનાયકના મંદિર સામે શ્રી પુંડરિકસ્વામીનું મંદિર છે. તેમને વંદના કરીએ. નમો સિદ્ધાણે.” ૨૪ ભગવાનના જુદા જુદા ગણધરોની કુલ સંખ્યા ૧૪૫ર હતી. તે બધા મોક્ષે ગયા છે. તે ૧૪પર ગણધરોના અહીં પગલાં છે. તેમને વંદના કરીએ. નમો સિદ્ધાણં.”
બે બાજુ સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનના મંદિર છે. તેમાંના પ્રતિમાજી અરબી સમુદ્રમાંથી પ્રગટ થયા હતા, તેમને વંદન કરીએ. “નમો જિણા.' અહીં સાસુવહુના ગોખલા જોવાલાયક છે. તે દેલવાડાની કોતરણીની યાદ આપે છે.
સ્થંભો ઉપર સાપ કરડતો હોય, વીંછી કરડતો હોય અને વાંદરો કરડતો હોય તેવી પૂતળીઓ છે.
સાંભળવા મળે છે કે, કુટુંબમાં કદી કજીયો ન કરવો તેવો સંદેશ આ પૂતળીઓ આપે છે. વહુએ સાસુ પાસે તીર્થમાં વાપરવા પૈસા માંગ્યા. સાસુએ ગુસ્સો કર્યો. તે વાતમાં પડોસણે પણ સાસુજીને ચડાવ્યા. પરિણામે ઝઘડો થયો. છેવટે કુસંપથી
માહાભ્ય સા૨ ૦ ૪૧૬
Page #438
--------------------------------------------------------------------------
________________
સાસુને પગે સાપ કરડે છે અને આર્તધ્યાન કરવાના કારણે વહુને વાંદરો કરડે છે. પડોસણને પગે વીંછી ડંખ મારે છે.
આ રીતે આ પૂતળીઓ ઉપદેશ આપે છે કે સંસારમાં સુખી થવું હોય તો તીર્થમાં ધન અવશ્ય ખરચવું અને ઘરમાં સંપ રાખવો. નહિ તો આ સ્ત્રીઓ જેવા હાલ થશે. કદી પણ કલહ ન કરવાનો નિશ્ચય કરીને આગળ વધીએ.
અનાદર, આળસ, અનાચાર, અભિમાન અને અસહિષ્ણુતા આ પાંચ દુષ્ટ તત્ત્વો પરિવાર માટે અભિષાપ છે. જ્યારે સ્નેહ, સત્વ, સદાચાર, સૌમ્યતા અને સહિષ્ણુતા આ પાંચ તત્ત્વો પરિવાર માટે આશીર્વાદ સમાન છે.
મૂળનાયકના મુખ્ય મંદિરની પાછળ ગઢના એક ભાગમાંથી જોઇએ તો સામે ભાડવાનો ડુંગર (જ્યાં શાંબ-પ્રદ્યુમ્ન સાડા આઠ કરોડ સાથે મોક્ષે ગયા છે.) છ ગાઉની પ્રદક્ષિણા કેડી તથા ઘેટીની પાગે જવાનો વળાંક લેતો મનોહર રસ્તો દેખાય છે. દૂરથી આપણે વંદના કરીએ. ‘નમો જિણાણું.'
આ ટૂંકમાં રહેલા અજિતનાથ-ચંદ્રપ્રભસ્વામી વગેરે સર્વ જિનેશ્વરોને ‘નમો જિણાણું.' કરીને બહાર નીકળતા નીચેના ભાગમાં કુંડની બાજુમાં પ્રેમચંદ શેઠની કુળદેવી ખોડીયાર માતા શોભે છે.
અદબદજી દાદા : નીચે ઉતરતાં બાળકોને અતિશય આનંદ આપતી અદબદજી દાદાના હુલામણા નામે પ્રસિદ્ધ પહાડમાં કોતરેલી અદ્ભૂત આદિનાથજીની મૂર્તિ દેખાઇ રહી છે. ૧૪ ફૂટ પહોળી અને ૧૮ ફૂટ ઊંચી આ પ્રતિમાની વિ.સં. ૧૬૮૬માં ધર્મશેઠે પ્રતિષ્ઠા કરાવી છે. સમગ્ર વર્ષમાં માત્ર એક જ દિવસ-વૈશાખ વદ છઠ્ઠના દિને આ દાદાનો પક્ષાલ-પૂજા વગેરે થઇ શકે છે.
અદબદજી દાદાને વંદના કરીએ. ‘નમો જિણાણું.' હવે આ આવી તે છે સાતમી બાલાભાઇની ટૂંક.
સાતમી ટૂંકે જઇ લોભ ન કરશો
(૭) બાલાભાઇની ટૂંક : મુંબઇમાં પ્રસિદ્ધ ગોડીજી દેરાસર બંધાવનાર ઘોઘા નિવાસી દીપચંદભાઇ (બાલાભાઇ)એ શત્રુંજય ગિરિરાજ ઉપર વિ.સં. ૧૮૯૩માં આ ટૂંક બંધાવી. મૂળનાયક શ્રી આદેશ્વર ભગવાનને વંદના સ્તુતિ-સાથિયોચૈત્યવંદનાદિ કરીએ.
ઉપર ચૌમુખજી વગેરે ભગવાનને વંદના કરીએ. ‘નમો જિણાણું.’ પુંડરિકસ્વામી આદિ જે જે ભગવંતો અત્રે બિરાજે છે તે સર્વેને પણ વંદના કરીએ. ‘નમો જિણાણું.’ શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૪૧૭
Page #439
--------------------------------------------------------------------------
________________
શો
અન્ય જિનાલયોમાં બિરાજમાન વાસુપૂજ્ય સ્વામી અજિતનાથ, શાંતિનાથ આદિ સર્વ ભગવંતોને “નમો જિણાણું' કહીને આઠમી ટૂંકમાં જઇએ.
( આઠમી ટૂંકે જઇ મમતાને તજશો
આ (૮) મોતીશાની ટૂંકઃ પરમાત્માનો પક્ષાલ કરતી વખતે ગવાતી ‘લાવે લાવે મોતીશા શેઠ, હવણ જળ લાવે રે...' પંક્તિમાં પ્રસિદ્ધ બનેલા મોતીશા શેઠનું વહાણ એકવાર ચીન તરફ જતું હતું. આ વહાણમાં ગેરકાયદેસરનું અફીણ જઈ રહ્યું છે, એવો વહેમ પડવાથી સરકારી કારભારીએ વહાણ પાછળ બોટ મૂકી. આ સમાચાર મળતાં મોતીશા શેઠે સંકલ્પ કર્યો કે, “જો આ વહાણ બચી જાય તો તેની ઉપજ મારે શત્રુંજય ગિરિરાજ ઉપર વાપરવી.” ધર્મપસાયે વહાણ બચી ગયા. બાર-તેર લાખની ઉપજ થઈ. શેઠે શત્રુંજયનો સંઘ કાઢયો. ગિરિરાજ ઉપર પધાર્યા. સિદ્ધભૂમિના દર્શને ભાવવિભોર બન્યા. દેરાસર બાંધવાની ભાવના જાગી. પણ અહીં તો ઠેરઠેર મંદિરોની હારમાળા પથરાયેલી હતી. ક્યાંય મંદિર બાંધવા માટે સમથળ જગ્યા ખાલી નહોતી. હવે શું કરવું ?
તેમની નજર બે શિખર વચ્ચે રહેલી કુંતાસરની ભયંકર ખીણ ઉપર પડી. વિચાર ઝબુક્યો. “જો આ ભયંકર ખીણ પૂરીને મંદિર બનાવાય તો બે શિખર એક થાય. યાત્રિકોને ફરવું ન પડે. ભયંકર દેખાવ દૂર થાય.”
ખીણ પૂરવાનું કપરું કાર્ય શેઠની ભારે ઉદારતાથી સારી રીતે પૂર્ણ થયું. માલસામાન ચઢાવવા માટેના પાલક બાંધવા માટે તે વખતે ૮૦ હજાર રૂપિયાના તો દોરડા વપરાયા. બીજો ખર્ચ કેટલો આવ્યો હશે તેની તો કલ્પના કરવી મુશ્કેલ છે.
નલિનીગુલ્મ વિમાનના આકારે જિનાલયો તૈયાર થવા લાગ્યા. અચાનક મોતીશા શેઠનું અવસાન થયું. પણ પિતાની ભાવનાને સાકાર કરવા, પુત્ર ખીમચંદે ધામધૂમપૂર્વક શત્રુંજયનો સંઘ કાઢ્યો. વિ.સં. ૧૮૯૩માં ૧૮ દિવસના ભવ્ય મહોત્સપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. તે પ્રસંગે લગભગ એક લાખ માણસો હાજર રહ્યા હતા.
મોતીશાની ટૂંક બરાબર દાદાજીની ટૂંક જેવી જ છે. મધ્યના મૂળમંદિરમાં આદેશ્વરદાદા બિરાજે છે. બરાબર તેની સામે પુંડરિકસ્વામી છે.
પુંડરિકસ્વામીના રંગમંડપમાં ખોળામાં રાખવાને લઈને બેઠેલા માતા મરૂદેવાની અદૂભૂત પ્રતિમાં છે. તેમને પણ આપણે વંદના કરીએ. “નમો સિદ્ધાણં.”
ઋષભદેવ, ચૌમુખજી, ધર્મનાથ, પદ્મનાભસ્વામી, પાર્શ્વનાથ, ગણધર પગલાં, સહગ્નકૂટ, સંભવનાથ, સુપાર્શ્વનાથ, મહાવીરસ્વામી વગેરે અન્ય અન્ય જે જિનાલયો
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૧૮
Page #440
--------------------------------------------------------------------------
________________
છે. તેમાં રહેલા સર્વ ભગવંતોને વંદના કરીને બહાર નીકળીએ એટલે જમણી બાજુએ સગાળપોળનો દરવાજો નજરે ચઢે છે.
હવે આપણે નીચે ઉતરશું
નીચે ઉતરતાં-ઉતરતાં આપણે જે અનુપમ યાત્રા કરી તેને યાદ કરતા જવાનું છે. બહુ ઉતાવળ ન કરતાં ખૂબ જ જયણાપૂર્વક ઉતરશો.
આ ગિરિવરનો મહિમા કેવો અદ્દભૂત છે. એટલે જ મહાપુરુષોએ કહ્યું છે કે.. ઐસી દશા હો ભગવનું, જબ પ્રાણ તનસે નીકલે; ગિરિરાજ કી હો છાયા. મન ન હોવે માયા...
| મૃત્યુ શત્રુંજયમાં અને જન્મ મહાવિદેહમાં લ્યો આ દેખાય તળેટી. આપણે છેક ધોળી પરબે આવી ગયા. અહીં ભાતાના પાસ અપાય છે.
આ ભાતા ખાતાના પાસ લઈ લ્યો. નીચે ભાત ખાતું છે. પેઢી તરફથી ચાલે છે. આ આવી પહોંચ્યા તળેટીએ...! કરી લ્યો તળેટીનો સ્પર્શ... હે ગિરિરાજ.... તારી મહાનતા તો જો. તારા ઉપર ચઢીને જનારને પણ તું તારી દે છે...? ધન્ય... ધન્ય...!
આ આગમ મંદિર છે... અને આ ભાતા ખાતુ છે...!
બસ...! આ યાત્રાની કાયમી સ્મૃતિ રૂપે દરરોજ સંક્ષેપથી ગિરિરાજની યાત્રા કરીને ૧૫ મિનિટ, અડધો કલાક કે કલાક એવા ઉચ્ચભાવોને સ્પર્શવા કે શુભ ધ્યાનમાં આગળ વધી શુક્લધ્યાન ધ્યાતા-ધ્યાતા બાકીના કર્મોને ખપાવીને શિવગતિ ગામી બનીએ.
જય શત્રુંજય...! જય આદીનાથ...!
અત્યંત અંતરના ભાવોથી લખાયેલ વર્ણવાયેલ આ યાત્રાથી સૌ જલ્દી મુક્તિગામી બનીએ.
( છ ગાઉની યાત્રા - પ્રતિ વર્ષ ફાગણ સુદ ૧૩ના દિને હજારો આત્માઓ શત્રુંજય તીર્થની યાત્રા કરી છ ગાઉની પ્રદક્ષિણા કરી ધન્ય બને છે. રામપોળથી બહાર જમણી બાજુથી આ યાત્રાનો આરંભ થાય છે. • દેવકીના છ પુત્રોની દેરી : વસુદેવની પત્ની દેવકીએ શ્રીકૃષ્ણની પહેલા ક્રમશઃ છ પુત્રોને જમ આપ્યો હતો. કંસના ડરથી જન્મ થતાંની સાથે જ હરિëગમેષી દેવે તેમને નાગદત્તની પત્ની સુલસાની પાસે મૂકી દીધા હતા. રૂપ-રંગ-આકારમાં
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૧૯
Page #441
--------------------------------------------------------------------------
________________
સરખાપણું ધરાવતા આ છ એ નેમનાથ પ્રભુ પાસે દીક્ષા લઇ સાધના કરવા લાગ્યા. એક દિવસ આ છએ સાધુ બે-બેની ટુકડીએ દેવકીને ત્યાં ગોચરી જતાં દેવકી વિસ્મિત થઇ પ્રભુ પાસે આવ્યા. સંશયનું સમાધાન થયું. આ છ મુનિઓએ શત્રુંજય પ૨ અનશન સ્વીકાર્યું. મોક્ષે ગયા. એમની દેરી પાસે ‘નમો સિદ્ધાણં’ કહી આગળ વધતાં ઉલખાજળ આવે છે.
•
ઉલખા જળ : દાદાના સ્વહણનું પ્રક્ષાલ જમીનમાંથી થઇ અહીં આવતું હતું એમ મનાય છે. હમણાં તો બારોટ લોકો ન્હવણ જળ લઇ બાજુમાં ખાડામાં નાંખી દે છે. બાજુમાં નાની દેરીમાં આદિનાથના પગલા છે. ‘નમો જિણાણં’ કહી નાનુ ચૈત્યવંદન કરી આગળ વધીએ.
ચંદન તલાવડી : આગળ જતાં ચિલ્લણ તલાવડી આવે છે. ઋષભદેવ ભગવાનના શાસનમાં થયેલ ચિલ્લણ મુનિ મતાંતરે મહાવીર શાસનમાં થયેલ સુધર્મા ગણધરના શિષ્ય ચિલ્લણ મુનિ સંઘ સાથે શત્રુંજ્યે પધાર્યા. હર્ષાવેશમાં લોકો જુદા જુદા રસ્તેથી ચડ્યા. રસ્તો ભૂલ્યા. સંઘ તૃષાતુર થઇ ગયો. મુનિએ કરુણાથી પ્રેરાઇ તપલબ્ધિથી આખું તળાવ છલકાવી દીધું. લોકોની તૃષા શાંત થઇ. મુનિએ થયેલ વિરાધનાનું પ્રાયશ્ચિત્ત કરતા કેવળજ્ઞાન મેળવ્યું અને અહીં મોક્ષે ગયા. ભરતચક્રીએ અહીં ચિલ્લણ વિહાર બનાવેલ પણ કાલાંતરે નષ્ટ થઇ ગયો છે.
રત્નની પ્રતિમા ઃ તલાવડીની પાસે જ કોઠાનાં વૃક્ષની નીક અલક્ષ નામના દેવળના ભાગોળમાં ભરત ચક્રીએ ભરાવેલા ૫૦૦ ધનુષ્યની પ્રતિમા સગર ચક્રવર્તીએ ગુફામાં પધરાવી છે. અઠ્ઠમના તપથી પ્રસન્ન થયેલા કપર્દીયક્ષ આ પ્રતિમાના દર્શન કરાવે છે. જેને આ પ્રતિમાના દર્શન થાય તે ત્રીજા ભવે મોક્ષે જાય. આપણે ભાવથી પ્રાર્થના કરીએ.
· સિદ્ધશીલા : ચંદન તલાવડી પાસે જ સિદ્ધશીલા છે. જો કે અહીં એક એક કાંકરે અનંત આત્માઓ સિદ્ધ થયા છે. છતાં આ શીલા ઉપર બીજા સ્થાન કરતાં વધારે આત્માઓ સિદ્ધ થયા છે. તેથી આ શિલાને સિદ્ધશીલા કહેવાય છે. અહીં લોક સંથારાની મુદ્રાએ (સાગારિક અનશન) ૧૦૮, ૨૭, ૨૧, ૧૨ લોગસ્સનો કાયોત્સર્ગ કરે છે. પૂર્વના મુનિઓની સ્મૃતિ અને રત્નના પ્રતિમાના દર્શનનો ભાવ રાખવો. ભાડવો ડુંગર : ચંદન તલાવડીથી આગળ જતાં થોડું ચડવાનું આવે. આ ભાડવો ડુંગર કહેવાય. એના પર ફા.સુ. ૧૩ના ધન્ય દિને સાડા આઠ ક્રોડ મુનિઓ સાથે શ્રીકૃષ્ણજીના પુત્રો શાંબ અને પ્રદ્યુમ્ન મોક્ષે ગયા છે. એની યાદમાં અત્રે બે દેરીઓ શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૪૨૦
•
Page #442
--------------------------------------------------------------------------
________________
છે. એકમાં આદિનાથ પ્રભુના ચરણ છે અને બીજી દેરીમાં શાંબ | પ્રદ્યુમ્નના બે પગલાની જોડ છે. ભારે વાયોલ્લાસપૂર્વક સ્તવના કરી અપાર કર્મની નિર્જરા કરવી.
એક વખત દ્વારકાનગરીમાં નેમનાથ પ્રભુ પધાર્યા ત્યારે શ્રીકૃષ્ણ દ્વારકાના નાશની વાત પૂછતા પ્રભુએ પાયનઋષિના નિયાણા વિષેની વાત કરી. પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય વાસિત બની શામ્બ, પ્રદ્યુમ્ન વિગેરે અનેક યાદવોએ દીક્ષા ગ્રહણ કરી. દ્વારિકાદહન કૃષ્ણના મૃત્યુની વાતો સાંભળી મુનિઓ ખૂબ તપ કરવા લાગ્યા. અનિત્યાદિ ભાવોની ભાવનામાં રમતા, વિચરતા વિચરતા શત્રુંજય તીર્થે પધાર્યા. શત્રુંજયના પાંચમા શિખર ભાડવાથી ખ્યાત થયેલા ડુંગરે બિરાજી અનશન સ્વીકાર્યું. આઠ ક્રોડ મુનિઓ સાથે મોક્ષે ગયા. સહુને “નમો સિદ્ધાણં.' બાજુમાં કલિનામક નામે કુંડ પણ છે. • સિદ્ધવડ : ભાડવા ડુંગરથી નીચે ઉતરતા એક વડ આવે છે. જેને સિદ્ધવડ કહેવાય છે. બીજા સ્થાનો કરતા વધારે આત્માઓ અહીંથી મોક્ષે ગયા છે. ત્યાં મોટી દેરીમાં પ્રભુ ઋષભદેવના પગલા છે. ત્યાં ચૈત્યવંદન કરવાનું હોય છે.
અહીં છ ગાઉની યાત્રા પૂર્ણ થાય છે. ફાગણ તેરસે બાજુના આંબાવાડીયામાં સાધર્મિક ભક્તિના પાલો ગોઠવાય છે. ભાવિકો ખૂબ ઉદારતાથી ભક્તિ કરે છે. ( છ ગાઉની યાત્રાની માફક દોઢ ગાઉં, ત્રણ ગાઉ, બાર ગાઉ, શત્રુંજી નદીમાં સ્નાન કરી યાત્રા કરવી. દાદાના દેરાસરને ૧૦૮ પ્રદક્ષિણા, ચોવિહાર છઠ્ઠ કરી સાત યાત્રા, સવારે યાત્રા કરી આયંબિલ કરી પુનઃ યાત્રા કરવી. દાદા પાસે ચોવિહાર પચ્ચખાણ લેવા પૂર્વકની યાત્રાઓ ભાવિકો હોંશથી કરે છે...
આ ગરવા ગિરિરાજની યાત્રા ઘણા મૌનપૂર્વક કરે છે. ઘણા જાપ કરી યાત્રા કરે છે. ઘણાં સ્તવનો લલકારતા યાત્રા કરે છે. ઘણાં પગથીયે ખમાસમણ આપી ધન્યતાપૂર્વક યાત્રા કરે છે. આ જાણ્યા પછી આપણે પણ ઊછળતા બહુમાને, પ્રણિધાન પૂર્વકની યાત્રા કરીશું.
તીર્થ સ્થાને કૃતં પાપ આ તીર્થમાં આવીને જે જીવો શીલનો ભંગ કરે છે, તેના પાપની શુદ્ધિ ક્યાંય થતી નથી. આવું પાપ કરનાર જીવ અધમથી પણ અધમ છે. આ તીર્થમાં સ્વસ્ત્રીનું સેવન કરવું એ પણ પાપ છે... તો પછી પરસ્ત્રીની તો વાત જ ક્યાં કરવી ?
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૨૧
Page #443
--------------------------------------------------------------------------
________________
શત્રુંજ્યનો પ્રભાવ
(પ્રાચીન-અર્વાચીન દૃષ્ટાંતો)
પોપટની કાયાપલટ દેદીપ્યમાન દેવ
(આ પ્રસંગ પૂ. ભાવવિજયજી મ. રચિત શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સર્ગ-૮માંથી ઉદ્ધરેલ છે.) ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં મહીધર નામે શ્રીમંત શેઠ હતા. તેમને શ્રીગુપ્ત નામનો પુત્ર હતો. લાડકોડમાં ઉછરતો પુત્ર ધીરેધીરે બગડ્યો અને સાતે વ્યસને પૂરો થયો. શેઠે પુત્રને ઘણી રીતે સમજાવ્યો, તો પણ પુત્ર વ્યસનો છોડતો નથી. એમાં પણ ચોરીનું વ્યસન વિશેષે કરીને લાગુ પડ્યું. તેથી શેઠ ઘણા દુ:ખી થતા હતા.
એક દિવસ શેઠને વિચાર આવ્યો કે, ‘ચોરી કરતાં જો પુત્ર પકડાઇ જશે તો માલમત્તા, જીવન અને આબરૂ બધામાં નુકશાન થશે. એના કરતાં હું સામેથી રાજાને કહીને પુત્રને સુધારવા માટે કાંઇક સહાય માંગી લઉં તો... એક પંથે બે કામ થાય. પુત્ર પણ સુધરી જાય અને આબરૂ વિગેરે પણ બચી જાય.'
આમ વિચારી શેઠ રાજા પાસે ગયા અને એકાંતમાં બધી વાત જણાવી. રાજાએ બધી રીતે સહાયતા કરવાની હૈયાધારણા આપી ને પોતાની યોજના સમજાવી. શેઠ પણ થોડા નિશ્ચિત થઇ ઘરે આવ્યા.
આ બાજુ, રાજાજીએ વ્યવસ્થિત ગોઠવણ કરી લીધી અને એક રાત્રે શ્રીગુપ્તને ચોરી કરતાં પકડ્યો. સરસામાન સાથે પકડાયો હોવાથી શ્રીગુપ્ત કાંઇ બોલી શક્યો નહિ. એને રાજાએ ચોરીનું વ્યસન છોડવા સમજાવ્યો. પણ ધારેલી અસર-પરિણામ ન દેખાતાં... રાજાએ શ્રીગુપ્તને દેશનિકાલની સજા કરી. શ્રીગુપ્ત ત્યાંથી ચાલી નીકળ્યો. ચાલતાં ચાલતાં ઘણે દૂર નીકળી ગયો. વનવગડામાં ફરતાં તેણે સ્વાધ્યાયનો મધુર ધ્વનિ સાંભળ્યો. તે તરફ નજર કરતાં એક મહાત્માને પ્રસન્ન મુદ્રામાં સ્વાધ્યાય કરતા જોયા. પરંતુ... શ્રીગુપ્તને વંદનાદિ કરવાની ઇચ્છા થઇ નહિ અને તે ત્યાંથી આગળ ચાલતો થયો. એટલામાં રાત પડી. તેથી તે એક વડલાના ઝાડ ઉપર ચડીને રાત્રિ પસાર કરવા લાગ્યો. ત્યાં એક પોપટ યુગલનો સંવાદ તેને સંભળાયો.
પોપટી : આજે તમે આટલા મોડા કેમ આવ્યા ?
પોપટ : આજે હું રેવા નદીના કિનારે ગયો હતો. ત્યાં પેટ ભરીને ચોખા ખાધા. તેથી ઉડવામાં અસમર્થ થયેલો હું વચ્ચે એક અશોકવૃક્ષ ઉપર બેઠો. તે વૃક્ષ નીચે એક મુનિ હતા. તેઓ વિદ્યાધરને બોધ આપી રહ્યા હતા. દેશનાને અંતે વિદ્યાધરે શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૪૨૨
-
Page #444
--------------------------------------------------------------------------
________________
પોતાના પૂર્વભવો પૂછયા. તે પણ મુનિએ યથાર્થ કહ્યા. તે સાંભળીને મને પણ મારા પૂર્વભવો સાંભળવાની ઇચ્છા થઈ એટલે હું પણ તે મુનિ પાસે ગયો. તેમના ચરણનો સ્પર્શ કરીને મારા પૂર્વભવો પૂછુયા.
મુનિ બોલ્યા : તું પૂર્વભવમાં શ્રાવસ્તી નગરીમાં ભવ્ય પરિણામી ગૃહસ્થ હતો. તે વખતે તે વૈરાગ્યથી સંયમ લીધેલું પણ નાની મોટી માયા કરીને વ્રતને દૂષિત કર્યું. આથી ત્યાંથી મરીને વ્યંતર દેવ થયો. ત્યાંથી ચ્યવીને પોપટ થયો છું.
પોપટ : હવે મારો પશુભાવથી છૂટકારો કેમ થાય ? તેનો ઉપાય કૃપા કરીને કહો.
મુનિ બોલ્યા : શત્રુંજય તીર્થની સ્પર્શનાથી તારું ઇષ્ટસિદ્ધ થશે. એ તીર્થે અનંતાનંત આત્માઓ મોક્ષે ગયા છે અને અનેક આત્માઓ પોતાના પાપ ધોઈને વિમલ થયા છે. એટલે એ વિમલગિરિ પણ કહેવાય છે. તું પણ ત્યાં જઈને તારા પાપ દૂર કરી નિર્મળ થા. ત્યાં શત્રુંજય ઉપર મૃત્યુ પામનાર આત્મા અવશ્ય સદ્ગતિ પામે છે.
પોપટ : હું પણ ત્યાં અનશન કરીશ. મુનિ : તારું મનવાંછિત સિદ્ધ થાઓ.
પોપટ પોપટીને કહે છે કે, “આ રીતે વાત સાંભળીને હું અહીં આવ્યો છું. મારા વડે તને અત્યાર સુધીમાં જે કાંઇ દુઃખ અપાયું હોય તેનું મિચ્છામિ દુક્કડમ્ દેવા જ હું અહીં આવ્યો છું અને અહીંથી હવે હું સીધો જ શત્રુંજય તીર્થે જઇશ.”
