________________
ખરેખર એક ધર્મ જ જગત્પતિ છે. કારણ કે એની આજ્ઞાને અનુસરનારા લોકો ત્રણલોકના નાયક શ્રી તીર્થકર થાય છે. રાજાને રાજાપણું આપનાર પણ ધર્મ છે. ધર્મ વિના જરાપણ સુખ મેળવી શકાતું નથી. આ સંસારમાં કેટલાક જીવો દુઃખો સહન કરે છે અને કેટલાક સારા ભોગો ભોગવે છે. આમાં ધર્મ અને અધર્મ જ પ્રમાણરૂપ છે.
શુદ્ર એવા રાક્ષસ, સિંહ અને સર્પ વગેરે પણ પુણ્યવાન પ્રાણીને જરાપણ ઇજા કરવા સમર્થ થઈ શકતા નથી. એ ધર્મનું જ પ્રત્યક્ષ માહાભ્ય છે. માટે ધર્મ કરવામાં જરાપણ પ્રમાદ ન કરવો. તેનાથી ધર્મ હણાય છે અને ધર્મના નાશથી દેહમાં વ્યાધિ, બંધન વગેરે વિપત્તિઓ થાય છે. | માટે હે પ્રાણીઓ ! જેનાથી કલ્યાણની સિદ્ધિ થાય છે, એવા મહાકલ્યાણકારી ધર્મની તમે આરાધના કરો.'
આ રીતે ધર્મરૂપી અમૃતનાં ઝરણાસમાન, જગદ્ગુરુનાં ઉપદેશવચનોનું પાન કરીને જાણે નિધાનની પ્રાપ્તિ થઈ હોય તેમ સર્વે અત્યંત હર્ષ પામ્યા. તેમાંથી કેટલાકે સંયમ ગ્રહણ કર્યું. કેટલાક સમ્યગદર્શન પામ્યા અને કેટલાક હર્ષપૂર્વક ભદ્રકભાવને પામ્યા.
તે અવસરે સૌધર્મેન્દ્ર, તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તીર્થે બિરાજમાન યુગાદિજિન, પવિત્ર રાયણ વૃક્ષ, મનોહર નદીઓ, સરોવરો, કુંડો, પર્વતો, વૃક્ષો, વનો, નગરો તથા ઊંચાં શિખરોને જોઇને હર્ષના ઉત્કર્ષથી રોમાંચિત થયા અને બે હાથ જોડી, સર્વને આનંદ કરાવતા ગુણગર્ભિત અને અમૃત જેવી વાણીથી જગત્પતિ શ્રી મહાવીર સ્વામી ભગવંતને પૂછવા લાગ્યા.
ગિરિરાજ વિષે સૌધર્મેન્દ્રના પ્રશ્નો હે જગતના આધારભૂત ભગવદ્ ! આ જગતમાં તીર્થરૂપ તો આપ છો જ, આથી આપનાથી અધિષ્ઠિત એવું આ તીર્થ વિશેષ પવિત્ર થયું છે. હે પ્રભુ ! -
આ તીર્થમાં દાન, તપ, જપ, વ્રત, પૂજા વગેરે કરવાથી શું શું ફળ પ્રાપ્ત થાય છે? > આ તીર્થનો મહિમા શા માટે ગવાયો છે ?
તેની સ્થિતિ કેટલી છે ? આ નવીન પ્રાસાદ ક્યા ઉત્તમ પુરુષે કરાવ્યો છે ? તેમાં રહેલી આ ચંદ્રની સ્ના જેવી સુંદર પ્રતિમા કોણે ભરાવી છે ? આ રાયણ વૃક્ષનો શો પ્રભાવ છે ? આ રસનો કૂવો, રત્નની ખાણ, કુંડો, ગુફાઓ, સરોવરોનો શો મહિમા છે? અહીં કયા કયા ઉત્તમ પુરુષો થઈ ગયા છે ?
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૧
A
A
A
A
A
A
A