________________
1.
કે
જે
તે છે.
-
છે પંદરમાં ઉતારક : સમરાશા છે સંવત તેર ઈકોતેર રે- સમરોશા ઓશવાળ, ન્યાય દિવ્ય વિધિ શુદ્ધતા રે - પન્નરમો ઉદ્ધાર હો જિનજી.'
પ્રસિદ્ધ એવા પાટણ શહેરમાં ઓશવાળ જ્ઞાતિના દેશળશા નામે શ્રેષ્ઠિ હતાં. તેમનાં ધર્મપત્નીનું નામ ભોલીદેવી હતું. તેમને (૧) સહજપાલ, (૨) સાહણદેવ, (૩) સમરસિંહ (સમરાશા) વગેરે દેવકુમાર જેવા પુત્રો હતા. આ બધામાં વિશેષાધિક તેજસ્વી અને ચતુર સમરસિંહ (સમરાશા) હતા. સહજપાલ, દેવગિરિ અને સાહણ ખંભાતમાં વેપાર કરતો હતો. પાટણમાં સમરાશાએ વેપારી કુનેહ અને બુદ્ધિબળથી પાટણના સુબા અલપખાન અને દિલ્હીના બાદશાહ અલ્લાઉદ્દીન સાથે મીઠો સંબંધ બાંધ્યો હતો અને વેપાર તથા કીર્તિ બંનેમાં યશ મેળવ્યો હતો.
એવામાં વિ.સં. ૧૩૬૯નો દુઃખદ અંધાધૂંધીનો કાળ આવ્યો. અલ્લાઉદ્દીનના સરદારોએ ધર્મઝનૂનથી શત્રુંજયનો પણ ધ્વંસ કર્યો. મૂલનાયક પ્રતિમાનું મસ્તક ઉડાવી દીધું. ચોતરફ આ સમાચારથી ભારતભરના જૈનસંઘના હૃદય પર આઘાતજનક ઘા થયો. કેટલાક બેભાન થઈ ગયા. કેટલાકે અન્ન જળ છોડ્યાં. આ સમાચાર પાટણમાં દેશળશા અને સમરાશાને મળ્યા. તે બંને પણ ખિન્ન થઈ ગયા.
સમરાશા પ્રતાપી હતા. તે તુરત દિલ્હી પહોંચ્યા અને સમગ્ર હકીક્ત અલ્લાઉદ્દીનને કહી - કહ્યું : “હે શા ! આ રીતે મૂર્તિઓ તોડવાથી ધર્મનો ધ્વસ થતો નથી. ધર્મ તો અમારા આત્મામાં રમે છે. તેનો કોઇકાળે કોઇ ઉચ્છેદ કરી શકશે નહિ અને આ રીતના ધર્મઝનૂનથી તમારી કીર્તિ ઘટે છે.” આવા વચન સાંભળી શાહ ક્ષણભર શરમીંદો બન્યો. તેણે શત્રુંજયનો ફરી ઉદ્ધાર કરવા માટે સુબા અલપખાનને ફરમાન લખી આપ્યું.
સમરાશા પાટણ આવ્યા. ફરમાન અલપખાનને આપ્યું. તેમણે પણ સાંત્વન આપી સમરાશાનું બહુમાન કરવા પોતાના તરફથી પાઘડી, ખેસ અને પાવડી ભેટ આપ્યાં અને કહ્યું : “તમે શત્રુંજયનો ફરી જીર્ણોદ્ધાર કરાવો. અમે તમને સહાય કરીશું.” આ ફરમાન લઇ સમરાશા ગુરુ મહારાજ પાસે આવ્યા. ગુરુ મહારાજે ધન્યવાદ આપ્યા... કહ્યું : “સમરાશા ! આ કપરા સમયે ધર્મઝનૂની બાદશાહોની પાસેથી ધર્માનુકૂળ ફરમાનો મેળવવા સહજ નથી. એ કાર્ય તમે સુંદર કર્યું છે. હવે ઉદ્ધારની તૈયારી કરો.” સમરાશાએ ઉત્સાહથી જયાં સુધી શત્રુંજયનો જીર્ણોદ્ધાર ન કરું ત્યાં સુધી પાંચ નિયમો લીધા : (૧) બ્રહ્મચર્ય પાળવું. (૨) નિત્ય એકાસણું
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૩૪