આ સાંભળીને, શ્રીગુપ્ત વિચારે છે કે, “આ પોપટ ધન્ય છે. એ જે મુનિની વાત કરે છે, એ મુનિને મેં પણ અહીં આવતાં જોયા હતા. પરંતુ મેં વંદન કર્યું નહી. આ પક્ષી છે તો ય તેણે મુનિને વંદનાદિ કર્યું. હું માનવ છું તો ય હું ધર્મ ચૂક્યો પણ... “ગત ન શોટ્સ' શોક દૂર કરી, હું કર્તવ્ય વિચારું.
હવે, આ “પોપટ જ મારો ગુરુ” એમ વિચારી શ્રીગુપ્ત એને કહ્યું, “પોપટ ! તું મારો ગુરુ છે. મારે શું કરવું મને કહે.” પોપટે મુનિ પાસે સાંભળેલ ધર્મ એને સંભળાવ્યો. ત્યાર પછી તે શત્રુંજયે ગયો.
આ બાજુ પુત્રના દુઃખથી દુઃખી થયેલ મહીધર શેઠ વેપારના બહાનાથી દેશાન્તર. ભમતાં તે વન પાસે આવ્યા. સવાર થતાં શ્રીગુપ્ત પણ ત્યાંથી નીકળ્યો. તેથી ત્યાં પિતા-પુત્રનું મિલન થયું. પુત્રને સુધરી ગયેલો જાણી પિતા ખૂબ ખુશ થયા. તેને લઇને નગરીમાં પાછા આવ્યા. રાજાને વાત કરી. રાજાએ પણ ખુશ થઈને ત્યાં રહેવાની રજા આપી.
શ્રીગુપ્ત હવે એવું સુંદર જીવન જીવવા લાગ્યો કે તે સર્વ સજ્જનોમાં શિરોમણિ કહેવાયો.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૨૩
Page #445
--------------------------------------------------------------------------
________________
એક વખત રાત્રે તેની પાસે કોઇક દેવ આવ્યો અને પૂછ્યું, “તારું ધર્મકાર્ય બરાબર થાય છે ને ?'
શ્રીગુણે જવાબ આપ્યો, ‘દેવગુરુ અને પોપટની કૃપાથી બરાબર થાય છે.” દેવે પૂછ્યું, “પોપટ કોણ ?'
શ્રીગુસે પોપટની ઓળખાણ આપતાં પોતાની આપવીતી કહી અને કહ્યું, “પોપટ જ મારો ખરો ઉપકારી ધર્મદાતા ગુરુ છે.'
આ સાંભળી ખુશ થયેલા દેવે કહ્યું, “તે જ હું પોપટ શત્રુંજય ઉપર અનશન કરી મૃત્યુ પામીને તીર્થના પ્રભાવે ત્રીજા દેવલોકમાં મહદ્ધિક દેવ થયો છું. તને ધર્મમાં સ્થિર કરવા અને ભવિષ્ય જણાવવા આવ્યો છું કે, “આજથી સાતમે દિવસે તારું મૃત્યુ થશે. તેથી બરાબર ધર્મ આરાધના કરજે.”
શ્રીગુપ્ત આ સાંભળીને સાવધાન થયો. સાતે ક્ષેત્રમાં ધન વાપરી, અનશન કરીને દેવલોકમાં દેવ થયો. અનુક્રમે મોક્ષે જશે. પોપટ પણ અનુક્રમે મોક્ષે જશે.
દેરાણી - જેઠાણી અને દાસી. મહામાત્ય શ્રીમાનું વસ્તુપાલ અને તેજપાલની બાંધવ બેલડીએ પોતાનાં ધર્મપત્ની શ્રીમતી લલિતાદેવી તથા શ્રીમતી અનુપમાદેવીને સાથે લઇને ગિરનાર તીર્થની યાત્રાએ પ્રસ્થાન કર્યું. સાથે બીજા સાત લાખ માનવોના સંઘે પણ મંત્રીશ્વર સાથે ગિરનાર તીર્થની યાત્રાએ પ્રસ્થાન કર્યું. થોડો સમય બાદ સકલ શ્રીસંઘ આબાલબ્રહ્મચારી દેવાધિદેવ શ્રી નેમિનાથ પ્રભુના ચરણારવિંદમાં પહોંચી ગયો.
- પ્રવેશને દિવસે મહાદેવી અનુપમાનાં શરીર પર કુલ બત્રીસ લાખ સોનામહોરના દાગીના શોભી રહ્યા હતા. જિનપૂજા કરતાં કરતાં અનુપમાના અંતરમાં પ્રભુ પ્રત્યે એવા ભાવો જાગ્યા કે એકીધડાકે શરીરના સર્વ અલંકારો ઉતારી દઈ જલ વડે તેને શુદ્ધ કરી ભગવાનનાં ખોળે ધરી દીધા. તે જ સમયે એક કરોડ પુષ્પોથી પરમાત્માની પૂજા કરીને બહાર નીકળેલા શ્રીમાન્ તેજપાલે આવી ભક્તિથી ખુશ થઈ બત્રીસ લાખ સોનામહોર ખર્ચીને અનુપમાને બધા જ અલંકારો નવા ઘડાવી આપવાનું વચન આપ્યું. ટૂંક સમયમાં જ સર્વ અલંકારો ઘડાવી આપ્યા. સાવ નિરાલંકાર બનેલાં અનુપમા પુનઃ સાલંકાર બનીને શોભવા લાગ્યા.
ગિરનારની યાત્રા પૂર્ણ કરીને સહુ યુગાદિદેવ ભગવાન શ્રી આદિનાથના દર્શન કરવા શત્રુંજય તરફ ચાલી નીકળ્યા. ગ્રામાનુગ્રામ પાદવિહાર કરતાં કરતાં એક દિવસે સહુ પાલીતાણા નગરમાં આવી પહોંચ્યા. પ્રભાતે ગિરિરાજ પર આરોહણ કર્યું. સહુએ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૨૪
Page #446
--------------------------------------------------------------------------
________________
સ્નાન કરીને પૂજનદ્રવ્યોના થાળ હાથમાં લીધા. સહુ રંગમંડપમાં આવી પહોંચ્યા. જ્યારે પૂજાનો સમય થયો ત્યારે મહાદેવી અનુપમાનું અંતર ઝાલ્યું રહી ન શક્યું. પ્રભુ! ઓ પ્રભુ ! નાથ ! ઓ નાથ ! કહે તો ખરો કે તારાથી આ દુનિયામાં શું વધારે છે ? મારા વ્હાલા ! તું જ મારા માટે સર્વસ્વ છે ! મારું જે કાંઇ છે તે તારું જ છે. અનુપમા આવું કશુંક બોલતા ગયાં અને ધડાધડ ગળાના હાર, સોનાની ચેઇનો, લોકેટો, એરીંગો, બંગડીઓ, સોનાનાં પાટલા, કડા-કુંડલ, છડા, અછોડા અને સોનાની કટીમેખલા ઉતારવા લાગ્યા. ક્ષણવારમાં બત્રીસ લાખ સોનામહોરનાં એ નવા દાગીના પણ પ્રભુનાં ચરણોમાં સમર્પિત કરી દીધાં.
સગી દેરાણીનો આ ભક્તિભાવ જોઇને પેલી જેઠાણી લલિતાદેવીનું દિલ પણ દ્રવી ઊર્યું અને એણે પણ દાગીના ઉતારવા માંડ્યા. જોતજોતામાં તેણીએ પણ બત્રીસ લાખ સોનામહોરનાં દાગીના પ્રભુચરણે સમર્પિત કર્યા. દેરાણી-જેઠાણીએ કરેલી આ આભૂષણપૂજાને જોઈ રહેલી પેલી ઘરની દાસી ! નામ જેનું શોભના ! આ શોભનાનું શરીર પણ એક લાખ સોનામહોરના દાગીનાથી શોભી રહ્યું હતું. પ્રભુભક્તિની રમઝટ જોઇને તેનું પણ અંતર પીગળી ઉઠ્યું અને એ બોલી ઉઠી, રે ! શેઠાણીઓ ! તમને ઘરેણાંની નથી પડી તો મારે પણ આ ઘરેણાં નથી ખપતાં. ખોળો ભરીને ઘરેણાં તેણે પ્રભુચરણે સમર્પિત કર્યા.
મંદિરના એક ખૂણે ઉભા રહીને આ ભક્તિ જોઇ રહેલા પેલા ધાઈદેવશ્રાવક જેઓ દેવગિરિથી જાત્રાએ આવ્યા છે. અલંકારપૂજાની આ હરીફાઇ જોઇને તેમનાથી પણ રહેવાયું નહિ અને તેમણે પણ હીરા, મોતી, માણેક, પરવાલા અને સોનાનાં ફૂલો જે કંઇ પાસે હતું તેના વડે પ્રભુની આંગી રચી અને પછી નવ લાખ ચંપાના ફૂલોથી પ્રભુની પુષ્પ-પૂજા કરી !
વાહ ! અનુપમા ! વાહ ! શાબાશ ! ધન્ય છે તને ! તું ઘરેણાં ઉતારી પણ શકે અને બીજાનાં ઉતરાવી પણ શકે ! વાહ ! લલિતાદેવી ! વાહ ! દેરાણીનાં પગલે ચાલીને તમે પણ કમાલ કરી નાખી ! ઓ દાસી શોભના ! તારા દિલને પણ નમસ્કાર છે ! તારું આ સમર્પણ સદા સ્મરણમાં રહેશે.
ઓ મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલ ! તમને પણ ધન્ય છે હોં ! પ્રિયતમાઓ લાખોનાં ઘરેણાં ન્યોછાવર કરે તોય તમે તેમને ધધડાવો નહિ, છણકો કરો નહિ, મોં મચકોડો નહિ અને ઉલ્ટા આનંદ પામો. પ્રભુ હૈયે ન વસ્યા હોય તો આવી ઉદારતા તમારા હૈયે આવે પણ ક્યાંથી ! વંદન અને નમન છે તમારા સહુના એ ભક્તિભર્યા હૃદયોને ! અને દિલાવર દિલોને !
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૨૫
Page #447
--------------------------------------------------------------------------
________________
(અનુપમા, લલિતા અને શોભનાએ જેટલી કિંમતના અલંકારો ભગવાનને ચડાવી દીધા તેથી સવાઇ કિંમતના ઘરેણાં વસ્તુપાલ મંત્રીએ સહુને પુનઃ ઘડાવી આપ્યાં.) ટીલાના હાથે સંઘમાળ !
(આ પ્રસંગ પ.પૂ. દેવરત્નસાગરજી મ.ના ‘જય શત્રુંજય' પુસ્તકમાંથી લીધેલ છે.)
ટીમાણાનો ટીલો. વસ્તુપાળ સંઘ લઇને ગિરિરાજ આવ્યા છે. સંઘમાં હજારો યાત્રિકો છે. આજે સંઘમાળનો દિવસ છે. ગામેગામના સંઘો ઉમટ્યા છે. ટીલો પણ એક ખૂણામાં આવીને ઉભો રહી ગયો છે. એના મનમાં ભાવના ભાવી રહ્યો છે... આવો સંઘ હું ક્યારે કાઢીશ ? વસ્તુપાલ જેવી મારી તાકાત નથી કે હું સંઘ કાઢું. પણ એક વાત છે, સંઘમાળનો લાભ જો મને મળી જાય તોય હું ભાગ્યશાળી બની જાઉં. સંઘમાળનો ચડાવો શરૂ થયો... ૨૪ લાખ દ્રમ્પ ! ટીલો તો ચૂપ જ થઇ ગયો. વસ્તુપાળે શરૂ કરેલો આ ચડાવો વધતો જ ગયો. ટીલાની એવી તાકાત ન હતી કે તે આટલો મોટો ચડાવો બોલી શકે. છતાં લાભ ન મળ્યાનો ખેદ ટીલાના મુખ પર વરતાતો હતો. સાથે ટીલાનો હાથ પણ થોડી થોડી વારે ખીસ્સામાં જાય અને બહાર આવે... અને આ દશ્ય વસ્તુપાલની નજરથી છૂપું ન રહ્યું.
સંઘમાળના ચડાવા પૂરા થઇ ગયા પછી વસ્તુપાલે ટીલાને બોલાવીને એના હૈયાની ભાવના જાણી લીધી અને પછી ઉદાર મનના થઇ એમણે સૌને કહ્યું : સંઘમાળનું પરિધાન ટીમાણા ગામનો ટીલો ક૨શે. આખી સભા સ્તબ્ધ બની ગઇ. ચડાવો વસ્તુપાળે લીધો છે, સંઘમાળા પહેરવાના અધિકારી મંત્રીશ્વર છે, ટીલાના તો કપડાંના ય ઠેકાણાં નથી, એણે વળી કેટલા દ્રમ આપ્યા છે ?... વગેરે ગણગણાટ શરૂ થઇ ગયો. વસ્તુપાળે સહુને શાંત પાડીને કહ્યું. મેં સંઘમાળના ચડાવામાં આપી આપી કશું આપ્યું નથી, જ્યારે ટીલાએ એનું સર્વસ્વ આપી દીધું છે. મેં જેટલા દ્રમ આપ્યાં છે તેથી કંઇ ગણા વધુ દ્રમ તો હજી મારી તિજોરીમાં પડ્યાં છે. માટે સંઘમાળ પહે૨વાનો અધિકાર મારો નહિ પણ ટીલાનો છે.
આજના સુકૃતની અનુમોદના કરતો ટીલો ઘરે પહોંચે છે. રણચંડી જેવી પત્ની ઘરના આંગણે વાટ જોતી ઉભી હોય છે. ખાલી હાથે આવેલા પતિને જોઇને ન સંભળાવવાનું સંભળાવે છે. ઘરમાં બાંધેલા ઢોર પોતાના માલિકને જોઇને રાજીના રેડ થઇ જાય છે. કૂદાકૂદ કરે છે. દોરડું બાંધેલ ખીલો બહાર આવી જતા સોનામહોરથી ભરેલો ચરુ બહાર આવે છે. ટીલો તો આભો જ બની ગયો. પત્નીને બોલાવીને વાત કરે છે. પત્ની પણ ચકિત થઇ જાય છે. ધર્મનો પ્રભાવ જોઇ પત્નીનો
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૪૨૬
Page #448
--------------------------------------------------------------------------
________________
સ્વભાવ પણ બદલાઈ જાય છે. ટીલાને એક સાથે બે ચમત્કાર થઈ ગયા. ટીલો સંઘમાળની બોલીના પૈસા આપવા જતા મંત્રીશ્વરે ના પાડી. ટીલાની હૃદયપૂર્વક ભાવનાની અનુમોદના કરી.
તીર્થની આશાતના બંધ થઇ... / વિ.સં. ૧૯૬૦ની આ વાત છે. પાલિતાણા રાજયને પવિત્ર ગિરિરાજ શ્રી શત્રુંજય તીર્થના મુદ્દે જૈન સંઘ સાથે વાંકું પડ્યું હતું. રાજયના કઠોર રાજા માનસિંહજીએ જૈનોને દુભાવવા માટે એક નવી પ્રવૃત્તિ આરંભી : તે પોતે ગિરિરાજની યાત્રા કરવાના નામે પહાડ ઉપર ચડતા અને ઉપર ગયા પછી પગમાંથી બૂટ કાઢ્યા | વિના તેમજ મોંમા સળગતી બીડી રાખીને તે પીતાં પીતાં તેઓ દાદાના દરબારમાં દર્શન કરવા જાય. આવું તેઓ અવારનવાર કરવા માંડ્યા. આથી જૈનોની લાગણી ખૂબ દુભાઇ. સંઘ, શ્રમણ પૂજયોએ, પેઢીએ રાજાને આમ કરતાં અટકાવવા માટે ઘણી મહેનત કરી, પણ વ્યર્થ.
તે વખતે પંન્યાસ પદવીધર એવા સૂરિસમ્રાટ શ્રી નેમિસૂરિદાદા એ જ અરસામાં અમદાવાદથી શેઠ વાડીલાલ જેઠાલાલનો છરી પાલક સંઘ લઈને ત્યાં પધારેલા. સાથે પૂ. આનંદસાગરજી, પૂ. મણિવિજયજી વગેરે પણ હતા. પૂજયશ્રીએ પણ બહુ પ્રયત્ન કરી જોયા પણ રાજા ન માન્યા. છેવટે પૂજયશ્રીની સલાહ તથા દોરવણી અનુસાર આ મુદ્દે રાજકોટના પોલિટિકલ એજન્ટની કચેરીમાં ફરિયાદ કરવામાં આવી.
આથી તો દરબાર ઓર ગુસ્સે ભરાયા. તેમણે ગામના મુસ્લિમોને આદેશ કર્યો કે તમે ડુંગર ઉપરના ઈંગારશાપીરના સ્થાપક (દરગાહ) સમક્ષ એક છાપરું (ઓરડા જેવું) બંધાવો. રાજય તમને બધી મદદ કરશે અને સાથે જાહેર કર્યું કે ત્યાં હું બકરાનો વધ કરીશ અને તેનું લોહી ભગવાન આદિનાથ ઉપર છાંટીશ.
- હાહાકાર મચી ગયો. તત્કાળ પાલિતાણામાં સંઘ ભેગો થયો. પૂજયશ્રીની નિશ્રામાં આ મુદ્દે ઘણો ઊહાપોહ થયો. અજીમગંજના બાબુસાહેબ છત્રપતિસિંહજીએ
ત્યાં જાહેર કર્યું કે આવું કાંઈ બને તે પહેલાં હું ઠાકોરને ભરસભામાં ઉડાવી દઇશ; પણ મહાતીર્થની આશાતના નહિ થવા દઉં. પછી ભલે મારું જે થવાનું હોય તે થાય. | મુનિ મણિવિજયજી (સાગરજી મ.ના ભાઇ) તથા ઋદ્ધિવિજયજી વિગેરે મુનિવરો પણ તીર્થરક્ષા ખાતર પ્રાણ સમર્પણ કરવા તત્પર થઇ ગયા. ચતુર્વિધ સંઘમાં તીર્થભક્તિનું અદ્દભૂત વાતાવરણ ઊભું થયું. પણ પૂજ્યશ્રીએ તરત દોર હાથમાં
વા
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૨૭
Page #449
--------------------------------------------------------------------------
________________
લઈ લીધો. રાજ સાથે સંબંધો બગાડવાનું જૈનોને પાલવે તેમ નહોતું. કુનેહથી અને કાયદેસર વર્તવામાં જ સૌની સલામતી પણ હતી.
તેઓએ સૌપ્રથમ અમુક સમુદાયને પાલિતાણા રાજની હદની બહાર મોકલી આપ્યો. પછી ભાઈચંદભાઈ નામે એક બાહોશ ગૃહસ્થને આ મામલો કેવી રીતે પતાવી દેવો તે અંગે માર્ગદર્શન આપ્યું અને કામ સોંપ્યું. તે ગૃહસ્થ રાજ તરફથી આ અંગે જાહેર થયેલ આદેશો વગેરેની નકલો વિધિસર રીતે મેળવી લીધી. પછી એમણે ચુસ્તપણે આયર કોમના આગેવાનોની સાથે બેઠક કરીને તેમનો “માલ” (બકરાં) વગર કારણે રાજ પડાવી લઇને કાયમ હત્યા કરશે અને તેમનો “માલ” મફતમાં જશે, તેથી તેમની આજીવિકા નષ્ટ થશે અને ઘોર હિંસાનું પાપ પણ લાગશે, એ વાત વિસ્તારથી તેમને સમજાવી ઉશ્કેરી મૂક્યા.
ઉશ્કેરાયેલા આયરોએ રાતોરાત ઇંગારશા પીરના થાનકે બંધાનારી છાપરીનો સામાન વગે કરી નાંખ્યો અને પોતાનો “માલ” ક્યાંયથી ઠાકોરના માણસોને ન મળે તેવો પ્રબંધ પણ ગોઠવી દીધો.
અને એ દરમિયાન જ રાજકોટની કચેરીમાં આણંદજી કલ્યાણજીની પેઢીની તરફેણ કરતો ચુકાદો આવ્યો, જેમાં તીર્થની આશાતના બંધ કરવાનો રાજા માનસિંહને હુકમ કરવામાં આવેલો. જૈનોએ તે દિવસને મહાન પર્વદિન તરીકે મનાવ્યો. ઇતિહાસમાં આ પ્રકરણ “બૂટ-બીડી-કેસ' તરીકે ઓળખાયું છે.
વિરતિની શૂરવીરતા એનું નામ વિરતિ. થેલેસેમીયા નામના રોગના કારણે સાડા છ વરસની ઉંમરે એ ગુજરી ગઈ.
બે કે અઢી વર્ષની ઉંમરમાં એને આ રોગ લાગુ પડી ગયેલો. પૂર્વભવના સુંદર સંસ્કાર લઈને આવી હતી. સાથે આ ભવમાં ધર્મિષ્ઠ માતા મળી હતી. દીકરીને વળગેલો રોગ ક્યારે દીકરીને ઉપાડી જાય એ નિશ્ચિત નતું. જીવે તો વીશ વરસ પણ જીવે, નહિતો ૨/૪ મહિનામાં પણ આયુષ્ય પૂર્ણ થઈ જાય.
આવી પરિસ્થિતિમાં જરા પણ હતાશ થયા વગર પોતાની એકની એક દીકરીનું જીવન અત્યંત ધર્મનિષ્ઠ બનાવી દેવા માએ કમ્મર કસી. મારી કૂખે આવેલું સંતાન આ ભવમાં ચારિત્રના માર્ગે જાય તો બહુ સરસ. ન જાય તો પરલોકમાં દુર્ગતિમાં તો ન જ જવું જોઇએ એવી ગણતરી એ માતાના મનમાં હતી.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૨૮
Page #450
--------------------------------------------------------------------------
________________
તેણીએ પોતાની દીકરીને ઉકાળેલું પાણી પીવાનું ચાલુ કરાવ્યું. રાત્રિભોજનનો સદંતર ત્યાગ કરાવ્યો. પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા ચાલુ કરાવી. રોજનું એક સામાયિક શરૂ કરાવ્યું. સામાયિકમાં બે પ્રતિક્રમણ મોઢે કરાવ્યા.
આ સંસ્કારો એ દીકરીના જીવનમાં એટલા ઊંડા ઉતરી ગયા કે ક્યારેક એના પપ્પા | મમ્મી સાથે એને મહાબળેશ્વર કે માથેરાન જવાનું થયું તો ત્યાં પણ પરમાત્માના દર્શન કર્યા વિના એણે મોંમાં પાણી ન'તું નાખ્યું. આખા ઘરમાં બધા આઇસ્ક્રીમ ખાતા હોય તો પણ એનું મન ક્યારેય લલચાયું ન'તું. પરમાત્માની પૂજામાં એને એટલો આનંદ આવતો કે ન પૂછો વાત. એના માટે સ્પેશ્યલ ચાંદીના ઉપકરણો વસાવી આપેલા. વાંચતા ન'તું આવડતું તોય મમ્મી પાસે સાંભળી સાંભળીને બે પ્રતિક્રમણ પૂરા કરેલા અને સકલાર્વત ચાલુ કરી દીધેલું.
અઢી વર્ષે જ્યારે તે માંદી પડેલી અને તેને ડૉકટર પાસે લઈ ગયેલા ત્યારે સખત માંદગી વચ્ચે પણ સામે ભગવાનનો ફોટો રખાવી અરિહંત-અરિહંતનું જ રટણ કરતી હતી. શરૂઆતમાં રોજ, પાછળથી દર અઠવાડિયે બ્લડનું ડાયાલિસીસ કરાવવું પડતું અને આ રોગ ઉથલો ન મારે એટલે રોજ એક ઈન્જકશન લેવું પડતું. આ ઇજેકશન છ કલાક સુધી ચાલતું. આ બધી પીડા વચ્ચે પણ તે ક્યારે ઉંહકારો સુદ્ધા ન કરતી.
એ જ્યારે સાડા છ વરસની થઈ ત્યારે તેના ફેબાની દીક્ષા થઈ. ફૈબાની દીક્ષામાં તે પણ ફૈબાની જેમ નાચી અને ફૈબા મહારાજને એણે કહ્યું : “તમે તો ચારિત્ર લીધું, હવે મને પણ વિરતિ અપાવજો. મારું નામ વિરતિ છે તો મારે તો વિરતિ લેવી જ જોઇએ ને.'
ફેબાની દીક્ષા પછી થોડા જ દિવસોમાં એની તબિયત બગડી. ધીમે ધીમે શરીર વધુ કથળતું ગયું. આની વચ્ચે પણ એના નિયમોનું તે ચુસ્તપણે પાલન કરતી. એક દિવસ તો એટલી બધી તબિયત લથડી.. એને પાલની નાણાંવટી હોસ્પીટલમાં એડમીટ કરવી પડી. ડૉકટરોએ બધુંજ તપાસીને અંતે કહી દીધું કે “આ કેસ હવે ફેઇલ છે. દર્દી સીરીયસ છે. તમારે એને જેટલા ભગવાનના નામ સંભળાવવા હોય એટલા સંભળાવી દો.' | ડૉકટરની આ વાત સાંભળીને એની મમ્મીએ જરા પણ ગભરાયા વગર એને અંતિમ આરાધના શરૂ કરાવી. પુણ્યપ્રકાશનું સ્તવન સંભળાવ્યું. અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મનું શરણું લેવડાવ્યું. દુષ્કૃતની ગહ કરાવી, સુકૃતની અનુમોદના કરાવી, વ્રત-પચ્ચકખાણો આપ્યા.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૨૯
Page #451
--------------------------------------------------------------------------
________________
બીજા દિવસની સવાર પડી. વિરતિને ભગવાન યાદ આવતા, પ્રભુની પૂજા યાદ આવતી. એની મમ્મીએ કહ્યું : “ચાલ, વિરતિ ! આજે હું તને શત્રુંજયની યાત્રા કરાવું.' હોસ્પીટલના જે રૂમમાં તેનો ખાટલો હતો, તેની સામે સરસ મજાનો શેત્રુંજય તીર્થનો લેમીનેશન ફોટો મૂકાવાયો. વિરતિએ સૂતા સૂતા સવારે આઠ વાગે તળેટીથી ભાયાત્રા શરૂ કરી.
ભાવયાત્રા શરૂ કરતા પહેલા એની મમ્મીએ પૂછ્યું: ‘વિરતિ ! તું જાત્રા ચાલીને કરીશ કે ડોળીમાં બેસીને ?' વિરતિએ હસતા હસતા કહ્યું : “મમ્મી ! તને ખબર છે ને હમણા હું માંદી છું... એટલે ચાલીને કરીશ તો બહુ થાકી જઇશ, માટે મારા માટે ડોળી કરાવ.'
વિરતિએ ડોળીમાં બેસીને ભાવયાત્રા શરૂ કરી. એની મમ્મી વચ્ચે જેટલા પગલા, દેરીઓ આવતી ગઈ ત્યાં એને દર્શન કરાવતી. નવટૂંકના દર્શન કરાવ્યા. છેલ્લે દાદાની ટૂંકમાં આવ્યા. યુગાદિદેવના દર્શન થતાં વિરતિ નાચી ઉઠી. ખૂબ ભાવપૂર્વક દર્શન કર્યા. ચૈત્યવંદન કર્યું. પૂરા બે કલાક જાત્રા કરીને તે નીચે ઉતરી. યાત્રાનો અદ્દભૂત આનંદ તેના મુખ પર તરવરી રહ્યો હતો.
