________________
ગયા. સવારના ૬.૩૦ થી સાંજના પાંચ વાગ્યા સુધી ઇરિયાવહીનો પાઠ કરી જીવમૈત્રી સાથે પ્રભુમૈત્રી બાંધી. • ગિરિરાજના પગથીએ પગથીએ અષ્ટપ્રકારી પૂજા કરનારા જોયા...
તો ગિરિરાજમાં ઉત્તમ દ્રવ્યો | ઉપકરણો ધરતા દેખ્યા...
ગિરિરાજની તમામ ધર્મશાળાના મુનિમજીઓ, તમામ પૂજારીઓ, તમામ કર્મચારીઓ, તમામ ઘોડાવાલાઓ, તમામ ફુલવાલાઓનું બહુમાન કરતા ભાવિકોની વિવિધતા અને વિશેષતાના દશ્યો દેખ્યા, તો ધર્મશાળામાં સ્થિરવાસે બિરાજમાન પૂજયોને સ્વદ્રવ્યથી ડોળીઓ કરાવી દિવસો સુધી ક્રમ ચાલુ રખાવી સહુને દાદાનો સ્પર્શ કરાવ્યાનો અનોખો લાભ લેતા જોયા.
ભાવનગરના અંતુભાઇ ઘેટીવાળા દ્વારા કરાતી વૈયાવચ્ચ ભક્તિ નિહાળી તો વર્ધમાન તપ આયંબિલ ખાતાવાળા પ્રફુલ્લભાઇની નમ્રતા અને સૂજભરી ઉદારતા નીરખી ગદ્ગદ્ બનાયું છે.
ધન્ય ભાવિકો ! ધન્ય ભાવના !
ગિરિરાજના કણકણની સાર્થકતા સફળ કરનારા નામી અનામી આત્માઓને હૃદયના વંદન...
શત્રુંજયના સત્તર ઉદ્ધારો. કયો ઉદ્ધાર કોણે કરાવ્યો પ્રથમ ઉદ્ધાર................. . ભરત રાજા બીજો ઉદ્ધાર •••••
દન્ડવીર્ય રાજા ત્રીજો ઉદ્ધાર ................. ઇશાને • ચોથો ઉદ્ધાર .................... ચોથા દેવલોકના ઇન્દ્ર પાંચમો ઉદ્ધાર............... પાંચમાં દેવલોકના ઇન્દ્ર છઠો ઉદ્ધાર ................... અમરેન્દ્ર સાતમો ઉદ્ધાર............. સગરચક્રીએ આઠમો ઉદ્ધાર .......... વ્યંતરેન્દ્ર નવમો ઉદ્ધાર ............ ચંદ્રયશ રાજા દશમો ઉદ્ધાર ............... ચક્રાયુધે અગ્યારમો ઉદ્ધાર............. રામચંદ્રજીએ બારમો ઉદ્ધાર................ પાંચ પાંડવોએ તેરમો ઉદ્ધાર ............... વિ.સં. ૧૦૮માં જાવડે કરાવ્યો ચૌદમો ઉદ્ધાર ............. વિ.સં. ૧૨૧૩માં બાહડ શેઠે કરાવ્યો પંદરમો ઉદ્ધાર ............ વિ.સં. ૧૩૭૧માં સમરાશાહે કરાવ્યો સોળમો ઉદ્ધાર ............... વિ.સં. ૧૫૮૭માં કર્ણાશાહે કરાવ્યો સત્તરમો ઉદ્ધાર ............. દૂધ્ધહસૂરિના ઉપ. વિમલવાહન રાજા કરાવશે.
(શત્રુંજય મહાભ્ય)
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૪૩૮