દશ વાગ્યાનો સમય થયો. વિરતિના સ્વાગ્યે ગંભીર સ્વરૂપ લીધું. એની નસો તણાવા લાગી. આંખો ખેંચાવા લાગી. બધા જ સમજી ગયા. આ વિરતિની છેલ્લી ક્ષણો છે. પરિવારજનોએ નવકારનું રટણ ચાલુ કરી દીધું. જિંદગીના અભ્યાસમાં પાર પામી ગયેલી દીકરી મોતની પરીક્ષામાં ક્યાંક નાપાસ ન થઈ જાય એ વિચારે કાળજા પર પથ્થર મૂકીને, આંખમાં આંસુનું એક પણ ટીપું લાવ્યા વગર વિરતિની મમ્મીએ વિરતિને કહ્યું : “બેટા ! હવે તારે ભગવાનના ઘરે જવાનું છે. માટે જરા પણ તું રડતી નહિ.”
માની વાતનો વિરતિએ જે જવાબ આપ્યો છે તે આપણી આંખ ઉઘાડી દે તેવો છે. વિરતિએ કહ્યું : “મમ્મી ! હું તો નહિ રડું, પણ મારા ગયા પછી તું પણ નહિ રડતી.”
મા-દીકરી તો રડ્યા નહિ, પણ એમના મોઢેથી બોલાયેલો આ ડાયલોગ આપણી આંખને ભીની કરાવી દે તેવો છે. ગણતરીની ક્ષણોમાં સહુના મોઢેથી નવકાર સાંભળતી સાંભળતી વિરતિ પરલોકમાં ચાલી ગઈ. પણ જૈન સંઘમાં એક આદર્શ દૃષ્ટાંત મૂકતી ગઈ છે. માતા-પિતા જો નાનપણથી જ આવા સારા સંસ્કારો પોતાના બાળકોમાં રેડે તો આજે પણ આવી એક નહિ અનેક વિરતિ જૈનશાસનને પ્રાપ્ત થઈ શકે.
માહામ્ય સાર ૪૩૦
Page #452
--------------------------------------------------------------------------
________________
શત્રુંજ્યના દાદાની વિવિધ પૂજાઓ.
(વર્તમાનમાં બનેલા પ્રસંગો, “ચાલો જિનાલયે જઇએ'ના આધારે.) હાં... આજે પણ જયવંતો છે... દાદા ! તારા પ્રત્યેનો ભક્તિભાવ...!
| શત્રુંજયના દાદાની ચંદનપૂજા શત્રુંજય ગિરિરાજનો અને આદિનાથ દાદાનો એવો આગવો પ્રભાવ છે કે દૂર દૂરથી અહીં ભાવિકો યાત્રા કરવા આવે છે. આવે છે એટલું જ નહિ વિવિધ ભાવનાઓ લાવે છે.
એક વખત એક યુવાન મુંબઇથી યાત્રા કરવા આવેલો. પોતાની સાથે રૂા. ૨૦૦૦/-નું કેસર પણ લાવેલો અને એ બધું જ કેસર દાદાની ભક્તિમાં વાપરવાની ભાવના સાથે ઉપર ચડ્યો.
હૈયામાં સંકલ્પ કરેલો કે, “આજે જેટલા ભાવિકો પરમાત્માની પૂજા કરે તે બધાની વાટકીમાં મારું કેસર હોવું જોઇએ...' તો શું કરવું ?
જ્યાં જયાં પૂજારીજી કેસર ઘસતા હતા ત્યાં ત્યાં જાતે જઇને પોતાનું કેસર નાંખી દીધું. ઉપરાંતમાં બધાને ૧૦૦/- - ૧૦૦/- રૂા.ની નોટ બક્ષીસ આપી અને કહ્યું, આજે મારું કેસર પણ ભેગું લસોટી નાંખજો.' લાલ ચટાક ચંદન તૈયાર થયું. ભાવિકો વાટકીઓ ભરીને ફૂલની થાળી લઈને પૂજાની લાઈનમાં બેઠા. બધાના હાથમાં ચટાકેદાર કેસર જોઈ યુવાન નાચી ઉઠ્યો... એનું અંતર આનંદથી ઝૂમી ઉઠ્યું. તે દિવસે આદીશ્વર દાદાનો દેદાર પણ જાણે સાક્ષાત્ કેશરીયા દાદા જેવો થયો. આવી ચંદનપૂજા ગિરિરાજ ઉપર ઘણીવાર થાય છે. હવે પુષ્પપૂજાની વાત જાણીએ.
શત્રુંજયના દાદાની પુષ્પપૂજા ફૂલમાં મુખ્ય બે ગુણ સુગંધ અને કોમળતા. આપણા જીવનમાં આ બંને ગુણની ખૂબ જ આવશ્યકતા છે. સગુણોની સુવાસ અને હૈયાની કુણાશથી આત્મા મોક્ષમાર્ગમાં ખૂબ ઝડપથી આગળ વધે છે.
આવી સમજણ અને ભાવનાથી એક યુવાન ગિરિરાજ ઉપર આવેલો. ગિરિરાજના દર્શનનો વિચાર કર્યો ત્યારથી હૈયામાં ભાવના ભાવેલી કે, “આ વખતે મારા દાદાને ફૂલોથી મઠી લેવા છે. એટલે ઉપર આવતાંની સાથે ત્યાં બેઠેલા બધા
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૩૧
Page #453
--------------------------------------------------------------------------
________________
જ માળીના ફૂલ મોં માગ્યા પૈસાથી ખરીદી લઇને દાદાની સન્મુખ જાય. ભાવપૂર્વક પરમાત્માની પુષ્પપૂજા કરી... પરમાત્માની સાથેનો પોતાનો પ્રેમાળ સંબંધ દઢ બનાવે.
પ્રિયતમાને પુષ્પ અર્પણ કરી ખુશ કરનારાઓ આ દુનિયામાં ઘણા છે. પરમાત્માને પુષ્પોથી મઢી દેનારા આવા કોઇક વિરલા જ છે.
આ રીતે પરમાત્માની સાથે પ્રીતિ બાંધનારા આ યુવાને ખીલતી યુવાનીમાં એકાસણા સહિત ગિરિરાજની નવ્વાણુ યાત્રા બધી જ વિધિપૂર્વક કરી છે. પુષ્પપૂજા કરતાં કરતાં આ યુવાનના સાડા ત્રણ કરોડ રોમાંચ વિકસ્વર થાય છે. આવી પુષ્પપૂજા જાણીને જીવનમાં માણીશું ને ?
| શત્રુંજયના દાદાને દૂધ સમર્પણ પરમાત્માનો અભિષેક કરતી વખતે કળશમાં મુખ્ય દ્રવ્ય હોય છે... દૂધ...!
અષ્ટપ્રકારી પૂજામાં સૌથી પહેલી પૂજા જળપૂજા છે. આ જળપૂજા કરતાં પહેલાં અભિષેક કરવાનો છે પંચામૃતથી. એટલે દૂધમાં સહેજ દહીં, ઘી, સાકર અને પાણી નાંખવાનું - આને પંચામૃત કહેવાય.
ઇન્દ્ર મહારાજા પરમાત્માના જન્માભિષેક વખતે ક્ષીરસમુદ્રના નીર આદિ ઉત્તમ જલથી અભિષેક કરે છે. એવું જ આ ઉત્તમ દ્રવ્ય છે અને દેવાત્મા જેવા દિવ્યભાવથી અભિષેક કરવાનો હોય છે. આવું જાણવા મળતાં એક ભાવિકને ભાવ જાગ્યો કે મારે દરરોજ વિશિષ્ટ ભાવથી પરમાત્માનો અભિષેક કરવો. પોતાના ઘર દેરાસરમાં આ ભાવ સાર્થક કરતાં કરતાં વિચાર આવ્યો કે શત્રુંજય ગિરિરાજના દાદા આદિનાથના અભિષેકનો લાભ લઉં.
ભાવના સફળ કરવા એ આત્મા આવી પહોંચ્યો ગિરિરાજ ઉપર. પણ... ખાલી હાથે નહિ... પૂરું ૨૦ લીટરનું દૂધનું કેન લઈને...! દાદાના અભિષેક પહેલાં ઉપર આવી ગયો અને પ્રક્ષાલ માટેની તૈયારી થઈ એટલે.. ધગ ધગ... અવાજ કરતું દૂધનું કેન... કોઠીમાં ઠલવાયું... ચડાવો લેનારે પરમાત્માનો પ્રક્ષાલ કર્યો... જાણે કે પ્યોર ક્ષીરસાગરનું પાણી...! પ્રભુભક્તિથી દ્રવ્ય-ભાવ બંને મેલ ધોવાયા...! હવે જોઇએ દૂધપછી ઘીનું અર્પણ...!
શત્રુંજયના દાદાને ધૃત (ઘી) અર્પણ સુગંધથી પણ તરબતર થઇ જવાય એવું ચોખ્ખું ગાયનું ઘી. એ પણ જાતે બનાવેલું, ઘરની ગાયોનું...!
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૩૨
Page #454
--------------------------------------------------------------------------
________________
હા... એક ભાઇ રાજસ્થાનના વતની... પૂર્વ સંસ્કૃતિના પ્રેમી. તેથી ઘરમાં ગાયો રાખી હતી. જયારે જયારે સિદ્ધાચલજી મહાતીર્થની યાત્રા કરવાની ભાવના થાય ત્યારે પોતાના ઘરની ગાયોનાં ચોખ્ખા દૂધ, દહીંમાંથી માખણ ઉતારીને ચોખ્ખું ઘી પા કે અડધો કિલો નહિ... આખી બરણી ભરીને તૈયાર કરે અને... એ બરણી દાદાની યાત્રાએ આવે ત્યારે સાથે લાવે. ઘીની ધારાની જેમ એના હૈયાની ભાવધારા પણ આગળ વધતી જાય અને દાદાના દર્શન કરતાં કરતાં આનંદવિભોર બનેલું હૈયું.. જાણે કે પ્રભુના ચરણે ભાવધારાનો પ્રક્ષાલ કરે તેમ પ્રભુના દરબારમાં દેદીપ્યમાન દીપતા અખંડ દીપકની અંદર શુદ્ધ - સુગંધી ઘીની બરણી ઠલવાય.
હૈયામાંના શબ્દો હોઠ દ્વારા બહાર સરી પડે કે..
પ્રભુ ! હું તારા મંદિરમાં અજવાળું કરું છું. તું મારા હૃદયમંદિરમાં કૈવલ્યનું અજવાળું પાથર !'
ઘી જેવું ઉત્તમ દ્રવ્ય અને સાથે ઉત્તમોત્તમ ભાવ ! સંસાર ચક્રમાંથી છૂટકારો થવાને ન લાગે હવે વાર...!
| શત્રુંજયના દાદાને સવામણનો સાથીયો ભાવુક હૃદય અવનવા ભાવ અનુભવે છે. એક ભાવિકને વિચાર આવ્યો કે... ચપટી ચોખાથી સાથીયો તો આખી દુનિયા કરે છે. મારે ક્યાં ખોટ છે કે હું ચપટી ચોખાનો સાથીયો કરું ? મારે તો સવામણનો સાથીયો કરવો છે.' બસ... વિચાર આવ્યો ને અમલ શરૂ કર્યો.
દાદાની યાત્રાએ જતાં નીચેથી ચોખાની ગુણો મજૂરો પાસે લેવડાવી. મજૂરોને મોં માગ્યા રૂપિયા આપ્યા. ઉપર આવીને અભૂત પ્રભુભક્તિ કરી... દ્રવ્યપૂજા પૂર્ણ થયા પછી ભાવપૂજાનો અવસર આવ્યો એટલે પેલી ચોખાની ગુણો નજીક લીધી. એક ચાદર પાથરીને એની ઉપર ઢગલો કર્યો. કલમી ચોખા...! સવા મણ...! પાટલા ઉપર તો સમાય નહિ, માટે ચાદર લીધી હતી. એ ઢગલાને સાથીયા આકારમાં ફેરવ્યો. જોઇને દિલ ઠર્યું. એ ભાવુક હૃદય નાચી ઉઠ્યું. શબ્દો સરી પડ્યા...
“હે પરમાત્મન્ ! આ અખંડ અક્ષતનો સ્વસ્તિક આલેખીને ક્યારેય નાશ ન પામે તેવું સિદ્ધશિલાનું પરમધામ મને પ્રાપ્ત થાય એવી હું પ્રાર્થના કરું છું.”
Jશત્રુંજયના દાદાને ફળ-નૈવેધ કેવા ? ચૈત્રી પૂનમનો દિવસ...! દાદાની યાત્રા કરવા હજારો ભાવિકો આવે. તે દિવસે
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૩૩
Page #455
--------------------------------------------------------------------------
________________
તો વળી પુંડરીક સ્વામીનો મહિમા પણ ખરો ને ? યાત્રા કરવા આવનારા ભાવિકો પોતે જાતે ગિરિરાજ ચડે પણ સાથે ડોળીવાળા રાખ્યા હોય. કારણ ? ડોળી પોતાને બેસવા માટે નહિ, ૧૫૦ ફળ અને ૧૫૦ નૈવેદ્યનો થાળ પુંડરીક સ્વામીના ચરણે ધરવાનો હોય. એ ફળ-નૈવેદ્યના બોક્ષ ઉપાડવા માટે ડોળી કરાવી હોય. આ દશ્ય નજરોનજર જોયું છે... ને હૈયું ઝૂક્યું છે.
ફળો પણ સામાન્ય નહિ. એક્સપોર્ટ ક્વોલિટીના... એમાં ય... ચૈત્ર મહિનો એટલે કેરીની સિઝન. મુંબઈની રત્નાગિરિની હાફૂસ કેરીઓ, કલીંગર મોટા મોટા, શ્રીફળ, મોટા મોટા નારિયેળ, કેળાની આખી લૂમો, દાડમ અને સફરજન પણ એક અડધો કિલોનો હોય આવા ફળો પ્રભુ પાસે ધરાય છે.
નૈવેદ્ય પણ ઓર્ડરથી બનાવડાવેલા અને સાઇઝ તો enlarge - આખી થાળી જેવડા ઘેબર, પેંડા તથા મોહનથાળ, બરફીના પીસ અડધો અડધો કિલોના. એક એક નૈવેદ્ય લગભગ ૩૦૦ રૂ. કિલો થાય એવા મોંઘા અને સ્વાદિષ્ટ નૈવેદ્યો પરમાત્માને ધરાવેલા જોઇને હૈયું - આંખો ધરાઈ જાય.
મજૂરોને પણ દાદાના દર્શન...! એક એવો અદ્દભૂત પ્રસંગ જોયો ગિરિરાજ ઉપર, જેનું વર્ણન કરતાં હૈયું પુલકિત થાય છે.
આજના જમાનાનો હાઈફાઈ લાગતો એક યુવાન પણ... જબરો પ્રભુભક્ત...! એ ગિરિરાજની યાત્રાએ આવેલો. એટલું જ નહિ પરમાત્માની વિશિષ્ટ આંગી બનાવવા માટે લગભગ દસેક થેલા ભરીને સામગ્રી લાવેલો. એ સામગ્રી ઉપર ચડાવવા માટે મજૂરોને નક્કી કર્યા. મોં માગ્યા રૂપિયા આપવાનું નક્કી કરી થેલા ઉપડાવ્યા. પણ.. પછી યુવાને પોતાના હૈયાની વાત કરી કે,
આજે તમારે બધાએ ભાવથી ભગવાનના દર્શન કરવાના. એ માટે હું તમને ૫૦ રૂા. વધારામાં બક્ષીસ રૂપે આપીશ.'
મજૂરો પણ આ યુવાનની પ્રભુભક્તિ અને ઉદારતા જોઇને ઓવારી ગયા. બધા મજૂરો આનંદભેર ઉપર ચડ્યા. બધાએ ભાવથી આદિનાથ દાદાના દર્શન કર્યા ત્યારે યુવાન આનંદથી નાચી ઉઠ્યો.
મારા દાદા - સૌના દાદા... મારા ભગવાન - સૌના ભગવાન.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૩૪
Page #456
--------------------------------------------------------------------------
________________
A
A
A
A
A
આંખે દેખી હૈયુ હરખ્યું.. કાને સુણી મુખ મલક્યું...
(આ આખું પ્રકરણ પ.પૂ. દેવરત્નસાગરજી મ.ના “જય શત્રુંજય’ પુસ્તકમાંથી લીધેલ છે.) • કળિયુગમાં અસંભવ લાગે છતાં સંભવ કરનારા કચ્છ લાયજાના ગોરેગામવાસી ટોકરશીભાઈ તથા શ્રાવિકા બચુબેને કમાલ કરી. ગિરિરાજની યાત્રાઓનો ઇતિહાસ ઊભો કરી દીધો. પ્રસિદ્ધિ કે નામનાની ખેવના વિના કેવળ દાદા અને ગિરિરાજ પરના આકર્ષણથી હેરતભરી કેવી યાત્રાઓ કરી છે. તે જોઈ લો !
૨૨ નવ્વાણું યાત્રા શત્રુંજયની કરી. > વાસણાથી એક ૯૯ યાત્રા ૮૦ દિવસમાં. > એકાસણાથી એક ૯૯ પચાસ દિવસે પૂર્ણ.
છઠ્ઠના પારણે છઠ્ઠ કરી ૨૭ દિવસમાં એક ૯૯ પૂર્ણ. છઠ્ઠના પારણે છઠ્ઠ કરી ૨૫ દિવસમાં એક ૯૯ યાત્રા. સાત ૯૯ યાત્રા વર્ષીતપ કરીને. ૧૦૮ સળંગ અઢમ કરી, દરેક અઢમમાં ૧૫ યાત્રાઓ કરી. ચાર વખત ૯૯ યાત્રા ૨૦ સ્થાનક તપથી કરી.
ચાર ૯૯ યાત્રા એકાંતરા આયંબિલથી કરી. > એકાંતરા આયંબિલથી છ ગાઉ કરવાપૂર્વકની ૯૯ યાત્રા. > દોઢ ગાઉની નવટૂંક સહિત એકાસણા કરવાપૂર્વકની ૯૯ યાત્રા.
શત્રુંજય નદીની સાથે ૩ ગાઉ કરવાપૂર્વકની ૯૯ યાત્રા કરી. > હસ્તગિરિ, તળાજા, ગિરનાર, સમેતશિખરજી અને શંખેશ્વરની ૧૦૮
પ્રદક્ષિણા પ્રતિદિન કરવાપૂર્વકની ૯૯ યાત્રાઓ કરી. તપશ્ચર્યાઓ વાંચી તો ઝૂકી જવાય.
ઘણી વખત એ જોડીને ગિરિરાજ પર જોઈ છે. આ કાળમાં અશક્ય લાગે છતાં શક્ય કરનારા આ તીર્થપ્રેમી દંપતિની લાખ લાખ વાર અનુમોદના ! • શત્રુંજય તીર્થની ૨૧ વખત ૯૯ યાત્રા કરવાનો સંકલ્પ રાજુભાઇએ કર્યો છે. એમાંથી ૧૭માં ૯૯ યાત્રામાં તળેટીથી જ દાદાના અને તીર્થના ગુણગાન શરૂ કરી દે... પગથીયા ચડતાં ચડતા સિદ્ધાચલ શિખરે દીવો... આદીશ્વર અલબેલો, અલબેલો, અલબેલો કહીને વાતાવરણ પ્રસન્ન બનાવતા જાય... અથવા સિદ્ધગિરિ વંદો રે... સ્તવનની પંક્તિ લલકારતા ચાલે. ન ચડે શ્વાસ ! ન આવે થાક ! દાદાની અને ગિરિરાજની ભક્તિ હૈયે કેવી વસાવી હશે ?
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૩૫
A
Page #457
--------------------------------------------------------------------------
________________
• ત્રણેક સાધ્વીજી ભગવંત. ગિરિરાજની ૯૯ યાત્રા કરતા ગિરિરાજના પગથિયા પ્રત્યે બહુમાન અહોભાગ્ય જાગી ગયું.
હજારો લોકો આત્માઓને આ પગથીયા કેટલાક સહયોગી બની રહ્યા છે. ધન્ય આ ગિરિને ! ધન્ય આ રસ્તાને ! ધન્ય આ પગથીયાઓને ! અને ભાવ પરિણમ્યો ચાલો એક એક પગથીયાઓને ! પુંજતા જઈએ અને ખમાસમણ આપતા જઈએ. આખા ગિરિરાજના ૩૬૦૦ પગથિયા પર ખમાસમણ આપી યાત્રા કરી. એ સાધ્વીજીઓ હતા સા.શ્રી પ્રશાંતગુણાશ્રીજી, સા.શ્રી વ્હીકાંરગુણાશ્રીજી, સા.શ્રી વિરાગગુણાશ્રીજી આદિ. • ગિરનાર-જુનાગઢના શ્રાવક નામ ભદ્રિકભાઈ ! પૂજયપાદ્ હિમાંશુ સૂ.મ. પાસે ધર્મ પામ્યા. પૌષધ કરી આયંબિલની ઓળી કરી છ ગાઉની રોજ યાત્રા કરવી. એ રીતે ૯૯ યાત્રા કરવાનો સંકલ્પ પૂરો કર્યો. છ ગાઉની યાત્રા કરી બપોરે ૨ વાગ્યે આદપર ગામે પહોંચે ત્યાં જ ધર્મશાળામાં મુકામ રાખેલ. બપોરના ૩/૩ વાગ્યે આયંબિલ કરે. ધન્ય ભાવના ! ધન્ય પુરુષાર્થ ! • એક રાજસ્થાની શ્રાવક ! ચોવિહાર છઠ્ઠ કરી સાત યાત્રા કરવી એવી ૯૯ છઠ્ઠ કરવી અને દરેક છઠ્ઠમાં સાત યાત્રા કરવાનો સંકલ્પ કર્યો. જબ્બર વીયલ્લાસ ફોરવી આ સંકલ્પ સાકાર કર્યો. • કચ્છ નાના આસંબીઆના શ્રાવક નામે કાંતિલાલ સાવ એકવડીયું શરીર. દાદાના દર્શને ભાવોલ્લાસ જાગી ગયો. અટ્ટમનું પચ્ચકખાણ લેતાં જ મનમાં ભાવના થઇ માસક્ષમણ થઈ જાય તો કેવું સારું? બસ ભાવને અમલીકરણ કરાવ્યું. માસક્ષમણ પૂર્ણ કર્યું અને રોજ પગે ચાલીને યાત્રા કરી પારણાના દિવસે પણ યાત્રા કરી પછી જ પારણું કર્યું. • ગામ કચ્છ ગોધરાના વયોવૃદ્ધ માજી ભચીમાની તીર્થયાત્રા મસ્તક ઝૂકાવી દે. બાવીસ ૯૯ યાત્રા પૂર્ણ કરી અને ૮૫ વર્ષની ઉંમરે સાત માસક્ષમણ આ ગિરિરાજ પર આરાધી લીધા. • તખતગઢની ધર્મશાળામાં ૯૯ કરવા પધારેલી સાબરમતીની ૧૭/૧૮ વર્ષની તરૂણી. યાત્રા કરતા દાદા સાથે પ્રીતિ બંધાણી...યાત્રાનો છેલ્લો દિવસ... આંખો વિરહની વેદનાથી ઉભરાઇ. ઓહ ! હવે ઘરે જવાનું...? અંતર વલોવાયું. પ્રભુના ભાવ સામ્રાજયનો સ્પર્શ થયો. હાથ જોડાયા. પ્રતિજ્ઞા લેવા મનમાં સત્વ જાગ્યું ! ગુરુદેવ છ માસમાં ચારિત્ર લેવું... હાલ માવજીવ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા આપો. મક્કમ મનની તરૂણી આખરે પ્રતિજ્ઞાનું શણગાર બની. પ્રભુની પ્રીતિ શું આપે ? વિરતિની પ્રાપ્તિ ! • માટુંગાનો કુમારપાળ ! સાજ-શણગાર અને ભાવ-ભાવિકો સાથે ગિરિરાજની યાત્રાએ પધાર્યા ! ૧૫/૧૭ મજૂરોના મસ્તકે વિરાટ કદના ફળ / નૈવેદ્ય મેવા મીઠાઈ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૩૬
Page #458
--------------------------------------------------------------------------
________________
મૂકાવ્યા. જરકશી જામા પોતે પહેર્યા. પગે ઘૂંઘરા બાંધ્યા. ચારેક થાળ મોતીના ભરાવ્યા. ચારેક થાળ પુષ્પોના ભરાવ્યા. અક્ષતોના થાળ સજાવ્યા. લાંબી ધૂપ શિખાઓ સાથે લીધી. સુગંધી અત્તરની ઝારીઓ ભરી. ગિરિરાજના ગીતગાન કરતા યાત્રા આરંભી હાલતા જાય, ચઢતા જાય, મોતી અક્ષત ફુલડે વધાવતા જાય. જોનારા થંભી જાય, જોતા હરખી જાય, દૃશ્ય નીરખી પુલકિત થઇ જાય. ઉદારતા સાથે ઉત્તમતા ! ધન્ય યાત્રા ! ધન્ય ભાવના.
રમેશભાઇ અંબરનાથના પ્રજ્ઞાચક્ષુ હતા. પત્ની સાથે ૯૯ યાત્રા કરવા પધાર્યા. રોજની એક યાત્રા સાથે કરે. ચડતા અને ઉતરતા બંને જણા નવકા૨ ગુંજાવ્યા કરે. ચોવિહાર છઠ્ઠ કરી સાત યાત્રા કરી. બંધ આંખે ગિરિરાજને પોકાર્યો... આંતર ચક્ષુથી ગિરિરાજના સામ્રાજ્યને માણ્યો. હૈયાનો ઉમંગ તો જોવા જેવો હતો.
એક ભાઇએ ગિરિરાજની આરાધનામાં અલખ લગાવી. ૯૧ દિવસીય સમૂહ ૯૯ યાત્રામાં સંપૂર્ણ મૌનના પચ્ચખ્ખાણ લીધા. રોજ રાયણ વૃક્ષ નીચે ૧૦૮ લોગસ્સનો કાઉસ્સગ કર્યો.
સા.શ્રી નયપૂર્ણાશ્રીજી મ.ને શ્રેણિ તપ ચાલે. દરેક બારીમાં દાદાની સામે જ પચ્ચખ્ખાણ ગ્રહણ કર્યા. તમામ ઉપવાસોમાં દાદાની ભક્તિ કરી. ગિરિવિહારના એક સાધ્વીજીની ૧૦૦મી ઓળી ચાલે. રોજ યાત્રાએ પધારે. ૫૦ આયંબિલ થયા. ભાવની ભરતી ચડી. ‘દાદા ! હવેના ૫૦ આયંબિલ રોટલી અને કરિયાતાથી કરવાની શક્તિ આપજે એવી પ્રાર્થના કરી પ્રયાસ પણ કર્યો. આખરે એ તમન્ના પૂરી પણ કરી.
·
રૂચકચંદ્રસૂરિ દાદા ! ચારિત્રના ખપી આત્મા. ગામડાના ભોળિયા ભગવાન. પ્રભુ ! એવી શક્તિ આપજે તારા ધામે ૧૦૮ વખત સંઘ લઇને આવું.' એ હૃદયની તમન્ના. આજુબાજુથી ઘણાં સંઘો લાવી ગિરિરાજની ભક્તિ કરી/ કરાવી રહ્યા છે. અમેરિકાના અરવિંદભાઇ ! વ્યસ્તતાભરી જીવન લાઇફમાંથી બે મહિના માટે શત્રુંજય દોડી આવ્યા. ૯૯ યાત્રા કરી. ગિરિરાજની ઉછળતી ભક્તિ કરી. જતા જતા તમામ જિનબિંબો સમક્ષ ‘નમુન્થુણં'નો પાઠ કરતા ગયા.
કચ્છ ગોધરાના ખીમજી રણશીના પુત્ર પ્રેમજીભાઇની એવી ભાવના કે બસ તારક ગિરિરાજ અને ગિરિરાજના તમામ જિનબિંબોની પૂજા ક૨વી છે. ૯૯ યાત્રા કરતા જાય રોજના ૩૦૦ જિનબિંબોની પૂજા કરતા જાય.
• ત્રણ આરાધકોના હૈયા હલી ગયા. કઇક ભવોમાં જીવોની ઘણી વિરાધના કરી છે. એ તમામ જીવોની ક્ષમાયાચના કરવા દાદાના રંગ મંડપમાં પ્રભુ સામે જામી શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૪૩૭
·
Page #459
--------------------------------------------------------------------------
________________
ગયા. સવારના ૬.૩૦ થી સાંજના પાંચ વાગ્યા સુધી ઇરિયાવહીનો પાઠ કરી જીવમૈત્રી સાથે પ્રભુમૈત્રી બાંધી. • ગિરિરાજના પગથીએ પગથીએ અષ્ટપ્રકારી પૂજા કરનારા જોયા...
તો ગિરિરાજમાં ઉત્તમ દ્રવ્યો | ઉપકરણો ધરતા દેખ્યા...
ગિરિરાજની તમામ ધર્મશાળાના મુનિમજીઓ, તમામ પૂજારીઓ, તમામ કર્મચારીઓ, તમામ ઘોડાવાલાઓ, તમામ ફુલવાલાઓનું બહુમાન કરતા ભાવિકોની વિવિધતા અને વિશેષતાના દશ્યો દેખ્યા, તો ધર્મશાળામાં સ્થિરવાસે બિરાજમાન પૂજયોને સ્વદ્રવ્યથી ડોળીઓ કરાવી દિવસો સુધી ક્રમ ચાલુ રખાવી સહુને દાદાનો સ્પર્શ કરાવ્યાનો અનોખો લાભ લેતા જોયા.
ભાવનગરના અંતુભાઇ ઘેટીવાળા દ્વારા કરાતી વૈયાવચ્ચ ભક્તિ નિહાળી તો વર્ધમાન તપ આયંબિલ ખાતાવાળા પ્રફુલ્લભાઇની નમ્રતા અને સૂજભરી ઉદારતા નીરખી ગદ્ગદ્ બનાયું છે.
ધન્ય ભાવિકો ! ધન્ય ભાવના !
ગિરિરાજના કણકણની સાર્થકતા સફળ કરનારા નામી અનામી આત્માઓને હૃદયના વંદન...
શત્રુંજયના સત્તર ઉદ્ધારો. કયો ઉદ્ધાર કોણે કરાવ્યો પ્રથમ ઉદ્ધાર................. . ભરત રાજા બીજો ઉદ્ધાર •••••
દન્ડવીર્ય રાજા ત્રીજો ઉદ્ધાર ................. ઇશાને • ચોથો ઉદ્ધાર .................... ચોથા દેવલોકના ઇન્દ્ર પાંચમો ઉદ્ધાર............... પાંચમાં દેવલોકના ઇન્દ્ર છઠો ઉદ્ધાર ................... અમરેન્દ્ર સાતમો ઉદ્ધાર............. સગરચક્રીએ આઠમો ઉદ્ધાર .......... વ્યંતરેન્દ્ર નવમો ઉદ્ધાર ............ ચંદ્રયશ રાજા દશમો ઉદ્ધાર ............... ચક્રાયુધે અગ્યારમો ઉદ્ધાર............. રામચંદ્રજીએ બારમો ઉદ્ધાર................ પાંચ પાંડવોએ તેરમો ઉદ્ધાર ............... વિ.સં. ૧૦૮માં જાવડે કરાવ્યો ચૌદમો ઉદ્ધાર ............. વિ.સં. ૧૨૧૩માં બાહડ શેઠે કરાવ્યો પંદરમો ઉદ્ધાર ............ વિ.સં. ૧૩૭૧માં સમરાશાહે કરાવ્યો સોળમો ઉદ્ધાર ............... વિ.સં. ૧૫૮૭માં કર્ણાશાહે કરાવ્યો સત્તરમો ઉદ્ધાર ............. દૂધ્ધહસૂરિના ઉપ. વિમલવાહન રાજા કરાવશે.
(શત્રુંજય મહાભ્ય)
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૪૩૮
Page #460
--------------------------------------------------------------------------
________________
સોહામણા શત્રુંજયના અલૌકિક અભિષેકનો આછો ઇતિહાસ (આ પ્રસંગ પૂ. મહોદયસાગરજી મ. સંકલિત શત્રુજય કલ્પવૃત્તિ ભાગ-૨માંથી લીધેલ છે.)
સેંકડો વર્ષો પછી – સંપૂર્ણ ગિરિરાજનો જે અલૌકિક અભિષેક વિ.સં. ૨૦૪૭, પોષ સુદ ૫-૬-૭, તા. ૨૨-૨૩-૨૪ - ૧૨-૧૯૯૦ના રોજ થયો અને પુણ્યાત્માઓએ કર્યો તેની આછી રૂપરેખા...
મૂળ સુરતના વતની પોરવાળ જ્ઞાતિના શ્રાવક રજનીકાંત મોહનલાલ ઝવેરી (દેવડી)નો જન્મ સુરતમાં થયો હતો. તેમની માતાનું નામ ભીખીબેન હતું. તેમનો કુટુંબ પરંપરાથી ચાલ્યો આવતો મોતીનો વેપાર કરતો હતો. તેથી તેઓ ઝવેરી કહેવાતા હતા. તેઓની ધર્મપત્નીનું નામ હંસાબેન છે, તેમને હરેશ અને નીલેશ નામના બે પુત્રો ને બીના નામની પુત્રવધુ છે. તેમાંનો પહેલો પુત્ર કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો.
મોતીના વેપારીઓમાં કેટલાકની એવી મક્કમ માન્યતા હતી કે રજનીકાંતભાઈ સાથે જે મોતીનો ધંધો કરે તો તેમની પાસેથી લીધેલા માલમાં નફો જ થાય, ખોટ ન થાય. તેઓ તેવી ઉદારતાથી સોદો કરતા હતા.
છેલ્લાં થોડાંક વર્ષોમાં તેમનું જીવન વધુને વધુ ધર્મના રંગે રંગાતું જ ગયું. તેમણે તેમના જીવન દરમ્યાન નામી-અનામી, જાહેર ને ગુપ્ત ધર્મનાં ઘણાં કાર્યો કર્યા હતા.
ત્રણ-ચાર મિત્રોએ મળીને મુંબઈ ચોપાટી-બાબુલનાથમાં એક નાનકડું છતાંયે રમણીય જિનમંદિર બનાવ્યું હતું. ત્યારબાદ તે જ રીતે જાપાનમાં પણ એક ભવ્ય જિનમંદિર બનાવ્યું હતું. એ સિવાય પણ ધર્મ ભાવનાથી પ્રેરાઇને ધર્મના બીજા ક્ષેત્રોમાં અને બહારના ક્ષેત્રોમાં પણ ઉદારતાથી લક્ષ્મીને છૂટે હાથે વાપરી છે. ઘણાં ઠેકાણે તેઓએ નામ વગરનું દાન આપેલ હતું. જેની ખબર ધીમે ધીમે તેઓ દિવંગત થયા પછી પડે છે. મુંબઇનાં પરાઓમાં ૪૦૦ થી ૫૦૦, મધ્યમ કુટુંબોને ૫૦૦ થી ૧૦૦૦, સુધીની નિયમિત સહાય કરતા હતા.
સુરતમાં પોતાની જ્ઞાતિનાં કુટુંબો અને નિરાધાર બહેનોને ખૂબ ખૂબ સહાય કરતા હતા. તેઓને છેલ્લાં થોડાંક વર્ષોથી શ્રી શત્રુંજય પ્રત્યેની ભક્તિભાવના સ્વયં સ્કુરિત થવા લાગી હતી.
આ પૂર્વે શ્રી શત્રુંજય તીર્થ ઉપર આવા જ પ્રકારના અભિષેકના બે નાના પ્રસંગો તેઓએ અપૂર્વ ઉલ્લાસ ને આનંદ સાથે ઉજવેલા હતા. એક વખતે દુકાળમાં શ્રી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૩૯
Page #461
--------------------------------------------------------------------------
________________
શત્રુંજય તીર્થ પર આવો અભિષેક કરતાંની સાથે જ મુશળધાર વરસાદ પડ્યો હતો અને ખાલી પાણીના કુંડો પાણીથી છલકાઈ ગયા હતા. ત્યારથી જ તેમના હૃદયમાં શ્રી શત્રુંજય પ્રત્યેની ભક્તિનું પુર વધવા જ માંડ્યું હતું. જે છેલ્લે ગિરિરાજનો સંપૂર્ણ અભિષેક કરવામાં પરિણમ્યું હતું.
આ ગિરિરાજનો અભિષેક રજનીકાંતભાઇએ પોતે પોતાના હૈયાની શુભભાવનાથી ને પ્રેરણાથી જ કર્યો હતો. તેઓને આમાં કોઇ પણ પ્રેરણા આપેલ ન હતી. બસ તેના હૈયામાં રોજ રોજ એકજ ગુંજારવ રણક્યા કરતો હતો કે હું શ્રી શત્રુંજયના મહિમાને ખૂબ ખૂબ વધારું અને તે મહિમા વધારવા માટે પહેલાં સમગ્ર ગિરિરાજને ઉત્તમોત્તમ દ્રવ્યો અને બધી મોટી મોટી નદીઓનાં જલથી અભિષેક કરું. આ વિચાર એમણે મનમાં કર્યો. પછી પોતાના ધર્મના ભાગીદાર શ્રી શાંતિચંદ બાલુભાઈ ઝવેરીને વાત કરી. ત્યાર પછી એમના દરેક ધાર્મિક કાર્યમાં બોડીગાર્ડ જેવા ખાસ સાધર્મિકભાઈ ચંદુભાઇ ઘેટીવાલા સાથે આ કાર્યનો વિચાર વિનિમય કર્યો. ઘણાય ગુરુ ભગવંતો અને સાધર્મિકોની સલાહ લીધી.
ત્યારબાદ તેઓએ પોતાની બધીજ તૈયારીઓ કરીને શ્રી ગિરિરાજના અભિષેક માટે જૈન સમાજમાં અભિષેક સંબંધી વાતોને વહેતી મૂકી. તેના માટેનું સાહિત્ય છપાવી ગામો ગામ રવાના કર્યું. જેની આછી ઝલક આ પ્રમાણે છે :
“હૃદયને શુભ ભાવનાથી મઢી લેજો દેહશુદ્ધિ કરીને શુદ્ધ કપડામાં ઉભરાતા ઉમંગે તમે ગિરિરાજ ચડીને અભિષેકના સ્થાને પહોંચજો . એક એક ડગલું માંડતા ગિરિરાજનો અપરંપાર મહિમા યાદ કરીને ગિરિરાજની ભક્તિથી દિલને ભરી દેજો. જ્યાં જુઓ ત્યાં પૂજય સાધુ-સાધ્વીજી ભગવંતો અને ગિરિરાજની ભક્તિમાં ગાંડા અને ઘેલા બનેલા ભક્તજનોને નિહાળી નિહાળીને તમે આનંદિત બની જજો . ચારે કોર ગૂંજતા શરણાઈના સૂર અને મંગલ વાંજીત્રોના કર્ણમધુર નાદ તમારા હૃદયને આનંદથી ભરી દેશે. તમારા રોમ રોમમાં પ્રસન્નતા પ્રસરાઇ જશે. પહેલા ૧૨ નવકારથી પરમેષ્ઠિનું ધ્યાન ધરજો.
ખામેમિ સવજીવે...'ની તીવ્ર હાર્દિક ભાવનાથી હૃદયને અત્યંત ભાવિત કરીને વિશ્વના સર્વ જીવો સાથે મૈત્રીનો પુલ બાંધી લેજો .
શિવમસ્તુ સર્વજગતઃ'ની મંગલ ભાવનાથી સમગ્ર વિશ્વના સર્વ જીવોના પરમ કલ્યાણની ઉત્તમ કામના હૃદયમાં કંડારી દેજો. ભક્તિની ધૂનમાં ગાંડા અને ઘેલા બની જજો. નાચીકૂદીને ગિરિરાજની ભક્તિ વ્યક્ત કરજો . આંખમાંથી આનંદાશ્રુની ધારાઓને વહેવા દેજો. રોમ-રોમમાંથી ભક્તિના પોકારોને ઊઠવા દેજો. હૈયાના
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૪૦
' લજા'
Page #462
--------------------------------------------------------------------------
________________
તાર-તારમાં અને લોહીના બુંદ-બુંદમાં ‘ગિરિરાજ-ગિરિરાજ'ના પવિત્ર આંદોલનો ઊઠવા દેજો અને હૃદયના ઊંડાણમાંથી સમગ્ર વિશ્વની શાંતિનો, સર્વ જીવોના કલ્યાણનો અને જૈન સંઘના અભ્યદયનો મંગલ સંકલ્પ તમે કરી લેજો.
ભગવાન ભવ્ય, દિવ્ય અને અપાર દયાળુ છે. હૃદયમાં ઉદ્ભવેલી આ શુભ ભાવના અને પછી આરંભાયેલા આ ગિરિરાજના અલૌકિક અભિષેક આપણા કર્મ મળને દૂર કરીને રહેશે. ગિરિરાજ અભિષેક પહેલા હૃદયશુદ્ધિ છેલ્લે આત્મસિદ્ધિ.
‘તમે અભિષેક ક્યાં કરશો ?' સમગ્ર ગિરિરાજના એક એક ખૂણામાં, એક એક કણમાં અને એક એક પરમાણુમાં ઠાંસી ઠાંસીને પવિત્રતા ભરેલી છે. કોઈ પણ સ્થાનેથી ગિરિરાજનો અભિષેક મહાફળદાયી બને છે. વ્રતધારી કે તપસ્વી તરીકે અભિષેક કરવાના તપસ્વી પાસ” જેને નથી મળ્યા તે બધાને દોઢ ગાઉ, ત્રણ ગાઉ કે ૬ ગાઉની પ્રદક્ષિણાના પવિત્ર સ્થાનોમાં સવારે ૯.૩૦ કલાકે પહોંચી જવા વિનંતી છે. તે પ્રદક્ષિણાક્ષેત્રમાં રહેલા ઉલખાજલ, ચંદન તલાવડી, ભાડવા ડુંગર આદિ સ્થાનો પર પોતાના શંખ, કળશ, કુંભ કે તાંબાના લોટા જેની પાસે હશે તેને અભિષેક જળ આપવામાં આવશે. તે સ્થાનો પર ઊભા કરાયેલા ભવ્ય સ્નાત્રમંડપોમાં ર કલાકનો ભવ્યતમ સ્નાત્રમહોત્સવ થશે. ભક્તિઘેલા સંગીતકારો હજારોની મેદનીને ભક્તિના પુરમાં તાણી જશે. સહુના હૈયામાં આનંદની ભરતીઓ ઉછળશે. સહુના રોમ-રોમમાંથી આનંદના ચિત્કારો ઊઠશે. સહુની આંખમાંથી આનંદાશ્રુના રેલાઓ ઉતરશે અને અભિષેકના મુહૂર્તે સહુ કોઈ અભિષેક કરશે.
૧ ગાઉ, ત્રણ ગાઉ અને ૬ ગાઉની પ્રદક્ષિણાના જે સ્થાનેથી અભિષેક થવાના છે તે સ્થાન માટેના પાસ અગાઉથી કાર્યાલય પરથી પ્રાપ્ત કરી લેશો. તમોને જે જગ્યાનો પાસ અભિષેક કાર્યાલયમાંથી આપવામાં આવે તે સ્વીકારીને તે જગ્યા પર સમયસર આપ પહોંચી જશો.
અભિષેક માટેની નિર્ધારીત કરેલી આ બધી ભૂમિઓ પવિત્રતમ છે. તેનો ઇતિહાસ વાંચતા શરીરના ૩ કરોડ રૂંવાડાઓ અને મગજના ૧ અબજ સેલ આ તીર્થની ભૂમિ પર વારી જાય છે. ધન્ય ધન્ય ઓ ગિરિરાજ !
‘નિરાશ ન થશો... અભિષેક તમે પણ કરી શકશો ગિરિરાજ-અભિષેકના ભવ્ય આયોજનનો કર્ણમધુર ગુંજારવ છેલ્લા કેટલાય મહિનાઓથી તમારા કાનમાં ગૂંજી રહ્યો છે. છાપું હાથમાં લો તો એના જ સમાચાર સાંભળવા મળે ! દેરાસરના બોર્ડ પર નજર કરો તો એની જ પત્રિકા જોવા મળે !
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૪૧
Page #463
--------------------------------------------------------------------------
________________
ઉપાશ્રયમાં વ્યાખ્યાન સાંભળવા જાઓ તો પણ ગુરુભગવંત એનો જ મહિમા સંભળાવે ! કોઈ સ્વજન કે સ્નેહીને મળો તો એની જ વાત કરે ! જૈનેત્તર મિત્ર મળે ત્યારે તે પણ આ અભિષેકના જ સમાચાર પૂછે... તેથી જ ગિરિરાજના અભિષેકનો આ હૃદય-રમણીય ભવ્ય પ્રસંગ નજરે નિહાળવાની ઉત્કંઠા તમારા દિલમાં જાગી. ગિરિરાજના અભિષેકનું અદ્ભુત માહાસ્ય અને આ પ્રસંગના અભૂતપૂર્વ આયોજનની રોમાંચક વિગતો સાંભળીને તમે પાલીતાણા આવવાનો નિર્ણય કરી દીધો. બસ કે ટ્રેઇનમાં બેસવાની જગ્યા ન મળી તો ઉભા-ઉભા અને કચડાતા-કચડાતા પણ તમે આવ્યા. ધર્મશાળામાં જગ્યા નહિ મળે તો પાલીતાણાની ફૂટપાથ કે રસ્તા ઉપર પણ સૂઈ જવાની તૈયારી સાથે તમે આવ્યા. પણ તમે વિશિષ્ટ વ્રતધારી કે વિશિષ્ટ તપસ્વી ન હોવાના કારણે જનમ જનમના પાપ ધોઈ નાંખે તેવા ગિરિરાજનો અભિષેક કરવા નહિ મળે તેની તીવ્ર વ્યથા તમારા ચહેરા પર અમે વાંચી લીધી છે, તમારી આંખમાંથી નીતરતા આંસુઓમાં અમે તેને ભાળી લીધી છે. નિરાશ ન થશો. અભિષેક કરવાની તમારી તીવ્ર ભાવના એ જ મોટું વ્રત અને એ જ મોટો તપ છે. ઉછળતા ઉમંગે તમે પણ શુદ્ધ કપડાથી ગિરિરાજના અભિષેક કરી શકશો. અભિષેક માટે મંત્રિત જલ આપવાની વ્યવસ્થા ગિરિરાજ ઉપર ઠેર ઠેર રાખવામાં આવી છે. પણ તે ભરવા માટે કુંભ, કળશ, શંખ કે છેવટે તાંબાનો લોટો આપનો પોતાનો લાવવા વિનંતી.
અને હા...! આવી અણમોલ તકની પ્રાપ્તિ નિમિત્તે આપે ૧૦૮ નમસ્કાર મહામંત્રનું સ્મરણ નિત્ય કરવું પડશે. અમે આપને નિરાશ નથી કર્યા. તો આપ અમને નિરાશ નહિ કરો ને ?
અભિષેકની પહેલા અને પછી અભિષેકનો મંગલ સમય બપોરે ૧૨ કલાક ૧૮ મિનિટ ને ૯ સેકંડ.
બપોરે બારના ટકોરા પડતાંની સાથે જ ભક્તિની ધૂનો, સંગીતના ધ્વનિ, શરણાઇના સૂરો, વાજીંત્રોના નાદ અને નારાઓના પોકારો બધુ જ બંધ કરી દેવાશે. લાખો ભાવિકોથી ઉભરાયેલા ગિરિરાજ ઉપર ક્ષણભર ટાંકણી પડવાનો અવાજ પણ સંભળાય તેવી નીરવ શાંતિ સર્જાઇ જશે અને પછી ગિરિરાજના એક એક સ્થળે નીચે મુજબના સામુદાયિક અને લયબદ્ધ નારાઓ પોકારવામાં આવશે.
૧૨/૦૦ થી ૧૨/૦૩ જય જય... શ્રી નવકાર ૧૨/૦૪ થી ૧૨/૦૬ જય જય... શ્રી શત્રુંજય ૧૨/૦૭ થી ૧૨/૧૦ જય જય... શ્રી આદિનાથ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૪૨
Page #464
--------------------------------------------------------------------------
________________
૧૨/૧૧ થી ૧૨/૧૪ શ્રી શ્રમણ સંઘસ્ય શાંતિર્ભવતુ. ૧૨/૧૫ થી ૧૨/૧૭ શ્રી 38 પુણ્યાતું પુણ્યાહ... પ્રીયંતાં પ્રીયંતાં. અને ૧૨/૧૮ની સોહામણી, મનમોહની, ભવતારણી ધન્ય પળે ગિરિરાજના અ...ભિ...પે...ક
અને પછી રત્નોથી, સોનાથી, રૂપાથી, સોના-ચાંદીના બાદલાથી, વાસક્ષેપથી કે અક્ષતથી ગિરિરાજને વધાવજો.
અને નાચ-ગાન કરીને ભક્તિની ધૂન મચાવજો . ૧૨૩૯ કલાકે શ્રી વર્ધમાન શક્રસ્તવ દ્વારા ગિરિરાજ સ્તવના કરવામાં આવશે. ‘સિદ્ધાચલના વાસી પ્યારા...” “આદિશ્વર અલબેલો છે'
આદિ અનેક ભક્તિગીતો ગાતા ગાતા ફરી વાતાવરણને ગૂંજવી દેજો . મનને જે વિશિષ્ટ અનુભવ થાય તે અચૂક અમને જણાવજો.
આવી દૈનિક પેપરોમાં જાહેરાતો પણ આપી અને આ કાર્યમાં સહુનો સાથ સહકાર માંગ્યો. ત્યારે સહુ ભાવિક ભાઈ-બહેનો તે શુભ કાર્યને પોતાની અનુમતિના અક્ષતોથી વધાવતાં જ ગયાં.
પોતે પોતાના હૃદયમાં એવી શુભ ભાવના ભાવી હતી કે નવકારમંત્રના અડસઠ અક્ષરો હોવાથી સમુદાય અને ગચ્છના ભેદભાવ વગર આ પ્રસંગે શ્રી સિદ્ધગિરિમાં ૬૮ આચાર્ય ભગવંતો પધારે. તેના માટે તેઓ જાતે જ ગામોગામ વિનંતી કરવા ગયા હતા અને જેઓની પાસે વિનંતી કરવા ગયા તે ગુરુભગવંતે તરત જ આનંદથી હા પાડી દીધી. કારણ કે આવું કાર્ય કવચિત જ જોવા મળે છે.
તેમાંથી ૩૮ આચાર્યભગવંતો તો આ પ્રસંગે પધાર્યા હતા. તેમજ પોતાના પુણ્યના ભાથા માટે અને પ્રસંગને જોવા જાણવા માટે ૨૦૦૦ થી ૨૫૦૦ પૂ. સાધુસાધ્વી ભગવંતો પણ પધાર્યા હતા.
રજનીકાંતભાઇએ સહુ ગુરુભગવંતોનો આ કાર્યમાં સહકાર માંગ્યો હતો અને મળ્યો હતો. તેમણે દરેક ગચ્છ અને દરેક સમુદાયના સ્વર્ગસ્થ ગચ્છાધિપતિઓની આશીર્વાદ આપતી પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓ બનાવી હતી ને ત્યાં મૂકવામાં પણ આવી હતી.
આ પ્રસંગને જોવા, જાણવા ને અનુભવવા માટે ગામોગામથી ૭૦ થી ૭૫ હજાર સાધર્મિક શ્રાવક-શ્રાવિકાઓ પધાર્યા હતા.
તેમાં કેટલાક જીવોએ અભિષેક કરી લાભ લીધો. કેટલાક જીવોએ સેવા કરીને સેવા દ્વારા લાભ લીધો.
માહાસ્ય સાર - ૪૪૩
Page #465
--------------------------------------------------------------------------
________________
કેટલાક જીવોએ અનુમોદના કરીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું.
કેટલાક જીવો તો પોતાની જીભે એમ બોલ્યા કે જો આપણે ન આવ્યા હોત તો સાંભળ્યા પછી પસ્તાવો જ થાત અને જેઓ નથી આવી શક્યા તેઓ આજે સાંભળીને મનમાં પસ્તાવો કરે છે કે ખરેખર આપણે રહી ગયા. આમ અહીં પધારેલા પ્રત્યેક પુણ્યાત્માઓ અભિષેકની ભાવનાથી ભીંજાયા.
આ ગિરિરાજના સંપૂર્ણ અભિષેક માટે જે ઔષધિઓ અને જુદી જુદી નદીઓનાં પાણી લવાયાં હતાં તે તો અપૂર્વ જ હતાં છતાંય તેને લાવવાની – ભેગી કરવાની ભાવના હતી, તે તો તેના કરતાંય અપૂર્વ જ હતી. અઢાર અભિષેક કરવા માટે જે કિમંતી દ્રવ્યો લાવ્યા હતા તેની કિંમત સાંભળતાં આપણાથી અ-ધ-ધ-ધ થઈ જાય તેવું હતું.
આ બધામાં આપણે નિઃશંક એમ કહેવું જ પડશે કે શ્રી શત્રુંજય પ્રત્યેની ભક્તિમાં રજનીકાંતભાઇનો સમર્પણભાવ એવો ખીલી ઊઠ્યો હતો કે આ બધી વસ્તુઓ તેઓને સામાન્ય જ લાગતી હતી.
તેઓ દરેક કાર્યમાં કાર્યકર ભાઇઓને એમ જ કહેતા હતા કે તમે સૌ ઉલ્લાસથી કામ કરો. પૈસાની સામે ન જોશો અને આ જ ભાવનાથી આવા અપૂર્વ પ્રકારના કાર્યનું સાંગોપાંગ સર્જનની પૂર્ણાહુતિ થઈ. આ કાર્યની જાત દેખરેખ માટે પોતે જાતે ૧૦-૧૫ દિવસે અચૂક પાલિતાણા જતા. પછી જેમ જેમ અભિષેકના દિવસો નજીક આવતા ગયા તેમ તેમ રોજ રોજ પેપરો દ્વારા નવી નવી જાહેરાતો મૂકતા જ ગયા અને સહુ ભાવિકો તેને ઝીલતા જ ગયા. તેનું સાચું પરિણામ આપણે સહુએ છેલ્લા ત્રણ દિવસોમાં જાતે જોયું ને અનુભવ્યું.
પોષ સુદ ૫-૬-૭ના થનારા આ ગિરિરાજના અભિષેકમાં વીર સૈનિકભાઇઓએ તો રંગ રાખ્યો છે. તેઓની ભાવના, તેઓની કામ કરવાની તમન્ના - તેઓની ભક્તિ અને તેઓની કાર્ય કરવાની ધગશવાળી શક્તિને ધન્યવાદ આપીએ તેટલા ઓછા. વીર સૈનિકની સંસ્થાએ આ કાર્ય એવી રીતે કર્યું હતું કે જેના માટે સહુના મોઢેથી એક જ વાત બોલાતી હતી કે ધન્ય છે અમારા વીર સૈનિકોને...! ખરેખર તેઓએ આ તીર્થભક્તિનું કાર્ય કરીને પોતાની કાર્યશક્તિનો પરચો બતાવ્યો છે.
તેઓને કાર્ય કરતા જોઇને કેટલાક ભાવિકો તેમને આનંદથી પગે લાગતા હતા અને મનમાં વિચારતા હતા કે આવો લાભ અમને ક્યારે મળશે ?
શ્રી શત્રુંજયના મહિમા-પ્રભાવને વધારનારો જે અભિષેક થવાનો છે તેની જન સમાજમાં અને જૈન સમાજમાં ભાવનાની એક ચિનગારી પ્રગટી ઊઠે તે માટે તેઓએ મુંબઈ શહેરમાં ૧૦૭૬ ધજાનો ભવ્ય વરઘોડો કાઢ્યો હતો અને સોમનાથથી અયોધ્યા
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૪૪
Page #466
--------------------------------------------------------------------------
________________
સુધી જનાર રામ રથયાત્રાની જેમ જૈન સમાજમાં ચિનગારી પ્રગટાવવા માટે ગિરનારના ગજપદકુંડનું પાણી કાવડમાં મૂકીને જમીન પર મૂક્યા વગર સંઘ સાથે વાજતે ગાજતે લાવવામાં આવ્યું. આ અભિષેકમાં આકર્ષણનું એ એક મુખ્ય અંગ હતું. તે કાવડને મારા યુવાન સાધર્મિક ભાઇઓએ ભક્તિ ભરેલા હૈયાથી ઉપાડી હતી. જેથી ગામોગામ શ્રી શત્રુંજય માટેની ભક્તિ ભાવનાનાં પૂર ઊમટ્યાં હતાં. આમ પાલિતાણામાં અભિષેકના નામે રોજ રોજ નવા નવા કાર્યક્રમો જાહેર થતા ને ઉજવાતા.
અભિષેકમાં લાભ લેનારા માટે વર્ધમાન તપની ૧૦૦, ઓળી ૯ ઉપવાસથી ૬૮ સુધીના ઉપવાસો - ચતુર્થવ્રત વગેરે નિયમો રાખ્યા હતા. તેમાં પણ સાધર્મિકોની પડાપડી થતી હતી. પછી અભિષેકનો સમય નજીક આવતાં બાકી રહેલા સાધર્મિકોની અને બીજા ભાવિકોની માંગણી ચાલુ જ હતી કે અમોને પણ આમાં લાભ મળવો જોઈએ. તેના માટે અઠ્ઠમ તપ - ૯ લાખ નવકાર - એક વર્ષ સુધી બ્રહ્મચર્ય - છેવટે ઓછામાં ઓછા એક લાખ નવકાર આવાં નાના નાના નિયમો સાથે, ભાવનાવાળા ભાવિકોને છગાઉના દરેક સ્થળમાં અભિષેક કરવાના પાસ આપીને તેઓને લાભ આપ્યો.
આ અભિષેકના દિવસે મોટો ગિરિરાજ પણ નાનો લાગતો હતો. જ્યાં જુઓ ત્યાં સાધર્મિકો અભિષેકના ઘડાઓ લઇને ઊભા હોય. જાણે આકાશમાંથી દેવતાઓ જ સાક્ષાત્ આ અભિષેક કરવા પધાર્યા હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. આપણે એમ કલ્પના કરી શકીએ કે પ્રભુજીના જન્માભિષેકમાં મેરુપર્વત પર આવું જ દશ્ય સર્જાતું હશે...!
અભિષેકનું આવું મોટું કામ કરવા છતાં તેઓમાં જરાપણ અભિમાન નહોતું. કોઇક ભાવિક જઇને કંઈક સૂચન કરે તો હાથ જોડીને કહેતા હતા કે, તમારા સૂચન પ્રમાણે કરવા માટે અમે જરૂર પ્રયત્ન કરીશું.
વિહાર કરીને પધારી રહેલા પૂ. સાધુ-સાધ્વી ભગવંતો માટે સ્થાન-વાસણ વગેરેની યથાશક્ય સગવડો કરી હતી તથા ડોળી-માણસ વગેરેનો પગાર ચૂકવવા માટે ૮-૧૦ દિવસ પહેલાં ખેતલાવીરમાં એક પેઢી ખુલી ગઇ હતી. ત્યાં જઈને કહેતાં તરત જ જગ્યા મળી જતી હતી અને માણસોનો પગાર ચૂકવાઈ જતો હતો. જેનું સફળ સંચાલન કુમારપાળભાઈ કરતા હતા. શાસનનાં મોટાં કાર્યોમાં કુમારપાળભાઇનો ફાળો અચુક હોય જ.
પૂ. સાધુ-સાધ્વી ભગવંતો માટે શ્રી શત્રુંજય વિહાર અને ચંદ્રદીપકમાં ભક્તિનું અદૂભૂત રસોડું ચાલું હતું અને આ પ્રસંગે પધારેલા મહેમાનો અને સ્વયંસેવકો માટે પન્નારુપામાં મોટા પાયે રસોડું ચાલતું હતું.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૪૫
Page #467
--------------------------------------------------------------------------
________________
દરેક પ્રસંગે રજનીકાંતભાઈ સહુને હાથ જોડીને એમ જ કહેતા હતા કે તમે સગવડો કરો. પૈસાની સામે ન જોશો. આવી ભાવનાથી પ્રેરાઈને સહુએ યથાશક્ય સહાય ને સેવા કરી છે. જેથી આ પ્રસંગ સહુના માટે ચિરસ્મરણીય બની ગયો.
અભિષેકના દિવસોમાં વાતાવરણને ગૂંજતું કરવા માટે ગામના અને આજુબાજુના ગામડાંઓમાંથી ૮૦૦ ઢોલીવાળા ભાઇઓને બોલાવવામાં આવ્યા હતા. જેનું સહુને આકર્ષણ હતું.
અહીં અભિષેકના દિવસોમાં બે મોટા વરઘોડા નીકળ્યા હતા. પહેલા વરઘોડામાં ગજપદકુંડનું પાણી જે કાવડમાં લાવ્યા હતા તે અને દરેક ગચ્છના સ્વર્ગસ્થ ગચ્છાધિપતિઓના આશીર્વાદરૂપ આવેલા વાસક્ષેપના પાંચ રંગના વાટવાઓ તથા ૮૦૦ ઢોલીઓ. આ બધી વસ્તુઓ સહુના માટે નહિ જોયેલું - જાણેલું ને સાંભળેલું હતું.
અને બીજો વરઘોડો જે તીર્થજળો-ઔષધિઓ અને અભિષેક કરનારા બે પુણ્યાત્માઓ એક રજનીકાંતભાઈ તથા શ્રી શાંતિચંદભાઇના સહકુટુંબનો હતો. તે વરઘોડો ઉપર દાદાના દરબાર સુધી પહોંચ્યો હતો. તેમાં વિવિધ રાજયોના ઢોલીની ૫૦૦ મંડળી આવી હતી. તે પ્રસંગનું દૃશ્ય અકથ્ય ને અકથનીય હતું.
શ્રી ગિરિરાજના અભિષેક માટે તીર્થો ને નદીઓનાં જળો જે લાવેલાં હતાં અને અભિષેક માટે જે અમૂલ્ય ઔષધિઓ મંગાવેલી હતી. તે બધી વસ્તુઓને ૧૦૮ તીર્થદર્શન સમવસરણ મંદિરના પ્રાંગણમાં એક વિશાળ પદ્મ સરોવર બનાવીને તેમાં ભેગી કરવામાં આવી હતી. આ રીતે અભિષેકનું જળ તૈયાર કરવામાં આવ્યું હતું.
આ તીર્થજળોમાં સુગંધી દ્રવ્યો ભેગાં કરવાથી સાક્ષાત્ પદ્મસરોવરની ભાવના પ્રગટ થતી હતી. સાથે સાથે છેલ્લો ઉદ્ધાર કરનાર કર્માશાની મનોહર રચના પણ ત્યાં બનાવવામાં આવી હતી.
પાસરોવરમાંથી અભિષેકનું પાણી લઈને તે વરઘોડો જ્યારે ઉપર પહોંચ્યો. ત્યારના આનંદનું ને દેખાવનું વર્ણન થઇ શકે તેવું ન હતું. ફક્ત જોનારા જ અનુભવી શકતા હતા.
આમ આ ગિરિરાજનો સંપૂર્ણ અભિષેક ૧૯૩૯ વર્ષ પછી થયો. તેટલાં વર્ષો પહેલાં વિ.સં. ૧૦૮માં જાવડ શાહે શ્રી શત્રુંજયનો ઉદ્ધાર કરાવીને તેવો અભિષેક કર્યો હતો. તેવો પ્રાચીન પુસ્તકોમાં ઉલ્લેખ મળે છે.
આમ છેલ્લાં સેંકડો વર્ષોમાં નહિ થયેલા અને નહિ થનાર એવા અભિષેકને કરવાનું પુણ્ય બંધવ બેલડી જેવા રજનીકાંતભાઈ અને શાંતિચંદભાઇએ સહુના સાથ સહકારથી મેળવ્યું.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૪૪૬
Page #468
--------------------------------------------------------------------------
________________
અભિષેક કરીને સાંજે જ્યારે નીચે ઉતર્યા અને પોતાના સ્થાનમાં આવી ગયા ત્યારે પોતાના દરેક ધાર્મિક કાર્યમાં ભાગીદાર શ્રી શાંતિચંદભાઇને પૂછ્યું કે કેમ ભાઈ ! આપણું કામ નિર્વિને પાર પડી ગયુંને? ત્યારે શાંતિચંદભાઇએ શાસનદેવોની કૃપાથી આપણે પાર ઉતરી ગયા તેમ કહી હા પાડી.
રજનીકાંતભાઇ અને શાંતિચંદભાઈની ધર્મના કાર્યો કરવા માટે એવી સરસ પ્રકારની સાધર્મિક સગાઈ ગોઠવાઈ ગઈ હતી કે જાણે બે સગા ભાઇઓ જ જોઈ લો. ધાર્મિક કાર્યો કરવામાં આ બંને પુણ્યાત્માઓ સાથે જ હોય. અરે ! એકબીજાના નામે ગમે તેવું મોટું ઘી બોલી દે કે રકમ લખાવી દે તો પણ બંને જણા પ્રેમથી આપી દેતા હતા. આવી હતી બંને આત્માઓની અખૂટ ઉદારતા.
અભિષેકના ત્રણ દિવસોમાં જે સાધર્મિકોનું સ્વામીવાત્સલ્ય થયું હતું. તેની પ્રશંસા ને વર્ણન સાધર્મિકો પોતાના મુખે જ કરતા હતા ને બોલતા હતા કે આનું નામ જ કહેવાય સ્વામીવાત્સલ્ય.
અભિષેકના દિવસની સાંજે રજનીકાંતભાઈને પોતાની નાત તરફથી માનપત્ર આપવાનું ગોઠવાયું હતું. તેઓની ઇચ્છા ન જ હતી. પણ સહુના આગ્રહથી એ સમારંભમાં ગયા. બાલિકાઓએ સ્વાગત ગીત ગાયું. પછી કાયમના રિવાજ પ્રમાણે શ્રી નવકાર મંત્રના આઠ પદો ગવાયા. ને નવમું પદ “પઢમં હવઈ મંગલ” - બોલતાં સવા આઠ વાગે પોતે પોતાની ડોક એક બાજુ ઢાળી દીધી. એ જ ક્ષણે હાર્ટએટેક દ્વારા સમાધિપૂર્વક તેમની જીવનલીલા સંકેલાઇ ગઇ. તેમનો આત્મા પરલોકનો પ્રવાસી બની ગયો. તેઓનું જીવન ધન્ય ધન્ય બની ગયું. પોતાના જીવનનું છેલ્લામાં છેલ્લું કાર્ય પણ સારી રીતે પૂર્ણ કર્યું. આ બધા પ્રસંગો જોતાં આપણે સહુ એમ કહી શકીએ કે એમનું મૃત્યુ સમાધિમય થયું. જો મૃત્યુ પામતાં આવા ઉત્તમ સંજોગો મળે તો પછી જોઇએ પણ શું ?
એ આત્માને મૃત્યુ સમયે વિરતિમાં વરસીતપ ચાલુ હતો, અઠ્ઠમ તપ હતો, ચોવિહારો બીજો ઉપવાસ હતો. આવા તપમાં ને સિદ્ધગિરિની ગોદમાં શું માંગેલું મૃત્યુ મળે ખરું ? હા રજનીકાંતભાઈને મળી ગયું. ને તેઓ ધન્ય બની ગયા.
અથવા તેમણે આ અભિષેક દ્વારા એવું પુન્ય બાંધ્યું કે માનવીય દેહ દ્વારા એ પુન્ય ભોગવાય એમ ન હોવાથી તેઓ દિવ્ય દેહધારી બન્યા.
એમની વિનશ્વર કાયાને ધર્મકાય ગણીને તેના પર પૂ. આચાર્ય ભગવંતો - મુનિરાજો – સાધ્વીજી મહારાજ શ્રાવક અને શ્રાવિકાઓએ વાસક્ષેપ નાંખ્યો. પાલખી બનાવીને મુનિરાજની જેમ સ્મશાનયાત્રા નીકળી.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૪૪૭
Page #469
--------------------------------------------------------------------------
________________
ત્રીજા દિવસે પોષ સુદ સાતમના જ્યારે બપોરના ૧ વાગે તેમની સ્મશાનયાત્રા નીકળી ત્યારે રોડની બંને બાજુ હજારો ભાવિકો અને લોકો શાંત ચિત્તે – અદબપૂર્વક – ગંભીરપણે – સ્વર્ગસ્થનાં અંતિમ દર્શન માટે ને મનોમન એમના ભવ્યાતિભવ્ય કાર્યની અનુમોદનાની અંજલિ આપવા ખૂબ શાંતિપૂર્વક ઉભા હતા.
પાલિતાણા ગામના માણસોએ એમ કહ્યું કે આ ગામના રાજાને પણ આવું માન નહોતું મળ્યું. આટલું માણસ ક્યારેય પણ જોવા મળ્યું નથી.
ઓશવાળ યાત્રિક ગૃહની શેરીના નાકે, તળેટી રોડ ઉપર જ એમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. ત્યાં આજે કળશ આકારનું ભવ્ય સ્મારક બંધાવવામાં આવ્યું છે. આ સ્વર્ગસ્થ આત્મા આપણને સહુને આવાં કાર્યો કરવા માટે જબ્બર પ્રેરણા આપી ગયો.
શત્રુંજય તીર્થ સ્પર્શનાનું ફળ • શત્રુંજય પર્વતને જોયા વિના પણ શત્રુંજય યાત્રા જતા સંઘનું વાત્સલ્ય કરે
તો ક્રોડ ગણું પુણ્ય થાય. (શ્રાદ્ધવિધિ) • અન્ય સ્થાનમાં ક્રોડ પૂર્વ સુધી ક્રિયા કરતા જેટલું શુભ ફળ પામે તેટલું ફળ
આ તીર્થમાં નિર્મલતાથી કરે તો અંતર્મુહૂર્તમાં પામે. (શ્રાદ્ધવિધિ)
શત્રુંજય તીર્થમાં રથ મૂકવાથી ચક્રવર્તી થાય. (શ્રાદ્ધવિધિ) • રાયણવૃક્ષના દરેક પાંદડામાં, ફળમાં, થડમાં દેવવાસ છે. માટે છેદવા નહિ. • આ વૃક્ષને પૂજવાથી તાવ ઉતરી જાય. • બે મિત્રો, બે બેનપણી થતાં આ વૃક્ષની સાક્ષી રાખે તો સુખી થાય. • વૃક્ષ નીચે પડેલી છાલ, પાંદડાનું પાણી કરીને પીએ અથવા શરીર ઉપર
સ્મરણ કરીને ચોપડે તો દુષ્ટ રોગ નાશ પામે. • સોનાની ચોરી કરી હોય તો-ચૈત્રી પૂનમનો ઉપવાસ કરી યાત્રા કરવાથી શુદ્ધ થાય. • વસ્ત્રની ચોરી કરી હોય તો - આ તીર્થે સાત આંબિલથી શુદ્ધ થાય. • કાંસા, તાંબા-પિત્તળની ચોરી કરી હોય તો - સાત દિવસ પુરિમઢ તપ કરવાથી
શુદ્ધ થાય. • મોતી-પરવાળાની ચોરી કરી હોય તો - ૧૫ આંબિલથી શુદ્ધ થાય. • અન્ન-જલની ચોરી કરી હોય તો - સુપાત્ર દાનથી શુદ્ધ થાય. • પશુઓની ચોરી કરી હોય તો - મૂલનાયકની પૂજાથી શુદ્ધ થાય. • રાજભંડારમાં ચોરી કરી હોય તો - કાર્તિક માસમાં સાત આંબિલથી શુદ્ધ થાય. • સધવા, વિધવા, સાધ્વી સાથે ગમન કરનાર - છ મહિના સુધી તપ કરવાથી શુદ્ધ થાય. • બીજાની વસ્તુ પોતે રાખી મૂકે તો - છ માસ સામાયિકથી શુદ્ધ થાય.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૪૮
Page #470
--------------------------------------------------------------------------
________________
હૈ ચે પાવનભૂમિ... યહાં બાર બાર આના...
| (શત્રુંજય ગિરિરાજ આધારિત પર્વ દિવસો)
( કારતક સુદ-૧૫, કાર્તિક પૂર્ણિમા એટલે.. ચાતુર્માસ બાદ સિદ્ધગિરિની યાત્રાનો પ્રારંભ... ચાતુર્માસમાં સ્થિત પૂજયો... સકલ સંઘ સાથે યોગ્ય સ્થાને રહેલ સિદ્ધગિરિના પટ્ટને જુહારે... વધારે... ગિરિના ગુણલા ગાય. યાત્રા કર્યાનો આનંદ અનુભવે.
કાર્તિક પૂર્ણિમાનો મહિમા.. અપરંપાર છે. આવા પર્વના દિવસોના મહિનામાં મહાપુરુષોના જીવન ચરિત્રો જોડાયેલા હોય છે. જ્યારે જ્યારે પર્વ દિવસો આવે ત્યારે તે મહાપુરુષોની પ્રચંડ પુરુષાર્થની યાદ અપાવે છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે તેવા પ્રચંડ પુરુષાર્થને પામેલા એવા બે ભાઇઓની કહાની છે.
દ્રાવિડને વારિખિલ્લજી, દશ કોટી અણગાર / સાથે સિદ્ધિવધુ વર્યા, વંદુ વારં વાર //
દ્રાવિડ અને વારિખિલ્લ દશ ક્રોડ મુનિરાજોની સાથે શત્રુંજયની પાવન પવિત્ર પૃથ્વી ઉપર શાશ્વત પદ પામ્યા હતા. તેથી કારતક પૂનમના દિવસે શત્રુંજયની યાત્રાનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે.
આ બંને ભાઇઓ કોણ હતા...
ઋષભદેવ પ્રભુના સો પુત્રમાંથી દ્રવિડ નામનો પુત્ર હતો. તેને બે પુત્રો (૧) દ્રાવિડ (૨) વારિખિલ્લ.
પ્રભુદેશના સાંભળી... દ્રવિડરાજાનું હૈયું પાણી બન્યું. અને સંસારથી વૈરાગ્ય પામી.... સંયમ સ્વીકાર્યું.
પુણ્યશાળી વારિખિલ્લની સંપત્તિ અને યશની વૃદ્ધિ અત્યંત થવા લાગી. દ્રાવિડથી સહન ન થયું. બંને સગા ભાઇઓ વચ્ચે દ્વેષની ગાંઠ વધુને વધુ મજબૂત બનતી ગઈ. એક દિવસ બંને ભાઈઓ યુદ્ધ માટે તૈયાર થયા... ખુનખાર યુદ્ધ ચાલુ થયું. બંને પક્ષે ૫-૫ કરોડ સૈનિકોનો સંહાર. પણ કોઈ પરિણામ નહિ.
વર્ષાઋતુ સમયે યુદ્ધ વિરામ થયું. દ્રાવિડના મંત્રી વિમલે રાજાને કહ્યું, અહીં થોડે દૂર “શ્રી વિલાસ' નામનું તપોવન છે. ત્યાં ઋષિઓ છે. તેમના દર્શન-વંદનથી પરમ શાંતિ મળશે. બંને તપોવન ગયા... સુવલ્લુઋષિને નમસ્કાર કર્યો. તેમણે ક્રોધ ઉપર ધર્મોપદેશ આપ્યો.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૪૪૯
Page #471
--------------------------------------------------------------------------
________________
લઘુકર્મી આત્માને ઉપદેશની ચોંટ લાગી.. મન શાંત થયું. ઋષિને વંદન કરી છાવણીમાં આવ્યો પણ ચેન પડતું નથી. બસ પગ ઉપડ્યા. નાના ભાઈની છાવણી તરફ બસ હવે તો બધુ એનું. મારૂ હવે કંઈ નહીં. “જીનકા હૈયા સાફ ઉનકા ગુના માફ.” એ ભાવો નાના ભાઇના હૈયામાં સ્પર્શ પામ્યા. નાનાભાઈ વારિખિલ્લજી એ પિતા સમાન મોટાભાઈને ક્ષમા આપી. પશ્ચાત્તાપના આંસુ પાડી બંને ખૂબ ભેટ્યા. બસ હવે જગતના બંધનથી સર્યું. બંને સંન્યાસી બન્યા. એક લાખ વરસ પસાર થઇ ગયા.
એક દિવસ બે વિદ્યાધર મુનિ તપોવનમાં આવ્યા. સંન્યાસીઓએ નમસ્કાર કરી પૂછ્યું, તમે ક્યાં જઈ રહ્યા છો ? તેમણે કહ્યું, અમે શત્રુંજય તીર્થની યાત્રા કરવા જઈએ છીએ. તીર્થનો મહિમા સમજાવ્યો. બંને સંન્યાસી મુનિઓએ પોતાના ૫૫ કરોડના પરિવાર સાથે જૈન દિક્ષા સ્વીકારી. આગળ જતાં તીર્થના દર્શન થતાં આનંદનો કોઈ પાર નથી. ખૂબજ ચઢતા ભાવે આગળ વધે છે. વિદ્યાધરમુનિ બંને ભાઈ મુનિને કહે છે, તમે આ જીવનમાં યુદ્ધ કરી ભયંકર પાપકર્મ ઉપાર્જન કર્યું છે. તે આ તીર્થ ઉપર સાધના કરી શાશ્વત મોક્ષ પદ પ્રાપ્ત કરી શકશો. તે બંને વિદ્યાધર મહાત્માઓ અન્યત્ર ગયા. આ બાજુ બંને ભાઈ મુનિઓ પોતાના પરિવાર સાથે ધ્યાન મગ્ન બન્યા. ક્ષપક શ્રેણી ઉપર આરૂઢ થયા. કેવલજ્ઞાન પામ્યા. અઘાતી કર્મનો ક્ષય કરી કાર્તિક પૂર્ણિમાના દિવસે શાશ્વત અજરામરપદ પામ્યા. તેથી કાર્તિક પૂર્ણિમાનો મહિમા અધિક વધ્યો..
છ ગાઉની યાત્રા યાને ફાગણ સુદ-૧૩૮ ચાલ મિત્ર.. આવવું છે... પાલીતાણા... ત્યાં શું છે...? ફાગણ સુદ-૧૩ છ ગાઉની યાત્રા.. ચાલો હું પણ તારી સાથે આવું છું.
કેવો છે આ છ ગાઉ યાત્રાનો મહિમા... શત્રુંજયની યાત્રાએ અનેક આત્માઓને છ ગાઉની યાત્રાના દિવસોમાં આવવાની ભાવના થાય છે. ( છ ગાઉની યાત્રા એટલે ખાલી ૧૮ કિ.મી. ફરી, દહીં-થેપલા ખાવા એ નથી. પણ તે દિવસે એટલે કે ફા.સુ. ૧૩ના દિવસે ભાડવાગિરિ ઉપર... શ્રી કૃષ્ણ મહારાજના પુત્ર શાંબ અને પ્રદ્યુમ્ન જે ગિરિ ઉપર સાડા આઠ કરોડ મુનિઓની સાથે સિદ્ધિ પદને પામ્યા છે, એ સ્થાનની સ્પર્શના કરવાની છે. જો કે... એમનું ચરિત્ર ઘણું વિસ્તારવાળું છે. પણ ટૂંકમાં વર્ણવાય છે.
એક વખત દ્વારકા નગરીમાં પ્રભુ નેમનાથ પધાર્યા છે. ત્યારે શ્રી કૃષ્ણ મહારાજાએ પૂછ્યું દ્વારકાનો નાશ સ્વાભાવિક થશે કે કોઈ નિમિત્તથી ? પ્રભુ એ
માહાભ્ય સાર • ૪૫૦
Page #472
--------------------------------------------------------------------------
________________
દ્વૈપાયન ઋષિના નિયાણા વિષેની વાત કરી... ત્યાર બાદ... પ્રભુની દેશના સાંભળી વૈરાગી બનેલા શાખ, પ્રદ્યુમ્ન વિ. અનેક યાદવોએ દીક્ષા ગ્રહણ કરી.
દ્વારિકાનું દહન, કૃષ્ણનું મૃત્યુ આદિ વાતો સાંભળી પ્રદ્યુમ્ન મુનિ અતિઘોર તપ કરવા લાગ્યા.
અટ્ટમ, લઘુસિહનિષ્ક્રીડિ તપ, મહાસિનિષ્ક્રીડિ તપ, પોતર તપ, મહાભદ્ર, સર્વતોભદ્ર, એકાવલી, મુક્તાવલી, રત્નાવલી, સર્વાંગસુંદર વિ. તપો દ્વારા કાયાને કષી.
તેઓ અનિત્ય, અશરણ, સંસાર આદિ ભાવનાઓને નિરંતર આત્મામાં ભાવિત કરતા એક વખત... શત્રુંજય ગિરિરાજ ઉપર પોતાના પરિવાર સાથે પધાર્યા. પાંચમું શિખર ભાડવા ડુંગરથી ખ્યાતિ પામેલ ત્યાં પધાર્યા. અનશન સ્વીકારી ૮-૧/૨ ક્રોડ મુનિઓની સાથે ફાગણ સુદ-૧૩ના દિવસે ઘાતિકર્મનો ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા. અંતર્મુહૂર્ત પછી શેષ ચાર ઘાતિકર્મનો ક્ષય કરી અજરામર પદને પામ્યા.
આવા પુણ્યાત્માઓ ઘોર કર્મના બંધનોને નિકંદન કરી, પલકમાં શિવ સુખને વર્યા. ધન્ય તે મુનિવરોને, ધન્ય તે ધરતીને, ધન્ય તે ફાગણ સુદ-૧૩ના દિવસને...
( ચેત્રી પૂનમનો મહિમા એક દિવસ પુંડરીક સ્વામિએ ઋષભદેવ ભગવાનને કહ્યું, “સ્વામી ! મને કેવળજ્ઞાન ક્યાં અને ક્યારે થશે ?'
ભગવાને કહ્યું, “શત્રુંજય ઉપર ચૈત્ર સુદ-૧૫ના તમને કેવળજ્ઞાન થશે અને એ જ દિવસે પાંચ કરોડ મુનિની સાથે મોક્ષે જશો, માટે ત્યાં જાવ.'
ઋષભદેવની આજ્ઞા શિરસાવંદ્ય કરીને, પુંડરીક ગણધર ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા સૌરાષ્ટ્ર દેશમાં શત્રુંજય તીર્થે પધાર્યા. ત્યાં રાજાદિ ઘણા લોકો વંદન કરવા આવ્યા. તેમને ગણધર ભગવાને દેશના આપી.
દેશનાને અંતે એક ચિંતાતુર બેન પોતાની યુવાન, વિધવા પુત્રીને લઈને આગળ આવીને પૂછ્યું કે, “ભગવદ્ ! મારી પુત્રીને કયા પાપકર્મના ઉદયથી ચોરીમાં વૈધવ્ય મળ્યું?'
ગણધર ભગવંતે એનો પૂર્વભવ કહ્યો કે, “જંબૂદ્વીપના પૂર્વવિદેહમાં ચંદ્રકાન્તા નગરી હતી. ત્યાં સમર્થ સિંહ રાજાને ધારિણી રાણી હતા. તે નગરમાં ધનાવહ નામે પરમ શ્રાવક હતા. તેમને ચંદ્રશ્રી અને મિત્રશ્રી નામે બે પત્ની હતી. શ્રાવકની મર્યાદા પાળનાર શેઠે બંનેના વારા રાખ્યા હતા.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૫૧
Page #473
--------------------------------------------------------------------------
________________
એક વખત મિત્રશ્રીના વારામાં ચંદ્રશ્રી કામાતુર થઇને આવી એટલે શેઠે તેને અટકાવી. તેથી તેને મિત્રશ્રી ઉપર દ્વેષ થયો. દ્વેષભાવથી એણે કાર્પણ કરીને મિત્રશ્રીને કદરૂપી બનાવી દીધી. તેથી શેઠે મિત્રશ્રીને છોડી દીધી અને ચંદ્રશ્રી પ્રત્યે રાગી થયા.
સમય જતાં શેઠને ખ્યાલ આવ્યો કે ચંદ્રશ્રીએ જ કામણ કર્યું છે. આથી શેઠને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો અને સગુરુ પાસે સંયમ લીધું.
આ બાજુ ચંદ્રશ્રીએ પતિ વિયોગમાં ધર્મ માર્ગે મન વાળ્યું. શ્રાવિકા ધર્મની આરાધના કરી પણ પાપનું પ્રાયશ્ચિત્ત ન કર્યું. આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામીને ચંદ્રશ્રી તારી પુત્રી થઈ છે. એણે પૂર્વ ભવમાં મિત્રશ્રીને પતિવિયોગ કરાવ્યો. તેથી આ ભવમાં એને પતિનો વિયોગ થયો. તે બાળવિધવા થઈ છે.
બેન પૂછે છે, “ભગવન્! આ કર્મથી છૂટકારો કેમ થાય ?'
પુંડરીક ગણધરે કહ્યું : ચૈત્રી પૂનમની આરાધનાથી જીવ સૌભાગ્ય પામીને સિદ્ધિ પામે છે. આમ કહીને, ચૈત્રી પૂનમની બધી વિધિ કહી. તથા ચડતા પરિણામે ધર્મ કરવાથી નિકાચિત કર્મ તૂટે છે માટે ૧૦-૨૦ એમ ચડતા ક્રમે ૧૫૦ ખમાસમણા આદિ વિધિ કહી. પંદર વર્ષ આ રીતે ચૈત્રી પૂનમ આરાધી, ઉજમણું અને તીર્થયાત્રા તથા તીર્થભક્તિ કરવાનું કહ્યું.
પેલા બેનની બાળવિધવા દિકરીએ આ રીતે આરાધના કરી. અનુક્રમે ધર્મ આરાધના કરતાં સમાધિપૂર્વક કાળ કરી, પહેલા દેવલોકમાં દેવ થઇ. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં, સુકચ્છ વિજયમાં, વસંતપુર નગરમાં, નરચંદ્ર રાજાના રાજ્યમાં...
તારાચંદ શેઠ અને તારામતી શેઠાણીનો પુત્ર થશે. તેનું નામ પૂર્ણચન્દ્ર હશે. પૂર્ણચન્દ્રકુમાર પંદર પત્ની, પંદર પુત્રો, પંદર કરોડ સોનામહોરોનો સ્વામી થશે. ત્યાં ગુરુભગવંતના મુખથી ચૈત્રી પૂનમનો મહિમા સાંભળી, ફરી ચૈત્રી પૂનમની આરાધના કરશે. અંતે દીક્ષા લઇ, નિરતિચાર પાળી, સર્વ કર્મ ક્ષય કરીને મોક્ષમાં જશે.
મેરૂ તેરસ એટલે.. મેરુ ત્રયોદશી... મેરૂ તેરસનો મહિમા એટલા માટે છે... કે તે દિવસે... ઋષભદેવ પ્રભુ અષ્ટાપદજી ઉપર ૧૦૮ મહામુનિઓની સાથે મોક્ષ પદને પામ્યા છે. તેથી તેનો મહિમા વધારે છે.
પોષ વદ-૧૩ના દિવસે પ્રભુના નિર્વાણ કલ્યાણકની આરાધના દ્વારા પ્રભુની ભક્તિ કરાય છે. તેમાં પોષ વદ-૧૩ના દિવસે ચૌવિહાર ઉપવાસ અથવા તિવિહાર
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૫ર
Page #474
--------------------------------------------------------------------------
________________
ઉપવાસ કરવો. રત્નના પાંચ મેરૂ કરવા, તેમાં ચાર દિશાએ ચાર નાના મેરૂ કરવા. રત્નના ન બને તો ઘીના મેરૂ કરવા. તેની પાસે ચાર દિશાએ ચાર નંદાવર્ત કરવા.
અક્ષય તૃતિયા... અખાત્રીજ વૈશાખ સુદ-૩ જયારે... આત્મા ઉપર અજ્ઞાનતાનો અંધારપટ છવાઈ જાય છે. ત્યારે તે પરવશ બની કેવા ભયંકર કર્મોના બંધનોથી બંધાઈ જાય છે. તેનો ખ્યાલ વિચાર આત્માને રહેતો નથી. બસ... આવી જ એક ઘટના... પરમ ઉચ્ચપદને પ્રાપ્ત કરનાર એવા ધન આદિકરનારા, ધર્મ સ્થાપક, ધર્મ પ્રરૂપક પ્રથમ તીર્થકર ઋષભદેવ પ્રભુના જીવન બની છે... પરમતારક પ્રભુ એ... ચૈત્ર વદ-૮ના દીક્ષા ગ્રહણ કરી બસ ત્યારથી કર્મનો ઉદય થયો. પ્રભુ જયાં જયાં ત્યાં તેમને આહાર પાણી યોગ પ્રાપ્ત ન થાય... એક માસ પસાર થયો.. બે માસ ત્રણ માસ ચાર માસ અરે... બારબાર માસ થયા છતાં પ્રભુને ક્યાંય પણ આહાર-પાણીની પ્રાપ્તિ ન થઈ.
પ્રભુને તો પ્રજાજનો પોતાના રાજા સમજીને હાથી, ઘોડા, રથ, હીરા, માણેકમોતી આપે છે. પણ પ્રભુ હવે તેના ત્યાગી છે. મૌનવ્રતધારી પરમાત્મા કશું જ લીધા વિના પાછા ફરે છે ને પોતાના સાધનામાં લીન બની જાય છે.
આટલો દીર્ઘકાળ આહાર-પાણી ન મળવા છતાં પરમાત્માના દિવલમાં કોઇ દીનતા કે હીનતા નથી પણ તપોવૃદ્ધિમાં અનેરો આનંદ છે. એટલું જ નહીં સૂર્યના તેજની જેમ, તપના તેજથી પરમાત્મા શોભી રહ્યા છે. પ્રભુ સંયમધર્મની સાધનામાં ભારડ પક્ષીની જેમ અપ્રમત્ત છે. અખંડ રીતે શુભ ધ્યાનની ધારમાં મગ્ન છે...
એમ કરતાં... વૈ.સુ. ૩ની સુવર્ણ પ્રભાત થઈ. પરમાત્મા મધ્યાહ્ન સમયે ભિક્ષા માટે નીકળ્યા છે. લોકોના ટોળે ટોળા પ્રભુની પાછળ કુતૂહલથી શોરબકોર કરી રહ્યા છે. તે વખતે પરમાત્માના પ્રપૌત્ર શ્રેયાંસકુમાર રાજમહેલના ઝરૂખામાં બેઠા હતા. ભગવંતને જોતા જ શ્રેયાંસકુમારને પૂર્વ જન્મનું જ્ઞાન (જાતિસ્મરણ) થયું.
પોતાના આંગણે પધારેલા પોતાના વડદાદા ઋષભદેવ ભગવાનને શેરડીના રસનું દાન કર્યું, શુદ્ધ ભિક્ષા મળવાથી ભગવાને પારણું કર્યું. તે વખતે ગગનમાં ધ્વનિ થયો. અહો દાન... અહો દાન... ની ઘોષણા સાથે દિવ્ય વૃષ્ટિ થઇ...
માટે કહ્યું છે... કે... પરમાત્મા ઋષભદેવ જેવું... શ્રેષ્ઠતમ પાત્ર શ્રેયાંસકુમાર જેવો ભાવ... શેરડીના રસનું દાન... ઉત્તમ ગણાય છે.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૪૫૩
Page #475
--------------------------------------------------------------------------
________________
તેથી આદિદેવ પ્રભુના એ તપનું નામ “વર્ષીતપ પડ્યું અને શ્રેયાંસકુમારથી દાન ધર્મનો પ્રારંભ થયો. ત્યાં શ્રેયાંસકુમારે લોકને દાનધર્મ સમજાવ્યો.
જેમાં : અન્નનો એક કણ કે પાણીનું એક ટીપું પણ લેવાયું નહોતું. એ ૪૦૦૪૦૦ ઉપવાસની શ્રી ઋષભદેવ પરમાત્માની ઘોર-વીર ઉગ્ર તપશ્ચર્યાના પારણાનો દિવસ એટલે અક્ષય તૃતીયાના પાવન પર્વ તરીકે સુપ્રસિદ્ધ થયો.
વરસોના વહાણા વીત્યા છતાં આજે એ તપની આરાધના સ્વરૂપે.
એક ઉપવાસ, એક દિવસ બેસણું આ રીતે લાગલગાટ ૧૩-૧૩ મહિનાઓ સુધી મનોબળ કેળવી પુણ્યાત્માઓ વર્ષીતપની આરાધના કરે છે.
આપણે પણ આપણા જીવનમાં એક વખત આવી આરાધના કરી જીવન ધન્ય બનાવીએ, અક્ષપદને પામીએ એજ શુભ ભાવના.
| વૈશાખ વદ ૬, જૈન શાસનની જબ્બર જો કોઈ શાન હોય તો તે છે શત્રુંજય તીર્થાધિરાજ...
જેમના ગુણો જેટલા ગાઇએ તેટલા ઓછા છે. એટલું જ નહીં... જ્ઞાની, મહાજ્ઞાની, કેવલજ્ઞાની એવા મહાવિદેહ ક્ષેત્રની પૃથ્વીતલને પાવન કરતા શ્રી સીમંધરસ્વામી ભગવંત પણ પોતાના મુખથી આ શાશ્વતગિરિરાજના મહિમાના ગુણગાન કરે છે.
આ પાવન ભૂમિ ઉપર આ અવસર્પિણી કાળમાં સૌપ્રથમ ભરત મહારાજા છ'રી પાલિત સંઘ સાથે પધાર્યા અને તેમણે આ તીર્થનો પ્રથમ જીર્ણોદ્ધાર કરાવ્યો... એમ કાળ પસાર થતાં જે તે સમયે ઉદાર દિલ દાનવીરો એ આ તીર્થનો ઉદ્ધાર કરેલો છે.
તેમાં... વર્તમાનમાં ગિરિરાજ ઉપર મૂળનાયક શ્રી આદિશ્વરદાદા બિરાજમાન છે. તેમની પ્રતિષ્ઠા વિ.સં. ૧૫૮૭ વૈશાખ વદ ૬ના શુભ દિવસે પૂ. આચાર્યભગવંત શ્રી વિદ્યામંડન સૂરિજી મ. આદિના વરદ્ હસ્તે થયેલ છે.
તેથી દાદાની વૈશાખ વદ-૬ના વર્ષગાંઠના દિવસે કેટલાય ભાગ્યશાળીઓ પધારી, દાદાની સાલગીરીની ઉજવણી કરી ધન્ય બને છે...
[ અષાઢ સુદ-૧૪ આ દિવસે જે પુણ્યશાળીઓ... સિદ્ધગિરિની છત્ર છાયામાં રહી ચાર્તુમાસની આરાધના કરવા ઉદ્યમવંત બને છે. તે પુણ્યાત્માઓ... શાશ્વત ગિરિરાજની ચાર્તુમાસ પ્રારંભના પૂર્વ દિવસે યાત્રા સ્પર્શના, અર્ચના કરી, ધન્યતા અનુભવે છે...
દાદા આદેશ્વરજીની પૂજા-સેવા દ્વારા અત્યંત રોમાંચિત બને છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૫૪
Page #476
--------------------------------------------------------------------------
________________
આસો સુદ-૧૫
જરાકુમારે દ્વારકાનો નાશ અને કૃષ્ણના મૃત્યુનો સર્વ વૃત્તાંત પાંડવોને જણાવ્યો. તે સાંભળી પાંડવો શોકમગ્ન બની ગયા. તેઓને વૈરાગ્યભાવ ઉત્પન્ન થયો. સંયમની ભાવના ભાવવા લાગ્યા... નેમિનાથ પ્રભુનું નામસ્મરણ કરતાં વિરક્ત થયેલા પાંડવો, સંસારની માયાજાળનો ત્યાગ કરવાના દૃઢ નિરધાર સાથે રહ્યા છે.
તે વખતે સર્વજ્ઞ પ્રભુ નેમિનાથે પાંડવોના બોધ માટે ધર્મઘોષ મહામુનિને પાંચસો મુનિઓ સાથે મોકલ્યા. તેમની દેશના ધોધમાં સ્નાન કરતાં પોતાનો પૂર્વભવ પૂછ્યો. જ્ઞાની ગુરુના મુખે પૂર્વભવ જાણી અતિ સંવેગથી અભિમન્યુના પુત્ર પરિક્ષિતને રાજ્યભાર સોંપીને પાંડવોએ ધર્મઘોષ મહાત્મા પાસે દીક્ષા અંગીકાર કરી. ત્યાર બાદ વિવિધ અભિગ્રહોથી યુક્ત ભીષ્મ તપસ્યા કરવા લાગ્યા.
ધીરે ધીરે પાંડવ મુનિઓ દ્વાદશાંગીના જ્ઞાતા બની ગયા. યુદ્ધમાં ઘણાને ભાલાની અણીથી માર્યા હોવાથી એ પાપને દૂર કરવા ભીમ મુનિએ એવો અભિગ્રહ રાખ્યો હતો કે કોઇ મને ભાલાના અગ્રભાગથી ભિક્ષા વહોરાવે તો તે સ્વીકારીશ. તેમનો આ અભિગ્રહ છ મહિના પછી પૂર્ણ થયો હતો.
પાંડવમુનિઓએ પોતાના ગુરુજીને નેમિનાથ પ્રભુ વિષે પૂછ્યું. ગુરુએ કહ્યું પ્રભુ પોતાનો નિર્વાણ સમય નજીક જાણીને રૈવતાચલ (ગિરનાર) ૫૨ પધાર્યા છે. પાંડવોએ પણ અભિગ્રહ કર્યો કે પ્રભુના દર્શન કરીને માસક્ષમણનાં પારણાં કરીશું. એ ભાવના સાથે પાંડવ મુનિઓએ રૈવતાચલ તરફ પ્રયાણ કર્યું. પરંતુ ગિરનારજી બાર યોજન દૂર હતો ત્યાં તેમને રસ્તામાં ચારણ મુનિએ પ્રભુના નિર્વાણના સમાચાર આપતાં પાંડવ મુનિઓની ભાવના અધૂરી રહી. ત્યાંથી પાંડવો વિમલાચલ ગિરિ તરફ પધાર્યા... ત્યાં પહોંચી, અનશનનો સ્વીકાર કરી... આસો સુદ-૧૫ના દિવસે ઘાતી કર્મોનો ક્ષય થઇ જવાથી પાંડવ મુનિઓને કેવલજ્ઞાન થયું અને આયુષ્ય કર્મ પૂરું થતાં ૨૦ ક્રોડ મુનિઓ સાથે મોક્ષ સિધાવ્યા. આ છે આસો સુદ પૂર્ણિમાનો મહિમા......
આપણે પણ વિમલાચલના ધ્યાનમાં મસ્ત બની... જલ્દીથી જલ્દી... મોક્ષને પામીએ...
***
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૪૫૫
Page #477
--------------------------------------------------------------------------
________________
તીર્થયાત્રાએ જતાં પૂર્વે ) (પ.પૂ. હેમરત્નસૂરીજી મ. સંપાદિત “ચાલો જિનાલયે જઇએ'ના આધારે.) એક સમય હતો, જ્યારે તીર્થયાત્રા પદયાત્રા દ્વારા જ થતી જ. અથવા તો ગાડા જોડીને થતી. આજે પણ એવા વૃદ્ધો છે જેમણે ગાડા જોડીને જાત્રા કરી હતી. બસ, ટ્રેન કે ટેક્ષી જેવા સાધનો ન હતાં એટલે વિરાધના ઓછી થતી અને પગપાળા અથવા ગાડા કે ઘોડાઓ દ્વારા યાત્રાઓ થતી.
આજે સમય પલટાયો, યુગ બદલાયો અને વિજ્ઞાને વાહનોનો ઢગલો કરી નાખ્યો. રે ! હવે તો રોડ પર માણસને ચાલવાની જગ્યા જ ક્યાં રહી છે? રોડ પર ધસમસતા નદીના પૂરની જેમ સતત વાહનો દોડ્યું જતાં હોય છે. ધરતી વાહનોથી ભરાઈ રહી છે અને નભોમંડળ ફલાઇટોની ઘરરરાટીથી ગાજી રહ્યું છે. હવે તો એરટેક્ષીઓના આગમનના ભણકારા વાગી રહ્યા છે. આવતી કાલે કદાચ આકાશમાં ટ્રાફિક જામ થઈ જાય તો કંઈ કહેવાય નહિ !
વાહનો વધ્યા તેમ સાથે સાથે વાહનો દ્વારા તીર્થયાત્રાઓ પણ વધી છે. દૂરદૂરના પ્રદેશોમાં, અંતરીયાળ તીર્થોમાં પણ યાત્રિકો જવા લાગ્યા છે. વહીવટદારો પણ જાગ્રત થયા છે અને મોટાભાગના તીર્થોમાં યાત્રિકોને સારી સુવિધાઓ પણ મળવા લાગી છે. શ્રાવક સંઘમાં દાનનો પ્રવાહ પણ વધ્યો છે. જેના પ્રભાવે તીથોમાં સગવડો વધી છે અને નવા નવા કેટલાક તીર્થો કરોડો રૂપિયાના ખર્ચ પણ વધ્યા છે. આમ
(૧) તીર્થયાત્રાઓ વધી છે. (૨) તીર્થો વધ્યા છે. (૩) તીર્થોમાં સગવડો વધી છે. અને (૪) શ્રાવક સંઘમાં ઉદારતા પણ વધી છે. પણ આ વધારાથી એકદમ રાજી થઈ જવાય એવું નથી. કેમ કે, જેમ - (૧) તીર્થયાત્રાઓ વધી છે તેમ સાથે આશાતનાઓ પણ વધી છે. (૨) તીર્થો વધ્યા છે, સાથે સાથે ગેરવહીવટો પણ વધ્યા છે. (૩) તીર્થોમાં સગવડો વધી છે, સાથે સાથે તે સગવડોનો દુરુપયોગ પણ વધ્યો છે.
(૪) ઉદારતા વધી છે તેમ, સાથે સાથે માત્ર નામના કરી લેવાની અને પૈસા આપીને છૂટી જવાની વૃત્તિ પણ વધી છે. તેથી જ તીથ એક ચિંતાનો વિષય બન્યા છે. હમણાં ગર્વમેન્ટ ઇયરએન્ડીંગ દિવાળીના બદલે માર્ચમાં ફેરવ્યું છે. તેથી છેલ્લા બે-એક વર્ષથી મોટેભાગે ચોપડા પૂજન બંધ થઈ ગયું છે. તેથી લોકો ઘરે ન રહેતાં
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૫૬
Page #478
--------------------------------------------------------------------------
________________
વેકેશન પડતાંની સાથે તીર્થોમાં ઉપડી જાય છે. આ વર્ષે (વિ.સં. ૨૦૪૮) દરેક તીર્થોમાં યાત્રિકોનો ભરાવો એટલા મોટા પ્રમાણમાં થયો કે બહાર મંડપો નાખીને લોકોને ઉતારવા પડે એવી પરિસ્થિતિ આવી ગયેલી.
થોડાક વર્ષો પૂર્વે સુરત, મુંબઈ જેવા શહેરોમાં ધંધાર્થે ગયેલા શ્રાવકો દિવાળી ટાણે દેશમાં આવી જતા. ઘર ઉઘાડતા, ગામડામાં રહેતા અને જિનાલયો વગેરેની સાફસફાઈનું તથા વહિવટની સમુચિત વ્યવસ્થા કરતા. હવે લોકોએ ગામડે જવાનું બિલકુલ માંડી વાળ્યું છે. એટલે ગામડાંના મંદિરોની દેખભાળ બિલકુલ બંધ થઇ જવા પર છે.
વેકેશનમાં ગામડે જવાને બદલે લોકો સપરિવાર તીર્થોમાં જવા લાગ્યા છે. તે લોકોને જણાવવાનું કે ગામડાંના મંદિરોની ઉપેક્ષા સેવાય તે બરોબર નથી. વર્ષમાં એકવાર તો ગામડાંના મંદિરોની સાર-સંભાળ કરવા, શહેરોમાંથી સમય કાઢીને ત્યાં જવું જ જોઇએ. ઘણા ગામડાંઓમાં પાંજરાપોળો, કબૂતરાંનાં, કૂતરાંનાં, ખેતરોની જમીન અન્ય માણસોએ કલ્થ કરી લીધી છે. ઘણા સ્થળે ઉપાશ્રયો વગેરેની જગ્યાઓના પણ દુરુપયોગ શરૂ થઇ ચૂક્યા છે.
વધુમાં જણાવવાનું કે સપરિવાર તમે તીર્થોમાં જાવ ત્યારે તમારા મગજમાં એ વાત સતત ધ્યાનમાં રહેવી જોઇએ કે અમે તીર્થસ્થાનમાં આવ્યા છીએ. યાત્રા કરવા આવ્યાં છીએ, ભવજલ તરવા આવ્યા છીએ પણ ડૂબવા આવ્યાં નથી.
વેકેશનોમાં તીર્થોમાં ઉતરી પડેલા પ્રવાસીઓને મે યથેચ્છ, સ્વચ્છેદ અને બેફામ રીતે વર્તતા અનેકવાર જોયા છે. કેટલાક તો જાણે યાત્રાના બહાના હેઠળ મોજમજા કરવા જ ઉતરી પડતા હોય છે. હવા-ફેર કરવા અને તબિયત સુધારવા આવતા હોય છે. યાદ રહે કે તીર્થસ્થાનમાં તીર્થયાત્રા સિવાયના આશયથી આવવું અને ધર્મસ્થાનોનો ઉપયોગ કરવો એ આત્માને હાથે કરીને દુર્ગતિ ભેગો કરવાનું સ્વ રચિત કાવત્રુ છે.
તીર્થની આશાતનાઓને નહિ જાણનારા, ધર્મને નહિ સમજનારા, સદ્ગુરુઓથી સદાને માટે દૂર ભાગનારા આજના છટકેલ યુવા-યુવતી આ તીર્થધામોમાં આવીને જુગાર, શરાબથી માંડી વિષય સેવન સુધીનાં ઘોરાતિઘોર પાપો કરતાં હોય છે. શત્રુંજય મહાભ્ય નામના ગ્રંથમાં જણાવ્યું છે કે, આ તીર્થમાં આવીને સ્વ-સ્ત્રી સાથે અબ્રહ્મનું સેવન કરનાર નીચમાં નીચ માણસ કરતાંય ભૂંડો છે. પછી પરસ્ત્રીનું સેવન કરનારની તો વાત જ શી કરવી ? થોડીક કડક લાગે તોય કહ્યા વિના ન ચાલે એવી ભાષામાં કહેવું પડે છે કે, “જે લોકોથી તીર્થસ્થાનોમાં આવ્યા પછી પણ સીધા - ન રહી શકાતું હોય તે લોકોએ ધર્મસ્થાનને અભડાવા માટે આવવાની જરૂર નથી. એમના માટે હીલ સ્ટેશનો ઘણા છે.”
માહાભ્ય સાર • ૪૫૭
Page #479
--------------------------------------------------------------------------
________________
તીર્થમાં આવો તો તીર્થની મર્યાદા પાળવી જ પડે. એની અદબ જાળવવી જ પડે. બધા નિયમોને નેવે મૂકીને તમે તીર્થયાત્રા કરવા માંગતા હો તો એ યાત્રા તમારી ભવયાત્રાને વધારનારી સાબિત થશે. માટે પૈસાના પાણી કરીને ફોગટ આવા કર્મો બાંધવાની વહેલી તકે માંડવાળ કરી દેજો .
યાદ રહે કે અન્ય સ્થાનમાં કરેલું પાપ તીર્થસ્થાનમાં આવવાથી પરમાત્માની સાચી ભક્તિ કરવાથી ખપી જાય છે. પણ તીર્થસ્થાનમાં કરેલું પાપ વજલેપ સમાન બની જાય છે. તીર્થમાં સેવેલું પાપ એનો વિપાક બતાડશે. ચમત્કાર દેખાડશે અને ન ધારેલી ઉપાધિ ઉભી કરશે જ માટે કશું કરતાં પહેલાં જરીક સાવધાન બનીને શાંત ચિત્તે વિચાર કરજો.
નવાણુપ્રકારી પૂજાની ઢાળમાં શ્રીમદ્ વીરવિજય મહારાજે ઉચ્ચારેલી કડક વોર્નીગ ફરી એકવાર વાંચી લેજો. કાળજાની કોર પર કોતરી લેજો ને પછી ઠીક લાગે તેમ કરજો.
તીરથની આશાતના નવિ કરીએ, નવિ કરિયે રે નવિ કરીએ. આશાતના કરતાં ધનહાનિ ભૂખ્યાં નવિ મળે અન્નપાણી કાયા વળી રોગે ભરાણી આ ભવમાં એમ તીરથની આશાતના નવિ કરીએ. પરભવ પરમાધામીને વશ પડશે વૈતરણી નદીમાં મળશે અગ્નિને કુંડે બળશે નહિ શરણું કોઇ તીરથના આશાતના નવિ કરીએ.
ઉપરોક્ત પૂજાની કડીઓમાં ઘણી શિખામણ આવી જાય છે. તીર્થની આશાતના કરવાથી ધનની હાનિ થાય છે. એટલે દેવાળું નીકળે, રેડ પડે, આગ લાગે, ગમે તે રીતે ધનનો નાશ થાય. ધનહાનિ થતાં હાલત એવી થાય કે ભૂખ્યાં પડી રહેવું પડે કોઈ રોટલીનું બટકું આપનાર ન મળે. શરીરમાં ભયંકર વ્યાધિ અને પીડાઓ તથા અસાધ્ય દર્દો પેદા થાય. આ તો માત્ર આ ભવની જ વાતો થઈ.
પરભવમાં નરકમાં પરમાધામીના હાથમાં પરવશ થવું પડે. વૈતરણી નામની લાવારસથી ઉકળતી નદીમાં ડૂબવું પડે. સળગતા અગ્નિકુંડોમાં બળવું પડે અને કોઈ કહેતાં કોઈ આધાર કે શરણ ન બને તેવી સાવ દીન, અનાથ અને કંગાલ પરિસ્થિતિમાં
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૫૮
Page #480
--------------------------------------------------------------------------
________________
સતત સીદાવું પડે. આવા ઘોર વિપાકોને જાણીને પ્રત્યેક યાત્રિકે તીર્થસ્થાનમાં પગ મૂકતાં પહેલાં પોતાના આત્માને સાવધાન બનાવી દેવો જોઇએ.
કેટલાક શ્રીમંતો પોતાના સગાંવહાલાંને કે સમાજને બસની સગવડ દ્વારા તીર્થયાત્રા કરાવી દેવા આયોજનો પણ કરતા હોય છે. ભાવના સારી છે – પણ આગળ પાછળનો વિચાર અવશ્ય કરવો. જો તીર્થયાત્રાના નિયમો (જે આ લેખના છેડે મૂકવામાં આવ્યા છે.) બરાબર પળાવાના હોય. તીર્થની આશાતના ન થવાની હોય તો જરૂર લાભ થાય પણ માત્ર ધીંગા-મસ્તી, હાહા, ઠઠ્ઠા-મશ્કરી અને અશોભનીય વર્તાવ થવાનો હોય તો એવાઓને તીર્થયાત્રા કરવાનો કોઈ અર્થ નથી. ગાંડું લોક ! તમારી વાહ વાહ ! એમાં રાજી થઈ જવા જેવું નથી. યાત્રામાં પ્રવેશ આપતાં પૂર્વે જ ફોર્મ ભરાવી જે નિયમો પાળવાની તૈયારી દર્શાવે તેને જ યાત્રામાં સામેલ કરવા.
તીર્થોમાં ગયા પછી જો બ્રહ્મચર્ય ન પાળવાનું હોય, રાત્રે ખાવાનું હોય, અભક્ષ ખાવાનું હોય, પૂજા-સેવા પણ ન કરવાની હોય અને મોજ-મજા જ કરવાની હોય તો એવી યાત્રા ન કરવી સારી ગણાશે.
આપણા પૂર્વજોએ તીર્થો તરવા માટે ઉભા કર્યા છે – કેવી ઉદારતા સાથે તીર્થોનું નિર્માણ કર્યું છે. જે સમયમાં ખટારા કે ક્રેઈન જેવા સાધનો ન હતા તેવા સમયમાં કેવા વિશાળ, વિરાટ, ભવ્ય અને તોતીંગ તીર્થો આપણા શ્રીસંઘે ઉભા કર્યા છે. એમના હૃદયની ભવ્યભાવનાની કદર કરીને સહુએ તીર્થ આશાતના ટાળીને તીર્થયાત્રા માટે પ્રયત્નશીલ બનવું જોઇએ.
| તીર્થયાત્રા માટે કેટલાક સૂચનો આ યાત્રાએ જતાં ઘરેથી નીકળતા પૂર્વે કંકુતિલક કરી, ૧૨ નવકાર ગણી, ગામના જિનાલયે પરમાત્માને ૩ પ્રદક્ષિણા કરી શુભશુકન જોઇને નીકળવું. રસ્તામાં યાચક, માગણ વગેરેને યથોચિત દાન આપી તેમને પ્રસન્ન કરવા. મુસાફરી દરમ્યાન બસમાં કે ટ્રેનના ડબ્બામાં સમુહધૂન, સમુહગાન ચાલુ રાખવું. (પુસ્તકો સાથે રાખવાં તથા પ્રસ્તુત નિયમોના હેન્ડબીલ છાપીને દરેક યાત્રિકને આપી દેવા.) નિંદા-કુથલી-આડીઅવળી વાતચીતો બંધ કરવી. સંસારના કાર્યો, ઉપાધિઓ વગેરે કશું યાત્રામાં સંભાળવું નહિ. તીર્થસ્થાનમાં ઉતર્યા પછી ભોજનશાળા કે ધર્મશાળા ન શોધતાં પહેલાં પરમાત્માના દર્શને જવું. પછી જ ઉતારાની તેમજ જમવા વગેરેની વ્યવસ્થા સંભાળવી.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૫૯
A
A
A
Page #481
--------------------------------------------------------------------------
________________
A
A
A
A
તીર્થયાત્રામાં દરેક વ્યક્તિઓ પોતાનાં પૂજાના કપડાં, પૂજાની પેટી (જેમાં પૂજા માટેના કેશર, ચંદન, બરાસ, વાસક્ષેપ, અક્ષત, નૈવેદ્ય, ફળ વગેરે બધાં દ્રવ્યો ભરેલાં હોય) વગેરે સાથે રાખવાં. તીર્થસ્થાનમાં શક્ય બને તો ભૂમિ પર સંથારો પાથરીને સૂવાનું રાખવું. તીર્થસ્થાનમાં પાન-મસાલા, તમાકુ, શરાબ, જુગાર વગેરે બદીઓથી સદંતર દૂર રહેવું. તીર્થસ્થાનમાં બ્રહ્મચર્યનું નિર્મળ પાલન કરવું. વિજાતીયનો પરિચય ન કરવો, તેમજ વાતચીતો પણ ન કરવી. શક્ય બને તો ઉપવાસ, આંબેલનો તપ કરવો. વાતોમાં, રખડવામાં સમય ન બગાડતાં સમયસર સ્નાન કરીને પૂજાના વસ્ત્રો પહેરીને જિનાલયમાં પૂજા માટે પહોંચી જવું. જેટલા પણ જિનબિંબો હોય તે તમામ પરમાત્માની પૂજાનો લાભ લેવો. યથાશક્તિ ઉછામણી બોલીને પણ પરમાત્માની પૂજા-આરતી વગેરેનો લાભ મેળવવો. હિલસ્ટેશનોમાં જે રીતે સ્ત્રી-પુરુષો એકબીજાને ખભે હાથ મૂકીને જેમ ફરતા હોય તેમ તીર્થસ્થાનમાં ન ફરવું. સંધ્યાના સમયે બહાર રોડ પર આંટા મારવા ન જતાં જિનાલયમાં જઈ અરિહંત વંદનાવલી જેવી સ્તુતિઓ ગાવી, ગીતો ગાવા, ભક્તિ કરવી પણ રખડવું નહિ. તીર્થસ્થાનોમાં ક્યા ક્યા સ્થાનો દર્શનીય-વંદનીય છે તેની જાણકારી પેઢી પર મેળવી લેવી. સમય કાઢી સર્વ જિનાલયોના દર્શન-પૂજા વગેરે કરી લેવાં. પ્રત્યેક તીર્થનો ઇતિહાસ જાણવા પ્રયત્ન કરવો. ઇતિહાસ જાણવાથી તીર્થ પ્રત્યે અહોભાવ વધે છે. બહેનોએ M.C.નું પરિપાલન ચુસ્ત રીતે કરવું. ભોજનશાળા, પરબો, ગાદલાં, ગોદડાં વગેરે અભડાય નહિ, તે રીતે વર્તવું. તીર્થના મેનેજર, કર્મચારી-પૂજારી આદિ સાથે સૌમ્ય-મીઠી ભાષામાં વાત કરવી. રૂઆબથી કોઇને ઉતારી પાડવા નહિ. તીર્થ માટે જોખમકારક કોઈ ફરિયાદ હોય તો ટ્રસ્ટીઓના સરનામા મેળવી તેમની સાથે અવશ્ય પત્રવ્યવહાર કરવો. મારે શું ? એમ કરીને ગંભીર વાત જતી ન કરવી. તીર્થ આપણું છે, આપણે ચિંતા નહિ કરીએ તો કાલે તીર્થ જોખમમાં મૂકાશે. પેઢી પર જે પૈસા ભરો તેની પાકી રસીદ લેવી અને રસીદની સાથે નીચેની કાર્બનકોપીનો આંકડો મેળવી લેવો. કેમ કે કેટલાક સ્થળે કાર્બન પેપર કાપીને રાખે છે એટલે ઉપરનો આંકડો નીચે લખાય જ નહિ. પાછળથી કાર્બન પેપર
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૬૦
Page #482
--------------------------------------------------------------------------
________________
A
ખસેડીને તમે ૨૦૦ રૂા. ભર્યા હોય તો તે ૨૦ રૂા. લખીને ૧૮૦ ખિસ્સામાં મૂકી દે. આવું બધે નથી બનતું પણ ક્યાંક બને છે, માટે સાવધાન રહેવું. કર્મચારીને પૈસા આપીને ખરીદી લેવા જેવી પરિસ્થિતિ નહિ સર્જવી. કેટલાક લોકો કામ કઢાવી લેવા કર્મચારીને બેફામ પૈસા આપીને કાયમ માટે માથે ચડાવી દે છે. પછી એ કર્મચારી તીર્થ માટે જોખમરૂપ બની જાય છે. આજે દરેક તીર્થસ્થાનમાં મોટેભાગે યુવાન કર્મચારીઓ હોય છે. બહેનોએ પોતાના વેશ-પહેરવેશની મર્યાદા રાખવી. જોનારનું મન ભડકી ઉઠે એવો ઠઠારો ન કરવો. સ્નાનાગરમાં ગરમ પાણીનો ઉપયોગ બેફામ રીતે ન કરવો. કેટલાક બાથરૂમમાં બેસીને ડોલોની ડોલો ભરીને ગાંડા હાથીની જેમ ગરમ પાણીએ ન્હાયા જ કરે છે. મફતમાં મળે છે, માટે આમ નાહી નાંખવાની જરૂર નથી. પેન્સીલ કે કોલસાથી દીવાલો પર અમે કયા દિવસે પધાર્યા હતા તેના
શીલાલેખો લખવાની જરૂર નથી. > તીર્થસ્થાનના બગીચા વગેરેમાં જઇને ફૂલઝાડને કે ફળાદિનાં વૃક્ષોને નુકશાન
કરવું નહિ. તીર્થસ્થાનમાં જે કોઈ ભક્તિ, ભેટયું વગેરે કરો એમાં પ્રધાનતા અરિહંત પરમાત્માની જ રહેવી જોઇએ. કેટલાક સ્થળોમાં પરમાત્માને ગૌણ કરીને અધિષ્ઠાયક દેવોની પ્રધાનતા વધારી દેવાય છે તે યોગ્ય નથી. ગમે તેમ તોય અધિષ્ઠાયકો એ પરમાત્માના સેવક દેવતાઓ છે. તીર્થસ્થાનમાં ધર્મશાળાના સંડાસ-બાથરૂમ, સ્નાન માટે ગરમ પાણી – ગાદલા, રજાઇ, પલંગ અને ભોજનશાળા આદિનો ઉપયોગ કર્યા પછી તીર્થસ્થાન છોડતાં પૂર્વે તે સાધનો વ્યવસ્થિત ભળાવીને જવું. ગમે તેમ છોડીને જતા રહેવું નહિ. જે વપરાશ કર્યા હોય તે ધન તીર્થની પેઢી પર લખાવી દેવું જોઇએ. “મફત કા ચંદન ઘસ બે લાલીયા' જેવો ધંધો ન કરવો. તીર્થસ્થાનમાં સાતે સાત ક્ષેત્રોમાં તેમજ અનુકંપા આદિમાં પણ દાન કરવું. એક દિવસમાં પાંચ તીરથ કરી લેવાને બદલે કમસેકમ એક આખો દિવસ એક તીર્થમાં રહીને તમામ જિનબિંબોની પૂજા, દર્શન, ચૈત્યવંદન, ભક્તિ, ભાવના વગેરે કરવું. રાતના સમયે બે કલાક જાપ કરવાથી પણ ઘણી ચિત્તપ્રસન્નતા સંપ્રાપ્ત થશે.
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૪૬ ૧
Page #483
--------------------------------------------------------------------------
________________
તીર્થસ્થાનમાં આપણું વર્તન
(૧) આ તીર્થસ્થાન છે. પવિત્રભૂમિ છે. અત્રે દેવાધિદેવની ભક્તિમાં અસંખ્ય દેવીદેવતાઓ હાજરાહજૂર છે.
(૨) તીર્થની આમન્યા જળવાય તેમ મર્યાદાથી વર્તવું. આ હીલ સ્ટેશન નથી, પણ ધર્મસ્થાનક છે.
(૩) બહેનોએ ખુલ્લે માથે ફરવું નહિ.
(૪) ભાઇઓએ સ્ત્રીઓના ખભે હાથ રાખીને ફરવું નહિ.
(૫) ઠઠ્ઠા-મશ્કરી કે ગંદી વાતો કરવી નહિ.
(૬) બ્રહ્મચર્યનું નિર્મળ પાલન કરવું.
(૭) રાત્રિભોજન કરવું નહિ.
(૮) આઇસ્ક્રીમ, ઠંડા પીણાં, કંદમૂળ જેવી અભક્ષ ચીજો ખાવી નહિ. (૯) શરાબ, જુગાર જેવા વ્યસનો સેવવા નહિ.
(૧૦)તીર્થના કમ્પાઉન્ડમાં સિગારેટ, બીડી પીવી નહિ.
(૧૧)પાન-મસાલા, તમાકુ ચાવવા નહિ. ગમે ત્યાં પિચકારી મારવી નહિ. (૧૨)બાંકડાઓ પર અવિવેકથી બેસવું નહિ.
(૧૩)રેડિયો, ટેપ, ટી.વી. વગેરેનો ઉપયોગ કરવો નહિ.
(૧૪)કાગળીયાના ડૂચા, કચરો વગેરે ગમે ત્યાં ફેંકવો નહિ. (૧૫)ક્રિકેટ, બેડમીન્ટન કે પત્તા રમવા નહિ.
(૧૬)જિનાલય, દેવસ્થાન, ભોજનશાળા, પ્રવચનગૃહ કે ધર્મશાળાની રૂમો વગેરેમાં ચંપલ કે જુત્તાં પહેરીને જવું નહિ.
(૧૭)ધર્મશાળાની રૂમો, ગાદલા, રજાઇ વગેરેનો બેદરકારીથી ઉપયોગ ન કરવો. (૧૮)વ્યવસ્થા અંગે કોઇપણ જાતની ફરિયાદ હોય તો પેઢી પર મળવું અથવા ફરિયાદ પેટીમાં કાગળ નાખવો.
(૧૯)કર્મચારીઓ માટેની ભેટ રકમ બક્ષીસબોક્ષમાં નાંખવી.
(૨૦)M.C.વાળી બહેનોએ દેવસ્થાનમાં દાખલ થવું નહિ. તેમજ તીર્થસ્થાનમાં ક્યાંય આભેડછેટ આવે તે રીતે વર્તવું નહિ.
(૨૧)ઠંડા તથા ગરમ પાણીનો ઉપયોગ બેફામ રીતે ન કરવો.
***
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦૪૬૨
Page #484
--------------------------------------------------------------------------
________________
ચોવિહાર છઠ્ઠ કરી... સાત યાત્રા...! અરે... ચાલ... સચિન... ચાલ... સંયમે પોતાના મિત્રને કહ્યું. સંયમ : ક્યાં જવાની વાત કરે છે.
અરે ભાઈ ! શત્રુંજય પર્વત ઉપર. બે દિવસના પાણી વિના ઉપવાસ કરી સાત યાત્રા કરવા.
એમ... કોણ કોણ જાવ છો ?
અમે... ૫00 યુવાનો પાવન ગિરિરાજની સાત યાત્રા કરી... નજીકના ભવોમાં મુક્તિની ટીકીટ મેળવીશું.
એનું વળી આટલું બધું મહત્ત્વ શું છે. તું કંઇક સમજાવીશ?
હા... ભાઈ.. કેમ નહીં... પૂ. ગુરુદેવના મુખેથી જ એમનો મહિમા સાંભળ્યો છે. તે તને જણાવવામાં શું વાંધો... તો ભાઈ બરાબર સાંભળજે ને અમારી સાથે તું જોડાઈ જજે. આ તીર્થભૂમિ ઉપર અનંતા... અનંત આત્માઓ પરમ પદને પામ્યા છે. કાંકરે કાંકરે અનંતા સિદ્ધા સિદ્ધશે ભાવિ અનંત.”
જે કોઇ પુણ્યાત્મા... ચૌવિહાર છ કરી સાત યાત્રા કરે તે પ્રાયઃ ત્રીજા ભવે મોક્ષને પામે છે. કારણ કે જ્યાં અન્ન અને પાણીનો ત્યાગ કરી શરીરને ખૂબ કષ્ટ આપી જે દેહાધ્યાસ તોડે અને અનંતા સિદ્ધાત્મા જોડે મન જોડે. સતત બે દિવસ તેમનું જ ધ્યાન... એમનું જ રટણ, એમનામય બની જવાથી આપણા મન-વચન-કાયાના યોગો ખૂબજ પવિત્ર અને નિર્મળ બને છે. જ્યાં અનંતા આત્માઓ શુભ ભાવો દ્વારા સિદ્ધિપદને પામ્યા છે. તેમના અણુ પરમાણુ દ્વારા આપણો આત્મા વાસિત બને છે. આવો છે યાત્રાનો મહિમા... કેટલાય પુણ્યાત્માઓએ આજ સુધી આવી ઉત્તમ કોટીની યાત્રા કરી પોતાનું જીવન સફળ બનાવ્યું છે. તો ભાઈ તું પણ આવી મહિમાવંતી યાત્રા કરવા ચાલ.
અઈમુત્તા મુનિવર એમ ભાખે, સાંભળજો ભવિ પ્રાણી રે, ચોવિહારથી છઠ્ઠ તપ કરીને, શત્રુજય શુભ ધ્યાની રે; હોય દિવસ ને સાત જાતરા, કરતાં નિશ્ચિત વાણી રે,
ભવ ત્રીજે મુક્તિ સુખ પાવે, ગિરિ ચડજો એમ જાણી રે. ના, હવે એકપણ જન્મ વધારવો નથી જ. ગર્ભકાળની, જન્મ અને મરણની વેદના અને પરાધીનતા હવે ન જ જોઇએ. ભવનો થાક લાગ્યો હોય તો ભાવપૂર્વક ચોવિહારો છઠ્ઠ કરી સાત યાત્રા કરી લઇએ. ત્રીજા ભવે મોક્ષની ગેરંટી કેવલી શ્રી અઈમુત્તાજી આપે છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૬૩
Page #485
--------------------------------------------------------------------------
________________
નવ્વાણું યાત્રા
આ અવસર્પિણ કાળમાં... પ્રથમ તીર્થંકર આદિનાથ દાદા ને શત્રુંજય ગિરિરાજની ભૂમિ ઉપર ખૂબ જ આલ્હાદ ઉત્પન્ન થયો... તેઓ પોતાના સંયમ જીવન દરમ્યાન પૂર્વ નવ્વાણુ વાર ગિરિરાજ ઉપર પધાર્યા... તેમના જીવનમાં કરેલી એ ગિરિસ્પર્શનાના આલંબન રૂપે વર્તમાન સમયમાં નવ્વાણું યાત્રા ચાલે છે.
આ ગરવા ગિરિરાજની ૯૯ યાત્રા કરવાથી સતત... આખો દિવસ... સવારે ઉઠતાં જ મહિમાવંતા ગિરિરાજની યાદ... છેલ્લે ઉંધે ત્યારે પણ સવારના યાત્રા કરવા જવાનું છે. એ ભાવ સાથે...
નવ્વાણું યાત્રા કરવાથી સૌ પ્રથમ તો શરીર પ્રત્યે મમત્વ ઓછું થાય છે. પરમાત્મા પ્રત્યે, શત્રુંજય તીર્થભૂમિ પ્રત્યે મમતા જાગે છે.
જ્યાં અનંતા આત્માઓ શુભ - શુદ્ધ ભાવો દ્વારા પોતાના આત્માને ભાવિત બનાવી પરમપદને પામ્યા તે ભૂમિની સ્પર્શના આપણા માત્ર દેહને નહિ પણ અંતર આત્મો ખૂબ જ ભાવિત કરે છે. આપણા અંતઃકરણની મલિનતાને પવિત્રતમ બનાવે છે. કેટલાય પુણ્યાત્માઓ યાત્રા કરવા પધાર્યા છે તેમના જીવનમાં રહેલા આદર્શો પામી આપણા પોતાના જીવનને આદર્શમય બનાવી શકીએ છીએ.
જય જય શ્રી આદિનાથના રટણ સાથે ગરવા ગિરિરાજની સ્પર્શના દ્વારા... આત્માનુભૂતિ થાય છે.
ઉપર ચઢતા... કેન્દ્રમાં સિદ્ધગિરિ, વિચારમાં દાદા આદિનાથ નીચે ઉતરતા પણ દાદા આદિનાથના રટણમાં...
વાહ કેવી મહિમાવંતી નવ્વાણું યાત્રાની ભવ્યતમ આરાધના.
સચિતનો ત્યાગ, ભૂમિ સંથારો, એક વખત આહાર, પગે ચાલવું, બ્રહ્મચર્ય પાળવું, આવશ્યકક્રિયા એટલે તેનું બીજું નામ છે છ'રી તે આ પ્રમાણે છે
(૧) સચિત્ત પરિહારી, (૨) ભૂમિ સંથારી, (૩) એકલ આહારી, (૪) પાદચારી, (૫) બ્રહ્મચારી, (૬) આવશ્યકકારી.
આવી સુંદર મજાની યાત્રા કરવાથી આત્મામાં મૈત્રી, પ્રમોદ, કરૂણા, માધ્યસ્થભાવો વૃદ્ધિ પામે છે.
***
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦૪૬૪
Page #486
--------------------------------------------------------------------------
________________
શ્રી નવાણું જાત્રાનું ગણણું
દરેક નામ સાથે ‘મહાગિરેય નમઃ’ કહેવું. જેથી શ્રી શત્રુંજય મહાતીર્થાય નમઃ
૧.
શ્રી શત્રુંજય
૨.
શ્રી બાહુબલી
૩.
શ્રી મરૂદેવી
૪.
શ્રી પુંડરિકગિરિ શ્રી રૈવતગિરિ
૫.
૬.
શ્રી વિમળાચળ
૭.
શ્રી સિદ્ધરાજ
૮. શ્રી ભગીરથ
૯. શ્રી સિદ્ધક્ષેત્ર ૧૦. શ્રી સહસ્ત્રકમળ
૧૧. શ્રી મુક્તિ નિલયગિરિ
૧૨. શ્રી સિદ્ધાચલ
૧૩. શ્રી શતકુટ
૧૪. શ્રી ઢંક
૧૫. શ્રી કદંબ
૧૬. શ્રી કોડીનિવાસો
૧૭. શ્રી લોહિત્ય
૧૮. શ્રી તાલધ્વજ
૧૯. શ્રી પુણ્યરાશિ ૨૦. શ્રી મહાબલિંગિર
૨૧. શ્રી દૃઢશક્તિ
૨૨. શ્રી શતપત્ર ૨૩. શ્રી વિજયાનંદ
૨૪. શ્રી ભદ્રંકર
૨૫. શ્રી મહાપીઠ
૨૬. શ્રી સુગિરિ ૨૭. શ્રી મહાગિરિ
૨૮. શ્રી મહાનંદ
૨૯. શ્રી કર્મસૂડણ ૩૦. શ્રી કૈલાસગિગિર
૩૧. શ્રી પુષ્પદંત
૩૨. શ્રી જયંત
૩૩. શ્રી આનંદ
૩૪. શ્રી શ્રીપદ
૩૫. શ્રી હસ્તગિરિ
૩૬. શ્રી શાશ્વતગિરિ
૩૭. શ્રી ભવ્યગિરિ
૩૮. શ્રી સિદ્ધશેખર
૩૯. શ્રી મહાજશ
૪૦. શ્રી માલવંત
૪૧. શ્રી પૃથ્વીપીઠ
૪૨. શ્રી દુ:ખહરગિર
૪૩. શ્રી મુક્તિરાજ
૪૪. શ્રી મણિકાંત
૪૫. શ્રી મેરૂમહિધર
૪૬. શ્રી કંચનગિરિ
૪૭. શ્રી આનંદધર
૪૮. શ્રી પુણ્યકંદ
૪૯. શ્રી જયાનંદ
૫૦. શ્રી પાતાલમુલ
૫૧. શ્રી વિભાસ
૫૨. શ્રી બિસાલ
૫૩. શ્રી જગતારણ ૫૪. શ્રી અકલંક
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૪૬૫
Page #487
--------------------------------------------------------------------------
________________
w
w
w
w
૫૫. શ્રી અકર્મક
૭૮. શ્રી અભિનંદ ૫૬. શ્રી મહાતીર્થ
૭૯. શ્રી સુમતિ ૫૭. શ્રી હેમગિરિ
૮૦. શ્રી શ્રેષ્ઠ ૫૮. શ્રી અનંતશક્તિ
૮૧. શ્રી અભયકંદ ૧૯. શ્રી પુરૂષોત્તમ
૮૨. શ્રી ઉજવળગિરિ ૬૦. શ્રી પર્વતરાજ
૮૩. શ્રી મહાપદ્મ ૬૧. શ્રી જયોતિરૂપ
૮૪. શ્રી વિશ્વાનંદ ૬૨. શ્રી વિલાસભદ્ર
૮૫. શ્રી વિજયભદ્ર ૬૩. શ્રી સુભદ્ર
૮૬. શ્રી પર્વતન્દ્ર ૬૪. શ્રી અજરામર
૮૭. શ્રી કપર્દી ૬૫. શ્રી ક્ષેમકર
૮૮. શ્રી મુક્તિનિકેતન ૬૬. શ્રી અમરકંત
૮૯. શ્રી કેવલદાયક ૬૭. શ્રી ગુણકંદ
૯૦. શ્રી ચર્ચગિરિ ૬૮. શ્રી સહસ્ત્રપત્ર
૯૧. શ્રી અષ્ટોત્તરશતકૂટ ૬૯. શ્રી શિવંકરૂ
૯૨. શ્રી સૌંદર્ય ૭૦. શ્રી કર્મક્ષય
૯૩. શ્રી યશોધર ૭૧. શ્રી તમોકંદ
૯૪. શ્રી પ્રીતિમંડણ ૭૨. શ્રી રાજય રાજેશ્વર
૯૫. શ્રી કામુક ૭૩. શ્રી ભવતારણ
૯૬. શ્રી સહજાનંદ ૭૪. શ્રી ગજચન્દ્ર
૯૭. શ્રી મહેન્દ્રધ્વજ ૭૫. શ્રી મહોદય
૯૮. શ્રી સર્વાર્થસિદ્ધ ૭૬. શ્રી સુરકત
૯૯. શ્રી પ્રિયંકર ૭૭. શ્રી અચળ
દરરોજ એકેક નામની એકેકી નવકારવાળી ગણવી. દરેક નામને છેડે મહાગિરયે નમ: બોલવું.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૬૬
Page #488
--------------------------------------------------------------------------
________________
શ્રી શત્રુંજયના ૨૧ નામ સંબંધી ખમાસમણના દુહા. સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. ............ અંગ વસન મન ભૂમિકા, પૂજો પગરણ સાર; ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર......... કાર્તિક સુદિ પૂનમ દિને, દસ કોડી પરિવાર; દ્રાવિડને વારિખિલ્લજી, સિદ્ધ થયા નિરધાર. ............. ૩ તિણે કારણે કાર્તિક દિને, સંઘ સકલ પરિવાર; આદિદેવ સન્મુખ રહી, ખમાસમણ બહુ વાર............. ૪ એકવીશ નામે વર્ણવ્યો, તિહાં પહેલું અભિધાન; શત્રુંજય શુકરાજથી, જનક વચન બહુમાન.............. ૫ સિદ્ધા. ૧ સમોસર્યા સિદ્ધાચળે, પુંડરીક ગણધાર; લાખ સવા મહાતમ કહ્યું, સુરનર સભામોઝાર. .......... ચૈત્રી પૂનમને દિને, કરી અણસણ એક માસ; પાંચ કોડી મુનિ સાથશું, મુક્તિ નિલયમાં વાસ. ......... ૭ તિણે કારણ પુંડરીકગિરિ, નામ થયું વિખ્યાત; મન વચન કાયે વંદીએ, ઊઠી નિત્ય પ્રભાત. ............ ૮ સિદ્ધા. ૨ વીશ કોડીશું પાંડવા, મોક્ષ ગયા ઇણે ઠામ; એમ અનંત મુક્ત ગયા, સિદ્ધક્ષેત્ર તિણેનામ............ ૯ સિદ્ધા. ૩ અડસઠ તીરથ હાવતાં અંગરંગ ઘડી એક; તુંબી જળ સ્નાન કરી, જાગ્યો ચિત્ત વિવેક. ............. ૧૦ ચંદ્રશેખર રાજા પ્રમુખ, કરમ કઠણ મલધામ; અચળ પદે વિમળા થયા, તિણે વિમળાચળ નામ. ....... ૧૧ સિદ્ધા. ૪ પર્વતમાં સુરગિરિ વડો, જિન અભિષેક કરાય; સિદ્ધ હુઆ સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય. .......... ૧૨ અથવા ચૌદે ક્ષેત્રમાં એ સમ તીરથ ન એક; તિણે સુરગિરિ નામે નમું, જયાં સુરવાસ અનેક. ......... ૧૩ સિદ્ધા. ૫
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૬૭
Page #489
--------------------------------------------------------------------------
________________
એંશી યોજન પૃથુલ છે, ઉંચપણે છવીસ; મહીમાંએ મોટો ગિરિ, મહાગિરિનામ નમીશ. ગણધર ગુણવંતા મુનિ, વિશ્વમાંહે વંદનીક; જેહવો તેહવો સંયમી,એ તીરથે પૂજનીક. વિપ્રલોક વિષધર સમા, દુ:ખીયા ભૂતલમાન; દ્રવ્યલિંગી કણક્ષેત્રસમ, મુનિવર છીપ સમાન. શ્રાવક મેઘ સમા કહ્યા, કરતાં પુણ્યનું કામ; પુણ્યની રાશિ વધે ઘણી, તિણે પુણ્યરાશિ નામ. ......... સંયમધર મુનિવર ઘણા, તપ તપતા એક ધ્યાન; કર્મ વિયોગ પામીઆ, કેવળ લક્ષ્મી નિધાન. લાખ એકાણું શિવ વર્યા, નારદશું અણગાર; નામ નમો તિણે આઠમું, શ્રી પદગિરિ નિરધાર. શ્રી સીમંધર સ્વામીએ, એ ગિરિમહિમા વિલાસ; ઇંદ્રની આગે વર્ણવ્યો, તિણે એ ઇંદ્રપ્રકાશ દશકોટિ અણુવ્રત ધરા, ભક્તે જમાડે સાર; જૈનતીર્થ યાત્રા કરે, લાભતણો નહિ પાર. તેહ થકી સિદ્ધાચળે, એક મુનિને દાન; દેતાં લાભ ઘણો હવે, મહાતીરથ અભિધાન. પ્રાયે એ ગિરિ શાશ્વતો, ૨હેશે કાળ અનંત; શત્રુંજય મહાતમ સુણો, નમો શાશ્વતગિરિ સંત. ગૌ નારી બાલક મુનિ, ચઉહત્યા કરનાર; જાત્રા કરતાં કાર્તકી, ન રહે પાપ લગાર. જે પરદારા લંપટી, ચોરીનાં કરનાર; દેવદ્રવ્ય ગુરુદ્રવ્યના જે વળી ચોરણહાર.. ચૈત્રી કાર્તિકી પૂનમે, કરે જાત્રા ઇણે ઠામ; તપ તપતાં પાતક ગળે, તિણે દૃઢશક્તિ નામ. ભવભય પામી નીકળ્યા, થાવચ્ચા સુત જેહ;
.....
..........
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૪૬૮
૧૪ સિદ્ધા. ૬
૧૫
૧૬
૧૭ સિદ્ધા. ૭
૧૮
૧૯ સિદ્ધા. ૮
૨૦ સિદ્ધા. ૯
૨૧
૨૨ સિદ્ધા. ૧૦
૨૩ સિદ્ધા. ૧૧
૨૪
૨૫
૨૬ સિદ્ધા. ૧૨
Page #490
--------------------------------------------------------------------------
________________
સહસ મુનિશું શિવવર્યા, મુક્તિનિલય ગિરિ તેહ. ચંદા સૂરજ બેહુજણા, ઉભા ઇણે ગિરિરંગ; વધાવીયો વર્ણન કરી, પુષ્પદંત ગિરિરંગ. કર્મ કઠણ ભવજળ તજી, ઇહાં પામ્યા શિવસદ્મ; પ્રાણી પદ્મ નિરંજની, વંદો ગિરિ મહાપદ્મ. શિવવહુ વિવાહ ઓચ્છવે, મંડપ રચીયો સાર; મુનિવર વર બેઠક ભણી, પૃથ્વીપીઠ મનોહાર. શ્રી સુભદ્રગિરિ નમો, ભદ્ર તે મંગલ રૂપ; જલ તરૂ ૨જ ગિરિવરતણી, શીષ ચઢાવે ભૂપ.. વિદ્યાધર સુર અપ્સરા, નદી શત્રુંજી વિલાસ; કરતા હરતા પાપને, ભજીએ ભવિ કૈલાસ. બીજા નિર્વાણી પ્રભુ, ગઇ ચોવીશી મોઝાર, તસ ગણધર મુનિમાં વડા, નામે કદંબ ગણધાર. પ્રભુ વચને અણસણ કરી, મુક્તિપુરીમાં વાસ; નામે કદંબિરિ નમો, તો હોય લીવિલાસ.. પાતાલે જસ મૂળ છે, ઉજ્જવળગિરિનું સાર; ત્રિકરણ યોગે વંદતાં, અલ્પ હોય સંસાર. તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિક સુખભોગ; જે વંછે તે સંપજે, શિવ ૨મણી સંજોગ. વિમળાચળ પ૨મેમષ્ઠિનું, ધ્યાન ધરે ષડ્ માસ; તેજ અપૂરવ વિસ્તરે, પૂરે સઘળી આશ. ત્રીજે ભવ સિદ્ધ લહે, એ પણ પ્રાયિક વાચ; ઉત્કૃષ્ટા પરિણામથી, અંતર મુહૂર્ત સાચ. સર્વકામદાયક નમો, નામ કરી ઓળખાણ;
શ્રીશુભવીરવિજય પ્રભુ, નમતાં ક્રોડ કલ્યાણ........... ૩૯ સિદ્ધા. ૨૧
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૪૬૯
૨૭ સિદ્ધા. ૧૩
૨૮ સિદ્ધા. ૧૪
૨૯ સિદ્ધા. ૧૫
૩૦ સિદ્ધા. ૧૬
૩૧ સિદ્ધા. ૧૭
૩૨ સિદ્ધા. ૧૮
૩૩
૩૪ સિદ્ધા. ૧૯
૩૫ સિદ્ધા. ૨૦
૩૬
૩૭
३८
Page #491
--------------------------------------------------------------------------
________________
શત્રુંજયનું ભાવાત્મક ચિંતન
શત્રુંજી નદીએ નાહીને, મુખ બાંધી મુખકોષ; દેવ યુગાદિ પૂજીએ, આણી મન સંતોષ...
શત્રુંજી નદીએ નાહીને...
સાચી શત્રુંજી નદી કઇ છે ? જો કોઇ પણ માણસ આપણો વિરોધી હોય અને તેને વશ કરવો હોય તો તેને લાગણી બતાવીએ, તેના ગુણો ગાઇએ, તેના માટે સારું બોલીએ તો ગમે તેવો વિરોધી માણસ પણ આપણને વશ થઇ જાય છે, એટલે શત્રુને જીતવા માટેની નદી એ સ્નેહની નદી છે. સ્નેહને હકીકતમાં પાણીની ઉપમા આપી છે. ઘણાં કહે છે ને કે તેણે મને એટલો બધો સ્નેહ આપ્યો કે સ્નેહથી ભીંજવી દીધો, એટલે સ્નેહને પાણીની ઉપમા આપી છે. જેવી રીતે ઘી અને લોટ હોય તો લાડવો બંધાય નહીં એમાં પાણીનો ભાગ હોવો જોઇએ, એમ પાણીમાં સાચો સ્નેહ છે. પાણીથી માણસને ઠંડક મળે છે, ટાઢક મળે છે, તેવી રીતે આપણે જેટલા સ્નેહાળ બનીશું, જેટલાં જગતનાં જીવ પ્રત્યે લાગણીશીલ બનીશું, કોઇપણ જીવ આપણા માટે પરાયો નથી તેવો ભાવ ભાવીશું અને સ્નેહની નદીમાં નાહીશું તો આપણને અહીંયા બેઠા પણ શેત્રુંજી નદીએ નાહવા જેટલું જ પુણ્ય મળશે.
મુખ બાંધી મુખકોષ...
મુખકોષ બાંધીને જ ભગવાનની પૂજા થાય છે. તો ભાવ મુખકોષ કયો છે? આ મોઢા દ્વારા અસત્ય ભાષણ, અસભ્ય ભાષણ અને અભક્ષ્ય ભક્ષણ બંધ કરી અને પછી જો ભગવાનની પૂજા કરીએ તો જ એ પૂજાનો લાભ થાય છે. આ જીભ ખોટું બોલવા માટે નથી, સાચું બોલવા માટે જ છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, જે માણસ ૧૨ વર્ષ સુધી સત્ય બોલે એટલે કે ૧૨ વર્ષ સુધી ખોટું ન જ બોલે તો એ જે બોલે તે થાય જ એટલે કે વચનસિદ્ધ થઇ જાય, માટે મોઢાથી હલકી ભાષા ન બોલવી જોઇએ. અમુક એવા પણ હલકી જાતનાં માણસો હોય છે કે જે પ્રેમથી વાત કરતી વખતે પણ ગાળનો ઉપયોગ કરે છે, જ્યારે આપણા સભ્ય સમાજનાં ઊંચા ઘરોમાં ભાઇ, મોટાભાઇ... વિગેરે ભાષાનો ઉપયોગ કરીને વાતો કરવામાં આવે છે. એટલે ભાષા બોલતી વખતે સભ્ય ભાષાનો ઉપયોગ કરવો જોઇએ.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૪૭૦
Page #492
--------------------------------------------------------------------------
________________
આ જીભ દ્વારા અભક્ષ્યનું ભક્ષણ કરવું જોઇએ નહીં. શરીર છે માટે ખાવું પડે, પણ આપણું પેટ એ ગટર નથી કે જે આવે તે નાખ્યા જ કરીએ. જેમ ગટરમાં બધુ પડે છે અને ગટરની નદી ચાલે છે એ કેવી લાગે છે ! બસ એ ગટરની નદી ઉત્પન્ન કરનાર બીજું કોઇ નહીં પણ આપણું પેટ જ છે. બીજા બધાના કારખાના તો ઘણાં જ છે પણ આ ગટરના કારખાના ઉત્પન્ન કરનાર એ આપણે પોતે જ છીએ. માટે ગમે તે ખાવું નહીં, ગમે તેવું બોલવું નહીં અને સત્ય બોલવું. આવા પ્રકારનો મુખકોષ બાંધીને પૂજા કરીએ તો તેનો આનંદ કાંઇ અનેરો જ હોય છે.
એટલે સ્નેહ ભાવવાળા રહેવું, જીવ માત્ર પ્રત્યે સ્નેહ રાખવો અને મોઢાથી અસત્ય ભાષણ, અસભ્ય ભાષણ અને અભક્ષ્ય ભક્ષણ કરવું નહીં.
દેવ યુગાદિ પૂજીએ, આણી મન સંતોષ...
મનમાં સંતોષ રાખીને, આપણા કર્મ પ્રમાણે જે કોઇ પણ પરિસ્થિતિ આવી છે, જેવા પણ વાતાવરણમાં આપણે જન્મ્યા છીએ, જે વાતાવરણ આપણને મળ્યું છે તેમાં સંતોષ માનવો જોઇએ. સંતોષ માનવાથી પૂર્વના અશુભ કર્મોનો ક્ષય થાય છે અને નવા શુભકર્મો બંધાય છે. જે માણસ સંતોષપૂર્વક જીવતો હોય, પોતાના મુખને કાબૂમાં રાખતો હોય અને સ્નેહથી યુક્ત હોય તેવો માણસ જો કોઇપણ ભગવાનની પૂજા કરે તો એ પૂજાથી શત્રુંજયનાં આદિનાથ ભગવાન જેટલો જ લાભ થાય છે.
શત્રુંજય ઉપરનાં પાંચ ચૈત્યવંદનો...
પહેલું ચૈત્યવંદન એ જય તળેટીનું છે. તળેટીનાં ચૈત્યવંદનમાં માંગવાનું છે કે મારામાં સ્નેહભાવ પરિણમો, શત્રુનો જય કોનાથી થાય છે ? સ્નેહભાવથી... એટલે મારામાં સ્નેહભાવ ઉત્પન્ન થાવ.
બીજુ ચૈત્યવંદન શાંતિનાથ ભગવાનનું છે. આપણે શાંતિનાથ ભગવાન પાસે માંગીએ છીએ કે મારા દુઃખ-દર્દ દૂર થાવ, પણ એ નહિ, મારા રાગ-દ્વેષ દૂર થાય એવી માંગણી કરવાની છે. જો રાગ-દ્વેષ શાંત થશે તો દુઃખ-દર્દ શાંત થવાના જ છે. આપણે રાગ અને દ્વેષના કારણે જ દુઃખી થઇએ છીએ. શાસ્ત્રમાં કહ્યું છે કે રાગ ઉત્પન્ન થાય એટલે જીવને બાળે, દ્વેષ ઉત્પન્ન થાય તો પણ જીવને બાળે અને રાગ-દ્વેષની શાંતિ થાય એટલે ટાઢક વળે. ખંધકઋષિની ખાલ ઉતારવા આવ્યા તો પણ તેમણે શું માન્યું, કે કર્મ ખપાવવા માટે મેં દીક્ષા લીધી છે, તો આ સહન કરવાથી મારા કર્મ જલ્દી ખપી જશે. આપણને આવો વિચાર નથી
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૪૭૧
Page #493
--------------------------------------------------------------------------
________________
આવતો માટે સામાન્ય દુઃખમાં પણ અતિ દુઃખ લાગે છે. ઘણાં માણસો થોડાકમાં પણ કેટલુંય દુઃખ માનતા હોય છે અને ઘણાં માણસો કેટલાય દુઃખમાં પણ સમતાભાવ રાખે છે, તેથી તેમને ઘણું દુઃખ થોડું લાગે છે.
વચમાં એક લેખ વાંચેલ કે, પેલા વણઝારાં જે ગામે-ગામ ચાલતાં હોય, તેમને પોતાનું ઘર નથી હોતું, પોતાનું નામ નથી હોતું, તેઓ ગામે-ગામ ફરતાં હોય, ગાડાંની ઓથમાં રસોઈ કરે, ગાડાંની ઓથમાં જ સૂઇ જાય અને મસ્તીથી રહેતાં હોય. ત્યાં બે શહેરી માણસો નીકળ્યાં, ત્યારે એક ડોશીમા કહે છે કે, તમારા ભાઈ તો બહાર ગયા છે પણ હું હમણાં જ રોટલા ટીપી દઉં છું. તમે જમીને જાવ. રોટલા અને શાક કરતાં કેટલી વાર લાગે ? ખુલ્લા આકાશ નીચે ખાટલો ઢાળીને પૂર્ણ પ્રસન્નતાથી આવકાર આપ્યો. જ્યારે આપણી પાસે કેટલીય વસ્તુઓ હોય પણ ચિત્તની પ્રસન્નતા નથી એટલે શાંતિનાથ ભગવાનની પાસે આપણે જે પરિસ્થિતિમાં હોઈએ, જેવા પણ વાતાવરણમાં હોઇએ તેમાં આપણું મન શાંત રહે તેવી માંગણી કરવી જોઇએ.
ત્રીજું ચૈત્યવંદન રાયણ પગલાંનું છે. રાયણ પગલાં એટલે ભગવનના પગલા. પગલાનો બીજો અર્થ છે ચરણપાદુકા અને ચરણનો બીજો અર્થ છે ચારિત્ર. એટલે રાયણ-પગલે ચારિત્રની માંગણી કરવી. ચારિત્રનો અર્થ માત્ર વેશ બદલવાનો નથી, અંદરથી ચારિત્ર આવવું જોઇએ. અંદરથી ચારિત્ર આવ્યા પછી જો વેશ બદલાય તો તેની મજા કંઈ જુદી જ હોય છે. તો અંદરનું ચારિત્ર એ શું છે? આત્મરમણતા... દુનિયાની કોઈ બાહ્ય વસ્તુમાં રસ જ ન હોય, આત્મામાં જ રસ હોય. સત્ય, સંતોષ એ બધા આત્માના ગુણો છે, તેમાં આત્મરમણતા આપોઆપ આવી જ જાય, એટલે ત્રીજા ચૈત્યવંદનમાં આત્મરમણતાની માંગણી કરવાની છે.
ચોથુ ચૈત્યવંદન છે પુંડરીકસ્વામીજીનું.. પુંડરીક એ કમળનું નામ છે. કમળ ઘણી જાતનાં હોય છે. પરંતુ તેમાં પુંડરીક કમળ શ્રેષ્ઠ કમળ ગણાય છે. કમળનો સ્વભાવ છે કે, એ કાદવમાં ઊગે છે, પાણીમાં મોટું થાય છે અને છતાં પણ કાદવ અને પાણીથી અદ્ધર રહે છે. તેને પાણીનું ટીપું પણ ચોંટતું નથી. પાણીનું ટીપું એના પર પડે તો પણ નીચે સરી જાય છે. તેવી જ રીતે આપણે સંસારમાં જન્મ્યા છીએ, સંસારમાં મોટા થયા છીએ તેમ છતાં સંસારની કોઈ વસ્તુ આપણને અડે નહીં તેવી માંગણી પુંડરીકસ્વામી પાસે કરવાની છે, તેવી ભાવના કરવાની છે. જો આવી ભાવના દરેક ચૈત્યવંદન કરતા કરીશું તો ધીમે-ધીમે એવી સ્થિતિ આપોઆપ સર્જાઇ જશે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૭૨
Page #494
--------------------------------------------------------------------------
________________
પાંચમું ચૈત્યવંદન છે આદેશ્વર દાદાનું... જેમ આપણને મનમાં કલ્પના હોય છે કે જો સારી મૂડી થાય તો આવો બંગલો બનાવીશું, આવી ફેકટરી બનાવીશું, તો તેના માટે પહેલાં મનમાં જ નક્કી કરવું પડે છે ને ! પહેલાં મનમાં બધો Plan ગોઠવાય, પછી તે નકશામાં (Drawing) આવે અને પછીથી હકીકતમાં આવે છે. એટલે અત્યારે આપણે મનમાં ગોઠવવાનું છે કે મને આત્મભાવ પ્રાપ્ત થાવ, મને રાગ-દ્વેષની શાંતિ મળો, મને સ્નેહપરિણામ મળો, મને નિર્લેપભાવ મળો. કોઇપણ જાતનો લેપ મને લાગે નહીં. એમ આ ચાર ભાવની ભાવના આપણે ક૨વાની છે. આવી ભાવના કરી અને પછી જો આદેશ્વરદાદાનાં દર્શન થાય તો પરમાત્મભાવ આવે છે. મનુષ્યભવની અંદર જો કોઇ કર્તવ્ય હોય તો એ આત્મામાં રહેલા પરમાત્મપણાને ખોલવાનું છે. આપણે અનંત ખજાનાનાં સ્વામી એવાં પરમાત્મા છીએ પરંતુ ખબર નથી એટલે દુનિયા પાસે ભીખ માંગતા ફરીએ છીએ. હકીકતમાં આપણો આત્મા અનંત શક્તિ, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર, અનંત સુખનો સ્વામી છે. એ આત્મભાવ, પરમાત્મભાવ મેળવવા માટે આદેશ્વરદાદાની ભક્તિ, ચૈત્યવંદન કરવાનું છે. એટલે,
પહેલું ચૈત્યવંદન એ સ્નેહભાવનું...
બીજું ચૈત્યવંદન એ સમભાવ કે સમતાનું...
ત્રીજું ચૈત્યવંદન એ આત્મભાવ એટલે આત્મ-રમણતાનું... ચોથું ચૈત્યવંદન એ નિર્લેપભાવ એટલે નિર્લેપપણાનું...
પાંચમું ચૈત્યવંદન એ પરમાત્મભાવ મેળવવા માટેનું છે.
પહેલાં ફક્ત વિચાર જ કરવાનો છે. કદાચ અત્યારે આપણને તેવી લાગણી (Feeling) થવાની નથી. જેવી રીતે બંગલાનો વિચાર કરતાં-કરતાં પુરુષાર્થ જાગે છે, મૂડી ભેગી કરીએ છીએ અને બંગલો બને છે. ફેકટરીનો વિચાર કરતાંકરતાં ફેકટરી પણ બને છે. તેવી રીતે આ વિચાર સતત કરીશું તો આપણે પણ પરમાત્મા આદિનાથ જેવા જ થઇ જઇશું. હકીકતમાં આપણે પોતે પરમાત્મા છીએ પણ અત્યારે આપણું પરમાત્મસ્વરૂપ ઢંકાઇ ગયું છે એ ખુલ્લું થઇ જશે.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૪૭૩
Page #495
--------------------------------------------------------------------------
________________
શ્રી શત્રુંજય તીર્થ સોહામણું
Page #496
--------------------------------------------------------------------------
________________ શ્રી શત્રુંજય તીર્થ...! શ્રી સિદ્ધાચલ તીર્થ...!! શ્રી વિમલાચલ તીર્થ...!!! તારે તે તીર્થ...! અનાદિકાળથી જીવાત્મા જન્મ-મરણના ફેરા ફરી રહ્યો છે. તે ભૂમાગથી બચવા માટે તીર્થ એ ઉત્તમ આલંબન છે. પંદર કર્મભૂમિઓમાં આ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં જ આ શાશ્વત તીર્થ છે. જ્યાં કાંકરે કાંકરે અનંત-અનંત આત્માઓ કર્મ ખપાવીને મોક્ષે ગયા છે. આ તીર્થક્ષેત્રનો મહિમા અપરંપાર છે. એ માટે પૂર્વે યુગાદિ પ્રભુ શ્રી -&ષભદેવસ્વામીના શ્રી પુંડરિકગાગધરે, ભવ્યજીવોના હિત માટે, સવા લાખ શ્લોક પ્રમાણ ‘શ્રી શત્રુંજય માહાસ્ય’ રચ્યું હતું. ત્યારબાદ ભગવાન શ્રી મહાવીરસ્વામીની આજ્ઞાથી શ્રી સુધર્માસ્વામી ગણધરે, મનુષ્યોને અલ્પ આયુષ્યવાળા જાણીને તેમાંથી સંક્ષેપ કરી, ચોવીશ હજાર શ્લોક પ્રમાણ કર્યું. ત્યારબાદ સકલવિધામંડન - શિલાદિત્ય રાજા - પ્રતિબોધક, ચન્દ્રગચ્છવિભૂષણ, પૂજ્યપાદ આચાર્ય શ્રી ધનેશ્વરસૂરીશ્વરજી મહારાજાએ 10 હજાર શ્લોક પ્રમાણ ગ્રંથ રચ્યો. તેના હાલ 9 હજાર શ્લોકો મળે છે. તેમાં વર્ણવેલ શત્રુંજય મહાતીર્થની દિવ્યતા - અલૌકિક મહાનતાનું વર્ણન સાંભળીએ તો પણ થાય કે, અહાહાહા...! કેવો મહાન છે ગરવો ગિરિરાજ...!! આ ગિરિરાજ ઉપર સિદ્ધરસની કે પીકાઓ છે. ગુફાઓમાં રત્ન-મણિ-માણેકના, દેવોથી અધિષ્ઠિત - પૂજાતા પરમાત્મા છે. આ તીર્થ માટે દેવાધિદેવ શ્રી મહાવીરસ્વામી ભગવાને દેશનામાં ફરમાવેલ કે, જેણે શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરી નથી અને ત્યાં બિરાજમાન શ્રી ઋષભદેવ પ્રભુને પૂજ્યા નથી, તે પોતાનો જન્મ ફોગટ હારી ગયો છે. બીજા તીર્થોમાં સેંકડોવાર યાત્રા કરવાથી જે પુન્ય થાય છે, તેટલું પુન્ય આ ગિરિરાજની એક વખત યાત્રા કરવાથી થાય છે. ( આ તીર્થરાજનું માહાભ્ય શ્રી કેવલીભગવાન પણ જાણવા છતાં કહેવા સમર્થ થતા નથી. સ્તવનની આ કડી આવે છે... से गिरिवरना गुरा घायशासे, नाशीसे नवि छठेवाय; पूष्णे गिरिराषने रे... જાણો પાર કરી નવિ શકે એ, મૂક-ગુગ ને ન્યાય... પૂજો ગિરિરાજને રે... આવા મહાન શત્રુંજય તીર્થાધિરાજનું માહાત્મ્ય આ ગ્રંથમાં છે. 5. વજસેન 5 Tejas Printers AHMEDABAD M.2 67620